17 August 2010

અમીત શાહના જામીનની સુનવણી ૩૦મીએ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

અમીત શાહના જામીનની સુનવણી ૩૦મીએ

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં તપાસ માટે જેલમાં રખાયેલા માજી ગૃહરાજ્યમંત્રી અમીત શાહના જામીન અંગેની સુનવણી આગામી તા. ૩૦ ઓગષ્ટે હાથ ધરવાનો સીબીઆઇ સેશન્સ કોર્ટે આદેશ કયો છે. બન્ને પક્ષના સીનીયલ કાઉન્સીલ રામ જેઠમલાની તથા કે.ટી.એસ તુલસી આજે ઉપસ્થીત નહી રહેતાં કોર્ટે ૩૦મી તારીકે સુનવણીનો આદેશ કયો હતો.ચકચારી સોહરાબુદ્દીન એન્કાન્ટર અને કૌશરબી હત્યા પ્રકરણમાં સીબીઆઇ દ્વારા ધરપકડ કરી જેલમાં રખાયેલા અમીત શાહના જામીન અંગેની સુનવણી આજે સ્પે. સી.બી.આઇ.કોર્ટમાં હાથ ધરાનાર હોવાથી રાજ્યભરના લોકોને તે જાણવાની ઉત્તેજના હતી કે શાહને જામીન મળશે કે નહી.જોકે આજે શાહ તરફી દલીલ કરતા સીનીયર કાઉન્સીલ રામ જેઠમલાની તથા સીબીઆઇના સીનીયર કાઉન્સીલ કે.ટી.એસ. તુલસીને સુપ્રીમ કોર્ટમાં તારીખ હોવાથી તે બન્ને સીનીયર કાઉન્સીલ આજે સ્પે. સીબીઆઇ સેસન્સ કોર્ટમાં ઉપસ્થીત રહી શક્યા નહોતા જેથી. કોર્ટે અમીત શાહના જામીન અંગેની સુનવણી આગામી ૩૦મી તારીખે હાથ ધરવાનો આદેશ કર્યો હતો.જોકે અમીત શાહને જેલવાસને આજે ૨૩ દિવસ થઇ ગયા છે. અને જો હવે તેમની આગામી સુનવણી તા.૩૦ ઓગષ્ટના રોજ હાથધરવામાં આવશે ત્યાં સુધીમાં શાહને જેલવાસનો સવા મહિનો થઇ જશે.દેશભરમાં ચર્ચાનો વિષય બની રહેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રકરણમાં સીબીઆઇએ કુલ ૧૮ આરોપીઓ સામે સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં ચાર્જસીટ ફાઇલ કરી હતી. સીબીઆઇ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારી અભય ચુડાસમા તથા રાજ્યના તત્કાલીની ગૃહરાજ્યમંત્રી અમીત શાહની ધરપકડ કરતાં આ પ્રકરણમાં ગરમાટો આવી ગયો છે. જોકે ધરપકડ પહેલા શાહે કરેલી આગોતરા જામીનની અરજી સબમીશનના સ્ટેજે રદ કરાઇ હતી.સીબીઆઇએ શાહની ધરપકડ કરી કોર્ટના આદેશથી તેમને જેલમાં મોકલી આપ્યા બાદ સીબીઆઇની પરવાનગીથી તેમની ઓન કેમેરા ત્રણ દિવસની પુછપરછ કરવામાં આવી હતી ત્યાર બાદ હાઈકોર્ટે સીબીઆઇને શાહના બે દિવસના રીમાન્ડ પણ આપ્યા હતા. રીમાન્ડમાં પણ સીબીઆઇએ શાહની પુછપરછ કરી હતી.


21 સપ્ટેમ્બરે સોનિયા ગાંધી ઈતિહાસ રચશે!

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સૌથી વધારે સમય સુધી અધ્યક્ષ પદ પર ચૂંટાવાનો ઈતિહાસ નોંધાવા જઈ રહ્યાં છે. આમ તો અધ્યક્ષ પદ માટે તેમનું ચૂંટાવું હવે માત્ર ઔપચારીકતા માનવમાં આવે છે, તેવામાં 21 સપ્ટેમ્બરે સોનિયા ગાંધી કોંગ્રેસ પાર્ટીમાં સૌથી વધુ સમય સુધી અધ્યક્ષ પદે રહેવાનો રેકોર્ડ બનાવી શકે છે.કોંગ્રેસ કાર્યસમિતિએ પાર્ટીના બંધારણ પ્રમાણે, કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટેની તારીખ નક્કી કરી દીધી છે. 17 સપ્ટેમ્બરે અધ્યક્ષ પદ માટેની ચૂંટણીની તારીખ નિશ્ચિત કરવામાં આવી છે. કાર્યક્રમ પ્રમાણે મત ગણતરીની તારીખી 21 સપ્ટેમ્બર છે. મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસ અધ્યક્ષના પદ પર પહેલી વાર સોનિયા ગાંધી 1998માં ચૂંટાયા હતા, ત્યારથી તેઓ સતત આ પદ પર આસિન છે. ચૂંટણીની અધિસૂચના 27 ઓગસ્ટે જાહેર થશે.ચૂંટણી કાર્યક્રમ પ્રમાણે, 2 સપ્ટેમ્બર અધ્યક્ષ પદની ઉમેદવારી માટે નમાંકન દાખલ કરવાની અંતિમ તારીખ હશે. ત્રણ સપ્ટેમ્બરે ઉમેદવારોની તપાસ બાદ આખરી યાદી જાહેર થશે. 10 સપ્ટેમ્બર ઉમેદવારીમાંથી નામ પાછું ખેંચવાની તારીખ છે. પ્રદેશ અધ્યક્ષોની ચૂંટણી પણ 17 સપ્ટેમ્બરે થવાની છે. કોંગ્રેસ અધ્યક્ષના ચૂંટણી કાર્યક્રમની જાણકારી પાર્ટી મહાસચિવ અને મીડિયા પ્રકોષ્ઠના અધ્યક્ષ જનાર્દન દ્વિવેદીએ આપી છે. બેઠકમાં કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધી અને મહાસચિવ દિગ્વિજય સિંહને બાદ કરતાં કાર્ય સમિતિના તમામ સભ્યોએ ભાગ લીધો હતો.બેઠકમાં પાર્ટીનું સદસ્યતા અભિયાન અને અત્યાર સુધીના ચૂંટણી કાર્યક્રમની માહિતી પણ સભ્યોને આપવામાં આવી હતી. પાર્ટીના સદસ્યતા અભિયાન હેઠળ દેશભરમાં કુલ 2 કરોડ 17 હજાર 894 સભ્યો બનાવાયા છે. દ્વિવેદીએ કહ્યું હતું કે આ વખતની સદસ્યતાને ગત વર્ષની તુલનામાં ન જોવી જોઈએ, કારણ કે બદલાયેલી પેટર્નમાં પાર્ટીની સદસ્યતા ઘણી જ પ્રામાણિક રીતે થઈ છે. સદસ્યતા માટે આવેદનો પર ફોટોગ્રાફ લગાવાયા હતા અને તેનું સ્ક્રિનિંગ પણ કરવામાં આવ્યું હતું.


બ્લેકબેરીએ ઘટસ્ફોટ કર્યો

બ્લેકબેરી નિર્માતા રિસર્ચ ઇન મોશન (રિમ) પહેલી સપ્ટેમ્બરથી પોતાની મેસેન્જર સર્વિસ ભારતની સિક્યોરિટી એજન્સીને આપશે તે અંગે ભારત સરકાર સાથે કરાર કર્યો છે કે નહિં, આ અંગે તેમણે કંઇપણ ટિપપ્ણી કરવાનો ઇન્કાર કરી દીધો.ટોરંટોના સમીર વાટરલૂ સ્થિત રિમના હેડક્વાર્ટરમાં એક વરિષ્ઠ અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરતે કહ્યું કે આ અંગેના કોઇપણ સમાચાર રિમ તરફથી રજૂ થયા જ નથી. જ્યારે તેમણે પૂછવામાં આવ્યું કે શું કંપનીના પ્રતિનિધિઓ અને ભારત સરકાર વચ્ચે કોઇ સંભવત: કરાર થઇ ગયો છે, ત્યારે તેમણે કહ્યું અમારી પાસે આ અંગેની કોઇ માહિતી જ નથી. તેમણે એ પણ પૂછવામાં આવ્યું કે આ મુદ્દાને લઇને કોઇ ચર્ચા ચાલુ છે, તો તેમણે કહ્યું કે આ અંગે અમે કંઇપણ ન કહી શકીએ. તેમણે ભારત સાથે ચાલી રહેલા વિવાદ અંગેની કોઇ પણ માહિતી અંગેનો પણ ઇન્કાર કરી દીધો.સોમવારે ભારતના અગ્રણી અધિકારીએ કહ્યું કે રિમ પહેલી સપ્ટેમ્બરથી બ્લેકબેરી મેસેન્જર સર્વિસ આપવા 'મેન્યુઅલ' પહોંચ ઉપલબ્ધ કરાવવા મંજૂરી આપી દીધી છે.આ સુવિધાને નવેમ્બર સુધીમાં સ્વાચાલિત બનાવી દેવાશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રિમ સિક્યોરિટી એજન્સીઓને આંકડા ઉપલબ્ધ કરાવશે.ભારતે બ્લેકબેરી મેસેન્જર અને બ્લેકબેરી કોર્પોરેટ ઇમેલ સર્વિસ સુધી પહોંચવા માટે સિક્યોરિટી એજન્સીઓને સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે 31મી ઓગસ્ટ સુધીની સમયમર્યાદા નક્કી કરાઇ છે. ભારતમાં બ્લેકબેરીના અંદાજે 11 લાખ ગ્રાહકો છે. ટોરંટો ખાંતે રિમનો શેર સોમવારે 4.62 ટકા તૂટીને 53.02 ડોલર પર બંધ રહ્યો.


રાજ ઠાકરેનું મરાઠી સમર્થન ખોટું નથી: અમરસિંહ

છેલ્લા કેટલાંક સમયથી અમરસિંહ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે સંદર્ભે નરમ વલણ અપનાવી રહ્યાં છે. તેમણે કેટલાંક નિવેદનો દ્વારા રાજ ઠાકરેના મરાઠી આંદોલન સામે થવાનું માંડી વાળ્યું છે. ત્યારે કોઈને પણ સવાલ થાય કે સમાજવાદી પાર્ટીમાંથી બરતરફ થયા બાદ નવો રાજકીય ધરાતલ શોધી રહેલા અમરસિંહ મુંબઈ અને મહારાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણો પાર પાડવા માટે રાજ ઠાકરેની નજીક જવા માટે તો આ નિવેદનબાજી કરતાં નથી ને? તેમણે સોમવારે કહ્યું હતું કે તેમને રાજ ઠાકરેના મરાઠી સમર્થક વલણમાં કંઈ જ ખોટું દેખાતું નથી, પરંતુ હિંદી અને ભોજપુરી જેવી અન્ય પ્રાદેશિક ભાષાઓની કિંમત પર આ ન થવું જોઈએ.અમરસિંહે થાણે જિલ્લાના વિરારમાં પત્રકારોને જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર એક મહાન રાજ્ય છે. મરાઠીને પ્રોત્સાહન આપવામાં કંઈ જ ખોટું નથી. પરંતુ હિંદી અને ભોજપુરીની હત્યા ન કરે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા મરાઠી ફિલ્મ નિર્માતાઓનો મુદ્દો ઉઠાવાયા બાદ આ ટિપ્પણી આવી છે. તેમણે કહ્યું હતું કે અભિનેતા રાજકુમાર પણ કર્ણાટકમાં કન્નડ ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યાં છે.મહત્વપૂર્ણ છે કે તાજેતરમમાં જ રાજ ઠાકરેએ મલ્ટીપ્લેક્સ માલિકોને ચેતવણી આપી હતી કે તેઓ પોતાના થિયેટરોમાં `પ્રાઈમ ટાઈમ` વખતે મરાઠી ફિલ્મો દર્શાવે. ગત સપ્તાહે અમરસિંહે રાજના સંદર્ભે નરમ વલણ અપનાવતા એ કહીને ચોંકાવી દીધા હતા કે મેલેરીયા ફેલાવામાં પ્રવાસીઓની ભૂમિકા બાબતે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખની ટિપ્પણી દિલથી કરવામાં આવી નથી.અમરસિંહ આ પહેલા પણ સાર્વજનિક મંચ પરથી રાજ ઠાકરેનું સમર્થન કરી ચુક્યા છે. તેમણે અહીં લોકમંચ પાર્ટીના એક કાર્યક્રમમાં ફરીથી આ વાતનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે મેલેરિયા ફેલાવાનો આરોપ પ્રવાસીઓ પર લગાવો યોગ્ય નથી, પરંતુ રાજે એવું પોતાના દિલથી કર્યું નથી. મહત્વપૂર્ણ છે કે અમરસિંહ સમાજવાદી પાર્ટીમાં હતા, ત્યારે રાજ ઠાકરે સામે ટિપ્પણી કરવા બદલ તેમને એમએનએસના કાર્યકર્તાઓના રોષનો ભોગ બનવું પડયું હતું. તે વખતે રાજ ઠાકરેએ ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન સંદર્ભે ટિપ્પણી કરી હતી અને તે બાબતે અમરસિંહની ટિપ્પણી બાદ મનસેના કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા.ઉલ્લેખનીય છે કે હાલ રમઝાન માસ દરમિયાન એમએનએસ પ્રમુખે માત્ર ઉર્દૂ ભાષામાં હોર્ડિંગ દ્વારા મુસ્લિમ બિરાદરોને શુભેચ્છાઓ પાઠવી છે. તેમના મુંબઈમાં મુકાયેલા હોર્ડિંગમાં મરાઠી ભાષા પણ નથી અને રાજ ઠાકરે તેમા મોર્ડન વસ્ત્ર પરિધાનમાં સજ્જ દેખાય રહ્યાં છે. ત્યારે અત્રે સવાલ એ છે કે એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેએ મુસ્લિમ બિરાદરોને મરાઠીમાં શુભેચ્છા કેમ ન આપી?અમરસિંહના રાજ ઠાકરે સંદર્ભે હાલમાં અપાયેલા નિવેદનોથી એક બાબત સ્પષ્ટ બને છે કે તેઓ એમએનએસ પ્રમુખની નજીક જવાનો પ્રયત્ન કરીને મહારાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણો ગોઠવાનો ઘાટ ઘડી રહ્યાં છે. કારણ કે મુંબઈમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો રહે છે અને તે રાજ ઠાકરેના મરાઠી અભિયાનમાં અપનાવાયેલા હિંસક તૌર-તરીકાઓથી નારાજ છે. તેના કારણે આ ઉત્તર ભારતીયો મુલાયમ સિંહની સમાજવાદી પાર્ટી તરફ મુંબઈના નેતા અબુ આઝમી તરફથી ઢળેલા છે.


દીકરાના પ્રેમની બલી બાપ ચઢી ગયો

સોસાયટીમાં રહેતા યુવાન સાથે પ્રેમ સબંધ ધરાવતી કિશોરીના માતા-પિતા તેમજ બે ભાઇ ભેગા મળી પ્રેમી અને તેના પિતા ઉપર ચપ્પા વડે તુટી પડ્યા હતા. જેમાં પ્રેમીના પિતાનું મોત નિપજ્યું હતુ જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલો પ્રેમી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોકા ખાઇ રહ્યો છે.પ્રાપ્તમાહિતી અનુસાર,વસ્ત્રાલ સોમનાથ સોસાયટી વિભાગ-૨ મકાન નંબર-બી-૨૬ ખાતે રહેતા રવશિંકર પ્રેમપાલસિંગ ચૌહાણ(ઉ.વ.૨૧)ને તેમની જ સોસાયટીના મકાન નં-બી-૨૦ માં રહેતી યોગીતા નામની યુવતી સાથે પ્રેમ સબંધ બંધાયો હતો.તાજેતરમાં બંનેના પ્રેમ પ્રકરણનો ભાંડો ફુટી જતા બંને પરિવાર વચ્ચે તકરાર થઇ હતી.જેની અદાવત રાખી સોમવારે રાતે યોગીતાના બે ભાઇ જયકુમાર અને વિજય તેમજ યોગીતાના પિતા મહીપાલ કુશવાહ અને માતા ઉષાબહેન ભેગા મળી સોસાયટીમાં જ રવશિંકર અને તેના પિતા પ્રેમપાલસિંહ ચૌહાણ(ઉ.વ.૫૫) ઉપર ચપ્પા વડે તુટી પડ્યા હતા. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પ્રેમપાલસિંગનું મોત નિપજ્યું હતુ.જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રવશિંકરને સારવાર માટે એલજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હત. આ અંગે રવશિંકરની ફરિયાદના આધારે રામોલ પોલીસે જયકુમાર,વિજયકુમાર અને તેના માતા-પિતા વિરુધ્ધ ખૂનનો ગુનો નોંધી તેમની શોધખોળ શરુ કરી છે. જ્યારે સામે પક્ષે જયકુમારે રવશિંકર અને તેના ભાઇ રાધેશ્યામ વિરુધ્ધ પોતાના અને પરિવારના સભ્યો ઉપર લાકડી વડે હુમલો કરવા અંગેની ફરયાદ નોંધાવી છે.


કોમનવેલ્થનો બહિષ્કાર કરોઃ બેદી

કોમનવેલ્થ ગેમ્સને લઇને ચારેબાજૂથી થઇ રહેલી આલોચના વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની બિશનસિંઘ બેદીએ એથ્લીલ્ટોને ગેમ્સનો બહિષ્કાર કરવા અપીલ કરી છે. તેમણે એવી સલાહ પણ આપી છે કે કોમનવેલ્થ ગેમ્સને ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં શિફ્ટ કરી દેવા જોઇએ.1970ના સમયગાળા દરમિયાન ભારતીય ટીમના સુકાની બિશનસિંઘ બેદીએ કહ્યું કે, 3 ઓક્ટોબરે કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની પૂર્વે ગેમ્સ સંબંધિત સમગ્ર દિલ્હીમાં ચાલી રહેલું કામ પૂર્ણ થવાની કોઇ શક્યતાઓ દેખાતી નથી. ગેમ્સ સંપૂર્ણપણે નિરાશ કરે તેવા છે.બેદીએ આ તમામ વાતો ઓસ્ટ્રેલિયાના સમાચારપત્ર કૂરિયર મેલને જણાવી છે. તેમણે કહ્યું કે, કોમનવેલ્થનું મોટાભાગનું કામ હજૂ બાકી છે. અને કોમનવેલ્થ પહેલા તે પૂરા થશે તે અંગેની આશાઓ નહીંવત છે. મને લાગે છે કે તેથી કોમનવેલ્થને ઓસ્ટ્રેલિયા અથવા કેનેડા લઇ જવું વધૂ સારું રહેશે.નોંધનીય છે ક, આયોજકો માટે કોમનવેલ્થ માટે તૈયાર કરેલા વેન્યુ જ માત્ર નહીં પરંતુ કોમનવેલ્થ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા પણ એક મોટો મુદ્દો બનેલો છે. એથલીટ ફેડરેશનના અધ્યક્ષ રોબ નિકોલે ગત અઠવાડિયે ન્યૂઝી લેન્ડના અખબાર હેરાલ્ડને કહ્યું હતું કે તેઓ હાલ એ વાત કહી શકે તેમ નથી કે ન્યૂઝી લેન્ડ કોમનવેલ્થ માટે તેમની ટીમને ભારત મોકલશે કે નહીં.


લેહમાં પુનર્વાસ માટે 125 કરોડ રૂપિયાની ઘોષણા

લેહમાં વાદળ ફાટ્યા બાદ રાહત અને બચાવ કાર્યોનું નિરીક્ષણ કરવા માટે વડાપ્રધાન મનમોહન સિંહ કેબિનેટના વરિષ્ઠ મંત્રીઓ સાથે એક દિવસીય મુલાકાત માટે મંગળવારે લેહ પહોંચ્યા છે. મનમોહન સિંહે કહ્યું હતું કે કુદરતી આફતમાં તબાહ થયેલા તમામ મકાનો આગામી અઢી માસમાં ફરીથી બનાવી દેવાશે અને તેના માટે નાણાં કોઈ સમસ્યા હશે નહીં. તેમણે સ્થાનિક લોકોના પુનર્વાસ માટે વડાપ્રધાન રાષ્ટ્રીય આપદા કોષમાંથી 125 કરોડ રૂપિયા આપવાની ઘોષણા પણ કરી છે.વડાપ્રધાન સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ગુલામ નબી આઝાદ, નવીન અને નવીકરણીય ઊર્જા મંત્રી ફારુક અબ્દુલ્લા અને જમ્મુ-કાશ્મીર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સૈફુદ્દીન સોજ લેહ પહોંચ્યા છે. વડાપ્રધાન એ હોસ્પિટલ્સની મુલાકાત પણ લેવાના છે કે જ્યાં કુદરતી આપત્તિનો શિકાર થયેલા લોકોને સારવાર માટે દાખલ કરાયા છે. ષેત્રમાં રાહત અને પુનર્વાસ કાર્યોના સંદર્ભમાં વડાપ્રધાન વરિષ્ઠ અધિકારીઓ સાથે એક બેઠકની અધ્યક્ષતા પણ કરશે. વડાપ્રધાને સ્વતંત્રતા દિવસ પર પોતાના સંબોધનમાં કહ્યું હતું કે લેહમાં પ્રાકૃતિક આપત્તિના શિકાર થયેલા લોકોને રાહત પહોંચાડવા માટે દરેક સંભવ પ્રયાસ કરવામાં આવશે.વડાપ્રધાન આ પહેલા રાષ્ટ્રીય રાહત કોષમાંથી આ આપત્તિમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો માટે 1-1 લાખ રૂપિયા અને ગંભીર રૂપથી ઘાયલ થયેલા લોકો માટે 50-50 હજાર રૂપિયાના વળતરની ઘોષણા કરી ચુક્યા છે.




SC-ST વિરુદ્ધ ગુનાઓમાં વધારો થયો, સરકારની કબૂલાત

તાજેતરના વર્ષોમાં અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) વિરુદ્ધના ગુનાઓમાં વધારો થયો છે. 2008માં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિરુદ્ધના ગુનામાં 40 હજાર જેટલાં કેસો નોંધાયા છે. આ કેસોની સંખ્યામાં ગત વર્ષની સરખામણીએ 3,600નો વધારો થયો છે.ગૃહ મંત્રાલયના ડેટા પ્રમાણે 2007માં અનુસૂચિત જાતિ વિરુદ્ધના ગુનામાં જુદાંજુદાં લોકો સામે 30,031 કેસો નોંધાયા છે અને 2008માં આવા 33,615 કેસો નોંધાયા છે.તેવી જ રીતે અનુસૂચિત જનજાતિ વિરુદ્ધના ગુનામાં પણ ગત વર્ષની સરખામણીએ વધારો નોંધાયો છે. 2007માં અનુસૂચિત જનજાતિ વિરુદ્ધના ગુનામાં 5,532 કેસો નોંધાયા હતા, તેની સામે 2008માં અનુસૂચિત જનજાતિ સામેના ગુનામાં 5,608 કેસો નોંધાયા છે.માહિતી પ્રમાણે, આવા કેસોમાં 19,137 કેસો સાથે ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમે, 15, 355 કેસો સાથે મધ્ય પ્રદેશ દ્વિતિય ક્રમે અને 8,666 કેસો સાથે બિહાર તૃતિય ક્રમે છે. જો કે દલિત અને આદિવાસીઓ વિરુદ્ધના ગુનામાં દ્વિતિય ક્રમે રહેવા છતાં પણ મધ્યપ્રદેશમાં એસસી અને એસટી વિરુદ્ધના ગુનામાં ધરખમ ઘટાડો નોંધાયો છે. જો કે દેશમાં આવા ગુનાઓમાં વધારો નોંધાયો છે, ત્યારે મધ્યપ્રદેશમાં 30 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.2008ના અંત ભાગ સુધીમાં દેશભરની અદાલતોમાં આવા 98,702 કેસોની ટ્રાયલ પડતર છે.


એચ1-બીના ફી વધારાથી યુ.એસ. કોર્પોરેટ વિશ્વ નારાજ

પાછલા સપ્તાહે વિઝા ફી વધારીને ભારતીય આઇ.ટી. કંપનીઓ માટે મુશ્કેલી પેદા કરનાર અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા સામે અમેરિકાનું કોર્પોરેટ વિશ્વ વિરોધના સૂર વ્યક્ત કરી રહ્યું છે. અમેરિકાની કંપનીઓએ ઓબામા વહિવટીતંત્રની તે દલીલને પાયાવિહોણી ગણાવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય કંપનીઓ સૌથી વધુ એચ-1બી વિઝા મેળવે છે અને તેના કારણે અમેરિકાના લોકોની રોજગારીની તકોમાં ઘટાડો થાય છે.યુ.એસ. ચેમ્બર્સ ઓફ કોમર્સે ઇમિગ્રેશન નીતિ પર જાહેર કરેલા પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારતીય કંપનીઓની વિરૂદ્ધ જે આરોપ મુકવામાં આવ્યાં છે તેમાં ભારોભાર જુઠ્ઠાણાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવ્યાં અનુસાર કેટલાક લોકોએ એવી આશંકા વ્યક્ત કરી છે કે એચ-1બી વિઝાને ભારતીય કામદારો સાથે જોડવાથી અમેરિકાના કામદારોની રોજગારીની તકો પર ખતરો પેદા થશે.દુનિયાના સૌથી મોટા અમેરિકન ચેમ્બર્સે જણાવ્યું છે કે 2009ના નાણાકીય વર્ષ દરમિયાન ભારતીય કંપનીઓએ 4,809 નવા એચ-1બી વિઝાનો ઉપયોગ કર્યો હતો, જે અમેરિકાના કામદારીની સંખ્યાના 0.003 એટલે કે એક ટકાના સોમાં ભાગના પણ નથી. આ ઉપરાંત વર્ષ 2006 થી 2009 દરમિયાન ભારતીય કંપનીઓ દ્વારા ઉપયોગમાં કરવામાં આવેલા એચ-1બી વિઝામાં 70 ટકાનો ઘટાડો થયો છે.


હવે એટીએમ દ્વારા સિક્કા પણ નિકળશે

અત્યાર સુધી આપણે એટીએમ દ્વારા માત્ર નોટ નિકાળતા રહ્યા છીએ. પરંતુ હવે આપણે એટીએમ મશીન દ્વારા સિક્કાઓ પણ પ્રાપ્ત કરીશું. સિક્કાઓ પ્રાપ્ત કરવા માટે આપણે એટીએમ કાર્ડ નહી પરંતુ નોટ નાંખવી પડશે. મશીનમાં આપણે જેટલા રૂપીયાની નોટ નાખીશું તેની બરાબરની રકમ આપણને સિક્કાના સ્વરૂપમાં પ્રાપ્ત થઇ જશે. હાલ પુરતુ આપણે આ સિસ્ટમ દ્વારા વધારેમાં વધારે રૂ.50 સુધીના સિક્કા પ્રાપ્ત કરી સકીશું. આ સિક્કાઓ એક રૂપીયા, બે રૂપીયા, અને પાંચ રૂપિયામાં પ્રાપ્ત થશે અને કયા સિક્કાઓની જરૂર છે તે પણ આપણે નક્કી કરી સકીશું. એટલે કે આપણને જે સિક્કાઓની જરૂર છે એક રૂપીયા, બે રૂપીયા, કે પાંચ રૂપિયા તે આપણે નક્કી કરી સકીશું.અત્યારે દિલ્હીમાં ઇન્ડિયન બેન્કે આવા ત્રણ 'કૉઈન ડિસ્પેન્સર મશીન' લગાવ્યા છે. આમાંથી એક મયૂર વિહાર માર્કેટમાં, બીજૂ ચાંદની ચોકના ગૌરી શંકર મંદિર પાસે અને ત્રીજુ રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પાસે મુકવામાં આવ્યું છે. દેશ ભરમાં ઇન્ડિયન બેન્ક અત્યાર સુધીમાં કુલ 21 'કૉઇન ડિસ્પેન્સર મશીન' લગાવી ચુકી છે. બેન્કનું કહેવુ છે કે લોકોને સરળતાથી છુટ્ટા પૈસા મળી રહે એટલા માટે આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઇન્ડિયન બેન્કની તરફથી કરવામાં આવેલી આ શરૂઆત પછી અન્ય બેન્કો પણ આ પ્રમાણેની સેવા શરૂ કરવાની તૈયારીમાં છે. એવા સમાચાર પણ છે કે કૉર્પોરેશન બેન્ક પણ ટુંક સમયમાં દિલ્હીમાં આ રિતે પોતાના `કૉઇન ડિસ્પેન્સર મશીન` લગાવવાની તૈયારીમાં છે.


