visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
સૈનિકોની અસલ જિંદગી હવે દૂરદર્શન પર જોવા મળશે
દેશની રક્ષા માટે પોતાનો જીવ જોખમમાં મૂકનાર સૈનિકોની અસલ જિંદગી હવે દૂરદર્શન પર જોવા મળશે. સરકારી પ્રસારણકર્તાએ ભૂતપૂર્વ સૈનિકોની ‘રિયલ લાઈફ’ને ‘રીલ લાઈફ’માં દેખાડવા માટે રક્ષા મંત્રાલય સાથે એમઓયૂ સાઈન કર્યા છે.
દૂરદર્શન પર બતાવમાં આવનાર આ કાર્યક્રમોમાં રાષ્ટ્રની ઉન્નતિમાં ભૂતપૂર્વ સૈનિકોના યોગદાનની ગાથાને રજૂ કરવામાં આવશે. ભૂતપૂર્વ સૈનિકોની જિંદગીના જુદાજુદા પાસાઓને રજૂ કરતા આ કાર્યક્રમોમાં સરકાર દ્વારા સૈનિકો માતે કરવામાં આવેલા કલ્યાણ કાર્યોને પણ બતાવવામાં આવશે.રક્ષામંત્રાલયના ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ વિભાગમાં સચિવ નીલમ નાથ અને દૂરદર્શનની ડાયરેક્ટર જનરલ અરૂણા શર્માએ એમઓયૂ પર હસ્તાક્ષર કર્યા છે. જોકે દેશમાં હાલમાં 27 લાખ ભૂતપૂર્વ સૈનિકો તેમજ પાંચ લાખ શહિદોની પત્નીઓ છે. જ્યારે દર વર્ષે 50 હજાર સૈનિકો રિટાયર થાય છે.
બ્લેકબેરી વેચવામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ફોટોગ્રાફનો કોમર્શિયલ ઉપયોગ
મોંટ બ્લોક લિમિટેડ નામની કંપનીનીએ પેન પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ફોટોગ્રાફનો કોમર્શિયલ ઉપયોગ કર્યો હતો આ જ રીતે સૂત્રોએ આપેલી જાણકારી અનુસાર સ્વિસ ટેલિકોમ કંપની બ્લેકબેરીની જાહેરાતમાં બાપુની તસવીરનો ઉપયોગ કરી રહ્યા છે.સૂત્રોએ કહ્યું કે ગાંધીજીના ચિત્રોવાળા પોસ્ટરોને સ્વિટ્ઝરલેન્ડના સ્વિકૉમ ટેલિફોન બૂથો પર લગાવામાં આવ્યા છે.આ પોસ્ટરો પર બાપુના ફોટોગ્રાફ સાથે લખવામાં આવ્યું છે કે સારાપણાની જાહેરાત કરવી બહુ સરળ હોતી નથી. સાથો સાથ જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે હવે તમારા બ્લેકબેરી પર દુનિયાની તમામ જાણકારી ઉપલબ્ધ છે. સ્વિટ્ઝરલેન્ડના બિનનિવાસી ભારતીયનું કહેવું છે કે સ્વિસકૉમ અથવા અન્ય કોઇપણ ટેલિકોમ કંપનીની ભારતમાં આ રીતે બાપુને વેચવાની કોઇની હિંમત નથી. તેમનું કહેવું છે કે આ કૃત્યને અનદેખી કરવું જોઇએ નહિં.ઉલ્લેખનીય છે કે ગૂગલ ઇનસાઇટ દ્વારા એક વર્ષ પહેલાં ન રિસર્ચ પ્રમાણે ગાંધીને આજે પણ ભારતમાં તમામ બ્રાન્ડોના પિતામહના રૂપમાં માનવામાં આવે છે. તેમની છબીનો ઉપયોગ દુનિયાભરમાં સામાન્ય માનવીનું ધ્યાન ખેંચવા માટે રાજનીતિની સાથો સાથ વ્યવસાયિક રૂપમાં પણ કરવામાં આવે છે. ગાંધીજીની વિશ્વ પટલ પર સૌથી શક્તિશાળી ભારતીય આદર્શ બ્રાન્ડના રૂપમાં માનવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે સ્વિસકૉમ ટેલિકોમ પહેલાં ઇટલીની સૌથી મોટી ટેલિકોમ કંપની ઇટાલિયાએ 2005માં ગાંધીજીના એક અભિયાનનો ઉપયોગ કર્યો હતો, જે બહુ જ સફળ રહેવાની સાથો સાથ તેણે કેટલાંય પુરસ્કારો પણ મેળવવામાં સફળતા મળી હતી.
વિરેન્દ્ર સેહવાગ ટીમ ઈન્ડિયાનો શ્રેષ્ઠ ઓફ-સ્પિનર છે. - બિશન સિંહ બેદી
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની બિશન સિંહ બેદીએ જણાવ્યું હતું કે વિરેન્દ્ર સેહવાગ ટીમ ઈન્ડિયાનો શ્રેષ્ઠ ઓફ-સ્પિનર છે.
આડકતરી રીતે હરભજન સિંહની બોલિંગ એક્શન પર કટાક્ષ કરતા બેદીએ કહ્યું હતું કે હું માનું છું કે સેહવાગ ભારતીય ટીમનો શ્રેષ્ઠ ઓફ-સ્પિનર છે. તેની એક્શન એકદમ સ્પષ્ટ છે અને તે બોલને સ્પિન પણ કરી શકે છે.તેમણે વધારેમાં જણાવ્યું હતું કે (હાલના) સ્પિનરો પાસે કેટલાક આદર્શો છે અને જો તમે તેઓ પાસેથી શીખો તમારી એક્શન પણ એકદમ સ્પષ્ટ થઈ શકે છે.
તેમણે જણાવ્યું હતું કે શા માટે આપણી પાસે અનિલ કુંબલે અને શેન વોર્ન જેવા બોલરો નથી? મેં એસ.વેંકટરાઘવન અને ઈરાપલ્લિ પ્રસન્નાથી સારા કોઈ બોલર જોયા નથી.ઉલ્લેખનીય છે કે હરભજન સિંહ તેના દૂસરા બોલને કારણે ચર્ચામાં રહી ચૂક્યો છે તથા તેની બોલિંગ એક્શન પણ શંકાના ઘેરામાં આવી ગઈ હતી.
ધોની-સાક્ષીના હનિમૂન સ્થળ અંગે રહસ્ય અકબંધ
બે દિવસ પહેલા જ મહેન્દ્ર સિંહ ધોની હોટલ મેનેજમેન્ટની વિદ્યાર્થીની સાક્ષી રાવત સાથે લગ્ન બંધનમાં બંધાયો છે. પરંતુ હવે આ નવદંપત્તિ તેઓનું હનિમૂન ક્યાં ઉજવશે તે અંગેનું રહસ્ય હજુ અકબંધ છે અને ધોનીના પરિવારના નિકટના લોકો પણ આ મામલે મૌન જાળવીને બેઠા છે.મહેરબાની કરીને મને કંઈ ના પૂછો.... ધોનીને પૂછો... હું તમારા માટે પાર્ટી રાખીશ, તેમ ધોનીના સાળા ગૌતમ ગુપ્તાએ કહ્યું હતું. જ્યારે ગૌતમને પૂછવામાં આવ્યું કે ધોની અને સાક્ષી હનિમૂન માટે ક્યાં જવાના છે ત્યારે ગૌતમે આ પ્રકારનો જવાબ આપ્યો હતો.પત્રકારો અને કેમેરામેનો ધોનીના પિતા પાન સિંહ, માતા, બહેન અને ભાઈનો સંપર્ક કરવા તેમનો પીછો કરતા હતા પરંતુ તે લોકો પણ કોઈ પણ જાતનું નિવેદન આપવા તૈયાર નહોતા.પાન સિંહે પત્રકારોને પરિવારના સભ્યોના વાહનોને એરપોર્ટ પર જવા માટે રસ્તો ખુલ્લો કરી આપવાનું જણાવ્યું હતું. જ્યારે ગુપ્તાએ કહ્યું હતું કે હું તમારી શુભેચ્છાઓ ધોની સુધી પહોંચાડી દઈશ.ધોનીના અન્ય એક નજીકના મિત્રએ કહ્યું હતું કે ટીમ ઈન્ડિયાનો સુકાની શ્રીલંકા પ્રવાસ પર જતા પહેલા રાંચીમાં એક કે બે દિવસ રોકાશે. ઉલ્લેખનીય છે કે ભારત 18 જૂલાઈથી શ્રીલંકા સામે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમશે.
ભારત બંધ ખુદ સમસ્યા કે સમસ્યાનું સમાધાન?
મોંઘવારીના મહાયુદ્ધમાં ભારત બંધનું એલાન કેટલું અને કેવી રીતે મદદરૂપ થશે? તે કહેવું અત્યારે તો ઘણું છે. પરંતુ એનડીએ અને ડાબેરી શાસિત રાજ્યો સહીત દેશભરમાં 5 જુલાઈના ભારત બંધને સફળ માનવમાં આવી રહ્યો છે. પરંતુ શું હકીકતે આ બંધ સફળ છે? દુકાનો બંધ રહી, સડકો પર બસો અને વાહનો ન ચાલ્યા, ટ્રેનો રદ્દ થઈ, એરપોર્ટ સૂમસામ રહ્યાં બસ એટલે બંધ સફળ રહ્યો. બંધમાં હકીકતે લોકોની શું ભૂમિકા રહી? શું કાર્યકર્તાઓના જોરે ભારત બંધ રહ્યું? લોકોએ સ્વંયભૂ તેમા ભાગ લીધો? આ તમામ સવાલોના જવાબો લગભગ બધાંને ખબર છે. આ ભારત બંધ જે-તે રાજકીય પાર્ટીઓના કાર્યકર્તાઓનો બંધ હતો. લોકોનો સ્વયંભૂ જુવાળ હજી ઉભો થયો નથી. ત્યારે આ બંધને સફળ ગણવો કેવી રીતે? તે પ્રશ્ન પણ લોકોના મનમાં અવશ્ય ઉઠવો જોઈએ. સમચાર ચેનલોએ પણ આખો દિવસ સજ્જડ બંધના સમાચારો કવર કર્યા છે. પણ તેમા જનતા દ્વારા સ્વયંભૂ બંધ પળાયો હોય તેવી કોઈ ઘટના ધ્યાનમાં આવી નથી. દેશમાં કોઈપણ સમસ્યા ઉભી થાય છે, ત્યારે તેનો રાજકીય પાર્ટીઓને એક જ ઉકેલ દેખાય છે અને તે છે ભારત બંધ. પણ શું ભારત બંધ દરેક સમસ્યાઓનો ઉકેલ છે કે તે પોતે જ એક સમસ્યા છે? સાથે એ પણ વિચારવું પડે કે વિપક્ષ અથવા અન્ય કોઈ સંગઠન ભારત બંધ આપે છે, તો તેને લાગતી સમસ્યાના ઉકેલના રસ્તા સરકાર અને તંત્ર દ્વારા બંધ કરી દેવાથી બંધ આપે છે કે તેઓ પોતાનું જોર પ્રદર્શિત કરવા માટે બંધનું એલાન કરે છે? જો પોતાનું જોર પ્રદર્શિત કરવા માટે બંધ અપાતો હોય તો તે એક ખરાબ સ્થિતિ છે. પરંતુ સરકાર અને તંત્ર ઉપસ્થિત સમસ્યા પર વાત સાંભળવા જ તૈયાર ન હોય અને બંધ અપાતો હોય તો તે ભારત જેવા લોકતંત્ર માટે વિચાર માગી લે તેવી સ્થિતિ છે. કારણ કે લોકતંત્રમાં વાતચીતથી સમસ્યાના સમાધાન માટે અવકાસ રહેલો હોય છે. બંધ વાતચીત દ્વારા દાખલા-દલીલો અને તર્કો-વિતર્કો દ્વારા સમસ્યાના સમાધાનનો રસ્તો ‘બંધ’ દ્વારા બંધ થઈ ગયો હોય તેમ સૂચવે છે. ત્યારે ખરેખર સવાલ એ છે કે બંધ સમસ્યાનું સમાધાન કરી શકે છે કે બંધ પોતે જ એક સમસ્યા છે? કારણ કે બંધથી એક દિવસ કામ રોકાય જાય છે, લોકોને તકલીફ પડે છે. એસોચેમના એક નિવેદન પ્રમાણે, આજે બંધથી 10 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે બંધથી સમસ્યા પેદા થાય કે એક સમસ્યાના ઉકેલ માટે આપણે નવી સમસ્યા એક દિવસ માટે પેદા કરીએ છીએ? તો લોકશાહીમાં તાનાશાહી વહીવટ ચાલે તે શક્ય નથી. સત્તારૂઢ દળોએ પણ મોંઘવારી જેવી સમસ્યા વખતે તે સમસ્યાના સમાધાન માટે વિપક્ષ અને અન્ય સંગઠનો અને લોકોના પ્રતિનિધિઓ સાથે વિચાર-વિમર્શ કરીને કોઈ નિર્ણય લેવા જોઈએ. લોકો પહેલેથી જ આકરી મોંઘવારીથી ત્રસ્ત છે. ત્યારે પેટ્રોલિયમ પદાર્થોના ભાવ જે રીતે વધારી દેવામાં આવ્યા છે, તેનાથી લોકો વધારે ભડકી ઉઠે તે સ્વાભાવિક છે. જો કે લોકોની પ્રતિક્રિયા હજી આવી નથી. ભારત બંધ સ્વરૂપે જે પ્રતિક્રિયા આવી છે તે વિપક્ષી રાજકીય પક્ષોની પ્રતિક્રિયા આવી છે.બીજી બાબત સરકારે અત્યારે મોંઘવારી હોવા છતાં પેટ્રોલિયમ પદાર્થોનો ભાવવધારો કરીને કહેવાતા ‘ક્રાંતિકારી’ પગલાં લઈને એ બતાવી દીધું કે જ્યારે લોકસભાની ચૂંટણી ચાર વર્ષ દૂર હોય અને પોતાના શાસન વાળા માટો રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ન આવતી હોય ત્યારે આવા પગલાં લઈ શકાય છે. આટલા મોટો નિર્ણય લેતાં પહેલા સંસદમાં ચર્ચાની પણ એક પ્રથા પાડવી જોઈએ. પણ આ પ્રથા અમલમાં જ નથી.
સરકાર પોતાને મનફાવે તે પ્રકારે નિર્ણય લઈ લે છે. સરકાર એવા નિર્ણય લે છે કે જેમાં સરકારના ‘પર્ફોરમન્સ’નું હિત રહેલું હોય છે, પરંતુ તેમા પ્રજાહિત ગેરહાજર હોય છે. ભારતના બંધારણના આમુખમાં સમાજવાદ શબ્દ ઘણો સૂચક છે. તે ભારતની સરકારને ‘વેલફેર સ્ટેટ’ બનવાની વાત કરે છે. પરંતુ સરકાર છેલ્લા કેટલાંક સમયથી જે નિર્ણયો કરી રહી છે, તે કલ્યાણકારી સરકારના નિર્ણયો છે? લોકતંત્રમાં ‘ડાયલોગ’નું ઘણું મહત્વ રહેલું છે. પરંતુ ભારતમાં શું આવા ‘ડાયલોગ’ થાય છે ખરાં? સંસદમાં આવી ચર્ચાઓ થાય છે ખરી? જો ભારત બંધ આવી ચર્ચાઓ અને ‘ડાયલોગ’ બાદ લોકહિતમાં બ્રહ્માસ્ત્ર તરીકે ઉપયોગમાં લેવામાં આવે તો ખરેખર ભારત માટે તે મોટા હિત સમાન છે. પરંતુ તેના માટે સરકાર અને વિપક્ષ દેશમાં સમસ્યાઓના સમાધાન માટે ચર્ચા અને ‘ડાયલોગ’નું વાતાવરણ સર્જાય તેના માટે તૈયાર થશે? તેવી વ્યવસ્થા ગોઠવશે?
ડીઝલ હજુય મોંઘું થશે
કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર પેટ્રોલની જેમ ડીઝલના ભાવ પણ સંપૂર્ણપણે અંકુશમુકત કરશે તો ડીઝલના ભાવમાં પણ લિટરદીઠ વધુ રૂ. ૩.૧૪નો વધારો ઝીંકાશે. વડાપ્રધાન મનમોહનસિંઘ સંકેત આપી જ ચૂક્યા છે કે પેટ્રોલની જેમ ડીઝલના ભાવ પણ અંકુશમુકત કરાશે. પેટ્રોપેદાશોના ભાવોને અંકુશમુકત કરવાની કેન્દ્ર સરકારની નીતિએ તો સામાન્ય પ્રજાનો દાટ વાળવા માંડયો છે. આંતરરાષ્ટ્રીય ભાવ મુજબ પહેલા પેટ્રોલને નિયંત્રણમુકત કરી દીધા પછી કેન્દ્ર સરકાર હવે ડીઝલને પણ છુટું કરી દેવા ધારે છે. તેને લીધે ડીઝલના ભાવ રૂ. ૩.૧૪ જેટલા વધશે. તેમાં સ્થાનિક અને રાજ્ય કરવેરા ઉમેરાતાં પ્રજાએ સાડા ત્રણ-પોણા ચાર રૂપિયાના ભાવે ડીઝલ ખરીદવું પડશે. ગઈ ૨૫મીએ કેન્દ્રીય મંત્રીઓના જુથે પેટ્રોલ-ડીઝલ-કેરોસીન અને રાંધણગેસના ભાવમાં તોતિંગ વધારો કર્યા પછી ડીઝલમાં આ બીજી વારનો ભાવવધારો તોળાઈ રહ્યો છે. તે વખતે ડીઝલમાં રૂ. બે વધારવામાં આવ્યા હતા. હવે ફરીવાર ભાવ વધતાં મોંઘવારીનો માર વધુ વજનથી પ્રજાજનો પર ઝિંકશે. ડીઝલનો ઉપયોગ પરિવહન ક્ષેત્રે સૌથી વધુ થાય છે. એટલે જીવન-જરૂરિયાતની વસ્તુઓના ભાવ આ નવા વધારાથી વધારે ભભૂકશે. એક તરફ વરસાદ ખેંચાયો છે અને ખરીફ પાક અપૂરતા ચોમાસાના કારણે બગડશે એવી દહેશત ઊભી થઈ છે ત્યારે કૃષિઆધારિત ભારતીય અર્થતંત્રનું શું થશે એની ચિંતા ચોમેર પડઘાઈ રહી છે. ડીઝલના ભાવ વધતા શું મોંઘું નહીં થાય એ સવાલ છે. મુસાફરી અને માલપરિવહન મોંઘા થશે. શાકભાજી સહિત તમામ ખાદ્ય અને રોજિંદી વપરાશની વસ્તુઓ મોંઘી થતાં આગામી સમય લોકો માટે ખૂબ જ પડકારરૂપ રહેશે. આવા સમયે કેન્દ્ર સરકાર સાવ નિર્દયી બનીને પૂછડાં પછાડી રહી છે કે બળતણનો ભાવવધારો કોઈ સંજોગોમાં પાછો ખેંચાશે નહીં. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓના બિનઆયોજિત ખર્ચા કાબૂમાં લઈ શકાતા નથી અને એની ખાધ વધતી જાય છે તેને ગ્રાહકની કમર પર છોડી દેવાનું પાપ કેન્દ્ર સરકાર કરી રહી છે. પેટ્રોલિયમ પેદાશો પર સબસિડી પાતળી કરી દઈને પ્રજાને મોંઘવારીની યાતનામાં છોડી દેવાઈ રહી છે.
હવે આં.રા. પેરિટી મુજબ પેટ્રોલ-ડીઝલના ભાવની વધ-ઘટ થયા કરશે. તેમાં સરવાળે નુકસાન તો ગ્રાહકને જ થવાનું છે. પેટ્રોલિયમ પેદાશોના ભાવવધારા સામે દેશભરમાં વિરોધ જાગ્યો છે. વપિક્ષોએ ઈતિહાસમાં પહેલી વાર સંગિઠત બનીને પાંચમી જુલાઈએ ભારત બંધનું એલાન આપ્યું છે. કેન્દ્ર સરકાર પાસે હજુ પણ સમય છે કમસેકમ થયેલો ભાવવધારો પાછો ન ખેંચે કે ઘટાડે નહીં, પણ ડીઝલમાં હજુ પણ થનારો આ ભાવવધારો જો નહીં રોકી શકે તો પ્રજા આ લોકવિરોધી સરકારને કદી માફ નહીં કરે.
થાક દૂર કરવા સંતુલિત જીવન જીવો
જો જીવનનું સંતુલન બગડ્યું અને થાક લાગ્યો તો સમજી લેવું કે બીમારી આવી પહોંચી છે. પછી જો ઊર્જા પાછી મેળવવા માટે આરામ કરવામાં આવી રહ્યો છે તો આવો થાક વરદાન પણ પુરવાર થઈ શકે છે. આજકાલ આપણી જે પ્રકારની જીવનશૈલી છે, તેમાં અસંતુલન ઘણું વધારે છે. સવારે ઊઠવાથી માંડીને રાત્રે ઊંઘવા સુધી શરીરની કેટલીક નિયમિત ક્રિયાઓ હોય છે.
આજનો માણસ તે ભૂલી ગયો છે. ગૌતમ બુદ્ધ ઘણું કામ કરતા હતા, પરંતુ ક્યારેય થાકતા ન હતા. આજે પણ કેટલાય સાધુ-સંતો એટલો જ પરિશ્રમ કરી રહ્યા છે જેટલી એક કોર્પોરેટ જગતની સફળ વ્યક્તિ પરંતુ જ્યારે તેઓ રાત્રે ઊંઘે છે ત્યારે તેઓ નિશ્વિંત થઈને ઊંઘતા હોય છે. બુદ્ધને એક વખત તેમના શિષ્યોએ પૂછ્યું હતું કે તમે થાકતા નથી? બુદ્ધનો જવાબ હતો, જ્યારે હું કશું કરતો જ નથી તો થાકીશ કેવી રીતે. વાત સાંભળવામાં થોડી વિચિત્ર લાગે છે, પરંતુ તેમાં ગૂઢાર્થ છુપાયેલો છે. આધ્યાત્મએ આને સાક્ષીભાવ જણાવ્યો છે. પોતાની જાતને કામ કરતા જોવી. આ તે સ્થિતિ હોય છે જ્યારે શરીર સક્રિય અને મન આરામની સ્થિતિમાં હોય છે. આજે મોટા ભાગના લોકો કસમયે, કારણ વગર થાકી જતા હોય છે, જેનું એક મોટું કારણ અસંતુલિત જીવન છે.
એક હોય છે થાકનો અનુભવ કરવો અને બીજું સ્વાભાવિક થાક લાગવો. જે સમયે તમારી રુચિઓ, ઇચ્છાઓ અને મૂળ સ્વભાવ હળવો થવા લાગે, ચીડિયાપણું આવી જાય તો સમજી લેવું કે આ થાક બીમારી છે. આથી દરરોજ યોગ, પ્રાણાયામ, ધ્યાન ધરો. આ ક્રિયાઓ પોતાના સ્વરૂપમાં જ એક આરામ છે. કરનારી વ્યક્તિ તો કોઈ બીજી છે. આપણે તો ફકત તેના હાથની કઠપૂતળી છીએ. આ ભાવ પણ થાકને દૂર કરશે.
ભારત બંધ રહ્યું હવે મોંઘવારી ઘટશે?
વપિક્ષની એકતા અને બંધની અસર સરકારની આંખ ઉઘાડે તો સારું. મોંઘવારીના વિરોધમાં આખા દેશમાં હડતાળ પડી. વપિક્ષે પ્રથમ વખત મજબૂત એકતાના દર્શન કરાવ્યાં. પણ તે બંધમાં સામેલ થવા પૂરતાં જ. ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરી બંધ અંગે વાત કરતી વખતે માયાવતીને ભાંડવાનું ચૂક્યા નહીં.બિહારમાં નરેન્દ્ર મોદીનાં પોસ્ટર જોઈને જનતાદળ યુનાઇટેડના કેટલાક કાર્યકરો લાલ કપડું જોઈને કોઈ આખલો ભડકે તેમ ભડક્યા અને ભાજપ-જેડીયુ સામસામે આવી ગયા. વપિક્ષ જ્યારે એક થતો હોય ત્યારે પણ જનતાદળ યુનાઇટેડ મોદીના પોસ્ટર્સનો વિરોધ કરે તે તો હદ થઈ ગઈ. આવા સમયે તો રાજકારણને કોરાણે મૂકો. જોકે આમ જોવા જઈએ તો ભારત બંધનું એલાન સફળ રહ્યું કહેવાય.આખો દેશ ઠપ થઈ ગયો. વિમાન, રેલ અને રોડ સેવાઓ પણ ખોરવાઈ ગઈ. કોઈ સ્થળે તોડફોડ કરીને પણ બંધ પળાવવામાં આવ્યો. પ્રશ્ન એ છે કે આવા બંધ પળાવવાથી મોંઘવારી ઘટશે? ના, બંધ પળાવવાથી મોંઘવારી નહીં ઘટે પણ આ બંધથી સરકારની આંખ ખૂલે અને ફુગાવો ઘટાડવા તથા ઇંધણની કિંમતો ઓછી કરવા માટેના પગલાં લે તો બંધનો ઉદ્દેશ પૂર્ણ થયો ગણાશે. લોકશાહીમાં શાસકોને સાનમાં સમજાવવા માટે હડતાળ કે બંધ જેવા રસ્તાઓ સ્વીકૃત છે.એક દિવસ બંધ પળાવાથી દેશને કરોડોનું નુકસાન થયું એવી ગણતરી માંડનારાઓનું ગણિત ખોટું નથી હોતું, તેમની સમજ ખોટી હોય છે. જો મોંઘવારી ઓછી ન થાય તો દેશના તમામ નાગરિકોને જે નુકસાન થાય તેની ગણતરી કોઈએ માંડી છે ખરી? નાગરિકના ખિસ્સામાં કેવડાં મોટાં કાણાં પડે તે ગણ્યું છે ખરું? અર્થશાસ્ત્રી વડાપ્રધાન ડૉ. સિંહની નીતિઓ અર્થતંત્ર માટે બેશક સારી હશે પણ સામાન્ય માણસ માટે તો ખર્ચ વધારનારી જ રહી છે.
સરકાર કદાચ એવું માને છે કે રાજકીય પક્ષો થોડો સમય વિરોધ કરીને ઠંડા પડી જશે. સંસદના ચોમાસુ સત્રમાં થોડો કકળાટ થશે અને પછી જનતાને પણ મોંઘવારી કોઠે પડી જશે. સરકાર જો આવું જ વિચારતી હોય તો તે ખાંડ ખાય છે. જનતાની લાઠીમાં અવાજ નથી હોતો. ભારતની પ્રજા નેતાઓ માને છે એટલી તો અબૂધ નથી. એવું જનતાએ વારંવાર સાબિત કરી આપ્યું છે. ડૉ.. સિંહ અને કોંગ્રેસ હજી વધુ એક વખત પરીક્ષા લેવા માગે છે? સતનાં પારખાં ન હોય ડૉ. સિંહ, બહેતર એ રહેશે કે સરકાર તાત્કાલિક મોંઘવારી ઘટાડવા માટે પગલાં લે. નહિતર આ દેશની જનતાને ત્રીજું નેત્ર ખોલતાં પણ આવડે છે.
ભૂતપૂર્વ બેવોચ ગર્લ પામેલા બિગ બ્રધરમાં?
ભૂતપૂર્વ બેવોચ ગર્લ પામેલા એન્ડરસન બિગ બ્રધરના ઘરમાં આવે તેવી શક્યતા છે.પામેલા એન્ડસન પોતાની સેક્સ અપીલને કારણે વિશ્વભરમાં લોકપ્રિય છે. જો પામેલા બિગ બ્રધરમાં ભાગ લે તો તે ઘણી જ સારી વાત ગણાય, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.પામેલા સિવાય ભૂતપૂર્વ મોડલ જેનીસ ડિકીન્સન, અભિનેત્રી બ્રિગેટી પણ બિગ બ્રધરમાં આવે તેવી સંભાવના છે.
‘ધોની માટે અમે પાર્ટીનું આયોજન નથી કર્યુ’
બોલિવૂડ સ્ટાર બિપાશા બાસુએ એ સમાચારોનું ખંડન કર્યુ છે કે, તે અને તેનો પ્રેમી ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના લગ્ન અંગેની એક પાર્ટી યોજવાના છે. બિપાશાએ આ અંગે ટ્વિટર પર સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, દરેકને લાગે છે કે, તે અને જ્હોન માહીના માનમાં એક પાર્ટીનું આયોજન કરવાના છે પરંત આ વાત સાચી નથી.જ્હોન અને બિપાશા ધોનીના ખાસ મિત્રો છે. ધોનીએ રવિવારે સાક્ષી રાવત સાથે દેહરાદૂનમાં લગ્ન કર્યા હતા.જ્હોને આ લગ્નમાં હાજરી આપી હતી પરંતુ બિપાશા દિવમાં ફિલ્મ આક્રોશનું શુટિંગ કરી રહી હતી.આ પહેલા ટ્વિટર પર બિપાશાએ ટ્વિટ કર્યુ હતું કે, તે ધોની અને તેની પત્ની સાથે મુંબઈમાં પાર્ટીની મજા માણશે.
સલ્લુ રાષ્ટ્રપ્રમુખ જેવું જીવન જીવી રહ્યો છે
સલમાન હાલમાં શ્રીલંકામાં ફિલ્મ રેડીનું શુટિંગ કરી રહ્યો છે. સુરક્ષાના કારણોસર સલ્લુએ હોટલનો સુટ બદલી નાંખ્યો છે.
ફિલ્મ નિર્માતા ભૂષણ કુમારે કહ્યું હતું કે, સલમાનને નિયમિત સુટને બદલે પ્રેસિડેન્સિયલ સુટ આપવામાં આવ્યો છે. હોટલના પ્રેસિડેન્સિયલમાં સુટમાં સલમાન રહે છે.આ સુટમાં બગીચો, જીમ અને રસોડું છે. આ સિવાય કોમ્પ્યુટર, ઈન્ટરનેટની પણ સગવડ છે. જેથી સલમાન બહારની દુનિયા સાથે સંપર્ક રાખી શકે.સલમાને આઈફા એવોર્ડમાં ભાગ લીધા પછી તે શ્રીલંકાના અનેક સ્થળોની મુલાકાત લઈ રહ્યો છે અને તેને કારણે જ તેની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
જ્યારે બિગ બી ફસાઈ ગયા!
અમિતાભ બચ્ચન માત્ર બોલિવૂડ ફિલ્મોમાં જ નહિ પરંતુ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ એટલા જ લોકપ્રિય છે. આ જ કારણથી બિગ બી દક્ષિણના સુપર સ્ટાર મોહન લાલની મલયાલમ ફિલ્મ ખંડહરમાં ગેસ્ટ રોલ કરી રહ્યા છે.ફિલ્મમાં સીનિયર બચ્ચન એક ઉત્તર ભારતીયનું પાત્ર ભજવી રહ્યા છે. જે મલયાલી મહિલા સાથે લગ્ન કરે છે. બિગ બીને કહેવામાં આવ્યું હતું કે, તેઓએ ઉત્તર ભારતીયનું પાત્ર ભજવતાં હોવાથી તેમને મલયાલમ બોલવી પડશે નહિ. આ જ કારણથી બિગ બીએ ફિલ્મમાં કામ કરવાની હા પાડી હતી.જો કે ફિલ્મમાં દિગ્દર્શક રવિએ કંઈક અલગ જ પ્લાન બનાવ્યો હતો. જ્યારે સીનિયર બચ્ચન શુટિંગ માટે આવ્યા ત્યારે મોહન લાલે તેમને કહ્યું હતું કે, બિગ બીએ ફિલ્મમાં મલયાલમ બોલવી પડશે.નોંધનીય છે કે, અમિતાભને મલયાલમ આવડતી નથી અને તેને કારણે તે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ફિલ્મનું શુટિંગ કર્યા બાદ સીનિયર બચ્ચને કહ્યું હતું કે, આ ફિલ્મ થોડી અલગ છે અને આ ફિલ્મમાં મેં ઉત્તર ભારતીયની ભૂમિકા ભજવી છે. જે મલયાલી યુવતી સાથે લગ્ન કરે છે. તેથી જ થોડીઘણી મલયાલમ બોલવી પડે તે જરૂરી છે. જો કે આ ભાષા ઘણી જ અઘરી છે.
બોમન અને ચેન્ગની મસ્તીભરી સવારી
આઈફા એવોર્ડ થોડા સમય પહેલા જ કોલંબોમાં યોજાઈ ગયો. આ સમયે બોમન ઈરાનીએ કોલંબોના સુંદર સ્થળોએ પ્રવાસ કરવાનું નક્કી કર્યુ હતું. બોમન પોતાની સાથે ચેન્ગને પણ લઈ જવાનો છે. બંને જણા બસમાં બેસીને કોલંબો ફરવા નીકળ્યા હતા. બસમાં આ બંનેએ ગીતો પણ ગાયા હતા. આ સિવાય બોમન અને ચેન્ગે ન ગમતી બાબતોની ચર્ચા પણ કરી હતી.બોમન અને ચેન્ગ માટે કોલંબોની સફર યાદગાર રહી હતી..
ટોપલેસ થઈ પેઈન્ટિંગ કરાવ્યું
બિગ બ્રધર હાઉસમાં રોજ રોજ નવા ગતકડાં થતાં રહે છે. હાલમાં આ શોમાં ભાગ લઈ રહેલી બ્રિટિશ અભિનેત્રીઓ પણ પોતાનું શરીર ટીવી પર દેખાડવામાં શરમાઈ ગઈ હતી.તો બીજી બાજુ જર્મનીની ક્રિસ્ટીનાને અંગ પ્રદર્શન કરતાં સહેજ પણ શરમ આવી નહોતી.ક્રિસ્ટીનાએ ટોપલેસ થઈને ગ્રીસનો ઝંડો પેઈન્ટ કરાવ્યો હતો. આ શોમાં ભાગ લેતા સ્પર્ધકોને અઠવાડિક ટાસ્કમાં પોતાના શરીર પર કંઈ જ પહેરવાનું નહોતું.આ જ ટાસ્ક હેઠળ 23 વર્ષીય ક્રિસ્ટીનાએ પોતાના શરીર પર કંઈ જ પહેર્યું નહોતું. તેણે ફક્ત નિપલ ટેપ લગાવી હતી અને સફેદ તથા લીલા રંગની પટ્ટીઓથી પેઈન્ટિંગ કરાવ્યું હતું.
હોલિવૂડની અભિનેત્રી પ્રેમિકાની હાજરીમાં અન્ય યુવતી પર લાઈન મારી અને ઝઘડો થયો
સ્ત્રીઓ હંમેશા પોતાની પતિ કે પ્રેમી પર માલિકીભાવ ધરાવતી હોય છે. આ વાત વિશ્વની કોઈ પણ મહિલનાને લાગુ પડે છે. આવી જ ઘટના હોલિવૂડની અભિનેત્રી સાથે બની હતી.હોલિવૂડની અભિનેત્રી ગૈરી હાલ્લીવેલી અને તેનો પ્રેમી હેન્રી બેકવીથ વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો હેન્રી અન્ય યુવતીને ટીકીને જોતા ગૈરીએ ઝઘડો કર્યો હતો.સોમવારના રોજ સેન્ટ ટ્રોપેઝના એક બીચ પર આ બંને રોમેન્ટિક કપલ જઈ રહ્યા હતા. તેઓ બીચ પર ચાલતા ચાલતા વાતો કરી રહ્યા હતા. ત્યારે એક સુંદર યુવતી બ્લેક ફેરારીમાંથી ઉતરતા હેન્રી તેની તરફ આકર્ષાયો હતો. આટલું જ નહિ હેન્રી પાછળ વળી વળીને તે યુવતીને જોયા કરતો હતો. તે યુવતીએ હોટ બીકિની પહેરી હતી.તેની આ પ્રકારની વર્તૂણકને કારણે તેની પ્રેમિકા ગેરી ઉશ્કેરાઈ ગઈ હતી અને બીચ પર જ ઝઘડો કરવા લાગી હતી. 37 વર્ષીય ગેરી જોર જોરથી બૂમો પાડવા લાગી હતી. તેણે હેન્રીને ધક્કો પણ માર્યો હતો.જાહેરમાં આ પ્રકારનો ઝઘડો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને ઘણાં લોકો ભેગા થઈ ગયા હતા.
જિંદગીનો મુખ્ય હિસ્સો મોબાઈલ...
મોબાઈલ ફોન અમારી જિંદગીનો મુખ્ય હિસ્સો છે. બજારમાં આઈફોન આવ્યાં બાદ મીડિયામાં, વેબસાઈટો પર અને બ્લોગ્સ પર તેની ખૂબ જ ચર્ચા થઈ હતી. આઈફોનની કિંમત વધારે છે આ માટે ભારતમાં તેના કસ્ટમર બહુ જુ ઓછા છે પરંતુ સામાન્ય મોબાઈલ ફોનની વાત કરીએ તો ફોન વગર જિંદગી અધુંરી છે.
કોમિક્સની મજા હવે મોબાઈલ પર!
યુવા પેઢી ઈન્ટરનેટ અને મનોરંજનના અન્ય સાધનોથી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે જેનાથી કોમિક્સ પ્રકાશકોએ હવે નવો રસ્તો શોધી લીધો છે. હવે તેમણે નવી પેઢીને આકર્ષિત કરવા માટે મોબાઈલ પર કોમિક્સ ઉપલબ્ધ કરવાનું શરૂ કરી દીધું છે.
કોમિક્સ ઉદ્યોગના જણાવ્યાં અનુસાર બે મુખ્ય કોમિક્સ પ્રકાશક અમર ચિત્ર કથા અને રાજ કોમિક્સ પોતાની મોબાઈલ કોમિક્સના આધારે પ્રતિ મહિને 5 લાખથી 7 લાખ સુધીનો બિઝનેસ કરી રહી છે. ડાયમંડ કોમિક્સ પ્રકાશન પણ જલ્દી આ શ્રેણીમાં સામેલ થાય તેવી સંભાવના છે.અમર ચિત્ર કથાના માર્કેટિંગ મેનેજર ઋષભ સંઘવીએ જણાવ્યું હતું કે ભારતમાં દરેક જગ્યાએ કોમિક્સ શરૂ કરવા માટે રાહ જોઈ શકાય તેમ નથી કારણ કે આ ભવિષ્ય છે.
રોમૅન્સમાં ફ્રેંચ કિસનું ખુબજ મહત્વ
રોમૅન્સ ની વાત હોય અને તેમાં ફ્રેંચ કિસનો ઉલ્લેખ ન હોય તો જાણે તે અધૂરી હોય તેમ લાગે છે. રોમૅન્સમાં ફ્રેંચ કિસનું સ્થાન ખુબજ મહત્વનું છે અથવા કહો કે તે પ્રેમની અનુભૂતિ કરવા કે પછી કરાવવાનું એક જીવંત માધ્યમ છે.
ફ્રેંચ કિસના આટલા મહત્વ પછી તે જાણવું પણ મહત્વનું છે કે પરફેક્ટ ફ્રેંચ કિસ કઇ રીતે કરવી.ફ્રેંચ કિસ કરવાની રીત જાણવી અઘરી નથી પરંતુ તે પરફેક્ટલી કઇ રીતે કરી કરી શકાય તે બાબત અગત્યની છે. ફ્રેંચ કિસ પોતાના પાર્ટનરને આકર્ષિત કરવાનું એટલું પ્રબળ માધ્યમ છે કે તેનાથી એક સિમ્પલ ડેટથી થયેલી શરૂઆતને પણ લોંગટર્મ રિલેશનશિપમાં બદલી શકાય છે.કિસ કરવાની અનેક સ્ટાઇલોમાંની એક ફ્રેંચ કિસમાં એક પાર્ટનર બીજાને એ રીતે કિસ કરે છે જેમાં એકબીજાની જીભનો સ્પર્શ થાય તેમજ તે એકબીજાના મોમાં પણ પ્રવેશે જેના થકી એકબીજાની સલાઇવ(લાળ) પરસ્પર ભળે છે. આમ, પરફેક્ટ ફ્રેંચ કિસ તેનેજ કહી શકાય જેમાં આટલું ઉંડાણ હોય અને તે ત્યારેજ શક્ય છે જ્યારે બંને પાર્ટનર એકબીજામાં ખોવાઇ ગયા હોય.પ્રાણીઓના વર્તનના અભ્યાસુ તેમજ ઉત્ક્રાંતિવાદી જીવવૈજ્ઞાનિક થિએરી લોદેના મતે કિસ દરમિયાન જીભનું સંપર્કમાં આવવું અતિમહત્વની બાબત છે. આ સંપર્ક દ્વારા બંને પાર્ટનરની લાળનું આદાન-પ્રદાન થવાથી જાતિય આવેગમાં વધારો થાય છે.
ફ્રેંચકિસ કરતી વખતે ત્રણ બાબતો અતિમહત્વની છે.1.લીડ ઇન 2. ધ કિસ 3. આફ્ટરમાથ
1. લીડ ઇન
ફ્રેંચકિસ કરવા દોરી જતી ક્ષણને ધ લીડ ઇન કહેવાય છે. જો આપ ડેટ પર હો તો કિસિંગ સેશનને એન્જોય કરવાનો પ્લાન ડિનર પહેલા ક્યારેય ન કરશો. ડિનર કરતી વખતે આપ પોતાના પાર્ટનરને વધારે સારી રીતે ઓળખી શકશો અને પોતાની પહેલી કિસ ક્યાં કરવી તે સ્થળ પણ સાથે મળીને નક્કી કરી શકશો. તેમજ સીધાજ ફ્રેંચ કિસ પર આવતા પહેલા આપ આપના પાર્ટનરને ગાલ પર, હાથ પર હળવેથી કિસ કરો અને પછી જો તેનો રિસ્પોન્સ પોઝિટિવ લાગે ત્યારબાદજ આગળ વધો.
2.ધ કિસ
ફ્રેંચ કિસમાં સૌથી મહત્વનો ભાગ આપની જીભ ભજવે છે. આ સાથે કિસ કરતી વખતે શ્વાસ લેવો, જીભની મૂવમેન્ટ, હાથની મૂવમેન્ટ પણ અતિ મહત્વનો ભાગ ભજવે છે. યાદ રાખો કે ફિલ્મોમાં જેમ ફ્રેંચ કિસ બતાવાય છે તેની બેઠી નકલ કરવા પ્રયાસ ન કરો કારણકે રિયલ લાઇફમાં રિટેક નથી હોતા. રિલેક્સ થઇને તેમજ પોતાના પાર્ટનરમાં ખોવાઇ જઇને આપ તેને પરફેક્ટ કિસ કરી શકશો તેમજ આપ પોતે અને આપનો પાર્ટનર બંને તેને ફુલિ એન્જોય કરી શકશો.
3. આફ્ટરમાથ
આફ્ટરમાથ એટલુંજ મહત્વનું છે જેટલી મહત્વની કિસ. હોટ અને હેવી કિસિંગ સેશન પછી રિલેક્સ થવા આફ્ટરમાથ જરૂરી છે. આપની કિસથી આપનો પાર્ટનર કેટલો ખુશ છે તે જાણવાનો આ એક અવસર છે. રોમેન્ટિક ઇવનિંગ માણ્યા પછી પાર્ટનર સાથે પ્રેમભરી વાતો કરીને આપ બીજી ડેટ માટે પ્લાન કરી શકો છો.
બેઠાડુ જીવનશૈલીને કારણે બેક પેઇનથી પરેશાન..!!
આજકાલની વ્યસ્ત અને બેઠાડુ જીવનશૈલીને કારણે મોટાભાગના લોકોને કોઇને કોઇ રીતે બેકપેઇનનો સામનો કરવાનો આવે જ છે. જો આપ પણ આ સમસ્યાથી ઘેરાયેલા લોકોમાંથી એક હો અને તેમાંથી છુટકારો મેળવવા ઇચ્છતા હો તો અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે જેના દ્વારા તમે બેક પેઇનમાંથી રાહત મેળવી શકો છો. બેકપેઇનમાંથી રાહત મેળવવાનો સૌથી સારો રસ્તો છે એક્સર્સાઇઝ. એક્સર્સાઇઝ દ્વારા કમરના મસલ્સમાં રક્તપ્રવાહ સરળ બને છે અને એક્સર્સાઇઝ આપની કમરની બગડતી જતી સ્થિતિમાં સુધારો કરવામાં પણ અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે આપને બેક પેઇન થતો હોય ત્યારે આપ કમરને લગતી હળવી એક્સર્સાઇઝ કરીને તેમાં ખાસ્સી રાહત મેળવી શકો છો. આ એક્સર્સાઇઝમાં ટૂંકા અંતર સુધી ચાલવું, સ્ટ્રેચિંગ, માઇલ્ડ સ્વિમિંગ જેવી એક્સર્સાઇઝ આપ કરી શકો છો. જ્યારે બેકપેઇન થતો હોય ત્યારે આપ ત્યાં શેક કરીને પણ તેનાથી રાહત મેળવી શકો છો. હુંફાળા પાણીની બોતલ અથવા ઇન્ફ્રારેડ લેમ્પથી પણ આપ શેક કરીને દર્દમાંથી ઇન્સટન્ટ રાહત મેળવી શકો છો. ચાના શોખીનો જો કમરદર્દથી પરેશાન હોય તો તેમના માટે તેમાંથી રાહત મેળવવા ખુબ સારો રસ્તો ઉપલબ્ધ છે. આપ આપની એક કપ ચામાં પાંચ મરી, લવિંગ અને એક ગ્રામ જેટલો આદુનો પાવડર ભેળવીને દિવસમાં બે વાર પણ પીશો તો કમરદર્દમાં ખાસ્સી રાહત થશે. બેકપેઇનથી રાહત મેળવવા લસણનો વઘાર કરેલું તેલ પણ અક્સિર ઇલાજ છે. તેને તૈયાર કરવા માટે 60 મિલિ ઓઇલમાં દસ જેટલા લસણનો વઘાર કરવો ત્યારબાદ આ તેલને ઠંડુ પડવા દઇને જો કમર પર મસાજ કરવામાં આવે તો દુખાવામાં ઘણી રાહત મળે છે. બેકપેઇનથી પરેશાન લોકો માટે પુરતો આરામ કરવો પણ અત્યંત જરૂરી છે. ઓછામાં ઓછું બેથી ચાર કલાક કમર સીધી રહે તે રીતે અવશ્ય સુવું જોઇએ.
06 July 2010
આગામી ૩૬ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના
visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
આગામી ૩૬ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના
છેલ્લા ચાર દિવસથી રાજકોટ સહિતના સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાની જમાવટ થઇ છે ત્યારે આગામી ૩૬ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ પોણા ૬ ઇંચ વરસાદ નોંધાઇ ચૂકયો છે, જે મોસમની સરેરાશ ટકાવારી સામે ૨૧.૪૯ ટકા થવા જાય છે.હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી ૩૬ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી અપાઇ છે. જ્યારે આગામી ૨૪ કલાકમાં ગાજવીજ સાથે ઠેરઠેર હળવા થી ભારે વરસાદની સંભાવના દર્શાવાઇ છે.સૌરાષ્ટ્ર-કચ્છમાં તાજેતરનાં વરસાદથી પાક-પાણીનું ચિત્ર બદલાયું છે. અત્યાર સુધીનો સૌથી સરેરાશ વરસાદ જામનગર જિલ્લામાં ૮ઇંચ ત્યારબાદ જૂનાગઢ તથા અમરેલી જિલ્લામાં ૭-૭ ઇંચ નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં પણ પોણા સાત ઇંચ સાથે ત્રીજા ક્રમે છે. જ્યારે કચ્છમાં મોસમનો સરેરાશ રાા ઇંચ નોંધાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ટકાવારીની દ્દષ્ટીએ સરેરાશ ૨૧.૪૯ ટકા વરસાદ નોંધાઇ ચૂકયો છે. જેમાં જામનગર ૨૯.૫૮ટકા તથા અમરેલીમાં ૨૮.૨૯ ટકા મોસમનો વરસાદ પડ્યો છે.સૌરાષ્ટ્ર-કચ્છમાં હવાની સ્થિતિએ હજુ પીવાના પાણીની સ્થિતિ વિકટ છે, ત્યારે આગામી ૩૬ કલાકમાં જો મેઘરાજા મનમૂકીને વરસી જાયતો સમસ્યા હલ થવાની આશા સેવાઇ રહી છે.
“ગૃહમંત્રી પી. ચિદમ્બરમ જ જણાવે ઈશરતની અસલિયત”
ગુજરાતમાં 2004માં પોલીસ એન્કાઉન્ટમાં ઠાર મરાયેલી ઈશરત જહાંની માતાએ મદદ માટે કેન્દ્રીય ગૃહમંત્રી પી.ચિદમ્બરમ પાસે સ્પષ્ટતા માંગતા કહ્યુ છે કે સરકારે આ અંગે સંપૂર્ણ સ્થિતી સાફ કરવી જોઈએ. ઈશરતને લશ્કર-એ-તૈયબાની આતંકવાદી હોવાનું જણાવતા પાકિસ્તાની મૂળના આંતકવાદી ડેવિડ હેડલીના ખુલાસાને લઈને મીડિયામાં જાહેર થયેલા અહેવાલોને ખોટા ગણાવતા ઈશરતની માતા શમીમા કૌસરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેની પુત્રી નિર્દોષ છે. કૌસર અનુસાર ઈશરતની હત્યા ગુજરાત પોલીસે કરી છે.શમીમાએ આરોપ લગાવ્યો છે કે મીડિયા અહેવાલો દ્વારા ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં ઈશરત કેસમાં સીબીઆઈ તપાસ સંબંધીત એક અપીલ વિચારણા હેઠળ છે. આ પહેલા ગુજરાતની એક મેજીસ્ટ્રેટ અદાલતે ઈશરતને નિર્દોષ ઠેરવતા એન્કાઉન્ટરને નકલી ગણાવ્યું હતું. ઈશરતની માતાએ કહ્યું હતું કે મારી પુત્રીને નિર્દોષ સાબિત કરવા માટે હું ચિદમ્બરમને અપીલ કરીશ કે તેઓ સંપૂર્ણ સ્થિતીની સ્પષ્ટતા કરે.ઉલ્લેખનીય છે કે સોમવારના રોજ મીડિયાના સૂત્રોના હવાલેથી જાહેર કરવામાં આવેલા અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ઈશરત લશ્કર-એ-તૈયબાની ફિયાદીન હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ હુમલાના આરોપી ડેવિડ કોલમેન હેડલીએ રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા ચાલી રહેલી પૂછપરછમાં આ વાત જણાવી હતી.
પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની ફિયાદીન આતંકવાદી હતી.
ગુજરાતમાં 2004માં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલી ઈશરત જહાં પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની ફિયાદીન આતંકવાદી હતી. પાકિસ્તાની મૂળના અમેરિકી આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીએ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની પૂછપરછમાં આ ધડાકો કર્યો છે.એક અગ્રણી અંગ્રેજી દૈનિકમાં આપવામાં આવેલા આ અહેવાલ મુજબ હેડલીએ એનઆઈએ દ્વારા કરવામાં આવી રહેલી પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે મુંબઈના ઠાણેની રહેવાસી ઈશરતને લશ્કર કમાન્ડર મુઝમ્મિલે ભારતમાં આતંક ફેલાવવાની જવાબદારી સોંપી હતી. મુઝમ્મિલ 2007 સુધી ભારતમાં લશ્કરની ગતિવિધીઓ સંભાળી રહ્યો હતો.મુંબઈ આતંકી હુમલાના આરોપી હેડલીનું આ નિવેદન ઘણું મહત્વનું માનવામાં આવે છે. હેડલીના નિવેદનથી ગુજરાત પોલીસના દાવાને સમર્થન મળે છે જેમાં કહેવામાં આવ્યું હતું કે ઈશરતને મુઝમ્મિલે કેટલાક ઉચ્ચકક્ષાના વ્યક્તિઓને મારવા માટે લશ્કરે મિશન પર ગુજરાતમાં મોકલ્યા હતા. અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે હેડલીએ 2006માં ભારતની મુલાકાત લીધી હતી ત્યારે મુઝમ્મિલ ભારતમાં લશ્કરનો પ્રમુખ હતો.ઉલ્લેખનીય છે કે 15 જૂન 2004માં અમદાવાત ખાતે ગુજરાત પોલીસે ઈશરત સહિત ચાર લોકોને લશ્કરના આતંકવાદી ગણાવતા એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. ઈશરત સાથે માર્યા ગયેલા લોકોમાં જાવેદ અને બે પાકિસ્તાની નાગરિક અમજદ અલી અને જિશાન જૌહર અબ્દુલ ગનીનું નામ સામેલ છે. ઈશરત એન્કાઉન્ટર મામલે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર વિવાદોમાં સપડાયા હતા.ગુજરાત પોલીસ અને રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે ઈશરત અને તેના સાથીઓ લશ્કરના આતંકવાદીઓ હતા અને તેઓ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા માટે ગુજરાતમાં આવ્યા હતા. જ્યારે ઈશરતની માતાએ પોતાની પુત્રી નિર્દોષ હોવાનું જણાવતા તેની હત્યાનો આરોપ લગાવ્યો હતો. ઈશરતની માતાનું કહેવું છે કે તેની પુત્રી સેલ્સવુમનનું કામ કરતી હતી અને તે પર્ફ્યુમનો વેપાર કરનારા જાવેદ શેખ માટે કામ કરતી હતી.જો કે ઈશરતના મૃત્યુ બાદ પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાનીક મુખપત્રમાં ઈશરતને લશ્કરની સભ્ય ગણતા તેના મોત પર અફસોસ વ્યક્ત કર્યો હતો. લશ્કરે ઈશરતના મોતનો બદલો ભારતીય પોલીસ પાસેથી લેવાની જાહેરાત પણ કરી હતી. પરંતુ બાદમાં 2007માં લશ્કરે જમાત-ઉદ-દાવાનું મહોરૂ પહેરી લેતા તેણે ઈશરતને આતંકી માનવાનો ઈનકાર કરી દીધો હતો. એટલું જ નહીં જમાતે ઈશરતને લશ્કર દ્વારા આતંકી ગણાવ્યા બદલ તેના પરિવાર પાસે માફી પણ માંગી હતી.
શું ઈશરત જહાં ત્રાસવાદી તાલીમ માટે પાકિસ્તાન ગઈ હતી કે નહીં...?
કોતરપુર વોટર વર્કસ નજીક એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલી મુંબઈના મુમ્બ્રાની રહેવાસી ઈશરત જહાં ખરેખર લશ્કર-એ-તોયબાના ફિદાઈન સ્કવોડની આતંકવાદી હતી તેવો ખુલાસો, મુંબઈ હુમલાના આરોપી ડેવીડ કોલમેન હેડલીએ કર્યો તે પછી શું ઈશરત જહાં ત્રાસવાદી તાલીમ માટે પાકિસ્તાન ગઈ હતી કે નહીં તે બાબતે એન આઈ એ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર જુન૨૦૦૪માં નરોડાના કોતરપુર વોટર વર્કસ નજીક અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઈશરત જહાં (૧૯), જાવેદ શેખ સહિત બે કથિત પાકિસ્તાન આતંકવાદીઓ ઝીશાન ઝોહર અને અકબરઅલી રાણાને એન્કાઉન્ટરમાં ઢાળી દીધા હતા. તે પછી ક્રાઈમ બ્રાન્ચ પર ઈશરત જહાંને બોગસ એન્કાઉન્ટરમાં ઠાર મારી હોવાના આક્ષેપો થયા હતા.આ દરમિયાન સૂત્રોએ જણાવ્યું હતું કે અમેરિકામાં પકડાયેલા મુંબઈ હુમલાના આરોપી ડેવીડ કોલમેન હેડલીએ, પૂછપરછ કરી રહેલા એન આઈ એના અધિકારીઓ સમક્ષ ઘટસ્ફોટ કર્યો હતો કે ઈશરત જહાં ખરેખર લશ્કર-એ-તોયબાના ફિદાઈન સ્કવોડની સભ્ય હતી. એન આઈ એનાં સૂત્રોનું કહેવું છે કે જો હેડલીના કહેવા પ્રમાણે ઈશરત જહાં આતંકવાદી હોય તો ત્રાસવાદી તાલીમ માટે તે જરૂર પાકિસ્તાન ગઈ હોવી જોઈએ. કારણ કે એલ ઈ ટીનો કમાન્ડર મુÍઝમીલ, ચકાસ્યા વગર કોઈની ભરતી કરતો નથી. તેથી એન આઈ એ દ્વારા હવે, ઈશરત જહાં પાકિસ્તાન ગઈ હતી કે નહીં તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રથમ તબક્કામાં ત્રાસવાદીઓને ૨૦૦૨ના કોમી રમખાણોની તસવીર અને વીડિયો સીડી બતાવવામાં આવે છે. ત્રાસવાદીઓના બ્રેઈન વોશ થયા બાદ તેમની ક્ષમતા પ્રમાણે મશિન સોંપવામાં આવે છે અને મશિનમાં જે હથિયારોની જરૂર હોય તે જ હથિયારોની તેમને તાલીમ આપવામાં આવે છે. જેમ કે ફિદાઈન સ્કવોડને વિસ્ફોટક સામગ્રી અને પિસ્તોલ ફાયરિંગની જ ટ્રેનિંગ આપવામા આવે છે.
લશ્કર-એ-તોઇબાના ટોચના કમાન્ડર મુઝમ્મીલે તેની ભરતી કર્યા હોવાનું કબૂલ્યું હતું
ગુજરાત પોલીસ અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓને મોટી રાહતરૂપ એક ઘટનાક્રમમાં પાકિસ્તાની મૂળના અમેરિકન ત્રાસવાદી ડેવિડ હેડલીએ કહ્યું છે કે મુંબઈની ઈશરત જહાં લશ્કર-એ-તોઇબાની આત્મઘાતી બોમ્બર હતી. તોઇબાના ટોચના કમાન્ડરે ઈશરતની ભરતી કરી હતી. ઈશરત અને તેના ત્રણ સાથીઓનું ગુજરાત પોલીસે અમદાવાદ નજીક એન્કાઉન્ટર કર્યું હતું. આ તમામ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટે આવ્યા હોવાનું પોલીસે કહ્યું હતું.હેડલીની પૂછપરછ માટે અમેરિકા ગયેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઈએ)ની ટીમ સમક્ષ હેડલીએ નિવેદન કરીને કહ્યું હતું કે લશ્કર-એ-તોઇબાના ટોચના કમાન્ડર મુઝમ્મીલે તેની ભરતી કર્યા બાદ તે આત્મઘાતી ટુકડીની સભ્ય બની ગઈ હતી. મુઝમ્મીલ ૨૦૦૭ સુધી ભારતમાં ત્રાસવાદી પ્રવૃત્તિ ફેલાવવાની કામગીરીની દેખરેખ કરતો હતો. હેડલીએ કહ્યું હતું કે ૧૫ જુન, ૨૦૦૪ના રોજ ઈશરતનું એન્કાઉન્ટર થયા બાદ તરત જ તોઇબાએ કબૂલ્યું પણ હતું કે ઈશરત તેની ફિદાયીન ટુકડીની સભ્ય હતી. પરંતુ ત્યારબાદ તોઇબાની પ્રવૃત્તિ પર પાકિસ્તાનમાં બ્રેક લાગતા તેને જમાત-ઉદ્-દાવા નામ અપાયું અને પછી આ નવા જુથે ઈશરત તેની સભ્ય હોવાનો ઈનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, અગાઉ તોઇબાએ કરેલી કબૂલાત અંગે પણ માફી માગી હતી.ઈશરત ઠાર મરાયા બાદ લશ્કર-એ-તોઇબાના મુખપત્ર ‘ગઝવા ટાઈમ્સ’એ ઈશરત તોઇબાની જ સભ્ય હોવાનું કહ્યું હતું અને ગુજરાત પોલીસે ઈશરતનો બુરખો હટાવ્યો તે અંગે વાંધો પણ લીધો હતો. પરંતુ ત્યારબાદ ૨૦૦૭માં તોઇબાના વલણમાં નાટયાત્મક પરિવર્તન આવી ગયું. જમાત-ઉદ્-દાવાએ ઈશરતને ફિદાયીન કહેવા બદલ તેના કુટુંબીઓની માફી માગી હતી. યોગાનુયોગ આ જ સમય આસપાસ ઈશરતની સાથે માયૉ ગયેલા પ્રણેશ પિલ્લઈ ઉફેઁ જાવેદ શેખના પિતા ગોપીનાથ પિલ્લઈએ પોતાના પુત્રની હત્યાની ઘટનાની સીબીઆઈ દ્વારા તપાસની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી.ઉલ્લેખનીય છે કે ઈશરત અને જાવેદ તથા અમજદઅલી અને જિશાન જોહર અબ્દુલ ગની એ ચારેયનું ૧૫ જુન, ૨૦૦૪ના રોજ એન્કાઉન્ટર કરાયું હતું. સોહરાબુદ્દીન અને કૌસરબીના બનાવટી એન્કાઉન્ટર કેસને પગલે ગુજરાત પોલીસ પર ઈશરત કેસમાં પણ શંકાની સોય તાકવામાં આવી હતી. ઈશરતની માતાનો દાવો હતો કે તે સેલ્સગર્લ તરીકે નોકરી કરતી હતી. હેડલીની કબૂલાતથી હવે ગુજરાત પોલીસને રાહત થઈ છે.
રતન ટાટાની ગુજરાતને વધુ એક ભેટ -- ગુજરાતમાં દેશનો સૌથી મોટો સોલર પીવી પ્લાન્ટ મીઠાપુર ખાતે સ્થપાશે
ગુજરાતમાં દેશનો સૌથી મોટો સોલર પીવી પ્લાન્ટ મીઠાપુર ખાતે સ્થપાશે. ગુજરાતમાં ટાટા પાવર અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટ (યુએમપીપી) મુન્દ્રા ખાતે સ્થાપયા બાદ હવે કંપનીએ મીઠાપુર ખાતે 50 મેગાવોટ સોલર ફોટોવોલ્ટિક પાવર (પીવી) પ્લાન્ટ મીઠાપુર ખાતે સ્થાપવાનું નક્કી કર્યું છે.'દેશમાં સૌથી મોટો સિંગલ સોલર ફોટોવોલ્ટિક ગુજરાતમાં મીઠાપુર ખાતે સ્થપાશે' તેમ કંપનીએ તેની વેબસાઇટમાં જણાવ્યું છે. છતાંય ટાટા પાવર સત્તાવાર રીતે આ અંગે કંઇપણ માહિતી આપવા માટે તૈયાર નથી. કંપનીનો કેમિકલ પ્લાન્ટ મીઠાપુર ખાતે કાર્યરત છે.ગયા વર્ષે રાજ્ય સરકારે 716 મેગાવોટ સોલર પાવર કેપેસીટી માટે 34 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ ડેવલપર્સને વહેંચણી કરી હતી. ઘણી બધી કંપનીઓએ ગુજરાતમાં સોલર પાવર પ્રોજેક્ટ માટે રસ દાખવ્યો હતો.અમેરિકા સ્થિત વિલિયમ જે.ક્લિન્ટન ફાઉન્ડેશન, ક્લિન્ટન ક્લાઇમેટ ઇનિશિએટિવ (સીસીઆઇ)એ ગુજરાત સરકાર સાથે પાંચ સોલર પાર્ક ઉભા કરવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. જેની ક્યુમ્યુલેટિવ પાવર જનરેશન ક્ષમતા 3000 મેગાવોટ હશે.એનટીપીસી અને જીપીસીએલ એ પણ સોલર પાવર પ્લાન્ટ માટે રાજ્ય સરકાર સાથે કરાર કર્યો છે. અદાણી પાવર પણ રાજ્યમાં 100 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટ માટે કાર્ય કરી રહી છે.ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડે 420 મેગાવોટ સોલર પાવર માટે 'પાવર પર્ચેસ એગ્રીમેન્ટ' (PPAs) 28 કંપનીઓ સાથે કર્યો છે.
શ્રીનગરના બટમાલૂ વિસ્તારમાં ફરી સ્થિતી વણસી, બેના મોત
શ્રીનગરના બટમાલૂ વિસ્તારમાં પથ્થરમારો કરી રહેલી ભીડ પર સુરક્ષા અધિકારીઓ દ્રારા કરવામાં આવેલી ગોળીબારીમાં એક વ્યક્તિનું મૃત્યું નિપજ્યું છે. ભીડ એક વ્યક્તિના મૃત્યુના વિરોધમાં પ્રદર્શન કરી રહી હતી, જેનું વિસ્તારમાં એક પ્રદર્શન દરમિયાન નાળામાં પડી જવાથી મૃત્યું થયું હતું.પોલીસે જણાવ્યું હતું કે પ્રદર્શન સોમવારે મોડી રાત્રે શરૂ થયું હતું. જ્યારે લોકોના એક ટોળાએ સુરક્ષાદળની ટુકડી પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. સુરક્ષાદળે પ્રદર્શનકારીઓને ભગાડ્યા ત્યાર બાદ પ્રદર્શનમાં સામેલ મુજફ્ફર અહમદ નામનો વ્યક્તિ નાળા પડી ગયો હતો. જેના લીધે તેનું મોત નિપજ્યું હતું.પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે આજે સવારે ફરી એકવાર પ્રદર્શન શરૂ થઇ ગયું હતું. પ્રદર્શન દરમિયાન ભીડે સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પ્રદર્શનકારીઓએ સુરક્ષાદળોને ચારે તરફ ઘેરી લીધા હતા. જેના લીધે તેમણે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો અને ટીયરગેસના સેલ પણ છોડ્યા હતા. જેનાલીધે ફયાજ અહમદ વાની નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ વિસ્તારમાં તણાવગ્રસ્ત સ્થિતી સર્જાતા અહીં વધુ પોલીસ કાફલો મોકલી આપવામાં આવ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં અધિકારીઓએ સ્કૂલ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવાની જાહેરાત કરી દીધી છે.
છોકરીના બદલામાં છોકરી આપવાનો પંચાયતનો આદેશ
ગ્રેટર નોઇડામાં પંચાયતના એક તખલધી આદેશે કાયદાના ધજાગરા ઉડાવી દીધા છે. ગ્રેટર નોઇડા નજીક આવેલા માયચા અને દૌલા ગામના છોકરો-છોકરીએ ભાગીને લગ્ન કર્યા હતા, જેના લીધે નારાજ પંચાયતે કહ્યું છે કે છોકરીના બદલામાં છોકરી આપો નહીંતર બંન્નેને મારી નાખીશું. મળતી માહિતી મુજબ દૌલા ગામના સંજયે માયચા ગામની પ્રીતી નામની છોકરી સાથે ભાગીને લગ્ન કર્યા હતા. કહેવામાં આવે છે કે બંનેને દોઢ વર્ષ પહેલાં પ્રેમ થયો હતો. ત્યારબાદ બન્નેએ પરિવારજનો વિરૂધ્ધ છાનામાન લગ્ન કરી લીધા હતાં. બાદમાં 24 જૂનના રોજ બંને કહ્યા વિના ગામમાંથી ચાલ્યા ગયાં હતાં. આ વાતને લઇને માયચા ગામની પંચાયતની ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. પંચાયતે છોકરાના પરિવારજનોને આદેશ કર્યો હતો કે છોકરો- છોકરી બન્નેને શોધીને અમારી સામે લાવો. અમે તેમને મારી નાખીશું. આટલુ જ નહીં પંચાયતે કહ્યું હતું કે જે રીતે દૌલા ગામના છોકરાએ અમારા ગામની છોકરી સાથે લગ્ન કર્યાં છે, તે મુદ્દે છોકરાવાળા અમારા ગામને છોકરી આપે, ત્યારે હિસાબ બરાબર થશે. જો આમ નહીં કરવામાં આવે તો અમારા ગામના છોકરા તમારા ગામની સ્ત્રીઓ અને છોકરીને ઉપાડી જશે. પંચાયતની આ જાહેરાત બાદ છોકરાના પરિવારજનો અને ગામના લોકો ઘર-બાર છોડીને ચાલ્યા ગયા છે. આ ઘટના બાદ ગ્રેટર નોઇડા પોલીસ સ્ટેશનમાં પંચાયત અને છોકરીના પરિવારના કુલ 4 લોકો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. સ્થિતીની ગંભીરતાને ધ્યાનમાં રાખતાં માયચા અને દૌલા ગામમાં પોલીસે ડેરો જમાવી દીધો છે.પોલીસની હાજરી જોતાં માયચા ગામની પંચાયતમાં સામેલ લોકો ફરાર થઇ ગયાં છે.
ઓસ્ટ્રેલિયા: સિડનીમાં ભારતીય રેસ્ટોરન્ટમાં બોમ્બ વિસ્ફોટ!
સિડનીમાં એક ભારતીય રેસ્ટોરન્ટમાં આગ લાગી ગઈ હતી. એવું કહેવામાં આવે છે કે વિસ્ફોટને કારણે આગ લાગી હોવાની શક્યતા છે. પોલીસ હાલમાં આ ઘટનાને બોમ્બ વિસ્ફોટ સાથે કોઈ સબંધ છે કે નહીં તે અંગે તપાસ કરી રહી છે. સોમવારે રાત્રે બનેલા આ બનાવમાં સંપૂર્ણ રેસ્ટોરન્ટ આગની લપેટમાં આવી ગઈ હતી. પોલીસને એવી શંકા છે કે આગ જાણી જોઈને લગાડવામાં આવી હતી. ઘટના સમયે રેસ્ટોરન્ટમાં રહેલા ચાર લોકો હતાં, જે બચી ગયા હતાં. સિડની મોર્નિંગ હેરાલ્ડના જણાવ્યા પ્રમાણે ક્વીન્સલેન્ડ સ્ટ્રીટ સ્થિત આવેલી કોપર ટિફિન નામની આ રેસ્ટોરન્ટમાં થોડા સમય પહેલા બોમ્બ વિસ્ફોટની ધમકી મળી હતી. ઘટનાને નજરે જોનાર વ્યક્તિના જણાવ્યા પ્રમાણે રાત્રે 11 વાગીને 30 મિનિટની આસપાસ હોટલમાં બોમ્બ વિસ્ફોટ જેવો જોરદાર અવાજ સંભળાયો હતો. જેના કારણે હોટલના બારી બારણાનો કાટમાળ ઉડીને રસ્તા પર પડ્યો હતો.ઘટનાને નજરે જોનાર વ્યક્તિના જણાવ્યા પ્રમાણે તેણે ચાર જેટલા લોકોને હોટલની બારીમાંથી કૂદીને બહાર નિકળતા જોયા હતાં. હોટલ ખાતે એકઠા થયેલા લોકોના જણાવ્યા પ્રમાણે હોટલમાં આગ લાગ્યા બાદ ત્યાંથી બે વ્યક્તિઓ ભાગીને જતાં જોવા મળ્યા હતાં. ત્યાર બાદ હોટલમાં વધુ એક વિસ્ફોટ થયો હતો જેના કારણે રેસ્ટોરન્ટનો આગળનો ભાગ ધરાશયી થઈ ગયો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે આગ જાણી જોઈને લગાડવામાં આવી છે, તેમજ પોલીસ હાલમાં આગ લગાડનાર બે વ્યક્તિની શોધખોળ કરી રહી છે. વિસ્ફોટના કારણે હોટલની સંપતિને નુકશાન થયું હતું. તેમજ હોટલની ઉપર રહેલા ચાર લોકો બચી જવા પામ્યા હતાં. પરંતુ આગના ધુમાડાની લપેટમાં આવી જતાં તેમને હોસ્ટિલમાં ખસેડવામાં આવ્યા હતાં. એનએસડબલ્યૂ ફાયબ્રિગેડના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે આગ પર કાબૂ મેળવવા માટે 20 જેટલી ફાયર ગાડીઓને કામે લગાડવામાં આવી હતી. આગ લાગવાના ચોક્કસ કારણ અંગે હજી સુધી જાણી શકાયું નથી.
ભારતમાં રાંધણ ગેસ અને કેરોસીન પાડોશી દેશો (સાઉથ એશિયા)ની સરખામણીમાં સૌથી સસ્તા
શું તમે જાણો છો કે ભારતના પાડોશી દેશોમાં કેરોસીન અને રાંધણ ગેસના ભાવો કેટલાં છે? અને શું તમને ખબર છે કે પાડોશી દેશોમાં વેચાનાર પેટ્રોલ અને ડિઝલ ભારતમાં વેચાનાર પેટ્રોલ-ડિઝલની સરખામણીમાં સસ્તા કેમ છે? જો કે, ભારતમાં રાંધણ ગેસ અને કેરોસીન પાડોશી દેશો (સાઉથ એશિયા)ની સરખામણીમાં સૌથી સસ્તા છે, જ્યારે પેટ્રોલ અને ડિઝલ ઉપરથી અહિં મોઘા છે પરંતુ સાથો સાથ સારી ક્વોલિટીના પણ છે.પાડોશી દેશોમાં એક સામાન્ય દિવસ (4 જૂન)માં વેચાનાર ચીજોની કિંમત જાણવા જેવી છે. તેની કિંમતો સાથે આપણી કિંમતોની સરખામણી કરવા જેવી છે. સરખામણીમાં એ દિવસે તે દેશોની કરન્સી સાથે ડોલર રેટ્સને માપદંડ બનાવ્યો તો આપણી સામે તથ્ય આવ્યું, તે આ પ્રમાણે છે.કાઠમંડુમાં 1 જૂનના રોજ વેચાઇ રહેલા પ્રતિ લિટર પેટ્રોલની કિંમત રૂ.51.26 છે. જ્યારે દિલ્હીમાં તે રૂ.51.43 છે. ઢાકામાં રૂ.49.71 અને કોલંબોમાં રૂ.47.24 છે. જો કે કરાચીમાં તે રૂ.36.41 છે.ભારતમાં સુપીરિયર ક્વોલિટીના યુરો-4 ડિઝલની કિંમત રૂ.40.10 છે. કરાચીમાં સામાન્ય રીતે ટ્રાન્સપોર્ટ માટે સૌથી વધુ ઉપયોગ થનાર ફયુઅલ રૂ.41.44 લિટર છે જ્યારે કાઠમંડુમાં રૂ.39.24 અને કોલંબોમાં રૂ.29.90, ઢાકામાં રૂ.29.43 છે.આમ, તો જાણકારો કહે છે કે ઇંધણની કિંમતોમાં તફાવત ઇંધણની ક્વોલિટીમાં તફાવતના લીધે છે કારણ કે ભારતમાં કોશિશ કરવામાં આવી રહી છે ક્લીનર ઇંધણની તરફ રૂખ કરવામાં આવે.
કચ્છની દુર્ગમ સરહદેથી પીલર નં.૧૧૧૮/૩/૫ નજીકથી મહમદ રહીશ ઝહિર પઠાણ (ઉ.વ.૩૫) આતંકવાદી ઝડપાયો
કચ્છ સરહદેથી ઝડપાયેલા સ્વાતના ઘૂસણખોરની એજન્સીઓએ રાબેતા મુજબ કડક પૂછતાછ કરી હતી પણ તે ‘પાગલ’ જેવો હોવાનું અને સ્વાત-સ્વાત બોલે છે તે સિવાય કોઇ જ ઠોસ વિગતો ખૂલી નથી.રવિવારે બપોરે ૧૧:૦૦ કલાકે કચ્છ સરહદેથી બોર્ડર પીલર નં.૧૧૧૮/૩/૫ નજીકથી મહમદ રહીશ ઝહિર પઠાણ (ઉ.વ.૩૫)વાળો જયાં આતંકવાદી પ્રવૃત્તિઓ ધમધમે છે તે સ્વાતખીણ નજીકના વિસ્તારમાં વસતો પાક ઘૂસણખોર મળી આવ્યો હતો. જયાં ચકલું પણ ફરકતું નથી એ રણવાળા અતિ દૂર્ગમ વિસ્તારમાંથી એક જ સપ્તાહમાં બીજો ‘પાકિસ્તાની’ પાગલ ઘૂસી આવ્યો છે તે બાબત શંકા તથા ચિંતાજનક છે.આ અંગે નરા પોલીસ મથકના તપાસનીશ પીએસઆઇ એલ.જે તલસાણીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, તેને એસ.ઓ.જી.માં લઇ જવાયો છે અને એજન્સીઓ દ્વારા તમામ મુદ્દે સંયુકત રીતે પૂછતાછ ચાલી રહી છે. તે સ્વાત-સ્વાત એવું બોલે છે. દૂર્ગમ વિસ્તાર પાર કરીને તે કઇ રીતે ઘુસી આવ્યો તે મોટો સવાલ છે. તે પાગલ જેવો લાગે છે અને અત્યંત થાકી ગયેલો છે પૂછતાછમાં આંખો મીંચી જાય છે.જો કે તે આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોય તેવું કંઇ જણાયું નથી. તેની પાસેથી એક ડાયરી મળી છે તેમાં લીટા તાણેલા છે, એ સિવાય કંઇ નથી. અનેક વખત ફેરવી-ફેરવીને પૂછવા છતાં તે કંઇ બોલતો નથી. તેને સંભવત: આજે જે આઇસીમાં ખસેડાશે.
મહેન્દ્ર સિંહ ધોની તેની પત્ની સાક્ષી સાથે મંગળવારના રોજ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મળ્યો
ટીમ ઈન્ડિયાનો નવપરિણીત સુકાની મહેન્દ્ર સિંહ ધોની મંગળવારના રોજ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મળ્યો હતો.
ધોની તેની પત્ની સાક્ષી અને ક્રિકેટર મિત્ર આરપી સિંહ સાથે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસ સ્થાન 10 જનપથ ખાતે રાહુલ ગાંધીને મળ્યો હતો, તેમ બીસીસીઆઈના ટોચના સૂત્રએ જણાવ્યું હતું.સૂત્રએ કહ્યું હતું કે મુલાકાત પહેલા મુલાકાતનો સમય લેવામાં આવ્યો હતો અને આ મુલાકાત સ્વાભાવિક જ હતી.ધોની સોનિયા ગાંધીને મળ્યો હતો કે નહીં તે અંગે સૂત્રએ જણાવ્યું હતું કે ફક્ત રાહુલ ગાંધીને મળવા માટે જ સમય મેળવવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે ધોનીએ રવિવારના રોજ દેહરાદૂન ખાતે સાક્ષી રાવત સાથે લગ્ન કરીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. મીડિયા કે તેના સાથી ખેલાડીઓને પણ ધોનીના લગ્નની જાણ નહોતી. તથા લગ્ન બાદ પણ ધોની હજી સુધી મીડિયા સામે આવ્યો નથી.
ભારતીય ક્રિકેટ ટીમના ફિઝિયોથેરાપિસ્ટ ડો.નીતિન પટેલ છે
આગામી વર્ષ ૨૦૧૧માં યોજાનાર વર્લ્ડકપ માટે હોટ ફેવરિટ ગણાતી ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ હાલમાં એકદમ ફીટનેસ ધરાવે છે અને વર્લ્ડકપને અનુલક્ષીને તેની તૈયારીઓ પણ ચાલી રહી છે’ તેમ ભારતીય ક્રિકેટ ટીમના ફિઝિયો ડો.નીતિન પટેલે જણાવ્યું હતું.ઉત્તર ગુજરાતના બહુચરાજી તાલુકાના ડોડીવાડા ગામના વતની અને ભારતીય ક્રિકેટ ટીમના ફિઝિયોથેરાપિસ્ટ ડો.નીતિન પટેલ તાજેતરમાં માદરે વતનમાં એક સામાજિક પ્રસંગે આવ્યા હતા. આ સમયે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૧માં યોજાનાર વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીએા સંપુર્ણ ફીટનેસ ધરાવતા હોઇ આપણી ટીમ વર્લ્ડ કપના દાવેદાર માટે હોટ ફેવરિટ છે.ડો.પટેલે એમ પણ જણાવ્યું કે, ‘ભારતીય ટીમના ખેલાડીઓ વિશ્વની અન્ય ટીમોના ખેલાડીઓ કરતાં ગમે તે વાતાવરણમાં ઝડપથી સેટ થઇ જાય છે અને ફીટનેશ પણ તેમના કરતાં ઘણી સારી ધરાવેછે. આગામી વર્લ્ડકપને ધ્યાને રાખી ટીમના તમામ ખેલાડીઓની ફીટનેશ અંગે તમામ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને તેની તૈયારીઓ પણ ચાલી રહી છે. ધોનીની કેપ્ટનશી અને ટીમ સ્પિરિટના વખાણ પણ તેમણે કર્યા હતા. માદરે વતન ડોડીવાડા પધારેલા ભારતીય ક્રિકેટટીમના ફિઝિયો ડો.નીતિન પટેલ- ટ્વેન્ટી-૨૦વર્લ્ડકપમાં હારનું કારણ ફીટનેશ નહીં પણ મલ્ટીપલ ફેકચર કારણભૂત અગાઉ ટ્વેન્ટી-૨૦વર્લ્ડકપમાં થયેલી ભારતની નાલેશીભરી હાર અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, ‘એના માટે ખેલાડીઓની ફીટનેશ નહીં પરંતુ તેમને થયેલા મલ્ટીપલ ફેકચર કારણભૂત હતા.’
પેટ્રોલ-ડીઝલના ભાવવધારા અને મોંઘવારી વિરુદ્ધ સુરત જડબેસલાક સ્વયંભૂ બંધ
કેન્દ્ર સરકાર દ્વારા નંખાયેલા પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારા અને ભડકે બળી રહેલી મોંઘવારીના વિરોધમાં સોમવારે ભાજપ તેમજ વિરોધ પક્ષોએ આપેલા ‘ બંધ કોલ’ને સુરતની જનતા જનાર્દને જબરદસ્ત પ્રતિસાદ આપ્યો હતો અને પાર્લેપોઇન્ટ, ઘોડદોડ રોડ, તથા વરાછા, કતારગામ, ઉધના સહિતના મોટાભાગના વિસ્તારોમાં સ્વંભૂ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. જેના પરિણામે શહેરના વ્યાપાર ધંધાન અસર થતાં રૂ. ૧૦૦૦ કરોડની આર્થિક વ્યવહાર ખોરવાયો.શહેરમાં જુદા-જુદા અડધો ડઝન જેટલાં સ્થળોએ બનેલા ઘર્ષણના બનાવોને બાદ કરતાં એકંદરે શાંતિ રહી હતી. શહેર પોલીસે કુલ ૩૫૦ જેટલા લોકોની અટકાયત કરી હતી. જેમાં સુરત પશ્ચિમના ધારાસભ્ય કિશોર વાંકાવાલા તેમજ કેટલાંક કોર્પોરેટરનો પણ સમાવેશ થાય છે.
ભારત સરકારે કરેલા ભાવવધારાને કારણે વધી રહેલી મોંઘવારીના મુદ્દે દેશભરના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે ભાજપ સહિતના વિરોધ પક્ષ દ્વારા કેન્દ્રની આ નિતી સામે તા. ૫મી જુલાઇ સોમવારે ‘બંધનું એલાન ’ આપ્યું હતું. જેના અનુસંધાનમાં ગુજરાતની જનતા જનાર્દન વતી ગુજરાત સરકારે પણ પોતાનો વિરોધનો સૂર વ્યક્ત કરવાનું નક્કી કર્યું હોવાથી રવિવારથી જ રાજ્ય સરકારના મોભીઓ તેમજ પક્ષના કાર્યકરો કામે લાગી ગયા હતા.સવારે આઠેક વાગ્યાથી બંધનું વાતાવરણ જામતુ ગયું હતું અને ભાજપ તેમજ અન્ય વિરોધ પક્ષના કાર્યકરો કેસરી પટ્ટા સાથેરસ્તા પર ઉતર્યા હતા અને જુદા-જુદા વિસ્તારમાં સવારે ખોલવામાં આવેલી દુકાનો બંધ કરાવવા લાગ્યા હતા. જોકે, દુધ અને મેડિકલની દુકાનો માટે છુટ્ટી રાખવામાં આવી હતી આ સિવાઇ ચાની કિટલીઓના માલિકોએ પણ બંધ રાખીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. દિવસ દરમિયાન પેટ્રોલપંપો બંધ રહેતા લોકો હાલાકીમાં મુકાઇ ગયા હતા.દરમિયાન દિલ્હી ગેટ પાસે કેટલીક રિક્ષાઓ દેખાતા બંધ કરાવવા નીકળેલા લોકોએ તેમની પર પથ્થરમારો શરૂ કરતાં રિક્ષા ચાલકો ભાગી ગયા હતા. ત્યારબાદ મહિધરપુરા હીરાબજારમાં કેટલીક ઓફિસો ચાલુ હોવાની માહિતી મળતાં ભાજપના કાર્યકરોનું ટોળું ત્યાં પહોંચી ગયું હતું અને આ ઓફિસો બંધ કરાવી દીધી હતી. શહેરની ટેક્સટાઇલ માર્કેટ, રિંગરોડ પર અન્ય વ્યવસાયની દુકાનો બંધ રહી હતી
જ્યારે વરાછા,કતારગામ,પૂણા, કાપોદ્રા વિસ્તારમાં પણ પાનના ગલ્લા સહિતના ધંધાર્થીઓએ પોતાના ધંધાના સ્થળો બંધ રાખ્યા હતા. આ બાજુ ઉમરા, પિપલોદ,ગૌરવપથ રોડ,ઘોડદોડ રોડ સહિતના તમામ પોશ વિસ્તારોમાં પણ સૌ વેપારીઓએ સ્વયંભૂ રીતે શોરૂમ-દુકાનો બંધ રાખીને મોંઘવારીનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તો પાંડેસરા,સચિન તેમજ કતારગામ જીઆઇડીસીના મોટાભાગના યુનિટો ચાલુ રહ્યા હતા.
ભાવનગર શહેર-જિલ્લામાં મેઘાની અમૃત વર્ષાથી પ્રજાજનોમાં હર્ષોલ્લાસની લાગણી
ભાવનગર શહેર-જિલ્લામાં છેલ્લાં બે દિવસથી વ્યાપક અને સચરાચર વરસાદથી ખેતરમાં મોલાતને નવજીવન મળ્યું છે તો શેત્રુંજી ડેમ સહિતના જળાશયોમાં નવા નીર આવતા પ્રજાજનોમાં હર્ષોલ્લાસની લાગણી પ્રસરી વળી છે.વાતાવરણની સાથે પ્રજાજનોમાં પણ હૈયે ટાઢક વળી ગઈ છે. જિલ્લામાં સરેરાશ વરસાદ ૫.૧૩ ઈંચને આંબી ગયો છે. કુલ વરસાદ ૨૫.૧૨ ઈંચ હોય સિઝનનો અત્યાર સુધીમાં કુલ ૨૦.૪૨ ટકા વરસાદ વરસી ગયો છે. આજે પણ જિલ્લામાં હળવા-ભારે ઝાપટાથી લઈ દોઢથી બે ઈંચ વરસાદના વાવડ છે.ભાવનગર જિલ્લામાં આજે પણ મેઘરાજા મહેરબાન રહ્યા હતા. આજે સવારથી જ ભાવનગર શહેરમાં પવન સાથે વરસાદ વરસવો શરૂ થયો હતો. બપોરે ધોધમાર સ્વરૂપે અડધી કલાકમાં એક ઈંચ વરસાદ વરસી ગયો હતો. આજે સાંજ સુધીમાં ભાવનગર શહેરમાં ૩૬ મીમી વરસાદ (દોઢ ઈંચ) વરસતા સિઝનનો કુલ વરસાદ ૨૫૬ મીમી, એટલે કે દસ ઈંચના આંકડાને વટાવી ગયો છે.જોકે ગૌરીશંકર સરોવર હજી નવા નીરની આવક શરૂ થઈ નથી. છેલ્લાં બે દિવસની વ્યાપક વર્ષાથી જિલ્લાના ૧૧ પૈકી ૯ તાલુકામાં સિઝનનો કુલ વરસાદ ૧૦૦ મીમી (ચાર ઈંચ)ને વટાવી ગયો છે. માત્ર ઉમરાળા અને ગારિયાધાર તાલુકા જ ચાર ઈંચની મેઘમહેરથી વંચિત રહ્યાં છે.ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ભાવનગર શહેરમાં સર્વાધિક ૨૫૬ મીમી અને ગારિયાધાર તાલુકામાં સૌથી ઓછી ૪૮ મીમીની મેઘમહેર વરસી છે. અતાયેર પણ ચોતરફ કાળા ડીબાંગ વાદળો સાથે ચોમાસુ જામી ગયુ હોય તેવો માહોલ હોય હજી વધુ વરસાદની પૂરી આશા છે.તળાજામાં આજે પણ ધીમીધારે વરસાદ શરૂ રહ્યો હતો. આજે સવારથી સાંજના ૪ વાગ્યા સુધીમાં ૧૭ મીમી વરસાદ વરસતા સિઝનનો કુલ વરસાદ ૧૬૪ મીમી થયો હતો.જેસરમાં દોઢ ઈંચ જેટલો વરસાદ થતાં મુરઝાતી મોલાતને નવજીવન મળ્યું છે.પાલીતાણા પંથકમાં ગતરાત્રિના જ ધીમીધારે વરસાદી ઝાપટા શરૂ થયેલ અને સવારના સાત કલાકથી સાંજના છ સુધી ધીમીધારે વરસાદ શરૂ રહેતા ૪૩મીમી વરસાદ નોંધાયેલ જ્યારે મૌસમનો કુલ ૧૪૯ મી.મી. વરસાદ નોંધાયેલ જ્યારે શેત્રુંજી ડેમની સપાટી ૧૧ ફૂટ ૯ ઈંચ પહોંચેલ છે.મહુવા શહેર અને તાલુકામાં આજે પણ સવારથી જ વાદળછાયુ વાતાવરણ રહેલ. દિવસ દરમિયાન છુટોછવાયો ૩૧ મીમી વરસાદ પડતા મોસમનો કુલ વરસા ૧૪૯ મીમી (૭ ઈંચ) થવા જાય છે. બોટાદ શહેરમાં આજરોજ બપોરનાં ઝરમર ઝરમર વરસાદ પડ્યો હતો. અને લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. સિહોર તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકમાં આજે પણ મેઘરાજાની મહેર ચાલુ રહેવા પામી હતી. સિહોર શહેરમાં ૨૮ મિ.મિ. ઇંચ વરસાદ વરસી જતા મોસમનો કુલ વરસાદ ૧૨૮ મિ.મિ. થવા પામ્યો હતો.
કડીના પોલીસકર્મી પર ફાયરિંગ
સબજેલમાં ફરજ બજાવતા હે.કો. ડ્યૂટી પૂર્ણ કરી માતાની ખબર પૂછવા વતન જઈ રહ્યા હતા ત્યારે ખેરપુર નજીક ચાર અજાણ્યા શખ્સોને પડકારતાં ઘર્ષણ સર્જાયું. કડી-નંદાસણ હાઈવે ઉપર ખેરપુર નજીક સોમવારે પરોઢિયે બાઈક ઉપર જઈ રહેલા પોલીસકર્મીએ શંકાને આધારે ક્વોલિસ ગાડીમાં જઈ રહેલા શખ્સોની પૂછપરછ કરતાં આ અજાણ્યા શખ્સોમાંના એકે પોલીસકર્મી ઉપર ફાયરિંગ કરતાં ચકચાર પ્રસરી છે. આ ઘટનામાં પોલીસકર્મીના મોઢા પર મારવામાં આવેલી ગોળી તેના જડબામાં ઘૂસી જતાં લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે પહેલાં મહેસાણાની સિવિલમાં અને ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે ફાયરિંગ કરીને નાસી છુટેલા શખ્સોને ઝડપી લેવા માટે જિલ્લાભરમાં નાકાબંધી તેમજ વાહનચેકીગ સહિતની પોલીસ દોડધામ દિવસભર રહી હતી. કડી સબજેલમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા હે.કો. લક્ષ્મણભાઈ જેમરભાઈ રબારીનાં માતાની તબિયત ખરાબ હોઈ સોમવારે વહેલી સવારે ફરજ પૂરી કરી બાઈક પર પોતાના વતન કંસારાકુઈ જવા રવાના થયા હતા. આ દરમિયાન સાડા છ વાગ્યાના અરસામાં ખેરપુર રોડ પર આસમાની રંગની મહારાષ્ટ્ર પાસિંગની ક્વોલીસ ગાડીમાં બેઠેલા ચાર શખ્શો શંકાસ્પદ જણાતાં તેઓએ તેમની નજીક જઈ પૂછપરછ શરૂ કરી હતી. જો કે, આ શખ્શોએ યુનિફોર્મમાં સજજ આ પોલીસકર્મીને તુ તારૂ કામ કર અને અમને અમારું કામ કરવા દે તેવું સંભળાવી દેતાં ઘર્ષણ સર્જાયું હતું. જો કે, થોડી જ વારમાં ઉશ્કેરાયેલા ચાર શખ્શો પૈકીના એકે પિસ્તોલ જેવા હથિયારથી લક્ષ્મણભાઈ રબારી પર ફાયરિંગ કરી આ શખ્સો ગાડી લઈને નાસી જતાં પરોઢિયે સૂમસામ આ હાઈવે ઉપર સન્નાટો પ્રસરી ગયો હતો.બીજી બાજુ આ ફાયરિંગથી ગોળી પોલીસ કર્મીના તાળવામાં ફસાઈ જતાં તેઓની હાલત ગંભીર બની જવા પામી હતી. જો કે, લોહીલુહાણ હાલતમાં લક્ષ્મણભાઈ રબારી બાઈક પર નંદાસણ આવ્યા બાદ મહેસાણા તરફ જતી લકઝરીમાં બેસી મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. હે.કો. લક્ષ્મણભાઈની હાલત ગંભીર જણાતા તેઓને વધુ સારવારમાટે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ઈજાગ્રસ્ત લક્ષ્મણભાઈએ મહેસાણા ડીવાયએસપી પઠાણ સમક્ષ આપેલા નિવેદનના આધારે કડી પોલીસે ક્વોલીસ ગાડીમાં આવેલા અજાણ્યા ચાર શખ્શોની વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.શંકાસ્પદ જણાતા શખ્શોને પડકારનાર પોલીસ કર્મી લક્ષ્મણભાઈ રબારીએ તેઓ સંબંધે કડી પોલીસને પોતાના મોબાઈલ દ્વારા જાણ કરવા પ્રયાસ કર્યો હતો. જો કે, ઝડપાઈ જવાના ડર વચ્ચે પોલીસ કર્મીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લીધા બાદ અજાણ્યા શખ્શે તેમના પર ફાયરિંગ કર્યુ હતું. નોંધનીય છે કે, પોલીસ કર્મીએ તમે ગુનેગાર જેવા જણાઓ છો તેવું કહેતા જ ચારે શખ્શો ભયભીત બની ગયા હતા.અજાણ્યા શખ્સો દ્વારા કડીના પોલીસકર્મી ઉપર કરાયેલા ફાયરિંગના પગલે જિલ્લા પોલીસ વડા રાજુ ભાર્ગવ સહિત પોલીસ અધિકારીઓ હોસ્પિટલમાં દોડી ગયા હતા. તેમજ એક તરફ બંધના એલાનના પગલે પોલીસકર્મીઓ વહેલી સવારથી જ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્ટેન્ડટૂ હતા ત્યારે પોલીસકર્મી પર થયેલું ફાયરિંગ પોલીસબેડામાં પણ ચર્ચામાં રહ્યું હતું.
બોરસદ નગરની એક કિશોરીને ભગાડી જઇ બળાત્કાર ગુજારતાં ચકચાર
ચાર દિવસ સુધી કિશોરીને જુદા જુદા સ્થળોએ લઇ જઇ બળાત્કાર ગુજારી તેને લઇને યુવક બોરસદ આવતાં કિશોરીના વાલીએ તેઓને પકડી પોલીસના હવાલે કર્યા. બોરસદ નગરની એક સગીર બાળાને નગરનો એક યુવક લગ્નની લાલચ આપી જુદા જુદા સ્થળોએ લઇ જઇ તેની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ બોરસદ પોલીસ મથકે નોંધાવા પામી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બોરસદમાં રેહતા અમીતભાઇ પ્રવિણભાઇ જોષી છેલ્લા કેટલાક સમયથી બોરસદમાં જ રહેતી એક પંદર વર્ષની કિશોરીના પ્રેમમાં હતા દરમિયાન ગત તા. ૧-૭-૧૦ના રોજ અમીતભાઇ આ કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. બોરસદથી નીકળી જીતપુર ગયા હતા જ્યાં રાત રોકાઇ અમીતે યુવતીની મરજી વિરૂધ્ધ તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાંથી નીકળી રાજકોટ અને જામખંભાળિયા લઇ જઇ તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. ચાર દિવસ સુધી કિશોરીને પોતાની પાસે રાખી તેની ઉપર શારીરીક અત્યાચાર ગુજાર્યા બાદ અમીત કિશોરીને લઇને બોરસદ આવ્યો હતો. બીજી બાજુ યુવતીના વાલીઓ તેની શોધખોળ આરંભી હતી. જેમાં અમીત અને કિશોરી બંને બોરસદ આવતાં તેઓને પકડી બોરસદ પોલીસને હવાલે કર્યા હતા.બોરસદ પીએસઆઇ કે.ડી.પ્રજાપતિએ કિશોરીએ આપેલી ફરિયાદ આધારે અમીત સામે અપહરણ અને બળાત્કારનો ગુનો દાખલ કરી તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં સેંકડો બસની ભાંગફોડ સાથે સજજડ બંધ
મુંબઈ સહિત મહારાષ્ટ્રભરમાં આંદોલનકારીઓએ મુખ્યત્વે બેસ્ટની બસોને ભાંગફોડ કરવા સાથે બંધ સજજ રહ્યો હતો. અનેક ટોચના નેતાઓની અટક કરવામાં આવી હતી. સવાસોથી વધુ ઉડાણ રદ કરવાની ફરજ પડી હતી. બસો ભાંગફોડ વચ્ચે પણ ચાલુ રહી હતી. ટ્રેનસેવા પણ ચાલુ રહી હતી, પરંતુ તે ધીમી ગતિ ચાલતી હતી અને પ્રવાસીઓની સંખ્યા અત્યંત જુજ હતી. સરકારી કચેરીઓમાં હાજરી આપવાના મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણના આહવાન છતાં હાજરી અત્યંત પાંખી રહી હતી.
