visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
તુલસી-સોહરાબ કેસ અલગ હોવાનો CID દાવો કરશે
તુલસી એન્કાઉન્ટરના હેતુ માટે ફાંફા મારતી સીઆઇડી ક્રાઇમ તુલસી એન્કાઉન્ટરની તપાસ સીબીઆઇ પાસે જતી અટકાવવાનો પ્રયાસ કરશે! બીજી બાજુ તુલસી પ્રજાપતિની માતા નર્મદાદેવીના વકીલ ત્રણથી ચાર સપ્તાહની મુદત માગે તેવી પણ માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે.પ્રાપ્તવિગતો મુજબ, સીઆઇડી ક્રાઇમ એવી રજુઆત કરશે કે, તુલસીએ જુન-૨૦૦૬માં રાષ્ટ્રીય માનવ અધિકારી આયોગને લખેલા પત્રમાં એન્કાઉન્ટરની દહેશત વ્યક્ત કરી છે, પરંતુ સોહરાબુદ્દીન સાથેની ત્રીજી વ્યક્તિ તુલસી પોતે હતો અને તે માટે તેનું એન્કાઉન્ટર કરવામાં આવે, તેવો કોઈ ઉલ્લેખ નથી.જોકે તુલસી કેસમાં તપાસ કરી રહેલી સીઆઇડી ક્રાઇમની ટીમની અત્યાર સુધીની તપાસમાં એવા કોઈ પુરાવા મળ્યા નથી કે જે સોહરાબુદ્દીન અને તુલસી એન્કાઉન્ટર એકબીજા સાથે સંકળાયેલા હોવાનું સાબિત કરી શકે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.સીબીઆઇ તરફથી કેટીએસ તુલસી અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એજાઝ ખાનની સામે અન્ય મોટા ગજાના વકીલોની ફોજ પણ મેદાનમાં ઊતારાશે તેવી પણ સંભાવના છે.
પરેરા અને અમ્પાયર સામે ભારત હાર્યું
મેન ઓફ ધ મેચ બનેલા ઝડપી બોલર તુષારાએ કરેલા કારકિર્દીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન તથા અમ્પાયર્સના ચાર ખોટા નિર્ણયનો ભોગ બનેલી ભારતીય ટીમને યજમાન શ્રીલંકાએ પોતાના ઘરઆંગણે રમાતી ત્રિકોણીય વન-ડે ક્રિકેટ શ્રેણીની લીગ મેચમાં આઠ વિકેટે શરમજનક પરાજય આપીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.શ્રીલંકન બોલર્સનાં ઘાતક પ્રદર્શન સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ભારતીય ટીમ ૩૩.૪ ઓવરમાં માત્ર ૧૦૩ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી જેના જવાબમાં શ્રીલંકન ટીમે ૧૫.૧ ઓવરમાં બે વિકેટે ૧૦૪ રન બનાવીને વિજય મેળવી લીધો હતો.અમ્પાયર ધર્મસેનાએ સેહવાગ, કાર્તિક, રૈના અને યુવરાજને ખોટા નિર્ણયથી આઉટ કર્યા હતા. પરાજય વખતે બાકી રહેલા બોલના હિસાબે ભારતનો પોતાના વન-ડે ઈતિહાસમાં સૌથી મોટો પરાજય છે. શ્રીલંકન ટીમે બોનસ સાથે કુલ ૧૧ પોઇન્ટ મેળવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.ભારતે હવે ફાઇનલમાં પ્રવેશવા માટે ૨૫મી ઓગસ્ટે ન્યૂઝીલેન્ડ સામે રમાનારી મેચને કોઇ પણ ભોગે જીતવી પડશે. આ મેચ નોકઆઉટની જેમ રહેશે અને તેમાં વિજેતા બનેલી ટીમને ફાઇનલમાં રમવા મળશે. જો આ મેચ રદ થાય તો ન્યૂઝીલેન્ડને ફાઇનલમાં પ્રવેશવાનો હક મળશે, કારણ કે તેના સાત પોઇન્ટ છે અને તે ભારત કરતાં બે પોઇન્ટ આગળ છે.બોલર્સનાં શાનદાર પ્રદર્શન બાદ આસાન લક્ષ્યાંક સામે મેદાને પડેલા શ્રીલંકન ઓપનર્સ જયવર્દને અને દિલશાને તોફાની શરૂઆત કરીને પ્રથમ વિકેટ માટે માત્ર ૯.૨ ઓવરમાં ૭૯ રન બનાવીને ટીમ માટે ફાઇનલમાં પ્રવેશવાનો પાયો નાખી દીધો હતો.
ખાનગી પ્રાથ.શાળાના બાળકો દફતરના ભાર હેઠળ કચડાયા
‘ભાર વગરનું ભણતર’ એ આજના શિક્ષણમાં સૌથી વધુ ચર્ચાતો પ્રશ્ન છે. બાળકો પર આજના ભણતરથી માનસિક ઉપરાંત શારીરિક બોજો વધે છે. તેમાં મુખ્ય છે દફતર ધો. ૧ થી ૭ના કુમળી વયના બાળકો દરરોજ ૩ થી ૬ કિલોના વજનનું દફતર લઈ સ્કૂલની આવન-જાવન કરતાં હોય છે તેની મુશ્કેલી તો આ બોજો વહન કરતાં બાળકો અને તેના વાલીઓનેજ સમજાય છે.પરંતુ ખાનગી પ્રાથમિક શાળાના સંચાલકો પાઠ્યપુસ્તકો, સ્વાધ્યાયપોથીઓ, કંપાસ બોક્સ, નોટબુકો, રફ બુક, પાકી નોટ ઉપરાંત પાણીની બોટલ, નાસ્તાનું લંચ બોક્સ વિ.ના બોજામાંથી એકપણ બોજો મુક્ત કરવા માગતા ન હોય તેવી રીતે વર્તી રહ્યાં છે. ભાવનગરમાં અનેકવાર રજૂઆતો કરવા છતાંય સ્કૂલ સંચાલકો તેઓની વાત ઉડાડી દેતા હતા.
રાજકીય દબાણ અને CBIના ડર વચ્ચે પોલીસ ફફડે છે
અમિત જેઠવાની ભાડૂતી શાર્પ શુટર દ્વારા કરાવાયેલી હત્યાના પ્રકરણમાં સોપારી આપનાર કોન્સ્ટેબલે વટાણા વેરી નાખતા રેલો સાંસદ દિનુ બોઘા સુધી પહોંચી રહ્યો છે. આ કેસમાં પોલીસ ઉપર જબરું રાજકીય દબાણ હોવાની ચર્ચા છે. પરંતુ, બનાવટી એન્કાઉન્ટર કાંડમાં મહારથીઓ પણ જેલભેગા થઇ જતાં તપાસનીશ અધિકારીઓની સ્થિતિ સૂડી વચ્ચેની સોપારી જેવી થઇ ગઇ છે.અમિત જેઠવાની ભાડૂતી મારાઓ મારફત હત્યા કરાવી દેવામાં આવી હતી. જેઠવાના પિતાએ પુત્રની હત્યા સાંસદ દિનુ બોઘાના ઇશારે થયનો એ જ દિવસે ખૂલ્લો આક્ષેપ કર્યો હતો. ત્યાર બાદ પોલીસે સાંસદની નજીકના મનાતા ગીર ગઢડાના કોન્સ્ટેબલ બહાદુર જેઠવાની ધરપકડ કરી હતી.બહાદુરે હત્યાની સોપારી આપી હોવાનો અને સાંસદના ભત્રીજા શિવા સોંલકીની સંડોણીનો આડકતરો એકરાર પણ કરી લીધો છે. હત્યારા શૈલેષ પંડ્યા સાથે રહેલા કુખ્યાત પચાણ શિવાએ પણ ચોંકાવનારી કબૂલાત આપી દેતા સાંસદના ભત્રીજાની ગમે ત્યારે ધરપકડ થાય તેવા સંજોગો છે. જો કે આ તપાસમાં ચોક્કસ વ્યક્તિઓને છાવરવા માટે તપાસનીશ ઉપર રાજકીય પ્રેશર થઇ રહ્યાનું કહેવાય છે.બહાદુરની ધરપકડ બાદ વેગવાન બની ગઇ છે.પરંતુ, તપાસ સીબીઆઇને સોંપવાની માંગણી થઇ રહી છે ત્યારે તપાસમાં ઇરાદા પૂર્વકની ક્ષતિ રાખવમાં આવે તો તપાસનીશને વણજારા એન્ડ કંપનીની બાજુની ખોલીમાં પડોશી થવું પડે તેવી દહેશત દેખાય છે. અને ઉપરી કે રાજકીય દબાણને વશ ન થાય તો જૂના કેસ ઉખેડે તેવો ભય સતત સતાવી રહ્યો હોવાથી ખૂન કેસની તપાસમાં જોડાયેલા તમામની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઇ ગઇ છે.
* કચ્છના ગોર દાદા ગિનીસ બુકમાં ચમક્યા!
કચ્છી માટીના અણમોલ રત્નો ચાહે દુનિયાના કોઇ પણ છેડે વસતા હોય તે દરેક ક્ષેત્રે હંમેશાં આગળ જ હોય મૂળ મુન્દ્રાના ગુંદાલા ગામના રવિશંકર મહારાજે ૭૬ વર્ષની વયમાં ૧૦,૦૦૦થી પણ વધુ લગ્નવિધિઓ કરાવીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.રવિવારે ભુજમાં પોતાના કૌટુમ્બિક લગ્નપ્રસંગમાં આવેલા રવિશંકર મહારાજે ‘દિવ્ય ભાસ્કર’ સાથેની ખાસ મુલાકાતમાં વિગતો આપી હતી. તેઓ ૧૬ વર્ષની વયથી મુંબઇમાં જ સ્થાયી થયા છે, પણ તેમનું શૈશવ તો ગુંદાલાની ધરતીમાં જ વિત્યું છે. કચ્છની ધરતીના ઉમદા સંસ્કારોનું તેનામાં સિંચન થયું છે.તેણે લાક્ષણિક અદામાં કહ્યું કે, કર્મકાંડ એ તો અમારો બાપીકો ધંધો કહેવાય આમ તો ધી બોમ્બે ગ્રીન એસોસિયેશનમાં હેડકલાર્ક ઓફ ધ ગોડાઉન તરીકે ફરજ બજાવતા હતા છતાં સાથે-સાથે ૧૯૬૬માં સૌ પ્રથમ વખત લગ્નવિધિ કરાવવાની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં હાઇએસ્ટ ૧૦,૦૦૦થી વધુ લગ્નવિધી કરાવીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ મેળવ્યું છે!
અમદાવાદમાં મોડી સાંજે એક ઇંચ વરસાદ
શનિવારની જેમ રવિવારે પણ અમદાવાદમાં મોડી સાંજે ભારે ઝાપટાં સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ભારે ઝાપટાને કારણે શહેરમાં રોડની આજુબાજુમાં પાણી ભરાઇ ગયા હતા. શહેરમાં અડધા કલાક સુધી વરસાદ પડ્યો હતો. શહેરનાં અમુક વિસ્તારમાં એક ઈંચ અને કેટલીક જગ્યાએ ભારે ઝાપટા નોંધાયા હતા.અચાનક વરસાદ પડતાં રવિવારે ફરવા નીકળેલા લોકોના રંગમાં ભંગ પડ્યો હતો. દરમિયાન હવામાનખાતાએ હળવા ઝાપટાની આગાહી કરી હતી. શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડે છે. જોકે ચાલુ અઠવાડિયાના વરસાદની પેટર્ન એ રહી છે કે સાંજે અથવા મોડી સાંજે જ વરસાદ ખાબકે છે. અંદાજે અડધાથી એક કલાકમાં ભારે ઝાપટા પડીને તે બંધ થઇ જાય છે. રવિવારે પણ શનિવારનું પુનરાવર્તન થયું હતું.આખો દિવસ સ્વચ્છ વાતાવરણ છતાં મોડી સાંજે સાડા સાતે ભારે ઝાપટા પડ્યા હતા. અંદાજે અડધા કલાક ચાલેલા ભારે ઝાપટાને કારણે ક્યાંક ક્યાંક પાણી ભરાયા હતા. ઉપરાંત રવિવારની રજા માણવા નીકળેલા લોકો ભીંજાય જતા રંગમાં ભંગ પડ્યો હતો.
ધારી : ભાભીની લાજ લેવાનો દિયરનો પ્રયાસ
ધારીના પ્રેમપરામાં રહેતી પરિણીતા ઘરમાં એકલી હતી ત્યારે વંડી ટપીને અંદર આવેલા તેના સગા દિયરે લાજ લેવાનો પ્રયાસ કરી માર માર્યાની ઘટના બનતા ભારે ચકચાર ફેલાઇ છે.આ ઘટના ગઇકાલે સાંજે આઠેક વાગ્યાના સુમારે ધારીના પ્રેમપરામાં બની હતી. જ્યાં દિનેશ નાનકદાસ મારૂ નામના દલિત બાવાજીની પત્ની ઘરમાં એકલી હતી ત્યારે તેનો સગો દિયર મહેશ નાનકદાસ મારૂ વંડી ટપીને ઘરમાં આવ્યો હતો. મહેશે પોતાની ભાભીની લાજ લેવાનો પ્રયાસ કરી પછાડી દઇ લાફા માર્યા હતા.જો કે, આ મહિલાએ રાડારાડ કરતા મહેશ મારૂ ત્યાંથી નાસી છુટયો હતો. સગી ભાભી પર નજર બગાડનારા આ શખ્સ સામે ધારી પંથકમાં ફિટકારની લાગણી વરસી રહી છે. રેખાબેન મારૂએ આ બારામાં તેની સામે ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હે. કોન્સ્ટેબલ આર.બી. જાડેજા બનાવની તપાસ ચલાવી રહ્યા છે.સગી ભાભી પર નજર બગાડનારા શખ્સને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
જુનાગઢ : ચાર વર્ષનાં બીમાર માસૂમને તબીબે ફડાકો ખેંચી લીધો
જુનાગઢમાં તાવમાં પટકાયેલા એક ૪ વર્ષનાં માસુમ બાળકની તપાસ કરતી વખતે બાળકે તેમનાં હાથને પગ અડાડી દીધો. કોઇ ભયંકર ગુનો તેણે આચર્યો હોય તેમ તબીબે તેને એક લાફો ઝીંકી દેતાં બાળકનાં પિતાએ તબીબ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસમાંથી પ્રાપ્તવીગતો મુજબ, જૂનાગઢમાં સેલ્સટેક્ષ ઓફિસમાં નોકરી કરતા હરેશભાઇ રણજીતસિંહ ચંદેલાનાં ૪ વર્ષીય પુત્ર અમિતને તાવ આવતો હતો. અમિતને કાયમી ધોરણે સરદારબાગ રોડ ઉપર આવેલી દ્વારકાધીશ માર્કેટમાં દવાખાનું ધરાવતા પેડીયાટ્રીશીયન ડૉ. વિજય ભાલોડિયાની ટ્રીટમેન્ટ અપાતી હોઇ સ્વાભાવિકપણે હરેશભાઇ તેમનાં પત્ની સાથે ડૉ. ભાલોડિયા પાસે જ ગયા.અમિત પિતાનાં ખોળામાં બેઠો હતો અને ડોક્ટર તેની છાત પર સ્ટેથોસ્કોપ મુકીને તપાસતા હતા. પુખ્ત વયની વ્યક્તિ જેવી તન-મનની સ્થિરતા બાળકમાં ન હોય એ દેખીતી વાત છે. અમિતે પોતાનો પગ હલાવ્યો. જે ડૉ. વિજયનાં હાથ ઉપર લાતની જેમ વાગ્યો.
