24 June 2010

‘બેસ્ટ ઓફ ફાઈવ’ પદ્ધતિ હાઈ કોર્ટે ફગાવી: વિદ્યાર્થીઓ વિમાસણમાં



બેસ્ટ ઓફ ફાઈવપદ્ધતિ હાઈ કોર્ટે ફગાવી: વિદ્યાર્થીઓ વિમાસણમાં

મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક શિક્ષણ મંડળ (સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ)ની સર્વોત્તમ પાંચ (બેસ્ટ ઓફ ફાઈવ) ફોમ્યુંલા બુધવારે મુંબઈ વડી અદાલતે રદબાતલ કરી હતી. આ સંદર્ભમાં રાજ્ય સરકારે બહાર પાડેલો આદેશ રદ કરવાનો હુકમ અદાલતે કર્યો હતો. હંગામી મુખ્ય ન્યાયમૂર્તિ જયનારાયણ પટેલ અને ન્યા. સત્યરંજન ધમૉધિકારીની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો.

દરમિયાન રાજ્યના શાળા શિક્ષણ ખાતાના પ્રધાન બાળાસાહેબ થોરાતે વડી અદાલતના ચુકાદાનો અભ્યાસ કરીને બે દિવસોમાં આગામી નિર્ણય લેવાની જાહેરાત કરતાં એટલો વખત પ્રવેશ પ્રક્રિયા રોકવામાં આવનાર હોવાનું સ્પષ્ટ કર્યું હતું.

બેસ્ટ ઓફ ફાઈવ ફોમ્યુંલાના વિરોધમાં આઈસીએસઈ બોર્ડના ૨૧ વિદ્યાર્થીઓના વાલીઓએ વડી અદાલતમાં અરજી કરી હતી. એ વાલીઓને તેમના બાળકોને (સંબધિત બોર્ડસને) પણ બેસ્ટ ઓફ ફાઈવલાગુ કરવાની માગણી કરી હતી. અરજી દાખલ કર્યા પછી અદાલતે અગિયારમા ધોરણમાં પ્રવેશને હંગામી ધોરણે સ્થગિત કર્યો હતો. મંગળવારે આ બાબતની દલીલો પૂર્ણ થતાં ન્યાયમૂર્તિઓએ ચુકાદો જાહેર કર્યો હતો. એ દરમિયાન તેમણે આઈસીએસઈ અને સીબીએસઈ બોર્ડના છાત્રોના વાલીઓને ઠપકો આપ્યો હતો. આ પ્રશ્નમાં કોઈપણ વિદ્યાર્થીનાં હિતોને આંચ આવે એવું લાગતું નથી,’ એવું નિરીક્ષણ પણ અદાલતે નોંધ્યું હતું. ત્યાર પછી ખંડપીઠે બુધવારે બેસ્ટ ઓફ ફાઈવપદ્ધતિ રદ કરવાનો હુકમ કર્યો હતો.

વિમાસવિદ્યાર્થીઓણમાં

છેલ્લાં કેટલાંક વર્ષોમાં આઈસીએસઈ, સીબીએસઈ અને એસએસસી બોર્ડસના વિદ્યાર્થીઓને સમાન ધોરણે લાવવાના ઉદ્દેશથી શરૂ કરાયેલી પદ્ધતિઓમાં પર્સેન્ટાઇલ ફલોપ ગઈ, ૯૦:૧૦ કવોટા કચરા ટોપલીમાં ફેંકાઈ અને હવે બેસ્ટ ઓફ ફાઈવનાપાસ થઈ છે. બેસ્ટ ઓફ ફાઈવના સરકારી જીઆરને પણ ન્યાયતંત્રે બિનઅમલી બનાવતાં આ મુદ્દે સરકાર ઊંધે માથે પટકાઈ છે.

તેથી ૧૧મા ધોરણમાં ઊંચા શિકર સર કર્યાના ઝંડા રોપનારા વિદ્યાર્થીઓ વિમાસણમાં પડ્યા છે. રાજ્ય સરકારના શાળા શિક્ષણ વિભાગે ૨૫ ફેબ્રુઆરી, ૨૦૧૦ના રોજ બેસ્ટ ઓફ ફાઈવનો જીઆર બહાર પાડ્યો હતો. પરંતુ આઈસીએસઈ અને સીબીએસઈ બોર્ડસના વિદ્યાર્થીઓના વાલીઓએ પર્સેન્ટાઇલ અને ૯૦:૧૦ કવોટાની માફક આ વિકલ્પને પણ વડી અદાલતમાં પડકાર્યો હતો. તેની અદાલતી લડાઈમાં રાજ્ય સરકાર ફરી પરાજિત થઈ હતી.

રાજકીય પક્ષોની ઉગ્ર પ્રતિક્રિયાઓ

દરમિયાન આ વિવાદાસ્પદ પદ્ધતિ અંગે સરકાર વિરુદ્ધ ચુકાદો આવતાં કોંગ્રેસ અને એનસીપી બચાવની ભૂમિકામાં આવી ગયા છે અને વિરોધ પક્ષો ટીકા કરવા ખડે પગે તૈયાર થઈ ગયા છે. આ રીતે વારંવાર નવી નવી પદ્ધતિઓની અજમાયશથી વિદ્યાર્થીઓ અને વાલીઓ ગૂંચવણમાં મુકાતા હોવાનું જણાવતાં તાજેતરની ગૂંચવણનો અંત આણવા પોતે મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણને મળવા જનાર હોવાનું મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરેએ જણાવ્યું હતું.

*PMOએ અખબાર પાછળ 12 લાખ ખર્ચ્યા

પ્રધાનમંત્રી કાર્યાલયે પોતાના અધિકારીઓ માટે આવનાર અખબાર અને સામયિકો પર વર્ષ 2009થી 2010 દરમિયાન લગભગ 12 લાખ રૂપિયા ખર્ચ્યા છે. માહિતી અધિકારના કાયદા હેઠળ અફરોઝ આલમ સાહિલ નામના એક કાર્યકર્તા તરફથી કરવામાં આવેલી અરજીના જવાબમાં આ ખુલાસો કરવામાં આવ્યો હતો.

પીએમઓએ જણાવ્યું છે કે આ હિન્દી અને અંગ્રેજી સહીત વિભિન્ન ભાષાઓના 43 અખબાર અને 45 સામયિકો સબ્સ્ક્રાઈબ કરે છે. કાર્યકર્તાએ પૂછેલા સવાલોના જવાબમાં પીએમઓમાંથી આ જવાબ મળ્યા હતાં.

વાર્ષિક ખર્ચના જવાબમાં પીએમઓએ જણાવ્યું હતું કે અખબાર અને સામયિકો સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીથી ખરીદવામાં આવે છે, જેના માટે વર્ષ 2009-10 દરમિયાન 1.19 મિલિયન રૂપિયા આપવામાં આવ્યા હતાં.

પીએમઓએ જણાવ્યું કે વર્ષ 2005થી 06માં તેણે 908,735 રૂપિયા, 2006-07માં 1.01 મિલિયન રૂપિયા, 2007-08માં 1.03 મિલિયન રૂપિયા અને 2008-09માં 1.20 મિલિયન રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતાં.

*ટોપટેનમાં ઝી ટીવીના પાંચ શો

વર્ષનાં 24 અઠવાડિયામાં હીન્દીના મનોરંજન ટીવી ચેનલોમાં સ્ટાર પ્લસ નંબર વન રહ્યુ છે. ત્યારબાદ કલર્સ અને જી ટીવીનું સ્થાન આવે છે. પરંતુ ઝી ટીવીનો "પવિત્ર રિશ્તા" નો આ વખતના શો ને સૌથી વધુ લોકોએ જોયો. આ સીરિયલની ટીવી રેટીંગ સૌથી વધુ રહી હતી.

સૌથી વધુ જોવાયેલા ટીવી શોમાં કલર્સ ચેનલ પર દર્શાવાતી સીરિયલ "ઉતરન" (ટીવી આર 5.4)આ હપ્તે ચોથા સ્થાન પર રહી. સ્ટાર પ્લસ પર દર્શાવાતી સીરિયલ "પ્રતિજ્ઞા" આ આવૃતીમાં ત્રીજા સ્થાન પર રહી.અને આની ટીવી રેટીંગ 5.3 રહી.

"બાલીકા વધૂ" અને "ના આના ઇસ દેસ લાડો" ની ટીવી રેટીંગ ક્રમશઃ 4.9 અને 4.8 રહી છે. અને આ બન્ને શો વર્ષના 24માં હપ્તે ચોથા અને પાંચમાં સ્થાન ઉપર રહી. ટોચના દશ કાર્યક્રમોમાં સામેલ અન્ય શો, "અગલે જનમ મોહે બીટીયા કિજો", "ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર", "ઝાંસી કી રાની", "યે રિશ્તા ક્યાં કહેલાતા હે", અને "યહા મૈં ઘર ઘર ખેલી" રહ્યાં હતાં. આ રીતે 24માં હપ્તામાં પહેલા દસ કાર્યક્રમોમાં ઝી ના પાંચ શો સામેલ રહ્યાં છે.

* લાલુ સવર્ણ જાતિઓને પટાવવાની કોશિશમાં

હંમેશા પછાત જાતિઓ જાતિઓની રાજનીતિ કરનારા રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ હવે અગડી જાતિને લુભાવવામાં લાગી ગયા છે. ફરીથી બિહારમાં સત્તાનો ભોગવટો કરવા મળે તે માટે લાલુ પ્રસાદ યાદવ આમ કરવા માટે મજબૂર છે.

લાલુએ કહ્યું હતું કે તેમની પાર્ટી ક્યારેય અગડી જાતિઓ એટલે કે સવર્ણોની વિરુદ્ધ રહી નથી. લાલુએ કહ્યું હતું કે તેમની પાર્ટી દલિત, મુસ્લિમ વર્ગની સાથે સાથે અગડી જાતિના વિકાસ માટે કામ કરવા માંગે છે. ઉલ્લેખનીય છે કે લાલુ અત્યાર સુધી ઓબીસી, દલિત અને મુસ્લિમ વર્ગોને લોભાવવા માટે સવર્ણ જાતિઓનો વિરોધ કરતા રહ્યાં છે. બિહારમાં નવેમ્બર આસપાસ ચૂંટણી થવાની સંભાવના છે.

આ વર્ષના અંત સુધી થનારી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ રામ વિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી સાથે તાલમેલ કરે તેવી સંભાવના છે. પરંતુ કોંગ્રેસ સાથે ચૂંટણી પહેલા ગઠબંધનના કોઈ સંકેતો નજરે પડી રહ્યાં નથી. કોંગ્રેસ આ વખતે બિહાર વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડવાના મૂડમાં છે. ભાજપ અને જનતાદળ-યૂનાઈટેડને પોતાના મુખ્ય પ્રતિદ્વંદ્વી માનીને લાલુ પ્રસાદ યાદવે ઓબીસી વાળી પરંપરાગત વોટબેંકથી આગળ જવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે 10 વર્ષ પહેલા બેગૂસરાયમાં પોતાના ભાષણમાં તેમણે અગડી જાતિઓ માટે કંઈક એવું કહ્યું હતું કે જેનાથી તેઓ માત્ર ભડક્યા ન હતા, પણ લાલુને બિહારની સત્તામાંથી દૂર પણ ક્રયા હતા. હવે લાલુ કહે છે કે તેમની વાતોને વિક્ષિપ્ત કરીને રજૂ કરવામાં આવી હતી. તેમના તે કથિત ભાષણમાં પછાત અને દલિત વર્ગના લોકોને ચાર સવર્ણ જાતિઓ બ્રાહ્મણ, ભૂમિહાર, રાજપૂત અને કાયસ્થ વિરુદ્ધ ભડકાવામાં આવ્યા હતા.

*૨૬ જુલાઇથી ૨૭ ઓગસ્ટ સંસદનુ વષૉસત્ર

સંસદનુ વષૉ સત્ર ૨૬ જુલાઇથી ૨૭ ઓગસ્ટ સુધી યોજાવાનો સંભવ છે. સંસદીય વર્તુળોએ કહ્યુ હતુ કે એક મહિના લાંબુ ચાલનાર આ સત્ર અંગે સંસદની કેબિનેટ સમિતિની બેઠકમાં તારીખો ટૂંક સમયમાં નકકી થવાની ધારણા છે.

સત્ર યુનિયન કાબૉઇડના વડા વોરેન એન્ડરસનને સલામત જવા દેવાયા સહિતના અનેક મુદે તોફાની બનવાના બધા સંકેતો છે. ભાજપે એન્ડરસનને ભારત લાવવાની માંગણી અને ભોપાલ ગેસ દુર્ઘટનાનો ભોગ બનેલાનુ વળતર વધારવા લોકસભામાં સભા મોકુફી પ્રસ્તાવ લાવવાનો નિર્ણય પણ કરેલો છે.