મુંબઈ સહિત મહારાષ્ટ્રભરમાં ડાબેરી પક્ષો, ભાજપ, શિવસેના, મનસે, સમાજવાદી પાર્ટી, આરપીઆઈના ટેકા સાથેનો સોમવારનો બંધ એકદમ સજજ રહ્યો હતો. સવારથી જ આંદોલનકારીઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઊતરી આવ્યા હતા. જોકે પોલીસે પહેલેથી જ જડબેસલાક બંદોબસ્ત રાખીને આંદોલનકારીઓની અટક કરવાનું શરૂ કરી દીધું હતું. સવારે સૌપ્રથમ મુલુંડમાં ભાજપી નેતા કિરીટ સોમૈયા અને તેમના કાર્યકરોની અટક કરવામાં આવી હતી. આ પછી અટકનું સત્ર જોર પકડવા લાગ્યું હતું. અંધેરીમાં ભાજપી નેતા ગોપીનાથ મુંડે, સુધીર મુનગંટીવારની અટક કરવામાં આવી હતી. ભિવંડીમાં સમાજવાદી પાર્ટીના અબુ અસીમ આઝમીની અટક કરાઈ હતી. દાદરમાં શિવસેના નેતા મનોહર જોશીની, પુણેમાં મનસેના રમેશ વાંજળે એમ સેંકડો કાર્યકરોની અટક કરાઈ હતી.ઉપરાંત સ્મૃતિ ઈરાણી, પાંડુરંગ ફુંડકર, એકનાથ ખડસે, ચંદ્રકાંત ખૈરે, સુભાષ દેસાઈ, ગોપાળ શેટ્ટી, દગડુ સકપાળ, એકનાથ શિંદે, સંજય કેળર સહિત સેંકડો નેતાઓ અને તેમના કાર્યકરોની અટક કરાઈ હતી. સવારે બોરીવલી, અંધેરી, મુલુંડ, ભાંડુપ સહિત વિવિધ સ્ટેશને ટ્રેનો અટકાવવાની કોશિશ કરાઈ હતી. જોકે મોટી સંખ્યામાં હાજર પોલીસે સૌને પકડીને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા.રિક્ષા- ટેક્સીવાળાએ ભાંગફોડની બીકે બંધ પાળ્યો. રિક્ષા- ટેક્સીવાળાઓએ ભાંગફોડની બીકે રવિવારે મધરાતથી જ બંધ પાયો હતો. રિક્ષા- ટેક્સી બંધ હોવાથી ઘણા લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું.રાજ્યભરમાં શાળા- કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓએ પણ વિદ્યાર્થીઓને હિંસામાં ઈજા પહોંચી શકે એવા ડરથી પોતાની સંસ્થાઓ બંધ રાખવાનું જ મુનાસીબ માન્યું હતું.નવી મુંબઈમાં તો દુકાનદારોને ફોન પર ધમકી. નવી મુંબઈમાં કાર્યકરો ભાગ્યે જ રસ્તા પર જોવા મળતા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે દુકાનદારોને રવિવારે રાતથી જ ફોન કોલ્સ કરીને દુકાનો ચાલુ રાખશો તો ભાંગફોડ માટે તમે જ જવાબદાર રહેશે એવી ચીમકી આપી દીધી હતી. આને કારણે આ વિસ્તારમાં પણ સજજડ બંધ જોવા મળ્યો હતો.બંધની અસર વિમાનસેવા પર પણ પડી હતી. ૧૨૫થી વધુ મુંબઈ અવરજવર કરતી વિમાનસેવા રદ કરવામાં આવી હતી. બંધને લીધે એરપોર્ટ સુધી આવવા અને એરપોર્ટથી નિયત સ્થળે વાહનો ઉપલબ્ધ ન હોવાથી પણ લોકોએ વિમાન પ્રવાસ ટાળ્યો હતો. મુંબઈથી ૮૬ ઉડાણ રદ કરવામાં આવ્યાં હતાં, જ્યારે મુંબઈ આવતાં ૪૦ ઉડાણ રદ કરાયાં હતાં, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
બી.બી.સી.નો અવાજ ભારતમાં નહી સંભળાય.
આખરે બીબીસીએ 2011ના અંત સુધી ‘બીબીસી એશિયન નેટવર્ક’ રેડિયો સ્ટેશન બંધ કરી દેવાનો નિર્ણય કરી લીધો છે. બીબીસી ટ્રસ્ટનું કહેવું છે કે આ રેડિયો સ્ટેશન બંધ કરવાનો નિર્ણય બીબીસીના ડાયરેક્ટર જનરલ માર્ક થોમસનનો છે. બીબીસીના આ પગલાની અસર સીધા ભારતીય ઉપમહાદ્વીપના શ્રોતાઓને થશે.બીબીસી ટ્રસ્ટના ચેરમેન સર માઈકલ લિયોને જણાવ્યું હતું કે લોકોને ઉચ્ચ ગુણવત્તાવાળી સેવા ઉપલબ્ધ કરાવવા અને તેમના દ્વારા ફાળવવામાં આવતી રકમના યોગ્ય ઉપયોગ માટે અમે પ્રતિબદ્ધ છીએ. તેમણે જણાવ્યું કે ‘ટ્રસ્ટ એશિયન નેટવર્કને બંધ કરવાના પ્રસ્તાવ પર વિચાર કરશે. જોકે આ દરમિયાન રેડિયો સ્ટેશનના શ્રોતાઓની જરૂરિયાતને પણ ધ્યાનમાં રાખવામાં આવશે.’આ પહેલા ટ્રસ્ટે પોતાના ‘6 મ્યૂઝિક’ રેડિયો સ્ટેશનને બંધ કરવાના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. જોકે તેને બંધ નહી કરવા માટે મોટા પ્રમાણમાં અભિયાન ચલાવાયું હતું, જોકે એશિયન નેટવર્કને બચાવવા માટે ચલાવવામાં આવેલું અભિયાન સફળ ન થઈ શક્યું.બીબીસી માટે કામ કરી ચૂકેલ બ્રિટેનમાં વસેલા એક વરિષ્ઠ ભારતીય પત્રકાર અનુસાર એશિયાઈ સમુદાયમાં ઘણા પ્રકારની ભાષાઓનું ચલણ, લોકો પાસે મીડિયાના ઘણા વિકલ્પ રહેવા, કોમર્શિયલ રેડિયો સ્ટેશન તરફથી મળી રહેલા ભારે પડકારની વચ્ચે બીબીસી એશિયન નેટવર્કને બંધ કરવામાં જ શાણપણ છે.
આગામી ૩૬ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના
છેલ્લા ચાર દિવસથી રાજકોટ સહિતના સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાની જમાવટ થઇ છે ત્યારે આગામી ૩૬ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ પોણા ૬ ઇંચ વરસાદ નોંધાઇ ચૂકયો છે, જે મોસમની સરેરાશ ટકાવારી સામે ૨૧.૪૯ ટકા થવા જાય છે.હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી ૩૬ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી અપાઇ છે. જ્યારે આગામી ૨૪ કલાકમાં ગાજવીજ સાથે ઠેરઠેર હળવા થી ભારે વરસાદની સંભાવના દર્શાવાઇ છે.સૌરાષ્ટ્ર-કચ્છમાં તાજેતરનાં વરસાદથી પાક-પાણીનું ચિત્ર બદલાયું છે. અત્યાર સુધીનો સૌથી સરેરાશ વરસાદ જામનગર જિલ્લામાં ૮ઇંચ ત્યારબાદ જૂનાગઢ તથા અમરેલી જિલ્લામાં ૭-૭ ઇંચ નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં પણ પોણા સાત ઇંચ સાથે ત્રીજા ક્રમે છે. જ્યારે કચ્છમાં મોસમનો સરેરાશ રાા ઇંચ નોંધાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ટકાવારીની દ્દષ્ટીએ સરેરાશ ૨૧.૪૯ ટકા વરસાદ નોંધાઇ ચૂકયો છે. જેમાં જામનગર ૨૯.૫૮ટકા તથા અમરેલીમાં ૨૮.૨૯ ટકા મોસમનો વરસાદ પડ્યો છે.સૌરાષ્ટ્ર-કચ્છમાં હવાની સ્થિતિએ હજુ પીવાના પાણીની સ્થિતિ વિકટ છે, ત્યારે આગામી ૩૬ કલાકમાં જો મેઘરાજા મનમૂકીને વરસી જાયતો સમસ્યા હલ થવાની આશા સેવાઇ રહી છે.
“ગૃહમંત્રી પી. ચિદમ્બરમ જ જણાવે ઈશરતની અસલિયત”
ગુજરાતમાં 2004માં પોલીસ એન્કાઉન્ટમાં ઠાર મરાયેલી ઈશરત જહાંની માતાએ મદદ માટે કેન્દ્રીય ગૃહમંત્રી પી.ચિદમ્બરમ પાસે સ્પષ્ટતા માંગતા કહ્યુ છે કે સરકારે આ અંગે સંપૂર્ણ સ્થિતી સાફ કરવી જોઈએ. ઈશરતને લશ્કર-એ-તૈયબાની આતંકવાદી હોવાનું જણાવતા પાકિસ્તાની મૂળના આંતકવાદી ડેવિડ હેડલીના ખુલાસાને લઈને મીડિયામાં જાહેર થયેલા અહેવાલોને ખોટા ગણાવતા ઈશરતની માતા શમીમા કૌસરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેની પુત્રી નિર્દોષ છે. કૌસર અનુસાર ઈશરતની હત્યા ગુજરાત પોલીસે કરી છે.શમીમાએ આરોપ લગાવ્યો છે કે મીડિયા અહેવાલો દ્વારા ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં ઈશરત કેસમાં સીબીઆઈ તપાસ સંબંધીત એક અપીલ વિચારણા હેઠળ છે. આ પહેલા ગુજરાતની એક મેજીસ્ટ્રેટ અદાલતે ઈશરતને નિર્દોષ ઠેરવતા એન્કાઉન્ટરને નકલી ગણાવ્યું હતું. ઈશરતની માતાએ કહ્યું હતું કે મારી પુત્રીને નિર્દોષ સાબિત કરવા માટે હું ચિદમ્બરમને અપીલ કરીશ કે તેઓ સંપૂર્ણ સ્થિતીની સ્પષ્ટતા કરે.ઉલ્લેખનીય છે કે સોમવારના રોજ મીડિયાના સૂત્રોના હવાલેથી જાહેર કરવામાં આવેલા અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ઈશરત લશ્કર-એ-તૈયબાની ફિયાદીન હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ હુમલાના આરોપી ડેવિડ કોલમેન હેડલીએ રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા ચાલી રહેલી પૂછપરછમાં આ વાત જણાવી હતી.
પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની ફિયાદીન આતંકવાદી હતી.
ગુજરાતમાં 2004માં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલી ઈશરત જહાં પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની ફિયાદીન આતંકવાદી હતી. પાકિસ્તાની મૂળના અમેરિકી આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીએ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની પૂછપરછમાં આ ધડાકો કર્યો છે.એક અગ્રણી અંગ્રેજી દૈનિકમાં આપવામાં આવેલા આ અહેવાલ મુજબ હેડલીએ એનઆઈએ દ્વારા કરવામાં આવી રહેલી પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે મુંબઈના ઠાણેની રહેવાસી ઈશરતને લશ્કર કમાન્ડર મુઝમ્મિલે ભારતમાં આતંક ફેલાવવાની જવાબદારી સોંપી હતી. મુઝમ્મિલ 2007 સુધી ભારતમાં લશ્કરની ગતિવિધીઓ સંભાળી રહ્યો હતો.મુંબઈ આતંકી હુમલાના આરોપી હેડલીનું આ નિવેદન ઘણું મહત્વનું માનવામાં આવે છે. હેડલીના નિવેદનથી ગુજરાત પોલીસના દાવાને સમર્થન મળે છે જેમાં કહેવામાં આવ્યું હતું કે ઈશરતને મુઝમ્મિલે કેટલાક ઉચ્ચકક્ષાના વ્યક્તિઓને મારવા માટે લશ્કરે મિશન પર ગુજરાતમાં મોકલ્યા હતા. અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે હેડલીએ 2006માં ભારતની મુલાકાત લીધી હતી ત્યારે મુઝમ્મિલ ભારતમાં લશ્કરનો પ્રમુખ હતો.ઉલ્લેખનીય છે કે 15 જૂન 2004માં અમદાવાત ખાતે ગુજરાત પોલીસે ઈશરત સહિત ચાર લોકોને લશ્કરના આતંકવાદી ગણાવતા એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. ઈશરત સાથે માર્યા ગયેલા લોકોમાં જાવેદ અને બે પાકિસ્તાની નાગરિક અમજદ અલી અને જિશાન જૌહર અબ્દુલ ગનીનું નામ સામેલ છે. ઈશરત એન્કાઉન્ટર મામલે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર વિવાદોમાં સપડાયા હતા.ગુજરાત પોલીસ અને રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે ઈશરત અને તેના સાથીઓ લશ્કરના આતંકવાદીઓ હતા અને તેઓ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા માટે ગુજરાતમાં આવ્યા હતા. જ્યારે ઈશરતની માતાએ પોતાની પુત્રી નિર્દોષ હોવાનું જણાવતા તેની હત્યાનો આરોપ લગાવ્યો હતો. ઈશરતની માતાનું કહેવું છે કે તેની પુત્રી સેલ્સવુમનનું કામ કરતી હતી અને તે પર્ફ્યુમનો વેપાર કરનારા જાવેદ શેખ માટે કામ કરતી હતી.જો કે ઈશરતના મૃત્યુ બાદ પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાનીક મુખપત્રમાં ઈશરતને લશ્કરની સભ્ય ગણતા તેના મોત પર અફસોસ વ્યક્ત કર્યો હતો. લશ્કરે ઈશરતના મોતનો બદલો ભારતીય પોલીસ પાસેથી લેવાની જાહેરાત પણ કરી હતી. પરંતુ બાદમાં 2007માં લશ્કરે જમાત-ઉદ-દાવાનું મહોરૂ પહેરી લેતા તેણે ઈશરતને આતંકી માનવાનો ઈનકાર કરી દીધો હતો. એટલું જ નહીં જમાતે ઈશરતને લશ્કર દ્વારા આતંકી ગણાવ્યા બદલ તેના પરિવાર પાસે માફી પણ માંગી હતી.
શું ઈશરત જહાં ત્રાસવાદી તાલીમ માટે પાકિસ્તાન ગઈ હતી કે નહીં...?
કોતરપુર વોટર વર્કસ નજીક એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલી મુંબઈના મુમ્બ્રાની રહેવાસી ઈશરત જહાં ખરેખર લશ્કર-એ-તોયબાના ફિદાઈન સ્કવોડની આતંકવાદી હતી તેવો ખુલાસો, મુંબઈ હુમલાના આરોપી ડેવીડ કોલમેન હેડલીએ કર્યો તે પછી શું ઈશરત જહાં ત્રાસવાદી તાલીમ માટે પાકિસ્તાન ગઈ હતી કે નહીં તે બાબતે એન આઈ એ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર જુન૨૦૦૪માં નરોડાના કોતરપુર વોટર વર્કસ નજીક અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઈશરત જહાં (૧૯), જાવેદ શેખ સહિત બે કથિત પાકિસ્તાન આતંકવાદીઓ ઝીશાન ઝોહર અને અકબરઅલી રાણાને એન્કાઉન્ટરમાં ઢાળી દીધા હતા. તે પછી ક્રાઈમ બ્રાન્ચ પર ઈશરત જહાંને બોગસ એન્કાઉન્ટરમાં ઠાર મારી હોવાના આક્ષેપો થયા હતા.આ દરમિયાન સૂત્રોએ જણાવ્યું હતું કે અમેરિકામાં પકડાયેલા મુંબઈ હુમલાના આરોપી ડેવીડ કોલમેન હેડલીએ, પૂછપરછ કરી રહેલા એન આઈ એના અધિકારીઓ સમક્ષ ઘટસ્ફોટ કર્યો હતો કે ઈશરત જહાં ખરેખર લશ્કર-એ-તોયબાના ફિદાઈન સ્કવોડની સભ્ય હતી. એન આઈ એનાં સૂત્રોનું કહેવું છે કે જો હેડલીના કહેવા પ્રમાણે ઈશરત જહાં આતંકવાદી હોય તો ત્રાસવાદી તાલીમ માટે તે જરૂર પાકિસ્તાન ગઈ હોવી જોઈએ. કારણ કે એલ ઈ ટીનો કમાન્ડર મુÍઝમીલ, ચકાસ્યા વગર કોઈની ભરતી કરતો નથી. તેથી એન આઈ એ દ્વારા હવે, ઈશરત જહાં પાકિસ્તાન ગઈ હતી કે નહીં તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રથમ તબક્કામાં ત્રાસવાદીઓને ૨૦૦૨ના કોમી રમખાણોની તસવીર અને વીડિયો સીડી બતાવવામાં આવે છે. ત્રાસવાદીઓના બ્રેઈન વોશ થયા બાદ તેમની ક્ષમતા પ્રમાણે મશિન સોંપવામાં આવે છે અને મશિનમાં જે હથિયારોની જરૂર હોય તે જ હથિયારોની તેમને તાલીમ આપવામાં આવે છે. જેમ કે ફિદાઈન સ્કવોડને વિસ્ફોટક સામગ્રી અને પિસ્તોલ ફાયરિંગની જ ટ્રેનિંગ આપવામા આવે છે.
લશ્કર-એ-તોઇબાના ટોચના કમાન્ડર મુઝમ્મીલે તેની ભરતી કર્યા હોવાનું કબૂલ્યું હતું
ગુજરાત પોલીસ અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓને મોટી રાહતરૂપ એક ઘટનાક્રમમાં પાકિસ્તાની મૂળના અમેરિકન ત્રાસવાદી ડેવિડ હેડલીએ કહ્યું છે કે મુંબઈની ઈશરત જહાં લશ્કર-એ-તોઇબાની આત્મઘાતી બોમ્બર હતી. તોઇબાના ટોચના કમાન્ડરે ઈશરતની ભરતી કરી હતી. ઈશરત અને તેના ત્રણ સાથીઓનું ગુજરાત પોલીસે અમદાવાદ નજીક એન્કાઉન્ટર કર્યું હતું. આ તમામ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટે આવ્યા હોવાનું પોલીસે કહ્યું હતું.હેડલીની પૂછપરછ માટે અમેરિકા ગયેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઈએ)ની ટીમ સમક્ષ હેડલીએ નિવેદન કરીને કહ્યું હતું કે લશ્કર-એ-તોઇબાના ટોચના કમાન્ડર મુઝમ્મીલે તેની ભરતી કર્યા બાદ તે આત્મઘાતી ટુકડીની સભ્ય બની ગઈ હતી. મુઝમ્મીલ ૨૦૦૭ સુધી ભારતમાં ત્રાસવાદી પ્રવૃત્તિ ફેલાવવાની કામગીરીની દેખરેખ કરતો હતો. હેડલીએ કહ્યું હતું કે ૧૫ જુન, ૨૦૦૪ના રોજ ઈશરતનું એન્કાઉન્ટર થયા બાદ તરત જ તોઇબાએ કબૂલ્યું પણ હતું કે ઈશરત તેની ફિદાયીન ટુકડીની સભ્ય હતી. પરંતુ ત્યારબાદ તોઇબાની પ્રવૃત્તિ પર પાકિસ્તાનમાં બ્રેક લાગતા તેને જમાત-ઉદ્-દાવા નામ અપાયું અને પછી આ નવા જુથે ઈશરત તેની સભ્ય હોવાનો ઈનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, અગાઉ તોઇબાએ કરેલી કબૂલાત અંગે પણ માફી માગી હતી.ઈશરત ઠાર મરાયા બાદ લશ્કર-એ-તોઇબાના મુખપત્ર ‘ગઝવા ટાઈમ્સ’એ ઈશરત તોઇબાની જ સભ્ય હોવાનું કહ્યું હતું અને ગુજરાત પોલીસે ઈશરતનો બુરખો હટાવ્યો તે અંગે વાંધો પણ લીધો હતો. પરંતુ ત્યારબાદ ૨૦૦૭માં તોઇબાના વલણમાં નાટયાત્મક પરિવર્તન આવી ગયું. જમાત-ઉદ્-દાવાએ ઈશરતને ફિદાયીન કહેવા બદલ તેના કુટુંબીઓની માફી માગી હતી. યોગાનુયોગ આ જ સમય આસપાસ ઈશરતની સાથે માયૉ ગયેલા પ્રણેશ પિલ્લઈ ઉફેઁ જાવેદ શેખના પિતા ગોપીનાથ પિલ્લઈએ પોતાના પુત્રની હત્યાની ઘટનાની સીબીઆઈ દ્વારા તપાસની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી.ઉલ્લેખનીય છે કે ઈશરત અને જાવેદ તથા અમજદઅલી અને જિશાન જોહર અબ્દુલ ગની એ ચારેયનું ૧૫ જુન, ૨૦૦૪ના રોજ એન્કાઉન્ટર કરાયું હતું. સોહરાબુદ્દીન અને કૌસરબીના બનાવટી એન્કાઉન્ટર કેસને પગલે ગુજરાત પોલીસ પર ઈશરત કેસમાં પણ શંકાની સોય તાકવામાં આવી હતી. ઈશરતની માતાનો દાવો હતો કે તે સેલ્સગર્લ તરીકે નોકરી કરતી હતી. હેડલીની કબૂલાતથી હવે ગુજરાત પોલીસને રાહત થઈ છે.
રતન ટાટાની ગુજરાતને વધુ એક ભેટ -- ગુજરાતમાં દેશનો સૌથી મોટો સોલર પીવી પ્લાન્ટ મીઠાપુર ખાતે સ્થપાશે
ગુજરાતમાં દેશનો સૌથી મોટો સોલર પીવી પ્લાન્ટ મીઠાપુર ખાતે સ્થપાશે. ગુજરાતમાં ટાટા પાવર અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટ (યુએમપીપી) મુન્દ્રા ખાતે સ્થાપયા બાદ હવે કંપનીએ મીઠાપુર ખાતે 50 મેગાવોટ સોલર ફોટોવોલ્ટિક પાવર (પીવી) પ્લાન્ટ મીઠાપુર ખાતે સ્થાપવાનું નક્કી કર્યું છે.'દેશમાં સૌથી મોટો સિંગલ સોલર ફોટોવોલ્ટિક ગુજરાતમાં મીઠાપુર ખાતે સ્થપાશે' તેમ કંપનીએ તેની વેબસાઇટમાં જણાવ્યું છે. છતાંય ટાટા પાવર સત્તાવાર રીતે આ અંગે કંઇપણ માહિતી આપવા માટે તૈયાર નથી. કંપનીનો કેમિકલ પ્લાન્ટ મીઠાપુર ખાતે કાર્યરત છે.ગયા વર્ષે રાજ્ય સરકારે 716 મેગાવોટ સોલર પાવર કેપેસીટી માટે 34 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ ડેવલપર્સને વહેંચણી કરી હતી. ઘણી બધી કંપનીઓએ ગુજરાતમાં સોલર પાવર પ્રોજેક્ટ માટે રસ દાખવ્યો હતો.અમેરિકા સ્થિત વિલિયમ જે.ક્લિન્ટન ફાઉન્ડેશન, ક્લિન્ટન ક્લાઇમેટ ઇનિશિએટિવ (સીસીઆઇ)એ ગુજરાત સરકાર સાથે પાંચ સોલર પાર્ક ઉભા કરવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. જેની ક્યુમ્યુલેટિવ પાવર જનરેશન ક્ષમતા 3000 મેગાવોટ હશે.એનટીપીસી અને જીપીસીએલ એ પણ સોલર પાવર પ્લાન્ટ માટે રાજ્ય સરકાર સાથે કરાર કર્યો છે. અદાણી પાવર પણ રાજ્યમાં 100 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટ માટે કાર્ય કરી રહી છે.ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડે 420 મેગાવોટ સોલર પાવર માટે 'પાવર પર્ચેસ એગ્રીમેન્ટ' (PPAs) 28 કંપનીઓ સાથે કર્યો છે.
શ્રીનગરના બટમાલૂ વિસ્તારમાં ફરી સ્થિતી વણસી, બેના મોત
શ્રીનગરના બટમાલૂ વિસ્તારમાં પથ્થરમારો કરી રહેલી ભીડ પર સુરક્ષા અધિકારીઓ દ્રારા કરવામાં આવેલી ગોળીબારીમાં એક વ્યક્તિનું મૃત્યું નિપજ્યું છે. ભીડ એક વ્યક્તિના મૃત્યુના વિરોધમાં પ્રદર્શન કરી રહી હતી, જેનું વિસ્તારમાં એક પ્રદર્શન દરમિયાન નાળામાં પડી જવાથી મૃત્યું થયું હતું.પોલીસે જણાવ્યું હતું કે પ્રદર્શન સોમવારે મોડી રાત્રે શરૂ થયું હતું. જ્યારે લોકોના એક ટોળાએ સુરક્ષાદળની ટુકડી પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. સુરક્ષાદળે પ્રદર્શનકારીઓને ભગાડ્યા ત્યાર બાદ પ્રદર્શનમાં સામેલ મુજફ્ફર અહમદ નામનો વ્યક્તિ નાળા પડી ગયો હતો. જેના લીધે તેનું મોત નિપજ્યું હતું.પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે આજે સવારે ફરી એકવાર પ્રદર્શન શરૂ થઇ ગયું હતું. પ્રદર્શન દરમિયાન ભીડે સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પ્રદર્શનકારીઓએ સુરક્ષાદળોને ચારે તરફ ઘેરી લીધા હતા. જેના લીધે તેમણે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો અને ટીયરગેસના સેલ પણ છોડ્યા હતા. જેનાલીધે ફયાજ અહમદ વાની નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ વિસ્તારમાં તણાવગ્રસ્ત સ્થિતી સર્જાતા અહીં વધુ પોલીસ કાફલો મોકલી આપવામાં આવ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં અધિકારીઓએ સ્કૂલ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવાની જાહેરાત કરી દીધી છે.
છોકરીના બદલામાં છોકરી આપવાનો પંચાયતનો આદેશ
ગ્રેટર નોઇડામાં પંચાયતના એક તખલધી આદેશે કાયદાના ધજાગરા ઉડાવી દીધા છે. ગ્રેટર નોઇડા નજીક આવેલા માયચા અને દૌલા ગામના છોકરો-છોકરીએ ભાગીને લગ્ન કર્યા હતા, જેના લીધે નારાજ પંચાયતે કહ્યું છે કે છોકરીના બદલામાં છોકરી આપો નહીંતર બંન્નેને મારી નાખીશું. મળતી માહિતી મુજબ દૌલા ગામના સંજયે માયચા ગામની પ્રીતી નામની છોકરી સાથે ભાગીને લગ્ન કર્યા હતા. કહેવામાં આવે છે કે બંનેને દોઢ વર્ષ પહેલાં પ્રેમ થયો હતો. ત્યારબાદ બન્નેએ પરિવારજનો વિરૂધ્ધ છાનામાન લગ્ન કરી લીધા હતાં. બાદમાં 24 જૂનના રોજ બંને કહ્યા વિના ગામમાંથી ચાલ્યા ગયાં હતાં. આ વાતને લઇને માયચા ગામની પંચાયતની ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. પંચાયતે છોકરાના પરિવારજનોને આદેશ કર્યો હતો કે છોકરો- છોકરી બન્નેને શોધીને અમારી સામે લાવો. અમે તેમને મારી નાખીશું. આટલુ જ નહીં પંચાયતે કહ્યું હતું કે જે રીતે દૌલા ગામના છોકરાએ અમારા ગામની છોકરી સાથે લગ્ન કર્યાં છે, તે મુદ્દે છોકરાવાળા અમારા ગામને છોકરી આપે, ત્યારે હિસાબ બરાબર થશે. જો આમ નહીં કરવામાં આવે તો અમારા ગામના છોકરા તમારા ગામની સ્ત્રીઓ અને છોકરીને ઉપાડી જશે. પંચાયતની આ જાહેરાત બાદ છોકરાના પરિવારજનો અને ગામના લોકો ઘર-બાર છોડીને ચાલ્યા ગયા છે. આ ઘટના બાદ ગ્રેટર નોઇડા પોલીસ સ્ટેશનમાં પંચાયત અને છોકરીના પરિવારના કુલ 4 લોકો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. સ્થિતીની ગંભીરતાને ધ્યાનમાં રાખતાં માયચા અને દૌલા ગામમાં પોલીસે ડેરો જમાવી દીધો છે.પોલીસની હાજરી જોતાં માયચા ગામની પંચાયતમાં સામેલ લોકો ફરાર થઇ ગયાં છે.
ઓસ્ટ્રેલિયા: સિડનીમાં ભારતીય રેસ્ટોરન્ટમાં બોમ્બ વિસ્ફોટ!
સિડનીમાં એક ભારતીય રેસ્ટોરન્ટમાં આગ લાગી ગઈ હતી. એવું કહેવામાં આવે છે કે વિસ્ફોટને કારણે આગ લાગી હોવાની શક્યતા છે. પોલીસ હાલમાં આ ઘટનાને બોમ્બ વિસ્ફોટ સાથે કોઈ સબંધ છે કે નહીં તે અંગે તપાસ કરી રહી છે. સોમવારે રાત્રે બનેલા આ બનાવમાં સંપૂર્ણ રેસ્ટોરન્ટ આગની લપેટમાં આવી ગઈ હતી. પોલીસને એવી શંકા છે કે આગ જાણી જોઈને લગાડવામાં આવી હતી. ઘટના સમયે રેસ્ટોરન્ટમાં રહેલા ચાર લોકો હતાં, જે બચી ગયા હતાં. સિડની મોર્નિંગ હેરાલ્ડના જણાવ્યા પ્રમાણે ક્વીન્સલેન્ડ સ્ટ્રીટ સ્થિત આવેલી કોપર ટિફિન નામની આ રેસ્ટોરન્ટમાં થોડા સમય પહેલા બોમ્બ વિસ્ફોટની ધમકી મળી હતી. ઘટનાને નજરે જોનાર વ્યક્તિના જણાવ્યા પ્રમાણે રાત્રે 11 વાગીને 30 મિનિટની આસપાસ હોટલમાં બોમ્બ વિસ્ફોટ જેવો જોરદાર અવાજ સંભળાયો હતો. જેના કારણે હોટલના બારી બારણાનો કાટમાળ ઉડીને રસ્તા પર પડ્યો હતો.ઘટનાને નજરે જોનાર વ્યક્તિના જણાવ્યા પ્રમાણે તેણે ચાર જેટલા લોકોને હોટલની બારીમાંથી કૂદીને બહાર નિકળતા જોયા હતાં. હોટલ ખાતે એકઠા થયેલા લોકોના જણાવ્યા પ્રમાણે હોટલમાં આગ લાગ્યા બાદ ત્યાંથી બે વ્યક્તિઓ ભાગીને જતાં જોવા મળ્યા હતાં. ત્યાર બાદ હોટલમાં વધુ એક વિસ્ફોટ થયો હતો જેના કારણે રેસ્ટોરન્ટનો આગળનો ભાગ ધરાશયી થઈ ગયો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે આગ જાણી જોઈને લગાડવામાં આવી છે, તેમજ પોલીસ હાલમાં આગ લગાડનાર બે વ્યક્તિની શોધખોળ કરી રહી છે. વિસ્ફોટના કારણે હોટલની સંપતિને નુકશાન થયું હતું. તેમજ હોટલની ઉપર રહેલા ચાર લોકો બચી જવા પામ્યા હતાં. પરંતુ આગના ધુમાડાની લપેટમાં આવી જતાં તેમને હોસ્ટિલમાં ખસેડવામાં આવ્યા હતાં. એનએસડબલ્યૂ ફાયબ્રિગેડના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે આગ પર કાબૂ મેળવવા માટે 20 જેટલી ફાયર ગાડીઓને કામે લગાડવામાં આવી હતી. આગ લાગવાના ચોક્કસ કારણ અંગે હજી સુધી જાણી શકાયું નથી.
ભારતમાં રાંધણ ગેસ અને કેરોસીન પાડોશી દેશો (સાઉથ એશિયા)ની સરખામણીમાં સૌથી સસ્તા
શું તમે જાણો છો કે ભારતના પાડોશી દેશોમાં કેરોસીન અને રાંધણ ગેસના ભાવો કેટલાં છે? અને શું તમને ખબર છે કે પાડોશી દેશોમાં વેચાનાર પેટ્રોલ અને ડિઝલ ભારતમાં વેચાનાર પેટ્રોલ-ડિઝલની સરખામણીમાં સસ્તા કેમ છે? જો કે, ભારતમાં રાંધણ ગેસ અને કેરોસીન પાડોશી દેશો (સાઉથ એશિયા)ની સરખામણીમાં સૌથી સસ્તા છે, જ્યારે પેટ્રોલ અને ડિઝલ ઉપરથી અહિં મોઘા છે પરંતુ સાથો સાથ સારી ક્વોલિટીના પણ છે.પાડોશી દેશોમાં એક સામાન્ય દિવસ (4 જૂન)માં વેચાનાર ચીજોની કિંમત જાણવા જેવી છે. તેની કિંમતો સાથે આપણી કિંમતોની સરખામણી કરવા જેવી છે. સરખામણીમાં એ દિવસે તે દેશોની કરન્સી સાથે ડોલર રેટ્સને માપદંડ બનાવ્યો તો આપણી સામે તથ્ય આવ્યું, તે આ પ્રમાણે છે.કાઠમંડુમાં 1 જૂનના રોજ વેચાઇ રહેલા પ્રતિ લિટર પેટ્રોલની કિંમત રૂ.51.26 છે. જ્યારે દિલ્હીમાં તે રૂ.51.43 છે. ઢાકામાં રૂ.49.71 અને કોલંબોમાં રૂ.47.24 છે. જો કે કરાચીમાં તે રૂ.36.41 છે.ભારતમાં સુપીરિયર ક્વોલિટીના યુરો-4 ડિઝલની કિંમત રૂ.40.10 છે. કરાચીમાં સામાન્ય રીતે ટ્રાન્સપોર્ટ માટે સૌથી વધુ ઉપયોગ થનાર ફયુઅલ રૂ.41.44 લિટર છે જ્યારે કાઠમંડુમાં રૂ.39.24 અને કોલંબોમાં રૂ.29.90, ઢાકામાં રૂ.29.43 છે.આમ, તો જાણકારો કહે છે કે ઇંધણની કિંમતોમાં તફાવત ઇંધણની ક્વોલિટીમાં તફાવતના લીધે છે કારણ કે ભારતમાં કોશિશ કરવામાં આવી રહી છે ક્લીનર ઇંધણની તરફ રૂખ કરવામાં આવે.
કચ્છની દુર્ગમ સરહદેથી પીલર નં.૧૧૧૮/૩/૫ નજીકથી મહમદ રહીશ ઝહિર પઠાણ (ઉ.વ.૩૫) આતંકવાદી ઝડપાયો
કચ્છ સરહદેથી ઝડપાયેલા સ્વાતના ઘૂસણખોરની એજન્સીઓએ રાબેતા મુજબ કડક પૂછતાછ કરી હતી પણ તે ‘પાગલ’ જેવો હોવાનું અને સ્વાત-સ્વાત બોલે છે તે સિવાય કોઇ જ ઠોસ વિગતો ખૂલી નથી.રવિવારે બપોરે ૧૧:૦૦ કલાકે કચ્છ સરહદેથી બોર્ડર પીલર નં.૧૧૧૮/૩/૫ નજીકથી મહમદ રહીશ ઝહિર પઠાણ (ઉ.વ.૩૫)વાળો જયાં આતંકવાદી પ્રવૃત્તિઓ ધમધમે છે તે સ્વાતખીણ નજીકના વિસ્તારમાં વસતો પાક ઘૂસણખોર મળી આવ્યો હતો. જયાં ચકલું પણ ફરકતું નથી એ રણવાળા અતિ દૂર્ગમ વિસ્તારમાંથી એક જ સપ્તાહમાં બીજો ‘પાકિસ્તાની’ પાગલ ઘૂસી આવ્યો છે તે બાબત શંકા તથા ચિંતાજનક છે.આ અંગે નરા પોલીસ મથકના તપાસનીશ પીએસઆઇ એલ.જે તલસાણીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, તેને એસ.ઓ.જી.માં લઇ જવાયો છે અને એજન્સીઓ દ્વારા તમામ મુદ્દે સંયુકત રીતે પૂછતાછ ચાલી રહી છે. તે સ્વાત-સ્વાત એવું બોલે છે. દૂર્ગમ વિસ્તાર પાર કરીને તે કઇ રીતે ઘુસી આવ્યો તે મોટો સવાલ છે. તે પાગલ જેવો લાગે છે અને અત્યંત થાકી ગયેલો છે પૂછતાછમાં આંખો મીંચી જાય છે.જો કે તે આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોય તેવું કંઇ જણાયું નથી. તેની પાસેથી એક ડાયરી મળી છે તેમાં લીટા તાણેલા છે, એ સિવાય કંઇ નથી. અનેક વખત ફેરવી-ફેરવીને પૂછવા છતાં તે કંઇ બોલતો નથી. તેને સંભવત: આજે જે આઇસીમાં ખસેડાશે.
મહેન્દ્ર સિંહ ધોની તેની પત્ની સાક્ષી સાથે મંગળવારના રોજ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મળ્યો
ટીમ ઈન્ડિયાનો નવપરિણીત સુકાની મહેન્દ્ર સિંહ ધોની મંગળવારના રોજ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મળ્યો હતો.
ધોની તેની પત્ની સાક્ષી અને ક્રિકેટર મિત્ર આરપી સિંહ સાથે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસ સ્થાન 10 જનપથ ખાતે રાહુલ ગાંધીને મળ્યો હતો, તેમ બીસીસીઆઈના ટોચના સૂત્રએ જણાવ્યું હતું.સૂત્રએ કહ્યું હતું કે મુલાકાત પહેલા મુલાકાતનો સમય લેવામાં આવ્યો હતો અને આ મુલાકાત સ્વાભાવિક જ હતી.ધોની સોનિયા ગાંધીને મળ્યો હતો કે નહીં તે અંગે સૂત્રએ જણાવ્યું હતું કે ફક્ત રાહુલ ગાંધીને મળવા માટે જ સમય મેળવવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે ધોનીએ રવિવારના રોજ દેહરાદૂન ખાતે સાક્ષી રાવત સાથે લગ્ન કરીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. મીડિયા કે તેના સાથી ખેલાડીઓને પણ ધોનીના લગ્નની જાણ નહોતી. તથા લગ્ન બાદ પણ ધોની હજી સુધી મીડિયા સામે આવ્યો નથી.
ભારતીય ક્રિકેટ ટીમના ફિઝિયોથેરાપિસ્ટ ડો.નીતિન પટેલ છે
આગામી વર્ષ ૨૦૧૧માં યોજાનાર વર્લ્ડકપ માટે હોટ ફેવરિટ ગણાતી ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ હાલમાં એકદમ ફીટનેસ ધરાવે છે અને વર્લ્ડકપને અનુલક્ષીને તેની તૈયારીઓ પણ ચાલી રહી છે’ તેમ ભારતીય ક્રિકેટ ટીમના ફિઝિયો ડો.નીતિન પટેલે જણાવ્યું હતું.ઉત્તર ગુજરાતના બહુચરાજી તાલુકાના ડોડીવાડા ગામના વતની અને ભારતીય ક્રિકેટ ટીમના ફિઝિયોથેરાપિસ્ટ ડો.નીતિન પટેલ તાજેતરમાં માદરે વતનમાં એક સામાજિક પ્રસંગે આવ્યા હતા. આ સમયે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૧માં યોજાનાર વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીએા સંપુર્ણ ફીટનેસ ધરાવતા હોઇ આપણી ટીમ વર્લ્ડ કપના દાવેદાર માટે હોટ ફેવરિટ છે.ડો.પટેલે એમ પણ જણાવ્યું કે, ‘ભારતીય ટીમના ખેલાડીઓ વિશ્વની અન્ય ટીમોના ખેલાડીઓ કરતાં ગમે તે વાતાવરણમાં ઝડપથી સેટ થઇ જાય છે અને ફીટનેશ પણ તેમના કરતાં ઘણી સારી ધરાવેછે. આગામી વર્લ્ડકપને ધ્યાને રાખી ટીમના તમામ ખેલાડીઓની ફીટનેશ અંગે તમામ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને તેની તૈયારીઓ પણ ચાલી રહી છે. ધોનીની કેપ્ટનશી અને ટીમ સ્પિરિટના વખાણ પણ તેમણે કર્યા હતા. માદરે વતન ડોડીવાડા પધારેલા ભારતીય ક્રિકેટટીમના ફિઝિયો ડો.નીતિન પટેલ- ટ્વેન્ટી-૨૦વર્લ્ડકપમાં હારનું કારણ ફીટનેશ નહીં પણ મલ્ટીપલ ફેકચર કારણભૂત અગાઉ ટ્વેન્ટી-૨૦વર્લ્ડકપમાં થયેલી ભારતની નાલેશીભરી હાર અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, ‘એના માટે ખેલાડીઓની ફીટનેશ નહીં પરંતુ તેમને થયેલા મલ્ટીપલ ફેકચર કારણભૂત હતા.’
પેટ્રોલ-ડીઝલના ભાવવધારા અને મોંઘવારી વિરુદ્ધ સુરત જડબેસલાક સ્વયંભૂ બંધ
કેન્દ્ર સરકાર દ્વારા નંખાયેલા પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારા અને ભડકે બળી રહેલી મોંઘવારીના વિરોધમાં સોમવારે ભાજપ તેમજ વિરોધ પક્ષોએ આપેલા ‘ બંધ કોલ’ને સુરતની જનતા જનાર્દને જબરદસ્ત પ્રતિસાદ આપ્યો હતો અને પાર્લેપોઇન્ટ, ઘોડદોડ રોડ, તથા વરાછા, કતારગામ, ઉધના સહિતના મોટાભાગના વિસ્તારોમાં સ્વંભૂ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. જેના પરિણામે શહેરના વ્યાપાર ધંધાન અસર થતાં રૂ. ૧૦૦૦ કરોડની આર્થિક વ્યવહાર ખોરવાયો.શહેરમાં જુદા-જુદા અડધો ડઝન જેટલાં સ્થળોએ બનેલા ઘર્ષણના બનાવોને બાદ કરતાં એકંદરે શાંતિ રહી હતી. શહેર પોલીસે કુલ ૩૫૦ જેટલા લોકોની અટકાયત કરી હતી. જેમાં સુરત પશ્ચિમના ધારાસભ્ય કિશોર વાંકાવાલા તેમજ કેટલાંક કોર્પોરેટરનો પણ સમાવેશ થાય છે.
ભારત સરકારે કરેલા ભાવવધારાને કારણે વધી રહેલી મોંઘવારીના મુદ્દે દેશભરના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે ભાજપ સહિતના વિરોધ પક્ષ દ્વારા કેન્દ્રની આ નિતી સામે તા. ૫મી જુલાઇ સોમવારે ‘બંધનું એલાન ’ આપ્યું હતું. જેના અનુસંધાનમાં ગુજરાતની જનતા જનાર્દન વતી ગુજરાત સરકારે પણ પોતાનો વિરોધનો સૂર વ્યક્ત કરવાનું નક્કી કર્યું હોવાથી રવિવારથી જ રાજ્ય સરકારના મોભીઓ તેમજ પક્ષના કાર્યકરો કામે લાગી ગયા હતા.સવારે આઠેક વાગ્યાથી બંધનું વાતાવરણ જામતુ ગયું હતું અને ભાજપ તેમજ અન્ય વિરોધ પક્ષના કાર્યકરો કેસરી પટ્ટા સાથેરસ્તા પર ઉતર્યા હતા અને જુદા-જુદા વિસ્તારમાં સવારે ખોલવામાં આવેલી દુકાનો બંધ કરાવવા લાગ્યા હતા. જોકે, દુધ અને મેડિકલની દુકાનો માટે છુટ્ટી રાખવામાં આવી હતી આ સિવાઇ ચાની કિટલીઓના માલિકોએ પણ બંધ રાખીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. દિવસ દરમિયાન પેટ્રોલપંપો બંધ રહેતા લોકો હાલાકીમાં મુકાઇ ગયા હતા.દરમિયાન દિલ્હી ગેટ પાસે કેટલીક રિક્ષાઓ દેખાતા બંધ કરાવવા નીકળેલા લોકોએ તેમની પર પથ્થરમારો શરૂ કરતાં રિક્ષા ચાલકો ભાગી ગયા હતા. ત્યારબાદ મહિધરપુરા હીરાબજારમાં કેટલીક ઓફિસો ચાલુ હોવાની માહિતી મળતાં ભાજપના કાર્યકરોનું ટોળું ત્યાં પહોંચી ગયું હતું અને આ ઓફિસો બંધ કરાવી દીધી હતી. શહેરની ટેક્સટાઇલ માર્કેટ, રિંગરોડ પર અન્ય વ્યવસાયની દુકાનો બંધ રહી હતી
જ્યારે વરાછા,કતારગામ,પૂણા, કાપોદ્રા વિસ્તારમાં પણ પાનના ગલ્લા સહિતના ધંધાર્થીઓએ પોતાના ધંધાના સ્થળો બંધ રાખ્યા હતા. આ બાજુ ઉમરા, પિપલોદ,ગૌરવપથ રોડ,ઘોડદોડ રોડ સહિતના તમામ પોશ વિસ્તારોમાં પણ સૌ વેપારીઓએ સ્વયંભૂ રીતે શોરૂમ-દુકાનો બંધ રાખીને મોંઘવારીનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તો પાંડેસરા,સચિન તેમજ કતારગામ જીઆઇડીસીના મોટાભાગના યુનિટો ચાલુ રહ્યા હતા.
ભાવનગર શહેર-જિલ્લામાં મેઘાની અમૃત વર્ષાથી પ્રજાજનોમાં હર્ષોલ્લાસની લાગણી
ભાવનગર શહેર-જિલ્લામાં છેલ્લાં બે દિવસથી વ્યાપક અને સચરાચર વરસાદથી ખેતરમાં મોલાતને નવજીવન મળ્યું છે તો શેત્રુંજી ડેમ સહિતના જળાશયોમાં નવા નીર આવતા પ્રજાજનોમાં હર્ષોલ્લાસની લાગણી પ્રસરી વળી છે.વાતાવરણની સાથે પ્રજાજનોમાં પણ હૈયે ટાઢક વળી ગઈ છે. જિલ્લામાં સરેરાશ વરસાદ ૫.૧૩ ઈંચને આંબી ગયો છે. કુલ વરસાદ ૨૫.૧૨ ઈંચ હોય સિઝનનો અત્યાર સુધીમાં કુલ ૨૦.૪૨ ટકા વરસાદ વરસી ગયો છે. આજે પણ જિલ્લામાં હળવા-ભારે ઝાપટાથી લઈ દોઢથી બે ઈંચ વરસાદના વાવડ છે.ભાવનગર જિલ્લામાં આજે પણ મેઘરાજા મહેરબાન રહ્યા હતા. આજે સવારથી જ ભાવનગર શહેરમાં પવન સાથે વરસાદ વરસવો શરૂ થયો હતો. બપોરે ધોધમાર સ્વરૂપે અડધી કલાકમાં એક ઈંચ વરસાદ વરસી ગયો હતો. આજે સાંજ સુધીમાં ભાવનગર શહેરમાં ૩૬ મીમી વરસાદ (દોઢ ઈંચ) વરસતા સિઝનનો કુલ વરસાદ ૨૫૬ મીમી, એટલે કે દસ ઈંચના આંકડાને વટાવી ગયો છે.જોકે ગૌરીશંકર સરોવર હજી નવા નીરની આવક શરૂ થઈ નથી. છેલ્લાં બે દિવસની વ્યાપક વર્ષાથી જિલ્લાના ૧૧ પૈકી ૯ તાલુકામાં સિઝનનો કુલ વરસાદ ૧૦૦ મીમી (ચાર ઈંચ)ને વટાવી ગયો છે. માત્ર ઉમરાળા અને ગારિયાધાર તાલુકા જ ચાર ઈંચની મેઘમહેરથી વંચિત રહ્યાં છે.ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ભાવનગર શહેરમાં સર્વાધિક ૨૫૬ મીમી અને ગારિયાધાર તાલુકામાં સૌથી ઓછી ૪૮ મીમીની મેઘમહેર વરસી છે. અતાયેર પણ ચોતરફ કાળા ડીબાંગ વાદળો સાથે ચોમાસુ જામી ગયુ હોય તેવો માહોલ હોય હજી વધુ વરસાદની પૂરી આશા છે.તળાજામાં આજે પણ ધીમીધારે વરસાદ શરૂ રહ્યો હતો. આજે સવારથી સાંજના ૪ વાગ્યા સુધીમાં ૧૭ મીમી વરસાદ વરસતા સિઝનનો કુલ વરસાદ ૧૬૪ મીમી થયો હતો.જેસરમાં દોઢ ઈંચ જેટલો વરસાદ થતાં મુરઝાતી મોલાતને નવજીવન મળ્યું છે.પાલીતાણા પંથકમાં ગતરાત્રિના જ ધીમીધારે વરસાદી ઝાપટા શરૂ થયેલ અને સવારના સાત કલાકથી સાંજના છ સુધી ધીમીધારે વરસાદ શરૂ રહેતા ૪૩મીમી વરસાદ નોંધાયેલ જ્યારે મૌસમનો કુલ ૧૪૯ મી.મી. વરસાદ નોંધાયેલ જ્યારે શેત્રુંજી ડેમની સપાટી ૧૧ ફૂટ ૯ ઈંચ પહોંચેલ છે.મહુવા શહેર અને તાલુકામાં આજે પણ સવારથી જ વાદળછાયુ વાતાવરણ રહેલ. દિવસ દરમિયાન છુટોછવાયો ૩૧ મીમી વરસાદ પડતા મોસમનો કુલ વરસા ૧૪૯ મીમી (૭ ઈંચ) થવા જાય છે. બોટાદ શહેરમાં આજરોજ બપોરનાં ઝરમર ઝરમર વરસાદ પડ્યો હતો. અને લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. સિહોર તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકમાં આજે પણ મેઘરાજાની મહેર ચાલુ રહેવા પામી હતી. સિહોર શહેરમાં ૨૮ મિ.મિ. ઇંચ વરસાદ વરસી જતા મોસમનો કુલ વરસાદ ૧૨૮ મિ.મિ. થવા પામ્યો હતો.
