visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
ભુજ સ્વામિનારાયણ મંદિરે હિંડોળા મહોત્સવનું વિશેષ આયોજન
ભગવાન કૃષ્ણ જ્યારે ચોમાસાની સીઝનમાં વનમાં બાળ સખાઓ સાથે જતા ત્યારે ભૂલકાઓ વેલામાં હિંચકા બાંધી કૃષ્ણ ભગવાનને હિંચાવતા હતા. આ પરંપરા મુજબ ભક્તિ સંપ્રદાયમાં હિંડોળાની શરૂઆત થઇ આ પરંપરાને વલ્લભાચાર્ય અને રામાનુજાચાર્યએ આગળ ધપાવી છે.આ પરંપરા મુજબ ભુજમાં સ્વામિ ભગવાને ૧૮૨૩માં નરનારાયણ દેવના મંદિરની સ્થાપના કરી. ત્યારથીજ હિંડોળાની પ્રથા અવિરત ચાલુ છે બુધવારે સાંજે ૩:૩૦ વાગ્યે પ્રસાદીના અને ૪ વાગ્યે નૂતન મંદિરે હિંડોળાનો પ્રારંભ થશે.ભુજ પારેશ્વર ચોક સ્થિત સ્વામિ મંદિરે ૩:૩૦ વાગ્યે તેમજ નૂતન નરનારાયણ દેવના મંદિરે સાંજે ચાર વાગ્યે મહંત સ્વામી ધર્મનંદનદાસજી, પાર્ષદ જાદવજી ભગત, સ્વામી પ્રેમપ્રકાશદાસજી સહિતના સંતો તેમજ સત્સંગીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ થશે. ભાઇઓ તથા બહેનોના મંદિરમાં શ્રીજી મહારાજને જુલાવવા તથા દર્શનનો લાભ ૨૮ જુલાઇથી ૨૬ ઓગસ્ટ સુધી ભક્તોને મળશે.જેમાં નરનારાયણ દેવ સુર્વણના અને રાધાકૃષ્ણદેવ રજતના હિંડોળે ઝૂલશે. તેમજ વૈષ્ણવ મંદિરો અને કૃષ્ણ સંબંધી મંદિરો, દ્વારકાધીશ, સત્યનારાયણ, લક્ષ્મી નારાયણ હવેલી વગેરેના મંદિરોમાં પણ હિંડોળા મહોત્સવ ઉજવાતો હોય છે.ભુજના સ્વામિનારાયણ અને નર નારાયણ મંદિરમાં દિવસોથી આ માટેની તડામાર તૈયારીઓ વડીલ સંતોના માર્ગદર્શન હેઠળ સ્વામી ધર્મસ્વરૂપદાસજી તેમજ અન્ય સંતો, હરિભક્તો, સત્સંગીઓ, સાંખ્યયોગી નીતાબાઇ અને સાંખ્યયોગી અનિતાબાઇની મદદથી કલાત્મક હિંડોળા તૈયાર કરી રહ્યા છે.
હવે, રાત્રિબજારનો રસ્તો મોકળો
વુડાભવન સામે વિશ્વામિત્રી નદીના કિનારે રાત્રિબજાર બનાવવાની દિશામાં સેવાસદને તેજ ગતિથી કામગીરી શરૂ કરી દીધી છે. ૪.૧૧ કરોડ રૂપિયાના ખર્ચે રાત્રિબજાર બનાવવા માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજુ કરવામાં આવી છે.શહેરમાં ખાસ કરીને મોડી રાતે પ્રવાસીઓ તેમજ સ્થાનિક નાગરિકોને ખાણીપીણીથી માંડીને પ્રાથમિક સુવિધા મળતી નથી. જેના નિરાકરણ માટે સેવાસદને વુડાઓફિસ સામે આવેલી જમીન સંપાદિત કરીને તેના બદલામાં અન્ય જમીન ફાળવવાનો નિર્ણય કર્યો હતો. વુડાભવન સામે વિશ્વામિત્રી નદીનાકિનારે નાઇટ માર્કેટ બનાવવાના આયોજનના ભાગરૂપે માંજલપુર આઉટડોર સ્પોર્ટસ કોમ્પ્લેકસના કન્સલ્ટિંગ આર્કિટેકટ નૂતન સ્થાપત્યની માનદ સેવાથી નિ:શુલ્ક લે આઉટ પ્લાન તૈયાર કરવામાં આવેલ છે.
રાત્રિ બજારના પ્રથમ તબક્કામાં ફૂડ સ્ટોલ, કિઓસ્ક, સિક્યુરિટી કેબિન, એડિમિનીસ્ટ્રેશન બ્લોક, ટ્રી બેન્ચ ફરતે કમ્પાઉન્ડ વોલ, પેવર બ્લોકથી ફલોરિંગ,ઓબઝેઁટીવ ટાવર, આરસીસી રોડ અને રિટેઇનિંગ વોલ, જેન્ટ્સ-લેડીઝ ટોઇલેટનો સમાવેશ થાય છે. જ્યારે, બીજા તબક્કામાં એમ્ફી થિયેટર, ફૂડ સ્ટોલ, સ્નેકબાર, આર્ટ અને ક્રાફટના વેચાણની વ્યવસ્થા, આઇસક્રિમ પાર્લર(નાસ્તાની વ્યવસ્થા અન્વયે રેસ્ટોરન્ટ), પેવર બ્લોકસાથેના ફલોરિંગ, આરસીસી રોડની કામગીરી કરવાની રહેશે.પ્રથમ તબક્કાની કામગીરી કરાવવા માટે ટેન્ડર આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. જેમાં ત્રણ ટેન્ડર ક્વોલિફાય થયા હતા. જેમાં, સૌથી ઓછો ભાવ રૂ.૪.૧૨ કરોડનો દર્શાવનાર ઇજારદારને વધુ ભાવ ઘટાડો કરવાનુ કહેવામાં આવતાં ઇજારદારે ૦.૨૫ ટકાનો ઘટાડો કરતાં કુલ કિંમત રૂ.૪,૧૧,૨૪,૮૮૬ થતી હતી. અંદાજી રકમ નેટ કરતાં ૨.૭૭ ટકા ઓછી હોવાથી તેને બહાલી આપવા માટે સેવાસદનના વહીવટીતંત્ર દ્વારા સ્થાયી સમિતિમાંદરખાસ્ત રજુ કરવામાં આવી છે.
નાગરવાડાના તોફાનોમાં વધુ ૧૦ આરોપી ઝડપાયા
નાગરવાડામાં મકાન પર હુમલો કરી તેમજ તોડફોડના બનાવમાં વધુ ૧૦ આરોપીઓની કારેલીબાગ ગત મોડી રાતે ધરપકડ કરી તેઓના બે દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા. નાગરવાડામાં રહેતાં હવાબહેન ઘાંચીએ તેમની સાથે ઝઘડો કરનાર તેમના વિસ્તારના કુખ્યાત અનવરસિંધી સહિતના આરોપીઓ સામે ગત ૧૧મી તારીખે કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની અદાવતે ૧૩મી તારીખની રાતે અનવર સિંધી સહિતના ૬૦ના ટોળાંએ તેમના મકાન પર હુમલો કર્યો હતો.આ બનાવમાં સંડોવાયેલાં ઇકબાલ હુસેન ઉર્ફે ગબ્બર ગુલામહુસેન સિંધી, અમીરૂદ્દીન ઉર્ફે અઝહર ઉમર સિંધી, મહેબૂબ હબીબ પઠાણ, ઇલિયાસ હબીબ સિંધી, ગુલામહુસેન ઉર્ફે લાલો ગુલામનબી લાખાજીવાલા , સિદ્દીક ઇબ્રાહીમ અરબ, ફિરોઝ ઉર્ફે મુકરી તાજુમિયાં સિંધી, શબ્બીરહુસેન ઉર્ફેજગ્ગુ ગુલામ હુસેન સિંધી, વસીમ ઉમર સિંધી અને શબ્બીર મહંમદ ફકીર મહંમદ સિંધીની ધરપકડ કરી હતી.ફિરોજ તેની સાસરીમાં ડભોઈ અને ત્યારબાદ પાદરામાં અને બાકીના આરોપીઓ અજમેરમાં છુપાયા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા.
સિવિલ હોસ્પિટલ પાસેથી ૪ રૂપજીવિનીઓ પકડાઈ
રિંગ રોડ પર નવી સિવિલ હોસ્પિટલ ચોકથી લઈને છેક વનિતા વિશ્રામના ગેઇટ સુધીના વિસ્તારમાં દરરોજ સંખ્યાબંધ રૂપજીવિનીઓ રાત્રે સાડા આઠથી સાડા દસ સુધીના સમયગાળામાં ઊભી રહી ગ્રાહકની રાહ જોયા કરે છે. આ વાત રિંગ રોડ પરથી પસાર થનારી વ્યક્તિના ધ્યાન પર આવે છે પરંતુ કોઈ કારણોસર ઉમરા પોલીસને આ દ્રશ્યો દેખાતાં ન હતાં. તેવામાં મોડે મોડે પણ ઉમરા પોલીસ જાગી હતી અને મંગળવારે રાત્રે ચાર લલનાની ધરપકડ કરી હતી.રિંગ રોડ પર વનિતા વિશ્રામના ગેટ સામેથી લઈ મજુરાગેટ ગાંધી એન્જિનિયરિંગ કોલેજ સુધીના વિસ્તારમાંથી ચાર લલનાને પકડી પાડી છે. જેમાં અલ્પા રામુ મધુકર (રહે: ફૂલવીડી ઝૂંપડપટ્ટી, ભરીમાતા રોડ), સુનિતા લક્ષ્મણ હરિભાઉ (રહે: વરિયાવીબજાર), પૂનમ કિશોર દેશમુખ (રહે: મારુતિધામ સોસાયટી, અમરોલી) અને સોની બામનરાવ (રહે: ફૂવાવાડી ઝૂંપડપટ્ટી, ભરીમાતા રોડ)નો સમાવેશ થાય છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે જ્યારથી રૂપજીવિનીના વિસ્તાર ચકલાબજારનો અંત આવ્યો છે ત્યારથી મોટા ભાગની રૂપલલનાઓ ગ્રાહકોની શોધ માટે દરરોજ રિંગ રોડ પર ઊભી રહે છે. જેના કારણે ત્યાં આજુબાજુમાં રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વખત આવે છે. આ વિસ્તારમાં રહેતી મહિલાઓ વોકિંગ માટે ઘરની બહાર નીકળી શકતી નથી. આ દૂષણનો કાયમી અંત લાવવાની જવાબદારી જેમના માથે છે તે ઉમરા પોલીસ કોઈ અકળ કારણોસર આંખ આડા કાન કરતી હોવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવા સિવાયનો કોઈ રસ્તો બચ્યો નથી.
કચ્છ એક્સપ્રેસ ટ્રેનનો અકસ્માત ટળ્યો
કચ્છમાં સોમવારે પડેલા ભારે વરસાદને કારણે અંજાર રેલવે ફાટક પાસે રેલવે ટ્રેક પરથી કાંકરા અને માટી ખસી જવાની ઘટના પછી તંત્રે તેનું સમારકામ કરી લીધું, પણ આજે એવું બહાર આવ્યું હતું કે, જો ફાટકમેનની ધ્યાન બહાર આ બાબત રહી જાત તો મોટી દુર્ઘટના થવાની શક્યતા સર્જાઇ હોત.રેલવેના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભુજથી કચ્છ એક્સપ્રેસ ટ્રેન ઉપડવાની તૈયારી હતી, ત્યારે જ તેને અટકી જવાનો આદેશ થતાં ભારે હલચલ મચી ગઇ હતી. અંજાર પાસે ટ્રેક યોગ્ય ન હોવાનો અહેવાલ આવતાં વરસાદથી નુકસાન થયું હોવાની સ્થિતિ ઊભી થયાનો અંદાજ સાચો પડયો હતો. રાત વચ્ચે અધિકારીઓએ ગાંધીધામથી ખાસ ટ્રેન મોકલીને ટ્રેકનું સમારકામ કરી લીધા પછી રાત્રે ૧૧.૫૦ વાગ્યે કચ્છ એક્સપ્રેસ અને રાત્રે ૧૨:૩૦ વાગ્યે સયાજીનગરી એક્સપ્રેસ રવાના કરાઇ હતી.અંજાર નજીક આવેલા ફાટક પાસે ટ્રેક યોગ્ય નથી તેની જાણ બહાર તંત્રે ટ્રેનને રાઇટ ટાઇમ રવાના કરવાની તૈયાર કરી લીધી હતી. મોન્સુન પેટ્રોલિંગ દરમિયાન સબસલામત હોવાનો રિપોર્ટ આપી દેવાયો હતો, આથી જ ટ્રેનને રવાના કરવા તૈયારી કરી લીધી હતી. આ સમયે જ ફાટકમેન દ્વારા ટ્રેક બેસી ગયાની જાણ થતાં જવાબદારો ધંધે લાગ્યા હતા.સીધા ટ્રેક પર ટ્રેન પસાર થાય તે સાથે જ ટ્રેક તૂટી જાત અથવા તો બેસી જાત તેને કારણે ટ્રેનના ડબ્બા ખડી પડ્યા હોત. મોટાભાગે ફાટક ક્લિયર હોય અને રાઇટ ટાઇમ સાચવવા હંમેશ મુજબની સ્પીડ હોય તેને કારણે અકસ્માતમાં જાનહાનિ કે મોટી નુકસાનીની પણ શક્યતા હતી.
ગળપાદરમાં યુવાન પાણીમાં તણાયો
શાંતિધામ પાસે તણાતાં યુવાનનું મૃત્યુ : જરૂ ગામની પાપડી પસાર કરવા જતા અન્ય યુવક પાણીમાં ગરકાવ થઇ ગયો : બંનેની લાશ મંગળવારે સવારે મળીકચ્છમાં એક બાજુ સારા વરસાદના પગલે સર્વત્ર આનંદની લાગણી છે, તો બાજી બાજુ વરસાદના કારણે આ વખતે લોકોને જીવ પણ ગુમાવવા પડ્યા છે. સોમવારે જિલ્લાભરમાં કુલ દસ વ્યક્તિનાં વરસાદના કારણે મૃત્યુ થયા બાદ મંગળવારે વધુ બે વ્યક્તિઓની પાણીમાં તણાઇ ગયેલી લાશ મળી આવતાં કુલ મૃત્યુઆંક ૧૨ પહોંચી ગયો છે.ગાંધીધામ તાલુકાના ગળપાદર પાસે આવેલી શાંતિધામ વસાહતની પાપડી પસાર કરતી વખતે એક યુવાન તણાઇ ગયો હતો. જેની લાશ મંગળવારે સવારે મળી આવી હતી, તો અંજાર તાલુકાના જરૂ ગામની નદી પરની પાપડી પસાર કરતી વખતે ડૂબી ગયેલા પરપ્રાંતીય યુવાનનો મૃતદેહ પણ મંગળવારે મળી આવ્યો હતો.મળતી વિગતો મુજબ ગાંધીધામ તાલુકાના ગળપાદર પાસે આવેલી શાંતિધામ વસાહત ખાતે રહેતો મનોજ જગદીશ શર્મા (ઉ.વ.૩૨) નામનો યુવાન રાબેતા મુજબ સોમવારે દીપક ટિમ્બર ખાતે કામ પર ગયો હતો. વરસાદ હોવાના કારણે ટિમ્બર પર રજા પડી જતાં તે અને બીજા અન્ય બે-ત્રણ લોકો પગપાળા શાંતિધામ ખાતે પોતાના ઘર પરત ફરી રહ્યા હતા. ભારે વરસાદના કારણે આ વિસ્તારમાં આવેલી પાપડી પર ખૂબ જ વેગથી પાણી વહી રહ્યું હતું.જોકે, તેની આગળ અન્ય બેથી ત્રણ લોકોએ આ પાપડી પસાર કરી લીધી હોવાથી ભોગ બનનારો યુવાન અને તેના સાથીદારોએ પણ પાપડી પસાર કરવાની હિંમત કરી હતી, પરંતુ પાપડી પસાર કરતી વખતે પાણીના પ્રવાહના કારણે આ યુવાનનો પગ લપસી પડતાં તે તણાઇ ગયો હતો. જોકે, તેને બચવાની પણ ભરપૂર કોશિશ કરી હતી. તેના એક સાથીદારે ૧૫ મિનિટ સુધી તેનો હાથ પકડી રાખ્યો હતો, પણ આખરે તે પણ પાણીના ધસમસતા પ્રવાહ સામે હારી ગયો હતો અને યુવાન તણાઇ ગયો હતો. જોકે, તેની સાથે રહેલા બેથી ત્રણ લોકો બચી ગયા હતા. ઘટના બાદ યુવાનની લાશ શોધવા આ વિસ્તારના રહીશોએ અથાગ પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેઓને સફળતા મળી નથી, પરંતુ મંગળવારે સવારે કેટલાક લોકોને બાવળની ઝાડીઓમાંથી આ યુવાનની લાશ મળી આવી હતી.
ભાવનગરના નેતાઓ ભલે નપાણીયા પણ પ્રજા હવે પાણી વાળી થઈ છે
ભાવનગરના લોકો મેઘરાજાની મહેરથી ખુશખુશાલ છે. ઉનાળાએ આ વર્ષે કાળોકેર વર્તાવ્યો હતો. ગરમીથી ત્રાસેલા નગરજનો અનરાધાર વરસાદથી ખુશ-ખુશ છે. જોકે, જગત આખું ભાવનગરને અન્યાય કરતું હોય તો પછી મેઘરાજા શું કામ બાકી રહે ? સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ ભાવનગરમાં પડયો છે. જોકે, આપણી પ્રજા સંતોષી છે. કુદરતે દીધું તે ઘણુ ઘણું...ભાવનગરના લોકોને કુદરત આપે કે ન આપે તેની સાથે નહી પણ તંત્ર આપશે કે નહીં ? તેની સાથે જાજી લેવાદેવા હોય છે. અષાઢ મહિનામાં મોસમનો ૫૦ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે અને શહેરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ પણ ૨૫.૩ ફુટ જેટલો ભરાઈ ગયો છે અને મેઘરાજાની આવી જ મહેર ચાલુ રહી તો શેત્રુંજી ડેમ ઓવરફલો પણ થશે.ભાવનગરના લોકોએ છેલ્લા ઉનાળા દરમિયાન પાણી પ્રશ્ને અસહ્ય ત્રાસ વેઠયો છે. દૂષ્કાળ પડયો હોય અને ટીપુય પીવાનું પાણી ન હોય તો કુદરત રૂઠી છે તેમ સમજીને મન મનાવી લેવાય. પણ નજર સામે છલોછલ ભરેલું પાણી હોય છતાં પાણી ન મળે ત્યારે મન ન મનાવાય પણ જવાબદારોને શરમથી પાણી... પાણી.... થઈ જાય એવો સબક શીખવાડાય.પાણી માટે જુદી-જુદી એક ડઝન યોજનાઓ બની છે. પહેલા તરસમીયા ફલ્ટિર પ્લાન્ટ ચાલુ થશે એટલે સમસ્યા નહીં રહે તેવો દાવો કરાતો હતો. એ પછી શેત્રુંજય પેરેલલ લાઈન નાંખવાની વાત આવી. ૩૫ કરોડના ટેન્ડરમાં મલાઈ ન મળી એટલે કામનો વર્ક ઓર્ડર ન આપ્યો પ્રજાનું થવું હોય તે થાય અમારૂ તરભાણુ ભરો !! આ લોકોના ગરીબ મેળા પહેલા ગોઠવાય ગયા હશે!!શહેરના જુદા-જુદા વિસ્તારમાં પ્રેસરથી પાણી મળી રહે તે માટે પાણીની ટાંકીઓ બનાવવાની યોજના ચિતરાઈને પડી છે. પાણીની પાઈપ લાઈનો નાંખવા માટે કોર્પોરેટરોએ ફાળવેલી ગ્રાંટના કામો બાકી છે.સમય... ક્યારેય રોકાતો નથી. ચોમાસુ પુરૂ થઈ જશે અને મહાનગરપાલિકાની ચૂંટણીના નગારા... નગારા... ક્યારે વાગશે તે ખબર નહી પડે.
વિદ્યાર્થી આંદોલન હિંસક
ફી વધારાના મુદ્દે વલ્લભવિદ્યાનગર સ્થિત એન્જિનિયરિંગ કોલેજમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન એબીવીપીના કાર્યકરોએ હુમલો કરતાં અફડાંતફડી મચી : એડીઆઈટીના પ્રિન્સિપલને માર મારતાં ગંભીર ઈજા : પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યોઈજનેરી, ફાર્મસી અને મેનેજમેન્ટની સ્વનિર્ભર કોલેજમાં તોતિંગ ફી વધારાના મુદ્દે વિદ્યાનગરમાં શરૂ થયેલું વિદ્યાર્થી આંદોલન મંગળવારે હિંસક બની ગયું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાનગરની એડીઆઈટી કોલેજમાં મંગળવારના રોજ એક કાર્યક્રમ દરમિયાન તોડફોડ કરતાં મામલાએ ગંભીરરૂપ ધારણ કરી લીધું હતું. આ બનાવના પગલે દોડી ગયેલાં ડીવાયએસપી સહિતના પોલીસ કાફલાએ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. એડીઆઈટી કોલેજમાં સ્થિતિ એટલી વણસી ગઈ હતી કે વિદ્યાર્થી આગેવાનોએ પ્રિન્સપલની કેબિનના કાચ તોડી નાખીને માર મારતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા પડ્યાં હતાં.વિદ્યાનગર સહિત રાજ્યભરમાં ઈજનેરી, ફાર્મસી અને મેનેજમેન્ટની સ્વનિર્ભર કોલેજમાં રૂ.૧૬ હજાર સુધીનો ફી વધારો કરવામાં આવતાં વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. આ મુદ્દે છેલ્લાં ચારેક દિવસથી વિદ્યાર્થી આગેવાનો દ્વારા આંદોલન ચાલવવામાં આવી રહ્યું છે. આ આંદોલનની ધારી અસર ન થતાં હવે વાતાવરણ વધુ ઉગ્ર બન્યું છે.વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) દ્વારા ન્યૂ વલ્લભ વિદ્યાનગર સ્થિત એડીઆઈટી કોલેજમાં આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. મંગળવારના રોજ એબીવીપીના કાર્યકરો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કોલેજના દરવાજા પાસે એકત્ર થયાં હતાં. દરમિયાનમાં કોઈ મુદ્દે મામલો બિચકતાં વિદ્યાર્થીઓ ઉશ્કેરાયાં હતા અને બેઝબોલનું બેટ લાવી તોડફોડ શરૂ કરી દીધી હતી.ચાલું શૈક્ષણિક કાર્ય દરમિયાન અચાનક તોડફોડ થતાં કોલેજ કેમ્પસમાં અફડાતફડી મચી ગઈ હતી. તોફાને ચડેલાં વિદ્યાર્થીઓ અને આગેવાનો સીધા પ્રિન્સિપલ રાજીવકુમાર પ્યારેલાલ જૈનની ઓફિસ સુધી પહોંચી ગયા હતા અને દરવાજાના કાચ તોડી અફિસ ફર્નિચરને મોટોપાયે નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત પ્રિન્સિપલ રાવજીકુમાર જૈન પર પણ હુમલો કરી ઈજા પહોંચાડી હતી. સ્થિતિ કાબૂ બહાર જતાં આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી, જેનાં પગલે ડીવાયએસપી આર.સી. પાઠક, વિદ્યાનગર પોલીસ સબઈન્સ્પેકટર ડી.પી. ભટ્ટ, એ.એ. શેખ સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સ્થિતિને કાબૂમાં લીધી હતી.
રાજ-ઉદ્ધવના સંબંધ સુધરશે!
શિવસેનાના કાર્યકારી પ્રમુખે પોતાના જન્મદિને આપેલો સંકેત. શિવસેનાના કાર્યકારી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પોતાના પિતરાઈ ભાઈ અને મહારાષ્ટ્ર નવિનર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરે સાથે હાથ મેળવવાનો સંકેત આપ્યો છે. આ બાબતે ઠાકરેએ પોતાના જન્મદિવસ નિમિત્તે કહ્યું હતું કે, કોંગ્રેસ અને નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પાસેથી સત્તા મેળવવાનું ગણિત શીખવું જોઈશે.તેમને પત્રકારોએ પ્રશ્ન પૂછયો હતો કે, ‘અસંખ્ય મતભેદ હોવા છતાં કોંગ્રેસ અને એનસીપી સત્તા મેળવવા માટે એક થઈ જાય છે તો શું શિવસેના પણ મહાનગર પાલિકાની ચૂંટણીમાં જે પક્ષ સાથે મતભેદ છે એ પક્ષની સાથે જોવા મળશે? તેના જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, ‘ચૂંટણી પહેલાં એકબીજા વિરુદ્ધ આરોપ-પ્રત્યારોપ કરતો કોંગ્રેસ પક્ષ અને એનસીપી સત્તા મેળવવા માટે ચૂંટણીમાં એક થઈ જાય છે. ગોળની ભિલ્લી ઉપર જેમ મંકોડા ચીટકી રહે છે તેવી જ રીતે બેઉ પક્ષ સત્તામાં ચીટકી રહે છે. તે પક્ષોનો એ ગુણ શીખવા જેવો છે અને હવે અમારે પણ તેમની પાસેથી કંઈક તો શીખવું પડશે.’શિવસેનાના કાર્યકારી પ્રમુખનું આ નિવેદન બહુ જ મહત્વનું હોવાનું માનવામાં આવે છે, કારણ કે રાજ ઠાકરેએ અત્યાર સુધીમાં બે વાર તેમની સાથે સંબંધ સુધારવાનો સંકેત આપ્યો છે. રાજ અને ઉદ્ધવ મુંબઈ મનપાની ચૂંટણીમાં બન્ને ભાઈઓ સાથે થાય છે કે નહીં એ તો સમય જ કહેશે, પણ બેઉ ભાઈ વચ્ચે સંબંધ સુધરશે તો કોંગ્રેસ અને એનસીપીને તેનું રાજકીય નુકસાન ભોગવવું પડશે.શિવસેના અને મનસે ‘મરાઠી માણુસ’ નામે રાજકારણ કરે છે. તેમ છતાં બન્ને પક્ષોના એકત્ર આવવામાં ઓછી મુશ્કેલીઓ નથી. વળી, શિવસેના હિન્દુત્વના નામે પણ રાજકારણ કરે છે એટલે જ ભારતીય જનતા પક્ષ(ભાજપ)ની સાથે છેલ્લા બે દશકથી તેનું જોડાણ ટકીને રહ્યું છે, પણ મનસે મરાઠી માણસની સાથે મુસ્લિમ મતદારોને પણ સાંકળવાના પ્રયાસમાં છે.
કસાબના કેસની સુનાવણી ઓગસ્ટમાં હાથ ધરાશે
શહેરને બે દિવસ સુધી બાનમાં રાખનાર અને અત્યાર સુધીનો દેશમાં સૌથી મોટો મનાતો આતંકવાદી હુમલામાં એકમાત્ર જીવતા પકડાયેલા આતંકવાદી અજમલ કસાબે ફાંસીની સજા સામે કરેલી અપીલ પર મુંબઈ હાઈકોર્ટમાં હવે ઓગસ્ટમાં સુનાવણી હાથ ધરવામા આવશે.સુનાવણી દરમિયાન કસાબને આપવામાં આવેલી ફાંસીની સજાને સમર્થન મળે કે તે સજાને આજીવન કેદમાં ફેરવવામાં આવશે તે અંગેનો નિર્ણય હાઈકોર્ટ લેશે.કસાબે સીએસટી, કામા હોસ્પિટલ, મહાપાલિકા માર્ગ, મેટ્રો સિનેમા જંકશન અને ગિરગાંવ ચોપાટીની નજીક અંધાધૂંધ ગોળીબાર કરીને ૭૦ નિર્દોષ લોકોના જીવ લીધા હતા તેમ જ અનેક લોકો તેની બંદૂકમાંથી છુટેલી ગોળીઓને કારણે જખમી થયા હતા.હાઈકોર્ટમાં ૧૭ પેપર બુક (સાક્ષીઓના જવાબ, આરોપીનું કબૂલાતનામું, કોર્ટમાં સાક્ષીઓના પુરાવા અને નિકાલપત્ર વગેરે) જરૂરી હોઈ તેની એક નકલ પણ તપાસ સંસ્થાને તૈયાર રાખવી પડશે. જોકે ન્યાયાધીશ ટાહિલિયાનીએ આ બધો રેકોર્ડ પોતાના લેપટોપમાં સાચવી રાખ્યો હોવાને કારણે રેકોર્ડ બુકનું કામ જલદી થઈ જશે.
કરકરેના ખભામાં ગોળી લાગી હતી: ગૃહમાં ભાજપનો ધડાકો
એટીએસના શહીદ વડા હેમંત કરકરેના ખભામાં ગોળી લાગી હતી. તેમના ગરદનમાં ગોળી લાગી હતી એ રાજ્ય સરકારની માહિતી ખોટી છે, એવો ધડાકો ભાજપે મંગળવારે ગૃહમાં કર્યો હતો.ભાજપી વિધાનસભ્ય દેવેંદ્ર ફડણવીસે મંગળવારે રાજ્ય સરકારની પોલ ખોલી હતી. તેઓ કરકરેનો પોસ્ટમોર્ટમનો અહેવાલ જ ગૃહમાં લઈને આવ્યા હતા.તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારે એવી સ્પષ્ટતા કરી હતી કે કરકરેનું મોત ગરદનમાં ગોળી લાગવાથી થયું છે. હકીકતમાં કરકરેના ખભામાં ગોળી લાગી હતી. કરકરેને કુલ પાંચ ગોળી લાગી હતી એવું પોસ્ટમોર્ટમના અહેવાલમાં સ્પષ્ટ થાય છે.આનો મતલબ એ છે કે કરકરેનું બુલેટપ્રૂફ જેકેટ હલકી ગુણવત્તાનું હતું. સરકાર આ વાત છુપાવવા માટે કરકરેને ગરદનમાં ગોળી લાગીને તેમનું મોત થયું હોવાનું જુઠાણું ચલાવી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.નોંધનીય છે કે આતંકવાદી હુમલામાં કરકરે સહિત ત્રણ ટોચના પોલીસ અધિકારી શહીદ થયા બાદ જેકેટને લઈને ભારે કાદવઉછાળ થયો હતો. સરકાર આ જેકેટ હલકી ગુણવત્તાનાં નહોતાં એવું વારંવાર સ્પષ્ટતા કરતી હતી.
કલેક્ટર ઓફિસમાં એક જ ચર્ચા હવે ઉજવણીનો મૂડ રહેશે..?
અમિત શાહની ધરપકડથી પંદર ઓગસ્ટની ઉજવણી ઝાંખી પડવાની શક્યતા, મુખ્યમંત્રીના બે દિવસના કાર્યક્રમો જાહેર. રાજકોટમાં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી માટે તંત્રે વેગવાન તૈયારીઓ તો આરંભી છે પરંતુ પ્રવાહી રાજકીય સ્થિતિની અસર આ ઉજવણી પર કેવી થશે તે હવે ‘હોટ ડસ્કિશન’નો વિષય છે. સમગ્ર તંત્રમાં અને બહાર પણ એ ચર્ચા છે કે જે ભવ્યતા અને એક ઉત્સાહથી આ ઉજવણી થવાની હતી તે રીતે હવે થઇ શકશે? સ્થાનિક આગેવાનો અને આવનારા નેતાઓ મંત્રીઓના મોરલ પર આ ઉજવણી માટે કેવી અસર થશે તે પણ અગત્યનું છે. જો કે આ બધી વાતો વચ્ચે આજે તા.૧૪ અને ૧૫ ઓગસ્ટના મુખ્ય કાર્યક્રમો તો નક્કી થઇ પણ ગયા છે.તા.૧૪ ઓગસ્ટે મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી આખો દિવસ રાજકોટમાં રહેશે, સવારે ૯ વાગ્યે વિરાણી હાઇસ્કૂલ ખાતેથી ‘વાંચે ગુજરાત’ અભિયાન અંતર્ગત જ્ઞાનપ્રબોધિની રેલી નીકળશે જેમાં તેઓ હાજરી આપશે. તે જિ દવસે યુનિવર્સિટી ખાતે એક ભવનનું લોકાર્પણ થશે. સાંજે રાજકોટ મહાનગરપાલિકાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત થશે અને ત્યાર બાદ પ્રધ્યુમનપાર્કના નવાં પ્રાણી સંગ્રહાલયનું તેઓ લોકાર્પણ કરશે. સાંજે ગવર્નરની હાજરીમાં એટ હોમ કાર્યક્રમ યોજાશે. અને પંદરમીએ સવારે ભવ્ય પરેડ સાથે સી.એમ.રાજકોટમાં ધ્વજવંદન કરશે.
10 વર્ષની દુલ્હન અને 40નો દુલ્હો!
ઉત્તર પ્રદેશના કુશીનગરનમાં 10 વર્ષની એક બાળકીના લગ્ન તેના પરિવારજનોએ 40 વર્ષના પુરુષ સાથે કરાવી દીધા હતાં. આ પુરુષની સૌથી નાની પુત્રી આ બાલિકાવધૂથી બે વર્ષ મોટી છે. તેમજ તેની બીજી પુત્રીની ઉંમર 11 વર્ષ છે.રમાપુર બંગરા નિવાસી છાયા(કાલ્પનિક નામ) સ્થાનિક વિદ્યાલયમાં પાંચમાં ધોરણમાં અભ્યાસ કરે છે. હવે આ અબુદ્ધ બાળકી 40 વર્ષીય પુરુષ સાથે પોતાની જિંદગી વિતાવવા માટે મજબૂર છે.આશ્ચર્યની વાત એ છે કે છાયાની માતા સમગ્ર ષડયંત્ર રચનાર લોકોના દબાણમાં હતી. તેમજ તેના પતિ યોગેન્દ્ર સિંહની મનાઈ છતાં તેણે 40 વર્ષના પુરુષ સાથે પુત્રીના લગ્ન કરવા માટે જીદ પકડી હતી.પોલીસ અધિકારી લવ કુમારનું કહેવું છે કે અમે હાલમાં આ કેસની તપાસ કરી રહ્યા છીએ. તેમજ છાયાને જરૂર ન્યાય મળશે.
વણઝારાએ કૌસરબીની લાશને આગ ચાંપી હતી
સીબીઆઇની ચાર્જશીટ પ્રમાણે કૌસરબીની લાશને ઈલોલ લઈ ગયા બાદ નાથુભા જાડેજા અને ઇન્સપેક્ટર એન. વી. ચૌહાણે મૃતદેહ પર લાકડાં ગોઠવ્યાં હતાં.ત્યાર બાદ પીએસઆઇ બાલકૃષ્ણ ચૌબે જીપમાંથી ડીઝલનો કેરબો લઈ આવ્યો હતો અને ડીઝલ કૌસરબીની લાશ પર છાંટ્યું હતું. તે પછી ડી. જી. વણઝારાએ માચીસ સળગાવી કૌસરબીની ચિતાને આગ ચાંપી હતી.નજીકના ચેકડેમમાંથી પાણી લાવી ચિતા ઠારીને એક કોથળામાં અસ્થિઓ ભરીને ચૌબે અને એન.વી. ચૌહાણ નર્મદા નદીમાં કોથળો નાખી આવ્યા હતા.
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
28 July 2010
સેહવાગ નર્વસ 99, ભારતને ત્રીજો ઝટકો
visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
સેહવાગ નર્વસ 99, ભારતને ત્રીજો ઝટકો
કોલંબો ખાતે શ્રીલંકાએ આપેલા 642 રનના મહાપડકારનો પીછો કરી રહેલી ભારતીય ટીમે ત્રીજા દિવસની રમતની શરૂઆત કરી છે. જો કે, ત્રીજા દિવસે ભારતની શરૂઆત ધીમી રહી છે. અને ભારતને શરૂઆતના કલાકોમાં જ બે ઝટકા પહોંચ્યા છે. વિરેન્દ્ર સેહવાગ રાંડિવની ઓવરમાં એક બોલ સમજવામાં થાપ ખાઇ જતા એચ. જયવર્દનેને કેચ દઇ બેઠો હતો. તેણે વિસ્ફોટક અંદાજમાં 15 ચોગ્ગાની મદદથી 99 રન બનાવ્યા હતા.સેહવાગની વિકેટ પડ્યા બાદ ભારતની બેટિંગ લાઇન નબળી પડી ગઇ હોય તેમ મુરલી વિજય 58 રન પર મેન્ડિસનો શિકાર બન્યો હતો. તેણે 58 રન આઠ ચોગ્ગાની મદદથી ફટકાર્યા હતા. જ્યારે દ્રવિડ માત્ર 3 રનમાં પેવેલિયન ભેગો થઇ ગયો હતો. તેને રાન્ડિવે એલબી કર્યો હતો. આ પહેલા બીજા દિવસના અંતે ભારતે વિરેન્દ્ર સેહવાગના 64 અને મુરલી વિજયના 22 રનની મદદથી 95 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ બીજા દિવસે ચાર વિકેટ ગુમાવીને 642 રન પર દાવ ડિક્લેર કરીને ભારત સામે વિશાળ પડકાર મુક્યો હતો. જેના જવાબમાં ભારત તરફથી વિરેન્દ્ર સેહવાગે તેની આક્રમક શૈલીમાં અડધી સદી ફટકારી હતી. અને ભારતને આક્રમક શરૂઆત આપી હતી. જ્યારે મુરલી વિજય કે જેનો ગૌતમ ગંભીરના સ્થાને ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેણે સમજદારીપૂર્વકની બેટિંગ કરીને ભારતીય સ્કોર બોર્ડને ફરતું રાખ્યું છે.
આસિફ કાનપુરમાં કોચિંગ કરશે!
લીડ્સ ખાતેની મેચમાં પાકિસ્તાનને 15 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે વિજય અપાવવામાં બોલિંગ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર પાકિસ્તાની બોલર મહોમ્મદ આસિફ મોલીવૂડની ફિલ્મમાં એક અભિનેતા તરીકે પર્દાર્પણ કરવાનો છે.મલયાલમ લિરિસિસ્ટ કાઇથાપરમ ડામોદરમ નામબૂથિરિના દિગ્દર્શન હેઠળ બનનારી ફિલ્મ માઝાવિલિનાટ્ટામ્વારેમાં મુખ્ય ભૂમિકા માટેપાકિસ્તાનના ઝડપી બોલર આસિફને પસંદ કરવામાં આવ્યો છે.કાઇથાપરમે જણાવ્યું હતું કે, આસિફ ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર થઇ ગયો છે. અને તારીખો પણ આપી દીધી છે. તે 20 સપ્ટેંબર સુધી ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં વ્યસ્ત છે. અમને આશા છે કે અમે સપ્ટેંબર માસના અંતમાં કાનપુર ખાતે ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશું.
તો સંગાકારા ક્રિકેટર નહીં ટેનિસ પ્લેયર હોત'
કોલંબો ટેસ્ટમાં ભારત સામે બેવડી સદી ફટકારનાર શ્રીલંકા ટીમના સુકાની કુમાર સંગાકારાના માતા કુમારી સંગાકારાએ કહ્યું છે કે તેઓ કુમાર સંગાકારાના કોલેજ અને સ્કુલના પ્રિન્સિપાલ લિયોનાર્ડ દે એલ્વિસના આભારને ક્યારેયપણ નહીં ભૂલે. તેઓ કેન્ડિની ટ્રિનિટિ સ્કૂલ અને કોલેજમાં એ વખતે પ્રિન્સિપાલ હતા. જ્યારે કુમાર સંગાકારાએ કોલેજની મેચમાં સદી ફટકારી હતી.
દે એલ્વિસે કુમારી સંગાકારાને સલાહ આપી હતી કે, તેમના પુત્રમાં એક ક્રિકેટર બનવાની પ્રતિભા છે. અને તમારે તેને એક ક્રિકેટર બનાવવો જોઇએ. હાલ કેન્ડિની ગ્રીન હિલ સ્કુલના પ્રિન્સિપાલ તરીકે કાર્યરત ડે એલ્વિસે કહ્યું કે, સંગાકારાની માતા તેમના પુત્રને લઇને ગુચવણમાં હતા કારણ કે તે ટેનિસ અને ક્રિકેટ બન્નેમાં પ્રતિભાશાળી હતો. પરંતુ મે તેઓને સલાહ આપી હતી કે, તમે તમારા પુત્રને ક્રિકેટ રમવા માટે દબાણ કરો.તેમણે કહ્યું કે, મે કુમાર સંગાકારાની પ્રતિભાને અન્ડર-13 અને અન્ડર-15 ટુર્નામેન્ટમાં જોઇ છે. તેણે પોતાની પ્રતિભા થકી બધા પર ઘણી સારી છાપ છોડી હતી. હાલ સંગાકારા કોલંબોમાં રહે છે. પરંતુ તેના માતા- પિતા હજૂ પણ કેન્ડીમાં રહે છે. અને મને મળે છે. તથા મારો આભાર માને છે.કોલંબો ટેસ્ટના બીજા દિવસે સાતમી બેવડી સદી ફટકારનાર સંગાકારા ક્યારેયપણ તેના પ્રિન્સિપાલના યોગદાનને ભુલતો નથી. તેણે ગયા વર્ષે જ પ્રિન્સિપાલ માટે એક પાર્ટીનું આયોજન કર્યું હતું.
'પાકની બોલિંગ એટલી ખતરનાક નથી કે..
ઇંગ્લેન્ડના બેટ્સમેન પોલ કોલિંગવૂડનું માનવું છે કે, ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ સાત વિકેટથી જીતીને પાકિસ્તાને સાબિત કર્યું છે કે તેમની બોલિંગ લાઇન સારી છે. પરંતુ તેને વિશ્વની નંબર વન બોલિંગ લાઇન કહેવું એ વધારે પડતું છે.ઓસ્ટ્રેલિયા સામે 15 વર્ષ પછી વિજય મેળવ્યા બાદ તાત્કાલિન સુકાની સલમાન બટ્ટે કહ્યું હતું કે, તેમની ટીમના હાલના ત્રણ ઝડપી બોલરો મોહમ્મદ ઓમર, ઉમર ગુલ અને મહમોમ્મદ આસિફ નવા બોલમાં બોલિંગ કરવામાં ઘણા સારા છે. હું જ્યારથી જોતો આવ્યો છું. ત્યારથી ઓસ્ટ્રેલિયાના મહાન બોલર ગ્લેન મેગ્રા બાદ આ ત્રિપુટી નવા બોલમાં ધારદાર બોલિંગ નાંખવામાં સફળ રહી છે.જો કે, ઇંગ્લેન્ડના ખેલાડી કોલિંગવૂડનું કંઇક અલગ જ માનવું છે. તેણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના બોલરો વિશ્વના સૌથી સારા બોલરો છે. મારું માનવું છે કે, પાકિસ્તાનના બોલરો ઘણા પ્રતિભાશાળી છે. પરંતુ તેને વિશ્વનું નંબર વન બોલિંગ આક્રમણ કહેવું એ અતિશ્યોક્તિ ભરેલું છે. તેણે ઉમેર્યું કે, પાકિસ્તાનના બોલરો એવી સ્થિતિમાં રમ્યા હતા જ્યાં પીચ તરફથી બોલરોને મદદ મળતી હતી. મારી માટે ઓસ્ટ્રેલિયાનું બોલિંગ આક્રમણ ઘણું જ સ્ટ્રોંગ છે.
ફેડરર નવા કોચ પાસે કોચિંગ લેશે
સ્વિટ્ઝર્લેન્ડના સ્ટાર ટેનિસ ખેલાડી રોજર ફેડરરે પોતાના નવા કોચ તરીકે બ્રિટનના પોલ એનાકોનની વરણી કરી છે જે હાલમાં અમેરિકા ખાતે વિશ્વના કેટલાક પ્રતિભાશાળી ખેલાડીઓ સાથે કાર્ય કરી રહ્યા છે અને તે ફેડરર સાથે ગણતરીના દિવસો સુધી જ કાર્ય કરે તેવી સંભાવના છે. પોલ અત્યારે અમેરિકામાં છે.
ધોનીની સચિન સાથે સરખામણી મોટી મૂર્ખામી
થોડા દિવસ પહેલા જ સમાચાર હતા કે ટીમ ઈન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરને પાછળ રાખીને સૌથી મોટો એન્ડોર્સમેન્ટ કરાર કર્યો. તાજેતરમાં જ ધોનીએ રીતિ કંપની સાથે રૂ. 210 કરોડનો કરાર કર્યો છે. આ પહેલા સચિન તેંડુલકરે એક કંપની સાથે રૂ.180 કરોડનો કરાર કર્યો હતો.સૌ પ્રથમ તો ધોનીને તેની આ વાત માટે અભિનંદન પાઠવું છું કે તેને આટલા જંગી રૂપિયાનો કરાર મળ્યો. પરંતુ મીડિયામાં ધોનીએ સચિનને પાછળ રાખ્યો તે વાત વધારે ચર્ચાતી રહી હતી. આમ ધોનીની સરખામણી સચિન સાથે કરવામાં આવી હતી. જે તદ્દન અયોગ્ય અને ગેરવ્યાજબી વાત છે.જો કે હું પહેલા જ સ્પષ્ટ કરી દઉં કે હું મારી વાત દ્વારા ધોનીની સિદ્ધિઓની અને તેની સફળતાની અવગણના કરવા માંગતો નથી. પરંતુ તેની સચિન સાથે સરખામણી કરવી તે તદ્દન વાહિયાત વાત છે. કેમ કે ક્રિકેટ જગતમાં સચિન આજે તે ઉંચાઈએ અને એક એવા સ્તરે છે જ્યાં તેની સરખામણી વર્તમાન ખેલાડીઓ સાથે કરવી તદ્દન ખોટી વાત ગણાશે. હાલની પેઢીના એક પણ ખેલાડીની સચિન સાથે સરખામણી કરી શકાય તેમ નથી.કેમ કે સચિને જાતે ક્રિકેટના ભગવાનનું બિરૂદ હાંસલ નથી કર્યુ પરંતુ લોકો તેને ક્રિકેટના ભગવાન તરીકે જુએ છે. હવે સચિનની કિંમત પૈસા કે તે કેટલા રૂપિયા કમાય છે તેના દ્વારા કરવી યોગ્ય ગણાશે નહીં. કેમ કે ખુદ સચિને જ કહ્યું હતું કે તેની કિંમત પૈસાથી નહીં રનથી કરવી જોઈએ. ક્રિકેટ જગતને બીજો સચિન મળશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.
શ્રીલંકન ક્રિકેટ ટીમના સુકાની સંગાકરાની સાતમી બેવડી સદી
શ્રીલંકન ક્રિકેટ ટીમના સુકાની કુમાર સંગાકરા મંગળવારે ભારત સામે શાનદાર ૨૧૯ રન ફટકારવાની સાથે ટેસ્ટ ઈતિહાસમાં સૌથી વધારે બેવડી સદી નોંધાવનારા ખેલાડીઓમાં ત્રીજા ક્રમે આવી ગયો હતો. સર ડોન બ્રેડમેન અને બ્રાયન લારા જ તેના કરતાં વધારે બેવડી સદી નોંધાવી શક્યા છે.ઇંગ્લેન્ડના વોલી હેમન્ડે ૮૫ ટેસ્ટમાં સાત બેવડી સદી ફટકારી છે તો સંગાકરાએ તેની ૯૦મી ટેસ્ટ રમતાં સાત બેવડી સદી નોંધાવી છે, આમ સંગાકરા અને હેમન્ડ સંયુક્તપણે ત્રીજા ક્રમે આવી ગયા છે.ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેને માત્ર બાવન ટેસ્ટ રમીને ૧૨ તથા બ્રાયન લારાએ ૧૩૧ ટેસ્ટમાં નવ બેવડી સદી ફટકારી છે. ભારતનો વીરેન્દ્ર સેહવાગ ૭૮ ટેસ્ટમાં છ બેવડી સદી ફટકારી ચૂક્યો છે.
