11 September 2010

રાજકોટમાં તસ્કરરાજ, એક રાતમાં છ સ્થળે ચોરી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટમાં તસ્કરરાજ, એક રાતમાં છ સ્થળે ચોરી

રૈયારોડ, કાલાવડ રોડ,યુનિ. રોડ અને જામનગર રોડ પર છ સ્થળેથી સવા લાખની મતા ગઇ, એક ઉદ્યોગપતિ વિદેશ હોવાથી ચોરીની રકમનો આંક વધવાની શક્યતા. પોલીસતંત્રની નિષ્ક્રિયતાના પાપે રાજકોટ શહેર ચોર,લૂંટારાઓ માટે સ્વર્ગ બની ગયું છે. પોલીસના કહેવાતા નાઇટ પેટ્રોલિંગ વચ્ચે રોજ ખાતર પાડતાં તસ્કરોએ ગતરાતે રૈયારોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ અને જામનગર રોડ વિસ્તારમાં એક જ રાતમાં ત્રણ દુકાન અને ત્રણ મકાનમાં હાથફેરો કરીને પોલીસતંત્રનું નાક વાઢીને હાથમાં આપી દીધું છે.પાંચ સ્થળેથી સવા લાખની માલમતા ગઇ છે. જ્યારે નિલકંઠ નગરમાં જે મકાનમાં ચોરી થઇ છે એ ઉદ્યોગપતિ સીંગાપોરની ટૂરમાં હોવાથી કેટલી રકમની ચોરી થઇ છે તે આંકડો તેમના આવ્યા પછી જ બહાર આવશે. યુનિવર્સિટી રોડ પર નિલકંઠનગર મેઇન રોડ પર શ્રીજી કુંજ બંગલામાં રહેતા અને તરઘડીમાં ગોકુલ જીનિંગ ધરાવતા હિતેષભાઇ ગોવિંદભાઇ દત્તાણી ૧તારીખથી પરિવાર સાથે સિંગાપોર-મલેશિયાની ટૂર પર ગયા છે.
રાજકોટ પોલીસને પણ સતર્ક રહેવાનો આદેશ

ગણેશ ચતુર્થી, ઇદ અને સંવત્સરીના પર્વ ટાણે જ બે ત્રાસવાદી મુંબઇમાં ઘૂસી આવ્યાની ગુપ્તચર તંત્રને મળેલી માહિતીના પગલે હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત પણ આતંકવાદીના નિશાના પર હોવાથી રાજ્યભરની પોલીસને સતર્ક રહેવાના આદેશ છુટતા રાજકોટ પોલીસે હોટેલ,ગેસ્ટ હાઉસમાં ચેકિંગ તેમજ ભાડે મકાન શોધતા શંકાસ્પદ શખ્સો ઉપર વોચ ગોઠવી પ્રજાને પણ સજા રહેવા સૂચના આપી છે.હાઇ એલર્ટના પગલે રાજ્યના દરેક શહેર જિલ્લાની પોલીસને સજાગ રહેવા કડક સૂચના આપવામાં આવી છે. કલીમુદ્ીન ખાન (ઉ.વ.૨૮) અને હાફીઝ શરીફ(ઉ.વ.૨પ) નામના બે વિદેશી ત્રાસવાદીના ફોટા અને સ્કેચ સાથે નિર્દેશ પણ મુંબઇ પોલીસેજારી કરી છે. એ બન્નેના ફોટા રાજ્ય ભરની પોલીસ અને આતંકવાદ સામે લડત આપવા રચાયેલ એ.ટી.એસ. તેમજ એસ.ઓ.જીને મોકલી અપાયા છે.તહેવાર ટાણે જ મોટા પાયે ભાંગફોડ અને જાનહાનીના મલીન મનસૂબા સાથે પ્રવેશેલા ત્રાસવાદીઓને કોઇપણ ભોગે શોધી કાઢવા અલગ અલગ ટુકડી રચવામાં આવી છે. રાજકોટ પોલીસે એલર્ટના પગલે હોટલ,ગેસ્ટહાઉસ અને ધાર્મિક સ્થળોએ સઘન ચેકિંગ શરુ કરી દીધું છે.


કોર્પોરેશનની ચૂંટણીનાં ફોર્મ છ સ્થળે ભરાશે

મ્યુનિસપિલ કોર્પોરેશનની ચૂંટણી જાહેર થવાની સાથે જ વહીવટીતંત્ર પણ ગતિમાં આવી ગયું છે. જુદા જુદા વિસ્તાર અનુસાર ફોર્મ ભરવા જુદી જુદી ઓફિસે જવાનું રહેશે. તા. ૨૦મી થી ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે.વોર્ડ નં.૧ થી ૪ના ઉમેદવારોએ ફોર્મ ભરવા નાયબ નિયામક નગરપાલિકા-જૂની કલેક્ટર ઓફિસ ખાતે જવાનું રહેશે ત્યાં આર.ઓ.તરીકે હાલાણીને મુકાયા છે. વોર્ડનં. ૫ થી ૮ ના ઉમેદવારોએ ફોર્મ ભરવા જિલ્લા ગ્રામ વિકાસ અધિકારીની ઓફિસમાં જવાનું થશે ત્યાંની જવાબદારી ડે.કલેકટ કે.કે.વાગડિયાને સોંપવામાં આવી છે.વોર્ડ નં.૯ થી ૧૨ની ઉમેદવારી માટે રૂડાના મુખ્ય કારોબારી અધિકારી નેમાની નિયુક્તિ કરાઇ છે. ત્યાના ઉમેદવારોએ રૂડા ઓફિસે ફોર્મ ભરવાનું થશે.



હવે ફિક્સિંગ ત્રિપૂટીનું ચપ્પલથી સ્વાગત કરાયું

સ્પોટ ફિક્સિંગમાં સંડેવાયેલા પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓ સલમાન બટ્ટ, મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિર શુક્રવારે સ્વદેશ પરત પહોંચ્યા હતા. લાહોરના અલ્લામાં ઇક્બાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મોટી સંખ્યામાં ગુસ્સે ભરાયેલા પ્રશંસકોનું ટોળું એકઠું થયું હતું. જો કે, ખેલાડીઓને કડક સુરક્ષા વચ્ચે એરપોર્ટના પાછલા દરવાજેથી લઇ જવામાં આવ્યા હતા. પાકિસ્તાન ક્રિકેટ વિશ્વ ક્ષેત્રે શરમજનક પરિસ્થિતિમાં મુકનાર ત્રણેય ખેલાડીઓ પર ગુસ્સે ભરાયેલા ટોળામાં ઉપસ્થિત કેટલાક લોકોએ ચપ્પલ દેખાડીને તેઓનું સ્વાગત કર્યું હતું.


આજે ચંદ્ર તરફ જોશો તો હ્ત્યાનો આરોપ લાગશે

ભાગ્યેજ કોઈ એવી વ્યક્તિ હશે જે ચંદ્રની સુંદરતાથી પ્રભાવિત ના થાય. ચંદ્રની અસીમ સુંદરતા એટલી વધારે પ્રગટ થાય છે કે દરેક સુંદર યુવતીની તુલના ચાંદથી થાય છે.ચંદ્રને જોવાથી શીતળતાનો અહેસાસ થાય છે. શાંતિ મળે છે અને લગભગ દરેક રાત્રે આપણે ચંદ્રની સામે એક વાર તો જોઈએ છીએ. શું તમે જાણો છો કે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રને જોવો અશુભ માનવામાં આવે છે.ગણેશ પુરાણ અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રને જોનાર વ્યક્તિ પર નજીકના ભવિષ્યમાં જ ચોરીનો આરોપ લાગવાનો ભય રહે છે. પહેલાના સમયમાં આ વાતનું ખૂબ પાલન કરવામાં આવતું હતું કે ગણેશ ચતુર્થીના દિવસે કોઈ ચંદ્રને ના જોવે. તેના વિશે ગણેશ પુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે.કથા અનુસાર એક વાર બ્રહ્માજીએ પોતાના રુપ અને સુંદરતમાના નશામાં ચૂર થઈને શ્રીગણેશની લાંબી સૂંઢ અને મોટા શરીરને જોઈએ અટ્ટહાસ્ય કર્યું.જ્યારે તેમનું અટ્ટહાસ્ય વધ્યું ત્યારે શ્રી ગણેશ ખૂબ ક્રોધિત થઈ ગયા. તેમણે ડરામણા રુપ લેવાનું શરુ કર્યું. શ્રી ગણેશના આ બિભત્સ રુપ જોઈને બ્રહ્માજી ભયભીત થઈ ગયા. તેમણે પોતાની ભૂલની ક્ષમા માંગી. એ વખતે ચંદ્ર પણ આ યુદ્ધ જોઈ રહ્યા હતા અને તેમણે શ્રી ગણેશના અલગ અલગ રુપ જોઈને અટ્ટહાસ્ય કર્યું. શ્રી ગણેશનો ક્રોધ હવે એકદમ વધી ગયો. શ્રીગણેશે ચંદ્રને શ્રાપ આપ્યો કે આજના દિવસ બાદ જ્યારે પણ તને કોઈ જોશે તો તેને ચોરીનો આરોપ લાગશે.આ શ્રાપથી ભયભીત થઈને ચંદ્રમાં શ્રીગણેશ પાસે માંગી માગવા લાગ્યા. તેમની આરાધના કરવા લાગ્યા. એ સમયે શ્રીગણેશે તેમનો સમય માત્ર એક દિવસનો એટલે કે ભાદરવા માસની ચોથનો દિવસ નક્કી કર્યો.ત્યારથી ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રને જોનાર પર દોષ લાગવાનો સંભવ છે. આ દોષના પ્રભાવથી નજીકના ભવિષ્યમાં એ વ્યક્તિને ચોરીનો આરોપ લાગી શકે છે.


ક્રિકેટનો ‘ભગવાન’ સચિન પણ એના બોલથી ડરતો હતો

આજે ભલે વિશ્વના તમામ બોલરો સચિનના નામ માત્રથી ડરી જતા હોય પરંતુ એક સમય એવો પણ હતો કે જ્યારે આ મહાન ખેલાડીને 90ના દશકના શ્રેષ્ઠ બોલરના બોલનો સામનો કરતા ડર લાગતો હતો. સચિને તેની 21 વર્ષની કારકિર્દી દરમિયાન, મેગ્રા, મુરલીધરન, શેન વોર્ન સહિતના ઘણા સારા બોલરોનો સામનો કર્યો છે. અને બધાને દિવસે તારા દેખાડી દીધા છે. પરંતુ છ ફૂટ સાત ઇંચ ઉંચાઇ ધરાવતા વેસ્ટ ઇન્ડિઝના ઝડપી બોલર એમ્બ્રોસને જોઇને સચિને પરસેવો છૂટી જતો હતો.એક ટીવી કાર્યક્રમ દરમિયાન હોસ્ટ તરીકે આવેલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડીએ સચિનની ક્રિકેટ કારકિર્દી અંગે એક છૂપી વાત રજૂ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તે અને સચિન 1997માં પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ મેચ રમી રહ્યાં હતા. અમે બન્ને બેટિંગ કરી રહ્યાં હતા. ત્યારે વેસ્ટ ઇન્ડિઝના એ સમયના શ્રેષ્ઠ બોલર કે જેની ઝડપ અને બાઉન્સરથી ભલભલા ડરી જતા હતા. તે એમ્બ્રોસ બોલિંગ કરવા માટે આવ્યા હતા.એમ્બ્રોસે બોલિંગ નાંખી રહ્યો હતો. અને સચિન તેંડુલકર તે સમયે સ્ટ્રાઇક પર હતો. એમ્બ્રોસના બધા દડા સચિનની છાતી સુધી આવતા હતા. અને એ તમામ બોલને રમવામાં સચિન મુશ્કેલી અનુભવી રહ્યો હતો. જેથી સચિન સિદ્ધૂ પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે, તે એમ્બ્રોસના બોલનો સામનો કરવા મગાતો નથી કારણ કે તેના બોલને રમવામાં તેને મુશ્કેલી થઇ રહી છે. તેથી તમે જ શક્ય તેટલા એમ્બ્રોસના બોલ રમો.નોંધનીય છે કે, 90ના દશકામાં વેસ્ટ ઇન્ડિઝની ટીમના બોલરો વિશ્વના સૌથી ખતરનાક બોલરો તરીકે જાણીતા હતા. તેમાંપણ ખાસ કરીને એમ્બ્રોસ દેખવે મહાકાય પહાડ જેવા હતા. તેઓની જે ઉંચાઇ હતી તે બેસબોલના ખેલાડીઓની હોય તેટલી હતી. અને તેથી તેમના મોટાભાગના બોલ આપમેળે જ બાઉન્સરમાં પરિવર્તિત થઇ જતા હતા. અને તેના કારણે બેટ્સમેન તેમની ઓવર રમવામાં મુશ્કેલીઓ અનુભવતા હતા.


જાપાનમાં અઢી લાખ ‘દાદાજી’ ગાયબ

જાપાન સરકાર 100 વર્ષથી વધારે ઉમરના આશરે 2 લાખ 30 હજાર લોકોને શોધી રહી છે, જે સરકારી રેકોર્ડ પ્રમાણે જીવતા છે. આમાં 884 એવા છે, જેમની ઉંમર 150 વર્ષ કે તેનાથી વધારે છે. આ જાણકારી સત્તાવાર રીતે શુક્રવારે આપવામાં આવી છે.સૌથી વધારે વૃદ્ધો ધરાવતા દેશ તરીકે જાણીતા જાપાનમાં આ શોધ એક વૃદ્ધનું મમી બની ચૂકેલું શબ અને એક મહિલાના એક થેલામાંથી અવશેષો મળી આવ્યા બાદ સઘન બનાવાઈ છે. આ મામલામાં સામે આવ્યું છે કે કેટલાંય લોકોએ તો પોતાના વૃદ્ધ સગા સંબંધીઓના મોતને જાણીજોઇને છુપાવી રાખ્યું છે, જેથી તેમના પેન્શન મળતા રહે.કાયદા મંત્રાલય અનુસાર પારિવારિક રેકોર્ડની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે 100 વર્ષથી વધારેની ઉંમર હોય તેવા આશરે 2,34,354 લોકો એવા છે, જેઓ પોતાના નિર્ધારિત સરનામા પર અત્યારે નથી રહેતા અને તેમના વિશે અત્યારે કોઈ જાણકારી પણ નથી. એવું બની શકે કે તેઓ અત્યારે જીવતા ન હોય, કેટલાંકના મૃત્યુ તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ થઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે. એવું પણ બની શકે કે આ લોકો દેશ છોડીને ચાલ્યા ગયા હોય. આ માટે સરકારે સ્થાનિક અધિકારીઓને આદેશ આપ્યો છે કે 120 વર્ષ કે તેથી વધારે ઉંમરના લોકો જો ન મળે તો તેમના નામ રજિસ્ટરમાંથી કાઢી નાંખવા.


બાળકોને પેટના ઇન્ફેક્શન કેસમાં ૫૦ ટકાનો વધારો

દૂષિત પાણી અને ભેજવાળા વાતાવરણને પગલે શહેરની સરકારી-કોર્પોરેટ હોસ્પિટલોમાં ૦થી ૫ વર્ષનાં બાળકોમાં પેટમાં દુખાવો અને પેટ ફૂલી જવાના કેસમાં લગભગ ૫૦ ટકાનો વધારો થયો છે. પેટમાં ગેસ કે અપચો જેવી લાગતી તકલીફમાં સમયસર ઉપચારને અભાવે એક આંતરડાં એકબીજા પર ચઢી જવાની ગંભીર સમસ્યા થવાની સંભાવના રહેલી હોવાનું ડોક્ટરો જણાવી રહ્યા છે.વી.એસ. હોસ્પિટલના સિનિયર પીડિયાટ્રિશિયન ડૉ. રોહિતભાઈ મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૧૫ દિવસમાં બાળકોમાં પેટ ફૂલી જવાની સાથે સખત દુખાવાની ફરિયાદમાં ૫૦ ટકાનો વધારો થવાની સાથે દૂષિત પાણીથી ફેલાતા ઝાડા-ઊલટી, મરડો, ટાઇફોઇડ અને કમળાના કેસ વધ્યા છે.હાલમાં હોસ્પિટલના આઉટડોર વિભાગની ઓપીડીમાં સારવાર માટે આવતા સરેરાશ ૧૦૦માંથી ૮૦ જેટલાં બાળકોને આંતરડાં અને ફેફસાંના રોગ જોવા મળે છે, જેમાં ૮૦માંથી ૫૦ દર્દીઓ પેટના દુખાવા અને પેટ ફૂલી જવાની ફરિયાદ હોય છે. જ્યારે ૨૦ ટકા દર્દીને ડેન્ગ્યુ-ફાલ્સિપારમનું નિદાન થાય છે.જ્યારે શરીરમાંથી ક્ષારનું પ્રમાણ ઘટવાથી ડિહાઇડ્રેશનને કારણે તાવ અને ખેંચ આવવાની શક્યતા હોવાથી ૧૦ ટકા જેટલા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને બાળવિભાગના વડા ડૉ. કે.એમ. મહેરિયાએ જણાવ્યું હતું કે, બાળકોમાં પેટના રોગોમાં ૨૫ ટકા જેટલો વધારો નોંધાયો છે.


ગણેશોત્સવમાં દર્શનાર્થે મુખ્યમંત્રી વડોદરા આવશે

ગણેશોત્સવના પ્રારંભની સાથે જ સેવાસદનની ચૂંટણીનો માહોલ પણ છવાઇ જવાનો છે ત્યારે મુખ્યમંત્રી શહેરમાં ગણેશજીનાં દર્શનાથેઁ આવે તેવું આયોજન થઇ રહ્યું છે.મહાનગર સેવાસદનની ચૂંટણી તા.૧૦ ઓક્ટોબરના રોજ જાહેર કરી દેવામાં આવી છે અને તેના માટેના ફોર્મ તા.૨૦મીના રોજથી વિતરણ કરવાનાં શરૂ કરવામાં આવનાર છે.ગણેશોત્સવમાં જ ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં કરવાનો વારો આવ્યો છે ત્યારે આ સંજોગોમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ વડોદરાના ગણેશજીનાં દર્શનાર્થે આવે તેવું મનાઇ રહ્યું છે.


સુરત : ૧૦૦ કરોડનું એરપોર્ટ, વિમાન માત્ર ૧

લાંબી લડતના અંતે સુરત શહેરને વિમાની સેવા મળી રહે તે માટે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય દ્વારા રૂપિયા ૧૦૦ કરોડના ખર્ચે એરપોર્ટ બનાવવામાં આવ્યું હતું. આ એરપોર્ટ શરૂ થયાને અઢી વર્ષ જેટલો સમય વિતવા છતાં માત્ર એક સુરત-દિલ્હી વચ્ચે જ ફ્લાઇટ ઊડે છે. સુરતને અન્ય શહેરો સાથે એર કનેક્ટિવિટી મળે તે માટે ઉદ્યોગકારો અને લોકપ્રતિનિધિઓ દ્વારા જ્યારે પણ રજુઆત થાય છે ત્યારે માત્ર આશ્વાસનો આપવામાં આવી રહ્યાં છે.અંદાજે ૪૦ લાખની વસતી ધરાવતા અને ગુજરાતની આર્થિક રાજધાની તરીકે ઓળખાતા સુરત શહેરને વિમાની સેવા આપવાના મામલે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા સતત ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું છે. દિલ્હી બાદ સુરત એરપોર્ટ પર વધુ એરકનેક્ટિવિટી તરફ મંત્રાલયે કોઇ ધ્યાન આપ્યું નથી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જનરલ મેનેજરે કે એરકાર્ગોની સેવા મેળવતા પહેલાં સુરતમાં અન્ય શહેરો સાથેની એર કનેક્ટિવિટી હોય તે આવશ્યક છે.ચાલુ વર્ષના અંત સુધીમાં ઇન્ડિયન એરલાઇન્સ સુરત-કોલકાતા વચ્ચે એક ફ્લાઇટ શરૂ કરી રહી છે, જેની ટૂંક સમયમાં જાહેરાત કરાશે. આ સિવાય જેટ એરવેઝ, કિંગ ફશિર સહિતની ખાનગી એરલાઇન્સને દિલ્હી-મુંબઈની ફ્લાઇટને સુરત સ્ટોપ આપવા દરખાસ્ત મોકલવામાં આવી છે. મુંબઈ- દિલ્હી ફ્લાઇટને વાયા સુરત ઉપરાંત બેંગ્લોર, ચેન્નાઈ અને કોલકાતા માટે સપ્તાહમાં બે દિવસ ફ્લાઇટની માગણી છે. હવે જો સુરતને એરકનેક્ટિવિટી આપવામાં વિલંબ કરાશે તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે, જેના પડઘા દિલ્હી સુધી પડશે.

આજે રમઝાન ઇદ ઉજવાશે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

આજે રમઝાન ઇદ ઉજવાશે

પવિત્ર રમજાન માસ પૂર્ણ થતાં મહેસાણા સહિત જિલ્લાભરમાં શનિવારે ઇદ-ઉદ-ફિત્રની હર્ષોલ્લાસ ઉજવણી કરવામાં આવશે. જુદાજુદા નગરોની મસ્જીદોમાં મુસ્લિમ બિરાદરો ખાસ નમાઝ અદા કર્યા બાદ એક બીજાને ઇદ મુબારક બાદી પાઠવશે. ઇદ પૂર્વે જિલ્લાની વિવિધ મસ્જિદોમાં રોશની કરવામાં આવી હતી.જ્યારે ઇદ પૂર્વે શુક્રવારે જિલ્લાના બજારોમાં મુસ્લિમ બિરાદરો ખરીદી માટે ઠેર ઠેર ભીડ જમાવી હતી. અને મીઠાઇઓ, કપડાં, ફળફળાદી સહિત ખરીદી કરી ઇદની ઉજવણીની તૈયારીઓ કરી હતી.ધર્મગુરુ હજરત મહંમદ પયગંબર સાહેબના આદેશ મુજબ મુસ્લિમ સમાજના લોકો સત્યના માર્ગે ચાલવા તેમજ ભાઇચારો અને એકતા જળવાય તે હેતુથી તહેવારની ઉજવણી કરતા પહેલા રોઝા રાખી ઇસ્લામનું પાલન કરે છે ત્યારબાદ આનંદ અને ઉમંગ સાથે રોઝા પૂર્ણ કરી ચાંદના દર્શન કરી રમઝાન ઇદની ઉજવણી કરે છે.


રાજકોટનો કુલ વરસાદ ૫૨.૬૧ ઇંચ

રાજકોટ ઉપર આ વર્ષે મેઘરાજા ઓળઘોળ થઇ ગયા છે. એક પછી એક ધમાકેદાર રાઉન્ડનો સિલસિલો ચાલુ છે. સાતમ-આઠમનો આખો તહેવાર મેઘો મનમૂકીને વરસ્યો હતો. વચ્ચે ફરી પોરો ખાઇને ગઇકાલે સતત ચોવિસ કલાક સુધી ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ધીંગી ધારે વરસાદ પડ્યો હતો.ગુરુવારની રાત આખી આભ વરસતું રહ્યું હતુ અને વધુ સવા ત્રણ ઇંચ સાથે મોસમનો કુલ વરસાદ પ૨.૬૧ ઇંચે પહોંચી ગયો છે અને અત્યાર સુધી પડેલા રેકોર્ડ બ્રેક વરસાદમાં ૨૦૦૭ના પ૬.૪૮ ઇંચથી માત્ર ૩.૮૭ ઇંચનું જ છેટું રહ્યું છે. આ વખતે ભાદરવા મહિનામાં પણ અષાઢી માહોલ છવાયેલો રહ્યો છે. સાતમ-આઠમ પછી એવુ લાગતુ હતુ કે વરસાદનું જોર નરમ પડી જશે પણ ફરી સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર રાજ્યમાં બેસુમાર વરસાદ પડ્યો.રાજકોટમાં આજે શુક્રવારે આકાશ કોરુ રહ્યુ હતુ પણ ગઇકાલે આખો દિવસ વરસાદ ચાલુ રહ્યું હતો. રાત્રે પણ સતત ક્યારેક ધીમીધારે તો ક્યારેક ધીંગી ધારે વરસાદ ચાલુ રહ્યો હતો અને આ ચોવીસ કલાક દરમિયાન ૮૦ મી.મી. એટલે કે ૩ ઇંચથી વધુ વરસાદ હવામાન કચેરીમાં નોંધાયો છે.