અમદાવાદમાં ૩૮૪ લૂંટ, ૯૪ અપહરણ,૪૯ ખૂન
ગુજરાતના મેગાસિટી અમદાવાદનો ક્રાઇમ રેકોર્ડ વધતો જાય છે. પાછલા એક વર્ષમાં નોંધાયેલા ગુનાની સરખામણીમાં ચાલુ વર્ષના છ મહિનામાં નોંધાયેલા ગુનાનું પ્રમાણ વધારે છે. કુલ ૩૨ પ્રકારના ગુના પૈકી લૂંટફાટના ગુનાઓમાં ડિટેક્શન ઓછું જોવા મળે છે.અમદાવાદમાં વર્ષ ૨૦૦૯માં ૮૩ ખૂન થયાં હતાં અને ૫૦ કેસમાં ખૂનનો પ્રયાસ થયો હતો. લૂંટફાટના ૮૪૪ , ચેઇન સ્નેચિંગના ૫૨૨, વાહનચોરીના ૪૩૩૨ અને ચીટિંગના ૨૦૫ કેસ પોલીસ ચોપડે નોંધાયા હતા, જેની સામે જુલાઈ, ૨૦૧૦ સુધીના આંકડા જોઈએ તો ૪૯ ખૂન છે. ૩૦માં ખૂનનો પ્રયાસ છે. લૂંટફાટના ૩૮૪ કેસ બન્યા છે. ચેઇન સ્નેચિંગના ૨૬૨, વાહનચોરીના ૨૧૨૩ તેમજ ચીટિંગના ૧૦૮ કિસ્સા બન્યા છે.અમદાવાદમાં અપહરણની ઘટનાઓ પણ ઓછી થતી નથી. પાસામાં પકડાયેલી વ્યક્તિની સંખ્યા બે વર્ષમાં વધી છે. ગયા વર્ષે ૮૮૨ આરોપીને પાસામાં પકડવામાં આવ્યા હતા, પરંતુ આ વર્ષે છ મહિનાના ગાળામાં ૫૦૦ને પોલીસે પકડ્યા છે. જોકે રાયોટિંગના કેસ ઝડપથી ઉકલી જાય છે. વાહનચોરીમાં પોલીસ પાસે કોઈ તરકીબ નથી, જેથી તે ગુનો ઉકેલવાની ટકાવારી સાવ ઓછી જણાય છે. છ માસમાં માત્ર ૧૧ ટકા ભેદ ઉકેલાયો છે.
ગોડમધરનો વોન્ટેડ પુત્ર કાનો જાડેજા સુરતમાંથી ઝડપાયો
પોરબંદરમાં વર્ષ ૨૦૦૫માં ભાજપ અગ્રણી કેશુ નેભા ઓડેદરાની સરાજાહેર હત્યા કરવાના ગુનામાં પાંચ વર્ષથી ફરાર ગોડમધર સંતોકબેનનો પુત્ર કાનો સુરત પાસેથી પકડાયો છે. જો કે પોલીસે આ બાબતે કઈ કહેવાના બદલે મૌન સેવી લેતા અનેકવિધ અટકળ થઇ રહી છે.અંગત અદાવતમાં ગોડમધરના ત્રણ પુત્ર કાંધલ, કરણ અને કાનાએ ૧ માર્ચ ૨૦૦૫ના સવારે ધોળે દિવસે ભર બજારે કેશુ નેભાને ગોળીઓ ધરબી હત્યા કરી હતી. હત્યાના ૨૪ કલાકમાં જ પોલીસે કાંધલ, કરણને ઝડપી લીધા હતા. જ્યારે કાનો રાજ્ય બહાર નાસી ગયો હતો. બનાવના બે વર્ષ પછી જામીન પર છુટેલો કરણ રાજકોટમાં ૨૦/પ/૨૦૦૬ના સગા ભાભી એટલે કે કાંધલની પત્ની રેખાને સાત ગોળી ધરબીને હત્યા કરી ભાગી ગયો હતો. તેને પોલીસે મુંબઇમાંથી પકડ્યોહતો. પરંતુ, કાનો આજ દિન સુધી ફરાર હતો.દરમિયાન ફરાર કાના અંગે સ્થાનિક પોલીસને સચોટ માહિતી મળતા તેને ઉઠાવી લેવાયો હોવાનું વિશ્વસનીય સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જો કે પોલીસે આ અંગે સત્તાવાર કંઇ જાણકારી ન હોવાનું કહી મૌન ધારણ કરી લીધું છે. ૨૦૦૬માં કાંધલ પણ રાજકોટમાંથી પોલીસ જાપ્તો તોડીને નાસી ગયા બાદ બે વર્ષ પછી પૂનામાંથી પકડાયો હતો. સૂત્રોના કહેવા મુજબ, કેશુ નેભા કેસ પોરબંદરની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી રહ્યો છે અને એ કેસમાં તેમના વિરુધ્ધ મજબૂત પુરાવા છે. સમાધાનની કોઇ ગુંજાઇશ નથી ત્યારે સાત વર્ષથી ફરાર કાનો એકાએક પકડાઇ જતાં ભારે ચકચાર જાગી છે.
કપાસીયા તેલમાં ભેળસેળ કરનાર વેપારીને ત્રણ માસની કેદ
કાપસીયા તેલમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર વેપારીને મેટ્રેપોલીટન મેજીસ્ટ્રેટ બી.ડી.પટેલે ત્રણ માસની કેદની સજા ફટાકારી છે.આ કેસની વિગત એવી છેકે વાસણા વિસ્તારમાં યોગેશ્વર વિ-૨ પાસે આવેલા મહાલક્ષ્મી કિરાણા સ્ટોર ખાતેથી અમદાવાદ મહાનગર પાલીકાના હેલ્થ વિભાગના ઇન્સ્પેકટર કેતન મહેતાએ દરોડો પાડી લુઝ ડબ્બામાંથી તેલના નમુના લીધા હતા. તેમજ તે નમુના પૃથ્થકકરણ માટે પબ્લીક હેલ્થ લેબોરેટરીને મોકલી આપ્યા હતા. તે કપાસીયા તેલમાંથી આયોડીનની ઓછી માત્રા, તેનો બી.આર.રિડીંગ પણ ખુબ ઓછો આવ્યો હતો.જેને આધારે સ્ટોરના માલીક ફુલારામ પદમાજી પ્રજાપતિ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. તે કેસમાં મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ બી.ડી.પટેલે નોંધ્યું હતું કે લોકો તેલનો રોજબરોજના ખાણામાં ઉપયોગ કરે છે. ઝુંપડપટ્ટીથી લઇ બંગ્લા સુધી તેનો ઉપયોગ થાય છે. તે કિસ્સામાં જો સજા ન કરવામાં આવે તો કાયદાનો હેતુ રહે નહી માટે આરોપીને સજા કરવી આવશ્યક છે. તમામ દલીલો ધ્યાને લઇ કોર્ટે આરોપી વેપારીને ત્રણ માસની કેદ તથા રૂ. ૧૦૦૦નો દંડ ફટકાર્યો છે.
મરીમાં ભેળસેળ કરનાર વેપારીને છ માસની કેદ
ભેળસેળ યુક્ત કાળા મરીનું વેચાણ કરનાર વેપારીને મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ બી.ડી. પટેલે છ માસની કેદની સજા ફટકારી છે. આરોપીને જો ભેળસેળના ગુનામાં સજા ન કરવામાં આવે તો કાયદાનો અર્થ ન રહે તેવી નોંધ સાથે મેજીસ્ટ્રેટ દ્વારા આરોપીને સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.આ કેસની વિગત એવી છેકે સરખેજ વિસ્તારમાં હરીઓમ કિરાણાસ્ટોર ખાતે ગત ૧૮મી જુન ૨૦૦૮ના રોજ અમદાવાદ મહાનગર પાલીકાના હેલ્થ વિભાગના ઇન્સ્પેકટર દ્વારા કાળામરીની ખરીદી કરવામાં આવી હતી. તેના નમુના પૃથ્થકરણ માટે પબ્લીક હેલ્થ લેબોરેટરીને મોકલી આપવામાં આવ્યા હતા. જેના રીપોર્ટમાં એવી હકીકત બહાર આવી હતીકે આ મરી ભેળસેળ યુકત છે. તેને આધારે હરીઓમ કિરાણાસ્ટોરના માલીક સંદપિ ત્રિકમભાઇ પ્રજાપતિ વિરૂદ્ધ ફરીયાદ નોંધવામાં આવી હતી. જે અંગેનો કેસ ચાલી જતાં મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ બી.ડી.પટેલે આરોપીને છ માસની કેદ તથા રૂ. ૧૦૦૦નો દંડ ફટકાર્યો છે.
જીવનમાં ક્રોધ વિનાશ વેરે છે : આચાર્ય ગુણરત્નસૂરિ
ક્રોધ માનવીને ભાન ભુલાવી વિનાશ વેરે છે. રામાયણ અને મહાભારતમાં આવાઅનેક ર્દષ્ટાંતો છે. તમને જેના પર ક્રોધ આવે તેને ૧૦ રૂપિયા આપવાનું શરુ કરો ક્રોધ ભાગી જશે. આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજે આ શબ્દો ઉમરા સંઘ ખાતે રવિવારે યુવાનોને સંબોધતા કહ્યા હતા. આ પ્રસંગે સામૂહિક આરાધવના કરતા ૬૫૦ યુવાનો અને હજારો શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા. રવિવારે ચાતુમૉસ નિમિત્તે શહેરના વિવિધ સંઘોમાં શિબિર અને આરાધનાના કાર્યક્રમો યોજાયા હતા.ઉમરા સંઘના શિબિરમાં ૬૫૦ યુવાનો દ્વારા સિદ્ધિતપ આરાધના.આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજની નિશ્રામાં ઉમરા સંઘ ખાતે રવિવારીય શિબિરમાં ૬૫૦ યુવાનો સામૂહિક સિદ્ધિતપની આરાધના કરી રહ્યા છે. આ પ્રસંગે આચાર્ય રશિ્મરત્નસૂરિ મહારાજે કહ્યું કે ભારતની સંસ્કૃતિ મંદિરોની છે. સંતોના દર્શન જીવનમાં નવો પ્રાણ પૂરે છે. અંગ્રેજો પણ ભારતની ત્રણ ચીજોથી પ્રભાવતિ હતા, મંદિરો, સંતો અને સિંહો.
ઠંડા પીણાની બોટલમાં હાનિકારક પદાર્થ નીકળતાં પેપ્સીકો કંપનીને દંડ
શહેરના વાઘોડિયારોડના રહીશે ખરીદેલી સ્લાઈસ ઠંડા પીણાની બોટલમાં જીંદગી જોખમાય તેવા હાનિકારક પદાર્થ નીકળતાં ગ્રાહક કોર્ટ સ્લાઈસ ઠંડા પીણાની ઉત્પાદક પેપ્સીકો કંપનીને રૂ. ૧૫ હજારનો દંડ ફટકાર્યો હતો.વાઘોડિયારોડ પર ક્રિષ્ણાપાર્ક સોસાયટીમાં રહેતાં જયેશ ચંદ્રભાણ અગ્રવાલે તેમના વિસ્તારની જયશ્રી શારદા સ્ટોરમાંથી ગત નવેમ્બર-૦૭માં પેપ્સીકો ઈન્ડિયા પ્રા. લી. દ્વારા ઉત્પાદીત સ્લાઈસ ઠંડા પીણાની બોટલ ખરીદી હતી. તેમણે આ સીલબંધ બોટલ ઘરે લાવી જોતાં તેમાં ગંભીર પ્રકારની હાનિ પહોંચે તેવો અખાદ્ય પદાર્થ દેખાયો હતો.તેમણે તુરંત દુકાનદાર બબલુ સીંગને બોટલ પાછી લઈ તેમના નાણાં આપી દેવાનું કહેતાં તેણે તેનો ઈન્કાર કર્યો હતો. તેમણે ‘સ્લાઈસ’ના ઉત્પાદક પેપ્સીકો કંપની અને તેનું માર્કેટિંગ મારફત વિતરણ કરતાં વિકાસ માર્કેટિંગનો પણ સંપર્ક કર્યો હતો પરંતુ તેમને યોગ્ય પ્રતિસાદ મળ્યો નહોંતો. આ અંગેની તેમણે ધારાશાસ્ત્રી વિજય વૈરાગી મારફત પેપ્સીકો કંપની, વિકાસ માર્કેટિંગ અને સ્થાનિક દુકાનદાર સામે અત્રેની ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી અને રૂ.૧ લાખનો દાવો કર્યો હતો. આ કેસ ચાલી જતાં ગ્રાહક કોર્ટ વ્યથિત ગ્રાહકને માનસિક ત્રાસ બદલ રૂ. ૧૫ હજારત્રીસ દિવસમાં ચૂકવવાનો પેપ્સીકો કંપનીને આદેશ કર્યો હતો.
મમતાને ફાઈલો પહોંચાડવામાં 11 લાખ સ્વાહા
લાંબા સમયથી રેલવે મંત્રી મમતા બેનર્જીની રેલવે મંત્રાલયમાં ગેરહાજરીને કારણે તેમની પાસે ફાઈલો પહોંચાડવા માટે એક વર્ષથી વધારે સમયમાં સરકારી ખજાનાના 11 લાખ રૂપિયા સ્વાહા થઈ ચુક્યા છે. ફાઈલોને મંજૂરી અપાવા માટે મમતા પાસે લઈ જવા માટે પાંચ અધિકારીઓની દિલ્હી અને કોલકત્તા વચ્ચેની ભાગદોડ પર રેલવેને 11,23,550 રૂપિયાનો ખર્ચો થયો છે. આ પાંચ અધિકારીઓ ક્રમશ: રેલવે મંત્રીના અધિકારી ઓન સ્પેશ્યલ ડ્યુટી ગૌતમ સાન્યાલ, ખાનગી સચિવ શાંતનુ બસુ, કાર્યકારી નિદેશક જે. કે. સાહા, અધિક ખાનગી સચિવ એસ. અશોક અને એ.પી.એસ રતન મુખર્જી છે. સાહા અને મુખર્જીની હવાઈ યાત્રાઓનું ભાડું રેલવે આપી શકતી નથી. પરંતુ અન્ય ત્રણ અધિકારીઓનું વિમાનથી એક જુલાઈ, 2009થી 30 જૂન, 2010 સુધી કોલકત્તા જવા અને આવવા પર 8,73,964 રૂપિયા ખર્ચાય ચુક્યા છે. માહિતીના અધિકાર હેઠળ આપવામાં આવેલા જવાબમાં જણાવાયું છે કે તેના સિવાય રેલવેના પાંચેય અધિકારીઓ આ સમયગાળામાં મમતાને મળવા માટે કોલકત્તા જવા પર 2,49,604 રૂપિયાનું ટીએ-ડીએ પણ મેળવી ચુક્યા છે. આરટીઆઈ કાર્યકર્તા એસ.સી.અગ્રવાલે મમતા બેનર્જીને મળવા જનારા અધિકારીઓ અને ફાઈલોને દિલ્હી-કોલકત્તા લાવવા-લઈ જવા માટેના ખર્ચનું વિવરણ માગ્યું હતું. વિપક્ષ મમતા બેનર્જી પર રેલવે મંત્રાલય સિવાય પોતાના ગૃહ રાજ્ય પશ્ચિમ બંગાળ પર વધારે ધ્યાન આપવાનો આરોપ લગાવી રહ્યું છે. જો કે મમતાએ ગત સપ્તાહે સંસદમાં કહ્યું હતું કે દિલ્હીમાં તેમની ગેરહાજરીની તેમના મંત્રાલયના કામકાજ પર અસર પડશે નહીં. તેમનું કહેવું છે કે તેમના મંત્રાલયનું પ્રદર્શન ગત 50 વર્ષોમાં શાનદાર છે.