પાકિસ્તાનમાં વિમાન દુર્ઘટના, 100થી વધારેના મોતની આશંકા
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ નજીક મારગલા પહાડી વિસ્તારમાં આજે સવારે એરબ્લ્યૂ ફ્લાઈટનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાથી 100થી વધારે મુસાફરો અને ક્રુ મેમ્બરના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જીયો ટીવીના જણાવ્યા પ્રમાણે વિમાનમાં 153 મુસાફરો અને 6 ક્રુ મેમ્બર સહિત કુલ 159 લોકો સવાર હતાં. વિમાન તુર્કીથી કરાચી થઈને ઈસ્લામાબાદ જઈ રહ્યું હતું. વિમાને સવારે 7.50 વાગ્યે કરાચીથી ઈસ્લામાબાદ માટે ઉડાન ભરી હતી.સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈસ્લામાબાદની નજીક આવેલી મારગલા પહાડી ખાતે આ બનાવ બન્યો છે. વિમાને ઉડાન ભર્યાના થોડા સમય બાદ એર કંટ્રોલ રૂમ સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો. ત્યાર પછી થોડા સમય બાદ પ્લેન ક્રેશ થયાના સમાચાર આવ્યા હતાં. ઘટના બાદ બચાવ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. પહાડી વિસ્તાર તેમજ ઈસ્લામાબાદમાં વરસાદ હોવાને કારણે બચવા ટુકડીને દુર્ઘટનાસ્થળ સુધી પહોંચવામાં ઘણી મહેનત કરવી પડી હતી. રાહત કાર્ય માટે સેન્યના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે.ટીવી સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્લેન ક્રેશ થયા બાદ દુર્ઘટના સ્થળ પર ઘુમાડો જોવા મળ્યો હતો. હાલમાં દુર્ઘટનાના કારણ અંગે કોઈ જાણકારી મળી શકી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ખરાબ વાતાવરણને કારણે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાની સંભાવના છે. દુર્ઘટના બાદ કરાચી અને ઈસ્લામાબાદ વચ્ચેની ઉડાનો રદ્દ કરી દેવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી પર હુમલો
ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી સાથે મારપીટ કરવાના ગુનામાં પોલીસ દ્વારા ત્રણ ઓસ્ટ્રેલિયન યુવકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરી 6ના રોજ ચાલુ બસમાં ત્રણેય યુવકો દ્વારા ભારતીય વિદ્યર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ ત્રણેય સામે વંશીય ભેદભાવ રાખી હુમલો કરવાનો ગુનો દાખલ કર્યો છે.ત્રણમાંથી બે યુવકો પર જાણી જોઈને વંશીય ભેદભાવ રાખી ઈરાદાપૂર્વક હુમલો કરવા બદલ પોલીસ તેમની સામે ગુનો દાખલ કર્યો છે. ત્રણેયને ફ્રેન્કસ્ટોન મેજીસ્ટ્રેટ કોર્ટમાં પહેલી સપ્ટેમ્બરના રોજ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.વિક્ટોરિયા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વંશીય ભેદભાવ રાખીને કરવામાં આવતા હુમલાને જરા પણ સાખી લેવામાં નહીં આવે. તેમજ આનાથી હુમલાખોરોની વચ્ચે એક પ્રકારનો સંદેશો પહોંચશે.
સેહવાગ નર્વસ 99, ભારતને ત્રીજો ઝટકો
કોલંબો ખાતે શ્રીલંકાએ આપેલા 642 રનના મહાપડકારનો પીછો કરી રહેલી ભારતીય ટીમે ત્રીજા દિવસની રમતની શરૂઆત કરી છે. જો કે, ત્રીજા દિવસે ભારતની શરૂઆત ધીમી રહી છે. અને ભારતને શરૂઆતના કલાકોમાં જ બે ઝટકા પહોંચ્યા છે. વિરેન્દ્ર સેહવાગ રાંડિવની ઓવરમાં એક બોલ સમજવામાં થાપ ખાઇ જતા એચ. જયવર્દનેને કેચ દઇ બેઠો હતો. તેણે વિસ્ફોટક અંદાજમાં 15 ચોગ્ગાની મદદથી 99 રન બનાવ્યા હતા.સેહવાગની વિકેટ પડ્યા બાદ ભારતની બેટિંગ લાઇન નબળી પડી ગઇ હોય તેમ મુરલી વિજય 58 રન પર મેન્ડિસનો શિકાર બન્યો હતો. તેણે 58 રન આઠ ચોગ્ગાની મદદથી ફટકાર્યા હતા. જ્યારે દ્રવિડ માત્ર 3 રનમાં પેવેલિયન ભેગો થઇ ગયો હતો. તેને રાન્ડિવે એલબી કર્યો હતો. આ પહેલા બીજા દિવસના અંતે ભારતે વિરેન્દ્ર સેહવાગના 64 અને મુરલી વિજયના 22 રનની મદદથી 95 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ બીજા દિવસે ચાર વિકેટ ગુમાવીને 642 રન પર દાવ ડિક્લેર કરીને ભારત સામે વિશાળ પડકાર મુક્યો હતો. જેના જવાબમાં ભારત તરફથી વિરેન્દ્ર સેહવાગે તેની આક્રમક શૈલીમાં અડધી સદી ફટકારી હતી. અને ભારતને આક્રમક શરૂઆત આપી હતી. જ્યારે મુરલી વિજય કે જેનો ગૌતમ ગંભીરના સ્થાને ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેણે સમજદારીપૂર્વકની બેટિંગ કરીને ભારતીય સ્કોર બોર્ડને ફરતું રાખ્યું છે.
આસિફ કાનપુરમાં કોચિંગ કરશે!
લીડ્સ ખાતેની મેચમાં પાકિસ્તાનને 15 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે વિજય અપાવવામાં બોલિંગ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર પાકિસ્તાની બોલર મહોમ્મદ આસિફ મોલીવૂડની ફિલ્મમાં એક અભિનેતા તરીકે પર્દાર્પણ કરવાનો છે.મલયાલમ લિરિસિસ્ટ કાઇથાપરમ ડામોદરમ નામબૂથિરિના દિગ્દર્શન હેઠળ બનનારી ફિલ્મ માઝાવિલિનાટ્ટામ્વારેમાં મુખ્ય ભૂમિકા માટેપાકિસ્તાનના ઝડપી બોલર આસિફને પસંદ કરવામાં આવ્યો છે.કાઇથાપરમે જણાવ્યું હતું કે, આસિફ ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર થઇ ગયો છે. અને તારીખો પણ આપી દીધી છે. તે 20 સપ્ટેંબર સુધી ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં વ્યસ્ત છે. અમને આશા છે કે અમે સપ્ટેંબર માસના અંતમાં કાનપુર ખાતે ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશું.
તો સંગાકારા ક્રિકેટર નહીં ટેનિસ પ્લેયર હોત'
કોલંબો ટેસ્ટમાં ભારત સામે બેવડી સદી ફટકારનાર શ્રીલંકા ટીમના સુકાની કુમાર સંગાકારાના માતા કુમારી સંગાકારાએ કહ્યું છે કે તેઓ કુમાર સંગાકારાના કોલેજ અને સ્કુલના પ્રિન્સિપાલ લિયોનાર્ડ દે એલ્વિસના આભારને ક્યારેયપણ નહીં ભૂલે. તેઓ કેન્ડિની ટ્રિનિટિ સ્કૂલ અને કોલેજમાં એ વખતે પ્રિન્સિપાલ હતા. જ્યારે કુમાર સંગાકારાએ કોલેજની મેચમાં સદી ફટકારી હતી.
દે એલ્વિસે કુમારી સંગાકારાને સલાહ આપી હતી કે, તેમના પુત્રમાં એક ક્રિકેટર બનવાની પ્રતિભા છે. અને તમારે તેને એક ક્રિકેટર બનાવવો જોઇએ. હાલ કેન્ડિની ગ્રીન હિલ સ્કુલના પ્રિન્સિપાલ તરીકે કાર્યરત ડે એલ્વિસે કહ્યું કે, સંગાકારાની માતા તેમના પુત્રને લઇને ગુચવણમાં હતા કારણ કે તે ટેનિસ અને ક્રિકેટ બન્નેમાં પ્રતિભાશાળી હતો. પરંતુ મે તેઓને સલાહ આપી હતી કે, તમે તમારા પુત્રને ક્રિકેટ રમવા માટે દબાણ કરો.તેમણે કહ્યું કે, મે કુમાર સંગાકારાની પ્રતિભાને અન્ડર-13 અને અન્ડર-15 ટુર્નામેન્ટમાં જોઇ છે. તેણે પોતાની પ્રતિભા થકી બધા પર ઘણી સારી છાપ છોડી હતી. હાલ સંગાકારા કોલંબોમાં રહે છે. પરંતુ તેના માતા- પિતા હજૂ પણ કેન્ડીમાં રહે છે. અને મને મળે છે. તથા મારો આભાર માને છે.કોલંબો ટેસ્ટના બીજા દિવસે સાતમી બેવડી સદી ફટકારનાર સંગાકારા ક્યારેયપણ તેના પ્રિન્સિપાલના યોગદાનને ભુલતો નથી. તેણે ગયા વર્ષે જ પ્રિન્સિપાલ માટે એક પાર્ટીનું આયોજન કર્યું હતું.
'પાકની બોલિંગ એટલી ખતરનાક નથી કે..
ઇંગ્લેન્ડના બેટ્સમેન પોલ કોલિંગવૂડનું માનવું છે કે, ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ સાત વિકેટથી જીતીને પાકિસ્તાને સાબિત કર્યું છે કે તેમની બોલિંગ લાઇન સારી છે. પરંતુ તેને વિશ્વની નંબર વન બોલિંગ લાઇન કહેવું એ વધારે પડતું છે.ઓસ્ટ્રેલિયા સામે 15 વર્ષ પછી વિજય મેળવ્યા બાદ તાત્કાલિન સુકાની સલમાન બટ્ટે કહ્યું હતું કે, તેમની ટીમના હાલના ત્રણ ઝડપી બોલરો મોહમ્મદ ઓમર, ઉમર ગુલ અને મહમોમ્મદ આસિફ નવા બોલમાં બોલિંગ કરવામાં ઘણા સારા છે. હું જ્યારથી જોતો આવ્યો છું. ત્યારથી ઓસ્ટ્રેલિયાના મહાન બોલર ગ્લેન મેગ્રા બાદ આ ત્રિપુટી નવા બોલમાં ધારદાર બોલિંગ નાંખવામાં સફળ રહી છે.જો કે, ઇંગ્લેન્ડના ખેલાડી કોલિંગવૂડનું કંઇક અલગ જ માનવું છે. તેણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના બોલરો વિશ્વના સૌથી સારા બોલરો છે. મારું માનવું છે કે, પાકિસ્તાનના બોલરો ઘણા પ્રતિભાશાળી છે. પરંતુ તેને વિશ્વનું નંબર વન બોલિંગ આક્રમણ કહેવું એ અતિશ્યોક્તિ ભરેલું છે. તેણે ઉમેર્યું કે, પાકિસ્તાનના બોલરો એવી સ્થિતિમાં રમ્યા હતા જ્યાં પીચ તરફથી બોલરોને મદદ મળતી હતી. મારી માટે ઓસ્ટ્રેલિયાનું બોલિંગ આક્રમણ ઘણું જ સ્ટ્રોંગ છે.
ફેડરર નવા કોચ પાસે કોચિંગ લેશે
સ્વિટ્ઝર્લેન્ડના સ્ટાર ટેનિસ ખેલાડી રોજર ફેડરરે પોતાના નવા કોચ તરીકે બ્રિટનના પોલ એનાકોનની વરણી કરી છે જે હાલમાં અમેરિકા ખાતે વિશ્વના કેટલાક પ્રતિભાશાળી ખેલાડીઓ સાથે કાર્ય કરી રહ્યા છે અને તે ફેડરર સાથે ગણતરીના દિવસો સુધી જ કાર્ય કરે તેવી સંભાવના છે. પોલ અત્યારે અમેરિકામાં છે.
ધોનીની સચિન સાથે સરખામણી મોટી મૂર્ખામી
થોડા દિવસ પહેલા જ સમાચાર હતા કે ટીમ ઈન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરને પાછળ રાખીને સૌથી મોટો એન્ડોર્સમેન્ટ કરાર કર્યો. તાજેતરમાં જ ધોનીએ રીતિ કંપની સાથે રૂ. 210 કરોડનો કરાર કર્યો છે. આ પહેલા સચિન તેંડુલકરે એક કંપની સાથે રૂ.180 કરોડનો કરાર કર્યો હતો.સૌ પ્રથમ તો ધોનીને તેની આ વાત માટે અભિનંદન પાઠવું છું કે તેને આટલા જંગી રૂપિયાનો કરાર મળ્યો. પરંતુ મીડિયામાં ધોનીએ સચિનને પાછળ રાખ્યો તે વાત વધારે ચર્ચાતી રહી હતી. આમ ધોનીની સરખામણી સચિન સાથે કરવામાં આવી હતી. જે તદ્દન અયોગ્ય અને ગેરવ્યાજબી વાત છે.જો કે હું પહેલા જ સ્પષ્ટ કરી દઉં કે હું મારી વાત દ્વારા ધોનીની સિદ્ધિઓની અને તેની સફળતાની અવગણના કરવા માંગતો નથી. પરંતુ તેની સચિન સાથે સરખામણી કરવી તે તદ્દન વાહિયાત વાત છે. કેમ કે ક્રિકેટ જગતમાં સચિન આજે તે ઉંચાઈએ અને એક એવા સ્તરે છે જ્યાં તેની સરખામણી વર્તમાન ખેલાડીઓ સાથે કરવી તદ્દન ખોટી વાત ગણાશે. હાલની પેઢીના એક પણ ખેલાડીની સચિન સાથે સરખામણી કરી શકાય તેમ નથી.કેમ કે સચિને જાતે ક્રિકેટના ભગવાનનું બિરૂદ હાંસલ નથી કર્યુ પરંતુ લોકો તેને ક્રિકેટના ભગવાન તરીકે જુએ છે. હવે સચિનની કિંમત પૈસા કે તે કેટલા રૂપિયા કમાય છે તેના દ્વારા કરવી યોગ્ય ગણાશે નહીં. કેમ કે ખુદ સચિને જ કહ્યું હતું કે તેની કિંમત પૈસાથી નહીં રનથી કરવી જોઈએ. ક્રિકેટ જગતને બીજો સચિન મળશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.
શ્રીલંકન ક્રિકેટ ટીમના સુકાની સંગાકરાની સાતમી બેવડી સદી
શ્રીલંકન ક્રિકેટ ટીમના સુકાની કુમાર સંગાકરા મંગળવારે ભારત સામે શાનદાર ૨૧૯ રન ફટકારવાની સાથે ટેસ્ટ ઈતિહાસમાં સૌથી વધારે બેવડી સદી નોંધાવનારા ખેલાડીઓમાં ત્રીજા ક્રમે આવી ગયો હતો. સર ડોન બ્રેડમેન અને બ્રાયન લારા જ તેના કરતાં વધારે બેવડી સદી નોંધાવી શક્યા છે.ઇંગ્લેન્ડના વોલી હેમન્ડે ૮૫ ટેસ્ટમાં સાત બેવડી સદી ફટકારી છે તો સંગાકરાએ તેની ૯૦મી ટેસ્ટ રમતાં સાત બેવડી સદી નોંધાવી છે, આમ સંગાકરા અને હેમન્ડ સંયુક્તપણે ત્રીજા ક્રમે આવી ગયા છે.ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેને માત્ર બાવન ટેસ્ટ રમીને ૧૨ તથા બ્રાયન લારાએ ૧૩૧ ટેસ્ટમાં નવ બેવડી સદી ફટકારી છે. ભારતનો વીરેન્દ્ર સેહવાગ ૭૮ ટેસ્ટમાં છ બેવડી સદી ફટકારી ચૂક્યો છે.
પાકિસ્તાનમાં વિમાન દુર્ઘટના, 100થી વધારેના મોતની આશંકા
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ નજીક મારગલા પહાડી વિસ્તારમાં આજે સવારે એરબ્લ્યૂ ફ્લાઈટનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાથી 100થી વધારે મુસાફરો અને ક્રુ મેમ્બરના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જીયો ટીવીના જણાવ્યા પ્રમાણે વિમાનમાં 153 મુસાફરો અને 6 ક્રુ મેમ્બર સહિત કુલ 159 લોકો સવાર હતાં. વિમાન તુર્કીથી કરાચી થઈને ઈસ્લામાબાદ જઈ રહ્યું હતું. વિમાને સવારે 7.50 વાગ્યે કરાચીથી ઈસ્લામાબાદ માટે ઉડાન ભરી હતી.સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈસ્લામાબાદની નજીક આવેલી મારગલા પહાડી ખાતે આ બનાવ બન્યો છે. વિમાને ઉડાન ભર્યાના થોડા સમય બાદ એર કંટ્રોલ રૂમ સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો. ત્યાર પછી થોડા સમય બાદ પ્લેન ક્રેશ થયાના સમાચાર આવ્યા હતાં. ઘટના બાદ બચાવ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. પહાડી વિસ્તાર તેમજ ઈસ્લામાબાદમાં વરસાદ હોવાને કારણે બચવા ટુકડીને દુર્ઘટનાસ્થળ સુધી પહોંચવામાં ઘણી મહેનત કરવી પડી હતી. રાહત કાર્ય માટે સેન્યના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે.ટીવી સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્લેન ક્રેશ થયા બાદ દુર્ઘટના સ્થળ પર ઘુમાડો જોવા મળ્યો હતો. હાલમાં દુર્ઘટનાના કારણ અંગે કોઈ જાણકારી મળી શકી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ખરાબ વાતાવરણને કારણે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાની સંભાવના છે. દુર્ઘટના બાદ કરાચી અને ઈસ્લામાબાદ વચ્ચેની ઉડાનો રદ્દ કરી દેવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી પર હુમલો
ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી સાથે મારપીટ કરવાના ગુનામાં પોલીસ દ્વારા ત્રણ ઓસ્ટ્રેલિયન યુવકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરી 6ના રોજ ચાલુ બસમાં ત્રણેય યુવકો દ્વારા ભારતીય વિદ્યર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ ત્રણેય સામે વંશીય ભેદભાવ રાખી હુમલો કરવાનો ગુનો દાખલ કર્યો છે.ત્રણમાંથી બે યુવકો પર જાણી જોઈને વંશીય ભેદભાવ રાખી ઈરાદાપૂર્વક હુમલો કરવા બદલ પોલીસ તેમની સામે ગુનો દાખલ કર્યો છે. ત્રણેયને ફ્રેન્કસ્ટોન મેજીસ્ટ્રેટ કોર્ટમાં પહેલી સપ્ટેમ્બરના રોજ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.વિક્ટોરિયા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વંશીય ભેદભાવ રાખીને કરવામાં આવતા હુમલાને જરા પણ સાખી લેવામાં નહીં આવે. તેમજ આનાથી હુમલાખોરોની વચ્ચે એક પ્રકારનો સંદેશો પહોંચશે.
બર્ફાની બાબા ચાર ફૂટના થઇ ગયા
visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
બર્ફાની બાબા ચાર ફૂટના થઇ ગયા
પવિત્ર અમરનાથ બાબાનું હિમશિવલિંગ દિવસે-દિવસે ઓગળી રહ્યું છે. હાલ, શિવલિંગની ઊંચાઇ માત્ર ચાર ફૂટ જેટલી રહી ગઇ છે. જુલાઇ માસની શરૂઆતના સમયમાં શિવલિંગ બાર ફૂટનું થઇ ગયું હતું.દરવર્ષ કરતા આ વખતે શ્રદ્ધાળુઓનો ધસારો વધુ હોવાના કારણે, બરફના શિવલિંગ ઓગલી રહ્યું છે. ગતવર્ષે લગભગ ચાર લાખ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા હતા. જ્યારે ચાલુ વર્ષે અત્યારસુધી સાડા ત્રણ લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે.ગ્લોબલ વોર્મિંગ વધુ શ્રદ્ધાળુઓની સંખ્યા સહિતના કારણો જવાબદાર છે. આવી રીતે જો શિવલિંગ ઓગળતું રહ્યું તો યાત્રા પૂરી થતા પહેલા સુધી જ શિવલિંગ ઓગળી જશે. વર્ષ 2008 અને 2009 યાત્રા દરમિયાન સમગ્ર સમયે શિવલિંગ હિમસ્વરૂપમાં રહ્યું હતું.બીજી બાજુ, આજે વધુ જથ્થાને જમ્મુથી બાલતાલ કે પહેલગામના રસ્તેથી ગુફા માટે જવા માટે શ્રદ્ધાળુઓને મંજૂરી આપવામાં આવી ન હતી. ઉપરાંત જમ્મુથી કોઇ જથ્થાના સંબંધિત જવાની મંજૂરી આપવામા આવી ન હતી. દરમિયાન અમરનાથ યાત્રામાં આવેલા વધુ બે શ્રદ્ધાળુઓના મોત થયા છે. તેમાંથી એક શ્રદ્ધાળુ રાજસ્થાનના તથા અન્ય એક શ્રદ્ધાળુ મહારાષ્ટ્રના હતા.
જીરાવાલા જામીન માટે સી. બી.આઇ. સેસન્સ કોર્ટમાં અરજી કરે તેવી શક્યતા
અર્હમ ફાર્મ હાઉસના માલીક રાજુ જીરાવાલા આજે સ્પેશિયલ સીબીઆઇ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરે તેવી શક્યતા છે. સોહરાબુદ્દીન મર્ડર કેસમાં સીબીઆઇ દ્વારા ધરપકડ કરાયેલા અર્હમ ફાર્મહાઉસના માલીક અને કોર્પોરેટર સુરેન્દ્ર જીરાવાલાના ભાઇ રાજુ જીરાવાલાને કોર્ટમા રજુ કરી સીબીઆઈએ તેના રીમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે ના મંજુર કર્યા હતા.તો બીજી તરફ રાજુ જીરાવાલાના વકીલે સીબીઆઇ સ્પેસીયલ મેજીસ્ટ્રટે એ.આઇ.રાવલ સમક્ષ જામીન માટે પણ અરજ કરી હતી પરંતુ કોર્ટે જીરાવાલાની જામીન અરજી ફગાવી દીધી હતી. અને જીરાવાલાને જયુડીશીયલ કસ્ટડીમાં રાખવાનો આદેશ કરતા તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.માટે હવે જીરાવાલા દ્વારા આજે સ્પેશિયલ સીબીઆઇ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવે તેવી શક્યતા છે.
રાહુલ મહાજન પાયલને હેરાન કરી રહ્યો છે
રાહુલ મહાજને ટીવી પર સ્વંયવર યોજીને ડિમ્પી ગાંગુલી સાથે લગ્ન કર્યા છે. જો કે હવે તેઓના લગ્નજીવનમાં મુશ્કેલી આવે તેવી શક્યતા છે. રાહુલ પોતાની ભૂતપૂર્વ પ્રેમિકા પાયલને હેરાન કરી રહ્યો છે તેવી માહિતી મળી છે.રાહુલ છેલ્લાં એક મહિનાથી પાયલને ગમે તે સમયે ફોન કરે છે અને મેસેજ પણ મોકલે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલે પાયલને મેસેજમાં લખ્યું હતું કે, તે પાયલને મળવા માંગે છે અને તે પાયલને હજી પણ ભૂલ્યો નથી.
કેટરિનાનું સ્પેનિશ યુવક સાથે ચક્કર
હાલમાં કેટરિના ઝોયા અખ્તરની ફિલ્મ જિંદગી ના મિલેંગી દોબારાનું શુટિંગ કરી રહી છે. સ્પેનમાં કેટરિનાનો ચાહકવર્ગ વિશાળ છે.કેટરિના જ્યારે બુલફાઈટનું શુટિંગ કરતી હતી ત્યારે તેને કેટલાંક યુવકો મળવા આવ્યા હતા. એમાંથી એક યુવકે કેટરિનાને પ્રપોઝ કર્યુ હતું.શરૂઆતમાં યુનિટે આ યુવકોને સેટ પર આવવા દીધા નહોતા. યુવકો પણ જીદે ચડ્યા હતા. તેઓએ કેટરિનાને મળ્યા વગર જવાનો ઈનકાર કર્યો હતો અને તેઓ ત્યાં જ ઉભા રહી ગયા હતા.
એ.ટી.એમ.પર ધ્યાન રાખીને જાઓ
ગમે ત્યારે ક્યાંય પણ કોઇપણ બિલના પેમેન્ટ.. કોઇ ખરીદી અથવા તો પછી અન્ય પ્રકારની લેણદેણ માટે મુઠ્ઠીમાં સમાઇ જનાર ડેબિટ, ક્રેડિટ, એટીએમનો ઉપયોગ કરી શકો છે પણ તેમાં હવે મોટા ખતરા પણ રહેલા છે. શાતિર અને ટેકનિકના જાણકાર ચોર હવે તમારા નાણાં પર આરામથી ધાડ પાડી શકે છે કારણ કે આ કાર્ડોનો ઉપયોગ અને સાવધાનીઓની આપણને કોઇ જાણકારી નથી.મોટી રકમની લેવડ-દેવડ કરનાર કાર્ડધારકોને વધુ ખતરો મંડરાઇ રહ્યો છે. એટીએમથી રકમ ઉપાડનર ચોર એટલા શાતિર છે કે ખાતેદારોને તેનો ખ્યાલ સુદ્ધાં પણ આવતો નથી આવતો અને આ ખાતામાંથી મોટી રકમ ઉડી જતી હોય છે. પછી બેન્કથી લઇને પોલીસ સ્ટેશનની ભાગદોડ જેમાં પરિણામ મોટાભાગે શૂન્ય જ રહે છે.બીજીબાજુ બેન્ક મેનેજમેન્ટ તો ગ્રાહકની બેદરકારી બતાવીને જવાબદારીનો પલ્લો તેમના પર નાંખે છે. એવામાં લૂંટાયેલ કાર્ડધારક કશું કરી શકતો નથી. મોટું કારણ એ પણ છે કે પોલીસ સાઇબર ક્રાઇમ જેવા અપરાધને પકડવામાં પૂરું તંત્ર હજુ સુધી વિક્સિત થઇ શક્યું નથી.એટીએમ ટ્રેપ શું છે..એટીએમમાં ગ્રાહક આવતા પહેલાં જ કોઇ ચોર ત્યાં ટ્રેપ ફીટ કરીને રાખે છે. આ પ્રક્રિયામાં એક્સ-રે ફિલ્મની બે પાતળી સ્ટ્રિપનો ઉપયોગ કરવામાં આવે છે. બંને સ્ટ્રિપ એટીએમ કાર્ડ બ્લોકમાં આ રીતે ફસાવી દે છે કે તે ગ્રાહકોને દેખાય નહિં. ગ્રાહક જેવું પોતાનું કાર્ડ નાંખે છે તો મશીન પ્રોસેસમાં ન આવે.આ દરમ્યાન ચોર તમારી મદદ કરવાની વાત કહે છે. ગ્રાહક તે સમયે ફસાઇ જાય છે આથી તે કંઇપણ વિચાર્ય વગર મદદ માંગે છે. ચોર ગ્રાહકને પાસવર્ડ ફરીથી નાંખવાનો કહે છે. જેવો તમે પાસવર્ડ નાંખો છો તે ચોરી છુપીથી પાસવર્ડ જાણી લે છે.મશીન છતાં પણ ન ચાલે તો ગ્રાહકોને એ કહીને બહાર નીકાળી દે છે કે મશીન ખરાબ છે. શાતિર યુવક ચૂપચાપ તમારા એટીએમનું કાર્ડ બદલી દે છે. એટીએમ ખરબા હોવાની વાત સાંભળીને યુવકની પાછળ-પાછળ ગ્રાહક પણ એટીએમમાંથી બહાર નીકળી જાય છે. હવે યુવક પાસે એટીએમ કાર્ડ અને પાસવર્ડ બંને છે. થોડાંક જ સમયમાં યુવક ફરીથી આવે છે અને ગ્રાહકની રકમ ઉડાવી દે છે.
અંધારી આલમના ડોન જેવી શાહની ભૂમિકા હતી
સોહરાબુદ્દીનકાંડમાં અત્યાર સુધી વણઝારા અને અભય ચુડાસમા જ ખંડણી રેકેટના સૂત્રધાર હોવાનું બહાર આવ્યું હતું પરંતુ અમિત શાહ સામે સીબીઆઇ દ્વારા મુકાયેલી ચાર્જશીટમાં પાને પાને એ વાત સ્પષ્ટ થતી જાય છે કે અમિત શાહની ભૂમિકા પણ અંધારી આલમના ડોન હોય તેનાથી કમ ન હતી.માર્બલના વેપારીઓના ઇશારે ષડ્યંત્ર રચાયું.રાજસ્થાનના માર્બલના વેપારીઓના વિસ્તારમાં ૨૦૦૪માં સોહરાબુદ્દીન ગેંગનો અસહ્ય ત્રાસ વધી ગયો હતો. તે સમયે આ જ વિસ્તારમાં હમીદલાલા ગેંગ પણ સક્રિય હતી, જે આ વેપારીઓનું રક્ષણ કરવાના બદલામાં તેમની પાસેથી ખંડણી ઉઘરાવતી હતી.દરમિયાન સોહરાબુદ્દીન ગેંગ જોધપુરના મરિયમ માર્બલવાળા અગ્રવાલ પર ખંડણી માટે દબાણ કરતી હતી અને સોહરાબુદ્દીન સહિત તેની ગેંગના અઝમ, મુદસ્સર અને રાજુ મરિયમ માર્બલના પ્રોપરાઇટર અલી હસન બોહરા પાસે ખંડણી માટે પહોંચી ગયા હતા.જેથી મરિયમ માર્બલના માલિકે સોહરાબુદ્દીન ગેંગ વિરુદ્ધ કેસ કર્યો હતો અને તમામની ધરપકડ કરાઈ હતી. ત્યાર બાદ જેલમાંથી છુટેલા સોહરાબુદ્દીનના માણસો આ વિસ્તારમાં વધુ સક્રિય થઈ ગયા હતા અને તેમણે ફરીથી આતંક મચાવ્યો હતો. સોહરાબુદ્દીનનો આતંક વધતાં માર્બલના વેપારીઓના ઇશારે રાજસ્થાન અને ગુજરાત પોલીસે સોહરાબુદ્દીનનો ખેલ ખતમ કરવાનું ષડ્યંત્ર રચ્યું હતું.
શાહે હત્યાનો દોષ પોલીસ પર ઢોળ્યો
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં અમિત શાહે ભાજપ ઓફિસેથી મીડિયા સમક્ષ જે નિવેદનો આપ્યાં હતાં તે નિવેદનો અને તેની જામીનઅરજીમાં કેટલીક વિસંગતતાઓ સ્પષ્ટ તરી આવે છે. આમ શાહનો રાજકીય અને કાનૂની ચહેરો અલગ-અલગ હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે.અમિત શાહે પત્રકાર પરિષદમાં સોહરાબુદ્દીન મોટો આતંકવાદી હોવાના સાથે તેની પાસેથી પકડાયેલા શસ્ત્રો કસાબ કરતાં પણ વધારે હોવાની વાત કરી હતી અને આટલો ખતરનાક આતંકવાદીની એન્કાઉન્ટર બદલ સીબીઆઈ કોઈના ઈશારે કામ કરી રહી છે એમ જણાવ્યું હતું.બીજા જ દિવસે કોર્ટમાં અમિત શાહના વકીલે શાહ વતી જામીનઅરજીમાં સોહરાબુદ્દીન નામની કોઈ વ્યક્તિની હત્યા પોલીસ અધિકારીઓએ કરી દીધી છે તેવું લેખિતમાં જણાવ્યું છે એમ રાજકીય લાભ ખાંટવા બહાર અલગ અને કાનૂન સમક્ષ અલગ ચહેરો શાહનો જણાઈ આવ્યો હતો.
અમિત શાહ મંત્રી હતા કે માફિયા?
રાજ્યના માજી ગૃહપ્રધાન અમિત શાહ અને તેમની ગેંગ સામે સી.બી.આઈ.એ ફરમાવેલું તહોમતનામું ઘણી બધી રીતે વિશિષ્ટ છે. આમાં કાતિલ ષડ્યંત્ર છે, દગો છે, ખંડણી છે, નાણાંની હેરાફેરી છે, ધમકીઓનો લાંબો ઈતિહાસ છે, ઉપરાઉપરી થતાં ખૂન છે. દેશની છેલ્લાં કેટલાંક વર્ષોની આ સૌથી ભયાનક ક્રાઈમ સ્ટોરી છે. ‘ખાખીધારી’ ખલનાયકો અને તેમના ‘ખાદીધારી’ સૂત્રધારે આચરેલા ગુનાઓની આમાં સિલસિલાબદ્ધ વિગતો છે.એટીએસની ટીમે સોહરાબુદ્દીન અને તેની પત્ની કૌસરબીનું અપહરણ કર્યા બાદ ૨૪મી નવેમ્બર-’૦૫ના રોજ રાજસ્થાનના ઇન્સપેક્ટર અબ્દુલ રહેમાને તે અંગેની માહિતી હમીદલાલાના ભાઈ માજીદ મોહંમદને આપી હતી. માજીદે સોહરાબુદ્દીનના સાગરીત રફિક ઉર્ફે બન્ટીના સાળા આગળ તેની ડંફાસો મારી હતી. સોહરાબદ્દીન અને તેના સાગરીતોએ હમીદલાલાની હત્યા કરી હતી. રાજસ્થાનની પોલીસોના આ કરતૂતોનો સીબીઆઇને મળેલા નિવેદનમાં પદાફૉશ થયો છે.
અમિત શાહનો પુત્ર જેલમાં ટિફિન આપવા જતાં પોલીસે અટકાવ્યો
અમિત શાહનો પુત્ર જેલમાં ટિફિન આપવા જતાં પોલીસે તેને અટકાવ્યો. રાજકીય આગેવાનોના કહ્યાગરા કંથ બનનાર પોલીસ અધિકારીઓ હવે તેમની સામાન્ય તરફદારીથી પણ છળી ઊઠે છે. અમિત શાહને ટિફિન આપવા ગયેલા તેના પુત્રને આજે જેલ સત્તાવાળાઓએ અટકાવી દીધો હતો. જો કે બાદમાં અમિત શાહના પુત્ર જયની વહારે જેલના એડશિનલ ડી.જી. આવી પહોંચ્યા હતા.ગૃહપ્રધાન તરીકે એક સમયે જ્યાં કોઈ રોકવાની હિંમત ન કરે તેવી સ્થિતિમાંથી જેલમાં પુરાયેલા અમિત શાહના પુત્ર જયને જેલ સત્તાવળાઓનો પરચો થઈ ગયો હતો. જય આજે ટિફિન આપવા માટે જેલમાં ગયો હતો. જો કે તેના પિતાને મળતાં જેલ સત્તાવાળાએ તેને અટકાવ્યો હતો. તેથી તેણે ફોન કર્યો હતો. જે સાથે જેલના એડશિનલ ડી.જી. પી.સી. ઠાકુર ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે જયને સાથે લઈ જેલમાં પ્રવેશ્યા હતા.જો કે તે સમયે સિનિયર જેલરે તે સ્થળે આવી પહોંચી ઉચ્ચ અધિકારીને આવું નહીં કરવા જણાવ્યું હતું અને તેમને એવી પણ ટકોર કરી હતી કે, તમે અમારી નોકરી ખતરામાં મૂકો છો. જયને અંદર લઈ જવો હોય તો પહેલા એન્ટ્રી કરો પછી લઈ જાઓ. જે સાંભળી થોડી વાર માટે અધિકારી પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
મોદીએ ગૃહ ખાતું કોઈને ના આપ્યું, ખાતાની ફાળવણી કરી
વજુ વાળાને ટ્રાન્સપોર્ટ અને સંઘાણીને કાયદાનો હવાલો, મુખ્યમંત્રી મોદીએ અમિત શાહના ખાતાની ફાળવણી કરી દીધી, ગૃહ સિવાયના અન્ય હવાલા રાજ્યકક્ષાના મંત્રી પરબત પટેલને ગુજરાત સરકારની કેબિનેટમાં રાજીનામું આપનાર અમિત શાહના ખાતાના વધારાના હવાલા અન્ય મંત્રીઓને સોંપવામાં આવ્યા છે. જો કે ગૃહ ખાતુ અન્ય મંત્રીઓને આપવા કરતાં ખુદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની પાસે રાખ્યું છે. આમ પણ તેઓએ કેબિનેટની ફાળવણીમાં ગૃહ ખાતુ પોતાની પાસે રાખેલું છે.રાજ્યના નાણામંત્રી વજુભાઇ વાળાને ફાળે વાહન વ્યવહાર ખાતું આવ્યું છે તો કૃષિમંત્રી દિલીપ સંઘાણીને કાયદો-ન્યાયતંત્ર,જેલ અને વૈધાનિક-સંસદીય બાબતોનો હવાલો અપાયો છે. અમિત શાહ પાસે અન્ય જે ખાતા હતા તે બાકીના તમામ રાજ્યકક્ષાના પાણી પુરવઠા મંત્રી પરબત પટેલને આપવામાં આવ્યા છે.મુખ્યમંત્રી મોદીએ હાલ તુરત મંત્રીમંડળનું વિસ્તરણ કરવાનો કોઇ વિચાર કર્યો નથી અને ખાતાના વધારાના હવાલાની ફાળવણી કરી દીધી છે.
અમીનને સાક્ષી બનતા અટકાવવા માટે અરજી કરાઈ
સોહરાબુદ્દીન કેસમાં તાજના સાક્ષી બનવા માટે ડૉ. એન. કે. અમીને અરજી કરતાં જ અન્ય આરોપીઓમાં તેની ઘેરી પ્રતિક્રિયા પડી છે. આ કેસમાં પોતાને સાંભળ્યા સિવાય અમીનને માફી આપવાનો કોઈ નિર્ણય ન કરવા માટે ૮ આરોપીએ તેમના એડ્વોકેટ વતી મંગળવારે અરજી કરી છે. બીજી તરફ અમીનના એડ્વોકેટ જગદીશ રામાણી કૌટુંબિક કારણોસર કોર્ટમાં હાજર ન રહી શકતાં તેમણે પણ સમય આપવા રજુઆત કરી છે. સ્પેશિયલ સીબીઆઇ મેજિસ્ટ્રેટ એ. આઇ. રાવલે આ કેસની વધુ સુનાવણી ત્રીજી ઓગસ્ટ પર મુલતવી રાખી છે. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇને તમામ રીતે મદદ કરી આઇપીસીની કલમ ૧૬૪ મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપવા તૈયારી દર્શાવી તાજનો સાક્ષી બનવાની ડૉ. અમીનની રજુઆતોએ સહઆરોપીઓની મુશ્કેલી વધારી દીધી છે. ડી. જી. વણઝારા, રાજકુમાર પાંડિયન, દિનેશ એમ.એન., એમ. એલ. પરમાર, એન. વી. ચૌહાણ, શ્યામસિંહ, હિમાંશુસિંહઅને ચૌબેએ તેમના એડ્વોકેટ મીતેશ અમીન અને પ્રયેશ લીંબાચિયા મારફતે અરજી કરી અમીનને તાજનો સાક્ષી બનતા અટકાવવા માટે રજુઆતો કરી છે. અરજીમાં એવી રજુઆત કરાઈ હતી કે સીબીઆઇએ ફાઇલ કરેલી ચાર્જશીટમાં અમીન અને અરજદારો આરોપી છે. નરેન્દ્ર અમીને તાજના સાક્ષી બનવા માટે અરજી કરતાં કોર્ટે સીબીઆઇને નોટિસ પાઠવી છે. અરજદારના ધ્યાન પર એ હકીકત પણ આવી છે કે અમીને આ કેસમાં તેમને મુક્તિ આપવા માટે પણ રજુઆત કરી છે. હાલ આ કેસ તપાસના તબક્કામાં છે અને તે તબક્કે આરોપીએ માફી માગી છે. બીજી તરફ તપાસ એજન્સીએ એન.કે. અમીન અને અરજદારો સામે ચાર્જશીટ પણ ફાઇલ કરી છે.ત્યારે ન્યાયના હિતમાં કોર્ટ કોઈ પણ ઓર્ડર કરતાં પહેલાં અરજદારને સાંભળવા જોઈએ. હજુ આરોપીઓને ચાર્જશીટ મળી નથી અને તે મળ્યા બાદ અરજદારોને પૂરી તૈયારીનો સમય આપવો જોઈએ, જેથી તેઓ આ કેસમાં માફી માગતી અમીનની અરજી સામે રજુઆતો કરી શકે.
સી. બી. આઇ.એ ખંડણીનો ભોગ બનનારાનાં નિવેદન લીધાં
સીબીઆઇએ સોહરાબુદ્દીનકાંડમાં ઝડપેલા પોલીસ અધિકારીઓની ગુનાઇત માનસિકતા સંબંધે ઊંડાણપૂર્વક તપાસ કરી ભૂતકાળમાં આ અધિકારીઓએ જે કોઈ વ્યક્તિઓને ધાકધમકી આપી હોય તેવી વ્યક્તિઓને પણ આ કેસમાં સાક્ષી તરીકે લેવામાં આવી હોવાનું ચાર્જશીટ દ્વારા જાણવા મળ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર સીબીઆઇએ સોહરાબુદ્દીનકાંડ અને તેની આજુબાજુ સંબંધિત તમામ ગુનાઇત પ્રવૃત્તિઓની તપાસ હાથ ધરી છે. જેમાં ક્રાઇમબ્રાન્ચ અને એટીએસના અધિકારીઓએ ખંડણી માટે કે સરકારને મદદ કરવા ધાકધમકી આપી હોય તેવી વ્યક્તિઓને પણ સાક્ષી તરીકે લેવાનો પ્રયાસ કર્યો છે.આ સાક્ષીઓની સાક્ષી ઉપરથી કદાચ સીબીઆઇ એવું ફલિત કરવા માગે છે કે ધરપકડ કરાયેલા અધિકારીઓનો ઈતિહાસ ખંડણી ઉઘરાવવા તથા ધાકધમકી આપવાથી ખરડાયેલો છે. અનેક બિલ્ડરો અને કેટલાય લઘુમતી સમાજના રાજકીય અગ્રણીઓને પણ અગાઉ કેટલાક કેસોમાં ફસાવી દઈ બાદમાં તેમની પાસે ખંડણી માગવામાં આવી હોવાનું સીબીઆઇની તપાસમાં બહાર આવ્યું છે અને આવા લોકોની પૂછપરછ તથા નિવેદનો સીબીઆઇએ નોંધ્યાં છે.
ગૃહખાતું નરેન્દ્ર મોદીએ જ સંભાળ્યું
સોહરાબુદ્દીન કેસમાં જેલમાં ગયેલા અમિત શાહે ગૃહરાજ્યમંત્રી પદેથી આપેલા રાજીનામા બાદ તેમનાં ૧૦ ખાતાંની મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અન્ય મંત્રીઓમાં વહેંચણી કરી છે. જોકે રાજ્યકક્ષાના ગૃહ મંત્રી તરીકેનો હવાલો કોઈને સોંપવામાં આવ્યો નથી.
કેબિનેટ કક્ષાએ ગૃહખાતું પોતાને હસ્તક હોવાથી મોદીએ રાજ્યકક્ષાના ગૃહખાતાનો હવાલો પણ પોતાની પાસે જ રાખ્યો છે. મુખ્યમંત્રીએ હાલ પૂરતું મંત્રીમંડળનું વિસ્તરણ કરાય તેવા પણ કોઈ નિર્દેશ આપ્યા નથી. નરેન્દ્ર મોદી મંત્રીમંડળમાં હવે કેબિનેટ કક્ષાના ૧૦ મંત્રી છે અને રાજ્યકક્ષાના ૭ મંત્રી રહ્યા છે.બે મંત્રી અમિત શાહ અને ડૉ. માયાબહેન કોડનાનીનાં રાજીનામાં લઈ લેવાયાં છે. કેબિનેટની સ્ટ્રેન્થ ૨૭ સુધી લઈ જઈ શકાય છે, તેથી મોદી ધારે તો હજી ૮ મંત્રી લઈ શકે છે. સૌરભ પટેલ પાસે પહેલેથી જ ઊર્જા, ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, કુટિરઉદ્યોગ, મીઠાઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, ખાણ-ખનીજ, આયોજન, પેટ્રો-કેમિકલ્સ, નાણાવિભાગ હોવાથી તેમને ખાતાની ફાળવણી કરાઈ નથી.
અમીનને સમજાવવા આઇ.પી.એસ.વકીલ પહોંચી ગયા
સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર અને તેની પત્ની કૌસરબીની હત્યામાં મહત્વની ભૂમિકા ભજવનાર એન.કે.અમીન સાક્ષી બનવાની અરજી કરતાં સરકારની ઊંઘ ઊડી ગઇ છે. અમીનને સમજાવવા માટે ઇશરત એન્કાઉન્ટરની તપાસ કરતાં સીટના સભ્ય અને આઇપીએસ અને વકીલ સમજાવવા માટે જેલમાં ગયા હતા અને તમામ મદદની ખાતરી આપી હતી. પરંતુ અમીન સાથેની ચર્ચા નિષ્ફળ રહી હોવાનું જાણવા મળ્યું છે.ડીવાયએસપી નરેન્દ્ર અમીનની સાક્ષી બનવાની અરજીએ સરકારને ચોક્કસપણે હલાવીને મૂકી દીધી છે. અમીનને મળવા માટે જેલમાં કોઇપણ આવે ત્યારે તેઓ બહાર હોય ત્યારે અન્ય કોઇ કેદીને બેરેકની બહાર નહીં કાઢવાનો જેલ સત્તાવાળાઓએ નિર્ણય લીધો છે.અમીનને સમજાવવા માટે આજે ઇશરત એન્કાઉન્ટરની તપાસ કરતી સીટના સભ્ય એક આઇપીએસ અને વકીલ સમજાવવા માટે જેલમાં ગયા હતા. અમીને આ આઇપીએસ સમક્ષ તેમની હૈયાવરાળ ઠાલવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.છેલ્લાં ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી જેલમાં હોવા છતાં સરકારે તેમના પરિવારની આર્થિક કે બીજી કોઇ દરકાર લીધી નથી. સરકારે માત્ર વણઝારાના પરિવારની જ દરકાર રાખી છે અને તેમના પુત્રોને સારી જગ્યાએ ગોઠવી આપ્યા છે. અમીનને સમજાવવા ગયેલા આઇપીએસએ તમામ સહાયની ખાતરી આપી હતી. પરંતુ અમીનને સમજાવવામાં નિષ્ફળ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સેન્સેક્સ-નિફ્ટી સપાટ
ભારતીય શેરબજારના મુખ્ય ઇન્ડેક્સ આજે સવારે સપાટ નજર આવી રહ્યા છે. જો કે એશિયન બજારોમાં સકારાત્મક સંકેત મળી રહ્યા છે.બીએસઇ ખાતે સવારે 9.10 વાગ્યે સેન્સેક્સ 16 અંકની મજબૂતી સાથે 18,094 પર હતો, નિફ્ટી 3 અંકની વૃદ્ધિ સાથે 5,434 પર છે. એનએસઇ ખાતે સીએનએક્સ મિડકેપમાં 0.49 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. બીએસઇ ખાતે સ્મોલકેપમાં 0.46 ટકા અને મિડકેપમાં 0.47 ટકાની વૃદ્ધિ છે. બીએસઇ ખાતે સેકટરોલ ઇન્ડેક્સમાં બેકિંગ, ટીઇસીકે, રિઅલટી અને આઇટી ઇન્ડેક્સને બાદ કરતાં તમામ અન્ય ઇન્ડેક્સોમાં મજબૂતીનો દોર જોવા મળી રહ્યો છે. કન્ઝયુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ 0.83 ટકા ઉપર છે. સેન્સેક્સ ખાતે 17 શેરોમાં તેજી અને 11 શેરોમાં નરમાઇ છે. એસબીઆઇ અને આઇટીસીનો શેર સપાટ છે. ટાટા સ્ટીલનો શેર 1.12 ટકા સૌથી ઉપરમાં છે.