સીંગતેલ રૂ.૧૫૬૦ના રેકોર્ડ બ્રેક ભાવે

મુઢ્ઢીભર સંગ્રહખોરોને કારણે સીંગતેલના ભાવ સળગ્યા છે. કાચામાલની અછત વચ્ચે મર્યાદિત ડિમાન્ડ વચ્ચે પણ સીંગતેલ રૂ.૧૫૬૦ની સર્વોચ્ચ સપાટીએ જોવાયું હતું. કિલોના રૂ.૧૦૪ના ઊંચા ભાવ થઇ જતા સીંગતેલ સામાન્ય માણસની પહોંચ બહાર થઇ ગયું છે. એકાદ મહિનામાં નવી મગફળીની આવક થશે ત્યાં ભાવઘટાડો થશે.આજે સીંગતેલ રૂ.૧૫૬૦ના ઐતિહાસિક મથાળે પહોંચ્યું હતું. છેલ્લા પાંચ દિવસમાં સીંગતેલમાં રૂ.૯૦નો ઝડપી ઉછાળો આવ્યો છે. કાચા માલની અછત વચ્ચે અમુક સંગ્રહખોરોએ માલ સંગ્રહી રાખતા ભાવમાં છાપાછાપી થાય છે. અમુક સધ્ધર લોકોના હાથમાં માલ છે. માલ મળતો નથી એ વાત સાચી છે પણ ઘરાકી ન હોવા છતા પિલાણ માટે માલની અછત કેવી રીતે થઇ. આજે સીંગતેલમાં ૮-૧૦ ટેન્કર અને કપાસિયા તેલમાં ૭૦-૮૦ ટેન્કરના કામકાજ હતા.સીંગતેલ લુઝ રૂ.૨૫ વધી રૂ.૯૫૦, તેલિયા રૂ.૩૮ વધી રૂ.૧૪૫૮-૧૪૫૯, નવા ટીન ૧૫ લિટર રૂ.૩૦ વધી રૂ.૧૪૫૫-૧૪૬૦, નવા ટીન ૧૫ કિલો રૂ.૩૦ વધી રૂ.૧૫૫૫-૧૫૬૦, ૧૫ કિલો લેબલ ટીન રૂ.૩૦ વધી રૂ.૧૫૩૫-૧૫૪૦ના ભાવે હતું. સીંગતેલ પાછળ કપાસિયા તેલના ભાવ પણ વધ્યા હતા. કપાસિયા વોશ રૂ.૭ વધી રૂ.૪૮૭-૪૯૦, કપાસિયા ટીન રૂ.પાંચ વધી રૂ.૮૩૦-૮૪૦, કપાસિયા ૧૫ લિટર રૂ.પાંચ વધી રૂ.૭૭૫-૭૮૦ અને પામોલિન રૂ.૭૩૫-૭૪૦ના સ્તરે હતું.


આણંદ : તપ, ઈબાદત ને એખલાસની અનોખી મિશાલ

આણંદ - ખેડા જિલ્લામાં શનિવારે હિન્દુ, મુસ્લિમ અને જૈનના તહેવારોના અનોખા સમન્વય સાથે ઉજવણીનો થનગનાટ જોવા મળ્યો છે. સામાન્ય રીતે દરેક કોમના લોકો પોતાના તહેવારની ઉત્સાહ સાથે ધામધૂમથી ઉજવણી કરશે. પરંતુ કેટલાંક લોકો નાતજાત અને કોમનો ભેદભાવ રાખ્યા વિના તહેવારની શ્રદ્ધાભેર ઉજવણી કરીને કોમી એકતા ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ બની રહે છે.તેમાંય શનિવારે મુસ્લિમ બિરાદરો અલ્લાહની ઈબાદત સાથે એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવશે તો હિન્દુઓ રંગેચંગે ને વાજતેગાજતે વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરશે. જૈનો પયુંષણ પર્વની ઉજવણીમાં પૂજા આરાધના સાથે સંવત્સરી મનાવશે.દરેક કોમના લોકો પોતાના તહેવારની ઉજવણી કરશે. પરંતુ મુસ્લિમ હોવા છતાં ગણેશ મહોત્સવની ઉજવણી કરનારા વિદ્યાનગરના ડૉ. એમ.જી.મન્સુરી, હિન્દુ રાજગોર બ્રાહ્નણ હોવા છતાં અઠ્ઠાઈનું તપ કરનારા બોરસદના નિર્મળાબેન અને હિન્દુ હોવા છતાં મુસ્લિમો માટે પવિત્ર ગણાતા રમજાન માસમાં રોજા રાખનારા હિન્દુભાઈઓ કોમી એકતા માટે મશાલરૂપ બનેલા છે.


બે વર્ષની મથામણ બાદ બેગે વેર લેવા પુણેમાં બ્લાસ્ટ કર્યો

વર્ષ ૨૦૦૫થી શ્રેણીબદ્ધ બોમ્બધડાકા કરનારા સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દિનના મોટા ભાગના કાર્યકરો વર્ષ ૨૦૦૮માં પકડાઈ જતાં આ સંગઠનની કરોડરજજુ ભાંગી ગઈ હતી. આ ધરપકડો પુણેમાં જ થઈ હોવાથી વેરની આગમાં બળતા મિર્ઝા હિમાયત બેગે બોમ્બધડાકા માટે પુણેની જર્મન બેકરીને પસંદ કરી હતી, પરંતુ હુમલા માટે ગોઠવણો કરવા તેણે વર્ષ ૨૦૧૦ના ફેબ્રુઆરી સુધી મથામણ કરવી પડી હતી.યુવાનોને ઉશ્કેરીને તેમને ત્રાસવાદી બનાવવાની મુખ્ય જવાબદારી સંભાળતો મિર્ઝા બેગ લશ્કર એનોઈલબા (એલઈટી)નો મહારાષ્ટ્રની ગતિવિધિઓનો મુખ્ય સૂત્રધાર હતો. તેણે ઈન્ડિયન મુજાહિદ્દિનમાં સમન્વય સાધીને નવો મોરચો ખોલ્યો હતો. આ સંગઠનના ત્રાસવાદીઓ આખા દેશમાં આતંક ફેલાવતા હતા ત્યારે તેમના વીસ કટ્ટર જુવાનિયાઓ પુણેમાં પકડાયા બાદ હિમાયત બેગે તેનો વળતો જવાબ આપવા માટે ‘પુણે’ને પસંદ કર્યું હતું. મથક ન હોય એવો ઠેકાણે ભાંગફોડિયા કૃત્ય નહીં આચરવાની નીતિ ધરાવતા આ સંગઠને બદલો લેવા માટે જર્મન બેકરીને લક્ષ્ય બનાવી હતી.અત્યંત ચાલાક અને ધૂર્ત (લૂચ્ચો) હિમાયત માર્ચ-૨૦૦૮માં કોલંબો (શ્રીલંકા) પહોંચ્યો હતો. ત્યાં તેને એલઈટીના ફૈયાિદ્દન કાગઝીએ બોલાવ્યો હતો. કોલંબો ખાતે તેણે બોમ્બ બનાવવાની તાલીમ લીધી હતી. ત્યાર પછી તેણે સાઈબર કેફે શરૂ કર્યું હતું. આ કાર્યવાહી ચાલતી હતી એ દરમિયાન લાલબાબા શેખ ઉર્ફે બિલાલ જાન્યુ.૦૮થી જાન્યુ.૧૦ સુધીમાં ત્રણ વખત પાકિસ્તાન જઈને આતંકવાદની છાવણીમાં તાલીમ લઈને આવ્યો.


મહેસાણા : ગણપતિ બાપ્પા મોરિયા..

મહેસાણા સહિત જિલ્લાભરમાં શનિવારથી ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વે ગણપતિ બાપા મોર્યાના બુલંદ નાદ સાથે પરંપરાગત ગણેશોત્સવની ઉજવણીનો ઉલ્લાસમય વાતાવરણમાં પ્રારંભ થશે. મહેસાણા શહેરમાં સિધ્ધીવિનાયક મંદિરના સાનિધ્યે પુજાવિધી બાદ પોલીસ હેડ કવાટર્સના પોલીસકર્મી ગણપતિ દાદાને ગાર્ડ ઓફ ઓનર આપી ગાયકવાડી પરંપરા નિભાવાશે.જ્યારે વિસનગર, ઊંઝા, બહૂચરાજી, કડી, ખેરાલુ, સતલાસણા, વડનગર સહિત નગરો અને ગ્રામ્ય વિસ્તારોમાં દુંદાળાદેવની વિવિધ પ્રકારની પ્રતિમાની સ્થાપના કરાશે.મહેસાણા શહેરમાં ગણેશચતુથીના પવિત્ર પર્વે શનિવારે શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટ તથા શ્રી ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા શહેરના ફુવારા ચોક સ્થિત સિદ્ધિ વિનાયકના મંદિરે સવારે પરંપરાગત પૂજાવિધિ કરવામાં આવશે. અહીં સિદ્ધિ વિનાયક મંદિર, પોલીસ હેટ કવાર્ટસ, પરા ઉડીફળી, પહેલી માંડવી, આશ્રય હોટલ વિસ્તાર એમ ગજાનનની પાંચ મુર્તિઓના પુજન બાદ ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે શોભાયાત્રા નીકળશે. જ્યારે અહીંના ફુવારા ચોકમાં સિધ્ધી વિનાયક મંદિરે પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આગામી ભાદરવા સુદ નોમ સુધી ભજન સંધ્યા, ડાયરો સહિત અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.


સચિનની ટીમનો ભાવ રૂ.4.20 પૈસા

દક્ષિણ આફ્રિકામાં શુક્રવારે શરૂ થયેલી ચેમ્પિયન્સ લીગ ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટની બીજી આવૃતિ દરમિયાન ભારતમાં 50 હજાર કરોડ રૂપિયા કરતા વધારેનો સટ્ટો લાગ્યો હોવાની આશંકા છે. જે અત્યારસુધીનો સૌથી વધારે છે.એક સટ્ટોડિયાએ નામ ન બતાવાની શરતે કહ્યું કે, 26 સપ્ટેમ્બરે યોજનાર ટૂર્નામેન્ટની ફાઇનલ સુધીમાં 50 હજાર કરોડ રૂપિયાનો સટ્ટો રમાયો છે. ટૂર્નામેન્ટમાં કુલ 10 ટીમોએ ભાગ લીધો છે. જેમાં ભારતની ત્રણ ટીમ સામેલ છે. સટ્ટોડિયાએ કહ્યું કે, સૌથી વધારે સટ્ટો ચેન્નાઇ સુપરકિંગ્સ, મુંબઇ ઇન્ડિયન્સ, બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ અને ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયન બુશરેંજર્સ પર રમાયો છે. અમે મુંબઇ ઇન્ડિયન્સ પર રૂ.4.20 પૈસા, બેંગ્લોર પર 4.40, ચેન્નાઇ પર 4.80 અને બુશરેન્જર્સ પર રૂ 4.90 પૈસાનો ભાવ આપી રહ્યાં છે. એનો અર્થ કે જો મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ટૂર્નામેન્ટ જીતે તો એક રૂપિયા પર રૂ. 4.20 પૈસાનો ફાયદો થશે.


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં શું દયાભાભી મરી જશે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. દહીં-હાંડીમાં સ્ત્રીઓ અને પુરૂષો વચ્ચે જંગ જામે છે.આ જંગ સ્ત્રીઓ જીતી જાય છે. જીતના નશામાં ગોકુલધામની તમામ મહિલાઓ ખુશ થઈ જાય છે અને ડાન્સ કરવા લાગે છે. બરાબર આ જ સમયે દયાભાભી જેઠાલાલના નામની બૂમ પાડે છે.ગોકુલધામવાસીઓ દયાભાભીને શોધે છે પરંતુ પછી તેમને ખ્યાલ આવે છે કે, દહીં-હાંડી તોડવામાં જે પિરામીડ રચવામાં આવ્યો હતો તેમાં દયા સૌથી ટોચ પર હતી અને તે ત્યાં લટકી હોય છે.દયાભાભીની આવી હાલત જોઈને તમામ લોકો ડરી જાય છે. દયાભાભી પોતે પણ ડરેલા છે અને તેનો હાથ દોરી પરથી વારંવાર પડી જાય છે.ટપુ, જેઠાલાલ અને ચંપકદાદા દયાભાભીની હાલત જોઈને ઘણાં જ દુ:ખી થઈ જાય છે. તેઓ દયાને નીચે ઉતારવાના તમામ પ્રયાસો કરે છે પરંતુ તેઓ કંઈ કરે તે પહેલા જ દયાભાભી નીચે પડી જાય છે.ઊંચાઈએથી પડવાને કારણે દયાભાભી બેભાન થઈ જાય છે. ગોકુલધામવાસીઓ તરત જ એમ્બ્યુલન્સને બોલાવે છે. દયાભાભીને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવે છે પરંતુ દયાની હાલત ઘણી જ ગંભીર છે.જેઠાલાલ અને ટપુ ઘણાં જ ડરી ગયા છે. તેઓને ડર છે કે, દયા મરી જ ગઈ છે. જો કે તારક મહેતા તેઓને આશ્વાસન આપે છે પરંતુ દયાની હાલત જોતા જેઠાલાલને ઘણો જ આઘાત લાગ્યો છે.


શાહિદ-પ્રિયંકા વચ્ચે કંઈક એવું કે જે

હાલમાં તો શાહિદ કપૂર અને પ્રિયંકા ચોપરા એકબીજા સાથે વાત કરવા પણ તૈયાર નથી પંરતુ તેઓ ફિટનેસને લઈને એક સરખું જ વિચારે છે.ફિલ્મ સાત ખૂન માફમાં વજન વધારવાનું હતું. ત્યારે શાહિદે તેને ફિટનેસ ટ્રેઈનરની સલાહ આપી હતી. પહેલા પ્રિયંકા શાશા પાસે ફિટનેસ ટ્રેઈનિંગ લેતી હતી. જો કે હવે નાદિર અલી પાસે પ્રિયંકા ફિટનેસ ટ્રેઈનિંગ લઈ રહી છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રિયંકાએ ફિલ્મ સાત ખૂન માટે થોડુ વજન વધારવાનું હતું અને શુટિંગ પૂર્ણ કરીને ખતરો કે ખિલાડી માટે વજન ઉતારવાનું હતું. પ્રિયંકા નાદિરને લઈને ઘણી જ ખુશ છે.પ્રિયંકાએ કૂર્ગમાં ફિલ્મ સાત ખૂન માફનું શુટિંગ કર્યુ હતું. નાદિર પ્રિયંકા સાથે જ હતો. હાલમાં તે બ્રાઝિલમાં પ્રિયંકાને ફિટનેસ ટ્રેઈનિંગ આપી રહ્યો છે. આ સિવાય ફિલ્મ અન્જાના અન્જાનીના શુટિંગ દરમિયાન પણ નાદિર તેની સાથે હતો.આ અંગે પ્રિયંકાએ જણાવ્યું હતું કે, નાદિરે ડાયટ પર સંપૂર્ણ ધ્યાન આપ્યું હતું. ફિયર ફેક્ટરમાં પ્રિયંકા ઘણી જ હોટ એન્ડ સેક્સી લાગી રહી છે. આવતા મહિને પ્રિયંકા ડોન 2નું શુટિંગ કરવાની છે. આ માટે તેની ફિટનેસ વધુ મહત્વની છે.જ્યારે પ્રિયંકાના ફિટનેસ ટ્રેઈનર નાદિરે જણાવ્યું હતું કે, પ્રિયંકાને ખાવાનો ઘણો જ શોખ છે. જો કે તે ડાયટથી પોતાનું વજન વધારે કે ઉતારી શકે છે. પ્રિયંકાને ચીલી સોસ ઘણો જ ભાવે છે.

પાકિસ્તાનને સંકટમાં ભારત યાદ આવ્યું

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


પાકિસ્તાનને સંકટમાં ભારત યાદ આવ્યું

આતંકવાદ અને પૂરની સમસ્યાથી ઝઝૂમી રહેલ પાકિસ્તાનને મુસીબતમાં ભારતની યાદ આવી રહી છે. પૂરે પાકિસ્તાનની કૃષિ વ્યવસ્થાને પૂરી રીતે ચોપાટ કરી દીધી છે. લાખો એકરમાં લાગેલ પાક નષ્ટ થઇ ગયો અને લોકોને દાણા માટે મોહતાજ થવું પડ્યું છે. હવે પાકિસ્તાનને શાકભાજી, દાળ-મસાલા ભારતથઈ મંગાવાની જરૂર પડી છે.પાકિસ્તાન કન્ઝયુમર ટ્રેડર્સ એસોસીએશન ના ચેરમેન હારૂન આગરે કહ્યું કે આ પાકોની અછતના લીધે તાત્કાલિક તેની આયાત કરવી જરૂરી છે. તેના માટે ભારત અને ઇરાન ઉપયુક્ત છે કારણ કે અહિંનો સામાન સસ્તો છે અને જલ્દીથી આવી જશે. અન્ય દેશોમાંથી સામાન મંગાવો મોંઘો પડશે.પૂરના લીધે પાકિસ્તાનમાં પાલક, ટામેટા, મરચાં, કારેલા વગેરેના ભાવ આસમાને પહોંચી ગયા છે. જથ્થાબંધ બજારમાં બટાકાના ભાવ રૂ.30ના કિલોગ્રામ, ટામેટા રૂ.50 કિલો, ડુંગળી રૂ.50 કિલો અને લીલા મરચાં રૂ.200ના કિલોગ્રામ વેચાઇ રહ્યા છે. હારૂન આગરે કહ્યું કે ભારત અને ઇરાનથી આ સામાન મંગાવો યોગ્ય રહેશે.


ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ નક્કી સમજો

26 સપ્ટેમ્બર 2008ના રોજ દેશની આર્થિક રાજધાની મુંબઈ પર થયેલો આતંકવાદી હુમલો ભારત ભલે સહન કરી ગયું હોય પરંતુ જો ફરીથી આવો કોઈ હુમલો થશે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શક્યતાનો ઈનકાર કરી શકાય નહી. વોશિંગ્ટનના એક પ્રતિષ્ઠિત સંશોધક જૂથ અમેરિકા પર 11 સપ્ટેમ્બરના રોજ થયેલા આતંકવાદી હુમલાની નવમી જયંતિ નિમિત્તે આવી ચેતવણી આપી હતી.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈ હુમલાનું પુનરાવર્તન રોકવું અમેરિકાની વિદેશ નીતિ માટે એક મોટો પડકાર છે. વોશિંગ્ટનની દ્વિપક્ષીય નીતિ કેન્દ્રના નેશનલ સિક્યુરિટી પ્રિપેર્ડનેશ ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવેલા 42 પાનાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આગામી થોડા વર્ષોમાં અમેરિકાની વિદેશ નીતિ માટે સૌથી મોટો સંભવિત પડકાર મુંબઈ હુમલાનું પુનરાવર્તન રોકવાનો રહેશે.


મમતા બેનર્જીની નમાજવાળી જાહેરાત પર વિવાદ

તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ અને કેન્દ્રીય રેલવે મંત્રી મમતા બેનર્જી મુસ્લિમ વોટોને પોતાની તરફ ખેચવાનો કોઈ મોકો છોડવા માગતા નથી. તાજેતરના તેમની રેલવેની એક જાહેરાતે ભારે હોબાળો મચાવ્યો છે. રેલવેની આ જાહેરાતમાં તેઓ નમાજ અદા કરતાં નજરે પડી રહ્યાં છે, જેમાં ચાંદ સિતારા અને મસ્જિદની પૃષ્ઠભૂમિ પાછળ દેખાય રહી છે.એ વાત સૌને ખબર છે કે મમતા વિચાર-વિમર્શ માટે મૌલવી અને ઈમામોને બોલાવે છે અને નમાજ પણ અદા કરે છે. પરંતુ તેમની આ જાહેરાત પર ઘણી તીવ્ર પ્રતિક્રિયા આવી રહી છે. ભાજપના નેતા તથાગત રાયે કહ્યું છે કે રાજ્યનો કોઈ ધર્મ હોતો નથી. તેમણે પોતાનું ધર્મ પરિવર્તન કર્યું નથી, તો તેઓ કેવી રીતે નમાજ અદા કરી શકે? ધાર્મિક ભવન કેવી રીતે એક સરકારી જાહેરાતનો ભાગ બની શકે? સીપીએમની કેન્દ્રીય સમિતિના સભ્ય અને ભૂતપૂર્વ સાંસદ મોહમ્મદ સલીમે કહ્યું છે કે આપણો દેશ અનેક ધર્મો વાળો છે, આ જાહેરાત સ્પષ્ટપણે ધાર્મિક ભાવનાઓનું શોષણ છે.


મંદિર બની શકે તો મસ્જિદ કેમ નહીં: ઓબામા

અમેરિકાના મોટા ભાગના લોકો ન્યુ યોર્કની વર્લ્ડ ટ્રેડ સેન્ટરની સાઇટ ગ્રાઉન્ડ ઝીરો પર મસ્જિદ બનાવવાના વિરોધમાં છે, આ વાત એક સર્વેમાં સામે આવી છે. જો કે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આ વિવાદ વિશે જણાવ્યું છે કે જો આ જગ્યાએ કોઈ મંદિર કે ચર્ચ બની શકે તો મસ્જિદ શા માટે ન બની શકે? આજે ન્યુયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલાની આજે 9મી વરસી છે. ઓબામાએ આ વરસીની પૂર્વ સંધ્યાએ મીડિયા સાથે વાતચીત કરી હતી.અમેરિકાના જાણીતા અખબાર વોશિંગ્ટન પોસ્ટ અને એબીસી ન્યુઝ પોલ દ્વારા કરાવવામાં આવેલા એક સર્વે પ્રમાણે દેશના બે તૃતિયાંશ લોકો ગ્રાઉન્ડ ઝીરોની વિરુદ્ધ છે. ઓબામાએ વધુમાં ઉમેર્યું હતું કે અમેરિકા કોઈ પણ શખ્સને તેના ધર્મ પ્રમાણે કામ કરવાની અને જિંદગી જીવવાની આઝાદી આપે છે. અમેરિકા માને છે કે બધી જ વ્યક્તિ એક સમાન હોય છે.


ક્રિકેટનો ‘ભગવાન’ સચિન પણ એના બોલથી ડરતો હતો

આજે ભલે વિશ્વના તમામ બોલરો સચિનના નામ માત્રથી ડરી જતા હોય પરંતુ એક સમય એવો પણ હતો કે જ્યારે આ મહાન ખેલાડીને 90ના દશકના શ્રેષ્ઠ બોલરના બોલનો સામનો કરતા ડર લાગતો હતો. સચિને તેની 21 વર્ષની કારકિર્દી દરમિયાન, મેગ્રા, મુરલીધરન, શેન વોર્ન સહિતના ઘણા સારા બોલરોનો સામનો કર્યો છે. અને બધાને દિવસે તારા દેખાડી દીધા છે. પરંતુ છ ફૂટ સાત ઇંચ ઉંચાઇ ધરાવતા વેસ્ટ ઇન્ડિઝના ઝડપી બોલર એમ્બ્રોસને જોઇને સચિને પરસેવો છૂટી જતો હતો.એક ટીવી કાર્યક્રમ દરમિયાન હોસ્ટ તરીકે આવેલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડીએ સચિનની ક્રિકેટ કારકિર્દી અંગે એક છૂપી વાત રજૂ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તે અને સચિન 1997માં પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ મેચ રમી રહ્યાં હતા. અમે બન્ને બેટિંગ કરી રહ્યાં હતા. ત્યારે વેસ્ટ ઇન્ડિઝના એ સમયના શ્રેષ્ઠ બોલર કે જેની ઝડપ અને બાઉન્સરથી ભલભલા ડરી જતા હતા. તે એમ્બ્રોસ બોલિંગ કરવા માટે આવ્યા હતા.એમ્બ્રોસે બોલિંગ નાંખી રહ્યો હતો. અને સચિન તેંડુલકર તે સમયે સ્ટ્રાઇક પર હતો. એમ્બ્રોસના બધા દડા સચિનની છાતી સુધી આવતા હતા. અને એ તમામ બોલને રમવામાં સચિન મુશ્કેલી અનુભવી રહ્યો હતો. જેથી સચિન સિદ્ધૂ પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે, તે એમ્બ્રોસના બોલનો સામનો કરવા મગાતો નથી કારણ કે તેના બોલને રમવામાં તેને મુશ્કેલી થઇ રહી છે. તેથી તમે જ શક્ય તેટલા એમ્બ્રોસના બોલ રમો.