શ્રીલંકાએ ફરી સેહવાગ સાથે દગો કર્યો
વિરેન્દ્ર સેહવાગ અને સૂરજ રણદિવના નો બોલના વિવાદનો ગરમાવો હજૂ શમ્યો નથી. ત્યાં જ સ્થાનિક અમ્પયાર કુમાર ધર્મસેનાએ બે ખોટા અમ્પાયરિંગ કરી ટીમ ઇન્ડિયા સાથે દગો કર્યો છે. ભારતીય બેટ્સમેન વિરુદ્ધ બે વિવાદાસ્પદ અમ્પયારિંગ થયા અને આ બન્ને વખતે ધર્મસેના અમ્પાયર તરીકે હતા. પહેલા તેમણે વિરેન્દ્ર સેહવાગ અને પછી સુરેશ રૈનાને પોતાના ખોટા અમ્પાયરિંગનો શિકાર બનાવ્યો હતો.વિરેન્દ્ર સેહવાગને તેમણે એલબી આઉટ આપ્યો હતો. જો કે, આ બોલ બહાર તરફ જઇ રહી હતી. અમ્યાયરિંગનો નિર્ણય હોય છે કે શંકા હોય તો નિર્ણય બેટ્સમેનના હકમાં આપવામાં આવે છે. પરંતુ ધર્મસેનાએ જરા પણ વિચાર કર્યા વગર કુલસેકરાની ઓવરમાં થયેલી અપિલ દરમિયાન સેહવાગને આઉટ જાહેર કરી દીધો હતો.ધર્મસેનાના વિવાદાસ્પદ નિર્ણયનો બીજો શિકાર સુરેશ રૈના બન્યો છે. મેથ્યુસની ઓવરમાં એક બોલ સુરેશ રૈનાના બેટની નજીકથી નિકળી હતી. અને ધર્મસેનાએ તેને આઉટ આપી દીધો હતો. રીપ્લેમાં સ્પષ્ટપણે જણાતું હતું કે બોલ બેટને અડ્યો ન હતો.
હોટ જ્હોનનાં તેની કો-સ્ટાર્સ સાથે લવ સિન
બોલિવૂડ હોટ હેન્ડસમ હંક જ્હોન અબ્રાહિમ ઓન સ્ક્રિન હિરોઈનનો સાથે હોટ સિન કરવામાં ઘણો લકી છે. જ્હોને આજ સુધીમાં જેટલી ફિલ્મો કરી છે તેમાં મોટાભાગની ફિલ્મોમાં તેણે તેની કોસ્ટાર સાથે લવ મેકિંગ સિન કરેલાં છે.જ્હોને અત્યાર સુદી બિપાશા બાસુ, કેટરિના કૈફ, વિદ્યા બાલન અને ઉદિતી ગોસ્વામી સાથે લવ મેકિંગ સિન આપેલાં છે. હવે તેની આગામી ફિલ્મ આશિયાનેમાં સોનલ સહેગલ સાથેનાં લવ મેકિંગ સિન કરીને ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.આ ફિલ્મમાં જ્હોને સોનલ સાથે કેટલાયે હોટ સિન અને કિસીંગ સિન આપ્યાં છે. આમ તો આ લિસ્ટ અહી પતે તેમ નથી. તે તેની આગામી ફિલ્મ ઝૂઠ હી સહીમાં પણ તેની કોસ્ટાર સાથે આવા સિન કરતો નજર આવશે.
જોરે શોરે વેચાઈ રહી છે હાઉડીની સેક્સ ટેપ
હાઉડી મોન્ટેગે અત્યાર સુધીમાં તેની બ્રેસ્ટની 10 જેટલી સર્જરી કરવી છે અમેરિકન ટીવી સ્ટાર અને હોલિવૂડમાં પ્રખ્યાત સિંગર હાઉડી મોન્ટેગની સેક્સ ટેપ આજકાલ ઈન્ટરનેટ પર ફટાફટ વેચાઈ રહી છે.જી હાં, આ સેક્સ ટેપ હાઉડીએ બ્રેસ્ટ સર્જરી કરાવી તે પહેલાની છે.આ ટેપમાં તે તેનાં એક્સ પતિ સ્પેંસર પ્રાટ સાથે અંતરંગ સંબંધો બનાવી રહેલી બતાવવામાં આવી છે. આ વિશે હાઉડીએ જણાવ્યું હતું કે, ''આ સેક્સ ટેપનાં બે ભાગ છે એક ભાગમાં હું સર્જરી પહેલાંની બતાવવામાં આવી છુ અને બાદમાં મારી બ્રેસ્ટ સર્જરી બાદની હૈદી દેખાડવામાં આવી છે.''હાલમાં લોકો આ સેક્સ ટેપને ઈન્ટરનેટ પર ઘણી મજા લઈને જોવે છે હવે જોવું એ રહ્યું કે આ ટેપ ક્યારે હટાવવાંમાં આવશે.ઉલ્લેખનીય છે કે જો મોટી રકમ સાથે હાઉડી કે તેનો પૂર્વ પતિ આ ટેપ ખરિદવામાટે આગળ આવે તો કંપની તે વેચવાં તૈયાર છે.
હોસ્પિટાલિટી મેનેજમેન્ટ : ખુશ રહો ખુશ રાખો
સાચું કરિયર પસંદ કરવું બહું સહેલી વાત નથી. ઘણા વિદ્યાર્થીઓ માટે ૧૨ ધોરણ પછી કારકિર્દીમાં ઝંપલાવી દેવું જરૂરી હોય છે પણ આ કેવી રીતે શક્ય બને કારણકે આજકાલ તો ગ્રેજયુએશનની ડિગ્રી પણ પૂરતી નથી ગણાતી ત્યારે ૧૨મા પછી સારા ક્ષેત્રનો કોર્સ કરવાની પસંદગી અઘરી બને. પરંતુ જો તમને તમારી ક્ષમતા અને આવડતો અંગે ખબર હોય તો આ પસંદગી તમારે માટે અઘરી નથી.તમને જે કામ કરવાની મજા આવે તે કામ માટે તમે તમારી જાતને તૈયાર કરીને આગળ વધશો તો સફળતા હાથ વગી રહેશે. આજે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી અથવા તો ફુડ ઇન્ડસ્ટ્રી એક એવું ક્ષેત્ર છે જેમાં સતત માત્ર વિકાસ જ થઇ રહ્યો છે. તમે શહેરમાં જ જુઓ તો ખાઉ ગલીથી માંડીને રેસ્ટોરાં રોડ્ઝ વધી ગયાં છે તો બિઝનેસ હોટલ્સની મોટામાં મોટી બ્રાંડ આજે શહેરમાં સ્થપાઇ ચૂકી છે.૨૦૦૫ની સાલમાં એવી વાત હતી કે આશરે ૧૨ કરોડ લોકો આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે પણ ૨૦૧૦માં આ આંકડો કમસેકમ ૨૫-૩૦ કરોડ થઇ ચૂકયો છે. ફુડ સર્વિસ પર્સોનલ માટે સામાન્ય સંજોગોમાં ૧૦-૧૨ જેટલી પોઝીશન્સ ઉપલ્બધ હોય છે. કયુલિનરી સ્કિલ્ઝ અને હોસ્પિટાલીટી એજ્યુકેશન મેળવીને ૨૧મી સદીની અવનવી માંગને પહોંચી વળે તેવા યંગસ્ટર્સની બહુ ઉંચી માંગ છે.જો તમારામાં આવડત હશે, ટેલન્ટ હશે, વર્ક અથિકસ સારા હશે તો પછી તમારો વિકાસ ખૂબ ઝડપથી થશે. હોસ્પિટાલિટી મેનેજમેન્ટના આકર્ષક ક્ષેત્રમાં તમારા સ્વગે અને મહત્વકાંક્ષાઓ પુરાં કરવા માટે ‘સ્કાય ઇઝ ધી લિમીટ’ જેવો ઘાટ છે. જરૂરી છે કે તમારા સ્વપ્નાંને તમે ઉઘાડી આંખે જુઓ અને તે પૂરાં કરવાના રસ્તે ક્યાંય થોભો નહીં. આ ક્ષેત્રમાં સફળતાના મામલે કહી શકાય કે, ‘ તમે ક્યાંથી શરૂ કરો છો તે નહીં બલ્કે ક્યાં પૂર્ણ કરો છો તે જ અગત્યનું છે.’
23 August 2010
22 August 2010
ત્રિકોણીય શ્રેણીમા 20 ઓવરના અંતે ભારત 71-4
visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
ત્રિકોણીય શ્રેણીમા 20 ઓવરના અંતે ભારત 71-4
શ્રીલંકા ખાતેની ત્રિકોણીય શ્રેણીમા ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારત તરફથી વિરેન્દ્ર સેહવાગ અને દિનેશ કાર્તિકે બેટિંગની શરૂઆત કરી હતી. જો કે, સેહવાગ 12 રનના વ્યક્તિગત સ્કોરે કુલસેકરાની ઓવરમાં એલબી આઉટ થયો છે. જ્યારે દિનેશ કાર્તિક કુલુસેકરાની ઓવરમાં 9 રનના વ્યક્તિગત સ્કોરે સંગાકારાના હાથે ઝલાઇ ગયો હતો.રોહિત શર્મા ફરી એક વખત નિષ્ફળ રહ્યો હતો. 11 રનના વ્યક્તિગત સ્કોરમાં મેથ્યુસની ઓવરમાં એલબી આઉટ થયો હતો.સુરેશ રૈના 8 રનના વ્યક્તિગત સ્કોર પર પરેરાની ઓવરમાં સંગાકારાના હાથે કેચ આઉટ થયો હતો. આ સાથે જ ભારતનો સ્કોર ચાર વિકેટ ગુમાવીને 71 રન થયો છે. નોંધનીય છે કે, વરસાદના કારણે શ્રીલંકા- ન્યૂઝીલેન્ડ ખાતેની મેચ પડતી મુકવામાં આવી હતી. જેના કારણે આજની મેચ શ્રીલંકા માટે કરો યા મરો જેવી થઇ ગઇ છે. જ્યારે ભારત માટે આ મેચ ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરવા માટેની સૂવર્ણ તક સમાન છે.ભારતમાં બે પરિવર્તન કરવામાં આવ્યા છે. જેમાં વિરાટ કોહલીના સ્થાને યુવરાજ સિંહનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ સ્પેશિય સ્પિનરના રૂપમાં રવિન્દ્ર જાડેજાનો ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ પહેલા ભારત-શ્રીલંકા વચ્ચે રમાયેલી ત્રિકોણીય શ્રેણીની મેચમાં શ્રીલંકાના બોલર રણદિવ દ્વારા સેહવાગને સદીથી વંચિત રાખવા માટે ફેંકવામાં આવેલા ઇરાદાપૂર્વકના નો-બોલના કારણે ખાસ્સો વિવાદ ચગ્યો હતો. અને રણદિવ પર એક મેચ થતાં તેને પ્રેરિત કરવા બદલ દિલશાન પર મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
પાટીદાર સમાજનો ખંડણીખોરોને પડકાર
રાજ્યના માજી ગૃહરાજ્યમંત્રી અમિત શાહના ઇશારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ખંડણીનો ભોગ બનેલા પોપ્યુલર બિલ્ડરવાળા રમણ પટેલ અને દશરથ પટેલનું આજે પાટીદારા સમાજ દ્વારા બાપુનગરમાં જાહેર સન્માન કરી ખંડણીખોરોને પડકાર ફેંકવાનો નિર્ધાર કરવામાં આવ્યો હોવાનું પાટીદાર સમાજના કન્વીનર રોહિત પટેલે જણાવ્યું હતું.આજે સાંજે ૪-૦૦ કલાકે બાપુનગર સ્થીત ઇન્દુલાલ યાજ્ઞિક હોલ ખાતે યોજાનારા આ પાટીદાર એકતા સંમેલન અંગે વધુ માહિતી આપતાં રોહિત પટેલે જણાવ્યું હતું કે પોપ્યુલર બિલ્ડર્સ પટેલ બંધુઓ પર ફાયરિંગ થી લઇને તેમની પાસેથી લેવાયેલી લાખો રૂપીયાનની ખંડણી અને સંખ્યાબંધ ખોટા આક્ષેપોમાંથી પટેલ બંધુઓ નિડરતા અને પ્રમાણીકતાના જોરે બહાર આવ્યા છે.આ વાતો ગુજરાતમાં કંઇ કેટલાય લોકો પરેશાન હશે તે તમામની હિમ્મત ખુલે તથા તેઓ પણ પોતાના પર થતા અત્યાચાર જાહેરમાં જણાવે તો આ ખંડણી અને અત્યાચારનું દુષણ ચોકકસ બંધ થશે. આ હેતુ માટેજ ખાસ પાટીદાર એકતા સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે.વધુમાં પાટીદાર અગ્રણીઓએ જણાવ્યું હતું કે આ સંમેલનથી ગુજરાત પોલીસને પણ ચેતવણી આપી દેવામાં આવશે કે હવે આ ખંડણીના ષડયંત્ર બંધ કરે અને રાજ્યનો સૌથી મોટા પાટીદાર સમાજ હવે ખંડણીનું દુષણ ક્યારે સહન નહિ કરે.આ ઉપરાંત સંમેલનમાં પટેલ બંધુઓ પોતાના પર થયેલા અત્યાચારોની દુખદ દાસ્તાના સમાજના લોકો આગળ રજુ કરી પોતાની વેદના જણાવશે જોકે આ કાર્યક્રમમાં એકપણ રાજકારણીને આમંત્રણ નહિ આપ્યું હોવાનું રોહિત પટેલે જણાવ્યું હતું.
‘800 વિકેટ મેળવવીએ એવરેસ્ટ સર કરવા સમાન’
શ્રીલંકાના પ્રવાસ દરમિયાન ટેસ્ટ શ્રેણીમાં નબળું પ્રદર્શન કરનાર અને હાલ પગની પિંડીની ઇજામાંથી બહાર આવી રહેલા હરભજન સિંહે ડીએનએને આપેલા ઇન્ટર્વ્યુંમાં જણાવ્યું છે કે, તે આગામી મહિને યોજાનાર ચેમ્પિયન્સ લીગ માટે ફીટ થઇ જશે. આ ઉપરાંત તેણે સહેવાગ સાથે થયેલા નો-બોલ કાંડ અને મુરલીના 800 વિકેટના લક્ષ્યાંક સુધી પહોંચવા અંગે ચર્ચા કરી હતી.
હરભજન સિંહે જણાવ્યું હતું કે, શ્રીલંકન બોલર સૂરજ રણદિવે તે દિવસે જે કર્યું તે ખરા અર્થમાં સેહવાગને રોકવા માટે કર્યું હતું. સેહવાગે ખરેખર શાનદાર બેટિંગ કર્યું હતું. અને તે એ સદીનો હકદાર હતો. અને એ સમયે બોલર તરફથી કરવામાં આવેલો નો-બોલ એ ખોટું પગલું હતું. આ નો-બોલ કોઇ ભૂલ ન હતી. પરંતુ રણદિવને કોઇ આમ કરવા માટે પ્રેરિત કર્યો હતો. એક તરફ તમે ક્રિકેટને જેન્ટલમેન ગેમ કહો છો. અને બીજી તરફ તમે જ ખેલભાવનાને નેવે મુકી દો છો.400 વિકેટની નજીક પહોંચેલા ભજ્જીને જ્યારે 800 વિકેટના લક્ષ્ય અંગે પુછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, 800 વિકેટ હાંસલ કરવા અંગે વિચારવું હજૂ ઘણું દૂર છે. હું એટલે દૂર સુધીનું વિચારતો નથી. જો મારે એ સિદ્ધિ મેળવવી હોય તો મારે દરેક ઇનિંગમાં પાંચ વિકેટ મેળવવી પડે. હું 600 વિકેટ મેળવીને પણ હું ઘણો ખૂશ થઇશ. 800 વિકેટ મેળવવીએ મારી માટે માઉન્ટ એવરેસ્ટ સર કરવા સમાન છે.