ટ્રકોના પૈડા થોભી જશે તો શું થશે
જો ટ્રકોના પૈડા થોભી જશે તો શું થશે. ભલે તમને સીધી રીતે બહુ મોટી નુક્સાની ન દેખાય, પરંતુ વિશ્વાસ કરો તમારી જિંદગી પર તેની બહુ મોટી અસર પડશે. મોંઘવારી પહેલેથી જ આસમાને અડી રહી છે અને ટ્રકના પૈડા થોભી જશે તો તેનો ગ્રાફ વધુ ચઢી જશે. ટ્રાન્સપોર્ટ દ્વારા તામારી ચીજવસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ નહિં પહોંચી શકે અને એ જ થવાનું છે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કૉંગ્રેસે 6 ઓગસ્ટના રોજ અનિશ્ચિતકાલીન હડતાળ પર જવાની વાત કરી છે.ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કૉંગ્રેસના અધ્યક્ષ જી.આર.શનમુગપ્પાએ કહ્યું કે દેશભરમાં તેમના 60 લાખ સભ્ય 6 ઓગસ્ટના રોજ હડતાળ પર જશે. કારણ કતે ટ્રકો પાસેથી ભારેખમ ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. શનમુગપ્પાના મતે પહેલેથી ટ્રક માલિકોની સ્થિતિ ખરાબ છે. અને ભારેખમ ટોલ ટેક્સ તેમની મુશ્કેલીઓ વધારી રહ્યું છે. હાલ ટ્રકો પર પ્રતિ કિલોમીટર 5 રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. 1997 સુધી તે પ્રતિ કિલોમીટર રૂ.1.40 રહ્યા કરતો હતો. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ ટોલ ચાર્જને ઘટાડવાની માંગ કરી રહ્યા છે. આ સિવાય તે તમામ રાજ્યોમાં એક સમાન ડિઝલની કિંમતો લાગૂ કરવાની માંગ પણ કરી રહ્યું છે.
એલિસન સૌથી વધુ પગાર મેળવનાર સીઇઓ
સોફટવેર કંપની ઓરેકલ કોર્પ.ના સંસ્થાપક અને સીઇઓ લૈરી એલિસન છેલ્લાં દાયકામાં સૌથી વધુ પગાર મેળવનાર સીઇઓ રહ્યા. તેમણે વાર્ષિક 1.84 અબજ ડોલર (અંદાજે 85 અબજ 83 કરોડ રૂપિયા)નું પેકેજ લીધું.આ યાદીમાં બીજા નંબર પર ઇન્ટરનેટ દિગ્ગજ બૈરી ડિલરને 1.14 અબજ ડોલર (અંદાજે 53 અબજ રૂપિયા)થી વધુ પગાર મળ્યો છે. 65 વર્ષના એલિસને 1977માં ઓરેકલની સ્થાપના કરી હતી.વોલસ્ટ્રીટ જર્નલના મતે કંપનીમાં તેમનો હિસ્સો 23 ટકા છે. ત્રીજા નંબર પર ઓક્સિડેન્ટલ પેટ્રોલિયમના સીઇઓ રે ઇરાની છે, જેમનું પેકેજ 85.7 કરોડ ડોલર (40 અબજ રૂપિયા) મળ્યું છે.
અમૃતસર : પુત્રીએ માતાની સામે પિતાને મોતને ઘાટ ઉતાર્યા
અમૃતસરના પાહ્વા ખાતે પુત્રીએ પિતાની હત્યા કરી છે. સંપતિમાં ભાગ નહીં આપવાથી ઉશ્કેરાયેલી પુત્રીએ માતાની સામે જ પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા.ઘરિંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્યારાસિંહ અને તેની પત્ની અમર કૌર ઘરે હતા ત્યારે તેની પુત્રી પ્રકાશ કૌર કેટલાક શખ્સો સાથે માતા-પિતાના ઘરે પહોંચી હતી. જ્યાં તેણે પિતા પ્યારાસિંહ પાસે સંપતિમાં ભાગ માંગ્યો હતો. જે આપવાનો પિતાએ ઇન્કાર કરતા પ્રકાશ કૌરે તેના પિતાને પિટવાનું શરૂ કરી દીધું હતું.માતા અમરકૌરે વચ્ચે પડીને તેના પિતા પ્યારાસિંહને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ઉશ્કેરાયેલી પુત્રી પ્રકાશકૌરે તેની ઉપર પણ હુમલો કરી દીધો હતો.જેમાં અમરકૌરને ઇજા પહોંચી હતી. અંતે, ભારે મારના કારણે પ્યારાસિંહનું મોત થયું હતું. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે અને પરિણીત પુત્રી પ્રકાશકૌરની શોધખોળ હાથ ધરી છે. તેની પાસેથી અન્ય સાગ્રીતો અંગે પણ વિગતો મેળવવામાં આવશે.
સિવિલ હોસ્પિટલ પાસેથી ૪ રૂપજીવિનીઓ પકડાઈ
રિંગ રોડ પર નવી સિવિલ હોસ્પિટલ ચોકથી લઈને છેક વનિતા વિશ્રામના ગેઇટ સુધીના વિસ્તારમાં દરરોજ સંખ્યાબંધ રૂપજીવિનીઓ રાત્રે સાડા આઠથી સાડા દસ સુધીના સમયગાળામાં ઊભી રહી ગ્રાહકની રાહ જોયા કરે છે. આ વાત રિંગ રોડ પરથી પસાર થનારી વ્યક્તિના ધ્યાન પર આવે છે પરંતુ કોઈ કારણોસર ઉમરા પોલીસને આ દ્રશ્યો દેખાતાં ન હતાં. તેવામાં મોડે મોડે પણ ઉમરા પોલીસ જાગી હતી અને મંગળવારે રાત્રે ચાર લલનાની ધરપકડ કરી હતી. રિંગ રોડ પર વનિતા વિશ્રામના ગેટ સામેથી લઈ મજુરાગેટ ગાંધી એન્જિનિયરિંગ કોલેજ સુધીના વિસ્તારમાંથી ચાર લલનાને પકડી પાડી છે. જેમાં અલ્પા રામુ મધુકર (રહે: ફૂલવીડી ઝૂંપડપટ્ટી, ભરીમાતા રોડ), સુનિતા લક્ષ્મણ હરિભાઉ (રહે: વરિયાવીબજાર), પૂનમ કિશોર દેશમુખ (રહે: મારુતિધામ સોસાયટી, અમરોલી) અને સોની બામનરાવ (રહે: ફૂવાવાડી ઝૂંપડપટ્ટી, ભરીમાતા રોડ)નો સમાવેશ થાય છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે જ્યારથી રૂપજીવિનીના વિસ્તાર ચકલાબજારનો અંત આવ્યો છે ત્યારથી મોટા ભાગની રૂપલલનાઓ ગ્રાહકોની શોધ માટે દરરોજ રિંગ રોડ પર ઊભી રહે છે. જેના કારણે ત્યાં આજુબાજુમાં રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વખત આવે છે. આ વિસ્તારમાં રહેતી મહિલાઓ વોકિંગ માટે ઘરની બહાર નીકળી શકતી નથી. આ દૂષણનો કાયમી અંત લાવવાની જવાબદારી જેમના માથે છે તે ઉમરા પોલીસ કોઈ અકળ કારણોસર આંખ આડા કાન કરતી હોવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવા સિવાયનો કોઈ રસ્તો બચ્યો નથી.
અલંગમાંથી લાપતા રશિયન ક્રુ હજુ સુધી લાપત્તા
રશિયન એમ્બેસીમાંથી દબાણ વધતા ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા સઘન શોધખોળ યથાવત.૧૯ જુલાઈએ રશિયન શીપ બીચ થયા બાદ જહાજનો ઈલેકટ્રીક એન્જિનિયર હજુ સુધી લાપત્તા.અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર ૧૧૩માં બીચ થયેલા શિપના રશિયન ક્રુ મેમ્બર છેલ્લા દસ દિવસથી ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા શોધખોળ ચાલી રહી છે, પરંતુ ક્રુને દરિયો ગળી ગયો હોય તેમ આજદિન સુધી કોઇ ભાળ મળી નથીઅથવા કોઇ સગડ મળ્યા નથી.આ પ્રકરણ અંગે રશિયને એલચી કચેરીમાંથી પણ ક્રુ અંગેની પુછપરછ વધી જતા સ્થાનિક તંત્ર પર દબાણ વધ્યુ છે. તો સંબંધિત પોલીસતંત્રની મંજુરી મળતા આ જહાજના ૧૮ ક્રુ મેમ્બરો પોતાના વતનમાં જવા રવાના થયા હતા.તા.૧૯ના રોજ શિપ બીચ થયા બાદ એલપીજી કેરિયર સમરસેટ માંથી ૧૯ ક્રુ મેમ્બરો પૈકી ૧૮ કિનારે આવી પહોંચ્યા હતા, પરંતુ શિપનો ઇલેકટ્રીક એન્જીનિયર યાસિલ યેવ એન્જેની ગુમ થયા હતા અને શિપના કેપ્ટન કેસોક દ્વારા સત્તાવાર ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. બાદમાં આ સભ્યની ચોતરફ શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી.લાપતા ક્રુ નો ડીજીટલ કેમેરો ભાંગેલી હાલતમાં શિપની બાજુમાંથી જ મળી આવ્યો હતો. પરંતુ મરિન પોલીસ, અલંગ જીએમબીના ફાયર વિભાગની સંયુક્ત જહેમત બાદ પણ તેની કોઇ ભાળ મળી નથી.
બર્ફાની બાબા ચાર ફૂટના થઇ ગયા
પવિત્ર અમરનાથ બાબાનું હિમશિવલિંગ દિવસે-દિવસે ઓગળી રહ્યું છે. હાલ, શિવલિંગની ઊંચાઇ માત્ર ચાર ફૂટ જેટલી રહી ગઇ છે. જુલાઇ માસની શરૂઆતના સમયમાં શિવલિંગ બાર ફૂટનું થઇ ગયું હતું.દરવર્ષ કરતા આ વખતે શ્રદ્ધાળુઓનો ધસારો વધુ હોવાના કારણે, બરફના શિવલિંગ ઓગલી રહ્યું છે. ગતવર્ષે લગભગ ચાર લાખ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા હતા. જ્યારે ચાલુ વર્ષે અત્યારસુધી સાડા ત્રણ લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે.ગ્લોબલ વોર્મિંગ વધુ શ્રદ્ધાળુઓની સંખ્યા સહિતના કારણો જવાબદાર છે. આવી રીતે જો શિવલિંગ ઓગળતું રહ્યું તો યાત્રા પૂરી થતા પહેલા સુધી જ શિવલિંગ ઓગળી જશે. વર્ષ 2008 અને 2009 યાત્રા દરમિયાન સમગ્ર સમયે શિવલિંગ હિમસ્વરૂપમાં રહ્યું હતું.બીજી બાજુ, આજે વધુ જથ્થાને જમ્મુથી બાલતાલ કે પહેલગામના રસ્તેથી ગુફા માટે જવા માટે શ્રદ્ધાળુઓને મંજૂરી આપવામાં આવી ન હતી. ઉપરાંત જમ્મુથી કોઇ જથ્થાના સંબંધિત જવાની મંજૂરી આપવામા આવી ન હતી. દરમિયાન અમરનાથ યાત્રામાં આવેલા વધુ બે શ્રદ્ધાળુઓના મોત થયા છે. તેમાંથી એક શ્રદ્ધાળુ રાજસ્થાનના તથા અન્ય એક શ્રદ્ધાળુ મહારાષ્ટ્રના હતા.
જીરાવાલા જામીન માટે સી. બી.આઇ. સેસન્સ કોર્ટમાં અરજી કરે તેવી શક્યતા
અર્હમ ફાર્મ હાઉસના માલીક રાજુ જીરાવાલા આજે સ્પેશિયલ સીબીઆઇ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરે તેવી શક્યતા છે. સોહરાબુદ્દીન મર્ડર કેસમાં સીબીઆઇ દ્વારા ધરપકડ કરાયેલા અર્હમ ફાર્મહાઉસના માલીક અને કોર્પોરેટર સુરેન્દ્ર જીરાવાલાના ભાઇ રાજુ જીરાવાલાને કોર્ટમા રજુ કરી સીબીઆઈએ તેના રીમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે ના મંજુર કર્યા હતા.તો બીજી તરફ રાજુ જીરાવાલાના વકીલે સીબીઆઇ સ્પેસીયલ મેજીસ્ટ્રટે એ.આઇ.રાવલ સમક્ષ જામીન માટે પણ અરજ કરી હતી પરંતુ કોર્ટે જીરાવાલાની જામીન અરજી ફગાવી દીધી હતી. અને જીરાવાલાને જયુડીશીયલ કસ્ટડીમાં રાખવાનો આદેશ કરતા તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.માટે હવે જીરાવાલા દ્વારા આજે સ્પેશિયલ સીબીઆઇ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવે તેવી શક્યતા છે.
રાહુલ મહાજન પાયલને હેરાન કરી રહ્યો છે
રાહુલ મહાજને ટીવી પર સ્વંયવર યોજીને ડિમ્પી ગાંગુલી સાથે લગ્ન કર્યા છે. જો કે હવે તેઓના લગ્નજીવનમાં મુશ્કેલી આવે તેવી શક્યતા છે. રાહુલ પોતાની ભૂતપૂર્વ પ્રેમિકા પાયલને હેરાન કરી રહ્યો છે તેવી માહિતી મળી છે.રાહુલ છેલ્લાં એક મહિનાથી પાયલને ગમે તે સમયે ફોન કરે છે અને મેસેજ પણ મોકલે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલે પાયલને મેસેજમાં લખ્યું હતું કે, તે પાયલને મળવા માંગે છે અને તે પાયલને હજી પણ ભૂલ્યો નથી.
કેટરિનાનું સ્પેનિશ યુવક સાથે ચક્કર
હાલમાં કેટરિના ઝોયા અખ્તરની ફિલ્મ જિંદગી ના મિલેંગી દોબારાનું શુટિંગ કરી રહી છે. સ્પેનમાં કેટરિનાનો ચાહકવર્ગ વિશાળ છે.કેટરિના જ્યારે બુલફાઈટનું શુટિંગ કરતી હતી ત્યારે તેને કેટલાંક યુવકો મળવા આવ્યા હતા. એમાંથી એક યુવકે કેટરિનાને પ્રપોઝ કર્યુ હતું.શરૂઆતમાં યુનિટે આ યુવકોને સેટ પર આવવા દીધા નહોતા. યુવકો પણ જીદે ચડ્યા હતા. તેઓએ કેટરિનાને મળ્યા વગર જવાનો ઈનકાર કર્યો હતો અને તેઓ ત્યાં જ ઉભા રહી ગયા હતા.
એ.ટી.એમ.પર ધ્યાન રાખીને જાઓ
ગમે ત્યારે ક્યાંય પણ કોઇપણ બિલના પેમેન્ટ.. કોઇ ખરીદી અથવા તો પછી અન્ય પ્રકારની લેણદેણ માટે મુઠ્ઠીમાં સમાઇ જનાર ડેબિટ, ક્રેડિટ, એટીએમનો ઉપયોગ કરી શકો છે પણ તેમાં હવે મોટા ખતરા પણ રહેલા છે. શાતિર અને ટેકનિકના જાણકાર ચોર હવે તમારા નાણાં પર આરામથી ધાડ પાડી શકે છે કારણ કે આ કાર્ડોનો ઉપયોગ અને સાવધાનીઓની આપણને કોઇ જાણકારી નથી.મોટી રકમની લેવડ-દેવડ કરનાર કાર્ડધારકોને વધુ ખતરો મંડરાઇ રહ્યો છે. એટીએમથી રકમ ઉપાડનર ચોર એટલા શાતિર છે કે ખાતેદારોને તેનો ખ્યાલ સુદ્ધાં પણ આવતો નથી આવતો અને આ ખાતામાંથી મોટી રકમ ઉડી જતી હોય છે. પછી બેન્કથી લઇને પોલીસ સ્ટેશનની ભાગદોડ જેમાં પરિણામ મોટાભાગે શૂન્ય જ રહે છે.બીજીબાજુ બેન્ક મેનેજમેન્ટ તો ગ્રાહકની બેદરકારી બતાવીને જવાબદારીનો પલ્લો તેમના પર નાંખે છે. એવામાં લૂંટાયેલ કાર્ડધારક કશું કરી શકતો નથી. મોટું કારણ એ પણ છે કે પોલીસ સાઇબર ક્રાઇમ જેવા અપરાધને પકડવામાં પૂરું તંત્ર હજુ સુધી વિક્સિત થઇ શક્યું નથી.એટીએમ ટ્રેપ શું છે..એટીએમમાં ગ્રાહક આવતા પહેલાં જ કોઇ ચોર ત્યાં ટ્રેપ ફીટ કરીને રાખે છે. આ પ્રક્રિયામાં એક્સ-રે ફિલ્મની બે પાતળી સ્ટ્રિપનો ઉપયોગ કરવામાં આવે છે. બંને સ્ટ્રિપ એટીએમ કાર્ડ બ્લોકમાં આ રીતે ફસાવી દે છે કે તે ગ્રાહકોને દેખાય નહિં. ગ્રાહક જેવું પોતાનું કાર્ડ નાંખે છે તો મશીન પ્રોસેસમાં ન આવે.આ દરમ્યાન ચોર તમારી મદદ કરવાની વાત કહે છે. ગ્રાહક તે સમયે ફસાઇ જાય છે આથી તે કંઇપણ વિચાર્ય વગર મદદ માંગે છે. ચોર ગ્રાહકને પાસવર્ડ ફરીથી નાંખવાનો કહે છે. જેવો તમે પાસવર્ડ નાંખો છો તે ચોરી છુપીથી પાસવર્ડ જાણી લે છે.મશીન છતાં પણ ન ચાલે તો ગ્રાહકોને એ કહીને બહાર નીકાળી દે છે કે મશીન ખરાબ છે. શાતિર યુવક ચૂપચાપ તમારા એટીએમનું કાર્ડ બદલી દે છે. એટીએમ ખરબા હોવાની વાત સાંભળીને યુવકની પાછળ-પાછળ ગ્રાહક પણ એટીએમમાંથી બહાર નીકળી જાય છે. હવે યુવક પાસે એટીએમ કાર્ડ અને પાસવર્ડ બંને છે. થોડાંક જ સમયમાં યુવક ફરીથી આવે છે અને ગ્રાહકની રકમ ઉડાવી દે છે.
અંધારી આલમના ડોન જેવી શાહની ભૂમિકા હતી
સોહરાબુદ્દીનકાંડમાં અત્યાર સુધી વણઝારા અને અભય ચુડાસમા જ ખંડણી રેકેટના સૂત્રધાર હોવાનું બહાર આવ્યું હતું પરંતુ અમિત શાહ સામે સીબીઆઇ દ્વારા મુકાયેલી ચાર્જશીટમાં પાને પાને એ વાત સ્પષ્ટ થતી જાય છે કે અમિત શાહની ભૂમિકા પણ અંધારી આલમના ડોન હોય તેનાથી કમ ન હતી.માર્બલના વેપારીઓના ઇશારે ષડ્યંત્ર રચાયું.રાજસ્થાનના માર્બલના વેપારીઓના વિસ્તારમાં ૨૦૦૪માં સોહરાબુદ્દીન ગેંગનો અસહ્ય ત્રાસ વધી ગયો હતો. તે સમયે આ જ વિસ્તારમાં હમીદલાલા ગેંગ પણ સક્રિય હતી, જે આ વેપારીઓનું રક્ષણ કરવાના બદલામાં તેમની પાસેથી ખંડણી ઉઘરાવતી હતી.દરમિયાન સોહરાબુદ્દીન ગેંગ જોધપુરના મરિયમ માર્બલવાળા અગ્રવાલ પર ખંડણી માટે દબાણ કરતી હતી અને સોહરાબુદ્દીન સહિત તેની ગેંગના અઝમ, મુદસ્સર અને રાજુ મરિયમ માર્બલના પ્રોપરાઇટર અલી હસન બોહરા પાસે ખંડણી માટે પહોંચી ગયા હતા.જેથી મરિયમ માર્બલના માલિકે સોહરાબુદ્દીન ગેંગ વિરુદ્ધ કેસ કર્યો હતો અને તમામની ધરપકડ કરાઈ હતી. ત્યાર બાદ જેલમાંથી છુટેલા સોહરાબુદ્દીનના માણસો આ વિસ્તારમાં વધુ સક્રિય થઈ ગયા હતા અને તેમણે ફરીથી આતંક મચાવ્યો હતો. સોહરાબુદ્દીનનો આતંક વધતાં માર્બલના વેપારીઓના ઇશારે રાજસ્થાન અને ગુજરાત પોલીસે સોહરાબુદ્દીનનો ખેલ ખતમ કરવાનું ષડ્યંત્ર રચ્યું હતું.
શાહે હત્યાનો દોષ પોલીસ પર ઢોળ્યો
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં અમિત શાહે ભાજપ ઓફિસેથી મીડિયા સમક્ષ જે નિવેદનો આપ્યાં હતાં તે નિવેદનો અને તેની જામીનઅરજીમાં કેટલીક વિસંગતતાઓ સ્પષ્ટ તરી આવે છે. આમ શાહનો રાજકીય અને કાનૂની ચહેરો અલગ-અલગ હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે.અમિત શાહે પત્રકાર પરિષદમાં સોહરાબુદ્દીન મોટો આતંકવાદી હોવાના સાથે તેની પાસેથી પકડાયેલા શસ્ત્રો કસાબ કરતાં પણ વધારે હોવાની વાત કરી હતી અને આટલો ખતરનાક આતંકવાદીની એન્કાઉન્ટર બદલ સીબીઆઈ કોઈના ઈશારે કામ કરી રહી છે એમ જણાવ્યું હતું.બીજા જ દિવસે કોર્ટમાં અમિત શાહના વકીલે શાહ વતી જામીનઅરજીમાં સોહરાબુદ્દીન નામની કોઈ વ્યક્તિની હત્યા પોલીસ અધિકારીઓએ કરી દીધી છે તેવું લેખિતમાં જણાવ્યું છે એમ રાજકીય લાભ ખાંટવા બહાર અલગ અને કાનૂન સમક્ષ અલગ ચહેરો શાહનો જણાઈ આવ્યો હતો.
અમિત શાહ મંત્રી હતા કે માફિયા?
રાજ્યના માજી ગૃહપ્રધાન અમિત શાહ અને તેમની ગેંગ સામે સી.બી.આઈ.એ ફરમાવેલું તહોમતનામું ઘણી બધી રીતે વિશિષ્ટ છે. આમાં કાતિલ ષડ્યંત્ર છે, દગો છે, ખંડણી છે, નાણાંની હેરાફેરી છે, ધમકીઓનો લાંબો ઈતિહાસ છે, ઉપરાઉપરી થતાં ખૂન છે. દેશની છેલ્લાં કેટલાંક વર્ષોની આ સૌથી ભયાનક ક્રાઈમ સ્ટોરી છે. ‘ખાખીધારી’ ખલનાયકો અને તેમના ‘ખાદીધારી’ સૂત્રધારે આચરેલા ગુનાઓની આમાં સિલસિલાબદ્ધ વિગતો છે.એટીએસની ટીમે સોહરાબુદ્દીન અને તેની પત્ની કૌસરબીનું અપહરણ કર્યા બાદ ૨૪મી નવેમ્બર-’૦૫ના રોજ રાજસ્થાનના ઇન્સપેક્ટર અબ્દુલ રહેમાને તે અંગેની માહિતી હમીદલાલાના ભાઈ માજીદ મોહંમદને આપી હતી. માજીદે સોહરાબુદ્દીનના સાગરીત રફિક ઉર્ફે બન્ટીના સાળા આગળ તેની ડંફાસો મારી હતી. સોહરાબદ્દીન અને તેના સાગરીતોએ હમીદલાલાની હત્યા કરી હતી. રાજસ્થાનની પોલીસોના આ કરતૂતોનો સીબીઆઇને મળેલા નિવેદનમાં પદાફૉશ થયો છે.
અમિત શાહનો પુત્ર જેલમાં ટિફિન આપવા જતાં પોલીસે અટકાવ્યો
અમિત શાહનો પુત્ર જેલમાં ટિફિન આપવા જતાં પોલીસે તેને અટકાવ્યો. રાજકીય આગેવાનોના કહ્યાગરા કંથ બનનાર પોલીસ અધિકારીઓ હવે તેમની સામાન્ય તરફદારીથી પણ છળી ઊઠે છે. અમિત શાહને ટિફિન આપવા ગયેલા તેના પુત્રને આજે જેલ સત્તાવાળાઓએ અટકાવી દીધો હતો. જો કે બાદમાં અમિત શાહના પુત્ર જયની વહારે જેલના એડશિનલ ડી.જી. આવી પહોંચ્યા હતા.ગૃહપ્રધાન તરીકે એક સમયે જ્યાં કોઈ રોકવાની હિંમત ન કરે તેવી સ્થિતિમાંથી જેલમાં પુરાયેલા અમિત શાહના પુત્ર જયને જેલ સત્તાવળાઓનો પરચો થઈ ગયો હતો. જય આજે ટિફિન આપવા માટે જેલમાં ગયો હતો. જો કે તેના પિતાને મળતાં જેલ સત્તાવાળાએ તેને અટકાવ્યો હતો. તેથી તેણે ફોન કર્યો હતો. જે સાથે જેલના એડશિનલ ડી.જી. પી.સી. ઠાકુર ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે જયને સાથે લઈ જેલમાં પ્રવેશ્યા હતા.જો કે તે સમયે સિનિયર જેલરે તે સ્થળે આવી પહોંચી ઉચ્ચ અધિકારીને આવું નહીં કરવા જણાવ્યું હતું અને તેમને એવી પણ ટકોર કરી હતી કે, તમે અમારી નોકરી ખતરામાં મૂકો છો. જયને અંદર લઈ જવો હોય તો પહેલા એન્ટ્રી કરો પછી લઈ જાઓ. જે સાંભળી થોડી વાર માટે અધિકારી પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
મોદીએ ગૃહ ખાતું કોઈને ના આપ્યું, ખાતાની ફાળવણી કરી
વજુ વાળાને ટ્રાન્સપોર્ટ અને સંઘાણીને કાયદાનો હવાલો, મુખ્યમંત્રી મોદીએ અમિત શાહના ખાતાની ફાળવણી કરી દીધી, ગૃહ સિવાયના અન્ય હવાલા રાજ્યકક્ષાના મંત્રી પરબત પટેલને ગુજરાત સરકારની કેબિનેટમાં રાજીનામું આપનાર અમિત શાહના ખાતાના વધારાના હવાલા અન્ય મંત્રીઓને સોંપવામાં આવ્યા છે. જો કે ગૃહ ખાતુ અન્ય મંત્રીઓને આપવા કરતાં ખુદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની પાસે રાખ્યું છે. આમ પણ તેઓએ કેબિનેટની ફાળવણીમાં ગૃહ ખાતુ પોતાની પાસે રાખેલું છે.રાજ્યના નાણામંત્રી વજુભાઇ વાળાને ફાળે વાહન વ્યવહાર ખાતું આવ્યું છે તો કૃષિમંત્રી દિલીપ સંઘાણીને કાયદો-ન્યાયતંત્ર,જેલ અને વૈધાનિક-સંસદીય બાબતોનો હવાલો અપાયો છે. અમિત શાહ પાસે અન્ય જે ખાતા હતા તે બાકીના તમામ રાજ્યકક્ષાના પાણી પુરવઠા મંત્રી પરબત પટેલને આપવામાં આવ્યા છે.મુખ્યમંત્રી મોદીએ હાલ તુરત મંત્રીમંડળનું વિસ્તરણ કરવાનો કોઇ વિચાર કર્યો નથી અને ખાતાના વધારાના હવાલાની ફાળવણી કરી દીધી છે.
અમીનને સાક્ષી બનતા અટકાવવા માટે અરજી કરાઈ
સોહરાબુદ્દીન કેસમાં તાજના સાક્ષી બનવા માટે ડૉ. એન. કે. અમીને અરજી કરતાં જ અન્ય આરોપીઓમાં તેની ઘેરી પ્રતિક્રિયા પડી છે. આ કેસમાં પોતાને સાંભળ્યા સિવાય અમીનને માફી આપવાનો કોઈ નિર્ણય ન કરવા માટે ૮ આરોપીએ તેમના એડ્વોકેટ વતી મંગળવારે અરજી કરી છે. બીજી તરફ અમીનના એડ્વોકેટ જગદીશ રામાણી કૌટુંબિક કારણોસર કોર્ટમાં હાજર ન રહી શકતાં તેમણે પણ સમય આપવા રજુઆત કરી છે. સ્પેશિયલ સીબીઆઇ મેજિસ્ટ્રેટ એ. આઇ. રાવલે આ કેસની વધુ સુનાવણી ત્રીજી ઓગસ્ટ પર મુલતવી રાખી છે. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇને તમામ રીતે મદદ કરી આઇપીસીની કલમ ૧૬૪ મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપવા તૈયારી દર્શાવી તાજનો સાક્ષી બનવાની ડૉ. અમીનની રજુઆતોએ સહઆરોપીઓની મુશ્કેલી વધારી દીધી છે. ડી. જી. વણઝારા, રાજકુમાર પાંડિયન, દિનેશ એમ.એન., એમ. એલ. પરમાર, એન. વી. ચૌહાણ, શ્યામસિંહ, હિમાંશુસિંહઅને ચૌબેએ તેમના એડ્વોકેટ મીતેશ અમીન અને પ્રયેશ લીંબાચિયા મારફતે અરજી કરી અમીનને તાજનો સાક્ષી બનતા અટકાવવા માટે રજુઆતો કરી છે. અરજીમાં એવી રજુઆત કરાઈ હતી કે સીબીઆઇએ ફાઇલ કરેલી ચાર્જશીટમાં અમીન અને અરજદારો આરોપી છે. નરેન્દ્ર અમીને તાજના સાક્ષી બનવા માટે અરજી કરતાં કોર્ટે સીબીઆઇને નોટિસ પાઠવી છે. અરજદારના ધ્યાન પર એ હકીકત પણ આવી છે કે અમીને આ કેસમાં તેમને મુક્તિ આપવા માટે પણ રજુઆત કરી છે. હાલ આ કેસ તપાસના તબક્કામાં છે અને તે તબક્કે આરોપીએ માફી માગી છે. બીજી તરફ તપાસ એજન્સીએ એન.કે. અમીન અને અરજદારો સામે ચાર્જશીટ પણ ફાઇલ કરી છે.ત્યારે ન્યાયના હિતમાં કોર્ટ કોઈ પણ ઓર્ડર કરતાં પહેલાં અરજદારને સાંભળવા જોઈએ. હજુ આરોપીઓને ચાર્જશીટ મળી નથી અને તે મળ્યા બાદ અરજદારોને પૂરી તૈયારીનો સમય આપવો જોઈએ, જેથી તેઓ આ કેસમાં માફી માગતી અમીનની અરજી સામે રજુઆતો કરી શકે.
સી. બી. આઇ.એ ખંડણીનો ભોગ બનનારાનાં નિવેદન લીધાં
સીબીઆઇએ સોહરાબુદ્દીનકાંડમાં ઝડપેલા પોલીસ અધિકારીઓની ગુનાઇત માનસિકતા સંબંધે ઊંડાણપૂર્વક તપાસ કરી ભૂતકાળમાં આ અધિકારીઓએ જે કોઈ વ્યક્તિઓને ધાકધમકી આપી હોય તેવી વ્યક્તિઓને પણ આ કેસમાં સાક્ષી તરીકે લેવામાં આવી હોવાનું ચાર્જશીટ દ્વારા જાણવા મળ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર સીબીઆઇએ સોહરાબુદ્દીનકાંડ અને તેની આજુબાજુ સંબંધિત તમામ ગુનાઇત પ્રવૃત્તિઓની તપાસ હાથ ધરી છે. જેમાં ક્રાઇમબ્રાન્ચ અને એટીએસના અધિકારીઓએ ખંડણી માટે કે સરકારને મદદ કરવા ધાકધમકી આપી હોય તેવી વ્યક્તિઓને પણ સાક્ષી તરીકે લેવાનો પ્રયાસ કર્યો છે.આ સાક્ષીઓની સાક્ષી ઉપરથી કદાચ સીબીઆઇ એવું ફલિત કરવા માગે છે કે ધરપકડ કરાયેલા અધિકારીઓનો ઈતિહાસ ખંડણી ઉઘરાવવા તથા ધાકધમકી આપવાથી ખરડાયેલો છે. અનેક બિલ્ડરો અને કેટલાય લઘુમતી સમાજના રાજકીય અગ્રણીઓને પણ અગાઉ કેટલાક કેસોમાં ફસાવી દઈ બાદમાં તેમની પાસે ખંડણી માગવામાં આવી હોવાનું સીબીઆઇની તપાસમાં બહાર આવ્યું છે અને આવા લોકોની પૂછપરછ તથા નિવેદનો સીબીઆઇએ નોંધ્યાં છે.
ગૃહખાતું નરેન્દ્ર મોદીએ જ સંભાળ્યું
સોહરાબુદ્દીન કેસમાં જેલમાં ગયેલા અમિત શાહે ગૃહરાજ્યમંત્રી પદેથી આપેલા રાજીનામા બાદ તેમનાં ૧૦ ખાતાંની મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અન્ય મંત્રીઓમાં વહેંચણી કરી છે. જોકે રાજ્યકક્ષાના ગૃહ મંત્રી તરીકેનો હવાલો કોઈને સોંપવામાં આવ્યો નથી.
કેબિનેટ કક્ષાએ ગૃહખાતું પોતાને હસ્તક હોવાથી મોદીએ રાજ્યકક્ષાના ગૃહખાતાનો હવાલો પણ પોતાની પાસે જ રાખ્યો છે. મુખ્યમંત્રીએ હાલ પૂરતું મંત્રીમંડળનું વિસ્તરણ કરાય તેવા પણ કોઈ નિર્દેશ આપ્યા નથી. નરેન્દ્ર મોદી મંત્રીમંડળમાં હવે કેબિનેટ કક્ષાના ૧૦ મંત્રી છે અને રાજ્યકક્ષાના ૭ મંત્રી રહ્યા છે.બે મંત્રી અમિત શાહ અને ડૉ. માયાબહેન કોડનાનીનાં રાજીનામાં લઈ લેવાયાં છે. કેબિનેટની સ્ટ્રેન્થ ૨૭ સુધી લઈ જઈ શકાય છે, તેથી મોદી ધારે તો હજી ૮ મંત્રી લઈ શકે છે. સૌરભ પટેલ પાસે પહેલેથી જ ઊર્જા, ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, કુટિરઉદ્યોગ, મીઠાઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, ખાણ-ખનીજ, આયોજન, પેટ્રો-કેમિકલ્સ, નાણાવિભાગ હોવાથી તેમને ખાતાની ફાળવણી કરાઈ નથી.
અમીનને સમજાવવા આઇ.પી.એસ.વકીલ પહોંચી ગયા
સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર અને તેની પત્ની કૌસરબીની હત્યામાં મહત્વની ભૂમિકા ભજવનાર એન.કે.અમીન સાક્ષી બનવાની અરજી કરતાં સરકારની ઊંઘ ઊડી ગઇ છે. અમીનને સમજાવવા માટે ઇશરત એન્કાઉન્ટરની તપાસ કરતાં સીટના સભ્ય અને આઇપીએસ અને વકીલ સમજાવવા માટે જેલમાં ગયા હતા અને તમામ મદદની ખાતરી આપી હતી. પરંતુ અમીન સાથેની ચર્ચા નિષ્ફળ રહી હોવાનું જાણવા મળ્યું છે.ડીવાયએસપી નરેન્દ્ર અમીનની સાક્ષી બનવાની અરજીએ સરકારને ચોક્કસપણે હલાવીને મૂકી દીધી છે. અમીનને મળવા માટે જેલમાં કોઇપણ આવે ત્યારે તેઓ બહાર હોય ત્યારે અન્ય કોઇ કેદીને બેરેકની બહાર નહીં કાઢવાનો જેલ સત્તાવાળાઓએ નિર્ણય લીધો છે.અમીનને સમજાવવા માટે આજે ઇશરત એન્કાઉન્ટરની તપાસ કરતી સીટના સભ્ય એક આઇપીએસ અને વકીલ સમજાવવા માટે જેલમાં ગયા હતા. અમીને આ આઇપીએસ સમક્ષ તેમની હૈયાવરાળ ઠાલવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.છેલ્લાં ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી જેલમાં હોવા છતાં સરકારે તેમના પરિવારની આર્થિક કે બીજી કોઇ દરકાર લીધી નથી. સરકારે માત્ર વણઝારાના પરિવારની જ દરકાર રાખી છે અને તેમના પુત્રોને સારી જગ્યાએ ગોઠવી આપ્યા છે. અમીનને સમજાવવા ગયેલા આઇપીએસએ તમામ સહાયની ખાતરી આપી હતી. પરંતુ અમીનને સમજાવવામાં નિષ્ફળ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સેન્સેક્સ-નિફ્ટી સપાટ
ભારતીય શેરબજારના મુખ્ય ઇન્ડેક્સ આજે સવારે સપાટ નજર આવી રહ્યા છે. જો કે એશિયન બજારોમાં સકારાત્મક સંકેત મળી રહ્યા છે.બીએસઇ ખાતે સવારે 9.10 વાગ્યે સેન્સેક્સ 16 અંકની મજબૂતી સાથે 18,094 પર હતો, નિફ્ટી 3 અંકની વૃદ્ધિ સાથે 5,434 પર છે. એનએસઇ ખાતે સીએનએક્સ મિડકેપમાં 0.49 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. બીએસઇ ખાતે સ્મોલકેપમાં 0.46 ટકા અને મિડકેપમાં 0.47 ટકાની વૃદ્ધિ છે. બીએસઇ ખાતે સેકટરોલ ઇન્ડેક્સમાં બેકિંગ, ટીઇસીકે, રિઅલટી અને આઇટી ઇન્ડેક્સને બાદ કરતાં તમામ અન્ય ઇન્ડેક્સોમાં મજબૂતીનો દોર જોવા મળી રહ્યો છે. કન્ઝયુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ 0.83 ટકા ઉપર છે. સેન્સેક્સ ખાતે 17 શેરોમાં તેજી અને 11 શેરોમાં નરમાઇ છે. એસબીઆઇ અને આઇટીસીનો શેર સપાટ છે. ટાટા સ્ટીલનો શેર 1.12 ટકા સૌથી ઉપરમાં છે.
ટ્રકોના પૈડા થોભી જશે તો શું થશે
જો ટ્રકોના પૈડા થોભી જશે તો શું થશે. ભલે તમને સીધી રીતે બહુ મોટી નુક્સાની ન દેખાય, પરંતુ વિશ્વાસ કરો તમારી જિંદગી પર તેની બહુ મોટી અસર પડશે. મોંઘવારી પહેલેથી જ આસમાને અડી રહી છે અને ટ્રકના પૈડા થોભી જશે તો તેનો ગ્રાફ વધુ ચઢી જશે. ટ્રાન્સપોર્ટ દ્વારા તામારી ચીજવસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ નહિં પહોંચી શકે અને એ જ થવાનું છે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કૉંગ્રેસે 6 ઓગસ્ટના રોજ અનિશ્ચિતકાલીન હડતાળ પર જવાની વાત કરી છે.ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કૉંગ્રેસના અધ્યક્ષ જી.આર.શનમુગપ્પાએ કહ્યું કે દેશભરમાં તેમના 60 લાખ સભ્ય 6 ઓગસ્ટના રોજ હડતાળ પર જશે. કારણ કતે ટ્રકો પાસેથી ભારેખમ ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. શનમુગપ્પાના મતે પહેલેથી ટ્રક માલિકોની સ્થિતિ ખરાબ છે. અને ભારેખમ ટોલ ટેક્સ તેમની મુશ્કેલીઓ વધારી રહ્યું છે. હાલ ટ્રકો પર પ્રતિ કિલોમીટર 5 રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. 1997 સુધી તે પ્રતિ કિલોમીટર રૂ.1.40 રહ્યા કરતો હતો. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ ટોલ ચાર્જને ઘટાડવાની માંગ કરી રહ્યા છે. આ સિવાય તે તમામ રાજ્યોમાં એક સમાન ડિઝલની કિંમતો લાગૂ કરવાની માંગ પણ કરી રહ્યું છે.
એલિસન સૌથી વધુ પગાર મેળવનાર સીઇઓ
સોફટવેર કંપની ઓરેકલ કોર્પ.ના સંસ્થાપક અને સીઇઓ લૈરી એલિસન છેલ્લાં દાયકામાં સૌથી વધુ પગાર મેળવનાર સીઇઓ રહ્યા. તેમણે વાર્ષિક 1.84 અબજ ડોલર (અંદાજે 85 અબજ 83 કરોડ રૂપિયા)નું પેકેજ લીધું.આ યાદીમાં બીજા નંબર પર ઇન્ટરનેટ દિગ્ગજ બૈરી ડિલરને 1.14 અબજ ડોલર (અંદાજે 53 અબજ રૂપિયા)થી વધુ પગાર મળ્યો છે. 65 વર્ષના એલિસને 1977માં ઓરેકલની સ્થાપના કરી હતી.વોલસ્ટ્રીટ જર્નલના મતે કંપનીમાં તેમનો હિસ્સો 23 ટકા છે. ત્રીજા નંબર પર ઓક્સિડેન્ટલ પેટ્રોલિયમના સીઇઓ રે ઇરાની છે, જેમનું પેકેજ 85.7 કરોડ ડોલર (40 અબજ રૂપિયા) મળ્યું છે.
અમૃતસર : પુત્રીએ માતાની સામે પિતાને મોતને ઘાટ ઉતાર્યા
અમૃતસરના પાહ્વા ખાતે પુત્રીએ પિતાની હત્યા કરી છે. સંપતિમાં ભાગ નહીં આપવાથી ઉશ્કેરાયેલી પુત્રીએ માતાની સામે જ પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા.ઘરિંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્યારાસિંહ અને તેની પત્ની અમર કૌર ઘરે હતા ત્યારે તેની પુત્રી પ્રકાશ કૌર કેટલાક શખ્સો સાથે માતા-પિતાના ઘરે પહોંચી હતી. જ્યાં તેણે પિતા પ્યારાસિંહ પાસે સંપતિમાં ભાગ માંગ્યો હતો. જે આપવાનો પિતાએ ઇન્કાર કરતા પ્રકાશ કૌરે તેના પિતાને પિટવાનું શરૂ કરી દીધું હતું.માતા અમરકૌરે વચ્ચે પડીને તેના પિતા પ્યારાસિંહને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ઉશ્કેરાયેલી પુત્રી પ્રકાશકૌરે તેની ઉપર પણ હુમલો કરી દીધો હતો.જેમાં અમરકૌરને ઇજા પહોંચી હતી. અંતે, ભારે મારના કારણે પ્યારાસિંહનું મોત થયું હતું. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે અને પરિણીત પુત્રી પ્રકાશકૌરની શોધખોળ હાથ ધરી છે. તેની પાસેથી અન્ય સાગ્રીતો અંગે પણ વિગતો મેળવવામાં આવશે.
સિવિલ હોસ્પિટલ પાસેથી ૪ રૂપજીવિનીઓ પકડાઈ
રિંગ રોડ પર નવી સિવિલ હોસ્પિટલ ચોકથી લઈને છેક વનિતા વિશ્રામના ગેઇટ સુધીના વિસ્તારમાં દરરોજ સંખ્યાબંધ રૂપજીવિનીઓ રાત્રે સાડા આઠથી સાડા દસ સુધીના સમયગાળામાં ઊભી રહી ગ્રાહકની રાહ જોયા કરે છે. આ વાત રિંગ રોડ પરથી પસાર થનારી વ્યક્તિના ધ્યાન પર આવે છે પરંતુ કોઈ કારણોસર ઉમરા પોલીસને આ દ્રશ્યો દેખાતાં ન હતાં. તેવામાં મોડે મોડે પણ ઉમરા પોલીસ જાગી હતી અને મંગળવારે રાત્રે ચાર લલનાની ધરપકડ કરી હતી. રિંગ રોડ પર વનિતા વિશ્રામના ગેટ સામેથી લઈ મજુરાગેટ ગાંધી એન્જિનિયરિંગ કોલેજ સુધીના વિસ્તારમાંથી ચાર લલનાને પકડી પાડી છે. જેમાં અલ્પા રામુ મધુકર (રહે: ફૂલવીડી ઝૂંપડપટ્ટી, ભરીમાતા રોડ), સુનિતા લક્ષ્મણ હરિભાઉ (રહે: વરિયાવીબજાર), પૂનમ કિશોર દેશમુખ (રહે: મારુતિધામ સોસાયટી, અમરોલી) અને સોની બામનરાવ (રહે: ફૂવાવાડી ઝૂંપડપટ્ટી, ભરીમાતા રોડ)નો સમાવેશ થાય છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે જ્યારથી રૂપજીવિનીના વિસ્તાર ચકલાબજારનો અંત આવ્યો છે ત્યારથી મોટા ભાગની રૂપલલનાઓ ગ્રાહકોની શોધ માટે દરરોજ રિંગ રોડ પર ઊભી રહે છે. જેના કારણે ત્યાં આજુબાજુમાં રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વખત આવે છે. આ વિસ્તારમાં રહેતી મહિલાઓ વોકિંગ માટે ઘરની બહાર નીકળી શકતી નથી. આ દૂષણનો કાયમી અંત લાવવાની જવાબદારી જેમના માથે છે તે ઉમરા પોલીસ કોઈ અકળ કારણોસર આંખ આડા કાન કરતી હોવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવા સિવાયનો કોઈ રસ્તો બચ્યો નથી.
અલંગમાંથી લાપતા રશિયન ક્રુ હજુ સુધી લાપત્તા
રશિયન એમ્બેસીમાંથી દબાણ વધતા ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા સઘન શોધખોળ યથાવત.૧૯ જુલાઈએ રશિયન શીપ બીચ થયા બાદ જહાજનો ઈલેકટ્રીક એન્જિનિયર હજુ સુધી લાપત્તા.અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર ૧૧૩માં બીચ થયેલા શિપના રશિયન ક્રુ મેમ્બર છેલ્લા દસ દિવસથી ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા શોધખોળ ચાલી રહી છે, પરંતુ ક્રુને દરિયો ગળી ગયો હોય તેમ આજદિન સુધી કોઇ ભાળ મળી નથીઅથવા કોઇ સગડ મળ્યા નથી.આ પ્રકરણ અંગે રશિયને એલચી કચેરીમાંથી પણ ક્રુ અંગેની પુછપરછ વધી જતા સ્થાનિક તંત્ર પર દબાણ વધ્યુ છે. તો સંબંધિત પોલીસતંત્રની મંજુરી મળતા આ જહાજના ૧૮ ક્રુ મેમ્બરો પોતાના વતનમાં જવા રવાના થયા હતા.તા.૧૯ના રોજ શિપ બીચ થયા બાદ એલપીજી કેરિયર સમરસેટ માંથી ૧૯ ક્રુ મેમ્બરો પૈકી ૧૮ કિનારે આવી પહોંચ્યા હતા, પરંતુ શિપનો ઇલેકટ્રીક એન્જીનિયર યાસિલ યેવ એન્જેની ગુમ થયા હતા અને શિપના કેપ્ટન કેસોક દ્વારા સત્તાવાર ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. બાદમાં આ સભ્યની ચોતરફ શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી.લાપતા ક્રુ નો ડીજીટલ કેમેરો ભાંગેલી હાલતમાં શિપની બાજુમાંથી જ મળી આવ્યો હતો. પરંતુ મરિન પોલીસ, અલંગ જીએમબીના ફાયર વિભાગની સંયુક્ત જહેમત બાદ પણ તેની કોઇ ભાળ મળી નથી.