કડીના પોલીસકર્મી પર ફાયરિંગ
સબજેલમાં ફરજ બજાવતા હે.કો. ડ્યૂટી પૂર્ણ કરી માતાની ખબર પૂછવા વતન જઈ રહ્યા હતા ત્યારે ખેરપુર નજીક ચાર અજાણ્યા શખ્સોને પડકારતાં ઘર્ષણ સર્જાયું. કડી-નંદાસણ હાઈવે ઉપર ખેરપુર નજીક સોમવારે પરોઢિયે બાઈક ઉપર જઈ રહેલા પોલીસકર્મીએ શંકાને આધારે ક્વોલિસ ગાડીમાં જઈ રહેલા શખ્સોની પૂછપરછ કરતાં આ અજાણ્યા શખ્સોમાંના એકે પોલીસકર્મી ઉપર ફાયરિંગ કરતાં ચકચાર પ્રસરી છે. આ ઘટનામાં પોલીસકર્મીના મોઢા પર મારવામાં આવેલી ગોળી તેના જડબામાં ઘૂસી જતાં લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે પહેલાં મહેસાણાની સિવિલમાં અને ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે ફાયરિંગ કરીને નાસી છુટેલા શખ્સોને ઝડપી લેવા માટે જિલ્લાભરમાં નાકાબંધી તેમજ વાહનચેકીગ સહિતની પોલીસ દોડધામ દિવસભર રહી હતી. કડી સબજેલમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા હે.કો. લક્ષ્મણભાઈ જેમરભાઈ રબારીનાં માતાની તબિયત ખરાબ હોઈ સોમવારે વહેલી સવારે ફરજ પૂરી કરી બાઈક પર પોતાના વતન કંસારાકુઈ જવા રવાના થયા હતા. આ દરમિયાન સાડા છ વાગ્યાના અરસામાં ખેરપુર રોડ પર આસમાની રંગની મહારાષ્ટ્ર પાસિંગની ક્વોલીસ ગાડીમાં બેઠેલા ચાર શખ્શો શંકાસ્પદ જણાતાં તેઓએ તેમની નજીક જઈ પૂછપરછ શરૂ કરી હતી. જો કે, આ શખ્શોએ યુનિફોર્મમાં સજજ આ પોલીસકર્મીને તુ તારૂ કામ કર અને અમને અમારું કામ કરવા દે તેવું સંભળાવી દેતાં ઘર્ષણ સર્જાયું હતું. જો કે, થોડી જ વારમાં ઉશ્કેરાયેલા ચાર શખ્શો પૈકીના એકે પિસ્તોલ જેવા હથિયારથી લક્ષ્મણભાઈ રબારી પર ફાયરિંગ કરી આ શખ્સો ગાડી લઈને નાસી જતાં પરોઢિયે સૂમસામ આ હાઈવે ઉપર સન્નાટો પ્રસરી ગયો હતો.બીજી બાજુ આ ફાયરિંગથી ગોળી પોલીસ કર્મીના તાળવામાં ફસાઈ જતાં તેઓની હાલત ગંભીર બની જવા પામી હતી. જો કે, લોહીલુહાણ હાલતમાં લક્ષ્મણભાઈ રબારી બાઈક પર નંદાસણ આવ્યા બાદ મહેસાણા તરફ જતી લકઝરીમાં બેસી મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. હે.કો. લક્ષ્મણભાઈની હાલત ગંભીર જણાતા તેઓને વધુ સારવારમાટે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ઈજાગ્રસ્ત લક્ષ્મણભાઈએ મહેસાણા ડીવાયએસપી પઠાણ સમક્ષ આપેલા નિવેદનના આધારે કડી પોલીસે ક્વોલીસ ગાડીમાં આવેલા અજાણ્યા ચાર શખ્શોની વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.શંકાસ્પદ જણાતા શખ્શોને પડકારનાર પોલીસ કર્મી લક્ષ્મણભાઈ રબારીએ તેઓ સંબંધે કડી પોલીસને પોતાના મોબાઈલ દ્વારા જાણ કરવા પ્રયાસ કર્યો હતો. જો કે, ઝડપાઈ જવાના ડર વચ્ચે પોલીસ કર્મીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લીધા બાદ અજાણ્યા શખ્શે તેમના પર ફાયરિંગ કર્યુ હતું. નોંધનીય છે કે, પોલીસ કર્મીએ તમે ગુનેગાર જેવા જણાઓ છો તેવું કહેતા જ ચારે શખ્શો ભયભીત બની ગયા હતા.અજાણ્યા શખ્સો દ્વારા કડીના પોલીસકર્મી ઉપર કરાયેલા ફાયરિંગના પગલે જિલ્લા પોલીસ વડા રાજુ ભાર્ગવ સહિત પોલીસ અધિકારીઓ હોસ્પિટલમાં દોડી ગયા હતા. તેમજ એક તરફ બંધના એલાનના પગલે પોલીસકર્મીઓ વહેલી સવારથી જ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્ટેન્ડટૂ હતા ત્યારે પોલીસકર્મી પર થયેલું ફાયરિંગ પોલીસબેડામાં પણ ચર્ચામાં રહ્યું હતું.
બોરસદ નગરની એક કિશોરીને ભગાડી જઇ બળાત્કાર ગુજારતાં ચકચાર
ચાર દિવસ સુધી કિશોરીને જુદા જુદા સ્થળોએ લઇ જઇ બળાત્કાર ગુજારી તેને લઇને યુવક બોરસદ આવતાં કિશોરીના વાલીએ તેઓને પકડી પોલીસના હવાલે કર્યા. બોરસદ નગરની એક સગીર બાળાને નગરનો એક યુવક લગ્નની લાલચ આપી જુદા જુદા સ્થળોએ લઇ જઇ તેની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ બોરસદ પોલીસ મથકે નોંધાવા પામી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બોરસદમાં રેહતા અમીતભાઇ પ્રવિણભાઇ જોષી છેલ્લા કેટલાક સમયથી બોરસદમાં જ રહેતી એક પંદર વર્ષની કિશોરીના પ્રેમમાં હતા દરમિયાન ગત તા. ૧-૭-૧૦ના રોજ અમીતભાઇ આ કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. બોરસદથી નીકળી જીતપુર ગયા હતા જ્યાં રાત રોકાઇ અમીતે યુવતીની મરજી વિરૂધ્ધ તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાંથી નીકળી રાજકોટ અને જામખંભાળિયા લઇ જઇ તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. ચાર દિવસ સુધી કિશોરીને પોતાની પાસે રાખી તેની ઉપર શારીરીક અત્યાચાર ગુજાર્યા બાદ અમીત કિશોરીને લઇને બોરસદ આવ્યો હતો. બીજી બાજુ યુવતીના વાલીઓ તેની શોધખોળ આરંભી હતી. જેમાં અમીત અને કિશોરી બંને બોરસદ આવતાં તેઓને પકડી બોરસદ પોલીસને હવાલે કર્યા હતા.બોરસદ પીએસઆઇ કે.ડી.પ્રજાપતિએ કિશોરીએ આપેલી ફરિયાદ આધારે અમીત સામે અપહરણ અને બળાત્કારનો ગુનો દાખલ કરી તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં સેંકડો બસની ભાંગફોડ સાથે સજજડ બંધ
મુંબઈ સહિત મહારાષ્ટ્રભરમાં આંદોલનકારીઓએ મુખ્યત્વે બેસ્ટની બસોને ભાંગફોડ કરવા સાથે બંધ સજજ રહ્યો હતો. અનેક ટોચના નેતાઓની અટક કરવામાં આવી હતી. સવાસોથી વધુ ઉડાણ રદ કરવાની ફરજ પડી હતી. બસો ભાંગફોડ વચ્ચે પણ ચાલુ રહી હતી. ટ્રેનસેવા પણ ચાલુ રહી હતી, પરંતુ તે ધીમી ગતિ ચાલતી હતી અને પ્રવાસીઓની સંખ્યા અત્યંત જુજ હતી. સરકારી કચેરીઓમાં હાજરી આપવાના મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણના આહવાન છતાં હાજરી અત્યંત પાંખી રહી હતી.
મુંબઈ સહિત મહારાષ્ટ્રભરમાં ડાબેરી પક્ષો, ભાજપ, શિવસેના, મનસે, સમાજવાદી પાર્ટી, આરપીઆઈના ટેકા સાથેનો સોમવારનો બંધ એકદમ સજજ રહ્યો હતો. સવારથી જ આંદોલનકારીઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઊતરી આવ્યા હતા. જોકે પોલીસે પહેલેથી જ જડબેસલાક બંદોબસ્ત રાખીને આંદોલનકારીઓની અટક કરવાનું શરૂ કરી દીધું હતું. સવારે સૌપ્રથમ મુલુંડમાં ભાજપી નેતા કિરીટ સોમૈયા અને તેમના કાર્યકરોની અટક કરવામાં આવી હતી. આ પછી અટકનું સત્ર જોર પકડવા લાગ્યું હતું. અંધેરીમાં ભાજપી નેતા ગોપીનાથ મુંડે, સુધીર મુનગંટીવારની અટક કરવામાં આવી હતી. ભિવંડીમાં સમાજવાદી પાર્ટીના અબુ અસીમ આઝમીની અટક કરાઈ હતી. દાદરમાં શિવસેના નેતા મનોહર જોશીની, પુણેમાં મનસેના રમેશ વાંજળે એમ સેંકડો કાર્યકરોની અટક કરાઈ હતી.ઉપરાંત સ્મૃતિ ઈરાણી, પાંડુરંગ ફુંડકર, એકનાથ ખડસે, ચંદ્રકાંત ખૈરે, સુભાષ દેસાઈ, ગોપાળ શેટ્ટી, દગડુ સકપાળ, એકનાથ શિંદે, સંજય કેળર સહિત સેંકડો નેતાઓ અને તેમના કાર્યકરોની અટક કરાઈ હતી. સવારે બોરીવલી, અંધેરી, મુલુંડ, ભાંડુપ સહિત વિવિધ સ્ટેશને ટ્રેનો અટકાવવાની કોશિશ કરાઈ હતી. જોકે મોટી સંખ્યામાં હાજર પોલીસે સૌને પકડીને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા.રિક્ષા- ટેક્સીવાળાએ ભાંગફોડની બીકે બંધ પાળ્યો. રિક્ષા- ટેક્સીવાળાઓએ ભાંગફોડની બીકે રવિવારે મધરાતથી જ બંધ પાયો હતો. રિક્ષા- ટેક્સી બંધ હોવાથી ઘણા લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું.રાજ્યભરમાં શાળા- કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓએ પણ વિદ્યાર્થીઓને હિંસામાં ઈજા પહોંચી શકે એવા ડરથી પોતાની સંસ્થાઓ બંધ રાખવાનું જ મુનાસીબ માન્યું હતું.નવી મુંબઈમાં તો દુકાનદારોને ફોન પર ધમકી. નવી મુંબઈમાં કાર્યકરો ભાગ્યે જ રસ્તા પર જોવા મળતા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે દુકાનદારોને રવિવારે રાતથી જ ફોન કોલ્સ કરીને દુકાનો ચાલુ રાખશો તો ભાંગફોડ માટે તમે જ જવાબદાર રહેશે એવી ચીમકી આપી દીધી હતી. આને કારણે આ વિસ્તારમાં પણ સજજડ બંધ જોવા મળ્યો હતો.બંધની અસર વિમાનસેવા પર પણ પડી હતી. ૧૨૫થી વધુ મુંબઈ અવરજવર કરતી વિમાનસેવા રદ કરવામાં આવી હતી. બંધને લીધે એરપોર્ટ સુધી આવવા અને એરપોર્ટથી નિયત સ્થળે વાહનો ઉપલબ્ધ ન હોવાથી પણ લોકોએ વિમાન પ્રવાસ ટાળ્યો હતો. મુંબઈથી ૮૬ ઉડાણ રદ કરવામાં આવ્યાં હતાં, જ્યારે મુંબઈ આવતાં ૪૦ ઉડાણ રદ કરાયાં હતાં, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
બી.બી.સી.નો અવાજ ભારતમાં નહી સંભળાય.
આખરે બીબીસીએ 2011ના અંત સુધી ‘બીબીસી એશિયન નેટવર્ક’ રેડિયો સ્ટેશન બંધ કરી દેવાનો નિર્ણય કરી લીધો છે. બીબીસી ટ્રસ્ટનું કહેવું છે કે આ રેડિયો સ્ટેશન બંધ કરવાનો નિર્ણય બીબીસીના ડાયરેક્ટર જનરલ માર્ક થોમસનનો છે. બીબીસીના આ પગલાની અસર સીધા ભારતીય ઉપમહાદ્વીપના શ્રોતાઓને થશે.બીબીસી ટ્રસ્ટના ચેરમેન સર માઈકલ લિયોને જણાવ્યું હતું કે લોકોને ઉચ્ચ ગુણવત્તાવાળી સેવા ઉપલબ્ધ કરાવવા અને તેમના દ્વારા ફાળવવામાં આવતી રકમના યોગ્ય ઉપયોગ માટે અમે પ્રતિબદ્ધ છીએ. તેમણે જણાવ્યું કે ‘ટ્રસ્ટ એશિયન નેટવર્કને બંધ કરવાના પ્રસ્તાવ પર વિચાર કરશે. જોકે આ દરમિયાન રેડિયો સ્ટેશનના શ્રોતાઓની જરૂરિયાતને પણ ધ્યાનમાં રાખવામાં આવશે.’આ પહેલા ટ્રસ્ટે પોતાના ‘6 મ્યૂઝિક’ રેડિયો સ્ટેશનને બંધ કરવાના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. જોકે તેને બંધ નહી કરવા માટે મોટા પ્રમાણમાં અભિયાન ચલાવાયું હતું, જોકે એશિયન નેટવર્કને બચાવવા માટે ચલાવવામાં આવેલું અભિયાન સફળ ન થઈ શક્યું.બીબીસી માટે કામ કરી ચૂકેલ બ્રિટેનમાં વસેલા એક વરિષ્ઠ ભારતીય પત્રકાર અનુસાર એશિયાઈ સમુદાયમાં ઘણા પ્રકારની ભાષાઓનું ચલણ, લોકો પાસે મીડિયાના ઘણા વિકલ્પ રહેવા, કોમર્શિયલ રેડિયો સ્ટેશન તરફથી મળી રહેલા ભારે પડકારની વચ્ચે બીબીસી એશિયન નેટવર્કને બંધ કરવામાં જ શાણપણ છે.
05 July 2010
આજી-૧માં ૦.૩૦ ફૂટ, ન્યારી-૧માં એક ફૂટ, ભાદરમાં ૦.૭૨ ફૂટ નવા નીરની પધરામણી
visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
આજી-૧માં ૦.૩૦ ફૂટ, ન્યારી-૧માં એક ફૂટ, ભાદરમાં ૦.૭૨ ફૂટ નવા નીરની પધરામણી
ન્યારી-૧માં ૧૫, ભાદરમાં ૧૨ દિવસનું પાણી આવ્યું .રાજકોટ ભયંકર જળસંકટની ગર્તામાં ધકેલાઇ રહ્યું હતું અને પાણીકાપના કારમા દિવસો તોળઇ રહ્યા હતા એવા ટાંણે જ મારો હાલો મેહુલિયો અંતે આવ્યો ખરો, લાંબા સમયની ઇંતજારી બાદ પધારેલા મેઘરાજા ગત રાત્રે મન મૂકીને વરસતા આ એક જ રાતમાં શહેરના અધાર સ્તંભ એવા આજી ડેમમાં ૦.૩૦ ફૂટ, ન્યારી ડેમમાં ૧ ફૂટ અને ભારદમાં પોણા ફૂટની આવક થતા ઉક્ત જળાશયોમાં નવા પ્રાણ પૂરાયા છે.આજી ડેમ સાવ તળિયાઝાટક થઇ ગયો છે તો સ્થાનિક સોર્સ પૈકી અન્ય જળાશયો ન્યારી અને ભાદર ડેમ ઉપર પણ ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા હતા. આવી સ્થિતિમાં એકાંતરા અથવા અઠવાડિયે બે દિવસનો પાણીકાપ મૂકવાની વિચારણા લગભગ આખરી તબક્કામાં જ ચાલતી હતી ત્યાં મેઘરાજા રાજકોટવાસીઓના તારણહાર બનીને આવ્યા છે.ગઇકાલે મેઘરાજાનો ધોધમાર હેત વરસ્યો હતો. આખી રાત ગગનગોખેથી પ્રેમવર્ષા થઇ હતી. રાત દરમિયાન ચાર ઇંચથી વધુ પાણી પડી જતાં લોકોના હૈયે ટાઢક પ્રસરી ગઇ છે. આજે પણ દિવસભર ઘટાઘોપ વાદળોની જમાવટ રહ્યાબાદ સાંજે હળવાથી ભારે ઝાપટાં વરસ્યા હતા. છેલ્લાં ચોવીસ કલાકથી થતી આ અમિવર્ષાથી જળાશયો ચેતનવંતા બન્યા છે.શહેરની જીવાદીરી સમાન આજી ડેમનું તિળયું ગઇકાલ સુધી સાફ દેખાતું હતું પણ નવા નીરની પધરામણીથી ૦.૩૦ ફૂટની સપાટી વધી છે. જો કે આ જળરાશિ ચારથી પાંચ દિવસની હોવાનું મનપાના ઇજનેરી સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે ન્યારી-૧ ડેમમાં એક જ રાતમાં એક ફૂટની સપાટી વધી હતી. ન્યારી ડેમમાં નવું ૩૫ એમ.સી.એફ. ટી. પાણી આવ્યું હતું, જે રાજકોટ માટે ૧૨ થી ૧૫ દિવસનું માની શકાય. ભાદર ડેમમાં પણ ૦.૬૯ ફૂટ સપાટી વધીને ૩૦ દિવસનું નવું પાણી આવ્યું. હોવાનું મનપાની ઇજનેરી શાખાએ જણાવ્યું હતું.
દુનિયાની સૌથી નબીસદાર મહિલા
પોતાની કિસ્મત ચમકાવવા માટે લોકો હંમેશા લોટરી ખરીદતા હોય છે. પરંતુ તેમાંથી મોટા ભાગના લોકોને નિષ્ફળતા જ મળતી હોય છે. પરંતુ અમેરિકાની એક મહિલા પર તેની કિસ્મત જરા વધારે જ મહેરબાન હોય તેવું લાગી રહ્યું છે.63 વર્ષીય જોન ગિન્થર દુનિયાની સૌથી ભાગ્યશાળી લોટરી વિજેતા છે. તે 1993માંથી અત્યાર સુધી ચાર વખત લોટરી જીતીને કરોડો ડોલર પોતાના નામે કરી ચુકી છે. ગિન્થરે ગયા અઠવાડિયે એક સ્કેચ લોટરી ટિકિટ દ્વારા 10 મિલિયન ડોલર જીત્યા છે.આ પહેલા તે 1993માં 5.4 મિલિયન ડોલર જીતી ચુકી છે. આવી જ રીતે તેણે 2006માં 2 મિલિયન ડોલર અને 2008માં 3 મિલિયન ડોલર જીત્યા હતાં.
બકરી આપશે ‘માતા’નું દૂધ!
રશિયા દ્વારા ખાસ ટ્રાન્સજેટિક બકરીઓ તૈયાર કરવામાં આવી છે. આ બકરીઓની વિશેષતા એ છે કે તે માતાના દૂધ જેવું જ દૂધ આપે છે. બકરી દ્વારા આપવામાં આવતા આ દૂધમાં લેક્ટોફેરિન નામનું માનવીય પ્રોટીન હોવાને કારણે તેનો ઉપયોગ સ્તનપાનના વિકલ્પ તરીકે કરી શકાય છે.નોંધનીય છે કે નવજાત બાળકમાં જ્યાં સુધી રોગ પ્રતિકારણ શક્તિનો વિકાસ ન થાય ત્યાં સુધી માતાના દૂધમાં રહેલું લેક્ટોફેરિન પ્રોટિન તેનું બેક્ટેરિયા અને વિષાણુઓથી રક્ષણ કરે છે.રશિયા દ્વારા તૈયાર કરવામાં આવેલી બકરીઓની મદદથી હવે જરૂરીયાતમંદ બાળકોને માતાના દૂધ જેવું જ દૂધ પુરું પાડી શકાશે.
નાટકિયા રાજભાએ લોકઅપમાં માથા પછાડ્યા! આજે રિમાન્ડ મંગાશે
છળકપટ અને ધાક ધમકીથી રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રના અનેક ખેડૂતની કિંમતી જમીન અને મકાનો પડાવી લેનાર યુનિવર્સિટીના સેનેટ સભ્ય અને પૂર્વ કોર્પોરેટરના કુખ્યાત પુત્ર રાજભા સતુભા જાડેજાના એક પછી એક કરતૂતો બહાર આવી રહ્યા છે. ક્રાઇમ બ્રાંચે આજે રપ કરોડના જમીન કૌભાંડમાં જેલમાંથી કબજો મેળવતા નાટકિયા રાજભાએ ફરી વખત લોકઅપમાં પોતાનું માથું અફળાવી પોલીસ પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો.પૂર્વ કોર્પોરેટરના પુત્ર રાજભાએ ક્રાઇમ બ્રાંચના લોકઅપમાં આપઘાતનો પ્રયાસ કર્યા બાદ અદાલતે તેને જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો. દરમિયાન સરસ્વતી સોસાયટીમાં રહેતા ખેડૂત કેયૂરભાઇ પાંચાણીની પડધરીના ઇશ્ચરિયા ગામની રપ કરોડની જમીનનો રાજભા જાડેજાએ સાગરીતો મારફત પોતાના અને હિતેષ બાંભવાના નામેનો બારોબાર દસ્તાવેજ કરાવી લીધાની ફરિયાદ નોંધાઇ હતી. જે ગુનામાં ક્રાઇમ બ્રાંચના પી.આઇ. દગિુભા વાઘેલા, સબ ઇન્સપેક્ટર સલીમ સાટીએ આરોપી રાજભાનો જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટની આજે સાંજે કબજો મેળવ્યો હતો.લોકઅપમાં ધકેલ્યાની થોડી જ ક્ષણમાં આરોપી રાજભાએ ફરી વખત લોકઅપ સાથે માથા અફળાવી ‘મારે મરી જવું છે’ તેવા બરાડા પાડી આપઘાતનો પ્રયાસનું વધુ એક નાટક કર્યું હતું. હેડ કોન્સ્ટેબલ નિર્મળસિંહ જાડેજાએ રાજભા વિરુધ્ધ આઇપીસી કલમ ૩૦૯ હેઠળ આપઘાતના પ્રયાસનો વધુ એક ગુનો દાખલ કરાવ્યો હતો. રપ કરોડના જમીન કૌભાંડમાં સાગરીતો ઉપરાંત અન્ય કોની-કોની સંડોવણી છે. તે સહિતની માહિતી મેળવવા કાલે રિમાન્ડની માગણી કરાશે. ઉલ્લેખનીય છે કે, ગવરીદડના ખેડૂતે પણ રાજભા સહિતના આરોપી સામે જાિળયા ગામની ૨૬ એકર જમીન હડપ કર્યાની ફરિયાદ નોંધાવી છે.
જાત બચાવવા રાજભાના રાજકીય ‘ગોડ ફાધર’એ પણ હાથ ઊંચા કરી દીધા. મારામારી, બળજબરીથી નાણાં, મિલકત પડાવી લેવા સહિતના ૧૯ ગુનામાં રાજભાની સંડોવણી હોવા છતાં તેના ‘ચોક્કસ ગુણ’ને ધ્યાને લઇ અમુક રાજકીય આગેવાનોએ તેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અતિ મહત્વના ગણાતા બોર્ડ ઓફ એકાઉન્ટના ચેરમેનના હોદ્દા સુધી લઇ જવામાં ભરપૂર મદદ કરી હોવાનું કહેવાય છે. રાજકીય માથાઓએ ત્યાર પછી રાજભા મારફત લોચાવાળી અનેક જમીનના ‘વહીવટ’ સુલટાવ્યાની પોલીસને માહિતી મળી છે. અત્યાર સુધી દરેક કેસમાં રાજભાને બચાવવા ભલામણનો ધોધ વહાવતા રાજકીય માથાઓને આ વખતે પોતે પણ ઝપટે ચડી જવાની પૂરી દહેશત હોવાથી પોતાની ચામડી બચાવવા રાજભાના કેસમાંથી હાથ ઊંચા કરી દીધાનું જાણવા મળે છે.
નારણકાના જમીન કૌભાંડના દસ્તાવેજ રાજભા પાસેથી મળ્યા .મોરબીના નિકુલ હિરજીભાઇ કલોલાએ તેની પડધરીના નારણકાની જમીન પચાવી પાડવા અંગે રાજકોટના સુનિલ ગોસ્વામી અને જયપાલસિંહ કૃષ્ણસિંહ સહિતના શખ્સો સામે ૧૭ જૂને એ.ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એ જમીનના દસ્તાવેજ પણ રાજભા પાસેથી મળી આવતા આ કૌભાંડમાં પણ તે મુખ્ય આરોપી હોવાનું મનાય છે. ભોં ભીતર થઇ ગયેલા રાજભાના સાગરીતોને શોધવા ઠેર ઠેર દરોડા. જમીન કૌભાંડમાં રાજભાની સાથે સામેલ જગદશિ વલ્લભ ઠુમર, હિતેષ મેરામ મુંધવા, અનિરુધ્ધસિંહ ચંપકસિંહ જાડેજા, અમરદપિસિંહ કનકસિંહ રાણા સહિતના આરોપીઓ ધરપકડથી બચવા ભોં ભીતર થઇ ગયા છે. પોલીસે આજે અલગ અલગ ટીમ બનાવી ફરાર આરોપીઓના રહેણાક,ધંધાના સ્થળો અને આશ્રય સ્થાનો ઉપર છાપા માર્યા હતા. પરંતુ સફળતા મળી નથી.
સોમવારે રાજકોટ સજજડ બંધ રહેશે.
મોંઘવારીને નાથવામાં કેન્દ્રની કોંગી પ્રેરિત યુ.પી.એ સરકારની નિષ્ફળતા તથા ગુજરાતમાં સી.બી.આઇ.ના દુરુપયોગના વિરોધમાં ભાજપ દ્વારા સોમવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. તે અંતર્ગત સોમવારે રાજકોટ સજજડ બંધ રહેશે.શહેર ભાજપે રાજકોટના વેપારીઓ, વિવિધ વેપારી એસોસિયેશનો તથા શૈક્ષણિક સંસ્થાઓને આ બંધમાં જોડાઇને કેન્દ્ર સરકારના કાન ઢંઢોળવા અપીલ કરી છે. સોમવારે સવારથી જ શહેરના તમામ ૨૩ વોર્ડમાં ભાજપના કાર્યકરો શહેરની બજારો અને રાજમાર્ગો ઉપર ઉતરી આવશે અને બધાને બંધમાં જોડાવા અપીલ કરશે.નાણામંત્રી વજુભાઇ વાળાએ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, આ સરકાર તમામ મોરચે નિષ્ફલ ગઇ છે. મોંઘવારીએ આડો આંક વાળ્યો છે. ગરીબ મધ્યમ વર્ગના બે છેડા કેમ ભેગા કરવા એ સમસ્યા સર્જાઇ છે. ગુજરાતમાં ભાજપને ચૂંટણીમાં પરાજીત ન કરી શકનાર કોંગ્રેસે સી.બી.આઇ.નો દુરુપયોગ શરૂ કર્યો છે. કેન્દ્ર સરકારે માઝા મૂકી છે.પેટ્રોલ-ડઝિલના ભાવ વધારાને કારણે મોંઘવારી હજુ પણ વધશે. સરકારના કુશાસનને કારણે પ્રજા બેહાલ બની છે ત્યારે એ સરકારનો કાન ખેંચવાનો સમય પાકી ગયો છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો સોમવારે સજજડ બંધ પાડીને લોક મિજાજનો પરચો કરીએ એવી હાકલ એમણે કરી હતી.રાજ્યસભાના સભ્ય વિજયભાઇ રૂપાણીએ આક્રોશભેર જણાવ્યું હતું કે, એન.ડી.એ. સરકારે કરેલાં તમામ વિકાસલક્ષી અને કલ્યાણકારી કાર્યો ઉપર યુ.પી.એ સરકારે પાણી ફેરવી દીધું છે. આતંકવાદ-નકસલવાદને નાથવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ ગઇ છે. મોંઘવારીથી આમ આદમી પરેશાન હતો ત્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ કાળો કેર વર્તાવ્યો છે. કેન્દ્ર સરકાર સી.બી.આઇ.ના દુરુપયોગથી રાજ્યની ભાજપ સરકારને પરેશાન કરવાની કોશિશ કરે છે પણ એ હવાતિયા કામ લાગવાના નથી. રાજકોટના લોકો સોમવારે સજજડ બંધ રાખીને આ ચળવળમાં ભાગીદાર બનશું એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
શહેર ભાજપ પ્રમુખ ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, શાળા કોલેજો અને વિવિધ વેપારી સંગઠનોએ બંધના એલાનને ટેકો આપ્યો છે. ભાજપના કાર્યકરો સોમવારે તમામ ૨૩ વોર્ડમાં ફરશે અને શાંતિપૂર્ણ બંધ પાળવા અપીલ કરશે.શાળા-કોલેજો સંપૂર્ણ બંધ રહેશે. સ્વનિર્ભર કોલેજોના સંચાલકોના સંગઠનના અગ્રણી નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, તમામ સ્વનિર્ભર કોલેજોએ બંધને ટેકો જાહેર કર્યો છે. તમામ શાળાઓ પણ બંધમાં જોડાઇ છે. એ સંજોગોમાં સોમવારે તમામ શૈક્ષણિક સંસ્થામાં સજજડ બંધ પાડી આ એલાનને સફળ બનાવશે.
હવાઈ મુસાફરીમાં ગુજરાતને કેન્દ્ર મદદ કરશે’
ગુજરાતને કોઈ પણ ભેદભાવ વિના હવાઈ ઉડ્ડયન ક્ષેત્રની તમામ સુવિધાની ખાતરી આપવા સાથે અમદાવાદથી લંડનની સીધી ફ્લાઇટ ફરી શરૂ કરાશે, તેમ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલે અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈમથકના ટર્મિનલ-૨ના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું. રવિવારે યોજાયેલા કાર્યક્રમના મુખ્ય મહેમાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરા, રાજકોટ, સુરત અને ભુજને આંતરરાષ્ટ્રીય હવાઈમથકનો દરજ્જો આપવા માગણી કરી હતી. પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે રાજ્ય સરકાર વાયેબિલિટી ગેપિંગ ફંડ માટેનો પ્રોગ્રામ બનાવશે તો કેન્દ્રીય મદદ મળવાની સંભાવના છે. આ ફંડ માટે ૪૦થી ૫૦ કરોડ રૂપિયા જોઈશે. ગુજરાતનાં અન્ય શહેરોમાં હવાઈ મુસાફરી કરી શકાય તેવી સસ્તા દરની હવાઈ સુવિધા આપવાની કેન્દ્રની તૈયારી છે. આ તબક્કે તેમણે અમદાવાદના એરપોર્ટ સંકુલમાં કેન્દ્રના ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મૂકવાની માગણી સ્વીકારી હતી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને યાદ કરાવતાં તેમણે કહ્યું હતું કે આ ટર્મિનલનું ભૂમિપૂજન કરતી વખતે મેં કહ્યું હતું કે આ સંકુલનું ઉદ્ઘાટન પણ હું જ કરીશ, અને તે મોકો આજે આવ્યો છે. સિવિલ એવિયેશનની સુવિધા ઊભી કરવામાં ભારત આજે વિશ્વમાં ૯મા ક્રમે છે, જે આવનારાં વર્ષોમાં પાંચમા ક્રમે આવશે.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) પણ સામાન્ય પોલીસ સ્ટેશનની જેમ ગુના રજિસ્ટર્ડ કરી શકશે
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ને સ્વતંત્રતા આપવા અંગેનો કાનૂન સંસદમાં પસાર થતાં જ એક સામાન્ય પોલીસ સ્ટેશનની જેમ સીબીઆઇ જાતે કોઇના આદેશ વિના પણ ગુનો રજિસ્ટર્ડ કરી તેની તપાસ શરૂ કરી શકશે. કોઈ પણ સરકારના આદેશની રાહ જોયા વિના આ સંસ્થા માત્ર ન્યાયાલયના જ નિર્દેશને માનશે.૧૯૪૧માં સ્પેશિયલ પોલીસ એસ્ટાબિ્લસમેન્ટનું સેટઅપ કરાયું હતું. તેની કામગીરીમાં સુધારો કરવા કેન્દ્ર સરકારે ૧ એપ્રિલ, ૧૯૬૩માં સીબીઆઇની સ્થાપનાનું નોટિફિકેશન ઇસ્યુ કર્યું, જેના પ્રથમ ડાયરેકટર ડી.પી. કોહલી હતા. જે-તે રાજ્યમાં બનતા મોટા ગુના ઉકેલવા પોલીસતંત્ર સક્ષમ ન હોય ત્યારે સીબીઆઇની તપાસ માગવામાં આવ્યા પછી ઇન્વેસ્ટિગેશન કરી શકાતું હોય છે. પરંતુ નવા કાનૂનમાં સંસ્થાને એવું લાગશે કે આ ગુનો સંગીન છે અને તેની તપાસની જરૂરિયાત છે તેવા સમયે કોઇને પૂછ્યા વિના તે તપાસ લઈ શકશે. સીબીઆઇ એક્ટ-૨૦૧૦ના નવા કાનૂનનો ડ્રાફ્ટ તૈયાર કરાયો છે અને સંસદના આગામી સત્રમાં રજુ કરાશે.રાજ્ય સરકારની અનુમતિ જોઈશે નહીંકોઈ પણ ક્ષેત્રમાં થયેલા અપરાધ, કસ્ટમ, ઇન્કમટેક્સ, મની લેન્ડિંગ, હત્યા, લાંચ-રુશવત, ટ્રેપ કેસ, છેતરપિંડી અને દેશની સુરક્ષા સામે ઊભા થયેલા પડકારોમાં સીબીઆઇ જાતે તપાસનો દોર હાથમાં લઈ શકશે જેના માટે ન્યાયાલય સિવાય કોઇની અનુમતિ જરૂરી નહીં હોય.સ્વતંત્રતા મળ્યા પછી ગુજરાતમાં મુશ્કેલીઓ વધશે. સીબીઆઇનો નવો કાયદો લાગુ પડ્યા પછી બનાવટી એન્કાઉન્ટર, કોમી રમખાણોની તપાસ તેમજ વણઉકેલ હત્યા, અપહરણ અને બળાત્કારની ઘટનાઓની તપાસ કરી શકાશે. સીબીઆઇને શક હોય છે કે ગુનાના ઢાંકપિછોડામાં સ્થાનિક પોલીસનો સહયોગ હોય છે તેથી તેને પોલીસની મદદ લેવાની આવશ્યકતા પણ નહીં હોય. સીબીઆઇ હાલ ગોધરાકાંડ અને તે પછીનાં કોમી તોફાનોની ફેરતપાસ તેમજ સોહરાબ એન્કાઉન્ટર કેસની તપાસનો હવાલો સંભાળી રહ્યા છે.
ગુજરાતના રાજકીય નેતા અને બે આઇપીએસ અધિકારીની ધરપકડની સીબીઆઇને મંજૂરી
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં સંડોવાયેલા ગુજરાતના રાજકીય નેતા અને બે આઇપીએસ અધિકારીની ધરપકડ કરવા માટે સીબીઆઇના લગિલ સેલે મંજૂરીની મહોર મારી દીધી છે. આ મહિનાના અંતમાં અભય ચુડાસમાની ધરપકડની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરતી વખતે આ નેતા અને ઉચ્ચ આઇપીએસ અધિકારીઓનાં નામ ખુલ્યાં બાદ તેની ધરપકડ કરવામાં આવે તેવી સંભાવના સીબીઆઇનાં સૂત્રોએ વ્યક્ત કરી છે.આ પ્રકરણમાં સંડોવાયેલા રાજકીય નેતાઓ અને અન્ય આઇપીએસ અધિકારીઓની ધરપકડનો તખતો સીબીઆઇએ ઘડી કાઢ્યો છે. બનાવટી એન્કાઉન્ટરમાં અભય ચુડાસમા ઉપરાંત રાજકીય નેતાઓ અને અન્ય આઇપીએસ અધિકારીઓની સંડોવણીના પુરાવા સીબીઆઇને મળ્યા હતા.આ પુરાવાના આધારે તેમની ધરપકડ થાય તેના માટે સીબીઆઇએ લિગલ સેલનો અભિપ્રાય માગ્યો હતો. લગિલ સેલે એન્કાઉન્ટરની તપાસ કરતી સીબીઆઇએ રજૂ કરેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને રાજકીય નેતાઓ અને આઇપીએસની ધરપકડ કરવા મંજૂરી આપી દીધી છે.આગામી ૨૮મી જુલાઇએ ૯૦ દિવસ પૂરા થાય તે પહેલાં સીબીઆઇ કોર્ટમાં ચુડાસમા વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી દેશે. કોર્ટમાં ચાર્જશીટ કરતી વખતે રાજકીય નેતા અને આઇપીએસ અધિકારીઓનાં નામ પણ ખોલવાની સંભાવના છે. તેના બાદ એક રાજકીય નેતા અને બે આઇપીએસ અધિકારીઓની ધરપકડ થાય તેવી સંભાવના છે.
નિષ્ફળતા ઢાંકવા કોંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરે છે
નર્મદા યોજનાના પાણી અને વીજળીની વહેંચણી ટ્રિબ્યૂનલના ચુકાદાના આધારે થાય છે તેવી સ્પષ્ટતા કરતાં નર્મદા અને જળસંપત્તિ મંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, યુપીએ સરકારની નિષ્ફળતા અને મોંઘવારીને ઢાંકવા કોંગ્રેસ વાહિયાત પ્રચાર કરે છે.
ગુજરાતના ભોગે પાણી અને વીજળી અન્ય રાજ્યોને અપાશે નહીં તેમ કહી મંત્રીએ જણાવ્યું હતું કે પાણી અને વીજળીની વહેંચણી કરવામાં આવી ત્યારે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારો હતી. ટ્રિબ્યૂનલના ચુકાદા પ્રમાણે ભાજપની સરકાર વહેંચણી કરે છે.નર્મદા યોજનામાં શાખા નહેરોનું નેટવર્ક ઝડપથી ઊભું કરાઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસના આગેવાનો ખેડૂતો અને જનતાને ગેરમાર્ગે દોરે છે.
રાજ્યનાં અન્ય શહેરોમાં જ્યાં રન-વેની પૂરતી સગવડ હોય ત્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટ આપો: મોદી
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કેન્દ્રના સિવિલ એવિયેશન મંત્રાલયે રાજ્યનાં અન્ય શહેરોમાં જ્યાં રન-વેની પૂરતી સગવડ હોય ત્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવાં જોઈએ. ગુજરાતમાં વડોદરા, સુરત, રાજકોટ અને ભુજને આ કક્ષાનો દરજ્જો આપવામાં વિલંબને અવકાશ નથી. ગુજરાતમાં પીપીપી મોડલના નવાં એરપોર્ટ બની રહ્યાં છે. કેન્દ્ર સરકાર જો પૂરતી મદદ કરશે તો રાજ્ય સરકાર તાલુકે-તાલુકે એરપોર્ટ બનાવશે.પાઇલટની સંખ્યામાં વિચાર કરવો જોઈએ. કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે કહ્યું હતું કે હાલ દેશમાં ૪૫૦૦ની સામે ૩૩૦૦ પાઇલટ છે જેના કારણે વિલંબ અને મુશ્કેલીઓમાં વધારો થાય છે. દિનશા પટેલે અમદાવાદના એરપોર્ટ સંકુલમાં સરદાર પટેલની પ્રતિમા મૂકવાની માગણી કરી મેમોરિયલ ટ્રસ્ટમાંથી ખર્ચ આપવાની ઓફર કરી હતી.
હવે મધ્યમ વર્ગને હવાઈસેવા મળી છે. કેન્દ્રીય ઊર્જા રાજ્યમંત્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે યુપીએ સરકારે મધ્યમ વર્ગને વિમાની મુસાફરીની સુવિધા આપી છે. ઉદ્યોગોથી ધમધમતા ગુજરાતમાં સિવિલ એવિયેશનની માત્રા વધારવી જરૂરી છે અને તે દિશામાં અમારા પ્રયાસો છે. વિકાસના ભાગરૂપે એરપોર્ટને વિમાનની સગવડો મળી રહેશે. સુરત એરપોર્ટને વધારે ફ્લાઇટ આપો. કેન્દ્રના આદિજાતિ મંત્રી તુષાર ચૌધરીએ એવી માગણી કરી હતી કે સુરતને એરપોર્ટ તો મળ્યું છે પણ ફ્લાઇટો મળતી નથી. સુરતમાંથી ૫૦ મુસાફરો કાયમી અપ-ડાઉન કરે છે તે નવી દિલ્હી-સુરત ફ્લાઇટનો સમય બદલવો જોઈએ. ઉપરાંત વેપારીઓની માગણી પ્રમાણે નવી ફ્લાઇટોની જાહેરાત થવી જોઈએ.વ્યક્તિ આવશે અને જશે, ગુજરાત કાયમી. અમદાવાદને વર્લ્ડકલાસ ટર્મિનલ મળ્યું છે. કારણ કે ગુજરાતીઓ હવે હવામાં રહે છે. સત્તા ઉપર વ્યક્તિ આવશે અને જશે પરંતુ ગુજરાત કાયમી છે અને તે રહેશે તેમ વિરોધપક્ષના શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.
ગુજરાત બંધ દરમિયાન ક્યાંય પણ અણબનાવ ન બને તે માટે સીબીઆઇ કચેરીને ખાસ સુરક્ષા
કેન્દ્ર સરકાર દ્વારા સીબીઆઇના દુરુપયોગ તેમજ પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારાના વિરોધમાં ગુજરાત ભાજપે આગામી પમી જુલાઇ સોમવારે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગાંધીનગરમાં સેક્ટર-૧૦માં આવેલી ગુજરાત સીબીઆઇની કચેરીની બહાર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનો તેમજ સતત પેટ્રોલિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.અમદાવાદમાં ગઇકાલે મળેલી પ્રદેશ ભાજપની કારોબારી બેઠકમાં તાજેતરમાં કેન્દ્ર સરકારે કરેલા પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો તેમજ ગુજરાતમાં સીબીઆઇના દુરુપયોગ સામે આગામી ૫મી જુલાઇના રોજ ગુજરાત બંધનું એલાન આપ્યું છે. સત્તા પક્ષ ભાજપ દ્વારા બંધનું એલાન આપવાને કારણે ગાંધીનગર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવાની સૂચના જિલ્લા પોલીસ વડા પીયૂષ પટેલે આપી છે.બંધના એલાનમાં સીબીઆઇના દુરુપયોગનો પણ મુદ્દો હોવાથી ગુજરાત સીબીઆઇની વડી કચેરી ગાંધીનગરમાં આવેલી હોવાથી સીબીઆઇ કચેરી બહાર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે. સેક્ટર-૭ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત ચાર પીએસઆઇ અને પોલીસના માણસોને સીબીઆઇ કચેરી બહાર સવારથી બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવશે. તે ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાની પોલીસને પણ એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.જિલ્લા પોલીસ વડાએ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓને પેટ્રોલિંગની સ્કીમ બનાવી તેની અમલવારી કરવા તેમજ બંધ દરમિયાન ક્યાંય પણ અણબનાવ ન બને તેના પર સતત નજર રાખવા માટે પણ સૂચના આપી છે.
કોર્ટે રિમાન્ડ નામંજુર કરતાં પીજીવીસીએલના પૂર્વ નાયબ કાર્યપાલક ઇજનેર જેલના હવાલે
કચ્છ પીજીવીસીએલના તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેરને પોલીસે પકડ્યા બાદ કોર્ટમાં રજુ કરાતા તેને જેલ હવાલે કરાયા હતા. અંગે ભુજ સિટી પોલીસ મથકના પી.આઇ. બી.ડી. જાડેજા જણાવ્યું કે, પીજીવીસીએલના ૫.૮૮ કરોડના કૌભાંડમાં મુખ્ય આરોપી એવા તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેર આર.જી સાવલિયાની ધરપકડ કર્યા બાદ તેમને કોર્ટમાં રજુ કરાયા હતા અને પાંચ દિવસના રિમાન્ડની માગણી કરાઇ હતી પરંતુ કોર્ટે રિમાન્ડ નામંજુર કરતાં તેને જેલ હવાલે કર્યા હતા.
ભાવવધારાના વિરોધમાં એનડીએ શાસિત રાજ્યોમાં બંધની અસર વર્તાઇ
પેટ્રોલ – ડીઝલ તથા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવવધારાના વિરોધમાં વિપક્ષો દ્વારા આપવામાં આવેલા બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. યુપીએ શાસિત રાજ્યોમાં બંધની નહિવત્ અસર જોવા મળી રહી છે. જ્યારે ભાજપ તથા ડાબેરીઓ શાસિત રાજ્યોમાં બંધની અસર જોવા મળી રહી છે.ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પોલીસ તથા વહિવટી તંત્ર બંધને નિષ્ફળ બનાવવામાં તથા તેની અસરને નહિવત કરવામાં મહેનત કરી રહ્યું છે. બીજી બાજુ, ભાજપ શાસિત રાજ્યોમાં બંધને સફળ બનાવવા માટે કાર્યકરો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે.
ઉત્તરપ્રદેશ
મોંઘવારી તથા પેટ્રોલિયમ પેદાશોમાં ભાવવધારા વિરૂદ્ધ વિરોધ પક્ષ દ્વારા દેશ વ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે. જે દરમિયાન ઉત્તરપ્રદેશના લખનૌમાં ભાજપના કાર્યકરો દ્વારા બંધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભાજપના કાર્યકરો બંધના સમર્થનમાં લખનૌમાં વિધાનસભા સુધી પહોંચ્યા હતા ત્યારે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ભાજપના કાર્યકરો મોંઘવારીના વિરોધમાં સુત્રોચ્ચાર કરી રહ્યાં હતા, હાથમાં પ્લેકાર્ડ તથા ભાજપના ઝંડા લઇને તેઓ વિધાનસભાએ પહોંચ્યા ત્યારે પોલીસ હરકતમાં આવી ગઇ હતી. હાજર રહેલા કાર્યકરો ઉપર પોલીસે બેફામ લાઠીચાર્જ કર્યો હતો અને ભાજપના નેતા અરૂણ જેટલી તથા મુખ્તાર અબ્બાસ નક્વીની અટકાયત કરવામાં આવી છે. બીજી બાજુ, સમાજવાદી પક્ષના કાર્યકરોએ પણ બંધ પડાવવાનો તથા રાજ્યના અલ્લાહબાદ, એટા, વારાણસીમાં ટ્રેનને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેમની સામે પોલીસે કડક કાર્યવાહી કરી હતી.
ગુજરાત
ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત તથા વડોદરા જેવા શહેરોમાં સવારથી જ બંધની સજ્જડ અસર જોવા મળી રહી છે. રાજ્યમાં સ્કૂલ કોલેજો તથા જાહેર પરિવહનના વાહનો રસ્તા ઉપર ઉતર્યા ન હતા. ગુજરાત પોલીસ અનેક સ્થળોએ ભાજપના કાર્યકરો તથા નેતાની દાદાગીરી સામે વામણી પૂરવાર થઇ રહી છે. નેતાઓ રીતસર દાદાગીરી કરીને બંધ પડાવી રહ્યાં છે. સુરતના ચોક વિસ્તારમાં ભાજપના કાર્યકરો દ્વારા જાહેર પરિવહનના સાધનો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્ર અને મુંબઇ
કોંગ્રેસ શાસિત મહારાષ્ટ્રમાં બંધની નહિવત્ અસર જોવા મળી રહી છે. મુંબઇના કેટલાક વિસ્તારોમાં ભાજપ, શિવસેના તથા મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના કાર્યકરોએ વિરોધ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, પોલીસ દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહીના પગલે આ વિરોધને ડામી દેવામાં આવ્યો હતો. ભાજપના અગ્રણીન નેતા કિરિટ સોમૈયા અને ગોપિનાથ મુંડેની અટકાયત કરવામાં આવી છે.ભાજપ તથા શિવસેનાના કાર્યકરોએ વાહન વ્યવહારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મુંબઇની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન પર ખાસ અસર જોવા મળી ન હતી. ઉલ્લેખનીય છેકે, મનસેના રાજ ઠાકરે એ અગાઉ જ એલાન કરી ચૂક્યાં હતાકે, બંધને સફળ બનાવવા માટે તેઓ વિપક્ષની સાથે રહેશે. બંધના કારણે લગભગ 85 જેટલી ફ્લાઇટોના આગમન તથા પ્રસ્થાન અટકાવી દેવામાં આવ્યા છે. શિવસૈનિકો દ્વારા અમરાવતીમાં ટ્રેન અટકાવવામાં આવી હતી. જોકે, સરકારી આદેશના પગલે પોલીસ બંધ સામે કડક હાથે કાર્યવાહી કરી રહી છે. ઉલ્લેખનીય છેકે, મુખ્યપ્રધાન અશોક ચૌહાણ અગાઉ જ કહી ચૂક્યાં છેકે, તેઓ બંધને નિષ્ફળ બનાવવા માટે પૂરતા પ્રયાસ કરશે. બેસ્ટની બસો ઉપર શિવસૈનિકો દ્વારા પથ્થરમારો કવરામાં આવ્યો હતો. જેમાં 85 બસોને નુકશાન પહોંચ્યું છે.જ્યારે સાત ડ્રાઇવરો ઇજાગ્રસ્ત થયા છે.