લોકસભાના વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે કહ્યુ છે કે સત્રના આરંભના દિવસે ભોગ બનેલાને વળતર આપવા માટેની ૧૯૮૯ની સમજૂતી રદ કરવાની ખટલો ચલાવવા એન્ડરસનને ભારત લાવવા અને મૃતકોના છેલ્લા આંકડા પ્રમાણે વળતર વધારવાની માંગણી કરવા લોકસભાના ૧૮૪ (મતદાન લેવુ) નિયમ હેઠળ ભાજપ પ્રસ્તાવ રજૂ કરશે.

વિપક્ષ દ્વારા જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી ભાવ વધારો અને ઓનર કિલિંગ જેવા બીજા અનેક મુદ્દાઓ ઉપસ્થિત કરાય એવી શક્યતા છે. સરકારની ઓનર કિલિંગ માટે આકરી શિક્ષા કરતુ બિલ રજૂ કરવાની યોજના છે. સત્ર દરમિયાન હાલમાં સંસદની સ્થાયી સમિતિ સમક્ષ પડેલ વિવાદાસ્પદ ન્યુકિલયર લાયાબિલીટી બિલ ચર્ચા અને મતદાન માટે રજૂ થાય એવો સંભવ છે.

* સાંસદોના પગાર વધીને બમણા થશે

જે ૧ હજારમાંથી વધીને ૨૦૦૦ થશે તેનો પણ લાભ મળશે. કાર્યાલય ખર્ચ પણ વધીને પ્રતિમાસ રૂ. ૩૪૦૦૦ થશે. જેમાં રૂ. ૨૦ હજારનો તોતિંગ વધારો થશે. કોન્સ્ટીટુઅન્સી એલાઉન્સ પણ બમણું થઈને દરેક સાંસદને રૂ. ૪૦ હજાર લેખે મળશે.

દરેક સાંસદને વર્ષે ઓછામાં ઓછી મફત પ૦ ફ્લાઈટો જોઈતી હતી પરંતુ સરકારે તે નકારી કાઢયું હતું. હાલ તેમને વર્ષે મળતી ૩૪ મફત હવાઈ મુસાફરીથી જ સંતોષ માનવો પડશે. પરંતુ તેઓ જો ટ્રેન મારફતે મુસાફરી કરે તો ફર્સ્ટ કલાસ એસી યાત્રાની દરેક વખતે તેમને સુવિધા મળશે.

દિલ્હીમાં આ સુવિધાઓમાં વિશેષ ઉમેરો એ છે કે તેમને પાણી અને વીજળી મફત અપાય છે પરંતુ સરકારે મફત ટેલિફોન કોલની સંખ્યા વધારવાનો ઇન્કાર કરી દીધો હતો. આ સુવિધા વાર્ષિક ૧,પ૦,૦૦૦ કોલ પૂરતી મર્યાદિત છે.

સાંસદોના પેન્શનમાં પણ વધારો

એક વખત સરકાર દ્વારા આ દરખાસ્તને મંજૂરી અપાય ત્યારબાદ પેન્શનમાં પણ જંગી વધારો થશે.

સાંસદોને શું મળશે

પગાર + રૂ. ૨૦૦૦ (ડેઈલી એલાઉન્સ)+૩૪ મફત હવાઈ મુસાફરી+રૂ.૪૦,૦૦૦ કાર્યાલય ખર્ચ+રૂ. ૪૦ હજાર (કન્સિટ્યુઅન્સી એલાઉન્સ)+૧.પ લાખ મફત ટેલિફોન કોલ+ મફત ફર્સ્ટ કલાસ એસી રેલવે મુસાફરી.

શું મળતું હતું

રૂ. ૧૬૦૦૦ પગાર+રૂ. ૧૦૦૦ ડેઈલી એલાઉન્સ+૩૪ મફત વિમાની મુસાફરી+રૂ. ૨૦ હજાર (કાર્યાલય ખર્ચ)+ રૂ.૨૦૦૦૦ (કન્સ્ટીટ્યુઅન્સી એલાઉન્સ)+ ૧.પ લાખ મફત ટેલિફોન કોલ્સ+ દિલ્હીમાં રહેવાનું અને પાણી વીજળી મફત.

*ગુજરાતીઓ અટવાયા

* ગુજરાતીઓ અટવાયા

* ઇરાન વિરોધી ભારતીય વલણ પ્રશંસનીયઃUS

* 'BCCI એશિયનમાં ક્રિકેટ ટીમ મોકલે'

* સ્પાઇસ જેટના બંધ એ.સી.થી મુસાફરો ગૂંગળાયા

* શું માય નેમ ઈઝ ખાન’ ‘સ્લમડોગને પછાડશે?

બુધવારે વર્જિન એટલાન્ટિક એરવેઝની લંડનથી નેવાર્કની ફ્લાઈટમાં ગુજરાતીઓ સહિતના પ્રવાસીઓ ભારે પરેશાન થઈ ગયા હતા. ખરાબ વાતાવરણને કારણે ફ્લાઈટ કનેક્ટિકટ પહોંચ્યા બાદ તો ખોરવાઈ જ ગઈ હતી, જેને કારણે પ્રવાસીઓને ત્યાં ચાર કલાક ત્યાં પ્લેનમાં જ બેસી સહેવું પડ્યું હતું. અંતે બસ મારફતે તેઓ નેવાર્ક પહોંચ્યા હતા.

*9/11ના સ્થળેથી હજુ પણ મૃતદેહો મળે છે

9/11ની ઘટનાને નવ વર્ષ જેટલો લાંબો સમય વિતી ગયો હોવા છતાં પણ તેના કાટમાળમાંથી મૃતદેહો મળી રહ્યા છે. તાજેતરમાં જ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના કાટમાળમાંથી 72 જેટલા મૃતદેહો મળી આવ્યાં હતા.

આ મૃતદેહોમાં મોટા ભાગના મૃતદેહો વેસ્ટ સ્ટ્રીટ તરફના ગ્રાઉન્ડ ઝીરો ખાતેથી મળી આવ્યાં હતા. લગભગ 37 જેટલા મૃતદેહો આ સ્થળે કાટમાળમાં દટાયેલા પડ્યાં હતા.

ઉપરાંત આ સ્થળ અન્ય કારણોથી પણ વિવાદમાં ઘેરાયેલુ છે. મે મહિનામાં ન્યૂયોર્ક શહેરની કોમ્યુનિટી બોર્ડે આ ગ્રાઉન્ડ ઝીરો ઘટના સ્થળની નજીક એક મસ્જીદ અને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવા માટેની તરફેણ કરી હતી. આ મસ્જીદ 13 માળની હશે જેમાં મુસ્લિમ કોમ્યુનિટી સેન્ટર, સ્વિમિંગ પુલ, થિયેટર અને રમત-ગમતની સુવિધા ઉપલબ્ધ હશે.

જો કે કન્ઝરવેટિવ કાર્યકર્તાઓએ અને દુર્ઘટનનો ભોગ બનેલા લોકોના પરિવારજનોએ ગ્રાઉન્ડ ઝીરો પાસે મસ્જીદ બાંધવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.

* 9/11ના સ્થળેથી હજુ પણ મૃતદેહો મળે છે

9/11ની ઘટનાને નવ વર્ષ જેટલો લાંબો સમય વિતી ગયો હોવા છતાં પણ તેના કાટમાળમાંથી મૃતદેહો મળી રહ્યા છે. તાજેતરમાં જ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના કાટમાળમાંથી 72 જેટલા મૃતદેહો મળી આવ્યાં હતા.

આ મૃતદેહોમાં મોટા ભાગના મૃતદેહો વેસ્ટ સ્ટ્રીટ તરફના ગ્રાઉન્ડ ઝીરો ખાતેથી મળી આવ્યાં હતા. લગભગ 37 જેટલા મૃતદેહો આ સ્થળે કાટમાળમાં દટાયેલા પડ્યાં હતા.

ઉપરાંત આ સ્થળ અન્ય કારણોથી પણ વિવાદમાં ઘેરાયેલુ છે. મે મહિનામાં ન્યૂયોર્ક શહેરની કોમ્યુનિટી બોર્ડે આ ગ્રાઉન્ડ ઝીરો ઘટના સ્થળની નજીક એક મસ્જીદ અને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવા માટેની તરફેણ કરી હતી. આ મસ્જીદ 13 માળની હશે જેમાં મુસ્લિમ કોમ્યુનિટી સેન્ટર, સ્વિમિંગ પુલ, થિયેટર અને રમત-ગમતની સુવિધા ઉપલબ્ધ હશે.

જો કે કન્ઝરવેટિવ કાર્યકર્તાઓએ અને દુર્ઘટનનો ભોગ બનેલા લોકોના પરિવારજનોએ ગ્રાઉન્ડ ઝીરો પાસે મસ્જીદ બાંધવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.

*અભિનો એશ સાથેનો સૌથી કડવો પ્રસંગ!

અભિષેક બચ્ચન પોતાની પત્ની એશને કેન્ડલ લાઈટ ડિનર માટે લઈ ગયો હતો પરંતુ આ ડિનર અભિ માટે સૌથી મુશ્કેલીરૂપ રહ્યું હતું. અભિને જીવનનો સૌથી કડવો અનુભવ કેન્ડલ લાઈટ ડિનર વખતે થયો હતો.

આ અંગે અભિષેકે કહ્યું હતું કે, એક વખત એશે અભિને દરિયાની નજીક કેન્ડલ લાઈટ ડિનર લેવાનું કહ્યું હતું. પરંતુ આ ઘટના તેના માટે દુખદાયક બની ગઈ હતી.

અભિએ કહ્યું હતું કે, ફિલ્મોમાં દરિયા વચ્ચે કેન્ડલ લાઈટ ડિનર રોમેન્ટિક લાગે છે પરંતુ વાસ્તવિક જીવનમાં દરિયા આગળ કેન્ડલ લાઈટ ડિનર ઘણું જ ખરાબ હોય છે. દરિયા પાસે પવન આવતો રહેતો હોવાને કારણે કેન્ડલ બુઝાઈ જતી હતી.

દરિયા આગળ ઘણી જ રેતી ઉડતી હોવાથી અભિ અને એશના કપડાં રેતીવાળા થઈ ગયા હતા. આટલું જ નહિ તેઓના જમવામાં પણ રેતી હતી.

આ બાબતથી દુખી અભિએ ક્યારેય એશને દરિયા આગળ કેન્ડલ લાઈટ ડિનર લેવાની ના પાડી દીધી હતી.

હજી સુધી અભિને રોમેન્ટિક કેન્ડલ લાઈટ ડિનરનો કોન્સેપ્ટ સમજાયો નથી. તેના માટે ડેટ પર ડિનરમાં જવું તે બાબત ઘણી જ ખરાબ છે. તેના મતે ડિનર પર પ્રેમિકા ક્યારેય ખુશ થશે નહિ.

* કેટની ડોક મચકોડાઈ ગઈ!

વરસાદને કારણે કેટરિનાની પાર્ટીનું આયોજન કરી શકી નથી. હવે, ઝોયા અખ્તરની ફિલ્મ જિંદગી મિલેંગીની દોબારાના શુટિંગ દરમિયાન કેટરિનાની ડોક મચકોડાઈ ગઈ છે.

સોમવાર સવારે કેટબેબી જીમમાં હતી અને તે દરમિયાન તેની ડોક મચકોડાઈ ગઈ હતી. ત્યારબાદ તેને ઘણો જ દુખાવો થયો હતો.

કેટે આ અંગે કહ્યું હતું કે, તેને ખ્યાલ નથી કે તેની સાથે આવું કઈ રીતે બન્યું. કેટ પોતાનું માથુ પણ હલાવી શકતી નથી.

આ ફિલ્મમાં કેટબેબીએ એક્શન દ્રશ્યો ભજવવાના છે અને તેથી જ તે નિયમિત રીતે જીમમાં જાય છે. જો કે કેટે પ્રોફેશનલની જેમ શુટિંગ ચાલું જ રાખ્યું છે.

*65 વર્ષે ટોપલેસ ફોટોશુટ

હોલિવૂડની લિજેન્ડરી અભિનેત્રી ડેમ હેલેન મિરેન લવ રાન્ચ નામની ફિલ્મ માટે એક મેગેઝીનમાં ટોપલેસ ફોટો આપ્યો છે.

હેલેને ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, તે હજી પણ સારી યુવતી છે કે જે ખરાબ થવા માટે તૈયાર છે.