27 July 2010
કોર્ટે અમિત શાહના વકીલને ચાર્જશીટ સોંપી
visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
કોર્ટે અમિત શાહના વકીલને ચાર્જશીટ સોંપી
રવિવારના રોજ સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા રાજ્યના ભૂતપૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહ વિરૂદ્ધ સીબીઆઈ દ્વારા કોર્ટમાં તા. 24ના રોજ ફાઈલ કરવામાં આવેલી 30000 પાનાની ચાર્જશીટ આજે અમિત શાહના વકીલ મિતેષ અમિનને સોંપવામાં આવી હતી.આ તરફ વરિષ્ઠ વકીલ અને ભાજપના રાજ્યસભાના સભ્ય રામ જેઠમલાણીએ ચાર્જશીટની વિગતો મીડિયામાં લીક થવા અંગે સીબીઆઈની ઝાટકણી કાઢી હતી.જેઠમલાણીએ કહ્યું હતું કે, આરોપીને ચાર્જશીટ નથી મળી પરંતુ મીડિયાને તેની માહિતી મળી ગઇ છે અને આ બધુય સીબીઆઈ દ્વારા ગોઠવાયેલું છે. તેમણે જણાવ્યું હતું કે ચાર્જશીટને લગતા સમાચાર અખબારોમાં દરરોજ આવે છે પરંતુ શાહને હજુસુધી તેની કોપી આપવામાં આવી નથી.સીબીઆઈ પર વધારે આરોપો મુકતા જેઠમલાણીએ કહ્યું હતું કે આ સીબીઆઈનો દુરઉપયોગ છે અને હું તેની નિંદા કરૂં છું. વરિષ્ઠ વકીલે એમ પણ કહ્યું હતું કે ચાર્જશીટની કોપી શાહને આપવામાં આવે.ઉલ્લેખનીય છે કે, ભાજપના રાજસ્થાનના રાજ્યસભાના સભ્ય જેઠમલાણી રાજ્યસભામાં સોગંદવિધી પુરી કરીને ગઇકાલે તાત્કાલિક શાહનો કેસ જોવા અમદાવાદ આવ્યા હતા. તેમણે કોર્ટમાં કહ્યું હતું કે તેમને પુછપરછનો કોઇ વાંધો નથી પરંતુ સીબીઆઈ દ્વારા કરાયેલી પુછપરછનું રેકોર્ડિંગ કરવામાં આવે.
અમીનની તાજના સાક્ષી અંગે સુનાવણી ત્રીજી ઓગસ્ટે
ગુજરાત પોલીસના પૂર્વ એસીપી ડો. નરેન્દ્ર કે. અમીને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તાજના સાક્ષી બનવા માટે દાખલ કરેલી અરજીની વધુ સુનાવણી ત્રીજી ઓગસ્ટ ઉપર મુલતવી રાખવામાં આવી છે. જ્યારે અમીને સાબરમતી જેલમાંથી પોતાને ટ્રાન્સફર કરવા અંગેની અરજીની સુનાવણી આજે થોડા સમય બાદ હાથ ઉપર ધરવામાં આવશે.ડો. અમીન તરફથી હાજર રહેનારા વકીલ જગદીશ રામાણીના પિતાશ્રીનું અવસાન થવાના કારણે તેમની વિનંતીને ધ્યાનમાં રાખીને અદાલતે ડો. અમીનની તાજના સાક્ષી બનવા અંગેની અરજીની સુનાવણી ત્રીજી ઓગસ્ટે હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો.જ્યારે અમીને તાજના સાક્ષી બનવાની સાથે પોતાને સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર કરવા અંગે અદાલતને વિનંતી કરી હતી, કારણ કે તાજના સાક્ષી બનવાની તૈયારી દર્શાવતાં તેમને જીવનું જોખમ હોવાનો અનુભવ થતો હતો. આ અરજીની સુનાવણી આજે સીબીઆઇની ખાસ અદાલતમાં હાથ ધરવામાં આવતાં સાબરમતી જેલ સત્તાવાળાઓએ અદાલતને ખાતરી આપી હતી કે અમીનને વધુ સુરક્ષા પૂરી પાડવામાં આવશે. જોકે, અદાલતે હાલ પૂરતી સુનાવણી મોકૂફ રાખીને બપોર બાદ વધુ દલીલો સાંભળવાનું મુકરર કર્યું છે.
અમદાવાદ એરપોર્ટનું પાર્કિંગ મહિના સુધી ખોરવાશે!
ગુરૂવારે રાતના ૯ વાગ્યે ઇન્દોરથી અમદાવાદ આવી રહેલા જેટ એરવેઝના વિમાનને નડેલા અકસ્માતના લીધે હાલ અમદાવાદ એરપોર્ટના ‘પાર્કિંગ બે’ વ્યસ્ત થઇ ગયા છે. આ વિમાનને થયેલા નુકસાનની હાલ એન્જિનિયરો દ્વારા તપાસ હાથ ધરાઇ છે.વિમાનનું નોઝ વ્હિલ (આગળનું સિંગલ પૈડું) તૂટી ગયું છે અને રન-વે પર વિમાન પછડાયું હોવાના લીધે કોકપીટ સહિત અંદરના યાંત્રિક ઢાંચાને પણ નુકસાન થયા હોવાની આશંકા છે. તેથી લગભગ એક મહિનાથી વધુ સમય સુધી આ વિમાન પાર્કિંગમાં પડી રહે તેવી શક્યતા હોવાથી ડાઇવર્ઝન માટે હોટ ફેવરિટ ગણાતા અમદાવાદ એરપોર્ટની પાર્કિંગ વ્યવસ્થા ખોરવાઇ જવાની ભિતિ સેવાઇ રહી છે.ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટ હાલની સિઝનમાં ડાઇવર્ઝનલ ઝોન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. ત્યારે અહીં પાર્કિંગની સમસ્યા સૌથી મોટી જણાઇ રહી છે. તેવામાં અકસ્માત સર્જાયેલા વિમાનો અહીં મહિનાઓ સુધી પડ્યા રહે તો અન્ય વિમાનોને આકસ્મિક સંજોગોમાં અહીં ઉતરવામાં મુશ્કેલી નડશે.એરલાઇન્સના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડીજીસીએની એક ટીમ દ્વારા આ અકસ્માતની તપાસ ચાલી રહી છે. જો તપાસમાં એરપોર્ટની કોઇ બેદરકારી સામે આવશે તો પાર્કિંગ માટેના ચાર્જિઝ વગેરેમાં સમાધાન કરવું પડશે. જો પાઇલટ અથવા એરલાઇન્સની ભૂલ જણાશે તો તેણે વિમાનના નુકસાન સહિતના અન્ય ખર્ચની તૈયારી બતાવવી પડશે.
ઐશ્વર્યાને તો માતા બનવું છે પણ ગ્રહો અત્યારે ખરાબ ચાલી રહ્યા છે
બોલિવૂડ હોટેસ્ટ કપલ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેકે સંતાન માટે હજી વધારે રાહ જોવી પડશે તેમ લાગી રહ્યું છે.અભિ-એશના ગ્રહો પરથી કહી શકાય કે, બંનેએ લગભગ બેથી અઢી વર્ષ સુધી બાળક માટે રાહ જોવી પડશે. આ સમય દરમિયાન એશની તબિયત પણ ખરાબ થાય તેવી શક્યતા છે.જ્યોતિષના મતે બંનેના ગ્રહો અત્યારે ખરાબ ચાલી રહ્યા છે. આ જ કારણથી ફિલ્મ રાવણ ફ્લોપ ગઈ હતી.પંડિત મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ઐશ્વર્યાની કુંડળીમાં ગુરૂ નીચનો છે અને રાહુની મહાદશા ચાલી રહી છે. આ યોગને કારણે જ ઐશ્વર્યા હાલમાં માતા બની શકે તેમ નથી. આટલું જ નહિ 2006 પછી એશની કોઈ પણ ફિલ્મ સફળ થઈ નથી. ઐશ્વર્યાને પગને લગતી પણ કોઈ સમસ્યા ઉભી થાય તેમ ગ્રહો પરથી લાગી રહ્યું છે.અભિષેકની કુંડળીમાં ગજ કેસરી યોગ છે અને તેથી જ અભિને ક્યારેય ધન-સંપત્તિને લઈને મુશ્કેલી ઉભી થશે નહિ.જો કે અભિ-એશની કુંડળીમાં સંતાન સુખ વિલંબમાં છે. એટલે કે હજી પણ અભિ-એશે સંતાન માટે ઘણી રાહ જોવી પડશે.
જયવર્દનેએ બ્રેડમેનનો રેકોર્ડ તોડ્યો
કોલંબો ખાતેની ભારત સામેની બીજી મેચમાં શ્રીલંકન ખેલાડી મહિલા જયવર્દનેએ સદી ફટકારીને એક જ સ્થળે સૌથી વધારે સદી ફટકારવાનો સર ડોનાલ્ડ બ્રેડમેનના રેકોર્ડને તોડી નાંખ્યો છે. બ્રેડમેનનો એક મેદાન પર નવ સદી ફટકારવાનો રેકોર્ડ છે.
બીજી ટેસ્ટમાં 12 કલાક મેદાન પર ઉભા રહીને 178 બોલનો સામનો કરી મહિલા જયવર્દને કારકિર્દીની 28મી ટેસ્ટ સદી ફટકારવાની સાથોસાથે એક વિશ્વ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. અને એ છે એક જ સ્થળે સૌથી વધારે સદી ફટકારવાનો.અત્યારસુધી આ રેકોર્ડ સર ડોનાલ્ડ બ્રેડમેનના નામે હતો. તેણે સૌથી વધારે નવ સદી એક જ મેદાન પર ફટકારી છે. તેમણે નવ સદી એમસીજી મેદાન પર ફટકારી હતી. પરંતુ હવે જયવર્દનેએ કોલંબોના મેદાન પર ભારત સામેની બીજી ટેસ્ટમાં સદી ફટકારીને સૌથી વધારે એટલે કે દસ સદી ફટકારવાનો રેકોર્ડ બનાવી લીધો છે.
રાજકોટ : નિંદ્રાધિન દંપતી પર વિજળી ત્રાટકી
શહેરનાં સંત કબીર રોડ પર આવેલી બાલકૃષ્ણ સોસાયટીમાં ગત રાત્રે નિંદ્રાધીન પટેલ દંપતી પર વિજળી ત્રાટકતા બંન્નેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.બનાવની મળતી વિગતો મુજબ, ટંકારા તાબનાં સરાયા ગામે રહેતા ડાયાભાઇ ચકુભાઇ પટેલ અને તેમનાં પત્ની રડીબેન રાજકોટ બાલકૃષ્ણ સોસાયટીમાં રહેતા અને ઇમીટેશનનું કામકાજ કરતા પુત્રો મુકેશ, અશોકની ઘરે આવ્યા હતા. ત્યારે રાત્રીનાં ચારેક વાગ્યાનાં અરસામાં અચાનક વિજળી મીઠી નિંદર માણી રહેલા પ્રૌઢ દંપતી પર વિજળી ત્રાટકી હતી. જેને કારણે ડાયાભાઇ હાથે પગે તેમજ રડીબેન હાથે પગે અને શરીરનાં અન્ય ભાગે ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે સિવીલ હોસ્પિટલ ખસેડાયા હતા.સુત્રોમાંથી જાણવા મયાં મુજબ, ડાયાભાઇને સંતાનમાં ત્રણ પુત્રો છે. જે પૈકીનો એક પુત્ર કૈલાસ તેમની સાથે સરાયા ગામે રહી ખેતી કરે છે. જ્યારે મુકેશ અને અશોક રાજકોટ મકાન ભાડે રાખી ઇમીટેશનનું કામ કરે છે
પરસ્ત્રી સાથેનાં સંબંધથી પત્નીને છુટાછેડા દેવા ૫તિની ધમકી
શહેરમાં વધી રહેલા સ્ત્રી અત્યાચારનાં બનાવોમાં આજે બે ફરિયાદનો ઉમેરો થયો છે. પરસ્ત્રી સાથેનાં સબંધો ટકાવી રાખવા લાલપરીની મુસ્લિમ પરિણીતાને છુટાછેડા દેવા પતિએ મારમારી ખૂનની ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. અન્ય બનાવમાં પતિનાં બીજી સ્ત્રી સાથેનાં આડા સબંધનો વિરોધ કરનાર પરિણીતાને પતિ સહિતનાં સાસરિયાઓએ માર માર્યો હતો.
બનાવની વિગતો મુજબ, લાલપરી મફતિયાપરા-૪માં રહેતી રીઝવાના આરીફ પરમાર નાંમની પરિણીતાનાં પતિ આરીફને અન્ય મહિલા સાથે આડા સબંધ હોય તે અવાર નવાર છુટાછેડા આપી દેવાનાં મુદે માર મારી નહીં જા તો જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. પતિનાં ત્રાસની સાથે સાસુ ઝરીનાબેન પણ કરિયાવર મુદે હેરાન કરે છે. મહિલા પોલીસે પતિ,સાસુ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.અન્ય બનાવમાં જામનગર રોડ, પોલીસ હેડ ક્વાટરમાં રહેતી મીનાક્ષી રામાવત નાંમની બાવાજી મહિલાએ હસનવાડી-૨માં રહેતા પતિ કિરીટ, સસરા રમેશભાઇ, સાસુ વસંતબેન દેરાણી કાજલબેન સામે મારમારી ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પતિ સહિતનાં સાસરિયાઓનાં ત્રાસથી લાગી આવતા મીનાક્ષીએ ઘેનની ટીકડીઓ પણ ખાઇ લીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.
મતદાર યાદી જોવા મુદ્દે હોબાળો
વિસનગર મામલતદાર કચેરીના કર્મચારીએ અગ્રણીને અપશબ્દો બોલતાં મામલો બીચક્યો
વિસનગર મામલતદાર કચેરીમાં સોમવારે મતદારયાદી જોવાના મુદ્દે કોંગ્રેસ અગ્રણી સામે ત્યાં હાજર એક કર્મચારીએ બિભત્સ વર્તન કરી અપશબ્દો બોલવા લાગતાં હોબાળો મચી જવા પામ્યો હતો. ચાલુ કચેરીએ કર્મચારીના આ વર્તનથી હાજર અરજદારો પણ સ્તબ્ધ બની ગયા હતા. આ મુદ્દે કોંગ્રેસના અગ્રણીઓએ ભેગા થઇ મામલતદારને રજૂઆત કરી હતી.વિસનગર સ્થિત મામલતદાર કચેરીમાં સોમવારે કોંગ્રેસ અગ્રણી હરેશભાઇ ચૌધરી મતદારયાદી જોવા ગયા હતા. જ્યાં ટેબલ ખાલી હોય તેમને પૂછતાં એક કર્મચારીએ નીચે પડેલ બુકમાં જોઇ લેવા કહ્યું હતું આથી હરેશભાઇ આ યાદી લઇ ટેબલ ઉપર મુકી જોતા હતા આ દરમ્યાન બાજુના ટેબલ ઉપરના કર્મચારીએ અહી શુ કરો છો તેમ કહી બોલાચાલી કરી હતી.આ દરમ્યાન ઉશ્કેરાઇ ગયેલા આ કર્મચારીએ જાહેરમાં અપશબ્દો બોલતાં તાં કચેરીમાં આવેલા અરજદારો પણ સ્તબ્ધ થઇ ગયા હતા. તો બીજી તરફ આ અંગેની જાણ અન્ય કોંગ્રેસ અગ્રણીઓ થતાં તેઓ તાત્કાલિક મામલતદાર કચેરી દોડી આવ્યા હતા અને કચેરીમાં જ આ મુદ્દે બેસી ગયા હતા.આથી ફરજ ઉપરના નાયબ મામલતદારે આ અંગે મામલતદાર વી.એ.પટેલને જાણ કરતાં તે તાબડતોબ મીટિંગ છોડી કચેરીમાં દોડી આવ્યા હતા. જ્યાં આ મુદ્દે કોંગ્રેસ અગ્રણીઓએ ફરીયાદ નોંધવાની જીદ કરી હતી. અલબત્ત સમજાવટને અંતે ઉપરોકત કર્મચારીએ જાહેરમાં હરેશભાઇની માફી માંગતાં મામલો થાળે પડ્યો હતો.
બજાર ઉપરમાં બંધ
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ધારણા પ્રમાણે જ મુખ્ય વ્યાજદરોમાં વધારો કર્યો હોવાથી બજાર પર તેની નકારાત્મક અસર પડી નથી. આથી જે બેકિંગ, રિઅલટી અને ઓટો શેરોમાં લેવાલી જોવા મળી હતી.બીએસઇ ખાતે સેન્સેક્સ 21.31 અંક નીચામાં 17,998.74 પર ખૂલ્યો હતો. સેન્સેક્સ દિવસ દરમ્યાન 129.1 અંક ઉપરમાં 18,149.56 સુધી ગયો હતો. જે અંતમાં 50.93 અંક એટલે કે 0.28 ટકાના વધારા સાથે 18070.98 પર બંધ રહ્યો હતો. એનએસઇ ખાતે નિફ્ટી 8.40 અંક એટલે કે 0.16 ટકા વધીને 5427 પર બંધ રહ્યો હતો.એનએસઇ ખાતે સીએનએક્સ મિડકેપ ઇન્ડેક્સ 0.22 ટકા વધીને બંધ રહ્યો હતો. જ્યારે બીએસઇ ખાતે મિડકેપ ઇન્ડેક્સમાં 0.34 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.02 ટકાનો ઘટાડો નોંધાયો છે. બીએસઇ ખાતે હેલ્થકેર, પાવર અને કન્ઝયુમરગુડઝસ ઇન્ડેક્સને બાદ કરતાં તમામ ઇન્ડેક્સ નીચા મથાળે બંધ રહ્યા છે.
અમિત શાહ માટે અહીં કોણ રડે છે?
ભાજપ સીબીઆઈના છાજિયાં લઈ રહ્યો છે. રેલીઓ નીકળી રહી છે. ચેનલો પર કાળો કકળાટ થઈ રહ્યો છે. રખે માનતા કે આ બધા અમિત શાહ માટે રોઈ રહ્યા છે. આ બધા તો પોતાના માટે રોઈ રહ્યા છે. રોકકળ થઈ રહી છે, અમિત શાહના મુદ્દે.અમિત શાહ બચે કે ન બચે તેની શક્યતા ફિફટી-ફિફટી છે. પણ, ભાજપ જે આક્રમકતાથી વર્તી રહ્યો છે તેનાં કારણો પક્ષીય સ્વાર્થનાં છે, એક સાથીદારને બચાવવા માટેનાં નહીં. મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ માટે અમિત શાહની ધરપકડ એક ચૂંટણી મુદ્દો છે. રેલીઓ મહાનગરોમાં તરત કાઢવામાં આવી કારણ કે અહીં મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ થવાની છે. હવે આ ચૂંટણીઓ પણ વહેલી અને સાથે થશે. રેલીઓ કાઢવાથી સીબીઆઈ અમિત શાહનો કેસ ઢીલો કરી દેશે? ન્યાયાલય આ રેલીઓથી હચમચી જશે? કેન્દ્ર સરકાર ખળભળી ઊઠશે? ના એવું નથી. ‘કૌન રોતા હૈ કિસી ઔર કે ખાતિર ઐ દોસ્ત, સબ કો અપની હી બાત પે રોના આયા.’ અમિત શાહ માટે જે કાંઈ કરવાનું છે તે રામ જેઠમલાણીએ કરવાનું છે. એવું પણ નથી કે અમિત શાહને બચાવવાના પ્રયત્નો નથી. તેમને બચાવવા માટે તનતોડ મહેનત થઈ રહી છે. અમિત શાહને જો છોડાવી શકાય તો સાબિત થઈ જાય કે સીબીઆઈ ખોટી હતી. તેનો દુરુપયોગ થઈ રહ્યો હતો. અગેઈન, અહીં પણ રાજકીય ગણતરીઓ છે. બન્ને બાજુથી ગોબેલ્સબ્રાન્ડ પ્રચાર એવો જબરદસ્ત થશે કે સામાન્યજન બાપડો ગૂંચવાઈ જશે, કોણ દોષિત છે અને કોણ નિર્દોષ.
અમિત શાહ જેલમાં, સોહરાબ કેસમાં ભૂકંપ આવશે?
ગ્રેસની નજર બિહારની ચૂંટણી પર : ભાજપનું લક્ષ્ય ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓ પર.ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નવા રાજકીય મહાભારતની નવતર શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતના ચકચારી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ અને એની સમાંતરે-આડશે કહેવાતા ખંડણી-બ્લેકમેલિંગના કિસ્સાઓમાં રાજ્યના ભૂતપૂર્વ ગૃહરાજ્ય મંત્રી અમિત શાહ અને હરોળબંધ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ૧૫ વ્યક્તિઓ સામે સીબીઆઈ દ્વારા કરાયેલા ચાર્જશીટને પગલે આ રાજકીય મોરચા મંડાયા છે. આખા દેશમાં ચકચાર જગાવનાર આ કેસમાં આરોપીઓ પૈકીના એક ડો. નરેન્દ્ર અમીન પણ છે. નરેન્દ્ર અમીને સાથી આરોપી પો.ઇ. એન.વી. ચૌહાણ સાથેની વાતચીત ટેપ કરી લીધી હતી જેમાં ચૌહાણ કહેતા હતા કે સોહરાબુદ્દીન અન્કાઉન્ટર વખતે એટીએસના ભુતપુર્વ વડા ડી.જી વણઝારા અને અમિત શાહ અવાર નવાર એક બીજા સાથે મોબાઇલ પર વાતચીત કરતા હતા.સીબીઆઇએ આ વાતચીત પુરાવારૂપેલ ચાર્જશીટમાં પણ બતાવી છે. તબીબમાંથી પોલીસ ઓફિસર બનેલા ડો.નરેન્દ્ર અમીન સોહરાબુદ્દીન એનકાઉન્ટર કેસમાં તાજના સાક્ષી બને તેવી ઉઠેલી ચર્ચાને લીધે આગામી સમયમાં આ કેસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.સીબીઆઈ અમિત શાહને શોધી રહી હતી ત્યાં રવિવારની વરસાદી સવારે તેઓ અમદાવાદમાં ગુજરાત ભાજપની વડી કચેરી ખાતે પ્રદેશ પ્રમુખની ચાલુ પત્રકાર પરિષદે હાજર થતાં સમગ્ર પ્રકરણમાં નાટકીય વળાંક આવ્યો. અમિત શાહે સીબીઆઈનાં વલણ-વર્તણૂંક અને તે સાથે કોંગ્રેસની સામે આક્ષેપો કરીને નવતર રાજકીય લડાઈને તીવ્રતાની એરણ પર મૂકી દીધી. ત્રણ-ત્રણ દિવસથી અમિત શાહને શોધતી સીબીઆઈએ ન્યાયાધીશ સમક્ષ રિમાન્ડ ન માગ્યા. 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની માગણી કરાઈ,જેને મંજૂર રખાતાં હાલ અમિત શાહ કસ્ટડીમાં મુકાયા છે.ગુરુવારથી શનિવાર સુધીની રાજકીય ધમાધમીને રવિવારથી એક પ્રકારનો વિરામ મળ્યો. સમન્સની તરાહ, સીબીઆઇ સમક્ષ જતાં પહેલાં અમિત શાહે આરોપો, ચાર્જશીટ મૂકી દેવાની ત્વરિતતા વગેરેની સાથે સીબીઆઇના રાજકીય ગેરઉપયોગના કરેલા આક્ષેપોની વિગતો આ રાજકીય જંગના ધમાકેદાર શસ્ત્રરૂપ જરૂર ગણવા રહ્યાં. સામે પક્ષે કોંગ્રેસ પ્રત્યક્ષ રીતે કહે છે કે સીબીઆઇ તો સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ વર્તે છે. પરંતુ પરોક્ષ રૂપે તેનો ડોળો તો અમિત શાહ પછી નરેન્દ્ર મોદીને માટે ફરકી રહેલો જણાય છે.
બેબોનું વજન વધી ગયું
ઝિરો ફિગરમાં કરિના ઘણી જ સારી લાગતી હતી. જો કે હવે આ વાત ભૂતકાળ બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. બેબોનું વજન વધી ગયું છે.કરિનાનું વજન વધતાં સૌથી વધુ ચિંતા કરન જોહરને થઈ છે. કરને કરિનાને સ્પષ્ટ સૂચના આપી છે કે, તે પોતાનું વજન ઘટાડી દે. કરન ઈમરાન ખાન અને કરિનાને લઈને એક ફિલ્મ બનાવી રહ્યો છે. કરિના ઈમરાન કરતાં ત્રણ વર્ષ મોટી છે અને ઓન સ્ક્રીન આ જોડીની કેમેસ્ટ્રી સારી લાગે તે માટે કરિનાને વજન ઘટાડવાની સૂચના આપવામાં આવી છે.હાલમાં તો કરન લંડનમાં શાહરૂખની ફિલ્મ રા.વનનું શુટિંગ કરી રહ્યો છે. લંડનથી પરત ફર્યા પછી કરન શોર્ટ ટર્મ શાદીનું કામ શરૂ કરે તેવી શક્યતા છે.પંજાબી કૂડી કરિનાનું વજન વધતા તે પહેલા કરતાં ઘણી જ હેલ્થી અને સારી લાગી રહી છે પરંતુ કરિનાએ ફરીથી પોતાનું વજન ઘટાડવુ પડશે.
કોર્ટે અમિત શાહના વકીલને ચાર્જશીટ સોંપી
રવિવારના રોજ સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા રાજ્યના ભૂતપૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહ વિરૂદ્ધ સીબીઆઈ દ્વારા કોર્ટમાં તા. 24ના રોજ ફાઈલ કરવામાં આવેલી 30000 પાનાની ચાર્જશીટ આજે અમિત શાહના વકીલ મિતેષ અમિનને સોંપવામાં આવી હતી.આ તરફ વરિષ્ઠ વકીલ અને ભાજપના રાજ્યસભાના સભ્ય રામ જેઠમલાણીએ ચાર્જશીટની વિગતો મીડિયામાં લીક થવા અંગે સીબીઆઈની ઝાટકણી કાઢી હતી.જેઠમલાણીએ કહ્યું હતું કે, આરોપીને ચાર્જશીટ નથી મળી પરંતુ મીડિયાને તેની માહિતી મળી ગઇ છે અને આ બધુય સીબીઆઈ દ્વારા ગોઠવાયેલું છે. તેમણે જણાવ્યું હતું કે ચાર્જશીટને લગતા સમાચાર અખબારોમાં દરરોજ આવે છે પરંતુ શાહને હજુસુધી તેની કોપી આપવામાં આવી નથી.સીબીઆઈ પર વધારે આરોપો મુકતા જેઠમલાણીએ કહ્યું હતું કે આ સીબીઆઈનો દુરઉપયોગ છે અને હું તેની નિંદા કરૂં છું. વરિષ્ઠ વકીલે એમ પણ કહ્યું હતું કે ચાર્જશીટની કોપી શાહને આપવામાં આવે.ઉલ્લેખનીય છે કે, ભાજપના રાજસ્થાનના રાજ્યસભાના સભ્ય જેઠમલાણી રાજ્યસભામાં સોગંદવિધી પુરી કરીને ગઇકાલે તાત્કાલિક શાહનો કેસ જોવા અમદાવાદ આવ્યા હતા. તેમણે કોર્ટમાં કહ્યું હતું કે તેમને પુછપરછનો કોઇ વાંધો નથી પરંતુ સીબીઆઈ દ્વારા કરાયેલી પુછપરછનું રેકોર્ડિંગ કરવામાં આવે.
અમીનની તાજના સાક્ષી અંગે સુનાવણી ત્રીજી ઓગસ્ટે
ગુજરાત પોલીસના પૂર્વ એસીપી ડો. નરેન્દ્ર કે. અમીને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તાજના સાક્ષી બનવા માટે દાખલ કરેલી અરજીની વધુ સુનાવણી ત્રીજી ઓગસ્ટ ઉપર મુલતવી રાખવામાં આવી છે. જ્યારે અમીને સાબરમતી જેલમાંથી પોતાને ટ્રાન્સફર કરવા અંગેની અરજીની સુનાવણી આજે થોડા સમય બાદ હાથ ઉપર ધરવામાં આવશે.ડો. અમીન તરફથી હાજર રહેનારા વકીલ જગદીશ રામાણીના પિતાશ્રીનું અવસાન થવાના કારણે તેમની વિનંતીને ધ્યાનમાં રાખીને અદાલતે ડો. અમીનની તાજના સાક્ષી બનવા અંગેની અરજીની સુનાવણી ત્રીજી ઓગસ્ટે હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો.જ્યારે અમીને તાજના સાક્ષી બનવાની સાથે પોતાને સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર કરવા અંગે અદાલતને વિનંતી કરી હતી, કારણ કે તાજના સાક્ષી બનવાની તૈયારી દર્શાવતાં તેમને જીવનું જોખમ હોવાનો અનુભવ થતો હતો. આ અરજીની સુનાવણી આજે સીબીઆઇની ખાસ અદાલતમાં હાથ ધરવામાં આવતાં સાબરમતી જેલ સત્તાવાળાઓએ અદાલતને ખાતરી આપી હતી કે અમીનને વધુ સુરક્ષા પૂરી પાડવામાં આવશે. જોકે, અદાલતે હાલ પૂરતી સુનાવણી મોકૂફ રાખીને બપોર બાદ વધુ દલીલો સાંભળવાનું મુકરર કર્યું છે.
અમદાવાદ એરપોર્ટનું પાર્કિંગ મહિના સુધી ખોરવાશે!
ગુરૂવારે રાતના ૯ વાગ્યે ઇન્દોરથી અમદાવાદ આવી રહેલા જેટ એરવેઝના વિમાનને નડેલા અકસ્માતના લીધે હાલ અમદાવાદ એરપોર્ટના ‘પાર્કિંગ બે’ વ્યસ્ત થઇ ગયા છે. આ વિમાનને થયેલા નુકસાનની હાલ એન્જિનિયરો દ્વારા તપાસ હાથ ધરાઇ છે.વિમાનનું નોઝ વ્હિલ (આગળનું સિંગલ પૈડું) તૂટી ગયું છે અને રન-વે પર વિમાન પછડાયું હોવાના લીધે કોકપીટ સહિત અંદરના યાંત્રિક ઢાંચાને પણ નુકસાન થયા હોવાની આશંકા છે. તેથી લગભગ એક મહિનાથી વધુ સમય સુધી આ વિમાન પાર્કિંગમાં પડી રહે તેવી શક્યતા હોવાથી ડાઇવર્ઝન માટે હોટ ફેવરિટ ગણાતા અમદાવાદ એરપોર્ટની પાર્કિંગ વ્યવસ્થા ખોરવાઇ જવાની ભિતિ સેવાઇ રહી છે.ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટ હાલની સિઝનમાં ડાઇવર્ઝનલ ઝોન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. ત્યારે અહીં પાર્કિંગની સમસ્યા સૌથી મોટી જણાઇ રહી છે. તેવામાં અકસ્માત સર્જાયેલા વિમાનો અહીં મહિનાઓ સુધી પડ્યા રહે તો અન્ય વિમાનોને આકસ્મિક સંજોગોમાં અહીં ઉતરવામાં મુશ્કેલી નડશે.એરલાઇન્સના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડીજીસીએની એક ટીમ દ્વારા આ અકસ્માતની તપાસ ચાલી રહી છે. જો તપાસમાં એરપોર્ટની કોઇ બેદરકારી સામે આવશે તો પાર્કિંગ માટેના ચાર્જિઝ વગેરેમાં સમાધાન કરવું પડશે. જો પાઇલટ અથવા એરલાઇન્સની ભૂલ જણાશે તો તેણે વિમાનના નુકસાન સહિતના અન્ય ખર્ચની તૈયારી બતાવવી પડશે.
ઐશ્વર્યાને તો માતા બનવું છે પણ ગ્રહો અત્યારે ખરાબ ચાલી રહ્યા છે
બોલિવૂડ હોટેસ્ટ કપલ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેકે સંતાન માટે હજી વધારે રાહ જોવી પડશે તેમ લાગી રહ્યું છે.અભિ-એશના ગ્રહો પરથી કહી શકાય કે, બંનેએ લગભગ બેથી અઢી વર્ષ સુધી બાળક માટે રાહ જોવી પડશે. આ સમય દરમિયાન એશની તબિયત પણ ખરાબ થાય તેવી શક્યતા છે.જ્યોતિષના મતે બંનેના ગ્રહો અત્યારે ખરાબ ચાલી રહ્યા છે. આ જ કારણથી ફિલ્મ રાવણ ફ્લોપ ગઈ હતી.પંડિત મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ઐશ્વર્યાની કુંડળીમાં ગુરૂ નીચનો છે અને રાહુની મહાદશા ચાલી રહી છે. આ યોગને કારણે જ ઐશ્વર્યા હાલમાં માતા બની શકે તેમ નથી. આટલું જ નહિ 2006 પછી એશની કોઈ પણ ફિલ્મ સફળ થઈ નથી. ઐશ્વર્યાને પગને લગતી પણ કોઈ સમસ્યા ઉભી થાય તેમ ગ્રહો પરથી લાગી રહ્યું છે.અભિષેકની કુંડળીમાં ગજ કેસરી યોગ છે અને તેથી જ અભિને ક્યારેય ધન-સંપત્તિને લઈને મુશ્કેલી ઉભી થશે નહિ.જો કે અભિ-એશની કુંડળીમાં સંતાન સુખ વિલંબમાં છે. એટલે કે હજી પણ અભિ-એશે સંતાન માટે ઘણી રાહ જોવી પડશે.
જયવર્દનેએ બ્રેડમેનનો રેકોર્ડ તોડ્યો
કોલંબો ખાતેની ભારત સામેની બીજી મેચમાં શ્રીલંકન ખેલાડી મહિલા જયવર્દનેએ સદી ફટકારીને એક જ સ્થળે સૌથી વધારે સદી ફટકારવાનો સર ડોનાલ્ડ બ્રેડમેનના રેકોર્ડને તોડી નાંખ્યો છે. બ્રેડમેનનો એક મેદાન પર નવ સદી ફટકારવાનો રેકોર્ડ છે.
બીજી ટેસ્ટમાં 12 કલાક મેદાન પર ઉભા રહીને 178 બોલનો સામનો કરી મહિલા જયવર્દને કારકિર્દીની 28મી ટેસ્ટ સદી ફટકારવાની સાથોસાથે એક વિશ્વ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. અને એ છે એક જ સ્થળે સૌથી વધારે સદી ફટકારવાનો.અત્યારસુધી આ રેકોર્ડ સર ડોનાલ્ડ બ્રેડમેનના નામે હતો. તેણે સૌથી વધારે નવ સદી એક જ મેદાન પર ફટકારી છે. તેમણે નવ સદી એમસીજી મેદાન પર ફટકારી હતી. પરંતુ હવે જયવર્દનેએ કોલંબોના મેદાન પર ભારત સામેની બીજી ટેસ્ટમાં સદી ફટકારીને સૌથી વધારે એટલે કે દસ સદી ફટકારવાનો રેકોર્ડ બનાવી લીધો છે.
રાજકોટ : નિંદ્રાધિન દંપતી પર વિજળી ત્રાટકી
શહેરનાં સંત કબીર રોડ પર આવેલી બાલકૃષ્ણ સોસાયટીમાં ગત રાત્રે નિંદ્રાધીન પટેલ દંપતી પર વિજળી ત્રાટકતા બંન્નેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.બનાવની મળતી વિગતો મુજબ, ટંકારા તાબનાં સરાયા ગામે રહેતા ડાયાભાઇ ચકુભાઇ પટેલ અને તેમનાં પત્ની રડીબેન રાજકોટ બાલકૃષ્ણ સોસાયટીમાં રહેતા અને ઇમીટેશનનું કામકાજ કરતા પુત્રો મુકેશ, અશોકની ઘરે આવ્યા હતા. ત્યારે રાત્રીનાં ચારેક વાગ્યાનાં અરસામાં અચાનક વિજળી મીઠી નિંદર માણી રહેલા પ્રૌઢ દંપતી પર વિજળી ત્રાટકી હતી. જેને કારણે ડાયાભાઇ હાથે પગે તેમજ રડીબેન હાથે પગે અને શરીરનાં અન્ય ભાગે ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે સિવીલ હોસ્પિટલ ખસેડાયા હતા.સુત્રોમાંથી જાણવા મયાં મુજબ, ડાયાભાઇને સંતાનમાં ત્રણ પુત્રો છે. જે પૈકીનો એક પુત્ર કૈલાસ તેમની સાથે સરાયા ગામે રહી ખેતી કરે છે. જ્યારે મુકેશ અને અશોક રાજકોટ મકાન ભાડે રાખી ઇમીટેશનનું કામ કરે છે
પરસ્ત્રી સાથેનાં સંબંધથી પત્નીને છુટાછેડા દેવા ૫તિની ધમકી
શહેરમાં વધી રહેલા સ્ત્રી અત્યાચારનાં બનાવોમાં આજે બે ફરિયાદનો ઉમેરો થયો છે. પરસ્ત્રી સાથેનાં સબંધો ટકાવી રાખવા લાલપરીની મુસ્લિમ પરિણીતાને છુટાછેડા દેવા પતિએ મારમારી ખૂનની ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. અન્ય બનાવમાં પતિનાં બીજી સ્ત્રી સાથેનાં આડા સબંધનો વિરોધ કરનાર પરિણીતાને પતિ સહિતનાં સાસરિયાઓએ માર માર્યો હતો.
બનાવની વિગતો મુજબ, લાલપરી મફતિયાપરા-૪માં રહેતી રીઝવાના આરીફ પરમાર નાંમની પરિણીતાનાં પતિ આરીફને અન્ય મહિલા સાથે આડા સબંધ હોય તે અવાર નવાર છુટાછેડા આપી દેવાનાં મુદે માર મારી નહીં જા તો જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. પતિનાં ત્રાસની સાથે સાસુ ઝરીનાબેન પણ કરિયાવર મુદે હેરાન કરે છે. મહિલા પોલીસે પતિ,સાસુ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.અન્ય બનાવમાં જામનગર રોડ, પોલીસ હેડ ક્વાટરમાં રહેતી મીનાક્ષી રામાવત નાંમની બાવાજી મહિલાએ હસનવાડી-૨માં રહેતા પતિ કિરીટ, સસરા રમેશભાઇ, સાસુ વસંતબેન દેરાણી કાજલબેન સામે મારમારી ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પતિ સહિતનાં સાસરિયાઓનાં ત્રાસથી લાગી આવતા મીનાક્ષીએ ઘેનની ટીકડીઓ પણ ખાઇ લીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.
મતદાર યાદી જોવા મુદ્દે હોબાળો
વિસનગર મામલતદાર કચેરીના કર્મચારીએ અગ્રણીને અપશબ્દો બોલતાં મામલો બીચક્યો
વિસનગર મામલતદાર કચેરીમાં સોમવારે મતદારયાદી જોવાના મુદ્દે કોંગ્રેસ અગ્રણી સામે ત્યાં હાજર એક કર્મચારીએ બિભત્સ વર્તન કરી અપશબ્દો બોલવા લાગતાં હોબાળો મચી જવા પામ્યો હતો. ચાલુ કચેરીએ કર્મચારીના આ વર્તનથી હાજર અરજદારો પણ સ્તબ્ધ બની ગયા હતા. આ મુદ્દે કોંગ્રેસના અગ્રણીઓએ ભેગા થઇ મામલતદારને રજૂઆત કરી હતી.વિસનગર સ્થિત મામલતદાર કચેરીમાં સોમવારે કોંગ્રેસ અગ્રણી હરેશભાઇ ચૌધરી મતદારયાદી જોવા ગયા હતા. જ્યાં ટેબલ ખાલી હોય તેમને પૂછતાં એક કર્મચારીએ નીચે પડેલ બુકમાં જોઇ લેવા કહ્યું હતું આથી હરેશભાઇ આ યાદી લઇ ટેબલ ઉપર મુકી જોતા હતા આ દરમ્યાન બાજુના ટેબલ ઉપરના કર્મચારીએ અહી શુ કરો છો તેમ કહી બોલાચાલી કરી હતી.આ દરમ્યાન ઉશ્કેરાઇ ગયેલા આ કર્મચારીએ જાહેરમાં અપશબ્દો બોલતાં તાં કચેરીમાં આવેલા અરજદારો પણ સ્તબ્ધ થઇ ગયા હતા. તો બીજી તરફ આ અંગેની જાણ અન્ય કોંગ્રેસ અગ્રણીઓ થતાં તેઓ તાત્કાલિક મામલતદાર કચેરી દોડી આવ્યા હતા અને કચેરીમાં જ આ મુદ્દે બેસી ગયા હતા.આથી ફરજ ઉપરના નાયબ મામલતદારે આ અંગે મામલતદાર વી.એ.પટેલને જાણ કરતાં તે તાબડતોબ મીટિંગ છોડી કચેરીમાં દોડી આવ્યા હતા. જ્યાં આ મુદ્દે કોંગ્રેસ અગ્રણીઓએ ફરીયાદ નોંધવાની જીદ કરી હતી. અલબત્ત સમજાવટને અંતે ઉપરોકત કર્મચારીએ જાહેરમાં હરેશભાઇની માફી માંગતાં મામલો થાળે પડ્યો હતો.
બજાર ઉપરમાં બંધ
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ધારણા પ્રમાણે જ મુખ્ય વ્યાજદરોમાં વધારો કર્યો હોવાથી બજાર પર તેની નકારાત્મક અસર પડી નથી. આથી જે બેકિંગ, રિઅલટી અને ઓટો શેરોમાં લેવાલી જોવા મળી હતી.બીએસઇ ખાતે સેન્સેક્સ 21.31 અંક નીચામાં 17,998.74 પર ખૂલ્યો હતો. સેન્સેક્સ દિવસ દરમ્યાન 129.1 અંક ઉપરમાં 18,149.56 સુધી ગયો હતો. જે અંતમાં 50.93 અંક એટલે કે 0.28 ટકાના વધારા સાથે 18070.98 પર બંધ રહ્યો હતો. એનએસઇ ખાતે નિફ્ટી 8.40 અંક એટલે કે 0.16 ટકા વધીને 5427 પર બંધ રહ્યો હતો.એનએસઇ ખાતે સીએનએક્સ મિડકેપ ઇન્ડેક્સ 0.22 ટકા વધીને બંધ રહ્યો હતો. જ્યારે બીએસઇ ખાતે મિડકેપ ઇન્ડેક્સમાં 0.34 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.02 ટકાનો ઘટાડો નોંધાયો છે. બીએસઇ ખાતે હેલ્થકેર, પાવર અને કન્ઝયુમરગુડઝસ ઇન્ડેક્સને બાદ કરતાં તમામ ઇન્ડેક્સ નીચા મથાળે બંધ રહ્યા છે.
અમિત શાહ માટે અહીં કોણ રડે છે?
ભાજપ સીબીઆઈના છાજિયાં લઈ રહ્યો છે. રેલીઓ નીકળી રહી છે. ચેનલો પર કાળો કકળાટ થઈ રહ્યો છે. રખે માનતા કે આ બધા અમિત શાહ માટે રોઈ રહ્યા છે. આ બધા તો પોતાના માટે રોઈ રહ્યા છે. રોકકળ થઈ રહી છે, અમિત શાહના મુદ્દે.અમિત શાહ બચે કે ન બચે તેની શક્યતા ફિફટી-ફિફટી છે. પણ, ભાજપ જે આક્રમકતાથી વર્તી રહ્યો છે તેનાં કારણો પક્ષીય સ્વાર્થનાં છે, એક સાથીદારને બચાવવા માટેનાં નહીં. મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ માટે અમિત શાહની ધરપકડ એક ચૂંટણી મુદ્દો છે. રેલીઓ મહાનગરોમાં તરત કાઢવામાં આવી કારણ કે અહીં મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ થવાની છે. હવે આ ચૂંટણીઓ પણ વહેલી અને સાથે થશે. રેલીઓ કાઢવાથી સીબીઆઈ અમિત શાહનો કેસ ઢીલો કરી દેશે? ન્યાયાલય આ રેલીઓથી હચમચી જશે? કેન્દ્ર સરકાર ખળભળી ઊઠશે? ના એવું નથી. ‘કૌન રોતા હૈ કિસી ઔર કે ખાતિર ઐ દોસ્ત, સબ કો અપની હી બાત પે રોના આયા.’ અમિત શાહ માટે જે કાંઈ કરવાનું છે તે રામ જેઠમલાણીએ કરવાનું છે. એવું પણ નથી કે અમિત શાહને બચાવવાના પ્રયત્નો નથી. તેમને બચાવવા માટે તનતોડ મહેનત થઈ રહી છે. અમિત શાહને જો છોડાવી શકાય તો સાબિત થઈ જાય કે સીબીઆઈ ખોટી હતી. તેનો દુરુપયોગ થઈ રહ્યો હતો. અગેઈન, અહીં પણ રાજકીય ગણતરીઓ છે. બન્ને બાજુથી ગોબેલ્સબ્રાન્ડ પ્રચાર એવો જબરદસ્ત થશે કે સામાન્યજન બાપડો ગૂંચવાઈ જશે, કોણ દોષિત છે અને કોણ નિર્દોષ.
અમિત શાહ જેલમાં, સોહરાબ કેસમાં ભૂકંપ આવશે?
ગ્રેસની નજર બિહારની ચૂંટણી પર : ભાજપનું લક્ષ્ય ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓ પર.ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નવા રાજકીય મહાભારતની નવતર શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતના ચકચારી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ અને એની સમાંતરે-આડશે કહેવાતા ખંડણી-બ્લેકમેલિંગના કિસ્સાઓમાં રાજ્યના ભૂતપૂર્વ ગૃહરાજ્ય મંત્રી અમિત શાહ અને હરોળબંધ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ૧૫ વ્યક્તિઓ સામે સીબીઆઈ દ્વારા કરાયેલા ચાર્જશીટને પગલે આ રાજકીય મોરચા મંડાયા છે. આખા દેશમાં ચકચાર જગાવનાર આ કેસમાં આરોપીઓ પૈકીના એક ડો. નરેન્દ્ર અમીન પણ છે. નરેન્દ્ર અમીને સાથી આરોપી પો.ઇ. એન.વી. ચૌહાણ સાથેની વાતચીત ટેપ કરી લીધી હતી જેમાં ચૌહાણ કહેતા હતા કે સોહરાબુદ્દીન અન્કાઉન્ટર વખતે એટીએસના ભુતપુર્વ વડા ડી.જી વણઝારા અને અમિત શાહ અવાર નવાર એક બીજા સાથે મોબાઇલ પર વાતચીત કરતા હતા.સીબીઆઇએ આ વાતચીત પુરાવારૂપેલ ચાર્જશીટમાં પણ બતાવી છે. તબીબમાંથી પોલીસ ઓફિસર બનેલા ડો.નરેન્દ્ર અમીન સોહરાબુદ્દીન એનકાઉન્ટર કેસમાં તાજના સાક્ષી બને તેવી ઉઠેલી ચર્ચાને લીધે આગામી સમયમાં આ કેસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.સીબીઆઈ અમિત શાહને શોધી રહી હતી ત્યાં રવિવારની વરસાદી સવારે તેઓ અમદાવાદમાં ગુજરાત ભાજપની વડી કચેરી ખાતે પ્રદેશ પ્રમુખની ચાલુ પત્રકાર પરિષદે હાજર થતાં સમગ્ર પ્રકરણમાં નાટકીય વળાંક આવ્યો. અમિત શાહે સીબીઆઈનાં વલણ-વર્તણૂંક અને તે સાથે કોંગ્રેસની સામે આક્ષેપો કરીને નવતર રાજકીય લડાઈને તીવ્રતાની એરણ પર મૂકી દીધી. ત્રણ-ત્રણ દિવસથી અમિત શાહને શોધતી સીબીઆઈએ ન્યાયાધીશ સમક્ષ રિમાન્ડ ન માગ્યા. 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની માગણી કરાઈ,જેને મંજૂર રખાતાં હાલ અમિત શાહ કસ્ટડીમાં મુકાયા છે.ગુરુવારથી શનિવાર સુધીની રાજકીય ધમાધમીને રવિવારથી એક પ્રકારનો વિરામ મળ્યો. સમન્સની તરાહ, સીબીઆઇ સમક્ષ જતાં પહેલાં અમિત શાહે આરોપો, ચાર્જશીટ મૂકી દેવાની ત્વરિતતા વગેરેની સાથે સીબીઆઇના રાજકીય ગેરઉપયોગના કરેલા આક્ષેપોની વિગતો આ રાજકીય જંગના ધમાકેદાર શસ્ત્રરૂપ જરૂર ગણવા રહ્યાં. સામે પક્ષે કોંગ્રેસ પ્રત્યક્ષ રીતે કહે છે કે સીબીઆઇ તો સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ વર્તે છે. પરંતુ પરોક્ષ રૂપે તેનો ડોળો તો અમિત શાહ પછી નરેન્દ્ર મોદીને માટે ફરકી રહેલો જણાય છે.