બિહાર જનતા દળ યુનાઇટેડ તથા ભાજપની મિશ્ર સરકારવાળા બિહારમાં બંધને સારો પ્રતિસાદ સાંપડ્યો છે. અહીં ભાજપ તથા જેડીયુના કાર્યકરોએ બંધને સફળ બનાવવા માટે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. અહીં ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદ ની અટકાયત કરવામાં આવી હતી. અનેક સ્થળોએ લાંબા અંતરની ટ્રેનોને અટકાવવામાં આવી હતી.
પશ્ચિમ બંગાળ અને કેરળ
ડાબેરી પક્ષો દ્વારા શાસિત પશ્ચિમ બંગાળ અને કેરળમાં બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે. એનડીએથી અલગ ડાબેરી પક્ષોએ સ્વતંત્ર રીતે બંધનું એલાન આપ્યું છે. જેને સજ્જડ પ્રતિસાદ સાંપડ્યો છે. બંને રાજ્યોમાં ડાબેરી પક્ષોના કાર્યકરો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.તેમણે રસ્તા ઉપર ચક્કાજામ કરાવવાનો તથા ટ્રેનોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે, અનેક ટ્રેનો મોડી ચાલી રહી છે અથવા તો તેના નિર્ધારીત સમયે ગંતવ્ય પર નથી પહોંચી રહી.
નવી દિલ્હીમાં બંધનો મિશ્ર પ્રભાવ જોવા મળ્યો હતો. અહીં ભાજપના કાર્યકરોએ કેટલાક સ્થળો પર મેટ્રોને અટકાવી હતી. આઇટીએ તથા બદરપુર બોર્ડર પર રસ્તા પરનો ટ્રાફિક અટકાવવામાં આવ્યો હતો.
શુક્રવારથી ચોમાસાની શરૂઆત થયા બાદ રવિવારે નર્મદા ડેમની સપાટીમાં વધારો
વડોદરા શહેર-જિલ્લામાં શુક્રવારથી ચોમાસાની શરૂઆત થયા બાદ રવિવારે રાત્રે પણ શહેર તેમજ જિલ્લાના સાત તાલુકામાં મેઘ મહેર જારી રહી હતી. સોમવારે સવારે ૮ વાગે નોંધાયેલા વરસાદી આંકડા મુજબ શિનોર તાલુકામાં દોઢ ઈંચ જ્યારે વડોદરા શહેર સહિત કવાંટ, નસવાડી અને પાદરા તાલુકામાં પોણો-પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ તેમજ સ્ત્રાવ વિસ્તારમાં થયેલા વરસાદથી નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો હતો.સૂત્રોના જણાવ્યા મુજબ નર્મદા ડેમના ઉપરવાસ તેમજ સ્ત્રાવ વિસ્તારોમાં વરસાદની જમાવટ થતાં ડેમની સપાટીમાં રાત્રિ દરમિયાન વધારો થયો હતો. રવિવારે સાંજે નર્મદા ડેમની સપાટી ૧૧૪.૦૨ મિટર હતી જે વધીને આજે સવારે ૧૧૪.૭૨ મિ.મિ. નોંધાઇ છે.રવિવારે દિવસ દરમિયાન વરસાદનો વિરામ રહ્યા બાદ શનિવારની જેમ સાંજે ૭ વાગ્યાથી વડોદરા શહેર સહિત જિલ્લાના સાત તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. જ્યારે છોટાઉદેપુર, જેતપુરપાવી, સાવલી, વાઘોડિયા અને ડભોઇ તાલુકા કોરાકટ્ટ રહ્યા હતા. જિલ્લા પુર નિયંત્રણ કક્ષ-ડિઝાસ્ટર સેલના મામલતદાર કે.એચ.પરમારના જણાવ્યા મુજબ ગત રાત્રિ દરમિયાન વડોદરા શહેર-તાલુકામાં ૧૬ મિ.મિ., કરજણ તાલુકામાં ૦૧ મિ.મિ., કવાંટ તાલુકામાં ૧૭ મિ.મિ., નસવાડી તાલુકામાં ૧૬ મિ.મિ., પાદરા તાલુકામાં ૧૮ મિ.મિ., સંખેડા તાલુકામાં ૦૧ મિ.મિ., શિનોર તાલુકામાં ૩૭ મિ.મિ. વરસાદ થયો હતો.આ ઉપરાંત ૨૪ કલાક દરમિયાન વરસાદની આગાહી કરાતાં જિલ્લા વહીવટી તંત્ર સાબદું બનાવી દેવાયું છે. પ્રાપ્તવિગતો મુજબ જિલ્લામાં વરસાદને કારણે પાણી ભરાતાં વડોદરા એસ.ટી.ડિવિઝન દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં દોડાવાતી એસ.ટી.બસની ૧૬ ટ્રીપ રદ કરાઇ હતી.
IFS અધિકારીએ ન્યૂયોર્કમાં રહેતી મહિલાને ગુલામ બનાવી
ન્યૂયોર્કમાં રહેતી એક ભારતીય મહિલાએ ઈન્ડિયન ફોરેન સર્વિસિસના(આઈએફએસ) એક અધિકારી સામે તેને ગુલામ બનાવીને રાખવાની ફરિયાદ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શાંતિ ગૌરાંગ નામની એક મહિલાએ સરકારી અધિકારી નીના મલ્હોત્રા સામે તેની પાસેથી કોઈ પણ વળતર આપ્યા વગર 16 કલાક સુધી કામ કરવા માટે દબાણ કર્યાનો આરોપ લગાવ્યો છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુરુવારે દાખલ કરવામાં આવેલા કેસમાં ગૌરાંગે મલ્હોત્રા પર એવો આરોપ લગાવ્યો છે કે 2006ના વર્ષમાં 17 વર્ષની ઉંમરમાં તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. ગૌરાંગના જણાવ્યા પ્રમાણે આ સમય દરમિયાન તેની પાસે અધિકારીઓ દ્વારા સંદેશ મોકલવાનું તેમજ નીરસ કામ કરવાનું કહેવામાં આવતું હતું.ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે મલ્હોત્રા તેમજ તેના પતિએ ગૌરાંગને ત્રણ વર્ષ સુધી ગુલામ બનાવીને રાખી હતી. 21 વર્ષીય ગૌરાંગે જણાવ્યું હતું કે 40 મહિના કામ કરાવવા બદલ તેને વળતરમાં માત્ર 120 અમેરિકન ડોલર જ આપવામાં આવ્યા હતાં.
હેડલીનો ધડાકો, ઈશરત જહાં લશ્કરની ફિયાદીન હતી
ગુજરાતમાં 2004માં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલી ઈશરત જહાં પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની ફિયાદીન આતંકવાદી હતી. પાકિસ્તાની મૂળના અમેરિકી આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીએ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની પૂછપરછમાં આ ધડાકો કર્યો છે.એક અગ્રણી અંગ્રેજી દૈનિકમાં આપવામાં આવેલા આ અહેવાલ મુજબ હેડલીએ એનઆઈએ દ્વારા કરવામાં આવી રહેલી પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે મુંબઈના ઠાણેની રહેવાસી ઈશરતને લશ્કર કમાન્ડર મુઝમ્મિલે ભારતમાં આતંક ફેલાવવાની જવાબદારી સોંપી હતી. મુઝમ્મિલ 2007 સુધી ભારતમાં લશ્કરની ગતિવિધીઓ સંભાળી રહ્યો હતો.મુંબઈ આતંકી હુમલાના આરોપી હેડલીનું આ નિવેદન ઘણું મહત્વનું માનવામાં આવે છે. હેડલીના નિવેદનથી ગુજરાત પોલીસના દાવાને સમર્થન મળે છે જેમાં કહેવામાં આવ્યું હતું કે ઈશરતને મુઝમ્મિલે કેટલાક ઉચ્ચકક્ષાના વ્યક્તિઓને મારવા માટે લશ્કરે મિશન પર ગુજરાતમાં મોકલ્યા હતા. અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે હેડલીએ 2006માં ભારતની મુલાકાત લીધી હતી ત્યારે મુઝમ્મિલ ભારતમાં લશ્કરનો પ્રમુખ હતો.ઉલ્લેખનીય છે કે 15 જૂન 2004માં અમદાવાત ખાતે ગુજરાત પોલીસે ઈશરત સહિત ચાર લોકોને લશ્કરના આતંકવાદી ગણાવતા એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. ઈશરત સાથે માર્યા ગયેલા લોકોમાં જાવેદ અને બે પાકિસ્તાની નાગરિક અમજદ અલી અને જિશાન જૌહર અબ્દુલ ગનીનું નામ સામેલ છે. ઈશરત એન્કાઉન્ટર મામલે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર વિવાદોમાં સપડાયા હતા.ગુજરાત પોલીસ અને રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે ઈશરત અને તેના સાથીઓ લશ્કરના આતંકવાદીઓ હતા અને તેઓ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા માટે ગુજરાતમાં આવ્યા હતા. જ્યારે ઈશરતની માતાએ પોતાની પુત્રી નિર્દોષ હોવાનું જણાવતા તેની હત્યાનો આરોપ લગાવ્યો હતો. ઈશરતની માતાનું કહેવું છે કે તેની પુત્રી સેલ્સવુમનનું કામ કરતી હતી અને તે પર્ફ્યુમનો વેપાર કરનારા જાવેદ શેખ માટે કામ કરતી હતી.જો કે ઈશરતના મૃત્યુ બાદ પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાનીક મુખપત્રમાં ઈશરતને લશ્કરની સભ્ય ગણતા તેના મોત પર અફસોસ વ્યક્ત કર્યો હતો. લશ્કરે ઈશરતના મોતનો બદલો ભારતીય પોલીસ પાસેથી લેવાની જાહેરાત પણ કરી હતી. પરંતુ બાદમાં 2007માં લશ્કરે જમાત-ઉદ-દાવાનું મહોરૂ પહેરી લેતા તેણે ઈશરતને આતંકી માનવાનો ઈનકાર કરી દીધો હતો. એટલું જ નહીં જમાતે ઈશરતને લશ્કર દ્વારા આતંકી ગણાવ્યા બદલ તેના પરિવાર પાસે માફી પણ માંગી હતી.
અમદાવાદ પણ સજજડ બંધ
વાહન વ્યવહાર અને સ્કૂલો કોલેજો ઉપરાંત અમદાવાદ શહેરમાં મુખ્ય બજારો પણ સંપૂર્ણ પણે બંધ રહ્યા હતા. સવારના પહોરમાં જ ભાજપના કાર્યકરોએ એએમટીએસની બસો રોકવા ઉપરાંત શહેરના મુખ્ય બજારો પણ બંધ કરાવી દીધાં હતાં. માણેકચોક, રિલફિ રોડ અને રતનપોળ જેવા મુખ્ય બજારોના શટરો આજે ખૂલ્યા જ નહોતા.
સૌરાષ્ટ્ર પર મેઘરાજા મેઘરાજા મન મૂકીને વરસ્યા. 1 થી 6 ઇંચ પાણી
ખેડૂતોના હૈયે ટાઢક વળી, રવિવારે સવારથી ફરી અસહ્ય ઉકળાટ, વાદળછાયુ વાતાવરણલાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા સૌરાષ્ટ્ર પર ઓળઘોળ થયા છે. શનિવારની મધરાતથી સમગ્ર કાઠિયાવાડ પર વરસવાનું શરૂ કર્યું હતું અને ગણતરીની કલાકોમાં એક ઇંચથી માંડી છ ઇંચ જેટલું પાણી વરસાવી દીધું હતું. નદી-નાળા છલકાઇ ગયા હતા અને પાણીનો પ્રવાહ ડેમ તરફ ધસમસતો જોવા મળ્યો હતો. સંખ્યાબંધ ડેમોમાં નવા નીર આવ્યા હતા. મુરઝાઇ રહેલી મોલાત પર મેઘરાજા જાણે અમી છાટણાં કરતાં હોય તેમ સમગ્ર કાઠિયાવાડની ધરતી પર કાચા સોનારૂપ વરસાદ વરસાવ્યો હતો.સૌથી વધુ વરસાદ રાજકોટ અને અમરેલી જિલ્લામાં પડ્યો હતો. દરેક જિલ્લા મથકેથી પ્રતિનિધિઓ મારફતે મળી રહેલાં અહેવાલ અનુસાર રાજકોટ શહેરમાં શનિવારની રાત્રિથી રવિવાર બપોર સુધીમાં ચાર ઇંચ વરસાદ પડી ગયો હતો. આ ઉપરાંત ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જેતપુર, કોટડાસાંગાણી, લોધિકા, મોરબી, પડધરી, ટંકારા, ઉપલેટા અને વાંકાનેર વિસ્તારમાં પણ બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.જુનાગઢ જિલ્લામાં રવિવારનો દિવસ વરસાદની દ્દિષ્ટએ સામાન્ય રહ્યો હતો. એક માત્ર કેશોદ પંથકમાં દોઢ ઇંચ જેટલું પાણી પડ્યું હતું. વેરાવળમાં એક ઇંચને બાદ કરતાં સોરઠમાં સર્વત્ર ઝાપટાં પડ્યા હતા. સુદામાપુરી અને આસપાસના વિસ્તારો તેમજ તાલુકા મથકોએ પણ વિશેષ કહી શકાય તેવો વરસાદ નોંધાયો છે. પોરબંદર શહેરમાં સાડા ત્રણ ઇંચ પાણી પડ્યું હતું. જ્યારે કુતિયાણામાં ત્રણ અને રાણાવાવમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો.અમરેલી જિલ્લામાં બગસરા શહેર મેઘરાજાએ પસંદગીનું સ્થળ બનાવ્યું હતું. ત્યાં ૨૪ કલાકમાં પોણા છ ઇંચ વરસાદ વરસાવી દેતાં અત્ર-તત્ર-સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. ખેતરો અને વાડીઓમાં પાણી ભરાઇ ગયા હતા. નિચાણવાળા વિસ્તારોમાં હિલોળા લેતાં પાણી જોવા મળ્યા હતા. આ ઉપરાંત જાફરાબાદ, ખાંભા અને લીલિયા પંથકમાં દોઢ ઇંચથી વધુ વરસાદ ખાબકયો હતો. અન્ય વિસ્તારોમાં એક ઇંચથી બે ઇંચ પાણી પડ્યું હોવાના અહેવાલ મળે છે.ગોહિલવાડ પર રવિવારે માત્ર વાદળો છવાયેલા રહ્યા હતા. એક માત્ર તળાજા શહેર અને પંથકમાં અડધો ઇંચ વરસાદ થયો હોવાના અહેવાલ મળે છે. જ્યારે અન્ય તમામ તાલુકો મથકો અને ગામડાઓમાં ઝાપટા પડ્યા હતા. ઝાલાવડમાં સૌથી વધુ વરસાદ ચોટીલામાં સાડા ત્રણ ઇંચ નોંધાયો હતો. અન્ય તાલુકા મથકોએ ઝાપટાથી માંડી બે ઇંચ વરસાદ પડ્યો હતો. કચ્છમાં એક માત્ર અંજારમાં પોણો ઇંચ પાણી પડી ગયું હતું. ભૂજ શહેર, મુન્દ્રા, ભચાઉ અને રાપરમાં ઝાપટા પડ્યા હતા.હાલારમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જામનગર શહેરમાં એક સાથે ચાર ઇંચ જેટલું પાણી વરસાવી દેતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લાલપુરમાં સાડા ચાર ઇંચ અને ખંભાળિયામાં પાંચ ઇંચ પાણી પડી ગયું હતું. અન્ય શહેરોમાં પણ અડધા ઇંચથી માંડી બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.
* ૩ જુલાઇ થી ન્યુજર્સી માં મોરારીબાપુની રામ કથા
પૂ.મોરારીબાપુની ન્યુજર્સી ખાતે તા.૩ જુલાઇ થી ૧૧ જુલાઇ સુધી યોજાયેલ રામકથાનું આસ્થા ચેનલ ઉપર તા.૬ જુલાઇ થી ૧૪ જુલાઇ સુધી સવારે ૯.૩૦ થી ૧ ભારતમાં, બપોરે ૨.૩૦ થી ૬ કેનેડામાં અને સવારે ૯.૩૦ થી ૧ યુ.કે.માં પ્રસારીત થશે. ભાવિકોએ લાભ લેવા જણાવાયું છે.
હીરા અને કાપડ ઉદ્યોગોમાં મજદૂર યુનિયનના ઓછાયા તળે ઘૂસણખોરી
નક્સલવાદીઓએ મહાકાય ઉદ્યોગો ધરાવતા હજીરા વિસ્તારમાં તેમજ સુરતના હીરા અને કાપડ ઉદ્યોગમાં પાછલા બારણે પ્રવેશવાનું ષડ્યંત્ર તૈયાર તો કર્યું હતું પરંતુ કોઈ અકળ કારણોસર તેમાં નક્સલીઓ સફળ રહ્યા ન હતા. નક્સલીઓના આ ષડ્યંત્રમાં હજીરાના ઉદ્યોગોને ‘રણનીતિગત ઉદ્યોગો’ તરીકે ઓળખાતા હતા, તેમ પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે.એક ડઝનથી વધુ નકસલીની ધરપકડ કર્યા બાદ પોલીસે કરેલી ઊંડાણપૂર્વકની તપાસમાં એવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે નકસલીઓનો લાંબા ગાળાનો પ્રોજેક્ટ સુરતના હજીરામાં આવેલા મહાકાય ઉદ્યોગ ઉપરાંત હીરા અને કાપડ ઉદ્યોગોમાં પણ ઘૂસણખોરી કરવાનો હતો.નક્સલીઓની અર્બન કમિટીના નિયંત્રણ તળે પૂણે-અમદાવાદ ગોલ્ડન કોરિડોર પ્રોજેક્ટના ત્વરિત અમલીકરણ માટે એક ટુકડી કાર્યરત હતી. આ કમિટીની વિવિધ કાર્યયોજનાના ભાગ તરીકે સુરતના હજીરા વિસ્તારમાં આવેલા ભારે ઉદ્યોગોને રણનીતિગત ઉદ્યોગ જાહેર કરી તેના પર કબજો જમાવવાનના કાર્યને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. આ ઉદ્યોગોમાં કામ કરવા માટે આવનારા પરપ્રાંતી યુવાનો એટલે કે મજુર વર્ગમાં દુષ્પ્રેરણા ખડી કરી અસંતોષ ઊભો કરવો અને એ રીતે ઊગ્ર ક્રાંતિ માટે આધાર તૈયાર કરવાની કાર્ય યોજના ઘડવામાં આવી હતી.જોકે, નક્સલીઓની આ મેલી મુરાદ બર આવી નહીં એ પણ હકીકત છે. નિષ્ફળતા મળવા અંગે નક્સલીઓએ વારંવાર મિટિંગ યોજી તેના પર વિસ્તૃત ચર્ચા પણ કરી છે અને જરૂર પડ્યું નેતૃત્વ પણ બદલી નાંખી અન્ય નકસલીને સોંપવામાં અવ્યું છે. આમ છતાં નક્સલીઓ સુરતમાં કોઈ મોટી યોજના પાર પાડી શક્યા નથી.મહારાષ્ટ્ર રાજ્ય કમિટીના નેજા હેઠળ સુરત એરિયા કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીના હોદ્દેદારો તેમજ કેટલાક ઊગ્ર નકસલીઓ મારફતે ખૂબ ગુપ્તતાથી ટેક્સટાઇલ, હીરા ઉદ્યોગ તેમજ અન્ય ઉદ્યોગોમાં પાર્ટીના મુખવટા તળે કામદાર યુનિયનો સ્થાપી તે યુનિયનોમાં ગુપ્ત રીતે પ્રવેશ કરી પોતાના પરોક્ષ નિયંત્રણમાં લઈ ગુપ્ત રીતે ક્રાંતિકારી કામદાર સંગઠન બનાવી યુનિયનનાં કાર્યોને હિંસાત્મક ક્રાંતિ તરફ પ્રેરિત કરવાનું હતું. જોકે, આ ષડ્યંત્ર પણ નક્સલીઓ સફળ બનાવી શક્યા ન હતા.
ગાંધીધામમાં આવેલા રેલવે ઈિન્સ્ટયૂટટમાં પણ યોજાયા છે ફૂટબોલ ‘વર્લ્ડ’કપ.
વર્ષ ૧૯૬૩થી ૭૧ સુધી કંડલા બંદરે આવતા વિદેશી જહાજોના ક્રૂ મેમ્બરોની ટીમો અને ગાંધીધામ-કંડલાની ટીમો વચ્ચે મેચો રમાતી.ગાંધીધામની ટીમ સામે જર્મન અને રશિયાની ટીમોના પરસેવા છૂટી જતા : સ્થાનિક આઝાદ ટીમને હરાવવા ઇંગ્લેન્ડ અને રશિયાની બે ટીમો એક થતી હતી.સાઉથ આફ્રિકા ખાતે રમાઇ રહેલા ફૂટબોલના ફીફા વર્લ્ડકપ રંગે સમગ્ર વિશ્વ રંગાયેલું છે ત્યારે કચ્છીઓએ અને ખાસ કરીને ગાંધીધામ સંકુલના લોકોએ એ વાતનો ગર્વ લેવા જેવો છે કે વર્ષો પહેલા ગાંધીધામના રેલવે કોલોની ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય દેશોની ફૂટબોલ મેચ રમાતી હતી. ફુટબોલના આ વર્લ્ડકપમાં અનેક દેશોની ટીમને કચ્છની ટીમોએ પછડાટ આપી છે. કંડલામાં તો આજે પણ આ સંભારણાને યાદ રાખીને નવી પેઢીને ફૂટબોલ માટે તૈયાર સુદ્ધાં કરાઇ રહી છે.ગાંધીધામમાં આવેલા રેલવે ઈિન્સ્ટયૂટટનું ગ્રાઉન્ડ આજે પણ આ મેચોની સાક્ષી પૂરે છે. કંડલા બંદરથી સ્થાપના પછી જે કોઇ દેશના જહાજો કંડલા આવતા હતા તેના ક્રૂ સભ્યો અને કંડલા અને ગાંધીધામના નામાંકિત ખેલાડીઓ વચ્ચે મેચ રમાતી હતી જેમાં કચ્છની ગાંધીધામ સિટી ક્લબ ટીમ, કંડલા ટીમ અને આઝાદ ટીમના ખેલાડીઓએ ફૂટબોલમાં અનેક દેશના ઝંડાઓ શાન સાથે જીત્યાના પુરાવાઓ આજે પણ જાળવી રખાયા છે. શહેરની અગ્રણી સંસ્થા સિંધી યૂથ સર્કલના પ્રમુખ વિજય ખૂબચંદાણી પોતાના બાળપણની આ પળોને યાદ કરતા કહે છે કે વર્ષ ૧૯૫૩ પછી કંડલા પોર્ટની રચના થઇ ત્યારથી વર્ષ ૧૯૭૧ સુધી રેલવે ગ્રાઉન્ડમાં અનેક દેશોની ટીમો સાથે ગાંધીધામની જાણીતી ત્રણ ટીમો વચ્ચે કેટલીય મેચો રમાઇ છે. મે ખુદ અનેક મેચમાં પ્રેક્ષક તરીકે ચિચિયારીઓ પાડીને આપણી ટીમોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. કચ્છના આ ગૌરવની યાદોને તાજી કરતા વિજયભાઇએ ઉમેર્યું હતું કે કંડલા પોર્ટ પર જે તે સમયે સમયે જે જહાજો આવતા હતા તેમાંથી લોડિંગ અને અનલોડિંગની કામગીરી પૂરતી સુવિધાઓના અભાવે મહિનાઓ સુધી ચાલતી હતી તેને કારણે નવરાસ ભોગવતા હતા.
ગાંધીધામના ચાવલા ચોકમાં દુકાન ધરાવતા એથલેટિક ગુરુમુખસિંગ પહેલવાને આ અંગે પ્રકાશ પાડતાં કહયું હતું કે તેમના મોટાભાઇ હરમેશ પહેલવાન ગાંધીધામમાં અખાડો ચલાવતા હતા. આ પછી ફૂટબોલ માટે હરમેશ ક્લબની રચના કરી હતી. જેમાં જીવણભાઇ બુધારામજી સાંખલા, કશિનલાલા સાંખલા, હાજી આમદ ઇસ્માઇલ, અલારખ્ખા, જુમાભાઇ, નુરમામદ, ઇલીયાસભાઇ, વેદપ્રકાશ શર્મા, વણિયારભાઇ, રાયશીભાઇ સુનિલ કિટ્ટી, વિનોદભાઇ, જગ્ગીભાઇ વગેરે ઉત્કૃષ્ઠ ખેલાડીઓ હતા. જે વિદેશોની ટીમ સામે સારા દેખાવ થકી લોકપ્રીય બન્યા હતા. જે તે સમયે ગાંધીધામમાં આ મેચોનું આયોજન થતું ત્યારે ગ્રાઉન્ડ પ્રેક્ષકોથી ઉભરાતું હતું.એક વખત આફ્રિકાથી આવેલા માધાકાસ્ટા નામના જહાજના ખેલાડીઓ સાથે મેચ રમાઇ હતી ત્યારે એક ખેલાડી ઇજાગ્રસ્ત બન્યો હતો અને તેને મગજમાં ભારે ઇજાઓ પહોંચી હતી. ગાંધીધામના સદ્ગત ખેલાડી જીવણલાલ અને કશિનલાલ સાંખલાના પુત્રો મુકેશ જીવણલાલ અને કૈલાસ કશિનલાલે પોતાના પિતાનો ટ્રોફીઓ સાથે ફોટો હાથમાં લઇને એવો ભાવ વ્યક્ત કર્યો હતો કે આ બન્ને લોકોએ તેમના પરિવારને ગાંધીધામના ઈતિહાસમાં સોનેરી પૃષ્ઠોમાં મઢી દીધો છે. બાળપણમાં પિતાને રમતા જોતા ત્યારે ફૂટબોલ પ્રત્યે આકર્ષણ હતું પણ ધીમે ધીમે આ ક્ષેત્ર જ યાદોમાં ખોવાઇ ગયું છે.પિતાએ જીતેલી ટ્રોફી, વિદેશોના ઝંડા અને સન્માનો વર્ષો વર્ષો સુધી સાચવી રખાયા પછી હવે ક્યાંક ગુમ થયા છે પણ યાદો આજે પણ તાજી છે. કચ્છ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસો.ના મંત્રી એચ.જી. ખાને કહ્યું હતું કે પોર્ટ ક્લબની સહાયથી આજે કંડલામાં નવી ટીમો ઉભી થઇ રહી છે તેમાંથી અનેક ખેલાડીઓ નેશનલ અને સ્ટેટ કક્ષાએ રમે છે. આજે ૧૯ છોકરીઓ પણ ખેલાડી બનવા પ્રશિક્ષણ મેળવી રહી છે. કંડલાનો આ ગૌરવવંતો ઈતિહાસ જાળવી રાખવાના ઉદેશ્ય સાથે આગામી વર્ષોમાં કંડલાનો કોઇ ખેલાડી ભારતને વિશ્વ વર્લ્ડકપ જીતાડે તેવી આશા છે.
આત્મહત્યા કેસમાં તેનો પ્રેમી ગૌતમ વોરા હકીક્ત છુપાવી
મોડેલ વિવેકા બાબાજી આત્મહત્યા કેસમાં તેનો પ્રેમી ગૌતમ વોરા હકીક્ત છુપાવી રહ્યો છે. તે પોલીસને ખોટી માહિતી આપીને સતત ગેરમાર્ગે દોરી રહ્યો છે, એમ વિવેકાના કુટુંબના પ્રવક્તા ડેલ ભગવાગરે રવિવારે પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું.
વિવેકાના ટેકનિકલ સલાહકાર અને વહીવટકારની મદદથી અમે તેના જીમેઈલ અને ફેસબુક અકાઉન્ટ્સ જોયા છે. તેમાં ઘણું બધું બહાર આવ્યું છે. ગૌતમ સતત એવું કહે છે કે વિવેકા સાથે મારે ફક્ત સારી મૈત્રી હતી, પરંતુ આ મેઈલ જોતાં તેમની વચ્ચે મૈત્રીથી પણ વધુ ગાઢ સંબંધ હતા એવું જણાય છે, એમ તેણે જણાવ્યું હતું.અમને આ અકાઉન્ટ્સમાંથી અમુક તસવીરો, ઈમેઈલ મળ્યા છે જે બંને વચ્ચે ગાઢ સંબંધ હતા તેની પર પ્રકાશ પાડે છે. વળી, ગૌતમે તેના બ્લેકબેરી ફોન પરથી વિવેકાના જીમેઈલ અકાન્ટ પર અશ્લીલ તસવીરો પણ મોકલી હતી, એવો પણ તેણે દાવો કર્યો હતો. વિવેકાએ આત્મહત્યા કરતાં જ ગૌતમે તેનું ફેસબુક અકાઉન્ટ ડિલીટ કરી દીધું છે.ગૌતમ વિવેકા સાથે ગાઢ સંબંધ હતા તે વાત સતત નકારી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને વિવેકાના કુટુંબે આ માહિતી બહાર લાવવાનું નક્કી કર્યું છે, એમ તેણે જણાવ્યું હતું. ગૌતમે પોલીસ સામે હકીક્ત જણાવવી જોઈએ. આત્મહત્યા કરવા પૂર્વે તેમની વચ્ચે શું વાતો થઈ હતી કે તેણે સ્પષ્ટ જણાવી દેવું જોઈએ.
આજી-૧માં ૦.૩૦ ફૂટ, ન્યારી-૧માં એક ફૂટ, ભાદરમાં ૦.૭૨ ફૂટ નવા નીરની પધરામણી
ન્યારી-૧માં ૧૫, ભાદરમાં ૧૨ દિવસનું પાણી આવ્યું .રાજકોટ ભયંકર જળસંકટની ગર્તામાં ધકેલાઇ રહ્યું હતું અને પાણીકાપના કારમા દિવસો તોળઇ રહ્યા હતા એવા ટાંણે જ મારો હાલો મેહુલિયો અંતે આવ્યો ખરો, લાંબા સમયની ઇંતજારી બાદ પધારેલા મેઘરાજા ગત રાત્રે મન મૂકીને વરસતા આ એક જ રાતમાં શહેરના અધાર સ્તંભ એવા આજી ડેમમાં ૦.૩૦ ફૂટ, ન્યારી ડેમમાં ૧ ફૂટ અને ભારદમાં પોણા ફૂટની આવક થતા ઉક્ત જળાશયોમાં નવા પ્રાણ પૂરાયા છે.આજી ડેમ સાવ તળિયાઝાટક થઇ ગયો છે તો સ્થાનિક સોર્સ પૈકી અન્ય જળાશયો ન્યારી અને ભાદર ડેમ ઉપર પણ ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા હતા. આવી સ્થિતિમાં એકાંતરા અથવા અઠવાડિયે બે દિવસનો પાણીકાપ મૂકવાની વિચારણા લગભગ આખરી તબક્કામાં જ ચાલતી હતી ત્યાં મેઘરાજા રાજકોટવાસીઓના તારણહાર બનીને આવ્યા છે.ગઇકાલે મેઘરાજાનો ધોધમાર હેત વરસ્યો હતો. આખી રાત ગગનગોખેથી પ્રેમવર્ષા થઇ હતી. રાત દરમિયાન ચાર ઇંચથી વધુ પાણી પડી જતાં લોકોના હૈયે ટાઢક પ્રસરી ગઇ છે. આજે પણ દિવસભર ઘટાઘોપ વાદળોની જમાવટ રહ્યાબાદ સાંજે હળવાથી ભારે ઝાપટાં વરસ્યા હતા. છેલ્લાં ચોવીસ કલાકથી થતી આ અમિવર્ષાથી જળાશયો ચેતનવંતા બન્યા છે.શહેરની જીવાદીરી સમાન આજી ડેમનું તિળયું ગઇકાલ સુધી સાફ દેખાતું હતું પણ નવા નીરની પધરામણીથી ૦.૩૦ ફૂટની સપાટી વધી છે. જો કે આ જળરાશિ ચારથી પાંચ દિવસની હોવાનું મનપાના ઇજનેરી સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે ન્યારી-૧ ડેમમાં એક જ રાતમાં એક ફૂટની સપાટી વધી હતી. ન્યારી ડેમમાં નવું ૩૫ એમ.સી.એફ. ટી. પાણી આવ્યું હતું, જે રાજકોટ માટે ૧૨ થી ૧૫ દિવસનું માની શકાય. ભાદર ડેમમાં પણ ૦.૬૯ ફૂટ સપાટી વધીને ૩૦ દિવસનું નવું પાણી આવ્યું. હોવાનું મનપાની ઇજનેરી શાખાએ જણાવ્યું હતું.
દુનિયાની સૌથી નબીસદાર મહિલા
પોતાની કિસ્મત ચમકાવવા માટે લોકો હંમેશા લોટરી ખરીદતા હોય છે. પરંતુ તેમાંથી મોટા ભાગના લોકોને નિષ્ફળતા જ મળતી હોય છે. પરંતુ અમેરિકાની એક મહિલા પર તેની કિસ્મત જરા વધારે જ મહેરબાન હોય તેવું લાગી રહ્યું છે.63 વર્ષીય જોન ગિન્થર દુનિયાની સૌથી ભાગ્યશાળી લોટરી વિજેતા છે. તે 1993માંથી અત્યાર સુધી ચાર વખત લોટરી જીતીને કરોડો ડોલર પોતાના નામે કરી ચુકી છે. ગિન્થરે ગયા અઠવાડિયે એક સ્કેચ લોટરી ટિકિટ દ્વારા 10 મિલિયન ડોલર જીત્યા છે.આ પહેલા તે 1993માં 5.4 મિલિયન ડોલર જીતી ચુકી છે. આવી જ રીતે તેણે 2006માં 2 મિલિયન ડોલર અને 2008માં 3 મિલિયન ડોલર જીત્યા હતાં.
બકરી આપશે ‘માતા’નું દૂધ!
રશિયા દ્વારા ખાસ ટ્રાન્સજેટિક બકરીઓ તૈયાર કરવામાં આવી છે. આ બકરીઓની વિશેષતા એ છે કે તે માતાના દૂધ જેવું જ દૂધ આપે છે. બકરી દ્વારા આપવામાં આવતા આ દૂધમાં લેક્ટોફેરિન નામનું માનવીય પ્રોટીન હોવાને કારણે તેનો ઉપયોગ સ્તનપાનના વિકલ્પ તરીકે કરી શકાય છે.નોંધનીય છે કે નવજાત બાળકમાં જ્યાં સુધી રોગ પ્રતિકારણ શક્તિનો વિકાસ ન થાય ત્યાં સુધી માતાના દૂધમાં રહેલું લેક્ટોફેરિન પ્રોટિન તેનું બેક્ટેરિયા અને વિષાણુઓથી રક્ષણ કરે છે.રશિયા દ્વારા તૈયાર કરવામાં આવેલી બકરીઓની મદદથી હવે જરૂરીયાતમંદ બાળકોને માતાના દૂધ જેવું જ દૂધ પુરું પાડી શકાશે.
નાટકિયા રાજભાએ લોકઅપમાં માથા પછાડ્યા! આજે રિમાન્ડ મંગાશે
છળકપટ અને ધાક ધમકીથી રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રના અનેક ખેડૂતની કિંમતી જમીન અને મકાનો પડાવી લેનાર યુનિવર્સિટીના સેનેટ સભ્ય અને પૂર્વ કોર્પોરેટરના કુખ્યાત પુત્ર રાજભા સતુભા જાડેજાના એક પછી એક કરતૂતો બહાર આવી રહ્યા છે. ક્રાઇમ બ્રાંચે આજે રપ કરોડના જમીન કૌભાંડમાં જેલમાંથી કબજો મેળવતા નાટકિયા રાજભાએ ફરી વખત લોકઅપમાં પોતાનું માથું અફળાવી પોલીસ પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો.પૂર્વ કોર્પોરેટરના પુત્ર રાજભાએ ક્રાઇમ બ્રાંચના લોકઅપમાં આપઘાતનો પ્રયાસ કર્યા બાદ અદાલતે તેને જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો. દરમિયાન સરસ્વતી સોસાયટીમાં રહેતા ખેડૂત કેયૂરભાઇ પાંચાણીની પડધરીના ઇશ્ચરિયા ગામની રપ કરોડની જમીનનો રાજભા જાડેજાએ સાગરીતો મારફત પોતાના અને હિતેષ બાંભવાના નામેનો બારોબાર દસ્તાવેજ કરાવી લીધાની ફરિયાદ નોંધાઇ હતી. જે ગુનામાં ક્રાઇમ બ્રાંચના પી.આઇ. દગિુભા વાઘેલા, સબ ઇન્સપેક્ટર સલીમ સાટીએ આરોપી રાજભાનો જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટની આજે સાંજે કબજો મેળવ્યો હતો.લોકઅપમાં ધકેલ્યાની થોડી જ ક્ષણમાં આરોપી રાજભાએ ફરી વખત લોકઅપ સાથે માથા અફળાવી ‘મારે મરી જવું છે’ તેવા બરાડા પાડી આપઘાતનો પ્રયાસનું વધુ એક નાટક કર્યું હતું. હેડ કોન્સ્ટેબલ નિર્મળસિંહ જાડેજાએ રાજભા વિરુધ્ધ આઇપીસી કલમ ૩૦૯ હેઠળ આપઘાતના પ્રયાસનો વધુ એક ગુનો દાખલ કરાવ્યો હતો. રપ કરોડના જમીન કૌભાંડમાં સાગરીતો ઉપરાંત અન્ય કોની-કોની સંડોવણી છે. તે સહિતની માહિતી મેળવવા કાલે રિમાન્ડની માગણી કરાશે. ઉલ્લેખનીય છે કે, ગવરીદડના ખેડૂતે પણ રાજભા સહિતના આરોપી સામે જાિળયા ગામની ૨૬ એકર જમીન હડપ કર્યાની ફરિયાદ નોંધાવી છે.
જાત બચાવવા રાજભાના રાજકીય ‘ગોડ ફાધર’એ પણ હાથ ઊંચા કરી દીધા. મારામારી, બળજબરીથી નાણાં, મિલકત પડાવી લેવા સહિતના ૧૯ ગુનામાં રાજભાની સંડોવણી હોવા છતાં તેના ‘ચોક્કસ ગુણ’ને ધ્યાને લઇ અમુક રાજકીય આગેવાનોએ તેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અતિ મહત્વના ગણાતા બોર્ડ ઓફ એકાઉન્ટના ચેરમેનના હોદ્દા સુધી લઇ જવામાં ભરપૂર મદદ કરી હોવાનું કહેવાય છે. રાજકીય માથાઓએ ત્યાર પછી રાજભા મારફત લોચાવાળી અનેક જમીનના ‘વહીવટ’ સુલટાવ્યાની પોલીસને માહિતી મળી છે. અત્યાર સુધી દરેક કેસમાં રાજભાને બચાવવા ભલામણનો ધોધ વહાવતા રાજકીય માથાઓને આ વખતે પોતે પણ ઝપટે ચડી જવાની પૂરી દહેશત હોવાથી પોતાની ચામડી બચાવવા રાજભાના કેસમાંથી હાથ ઊંચા કરી દીધાનું જાણવા મળે છે.
નારણકાના જમીન કૌભાંડના દસ્તાવેજ રાજભા પાસેથી મળ્યા .મોરબીના નિકુલ હિરજીભાઇ કલોલાએ તેની પડધરીના નારણકાની જમીન પચાવી પાડવા અંગે રાજકોટના સુનિલ ગોસ્વામી અને જયપાલસિંહ કૃષ્ણસિંહ સહિતના શખ્સો સામે ૧૭ જૂને એ.ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એ જમીનના દસ્તાવેજ પણ રાજભા પાસેથી મળી આવતા આ કૌભાંડમાં પણ તે મુખ્ય આરોપી હોવાનું મનાય છે. ભોં ભીતર થઇ ગયેલા રાજભાના સાગરીતોને શોધવા ઠેર ઠેર દરોડા. જમીન કૌભાંડમાં રાજભાની સાથે સામેલ જગદશિ વલ્લભ ઠુમર, હિતેષ મેરામ મુંધવા, અનિરુધ્ધસિંહ ચંપકસિંહ જાડેજા, અમરદપિસિંહ કનકસિંહ રાણા સહિતના આરોપીઓ ધરપકડથી બચવા ભોં ભીતર થઇ ગયા છે. પોલીસે આજે અલગ અલગ ટીમ બનાવી ફરાર આરોપીઓના રહેણાક,ધંધાના સ્થળો અને આશ્રય સ્થાનો ઉપર છાપા માર્યા હતા. પરંતુ સફળતા મળી નથી.
સોમવારે રાજકોટ સજજડ બંધ રહેશે.
મોંઘવારીને નાથવામાં કેન્દ્રની કોંગી પ્રેરિત યુ.પી.એ સરકારની નિષ્ફળતા તથા ગુજરાતમાં સી.બી.આઇ.ના દુરુપયોગના વિરોધમાં ભાજપ દ્વારા સોમવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. તે અંતર્ગત સોમવારે રાજકોટ સજજડ બંધ રહેશે.શહેર ભાજપે રાજકોટના વેપારીઓ, વિવિધ વેપારી એસોસિયેશનો તથા શૈક્ષણિક સંસ્થાઓને આ બંધમાં જોડાઇને કેન્દ્ર સરકારના કાન ઢંઢોળવા અપીલ કરી છે. સોમવારે સવારથી જ શહેરના તમામ ૨૩ વોર્ડમાં ભાજપના કાર્યકરો શહેરની બજારો અને રાજમાર્ગો ઉપર ઉતરી આવશે અને બધાને બંધમાં જોડાવા અપીલ કરશે.નાણામંત્રી વજુભાઇ વાળાએ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, આ સરકાર તમામ મોરચે નિષ્ફલ ગઇ છે. મોંઘવારીએ આડો આંક વાળ્યો છે. ગરીબ મધ્યમ વર્ગના બે છેડા કેમ ભેગા કરવા એ સમસ્યા સર્જાઇ છે. ગુજરાતમાં ભાજપને ચૂંટણીમાં પરાજીત ન કરી શકનાર કોંગ્રેસે સી.બી.આઇ.નો દુરુપયોગ શરૂ કર્યો છે. કેન્દ્ર સરકારે માઝા મૂકી છે.પેટ્રોલ-ડઝિલના ભાવ વધારાને કારણે મોંઘવારી હજુ પણ વધશે. સરકારના કુશાસનને કારણે પ્રજા બેહાલ બની છે ત્યારે એ સરકારનો કાન ખેંચવાનો સમય પાકી ગયો છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો સોમવારે સજજડ બંધ પાડીને લોક મિજાજનો પરચો કરીએ એવી હાકલ એમણે કરી હતી.રાજ્યસભાના સભ્ય વિજયભાઇ રૂપાણીએ આક્રોશભેર જણાવ્યું હતું કે, એન.ડી.એ. સરકારે કરેલાં તમામ વિકાસલક્ષી અને કલ્યાણકારી કાર્યો ઉપર યુ.પી.એ સરકારે પાણી ફેરવી દીધું છે. આતંકવાદ-નકસલવાદને નાથવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ ગઇ છે. મોંઘવારીથી આમ આદમી પરેશાન હતો ત્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ કાળો કેર વર્તાવ્યો છે. કેન્દ્ર સરકાર સી.બી.આઇ.ના દુરુપયોગથી રાજ્યની ભાજપ સરકારને પરેશાન કરવાની કોશિશ કરે છે પણ એ હવાતિયા કામ લાગવાના નથી. રાજકોટના લોકો સોમવારે સજજડ બંધ રાખીને આ ચળવળમાં ભાગીદાર બનશું એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
શહેર ભાજપ પ્રમુખ ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, શાળા કોલેજો અને વિવિધ વેપારી સંગઠનોએ બંધના એલાનને ટેકો આપ્યો છે. ભાજપના કાર્યકરો સોમવારે તમામ ૨૩ વોર્ડમાં ફરશે અને શાંતિપૂર્ણ બંધ પાળવા અપીલ કરશે.શાળા-કોલેજો સંપૂર્ણ બંધ રહેશે. સ્વનિર્ભર કોલેજોના સંચાલકોના સંગઠનના અગ્રણી નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, તમામ સ્વનિર્ભર કોલેજોએ બંધને ટેકો જાહેર કર્યો છે. તમામ શાળાઓ પણ બંધમાં જોડાઇ છે. એ સંજોગોમાં સોમવારે તમામ શૈક્ષણિક સંસ્થામાં સજજડ બંધ પાડી આ એલાનને સફળ બનાવશે.
હવાઈ મુસાફરીમાં ગુજરાતને કેન્દ્ર મદદ કરશે’
ગુજરાતને કોઈ પણ ભેદભાવ વિના હવાઈ ઉડ્ડયન ક્ષેત્રની તમામ સુવિધાની ખાતરી આપવા સાથે અમદાવાદથી લંડનની સીધી ફ્લાઇટ ફરી શરૂ કરાશે, તેમ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલે અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈમથકના ટર્મિનલ-૨ના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું. રવિવારે યોજાયેલા કાર્યક્રમના મુખ્ય મહેમાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરા, રાજકોટ, સુરત અને ભુજને આંતરરાષ્ટ્રીય હવાઈમથકનો દરજ્જો આપવા માગણી કરી હતી. પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે રાજ્ય સરકાર વાયેબિલિટી ગેપિંગ ફંડ માટેનો પ્રોગ્રામ બનાવશે તો કેન્દ્રીય મદદ મળવાની સંભાવના છે. આ ફંડ માટે ૪૦થી ૫૦ કરોડ રૂપિયા જોઈશે. ગુજરાતનાં અન્ય શહેરોમાં હવાઈ મુસાફરી કરી શકાય તેવી સસ્તા દરની હવાઈ સુવિધા આપવાની કેન્દ્રની તૈયારી છે. આ તબક્કે તેમણે અમદાવાદના એરપોર્ટ સંકુલમાં કેન્દ્રના ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મૂકવાની માગણી સ્વીકારી હતી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને યાદ કરાવતાં તેમણે કહ્યું હતું કે આ ટર્મિનલનું ભૂમિપૂજન કરતી વખતે મેં કહ્યું હતું કે આ સંકુલનું ઉદ્ઘાટન પણ હું જ કરીશ, અને તે મોકો આજે આવ્યો છે. સિવિલ એવિયેશનની સુવિધા ઊભી કરવામાં ભારત આજે વિશ્વમાં ૯મા ક્રમે છે, જે આવનારાં વર્ષોમાં પાંચમા ક્રમે આવશે.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) પણ સામાન્ય પોલીસ સ્ટેશનની જેમ ગુના રજિસ્ટર્ડ કરી શકશે
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ને સ્વતંત્રતા આપવા અંગેનો કાનૂન સંસદમાં પસાર થતાં જ એક સામાન્ય પોલીસ સ્ટેશનની જેમ સીબીઆઇ જાતે કોઇના આદેશ વિના પણ ગુનો રજિસ્ટર્ડ કરી તેની તપાસ શરૂ કરી શકશે. કોઈ પણ સરકારના આદેશની રાહ જોયા વિના આ સંસ્થા માત્ર ન્યાયાલયના જ નિર્દેશને માનશે.૧૯૪૧માં સ્પેશિયલ પોલીસ એસ્ટાબિ્લસમેન્ટનું સેટઅપ કરાયું હતું. તેની કામગીરીમાં સુધારો કરવા કેન્દ્ર સરકારે ૧ એપ્રિલ, ૧૯૬૩માં સીબીઆઇની સ્થાપનાનું નોટિફિકેશન ઇસ્યુ કર્યું, જેના પ્રથમ ડાયરેકટર ડી.પી. કોહલી હતા. જે-તે રાજ્યમાં બનતા મોટા ગુના ઉકેલવા પોલીસતંત્ર સક્ષમ ન હોય ત્યારે સીબીઆઇની તપાસ માગવામાં આવ્યા પછી ઇન્વેસ્ટિગેશન કરી શકાતું હોય છે. પરંતુ નવા કાનૂનમાં સંસ્થાને એવું લાગશે કે આ ગુનો સંગીન છે અને તેની તપાસની જરૂરિયાત છે તેવા સમયે કોઇને પૂછ્યા વિના તે તપાસ લઈ શકશે. સીબીઆઇ એક્ટ-૨૦૧૦ના નવા કાનૂનનો ડ્રાફ્ટ તૈયાર કરાયો છે અને સંસદના આગામી સત્રમાં રજુ કરાશે.રાજ્ય સરકારની અનુમતિ જોઈશે નહીંકોઈ પણ ક્ષેત્રમાં થયેલા અપરાધ, કસ્ટમ, ઇન્કમટેક્સ, મની લેન્ડિંગ, હત્યા, લાંચ-રુશવત, ટ્રેપ કેસ, છેતરપિંડી અને દેશની સુરક્ષા સામે ઊભા થયેલા પડકારોમાં સીબીઆઇ જાતે તપાસનો દોર હાથમાં લઈ શકશે જેના માટે ન્યાયાલય સિવાય કોઇની અનુમતિ જરૂરી નહીં હોય.સ્વતંત્રતા મળ્યા પછી ગુજરાતમાં મુશ્કેલીઓ વધશે. સીબીઆઇનો નવો કાયદો લાગુ પડ્યા પછી બનાવટી એન્કાઉન્ટર, કોમી રમખાણોની તપાસ તેમજ વણઉકેલ હત્યા, અપહરણ અને બળાત્કારની ઘટનાઓની તપાસ કરી શકાશે. સીબીઆઇને શક હોય છે કે ગુનાના ઢાંકપિછોડામાં સ્થાનિક પોલીસનો સહયોગ હોય છે તેથી તેને પોલીસની મદદ લેવાની આવશ્યકતા પણ નહીં હોય. સીબીઆઇ હાલ ગોધરાકાંડ અને તે પછીનાં કોમી તોફાનોની ફેરતપાસ તેમજ સોહરાબ એન્કાઉન્ટર કેસની તપાસનો હવાલો સંભાળી રહ્યા છે.