જો કે તેણે સ્વીકાર્યુ હતું કે, તે ક્યારેય ખરાબ યુવતી થશે નહિ. હેલેને કહ્યું હતું કે, તે ઘણી જ ડરપોક અને સંન્યાસી જેવી છે.

1979મં ફિલ્મ કાલીગુલામાં મસ્તીખોર યુવતીની ભૂમિકા ભજવ્યા પછી હેલેને કહ્યું હતું કે, તેણે પોતાની સેક્સ્યુએલિટિનો ઉપયોગ કરિયરની શરૂઆતમાં કર્યો હતો.

હેલેને કહ્યું હતું કે, તે સારી ફિલ્મોમાં કામ કરવા માંગે છે.













visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

પીડિતાએ છત્રાલ પાસે બાંકડા પર રાત વીતાવી

પીડિતાએ છત્રાલ પાસે બાંકડા પર રાત વીતાવી

અધ્યાપિકા ઉપર બળાત્કાર ગુજારવાના બહુચર્ચીત કેસમાં હાલમાં સારવાર લઈ રહેલી પિડીતાએ મહેસાણા ડીવાયએસપી એસ.પી.પઠાણ સમક્ષ કેટલુંક ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. જેમાં કથિત બળાત્કારી સાથે મળીને દિનેશ પટેલ તેમજ કેતન ઠાકર તેને બદનામ કરતા હોવાના મુદ્દે તેણીએ માતા-પિતાને જાણ કરી હતી અને તેઓ સાથે ગાડીમાં બેસીને કલ્યાણપુરા જઈ મુકેશ સાથે ઝઘડો કર્યો હતો. ત્રણે અધ્યાપકો સાથે થયેલી બોલાચાલીથી વ્યથિત બનેલ અધ્યાપિકાએ પોતાના ઘરમાં ઝેરી દવા પીવાનો પ્રયત્ન કર્યો હતો.

જેમાં તેના પિતાએ દવાની બોટલ છીનવી લેતા જીવન ટૂંકાવી દેવાના નિર્ણય સાથે તેણીએ ઘર છોડી દીધું હતું. ગત શનિવારે રાત્રે છત્રાલ સ્થિત કોટન ઈન્ડસ્ટ્રીઝ નજીક બાંકડા ઉપર રાત વિતાવનાર પિડીતા પરોઢિયે અમદાવાદ ગીતા મંદિર ગઈ હતી અને ત્યાંથી પિતા અને શિક્ષક મુકેશ પટેલને ફોન કરીને પોતે ઘરે ક્યારેય નહીં ફરે અને આત્મહત્યા કરી લેશે તેવી વાતચીત કરી હતી. ત્યારબાદ અમદાવાદથી કલોલ આવેલી અધ્યાપિકાએ અત્રેની એક દૂકાનમાંથી રૂ. ૫૦ની કિંમતની ઝેરી દવા ખરીદી હતી અને હાઈવે સ્થિત એક હોટલના રૂમમાં જઈને તે ગટગટાવી ગઈ હતી.

જો કે, દવાની અસર જણાય તે પૂર્વે પોતાના વાંકે હોટલવાળો ફસાઈ જવાના વિચારમાત્રથી તેણીએ હોટલનો રૂમ છોડી દીધો હતો અને ત્યારબાદ તેણી કલોલ એસ.ટી. ડેપો ઉપર આવી જઈને બેભાન બની ગઈ હોવાનું વિસ્તૃત નિવેદન પોલીસ સમક્ષ રજુ કર્યું હતું. છેલ્લા સાત મહિના દરમિયાન લંપટ શિક્ષકો દ્વારા ગુજારાતા અમાનુસિ બળાત્કાર અંગેનું નિવેદન હાલમાં બાકી હોઈ મહેસાણા ડીવાયએસપીએ તેણીનું વધુ નિવેદન લેવાની બુધવારે રાત્રે તજવીજ હાથ ધરી હતી.




visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

અડધાથી વધુ વાઇબ્રન્ટ ઉદ્યોગો દ્વારા ઉત્પાદન શરૂ

અડધાથી વધુ વાઇબ્રન્ટ ઉદ્યોગો દ્વારા ઉત્પાદન શરૂ

રાજ્ય સરકારે યોજેલી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ-૦૯ વખતે ગાંધીનગર જિલ્લામાં થયેલા ૧૦ કરોડથી ઓછા મૂડીરોકાણવાળાં ૩૦ એકમોના રૂ.૧૦૬ કરોડના કુલ મૂડીરોકાણના એમઓયુ પૈકીના ૧૮ ઉદ્યોગો ઉત્પાદનમાં આવી ગયા છે. આ ઉપરાંત ૬ એકમો અમલીકરણની કક્ષાએ પહોંચી ગયા હોવાનું તાજેતરમાં મળેલી સમીક્ષા બેઠક દરમિયાન સ્પષ્ટ થયું હતું, જ્યારે ૬ ઉદ્યોગકારો એવા છે જેઓ એકમ સ્થાપવા માટે જમીનની શોધખોળ ચલાવી રહ્યા છે.

જિલ્લાતંત્રનાં સત્તાવાર સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ ઉત્પાદનમાં આવી ગયેલા ઉદ્યોગોમાં પીંડારડા ગામે ઝલક કોલ્ડ સ્ટોરેજ, રકનપુર ગામે દીપ પ્લાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ, છત્રાલમાં સંગીનીતા ઇન્ડસ્ટ્રીઝ, કરણ પેપર મિલ્સ, ડી-કાલ ફાર્મા, જી-વન એગ્રો પ્રોડક્ટ, ધાનોટમાં વિરાટ એલોઇઝ, સાંતેજમાં અનિકેત ફાર્મા., વાસણા રાઠોડ પાટીદાર એગ્રો એન્ડ ફૂડ, મોસમપુરા ગામે વિનાયક ટીએમટી બાર્સ, રાજપુરામાં સાકાર ગ્લેઝડ ટાઇલ્સ, પરબતપુરામાં ગોકુલ ફ્રિઝિંગ હાઉસ, મોટી ભોંયણમાં શક્તિ પોલીફેબ, બિલેશ્વરપુરામાં રોયલ ઇન્ડસ્ટ્રીઝ, સાંતેજમાં ઇટા એન્જિનિયિંરગ સર્વિસ, ધમાસણામાં શ્યામ એગ્રો, ચિલોડામાં પર્લ એન્ટરપ્રાઇઝ અને બલાલપુરમાં સ્ટોનેકસ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે.

દરમિયાન ઉપરોક્ત ઉદ્યોગોમાં આજ સુધીમાં રૂ.૩૯.૧૨ કરોડનું મૂડીરોકાણ પણ થઈ ગયું હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉદ્યોગોમાં કુલ ૧,૦૫૮ લોકોને રોજગારી મળવાની હતી તે પૈકી ૩૧૪ લોકોને રોજગારી મળી ચૂકી છે.

જે ઉદ્યોગો અમલીકરણ હેઠળ છે તેમાં દીપ ઇન્ટરનેશનલ અને રામ સ્ટીલ રોલિંગ મિલ્સ, મોટી ભોંયણમાં ગુંજન પેઇન્ટ્સ અને ધારા લાઇફસીન, સાંતેજમાં નિરમી ફ્લેક્સીપેક અને ઉમા કન્વર્ટર્સનો સમાવેશ થાય છે.s

* યુવતીઓને આશરો આપનાર મહિલા સંસ્થામાં ભારે હોબાળો

રાજસ્થાનથી દોડી આવેલા નિધિ જૈનના પરિવારજનોની વિકલ્પ વિમન્સ ગ્રૂપમાં તોડફોડ

રાજસ્થાનના કોટાથી ભાગેલી બે યુવતીઓએ મહિલાઓના હક માટે લડતી વડોદરાની વિકલ્પ વિમેન્સ ગ્રૂપ સંસ્થામાં આશરો લીધો હતો. યુવતીઓના પરિવારજનોને જાણ થતાં બુધવારે વડોદરા દોડી આવ્યા હતાં. જ્યાં યુવતીઓને મળવાના મુદ્દે સંસ્થાના સંચાલિકા સાથે રકઝક થતાં પરિવારજનોએ તોડફોડ કરતા ભારે હોબાળો મચી ગયો હતો.

રાજસ્થાનના કોટામાં રહેતા લલિતકુમાર જૈનની ૨૭ વર્ષીય પુત્રી નિધિ અને જોધપુર પાલી નિવાસી ૨પ વર્ષીય આકાંક્ષા રાજપુરોહિત ગત ૧ જૂને ઘરેથી ભાગી ગયાં હતાં. આ અંગે કોટા પોલીસને જાણ કરી પરિવારજનોએ શોધખોળ ચલાવી હતી. દરમિયાનમાં યુવતીઓએ ફોન કરી પોતે સલામત હોવાની પરિવારજનોને જાણ કરી હતી. કોલના આધારે યુવતીઓ વડોદરામાં હોવાનું જાણવા મળ્યું હતું.

બંને યુવતીઓ વડોદરાના અકોટા વિસ્તારમાં હોવાની પરિવારજનોને જાણ થતાં નિધિના કાકા પંકજ જૈન અને અન્ય એક યુવક આજે આવ્યા હતાં. તેઓએ અકોટાની હોટલ ગેટ વેમાં તપાસ કર્યા બાદ સામેની વિકલ્પ વિમેન્સ ગ્રૂપ સંસ્થામાં હોવાનું જાણવા મળતાં ત્યાં પહોંચ્યા હતાં.

સંસ્થા યુવતીઓ-મહિલાઓના હક માટે કાર્યરત હોવાની જાણ થતાં પરિવારજનોએ સંસ્થામાં જઇ બંને યુવતીઓને મળવાનો આગ્રહ કર્યો હતો પરંતુ આ મુદ્દે સંસ્થાના સંચાલિકા ઇન્દિરાબહેન પાઠક સાથે રકઝક થતાં પરિવારજનો ઉશ્કેરાયા હતા અને એક યુવકે દરવાજાની તોડફોડ શરૂ કરી દીધી હતી.

ઓફિસમાં તોડફોડ થતાં સંસ્થાની મહિલા કાર્યકરોમાં નાસભાગ મચી ગઇ હતી. બનાવના પગલે સંચાલિકાએ પોલીસ કમિશનરને જાણ કરતાં જેપી રોડ પોલીસ મથકના પીએસઆઇ ચાવડા સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસની એન્ટ્રી પડતાં જ યુવતીના કાકા સહિત બંને ત્યાંથી પોબારા ભણી ગયા હતાં. જોકે, કાર્યાલય પર તમાશાને જોવા લોકોનાં ટોળાં ઉમટી પડતાં પોલીસે સંસ્થામાં સંચાલિકા સહિત કાર્યકરોને પાછળના દરવાજેથી બહાર કાઢી મૂક્યા હતાં.

પોલીસે સમગ્ર વિવાદના કેન્દ્રસ્થાને રહેલી નીધિની પૂછતાછ કરતાં તેણે જણાવ્યું હતું કે,આગામી ૩ જુલાઇએ તેનું લગ્ન નક્કી કરાયું છે. લગ્ન માટે અનિચ્છા હોવા છતાં પરિવારજનોએ દબાણ કરતાં તે સહેલી આકાંક્ષા સાથે ઘર છોડીને ભાગી હતી. આ અંગે હજુ સુધી પોલીસ ફરીયાદ નોંધાઈ નથી.

યુવતીઓ લેસ્બિયન હોવાની આશંકા

નિધિ જૈન અને આકાંક્ષા રાજપુરોહિત છેલ્લા ઘણા સમયથી એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતી. તેમના સંબંધો અંગે પરિવારજનોને જાણ થઇ જતાં ભારે વિરોધ થયો હતો. રાજસ્થાનથી ભાગેલી આ બંને યુવતીઓએ વડોદરામાં વિકલ્પ વુમન્સ ગ્રુપ સંસ્થામાં આશરો લીધો છે. આ બંને યુવતીઓ લેસ્બિયન હોવાની આશંકા સેવાઇ રહી છે. અલબત્ત,બંને મિત્રો વચ્ચે કેવો સંબંધ છે અને સંસ્થાની ભૂમિકા શું છે? તે અંગે કંઇ જાણવા મયું નથી.

સંસ્થામાં વિદેશી સહિત ૧૦ જેટલી યુવતીઓનું રોકાણ

વિકલ્પ વિમેન્સ ગ્રૂપની ઓફિસની ઉપર જ મકાન છે. જેમાં હાલ બેથી ત્રણ જેટલી વિદેશી યુવતીઓ સહિત ૧૦ થી વધુ મહિલાઓ રોકાઇ છે. આજે રાજસ્થાનથી ભાગીને આવેલી બે યુવતીઓના પરિવારજનોએ સંસ્થાની કચેરીમાં તોડફોડ કરતાં તમામને પાછળના દરવાજેથી બહાર કઢાઇ હતી.