ઈસ્ટ ઇન્ડિયા કંપની ફરી ભારતમાં

કદાચ આ સમાચાર વાંચતાની સાથે તમારા પગમાંથી જમીન સરકી જાય, પણ હા આ વાત સાચી છે. ભારતને ગુલામ બનાવનાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ફરી ભારતમાં પોતાનો પગ પેંસારો કર્યો છે. પણ આ વખતે એક નવા સ્વરૂપમાં આનુ નામ છે 'ઈસ્ટ ઇન્ડિયા કંપની ફાઈન ફૂડ્સ લિમિટેડ'. હવે આ એક લક્ઝરી બ્રાન્ડના સ્વરૂપમાં ભારતમાં આવી ચુકી છે. આ બ્રાન્ડ સાથે તે ભારતમાં કીંમતી ગિફ્ટ સેટ્સ, ચા, કૉફી, જામ અને આ પ્રમાણેની અન્ય ઘણીબધી ચીજવસ્તુઓનું વેચાણ કરશે. આ બ્રાન્ડના સર્વેસર્વા છે મુંબઈમાં જન્મેલા 48 વર્ષિય સંજય મેહતા. પરંતુ તેઓનુ કહેવુ છે કે તેઓ માત્ર આની દેખભાળ કરી રહ્યા છે.આ બ્રાન્ડને ભારતના સ્વતંત્રતા દિવસે લંડનમાં લૉન્ચ કરવામાં આવી હતી. હાલ પુરતું આ કંપની પોતાના સામાનનું વેબસાઈટ દ્વારા વેચાણ કરશે.ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જન્મ 31 ડિસેમ્બર 1600માં થયો હતો, જેને પૂર્વના દેશોમાં વ્યાપાર કરવા માટે બનાવવામાં આવી હતી. આ કંપની મુખ્ય રીતે કૉટન, સિલ્ક, ઈન્ડિગો ડાઈ, ચા, અફીણ વગેરે જેવી ચીજવસ્તુઓનુ વેચાણ કરતી હતી. પરંતુ ત્યારબાદ તેણે પોતાના સૈનિકો વધારવાના શરૂ કરી દીધા અને આ રીતે તેણે ભારતના એક મોટા હિસ્સાને પોતાના કબ્જામાં કરી લીધો હતો. ઈ. સ. 1858મા બ્રિટિશ સરકારે ગવર્મેન્ટ ઑફ ઈન્ડિયા એક્ટના સ્વરૂપે તેને પોતાના હાથમાં લઈ લીધી હતી. 1 જાન્યુઆરી 1874માં કંપનીને ખત્મ કરી દેવામાં આવી હતી.


અફઘાનિસ્તાનમાં પ્રેમી યુગલને મળી વિકૃત સજા

અફઘાનિસ્તાનમાં પ્રેમ કરવાની સજા કેટલી ક્રૂરતાભરી હોય છે તે તાજેતરમાં બનેલી ઘટના પરથી જાણવા મળ્યું છે. ઉત્તર અફઘાનિસ્તાનમાં એક પ્રેમી જોડાને પ્રેમ સબંધો રાખવા બદલ પત્થરો મારી મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં છે. કુન્દુઝ પ્રાંતના ગવર્નરે મોહમ્મદ આયુબે જણાવ્યું હતું કે 23 વર્ષીય યુવતી અને 28 વર્ષીય યુવાનને તાલીબાનીઓ દ્વારા માત્ર એટલા માટે જાનથી મારી નાંખવામાં આવ્યાં હતા કારણે કે તેઓ એકબીજાને પ્રેમ કરતાં હતા. કુન્દુઝ પ્રાંતના ગવર્નરે જણાવ્યું હતું કે તે ગામ તાલિબાનીઓના અંકુશ હેઠળ છે.ગામના સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે આશરે 100 કરતાં વધારે લોકો, જેમાં સૌથી વધુ તાલિબાની લોકો હતા તેમણે ગઇકાલે સાંજે જાહેરાત કરી હતી કે આ યુવક-યુવતીના લગ્ન થઇ ગયા હોવા છતા પણ તેઓ પ્રેમ સબંધ ધરાવતા હતા. એક બીજાને પ્રેમ કરવાના ગુન્હામાં દોષીત ઠેરવ્યાં બાદ તાલિબાનીઓએ તેમને પત્થરો મારીને મોતને ઘાટ ઉતારવાની સજા સંભળાવી હતી. મોતની સજા સંભળાવ્યા બાદ લોકોએ પ્રેમી જોડું મરી ના ગયુ ત્યાં સુધી પત્થરો માર્યા હતા. છેવટે એકબીજાને પ્રેમ કરનારા યુવક યુવતીના પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. સજા આપતી વખતે યુવક-યુવતીના હાથને પાછળથી બાંધી દેવામાં આવ્યાં હતા.


કોઈપણ નગ્ન સ્ત્રી પુરૂષોમાટે એક જેવી જ હોય છે- જૂલિયા રોબર્ટ

હોલિવૂડ એક્ટ્રેસ જૂલિયાએ ગત દિવસોમાં નગ્નતા વિશે પુરૂષોની માનસિકતા વિશે જણાવ્યું હતું. જે મુજબ તેને કહ્યું હતું કે, કોઈપણ નગ્ન સ્ત્રી પુરૂષોમાટે એક જેવી જ હોય છે. નગ્ન થયા બાદ પુરૂષો માટે મહિલાઓનું ફિગર તેમની બ્યુટી કાંઈજ મહત્વ રાખતી નથી. એક મોટા અખબારે પણ જૂલિયાનાં આ વિચારનું સમર્થન કર્યુ હતું. ફિલ્મ ઈટ, પ્રે અને લવની હિરોઈન જૂલિયાનો પતિ ડેની મોડર છે.થોડા સમય પહેલાં જ જૂલિયાએ હિન્દુ ધર્મ અંગીકાર કર્યા હોવાનાં સમાચારે તે ચર્ચામાં હતી આ વિશે તેણે જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મ એક ઉખાણા જેવો છે અને મને ખુબ પસંદ છે. હું હિન્દુ ધર્મનાં રિતી રિવાજો અનુસરવા લાગી છું. પુજા કરુ છું શ્લોક વાચું છુ. મને તે પસંદ પણ છે. તેમજ હિન્દુ તહેવારો પણ ઉજવવાં લાગી છું.કેથલિક માઁ અને બૈપટિસ્ટ પિતાની પુત્રી જૂલિયા ગત વર્ષ સેપ્ટેબંરમાં હરિયાણા આવી હતી ત્યાં એક આશ્રમમાં તેની ફિલ્મ ઈટ, પ્રે એન્ડ લવનું શૂટિંગ થયુ હતું. તેણે તેનાં પતિ સાથે તાજ મહેલની પણ મુલાકાત લીધી હતી. તે ઘણી વખત માથે તીલક કરેલી જોવા મળે છે. તેની પ્રોડક્શન કંપની રેડ ઓમ ફિલ્મસનાં નામમાં પણ હિન્દુત્વવની ઝલક દેખાય છે.


‘સદી માટે કોણ રમે છે?’

પોતાના વિસ્ફોટ અંદાજ માટે જોણીતો ભારતીય ક્રિકેટ ટીમનો ઓપનિંગ બેટ્સમેન ક્યારેય પણ પોતાની સદીની ચિંતા કરતો નથી. અને તક મળે મોટા શોટ ફટકારતા ખચકાતો નથી. તેમજ તેને સદી નહીં થવાનો અફસોસ પણ હોતો નથી. શ્રીલંકા સામે ગઇ કાલે રમાયેલી ત્રીકોણીય શ્રેણીની મેચમાં પણ કંઇક આવું જ થયું હતું. જો કે, શ્રીલંકાએ તેની સદી પુરી ન થાય તે માટે અપનાવેલી વ્યૂહરચના અંગે સેહવાગ કોઇ ચિંતા કે અફસોસ વ્યક્ત કર્યો નથી.શ્રીલંકા તરફથી મળેલા 171 રનના લક્ષ્યાંકને ભારતીય ટીમે સેહવાગની શાનદાર ઇનિંગની મદદથી 15 કરતા પણ વધૂ ઓવર બાકી રહી હતી. ત્યારે મેળવી લીધો હતો. સેહવાગે શાનદાર બેટિંગ પ્રદર્શન કરતા 100 બોલમાં બે સિક્સ અને 11 ચોગ્ગાની મદદથી અણનમ 99 રન ફટકાર્યા હતા. અને જો ગઇ કાલે લંકા દ્વારા કોઇ અંચાઇ કરવા ન આવી હોત તો તેની વનડે ક્રિકેટમાં 11 સદી થઇ ગઇ હોત. પરંતુ શ્રીલંકન ઓફ સ્પિનર સુરજ રણદિવે નો બોલ ફેંકતા સેહવાગની સદી પૂરી થઇ શકી ન હતી. જો કે, તેણે પોતાના વિસ્ફોટ અંદાજમાં એ નો બોલમાં છગ્ગો ફટકાર્યો હતો.મેન ઓફ ધી મેચ જાહેર કરાયા બાદ સેહવાગે જણાવ્યું હતું કે, ક્રિકેટમાં આવી ઘટના બનતી રહે છે. એકપણ ટીમ ક્યારેય પણ એવું ઇચ્છતી નથી હોતી કે વિરોધી ટીમનો ખેલાડી તેમની સામે સદી ફટકારે. તેઓએ સારો પ્રયત્ન કર્યો. અને એ વાત વધારે મહત્વ નથી રાખતી કે હું 99 પર છું કે 100 પર. મહત્વ એ વાતનું છે કે અમે બોનસ પોઇન્ટ અંગે વિચારતા હતા અને અમને તે મળ્યા છે.


લાલ નંબરોમાં કોઈ ‘ભૂત’ નથી

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બામણવાડા ગામના પટેલ ફિળયાના ૩૦ વર્ષીય મંગુ ચંદુ પટેલના સેલફોન પર ફોન આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં ખસેડવા પડ્યાં. જ્યારે વડોદરાના તબીબ જગદીશ નિકુંભના સેલફઓન પર ‘કનેકટ સર્વિસ’નો લાલ અક્ષરે લખાયેલો મેસેજ મધરાત્રે આવ્યા બાદ તેઓ પણ ગભરાટના માર્યા દોડતા થઈ ગયા છે. ‘લાલ નંબરથી આવતા ફોન ઉંચકતા નહીં, જો તમે ઉંચકશો તો તેમાં બલાસ્ટ થશે અને તમારું મોત થઈ જશે.’ દેશભરમાં ફરી ફરીને ગુજરાત અને સુરત સુધી પહોંચેલો આ મેસેજ લોકોમાં હેવોક ફેલાવી રહ્યો છે.ગલીગલીમાં આ મેસેજને કારણે તરેહતરેહની અફવાઓ જોર પકડ્યું છે ત્યારે ‘દિવ્ય ભાસ્કર’ને પણ આ મેસેજ મળતા તેણે તમામ નંબરો પર સામેથી ફોન કર્યો ત્યારે આ નંબરની સર્વિસ જ બંધ આવી. શહેરીજનોમાંથી આ ભય દૂર કરવા લખનારે બે દિવસ પહેલાં મેસેજમાં આવેલા ૬ નંબરો પર ફોન કર્યા હતા અને આખી વાતનો છેદ ઉડાવી દીધો હતો.


યુવતીની છેડતીના મુદ્દે ઓલપાડમાં બબાલ

કોલેજના વિદ્યાર્થી ન હોવા છતાં આર્યસ ગ્રુપના નામે દાદાગીરી કરનારા કેટલાક યુવાનોએ સોમવારે કાયદો હાથમાં લીધો હતો. પહેલાં કોલેજની સામે એક મંદિરમાં ચાલતો કાર્યક્રમ બંધ કરાવી દીધા બાદ એ કાર્યક્રમમાંથી ઘરે જતી એક કોલેજિયન યુવતીની છેડતી કરતાં મામલો તંગ બન્યો હતો. ઉશ્કેરાયેલા અન્ય યુવાનોએ આર્યસ ગ્રુપના બે યુવાન પર છરી વડે હુમલો કર્યો હતો. જે બન્નેને સારવાર માટે સુરતમાં અડાજણ પાટિયા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.કોલેજના ડીએક્સ ગ્રુપના વિદ્યાર્થી હિતેશ પરભુભાઈ પટેલનો સોમવારે જન્મદિવસ હોવાના કારણે તેમણે અન્ય સાથી વિદ્યાર્થીઓ માટે કોલેજની સામે ખૂંટાઈ માતાજીના મંદિરના પ્રાંગણમાં ડીજે પાર્ટીનું આયોજન કર્યું હતું. જ્યાં આર્યસ ગ્રુપના કેટલાક માથાભારે યુવાનો પહોંચી ગયા હતા અને દાદાગીરી કરી કાર્યક્રમ બંધ કરાવી દીધો હતો.કાર્યક્રમ બંધ થતાં આ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલી એક કોલેજિયન યુવતી પોતાના ઘર તરફ જતી હતી ત્યારે ઓલપાડની કોર્ટ પાસે આર્યસ ગ્રુપના એક યુવાને તેની છેડતી કરી હતી. આખરે આ મામલે બે જુથો સામસામે આવી ગયાં હતાં, જેમાં અંકુર પટેલ (ઓલપાડ) અને અક્ષય પટેલ (ઓલપાડ) પર છરી વડે હુમલો થતાં બન્ને ઇજાગ્રસ્ત બન્યા હતા.


રણદિવે માફી માગીઃ સેહવાગ

નો બોલના કારણે 13મી સદી કરવાથી ચુકી ગયેલા વિરેન્દ્ર સેહવાગે ટ્વિટર પર લખ્યું છે કે, રણદિવે તેની માફી માંગી છે. રણદિવે ભારતને જીત માટે એક રનની જરૂર હતી. અને સહેવાગ 99 પર રમી રહ્યો હતો. ત્યારે નો બોલ ફેક્યો હતો. જેના કારણે સહેવાગ સદી ચુકી ગયો હતો.સહેવાગે આજે સવારે ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું. અને તેમાં લખ્યું હતું કે, મેચ પૂર્ણ થયા બાદ રણદિવ મારા રૂમમાં આવ્યો હતો. અને તેણે નો બોલ ફેંકવા અંગે મારી માફી માંગી હતી.નોંધનીય છે કે, ગઇકાલે રમાયેલી મેચમાં શ્રીલંકાએ ભારતને 171 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેમાં સેહવાગે શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું હતું. એક સમયે દબાણમાં આવી ગયેલી ટીમ ઇન્ડિયા માટે સમજદારીપૂર્વકની બેટિંગ કરીને સહેવાગે ભારતને વિજય અપાવ્યો હતો. જો કે, રણદિવે ફેંકેલા નો બોલના કારણે તે સદી ચુક્યો હતો. પરંતુ તેને સદી ચુકી જવા અંગે કોઇ અફસોસ ન હોવાનું જણાવ્યું છે.

48 લાખ રૂપિયાની સાઇકલ!

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



48 લાખ રૂપિયાની સાઇકલ!

જો અમે તમને કહીએ કે એક સાઇકલની કિંમત 48 લાખ રૂપિયાથી પણ વધુ છે, તો કદાચ તમને વિશ્વાસ નહિં થાય. પરંતુ આ વાત સાચી છે. યુરોપની સાઇકલ બનાવનાર કંપની અરૂમેનિયાએ એવી ખાસ સાઇકલ બનાવી છે જેની કિંમતમનાં તમે બે મર્સિડીઝ કાર ખરીદી શકો છો. હવે તમે વિચારતા રહેશે કો એવું આ સાઇકલમાં ખાસ શું હશે કે ભાવ આટલો બધો છે. તો જનાબ અમે તમને બતાવી દઇએ કે આ સાઇકલને 24 કેરેટ સોનામાંથી બનાવામાં આવી છે. એટલું જ નહિં તેને સજાવવા માટે ક્રિસ્ટલ અને સ્વોરોસ્કીના 600 ટુકડાઓનો ઉપયોગ કરાયો છે. અને સૌથી ખાસ વાત તો એ છે કે તેને પૂરી રીતે હાથેથી બનાવામાં આવી છે. એટલે કે તેને બનાવામાં કોઇ પણ મશીનનો સહારો લેવામાં આવ્યો નથી.આ ખાસ લિમિટેડ એડિશન સાઇકલના ફકત 10 યુનિટ છ તૈયાર કરવામાં આવ્યા છે.આ સાઇકલ બનાવનાર કંપનીનું કહેવું છે કે તેને એ લોકો માટે બનાવામાં આવી છે જે પોતાના સ્ટેટસથી કરાર ન કરી શકે પરંતુ પર્યાવરણને લઇને પણ ચિંતા હોય.


જર્મનીની મર્સિડીઝે ઇ-ક્લાસ કાર લોન્ચ કરી

જર્મનીની કાર નિર્માતા કંપની મર્સિડીઝ બેન્ઝે ઇ-કલાસ સેડાનનું નવું વર્ઝન લોન્ચ કર્યું. જેની દિલ્હીના એક્સ-શોરૂમમાં કિંમત રૂ.64.5 લાખ છે.કંપનીએ ભારતમાં ઇ-ક્લાસ કેટેગરીમાં 'કેબ્રીઓલેટ' સાતમું મોડલ છે તેમ મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેકટર વિલફ્રેડ ઑલબુરે કહ્યું હતું. કંપની ભારતમાં ઇ-ક્લાસ રેન્જની કાર રૂ.42 લાખ થી 50 લાખની વચ્ચે લઇને આવી છે. કંપનીનો હેતુ ભારતીય લકઝુરિયસ કાર બજારમાં મજબૂત પોઝીશન બનાવાનો છે.સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેકચર્સના આંકડા પ્રમાણે મર્સિડીઝ બેન્ઝે ભારતીય લક્ઝુરિયસ કાર સેગમેન્ટમાં જાન્યુઆરી થી જૂલાઇ મહિનામાં કુલ 2921 કારનું વેચાણ કર્યું છે, તેની સરખામણીમાં ગયા વર્ષે સમાનગાળામાં 1629 કારનું વેચાણ કર્યું હતું. એટલે કે આ વર્ષે વેચાણમાં 79.31 ટકાનો વધારો થયો છે.


ઉંઘતાની સાથે જ શ્વાસ લેવાનું ભૂલી જાય છે...!

જ્યારે તેનો જન્મ થયો હતો ત્યારે ડોક્ટરોએ તેના માતા-પિતાને કહી દીધું હતું કે તે છ અઠવાડિયાથી વધારે જીવશે નહીં. પરંતુ ડોક્ટરોની ભવિષ્યવાણીને ખોટી સાબિત કરીને આજે લિયામ ડર્બીશાયર 11 વર્ષનો થઈ ગયો છે.તમે વિચારી રહ્યા હશો કે ડોક્ટરોના કહેવા છતાં આ બાળક બચી કેવી રીતે ગયો. લિયામનો જન્મ થયો ત્યારે તે ‘સેન્ટ્રલ હાઈપોવેન્ટીલેશન’ નામની દુર્લભ બીમારીથી પીડાતો હતો. જેનો મતલબ એ થયો કે જ્યારે તે ઉંઘી જતો હતો ત્યારે તે શ્વાસ લેવાનું બંધ કરી દેતો હતો.આવી સ્થિતિમાં લિયામને જીવતો રાખવા માટે તેના માતા-પિતા રાત્રે લાઈફ સપોર્ટ મશીન તેના નાક પર લગાવી રાખતા હતાં. જેના કારણે તેની શ્વાસ લેવાની પ્રક્રિયા બંધ ન થઈ જાય. મશીનને ચાલુ રાખવા માટે પરિવારે વિજળીના બિલ પર લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. એટલું જ નહીં પરિવારે તેના ઘરે ઈમરજન્સી વખતે વિજ પ્રવાહ ચાલુ રહે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરી રાખી છે. જેના કારણે ક્યારેક વિજળી ચાલી જાય તો તેને શ્વાસ લેવામાં તકલિફ ન પડે.લિયામના ગળામાં એક ખાસ પ્રકારની નળી લગાવવામાં આવી છે. જે 24 કલાક તેના ગળામાં જ રહે છે. આવી ગંભીર બીમારી હોવા છતાં તેણે ડોક્ટરોની ભવિષ્યવાણીને ખોટી સાબિત કરી દીધી હતી. લિયામની માતા કિમે જણાવ્યું હતું કે ડોક્ટર તેની હાલત જોઈને હેરાન છે. તેણે દરેક મુશ્કેલીનો સામનો કર્યો છે, તેમજ હાલમાં તે દરરોજ સ્કૂલે પણ જાય છે.કિમે જણાવ્યું હતું કે તેનો પુત્ર તંદુરસ્ત હોવા છતાં તેના ઉપર સતત નજર રાખવી પડે છે. લિયામની સારવાર કરી રહેલા ડોક્ટર ગૈરી કેન્નેટનું કહેવું છે કે આ એક દુર્લભ બીમારી છે. મેં આજ દિવસ સુધી એકપણ એવો કેસ જોવા મળ્યો નથી જેમાં આવી બીમારી હોવા છતાં કોઈ વ્યક્તિ આટલું લાંબુ જીવી શક્યો હોય.


‘સાબરમતી આશ્રમ ઈશ્વરની નજીક જવાનો એક પ્રયાસ’

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસનને વિકસાવવા માટે બોલિવૂડના શહેનશાહ અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. જેના અનુસંધાનમાં બચ્ચન ગુજરાતના પ્રચલીત સ્થળો પર શુટીંગ કરી રહ્યા છે.
અમિતાભ બચ્ચન સોમવારના રોજ અમદાવાદ આવ્યા હતા. તેમણે ગાંધીઆશ્રમમાં શુટિંગ કર્યુ હતું.આ અંગે બિગ બીએ બ્લોગમાં પોતાના અનુભવ લખ્યા છે. બિગ બીએ લખ્યું છે કે, મહાત્મા ગાંધીજીએ સંયમી જીવન વ્યતિત કર્યુ છે. તેઓનો જન્મ ભારત દેશને આઝાદ કરાવવા માટે થયો હતો. તેઓએ ત્યાગ અને અહિંસાનો નવો મંત્ર ભારતને આપ્યો છે. સાબરમતી આશ્રમથી તેમણે દાંડી યાત્રા કાઢી હતી અને મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો.વધુમાં બિગ બીએ લખ્યું હતું કે, સાબરમતી આશ્રમ ઘણો જ સરળ છે. બિગ બીએ ચરખો પણ ચલાવ્યો હતો. ગાંધીજીનો ખંડ પહેલા જેવો હતો તેવો જ આજે પણ છે. તેમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી. ગાંધીજી જમીન પર સૂઈ જતા હતા. આટલું જ નહિ આશ્રમમાં ત્રણ વાંદરાઓના પૂતળા પણ મુકવામાં આવ્યા છે.ગાંધીજી ખાદી જાતે જ કાંતતા અને તેમાંથી બનાવેલા વસ્ત્રો પહેરતા હતા. તેઓ સવારે રોજ લીમડાનું દાંતણ કરતા હતા. બિગ બીએ ગાંધી આશ્રમને મંદિર ગણાવ્યું હતુ. આટલું જ નહિ તેઓ ખુલ્લા પગે ચાલ્યા હતા. તેઓ લીમડાના ઝાડ નીચે બેઠા હતા અને ડાયરીમાં કંઈક લખ્યું હતુ.બિગ બીએ જણાવ્યું હતું કે, તેઓએ ખુલ્લા પગે આખો આશ્રમ જોયો હતો અને પછી તેઓએ રિવરફ્રન્ટ પણ જોયો હતો.બિગ બી ગાંધી આશ્રમમાં આવીને પોતાની જાતને ધન્ય માનવા લાગ્યા હતા. તેઓને આ સ્થળ ઘણું જ ગમ્યું હતું. તેઓએ ગાંધી આશ્રમની વિઝીટર્સ બુકમાં પણ લખ્યું હતું કે, એક અદભૂત અનુભવ, ઈસ મહાન સ્થલ પર.બોલિવૂડ શહેનશાહ ગાંધી આશ્રમથી ઘણાં જ પ્રભાવિત થઈ ગયા હતા. તેમણે ગાંધી આશ્રમની તમામ વાતો પોતાના બ્લોગમાં લખી છે.



કેટબેબી ફરી બિમારી પડી

બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફની તબિયત વારંવાર બગડી જાય છે. કેટરિનાએ હાલમાં જ ફરાહ ખાનની ફિલ્મ તીસ માર ખાનમાં આઈટમ સોન્ગ શીલા કી જવાનીનું શુટિંગ કર્યુ હતું. આ ગીતના શુટિંગ દરમિયાન કેટને પેટમાં સખ્ત દુખાવો થયો હતો અને તેને કારણે શુટિંગ કેટલાંક દિવસો સુધી અટકાવવામાં આવ્યું હતું.કેટરિના આ ગીત માટે સતત છ દિવસ સુધી શુટિંગ કરી રહી હતી પરંતુ સાતમા દિવસે કેટરિના થાકી ગઈ હતી અને તે ઘણી જ ગંભીર રીતે બિમાર પડી ગઈ હતી. આ ગીત માટે કેટબેબીએ પહેલીવાર બેલી ડાન્સ કર્યો હતો અને આ દરમિયાન કેટની પેટની નસ ખેંચાઈ ગઈ હતી.નસ ખેંચાઈ જવાને કારણે કેટને પેટમાં સખ્ત દુખાવો થયો હતો અને તે સેટ પર બૂમો પાડવા લાગી હતી અને ફરાહ ખાન પછી તરત જ ડોક્ટરને બોલાવ્યા હતા.જો કે કેટે આ વાતનું ખંડન કરતા કહ્યું હતું કે, તેને પગમાં થોડો દુખાવો થયો હતો. ઉલ્લેખનીય છે કે, ફિલ્મના શુટિંગ દરમિયાન પહેલા પણ કેટબેબી બિમાર પડી ગઈ હતી.


48 લાખ રૂપિયાની સાઇકલ!

જો અમે તમને કહીએ કે એક સાઇકલની કિંમત 48 લાખ રૂપિયાથી પણ વધુ છે, તો કદાચ તમને વિશ્વાસ નહિં થાય. પરંતુ આ વાત સાચી છે. યુરોપની સાઇકલ બનાવનાર કંપની અરૂમેનિયાએ એવી ખાસ સાઇકલ બનાવી છે જેની કિંમતમનાં તમે બે મર્સિડીઝ કાર ખરીદી શકો છો. હવે તમે વિચારતા રહેશે કો એવું આ સાઇકલમાં ખાસ શું હશે કે ભાવ આટલો બધો છે. તો જનાબ અમે તમને બતાવી દઇએ કે આ સાઇકલને 24 કેરેટ સોનામાંથી બનાવામાં આવી છે. એટલું જ નહિં તેને સજાવવા માટે ક્રિસ્ટલ અને સ્વોરોસ્કીના 600 ટુકડાઓનો ઉપયોગ કરાયો છે. અને સૌથી ખાસ વાત તો એ છે કે તેને પૂરી રીતે હાથેથી બનાવામાં આવી છે. એટલે કે તેને બનાવામાં કોઇ પણ મશીનનો સહારો લેવામાં આવ્યો નથી.આ ખાસ લિમિટેડ એડિશન સાઇકલના ફકત 10 યુનિટ છ તૈયાર કરવામાં આવ્યા છે.આ સાઇકલ બનાવનાર કંપનીનું કહેવું છે કે તેને એ લોકો માટે બનાવામાં આવી છે જે પોતાના સ્ટેટસથી કરાર ન કરી શકે પરંતુ પર્યાવરણને લઇને પણ ચિંતા હોય.