ઓસામાના 9/11 સામે સ્વામી વિવેકાનંદનું 9/11

આજે 9/11ની વાત કરવી છે. પણ આજે એ 9/11ની વાત કરવી છે કે જ્યારે ભારતના ધર્મધુરંધર, યુગપુરુષ સ્વામી વિવેકાનંદે શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં ભારત અને હિંદુ ધર્મનો વિજય ધ્વજ ફરકાવ્યો હતો. આ ધ્વજ કોઈ યુદ્ધ કરીને, કોઈ હિંસા કરીને કે કોઈ પ્રકારની બળજબરીથી પામેલા વિજયથી ફરકાવામાં આવ્યો ન હતો. પણ પ્રેમ, સમજણ અને જ્ઞાન દ્વારા સ્વામી વિવેકાનંદે ભારતમાં જન્મેલા અને વિશ્વમાં અનેક સ્વરૂપે પ્રસરેલા સનાતન હિંદુ ધર્મની ધ્વજ પતાકા પોતાના ઓજસ્વી ભાષણથી ફેલાવી હતી.આ પણ અમેરીકા પર એક હુમલો હતો, પણ આ હુમલો હતો અમેરીકા અને અન્યોના જ્ઞાનના ગરુર પરનો હુમલો. આ એવો હુમલો હતો કે જેમાં એક પણ વ્યક્તિ શારીરિક કે માનસિક રીતે ઘાયલ થઈ ન હતી કે મૃત્યુ પામી ન હતી. હા, ત્યાં ઉપસ્થિત સેંકડો લોકો સ્વામી વિવેકાનંદના હિંદુ ધર્મ ચિંતન અને તત્વજ્ઞાનથી નતમસ્તક જરૂર થઈ ગયા હતા. સ્વામી વિવેકાનંદે કદાચ 11 સપ્ટેમ્બર, 1893ના દિવસે જ ઓસામા બિન લાદેનના દોરી સંચાર હેઠળ 11 સપ્ટેમ્બર, 2001ના રોજ થનારા અમેરીકા પરના ભીષણ આતંકવાદી હુમલાને કદાચ જોઈ લીધો હશે. કારણ કે સ્વામી વિવેકાનંદના વિશ્વ ધર્મ પરિષદના ઉદઘાટન વખતે બોલાયેલા શબ્દો તેના સાક્ષી છે


લાચાર ધોનીની બકવાસ ફરિયાદો

શ્રીલંકામાં યોજાયેલી ત્રિકોણીય વન-ડે ક્રિકેટ શ્રેણીમાં ભારતે આખરે મરતાં મરતાં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને થોડી ઘણી લાજ બચાવી હતી પરંતુ ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશતાં અગાઉ ભારતીય બેટ્સમેને (અને બોલર્સે પણ) જે કંગાળ રમત દાખવી હતી તે માફ કરી શકાય તેવી નથી. ક્રિકેટમાં ફોર્મ ઘણું મહત્વનું છે અને દરેક મેચમાં તમારી મરજી મુજબની ટીમ જીતે જ તે જરૂરી પણ નથી તે મંજુર પણ આખરે પ્રોફેશનલ ટીમની પણ કોઈ જવાબદારી બનતી હોય છે અને તેને સ્વીકારવામાં સુકાની તરીકે મહેન્દ્રસિંહ ધોની નિષ્ફળ ગયો છે.ટીમ થાકી ગઈ છે અને વધુ પડતી મેચોની ફરિયાદ કરવાની હવે ધોનીને આદત પડી ગઈ છે. વેસ્ટ ઇન્ડીઝમાં ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપ પછી પણ ધોનીએ આવી જ ફરિયાદ કરી હતી અને તેમાં પાર્ટીઓને પણ સામેલ કરી હતી પરંતુ એમ લાગે છે કે ધોની કાંઈ વિચાર્યા વિના જ ફરિયાદ કે બહાનાં દર્શાવી રહ્યો છે. તાજેતરમાં જ ધોનીએ બીસીસીઆઈને આગામી કાર્યક્રમ બદલવા તથા ભારતમાં યોજાનારા વન-ડે વર્લ્ડ કપ અગાઉ મેચોની સંખ્યા ઘટાડવાની વિનંતી કરી હતી. ભારતીય ટીમ પ્રવાસી ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની મેચની સંખ્યામાં ઘટાડો કરવા માગતી હતી પરંતુ બીસીસીઆઈએ આવો કોઈ પત્ર કે ઇમેલ તેમને મળ્યો નથી તેમ કહીને ધોનીની વાત ઉડાડી દીધી હતી


'મુન્ની'એ સેહવાગને ક્લિન બોલ્ડ કર્યો

ટીમ ઇન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ હાલ રજાઓનો લાભ લઇ રહ્યો છે. ક્રિકેટમાંથી સમય મળ્યા બાદ સેહવાગ પોતાના ફેવરિટ સ્ટાર સલમાન ખાનની ફિલ્મ જોવા ગયો હતો. જેમાં તે સલમાનની ભાભી એટલે કે મલાઇકા અરોરા ખાનના આઇટમ ડાન્સ મુન્ની બદનામ હુઇ પર ફીદા થઇ ગયો હતો.વીરુએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર સલમાનની નવી ફિલ્મ દબંગના ભરપેટ વખાણ કર્યા છે. સેહવાગે પોતાના ફોલોઅર્સને અપીલ કરી છે કે તેઓ પણ સલમાનની નવી ફિલ્મ દબંગ જોવા માટે જાય.સેહવાગે ટ્વિટર થકી પોતાના પ્રશંસકોને ઇદ મુબારક પણ કહ્યું હતું. સેહવાગે જ્યારથી સોશિયલ નેટવર્કિંગ સાઇટમાં પ્રવેશ કર્યો છે. ત્યારથી તે તેના પ્રશંસકોના સંપર્કમાં રહી રહ્યો છે. ક્યારેક તે જીવનની કેટલીક સારી-નરસી પળો અંગે વાત કરે છે. તો ક્યારેક તે ફેસબૂક પર સ્પર્ધાઓ યોજે છે.


અક્કી-પ્રિયંકા સાથે હોવાથી ટ્વિકંલની ઉંઘ હરામ

ફિલ્મ અંદાઝ અને એતરાઝનાં મેકિંગ વખતે પ્રિંયકા અને અક્ષય વચ્ચેનાં પ્રેમ પ્રકરણની ચર્ચા જોરે શોરે ચગી હતી. જોકે આ વાતોને વધુ પડતી વેગ મળતા ટ્વિકલે અક્ષયને કડક શબ્દોમાં જણાવી દીધુ હતુ કે તે પ્રિયંકા સાથે હવે કોઈ કામ કરશે નહી.જેને કહ્યાગ્રા પતિએ અત્યાર સુધી માન્ય પણ રાખ્યુ છે. પણ શું થાય આ ફિલ્મ સ્ટાર્સ તો ક્યાંયને ક્યાંય એકબિજા સાથે ભટકાઈ જ જાય છે. વર્ષ 2008માં હોંગ કોંગમાં એક શો દરમિયાન અક્કી પ્રિયંકા સામ સામે આવી ગયા હતાં તો હાલમાં તેઓ લાસ વેગાસમાં સાથે જોવા મળ્યાં હતાં.જોકે તેઓ બન્ને એકલા સાથે જોવા મળ્યાં ન હતાં તેમની સાથે રિતીક રોશન અને કેટરિના કૈફ પણ હતાં. છતાં બન્ને જાણે કેટલાંય વર્ષોનાં છુટા પડેલાં પ્રેમી પંખિડા ન હોય તેમ જણાઈ આવતુ હતું.આ વાત કદાચ ટ્વિંકલની ફરી એક વખત ઉંઘ હરામ કરી શકે છે. હવે જ્યાં સુધી પતિ અક્કી લાસ વેગાસમાં છે અને પ્રિયંકા પણ ત્યાં છે આ વાતનો ઉચાટ તો ટિનાબેબીને રહેવાનો એ તો સાવ સામાન્ય વાત છે.


અમદાવાદમાં હળવાં ઝાપટાં : કુલ ૧૪૨ ટકા વરસાદ

અમદાવાદમાં શુક્રવારે હળવાં ઝાપટાં પડ્યાં હતાં. આ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૪૨ ટકા વરસાદ થયો છે.શહેરમાં શુક્રવારે કાળા વાદળોની આવન-જાવન વચ્ચે સવારે રાબેતા મુજબ તડકો પડ્યો હતો. બપોર બાદ વાતાવરણમાં બદલાવ આવ્યો હતો સાથે શહેરમાં વિવિધ જગ્યાએ હળવા ઝાપટાં નોંધાયાં હતાં. ગઈકાલે પડેલા બે ઇંચ વરસાદ સાથે અમદાવાદમાં સિઝનનો કુલ વરસાદ ૪૫ ઇંચ થયો છે. જે સરેરાશ વરસાદથી ૧૩ ઇંચ વધારે છે. શહેરમાં ગુરુવારે ધોધમાર બે ઈંચ વરસાદ વરસ્યો હતો.


ગણેશોત્સવમાં દર્શનાર્થે મુખ્યમંત્રી વડોદરા આવશે

ગણેશોત્સવના પ્રારંભની સાથે જ સેવાસદનની ચૂંટણીનો માહોલ પણ છવાઇ જવાનો છે ત્યારે મુખ્યમંત્રી શહેરમાં ગણેશજીનાં દર્શનાથેઁ આવે તેવું આયોજન થઇ રહ્યું છે.મહાનગર સેવાસદનની ચૂંટણી તા.૧૦ ઓક્ટોબરના રોજ જાહેર કરી દેવામાં આવી છે અને તેના માટેના ફોર્મ તા.૨૦મીના રોજથી વિતરણ કરવાનાં શરૂ કરવામાં આવનાર છે.ગણેશોત્સવમાં જ ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં કરવાનો વારો આવ્યો છે ત્યારે આ સંજોગોમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ વડોદરાના ગણેશજીનાં દર્શનાર્થે આવે તેવું મનાઇ રહ્યું છે.


ઉકાઈના પાણીથી ઓવારા ઊભરાયા

ઉકાઈ ડેમમાંથી શુક્રવારે સવારે ૧૦ વાગ્યાથી છોડાયેલાં સરેરાશ ૨. ૩૦ લાખ ક્યુસેક્સ પાણીના લીધે સાંજે ૪ વાગ્યે શહેરના રાંદેર, વરિયાવ, ભરીમાતા, સિંગણપોરમાં પાણી બેક મારતાં ફ્લડ ગેટ બંધ કરાયા હતા. વરિયાવના રોહિત ફિળયામાં તથા મોરાભાગળ, ધાસ્તીપુરામાં ગટરનાં પાણી રસ્તા પર ફરી વળ્યાં હતાં, જ્યારે રાંદેર હનુમાન ટેકરી, ભરીમાતા, સિંગણપોર સાથે સંકળાયેલા ધાસ્તીપુરા વગેરે વિસ્તારોમાં ગટરનાં પાણી બેક મારતાં ડીવોટરિંગ પમ્પ ચાલુ કરી પાણીનો નિકાલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.શુક્રવારે વહેલી સવારથી છોડાઈ રહેલું ૨.૩૦ લાખ ક્યુસેક્સ પાણી રાત્રે ૧૨ વાગ્યા સુધી તાપી નદીમાં ચાલુ રહેશે, જેની અસર વહેલી સવાર સુધી શહેરના રાંદેર, કતારગામ ઝોનના આ વિસ્તારોમાં રહેશે. પાલિકા કમિશનર કુ. અપર્ણાએ શુક્રવારે સવારે ૧૧ વાગ્યે પાલિકાના સમગ્ર તંત્રને સાવચેતીનાં તમામ પગલાં લેવાના આદેશો કર્યા હતા. રાંદેર, કતારગામ ઝોનલ કચેરીએ તમામ ફ્લડ ગેટ પર ટીમ તૈનાત કરી હતી.


વ્યક્તિત્વની સાથે ચારિત્ર્યનું નિર્માણ પણ ખાસ જરૂરી

વ્યક્તિત્વના નિર્માણ સાથે ચારિત્ર્ય નિર્માણ અને નિવ્ર્યસની રાષ્ટ્રના નિર્માણ માટે, બેઈમાની અને અન્યાય સામે ભાવનગરવાસીઓને અવાજ ઉઠાવવા યોગ ગુરૂ બાબા રામદેવજી મહારાજે આહવાન કર્યું હતું.પતંજલિ યોગ સમિતિ દ્વારા શનિવારે જવાહર મેદાનમાં આયોજિત નિ:શુલ્ક યોગ શિબિરમાં યોગાચાર્ય બાબા રામદેવજી મહારાજે સૌને ઋષિ સંસ્કૃતિ અપનાવવા અનુરોધ કરી ઉમેર્યું હતું કે, સ્વીસ બેન્કમાં રહેલા ૫૮ લાખ કરોડ પરત લાવવા જોઈએ. ભારતના પૈસા ભારતમાં જ રહેવા જોઈએ. તેઓ નજીકના ભવિષ્યમાં રાજકીય દબાણ લાવવા માંગતા નથી.યોગ શિબિરમાં સારી એવી જનમેદનીને યોગાચાર્યએ યોગના અદ્દભુત કરતબો શિખવી શિબિરાર્થીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ભારત સ્વાભિમાન યાત્રા ગુરૂવારે મોડીસાંજે આવી પહોંચતા સ્વાગત કરાયું હતું. આજે શનિવારે સવારે શિબિર બાદ યોગ શિક્ષકો અને કાર્યકરો સાથે બેઠક યોજી અક્ષરવાડીથી ભારત નિર્માણ યાત્રા મુખ્ય માર્ગો પર ફરી બોટાદના અલમપર ગામે જવા રવાના થઈ હતી.


ભુજ JICમાંથી સૌથી વધુ ૧૭ પાક. કેદીઓ મુક્ત કરાયા

૪૦૦થી વધુ ભારતીય માછીમારોને મુક્ત કરવાની પાકિસ્તાનની સદ્દભાવનાના પ્રતિઉત્તરમાં ભારતે ૩૧ જેટલા પાકિસ્તાન કેદીઓ અને અટકાયતીઓને છોડી મુક્યા છે તેમાના અડધાથી વધુ ૧૭ માત્ર કચ્છના જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં રખાયા હતા. આ ૧૭ જણને આજે ખાસ બસ દ્વારા વાઘા બોર્ડરે રવાના કરાયા છે.કચ્છ પોલીસ વડાએ આજે આ અખબાર સાથેની વાતચીતમાં આ વાત છતી કરી હતી. જે.આઇ.સી.ના વડા બી.બી.ઝાલા જેઓની એસએફની એક ટુકડી સાથે આ ૧૭ જેટલા પાકિસ્તાનીઓને પંજાબ લઇ જઇ રહ્યા છે તેમણે રસ્તામાં મોબાઇલ પર જણાવ્યું હતું કે, આ ૧૭ જણામાં ૩ એવા પાકિસ્તાની છે.જેમણે તેમની સજા પૂરી કરી છે, જ્યારે બાકીના ૧૪ માછીમારો છે જેમને અહીં જેઆઇસીમાં રાખવામાં આવ્યા હતા. તેમણે કહયું કે તેઓ સીધા પંજાબ તરફ જઇ રહ્યા છીએ, જ્યાં આ ૧૭ પાકિસ્તાનીઓને ભારત પાર વાઘા સરહદે પાકિસ્તાન સત્તાવાળાઓને સોંપી દેવાશે, અમે રવિવારે સવારે વાઘા સરહદે પહોંચશું.દરમિયાનમાં જેઆઇસીમાના સૂત્રોએ કહ્યું હતું કે, હજુ સુધી જેઆઇસીમાં ૪૭ પાકિસ્તાનીઓ છે જે મોટા ભાગે માછીમારો છે અને તેમને છોડી મૂકવા અંગે કોઇ હુકમો ભારત સરકાર તરફથી આવ્યા નથી અમે તેમને અહીંથી પંજાબ પહોંચાડવાની તમામ તૈયારીઓ રાખી છે.


કચ્છમાં આજથી ગજાનનના ગુણગાન ગવાશે

દરેક શુભ કાર્યોના પ્રારંભ પૂર્વ જેને અચૂક નમન કરાય છે તેવા દુંદાળા દેવ ગણેશના ઉત્સવનો આજથી કચ્છભરમાં આરંભ થશે. સામાન્ય રીતે ત્રણથી પાંચ દિવસ થનારી આ ઉજવણી દરમિયાન યોજાનારા વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કચ્છીઓ પણ ગજાનનના ગુણગાન ગાવા લીન થશે.ગણેશ ચતુર્થીની પૂર્વ સંધ્યાએ ભુજ અને ગાંધીધામ ઉપરાંત તાલુકા મથકોએ મોદક પ્રિયની મૂર્તિઓ ખરીદવા ભાવિકો ઉમટયા હતા. એક અંદાજ પ્રમાણે ભુજમાં જ નાના-મોટા ૮૦ જેટલા પંડાલોમાં ગણેશની સ્થાપના થશે. જેની ઉજવણી માટેની તૈયારીને આખરી ઓપ આપવા યુવાનો વ્યસ્ત બન્યા હતા.શનિવારે સવારે બીજું ચોઘડિયું શુભ હોવાથી ૮ વાગ્યા પછી અબિલ ગુલાલની છોળો સાથે વાજતે ગાજતે વિઘ્નહર્તાની વિવિધ પંડાલો તેમજ ઘરોમાં સ્થાપના કરાયા બાદ તેની આરતી ઉતારી ગણેશોત્સવનો આરંભ થશે.શ્રાવણની સાથે મેળાની મોસમ પૂરી થતાં જ ઉજવાતા આ ઉત્સવમાં રાત્રિની રોનક જાણે નવરાત્રિની છડી પોકારતી હોય તેમ અનેક ગ્રૂપો દ્વારા દાંડિયારાસની રમઝટ બોલાવાશે, તો ગુજરાતી સાહિત્યને જીવંત રાખતા લોકડાયરા અને સંતવાણીના કાર્યક્રમોમાં પણ પાર્વતી પુત્રનો મહિમા ગવાશે.


બોલિવૂડમાં ફક્ત ખાન જ ઈદ નથી ઉજવતા

જો આપને લાગતું હોય કે બોલિવૂડમાં ઈદનો તહેવાર ફક્ત ખાન પરિવારો સુધી જ સીમિત છે તો તો આપ ખોટા છો કારણ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવાં કેટલાયે પરિવાર છે જે હિન્દુ અને મુસ્લિમ મિક્સ ફેમિલી છે અને તેઓ ઈદનો તહેવાર પૂરા હર્ષોલ્લાસથી ઉજવે છે.મુસ્લિમ ઓળખ હોવા છતાં હિન્દુ રીતિ રિવાજોને પણ માન સમ્માન આપવું ઘણું જ અઘરુ છે. આ વાત તો સૌ કોઈ જાણે છે કે ઘર્મ દરેક વ્યક્તિનાં જીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ગમ્મે તેટલાં મોટા સ્ટાર હોય તે વાત તો માને જ છે અને તેઓ તેમની પરંપરા નિભાવે પણ છે.એમાં કોઈજ શંકા નથી કે હિન્દુ પરિવાર વાળા પણ પુરા હર્ષો ઉલ્લાસથી અને શ્રધ્ધાથી ઉજવે છે જેવી રીતે કોઈ મુસ્લિમ ફેમીલી ઉજવે છે. તો ચાલો આજે આપણે એવા જ કેટલાંક પરિવારની વાત કરિયે જે ખાન નથી છતાં ઈદનો તહેવાર એટલાં જ જુસ્સા અને જોમથી ઉજવતા હતા અને આજે પણ ઉજવે છે.

10 September 2010

રાજકોટમાં આખો દિવસ વરસાદ વરસ્યો: દોઢ ઇંચ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


રાજકોટમાં આખો દિવસ વરસાદ વરસ્યો: દોઢ ઇંચ

રાજકોટમાં ગુરૂવારે આખો દિવસ અવિરત હળવા ઝાપટાં વરસતા રહ્યા હતા. સતત પડતાં વરસાદને કારણે જનજીવન મંદ પડી ગયું હતું. આખો દિવસ આકાશમાં કાળા ડિબાંગ વાદળોની જમાવટ રહેતાં આખો દિવસ અંધકારભર્યું રહ્યું હતું. ગુરૂવારે વધુ ૩૬ મી.મી. વરસાદ નોંધાયો હતો.આખો શ્રાવણ માસ અંધાધૂંધ વરસાદ ખાબક્યા બાદ બે દિવસ વરાપ નીકળતાં મેઘરાજાએ વિદાય લીધી હોવાનું અનુમાન થતું હતું. પરંતુ મેઘરાજાને સૌરાષ્ટ્ર છોડ્યું જ ન હોય તેમ એમની પુન: પધરામણી થઇ હતી. રાત દરમિયાન વાદળોના દળકટકો ગગનગોખે ઉમટી પડ્યા હતા.ઘનઘોર કાળા ડિબાંગ વાદળોએ સૂર્ય કિરણોનો અવરોધતાં રાજકોટમાં આજે જાણે કે પ્રભાત ઉગ્યું જ નહોતું. સવારે ૮.૩૦ના અરસામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને તે પછી આખો દિવસ ઝીલ મીલ ઝીલ મીલ હળવા ઝાપટાં વરસતા રહ્યા હતા. આખો દિવસ અવિરત વરસાદ ચાલુ રહેતાં જનજીવન પર તેની વ્યાપક અસર પડી હતી.લોકોએ અનિવાર્ય કારણ ન હોય તો ઘરની બહાર જવાનું ટાળ્યું હતું. રાજકોટમાં આ વર્ષે મેઘરાજાની પૂર્ણ કૃપા વરસી છે. હજુ ૩૬ કલાક સુધી ભારે વરસાદની આગાહી છે ત્યારે આ વર્ષે વરસાદ ત્રણ દાયકાનો વિક્રમ તોડશે એ નિશ્વિત થઇ ગયું છે.


ગણેશ ઉત્સવ: રાજકોટમાં ત્રણ કરોડનો કારોબાર

ગણપતિ આયો બાપા, રિદ્ધિ-સિદ્ધિ લાયો... શનિવારના ભાદરવા સુદ ચોથથી અનેરા ઉમંગ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ થશે. રાજકોટમાં ૬૦ થી ૬૫ સ્થળોએ મોટા આયોજનો થયા છે તો ૧૫૦૦ થી ૨૦૦૦ ગણપતિ, ઘરે-ઘરે, ફ્લેટમાં કે દુકાનોની બહાર ઉજવાશે. માત્ર રાજકોટ શહેરમાં ૩ કરોડ રૂપિયાની મૂર્તિ સહિત સાધન સામગ્રીનું વેચાણ થઇ ગયું છે.રાજકોટ શહેરમાં આ પર્વનું મહત્વ મહારાષ્ટ્ર જેવું બનતું જાય છે. સૌપ્રથમ રાજકોટમાં માત્ર ચારથી પાંચ પંડાલો હતા. પરંતુ છેલ્લા ચાર વર્ષથી તેનું મહત્વ વધતા આજે ૬૫ થી પણ વધુ પંડાલોની સંખ્યા પહોંચી છે. રાજકોટમાં ગણપતિ મૂર્તિઓનું વેચાણ પણ વધ્યું છે. મોટા પંડાલોની મૂર્તિ ૪૦ થી ૫૦ હજારમાં બને છે. બાદમાં કલર તેના શણગારની સામગ્રીનો કારોબાર પણ વધ્યો છે.મૂર્તિ બનાવનાર બંગાળી કારીગર બાબુભાઇએ જણાવ્યું હતું કે ઓર્ડર લેવાની ના પાડવી પડી તેટલી મૂર્તિઓ બનાવી છે. રાત-દિવસ કારીગરો કામ કરી રહ્યા હતા ત્યારે અંદાજે ૨૦ થી વધુ મૂર્તિઓ બનાવી છે. પહેલાં કરતાં રાજકોટમાં આ મહોત્સવનું મહત્વ વધ્યું છે.કિશનપરા ચોકમાં રેસકોર્સ ક્લબ, સદ્ગુરુ આશ્રમ, બ્રહ્મસેના, કરણપરા ચોક ગરબી મંડળ, સોનીબજાર સ્થિત મહારાષ્ટ્ર યુવક મંડળ, જ્યારે ગ્રીન સિટી ક્લબ દ્વારા નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ પાસેના બાલમુકુંદ પ્લોટ પાસે સ્કોચ વીડિયો સામેના ચોકમાં ગણેશોત્સવ, ભવ્ય આયોજન કરાયું છે. રાજકોટમાં આ ઉપરાંત ઠેર-ઠેર ગણપતિ મહોત્સવના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.


પાણશિણામાં ત્રણ કલાકમાં ૮ ઇંચ

સૌરાષ્ટ્રના આકાશ પર મેઘરાજા જાણે મેરેથોન દોડમાં ભાગ લઇને સતત દોડી રહ્યા હોય તેમ અવિરત મેઘસવારી ચાલુ રાખી છે. આખો શ્રાવણ માસ વરસ્યા બાદ ભાદરવા મહિનામાં પણ મેઘકૃપા ચાલુ જ રાખી છે. ગુરુવારના દિવસે લીંબડી પંથક પર મેઘરાજાએ ડેરાતંબુ તાણ્યા હોય તેમ પાણશિણા અને આસપાસના વિસ્તારોમાં માત્ર ત્રણ કલાકમાં આઠ ઇંચ વરસાદ વરસાવી દીધો હતો.આ ઉપરાંત જામનગર જિલ્લાના ખંભાળિયામાં પણ વધુ પાંચ ઇંચ વરસાદ પડતા સદી આડે હવે માત્ર પાંચ ઇંચનું જ છેટું રહી ગયું છે. રાજકોટમાં વધુ સવા ઇંચ વરસાદ પડી જતાં ૩૦ વર્ષનો રેકોર્ડ તૂટવાની અણી પર છે. સૌરાષ્ટ્રમાં અન્ય વિસ્તારોમાં પણ ઝાપટાંથી માંડીને પાંચ ઇંચ સુધીનો વરસાદ થયો હોવાના અહેવાલ મળે છે.લીંબડી તાલુકાના પાણશિણા ગામ પર જાણે આભ ફાટ્યું હોય તેમ ગુરુવારના બપોરના ૧૨ થી ૩ વાગ્યા સુધીમાં આઠ ઇંચ વરસાદ પડી જતાં ચારોતરફ પાણી-પાણી થઇ ગયું હતું. વરસાદી પાણી ગામની બજારોમાં નદીના વહેણની માફક ચાલવા લાગ્યું હતું. નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા હતા. સાંબેલાધારે ખાબકેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાઇ જતાં હજારો એકર જમીનમાં ઊભેલો પાક પાણીમાં ગરકાવ થઇ જતાં ખેડૂતો ચિંતાતૂર થઇ ઊઠ્યા હતા.ભાવનગર શહેર-જિલ્લામાં શ્રાવણની અંતિમ રાત અને આજથી ભાદરવાના આરંભે છેલ્લા ૨૪ કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ચોતરફ અષાઢી મેઘમાહોલ જામી ગયો છે અને વાદળો મન મૂકીને એકધારા વરસી જતાં પંથકમાં ટાઢોડું થઈ ગયું છે. આજે ભાવનગર શહેરમાં ગઈકાલ રાતથી ધીમી ધારે વરસાદ વરસવો શરૂ થયો હતો અને આખી રાત શરૂ રહ્યાં બાદ સવાર સુધીમાં તો ચોતરફ વર્ષાનો માહોલ જામી ગયો હતો.