*તારાં લગ્નના દિવસે બ્રેઇન સર્જરી કરાવીશ

યુવતીને આડકતરી ધમકી આપતાં લખ્યું, હું ગૃહખાતાથી લઇને અરુણ જેટલી સુધીના સંપર્કમાં છું

કોર્પોરેશનના અધિકારીએ યુવતીને કરેલા એસએમએસથી તેની વિકૃત માનસિકતા છતી થાય છે. તે પૈસા અને પદના જોરે યુવતીઓને ફસાવે છે. પીવાનો શોખીન છે. સુરતમાં તો છોકરી ફસાવે જ છે પણ છેક પૂનામાં પણ ગર્લફ્રેન્ડ રાખે છે અને ગોવા જઇને એન્જોય કરે છે તેવું તેણે યુવતીને કરેલા મેસેજ પરથી ફલિત થાય છે.

યુવતીએ કરેલી પોલીસ ફરિયાદમાં ફોનનંબર ૯૭૨૪૩૪૫૦૧૧ ઉપરથી મે અને જુન મહિનામાં આવેલા કુલ ૭૨ એસએમએસની સ્ક્રીપ્ટ આપી છે. આ એસએમએસનો અભ્યાસ કરતા જણાય છે કે આ પરિણીત આધેડ અધિકારી તેની દીકરીની ઉંમરની યુવતીના ૨જી જુને થનારા લગ્નને અટકાવવા માટે સૌપ્રથમ તો ઇમોશનલ બ્લેક મેઇલ કરે છે.

એસએમએસ કરનાર લંપટ અધિકારી યુવતીના લગ્નને કોઇપણ રીતે અટકાવવા માટે સામ-દામ-દંડ-ભેદ તમામ રીતરસમો અપનાવે છે. તે ઇમોશનલ બ્લેકમેઇલ કરવા ઉપરાંત બીજી ગર્લફ્રેન્ડની વાત કરી ઇષ્ર્યા જન્માવવાનો પણ પ્રયાસ કરે છે. યુવતીના લગ્નના દિવસે પોતાના બ્રેઇનના ઓપરેશનની વાત કરે છે. આટલું જ નહીં ગાંધીનગરના હોમ ડિપાર્ટમેન્ટથી લઇને રામ જેઠમલાણી અને અરૂણ જેટલીના સંપર્કમાં હોવાની છાંટ મારીને યુવતીને આડકતરી ધમકી પણ મેસેજ મારફતે આપે છે.

તારીખ ૩ મેના દિવસે તે લખે છે- હું કન્ફ્યુઝ છું, આ પરિસ્થિતિમાં શું કરૂં? તારે તારા ફીયાન્સ સાથે વાત કરી મને જણાવવું જોઇએ. થોડા સમયમાં તે તારો પતિ બની જશે. મારે શું કરવાનું? પ્લીઝ..પ્રેમભંગમાં દિલનું ઓપરેશન કરાવવું પડે પણ આ મહાશય તો બ્રેઇનના ઓપરેશનની વાત કરે છે. યુવતીને ઇમોશનલ બ્લેકમેઇલ કરતો એક એસએમએસ તારીખ ૧૪મેના દિવસે કરે છે-મુંબઇ જશલોક હોસ્પિટલમાં મારી બ્રેઇનની સર્જરી છે. પાછો આવું કે નહીં એ ખબર નથી, એટલે મેં ગુનો કર્યો હોય કે નહીં, તારી સાચા દિલથી માફી માગું છું. જો શક્ય હોય તો....

યુવતીને ૨જુને થનારા તેના લગ્નના દિવસની યાદ અપાવી બીજા એસએમએસમાં કહે છે-હું તારો સામનો કરી શકતો નથી. મને આમંત્રણ આપવાનો પ્રયાસ કરતી નહીં. હું ૨જી જુને મુંબઇની જશલોક હોસ્પિટલમાં એનેસ્થેસિયાના સહારે હોઇશ. પણ હવે એ તારો સબ્જેકટ નથી..

યુવતી તમામ વાતથી તેના પતિ અને કુટુંબીઓને વાકેફ કરે છે. સમાજમાં બદનામ થવાના ડરથી અધિકારી મહાશય હવે ધમકીનો સહારો લે છે. યુવતી માનતી નથી. તમામ વાતો ફિયાન્સ અને કુટુંબીઓને બતાવે છે. અધિકારી હવે પોલીસ અને મોટા વકીલોના નામે દમ મારે છે.

તારીખ ૨૫ મેના દિવસે મોકલેલા એસએમએસમાં કહે છે-સુરતના જ નહીં ગાંધીનગરના ટોપ પોલીસ ઓફિસર અને હોમ ડિપાર્ટમેન્ટ જોડે કોન્ટેકટમાં છું. તેં મને નીચ કહ્યો છતાં આજ સુધી ચુપ હતો. હવે કંઇપણ કરવા આઝાદ છુંતારીખ ૨૩ મેના દિવસે મોકલેલા એસએમએસમાં દેશના નામી વકીલોનું નામ વટાવે છે-તમે મને થાય એટલો બદનામ કરી લીધો. કાયદાની રીતે તમે મને કેટલું નુકસાન કરી શકશો તે વિશે સુપ્રીમ કોર્ટના રામ જેઠમલાણી, શાંતિ ભૂષણ, હરીશ સાલ્વે, સોલી સોરાબજી અને અરૂણ જેટલી જેવા વકીલોની સલાહ લેવાનું ચાલુ છે.

૨જી જુને યુવતીના લગ્ન થઇ જાય છે. હતાશ થયેલો અધિકારી યુવતીને જલાવવા ૧૭ જુને એસએમએસ કરીને જણાવે છે-હું હાલ મારી પૂનાની ગર્લફ્રેન્ડ સાથે છું. તેણે મને એક રાત ગોવામાં રોકાઇ એન્જોય કરવા દબાણ કર્યું. એટલે વિદેશ જતાં પહેલા અહીં આવવું પડ્યું.આ દિવસે જ કરેલા બીજા મેસેજમાં હિટલરને ટાંકીને કહે છે-થિયરી ઓફ હિટલર- જો તમે એન્જોય કરવા માગતા હો તો હંમેશાં માનો કે આજે જ પહેલો દિવસ છે અને જો તમે કંઇ મેળવવા માગતા હો તો હંમેશાં માનો કે આજે છેલ્લો દિવસ છે...

હીરાલાલ પટેલે પાલિકાના મોબાઇલનો દુરુપયોગ કર્યો

મહાનગર પાલિકાના સેક્રેટરી હીરાલાલ પટેલ(એચ.એલ. પટેલ) બીપીએમસી એકટનો ભંગ નહીં થાય તે માટે મેયર સહિતના પદાધિકારીઓને કાયદાનું જ્ઞાન ધરાવવાનું મહત્વપૂર્ણ પદ ધરાવે છે અને તે માટે તેમને સરકારી મોબાઈલ ફોન નંબર ૯૭૨૪૩૪૫૦૧૧ એલોટ કરવામાં આવ્યો છે.

પરંતુ મનપાના કામ કરવાને બદલે તેમણે આ ફોનનો ઉપયોગ મહિલા કર્મચારીને સેક્સયુઅલ હેરેસમેન્ટ માટે કર્યો છે. જેનાથી, તેમના આ પદને લાંછન લાગ્યું છે. પાલિકાના સેક્રેટરીની નિમણુંક કલમ ૪૫ મુજબ શાસકોએ ખડી સમિતિમાં પસંદગી પ્રક્રિયા હેઠળ કરી છે. શાસકોના એટલે કે મેયરના સીધા નિયંત્રણ હેઠળ આવતી પાલિકાના સેક્રેટરીનું આ પ્રકરણ સપાટી પર આવતાં સ્વતંત્ર સત્તા ભોગવતા આ ઉચ્ચ અધિકારીના સેક્રેટરીએટમાં સન્નાટો છવાઈ ગયો છે.

*કચ્છી ખારેક વિશ્વમાં ટોચે પહોંચશે

બગડી જતા ૨૦ ટકા પાકમાંથી વાઇન બનાવી વિદેશોમાં કરાશે નિકાસ

કચ્છી ખારેકના સંશોધન માટે કેન્દ્રીય કૃષિ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી, હોર્ટીકલ્ચર મશિનના એમ.ડી. બજિલકુમાર અને ચુનંદા કૃષિ વૈજ્ઞાનિકોની ટીમે પડાવ નાખ્યા છે. તેમણે આગામી દિવસોમાં કચ્છી ખારેક બ્રાન્ડનેમ બને તથા વાઇન બનાવી નિકાસ થાય તે માટે સહકારની ખાતરી આપી હતી.

માંડવીના મોટી મઉં ગામે પૂર્વ ધારાસભ્ય છબીલભાઇ પટેલની વાડીમાં કચ્છભરના ખારેક ઉત્પાદિત કરતા ખેડૂતોને કેન્દ્રના કૃષિ મંત્રાલયના જોઇનટ સેક્રેટરી અતનુ પુરકાસ્તા અને હોર્ટીકલ્ચરના એમ.ડી. બજિલકુમારે વિવિધલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.

તેમણે જણાવ્યું કે, કચ્છમાં ઉત્પાદન થતી કુલ ખારેકમાંથી ૨૦ ટકા પાક બગડી જવાથી નુકસાન થાય છે. તેમાંથી વાઇન બનાવી શકાય જેની નિકાસ વિદેશોમાં પણ થઇ શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ કચ્છમાં આ માટે પ્રયત્નો થયા હતા, જે સફળ નીવડયા હતા અને લેબોરેટરી પરિક્ષણમાં સફળતાથી વાઇન બની હતી. આ પ્રોજેક્ટ માટે સેઝમાંથી જમીન ફાળવવા માગણી કરાઇ હતી. ટીમે સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી.

તેમણે જણાવ્યું કે, વિશ્વમાં સૌથી વધુ ખારેક ઉત્પાદન કરતા ૧૨ દેશોમાં કચ્છનો હજુ સમાવેશ થયો નથી. આગામી આઠ વર્ષમાં કચ્છ વિશ્વમાં બીજો નંબરનો ખારેક ઉત્પાદન કરતો પ્રદેશ બને તેમ છે.

ખેડૂતોએ એવી રજૂઆત કરી હતી કે, જે રીતે ઇઝરાયલના ટીસ્યુ વખણાય છે તે રીતે કચ્છની ખારેકના ટીસ્યુ પણ લેવામાં આવે અને ઇઝરાયેલની ખારેક બ્રાન્ડનેમ છે તેમ કચ્છી ખારેક પણ બ્રાન્ડનેમ બને તે માટે પ્રયત્નો કરવા જોઇએ. જેના જવાબમાં અધિકારીઓએ એવું જણાવ્યું હતું કે, ઉત્પાદન વધારો એટલે બધું આપોઆપ થઇ જશે.

આ કાર્યક્રમમાં પૂર્વ કૃષિમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિવિધ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો ડો. વી.ડી.શર્મા, ડો. સુભાષ આનંદ, ડો. સૂરેન્દ્રસિંગ, ડો. આર.એસ. સિંગ, ડો. સી.એમ. મુરલીધરન તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.








visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

ઓસી.માં પહેલી વાર મહિલા પ્રધાનમંત્રી

* ઓસી.માં પહેલી વાર મહિલા પ્રધાનમંત્રી

ઓસ્ટ્રેલિયામાં લેબર પાર્ટી દ્વારા કેવિન રડને અધ્યક્ષ પદેથી હટાવ્યા બાદ જૂલિયા ગિલાર્ડ દેશની પહેલી મહિલા પ્રધાનમંત્રી બની ગઇ છે. ગિલાર્ડે જણાવ્યું કે તે દેશનું નેતૃત્વ કરવાની તક મળતા પોતાને ભાગ્યશાળી માને છે.


ગવર્નર જનરલ ક્વેન્તીન બ્રાયસે સ્થાનિક સમય અનુસાર બપોરે સાડા બાર વાગે પ્રધાનમંત્રી પદની શપથ અપાવી હતી. ગિલાર્ડને લેબર પાર્ટીના અધ્યક્ષપદે બીન હરિફ ચૂંટી લેવામાં આવી હતી. અગાઉ અપમાનથી બચવા માટે રડે પોતાને ચૂંટણીથી અગળા રહ્યા હતા.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર રડ જ્યારે પોતાનો અધ્યક્ષપદ છોડવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે તેમનું ગળુ રુંધાઇ ગયું હતું. બહાર આવીને રડે પત્રકારોના સવાલના જવાબ પણ આપ્યાં ન હતાં.


