10 August 2010

અમિત શાહને શું મળશે? જામીન કે જેલ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

અમિત શાહને શું મળશે? જામીન કે જેલ

રાજ્યભરમાં અમિત શાહની જ ચર્ચા. આજે સવારથીજ રાજ્ય અને દેશભરમાં એક જ ચર્ચા જોર પકડ્યું છે. કે અમીત શાહને શું મળશે? જેલ કે જામીન.કેમકે આજે અમીત શાહની જામીન અંગેની સુનવણી સ્પેશિયલ સીબીઆઇ સેસન્સ કોર્ટમાં છે. જેમાં અમીત શાહને જામીન મળે છે કે કેમ? તે જાણવાની સૌ કોઇને ઉત્તેજના છે.સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં સીબીઆઇ દ્વારા ધરપકડ કરાઇ અઠવાડીયાથી જેલમાં રખાયેલા રાજ્યના માજી ગૃહરાજ્યમંત્રી અમત શાહે તેમની ધરપકડના બીજા દિવસે જામીન માટે અરજી કરી હતી પરંતુ તેમના પર સીબીઆઇ એ ક્યા ચાર્જ લગાવ્યા છે. તેની જાણકારી વગર તેમને જામીન કેવી રીતે આપવા માટેતે માટે તેમની જામીનની સુનવણી બીજી ઓગસ્ટ(આજે) પર મુલતી રાખવામાં આવી હતી.આજે શાહ તરફી દલીલો કરવા માટે રામ જેઠમલાની, રવશિંકર પ્રસાદ તથા અરૂણ જેટલી કોર્ટમાં હાજર રહે તેવી શક્યતા છે જ્યારે સીબીઆઇ તરફથી એ.ટી.એસ તુલસી કોર્ટમાં ઉપસ્થીત રહી દલીલો કરે તેવી શક્યાતા છે.


મુંબઇમાં રોટલો મળશે પણ ઓટલો નહિ!

તાજેતરમાં જ થયેલ ભારત મિલની હરાજીમાં ઇન્ડિયાબુલ્સ રિયલ દ્વારા લગાવામાં આવેલ ઊંચી કિંમતોથી પ્રોપર્ટી બજારના જાણકારો ઊંચા ભાવો પર ચર્ચાઓ કરી રહ્યા છે. પ્રોપર્ટીના નિષ્ણાતો આ સોદાથી ચકિત થઇ ગયા છે. તેમનું કહેવું છે કે મુંબઇમાં જે રીતે આ સોદો થયો છે તે જોતા હવે સ્પષ્ટ કહી શકાય કે અહિં પ્રોપર્ટીના ભાવ પોતાની ચરમ સીમાએ પહોંચી ગયા છે. સામાન્ય વ્યક્તિને મુંબઇમાં ખાવા રોટલો મળી રહેશે પણ રહેવા ઓટલો મળવો બહુ મુશ્કેલ છે.જેએલએલ મેઘરાજના સીઓઓ બિઝનેસ સંજય દત્તે કહ્યું કે હાલ મુંબઇમાં જમીનનું મૂલ્યાંકન ખૂબ જ ઊંચું ચાલી રહ્યું છે અને તેનું કારણ છે ડેવલપર્સ ઊંચા એફએસઆઇના આધાર પર તેનો લાભ લઇ રહ્યા છે.જમીનની કિંમત તમે તે જગ્યા પર શું બનાવાના છો, તેના પર પણ નિર્ભર કરે છે. એનટીસીની ડીલ મોંઘી છે કે નહિં તે અંગે તેમનું કહેવું છે કે જો તેની એફએસઆઇ 1.33 રહી તો તે ચોક્કસ જ મોંઘી છે પરંતુ જો મુંબઇ સિટીમાં ડેવલપર 3.25 સુધી પણ એફએસઆઇ વસૂલી રહ્યા છે તો તેને મોંઘું કરી શકાય નહિં.મુંબઇમાં અત્યારે મધ્ય, દક્ષિણ મુંબઇમાં પ્રોપર્ટીના ભાવ પોતાની ચરમ સીમા પર પહોંચી ગયા છે. મધ્ય મુંબઇમાં પ્રોપર્ટીના ભાવમાં 20 થી 30 ટકાનો વધારો થવાની આશા છે.


ચાંડિલમાં પાંચ ફેણ વાળો નાગ દેખાયો ?

પૂર્વ સિંધભૂમ જિલ્લાના ચાંડિલ પ્રખંડમાં તાજેતરના દિવસોમાં પાંચ ફેણ વાળો શેષનાગ દેખાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એવુ માનવામાં આવે છે કે એક વ્યક્તિએ આ પાંચ ફેણવાળા નાગને થોડા દિવસો પહેલા જોયો હતો.આ સમાચાર સમગ્ર ગામમાં આગની જેમ ફેલાઇ ગયા હતા, અને સમગ્ર ગામજનો સંપૂર્ણ વિસ્તારમાં પાંચ ફેણ વાળા નાગને જોવા માટે ફરી વળ્યા હતા. જો કે ફરીથી તે શેષનાગે ગ્રામજનોને પોતાના દર્શન નહોંતા આપ્યાં. આ ગામમાં દરેક વ્યક્તિ પાંચ ફેણ વાળા શેષનાગની ચર્ચા કરી રહ્યાં હતા. અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે લોકો આ પ્રકારની અફવાથી ભારે ઉત્તેજના જોવા મળી રહ્યાં છે.આ વિસ્તારના લોકો એટલે સુધી કહિ રહ્યાં છે કે શેષનાગના સ્વરૂપમાં ભગવાન વિષ્ણુનો અવતાર આવ્યો હતો. જ્યાં આ પાંચ ફેણ વાળો શેષનાગ દેખોયો હતો, ત્યાં હજું પણ લોકોના ટોળે ટોળા ઉમટી રહ્યાં છે. આ વિસ્તારના મુખ્ય વન સંરક્ષક આલોક કુમારે ગુપ્તાએ ભાસ્કર નેટવર્કને જણાવ્યું હતું કે આ અંગે કોઇ અધિકૃત માહિતી પ્રાપ્ત થઇ નથી. આ બાબત એક અફવા પણ હોઇ શકે છે. ગુપ્તાએ જણાવ્યું કે, બની શકે છે કે ગ્રામજનોએ કોબ્રા સાપને જોયો હોય જે પોતાની ફેણને ફેલાઇને બેઠો હોય, કારણે કે ચાંડિલના જંગલોમાં કોબ્રા દેખવામાં આવે છે.ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે તેણે ક્યારેય સમગ્ર વાઇલ્ડ લાઇફમાં પાંચ ફેણ વાળા શેષનાગને દેખ્યો નથી. સામાન્ય રીતે પાંચ ફેણ વાળા શેષનાગોની ચર્ચા પૌરાણિક કથાઓમાં જોવા મળે છે. જો કે આ સૂચનાના આધારે વન વિભાગે સક્રીય થઇ ગયુ છે અને શેષનાગની માહિતીની તથ્ય તપાસવા સમગ્ર તંત્ર કામે લાગી ગયું છે.


ટેસ્ટ ક્રિકેટમાં સિદ્ધિ નોંધાવનાર ખેલાડીઓ, ભાગ-8

ટેસ્ટ ક્રિકેટમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર એક જ એવો ખેલાડી છે જે એક કરતા વધારે રેકોર્ડ્સ તેના નામે ધરાવે છે. હાલમાં સચિન એક એવા સ્તરે પહોંચી ગયો છે કે જ્યારે તેનો પ્રત્યેક રન એક નવો રેકોર્ડ સર્જે છે તેમ કહીં શકાય.જો કે આ ઉપરાંત ટેસ્ટમાં એક એવો ખેલાડી છે જેણે તેની બહુમુખી પ્રતિભા સાબિત કરી દેખાડી છે. આ ખેલાડી વિશ્વનો સફળ સુકાનીઓમાંનો એક છે એટલું જ નહીં પરંતુ ટેસ્ટમાં સૌથી વધુ રન ફટકારાનારા ખેલાડીઓમાં પણ તેનો સમાવેશ થાય છે.


જમ્મુ અને કાશ્મીર : આહ...લેહ...થી...વાહ...લેહ...

શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના લેહ વિસ્તારમાં વાદળ ફાટ્યું હતું. જેના કારણે, અત્યાર સુધીમાં 165 નાગરિકોના મોત થયા છે. જેમાંથી 140 લાશોની ઓળખાણ કરી લેવામાં આવી છે. જ્યારે 400 જેટલા લોકોને ઇજા પહોંચી હતી. જેની સારવાર ચાલુ છે. 81 વિદેશીઓને બચાવી લેવામાં આવ્યા હતા. હાલ ઘરોનો નાશ થયો છે. જેના કારણે, નાગરિકોને હંગામી નિવાસસ્થાનોમાં રહેવાની ફરજ પડી રહી છે. જોકે, નાગરિકો હસતાં મોઢે જીંદગીને પાટે ચડાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે.


મલ્લિકા-બિગ બી વચ્ચે ગરમા-ગરમ પ્રણય દ્રશ્યો!!!

મલ્લિકા શેરાવતનું સ્વપ્ન હતું કે, તે અમિતાભ બચ્ચન સાથે કામ કરે. હવે તેનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. તે બિગ બી સાથે એક રોમેન્ટિક ફિલ્મમાં કામ કરી રહી છે.મલ્લિકાએ આ વર્ષે ઈતિહાસ રચ્યો હોય તેમ લાગી રહ્યું છે. તેણે આ વર્ષે હોલિવૂડની કેટલીક ફિલ્મો સાઈન કરી છે. મલ્લિકા શેરાવતની ઘણાં સમયથી ઈચ્છા હતી કે, તે સીનિયર બચ્ચન સાથે કામ કરે.થોડા સમય પહેલા જ મલ્લિકાને એક ફિલ્મમાં બિગ બી સામે લેવામાં આવી છે. થોડા વર્ષો પહેલા એક ચેટ શોમાં મલ્લિકાએ કહ્યું હતું કે, તેને અમિતાભ બચ્ચન સાથે કામ કરવું છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે મલ્લિકા હાલમાં અમેરિકામાં છે અને તેને બોલિવૂડની ઘણી જ ફિલ્મો ઓફર થઈ રહી છે. આ ફિલ્મોમાંથી કેટલીક ફિલ્મોમાં મલ્લિકાએ કામ કરવાની હા પાડી છે. મલ્લિકાએ અમિતાભ સાથેની રોમેન્ટિક ફિલ્મમાં કામ કરવાની હા પાડી છે. હોલિવૂડની ફિલ્મોમાં કામ કર્યા પછી તે ભારતના સુપરસ્ટાર સાથે કામ કરવા આતુર હતી.મલ્લિકા ઘણાં સમયથી બોલિવૂડમાં કામ કરી રહી છે. જો કે શરૂઆતમાં મલ્લિકા માત્રને માત્ર અંગપ્રદર્શન કરતી હોવાથી તેને કોઈ મહત્વ આપતું નહોતું. જો કે હોલિવૂડની ફિલ્મોમાં કામ કર્યા પછી મલ્લિકાનું નસીબ બદલાઈ ગયું છે. ઈન્દર કુમારે ધમાલ 2માં મલ્લિકાને લીધી છે.મલ્લિકાએ કહ્યું હતું કે, તેને પીએનસીએ એક સ્ક્રીપ્ટ મોકલાવી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન છે. આ મહિનાના અંતે તે ભારત આવવાની છે અને ફિલ્મ અંગે વિસ્તૃત વાત કરશે.જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, અમિતાભ બચ્ચન હોવાને કારણે તેણે આ ફિલ્મ સાઈન કરી છે તો તેણે હા પાડી હતી.નોંધનીય છે કે, મલ્લિકા ચુંબનો અને ઉત્કટ પ્રણય દ્રશ્યો માટે જાણીતી છે. બિગ બી અને મલ્લિકા વચ્ચે કેટલા ઉત્કટ પ્રણય દ્રશ્યો જોવા મળશે તે તો આવનારો સમય જ કહેશે.


પીપલી લાઇવ' રિલીઝ પહેલાં જ નફામાં
આમિર ખાનની આવનારી ફિલ્મ પીપલી લાઇવના સેટેલાઇટ રાઇટને એન્ટરટેઇનમેન્ટ ચેનલ કલર્સે 10 કરોડ રૂપિયામાં ખરીદી લીધા છે. ટી સીરીઝે તેના મ્યુઝિક રાઇટ્સ 4 કરોડ રૂપિયામાં ખરીદી લીધા છે. આમ, આ રીતે આ ફિલ્મે પોતાનો ખર્ચ તો નીકાળી લીધો સાથો સાથ રિલીઝ થતાં પહેલાં જ નફો પણ કમાઇ લીધો છે.આ ફિલ્મ અંદાજે રૂપિયા 10 કરોડમાં બની છે. અત્યાર સુધી આ ફિલ્મ અંગે સારા રિપોર્ટ આવી રહ્યા છે. આમિર ખાન ખુદ આ ફિલ્મના પ્રોડ્યુસર છે. હવે તેઓ ઘણા ઉત્સાહી છે. આથી તેઓ આ ફિલ્મને મોટાપાયા પર રિલીઝ કરવા માંગે છે. હવે આ ફિલ્મ 13મી ઓગસ્ટના રોજ 600 થિયેટરો અને વિદેશના 100 થિયેટરોમાં રિલીઝ થશે.આમિર ખાનની ફિલ્મો બોક્સ ઓફિસમાં ઘણી સફળ રહી છે. 3 ઇડિયટ્સે તો કમાણીના તમામ રેકોર્ડ તોડી દીધા છે. આ ફિલ્મમાં પણ સમીક્ષકોને ઘણી આશા છે


વડોદરામાં પાંચ વર્ષની બાળા પર બળાત્કાર

કેનાલ પાસે બાળાને લોહીલુહાણ હાલતમાં રડતી જોઇ રહીશે તેની માતાને જાણ કરી વિધવા મહિલા ઉપર આભ ફાટ્યું.છાણી કેનાલ પાસેની ઝૂંપડપટ્ટીમાં રવિવારે મધરાત્રે અજાણ્યા શખ્સે ઘરમાં સૂતેલી બાળકીનું મોઢું દબાવી ઉપાડી ગયા બાદ પાશવી બળાત્કાર ગુજારતાં ખળભળાટ મચી ગયો હતો. કુદરતી હાજતે ગયેલા રહીશે બાળકીને ઇજાગ્રસ્ત હાલતમાં જોઇ માતાને જાણ કરી હતી. બાળકી પર બળાત્કાર અંગે પોલીસને જાણ કરતાં બાળકીને મેડિકલ તપાસાર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડી બળાત્કારીની શોધખોળ શરૂ કરી છે.છાણી સ્થિત નર્મદા કેનાલ નજીક દશામા મંદિર પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતી મહિલા જૂનાં કપડાંનો ધંધો કરે છે. ત્રણેક મહિના અગાઉ પતિના અવસાન બાદ વિધવા મજૂરી કરી ત્રણ સંતાનોનું ભરણપોષણ કરે છે. રવિવારે મધરાતે સાડા બાર વાગ્યાના સુમારે સફેદ શર્ટ પહેરેલો શખ્સ મહિલાના ઘર પાસે આવી નિદ્રાધીન મહિલાની પાંચ વર્ષીય બાળકીનું મોઢું દબાવી ઉપાડી ગયો હતો. થોડીવાર બાદ અચાનક મહિલા જાગી જતાં પુત્રીને નહિ જોઇ ધ્રાસકો પડ્યો હતો. તેણે આસપાસના રહીશોને જાણ કરતાં લોકોએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન કેનાલ પાસે કુદરતી હાજતે ગયેલા શખ્સે થાંભલા પાસે ઊભેલી બાળકીને જોતાં તેની માતાને જાણ કરી હતી. માતા સહિતના રહીશો બાળકી પાસે દોડી જતાં બાળકી માતાને જોઇ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી હતી. બાળકીના ગુપ્ત ભાગેથી લોહીની ધારા નીકળતી જોઇ તેની સાથે કુકર્મ થયું હોવાની જણાતાં માતાએ ફતેગંજ પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધી બાળકીને મેડિકલ તપાસાથેg સયાજીમાં મોકલી આપી હતી. પોલીસે પિશાચી કૃત્ય કરનારની શોધખોળ હાથ ધરી છે.


દિગ્વિજય સિંહ ઉવાચ, રાજીનામું આપે કલમાડી

કોમનવેલ્થ ગેમ્સમાં ભ્રષ્ટાચારના આરોપોને લઈને વિપક્ષના આકરા પ્રહારોનો સામનો કરી રહેલી કોંગ્રેસ પાર્ટીને હવે તેના પક્ષના અંદર પણ અસંતોષનો સામનો કરવો પડી રહ્યો છે.કોંગ્રેસના નેતા મણિશંકર ઐયર બાદ હવે કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને ઉત્તર પ્રદેશમાં પક્ષના પ્રભારી દિગ્વિજય સિંહ પણ સામે આવ્યા છે. દિગ્વિજય સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો કલમાડી દોષી છે તો તેમણે આયોજન સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દેવું જોઈએ.


અમેરિકામાં ભારતીય મૂળનો એન્જીનિયર દેશદ્રોહ બદલ દોષીત

અમેરિકાની હવાઇ વિસ્તારમાં આવેલી અદાલતે પૂર્વ બી-2 એન્જીનિયર ભારતીય મૂળના એન્જીનિયર નૌશીર ગોવાડિયાને ચીનને ગુપ્ત માહિતી પૂરી પાડવા બદલ દોષીત ઠેરવ્યો છે. ભારતીય એન્જીનિયરે 60 દાયકામાં ભારત છોડીને અમેરિકાનો રહેવાસી બન્યો હતો. ભારતીય મૂળના એન્જીનિયરે વેચેલી માહિતીના આધારે ચીને પોતાની મિસાઇલોને રડારની નજરોમાંથી બચાવવા માટેનો ઉપાય મેળવ્યો હતો.ગોવાડિયાનો જન્મ ભારતમાં થયો હતો અને 1960માં તે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે અમેરિકા ગયો હતો, ત્યાર બાદ તે અમેરિકામાં જ રહેવા લાગ્યો હતો. 1986માં તે અમેરિકન સેનામાંથી રિટાયર થયો હતો. તેના પર આરોપ છે કે તેણે ચીનને ક્રુજ મિસાઇલના નોઝલ બનાવવા સબંધિત ટેકનીક વેચી છે અને તેના બદલામાં તેણે ચીન પાસેથી 1,10,000 અમેરિકન ડોલર લીધા હતા. આ મિસાઇલ ટેકનિક ઇન્ફ્રારેડ રડારમાંથી મિસાઇલને બચાવવાનું કામ કરે છે.ચીનને ગુપ્ત સુચનાઓ વેચવા માટે ધરપકડ કરાયેલ ગોવાડિયાને 14 આરોપો માટે દોષીત ઠેરવવામાં આવ્યો છે. ગોવડિયાને ઓક્ટોબર 2005માં ધરપકડ કરવામાં આવી હતી. પૂરાવા પરથી જાણવા મળતી માહિતી અનુસાર ગોવાડિયા 2003થી 2005ની વચ્ચે ઘણી વખત ચીન ગયો હતો અને ત્યાં તેણે ક્રૂઝ મિસાઇલ બનાવવા માટે ચીનના એન્જીનિયરોની મદદ કરી હતી.


સિવિલમાંથી નર્સિગ સ્ટાફ કામે લગાડાયો

યુ.એન. મહેતા હોસ્પિટલનો ૮૦ ટકા નર્સિગ સ્ટાફ હડતાળ પર ઉતરી જતાં દર્દીઓની સારવારમાં ઉણપ ન આવે તે ધ્યાનમાં રાખીને સિવિલમાંથી નર્સગિ સ્ટાફ કામે લગાડાયો હોવાનું જાણવા મળ્યું છે.હોસ્પિટલનાં એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, નર્સિગ સ્ટાફનાં ૮૦ ટકા લોકો સોમવારથી હડતાળ પર ઉતરી ગયા હતા. તેમ છતાં હોસ્પિટલમાં ૨૦ ટકા નર્સગિ સ્ટાફ ઉપલબ્ધ હતો, તેમજ આજે સિવિલ હોસ્પિટલના નર્સિગ સ્ટાફને કામે લગાડાયો છે.જેને કારણે હોસ્પિટલમાં સારવાર લેતાં દર્દીની સારવારમાં કોઇ અલર પડી નથી, અને સારવાર રાબેતા મુજબ ચાલી રહી છે. તેમજ જરૂર પડે વધારાનો નર્સિગ સ્ટાફ કામ લગાડાશે.


વડોદરા : રોમિયોને વિદ્યાર્થિનીએ જાહેરમાં લાફા ઝિંક્યા

એસએમએસ કરી હેરાન કરતાં યુવકને મ.સ. યુનિ.ની વિદ્યાર્થિનીએ મેથીપાક ચખાડતાં અલકાપુરી વિસ્તારમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઇ હતી. યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું.મ.સ.યુનિ.માં અભ્યાસ કરતી સાધનસંપન્ન પરિવારની યુવતીનો મોબાઈલ નંબર મળી જતાં એક યુવક ઓળખ છુપાવી મેસેજ મોકલવાની શરૂઆત કરી હતી. મિત્રતાભર્યા મેસેજથી શરૂ કરનાર યુવકે છેલ્લાં દસ દિવસથી તેણે વાંધાજનક મેસેજ મોકલવાની શરૂઆત કરી હતી. યુવતીએ તેને મેસેજ મોકલવાનું બંધ કરવા માટે જાણ કરી હતી. જોકે તેમ છતાં તેણે મેસેજો મોકલી યુવતીની પજવણી ચાલુ રાખતાં યુવતીએ તેને ફોન કરી તેની ઓળખ માગી હતી પરંતુ તેણે તેનો પણ ઈન્કાર કર્યો હતો.તેથી, યુવતીએ પરિવારજનોને જાણ કરી રોમિયોને પાઠ ભણાવવા માટે છટકું ગોઠવ્યું હતું. આજે બપોરે યુવતીએ તેને મળવાના બહાને અલકાપુરી વિસ્તારમાં બોલાવ્યો હતો. ભારે ઉત્સાહપૂવર્ક તે ત્યાં પહોંચી યુવતીને પોતાની ઓળખ આપતાં જ યુવતીએ તેને જાહેરમાં લાફા ઝીંકી દીધા હતા.આ બનાવના પગલે આસપાસમાં હાજર યુવતીના પરિવારજનો પણ ત્યાં દોડી આવ્યા હતા અને તેઓએ યુવકના મેથીપાક ચખાડ્યો હતો. એક તબક્કે તેઓની વચ્ચે ખેંચતાણ થતાં યુવકનું શર્ટના બટન પણ તૂટી ગયા હતા. આ બનાવના પગલે ટોળું ભેગુ થતાં મામલો સયાજીગંજ પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.જોકે યુવતીએ બદનામીના ડરે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જો કે, બાદમાં યુવતી ત્યાંથી જતી રહેતાં પોલીસે યુવકને પણ ઠપકો આપી રવાના કર્યો હતો. આ બનાવની પોલીસ ચોપડે કોઈ નોંધ નહિ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.


સતત ૨૧મા વર્ષે વેરાબિલમાં ગોટાળા

અધિકારીઓની બેદરકારીને કારણે અનેક વડીલ નાગરિકોને ધરમધક્કા ખાવા પડે છે,બેદરકારી નક્કી કરી આકરાં પગલાં લેવા ઉઠતી માગ.સેવાસદન તંત્રે રેઢિયાળ વહીવટ૨ ૨૧મા વર્ષ પણ અકબંધ રાખી, પોતાની કાર્યદક્ષતાનો પરચો આપ્યો છે. જોકે, સરકારી અધિકારીઓના બેજવાબદાર વહીવટના પ્રતાપે શહેરના વડીલને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો હતો. ૨૦ વર્ષથી વેરા બિલમાં સુધારાની માગ કરતાં વડીલ શહેરીજને આરટીઆઇમાં માહિતી માગતા અધિકારીઓએ જવાબ આપવાના બદલે સરકારી કચેરીના આંટા મારવાનું નવું ચક્ર શરૂ કરાવી દીધું હતું.હરણી રોડ વિસ્તારના વિજયનગરના એલઆઈજી કવાટર્સ એલ ૧૧-૧૨૧માં રહેતા શશીકાંત શાહે ૧૯૮૯માં પાણીનું એક વધારાનું કનેકશન લીધું હતું. ૩૧-૩-૧૯૯૧માં તેમનું વેરાબિલમાં એક સાથે પાણીના ત્રણ કનેકશનના ચાર્જ પેટે ૧૮૦રૂપિયાનું ઉઘરાણું કાઢયું.ત્યારે તેઓ પહેલીવાર વોર્ડ ઓફિસમાં જઈને માત્ર બે કનેકશન હોવાની વાત કરી હતી. ત્યારે એ અધિકારીએ બિલ સુધારી આપ્યું હતું. પછી બીજા વર્ષે, ત્રીજા વર્ષે.. એમ સતત ૨૦ વર્ષ સુધી કોર્પોરેશનના અધિકારીઓની જડસુ નિષ્ક્રિયતાને લીધે આ જ હેરાનગતિમાંથી પસાર થતા ગયા છે. સમયાંતરે વેરાની રકમ વધતી ગઈ હવે આ વર્ષે એક કનેકશનના ૮૫૦ લેખે બે કનેકશનનું ૨૫૫૦ રૂપિયા બિલ ફટકારવામાં આવ્યું છે. તેઓ કહે છે કે આ ગોટાળાને લીધે સમગ્ર વેરાબિલ ફરીથી સુધારાવું પડે છે.આજે સરકાર કમ્યૂટરાઈÍડ સિસ્ટમના બણગાં ફૂંકે છે ત્યારે જો રહીશની રજુઆત મેયરથી માંડીને મ્યુનિસપિલ કમિશનર સુધી પણ થઈ હોય છતાં વર્ષોથી ટલ્લે ચઢતી હોય તે બાબત શરમજનક કહી શકાય. તે સાથે આ અંગે જવાબદાર અધિકારી સામે આકરાં પગલાં લેવાની માગ ઉઠી છે.આરટીઆઈનું પરિણામ : અધિકારીઓએ ફટકાર્યું રૂબરૂ હાજરીનું ફરમાન.સતત વીસવીસ વર્ષથી ખોટાવેરા બિલ લેવાની આપદા ભોગવતા શશીકાંત શાહે કંટાળીને ૧૪મી મેના રોજ આરટીઆઈ કરી તો જવાબ રૂપે જાહેરમાહિતી અધિકારી અને વોર્ડ ઓફિસરે ‘ કાર્યવાહીની માહિતી બાબતે ઓફિસ સમય દરમિયાન સંપર્ક કરી આપવામાં આવશે.’ તેવું રૂબરૂ હાજર રહેવાનું ફરમાન કરી દીધું.અધિકારીઓ કોઇને ગાંઠતા નથી! ૨૩મી ઓગસ્ટના રોજ પત્ર દ્વારા જણાવ્યું હતું કે તમારા પ્રશ્ન વિશે કાર્યવાહી કરવા સારું વહીવટી વોર્ડ ૨-બીની કચેરીએ મોકલી આપેલ છે. આજે એ વાતને વરસ થવા આવ્યું છતાં મેયર સહિત કોઇને અધિકારીઓ ગાંઠતા ન હોવાનું જણાય છે.