અમદાવાદમાં બે ઇંચ વરસાદથી સર્વત્ર પાણી

અમદાવાદ શહેરમાં ગુરુવારે ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે બે ઇંચ વરસાદ પડ્યો હતો. વહેલી સવારે ચાલુ થયેલો મુશળધાર વરસાદ અને દિવસ દરમિયાન ધીમી ધારે ચાલુ રહેલા વરસાદને કારણે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.વરસાદથી પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારમાં પાણી ભરાયાં હતાં.જ્યારે એક મકાન પડી ગયું હતું અને એક મકાનની દીવાલ ધસી પડી હતી. આ ઘટનામાં એક વ્યક્તિને સામાન્ય ઇજા થઈ હતી. સવારે પડેલા ભારે વરસાદને કારણે મ્યુનિસપિલ કોર્પોરેશનના કંટ્રોલરૂમ ઉપર પાણી ભરાયાની અનેક ફરિયાદો નોંધાઈ હતી.ચાલુ વર્ષે વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. વરસાદ પૂરો થયા બાદ ઉઘાડ નીકળ્યાના એક-બે દિવસ વીતે છે ત્યાં ફરીથી વરસાદનું આગમન થઈ જાય છે. આ સિલસિલો બુધવાર અને ગુરુવારે પણ જોવા મળ્યો હતો. શહેરમાં ગુરુવારે વહેલી સવારે ભારે વરસાદનું આગમન થયું હતું. મળસ્કે ધોધમાર એકથી દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો. વહેલી સવારનો વરસાદ નવેક વાગ્યે બંધ થયો હતો.


મહાનગરપાલિકા ચૂંટણીમાં ૩૫ લાખ મતદારો, ૧૯૨ ઉમેદવાર

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી આખરે ૧૦મી ઓક્ટોબરે યોજવાની જાહેરાત થઈ ગઈ છે અને મ્યુનિ. હદનું વિસ્તરણ થયા બાદ યોજાઈ રહેલી ચૂંટણીમાં ૩૫ લાખ જેટલા મતદારો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોમાંથી ૧૯૨ જણાને કોર્પોરેટરનો તાજ પહેરાવશે. મ્યુનિ.ની ૨૬મી ચૂંટણીમાં આ વખતે હદવિસ્તરણના કારણે મતદારો અને કોર્પોરેટરોની તથા વોર્ડ તેમજ બૂથની સંખ્યામાં વધારો થયો છે.૨૦૦૫માં ૧૨૯ બેઠક માટે ૪૩ વોર્ડમાંથી ૨૯ લાખ જેટલા મતદારોએ મતદાન કર્યું હતું અને આ વખતે ૧૯૨ બેઠક માટે ૬૪ વોર્ડમાંથી ૩૫ લાખ જેટલા મતદારો મતદાન કરશે. નવા વિસ્તારોના સમાવેશથી વોર્ડ વધવાના કારણે મતદારોની સંખ્યામાં ૪૦ હજારનો ઉમેરો થયો છે અને મહિલા બેઠકની સંખ્યા ૪૩થી વધીને ૬૪ જેટલી થઈ ગઈ છે.મ્યુનિ. હદમાં અઢી-ત્રણ વર્ષથી સમાવાયેલી નગરપાલિકા તથા પંચાયત વિસ્તારોને લાંબા સમય બાદ લોકપ્રતિનિધિ મળશે અને તેમાંય કોર્પોરેટર બનવા થનગનતા જુના હોદ્દેદારો તથા નવા કાર્યકરોના દાવાઓ ભાજપ-કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનશે, જ્યારે જુની હદના કોર્પોરેટરો પૈકી કેટલાકને પાર્ટી ઘરભેગા કરી દેશે અને ૨૫ જેટલી બેઠકો અનામત જાહેર થતાં કેટલાક કોર્પોરેટરો અનામતના કારણે કપાશે.


પીવાના પાણી માટે ૧૭૦ કરોડ ખર્ચાયા

ગાંધીનગર જિલ્લાનાં ૨૯૧ ગામો અને દહેગામ, માણસા અને કલોલ શહેરને સુજલામ સુફલામ યોજના હેઠળ આવરી લઇ પીવાનું શુદ્ધ ફિલ્ટર પાણી આપવાનું આયોજન કરાયું છે. આ યોજના પાછળ આજ સુધીમાં રૂ.૧૭૦ કરોડથી વધુ ખર્ચ કરાયો છે અને ગાંધીનગર જિલ્લામાં હાલમાં ૧૪૪ ગામો અને ૩ શહેરને નિયમિત પાણી પુરવઠો મળે છે.સુજલામ સુફલામ યોજના અંતર્ગત અત્યાર સુધી ગાંધીનગર તાલુકામાં રૂ.૨૦૬૧.૪૭ લાખ દહેગામ તાલુકામાં રૂ. ૫૯૪૭.૬૨ લાખ, માણસા તાલુકામાં રૂ.૨૯૮૩.૮૮ લાખ અને કલોલ તાલુકાની ૧ અને ભાગ ૨ યોજનામાં રૂ. ૫૯૮૬.૯૩ લાખ મળી જિલ્લામાં કુલ રૂ.૧૬૯૭૮.૯૦ લાખનો ખર્ચ કરાયો છે. વાસ્મોના સહયોગથી પીવાના પાણીની લોકભાગીદારીવાળી સેક્ટર રિફોર્મ યોજનાનું અમલીકરણ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિએ કર્યું છે. જિલ્લામાં ૧૫૫ ગામોની રૂ.૨૦૮૧.૦૫ લાખની નવી યોજનાને મંજૂરી આપી દેવાઇ છે.


છ મહાનગરપાલિકાની ચૂંટણી : ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાની ૧૦મી ઓક્ટોબરે ચૂંટણીઓ યોજાવાની સત્તાવાર જાહેર થઈ ચૂકી છે. આ જાહેરાત સાથે જ ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી, ચૂંટણીપ્રચારના મુખ્ય મુદ્દા અને ચૂંટણી જીતવા માટેની વ્યૂહરચના નક્કી કરવા માટેનો ધમધમાટ પણ શરૂ થઈ ચૂક્યો છે.અત્યારે આ છ મનપામાં ભાજપનું જ શાસન છે, પરંતુ તાજેતરમાં સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ, ખંડણી ઉઘરાવવાના આક્ષેપો અને તેમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની સંડોવણી જેવા મુદ્દાને કારણે બદલાયેલી રાજકીય પરિસ્થિતિમાં ભાજપ માટે છએ મનપામાં શાસન ટકાવી રાખવા માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ સાબિત થશે. બીજી તરફ કોંગ્રેસ ભાજપના ગઢમાં ગાબડું પાડવા માટે વ્યૂહરચના ગોઠવી રહ્યો છે.૨૦મીથી ઉમેદવારીપત્રો ભરાવાની શરૂઆત થશે, પરંતુ તે સ્વીકારવાની છેલ્લી તારીખ ૨૫મી સપ્ટેમ્બર હોવાથી તે અગાઉ રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂરી કરી તેની જાહેરાત કરશે. સૂત્રોની માહિતી મુજબ ટૂંક સમયમાં પ્રદેશ ભાજપના હોદ્દેદારોની ખાસ બેઠક મળશે, જેમાં નક્કી થયા મુજબ જિલ્લા ભાજપ એકમો પાસેથી ઉમેદવારી ઇચ્છુકોનાં નામની યાદી માગવામાં આવશે.ત્યારબાદ દરેક મહાનગરપાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારો નક્કી કરવા પ્રદેશકક્ષાએથી ચૂંટણી નિરીક્ષકોની ટીમ બનાવાશે અને તેઓ જે-તે વિસ્તારોમાં જઈને ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં જિલ્લા એકમોને મદદ કરશે. આ યાદી તૈયાર થયા બાદ પ્રદેશ પાલૉમેન્ટ્રી બોર્ડની બેઠક મળશે અને એમાં ઉમેદવારોની આખરી યાદીને આખરી ઓપ આપવામાં આવશે.


૧૪મીએ મોક પોલિંગ ડેમોન્સ્ટ્રેશન

મહાનગરપાલિકાઓની ચૂંટણી વખતે ઓનલાઈન વોટિંગ પદ્ધતિ દાખલ કરવાનું નક્કી કરાયું છે. જેના સંદર્ભે ૧૪મીએ સિવિક સેન્ટર ઇ-પોલિંગના સ્થળે ‘મોક પોલિંગ ડેમોસ્ટ્રેશન’ યોજાશે.રાજ્ય ચૂંટણી પંચના સચિવ પી.એસ. શાહે કહ્યું હતું કે આ ડેમોસ્ટ્રેશનમાં મતદારો ભાગ લઈ શકશે અને ઇચ્છુકો તેમનાં નામ, સરનામાં અને મોબાઈલ નંબર પંચના ઈ-મેલ એડ્રેસ ઉપર ૧૧મ સુધીમાં લખાવી શકશે. આ વખતે મતદારોને તેમના યુઝર્સ નેમ-પાસવર્ડ અપાશે. તેને મતકુટિરમાં કમ્પ્યૂટરમાં એન્ટર કરવાથી સ્ક્રીન પર મતપત્ર દેખાશે.


ગાંધીનગર : શિષ્યવૃત્તિ ઉચાપત કેસમાં નિવૃત્ત બેંક મેનેજરની ધરપકડ

ગાંધીનગર શહેર જિલ્લામાં આવેલી પછાતવર્ગના વિદ્યાર્થીઓ માટે આપવામાં આવતી પછાતવર્ગની શિષ્યવૃત્તિ જિલ્લા પછાતવર્ગ કલ્યાણ કચેરીના સસ્પેન્ડ ક્લાર્ક વી.એસ.વૈધ્ય અને અન્ય ચાર વ્યક્તિઓએ ૫.૭૪ લાખની શિષ્યવૃત્તિ બારોબાર ઉપાડી લીધી હતી. આ ઉચાપત પ્રકરણમાં અમદાવાદના જશોદાનગર ઈન્ડિયન બેંકની બ્રાંચના તત્કાલીન બેંક મેનેજર બબાભાઈ સોલંકીની આજે પોલીસે ધરપકડ કરી હતી.ગાંધીનગર શહેર જિલ્લામાં આવેલી સરકારી શાળાઓમાં પછાતવર્ગના વિદ્યાર્થીઓ માટે આપવામાં આવતી શિષ્યવૃત્તિનું કૌભાંડ બે વર્ષ પહેલાં બહાર આવ્યું હતું. તે વખતે જિલ્લા પછાતવર્ગ કલ્યાણ કચેરીના કલાર્ક વી.એસ.વૈધ્ય વિરુદ્ધ ઉચાપતની ફરિયાદ થઇ હતી. પોલીસ ફરિયાદ બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.આ સસ્પેન્ડ કલાર્ક તેમજ અન્ય ચાર કર્મચારીઓ અમૃત સોમા શાહ, ખુશાલ ફુસા મકવાણા, વાલજી શંકર મકવાણા અને સંજય બોથા પરમારે પોણા છ લાખની શિષ્યવૃત્તિની ઉચાપત કરી હતી. તા.૧૧-૭-૦૬થી ૧૧-૭-૦૭ના સમયગાળાની પોણા છ લાખની શિષ્યવૃત્તિ ગાંધીનગર જિલ્લાની પાંચ શાળા અને કોલેજોને આપવાની હતી. સસ્પેન્ડ કલાર્ક વી.એસ.વૈધ્ય તેમજ અન્ય ચાર કર્મચારીઓ વિરુદ્ધ રૂ.૫,૭૪,૯૩૮ની ઉચાપતની ફરિયાદ સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં થઇ હતી.



બાબુ બોખીરિયાની કંપનીઓ પાસેથી ૧૮૦ કરોડ વસૂલાતા નથી

ભાજપના પૂર્વપ્રધાન બાબુભાઈ બોખીરિયાની ભાગીદારી ધરાવતી જુદી જુદી ૧૨ કંપની પાસેથી રાજ્ય સરકારને લાઈમ સ્ટોનની રોયલ્ટીરૂપે રૂ. ૧૮૦ કરોડ વસૂલવાના થાય છે. સરકારની આ વસૂલાતના વિરોધમાં આ કંપનીઓએ કેન્દ્ર સરકારમાં સ્ટે માગ્યો હતો પરંતુ કેન્દ્રે આ મિનરલ માફિયાઓને સ્ટે આપવાનો ઈનકાર કરી દીધો છે.વર્ષ ૨૦૦૬થી અત્યાર સુધીમાં આ વસૂલાત માટે રાજ્ય સરકારે કોઈ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ કોંગ્રેસે વિધાનસભા ગૃહમાં મંગળવારે કર્યો હતો. બીજી બાજુ ગુજરાત સરકારે રાજ્યમાં કુલ રૂ. ૬૫૮ કરોડની ખનીજચોરી થઈ હોવાનો સત્તાવાર રીતે સ્વીકાર કર્યો છે પરંતુ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, આ આંકડો આંખ પહોળી થઈ જાય તેટલો મોટો છે.કારણ કે, સરકારે આપેલા આંકડામાં માત્ર જુનાગઢ અને પોરબંદર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમરેલી અને કોડીનાર જિલ્લામાં ખાસ કરીને ગીરમાં થતી ગેરકાયદે ખનીજચોરીનો આમાં સમાવેશ થતો નથી.પોરબંદર જિલ્લામાં ભાજપના પૂર્વપ્રધાન દ્વારા ખુલ્લેઆમ કાયદો નેવે મૂકીને આચરવામાં આવતી ખનીજચોરી સામે તત્કાલીન કલેક્ટર છિબ્બરે કાર્યવાહી હાથ ધરી ત્યારે ત્રણ મહિનામાં જ તેમની બદલી કરી નાખવામાં આવી હતી.


પીઠી ચોળ્યા બાદ વર-કન્યા એકલા કેમ નથી ફરી શકતા?

હિન્દૂ પરંપરા અનુસાર કરવામાં આવેલા લગ્નમાં ઘણી રીત અને રિવાજો હોય છે. જે પૂર્ણ થયાં પછી જ લગ્નવિધિ પૂર્ણ થઇ હોવાનું માનવામાં આવે છે. આ પરંપરાઓ અને રીત-રિવાજોમાં પણ ઘણી પરંપરા એવી છે. જેને લઇને આપણા મનમાં એક અજીબ ડર છુપાયો છે.આવી જ એક પરંપરા છે કે, પીઠી ચોળ્યા બાદ વર કે કન્યાને બહાર નિકળવા દેવામાં આવતા નથી. જ્યારે પણ તમારા ઘરમાં કે આડોસ પાડોસમાં ક્યારેયપણ લગ્ન થયા હોય તો તમે સાંભળ્યું હશે કે વર કે કન્યાને પીઠી ચોળ્યા બાદ એકલા મુકવામાં આવતા નથી. કે પછી બહાર જવા દેવામાં આવતા નથી. કારણ કે ખરાબ આત્માઓની તેમના પર અસર પડી શકે છે.વાસ્તવમાં આ માન્યતા પાછળ કોઇ અંધવિશ્વાસ નથી. કારણ કે, આપણા વડવાઓ હંમેશા વધારે વય અને જિંદગીનો અનુભવ ધરાવે છે. અને તેઓ જાણે છે કે, હળદર શરીરની સુંદરતા વધારે છે. અને દરેક પ્રકારની ચામડીના રોગ અને શરીરની દુર્ગંધમાંથી પણ મુક્તિ મળતા જ શરીરની સુંદરતા ખીલી ઉઠે છે.પરંતુ પીઠી ચોળ્યા બાદ બહાર ન નિકળવાના ઘણા કારણો છે. જેમાં હળદરમાં એક વિશેષ પ્રકારની ગંધ હોય છે. જેના કારણે વાતાવરણમાં ઉપસ્થિત નકારાત્મક અને સકારાત્મક તમામ પ્રકારની ઉર્જાઓ એ વ્યક્તિ તરફ ઝડપથી આકર્ષિત થાય છે.


અત્યાર સુધીની સૌથી ઉત્તેજક સેક્સ ટેપ

પ્લેબોયની ભૂતપૂર્વ મોડલ કરિસ્સા શેન્નોની એક સેક્સ ટેપ ટૂંક સમયમાં જ રજૂ થવાની છે. માનવામાં આવે છે કે, આ સેક્સ ટેપ ઘણી જ ઉત્તેજક છે.વિવિડ એન્ટરટેઈન્મેન્ટ દ્વારા આ સેક્સ ટેપ રીલિઝ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોર્ન ઈન્ડસ્ટ્રીઝમાં આ સેક્સ ટેપ ખળભળાટ મચાવી દેશે.સૂત્રોના મતે કરિસ્સા પોતાના કોસ્ટાર સાથે અંતરંગ પળો માણતી નજરે આવશે. એક રિપોર્ટ પ્રમાણે કોઈ ત્રીજી વ્યક્તિએ આ સેક્સ ટેપ વિવિડને આપી છે.માનવામાં આવે છે કે, વિવડના ચીફ આ સેક્સ ટેપની ક્વોલિટી જોઈને ઘણાં પ્રભાવિત થઈ ગયા છે. હાલમાં તો આ સેક્સ ટેપને ઈન્ટરનેટ પર ડાઉનલોડ કરવાની તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં વ્યસ્ત છે.


રાજ્યમાં અનરાધાર વરસાદ, ધોળકામાં ધોધમાર ૧૩ ઇંચ

ગુરુવારે વહેલી સવારથી જ રાજ્યભરમાં મેઘરાજા ધોધમાર વરસ્યા હતા. મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. અમદાવાદ જિલ્લાના ધોળકામાં સૌથી વધારે ૧૩ ઇંચ સાંબેલાધાર વરસાદ તૂટી પડ્યો હતો, જ્યારે લીંબડી, ઓલપાડ અને જલાલપોરમાં ધોધમાર ૮ ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો. રાજ્યના અન્ય વિસ્તારમાં અડધાથી ૭ ઇંચ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે વાહન અને ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.રાજ્યમાં વીજળી પડવાથી એક બાળકનું મોત થયું હતું. ભારે વરસાદને કારણે રાજ્યમાં ૮ હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હવામાનખાતાએ આગાહી કરી હતી કે આગામી ૧૨ કલાકમાં રાજ્યના જુદા જુદા ભાગમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.ગુરુવારે વહેલી સવારે ૭ વાગ્યાથી જ વીજળીના કડાકાભડાકા સાથે અનરાધાર વરસાદ તૂટી પડ્યો હતો. રાજ્યમાં સૌથી વધારે વરસાદ અમદાવાદ જિલ્લાના ધોળકામાં ૧૩ ઇંચ નોંધાયો હતો. સવારે ૮.૩૦થી બપોરે ૩.૩૦ વાગ્યા સુધીમાં ધોળકામાં ૮ ઇંચ વરસાદ પડી ગયો હતો. ધોળકામાં ભારે વરસાદના કારણે અનેક સોસાયટીમાં ગોઠણડૂબ પાણી ભરાઈ ગયાં હતાં. અમદાવાદમાં દિવસ દરમિયાન બે ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે ધંધૂકામાં પાંચ અને રાણપુરમાં ચાર ઇંચ વરસાદ પડ્યો હતો.


ઐશ્વર્યા બસ બે જ બાળકો

અભિષેક બચ્ચનને તાજેતરમાં જ એક મેગેઝીન માટે ફોટોશુટ કરાવ્યું હતું. આ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યૂમાં અભિષેકે બે બાળકોની અપેક્ષા રાખી છે.અભિએ કહ્યું હતું કે, જ્યારે પણ એશ ગર્ભવતી થાય ત્યારે તે બે બાળકોની આશા રાખે છે.ઉલ્લેખનીય છે કે, એશ-અભિના લગ્ન કર્યે ત્રણ વર્ષ થયા છે પંરતુ હજી સુધી કોઈ સારા સમાચાર મળ્યા નથી.


એક વીડિયો ગેમે વધારી અમેરિકાની ચિંતા

અમેરિકામાં આજકાલ એક વીડિયો ગેમ ચર્ચાનો વિષય બની છે. જેમાં તાલીબાની સૈનિકોએ અમેરિકી સૈનિકો પર ગોળી ચલાવવાની હોય છે. સંરક્ષણ વિભાગને અત્યારે એવો ડર લાગી રહ્યો છે કે ક્યાંક આ વીડિયો અમેરિકન સૈનિકોનું મનોબળ ના તોડી નાખે. જો કે આ વીડિયો ગેમનો આખા દેશના લશ્કરી વિસ્તારોમાં વેચાણ પર પ્રતિબંધ મૂકાઈ ગયો છે.કેલિફોર્નિયા સ્થિત ગેમ બનાવતી કંપની ઈલેક્ટ્રોનિક આર્ટ્સ દ્વારા તૈયાર કરાયેલી આ ગેમ ‘મેડલ ઓફ ઓનર’ 12મી ઓક્ટોબરથી બજારમાં ઉપલબ્ધ થશે. બ્રિટિક્ષ સંરક્ષણ મંત્રી લિયામ ફોક્સ સહિત કેટલાંય લોકોના વિરોધ બાદ આશરે 300 જેટલી આર્મી કેન્ટીનમાં આ વીડિયો ગેમનો સ્ટોક ન રાખવાનો નિર્ણય લેવાયો છે.જોકે અમેરિકી સૈનિકોએ આ ગેમ ખરીદવા પર પ્રતિબંધ નથી. તેઓ લશ્કરી ક્ષેત્રની બહારના વિસ્તારોમાંથી આ ગેમ ખરીદી શકાશે. આ વીડિયો ગેમ મૂળ બીજા વિશ્વ યુદ્ધ પર આધારિત છે, જેનું નવું સ્વરૂપ આધુનિક અફઘાનિસ્તાન પર ફિલ્માવવામાં આવ્યું છે, જ્યાં અમેરિકા અને નાટોના આશરે 1,40,000 સૈનિકો તાલીબાન સૈનિકો સાથે યુદ્ધ કરે છે.

ચૂંટણીનો જંગ જાહેર, રાજકોટ બનશે રણભૂમિ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


ચૂંટણીનો જંગ જાહેર, રાજકોટ બનશે રણભૂમિ

મહાપાલિકાની ચૂંટણીનું જાહેરનામું બહાર પડતાની સાથે જ વહીવટી તંત્ર અને રાજકીય પક્ષોએ તૈયારીના ઘોડા વધુ દોડાવવાનું શરૂ કરી દીધું છે. અન્ય મહાનગરપાલિકાની સાથે જ યોજાનારી રાજકોટ મનપાની ચૂંટણી તા. ૧૦મી ઓક્ટોબરે છે. ઉમેદવારીપત્ર ભરવાનું તા. ૨૦મી સપ્ટેમ્બરે શરૂ થઇ છેલ્લી તારીખ ૨પમી રહેશે. ઉમેદવારી પરત ખેંચવાની તારીખ ૨૮મી અને તા. ૧૦મીએ મતદાન થયા બાદ બે જ દિવસમાં તા. ૧૨મી મત ગણતરી થવાની છે.આગામી મનપાની ચૂંટણીમાં વોર્ડના સિમાંકનમાં કોઇ ફેરફાર નથી થયો પણ બેઠકની અનામત સ્થિતિમાં ધરખમ અને રાજકીય પક્ષોની કસોટી થાય એવો ફેરફાર જરૂર થયો છે. કુલ ૨૩ વોર્ડમાંથી ૧૧ વોર્ડમાં અનામતમાં ફેરફાર થયો છે. જેના કારણે જ્ઞાતિવાદનું ગણિત પણ એટલું જ મહત્વનું બની રહેશે.અનામતમાં ફેરફાર થયો હોય એવા વોર્ડમાં ૧, ૩, ૪, ૬, ૭, ૯, ૧૧, ૧પ, ૧૬, ૧૭, ૨૩માં ક્યાંક પુરુષ અનુસૂચિત જાતિ તો ક્યાંક સ્ત્રી અનુસૂચિત જાતિ અને ક્યાંક ઓ.બી.સી. બેઠકમાં ફેરફાર થયેલો છે. અનામતમાં ફેરફાર થયો હોય એવો વોર્ડમાં કોર્પોરેટરોની પેનલને અસર થાય એવી સંભાવના નકારી શકાય તેમ નથી. આજે જાહેરનામું બહાર પડતા જ રાજકીય પક્ષોએ જે તે વોર્ડમાંથી વાંધા સૂચનો મગાવવાનું શરૂ કરી દીધું છે. આવતીકાલે ચૂંટણી અધિકારી કલેક્ટર સાથે રાજકીય પક્ષોના હોદ્દેદારોની બેઠક રાખવામાં આવી છે.