અગાઉ અધ્યક્ષપદ માટે ગુરૂવારે મતદાન થવાનું હતું પરંતુ તે મતદાન થયુ ન હતું. એવુ માનવામાં આવે છે કે ગિલાર્ડને મતદાન પહેલા જ બહુમતી મળી ગઇ હતી. 49 વર્ષની ગિલાર્ડને પ્રભાવશાળી ઓસ્ટ્રેલિયન વર્કર્સ યુનિયનનું પણ સમર્થન પ્રાપ્ત છે.


ઓસ્ટ્રેલિયામાં સતત નીતિઓની અસફળતા, લોકોમાં ઘટી રહેલો વિશ્વાસ અને ખાણ ઉદ્યોગની લડાઇના કારણે રડ હાંસિયામાં ધકેલાઇ ગયા હતા. રડે બુધવારે જાહેરાત કરી હતી કે તેના સહાયક પ્રધાનમંત્રી ગિલાર્ડે તેને લેબર પાર્ટીના અધ્યક્ષ પદ માટે મતદાન કરવાનું જણાવ્યું હતું.

*અડધાથી વધુ વાઇબ્રન્ટ ઉદ્યોગો દ્વારા ઉત્પાદન શરૂ
રાજ્ય સરકારે યોજેલી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ-’૦૯ વખતે ગાંધીનગર જિલ્લામાં થયેલા ૧૦ કરોડથી ઓછા મૂડીરોકાણવાળાં ૩૦ એકમોના રૂ.૧૦૬ કરોડના કુલ મૂડીરોકાણના એમઓયુ પૈકીના ૧૮ ઉદ્યોગો ઉત્પાદનમાં આવી ગયા છે. આ ઉપરાંત ૬ એકમો અમલીકરણની કક્ષાએ પહોંચી ગયા હોવાનું તાજેતરમાં મળેલી સમીક્ષા બેઠક દરમિયાન સ્પષ્ટ થયું હતું, જ્યારે ૬ ઉદ્યોગકારો એવા છે જેઓ એકમ સ્થાપવા માટે જમીનની શોધખોળ ચલાવી રહ્યા છે.

જિલ્લાતંત્રનાં સત્તાવાર સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ ઉત્પાદનમાં આવી ગયેલા ઉદ્યોગોમાં પીંડારડા ગામે ઝલક કોલ્ડ સ્ટોરેજ, રકનપુર ગામે દીપ પ્લાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ, છત્રાલમાં સંગીનીતા ઇન્ડસ્ટ્રીઝ, કરણ પેપર મિલ્સ, ડી-કાલ ફાર્મા, જી-વન એગ્રો પ્રોડક્ટ, ધાનોટમાં વિરાટ એલોઇઝ, સાંતેજમાં અનિકેત ફાર્મા., વાસણા રાઠોડ પાટીદાર એગ્રો એન્ડ ફૂડ, મોસમપુરા ગામે વિનાયક ટીએમટી બાર્સ, રાજપુરામાં સાકાર ગ્લેઝડ ટાઇલ્સ, પરબતપુરામાં ગોકુલ ફ્રિઝિંગ હાઉસ, મોટી ભોંયણમાં શક્તિ પોલીફેબ, બિલેશ્વરપુરામાં રોયલ ઇન્ડસ્ટ્રીઝ, સાંતેજમાં ઇટા એન્જિનિયિંરગ સર્વિસ, ધમાસણામાં શ્યામ એગ્રો, ચિલોડામાં પર્લ એન્ટરપ્રાઇઝ અને બલાલપુરમાં સ્ટોનેકસ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે.

દરમિયાન ઉપરોક્ત ઉદ્યોગોમાં આજ સુધીમાં રૂ.૩૯.૧૨ કરોડનું મૂડીરોકાણ પણ થઈ ગયું હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉદ્યોગોમાં કુલ ૧,૦૫૮ લોકોને રોજગારી મળવાની હતી તે પૈકી ૩૧૪ લોકોને રોજગારી મળી ચૂકી છે.

જે ઉદ્યોગો અમલીકરણ હેઠળ છે તેમાં દીપ ઇન્ટરનેશનલ અને રામ સ્ટીલ રોલિંગ મિલ્સ, મોટી ભોંયણમાં ગુંજન પેઇન્ટ્સ અને ધારા લાઇફસીન, સાંતેજમાં નિરમી ફ્લેક્સીપેક અને ઉમા કન્વર્ટર્સનો સમાવેશ થાય છે.s

* યુવતીઓને આશરો આપનાર મહિલા સંસ્થામાં ભારે હોબાળો

રાજસ્થાનથી દોડી આવેલા નિધિ જૈનના પરિવારજનોની વિકલ્પ વિમન્સ ગ્રૂપમાં તોડફોડ

રાજસ્થાનના કોટાથી ભાગેલી બે યુવતીઓએ મહિલાઓના હક માટે લડતી વડોદરાની વિકલ્પ વિમેન્સ ગ્રૂપ સંસ્થામાં આશરો લીધો હતો. યુવતીઓના પરિવારજનોને જાણ થતાં બુધવારે વડોદરા દોડી આવ્યા હતાં. જ્યાં યુવતીઓને મળવાના મુદ્દે સંસ્થાના સંચાલિકા સાથે રકઝક થતાં પરિવારજનોએ તોડફોડ કરતા ભારે હોબાળો મચી ગયો હતો.


રાજસ્થાનના કોટામાં રહેતા લલિતકુમાર જૈનની ૨૭ વર્ષીય પુત્રી નિધિ અને જોધપુર પાલી નિવાસી ૨પ વર્ષીય આકાંક્ષા રાજપુરોહિત ગત ૧ જૂને ઘરેથી ભાગી ગયાં હતાં. આ અંગે કોટા પોલીસને જાણ કરી પરિવારજનોએ શોધખોળ ચલાવી હતી. દરમિયાનમાં યુવતીઓએ ફોન કરી પોતે સલામત હોવાની પરિવારજનોને જાણ કરી હતી. કોલના આધારે યુવતીઓ વડોદરામાં હોવાનું જાણવા મળ્યું હતું.

બંને યુવતીઓ વડોદરાના અકોટા વિસ્તારમાં હોવાની પરિવારજનોને જાણ થતાં નિધિના કાકા પંકજ જૈન અને અન્ય એક યુવક આજે આવ્યા હતાં. તેઓએ અકોટાની હોટલ ગેટ વેમાં તપાસ કર્યા બાદ સામેની વિકલ્પ વિમેન્સ ગ્રૂપ સંસ્થામાં હોવાનું જાણવા મળતાં ત્યાં પહોંચ્યા હતાં.


સંસ્થા યુવતીઓ-મહિલાઓના હક માટે કાર્યરત હોવાની જાણ થતાં પરિવારજનોએ સંસ્થામાં જઇ બંને યુવતીઓને મળવાનો આગ્રહ કર્યો હતો પરંતુ આ મુદ્દે સંસ્થાના સંચાલિકા ઇન્દિરાબહેન પાઠક સાથે રકઝક થતાં પરિવારજનો ઉશ્કેરાયા હતા અને એક યુવકે દરવાજાની તોડફોડ શરૂ કરી દીધી હતી.


ઓફિસમાં તોડફોડ થતાં સંસ્થાની મહિલા કાર્યકરોમાં નાસભાગ મચી ગઇ હતી. બનાવના પગલે સંચાલિકાએ પોલીસ કમિશનરને જાણ કરતાં જેપી રોડ પોલીસ મથકના પીએસઆઇ ચાવડા સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસની એન્ટ્રી પડતાં જ યુવતીના કાકા સહિત બંને ત્યાંથી પોબારા ભણી ગયા હતાં. જોકે, કાર્યાલય પર તમાશાને જોવા લોકોનાં ટોળાં ઉમટી પડતાં પોલીસે સંસ્થામાં સંચાલિકા સહિત કાર્યકરોને પાછળના દરવાજેથી બહાર કાઢી મૂક્યા હતાં.


પોલીસે સમગ્ર વિવાદના કેન્દ્રસ્થાને રહેલી નીધિની પૂછતાછ કરતાં તેણે જણાવ્યું હતું કે,આગામી ૩ જુલાઇએ તેનું લગ્ન નક્કી કરાયું છે. લગ્ન માટે અનિચ્છા હોવા છતાં પરિવારજનોએ દબાણ કરતાં તે સહેલી આકાંક્ષા સાથે ઘર છોડીને ભાગી હતી. આ અંગે હજુ સુધી પોલીસ ફરીયાદ નોંધાઈ નથી.


યુવતીઓ લેસ્બિયન હોવાની આશંકા


નિધિ જૈન અને આકાંક્ષા રાજપુરોહિત છેલ્લા ઘણા સમયથી એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતી. તેમના સંબંધો અંગે પરિવારજનોને જાણ થઇ જતાં ભારે વિરોધ થયો હતો. રાજસ્થાનથી ભાગેલી આ બંને યુવતીઓએ વડોદરામાં વિકલ્પ વુમન્સ ગ્રુપ સંસ્થામાં આશરો લીધો છે. આ બંને યુવતીઓ લેસ્બિયન હોવાની આશંકા સેવાઇ રહી છે. અલબત્ત,બંને મિત્રો વચ્ચે કેવો સંબંધ છે અને સંસ્થાની ભૂમિકા શું છે? તે અંગે કંઇ જાણવા મયું નથી.


સંસ્થામાં વિદેશી સહિત ૧૦ જેટલી યુવતીઓનું રોકાણ

વિકલ્પ વિમેન્સ ગ્રૂપની ઓફિસની ઉપર જ મકાન છે. જેમાં હાલ બેથી ત્રણ જેટલી વિદેશી યુવતીઓ સહિત ૧૦ થી વધુ મહિલાઓ રોકાઇ છે. આજે રાજસ્થાનથી ભાગીને આવેલી બે યુવતીઓના પરિવારજનોએ સંસ્થાની કચેરીમાં તોડફોડ કરતાં તમામને પાછળના દરવાજેથી બહાર કઢાઇ હતી.

પેટ્રોલના જ ભાવ વધશે

પેટ્રોલના જ ભાવ વધશે!
કોઇપણ રીતે તેલ સેકટરમાં સુધારો કરવાની ફોર્મ્યુલા જલ્દીથી અપનાવવામાં આવે તેના માટે પેટ્રોલયિમ મંત્રી મુરલી દેવડા કામે લાગી ગયા છે. તેલ કંપનીઓને ભાવ નક્કી કરવાની છૂટ આપવામાં આવે અથવા તો પછી પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં વધારો થઇ જાય. આ મિશનમાં તેમણે આંશિક સફળતા જ મળી છે. સૂત્રોનું માનીએ તો શુક્રવારે યોજાનાર ઇજીઓએમમાં પેટ્રોલની કિંમત વધારવા પર ચર્ચા થશે. તેલ કંપનીઓને ભાવ નક્કી કરવાની છૂટ અને ડીઝલની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય હાલ પૂરતો એજન્ડામાંથી બહાર કરી દેવામાં આવ્યો છે, કારણ કે યુપીએની સહયોગી પાર્ટીઓએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે.

સૂત્રોના મતે તેલ સેકટર પર નિર્ણય કરવા માટે નાણાંમંત્રી પ્રણવ મુખર્જીની અધ્યક્ષતામાં મંત્રીઓનું એક ગ્રૂપ બનાવામાં આવ્યું છે. તેમાં તૃણમૂલ કૉંગ્રેસના મમતા બેનર્જી, એનસીપીના શરદ પવાર સિવાય ડીએમકે સાંસદ અને રસાયણ અને ફર્ટિલાઇઝર મંત્રી અડાગિરી છે. આ ત્રણેય પાર્ટીઓ તેલ કંપનીઓની કિંમતોને નિયંત્રણમુક્ત કરવા અંગે તૈયાર નથી. હવે તો શરદ પવાર અને મમતા બેનર્જીએ તો સ્પષ્ટ કહી દીધું છે કે હાલની પરિસ્થિતિ જોતા આ નિર્ણય યોગ્ય નથી. તેલ કંપનીઓને છૂટ આપતા જ ભાવમાં વધારો કરવાનું ચાલું કરી દેશે, એ સમયે તેમને કંટ્રોલ કરવા મુશ્કેલ થઇ જશે.

દેવડા અને તેલ કંપનીઓ માટે એક રાહતની વાત છે કે ત્રણેય સહયોગી પાર્ટીઓ પેટ્રોલની કિંમતોમાં વધારો કરવાના વિચાર અંગે રાજી થઇ ગયા છે. તેલ કંપનીઓ પેટ્રોલની કિંમતમાં રૂ.4 સુધીનો વધારો કરવા માંગે છે.