વડોદરા : ઢાઢર ભયજનક સપાટીએ

અમાસની ભરતી તેમજ ઉપરવાસમાં છેલ્લાં બે દિવસમાં થયેલા વરસાદને પગલે ઢાઢર નદી ભયજનક સપાટીએ પહોંચી છે. જ્યારે વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક વધવાના કારણે વિવિધ ગામોના ૩૭ કુટુંબોનું સ્થળાંતર કરાયું હતું.છેલ્લા બે દિવસ દરમિયાન વડોદરા જિલ્લામાં થયેલા વરસાદ અને અમાસની ભરતીની અસરના પગલે દરિયો પાણી સ્વીકારતો ન હોવાથી ઢાઢર નદી ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. જ્યારે વિશ્વામિત્રી નદીમાં પાણી વધતાં પાદરા નજીકના ચાણસદ, ઠીકરિયા, શિહોર , વીરપુર અને હુંસેપુર જેવાં ગામોમાં પાણી ઘૂસી ગયાં હોવાથી ૩૭ કુટુંબોને સ્થળાંતર કરાયું હતું.રવિવારે રાત્રે હુસેપુર તો બેટમાં જ ફેરવાતા ગ્રામજનો ફફડી ગયાં હતાં. આજે વડોદરા જિલ્લામાં કોઈ વરસાદ નોંધાયો ન હતો પણ વડોદરા જિલ્લામાંથી પસાર થતી ઢાઢર અને વિશ્વામિત્રી નદીમાંથી પાણી ભરૂચ જિલ્લા તરફ આગળ વધતાં પાણીની સપાટી ઊંચે ચઢી હતી. ભરૂચ જિલ્લાનાં આમોદ નજીક ઢાઢર૧૦૦ ફૂટ પર પહોંચી જતાં ભયજનક બની હતી. ઢાઢરની તબાહીને કારણે આમોદ તાલુકાના વડીયા એ દાદાપોર ગામની સીમમાં પાણી ફરી વળ્યાં હતા. આ ઉપરાંત ઢાઢરમાં રહેતાં મસમોટા મગર ગામડાઓમાં પ્રવેશે તેવા ભયથી ભરૂચ જિલ્લાના આ વિસ્તારનાં લોકોમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો છે.આ ઉપરાંત ભરૂચ વહીવટી તંત્રે જંબુસર અને આમોદનાં કાઠાના વિસ્તારોને પણ એલર્ટ કરી દીધા છે. વડોદરામાં મોડી સાંજે વિશ્વામિત્રીની સપાટી ૧૧.૯ ફૂટ અને દેવડેમની સપાટી ૩૨ ફૂટ તથા આજવાની સપાટી ૨૦૯ ફૂટ નોંધાઈ હતી.નોંધનિય છે કે, ઢાઢર અને વિશ્વામિત્રીની સપાટી અચાનક વધવામાં વડોદરા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ અને ભરૂચ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ વચ્ચે સંકલનનો અભાવ હોવાનું જણાયું હતું. દેવ ડેમ કે આજવામાંથી કેટલું પાણી છોડાયું તેનો તંત્ર સ્પષ્ટ જવાબ આપી શક્યું ન હતું.રાજલી ક્રોસિંગ પાસે એમ્બ્યુલન્સ તણાતાં બેનાં મોત.ડભોઇ-વડોદરા રાજ્યધોરી માર્ગ ઉપર રાજલી ક્રોસીંગ પાસે ૭મી ઓગસ્ટના રોજ રાત્રે પાણી ફરી વળ્યું હતું. દરમિયાન વડોદરાથી દર્દીને મૂકી પરત બોડેલી જતી જનરલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ ડ્રાઇવર અને સ્વિપર સાથે પાણીમાં તણાઇ ગઇ હતી. આ અંગે અજાણ તંત્રને રવિવારે મોડી રાતે પાણીમાં ગરક થઇ ગયેલી એમ્બ્યુલન્સ મળી આવી હતી. બાદમાં સોમવારે સવારે ઢાઢર નદીના કોતરોમાંથી ડ્રાઇવર પિયુષ મોહનભાઇ પરમાર (ઉ.વ. ૨૩) અને સ્વીપર જયંતીભાઇ કનુભાઇ સોલંકી (ઉ.વ.૨૮) ના મૃતદેહ મળી આવ્યા હતા.


સુરતને તાપીમાં ડુબાડી દેવાનો તખ્તો ફરી તૈયાર

સુરત શહેરને પૂરમાં ડુબાડી દેવા માટે રેતીમાફિયાઓને ઈશારે તખ્તો ગોઠવાઈ ગયો છે. વિયર કમ કોઝવેથી સમુદ્રના ત્રીસ કિલોમીટર સુધીના વિસ્તારમાં બેટમાંથી માટી કાઢવાના નામે શહેરને ફરી ડુબાડી દેવા માટેની સૈદ્ધાંતિક સ્વીકૃતી જિલ્લા કલેક્ટર કચેરી અને રાજ્ય સરકારને સિંચાઈ વિભાગ દ્વારા મોકલી આપવામાં આવી છે.તાપી શુદ્ધીકરણના નામે રાજ્ય સરકારે સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ સાથે મળી રૂ.૧૦૦ કરોડ તાપીમાંથી નીચોવી લેવા કારસો ગોઠવી દીધો છે. વધુ એકવખત શહેરના અડધા કરોડ લોકોના જાનમાલને જોખમમાં મૂકવા નેતાઓ અને અધિકારીઓ ભેગા થઈ ગયા છે.રેતીખનનને કારણે તાપીએ કોઝવેના ડાઉન સ્ટ્રીમમાં પ્રવાહ બદલ્યો.એક સમયે તાપી તસવીરમાં દર્શાવ્યા (યલો લાઇન) પ્રમાણે સીધી વહેતી હતી. હાલમાં તાપી શહેરના કોટ વિસ્તાર પાસે ‘યુ’ આકારમાં ખતરનાક રીતે વહી રહી છે. શહેરમાં તાપીના પાણી ઘૂસી જવાની દહેશત છે. આ પરિસ્થિતિ માટે રેતીખનન જવાબદાર હોવાનો રિપોર્ટ જે તે સમયે નિષ્ણાતોએ આપ્યો હતો, જેથી કોઝવેથી સમુદ્ર વચ્ચે રેતીખનન પર મનાઈ ફરમાવવામાં આવી હતી, પરંતુ આ વિસ્તારમાં માટીના નામે ખનનનો તખ્તો ફરી ગોઠવાયો છે.આ જ રીતે માટી કાઢી શકાય.માટી કાઢવા માટે સેન્ટ્રલ વોટર પાવર રિસર્ચ સેન્ટર, પૂના પાસેથી સરવે કરાવ્યા બાદ જ માટી કાઢી શકાય અન્યથા તાપીના પટમાં ચેડાં કરવાની સજા અડધા કરોડ લોકોએ વિનાશક પૂરસ્વરૂપે ભોગવવી પડશે.માટી કાઢવા માટે ચોક્કસ બેટ જ પસંદ કરવા જરૂરી છે.તાપીના કિનારાઓ પરથી માટી કાઢી નાંખવામાં આવી તો કિનારાઓ ધસી જશે તેમાં કોઈ મીનમેખ નથી.


સુરત : ઉલટી કરતી મહિલાનું ૧૫ જ મિનિટમાં મૃત્યુ

રોગચાળો શહેરમાં વકરી રહ્યો હોવાનો પુરાવો સોમવારે મળ્યો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં ઊલટીઓની ફરિયાદ સાથે આવેલી મહિલાનું માત્ર ૧૫ જ મિનિટમાં મૃત્યુ થઈ ગયું હતું. શરીરમાં બીમારીના પ્રવેશ સાથે જ મૃત્યુ થતું હોવાનો આ કિસ્સો ચિંતાજનક છે.પ્રાપ્ત વિગત અનુસાર સિંગણપોર ખાતે આવેલી ગુરુકૃપા સોસાયટીમાં રહેતાં ૨૮ વર્ષીય મીરાંબેન સહાનીને છેલ્લા ત્રણેક દિવસથી ઝાડા-ઊલટી થઈ રહ્યાં હતાં. સોમવારે બપોરે તેમની હાલત વધુ ખરાબ થઈ જતાં તેમના પતિ જગન્નાથ તેમને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ આવ્યા હતા.મીરાંબેન સિવિલના ગેટ પર આવ્યાં ત્યારથી તેમણે ઊલટીઓ કરવાની શરૂઆત કરી હતી, જે બંધ થતી જ ન હતી. તેમને તરત જ કેÍયુલિટીમાં સારવાર આપવામાં આવી હતી, જ્યાં તેઓ ૧૫ મિનિટ પણ જીવી શક્યાં ન હતાં.બીજી તરફ કડોદરામાં વૃંદાવન હોટલની બાજુમાં રહેતા ૩ વર્ષીય મોહિત ધીરજભાઈ આદિવાને છેલ્લા એક અઠવાડિયાથી તાવ આવી રહ્યો હતો જેને કડોદરા ખાતે આવેલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સારવાર અર્થે લઈ જવાયો હતો, જ્યાં તેની તબિયત વધુ ખરાબ હોવાનું જણાતાં તેને નવી સિવિલમાં રફિર કરવામાં આવ્યો હતો. સિવિલમાં લવાતાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.


હમીરસરને વિધિવત્ વધાવાયું

૨૧મી વખત ઓગનેલાં કચ્છના હૃદયસમા હમીરસરને હિલોળા લેતા હૈયે આજે ભુજ વધાવાયું હતું. પાવડીના કિનારે સેંકડો શેહરીજનોની હાજરીમાં નગરપતિ દેવરાજ ગઢવીએ સજોડે નવા નવીરનું શાસ્ત્રોકતવિધિથી પૂજન કર્યું હતું.રવિવારે સાંજે ઓગનમાં પાણીના આગમન સાથે જ શહેરીજનો આનંદમાં આવી ગયા હતા આજે સવારે દસ વાગ્યે ધામધૂમથી શોભાયાત્રા નીકળી હતી, જે આતશબાજી, ગુલાલની છોળો વચ્ચે છઠ્ઠીબારી, મહાદેવ ગેટ થઇ પાવડી પહોંચી હતી જ્યાં મોટી સંખ્યામાં નગરજનોએ આવકાર આપ્યો હતો.શોભાયાત્રાના માર્ગ પર હાટકેશ્વર મંદિર પાસે નાગર મંડળના પ્રમુખ અતુલ મહેતા, ડૉ. ઉર્મિલ હાથી, દર્શકભાઇ બૂચ, અપૂર્વ ધોળકિયા, યશેષ વોરા, ભૌમિક વચ્છરાજાની, જીનલ મહેતા, કનુભાઇ વ્યાસે નગરપતિ દંપતીને શુભેચ્છા પાઠવી મીઠું મોં કરાવ્યું હતું.રઘુનાથજીના મંદિર પાસે સમસ્ત જેઠી ગ્રૂપ દ્વારા હારતોરા કરાયા હતા તેવું અશિ્ચન જોષીએ કહયું હતું.નગરસેવકોએ લાલ સાફા ધારણ કર્યા હતા અને સૌ ઢોલના નાદે ઉન્માદભેર નર્તન કરતા નજરે પડ્યા હતા. પાવડી પર દેવરાજભાઇ તેમજ તેમના પત્ની જયાબેન દ્વારા પરંપરાગત રીતે પૂજન કરાયું હતું.તળાવમાં નવા નીરમાં પોટલું નખાયું હતું, જેને મુસાભાઇ થેભાએ પરત લાવતાં ઇનામ અપાયું હતું.ઓગનવિધિ સમયે કલેક્ટર એમ.થેન્નારસન પોલીસ વડા વાબાંગ જામીર, અધિક કલેક્ટર ગુણવંત વાઘેલા, નાયબ કલેક્ટર મહેશ દવે, ચીફ ઓફિસર ચેતન ડુડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ જીવાભાઇ આહિર, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, પૂર્વ નગરપતિઓ શંકરભાઇ સચદે, અરૂણ વચ્છરાજાની, રસિકભાઇ ઠક્કર, પ્રવીણસિંહ વાઢેર, બાપાલાલ જાડેજા,વપિક્ષી નેતા ફકીરમામદ કુંભાર, નગરસેવકો, કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


ભુજ : પેસેન્જર હોય તોય ભારે વાહનને વીમો મળે

ભારે વાહનોમાં પેસેન્જર બેસાડેલા હોય, ત્યારે પણ અકસ્માત થાય તો વીમા કંપની નુકસાનીની રકમ ચૂકવવા જવાબદાર હોવાનો ભુજના એક કેસના સંદર્ભમાં જિલ્લા ફોરમે આપેલા ચૂકાદાને રાજ્ય કમિશને માન્ય રાખ્યો હતો.ભુજના દરિયખાન અલુખાન મલેકની માલિકીની ટ્રકના અકસ્માત સમયે વીમો ધી ન્યૂ ઇન્ડિયા એન્સ્યોરન્સ કુ.લિ. પાસે ઉતરાવવામા આવ્યો હતો. આ અંગે કલેઇમ નોંધાવતા કંપનીએ વાહનમાં મુસાફરો બેસાડેલા હોવાની પોલિસીની શરતનો ભંગ ગણી દાવો નામંજૂર કર્યો હતો.આ નિર્ણયથી નારાજ થઇ ટ્રક માલિકે જિલ્લા ફોરમ સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદના સમર્થનમાં જુદા જુદા ચુકાદાઓને ધ્યાનમાં રાખી જિલ્લા ફોરમે ફરિયાદ મંજૂર કરી હતી. ફોરમના હુકમ સામે કંપનીએ રાજ્ય કમિશન સમક્ષ અપીલ રજૂ કરી હતી.રાજ્ય કમિશને વીમા કંપનીની અપીલ નામંજૂર કરી સર્વેયરના રિપોર્ટ મુજબ નુકસાનીના રૂ.૪૭,૩૦૧ ૯ ટકા વ્યાજ સાથે, માનસીક ત્રાસના રૂ.૧૦૦૦ તથા ખર્ચના રૂ.૨૦૦૦ વીમા કંપનીએ ચૂકવી આપવાના ફોરમના ચુકાદાને માન્ય રાખ્યો હતો. ફરિયાદી પક્ષે ધારાશાસ્ત્રી રાજેશભાઇ ઠક્કર હાજર રહ્યા હતા.


ભાવનગર : સુભાષનગરમાં બાંધકામો પર બુલડોઝર ફર્યું

શહેરના સુભાષનગરની વર્ષા સોસાયટીમાં જાહેર માર્ગ પર ગેરકાયદેસર કરેલા દબાણ પર મહાપાલિકાનું દબાણ હટાવ સેલ ત્રાટકતા બે રૂમ રસોડા, સંડાસ-બાથરૂમની સહિતના પાકા બાંધકામ પર બુલડોઝર ફેરવી ૨૦ ફુટનો રસ્તો ખુલ્લો કર્યો હતો. મહાનગરપાલિકાનાં દબાણ હટાવ વિભાગ દ્વારા જાહેર રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ લારી-ગલ્લા અને પડદા-પાટીયા હટાવવાની ઝુંબેશ શરૂ જ હોય છે. ત્યારે સુભાષનગર વિસ્તારમાં આવેલી વર્ષા સોસાયટીમાં સ્થાનિક રહીશો દ્વારા ૨૦ ફૂટના જાહેર માર્ગ પર ગેરકાયદેસર રીતે કરેલા પાકા બાંધકામ પર આજે દબાણ હટાવ ટીમ બુલડોઝર સાથે ત્રાટકી હતી અને બે રૂમ, રસોડુ, બે સંડાસ-બાથરૂમ સહિતનાં બાંધકામ તોડી પાડ્યું હતું. તદ્દઉપરાંત વર્ષા સોસાયટીમાં અન્ય બે રહિશોએ કરેલા ગેરકાયદેસર શૌચાલય પર બુલડોઝર ફેરવી જાહેર માર્ગને ખુલ્લો કયોઁ હતો.આમ ધીમે-ધીમે લારી ગલ્લામાંથી મકાનો પર બુલડોઝર. ફરવાનું શરૂ થયું છે ત્યારે કમિશનર તેમજ એસ્ટેટ વિભાગ સક્રિય થાય તો હજુ ગેરકાયદેસર બંધાયેલા અનેક મોટા બિલ્ડીંગ અને મકાનો પણ બુલડોઝરની રાહ જુએ છે.

ત્રણ ગણા પેસેન્જરોની સાથે બોટાદ ટ્રેન ભાવનગર પહોંચી

એક બાજુ રેલવે તંત્રનું સુત્ર જોવા મળે છે કે સંરક્ષા, સુરક્ષા અને સમયપાલન આ સુત્ર સારૂ છે પરંતુ ભાવનગર રેલવે તંત્રમાં મુસાફરોને સંતોષ નથી. સોમવારે બોટાદથી ભાવનગર સવારની ગાડી લગભગ ૮૦૦ યાત્રિકોની ક્ષમતા સામે લગભગ ૨૦૦૦ યાત્રિકોની ભીડ સાથે પહોંચી હતી.ભાવનગર રેલવે તંત્ર દ્વારા ક્યાં કારણોસર સ્થાનિક ગાડીઓમાં ડબ્બા વધારાતા નથી તે સમજ પડતી નથી. દરરોજ ગીર્દીમાં વૃદ્ધો-મહિલાઓ પરેશાની ભોગવી રહેલ છે. આ સંજોગોમાં રેલ સત્તાવાળાઓ તેમજ સંબંધિત રાજકિય પ્રતિનિધિઓને લેશ માત્ર પડી નથી.સોમવાર તા.૯ નાં સવારે બોટાદથી ભાવનગર આવતી ગાડીમાં સાત ડબ્બાઓમાં લગભગ ૭૫૦ થી ૮૦૦ મુસાફરોની ક્ષમતા સામે ૧૯૦૦ થી ૨૦૦૦ જેટલા ઉતારૂઓ ત્રાસદાયક ભીડમાં ભરાયેલા રહ્યા હતા. આ ભીડમાં યાત્રિકોની સલામતી અંગે પ્રશ્ન રહ્યો છે. રેલતંત્રનું સુત્ર જોવા મળે છે. સંરક્ષા, સુરક્ષા અને સમયપાલન !! આમાં યાત્રિકોની કઇ સુરક્ષા ગણવી !! ભાવનગર રેલવે તંત્રનાં સત્તાવાળાઓ મુસાફરોને સંતોષ આપતા નથી.બોટાદ-ભાવનગરની આ સાત ડબ્બાની ગાડીમાં બે અડધા ડબા તો માલસામાનનાં રહેલા છે. એટલે માત્ર છ ડબ્બાની ગાડીમાં મુસાફરો ભોગ બની રહ્યા છે. હવે શ્રાવણ માસ તેમજ તહેવારો દરમિયાન અવર-જવરનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે સ્થાનિક તંત્ર બે ડબ્બાઓ ઉમેરવા કાર્યવાહી કરે તો સારૂ તેવી આ ભીડનો ભોગ બનતી મુસાફર જનતા માંગ કરી રહેલ છે


મલેરિયા વિશે પાલિકા સૌને ગેરમાર્ગે દોરે છે : રાજ ઠાકરે

મલેરિયા અંગે મુંબઈ મહાપાલિકા, લોકોને ગેરમાર્ગે દોરે છે ખાસ કરીને મૃતકો વિશેના આંકડા ખોટા આપતી હોવાનો આરોપ મહારાષ્ટ્ર નવિનર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ મૂક્યો હતો. ‘‘આરોગ્યની જવાબદારી અંગે મહાપાલિકા અને રાજ્ય સરકાર એકબીજા પર ઢોળતા રહેતા હોવાથી એ બાબતમાં આપણે જ ધ્યાન આપવું જોઈએ. તેથી દરેક વ્યક્તિએ આજથી જાતે સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવી જોઈએ,’’ એમ માટુંગા ખાતે યશવંતરાવ નાટ્યગૃહમાં મનસેના કાર્યકર સંમેલનને સંબોધતાં રાજ ઠાકરેએ જણાવ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે ‘‘આખા ભારતમાં જેમ ભારે વરસાદ આવ્યો અને ઘણા ઠેકાણે પૂર આવ્યાં તેમ મુંબઈમાં પણ ઘણો વરસાદ પડ્યો. તેને લીધે રોગચાળો ફેલાવો સ્વાભાવિક છે. ચોમાસુ પૂરું થતાં રોગચાળાની હાલત વધુ વણસવાની શક્યતા ડોક્ટરો દર્શાવે છે. મુંબઈ મહાપાલિકા અને રાજ્ય સરકાર, દોષના ટોપલા અને જવાબદારી એકબીજાં પર ઢોળે છે. મહાપાલિકા, મલેરિયાથી મૃત્યુના ખોટા આંકડા આપે છે. કે. ઈ. એમ. હોસ્પિટલમાં મેં તપાસ કરી તો જુલાઈ મહિના સુધીમાં ૫૬ જણે મલેરિયાથી જીવ ગુમાવ્યા. તેઓ મલેરિયાના મૃત્યુને કુદરતી મૃત્યુ અથવા વૃદ્ધાવસ્તાને લીધે મૃત્યુ ગણાવે છે. હોસ્પિટલો સાચા રિપોર્ટસ આપતી નથી,’’ એમ તેમણે જણાવ્યું હતું.

વેરાવળ : સોમનાથમાં મકાન પડતાં ૯નાં મોત

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

વેરાવળ : સોમનાથમાં મકાન પડતાં ૯નાં મોત

મધરાત્રે જર્જરિત મકાન ધડાકાભેર તૂટી પડ્યું : નિદ્રાધીન સિંધી પરિવાર ઊઠી જ ન શક્યો. એક સાથે નવ અર્થી ઉઠતાં અંતિમ યાત્રામાં આંસુનો દરિયો વહ્યો.વેરાવળનાં પ્રભાસ પાટણમાં રવીવારની મધ્યરાત્રિએ યમરાજે જાણે મુકામ કર્યો હોય તેમ ચોગાન ચોકમાં એક જૂનું અને જર્જરિત મકાન ધડાકાભેર ધરાશાયી થતાં સીંધી પરિવારનાં નિદ્રાધીન નવે નવ સભ્યો ચિરનિદ્રામાં પોઢી ગયા હતા. ધડાકાનાં અવાજથી સફાળા જાગેલા આસપાસનાં રહીશો બહાર દોડી આવ્યા હતા. ત્યારે સામેનું મકાન કાટમાળમાં પલ્ટાયેલું નજરે પડ્યું હતું. થોડીજ કલાકો પહેલાં જે પરિવારનો હસતો ખેલતો નીહાળ્યો હતો. તેમનાં મૃતદેહો કાટમાળ નીચે દટાયેલા જોઇ કઠણ કાળજાવળા પણ કંપી ઉઠ્યા હતા. એક્સાથે નવ નવ મૃતદેહોને પી.એમ. માટે ખસેડાયા ત્યારે આંસુનો દરિયો વહ્યો હતો. અને શહેર આખું શોકમાં ગરકાવ થઇ ગયું હતું.પ્રભાસ પાટણનાં જોડીયાનગર ચોગાન ચોકમાં આવેલું સાજનદાસ ટેલુમલ ટીકોતીયા (ઉ.૫૫)નું મકાન ગત રાત્રિનાં અઢી વાગ્યાનાં અરસામાં ધડાકાભેર તૂટી પડતાં ઘરનાં નવેય સભ્યો નિદ્રધીન અવસ્થામાં જ મોતને ભેટ્યા હતા. ધડાકો સાંભળી આસપાસનાં રહીશો સફાળા જાગી બહાર દોડી આવ્યા હતા. અને બનાવ અંગે સૌપ્રથમ પૂર્વ નગરસેવક અને સીંધી આગેવાન લાલુભાઇ માખેચાને જાણ કરાઇ હતી. તેમણે ઘટનાસ્થળે દોડી આવી પ્રભાસ પાટણ પોલીસ અને ન.પા.નાં ચીફ ઓફિસરને જાણ કરી હતી.આ ઘટનામાં સાજનદાસભાઇનાં અને તેમનાં ભાઇનાં પરિવારનાં નવેય સભ્યો મોતને ભેટ્યાનાં સમાચારો ફેલાતાં અરેરાટી ફેલાઇ હતી. મૃતક હતભાગીઓમાં નીચેનાં માળે રહેતા સાજનદાસભાઇ, તેમનાં પત્ની ઇન્દુબેન ઉ.૫૦) , તેમની ત્રણેય પુત્રીઓ દીપાબેન (ઉ.૧૯), કંચનબેન (ઉ.૧૭) અને વૈશાલીબેન (ઉ.૧૬) અને ઉપરનાં માળે રહેતા સાજનદાસનાં ભાઇ સ્વ. કશિનચંદનાં પત્ની ચંદ્રિકાબેન (ઉ.૬૦), પુત્રો દિનેશ (ઉ.૩૦), જગદીશ (ઉ.૨૮) અને પુત્રી દીપા કશિનચંદ (ઉ.૨૪) નો સમાવેશ થાય છે.બનાવને પગલે પી.આઇ. સરવૈયા સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. અને તાકીદે બચાવની કામગીરી હાથ ધરી હતી. બનાવની જાણ સમગ્ર પ્રભાસ પાટણ વિસ્તારમાં થઇ જતાં લોકોનાં ટોળે ટોળાં ચોગાનચોકમાં ઉમટી પડ્યા હતા.કાટમાળ ખસેડવામાં એન.ડી.આર.એફ. ની ટુકડી જોડાતાં ઝડપ આવી હતી. મૃતદેહોને પી.એમ. માટે વેરાવળનાં સરકારી દવાખાને ખસેડાયા હતા. મામલતદાર અને નાયબ કલેક્ટર અજીતસિંહ ઝાલાને જાણ કરાયા બાદ તંત્ર જેસીબી સાથે પહોંચ્યું હતું.