દીકરાના પ્રેમની બલી બાપ ચઢી ગયો

સોસાયટીમાં રહેતા યુવાન સાથે પ્રેમ સબંધ ધરાવતી કિશોરીના માતા-પિતા તેમજ બે ભાઇ ભેગા મળી પ્રેમી અને તેના પિતા ઉપર ચપ્પા વડે તુટી પડ્યા હતા. જેમાં પ્રેમીના પિતાનું મોત નિપજ્યું હતુ જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલો પ્રેમી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોકા ખાઇ રહ્યો છે.પ્રાપ્તમાહિતી અનુસાર,વસ્ત્રાલ સોમનાથ સોસાયટી વિભાગ-૨ મકાન નંબર-બી-૨૬ ખાતે રહેતા રવશિંકર પ્રેમપાલસિંગ ચૌહાણ(ઉ.વ.૨૧)ને તેમની જ સોસાયટીના મકાન નં-બી-૨૦ માં રહેતી યોગીતા નામની યુવતી સાથે પ્રેમ સબંધ બંધાયો હતો.તાજેતરમાં બંનેના પ્રેમ પ્રકરણનો ભાંડો ફુટી જતા બંને પરિવાર વચ્ચે તકરાર થઇ હતી.જેની અદાવત રાખી સોમવારે રાતે યોગીતાના બે ભાઇ જયકુમાર અને વિજય તેમજ યોગીતાના પિતા મહીપાલ કુશવાહ અને માતા ઉષાબહેન ભેગા મળી સોસાયટીમાં જ રવશિંકર અને તેના પિતા પ્રેમપાલસિંહ ચૌહાણ(ઉ.વ.૫૫) ઉપર ચપ્પા વડે તુટી પડ્યા હતા. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પ્રેમપાલસિંગનું મોત નિપજ્યું હતુ.જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રવશિંકરને સારવાર માટે એલજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હત. આ અંગે રવશિંકરની ફરિયાદના આધારે રામોલ પોલીસે જયકુમાર,વિજયકુમાર અને તેના માતા-પિતા વિરુધ્ધ ખૂનનો ગુનો નોંધી તેમની શોધખોળ શરુ કરી છે. જ્યારે સામે પક્ષે જયકુમારે રવશિંકર અને તેના ભાઇ રાધેશ્યામ વિરુધ્ધ પોતાના અને પરિવારના સભ્યો ઉપર લાકડી વડે હુમલો કરવા અંગેની ફરયાદ નોંધાવી છે.


સોહરાબુદ્દીનની અરજીની સુનવણી ૨૭મી તારીખે

સોહરાબુદ્દીનના ભાઇ રુબાબુદ્દીને અમીત શાહને જામીન મળે તે બાબેતે સીબીઆઇ કોર્ટ સમક્ષ અરજી કરી પક્ષકાર તરીકે દાખલ કરવા માટે રજુઆત કરી હતી જે અંગેની સુનવણી પરંતુ કોર્ટે આગામી તા. ૨૭મી ઓગષ્ટે હાથધરવાનો આદેશ કયો હતો. જોકે આ બાબતે પણ સીનીયર કાઉન્સીલની ગેરહાજરીને લીધે ૨૭મી એ સુનવણીનો કોર્ટે આદેશ કર્યો હતો.દેશભરમાં ચર્ચાનો મુદ્દો બની રહેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર અને કૌશરબી હત્યા પ્રકરમમાં તપાસ કરી રહેલી સીબીઆઇ દ્વારા ગુજરાતના માજી ગૃહરાજ્યમંત્રી અમીત સાહની ધરપકડ કરી જેલમાં રાખવામાં આવ્યા છે.જેમના જામીન અંગેની આજે સુનવણી હતી. પરંતુ આ મુદ્દે સોહરાબુદ્દીનના ભાઇ રૂબાબુદ્દીને સ્પેશિયલ સીબીઆઇ સેસન્સ કોર્ટમાં વકીલ સમસાદ ખાન પઠાણ હસ્તાર વાંધા અરજી દાખલ કરી છે.જેમાં રૂબાબુદ્દીનની એવી રજુઆત છે કે અમીત શાહ ખુબજ મોટા રાજકારણી અને ગુજરાતના માજી ગૃહરાજ્યમંત્રી છે.જો તેમને જામીન મળે તો તે આ કેસના પુરાવા સાથે છેડછાડ કરી શકે છે જ્યારે કેસના સાક્ષીઓને પણ ડરાવી ધમકાવી શકે છે માટે તેમને જામીન આપવા જોઇએ નહિ.જોકે રૂબાબુદ્દીનની આ વાંધાઅરજી અને પક્ષકાર તરીકે જોડાવાની અરજીના મુદ્દે પણ આજે શાહના વકીલ અને સીનીયર કાઉન્સીલ રામ જેઠમલાણી ઉપસ્થીત નહી હોવાથી આ અરજીની સુનવણી થઇ શકી ન હોવાથી કોર્ટે રૂબાબુદ્દીનની અરજીની સુનવણી આગામી તા. ૨૭મી ઓગષ્ટના રોજ હાથધરવાનો આદેશ કર્યો હતો.


તિરંગાની છડેચોક હાંસી

લગભગ તો રક્ત વહેડાવ્યા વગર મળી હોવાથી આઝાદીની ભારતવાસીઓને કોઇ કિંમત નથી એવી સંવેદના લગભગ તમામ દેશભક્ત નાગરિકોની છે. આ લાગણીને યથાર્થ ઠેરવે એવાં બનાવો, ખાસ કરીને રાષ્ટ્રિય તહેવારોના દિવસે વધુ ધ્યાન ખેંચે છે. સ્વાતંત્રય પર્વની ઉજવણીમાં અનેક સ્થળે એવા બનાવો બન્યા છે જેનાથી આપણી અગાઉની પેઢીએ આપેલા બલિદાનથી મળેલી મહામૂલી આઝાદીની છડેચોક હાંસી ઊડી હતી.બોડેલી નજીક મોરખલા વસાહત પ્રા.શાળામાં ધ્વજવંદન પૂરું થતાં જ વરસાદ પડ્યો હતો. ગ્રામજનોમાંથી કોઈકે કહ્યું કે સાહેબ વરસાદ પડે છે અને ધ્વજ પલળે છે. તો ઉતારી લો ને. જેથી શિક્ષક દક્ષેશભાઈ દરજીએ ૯ થી ૯.૧૫ના અરસામાં ધ્વજ ઉતારી દીધો હતો.આ અંગેની જાણ કેળવણી નિરિક્ષક પુજાભાઇને થતાં ઘટના સ્થળે તપાસ કરવા માટે જવાના હોવાનું કહ્યું હતું. દક્ષેશભાઈ દરજીએ જણાવ્યું હતું કે, વરસાદમાં ધ્વજ ભીનો થતો હતો. તેથી ગ્રામજનોએ ઉતારી લેવાનું કહ્યું અને સી.આર.સી. દિપકભાઈનો ફોન આવતા તેમની સાથે વાત કરીને ધ્વજ ઉતારી લીધો હતો.


રેલવે કર્મીની હત્યામા પત્ની અને પ્રેમી યુવકની ધરપકડ

શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા રેલવે કર્મચારીની ભેદી સંજોગોમાં કરાયેલી હત્યાના બનાવમાં ખુદ તેની જ પત્નીએ તેના પ્રેમીયુવક મારફત હત્યા કરાવી હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી. મકરપુરા પોલીસે પત્ની અને તેના યુવાન પ્રેમીની મોડી સાંજે ધરપકડ કરી તેઓના અન્ય એક સાગરીતની શોધખોળ હાથ ધરી છે.માંજલપુરના સુબોધનગરમાં રહેતાં અને પ્રતાપનગર વર્કશોપમાં વેલ્ડર તરીકે ફરજ બજાવતાં ૫૦ વર્ષીય સુરેશભાઈ ગણપતભાઈ અબંગ ગત ૯મીની રાતે તેમની પત્ની સુજાતા અને પુત્રી નૈનિતા સાથે મકાનમાં સૂંઈ ગયા બાદ સવારે તેમની લોહીલુહાણ હાલતમાં લાશ મળી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમનું મોત ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા થવાના કારણે થયું હોવાની વિગતો સપાટી પર આવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.પોલીસે સુજાતા અને તેની બીજા નંબરની પુત્રી વૃક્ષાલીના મોબાઈલ ફોનની કોલ ડિટેઈલ મેળવી હતી જેમાં સુજાતા નાસિકમાં રહેતા તેના દૂરના સંબધી ૨૫ વર્ષીય યોગેશ મુરલીધર ગીતે સાથે સતત સંર્પકમાં હોવાની વિગતો મળી હતી. પોલીસે તપાસનો દોર નાસિક સુધી લંબાવી યોગેશ ગીતેને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં જ તેણે ચોંકાવનારી કબૂલાત કરી હતી કે તેને તેનાથી ૧૫ વર્ષ મોટી સુજાતા સાથે પ્રેમસંબંધ છે. તેઓને નાસિકમાં સાથે રહેવાનું હતું પરંતુ આ પ્રેમસંબંધમાં સુરેશભાઈ અવરોધરૂપ હોઈ તેને પતાવી નાખવાનું નક્કી કરાયું હતુ.બનાવના દિવસે સુજાતા બીજા રૂમમાં હતી તે સમયે યોગેશ અને તેના સાગરીત શેખરે ભેગાં મળી સુરેશભાઈનું ઢીમ ઢાળી દીધું હતું. હત્યા બાદ તેઓએ કોઈને સુજાતા પર શંકા ન જાય તે માટે મકાનના દરવાજા બહારથી બંધ કર્યા હતા અને નાસિક ફરાર થયા હતા. આ કબૂલાતના પગલે પોલીસે સૂજાતા અબંગ અને તેના પ્રેમી યોગેશ ગીતેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.


અજબ ગઠિયાની ગજબ કમાલ

રિંગ રોડ પરની પ્રાઇમ બેંકમાં રૂ. ૧.૫૦ લાખ જમા કરાવવા ગયેલી એક વ્યક્તિને ગઠિયાનો ભેટો થઈ ગયો હતો, જે નકલી ચેક આપી રૂ. ૧.૫૦ લાખ લઈ રવાના થઈ ગયો હતો. પોલીસે તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે રૂ.૧.૫૦ લાખના બદલામાં જે ચેક અપાયો તે ચેક નેશનલ બેંકનો છે, જેની આખી ચેકબુક જ ચોરાઈ ગઈ હોઇ તેમાંથી આ રીતે ચેક આપી આઠ વ્યક્તિને છેતરવામાં ગઠિયા સફળ થયા છે.રિંગ રોડ પર કાપડમાર્કેટમાં સાડી અને ડ્રેસ મટિરિયલ્સની દુકાનમાં કામ કરતા અલ્કેશભાઈ શાહ સોમવારે બપોરે રિંગ રોડ પરની પ્રાઇમ બેંકમાં તેમના શેઠના રૂ. ૧.૫૦ લાખ જમા કરાવવા ગયા હતા. ત્યાં એક અજાણ્યા માણસે એવી વાત કરી હતી કે તમારા શેઠને મારે રૂ. ૫ લાખ આપવાના છે.તમારી પાસેના રૂ. ૧.૫૦ લાખ મને આપી દો, હું તમને ચેક આપી દઉં છું. આટલી વાત કરી શેઠ સાથે ફોન પર વાત કરવાનો ઢોંગ પણ કરાયો હતો. પરિણામે અલ્કેશભાઈએ રૂ. ૧.૫૦ લાખ એ અજાણી વ્યક્તિને આપી દીધા હતા, જેના બદલામાં અજાણી વ્યક્તિએ રૂ. ૧.૫૦ લાખની રકમનો ચેક તેમને આપી દીધો અને બાકીના રૂ. ૩.૫૦ લાખનો ચેક પંદર વીસ મિનિટ પછી આપવાનું કહી એ ગઠિયાએ ત્યાંથી ચાલતી પકડી હતી.ગઠિયાએ રૂ. ૧.૫૦ લાખ રોકડા લઈને તેના બદલામાં જે ચેક આપ્યો છે તે નેશનલ બેંકનો ચેક હતો. આ બેંકમાંથી ચેકબુક ચોરાઈ ચૂકી છે અને તેનો આ ઠગ ટોળકી ઉપયોગ કરે છે. અત્યાર સુધીમાં આ રીતે આઠ વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ ચૂકી છે. સોમવારે જે ઘટના બની તેમાં આ નવમી વ્યક્તિ હતી, જેને છેતરવામાં ગઠિયા સફળ રહ્યા હતા.


સૌરાષ્ટ્ર સમાચાર તટસ્થતા અને વિશ્વસનિયતાને કારણે મોખરે

સૌરાષ્ટ્ર સમાચાર દૈનિકના ૧૮માં વાર્ષિક ગ્રાહક ઈનામી ડ્રોના યશવંતરાય નાટયગૃહ ખાતે યોજાયેલા સમારોહમાં અધ્યક્ષસ્થાનેથી પૂ. સોમપ્રકાશ સ્વામીએ સૌરાષ્ટ્ર સમાચારની ઓળખ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વધી છે તેમ ઉમેર્યું હતું.શહેરના વિકાસના કોઈ પણ પ્રશ્નમાં સૌરાષ્ટ્ર સમાચારે પક્ષાપક્ષીથી પર રહીને, સામાન્ય જનસમૂહનો સાથ નિભાવી સફળતા મેળવી છે અને ભાસ્કર ગ્રૂપ સાથે જોડાણ બાદ તો સૌરાષ્ટ્ર સમાચારમાં સોનામાં સોનું ભળ્યું છે તેમ સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી પ્રતાપભાઈ શાહે જણાવ્યું હતું.સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ પંકજભાઈ પંડયાએ કેરેટ બાદ કવોલિટી પણ સુધરી છે અને ભાવનગરના હિતની વાતોમાં આ અખબારે હંમેશા અંગત રસ લીધો હોય લોકોએ પોતાનું ગણ્યુ છે.શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ.ડી.બી. રાણીંગાએ જણાવ્યું હતું કે આ અખબારે શાખ અને ધાક, બન્ને જમાવી છે અનેક સંઘર્ષો બાદ સૌરાષ્ટ્ર સમાચારે પરિવર્તન સાથે કદમ મિલાવી સફળતા મેળવી છે.આ અખબારે સાતત્યસભર પ્રગતિ કરી છે તેમ પ્રદેશ ભાજપ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવી લડાઈ, ભૂકંપ, પૂર સહિતની અનેક આપત્તિવેળાએ આ અખબારે લોકોને જાગૃત કરી સરાહનીય સેવા કરી છે તેમ ઉમેર્યું હતું. જી.એમ. સંજય ગોર અને સરક્યુલેશન હેડ પવન ગુપ્તાએ સૌરાષ્ટ્ર સમાચારને સમગ્ર ભાસ્કર જુથનો અવાજ ગણાવી ભાવિ વિકાસની યોજનાઓ જાહેર કરી હતી.સૌરાષ્ટ્ર ઝોનના એકઝીકયુટીવ એડિટર કાનાભાઈ બાંટવાએ સોનામાં સુગંધ ભળ્યા બાદ હવે હીરા જડવાનું કામ શરૂ કરાયું છે ત્યારે આ માત્ર છાપું જ નથી પણ લોકોના હૈયામાં સ્થાન જમાવી ચૂકેલી એક વિશ્વસનિય બ્રાન્ડ છે તેથી તેની પ્રગતિ કોઈ રોકી શકે નહીં તેમ જણાવ્યું હતું.જ્યુરીના બે સભ્યો બી.પી. જાગાણી અને ઈન્દુભા ગોહિલે ભાસ્કર ગ્રૂપ સાથે મિલન બાદ સૌરાષ્ટ્ર સમાચારના સોનારૂપી કલેવરમાં સુગંધ ભળી છે અને આ અખબારે સતત લોક પ્રશ્નોની વાચા આપી છે કોઈ ભેદભાવ રાખ્યા વગર સનસનાટી નહીં પણ સંવેદના ઉભી થાય એવા સમાચાર આ અખબારે પ્રસિધ્ધ કર્યા છે. ધર્મ, શિક્ષણ, જીવન ઘડતર અને જ્ઞાન-વિજ્ઞાનના સમાચારોમાં આ અખબાર અન્ય કરતાં હંમેશા આગળ રહ્યું છે તેમ જણાવ્યું હતું. મોડેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રકચરના મેહુલભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. એજન્ટ રજનીભાઈ વ્યાસ અને દિનેશભાઈ ટાઢાએ અખબારના વ્યવસ્થાપનની નીતિને બિરદાવી હતી.


મહુવા : સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી

મહુવામાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મહુવાના ડિવિઝનલ નાયબ કલેક્ટર બી.આર.પટેલના વરદ્ હસ્તે ધ્વજવંદન, વૃક્ષારોપણ કરાયા હતા. આ પ્રસંગે શરણાઇ વાદન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના વિદ્યાર્થીઓએ પ્રભાત ફેરી કાઢી હતી. આ કાર્યક્રમમાં અધિકારીઓ, પદાધિકારીઓ, મહાનુભાવો વગેરે ઉપસ્થિતરહેલ.
તળાજા : તળાજાના વ્યાયામ શાળામાં મામલતદાર એન.જી. ભેટારીયાએ ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો. જેમાં તળાજાના ધારાસભ્ય, ન.પા.ના પદાધિકારીઓ, તા.પંચાયતના પ્રમુખ, ઉપરાંત તમામ શાળાના વિદ્યાર્થીઓની વિશાળ હાજરીમાં રાષ્ટ્રગાન બાદ તળાજા પોલીસ અને હોમગાર્ડઝના જવાનોની સલામી પરેડ યોજાઇ હતી.બોટાદ : બોટાદ સરકારી હાઇ.ના પટ્ટાંગણમાં તાલુકા મામલતદારના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, પ્રમુખ, બાર કાઉન્સીલના પ્રતિનિધિઓ, પોલીસ, હોમગાર્ડઝ જવાનો, સ્વાતંત્ર્ય સેનાની વગેરે હાજર રહ્યાં હતા.ગારિયાધાર : ગારિયાધારમાં મામલતદાર કચેરીના પટ્ટાંગણમાં મામલતદારના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ અવસરે સ્વાતંત્ર્ય સેનાની પૂ.શંભુદાદાની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવેલ. આ ઉજવણીમાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.સિહોર : સ્વાતંત્ર્ય પર્વની સિહોર ટાઉન હોલ ખાતે ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે સિહોરના મામલતદાર ચુડાસમાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.પાલિતાણા : પાલિતાણામાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ગુજરાતી શાળાના પટ્ટાંગણમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ચૌહાણના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. પોલીસ પરેડ યોજાઇ હતી તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયા, તા.પં. પ્રમુખ, ટી.ડી.ઓ., ન.પા. પ્રમુખ, પોલીસ અધિકારીઓ, નાયબ મામલતદાર વગેરે હાજર રહ્યાં હતા.


ઇડર : ૧૧ વર્ષની છાત્રા કડકડાટ બોલે છે ૨૦૦ વર્ષનું કેલેન્ડર !

વર્તમાન સમયમાં કમ્પ્યૂટર અને કેલ્કયુલેટર હાથવગા હોવાથી પંદર એકાનો પાળો બોલવો હોય તો પરસેવો વળી જાય ત્યારે હેલી પ્રજાપતિ નામની માત્ર ૧૧ વર્ષની વિદ્યાર્થિનીને ર૦૦ વર્ષનું કેલેન્ડર મોઢે હોવાથી સાંભળનારા દંગ રહી જાય છે.મૂળ સાબરકાંઠાના ઇડર તાલુકાના બડોલી ગામની પરંતુ શિક્ષક પિતા સાથે ભુજ તાલુકાના મમુઆરા ગામની સરકારી પ્રાથમિક શાળામાં ધો. ૭ માં અભ્યાસ કરતી હેલી બેચરદાસ પ્રજાપતિ નવ વર્ષની ઉંમરની હતી ત્યારે તેણીએ એક વર્ષની તારીખની સામે વાર મોઢે કરી લીધા ત્યાર બાદ પાંચ વર્ષ પંદર વર્ષ, રપ વર્ષ અને એમ કરતાં-કરતાં ર૦૦ વર્ષના સમયગાળામાં કઇ તારીખે કયો વાર હતો તે સેકંડોના સમયમાં ગણતરી કરીને કહી દે છે.દહિંસરા ગામે ભુજ તાલુકાના વજ્ઞાન-ગિણત પ્રદર્શનમાં પ્રા. શાળાની કૃતિ લઇને આવનાર હેલીની અદભૂત અને આશ્ચર્ય પમાડે તેવી અંક ગણિતની મહેમાનો અધિકારીઓને ખબર પડી તો તેઓએ સાબિત કરવા ૫૦-૬૦-૧૫૦ વર્ષની તારીખના અથવા પોતાની જન્મ તારીખના કયો વાર હતો તે પૂછ્યું તો સેકંડોમાં સાચો જવાબ મળ્યો.ભુજના બી.આર.સી. કો-ઓર્ડિનેટર ભૂપેશ ગોસ્વામીએ આ વિદ્યાર્થિનીને રાષ્ટ્રીય બાળ પ્રતિભા માટે નોમિનેટ કરવા પ્રયત્નો કર્યા છે. અને અનેકો વખત તેમની કુશાગ્ર બુધ્ધિ ક્ષમતાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયમાં સચોટતા સાથે હાઇ સ્પીડ મેમરી ધરાવતી હેલી પ્રજાપતિને શિક્ષક પિતા બેચરદાસ પ્રજાપતિનો સહયોગ મળી રહ્યો છે.


ભુજમાં સીઆઇડીના કાફલાની ભેદી કામગીરી

એક તરફ હાઇકોર્ટ દ્વારા કુલદીપ શર્માની એન્કાઉન્ટર કેસમાં શુક્રવાર સુધી ધરપકડ નહીં કરવાનો હુકમ થયો છે ત્યારે સીઆઇડી ક્રાઇમ દ્વારા ભુજમાં રવિવાર સવારથી જ તપાસનો ધમધમાટ શરૂ થઇ હતો જો કે તપાસ કરનારા ડીવાયએસપી ખેરે એવું જણાવ્યું હતું કે પોતે સોમવારે આખો દિવસ હાઇકોર્ટના કામમાં રોકાયેલા હતા.બીજી બાજુ સૂત્રોએ એવું જણાવ્યું હતું કે સીઆઇડીની ટીમે રવિવાર મોડી રાત સુધી તેમજ સોમવારે આ કેસના સાક્ષી ગઢવી સહિત અન્ય પુરાવાઓને તેમજ નિવેદનો એકત્ર કર્યા હતા.


કચ્છમાં ફૂટબોલ લીગને કાયમી સ્વરૂપ અપાશે

કચ્છમાં શાળા સત્રની ફૂટબોલ લીગનો આજે પ્રારંભ થયો છે, ત્યારે આ ટુર્નામેન્ટને કાયમી સ્વરૂપ આપવા પૂરતા પ્રયાસો કરાશે. રોટરી ક્લબ ભુજ દ્વારા યોજાઇ રહેલી સ્પર્ધાના પ્રારંભે અગ્રણીઓ દ્વારા આ પ્રમાણે જણાવાયું હતું.સ્કોટલેન્ડન રાષ્ટ્રીય ખેલાડી માઇકલ કાલ્ડરના માર્ગદર્શનમાં તૈયાર થયેલા ૨૫૦ પૈકી ૧૨૦ જેટલા ૭ શાળાના વિદ્યાર્થીઓ કચ્છની પ્રથમ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. લીગના પ્રારંભ પહેલાં પત્રકારો સાથેની વાતચીતમાં રોટરી ક્લબના પીડીજી મોહનભાઇ શાહે કહ્યું કે, ૧૯૫૯ સુધી જિલ્લામાં ફૂટબોલનું વર્ચસ્વ સારું એવું હતું. ગામે ગામ મેચો રમાતી, પરંતુ લીગ પદ્ધતિથી પ્રથમ જ વાર સ્પર્ધા યોજાઇ છે. જેને કચ્છ સ્પોર્ટસ કાઉન્સિલના સહકારથી દર વર્ષે યોજવા ગંભીરતાપૂર્વક વિચારાઇ રહ્યું છે.ભરતભાઇ ધોળકિયાએ માઇકલ કાલ્ડરની સેવા કઇ રીતે મળી તેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભુજ, માધાપર, કેરા, માંડવી જેવા સ્થળેથી શાળાઓમાં છેલ્લા વર્ષથી કોચિંગનો તબક્કો પૂર્ણ થયો છે અને હવે લીગના માધ્યમથી ખેલાડીઓની સાચી કસોટી થશે. જે ભવિષ્ય માટે સારી નિશાની છે. ભુજ ક્લબના પ્રમુખ તિલક કેશવાણીએ કહ્યું કે, ફૂટબોલની રમતમાં આર્થિક રીતે પણ ક્ષમતા વધુ છે, ત્યારે અહીંનો ખેલાડી પણ રાષ્ટ્રીય સ્તરે ચમકે તે ઉદ્દેશ્યથી સંસ્થાઓ નવો પ્રયાસ હાથ ધર્યો છે. પ્રોજેક્ટ સંભાળતા પરાગ ઠક્કરે જણાવ્યું કે, અહીં ફૂટબોલ રમવાની વ્યવસ્થા એકલ દોકલ શાળા બાદ કરતાં ક્યાંય નથી, ત્યારે માઇકલ જેવા એક્સપર્ટ દ્વારા ચારથી પાંચ કોચ તૈયાર કરાય તો આગામી સમય ફૂટબોલ માટે સારો બની રહે તેમ છે.કચ્છમાં ફૂટબોલ ફિવર ફેલાવાના ઉદ્દેશ્યથી આવેલા ૨૦ વર્ષીય માઇકલ કાલ્ડરે કહ્યું કે, અહીં ફૂટબોલમાં યુવાનોનો રસ જોવા મળ્યો છે, ત્યારે તેઓ રમતા થાય અને સ્પર્ધા માટે સક્ષમ બને તેવા પ્રયાસો કરાશે. તેઓ સલાયા અને માધાપરમાં આ રમત ક્ષેત્રે ખેલાડીઓની તૈયારી જોઇ પ્રભાવિત થયા હતા. રવિ ત્રવાડીએ આભાર વ્યક્ત કર્યો હતો. કે.કે.તન્ના, દિલીપ ઠક્કર, યશેશ ડુડિયા, ડૉ.વસા વગેરેએ પૂરક માહિતી આપી હતી.