બેબોનું વજન વધી ગયું
ઝિરો ફિગરમાં કરિના ઘણી જ સારી લાગતી હતી. જો કે હવે આ વાત ભૂતકાળ બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. બેબોનું વજન વધી ગયું છે.કરિનાનું વજન વધતાં સૌથી વધુ ચિંતા કરન જોહરને થઈ છે. કરને કરિનાને સ્પષ્ટ સૂચના આપી છે કે, તે પોતાનું વજન ઘટાડી દે. કરન ઈમરાન ખાન અને કરિનાને લઈને એક ફિલ્મ બનાવી રહ્યો છે. કરિના ઈમરાન કરતાં ત્રણ વર્ષ મોટી છે અને ઓન સ્ક્રીન આ જોડીની કેમેસ્ટ્રી સારી લાગે તે માટે કરિનાને વજન ઘટાડવાની સૂચના આપવામાં આવી છે.હાલમાં તો કરન લંડનમાં શાહરૂખની ફિલ્મ રા.વનનું શુટિંગ કરી રહ્યો છે. લંડનથી પરત ફર્યા પછી કરન શોર્ટ ટર્મ શાદીનું કામ શરૂ કરે તેવી શક્યતા છે.પંજાબી કૂડી કરિનાનું વજન વધતા તે પહેલા કરતાં ઘણી જ હેલ્થી અને સારી લાગી રહી છે પરંતુ કરિનાએ ફરીથી પોતાનું વજન ઘટાડવુ પડશે.
રાજકોટ : વરસાદી રોગચાળાનો ભરડો, ઝાડા-ઊલટીના ૭૧પ કેસ
visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
રાજકોટ : વરસાદી રોગચાળાનો ભરડો, ઝાડા-ઊલટીના ૭૧પ કેસ
સમગ્ર શહેરમાં વરસાદી રોગચાળો હાહાકાર મચાવી રહ્યો છે. સરેરાશ એક પરિવારમાંથી એક વ્યક્તિ તાવ, શરદી કે ઝાડા-ઊલટીના ભરડામાં આવી જાય છે. માત્ર સરકારી ચોપડે જ જોઇએ તો છેલ્લા એક અઠવાડિયામાં ઝાડા-ઊલટીના ૭૧પ કેસ નોંધાઇ ચૂક્યા છે. ખાનગી હોસ્પિટલોનો સર્વે કરવામાં આવે તો રોગચાળાની સાચી ભયાનકતા સામે આવી જાય એ હદે રોગચાળાએ મોઢું ફાડ્યું છે.મહાપાલિકાનું આરોગ્ય તંત્ર તો પોતાની કામચોરી છતી ન થાય એવા મલીન ઇરાદા સાથે રોગચાળાના સત્તાવાર આંકડા છુપાવી સબ સલામતનું ગાણુ ગાઇ રહ્યું છે પણ વાસ્તવિક સ્થિતિએ સમગ્ર શહેરમાં વરસાદી રોગચાળાનો અજગર ભરડો આવી ગયો છે.આ અંગે આરોગ્ય વિભાગના માહિતગાર સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ઝાડા-ઊલટી અને તાવના રોગચાળાની સ્થિતિ અતિ ચિંતાજનક બનતી જાય છે. માત્ર એક જ અઠવાડિયામાં ઝાડા-ઊલટીના ૭૧પ કેસ જોવા મળ્યા છે. શહેરના ભગવતીપરા, જંગલેશ્વર, મવડી, મોરબી રોડ તથા ગાંધીગ્રામ જેવા વિસ્તારોમાં ઝાડા-ઊલટીના કેસ વધુ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તાવના ગત અઠવાડિયામાં ૧૦૯૬ કેસ જોવા મળ્યા છે. અત્યાર સુધીમાં કોલેરાના પણ ૩ કેસ નોંધાઇ ચૂક્યા છે.શહેરમાં પ્રસરેલા રોગચાળામાં દરદીને ઝાડા-ઊલટી ઉપરાંત પેટમાં ચૂક ઉપડવી, સાંજ પડ્યું માથું ભારે થઇ જવું સહિતની ફરિયાદો મુખ્યત્વે રહે છે. આ બધા લક્ષણો રોટા વાયરસના હોવાનું તબીબી વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. આ અંગે જાણીતા તબીબ ડૉ. હપાણીના કહેવા મુજબ રોટા વાયરસ વરસાદી વાતાવરણમાંથી ઉદભવે છે. તેનુ ઇન્ફેકશન બાળકોથી લઇ બુઝુર્ગોને ખૂબ ઝડપથી લાગી શકે છે.
મચ્છુ-૨ ડેમની સપાટી ૨૩.૫૦ ફૂટે: એક વર્ષનું પાણી સંગ્રહાયું
મોરબીવાસીઓ માટે ખુશ ખબર, એક રાતમાં મેઘરાજાએ મોરબીની પાણીની સમસ્યાનો હલ કરી નાખ્યો. છેલ્લા ૨૪ કલાકમાં ૮.૫૦ ફૂટ નવા નીરની તોતિંગ આવક.મોરબીવાસીઓ માટે ઘરે લાપસીના આંધણ મૂકવા જેવા સારા સમાચાર છે. મોરબીના લોકો માટે જીવાદોરી સમાન ગણાતા મચ્છુ-૨ ડેમ પંથકમાં પડેલા સારા વરસાદના પગલે એક જ રાતમાં નવા ૮.૫૦ ફૂટની તોતિંગ નીરની આવકથી આખા વર્ષની પીવાના પાણીની સમસ્યાનો અંત આવી જતાં લોકો ખુશખુશાલ થઇ ગયા છે.મોરબી શહેરને પાણીનો જથ્થો પૂરો પાડતો એકમાત્ર જળ સ્ત્રોત મચ્છુ-ર ડેમમાં ચોમાસા પહેલાં જ તિળયા દેખાવા લાગ્યા હતા અને મોરબી પર ગંભીર જળ સંકટ ઊંભું થયાનું તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા રૂપે નર્મદાનું પાણી મેળવવાના પ્રયાસો કરાયા હતા અને ઉપરથી ચોમાસુ ખેચાતા જળસમસ્યા વધુ વિકટ બની હતી.તેવામાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં મચ્છુ-ર ડેમમાં ડેડ સ્ટોક ઉપરાંત ચાર-પાંચ મહિના ચાલે તેટલા પાણીનો જથ્થો સંગ્રહાતા મોરબીની જળસમસ્યા મહદ અંશે હળવી થઇ હતી.પરંતુ મેઘાની એ મોરબીવાસીઓ સામે કૃપા દ્રષ્ટિ કરી અને એક જ રાતમાં મચ્છુ-ર ડેમમાં ૮.૫૦ ફૂટ નવા નીર ઠાલવી એકજ ઝાટકે મોરબીની પાણીની સમસ્યા હલ કરી નાખી હતી.રવિવારની સાંજ સુધીમાં મચ્છુ-ર ડેમની સપાટી ૧૫ ફૂટ હતી. પરંતુ રાત્રીના પડેલા ભારે વરસાદના પગલે મચ્છુ-ર ડેમની સપાટી સોમવારે સાંજ સુધીમાં સીધી જ ૨૩.૫૦ ફૂટે પહોંચી ગઇ હતી.
બેટી નદીમાં પડતું મૂકી આધેડે જીવનનો અંત આણ્યો
યુનિવર્સિટી રોડ પરના મંડપ સર્વિસમાં કામ કરતા અને ત્યાં જ રહેતા સુથાર આધેડની લાશ બેટી નદીમાંથી મળી આવી હતી. ચોટીલા દર્શને જવા નીકળેલા આધેડે એકલવાયા જીવનથી કંટાળી આપઘાત કરી લીધો હતો.યુનિવર્સિટી રોડ પરના જયોતિનગરમાં આવેલા હરસિધ્ધિ મંડપ સર્વિસમાં કામ કરતા સુથાર અરિંવદભાઇ કિશોરભાઇ કથ્રેચા (ઉ.વ. ૪૨) દર પૂનમે ચોટીલા દર્શને જતાં હોય શનિવારે પણ ચોટીલા જવા નીકળ્યા હતા. પરંતુ, પરત નહીં આવતા મંડપ સર્વિસના સંચાલકોએ તેની શોધખોળ શરૂ કરી હતી.દરમિયાન, રવિવારે સવારે બેટી નદીના પુલ પાસે મહિલા કપડાં ધોવા ગઇ હતી ત્યારે લાશ નજરે પડતા પોલીસને જાણ કરી હતી. કુવાડવાના ફોજદાર પરમાર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ શરૂ કરતા મૃતક અરિંવદભાઇ સુથાર હોવાનું ખૂલ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અરિંવદભાઇને પાંચ ભાઇઓ છે અને તે અપરિણીત હતા. એકલવાયા જીવનથી કંટાળી આધેડે બેટી નદીના પુલ પરથી ઝંપલાવ્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું.ભગવતીપરામાં પડી જવાથી યુવાનનું મોત -ભગવતીપરામાં આશાબા પીર દરગાહ પાસે રહેતો મુસ્લિમ યુવાન કાસમ જુમાભાઇ દલ (ઉ. વ. ૩૫) બપોરે ઘર પાસે પડી ગયા બાદ બેભાન થઇ જતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. યુવાન પુત્રના મોતથી મુસ્લિમ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
રાજકોટ : દારૂના ડખ્ખામાં શ્રમિકને નામીચા શખ્સે પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધો
રાજકોટમાં દારૂ પ્રશ્ને ત્રણ દિવસમાં બીજી હત્યા, મયૂરનગરના કોળી યુવાનને ૮૦ ફૂટના રોડ ઉપર લઇ જઇ રહેંસી નાખ્યો : ધરપકડ.શહેરમાં બે દિવસ પહેલાં જંકશન પ્લોટમાં નામચીન શિવા ભરવાડની તેના જ ઘરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો નથી ત્યાં આજે ૮૦ ફૂટના રોડ ઉપર મયૂરનગરના શ્રમિક કોળી યુવાનને તેના જ મિત્ર અને અગાઉ લૂંટ, ચોરીમાં પકડાઇ ચૂકેલા રીઢા અપરાધીએ માથામાં પથ્થરના ઘા મારી ક્રૂરતાપૂર્વક પતાવી દીધો હતો.૮૦ ફૂટના રોડ ઉપર હુન્ડાઇ શો-રૂમ સામે રેતીના ઢગલા ઉપર અજાણ્યા યુવાનની લોહી નીતરતી લાશ પડી છે તેવી માહિતી મળતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. સ્થળ પર આશરે ૩પ વર્ષના યુવાનની માથું છુંદાયેલી લાશ પડી હતી. પોલીસે ખિસ્સામાંથી મળી આવેલા મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરતા દિનેશભાઇ ભરવાડ(રહે. મોરબી રોડ) એ રૂબરૂ આવીને લાશ ભાવનગર રોડ પર રાજમોતી ઓઇલ મિલ પાસે મયૂરનગર મફતિયાપરામાં રહેતાં કોળી શૈલેષ તેજાભાઇ રોજાસરાની હોવાનું જણાવ્યું હતું.ત્યારબાદ વિનુભાઇએ નાના ભાઇ શૈલેષની લાશ ઓળખી બતાવી હતી. શૈલેષને દારૂ પીવાની ટેવ હતી અને રવિવારે રાતે આઠ વાગે રાજુ મરાઠી તેમજ રમેશ કોળી શૈલેષને ઘરેથી બોલાવી ગયા હતા તેવી માહિતી આપતા પોલીસે રાજુ અને રમેશની અટકાયત કરી હતી. શકમંદની કબૂલાત મુજબ, રાતે સાથે દારૂ પીને દસ વાગે છુટા પડી ગયા હતા.
વિદ્યાર્થિનીની છેડતીનું પ્રકરણ ફરી સળવળ્યું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ ભવનમાં બે માસ પહેલાં વિદ્યાર્થિનીએ પ્રોફેસર વિરુધ્ધ કરેલી ફરિયાદની વાત પુન:સજીવન થઇ છે. જોકે, સૂત્રો કહે છે કે જે રીતે કિસ્સો ચર્ચાઇ રહ્યો છે તે જોતાં વુમન હેરેસમેન્ટ સેલની કોઇ નબળી કે નકારાત્મક ભૂમિકા નથી તો જે ફરિયાદ છે તેમાં પણ અનેક દ્રષ્ટિકોણ ભળ્યા છે તેમ છતાં આ બાબતે કદાચ હવે પોલીસ ફરિયાદ થાય તેવી પણ
સંભાવના છે.શિક્ષણભવનમાં લેવાયેલા વાઇવા દરમિયાન મોલિયા અટકવાળા એક પ્રોફેસરે અભદ્ર માગણી કરી હોવાની ફરિયાદ એક વિદ્યાર્થિનીએ કરી હતી. જે તે સમયે ચર્ચા હતી તે મુજબ ડિપાર્ટમેન્ટે પણ એ ફરિયાદને અવગણી હતી. વાત વુમન હેરેસમેન્ટ સેલ સુધી પહોંચી હતી. પરંતુ, કોઇ ઉકેલ આવ્યો નથી. હવે આ અંગે કદાચ પોલીસ ફરિયાદ થવાની શક્યતા છે.જો કે આ બાબતે વુમન હેરેસમેન્ટ સેલના સભ્યોએ કહ્યું કે અમે પાંચથી છ વિદ્યાર્થીઓના નિવેદન લઇને ઉપરાંત ફરિયાદીને પૂછીને તેમજ તેમની સહાધ્યાયી વિદ્યાર્થિનીઓને પૂછીને રિપોર્ટ મેળવ્યો છે અને જેણે જે કહ્યું તે જ શબ્દોમાં અહેવાલ કુલપતિને આપ્યો છે. જ્યારે પહેલીવાર આ પ્રકરણ બહાર આવ્યું ત્યારે જોરદાર ચર્ચા થઈ હતી અને વિદ્યાર્થિનીનું બાવડું પ્રોફેસર પકડ્યું હોવાની વાત વહેતી થઈ હતી.
લોકમેળાના સ્ટોલ ભાડામાં ૧થી ૩ હજારનો ભાવવધારો
૩૧ ઓગસ્ટથી લોકમેળાનો આરંભ, રમકડાંના સ્ટોલનું ભાડું ૮ હજારમાંથી ૧૧ હજાર.રેસકોર્સ મેદાન ખાતે ૩૧ ઓગસ્ટથી ૫ સપ્ટેમ્બર સુધી છ દિવસ માટે યોજાનારા લોકમેળામાં સ્ટોલના ભાડામાં એક હજારથી માંડી ત્રણ હજાર સુધીનો ભાવવધારો કર્યો છે. જો કે સૌથી વધુ ભાડાં વધારો રમકડાંના સ્ટોલમાં કરાયો હોય આ વખતે રમકડાં મોંઘા મળશે. ગત વર્ષે રમકડાંના સ્ટોલનો ભાવ આઠ હજાર હતો તેમાં ત્રણ હજારનો વધારો કરી આ વર્ષે છ દિવસનું ભાડું અગિયાર હજાર કારાયું છે.લોકમેળામાં વહીવટીતંત્ર દ્વારા ૩૨૯ સ્ટોલ માટે જગ્યાની ફાળવણી કરવામાં આવી છે જેમાં રમકડાંના ૧૯૮, આઇસક્રીમના ૨૩, ડેમોસ્ટ્રેશન કમ સેલના ૧૯ જ્યારે ખાણી પીણીના ૩૪ તેમજ ફજત-ફાળકા, યાંત્રિક કેટેગરીના ૫૫ સ્ટોલ નિશ્વિત કરાયા છે.ખાણી પીણી તેમજ રમકડાંના સ્ટોલની હરરાજી ૧૭ ઓગસ્ટે યોજાશે યાંત્રિકની ૧૮મી એ, આઇસક્રીમ સ્ટોલની ૨૦મી એ હરરાજી કરાશે, જ્યારે ડ્રો દ્વારા અપાનારા સ્ટોલ માટે ૧૯ ઓગસ્ટ મુકરર કરાઇ છે.રાજકોટ પ્રાંત અધિકારીની કચેરી તથા ઈન્ડિયન બેંક, શાસ્ત્રી મેદન ખાતેથી લોકમેળાના સ્ટોલના ફોર્મનું ૧૧ થી ૨ તથા ૩ થી ૫ દરમિયાન આજથી વિતરણ શરૂ કરાતા પ્રથમ દિવસે જ ૧૦૦ ફોર્મ ઉપડ્યા હતા. ૪- ઓગસ્ટ સુધી આ વિતરણ ચાલુ રહેશે.
બ્યૂટિ ફિકેશનની રેઢિયાળ કામગીરી : વાયરલેસ સેટ દ્વારા આંકડા આપવા પડ્યા.
બહુમાળી ભવનની બ્યૂટિ ફિકેશન કામગીરી દરમિયાન જેસીબી ચાલકની બેદરકારીને કારણે કેબલ તૂટી જતા સિંચાઇ ખાતાના કંટ્રોલ રૂમની ગાંધીનગર, જામનગર, સુરેન્દ્રનગરની હોટ લાઇન ઠપ્પ થઇ ગઇ હતી. જે સોમવારે બપોરે પૂર્વવત ચાલુ થઇ ગઇ હતી, તો વીજ લાઇન તૂટતા વેટ તંત્ર દ્વારા ઓનલાઇન અપાતા ‘સી’ ફોર્મનું વિતરણ થઇ શક્યું નહોતું.સિંચાઇ વિભાગના વર્તુળોને વાયરલેસ સેટ આપાયા હોય જળાશયોમાં પાણીની આવકના આંકડા વાયરલેસ સેટ તથા મોબાઇલ દ્વારા સ્ટેટ કંટ્રોલ રૂમને અપાયા હતા. સોમવારે નાગરિકોને કર્મચારીઓને સાત સાત માળ સુધી પગથિયા ચડવા પડ્યા હતા. બહુમાળી ભવનની બ્યૂટિફિકેશન કામગીરી અંતર્ગત ચોથા શનિવાર તથા રવિવારની રજાને ધ્યાને લઇ શુક્રવારે સાંજે કામગીરી શરૂ કરાતા જેસીબીને કારણે કેબલો કપાઇ જતાં ટેલિફોન લાઇન તેમજ વીજળી ઠપ્પ થઇ ગઇ હતી. આ અંગે સિનિયર ટ્રેઝરી અધિકારી આર કે ગોહિલે કોઇ તકલીફ પડી હોવાનો ઇનકાર કર્યો હતો જ્યારે વેટ વિભાગના જોઇન્ટ કમિશનર એમ બી પટેલે ઓનલાઇન સી ફોર્મ વિતરણની કામગીરીને અસર પહોંચી હોવાનું જણાવ્યું હતું.
અમદાવાદી આશના શાહ તાઈવાનમાં ઝળકી
એશિયન રોલર સ્કેટિંગની ફિગર અને આર્ટિસ્ટિકમાં આશનાએ સિલ્વર અને બ્રોન્ઝમેડલ જીત્યા.ઇન્ટરનેશનલ સ્કેટિંગમાં છેલ્લા ૧૩ વર્ષથી શાનદાર સફળતા હાંસલ કરી રહેલી અમદાવાદની આશના શાહે તાજેતરમાં તાઇવાન ખાતે યોજાયેલી એશિયન રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને બ્રોન્ઝમેડલ જીતીને પોતાની ઝળહળતી કારકિર્દી આગળ ધપાવી હતી.શહેરની સેંટ ઝેવિયર્સ સ્કૂલમાં ૧૨મા ધોરણમાં અભ્યાસ કરતી આશના શાહે ૨૧મી જુલાઈએ તાઈવાનમાં પૂર્ણ થયેલી ચાર દિવસની એશિયન રોલર સ્કેટિંગની લેડીઝ કમ્બાઇન ઇવેન્ટમાં સિલ્વરમેડલ હાંસલ કરવા ઉપરાંત જુનિયર લેડીઝ ફિગર સ્કેટિંગ ઇવેન્ટમાં પણ ભારતને બ્રોન્ઝમેડલ અપાવ્યો હતો.બે વર્ષ અગાઉ ચીનમાં યોજાયેલી ૧૩મી એશિયન રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં પણ આશનાએ સિલ્વરમેડલ જીત્યો હતો. આમ આ વખતે તેણે પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. આ વખતે જાપાનની મિકીએ ગોલ્ડ તથા હોંગકોંગની યોલેન્ડાએ બ્રોન્ઝમેડલ જીત્યો હતો.કોચ જયોતિકા દેસાઈ અને કિરણ દેસાઈ પાસે માર્ગદર્શન લઈ રહેલી આશના શાહ ૨૦૦૭માં ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી વર્લ્ડ આર્ટિસ્ટિક રોલર સ્કેટિંગમાં વિશ્વમાં દસમા ક્રમે રહી હતી.જોકે આશનાનો હવે પછીનો લક્ષ્યાંક એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઇ થવાનો છે. એશિયન સ્કેટિંગમાં વારંવારની સફળતા બાદ આશના કહે છે કે આ વર્ષના અંત ભાગમાં ચીનમાં યોજાનારા એશિયાડ માટેની ભારતીય સ્કેટિંગ ટીમમાં સ્થાન મેળવવું આસાન નથી, કેમ કે તેમાં જુનિયર અને સિનિયર એમ બે કેટેગરી હોતી નથી. આમ મારે ભારતની શ્રેષ્ઠ સ્કેટર સાથે જ હરીફાઈ કરવી પડે અને તેમાં ક્વોલિફાઇ થઈ જતાં મારે વિશ્વની શ્રેષ્ઠ સ્કેટર સામે સ્પર્ધા કરવાની રહેશે.
Slim થવાની ઇચ્છા બ્રેસ્ટ કેંસર નોંતરી શકે
રેમ્પ પર કેટવોક કરતી મોડલ્સની જેમ મદહોશ કાયા પાછળ ભાગતી છોકરીઓએ હવે સાવધાન થઈ જવાની જરૂર છે કારણ કે પાતળી બનવાની તેમની ઈચ્છા બ્રેસ્ટ કેંસર નોતરી શકે છે.વૈજ્ઞાનિકોએ પોતાના સંશોધનમાં એવું તારણ કાઢ્યું છે કે સાત વર્ષની ઉંમરમાં ખૂબ જ પાતળી હોય છે. આ યુવતીઓમાં મોટી વધતી ઉંમરે બ્રેસ્ટ કેંસર થવાનો ભય વધી જાય છે. સ્કોટહોમના કરોલિંસકા ઈંસ્ટિટ્યુટના વૈજ્ઞાનિકોએ એવું તારણ કાઢ્યું કે જે યુવતીઓ બચપણમાં સ્વસ્થ હોય છે તેમને બ્રેસ્ટ કેંસર થવાની શક્યતા ઓછી રહે છે.વૈજ્ઞાનિકોએ આ સંશોધન સ્વીડનની 6,000 મહિલાઓ પર કર્યું હતું. આ સંશોધનમાં સામેલ કરવામાં આવેલ મહિલાઓમાંથી અડધી મહિલાઓ કેંસર પીડિત હતી.
લાચાર ભારત ફરીથી ભીંસમાં
શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ ગુમાવ્યા બાદ બીજી ક્રિકેટ ટેસ્ટમાં ભારતની રમતમાં ખાસ ફરક પડ્યો નથી અને સોમવારે શરૂ થયેલી મેચમાં કુમાર સંગાકરા અને તરંગા પરાનવિતાનાની સદીની મદદથી શ્રીલંકાએ ફરી એક વખત જંગી સ્કોરનો પાયો નાખતાં બે વિકેટે ૩૧૨ રનનો સ્કોર નોંધાવી દીધો હતો.અહીંના સિંહાલિઝ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલી બીજી ટેસ્ટ અને ગયા સપ્તાહે ગોલ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટની સરખામણી કરીએ તો બંને ટીમમાં કેટલાંક પરિવર્તન કરાયાં હતાં પરંતુ પરિસ્થિતિમાં કોઈ ફરક પડ્યો ન હતો. ગોલમાં શ્રીલંકાએ પ્રથમ દિવસે બે વિકેટે ૨૫૮ રન કર્યા હતા તો સોમવારે ૩૧૨ રન કર્યા હતા અને એ જ બે ખેલાડીએ સદી ફટકારી હતી.શ્રીલંકન સુકાની કુમાર સંગાકરાએ ટોસ જીતીને કંગાળ ભારતીય બોલિંગને ધ્યાનમાં રાખીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિવસની રમતને અંતે સંગાકરા ૧૦ અને મહેલા જયવર્દને ૧૩ રન સાથે રમતમાં હતા.તિલકરત્ને દિલશાને ભારતના વીરેન્દ્ર સેહવાગની માફક આક્રમક પ્રારંભ કર્યો હતો અને અભિમન્યુ મિથુન કે ઇશાન્ત શર્મા સેટ થાય એ પહેલાં તો અડધી સદી પૂરી કરી દીધી હતી. ભારતના સદનસીબે દિલશાન અડધી સદી પછી લાંબું ટક્યો ન હતો પરંતુ એ અગાઉ તેણે ૪૨ બોલમાં દસ બાઉન્ડ્રી સાથે ૫૪ રન ફટકારી દીધા હતા. ૧૮ ઓવરમાં તો શ્રીલંકાએ ૯૯ રન નોંધાવી દીધા હતા. સ્પિનર પ્રજ્ઞાન ઓઝાએ ભારતને પ્રથમ સફળતા અપાવતાં દિલશાનને આઉટ કર્યો હતો.
કોલંબો ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટ : સંગાકારા-214, જયવર્દને-71
કોલંબો ખાતે રમાઇ રહેલી ત્રણ ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટના બીજા દિવસને પણ ભારતીય બોલરોની બોલિંગ ધાર વગરની જોવા મળતા શ્રીલંકાએ લંચ સુધીમાં બે વિકેટ ગુમાવીને 457 રન બનાવી લીધા છે. ભારતની નબળી બોલિંગનો ફાયદો ઉઠવતા લંકાના સુકાની કુમાર સંગાકારાએ બેવડી સદી ફટકારી છે. જ્યારે મહિલા જવર્દનેએ પણ અડધી સદી ફટકારી દીધી છે. કુમાર સંગાકારા 323 બોલનો સામનો કરીને 214 રન સાથે રમતમાં છે. જેમાં તેણે 29 ચોગ્ગા ફટકાર્યા છે. જ્યારે મહિલા જયવર્દને 133 બોલનો સામનો કરીને 10 ચોગ્ગાની મદદથી 71 રન સાથે રમતમાં છે.આ પહેલા પ્રથમ દિવસની રમતમાં ભારતીય બોલરોની બોલિંગ નિષ્ફળ રહેતા શ્રીલાંકાએ બે વિકેટ ગુમાવની 312 રન કર્યા હતા. જેમાં શ્રીલંકાના ઓપનિંગ બેટ્સમેન થરંગાએ 100 અને દિલશાને 54 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી શર્મા અને ઓઝાએ એક-એક વિકેટ મેળવી હતી.
વેસ્ટઇન્ડિઝના ઓલ ટાઇમ 11માંથી થ્રી ડબલ્યુ આઉટ
વેસ્ટઇન્ડિઝના ક્રિકેટ ઇતિહાસના સુપ્રસિદ્ધ થ્રી ડબલ્યુનો વેસ્ટઇન્ડિઝની ઓલ ટાઇમ ટેસ્ટ ટીમમાંથી બાદબાકી થઇ ગઈ છે. જ્યારે 80ના દશકાના પાંચ ખેલાડીઓએ આ ટીમમાં સ્થાન બનાવીને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.એક ક્રિકેટની વેબસાઇટ દ્વારા પસંદ કરવામાં આવેલી સર્વકાલિન ટેસ્ટ ટીમમાં ત્રણ ડબલ્યુ ફ્રેંક વોરેલ, એવર્ટન વીક્સ અને ક્લાઇડ વાલકાટનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જોકે આ ત્રણ ખેલાડીઓનો સમાવેશ વેસ્ટઇન્ડિઝના મહાન ખેલાડીઓની યાદીમાં થાય છે. ટેસ્ટ ટીમમાં થ્રી ડબલ્યુ ઉપરાંત મહાન બોલર એંડી રોબર્ટ્સને પણ સ્થાન આપવામાં આવ્યું નથી. વેસ્ટઇન્ડિઝની આ ટીમાં ત્રણ મહાન ખેલાડીઓને તો સ્થાન મળ્યું નથી. પરંતુ 80ના દશકાના ગાર્ડન ગ્રીનિઝ, વિવિયન રિચર્ડ્સ, કર્ટલી એંબ્રોસ, માઇકલ હોલ્ડિંગ અને મૈલ્કમ માર્શલનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે હાલની વેસ્ટ ઇન્ડિઝની ટીમનો એક પણ ખેલાડીઆ બેસ્ટ વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટ ટીમમાં નથી.
રાજકોટ : વરસાદી રોગચાળાનો ભરડો, ઝાડા-ઊલટીના ૭૧પ કેસ
સમગ્ર શહેરમાં વરસાદી રોગચાળો હાહાકાર મચાવી રહ્યો છે. સરેરાશ એક પરિવારમાંથી એક વ્યક્તિ તાવ, શરદી કે ઝાડા-ઊલટીના ભરડામાં આવી જાય છે. માત્ર સરકારી ચોપડે જ જોઇએ તો છેલ્લા એક અઠવાડિયામાં ઝાડા-ઊલટીના ૭૧પ કેસ નોંધાઇ ચૂક્યા છે. ખાનગી હોસ્પિટલોનો સર્વે કરવામાં આવે તો રોગચાળાની સાચી ભયાનકતા સામે આવી જાય એ હદે રોગચાળાએ મોઢું ફાડ્યું છે.મહાપાલિકાનું આરોગ્ય તંત્ર તો પોતાની કામચોરી છતી ન થાય એવા મલીન ઇરાદા સાથે રોગચાળાના સત્તાવાર આંકડા છુપાવી સબ સલામતનું ગાણુ ગાઇ રહ્યું છે પણ વાસ્તવિક સ્થિતિએ સમગ્ર શહેરમાં વરસાદી રોગચાળાનો અજગર ભરડો આવી ગયો છે.આ અંગે આરોગ્ય વિભાગના માહિતગાર સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ઝાડા-ઊલટી અને તાવના રોગચાળાની સ્થિતિ અતિ ચિંતાજનક બનતી જાય છે. માત્ર એક જ અઠવાડિયામાં ઝાડા-ઊલટીના ૭૧પ કેસ જોવા મળ્યા છે. શહેરના ભગવતીપરા, જંગલેશ્વર, મવડી, મોરબી રોડ તથા ગાંધીગ્રામ જેવા વિસ્તારોમાં ઝાડા-ઊલટીના કેસ વધુ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તાવના ગત અઠવાડિયામાં ૧૦૯૬ કેસ જોવા મળ્યા છે. અત્યાર સુધીમાં કોલેરાના પણ ૩ કેસ નોંધાઇ ચૂક્યા છે.શહેરમાં પ્રસરેલા રોગચાળામાં દરદીને ઝાડા-ઊલટી ઉપરાંત પેટમાં ચૂક ઉપડવી, સાંજ પડ્યું માથું ભારે થઇ જવું સહિતની ફરિયાદો મુખ્યત્વે રહે છે. આ બધા લક્ષણો રોટા વાયરસના હોવાનું તબીબી વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. આ અંગે જાણીતા તબીબ ડૉ. હપાણીના કહેવા મુજબ રોટા વાયરસ વરસાદી વાતાવરણમાંથી ઉદભવે છે. તેનુ ઇન્ફેકશન બાળકોથી લઇ બુઝુર્ગોને ખૂબ ઝડપથી લાગી શકે છે.
મચ્છુ-૨ ડેમની સપાટી ૨૩.૫૦ ફૂટે: એક વર્ષનું પાણી સંગ્રહાયું
મોરબીવાસીઓ માટે ખુશ ખબર, એક રાતમાં મેઘરાજાએ મોરબીની પાણીની સમસ્યાનો હલ કરી નાખ્યો. છેલ્લા ૨૪ કલાકમાં ૮.૫૦ ફૂટ નવા નીરની તોતિંગ આવક.મોરબીવાસીઓ માટે ઘરે લાપસીના આંધણ મૂકવા જેવા સારા સમાચાર છે. મોરબીના લોકો માટે જીવાદોરી સમાન ગણાતા મચ્છુ-૨ ડેમ પંથકમાં પડેલા સારા વરસાદના પગલે એક જ રાતમાં નવા ૮.૫૦ ફૂટની તોતિંગ નીરની આવકથી આખા વર્ષની પીવાના પાણીની સમસ્યાનો અંત આવી જતાં લોકો ખુશખુશાલ થઇ ગયા છે.મોરબી શહેરને પાણીનો જથ્થો પૂરો પાડતો એકમાત્ર જળ સ્ત્રોત મચ્છુ-ર ડેમમાં ચોમાસા પહેલાં જ તિળયા દેખાવા લાગ્યા હતા અને મોરબી પર ગંભીર જળ સંકટ ઊંભું થયાનું તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા રૂપે નર્મદાનું પાણી મેળવવાના પ્રયાસો કરાયા હતા અને ઉપરથી ચોમાસુ ખેચાતા જળસમસ્યા વધુ વિકટ બની હતી.તેવામાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં મચ્છુ-ર ડેમમાં ડેડ સ્ટોક ઉપરાંત ચાર-પાંચ મહિના ચાલે તેટલા પાણીનો જથ્થો સંગ્રહાતા મોરબીની જળસમસ્યા મહદ અંશે હળવી થઇ હતી.પરંતુ મેઘાની એ મોરબીવાસીઓ સામે કૃપા દ્રષ્ટિ કરી અને એક જ રાતમાં મચ્છુ-ર ડેમમાં ૮.૫૦ ફૂટ નવા નીર ઠાલવી એકજ ઝાટકે મોરબીની પાણીની સમસ્યા હલ કરી નાખી હતી.રવિવારની સાંજ સુધીમાં મચ્છુ-ર ડેમની સપાટી ૧૫ ફૂટ હતી. પરંતુ રાત્રીના પડેલા ભારે વરસાદના પગલે મચ્છુ-ર ડેમની સપાટી સોમવારે સાંજ સુધીમાં સીધી જ ૨૩.૫૦ ફૂટે પહોંચી ગઇ હતી.
બેટી નદીમાં પડતું મૂકી આધેડે જીવનનો અંત આણ્યો
યુનિવર્સિટી રોડ પરના મંડપ સર્વિસમાં કામ કરતા અને ત્યાં જ રહેતા સુથાર આધેડની લાશ બેટી નદીમાંથી મળી આવી હતી. ચોટીલા દર્શને જવા નીકળેલા આધેડે એકલવાયા જીવનથી કંટાળી આપઘાત કરી લીધો હતો.યુનિવર્સિટી રોડ પરના જયોતિનગરમાં આવેલા હરસિધ્ધિ મંડપ સર્વિસમાં કામ કરતા સુથાર અરિંવદભાઇ કિશોરભાઇ કથ્રેચા (ઉ.વ. ૪૨) દર પૂનમે ચોટીલા દર્શને જતાં હોય શનિવારે પણ ચોટીલા જવા નીકળ્યા હતા. પરંતુ, પરત નહીં આવતા મંડપ સર્વિસના સંચાલકોએ તેની શોધખોળ શરૂ કરી હતી.દરમિયાન, રવિવારે સવારે બેટી નદીના પુલ પાસે મહિલા કપડાં ધોવા ગઇ હતી ત્યારે લાશ નજરે પડતા પોલીસને જાણ કરી હતી. કુવાડવાના ફોજદાર પરમાર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ શરૂ કરતા મૃતક અરિંવદભાઇ સુથાર હોવાનું ખૂલ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અરિંવદભાઇને પાંચ ભાઇઓ છે અને તે અપરિણીત હતા. એકલવાયા જીવનથી કંટાળી આધેડે બેટી નદીના પુલ પરથી ઝંપલાવ્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું.ભગવતીપરામાં પડી જવાથી યુવાનનું મોત -ભગવતીપરામાં આશાબા પીર દરગાહ પાસે રહેતો મુસ્લિમ યુવાન કાસમ જુમાભાઇ દલ (ઉ. વ. ૩૫) બપોરે ઘર પાસે પડી ગયા બાદ બેભાન થઇ જતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. યુવાન પુત્રના મોતથી મુસ્લિમ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
રાજકોટ : દારૂના ડખ્ખામાં શ્રમિકને નામીચા શખ્સે પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધો
રાજકોટમાં દારૂ પ્રશ્ને ત્રણ દિવસમાં બીજી હત્યા, મયૂરનગરના કોળી યુવાનને ૮૦ ફૂટના રોડ ઉપર લઇ જઇ રહેંસી નાખ્યો : ધરપકડ.શહેરમાં બે દિવસ પહેલાં જંકશન પ્લોટમાં નામચીન શિવા ભરવાડની તેના જ ઘરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો નથી ત્યાં આજે ૮૦ ફૂટના રોડ ઉપર મયૂરનગરના શ્રમિક કોળી યુવાનને તેના જ મિત્ર અને અગાઉ લૂંટ, ચોરીમાં પકડાઇ ચૂકેલા રીઢા અપરાધીએ માથામાં પથ્થરના ઘા મારી ક્રૂરતાપૂર્વક પતાવી દીધો હતો.૮૦ ફૂટના રોડ ઉપર હુન્ડાઇ શો-રૂમ સામે રેતીના ઢગલા ઉપર અજાણ્યા યુવાનની લોહી નીતરતી લાશ પડી છે તેવી માહિતી મળતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. સ્થળ પર આશરે ૩પ વર્ષના યુવાનની માથું છુંદાયેલી લાશ પડી હતી. પોલીસે ખિસ્સામાંથી મળી આવેલા મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરતા દિનેશભાઇ ભરવાડ(રહે. મોરબી રોડ) એ રૂબરૂ આવીને લાશ ભાવનગર રોડ પર રાજમોતી ઓઇલ મિલ પાસે મયૂરનગર મફતિયાપરામાં રહેતાં કોળી શૈલેષ તેજાભાઇ રોજાસરાની હોવાનું જણાવ્યું હતું.ત્યારબાદ વિનુભાઇએ નાના ભાઇ શૈલેષની લાશ ઓળખી બતાવી હતી. શૈલેષને દારૂ પીવાની ટેવ હતી અને રવિવારે રાતે આઠ વાગે રાજુ મરાઠી તેમજ રમેશ કોળી શૈલેષને ઘરેથી બોલાવી ગયા હતા તેવી માહિતી આપતા પોલીસે રાજુ અને રમેશની અટકાયત કરી હતી. શકમંદની કબૂલાત મુજબ, રાતે સાથે દારૂ પીને દસ વાગે છુટા પડી ગયા હતા.
વિદ્યાર્થિનીની છેડતીનું પ્રકરણ ફરી સળવળ્યું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ ભવનમાં બે માસ પહેલાં વિદ્યાર્થિનીએ પ્રોફેસર વિરુધ્ધ કરેલી ફરિયાદની વાત પુન:સજીવન થઇ છે. જોકે, સૂત્રો કહે છે કે જે રીતે કિસ્સો ચર્ચાઇ રહ્યો છે તે જોતાં વુમન હેરેસમેન્ટ સેલની કોઇ નબળી કે નકારાત્મક ભૂમિકા નથી તો જે ફરિયાદ છે તેમાં પણ અનેક દ્રષ્ટિકોણ ભળ્યા છે તેમ છતાં આ બાબતે કદાચ હવે પોલીસ ફરિયાદ થાય તેવી પણ
સંભાવના છે.શિક્ષણભવનમાં લેવાયેલા વાઇવા દરમિયાન મોલિયા અટકવાળા એક પ્રોફેસરે અભદ્ર માગણી કરી હોવાની ફરિયાદ એક વિદ્યાર્થિનીએ કરી હતી. જે તે સમયે ચર્ચા હતી તે મુજબ ડિપાર્ટમેન્ટે પણ એ ફરિયાદને અવગણી હતી. વાત વુમન હેરેસમેન્ટ સેલ સુધી પહોંચી હતી. પરંતુ, કોઇ ઉકેલ આવ્યો નથી. હવે આ અંગે કદાચ પોલીસ ફરિયાદ થવાની શક્યતા છે.જો કે આ બાબતે વુમન હેરેસમેન્ટ સેલના સભ્યોએ કહ્યું કે અમે પાંચથી છ વિદ્યાર્થીઓના નિવેદન લઇને ઉપરાંત ફરિયાદીને પૂછીને તેમજ તેમની સહાધ્યાયી વિદ્યાર્થિનીઓને પૂછીને રિપોર્ટ મેળવ્યો છે અને જેણે જે કહ્યું તે જ શબ્દોમાં અહેવાલ કુલપતિને આપ્યો છે. જ્યારે પહેલીવાર આ પ્રકરણ બહાર આવ્યું ત્યારે જોરદાર ચર્ચા થઈ હતી અને વિદ્યાર્થિનીનું બાવડું પ્રોફેસર પકડ્યું હોવાની વાત વહેતી થઈ હતી.
લોકમેળાના સ્ટોલ ભાડામાં ૧થી ૩ હજારનો ભાવવધારો
૩૧ ઓગસ્ટથી લોકમેળાનો આરંભ, રમકડાંના સ્ટોલનું ભાડું ૮ હજારમાંથી ૧૧ હજાર.રેસકોર્સ મેદાન ખાતે ૩૧ ઓગસ્ટથી ૫ સપ્ટેમ્બર સુધી છ દિવસ માટે યોજાનારા લોકમેળામાં સ્ટોલના ભાડામાં એક હજારથી માંડી ત્રણ હજાર સુધીનો ભાવવધારો કર્યો છે. જો કે સૌથી વધુ ભાડાં વધારો રમકડાંના સ્ટોલમાં કરાયો હોય આ વખતે રમકડાં મોંઘા મળશે. ગત વર્ષે રમકડાંના સ્ટોલનો ભાવ આઠ હજાર હતો તેમાં ત્રણ હજારનો વધારો કરી આ વર્ષે છ દિવસનું ભાડું અગિયાર હજાર કારાયું છે.લોકમેળામાં વહીવટીતંત્ર દ્વારા ૩૨૯ સ્ટોલ માટે જગ્યાની ફાળવણી કરવામાં આવી છે જેમાં રમકડાંના ૧૯૮, આઇસક્રીમના ૨૩, ડેમોસ્ટ્રેશન કમ સેલના ૧૯ જ્યારે ખાણી પીણીના ૩૪ તેમજ ફજત-ફાળકા, યાંત્રિક કેટેગરીના ૫૫ સ્ટોલ નિશ્વિત કરાયા છે.ખાણી પીણી તેમજ રમકડાંના સ્ટોલની હરરાજી ૧૭ ઓગસ્ટે યોજાશે યાંત્રિકની ૧૮મી એ, આઇસક્રીમ સ્ટોલની ૨૦મી એ હરરાજી કરાશે, જ્યારે ડ્રો દ્વારા અપાનારા સ્ટોલ માટે ૧૯ ઓગસ્ટ મુકરર કરાઇ છે.રાજકોટ પ્રાંત અધિકારીની કચેરી તથા ઈન્ડિયન બેંક, શાસ્ત્રી મેદન ખાતેથી લોકમેળાના સ્ટોલના ફોર્મનું ૧૧ થી ૨ તથા ૩ થી ૫ દરમિયાન આજથી વિતરણ શરૂ કરાતા પ્રથમ દિવસે જ ૧૦૦ ફોર્મ ઉપડ્યા હતા. ૪- ઓગસ્ટ સુધી આ વિતરણ ચાલુ રહેશે.
બ્યૂટિ ફિકેશનની રેઢિયાળ કામગીરી : વાયરલેસ સેટ દ્વારા આંકડા આપવા પડ્યા.
બહુમાળી ભવનની બ્યૂટિ ફિકેશન કામગીરી દરમિયાન જેસીબી ચાલકની બેદરકારીને કારણે કેબલ તૂટી જતા સિંચાઇ ખાતાના કંટ્રોલ રૂમની ગાંધીનગર, જામનગર, સુરેન્દ્રનગરની હોટ લાઇન ઠપ્પ થઇ ગઇ હતી. જે સોમવારે બપોરે પૂર્વવત ચાલુ થઇ ગઇ હતી, તો વીજ લાઇન તૂટતા વેટ તંત્ર દ્વારા ઓનલાઇન અપાતા ‘સી’ ફોર્મનું વિતરણ થઇ શક્યું નહોતું.સિંચાઇ વિભાગના વર્તુળોને વાયરલેસ સેટ આપાયા હોય જળાશયોમાં પાણીની આવકના આંકડા વાયરલેસ સેટ તથા મોબાઇલ દ્વારા સ્ટેટ કંટ્રોલ રૂમને અપાયા હતા. સોમવારે નાગરિકોને કર્મચારીઓને સાત સાત માળ સુધી પગથિયા ચડવા પડ્યા હતા. બહુમાળી ભવનની બ્યૂટિફિકેશન કામગીરી અંતર્ગત ચોથા શનિવાર તથા રવિવારની રજાને ધ્યાને લઇ શુક્રવારે સાંજે કામગીરી શરૂ કરાતા જેસીબીને કારણે કેબલો કપાઇ જતાં ટેલિફોન લાઇન તેમજ વીજળી ઠપ્પ થઇ ગઇ હતી. આ અંગે સિનિયર ટ્રેઝરી અધિકારી આર કે ગોહિલે કોઇ તકલીફ પડી હોવાનો ઇનકાર કર્યો હતો જ્યારે વેટ વિભાગના જોઇન્ટ કમિશનર એમ બી પટેલે ઓનલાઇન સી ફોર્મ વિતરણની કામગીરીને અસર પહોંચી હોવાનું જણાવ્યું હતું.
અમદાવાદી આશના શાહ તાઈવાનમાં ઝળકી
એશિયન રોલર સ્કેટિંગની ફિગર અને આર્ટિસ્ટિકમાં આશનાએ સિલ્વર અને બ્રોન્ઝમેડલ જીત્યા.ઇન્ટરનેશનલ સ્કેટિંગમાં છેલ્લા ૧૩ વર્ષથી શાનદાર સફળતા હાંસલ કરી રહેલી અમદાવાદની આશના શાહે તાજેતરમાં તાઇવાન ખાતે યોજાયેલી એશિયન રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને બ્રોન્ઝમેડલ જીતીને પોતાની ઝળહળતી કારકિર્દી આગળ ધપાવી હતી.શહેરની સેંટ ઝેવિયર્સ સ્કૂલમાં ૧૨મા ધોરણમાં અભ્યાસ કરતી આશના શાહે ૨૧મી જુલાઈએ તાઈવાનમાં પૂર્ણ થયેલી ચાર દિવસની એશિયન રોલર સ્કેટિંગની લેડીઝ કમ્બાઇન ઇવેન્ટમાં સિલ્વરમેડલ હાંસલ કરવા ઉપરાંત જુનિયર લેડીઝ ફિગર સ્કેટિંગ ઇવેન્ટમાં પણ ભારતને બ્રોન્ઝમેડલ અપાવ્યો હતો.બે વર્ષ અગાઉ ચીનમાં યોજાયેલી ૧૩મી એશિયન રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં પણ આશનાએ સિલ્વરમેડલ જીત્યો હતો. આમ આ વખતે તેણે પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. આ વખતે જાપાનની મિકીએ ગોલ્ડ તથા હોંગકોંગની યોલેન્ડાએ બ્રોન્ઝમેડલ જીત્યો હતો.કોચ જયોતિકા દેસાઈ અને કિરણ દેસાઈ પાસે માર્ગદર્શન લઈ રહેલી આશના શાહ ૨૦૦૭માં ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી વર્લ્ડ આર્ટિસ્ટિક રોલર સ્કેટિંગમાં વિશ્વમાં દસમા ક્રમે રહી હતી.જોકે આશનાનો હવે પછીનો લક્ષ્યાંક એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઇ થવાનો છે. એશિયન સ્કેટિંગમાં વારંવારની સફળતા બાદ આશના કહે છે કે આ વર્ષના અંત ભાગમાં ચીનમાં યોજાનારા એશિયાડ માટેની ભારતીય સ્કેટિંગ ટીમમાં સ્થાન મેળવવું આસાન નથી, કેમ કે તેમાં જુનિયર અને સિનિયર એમ બે કેટેગરી હોતી નથી. આમ મારે ભારતની શ્રેષ્ઠ સ્કેટર સાથે જ હરીફાઈ કરવી પડે અને તેમાં ક્વોલિફાઇ થઈ જતાં મારે વિશ્વની શ્રેષ્ઠ સ્કેટર સામે સ્પર્ધા કરવાની રહેશે.