‘કેનેડાને જરૂર છે ભારતીય ટેલેન્ટની’

કેનેડાના એક મંત્રીએ જણાવ્યું છે કે તેમને ભારતીય ટેલેન્ટની સખત જરૂર છે. વાસ્તવમાં કેનેડાના સિટિઝનશિપ તેમજ ઈમિગ્રેશન મિનિસ્ટર જોસન કૈની અત્યારે ભારતની મુલાકાતે છે. ચંદીગઢમાં પોતાના કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે કેનેડાને ભારત પાસેથી એવા ટેલેન્ટેડ લોકોની સખત જરૂર છે, જેઓ કેનેડાના વિકાસમાં યોગદાન આપી શકે.તેમણે એ પણ ઉમેર્યું છે કે 2009 દરમિયાન બીજા દેશોમાંથી કેનેડા જનારા લોકોમાં ભારતીયોની સંખ્યા ઘણી વધારે હતી. તેમાં પણ પંજાબના લોકો સૌથી વધારે હતા. ગયા વર્ષે ભારતના લગભગ 32,000 લોકોને કેનેડા સરકારે પી.આર. વિઝા આપ્યા હતા. વર્ષ 2008ની તુલનામાં આ સંખ્યા 13 ટકા વધારે છે.


કણભાનાં ધામતવાનમાં પૂજારી પરિવારનો સામૂહીક આપઘાત

શહેરનાં છેવાડે આવેલા કણભાનાં ધામતવાન ગામે શુક્રવારે એક પૂજારી પરિવારે સામૂહીક આપઘાત કરી લેતા કમકમાટી વ્યાપી ગઇ છે. આ અંગે જાણ થતાની સાથેજ કણભા પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધીકારીઓ ઘટના સ્થળે જવા રવાનાં થઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.જિલ્લા પોલીસ વડા સંદપિ સિંહનાં જણાવ્યા અનુસાર, રામોલ-કણભા રોડ પર આવેલા ધામતવાન ગામમાં રહેતા એક પૂજારીનાં પરિવારે આપઘાત કરી લીધો હોવાનો સંદેશો કન્ટ્રોલ રૂમને મળ્યો છે. જેથી હાલ કણભા પોલીસ સહિત ઉચ્ચ અધીકારીઓ પણ ઘટના સ્થળે જવા રવાનાં થઇ ગયા છે. બીજી તરફ પોલીસ સુત્રોએ ગામમાં પૂજારી તથા તેમનાં પત્ની અને એક પુત્રના મૃતદેહ પડ્યા હોવાનુ જણાવ્યું હતુ. જો કે તેમણે આપઘાત ક્યા સંજોગોમાં કર્યો છે, તે જાણી શકાયુ નથી. જો કે પૂજારી પરિવારનાં સામૂહિક આપઘાતના સમાચાર પંથકમાં આગની જેમ ફેલાતા ભારે ચકચાર મચી જવા પામી છે.


ડેરા પ્રમુખ બાબા રામ રહીમ પર બીજી સાધ્વીનો બળાત્કારનો આરોપ

ડેરા સચ્ચા સોદા પ્રમુખ સંત ગુરમીત રામ રહીમ સિંહ પર બીજી સાધ્વીએ પણ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. ષડયંત્ર પ્રમાણે સંતે તેને હવસનો શિકાર બનાવી હતી. આ નિવેદન વિશેષ સીબીઆઈ જજ એ.એસ.નારંગની કોર્ટમાં સાધ્વીએ આપ્યું છે. મામલાની સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગથી થઈ હતી.સાધ્વનીના નિવેદનથી યૌન શોષણ મામલામાં ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ મોટી મુશ્કેલીમાં ફસાતા નજરે પડી રહ્યાં છે. ડેરા પ્રમુખના વકીલોએ દલીલ દરમિયાન સાધ્વીને તેના જ નિવેદનમાં ફસાવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાંક સવાલો પર બચાવ પક્ષ પણ હાવી રહ્યો હતો. પરંતુ નિવેદન આપનાર સાધ્વીએ તમામ સવાલોના જવાબ ખૂબ જ સહજતાથી આપ્યા હતા. સાધ્વીના જાતિય શોષણ મામલામાં બળાત્કારનો શિકાર બનેલી બીજી સાધ્વીના નિવેદનને નોંધવાની પ્રક્રિયા કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવી હતી. સુનાવણી શરૂ થવાની થોડી વાર પહેલા જ સીબીઆઈ કડક સુરક્ષા સાથે સાધ્વીને સીધા અદાલતમાં લઈ આવી હતી. નિર્ધારીત સમય પર સ્પેશ્યલ સીબીઆઈ જજ એ.એસ.નારંગની કોર્ટમાં સાધ્વીના નિવેદન નોંધાવીની કાર્યવાહી શરૂ થઈ હતી. પોતાના શરૂઆતના નિવેદનમાં જ સાધ્વીએ ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. તેણે તબક્કાવાર પોતાની સાથે ઘટેલા ઘટનાક્રમનો ઉલ્લેખ કર્યો હતો. સાધ્વીનું માનીએ તો બળાત્કારની ઘટના બાદ તેણે ડેરા સચ્ચા સૌદા છોડવાનો નિર્ણય કર્યો હતો.


અત્યાધુનિક સાધનો દ્વારા ‘લાલબાગચા રાજા’ની સુરક્ષા

આખા ભારતમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા ‘‘લાલબાગચા રાજા’’ ગણેશોત્સવમાં સુરક્ષા માટે પોલીસે અધ્યતન વ્યવસ્થાઓ કરી છે. ગયા વર્ષે હતા તેનાથી વધુ સક્ષમ સાધનો ગોઠવાશે. વિમાનમથક પર હોય એવા બેગેજ સ્કેનર્સ દ્વારા આવનારા લોકોનો સામાન તપાસવામાં આવશે.તે ઉપરાંત પહેલી જ વખત વાયરલેસ કેમેરા વડે સમાજકંટકો પર નગિરાણી રખાશે. પોલીસ કમાન્ડો, બીટ માર્શલ્સ, પેટ્રોલિંગનાં વાહનો, એ.કે.-૪૭ રાઈફલ્સ ધરાવતા પોલીસ જવાનો, કેન્દ્રીય અનામત પોલીસ દળ (સીઆરપીએફ)ની ટુકડીઓ અને રાજ્ય અનામત પોલીસ દળ (એસઆરપીએફ)ની ટુકડીઓના જવાનો ‘લાલબાગચા રાજા’ના મહોત્સવના રક્ષણ માટે હાજર રહેશે.રોજ ઓછામાં ઓછા પાંચ લાખથી વધુ ભક્તો દર્શન માટે આવતા હોવાથી આટલા મોટા મેળાવડામાં ‘ઈમરજન્સી’ જેવી સ્થિતિ પેદા ન થાય એ માટે પોલીસ તેમ જ મંડળના કાર્યકરો ૨૪ કલાક સજ્જ રહેશે. આ વખતે પણ બે મહિના પૂર્વેથી જ તૈયારી શરૂ કરાઈ છે. અત્યારે એ તૈયારી અંતિમ તબક્કામાં છે.ભીડ પર નિયંત્રણ રાખી શકાય એ માટે ભાયખલાના ખડા પારસી- જીજામાતા ઉદ્યાનથી કે.ઈ.એમ હોસ્પિટલ સુધી બેરિકેડસ મૂકાશે. તેથી ભાવિકો કતારમાં આગળ વધી શકે. બિનજરૂરી દોડધામ કે ધક્કામુક્કી ન થાય તેની તકેદારી રખાશે,’ એમ નાયબ પોલીસ આયુક્ત (ઝોન-૪) સંજય બાવિસ્કરે જણાવ્યું હતું.પોલીસ તંત્ર, સ્થાનિક કાર્યકરોના સહયોગથી હંમેશ સારી રીતે પાર પાડે છે. સીસીટીવી ગયા વર્ષે ૪૮ હતા, આ વખતે વધારીને ૬૦ ગોઠવાશે. હેન્ડ મેટલ ડિટેકટર, ડોર મેટલ ડિટેકટર વગેરે સાધનોની પણ વ્યવસ્થા છે.


પુણેની જર્મન બેકરીમાં જ ધડાકો કેમ કરાયો હતો?

મહારાષ્ટ્રની એટીએસના અધિકારીઓએ મંગળવારે પુણેના કોરેગાંવ સ્થિત જર્મન બેકરી કેસમાં ધરપકડ કરેલા મુખ્ય સૂત્રધાર મિરઝા હિમાયત બેગને બ્લાસ્ટ કરવા માટે ચાળીસ હજાર રૂપિયા મળ્યા હતા. જેહાદને નામે આતંકવાદી પ્રવૃત્તિમાં જોડાવા માટે ન અચકાતાં બેગે કાયમ માટે નિકાહ ન કરવાનો નિર્ણય પણ કર્યો હોવાની માહિતી પોલીસે કરેલી પૂછપરછમાં બહાર આવી છે. બીડ જિલ્લામાં રહેતા તેના પરિવારને તે ચાર વર્ષથી મળ્યો સુધ્ધાં નહોતો.સપ્ટેમ્બર ૨૦૦૮માં ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓની પુણે નજીકથી ધરપકડ કરવામાં આવી ત્યારે તેઓએ પુણેમાં વિસ્ફોટ કરવાનું નક્કી કરી લીધું હતું. વિદેશી નાગરિકોને લ-યમાં લેવાના હોવાને કારણે જર્મન બેકરીને નિશાન ઉપર લેવામાં આવી હતી.બેગ શ્રીલંકા પણ ગયો હતો.જર્મન બેકરી બ્લાસ્ટની તવારીખ તપાસતાં પોલીસને એવી માહિતી મળી હતી કે ૨૦૦૬ના વર્ષમાં ઔરંગાબાદ સ્ટેશનની નજીક થયેલા બોમ્બવિસ્ફોટના મુખ્ય સૂત્રધાર ફૈયાદ કાઝીને મળવા માટે બેગ શ્રીલંકા પણ ગયો હતો. માર્ચ ૨૦૦૮ના વર્ષમાં થયેલી આ મુલાકાતમાં એલઈટી અને ઈન્ડિયન મુજાહિદ્દીનનો સમન્વય સાધવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ જર્મન બેકરીમાં બ્લાસ્ટ કરવાનું કાવતરું રચાઈ રહ્યું હતું તે સમય દરમિયાન અકબરનો ભાઈ મોહસીન ચૌધરી ઉદગીરમાં રહેતા બેગને મળવા વારંવાર જવા લાગ્યો હતો. ત્યાર બાદ બ્લાસ્ટ કરવાની યોજના થોડા થોડા સમયે મયા બાદ તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.


ક્વીન્સ બેટન રિલે આજે દરિયાઈ માર્ગે મુંબઈ પહોંચશે

કોમનવેલ્થ ગેમ્સ દિલ્હી ૨૦૧૦ માટેની ક્વીન્સ બેટન રિલે (કયુબીઆર)માં સહભાગ લેવા અને સ્વાગત કરવા માટે ભારતની નામાંકિત હસ્તીઓ સજ્જ બની છે. આ બેટન શુક્રવારે મુંબઈ આવવાની છે. પુણેથી દરિયાઈ માર્ગે તે મુંબઈમાં પહોંચશે. કારંજે નેવલ જેટ્ટી ખાતે સવારે ૯ વાગ્યે તે પહોંચવાની છે અને તેના સ્વાગત માટે ખાસ તૈયારીઓ કરી રખાઈ છે.આ બેટન રિલેમાં ટેબલ ટેનિસના અર્જુન એવોર્ડ વિજેતા કમલેશ મહેતા, એથ્લેટિકસમાં અર્જુન એવોર્ડ વિજેતા રચિતા મિસ્ત્રી, હોકીના ઓલિમ્પિયન ધનરાજ પિલ્લેઈ, ચેસ ગ્રાન્ડ માસ્ટર અને કોમનવેલ્થ ચેસ ચેમ્પિયન પ્રવીણ થપિસે, ચેસની મહિલા ગ્રાન્ડ માસ્ટર ભાગ્યશ્રી થપિસે, ચેસના દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા રઘુનંદન ગોખલે, હોકીના અર્જુન એવોર્ડ વિજેતા એમ. એમ. સોમૈયા, હોકીના અર્જુન એવોર્ડ વિજેતા જોકિમ કારવેલ્હો, એથ્લેટિકસના અર્જુન એવોર્ડ વિજેતા આદિલ સુમારીવાલા ઉપસ્થિત રહેવાની શક્યતા છે.ઉપરાંત ભારતીય ઉદ્યોગ દિગ્ગજો રતન ટાટા, અદિ ગોદરેજ પણ સહભાગી થશે. મુખ્ય કાર્યક્રમ ગેટવે ખાતે હાથ ધરાશે, જ્યાં બેટનનું મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ, નાયબ મુખ્ય પ્રધાન છગન ભુજબળ, રમતગમત પ્રધાન સુરેશ શેટ્ટી સ્વાગત કરશે.


કોર્ટ પરિસરમાં સાર્વજનિક પૂજા યોજી શકાય કે નહીં?

કામકાજના દિવસમાં અદાલતના પરિસરમાં ‘સત્યનારાયણની પૂજા’ના આયોજન સામે મુંબઈ બાર એસોસિયેશનના માજી અધ્યક્ષ અને પ્રખર ધારાશાસ્ત્રી મનુભાઈ વશીએ પ્રશ્ન કર્યો છે. આવા આયોજનના વાજબીપણા અંગેની એડવોકેટ એમ. પી. વશીની અરજીની સુનાવણી સિવિલ કોર્ટમાં ૧૭ સપ્ટેમ્બરે હાથ ધરાશે.૪ સપ્ટેમ્બર, શનિવારે સ્મોલ કોઝીસ કોર્ટમાં કામકાજનો દિવસ હોવા છતાં અદાલતના એડવોકેટસ એસોસિયેશને બપોરે બાર વાગ્યાથી સાંજે સાડા સાત વાગ્યા સુધી સત્યનારાયણની પૂજા અને મનોરંજન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમાં ન્યાયાધીશોને પણ આમંત્રણ અપાયું હતું. કાર્યક્રમના ત્રણ દિવસ પૂર્વે ‘અદાલતના પરિસરમાં ધાર્મિક કાર્યક્રમો યોજી ન શકાય’ એવી રજુઆત સાથે એમ. પી. વશીએ સિવિલ કોર્ટમાં સુટ ફાઈલ કર્યો હતો. વશી એડવોકેટસ એસોસિયેશન ઓફ સ્મોલ કોઝીસ કોર્ટના ભૂતપૂર્વ પ્રમુખ પણ છે.એડવોકેટ એમ. પી. વશીએ એવી દલીલ કરી હતી કે ભારત, બિનસાંપ્રદાયિક દેશ છે અને સત્યનારાયણની પૂજા એ હિન્દુઓની ધાર્મિક વિધિ છે તેથી સરકારી પરિસર એટલે કે અદાલતના ક્ષેત્રમાં તેનું આયોજન કરી ન શકાય. વળી, એ કામકાજનો દિવસ હતો અને ‘પૂજા’ને નામે જં ભંડોળ એકઠું કરાયું તેનો કોઈ હિસાબ નથી. બીજું એડવોકેટસ એસોસિયેશનની મેનેજિંગ કમિટીની ચૂંટણી પણ જાહેર કરાઈ છે.’’


ગણેશ વિસર્જન માટે ૧૯ કૃત્રિમ તળાવ તૈયાર કરાયા

પર્યાવરણીય પ્રદૂષણ ટાળવા માટે આ વખતે કૃત્રિમ તળાવની સંખ્યા ૧૯ સુધી વધારવામાં આવી છે. શહેરના જુદા જુદા ભાગોમાં કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે.મેયર શ્રદ્ધા જાધવે કૃત્રિમ તળાવ ખાતે વ્યવસ્થા બરોબર છેને તેની ખાતરી કરવા માટે ગુરુવારે મુલાકાત લીધી હતી.તેઓ ચેમ્બુરના પેસ્તમ સાગર નાના નાની પાર્ક, શિવ ગણેશ વિસર્જન તળાવ, ચેમ્બુરના ચરઈ, ઘાટલા સ્થિત વિસર્જન તળાવની વ્યવસ્થા જોવા ગયાં હતાં.તેમણે તળાવ આસપાસ સાફસફાઈ કરવા માટે સંબંધિતના વિભાગના અધિકારીઓને આ પ્રસંગે નિર્દેશ આપ્યા હતા. ૧૧ સપ્ટેમ્બરથી ગણેશજીની સેંકડો ભાવિકો ઘરમાં સ્થાપના કરશે. તેઓ વધુમાં વધુ કૃત્રિમ તળાવનો ઉપયોગ કરે એવી આશા પાલિકા રાખે છે.


સડેલા ઘઉંને મુદ્દે અદાલતમાં જવાની તૈયારી કરતુ ભાજપ

અનાજનો વધારાનો જથ્થો ગરીબોને વહેંચી દેવાના સર્વોચ્ચ અદાલતના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ કેન્દ્ર સરકાર વિરુદ્ધ અદાલતમાં અરજી કરવા બાબતે ભારતીય જનતા પક્ષ કાનુની અભિપ્રાય લઈ રહ્યો છે, એમ પક્ષના વરિષ્ઠ નેતા ગોપીનાથ મુંડેએ સોમવારે જણાવ્યું હતું.ભાજપના પુણે એકમે યોજેલા સડેલા ઘઉંના પ્રદર્શન ખાતે પત્રકારોને સંબોધતાં મુંડેએ જણાવ્યું હતું કે ‘‘એકાદ અઠવાડિયામાં આ બાબતે કાયદેસર માર્ગદર્શન મળી જતાં અમે આગળ વધીશું. સર્વોચ્ચ અદાલતે ગરીબોને વિતરણની સૂચના આપી હોવા છતાં રાજ્યોને પહોંચાડવા માટેના ઘઉંના જથ્થાની કિંમત ઠેરવીને યુપીએ સરકારના પ્રધાન મંડળે ‘અદાલતનો તિરસ્કાર’ કર્યો છે.’’કેન્દ્રના કૃષિ ખાતાના પ્રધાન શરદ પવારનું રાજીનામું માગતાં મુંડેએ જણાવ્યું હતું કે ‘‘શરદ પવાર ભારતના અનાજ-કઠોળના જથ્થાની વ્યવસ્થા, વિતરણ વગેરેમાં બિનકાર્યક્ષમ પુરવાર થયા છે.


ફરીથી સેનાને પડકારશે રાહુલ ગાંધી

કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધી વધુ એક વખત મહારાષ્ટ્રમાં શિવસેનાને પડકારનાર છે. તેઓ બે દિવસ માટે મહારાષ્ટ્રની મુલાકાત લેશે.રાહુલ ગાંધી આકોલાની મુલાકાત લેશે અહીં તેઓ યુવાનો સાથે મુલાકાત લેશે, આકોલાથી તેઓ ઔરંગાબાદ જવા માટે રવાના થશે. ત્યારબાદ તેઓ પુનામાં પણ આ પ્રકારના કાર્યક્રમમાં ભાગ લેશે અને કોંગ્રેસના પદાધિકારીઓ સાથે મુલાકાત કરશે. જોકે, મીડિયાને આ કાર્યક્રમો માટે આમંત્રણ આપવામાં નથી આવ્યું.જોકે, રાહુલ ગાંધીની મુલાકાતના અસરકારક વિરોધના કોઈ પગલાનીજાહેરાત શિવસેના દ્વારા કરવામાં નથી આવી. ઉલ્લેખનીય છેકે, આ પહેલા રાહુલ ગાંધીની મહારાષ્ટ્ર મુલાકાતનો શિવસેનાએ ભારે વિરોધ કર્યો હતો. પરંતુ, ભારે સુરક્ષા વ્યવસ્તાના કારણે તેઓ નોંધપાત્ર વિરોધ કરવામાં નિષ્ફળ રહ્યાં હતા.


પીપલી લાઇવના વિરોધમાં આમિરના પૂતળાનું દહન

આમિર ખાનની લેટેસ્ટ પ્રોડક્શન ‘પીપલી લાઇવ’માં ખેડૂતોને દેવામાં ડૂબી જતાં આપઘાત કરી લેતાં દર્શાવાયા છે તેની સામે વિદર્ભના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે અને આમિરના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.સ્વાતંત્રય પર્વ દિને જ જે તે ખેડૂતોની વિધવાઓ અને અમુક પરિવારોએ યવતમાલમાં શેરીઓમાં દેખાવો કર્યા હતા અને તેમણે આ ફિલ્મ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવાની પણ માગણી કરી હતી. તેમનો મુદ્દો એ હતો કે વિદર્ભના ખેડૂતોના આપઘાતની વાત અહીં ખોટી રીત રજુ કરવામાં આવી છે.સરકારની નીતિને લીધે ખેડૂતોને મરવું પડે છે,વિદર્ભ જન આંદોલન સમિતિના પ્રેસિડેન્ટ કિશોર તિવારી જણાવે છે કે, વૈશ્વિકરણ અને સરકારની ખોરાં ટોપરાં જેવી નીતિના લીધે જ ખેડૂતોને મરવાનો વારો આવે છે. અહીં પરિવારના ડખ્ખા કારણભૂત નથી જ. આમિરે સ્ક્રિપ્ટ ફાઇનલ કરતાં પૂર્વે કન્સલ્ટન્ટની સંમતિ લેવી જોઇતી હતી.તિવારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મને લીધે જે તે ખેડૂતની વિધવાને કમ્પેન્સેશન મળશે કે કેમ? તેના પર પ્રશ્નાર્થ મૂકાઇ ગયો છે. સરકારની ઢીલી નીતિના લીધે જ ભારતના કોઇપણ ખૂણામાં ખેડૂતોએ જિંદગી ટૂંકાવવી પડતી હોય છે. અહીં પરિવારનો પ્રશ્ન આપઘાત માટે મહત્વનો નથી.


સંપર્ક કરો રાત્રે બારથી છ, કલાકનો ભાવ રૂ.

બદલો લેવા માટે હવે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સનો ઉપયોગ વધી રહ્યો છે. ભાગીદારીના ધંધામાંથી અલગ થયેલા યુવાનને પરેશાન કરવા માટે ભાગીદારે યુવાનની પત્નીની ખોટી પ્રોફાઇલ બનાવી ઓરકૂટ પર મૂકી દીધી હતી. અને દંપતીનો મોબાઇલ ફોનનંબર લખીને બીભત્સ લખાણ લખ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચના સાઇબર સેલે તપાસ બાદ ભાગીદાર અને તેના મિત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, સેટેલાઇટ વિસ્તારમાં રહેતા પરેશભાઈનાં પત્ની હેતલબહેનની ઓરકૂટ પર મુકાયેલી ખોટી પ્રોફાઇલમાં ભાગીદારે લખ્યું હતું કે ‘યુ કેન કોલ મી ધીસ નંબર એટ નાઇટ ૧૨ એએમ ટુ ૬ એએમ માય રેટ ૧ અવર ૨૦૦ રૂપિયા એની સ્ટે કોલ નંબર (૦૦૦૦૦૦૦૦૦૦). પરેશભાઈ અને હેતલબહેનના મોબાઇલ ઉપર અજાણ્યા પુરુષોના બીભત્સ માગણી કરતા ફોન આવવા લાગતાં દંપતી સ્તબ્ધ થઈ ગયું હતું. સતત આવા ફોન આવતાં તંગ આવી ગયેલા દંપતીએ ક્રાઇમબ્રાન્ચની મદદ લીધી હતી.પોલીસે પરેશભાઈની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તેમણે ઘાટલોડિયામાં શાયોના સિટી પાસેની રામેશ્વર પાર્ક સોસાયટી ખાતે રહેતા જિતેન્દ્ર ઉર્ફે જીતુ કાનજીભાઈ સુદ્રા સાથે ભાગીદારીમાં ફોટોગ્રાફીનો ધંધો શરૂ કર્યો હતો. થોડા સમય અગાઉ ધંધાકીય તકરારના કારણે મનદુ:ખ થતાં પરેશભાઈએ જિતેન્દ્ર સાથેની ભાગીદારી બંધ કરી અલગ ધંધો શરૂ કર્યો હતો.આથી આ કરતૂત જિતેન્દ્રએ કર્યું હોવાની શંકા દંપતીએ વ્યક્ત કરી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચના સાઇબર સેલની ટીમ તપાસ કરતાં હેતલબહેનની ખોટી પ્રોફાઇલ જિતેન્દ્રની ઓફિસના કમ્પ્યૂટરમાં તૈયાર કરીને ત્યાંથી ઓરકુટ ઉપર મૂકવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.


જયપુરમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવાનું ભૂલી ગયા

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે પ્રથમ વન-ડે મેચ રમાઈ હતી જેમાં સ્ટેડિયમમાં ભારત અને સાઉથ આફ્રિકા એમ બન્ને દેશોના ધ્વજ લહેરાવામાં આવે છે, પરંતુ અહિંયા તો કંઈક અલગ જ જોવા મળ્યું હતું. મેચ દરમિયાન આરસીએના પ્રબંધકો ભારત અને સાઉથ આફ્રિકાના રાષ્ટ્રીય ધ્વજ લગાવાનું ભૂલી ગયા હતાં.ક્રિકેટ સાથે જોડાયેલ લોકોએ જણાવ્યું હતું કે આ પહેલી ઘટના હતી કે ભારત અને સાઉથ આફ્રિકા ટીમ જયપુરમાં રમી અને પેલેવિયનની અગાસી પર ધ્વજ લહેરાવ્યો નહી.ઉલ્લેખનીય છે કે આરસીએએ પોતાનો અને બોર્ડનો ફ્લેગ પણ લગાવ્યાં નહોતો.


બિહાર :શિક્ષિકાનો ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ

બિહારમાં સત્તાધારી ભાજપના ધારાસભ્ય રાજ કિશોર કેસરી પર એક ખાનગી શાળાની શિક્ષિકાએ બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. પૂર્ણિયાના પોલીસ ઉપમહાનિરીક્ષક અમિત કુમારે ફોન પર જણાવ્યું હતું કે તે શિક્ષિકાએ પૂર્ણિયાના ખજાંચીહાટ પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે ત્રણ દિવસ પહેલા નોંધાવેલી એક એફઆઈઆરમાં કેસરી પર ગત ત્રણ વર્ષોથી તેની સાથે બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે.તેમણે કહ્યું હતું કે મામલાની તપાસની જવાબદારી ખજાંચીહાટ પોલીસ સ્ટેશનના પ્રભારી અરવિંદ કુમારને જ્યારે આ મામલાનું નિરીક્ષણ કરવાની જવાબદારી પોલીસ ઉપાધિક્ષક એસ.એસ.ઠાકુરને સોંપવામાં આવી છે.આ દરમિયાન ભાજપના ધારાસભ્ય કેસરીએ પોતાના પર લાગેલા આરોપોને રદિયો આપતાં કહ્યું હતું કે આ ખોટા અને પાયાવિહોણા આરોપોથી તેમની છબીને ઝાંખી કરવાનું કાવતરું છે.જણાવવામાં આવે છે કે ગત ત્રણ વર્ષો દરમિયાન આ બીજી વાર છે કે જ્યારે કેસરી પર કોઈ મહીલાએ આ પ્રકારનો આરોપ લગાવ્યો છે. આ પહેલા લીલા ઝા નામની એક અન્ય મહીલાએ પણ કેસરી પર તેની સાથે બળાત્કાર કર્યાનો આરોપ લગાવ્યો હતો, જેમાં પહેલા પોલીસે તેમને ક્લિન ચીટ આપી દીધી હતી.બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની વિશ્વાસ યાત્રાના ક્રમમાં પૂર્ણિયા પહોંચેલા પ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદીએ કેસરીનો બચાવ કરતાં રાજકીય જીવનમાં તેમની છબી અને ક્રિયાકલાપને સંપૂર્ણપણે સ્વચ્છ ગણાવ્યા હતા.


મુંબઈ ટ્રેન ધડાકા કેસમાં બિહારના નિવૃત્ત જજનું નિવેદન નોંધવામાં આવ્યું

મુંબઈના શ્રેણીબદ્ધ ટ્રેનધડાકામાં સોમવારે બિહારના નિવૃત્ત જિલ્લા મેજિસ્ટ્રેટનું નિવેદન વિશેષ મકોકા કોર્ટે નોંધ્યું હતું.૨૦૦૬ના શ્રેણીદ્ધ ધડાકા બાદ ધરપકડ કરાયેલા ૧૩ આરોપીનાં નિવેદન આ મેજિસ્ટ્રેટે નોંધ્યાં હતાં. મકોકા કોર્ટના જજ વાય. ડી. શિંદે સમક્ષ હાજર રહેતાં મેજિસ્ટ્રેટે જુબાનીમાં જણાવ્યું હતું કે જાન્યુઆરી ૨૦૦૭માં આરોપીમાંના એક બિહારના મધુબની જિલ્લાના કમલ અન્સારીના ઘરેથી આરડીએક્સ હસ્તગત કરાયો હતો તેના સહિત વિસ્ફોટક ધારા હેઠળ ૧૧ આરોપી સામે કાર્યવાહી ચલાવવા માટે પોતે મંજુરી આપી હતી.૧૧ જુલાઈ, ૨૦૦૬ના રોજ આરડીએક્સથી ભરેલા બોમ્બે સાત ટ્રેનના ફર્સ્ટ કલાસ ડબ્બામાં કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો. દસ જ મિનિટના સમયમાં થયેલા આ ધડાકાઓમાં ૧૮૭ જણનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ૮૦૦ ઈજા પામ્યા હતા.આ કેસમાં કોર્ટ ૧૩ જણ વિરુદ્ધ ખટલો ચલાવી રહી છે. આરોપીઓ લશ્કરે- તોઈબા અને સિમીના હોવાનું જણાવાયું છે.ફેબ્રુઆરી ૨૦૦૮માં સુપ્રીમ કોર્ટે અન્સારીની અરજી પરથી ખટલા સામે સ્ટે આપ્યો હતો.


કોઈ મદદ પોતાનાને ગુમાવવાનું દુ:ખ ભુલાવી નહીં શકે

આતંકવાદીઓ સાથે લડતા પિતા શહીદ થયા તો બલવિંદર પોલીસમાં જોડાયા પરંતુ ગત મે મહિનામાં લૂંટારા સાથે લડતા તેમને પણ શહાદત મળી. હેડકોન્સ્ટેબલ ગુરપ્રીત કૌરના પિતા પણ આતંકવાદીઓની ગોળીઓનો ભોગ બન્યા હતા. બન્ને પરિવારોને મદદ મળી પરંતુ પોતાનાને ગુમાવવાનું દુ:ખ ભુલાવી શકાતું નથી.અમૃતસરના પોશ વિસ્તાર લારેન્સ રોડ પર ગત ૧૯મી મેના રોજ પોલીસ અને લૂટારા વચ્ચે સર્જાયેલી અથડામણમાં શહીદ થયેલા પંજાબ પોલીસના કોન્સ્ટેબલ બલવિન્દર સિંહનાં સંતાનો આજે પણ તેમની રાહ જુએ છે. બાળકોની માતા કંવલજીત કૌરને પતિની શહાદત પર ગર્વ છે. વીસ વર્ષ પહેલાં બલવિન્દર સિંહના પિતા ગુરમેજ સિંહ પણ આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયા હતા. ત્યારબાદ બલવિન્દરને રહેમરાહે નોકરી મળી હતી.રાજ્ય સરકાર અને પોલીસ વિભાગે પરિવારને રૂપિયા ૧૫ લાખની મદદ આપી છે. પતિના નિવૃત્ત થવાના સમય સુધી પૂરેપૂરો પગાર આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે પરંતુ કંવલજીત કૌર કહે છે કે, પતિ વગર તેમના માટે આ રૂપિયા કોઇ કામના નથી. બન્ને પુત્રો લવદીપ અને રાજદીપ પોતાના પિતાની તસવીર જોઇને રડી પડે છે પરંતુ માતા જ્યારે પિતાની શહાદતની વાર્તા સંભળાવે છે તો તેમને પણ ગર્વ થાય છે.બન્ને પુત્રો લશ્કર અથવા પોલીસમાં ભરતી થઇને દેશની સેવા કરવા માગે છે. જલ્લેવાલ ગામમાં રહેતી કંવલજીત કૌર જણાવે છે કે, પતિની શહાદત બાદ તેમનું જીવન સંઘર્ષમય બની ગયું છે. જ્યારે તરનતારનની ગુરપ્રીત કૌરના મનમાં પિતાને ગુમાવવાનું દુ:ખ છે. તેમણે પોતાની સામે પિતા સબ ઇન્સપેક્ટર કશ્મીરસિંહને ગોળીઓથી વિંધાતા જોયા હતા.૧૯૮૧માં જ્યારે તેઓ દુબુર્જી ચોકીએ તૈનાત હતા તો સુલ્તાનવિંડ નાકે આતંકવાદીઓ સાથે સર્જાયેલી અથડામણમાં શહીદ થયા હતા. તેમનો કોઇ પુત્ર નથી. તેથી ગુરપ્રીતને પોલીસ વિભાગમાં નોકરી આપવામાં આવી છે. ગુરપ્રીતને બે પુત્રો છે અને તેઓ પણ પોલીસમાં ભરતી થવા માગે છે.


નક્સલવાદીઓએ ભાઈ છીનવ્યો તો સરકારે રાનીનું ભવિષ્ય

રાણાની જિંદગીમાં જાણે કે ખુશીઓને કોઇ જ સ્થાન ન હોય તેવું તેનું જીવન બની ગયું છે. રાની ત્રણ માસની હતી ત્યારે તેની માતાનું અવસાન થયું હતું. પિતા સુરક્ષાકર્મચારી હોવાથી મોટાભાગે તેઓ બહાર રહેતા હતા. મોટા ભાઇ વિકાસે જ રાનીને ઉછેરી હતી. વિકાસને પોલીસમાં સિપાહી તરીકે નોકરી મળી હતી, પણ વર્ષ ૨૦૦૪માં કુંદન તમાંગ અને જીવન ગુરંગ સાથે નક્સલવાદી સુરંગ વિસ્ફોટમાં તે શહીદ થઇ ગયો.યુવાન પુત્રના ગમમાં પિતાએ પણ જીવ ગુમાવ્યો. તે પછી રાની પોતાની ફોઇના ત્યાં રહેવા લાગી. રાનીએ જણાવ્યું હતું કે નક્સલવાદીઓએ ભાઇ છીનવ્યો તો સરકારે ભવિષ્ય. દાણા-દાણા માટે તરસી ગઇ હતી. કોઇ પૂછનાર નહોતું. તે સમયની મુશ્કેલીઓને યાદ કરું છું તો પણ આજે આંખમાં આંસુ આવી જાય છે.મારો ભાઇ શહીદ થયો હતો, પણ અધિકારીઓએ એવું વર્તન કર્યું હતું કે જોણે તેમને કોઇ જ ફરક પડતો નહોતો. રહેમરાહે નોકરીની માગણી કરી તો અધિકારીઓએ કહ્યું કે નિયમ અનુસાર તે શક્ય નથી. રાંચીના આઇજી આર કે મલિક કહે છે કે અવિવાહિત પોલીસ કર્મચારી શહીદ થાય તો તેના આશ્રિતોને રહેમરાહે નોકરી આપવાની જોગવાઇ નથી.રાનીની ફોઇ અને નેપાળી સમાજના વડીલોએ બે વર્ષ અગાઉ રાનીના લગ્ન કરાવી દીધાં. તેનો પતિ પણ પોલીસમાં છે. તે પણ વિકાસ જેમાં ફરજ બજાવતો હતો તે ઝારખંડ જિલ્લામાં ફરજ બજાવે છે. નક્સલવાદીઓનો ખૌફ ઓછો થતો દેખાતો નથી. તેના કારણે રાનીની ચિંતા વધી રહી છે કે કંઇ તેના પતિને કાંઇ ન થઇ જાય. હવે તો તેની ફોઇ પણ રાંચીમાં નથી રહેતી.


ઓબામાનું ધ્યાન ભારત યાત્રા પર કેન્દ્રીત

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું સમગ્ર ધ્યાન હવે નવેમ્બરમાં યોજાનાર ભારતની યાત્રા પર છે. ઓબામા સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે બન્ને દેશો વચ્ચેના સબંધો ઘણા મહત્વના છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા પી જે ક્રાઉલે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિનું ધ્યાન હવે ભારતની યાત્રા પર છે. જોકે અમે પહેલા પણ ઘણી વખત કહ્યું છે કે બન્ને દેશો વચ્ચેના સબંધો સમગ્ર વિશ્વ માટે મહત્વના છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિશ્વની સૌથી જૂની લોકશાહી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી વચ્ચે સબંધ હોવો જોઈએ અને અમે એવું જ કરી રહ્યાં છીએ.ઓબામાની પ્રવાસ દરમિયાન મુખ્ય એજન્ડા શું હશે તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ભારત એક ઉભરતી વૈશ્વિક તાકાત છે, ભારત તે ક્ષેત્રોના પડકારોનું સમાધાન લાવવા માટે મહત્વનો દેશ બની શકે તેમ છે.


૧૦-૧૦-૧૦ એ લગ્ન કરવાનો ક્રેઝ

ઓસ્ટ્રેલિયનો આ વર્ષના સૌથી શુભ દિવસ ગણાતા ૧૦-૧૦-૧૦ એ લગ્ન કરવા માટે ચર્ચો અને અન્ય લગ્ન સ્થળોએ દોટ મૂકી રહ્યા છે.ઘણા લોકો ૧૦ ઓક્ટોબરના દિવસને ભાગ્યશાળી માને છે અને ઓસ્ટ્રેલિયન મેરેજ સેલીબ્રન્ટસમાં આ વિશિષ્ઠ તારીખે લગ્ન નોંધાવવા માટે યુગલોમાં છેલ્લી ઘડીનો મોટો ધસારો જોવા મળ્યો છે.ઓસ્ટ્રેલિયામાં મેરેજ સેલીબ્રન્ટ્સના સૌથી મોટા એસોસિએશન ઓસ્ટ્રેલિયન મેરેજ સેલીબ્રન્ટસના પ્રવકતા માર્ટિન મરોનીએ કહ્યું હતું, ‘યુગલે તેઓ જે દિવસે લગ્ન કરવા માગતા હોય તેના એક મહિના અને એક દિવસ પહેલાં તેમની અરજી નોંધાવવી પડે છે. ૧૦-૧૦-૧૦ એ લગ્નો માટેની અભૂતપૂર્વ ઇચ્છા જોવા મળે છે.’ઓસ્ટ્રેલિયન મેરેજ સેલીબ્રન્ટ્સના સભ્ય ઇલેન સીયર્લીએ ઉમેર્યું હતું, ‘૧૦ ઓક્ટોબર, ૨૦૧૦ના સવારના ૧૦.૧૦ના લગ્ન માટે મારે ત્યાં ઘણા મહિના પહેલાં બુકિંગ થયું હતું. એ દિવસે બીજી બે વિધિઓ માટે મેં બુકિંગ સ્વીકાર્યું છે. અમે બીજા છ લગ્ન માટે બુકિંગ કરી શક્યા હોત, પરંતુ ત્રણ લગ્નો મારી મર્યાદા છે.’

યમુનાનું જળસ્તર જોખમી સપાટી પાર, દિલ્હી પર સંકટ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

યમુનાનું જળસ્તર જોખમી સપાટી પાર, દિલ્હી પર સંકટ

યમુના નદી ખતરાના નિશાનને પાર કરી ચુકી છે. શુક્રવારે યમુનાનું સ્તર વધીને 207 મીટર સુધી જઈ શકે છે. તેના કારણે તટીય અને નીચાણવાળા વિસ્તારોમાં વસ્તીઓમાં પાણી ઘુસી જાય તેવી સંભાવના વધી છે. પરંતુ રાજધાનીમાં પૂર આવવાની હાલ કોઈ આશંકા નથી. દિલ્હીના સિંચાઈ અને પૂર નિયંત્રણ મંત્રી રાજકુમાર ચૌહાણના જણાવ્યા પ્રમાણે, યમુના નદીમાં પાણી વધવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય શકે છે. તેની સાથે તેમણે એ પણ કહ્યું હતું કે તેમ છતાં બાકીના દિલ્હીમાં પૂર જેવી પરિસ્થિતિ આવવાની નથી. સરકારે યમુના કિનારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ઉંચાણવાળા સ્થળો પર અને સરકારી કેમ્પોમાં જવાની અપીલ કરી છે. નદી કિનારાના યમુના નગર, ઉસ્માનપુર, તિબેટી કોલોની, બુરાડી, જહાંગીરપુરી, બાટલા હાઉસ અને ગઢી માંડૂ વગેરેના કેટલાંક ભાગોમાં પાણી ભરાય શકે છે.જાણકારી પ્રમાણે, ઘણાં વિસ્તારોને ખાલી કરવા માટે પોલીસની મદદ લેવામાં આવી રહી છે. હકીકતે હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે અહીંથી વહેનારી નદીઓનું જળસ્તર ઘણું વધારે થઈ ગયું છે. જેના કારણે આઠમી સપ્ટેમ્બરે હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી યમુના નદીમાં સાત લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું અને હવે આ પાણી દિલ્હી પહોંચવા લાગ્યું છે. તેના સિવાય દિલ્હીમાં પણ વરસાદને કારણે નદીનું જળસ્તર વધી ગયું છે. નદીમાં પાણીના વહેણને જોતાં દિલ્હીના વિભિન્ન સ્થાનો પર 74 મોટર બોટ અને 68 વિશેષ તાલીમ પામેલા તરવૈયાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.


આખરે કુરાન બાળવાનું અભિયાન મુલત્વી

અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ખ્રિસ્તી પાદરીએ કુરાનની નકલો બાળવાનું પોતાનું અભિયાન આખરે પડતું મુક્યું છે. ઉલ્લેખનીય છે કે ટેરી જોન્સ નામના આ પાદરીએ શરૂ કરેલા આ અભિયાનની દુનિયાભરમાં ટીકાઓ થઈ હતી તેમજ ખુદ અમેરિકન પ્રમુખે પણ તેનો વિરોધ કર્યો હતો.પોતાનો કાર્યક્રમ મુલત્વી રાખનારા પાદરી ટેરી જોન્સે ગુરૂવારના રોજ જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ ઝીરો (જ્યાં પહેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર હતા) ની નજીક ઈસ્લામિક કેન્દ્ર બનાવવા ઈચ્છનારા ઈસ્લામિક લીડરે સ્થળ બદલવાની તૈયારી બતાવતા તેણે કુરાન બાળવાનો કાર્યક્રમ રદ કર્યો હતો.જોકે, ટેરીના આ દાવા વિરૂદ્ધ દરખાસ્ત હેઠળ રહેલા ઈસ્લામિક સેન્ટર સાથે સંકળાયેલા ઈમામના નજીકના સુત્રોએ સમાચાર સંસ્થા રોઈટર્સને જણાવ્યું હતું કે ઈમામ આવા કોઈ સોદા માટે તૈયાર નથી તેમજ ઈસ્લામિક સેન્ટરનું સ્થળ બદલવવાનું નથી. ઈમામની નજીકના એક વ્યક્તિએ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, "આ બાબતે કોઈ સોદો થયો નથી. આ મુદ્દા પર ખ્રિસ્તી પાદરી સાથે કોઈ ચર્ચા પણ કરવામાં આવી નથી."50 લોકોના સમુહના લિડર જોન્સે 11 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકાની શાન સમા વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર પર થયેલા આતંકવાદી હુમલાની નવમી વરસીએ ઈસ્લામના પવિત્ર ગ્રંથ કુરાનને બાળવાની યોજના કરી હતી. જોકે, આ અંગે ટીવી ચેનલો પર પ્રકાશિત થયેલા તાજા અહેવાલો પ્રમાણે જોન્સે અન્ય લોકોને પણ કુરાન ન બાળવા જણાવ્યું હતું. જોન્સે એમ પણ કહ્યું હતું કે તે ન્યુયોર્ક જઈને ગ્રાઉન્ડ ઝીરો નજીક બનનારા ઈસ્લામિક સેન્ટરના પ્રમુખ ઈમામ ફૈઝલ અબ્દુલ રાઉફને મળશે તેમજ તેમના પ્રોજેક્ટનું સ્થળ બદલવા અંગે તેમની સાથે વાત કરશે.


'અમેરિકા કઈ ભારત પર ઉપકાર નથી કરી રહ્યુ'

અમેરિકાના ઓહાયોમાં ભારતીય આઈટી કંપનીઓ ઉપર લગાવવામાં આવેલા પ્રતિબંધ ઉપર ભારતીય કંપનીઓ, બિઝનેસ ચેમ્બર્સ અને સરકારે તીખી પ્રતિક્રિયા આપી છે. યૂપીએ સરકારના બે મંત્રિઓએ આ બાબતે પોતાની ગંભિર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર કમલનાથે કહ્યુ હતુ કે ભારતીય કંપનીઓ અને પ્રોફેશનલ દ્વારા જૉબ આઉટસોર્સ કરીને અમેરિકા કઈ ભારત ઉપર અહેસાન નથી કરી રહ્યુ. તેઓએ એમ પણ કહ્યુ હતુ કે ઓહાયોના આ પગલાથી ભારતીય કંપનીઓ અને પ્રોફેશનલ્સના ટેલેન્ટ ઉપર કોઈ જ ફર્ક નહી પડે.ત્યાજ કેન્દ્રીય વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રી આનંદ શર્માએ કહ્યુ હતુ કે આ બાબતે તેઓ અમેરિકા પાસે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરશે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં આ જ મહિનાની 21 તારીખે ભારત અને અમેરિકાના ઉદ્યોગ મંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય ટ્રેડ પૉલિસી ફોરમની મિટિંગ યોજાવાની છે.આનંદ શર્માએ કહ્યુ હતુ કે આ મિટિંગમાં તે ઓહાયોમાં ભારતીય આઈટી કંપનીઓ ઉપર લાદવામાં આવેલા પ્રતિબંધ ઉપર પ્રશ્નોતરી કરશે. ભારતીય આઈટી ઉદ્યોગના સંગઠન નેસકૉમે પણ ઓહાયો પ્રશાસનના આ પગલાને ભેદભાવપૂર્ણ બતાવ્યો છે.


પહેલા હત્યા કરી અને પછી આંગળીઓ કાપીને રાખી લીધી

અફઘાનિસ્તાનમાં સજ્જ પાંચ અમેરિકી સૈનિકો પર ત્યાંના ત્રણ સ્થાનિક નાગરિકોની હત્યા કરી ત્યાર બાદ ઈનામ રૂપે તેમની આંગળીઓ અને શરીરના અન્ય ભાગો કાપીને પોતાની પાસે રાખવાનો આરોપ લાગ્યો છે.‘સિએટલ ટાઇમ્સ’માં પ્રકાશિત એક અહેવાલ મુજબ અમેરિકી સૈનિકોએ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને મે મહિના દરમિયાન આ ઘટનાઓને અંજામ આપ્યો હતો. દોષી સાબિત થયેલા આ સૈનિકોને કોર્ટ માર્શલ અને આજીવાન કેદ અથવા તો ફાંસીની સજા થઈ શકે છે.આ સૈનિકો અફગાનિસ્તાનના કંધાર પ્રાંતમાં છેલ્લા 1 વર્ષથી સજ્જ હતા. આ સૈનિકો પર નશીલા દ્રવ્યોનું સેવન કરવાના, કાયદા ભંગના, માનવઅંગ રાખવાના તેમજ અંગત વપરાશ માટે મોર્ટારની ગોળીઓ રાખવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે.



પાકિસ્તાને પીઓકે ચીનને સોંપ્યું

પાકિસ્તાને પોતાના અધિકૃત કાશ્મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારને ચીનને સોંપી દીધું છે. અમેરિકી અખબાર ન્યુયોર્ક ટાઇમ્સમાં છપાયેલા એક રિપોર્ટમાં અમેરિકી વિશેષજ્ઞોએ જણાવ્યું છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર ચીન પોતાના પગ એવી રીતે જમાવી રહ્યું છે જાણે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર તેનું પોતાનું જ હોય.અખબારે એક રિપોર્ટમાં એ દાવો પણ કર્યો છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના આશરે 11,000 જવાનો આ વિસ્તારમાં છે. ચીન આ વિસ્તારોમાં પકડ એટલા માટે મજબૂત બનાવી રહ્યું છે જેથી તે ખાડીના દેશો સુધી બેરોકટોક સડક અને રેલવે રૂટ બનાવી શકે. એક અહેવાલ પ્રમાણે ચીનને ખાડીના દેશો સુધી તેલના ટેંકર પહોંચાડવા માટે 16થી 25 દિવસ જેટલો સમય લાગે છે, પરંતુ જો આ ખાડીના દેશો સીધા સડક અને રેલમાર્ગથી જોડાઈ જશે ત્યારે ચીનથી પાકિસ્તાનની નૌસેનાના બેઝ ગ્વાદર, પસની અને ઓરમારા ઉપરાંત અન્ય ખાડીના પ્રદેશોમાં માત્ર 48 કલાકમાં સાધન સરંજામ પહોંચાડી શકાય તેમ છે. એક રિપોર્ટ પ્રમાણે તો પાકિસ્તાની નૌસેનાના આ મથકો પણ ચીને જ બનાવ્યા છે.


હવે એરપોર્ટ પર ‘ન્યુડ’ ઈમેજ નહીં દેખાય!