16 August 2010

રાજકોટમાં ટ્રેનમાંથી ૩૩.૭ કિલો ગાંજો મળ્યો

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટમાં ટ્રેનમાંથી ૩૩.૭ કિલો ગાંજો મળ્યો

સ્વાતંત્રય પર્વના બે દિવસ પૂર્વે જ મધ્ય પ્રદેશથી રાજસ્થાન જવા રવાના થયેલા વિસ્ફોટકો ભરેલા ૬૧ ટ્રક ગુમ થઇ જતાં દેશના તમામ હાઇ-વે અને રેલ-વે સ્ટેશન, બસ સ્ટેશનો પર સઘન ચેકÃગની સૂચના આપવામાં આવી હતી. જે સંદર્ભે રાજકોટ રેલ-વે સ્ટેશન પર પોલીસને જોઇ સકિંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનના જનરલ ડબ્બામાં મુસાફરી કરી રહેલા શખસો ગાંજાનો જથ્થો ભરેલા ત્રણ થેલા અને એક સૂટકેશ બિનવારસી હાલતમાં મૂકીને નાસી ગયા હતા. પોલીસે એક લાખની કિંમતનો ૩૩ કિલો ૭૦૦ ગ્રામ ગાંજો કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે.રાજકોટ રેલ-વેના ઇન્સ્પેકટર પી.પી. પિરોજીયા ૧પ ઓગષ્ટની રાતે ૧૦ વાગે પ્લેટફોર્મ પર આવેલી સકિંદરાબાદ ટ્રેનામાં સ્ટાફ સાથે ચેકÃગમાં ગયા હતા. ટ્રેનના પાછળના જનરલ ડબ્બામાં એક સીટ નીચેથી ત્રણ મોટા થેલા અને એક સૂટકેશ રેઢી મળી આવતા કબજે કરી હતી. થેલામાંથી નશીલા પદાર્થની ગંધ આવતી હોવાથી એફ.એસ.એલ. અધિકારીને સાથે રાખી સામાન ખોલતા અંદરથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ઉલ્લેનિય છેકે, સકિંદરાબાદ ટ્રેનનું છેલ્લુ સ્ટોપ રાજકોટ હોવાથી ગાંજો રાજકોટમાં જ સપ્લાય કરવા આવ્યા હોવાની પોલીસને શંકા છે.ગાંજાનો જથ્થો તેલુગુ ભાષના અખબારમાં વિટેલો હતો. નવેનવા થેલા અને સૂટકેશમાંથી મળી આવેલો ગાંજાનો જથ્થો અખબારના કાગળમાં વિટેલા હતો. અને એ અખબાર તેલુગુ ભાષાના હોવાથી ગાંજો એ રાજ્યમાંથી જ ગુજરાતમાં લવાયો હોવાનુ પોલીસનું અનુમાન છે.


નેહરાએ દેખાડ્યો સંગાકારાને પેવેલીયનનો રસ્તો

રાંગિરી દામ્બુલા આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં આજે યજમાન શ્રીલંકાએ ભારતની વિરુદ્ધ ત્રીકોણીય શ્રેણીમાં પોતાની બીજી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારત માટે આ મુખ્ય મેચમાં ઓલ રાઉન્ડર યુવરાજ સિંહ રમી રહ્યો નથી. યુવરાજના સ્થાને વિરાટ કોહલી અને અભિમન્યુ મિશુનના સ્થાને ઈશાંત શર્માને ટીમમાં સામેલ કરવામાં આવ્યાં છે. જ્યારે શ્રીલંકાની ટીમમાં બે ખેલાડીઓને બદલાવ લાવ્યાં છે. મેન્ડિસ અને હેરાથના સ્થાને રાંદિવ અને ફર્નાડાને તક આપવામાં આવી છે. ભારત માટે આ મેચ મહત્વપૂર્ણ છે.શ્રીલંકાની પ્રથમ વિકેટ શૂન્ય રન પર પડી ગઈ છે. થરંગા શૂન્ય રન પર પ્રવીણ કુમારની ઓવરમાં આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી છે.શ્રેણીની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડની સામે ભારતનો પરાજય થયો હતો. પહેલી મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને 200 રનથી પરાજય આપ્યો હતો. તે મેચમાં ભારતીય ટીમ 88 રન પર ઓલ આઉટ થઈ હ


આઈ.પી.એલ. માટે ફિટ અને દેશ માટે અનફિટ!

ભારતીય ક્રિકેટ ટીમ ઈજાગ્રસ્ત અને થાકથી જોડાયેલી છે. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સતત ખેલાડીઓને આરામ આપવાનો અને રોટેશન પોલિસીની પ્રયગ કરી રહ્યાં છે. પરંતુ આ ખેલાડીઓ આઈપીએલમાં આવું વિચારતા નથી. કે શું તે સમયે તેને પૈસા વધારે ગમે છે.ઈન્ડિયન પ્રીમિયર લીગ સતત બે મહિના સુધી રમાય છે. આમાં દરરોજ મેચ રમાય છે. આટલું જ નહિ પરંતુ દરેક ખેલાડી બાદમાં પાર્ટીની પણ મજા માણે છે. જ્યારે ખેલાડી આનાથી થાકતા નથી તો દેશ માટે રમવામાં તેમને મુશ્કેલી શેની હોય છે.ઝહિર ખાન, સચિન તેંડુલકર અને ઘણા ખેલાડી આઈપીએલમાં તો સતત રમતા રહે છે પરંતુ દેશ માટે યોજાનારી ટૂર્નામેન્ટ માટે તો તે ઈજાગ્રસ્ત થઈ જાય છે અથવા તેમને આરામની જરૂર હોય છે. તો આવું કેમ? અન્ય દેશોના કાર્યક્રમ પણ ટીમ ઈન્ડિયાની જેમ જ વ્યસ્ત હોય છે. પરંતુ તેમના ખેલાડી ક્યારેય રજુઆત કરતાં નથી. આઈસીસી ટેસ્ટ ટીમ રેકિંગમાં ટોચ પર રહેવા માટે બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ ટીમોને બોર્ડને વન-ડેની સાથે ટેસ્ટ સીરિઝ પણ રમવાનું કહ્યું હતું.આ ખેલાડીઓને ક્યારેય પણ આઈપીએલ દરમિયાન વ્યસ્તતાની વાત કરી હતી. આઈપીએલ દરમિયાન જો ખેલાડી ઈજાગ્ર સ્થ પણ થઈ જાય છે જ્યારે જ ફિટ થઈને મેદાન પર પરત ફરવા આતુર હોય છે.


ખુશ્બૂ ગુજરાત કી : બિગ બી અમદાવાદમાં

અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચેલા અમિતાભ બચ્ચનની એક ઝલક જોવા માટે ખુજબ મોટી સંખ્યામાં તેમના ફેન આવી પહોંચ્યા હતા.ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસનને વિકસાવવા માટે બોલીવુડના શહેનશાહ અને મેઘાસ્ટાર અમિતાભ બચ્ચનને પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. જેન અનુસંધાનમાં બચ્ચન ગુજરાતના પ્રચલીત સ્થળો પર શુંટીગ કર રહ્યા છે.આજથી શુટિંગનો બીજો રાઉન્ડ શરૂ થતો હોઇ આજે સવારે સાડા અગિયારા વાગ્યે બીગ બી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. બીગ બી ની એક ઝલક જોવા માટેતેમના પ્રશંશકોએ પડાપડી કરી મુકી હતી. અને ખુબજ મોટી સંખ્યામાં તેમના પ્રસંશકો એરપોર્ટ પર પહોંચી ગયા હતા.બચ્ચનને એરપોર્ટથી તાજ હોટલમાં લઇ જવામાં આવ્યા હતા જયાં તેઓ પોતાનું ભોજન લીધા બાદ બપોર પછી ગાંધી આશ્રમમાં શુટિંગ માટે જવાના હોઇ ત્યાં પણ ખુબજ મોટી સંખ્યામાં બચ્ચનના ચાહકો ઉમટી પડ્યા હતા અને સુરક્ષા વ્યવસ્થા માટે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી. ગાંધી આશ્રમમાં બચ્ચન લગભક બેએક કલાક શુટિંગ કરશે. આજે અમદાવાદમાં શુટિંગ પુરુ કર્યા બાદ બચ્ચન ગુજરાતની પ્રખ્યાત હડપ્પા સંસ્કૃતિની નગરી લોથલમાં પણ શુટિંગ કરી ગાંધીજીની જન્મભુમી પોરબંદર તરફ પ્રયાસ કરશે તેવું જાણી શકાયું હતું. જોકે બચ્ચને શુટિંગના પહેલા રાઉન્ડમાં ગીર તથા કચ્છમાં શુટિંગ કર્યું હતું જ્યારે બીજા રાઉન્ડમાં પોરબંદર તથા દ્વારકા સહિતના વિસ્તારોમાં શુટિંગ કરશે.


ભારતના વિઝા નિયમોમાં વંશીય ભેદભાવ ?

લંડનમાં કિંગ કોલેજના માનવ અધિકારીના કાયદાના પ્રોફેસર રોબર્ટ વિન્ટેમ્યુટે ભારતના વિઝા નિયમોને વંશીય ભેદભાવ યુક્ત ગણાવ્યાં છે અને તેમાં તાત્કાલિક સુધારાની માંગણી કરી છે.ભારતના હાઇ કમિશને 2008માં મુંબઇમાં થયેલા ત્રાસવાદી હુમલા બાદ વિઝા પોલિસીમાં મોટાપાય ફેરફાર કર્યા હતા, જેના કારણે બ્રિટનના નાગરિકોને ભારતના વિઝા લેવા માટે બે થી ત્રણ દિવસની રાહ જોવી પડતી હતી. જોકે બ્રિટિશ કાર્યકરોએ વિઝા નિયમોમાં પાકિસ્તાની મૂળના બ્રિટિશ નાગરિકો પ્રત્યે રાખવામાં આવતા ભેદભાવનો વિરોધ વ્યક્ત કર્યો છે.ભારતીય હાઇ કમિશનની વેબસાઇટના જણાવ્યાં અનુસાર પાકિસ્તાની મૂળના કોઇ પણ વ્યક્તિની વિઝા પ્રક્રિયા પૂર્ણ થતા 7 થી 8 જેટલો લાંબો સમય લાગે છે, જેમાં પાકિસ્તાની મૂળના બ્રિટિશ નાગરિકોનો સમાવેશ થાય છે.રોફેસર રોબર્ટે જણાવ્યું હતું કે ભારત સરકારના કાયદામાં વંશીય ભેદભાવ સ્પષ્ટપણે દેખાઇ રહ્યો છે. ઉપરાંત પ્રોફેસરે ભારતીય કાયદાની સરખામણી નાઝીઓના કાયદા સાથે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બ્રિટિશ પાસપોર્ટની પાછળ જોઇને દરેક વ્યક્તિને અલગ અલગ રીતે વિઝા આપવામાં આવે છે. કોઇ વ્યક્તિના માતા-પિતા પાકિસ્તાનમાં જન્મેલા હોવાથી તેમને અન્ય નાગરિકોની સરખામણીએ ભેદભાવયુક્ત વર્તન કરવું તે બ્રિટન, યુરોપ અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકારોનું હનન છે.


અમીત જેઠવાના હત્યારાઓ સુધી પહોંચી પોલીસ

આરટીઆઇ એક્ટિવસ્ટિ અમીત જેઠવાની હત્યાની તપાસ કરતાં કરતાં પોલીસ તેના હત્યારાઓની નજીક પહોંચી ગઈ છે. જેઠવાની સોપારી જેના દ્વારા આપવામાં આવી હતી તે પોલીસ કોન્સ્ટેબલને પોલીસે ઝડપી લીધો છે અને સૂત્રો એમ જણાવે છે કે પોલીસને હત્યામાં સાંસદ દીનુ સોલંકીની સોલંકીની સંડોવણીની બાતમી પણ મળી છે. એટલું જ નહીં આ હત્યામાં અન્ય કેટલાક રાજકીય નેતાઓ સંડોવાયા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.પ્રાપ્તવિગતો અનુસાર, આરટીઆઇ એક્ટિવસ્ટિ અમીત જેઠવાની ગત મહિને ૨૦ જુલાઈના રોજ અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટ સંકુલની સામે કેટલાક અજાણ્યા ઇસમોએ ગોળી મારી હત્યા કરી હતી. જેઠવા ગીરના જંગલમાં ગેરકાયદેસર ખનન સામે હાઇકોર્ટમાં કેસ લડી રહ્યા હતા અને આરટીઆઇ એકટ હેઠળ પણ તેમણે ખનન માફિયાઓને પરેશાન કરી મૂક્યા હતા.તેના કારણે શંકા એવી સેવવામાં આવી રહી હતી કે ખનન માફિયાઓ દ્વારા જ જેઠવાની હત્યાની સોપારી આપવામાં આવી હોય શકે. પોલીસે આ હત્યામાં સોપારી આપવામાં આવી હોવાની થિયરીના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, ગીરગઢડાના પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ દ્વારા હત્યારાઓને સોપારીના ૧૫ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. પોલીસે બહાદુરસિંહની ધરપકડ કરી લીધી છે. એ ઉપરાંત આ હત્યામાં મુખ્ય ભૂમિકા ભજવનારા જોશી અથવા પંડ્યા અટક ધરાવતાં વ્યક્તિની પણ ભાળ પોલીસને મળી છે.સૂત્રો એમ જણાવે છે કે આ આખી લીંક જુનાગઢના સાંસદ દીનુ સોલંકી સુધી નીકળે છે અને પોલીસ ટૂંક સમયમાં જ આ મામલો ઉકેલી નાંખે તેવી શક્યતા છે.


સવારથી જ અમદાવાદમાં વરસાદ શરૂ

આજે સવારથી જ અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઇ જતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા જેને લીદે લોકોન પરેશાની વધી ગઇ હતી.સ્વતંત્રય દિવસનની રંગેચંગે ઊજણવી થઇ શકે તે માટે આ રાષ્ટ્રીય પર્વની મેઘરાજાએ પણ રજા રાખી હોય તેમ ગત રોજ મેઘરાજાએ આરામ કર્યા બાદ આજે સવારથીજ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઇ ગઇ હતી.અઠવાડીયા અગાઉ શનિવારની રાત્રે અમદાવાદમા શરૂ થયેલા મેઘતાંડવને લીધે શહેરમાં એકજ રાત્રિમાં ૧૨ ઇંચ કરતાં પણ વધુ વરસાદ ઝીંકાયો હતો.જેને લીધે જાણેકે આખુ અમદાવાદ પાણીમાં હોય તેવો ઘાટ થયો હતો શહેરના તમામ અન્ડરપાસમાં પાણી ભરાઇ જતાં તમામ અન્ડરપાસ બંધ કરવાની નોબત ઉભી થઇ હતી.જોકે ત્યાબાદ લગભગ આખું અઠવાડીયું શહેરમાં છુટાછવાયા વરસાદ ને બાદ કરતાં કોરૂ ગયું હતું જેને લીધે શહેરમાં ભરાયેલા પાણી ઉતરી જતા જાહેરજીવન ફરીથી થાલે પડ્યું હતું.જોકે આ વીકએન્ડમાં મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ કરતાં બનાસકાંઠાના બે તાલુકાઓ જળબંબાકાર થઇ ગયા હતા.જોકે ગઇકાલ સવારથીજ વાતવરણમાં અસહ્ય ઉકળાટ અનુભવાતો હતો અને મોડી સાજે વીજળીના કડાકા શરૂ થઇ ગયાહતા અને વાતાવરણ ઠંડુગાર થઇ ઠંડા પવનો ફુંકાવાની શરૂઆત થઇ ગઇ હતી. પરંતુ રાત્રે વરસાદ પડ્યો નહોતો અને વહેલી સવારથીજ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઇગયો હતો.


પપ્પુ યાદવની ગુડગાંવની હોસ્પિટલમાંથી ધરપકડ

બિહારના ભૂતપૂર્વ સાંસદ પપ્પૂ યાદવની સીબીઆઈએ ગુંડગાંવની એક હોસ્પિટલમાંથી ધરપકડ કરી છે. સીપીએમના નેતા અજીત સરકારની હત્યાના મામલામાં દોષિત ઠેરવાયેલા પપ્પુ યાદવને પેરોલ પર છોડવામાં આવ્યા હતા. પરંતુ તેઓ પેરોલનો સમયગાળો પૂરો થવા છતાં હાજર થયા ન હતા. સુપ્રિમ કોર્ટે થોડા દિવસો પહેલા બિહાર પોલીસ અને સીબીઆઈને પપ્પુ યાદવની તાત્કાલિક ધરપકડ કરવા માટે કહ્યું હતું.


અલીગઢ મુદ્દા પર સંસદમાં હંગામો, કાર્યવાહી ફરી સ્થગિત

આજે સંસદમાં બંને ગૃહોમાં અલીગઢ ભૂમિ અધિગ્રહણ વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો મુદ્દો ગુંજ્યો હતો. વિપક્ષે પ્રશ્નકાળ રદ્દ કરીને અલીગઢ મુદ્દા પર ચર્ચા કરાવવાની માગણી કરી હતી.વિપક્ષના હંગામા અને ભારતીય જનતા પાર્ટીના નેતા રાજનાથ સિંહની નોટિસને લોકસભા અધ્યક્ષ મીરા કુમાર દ્વારા નકારાયા બાદ લોકસભામાં હંગામો મચ્યો હતો. જેના કારણે લોકસભાના અધ્યક્ષ મીરા કુમારે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરી હતી. રાજ્યસભામાં પણ અલીગઢ ભૂમિ અધિગ્રહણ અને ખેડૂતોના મોતનો મામલો ઉઠયો હતો. રાજ્યસભામાં પણ આ મુદ્દા પર હંગામો મચ્યો હતો.બપોરે 12 કલાકે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ, પરંતુ ફરી એક વખત સંસદમાં હંગામો થયો અને પ્રશ્નકાળ રદ્દ કરવાની માગણી કરવામાં આવી હતી. લોકસભાના સ્પીકર મીરા કુમારે હંગામાને કારણે ગૃહની કાર્યવાહી ફરી વખત સ્થગિત કરી દીધી હતી.

મોદી માટે ૨૪૦ મિનિટનો ખર્ચ થયો રૂ.પાંચ કરોડ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


મોદી માટે ૨૪૦ મિનિટનો ખર્ચ થયો રૂ.પાંચ કરોડ

સ્વાતંત્રય પર્વની ઉજવણી ભપકાદાર અને કરોડો રૂપિયાના ખર્ચે થઇ રહી છે ત્યારે ૧૪મી ઓગસ્ટે મોદી સવારે રાજકોટ આવી પહોંચ્યા હતા અને ૬ કાર્યક્રમમાં હાજરી આપી ચાલ્યા ગયા હતા. જેની પાછળ ૫ કરોડ રૂપિયાનો ધુમાડો તંત્રએ કરી નાખ્યો છે. મુખ્યમંત્રી મોદી વિરાણી હાઇસ્કૂલમાં વાંચે ગુજરાતમાં ૩૦ થી ૩૫ મિનિટ રોકાયા હતા. બાદમાં, યુનિવર્સિટીમાં ૩૨ મિનિટ અને આવાસ યોજનાના લોકાર્પણ સમયે નાણાવટી ચોકમાં જાહેરસભા યોજવામાં આવી હતી. જે ૩૬ મિનિટ ચાલી હતી. તે બાદ પ્રધ્યુમન પાર્કનું લોકાર્પણ કર્યું હતું અને સાંજે ધન્ય ધરા સૌરાષ્ટ્રમાં ૬૦ મિનિટ હાજર રહ્યા હતા. ૨૩૦ મિનિટ જેટલો સમય મુખ્યમંત્રી હાજર રહેવાના હતા તેની પાછળ તંત્રએ ૫ કરોડનો ધુમાડો કરી નાખ્યો છે.મુખ્યમંત્રી જ્યાં જ્યાં કાર્યક્રમો માટે ગયા તેની વ્યવસ્થા ૧૫ દિવસ પહેલાંની કરવામાં આવતી હતી અને કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આટલો ખર્ચ કર્યો હોય તો, એક જ સ્થળે બધા કાર્યક્રમો આટોપી લેવા જોઇએ.પરંતુ, પ્રસિધ્ધિ મેળવવા માટે આમ જનતાના પૈસાઓનો ધુમાડો કરી નાખ્યો છે. એક-બે લાખ નહીં, પૂરા પાંચ કરોડથી વધારે રૂપિયા માત્ર ઝાકમઝોળ પાછળ વેડફી દેવામાં આવ્યા છે.


પ્રધ્યુમન પાર્ક ઝૂ માં ધુમાડા ઓકતા સરકારી વાહનો દોડ્યા

પ્રધ્યુમન પાર્ક ઝૂમાં પ્રાણીઓ અને હરિયાળીને વાહનોના પ્રદૂષણથી દૂર રાખવા માટે ઝૂ નેશનલ ઓથોરિટીએ રાજકોટ મહાપાલિકાને પેટ્રોલ-ડીઝલ અને ગેસ સંચાલિત વાહનોને પ્રવેશ ન આપવો એવી કડક સૂચના આપેલી છે. ઝૂનો લોકાર્પણ ભલે આજે થયો હોય પણ ચાલુ થઇ ગયા પછી સહેલાણીઓ પાસે આ નિયમોનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. પરંતુ આજે ઝૂના લોકાર્પણ માટે મુખ્યમંત્રી મોદીના રસાલામાં જોડાયેલા નેતાઓ અને બાબુઓના ધુમાડો ઓકતા વાહનો ફર્યા હતા.અહીં ઝૂના નિયમોનું પાલન કરાવવાની જેની મુખ્ય જવાબદારી છે તે મેયર સંધ્યાબેન વ્યાસ અન મ્યુનિ. કમિશનર સહિતના મહાપાલિકાના અધિકારીઓ તથા પદાધિકારીઓ સત્તા સામે નિયમોનું નકિંદન કાઢવામાં સાથે જોડાઇ ગયા હતા.લોકાર્પણ વિધિમાં તકતીનું અનાવરણ કર્યા બાદ મોદીએ જાતે જ ટિકિટબારી પરથી ટિકિટ ખરીદી ઝૂમાં પ્રવેશ કર્યો હતો. પ્રાણીઓના પીંજરા સહિત આખા ઝૂની સફર કરી.


પૈસા બધેથી લીધા, સુશોભન માત્ર સી.એમ.ના રૂટ પર !

રાજકોટના આંગણે આઝાદી પર્વની ઉજવણી તો થઇ રહી છે પરંતુ પ્રજામાં કેટલાક સવાલો અને કેટલીક નારાજગી છે તંત્રે લોકભાગીદારી શબ્દનો ઉપયોગ કરીને વિવિધ મંડળો, વિભાગો પાસેથી નાણાં લીધા છે પરંતુ સુશોભન અને સુવિધા અમુક જ વિસ્તારમાં અપાયાં છે.ઉજવણીના નામે જિલ્લા વહીવટીતંત્રે સારી એવી માત્રામાં ફાળો એકત્ર કર્યો છે, પરંતુ રોશની રેસકોર્સ-બહુમાળી ભવન સિર્કટ હાઉસ, કલેક્ટર ઓફિસ, મ્યુનિસપિલ કોર્પોરેશનમાં જ કરવામાં આવી છે. જો રાજ્યકક્ષાની ઉજવણી છે તો આખા શહેરમાં કેમ શણગાર નહીં? ગાયો પકડવાનું કામ, કૂતરાં હટાવવાનું કામ પણ એ જ વિસ્તારમાં કરવામાં આવ્યું છે જ્યાંથી નરેન્દ્રભાઇ મોદી પસાર થવાના છે.ચોમાસામાં અન્ય લોકોએ પરેશાન થવાનું અને એરપોર્ટ રોડ તેમજ મોદીના રૂટ પર દરરોજ ચાર વાર આખી ફોજ ફરે ? એવો સવાલ લોકોને થઇ રહ્યો છે. ઉજવણી પ્રજા માટે છે કે ફક્ત મંત્રીઓ માટે તેવું પણ લોકો પૂછી રહ્યાં છે.સામાન્ય દિવસોમાં ગાયો પકડાય તો હો હા કરી મૂકનારા જીવદયાપ્રેમીઓ પણ અત્યારે શ્રાવણ માસમાં ગાયો પકડાય છે તો ચૂપ છે.


વિકાસની ખોટી વાતો કરનાર મુખ્યમંત્રીને કોંગ્રેસ ખુલ્લા પાડશે

સ્વાતંત્રય ૫ર્વની ઉજવણી રાજકોટમાં ચાલી રહી છે ત્યારે કોંગ્રેસ સત્ય ઉજાગર સંમેલન યોજવામાં આવ્યું છે. મોદી સરકાર પોતાની અંગત પ્રસિધ્ધિ માટે ખોટા ખેલ કરી પ્રજાના કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે.ગુજરાતના વિકાસની મોટી વાતો કરનાર રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓએ ખરા અર્થમાં ગુજરાતને કઇ અધોગતિએ ગર્તામાં ધકેલી છે તેના પર્દાફાશ માટે ૧૫મી ઓગસ્ટે બપોરે ઢેબર ચોકમાં સત્ય ઉજાગર સંમેલન યોજાશે. આ સંમેલનમાં વિધાનસભા વિરોધપક્ષના નેતા શક્તિસિંહગોહિલ, પ્રદેશ પ્રમુખ સિધ્ધાર્થ પટેલ, નરહરી અમિન, શંકરસિંહવાઘેલા, કુંવરજીભાઇ બાવિળયા, વિઠ્ઠલભાઇ રાદડિયા, જશવંતસિંહભટ્ટી, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, નરેન્દ્રસિંહજાડેજા, શાંતાબેન ચાવડા, કાશિ્મરાબેન નથવાણી, મહેશ રાજપૂત અને હેમાંગ વસાવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યની પ્રજાને વિકાસ અને મોંઘવારીના મુદ્દે ગુમરાહ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના ખર્ચે અનેક સંમેલનો યોજવા અને સરકારી તિજોરી ઉપર ભાર મૂકી અંગત પ્રસિધ્ધ માટે રાજ્યના પદાધિકારીઓ દ્વારા થઇ રહેલ કામગીરી સામે રાજ્યની પ્રજામાં ભારે આક્રોશ ઊભો થયો છે. તે આક્રોશને વાચા આપવા જાગૃત વિરોધ પક્ષ તરીકે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વાંત્રય પર્વના દિને રાજકોટમાં સત્ય ઉજાગર કરવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.


રાજ્યની ૧૧૦ પાલિકાના કર્મીનો ફરી સરકાર સામે જંગ

છઠ્ઠા પગાર પંચના મામલે રાજ્ય સરકારે આપેલું બાંહેધરીનું ‘ગાજર’ ચવાઇ જવા છતાં અમલ ન થતાં રાજ્યની ૧૧૦ નગરપાલિકાના કર્મચારીઓ આગામી સોમવારથી ફરી આંદોલનનું રણશિંગું ફૂંકશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડની સેવા ચાલુ રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે સરકાર કોઇ યોગ્ય ઉકેલ નહીં લાવે તો શ્રાવણ માસના પ્રથમ સોમવારથી સફાઇ સહિતની કામગીરી ઠપ્પ થઇ જવાની સંભાવના છે.રાજ્યની ૧૧૦ નગરપાલિકાના કર્મચારીઓએ અગાઉ છઠ્ઠા પગાર પંચ સહિતની પડતર માગણી સંદર્ભે દિવાળીના પર્વ પર જ બેમુદતી હડતાળ પર ઉતરીને આવશ્યક સેવાઓ ઠપ્પ કરી દીધી હતી. આ સમયે સરકારે ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવાની જાહેરાત કરતાં આંદોલનનો અંત આવ્યો હતો. ત્યારબાદ ખાસ્સો સમય વીતી જવા છતાં પણ સરકારે ઉદાસીન વલણ દાખવતાં ફરી નગરપાલિકાના કર્મચારીઓ આક્રમક મૂડમાં આવી ગયા છે.સરકાર તેમની માગણી સંદર્ભે યોગ્ય નિર્ણય ન કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. સરકારે મચક ન આપતા તાજેતરમાં ગાંધીનગર ખાતે ગુજરાત પાલિકા કર્મચારી મંડળની બેઠક યોજાઇ હતી.જેમાં તા.૧૬-૮ સુધીમાં સરકાર પોતાનો રવૈયો નહીં બદલે તો સોમવારથી તમામ આવશ્યક સેવા બંધ કરી બેમુદ્દતી હડતાળ પર ઉતરી જવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ આંદોલનમાં રાજ્યની ૧૧૦ પાલિકાના કર્મીઓ જોડાશે.