ટ્રાફિક પોલીસમાં જવાનોની સંખ્યા વધારો: વડી અદાલત

શહેરમાં વાહનોની વધતી સંખ્યાને કારણે ટ્રાફિકની ગીચતા દૂર કરવા અને એ સમસ્યા પર નિયંત્રણ રાખવા પૂરતી સંખ્યામાં ટ્રાફિક પોલીસના જવાનો વધારવા રાજ્ય સરકારે વિચાર કરવો જોઈએ, એવો આદેશ વડી અદાલતે આપ્યો હતો.આ બાબતમાં વડા ન્યાયમૂર્તિ મોહિત શાહ અને ન્યાયમૂર્તિ સત્યરંજન ધમૉધિકારીની ખંડપીઠ સમક્ષ સુનાવણી કરાઈ હતી. વાહનોની વધતી સંખ્યાને કારણે શહેરની પરિસ્થિતિ વધુ ગૂંચવાઈ હોવાનું સરકારી વકિલ ધૈર્યશીલ નલાવડેએ જણાવ્યું હતું. મુંબઈમાં વર્ષ ૨૦૦૮થી અત્યાર સુધીમાં ૧૭ લાખ વાહનો નોંધાયાં છે. આટલી મોટી સંખ્યામાં વાહનો પર નિયંત્રણ માટે ફક્ત ૨૬૦૦ પોલીસ જવાનો છે અને તેમને માટે વાહનવ્યવહાર પર નિયંત્રણ અઘરું બન્યું છે.મુંબઈ બાર એસોસિયેશને શહેરની વાહન વ્યવહારની સમસ્યા અંગે કરેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન આ મુદ્દા પ્રકાશમાં આવ્યા હતા. સિગ્નલ પર રાહદારીઓની સુરક્ષા તરફ દુર્લક્ષ રખાતું હોવાનો મુદ્દો એક અરજી દ્વારા એડવોકેટ આર્મીન વાંદરેવાલાએ ઉપસ્થિત કર્યો હતો.વાહનવ્યવહાર પર નિયંત્રણ માટે મુખ્ય જંકશન્સ સહિત ૨૫૩ ઠેકાણે સીસીટીવી ગોઠવાયાં હોવાની માહિતી સરકારી વકીલ ધૈર્યશીલ નલાવડેએ આપી હતી. આ તબક્કે એડ. વાંદરેવાલાએ વાહનવ્યવહાર સલાહકાર સમિતિ સ્થાપવા સૂચન કર્યું હતું. એ સૂચન સરકાર વકીલે માન્ય રાખ્યું હતું. રસ્તો ઓળંગવા માટે અનેક ઠેકાણે ઝેબ્રા ક્રોસિંગના પટ્ટા નહીં હોવાની ફરિયાદ એડ. વાંદરેવાલાએ કરી હતી.મુંબઈ મહાપાલિકાને ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ક્રોસિંગના તમામ ઠેકાણા પર ‘ઝેબ્રા ક્રોસિંગ’ના પટ્ટા રંગવાનું કામ પૂરું કરવાનો આદેશ આપ્યા બાદ અરજીની સુનાવણી ત્રણ સપ્તાહ માટે મુલતવી રાખી હતી.


આણંદ-ખેડામાં દશામાના વ્રતનો આજથી થનાર પ્રારંભ

આણંદ, નડિયાદ સહિત સમગ્ર પંથકમાં દશામાના વ્રતની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ વ્રતનો સોમવારથી પ્રારંભ થઈ રહ્યો છે. આ વ્રતના પ્રારંભ પૂર્વે રવિવારે બજારમાં માં દશામાની મૂર્તિ, પૂજા-અર્ચનાની સામગ્રીની ખરીદી માટે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી. બજારમાં રૂ.૨૫ થી ૫૦૦ ઉપરાંતની દશામાની પ્રતિમા મળી રહી હતી.આણંદ-ખેડા જિલ્લામાં માદશામાના વ્રતની મહિલાઓ દ્વારા ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ વ્રતનો સોમવારથી પ્રારંભ થઈ રહ્યો છે. આ દિવસે વહેલી સવારે મહિલાઓ તૈયાર થઈને પોતાના ઘરમાં માં દશામાની મૂર્તિનું સ્થાપન કરશે અને દશ દશ દિવસ સુધી શ્રધ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરશે અને વ્રતના દશમાં દિવસે મહિલાઓ જાગરણ કરે છે. દશ દિવસ ચાલતા મા દશામાના વ્રતના કારણે જિલ્લામાં કેટલાક સ્થળોએ રાત્રિના સમયે ડાંડીયા-રાસનું પણ આયોજન કરવામાં આવે છે. જેના કારણે નવરાત્રિ જેવો માહોલ સર્જાય છે. આ વ્રતના પ્રારંભ પૂર્વે રવિવારે બજારમાં મા દશામા અને તેમની સાંઢણી પ્રતિમા સહિત પૂજા-અર્ચનાની સામગ્રી ખરીદવા માટે વ્રત કરનારી મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી. આ વ્રત નિમિત્તે બજારમાં પુસ્તિકાઓ તેમજ માતાજીના ગરબાની વિવિધ સીડી-કેસેટોનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે.આણંદમાં બોરસદ ચોકડી પાસે આવેલ દશામાના મંદિરને રોશની સાથે સજાવવામાં આવ્યું છે. જ્યાં આસપાસના વિસ્તારમાં રહેતાં માઇભક્તોની ભીડથી મેળા જેવો માહોલ સર્જાય છે. મહુધા તાલુકામાં આવેલા મીનાવાડામાં મા દશામાનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરમાં દશામાના વ્રત નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ દર્શનનો લાભ લેવા માટે રાજ્યભરમાંથી ભક્તજનો ઉમટી પડે છે. ગામમાં દશ દિવસ ભક્તજનોનો અવિરત પ્રવાહ રહે છે. જેથી ગામમાં મેળા જેવો માહોલ સર્જાય છે.


કડી તાલુકાનાં પાંચ ગામમાં ૬૬ પરિવારનું સ્થળાંતર

રવિવારે પડેલા વરસાદને પગલે કડી તાલુકાની દક્ષિણે આવેલા ખાખરીયા ટપ્પાના ૪૦ જેટલા ગામડાઓમાં ૧૩૩ જેટલા કાચા મકાનોને અંશત: નુકશાન તેમજ ૩૬ જેટલા કાચા મકાનો ધરાશાયી થયા હતા. જ્યારે ૪ પાકા મકાનોને વ્યાપક નુકશાન પહોંચ્યું હતું. જો કે, તંત્ર દ્વારા ૫ જેટલા ગામડાઓમાં ૬૬ કુટુંબોનું સ્થળાંતર કરી વરસાદમાં રાહતની કામગીરી હાથ ધરી છે.રવિવારે ખાબકેલા આઠ ઈંચ જેટલા વરસાદે જાણે વિનાશ વેર્યો હોય તેમ કડી પંથકના ખાખરીયા ટપ્પાના ખાવડ, વેકરા, ડરણ, કોલાદ, સોનવડ, જેતપુરા, પાલ્લી, વામજ, વડાવી, ગોવિંદપુરા, યશવંતપુરા, ચંદ્રાસણ સહિતના ગામોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. જે અંગની જાણ સ્થાનિક તંત્રને થતા અધિકારીઓ તાત્કાલીક ગામડાઓની પરિસ્થિતિને હળવી કરવા રાહતની કામગીરી હાથ ધરી હતી. ૮ ઇંચ જેટલા પડેલા વરસાદને લઇ ખાખરીયા ટપ્પાના ૪૦ જેટલા ગામડાઓમાં ૧૩૩ જેટલા કાચા મકાનોને અંશત: નુકશાન તેમજ ૩૬ જેટલા કાચા ધરાશાયી થયા હતા.જ્યારે તાલુકાના વડાવી અને વામજમાં ૪ પાકા મકાનોને પણ વ્યાપક નુકશાન પહોચ્યું હતું. તાલુકાના પીરોજપુર, ફતેપુરા, લુણાસણ, વામજ અને નાડોલિયામાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા ૬૬ કુટુંબોને તંત્ર દ્વારા સ્થળાંતર કરાયું હત અને રાહતની કામગીરી હાથ ઘરી હતી. ઉલ્લેખનીય છે કે, વરસાદ બાદ જે તે ગામના તલાટીઓ દ્વારા તાલુકા પંચાયતમાં રિપોર્ટ આપ્યો હતો.


મોદીના ફોટાવાળા બોર્ડ હટાવવાનું અમારું ગજું નથી

કલેક્ટર, મ્યુનિ. કમિશનર, એસ્ટેટ ઓફિસર, ટીપીઓ સહિતના અમલદારો સત્તા સામે ઘૂંટણિયે પડી ગયા! શહેરના પ્રવેશદ્વારથી લઇ મુખ્ય રાજમાર્ગો અને શેરી-ગલીઓમાં સ્વાતંત્રય પર્વની ઉજવણીનો માહોલ મોદીની પ્રસિધ્ધનો જશ્ન બનાવી દેવાયો છે. સરકારી સાધન સામગ્રી ખાસ કરીને મહાપાલિકાના વાહનોને પીદુડવામાં કલેક્ટર પટેલ કોઇ કસર છોડતા નથી. સામે મહાપાલિકા અને અન્ય સરકારી વિભાગોએ પણ જાહેર મિલકતો ઉપર કબજો જમાવી લીધો છે.ત્યાં સુધી કે રોડને પણ કોરા મૂકવામાં આવ્યા નથી. પવનની એક ભારે થપાટથી વાહનચાલકો ઉપર ગમે ત્યારે ધસી પડે એ રીતે ચારેબાજુ ડિવાઇડર મોદીના ફોટાવાળા હોર્ડિંગ્સ-બેનરો ખડકી દેવાયા છે, જે સંપૂર્ણપણે ગેરકાયદે હોવા છતાં મહાપાલિકા તંત્રના આંખે અહીં સત્તાગીરીના પાટા બંધાઇ ગયા છે. આ રીતે ડિવાઇડર પર ખોડી દેવાયેલા હોર્ડિંગ્સ ગેરકાયદે ન કહેવાય? એવા સવાલ સામે મહાપાલિકાના અધિકારીઓએ શરમભરેલુ માથું હામાં તો હલાવ્યું હતું પણ પગલાં લેવા સામે માથું ઝૂંકાવી દીધુ હતુ. બેનરમાં મોદી સાહેબના ફોટા છે ને, એટલે અમારું ગજું નથી. એવો ડર તેઓના ચહેરા પર સાફ ડોકાતો હતો.સરકારી કાર્યક્રમ છે, સહયોગ આપવો પડે: મ્યુ. કમિશનર -રોડ ડિવાઇડર પરના હોર્ડિંગ્સ ગેરકાયદે નથી? એવા સવાલ સામે મ્યુનિ. કમિશનર ડૉ. બ્રહ્નભટ્ટ પાસે ઉત્તર આપવા કોઇ શબ્દો ન હતા. તેઓએ માત્ર એક જ કેસેટ વગાડવાની ચાલુ રાખી હતી કે, આ સ્વાતંત્રય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી છે. સરકારી કાર્યક્રમ છે. એટલે સહયોગ તો આપવો પડે ને! સાહેબ કહે, એટલે બધું કાયદેસર: જગ્યા રોકાણ અધિકારી રૂપારેલિયા -રોડ, ફૂટપાથ અથવા તો ડિવાઇડર પરના દબાણો દૂર કરવાની મુખ્ય જવાબદારી એસ્ટેટ ઓફિસર રૂપારેલિયાની છે. પણ તેઓએ નિંભર થઇને એવુ કહ્યુ હતુ કે, રોડ ડિવાઇડરો માટે નિયમો તો છે, પણ સાહેબ કહે એટલે આ હોર્ડિંગ્સ કાયદેસર! તેમણે અવો ઉલ્લેખ પણ કર્યો હતો કે બેનરમાં મોદીનો ફોટો છે ને એટલે કાયદેસર-બીન કાયદેસરની વ્યાખ્યા ઉપરથી જ નક્કી થયેલી છે. માટે હું વિશેષ કંઇ ન કરી શકુ કે કહીં શકુ!જાહેરાત ઉપર મોદીનાં બેનર લગાડી દેવાયાં! રોડ પર મહાપાલિકાની હોર્ડિંગ્સ સાઇટ પર કલેક્ટર એચ.એસ.પટેલે કબજો જમાવી ત્યાં મોદીની પ્રસિધ્ધિના માચડા ઉભા કરી દીધા બાદ આટલાથી સંતોષ ન થતો હોય તેમ હવે પ્રાઇવેટ બિલ્ડિંગ-મકાનો પરની ખાનગી હોર્ડિંગ્સ સાઇટો પણ મોદીના ફોટાવાળી જાહેરાતોથી ચીતરી દેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. અહીં સત્તાગીરીની ચરમસીમા તો એ છે કે, સાઇટ પર કોઇની જાહેરાત લગાવેલી હોય તો પણ તે કાઢયા વગર તેની ઉપર જ મોદીના ફોટાવાળી જાહેરાતો લગાડી દેવામાં આવી રહી છે. આજે સાંજથી આ રીતે ખાનગી સાઇટ ઉપર કબજો જમાવવાનું ચાલુ થતાની સાથે જ આઉટડોર એજન્સીઓમાં ઉહાપોહ મચી ગયો હતો.


આશિયાનો બન્યો યમદૂત

ઘરને ધરતીનો છેડો કહેવામાં આવે છે. માણસ માત્રને પોતાના ઘરમાં મળે એ સુખ, એ શાંતિ અને એ સંતોષ બીજે ક્યાંય ન મળે. કારણ એ કે એ ઘર એનું પોતાનું હોય. એ ઘરમાં એણે પોતાના સ્વપ્નો સજાવ્યા હોય, એ ઘરમાં એણે જિંદગી વિતાવી હોય, એ ઘર સાથે સુખ-દુ:ખના અઢળક સંભારણાઓ હોય, એ ઘરમાં પરિવાર સાથે મીઠો કલોલ કર્યો હોય.એ ઘરમાં એ પોતાને સલામત અનુભવે. પણ... પ્રભાસપાટણમાં એક સિંધી પરિવાર માટે એનો આશિયાનો જ યમદૂત બન્યો. રવિવારની ભાંગતી રાત્રે કાળ ક્રૂરતાની તમામ સીમાઓ વળોટીને ત્રાટકયો. સિંધી પરિવારના નવ સભ્યો મીઠી-ગાઢ નિંદ્રામાં પોઢી ગયા હતા ત્યાં અચાનક જ બે માળનું એ મકાન કડડડભૂસ થઇને ધરાશાયી થઇ ગયું.વજનદાર પથ્થરો અને બેલાઓ હેઠળ નવ-નવ જિંદગી દબાઇ ગઇ, દટાઇ ગઇ. હજુ થોડી ક્ષણો પહેલાં ધબકતા હૃદયો ગૂંગળાઇને શાંત થઇ ગયા. કદાચ... એ ઘરના હતભાગી રહેવાસીઓની નિંદ્રા સફાળી ઉડી ગઇ હશે. હે ભગવાન ! આ શું થયું ? એવો મૂક ચિત્કાર નીકળ્યો હશે અસહ્ય દર્દ અને પીડા વચ્ચે એમણે પોતાના ભાઇ-ભાંડુ, માતા-પિતા કે પુત્ર-પુત્રીનું શું થયુ એ જોવા પ્રયાસ કર્યો હશે અને બાદમાં થોડા તડફડિયા મારીને એ જિંદગીઓ સદા માટે ચીર નિંદ્રામાં પોઢી ગઇ હશે.કાળના આ અટહાસ્યથી પ્રભાસ પાટણ સ્તબ્ધ બની ગયું છે. સોમનાથ મંદિર સમપિની શેરીમાંથી એક સાથે નવ-નવ મૃતદેહોને કતારબધ્ધ ગોઠવવામાં આવ્યા ત્યારે આકાશ પણ રડી પડ્યું હતું. નવ-નવ નનામીઓ એક સાથે નિકળી ત્યારે સોમનાથ મહાદેવની આંખમાંથી આંસુ સરી પડ્યા હશે.


માનવે બચવા માટે અવકાશમાં રહેવું પડશે

વિશ્વના પ્રખ્યાત વિજ્ઞાની પ્રોફેસર સ્ટીફન હોકિંગ અનુસાર માનવ જાત આગામી બે સદીમાં જો પૃથ્વી છોડીને અવકાશમાં નહીં વસે તો તે વિલુપ્ત થઈ જશે. જો કે તેમણે માનવના અસ્તિત્વ અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો.‘બિગ થિન્ક’ પોર્ટલ સાથેના ઈન્ટરવ્યૂમાં પ્રો. હોકિંગે જણાવ્યું હતું, ‘મને માનવ જાત માટે મોટો ખતરો દેખાય છે. ભૂતકાળમાં સંખ્યાબંધ વખત અસ્તિત્વ સામે ખતરો ઊભો થતા રહી ગયો હતો. ૧૯૬૩માંની કયુબન મિસાઈલ તંગદિલી આવા બનાવો પૈકીની એક હતી. આવા પ્રસંગોનું પ્રમાણ ભવિષ્યમાં વધવાની શક્યતા છે.બધા જ પ્રસંગોને સફળતાપૂર્વક હલ કરવા માટે આપણે ઘણી કાળજી અને નિર્ણયો લેવા પડશે. પરંતુ હું આશાવાદી છું. જો આગામી બે સદી સુધી આપણે મોટી દુર્ઘટનાને ટાળી શકીશું તો આપણી જાત સુરક્ષિત હશે, કારણ કે આપણે અવકાશમાં રહેતા હોઈશું.’પ્રો. હોકિંગે ચેતવણી આપી હતી કે માનવજાત ‘આપણા ઈતિહાસના વધુને વધુ ખતરનાક સમયગાળા’માં પ્રવેશી રહી છે. તેમણે કહ્યું હતું કે આગામી ૧૦૦ વર્ષમાં દુર્ઘટનાને ટાળવાનું ઘણું મુશ્કેલ બનશે.’ તેમણે ઉમેર્યું હતું, ‘લાંબા ગાળાના અસ્તિત્વ માટેનો આપણો એક માત્ર ચાન્સ પૃથ્વી પર રહેવામાં નહીં, પરંતુ અવકાશમાં


ધોનીની બાદશાહત સામે ખતરો

શ્રીલંકા સામે અંતિમ ટેસ્ટમાં વિજય હાંસલ કર્યા બાદ ભારતીય ટીમનો આત્મવિશ્વાસ બુલંદ છે. આ શ્રેણીમાં ભારતીય સ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગે શાનદાર દેખાવ કર્યો હતો.જો કે હવે આઈસીસી વન ડે રેન્કિંગમાં ભારતીય ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને વિરેન્દ્ર સેહવાગના સ્થાને સામે જોખમ ઉભું થયું છે.


શિંદેની પુત્રીના છુટાછેડાના કેસમાં સમાધાન ના થઈ શક્યું

કેન્દ્રીયપ્રધાન સુશીલકુમાર શિંદેની પુત્રી સ્મૃતિ શિંદે અને તેમના પતિ વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં સુપ્રીમે સદભાવપૂર્વક સમાધાન કરવા સૂચવ્યા બાદ પણ પતિ- પત્ની સમાધાન સુધી પહોંચી શક્યા નહોતા. સુપ્રીમ કોર્ટે સ્મૃતિ અને તેમના પતિ સંજય પહાડિયાને ૮ જુલાઇના રોજ સમાધાન શોધવા સૂચન કર્યું હતું.ન્યાયમૂર્તિ જી.એસ.સિંઘવી અને એ.કે. ગાંગુલીની બનેલી બેન્ચે આપેલી સૂચના મુજબ આજે બંને અદાલતમાં હાજર રહ્યા હતા. બેન્ચે ઇન ચેમ્બર સુવાનણી કરવાનું પસંદ કર્યું હતું પરંતુ સ્મૃતિ શિંદેએ ત્યાંપણ લગ્ન ચાલુ ના રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. બંનેના ધારાશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે પતિ પત્ની ન્યાયમૂર્તિની ચેમ્બરમાં મળ્યા હતા પરંતુ સમાધાનની કોઇ શક્યતા જણાતી નથી. તેમણે જણાવ્યું હતું કે પતિ પહાડિયા પોતાના પહેલાના વલણની જેમ જ છૂટાછેડાનો પ્રતિકાર કરતા રહ્યા હતા.છૂટાછેડા માટે પતિની મંજુરી વિના જ સ્મૃતિએ છૂટાછેડા અરજી કરી છે. સુપ્રીમ કોર્ટ અરજીની સુનાવણી કરી રહી છે. છેલ્લા પાંચ વર્ષથી અલગ રહેતા પતિ પત્નીને અદાલતે પોતાની સમક્ષ હાજર થવા ફરમાન કરીને સૂચવ્યું હતું કે બંને સમાધાનના વિકલ્પ શોધે. સ્મૃતિના ધારાશાસ્ત્રી મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે આ નિવારી ના શકાય તેવો છૂટાછેડાનો કેસ છે. પતિ પત્ની છેલ્લા પાંચ વર્ષથી અલગ રહે છે અને શરૂઆતમાં છૂટાછેડા માટે મંજુરી વ્યક્ત કર્યા બાદ પતિ છૂટાછેડાનો પ્રતિકાર કરી રહ્યા છે.


લાદેન જોડીયા બાળકનો દાદા બનશે

ત્રાસવાદી સંગઠન અલ કાયદાના વડા ઓસામા બિન લાદેનનો પુત્ર ઉમર જોડિયા સંતાનોનો પિતા બનવાનો હોવાથી તેના માટે આ બમણી ખુશીના સમાચાર છે. આ બંને સંતાનો છેલ્લા આઠ અઠવાડિયાથી એક બ્રિટિશ સરોગેટ માતાની કૂખમાં ઉછરી રહ્યા છે.
બ્રિટનમાં માન્ચેસ્ટરના એક પ્રાઈવેટ ક્લિનિકમાં ઉમરનાં સંતાનોની સરોગેટ માતા લુઈસ પોલાર્ડ(૨૪)નું સિટિ સ્કેન કરાયા બાદ આ વાત બહાર આવી છે. આ મહિલાએ આઈવીએફ ટેક્નોલોજીથી ગર્ભ ધારણ કર્યો છે. અખાતી દેશ કતારમાં રહેતા ઉમર અને તેની બ્રિટિશ પત્ની જૈનાને કોઈ સંતાન નથી. બંનેએ ૨૦૦૭માં લગ્ન કર્યા હતા.ઉમર અને જૈનાએ એક વેબસાઈટના માધ્યમથી લુઈસ પોલાર્ડના સંપર્કમાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે લુઈસે અગાઉ પણ સરોગેસી દ્વારા બે બાળકોને જન્મ આપ્યો હતો. ઉમર અને જૈનાના સંતાનો જન્મ બાદ બ્રિટનમાં જ ઉછરશે. ઉમરને બ્રિટનમાં પ્રવેશવાની મંજુરી આપવામાં આવી નથી પરંતુ બંને સંતાનો તેની જૈના સાથે રહેશે.બાળકોના જન્મ વખતે જૈના લુઈસની સાથે જ રહેશે. લુઈસની સરોગેસી અને હોસ્પિટલનો તમામ ખર્ચના નાણાં મધ્યપૂર્વના કોઈ દેશમાંથી ભરપાઈ થઈ રહ્યા છે. જોકે આ તપાસ બ્રિટિશ કાયદાની મર્યાદા બહાર આવતી હોવાથી તે અંગે વધુ માહિતી મળી શકી નથી.


ટીવી હજુ પણ ફિલ્મોને જ આધીન

સેટેલાઈટ ચેનલો પર તેમણે પોતે બનાવેલા ધારાવાહિકો (સીરિયલો) રિયાલિટી શોઝ અને હાસ્ય કાર્યક્રમોથી વધુ લોકપ્રિય તેના પર દર્શાવાતી ફિલ્મો છે. રાજકુમાર હીરાનીની ‘થ્રી ઇડિયટ્સ’ને દસથી વધુ ટીઆરપી (લોકપ્રિયતાનો માપદંડ) મળી. ‘છોટા પડદા’ સિનેમાના વિકલ્પ તરીકે ઉપસ્થિત થયા બાદ એ સિનેમાનું જ એક અતિરિકતરૂપ અથવા એક્સટેન્શન બની ચૂક્યું છે. વિચારવંત દર્શકને બચવા માટે કોઈ રસ્તો અપાતો નથી. સિનેમાવાળાઓ પણ તેમના હરીફને મદદ કરે છે, એ પણ અજબ વાત છે.ટીવી સ્ક્રીન પર દર્શાવાતી ભાવિ ફિલ્મોની ઝલક-‘પ્રોમો’ ખૂબ લોકપ્રિય છે. એ બતાવવા માટે નિર્માતાઓએ ચેનલોને ખૂબ નાણાં ચૂકવવા પડે છે. આજે ફિલ્મના પ્રચાર બજેટનો વધુમાં વધુ હિસ્સો તેમાં જ ખર્ચાય છે. આ એવી બાબત છે કે તમે તમારા દુશ્મનને દારૂગોળો અને કારતૂસોનો પુરવઠો આપવા ઉપરાંત બંદૂક ખરીદવા અને ચલાવવામાં તેને મદદ કરવા જેવી પણ બાબત છે.ફિલ્મોનાં ગીતો-દ્રશ્યો બતાવનારી ચેનલો પણ લોકપ્રિય છે. સીરિયલોમાં પણ ફિલ્મોનાં ગીત, નિર્માતાને રોયલ્ટી ચૂક્વીને વપરાય છે. આમ ટેલિવિઝન સંપૂર્ણ સિનેમામય છે અને ભારતમાં એ વિકલ્પ બનીને ઊભરી શક્યું નથી. તેણે પોતાની સ્વતંત્ર ઓળખ વિકસાવી નથી. ‘છોટા પરદા’ પર પ્રસ્તુત અનેક તમાશાના એન્કર ફિલ્મી સિતારા જ હોય છે અને તેમને એક એપિસોડના એક કરોડ રૂપિયા સુધી ચૂકવાય છે. દરેક શક્ય અશક્ય સ્થાન પર ફિલ્મો અથવા ફિલ્મવાળાઓને ઠૂંસી દેવાય છે. હવે સેટેલાઈટ ચેનલોમાં સફળ ફિલ્મ સ્ટારોની સેવાઓ લેવાની સ્પર્ધા ચાલે છે.‘કલર્સ’ ચેનલે સલમાન ખાનને ‘સોની’ ચેનલ પાસેથી છનવી લીધો છે. વળી આમિર ખાનને પણ પ્રલોભનો અપાઈ રહ્યાં છે. અક્ષયકુમાર, પ્રિયંકા ચોપડા, અમિતાભ બચ્ચન જેવાં નામોની સાથે જ ડેવિડ ધવન, અનુ મલિક, ફરહા ખાન, સાજિદ ખાન, સોનુ નિગમ અને શાન પણ ટેલિવિઝન સાથે જોડાયાં છે.ટેલિવિઝન, પોતાના સિતારા સર્જવામાં નિષ્ફળ રહ્યું છે. તેણે પોતાને માટે મૌલિક લખનારા પણ મેળવ્યા નથી. સેંકડો એપિસોડ સુધી ખેંચાતી સીરિયલોમાં સફળ કલાકારો પણ ફિલ્મસ્ટારો જેવી અકલ્પનીય લોકપ્રિયતા મેળવી શકતા નથી. ઘરમાં બેઠાં મફતમાં પ્રોગ્રામ જોનારાઓ પણ ખૂબ મોંઘી ટિકિટો ખરીદીને ફિલ્મ જોવા જાય છે. એટલે કે મનોરંજન જગતમાં ફિલ્મનો જાદુ અન્ય તમામ સમાન ચીજો પર ભારે પડે છે. આવા શક્તિશાળી માધ્યમે પણ દેશની લઘુતમ પ્રતિભા-ટેલન્ટનો જ ઉપયોગ કર્યો છે.સિનેમાએ ભારતીય સાહિત્યનો ભરપૂર લાભ ઉઠાવ્યો નથી. પણ લોક સંગીત અને લોકગીતોનો પૂરેપૂરો ફાયદો લીધો છે. મહત્તમ વ્યાપનું માધ્યમ લઘુતમ પ્રતિભા-ટેલન્ટનો ઉપયોગ કરી રહ્યું છે. ટેલિવિઝનના સંચાલકોની બુદ્ધિ એટલી નાનકડી છે કે તેને કોઈ જીવડાના શરીરમાં ફિટ કરી શકાય. પરંતુ એ ત્યાં પણ નેટવર્ક બનાવી લેશે.