ચુડાસમા સોહરાબને વર્ષ ૨૦૦૧થી ઓળખતો હતો
સોહરાબુદ્દીન એન્કાઉન્ટરની તપાસ કરી રહેલી સીબીઆઇની ટીમને અમિત શાહ વિરુદ્ધ કેટલાક પુરાવાઓ મળ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ચાલુ માસમાં સીબીઆઇના કેટલાક અધિકારીઓએ હૈદરાબાદથી જઈ તપાસ કરી હતી, જ્યાંથી એવી એક કડી મળી છે કે જે અમિત શાહ સાથે સંકળાયેલી હોવાનું જાણવા મળે છે.સીબીઆઇનાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સીબીઆઇ સોહરાબુદ્દીન કેસની તપાસ રાજસ્થાન તથા આંધ્રપ્રદેશ તરફ કરી રહી છે. તપાસ દરમિયાન હૈદરાબાદમાં કરાયેલી પૂછપરછમાં એક કડી મળી છે જે સીધી અમિત શાહ સાથે જોડાયેલી છે અને આ લિન્કને સીબીઆઇ ઘણી મહત્વની માની રહી હોવાનું જાણવા મળે છે.આ લિન્ક સોહરાબુદ્દીન કેસ સાથે તથા અન્ય એક કેસ સાથે સંકળાયેલી હોવાનું જાણવા મળે છે.સીબીઆઇને મળેલી મહત્વની કડીઓમાં અભય ચુડાસમા સોહરાબુદ્દીનને સને ૨૦૦૧થી ઓળખતો હતો અને સને ૨૦૦૨ પછી થયેલા કેટલાક મહત્વના ગુનાઓથી સોહરાબુદ્દીન વાકેફ હતો અને તેના કારણે તેનું બોગસ એન્કાઉન્ટર કરવામાં આવ્યું સૂત્રોએ જણાવ્યું છે.ઉપરોક્ત કડીને જોડતી એક કડી હૈદરાબાદથી સીબીઆઇને મળતાં તેના છેડા અમિત શાહ સાથે જોડાતાં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. સીબીઆઇ આગામી દિવસોમાં આ અંગેના પુરાવા કોર્ટ સમક્ષ રજુ કરે એમ સીબીઆઇનાં સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સીબીઆઇ રાજસ્થાનમાં તપાસ કરવા ટુંક સમયમાં જનાર છે ત્યારે તેમણે રાજસ્થાનમાં આ કેસ સંદર્ભે મહત્વની વિગતો આપી શકે તેવી વ્યક્તિઓની એક યાદી તૈયારી કરી છે તે યાદી મુજબ તેઓ પુછપરછ હાથ ધરશે. તા.૧૧મી ઓગસ્ટના રોજ અમિત શાહની જામીન અરજીની સુનાવણી છે. તે પહેલા સીબીઆઇ આધ્ર પ્રદેશ અને રાજસ્થાનમાંથી મહત્વના પુરાવાઓ એકત્ર કરે તેમ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
અમેરિકામાં આ વર્ષે 118 બેન્ક ધરાશાયી
અમેરિકન બેન્કિંગ ક્ષેત્રમાં સંકટના વાદળો હટવાનુ નામ નથી લેતા જેનાથી એમેરિકન બેન્કોના ડબવાની સ્થિતિ હજુ પણ ચાલુ છે. આ વર્ષે અત્યાર સુધીમાં 118 એમેરિકન બેન્કોનું દેવાળુ ફૂંકાયુ છે.દરમહીને લગભગ 15 અમેરિકન બેન્કોનુ દેવાળુ ફૂંકાય છે જેમાં નાના તેમજ મધ્યમ બેન્કોની સંખ્યા સૌથી ઉપર છે. અમેરિકામાં વધતી બેરોજગારીના કારણે બેન્ક દેવાની ચુકવણીમાં નાદારીના કારણે ધરાશાયી થઇ રહી છે.ગત શુક્રવારે માત્ર એક જ દિવસમા આઠ બેન્કને અમેરિકન અધિકારિયોએ બંધ કરવાનો આદેશ આપી દીધો હતો, જેનાથી ઓગસ્ટમાં નાદાર થનારી બેન્કોની સંખ્યા કુલ 10 સુધી પંહોચી ચુકી છે.ફેડરેલ ડિપોજિટ ઈન્શ્યોરંન્સ કૉર્પોરેશન (એફડીઆઈસી)ના મતાનુસાર આ આઠ બેન્કો બંધ થવાથી તેના પર 47.35 કરોડ ડૉલરનુ દેવુ વધશે. એફડીઆઈસી 8000થી વધુ એમેરિકન બેન્કોમાં થાપણોનો વીમો કરે છે.શુક્રવારે જે બેન્કોનુ દેવાળુ ફૂંકાયુ તેમાં શોરબેન્ક, પેસેફિક સ્ટેટ બેન્ક, ઇન્પીરિયલ સેવિન્ગ્સ એન્ડ લોન એસોસિએશન, ઇન્ડિપેન્ડન્ટ નેશનલ બેન્ક, કમ્યુનિટી નેશનલ બેન્ક, લોસ પેડ્રેસ બેન્ક, સોનોમા વેલી બેન્ક અને બુટે કમ્યુનિટિ બેન્કનો સમાવેશ થાય છે.
થાયરોઇડની નવી સારવાર અંગે સેમિનાર
થાઇરોઇડની સમસ્યાથી પીડાતા લોકોને ત્વરિત લાભ થાય તેવા હેતુથી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદ મેન્જમેન્ટ એસોસિએશનમાં સવારથી સાંજ સુધીનાં આ એક દિવસીય સેમિનારમાં અમદાવાદ અને ગુજરાતનાં થાઇરોઇડ નિષ્ણાત ઉપરાંત દેશના વિભિન્ન રાજ્યનાં થાઇરોઇડ નિષ્ણાત હાજર રહેનાર છે. સેમિનારમાં થાઇરોઇડના દર્દીઓ માટે ક્યા પ્રકારની સારવારથી વધુ લાભ થાય તેમજ થાઇરોઇડની સારવારમાં શોધાયેલી લેટેસ્ટ સારવાર અંગે પણ વશિદ છણાવટ કરવામાં આવશે. તેમ જાણીતા સર્જન ડો. અપૂર્વ શાહે જણાવ્યું હતું.
ટેસ્ટ ટ્યુબ ડિલીવરીમાં ટ્વીન્સ-ટ્રીપ્લેટની શક્યતાને ઓછી કરતું ‘વાયોમેટ્રીકસ મશીન’
ટેસ્ટ ટ્યુબ બેબી પધ્ધતિમાં ટવીન્સ કે ટ્રીપ્લેટ બાળકો જન્મવાની શક્યતા રહેતી હોય છે. જેને કારણે જે દંપતિને એક સંતાન હોય ત્યારે ટવીન્સ કે ટ્રીપ્લેટ બાળકો જન્મે ત્યારે એક સાથે ત્રણ કે ચાર બાળકોને સંભાળવાની સમસ્યા ઉભી થાય છે. પરંતુ, આનંદની વાત એ છે કે, ટેસ્ટ ટયુબ બેબી પધ્ધતિથી પણ હવે દપતિ એક બાળક ઇચ્છતા હોય તેવા કિસ્સામાં ‘વાયોમેટ્રીકસ મશીન’ દેશભરનાં અનેક દંપતિઓ માટે ઘણું ઉપયોગી સાબિત થઇ શકે છે.મુંબઇની લીલાવતી હોસ્પિટલના ‘બ્લુમ આઇવીએફ સેન્ટર’માં આવું જ એક મશીન મુકવામાં આવ્યું છે. જેનું ઉદ્ધાટન મહારાષ્ટ્રની મુખ્ય પ્રધાન અશોક ચવાહનાં હસ્તે કરાયું હતું. ‘વાયોમેટ્રીકસ મશીન’ને લીધે ભ્રૂણની પસંદગી વધુ સારી કરી શકાતી હોવાથી ફલીકરણ માટે એકથી વધુ ભ્રૂણના ઉપયોગની જરૂરિયાતને નિવારી શકાય છે. મહત્વની વાત એ છે કે, સમગ્ર વિશ્વમાં આ પ્રકારનું પાંચમુ મશીન મુંબઇમાં કાર્યરત થયું છે.લીલાવતી હોસ્પિટલ, મુંબઇના ડો. પાઇનાં જણાવ્યાં મુજબ, ટેસ્ટ ટયુબ બેબી પધ્ધતિમાં ડોક્ટરો દ્વારા મોટાભાગે ત્રણ જેટલાં ભ્રૂણ ફલીકરણ માટે ઉપયોગમાં લેતા હોય છે, જેને કારણે આ પધ્ધતિ દ્વારા બાળક મેળવવા ઇચ્છતા માતા-પિતાને જોડિયા કે ત્રિપ્લેટ બાળકો જન્મવાની શક્યતા વધી જતી હોય છે. પરંતુ, આ સમસ્યામાંથી ‘વાયોમેટ્રીકસ મશીન’ બચાવી શકે છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ મશીનનાં ઉપયોગથી મહિલાનાં ગભૉશયમાં હવે ત્રણ ભ્રૂણ દાખળ કરવાની જરૂર રહેતી નથી. કારણ કે મશીન દ્વારા ભ્રૂણને સી વી રામન ઇફેકટ દ્વારા સ્કેન કરીને નિર્ણય લે છે કે તે ફલીકરણ માટે શ્રેષ્ઠ છે કે નહિ. અગાઉ અમે ભ્રૂણની બાયોપ્સી કરીને નક્કી કરતાં હતા કે તે યોગ્ય છે કે નહિ. પરંતુ, આ નવી પધ્ધતિથી કાપા વગર આ નિર્ણય લેવાનું શકય બનશે.૩૨ વર્ષ પહેલાં જ્યારે ટેસ્ટ ટયુબ બેબીની શોધ થઇ ત્યારે સંતાન વિહોણા યુગલોને બાળક થવાની શક્યતા બે ટકા જેટલી હતી. પરંતુ, ત્યારબાદ થયેલાં સંશોધનોમાં ૩૫ વર્ષથી નાની ઊંમરની મહિલાઓમાં ગર્ભધારણ કરવાની શક્યતા ૪૦ ટકા જેટલી ઊંચી રહે છે. તેમજ સ્વિર્ત્ઝલેન્ડમાં થયેલા અભ્યાસ મુજબ, નવી ટેકનોલોજીથી ગર્ભધારણની શક્યતા ૭૪ ટકા જેટલી રહે છે.
‘વોટર બોય’ યુવરાજ પણ લેશે બદલો
ત્રિકોણીય શ્રેણીમાં સ્થાન નિશ્ચિત કરવા માટે ભારત પાસે સૂવર્ણ તક છે. અને હવે ટીમ ઇન્ડિયાનો ભરોસાપાત્ર મિડલ ઓર્ડર બેટ્સમેન યુવરાજ સિંહ પણ સંપૂર્ણપણે ફીટ થઇ ગયો હોવાના અહેવાલ છે. અને તે શ્રીલંકા સામેની મેચ થકી ધમાકેદાર આગમન કરવા માટે આતૂર છે.પહેલા ઇજા ફછી ફોર્મ અને ત્યાર બાદ તાવ આ બધાની વચ્ચે યુવરાજ ઘણી વખત મેદાનની બહાર રહ્યો. પરંતુ હવે તે સંપૂર્ણરીતે ફીટ થઇ ગયો છે. અને ફરી એક વખત મેદાનમાં પોતાનું કૌશલ દર્શાવવા ઉત્સૂક છે. સાથોસાથ યુવરાજ પાસે અન્ય એક ઉદ્દેશ્ય એ પણ છે કે તે વોટર બોયના સંબોધન અને સેહવાગ પ્રકરણનો બદલો લે.સેહવાગ અને યુવરાજની દોસ્તી જગજાહેર છે. અને શ્રીલંકાએ જે રીતે સેહવાગ પાસેથી સદીની તક તેઓએ અંચાઇ કરીને છીનવી છે. તેનો આક્રમક જવાબ આપશે. ઉપરાંત તે વોટર બોયના સંબોધનનો પણ બદલો લેશે.શ્રીલંકા સામેની ટેસ્ટ દરમિયાન દર્શકોએ યુવરાજ સિંહને વોટર બોય કહીંને ખિજવ્યો હતો. અને જેનાથી ગુસ્સે ભરાયેલા યુવરાજે દર્શકો સમક્ષ અશ્લિલ ઇશારાઓ કર્યા હતા. હવે યુવરાજ પાસે તેનો જવાબ આપવાની તક છે. ચંદીગઢના આ બેટ્સમેને હંમેશા ટીકાકરોના મોઢા પોતાના બેટથી ચૂપ કરાવ્યા છે. તેના પ્રશંસકોને આશા છે તે ફરી એક વખત આવું જ કરશે.
બટ્ટ-આફ્રિદી નક્કી કરશે યુનિસનું ભવિષ્ય
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન એજાઝ બટ્ટે વનડે ટીમના સુકાની શાહિદ આફ્રિદીને એક પત્ર લખ્યો છે. અને પૂર્વ સુકાની યુનિસ ખાનના ક્રિકેટ ભવિષ્ય અંગે ચર્ચા કરવા 23 ઓગસ્ટે બેઠક યોજવા જણાવ્યુ છે.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સૂત્રોએ આપેલી માહિતી અનુસાર આફ્રિદી સાથેની બેઠકમાં બટ્ટ ઇંગ્લેન્ડમાં યોજાનાર આગામી વનડે શ્રેણી અંગે ચર્ચા કરશે. તેથી એ સ્પષ્ટ સંકેત મળે છે કે આગામી વનડે શ્રેણીમાં યુનિસા ખાનનો સમાવેશ કરવામાં અંગે નિર્ણય લેવાશે.સૂત્રોએ કહ્યું કે, આફ્રિદી અને બટ્ટની 23મી ઓગસ્ટે યોજાનારી બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તેમાં પણ ખાસ કરીને ઇંગ્લેન્ડમા આગામી દિવસોમાં યોજાનારી વનડે અને ટી-20 મેચોને લઇને ટીમ પસંદગી કરવા અંગે પસંદગી સમિતિના સભ્યો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે.
સ્કોટલેન્ડ : વ્હીસ્કીના બળતણથી સામાન્ય કારો દોડશે
સ્કોટલેન્ડમાંના વિજ્ઞાનીઓએ વ્હીસ્કીની આડપેદાશોમાંથી બનાવેલું નવું બાયોફ્યુઅલ રજૂ કર્યું છે. તેઓનું કહેવું છે કે આ બળતણ ઈથેનોલ કરતાં વધુ કાર્યક્ષમતાથી સામાન્ય કારોને પાવર પૂરો પાડશે.એડિનબર્ગની નેપિયર યુનિવર્સિટીની રીસર્ચ ટીમે બાયોફ્યુઅલ બ્યુટાનોલ સર્જવામાં બે વર્ષ ગાળ્યાં હતાં.ટીમે આ સપ્તાહે જાહેરાત કરી હતી કે આ બળતણનો ગેસ ટેન્કમાં એકમાત્ર બળતણ તરીકે અથવા પેટ્રોલ કે ડીઝલ સાથે મિક્સ કરીને ઉપયોગ કરી શકાશે. તેને બાયપ્રોડક્ટ્સ પોટ એલી (કોપર સ્ટીલ્સના પ્રવાહી) અને ડ્રાફ (વપરાયેલા અનાજના દાણા)ને ડિસ્ટિલ કરીને બનાવાયું છે. આ પદ્ધતિ એ જૂની પ્રક્રિયા પર આધારિત છે, જેને ખાંડમાં આથો લાવીને બ્યુટાનોલ અને એસિટોન ઉત્પન્ન કરવા માટે બનાવાઈ હતી.શું આ બળતણ મકાઈ-આધારિત ઈથેનોલના ટીકાકારો માટેનો જવાબ છે? જવાબમાં નેપિયર યુનિવર્સિટીના બાયોફ્યુઅલ રીસર્ચ સેન્ટરના ડિરેક્ટર પ્રો. માર્ટિન ટેન્ગીએ ફાયનાન્સિયલ ટાઈમ્સને કહ્યું હતું કે કેટલીક ઊર્જા કંપનીઓ બાયોફ્યુઅલ ઉત્પન્ન કરવા માટે વિશેષપણે પાકો ઉગાડે છે, પરંતુ અમે બાયોફ્યુઅલ બનાવવા વ્હીસ્કીની બાયપ્રોડક્ટસ જેવા વધારાના મટીરિયલ્સને તપાસી રહ્યા છીએ. આ પર્યાવરણની દ્રષ્ટિએ વધુ સારો વિકલ્પ છે અને સ્કોટલેન્ડના સૌથી મોટા ઉદ્યોગો પૈકીના એક વ્હીસ્કી ઉદ્યોગની પીઠ પર નવી આવક ઓફર કરે છે.