મૂળ દ્વારકામાં બેવડી હત્યાનો બનાવ ટ્રીપલ મર્ડરમાં પલટાયો

કોડીનાર તાલુકાના મૂળ દ્વારકામાં બે દિવસ પહેલા બે ખારવા પરિવારો વચ્ચે થયેલા ડખ્ખામાં સાત શખ્સોએ માતા-પુત્ર પર ઘાતક હથિયારોથી હુમલો કરી હત્યા નિપજાવી હતી. જ્યારે સામાપક્ષે એક યુવાનને ગંભીર ઈજા થતા તેને રાજકોટ ખસેડાયો હતો. આજે આ ઈજાગ્રસ્ત યુવાનનું મોત થતા ડબલ મર્ડરનો બનાવ ટ્રિપલ મર્ડરમાં પલ્ટાયો હતો. ગંદુ પાણી નાંખવાની સામાન્ય બાબતે થયેલા ડખ્ખામાં ત્રણ જીંદગી હોમાઈ જતા ગામમાં શોક છવાયો છે.આ અંગેની વધુ વિગત મુજબ કોડીનાર તાલુકાના મૂળ દ્વારકામાં બે દિવસ પહેલા ફળીયામાં ગંદુપાણી નાંખવાનાં પ્રશ્ને કમલેશ રતિલાલ ફુલબારીયા નામના યુવાને પાડોશમાં રહેતા જીતેન્દ્ર વિરચંદ સોલંકી પર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. જીતેન્દ્રને ગંભીર હાલતમાં રાજકોટ સારવારમાં ખસેડાયો હતો. બાદમાં જીતેન્દ્રના પરિવારના વિરચંદ સાકર, જયેશ વિરચંદ, ટીલા વિરચંદ, શાંતીલાલ સાકર તથા કૈલાશ સુત્રાપાડા વાળાએ કમલેશના ઘરમાં ઘુસી ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો. જેમાં કમલેશના માતા તારાબેનને ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કમલેશને ગંભીર હાલતમાં જુનાગઢ ખસેડાયો હતો. પરંતુ તેનું સારવાર પૂર્વે મોત નપિજતા બનાવ ડબલ મર્ડરમાં પલ્ટાયો હતો. ગઈકાલે પોલીસે હત્યાના પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.કમલેશે છરીથી કરેલા હુમલામાં ઘાયલ જીતેન્દ્ર વિરચંદ રાજકોટ સારવાર લઈ રહ્યો હતો. આજે ત્યાં તેનું પણ સારવાર દરમિયાન મોત નપિજતા બે દિવસ પહેલા બનેલો ડબલ મર્ડરનો બનાવ આજે ટ્રીપલ મર્ડરમાં પલ્ટાયો હતો. પાણી નાંખવા જેવી સામાન્ય બાબતે થયેલા ડખ્ખામાં ખારવા પરિવારના ત્રણ સભ્યોની જીંદગી હોમાઈ જતા ખારવા સમાજમાં ગમગીની વ્યાપી ગઈ છે.


મોદીએ સોહરાબુદ્દીન કે CBIનો ઉલ્લેખ સુદ્ધા ન કર્યો

રાજકોટમાં મુખ્યમંત્રી મોદીના આગમનપૂર્વે સૌ કોઇના મનમાં એક જ વિચાર ગૂંથાતો હતો કે, મોદી અમિત શાહની ધરપકડ અને સીબીઆઇના વલણ સામે કેવા ચાબખા મારશે. છેલ્લાં ઘણા દિવસોથી આ ઇંતેજારી વચ્ચે મોદીએ તદ્દન ઉલ્ટુ જ વલણ અપનાવ્યું હતું અને આવાસ યોજનાના લોકાર્પણ બાદ યોજાયેલી મુખ્ય જાહેરસભા સહિતના સવારના ત્રણેય કાર્યક્રમોમાં ક્યાંય પણ સોહરાબુદ્દીન કે સીબીઆઇનો ઉલ્લેખ પણ કર્યો ન હતો.મુખ્યપ્રધાન મોદીના હરએક કદમમાં ચોક્કસ ગણતરી હોય છે. ડગલા પણ માપી માપીને માંડે છે અને બોલે પણ જોખી જોખીને. તેના હરએક વિધાનમાં ચોક્કસ ટાર્ગેટ હોય છે. આવા તોખાર વકતા તરીકે મોદીની એક છબી છે ત્યારે પ્રવર્તમાન સંજોગોમાં સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં મોદી સરકાર જે રીતે સીબીઆઇની ભીંસમાં મૂકાઇ ગઇ છે તેને જોતા રાજકોટમાં આ મુદ્દે મોદીનો આક્રમક રવૈયો જોવા મળે એવી ધારણા વ્યક્ત થઇ રહી હતી.પરંતુ વાંચે ગુજરાતના કાર્યક્રમથી લઇ યુનિવર્સિટીના સંમેલનમાં અને આવાસ યોજનાના લોકાર્પણ પ્રસંગે યોજાયેલી મુખ્ય જાહેર સભા સહિતના સવારના એકપણ કાર્યક્રમમાં મોદીએ ક્યાંય સોહરાબુદ્દીન એન્કાઉન્ટર, અમિત શાહની ધરપકડ કે પછી સીબીઆઇનો ઉલ્લેખ સુધ્ધા પણ કર્યો ન હતો. વિકાસ અને આતંકવાદ આ બે જ મુદ્દા તેમના ભાષણના મુખ્ય મુદ્દા રહ્યા હતા. લોકાર્પણ સહિતના અનેક કાર્યક્રમોમાં મોદીએ ભાષણ કર્યું છતાં તેઓએ સોહરાબુદ્દીન કે સીબીઆઇને યાદ સુદ્ધા કરી ન હતી.


કુંડલિયા કોલેજમાં મજપા અને ભાજપના કાર્યકરો વચ્ચે બઘડાટી

શનિવારે રાજકોટની તમામ કોલેજો બંધનું એલાન આપ્યું હતું તેના ભાગરૂપે મજપાના આગેવાનો અને કાર્યકરો કુંડલિયા કોલેજ ખાતે બંધ કરાવવા ગયા હતા.આ સમયે વિદ્યાર્થિનીઓને બસમાં ધરાર બેસાડીને લોકાર્પણના કાર્યક્રમ સ્થળે લઇ જવામાં આવતી હોવાનો આક્ષેપ કરીને કાર્યકરોએ અમુક બસની હવા કાઢી નાખી હતી.મજપાના કાર્યકરોએ એવો આક્ષેપ કર્યો હતો કે છાત્રાઓને પરાણે લઇ જવામાં આવતી હોય વિરોધ કરવામાં આવ્યો હતો. કોલેજના સંચાલકોએ ભાજપના કાર્યકરો તેમજ પોલીસને ઘટનાસ્થળે બોલાવતા ભાજપના કાર્યકરો સાથે ઝપાઝપી થઇ હતી.મજપાએ એમ પણ કહ્યું હતું કે બઘડાટી બોલી જતાં મોટા ભાગની વિદ્યાર્થિનીઓ પોતાના ઘેર ચાલી ગઇ હતી જ્યારે બસમાં જ છાત્રાઓને યુનિવર્સિટી ખાતે લઇ જવાઇ હતી.


લોકોએ મોદીને કહ્યું, વારંવાર આવો તો રાજકોટ ચોખ્ખું રહે

રાજકોટમાં સ્વાતંત્રય પર્વ પ્રસંગે આજે મુખ્યમંત્રી મોદીને રાજકોટના કેટલાક અગ્રણીઓ મળ્યા હતા અને રાજકોટ વિશે ચર્ચા કરી હતી. મોદીએ જણાવ્યું હતું કે લોકોએ મને કહ્યું, મોદીજી આપ વારંવાર આવો તો અમારું રાજકોટ ચોખ્ખું રહે.નાણાવટી ચોકમાં યોજાયેલી જાહેરસભામાં મુખ્યમંત્રી બોલી ઉઠ્યા હતા કે રાજકોટના અગ્રણીઓએ એવું કહ્યું કે મોદીજી તમારા આવવાથી રાજકોટની આખી ઓળખ બદલાઇ ગઇ છે અને ગંદું રાજકોટ ચોખ્ખું ચણાક બની ગયું છે ત્યારે મોદીએ જાહેર જનતાને સંબોધતા જણવ્યું હતું કે શું ભાઇ વારંવાર બોલાવો છો કચરો કરી મને પાછો વાળવા બોલાવાનો છે તમારી ફરજ તે આમજનતાની ફરજ છે. રાજકોટને આપણે કેમ સ્વચ્છ રાખવું.


રાજકોટ : કાર્યક્રમોના ભપકાને મોદીએ વિકાસનું નામ આપી દીધું !

સ્વાતંત્રય પર્વની ઉજવણી માટે રાજકોટ આવેલા મુખ્યમંત્રી મોદી પોતાના ત્રીજા ભાષણ વખતે બોલી ઊઠ્યા હતા કે, ૨૫ વર્ષ પહેલાંના છાપામાં મુખ્યમંત્રી નાનું એવું વિકાસનું કામ કરે તો પ્રથમ પાને તેની નોંધ લેવાતી હતી. અહીં, મોદીને એ યાદ કરાવવું પડે કે, હવે કરોડોના ખર્ચા થતાં હોય તેવા કાર્યક્રમોના ભપકાને મોદીએ વિકાસનું નામ આપી દીધું છે.૨૫ વર્ષ પહેલાના મુખ્યમંત્રીઓ નાનું એવું વિકાસનું કામ કરે તો, વાજા વગાડતા હતા. હવે, વિકાસના કામો માટે નહીં પણ, પોતાની પ્રસિધ્ધિ માટે ચોકે ચોકે હોર્ડિંગ્સ લગાવી સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ૨ કરોડના મંડપો નાખી દેવામાં આવે છે.૨૫ વર્ષ પહેલાના મુખ્યમંત્રીઓ પ્રજાના પૈસાનો ધુમાડો નહોતા કરતા. એટલે, તેની નોંધ લેવાતી હતી. પણ, હવે આજના મુખ્યમંત્રી પોતાની પ્રસિિધ્ધ માટે આમ જનતાના કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે.શેરી-ગલીઓમાં વિવિધ અદાઓવાળા મોડેલિંગ ફોટાવાળા બેનર-હોર્ડિંગ્સ ઉપરાંત વિદ્યાર્થીઓને પરાણે વાહનોમાં બેસાડી કાર્યક્રમોમાં લઇ જવા, સરકારી માલ-મિલકતોનો પ્રસિધ્ધિમાં બેફામ દુરુપયોગ, પ્રજાના પૈસે ફોર કલર આમંત્રણ કાર્ડ બનાવી વહેંચણી કરવી... આવી આવી પ્રસિિધ્ધઓ મોદી સરકારમાં વધુ થઇ રહી છે !! અને તેને નામ અપાય છે વિકાસનું.


રાજકોટ શહેરની વધુ એક શાળાને નિશાન બનાવતા તસ્કરો

છેલ્લા કેટલાક સમયથી શહેરની શાળાઓમાં ચોરીના બનાવો વધી રહ્યાં છે. ત્યારે વધુ એક શહેરના ભાવનગર રોડ પર આવેલી ગ્લોબલ એકડેમી હાઇસ્કુલમાં તસ્કરો ખાબકી તસ્કરોએ પોલીસને પડકાર ફેંકયો છે.આનંદનગર મેઇન રોડ, મધુવન પાર્ક-૨માં રહેતા શાળાના કર્મચારી વિશાલ પરલોતમભાઇ માંગરોળીયા નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, સ્વાતંત્રય પર્વની સ્કૂલમાં રજા હોય જેનો લાભ લઇ કોઇ શાળાની ઇલેકટ્રીકના સામાન ભરેલા રૂમની બારીના કાચ તોડી અંદર પ્રવેશી રૂ.૪૩૭પ ની કિંમતના ઇલે.વાયરના બંડલો ચોરી ગયા હતા. તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનિય છે કે, શહેરમા કેટલાક સમયથી શાળાઓમાં ચોરીના બનાવો વધ્યા છે. ત્યારે પોલીસે આવા બનાવો અટકાવવા સઘન તપાસ હાથ ધરી ચોરીના ભેદ ઉકેલવા જરૂરી છે. જો અત્યાર સુધીમાં જેટલી શાળાઓમા ચોરી થઇ તેમા કોઇ મોટી મતા ન ગઇ હોય ચોરીમાં જાણભેદુ જ સંડોવાયું હોવાની પોલીસે શંકા વ્યકત કરી તે દિશામાં તપાસ શરૂ કરી છે.


કુવાડવા નજીક વાહનની ઠોકરે બે યુવાનના મોત

રાજકોટ - અમદાવાદ હાઇ-વે પર કુવાડવા નજીક રવિવારે રાતે અજાણ્યા વાહની ઠોકરે બાઇક સવાર કુવાડવાના બે યુવાનના મૃત્યુ નિપજ્યાં હતાં.ભોગ બનનાર બન્ને યુવાનના નામ વસંત્ત જીલાભાઇ બાવુકિયા (ઉ.વ.૨પ) અને અનિલ અમરસીભાઇ બાવુકિયા (ઉ.વ.૨પ) તેમજ બન્ને કુવાડવાના રહેવાસી હતા. જીવલેણ અકસ્માત સર્જીને નાસી છૂટેલા વાહન ચાલકની શોધખળ ચાલુ છે.

શ્રીરામ બન્યો ઈન્ડિયન આઈડોલ-5 નો વિજેતા

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


શ્રીરામ બન્યો ઈન્ડિયન આઈડોલ-5 નો વિજેતા


અવાજનો નવો આઈડોલ મળી ગયો છે. સુરોની રેસમાં હૈદરાબાદના 24 વર્ષિય શ્રીરામ સૌથી આગળ નિકળી ગયો હતો. શ્રીરામ રવિવારે સંગીત સાથે જોડાયેલા રિયાલીટિ શો ઈન્ડિયન આઈડોલ - 5નો વિજેતા બન્યો હતો.સિંકદરાબાદના આ કલાકારને બોલિવૂડના શહેશાંહ અમિતાભ બચ્ચને રવિવારે રાત્રે આ ખિતાબથી સમ્માન કર્યું હતું. તેલુગુ ફિલ્મોના ગાયક શ્રીરામચંદ્રએ સોની ટીવી પર પ્રસારિત ઈન્ડિયન આઈડોલ - 5ના ફાઈનલમાં વડોદરાની ભૂમિ ત્રિવેદી અને આગરાના રાકેશ મૈનીને પાછળ મુકીને ખિતાબ જીત્યો હતો.શ્રીરામને શરૂઆતથી જ ખિતાબનો સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવતો હતો.


વિજય માલ્યાની વેબસાઈટ પર પાકિસ્તાનનો ઝંડો!

ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ વિજય માલ્યાની આધિકારીક વેબસાઈટને રવિવારે સ્વતંત્રતા દિવસે પાકિસ્તાનના એક સાઈબર અપરાધ સંગઠને હેક કરી તેના પર પાકિસ્તાનનો ઝંડો ફરકાવી દીધો હતો.માલ્યાના મુંબઈ ખાતેના કાર્યાલય પ્રમાણે, માલ્યાની વેબસાઈટ http://www.mallyainparliament.com ને ગઈકાલે પાકિસ્તાનના સંગઠન પાકિસ્તાન સાઈબર આર્મીએ હેક કરીને તેના પર ભારત વિરોધી સંદેશ પ્રકાશિત કર્યો હતો. બાદમાં રવિવારે સાંજે માલ્યાની વેબસાઈટ ફરીથી ઠીક કરી દેવાય હતી અને તેના પરથી પાકિસ્તાનનો ઝંડો અને હેકર્સનો સંદેશ હટાવી દેવાયો હતો.માલ્યાના કાર્યાલય પ્રમાણે, આજે આ સંદર્ભે મુંબઈ સાઈબર અપરાધ શાખામાં ફરીયાદ કરવામાં આવી છે. જો કે માલ્યાની સાઈટ હેક કરીને પાકિસ્તાન સાઈબર આર્મીની ભૂમિકાને હજી સુધી પુષ્ટિ મળી નથી, પરંતુ પાકિસ્તાનનું આ સાઈબર અપરાધ ગ્રુપ આ પહેલા ઘણી વાર ભારતીય વેબસાઈટોને હેક કરીને તેના પર વાંધાજનક સંદેશ મુકી ચુક્યુ છે.


કેટરિના લગ્નની તૈયાર કરી રહી છે

બોલિવૂડની સફળ અભિનેત્રીઓમાંની એક અભિનેત્રી કેટરિના કૈફ છે. કેટરિનાને ભલે અત્યારે લગ્ન કરવા ના હોય પરંતુ તેણે અત્યારથી પોતાના લગ્નની સાડીનો રંગ નક્કી કરી નાંખ્યો છે.મુંબઈમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ જ્વેલરી વીકમાં નક્ષત્ર બ્રાઈડલ ક્લેક્શન દરમિયાન કેટે આ વાતનો ખુલાસો કર્યો હતો. કેટે કહ્યું હતું કે, તેને ખ્યાલ નથી કે, તે ક્યારે લગ્ન કરશે પરંતુ તેણે ફરીવાર કહ્યું હતું કે, તે વર્ષ 2012 સુધીમાં લગ્ન કરી લેશે.કેટે કહ્યું હતું કે, તેના લગ્ન ભલે ગમે ત્યારે થાય પરંતુ તે લીલા રંગના કપડાં પહેરશે. આ અંગે વધુ વાત-ચીત કરતાં કેટે કહ્યું હતું કે, તે લગ્ન સમયે લીલા રંગના જ કપડાં પહેરશે.


કેનેડા : એક વિચિત્ર સ્પર્ધાનું આયોજન

કેનેડાના ઓન્ટારિયોમાં હાલમાં એક વિચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બી બિઅર્ડ નામની આ સ્પર્ધામાં ઘણા લોકોએ ભાગ લીધો હતો.આ સ્પર્ધા અંતર્ગત મધમાખી ઉછેર કેન્દ્રમાં સેંકડો માખીઓની વચ્ચે સ્પર્ધકે ઉભું રહેવાનું હોય છે. જે સ્પર્ધક વધુ સમય ઉભો રહે અને જેના શરીર પર વધુ માખીઓ બેસે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. આ સ્પર્ધામાં ટીબોર ઝાબો નામનો વ્યક્તિ વિજેતા થયો હતો.


શ્રાવણમાં સોમવારનું વિશેષ મહત્વ

શ્રાવણમાસના સોમવારમાં ભગવાન શિવની ભક્તિ અને કૃપાનું વિશેષ મહત્વ છે. આ કડીમાં શ્રાવણમાં સોમવારનું વ્રત કરીને તમે ધન, લાભ, વ્યાપારિક લાભ અને ભૌતિક સુખ મેળવી શકો છો. સુખની પ્રાપ્તિ માટે તથા ધન, લાભ મેળવવા માટે અને આર્થિક લાભ મેળવવા માટે સોમવારનું વ્રત અતિ મહત્વનું છે. સફળતાની રાહ તેનાથી આસાન થઈ જાય છે. આ દિવસે શિવની ભક્તિ અને વ્રતથી વ્યવહારિક જીવનમાં શુભ ફળ મળે છે.1. ધન, લાભ મળે છે. ઘરમાં શુભ લક્ષ્મી સ્થાયી થાય છે.2. રોજગારોને રોજગાર મળે છે અને રોજગારોને આર્થિક લાભ પણ મળે છે.3. વ્યવસાયમાં સફળતા મળે છે તથા દેવામાંથી મુક્તિ મળે છે.4. જીવનના દરેક ભૌતિક સુખ જેવા કે ઘર, વાહન વગેરે પણ મળે છે.5. અચલ સંપત્તિથી અચાનક અકલ્પનીય ધન લાભ મળે છે.
6. બગડેલી હાલત સુધરે છે અને અસફળતા સફળતામાં બદલાય છે.


ઇસનપુરમાં સીટી બસની અડફેટે યુવકનુ મોત

ઇસનપુરનાં નેશ્નલ હાઇવે ૮ પર એક બાઇક ચાલક યુવકને પાછળથી માતેલા સાંઢની માફક દોડી રહેલી એક સીટી બસે અડફેટે લેતા યુવકનુ ઘટના સ્થળેજ કમકમાટી ભયું મોત નિપજ્યું છે. બીજી તરફ અકસ્માત સર્જી બસ લઇ નાસી છુટેલા બસ ચાલકને રાહદારીઓએ એક કિલોમીટર સુધી પીછો કર્યો હતો જો કે તે બસ મુકીને નાસી છુટવામાં સફળ રહ્યો હતો. આ અંગે ઇસનપુર પોલીસે બસ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ સુત્રોનાં જણાવ્યા અનુસાર, વસ્ત્રાલના અજય ટેનામેન્ટમાં રહેતો અને ઇસનપુરની ખાનગી કંપનીમાં નોકરી કરતો રૂપેશ પટેલ (૨૭) રવિવાર સાંજે ૪.૩૦ વાગ્યે બાઇક લઇને ઇસનપુરના હાઇવે સ્થિત સમ્રાટ નગર નજીકથી બાઇક લઇ પસાર થઇ રહ્યાો હતો. દરમિયાન પાછળથી ધસમસતી આવેલી રૂટ નંબર ૭૪ (ઇસનપુર-રાણીપ)ની બસે તેને અડફેટે લેતા રૂપેશ રસ્તા પર ફસડાઇ પડ્યો હતો.ગંભીર ઇજાઓને કારણે રૂપેશનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતુ. બીજી તરફ અકસ્માત સર્જી બસ ચાલકે પુરપાટ ઝડપે બસ હંકારી મુકી હતી, જો કે અકસ્માત જોઇ દોડી આવેલા અન્ય રાહદારીઓએ બસ ચાલકનો એક કિલોમીટર સુધી પીછો કર્યો હતો, જો કે રાહદારીઓ બસ ચાલકને પકડી પાડે તે પહેલા તે ઘોડાસરનાં જીવણ પાર્ક નજીક બસ મુકીને નાસી છુટ્યો હતો. આ અંગે ઇસનપુર પોલીસે બસ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


વટવા જીઆઇડીસીની ફેકટરી ભીષણ આગમાં ખાખ

વટવા જીઆઇડીસીની એક ફેકટરીમાં મધરાત્રે એકાએક ભીષણ આગ ફાટી નીકળતા આસપાસનાં રહીશોમાં ભારે નાસભાગ મચી ગઇ હતી, તો બીજી તરફ આગ અન્ય ફેકટરીઓમાં પણ ફેલાશે તેવા ભયે વેપારીઓનાં જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. જો કે સમયસર દોડી આવેલા ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.ફાયરબ્રીગેડ સુત્રોના જણાવ્યા અનુસાર, વટવા જીઆઇડીસીની જીંદાલ ટેક્ષટાઇલ્સ નામની ફેકટરી આવેલી છે. આ કંપનીમાં રવિવાર મધરાત્રે એકાએક આગ ફાટી નકળી હતી. આગની લપટોએ ગણત્રીની મિનિટોમાંજ રૌદ્રરૂપ ધારણ કરતા આસપાસ રહેતા લોકો તથા ફેકટરી માલીકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.બીજી તરફ આ અંગની જાણ ફાયરબ્રીગેડને કરાતા ફાયરનાં જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આશરે ત્રણેક કલાક સુધી આગ પર પાણીનો મારો ચલાવી આગની લપટોને કાબુમાં લીધી હતી. જો કે આ ઘટનામાં કેટલુ નુકશાન થયુ છે તેનો આંક હજુ સુધી જાણી શકાયો નથી. સદનસીબે આ ઘટનામાં કોઇ જાન હાની થઇ નથી.


ઘણા યુવક-યુવતીઓની જીવનસાથીની તલાશ પુરી થઇ

ઓછામાં ઓછું ગ્રેજયુએટ કે તેનાથી વધુ અભ્યાસ કરેલા સર્વજ્ઞાતિના લગ્નોત્સુક ઉમેદવારો માટે શહેરની વિના મુલ્યે અમુલ્ય સેવા નામની સંસ્થા દ્વારા તા. ૧૫ ઓગસ્ટના રોજ ટોગોર હોલ પાલડી ખાતે એક ઇન્ટરકાસ્ટ જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતં . જેમાં રાજ્યભરમાંથી દરેક જ્ઞાતિના યુવક યુવતીઓ ખુબજ મોટી સંખ્યામાં ભાગ લઇ પોતાના જીવનસાથીની ખોજ કરી હતી. જેમાં ઘણા બધા યુવક યુવતીઓનોની જીવનસાથી માટેની તલાશ પુરી થઇ હતી.અનોખા જીવનસાથી પસદગી મેળા અંગે માહિતી આપતાં વિનામુલ્ય અમુલ્ય સેવાના સંચાલક નટુભાઇ તથા ભારતીબેન રાવલે જણાવ્યું હતું કે આ જીવન સાથી પસંદગી મેળામા -રાજ્યભમાંથી દરેક જ્ઞાતીના યુવક- યુવતીઓએ નાત-જાત કે ઉંચ નીચના ભેદભાવ વગર ભાગ લીધો હતો.મેળામાં ૨૫૦થી વધુ યુવકો તથા ૧૭૫ થી વધુ યુવતીઓએ ભાગ લઇ પોતાના જીવનસાથીની શોધ કરી હતી. સંમેલનમાં ૨૫થી વધુ યુવક-યુવતીઓ પસંદ પડેલા પાત્ર સાથે બેઠક કરી હતી. જે પૈકી બે યુગલો એ તો જીવનસાથી પસંદગી કરી ગોળધાણા પણ ખવડાવી દીધા હોવાનું નટુભાઇએ જણાવ્યું હતું. આ સંમેલનમાં ભાગ લેવા ઇચ્છતો દરેક ઉમેદવાર ગ્રેજયુએટ હોવો જરૂરી હોવાથી ભણેલા ગણેલા યુવક યુવતીઓને પોતાના જીવનસાથી શોધવામાં અનુકુળતા રહી હતી.સંમેલમાં આવેલા સવા ચારસો જેટલા ઉમેદવારો પૈકી ૧૦૦ જેટલા યુવક યુવતીઓ મંગળ અને શનિવાળા હોવાનું જાણી શકાયું હતું જેથી વિના મુલ્યે અમુલ્ય સેવા દ્વારા આગામી દિવસોમાં માત્ર મંગળ અને શનિવાળા યુવક યુવતીઓ માટે જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવાનું નક્કી કર્યું હોવાનું ભારતીબેન રાવલે જણાવ્યું હતું.


શહીદ શિરીષનું મહારાષ્ટ્રમાં સન્માન, સુરતમાં અપમાન

દેશનાં સો ચાઇલ્ડવન્ડર્સમાં સમાવિષ્ટ અને સુરતમાં જન્મેલા સોળ વર્ષીય શહીદ શિરીષકુમાર મહારાષ્ટ્રનાં બાળકોમાં સ્વાતંત્રય ચળવળકાર તરીકે અમર પ્રેરણાસ્ત્રોત છે. મહારાષ્ટ્રનાં પાઠ્યપુસ્તકોમાં તેમની વિરતાના પાઠ છે. ઉપરાંત શાળાઓ અને માર્ગ પણ તેમના નામના છે, પરંતુ સુરતમાં તેમના નામનાં કોઈ સ્મારક નથી બલ્કે તેમનું નામ સુધ્ધાં નેતાઓ ભૂલી ચૂક્યા છે.શિરીષના નામથી માત્ર માર્ગ જાહેર કરી ફૂલાતી સુરત મહાપાલિકા ચાર વર્ષ બાદ પણ હનીપાર્ક રોડ પર આ ઐતિહાસિક સર્કલનું નિર્માણ નથી કરી શકી જ્યારે મહારાષ્ટ્રના નંદરબારમાં તેમના નિવાસ્થાનને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવામાં આવનાર છે. જ્યારે સુરતમાં તેમના નામની તખતી પણ ધૂળ ખાઈ રહી છે.સુરતના પ્રથમ નાગરિક રણજીત ગિલિટવાળા અને પાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન મુકેશ દલાલના મન આ શહીદના નામના સર્કલ બનાવવાનો મુદ્દો એ એક પડતર પ્રશ્નથી વિશેષ કાંઈ નથી. આશ્ચર્ય અને શરમની વાત તો એ છે કે લોકસભામાં પ્રતિનિધિ કરતા સાંસદ સી. આર. પાટીલે તો મૂળ સુરતના આ શહીદને ઓળખતા ન હોવાનું જણાવ્યું. તો બીજી તરફ, કોંગ્રેસ પ્રમુખ શંભુભાઈ પ્રજાપતિએ પણ આ શહીદની શહાદતથી અજાણ ગણાયા. અમારી પાસે વિગત જાણ્યા બાદ તેમણે સ્મારક બનાવવા માટે રજુઆત કરવાની વાત કરી હતી.નંદરબારમાં અંગ્રેજોની ત્રણ ગોળીને છાતીએ ઝીલી લેનાર સોળ વર્ષીય બાળ શિરીષકુમાર મહેતા મહારાષ્ટ્રના ઈતિહાસનાં પાનાઓમાં અમરપાત્ર છે. આઝાદીનાં ત્રેસઠ વર્ષ પછી પણ નંદરબારના હુતાત્માચોક કે જ્યાં અંગ્રેજોએ આ કિશોરને નિર્મમતાથી ઢાળી દીધો હતો. શહીદ શિરીષકુમારની યાદમાં આ ચોકનું નામ હુતાત્મા ચોક આપવામાં આવ્યું છે.