Slim થવાની ઇચ્છા બ્રેસ્ટ કેંસર નોંતરી શકે
રેમ્પ પર કેટવોક કરતી મોડલ્સની જેમ મદહોશ કાયા પાછળ ભાગતી છોકરીઓએ હવે સાવધાન થઈ જવાની જરૂર છે કારણ કે પાતળી બનવાની તેમની ઈચ્છા બ્રેસ્ટ કેંસર નોતરી શકે છે.વૈજ્ઞાનિકોએ પોતાના સંશોધનમાં એવું તારણ કાઢ્યું છે કે સાત વર્ષની ઉંમરમાં ખૂબ જ પાતળી હોય છે. આ યુવતીઓમાં મોટી વધતી ઉંમરે બ્રેસ્ટ કેંસર થવાનો ભય વધી જાય છે. સ્કોટહોમના કરોલિંસકા ઈંસ્ટિટ્યુટના વૈજ્ઞાનિકોએ એવું તારણ કાઢ્યું કે જે યુવતીઓ બચપણમાં સ્વસ્થ હોય છે તેમને બ્રેસ્ટ કેંસર થવાની શક્યતા ઓછી રહે છે.વૈજ્ઞાનિકોએ આ સંશોધન સ્વીડનની 6,000 મહિલાઓ પર કર્યું હતું. આ સંશોધનમાં સામેલ કરવામાં આવેલ મહિલાઓમાંથી અડધી મહિલાઓ કેંસર પીડિત હતી.
લાચાર ભારત ફરીથી ભીંસમાં
શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ ગુમાવ્યા બાદ બીજી ક્રિકેટ ટેસ્ટમાં ભારતની રમતમાં ખાસ ફરક પડ્યો નથી અને સોમવારે શરૂ થયેલી મેચમાં કુમાર સંગાકરા અને તરંગા પરાનવિતાનાની સદીની મદદથી શ્રીલંકાએ ફરી એક વખત જંગી સ્કોરનો પાયો નાખતાં બે વિકેટે ૩૧૨ રનનો સ્કોર નોંધાવી દીધો હતો.અહીંના સિંહાલિઝ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલી બીજી ટેસ્ટ અને ગયા સપ્તાહે ગોલ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટની સરખામણી કરીએ તો બંને ટીમમાં કેટલાંક પરિવર્તન કરાયાં હતાં પરંતુ પરિસ્થિતિમાં કોઈ ફરક પડ્યો ન હતો. ગોલમાં શ્રીલંકાએ પ્રથમ દિવસે બે વિકેટે ૨૫૮ રન કર્યા હતા તો સોમવારે ૩૧૨ રન કર્યા હતા અને એ જ બે ખેલાડીએ સદી ફટકારી હતી.શ્રીલંકન સુકાની કુમાર સંગાકરાએ ટોસ જીતીને કંગાળ ભારતીય બોલિંગને ધ્યાનમાં રાખીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિવસની રમતને અંતે સંગાકરા ૧૦ અને મહેલા જયવર્દને ૧૩ રન સાથે રમતમાં હતા.તિલકરત્ને દિલશાને ભારતના વીરેન્દ્ર સેહવાગની માફક આક્રમક પ્રારંભ કર્યો હતો અને અભિમન્યુ મિથુન કે ઇશાન્ત શર્મા સેટ થાય એ પહેલાં તો અડધી સદી પૂરી કરી દીધી હતી. ભારતના સદનસીબે દિલશાન અડધી સદી પછી લાંબું ટક્યો ન હતો પરંતુ એ અગાઉ તેણે ૪૨ બોલમાં દસ બાઉન્ડ્રી સાથે ૫૪ રન ફટકારી દીધા હતા. ૧૮ ઓવરમાં તો શ્રીલંકાએ ૯૯ રન નોંધાવી દીધા હતા. સ્પિનર પ્રજ્ઞાન ઓઝાએ ભારતને પ્રથમ સફળતા અપાવતાં દિલશાનને આઉટ કર્યો હતો.
કોલંબો ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટ : સંગાકારા-214, જયવર્દને-71
કોલંબો ખાતે રમાઇ રહેલી ત્રણ ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટના બીજા દિવસને પણ ભારતીય બોલરોની બોલિંગ ધાર વગરની જોવા મળતા શ્રીલંકાએ લંચ સુધીમાં બે વિકેટ ગુમાવીને 457 રન બનાવી લીધા છે. ભારતની નબળી બોલિંગનો ફાયદો ઉઠવતા લંકાના સુકાની કુમાર સંગાકારાએ બેવડી સદી ફટકારી છે. જ્યારે મહિલા જવર્દનેએ પણ અડધી સદી ફટકારી દીધી છે. કુમાર સંગાકારા 323 બોલનો સામનો કરીને 214 રન સાથે રમતમાં છે. જેમાં તેણે 29 ચોગ્ગા ફટકાર્યા છે. જ્યારે મહિલા જયવર્દને 133 બોલનો સામનો કરીને 10 ચોગ્ગાની મદદથી 71 રન સાથે રમતમાં છે.આ પહેલા પ્રથમ દિવસની રમતમાં ભારતીય બોલરોની બોલિંગ નિષ્ફળ રહેતા શ્રીલાંકાએ બે વિકેટ ગુમાવની 312 રન કર્યા હતા. જેમાં શ્રીલંકાના ઓપનિંગ બેટ્સમેન થરંગાએ 100 અને દિલશાને 54 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી શર્મા અને ઓઝાએ એક-એક વિકેટ મેળવી હતી.
વેસ્ટઇન્ડિઝના ઓલ ટાઇમ 11માંથી થ્રી ડબલ્યુ આઉટ
વેસ્ટઇન્ડિઝના ક્રિકેટ ઇતિહાસના સુપ્રસિદ્ધ થ્રી ડબલ્યુનો વેસ્ટઇન્ડિઝની ઓલ ટાઇમ ટેસ્ટ ટીમમાંથી બાદબાકી થઇ ગઈ છે. જ્યારે 80ના દશકાના પાંચ ખેલાડીઓએ આ ટીમમાં સ્થાન બનાવીને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.એક ક્રિકેટની વેબસાઇટ દ્વારા પસંદ કરવામાં આવેલી સર્વકાલિન ટેસ્ટ ટીમમાં ત્રણ ડબલ્યુ ફ્રેંક વોરેલ, એવર્ટન વીક્સ અને ક્લાઇડ વાલકાટનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જોકે આ ત્રણ ખેલાડીઓનો સમાવેશ વેસ્ટઇન્ડિઝના મહાન ખેલાડીઓની યાદીમાં થાય છે. ટેસ્ટ ટીમમાં થ્રી ડબલ્યુ ઉપરાંત મહાન બોલર એંડી રોબર્ટ્સને પણ સ્થાન આપવામાં આવ્યું નથી. વેસ્ટઇન્ડિઝની આ ટીમાં ત્રણ મહાન ખેલાડીઓને તો સ્થાન મળ્યું નથી. પરંતુ 80ના દશકાના ગાર્ડન ગ્રીનિઝ, વિવિયન રિચર્ડ્સ, કર્ટલી એંબ્રોસ, માઇકલ હોલ્ડિંગ અને મૈલ્કમ માર્શલનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે હાલની વેસ્ટ ઇન્ડિઝની ટીમનો એક પણ ખેલાડીઆ બેસ્ટ વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટ ટીમમાં નથી.
ભુજને ધીમીધારે રાત-દિ’ ભીંજવતા મેઘરાજા
visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
ભુજને ધીમીધારે રાત-દિ’ ભીંજવતા મેઘરાજા
પાણી ભરાવાની ‘કાયમી’ સમસ્યા શહેરીજનોએ ભોગવી: વીજ-વિક્ષેપે પણ પરેશાની સર્જી.શહેરમાં રવિવારે રાત્રે ૧૧:૩૦ ના અરસામાં જોરદાર ઝાપટાં રૂપે શરૂઆત થયા પછી આખી રાત અને આખો દિવસ ધીમીધારે વરસાદ વરસતાં મેઘોત્સવ જેવો માહોલ સર્જાયો છે.૨૦ કલાક દરમિયાન ૬૯ મીમી (ત્રણ ઇંચ) જેટલું પાણી વરસી ગયું હતું. અને ઉપરવાસમાંએ વરસાદ થતાં શહેરના શણગાર સમા હમીરસર તળાવમાં નવા પાણી આવ્યાં હતાં.શહેરમાં ઠેક ઠેકાણે ભરાયેલા ગોઠણસમા પાણી તેમજ વીજળી સહિતની સેવાઓમાં સર્જાયેલા વિક્ષેપ જેવી સમસ્યાઓને અવગણીને લોકોએ વરસાદની મજા માણી હતી તથા સાંજે ‘મોટાબંધ’ અને હમીરસરને જોવા નીકળી પડ્યા હતા.બાળકોએ વરસાદમાં ન્હાવાની મોજ લૂંટી હતી. તો મોટેરાઓએ પરિવાર સાથે ભજિયા, મકાઇના ડોડા જેવી ચોમાસાની ‘ફેવરિટ’ આઇટમ પર તડાકો બોલાવ્યો હતો. વરસાદ સાવ ધીમીધારે પડયો હોવા છતાં નગરપાલિકા અને ભાજપની કચેરીને જોડતો ‘માતૃછાયા’ રોડ, બસ સ્ટેશન વિસ્તાર, જનરલ હોસ્પિટલ, જયુબિલી ગ્રાઉન્ડ ઉપરાંત શહેર અંદરના વિસ્તારો અને બહારની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયા હતા.
રાજકોટમાં અઢી લાખની ચોરી
શહેરના રણછોડવાડી વિસ્તારના અલ્કા પાર્કમાં રહેતા અને ઇમિટેશનની ભઢ્ઢી ધરાવતા પટેલ ધનજીભાઇ ભૂરાભાઇ લીંબાસિયાના બંધ મકાનમાં ખાબકેલા તસ્કરો કબાટમાં રોકડ અને ઘરેણાં મળી કુલ રૂ.૨.૪૩ લાખની માલમતાનો હાથફેરો કરી ગયા હતા. પટેલ પરિવાર ગુરુપૂર્ણિમા હોવાથી મહિકા આશ્રમે ગુરુના દર્શન કરવા ગયા હતા ત્યારે તસ્કરો કસબ અજમાવી ગયા હતા.
ધનજીભાઇએ ફરિયાદમા જણાવ્યા મુજબ, તે રવિવારે સાંજે સાડાચાર વાગે મકાનને તાળાં મારી પત્ની, પુત્ર સાથે મહિકા નજીક નિર્ભય આશ્રમે દર્શન કરવા ગયા હતા. બાજુમાં જ રહેતા મોટાભાઇ છગનભાઇ પણ સહપરિવાર આશ્રમે ગયા હતા. પુત્ર ગૌરવ રાતે આઠ વાગે પરત આવીને સીધો મોટા બાપુના ઘરે ગયો હતો.મોડી રાતે અઢી વાગે ધનજીભાઇ ઘરે પહોંચતા મકાનના મુખ્ય દરવાજાના તાળાં,નકૂચા તૂટેલા જોઇ ધ્રાસકો પડ્યો હતો. તસ્કરો રૂમના કબાટમાંથી રૂ. ૧.૧૦ લાખ રોકડા અને ઘરેણાં મળી ૨.૪૬ લાખની માલમતા ઉસેડી ગયા હતા. મકાનને તાળાં મારીને ગયેલા ધનજીભાઇ કિંમતી માલમતા રાખી હતી એ કબાટને લોક કરવાનું ભૂલી ગયા હોવાથી ચોરને વધુ મહેનત કરવી પડી ન હતી.ઇન્સપેક્ટર જેઠવા, મદદનીશ વિનુભાઇ અગાઉ આ ઢબે ચોરી કરવાના ગુનામાં પકડાઇ ચૂકેલા રીઢા અપરાધીઓને અટકાયતમાં લઇ પૂછતાછ શરૂ કરી છે.
લોસ બે વાગ્યા સુધી - રાસ કાલ સુધી સ્થગિત
અપેક્ષા મુજબ આજે લોકસભા અને રાજ્યસભામાં હંગામો થયો હતો. મોંઘવારી મુદ્દે સંસદમાં મહાસંગ્રામના મંડાણ થઇ ગયા છે. સમગ્ર વિપક્ષ મોંઘવારી મુદ્દે એક છે.ભાજપના નેતૃત્વમાં વિપક્ષના કામ રોકો પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. જોકે, રાષ્ટ્રીય જનતા દળ અને લોક જનશક્તિ પાર્ટીએ તેનો વિરોધ કર્યો હતો. પરંતુ, બહુજન સમાજવાદી પક્ષે મોંઘવારી મુદ્દે પ્રશ્નકાળને સ્થગિત કરવાની માગ કરી છે.આજે સવારે લોકસભામાં કાર્યવાહી શરૂ થઇ હતી ત્યારે સુષ્મા સ્વરાજની અધ્યક્ષતામાં ભાજપના સભ્યોએ હંગામો કર્યો હતો. રાજ્યસભામાં પણ આ પ્રકારના જ દ્રશ્યો સર્જાયા હતા. જેના પગલે પહેલા પહેલા બાર વાગ્યા સુધી અને પાછળથી આવતીકાલે સવારે અગ્યાર વાગ્યા સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી.કામગીરી શરૂ થતાની સાથે જ લોકસભામાં ભાજપના નેતા વિપક્ષ સુષ્મા સ્વરાજે સ્પીકર મીરાકુમાર સમક્ષ માગ કરી હતીકે, તેમના કામ રોકો પ્રસ્તાવ ઉપર ચર્ચા કરવામાં આવે. પરંતુ, આમ બન્યું ન હતું. જેના કારણે મીરાકુમારે લોકસભાને બાર વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.ત્યારબાદ બાર વાગ્યે પણ લોકસભા મળતા સાથે જ તોફાન સર્જાતા ગૃહને સ્થગિત કરવાની ફરજ પડી હતી. સ્પીકર મીરાકુમાર દ્વારા ગૃહને બે વાગ્યા સુધી મુલત્વી રાખવામાં આવ્યું છે.
ડોણ સહિત સાત ડેમ ઓગન્યા
કચ્છમાં મધ્યમ સિંચાઇનો ડોણ અને નાની સિંચાઇના છ સહિત સાત ડેમો સોમવારે પડેલા વરસાદને કારણે ઓગની ગયા અને અન્ય ડેમોમાં અડધું વર્ષ ચાલે તેટલું પાણી સંગ્રહાઇ ગયું છે. આ અંગે સિંચઇ વિભાગના કન્ટ્રોલરૂમમાંથી મળતી વિગતો મુજબ મધ્યમ સિંચાઇના ડોણ ડેમમાં ૪૭.૭૫ મીટરની સંગ્રહક્ષમતા છે, જેની સામે ૪૭.૮૦ની સ્થિતિએ પાણી ઓવરફ્લો થઇને વહી રહ્યું છે. તેની નીચાણમાં આવતા ગોધરા અને રાસડા ગામના લોકોને સાવચેત કરાય છે.આ ઉપરાંત મધ્યમકક્ષાના કચ્છના ૨૦ ડેમોમાં અડધાથી એક ઇંચ વરસાદ પડતાં નવાં નીર આવ્યાં છે.આ ઉપરાંત જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગના કન્ટ્રોલરૂમમાંથી મળતી વિગતો મુજબ નાની સિંચાઇના ૧૬૮માંથી ૬૨માં ૧૫ ફૂટ જેટલા નવાં નીર આવ્યાં છે. ઉપરાંત અબડાસાનો કડોલી, ભુજનો લેર, માંડવીનો વેગડી, ડેડિયા, માપર અને ભચાઉનો રતનપર મળીને ૬ ડેમો ઓવરફલો થઇ ગયા છે.ચોમાસાની સીઝનમાં ડેમ ઉપરવાસમાં સરેરાશ ૨૦ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. ડેમમાં નવા નીર આવવાથી કચ્છ માટે છ મહિના સુધીની જળ સમસ્યા દૂર થઇ ગઇ છે.
મહેસાણામાં સાડા ચાર ઇંચ : અન્ય તાલુકા પણ ભીંજાયા
જિલ્લામાં મેઘમહેર થઇ રહી છે. છેલ્લા બે દિવસથી જિલ્લામાં સર્વત્ર વરસી રહેલ વરસાદી ઝડીને લીધે ખેડૂતો સહિત જિલ્લાવાસીઓમાં ખુશી પ્રસરી રહી છે. રવિવારની રાતે કડી તથા બેચરાજીમાં ૧૦ ઇંચથી ભારે વરસાદ નોંધાયો છે ત્યારે રવિવારે સવારે ૭થી સોમવારે સવારે ૭ કલાક સુધી જિલ્લામાં બેચરાજીમાં ૨૭૦ મિ.મી, કડીમાં ૨૯૦ મિ.મી, મહેસાણામાં ૧૧૫ મિ.મી, ખેરાલુમાં ૩૨ મિ.મી, વિજાપુરમાં ૩૦ મિ.મી, વિસનગરમાં ૪૪ મિ.મી, સતલાસણામાં ૬૫ મિ.મી, ઊંઝામાં ૧૩ મિ.મી તથા વડનગરમાં ૦૨ મિ.મી વરસાદ થયો છે.
‘અમિત શાહ સામેના કેસ વિરુદ્ધ લડત માટે ભાજપ સજ્જ છે.’
બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્વે વોટ બેન્કના રાજકારણના વ્યૂહના ભાગરૂપે સોહરાબુદ્દિન એન્કાઉન્ટર કેસને ખોટી રીતે વાપરવાનો કોંગ્રેસ પર આરોપ મૂકતાં ભાજપના પ્રમુખ નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ‘‘અમારો પક્ષ ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન અમિત શાહ સામે ફાઈલ કરાયેલા કેસ વિરુદ્ધ કાયદેસર અને રાજકીય લડત આપવા તૈયાર છે.’’‘અદાલતમાં બનાવટી રીતે ઉપસ્થિત કરાયેલા પ્રકરણના કાનૂની પડકારનો ભાજપ પૂરેપૂરો સામનો કરશે. ભાજપ, કોંગ્રેસનો આ રાજકીય પડકાર ઝીલી લેશે અને આ મુદ્દો જનતા સમક્ષ લઈ જશે,’ એમ નીતિન ગડકરીએ મુંબઈમાં ભાજપના રાજ્ય એકમના કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું.સીબીઆઈને કોંગ્રેસ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન્સ ગણાવતાં ગડકરીએ ઉમેર્યું હતું કે ‘‘કોંગ્રેસની ગેમ ઊંધી વળશે અને તેમનાં ગંદા ઈરાદા-કાવતરાં ઉઘાડાં પડશે, એ બાબતની અમને ખાતરી છે. સીબીઆઈની આ કાર્યવાહી ગુજરાત સરકાર તરફ ભેદભાવ અને કિન્નાખોરીથી શરૂ કરાઈ છે. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ ફક્ત ભાજપને નિશાન બનાવવા માટે ઊભો કરાયો છે. સોહરાબુદ્દિનની ધરપકડ અને મૂઠભેડ (એન્કાઉન્ટર)માં તેના મૃત્યુના કિસ્સામાં આંધ્ર પ્રદેશની વાય. એસ. રાજશેખર રેડ્ડી સરકાર પણ સરખા પ્રમાણમાં સંડોવાયેલી હોવા છતાં સીબીઆઈએ આંધ્ર સરકારને તપાસમાંથી પૂર્ણપણે બાકાત રાખે.’’
ઝાલાવાડ, હાલાર અને કચ્છ પર મેઘો ઓળઘોળ
પાટડીમાં ૧૨, જોડિયામાં ૮, જામનગરમાં ૧૦, કંડલામાં ૭, માંડવીમાં ૬, મોરબીમાં ૫, રાપરમાં ૪ ઈંચ પાણી વરસ્યું.સૌરાષ્ટ્રમાં મેઘાવી વાતાવરણ વચ્ચે સોમવારે ઝાલાવાડ, હાલાર અને કચ્છ પર મેઘો જાણે ઓળઘોળ થઈ ગયો હતો. પાટડી તાલુકામાં જાણે આભ ફાટ્યું તેમ ૧૨ ઈંચ સાંબેલાધારે વરસાદ વરસ્યો હતો. જ્યારે હાલારના જોડિયામાં મુશળધાર ૮ ઈંચ તો જામનગર શહેરમાં ધોધમાર ૧૦ ઈંચ પાણી પડ્યું હતું. લાંબા સમયથી મેઘાની મહેર માટે તડપતા કચ્છ જિલ્લાના માંડવીમાં છ, રાપરમાં ચાર ઈંચ મેઘ મહેર થઈ હતી. જ્યારે રાજકોટ જિલ્લાના મોરબી અને માળિયામાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત જુનાગઢના માળિયા હાટીનામાં બે ઈંચ, માંગરોળ, તાલાલામાં સવા ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. બાકીના અમરેલી, ભાવનગર અને પોરબંદરમાં મેઘાડંબર વચ્ચે ઝરમર ઝાપટાં વરસતા રહ્યા હતા.ઝાલાવાડ પંથકમાં રવિવાર રાતથી જ સાંબેલાધારે ખાબકેલા વરસાદના પગલે અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા. જ્યારે પાટડી તાલુકામાં ૧૨ ઈંચથી વધુ વરસાદ પડતા અનેક ગામો જળબંબોળ થઈ ગયા હતા. ૧૫ કલાકમાં ૧૨ ઈંચથી વધુ વરસાદના પગલે ૩૦થી વધુ ગામોના ૧૦૦ પરિવારોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ધ્રાંગધ્રા ૪ ઈંચ, હળવદ ૪, લીંબડીમાં ૩, સુરેન્દ્રનગરમાં ૩ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જિલ્લાના અન્ય તાલુકામાં હળવા ભારે ઝાપટાં વરસ્યા હતા.છેલ્લા સપ્તાહ દરમિયાન મેઘરાજા વરસે ત્યાં જળબંબાકાર કરી દે છે. અન્યત્ર ઝરમર ઝાપટાંરૂપી હાજરી પૂરાવી દેતા હોય તેવું લોકમાનસ પર ચિત્ર ઉપસી રહ્યું છે. જેમાં આજે હાલારના જોડિયામાં મુશળધાર ૮ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જો કે જોડિયાથી માત્ર ૧૫ કિલોમીટર દૂર આવેલા ધ્રોલમાં પોણો ઈંચ જ વરસાદ નોંધાયો હતો. તો જામનગર શહેરમાં ત્રણ કલાકમાં ધોધમાર છ ઈંચ પાણી પડી ગયું હતું. જ્યારે ખંભાળિયામાં પોણા ત્રણ ઈંચ, લાલપુરમાં એક ઈંચ, દ્વારકામાં બે ઈંચ અને કલ્યાણપુર-ભાણવડમાં અડધો-અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.અત્રે નોંધનીય છે કે, કાલાવડમાં ઝરમર ઝાપટું પડ્યું હતું. તો જામજોધપુર તાલુકો કોરો રહ્યો હતો. કચ્છ જિલ્લામાં રાહ જોવડાવ્યા પછી વરુણદેવ મન મૂકીને વરસ્યા હતા. અને કચ્છ જિલ્લામાં અનેક સ્થળે પાણી પાણી કરી દીધું હતું. સોમવારે માંડવીમાં છ, વરસાદ પડ્યા બાદ રાત્રિના ફરી વરસાદ શરૂ થતાં એક ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. આ ઉપરાંત કંડલામાં પણ સાત ઇંચ પાણી પડ્યાના અહેવાલ મળી રહ્યા છે. રાપરમાં સાડાચાર, મુંદ્રામાં સાડાત્રણ, ગાંધીધામમાં ૩, ભચાઉમાં ૩, અંજારમાં પોણા ત્રણ, ભુજમાં બે અને અબડાસા-નખત્રાણામાં દોઢ જ્યારે લખપતમાં અડધો ઈંચ પાણી પડ્યાના વાવડ મળી રહ્યા છે.
ગામનો બંધ તૂટતા ખેતરોમાં પાણી ઘૂસ્યાં
મોરબી પંથકમાં ભારે વરસાદના કારણે નાનું એવું ગીડચ ગામ ભયમાં મુકાયું, પંચાસર રોડ પર નાલામાં પાણીનો નિકાલ બંધ હોવાથી પાણી આજુ-બાજુના વિસ્તારમાં ઘૂસ્યા: તંત્રમાં દોડધામ.મોરબી શહેરની સાથો-સાથ ગ્રામ્ય વિસ્તારમાં પણ ચારથી પાંચ ઇંચ ભારે વરસાદ પડયો હતો. ભારે વરસાદના કારણે ગીડચ ગામનો બંધનો પાળો તૂંટી જતા બંધનું પાણી આજુ-બાજુના ૨૫ થી વધુ ખેતરોમાં તથા પંચાસર રોડ પર નાલું છલકાતા ખેતરોમાં પાણી ઘૂસી જતા તંત્રમાં દોડધામ મચી હતી. જો કે કોઇ જાનહાનિ થવાના સમાચાર મળ્યા નથી.રાત્રીના પડેલા ભારે વરસાદથી ગીડચ ગામનો પાણીના સંગ્રહનો બંધનો પાળો નબળો પડ્યા બાદ તૂટી જતા ચારેય કોર પાણી-પાણી થઇ ગયું હતું. પરિસ્થિતિનો તાગ મેળવવા તાલુકા વિકાસ અધિકારી કેતન જોશીએ તલાટી મંત્રી સહિતની ટીમને સ્થળપર રવાના કરી હતી. ટીડીઓ જોશીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે બંધનો પાળો તૂટતા આ સમસ્યા સર્જાય છે.બંધનું પાણી આજુ-બાજુના ૨૦ થી ૨૫ ખેતરોમાં ઘૂસી જતા પાકને નુકસાન થયાના સમાચાર છે. આ ઉપરાંત પંચાસર ગામ નજીકના નાલાપર પાણી છલકાઇને બાજુના ખેતરોમાં ઘૂસી ગયાની ફરિયાદ મળતા તાત્કાલિક યુધ્ધના ધોરણે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.જ્યારે ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તા પરના બેઠા પુલ અને નાલાઓ બે કાંઠે વહેવા લાગતા મોટાભાગના ગામોને વાહનવ્યવહાર સંપર્ક શહેરથી તૂટી ગયો હતો. જો કે, આ વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાવા સીવાય કોઇ મોટી નુકસાની કે જાનહાનિ થયાના સમાચાર મળ્યા નહોતા.
બિહારમાં ૨૯૮ મહિલાએ બે મહિનામાં પાંચ બાળકોને જન્મ આપ્યો!
સરકારી યોજના હેઠળ વળતરનો લાભ લેવા મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી : કેગના સનસનાટીભર્યા અહેવાલથી ખળભળાટ.સામાન્યપણે કોઈપણ મહિલાએ બાળકને જન્મ આપવો હોય તો ઓછામાં ઓછા નવ મહિનાનો સમયગાળો જોઈએ છે પરંતુ બિહારમાં જો સરકારી ચોપડા ચકાસવામાં આવે તો આ વાસ્તવિકતા તદ્દન ખોટી પડી શકે છે. બિહારમાં સરકારની યોજના હેઠળ માતૃત્વ ધારણ કરતી મહિલાને અપાતી આર્થિક સહાયનો લાભ લેવા માટે અહીં ઓછામાં ઓછી ૨૯૮ એવી મહિલાઓ સામે આવી છે જેમણે માત્ર બે મહિનાના ગાળામાં ૨થી ૫ બાળકોને જન્મ આપ્યો હોવાનો દાવો કર્યો છે.કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(કેગ) ના અહેવાલ અનુસાર સરકારની ‘જનની સુરક્ષા યોજના’ હેઠળ માતા બનનાર મહિલાને રૂ. ૧,૦૦૦ સહાય પેટે આપવામાં આવે છે જે હેઠળ અત્યાર સુધીમાં રૂ. ૬.૬ લાખ માત્ર ૨૯૮ મહિલાઓમાં જ વહેંચવામાં આવ્યા છે. સરકારી રેકોર્ડ અનુસાર આ મહિલાઓએ માત્ર ૬૦ દિવસમાં બેથી પાંચ બાળકોને જન્મ આપ્યો હોવાનો દાવો કરી સરકારી યોજના હેઠળ નાણાં લીધા છે. કેગના ૨૦૦૯ના અહેવાલ અનુસાર વર્ષ ૨૦૦૮-૦૯માં ભાગલપુર, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, કિશનગંજ અને નાલંદા જિલ્લામાં આ ગેરરીતિ આચરવામાં આવી હતી. આ યોજના સંબંધિત અધિકારીઓએ માત્ર ૬૦ દિવસમાં જ આ મહિલાઓને નાણાં ચૂકવ્યા હતા. જોકે કમનસીબીની વાત એ છે કે તેમના કારણે સરકારી વળતર મેળવવા માટે ખરેખર હકદાર હજારો મહિલાઓ તેનાથી વંચિત રહી ગઈ છે. કેગના અહેવાલ અનુસાર કુલ ૪,૭૦,૩૦૭ માતાઓમાંથી ૯૭,૧૪૬ મહિલાઓ આ વળતરથી વંચિત રહી ગઈ છે.
ઈન્ટરસેપ્ટ મિસાઈલનું સફળ પરીક્ષણ
દેશમાં તૈયાર કરાયેલી ઈન્ટસેપ્ટ મિસાઈલનું સોમવારે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલ દુશ્મનોની બેલાસ્ટિક મિસાઈલનો નાશ કરવા માટે સક્ષમ છે. ઓરિસ્સાના દરિયાકાંઠાના વિસ્તારમાં વ્હીલર આઈલેન્ડ પર આવેલ ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આઈટીઆરના નિદેશક એમ.પી.દાસે જણાવ્યું હતું કે ઈન્ટરસેપ્ટ મિસાઈલે ૧૫ કિમીની ઊંચાઈએ ટાર્ગેટ મિસાઈલને ખતમ કરી હતી.
ગુજરાતમાં નરેગાના ફંડનો દુરુપયોગ
કેન્દ્રીય ગ્રામીણ મંત્રાલયે કરેલી તપાસમાં માલૂમ પડ્યું છે કે ગુજરાત સરકારે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી એક્ટ (નરેગા) હેઠળ ફાળવાયેલાં નાણાંનો ગેરકાયદેસર રીતે અન્યત્ર ઉપયોગ કર્યો હતો. તપાસ કરનારી ટીમે નોંધ્યું હતું કે નરેગા હેઠળ ગુજરાત સરકારે કરેલું સોશિયલ ઓડિટ સંતોષજનક નથી. વેતનની ચુકવણીમાં પણ અનિયમિતતા જોવા મળી છે.મંત્રાલયના સૂત્રોએ કહ્યું છે કે ‘(મંત્રાલય દ્વારા કરાયેલી તપાસમાં) માલૂમ પડ્યું છે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી યોજના(નરેગા) હેઠળ ફાળવાયેલાં નાણાંનો (રાજ્ય સરકાર દ્વારા) વન વિભાગમાં તેના વિભાગીય કાર્યો માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.’ તપાસ કરનારી મંત્રાલયની ટીમને માલૂમ થયું હતું કે નરેગાનું ફંડ અન્ય કાર્યો માટે ઉપયોગમાં લેવા અંગે કોઈ જ સત્તાવાર આદેશ કરાયો ન હતો. આ રીતે ફંડનો ઉપયોગ નરેગાની જોગવાઈ હેઠળ કરી શકાય નહીં.રામીણ વિકાસ મંત્રી સી.પી. જોશીએ ગયા મહિને આ અંગે તપાસનો આદેશ આપ્યો હતો. એવા આક્ષેપ હતા કે ગ્રામસભા દ્વારા જે કામને મંજુરી અપાઈ ન હતી તેના માટે નરેગા ફંડનો ઉપયોગ કરાયો હતો. નરેગા એક્ટ હેઠળ ગ્રામસભાની મંજુરી જરૂરી છે. ત્રણ સભ્યોની તપાસ ટુકડીને જોશીએ નરેગા સંબંધિત તમામ બાબતોની તપાસ કરવાનો પણ આદેશ આપ્યો હતો. ટીમને માલૂમ પડ્યું કે તમામ ગ્રામવાસીઓને જોબ કાર્ડ તો ફાળવાયા હતા, પરંતુ જોબકાર્ડમાં નામ અને ફોટો વચ્ચે વિસંગતતા જોવા મળી હતી.સૂત્રોએ કહ્યું હતું કે ‘જેટલા જોબકાર્ડની તપાસ કરાઈ તે તમામ પૈકી કોઈમાં કામની ફાળવણી અને સંબંધિત વ્યક્તિને કરાયેલી નાણાંની ચુકવણીની વિગત જોવા મળી ન હતી. મોટાભાગના કિસ્સામાં જોબકાર્ડ સરપંચના કબજામાં જ હોવાનું જણાયું હતું.’ ડચકા ગ્રામ પંચાયતમાં ૨૦૦૭-૦૮ પછીથી ભાગ્યે જ કોઈ એન્ટ્રી પડી હતી. ચાલી રહેલા કામની કોઈ વિગત રેકોર્ડ પર જોવા મળી ન હતી. રોજગાર રજિસ્ટરમાં પણ કોઈ એન્ટ્રી ન હતી.
નીચલી કોર્ટના અધિકારીઓને ૨૦ વર્ષ પછી પેન્શનના લાભ
સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું છે કે નીચલી અદાલતોના ન્યાયિક અધિકારીઓને હવેથી ઓછામાં ઓછા ૨૦ વર્ષ સુધી ફરજ બજાવ્યા પછી પેન્શનના હકદાર બની જશે. હાલના નિયમ મુજબ તેમને ૩૩ વર્ષની નોકરી પછી જ આ હક મળે છે.ચીફ જસ્ટિસ એસ.એચ. કાપડિયાની અધ્યક્ષતા હેઠળની બેન્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી સમિતિની ભલામણ સ્વીકારી લીધી છે. સમિતિએ પેન્શન માટે ન્યાયિક અધિકારીઓને નોકરીના ૩૩ વર્ષને બદલે ૨૦ વર્ષ પછી પેન્શનનો હક આપવાની ભલામણ કરી હતી.ન્યાય ક્ષેત્રે માળખાગત સુવિધાઓ સંબંધિત બાબતોની સુનાવણી કરી રહેલી બેન્ચે પદ્મનાભન સમિતિની એ ભલામણ સ્વીકારી લીધી છે, જે મુજબ અધિકારીના છેલ્લા પગારની ૫૦ ટકા રકમ પેન્શન પેટે આપવામાં આવશે. સમિતિએ રાષ્ટ્રીય ન્યાય વેતન પંચ દ્વારા પગારમાં ત્રણ ગણો વધારો કરવાની ૧૯૯૯માં કરાયેલી ભલામણ સાથેનો અહેવાલ સુપ્રીમ કોર્ટમાં રજુ કર્યો હતો.આ ઉપરાંત નિવૃત્ત જજ માટે ગ્રેચ્યુઈટીની મહત્તમ મર્યાદા રૂ. ૩.૫ લાખથી વધારીને રૂ. ૧૦ લાખ કરી દેવાની દરખાસ્તને પણ મંજુરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે ગત મે મહિનામાં રાજ્ય સરકારોને સમિતિની ભલામણ મુજબ નયાયમૂર્તિઓને વેતન આપવાનો આદેશ કર્યો હતો.
આયરલેન્ડમાં આ તે કેવી સ્પર્ધા?
આયરલેન્ડમાં રવિવારે કંઈક અલગ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે છેલ્લા છ વર્ષથી આ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે આ સ્પર્ધા લોકોને પસંદ પણ પડી રહી છે. તેમજ મોટી સંખ્યામાં લોકો ભાગ લેવા માટે ઉમટી પડે છે.આ સ્પર્ધામાં એક વિશાળ જગ્યામાં ગટરનું પાણી ભરવામાં આવે છે. ત્યાર બાદ સ્પર્ઘકોને તેમાં કૂદવાનું કહેવામાં આવે છે. જોકે સ્પર્ધામાં ભાગ લેતા સ્પર્ધકોને પાણીની અંદર શ્વાસ લઈ શકે તે માટે એક નળી, ગોગલ્સ અને માથામાં રબરની કેપ પહેરવાની છૂંટ આપવામાં આવે છે.
ભુજને ધીમીધારે રાત-દિ’ ભીંજવતા મેઘરાજા
પાણી ભરાવાની ‘કાયમી’ સમસ્યા શહેરીજનોએ ભોગવી: વીજ-વિક્ષેપે પણ પરેશાની સર્જી.શહેરમાં રવિવારે રાત્રે ૧૧:૩૦ ના અરસામાં જોરદાર ઝાપટાં રૂપે શરૂઆત થયા પછી આખી રાત અને આખો દિવસ ધીમીધારે વરસાદ વરસતાં મેઘોત્સવ જેવો માહોલ સર્જાયો છે.૨૦ કલાક દરમિયાન ૬૯ મીમી (ત્રણ ઇંચ) જેટલું પાણી વરસી ગયું હતું. અને ઉપરવાસમાંએ વરસાદ થતાં શહેરના શણગાર સમા હમીરસર તળાવમાં નવા પાણી આવ્યાં હતાં.શહેરમાં ઠેક ઠેકાણે ભરાયેલા ગોઠણસમા પાણી તેમજ વીજળી સહિતની સેવાઓમાં સર્જાયેલા વિક્ષેપ જેવી સમસ્યાઓને અવગણીને લોકોએ વરસાદની મજા માણી હતી તથા સાંજે ‘મોટાબંધ’ અને હમીરસરને જોવા નીકળી પડ્યા હતા.બાળકોએ વરસાદમાં ન્હાવાની મોજ લૂંટી હતી. તો મોટેરાઓએ પરિવાર સાથે ભજિયા, મકાઇના ડોડા જેવી ચોમાસાની ‘ફેવરિટ’ આઇટમ પર તડાકો બોલાવ્યો હતો. વરસાદ સાવ ધીમીધારે પડયો હોવા છતાં નગરપાલિકા અને ભાજપની કચેરીને જોડતો ‘માતૃછાયા’ રોડ, બસ સ્ટેશન વિસ્તાર, જનરલ હોસ્પિટલ, જયુબિલી ગ્રાઉન્ડ ઉપરાંત શહેર અંદરના વિસ્તારો અને બહારની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયા હતા.
રાજકોટમાં અઢી લાખની ચોરી
શહેરના રણછોડવાડી વિસ્તારના અલ્કા પાર્કમાં રહેતા અને ઇમિટેશનની ભઢ્ઢી ધરાવતા પટેલ ધનજીભાઇ ભૂરાભાઇ લીંબાસિયાના બંધ મકાનમાં ખાબકેલા તસ્કરો કબાટમાં રોકડ અને ઘરેણાં મળી કુલ રૂ.૨.૪૩ લાખની માલમતાનો હાથફેરો કરી ગયા હતા. પટેલ પરિવાર ગુરુપૂર્ણિમા હોવાથી મહિકા આશ્રમે ગુરુના દર્શન કરવા ગયા હતા ત્યારે તસ્કરો કસબ અજમાવી ગયા હતા.
ધનજીભાઇએ ફરિયાદમા જણાવ્યા મુજબ, તે રવિવારે સાંજે સાડાચાર વાગે મકાનને તાળાં મારી પત્ની, પુત્ર સાથે મહિકા નજીક નિર્ભય આશ્રમે દર્શન કરવા ગયા હતા. બાજુમાં જ રહેતા મોટાભાઇ છગનભાઇ પણ સહપરિવાર આશ્રમે ગયા હતા. પુત્ર ગૌરવ રાતે આઠ વાગે પરત આવીને સીધો મોટા બાપુના ઘરે ગયો હતો.મોડી રાતે અઢી વાગે ધનજીભાઇ ઘરે પહોંચતા મકાનના મુખ્ય દરવાજાના તાળાં,નકૂચા તૂટેલા જોઇ ધ્રાસકો પડ્યો હતો. તસ્કરો રૂમના કબાટમાંથી રૂ. ૧.૧૦ લાખ રોકડા અને ઘરેણાં મળી ૨.૪૬ લાખની માલમતા ઉસેડી ગયા હતા. મકાનને તાળાં મારીને ગયેલા ધનજીભાઇ કિંમતી માલમતા રાખી હતી એ કબાટને લોક કરવાનું ભૂલી ગયા હોવાથી ચોરને વધુ મહેનત કરવી પડી ન હતી.ઇન્સપેક્ટર જેઠવા, મદદનીશ વિનુભાઇ અગાઉ આ ઢબે ચોરી કરવાના ગુનામાં પકડાઇ ચૂકેલા રીઢા અપરાધીઓને અટકાયતમાં લઇ પૂછતાછ શરૂ કરી છે.
લોસ બે વાગ્યા સુધી - રાસ કાલ સુધી સ્થગિત
અપેક્ષા મુજબ આજે લોકસભા અને રાજ્યસભામાં હંગામો થયો હતો. મોંઘવારી મુદ્દે સંસદમાં મહાસંગ્રામના મંડાણ થઇ ગયા છે. સમગ્ર વિપક્ષ મોંઘવારી મુદ્દે એક છે.ભાજપના નેતૃત્વમાં વિપક્ષના કામ રોકો પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. જોકે, રાષ્ટ્રીય જનતા દળ અને લોક જનશક્તિ પાર્ટીએ તેનો વિરોધ કર્યો હતો. પરંતુ, બહુજન સમાજવાદી પક્ષે મોંઘવારી મુદ્દે પ્રશ્નકાળને સ્થગિત કરવાની માગ કરી છે.આજે સવારે લોકસભામાં કાર્યવાહી શરૂ થઇ હતી ત્યારે સુષ્મા સ્વરાજની અધ્યક્ષતામાં ભાજપના સભ્યોએ હંગામો કર્યો હતો. રાજ્યસભામાં પણ આ પ્રકારના જ દ્રશ્યો સર્જાયા હતા. જેના પગલે પહેલા પહેલા બાર વાગ્યા સુધી અને પાછળથી આવતીકાલે સવારે અગ્યાર વાગ્યા સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી.કામગીરી શરૂ થતાની સાથે જ લોકસભામાં ભાજપના નેતા વિપક્ષ સુષ્મા સ્વરાજે સ્પીકર મીરાકુમાર સમક્ષ માગ કરી હતીકે, તેમના કામ રોકો પ્રસ્તાવ ઉપર ચર્ચા કરવામાં આવે. પરંતુ, આમ બન્યું ન હતું. જેના કારણે મીરાકુમારે લોકસભાને બાર વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.ત્યારબાદ બાર વાગ્યે પણ લોકસભા મળતા સાથે જ તોફાન સર્જાતા ગૃહને સ્થગિત કરવાની ફરજ પડી હતી. સ્પીકર મીરાકુમાર દ્વારા ગૃહને બે વાગ્યા સુધી મુલત્વી રાખવામાં આવ્યું છે.
ડોણ સહિત સાત ડેમ ઓગન્યા
કચ્છમાં મધ્યમ સિંચાઇનો ડોણ અને નાની સિંચાઇના છ સહિત સાત ડેમો સોમવારે પડેલા વરસાદને કારણે ઓગની ગયા અને અન્ય ડેમોમાં અડધું વર્ષ ચાલે તેટલું પાણી સંગ્રહાઇ ગયું છે. આ અંગે સિંચઇ વિભાગના કન્ટ્રોલરૂમમાંથી મળતી વિગતો મુજબ મધ્યમ સિંચાઇના ડોણ ડેમમાં ૪૭.૭૫ મીટરની સંગ્રહક્ષમતા છે, જેની સામે ૪૭.૮૦ની સ્થિતિએ પાણી ઓવરફ્લો થઇને વહી રહ્યું છે. તેની નીચાણમાં આવતા ગોધરા અને રાસડા ગામના લોકોને સાવચેત કરાય છે.આ ઉપરાંત મધ્યમકક્ષાના કચ્છના ૨૦ ડેમોમાં અડધાથી એક ઇંચ વરસાદ પડતાં નવાં નીર આવ્યાં છે.આ ઉપરાંત જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગના કન્ટ્રોલરૂમમાંથી મળતી વિગતો મુજબ નાની સિંચાઇના ૧૬૮માંથી ૬૨માં ૧૫ ફૂટ જેટલા નવાં નીર આવ્યાં છે. ઉપરાંત અબડાસાનો કડોલી, ભુજનો લેર, માંડવીનો વેગડી, ડેડિયા, માપર અને ભચાઉનો રતનપર મળીને ૬ ડેમો ઓવરફલો થઇ ગયા છે.ચોમાસાની સીઝનમાં ડેમ ઉપરવાસમાં સરેરાશ ૨૦ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. ડેમમાં નવા નીર આવવાથી કચ્છ માટે છ મહિના સુધીની જળ સમસ્યા દૂર થઇ ગઇ છે.
મહેસાણામાં સાડા ચાર ઇંચ : અન્ય તાલુકા પણ ભીંજાયા
જિલ્લામાં મેઘમહેર થઇ રહી છે. છેલ્લા બે દિવસથી જિલ્લામાં સર્વત્ર વરસી રહેલ વરસાદી ઝડીને લીધે ખેડૂતો સહિત જિલ્લાવાસીઓમાં ખુશી પ્રસરી રહી છે. રવિવારની રાતે કડી તથા બેચરાજીમાં ૧૦ ઇંચથી ભારે વરસાદ નોંધાયો છે ત્યારે રવિવારે સવારે ૭થી સોમવારે સવારે ૭ કલાક સુધી જિલ્લામાં બેચરાજીમાં ૨૭૦ મિ.મી, કડીમાં ૨૯૦ મિ.મી, મહેસાણામાં ૧૧૫ મિ.મી, ખેરાલુમાં ૩૨ મિ.મી, વિજાપુરમાં ૩૦ મિ.મી, વિસનગરમાં ૪૪ મિ.મી, સતલાસણામાં ૬૫ મિ.મી, ઊંઝામાં ૧૩ મિ.મી તથા વડનગરમાં ૦૨ મિ.મી વરસાદ થયો છે.
‘અમિત શાહ સામેના કેસ વિરુદ્ધ લડત માટે ભાજપ સજ્જ છે.’
બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્વે વોટ બેન્કના રાજકારણના વ્યૂહના ભાગરૂપે સોહરાબુદ્દિન એન્કાઉન્ટર કેસને ખોટી રીતે વાપરવાનો કોંગ્રેસ પર આરોપ મૂકતાં ભાજપના પ્રમુખ નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ‘‘અમારો પક્ષ ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન અમિત શાહ સામે ફાઈલ કરાયેલા કેસ વિરુદ્ધ કાયદેસર અને રાજકીય લડત આપવા તૈયાર છે.’’‘અદાલતમાં બનાવટી રીતે ઉપસ્થિત કરાયેલા પ્રકરણના કાનૂની પડકારનો ભાજપ પૂરેપૂરો સામનો કરશે. ભાજપ, કોંગ્રેસનો આ રાજકીય પડકાર ઝીલી લેશે અને આ મુદ્દો જનતા સમક્ષ લઈ જશે,’ એમ નીતિન ગડકરીએ મુંબઈમાં ભાજપના રાજ્ય એકમના કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું.સીબીઆઈને કોંગ્રેસ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન્સ ગણાવતાં ગડકરીએ ઉમેર્યું હતું કે ‘‘કોંગ્રેસની ગેમ ઊંધી વળશે અને તેમનાં ગંદા ઈરાદા-કાવતરાં ઉઘાડાં પડશે, એ બાબતની અમને ખાતરી છે. સીબીઆઈની આ કાર્યવાહી ગુજરાત સરકાર તરફ ભેદભાવ અને કિન્નાખોરીથી શરૂ કરાઈ છે. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ ફક્ત ભાજપને નિશાન બનાવવા માટે ઊભો કરાયો છે. સોહરાબુદ્દિનની ધરપકડ અને મૂઠભેડ (એન્કાઉન્ટર)માં તેના મૃત્યુના કિસ્સામાં આંધ્ર પ્રદેશની વાય. એસ. રાજશેખર રેડ્ડી સરકાર પણ સરખા પ્રમાણમાં સંડોવાયેલી હોવા છતાં સીબીઆઈએ આંધ્ર સરકારને તપાસમાંથી પૂર્ણપણે બાકાત રાખે.’’