સૌથી હોટેસ્ટ એન્ડ સેક્સી અભિનેત્રી સોનમ કપૂર

સોનમ કપૂરની ઈમેજ અત્યાર સુધી સીધી-સાદી અભિનેત્રીની હતી. જો કે મેક્સિમના મતે ભારતની સૌથી હોટેસ્ટ અભિનેત્રી સોનમ કપૂર છે.સોનમે કેટરિના કૈફ, દીપિકા પદુકોણ અને ગયા વર્ષની વિજેતા બિપાશા બાસુને પછડાટ આપીને નંબર 1નું સ્થાન હાંસિલ કર્યુ છે.સોનમે કહ્યું હતું કે, ભારતની સૌથી હોટેસ્ટ અભિનેત્રીનું બિરૂદ મળવાથી તે ઘણી જ ખુશ છે. તેને હોટ અને સેક્સી શબ્દો ગમે છે.મેક્સિમ હોટ 100માં અમૃતા રાવ 32માં સ્થાને, અનુષ્કા શર્મા 24માં, જેક્લિન ફર્નાનડિઝ 35માં અને ત્રિશા કૃષ્નન 93માં સ્થાને છે.ભારતીય મોડલ લિસા હેડન 48માં સ્થાને આવી છે. એશા ગુપ્તા 55 અને ડિના પેન્ટી 76માં સ્થાને છે.મેક્સિમ મેગેઝીનના એડિટર વિવેક પરીકના મતે આ યુવતીઓ યુવકો માટે પ્રેરણાસ્ત્રોત છે.આ યાદીમાં કેટી પેરી 12માં અને અવતારની અભિનેત્રી ઝોયા સાલ્ડન 26માં સ્થાને છે.


આમિર ખાન તાવમાં પટકાયો

બોલિવૂડ સુપર સ્ટાર આમિર ખાનને તાવ આવ્યો હોવાથી તેને અંતિમ ક્ષણે પીપલી લાઈવના પ્રથમ સ્ક્રિનિંગમાં હાજરી આપી શક્યો નહોતો.આમિરે કહ્યું હતું કે, તેની પીપલી લાઈવ 13 ઓગસ્ટના રોજ રીલિઝ થઈ રહી છે. જો કે મારી તબિયત સારી ના હોવાથી ફિલ્મના પ્રથમ સ્ક્રિનિંગ વખતે હાજરી આપી શકાઈ નહોતી.ઉલ્લેખનીય છે કે, આમિર ખાની ફિલ્મ પીપલી લાઈવ ખેડૂતોની સ્થિતિ અને આત્મહત્યા પર આધારિત છે.આમિર ખાન શનિવારના રોજ મેલબોર્નથી પરત ફર્યો હતો. ત્યારથી જ આમિરને 103 ડિગ્રી જેટલો તાવ હતો. આ જ કારણથી તેણે ફેસબુક પર લાઈવ ચેટ કરવાનું પણ માંડી વાળ્યું હતું.આમિરે આ અંગે પોતાના ચાહકોની માફી પણ માંગી હતી. આમિરે કહ્યું હતું કે, તેને ઘણો જ થાક લાગ્યો છે અને તે હાલત ઘણી જ ખરાબ હોવાથી તે હાલમાં ચેટ કરી શકશે નહિ.


બ્રિટનમાં શુટિંગ કરતી કરીનાને સોરવતું નથી

બર વન અભિનેત્રી કરીના કપૂર પ્રથમવાર ૨૦ દિવસ મુંબઇની બહાર રહી હોવાથી હોમ સિકનેસ અનુભવે છે. કરીના બ્રિટનમાં ફિલ્મ અને એડ્. ફિલ્મના શુટિંગ માટે વ્યસ્ત રહેતી હતી. પરંતુ, તેનો બાકીનો સમય બમ્બૈયા મિત્રો વિના માંડ વીતે છે.કરીનાને મુંબઇની યાદ એટલે સતાવે છે કેમ કે, બ્રિટનમાં તેની ખાસ બહેનપણી ડિઝાઈનર સબિના ખાન, ફિલ્મ નિર્માતા લવલી સિંઘ અને અભિનેતા તુષાર કપૂર નથી. બન્ને દેશના સમયમાં ફેરફાર હોવાથી કરીના મોબાઇલ પર કલાકો સુધી વાત કરી શકતી નથી. કરીનાએ બ્રિટનમાં કંટાળો દૂર કરવા ખાસ મિત્ર તુષાર કપૂરને લંડન તેડાવ્યો હતો. પરંતુ, તુષાર પણ અન્ય ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત હોવાથી તે લંડન જઇ શક્યો ન હતો. સબિના ખાન, લવલી સિંઘ, તુષાર કપૂર વગેરેએ ઇન્ટરનેટ પર કરીનાને બોલિવૂડની ગોસપિ મોકલવાનું શરૂ કર્યું છે.


બિગ બી-સલ્લુ-અક્કી વચ્ચે આર-પારની જંગ

ટેલિવિઝનના પડદે ઓક્ટોબર મહિનો સૌથી વધુ મહત્વનો છે. આ મહિને અક્ષય કુમાર, સલમાન ખાન અને અમિતાભ બચ્ચન વચ્ચે જંગ શરૂ થવાની છે.આ ત્રણેય કલાકારો પોતાની રીતે પોતાના શોની ટીઆરપી વધારવાનો પ્રયાસ કરશે.અમિતાભ બચ્ચન અને સલમાન ખાન અનુક્રમ સોની અને કલર્સના રિયાલિટી શોમાં કામ કરી રહ્યા છે. અક્ષય સ્ટાર પ્લસ પર કુકરી શોમાં કામ કરી રહ્યો છે. પ્રિયંકા ચોપરા ખતરો કે ખિલાડીની હોસ્ટ બની છે.અમિતાભ બચ્ચને બિગ બોસ 3નું સંચાલન કર્યુ હતું. જો કે બિગ બોસ 4નું સંચાલન સલમાન ખાન કરી રહ્યો છે. કેબીસી 4નું સંચાલન સીનિયર બચ્ચન કરી રહ્યા છે. આ શો 11 ઓક્ટોબરના રોજથી સોની પર શરૂ થશે.સલમાનને અમિતાભ સાથેની સ્પર્ધા અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે, સ્પર્ધા જેવું કંઈ નથી. અમે બંને અલગ અલગ શો કરી રહ્યા છીએ.કૌન બનેંગા કરોડપતિની પ્રથમ સિઝનનું સંચાલન અમિતાભ બચ્ચને કર્યું હતું. જો કે ત્રીજી સિઝનમાં શાહરૂખ ખાન હતો.બિગ બોસ 4માં ત્રણ મહિના સુધી સ્પર્ધકોએ એક ઘરમાં રહેવાનું હોય છે. બહારની દુનિયા સાથે તેઓનો સંપર્ક કપાઈ જાય છે.અમિતાભે બિગ બોસ વિષે કહ્યું હતું કે, હવે આ શોમાં સલમાન કામ કરતો હોવાથી તે ઘણાં જ ખુશ છે. સલમાન ઘણો જ સર્જનાત્મક છે અને તે બિગ બોસના ઘરમાં કંઈક અવનવું કરશે.અક્ષય કુમાર અભિનેતા બન્યો તે પહેલા બેંગકોકમાં રસોઈયો હતો. હવે, તે સ્ટાર પ્લસ પર કુકરી શોમાં આવી રહ્યો છે.આ તમામ શો ઓક્ટોબર મહિનાથી શરૂ થઈ રહ્યા છે. જો કે આમાંથી કોઈને એકબીજા સાથે સ્પર્ધા થવાનો ડર નથી.


હવે, પ્રિયંકા શાહરૂખની દિવાની

પ્રિયંકા ચોપરા બ્રાઝિલ જવા માટે તૈયાર છે. પ્રિયંકા ચોપરા ખતરો કે ખિલાડીના 12 સ્પર્ધકોની જાહેરાત કરી છે. આ શોની પહેલી બે સિઝન પહેલા અક્ષય કુમારે હોસ્ટ કરી હતી.જો કે આ વખતે પ્રિયંકા ચોપરા આ શોમાં કામ કરી રહી છે. આ શોમાં કુલ 13 સ્પર્ધકો છે. જો કે હજી એક સ્પર્ધકની જાહેરાત બાકી છે.જ્યારે પ્રિયંકાને તે સ્પર્ધક કોણ હશે તે વિષે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે, તે શાહરૂખ ખાન, રણબિર કે મેથ્યુ ગમે તે એક હોઈ શકે તેવી શક્યતા છે.


સુનિધી ડાન્સ કરીને દર્શકોને ડોલાવશે

ઈન્ડિયન આઈડોલના આજના એપિસોડમાં ત્રણ સ્પર્ધકો સુનિધી ચૌહાણ સાથે ગીત ગાશે.અનુ મલિક સુનિધી પર એક શાયરી ગાશે. ત્યારબાદ તમામ સ્પર્ધકો પર્ફોમ કરશે.એપિસોડના અંતે જ્જીસ અને સ્પર્ધકો દેસી ગર્લના ગીત પર ડાન્સ કરશે.તો જોવાનું ભૂલશો નહિ ઈન્ડિયન આઈડોલ માત્ર સોની પર રાત્રે નવ વાગે

લક્ષ્મણરેખા પાર કરવામાં લંકા નિષ્ફળ

અનુભવી બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે કટોકટીના સમયે ભારતને વિજય અપાવવાની પોતાની પરંપરા આગળ ધપાવતાં શનિવારે શાનદાર સદી ફટકારતાં અહીં રમાયેલી ત્રીજી ક્રિકેટ ટેસ્ટમાં શ્રીલંકા સામે ભારતનો પાંચ વિકેટે વિજય થયો હતો અને આ સાથે મહેન્દ્રસિંહ ધોનીની ટીમે ત્રણ ટેસ્ટની શ્રેણી પણ ડ્રો કરાવવામાં સફળતા મેળવી હતી.શ્રેણીની પ્રથમ ટેસ્ટ શ્રીલંકાએ જીતી હતી તો ત્રીજી ટેસ્ટમાં ભારતનો વિજય થયો હતો. આ સાથે કોલંબોના પી. સારા ઓવલ ખાતે ભારતે પહેલી વાર ટેસ્ટ મેચ જીતી હતી. લક્ષ્મણને મેન ઓફ ધ મેચ તથા વીરેન્દ્ર સેહવાગને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.અહીંના પી. સારા ઓવલની મુશ્કેલ પિચ ઉપર પાંચમા દિવસે ૨૫૭ રનના લક્ષ્યાંક સામે ભારતે શનિવારે સવારે ત્રણ વિકેટે ૫૩ રનથી પોતાનો દાવ આગળ ધપાવ્યો એ પછી સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણે મક્કમ ભાગીદારી નોંધાવીને ટીમનો વિજય નિશ્વિત કરી દીધો હતો. ભારતે ૧૭૧ રનના સ્કોરે પાંચમી વિકેટ ગુમાવ્યા બાદ લક્ષ્મણ અને સુરેશ રૈનાએ સ્કોર ૨૫૮ સુધી પહોંચાડી દીધો હતો. અંતે ટી ટાઇમની ૨૦ મિનિટ અગાઉ ભારતે પાંચ વિકેટે ૨૫૮ રન કરીને મેચ જીતી લીધી હતી.દિવસની શરૂઆતમાં જ ભારતે નાઇટ વોચમેન ઇશાન્ત શર્માની વિકેટ ગુમાવી દીધી એ વખતે થોડા સમય માટે ટીમ દબાણમાં આવી ગઈ હતી પરંતુ સચિન તેંડુલકર અને લક્ષ્મણે બાજી સંભાળી લીધી હતી અને સ્પિનર સૂરજ રણદિવને ઘાતક બનતાં રોકયો હતો. બંનેએ પાંચમી વિકેટ માટે ૧૦૯ રનની ભાગીદારી નોંધાવી હતી.સચિન તેંડુલકર ૫૪ રન નોંધાવીને આઉટ થયો એ વખતે ભારત સલામત સ્થિતિમાં પહોંચી ગયું હતું. વીવીએસ લક્ષ્મણે કારકિર્દીની ૧૬મી સદી ફટકારતા અણનમ ૧૦૩ રન ફટકાર્યા હતા. ૧૪૯ બોલ અને ૨૦૩ મિનિટની ઇનિંગ્સમાં હૈદરાબાદના આ સ્ટાયલશિ બેટ્સમેને ૧૨ બાઉન્ડ્રી ફટકારી હતી. આ શ્રેણી સાથે કારકિર્દીનો પ્રારંભ કરનારા સુરેશ રૈનાએ સળંગ ત્રીજી ઇનિંગ્સમાં પ્રભાવશાળી બેટિંગ કરી હતી અને અંતે વેલેગેડેરાના બોલે સિકસર ફટકારીને તેણે ટીમને વિજય અપાવ્યો હતો.રૈના ૪૧ રન સાથે અણનમ રહ્યો હતો. લક્ષ્મણ અને રૈનાએ છઢ્ઢી વિકેટની અતૂટ ભાગીદારીમાં ૮૭ રન ઉમેર્યા હતા. રૈનાની માફક સૂરજ રણદિવ માટે પણ આ પ્રથમ શ્રેણી હતી અને તેણે પણ પ્રભાવશાળી બોલિંગ કરી હતી. આ ઇનિંગ્સમાં ભારતે ગુમાવેલી પાંચેય વિકેટ રણદિવને ફાળે ગઈ હતી.

09 August 2010

ભાવનગરમાં રોજનું ૩૫૦ કિલો નકલી ઘી ઘુસાડાતું હતું

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

ભાવનગરમાં રોજનું ૩૫૦ કિલો નકલી ઘી ઘુસાડાતું હતું

ભાવનગર શહેરમાંથી ૩૫૦ કીલો જેટલું નકલી ઘીનો જથ્થો ઝડપાઈ જતા ફુડ એન્ડ ડ્રગ્સ તથા કોર્પોરેશનનું આરોગ્યતંત્ર તથા કલેક્ટરનું પુરવઠા તંત્ર ઉંઘતુ ઝડપાઈ ગયેલ છે, છેલ્લા બે વર્ષથી રોજ ૩૫૦ કીલો નકલી ઘી બનાવીને શહેરમાં આવેલ મીઠાઈવાલાની દુકાનો તથા મંદિરોમાં નકલી ઘી પુરૂ પાડનાર શખ્સને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની પોલીસે ઝડપી લેતા ભારે અફડાતફડી સર્જાવા પામી છે.જુનાગઢનો રહેવાસી અને ભાવનગર શહેરમાં ચિત્રામાં આવેલ બેંક કોલોનીમાં પ્લોટનંબર ૪૫માં રહેતા પટેલ નરેશ નારણ સાકરીયાના ઘરમાં રહેતો પટેલ દિનેશ મોહન સાકરીયા (ઉં.વ.૪૦) છેલ્લા બે વર્ષથી રોજ ૩૫૦ કીલો નકલી ઘી પાડતો હતો આ માટે થઈને મૃતક ગાયની ચરબી, ડાલ્ડા ઘી, પામોલીન તેલ, સોયાબીન તેલ, એસેન્સ તથા હળદર મિશ્રણ કરીને રોજ ૧૦૦ જેટલા એલ્યુમીનીયમના કેનમા નકલી ઘી ભરીને આ જથ્થો અમદાવાદ, રાજકોટ તથા ભાવનગર શહેરમાં ઘીના વેપારીઓને આપતો હતો.નકલી ઘીના વ્યવસાય અંગે એસ.પી. ચંદ્રશેખરને ગુ’ માહિતી મળતા એસઓજીના પી.આઈ. ભરવાડ, સ્ટાફના તાજુદીન દલ, ઘનશ્યામ બારોટ, અશોકસિંહ, ભીખુ બુકેરા, જયવીરસિંહ, મહાવીરસિંહ અને જોન્ટી સહિતની ટીમ ચિત્રાના બેંક કોલોનીમાં ત્રાટકીને પટેલ દિનેશને ઝડપી લીધો હતો.પોલીસે ગેસના ચુલા, વનસ્પતિ (ડાલ્ડા) ઘીના ૧૦ ડબ્બા પામોલીન તેલના ૨ ડબ્બા, સોયાબીન તેલના ૩ ડબ્બા, હળદરના ૪૦ પડીકા, એસેન્સના ડબ્બા તથા તૈયાર થયેલ નકલી ઘીના ૩૫ કેન સહિત કુલ રૂ.૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.બનાવના સ્થળ ઉપર પોલીસે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ, મ્યુનિ.કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર, પુરવઠા વિભાગ, ફોરેન્સીક સાયન્સ લેબની ટીમને તેડાવીને નકલી ઘીના નમુના પુરા પાડ્યા હતા. ભાવનગર શહેરની ખ્યાતનામ મીઠાઈવાળાની દુકાન ઉપર રોજ ૧૦૦ કીલો નકલી ઘી પુરૂ પાડનાર દિનેશ પટેલે પોલીસ સમક્ષ વેપારીઓના નામ-ઠામ જાહેર નહીં કરતા પોલીસ હવે તેની આગવી રીતે પુછપરછ શરૂ કરશે.


ટેલીપથી એટલે દૂર રહીને પણ મનની વાતો જાણવી

માદા કાચબો સમુદ્ર કિનારે ઈંડા આપી દૂર યાત્રા પર જાય છે. પણ હજારો કિલોમીટર દૂર ગયા બાદ પણ તે પોતાના ઈંડાના સતત સંપર્કમાં રહે છે.ટેલીપથી એટલે કે દૂર રહીને પણ વાત જાણી લેવી. ટેલીપથી આજે એક મહત્વપૂર્ણ અને સુવિખ્યાત વિદ્યાના રુપમાં પ્રસિદ્ધ છે. ટેલીપથીનો અર્થ છે દૂર રહીને અંદરોઅંદરની સૂચનાઓનું કોઇ ભૌતિક સાધનોની મદદ વિના આદાન-પ્રદાન.વ્યક્તિ દરેક જગ્યાએ કોઇ પણ સમયે પ્રાપ્ય નથી હોતો. માટે જ તેને હંમેશાથી એવી ટેક્નોલોજીની આવશ્યકતા રહી છે જેમાં સામેની વ્યક્તિ દૂર હોય છતાં પોતાનો સંદેશો પહોંચાડી શકાય કે કોઇ કાર્ય પાર પાડી શકાય. ટેલીપથી આવી જ એક માનસિક ટેકનોલોજી છે જે અંતર હોવા છતાં આપણી વાતોને ઇચ્છિત લક્ષ્ય સુધી પહોંચાડી દે છે. આ ટેક્નોલોજી દ્વારા આજે અનેક કાર્યો પૂર્ણ કરી શકાય છે.ટેલીપથીના બે કેન્દ્ર હોય છે. એક કેન્દ્ર બ્રોડકાસ્ટિંગ કરે છે અને અન્ય રીસીવરની ભૂમિકા ભજવે છે. હજારો માઇલ દૂર બેઠેલી કોઇ વ્યક્તિ સુધી કોઇ પણ ઉપકરણના માધ્યમની મદદ વગર માનસિક શક્તિના માધ્યમથી જ સંદેશ પહોંચાડી શકાય છે.માણસોને તો આ વિદ્યા શીખવી પડેછે પરંતુ પ્રકૃતિના સાચા સહચર સામાન્ય જીવ-જન્તુઓમાં ટેલીપથીની વિદ્યા જન્મથી જ હોય છે. આવું જ એક પ્રાણી છે કાચબો જેને આ વિદ્યામાં મહારત પ્રાપ્ત છે. માદા કાચબો સમુદ્ર કિનારે ઈંડા આપી દૂર યાત્રા પર જાય છે. પણ હજારો કિલોમીટર દૂર ગયા બાદ પણ તે પોતાના ઈંડાના સતત સંપર્કમાં રહે છે. આ ઈંડાને પાકતા 30થી 40 દિવસોનો સમય લાગે છે. આ સમગ્ર સમય દરમિયાન માદા કાચબો એટલે કે કાચબી એકપણ વખત ઈંડા પાસે આવતી નથી. પણ હજારો કિલોમીટર દૂર રહીને તે ઈંડા પકવવામાં મદદરુપ બને છે. જો કોઇ ઈંડાનો નાશ કરે તો તેની ખબર પણ તેને પડી જાય છે. એટલું જ નહીં કોઇ દુર્ઘટનામાં કાચબીનું મૃત્યુ થાય તો થોડા જ સમયમાં ઈંડાની અંદરના બચ્ચા પણ મૃત્યુ પામે છે અને થોડા જ કલાકોમાં તમામ ઈંડા સડવા લાગે છે.ટેલીપથીના ઉદાહરણો આપણને પ્રાચીન કાળથી જોવા મળે છે. વૈદિક કાળના ઋષિ-મુનિઓ પણ આ વિદ્યાનો પ્રયોગ કરતા હતા. આવું જ એક ઉદાહરણ રામાયણ કાળમાં જોવા મળે છે. માતા સીતાને શોધી લાવવાનું વચન આપ્યા બાદ પણ જ્યારે સુગ્રીવ વચન નિભાવી નથી શકતા ત્યારે રામના મનમાં ખેદ ઉત્પન્ન થાય છે. આ જ ક્ષણે હનુમાનના મનમાં પણ આ વિચાર આવે છે. વીર હનુમાન તુરંત જ કંઇ કહ્યા વિના આ વિચાર સુગ્રીવ સુધી પહોંચાડી દે છે.માદા કાચબો સમુદ્ર કિનારે ઈંડા આપી દૂર યાત્રા પર જાય છે. પણ હજારો કિલોમીટર દૂર ગયા બાદ પણ તે પોતાના ઈંડાના સતત સંપર્કમાં રહે છે.ટેલીપથી એટલે કે દૂર રહીને પણ વાત જાણી લેવી. ટેલીપથી આજે એક મહત્વપૂર્ણ અને સુવિખ્યાત વિદ્યાના રુપમાં પ્રસિદ્ધ છે. ટેલીપથીનો અર્થ છે દૂર રહીને અંદરોઅંદરની સૂચનાઓનું કોઇ ભૌતિક સાધનોની મદદ વિના આદાન-પ્રદાન.વ્યક્તિ દરેક જગ્યાએ કોઇ પણ સમયે પ્રાપ્ય નથી હોતો. માટે જ તેને હંમેશાથી એવી ટેક્નોલોજીની આવશ્યકતા રહી છે જેમાં સામેની વ્યક્તિ દૂર હોય છતાં પોતાનો સંદેશો પહોંચાડી શકાય કે કોઇ કાર્ય પાર પાડી શકાય. ટેલીપથી આવી જ એક માનસિક ટેકનોલોજી છે જે અંતર હોવા છતાં આપણી વાતોને ઇચ્છિત લક્ષ્ય સુધી પહોંચાડી દે છે. આ ટેક્નોલોજી દ્વારા આજે અનેક કાર્યો પૂર્ણ કરી શકાય છે.
ટેલીપથીના બે કેન્દ્ર હોય છે. એક કેન્દ્ર બ્રોડકાસ્ટિંગ કરે છે અને અન્ય રીસીવરની ભૂમિકા ભજવે છે. હજારો માઇલ દૂર બેઠેલી કોઇ વ્યક્તિ સુધી કોઇ પણ ઉપકરણના માધ્યમની મદદ વગર માનસિક શક્તિના માધ્યમથી જ સંદેશ પહોંચાડી શકાય છે.


મુંબઈ બંદરે શોધખોળ : ઓઇલ ક્યાંથી ઢોળાયું

શનિવારે મુંબઈના દરિયાકાંઠા પાસેના ક્ષેત્રમાં બે માલવાહક જહાજો ટકરાવાની ઘટના પછી તેમાંના એક જહાજમાંનો કાચા તેલનો કદડો દરિયાના પાણીમાં વહેવા માંડ્યો હતો. આ ગળતર તથા સંબંધિત સમસ્યાઓ રોકવા માટે તટરક્ષક દળના છ જહાજો અને પ્રદૂષણ નિવારક રસાયણના છંટકાવ માટે એક હેલિકોપ્ટર સક્રિય થયા હતા.તટરક્ષક દળના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘‘પ્રદૂષણ નિવારણની કામગીરી શરૂ કરાઈ છે. ટકરાવમાં નુકસાન પામેલા વેપારી જહાજ એમએસસી ચિત્રામાં ચોક્કસ કઈ જગ્યાએ ગળતર થઈ રહ્યું છે એ શોધવાનું કામ ચાલે છે. ટક્કર પછી ચિત્રા જહાજમાં પાણી ભરાઈ ગયું હતું.’’દરમિયાન જહાજ વ્યવહાર મહાનિયામક (ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગ)ના સલાહકાર (ચીફ નોટિકલ એડવાઈઝર) એમ. એમ. સાવિએ જણાવ્યું હતું કે ‘‘જહાજ વ્યવહાર મહાનિયામકના કાર્યાલયે ઘટનાની તપાસ શરૂ કરી છે. તટરક્ષક દળના તથા મહાનિયામક કાર્યાલયના અધિકારીઓ સ્થળ પર ઉપસ્થિત છે. બંદર પરનો રોજિંદો વ્યવહાર ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.’’લેટિન અમેરિકાના પનામા તરફના બે માલવાહક જહાજો શનિવારે મુંબઈ બંદર નજીક દરિયામાં ટકરાતાં એક જહાજમાંથી તેલના કદડાનું ગળતર શરૂ થયું હતું. જોકે આ ઘટનામાં જાનહાનિ થઈ નહોતી. બે પાકિસ્તાનીઓ સહિત જહાજ પરના ૩૩ કર્મચારીઓને બચાવી લેવાયા હતા.જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટના કાંઠેથી રવાના થયેલું ચિત્રા જહાજ પાંચ દરિયાઈ માઈલનું અંતર પાર કર્યા પછી સવારે ૯.૫૦ વાગ્યે એમ. વી. ખલિજિયા જહાજ સાથે ટકરાયું હતું. ચિત્રા જહાજ બહાર જઈ રહ્યું હતું અને ખલિજિયા જહાજ મુંબઈ પોર્ટ ટ્રસ્ટના બંદર તરફ આવી રહ્યું હતું.