રાષ્ટ્રીય તહેવારે જ ગ્રાહકોને બાનમાં લેતું બી.એસ.એન.એલ.

તળાજા શહેર અને તાલુકાનાં અનેક ગામડાઓનાં હજારો લેન્ડલાઇન ટેલિફોન છેલ્લા બે દિવસથી ઠપ્પ થઇ જતાં રાષ્ટ્રીય તહેવાર પર જ ફોનધારકો ફોન વગર રઝળતા થઇ જતાં લોકોમાં ભારે આક્રોશ ફેલાઇ જવા પામ્યો છે.તળાજા શહેરમાં બીએસએનએલનાં લોકલ ફોન અનેક ટ્રાય કર્યા પછી માંડ-માંડ લાગે છે. પરંતુ તા.૧૩ને શુક્રવારનાં સવારથી શનિવાર સાંજ સુધી હજુ સુધી કોઇપણ કારણોસર એસટીડી અને લીઝ લાઇન ખોરવાઇ જતા બહારનાં અને બીએસએનએલનાં કોઇ ફોન લાગતા નથી.હાલ ચોમાસાની ઋતુ ચાલે છે. સરકાર દ્વારા કોઇપણ આફત આવે તો તેનો સજ્જતાથી સામનો કરવા ડઝિસ્ટર મેનેજમેન્ટ કાર્યરત રાખેલ છે. આજે ૧૫ ઓગસ્ટનો રાષ્ટ્રીય તહેવાર છે.ત્યારે સંચાર નિગમની સેવા સતત કાર્યરત રહેવી જોઇએ ત્યારે બીએસએનએલ તળાજાનાં ડબલા લકવાગ્રસ્ત થઇ ગયા હોય તેમ દરકે પ્રકારનો બહાર નો સંપર્ક ઠપ્પ થઇ ગયો છે.આ બાબતે સંચાર નિગમનાં ઉચ્ચ અધિકારીઓની ગંભીર બેદરકારી હોવાનું જણાઇ રહ્યું છે. આવા જ પ્રકારની નીતિથી સંચાર નિગમની લેન્ડલાઇન સેવા લુપ્ત થતી જાય છે.


ભચાઉ પંથકમાં એકથી દોઢ ઇંચ

વાગડના રાપર અને ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક શ્રાવણના સરવરિયા અને ક્યાંક એકથી દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. ભચાઉ તાલુકાના ઉત્તરિય કકરવા, કણખોઇ, કંથકોટ, ખારોઇ અને ભરૂડિયામાં બપોર બાદ એકથી દોઢ ઇંચ વરસ્યો હોવાનું પ્રતિનિધિ નૂરમામદ કાસમે જણાવ્યું હતું. તો રામવાવમાં એકાદ ઇંચ મહેર થઇ હોવાનું શામજીભાઇ આહિરે જણાવ્યું હતું. તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગણેશાભાઇ ઉંદરિયા જણાવ્યા મુજબ કડોલ, નેર, બંધડી, માય અને લાખાવાવમાં સાંજે એકથી બે ઇંચ પાણી પડ્યું હતું. રાપરમાં ઝરમર ઝાપટાં પડ્યા હતાં તેવા વાવડ ભારૂ પરમારે આપ્યા હતા. તાલુકાના આડેસર, લાખાગઢ, હમીરપુર, સાનગઢ, ફતેહગઢમાં શ્રાવણના સરવરિયા થયાં હતાં.વરસાદની ઘટતી અસર વચ્ચે આજે રાપર તાલુકાના ભીમાસર (ભુટકિયા) અને આડેસરમાં સાંજે પાંચ વાગ્યાના અરસામાં અંદાજે ૧૫ મિનિટ સુધી ઝાપટા વરસ્યા હતા. આ ઉપરાંત રાપર નગરમાં પણ ઝરમર છાંટા વરસ્યા હોવાનું જાણવા મળે છે. આ સિવાય કચ્છમાં પૂર્ણપણે સૂર્યપ્રકાશિત વાતાવરણ રહ્યું હતું.



ગેરકાયદે ઘૂસેલા બંને પાકિસ્તાનીઓ છેવટે જેલ હવાલે

ગેરકાયદે રીતે ભારતની હદમાં પ્રવેશ કરનારા બે પાકિસ્તાની શખ્સો સામે નરા અને રાપર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યા બાદ કોર્ટ બંનેને જેલ હવાલે કર્યા હતા.સિંધ રાજ્યના શહાદપુર તાલુકાના જતિયાગોરનો રહેવાસી મહંમદ જુમન હાજી મૂસા કુંભાર (ઉ.વ.પ૦) નવેમ્બર ૨૦૦૯માં ઉત્તર ભારતની સરહદ પર પિલર નં. ૧૧૧૮, એસ/ર પાસે ઝડપાયો હતો. જ્યારે થરપારકર જિલ્લાના ડાબરીનો રહેવાસી રમેશ દેવજીમલ ભીલ (ઉ.વ.રપ) પ જાન્યુઆરી ૨૦૧૦ ના રોજ રાપરના બેલા નજીક સીમા સુરક્ષા ચોકી પાસેથી પકડાયો હતો. બંને સામે ભારતીય સીમાના જાહેર પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદે રીતે પાસપોર્ટ કે વિઝા વિના પ્રવેશ કરવાનો ગુનો નોંધાયો હતો.મહંમદ જુમનનને આજે નખત્રાણા કોર્ટમાં અને રમેશ ભીલને રાપર કોર્ટમાં રજૂ કરાતાં બંનેને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે પકડાયેલા બન્ને પાકિસ્તાનીઓની વિવિધ એજન્સીઓ દ્વારા કડક પૂછપરછ હાથ ધરાયા બાદ પોલીસે તેમની સામે આઇપીઆર કલમ ૩ અને ૬ ઉપરાંત અન્ય કલમો હેઠળ ગુના નોંધ્યા હતા.


આણંદ જિલ્લાના તારાપુરમાં મેહુલિયો ઓળઘોળ

આણંદ જિલ્લાના તારાપુર, ખંભાત, બોરસદ, સોજિત્રા અને આંકલાવ તાલુકામાં મેઘરાજા ઓળઘોળ થઈને વરસી રહ્યા છે. જ્યારે આણંદ, પેટલાદ અને ઉમરેઠ તાલુકામાં જરમર વરસાદ થઈને બંધ થઈ જાય છે. તારાપુર તાલુકામાં શુક્રવારની રાત્રિએ ત્રણઇંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. જો કે શનિવારે બપોરના વરસાદ થંભી ગયો હતો એટલે ગરમી અને ભેજવાળા વાતાવરણના લીધે અસહ્ય ઉકળાટ અનુભવાઈ રહ્યો હતો.આણંદ જિલ્લા ફલડ કન્ટ્રોલ વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે સવારના ૮ કલાકે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ઉમરેઠમાં પ મીમી, બોરસદમાં ૪૭ મીમી, આંકલાવમાં પપ મીમી, પેટલાદમાં ૪ મીમી, ખંભાતમાં રપ મીમી અને તારાપુરમાં ૭૦ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે સવારના ૮થી સાંજના ૪ કલાક સુધીમાં બોરસદમાં ૧૩ મીમી, પેટલાદમાં પ મીમી, સોજિત્રામાં ૨૦ મીમી અને તારાપુરમાં પ મીમી વરસાદ વરસ્યો હતો.


મહેસાણા : જિલ્લો આજે દેશભક્તિના રંગે રંગાશે

૬૪મા સ્વાતંત્રય દિન નિમિત્તે રવિવારે જિલ્લાભરમાં ધ્વજવંદન સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે અને જિલ્લાકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ સતલાસણા ખાતે યોજાશે. જેમાં રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઈ આહીરના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ બાદ સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ૬૪મા સ્વાતંત્રય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આ વર્ષે સતલાસણા ખાતે રાખવામાં આવી હોઈ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા જિલ્લા કક્ષાના આ ધ્વજવંદનના કાર્યક્રમ માટે છેલ્લા કેટલાય દિવસોથી ચાલતી તૈયારીઓ પૂર્ણ કરાઈ છે.સતલાસણાની કે.એમ.કોઠારી હાઈસ્કૂલ સંકુલમાં ૬૪મા સ્વાતંત્રય પર્વે રવિવારે સવારે રાજ્ય કક્ષાના મંત્રી વાસણભાઈ આહીર ધ્વજ લહેરાવાશે. ત્યારબાદ સલામી, રાષ્ટ્રીય ગીત, પરેડ નિરીક્ષણ, સલામી કૂચ બાદ મંત્રી ઉદ્બોધન કરશે. જિલ્લા કક્ષાની આ ઉજવણીમાં સ્વાતંત્રય સેનાનીઓનું પણ મંત્રીના હસ્તે અભિવાદન થશે. જ્યારે સુરક્ષા જવાનોને ચંદ્રકો, તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન કરી પુરસ્કાર અર્પણ કરાશે. આ ઉપરાંત મહેસાણા નજીક પાલાવસણા સ્થિત સી.આઇ.એસ.એફ ગ્રાઉન્ડમાં ઓ.એન.જી.સી દ્વારા ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જ્યારે મહેસાણા જિલ્લામાં ઊંઝા, કડી, વિસનગર, ખેરાલુ, વિજાપુર અને વડનગર સહિતની સરકારી કચેરીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. કડીના તીનબત્તી ચોક ખાતે મામલતદાર કચેરીના પટાંગણમાં ૬૪મા સ્વાતંત્ર પર્વ નિમિત્તે સમગ્ર કડી તાલુકાના ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાશે. જેમાં કડીની તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં કડી મામલતદાર વી.સી. પટેલ તિરંગો લહેરાવશે.ત્યારબાદ કડી તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ ગજરાબેન સેનમા તથા કડી પાલિકા ખાતે પ્રમુખ ધનજીભાઈ રાઠોડ ધ્વજ ફરકાવશે. આ પ્રસંગે કડી માર્કેટયાર્ડના ચેરમેન, કડી સંઘના ચેરમેન તથા ભાજપ અને કોંગ્રેસના તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.


જમીન વિકાસ બેન્ક : મહેસાણા બેઠકમાં ધૂરંધર હાર્યા

રાજ્યમાં જમીન વિકાસ બેન્કના ૧૭ ડિરેક્ટર પદની ચૂંટણીમાં ૧૦ બેઠકો બિનહરીફ થયા બાદ બાકીના ૭ ડિરેક્ટર પદ માટે અમદાવાદ બેન્કના ભવનમાં શનિવારે મતદાન યોજાયું હતું. મતદાન બાદ મતગણતરીને અંતે મહેસાણા જમીન વિકાસ બેન્ક ડિરેક્ટર પદના રસાકસીભર્યા જંગમાં ઈશ્વરભાઈ ચૌધરીનો વિજય થયો હતો જ્યારે આ બેન્કના પૂર્વ વાઈસ ચેરમેન મણીભાઈ ચૌધરી (ગાંધી)નો પરાજય થતાં જુના મહેસાણા જિલ્લામાં સહકારી ક્ષેત્રે રાજકારણ ગરમાયું છે.રાજ્ય જમીન વિકાસ બેન્કના અલગ-અલગ જિલ્લા દીઠની ૧૭ બેઠકો માટે જાહેર થયેલી ચૂંટણીમાં મહેસાણા ડિરેક્ટર પદનો પણ સમાવેશ થતો હોઈ છેલ્લા કેટલાય દિવસથી જુના મહેસાણા જિલ્લા એટલે કે, મહેસાણા, પાટણ અને ગાંધીનગર સમાવિષ્ટ વિસ્તારોના સહકારી ક્ષેત્રે આ ચૂંટણીનો માહોલ સર્જાયો હતો.૧૭માંથી ૧૦ ડિરેક્ટરો બિનહરીફ જાહેર થતાં બાકી રહેતા ૭ ડિરેક્ટર પદ માટે શનિવારે અમદાવાદ સ્થિત બેન્કના મુખ્ય ભવન ખાતે સવારે ૧૧-૦૦ થી ૫-૦૦ કલાક દરમિયાન મતદાન યોજાયું હતું. જેમાં મહેસાણા બેઠકમાં કુલ ૪૦ મતોમાંથી ૩૯ મતો પડ્યા હતા.આ મતદાન બાદ તુરંત જ હાથ ધરાયેલી મતગણતરીમાં ઈશ્વરભાઈ બળદેવભાઈ ચૌધરીને ૨૯ મત અને મણીભાઈ બેચરભાઈ ચૌધરી (ગાંધી)ને માત્ર ૧૦ મત મળતાં આ ચૂંટણીમાં ઈશ્વરભાઈ ચૌધરીને વિજેતા જાહેર કરાતાં અમદાવાદ પહોંચેલા તેઓના સમર્થકોએ આ વિજયને વધાવ્યો હતો.અહીં નોંધનીય છે કે, રાજ્ય જમીન વિકાસ બેન્કમાં ડિરેક્ટર પદ માટે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને બનાસકાંઠાની બેઠક બિનહરીફ થઈ હોવાથી માત્ર જુના મહેસાણા જિલ્લાની એક બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. જેને લઈને છેલ્લા કેટલાય દિવસોથી સહકારી જગતમાં રાજકીય દાવપેચ શરૂ થયા હતા. જો કે, ચૂંટણી બાદ આખરે ડિરેક્ટર પદની આ મહત્વની બેઠકમાં મહેસાણા બેન્કના ચાલુ ચેરમેન અને રાજ્ય જમીન વિકાસ બેન્કના પૂર્વ વાઈસ ચેરમેન મણીભાઈ ગાંધીનો પરાજય થયો હતો.

‘ધન્ય ધરા સૌરાષ્ટ્રની’ જોઇ રાજકોટવાસીઓ ધન્ય

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


‘ધન્ય ધરા સૌરાષ્ટ્રની’ જોઇ રાજકોટવાસીઓ ધન્ય
સૌરાષ્ટ્રનો ઈતિહાસ, સંસ્કૃતિનું રસાળ-રસપ્રદ વર્ણન.

સોમનાથની ગાથા, સિધ્ધહેમનું ગુજરાતી ભાષાને યોગદાન, દ્વારિકાના દર્શન, તલવારનો રાસ આ બધી જ વિશેષતાભરી બાબતો એક જ મંચ પર એક સાથે સંભવી કેવી રીતે શકે તેવા એક પ્રશ્નનો સરસ જવાબ રાજકોટવાસીઓને મળ્યો હતો. સ્વતંત્રતા પર્વ નિમિત્તે રજુ થયેલાં ધન્ય ધરા સૌરાષ્ટ્રની કાર્યક્રમને લોકોએ ભાવવિભોર થઇને, ક્યારેક સજ્જડ નેત્રે તો ક્યારેક રૂવાડા ઉભા થઇ ગયા હોય તે રીતે માણ્યો હતો.રેસકોર્સ મેદાનમાં શનિવારે સાંજે ૮ વાગ્યે સૌરાષ્ટ્રની ઐતિહાસિક વાતો, વારસો સંસ્કૃતિને વણી લેતો લાઇટ એન્ડ સાઉન્ડ શો ધન્ય ધરા સૌરાષ્ટ્રની હજારો લોકોની મેદની વચ્ચે રજુ થયો હતો. જાણીતા લેખક વિષ્નુ પંડ્યા લિખિત આ કૃતિનું મંચન, લાઇટ એરેન્જમેન્ટ, મ્યુઝીક ડિરેકશન, કોરિયોગ્રાફી, દર્શકોના મન મોહી લે તેવા હતા. અનેક મહત્વના પ્રસંગો ટુંકા સમયમાં પણ તેમાં આવરી લેવાયા હતા.સૌરાષ્ટ્રની ભૂમિમાંથી આવતી સંસ્કારની સોડમ આ સ્ક્રીપ્ટમાં વણી લેવાઇ હતી. ઓડીયન્સમાં લાઇટ છેક સુધી ચાલુ રહેતાં અને લોકોની અવર-જવર હોવાથી માહોલ થોડો વિક્ષેપિત થયો હતો. ૧૬૫ કલાકારોના કાફલાએ વિવિધ પ્રસંગો માટે અભિનય કર્યો હતો.


આજે ભારતીય ટીમ માટે 'કરો યા મરો'

દામ્બુલામાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાશે. ત્રણ દેશોની આ શ્રેણીમાં ભારતને પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જો ભારત આજે પણ પરાજય મેળવશે તો ટૂર્નામેન્ટમાં ટકી રહેવું ભારત માટે સરળ નહીં રહે.જો ભારત આ મેચ જીતી જશે તો દરેક ટીમ એક-એક મેચ જીતી જશે. પરંતુ ભારતને ફક્ત જીતથી મતલભ નથી રાખવાનો પરંતુ મોટા અંતરથી હાર આપવી પડશે કારણે મેચમાં 200 રનથી પરાજય મેળવીને બોનસ પોઈન્ટ પણ ન્યૂઝીલેન્ડને આપી દીધા છે.ભારતીય ટીમમાં સૌથી મોટી સમયસ્યા બોલિંગની છે. ઈશાંત શર્મા પહેલી જ મેચમાં ઈજાગ્રસ્ત હોવાના કારણે મેચ રમી શક્યો નહોતો પરંતુ તેણે નેટ પ્રેક્ટિસ કરી છે અને સંભાવના છે કે તેનો અંતિમ 11માં સામેલ કરવામાં આવશે. રવિન્દ્ર જાડેજાના ફોર્મને લઈને પણ ટીમમાં સવાલ ઉભા થયા હતાં. આ સિવાય રોહિત શર્મા, વિરાટ કોહલી, દિનેશ કાર્તિકને પણ ટીમમાં રહેવા માટે સારું પ્રદર્શન કરવું પડશે.વીરેન્દ્ર સેહવાગ અને સુરેશ રૈના પહેલી મેચ બાદ થોડા સમય માટે ભારત પરત ફર્યો હતો પરંતુ હવે બન્ને દામ્બુલામાં તૈયાર છે. ટીમ ઈન્ડિયાનો ઓલ-રાઉન્ડર યુવરાજ સિંહને ડેન્ગ્યુ થયો હોવાથી તે વન-ડેમાં રમશે નહીં.


નક્સલીઓ તૈયાર કરી રહ્યાં છે, આત્મઘાતી ટુકડીઓ!

દેશની આંતરીક સુરક્ષા માટે સૌથી મોટો ખતરો બની ચુકેલા નક્સલીઓ હવે આત્મઘાતી ટુકડીઓ તૈયાર કરવામાં લાગી ગયા છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે, નક્સલી કેરળના જંગલોમાં આત્મઘાતી હુમલાની ટ્રેનિંગ લઈ રહ્યાં છે.સૂત્રોએ જણાવ્યું છે કે આ નક્સલીઓના નિશાના પર દેશના મોટા રાજનેતાઓ છે. નક્સલીઓને આ તાલીમ આપવા માટે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ આર્થિક મદદ કરી રહી છે.હાલમાં જ સમાચાર આવ્યા હતા કે પાકિસ્તાનમાં બેઠેલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની ભારતમાં તબાહી મચાવાની મનસા છે. તેના માટે દાઉદ ઈબ્રાહીમ માઓવાદીઓ સાથે હાથ મિલાવી રહ્યો છે. તે પોતાના ગુર્ગા દ્વારા માઓવાદીઓ સાથે ગઠજોડ બનાવવાની કોશિશમાં લાગેલો છે. આ જાણકારી પોલીસને નક્સલીઓ સાથે સંબંધના આરોપમાં ધરપકડ કરાયેલા ચાર લોકોએ આપી છે.


કેબિનેટને સાંસદોનો 3 ગણો પગાર વધારો નામંજૂર

આવશ્યક ચીજ-વસ્તુઓના ભાવ આકાશને આંબી રહ્યાં છે. માઝા મૂકેલી મોંઘવારીથી પ્રજા પરેશના છે. ત્યારે ભાવવધારાથી પરેશાન જનતાને સંસદના મોનસૂન સત્રમાં અર્થશાસ્ત્ર અને તર્કશાસ્ત્ર દ્વારા મોંઘવારીનો મર્મ સમજાવ્યા બાદ આજે કેબિનેટે સાંસદોનો પગાર ત્રણ ગણો કરવાના નિર્ણય પર મંજૂરીની મ્હોર મારી નથી. કેબિનેટની બેઠકમાં સાંસદોના ત્રણ ગણાં પગાર વધારાને મંત્રીમંડળે મંજૂરી આપી નથી. જો કે સાંસદોના ત્રણ ગણાં પગાર વધારાના બિલને કેબિનેટની મંજૂરી બાદ લોકસભામાં આ સપ્તાહમાં મૂકવામાં આવનાર હતું.આ વધારા બાદ સાંસદોનો પગાર લગભગ 50 હજાર રૂપિયા થઈ જશે. આ સિવાય તેમનું દૈનિક ભથ્થું એક હજાર રૂપિયાથી વધારીને બે હજાર રૂપિયા કરી દેવાશે. આ વધારાનો ફાયદો 795 સાંસદોને મળશે. આ સિવાય 545 લોકસભા અને 250 રાજ્યસભાના સાંસદો સામેલ છે.આ વાતની પૂરી સંભાવના છે કે લોકસભામાં પણ આ બિલને મંજૂરી મળી જશે. જો કે કેન્દ્ર સરકારે સંસદની સ્થાયી સમિતિની કેટલીક ભલામણોને નામંજૂર કરી દીધી છે. તેમાં ફોન, રેલવે અને વિમાન ભથ્થાં વધારવાની વાત સામેલ છે.આ પહેલા જૂનમાં જ સાંસદોનો પગાર વધારવાની કવાયત સંસદની સ્થાયી સમિતિની ભલામણ સાથે શરૂ થઈ હતી. સંસદની એક સ્થાયી સમિતિએ ભલામણ કરી હતી કે સાંસદોના એક માસનો પગાર 16 હજાર રૂપિયાથી વધારીને 80001 રૂપિયા એટલે કે કેન્દ્ર સરકારના સચિવ સ્તરના અધિકારીથી એક રૂપિયો વધારે કરવાની ભલામણ કરવામાં આવી હતી.


રાજૌરીમાં એન્કાઉન્ટર, 2 આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં લશ્કરે તોઈબા અને સુરક્ષાદળો વચ્ચે છેલ્લા 72 કલાકથી ચાલી રેહલું એન્કાઉન્ટર હજી પણ ચાલુ છે. ગઈકાલે એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા અને રાષ્ટ્રીય રાયફલ્સનો એક જવાન શહીદ થયો હતો.
સુરક્ષાદળોએ રાજૌરીના એક ગામમાં પાંચ આતંકવાદીને છેલ્લા 72 કલાકથી ઘેરી રાખ્યા છે. બંને તરફથી ભારે ગોળીબારી થઈ રહી છે. બે આતંકવાદીઓ માર્યા ગયા છે અને હજી ત્રણ છુપાયેલા છે.લાઈન ઓફ કંટ્રોલ નજીક ચાલી રહેલા આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીને ઘેરી લીધા છે અને બહાર નીકળવાના તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે. એન્કાઉન્ટરમાં એક મેજર અને એક જવાન ઘાયલ થયા છે.


અમેરિકામાં ફરી મંદીની આશંકા

અમેરિકા હજુ પૂરી રીતે મંદીની બહાર નથી આવ્યું ત્યાં ફરી મંદીની આશંકાઓ વર્તાઇ રહિ છે. 2008માં આવેલી મંદી દરમિયાન પોતાની નોકરીઓ ગુમાવી ચૂકેલા લાખો લોકો હજુ પણ મંદીના કારણે બેરોજગાર હાલતમાં સમય વિતાવી રહ્યા છે. આ ઉપરાંત અમેરિકાની આર્થિક વૃદ્ધી પણ ખુબ જ ધીમી પડી ગઇ છે. મંદીના ઓછાયા હેઠળ અર્થશાસ્ત્રીઓ અત્યારથી આર્થિક પેકેજની માંગણી કરવા લાગ્યાં છે.અમેરિકાના કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વના ચેરમેન બેન એસ બર્નાનકે પણ અગાઉ નિવેદન કરી ચૂંક્યાં છે કે અમેરિકાની અર્થવ્યવસ્થા હજુ પણ મંદિની મારમાંથી સંપૂર્ણ રીતે બહાર આવી નથી. આ તમામ બાબતોની અસર અમેરિકાના બજાર પર દેખાઇ રહિ છે. પાછલા અઠવાડિયે ડાઉ જોન્સ પણ 350 અંક નીચે પડી ગયો હતો. આ તમામ પરિસ્થિતિ પરથી અમેરિકાની મંદીની સંભાવનાથી ઇન્કારન કરી શકાય. જો કે વિશેષજ્ઞો હજુ પણ સ્પષ્ટ રીતે નથી જણાવી શકતા કે મંદિની અસર કેટલી થશે.


વડોદરામાં વરસાદના વિઘ્ન વચ્ચે સ્વાતંત્રય પર્વ મનાવાયું


વડોદરામાં વરસતા વરસાદને કારણે ધ્વજવંદન કાર્યક્રમો યોજી રાષ્ટ્રધ્વજનું સંપૂર્ણ સન્માન જાળવતા શહેરીજનો. સાંસદ ફંડમાંથી શહેરીજનો માટે ઊભી કરાયેલી ડિઝિટલ એક્સ-રે સુવિધાનું લોકાર્પણ : શહેરીજનો માત્ર રૂ.૮૦ માં એક્સ-રે સુવિધાનો લાભ લઇ શકશે. વડોદરા શહેરમાં આજે સવારથી શરૂ થયેલા ઝરમર-ઝરમર વરસાદના વિઘ્ન વચ્ચે દેશના ૬૪ માં સ્વાતંત્રય પર્વની દેશભિકત સાથે ઉજવણી કરાઇ હતી. વરસાદને કારણે ઠેરઠેર ધ્વજવંદન કાર્યક્રમો મોટા હોલમાં યોજવાની ફરજ પડી હતી. મેયર-સાંસદ બાળકૃષ્ણ શુકલે જ્યુબિલીબાગ ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવી શહેરીજનોને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી હતી.
શહેરમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ છવાયા બાદ ૭ વાગ્યાથી કેટલાક સ્થળોએ ઝરમર-ઝરમર વરસાદ તો ક્યાંક વરસાદનું જોરદાર ઝાપટું પડતાં સ્વાતંત્રય પર્વની ઉજવણીમાં વિક્ષેપ પડ્યો હતો. પરિણામે શહેરની મોટાભાગની શાળાઓના મેદાનમાં આયોજિત કરાયેલા ધ્વજવંદન સમારોહ હોલમાં યોજવાની ફરજ પડી હતી. વરસતા વરસાદને કારણે ઠેરઠેર ધ્વજવંદન કાર્યક્રમો હોલમાં યોજી રાષ્ટ્રધ્વજનું સંપૂર્ણ સન્માન જાળવી શહેરીજનોએ અનોખી દેશભિકતનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.વડોદરા મહાનગર સેવાસદન દ્વારા જયુબિલીબાગ ખાતે આયોજિત સ્વતંત્રતા દિનની ઉજવણીના કાર્યક્રમમાં મેયર-સાંસદ બાળકૃષ્ણ શુકલે ત્રિરંગો લહેરાવી શહેરીજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે આ પ્રસંગે સાંસદ ગ્રાંટમાંથી રૂ.૧૫ લાખના ખર્ચે જયુબિલીબાગ એક્સ-રે સેન્ટરમાં ઊભી કરાયેલી ડિઝિટલ એક્સ-રે સુવિધાનું લોકાર્પણ કર્યું હતું. આ સુવિધા શરૂ થતાં શહેરીજનોને હવે એક્સ-રે સુવિધા માત્ર રૂ.૮૦ માં ઉપલબ્ધ થશે.