કૃષિ ક્ષેત્રે કારકિર્દી
આપણા કૃષિપ્રધાન દેશમાં આજે પણ ખેતીનું મહત્વ ઘટયું નથી. આ ક્ષેત્રમાં એક હરિયાળી કારકિર્દી આપણી રાહ જોઇ રહી છે. ગુજરાતમાં ૧૯૭૨માં બનાસકાંઠામાં દાંતીવાડા ખાતે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરાઇ હતી. એ પછી કૃષિક્ષેત્રે વધુ અસરકારક રીતે કામ કરવા માટે આ ચાર કૃષિ યુનિ. સ્થપાઇ: આણંદ કૃષિ યુનિવર્સિટી (આણંદ), નવસારી કૃષિ યુનિવર્સિટી (નવસારી) અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી (જૂનાગઢ).ધોરણ-૧૦ પછીના કૃષિ વિષયક અભ્યાસક્રમ.કૃષિ ડિપ્લોમા: બે વર્ષના આ કોર્સમાં ધો.૧૦માં ખેતીના વિષયોને અગ્રીમતા અપાશે.રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા વિવિધ સ્થળે કૃષિ વિદ્યાલયો ચલાવવામાં આવે છે.કૃષિ ડિપ્લોમા કર્યા પછી રાજ્યસરકારની નોકરીઓમાં ખેતીવાડી મદદનીશ, ગ્રામસેવક વગેરે જેવા હોદ્દાઓ પર નોકરી મળી શકે છે. સ્વરોજગારીની પણ ઉજજવળ તકો છે.
વડોદરામાં અન્યાયનો પડઘો: પાદરાના કાર્યક્રમમાં છ ધારાસભ્યો ગેરહાજર
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શનિવારે કરાયેલા મંત્રી મંડળના વિસ્તરણમાં વડોદરા શહેર-જિલ્લાને અન્યાય કરાતાં તેનો પડઘો આજે પાદરામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં પડ્યો હતો. આ ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમમાં સંસદીય સચિવ યોગેશ પટેલ સહિત કુલ-૬ ધારાસભ્યો ગેરહાજર રહેતાં મુખ્યમંત્રી મોદી સામેનો અસંતોષ આજે જાહેરમાં દેખાયો હતો.વડોદરાથી ૧૫ કિલોમીટર અંતરે આવેલા પાદરા નગરમાં તાલુકાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં મહેસુલ મંત્રી આનંદીબહેન પટેલ, સંસદીય સચિવ જયદ્રથસિંહ પરમાર અને વિધાનસભાના ઉપદંડક અંબાલાલ રોહિત ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ આશ્ચર્યની વાત એ રહી હતી કે, આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં જેનું નામ પ્રસિદ્ધ કરાયું હતું તે સંસદીય સચિવ યોગેશ પટેલ ગેરહાજર રહેતાં અનેક તર્ક વિતર્ક થયા હતા.આ ઉપરાંત વડોદરા શહેર-જિલ્લાના ભાજપના કુલ-૭ પૈકી છ ધારાસભ્યોએ ગેરહાજર રહી મુખ્યમંત્રી મોદી સામેનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. જ્યારે ભાજપના વડોદરા ગ્રામ્યના ધારાસભ્ય ઉપેન્દ્રસિંહ ગોહિલ અને પાદરાના અપક્ષ ધારાસભ્ય દિનેશ પટેલ(દિનુ મામા) ગરીબ કલ્યાણ મેળામાં હાજર રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી મોદીની કાર્યરીતિથી નારાજ ભાજપના ધારાસભ્યો ગરીબ કલ્યાણ મેળામાં જવાનું ટાળતા હોવાનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયો હતો. આ અહેવાલને પાદરામાં આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં ૭ પૈકી ૬ ધારાસભ્યો ગેરહાજર રહેતાં સમર્થન મળ્યું હતું. એટલું જ નહીં વડોદરા શહેર-જિલ્લા સહિત સમગ્ર મધ્ય ગુજરાતને મંત્રી મંડળ વિસ્તરણમાં કરાયેલા અન્યાયનો પડઘો વિસ્તરણના ૨૪ કલાકમાં જ પાદરામાં યોજાયેલા સરકારી કાર્યક્રમમાં પડ્યો હતો.
મંત્રીમંડળના ૨૧ સભ્યોમાંથી ૧૦થી વધુ ઉત્તર ગુજરાતના
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મંડળના વિસ્તરણ પાછળ ઓક્ટોબર મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું કારણ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. વિસ્તરણમાં જ્ઞાતિના રાજકીય સમીકરણને પણ ધ્યાનમાં રખાયું છે. આ ઉપરાંત અન્ય મંત્રીઓ પાસે વધારે કાર્યભાર હોવાથી આ વિસ્તરણ કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. મોદી સરકારના કુલ ૨૧ સભ્યોના મંત્રીમંડળમાં ૧૦ થી વધારે સભ્યો ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. એકલા સાબરકાંઠા જિલ્લામાંથી ત્રણ પ્રતિનિધિઓ થયા છે.પ્રદીપસિંહ જાડેજા હાલ વિધાનસભામાં સત્તાધારી પક્ષના મુખ્ય દંડક છે. મંત્રી બનતાં તેમણે દંડકપદેથી રાજીનામું આપી દેવું પડશે. સંભવત: સોમવારે તેઓ રાજીનામું આપી દેશે. રાજ્યકક્ષાના ગૃહમંત્રી તરીકે શપથ લેનારા પ્રફુલ્લ પટેલ એક સમયે ભાજપના જ એક મંત્રીના અંગત સચિવ હતા. મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના મંત્રી મંડળમાં મંત્રી દિલીપ પટેલના અંગત સચિવ તરીકે પ્રફુલ્લ પટેલ હતા.મોદી કેબિનેટમાંથી અત્યાર સુધીમાં રાજ્યકક્ષાના બે મંત્રીઓ માયાબહેન કોડનાની અને અમિત શાહ રાજીનામું આપી ચૂક્યાં છે. એક મહિલા મંત્રી સામે બીજી મહિલા મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મોદી-વરુણ બિહારમાં પ્રચાર કરે : શત્રુ
બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના યુવાન સાંસદ વરુણ ગાંધી પ્રચાર કરશે કે કેમ તે યક્ષ પ્રશ્ને ભાજપના નેતાઓ હજી ફોડ પાડતા નથી. પરંતુ બીજી તરફ પક્ષના અનેક દિગ્ગજ નેતાઓએ આ બન્નેને પ્રચાર માટે મોકલવા હાઈ કમાન્ડને કહ્યું છે. બિહારના જ ભાજપના સાંસદ અને અભિનેતા શત્રુઘ્ન સિંહાએ પણ કહ્યું છે કે મોદી અને વરુણ બન્નેને પક્ષે ચૂંટણી પ્રચાર માટે મોકલવા જોઈએ.પટનામાં પત્રકારો સાથેની વાતચીતમાં શોટગને કહ્યું કે ચૂંટણીમાં પ્રચાર માટે કોણ આવશે અને કોણ નહીં તેનો નિર્ણય પક્ષના ટોચના નેતાઓ કરશે, પરંતુ મારો વ્યક્તિગત અભિપ્રાય એ છે કે આગામી ચૂંટણીમાં મોદી અને વરુણે બિહારમાં પ્રચાર માટે આવવું જોઈએ. તેમણે કહ્યું કે રાજ્યના અનેક નેતાઓ અને કાર્યકરોએ પણ કહ્યું છે કે આ બન્ને નેતાઓ પ્રચાર માટે આવશે તો પક્ષને ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે બિહારમાં હાલ ભાજપ અને જનતાદળ(યુ)ની યુતિ સરકાર શાસનમાં છે.મુખ્યમંત્રી નીતીશકુમારના પક્ષે મોદી-વરુણને બિહારમાં પ્રચાર માટે ન મોકલવાનો આગ્રહ રાખ્યો છે. ભાજપ માટે જેડી(યુ)નો સાથ પણ મહત્વનો છે અને બીજી તરફ પક્ષના નેતાઓનું આ રીતે દબાણ વધી રહ્યું છે. તેમાં પણ મોદીના ફોટા સાથેના પોસ્ટરોનો વિવાદ વકર્યા પછી આ મુદ્દો સંવેદનશીલ બની ગયો છે.
રાષ્ટ્રિય સમૂહ ગાન દ્વારા ટાગોર હોલની ધરતી ધ્રુજી ઊઠી
‘‘જનની જન્મભૂમિ સ્વર્ગ સે મહાન હૈ, તુમ સમય કી રેત પર છોડ કે ચલો નિશા...’’ જેવા અનેક રાષ્ટ્ર ગીતો પર આજે ટાગોર હોલની ધરતી ધ્રુજી ઊઠી હતી. કારણ કે બારત વિકાસ પરિષદની પાલડી શાખા દ્વારા આ હોલમાં રાષ્ટ્રિય સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૪૦ જેટલા અલગ અલગ રાષ્ટ્રગીતો સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવ્યા હતાં.સમૂહગાનની આ સ્પર્ધામાં પાલડી વિસ્તારની ૨૨ જેટલી સ્કૂલના ૩૫૦થી પણ વધારે વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. જેમાં પ્રાથમીક વિભાગમાં ૧૨ ટીમો, માધ્યમિક વિભાગમાં ૮ અને સંસ્કૃત વિભાગમાં ૩ ટીમોએ ભાગ લીધો હતો. આ અંગે ભારત વિકાસ પરિષદના અરૂણભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ‘અમારી ભારત વિકાસ પરિષદની દિલ્હી શાખા દ્વારા ૪૦ રાષ્ટ્રગીતોનું એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે. આ પુસ્તકના આધાર પર જ દરેક સ્કૂલે પોતાના ગીતો સિલેકટ કરવાના હતાં.આ સિલેકટ કરેલા ગીતો પર સ્કૂલના સંગીત શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પોતે જાતે મ્યુઝિક અને સૂર તાલ બનાવવાના હતાં.’ આ સ્પર્ધામાં પ્રાથમીક અને માધ્યમિક વિભાગમાં ડિવાઇન લાઇફ સ્કૂલની ટીમ વિજેતા થઇ હતી.જ્યારે સંસ્કૃત વિભાગમાં સંસ્કારધામ સ્કૂલ વિજેતા થઇ હતી. જેઓને ટ્રોફી આપવામાં આવી હતી. જ્યારે અન્ય વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામા આવ્યા હતાં. આ વિજેતા થયેલી ટીમ જીલ્લા અને રાજ્ય કક્ષાએ સ્પર્ધા માટે જશે. આ સ્પર્ધામાં લાયન સુરેષભાઈ પટેલ અને એચ.કે. કોલેજના પ્રિન્સિપાલ સુભાષ ભ્રમબટ્ટે હાજરી આપી હતી.
ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી અપર્ણા કમિશનર
સુરતનાં મ્યુનિસપિલ કમિશનર એસ.અપર્ણાની બદલી અંગે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ચર્ચાનો શનિવારે અંત આવી ગયો હતો. આગામી કોર્પોરેશનની ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી રાજ્ય સરકાર કોઈ કમિશનરોને બદલાવવા માગતાં ન હોવાનો સરકારનો રૂખ જોઈ શનિવારે ગાંધીનગર ગયેલાં એસ. અપર્ણા પરત ફર્યા હતાં.કોર્પોરેશનનાં કમિશનર તરીકે ત્રણ વર્ષથી ફરજ બજાવતાં એસ.અપર્ણાની છબિ સ્વચ્છ છે. બીજી બાજુ મસમોટા પ્રોજેક્ટ લઈ બેઠેલા બિલ્ડરો પોતાનાં કામો ન થતાં હોવાની બૂમરાણ મચાવી રહ્યા છે એટલું જ નહીં અંદર ખાનેથી એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે બિલ્ડર લોબી અને સ્થાનિક રાજકારણીઓ દ્વારા એસ. અપર્ણાને બદલવાની માગ કરવામાં આવી છે, ત્યારે શનિવારે ખુદ એસ.અપર્ણા આ પ્રકારના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવા માટે ગાંધીનગર ગયા હતા. તેઓ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળીને પોતાની બદલીની સામે ચાલીને માગ કરવાનાં હતાં પરંતુ કહે છે કે આવનારી ચૂંટણી પૂરી કર્યા બાદ જ મ્યુનિસપિલ કમિશનરોની બદલી અંગે વિચારવામાં આવશે તેવું વાતાવરણ લાગતાં તેઓ પાછા ફર્યાં હતાં.સુરત મ્યુનિસપિલ કોર્પોરેશનમાં અત્યાર સુધીનો ઈતિહાસમાં જોઈએ તો કોઈ કમિશનર ત્રણ વર્ષથી વધુ ટક્યા નથી ત્યારે બલવંતસિંગ પછી એસ. અપર્ણાએ સૌથી વધુ સમય કાઢ્યો છે. જ્યારે અન્ય મ્યુનિસપિલ કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં આઇપી ગૌતમ તેમજ વડોદરા મ્યુનિસપિલ કોર્પોરેશનના કમિશનર એમ.કે. દાસનો પણ સમય પૂરો થઈ ગયો છે છતાં બદલી થઈ નથી. આથી નજીકના વર્તુળોમાં છેલ્લા એક માસથી મ્યુનિસપિલ કમિશનરોની બદલીની વાતો ચાલી રહી છે.
તહેવારી માંગે સોનુ રૂ. 19000ની નજીક
વૈશ્વિક તેજીની વચ્ચે તહેવારી માંગને પુરી કરવા માટે સ્ટોકિસ્ટો અને આભૂષણ નિર્માતાઓની ખરિદ્દારીની વચ્ચે સમીક્ષાધીન સપ્તાહ દરમિયાન દિલ્હી સર્રાફા બજારમાં સોનાના ભાવોમાં તીજી રહી અને આના ભાવ 19000 રૂપીયાના મનોવૈજ્ઞાનિક સપાટીની નજીક પહોચ્યો હતો.સ્થાનિક બજારની દિશા નક્કિ કરનારા વૈશ્વિક બજારમાં આ તેજી એવા સમયમાં જોવા મળી છે જ્યારે તહેવારી મોસમની ખરીદ્દારી ઝડપી છે. વિદેશોમાં સોનાના ભાવ ઉંચકાઇને 1237.50 ડૉલર પ્રતિ ઓંસ સુધી ગયા હતા, સ્થાનિક બજારમાં સોના (99.9 શુદ્ધ)ના ભાવ સ્ટોકિસ્ટો, અને આભૂષણ નિર્માતાઓની સતત ખરીદ્દારીના ચાલતા 195 રૂપીયાની તેજીની સાથે સપ્તાહાંતમાં ક્રમશઃ 18990 રૂપીયા અને 188890 રૂપીયા પ્રતિ દસ ગ્રામે બંધ થયુ હતા.ગિન્નીના ભાવ નાનીમોટી ખરિદ્દારીના ચાલતા સપ્તાહાંતે પૂર્વસ્તર 14800 રૂપીયા પ્રતિ આઠ ગ્રામ અપરિવર્તિત સ્તરે બંધ થયો હતો. તૈયાર ચાંદીનો ભાવ 50 રૂપિયાની તેજીની સાથે સપ્તાહાંતે 29400 રૂપીયા કિલો પર બંધ થયો જ્યારે બુકિઓ દ્વારા સમર્થન ના મળવાથી સાપ્તાહીક ચાંદી ડિલિવરીનો ભાવ 135 રૂપીયાના ઘટાડા સાથે સપ્તાહાંતે 28900 રૂપીયા કિલો પર બંધ થયો હતો.ચાંદી સિક્કાનો ભાવ સપ્તાહાંતમાં પૂર્વસ્તર 34500:34600 રૂપીયા પ્રતિ સો નંગ અપરિવર્તિત પર બંધ થયો હતો.