મુંબઈના પરાઓમાં હવે શેર રિક્ષાની યોજના અમલી થશે

ટ્રાફિક પર નિયંત્રણ મુકવા તેમ જ રિક્ષાવાળાના ઉહાપોહને શાંત પાડવાના હેતુથી હવે રેલવે સ્ટેશનથી શેર રિક્ષાની વ્યવસ્થા અમલી કરાશે.યોજનાનો આરંભ ટૂંક સમયમાં બાંદરા પૂર્વ ખાતેથી ટ્રાફિક કમિશનર દિલીપ જાધવને હસ્તે થશે. બાંદરા રેલવે સ્ટેશનથી કલેક્ટરના કાર્યાલયના રસ્તે પ્રવાસીઓ શેર રિક્ષા દ્વારા પ્રવાસ કરી શકશે. આ રૂટ માટેનું મીટર ભાડું રૂ.૧૨ છે, પણ શેર રિક્ષા દ્વારા આ અંતર રૂ.પ.૫૦માં કાપી શકાશે. આ માટે ઉપનગરોમાં બે મહિનાના સમય ગાળામાં લગભગ ૫૦ રિક્ષા સ્ટેન્ડ ઊભાં કરાશે.


પુત્રજન્મ માટે વિધિનું કહી મહિલા ૪૩ હજાર લઇ છુ

સિલ્વર વેસ્ટ સોસા.માં બે મહિલાને ભિક્ષુક મહિલા છેતરી ગઇ. ૪૦ હજારની સોનાની હાંસળી અને રૂ. ૩ હજાર રોકડાં પોટલીમાં બાંધી મહિલા વિધિ કરવા નીકળી પછી પાછી જ ન ફરી.અંધશ્રધ્ધામાં રાચતા લોકોને ગઠિયાઓ અવાર નવાર છેતરી જતાં હોય છે. આવા જ એક કિસ્સામાં શહેરના ઉપલા કાંઠા વિસ્તારમાં મનપાની ઝોનલ ઓફિસ સામેની સિલ્વર વેસ્ટ સોસાયટીમાં બન્યો હતો. માગણ મહિલાએ પાડોશી બે મહિલાને મકાનમાં ભાડૂઆત આપવા અને પુત્ર પ્રાપ્તિ માટે સ્મશાનમાં વિધિ કરવાનું કહી ૪૦ હજારના દાગીના અને રોકડ સહિત ૪૩ હજારની મતા મેળવી નાસી છુટતા ચકચાર મચી ગઇ હતી.ભાવનગર રોડ પર ઝોનલ ઓફિસ સામેની સિલ્વર વેસ્ટ સોસાયટીમાં રહેતા કુંભાર ભાવનાબેન રસિકભાઇ પાટડિયા (ઉ. વ. ૩૫) અને પાડોશી શીતલબેન શુક્રવારે ઘરે હતા ત્યારે ૫૦ વર્ષની વયની એક મહિલા ત્યાં ભિક્ષાવૃત્તિના ઓઠાતળે ગઇ હતી અને પોતે ‘ભૂઇમા’ હોવાની ઓળખ આપી ભાવનાબેન અને શીતલબેન સાથે વાતો શરૂ કરી તેમની સમસ્યાઓ અંગે વિગતો મેળવી હતી. ભાવનાબેનના મકાનમાં ભાડૂઆત આવતા ન હોય અને શીતલબેનને પુત્ર નહીં હોવાની જાણ થતાં ઠગ મહિલાએ આ માટે સ્મશાનમાં વિધિ કરવી પડશે તેમ કહ્યું હતું. ભિક્ષુક મહિલાની વાતોમાં બન્ને મહિલા ફસાઇ ગઇ હતી અને ભાવનાબેને રૂ. ૪૦ હજારની કિંમતની સોનાની હાંસળી અને શીતલબેને રોકડાં રૂ. ૩ હજાર આપ્યા હતા.


વરસાદના કારણે કચ્છ એક્સપ્રેસ સવારના બદલે બપોરે આવી

અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદના કારણે કચ્છ એક્સપ્રેસ પાંચ કલાક મોડી ભુજ આવી હતી, ત્યારે સયાજી એક્સપ્રેસ સમયસર પહોંચી આવી હતી.સવારે ૯:૩૦ વાગ્યે ભુજ આવતી કચ્છ એક્સપ્રેસ બપોરે ૨:૩૦ વાગ્યે ભુજ આવી હોવાનું રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું. પાંચ કલાક મોડી આવ્યાનું કારણ વરસાદ બતાવાયું હતું, જ્યારે સયાજી એક્સપ્રેસ સમયસર આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


મુંબઇ : ડાયમંડ સિટી પર ‘ડી’ ગેંગનો ડોળો
મુંબઇ ઓપેરા હાઉસથી સુરતના મિની બજાર સુધી ‘ડી’ ગેંગનું વર્ચસ્વ વધતું જાય છે. ડાયમંડના બિઝનેસમાં વિશ્વાસનું વહાણ લઇને નીકળેલા ભલભલા વેપારીઓ માટે હવે ‘ન ઇધર કા ન ઊધર કા’ જેવી સ્થિતિ સર્જાઇ છે. મુંબઇ હીરા બજાર પર ગુજરાતના ૯૦ ટકા વેપારીઓ નિર્ભર છે ત્યારે ઓપેરા હાઉસમાં થતી નાની એવી પણ હીલચાલની અસર સુરત સહિતના ગુજરાતના તમામ બજારો પર થાય છે. વળી હીરાનો ધંધો માત્ર અઢી ઇંચની કાપલી દ્વારા ચાલતો હોવાથી દલાલીના ઓઠા હેઠળ લૂંટાતા વેપારીઓ ‘ડી’ ગેંગના અજગરભરડા સામે કંઇ જ કરી શકતા નથી.દલાલે પેકેટ બદલાવી લીધું છતાં કોઇ કંઇ કરી શક્યું નહીં.મુંબઇ હીરાબજારમાં કામ કરતા સુરતના એક વેપારીએ થોડા વખત પહેલાં રૂપિયા ૨૫ લાખનું તૈયાર ડબલના હીરાનું એક પેકેટ મુંબઇની બજારમાં વેચવા માટે દલાલને આપ્યું હતું. બે દિવસ પછી આ દલાલ વેપારી પાસે આવ્યો હતો અને નીચી ગુણવત્તા વાળો માલ ભરેલું આબેહુબ તેવું જ પેકેટ સુરતના વેપારીના હાથમાં પકડાવીને જતો રહ્યો હતો. આ દલાલને પકડ્યોત્યારે સીધી જ દુબઇથી ધમકી મળી હતી કે ‘તુને કિસ કે આદમી કી ફેંટ પકડી હૈ તુઝે પતા હૈ?’ આથી આ વેપારી ગભરાઇ ગયા હતા અને અંડરવર્લ્ડ સામે ઝંઝટ કરવા કરતાં ૨૫ લાખ જતા કર્યા હતા. સુરતના એક જાણીતા હીરાના વેપારીનો પચાસ લાખનો માલ વેચવાનો હોવાથી તેમણે લાગતા વળગતા વેપારીઓનો સંપર્ક કર્યો આથી તેને સારો નફો કરાવી આપતા એક દલાલનું નામ મળ્યું હતું. આથી એ દલાલને તેમણે ઓપેરા માર્કેટમાં માલ વેચવા માટે આપ્યો હતો. પરંતુ રાત્રે મુંબઇમાંના સંબંધીએ કહ્યું હતું કે તેમણે જે દલાલને માલ આપ્યો છે તે બરાબર નથી. આ વેપારી રાત્રે જ તે દલાલના ઘરે પહોંચી માલ પાછો માગ્યો ત્યારે તેમને આ દલાલનું અસલી સ્વરૂપ જાણવા મળ્યું હતું. આખરે પોતાનો જ માલ પાછો મેળવવા માટે અઢી લાખ ખર્ચ આપવો પડ્યો હતો.મુખ્યમંત્રીના નામે ઠગાઇમાં વેપારીઓને ૪ કરોડ આપવા પડ્યા.તાજેતરમાં જ મુંબઇના દલાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અશોક ચવ્હાણને ઊંચી ગુણવત્તાવાળા હીરાનો જથ્થો જોઇતો હોવાનું કહીને ૫૦ કરોડની છેતરપિંડી સુરતના વેપારીઓ સાથે કરાઈ હતી. આ ઘટનામાં એવી વિગતો જાણવા મળી છે કે બજારમાં ખૂબ જ ઊહાપોહ થઇ જતાં વેપારીઓએ પોતાની આબરુ બચાવવા માટે દલાલને પકડ્યોહતો અને દલાલે પણ પોતાની પોલ ખૂલી જતાં બિછાવેલી જાળ પાછી ખેંચી લેવી પડી હતી. પરંતુ આ જાળ પાછી ખેંચવા માટે કુલ ૪ કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો, જે ખર્ચ સુરતના વેપારીઓએ ભોગવવો પડ્યો હતો.


જિલ્લા ભાજપના અગ્રણીની દુબઇના હવાલામાં સંડોવણી

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં રાજ્યના પૂર્વગૃહરાજ્ય મંત્રી અમિત શાહની ધરપકડ બાદ તેમના મળતિયાઓની પણ પૂછપરછ અને ધરપકડની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે જિલ્લાના એક ભાજપ અગ્રણી રહસ્યમય રીતે ભૂગર્ભમાં ઊતરી ગયા છે. તાજેતરમાં સીબીઆઇની ટીમે વડોદરા નજીકનાં કેટલાંક ફાર્મ હાઉસ પર તપાસ કરી હતી. આ કવાયત પાછળનો હેતુ જિલ્લા ભાજપના અગ્રણીને શોધવાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં અમિત શાહની ધરપકડ બાદ સીબીઆઇએ કેટલાક નાણાકીય વ્યવહારોની પણ તપાસ હાથ ધરી છે. તપાસમાં દુબઇ સાથેના નાણાકીય વ્યવહારોની વિગતો પણ ખૂલવા પામી છે. આ વ્યવહાર હવાલા મારફતે થયો હોવાના કારણે તેમાં કોણે ભૂમિકા ભજવી છે તેની તપાસમાં વડોદરા જિલ્લાના એક ભાજપ અગ્રણીનું નામ સપાટી પર આવતાં સીબીઆઇએ તેની શોધખોળ હાથ ધરી છે. જોકે, હજી સ્પષ્ટ થઇ શક્યું નથી કે તેમની ધરપકડ થશે કે માત્ર પૂછપરછ થશે.જે ભાજપ અગ્રણીને સીબીઆઇ શોધી રહી હોવાનું મનાઈ રહ્યું છે તે કેટલાક દિવસથી જાહેરમાં દેખાતા નથી. રહસ્યમય સંજોગોમાં ભૂગર્ભમાં ઉતરી ગયેલા આ અગ્રણી ક્યાં છે, તે બાબતે જિલ્લા ભાજપના અગ્રણીઓ અને હોદ્દેદારો કંઇ કહેવા તૈયાર નથી. લોકોમાં થતી ચર્ચા મુજબ અમિત શાહની ધરપકડ પહેલાં જિલ્લા ભાજપના અગ્રણી સતત તેમની સાથે રહ્યા હતા. અમિત શાહે જ્યારે જાહેરમાં દેખાવાનું બંધ કર્યું ત્યારે પણ તેઓ તેમની સાથે જ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.સોહરાબુદ્દીન પ્રકરણમાં અન્ય કેટલાક આરોપીઓને ગુપ્ત આશ્રય આપવામાં આ અગ્રણીની ભૂમિકા હોવાનું મનાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ જિલ્લા ભાજપના અગ્રણી અમિત શાહની નજીક આવ્યા બાદ તેમનો સિતારો ચમકવા લાગ્યો હતો અને રાતોરાત રાજકીય ક્ષેત્રે તેમનું વજન વધી ગયું હતું.


મેઘરાજા હવે ખમૈયા કરો

અમદાવાદ શહેરમાં શનિવાર રાતથી રવિવાર પરોઢ સુધી માત્ર પાંચ કલાકમાં આભ ફાટ્યું હોય તેમ રાણીપ અને મેમનગરમાં ૧૫ ઇંચ જેટલા વરસાદ ખાબક્યો હતો. જ્યારે શહેરમાં સરેરાશ દસ ઇંચ જેટલા મુશળધાર વરસાદના પગલે કેટલાક વિસ્તારો જળબંબાકાર તો કેટલાક વિસ્તારો રીતસરના બેટ બની જતા આ અભૂતપૂર્વ વરસાદથી સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.જળપ્રલયથી સાત વ્યક્તિઓનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે માર્ગો ઉપર ૪થી ૭ ફૂટ પાણી ભરાઈ જવાના કારણે સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયાં હતાં. શહેરમાં ૫૩ જગ્યાએ પાણી ભરાવાની ફરિયાદો મળી છે. શહેરના રાણીપ વિસ્તારની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું જાણવા મળ્યું છે. જો મોડીરાત્રે પુન: વરસાદ પડે તો તળાવો છલકાઈ જવાની ભીતિ પણ તંત્રએ વ્યક્ત કરી છે. હવે મેઘરાજા ખમૈયા કરે તેવું લોકો ઈચ્છી રહ્યાં છે....


અમદાવાદમાં પાણીજન્ય રોગો વકરવાની સંભાવના

શહેરમાં એક જ રાતમાં ખાબકેલા ૧૦થી ૧૫ ઇંચ વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. પરંતુ, વરસાદી પાણી ઓસર્યા બાદ શહેરનાં વિવિધ વિસ્તારોમાં પાણીજન્ય રોગો ફેલાવવાની સંભાવના ઉભી થઇ છે.વરસાદી પાણીમાં ગટરનાં પાણી ભળી ગયા હતા, તેમજ લોકોનાં ઘરમાં પણ પાણી ઘુસી ગયા હતા. જ્યારે શહેરનાં પુર્વ વિસ્તારમાં તો લોકોનાં ઘરમાં ચારથી પાંચ ફૂટ પાણી ભરાઇ ગયા હતા. જેથી ગંદકી, ગટરના પાણીને કારણે ઝાડા-ઉલ્ટી જેવા પાણીજન્ય વકરે તેવી સંભાવના ઉભી થઇ છે.


આર્જેન્ટિનામાં યુવતીના પેટમાંથી 700 ગ્રામ વાળ નિકળ્યાં

આર્જેન્ટિનામાં ડોક્ટરોએ 12 વર્ષની એક યુવતીના પેટમાંથી 700 ગ્રામ વાળ કાઢ્યાં હતા. આ યુવતી માનસિક રીતે બિમાર હતી, જેના કારણે તે અખાદ્ય વસ્તુઓ પણ ખાતી હતી. આશરે સાત વર્ષથી આ છોકરી પોતાના વાળ, રમકડાનો નાના-નાના ટુકડાઓ અને સિમેન્ટ જેવી વસ્તુઓ ખાતી હતી.ડોક્ટરોએ જણાવ્યું હતું કે આ યુવતી ટ્રાઇફોકેગી નામની માનસિક બિમારીથી પિડાતી હતી. ગ્રેન્ડલ્ફો હોસ્પિટલના પ્રમુખ એના રોસીએ જણાવ્યું હતું કે આ યુવતીનો કેટલિક અન્ય હોસ્પિટલોમાં પણ ઇલાજ થયો હતો, જોકે તે ત્યાં તેનો સંપૂર્ણ રીતે ઇલાજ કરવામાં આવ્યો ન હતો.વધુમાં તેમણે જણાવ્યું કે અમને આ છોકરીના ઓછા વજન, વાળ ખરવા અને પેટના બહાર હોવાના કારણે તેને ટ્યુમર હોવાની શંકા ઉપજી હતી, જોકે અમને તેના પેટમાં આટલો મોટા પ્રમાણમાં વાળો હશે તેવો ખ્યાલ જ નહોંતો.


ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો... સાવધાન

જો ક્રેડિટ કાર્ડના ઉપયોગ કરતાં હો તો તમારે વધુ સાવધાની રાખવાની જરૂર છે. તમારી જરા પણ લાપરવાહી તમને મુસીબમાં નાંખી શકે છે. કારણ કે જો તમારૂં ક્રેડિટ કાર્ડ ગુમ થઇ ગયું છે અને તેમાંથી જબરદસ્ત ખરીદી થઇ ચૂકી છે તો તમારે તેના નાણાં ચૂકવવા જ પડશે.જી હા, ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલ નિયમ કહે છે કે તેના દુરૂઉપયોગની જવાબદારી કાર્ડ હોલ્ડરની છે. કંપની કોઇપણ પ્રકારની આર્થિક નુક્સાની માટે જવાબદાર નથી. એટલે કે તમારું ક્રેડિટ કાર્ડ ગુમ થઇ જાય અથવા તો ચોરી થઇ જાય તો તમારે તેના દ્વારા થયેલ ખરીદી અથવા નીકાળવામાં આવેલા નાણાંના બીલની ચૂકવણી કરવી પડશે. પરંતુ તેનાથી પણ દિલચસ્પ વાત એ છે કે જો તમારા ક્રેડિટ કાર્ડથી લિમિટથી વધુ શોપિંગ થઇ ગઇ તો પણ ક્રેડિટ કાર્ડ કંપની તમને છોડશે નહિં.તમને લિમિટથી વધુ ખર્ચ કરવામાં આવેલ નાણાં પણ આપવા પડશે. જ્યારે કાયદા કરતાં કાર્ડની લિમિટ જ ક્રોસ ન કરવી જોઇએ. કેટલીક સરકારી બેન્કો આ મામલામાં સખ્ત છે અને કાર્ડની લિમિટ તોડવા દેતી નથી.જો તમારૂં કાર્ડ ચોરી થઇ જાય અથવા તો ગુમ થઇ જાય અને તેમાંથી લિમિટ કરતાં વધુ ખરીદી થઇ પણ જાય તો, તેના બીલથી બચવા માટે એક જ ઉપાય છે અને તે કન્ઝયુમર કોર્ટ. ગ્રાહક અદાલતમાં તમે લિમિટથી વધુ ખરીદીના મામલામાં જીતી શકો છો.


ચાલુ મેચમાં જ નગ્ન દર્શક મેદાનમાં દોડી આવ્યો

ક્રિકેટમાં ક્યારેક પ્રશંસકો એવી હરકતો કરી દેતા હોય છે કે જેનાથી લોકો આશ્ચર્યમાં મૂકાઈ જતા હોય છે. પોતાના પસંદગીના ખેલાડીઓને મળવા માટે ઘણા પ્રશંસકો ચાલુ રમતે મેદાનમાં દોડીને રમતમાં ખલેલ પહોંચાડતા હોય છે.આવો જ એક કિસ્સો પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિંગહામમાં ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બન્યો હતો. બન્યું એવું કે ત્રીજા દિવસની રમત ચાલી રહી હતી ત્યારે અચાનક જ એક પ્રશંસક નગ્ન હાલતમાં જ મેદાનમાં દોડવા માંડ્યો હતો. અચાનક જ બનેલી ઘટનાથી મેદાનમાં હાજર ખેલાડીઓ અને અમ્પાયર સહિત તમામ લોકો આઘાત પામ્યા હતા. જાહેરમાં મેદાનમાં નગ્ન થઈને દોડી રહેલા પ્રશંસકને જોઈને રમત પણ અટકાવી દેવી પડી હતી.આ મેચના પ્રથમ દાવમાં પાકિસ્તાન ફક્ત 72 રનમાં જ ઓલ-આઉટ થઈ ગયું હતું. જ્યારે ઈંગ્લેન્ડે તેના પ્રથમ દાવમાં 251 રન નોંધાવ્યા હતા. કે કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમી રહેલા ઝુલ્કનૈન હૈદરે અણનમ ૬૪ રનની ઇનિંગ્સ રમતા પાકિસ્તાને અહીં રમાતી બીજી ટેસ્ટના ત્રીજા દિવસની રમતના અંતે પોતાના બીજા દાવમાં સાત વિકેટે ૨૧૫ રન નોંધાવીને ઇનિંગ્સ પરાજયના સંકટને દૂર કરી દીધું હતું. ઇંગ્લેન્ડને પાકિસ્તાન સામે પ્રથમ દાવના આધારે ૧૭૯ રનની સરસાઇ મેળવી હતી.


વરસાદના કારણે કચ્છ એક્સપ્રેસ સવારના બદલે બપોરે આવી

અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદના કારણે કચ્છ એક્સપ્રેસ પાંચ કલાક મોડી ભુજ આવી હતી, ત્યારે સયાજી એક્સપ્રેસ સમયસર પહોંચી આવી હતી.સવારે ૯:૩૦ વાગ્યે ભુજ આવતી કચ્છ એક્સપ્રેસ બપોરે ૨:૩૦ વાગ્યે ભુજ આવી હોવાનું રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું. પાંચ કલાક મોડી આવ્યાનું કારણ વરસાદ બતાવાયું હતું, જ્યારે સયાજી એક્સપ્રેસ સમયસર આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


ભુજ તાલુકામાં અડધાથી સાડાચાર ઇંચ વરસાદ

ભુજ તાલુકામાં રવિવારે સવારે અસહ્ય ઉકળાટ અને સૂર્યની હાજરી બાદ બપોરે અચાનક વાતાવરણે પલટો મારતાં ચોમેર વાદળાઓએ ઘેરો ઘાલ્યો હતો. દોઢ વાગ્યાથી સાડા ત્રણ વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ પડતા તાલુકા મથક ભુજમાં ૨૧ મિ.મી. તો તુગા ગામમાં ઘરોમાં પાણી ભરાતાં વાસણો તણાયા હતાં, તો વોકળામાં જીપ ખાબક્યાના અને છોકરો તણાતા બચ્યાના અહેવાલ છે.તાલુકા મથક ભુજમાં બપોરે દોઢેક વાગ્યે અચાનક વાતાવરણે પલટો મારતાં મેઘગર્જના સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વાલદાસનગરમાં વીજળી પડી હતી, તો શહેરમાં ૨૧ મિ.મી. પાણી પડ્યું હતું. હમીરસર તળાવ ઓગન્યાના સમાચાર ફેલાતાં જ લોકો તળાવ તરફ વળ્યા હતા. ઠેકઠેકાણે રસ્તાઓમાં પાણી અને લોકહૈયામાં હર્ષની લાગણી વહી નીકળી હતી.પાસેના ગામડાં માધાપરમાં પોણો ઇંચ પાણી પડતાં જૂનાવાસમાં પાણી ભરાયાનું પ્રતિનિધિ ભૂપેન્દ્ર મહેશ્વરીએ જણાવ્યું હતું. માનકૂવામાં ૪૫ મિ.મી. વરસાદ થયાનું અનિલ વ્યાસે જણાવ્યું હતું. સુખપર (રોહા) માં જોરદાર ઝાપટાં સાથે વરસાદ થયાનું આરિફ મિસ્ત્રીએ કહ્યું હતું.લાખોંદ, કાલી તલાવડી વિસ્તારમાં બપોરે બે વાગ્યે અડધા કલાકમાં જોરદાર ઝાપટું આવતાં અડધો ઇંચ પાણી પડ્યાનું પ્રતિનિધિ રોનક ગજ્જરે જણાવ્યું હતું. બાળકોએ વરસાદની મજા માણી હતી પરંતુ વાવણી કરી ચૂકેલા ખેડૂતોએ પાકને નુકસાન થશે તેવી ભીતિ વ્યક્ત કરી હતી.ભીરંડિયારાથી ફકીરમામદ કાસમે જણાવ્યું હતું કે, અઢીથી ચારની વચ્ચે દોઢેક ઇંચ પડતાં વેલડી, સરગુ, મદન, મીસરિયાડો, ભોજરડોમાં બે વર્ષ ચાલે તેટલું પાણી આવ્યું છે. અલબત્ત, ઠેકઠેકાણે રસ્તાઓમાં ગાબડાં પડ્યાં છે.૩ થી ચારની વચ્ચે ખાવડા, દિનારા, ધ્રોબાણા, મોટા, કુરન, સુમરાસરમાં દોઢથી બે ઇંચ અને તુગા, જામકુનરિયા, રબવીરા, ઝુરામાં સાડા ચારથી સાડા છ દરમિયાન સાડા ચાર ઇંચ પાણી પડ્યાનું પ્રતિનિધિ સત્તાર સમાએ જણાવ્યું હતું. તુગામાં વોકળામાં જીપ ઉથલી પડી હતી. અંદર બેઠેલા પાંચ લોકોને બચાવી લેવયા હતા. જીપને ટ્રેક્ટરથી બહાર કઢાઇ હતી.

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

સૌરાષ્ટ્રમાં ફરી મેઘો મંડાયો ૫ ઇંચ સુધીનું પાણી વરસ્યું

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

સૌરાષ્ટ્રમાં ફરી મેઘો મંડાયો ૫ ઇંચ સુધીનું પાણી વરસ્યું

બે દિવસની વરાપ બાદ ફરી આકાશમાં ગોરંભાયેલા વાદળો જમાવટ કરી પાણી વરસાવવાનું શરૂ કર્યું છે. જેમાં રવિવારે પણ સૌરાષ્ટ્રભરમાં ઝાપટાંથી માંડી પાંચ ઇંચ સુધી પાણી વરસ્યું હતું.માધવપુરમાં સાત કલાકમાં ધોધમાર પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો તો સોરઠ પંથકમાં સચરાચાર વરસાદ વરસ્યાના વાવડ મળી રહ્યા છે. જ્યારે જામનગર જિલ્લામાં લાલપુરમાં બે ઇંચ તો અન્યત્ર ઝાપટાં પડ્યા હતા. આ ઉપરાંત રાજકોટ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં હળવા ઝાપટાંરૂપી મેઘમહેર થઇ હતી.સૌરાષ્ટ્રમાં અષાઢ મહિનાના અંતે ફરી કાળા ડિબાંગ વાદળોની ગગનગોખે જમાવટ થઇ છે અને સતત બીજા દિવસે આભમાંથી અમિવર્ષા થઇ હતી. જેમાં માધવપુર (ઘેડ) માં પૂરના પાણી ઓસરે તે પૂર્વે ફરી સાત કલાકમાં ધોધમાર પાંચ ઇંચ વરસાદ વરસતા પાણી-પાણી થઇ ગયું હતું. જ્યારે જૂનાગઢ જિલ્લામાં કેશોદમાં સાડા ચાર, માળિયા (હા.) ત્રણ, વેરાવળ બે, માંગરોળ દોઢ, મેંદરડા અને સૂત્રાપાડા એક ઇંચ, કોડીનારમાં પોણો ઇંચ, માણાવદરમાં અડધો ઇંચ તેમજ જૂનાગઢ, ઊના, તાલાલા અને વિસાવદરમાં ઝાપટાં વરસ્યા હતા.જામનગર જિલ્લામાં લાલપુર પંથકમાં બે, દ્વારકામાં એક, કલ્યાણપુરમાં અડધો ઇંચ તેમજ જામનગર, જામજોધપુર, ધ્રોલ, જોડિયા અને ખંભાળિયામાં હળવા ઝાપટાં પડ્યા હતા.જ્યારે રાજકોટ જિલ્લામાં મેઘાડંબર વચ્ચે મોરબીમાં અડધો ઇંચ, જ્યારે પડધરી, માળિયા અને રાજકોટ શહેરમાં ઝરમર વરસાદ નોંધાયો હતો. અન્ય તાલુકાઓ વરસાદી ડહોળ વચ્ચે કોરા રહ્યા હતા.પોરબંદરમાં મેઘાવી વાતાવરણ વચ્ચે એક ઇંચ વરસાદ વરસી ગયો હતો અને કુતિયાણા, રાણાવાવમાં ઝરમર વરસાદ વરસ્યો હતો.ભાવનગર જિલ્લામાં પણ માત્ર પાલિતાણા, ઉમરાળા અને ભાવનગર શહેરમાં ઝાપટાં પડ્યા હતા. તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં વરસ્યા હતા.