બીજીબાજુ પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે શુક્રવારે યોજાનાર બેઠકમાં દેવડા પોતાની તરફથી પેટ્રોલની સાથે ડિઝલના ભાવ વધારા અંગે પણ પ્રસ્તાવ રજૂ કરશે. ફરી એકવખત મંત્રી સમૂહને તેલ કંપનીઓની ખોટનો રેકોર્ડ દેખાડવામાં આવશે. જોઇએ આ મંત્રીઓ શું નક્કી કરે છે.

* ભારતીય મુસ્લિમ ધર્મગુરુ પર પ્રતિબંધ
અમેરીકા વિરુદ્ધ નફરત ભર્યા ઉપદેશ આપવા અને તમામ મુસ્લિમોને આતંકવાદી બનવાનું આહવાન કરવાના આરોપમાં મુંબઈ નિવાસી મુસ્લિમ ધર્મોપદેશક ડો. જાકિર નાઈકના બ્રિટનમાં પ્રવેશને પ્રતિબંધિત કરી દેવાયો છે. પીસ ટીવી નામની ધાર્મિક ચેનલ ચલાવનારા નાઈકે કહ્યું હતું કે બ્રિટનમાં તેમની યાત્રા પર લગાવાયેલો પ્રતિબંધ રાજનીતિથી પ્રેરતિ છે.

બ્રિટનની નવી ગૃહ મંત્રી થેરેસાએ હાલમાં જ એલાન કર્યું હતું કે તે નાઈકના બ્રિટનમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી રહી છે, કારણ કે તેમની ઘણી ટિપ્પણીઓ અસ્વીકાર્ય વ્યવહારની શ્રેણીમાં આવે છે. થેરેસાએ જાકિરના બ્રિટન આવવાને જનહિતની વિરુદ્ધનું ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત માસ બ્રિટેનના મુખ્ય અખબાર ‘ધ સન્ડે ટાઈમ્સ’માં પ્રકાશિત એક રિપોર્ટમાં ડો. નાઈકના ઘણાં ઉપદેશોને ટાંકીને તેમને આતંક ફેલાવનારા ઉપદેશક બતાવાય હતા.

ઈસ્લામી રિસર્ચ ફાઉન્ડેશન ચલાવનારા જાકિરે કથિત રૂપથી પોતાના એક ઉપદેશમાં કહ્યું હતું કે એ ઉઘાડું રહસ્ય છે કે ટ્વિન ટાવર્સ પર હુમલો જ્યોર્જ બુશે કરાવ્યો હતો. સન્ડે ટાઈમ્સના સમાચાર પ્રમાણે, નાઈકે કહ્યું હતું કે ધર્મ પરિવર્તન કરનારા દરેક વ્યક્તિને મોતની સજા મળવી જોઈએ. કેટલાંક ઉપદેશોમાં તેમણે અમેરીકાને સુવ્વર ગણાવ્યું છે.

સન્ડે ટાઈમ્સે ટાંકેલા ડો. નાઈકના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જો અલકાયદાનો સૌથી મોટો નેતા ઓસામા બિન લાદેન આતંકીઓને આતંકીત કરી રહ્યો છે અને જો તે દુનિયાના સૌથી મોટા આતંકી અમેરીકાને આતંકીત કરી રહ્યો છે, તો તેઓ તેની સાથે છે અને ત્યારે તમામ મુસ્લિમે આતંકી હોવું જોઈ

*3000 સ્કીમો કે પછી 30 શેર - પસંદગી ક્યાં સરળ છે
રાજીવ રંજન ઝા શેરબજારની બારીકાઇઓથી અજાણ નવા રોકાણકારો આ બજારની ભરપૂર ધારણાઓનો ફાયદો ઉઠાવી શકે, તેના માટે હંમેશા સલાહ માટેનું એક ઓવર-દી-કાઉન્ટર પકડાવી દેવામાં આવે છે - 'મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો'.

પરંતુ શું મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ (સ્કીમ)માં રોકાણ કરવું એટલું સરળ છે? તમે કંઇ રીતે નક્કી કરશો કે તમારે કંઇ યોજનામાં નાણાં રોકવા છે? સેંકડો એસેટ મેનેજમેન્ટ કંપનીઓ અને તેમાંય મોટાભાગની સેંકડો યજોનાઓ. હવે કોઇને 3000 મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાંથી પોતાના લાયક 2-3 યોજનાઓ પસંદ કરવી હોય, તો જરા બતાવો કે તેમને કેટલું વાંચવું-લખવું પડશે?

જાણકારો કહે છે કે આ યોજનાઓનું પાછળનું પ્રદર્શન જોવું પડશે. પણ સાથો સાથ કાનૂનન અનિવાર્ય રૂપથી લખવામાં આવેલ વાક્ય પણ હોય છે, કોઇપણ યોજનાનું પાછળનું પ્રદર્શન તેની આગળના પ્રદર્શનની ગેરંટી આપતું નથી. તો પછી ચોખ્ખે-ચોખ્ખુ કહો કે પાછળનું પ્રદર્શન જોઇએ કે ન જોઇએ? ફંડ મેનેજર કોણ છે એ પણ જોવું પડશે. પરંતુ ફંડ મેનેજરોનું પણ પાછળનું પ્રદર્શન ભવિષ્યના પ્રદર્શનની ગેરંટી નથી આપતું. તો પછી ફંડ મેનેજર કોણ છે, એ જોઇએ જ શા માટે! અને ચલો કદાચ ફંડ મેનેજરનું નામ વિશ્વાસલાયક હોય તો પણ શું ભરોસો કે તમારા રોકાણ બાદ તે ફંડે મેનેજર નોકરી નહિં બદલે.

સ્કીમ મોટા શેરોમાં નાણાં લગાવાની હોય કે નાના શેરોમાં, આઇટી અને ટેલિકોમ જેવા ક્ષેત્રોમાં નાણાં લગાવે કે પછી કન્સ્ટ્રકશન અને રિઅલ એસ્ટેટ જેવા ક્ષેત્રોમાં, કે પછી તેનું મોટાભાગનું જોર તેલ ક્ષેત્ર પર હશે કે પછી મેટલ પર તો નહિં હોય અથવા તો પછી દવા કે એફએમસીજી જેવા રક્ષાત્મક ક્ષેત્રોમાં તો રોકાણની નીતિ નહિં હોય - આ બધું તો જોવું પડશે ને. તો જુઓ કે કયું ક્ષેત્ર સારું પ્રદર્શન કરવાનું છે, તેમાંથી અગ્રણી શેરો વધુ ફાયદો કરાવશે કે પછી નાની સ્ક્રીપો. આ બધું જ વાંચવું અને સમજવું પડશે. આ સિવાય તો તમે એક જાણકાર રોકાણકારોની જેમ રોકાણ કંઇ રીતે કરી શકશો.

આટલી બધી શોધખોળ કર્યા બાદ તમે જે સ્કીમમાં નાણાં લગાવશો, શું તે બજારના ઘટાડાના દોરમાં તમારી મૂડીને સુરક્ષિત રાખી શકશે? આખરે તો ફંડ મેનેજરોની વિશેષજ્ઞતાનો ફાયદો તો વિપરીત પરિસ્થિતિઓમાં પણ મળવો જ જોઇએ ને? જરા આંકડા જોઇ લઇએ કે 2008ના ઘટાડામાં કેટલી મ્યુચ્યુઅલ ફંડની સ્કીમો આ કસોટીમાંથી ખરી ઉતરી.

કદાચ આ બધી વાતોને લઇને જ સેબી પ્રમુખ સી.બી.ભાવેએ મ્યુચ્યુઅલ ફંડોને પૂછયું છે કે તમારી 3000થી વધુ યોજનાઓ કેમ છે. જોઇએ સેબીના આ પ્રશ્નના જવાબનું પરિણામ શું નીકળે છે. ત્યાં સુધી તમે જાતે જ નક્કી કરો કે તમારે 3000 યોજનાઓમાંથી પસંદગી કરવી છે કે પછી સેન્સેક્સના 30 શેરોમાંથી!

*ભારત-પાક વાતચીત આતંકીઓના નિશાના પર
ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રસ્તાવિત વાતચીત આતંકવાદીઓના નિશાના પર છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા પ્રમાણે, આતંકવાદી ભારત-પાક વાતચીતને વિફળ બનાવવા માટે દેશના કેટલાંક શહેરોને નિશાન બનાવી શકે છે. આતંકવાદી હુમલાની આશંકા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશભરમાં એલર્ટ જાહેર કરી દીધું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત દરમિયાન આતંકવાદીઓ કેટલાંક શહેરોમાં આતંકવાદી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. આતંકવાદી નથી ઈચ્છતા કે ભારત અને પાકિસ્તાન તરફથી બંને દેશો વચ્ચે શાંતિ અને સદભાવ બહાલીનો જે પ્રયાસ થઈ રહ્યો છે, તે સફળ થાય અને એટલા માટે તેઓ વાતચીતને પાટા પરથી ઉતારવાની કોશિશ કરી શકે છે. ગુપ્તચર વિભાગ પાસેથી મળેલી જાણકારી બાદ ગૃહ મંત્રાલયે દેશભરમાં એલર્ટ જાહેર કરી દીધું છે અને રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોને સતર્ક રહેવા માટે નિર્દેશ આપ્યા છે.

ગૃહ મંત્રાલયે ઉત્તરપ્રદેશના પાવર પ્લાંટ પર હુમલાની સૌથી વધારે આશંકા વ્યક્ત કરી છે. માનવમાં આવે છે કે જો આતંકવાદી ઉત્તરપ્રદેશના પાવર પ્લાંટને ઉડાવામાં કામિયાબ થઈ ગયા, તો તેનાથી મોટી ખાનાખરાબી સર્જાય શકે છે. કેન્દ્રે ઉત્તરપ્રદેશ સરકારને વિશેષ સતર્કતા દાખવવાનો નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાનના વિદેશ સચિવ સ્તરની આજે વાતચીત થવાની છે. જણાવવામાં આવે છે કે આ વાતચીતમાં આતંકવાદ સૌથી મોટો મુદ્દો હશે. ત્યારે ભારતના ગૃહ મંત્રી પી. ચિદમ્બરમ અને પાકિસ્તાનના આંતરીક બાબોતના મંત્રી રહમાન મલિક શુક્રવારે મુલાકાત કરવાના છે.

મહત્વપૂર્ણ છે કે દિલ્હીમાં યોજાયેલી ભારત અને પાકિસ્તાનના વિદેશ સચિવોની મુલાકાત પહેલા પુણેની જર્મન બેકરીમાં વિસ્ફોટ થયો હતો અને તેમાં 16 લોકોના મોત નીપજ્યા હતા. આ વિસ્ફોટોની તપાસ મહારાષ્ટ્ર એટીએસે હાથ ધરી છે. જો કે તેમા કોઈ મોટી સફળતા મળી નથી.

‘વિવેકને ચુંબન કરવાની મજા આવી પણ...’

‘વિવેકને ચુંબન કરવાની મજા આવી પણ...’
અરૂણા શિલ્ડની બીજી હિન્દી ફિલ્મ મિસ્ટર સિંહ મિસિસ મહેતા શુક્રવારના રોજ રીલિઝ થઈ રહી છે. અરૂણા હાલમાં આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

ગુરૂવારના રોજ અરૂણા નોઈડામાં ફિલ્મના પ્રમોશન અર્થે આવી હતી. આ સમયે અરૂણાએ કહ્યું હતું કે, તેને ચુંબન કરવું ગમે છે કારણ કે, તેમાં માત્ર એક જગ્યાએ ઉભા જ રહેવાનું હોય છે.

આટલું જ નહિ પોતાની પ્રથમ હિન્દી ફિલ્મ પ્રિન્સમાં અરૂણાએ બોલિવૂડ સ્ટાર વિવેક ઓબેરોયને ઉત્કટ ચુંબનો કર્યા હતા. આ અંગે બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ અરૂણાએ કહ્યું હતું કે, વિવેક ઘણો જ સારો કિસર છે.

જો કે અરૂણાએ સ્વીકાર્યુ હતું કે, તેની આગામી ફિલ્મ મિસ્ટર સિંહ મિસિસ મહેતાનો કો સ્ટાર પ્રશાંતને ચુંબન કરવાની બિલકુલ મજા આવી નહોતી. પ્રશાંત ચુંબન કરતાં સમયે અસ્વસ્થ હતો.