અમેરિકામાં આ વર્ષે 118 બેન્ક ધરાશાયી
અમેરિકન બેન્કિંગ ક્ષેત્રમાં સંકટના વાદળો હટવાનુ નામ નથી લેતા જેનાથી એમેરિકન બેન્કોના ડબવાની સ્થિતિ હજુ પણ ચાલુ છે. આ વર્ષે અત્યાર સુધીમાં 118 એમેરિકન બેન્કોનું દેવાળુ ફૂંકાયુ છે.દરમહીને લગભગ 15 અમેરિકન બેન્કોનુ દેવાળુ ફૂંકાય છે જેમાં નાના તેમજ મધ્યમ બેન્કોની સંખ્યા સૌથી ઉપર છે. અમેરિકામાં વધતી બેરોજગારીના કારણે બેન્ક દેવાની ચુકવણીમાં નાદારીના કારણે ધરાશાયી થઇ રહી છે.ગત શુક્રવારે માત્ર એક જ દિવસમા આઠ બેન્કને અમેરિકન અધિકારિયોએ બંધ કરવાનો આદેશ આપી દીધો હતો, જેનાથી ઓગસ્ટમાં નાદાર થનારી બેન્કોની સંખ્યા કુલ 10 સુધી પંહોચી ચુકી છે.ફેડરેલ ડિપોજિટ ઈન્શ્યોરંન્સ કૉર્પોરેશન (એફડીઆઈસી)ના મતાનુસાર આ આઠ બેન્કો બંધ થવાથી તેના પર 47.35 કરોડ ડૉલરનુ દેવુ વધશે. એફડીઆઈસી 8000થી વધુ એમેરિકન બેન્કોમાં થાપણોનો વીમો કરે છે.શુક્રવારે જે બેન્કોનુ દેવાળુ ફૂંકાયુ તેમાં શોરબેન્ક, પેસેફિક સ્ટેટ બેન્ક, ઇન્પીરિયલ સેવિન્ગ્સ એન્ડ લોન એસોસિએશન, ઇન્ડિપેન્ડન્ટ નેશનલ બેન્ક, કમ્યુનિટી નેશનલ બેન્ક, લોસ પેડ્રેસ બેન્ક, સોનોમા વેલી બેન્ક અને બુટે કમ્યુનિટિ બેન્કનો સમાવેશ થાય છે.જુલાઈમાં 22 અમેરિકન બેન્કોએ પોતાના શટર પાડ્યા હતા, જ્યારે આજ વર્ષે એપ્રિલમાં સૌથી વધુ 23 અમેરિકન બેન્કોનુ દેવાળુ ફૂંકાયુ હતુ. પાછલા વર્ષે કુલ 140 અમેરિકન બેન્કોનુ દેવાળુ ફૂંકાયુ હતુ.
ચૂંટણી પૂર્વે જ રાદડિયા જૂથની ૯ બેઠકો બિનહરીફ ચૂંટાઇ
રાજકોટ જિલ્લા બેંકની તા. ૨૨ને રવિવારના રોજ ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી પૂર્વે જ રાદડિયા સહિતના નવ સભ્યોની પેનલ બિનહરીફ ચુંટાતા વિઠ્ઠલભાઇનું શાસન નિશ્વિત બન્યું છે. આ ચૂંટણીમાં ૪૦૦ મતદારો હાજર રહી મતદાન કરશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.આર.ડી.સી. બેંકની યોજાનાર ચૂંટણીમાં વેચાણ અને રૂપાંતરમાંથી વિઠ્ઠલભાઇ રાદડિયા અને ઇત્તર વિભાગમાંથી ગોરધનભાઇ ધામેલિયા અગાઉ જ બિનહરીફ જાહેર કરાયા છે. જ્યારે ખેડૂત વિભાગની ૧૩ બેઠકમાંથી ભાજપની ૬ પેનલ તો મરણ પથારીએ પડી જતાં તેમાં પણ રાદડિયાની પેનલ માટે રસ્તો સરળ બની ગયો છે. કુલ ૧૭ સભ્યોના બોર્ડમાં ૯ બેઠકો ચૂંટણી પૂર્વે જ બિનહરીફ થઇ જતાં ચૂંટણી ઉત્તેજના વગરની બની રહેશે.આ અંગે બેંકના ચેરમેન વિઠ્ઠલભાઇનો સંર્પક સાધતા જણાવ્યું હતું કે આજે મતદાન છે તથા સોમવારે મગગણતરી રાખવામાં આવી છે ત્યારે ભાજપના સભ્યોને આડે હાથ લઇ જીતવાની વાત તો એક બાજુ રહી કોઇની ડિપોઝિટ પણ નહીં બચે તેવો પડકાર ફેંકયો હતો.આ સાથે વધુમાં ખેડૂત વિભાગની ૧૩ બેઠકની ચૂંટણીમાં ભાજપની પેનલના ૭ ઉમેદવારો મેદાનમાં છે અને કોઇ ચમત્કાર સર્જાશે, અંતમાં ખેડૂત વિભાગના મતદારોને સવારે હાજર રહેવાનું કહી દેવાયું છે અને ૪૪૦ મતદારો પૈકી ૪૦૦ મતદારો હાજર રહેશે તેવો દાવો કર્યો હતો.
૨૬મી ઓગસ્ટે રાજ્યભરમાં એસ.ટી.ના પૈડાં થંભી જશે
રાજ્યભરની એસ.ટી. બસના પૈડાં થંભાવી દેવાની એસ.ટી.ના ત્રણેય યુનિયનોએ ચીમકી ઉચ્ચાર્યા બાદ આજે નિગમના એમ.ડી. સાથે યુનિયનોના આગેવાનોની મળેલી બેઠક પડી ભાંગતા આગામી ૨૬ સપ્ટેમ્બરે રાજ્યભરના એસ.ટી. કર્મચારીઓ હડતાળમાં જોડાશે જેથી એસ.ટી. બસોના પૈડાં થંભી જશે તેવો યુનિયનોએ દાવો કર્યો છે. બીજીબાજુ એકપણ કર્મચારીની રજા મંજુર ન કરવા એમ.ડી. ઓફિસમાંથી પરપિત્ર જારી કરવામાં આવ્યા છે.રાજ્યના એસ.ટી. નિગમના કર્મચારીઓની છઠ્ઠા પગારપંચનો લાભ, બઢતી-બદલીમાં અન્યાય સહિતના ૧૬ પડતર પ્રશ્નોના નિરાકરણની માગ સાથે ત્રણેય યુનિયનોએ આગામી ૨૬ ઓગસ્ટના રોજ હડતાળની ચીમકી ઉચ્ચારી હતી.દરમિયાન ગાંધીનગર ખાતે નિગમના એમ.ડી.એ એસ.ટી.ના ત્રણેય યુનિયનના આગેવાનો સાથે આજે પડતર પ્રશ્નો સંદર્ભે એક બેઠક બોલાવી હતી. પરંતુ, કર્મચારીઓના એકપણ પ્રશ્નનો ઉકેલ ન આવતા આ બેઠક પડી ભાંગી હતી.જેના પગલે આગામી ૨૬ ઓગસ્ટે એસ.ટી.ના કર્મચારીઓ બસોના પૈડાં થંભાવી પડતર પ્રશ્નોના માગ માટે હડતાળમાં જોડાશે.તેવો યુનિયનના આગેવાનો દાવો કરી રહ્યા છે. તો બીજીબાજુ હડતાળને તોડી પાડવા એમ.ડી. ઓફિસમાંથી એકપણ કર્મચારીની રજા મંજુર ન કરવી તેવો પરપિત્ર જારી કરી દેવામાં આવ્યો છે. આમ છતાં કોઈ કર્મચારીઓ રજા પર જશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે.જન્માષ્ટમી વેળાએ હડતાળથી મુસાફરો રઝળશે -એસ.ટી.ના યુનિયનોએ ૨૬ ઓગસ્ટે મંગળવારે હડતાળનું એલાન કર્યું છે. ત્યારે, જન્માષ્ટમી વેળાએ જ બસોના પૈડાં થંભી જશે. જેથી રાજ્યભરના મુસાફરો રઝળી પડશે. તહેવાર ટાંકણે જ યુનિયને હડતાળનું શસ્ત્ર ઉગામી નિગમનું નાક દબાવી પોતાના પડતર પ્રશ્નોનો ઉકેલ આવે તેવો રસ્તો અપનાવ્યો છે.
જામનગર : મંત્રી બનેલા વસુબેનનું આજે સ્વાગત
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા રાજ્ય પ્રધાન મંડળનાં વિસ્તરણમાં જામનગર શહેરનાં ધારાસભ્ય પ્રો. વસુબેન ત્રિવેદીને સ્થાન મળતા શહેરમાં આનંદની લાગણી પ્રસરી છે. રવિવારે જામનગરમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.મુખ્યમંત્રીએ કરેલાં પ્રધાનમંડળના વિસ્તરણમાં જામનગર જિલ્લામાંથી પ્રથમ વખત મહિલા ધારાસભ્યને મંત્રી મંડળમાં સ્થાન મળતા જિલ્લાનાં પક્ષના કાર્યકરો અને આગેવાનોમાં આનંદની લાગણી પ્રસરી છે.ખાસ કરીને જામનગર શહેરમાં વિશેષ આનંદ પ્રવર્તી રહ્યો છે. આ અગાઉ જિલ્લામાંથી મંજુલાબેન દવે અને લીલાબેન ત્રિવેદી મહિલા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. પરંતુ તેઓ મંત્રી મંડળમાં સ્થાન પામી શક્યા ન હતાં. જિલ્લા ભાજપનાં આગેવાનો દ્વારા પણ વસુબેનની મંત્રી મંડળમાં પસંદગીને આવકારવામાં આવી છે. છેલ્લી બે ટર્મથી જામનગરનાં ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવતા વસુબેન પ્રધાન મંડળમાં સ્થાન પામ્યા બાદ રવિવારે તેઓ જામનગર પરત આવી રહ્યા હોય, સવારે સાડાદસ વાગ્યે ગુલાબનગર પાસે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યાર બાદ શહેરનાં મુખ્યમાર્ગો પર રેલી યોજવામાં આવશે. જે શહેર ભાજપ કાર્યાલયે પહોચ્યા બાદ આંબેડકર ગાર્ડન પાસે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર : મારા પુત્રને છોડાવવો હોય તો રૂ. પ૦ હજાર આપી જાવ
જામનગરમાં રાક્ષસી વ્યાજખોરોએ યુવાનનું અપહરણ કરી પિતાને જાણ કરી : વ્યાજ સહિત મૂડી પરત કરી દીધી છતાં સવા ત્રણ લાખની ઉઘરાણી.જામનગરમાં જંગી વ્યાજવટાવનો ધંધો કરતા શખ્સોએ વપિ્ર યુવાનનું અપહરણ કરી તેના પિતા પાસે પુત્રને છોડાવવા રૂ. પ૦ હજારની માંગણી કર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે. ૩૫ હજારની વ્યાજે લીધેલી મૂડી પર વ્યાજ સહિત રૂ. ૭૦ હજાર ચુકવી દીધા છતાં વ્યાજખોરોના કૃત્ય સામે પોલીસે તુરત કાર્યવાહી કરી તમામ આરોપીઓને પકડી પાડ્યા છે.જામનગર શહેરમાં કાયદે-ગેરકાયદે વ્યાજ વટાવનો ધંધો કરતા વ્યાજખોરોના વિષચક્રમાં અનેક જીંદગીઓ રોળાઇ ગઇ હોવાના કિસ્સા બહાર આવ્યા છે. પોલીસ પણ આ વ્યાજખોરો સામે નિષ્ક્રિય રહેતા વ્યાજ વટાવની પ્રવૃતિને ઉતેજન મળ્યું છે. નવિનયુક્ત એસપી સુભાષ ત્રિવેદીએ શહેર સહિત જિલ્લામાં વિસ્તરેલા વ્યાજખોરો અને જમીન માફીયાઓના નેટવર્કને નાબુદ કરવા કમ્મર કસી હોય તેમ છેલ્લા પખવાડીયામાં ડઝનેક ફરિયાદો નોંધાઇ છે.આવા જ વ્યાજખોરોના કૃત્યના ભોગ બનેલા પુત્રના પિતાએ પોલીસ દફતરે ફરિયાદ નોંધાવી હતી. શહેરના સેતાવાડમાં જીવા સેતાના ડેલામાં રહેતા રાજેશભાઇ પંડયાએ કો.કો.બેંકના કર્મચારી દશરથસિંહ જાડેજાના પુત્ર અજયસિંહ ઉર્ફે એડી જાડેજા પાસેથી રૂ. ૧૫,૦૦૦ અને સીટી આર્કેટમાં ઓફિસ ધરાવતા ચંદ્રેશ ગઢવી, મહેશ ગઢવી પાસેથી રૂ. ર૦ હજારની મૂડી એક ટકાના દરે વ્યાજે લીધી હતી. સમયાંતરે વપિ્ર યુવાને આ બન્ને શખ્સોને વ્યાજ સહિત રૂ. ૭૦ હજારની મુડી પરત કરી હતી. છતાં પણ બન્ને વ્યાજખોરોએ રૂ. ૩.૫૦ લાખની ઉઘરાણી કરી, ઘરેણા વેંચી નાખી, કોરા ચેકની માગણી કરી હતી.જેનો કોઇ પ્રત્યુતર નહી આપતા એડી જાડેજા સહિત વજિરખી પ્રા. શાળાના આચાર્ય પ્રફુલ દોશીના પુત્ર અમીત, મનીષ જાંટ, દિપેશ ધરાજ ગઢવીએ ગત તા. ૧રમીના રાજે રાજેશભાઇનું અપહરણ કરી ગયા હતાં. ત્યારબાદ ગુરૂદ્વારા પાસેની ઓફિસમાં યુવાનને ગોંધી રાખી તેના પિતાને ફોન કરી રૂ. પ૦ હજાર આપી પુત્રને છોડાવી જવાની ધમકી ઉચ્ચારી હતી. ત્યારબાદ વ્યાજખોરોના વિષચક્રમાં ફસાયેલા યુવાનના પિતાએ પાંચેય શખ્સો સામે ગેરકાયદે ધીરધારનો ધંધો કરી, અપહરણ કરી, બળજબરી પૂર્વક વ્યાજ વસુલવા દબાણ કર્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી.