રાજકોટના બૂટલેગરને ચાર શખ્સોએ છરીથી વેતરી નાખ્યો

રાજકોટના ખોખળદડ નદીના પુલ નજીક હત્યા. એ જ વિસ્તારના ૪ શખ્સો અદાવતમાં ઢસડીને પુલ નીચે લઇ જઇ છરીના ઘા મારી નાસી ગયા.શહેરમાં હત્યાના વધુ એક બનાવમાં ખોખળદડ નદીના પુલ નજીક આજે બપોરે ચાર શખ્સોએ પોલીસ ચોપડે ચડી ચૂકેલા બુટલેગર દેવીપૂજક યુવાનને છરીના આડેધડ સાત ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. દારૂ અથવા અદાવતના કારણે હત્યા થયાનું પોલીસનું અનુમાન છે.ખોખળદડ નદીના પુલ નીચે અજાણ્યા યુવાનની લોહી તરબોળ લાશ પડી હોવાની સાંજે સાત વાગે પોલીસને જાણ થઇ હતી.ભક્તિનગરના ઇન્સપેક્ટર એમ. ડી. જાડેજા, મદદનીશ વિજયભાઇ શુક્લ, દિલીપભાઇ કાળોતરા, જીજ્ઞેશભાઇ અમરેલિયા સહિતના સ્ટાફ સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા. મરનારની ઓળખ મેળવવા આસપાસના વિસ્તારમાં તપાસ કરતા હેમંતભાઇ પરમારે મૃતદેહ ખોખળદડ કાંઠે રહેતા પોતાના ભત્રીજા મનસુખ પથુભાઇ (ઉ.વ.૩૦) નો હોવાનું ઓળખી બતાવતા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી હતી.પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત મુજબ, મનસુખ આજે બપોરે સાડા ત્રણ વાગે ઘરેથી બહાર જવા નીકળ્યો હતો. પુલ પાસે પહોંચ્યો ત્યારે ભૂપત પોપટ દેવીપૂજક, રમેશ કોળી, દલિત બંધુ ચતુર ગોરધન અને ચંદુ ગોરધન સામા મળ્યા હતા. કોઇ મુદ્દે તકરાર ચાલતી હોવાથી ચારેય શખ્સોએ મનસુખને ગાળો ભાંડી હતી અને માર મારતા મારતા ઢસડીને પુલ નીચે મીરાદાતારની જગ્યા નજીક લઇ ગયા હતા.મોત ભાળી ગયેલા મનસુખે જીવ બચાવવા મરણિયા પ્રયાસ કર્યા હતા. પરંતુ, ચારેય આરોપીઓએ ધારદાર છરી કાઢી મનસુખના શરીર ઉપર ખચાખચ સાત ઘા ઝીંકી દેતા ગંભીર રીતે ઘવાયેલો મનસુખ લોહીના ખાબોચિયામાં ઢળી પડ્યો હતો. થોડી ક્ષણો તરફડિયા મારી દમ તોડી દેતા આરોપીઓ નાસી ગયા હતા.અદાવત અથવા દારૂના પ્રશ્ને હત્યા થયાનું પોલીસનું અનુમાન છે. જો કે, સાચું કારણ આરોપીઓ પકડાયા પછી જ બહાર આવશે. પોલીસ હત્યારાઓને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છેમૃતક ચોરીમાં પોલીસ ચોપડે ચડી ચૂકયો’તો -શહેરની ભાગોળે મોતને ઘાત ઉતારાયેલા બૂટલેગર મનસુખ અગાઉ ચોરીના ગુનામાં પણ પોલીસ ચોપડે ચડી ચૂકયો હતો.


ફેન્ટાસિયાનું પરાયા પુરૂષ સાથે સેક્સ સ્કેન્ડલ

અમેરિકન આઈડોલની વિજેતા ફેન્ટાસિયા બર્રીનો એક પરણિત વ્યક્તિ સાથે સેક્સ ટેપમાં નજરે આવી છે.વર્ષ 2004માં ફેન્ટાસિયા અમેરિકન આઈડોલ જીતી હતી. આ સમયે એન્ટવોનની પત્ની પૌલાએ આરોપ મૂક્યો હતો કે, ફેન્ટાસિયાનું તેના પતિ સાથે અફેયર ચાલી રહ્યું છે.પૌલાએ પોતાના બાળક માટે આ અંગે કોર્ટમાં કેસ પણ કર્યો છે કે તેના પતિનું અન્ય યુવતી સાથે અફેયર ચાલી રહ્યું છે.કોર્ટમાં પૌલાએ કેટલાંક વાંધાજનક દસ્તાવેજો રજૂ કર્યા છે. વર્ષ 2009ના ઓગસ્ટ મહિનામાં ફેન્ટાસિયા અને એન્ટવોને એકબીજા સાથે સેક્સ માણ્યું હતુ. આ ટેપને પૌલાએ કોર્ટમાં રજૂ કરી છે.


કલ્કીના સેક્સ સીન લીક

અનુરાગ કશ્યપની ફિલ્મ ધેટ ગર્લ ઈન યલો બુટ્સના સેક્સ સીન ઈન્ટરનેટ પર લીક થઈ ગયા છે. આ ફિલ્મમાં કલ્કી મુખ્ય ભૂમિકામાં છે.ફિલ્મ ધેટ ગર્લ ઈન યલો બુટ્સ વર્લ્ડ પ્રીમિયરમાં દર્શાવવાની છે. વેનિસ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ અને નોર્થ અમેરિકન પ્રીમિયરમાં આ ફિલ્મ દર્શાવવામાં આવનાર છે. જો કે હવે આ ફિલ્મના કેટલાંક દ્રશ્યો લીક થઈ જતાં અનુરાગને ચિંતા થવા લાગી છે.ફિલ્મના મહત્વના કહી શકાય તેવા સેક્સ સીન ઈન્ટરનેટ પર લીક થઈ ગયા છે.આ ફિલ્મમાં અનુરાગની પ્રેમિકા કલ્કી કામ કરી રહી છે. આ ફિલ્મમાં કલ્કી પોતાના પિતાને શોધતી હોય છે. કલ્કી પોતાના પિતાને જાણતી નથી પરંતુ તેને ભૂલી શકે તેમ નથી. કલ્કી પરમીટ વિઝા ના હોવા છતાં એક મસાજ પાર્લરમાં કામ કરે છે.આ ફિલ્મમાં કલ્કીનો સેક્સ પાંચ મિનિટનો છે અને જે આજકાલ નેટ પર ઘણો જ જોવાઈ રહ્યો છે.આ ફિલ્મના સંવાદો ઘણાં જ બોલ્ડ છે. ફિલ્મના પ્રીમિયર પહેલા જ આ રીતના સીન લીક થવાને કારણે અનુરાગની મુશ્કેલીઓમાં વધારો થયો છે.


રણબિરને કારણે પ્રિયંકા ગંભીર રીતે ઘાયલ

ફિલ્મ અન્જાના-અન્જાનીમાં પહેલીવાર રણબિર અને પ્રિયંકા સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મના એક દ્રશ્યમાં રણબિર દીપિકાના વિચારોમાં ખોવાયેલો હતો અને તેને કારણે રણબિરનું ધ્યાન જ નહોતું ગયું કે, પ્રિયંકા તેની સાથે શુટિંગ કરી રહી છે.આ ફિલ્મના શુટિંગ દરમિયાન રણબિર અને પ્રિયંકા દોડતા દોડતા ફ્લાઈટ પકડતાં હોય છે. રણબિર અને પ્રિયંકાએ એકબીજાનો હાથ પકડ્યો હોય છે. જો કે રણબિર ઘણો જ ઝડપથી ચાલતો હતો અને તેને કારણે સીડિ પર પ્રિયંકા પડી જાય છે.સીડિની દિવાલ પ્રિયંકાને માથામાં વાગે છે અને તે ઘણી જ ખરાબ રીતે ઘાયલ થાય છે. આટલું જ નહિ પ્રિયંકાના માથામાંથી લોહી પણ નીકળવા લાગે છે.રણબિરને થોડીવાર પછી ખ્યાલ આવે છે કે, પ્રિયંકા પડી ગઈ છે અને તેને ઘણું જ વાગ્યું છે. રણબિર તરત જ પ્રિયંકાની માફી માંગે છે.ફિલ્મના સેટ પર તરત જ ડોક્ટરને બોલાવવામાં આવે છે અને થોડા કલાકો પછી ફરીથી શુટિંગ શરૂ કરવામાં આવે છે.


પાકિસ્તાનના વડાપ્રધાન લતાજીના પ્રશંસક

પાકિસ્તાનના મહેમાન બનવાનું આમંત્રણ ઘણાં ઓછા લોકોને મળતું હોય છે. લતાતાઈને વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ પાકિસ્તાન આવવાનું આમંત્રણ પાઠવ્યું છે.જો બધુ વ્યવસ્થિત રીતે થઈ જશે તો લતાજી ટૂંક સમયમાં જ પાકિસ્તાન જશે. તેઓ પાકિસ્તાનના વડાપ્રધાનની ઓફિસે પણ જાય તેવી શક્યતા છે.ગયા અઠવાડિયે ગાયક અદનાન સામી પાકિસ્તાનના પ્રધાનંત્રી ગિલાનીને ડિનર પર મળ્યો હતો. આ સમયે ગિલાનીએ કહ્યું હતું કે, લતાજી ઘણાં સમય પહેલા પાકિસ્તાનની મુલાકાત લેવાના હતા. પાકિસ્તાનમાં લતાજીના ઘણાં જ ચાહકો છે અને ગિલાની પણ લતાતાઈના જબરજસ્ત ચાહક છે. આ વાત ગિલાનીએ અદનાન સામીને કહી હતી.ત્યારબાદ ગિલાનીએ અદનાન સામીને કહ્યું હતું કે, તે આ વાત વ્યક્તિગત રીતે લતાજીને કહે અને લતાજીને પાકિસ્તાનના મહેમાન બનવાનો આગ્રહ કરે.જો લતાજી પાકિસ્તાનની મુલાકાત લે તો બે દેશો વચ્ચેની સંસ્કૃતિ વચ્ચે એક જોડાણ થશે. અદનાન સામીએ સ્વીકાર્યુ હતું કે, પાકિસ્તાનના વડાપ્રધાને લતાજીને આમંત્રણ આપ્યું છે.ગયા અઠવાડિયે ઈસ્લામાબાદમાં અદનાન સામીએ ગિલાની સાથે ડિનર લીધુ હતું. આ સમયે ગિલાનીએ લતાજીના ગીતો ગાયા હતા. ત્યારબાદ પ્રધામંત્રીએ અદનાન સામીને લતાજી પાકિસ્તાન આવે તેવું આમંત્રણ પાઠવ્યું હતું.આ અંગે અદનાન સામીએ કહ્યું હતું કે, જો લતાજી પાકિસ્તાન આવશે તો તે એરપોર્ટ તેમને લેવા જશે અને પાકિસ્તાનમાં લતાજીનું માન-સન્માન ભારતરત્નની જેમ કરવામાં આવશે. લતાજી માત્ર ભારતની નહિ પરંતુ પાકિસ્તાનની પણ ધરોહર છે.


આમિર ધૂમ-૩માં વિલન બનશે

આમિર ખાન અને ફિલ્મમેકર યશ ચોપરાએ સાથે કામ કરવાનો નિર્ણય કર્યો હોવાના અહેવાલ છે. એવી પણ ચર્ચા થઇ રહે છે કે ધૂમ-૩ ફિલ્મમાં આમિર મુખ્ય વિલનની ભૂમિકા કરશે. જોકે, અભિનેતાની નજીકના સૂત્રોએ આ અહેવાલનો સાફ ઇનકાર કર્યો છે.
અલબત્ત, તે જાણવા મળ્યું છે કે આમિર તાજેતરમાં જ આદિત્ય ચોપરાને મળ્યો હતો. આદિત્યએ વિલનની ભૂમિકાનું વર્ણન પણ અભિનેતા સમક્ષ કર્યું છે. આંતરિક સૂત્રોનું કહેવું છે કે આ ભૂમિકા આમિરને પસંદ પણ પડી છે અને મેલબોર્નથી પાછા ફર્યા બાદ ૧૩મી ઓગસ્ટે તે સ્ક્રિપ્ટ સાંભળશે.આમિર તેની ફિલ્મ ‘પીપલી લાઇવ’ની રિલીઝ બાદ આગામી સપ્તાહે તે સ્ક્રિપ્ટ વાંચવાની શરૂઆત કરવાનો હોવાના કારણે આ અહેવાલને સમર્થન કે ઇનકાર કરવા અભિનેતા ઇચ્છતો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આદિત્ય ચોપરા તેની ધૂમ શ્રેણીની ફિલ્મોમાં વિલનના પાત્રને મુખ્ય ગણે છે... તો આમિર ‘પીપલી લાઇવ’માં અભિનેતા તરીકે હોતરંગભૂમિનો અભિનેતા ઓમકાર ન મળ્યો હોત તો ‘પીપલી લાઇવ’માં આમિર ખાન નત્થાની ભૂમિકા કદાચ આમિરે નિભાવી હોત.પોતાની હોમ પ્રોડકટની નત્થાનું પાત્ર આમિર નિભાવવા માગતો હતો, પણ સમયસર નાટય કલાકાર ઓમકાર સાથે ભેટો થઇ જતાં આમિરના સ્થાને તેને ભૂમિકા અપાઇ છે.

રણબિરે પ્રિયંકા પર બોટલનો ઘા કર્યો


શુટિંગ દરમિયાન ફિલ્મ સ્ટાર્સ એકબીજાની મજાક કરતાં હોય છે પરંતુ મજાકને કારણે શુટિંગ અટકી પડે તેવી ઘટના ભાગ્યે જ બને છે.સાજિદ નડિયાદવાળાની ફિલ્મ અન્જાના અન્જાનીના પ્રોમોના શુટિંગ દરમિયાન રણબિરની મજાકને કારણે કેટલાંક કલાકો સુધી શુટિંગ અટકી પડ્યું હતું.પ્રોમોના શુટિંગના એક દ્રશ્યમાં પ્રિયંકા અને રણબિર વચ્ચે અંદરો-અંદર ઝઘડો થાય છે અને ઝઘડા દરમિયાન એકબીજા પર સોફ્ટ ડ્રિંકની બોટલ ફેંકે છે.આ દ્રશ્યને વાસ્તવિક બનાવવા માટે રણબિર કપૂરે પ્રિયંકા ચોપરા પર સોફ્ટ ડ્રિન્કની બોટલ ઉછાળી હતી. જો કે આને કારણે પ્રિયંકાનો ડ્રેસ ખરાબ થઈ ગયો હતો અને તેનો મેકઅપ પણ ઉતરી ગયો હતો.
પ્રિયંકાએ શુટિંગ માટે બીજીવાર તૈયાર થવું પડ્યું હતું. આ માટે ત્રણ કલાક જેટલો સમય થયો હતો. આને કારણે શુટિંગ ત્રણ કલાક રઝળી પડ્યું હતું.જો કે રણબિરે પ્રિયંકા-સાજિદ નડિયાદવાળા સહિત ફિલ્મના યુનિટની માફી માંગી હતી. જો કે શુટિંગ પૂર્ણ થયા પછી પ્રિયંકા સહિત આખું યુનિટ રણબિરની આ હરકત પર હસતાં હતા.


ડોલર સામે રૂપિયામાં મજબૂતી બરકરાર

વૈશ્વિક સ્તરે મોટાભાગના ટ્રેડરોની સાથો સાથ બેન્કો અને કોર્પોરેટ ક્ષેત્ર સાથે જોડાયેલ લોકો ડોલર સતત વેચી રહ્યા છે. તેની સામે ઇક્વિટી માર્કેટ મજબૂત થઇ રહ્યું હોવાથી ટ્રેડરો કરન્સી માર્કેટમાંથી નીકળીને ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે. આથી આજે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો 20 પૈસા ઉપરમાં ટ્રેડ થઇ રહ્યો હતો.ધી આંતરબેન્ક ફોરેન એક્સચેન્જ (ફોરેક્સ) બજારમાં ડોલર સામે રૂપિયો 46.02/04 પર ખૂલ્યો હતો. આજે સવારે 10.30 વાગ્યે રૂપિયો 45.95 પર ટ્રેડ થઇ રહ્યો હતો. ગયા શુક્રવારે 46.15/16 પર બંધ રહ્યો હતો.ટોક્યો ખાતે આજે યેન સામે ડોલર નીચલી સપાટીએ ટ્રેડ થઇ રહ્યો હતો. જે તેની 15 મહિનાની નીચલી સપાટી હતી.


નારાયણ મૂર્તિના પુત્રની TVSના શ્રીનિવાસનની પુત્રી સાથે સગાઈ

દેશના કોર્પોરેટ જગતના બે દિગ્ગજો નારાયણ મૂર્તિ અને શ્રીનિવાસન હવે કૌટુંબિક સંબંધથી જોડાયા છે. ઈન્ફોસીસના સ્થાપક નારાયણ મૂર્તિના પુત્ર રોહનની ટીવીએસ મોટરના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વેણુ શ્રીનિવાસનની પુત્રી લક્ષ્મીની ગયા સપ્તાહે સગાઈ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં લગ્નગ્રંથિથી જોડાઈ જશે. પુત્રની સગાઈથી ખુશ નારાયણ મૂર્તિએ જણાવ્યું હતું કે ‘રોહન અને લક્ષ્મીએ સગાઈ કરવાના લીધેલા નિર્ણયથી હું અને સુધા(નારાયણ મૂર્તિના પત્ની) અત્યંત ખુશ છીએ.’રોહન અને લક્ષ્મી બન્ને ખાસ્સા સમયથી એકબીજાના સંપર્કમાં હતા અને ધીમે-ધીમે બન્ને વચ્ચેનો પ્રેમ વધુ ગાઢ બનતાં જીવનસાથી બનવાનું નક્કી કર્યું હતું. રવિવારે સવારે ચેન્નઈ આવેલી મૂર્તિએ જોકે લગ્નની તારીખ જાહેર કરી ન હતી. લક્ષ્મીના પિતા વેણુએ પણ પુત્રીની સગાઈની શુભેચ્છા સ્વીકારી હતી. પરંતુ તેમણે પણ લગ્નતારીખ અંગે કંઈ કહેવાનું ટાળ્યું હતું.૨૭ વર્ષીય રોહન માઈક્રોસોફ્ટનો ફેલો છે અને હાર્વંર્ડ યુનિવર્સિટીમાં કમ્પ્યૂટર સાયન્સ વિષયમાં પીએચ.ડી. કરી રહ્યો છે. તે યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો સ્નાતક થયો છે. બેંગલોરની બશિપ કોટન બોય્ઝ સ્કૂલમાંથી તેણે શાળાનું શિક્ષણ મેળવ્યું છે.લક્ષ્મી પણ ૨૭ વર્ષની છે અને તેણે યેલ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રની ડિગ્રી મેળવી છે અને વોરવિક યુનિવર્સિટી(બ્રિટન)માંથી મેન્યુફેકચરિંગ મેનેજમેન્ટ વિષયમાં પીએચ.ડી. પણ પૂરું કરી લીધું છે.


કંગનાનો ખરો રણકાર હવે થયો

તાજેતરના પ્રદર્શિત ફિલ્મ ‘વન્સ અપોન એ ટાઈમ ઈન મુંબઈ’માં કંગના રાણાવતના સૌંદર્ય અને અજય દેવગનના અભિનયની પ્રશંસા થઈ રહી છે. નાના શહેરના મધ્યમવર્ગીય કુટુંબમાંથી આવેલી કંગનાએ મહાનગર મુંબઈમાં શરૂઆતમાં થોડા દગા-ફટકા સહન કર્યા અને એટલા અનુભવ પછીયે ફરી એ ન છેતરાય એ જરૂરી નથી. ખરેખર તો મહાનગરના જીવનમાં ઠગાયા પછી સામાન્ય માનવીમાં બીજાને ઠગવાની લાયકાત આવી જાય છે. જોકે મહાનગરીય જીવનના ક્રૂસબિલ (પ્રયોગ શાળાનું એક વાસણ)માં ચરિત્ર ઘડતરની રાસાયણિક પ્રક્રિયા વધુ ઝડપી રીતે થાય છે અને એક દિવસ મનુષ્ય પોતાની જાતને જ ઓળખી શકતો નથી.નિદા ફાજલીને મુંબઈ આવ્યે લગભગ ચાલીસ વર્ષ થઈ ચૂક્યાં છે, પરંતુ તેઓ હજુએ મહાનગરીય જીવનના ભય-દહેશતથી પૂરેપૂરા મુક્ત થયા નથી. તેમણે આવતાં જ એટલું સમજી લીધું હતું કે એક માણસની પડખે તેના દસ સ્વરૂપો કતારબંધ ઊભા હોય છે અને અહીં ચાલવું હોય તો આગળ ચાલનારાને પાડીને તેની પીઠ પર પગ મૂકીને આગળ ચાલો. એ જ બાબત વર્ષ ૧૯૫૬માં પ્રદર્શિત ફિલ્મ ‘જાગતે રહો’માં દર્શાવાઈ હતી. ગામડેથી રોજી-રોટીની શોધમાં આવેલો માણસ તરસ લાગતાં એક બહુમાળી મકાનમાં ઘૂસે છે ત્યાં તેને ચોર સમજીને એકથી બીજા ઠેકાણે ધકેલવામાં આવે છે.આ ગતિવિધિમાં ઈમારતમાં છુપાયેલા બધા ભ્રષ્ટ અને અપરાધી તત્વો પકડાઈ જાય છે. આખરી ર્દશ્યમાં નાયક પહેલી જ વખત બોલે છે કે ‘તમે મને શું શીખવ્યું?’ મહાનગરીય ચાલાકી તમે બધે જોઈ શકો છો. નાનાં શહેરો અને ગામડાંમાં હજુ માસૂમિયત યથાવત હોવાની ફોમ્યુંલા હવે ધરાશાયી થઈ ચૂકી છે. જંગલ સમાન બનતી આ સંસ્કૃતિમાં સક્ષમ બચી શકે છે અને એ સ્પર્ધાના ભાવ હેઠળ દરેક જગ્યાએ ચાલાકીઓ જોવા મળે છે. તમે એક નાનકડી બાબત પર ધ્યાન આપો કે મહાનગરો અને મધ્યમ કદનાં શહેરોના સૌંદર્ય પ્રસાધન-સારવાર માટેના સલૂનોના-બ્યુટી પાર્લર્સના વિજ્ઞાપનો પણ સરખા હોય છે.સુંદરતાને નામે શરીર માલીશ વગેરેના વિજ્ઞાપનોમાં બધા અ®લીલ સંકેતો મળે છે. કંગના રાણાવતે અનુરાગ બસુની ‘ગેંગસ્ટર’ સાથે કારકિર્દીનો પ્રવાસ શરૂ કર્યો. તેણે શરૂઆતની ફિલ્મોમાં કોઈ ઘેલછા-ઝનૂનનો શિકાર બનેલી સ્ત્રીનું પાત્ર કરવું પડ્યું. તેની તૈયારી માટે તેને એમ પણ કહેવામાં આવ્યું કે એ પોતે પણ ‘એવી જપ્ત છે. તેના અચેતન મન (સબકોન્શિયસ માઈન્ડ) પર એ બાબતો અને એ પાત્રોની અસર થઈ છે અને હવે એ બધી અસરોથી મુક્ત થઈને કંગના નાચતી-ગાતી પ્રસન્ન ચિત્ત નવયુવતીની સર્વ સામાન્ય-નિયમિત ભૂમિકા ભજવવા માગે છે.