ગુજરાતના રાજકીય નેતા અને બે આઇપીએસ અધિકારીની ધરપકડની સીબીઆઇને મંજૂરી
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં સંડોવાયેલા ગુજરાતના રાજકીય નેતા અને બે આઇપીએસ અધિકારીની ધરપકડ કરવા માટે સીબીઆઇના લગિલ સેલે મંજૂરીની મહોર મારી દીધી છે. આ મહિનાના અંતમાં અભય ચુડાસમાની ધરપકડની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરતી વખતે આ નેતા અને ઉચ્ચ આઇપીએસ અધિકારીઓનાં નામ ખુલ્યાં બાદ તેની ધરપકડ કરવામાં આવે તેવી સંભાવના સીબીઆઇનાં સૂત્રોએ વ્યક્ત કરી છે.આ પ્રકરણમાં સંડોવાયેલા રાજકીય નેતાઓ અને અન્ય આઇપીએસ અધિકારીઓની ધરપકડનો તખતો સીબીઆઇએ ઘડી કાઢ્યો છે. બનાવટી એન્કાઉન્ટરમાં અભય ચુડાસમા ઉપરાંત રાજકીય નેતાઓ અને અન્ય આઇપીએસ અધિકારીઓની સંડોવણીના પુરાવા સીબીઆઇને મળ્યા હતા.આ પુરાવાના આધારે તેમની ધરપકડ થાય તેના માટે સીબીઆઇએ લિગલ સેલનો અભિપ્રાય માગ્યો હતો. લગિલ સેલે એન્કાઉન્ટરની તપાસ કરતી સીબીઆઇએ રજૂ કરેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને રાજકીય નેતાઓ અને આઇપીએસની ધરપકડ કરવા મંજૂરી આપી દીધી છે.આગામી ૨૮મી જુલાઇએ ૯૦ દિવસ પૂરા થાય તે પહેલાં સીબીઆઇ કોર્ટમાં ચુડાસમા વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી દેશે. કોર્ટમાં ચાર્જશીટ કરતી વખતે રાજકીય નેતા અને આઇપીએસ અધિકારીઓનાં નામ પણ ખોલવાની સંભાવના છે. તેના બાદ એક રાજકીય નેતા અને બે આઇપીએસ અધિકારીઓની ધરપકડ થાય તેવી સંભાવના છે.
નિષ્ફળતા ઢાંકવા કોંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરે છે
નર્મદા યોજનાના પાણી અને વીજળીની વહેંચણી ટ્રિબ્યૂનલના ચુકાદાના આધારે થાય છે તેવી સ્પષ્ટતા કરતાં નર્મદા અને જળસંપત્તિ મંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, યુપીએ સરકારની નિષ્ફળતા અને મોંઘવારીને ઢાંકવા કોંગ્રેસ વાહિયાત પ્રચાર કરે છે.
ગુજરાતના ભોગે પાણી અને વીજળી અન્ય રાજ્યોને અપાશે નહીં તેમ કહી મંત્રીએ જણાવ્યું હતું કે પાણી અને વીજળીની વહેંચણી કરવામાં આવી ત્યારે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારો હતી. ટ્રિબ્યૂનલના ચુકાદા પ્રમાણે ભાજપની સરકાર વહેંચણી કરે છે.નર્મદા યોજનામાં શાખા નહેરોનું નેટવર્ક ઝડપથી ઊભું કરાઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસના આગેવાનો ખેડૂતો અને જનતાને ગેરમાર્ગે દોરે છે.
રાજ્યનાં અન્ય શહેરોમાં જ્યાં રન-વેની પૂરતી સગવડ હોય ત્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટ આપો: મોદી
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કેન્દ્રના સિવિલ એવિયેશન મંત્રાલયે રાજ્યનાં અન્ય શહેરોમાં જ્યાં રન-વેની પૂરતી સગવડ હોય ત્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવાં જોઈએ. ગુજરાતમાં વડોદરા, સુરત, રાજકોટ અને ભુજને આ કક્ષાનો દરજ્જો આપવામાં વિલંબને અવકાશ નથી. ગુજરાતમાં પીપીપી મોડલના નવાં એરપોર્ટ બની રહ્યાં છે. કેન્દ્ર સરકાર જો પૂરતી મદદ કરશે તો રાજ્ય સરકાર તાલુકે-તાલુકે એરપોર્ટ બનાવશે.પાઇલટની સંખ્યામાં વિચાર કરવો જોઈએ. કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે કહ્યું હતું કે હાલ દેશમાં ૪૫૦૦ની સામે ૩૩૦૦ પાઇલટ છે જેના કારણે વિલંબ અને મુશ્કેલીઓમાં વધારો થાય છે. દિનશા પટેલે અમદાવાદના એરપોર્ટ સંકુલમાં સરદાર પટેલની પ્રતિમા મૂકવાની માગણી કરી મેમોરિયલ ટ્રસ્ટમાંથી ખર્ચ આપવાની ઓફર કરી હતી.
હવે મધ્યમ વર્ગને હવાઈસેવા મળી છે. કેન્દ્રીય ઊર્જા રાજ્યમંત્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે યુપીએ સરકારે મધ્યમ વર્ગને વિમાની મુસાફરીની સુવિધા આપી છે. ઉદ્યોગોથી ધમધમતા ગુજરાતમાં સિવિલ એવિયેશનની માત્રા વધારવી જરૂરી છે અને તે દિશામાં અમારા પ્રયાસો છે. વિકાસના ભાગરૂપે એરપોર્ટને વિમાનની સગવડો મળી રહેશે. સુરત એરપોર્ટને વધારે ફ્લાઇટ આપો. કેન્દ્રના આદિજાતિ મંત્રી તુષાર ચૌધરીએ એવી માગણી કરી હતી કે સુરતને એરપોર્ટ તો મળ્યું છે પણ ફ્લાઇટો મળતી નથી. સુરતમાંથી ૫૦ મુસાફરો કાયમી અપ-ડાઉન કરે છે તે નવી દિલ્હી-સુરત ફ્લાઇટનો સમય બદલવો જોઈએ. ઉપરાંત વેપારીઓની માગણી પ્રમાણે નવી ફ્લાઇટોની જાહેરાત થવી જોઈએ.વ્યક્તિ આવશે અને જશે, ગુજરાત કાયમી. અમદાવાદને વર્લ્ડકલાસ ટર્મિનલ મળ્યું છે. કારણ કે ગુજરાતીઓ હવે હવામાં રહે છે. સત્તા ઉપર વ્યક્તિ આવશે અને જશે પરંતુ ગુજરાત કાયમી છે અને તે રહેશે તેમ વિરોધપક્ષના શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.
ગુજરાત બંધ દરમિયાન ક્યાંય પણ અણબનાવ ન બને તે માટે સીબીઆઇ કચેરીને ખાસ સુરક્ષા
કેન્દ્ર સરકાર દ્વારા સીબીઆઇના દુરુપયોગ તેમજ પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારાના વિરોધમાં ગુજરાત ભાજપે આગામી પમી જુલાઇ સોમવારે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગાંધીનગરમાં સેક્ટર-૧૦માં આવેલી ગુજરાત સીબીઆઇની કચેરીની બહાર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનો તેમજ સતત પેટ્રોલિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.અમદાવાદમાં ગઇકાલે મળેલી પ્રદેશ ભાજપની કારોબારી બેઠકમાં તાજેતરમાં કેન્દ્ર સરકારે કરેલા પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો તેમજ ગુજરાતમાં સીબીઆઇના દુરુપયોગ સામે આગામી ૫મી જુલાઇના રોજ ગુજરાત બંધનું એલાન આપ્યું છે. સત્તા પક્ષ ભાજપ દ્વારા બંધનું એલાન આપવાને કારણે ગાંધીનગર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવાની સૂચના જિલ્લા પોલીસ વડા પીયૂષ પટેલે આપી છે.બંધના એલાનમાં સીબીઆઇના દુરુપયોગનો પણ મુદ્દો હોવાથી ગુજરાત સીબીઆઇની વડી કચેરી ગાંધીનગરમાં આવેલી હોવાથી સીબીઆઇ કચેરી બહાર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે. સેક્ટર-૭ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત ચાર પીએસઆઇ અને પોલીસના માણસોને સીબીઆઇ કચેરી બહાર સવારથી બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવશે. તે ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાની પોલીસને પણ એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.જિલ્લા પોલીસ વડાએ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓને પેટ્રોલિંગની સ્કીમ બનાવી તેની અમલવારી કરવા તેમજ બંધ દરમિયાન ક્યાંય પણ અણબનાવ ન બને તેના પર સતત નજર રાખવા માટે પણ સૂચના આપી છે.
કોર્ટે રિમાન્ડ નામંજુર કરતાં પીજીવીસીએલના પૂર્વ નાયબ કાર્યપાલક ઇજનેર જેલના હવાલે
કચ્છ પીજીવીસીએલના તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેરને પોલીસે પકડ્યા બાદ કોર્ટમાં રજુ કરાતા તેને જેલ હવાલે કરાયા હતા. અંગે ભુજ સિટી પોલીસ મથકના પી.આઇ. બી.ડી. જાડેજા જણાવ્યું કે, પીજીવીસીએલના ૫.૮૮ કરોડના કૌભાંડમાં મુખ્ય આરોપી એવા તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેર આર.જી સાવલિયાની ધરપકડ કર્યા બાદ તેમને કોર્ટમાં રજુ કરાયા હતા અને પાંચ દિવસના રિમાન્ડની માગણી કરાઇ હતી પરંતુ કોર્ટે રિમાન્ડ નામંજુર કરતાં તેને જેલ હવાલે કર્યા હતા.
ભાવવધારાના વિરોધમાં એનડીએ શાસિત રાજ્યોમાં બંધની અસર વર્તાઇ
પેટ્રોલ – ડીઝલ તથા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવવધારાના વિરોધમાં વિપક્ષો દ્વારા આપવામાં આવેલા બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. યુપીએ શાસિત રાજ્યોમાં બંધની નહિવત્ અસર જોવા મળી રહી છે. જ્યારે ભાજપ તથા ડાબેરીઓ શાસિત રાજ્યોમાં બંધની અસર જોવા મળી રહી છે.ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પોલીસ તથા વહિવટી તંત્ર બંધને નિષ્ફળ બનાવવામાં તથા તેની અસરને નહિવત કરવામાં મહેનત કરી રહ્યું છે. બીજી બાજુ, ભાજપ શાસિત રાજ્યોમાં બંધને સફળ બનાવવા માટે કાર્યકરો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે.
ઉત્તરપ્રદેશ
મોંઘવારી તથા પેટ્રોલિયમ પેદાશોમાં ભાવવધારા વિરૂદ્ધ વિરોધ પક્ષ દ્વારા દેશ વ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે. જે દરમિયાન ઉત્તરપ્રદેશના લખનૌમાં ભાજપના કાર્યકરો દ્વારા બંધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભાજપના કાર્યકરો બંધના સમર્થનમાં લખનૌમાં વિધાનસભા સુધી પહોંચ્યા હતા ત્યારે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ભાજપના કાર્યકરો મોંઘવારીના વિરોધમાં સુત્રોચ્ચાર કરી રહ્યાં હતા, હાથમાં પ્લેકાર્ડ તથા ભાજપના ઝંડા લઇને તેઓ વિધાનસભાએ પહોંચ્યા ત્યારે પોલીસ હરકતમાં આવી ગઇ હતી. હાજર રહેલા કાર્યકરો ઉપર પોલીસે બેફામ લાઠીચાર્જ કર્યો હતો અને ભાજપના નેતા અરૂણ જેટલી તથા મુખ્તાર અબ્બાસ નક્વીની અટકાયત કરવામાં આવી છે. બીજી બાજુ, સમાજવાદી પક્ષના કાર્યકરોએ પણ બંધ પડાવવાનો તથા રાજ્યના અલ્લાહબાદ, એટા, વારાણસીમાં ટ્રેનને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેમની સામે પોલીસે કડક કાર્યવાહી કરી હતી.
ગુજરાત
ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત તથા વડોદરા જેવા શહેરોમાં સવારથી જ બંધની સજ્જડ અસર જોવા મળી રહી છે. રાજ્યમાં સ્કૂલ કોલેજો તથા જાહેર પરિવહનના વાહનો રસ્તા ઉપર ઉતર્યા ન હતા. ગુજરાત પોલીસ અનેક સ્થળોએ ભાજપના કાર્યકરો તથા નેતાની દાદાગીરી સામે વામણી પૂરવાર થઇ રહી છે. નેતાઓ રીતસર દાદાગીરી કરીને બંધ પડાવી રહ્યાં છે. સુરતના ચોક વિસ્તારમાં ભાજપના કાર્યકરો દ્વારા જાહેર પરિવહનના સાધનો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્ર અને મુંબઇ
કોંગ્રેસ શાસિત મહારાષ્ટ્રમાં બંધની નહિવત્ અસર જોવા મળી રહી છે. મુંબઇના કેટલાક વિસ્તારોમાં ભાજપ, શિવસેના તથા મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના કાર્યકરોએ વિરોધ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, પોલીસ દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહીના પગલે આ વિરોધને ડામી દેવામાં આવ્યો હતો. ભાજપના અગ્રણીન નેતા કિરિટ સોમૈયા અને ગોપિનાથ મુંડેની અટકાયત કરવામાં આવી છે.ભાજપ તથા શિવસેનાના કાર્યકરોએ વાહન વ્યવહારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મુંબઇની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન પર ખાસ અસર જોવા મળી ન હતી. ઉલ્લેખનીય છેકે, મનસેના રાજ ઠાકરે એ અગાઉ જ એલાન કરી ચૂક્યાં હતાકે, બંધને સફળ બનાવવા માટે તેઓ વિપક્ષની સાથે રહેશે. બંધના કારણે લગભગ 85 જેટલી ફ્લાઇટોના આગમન તથા પ્રસ્થાન અટકાવી દેવામાં આવ્યા છે. શિવસૈનિકો દ્વારા અમરાવતીમાં ટ્રેન અટકાવવામાં આવી હતી. જોકે, સરકારી આદેશના પગલે પોલીસ બંધ સામે કડક હાથે કાર્યવાહી કરી રહી છે. ઉલ્લેખનીય છેકે, મુખ્યપ્રધાન અશોક ચૌહાણ અગાઉ જ કહી ચૂક્યાં છેકે, તેઓ બંધને નિષ્ફળ બનાવવા માટે પૂરતા પ્રયાસ કરશે. બેસ્ટની બસો ઉપર શિવસૈનિકો દ્વારા પથ્થરમારો કવરામાં આવ્યો હતો. જેમાં 85 બસોને નુકશાન પહોંચ્યું છે.જ્યારે સાત ડ્રાઇવરો ઇજાગ્રસ્ત થયા છે.
બિહાર જનતા દળ યુનાઇટેડ તથા ભાજપની મિશ્ર સરકારવાળા બિહારમાં બંધને સારો પ્રતિસાદ સાંપડ્યો છે. અહીં ભાજપ તથા જેડીયુના કાર્યકરોએ બંધને સફળ બનાવવા માટે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. અહીં ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદ ની અટકાયત કરવામાં આવી હતી. અનેક સ્થળોએ લાંબા અંતરની ટ્રેનોને અટકાવવામાં આવી હતી.
પશ્ચિમ બંગાળ અને કેરળ
ડાબેરી પક્ષો દ્વારા શાસિત પશ્ચિમ બંગાળ અને કેરળમાં બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે. એનડીએથી અલગ ડાબેરી પક્ષોએ સ્વતંત્ર રીતે બંધનું એલાન આપ્યું છે. જેને સજ્જડ પ્રતિસાદ સાંપડ્યો છે. બંને રાજ્યોમાં ડાબેરી પક્ષોના કાર્યકરો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.તેમણે રસ્તા ઉપર ચક્કાજામ કરાવવાનો તથા ટ્રેનોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે, અનેક ટ્રેનો મોડી ચાલી રહી છે અથવા તો તેના નિર્ધારીત સમયે ગંતવ્ય પર નથી પહોંચી રહી.
નવી દિલ્હીમાં બંધનો મિશ્ર પ્રભાવ જોવા મળ્યો હતો. અહીં ભાજપના કાર્યકરોએ કેટલાક સ્થળો પર મેટ્રોને અટકાવી હતી. આઇટીએ તથા બદરપુર બોર્ડર પર રસ્તા પરનો ટ્રાફિક અટકાવવામાં આવ્યો હતો.
શુક્રવારથી ચોમાસાની શરૂઆત થયા બાદ રવિવારે નર્મદા ડેમની સપાટીમાં વધારો
વડોદરા શહેર-જિલ્લામાં શુક્રવારથી ચોમાસાની શરૂઆત થયા બાદ રવિવારે રાત્રે પણ શહેર તેમજ જિલ્લાના સાત તાલુકામાં મેઘ મહેર જારી રહી હતી. સોમવારે સવારે ૮ વાગે નોંધાયેલા વરસાદી આંકડા મુજબ શિનોર તાલુકામાં દોઢ ઈંચ જ્યારે વડોદરા શહેર સહિત કવાંટ, નસવાડી અને પાદરા તાલુકામાં પોણો-પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ તેમજ સ્ત્રાવ વિસ્તારમાં થયેલા વરસાદથી નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો હતો.સૂત્રોના જણાવ્યા મુજબ નર્મદા ડેમના ઉપરવાસ તેમજ સ્ત્રાવ વિસ્તારોમાં વરસાદની જમાવટ થતાં ડેમની સપાટીમાં રાત્રિ દરમિયાન વધારો થયો હતો. રવિવારે સાંજે નર્મદા ડેમની સપાટી ૧૧૪.૦૨ મિટર હતી જે વધીને આજે સવારે ૧૧૪.૭૨ મિ.મિ. નોંધાઇ છે.રવિવારે દિવસ દરમિયાન વરસાદનો વિરામ રહ્યા બાદ શનિવારની જેમ સાંજે ૭ વાગ્યાથી વડોદરા શહેર સહિત જિલ્લાના સાત તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. જ્યારે છોટાઉદેપુર, જેતપુરપાવી, સાવલી, વાઘોડિયા અને ડભોઇ તાલુકા કોરાકટ્ટ રહ્યા હતા. જિલ્લા પુર નિયંત્રણ કક્ષ-ડિઝાસ્ટર સેલના મામલતદાર કે.એચ.પરમારના જણાવ્યા મુજબ ગત રાત્રિ દરમિયાન વડોદરા શહેર-તાલુકામાં ૧૬ મિ.મિ., કરજણ તાલુકામાં ૦૧ મિ.મિ., કવાંટ તાલુકામાં ૧૭ મિ.મિ., નસવાડી તાલુકામાં ૧૬ મિ.મિ., પાદરા તાલુકામાં ૧૮ મિ.મિ., સંખેડા તાલુકામાં ૦૧ મિ.મિ., શિનોર તાલુકામાં ૩૭ મિ.મિ. વરસાદ થયો હતો.આ ઉપરાંત ૨૪ કલાક દરમિયાન વરસાદની આગાહી કરાતાં જિલ્લા વહીવટી તંત્ર સાબદું બનાવી દેવાયું છે. પ્રાપ્તવિગતો મુજબ જિલ્લામાં વરસાદને કારણે પાણી ભરાતાં વડોદરા એસ.ટી.ડિવિઝન દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં દોડાવાતી એસ.ટી.બસની ૧૬ ટ્રીપ રદ કરાઇ હતી.
IFS અધિકારીએ ન્યૂયોર્કમાં રહેતી મહિલાને ગુલામ બનાવી
ન્યૂયોર્કમાં રહેતી એક ભારતીય મહિલાએ ઈન્ડિયન ફોરેન સર્વિસિસના(આઈએફએસ) એક અધિકારી સામે તેને ગુલામ બનાવીને રાખવાની ફરિયાદ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શાંતિ ગૌરાંગ નામની એક મહિલાએ સરકારી અધિકારી નીના મલ્હોત્રા સામે તેની પાસેથી કોઈ પણ વળતર આપ્યા વગર 16 કલાક સુધી કામ કરવા માટે દબાણ કર્યાનો આરોપ લગાવ્યો છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુરુવારે દાખલ કરવામાં આવેલા કેસમાં ગૌરાંગે મલ્હોત્રા પર એવો આરોપ લગાવ્યો છે કે 2006ના વર્ષમાં 17 વર્ષની ઉંમરમાં તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. ગૌરાંગના જણાવ્યા પ્રમાણે આ સમય દરમિયાન તેની પાસે અધિકારીઓ દ્વારા સંદેશ મોકલવાનું તેમજ નીરસ કામ કરવાનું કહેવામાં આવતું હતું.ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે મલ્હોત્રા તેમજ તેના પતિએ ગૌરાંગને ત્રણ વર્ષ સુધી ગુલામ બનાવીને રાખી હતી. 21 વર્ષીય ગૌરાંગે જણાવ્યું હતું કે 40 મહિના કામ કરાવવા બદલ તેને વળતરમાં માત્ર 120 અમેરિકન ડોલર જ આપવામાં આવ્યા હતાં.
હેડલીનો ધડાકો, ઈશરત જહાં લશ્કરની ફિયાદીન હતી
ગુજરાતમાં 2004માં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલી ઈશરત જહાં પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની ફિયાદીન આતંકવાદી હતી. પાકિસ્તાની મૂળના અમેરિકી આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીએ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની પૂછપરછમાં આ ધડાકો કર્યો છે.એક અગ્રણી અંગ્રેજી દૈનિકમાં આપવામાં આવેલા આ અહેવાલ મુજબ હેડલીએ એનઆઈએ દ્વારા કરવામાં આવી રહેલી પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે મુંબઈના ઠાણેની રહેવાસી ઈશરતને લશ્કર કમાન્ડર મુઝમ્મિલે ભારતમાં આતંક ફેલાવવાની જવાબદારી સોંપી હતી. મુઝમ્મિલ 2007 સુધી ભારતમાં લશ્કરની ગતિવિધીઓ સંભાળી રહ્યો હતો.મુંબઈ આતંકી હુમલાના આરોપી હેડલીનું આ નિવેદન ઘણું મહત્વનું માનવામાં આવે છે. હેડલીના નિવેદનથી ગુજરાત પોલીસના દાવાને સમર્થન મળે છે જેમાં કહેવામાં આવ્યું હતું કે ઈશરતને મુઝમ્મિલે કેટલાક ઉચ્ચકક્ષાના વ્યક્તિઓને મારવા માટે લશ્કરે મિશન પર ગુજરાતમાં મોકલ્યા હતા. અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે હેડલીએ 2006માં ભારતની મુલાકાત લીધી હતી ત્યારે મુઝમ્મિલ ભારતમાં લશ્કરનો પ્રમુખ હતો.ઉલ્લેખનીય છે કે 15 જૂન 2004માં અમદાવાત ખાતે ગુજરાત પોલીસે ઈશરત સહિત ચાર લોકોને લશ્કરના આતંકવાદી ગણાવતા એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. ઈશરત સાથે માર્યા ગયેલા લોકોમાં જાવેદ અને બે પાકિસ્તાની નાગરિક અમજદ અલી અને જિશાન જૌહર અબ્દુલ ગનીનું નામ સામેલ છે. ઈશરત એન્કાઉન્ટર મામલે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર વિવાદોમાં સપડાયા હતા.ગુજરાત પોલીસ અને રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે ઈશરત અને તેના સાથીઓ લશ્કરના આતંકવાદીઓ હતા અને તેઓ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા માટે ગુજરાતમાં આવ્યા હતા. જ્યારે ઈશરતની માતાએ પોતાની પુત્રી નિર્દોષ હોવાનું જણાવતા તેની હત્યાનો આરોપ લગાવ્યો હતો. ઈશરતની માતાનું કહેવું છે કે તેની પુત્રી સેલ્સવુમનનું કામ કરતી હતી અને તે પર્ફ્યુમનો વેપાર કરનારા જાવેદ શેખ માટે કામ કરતી હતી.જો કે ઈશરતના મૃત્યુ બાદ પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાનીક મુખપત્રમાં ઈશરતને લશ્કરની સભ્ય ગણતા તેના મોત પર અફસોસ વ્યક્ત કર્યો હતો. લશ્કરે ઈશરતના મોતનો બદલો ભારતીય પોલીસ પાસેથી લેવાની જાહેરાત પણ કરી હતી. પરંતુ બાદમાં 2007માં લશ્કરે જમાત-ઉદ-દાવાનું મહોરૂ પહેરી લેતા તેણે ઈશરતને આતંકી માનવાનો ઈનકાર કરી દીધો હતો. એટલું જ નહીં જમાતે ઈશરતને લશ્કર દ્વારા આતંકી ગણાવ્યા બદલ તેના પરિવાર પાસે માફી પણ માંગી હતી.
અમદાવાદ પણ સજજડ બંધ
વાહન વ્યવહાર અને સ્કૂલો કોલેજો ઉપરાંત અમદાવાદ શહેરમાં મુખ્ય બજારો પણ સંપૂર્ણ પણે બંધ રહ્યા હતા. સવારના પહોરમાં જ ભાજપના કાર્યકરોએ એએમટીએસની બસો રોકવા ઉપરાંત શહેરના મુખ્ય બજારો પણ બંધ કરાવી દીધાં હતાં. માણેકચોક, રિલફિ રોડ અને રતનપોળ જેવા મુખ્ય બજારોના શટરો આજે ખૂલ્યા જ નહોતા.
સૌરાષ્ટ્ર પર મેઘરાજા મેઘરાજા મન મૂકીને વરસ્યા. 1 થી 6 ઇંચ પાણી
ખેડૂતોના હૈયે ટાઢક વળી, રવિવારે સવારથી ફરી અસહ્ય ઉકળાટ, વાદળછાયુ વાતાવરણલાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા સૌરાષ્ટ્ર પર ઓળઘોળ થયા છે. શનિવારની મધરાતથી સમગ્ર કાઠિયાવાડ પર વરસવાનું શરૂ કર્યું હતું અને ગણતરીની કલાકોમાં એક ઇંચથી માંડી છ ઇંચ જેટલું પાણી વરસાવી દીધું હતું. નદી-નાળા છલકાઇ ગયા હતા અને પાણીનો પ્રવાહ ડેમ તરફ ધસમસતો જોવા મળ્યો હતો. સંખ્યાબંધ ડેમોમાં નવા નીર આવ્યા હતા. મુરઝાઇ રહેલી મોલાત પર મેઘરાજા જાણે અમી છાટણાં કરતાં હોય તેમ સમગ્ર કાઠિયાવાડની ધરતી પર કાચા સોનારૂપ વરસાદ વરસાવ્યો હતો.સૌથી વધુ વરસાદ રાજકોટ અને અમરેલી જિલ્લામાં પડ્યો હતો. દરેક જિલ્લા મથકેથી પ્રતિનિધિઓ મારફતે મળી રહેલાં અહેવાલ અનુસાર રાજકોટ શહેરમાં શનિવારની રાત્રિથી રવિવાર બપોર સુધીમાં ચાર ઇંચ વરસાદ પડી ગયો હતો. આ ઉપરાંત ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જેતપુર, કોટડાસાંગાણી, લોધિકા, મોરબી, પડધરી, ટંકારા, ઉપલેટા અને વાંકાનેર વિસ્તારમાં પણ બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.જુનાગઢ જિલ્લામાં રવિવારનો દિવસ વરસાદની દ્દિષ્ટએ સામાન્ય રહ્યો હતો. એક માત્ર કેશોદ પંથકમાં દોઢ ઇંચ જેટલું પાણી પડ્યું હતું. વેરાવળમાં એક ઇંચને બાદ કરતાં સોરઠમાં સર્વત્ર ઝાપટાં પડ્યા હતા. સુદામાપુરી અને આસપાસના વિસ્તારો તેમજ તાલુકા મથકોએ પણ વિશેષ કહી શકાય તેવો વરસાદ નોંધાયો છે. પોરબંદર શહેરમાં સાડા ત્રણ ઇંચ પાણી પડ્યું હતું. જ્યારે કુતિયાણામાં ત્રણ અને રાણાવાવમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો.અમરેલી જિલ્લામાં બગસરા શહેર મેઘરાજાએ પસંદગીનું સ્થળ બનાવ્યું હતું. ત્યાં ૨૪ કલાકમાં પોણા છ ઇંચ વરસાદ વરસાવી દેતાં અત્ર-તત્ર-સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. ખેતરો અને વાડીઓમાં પાણી ભરાઇ ગયા હતા. નિચાણવાળા વિસ્તારોમાં હિલોળા લેતાં પાણી જોવા મળ્યા હતા. આ ઉપરાંત જાફરાબાદ, ખાંભા અને લીલિયા પંથકમાં દોઢ ઇંચથી વધુ વરસાદ ખાબકયો હતો. અન્ય વિસ્તારોમાં એક ઇંચથી બે ઇંચ પાણી પડ્યું હોવાના અહેવાલ મળે છે.ગોહિલવાડ પર રવિવારે માત્ર વાદળો છવાયેલા રહ્યા હતા. એક માત્ર તળાજા શહેર અને પંથકમાં અડધો ઇંચ વરસાદ થયો હોવાના અહેવાલ મળે છે. જ્યારે અન્ય તમામ તાલુકો મથકો અને ગામડાઓમાં ઝાપટા પડ્યા હતા. ઝાલાવડમાં સૌથી વધુ વરસાદ ચોટીલામાં સાડા ત્રણ ઇંચ નોંધાયો હતો. અન્ય તાલુકા મથકોએ ઝાપટાથી માંડી બે ઇંચ વરસાદ પડ્યો હતો. કચ્છમાં એક માત્ર અંજારમાં પોણો ઇંચ પાણી પડી ગયું હતું. ભૂજ શહેર, મુન્દ્રા, ભચાઉ અને રાપરમાં ઝાપટા પડ્યા હતા.હાલારમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જામનગર શહેરમાં એક સાથે ચાર ઇંચ જેટલું પાણી વરસાવી દેતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લાલપુરમાં સાડા ચાર ઇંચ અને ખંભાળિયામાં પાંચ ઇંચ પાણી પડી ગયું હતું. અન્ય શહેરોમાં પણ અડધા ઇંચથી માંડી બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.
* ૩ જુલાઇ થી ન્યુજર્સી માં મોરારીબાપુની રામ કથા
પૂ.મોરારીબાપુની ન્યુજર્સી ખાતે તા.૩ જુલાઇ થી ૧૧ જુલાઇ સુધી યોજાયેલ રામકથાનું આસ્થા ચેનલ ઉપર તા.૬ જુલાઇ થી ૧૪ જુલાઇ સુધી સવારે ૯.૩૦ થી ૧ ભારતમાં, બપોરે ૨.૩૦ થી ૬ કેનેડામાં અને સવારે ૯.૩૦ થી ૧ યુ.કે.માં પ્રસારીત થશે. ભાવિકોએ લાભ લેવા જણાવાયું છે.
હીરા અને કાપડ ઉદ્યોગોમાં મજદૂર યુનિયનના ઓછાયા તળે ઘૂસણખોરી
નક્સલવાદીઓએ મહાકાય ઉદ્યોગો ધરાવતા હજીરા વિસ્તારમાં તેમજ સુરતના હીરા અને કાપડ ઉદ્યોગમાં પાછલા બારણે પ્રવેશવાનું ષડ્યંત્ર તૈયાર તો કર્યું હતું પરંતુ કોઈ અકળ કારણોસર તેમાં નક્સલીઓ સફળ રહ્યા ન હતા. નક્સલીઓના આ ષડ્યંત્રમાં હજીરાના ઉદ્યોગોને ‘રણનીતિગત ઉદ્યોગો’ તરીકે ઓળખાતા હતા, તેમ પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે.એક ડઝનથી વધુ નકસલીની ધરપકડ કર્યા બાદ પોલીસે કરેલી ઊંડાણપૂર્વકની તપાસમાં એવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે નકસલીઓનો લાંબા ગાળાનો પ્રોજેક્ટ સુરતના હજીરામાં આવેલા મહાકાય ઉદ્યોગ ઉપરાંત હીરા અને કાપડ ઉદ્યોગોમાં પણ ઘૂસણખોરી કરવાનો હતો.નક્સલીઓની અર્બન કમિટીના નિયંત્રણ તળે પૂણે-અમદાવાદ ગોલ્ડન કોરિડોર પ્રોજેક્ટના ત્વરિત અમલીકરણ માટે એક ટુકડી કાર્યરત હતી. આ કમિટીની વિવિધ કાર્યયોજનાના ભાગ તરીકે સુરતના હજીરા વિસ્તારમાં આવેલા ભારે ઉદ્યોગોને રણનીતિગત ઉદ્યોગ જાહેર કરી તેના પર કબજો જમાવવાનના કાર્યને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. આ ઉદ્યોગોમાં કામ કરવા માટે આવનારા પરપ્રાંતી યુવાનો એટલે કે મજુર વર્ગમાં દુષ્પ્રેરણા ખડી કરી અસંતોષ ઊભો કરવો અને એ રીતે ઊગ્ર ક્રાંતિ માટે આધાર તૈયાર કરવાની કાર્ય યોજના ઘડવામાં આવી હતી.જોકે, નક્સલીઓની આ મેલી મુરાદ બર આવી નહીં એ પણ હકીકત છે. નિષ્ફળતા મળવા અંગે નક્સલીઓએ વારંવાર મિટિંગ યોજી તેના પર વિસ્તૃત ચર્ચા પણ કરી છે અને જરૂર પડ્યું નેતૃત્વ પણ બદલી નાંખી અન્ય નકસલીને સોંપવામાં અવ્યું છે. આમ છતાં નક્સલીઓ સુરતમાં કોઈ મોટી યોજના પાર પાડી શક્યા નથી.મહારાષ્ટ્ર રાજ્ય કમિટીના નેજા હેઠળ સુરત એરિયા કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીના હોદ્દેદારો તેમજ કેટલાક ઊગ્ર નકસલીઓ મારફતે ખૂબ ગુપ્તતાથી ટેક્સટાઇલ, હીરા ઉદ્યોગ તેમજ અન્ય ઉદ્યોગોમાં પાર્ટીના મુખવટા તળે કામદાર યુનિયનો સ્થાપી તે યુનિયનોમાં ગુપ્ત રીતે પ્રવેશ કરી પોતાના પરોક્ષ નિયંત્રણમાં લઈ ગુપ્ત રીતે ક્રાંતિકારી કામદાર સંગઠન બનાવી યુનિયનનાં કાર્યોને હિંસાત્મક ક્રાંતિ તરફ પ્રેરિત કરવાનું હતું. જોકે, આ ષડ્યંત્ર પણ નક્સલીઓ સફળ બનાવી શક્યા ન હતા.
ગાંધીધામમાં આવેલા રેલવે ઈિન્સ્ટયૂટટમાં પણ યોજાયા છે ફૂટબોલ ‘વર્લ્ડ’કપ.
વર્ષ ૧૯૬૩થી ૭૧ સુધી કંડલા બંદરે આવતા વિદેશી જહાજોના ક્રૂ મેમ્બરોની ટીમો અને ગાંધીધામ-કંડલાની ટીમો વચ્ચે મેચો રમાતી.ગાંધીધામની ટીમ સામે જર્મન અને રશિયાની ટીમોના પરસેવા છૂટી જતા : સ્થાનિક આઝાદ ટીમને હરાવવા ઇંગ્લેન્ડ અને રશિયાની બે ટીમો એક થતી હતી.સાઉથ આફ્રિકા ખાતે રમાઇ રહેલા ફૂટબોલના ફીફા વર્લ્ડકપ રંગે સમગ્ર વિશ્વ રંગાયેલું છે ત્યારે કચ્છીઓએ અને ખાસ કરીને ગાંધીધામ સંકુલના લોકોએ એ વાતનો ગર્વ લેવા જેવો છે કે વર્ષો પહેલા ગાંધીધામના રેલવે કોલોની ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય દેશોની ફૂટબોલ મેચ રમાતી હતી. ફુટબોલના આ વર્લ્ડકપમાં અનેક દેશોની ટીમને કચ્છની ટીમોએ પછડાટ આપી છે. કંડલામાં તો આજે પણ આ સંભારણાને યાદ રાખીને નવી પેઢીને ફૂટબોલ માટે તૈયાર સુદ્ધાં કરાઇ રહી છે.ગાંધીધામમાં આવેલા રેલવે ઈિન્સ્ટયૂટટનું ગ્રાઉન્ડ આજે પણ આ મેચોની સાક્ષી પૂરે છે. કંડલા બંદરથી સ્થાપના પછી જે કોઇ દેશના જહાજો કંડલા આવતા હતા તેના ક્રૂ સભ્યો અને કંડલા અને ગાંધીધામના નામાંકિત ખેલાડીઓ વચ્ચે મેચ રમાતી હતી જેમાં કચ્છની ગાંધીધામ સિટી ક્લબ ટીમ, કંડલા ટીમ અને આઝાદ ટીમના ખેલાડીઓએ ફૂટબોલમાં અનેક દેશના ઝંડાઓ શાન સાથે જીત્યાના પુરાવાઓ આજે પણ જાળવી રખાયા છે. શહેરની અગ્રણી સંસ્થા સિંધી યૂથ સર્કલના પ્રમુખ વિજય ખૂબચંદાણી પોતાના બાળપણની આ પળોને યાદ કરતા કહે છે કે વર્ષ ૧૯૫૩ પછી કંડલા પોર્ટની રચના થઇ ત્યારથી વર્ષ ૧૯૭૧ સુધી રેલવે ગ્રાઉન્ડમાં અનેક દેશોની ટીમો સાથે ગાંધીધામની જાણીતી ત્રણ ટીમો વચ્ચે કેટલીય મેચો રમાઇ છે. મે ખુદ અનેક મેચમાં પ્રેક્ષક તરીકે ચિચિયારીઓ પાડીને આપણી ટીમોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. કચ્છના આ ગૌરવની યાદોને તાજી કરતા વિજયભાઇએ ઉમેર્યું હતું કે કંડલા પોર્ટ પર જે તે સમયે સમયે જે જહાજો આવતા હતા તેમાંથી લોડિંગ અને અનલોડિંગની કામગીરી પૂરતી સુવિધાઓના અભાવે મહિનાઓ સુધી ચાલતી હતી તેને કારણે નવરાસ ભોગવતા હતા.
ગાંધીધામના ચાવલા ચોકમાં દુકાન ધરાવતા એથલેટિક ગુરુમુખસિંગ પહેલવાને આ અંગે પ્રકાશ પાડતાં કહયું હતું કે તેમના મોટાભાઇ હરમેશ પહેલવાન ગાંધીધામમાં અખાડો ચલાવતા હતા. આ પછી ફૂટબોલ માટે હરમેશ ક્લબની રચના કરી હતી. જેમાં જીવણભાઇ બુધારામજી સાંખલા, કશિનલાલા સાંખલા, હાજી આમદ ઇસ્માઇલ, અલારખ્ખા, જુમાભાઇ, નુરમામદ, ઇલીયાસભાઇ, વેદપ્રકાશ શર્મા, વણિયારભાઇ, રાયશીભાઇ સુનિલ કિટ્ટી, વિનોદભાઇ, જગ્ગીભાઇ વગેરે ઉત્કૃષ્ઠ ખેલાડીઓ હતા. જે વિદેશોની ટીમ સામે સારા દેખાવ થકી લોકપ્રીય બન્યા હતા. જે તે સમયે ગાંધીધામમાં આ મેચોનું આયોજન થતું ત્યારે ગ્રાઉન્ડ પ્રેક્ષકોથી ઉભરાતું હતું.એક વખત આફ્રિકાથી આવેલા માધાકાસ્ટા નામના જહાજના ખેલાડીઓ સાથે મેચ રમાઇ હતી ત્યારે એક ખેલાડી ઇજાગ્રસ્ત બન્યો હતો અને તેને મગજમાં ભારે ઇજાઓ પહોંચી હતી. ગાંધીધામના સદ્ગત ખેલાડી જીવણલાલ અને કશિનલાલ સાંખલાના પુત્રો મુકેશ જીવણલાલ અને કૈલાસ કશિનલાલે પોતાના પિતાનો ટ્રોફીઓ સાથે ફોટો હાથમાં લઇને એવો ભાવ વ્યક્ત કર્યો હતો કે આ બન્ને લોકોએ તેમના પરિવારને ગાંધીધામના ઈતિહાસમાં સોનેરી પૃષ્ઠોમાં મઢી દીધો છે. બાળપણમાં પિતાને રમતા જોતા ત્યારે ફૂટબોલ પ્રત્યે આકર્ષણ હતું પણ ધીમે ધીમે આ ક્ષેત્ર જ યાદોમાં ખોવાઇ ગયું છે.પિતાએ જીતેલી ટ્રોફી, વિદેશોના ઝંડા અને સન્માનો વર્ષો વર્ષો સુધી સાચવી રખાયા પછી હવે ક્યાંક ગુમ થયા છે પણ યાદો આજે પણ તાજી છે. કચ્છ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસો.ના મંત્રી એચ.જી. ખાને કહ્યું હતું કે પોર્ટ ક્લબની સહાયથી આજે કંડલામાં નવી ટીમો ઉભી થઇ રહી છે તેમાંથી અનેક ખેલાડીઓ નેશનલ અને સ્ટેટ કક્ષાએ રમે છે. આજે ૧૯ છોકરીઓ પણ ખેલાડી બનવા પ્રશિક્ષણ મેળવી રહી છે. કંડલાનો આ ગૌરવવંતો ઈતિહાસ જાળવી રાખવાના ઉદેશ્ય સાથે આગામી વર્ષોમાં કંડલાનો કોઇ ખેલાડી ભારતને વિશ્વ વર્લ્ડકપ જીતાડે તેવી આશા છે.
આત્મહત્યા કેસમાં તેનો પ્રેમી ગૌતમ વોરા હકીક્ત છુપાવી
મોડેલ વિવેકા બાબાજી આત્મહત્યા કેસમાં તેનો પ્રેમી ગૌતમ વોરા હકીક્ત છુપાવી રહ્યો છે. તે પોલીસને ખોટી માહિતી આપીને સતત ગેરમાર્ગે દોરી રહ્યો છે, એમ વિવેકાના કુટુંબના પ્રવક્તા ડેલ ભગવાગરે રવિવારે પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું.
વિવેકાના ટેકનિકલ સલાહકાર અને વહીવટકારની મદદથી અમે તેના જીમેઈલ અને ફેસબુક અકાઉન્ટ્સ જોયા છે. તેમાં ઘણું બધું બહાર આવ્યું છે. ગૌતમ સતત એવું કહે છે કે વિવેકા સાથે મારે ફક્ત સારી મૈત્રી હતી, પરંતુ આ મેઈલ જોતાં તેમની વચ્ચે મૈત્રીથી પણ વધુ ગાઢ સંબંધ હતા એવું જણાય છે, એમ તેણે જણાવ્યું હતું.અમને આ અકાઉન્ટ્સમાંથી અમુક તસવીરો, ઈમેઈલ મળ્યા છે જે બંને વચ્ચે ગાઢ સંબંધ હતા તેની પર પ્રકાશ પાડે છે. વળી, ગૌતમે તેના બ્લેકબેરી ફોન પરથી વિવેકાના જીમેઈલ અકાન્ટ પર અશ્લીલ તસવીરો પણ મોકલી હતી, એવો પણ તેણે દાવો કર્યો હતો. વિવેકાએ આત્મહત્યા કરતાં જ ગૌતમે તેનું ફેસબુક અકાઉન્ટ ડિલીટ કરી દીધું છે.ગૌતમ વિવેકા સાથે ગાઢ સંબંધ હતા તે વાત સતત નકારી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને વિવેકાના કુટુંબે આ માહિતી બહાર લાવવાનું નક્કી કર્યું છે, એમ તેણે જણાવ્યું હતું. ગૌતમે પોલીસ સામે હકીક્ત જણાવવી જોઈએ. આત્મહત્યા કરવા પૂર્વે તેમની વચ્ચે શું વાતો થઈ હતી કે તેણે સ્પષ્ટ જણાવી દેવું જોઈએ.
કાલે રાજકોટના જન્મદિનની ભવ્ય ઉજવણી,૪૦૧ કિલોની કેક કપાશે, ભવ્ય આતશબાજી અને લાઇટ એન્ડ સાઉન્ડ શોના આયોજન
visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
કાલે રાજકોટના જન્મદિનની ભવ્ય ઉજવણી,૪૦૧ કિલોની કેક કપાશે, ભવ્ય આતશબાજી અને લાઇટ એન્ડ સાઉન્ડ શોના આયોજન
શાળાઓમાં જન્મદિન નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો
આવતીકાલ મંગળવાર તા.૬ જુલાઇનો દિવસ રાજકોટના ઈતિહાસમાં સોનેરી અક્ષરે અંકિત થશે. એ દિવસે પ્રથમ વખત રાકોટના જન્મ દિવસની ભવ્યાતભિવ્ય ઉજવણી થશે. રાજકોટવાસીઓ એમના વ્હાલા નગર રાજકોટના ૪૦૧માં જન્મદિનને ભાવપૂર્વક, ધામધૂમપૂર્વક ઉજવી ‘હેપી બર્થ-ડે ટુ રાજકોટ’ના ગગનચુંબી નારા લગાવશે. આ શુભ દિવસની ઉજવણીના ભાગરૂપે રેસકોર્સના ક્રિકેટ મેદાનમાં સાંજે ૭.૩૫ કલાકે ૪૦૧ કિલોની કેક કાપવામાં આવશે અને ત્યારબાદ ૭.૪૫ કલાકે એ જ સ્થળે ભવ્ય આતશબાજી કરવામાં આવશે. સાથે જ રેસકોર્સના રમેશ પારેખ નાટ્ય ગૃહ ખાતે અદભૂત લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવશે.રાજકોટના જન્મ દિવસની ઉજવણીનો આનંદ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. શહેરનો જન્મદિવસ ધામધૂમપૂર્વક ઉજવવો જોઇએ એવા વિચાર સાથે ‘દિવ્ય ભાસ્કરે’ કરેલી પહેલને ચેમ્બર ઓફ કોમર્સ અને શહેરની અન્ય સંસ્થાઓએ વધાવી લીધા બાદ છેલ્લા એક અઠવાડિયાથી શહેર અનેકવિધ કાર્યક્રમોથી ધમધમી રહ્યું છે. ૧લી તારીખે અભૂતપૂર્વ કાર્નિવલ યોજાયા બાદ શહેરનો એક એક વિસ્તાર અનેક પ્રકારના કાર્યક્રમોથી ધમધમવા લાગ્યો છે.
મંગળવારે જન્મ દિવસના શુભ પ્રસંગે શહેરમાં શ્રેણીબધ્ધ કાર્યક્રમો યોજાયા છે. શહેરની તમામ શાળાઓમાં એ દિવસે વકતૃત્વ સ્પર્ધા, નબિંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા સહિતના આયોજનો થયા છે. શાળાઓને સુશોભિત કરવામાં આવી છે. બીજી તરફ શહેરના મંદિરોમાં તા.૬ના રોજ મહાઆરતી, દીવડા શણગાર તથા વિશેષ પૂજા સહિતના આયોજનો થયા છે.
રાજકોટના ચારસો વર્ષના ઈતિહાસમાં પહેલી વખત શહેરના જન્મ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે ચાર સદીનું સાટું એક સાથે વાળી દેવું હોય તેમ રાજકોટવાસીઓ ઉજવણી માટે થનગની રહ્યા છે.
મોટાભાગની શાળાઓમાં બાળકોને યુનિફોર્મમાંથી મુક્તિ
જન્મ દિવસની ઉજવણી તો રંગીન હોવી જોઇએ એવી લાગણી સાથે શહેરની મોટાભાગની શાળાઓએ બાળકો-વિદ્યાર્થીઓને ૬ઢ્ઢી જુલાઇએ યુનિફોર્મમાંથી મુક્તિ આપી છે. બાળકો કલરફુલ અને એમને પસંદ પડે એવા વસ્ત્રો પહેરીને શાળાએ જશે. તમામ શાળાઓમાં પ્રાર્થના સમયે ‘હેપ્પી બર્થ-ડે ટુ રાજકોટ’ના નારા ગાજી ઉઠશે.અનેક સંસ્થાઓ દ્વારા તબીબી સેવા યજ્ઞ.જન્મદિનની ઉજવણીના ભાગરૂપે જુના જકાતનાકા પાસે જામનગર રોડ પર અવેલ બી.એ. ડાંગર હોમિયોપેથીક મેડિકલ કોલેજ તથા બી.એ. ડાંગર હોમિયોપેથીક હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટર દ્વારા તા.૧લીથી નિ:શુલ્ક હોમિયોપેથિક નિદાન તથા સારવાર કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. આ સેવા છઢ્ઢી તારીખ સુધી ચાલશે. આ કેમ્પમાં રાજકોટના નામાંકિત હોમિયોપેથ તબીબો સેવા આપી રહ્યા છે.નોંધપાત્ર પાસુ એ છે કે આ કેમ્પમાં દવા પણ નિ:શુલ્ક આપવામાં આવે છે. અને જરૂરિયાતવાળા દર્દીઓને લેબોરેટરી ટેસ્ટમાં પણ ૫૦ ટકા રાહત આપવામાં આવે છે. ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આપેલ સદ્ભાવના હોસ્પિટલમાં પણ તા.૬ સુધી ડાયાબિટીસ તથા સારણગાંઠના નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન થયું છે. ડાયાબિટીસના દર્દીઓને બ્લડ સુગર વિનામૂલ્યે ચેક કરી, નિ:શુલ્ક સારવાર આપવામાં આવશે. વિશેષ જાણકારી માટે ફોન નં. ૨૫૭૪૯૦૨નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
ઘરે ઘરે દીવડા પ્રગટશે લાપસીના આંધણ મૂકાશે
સમગ્ર શહેર સ્વયંભૂ આ ઉજવણીમાં જોડાયું છે. ત્યારે વ્હાલા નગરના જન્મદિનને વધાવવાનો અનેરો ઉમળકો નજરે પડે છે. શહેરનો દરેક નાગરિક તા.૬ઢ્ઢીના રોજ ઘર આંગણે રંગોળી કરી ઘરની બહાર દીવડાં પ્રગટાવશે. શુકનરૂપે દરેક ઘરમાં લાપસીના એંધણ મૂકાશે.રણછોડનગરમાં આવેલી મંગલમૂર્તિ શાળામાં રાજકોટ-ડે નિમિત્તે વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, રંગપૂરણી હરિફાઇ તેમજ શાળા સુશોભન સહિતના કાર્યક્રમોનું શાળા સંચાલકો દ્વારા આયોજન કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા રાજકોટના ઈતિહાસ અંગે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને વકતતૃત્વ સ્પર્ધા યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.દરમિયાન તમામ સ્પર્ધકોને શાળા સંચાલકો દ્વારા રાજકોટના જન્મદિવસની વધામણી સાથે મોં મીઠા કરાવવામાં આવ્યા હતા. આ તકે પિ્રિન્સપાલ નરેન્દ્રભાઇ ભાડલિયાએ દર વર્ષે રાજકોટના જન્મદિવસની ઉજવણીમાં ઉત્સાહભેર ઉજવવાની ખાતરી આપી હતી.