જો કે થોડા સમય પછી પ્રશાંત કમ્ફર્ટેબલ થઈ ગયો હતો અને અરૂણા અને પ્રશાંતના ચુંબનો દ્રશ્યોનું શુટિંગ કરવામાં આવ્યું હતું.

મિસ્ટર સિંહ મિસિસ મહેતામાં નગ્ન પોઝ આપવા અંગે અરૂણાએ કહ્યું હતું કે, નગ્ન પોઝ તેના માટે કોઈ અઘરી વાત નહોતી. તેણે તો સ્ક્રીપ્ટમાં જે હતું તે પ્રમાણે જ કામ કર્યુ છે. નગ્ન પોઝને ફિલ્મમાં આર્ટીસ્ટીક રીતે રજૂ કરવામાં આવ્યો છે.

અંતે અરૂણાએ કહ્યું હતું કે, તેને વિવાદોથી બિલકુલ ડર લાગતો નથી.

*સ્ટુડન્ટ વિઝા અને યુ.એસ. કોન્સ્યુલટ

મુંબઈ સ્થિત કોન્સ્યુલટ જનરલ ઉચ્ચ અભ્યાસ અર્થે અમેરિકા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને આવકારે છે. વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાંની કેટલીક યુનિવર્સિટીઓ અમેરિકામાં આવેલી છે. ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકાની યુનિવર્સિટીના કેમ્પસ અને ક્લાસરૂમ સુધી પોતાની સાથે વૈવિધ્ય, બુદ્ધિમત્તા અને સર્જનાત્મકતા લઈ જાય છે. તેમના અનુભવ પરથી છતું થાય છે કે ભારતીય અર્થતંત્રને ગતિશીલ અને વધારે સધ્ધર બનાવવામાં તેમનું યોગદાન મહત્વનું રહેશે. આવાં સ્નાતકો વર્તમાન અને ભવિષ્યમાં ભારત- અમેરિકાના સામાજિક અને સાંસ્કૃતિક સમન્વયના આધારસ્તંભ બની રહે છે.


સ્ટેટ ડિપાર્ટમેન્ટના ૨૦૦૯ના રિપોર્ટ અનુસાર અમેરિકાની સ્કૂલ્સમાં ભારતના ૧ લાખ ૩ હજાર કરતાં વધારે તેજસ્વી વિદ્યાર્થીઓ ભણે છે. તે જોતાં આંતરરાષ્ટ્રીય શિક્ષણ મેળવતાં વિદ્યાર્થીઓમાં વિશ્વમાં ભારત પહેલાં નંબરે છે. આમાંના ઘણાખરા વિદ્યાર્થીઓના અમેરિકાના પ્રવાસની શરૂઆત મુંબઈ ખાતેની યુ.એસ. કોન્સ્યુલટ જનરલથી થાય છે. કોન્સ્યુલટ જણાવે છે કે વિદ્યાર્થીઓએ તેમના જે તે અભ્યાસક્રમના પ્રોગ્રામની નિધૉરિત તારીખ કરતાં પહેલાં અગાઉથી વિઝા માટેની અરજી કરવી, તેની જાણ કરવી અને તૈયારી રાખવી.


કોન્સ્યુલટે વિઝા સરળતાથી મળે તે માટેના શક્ય તેટલાં પ્રયાસ હાથ ધર્યા છે. અમેરિકાની સ્કૂલમાં પ્રવેશ મળે કે તરત જ વિદ્યાર્થીઓએ જે તે યુનિવર્સિટીમાંથી સ્વીકાર માટેનું ક- ૨૦ ફોર્મ મેળવી લેવું જોઈએ. ત્યાર પછી અરજદાર વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર ઈન્ફર્મેશન સિસ્ટમ (SEVIS) ફી ચૂકવવી પડે છે. આ ફી ઓનલાઈન પણ ભરી શકાય છે.


વધુ માહિતી માટે અરજદારે કોન્સ્યુલટની વેબસાઈટ http://mumbai.usconsulate.gov પર સંપર્ક કરવો. વિઝા અરજી માટેની કાર્યપદ્ધતિને થોડાં સમય પહેલાં જ કોન્સ્યુલટે નવા ઓનલાઈન નોન ઇમિગ્રન્ટ વિઝા (NIV) અરજી ફોર્મ DS-૧૬૦ અંતર્ગત એકસૂત્રે સાંકળી છે. દરેક અરજદારે ઓનલાઈન ફોર્મમાં માગેલી અનિવાર્ય માહિતી સંપૂર્ણપણે ભરવી જરૂરી છે. ત્યાર પછી ઈન્ટરવ્યૂ અને એપોઈન્ટમેન્ટ માટેનું શિડ્યૂલ જાણવા માટે www.vfs-usa.co.in પર ક્લિક કરો. વેબસાઈટમાં જણાવેલા મુદ્દાને અનુસરીને વિદ્યાર્થીઓ વહેલી તકે વિઝા મેળવી શકશે.


મુંબઈના કોન્સ્યુલર ચીફ ડેવિડ ટેલર કહે છે, ‘વિઝા અરજી કરનારા વિદ્યાર્થીઓએ વ્યક્તિગત ઈન્ટરવ્યૂ અને બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ કલેક્શન માટે કોન્સ્યુલટ જનરલ અધિકારીને રૂબરુ મળવું જરૂરી છે. મુલાકાત દરમિયાન અરજદાર નિરાંતે, સત્યને વળગી રહી તેમની વાત અમને જણાવે એવું અમે ઈચ્છીએ છીએ. તદુપરાંત વિદ્યાર્થીઓ પોતે દેશ અને કુટુંબ સાથે જોડાયેલા છે અને અમેરિકામાં શિક્ષણ પાછળ થતાં ખર્ચને પહોચી વળવા માટેનું જરૂરી ફન્ડ ધરાવે છે એ બાબતે કોન્સ્યુલર અધિકારીને સંમત કરવા જરૂરી છે.’


મોટા ભાગના તેજસ્વી વિદ્યાર્થીઓને અમેરિકાના વિઝા ઝડપથી મળી જાય છે. અને તેઓ અમેરિકાની યુનિવસિર્ટીઝના સારા અનુભવ મેળવવા માટે જાય છે. સ્ટુડન્ટ વિઝા અંગેની વધુ માહિતી માટે અમારા અન્ય


ઓનલાઈન સંપર્ક:


કોન્સ્યુલર અફેર્સ બ્યુરો: http://travel.state.gov/visa_ services.htmlયુ.એસ. કોન્સ્યુલટ જનરલ મુંબઈ: http://mumbai.usconsulate.govધ યુ.એસ.-ઈન્ડિયા એજ્યુકેશન ફાઉન્ડેશન: www.usief.org.inનોન ઇમિગ્રન્ટ વિઝા અંગેની વિશેષ પૂછપરછ માટે mumbainiv@state.gov પર ઈ મેલ કરવો. ઈ મેલમાં કોન્સ્યુલર ઈન્ફર્મેશન યુનિટને ‘વિષય: રિકવેસ્ટ ફોર સ્પેસિફિક ઈન્ફર્મેશન’ લખવું.


વધુમાં ટેલર કહે છે, ‘અમેરિકાની કોલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરવામાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને આવકારીએ છીએ. અમારી મુંબઈ ઓફિસના બધા જ કર્મચારીઓ તમને મળવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.’

* પાળતુ કૂતરાએ તેના માલિક પર ટ્રક ચઢાવી દીધી
અમેરિકામાં હર્નેડો કાઉન્ટી વિસ્તારમાં એક વ્યક્તિ પર તેના જ પાળતુ કુતરાએ તેનો ટ્રક ચઢાવી દીધી હતી.

ક્રિસ્ટોફર બિશપ નામનો વ્યક્તિ તેના ટ્રકમાંથી પડતુ ઓઇલ ચેક કરવા માટે ચાલુ ટ્રકને ન્યુટ્રલમાં નાંખીને ટ્રકની નીચે ગયો હતો. આ જ સમયે તેના કુતરાને શું બુદ્ધિ સુઝી કે તેણે કેબિનમાં જઇને ટ્રકને ગિયરમાં નાંખી દીધો હતો.

આ સમયે ટ્રક ચાલુ થઇને તેના બિશપની શરીરના ડાબા ભાગ ઉપર ચઢી ગયો હતો.

જો કે બિશપે જેમ તેમ કરીને બહાર આવીને ટ્રકને કાબૂમાં કરી દીધો હતો. જો કે બિશપને વધારે દુખાવો થતા તેણે એમ્બ્યુલન્સ બોલાવી હતી. જો કે બિશપની જિંદગી જોખમની બહાર છે.

*સંજુબાબાએ માન્યતાના પુત્રનું અપહરણ કર્યુ હતું?

માન્યતાના ભૂતપૂર્વ પતિ મેહરાજ શેખે બોમ્બે હાઈકોર્ટમાં કેસ કર્યો છે કે, સંજુબાબાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં તેના પુત્રનું અપહરણ કર્યુ હતું. શેખે ફરિયાદ કરી છે કે, તેણે એનએમ જોષી માર્ગ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી હતી પરંતુ ત્યાં તેનો કોઈ પ્રતિભાવ મળ્યો નહોતો.


જેલે આ અંગે ક્રિમીનલ પીટીશન પણ ફાઈલ કરી છે. પબ્લિક પ્રોસીક્યુટર માનકુંવર દેશમુખે કહ્યું હતું કે, કોર્ટે અમને(રાજ્ય સરકાર) એફિડેવિટનો જવાબ આપવા અંગે ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે. વર્ષ 2008માં ભોજપુરી અભિનેત્રી નગ્માને અશ્લીલ મેસેજ મોકલવા બદલ શેખ પર બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.


શેખે આરોપ મૂક્યો છે કે, દત્તના અંડરવર્લ્ડ મિત્રોએ તેના છ વર્ષના પુત્ર મુસ્તફાનું 24 ડિસેમ્બર 2009ના રોજ અપહરણ કર્યુ હતું.


સંજુએ શેખ અને તેના પરિવારને મારી નાંખવાની ધમકી આપી હતી. શેખે સંજય દત્ત વિરૂદ્ધ દ્વિપત્ની અને વ્યભિચારનો કેસ દાખલ કર્યો હતો અને સંજુએ આ અંગે શેખને ધમકીઓ આપી હતી. શેખે દાવો કર્યો છે કે, તેની પત્ની માન્યતાએ જ્યારે સંજય દત્ત સાથે લગ્ન કર્યા ત્યારે તેણે છૂટાછેડા લીધા નહોતા.


વધુમાં શેખે કહ્યું હતું કે, દત્તના મિત્રોએ તેની પર અશ્લીલ મેસેજનો આરોપ મૂક્યો છે. દત્તે તેના હૈદરાબાદના ઘરમાં અંડરવર્લ્ડના મિત્રોને મોકલ્યા હતા અને તેઓએ શેખના પરિવારને ધમકી આપી હતી કે, જો શેખ દત્તની વાતો નહિ માને તો મુસ્તફાને પાછો આપવામાં આવશે નહિ. ત્યારબાદ તરત જ શેખે પત્રકાર પરિષદ બોલાવીને માન્યતાને છૂટાછેડા આપ્યા હોવાની જાહેરાત કરી હતી.

*અરે આ કેળુ છે કે ઇંડુ ?
ચીનના અનહુઇ પ્રાન્તમાં એક મરઘીએ કેળાના આકાર જેવું ઇંડુ આપ્યું છે. સામાન્ય રીતે આ પ્રકારના ઇંડુ જોવા મળતુ નથી.

જ્યારે એક બ્રિટિશ પરિવારની મરઘીએ વર્લ્ડ રેકોર્ડ કરતા એક જ દિવસમાં એક સાથે 14 ઇંડા મૂક્યાં હતા. સરાહ નામની મરઘીએ માત્ર બે જ કલાકના સમય ગાળામાં એક ડઝનથી પણ વધારે ઇંડા મૂકીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો.