આ ખાવાના ખેલ નથી

કોમનવેલ્થ ગેમ્સમાં અબજોનું આંધણ કર્યા પછી પણ છેવટે તો બદનામી જ છે, તો પછી આખો તાયફો યોજીને શું કાંદો કાઢી લેવાના આપણે? નાના માણસોના પૈસા મોટી ઇવેન્ટના બહાને મોટા-વગદાર-લોભી-અમીર લોકો ઝાપટી રહ્યા છે. માનો કે જગતને દેખાડી દેવા, ઈન્ડિયા સુપરપાવર બની રહ્યું છે એવું સાબિત કરવા, દુનિયામાં આપણી આબરૂ વધારવા આવો તાયફો કરવો પડે, પણ અહીં તો આબરૂ વધવાને બદલે તેના ધજાગરા અને લીરેલીરા ઊડે તેવી શક્યતા છે.આપણું નાક સુંદર રીતે કપાવાનું છે. કોમનવેલ્થ ગેમ્સમાં અબજોનું આંધણ કર્યા પછી પણ છેવટે તો બદનામી થવાની સફળતા જ વધારે છે, તો પછી આખો તાયફો યોજીને શું કાંદો કાઢી લેવાના આપણે? અલબત્ત, મુઢ્ઢીભર લોકો આ ઈવેન્ટમાંથી કાંદો નહીં, આખેઆખો ચરુ કાઢી લેશે. બાબુઓ-નેતાઓ-વેપારીઓ-કંપનીઓ માટે કોમનવેલ્થ ગેમ્સ અમલમાં અનકોમન વેલ્થ(અસાધારણ સંપત્તિ) એકઠી કરવાનું સાધન બની રહી છે. વચેટિયાઓએ આ ઈવેન્ટ માટે ટ્રેડ મિલો(ચાલવાની કસરતનાં મશીનો) ૪પ દિવસ માટે એક લાખના ભાડે લઈને પછી ૧૦ લાખના ભાડે આપીને નફો કેટલો રાખ્યો? ૯૦૦ ટકા અને પેલા ૨૦-રપ રૂપિયાના ટોઇલેટ રોલ્સ નંગદીઠ ૪૦૦૦ રૂપિયાના દરે ખરીદવાના અહેવાલો તો માથું ભમાવી દે તેવા છે. ક્યાં ૨૦-રપ રૂપિયા ને ક્યાં ૪૦૦૦ રૂપિયા? પણ કોના પપ્પાની દિવાળી? પૈસા સરકારના છે. ઉપ્પાડો, ઉડાવો, અહીં મુદ્દો એ છે કે સરકારના પૈસા એટલે પ્રજાના પૈસા. આપણ સૌના પૈસા. લોકોએ મહામહેનતે કમાઈને, ડાહ્યા-ડમરા થઈને વેરારૂપે ચૂકવેલા પૈસા છે, જેને કોમનવેલ્થ ગેમ્સ સાથે સંકળાયેલા લોકો પિતાશ્રીનો માલ સમજીને બેફામ લૂંટે-લૂંટાવે છે.એ હિસાબે આ ઈવેન્ટ છેવટે તો આમ આદમીના પૈસા અમીરોના ગુના સુધી પહોંચાડતી વાયા-મીડિયા સાબિત થઈ રહી છે. આવી રીતે પૈસા સરેઆમ આપણા ખિસ્સામાંથી સેરવવામાં આવી રહ્યા હોવા છતાં આપણા પેટનું પાણી નથી હલતું, કેમ? કારણ કે આ બધું તો દૂર, છેક પેલા દિલ્હીમાં ચાલી રહ્યું છે અને સ્પોર્ટ્સમાં આપણને બહુ રસ નથી. આ ઇવેન્ટ ક્રિકેટની હોય તો વાત જુદી છે, બાકી એથ્લેટિકસ અને એક્સવાયઝેડ? ઠીક મારા ભઈ.અહીં સમજવા જેવી વાત એ છે કે આપણે આ ઇવેન્ટની યજમાનીની જવાબદારી શા માટે માથે લીધી છે? એક તરફ દેશના કરોડો લોકોને ભયંકર ફુગાવાના આ યુગમાં બે ટંકના દાળ-ચોખા-દૂધ પોસાતાં નથી ત્યારે કોમનવેલ્થ ગેમ્સ પાછળ આટલો ધુમાડો? આટલો વેડફાટ? આટલો ભ્રષ્ટાચાર? આ પ્રોજેક્ટનું અમલી બજેટ તો ૭૭૦ કરોડ રૂપિયાનું હતું, પણ જુલાઈના અંત સુધીમાં ખર્ચનો અંદાજ ૧૧,૦૦૦ કરોડને આંબી ગયો હતો, મતલબ કે બજેટ ૧૬૦૦ ટકા વધી ગયું. હવે પછીના પોણાબે મહિનામાં ખર્ચ હજુ પણ પ૦૦ કરોડ વધી જવાનો અંદાજ છે. ઇવેન્ટ માટે દિલ્હી સરકારને કેન્દ્ર સરકાર તરફથી રૂ.ર૮૦૦ કરોડ મળી ચૂક્યા છે. બીજા ૧૦,પ૦૦ કરોડ નાની બચત યોજનાની થાપણોમાંથી ખર્ચવાનું આયોજન છે.


CWG સંદર્ભે કલમાડીએ અજાણી કંપનીને પેમેન્ટ કરાવ્યું

કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓના નામ પર થઈ રહેલા ગોટાળાઓ સંદર્ભે પોતાનો સંબંધ ન હોવાનું કહી સુરેશ કલમાડી તમામ દોષનો ટોપલો ભલે પોતાની ટીમના અન્ય સભ્યો પર નાખી રહ્યાં હોય, પરંતુ એક-એક કરીને બહાર આવી રહેલી સચ્ચાઈથી કલમાડીના દાવાઓની પોલ ખુલી રહી છે. તથ્ય એ છે કે તેમણે માત્ર નાણાંકીય ફેંસલા જ નથી લીધા, પરંતુ લંડનની એ.એમ.ફિલ્મ્સ નામની એ કંપનીને તત્કાલિક ચુકવણીનો આદેશ આપ્યો હતો કે જેના સંદર્ભે તેમનો દાવો હતો કે તેમણે આ કંપનીનું નામ પણ સાંભળ્યું નથી. મહત્વપૂર્ણ છે કે એ.એમ.ફિલ્મ્સને કરવામાં આવેલી ચુકવણીની ખબરો મીડિયામાં આવ્યા બાદ સુરે્શ કલમાડીએ 16 સપ્ટેમ્બર, 2009ના લંડન સ્થિત ભારતીય ઉચ્ચાયોગમાંથી આવેલા એક ઈમેઈલને દેખાડતા દાવો કર્યો હતો કે એ.એમ.ફિલ્મ્સનું નામ લંડન સ્થિત ભારતીય ઉચ્ચાયુક્તે સુઝાડયું હતું. (બાદમાં જો કે એ સાબિત થયું કે ઈ-મેઈલ સાથે છેડછાડ કરવામાં આવી હતી.) પરંતુ દસ્તાવેજ જણાવે છે કે આ ઈ-મેઈલના આવ્યા પહેલા 22 ઓગસ્ટ, 2009ના રોજ કલમાડીના નજીકના સહયોગી ટી.એસ.દરબારી અને સંજય મોહિન્દ્ર, એ.એમ. કાર એન્ડ વેન હાયર લિમિટેડમાંથી કારોના કાફલા માટેના કરાર પર હસ્તાક્ષર કરી ચુક્યા હતા. સૌથી મોટી વાત એ છે કે કલામાડી તમામ દોષ નજીકના સહયોગીઓ પર નાખીને ખુદ પાક-સાફ હોવાનો દાવો કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે તેમને આ ચુકવણીઓની જાણકારી નથી. તેઓ એમ પણ કરી રહ્યાં છે કે તેમની પાસે નાણાંકીય અધિકાર નથી, માટે તેઓ નાણાંકીય નિર્ણય લઈ શકતા નથી. આવું કહીને કલમાડી નાણાંકીય ગડબડોનો તમામ દોષ પોતાના અધિકારીઓના માથે ઢોળી રહ્યાં છે. તેઓ આમ કરીને આ કિસ્સો ખતમ કરવા માંગે છે. પરંતુ આ સંદર્ભના દસ્તાવેજો અલગ જ કહાણી કહી રહ્યાં છે. ક્વિન્સ બેટન રિલે સમારંભના પાંચ દિવસ પહેલા 24 ઓક્ટોબર, 2009ના રોજ મોહિન્દ્રુએ ક્યૂબીઆર સમારંભના કોષાધ્યક્ષ એમ. જયચંદ્રનને હસ્તલિખિત ફેક્સ દ્વારા જણાવ્યું હતું કે મેટ પોલીસ અને મેયર ઓફિસના નિર્દેશાનુસાર બકિંઘમ પેલેસ માટે વિડિયો સ્ક્રીનની જરૂરત છે. માટે 1,46868.80 પાઉન્ડની ચુકવણીની મંજૂરી જોઈએ


તેલ રિસાવથી મુંબઈ તટ પર પર્યાવરણને જોખમ

બે માલવાહક જહાજોની ટક્કર બાદ ખતરનાક રસાયણોનો રિસાવ થવાને કારણે મુંબઈ અને આસપાસના તટીય વિસ્તારોમાં ગંભીર પર્યાવરણ સંકટ પેદા થઈ ગયું છે. આ ખતરનાક રસાયણનો રિસાવ માલવાહક જહાજ ચિત્રામાંથી થઈ રહ્યો છે. જો કે ઘટનાસ્થળે કોસ્ટ ગાર્ડના 6 જહાજો અને પ્રદૂષણ નિરોધક પ્રણાલી યુક્ત એક હેલિકોપ્ટરને રિસાવ રોકવા માટે અને સમુદ્રની સફાઈ માટે કામે લગાડાયા છે.મુંબઈ પોર્ટ ટ્રસ્ટે મોટા જહાજોના આવાગમન પર રોક લગાવી દીધી છે. ટક્કર બાદ માલવાહક જહાજ ચિત્રા 80 ડિગ્રી જેટલું નમી ગયું હતું. જહાજ પર ખતરનાક રસાયણોથી લદાયેલા 1219 કન્ટેનરોમાંથી 250 કન્ટેનરો ખતરનાક રસાયણ સાથે સમુદ્રમાં પડી ગયા છે.કોસ્ટ ગાર્ડના એક અધિકારીએ કહ્યું છે કે સફાઈ અભિયાન ચાલુ છે. 6 જહાજ અને પ્રદૂષણ નિરોધક પ્રણાલીવાળા એક હેલિકોપ્ટરને આ કામમાં લગાડાયા છે. તેઓ રિસાવ બંધ કરવા અને જહાજ ચિત્રાને કાઢવાની કોશિશ કરી રહ્યાં છે.આ દરમિયાન મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી સુરેશ શેટ્ટીએ કહ્યું છે કે સ્થિતિ ઘણી ગંભીર છે. તેઓ પરિસ્થિતિ પર કાબુ મેળવા માટે પૂરી કોશિશ કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે જહાજ પર 2662 ટન ફ્યુલ ઓઈલ, 283.8 ટન ડીઝલ અને 88,040 ટન લ્યુબ્રિકેન્ટ્સ ઓઈલ છે. શિપિંગ મહાનિદેશાલયના મુખ્ય નોટિકલ સલાહકાર એમ. એમ. સાલવીએ જણાવ્યું હતું કે મહાનિદેશાલયએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે અને વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે


અટલજીની કવિતાઓને નાણાં ભીડ નડી રહી છે!

ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કાવ્ય સંગ્રહ ‘મેરી ઈક્યાવન કવિતાએ’નો ભોટી ભાષામાં અનુવાદ આર્થિક તંગીને કારણે પ્રકાશિત થઈ રહ્યો નથી.કેલાંગની નેગી લામા મેમોરિયલ વેલફેર સોસાયટીએ આ અનુવાદ પ્રકાશિત કરવાની જવાબદારી લીધી છે. સોસાયટીના સંસ્થાક દિવંગત પ્રો. કે. આંગરૂપ લાહૌલીએ 2004માં અટલજીના કાવ્ય સંગ્રહનો ભોટી ભાષામાં અનુવાદ કર્યો હતો. પરંતુ રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં સોસાયટીને તેના પ્રકાશન માટે મદદ મળી રહી નથી. સોસાયટીના મહાસચિવ નવાંગ ઉપાસકે આ જાણકારી આપી છે.ભોટી ભાષા હિમાચલના કુલ્લુ, મનાલી, લાહૌલ-સ્પીતિ, કિન્નૌર વગેરે વિસ્તારમાં પ્રચલિત છે. આ સિવાય ભૂટાન, નેપાળ, તિબેટ, ચીન અને પાકિસ્તાનના કેટલાંક વિસ્તારોમાં પણ આ ભાષા બોલવામાં આવે છે.


પ્રિંન્સ એન્ડ્ર્યુ બિકીનિ મોડલના પ્રેમમાં

ક્વીન એલિઝાબેથ દ્રિતીયના બીજા પુત્ર પ્રિંન્સ એન્ડ્ર્યુ તેનાથી ત્રણ વર્ષ મોટી બિકીનિ મોડલ સાથે ડેટિંગ કરી રહ્યાના સમાચારે હલચલ મચાવી દીધી છે. 50 વર્ષીય ડ્યુક ઓફ યોર્ક અને અલેક્સાંદ્રા એસ્કેટે શનિવારે એક ખાનગી વિમાનમાં યાત્રા કરતા અને ઓલબિયા એરપોર્ટ પરથી ઉડાન ભરતા જોયા હતા.ગત સપ્તાહે એક સ્પોર્ટ બોટમાં બન્ને સાથે દેખાયા હતા. ડેઇલી મેલમાં પ્રકાશિત કરવામાં આવેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તે કપલ સુપરયાક્ત બોટમાં એક બીજાના પ્રેમમાં ડૂબેલા જણાયા હતા.


તુર્કીમાં ખુશી મનાવવા વરરાજાએ ગોળીબાર કર્યા, ત્રણના મોત

તુર્કીમાં એક લગ્ન દરમિયાન વરરાજાએ પોતાના લગ્નની ખુશી મનાવવામા માટે એક-47 રાયફલમાંથી અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ ગોળીબારમાં ત્રણ સબંધીઓ માર્યા ગયા હતા, જ્યારે આઠ વ્યક્તિઓ ઘાયલ થયા હતો.આ ઘટના ગાજિયાંતેપ પ્રાંતમાં બની હતી. રવિવારે વરરાજા તૌફીક અલ્તૂને ફાયરિંગ કરી હતી. આ ફાયરિંગમાં તેના પિતા આરિફ અલ્તૂન અને તેની બે મહિલા સબંધી યાસમીન અને મુનીરેની ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ.અધિકારીઓએ જણાવ્યું હતું કે તૌફીકે ખુશી મનાવવા માટે હવામાં ગોળીબાર શરૂ કર્યો હતો અને બાદમાં પોતના પર કાબુ ગુમાવી દીધો હતો, જેથી દુર્ઘટનાવશ તેના સબંધીઓ તેની ઝપેટમાં આવી ગયા હતા. ઘાયલોમાં ચાર વ્યક્તિની હાલત ગંબીર માનવામાં આવે છે. તૌફીકની ધરપકડ કરી દેવામાં આવી છે.

ચીનપ્રાંતમાં પણ આભ ફાટતાં ૧૨૭ના મોત

ચીનના તિબેટના સ્વાયત્ત ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે ભેખડો ધસી પડતાં રસ્તાઓ પર બે -બે મીટરની ઊંચાઇના કાદવ અને ખડકોના થર સર્જાવા સાથે સર્જાયેલી તારાજીમાં ૧૨૭ લોકો માર્યા ગયા છે તો ૨૦૦૦ જેટલા લોકો ઘવાયા છે. ૧.૩ લાખ તિબેટીઓની વસતી ધરાવતા આ પ્રદેશમાં સેંકડો મકાન તારાજ થયા છે. તારાજી બાદ ૭૬ ઇજાગ્રસ્તો મળ્યા છે તો ૨૦૦૦ જેટલા લોકો હજી લાપતા છે.૪૫૦૦૦ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.વિસ્તારમાં કેટલીક પ્રથમિક શાળા અને સરકારી ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું છે. સમાચાર મળતાં જ વડાપ્રધાન વેન જિઆબાઓ વિસ્તારમાં દોડી ગયા હતા.
રમુખ હુ જિન્તાઓએ પણ બચાવ અને રાહત કામગીરી માટે લશ્કરી અને મુલ્કી એજન્સીઓને કામે લગાડી દેવાના આદેશ કર્યા હતા. ગઇરાતે ભારે વરસાદ વરસતાં આ તારાજી સર્જાઇ હતી. નદી કિનારાના ગામો તણાવા લાગ્યા હતા. લોકો પૂરના પાણીમાં ફસાઇ ગયા હતા. માર્ગો પર ભેખડો ધસી પડવાને કારણે વાહન વ્યવહાર શક્ય ના રહેતાં હવાઇ માર્ગે જ બચાવ કામગીરી ચાલી રહી છે. પૂરમાં તણાઇ ગયેલા લોકોને શોધવા મુશ્કેલ છે.


આર્મીના હેલિકોપ્ટરમાં ઉડી ધોનીની સેના

શ્રીલંકા સામે અંતિમ ટેસ્ટ મેચ જીતીને ભારતીય ટીમ અત્યારે આત્મવિશ્વાસથી ભરપૂર છે અને હાલમાં તેમનો આ વિશ્વાસ સાતમાં આસમાને છે. એટલે જ કોલંબોથી દંબુલાની ફક્ત પાંચ કલાક માર્ગ યાત્રાના બદલે ધોનીની સેનાએ ઉડીને જવાનું પસંદ કર્યુ હતું.
તમે કહેશો કે હવાઈ મુસાફી કરવી તે ભારતીય ટીમ માટે ક્યાં નવી વાત છે. પરંતુ ટીમ ઈન્ડિયાની આ હવાઈ મુસાફરીની ખાસ વાત એ છે કે તેઓએ શ્રીલંકાન સેના (આર્મી)ના હેલિકોપ્ટરમાં બેસીને હવાઈ સફર માણી હતી.ઉલ્લેખનીય છે કે અંતિમ ટેસ્ટ સમાપ્ત થયા બાદ ટીમ ઈન્ડિયાને વન ડે શ્રેણી માટે કોલંબોથી દમ્બુલા જવાનું હતું. ટીમ બસમાં જવાને બદલે સીધા જ લશ્કરના મુખ્ય મથકે પહોંચી હતી. જ્યાં એમઆઈ 17 અને બ્લેકહોક નામના બે હેલિકોપ્ટર ભાડેથી લઈને તેઓ દમ્બુલા જવા રવાના થયા હતા. અને પાંચ કલાકના બદલે ટીમ ઈન્ડિયા ફક્ત 40 મિનિટમાં જ દમ્બુલા પહોંચી ગઈ હતી.હકિકતમાં દમ્બુલા ખાતે કોઈ હવાઈ મથક પણ નથી. તેથી ધોનીના ધૂરંધરોને આર્મીની મદદ લેવી પડી હતી. ટીમનું હેલિકોપ્ટર તેમની હોટલ પાસે આવેલા હેલિપેડ પર ઉતર્યુ હતું. આ ખાસ હવાઈ મુસાફરી માટે ભારતીય ટીમ મેનેજમેન્ટે શ્રીલંકન ક્રિકેટના સચિવ નિશાંત રણતુંગાને વિનંતી કરી હતી.


“ભારતની જીતથી મારી આંખો પહોળી થઈ ગઈ હતી”

ભારતે ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં શ્રીલંકા સામે પાંચ વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. આ વિજય સાથે ભારતે શ્રેણીને 1-1થી સરભર કરી હતી. જો કે પ્રથમ દિવસે જ ભારતે મહત્વની 3 વિકેટો ગુમાવી દીધા બાદ ટીમ ઈન્ડિયા મેચ જીતશે કે નહીં તે અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હતી.ભારતે જે રીતે શ્રેણીને 1-1થી ડ્રો સરભર કરી તે જોતા ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સંજય માંજરેકર પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. ભારતની જીતથી સંજય માંજરેકરની આંખો જ પહોળી થઈ ગઈ હતી. વેબસાઈટ સાથેની વાતચીતમાં માંજરેકરે જણાવ્યું હતું કે મને ક્યારેય આશા નહોતી કે ભારત આટલું સારૂ પ્રદર્શન કરશે. ઝહિર ખાન ટીમમાંથી બહાર થઈ જતા અને હરભજન સિંઘ પણ સંપૂર્ણ ફિટ નહોવા છતાં ભારતે સારો દેખાવ કર્યો હતો. તેથી જ પી સારા ખાતે તમે ટીમની ક્ષમતા કરતા પણ ટીમું કેરેક્ટર વધારે જોઈ શકો છે.શ્રીલંકાને તેની જ ધરતી પર હરાવવાથી ટીમ ઈન્ડિયા પર ગર્વ અનુભવતા માંજરેકરે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી શ્રીલંકન બેટ્સમેનો સાતત્યપૂર્ણ રીતે તેમની ધરતી પર સારો સ્કોર બનાવી રહ્યા છે. બાદમાં બોલરો તેની ઘાતક બોલિંગની મદદથી વિરોધીઓને હંફાવી દે છે.માંજરેકરે વધારેમાં જણાવ્યું હતું કે ટેસ્ટ શ્રેણી શરૂ થયા પહેલા હું વિચારતો હતો કે બોલિંગ આક્રમણ નબળું હોવાથી ભારત એક પણ ટેસ્ટ જીતવમાં સફળ રહેશે નહીં. પરંતુ તેઓએ મને આશ્ચર્યમાં મૂકી દીધો છે.ત્રીજી ટેસ્ટમાં બીજા દિવસે ભારતીય બોલરોએ ટીમને મેચમાં પાછી લાવ્યા હતા. ખાસ કરીને પ્રજ્ઞાન ઓઝાએ. કોઈ પણ બેટ્સમેન સદી પૂરી કરી શક્યો નહોતો. બાકીનું કામ ભારતની મજબૂત બેટિંગ લાઈને સંભાળી લીધું હતું.


હું ઘણો જ નિરાશ થયો છું”

એશિયા કપમાં ભારત સામે પાંચ વિકેટ અને એક હેટ ટ્રિક લીધી હોવા છતાં શ્રીલંકન બોલર ફરવીઝ મહારૂફને આગામી ત્રિકોણીય શ્રેણી માટે ટીમની બહાર કરી દેવામાં આવ્યો છે.પોતાનું આવું પ્રદર્શન હોવા છતાં તેનો ટીમમાં સમાવેશ ના કરવાથી મહારૂફ ઘણો જ નિરાશ થયો છે અને તે હવે તે પાછળના કારણો જાણવા ઈચ્છે છે.એક વેબસાઈટ સાથેની વાતચીતમાં મહારૂફે જણાવ્યું હતું કે હું ઘણો જ નિરાશ થયો છું. હું નથી જાણતો કે શું બન્યું છે. હું ફક્ત એટલું જ કહીં શકું છું કે મને ઘણું જ દુખ થયું છે. હું જાણવા માંગુ છું કે મને શા કારણોથી બહાર કરી દેવામાં આવ્યો છે.મહારૂફે વધારેમાં જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ આ વિષય પર મારી સાથે વાતચીત કરવા માટે તૈયાર નથી. છેલ્લી ત્રણ વન ડેમાં મેં ઘણું જ સારૂ પ્રદર્શન કર્યુ છે. મેં ન્યૂઝિલેન્ડ સામેની પ્રેક્ટિસ મેચોમાં પણ સારૂ પ્રદર્શન કર્યુ છે. તેથી મને ખરેખર નથી ખબર કે કયા કારણોસર મને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. પરંતુ મને વિશ્વાસ છે કે હું જલદીથી ટીમમાં પાછો ફરીશ.

પ્રભાસપાટણમાં મકાન તૂટી પડતા એક જ પરિવારનાં નવ સભ્યોનાં મોત

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

પ્રભાસપાટણમાં મકાન તૂટી પડતા એક જ પરિવારનાં નવ સભ્યોનાં મોત

જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે અસંખ્ય જર્જરીત મકાનો ધરાશયી થયાનાં બનાવો બન્યા છે. જેમાં પંદરથી વધુ માનવજીંદગીનો ભોગ લેવાયો છે. ત્યારે વેરાવળનાં પ્રભાસપાટણમાં ગત મોડી રાત્રે સિંધી પરિવારનું જુનવાણી મકાન તૂટી પડતા નિંદ્રાધીન છ મહિલા સહિત નવ વ્યકિતનાં દબાઇ જવાથી મોત નિપજ્યા હતા. અરેરાટીભર્યા બનાવથી પ્રભાસપાટણ, વેરાવળ પંથક શોકમય બંધ રહ્યું હતુ.બનાવની મળતી વિગતો મુજબ, પ્રભાસપાટણનાં જોગાન ચોકમાં આવેલા પચાસ વર્ષ જુના બે માળના મકાનમા સિંધી પરિવાર સોમવારની મોડી રાત્રે મીઠી નિંદર માણી રહ્યાં હતા. ત્યારે અચાનક અઠી વાગ્યાનાં અરસામાં મકાન તૂટી પડતા નિંદ્રાધીન સિંધી પરિવારનાં સભ્યો કાટમાળ નીચે દબાઇ ગયા હતા.બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ તેમજ ડિઝાસ્ટરનો સ્ટાફ તુરંત સાધન સામગ્રી સાથે ઘટના સ્થળે દોડી ગયો હતા અને કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરી દીધી હતી. કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન સિંધી પરિવારના એક પછી એક નવ સભ્યોનાં મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઇ ગઇ હતી.આ બનાવમાં ચંદ્રીકાબેન ઉર્ફે ચંદાબેન કશિનચંદ (ઉ.વ.૬૦),દિનેશ કશિનચંદ (ઉ.વ.૩૨),જગદીશ કશિનચંદ (ઉ.વ.૨૮) અને દિપા કશિનચંદ (ઉ.વ.૨૪)નાં મૃતદેહો પહેલા માળમાંથી જ્યારે તેની નીચેના માળમાંથી સાજનદાસ ટેઉમલ ટિકોટીયા (ઉ.વ.પપ), ઇન્દુબેન સાજનદાસ (ઉ.વ.પ૦), દીપ સાજનદાસ (ઉ.વ.૧૯), કંચન સાજનદાસ (ઉ.વ.૧૭) અને વૈશાલી સાજનદાસ (ઉ.વ.૧૬) નાં મૃતદેહો મળી આવ્યાં હતા.બનાવને પગલે વેરાવળ પંથકમાં શોકનુ મોજુ ફેલાઇ ગયું હતુ અને તમામ બજારો શોકમય બંધ રહી હતી. સિંધી પરિવારનાં એક જ કુટુંબનાં નવ નવ સભ્યોનાં મોત નિપજતા સિંધી સમાજમાં ગમગીની છવાઇ ગઇ છે. મોતને ભેટેલા નવે નવ વ્યકિતઓની આજે બપોરે અંતિમયાત્રા નિકળવાની હોવાનું જાણવા મયું છે.


શું સીબીઆઇ શાહના વધુ રિમાન્ડ માગશે?

બે દિવસના રિમાન્ડમાં સીબીઆઇ શાહ પાસેથી જરૂરી માહિતી કઢાવી કે કેમ?સીબીઆઇ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં શાહના વધુ રિમાન્ડ માંગશે કે કેમ ? તે સવાલ રાજ્યભરના લોકોને સતાવી રહ્યો છે.ચકચારી સોહરાબુદ્દી એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રકરણમાં ગઇકાલે ગુજરાતના માજી ગૃહરાજ્યમંત્રી અમિત શાહના બે દિવસના રિમાન્ડ પુરા થતાં તેમને સીબીઆઇ કોર્ટના મેજીસ્ટ્રેટના આદેશથી જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.
બે દિવસમાં સીબીઆઇએ શાહને ૫૦૦ સવાલ પુછ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પંરતુ આ તમામ સવાલના સીબીઆઇને જવાબ મળ્યા કે કેમ તથા સીબીઆઇ આ રિમાન્ડ દરમીયાના શાહ પાસેથી જે માહિતી કઢાવવા માંગતી હતી તે કઢાવી શકી છે તેજ અક સવાલ છે માટે હજુ સીબીઆઇ વધુ પુછપરછ માટે શાહના રિમાન્ડ માંગશે કે કેમ ? તે સવાલ સૌ કોઇને સતાવી રહ્યા છે.સીબીઆઇએ શાહના રિમાન્ડ મેળવવા માટે તમામ પ્રયાસો કર્યા હતા તો બીજી તરફ સીબીઆને શાહના રિમાન્ડ ન મળે તે માટે કોર્ટમાં સીનીયર વકીલોની ફૌજ ઉતારી દેવામાં આવી હતી. સ્પે સીબીઆઇ કોર્ટે શાહના રિમાન્ડ માટેની અરજી ફગાવી દેતાં સીબીઆઇએ હાઇકોર્ટમાં આ બાબેતે રજુઆત કરી હતી અને હાઇકોર્ટે સીબીઆઇને શાહના બે દિવસના રિમાન્ડ આપ્યા હતા.