કાલે રાજકોટના જન્મદિનની ભવ્ય ઉજવણી,૪૦૧ કિલોની કેક કપાશે, ભવ્ય આતશબાજી અને લાઇટ એન્ડ સાઉન્ડ શોના આયોજન
શાળાઓમાં જન્મદિન નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો
આવતીકાલ મંગળવાર તા.૬ જુલાઇનો દિવસ રાજકોટના ઈતિહાસમાં સોનેરી અક્ષરે અંકિત થશે. એ દિવસે પ્રથમ વખત રાકોટના જન્મ દિવસની ભવ્યાતભિવ્ય ઉજવણી થશે. રાજકોટવાસીઓ એમના વ્હાલા નગર રાજકોટના ૪૦૧માં જન્મદિનને ભાવપૂર્વક, ધામધૂમપૂર્વક ઉજવી ‘હેપી બર્થ-ડે ટુ રાજકોટ’ના ગગનચુંબી નારા લગાવશે. આ શુભ દિવસની ઉજવણીના ભાગરૂપે રેસકોર્સના ક્રિકેટ મેદાનમાં સાંજે ૭.૩૫ કલાકે ૪૦૧ કિલોની કેક કાપવામાં આવશે અને ત્યારબાદ ૭.૪૫ કલાકે એ જ સ્થળે ભવ્ય આતશબાજી કરવામાં આવશે. સાથે જ રેસકોર્સના રમેશ પારેખ નાટ્ય ગૃહ ખાતે અદભૂત લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવશે.રાજકોટના જન્મ દિવસની ઉજવણીનો આનંદ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. શહેરનો જન્મદિવસ ધામધૂમપૂર્વક ઉજવવો જોઇએ એવા વિચાર સાથે ‘દિવ્ય ભાસ્કરે’ કરેલી પહેલને ચેમ્બર ઓફ કોમર્સ અને શહેરની અન્ય સંસ્થાઓએ વધાવી લીધા બાદ છેલ્લા એક અઠવાડિયાથી શહેર અનેકવિધ કાર્યક્રમોથી ધમધમી રહ્યું છે. ૧લી તારીખે અભૂતપૂર્વ કાર્નિવલ યોજાયા બાદ શહેરનો એક એક વિસ્તાર અનેક પ્રકારના કાર્યક્રમોથી ધમધમવા લાગ્યો છે.
મંગળવારે જન્મ દિવસના શુભ પ્રસંગે શહેરમાં શ્રેણીબધ્ધ કાર્યક્રમો યોજાયા છે. શહેરની તમામ શાળાઓમાં એ દિવસે વકતૃત્વ સ્પર્ધા, નબિંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા સહિતના આયોજનો થયા છે. શાળાઓને સુશોભિત કરવામાં આવી છે. બીજી તરફ શહેરના મંદિરોમાં તા.૬ના રોજ મહાઆરતી, દીવડા શણગાર તથા વિશેષ પૂજા સહિતના આયોજનો થયા છે.
રાજકોટના ચારસો વર્ષના ઈતિહાસમાં પહેલી વખત શહેરના જન્મ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે ચાર સદીનું સાટું એક સાથે વાળી દેવું હોય તેમ રાજકોટવાસીઓ ઉજવણી માટે થનગની રહ્યા છે.
મોટાભાગની શાળાઓમાં બાળકોને યુનિફોર્મમાંથી મુક્તિ
જન્મ દિવસની ઉજવણી તો રંગીન હોવી જોઇએ એવી લાગણી સાથે શહેરની મોટાભાગની શાળાઓએ બાળકો-વિદ્યાર્થીઓને ૬ઢ્ઢી જુલાઇએ યુનિફોર્મમાંથી મુક્તિ આપી છે. બાળકો કલરફુલ અને એમને પસંદ પડે એવા વસ્ત્રો પહેરીને શાળાએ જશે. તમામ શાળાઓમાં પ્રાર્થના સમયે ‘હેપ્પી બર્થ-ડે ટુ રાજકોટ’ના નારા ગાજી ઉઠશે.અનેક સંસ્થાઓ દ્વારા તબીબી સેવા યજ્ઞ.જન્મદિનની ઉજવણીના ભાગરૂપે જુના જકાતનાકા પાસે જામનગર રોડ પર અવેલ બી.એ. ડાંગર હોમિયોપેથીક મેડિકલ કોલેજ તથા બી.એ. ડાંગર હોમિયોપેથીક હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટર દ્વારા તા.૧લીથી નિ:શુલ્ક હોમિયોપેથિક નિદાન તથા સારવાર કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. આ સેવા છઢ્ઢી તારીખ સુધી ચાલશે. આ કેમ્પમાં રાજકોટના નામાંકિત હોમિયોપેથ તબીબો સેવા આપી રહ્યા છે.નોંધપાત્ર પાસુ એ છે કે આ કેમ્પમાં દવા પણ નિ:શુલ્ક આપવામાં આવે છે. અને જરૂરિયાતવાળા દર્દીઓને લેબોરેટરી ટેસ્ટમાં પણ ૫૦ ટકા રાહત આપવામાં આવે છે. ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આપેલ સદ્ભાવના હોસ્પિટલમાં પણ તા.૬ સુધી ડાયાબિટીસ તથા સારણગાંઠના નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન થયું છે. ડાયાબિટીસના દર્દીઓને બ્લડ સુગર વિનામૂલ્યે ચેક કરી, નિ:શુલ્ક સારવાર આપવામાં આવશે. વિશેષ જાણકારી માટે ફોન નં. ૨૫૭૪૯૦૨નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
ઘરે ઘરે દીવડા પ્રગટશે લાપસીના આંધણ મૂકાશે
સમગ્ર શહેર સ્વયંભૂ આ ઉજવણીમાં જોડાયું છે. ત્યારે વ્હાલા નગરના જન્મદિનને વધાવવાનો અનેરો ઉમળકો નજરે પડે છે. શહેરનો દરેક નાગરિક તા.૬ઢ્ઢીના રોજ ઘર આંગણે રંગોળી કરી ઘરની બહાર દીવડાં પ્રગટાવશે. શુકનરૂપે દરેક ઘરમાં લાપસીના એંધણ મૂકાશે.રણછોડનગરમાં આવેલી મંગલમૂર્તિ શાળામાં રાજકોટ-ડે નિમિત્તે વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, રંગપૂરણી હરિફાઇ તેમજ શાળા સુશોભન સહિતના કાર્યક્રમોનું શાળા સંચાલકો દ્વારા આયોજન કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા રાજકોટના ઈતિહાસ અંગે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને વકતતૃત્વ સ્પર્ધા યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.દરમિયાન તમામ સ્પર્ધકોને શાળા સંચાલકો દ્વારા રાજકોટના જન્મદિવસની વધામણી સાથે મોં મીઠા કરાવવામાં આવ્યા હતા. આ તકે પિ્રિન્સપાલ નરેન્દ્રભાઇ ભાડલિયાએ દર વર્ષે રાજકોટના જન્મદિવસની ઉજવણીમાં ઉત્સાહભેર ઉજવવાની ખાતરી આપી હતી.
હેકરથી જી-મેલને કેમ બચાવશો ?
visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
હેકરથી જી-મેલને કેમ બચાવશો ?
જો તમે જી-મેલ એકાઉન્ટનો ઉપયોગ કરો છો તો, હેકિંગથી બચવા માટે તમારે પોતાની લોગ-ઇન એક્ટિવિટીસ યાદ રાખવી જોઇએ. જો ન હોય તો, જી-મેલ ખોલીને પાનાના સૌથી છેલ્લે જુઓ. ત્યાં અગાઉના એક્સેસનો સમય અને તારીખ હશે. સાથે જ આઇપી એડ્રેસ અને ડેટાનો પણ ઉલ્લેખ હશે. એ આઇપી એડ્રેસથી તમે હેકરનું લોકેશન પણ જાણી શકશો.
જી-મેલ એક્સેસ કર્યા બાદ તમારે લોગ-ઇન ટાઇમ અને તારીખ યાદ રાખવી પડશે. તેનાથી પણ હેકિંગ શોધી શકાય છે. જો તમે ઘર અને ઓફિસ બન્ને જગ્યા લોગ-ઇન છો તો, તેને પણ શોધી શકાશે. હેકની શંકા થાય તો, પાસવર્ડ તાકીદે બદલી નાખવો જોઇએ.
*ફોક્સે ભારતમાં સાત નવી ચેનલ શરૂ કરી
ફોક્સ ઈન્ટરનેશનલ ચેનલ્સે ભારતમાં સાત નવી ચેનલ્સની શરૂઆત કરી છે. આ ચેનલ્સમાં એક એક્સ, એનજીસી એચડી, એનજી વાઈલ્ડ, ફોક્સ ક્રાઈમ, એનજી એડવેંચર, એનજી મ્યૂઝિક અને બેબી ટીવીનો સમાવેશ થાય છે. આ ચેનલ્સ દેશમાં ડીટીએચ ડિઝિટલ અને એનાલોગ કેબલ પરથી જોઈ શકાશે. ટેપ રૂટ સાત ચેનલોની ક્રિએટિવ એજન્સી હશે. જ્યારે મીડિયા એજન્સીનું નામ ગ્રૂપ એમને સોંપવામાં આવ્યું છે.
એનજી વાઈલ્ડ અને એનજી એડવેંચર સન ડાયરેક્ટ ડીટીએચ પર દેખાશે, જ્યારે એફએક્સ અને ફોક્સ ક્રાઈમ સન ડાયરેક્ટ ડીટીએચ અને ટાટા સ્કાય પર જોઈ શકાશે. એનજી મ્યૂઝિક અને બેબી ટીવી ડીટીએચ પર ઉપલબ્ધ થશે. એનજીસી એચડી બધી જ હાય ડેફિનેશન ડીટીએચ પ્લેટફોર્મ જેવી ડિશ ટૂ એચ ડી, ટાટા સ્કાય, બિગ ટીવી, એરટેલ ડિઝિટલ ડિજિટલ ટીવી અને સન ડાયરેક્ટ પર ઉપલબ્ધ થશે.
ફોક્સ ઈંટરનેશનલ ઈન્ડિયાના સંચાલક નિદેશક કિર્તન આદ્યાંથાયાએ જણાવ્યું કે ‘ આ ચેનલ્સને ભારતમાં લાવીને અમારે દર્શકોના એક મોટા વર્ગ સુધી પહોંચવાની મહેચ્છા છે. દર્શકોને તેના દ્વારા ક્રાઈમથી લઈને કોમેડી, તેમજ એડવેંચરથી લઈને મ્યૂઝિક અને ફિક્શનથી લઈને વાસ્તવિક કન્ટેન્ટ શોને જોવાની તક મળશે.
એફટીસી એ ફોક્સ ઈંટરનેશનલ સમૂહની એક સહભાગી એકમ છે, જે રુપર્ટ મર્ડોકે ન્યૂઝ કોર્પોરેશનનો એક ભાગ છે. ફોક્સ ઈંટરનેશનલ ચેનલ્સનું પ્રસારણ યૂરોપ, એશિયા લેટિન અમેરિકા, અને આફ્રીકાના દેશોમાં થાય છે.
* મોદી સરકાર સામે કોંગ્રેસની ચૂંટણી પંચમાં ધા
ગુજરાતની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા મતદાર યાદીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ કરી છે.
કોંગ્રેસના ગુજરાત પ્રભારી બી. કે. હરિપ્રસાદના કહેવા પ્રમાણે કેટલાક મતક્ષેત્રોમાં લગભગ સાત હજાર જેટલા મતદારોને બે-બે વખત દર્શાવવામાં આવી રહ્યાં છે. તેમના કહેવા પ્રમાણે, મોટાપાયા પર ગેરરીતિઓ આચરવામાં આવી છે.
બી. કે. હરિપ્રસાદ ઉપરાંત ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહીલ, એઆઇસીસીના સચિવ પી. સુધાકર રેડ્ડી, રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ સિદ્ધાર્થ પરમાર અને કોંગ્રેસના પ્રવકતા મનિષ તિવારી સહિતનું એક પ્રતિનિધિ મંડળ મુખ્ય ચૂંટણી અધિકારી નવિન ચાવલાને મળ્યું હતું.
તેમણે મતદાર યાદીની તત્કાળ પુનઃચકાસણી કરવા માગ કરી હતી. ઉપરાંત સ્થાનિક ચૂંટણીઓ દરમિયાન ઇ-વોટિંગ નહીં કરવા દેવા ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી હતી. શક્તિસિંહે દાવો કર્યો હતોકે લગભગ ત્રીસ લાખ જેટલા નકલી મતદારોના નામ સામેલ કરવામાં આવ્યા છે. જેના કારણે, નિષ્પક્ષ મતદાનની શક્યતા નહિવત થઇ જાય છે.
*UKમાં હવે શિખોની પાગડીની તલાશી નહીં લેવાય
બ્રિટનના એરપોર્ટ પર હવેથી શિખોની પાગડીની તલાશી લેવામાં નહી આવે. બ્રિટનના એરપોર્ટ પર અત્યાર સુધી સુરક્ષાને ધ્યાનમાં રાખીને શિખોની પાગડીની તલાશી લેવામાં આવતી હતી. પરંતુ શિખોના વિરોધ બાદ બ્રિટન સરકારે એરપોર્ટ પર શિખોની પાગડીની તપાસ નહીં કરવાનો નિર્ણય લીધો છે. શિખોએ કહ્યું હતું કે પાગડીની તલાશી તેના ધર્મની વિરુદ્ધ છે.
બ્રિટનમાં શિખોના ધાર્મિક નેતાઓ દ્વારા અહીંના ટ્રાન્સપોર્ટ વિભાગ પર દબાણ કરીને એરપોર્ટ પર આ પ્રકારની તલાશી ન લેવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. નોંધનીય છે કે એરપોર્ટ પર લગાવવામાં આવેલા બોડી સ્કેનરમાંથી પસાર થતી વખતે તેમાં લગાવવામાં આવેલું એલાર્મ વાગી જતું હતું. જેના કારણે સુરક્ષા અધિકારીઓ શિખોની પાગડીની તલાશી લેતા હતાં.
બર્મિંગહામ ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે મંગળવારે ટ્રાન્સપોર્ટ વિભાગે યૂકેના તમામ એરપોર્ટને ધાર્મિક ભાવનાઓને ધ્યાનમાં રાખીને શિખોની પાગડીની તપાસ નહીં કરવાનો આદેશ કર્યો છે.
*આફ્રીકનો કરે છે હિન્દુ મંદિરમાં પૂજા અર્ચના
આફ્રીકાના દેશ ઘાનમાં એક એવું હિન્દુ મંદિર છે, જ્યાં આફ્રિકન લોકો દ્વારા પૂજા કરવામાં આવે છે. ખાસ વાત તો એ છે કે આ મંદિરના શ્રદ્ધાળુઓનો ભારત સાથે કોઈ નાતો નથી, તેમજ તેઓ ક્યારેય ભારત પણ આવ્યા નથી.
ઘાનાની રાજધાની અકરાના બહારના વિસ્તારમાં આવેલા આ મંદિરના ઉપરના ભાગે ‘ઓમ’ લખેલું છે. મંદિરમાં ચારેકોર હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. તેમજ મંદિરમાં પરંપરાગત ભારતીય ધાર્મિક વિધી પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવે છે. આ મંદિરમાં આવતા મોટા ભાગના શ્રદ્ધાળુઓએ ધર્મ પરિવર્તન કરીને હિન્દુ ધર્મ અપનાવી લીધો છે.
અહીં આવતા શ્રદ્ધાળુઓએ પોતાના બાળકોના નામ પણ રામ અને કૃષ્ણ રાખવાનું શરૂ કરી દીધું છે. મંદિરમાં દરરોજ સાંજે પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યાર બાદ ભક્તોને પ્રસાદ આપવામાં આવે છે. પ્રસાદ આપ્યા બાદ મંદિરના પૂજારી સ્વામી ધનાનંદ સરસ્વતી લોકોને હિન્દુ ધર્મના દર્શન બાબતે ઉપદેશ આપે છે.
સ્વામી ધનાનંદે જ 1975ના વર્ષમાં સૌપ્રથમ આફ્રિકી હિન્દુ મંદિરની સ્થાપના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મારું સાચું નામ ગાઈડ છે. મારા માતા પિતા ઈસાઈ છે. હું નાનો હતો ત્યારથી બ્રહ્માંડના અજ્ઞાત રહસ્યો વિશે વિચારતો હતો. આ સમય દરમિયાન મેં હિન્દુ ધર્મના અમુક પુસ્તકો વાંચ્યા હતાં. ત્યાર બાદ મારા જીવનની નવી યાત્રા શરૂ થઈ હતી.
* જવાનોના મોત મનમોહનના શિરે : માઓવાદીઓ
છત્તીસગઢના નારાયણપુરમાં માઓવાદીઓ દ્વારા સીઆરપીએફના જવાનોની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 28 જવાનો શહીદ થયા હતા. ત્યારે માઓવાદીઓએ દાવો કર્યો છેકે, તેમણે મૃત જવાનોના હથિયારો લૂંટી લીધા હતા.
સીપીઆઇએમ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે, સીઆરપીએફના 27 જવાનોના મોત અને આઠની ઇજાઓ માટે યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી, વડાપ્રધાન મનમોહનસિંઘ, ગૃહપ્રધાન ચિદમ્બરમ, રાજ્યના મુખ્યપ્રધાન રમણસિંહ જવાબદાર છે. કારણકે, નિર્દોષ આદિવાસીઓ ઉપર ઓપરેશન ગ્રીન હન્ટના નામે અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. આથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
માઓવાદીઓએ સ્વીકાર કર્યો છેકે, જવાનો પાસેથી આઠ એકે-47 રાઇફલો, આઠ ઇન્સાસ રાઇફલો, ત્રણ એસએલઆર અને બે એલએમજી સહિત કુલ 28 આધુનિક હથિયારો તેમણે લૂંટ્યા છે. તેમણે કબુલ કર્યું છેકે, આ કાર્યવાહીમાં સીપીઆઇના ત્રણ કેડરના મોત થયા છે.
*‘CRPFને ચાલતા શીખવવાનું ન હોય’
છત્તિસગઢમાં વારંવાર થઇ રહેલા નક્સલવાદી હુમલાઓના કારણે સુરક્ષાબળો નિરાશ થઇ ગયા છે. જેના કારણે અધિકારીઓ દોષનો ટોપલો એક બીજા ઉપર ઢોળી રહ્યાં છે. મંગળવારે નક્સલવાદી હુમલામાં માર્યા ગયેલા સીઆરપીએફના જવાનોના મુદ્દે પણ આવું જ થઇ રહ્યું છે.
છત્તિસગઢના ડીજીપી વિશ્વરંજને મંગળવારની ઘટના માટે સીઆરપીએફને જવાબદાર ઠેરવી છે. તેમના કહેવા પ્રમાણે, સીઆરપીએફ દ્વારા પાયાની કાળજી પણ રાખવામાં નથી આવતી. જેના કારણે આ પ્રકારના બનાવો બને છે. તેમણે ઉમેર્યું હતુંકે, રાજ્ય પોલીસે કાંઇ તેમને ચાલતા શીખવવાનું ન હોય.
બીજી બાજુ, સીઆરપીએફનું કહેવું છેકે, તેના વિશેષ તાલિમ પ્રાપ્ત આઠ હજાર જવાનો રાજ્યમાં હાજર છે. પરંતુ, તેમને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત કરવામાં નથી આવતા.
આ તરફ કેન્દ્ર સરકારે દરમિયાનગીરી કરી છે અને સીઆરપીએફ તથા રાજ્ય સરકારને તાકિદ કરી છેકે, તેઓ નક્સલવાદીઓ સામેના ઓપરેશન્સ દરમિયાન સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસીજરને અનુસરે.
* ઓબામા 15માં સર્વેશ્રેષ્ઠ રાષ્ટ્રપતિ
અમેરિકામાં ગઈ રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ વર્તમાન રાષ્ટ્રપતિ ઓબામાની લોકપ્રિયતા ભલે ચરમ પર રહી હોય, પરંતુ અમેરિકાના તમામ રાષ્ટ્રપતિની લોકપ્રિયતા બહાર પાડવામાં આવેલી યાદીમાં ઓબામાં 15માં સ્થાને રહ્યા છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં ફ્રેન્કલિન રુઝવેલ્ટને અમેરિકાના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિમાં ટોંચના સ્થાને રહ્યા છે.
અમેરિકાની કોલેજ ઓફ યુનિવર્સિટી દ્વારા કરાવવામાં આવેલા સર્વેમાં ઓબામા બિલ ક્લિન્ટનથી પણ પાછળ છે. આ સર્વેમાં રાષ્ટ્રપતિ પર શોધ કરનારા 238 વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા હતાં. સર્વેના જણાવ્યા પ્રમાણે લોકપ્રિયતાની યાદીમાં રુઝવેલ્ટનું નામ સૌથી ઉપર છે. જ્યારે બરાક ઓબામા 15માં સ્થાને છે, ઓબામા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને રાગનથી પણ પાછળ છે. ક્લિન્ટન યાદીમાં 13માં નંબરે છે. જ્યારે રુઝવેલ્ટ 1982થી આ યાદીમાં ટોંચ પર રહ્યા છે.
નોંધનીય છે કે 1982થી દર વર્ષે આ સર્વે કરવામાં આવે છે. રુઝવેલ્ટ બાદ માઉન્ટ રસમોર, અબ્રાહમ લિંકન, જ્યોર્જ વોશિંગ્ટન અને થોમસ ઝેફર્સન અનુક્રમે, બીજા, ત્રીજા, ચોથા અને પાંચમાં સ્થાને છે.
જો કે છેલ્લા 28 વર્ષથી કરવામાં આવતા આ સર્વેમાં ઓબામાએ તેના પૂર્વગામી જ્યોર્જ બુશને પછાડ્યા છે. બુશને આ યાદીમાં 39મું સ્થાન મળ્યું છે. તેમજ તેનું નામ અમેરિકાના સૌથી ખરાબ રાષ્ટ્રપતિની યાદીમાં સામેલ છે. રાષ્ટ્રપતિઓની કલ્પનાશીલતા, કોમ્યુનિકેશન સ્કિલ, બુદ્ધિમતાને આધાર બનાવીને આ યાદી તૈયાર કરવામાં આવી છે.
*જ્યારે માંકડનો અંદાજ-એ-આઉટ બન્યો ક્રિકેટનો નિયમ
ક્રિકેટ જગતમાં ખેલાડીઓ દ્વારા અસભ્ય વર્તન હવે કોઇ નવી વાત નથી રહી. હાલમાં જ ટેસ્ટ મેચ દરમિયાન દક્ષિણ આફ્રિકાના ખેલાડી ડેલ સ્ટેને વેસ્ટ ઇન્ડિઝના બોલર સુલેમાન બેન તરફ થૂંકી ખાસ્સી ચર્ચા જગાવી હતી.
પરંતુ ક્રિકેટમાં એવી પણ કેટલીક ક્ષણો આવી હતી, જેને પહેલા ખરાબ ગણી વખોડવામાં આવી હતી અને બાદમાં આઇસીસીના નિયમના રૂપમાં ફેરવી નંખાઇ હતી. આવો જ એક કિસ્સો ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર વીનુ માંકડ સાથે જોડાયેલો છે.
વીનુ માંકડે અનોખી રીતે હરિફ ટીમના ખેલાડીઓને આઉટ કરવાની શરૂઆત કરી હતી. ડિસેમ્બર 1947માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ટીમ ઇન્ડિયાનો આ કિસ્સો ખૂબ મશહુર છે.
બન્યું એવું હતું કે ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ સિડની ટેસ્ટમાં ભારતીય બોલર વીનુ માંકડે હરિફ ટીમના બેટ્સમેનને કંઇક એવી રીતે આઉટ કર્યો કે તમામ ચકિત થઇ ગયા હતા. માંકડે બોલિંગ કરતાં કરતાં ક્રિઝ સુધી પહોંચી બોલ ફેંક્યા વગર નોન સ્ટ્રાઇક તરફના સ્ટમ્પ ઉડાવી મૂક્યા હતા.
કાંગારૂ બેટ્સમેન બિલ બ્રાઉન બોલ ફેંકાયા પહેલા જ રન લેવાની ઉતાવળમાં ક્રિઝ છોડી ચૂક્યો હતો. માંકડે સ્ટમ્પ ઉડાવી રન આઉટની અપીલ કરી હતી, જેને અમ્પાયરે માન્ય રાખી હતી અને બેટ્સમેનને આઉટ આપ્યો હતો.
માંકડની આ હરકતની ઓસ્ટ્રલીયન મીડિયાએ ખૂબ આલોચના કરી હતી. જો કે દિગ્ગજ બેટ્સમેન ડોન બ્રેડમેન સહિત હરિફ ટીમના ઘણા ખેલાડીઓએ માંકડનો બચાવ કર્યો હતો. બાદમાં આઉટ કરવાની આ રીતને ક્રિકેટના નિયમોમાં સામેલ કરવામાં આવી હતી. જેને ‘માંકડેડ’ નામ આપવામાં આવ્યું હતું. ક્રિકેટના નિયમોની કલમ 42.15 અંતર્ગત માંકડેડનો સમાવેશ કરાયો છે.
કપિલ દેવે દોહરાવ્યો ઇતિહાસ
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે પણ દક્ષિણ આફ્રિકા સામે વન-ડેમાં માંકડનો ઇતિહાસ દોહરાવ્યો હતો. વર્ષ 1993માં થયેલા મુકાબલામાં કપિલ દેવે પીટર કર્સટનને ‘માંકડેડ’ કર્યો હતો.
*પાક.માં 2015 સુધી એક પણ ટૂર્નામેન્ટ નહીં
આઇસીસીએ સુરક્ષાના કારણોસર વર્ષ 2015 સુધી પાકિસ્તાનને એક પણ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટની યજમાની નહીં આપવાનો નિર્ણય કર્યો છે.
આઇસીસીએ વર્ષ 2015 સુધી યોજનારી ટૂર્નામેન્ટો અને તેના યજમાન દેશોના નામની આજે જાહેરાત કરી હતી. યજમાન દેશોની યાદીમાં પાકિસ્તાનનું નામ નથી. જ્યારે આઇસીસીએ શ્રીલંકા અને બાંગ્લાદેશને ક્રમશ 2012 તથા 2014ના
ટી-20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટની યજમાની સોંપી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ એજાજ બટ્ટ ઇચ્છતા હતા કે પાકિસ્તાનને વર્ષ 2012 બાદ આઇસીસી દ્વારા ઓછામાં ઓછી એક ટૂર્નામેન્ટની યજમાની સોંપવામાં આવે. પરંતુ આઇસીસીના સભ્યોએ તેમની આ માંગણીને નજરઅંદાજ કરી દીધી છે.
* HSBCએ રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ ખરીદી
એચએસબીસી હોલ્ડિંગ્સે બ્રિટન સરકારના 83% હિસ્સાવાળી રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ (આરબીએસ)ના ભારતમાં રિટેલ અને કોમર્શિયલ બેકિંગ વેપારને ખરીદશે.
એચએસબીસી તેના માટે વેપારની મૂડીના આધાર પર 950 લાખ રૂપિયા સુધીના પ્રીમિયની ચૂકવણી કરશે. આ સોદા આવતા વર્ષના પ્રથમ છ મહિના સુધીમાં થઇ જવાની ધારણા છે. આરબીએસના ભારતમાં 11 લાખ ગ્રાહક, 1800ની વધુ કર્મચારી અને 31 શાખાઓ છે. જ્યારે એચએસબીસીના ભારતમાં 20 લાખ ગ્રાહક અને દેશના 29 શહેરોમાં 50 શાખાઓ છે.
આરબીએસે પોતાના મુખ્ય વેપાર પર ધ્યાન આપવા માટે પોતાના સહયોગી વેપારને સમેટવાનો નિર્ણય લીધો છે. આ દિશામાં બેન્કે ભારતમાં પોતાનો વેપાર વેચવાની યોજના બનાવી છે. બેન્કે છેલ્લાં 14 મહિનામાં પોતાના 20 વેપારોને વેચીને 2.5 અરબ ડોલર એકત્ર કર્યા છે.
*લિન્ડસે સિંહણ જેવી છે!!!
હોલિવૂડ ફોટોગ્રાફર માર્કુસ કિલ્કોએ તાજેતરમાં જ લિન્ડસે લોહાન સાથે ફોટોશુટ કર્યુ હતું.
જૂન 29ના રોજ ડબલ એક્સોપઝરનું ફોટોશુટ લોહાને કર્યુ હતું.
લોહાન શૂટ માટે 11 કલાક મોડી આવી હતી. તેમ છતાં માર્કુસે તેનો બચાવ કર્યો છે.
માર્કુસે કહ્યું હતું કે, લોહાન એકદમ ખતરનાક છે. જાણે તે વાઈલ્ડ હોય તેમ લાગતું હતું.
માર્કુસે લોહાનની તુલના સિંહણ સાથે કરી છે. તેને કહ્યું હતું કે, તે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરતો હોય તેમ લાગ્યું હતું.
* મહિલાઓને જોઈને ઉત્તેજિત થઈ જાવ છું :
રાખીએ વિવાદોની મહારાણી છે. રાખી અને વિવાદ એકબીજાના પર્યાય છે. રાખીએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે બાયોસેક્સુઅલ છે.
ઈન્ટરવ્યૂમાં રાખીને પૂછવામાં આવ્યું હતું કે, શું તે લેસ્બિયન ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. તો તે થોડી ક્ષણો માટે ચૂપ રહી હતી પરંતુ થોડા સમય પછી તેણે કહ્યું હતું કે, લેસ્બિયન ભૂમિકા તેનો ડ્રિમ રોલ છે. તે હંમેશાથી સ્ત્રીઓ સાથે કામ કરવા માટે આતુર છે.
રાખીએ સ્વીકાર્યુ હતું કે, તે મહિલાઓને જોઈને ઉત્તેજિત થઈ જાય છે.
રાખીનું આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદન બોલિવૂડમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે, રાખી બીજીવાર સ્વંયવર યોજવા માંગે છે.
જો કે રાખી આમ પણ પ્રસિદ્ધિની ભૂખી છે અને તેણે પ્રસિદ્ધિ માટે જ આ પ્રકારનું નિવેદન આપ્યું હશે તેમ તેનો ભૂતકાળ જોતા લાગે છે....
*ટ્રાફિકની સમસ્યામાં દિલ્હી વિશ્વમાં પાંચમું
રોજિંદી મુસાફરી કરનારાઓના આરોગ્ય અને કાર્યક્ષમતા પર પ્રતિકૂળ અસર પડે છે
દિલ્હીમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સની પહેલાં જ એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા થોડાંક વર્ષોમાં જ્યાં ટ્રાફિકની સમસ્યા સૌથી બગડી છે તેવા વિશ્વના ૨૦ શહેરમાં દિલ્હી પાંચમા સ્થાને છે. આ ટ્રાફિકની સમસ્યાના કારણે રોજિંદી મુસાફરી કરનારા(કમ્યૂટર્સ)ના આરોગ્ય પર અને કાર્યક્ષમતા પર પ્રતિકૂળ અસર પડે છે.
આગામી મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ દરમિયાન વિશ્વભરના હજારો રમતવીરો અને વિદેશી પ્રવાસીઓ આવનારા છે તે દિલ્હી શહેરે, આઇબીએમની ‘કમ્યૂટર પેઇન સ્ટડી’માં ૧૦૦માંથી ૮૧ ગુણ મેળવ્યા છે. વિશ્વભરના આર્થિક રીતે મહત્વના એવા૨૦ શહેરમાં આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં ૮,૧૯૨ મોટરચાલકોના ઇન્ટરવ્યૂ લેવાયા હતા. જેમાંથી મોટાભાગનાએ જણાવ્યું હતું કે રોજિંદી મુસાફરી(ડેઇલી કમ્યૂટ) અગાઉ કરતાં વધુ લાંબી અને કંટાળાજનક બની ગઇ છે.
અભ્યાસ અનુસાર સૌથી ખરાબ ટ્રાફિક જામની સમસ્યા ધરાવતાં વિશ્વના ટોચના બે સ્થાને અનુક્રમે બેઇજિંગ અને મેક્સિકોનો સમાવેશ થાય છે. ‘કમ્યૂટર પેઇન ઇન્ડેક્ષ’માં આ બન્ને શહેરને ૧૦૦માંથી ૯૯ ગુણ મળ્યા છે. જ્યારે ૯૭ ગુણ સાથે જહોનિસબર્ગ કમ્યૂટર્સ માટે વિશ્વનું સૌથી ત્રીજું ખરાબ શહેર છે અને ૮૪ ગુણ સાથે રશિયાની રાજધાની મોસ્કો ચોથા સ્થાને છે.
રોજિંદી મુસાફરી માટે સૌથી ખરાબ શહેરોની યાદીમાં છઠ્ઠા ક્રમે બ્રાઝિલનું શહેર સાઓ પાઓલો છે તે પછીના ક્રમાંકમાં અનુક્રમે ઇટાલીનું મિલાન, આજેઁન્ટિનાની રાજધાની બ્યૂએનસ એરઝિ, સ્પેનની રાજધાની મેડ્રિડ અને લંડન શહેર આવે છે.
બીજી બાજુએ કમ્યૂટર્સ માટે શ્રેષ્ઠ શહેરોની ગણતરીમાં સ્વીડનની રાજધાની સ્ટોકહોમ સૌપ્રથમ સ્થાને છે. જ્યારે ‘પેઇન-ફ્રી રોડવે ટ્રાફિક’ની યાદીમાં મેલબોર્ન અને હ્યુસ્ટન જેવા શહેરોનો સમાવેશ થાય છે. અમેરિકાનાં શહેરો પર નજર કરીએ તો સૌથી ખરાબ ટ્રાફિકની દ્રષ્ટિએ પ્રથમ સ્થાને લોસ એન્જલસ શહેર છે. તે પછી ન્યૂ યોર્ક અને હ્યુસ્ટન છે.
ટ્રાફિકની સમસ્યા કમ્યૂટર્સના આરોગ્ય પર કેવી રીતે પ્રતિકૂળ અસર કરે છે તે બાબત પર પણ સર્વેમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે. સર્વેમાં ભાગ લેનારાઓમાંથી ૩૦ ટકા લોકો માને છે કે ટ્રાફિકના કારણે તનાવ વધે છે. ૨૭ ટકા લોકો માને છે ગુસ્સો વધે છે. જ્યારે૨૯ ટકા માને છે કે ટ્રાફિકની સમસ્યાથી શાળા અને કાર્યસ્થળ પર અનુક્રમે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની કામગીરી અવરોધાય છે.
*બોલો...કેદીએ વોર્ડનને ફટકાર્યો
મદુરાઇ સેન્ટ્રલ જેલના કેદીઓએ ઉશ્કેરાઇ જઇને વોર્ડન સાથે મારપીટ કરી હતી. જેના કારણે, વોર્ડનને ઇજાઓ પહોંચી હતી.
પોલીસ સુત્રોના કહેવા પ્રમાણે, વોર્ડન સલિમ બાદશાહને ફરિયાદ મળી હતીકે, માથા ભારે કેદી તિરૂમૂર્તિએ તેના સાથી કેદીઓનો કેટલોક સામાન પચાવી પાડ્યો હતો તથા તેમને ધમકી આપી હતી.
જ્યારે આ અંગે પૂછપરછ કરવા માટે સલિમ બાદશાહ તિરૂમૂર્તિ પાસે પહોંચ્યો ત્યારે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં તિરૂમૂર્તિએ ઉશ્કેરાઇ જઇને સલિમ બાદશાહના ચહેરા ઉપર મુક્કો માર્યો હતો. જેના કારણે, સલિમના ચહેરા પરથી લોહી વહેવા લાગ્યું હતું.
* મહિલા સાથે અડપલાં કરતાં જૈન અગ્રણી રંગેહાથ પકડાયા
વિઠ્ઠલપ્રેસ રોડ પર આધેડની જામેલી રંગતમાં પોલીસે ભંગ પાડ્યો
પોતાનાથી નાની ઉંમની મહિલા કે યુવતી સાથે કામલીલી ખેલવાના અભરખા સુરેન્દ્રનગરના જૈન અગ્રણીને ભારે પડી ગયા હતા. કામાંધ બનેલા આધેડ દુનિયાદારીનું ભાન ભૂલીને મહિલા સાથે જાહેર રસ્તા પર અડપલા કરતા ઝડપાઇ જતા ચકચાર ફેલાઇ છે.
કહેવાય છે કે, વાસના ભૂખ્યા વરૂઓ દુનિયાના તમામ રીતભાતને ભૂલી જતા હોય છે. આવા જ એક આધેડનો ભાંડો પોલીસે ફોડી દીધો છે.
સુરેન્દ્રનગર સિટી પી.આઇ.રવિરાજસહિ જાડેજા , પી.વી.ઝાલા, ધર્મેન્દ્રસિંહ ચૂડાસમા સહિતની પોલીસ ટીમ શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે શહેરમાં ટ્રાફિકથી ધમધમતા વિઠલપ્રેસ રોડ પર આવેલી શેરીનં. ૫ ની ગલીમાં બેસીને ૪૬ વર્ષના જૈન જીતેન્દ્રભાઇ લ-મીચંદ કોઇ સ્ત્રી સાથે અડપલા કરતા હતા. પોલીસની બાજ નજર તેમના પર પડતા પોલીસ અચાનક જીતેન્દ્રભાઇ પાસે ઘસી જતાની સાથે મિનિટોના સમયમાં જીતેન્દ્રભાઇનો કામનો ઉભરો શાંત થઇને પોપટની જેમ વાતો કરવા લાગ્યા હતા. સાથે રહેલી મહિલાની પૂછપરછ કરતા તે અમદાવાદ વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી ગીતાબેન કમસભાઇ ભીલ્લા હોવાનુ જણાવ્યુ હતુ.
અહીયા તે શા માટે આવી તે વિશે પુછપરછ કરતા ગીતાબેન જવાબ આપવામાં ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા. આથી પોલીસે બંનેની ધરપકડ કરીને જાહેરમાં બિભત્સ ચેનચાળા કરવાનો ગુનો દાખલ કર્યો હતો. પરંતુ એક જૈન અગ્રણી જાહેરમાં અડપલા કરતા પકડાયાના સમાચાર વાયુ વેગે શહેરમાં ફેલાતા અનેક અટકળો ફેલાઇ હતી. આ બનાવને પગલે શહેરમાં ચકચાર ફેલાઇ છે.
*ટૂંક સમયમાં નાના LPG સિલિન્ડર મળશે
એલપીજીના કોમર્શિયલ સિલિન્ડરના લિસ્ટમાં 5 કિલોગ્રામવાળા સિલિન્ડરને પણ જોડવામાં આવી રહ્યા છે. હાલમાં તો તેની શરૂઆત કેટલાંક શહેરોમાં પાયલોટ પ્રોજેક્ટના રૂપમાં કરવામાં આવી રહી છે. અંદાજે ત્રણ મહિના બાદ દેશભરમાં તેને લાગૂ કરી દેવાશે. ત્યારબાદ જે વિસ્તારોમાં સ્થાનિક સ્તરે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ત્યારે તે પણ કોમર્શિયલ કિંમતો પર મળશે.
પેટ્રોલિયમ મંત્રાલયના એક અધિકારીના મતે આત્યારસુધી પહાડી અને કેટલાંક ગ્રામીણ ક્ષેત્રો માટે પ કિલોગ્રામવાળા સિલિન્ડર સ્થાનિક સ્તરે ઉપયોગ માટે આપવામાં આવતા હતા. પરંતુ તેનો રિસ્પોન્સ કંઇ સારો ન મળ્યો. કેલ કંપનીઓને આ સિલિન્ડર વેચતા ખોટ જઇ રહી હતી. પહેલા પહાડી વિસ્તારો માટે માનવામાં આવી રહ્યું હતું કે તેઓને વધુ વજનવાળા સિલિન્ડર લઇ જવામાં પરેશાની થશે. પરંતુ સર્વે કરવામાં આવ્યો તો ખબર પડી કે ત્યાનં લોકો આનાથી પણ વજનદાર વસ્તુઓ પહાડી રસ્તા પરથી ઘરે લઇ જાય છે.
જે વિસ્તારોમાં આ સિલિન્ડર ગેસ એજન્સીઓ પર મળી રહ્યો ન હતો ત્યાં ખુલ્લા બજારમાં તેને વેચવા લાગ્યા. જે લોકો આ સિલિન્ડરને બનાવી રહ્યા હતા, તેઓ તેની સુરક્ષાના કરાર કરી રહ્યા હતા. એવામાં તેલ કંપનીઓની વિચારણા પર મંત્રાલયે તેને ઓપન માર્કેટમાં કોમર્શયિલ રૂપમાં લોન્ચ કરવાનું મન બનાવ્યું.
પ્રથમ તબક્કામાં તેની શરૂઆત મુંબઇ, હૈદ્રાબાદ, બેગલુરૂ, કોલકત્તા, લખનૌ, પટના, ગુવાહાટી, રાંચી અને ભુવનેશ્વરથી કરવામાં આવી રહી છે. ત્રણ મહિના બાદ દેશભરમાં તેને ડોમેસ્ટિક કિંમતો પર આપવાનું બંધ કરીને કોમર્શિયલ દરો પર વેચવાનું શરૂ કરી દેવાશે. અધિકારીએ કહ્યું કે જે ગ્રાહકો પાસે આવા સિલિન્ડર છે તેમણે આગ્રહ કરવામાં આવશે કે તેઓ તેમના વિસ્તારની સંબંધિત ગેસ એજન્સીમાં જમા કરાવી દે. તેના બદલામાં તેમણે જે કિંમત સિક્યોરિટીના રૂપમાં જમા કરાવી છે તે તેમને ત્યાંથી પરત મળી જશે. તેના પરથી ફાયદો એ થશે કે તેલ કંપનીઓને ખબર પડશે કે તેમની પાસે અત્યારે આવા કેટલાં સિલિન્ડર છે અને કેટલાં સિલિન્ડરનું તેમને મેન્યુફેકચરિંગ કરવું પડશે.
અધિકારીએ કહ્યું કે કન્ઝયુમર્સને મળનાર સિલિન્ડરોનો કલર બદલી દેવાશે અને જે નવા સિલિન્ડર આવશે તેનો સિલિન્ડર પણ કોમર્શિયલ સિલિન્ડર જેવો કરાશે. હાલમાં ગેસ એજન્સીઓ પાસે કોમર્શિયલ સિલિન્ડરના રૂપમાં 19 કિલોગ્રામવાળો સિલિન્ડર છે. પરંતુ રેડહી અને રસ્તા પર બજાર લગાવનાર દુકાનદારો સહિત વીકલી બજાર વાળાઓ માટે આવા સિલિન્ડરની જરૂરિયાત મહસૂસ કરવામાં આવી રહી હતી. તેલ કંપનીઓને આશા છે કે તેમને સારો રિસ્પોન્સ મળશે અને ઘણા કન્ઝયુમર્સ તેમના પેટ્રોમેક્સ અને બીજી જરૂરિયાતો પૂરી કરવા માટે ખરીદશે.
* કામવાળીને ગોંધી રાખી ડામ દીધાના આક્ષેપોથી હોબાળો
વૈકુંઠ સોસાયટીનો મામલો આખરે પોલીસમાં પહોંચ્યો
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી વૈકુંઠ સોસાયટીમાં રહેતા એક પરિવારે તેમની ત્યાં કામ કરતી છોકરીને ગોંધી રાખી હોવાના બનાવથી હોબાળો મચી જતાં આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
વૈકુંઠ સોસાયટીમાં રહેતા વેપારી પરિવારને ત્યાં કામ કરતી મહિલા ઘરમાંથી ચોરી કરીને જતી રહી હોવાની આશંકા વેપારી પરિવારને હતી. જેથી મહિલાની ૧૮ વર્ષીય છોકરીને કામ કરવા માટે તેમના ઘરે લઇ આવ્યા હતા. ઘરે લાવ્યા બાદ દિવસો સુધી આ છોકરીને ઘરમાં જ ગોંધી રાખી હોવાની વિગતો સપાટી ઉપર આવતાં હોબાળો મચી ગયો હતો.
આ બનાવને પગલે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસ મથકમાં આવ્યા બાદ છોકરીએ પોલીસ સમક્ષ પોતાને મહિનાઓથી કામ પર ગોંધી રાખી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત શરીરે ડામ પણ દીધાના આક્ષેપો કર્યા હતા. આ બનાવ અંગે મોડી રાતે કશિનવાડી પોલીસે ફરિયાદ નોંધાવાની કાર્યવાહી હાથ ધરી હતી.
*મહિલા સાથે મૈત્રીકરાર કરી યુવકનો વારંવાર બળાત્કાર
શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતી મહિલાએ તેની સાથે મૈત્રીકરાર કરનાર યુવકે તેની પર વારંવાર બળાત્કાર ગુજાર્યોહોવાની તેમજ યુવકના પિતાએ પણ પુત્રના બદલે તેની સાથે સંબંધ રાખવા માટેદબાણ અને છેડતી કરી તેને ધમકી આપી હોવા અંગેની મહિલાએ સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ફતેગંજ વિસ્તારમાં દીપકનગરમાં રહેતી ગીતા ઉર્ફ રૂપાલી રસિકલાલ સોનીની તેમજ તેના ઘરમાંથી ઝડપાયેલા રૂબિન લક્ષ્મીકાંત શાહ (જય સંતોષીનગર કારેલીબાગ) અને ઓરિસ્સાની એક રૂપલલનાની તાજેતરમાં ડીસીબી પોલીસે દેહવિક્રયના ગુના હેઠળ ધરપકડ કરી હતી.
દરમિયાન ગીતાએ સયાજીગંજ પોલીસ મથકે ગઈ કાલે રૂબિન તેમજ તેના પિતા લક્ષ્મીકાંત સામે એવી ફરિયાદ નોંધાવી હતી કે કલ્યાણ હોટલ સામે ગીતા ઓઈલ ડેપો નામની તેલની દુકાન ધરાવતાં લક્ષ્મીકાંત શાહ અને તેમના પુત્ર રૂબિન સાથે તેલ ખરીદી માટે જતાં પરિચય થયો હતો. રૂબિન તેના ઘરે અવારનવાર આવતો હોઈ તેણે મૈત્રીકરાર કરી તેમજ લગ#ની લાલચ આપી તેની પર અવારનવાર બળાત્કાર કર્યો હતો. થોડાક સમય અગાઉ રૂબિનની પોલીસે ધરપકડ કરતાં તેને તેના પિતાએ ઘરમાંથી કાઢી મૂકયો હતો અને તે ગીતાના ઘરે મોટા ભાગે રહેતો હતો.
દરમિયાન રૂબિનના પિતાએ બદદાનત રાખી ગીતાને તેમની સાથે સંબંધ રાખવા દબાણ કર્યુ હતું. ગીતાએ તે પિતાની ઉંમરના છે માટે તેમની સાથે સંબંધ રાખવાનો ઈન્કાર કરતાં તેમણે તેની છેડતી કરી તેને બદનામ કરવાની અનેતેની બંને પુત્રીઓને ઉઠાવી જવાની ધમકી આપી હતી. ગીતાએ સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પિતા-પુત્ર સામે બળાત્કાર અને ધમકીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
*અમેરિકન સમાચારપત્રો 40 વર્ષોમાં લુપ્ત થઈ જશે
અમેરિકામાં હાલમાં થયેલા એક સર્વે પ્રમાણે લોકોમાં સમાચારપત્રોને લઈને એટલી ઉત્સુકતા દેખાઈ રહી નથી, જેટલી એક સમયે દેખાતી હતી. સર્વે અનુસાર 64 ટકા અમેરિકન લોકોનું માનવું છે કે વર્ષ 2050 સુધી દેશમાં સમાચારપત્રોનું અસ્તીત્વ જ ન રહે. આ સર્વેમાં સમાવવામાં આવેલા લોકો ભવિષ્યમાં યુદ્ધ અને આતંકવાદી હુમલાની આશંકાથી ભયભીત જણાયા.
આ ભવિષ્યવાણી માત્ર સમાચાર પત્રોના અસ્તિત્વને જ નહી પરંતુ બિન ડિજિટલવાળી દરેક વસ્તુઓ પર આ ગાજ આવવાની ભીતિ વ્યક્ત કરી હતી. લગભગ 63 ટકા લોકોનું માનવું છે કે 2050 સુધી ‘પેપર મની’નું ચલણ પણ ખતમ થઈ જશે. આ સમય ગાળામાં કોઈ પણ વ્યક્તિ એકબીજાને પત્ર લખશે નહી. લોકોની ભવિષ્યવાણી સાચી પણ લાગી રહી છે કારણ કે અમેરિકન ટપાલ ખાતુ હાલમાં મૂશ્કેલીઓના દોરમાંથી પસાર થઈ રહ્યું છે.