વડોદરા જિલ્લાનું સ્વાતંત્રય પર્વ પાદરામાં ઉજવાયું

વડોદરા જિલ્લા કક્ષાના સ્વાતંત્રય પર્વની આજે પાદરા નગરમાં અનોખા દેશદાઝ સાથે ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ લહેરાવી રાજ્યના પુરવઠા અને પંચાયત મંત્રી નરોત્તમભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતે આતંકવાદનો સફળતા પૂર્વક સામનો કર્યો છે ત્યારે આતંકવાદ સામે લડનારા પોલીસ જવાનોને રાજ્ય સરકાર અન્યાય નહીં થવા દે.સ્વાતંત્રય પર્વે તેમણે પાદરા તાલુકાના વિકાસ માટે રાજ્ય સરકાર તરફથી રૂ.૨૫ લાખનું અનુદાન આપવાની ઘોષણા કરી હતી. પાદરા નગરની પી.પી.શ્રોફ હાઇસ્કૂલના મેદાનમાં આયોજિત ૬૪ મા સ્વાતંત્રય પર્વની ઉજવણી પ્રસંગે મંત્રી નરોત્તમભાઇ પટેલે ત્રિરંગો લહેરાવ્યા બાદ તેમના પ્રવચનમાં નાગરિકોને સ્વાતંત્રય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.તેમણે સ્વતંત્રતા માટેના બલિદાનીઓને આદર અંજલિ આપતાં જણાવ્યું હતું કે, દેશ આતંકવાદ સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે ગુજરાતે આતંકવાદનો સફળતાપૂર્વક સામનો કરી રાજ્યના જાંબાજ પોલીસ જવાનો


સચિન બ્રિજ પર ટ્રકે પિતા અને બે પુત્રીને કચડ્યાં

શહેરના છેવાડે આવેલા સચિન બ્રિજ ઊતરતા જ એક કાળમુખી ટ્રકના ચાલકે બાઇક પર જઈ રહેલાં ત્રણ બાળકી અને તેમના પિતાને અડફેટે લીધાં હતાં. આ ટ્રકના ૧૦ પૈંડાંઓએ ત્રણના જીવનચક્ર થંભાવી દીધા હતા. આ અકસ્માતમાં બે માસૂમ બાળકી અને તેમના પિતાનું ટ્રકના ટાયર નીચે કચડાઈ જવાથી ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું.સચિન-પારડી ખાતે આવેલી શક્તિ સોસાયટીમાં રહેતા અને કલર ટેક્સમાં ફરજ બજાવતા મૂળ જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામના વતની મનસુખભાઈ બામણિયા દર શનિવારની જેમ બાળકોને લેવા માટે મોટરસાઇકલ પર સચિનની એલ. ડી. હાઇસ્કૂલે ગયા હતા. તેમને સંતાનમાં ત્રણ પુત્રીઓ છે, જે ત્રણેય એલ. ડી. હાઈસ્કૂલમાં જ ભણતી હતી. જેમાંથી મોટી પુત્રી મિનાક્ષી(૧૪) ધોરણ-૯માં, બીજી પુત્રી(૧૨) ધોરણ-૭માં અને ત્રીજી પુત્રી રોશની(૫) ધોરણ ૧માં અભ્યાસ કરે છે. સ્કૂલ છૂટતાં જ સવારે ૧૧:૦૦ વાગ્યે મનસુખભાઈ ત્રણેય પુત્રીઓને બાઇક પર બેસાડીને સચિન-પારડીમાં આવેલા પોતાના નિવાસસ્થાન તરફ જવા રવાના થયા હતા.દરમિયાન સચિનનો બ્રિજ ઊતરતાં જ ડાબી બાજુના પેટ્રોલ પંપ પર તેમણે બાઇક ઊભી રાખી હતી અને બાઇકમાં પેટ્રોલ ભરાવ્યું હતું. ૧૧:૧પ વાગ્યે તેઓ પેટ્રોલપંપ પરથી નીકળ્યા અને બ્રિજ ઊતરી રહેલી એક લોડેડ ટ્રકે તેમને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મનસુખભાઈ, તેમની મોટી પુત્રી મિનાક્ષી અને બીજી પુત્રી રોશની ટ્રકનાં ટાયરો નીચે કચડાઈ જતાં ત્રણેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે ઇજા પામેલી ત્રીજી પુત્રી સ્નેહાને સચિન ખાતે આવેલી શિવમ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં હતી. બનાવ અંગે પોલીસને જાણ થતાં સચિનના પીઆઈ કે. એન. પટેલ તાત્કાલિક ઘટનાસ્થળે ધસી ગયા હતા અને ટ્રકને ક્રેઇનની મદદથી ઊંચકીને ખસેડી મૃતદેહો બહાર કાઢયા હતા. ગફલતભેર ટ્રક હાંકનારા ચાલકની પોલીસે ધરપકડ કરી છે.


ઈમેલ કરીને મનપસંદ પુસ્તક વાંચવા મળશે

આજકાલના સમયના અભાવે ઘણા લોકો પોતાની વાંચનતૃષા સંતોષી શકતાં નથી. જેથી આણંદ-વિદ્યાનગરમાં વસતાં કેટલાંક પુસ્તક પ્રેમીઓએ ક્લબ બનાવી છે. ક્લબના સભ્યો દર મહિનાના પ્રથમ રવિવારે બુક રીવ્યુ કર્યા બાદ તેને વેબસાઇટ પર મુકવામાં આવશે. આ ઉપરાંત વાંચન પ્રેમીને માત્ર એક ઈમેલ કરીને મનપસંદ પુસ્તક વાંચવા મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા જઈ રહ્યા છે.ધ આણંદ-વિદ્યાનગર બુક બ્રાઉસર્સ ક્લબ દ્વારા રજી ઓગસ્ટ ર૦૦૯ના રોજ બુક વોમ્સની શરૂઆત કરવામાં આવી હતી. જેને એક વર્ષ પૂર્ણ થતાં રવિવારે વિદ્યાનગર સેમકોમે કોલેજ ખાતે મેનેજમેન્ટ ગુરૂ જી. નારાયણમૂર્તિના હસ્તે બુક રીવ્યુની વેબસાઈટ ખુલ્લી મુકવામાં આવી હતી. ક્લબ અને તેની પ્રવૃતિ અંગે ડૉ. હેમંત અંતાણીએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ તમામ પુસ્તક વાંચી શકે નહી.જેથી અમે દર મહિનાના પ્રથમ રવિવારે બુક રીવ્યુમાં કોઈ એક પુસ્તક પર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રાખીએ છીએ. જેનાથી વાંચેલી પુસ્તકમાં રહેલું જ્ઞાન બીજા લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. ધીમે ધીમે આ પ્રવૃતિમાં લોકોનો રસ વધતો ગયો. હાલ ક્લબમાં ૬૭ સભ્યોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. છેલ્લા એક વર્ષમાં થયેલા બુક રીવ્યુ વેબસાઈટ પર મુકવામાં આવ્યા છે.આગામી દિવસોમાં ક્લબના સભ્યો પાસે ઉપલબ્ધ પુસ્તકોની યાદી વેબસાઈટ પર મુકવામાં આવશે. ત્યારબાદ માત્ર એક ઈમેલ કરીને ક્લબના સભ્યોને પોતાની મનપસંદ પુસ્તક વાંચવા મળી શકશે. ક્લબના સભ્ય કેતનભાઈ પટેલે જણાવ્યું હતું કે‘આ પ્રવૃતિ થકી જ્ઞાનનું વિસ્તરણ થઈ શકે. આ રીતે સરકારના વાંચે પુસ્તક અભિયાન ખરેખર સાર્થક થઈ શકશે.’ આ પ્રસંગે શરદ અમીન, ડૉ. બકુલ જોશી, વિક્રમભાઈ પટેલ, ડૉ. નિખિલ ઝવેરી, કૌશિક દોશી, અશોક દોશી, કેતન પટેલ, ડૉ. પ્રતીક અગ્રવાલ સહિત પુસ્તક પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.


ઓબીસી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે તાકીદે ભંડોળ આપવા આદેશ

અન્ય પછાત વર્ગો (ઓબીસી) વિદ્યાર્થીઓને એસએસસી બાદના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ અર્થે તાકીદે ભંડોળ ફાળવવા માટે રાજ્ય સરકારના સંબંધિત અધિકારીઓને નાયબ મુખ્ય પ્રધાન છગન ભુજબળે તાજેતરમાં આદેશ આપ્યો હતો. મંત્રાલય ખાતે ઓબીસી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજના તેમ જ ઓબીસી આર્થિક વિકાસ નિગમ (ઓબીસી ઈકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશન)ની મુશ્કેલીઓ અંગે ભુજબળની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક દરમિયાન ઉપરોકત આદેશ અપાયો હતો.શિષ્યવૃત્તિની રકમ વિદ્યાર્થીઓને સમયસર પ્રાપ્ત થાય તો તેમને અગવડ ન પડે. તેથી એ બાબતમાં ખ્યાલ રાખીને વિલંબ નહીં કરવા વહેલામાં વહેલી તકે ઓબીસી વિદ્યાર્થીઓને ભંડોળ આપવા અધિકારીઓને ભુજબળે સૂચના આપી હતી.


સાંગલીમાં અઢી લાખનું બ્રાઉન સુગર જપ્ત

સાંગલી સ્થિત આવેલી વેલિંગ્ડન કોલેજની પાછળના વિસ્તારમાં આવેલા કૂપવાડ નજીક શુક્રવારે કોલેજના બે વિદ્યાર્થીઓ પાસેથી પોલીસે અઢી લાખની કિંમતનું બ્રાઉન સુગર જપ્ત કર્યું હતું. આ બંને વિદ્યાર્થીઓ બ્રાઉન સુગરને પોતાની મોટર સાઈકલમાં લઈને આવ્યા હતા. પોલીસે જડતી લીધી હતી જેમાંથી તેઓને ૨૮ ગ્રામ બ્રાઉન સુગર મળી આવ્યું હતું.કોલ્હાપુરની કેઆઈટી કોલેજમાં ભણતા શાંતનુ આજરેકર અને કોલ્હાપુરની ડીવાય પાટીલ કોલેજમાં ભણતા રામેશ્વર જગતાપની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારી રવીંદ્ર શિવસેએ માહિતી આપતાં જણાવ્યું હતું. તેઓ આ નશીલો પદાર્થ કોની પાસેથી લાવતા હતા અને કોઈને વેચતા હતા કે કેમ તે અંગેની વધુ તપાસ ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

આંતકવાદ સામે ગુજરાત સજ્જ: નરેન્દ્ર મોદી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


આંતકવાદ સામે ગુજરાત સજ્જ: નરેન્દ્ર મોદી

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યુવાશક્તિના સામૂહિક સમર્થન સાથે એવો અડગ નિર્ધાર વ્યકત કર્યો હતો કે, ગુજરાત આતંકવાદીઓ સામે ક્યારેય ઝૂકશે નહીં. ગુજરાતની શાંતિ અને જનજીવનની વિકાસયાત્રાને ખેદાનમેદાન કરનારા તત્વોના ગમે તેવા કારસા અને આફતોની પરવા કર્યા વગર આતંકવાદનો ખાતમો બોલાવવાનું મેં બીડું ઝડપ્યું છે અને વિરાટ યુવાશક્તિ અને જનશક્તિના સહયોગ સાથે હિન્દુસ્તાનના તિરંગાની આન-બાન જાળવવા, ગુજરાતની સુખશાંતિ માટે તેઓ પોતાની જાતને ખપાવી દેશે.૬૪મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ રાજકોટમાં રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે ભવનોનું લોકાર્પણ કરવાના સમારોહમાં ઉપસ્થિત વિશાળ યુવાશક્તિમાં દેશભક્તિની ચેતના જગાવતા મુખ્ય મંત્રીએ યુવાનો સાથે જોમજૂસ્સાથી સીધો સંવાદ કરીને આતંકવાદ, નકસલવાદ, માઓવાદ અને દેશદ્રોહીઓની હિંસા સામે, બોમ્બ-બંદૂકના રાજકારણ સામે જાનફેસાનીથી લડત આપવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિકાસ માટે શાંતિ શક્તિ સમાન છે. ગુજરાતનો આખો દાયકો શાંતિનો અને વિકાસનો દશક બની ગયો છે. કયાંય કોમી છમકલા, છૂરાબાજી, કરફયુ, હુમલા, લૂંટ, હિંસાની નોબત આવી નથી. છતાં ગુજરાતને ખેદાનમેદાન કરવા મેદાને પડેલા તત્વોને ગુજરાત સાંખી લેવાનું નથી.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લો એન્ડ ફોરેન્સિક સાયન્સના અને કન્વેન્શન સેન્ટરના ભવનોનું ઉદ્દઘાટન કરતાં નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઉચ્ચ શિક્ષણની આગવી સૂઝની પ્રસંશા કરી હતી. તેમણે જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં ગુજરાતે પહેલ કરીને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી શરૂ કરી છે અને ટૂંકાગાળામાં પ્રતિષ્ઠા મેળવી છે.


વિશેષજ્ઞોની નજરે આપણી આઝાદીના વિવિધ પાસાં.

ભારત અને તેનાથી અલગ થયેલા પાકિસ્તાન બંનેએ ૧૯૪૭માં એક નવી સફરની શરૂઆત કરી હતી. કરોડો લોકોએ તેમના દેશના રંગઢંગ અને જોયા અને પડોશી પર નજર રાખી. કોઈપણ દેશ તેની ખુશીઓથી ઓળખાય છે આંકડાઓ પરથી નહીં. આ વાતને ધ્યાનમાં રાખીએ તો ભારત બંને દેશોમાં વસતા અગણિત લોકોની રગમાં વસેલું જોવા મળે છે. આઝાદીના પર્વે બંને દેશોના એવા પરિવારોને શોધી કાઢયા જેમની કહાની તેના દેશનો વાસ્તવિક ચિતાર આપે છે.તેઓ જણાવે છે કે દાવા અને વચનોથી આગળ તેમને કેવી જિંદગી અને કેવી આઝાદી મળી છે. તેમાં એવા મુસલમાનોને સમાવાયા છે જેમણે ભારતની ભૂમિ છોડવાનું પસંદ કરી કોમના નામો સરહદની પેલે પાર જઈને વસ્યા અને એવા હિન્દુઓ પણ છે જેઓ પાકિસ્તાનમાં જ રોકાઈ ગયા અને ત્યાં ઘણું હાંસલ કર્યું પરંતુ આજે પણ તેણો ભારતમાં પરત આવવા આતુર છે.આટલાં વર્ષો બાદ સરહદની આ તરફ લોકોના દિલમાં ખુશી અને શાંતિ છે જ્યારે સરહદ પાર અતિતના નિર્ણયો પર ભારોભાર પસ્તાવો સ્પષ્ટ દેખાય છે. આજનો અંક એજ હિંમતવાન લોકોને સમર્પિત છે. તેમાં અલગ અલગ પાના પર મળશે એવા લોકોની ?દયસ્પર્શી વાતો જેમની રગોમાં ભારત લોહી બનીને વહી રહ્યું છે. ઉપરાંત બે વિશેષ પેજ પર વાંચો કેટલાક આઝાદ છીએ આપણે.



ગોળીબાર કરી બે જણાને ઢાળી દેનારા સગા ભાઈ પકડાયા

એરપોર્ટ પર ચણાજોર ગરમ વેચવાના ધંધાની હરિફાઈમાં બે જણાને ઢાળી દેનારા બે સગા ભાઈઓ સંતોષ રામબાબુ અને સૂરજ રામબાબુને સાબરમતી પોલીસે સુભાષબ્રિજ પાસેથી પકડી પાડ્યા છે. જ્યારે મુખ્ય આરોપી સતિષસિંહરામબાબુ ઠાકોર ફરાર છે. ઘટનાની હકીકત એવી હતી કે, શ્રીકાંત કિરોડીમલ અને મુકેશ કિરોડીમલ અને તેમના જ વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાન ના ધોલપુર વિસ્તારના વતની સંતોષ, સૂરજ અને સતિષ એરપોર્ટ પર ચણાજોર ગરમ વેચવાનો ધંધો કરતા હતા.ધંધાકીય હરીફાઈમાં સંતોષ, સૂરજ અને સતિષે ૨૨મી નવેમ્બર ૨૦૦૯ના રોજ મળસ્કે સાબરમતીમાં પ્રબોધ રાવળ સર્કલ પાસેથી રિક્ષામાં પસાર થઈ રહેલા શ્રીકાંત અને મુકેશને દેશી બનાવટની પિસ્તોલમાંથી ત્રણ રાઉન્ડ ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.


નં. – 1 પરથી મુકેશ અંબાણીને ટાટા

રૂપિયા 3 લાખ 70 હજાર કરોડની માર્કેટ વેલ્યુ સાથે ટાટા જૂથ દેશનું સૌથી મોટું ઔદ્યોગિક ગૃહ બની ગયું છે. ટાટાએ મુકેશ અંબાણીના નેતૃત્વવાળા રિલાયન્સ જૂથને પાછળ રાખીને આ સિદ્ધિ હાંસલ કરી છે. જોકે, અંબાણી બંધુઓની સંયુક્ત સંપતિ આજેપણ ટાટા જૂથ કરતા વધારે છે.ટાટા જૂથ પછી બીજા ક્રમે મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝ આવે છે. તેમની કુલ સંપતિ 3,21,750 કરોડ જેટલી છે. જ્યારે ત્રીજા ક્રમ પર અનિલ અગ્રવાલનું સ્ટરલાઈટ ગ્રુપ છે. તેઓ 1,35,300 કરોડની છે. જ્યારે મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી 1,25,000ની માર્કેટ વેલ્યુ ધરાવે છે. જ્યારે પાંચમા ક્રમ પર ભારતી ગ્રુપના સુનિલ મિત્તલ છે. તેમની કંપનીની માર્કેટ વેલ્યુ 1,20,500 છે. તેઓ અનિલ અંબાણીથી હાથવેંત છેટાં છે.તાજેતરમાં ટાટા સ્ટીલ, ટાટા સ્ટીલ સહિતની કંપનીઓની માર્કેટ કેપીટલમાં વધારો થયો છે, જેના કારણે મુકેશ અંબાણી પાછળ રહી ગયા છે. જોકે, ટાટા જૂથની 30 જેટલી કંપનીઓ લિસ્ટેટ છે. જ્યારે મુકેશ અંબાણીના નેતૃત્વવાળા રિલાયન્સ જૂથની બે જ કંપનીઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝ અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિસ્ટેડ છે. જ્યારે અનિલ અંબાણી જૂથની સાત કંપનીઓ લિસ્ટેડ છે.


''દાનવ''અધિકારો માટે સન્માન મળે છે: મોદી

ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ નિમિતે રાજકોટમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં તેમણે કથિત સ્વૈચ્છિક સંસ્થાઓ પર નિશાન સાધ્યું હતું.મુખ્યપ્રધાન મોદીએ એવો મત વ્યક્ત કર્યો હતોકે, ગુજરાત સરકાર વિરૂદ્ધ કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓને કેન્દ્ર સરકાર દ્વારા નાણાં ફાળવવામાં આવે છે. ગ્રાન્ટ સ્વરૂપે મળેલા નાણાને ગુજરાત સરકાર વિરૂદ્ધ વાપરવામાં આવે છે. તેમના કહેવા પ્રમાણે, આ લોકો માનવ અધિકારના નામ પર દાનવ અધિકારો માટે ચળવળ ચલાવી રહ્યાં છે અને દિલ્હીની કેન્દ્ર સરકાર તેમને પ્રોત્સાહન આપી રહી છે.તેમણે આક્ષેપ મુક્યો હતોકે, ગુજરાત વિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓને પદ્મભૂષણ તથા પદ્મશ્રી જેવા પદકોથી નવાજવામાં આવી રહ્યાં છે. સેવાના નામે તેઓ રાજકીય હાથા બની રહ્યાં છે તથા તેમને રાજકીય આશ્રય મળી રહ્યો છે.


અમદાવાદમાં સ્વાતંત્ર દિનની રંગેચંગે ઉજવણી

અમદાવાદી શહેરીજનોએ ધ્વજવંદન કર્યું હતું. શહેરમાં ૬૪માં સ્વાતંત્રય દિનની રંગેચંગે ઉજવણી થઇ હતી. શહેરભરના લોકોએ આજે જુદી જુદી સરકારી કચેરીઓ તથા વિદ્યાર્થીઓએ પોત પોતાની શાળા અને કોલેજોમાં દેશની શાન સમાન તીરંગાને સલામી આપી હતી. અને રાષ્ટ્રગીત, વંદેમાતરમ ગીત તથા ઝંડાગીત નું ગાન કર્યું હતું.સમગ્ર દેસમા આજે સવારે ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. શહેરમાં ખાસ કરીને શાળાઓ અને કોલેજોમાં ધ્વજવંદન બાદ શૌર્યગીતો, દેસભકિતનો મહિમા ઉજાગર કરતા નાટકો સહિત વિવિધ સાંસ્કૃતીક કાર્યક્રમોના આયજનો કરવામાં આવ્યા હતા.શહેરમાં ઘણી જગ્યાએ સ્વતંત્રય દિનની ઉજવણીના ભાગરૂપે સવારે દેસભકિતના ગીતો ગાતા પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી કો ક્યાંક ધ્વજવંદન બાદ શાળાના બાળકોએ દેશભકિતના નારાઓ સાથે રેલી કાઢી હતી.s


જેલમંત્રી શાહના જેલમાં ત્રણ અઠવાડીયા પુરા

ગુજરાતના માજી જેલમંત્રી અમીત શાહે આજે સાબરમતી મધ્યસ્થ જેલમાં ત્રણ અઠવાડીયા પુરા કર્યા છે. તેમના ત્રણ અઠવાડીયના જેલ વાસ દરમિયાન તેમણે સીબીઆઇની ત્રણ દિવસની પુછપરછ તથા બે દિવસના રીમાન્ડનો સામનો કરવા ઉપરાંત કેદી તરીકે પહેલી વખત રાષ્ટ્રીય તહેવાર સ્વતંત્રય દિનની પણ જેલમાં ઉજવણી કરી .ચકચારી સોહરાબુદ્દીન અન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રકરણની તપાસ કરી રહેલી સીબીઆઇએ તા.૨૫મી જુલાઇને રવિવારના રોજ સીબીઆઇ કચેરીએ પહોંચેલા અમીત શાહની ધરપકડ કરી હતી. ત્યાર બાદ કોર્ટના આદેશથી માજી જેલમંત્રી અમીત શાહને સાબરમતી મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યા હતા.જેલમંત્રી તરીકેજ જેલની મુલાકાત લેનાર અમીત શાહે ૨૫મી તારીખે કદાચ પહેલી વખત સાબરમતી જેલમાં કેદી તરીકે પ્રવેશ કર્યો હતો. જોકે ત્યારથી આદ દિન સુધીમાં અમીત શાહે ઘણા અનુભવો કરી લીધા.શાહના જેલ પ્રવેશ બાદ સીબીઆઇએ કોર્ટની પરવાનગી લઇ જેલમાંજ શાહની ઓન કેમેરા ત્રણ દિવસ પુછપરછ કરી હતી જોકે તે પુછ પરછમાં શાહે પુરો સહકાર નહિ આપ્યો હોવાનું જણાવી સીબીઆઇએ હાઇકોર્ટમાંથી શાહના બે દિસના રીમાન્ડ મેળવી તેમની બે દિવસા રીમન્ડ પર આશરે ૫૦૦ સવાલો પુછ્યા હતા.


અલગીગઢ : હક્ક માગનારા પાંચ ખેડૂત ઠાર

ઉત્તરપ્રદેશના અલગીગઢમાં શનિવારે શરૂ થયેલો તણાવ રવિવારે પણ યથાવત રહ્યો હતો. જેના કારણે વહિવટીતંત્ર દ્વારા ભારે પ્રમાણમાં પોલીસ જવાનો ખડકી દેવામાં આવ્યા છે.ગઇકાલે ખેડૂતો અલગિઢ-લખનૌ હાઇવે ઉપર ઉતરી આવ્યા હતા અને વાહનોને આગ ચાંપી હતી. જેને અટકાવવા માટે પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. જેના કારણે. બંને પક્ષો વચ્ચે અથડામણ થઇ હતી. તેઓ મથુરા-નોએડા એક્સપ્રેસ હાઇવેના ખેડૂતોને મળેલા જેટલા વળતરની માગ કરી રહ્યાં હતા. ઉશ્કેરાયેલા ખેડૂતોએ એક પોલીસ ચોકીને પણ આગ ચાંપી હતી.ઉલ્લેખનીય છેકે, ગઇકાલે ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં પાંચ ખેડૂતોના મોત થયા હતા. જ્યારે પોલીસના એક જવાનનું મોત થયું હતું. જ્યારે એક ડઝન જેટલા ખેડૂતો ઘાયલ થયા છે.


'કટ એન્ડ પેસ્ટ છે વડાપ્રધાનનું પ્રવચન'

ભાજપે આક્ષેપ મુક્યો છેકે, 15 ઓગસ્ટના લાલ કિલ્લા પરથી વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલું પ્રવચન 'કટ-પેસ્ટ' હતું. તેમનું પ્રવચન દર્શાવે છેકે, વડાપ્રધાનને ઉપરથી આદેશ નહીં મલ્યા હોય અથવા તો તેમને કામમાં રસ નથી રહ્યો.રાષ્ટ્રને વડાપ્રધાનના પ્રજાજોગ સંબોધન પાસેથી બહુ અપેક્ષા હોય છે. પરંતુ, તે દિશા વિહિન અને દૂરંદેશીતા વગરનું છે.પ્રવકતા રાજીવ પ્રતાપ રૂડ્ડીએ પત્રકાર પરિષદમાં આ આક્ષેપ કર્યો હતો.રૂડ્ડીના મતે, ડૉ. સિંઘ મનમોહનસિંઘ નબળાં વડાપ્રધાન છે અને સત્તાના સાચા સૂત્રો યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી પાસે રહેલાં છે.કાશ્મીર, મોંઘવારી સહિતના મુદ્દાઓ સાથે કેવી રીતે ટક્કર લેવી તેની કોઇ નક્કર યોજના વડાપ્રધાન દ્વારા આપવામાં નથી આવી. તેમણે આક્ષેપ કર્યો છેકે, વડાપ્રધાનની કેબિનેટના કેટલાક પ્રધાન નક્સલવાદીઓ પ્રત્યે કૂણી લાગણી ધરાવે છે. જોકે, તેમણે રેલવેપ્રધાન મમતા બેનરજીનો ઉલ્લેખ કર્યો ન હતો.