કિશોરે 75 વર્ષીય વૃદ્ધા પર બળાત્કાર કર્યો!

ઉત્તર પ્રદેશના બુલંદ શહેર જિલ્લાના એક ગામમાં એક 75 વર્ષીય વૃદ્ધાએ તેમની પાડોશમાં રહેતા એક કિશોર પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે.આ કિસ્સો જિલ્લાના ભંસૌલી ગામનો છે. વૃદ્ધાનો આરોપ છે કે તેમના 19 વર્ષીય પડોશી સદ્દામે તેમની પર બળાત્કાર કર્યો છે. વૃદ્ધાએ આ સંદર્ભે સદ્દામ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે. ત્યાર બાદ તેમને તબીબી પરીક્ષણ માટે મોકલી દેવાયા છે.સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી આલોક સિંહે જણાવ્યું છે કે મહિલાની ફરિયાદ બાદ તેમનું તબીબી પરીક્ષણ કરાવાયું છે અને રિપોર્ટ આવ્યા બાદ કેસ નોંધવામાં આવશે.


આજે લાલગઢમાં મમતાની નક્સલી સમર્થિત રેલી

કેન્દ્રીય રેલવે મંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીની સોમવારે પશ્ચિમ બંગાળના લાલગઢમાં થનારી રેલીને લઈને રાજકીય ગરમવો વધી ગયો છે. રેલી પહેલા સીપીએમે કેન્દ્ર સમક્ષ માગણી કરી છે કે તે તૃણમૂલ કોંગ્રેસ અને માઓવાદીઓના જોડાણને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કરે.સીપીએમના મહાસચિવ પ્રકાશ કરાતે કહ્યું છે કે તેઓ જાણવા માંગે છે કે શું ગેરકાયદેસર તત્વોની સાથે લડાઈમાં કેન્દ્ર તૃણમૂલ કોંગ્રેસ અને માઓવાદીઓના ગઠજોડને સંગત માને છે? તેમણે કહ્યું હતું કે ગૃહ મંત્રી પી. ચિદમ્બરમનું કહેવું છે કે તૃણમૂલ કોંગ્રેસ અને માઓવાદીઓ વચ્ચે ગઠજોડ નથી. પરંતુ લાલગઢમાં પ્રસ્તાવિત રેલી આ સંબંધોનો ખુલાસો કરે છે. માઓવાદીઓ સમર્થિત લાલગઢ રેલીમાં મમતા બેનર્જી અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ ભાગ લેવાના છે.તેમણે આરોપ લગાવ્યો હતો કે તૃણમૂલનો દાવો છે કે તે બિનરાજકીય રેલી છે, પરંતુ માઓવાદીઓ સાથે તેમના જોડાણનો ખુલાસો થઈ ચુક્યો છે. કરાતે પ્રશ્નના લહેજામાં પુછ્યું છે કે તેઓ રેલીમાં ભાગ લેવા જઈ રહેલા કેન્દ્રીય મંત્રી અને કેટલાંક રાજ્ય મંત્રીઓ સંદર્ભે કેન્દ્રના વલણને જાણવા ઈચ્છે છે.તો બીજી તરફ પશ્ચિમ મિદનાપુર જિલ્લાના નક્સલ પ્રભાવિત લાલગઢ વિસ્તારમાં મમતાની સોમવારની રેલીને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે. આ રેલીમાં એક નક્સલ સમર્થક જૂથ પણ હિસ્સો લઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળના ડીજીપી (કાયદો અને વ્યવસ્થા) સુરજીત પુરકાયસ્થનું કહેવું છે કે વિસ્તારમાં સીઆરપીએપના જવાનો કાયદો અને વ્યવસ્થાન જાળવવા માટે રાજ્ય પોલીસને મદદ કરશે. રેલી દરમિયાન સુરક્ષાની કડક વ્યવસ્થા હશે. રેલી સ્થળ સહીત તમામ રસ્તાઓ પર નજર રાખવામાં આવશે. નક્સલ પ્રભાવિત પશ્ચિમ મિદનાપુર, પુરુલિયા અને બાંકુરા જિલ્લાના વન ક્ષેત્રોમાં સીઆરપીએપના જવાનોને તેનાત કરવામાં આવ્યા છે.મમતાએ જનજાતીયોના મામલાઓને લઈને બુદ્ધિજીવીઓના વિરોધ પ્રદર્શનોને જોતાં ઘોષણા કરી છે કે લાલગઢની રેલી તૃણમૂલ કોંગ્રેસના સ્થાને એક બિનરાજકીય મંચ ‘પોલીસ સંત્રાસ વિરોધી મંચ(પીસીપીએ)’ના બેનર તળે યોજાશે. રેલીમાં સ્વામી અગ્નિવેશ અને નર્મદા બચાવો આંદોલનના નેતા મેઘા પાટકર પણ ભાગ લેશે.

પાકિસ્તાનમાં બ્રિટિશ દંપતીની હત્યા

પાકિસ્તાની મૂળના બ્રિટિશ દંપતીની તેમની પુત્રીના લગ્નમાં થયેલા ઝઘડા દરમિયાન ગોળી મારીને હત્યાં કરી દેવામાં આવી હતી. ગુલ વઝિર અને તેની પત્નિ પુત્રીના લગ્નમાં થયેલો ઝઘડાનું સમાધાન કરવા માટે નોસેરા પ્રાંતના સાલેહોના ગામમાં ગયા હતા.વઝિરની પુત્રી પાકિસ્તાનમાં એક વ્યક્તિ સાથે લગ્ન કરવા જઇ રહિ હતી. જો કે બાદમાં કોઇક કારણોસર તેણે તે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ બાબતે થયેલી તકરારને નિવારવા માટે તેના માતાપિતા પાકિસ્તાન આવ્યાં હતા. વઝિર બર્મિંગહામમાં ટેક્સી ડ્રાઇવર તરીકે કામ કરે છે અને આલમ રોક વિસ્તારમાં રહે છે. પોલીસ અધિકારીઓએ વઝિરના મૃત્યુને પૃષ્ટી આપી છે. સાક્ષીઓના જણાવ્યાં પ્રમાણે તે યુવતીએ લગ્ન કરવાની ના પાડતા યુવકે ગુસ્સામાં આવીને તેના માતાપિતાને ગોળી મારી દીધી હતી. બર્મિંગહામ પાર્લામેન્ટના મુસ્લિમ સભ્યએ આ ઘટનાને વખોડતા જણાવ્યું હતું કે હુ આ કૃત્યથી ભારે નિરાશા સાથે શોકની લાગણી અનુભવુ છું.



‘કાશ્મીરી ઉજવે પાકિસ્તાની સ્વતંત્રતા દિવસ’

હુર્રિયત નેતા અલી શાહ ગિલાનીએ કાશ્મીરીઓને કહ્યું છે કે તેઓ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ (14 ઓગસ્ટ)ને ‘એકતા દિવસ’ અને ભારતીય સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ)ને ‘કાળા દિવસ’ તરીકે મનાવે. બીજી ગિલાની દ્વારા ગૃહ મંત્રી પી. ચિદમ્બરમના વાતચીતના પ્રસ્તાવને ઠુકરાવાયાના એક દિવસ બાદ અલગતાવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારુખે પણ વાતચીતને નિર્રથક ગણાવી છે. ઉમરે કહ્યું છે કે કાશ્મીર મુદ્દાને લઈને કેન્દ્ર સરકાર ગંભીર નથી.બીજી તરફ હુર્રિયતના નેતા સૈયદ અલી શાહ ગિલાનીએ કહ્યું છે કે ‘નવી દિલ્હી’એ પોતાના એ વાયદાને નિભાવો જોઈએ કે જેમાં કાશ્મીરીઓને આત્મનિર્ણયનો અધિકાર આપવાની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે પંડિત નહેરુએ 1948માં કાશ્મીરીઓને વાયદો કર્યો હતો કે તેઓ તેમને આત્મનિર્ણયનો અધિકાર આપશે. પરંતુ આ વાયદાને ક્યારેય પૂર્ણ કરવામાં આવ્યો ન હતો. ગિલાનીએ કહ્યું હતું કે નહેરુએ તેમને આકાશ દેખાડ્યું, પરંતુ પગ નીચેની ધરતી છીનવી લેવાય.ગિલાનીએ કાશ્મીરીઓને કહ્યું છે કે તેઓ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ 14 ઓગસ્ટને ‘એકતા દિવસ’ તરીકે મનાવે અને ભારતના સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટને ‘કાળા દિવસ’ તરીકે મનાવે.બીજી તરફ મીરવાઈઝ ઉમર ફારુખે કહ્યું હતું કે વાતચીત ખાતર વિશ્વાસ બહાલી માટે કાશ્મીરમાંતી સૈનિકો હટાવામાં આવે, દમનકારી કાયદાઓ ખતમ કરવામાં આવે અને રાજકીય કેદીઓને મુક્ત કરવામાં આવે. પરંતુ અફસોસ ભારત સરકાર આ સંદર્ભે કોઈ ધ્યાન આપી રહી નથી.


ઓબામા દુનિયાના સૌથી પોપ્યુલર નેતા

ટ્વિટર પરના ફોલોઅર્સની સંખ્યાને દેખવામાં આવે તો અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાં દુનિયાના સૌથી લોકપ્રિય નેતા છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ હ્રુગો શોવેજ, કેનેડાના પ્રધાનમંત્રી સ્ટીફન હાર્પર, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બાન કી મૂન જેવા નેતાઓમાં ઓબામા પહેલા નંબર પર સ્થાન ધરાવે છે. ટ્વિટર પર તેમના આશરે 48 લાખ જેટલા ફોલોઅર્સ છે. ટ્વિટ મિનિસ્ટરના નામથી પ્રખ્યાત ભારતના મંત્રી શશી થરૂર આ યાદીમાં પાંચમા સ્થાન પર છે.2008માં થયેલા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઓબામાએ પોતાના મતદારોને મનાવવા માટે ટ્વિટરનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ પણ ઓબામા સતત ટ્વિટ કરતી રહ્યા છે.ઓબામા ટ્વિટના માધ્યમથી પોતાના ફોલોઅર્સને પોતાની સાથે સંકળાયેલી માહિતી આપે છે અને કેટલાક વિષયો પર તેમના અભિપ્રાય માંગે છે. ઓબામા પોતે લોકોના વિચારો જાણવા માટે 7,18,555 લોકોને ફોલો કરે છે.નોબલ પુરસ્કા વિજેતા અલગોર આશરે 21 લાખ કરા પણ વધારે ફોલોઅર્સની સાથે બીજા નંબર પર છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ પ્રધાનમંત્રી કેવિન રડ 9 લાખ ફોલોઅર્સની સાથે ચોથા નંબર પર છે. તેમના બાદ પાંચમા નંબર પર શશિ થરૂરનું નામ આવે છે.


અમેરિકન કંપનીની 'ભાંગ'ને છીનવવાની કોશિશ

દેશમાં પૌરાણિક સમયથી ભાંગનો ઉપયોગ થતો રહ્યો છે પરંતુ હવે એક અમેરિકન કંપનીએ ચોકલેટ માટે 'ભાંગ' શબ્દનો ટ્રેડમાર્ક મેળવવામાં લાગી ગઇ છે.ચોકલેટ બનાવનાર અમેરિકન ફર્મ સ્કાટ જે વૈન રિક્સેલે 'ભાંગ : ધ ઓરિજિનલ કૈનબિસ ચોકલેટ' નામથી એક ભાંગવાળી ચોકલેટ બનાવવા અને ભાંગ શબ્દનો ટ્રેડમાર્ક મેળવવાની તૈયારી કરી છે. જો કંપનીને આ ટ્રેડમાર્ક મળી જાય તો કોઇપણ કંપની ભાંગ શબ્દનો ઉપયોગ ચોકલેટ અથવા ટોફી માટે કરી શકશે નહિં.દેશમાં હોળી અને શિવરાત્રિ જેવા તહેવારનો પર્યાય સમજનાર ભાંગનો ભોગ સામાન્ય રીતે ભગવાન શિવના ભક્તો લે છે. ચોકલેટ કંપનીએ ભાંગવાળી ચોકલેટ સૌથી પહેલાં અમેરિકામાં અને ત્યારબાદ ભારતમાં લોન્ચ કરવાની તૈયારી કરી છે.કંપનીની યોજના શરૂઆતમાં બે પ્રકારની ભાંગ ચોકલેટોનું વેચાણ કરવાની છે અને જો તેને ભારતમાં આ ચોકલેટ વેચવાની મંજૂરી મળી જાય છે તો તે દેશમાં લોકોને ચોકલેટ દ્વારા ભાંગની મજા અપાવશે.રિક્સેલે આ નવા ઉદ્યમ માટે 'ભાંગ ચોકલેટ કંપની ઇન્ક' નામથી એક કંપની પણ બનાવી છે અને બ્રાન્ડ પ્રમોશન માટે તે ટી-શર્ટ અને બેસબાલ કૈપ જેવી ચીજોનું વેચાણ કરી રહી છે જેના પર 'ભાંગ ચોકલેટ'નો લોગો લગાવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે આ પહેલાં અમેરિકન કંપનીઓ બાસમતી અને હળદર, લીમડાની પેટન્ટ સુધી પોતાનું નામ કરાવી લીધું હતું. જો કે ભારત સરકારે બાદમાં તેના માટે વિશ્વ વેપાર સંગઠનમાં મામલો દાયર કરીને આ નામોને ભારતના ક્ષેત્ર વિશેશના ભૌગોલિક પરિસ્થિતિઓમાં પેદા થતી પ્રોડક્ટ બતાવી. હવે એક અમેરિકન કંપની ભાંગને ટ્રેડમાર્કના રૂપમાં ઉપયોગ કરવા જઇ રહી છે


ઇન્ફોસીસ પણ નારાયણમૂર્તિના ઉત્તરાધિકારીની શોધમાં

દેશની બીજા નંબરની સૌથી મોટી આઇટી કંપની સોફટવેર ઇન્ફોસીસમાં પણ નવા ચેરમેનની તપાસ શરૂ થવાની છે. ઉલ્લેખનીય છે કે ઇન્ફોસીસના ચેરમેન અને મેંટર એન નારાયણમૂર્તિ આવતા વર્ષે ઓગસ્ટ મહિનામાં 65 વર્ષના થઇ જશે અને કંપનીના નિયમ પ્રમાણે ચેરમેન માટેની આ રિટાયરમેન્ટ ઉંમર છે.સૂત્રોના મતે ઇન્ફોસીસ માટે નવા ચેરમેનની શોધવાનું કામ આવતા જાન્યુઆરી મહિનામાં શરૂ કરી દેવાશે. જો કે આ મુદ્દાને લઇને કંપનીમાં અત્યારથી ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.નારાયણ મૂર્તિએ 6 લોકો સાથે મળીને 1981માં ઇન્ફોસીસનો પાયો નાંખ્યો હતો. મૂર્તિના અને તેમના સહ સ્થાપકો નંદન નિલેકાણી, ક્રિસ ગોપાલક્રિષ્નન, એસડી શિંબુલાલસ, કે દિનેશ અને એસકે અરોરાએ છેલ્લાં ત્રણ દાયકામાં ઉંચી સફળતા નોંધાવી છે. તેમણે તેમની પત્નીઓ પાસેથઈ ઉછીના નાણાં લઇ કંપનીની સ્થાપના કરી હતી. વર્ષ 2006માં તેમણે 60 વર્ષની ઉંમતે કંપનીનું એક્ઝક્યુટિવ ચેરમેન પદ છોડ્યું હતું.આ ઘટનાક્રમ અંગેની માહિતી રાખનાર વર્તુળોએ જણાવ્યું કે ઇન્ફોસીસની નોમિનેશન્સ કમિટીએ ગયા સપ્તાહથી આ અંગે વિચારણા શરૂ કરી દીધી છે. કંપનીની કમિટીમાં આઇસીઆઇસીઆઇ બેન્કના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન કે.વી.કામથસ કોર્નેલ યુનિવર્સિટીના પ્રોફેસર જેફરી સિન લિમેન અને એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઇફ ઇન્શયોરન્સના સીઇઓ દીપક એમ સતવાલેકરનો સમાવેશ થાય છે.


અમદાવાદમાં જળપ્રલય: ૧૫ ઇંચ વરસાદ

અમદાવાદ શહેરમાં શનિવાર રાતથી રવિવાર પરોઢ સુધી માત્ર પાંચ કલાકમાં આભ ફાટ્યું હોય તેમ રાણીપ અને મેમનગરમાં ૧૫ ઇંચ જેટલા વરસાદ ખાબક્યો હતો. જ્યારે શહેરમાં સરેરાશ દસ ઇંચ જેટલા મુશળધાર વરસાદના પગલે કેટલાક વિસ્તારો જળબંબાકાર તો કેટલાક વિસ્તારો રીતસરના બેટ બની જતા આ અભૂતપૂર્વ વરસાદથી સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.૭ વ્યક્તિઓનાં મોત: ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ: રાણીપ અને મેમનગરમાં સૌથી વધુ વરસાદ: એરપોર્ટ પર પાણી ફરી વળતાં ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ રદ રેલવે ટ્રેક પર પાણી, ટ્રેનો રદ : તમામ અંડરપાસ-બીઆરટીએસ બંધ.ઘણા વિસ્તારો બેટમાં ફેરવાયા, ઘરોમાં પાણી ઘૂસી ગયાં: સોસાયટીઓમાં ત્રણથી ચાર ફૂટ પાણી, મ્યુનિ. તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી. જળપ્રલયથી સાત વ્યક્તિઓનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે માર્ગો ઉપર ૪થી ૭ ફૂટ પાણી ભરાઈ જવાના કારણે સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયાં હતાં. શહેરમાં ૫૩ જગ્યાએ પાણી ભરાવાની ફરિયાદો મળી છે. શહેરના રાણીપ વિસ્તારની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું જાણવા મળ્યું છે. જો મોડીરાત્રે પુન: વરસાદ પડે તો તળાવો છલકાઈ જવાની ભીતિ પણ તંત્રએ વ્યક્ત કરી છે. શનિવાર રાતથી રવિવારે વહેલી પરોઢે પડેલા સાંબેલાધાર વરસાદના કારણે શહેરના રાણીપ, ચાંદખેડા, મેમનગર, કુબેરનગર, નવા નરોડા, સરસપુર, વિસ્તારની હાલ વધુ કફોડી બની ગઈ હતી. માત્ર રાણીપ વિસ્તાર માત્ર પાંચ કલાકમાં એટલે કે રાત્રીના ૧૨-૩૦થી ૫-૩૦ વાગ્યા સુધી ૧૫ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ નિર્માણ થઈ હતી. રાણીપના બકરામંડી, રાધાસ્વામી રોડ, કાળીગામ વગેરે વિસ્તારમાં ૭ ફૂટથી વધુ પાણી ભરાઈ ગયાં છે.ચાંદખેડા, ચાંદલોડિયામાં ન્યૂ સી.જી.રોડ સમગ્ર પાણીમાં ગરકાવ થઈ ગયો. આજુબાજુની સોસાયટીઓમાં તથા કોમ્પ્લેકસના ભોંયરામાં પાણી ઘૂસી ગયાં હતાં. ગટરલાઇન બેક મારવાથી ઘરોમાં ગટરનું પાણી ફરી વળ્યું હતું. મેમનગરમાં ૧૦ ઇંચ વરસાદ પાંચ કલાકમાં પાણી જતાં પુન: આ વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો. ઠેરઠેર ત્રણથી પાંચ ફૂટ પાણી ભરાવાની ફરિયાદો થઈ છે.ભારે વરસાદના પગલે રેલવેટ્રેક ઉપર પાણી ફરીવળતાં ઘણી ટ્રેનો રદ કરવામાં આવી હતી, જ્યારે એરપોર્ટના રનવે ઉપર પાણી ભરાઈ જતાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરાઈ હતી, જ્યારે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ બપોર પછી શરૂ કરાઈ હતી. શહેરમાં ઠેરઠેર પાણી ભરાવાના કારણે બીઆરટીએસ બંધ કરી દેવાઈ હતી અને એએમટીએસ કેટલાક વિસ્તારોમાં બંધ કરી દેવાઈ હતી. સને ૨૦૦૦માં પડેલા ૨૦ ઇંચ વરસાદની યાદ આજે શહેરીજનો માટે તાજી થઈ ગઈ હતી. એ વખતે પણ કોટ વિસ્તારમાં ત્રણથી ચાર કલાકમાં પાણી ઊતરી ગયાં હતાં અને આજે પણ મધ્ય ઝોનમાં પાણી ઊતરી ગયાં હતાં.


અમદાવાદમાં ક્યાં ક્યાં પાણી ભરાયાં?

રાણીપ જ્યાં સૌથી વધારે વરસાદ પડતાં બકરામંડી વિસ્તારમાં અને રાધાસ્વામી રોડ ઉપર જોગેશ્વરીનગર સહિતની સોસાયટીઓમાં, ચાંદલોડિયા જગતનગર, નિર્ણયનગર સહિતની સોસાયટીઓ, મેમનગર ગુરુકુળ રોડ ઉપર ગૌતમી ફ્લેટ, સનસેટ રોહાઉસ, સ્મૃતિ એપાર્ટમેન્ટ, ગોકુલ રોહાઉસ એન્ડ ફ્લેટ, સમર્થ સોસાયટી સહિતની સોસાયટીઓ, ઘાટલોડિયા કે.કે. નગર કર્મચારીનગર, ગૌરવપથ, વસ્ત્રાપુર, બોડકદેવ, જોધપુર, સેટેલાઇટ, વેજલપુર શ્રીનંદનગર, શુકન સોસાયટી અને સરખેજ જુહાપુરાની તવક્કલ, ખુરશીદપાર્ક, અલખૈબર, બાગેનિસાર સહિતની સોસાયટીઓમાં હજુ પણ પાણી ભરાયેલાં છે. સોલા રોડ તથા સો ફૂટના રિંગરોડ ઉપર તેમજ સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર બંને બાજુના સર્વિસ રોડ ઉપર, કાળી ગામની સોસાયટીઓમાં, ગોતા નવા બ્રિજ પાસે. પશ્ચિમ ઝોન : નારણપુરા રેલવે ક્રોસિંગ પાસે નટનાં છાપરાં, નારણપુરા ચારરસ્તા, નારણપુરા ગામ, એઈસી ચારરસ્તા, સરદાર પટેલ સ્ટેડિયમ, લખુડી તળાવડી, નવરંગ સ્કૂલના રોડ ઉપર સહજાનંદ ચોક, નવરંગ સ્કૂલ પાસે ગણેશ કોમ્પ્લેકસ, વિજય ચારરસ્તા, સી.જી. રોડ સ્વિસ્તક ચારરસ્તા, પરિમલ ચારરસ્તા, પંચવટી પાંચ રસ્તા, પરિમલ રેલવે ક્રોસિંગ પાસે, સી.એન. વિદ્યાલય પાસે, આંબાવાડી બજાર, ભુદરપુરા, માણેકબાગ ચારરસ્તા, જીવરાજપાર્ક જવાના રોડ ઉપર, પાલડી એનઆઇડી પાસે, મેમનગર હેલ્મેટ સર્કલ પાસે બેન્કના બેઝમેન્ટમાં, હેલ્મેટ સર્કલથી એઈસી ચારરસ્તા સુધી, ચાંદખેડા જનતાનગરથી વિસત પેટ્રોલપંપ સુધીના રોડ ઉપર તથા આસપાસની સોસાયટીઓમાં, સાબરમતી ડી-કેબિન, ચાંદખેડા હાઇવે રિંગરોડ પાસેની સોસાયટીઓમાં, મોટેરા સ્ટેડિયમ પાસે, અયોધ્યાપુરી સોસાયટી, ચાંદખેડા ન્યૂ સી.જી. રોડ, મોટેરા ન્યુ મારુતિ ટેનામેન્ટ, વણકરવાસ, સાબરમતી ચીમનભાઈ બ્રિજ પાસેઉત્તર ઝોનસરદારનગર આપારામ મંદિર પાસે, જયરામદાસ મંદિર પાસે, સૈજપુર ગરનાળા, કુબેરનગર બજાર-બંગલા એરિયા તથા જી-વોર્ડ, નવા નરોડા હરિધામ સોસાયટી, બાપા સીતારામ ચોક, દર્શનવિલા સોસાયટી, ગોપાલ ચોક, હરિવિલા, પંચવટી પાર્ક, એરપોર્ટ સર્કલ, નરોડા મુઠિયા, ઠક્કરબાપાનગર સરદાર ચોક, જયોતિ જાગૃતિ સોસાયટી, નરોડા રોડ નૂતન મિલ ચારરસ્તા, નિર્મલપુરા, મેમ્કો, ભાર્ગવરોડ, મેઘાણીનગર, અસારવા ત્રિકમલાલનું ચોકઠું, અસારવા તળાવ, ચમનપુરા ક્રોસિંગ પાસે. પૂર્વ ઝોન : નિકોલ, સ્વામીનારાયણનગર, સૂરજનગર, ચંદ્રભાગાનગર, ખોડિયારનગર, કઠવાડા રોડ સુંદરવન સોસાયટી, બાપુનગર જનરલ હોસ્પિટલ પાસે રાજીવનગર, સોનારૂપાની ચાલી, સોનેરિયાની ચાલ, સારંગપુર બ્રિજથી હાથીખાઈ, રખિયાલ, બોમ્બે હાઉસિંગ.મધ્ય ઝોન : રાજસ્થાન હોસ્પિટલથી કેમ્પ જવાના રસ્તા ઉપર, ગિરધરનગર સોસાયટી, રાજસ્થાન હોસ્પિટલ પાછળ નરનારાયણ સોસાયટી, સુજાતા ફ્લેટ, ન્યૂ રીટા પાર્ક, ખમાસા ચારરસ્તા, ગોળલીમડા બસસ્ટેન્ડ પાસે, , દક્ષિણ ઝોનમાં જવાહર ચોક ચારરસ્તા, ભૈરવનાથ ચારરસ્તા, ચંડોળા તળાવ પાસે બોમ્બે હોટેલ પાસે, બાગેફિરદોશ, ઇસનપુર, વટવા મચ્છુનગર, શક્તિનગર નિરમા ગરનાળા પાસે, ત્રિકમપુરા, જશોદાનગર ચારરસ્તા પાસે, મહેમદાવાદ હાઇવે, રામોલ ચોકી પાસે, દાણીલીમડા અને બહેરામપુરા, ભાઈપુરા, અમરાઇવાડી