ફ્લાઇટમાં જનારાઓએ હવે એરપોર્ટ પર શરમાવુ નહીં પડે. વિવાદિત ફૂલ બોડી સ્કેનરની પરેશાનીથી મુક્તિ મેળવવા માટેનો રસ્તો શોધી લેવાયો છે. આ સ્કેનરમાં હવે નગ્ન તસવીરોના બદલે જેનેરિક તસવીરો જોવા મળશે.આ તસવીરોમાં વ્યક્તિ ટી-શર્ટ, જીન્સ અને બેઝબોલ કેપ પહેરેલી જોવા મળશે. અમેરિકી ટ્રાન્સપોર્ટ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન ટૂંક સમયમાં જ અમેરિકી એરપોર્ટ્સ પર લગાવાયેલા સ્કેનરમાં એક નવું સોફ્ટવેર અપગ્રેડ કરવાનું છે, જેના કારણે આ શક્ય બનશે. આ સોફ્ટવેરનો વિકાસ એલ-3 કમ્યુનિકેશન્સ અને ઓએસઆઈ સિસ્ટમ્સ રેપિસ્કેને કર્યો છે.રેપિસ્કેને કાર્યકારી ઉપાધ્યક્ષ પીટર કાંટને કહ્યું છે કે આ નવા સોફ્ટવેરથી પ્રાઇવસીના કારણે સર્જાતી સમાસ્યાઓનું સમાધાન થશે. જો કે તેમણે એ નથી કહ્યું કે આ તસવીરો અને સૂચનાઓના કારણે તેની સાથે જોડાયેલા સવાલોનું સમાધાન થઈ શકશે કે નહીં. તેમણે વધુમાં ઉમેર્યું છે કે સ્કેનર્સમાં આ સોફ્ટવેરના વિતરણની કોઈ સમયસીમા બાંધવામાં આવી નથી.


કેવી રીતે કરશો કેવડાત્રીજની પૂજા ?

સ્ત્રીઓના તહેવારોમાં કેવડાત્રીજનુ વ્રત મુખ્ય છે. આ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે. તે દિવસે ત્રીજ હસ્તિ નક્ષત્ર યુક્ત હોય છે અને તે દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવા અને તેમના સૌભાગ્યની રક્ષા કરનારુ છે.દેશમાં લગભગ બધી જ જગ્યાએ આ વ્રત કરવામાં આવે છે. આ દિવસે શંકર અને પાર્વતીની શાસ્ત્રમાં બતાવેલ વિધિ મુજબ વિશેષ રૂપે પાર્થિવ પૂજા કરવામાં આવે છે. સ્ત્રીઓ આ દિવસે નિર્જળ ઉપવાસ કરે છે અને સાંજે વિધિપૂર્વક શિવ-પાર્વતીની પૂજા આરતી અને કેવડાત્રીજના વ્રતની કથા સાંભળે છે. તે શિવને પ્રાર્થના કરે છે કે મારો પતિ દીર્ધાયુ બને. મારો સુહાગ અમર રહે. રાત્રે પણ તે પાણી પણ પીતી નથી. વહેલી સવારે સ્નાન-પૂજા કરી સૂર્યોદય પછી તે પારણા કરે છે અને ઉપવાસ તોડે છે. કુંવારી છોકરીઓ આ વ્રત દ્વારા એવુ માંગે છે કે તેમનો ભાવિ પતિ સુંદર અને સુયોગ્ય હોય.ત્રીજના એક દિવસ પહેલા વિવાહિત સ્ત્રીઓ પોતાના હાથોમાં મહેંદી મુકે છે. આ પ્રસંગે ગવાતા ગીતો મધુર, ગુણયુક્ત અને મુખ્ય રીતે પતિ, સાસરિયું અને પિયરથી સંબંધિત હોય છે. આ ગીત વર્ષા સંબંધી પણ હોય છે.આ વ્રતનુ વર્ણન શિવ-પાર્વતીના સંવાદના રૂપમાં ભવિષ્ય-પુરાણના ઉત્તરભાગમાં મળે છે.


સંગાકારા બાદ દિલશાન પણ શકના ઘેરામાં

ફિક્સિંગ અંગે એકપછી એક ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યાં છે. તાજેતરમાં શ્રીલંકાના સુકાની કુમાર સંગાકારા પર આઇસીસીને શંકા હોવાનો અહેવાલ પ્રકાશિત થયા બાદ વધુ એક શ્રીલંકન ખેલાડી પર આઇસીસીને શંકા હોવાનું બહાર આવ્યું છે. આઇસીસીનું ભ્રષ્ટાચાર વિરોધી યૂનિટને શ્રીલંકાના ટોપ બેટ્સમેન તિલકરત્ને દિલશાનના બૂકીઓ સાથે કોન્ટેક્ટ હોવાની શંકા છે અને તેથી તેઓ દિલશાન પર નજર રાખી રહ્યાં છે.ડેઇલી મેલે આજે જણાવ્યું છે કે, ગયા વર્ષે લંડનના નાઇટક્લબમાં એક શંકમદ બૂકી સાથે જોવા મળેલા શ્રીલંકન ખેલાડી અંગે શ્રીલંકન ક્રિકેટ બોર્ડે એક રિપોર્ટ આઇસીસીના ભ્રષ્ટાચાર વિરોધી યૂનિટને આપ્યો છે. જેમાં તિલકરત્ને દિલશાનનું નામ જણાવવામાં આવ્યું છે.આ રિપોર્ટ શ્રીલંકન ટીમના મેનજર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. કુમાર સંગાકારા પર શંકા જાગ્યા બાદ તેનો સાથી ખેલાડી દિલશાન પણ ગયા વર્ષે ઇંગ્લેન્ડ ખાતે રમાયેલા ટી-20 વિશ્વકપ દરમિયાન બૂકી સાથે જોવા મળ્યો હતો. તેમ સમાચારપત્રે જણાવ્યું છે.2009માં ઇંગ્લેન્ડ ખાતે રમાયેલી ટી-20 વિશ્વકપ બાદથી આ ખેલાડી પર આઇસીસીની ચાપતી નજર છે. શ્રીલંકન પોલીસ દ્વારા દિલશાનની પૂછપરછ કરવામાં આવી હોવાની વાતને શ્રીલંકન ક્રિકેટ દ્વારા જાહેર પ્રકાશથી દૂર રાખવામાં આવી છે. શ્રીલંકન પોલીસ દ્વારા દિલશાન વિરુદ્ધ કોઇ ચાર્જ દાખલ કરવામાં આવ્યા ન હતા.s


'બદનામ મુન્ની'એ તો બિગ બીને પણ રોમાચિંત કરી દીધા

સલમાન ખાનની ફિલ્મ દબંગ કે જેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે. તેણે મેગા સ્ટાર અમિતાભ બચ્ચનને પણ રોમાચિંત કરી દીધા છે.બિગ બીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, ''સલમાનને તેની ફિલ્મ 'દબંગ'ની સફળતા માટે શુભેચ્છાઓ. ફિલ્મનાં પ્રોમો અને ગીત ''મુન્ની બદનામ.'' ઘણાં જ સુંદર છે. મને આ ગીત ઘણું જ પસંદ આવ્યુ છે.''જોકે સલમાન ટ્વિટર પર તેની બહેન અર્પિતા, ભાઈ અરબાઝ અને કો-સ્ટાર સોનાક્ષી સિવાય અન્ય કોઈને ફોલો કરતો નથી.પણ બચ્ચન ટ્વિટર પર સલમાનને ફોલો કરે છે. ઉલ્લેખનિય છે કે આ સ્ટાર્સે સાથે બાગબાન, બાબુલ અને ગોડ તુસ્સી ગ્રેટ હો ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે.દબંગ આજે રિલીઝ થઈ ગઈ છે. અને ફિલ્મને સારી એવી સફળતા મળવાની પણ આશા છે. ફિલ્મ યુકે, યુએસએ, ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ, ફિજી આઈલેન્ડ સિવાય જર્મનિ, હોલેન્ડ, બેલ્જીયમ, નોર્વે, ડેનમાર્ક, ઈજિપ્ત, ઝામ્બિયા, કેન્યા, નાઈજીરિયા, તાન્ઝાનિયા, યુગાંડા, ઘાના, માલાવી જેવા દેશોમાં પણ રિલીઝ થશે.


સ્કૂલગર્લ જ્યારે બની સુમો સ્ટાર

કોઈ 16 વર્ષની છોકરીનું વજન 147 કિલો જેટલું હોય તે માનવામાં આવે તેવું નથી, પણ આ સત્ય છે. જાપાનમાં સેમી નામની આ કિશોરીને અહીંની ટોપ સુમો સ્કૂલમાં એડમિશન મળી ગયું હતું, પણ સમયાંતરે સેમીને આ સ્કૂલ બહુ કપરી લાગવા લાગી કારણ કે સ્કૂલના નિયમ પ્રમાણે તેણે સવારે પાંચ વાગે ઊઠી જવું પડતું અને બીજા વિદ્યાર્થીઓ માટે નાસ્તો પણ બનાવવો પડતો હતો.આ પહેલા સેમી 2008માં એસ્ટોનિયામાં યોજાયેલી સુમો રેસલિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક પણ જીતી ચૂકી છે. સુમો સ્કૂલમાં બસ તેને આખો દિવસ ખવડાવવામાં જ આવતું હતું, જ્યાં સુધી તે ઈંડા અને માંસને પાંચ વાટકા પૂરા ન કરે ત્યાં સુધી તેના ટીચર તેને હલવા પણ નહોતા દેતા.સેમીએ દરરોજ દિવસમાં ત્રણ વખત 5500 કેલરીયુક્ત ખોરાક ખાવો પડતો હતો. સેમીનું વજન પહેલા કરતાં ઘણું વધી ગયું છે. જો કે સેમી આ ડાયેટથી જરા પણ ખુશ નથી. જ્યારે તેણે પોતાની તકલીફની વાત પિતા વોરેનને કરી ત્યારે તેઓ બહુ જ દુઃખી થઈ ગયા હતા કારણ કે અહીંયા આવ્યા બાદ સેમી બહુ જ નાખુશ દેખાતી હતી.


ત્રીજા ધોરણની વિદ્યાર્થિનીને બ્લુ ફિલ્મ દેખાડી

સરકારી શાળા શેરપુર કલાંની આઠમા ધોરણની વિદ્યાર્થિનીના દફતરમાંથી દારૂની બોટલ મળવાનો મામલો હજી લોકોની જીભ પર રમી રહ્યો છે, ત્યારે રામગઢ સીનિયર સેકન્ડરી શાળાની ત્રીજા ધોરણની વિદ્યાર્થિનીને અશ્લીલ ફિલ્મ બતાવાના મામલાએ ભારે ચર્ચા અને રોષ પેદા કર્યો છે.પોલીસે આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી મોબાઈલ ફોન કબ્જે કર્યો છે. ગત 24 ઓગસ્ટે રક્ષાબંધનના અવસરે શાળામાં રજા રાખવામાં આવી હતી. પરંતુ તેની જાણ ન હોવાથી ગામની જ એક ત્રીજા ધોરણની વિદ્યાર્થિની શાળાએ પહોંચી ગઈ હતી. તે સમયે કોઈ અન્ય વિદ્યાર્થી કે શિક્ષક શાળાએ ન હતા. શાળાની પાસેથી પસાર થઈ રહેલા એક 34 વર્ષીય વ્યક્તિએ વિદ્યાર્થિનીને એકલી જોતા તેની આવ્યો અને તેને રસોડામાં લઈ ગયો હતો. ત્યાં આ વ્યક્તિએ વિદ્યાર્થિનીને મોબાઈલમાં અશ્લીલ વીડિયો દેખાડીને અશ્લીલ હરકતો કરી હતી.વિદ્યાર્થિની કોઈ રીતે ત્યાંથી ભાગી નીકળી અને તેની જાણકારી આસપાસના લોકોને આપી હતી. લોકોના ભેગા થવાથી મામલો સમજૂતી માટે પ્રતિષ્ઠિત લોકો પાસે પહોંચી ગયો. પરંતુ યુવતીની માતાએ સિધવાં બેટ પોલીસ સ્ટેશનમાં પોલીસને મામલાની જાણકારી આપી હતી. પોલીસે તપાસ બાદ મનસીહા ભાઈ નિવાસી ગામના જગસીર સિંહ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. સિધવાં બેટના એએસઆઈ નિર્મલ સિંહે જણાવ્યું હતું કે આરોપીને કાબૂમાં કરીને તેનો મોબાઈલ કબ્જે કરવામાં આવ્યો હતો.


ઝારખંડ : 10મું વર્ષ, 8મી સરકાર

કેન્દ્ર સરકારની કેબિનેટે ઝારખંડમાં રાષ્ટ્રપતિ શાસનને દુર કરવાને મંજૂરી આપી દીધી છે. જેના કારણે રાજ્યમાં ભાજપ અને ઝારખંડ મુક્તિ મોરચાની યુતિ સરકારની રચનાનો માર્ગ મોકળો થઈ ગયો છે.રાજ્યપાલ ફારૂક દ્વારા કેન્દ્ર સરકારના ગૃહ વિભાગને એક પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસનને દુર કરવાની ભલામણ કરવામાં આવી હતી. વધુમાં તેમણે અર્જુન મૂંડાને ટેકો આપી રહેલા ધારાસભ્યોની યાદી પણ મોકલી હતી. મળતી માહિતી પ્રમાણે, અર્જુન મૂંડા સરકાર શનિવારે શપથ લેશે. આ માટે અર્જુન મૂંડાને ઔપચારિક આમંત્રણ પ ણ મોકલી દેવામાં આવ્યું છે. તેમણે સાત દિવસની અંદર બહુમતિ પૂરવાર કરવાની રહેશે.જોકે, રાજકીય પંડીતોના કહેવા પ્રમાણે, આ જોડાણ તકવાદી હોવાના કારણે કેટલું ટકશે તે અંગે શંકા છે. કારણકે, ગુરૂજી શિબુ સોરેન તેમના પુત્રને મુખ્યપ્રધાન બનાવવા માગે છે અથવા તો ખુદ મુખ્યપ્રધાન પદ પર રહેવા માગે છે. જેના કારણે, તેઓ ગમે ત્યારે અન્ય પક્ષના સમર્થનમાં ખસી શકે છે. વળી, ઝામુમોના વિધાનસભ્યોમાં અનેક ધારસભ્ય પ્રધાન બનવા માગે છે. આથી પક્ષમાં આંતરિક બળવો પણ થઈ શકે છે.ઉલ્લેખનીય છેકે, આ પહેલા શિબુ સોરેન ભાજપ-ઝામુમો યુતિ સરકારના મુખ્યપ્રધાન હતા. પરંતુ. લોકસભામાં મતદાન સમયે તેમણે યુપીએના સમર્થનમાં મતદાન કરતા ભાજપે ટેકો પાછો ખેંચી લીધો હતો



સ્પોટ ફિક્સિંગઃ વહાબની પૂછપરછ થશે

સ્પોટ ફિક્સિંગમાં ત્રણ પાકિસ્તાની ખેલાડીઓની પૂછપરછ કરાયા બાદ તપાસ ચલાવી રહેલી સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ દ્વારા ચોથા પાકિસ્તાની ક્રિકેટરની પૂછપરછ કરવાની છે. સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે પાકિસ્તાનના મીડિયમ પેસર વહાબ રિયાઝને પાકિસ્તાન-ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં સ્પોટ ફિક્સિંગ મામલે તપાસ પ્રક્રિયામાં સમાવ્યો છે. અને આગામી સપ્તાહમાં પોલીસ સમક્ષ પૂછપરછ અર્થે હાજર થવા ફરમાન કરાયું છે.આ ઉપરાંત સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલને ઇંગ્લેન્ડ અને પોકિસ્તાન વચ્ચે લોર્ડ્સ ટેસ્ટમાં સ્પોટ ફિક્સિંગ અંગે તપાસ કરતા અટકાવ્યું છે. એક પત્રમાં સ્કોટલેન્ડે આઇસીસીને કહ્યું કે, એક જ મામલામાં બે સમાંતર તપાસ પ્રક્રિયાથી મુશ્કેલીઓ આવી રહી છે. અને તેથી આઇસીસી હાલ પુરતી પોતાની તપાસ પ્રક્રિયા રોકી દે.ધ ન્યૂઝ ઓફ વર્લ્ડ દ્વારા લોર્ડ્સમાં રમેયાલી ઇંગ્લેન્ડ પાકિસ્તાન વચ્ચેની ચોથી ટેસ્ટ દરમિયાન સ્પોટ ફિક્સિંગ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યા બાદ ચર્ચા થઇ રહી હતી કે પાકિસ્તાનના સાત ખેલાડીઓ શંકાના ઘેરામાં છે. અખબારે દાવો કર્યો હતો કે તેઓએ બૂકી મઝહર મજીદને દોઢલાખ પાઉન્ડ આપીને લોર્ડ્સ મેચમાં પાકિસ્તાની ખેલાડીઓ દ્વારા ફેંકવામાં આવેલી નો-બોલ અંગે જાણકારી મેળવી હતી.


શાર્કના પેટમાંથી મળ્યા માનવ અંગ

તાજેતરમાં બ્રિટનના માછીમારો એક શાર્કને જોઇને આશ્ચર્ય ચકિત થઈ ગયા. માછીમારોએ પકડેલી આ શાર્કના પેટમાંથી માથા સિવાયના માનવીય અવશેષો નીકળ્યા હતા. માછીમારો જ્યારે બહામસના કિનારે આ 12 ફૂટ લાંબી શાર્કને ખેંચીને લાવ્યા તો તેના આરી જેવા દાંતમાં માનવીના પગ ચોંટેલા હતા. માછીમારો ત્યારબાદ આ માછલીને નૌસેના પાસે લઈ ગયા હતા.જ્યારે આ માછલીને કાપવામાં આવી ત્યારે તેના પેટમાંથી બે પગ, બે હાથ અને ધડના અવશેષો પણ મળ્યા હતા. પોલીસ અત્યારે એ શોધખોળમાં પડી છે કે ખરેખર આ શબ કોનું હશે. આ માટે અહીંના ગુમ થયેલા લોકોનું લિસ્ટ ચકાસવામાં આવી રહ્યું છે. જો કે વિશ્ષજ્ઞોનું એવું માનવું છે કે સામાન્ય રીતે આવી ટાઇગર શાર્ક કોઈ માણસ પર હુમલો નથી કરતી.


શાહના કેસમાં તારીખ પે તારીખનો ઘાટ સર્જાયો

પૂર્વ કાયદા તથા ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની જેલમાંથી મુક્તિ પર ગ્રહણ લાગ્યુ હોય તેમ જામીન અરજીની સુનાવણીમાં તારીખ પર તારીખ પડી રહી છે. શાહના જામીન અરજીની સુનાવણીમાં અગાઉ બંને પક્ષના સિનિયર વકીલો હાજર ન રહેતાં ત્રણ વખત મુદ્દત પડી હતી.જ્યારે ગુરુવારે બંને પક્ષના વકીલો હાજર હતા પરંતુ સીબીઆઇ સેશન્સ જજ પી.પી. ભટ્ટ નાદુરસ્ત તબિયતના કારણે રજા પર હોવાથી સુનાવણી હાથ ધરી શકાઈ નહોતી. આથી બન્ને પક્ષે વકીલોએ મળીને જામીન અરજીની સુનાવણી માટે ૧૬મી સપ્ટેમ્બર નક્કી કરી હતી. આમ શાહનો જેલવાસ ફરી એક અઠવાડિયું લંબાઈ ગયો છે.દેશભરમાં ચર્ચાનો વિષય બની રહેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રકરણમાં તપાસ કરી રહેલી સીબીઆઇએ ગુજરાતના માજી ગૃહ તથા કાયદા રાજ્યમંત્રી અમિત શાહની ધરપકડ કરી હતી. તેમને કોર્ટના આદેશથી તપાસ માટે સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા છે. ધરપકડ બાદ અમિત શાહે જામીન માટે અરજી કરી હતી.

09 September 2010

હજી બે દિવસ મેઘ બોલાવશે ધબધબાટી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


હજી બે દિવસ મેઘ બોલાવશે ધબધબાટી

સુરત શહેરમાં મંગળવારે સવારથી શરૂ થયેલો વરસાદ બુધવારે પણ લગભગ અવિરત વરસ્યો હતો. મંગળવારે સવારે ૬ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં માત્ર ૧.૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, તો બુધવારે દિવસ દરમિયાન માત્ર ૧ ઇંચ પાણી નોંધાયું હતું. સાથે જ રાત્રિ દરમિયાન અડધો ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આમ, છેલ્લા ૩૬ કલાક દરમિયાન માત્ર ૩ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દરમિયાન હવામાન ખાતાની આગાહી તથા ઇનસેટ સેટેલાઇટની ઇમેજ જોતાં આવતા ૪૮ કલાક દરમિયાન ભારે વરસાદ વરસવાની શક્યતા છે.પર્યાવરણ વિશેષજ્ઞોએ આપેલા અભિપ્રાયના આધારે ગત ૨ સપ્ટેમ્બરના રોજ આગાહી કરી હતી કે આગામી પાંચેક દિવસમાં પૂર્વભારતમાં બંગાળની ખાડી પર તૈયાર થયેલી સિસ્ટમ આખા દક્ષિણ ગુજરાતમાં વ્યાપક વરસાદ લાવશે. હાલમાં ૭ તથા ૮ સપ્ટેમ્બરના રોજ આખા દક્ષિણ ગુજરાતમાં પડેલો અવિરત વરસાદ આ આગાહીને સમર્થન આપનારો સાબિત થયો છે.


અમદાવાદ, વડોદરા અને સુરતમાં મેઘરાજાનું રૌદ્રરૂપ

આજે સવારથીજ અમદાવાદ, સુરત અને વડોદરામાં વીજળીના કડાકા સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી દીધી હતી, સવારે જ ભારે વરસાદ તૂટી પડતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. વહેલી સવારે જ કામ ધંધે જવા નીકળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.ચાલુ વર્ષે મેઘરાજાએ સત્તાવાર ચોમાસા કરતાં પણ વહેલી એન્ટ્રી કરી દેતાં રાજ્યભરના લોકો ખુશખુશાલ થઇ ગયા હતા. પરંતુ ત્યાર બાદ ઘણા લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર બીજી ઇનીંગ શરૂ કરી દેતાં રાજ્યભરમાં સારોએવો વરસાદ નોંધયો હતો જે મેઘમહેર હજુ સુધી યથાવત છે.અમદાવાદ શહેર સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચાલુ વર્ષે લગભગ સો ટકા જેટલો વરસાદ થઇ ગયો છે. અને હજુ પર નિયમીત વરસાદ વરસતો હોવાથી ખેડુતોમાં ખુશી જોવા મળે છે.સારા વરસાદનને લીધે મોટાભાગના સરોવર, તળાવો તથા ડેમ અને ચેક ડેમ પાણીથી ભરાઇ જતાં વર્ષ દરમિયાન પાણીની સમસ્યા થવાની શક્યતા પણ ઘટી છે.છેલ્લા ચારેક દિવસથી રોજ શહેરમાં વરસાદ પડતાં સહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.તેમાય વળી આજે સવારથીજ વરસાદની શરૂઆત થઇ ગઇ હતી. સવારે સાતેક વાગ્યેજ એકાએક વીજળીના કડાકા શરૂ થઇ ગયા હતા અને ત્યારબાદ વરસાદ તુટી પડ્યો હતો.


રાજ્યમાં સાર્વત્રિક વરસાદ : કપરાડામાં ૭ ઇંચ

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદ થયો છે. અમદાવાદ શહેરમાં પણ મોડી રાત્રે વરસાદના જોરદાર ઝાપટાં અને વીજળીઓના ચમકારા વચ્ચે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. રાજ્યમાં આવતીકાલે પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ડેમોમાં પણ પાણી ભયજનક સપાટીની નજીક પહોંચ્યું છે.વલસાડ જિલ્લામાં સૌથી વધારે કપરાડામાં સાડા સાત ઇંચ, ધરમપુરમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લાના કામરેજમાં ૧૧૭ મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે. શહેરના આસપાસના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વાહનવ્યવહારને પણ અસર થઇ છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં ગોંડલમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકયો હતો. ગોંડલ નજીક વોરા કોટડા રોડ પરની ગોંડલી નદીના પુલ પરથી બાઇક પર ત્રપિલ સવારીમાં જઈ રહેલા પિતા રસિકભાઈ, પુત્રી નયના અને પિતરાઈ મુન્ના તણાયાં હતાં, જેમાં પિતાનો આબાદ બચાવ થયો હતો જ્યારે પુત્રી અને પિતરાઈ લાપતા બન્યા છે.ઉપરાંત અમરેલીમાં બે ઇંચ, જાફરાબાદ અને સાવરકુંડલામાં સવા બે ઇંચ, સુરેન્દ્રનગરના ચુડામાં એક ઇંચ, ભાવનગરમાં ત્રણ ઇંચ, તળાજામાં અઢી ઇંચ, જૂનાગઢના માંગરોલમાં સાડા ચાર ઇંચ, વંથલી અને મેંડરડામાં અઢી ઇંચ, રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટામાં બે ઇંચ, વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાત અને મધ્યમાં અમદાવાદ જિલ્લાના સાણંદમાં સાડા ત્રણ ઇંચ, ગાંધીનગરના માણસામાં દોઢ ઇંચ, બનાસકાંઠા અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારમાં પણ દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.