ઝાલાવાડ, હાલાર અને કચ્છ પર મેઘો ઓળઘોળ
પાટડીમાં ૧૨, જોડિયામાં ૮, જામનગરમાં ૧૦, કંડલામાં ૭, માંડવીમાં ૬, મોરબીમાં ૫, રાપરમાં ૪ ઈંચ પાણી વરસ્યું.સૌરાષ્ટ્રમાં મેઘાવી વાતાવરણ વચ્ચે સોમવારે ઝાલાવાડ, હાલાર અને કચ્છ પર મેઘો જાણે ઓળઘોળ થઈ ગયો હતો. પાટડી તાલુકામાં જાણે આભ ફાટ્યું તેમ ૧૨ ઈંચ સાંબેલાધારે વરસાદ વરસ્યો હતો. જ્યારે હાલારના જોડિયામાં મુશળધાર ૮ ઈંચ તો જામનગર શહેરમાં ધોધમાર ૧૦ ઈંચ પાણી પડ્યું હતું. લાંબા સમયથી મેઘાની મહેર માટે તડપતા કચ્છ જિલ્લાના માંડવીમાં છ, રાપરમાં ચાર ઈંચ મેઘ મહેર થઈ હતી. જ્યારે રાજકોટ જિલ્લાના મોરબી અને માળિયામાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત જુનાગઢના માળિયા હાટીનામાં બે ઈંચ, માંગરોળ, તાલાલામાં સવા ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. બાકીના અમરેલી, ભાવનગર અને પોરબંદરમાં મેઘાડંબર વચ્ચે ઝરમર ઝાપટાં વરસતા રહ્યા હતા.ઝાલાવાડ પંથકમાં રવિવાર રાતથી જ સાંબેલાધારે ખાબકેલા વરસાદના પગલે અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા. જ્યારે પાટડી તાલુકામાં ૧૨ ઈંચથી વધુ વરસાદ પડતા અનેક ગામો જળબંબોળ થઈ ગયા હતા. ૧૫ કલાકમાં ૧૨ ઈંચથી વધુ વરસાદના પગલે ૩૦થી વધુ ગામોના ૧૦૦ પરિવારોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ધ્રાંગધ્રા ૪ ઈંચ, હળવદ ૪, લીંબડીમાં ૩, સુરેન્દ્રનગરમાં ૩ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જિલ્લાના અન્ય તાલુકામાં હળવા ભારે ઝાપટાં વરસ્યા હતા.છેલ્લા સપ્તાહ દરમિયાન મેઘરાજા વરસે ત્યાં જળબંબાકાર કરી દે છે. અન્યત્ર ઝરમર ઝાપટાંરૂપી હાજરી પૂરાવી દેતા હોય તેવું લોકમાનસ પર ચિત્ર ઉપસી રહ્યું છે. જેમાં આજે હાલારના જોડિયામાં મુશળધાર ૮ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જો કે જોડિયાથી માત્ર ૧૫ કિલોમીટર દૂર આવેલા ધ્રોલમાં પોણો ઈંચ જ વરસાદ નોંધાયો હતો. તો જામનગર શહેરમાં ત્રણ કલાકમાં ધોધમાર છ ઈંચ પાણી પડી ગયું હતું. જ્યારે ખંભાળિયામાં પોણા ત્રણ ઈંચ, લાલપુરમાં એક ઈંચ, દ્વારકામાં બે ઈંચ અને કલ્યાણપુર-ભાણવડમાં અડધો-અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.અત્રે નોંધનીય છે કે, કાલાવડમાં ઝરમર ઝાપટું પડ્યું હતું. તો જામજોધપુર તાલુકો કોરો રહ્યો હતો. કચ્છ જિલ્લામાં રાહ જોવડાવ્યા પછી વરુણદેવ મન મૂકીને વરસ્યા હતા. અને કચ્છ જિલ્લામાં અનેક સ્થળે પાણી પાણી કરી દીધું હતું. સોમવારે માંડવીમાં છ, વરસાદ પડ્યા બાદ રાત્રિના ફરી વરસાદ શરૂ થતાં એક ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. આ ઉપરાંત કંડલામાં પણ સાત ઇંચ પાણી પડ્યાના અહેવાલ મળી રહ્યા છે. રાપરમાં સાડાચાર, મુંદ્રામાં સાડાત્રણ, ગાંધીધામમાં ૩, ભચાઉમાં ૩, અંજારમાં પોણા ત્રણ, ભુજમાં બે અને અબડાસા-નખત્રાણામાં દોઢ જ્યારે લખપતમાં અડધો ઈંચ પાણી પડ્યાના વાવડ મળી રહ્યા છે.
ગામનો બંધ તૂટતા ખેતરોમાં પાણી ઘૂસ્યાં
મોરબી પંથકમાં ભારે વરસાદના કારણે નાનું એવું ગીડચ ગામ ભયમાં મુકાયું, પંચાસર રોડ પર નાલામાં પાણીનો નિકાલ બંધ હોવાથી પાણી આજુ-બાજુના વિસ્તારમાં ઘૂસ્યા: તંત્રમાં દોડધામ.મોરબી શહેરની સાથો-સાથ ગ્રામ્ય વિસ્તારમાં પણ ચારથી પાંચ ઇંચ ભારે વરસાદ પડયો હતો. ભારે વરસાદના કારણે ગીડચ ગામનો બંધનો પાળો તૂંટી જતા બંધનું પાણી આજુ-બાજુના ૨૫ થી વધુ ખેતરોમાં તથા પંચાસર રોડ પર નાલું છલકાતા ખેતરોમાં પાણી ઘૂસી જતા તંત્રમાં દોડધામ મચી હતી. જો કે કોઇ જાનહાનિ થવાના સમાચાર મળ્યા નથી.રાત્રીના પડેલા ભારે વરસાદથી ગીડચ ગામનો પાણીના સંગ્રહનો બંધનો પાળો નબળો પડ્યા બાદ તૂટી જતા ચારેય કોર પાણી-પાણી થઇ ગયું હતું. પરિસ્થિતિનો તાગ મેળવવા તાલુકા વિકાસ અધિકારી કેતન જોશીએ તલાટી મંત્રી સહિતની ટીમને સ્થળપર રવાના કરી હતી. ટીડીઓ જોશીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે બંધનો પાળો તૂટતા આ સમસ્યા સર્જાય છે.બંધનું પાણી આજુ-બાજુના ૨૦ થી ૨૫ ખેતરોમાં ઘૂસી જતા પાકને નુકસાન થયાના સમાચાર છે. આ ઉપરાંત પંચાસર ગામ નજીકના નાલાપર પાણી છલકાઇને બાજુના ખેતરોમાં ઘૂસી ગયાની ફરિયાદ મળતા તાત્કાલિક યુધ્ધના ધોરણે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.જ્યારે ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તા પરના બેઠા પુલ અને નાલાઓ બે કાંઠે વહેવા લાગતા મોટાભાગના ગામોને વાહનવ્યવહાર સંપર્ક શહેરથી તૂટી ગયો હતો. જો કે, આ વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાવા સીવાય કોઇ મોટી નુકસાની કે જાનહાનિ થયાના સમાચાર મળ્યા નહોતા.
બિહારમાં ૨૯૮ મહિલાએ બે મહિનામાં પાંચ બાળકોને જન્મ આપ્યો!
સરકારી યોજના હેઠળ વળતરનો લાભ લેવા મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી : કેગના સનસનાટીભર્યા અહેવાલથી ખળભળાટ.સામાન્યપણે કોઈપણ મહિલાએ બાળકને જન્મ આપવો હોય તો ઓછામાં ઓછા નવ મહિનાનો સમયગાળો જોઈએ છે પરંતુ બિહારમાં જો સરકારી ચોપડા ચકાસવામાં આવે તો આ વાસ્તવિકતા તદ્દન ખોટી પડી શકે છે. બિહારમાં સરકારની યોજના હેઠળ માતૃત્વ ધારણ કરતી મહિલાને અપાતી આર્થિક સહાયનો લાભ લેવા માટે અહીં ઓછામાં ઓછી ૨૯૮ એવી મહિલાઓ સામે આવી છે જેમણે માત્ર બે મહિનાના ગાળામાં ૨થી ૫ બાળકોને જન્મ આપ્યો હોવાનો દાવો કર્યો છે.કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(કેગ) ના અહેવાલ અનુસાર સરકારની ‘જનની સુરક્ષા યોજના’ હેઠળ માતા બનનાર મહિલાને રૂ. ૧,૦૦૦ સહાય પેટે આપવામાં આવે છે જે હેઠળ અત્યાર સુધીમાં રૂ. ૬.૬ લાખ માત્ર ૨૯૮ મહિલાઓમાં જ વહેંચવામાં આવ્યા છે. સરકારી રેકોર્ડ અનુસાર આ મહિલાઓએ માત્ર ૬૦ દિવસમાં બેથી પાંચ બાળકોને જન્મ આપ્યો હોવાનો દાવો કરી સરકારી યોજના હેઠળ નાણાં લીધા છે. કેગના ૨૦૦૯ના અહેવાલ અનુસાર વર્ષ ૨૦૦૮-૦૯માં ભાગલપુર, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, કિશનગંજ અને નાલંદા જિલ્લામાં આ ગેરરીતિ આચરવામાં આવી હતી. આ યોજના સંબંધિત અધિકારીઓએ માત્ર ૬૦ દિવસમાં જ આ મહિલાઓને નાણાં ચૂકવ્યા હતા. જોકે કમનસીબીની વાત એ છે કે તેમના કારણે સરકારી વળતર મેળવવા માટે ખરેખર હકદાર હજારો મહિલાઓ તેનાથી વંચિત રહી ગઈ છે. કેગના અહેવાલ અનુસાર કુલ ૪,૭૦,૩૦૭ માતાઓમાંથી ૯૭,૧૪૬ મહિલાઓ આ વળતરથી વંચિત રહી ગઈ છે.
ઈન્ટરસેપ્ટ મિસાઈલનું સફળ પરીક્ષણ
દેશમાં તૈયાર કરાયેલી ઈન્ટસેપ્ટ મિસાઈલનું સોમવારે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલ દુશ્મનોની બેલાસ્ટિક મિસાઈલનો નાશ કરવા માટે સક્ષમ છે. ઓરિસ્સાના દરિયાકાંઠાના વિસ્તારમાં વ્હીલર આઈલેન્ડ પર આવેલ ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આઈટીઆરના નિદેશક એમ.પી.દાસે જણાવ્યું હતું કે ઈન્ટરસેપ્ટ મિસાઈલે ૧૫ કિમીની ઊંચાઈએ ટાર્ગેટ મિસાઈલને ખતમ કરી હતી.
ગુજરાતમાં નરેગાના ફંડનો દુરુપયોગ
કેન્દ્રીય ગ્રામીણ મંત્રાલયે કરેલી તપાસમાં માલૂમ પડ્યું છે કે ગુજરાત સરકારે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી એક્ટ (નરેગા) હેઠળ ફાળવાયેલાં નાણાંનો ગેરકાયદેસર રીતે અન્યત્ર ઉપયોગ કર્યો હતો. તપાસ કરનારી ટીમે નોંધ્યું હતું કે નરેગા હેઠળ ગુજરાત સરકારે કરેલું સોશિયલ ઓડિટ સંતોષજનક નથી. વેતનની ચુકવણીમાં પણ અનિયમિતતા જોવા મળી છે.મંત્રાલયના સૂત્રોએ કહ્યું છે કે ‘(મંત્રાલય દ્વારા કરાયેલી તપાસમાં) માલૂમ પડ્યું છે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી યોજના(નરેગા) હેઠળ ફાળવાયેલાં નાણાંનો (રાજ્ય સરકાર દ્વારા) વન વિભાગમાં તેના વિભાગીય કાર્યો માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.’ તપાસ કરનારી મંત્રાલયની ટીમને માલૂમ થયું હતું કે નરેગાનું ફંડ અન્ય કાર્યો માટે ઉપયોગમાં લેવા અંગે કોઈ જ સત્તાવાર આદેશ કરાયો ન હતો. આ રીતે ફંડનો ઉપયોગ નરેગાની જોગવાઈ હેઠળ કરી શકાય નહીં.રામીણ વિકાસ મંત્રી સી.પી. જોશીએ ગયા મહિને આ અંગે તપાસનો આદેશ આપ્યો હતો. એવા આક્ષેપ હતા કે ગ્રામસભા દ્વારા જે કામને મંજુરી અપાઈ ન હતી તેના માટે નરેગા ફંડનો ઉપયોગ કરાયો હતો. નરેગા એક્ટ હેઠળ ગ્રામસભાની મંજુરી જરૂરી છે. ત્રણ સભ્યોની તપાસ ટુકડીને જોશીએ નરેગા સંબંધિત તમામ બાબતોની તપાસ કરવાનો પણ આદેશ આપ્યો હતો. ટીમને માલૂમ પડ્યું કે તમામ ગ્રામવાસીઓને જોબ કાર્ડ તો ફાળવાયા હતા, પરંતુ જોબકાર્ડમાં નામ અને ફોટો વચ્ચે વિસંગતતા જોવા મળી હતી.સૂત્રોએ કહ્યું હતું કે ‘જેટલા જોબકાર્ડની તપાસ કરાઈ તે તમામ પૈકી કોઈમાં કામની ફાળવણી અને સંબંધિત વ્યક્તિને કરાયેલી નાણાંની ચુકવણીની વિગત જોવા મળી ન હતી. મોટાભાગના કિસ્સામાં જોબકાર્ડ સરપંચના કબજામાં જ હોવાનું જણાયું હતું.’ ડચકા ગ્રામ પંચાયતમાં ૨૦૦૭-૦૮ પછીથી ભાગ્યે જ કોઈ એન્ટ્રી પડી હતી. ચાલી રહેલા કામની કોઈ વિગત રેકોર્ડ પર જોવા મળી ન હતી. રોજગાર રજિસ્ટરમાં પણ કોઈ એન્ટ્રી ન હતી.
નીચલી કોર્ટના અધિકારીઓને ૨૦ વર્ષ પછી પેન્શનના લાભ
સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું છે કે નીચલી અદાલતોના ન્યાયિક અધિકારીઓને હવેથી ઓછામાં ઓછા ૨૦ વર્ષ સુધી ફરજ બજાવ્યા પછી પેન્શનના હકદાર બની જશે. હાલના નિયમ મુજબ તેમને ૩૩ વર્ષની નોકરી પછી જ આ હક મળે છે.ચીફ જસ્ટિસ એસ.એચ. કાપડિયાની અધ્યક્ષતા હેઠળની બેન્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી સમિતિની ભલામણ સ્વીકારી લીધી છે. સમિતિએ પેન્શન માટે ન્યાયિક અધિકારીઓને નોકરીના ૩૩ વર્ષને બદલે ૨૦ વર્ષ પછી પેન્શનનો હક આપવાની ભલામણ કરી હતી.ન્યાય ક્ષેત્રે માળખાગત સુવિધાઓ સંબંધિત બાબતોની સુનાવણી કરી રહેલી બેન્ચે પદ્મનાભન સમિતિની એ ભલામણ સ્વીકારી લીધી છે, જે મુજબ અધિકારીના છેલ્લા પગારની ૫૦ ટકા રકમ પેન્શન પેટે આપવામાં આવશે. સમિતિએ રાષ્ટ્રીય ન્યાય વેતન પંચ દ્વારા પગારમાં ત્રણ ગણો વધારો કરવાની ૧૯૯૯માં કરાયેલી ભલામણ સાથેનો અહેવાલ સુપ્રીમ કોર્ટમાં રજુ કર્યો હતો.આ ઉપરાંત નિવૃત્ત જજ માટે ગ્રેચ્યુઈટીની મહત્તમ મર્યાદા રૂ. ૩.૫ લાખથી વધારીને રૂ. ૧૦ લાખ કરી દેવાની દરખાસ્તને પણ મંજુરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે ગત મે મહિનામાં રાજ્ય સરકારોને સમિતિની ભલામણ મુજબ નયાયમૂર્તિઓને વેતન આપવાનો આદેશ કર્યો હતો.
આયરલેન્ડમાં આ તે કેવી સ્પર્ધા?
આયરલેન્ડમાં રવિવારે કંઈક અલગ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે છેલ્લા છ વર્ષથી આ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે આ સ્પર્ધા લોકોને પસંદ પણ પડી રહી છે. તેમજ મોટી સંખ્યામાં લોકો ભાગ લેવા માટે ઉમટી પડે છે.આ સ્પર્ધામાં એક વિશાળ જગ્યામાં ગટરનું પાણી ભરવામાં આવે છે. ત્યાર બાદ સ્પર્ઘકોને તેમાં કૂદવાનું કહેવામાં આવે છે. જોકે સ્પર્ધામાં ભાગ લેતા સ્પર્ધકોને પાણીની અંદર શ્વાસ લઈ શકે તે માટે એક નળી, ગોગલ્સ અને માથામાં રબરની કેપ પહેરવાની છૂંટ આપવામાં આવે છે.
ડો. અમિનનું નવું સરનામું કઇ જેલ હશે?
visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
ડો. અમિનનું નવું સરનામું કઇ જેલ હશે?
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સાબરમતી જેલમાં રખાયેલા ડો. નરેન્દ્ર અમિનનું નવું સરનામું હવે કઇ જેલ હશે? તે અંગે રાજ્યભરમાં અને ખાસ કરીને પોલીસ બેડામાં ચર્ચાઓ થઇ રહી છે.સોહરાબુદ્દીન પ્રકરણમાં ડી.જી. વણઝારા. એન.વી. ચૌહાણ અને અમિત શાહ સહિત આ પ્રકરણના કેટલાય આરોપીઓ સાથે સાબરમતી જેલમાં રખાયેલા પોલીસ અધિકારી ડો. નરેન્દ્ર અમિને તાજનો સાક્ષી બની પોતાનીપાસેની તમામ વિગતો સીબીઆઇને આપવાની જાહેરાત કરી છે.જેના પગલે તે સોહરાબુદ્દીન પ્રકરણના અન્ય આરોપીઓમાં અપ્રિય થઇ ગયા છે. અને પોતાના આ પગલાંથી જેલમાંના આ કેસના આરોપીઓ તેમના પર હુમલો કરે તેવી દહેશત વ્યક્ત કરતાં ડો.અમિને સીબીઆઇ સ્પેશિયલ કોર્ટમાં પોતાની જેલ બદલવા અરજી કરી છે.ડો.અમિનની આ અરજીની સુનવણી આજે બપોર પછી કરવામાં આવશે ત્યારે જાણી શકાશે કે હવે ડો. અમિનનું નવું સરનામું કઇ જેલ હશે?
અમે એક જ છીએ કહેનારા અમીન જ સૌથી પહેલા છુટા પડ્યા
ભલે અમારામાં કોઇ મુદ્દે વિખવાદ હોય પરંતુ સોહરાબુદ્દીન એન્કાઉન્ટરના મુદ્દે તો અમે એકજ છીએ અને એકજ રહેવાના છીએ તેવું કહેનારા પોલીસ અધિકારી ડો. નરેન્દ્ર અમીને જ તાજના સાક્ષી બનવાની અરજી કરી સૌથી પહેલા છુટા તમામથી છુટા પડવાની જાહેરાત કરી દીધી છેસોહરાબુદ્દીન એન્કાઉન્ટર અને કૌસરબી હત્યા પ્રકરમમાં ગુજરાત પોલીસ તથા સીઆઇડી દ્વારા ધરપકડ કરાયેલા ઘણા પોલીસ અધિકારીઓ અને કર્મચારોને જુદી જુદી જેલોમાં રાખાવામાં આવ્યા છે.જેલવાસ દરમિયાન પોલીસ અધિકારીઓ ડી.જી.વણઝારા અને ડો. નરેન્દ્ર અમીન વચ્ચે થયેલી તકરાર મારામારી સુધી પહોંચી ગઇ હતી.આ પ્રકરણ બાદ જ્યારે ડો.નરેન્દ્ર અમીનને કોર્ટમાં લાવવવામાં આવ્યા હતા ત્યારે તેમણે કોર્ટ બહાર એવું નિવેદન આપ્યું હતું કે ભલે અમારા વચ્ચે કોઇ મુદ્દે તકરાર થઇ હોય તેવું તમે જાણ્યું હોય પરંતુ એન્કાઉન્ટરના મુદ્દે તો અમે એકજ છીએ અને એકજ રહેવાના છીએ.પરંતુ એન્કાઉન્ટરના મુદ્દે અમે એકજ છીએ તેવું કહેવાવાળાજ ડો. નરેન્દ્ર અમીનજ સૌથી પહેલા છુટા પડી રહ્યા છે. તેમણે જ તાજના સાક્ષી બની પોતાની પાસેની વિગતો તથા પુરાવાઓ સીબીઆઇને સોપવાની જાહેરાત કરી છે.
આર. બી. આઇ. એ વ્યાજદરમાં વધારો કર્યો
મોંઘવારીને કાબૂમાં લેવા માટે અને દેશના અર્થતંત્રના વિકાસને જાળવી રાખવા માટે આજે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકગાળામાં ક્રેડિટ પોલિસી જાહેર કરતાં મુખ્ય વ્યાજદરોમાં વધારો કરી દીધો છે.આરબીઆઇએ ધારણા પ્રમાણે જ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો, રિવર્સ રેપોરેટમાં 0.50 ટકાનો વધારો કરી દીધો છે. જ્યારે કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર)માં કોઇ વધારો કરવામાં ન આવતા 6 ટકાના દર પર સ્થિર રહેશે. આ નવા વ્યાજ દર લાગૂ થતાં રેપો રેટ 5.75 ટકા અને રિવર્સ રેપો રેટ 4.50 ટકા થઇ જશે.આરબીઆઇ વ્યાજદરોમાં વધારો કરતાં હવે હોમ, કાર સહિતની તમામ પ્રકારની લોનો મોંઘી થઇ જશે તેવું નિષ્ણાતોનું કહેવું છે.આરબીઆઇએ ચાલુ નાણાંકીય વર્ષ 2010-11માં દેશનો આર્થિક વિકાસ દર 8.5 ટકા અન ફુગાવાનો દર ક્રમશ: ઘટતા 6 ટકા થઇને વર્ષના અંતમાં 5.5 ટકા રહેશે તેવી ધારણા વ્યક્ત કરી છે.
શાહ સામે સીબીઆઇનો દુરૂપયોગ : સોરેન
ઝારંખડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સીબુ સોરેને આક્ષેપ મુક્યો છેકે, યુપીએ સરકાર દ્વારા સીબીઆઇનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે તથા ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન અમિત શાહને ફસાવવામાં આવી રહ્યાં છે.સીબુ સોરેને આક્ષેપ મુક્યો હતોકે, અમિત શાહ વિરૂદ્ધની સીબીઆઇ કામગીરી રાજકીય હેતુથી પ્રેરિત હોય તેવું જણાય છે. તથા પક્ષની જરૂર પ્રમાણે કોંગ્રેસ દ્વારા સીબીઆઇનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.ઉલ્લેખનીય છેકે, ભાજપના સમર્થનથી સીબુ સોરેન ઝારખંડના મુખ્યપ્રધાન બન્યા હતા. પરંતુ, બજેટ સત્ર દરમિયાન યુપીએ સરકાર વિરૂદ્ધના કાપ પ્રસ્તાવ દરમિયાન તેમણે યુપીએ સરકારના સમર્થનમાં મતદાન કર્યુ હતું. આથી ભાજપે તેમને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો. જેના પગલે ઝારખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની ફરજ પડી હતી.
જેલમાં વણઝારાએ અમીનને જોઈ લેવાની ધમકી આપી
સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટરમાં અમિત શાહ જેલમાં જતાની સાથે જ જેલમાં રહેલા અધિકારીઓ વચ્ચે તનાવનું વાતાવરણ ઊભું થયું છે. એન.કે. અમીન તાજના સાક્ષી બનવા જઈ રહ્યા હોવાથી વણઝારા અને અમીન વચ્ચે જેલમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેના પગલે વણઝારાએ અમીનને જોઈ લેવાની ધમકી આપી હતી. અમીને રાજકોટ કે વડોદરા જેલમાં ખસેડવા માટે અરજી આપી દીધી છે. પૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહ જેલમાં આવતાની સાથે જ એન.કે. અમીને તાજના સાક્ષી બનવા માટે કોર્ટમાં અરજી આપી દીધી છે. તેમના વકીલ આજે સીબીઆઇના અધિકારીઓને મળ્યા હતા.તેમના અસીલ એન.કે. અમીન તાજના સાક્ષી બનાવા માટે કોર્ટમાં અરજી કરી હોવાની માહિતીથી વાકેફ કર્યા હતા. બીજી બાજુ જેલમાં રહેલા ડી.જી. વણઝારાને અમીન તાજના સાક્ષી બની રહ્યા હોવાની જાણ થતાં વણઝારા અને અમીન વચ્ચે જેલની અંદર ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું જાણવા મળ્યું છે.
‘મુસાફરોની સેવા’માં મુંબઈ વિમાનમથક ચોથું
વાર્ષિક દોઢ કરોડથી વધુ પ્રવાસીઓની હેરફેર કરતાં ભારતીય વિમાનમથકોમાં મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય વિમાનમથકને શ્રેષ્ઠ વિમાનમથક તરીકે એરપોર્ટ સર્વિસ કવોલિટી નામના સર્વેક્ષણે સ્થાન આપ્યું છે. આ સર્વેક્ષણ એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલે વર્ષ ૨૦૧૦ના બીજા ત્રિમાસિક ગાળામાં હાથ ધર્યું હતું. સર્વેક્ષણે દોઢ કરોડથી અઢી કરોડ મુસાફરોની હેરફેર કરતાં વિશ્વનાં વિમાનમથકોમાં શ્રેષ્ઠતાની દ્રષ્ટિએ મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય વિમાનમથકનેચોથો ક્રમ આપ્યો છે.વર્ષ ૨૦૧૦ના બીજા ત્રિમાસિક ગાળા માટે મુંબઈ વિમાનમથક સેવા સંતોષની બાબતમાં ૪.૩૪નો પ્રશંસનીય આંક પણ આ સર્વેક્ષણમાં પ્રાપ્ત કર્યો છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં આ વિમાનમથકે સેવા સંતોષમાં ૪.૨૦નો આંક મેળવ્યો હતો અને વર્ષ ૨૦૦૯ના બીજા ત્રિમાસિક ગાળામાં ૩.૮૩નો સેવા સંતોષ આંક પ્રાપ્ત કર્યો હતો.એરપોર્ટસ કાઉન્સલ ઈન્ટરનેશનલ, વિમાન મથકોની સેવાઓની ગુણવત્તા (એરપોર્ટ સર્વિસ કવોલિટી)નાં સર્વેક્ષણો હાથ ધરવામાં સક્રિય એવી સ્વાયત્ત અને સ્વતંત્ર સંસ્થા છે. તેમાં પ્રવાસીઓના વિમાન મુસાફરી અંગેના તાજા પ્રતિસાદની અભિવ્યક્તિઓને આધારે મૂલ્યાંકન કરાય છે. આ સર્વેક્ષણો માસિક ધોરણે કરવામાં આવે છે અને તેનાં પરિણામો ત્રિમાસિક ધોરણે બહાર પાડવામાં આવે છે. આ વૈશ્વિક કાર્યક્રમ છે. તેમાં હાલ ૧૪૬ વિમાન મથકો સહભાગી છે.s
ભેટ આપીને દર્શાવીએ પ્રેમની લાગણી
ભેટ સોગાદ લેતીદેતીની કોઈ પરંપરા નથી. લગભગ દરેક ધર્મમાં દરેક સમાજમાં એક બીજાને ભેટ સોગાદ આપવામાં આવે છે. ભેટ સોગાદનો સીધો અર્થ થાય છે પોતાની સદભાવનાઓને કોઈ પ્રિય વ્યક્તિ સમક્ષ વ્યક્ત કરવી. આ જીવન પણ પ્રકૃતિ દ્વારા આપવામાં આવેલી એક ભેટ છે. દરેક ધર્મમાં ભેટ આપવાની એક પરંપરા છે. હિન્દુ લોકો દિવાળીના સમયે એકબીજાને ઉપહાર આપે છે. ખ્રિસ્તી લોકોમાં સાંતાક્લોઝ એક મોટો ઉપહાર છે. એના માધ્યમ થકી તેઓ ખાસ કરીને બાળકોને સદભાવનો સંદેશ આપે છે.
બ્રિટનમાં સ્થાયી થવા માટે અંગ્રેજીની પરીક્ષા ફરજીયાત
બ્રિટને પોતાના દેશમાં સ્થાયી થવા માગતા નોન-યૂરોપિયન દેશના લોકો માટે અંગ્રેજીની પરીક્ષા ફરજીયાત કરી છે. બ્રિટનની વર્તમાન સરકારે 29 નવેમ્બરથી નોન-યૂરિપોયન સિવાયના દેશમાંથી અહીં આવીને સ્થાયી થવા માગતા લોકો તેમજ બ્રિટનમાં લગ્ન કરવા કરવા માગતા લોકો માટે આ પરીક્ષા ફરજીયાત કરી છે. ધ યુકે બોર્ડર એજન્સીએ(યુકેબીએ) મંગળવારે જણાવ્યું હતું કે જે લોકો અહીં આવીને કાયમી વસવાટ કરવા માગે છે અથવા બ્રિટિશ નાગરિક સાથે લગ્ન કરવા માગે છે તેમણે હવેથી એવું સાબિત કરવું પડશે કે તેઓ અંગ્રેજી બોલી શકે છે તેમજ તેમને અંગ્રેજીની સમજ છે.આ માટે માઈગ્રન્ટોએ એજન્સી દ્વારા નક્કી કરવામાં આવેલી પરીક્ષામાં ઉતીર્ણ થવું પડશે. એટલે કે અરજીકર્તાએ એવન લેવલની પરીક્ષામાં પાસ થવું પડશે. યુકેબીએના જણાવ્યા પ્રમાણે બ્રિટનમાં કોઈ પણ જગ્યાએ રહેવાની અરજી કરતા લોકો માટે આ ટેસ્ટ ફરજીયાત છે.નોંધનીય છે કે બ્રિટનની સરકારે ગયા મહિને પોતાના દેશમાં બે વર્ષ સુધી અસ્થાયી સ્વરૂપે રહ્યા બાદ કાયમી વસવાટ માટે અરજી કરતા લોકો માટે‘નોલેજ ઓફ લેંગ્વેજ એન્ડ લાઈફ ઈન ધ યુકે’ ટેસ્ટ ફરજીયાત કરી હતી.
અમે એક જ છીએ કહેનારા અમીન જ સૌથી પહેલા છુટા પડ્યા
ભલે અમારામાં કોઇ મુદ્દે વિખવાદ હોય પરંતુ સોહરાબુદ્દીન એન્કાઉન્ટરના મુદ્દે તો અમે એકજ છીએ અને એકજ રહેવાના છીએ તેવું કહેનારા પોલીસ અધિકારી ડો. નરેન્દ્ર અમીને જ તાજના સાક્ષી બનવાની અરજી કરી સૌથી પહેલા છુટા તમામથી છુટા પડવાની જાહેરાત કરી દીધી છે.સોહરાબુદ્દીન એન્કાઉન્ટર અને કૌસરબી હત્યા પ્રકરમમાં ગુજરાત પોલીસ તથા સીઆઇડી દ્વારા ધરપકડ કરાયેલા ઘણા પોલીસ અધિકારીઓ અને કર્મચારોને જુદી જુદી જેલોમાં રાખાવામાં આવ્યા છે.જેલવાસ દરમિયાન પોલીસ અધિકારીઓ ડી.જી.વણઝારા અને ડો. નરેન્દ્ર અમીન વચ્ચે થયેલી તકરાર મારામારી સુધી પહોંચી ગઇ હતી.આ પ્રકરણ બાદ જ્યારે ડો.નરેન્દ્ર અમીનને કોર્ટમાં લાવવવામાં આવ્યા હતા ત્યારે તેમણે કોર્ટ બહાર એવું નિવેદન આપ્યું હતું કે ભલે અમારા વચ્ચે કોઇ મુદ્દે તકરાર થઇ હોય તેવું તમે જાણ્યું હોય પરંતુ એન્કાઉન્ટરના મુદ્દે તો અમે એકજ છીએ અને એકજ રહેવાના છીએ.
વરસતા વરસાદમાં ભાજપની મૌન રેલી
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં રાજ્યના ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની સીબીઆઇએ કરેલી સંડોવણીના વિરોધમાં શહેર ભાજપે આજે વરસતા વરસાદમાં મૌન રેલી કાઢી હતી. રેલીમાં, જિલ્લા ભાજપના આગેવાનો જોડાયા હતા.રાજ્યના માજી ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની સંડોવણી માટે સીબીઆઇ અને કોંગ્રેસનું ષડયંત્ર હોવાનો પ્રહાર કરીને ભાજપે જરૂર પડે શેરીઓમાં આંદોલન લઇ જવાનું આહ્વાન આપ્યું છે. અમિત શાહ નિર્દોષ છે અને કોંગ્રેસ કા હાથ સોહરાબુદ્દીન કે સાથના લખાણોવાળા બેનરો, પ્લે કાર્ડ સાથે શહેર ભાજપના હોદ્દેદારો, કાર્યકરો વાડી મહાદેવ તળાવ પાસે એકઠા થયા હતા. વાડી મહાદેવ મંદિરેથી વરસાદમાં મૌન રેલીનો પ્રારંભ થયો હતો. કેસરિયા ખેસ અને મોં પર કાળી પટ્ટી ધારણ કરીને નીકળેલી રેલીની આગેવાની શહેર ભાજપના અધ્યક્ષ ભરત ડાંગરે લીધી હતી. આ રેલીમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કૌશિક પટેલ, સુષ્મા અગ્રવાલ, ધારાસભ્ય ભુપેન્દ્ર લાખાવાલા, ઉપેદ્રસિંહ ગોહિલ, અભેસિંહ તડવી, વુડાના ચેરમેન એન વી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ બાળકૃષ્ણ ઢોલાર, માજી જિલ્લા પ્રમુખ સતીષ પટેલ, માજી ધારાસભ્ય દિલુભા ચુડાસમા, મધ્ય ગુજરાત મીડિયા ઇન્ચાર્જ શબ્દશરણ બ્રહ્નભટ્ટ, શિક્ષણ સમિતિના અધ્યક્ષ મેહુલ ઝવેરી, ઉપાધ્યક્ષ રંજન ભટ્ટ, ડે. મેયર પુનમ પંચાલ,કાઉન્સિલરો, સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકરો જોડાયા હતા. આનંદપુરા સ્થિત લોકમાન્ય તિલકની પ્રતિમા પાસે રેલીની પૂણૉહુતિ થઇ હતી.રેલીના રૂટ પર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. શહેર ભાજપના મહામંત્રી સદાનંદ દેસાઇ, પ્રવીણ પટેલ અને જશવંતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરમાં આજ સુધી કોઇરાજકીય પાર્ટી દ્વારા યોજાઈ ન હોય તેવી મૌન રેલી યોજાઈ હતી. જેમાં, પાંચ હજારથી વધુ કાર્યકર્તા જોડાયા હતા.
ટફનો લાભ લેવામાં લઘુઉદ્યોગકારો પાછળ
વર્ષ ૧૯૯૯માં કેન્દ્ર સરકાર દ્વારા દેશના ટેક્સટાઇલ ઉદ્યોગના આધુનિકીકરણ માટે શરૂ કરવામાં આવેલી ટેક્સટાઇલ અપગ્રેડેશન ફંડ યોજનાનો સુરત સહિત સમગ્ર દેશમાં મહત્તમ લાભ વિરાટકાય ઉદ્યોગગૃહોએ લીધો છે, જ્યારે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી (એસએસઆઇ)ના ઉદ્યોગ સાહસિકો આ બાબતમાં હજુ પાપા પગલી ભરતા હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. ટફ હેઠળ વિરાટકાય ઉદ્યોગગૃહોએ કુલ રૂપિયા ૩૩,૧૮૪.૬૦ કરોડની સહાય મેળવી છે જ્યારે લઘુ ઉદ્યોગોના મુખ્ય સેગમેન્ટોના હિસ્સામાં રૂપિયા ૩૧૦૧.૧૪ કરોડ આવ્યા છે.લઘુઉદ્યોગકારો વિશ્વની સ્પર્ધામાં ટકી રહેવા સાથે આધુનિકીકરણના માર્ગે વાળવા માટે કેન્દ્રીય વસ્ત્ર મંત્રાલયે શરૂ કરેલી ટફ યોજનાને હાલમાં કેન્દ્ર સરકારે થોડા સમય માટે સ્થગિત કરી છે. સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે સુરતમાં સૌથી વધારે એસએસઆઇ યુનિટો આવેલાં છે અને ટફ યોજનાનો મૂળભૂત હેતુ પણ એસએસઆઇના આધુનિકીકરણનો છે ત્યારે એમ્બ્રોઇડરી અને વીવિંગ યુનિટોને બાદ કરતાં મોટા ગજાનાં ઉદ્યોગગૃહોએ ટફનો મહત્તમ લાભ લીધો છે.ટફ યોજનાને જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા નવા સ્વરૂપે રજુ કરવાની ક્વાયત હાથ ધરવામાં આવી છે ત્યારે આ યોજનાનો લાભ એસએસઆઇ સંચાલકોને મળે તેવું આયોજન પણ કરવાની આવશ્યકતા છે. હાલના તબક્કે સુરતના ઉદ્યોગકારોને વિકાસ અને આધુનિકીકરણ માટે મોટા પ્રમાણમાં ટફની સહાયની જરૂર છે અને જો આ પ્રકારના ફેરફાર થાય તો તેનો સૌથી વધારે લાભ સુરતના ઉદ્યોગ સાહસિકોને મળે તેમ છે.
નક્સલવાદીનો કબજો કામરેજ પોલીસને સોંપવા આદેશ
દક્ષિણ ગુજરાતના ડાંગ-આહવા અને સોનગઢ સહિતના વિસ્તારોમાં નક્સલવાદ ફેલાવવાનો આરોપ જેમના પર છે એવા બે આરોપી હાલમાં નાગપુર જેલમાં છે. આ બન્ને નક્સલીઓની પુછપરછ કરવા માટે પોલીસે તેમનો ટ્રાન્સફર વોરન્ટથી કબજો માંગ્યો હતો. મુંબઇ કોર્ટ દ્વારા બન્ને નક્સલીઓને કામરેજ પોલીસને સોંપવા માટે આદેશ કરાયો છે.ડાંગ-આહવા અને સોનગઢ સહિતના વિસ્તારમાં નક્સલવાદ ફેલાવવાના આરોપસર જિલ્લા પોલીસ દ્વારા કેટલાક આરોપીઓને ઝડપી લઇ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. આ નક્સલીઓની તપાસમાં મુંબઇના અંધેરી વિસ્તારમાં રહેતો વસંત ઉર્ફે વિક્રમ ઉર્ફે પ્રદીપ ગોન્સાલવીસ અને ચેમ્બુરમાં રહેતો શ્રીધર ઉર્ફે વિષ્ણુ ઉર્ફે વિજય શ્રીનિવાસન પણ તેમની સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું હતું.વસંત અને વિજયને મુંબઇ એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમને નાગપુર જેલના હવાલે કરવામાં આવ્યા હતા. હાલમાં નાગપુરની જેલમાં રહેલા વસંત અને શ્રીધરનો ટ્રાન્સફર વોરન્ટથી કબજો મેળવવા માટે કામરેજ પોલીસ દ્વારા મુંબઇ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.મુંબઇ કોર્ટ દ્વારા હાલમાં નાગપુર જેલમાં રહેલા નક્સલવાદી વસંત અને શ્રીધરનો કબજો સોંપવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ બન્નેને ટુંક સમયમાં પુછપરછ માટે લાવવામાં આવશે.જિલ્લા પોલીસની ખાસ ટીમના હાથે નક્સલવાદ ફેલાવવાના આરોપસર ઝડપાયેલા પાંચ આરોપી દ્વારા જામીન મુક્ત થવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અંગે મંગળવારના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. વિગતો અનુસાર નક્સલવાદ ફેલાવવાના આરોપ હેઠળ જિલ્લા પોલીસની ખાસ ટીમ દ્વારા સામખીયા નારાયણસિંહ ચૌહાણ (રહે, ભાવનગર), જયરામ ગૌસ્વામી (રહે, સોનગઢ), ભરત પવાર (રહે, સોનગઢ), માકા ચૌધરી (રહે, માંડવી) અને વિનાયક ઉર્ફે અવિનાશ કુલકર્ણી (રહે, આહવા-ડાંગ)ને ઝડપી પાડી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
પૂણા-કુંભારિયા રોડ પર સીઆરવી કારમાં આગ, આઠેક લાખનું નુકસાન
સોમવારે સાંજે માર્કેટ વિસ્તારમાંથી ઘર તરફ જઈ રહેલા એક કાપડ દલાલની સીઆરવી કારમાં આગ લાગતાં કાપડદલાલનો ચમત્કારિક બચાવ થયો હતો. આ બનાવ અંગે કાપડ દલાલે પૂણા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ કરી કારમાં આઠેક લાખનું નુકસાન થયું હોવાની માહિતી આપી હતી.રિંગ રોડ પર માર્કેટ વિસ્તારમાં કાપડની દલાલી કરતા વસંતભાઈ કવરલાલ રાઠી સોમવારે સાંજે માર્કેટ વિસ્તારમાંથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર એકાએક બંધ પડી ગઈ હતી અને એકાએક કારના બોનેટમાંથી ધુમાડો નીકળવાની શરૂઆત થતાં તેઓ કારની બહાર નીકળી ગયા હતા. કારનો આગળનો ભાગ સળગી ગયો હતો. સ્થાનિક લોકોએ કાર પર પાણી નાખ્યું હતું. પરંતુ આગને કારણે કારમાં લગભગ આઠેક લાખનું નુકસાન થયું હતું.
હવે કચ્છમાં પોલીસનું મહત્વનું હેડક્વાર્ટર ગાંધીધામ બની જશે?
પૂર્વ કચ્છના નવા એસપી હાજર થઇ જતાં ટૂંક જ સમયમાં ગાંધીધામ ખાતે ૨૦૦થી ૩૦૦ જવાનોની ફાળવણી.પૂર્વ કચ્છના અલગ એસપીની જાહેરાત થયા પછી ખાલી પડેલી આ જગ્યા પર આખરે ચિરાગ કોરડિયાની નિમણુંક થતાં વિધિવત રીતે પોલીસ મથકે હવે પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ એવા બે ભાગ પડી ગયા છે. પૂર્વ કચ્છ પોલીસ માટે પહેલેથી જ મહત્વ હોવાથી હવે પશ્ચિમ કચ્છના પણ અનેક અધિકારીઓ પોતાની બદલીઓ કરાવી પૂર્વ કચ્છમાં જવા માટે તલપાપડ કરી રહ્યા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છના એસપી તરીકે ચિરાગ કોરડિયા ગાંધીધામ ખાતે હાજર થઇ જતાં હવેથી વિધિવત રીતે પોલીસ ચોપડે પૂર્વ કચ્છ અલગ ભાગ થઇ ગયો છે. પૂર્વ કચ્છ પોલીસ માટે પહેલેથી જ મહત્વપૂર્ણ અને અનેક બાબતે ‘ખાસ’ રહ્યો છે.કચ્છ પોલીસના નીચેથી લઇને ઉપલા અધિકારીઓ આ વિસ્તારથી આશા રાખતા હોય છે. ત્યારે હવે પૂર્વ કચ્છ અલગ થઇ જતાં પશ્ચિમ કચ્છના અનેક અધિકારીઓ પૂર્વ કચ્છ આવવા માટે તલપાપડ છે. નોંધનીય છે કે, પૂર્વ કચ્છ આર્થિક રીતે સમૃદ્ધ વિસ્તાર છે.ઉદ્યોગગૃહની સાથે આ વિસ્તારમાં ગુનાહીત પ્રવૃતિઓનું પ્રમાણ પણ પશ્ચિમ કચ્છ કરતાં ગણું વધારે છે. ત્યારે પોલીસ સૂત્રોએ પૂર્વ કચ્છનું વિભાજન થતાં હવે કચ્છનું ખરેખર કહેવાતું હેડક્વાર્ટર ગાંધીધામ થઇ જશે તેવી વાત કહી હતી. તો બીજી બાજુ સૂત્રોએ એમ પણ ઉમેર્યું હતું કે, એસપી કચેરી શરૂ થતાની સાથે જ ભુજથી તથા રાજ્યથી ૨૦૦થી ૩૦૦ પોલીસ જવાનો ગાંધીધામ ખાતે આવી પહોંચશે.
ઉત્તર ગુજરાતમાં સરેરાશ ૫૧ ટકા વરસાદ
૪૫ તાલુકા પૈકી ૨૧ તાલુકામાં ૫૦ ટકા કરતાં વધુ વરસાદ : સરેરાશ ૬૯૦ મિ.મીની સાપેક્ષમાં ૩૫૪ મિ.મી વરસાદ નોંધાયો : સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લામાં ૬૩.૧૭ ટકા : અન્ય જિલ્લાઓની તુલનાએ સાબરકાંઠા કોરો : માત્ર ૩૭.૯૬ ટકા પાણી પડ્યુંસમગ્ર ઉત્તર ગુજરાતને ઘમરોળી નાંખનાર છેલ્લા બે દિવસમાં થયેલા ભારે વરસાદને પગલે ઉત્તર ગુજરાતમાં ચોમાસાનું ઘણુંખરૂ પાણી વરસી ચુક્યૂ છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ ૫૧ ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતના ૪૫ તાલુકાઓ પૈકી ૨૧ તાલુકાઓમાં ૫૦ ટકા કરતાં વધુ પાણી પડ્યું છે તો અન્ય ૨૪ તાલુકાઓમાં સિઝનનો અડધો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠામાં ૬૩.૧૭ ટકા જ્યારે સૌથી ઓછો સાબરકાંઠામાં ૩૭.૯૬ ટકા થયો છે.જુલાઇની ૧૫મી તારીખ સુધી ઉત્તર ગુજરાતમાં એક માત્ર ગાંધીનગરને બાદ કરતાં તમામ જિલ્લાઓમાં ૨૦ ટકા કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો હતો. જોકે છેલ્લા કેટલાક દિવસથી થઇ રહેલા ભારે વરસાદને પગલે ઉત્તર ગુજરાતમાં પાણી પાણી થઇ રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં ૨૬મી જુલાઇ સવારે સાત વાગ્યા સુધીમાં સરેરાશ ૫૧ ટકા જેટલો વરસાદ પડી ચુકયો છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠામાં ૬૩.૧૭ ટકા થયો છે તો સાબરકાંઠા પ્રમાણમાં સુકો રહ્યો છે જ્યાં માત્ર ૩૭.૯૬ ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ગાંધીનગરમાં ૫૫.૩૮ ટકા, મહેસાણામાં ૪૮.૬૨ તથા પાટણમાં ૫૬.૨૪ ટકા વરસાદ થયો છે.
આણંદ : વાલ પડતાં માતા - બે પુત્રો ઘાયલ
ઉમરેઠના ધુળેટા ગામમાં શનિવારે મધરાતે મકાનની દિવાલ ધરાશયી થતાં બે બાળકો સહિત ત્રણને ઇજાથઈ હતી.ધુળેટા ગામમાં રહેતા મજીદમીંયા મલેકની પત્ની ૩૫ વર્ષના રફુગરાબીબી મજીદમીંયા મલેક અને તેમના બે બાળકો ૧૫ વર્ષનો બસ્ત્રીમીંયા અને ૧૨ વર્ષનો બરક્તમીંયા શનિવારની રાત્રે જમી પરવારી ઘરમાં સુઈ ગયા હતા. દરમિયાન રાત્રીના બાર વાગ્યાના સુમારે મકાનની એક બાજુની દિવાલ તુટી તેમની ઉપર પડી હતી. આ ઘટનામાં માતા સહિત બે બાળકોને ઇજાઓ થતાં તેઓને સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.