હું સિંગલ છું માટે મને દુ:ખ નથી: કંગના

કોઈપણ માણસ જ્યારે ખુશ હોય છે ત્યારે તેના ચહેરા પર ચમક આવી જાય છે. અત્યારે આવા જ સમયમાંથી પસાર થઈ રહી છે કંગના રાણાવત. ૭૦ના દાયકાની પૃષ્ઠભૂમિ પર બનેલી ફિલ્મ ‘વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ’માં તેના દ્વારા પહેલી વખત કરવામાં આવેલાં ગંભીર પાત્રને ખુબ પસંદ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ કંગના માટે મોટી સફળતા ગણાય છે.અધ્યયન સુમન સાથેના બ્રેક-અપ બાદ છેલ્લા એક વર્ષથી સિંગલ કંગના કહે છે કે ‘હું એમ તો નહીં કહું કે મારી પાસે પ્યાર માટે સમય નથી. કેમ કે જ્યારે તે થશે ત્યારે તેને માટે સમય પણ નીકળી જ જશે. તે કોઈ વસ્તુ નથી જેને તમે શોધતા ફરો. અત્યાર સુધી મને એવો કોઈ શખ્સ મળ્યો નથી અને મેં તેને શોધવાની કોશિશ પણ કરી નથી.’બ્રેકઅપથી દુ:ખી હોવાની વાત પૂછતાં તે કહે છે કે ‘હું બ્રેકઅપના બીજા જ દિવસથી સામાન્ય થઈ ગઈ હતી. ખરેખર તો આ બાબત સંબંધનાં ઉંડાણ પર આધાર રાખે છે. મારા અને અધ્યયન માટે એક રીતે અલગ થઈ જવું જ ફાયદાકારક સાબીત થયું છે. કેમ કે અમે પ્રેમી કરતાં વધુ દોસ્ત હતાં. જ્યારે અમે પ્રેમનો રસ્તો અપનાવવાની કોશિશ કરી તો તે વધુ પડતો ડિમાંડિઁગ બની ગયો.’ આજે કંગના કામમાં બહુ વ્યસ્ત છે.અત્યારે તેની દસ ફિલ્મો પ્રોડક્શનના વિવિધ સ્ટેજમાં છે. આ વિશે કંગના કહે છે કે ‘મેં ક્યારેય એવો પ્લાન કર્યો નથી. જોકે એવું પણ નહોતું કે હું કામ વગર બેઠી હતી અને એકદમ ઘણી બધી ફિલ્મો મળી ગઈ. એકધારું કામ કર્યા બાદ હવે એક પછી એક મારું કામ લોકો સામે આવી રહ્યું છે.’


બ્લેયરની કમાણી ખર્ચ સરકારનો

દુનિયાના મોંઘા વકતાઓમાં શામેલ બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર હવે કલમ ચલાવીને બેન્ક બેલેન્સ વધારવા માગે છે. તે આવતા મહિને લંડનમાં પોતાની અત્મકથા ‘ટોની બ્લેર એ જર્ની’ લોન્ચ કરવા જઈ રહ્યા છે. જેની સુરક્ષા વ્વસ્થા પર થનારો ખર્ચ સામાન્ય માણસ માટે ચિંતાને વિષય બની ગયો છે.સેન્ટ્રલ લંડનના એક સ્ટોરમાં યોજાનારી આ ઇવેન્ટ દરમિયાન ટોનીને દેખાવકારોથી બચાવવા માટે એક સુરક્ષા બિલ પાસ કરવામાં આવ્યું છે. જેનો ખર્ચ પાઉન્ડના છ આંકડામાં છે. તેમને પહેલાંથી જ ચેતવણી આપી દેવામાં આવી છે કે આ ઇવેન્ટ તેમની સુરક્ષાની બાબતે યોગ્ય નથી. તે પોલીસ માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે તેમ છે. પોલીસને શંકા છે કે આ ઇવેન્ટ દરમિયાન હજારો દેખાવકારો વિરોધ પ્રદર્શન કરશે.જોકે સ્ટોરે દેખાવકારો માટે નહીં પણ ઇવેન્ટ સફળ બનાવવા માટે પોલીસ પ્રોટેકશન લીધું હોવાની વાત કરી છે. ભૂતપૂર્વ વડા પ્રધાનનાં એક પુસ્તકની કિંમત ૨૫ પાઉન્ડ હશે. લોચિંગ વખતે તેઓ કોપીઓ પર ઓટેગ્રાફ આપશે.

બોલિવૂડે કહ્યું, હેપ્પી ઈન્ડિપેન્ડસ ડે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


બોલિવૂડે કહ્યું, હેપ્પી ઈન્ડિપેન્ડસ ડે

બોલિવૂડ સ્ટાર્સ પર પણ 64મો સ્વતંત્રતા દિવસનો જોશ છે. જ્યારે આ સ્ટાર્સને પૂછવામાં આવ્યું કે, આઝાદીનું તેમના માટે શું મહત્વ તો તેઓએ કંઈક આ રીતે જવાબ આપ્યો હતો.પ્રિયંકા ચોપરા: પ્રિયંકાએ કહ્યું હતું કે, તેને ગર્વ છે કે, તે ભારત દેશની નાગરિક છે. ભારતમાં પોતાના વિચારો પ્રમાણે જીવવાની સ્વંત્રતા છે. પ્રિયંકા માને છે કે, પોતાના વિચારો જ માણસને સ્વતંત્ર બનાવે છે.વિપુલ શાહ: મારા માટે સ્વતંત્રતા એટલે જીવવાની આઝાદી અને સમાજમાં જે કંઈ પણ ખોટું થાય છે તેની સામે લડવાની આઝાદી.ફરાહ ખાન: ફરાહ ખાનના મતે સ્વતંત્રતા એટલે વિચારની આઝાદી. તે માને છે કે, હું જેમ માનું તેમ મને જીવવાની આઝાદી હોય. મારી પર કોઈની રોક-ટોક ના હોય.


જ્યારે વડાપ્રધાનથી રાષ્ટ્રધ્વજ ફરક્યો નહીં

ગણતંત્ર દિવસ નિમિતે વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘે ઐતિહાસિક લાલકિલ્લા પરથી સંબોધન કર્યું હતું. આ સાથે કેટલીક બાબતો ઉડીને આંખે વળગી હતી.- ડૉ. સિંઘે તેમની આગવી ઓળખ સમાન વાદળી રંગની પાઘડી ધારણ કરી હતી.- વરસાદની આગાહીના પગલે છતવાળા સુરક્ષા કવચમાંથી પ્રવચન કર્યું હતું.- લાલ કિલ્લાની આજુબાજુ દિલ્હી પોલીસ અને એનએસજી સહિતના કમાન્ડોએ ચોક્કસ નજર રાખી હતી.- ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. પરંતુ, ગતવર્ષની જેમ ચાલુ વર્ષે વરસાદ પડ્યો ન હતો.- બફારાના કારણે, લોકોએ કાગળના પંખા બનાવીને રાહત મેળવવાનો પ્રયાસ કર્યો હતો.- સારે જહાં સે અચ્છા ગીત પર ત્રણ હજાર જેટલા સ્કૂલ વિદ્યાર્થીઓએ ગીતમાં ભાગ લીધો હતો. તેમણે, કેસરી, સફેદ અને લીલા રંગના કપડા પહેર્યા હતા.- લાલ કિલ્લા પરથી વડાપ્રધાને પાંત્રિસ મિનિટ સુધી પ્રવચન આપ્યું હતું.- વડાપ્રધાને લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો હતો. જોકે, તેઓ ફરકાવી શક્યા ન હતા. ત્યારે ફર્સ્ટ ફ્લાઇટ લેફ્ટનન્ટ નેહા ચૌહાણે તેમને મદદ કરી હતી. આ સાથે રાષ્ટ્રધ્વજને 21 તોપની સલામી આપવામાં આવી હતી.


ગુજરાતણ ભૂમિની જીત માટે ઠેર-ઠેર પ્રાર્થના

સોની પર પ્રસારિત થતા રિયાલિટી શો ઈન્ડિયન આઈડોલ 5માં હવે માત્ર ત્રણ સ્પર્ધકો રહ્યા છે. આમાંથી એક ગુજરાતની ભૂમિ ત્રિવેદી છે.ગુજરાતના વડોદરાની ભૂમિ ત્રિવેદીનો શનિવારના રોજ 22મો જન્મદિવસ હતો. ભૂમિ ઈન્ડિયન આઈડોલ 5માં ટોપ થ્રીમાં સ્થાન ધરાવે છે. ઈન્ડિયન આઈડોલ 5ની ફાઈનલ 15મી ઓગસ્ટ રવિવારના રોજ રાત્રે આઠ વાગ્યે છે. ભૂમિ વડોદરાની એમ એસ યુનિર્વસિટીમાં ભણી છે અને તેની નાનપણથી જ એવી ઈચ્છા હતી કે, તે મોટી થઈને રોક સ્ટાર બને.ભૂમિ સિવાયના બે સ્પર્ધકોમાં આગ્રાનો રાકેશ અને હૈદરાબાદનો શ્રીરામ છે. ભૂમિ ઈન્ડિયન આઈડોલ જીતે માટે શનિવારના રોજ વડોદરામાં ભૂમિના મિત્રોએ શિવમંદિરમાં પૂજા કરી હતી. આટલું જ નહિ સમગ્ર શહેરમાં ભૂમિના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે.ભૂમિ જીતે તે માટે વડોદરાવાસીઓ ઘણાં બધા એસએમએસ પણ મોકલી રહ્યા છે. સમગ્ર શહેર ઈચ્છે છે કે, ભૂમિ જીતે અને વડોદરાનું નામ રોશન કરે.ઉલ્લેખનીય છે કે, ભૂમિ ઈન્ડિયન આઈડોલ 3 અને 4માં પણ હતી. જો કે તબિયત ખરાબ થવાને કારણે તે નીકળી ગઈ હતી. ઈન્ડિયન આઈડોલ 5ની ગ્રાન્ડ ફિનાલેમાં અમિતાભ બચ્ચન, કરિના કપૂર, અલિશા ચિનોય, શંકર મહાદેવન અને કૈલાશ ખેર આવવાના છે. આ સિવાય ઈન્ડિયન આઈડોલના ત્રણ જ્જીસ અનુ મલિક, સલીમ સુલેમાન અને સુનિધી ચૌહાણ પણ હાજર રહેવાના છે.


કુંડલિયા કોલેજમાં મજપા અને ભાજપના કાર્યકરો વચ્ચે બઘડાટી

મજપા દ્વારા શનિવારે રાજકોટની તમામ કોલેજો બંધનું એલાન આપ્યું હતું તેના ભાગરૂપે મજપાના આગેવાનો અને કાર્યકરો કુંડલિયા કોલેજ ખાતે બંધ કરાવવા ગયા હતા.આ સમયે વિદ્યાર્થિનીઓને બસમાં ધરાર બેસાડીને લોકાર્પણના કાર્યક્રમ સ્થળે લઇ જવામાં આવતી હોવાનો આક્ષેપ કરીને કાર્યકરોએ અમુક બસની હવા કાઢી નાખી હતી.મજપાના કાર્યકરોએ એવો આક્ષેપ કર્યો હતો કે છાત્રાઓને પરાણે લઇ જવામાં આવતી હોય વિરોધ કરવામાં આવ્યો હતો. કોલેજના સંચાલકોએ ભાજપના કાર્યકરો તેમજ પોલીસને ઘટનાસ્થળે બોલાવતા ભાજપના કાર્યકરો સાથે ઝપાઝપી થઇ હતી.મજપાએ એમ પણ કહ્યું હતું કે બઘડાટી બોલી જતાં મોટા ભાગની વિદ્યાર્થિનીઓ પોતાના ઘેર ચાલી ગઇ હતી જ્યારે બસમાં જ છાત્રાઓને યુનિવર્સિટી ખાતે લઇ જવાઇ હતી.મજપાના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો પ્રિન્સપાલનો આક્ષેપ -કુંડલિયા કોલેજના પ્રિન્સપાલ અને સિન્ડિકેટ સભ્ય બાનુબેન ધકાણે એવો આક્ષેપ કર્યો હતો કે મજપાના કાર્યકરોએ રાષ્ટ્રીય શાળામાં આવેલી કુંડલિયા કોલેજ ખાતે ગુંડાગીરીનું વરવું પ્રદર્શન કર્યું હતું. દીકરીઓની હાજરીમાં બેફામ ગાળાગાળી કરવામાં આવી હતી. કેટલાક કાર્યકરો બસની ઉપર ચડી ગયા હતા. જે વિદ્યાર્થિનીઓ સ્વેચ્છાએ કાર્યક્રમમાં જવા માગતી હતી તેઓને પણ અટકાવવામાં આવી હતી.


યુવાને માસીયાઇ સાળી સાથે ઝેર ગટગટાવ્યું : બંનેનાં મોત

નખત્રાણા તાલુકાના દેવીસર ગામના યુવાને તેની માસીયાઇ સાળી સાથે જિંદાય ગામથી નાના અંગિયા તરફ જતા માર્ગ પર ઝેર ગટગટાવી લેતા બંનેના મોત નીપજ્યાં હતાં.મૂળ દેવીસરના મહેશ અમૃતલાલ કોલી (ઉ.વ.૨૮) અને તેની માસીયાઇ સાળી મનિષા જુમ્મા કોલી (ઉ.વ.રપ રહે. વિરાણી ગઢ, તા. માંડવી) આજે સવારે જિંદાય ગામથી નાના અંગિયા તરફ એક કિલોમીટરના અંતરે ઝેર પીધેલી હાલતમાં મળી આવ્યાં હતાં. જેમાં યુવતીનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે યુવાનને સારવાર અર્થે ભુજ ખસેડવા જતાં માર્ગમાં જ તેણે દમ તોડયો હતો. આ ઘટનાથી આઘાત પામેલી મહેશની પત્ની પણ બેભાન બની હતી.ઉલ્લેખનીય છે કે, મહેશનું સાસરિયું માંડવી તાલુકાના વિરાણ ગઢમાં આવેલું છે. જ્યાં છેલ્લા બે વર્ષથી તે તેના માસાજી સસરાની ખેતીમાં કામ કરતો હતો. મહેશ અને મનીષા પલાયન થયા બાદ યુવતીના માતા-પિતા ગઇકાલે દેવીસરમાં આવ્યા હતા. સવારે તપાસ કરી ત્યારે જિંદાયથી નાના અંગિયા તરફના માર્ગ પર બંને મળી આવ્યા હતા. જેમાં યુવતી મૃત હતી. બંનેને નખત્રાણા લાવ્યા બાદ જીવીત રહેતા યુવાનને સારવાર માટે ભુજ લઇ જવામાં આવ્યો પરંતુ રસ્તામાં જ તેણે જીવ ગુમાવ્યો હતો.આ બનાવ અંગે નખત્રાણાના પીએસઆઇ પી.વી. જાડેજા, કોન્સ્ટેબલ ભરતસિંહ જાડેજા, રાજુભાઇ ડાભી તપાસ ચલાવી રહ્યા છે. પરિણીત યુવાનને પાંચ વર્ષના લગ્નગાળામાં ચાર વર્ષની પુત્રી હોવાનું જાણવા મળે છે.



ગેરકાયદે ઘૂસેલા બંને પાકિસ્તાનીઓ છેવટે જેલ હવાલે

ગેરકાયદે રીતે ભારતની હદમાં પ્રવેશ કરનારા બે પાકિસ્તાની શખ્સો સામે નરા અને રાપર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યા બાદ કોર્ટ બંનેને જેલ હવાલે કર્યા હતા.સિંધ રાજ્યના શહાદપુર તાલુકાના જતિયાગોરનો રહેવાસી મહંમદ જુમન હાજી મૂસા કુંભાર (ઉ.વ.પ૦) નવેમ્બર ૨૦૦૯માં ઉત્તર ભારતની સરહદ પર પિલર નં. ૧૧૧૮, એસ/ર પાસે ઝડપાયો હતો. જ્યારે થરપારકર જિલ્લાના ડાબરીનો રહેવાસી રમેશ દેવજીમલ ભીલ (ઉ.વ.રપ) પ જાન્યુઆરી ૨૦૧૦ ના રોજ રાપરના બેલા નજીક સીમા સુરક્ષા ચોકી પાસેથી પકડાયો હતો. બંને સામે ભારતીય સીમાના જાહેર પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદે રીતે પાસપોર્ટ કે વિઝા વિના પ્રવેશ કરવાનો ગુનો નોંધાયો હતો.મહંમદ જુમનનને આજે નખત્રાણા કોર્ટમાં અને રમેશ ભીલને રાપર કોર્ટમાં રજૂ કરાતાં બંનેને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે પકડાયેલા બન્ને પાકિસ્તાનીઓની વિવિધ એજન્સીઓ દ્વારા કડક પૂછપરછ હાથ ધરાયા બાદ પોલીસે તેમની સામે આઇપીઆર કલમ ૩ અને ૬ ઉપરાંત અન્ય કલમો હેઠળ ગુના નોંધ્યા હતા.


સ્વતંત્રતા દિવસે ઓબામાની શુભેચ્છા

અમેરિકાના રાટ્રપતિ બરાક ઓબામાએ ભારતના ૬૪માં સ્વતંત્રતા દિવસ નિમિતે શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. તેમણે પોતાના સંદેશમાં બંને દેશોનાં સંબંધો વધુ ગાઢ થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. તેણે કહ્યું છે કે ‘બંને દેશો વચ્ચેની સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ વધુ મજબુત બને તેવા પ્રયાસ કરવામાં આવશે.’ઓબામાંએ ભારતે આઝાદી માટે લડેલી અહિંસક લડાઈના પણ વખાણ કર્યા છે અને મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાનના માર્ગને અમેરિકના સિવિલ રાઈટ નેતા માર્ટિનુ લ્યુથર કિંગે પણ અપનાવ્યો હતો તેની પણ આ સંદેશમાં નોંધ લીધી છે.તેમણે વધુમાં જણાવતાં એમ પણ કહ્યું છે કે, ‘ભારતની ત્રાસવાદ અને અલગાવવાદ વિરોધી લડત અને તેની લોકશાહીએ ઘણા દેશો પર અસર કરી છે.’અમેરિકામાં વસતા ૨૦ લાખથી વધુ ભારતીયોના અમેરિકા માટેના તેમના યોગદાનને યાદ કરતાં કહ્યું છે કે ‘આ જ ભારતીય લોકોના કારણે બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં એક મજબુત સેતુ બંધાયો છે.’અમેરિકના રાષ્ટ્રપતિ બરાક ઓબોમાએ ભારતને સ્વતંત્રતા દિવસ પર પાઠવેલી શુભેચ્છામાં બંને દેશ વચ્ચેના દ્વિપક્ષિય સંબંધને મહત્વ આપ્યું છે


યુવરાજને ડેન્ગ્યુ, શ્રીલંકા સામે નહીં રમે

શ્રીલંકામાં રમાઈ રહેલી ત્રિકોણીય શ્રેણીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે સોમવારે રમાનારી વન ડે પહેલા ભારતને મોટો ફટકો પડ્યો છે. ટીમ ઈન્ડિયાનો ઓલ-રાઉન્ડર યુવરાજ સિંહ સોમવારના રોજ રમાનારી વન ડેમાં નહીં રમે.સૂત્રોના જણાવ્યા અનુસરા યુવરાજને ડેન્ગ્યુ થયો છે. તેથી યુવરાજ સિંહ આવતી કાલની મેચમાં નહીં રમે. ડોક્ટરોએ યુવરાજને એક અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપી છે.ઉલ્લેખનીય છે કે યુવરાજ સિંહ છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. આ ઉપરાંત તે ઈજાથી પણ પીડાઈ રહ્યો છે. શ્રીલંકા સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં યુવરાજ પ્રભાવશાળી પ્રદર્શન કરી શક્યો નહોતો. તથા ન્યૂઝિલેન્ડ સામેની પ્રથમ વન ડેમાં પણ યુવરાજ નિષ્ફળ રહ્યો હતો.હાલમાં ઈજાઓ ભારતીય ટીમ માટે માથાનો દુખાવો બની ગઈ છે. શ્રીલંકા પ્રવાસ પહેલા જ ઝહિર ખાન અને શ્રીસંતા ઈજાના કારણે પ્રવાસમાંથી બહાર થઈ ગયા હતા. બાદમાં ઈશાંત શર્મા પણ ઈજાગ્રસ્ત થયો હતો.


કારમા પરાજય બાદ ભારતનું લક્ષ્ય જીત

ભારત ત્રિકોણીય શ્રેણીમાં સોમવારે અહીં જ્યારે યજમાન શ્રીલંકા સામે વન-ડે રમવા માટે ઊતરશે ત્યારે તે શ્રેણીમાં પ્રથમ વિજય મેળવવાના પ્રયાસમાં રહેશે. બીજી તરફ પોતાની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને ત્રણ વિકેટે હરાવનાર શ્રીલંકન ટીમ પોતાની વિજયકૂચને જાળવી રાખવાનો પ્રયાસ કરશે. આ મેચનું ટેન સ્પોર્ટ્સ પર બપોરે ૨:૩૦ કલાકે પ્રસારણ કરાશે.જો કે રવિવારના રોજ ટીમ ઈન્ડિયાનો ઓલ-રાઉન્ડર યુવરાજ સિંહ ડેન્ગ્યુનો શિકાર બનતા તે સોમવારે શ્રીલંકા સામે રમાનારી મેચમાં રમી શકશે નહીં. ડોક્ટરોએ તેને અઠવાડિયાનો આરામ કરવાની સલાહ આપી છે.



સોહરાબુદ્દીને કૌસરબી અંગે પૂછતાં SP પરમારના હોશ ઊડી ગયા હતા

કૌસરબીને મોતને ઘાટ ઉતારી દેનારા એટીએસના તત્કાલીન અધિકારીઓ, સોહરાબુદ્દીન એન્કાઉન્ટરના બીજા દિવસે સોહરાબના ભાઈ રૂબાબુદ્દીનના મોઢે કૌસરબી ક્યાં છે..! તેવું સાંભળીને ચોંકી ઊઠ્યા હતા..! કદાચ તેઓ એ વાતથી અજાણ હતા કે સોહરાબુદ્દીન અને કૌસરબી હૈદરાબાદથી સાંગલી જવા માટે સાથે નીકળ્યાં છે તે વાત સોહરાબુદ્દીનના પરિવારજનો પણ જાણતા હતા.સોહરાબુદ્દીનના ભાઈ રૂબાબુદ્દીને સીબીઆઈ સમક્ષના નિવેદનમાં જણાવ્યું હતું કે તે અને અન્ય સંબંધીઓ ૨૭મીના રોજ વહેલી સવારે સિવિલના પોસ્ટમોર્ટમ રૂમ પર પહોંચ્યા બાદ તેમને એટીએસ ઓફિસ જવાનું કહેવામાં આવતાં તેઓ શાહીબાગ ડફનાળે આવેલી એટીએસની ઓફિસે પહોંચી ગયા હતા. લગભગ બે કલાક રાહ જોયા બાદ એસીપી એમ. એલ. પરમાર ત્યાં આવ્યા હતા. તેઓ રૂબાબુદ્દીનને સાથે લઈને સિવિલ પહોંચ્યા હતા. સોહરાબુદ્દીનનો મૃતદેહ જોયા બાદ તુરત જ રૂબાબુદ્દીને એસીપી પરમારને પ્રશ્ન પૂછયો હતો કે કૌસરબી ક્યાં છે? આ સાંભળીને એસીપી પરમારના હોશ ઊડી ગયા હતા અને તેણે જવાબમાં કહ્યું હતું કે ‘કોણ કૌસર બી..’


મોદીનો ચોક્કસ જ વારો આવશે : શંકરસિંહ

‘સોહરાબુદ્દીન મુદ્દે રાજ્યના માજી ગૃહરાજ્યમંત્રી અમિત શાહ જેલમાં છે તે બતાવે છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. તેમ છતાં કોંગ્રેસ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન અમલમાં લાવવાની માગ નહીં કરે.ભાજપ પોતાની મોતે જ મરશે. અમિત શાહ પાસે ગૃહ વિભાગનો સ્વતંત્ર હવાલો ન હતો. તેનો હવાલો તો મુખ્યમંત્રી પાસે હતો. શાહ ઉપર લાગેલી તમામ કલમો મુખ્યમંત્રી ઉપર પણ લાગશે,’ તેમ ગુજરાતના માજી મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ શુક્રવારે સુરત સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું.વાઘેલાએ વેંકૈયાના પડકારનો જવાબ આપતા હોય તે રીતે કોંગ્રેસ વતી સીબીઆઈના ભાવિ પગલાનો નિર્દેશ કર્યો હતો. તેમણે તો ત્યારના કેન્દ્રીય ગૃહપ્રધાન લાલકૃષ્ણ અડવાણી ઉપર પણ આરોપ કર્યો હતો કે તેમની જાણ વગર એન્કાઉન્ટર શક્ય નથી.


પેરિસ :ચોરી કરવાની અજબ-ગજબ રીત...

ચોરી કરવા માટે લોકો અવનવી તરકીબો શોધી કાઢતા હોય છે. આવી જ રીતે એક નવો જ નુસખો અપનાવી પેરિસમાં એક ચોરી થઈ હતી. રસપ્રદ વાત એ છે કે આ ચોરીમાં કોઈ પુરુષ નહીં પરંતુ 20 વર્ષની યુવતીઓ સંડોવાયેલી છે.આ બંને યુવતીઓએ પેરિસમાં એક એટીએમ મશિનમાંથી એક વ્યક્તિના 300 યૂરોની ચોરી કરી લીધી હતી. યુવકે જેવો એટીએમ મશીનમાં પોતાનો પાસવર્ડ નાખ્યો કે એટીએમમાં હાજર એક યુવતીએ પોતાના બ્રેસ્ટ તેને બતાવ્યા હતાં.એવામાં તેનું ધ્યાન એટીએમ પરથી હટી ગયું હતું. આ સમયનો લાભ લઈને બીજી યુવતીએ તેના ખાતામાંથી 300 યૂરોની ચોરી કરી લીધી હતી. એટીએમમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં આ ચોરીનો પર્દાફાશ થયો હતો.પોલીસે આ અંગે જણાવ્યું હતું કે બંને ચોરની ઓળખ થઈ શકી નથી. તેમજ પોલીસે એવી સલાહ આપી છે કે એટીએમમાં પૈસા કાઢતી વખતે ધ્યાન ભગ્ન ન થાય તેનું ધ્યાન રાખવું, પછી તે વસ્તુ ગમે તેટલી આકર્ષક ભલે હોય તેની તરફ ધ્યાન ન આપવું.



વિશ્વની પ્રથમ થ્રી-ડી પોર્ન ફિલ્મનું શૂટિંગ

દિગ્દર્શક ક્રિસ્ટોફર સન (નીચે ડાબે) હોંગકોંગમાં ફિલ્મ ‘થ્રી-ડી સેક્સ એન્ડ ઝેન: એક્સ્ટ્રીમ એક્સ્ટસી’ના સેટ પર જાપાનની એડલ્ટ ફિલ્મોની હિરોઈન સાઓરી હારા (જમણે દ્વિતીય) અને અભિનેતા હીરો હયાના (વચ્ચે)ને સૂચના આપી રહ્યા છે. હોંગકોંગના નિર્માતાઓના એક જુથે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે, જે વિશ્વની પ્રથમ થ્રી-ડી પોર્નોગ્રાફિક ફિલ્મ હોવાનો તેઓનો દાવો છે. ૩.૨ મિલિયન અમેરિકન ડોલરના ખર્ચે બની રહેલી આ ફિલ્મ મે, ૨૦૧૧માં રિલીઝ થશે. આ ફિલ્મે માત્ર એશિયન જ નહીં, પરંતુ યુરોપિયન અને અમેરિકન ફિલ્મ બજારોમાં પણ રસ જગાવ્યો હોવાનું ‘સન્ડે મોર્નિંગ પોસ્ટ’એ તેના અહેવાલમાં જણાવ્યું છે.


ઉતરી ગયો યુનિયન જેક અને લહેરાયો તિરંગો

ટલીક દુર્લભ તસવીરો દ્વારા અમે તેમને આઝાદીની પ્રક્રિયાની કેમેરાની નજરે સફર કરાવવા માગીએ છીએ. ભારતની આઝાદી માટે લોર્ડ માઉન્ટબેટન, જવાહરલાલ નેહરૂ અને મહંમદ અલી ઝીણાએ ચર્ચા કરી હતી. છેવટે, નક્કી થયું કે, અંખડ ભારતનું વિભાજન થશે જ. આ માટેના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. નેહરૂ દ્વારા અડધી રાત્રે ફ્રીડમ એટ મીડ નાઈટનું પ્રવચન આપવામાં આવ્યું. તેમણે સંસદના મધ્ય હોલમાં શપથ લીધા. 15 મી ઓગસ્ટના દિવસે તેમણે લાલ કિલ્લા પરથી પ્રવચન કર્યું હતું.