* ઓબામા પર આક્રમણ !
વિશ્વના સૌથી શક્તિશાળી નેતા કે જેનાથી સૌ ડરે છે તેને એક નાનકડી એવી માખીએ હેરાન પરેશાન કરી મૂક્યા હતા. એર્ફોડેબલ કેર એકટ એન્ડ ધ ન્યૂ પેશન્ટ બિલ ઓફ રાઈટસ પર વ્હાઈટ હાઉસના ઈસ્ટ રૂમ ખાતે યોજાયેલા ટીવી ટોક શોમાં બરાકને હેરાન પરેશાન કરવા ક્યાંકથી એક માખી આવી પહોંચી હતી. વારંવાર આ માખીને ઉડાડવાના પ્રયાસ કરતા ઓબામા જોવા મળ્યા હતા. તેમણે જો કે, જીવદયાનું પાલન કરતા હોય તેમ માખીને મારી નહતી. -એપી



*ભજ્જી નવી પ્રેમિકાની શોધમાં!
ભારતીય ઓફ સ્પીનર હરભજન સિંહ અને બોલિવૂડ અભિનેત્રી ગીતા બસરા વચ્ચે અફેયર હોવાની વાત ઘણી જૂની છે. હવે, તાજા સમાચાર પ્રમાણે આ બંને અલગ થઈ ગયા છે. માર્ચ મહિનામાં ભજ્જીની બહેનના લગ્ન હતા અને આ સમયે ભજ્જીએ ગીતા બસરાને પોતાના માતા-પિતા સાથે મુલાકાત પણ કરાવી હતી અને તેઓએ લગ્નની વાત પણ કરી હતી.

જો કે ગીતાના મિત્રના જણાવ્યા પ્રમાણે, ભજ્જીએ સંબંધોનો અંત લાવી દીધો છે. હવે, ભજ્જી એક નવી પ્રેમિકા શોધી રહ્યો છે. જો કે હજી પણ ગીતા અને ભજ્જી વચ્ચે બોલવાના સંબંધો તો છે. તેઓની વચ્ચે કોઈ દુશ્મની કે કડવાશ નથી. તેઓની વચ્ચે આઈપીએલ પછી મતભેદો શરૂ થયા હતા. તેઓની વચ્ચે સમજણ અને એકબીજાની લાગણી સમજી શકવાનો અભાવ હોવાથી તેઓ અલગ થઈ ગયા છે.

ગીતા આ સમયે ઘણી જ હતાશ થઈ ગઈ છે. તે ભજ્જી સાથે સાચા મનથી જોડાયેલી હતી. હરભજનની મેચ હોય ત્યારે ગીતા ભજ્જીને ચિયર અપ કરવા માટે મેદાનમાં ઘણી વાર જતી હતી.

ગીતાને આ સંબંધો પ્રત્યે ઘણું જ માન હતું. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝના ઘણાં મિત્રોએ ગીતાને આ સંબંધોનો અંતે કેમ આવ્યો તેમ પૂછ્યું છે. જો કે હાલમાં તો ગીતાએ આ અંગે કંઈ પણ જણાવવાનો ઈનકાર કર્યો છે.

ગીતા ઘણી જ ઉદાસ થઈ ગઈ હોવાથી હાલમાં તેના મિત્રો તેની સાથે છે અને તેને કરિયર પર ધ્યાન આપવાનું સમજાવી રહ્યા છે. ગીતાને બોલિવૂડ ફિલ્મોની અનેક ઓફર મળી રહી છે અને હવે તે ફિલ્મો પર ધ્યાન આપશે તેમ માનવામાં આવી રહ્યું છે.

* અડવાણી પર RSSનો અંકુશ!
ભાજપમાં પોતાની પસંદના અધ્યક્ષને પદ પર નિયુક્ત કરાવ્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ તમામ સર્વશક્તિમાન નેતાઓ પરને અંકુશિત કરવા ઈચ્છે છે. આ એવા નેતાઓ છે કે જે ચૂંટણી અને સત્તાની રાજનીતિના દમ પર ખુદને સંગઠનથી મોટા સમજવા લાગ્યા છે.

આરએસએસની ગુપચુપ રણનીતિ પ્રમાણે સાંસદો-ધારાસભ્યોની ચાલ-ઢાલ તથા કામકાજ પર નજર રાખવા માટે એક નવા ‘સાંસદ-વિધાયક વિકાસ પ્રકોષ્ઠ’ની રચના કરવામાં આવી છે. કહેવા માટે તો તે પાર્ટીના અન્ય તમામ પ્રકોષ્ઠ જેવું જ છે, પરંતુ સાંસદો-ધારાસભ્યોને મર્યાદામાં રાખવા માટે તેને ઘણાં અધિકાર આપવામાં આવ્યા છે.

સંઘની આ તરકીબને પાર્ટીના એ સંસદીય માળખામાં સેંધમારીના રૂપમાં જોવામાં આવે છે કે જેને વાજપેયી અને અડવાણીએ પોતાના કૌશલથી ઘણી મજબૂતી પ્રદાન કરી હતી. પ્રકોષ્ઠનું જે સ્વરૂપ નક્કી કરવામાં આવ્યું છે, તેમાં સાંસદ, ધારાસભ્યોને તાલીમ દ્વારા સંગઠનની નજીક લાવવામાં આવશે. ટિકિટ વિતરણમાં પણ આ પ્રકોષ્ઠની ભલામણ ઘણી મહત્વની રહેશે. આ પ્રકોષ્ઠ સીધો ગડકરીને રિપોર્ટ કરશે. મતલબ સ્પષ્ટ છે કે સંસદીય કામકાજમાં અડવાણી જૂથની દરેક ગતિવિધિની જાણકારી હવે સીધી ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરી સુધી પહોંચશે.

*મોદી પર સંઘ ઓળઘોળ....

તાજેતરમાં મહારાષ્ટ્રમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો અને મંત્રીઓ માટે એક શિબિરનું આયોજન મહારાષ્ટ્ર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્યપ્રવચન આપવાની તક આપવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત સંઘ મોદી પર ઓળઘોળ થઇ ગયું છે.તાજેતરના 13 જૂન 2010 માં પ્રકાશિત અંક પ્રમાણે મોદીના કારણે ગુજરાતના ખેડૂતોના ચહેરા પર સ્મિત આવ્યું છે.


'ઓર્ગેનાઇઝર'માં ગુજરાતની ખેતીલાયક જમીનનું વિશ્લેષણ કરવાની રાજ્ય સરકારની પહેલની ભારોભાર પ્રશંસા કરવામાં આવી છે. ઉપરાંત ખેડૂતોને આપવામાં આવી રહેલા 'સોઇલ હેલ્થ કાર્ડ' રિપોર્ટ અંગે વિગતો આપવામાં આવી છે તથા તેની પ્રશંસા પણ કરવામાં આવી છે. લેખક વી. સંબુગનાથને દાવો કર્યો છેકે, તેમણે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જેમાં મોદીએ તેમના લોકોપયોગી કાર્યક્રમોમાં લોકભાગીદારીની ભારે પ્રશંસા કરી હતી.


લેખકના કહેવા પ્રમાણે, નરેન્દ્ર મોદી અને તેમની ટીમે અનેક રચનાત્કમ પહેલ કરી છે. જેનું અનુકરણ અન્ય રાજ્યોએ કરવા જેવું છે, તેવું સૂચન પણ સંબુગનાથને કર્યું છે. ગુજરાત સરકારના 'કૃષિરથ'ની પણ તેમણે પ્રશંસા કરી છે. જેમાં ચોમાસાંના આગમનના એક માસ પહેલા એક રથ ગામડાની મુલાકાત લે અને ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી માટે પ્રોત્સાહિત કરે તથા તેમને સરકારી અધિકારીઓ દ્વારા પૂરતું માર્ગદર્શન આપવામાં આવે.


*અડવાણી રાજકારણમાંથી નિવૃત્ત થવા માંગે છે
ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન અને વરિષ્ઠ ભાજપી નેતા લાલકૃષ્ણ અડવાણીએ રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો સંકેત આપ્યો છે. સોમવારે તેમણે પંચમઢીમાં જણાવ્યું હતું કે પરિવાર અને પક્ષની તમામ જવાબદારીઓ નિભાવી ચૂક્યા બાદ હવે હું આરામ કરવા માગું છું.

વર્ષોથી મારી ઇચ્છા હતી કે તમામ જવાબદારીઓમાંથી મુક્ત થયા બાદ હું પંચમઢી આવીશ અને આજે મારી આ તમન્ના પૂરી થઇ ગઇ છે. સોમવાર સવારે પંચમઢી પહોંચેલા અડવાણીએ જણાવ્યું હતું કે સંગઠન દ્વારા મને સોંપાયેલી જવાબદારીઓ પૂરી થઇ ગઇ છે.

પક્ષના નવા પ્રમુખ અને તેમની ટીમ પણ તૈયાર થઇ ગઇ છે. એટલા માટે હવે હું આરામ કરવા માગું છું. અત્રે ઉલ્લેખનીય છે કે અડવાણીની સુરક્ષા વ્યવસ્થાના કારણે અહીંયા આવેલા અન્ય પર્યટકોને થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જબલપુરથી આવેલા એક પ્રવાસીએ જણાવ્યું હતું કે વીઆઇપીના પ્રવાસના કારણે તેમની ગાડી લગભગ અડધો કિલોમીટર આગળ અટકાવી દેવાઇ હતી. જેથી પ્રવાસીઓને ભારે લગેજ જાતે ઉપાડીને જવું પડ્યું હતું. આ ઉપરાંત પ્રવાસીઓને ધૂપગઢ, બી-ફોલ, મહાદેવ સહિત કેટલાંક સ્થળે જવા દેવાયા નહોતા.

* . .જ્યારે રડી પડ્યા અડવાણી
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ જ્યારે પુત્રી પ્રતિભાની પિતાને સમર્પિત ફિલ્મ દાદા જોઈ તો તેમની આંખોમાં આંસુ હતા. એટલું જ નહીં માતા પણ ફિલ્મ લગભગ પચાસ વખત જોઈ ચુકી છે. આ ખુલાસો ખુદ પ્રતિભા અડવાણીએ રવિવાર સાંજે રવિન્દ્ર ભવનમાં આ ફિલ્મના પ્રદર્શન વખતે કર્યો હતો.

તેનું આયોજન નવલય સંસ્થાએ કર્યું હતું. જન્મદિવસ પર સરપ્રાઈઝ આપતાં પ્રતિભાએ કહ્યું હતું કે ગત વર્ષ આઠ નવેમ્બરે દાદાના જન્મદિવસ પર તેમણે અડવાણીને સરપ્રાઈઝ આપવાની વાત વિચારી હતી. હિંદી ફિલ્મોમાં પિતાની ભૂમિકા પર કેન્દ્રિત આ ફિલ્મ પ્રતિભાએ અડવાણીના બાળપણ, યુવાવસ્થા અને રાજકીય યાત્રાના દુર્લભ ચિત્રો પણ જોડયા છે.

અડવાણી ન આવ્યા ફિલ્મ જોવા

પ્રતિભાએ કહ્યું હતું કે જન્મદિવસ પર જ્યારે દાદાને આ ફિલ્મ પરિવાર અને મિત્રજનો સાથે જોઈ તો તેમની આંખોમાં આંસુ હતા. ફિલ્મના પ્રદર્શન વખતે પિતાની ગેરહાજરી સંદર્ભે પ્રતિભાએ કહ્યું હતું કે તેઓ ભાવુક અને સંકોચી છે.

એ જ કારણ છે કે તેઓ પોતાના વખાણથી બચવા માટે આજે ફિલ્મ જોવા માટે રવિન્દ્ર ભવન આવ્યા નથી. અડવાણીના પત્ની કમલા અડવાણી, મુખ્યમંત્રી, તેમના પત્ની, મંત્રીમંડળના અનેક સભ્યો અને વરિષ્ઠ ભાજપના નેતાઓ આ પ્રસંગે ઉપસ્થિત હતા. દાદા પર ડોક્યુમેન્ટરી પણ બનાવવા સંદર્ભે પ્રતિભાએ કહ્યું હતું કે તેઓ પિતાના જીવન પર અલગથી એક ડોક્યુમેન્ટરી બનાવવાનો ઈરાદો ધરાવે છે.

પિતા અને સંતાનો વચ્ચેના સંબંધોની વાનગી છે, દાદા

આ ફિલ્મ પિતા અને સંતાનોના સંબંધોની કહાણી કહે છે. વચ્ચે વચ્ચે આ થીમ પર ચર્ચિત હિંદી ફિલ્મોના દ્રશ્યો અને ગીતો પણ પરોવાયા છે. આમા પિતા-પુત્ર અને પિતા-પુત્રીના સંબંધોનું ભાવનાત્મક ચિત્રણ પણ છે. આ ફિલ્મ પ્રદર્શન વખતે એ વખતે રોકાય ગઈ કે જ્યારે તેમા તકનીકી ગડબડ ઉભી થઈ હતી. આ તકનીકી ગડબડને કારણે ફિલ્મ દોઢ મિનિટ સુધી રોકાયેલી રહી હતી. આ દરમિયાન પ્રતિભા અડવાણીએ કહ્યું કે આવું વીજળીના વોલ્ટેજની ગડબડને કારણે થયું છે. બાદમાં ફિલ્મ ફરી શરૂ થઈ હતી.