આણંદ જિલ્લામાં વસતી ગણતરીકારોને રોકડીનો યોગ
આણંદ જિલ્લામાં વસતી ગણતરીના કામકામજનો પ્રથમ તબક્કો પૂર્ણતાના આરે પહોંચ્યો છે. જે સંદર્ભે કેન્દ્ર સરકારે અગાઉ જાહેર કર્યા મુજબ વસતી ગણતરીના કામકાજમાં જોડાયેલા કર્મચારીઓનું વેતન જાહેર કરાયું છે. જે સંદર્ભે આણંદના ૪૫૨૨ જેટલા કર્મચારીને રૂ.૨૯૫૦નું આપવામાં ઠરાવવામાં આવ્યું છે.સુત્રોના જણાવ્યાનુસાર, આણંદ જિલ્લામાં એપ્રિલ માસમાં દેશભરની સાથે વસતી ગણતરીનું કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં ૩૭૯૮ ગણતરીદાર, ૬૪૩ સુપરવાઈઝર અને ૮૧ જેટલા માસ્ટર ટ્રેનરને નિમણૂંક આપવામાં આવી હતી. આ ગણતરીનો પ્રથમ તબક્કો પૂર્ણ જાહેર થવામાં છે. જે સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા તમામ કર્મચારીને સદર કામગીરી પેટે રૂ.૨૨૦૦ વેતન તથા રૂ.૭૫૦ તાલીમ મળી કુલ રૂ.૨૯૫૦નું ચૂકવણી જાહેર કરવામાં આવ્યું છે.આણંદ જિલ્લામાં વસતી ગણતરીના પ્રથમ તબક્કામાં કોઈ મકાન કે પરિવાર ગણતરીમાં ન આવ્યું હોય કે ગણતરીદારે તેમની મુલાકાત ન લીધી હોય તેની ફરિયાદ માટે ગાંધીનગર ખાતે ખાસ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી હતી. જેમાં આણંદ જિલ્લા સંદર્ભે ૧૦૦ ઉપરાંત ફરિયાદ થઈ હતી.
સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘમહેર વચ્ચે કપાસનું વાવેતર મોખરે
જુલાઇ મહિનાના અંતે સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘવર્ષા થવાથી અગાઉ આગોતરો પાક નિષ્ફળ જવાની ઊભી થયેલ દહેશત ટળી છે. જ્યાં, વાવણી બાકી હતી ત્યાં પણ મોડે મોડે મેઘરાજાએ રીઝીને વાવેતરને વેગ આપ્યો છે. એમાંય છેલ્લા સપ્તાહમાં સૌરાષ્ટ્રની દરિયાઇ પટ્ટી અને અંદરના વિસ્તારોને અનરાધાર વરસાદમાં તરબોળ કર્યા છે. જોકે, ખેડૂતો પાકની ખેડ વખેડ કરવા માટે લાંબો વરાપ માગે છે.સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ ૪૧.૫૦ લાખ હેકટરના ખરીફ વાવેતરની સામે ૨૬ જુલાઇ સુધીમાં કુલ ૩૯.૪૨ લાખ હેકટર એટલે કે, ૯૫ ટકા વાવેતર સંપન્ન થયું છે. અત્યાર સુધીના સારા વરસાદને કારણે રાજ્યના ચાર ઝોનમાં સૌથી વધુ ખરીફ વાવેતર સૌરાષ્ટ્રમાં થયું છે.રાજ્યના કૃષિ વિભાગની રાજકોટ અને જૂનાગઢ સ્થિત સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) ની કચેરીના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છમાં કપાસ અને મગફળીનું વાવેતર આગળ પડતું છે. કપાસનું વાવેતર ૧૬.૩૫ લાખ હેકટરમાં અને મગફળીનું વાવેતર ૧૫.૪૨ લાખ હેકટર વિસ્તારમાં થયું છે.
અનરાધાર વરસાદથી જોડિયા પંથક જળબંબોળ
હાલારના અન્ય વિસ્તારોમાં પણ અષાઢી મેઘ : ખંભાળિયા ત્રણ, દ્વારકા બે ઇંચ. જામનગર જિલ્લાનાં જોડિયા પંથકમાં આજે અનરાધાર આઠ ઇંચ વરસાદથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જળબંબોળ બની ગયા હતાં. જોડિયા નગરમાં પણ ગોઠણડૂબ પાણી ભરાયા હતાં. એક દિવસના વિરામ બાદ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ નવેસરથી મેઘવ્રુષ્ટિ થઇ હતી. જેમાં ખંભાળિયામાં ત્રણ, દ્વારકામાં બે તથા લાલપુર, ધ્રોલ અને કલ્યાણપુરમાં એક-એક ઇંચ પાણી પડ્યું હતું.જિલ્લાનાં કાંઠાળ એવા જોડિયામાં આજે સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે જોડિયા ટાઉન ઉપરાંત આસપાસનાં ગામડાઓ જળબંબોળ બની ગયા હતા. જોડિયામાં સવારે ૬ કલાકમાં જ છ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. ત્યારબાદ પણ દિવસભર ધીમી ધારે વરસાદ ચાલુ રહેતા સાંજ સુધીમાં આઠ ઇંચ જેટલું પાણી વરસી ગયું હતું. જોડિયા નજીક હડિયાણામાં પણ વહેલી સવારથી અવિરત મેઘમહેરને પગલે મોડી સાંજ સુધીમાં છ ઇંચથી વધુ વરસાદ પડ્યાના વાવડ મળે છે.તાલુકામાં દિવસભર થયેલા વરસાદને કારણે નાના-મોટા તળાવો અને ચેકડેમો છલકાઇ જતાં ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી છે. મોડીસાંજે અહીં ફરીથી વરસાદ શરૂ થયો હોવાના અહેવાલો સાંપડ્યા છે. જોડિયા ઉપરાંત ખંભાળિયામાં પણ આખો દિવસ વરસાદ વરસ્યો હતો. જેને કારણે સાંજ સુધીમાં ત્રણ ઇંચ પાણી વરસી ગયું હતું. સ્ત્રાવ ક્ષેત્રોમાં થયેલાં વરસાદને કારણે ખંભાળિયાને પાણી પુરૂ પાડતા ઘી ડેમમાં વધુ બે ફુટ પાણી ઠલવાતા ડેમની કુલ સપાટી ૧૩ ફુટે પહોંચી છે. જે આખુ વર્ષ ચાલે તેટલો જથ્થો હોય શહેરીજનોમાં આનંદની લાગણી વ્યાપી છે.
શાહ જેલમાં: ‘ટ્રિગર હેપ્પી’ પોલીસ અધિકારીઓમાં ફફડાટ
સોહરાબુદ્દીનકાંડમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ જેવી વગદાર વ્યક્તિ જેલમાં ધકેલાતાં રાજ્યના ‘ટ્રિગર હેપ્પી’ પોલીસ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. બીજી બાજુ કાયદો હાથમાં ન લેવો જોઈએ તેવું માનનારા અધિકારીઓના એક વર્ગમાં કુદરતી ન્યાયની પ્રક્રિયા કોઈને છોડતી ન હોવાનો મત પ્રવર્તી રહ્યો છે. પોલીસમાં પડેલા આ બે ફાંટામાં માત્ર વિચારધારાનો તફાવત નથી. વાસ્તવિકતા એ છે કે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટોને બચાવવા મથી રહેલી લોબીએ સીબીઆઇની તપાસ બાદ મૌન સેવી લીધું છે, જ્યારે સામેની લોબી સીબીઆઇને ગુપ્ત રીતે મદદ કરી રહી છે.ગુજરાત પોલીસનો એક વર્ગ સીબીઆઇને ગુપ્ત રીતે મદદ કરી રહ્યો છે.ગુજરાત પોલીસમાં પડેલા આ બે ફાંટા વચ્ચે એવા ગંભીર મતભેદ છે કે તેમાંથી કેટલાક તો સીબીઆઇને ગુપ્ત રીતે મદદ પણ કરી રહ્યા છે.સોહરાબુદ્દીન કેસને લાગતી મહત્વની કડીઓથી માંડીને અગાઉની તપાસમાં સીઆઇડી ક્રાઇમે ક્યાં અને કેવી રીતે અમિત શાહને બચાવવાનો પ્રયાસ કર્યો હતો તેની હકીકત સીબીઆઇને આપી રહ્યા છે. જેના આધારે સીબીઆઇ સોહરાબુદ્દીનકાંડમાં એક પછી એક હકીકતો પરથી પરદો ઊંચકવાનો દાવો કરી રહી છે.
ડો. અમિનનું નવું સરનામું કઇ જેલ હશે?
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સાબરમતી જેલમાં રખાયેલા ડો. નરેન્દ્ર અમિનનું નવું સરનામું હવે કઇ જેલ હશે? તે અંગે રાજ્યભરમાં અને ખાસ કરીને પોલીસ બેડામાં ચર્ચાઓ થઇ રહી છે.સોહરાબુદ્દીન પ્રકરણમાં ડી.જી. વણઝારા. એન.વી. ચૌહાણ અને અમિત શાહ સહિત આ પ્રકરણના કેટલાય આરોપીઓ સાથે સાબરમતી જેલમાં રખાયેલા પોલીસ અધિકારી ડો. નરેન્દ્ર અમિને તાજનો સાક્ષી બની પોતાનીપાસેની તમામ વિગતો સીબીઆઇને આપવાની જાહેરાત કરી છે.જેના પગલે તે સોહરાબુદ્દીન પ્રકરણના અન્ય આરોપીઓમાં અપ્રિય થઇ ગયા છે. અને પોતાના આ પગલાંથી જેલમાંના આ કેસના આરોપીઓ તેમના પર હુમલો કરે તેવી દહેશત વ્યક્ત કરતાં ડો.અમિને સીબીઆઇ સ્પેશિયલ કોર્ટમાં પોતાની જેલ બદલવા અરજી કરી છે.ડો.અમિનની આ અરજીની સુનવણી આજે બપોર પછી કરવામાં આવશે ત્યારે જાણી શકાશે કે હવે ડો. અમિનનું નવું સરનામું કઇ જેલ હશે?
અમે એક જ છીએ કહેનારા અમીન જ સૌથી પહેલા છુટા પડ્યા
ભલે અમારામાં કોઇ મુદ્દે વિખવાદ હોય પરંતુ સોહરાબુદ્દીન એન્કાઉન્ટરના મુદ્દે તો અમે એકજ છીએ અને એકજ રહેવાના છીએ તેવું કહેનારા પોલીસ અધિકારી ડો. નરેન્દ્ર અમીને જ તાજના સાક્ષી બનવાની અરજી કરી સૌથી પહેલા છુટા તમામથી છુટા પડવાની જાહેરાત કરી દીધી છેસોહરાબુદ્દીન એન્કાઉન્ટર અને કૌસરબી હત્યા પ્રકરમમાં ગુજરાત પોલીસ તથા સીઆઇડી દ્વારા ધરપકડ કરાયેલા ઘણા પોલીસ અધિકારીઓ અને કર્મચારોને જુદી જુદી જેલોમાં રાખાવામાં આવ્યા છે.જેલવાસ દરમિયાન પોલીસ અધિકારીઓ ડી.જી.વણઝારા અને ડો. નરેન્દ્ર અમીન વચ્ચે થયેલી તકરાર મારામારી સુધી પહોંચી ગઇ હતી.આ પ્રકરણ બાદ જ્યારે ડો.નરેન્દ્ર અમીનને કોર્ટમાં લાવવવામાં આવ્યા હતા ત્યારે તેમણે કોર્ટ બહાર એવું નિવેદન આપ્યું હતું કે ભલે અમારા વચ્ચે કોઇ મુદ્દે તકરાર થઇ હોય તેવું તમે જાણ્યું હોય પરંતુ એન્કાઉન્ટરના મુદ્દે તો અમે એકજ છીએ અને એકજ રહેવાના છીએ.પરંતુ એન્કાઉન્ટરના મુદ્દે અમે એકજ છીએ તેવું કહેવાવાળાજ ડો. નરેન્દ્ર અમીનજ સૌથી પહેલા છુટા પડી રહ્યા છે. તેમણે જ તાજના સાક્ષી બની પોતાની પાસેની વિગતો તથા પુરાવાઓ સીબીઆઇને સોપવાની જાહેરાત કરી છે.
આર. બી. આઇ. એ વ્યાજદરમાં વધારો કર્યો
મોંઘવારીને કાબૂમાં લેવા માટે અને દેશના અર્થતંત્રના વિકાસને જાળવી રાખવા માટે આજે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકગાળામાં ક્રેડિટ પોલિસી જાહેર કરતાં મુખ્ય વ્યાજદરોમાં વધારો કરી દીધો છે.આરબીઆઇએ ધારણા પ્રમાણે જ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો, રિવર્સ રેપોરેટમાં 0.50 ટકાનો વધારો કરી દીધો છે. જ્યારે કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર)માં કોઇ વધારો કરવામાં ન આવતા 6 ટકાના દર પર સ્થિર રહેશે. આ નવા વ્યાજ દર લાગૂ થતાં રેપો રેટ 5.75 ટકા અને રિવર્સ રેપો રેટ 4.50 ટકા થઇ જશે.આરબીઆઇ વ્યાજદરોમાં વધારો કરતાં હવે હોમ, કાર સહિતની તમામ પ્રકારની લોનો મોંઘી થઇ જશે તેવું નિષ્ણાતોનું કહેવું છે.આરબીઆઇએ ચાલુ નાણાંકીય વર્ષ 2010-11માં દેશનો આર્થિક વિકાસ દર 8.5 ટકા અન ફુગાવાનો દર ક્રમશ: ઘટતા 6 ટકા થઇને વર્ષના અંતમાં 5.5 ટકા રહેશે તેવી ધારણા વ્યક્ત કરી છે.
શાહ સામે સીબીઆઇનો દુરૂપયોગ : સોરેન
ઝારંખડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સીબુ સોરેને આક્ષેપ મુક્યો છેકે, યુપીએ સરકાર દ્વારા સીબીઆઇનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે તથા ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન અમિત શાહને ફસાવવામાં આવી રહ્યાં છે.સીબુ સોરેને આક્ષેપ મુક્યો હતોકે, અમિત શાહ વિરૂદ્ધની સીબીઆઇ કામગીરી રાજકીય હેતુથી પ્રેરિત હોય તેવું જણાય છે. તથા પક્ષની જરૂર પ્રમાણે કોંગ્રેસ દ્વારા સીબીઆઇનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.ઉલ્લેખનીય છેકે, ભાજપના સમર્થનથી સીબુ સોરેન ઝારખંડના મુખ્યપ્રધાન બન્યા હતા. પરંતુ, બજેટ સત્ર દરમિયાન યુપીએ સરકાર વિરૂદ્ધના કાપ પ્રસ્તાવ દરમિયાન તેમણે યુપીએ સરકારના સમર્થનમાં મતદાન કર્યુ હતું. આથી ભાજપે તેમને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો. જેના પગલે ઝારખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની ફરજ પડી હતી.
જેલમાં વણઝારાએ અમીનને જોઈ લેવાની ધમકી આપી
સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટરમાં અમિત શાહ જેલમાં જતાની સાથે જ જેલમાં રહેલા અધિકારીઓ વચ્ચે તનાવનું વાતાવરણ ઊભું થયું છે. એન.કે. અમીન તાજના સાક્ષી બનવા જઈ રહ્યા હોવાથી વણઝારા અને અમીન વચ્ચે જેલમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેના પગલે વણઝારાએ અમીનને જોઈ લેવાની ધમકી આપી હતી. અમીને રાજકોટ કે વડોદરા જેલમાં ખસેડવા માટે અરજી આપી દીધી છે. પૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહ જેલમાં આવતાની સાથે જ એન.કે. અમીને તાજના સાક્ષી બનવા માટે કોર્ટમાં અરજી આપી દીધી છે. તેમના વકીલ આજે સીબીઆઇના અધિકારીઓને મળ્યા હતા.તેમના અસીલ એન.કે. અમીન તાજના સાક્ષી બનાવા માટે કોર્ટમાં અરજી કરી હોવાની માહિતીથી વાકેફ કર્યા હતા. બીજી બાજુ જેલમાં રહેલા ડી.જી. વણઝારાને અમીન તાજના સાક્ષી બની રહ્યા હોવાની જાણ થતાં વણઝારા અને અમીન વચ્ચે જેલની અંદર ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું જાણવા મળ્યું છે.
‘મુસાફરોની સેવા’માં મુંબઈ વિમાનમથક ચોથું
વાર્ષિક દોઢ કરોડથી વધુ પ્રવાસીઓની હેરફેર કરતાં ભારતીય વિમાનમથકોમાં મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય વિમાનમથકને શ્રેષ્ઠ વિમાનમથક તરીકે એરપોર્ટ સર્વિસ કવોલિટી નામના સર્વેક્ષણે સ્થાન આપ્યું છે. આ સર્વેક્ષણ એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલે વર્ષ ૨૦૧૦ના બીજા ત્રિમાસિક ગાળામાં હાથ ધર્યું હતું. સર્વેક્ષણે દોઢ કરોડથી અઢી કરોડ મુસાફરોની હેરફેર કરતાં વિશ્વનાં વિમાનમથકોમાં શ્રેષ્ઠતાની દ્રષ્ટિએ મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય વિમાનમથકનેચોથો ક્રમ આપ્યો છે.વર્ષ ૨૦૧૦ના બીજા ત્રિમાસિક ગાળા માટે મુંબઈ વિમાનમથક સેવા સંતોષની બાબતમાં ૪.૩૪નો પ્રશંસનીય આંક પણ આ સર્વેક્ષણમાં પ્રાપ્ત કર્યો છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં આ વિમાનમથકે સેવા સંતોષમાં ૪.૨૦નો આંક મેળવ્યો હતો અને વર્ષ ૨૦૦૯ના બીજા ત્રિમાસિક ગાળામાં ૩.૮૩નો સેવા સંતોષ આંક પ્રાપ્ત કર્યો હતો.એરપોર્ટસ કાઉન્સલ ઈન્ટરનેશનલ, વિમાન મથકોની સેવાઓની ગુણવત્તા (એરપોર્ટ સર્વિસ કવોલિટી)નાં સર્વેક્ષણો હાથ ધરવામાં સક્રિય એવી સ્વાયત્ત અને સ્વતંત્ર સંસ્થા છે. તેમાં પ્રવાસીઓના વિમાન મુસાફરી અંગેના તાજા પ્રતિસાદની અભિવ્યક્તિઓને આધારે મૂલ્યાંકન કરાય છે. આ સર્વેક્ષણો માસિક ધોરણે કરવામાં આવે છે અને તેનાં પરિણામો ત્રિમાસિક ધોરણે બહાર પાડવામાં આવે છે. આ વૈશ્વિક કાર્યક્રમ છે. તેમાં હાલ ૧૪૬ વિમાન મથકો સહભાગી છે.s
ભેટ આપીને દર્શાવીએ પ્રેમની લાગણી
ભેટ સોગાદ લેતીદેતીની કોઈ પરંપરા નથી. લગભગ દરેક ધર્મમાં દરેક સમાજમાં એક બીજાને ભેટ સોગાદ આપવામાં આવે છે. ભેટ સોગાદનો સીધો અર્થ થાય છે પોતાની સદભાવનાઓને કોઈ પ્રિય વ્યક્તિ સમક્ષ વ્યક્ત કરવી. આ જીવન પણ પ્રકૃતિ દ્વારા આપવામાં આવેલી એક ભેટ છે. દરેક ધર્મમાં ભેટ આપવાની એક પરંપરા છે. હિન્દુ લોકો દિવાળીના સમયે એકબીજાને ઉપહાર આપે છે. ખ્રિસ્તી લોકોમાં સાંતાક્લોઝ એક મોટો ઉપહાર છે. એના માધ્યમ થકી તેઓ ખાસ કરીને બાળકોને સદભાવનો સંદેશ આપે છે.
બ્રિટનમાં સ્થાયી થવા માટે અંગ્રેજીની પરીક્ષા ફરજીયાત
બ્રિટને પોતાના દેશમાં સ્થાયી થવા માગતા નોન-યૂરોપિયન દેશના લોકો માટે અંગ્રેજીની પરીક્ષા ફરજીયાત કરી છે. બ્રિટનની વર્તમાન સરકારે 29 નવેમ્બરથી નોન-યૂરિપોયન સિવાયના દેશમાંથી અહીં આવીને સ્થાયી થવા માગતા લોકો તેમજ બ્રિટનમાં લગ્ન કરવા કરવા માગતા લોકો માટે આ પરીક્ષા ફરજીયાત કરી છે. ધ યુકે બોર્ડર એજન્સીએ(યુકેબીએ) મંગળવારે જણાવ્યું હતું કે જે લોકો અહીં આવીને કાયમી વસવાટ કરવા માગે છે અથવા બ્રિટિશ નાગરિક સાથે લગ્ન કરવા માગે છે તેમણે હવેથી એવું સાબિત કરવું પડશે કે તેઓ અંગ્રેજી બોલી શકે છે તેમજ તેમને અંગ્રેજીની સમજ છે.આ માટે માઈગ્રન્ટોએ એજન્સી દ્વારા નક્કી કરવામાં આવેલી પરીક્ષામાં ઉતીર્ણ થવું પડશે. એટલે કે અરજીકર્તાએ એવન લેવલની પરીક્ષામાં પાસ થવું પડશે. યુકેબીએના જણાવ્યા પ્રમાણે બ્રિટનમાં કોઈ પણ જગ્યાએ રહેવાની અરજી કરતા લોકો માટે આ ટેસ્ટ ફરજીયાત છે.નોંધનીય છે કે બ્રિટનની સરકારે ગયા મહિને પોતાના દેશમાં બે વર્ષ સુધી અસ્થાયી સ્વરૂપે રહ્યા બાદ કાયમી વસવાટ માટે અરજી કરતા લોકો માટે‘નોલેજ ઓફ લેંગ્વેજ એન્ડ લાઈફ ઈન ધ યુકે’ ટેસ્ટ ફરજીયાત કરી હતી.
અમે એક જ છીએ કહેનારા અમીન જ સૌથી પહેલા છુટા પડ્યા
ભલે અમારામાં કોઇ મુદ્દે વિખવાદ હોય પરંતુ સોહરાબુદ્દીન એન્કાઉન્ટરના મુદ્દે તો અમે એકજ છીએ અને એકજ રહેવાના છીએ તેવું કહેનારા પોલીસ અધિકારી ડો. નરેન્દ્ર અમીને જ તાજના સાક્ષી બનવાની અરજી કરી સૌથી પહેલા છુટા તમામથી છુટા પડવાની જાહેરાત કરી દીધી છે.સોહરાબુદ્દીન એન્કાઉન્ટર અને કૌસરબી હત્યા પ્રકરમમાં ગુજરાત પોલીસ તથા સીઆઇડી દ્વારા ધરપકડ કરાયેલા ઘણા પોલીસ અધિકારીઓ અને કર્મચારોને જુદી જુદી જેલોમાં રાખાવામાં આવ્યા છે.જેલવાસ દરમિયાન પોલીસ અધિકારીઓ ડી.જી.વણઝારા અને ડો. નરેન્દ્ર અમીન વચ્ચે થયેલી તકરાર મારામારી સુધી પહોંચી ગઇ હતી.આ પ્રકરણ બાદ જ્યારે ડો.નરેન્દ્ર અમીનને કોર્ટમાં લાવવવામાં આવ્યા હતા ત્યારે તેમણે કોર્ટ બહાર એવું નિવેદન આપ્યું હતું કે ભલે અમારા વચ્ચે કોઇ મુદ્દે તકરાર થઇ હોય તેવું તમે જાણ્યું હોય પરંતુ એન્કાઉન્ટરના મુદ્દે તો અમે એકજ છીએ અને એકજ રહેવાના છીએ.
વરસતા વરસાદમાં ભાજપની મૌન રેલી
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં રાજ્યના ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની સીબીઆઇએ કરેલી સંડોવણીના વિરોધમાં શહેર ભાજપે આજે વરસતા વરસાદમાં મૌન રેલી કાઢી હતી. રેલીમાં, જિલ્લા ભાજપના આગેવાનો જોડાયા હતા.રાજ્યના માજી ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની સંડોવણી માટે સીબીઆઇ અને કોંગ્રેસનું ષડયંત્ર હોવાનો પ્રહાર કરીને ભાજપે જરૂર પડે શેરીઓમાં આંદોલન લઇ જવાનું આહ્વાન આપ્યું છે. અમિત શાહ નિર્દોષ છે અને કોંગ્રેસ કા હાથ સોહરાબુદ્દીન કે સાથના લખાણોવાળા બેનરો, પ્લે કાર્ડ સાથે શહેર ભાજપના હોદ્દેદારો, કાર્યકરો વાડી મહાદેવ તળાવ પાસે એકઠા થયા હતા. વાડી મહાદેવ મંદિરેથી વરસાદમાં મૌન રેલીનો પ્રારંભ થયો હતો. કેસરિયા ખેસ અને મોં પર કાળી પટ્ટી ધારણ કરીને નીકળેલી રેલીની આગેવાની શહેર ભાજપના અધ્યક્ષ ભરત ડાંગરે લીધી હતી. આ રેલીમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કૌશિક પટેલ, સુષ્મા અગ્રવાલ, ધારાસભ્ય ભુપેન્દ્ર લાખાવાલા, ઉપેદ્રસિંહ ગોહિલ, અભેસિંહ તડવી, વુડાના ચેરમેન એન વી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ બાળકૃષ્ણ ઢોલાર, માજી જિલ્લા પ્રમુખ સતીષ પટેલ, માજી ધારાસભ્ય દિલુભા ચુડાસમા, મધ્ય ગુજરાત મીડિયા ઇન્ચાર્જ શબ્દશરણ બ્રહ્નભટ્ટ, શિક્ષણ સમિતિના અધ્યક્ષ મેહુલ ઝવેરી, ઉપાધ્યક્ષ રંજન ભટ્ટ, ડે. મેયર પુનમ પંચાલ,કાઉન્સિલરો, સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકરો જોડાયા હતા. આનંદપુરા સ્થિત લોકમાન્ય તિલકની પ્રતિમા પાસે રેલીની પૂણૉહુતિ થઇ હતી.રેલીના રૂટ પર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. શહેર ભાજપના મહામંત્રી સદાનંદ દેસાઇ, પ્રવીણ પટેલ અને જશવંતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરમાં આજ સુધી કોઇરાજકીય પાર્ટી દ્વારા યોજાઈ ન હોય તેવી મૌન રેલી યોજાઈ હતી. જેમાં, પાંચ હજારથી વધુ કાર્યકર્તા જોડાયા હતા.
ટફનો લાભ લેવામાં લઘુઉદ્યોગકારો પાછળ
વર્ષ ૧૯૯૯માં કેન્દ્ર સરકાર દ્વારા દેશના ટેક્સટાઇલ ઉદ્યોગના આધુનિકીકરણ માટે શરૂ કરવામાં આવેલી ટેક્સટાઇલ અપગ્રેડેશન ફંડ યોજનાનો સુરત સહિત સમગ્ર દેશમાં મહત્તમ લાભ વિરાટકાય ઉદ્યોગગૃહોએ લીધો છે, જ્યારે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી (એસએસઆઇ)ના ઉદ્યોગ સાહસિકો આ બાબતમાં હજુ પાપા પગલી ભરતા હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. ટફ હેઠળ વિરાટકાય ઉદ્યોગગૃહોએ કુલ રૂપિયા ૩૩,૧૮૪.૬૦ કરોડની સહાય મેળવી છે જ્યારે લઘુ ઉદ્યોગોના મુખ્ય સેગમેન્ટોના હિસ્સામાં રૂપિયા ૩૧૦૧.૧૪ કરોડ આવ્યા છે.લઘુઉદ્યોગકારો વિશ્વની સ્પર્ધામાં ટકી રહેવા સાથે આધુનિકીકરણના માર્ગે વાળવા માટે કેન્દ્રીય વસ્ત્ર મંત્રાલયે શરૂ કરેલી ટફ યોજનાને હાલમાં કેન્દ્ર સરકારે થોડા સમય માટે સ્થગિત કરી છે. સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે સુરતમાં સૌથી વધારે એસએસઆઇ યુનિટો આવેલાં છે અને ટફ યોજનાનો મૂળભૂત હેતુ પણ એસએસઆઇના આધુનિકીકરણનો છે ત્યારે એમ્બ્રોઇડરી અને વીવિંગ યુનિટોને બાદ કરતાં મોટા ગજાનાં ઉદ્યોગગૃહોએ ટફનો મહત્તમ લાભ લીધો છે.ટફ યોજનાને જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા નવા સ્વરૂપે રજુ કરવાની ક્વાયત હાથ ધરવામાં આવી છે ત્યારે આ યોજનાનો લાભ એસએસઆઇ સંચાલકોને મળે તેવું આયોજન પણ કરવાની આવશ્યકતા છે. હાલના તબક્કે સુરતના ઉદ્યોગકારોને વિકાસ અને આધુનિકીકરણ માટે મોટા પ્રમાણમાં ટફની સહાયની જરૂર છે અને જો આ પ્રકારના ફેરફાર થાય તો તેનો સૌથી વધારે લાભ સુરતના ઉદ્યોગ સાહસિકોને મળે તેમ છે.
નક્સલવાદીનો કબજો કામરેજ પોલીસને સોંપવા આદેશ
દક્ષિણ ગુજરાતના ડાંગ-આહવા અને સોનગઢ સહિતના વિસ્તારોમાં નક્સલવાદ ફેલાવવાનો આરોપ જેમના પર છે એવા બે આરોપી હાલમાં નાગપુર જેલમાં છે. આ બન્ને નક્સલીઓની પુછપરછ કરવા માટે પોલીસે તેમનો ટ્રાન્સફર વોરન્ટથી કબજો માંગ્યો હતો. મુંબઇ કોર્ટ દ્વારા બન્ને નક્સલીઓને કામરેજ પોલીસને સોંપવા માટે આદેશ કરાયો છે.ડાંગ-આહવા અને સોનગઢ સહિતના વિસ્તારમાં નક્સલવાદ ફેલાવવાના આરોપસર જિલ્લા પોલીસ દ્વારા કેટલાક આરોપીઓને ઝડપી લઇ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. આ નક્સલીઓની તપાસમાં મુંબઇના અંધેરી વિસ્તારમાં રહેતો વસંત ઉર્ફે વિક્રમ ઉર્ફે પ્રદીપ ગોન્સાલવીસ અને ચેમ્બુરમાં રહેતો શ્રીધર ઉર્ફે વિષ્ણુ ઉર્ફે વિજય શ્રીનિવાસન પણ તેમની સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું હતું.વસંત અને વિજયને મુંબઇ એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમને નાગપુર જેલના હવાલે કરવામાં આવ્યા હતા. હાલમાં નાગપુરની જેલમાં રહેલા વસંત અને શ્રીધરનો ટ્રાન્સફર વોરન્ટથી કબજો મેળવવા માટે કામરેજ પોલીસ દ્વારા મુંબઇ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.મુંબઇ કોર્ટ દ્વારા હાલમાં નાગપુર જેલમાં રહેલા નક્સલવાદી વસંત અને શ્રીધરનો કબજો સોંપવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ બન્નેને ટુંક સમયમાં પુછપરછ માટે લાવવામાં આવશે.જિલ્લા પોલીસની ખાસ ટીમના હાથે નક્સલવાદ ફેલાવવાના આરોપસર ઝડપાયેલા પાંચ આરોપી દ્વારા જામીન મુક્ત થવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અંગે મંગળવારના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. વિગતો અનુસાર નક્સલવાદ ફેલાવવાના આરોપ હેઠળ જિલ્લા પોલીસની ખાસ ટીમ દ્વારા સામખીયા નારાયણસિંહ ચૌહાણ (રહે, ભાવનગર), જયરામ ગૌસ્વામી (રહે, સોનગઢ), ભરત પવાર (રહે, સોનગઢ), માકા ચૌધરી (રહે, માંડવી) અને વિનાયક ઉર્ફે અવિનાશ કુલકર્ણી (રહે, આહવા-ડાંગ)ને ઝડપી પાડી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
પૂણા-કુંભારિયા રોડ પર સીઆરવી કારમાં આગ, આઠેક લાખનું નુકસાન
સોમવારે સાંજે માર્કેટ વિસ્તારમાંથી ઘર તરફ જઈ રહેલા એક કાપડ દલાલની સીઆરવી કારમાં આગ લાગતાં કાપડદલાલનો ચમત્કારિક બચાવ થયો હતો. આ બનાવ અંગે કાપડ દલાલે પૂણા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ કરી કારમાં આઠેક લાખનું નુકસાન થયું હોવાની માહિતી આપી હતી.રિંગ રોડ પર માર્કેટ વિસ્તારમાં કાપડની દલાલી કરતા વસંતભાઈ કવરલાલ રાઠી સોમવારે સાંજે માર્કેટ વિસ્તારમાંથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર એકાએક બંધ પડી ગઈ હતી અને એકાએક કારના બોનેટમાંથી ધુમાડો નીકળવાની શરૂઆત થતાં તેઓ કારની બહાર નીકળી ગયા હતા. કારનો આગળનો ભાગ સળગી ગયો હતો. સ્થાનિક લોકોએ કાર પર પાણી નાખ્યું હતું. પરંતુ આગને કારણે કારમાં લગભગ આઠેક લાખનું નુકસાન થયું હતું.
હવે કચ્છમાં પોલીસનું મહત્વનું હેડક્વાર્ટર ગાંધીધામ બની જશે?
પૂર્વ કચ્છના નવા એસપી હાજર થઇ જતાં ટૂંક જ સમયમાં ગાંધીધામ ખાતે ૨૦૦થી ૩૦૦ જવાનોની ફાળવણી.પૂર્વ કચ્છના અલગ એસપીની જાહેરાત થયા પછી ખાલી પડેલી આ જગ્યા પર આખરે ચિરાગ કોરડિયાની નિમણુંક થતાં વિધિવત રીતે પોલીસ મથકે હવે પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ એવા બે ભાગ પડી ગયા છે. પૂર્વ કચ્છ પોલીસ માટે પહેલેથી જ મહત્વ હોવાથી હવે પશ્ચિમ કચ્છના પણ અનેક અધિકારીઓ પોતાની બદલીઓ કરાવી પૂર્વ કચ્છમાં જવા માટે તલપાપડ કરી રહ્યા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છના એસપી તરીકે ચિરાગ કોરડિયા ગાંધીધામ ખાતે હાજર થઇ જતાં હવેથી વિધિવત રીતે પોલીસ ચોપડે પૂર્વ કચ્છ અલગ ભાગ થઇ ગયો છે. પૂર્વ કચ્છ પોલીસ માટે પહેલેથી જ મહત્વપૂર્ણ અને અનેક બાબતે ‘ખાસ’ રહ્યો છે.કચ્છ પોલીસના નીચેથી લઇને ઉપલા અધિકારીઓ આ વિસ્તારથી આશા રાખતા હોય છે. ત્યારે હવે પૂર્વ કચ્છ અલગ થઇ જતાં પશ્ચિમ કચ્છના અનેક અધિકારીઓ પૂર્વ કચ્છ આવવા માટે તલપાપડ છે. નોંધનીય છે કે, પૂર્વ કચ્છ આર્થિક રીતે સમૃદ્ધ વિસ્તાર છે.ઉદ્યોગગૃહની સાથે આ વિસ્તારમાં ગુનાહીત પ્રવૃતિઓનું પ્રમાણ પણ પશ્ચિમ કચ્છ કરતાં ગણું વધારે છે. ત્યારે પોલીસ સૂત્રોએ પૂર્વ કચ્છનું વિભાજન થતાં હવે કચ્છનું ખરેખર કહેવાતું હેડક્વાર્ટર ગાંધીધામ થઇ જશે તેવી વાત કહી હતી. તો બીજી બાજુ સૂત્રોએ એમ પણ ઉમેર્યું હતું કે, એસપી કચેરી શરૂ થતાની સાથે જ ભુજથી તથા રાજ્યથી ૨૦૦થી ૩૦૦ પોલીસ જવાનો ગાંધીધામ ખાતે આવી પહોંચશે.
ઉત્તર ગુજરાતમાં સરેરાશ ૫૧ ટકા વરસાદ
૪૫ તાલુકા પૈકી ૨૧ તાલુકામાં ૫૦ ટકા કરતાં વધુ વરસાદ : સરેરાશ ૬૯૦ મિ.મીની સાપેક્ષમાં ૩૫૪ મિ.મી વરસાદ નોંધાયો : સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લામાં ૬૩.૧૭ ટકા : અન્ય જિલ્લાઓની તુલનાએ સાબરકાંઠા કોરો : માત્ર ૩૭.૯૬ ટકા પાણી પડ્યુંસમગ્ર ઉત્તર ગુજરાતને ઘમરોળી નાંખનાર છેલ્લા બે દિવસમાં થયેલા ભારે વરસાદને પગલે ઉત્તર ગુજરાતમાં ચોમાસાનું ઘણુંખરૂ પાણી વરસી ચુક્યૂ છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ ૫૧ ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતના ૪૫ તાલુકાઓ પૈકી ૨૧ તાલુકાઓમાં ૫૦ ટકા કરતાં વધુ પાણી પડ્યું છે તો અન્ય ૨૪ તાલુકાઓમાં સિઝનનો અડધો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠામાં ૬૩.૧૭ ટકા જ્યારે સૌથી ઓછો સાબરકાંઠામાં ૩૭.૯૬ ટકા થયો છે.જુલાઇની ૧૫મી તારીખ સુધી ઉત્તર ગુજરાતમાં એક માત્ર ગાંધીનગરને બાદ કરતાં તમામ જિલ્લાઓમાં ૨૦ ટકા કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો હતો. જોકે છેલ્લા કેટલાક દિવસથી થઇ રહેલા ભારે વરસાદને પગલે ઉત્તર ગુજરાતમાં પાણી પાણી થઇ રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં ૨૬મી જુલાઇ સવારે સાત વાગ્યા સુધીમાં સરેરાશ ૫૧ ટકા જેટલો વરસાદ પડી ચુકયો છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠામાં ૬૩.૧૭ ટકા થયો છે તો સાબરકાંઠા પ્રમાણમાં સુકો રહ્યો છે જ્યાં માત્ર ૩૭.૯૬ ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ગાંધીનગરમાં ૫૫.૩૮ ટકા, મહેસાણામાં ૪૮.૬૨ તથા પાટણમાં ૫૬.૨૪ ટકા વરસાદ થયો છે.
આણંદ : વાલ પડતાં માતા - બે પુત્રો ઘાયલ
ઉમરેઠના ધુળેટા ગામમાં શનિવારે મધરાતે મકાનની દિવાલ ધરાશયી થતાં બે બાળકો સહિત ત્રણને ઇજાથઈ હતી.ધુળેટા ગામમાં રહેતા મજીદમીંયા મલેકની પત્ની ૩૫ વર્ષના રફુગરાબીબી મજીદમીંયા મલેક અને તેમના બે બાળકો ૧૫ વર્ષનો બસ્ત્રીમીંયા અને ૧૨ વર્ષનો બરક્તમીંયા શનિવારની રાત્રે જમી પરવારી ઘરમાં સુઈ ગયા હતા. દરમિયાન રાત્રીના બાર વાગ્યાના સુમારે મકાનની એક બાજુની દિવાલ તુટી તેમની ઉપર પડી હતી. આ ઘટનામાં માતા સહિત બે બાળકોને ઇજાઓ થતાં તેઓને સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.
આણંદ જિલ્લામાં વસતી ગણતરીકારોને રોકડીનો યોગ
આણંદ જિલ્લામાં વસતી ગણતરીના કામકામજનો પ્રથમ તબક્કો પૂર્ણતાના આરે પહોંચ્યો છે. જે સંદર્ભે કેન્દ્ર સરકારે અગાઉ જાહેર કર્યા મુજબ વસતી ગણતરીના કામકાજમાં જોડાયેલા કર્મચારીઓનું વેતન જાહેર કરાયું છે. જે સંદર્ભે આણંદના ૪૫૨૨ જેટલા કર્મચારીને રૂ.૨૯૫૦નું આપવામાં ઠરાવવામાં આવ્યું છે.સુત્રોના જણાવ્યાનુસાર, આણંદ જિલ્લામાં એપ્રિલ માસમાં દેશભરની સાથે વસતી ગણતરીનું કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં ૩૭૯૮ ગણતરીદાર, ૬૪૩ સુપરવાઈઝર અને ૮૧ જેટલા માસ્ટર ટ્રેનરને નિમણૂંક આપવામાં આવી હતી. આ ગણતરીનો પ્રથમ તબક્કો પૂર્ણ જાહેર થવામાં છે. જે સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા તમામ કર્મચારીને સદર કામગીરી પેટે રૂ.૨૨૦૦ વેતન તથા રૂ.૭૫૦ તાલીમ મળી કુલ રૂ.૨૯૫૦નું ચૂકવણી જાહેર કરવામાં આવ્યું છે.આણંદ જિલ્લામાં વસતી ગણતરીના પ્રથમ તબક્કામાં કોઈ મકાન કે પરિવાર ગણતરીમાં ન આવ્યું હોય કે ગણતરીદારે તેમની મુલાકાત ન લીધી હોય તેની ફરિયાદ માટે ગાંધીનગર ખાતે ખાસ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી હતી. જેમાં આણંદ જિલ્લા સંદર્ભે ૧૦૦ ઉપરાંત ફરિયાદ થઈ હતી.
સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘમહેર વચ્ચે કપાસનું વાવેતર મોખરે
જુલાઇ મહિનાના અંતે સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘવર્ષા થવાથી અગાઉ આગોતરો પાક નિષ્ફળ જવાની ઊભી થયેલ દહેશત ટળી છે. જ્યાં, વાવણી બાકી હતી ત્યાં પણ મોડે મોડે મેઘરાજાએ રીઝીને વાવેતરને વેગ આપ્યો છે. એમાંય છેલ્લા સપ્તાહમાં સૌરાષ્ટ્રની દરિયાઇ પટ્ટી અને અંદરના વિસ્તારોને અનરાધાર વરસાદમાં તરબોળ કર્યા છે. જોકે, ખેડૂતો પાકની ખેડ વખેડ કરવા માટે લાંબો વરાપ માગે છે.સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ ૪૧.૫૦ લાખ હેકટરના ખરીફ વાવેતરની સામે ૨૬ જુલાઇ સુધીમાં કુલ ૩૯.૪૨ લાખ હેકટર એટલે કે, ૯૫ ટકા વાવેતર સંપન્ન થયું છે. અત્યાર સુધીના સારા વરસાદને કારણે રાજ્યના ચાર ઝોનમાં સૌથી વધુ ખરીફ વાવેતર સૌરાષ્ટ્રમાં થયું છે.રાજ્યના કૃષિ વિભાગની રાજકોટ અને જૂનાગઢ સ્થિત સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) ની કચેરીના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છમાં કપાસ અને મગફળીનું વાવેતર આગળ પડતું છે. કપાસનું વાવેતર ૧૬.૩૫ લાખ હેકટરમાં અને મગફળીનું વાવેતર ૧૫.૪૨ લાખ હેકટર વિસ્તારમાં થયું છે.
અનરાધાર વરસાદથી જોડિયા પંથક જળબંબોળ
હાલારના અન્ય વિસ્તારોમાં પણ અષાઢી મેઘ : ખંભાળિયા ત્રણ, દ્વારકા બે ઇંચ. જામનગર જિલ્લાનાં જોડિયા પંથકમાં આજે અનરાધાર આઠ ઇંચ વરસાદથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જળબંબોળ બની ગયા હતાં. જોડિયા નગરમાં પણ ગોઠણડૂબ પાણી ભરાયા હતાં. એક દિવસના વિરામ બાદ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ નવેસરથી મેઘવ્રુષ્ટિ થઇ હતી. જેમાં ખંભાળિયામાં ત્રણ, દ્વારકામાં બે તથા લાલપુર, ધ્રોલ અને કલ્યાણપુરમાં એક-એક ઇંચ પાણી પડ્યું હતું.જિલ્લાનાં કાંઠાળ એવા જોડિયામાં આજે સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે જોડિયા ટાઉન ઉપરાંત આસપાસનાં ગામડાઓ જળબંબોળ બની ગયા હતા. જોડિયામાં સવારે ૬ કલાકમાં જ છ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. ત્યારબાદ પણ દિવસભર ધીમી ધારે વરસાદ ચાલુ રહેતા સાંજ સુધીમાં આઠ ઇંચ જેટલું પાણી વરસી ગયું હતું. જોડિયા નજીક હડિયાણામાં પણ વહેલી સવારથી અવિરત મેઘમહેરને પગલે મોડી સાંજ સુધીમાં છ ઇંચથી વધુ વરસાદ પડ્યાના વાવડ મળે છે.તાલુકામાં દિવસભર થયેલા વરસાદને કારણે નાના-મોટા તળાવો અને ચેકડેમો છલકાઇ જતાં ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી છે. મોડીસાંજે અહીં ફરીથી વરસાદ શરૂ થયો હોવાના અહેવાલો સાંપડ્યા છે. જોડિયા ઉપરાંત ખંભાળિયામાં પણ આખો દિવસ વરસાદ વરસ્યો હતો. જેને કારણે સાંજ સુધીમાં ત્રણ ઇંચ પાણી વરસી ગયું હતું. સ્ત્રાવ ક્ષેત્રોમાં થયેલાં વરસાદને કારણે ખંભાળિયાને પાણી પુરૂ પાડતા ઘી ડેમમાં વધુ બે ફુટ પાણી ઠલવાતા ડેમની કુલ સપાટી ૧૩ ફુટે પહોંચી છે. જે આખુ વર્ષ ચાલે તેટલો જથ્થો હોય શહેરીજનોમાં આનંદની લાગણી વ્યાપી છે.
શાહ જેલમાં: ‘ટ્રિગર હેપ્પી’ પોલીસ અધિકારીઓમાં ફફડાટ
સોહરાબુદ્દીનકાંડમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ જેવી વગદાર વ્યક્તિ જેલમાં ધકેલાતાં રાજ્યના ‘ટ્રિગર હેપ્પી’ પોલીસ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. બીજી બાજુ કાયદો હાથમાં ન લેવો જોઈએ તેવું માનનારા અધિકારીઓના એક વર્ગમાં કુદરતી ન્યાયની પ્રક્રિયા કોઈને છોડતી ન હોવાનો મત પ્રવર્તી રહ્યો છે. પોલીસમાં પડેલા આ બે ફાંટામાં માત્ર વિચારધારાનો તફાવત નથી. વાસ્તવિકતા એ છે કે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટોને બચાવવા મથી રહેલી લોબીએ સીબીઆઇની તપાસ બાદ મૌન સેવી લીધું છે, જ્યારે સામેની લોબી સીબીઆઇને ગુપ્ત રીતે મદદ કરી રહી છે.ગુજરાત પોલીસનો એક વર્ગ સીબીઆઇને ગુપ્ત રીતે મદદ કરી રહ્યો છે.ગુજરાત પોલીસમાં પડેલા આ બે ફાંટા વચ્ચે એવા ગંભીર મતભેદ છે કે તેમાંથી કેટલાક તો સીબીઆઇને ગુપ્ત રીતે મદદ પણ કરી રહ્યા છે.સોહરાબુદ્દીન કેસને લાગતી મહત્વની કડીઓથી માંડીને અગાઉની તપાસમાં સીઆઇડી ક્રાઇમે ક્યાં અને કેવી રીતે અમિત શાહને બચાવવાનો પ્રયાસ કર્યો હતો તેની હકીકત સીબીઆઇને આપી રહ્યા છે. જેના આધારે સીબીઆઇ સોહરાબુદ્દીનકાંડમાં એક પછી એક હકીકતો પરથી પરદો ઊંચકવાનો દાવો કરી રહી છે.
Subscribe to:
Posts (Atom)