ભારત સામેના કાવતરામાં નેપાળ પણ ચીન સાથે

ભારતના પાડોશી દેશોમાં ચીનનો દબદબો એ હદે વધી રહ્યો છે કે નેપાળ તિબેટિયન શરણાર્થીઓને પકડીને ચીની અધિકારીઓને સોંપી રહ્યું છે. કાઠમંડુ ખાતેની તિબેટિયન એજન્સીઓએ ભારતીય દૂતાવાસને આ બાબતે જાણકારી આપી છે, પણ અત્યારે ભારત સરકાર અધિકૃત રીતે આ મામલાને નેપાળ સમક્ષ મૂકી રહ્યું નથી.નેપાળ જૂન મહિનાથી ભારતમાં પ્રવેશ કરી રહેલા તિબેટિયન શરણાર્થીઓને પકડીને ચીનને સોંપી રહ્યું છે. ભારતના અધિકારીઓ પણ કહી રહ્યા છે કે આ ચીનના દબાણનો જ એક નમૂનો છે. કાઠમંડુ તિબ્બતી શરણાર્થી કલ્યાણ કાર્યાલયના સચિવ ત્રિનલે ગિયાત્સોએ એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે કાઠમંડુ ખાતેના ભારતીય દૂતાવાસ અને અન્ય દૂતાવાસોને પણ આ વિશેની જાણકારી છે. જો કે સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી ઉચ્ચઆયોગ તેમની મદદ કરી રહ્યું છે. આવો જ કિસ્સો 2003માં પણ સામે આવ્યો હતો, પરંતુ તેનો ઉકેલ આવી ગયો હતો, પરંતુ જૂન મહિનાથી ફરી પાછી એ જ પરિસ્થિતિનું સર્જન થયું છે.


ચાર વર્ષ પછી ભારતમાં કારો જ કારો હશે

ભારતમાં કારોનો ક્રેજ દિવસેને દિવસે વધતો જ જઈ રહ્યો છે. ભારતના લોકો કારોના એટલા દિવાના છે કે જેનો અંદાજ તમે કારોના ખુબ જ ઝડપથી વધતા જતા વેચાણ ઉપરથી લગાવી શકો છો. રેટિંગ એજન્સી ક્રિસિલની મતાનુસાર વર્ષ 2014-15 સુધીમાં ભારતના 11.7 કરોડ પરિવારો પાસે કાર હશે.ક્રિસિલ રિસર્ચના ડાયરેક્ટર નાગરાજન નરસિંહને આ રિપોર્ટને પ્રકાશિત કરતા જણાવ્યુ હતુ કે દેશનો ઑટોમોબાઇલ ઉદ્યોગ આવતા ટૂંક સમયમાં જ 17 થી 19 ટકાના દરે વિકાસ કરશે. અત્યારે દેશમાં ઑટો ઉદ્યોગ 2.4 ટ્રિલ્યન રૂપિયાનો છે. અને વર્ષ 2014-15માં આ વધીને 4.2 ટ્રિલ્યન રૂપિયા થઈ જશે.પરંતુ આ આંકડાઓ છત્તા દેશમાં પ્રત્યેક હજાર લોકો ઉપર માત્ર 17 જ કારો હશે. એટલે કે કાર કંપનિયોને વધારેમાં વધારે ગ્રાહકોને આકર્ષિત કરવાનો અવસર મળશે. ક્રિસિલની રિપોર્ટ પ્રમાણે વર્ષ 2009માં યુરોપીય સંઘમાં પ્રત્યેક હજાર લોકો ઉપર કારોની સંખ્યા 604 હતી. જ્યારે અમેરિકામાં આ સંખ્યા 440 હતી.


પાકિસ્તાનમાં વસતાં હિન્દુઓનો શો વાંક?

પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે હિન્દુ પૌરાણિક પાત્રો પર આધારિત ચિત્રો અને ફિલ્મોના પ્રકાશન અને પ્રસારણ પર પ્રતિબંધ લાદી દીધો છે. અહીંયા રહેતા હિન્દુ વર્ગ માટે હિન્દુ પૌરાણિક ફિલ્મો ખૂબ અગત્યતા ધરાવે છે, કારણ કે હિન્દુ ધર્મ પર આધારિત ફિલ્મો અને કાર્ટૂન ચલચિત્રોનું પ્રસારણ ખૂબ ઓછું થાય છે. સિંધ પ્રાંતમાં તો આ પ્રતિબંધ પહેલેથી અમલમાં છે જ, હવે પાકિસ્તાનમાંના પંજાબ પ્રાંતમાં પણ આ પ્રતિબંધ અમલી બનાવ્યો છે.હજુ આ પ્રતિબંધ ની સત્તાવાર જાહેરાત કરાઈ નથી, પરંતુ તેનો અમલ શરૂ કરાઈ ચૂક્યો છે. ભારતીય ચેનલો પણ અહીંના અમુક વિસ્તારોમાં હજુ ચાલે છે, પરંતુ ટૂંક સમયમાં ભારતીય ચેનલોનું પ્રસારણ પણ સંપૂર્ણ પાકિસ્તાનમાં બંધ થઈ જશે.આ પહેલા પણ એક વખત 20 દિવસ માટે હિન્દુ પૌરાણિક પાત્રો પર આધારિત ફિલ્મો અને ચિત્રો પ્રસારિત કરવા પર પ્રતિબંધ મૂકાયો હતો, જેનું અહીંના કેબલ ઓપરેટરોએ સંપૂર્ણપણે પાલન કર્યું હતું. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કડકપણે એ તપાસ ચાલી રહી છે કે હિન્દુ શાસ્ત્ર કે પૌરાણિક પાત્રોને લગતી સીડી પણ ત્યાં ન વેચાય. પાકિસ્તાન હિન્દુ કાઉન્સિલના હરી મોટવાણીએ ટિપ્પણી કરી છે કે પાકિસ્તાન સરકારે આવા વાહિયાત મુદ્દા પર ધ્યાન આપવું ન જોઇએ.


વંથલી અને ગોંડલમાં બે મકાન ધરાશાયી

સૌરાષ્ટ્રમાં-વરસાદના કારણે મકાન પડી જવાની વધુ બે દુર્ઘટનામાં વંથલીના જાયોદર ગામમાં પ્રૌઢનું અને ગોંડલમાં વૃધ્ધાનુ મૃત્યુ નિપજ્યું હતું.પ્રાપ્ત વિગત મુજબ, જાયોદર ગામે આજે વ્હેલી સવારે વરસાદના કારણે જૂનું મકાન પત્તાના મહેલની જેમ ઢગલો થઇ જતા મનસુખભાઇ સવદાસભાઇ ડઢાણિયા (ઉ.વ.પ૮) કાટમાઇ હેઠળ દબાઇ ગયા હતા. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા મનસુખભાઇનું મોત નિપજ્યું હતુ. જ્યારે તેમના પત્નીનો બચાવ થયો હતો. મનસુખભાઇના સંતાન રાજકોટ રહે છે.મકાન પડી જવાની બીજી દુર્ઘટનામાં ગોંડલના ભગવતપરામાં જર્જરીત મકાન ધરાશાયી થઇ જતાં દયાબેન બચુભાઇ કોળી (ઉ.વ.૬પ) નું કાટમાળ હેઠળ દટાઇ જવાથી મુત્યુ નિપજ્યું હતું.



ત્રણમાંથી એક ભારતીય ‘ભ્રષ્ટાચારી’: સિંહા

દેશમાં ભ્રષ્ટાચાર પર બાજનજર રાખતા ચીફ વિજિલન્સ કમિશનર (સીવીસી) તરીકે આ સપ્તાહે જ નિવૃત્ત થયેલા પ્રત્યુશ સિંહાએ કહ્યું છે કે પ્રત્યેક ત્રણ પૈકી એક ભારતીય ‘તદ્દન ભ્રષ્ટાચારી’ છે અને ૫૦ ટકા લોકો ભ્રષ્ટાચારી બનવાની તૈયારીમાં છે. તેમણે ભ્રષ્ટાચારની સમસ્યા માટે વધી રહેલી સંપત્તિ જવાબદાર હોવાનું કહ્યું હતું.સિંહાએ કહ્યું કે તેમની અપયશ અપાવતી નોકરીની સૌથી ખરાબ બાબત એ હતી કે લોકો વધુ ને વધુ ભૌતિકવાદી બની રહ્યા છે તેને કારણે ભ્રષ્ટાચાર કઈ રીતે ફૂલીફાલી રહ્યો છે તેનું તેમને નિરીક્ષણ કરવાનું હતું. જુના દિવસો યાદ કરતા તેમણે કહ્યું કે ‘અમે જ્યારે યુવાન અવસ્થામાં હતા ત્યારે જો કોઈ ભ્રષ્ટાચાર આચરે તો તેનું મોઢું નીચું રહેતું હતું. સામાજિક શરમ જેવું કંઈક તેને લાગુ પડતું હતું પણ હવે તે રહ્યું નથી. આમ ભ્રષ્ટાચારને વ્યાપાક સામાજિક સ્વીકૃતિ મળી ગઈ છે.’


સોહરાબુદ્દીન અને હરેન પંડ્યા કાંડ સાથે નક્સલી કનેક્શન

ગીથા જોહરીએ સુપ્રીમમાં દાખલ કરેલી પિટિશનમાં એક સમયે નક્સલી રહી ચૂકેલા નઈમુદ્દીન ઉર્ફે કલીમુદ્દીન હરેન પંડ્યા હત્યાકેસનો પણ આરોપી હોવાનો ઘટસ્ફોટ કરતાં સીબીઆઇએ હવે સોહરાબુદ્દીનને નક્સલી પ્રવૃત્તિ સાથે કોઈ સંબંધ હતા કે નહીં તે અંગે તપાસ હાથ ધરી છે.નઈમુદ્દીન ભોંગીર પાછળથી પોલીસ ઇન્ફોર્મર બની ગયો હતો અને તેથી આંધ્રપ્રદેશ પોલીસ હાલ ફરાર નઈમુદ્દીનના પરિવારને રક્ષણ આપી રહી છે. આવી સ્થિતિમાં હરેન પંડ્યા હત્યાકેસ, સોહરાબુદ્દીન અને નઈમુદ્દીન વચ્ચેના સંબંધો અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટરની કડીઓ પરસ્પર જોડાયેલી છે કે નહીં તે હાલમાં આંધ્રપ્રદેશ પહોંચેલી સીબીઆઇ ટીમ માટે તપાસનો વિષય છે.હરેન પંડ્યા હત્યાકેસમાં શરૂઆતના તબક્કે ક્રાઇમબ્રાન્ચે કરેલી તપાસની લાઇન પર જ આગળ વધતાં સીબીઆઇએ રજુ કરેલી ચાર્જશીટમાં નઈમુદ્દીન ઉર્ફે કલીમુદ્દીનને ૧૬ નંબરનો ફરાર આરોપી દર્શાવ્યો છે. આવા સંજોગોમાં નવેમ્બર ૨૦૦૫માં પત્ની કૌસરબી સાથે સોહરાબુદ્દીન ખરેખર ઇદે મળવા માટે નઈમુદ્દીનના ઘરે હૈદરાબાદ ગયો હતો કે પછી તેની પાછળ કોઈ બીજો આશય હતો.તે સવાલ સીબીઆઇને મૂંઝવી રહ્યો છે.ચર્ચા એવી પણ છે કે અગમ્ય કારણસર નઈમુદ્દીન અને સોહરાબુદ્દીન વચ્ચે મતભેદો સર્જાયા હતા. એવી ચર્ચા છે કે નઈમુદ્દીન સોહરાબુદ્દીન અને તેના ( નઈમુદ્દીન) પરિવારના એક સભ્ય વચ્ચેના સંબંધોને લઈને નારાજ હતો. શું તે નારાજગી દૂર કરવા માટે સોહરાબુદ્દીન નઈમુદ્દીન સાથે ઈદે મળવા ગયો હતો. જો કે આ વાત હાલમાં સીબીઆઇના રેકોર્ડ પર આવી નથી.


અજાણી વ્યક્તિએ અક્ષયને કારમાં ખેંચી લીધો

છેલ્લાં કેટલાંક દિવસોથી અક્ષય કુમારે ઘણી જ વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. અક્ષય કુમાર જન્માષ્ટમીએ એક દહીંહાડી કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યો હતો. જો કે આ સમયે સુરક્ષા સઘન હતી. પરંતુ સુરક્ષાકર્મીઓ આટલી બધી ભીડને કાબૂમાં કરી શક્યા નહોતા.સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાંડી ફોડ્યા પછી સુરક્ષાકર્મી અક્ષયને કાર તરફ લઈ જઈ રહ્યા હતા ત્યારે ત્યાં ભીડ જમા થઈ ગઈ હતી અને અક્કીને જોઈને હાથ મિલાવવા માટે તેની તરફ આગળ વધતી હતી. આ સમયે અક્ષય ચાહકોની વચ્ચે ફસાઈ ગયો હતો.સુરક્ષા કર્મીઓ અક્ષયને સહીસલામત ભીડમાંથી બહાર કાઢે તે પહેલા જ એક કાર આવી અને તેમાં બેઠેલી એક અજાણી વ્યક્તિએ અક્ષયનો હાથ પકડીને પોતાની કારમાં ખેંચી લીધો હતો.આ વ્યક્તિ પણ અક્ષયનો પ્રશંસક હતો. તે અક્ષયને હેમખેમ રીતે કાર સુધી પહોંચડવા માંગતી હતી.ક્ષયે આ વ્યક્તિનો ઘણો જ આભાર માન્યો અને પરિવાર સાથે ફિલ્મના સેટ પર આવવાનું આમંત્રણ આપી દીધું હતું.


મારૂતિનો ધમાકો...રૂ. 1.50 લાખની કાર

ભારતીય કાર બજારની સૌથી મોટી ઑટો કંપની મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિ. ટૂંક સમયમાં જ ધમાકો કરવા જઈ રહી છે.વાસ્તવમાં કંપની ટૂંક સમયમાં પોતાની નાની કાર 'સર્વો'ને લૉન્ચ કરવાની છે. જેની કિંમત છે 1.5થી 2 લાખની વચ્ચે જ હશે. સર્વોને આ વર્ષના અંત સુધીમાં ભારતમાં લૉન્ચ કરી દેવામાં આવશે.મારૂતિની આ નવી કાર ટાટા મોટર્સની લાખટકિયા 'નેનો' ને મોટી ટક્કર આપશે. જોકે કિંમતની બાબતમાં તે નેનોથી થોડી મોંઘી જરૂર છે પણ જાણકારોનુ કહેવુ છે કે તેના ફિચર્સ નેનોની સરખામણીમાં ખાસ્સા આકર્ષિત હશે.પોતાની આ નવી કાર દ્વારા મારૂતિ દેશની પહેલી ઇકોનૉમિક કાર મારૂકિ-800ની અછતને પણ પૂરી કરશે, જેનુ વેચાણ કેટલાય શહેરોમાં બંધ થઈ ગયુ છે. માનવામાં આવી રહ્યુ છે કે સર્વોમાં 660 સીસીનુ એન્જીન લગાડવામાં આવ્યુ હશે.


તો તો કેટ-સલ્લુ હાલમાં પણ એક છે

હાલમાં તેમનાં સંબંધોને લઈને બોલિવૂડની સૌથી વધુ ચર્ચામાં રહેલી જોડી સલમાન ખાન અને કેટરિના કૈફ પોતે જ તેમનાં સંબંધો બાબતે કન્ફ્યુઝ છે તેનાં કરતાં વધુ તેમનાં ચાહકો તેમનાં સંબંધો વિશે ગુંચવાયેલાં છે. તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તો જાણે આ જ એક ચર્ચાનો વિષય હોય તેવું લાગે છે.ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં સુત્રોનું માનીયે તો બન્ને હાલમાં પણ એકબીજાથી ઘણાં નજીક છે પણ તેઓ મીડિયા આગળ અલગ હોવાનો ડોળ કરી રહ્યાં છે.છેલ્લે પણ દબંગની સ્ક્રિનીંગ સમયે ભલે કેટરિના ફિલ્મ જોવા ગઈ નહોતી પણ ત્યાં તે ફરાહ, અક્ષય અને સલમાન ખુશી ખુશી વાતો કરતાં નજર આવ્યાં હતાં.તેમજ એક રિપોર્ટ પ્રમાણે આ જોડીએ પ્રિમીયર બાદ સાથે ડિનર પણ લીધુ હતું. આશા રાખીયે બન્ને વચ્ચેની ગેરસમજણ આ ડિનર દરમિયાન ક્લિયર થઈ ગઈ હોય અને તેઓ પાછા એક થઈ જાય.


જો પાકિસ્તાન જઇશ તો તે લોકો મને મારી નાંખશે’

સ્પોટ ફિક્સિંગમાં ફસાયેલા પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ આસિફને હવે માદરે વતન જતા ડર લાગે છે. પહેલા ડોપિંગ અને હવે ફિક્સિંગમાં ફસાયેલા આસિફ પાકિસ્તાનની ક્રિકેટ પ્રેમી જનતા ગુસ્સે ભરાઇ છે. જેનાથી આસિફ ડરી ગયો છે. અને તેણે બ્રિટિશ સરકારને આસરો આપવા વિનંતિ કરી છે.નોંધનીય છે કે, મેચ ફિક્સિંગના કારણે વિશ્વભરમાં પાકિસ્તાનની થયેલી બદનામી બાદ ક્રિકેટ પ્રશંસકો ભડક્યા છે. આસિફને ભય છે કે, ઘરે પરત ફર્યા બાદ સ્થાનિક જનતાની સાથોસાથ સ્થાનિક સમૂહો તરફથી તેને જાનનો ખતરો છે.મલિક એન્ડ મલિક નામની કંપનીના વકિલે આસિફ સાથે વાતચીત કર્યા બાદ ધ ટેલિગ્રાફના હવાલાથી કહ્યું હતું કે, મને લાગે છે કે, તે પાકિસ્તાનની જનતાની પ્રતિક્રિયાથી ચિંતિત છે. પાકિસ્તાનમાં સક્રિય ગુપ્ત સટ્ટોડિયાથી આસિફ ભયભિત થયો છે.આસિફે કહ્યું કે, તે સ્કોટલેન્ડ યાર્ડ અને આઇસીસીની તપાસ પુરી થાય તેની રાહ જોવા માગે છે. અને ત્યાર બાદ જ તે પાકિસ્તાન પરત ફરવાનો નિર્ણય લેશે. જો આસિફ મેચ ફિક્સિંગમાં દોષી પુરવાર થાય તો તેણે આઇસીસી તરફથી આજીવન પ્રતિબંધ અને પોલીસ તરફથી જેલની સજા થઇ શકે છે.


મચ્છરો વર્ષે ચૂસી જાય છે શહેરના ૩૦ કરોડ!

મચ્છરો દર વર્ષે શહેરના રૂ. ૩૦ કરોડ રૂપિયા ખાઇ જાય છે, તેમાં મેલેરિયાથી પીડાતા લોકોએ કરેલા ખર્ચ ઉપરાંત તેને અટકાવવા કરાતા સરકારી ખર્ચનો પણ સમાવેશ થાય છે, તેમ તાજેતરમાં જ સુરતમાં મેલેરિયા અંગે કરાયેલા સંશોધનમાં જાણવા મળ્યું હતું.સંશોધનમાં જણાયું છે કે વર્ષ ૨૦૦૭-૦૮માં શહેરમાં નોંધાયેલા મેલેરિયાના દર્દીઓની કુલ સંખ્યા ૩૨,૬૯૩ હતી. આ દર્દીઓએ સારવાર પાછળ કરેલા ખર્ચ અને તેમણે બીમારીના દિવસો દરમિયાન ગુમાવેલી આવક સહિતનો આંક રૂ. ૧૨,૭૬, ૯૮,૮૫૮ મુકાયો હતો. બીજી બાજુ તે વર્ષે સુરત મહાનગરપાલિકાના મેલેરિયા નિયંત્રણ વિભાગનું કુલ બજેટ રૂ. ૧૬,૭૯,૮૩,૩૪૯ કરોડ હતું. આમ, આ બન્ને ખર્ચાઓનો સરવાળો કરીએ તો તે રૂ. ૨૯,૫૬,૮૨,૨૦૭ કરોડ સુધી પહોંચે છે.આ સંશોધન સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનના આસિસ્ટન્ટ જંતુનાશક અધિકારી ગાયત્રી ઘીવાલા દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગના માજી વડા ડૉ. મીનુ પરબિયા અને એમ.એચ.આર.ડી. વિભાગના વડા ડૉ. કિરણ પંડ્યાના સંયુક્ત માર્ગદર્શન હેઠળ કરાયું હતું. સેમ્પલ તરીકે સેન્ટ્રલ ઝોનના ૪૫૩ પરિવારોને લેવાયાં હતાં.સંશોધનમાં બીજી કેટલીક ચોંકાવનારી માહિતી પણ જાણવા મળી હતી. એક વ્યક્તિને જો મેલેરિયા એક અઠવાડિયા સુધી લંબાય તો તેને તેનો ખર્ચ રૂ. ૫૩૦ જેટલો આવે છે, બીજા અઠવાડિયે તે વધીને રૂ. ૨૧૬૦ થાય છે. જો બીમારી ત્રણ અઠવાડિયા સુધી લંબાય તો ખચોg ૬૬૦૦ સુધી પહોંચે છે. જો રોગ એક મહિના સુધી ખેંચાય તો દર્દીને રૂ. ૧૨૩૯૦ના ખાડામાં ઉતારી દે છે.


સાધના માફી નહીં માગે તો ૧૦૦ કરોડનો દાવો કરીશ'

અભિનેત્રી સાધનાએ મારી બેફામ બદનક્ષી કરી છે. જો તે ૧૫ દિવસમાં જાહેરમાં માફી નહીં માગે તો હું રૂ. ૧૦૦ કરોડનો દાવો ફટકારવાનો છું, એમ યુસુફ લાકડાવાલાએ બુધવારે જણાવ્યું હતું. સાંતાક્રુઝ પશ્ચિમમાં મોકા જગ્યામાં સંગીતા બંગલોમાંથી હાંકી કાઢવા માટે બિલ્ડર લાકડાવાલા મને હેરાન કરે છે એવો આરોપ સાધનાનો છે. સાધનાએ આ સંબંધે પોલીસ કમિશનર સંજીવ દયાલને ફરિયાદ પણ કરી છે.આ સંબંધમાં લાકડાવાલાએ બુધવારે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે સાધનાએ મારી કરેલી બદનક્ષી સંબંધે તેને કાનૂની નોટિસ પણ ફટકારી છે. સંગીતા બંગલો મૂળ આશા ભોસલેની જગ્યા છે. સાધના ભોંયતિળયે રહે છે, જ્યારે મારું ઘર બીજા માળે છે.હું ૨૫ વર્ષથી ભાડૂત છું, પરંતુ ૨૦ વર્ષથી ત્યાં ગયો નથી. મારા સંબંધી મારા ઘરમાં રહે છે. આવા સંજોગોમાં સાધના મારી ઉપર ધાકધમકી આપવાના આરોપ કરે છે તે ખોટા છે, એમ તેમણે જણાવ્યું હતું.તે વારંવાર મને બિલ્ડર તરીકે ચિતરે છે, પરંતુ મેં આ કામ ક્યારનું છોડી દીધું છે.હું તો મનોરંજન જગત સાથે વર્ષોથી સંકળાયેલું છું, એમ પણ તેમણે પોતાના વકીલ એડવોકેટ માજીદ મેમણ સાથે મળીને બુધવારે બોલાવેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. હકીકતમાં સાધનાની પાછળથી અન્ય કોઈક મારી વિરુદ્ધ આ કાવતરું ઘડી રહ્યું છે અને મને લક્ષ્ય બનાવી રહ્યું છે, પરંતુ હું તે વ્યક્તિને ખુલ્લી પાડીને જ રહીશ, એમ પણ તેમણે જણાવ્યું હતું.


ખરાબ વિમાનનું ચમત્કારિક લેન્ડિંગ

રશિયામાં એક વિમાન આકાશમાં અધવચ્ચે જ ખરાબ થઈ જવા છતાં પાયલટની કુશળતાને કારણે સફળ લેન્ડિંગ શક્ય બન્યું છે. આ વિમાનમાં 81 વ્યક્તિ હતા. તૂપોલોવ ટીયુ-154 વિમાન મોસ્કો આવી રહ્યું હતું જેને સાઇબીરિયાના ટૈગામાં ઉતરવું પડ્યું છે.અધિકારીઓ પાસેથી મળતી માહિતી અનુસાર ચાલુ વિમાને અચાનક તેના અમુક અગત્યના ઉપકરણો કામ કરતા બંધ થઈ ગયા હતા. આ વિમાનમાં 3 બાળકો 72 મુસાફરો સિવાય અન્ય 9 ચાલકદળના લોકો હતા. પરિસ્થિતિ ગંભીર જણાતા પાઇલોટે કોઈ પણ રેડિયો સંપર્ક કર્યા વગર જ વિમાનને જંગલમાં એક સ્થળ પર ઉતારી દીધું.રનવે પર વિમાન ઉતારતી વખતે તે સ્થળ કરતા 200 મીટર જેટલું આગળ જતુ રહ્યું હતું. સંવાદ એજન્સી ઈતરતાસ અનુસાર એક દંપતી સિવાય અન્ય દરેક મુસાફરોને અન્ય ફ્લાઇટ મારફતે મોસ્કો પહોંચાડી દેવાયા છે.