ત્રિકોણીય શ્રેણીમા 20 ઓવરના અંતે ભારત 71-4
શ્રીલંકા ખાતેની ત્રિકોણીય શ્રેણીમા ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારત તરફથી વિરેન્દ્ર સેહવાગ અને દિનેશ કાર્તિકે બેટિંગની શરૂઆત કરી હતી. જો કે, સેહવાગ 12 રનના વ્યક્તિગત સ્કોરે કુલસેકરાની ઓવરમાં એલબી આઉટ થયો છે. જ્યારે દિનેશ કાર્તિક કુલુસેકરાની ઓવરમાં 9 રનના વ્યક્તિગત સ્કોરે સંગાકારાના હાથે ઝલાઇ ગયો હતો.રોહિત શર્મા ફરી એક વખત નિષ્ફળ રહ્યો હતો. 11 રનના વ્યક્તિગત સ્કોરમાં મેથ્યુસની ઓવરમાં એલબી આઉટ થયો હતો.સુરેશ રૈના 8 રનના વ્યક્તિગત સ્કોર પર પરેરાની ઓવરમાં સંગાકારાના હાથે કેચ આઉટ થયો હતો. આ સાથે જ ભારતનો સ્કોર ચાર વિકેટ ગુમાવીને 71 રન થયો છે. નોંધનીય છે કે, વરસાદના કારણે શ્રીલંકા- ન્યૂઝીલેન્ડ ખાતેની મેચ પડતી મુકવામાં આવી હતી. જેના કારણે આજની મેચ શ્રીલંકા માટે કરો યા મરો જેવી થઇ ગઇ છે. જ્યારે ભારત માટે આ મેચ ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરવા માટેની સૂવર્ણ તક સમાન છે.ભારતમાં બે પરિવર્તન કરવામાં આવ્યા છે. જેમાં વિરાટ કોહલીના સ્થાને યુવરાજ સિંહનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ સ્પેશિય સ્પિનરના રૂપમાં રવિન્દ્ર જાડેજાનો ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ પહેલા ભારત-શ્રીલંકા વચ્ચે રમાયેલી ત્રિકોણીય શ્રેણીની મેચમાં શ્રીલંકાના બોલર રણદિવ દ્વારા સેહવાગને સદીથી વંચિત રાખવા માટે ફેંકવામાં આવેલા ઇરાદાપૂર્વકના નો-બોલના કારણે ખાસ્સો વિવાદ ચગ્યો હતો. અને રણદિવ પર એક મેચ થતાં તેને પ્રેરિત કરવા બદલ દિલશાન પર મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
પાટીદાર સમાજનો ખંડણીખોરોને પડકાર
રાજ્યના માજી ગૃહરાજ્યમંત્રી અમિત શાહના ઇશારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ખંડણીનો ભોગ બનેલા પોપ્યુલર બિલ્ડરવાળા રમણ પટેલ અને દશરથ પટેલનું આજે પાટીદારા સમાજ દ્વારા બાપુનગરમાં જાહેર સન્માન કરી ખંડણીખોરોને પડકાર ફેંકવાનો નિર્ધાર કરવામાં આવ્યો હોવાનું પાટીદાર સમાજના કન્વીનર રોહિત પટેલે જણાવ્યું હતું.આજે સાંજે ૪-૦૦ કલાકે બાપુનગર સ્થીત ઇન્દુલાલ યાજ્ઞિક હોલ ખાતે યોજાનારા આ પાટીદાર એકતા સંમેલન અંગે વધુ માહિતી આપતાં રોહિત પટેલે જણાવ્યું હતું કે પોપ્યુલર બિલ્ડર્સ પટેલ બંધુઓ પર ફાયરિંગ થી લઇને તેમની પાસેથી લેવાયેલી લાખો રૂપીયાનની ખંડણી અને સંખ્યાબંધ ખોટા આક્ષેપોમાંથી પટેલ બંધુઓ નિડરતા અને પ્રમાણીકતાના જોરે બહાર આવ્યા છે.આ વાતો ગુજરાતમાં કંઇ કેટલાય લોકો પરેશાન હશે તે તમામની હિમ્મત ખુલે તથા તેઓ પણ પોતાના પર થતા અત્યાચાર જાહેરમાં જણાવે તો આ ખંડણી અને અત્યાચારનું દુષણ ચોકકસ બંધ થશે. આ હેતુ માટેજ ખાસ પાટીદાર એકતા સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે.વધુમાં પાટીદાર અગ્રણીઓએ જણાવ્યું હતું કે આ સંમેલનથી ગુજરાત પોલીસને પણ ચેતવણી આપી દેવામાં આવશે કે હવે આ ખંડણીના ષડયંત્ર બંધ કરે અને રાજ્યનો સૌથી મોટા પાટીદાર સમાજ હવે ખંડણીનું દુષણ ક્યારે સહન નહિ કરે.આ ઉપરાંત સંમેલનમાં પટેલ બંધુઓ પોતાના પર થયેલા અત્યાચારોની દુખદ દાસ્તાના સમાજના લોકો આગળ રજુ કરી પોતાની વેદના જણાવશે જોકે આ કાર્યક્રમમાં એકપણ રાજકારણીને આમંત્રણ નહિ આપ્યું હોવાનું રોહિત પટેલે જણાવ્યું હતું.
‘800 વિકેટ મેળવવીએ એવરેસ્ટ સર કરવા સમાન’
શ્રીલંકાના પ્રવાસ દરમિયાન ટેસ્ટ શ્રેણીમાં નબળું પ્રદર્શન કરનાર અને હાલ પગની પિંડીની ઇજામાંથી બહાર આવી રહેલા હરભજન સિંહે ડીએનએને આપેલા ઇન્ટર્વ્યુંમાં જણાવ્યું છે કે, તે આગામી મહિને યોજાનાર ચેમ્પિયન્સ લીગ માટે ફીટ થઇ જશે. આ ઉપરાંત તેણે સહેવાગ સાથે થયેલા નો-બોલ કાંડ અને મુરલીના 800 વિકેટના લક્ષ્યાંક સુધી પહોંચવા અંગે ચર્ચા કરી હતી.
હરભજન સિંહે જણાવ્યું હતું કે, શ્રીલંકન બોલર સૂરજ રણદિવે તે દિવસે જે કર્યું તે ખરા અર્થમાં સેહવાગને રોકવા માટે કર્યું હતું. સેહવાગે ખરેખર શાનદાર બેટિંગ કર્યું હતું. અને તે એ સદીનો હકદાર હતો. અને એ સમયે બોલર તરફથી કરવામાં આવેલો નો-બોલ એ ખોટું પગલું હતું. આ નો-બોલ કોઇ ભૂલ ન હતી. પરંતુ રણદિવને કોઇ આમ કરવા માટે પ્રેરિત કર્યો હતો. એક તરફ તમે ક્રિકેટને જેન્ટલમેન ગેમ કહો છો. અને બીજી તરફ તમે જ ખેલભાવનાને નેવે મુકી દો છો.400 વિકેટની નજીક પહોંચેલા ભજ્જીને જ્યારે 800 વિકેટના લક્ષ્ય અંગે પુછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, 800 વિકેટ હાંસલ કરવા અંગે વિચારવું હજૂ ઘણું દૂર છે. હું એટલે દૂર સુધીનું વિચારતો નથી. જો મારે એ સિદ્ધિ મેળવવી હોય તો મારે દરેક ઇનિંગમાં પાંચ વિકેટ મેળવવી પડે. હું 600 વિકેટ મેળવીને પણ હું ઘણો ખૂશ થઇશ. 800 વિકેટ મેળવવીએ મારી માટે માઉન્ટ એવરેસ્ટ સર કરવા સમાન છે.
ચુડાસમા સોહરાબને વર્ષ ૨૦૦૧થી ઓળખતો હતો
સોહરાબુદ્દીન એન્કાઉન્ટરની તપાસ કરી રહેલી સીબીઆઇની ટીમને અમિત શાહ વિરુદ્ધ કેટલાક પુરાવાઓ મળ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ચાલુ માસમાં સીબીઆઇના કેટલાક અધિકારીઓએ હૈદરાબાદથી જઈ તપાસ કરી હતી, જ્યાંથી એવી એક કડી મળી છે કે જે અમિત શાહ સાથે સંકળાયેલી હોવાનું જાણવા મળે છે.સીબીઆઇનાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સીબીઆઇ સોહરાબુદ્દીન કેસની તપાસ રાજસ્થાન તથા આંધ્રપ્રદેશ તરફ કરી રહી છે. તપાસ દરમિયાન હૈદરાબાદમાં કરાયેલી પૂછપરછમાં એક કડી મળી છે જે સીધી અમિત શાહ સાથે જોડાયેલી છે અને આ લિન્કને સીબીઆઇ ઘણી મહત્વની માની રહી હોવાનું જાણવા મળે છે.આ લિન્ક સોહરાબુદ્દીન કેસ સાથે તથા અન્ય એક કેસ સાથે સંકળાયેલી હોવાનું જાણવા મળે છે.સીબીઆઇને મળેલી મહત્વની કડીઓમાં અભય ચુડાસમા સોહરાબુદ્દીનને સને ૨૦૦૧થી ઓળખતો હતો અને સને ૨૦૦૨ પછી થયેલા કેટલાક મહત્વના ગુનાઓથી સોહરાબુદ્દીન વાકેફ હતો અને તેના કારણે તેનું બોગસ એન્કાઉન્ટર કરવામાં આવ્યું સૂત્રોએ જણાવ્યું છે.ઉપરોક્ત કડીને જોડતી એક કડી હૈદરાબાદથી સીબીઆઇને મળતાં તેના છેડા અમિત શાહ સાથે જોડાતાં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. સીબીઆઇ આગામી દિવસોમાં આ અંગેના પુરાવા કોર્ટ સમક્ષ રજુ કરે એમ સીબીઆઇનાં સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સીબીઆઇ રાજસ્થાનમાં તપાસ કરવા ટુંક સમયમાં જનાર છે ત્યારે તેમણે રાજસ્થાનમાં આ કેસ સંદર્ભે મહત્વની વિગતો આપી શકે તેવી વ્યક્તિઓની એક યાદી તૈયારી કરી છે તે યાદી મુજબ તેઓ પુછપરછ હાથ ધરશે. તા.૧૧મી ઓગસ્ટના રોજ અમિત શાહની જામીન અરજીની સુનાવણી છે. તે પહેલા સીબીઆઇ આધ્ર પ્રદેશ અને રાજસ્થાનમાંથી મહત્વના પુરાવાઓ એકત્ર કરે તેમ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
અમેરિકામાં આ વર્ષે 118 બેન્ક ધરાશાયી
અમેરિકન બેન્કિંગ ક્ષેત્રમાં સંકટના વાદળો હટવાનુ નામ નથી લેતા જેનાથી એમેરિકન બેન્કોના ડબવાની સ્થિતિ હજુ પણ ચાલુ છે. આ વર્ષે અત્યાર સુધીમાં 118 એમેરિકન બેન્કોનું દેવાળુ ફૂંકાયુ છે.દરમહીને લગભગ 15 અમેરિકન બેન્કોનુ દેવાળુ ફૂંકાય છે જેમાં નાના તેમજ મધ્યમ બેન્કોની સંખ્યા સૌથી ઉપર છે. અમેરિકામાં વધતી બેરોજગારીના કારણે બેન્ક દેવાની ચુકવણીમાં નાદારીના કારણે ધરાશાયી થઇ રહી છે.ગત શુક્રવારે માત્ર એક જ દિવસમા આઠ બેન્કને અમેરિકન અધિકારિયોએ બંધ કરવાનો આદેશ આપી દીધો હતો, જેનાથી ઓગસ્ટમાં નાદાર થનારી બેન્કોની સંખ્યા કુલ 10 સુધી પંહોચી ચુકી છે.ફેડરેલ ડિપોજિટ ઈન્શ્યોરંન્સ કૉર્પોરેશન (એફડીઆઈસી)ના મતાનુસાર આ આઠ બેન્કો બંધ થવાથી તેના પર 47.35 કરોડ ડૉલરનુ દેવુ વધશે. એફડીઆઈસી 8000થી વધુ એમેરિકન બેન્કોમાં થાપણોનો વીમો કરે છે.શુક્રવારે જે બેન્કોનુ દેવાળુ ફૂંકાયુ તેમાં શોરબેન્ક, પેસેફિક સ્ટેટ બેન્ક, ઇન્પીરિયલ સેવિન્ગ્સ એન્ડ લોન એસોસિએશન, ઇન્ડિપેન્ડન્ટ નેશનલ બેન્ક, કમ્યુનિટી નેશનલ બેન્ક, લોસ પેડ્રેસ બેન્ક, સોનોમા વેલી બેન્ક અને બુટે કમ્યુનિટિ બેન્કનો સમાવેશ થાય છે.
થાયરોઇડની નવી સારવાર અંગે સેમિનાર
થાઇરોઇડની સમસ્યાથી પીડાતા લોકોને ત્વરિત લાભ થાય તેવા હેતુથી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદ મેન્જમેન્ટ એસોસિએશનમાં સવારથી સાંજ સુધીનાં આ એક દિવસીય સેમિનારમાં અમદાવાદ અને ગુજરાતનાં થાઇરોઇડ નિષ્ણાત ઉપરાંત દેશના વિભિન્ન રાજ્યનાં થાઇરોઇડ નિષ્ણાત હાજર રહેનાર છે. સેમિનારમાં થાઇરોઇડના દર્દીઓ માટે ક્યા પ્રકારની સારવારથી વધુ લાભ થાય તેમજ થાઇરોઇડની સારવારમાં શોધાયેલી લેટેસ્ટ સારવાર અંગે પણ વશિદ છણાવટ કરવામાં આવશે. તેમ જાણીતા સર્જન ડો. અપૂર્વ શાહે જણાવ્યું હતું.
ટેસ્ટ ટ્યુબ ડિલીવરીમાં ટ્વીન્સ-ટ્રીપ્લેટની શક્યતાને ઓછી કરતું ‘વાયોમેટ્રીકસ મશીન’
ટેસ્ટ ટ્યુબ બેબી પધ્ધતિમાં ટવીન્સ કે ટ્રીપ્લેટ બાળકો જન્મવાની શક્યતા રહેતી હોય છે. જેને કારણે જે દંપતિને એક સંતાન હોય ત્યારે ટવીન્સ કે ટ્રીપ્લેટ બાળકો જન્મે ત્યારે એક સાથે ત્રણ કે ચાર બાળકોને સંભાળવાની સમસ્યા ઉભી થાય છે. પરંતુ, આનંદની વાત એ છે કે, ટેસ્ટ ટયુબ બેબી પધ્ધતિથી પણ હવે દપતિ એક બાળક ઇચ્છતા હોય તેવા કિસ્સામાં ‘વાયોમેટ્રીકસ મશીન’ દેશભરનાં અનેક દંપતિઓ માટે ઘણું ઉપયોગી સાબિત થઇ શકે છે.મુંબઇની લીલાવતી હોસ્પિટલના ‘બ્લુમ આઇવીએફ સેન્ટર’માં આવું જ એક મશીન મુકવામાં આવ્યું છે. જેનું ઉદ્ધાટન મહારાષ્ટ્રની મુખ્ય પ્રધાન અશોક ચવાહનાં હસ્તે કરાયું હતું. ‘વાયોમેટ્રીકસ મશીન’ને લીધે ભ્રૂણની પસંદગી વધુ સારી કરી શકાતી હોવાથી ફલીકરણ માટે એકથી વધુ ભ્રૂણના ઉપયોગની જરૂરિયાતને નિવારી શકાય છે. મહત્વની વાત એ છે કે, સમગ્ર વિશ્વમાં આ પ્રકારનું પાંચમુ મશીન મુંબઇમાં કાર્યરત થયું છે.લીલાવતી હોસ્પિટલ, મુંબઇના ડો. પાઇનાં જણાવ્યાં મુજબ, ટેસ્ટ ટયુબ બેબી પધ્ધતિમાં ડોક્ટરો દ્વારા મોટાભાગે ત્રણ જેટલાં ભ્રૂણ ફલીકરણ માટે ઉપયોગમાં લેતા હોય છે, જેને કારણે આ પધ્ધતિ દ્વારા બાળક મેળવવા ઇચ્છતા માતા-પિતાને જોડિયા કે ત્રિપ્લેટ બાળકો જન્મવાની શક્યતા વધી જતી હોય છે. પરંતુ, આ સમસ્યામાંથી ‘વાયોમેટ્રીકસ મશીન’ બચાવી શકે છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ મશીનનાં ઉપયોગથી મહિલાનાં ગભૉશયમાં હવે ત્રણ ભ્રૂણ દાખળ કરવાની જરૂર રહેતી નથી. કારણ કે મશીન દ્વારા ભ્રૂણને સી વી રામન ઇફેકટ દ્વારા સ્કેન કરીને નિર્ણય લે છે કે તે ફલીકરણ માટે શ્રેષ્ઠ છે કે નહિ. અગાઉ અમે ભ્રૂણની બાયોપ્સી કરીને નક્કી કરતાં હતા કે તે યોગ્ય છે કે નહિ. પરંતુ, આ નવી પધ્ધતિથી કાપા વગર આ નિર્ણય લેવાનું શકય બનશે.૩૨ વર્ષ પહેલાં જ્યારે ટેસ્ટ ટયુબ બેબીની શોધ થઇ ત્યારે સંતાન વિહોણા યુગલોને બાળક થવાની શક્યતા બે ટકા જેટલી હતી. પરંતુ, ત્યારબાદ થયેલાં સંશોધનોમાં ૩૫ વર્ષથી નાની ઊંમરની મહિલાઓમાં ગર્ભધારણ કરવાની શક્યતા ૪૦ ટકા જેટલી ઊંચી રહે છે. તેમજ સ્વિર્ત્ઝલેન્ડમાં થયેલા અભ્યાસ મુજબ, નવી ટેકનોલોજીથી ગર્ભધારણની શક્યતા ૭૪ ટકા જેટલી રહે છે.