સર્વે અનુસાર 53 ટકા લોકોનું માનવું છે કે 2050 સુધી સાધારણ વ્યક્તિ પણ અવકાશની મુસાફરી કરી શકશે. આટલા જ લોકોનું માનવું છે કે અમેરિકામાં પરમાણું આતંકવાદી હુમલો થઈ શકે છે. લોકોનું માનવું છે કે સમાજમાં આવી રહેલ પરિવર્તનનો પ્રથમ શિકાર સમાચારપત્ર જ બનશે.
હેકરથી જી-મેલને કેમ બચાવશો ?
જો તમે જી-મેલ એકાઉન્ટનો ઉપયોગ કરો છો તો, હેકિંગથી બચવા માટે તમારે પોતાની લોગ-ઇન એક્ટિવિટીસ યાદ રાખવી જોઇએ. જો ન હોય તો, જી-મેલ ખોલીને પાનાના સૌથી છેલ્લે જુઓ. ત્યાં અગાઉના એક્સેસનો સમય અને તારીખ હશે. સાથે જ આઇપી એડ્રેસ અને ડેટાનો પણ ઉલ્લેખ હશે. એ આઇપી એડ્રેસથી તમે હેકરનું લોકેશન પણ જાણી શકશો.
જી-મેલ એક્સેસ કર્યા બાદ તમારે લોગ-ઇન ટાઇમ અને તારીખ યાદ રાખવી પડશે. તેનાથી પણ હેકિંગ શોધી શકાય છે. જો તમે ઘર અને ઓફિસ બન્ને જગ્યા લોગ-ઇન છો તો, તેને પણ શોધી શકાશે. હેકની શંકા થાય તો, પાસવર્ડ તાકીદે બદલી નાખવો જોઇએ.
*ફોક્સે ભારતમાં સાત નવી ચેનલ શરૂ કરી
ફોક્સ ઈન્ટરનેશનલ ચેનલ્સે ભારતમાં સાત નવી ચેનલ્સની શરૂઆત કરી છે. આ ચેનલ્સમાં એક એક્સ, એનજીસી એચડી, એનજી વાઈલ્ડ, ફોક્સ ક્રાઈમ, એનજી એડવેંચર, એનજી મ્યૂઝિક અને બેબી ટીવીનો સમાવેશ થાય છે. આ ચેનલ્સ દેશમાં ડીટીએચ ડિઝિટલ અને એનાલોગ કેબલ પરથી જોઈ શકાશે. ટેપ રૂટ સાત ચેનલોની ક્રિએટિવ એજન્સી હશે. જ્યારે મીડિયા એજન્સીનું નામ ગ્રૂપ એમને સોંપવામાં આવ્યું છે.
એનજી વાઈલ્ડ અને એનજી એડવેંચર સન ડાયરેક્ટ ડીટીએચ પર દેખાશે, જ્યારે એફએક્સ અને ફોક્સ ક્રાઈમ સન ડાયરેક્ટ ડીટીએચ અને ટાટા સ્કાય પર જોઈ શકાશે. એનજી મ્યૂઝિક અને બેબી ટીવી ડીટીએચ પર ઉપલબ્ધ થશે. એનજીસી એચડી બધી જ હાય ડેફિનેશન ડીટીએચ પ્લેટફોર્મ જેવી ડિશ ટૂ એચ ડી, ટાટા સ્કાય, બિગ ટીવી, એરટેલ ડિઝિટલ ડિજિટલ ટીવી અને સન ડાયરેક્ટ પર ઉપલબ્ધ થશે.
ફોક્સ ઈંટરનેશનલ ઈન્ડિયાના સંચાલક નિદેશક કિર્તન આદ્યાંથાયાએ જણાવ્યું કે ‘ આ ચેનલ્સને ભારતમાં લાવીને અમારે દર્શકોના એક મોટા વર્ગ સુધી પહોંચવાની મહેચ્છા છે. દર્શકોને તેના દ્વારા ક્રાઈમથી લઈને કોમેડી, તેમજ એડવેંચરથી લઈને મ્યૂઝિક અને ફિક્શનથી લઈને વાસ્તવિક કન્ટેન્ટ શોને જોવાની તક મળશે.
એફટીસી એ ફોક્સ ઈંટરનેશનલ સમૂહની એક સહભાગી એકમ છે, જે રુપર્ટ મર્ડોકે ન્યૂઝ કોર્પોરેશનનો એક ભાગ છે. ફોક્સ ઈંટરનેશનલ ચેનલ્સનું પ્રસારણ યૂરોપ, એશિયા લેટિન અમેરિકા, અને આફ્રીકાના દેશોમાં થાય છે.
* મોદી સરકાર સામે કોંગ્રેસની ચૂંટણી પંચમાં ધા
ગુજરાતની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા મતદાર યાદીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ કરી છે.
કોંગ્રેસના ગુજરાત પ્રભારી બી. કે. હરિપ્રસાદના કહેવા પ્રમાણે કેટલાક મતક્ષેત્રોમાં લગભગ સાત હજાર જેટલા મતદારોને બે-બે વખત દર્શાવવામાં આવી રહ્યાં છે. તેમના કહેવા પ્રમાણે, મોટાપાયા પર ગેરરીતિઓ આચરવામાં આવી છે.
બી. કે. હરિપ્રસાદ ઉપરાંત ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહીલ, એઆઇસીસીના સચિવ પી. સુધાકર રેડ્ડી, રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ સિદ્ધાર્થ પરમાર અને કોંગ્રેસના પ્રવકતા મનિષ તિવારી સહિતનું એક પ્રતિનિધિ મંડળ મુખ્ય ચૂંટણી અધિકારી નવિન ચાવલાને મળ્યું હતું.
તેમણે મતદાર યાદીની તત્કાળ પુનઃચકાસણી કરવા માગ કરી હતી. ઉપરાંત સ્થાનિક ચૂંટણીઓ દરમિયાન ઇ-વોટિંગ નહીં કરવા દેવા ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી હતી. શક્તિસિંહે દાવો કર્યો હતોકે લગભગ ત્રીસ લાખ જેટલા નકલી મતદારોના નામ સામેલ કરવામાં આવ્યા છે. જેના કારણે, નિષ્પક્ષ મતદાનની શક્યતા નહિવત થઇ જાય છે.
*UKમાં હવે શિખોની પાગડીની તલાશી નહીં લેવાય
બ્રિટનના એરપોર્ટ પર હવેથી શિખોની પાગડીની તલાશી લેવામાં નહી આવે. બ્રિટનના એરપોર્ટ પર અત્યાર સુધી સુરક્ષાને ધ્યાનમાં રાખીને શિખોની પાગડીની તલાશી લેવામાં આવતી હતી. પરંતુ શિખોના વિરોધ બાદ બ્રિટન સરકારે એરપોર્ટ પર શિખોની પાગડીની તપાસ નહીં કરવાનો નિર્ણય લીધો છે. શિખોએ કહ્યું હતું કે પાગડીની તલાશી તેના ધર્મની વિરુદ્ધ છે.
બ્રિટનમાં શિખોના ધાર્મિક નેતાઓ દ્વારા અહીંના ટ્રાન્સપોર્ટ વિભાગ પર દબાણ કરીને એરપોર્ટ પર આ પ્રકારની તલાશી ન લેવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. નોંધનીય છે કે એરપોર્ટ પર લગાવવામાં આવેલા બોડી સ્કેનરમાંથી પસાર થતી વખતે તેમાં લગાવવામાં આવેલું એલાર્મ વાગી જતું હતું. જેના કારણે સુરક્ષા અધિકારીઓ શિખોની પાગડીની તલાશી લેતા હતાં.
બર્મિંગહામ ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે મંગળવારે ટ્રાન્સપોર્ટ વિભાગે યૂકેના તમામ એરપોર્ટને ધાર્મિક ભાવનાઓને ધ્યાનમાં રાખીને શિખોની પાગડીની તપાસ નહીં કરવાનો આદેશ કર્યો છે.
*આફ્રીકનો કરે છે હિન્દુ મંદિરમાં પૂજા અર્ચના
આફ્રીકાના દેશ ઘાનમાં એક એવું હિન્દુ મંદિર છે, જ્યાં આફ્રિકન લોકો દ્વારા પૂજા કરવામાં આવે છે. ખાસ વાત તો એ છે કે આ મંદિરના શ્રદ્ધાળુઓનો ભારત સાથે કોઈ નાતો નથી, તેમજ તેઓ ક્યારેય ભારત પણ આવ્યા નથી.
ઘાનાની રાજધાની અકરાના બહારના વિસ્તારમાં આવેલા આ મંદિરના ઉપરના ભાગે ‘ઓમ’ લખેલું છે. મંદિરમાં ચારેકોર હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. તેમજ મંદિરમાં પરંપરાગત ભારતીય ધાર્મિક વિધી પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવે છે. આ મંદિરમાં આવતા મોટા ભાગના શ્રદ્ધાળુઓએ ધર્મ પરિવર્તન કરીને હિન્દુ ધર્મ અપનાવી લીધો છે.
અહીં આવતા શ્રદ્ધાળુઓએ પોતાના બાળકોના નામ પણ રામ અને કૃષ્ણ રાખવાનું શરૂ કરી દીધું છે. મંદિરમાં દરરોજ સાંજે પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યાર બાદ ભક્તોને પ્રસાદ આપવામાં આવે છે. પ્રસાદ આપ્યા બાદ મંદિરના પૂજારી સ્વામી ધનાનંદ સરસ્વતી લોકોને હિન્દુ ધર્મના દર્શન બાબતે ઉપદેશ આપે છે.
સ્વામી ધનાનંદે જ 1975ના વર્ષમાં સૌપ્રથમ આફ્રિકી હિન્દુ મંદિરની સ્થાપના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મારું સાચું નામ ગાઈડ છે. મારા માતા પિતા ઈસાઈ છે. હું નાનો હતો ત્યારથી બ્રહ્માંડના અજ્ઞાત રહસ્યો વિશે વિચારતો હતો. આ સમય દરમિયાન મેં હિન્દુ ધર્મના અમુક પુસ્તકો વાંચ્યા હતાં. ત્યાર બાદ મારા જીવનની નવી યાત્રા શરૂ થઈ હતી.
* જવાનોના મોત મનમોહનના શિરે : માઓવાદીઓ
છત્તીસગઢના નારાયણપુરમાં માઓવાદીઓ દ્વારા સીઆરપીએફના જવાનોની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 28 જવાનો શહીદ થયા હતા. ત્યારે માઓવાદીઓએ દાવો કર્યો છેકે, તેમણે મૃત જવાનોના હથિયારો લૂંટી લીધા હતા.
સીપીઆઇએમ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે, સીઆરપીએફના 27 જવાનોના મોત અને આઠની ઇજાઓ માટે યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી, વડાપ્રધાન મનમોહનસિંઘ, ગૃહપ્રધાન ચિદમ્બરમ, રાજ્યના મુખ્યપ્રધાન રમણસિંહ જવાબદાર છે. કારણકે, નિર્દોષ આદિવાસીઓ ઉપર ઓપરેશન ગ્રીન હન્ટના નામે અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. આથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
માઓવાદીઓએ સ્વીકાર કર્યો છેકે, જવાનો પાસેથી આઠ એકે-47 રાઇફલો, આઠ ઇન્સાસ રાઇફલો, ત્રણ એસએલઆર અને બે એલએમજી સહિત કુલ 28 આધુનિક હથિયારો તેમણે લૂંટ્યા છે. તેમણે કબુલ કર્યું છેકે, આ કાર્યવાહીમાં સીપીઆઇના ત્રણ કેડરના મોત થયા છે.
*‘CRPFને ચાલતા શીખવવાનું ન હોય’
છત્તિસગઢમાં વારંવાર થઇ રહેલા નક્સલવાદી હુમલાઓના કારણે સુરક્ષાબળો નિરાશ થઇ ગયા છે. જેના કારણે અધિકારીઓ દોષનો ટોપલો એક બીજા ઉપર ઢોળી રહ્યાં છે. મંગળવારે નક્સલવાદી હુમલામાં માર્યા ગયેલા સીઆરપીએફના જવાનોના મુદ્દે પણ આવું જ થઇ રહ્યું છે.
છત્તિસગઢના ડીજીપી વિશ્વરંજને મંગળવારની ઘટના માટે સીઆરપીએફને જવાબદાર ઠેરવી છે. તેમના કહેવા પ્રમાણે, સીઆરપીએફ દ્વારા પાયાની કાળજી પણ રાખવામાં નથી આવતી. જેના કારણે આ પ્રકારના બનાવો બને છે. તેમણે ઉમેર્યું હતુંકે, રાજ્ય પોલીસે કાંઇ તેમને ચાલતા શીખવવાનું ન હોય.
બીજી બાજુ, સીઆરપીએફનું કહેવું છેકે, તેના વિશેષ તાલિમ પ્રાપ્ત આઠ હજાર જવાનો રાજ્યમાં હાજર છે. પરંતુ, તેમને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત કરવામાં નથી આવતા.
આ તરફ કેન્દ્ર સરકારે દરમિયાનગીરી કરી છે અને સીઆરપીએફ તથા રાજ્ય સરકારને તાકિદ કરી છેકે, તેઓ નક્સલવાદીઓ સામેના ઓપરેશન્સ દરમિયાન સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસીજરને અનુસરે.
* ઓબામા 15માં સર્વેશ્રેષ્ઠ રાષ્ટ્રપતિ
અમેરિકામાં ગઈ રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ વર્તમાન રાષ્ટ્રપતિ ઓબામાની લોકપ્રિયતા ભલે ચરમ પર રહી હોય, પરંતુ અમેરિકાના તમામ રાષ્ટ્રપતિની લોકપ્રિયતા બહાર પાડવામાં આવેલી યાદીમાં ઓબામાં 15માં સ્થાને રહ્યા છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં ફ્રેન્કલિન રુઝવેલ્ટને અમેરિકાના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિમાં ટોંચના સ્થાને રહ્યા છે.
અમેરિકાની કોલેજ ઓફ યુનિવર્સિટી દ્વારા કરાવવામાં આવેલા સર્વેમાં ઓબામા બિલ ક્લિન્ટનથી પણ પાછળ છે. આ સર્વેમાં રાષ્ટ્રપતિ પર શોધ કરનારા 238 વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા હતાં. સર્વેના જણાવ્યા પ્રમાણે લોકપ્રિયતાની યાદીમાં રુઝવેલ્ટનું નામ સૌથી ઉપર છે. જ્યારે બરાક ઓબામા 15માં સ્થાને છે, ઓબામા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને રાગનથી પણ પાછળ છે. ક્લિન્ટન યાદીમાં 13માં નંબરે છે. જ્યારે રુઝવેલ્ટ 1982થી આ યાદીમાં ટોંચ પર રહ્યા છે.
નોંધનીય છે કે 1982થી દર વર્ષે આ સર્વે કરવામાં આવે છે. રુઝવેલ્ટ બાદ માઉન્ટ રસમોર, અબ્રાહમ લિંકન, જ્યોર્જ વોશિંગ્ટન અને થોમસ ઝેફર્સન અનુક્રમે, બીજા, ત્રીજા, ચોથા અને પાંચમાં સ્થાને છે.
જો કે છેલ્લા 28 વર્ષથી કરવામાં આવતા આ સર્વેમાં ઓબામાએ તેના પૂર્વગામી જ્યોર્જ બુશને પછાડ્યા છે. બુશને આ યાદીમાં 39મું સ્થાન મળ્યું છે. તેમજ તેનું નામ અમેરિકાના સૌથી ખરાબ રાષ્ટ્રપતિની યાદીમાં સામેલ છે. રાષ્ટ્રપતિઓની કલ્પનાશીલતા, કોમ્યુનિકેશન સ્કિલ, બુદ્ધિમતાને આધાર બનાવીને આ યાદી તૈયાર કરવામાં આવી છે.
*જ્યારે માંકડનો અંદાજ-એ-આઉટ બન્યો ક્રિકેટનો નિયમ
ક્રિકેટ જગતમાં ખેલાડીઓ દ્વારા અસભ્ય વર્તન હવે કોઇ નવી વાત નથી રહી. હાલમાં જ ટેસ્ટ મેચ દરમિયાન દક્ષિણ આફ્રિકાના ખેલાડી ડેલ સ્ટેને વેસ્ટ ઇન્ડિઝના બોલર સુલેમાન બેન તરફ થૂંકી ખાસ્સી ચર્ચા જગાવી હતી.
પરંતુ ક્રિકેટમાં એવી પણ કેટલીક ક્ષણો આવી હતી, જેને પહેલા ખરાબ ગણી વખોડવામાં આવી હતી અને બાદમાં આઇસીસીના નિયમના રૂપમાં ફેરવી નંખાઇ હતી. આવો જ એક કિસ્સો ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર વીનુ માંકડ સાથે જોડાયેલો છે.
વીનુ માંકડે અનોખી રીતે હરિફ ટીમના ખેલાડીઓને આઉટ કરવાની શરૂઆત કરી હતી. ડિસેમ્બર 1947માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ટીમ ઇન્ડિયાનો આ કિસ્સો ખૂબ મશહુર છે.
બન્યું એવું હતું કે ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ સિડની ટેસ્ટમાં ભારતીય બોલર વીનુ માંકડે હરિફ ટીમના બેટ્સમેનને કંઇક એવી રીતે આઉટ કર્યો કે તમામ ચકિત થઇ ગયા હતા. માંકડે બોલિંગ કરતાં કરતાં ક્રિઝ સુધી પહોંચી બોલ ફેંક્યા વગર નોન સ્ટ્રાઇક તરફના સ્ટમ્પ ઉડાવી મૂક્યા હતા.
કાંગારૂ બેટ્સમેન બિલ બ્રાઉન બોલ ફેંકાયા પહેલા જ રન લેવાની ઉતાવળમાં ક્રિઝ છોડી ચૂક્યો હતો. માંકડે સ્ટમ્પ ઉડાવી રન આઉટની અપીલ કરી હતી, જેને અમ્પાયરે માન્ય રાખી હતી અને બેટ્સમેનને આઉટ આપ્યો હતો.
માંકડની આ હરકતની ઓસ્ટ્રલીયન મીડિયાએ ખૂબ આલોચના કરી હતી. જો કે દિગ્ગજ બેટ્સમેન ડોન બ્રેડમેન સહિત હરિફ ટીમના ઘણા ખેલાડીઓએ માંકડનો બચાવ કર્યો હતો. બાદમાં આઉટ કરવાની આ રીતને ક્રિકેટના નિયમોમાં સામેલ કરવામાં આવી હતી. જેને ‘માંકડેડ’ નામ આપવામાં આવ્યું હતું. ક્રિકેટના નિયમોની કલમ 42.15 અંતર્ગત માંકડેડનો સમાવેશ કરાયો છે.
કપિલ દેવે દોહરાવ્યો ઇતિહાસ
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે પણ દક્ષિણ આફ્રિકા સામે વન-ડેમાં માંકડનો ઇતિહાસ દોહરાવ્યો હતો. વર્ષ 1993માં થયેલા મુકાબલામાં કપિલ દેવે પીટર કર્સટનને ‘માંકડેડ’ કર્યો હતો.
*પાક.માં 2015 સુધી એક પણ ટૂર્નામેન્ટ નહીં
આઇસીસીએ સુરક્ષાના કારણોસર વર્ષ 2015 સુધી પાકિસ્તાનને એક પણ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટની યજમાની નહીં આપવાનો નિર્ણય કર્યો છે.
આઇસીસીએ વર્ષ 2015 સુધી યોજનારી ટૂર્નામેન્ટો અને તેના યજમાન દેશોના નામની આજે જાહેરાત કરી હતી. યજમાન દેશોની યાદીમાં પાકિસ્તાનનું નામ નથી. જ્યારે આઇસીસીએ શ્રીલંકા અને બાંગ્લાદેશને ક્રમશ 2012 તથા 2014ના
ટી-20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટની યજમાની સોંપી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ એજાજ બટ્ટ ઇચ્છતા હતા કે પાકિસ્તાનને વર્ષ 2012 બાદ આઇસીસી દ્વારા ઓછામાં ઓછી એક ટૂર્નામેન્ટની યજમાની સોંપવામાં આવે. પરંતુ આઇસીસીના સભ્યોએ તેમની આ માંગણીને નજરઅંદાજ કરી દીધી છે.
* HSBCએ રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ ખરીદી
એચએસબીસી હોલ્ડિંગ્સે બ્રિટન સરકારના 83% હિસ્સાવાળી રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ (આરબીએસ)ના ભારતમાં રિટેલ અને કોમર્શિયલ બેકિંગ વેપારને ખરીદશે.
એચએસબીસી તેના માટે વેપારની મૂડીના આધાર પર 950 લાખ રૂપિયા સુધીના પ્રીમિયની ચૂકવણી કરશે. આ સોદા આવતા વર્ષના પ્રથમ છ મહિના સુધીમાં થઇ જવાની ધારણા છે. આરબીએસના ભારતમાં 11 લાખ ગ્રાહક, 1800ની વધુ કર્મચારી અને 31 શાખાઓ છે. જ્યારે એચએસબીસીના ભારતમાં 20 લાખ ગ્રાહક અને દેશના 29 શહેરોમાં 50 શાખાઓ છે.
આરબીએસે પોતાના મુખ્ય વેપાર પર ધ્યાન આપવા માટે પોતાના સહયોગી વેપારને સમેટવાનો નિર્ણય લીધો છે. આ દિશામાં બેન્કે ભારતમાં પોતાનો વેપાર વેચવાની યોજના બનાવી છે. બેન્કે છેલ્લાં 14 મહિનામાં પોતાના 20 વેપારોને વેચીને 2.5 અરબ ડોલર એકત્ર કર્યા છે.
*લિન્ડસે સિંહણ જેવી છે!!!
હોલિવૂડ ફોટોગ્રાફર માર્કુસ કિલ્કોએ તાજેતરમાં જ લિન્ડસે લોહાન સાથે ફોટોશુટ કર્યુ હતું.
જૂન 29ના રોજ ડબલ એક્સોપઝરનું ફોટોશુટ લોહાને કર્યુ હતું.
લોહાન શૂટ માટે 11 કલાક મોડી આવી હતી. તેમ છતાં માર્કુસે તેનો બચાવ કર્યો છે.
માર્કુસે કહ્યું હતું કે, લોહાન એકદમ ખતરનાક છે. જાણે તે વાઈલ્ડ હોય તેમ લાગતું હતું.
માર્કુસે લોહાનની તુલના સિંહણ સાથે કરી છે. તેને કહ્યું હતું કે, તે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરતો હોય તેમ લાગ્યું હતું.
* મહિલાઓને જોઈને ઉત્તેજિત થઈ જાવ છું :
રાખીએ વિવાદોની મહારાણી છે. રાખી અને વિવાદ એકબીજાના પર્યાય છે. રાખીએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે બાયોસેક્સુઅલ છે.
ઈન્ટરવ્યૂમાં રાખીને પૂછવામાં આવ્યું હતું કે, શું તે લેસ્બિયન ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. તો તે થોડી ક્ષણો માટે ચૂપ રહી હતી પરંતુ થોડા સમય પછી તેણે કહ્યું હતું કે, લેસ્બિયન ભૂમિકા તેનો ડ્રિમ રોલ છે. તે હંમેશાથી સ્ત્રીઓ સાથે કામ કરવા માટે આતુર છે.
રાખીએ સ્વીકાર્યુ હતું કે, તે મહિલાઓને જોઈને ઉત્તેજિત થઈ જાય છે.
રાખીનું આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદન બોલિવૂડમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે, રાખી બીજીવાર સ્વંયવર યોજવા માંગે છે.
જો કે રાખી આમ પણ પ્રસિદ્ધિની ભૂખી છે અને તેણે પ્રસિદ્ધિ માટે જ આ પ્રકારનું નિવેદન આપ્યું હશે તેમ તેનો ભૂતકાળ જોતા લાગે છે....
*ટ્રાફિકની સમસ્યામાં દિલ્હી વિશ્વમાં પાંચમું
રોજિંદી મુસાફરી કરનારાઓના આરોગ્ય અને કાર્યક્ષમતા પર પ્રતિકૂળ અસર પડે છે
દિલ્હીમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સની પહેલાં જ એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા થોડાંક વર્ષોમાં જ્યાં ટ્રાફિકની સમસ્યા સૌથી બગડી છે તેવા વિશ્વના ૨૦ શહેરમાં દિલ્હી પાંચમા સ્થાને છે. આ ટ્રાફિકની સમસ્યાના કારણે રોજિંદી મુસાફરી કરનારા(કમ્યૂટર્સ)ના આરોગ્ય પર અને કાર્યક્ષમતા પર પ્રતિકૂળ અસર પડે છે.
આગામી મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ દરમિયાન વિશ્વભરના હજારો રમતવીરો અને વિદેશી પ્રવાસીઓ આવનારા છે તે દિલ્હી શહેરે, આઇબીએમની ‘કમ્યૂટર પેઇન સ્ટડી’માં ૧૦૦માંથી ૮૧ ગુણ મેળવ્યા છે. વિશ્વભરના આર્થિક રીતે મહત્વના એવા૨૦ શહેરમાં આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં ૮,૧૯૨ મોટરચાલકોના ઇન્ટરવ્યૂ લેવાયા હતા. જેમાંથી મોટાભાગનાએ જણાવ્યું હતું કે રોજિંદી મુસાફરી(ડેઇલી કમ્યૂટ) અગાઉ કરતાં વધુ લાંબી અને કંટાળાજનક બની ગઇ છે.
અભ્યાસ અનુસાર સૌથી ખરાબ ટ્રાફિક જામની સમસ્યા ધરાવતાં વિશ્વના ટોચના બે સ્થાને અનુક્રમે બેઇજિંગ અને મેક્સિકોનો સમાવેશ થાય છે. ‘કમ્યૂટર પેઇન ઇન્ડેક્ષ’માં આ બન્ને શહેરને ૧૦૦માંથી ૯૯ ગુણ મળ્યા છે. જ્યારે ૯૭ ગુણ સાથે જહોનિસબર્ગ કમ્યૂટર્સ માટે વિશ્વનું સૌથી ત્રીજું ખરાબ શહેર છે અને ૮૪ ગુણ સાથે રશિયાની રાજધાની મોસ્કો ચોથા સ્થાને છે.
રોજિંદી મુસાફરી માટે સૌથી ખરાબ શહેરોની યાદીમાં છઠ્ઠા ક્રમે બ્રાઝિલનું શહેર સાઓ પાઓલો છે તે પછીના ક્રમાંકમાં અનુક્રમે ઇટાલીનું મિલાન, આજેઁન્ટિનાની રાજધાની બ્યૂએનસ એરઝિ, સ્પેનની રાજધાની મેડ્રિડ અને લંડન શહેર આવે છે.
બીજી બાજુએ કમ્યૂટર્સ માટે શ્રેષ્ઠ શહેરોની ગણતરીમાં સ્વીડનની રાજધાની સ્ટોકહોમ સૌપ્રથમ સ્થાને છે. જ્યારે ‘પેઇન-ફ્રી રોડવે ટ્રાફિક’ની યાદીમાં મેલબોર્ન અને હ્યુસ્ટન જેવા શહેરોનો સમાવેશ થાય છે. અમેરિકાનાં શહેરો પર નજર કરીએ તો સૌથી ખરાબ ટ્રાફિકની દ્રષ્ટિએ પ્રથમ સ્થાને લોસ એન્જલસ શહેર છે. તે પછી ન્યૂ યોર્ક અને હ્યુસ્ટન છે.
ટ્રાફિકની સમસ્યા કમ્યૂટર્સના આરોગ્ય પર કેવી રીતે પ્રતિકૂળ અસર કરે છે તે બાબત પર પણ સર્વેમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે. સર્વેમાં ભાગ લેનારાઓમાંથી ૩૦ ટકા લોકો માને છે કે ટ્રાફિકના કારણે તનાવ વધે છે. ૨૭ ટકા લોકો માને છે ગુસ્સો વધે છે. જ્યારે૨૯ ટકા માને છે કે ટ્રાફિકની સમસ્યાથી શાળા અને કાર્યસ્થળ પર અનુક્રમે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની કામગીરી અવરોધાય છે.
*બોલો...કેદીએ વોર્ડનને ફટકાર્યો
મદુરાઇ સેન્ટ્રલ જેલના કેદીઓએ ઉશ્કેરાઇ જઇને વોર્ડન સાથે મારપીટ કરી હતી. જેના કારણે, વોર્ડનને ઇજાઓ પહોંચી હતી.
પોલીસ સુત્રોના કહેવા પ્રમાણે, વોર્ડન સલિમ બાદશાહને ફરિયાદ મળી હતીકે, માથા ભારે કેદી તિરૂમૂર્તિએ તેના સાથી કેદીઓનો કેટલોક સામાન પચાવી પાડ્યો હતો તથા તેમને ધમકી આપી હતી.
જ્યારે આ અંગે પૂછપરછ કરવા માટે સલિમ બાદશાહ તિરૂમૂર્તિ પાસે પહોંચ્યો ત્યારે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં તિરૂમૂર્તિએ ઉશ્કેરાઇ જઇને સલિમ બાદશાહના ચહેરા ઉપર મુક્કો માર્યો હતો. જેના કારણે, સલિમના ચહેરા પરથી લોહી વહેવા લાગ્યું હતું.
* મહિલા સાથે અડપલાં કરતાં જૈન અગ્રણી રંગેહાથ પકડાયા
વિઠ્ઠલપ્રેસ રોડ પર આધેડની જામેલી રંગતમાં પોલીસે ભંગ પાડ્યો
પોતાનાથી નાની ઉંમની મહિલા કે યુવતી સાથે કામલીલી ખેલવાના અભરખા સુરેન્દ્રનગરના જૈન અગ્રણીને ભારે પડી ગયા હતા. કામાંધ બનેલા આધેડ દુનિયાદારીનું ભાન ભૂલીને મહિલા સાથે જાહેર રસ્તા પર અડપલા કરતા ઝડપાઇ જતા ચકચાર ફેલાઇ છે.
કહેવાય છે કે, વાસના ભૂખ્યા વરૂઓ દુનિયાના તમામ રીતભાતને ભૂલી જતા હોય છે. આવા જ એક આધેડનો ભાંડો પોલીસે ફોડી દીધો છે.
સુરેન્દ્રનગર સિટી પી.આઇ.રવિરાજસહિ જાડેજા , પી.વી.ઝાલા, ધર્મેન્દ્રસિંહ ચૂડાસમા સહિતની પોલીસ ટીમ શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે શહેરમાં ટ્રાફિકથી ધમધમતા વિઠલપ્રેસ રોડ પર આવેલી શેરીનં. ૫ ની ગલીમાં બેસીને ૪૬ વર્ષના જૈન જીતેન્દ્રભાઇ લ-મીચંદ કોઇ સ્ત્રી સાથે અડપલા કરતા હતા. પોલીસની બાજ નજર તેમના પર પડતા પોલીસ અચાનક જીતેન્દ્રભાઇ પાસે ઘસી જતાની સાથે મિનિટોના સમયમાં જીતેન્દ્રભાઇનો કામનો ઉભરો શાંત થઇને પોપટની જેમ વાતો કરવા લાગ્યા હતા. સાથે રહેલી મહિલાની પૂછપરછ કરતા તે અમદાવાદ વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી ગીતાબેન કમસભાઇ ભીલ્લા હોવાનુ જણાવ્યુ હતુ.
અહીયા તે શા માટે આવી તે વિશે પુછપરછ કરતા ગીતાબેન જવાબ આપવામાં ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા. આથી પોલીસે બંનેની ધરપકડ કરીને જાહેરમાં બિભત્સ ચેનચાળા કરવાનો ગુનો દાખલ કર્યો હતો. પરંતુ એક જૈન અગ્રણી જાહેરમાં અડપલા કરતા પકડાયાના સમાચાર વાયુ વેગે શહેરમાં ફેલાતા અનેક અટકળો ફેલાઇ હતી. આ બનાવને પગલે શહેરમાં ચકચાર ફેલાઇ છે.
*ટૂંક સમયમાં નાના LPG સિલિન્ડર મળશે
એલપીજીના કોમર્શિયલ સિલિન્ડરના લિસ્ટમાં 5 કિલોગ્રામવાળા સિલિન્ડરને પણ જોડવામાં આવી રહ્યા છે. હાલમાં તો તેની શરૂઆત કેટલાંક શહેરોમાં પાયલોટ પ્રોજેક્ટના રૂપમાં કરવામાં આવી રહી છે. અંદાજે ત્રણ મહિના બાદ દેશભરમાં તેને લાગૂ કરી દેવાશે. ત્યારબાદ જે વિસ્તારોમાં સ્થાનિક સ્તરે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ત્યારે તે પણ કોમર્શિયલ કિંમતો પર મળશે.
પેટ્રોલિયમ મંત્રાલયના એક અધિકારીના મતે આત્યારસુધી પહાડી અને કેટલાંક ગ્રામીણ ક્ષેત્રો માટે પ કિલોગ્રામવાળા સિલિન્ડર સ્થાનિક સ્તરે ઉપયોગ માટે આપવામાં આવતા હતા. પરંતુ તેનો રિસ્પોન્સ કંઇ સારો ન મળ્યો. કેલ કંપનીઓને આ સિલિન્ડર વેચતા ખોટ જઇ રહી હતી. પહેલા પહાડી વિસ્તારો માટે માનવામાં આવી રહ્યું હતું કે તેઓને વધુ વજનવાળા સિલિન્ડર લઇ જવામાં પરેશાની થશે. પરંતુ સર્વે કરવામાં આવ્યો તો ખબર પડી કે ત્યાનં લોકો આનાથી પણ વજનદાર વસ્તુઓ પહાડી રસ્તા પરથી ઘરે લઇ જાય છે.
જે વિસ્તારોમાં આ સિલિન્ડર ગેસ એજન્સીઓ પર મળી રહ્યો ન હતો ત્યાં ખુલ્લા બજારમાં તેને વેચવા લાગ્યા. જે લોકો આ સિલિન્ડરને બનાવી રહ્યા હતા, તેઓ તેની સુરક્ષાના કરાર કરી રહ્યા હતા. એવામાં તેલ કંપનીઓની વિચારણા પર મંત્રાલયે તેને ઓપન માર્કેટમાં કોમર્શયિલ રૂપમાં લોન્ચ કરવાનું મન બનાવ્યું.
પ્રથમ તબક્કામાં તેની શરૂઆત મુંબઇ, હૈદ્રાબાદ, બેગલુરૂ, કોલકત્તા, લખનૌ, પટના, ગુવાહાટી, રાંચી અને ભુવનેશ્વરથી કરવામાં આવી રહી છે. ત્રણ મહિના બાદ દેશભરમાં તેને ડોમેસ્ટિક કિંમતો પર આપવાનું બંધ કરીને કોમર્શિયલ દરો પર વેચવાનું શરૂ કરી દેવાશે. અધિકારીએ કહ્યું કે જે ગ્રાહકો પાસે આવા સિલિન્ડર છે તેમણે આગ્રહ કરવામાં આવશે કે તેઓ તેમના વિસ્તારની સંબંધિત ગેસ એજન્સીમાં જમા કરાવી દે. તેના બદલામાં તેમણે જે કિંમત સિક્યોરિટીના રૂપમાં જમા કરાવી છે તે તેમને ત્યાંથી પરત મળી જશે. તેના પરથી ફાયદો એ થશે કે તેલ કંપનીઓને ખબર પડશે કે તેમની પાસે અત્યારે આવા કેટલાં સિલિન્ડર છે અને કેટલાં સિલિન્ડરનું તેમને મેન્યુફેકચરિંગ કરવું પડશે.
અધિકારીએ કહ્યું કે કન્ઝયુમર્સને મળનાર સિલિન્ડરોનો કલર બદલી દેવાશે અને જે નવા સિલિન્ડર આવશે તેનો સિલિન્ડર પણ કોમર્શિયલ સિલિન્ડર જેવો કરાશે. હાલમાં ગેસ એજન્સીઓ પાસે કોમર્શિયલ સિલિન્ડરના રૂપમાં 19 કિલોગ્રામવાળો સિલિન્ડર છે. પરંતુ રેડહી અને રસ્તા પર બજાર લગાવનાર દુકાનદારો સહિત વીકલી બજાર વાળાઓ માટે આવા સિલિન્ડરની જરૂરિયાત મહસૂસ કરવામાં આવી રહી હતી. તેલ કંપનીઓને આશા છે કે તેમને સારો રિસ્પોન્સ મળશે અને ઘણા કન્ઝયુમર્સ તેમના પેટ્રોમેક્સ અને બીજી જરૂરિયાતો પૂરી કરવા માટે ખરીદશે.
* કામવાળીને ગોંધી રાખી ડામ દીધાના આક્ષેપોથી હોબાળો
વૈકુંઠ સોસાયટીનો મામલો આખરે પોલીસમાં પહોંચ્યો
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી વૈકુંઠ સોસાયટીમાં રહેતા એક પરિવારે તેમની ત્યાં કામ કરતી છોકરીને ગોંધી રાખી હોવાના બનાવથી હોબાળો મચી જતાં આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
વૈકુંઠ સોસાયટીમાં રહેતા વેપારી પરિવારને ત્યાં કામ કરતી મહિલા ઘરમાંથી ચોરી કરીને જતી રહી હોવાની આશંકા વેપારી પરિવારને હતી. જેથી મહિલાની ૧૮ વર્ષીય છોકરીને કામ કરવા માટે તેમના ઘરે લઇ આવ્યા હતા. ઘરે લાવ્યા બાદ દિવસો સુધી આ છોકરીને ઘરમાં જ ગોંધી રાખી હોવાની વિગતો સપાટી ઉપર આવતાં હોબાળો મચી ગયો હતો.
આ બનાવને પગલે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસ મથકમાં આવ્યા બાદ છોકરીએ પોલીસ સમક્ષ પોતાને મહિનાઓથી કામ પર ગોંધી રાખી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત શરીરે ડામ પણ દીધાના આક્ષેપો કર્યા હતા. આ બનાવ અંગે મોડી રાતે કશિનવાડી પોલીસે ફરિયાદ નોંધાવાની કાર્યવાહી હાથ ધરી હતી.
*મહિલા સાથે મૈત્રીકરાર કરી યુવકનો વારંવાર બળાત્કાર
શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતી મહિલાએ તેની સાથે મૈત્રીકરાર કરનાર યુવકે તેની પર વારંવાર બળાત્કાર ગુજાર્યોહોવાની તેમજ યુવકના પિતાએ પણ પુત્રના બદલે તેની સાથે સંબંધ રાખવા માટેદબાણ અને છેડતી કરી તેને ધમકી આપી હોવા અંગેની મહિલાએ સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ફતેગંજ વિસ્તારમાં દીપકનગરમાં રહેતી ગીતા ઉર્ફ રૂપાલી રસિકલાલ સોનીની તેમજ તેના ઘરમાંથી ઝડપાયેલા રૂબિન લક્ષ્મીકાંત શાહ (જય સંતોષીનગર કારેલીબાગ) અને ઓરિસ્સાની એક રૂપલલનાની તાજેતરમાં ડીસીબી પોલીસે દેહવિક્રયના ગુના હેઠળ ધરપકડ કરી હતી.
દરમિયાન ગીતાએ સયાજીગંજ પોલીસ મથકે ગઈ કાલે રૂબિન તેમજ તેના પિતા લક્ષ્મીકાંત સામે એવી ફરિયાદ નોંધાવી હતી કે કલ્યાણ હોટલ સામે ગીતા ઓઈલ ડેપો નામની તેલની દુકાન ધરાવતાં લક્ષ્મીકાંત શાહ અને તેમના પુત્ર રૂબિન સાથે તેલ ખરીદી માટે જતાં પરિચય થયો હતો. રૂબિન તેના ઘરે અવારનવાર આવતો હોઈ તેણે મૈત્રીકરાર કરી તેમજ લગ#ની લાલચ આપી તેની પર અવારનવાર બળાત્કાર કર્યો હતો. થોડાક સમય અગાઉ રૂબિનની પોલીસે ધરપકડ કરતાં તેને તેના પિતાએ ઘરમાંથી કાઢી મૂકયો હતો અને તે ગીતાના ઘરે મોટા ભાગે રહેતો હતો.
દરમિયાન રૂબિનના પિતાએ બદદાનત રાખી ગીતાને તેમની સાથે સંબંધ રાખવા દબાણ કર્યુ હતું. ગીતાએ તે પિતાની ઉંમરના છે માટે તેમની સાથે સંબંધ રાખવાનો ઈન્કાર કરતાં તેમણે તેની છેડતી કરી તેને બદનામ કરવાની અનેતેની બંને પુત્રીઓને ઉઠાવી જવાની ધમકી આપી હતી. ગીતાએ સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પિતા-પુત્ર સામે બળાત્કાર અને ધમકીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
*અમેરિકન સમાચારપત્રો 40 વર્ષોમાં લુપ્ત થઈ જશે
અમેરિકામાં હાલમાં થયેલા એક સર્વે પ્રમાણે લોકોમાં સમાચારપત્રોને લઈને એટલી ઉત્સુકતા દેખાઈ રહી નથી, જેટલી એક સમયે દેખાતી હતી. સર્વે અનુસાર 64 ટકા અમેરિકન લોકોનું માનવું છે કે વર્ષ 2050 સુધી દેશમાં સમાચારપત્રોનું અસ્તીત્વ જ ન રહે. આ સર્વેમાં સમાવવામાં આવેલા લોકો ભવિષ્યમાં યુદ્ધ અને આતંકવાદી હુમલાની આશંકાથી ભયભીત જણાયા.
આ ભવિષ્યવાણી માત્ર સમાચાર પત્રોના અસ્તિત્વને જ નહી પરંતુ બિન ડિજિટલવાળી દરેક વસ્તુઓ પર આ ગાજ આવવાની ભીતિ વ્યક્ત કરી હતી. લગભગ 63 ટકા લોકોનું માનવું છે કે 2050 સુધી ‘પેપર મની’નું ચલણ પણ ખતમ થઈ જશે. આ સમય ગાળામાં કોઈ પણ વ્યક્તિ એકબીજાને પત્ર લખશે નહી. લોકોની ભવિષ્યવાણી સાચી પણ લાગી રહી છે કારણ કે અમેરિકન ટપાલ ખાતુ હાલમાં મૂશ્કેલીઓના દોરમાંથી પસાર થઈ રહ્યું છે.
સર્વે અનુસાર 53 ટકા લોકોનું માનવું છે કે 2050 સુધી સાધારણ વ્યક્તિ પણ અવકાશની મુસાફરી કરી શકશે. આટલા જ લોકોનું માનવું છે કે અમેરિકામાં પરમાણું આતંકવાદી હુમલો થઈ શકે છે. લોકોનું માનવું છે કે સમાજમાં આવી રહેલ પરિવર્તનનો પ્રથમ શિકાર સમાચારપત્ર જ બનશે.
બોલિવૂડના સ્ટાર આમિર ખાનના પિતા તાહિર હુસેનનું નિધન
visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
બોલિવૂડના સ્ટાર આમિર ખાનના પિતા તાહિર હુસેનનું નિધન
‘કારવાં’ અને ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’ અને ‘અનામિકા’ જેવી ફિલ્મોના નિર્માતાની હૃદયરોગના તીવ્ર હુમલાથી વિદાય
બોલિવૂડના સ્ટાર આમિર ખાનના પિતા અને હિન્દી ફિલ્મ ઉધોગના પ્રખ્યાત નિર્માતા- દિગ્દર્શક-લેખક તાહિર હુસેનનું મંગળવારની સવારે હૃદયરોગનો તીવ્ર આંચકો આવવાને કારણે નિધન થયું હતું. તેમણે આમિર ખાનના બાંદરાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.
બોલિવૂડમાં નિર્માતા- દિગ્દર્શક અને લેખક તરીકે તાહિર હુસેનની નામના હતી. તેમણે ‘મદહોશ’ (૧૯૯૦), ‘હમ હૈ રાહી પ્યાર કે’ (૧૯૯૩), ‘તુમ મેરે હો’, (૧૯૯૦), ‘લોકેટ’ (૧૯૮૬), ‘દુલ્હા બિકતા હૈ’ (૧૯૮૨), ‘ખૂન કી પુકાર’ (૧૯૭૮), ‘જનમ જનમ કા સાથ’ (૧૯૭૭), ‘જખ્મી’ (૧૯૭૫). ‘મદહોશ’ (૧૯૭૪), ‘અનામિકા’ (૧૯૭૩) અને કારવાં (૧૯૭૧) જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું.
તેમણે ‘જનમ જનમ કા સાથ’, ‘પ્યાર કા મૌસમ’, અને ‘જબ પ્યાર કિસીસે હોતા હૈ’ જેવી ફિલ્મોમાં ભૂમિકા પણ ભજવી હતી. શમ્મી કપૂર- આશા પારેખના અભિનય અને રાહુલ દેવ બર્મનના સંગીતમાં હિટ થયેલી ફિલ્મ ‘તિસરી મંઝિલ’માં તાહિર હુસેને પ્રોડકશન એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવી હતી. તેમણે ‘તુમ મેરે હો’ ફિલ્મનું લેખન અને નિર્માણ પણ કર્યું હતું. જોકે આમિર ખાન અને જુહી ચાવલાને ચમકાવતી આ એકમાત્ર ફિલ્મનું દિગ્દર્શન તેમણે કર્યું હતું.
તાહિર હુસેને તેમની ફિલ્મની કારકિર્દી ૧૯૫૭માં તેમના ભાઈ નાસીર હુસેનની હિટ ફિલ્મો ‘તુમસા નહિ દેખા’ અને ‘દિલ દેકે દેખો’માં આસસ્ટિન્ટ ડાયરેકટર તરીકે શરૂ કરી હતી. તાહિર હુસેનના કુટુંબમાં હવે તેમનાં પત્ની ઝીનત, બે પુત્રો આમિર અને ફૈઝલ તથા બે પુત્રીઓ ફરહત અને નિખત છે. આમિર ખાન લોસ એન્જલસથી અને તેનો ભત્રીજો ન્યુઝીલેન્ડથી ખબર મળતાંની સાથે વહેલી તકે મુંબઈ આવી પહોંચ્યા હતા.
બોલિવૂડના સ્ટાર આમિર ખાનના પિતા તાહિર હુસેનનું નિધન
‘કારવાં’ અને ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’ અને ‘અનામિકા’ જેવી ફિલ્મોના નિર્માતાની હૃદયરોગના તીવ્ર હુમલાથી વિદાય
બોલિવૂડના સ્ટાર આમિર ખાનના પિતા અને હિન્દી ફિલ્મ ઉધોગના પ્રખ્યાત નિર્માતા- દિગ્દર્શક-લેખક તાહિર હુસેનનું મંગળવારની સવારે હૃદયરોગનો તીવ્ર આંચકો આવવાને કારણે નિધન થયું હતું. તેમણે આમિર ખાનના બાંદરાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.
બોલિવૂડમાં નિર્માતા- દિગ્દર્શક અને લેખક તરીકે તાહિર હુસેનની નામના હતી. તેમણે ‘મદહોશ’ (૧૯૯૦), ‘હમ હૈ રાહી પ્યાર કે’ (૧૯૯૩), ‘તુમ મેરે હો’, (૧૯૯૦), ‘લોકેટ’ (૧૯૮૬), ‘દુલ્હા બિકતા હૈ’ (૧૯૮૨), ‘ખૂન કી પુકાર’ (૧૯૭૮), ‘જનમ જનમ કા સાથ’ (૧૯૭૭), ‘જખ્મી’ (૧૯૭૫). ‘મદહોશ’ (૧૯૭૪), ‘અનામિકા’ (૧૯૭૩) અને કારવાં (૧૯૭૧) જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું.
તેમણે ‘જનમ જનમ કા સાથ’, ‘પ્યાર કા મૌસમ’, અને ‘જબ પ્યાર કિસીસે હોતા હૈ’ જેવી ફિલ્મોમાં ભૂમિકા પણ ભજવી હતી. શમ્મી કપૂર- આશા પારેખના અભિનય અને રાહુલ દેવ બર્મનના સંગીતમાં હિટ થયેલી ફિલ્મ ‘તિસરી મંઝિલ’માં તાહિર હુસેને પ્રોડકશન એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવી હતી. તેમણે ‘તુમ મેરે હો’ ફિલ્મનું લેખન અને નિર્માણ પણ કર્યું હતું. જોકે આમિર ખાન અને જુહી ચાવલાને ચમકાવતી આ એકમાત્ર ફિલ્મનું દિગ્દર્શન તેમણે કર્યું હતું.
તાહિર હુસેને તેમની ફિલ્મની કારકિર્દી ૧૯૫૭માં તેમના ભાઈ નાસીર હુસેનની હિટ ફિલ્મો ‘તુમસા નહિ દેખા’ અને ‘દિલ દેકે દેખો’માં આસસ્ટિન્ટ ડાયરેકટર તરીકે શરૂ કરી હતી. તાહિર હુસેનના કુટુંબમાં હવે તેમનાં પત્ની ઝીનત, બે પુત્રો આમિર અને ફૈઝલ તથા બે પુત્રીઓ ફરહત અને નિખત છે. આમિર ખાન લોસ એન્જલસથી અને તેનો ભત્રીજો ન્યુઝીલેન્ડથી ખબર મળતાંની સાથે વહેલી તકે મુંબઈ આવી પહોંચ્યા હતા.
Subscribe to:
Posts (Atom)