‘વોટર બોય’ યુવરાજ પણ લેશે બદલો
ત્રિકોણીય શ્રેણીમાં સ્થાન નિશ્ચિત કરવા માટે ભારત પાસે સૂવર્ણ તક છે. અને હવે ટીમ ઇન્ડિયાનો ભરોસાપાત્ર મિડલ ઓર્ડર બેટ્સમેન યુવરાજ સિંહ પણ સંપૂર્ણપણે ફીટ થઇ ગયો હોવાના અહેવાલ છે. અને તે શ્રીલંકા સામેની મેચ થકી ધમાકેદાર આગમન કરવા માટે આતૂર છે.પહેલા ઇજા ફછી ફોર્મ અને ત્યાર બાદ તાવ આ બધાની વચ્ચે યુવરાજ ઘણી વખત મેદાનની બહાર રહ્યો. પરંતુ હવે તે સંપૂર્ણરીતે ફીટ થઇ ગયો છે. અને ફરી એક વખત મેદાનમાં પોતાનું કૌશલ દર્શાવવા ઉત્સૂક છે. સાથોસાથ યુવરાજ પાસે અન્ય એક ઉદ્દેશ્ય એ પણ છે કે તે વોટર બોયના સંબોધન અને સેહવાગ પ્રકરણનો બદલો લે.સેહવાગ અને યુવરાજની દોસ્તી જગજાહેર છે. અને શ્રીલંકાએ જે રીતે સેહવાગ પાસેથી સદીની તક તેઓએ અંચાઇ કરીને છીનવી છે. તેનો આક્રમક જવાબ આપશે. ઉપરાંત તે વોટર બોયના સંબોધનનો પણ બદલો લેશે.શ્રીલંકા સામેની ટેસ્ટ દરમિયાન દર્શકોએ યુવરાજ સિંહને વોટર બોય કહીંને ખિજવ્યો હતો. અને જેનાથી ગુસ્સે ભરાયેલા યુવરાજે દર્શકો સમક્ષ અશ્લિલ ઇશારાઓ કર્યા હતા. હવે યુવરાજ પાસે તેનો જવાબ આપવાની તક છે. ચંદીગઢના આ બેટ્સમેને હંમેશા ટીકાકરોના મોઢા પોતાના બેટથી ચૂપ કરાવ્યા છે. તેના પ્રશંસકોને આશા છે તે ફરી એક વખત આવું જ કરશે.
બટ્ટ-આફ્રિદી નક્કી કરશે યુનિસનું ભવિષ્ય
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન એજાઝ બટ્ટે વનડે ટીમના સુકાની શાહિદ આફ્રિદીને એક પત્ર લખ્યો છે. અને પૂર્વ સુકાની યુનિસ ખાનના ક્રિકેટ ભવિષ્ય અંગે ચર્ચા કરવા 23 ઓગસ્ટે બેઠક યોજવા જણાવ્યુ છે.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સૂત્રોએ આપેલી માહિતી અનુસાર આફ્રિદી સાથેની બેઠકમાં બટ્ટ ઇંગ્લેન્ડમાં યોજાનાર આગામી વનડે શ્રેણી અંગે ચર્ચા કરશે. તેથી એ સ્પષ્ટ સંકેત મળે છે કે આગામી વનડે શ્રેણીમાં યુનિસા ખાનનો સમાવેશ કરવામાં અંગે નિર્ણય લેવાશે.સૂત્રોએ કહ્યું કે, આફ્રિદી અને બટ્ટની 23મી ઓગસ્ટે યોજાનારી બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તેમાં પણ ખાસ કરીને ઇંગ્લેન્ડમા આગામી દિવસોમાં યોજાનારી વનડે અને ટી-20 મેચોને લઇને ટીમ પસંદગી કરવા અંગે પસંદગી સમિતિના સભ્યો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે.
સ્કોટલેન્ડ : વ્હીસ્કીના બળતણથી સામાન્ય કારો દોડશે
સ્કોટલેન્ડમાંના વિજ્ઞાનીઓએ વ્હીસ્કીની આડપેદાશોમાંથી બનાવેલું નવું બાયોફ્યુઅલ રજૂ કર્યું છે. તેઓનું કહેવું છે કે આ બળતણ ઈથેનોલ કરતાં વધુ કાર્યક્ષમતાથી સામાન્ય કારોને પાવર પૂરો પાડશે.એડિનબર્ગની નેપિયર યુનિવર્સિટીની રીસર્ચ ટીમે બાયોફ્યુઅલ બ્યુટાનોલ સર્જવામાં બે વર્ષ ગાળ્યાં હતાં.ટીમે આ સપ્તાહે જાહેરાત કરી હતી કે આ બળતણનો ગેસ ટેન્કમાં એકમાત્ર બળતણ તરીકે અથવા પેટ્રોલ કે ડીઝલ સાથે મિક્સ કરીને ઉપયોગ કરી શકાશે. તેને બાયપ્રોડક્ટ્સ પોટ એલી (કોપર સ્ટીલ્સના પ્રવાહી) અને ડ્રાફ (વપરાયેલા અનાજના દાણા)ને ડિસ્ટિલ કરીને બનાવાયું છે. આ પદ્ધતિ એ જૂની પ્રક્રિયા પર આધારિત છે, જેને ખાંડમાં આથો લાવીને બ્યુટાનોલ અને એસિટોન ઉત્પન્ન કરવા માટે બનાવાઈ હતી.શું આ બળતણ મકાઈ-આધારિત ઈથેનોલના ટીકાકારો માટેનો જવાબ છે? જવાબમાં નેપિયર યુનિવર્સિટીના બાયોફ્યુઅલ રીસર્ચ સેન્ટરના ડિરેક્ટર પ્રો. માર્ટિન ટેન્ગીએ ફાયનાન્સિયલ ટાઈમ્સને કહ્યું હતું કે કેટલીક ઊર્જા કંપનીઓ બાયોફ્યુઅલ ઉત્પન્ન કરવા માટે વિશેષપણે પાકો ઉગાડે છે, પરંતુ અમે બાયોફ્યુઅલ બનાવવા વ્હીસ્કીની બાયપ્રોડક્ટસ જેવા વધારાના મટીરિયલ્સને તપાસી રહ્યા છીએ. આ પર્યાવરણની દ્રષ્ટિએ વધુ સારો વિકલ્પ છે અને સ્કોટલેન્ડના સૌથી મોટા ઉદ્યોગો પૈકીના એક વ્હીસ્કી ઉદ્યોગની પીઠ પર નવી આવક ઓફર કરે છે.
કૃષિ ક્ષેત્રે કારકિર્દી
આપણા કૃષિપ્રધાન દેશમાં આજે પણ ખેતીનું મહત્વ ઘટયું નથી. આ ક્ષેત્રમાં એક હરિયાળી કારકિર્દી આપણી રાહ જોઇ રહી છે. ગુજરાતમાં ૧૯૭૨માં બનાસકાંઠામાં દાંતીવાડા ખાતે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરાઇ હતી. એ પછી કૃષિક્ષેત્રે વધુ અસરકારક રીતે કામ કરવા માટે આ ચાર કૃષિ યુનિ. સ્થપાઇ: આણંદ કૃષિ યુનિવર્સિટી (આણંદ), નવસારી કૃષિ યુનિવર્સિટી (નવસારી) અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી (જૂનાગઢ).ધોરણ-૧૦ પછીના કૃષિ વિષયક અભ્યાસક્રમ.કૃષિ ડિપ્લોમા: બે વર્ષના આ કોર્સમાં ધો.૧૦માં ખેતીના વિષયોને અગ્રીમતા અપાશે.રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા વિવિધ સ્થળે કૃષિ વિદ્યાલયો ચલાવવામાં આવે છે.કૃષિ ડિપ્લોમા કર્યા પછી રાજ્યસરકારની નોકરીઓમાં ખેતીવાડી મદદનીશ, ગ્રામસેવક વગેરે જેવા હોદ્દાઓ પર નોકરી મળી શકે છે. સ્વરોજગારીની પણ ઉજજવળ તકો છે.
વડોદરામાં અન્યાયનો પડઘો: પાદરાના કાર્યક્રમમાં છ ધારાસભ્યો ગેરહાજર
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શનિવારે કરાયેલા મંત્રી મંડળના વિસ્તરણમાં વડોદરા શહેર-જિલ્લાને અન્યાય કરાતાં તેનો પડઘો આજે પાદરામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં પડ્યો હતો. આ ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમમાં સંસદીય સચિવ યોગેશ પટેલ સહિત કુલ-૬ ધારાસભ્યો ગેરહાજર રહેતાં મુખ્યમંત્રી મોદી સામેનો અસંતોષ આજે જાહેરમાં દેખાયો હતો.વડોદરાથી ૧૫ કિલોમીટર અંતરે આવેલા પાદરા નગરમાં તાલુકાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં મહેસુલ મંત્રી આનંદીબહેન પટેલ, સંસદીય સચિવ જયદ્રથસિંહ પરમાર અને વિધાનસભાના ઉપદંડક અંબાલાલ રોહિત ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ આશ્ચર્યની વાત એ રહી હતી કે, આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં જેનું નામ પ્રસિદ્ધ કરાયું હતું તે સંસદીય સચિવ યોગેશ પટેલ ગેરહાજર રહેતાં અનેક તર્ક વિતર્ક થયા હતા.આ ઉપરાંત વડોદરા શહેર-જિલ્લાના ભાજપના કુલ-૭ પૈકી છ ધારાસભ્યોએ ગેરહાજર રહી મુખ્યમંત્રી મોદી સામેનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. જ્યારે ભાજપના વડોદરા ગ્રામ્યના ધારાસભ્ય ઉપેન્દ્રસિંહ ગોહિલ અને પાદરાના અપક્ષ ધારાસભ્ય દિનેશ પટેલ(દિનુ મામા) ગરીબ કલ્યાણ મેળામાં હાજર રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી મોદીની કાર્યરીતિથી નારાજ ભાજપના ધારાસભ્યો ગરીબ કલ્યાણ મેળામાં જવાનું ટાળતા હોવાનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયો હતો. આ અહેવાલને પાદરામાં આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં ૭ પૈકી ૬ ધારાસભ્યો ગેરહાજર રહેતાં સમર્થન મળ્યું હતું. એટલું જ નહીં વડોદરા શહેર-જિલ્લા સહિત સમગ્ર મધ્ય ગુજરાતને મંત્રી મંડળ વિસ્તરણમાં કરાયેલા અન્યાયનો પડઘો વિસ્તરણના ૨૪ કલાકમાં જ પાદરામાં યોજાયેલા સરકારી કાર્યક્રમમાં પડ્યો હતો.
મંત્રીમંડળના ૨૧ સભ્યોમાંથી ૧૦થી વધુ ઉત્તર ગુજરાતના
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મંડળના વિસ્તરણ પાછળ ઓક્ટોબર મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું કારણ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. વિસ્તરણમાં જ્ઞાતિના રાજકીય સમીકરણને પણ ધ્યાનમાં રખાયું છે. આ ઉપરાંત અન્ય મંત્રીઓ પાસે વધારે કાર્યભાર હોવાથી આ વિસ્તરણ કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. મોદી સરકારના કુલ ૨૧ સભ્યોના મંત્રીમંડળમાં ૧૦ થી વધારે સભ્યો ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. એકલા સાબરકાંઠા જિલ્લામાંથી ત્રણ પ્રતિનિધિઓ થયા છે.પ્રદીપસિંહ જાડેજા હાલ વિધાનસભામાં સત્તાધારી પક્ષના મુખ્ય દંડક છે. મંત્રી બનતાં તેમણે દંડકપદેથી રાજીનામું આપી દેવું પડશે. સંભવત: સોમવારે તેઓ રાજીનામું આપી દેશે. રાજ્યકક્ષાના ગૃહમંત્રી તરીકે શપથ લેનારા પ્રફુલ્લ પટેલ એક સમયે ભાજપના જ એક મંત્રીના અંગત સચિવ હતા. મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના મંત્રી મંડળમાં મંત્રી દિલીપ પટેલના અંગત સચિવ તરીકે પ્રફુલ્લ પટેલ હતા.મોદી કેબિનેટમાંથી અત્યાર સુધીમાં રાજ્યકક્ષાના બે મંત્રીઓ માયાબહેન કોડનાની અને અમિત શાહ રાજીનામું આપી ચૂક્યાં છે. એક મહિલા મંત્રી સામે બીજી મહિલા મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મોદી-વરુણ બિહારમાં પ્રચાર કરે : શત્રુ
બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના યુવાન સાંસદ વરુણ ગાંધી પ્રચાર કરશે કે કેમ તે યક્ષ પ્રશ્ને ભાજપના નેતાઓ હજી ફોડ પાડતા નથી. પરંતુ બીજી તરફ પક્ષના અનેક દિગ્ગજ નેતાઓએ આ બન્નેને પ્રચાર માટે મોકલવા હાઈ કમાન્ડને કહ્યું છે. બિહારના જ ભાજપના સાંસદ અને અભિનેતા શત્રુઘ્ન સિંહાએ પણ કહ્યું છે કે મોદી અને વરુણ બન્નેને પક્ષે ચૂંટણી પ્રચાર માટે મોકલવા જોઈએ.પટનામાં પત્રકારો સાથેની વાતચીતમાં શોટગને કહ્યું કે ચૂંટણીમાં પ્રચાર માટે કોણ આવશે અને કોણ નહીં તેનો નિર્ણય પક્ષના ટોચના નેતાઓ કરશે, પરંતુ મારો વ્યક્તિગત અભિપ્રાય એ છે કે આગામી ચૂંટણીમાં મોદી અને વરુણે બિહારમાં પ્રચાર માટે આવવું જોઈએ. તેમણે કહ્યું કે રાજ્યના અનેક નેતાઓ અને કાર્યકરોએ પણ કહ્યું છે કે આ બન્ને નેતાઓ પ્રચાર માટે આવશે તો પક્ષને ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે બિહારમાં હાલ ભાજપ અને જનતાદળ(યુ)ની યુતિ સરકાર શાસનમાં છે.મુખ્યમંત્રી નીતીશકુમારના પક્ષે મોદી-વરુણને બિહારમાં પ્રચાર માટે ન મોકલવાનો આગ્રહ રાખ્યો છે. ભાજપ માટે જેડી(યુ)નો સાથ પણ મહત્વનો છે અને બીજી તરફ પક્ષના નેતાઓનું આ રીતે દબાણ વધી રહ્યું છે. તેમાં પણ મોદીના ફોટા સાથેના પોસ્ટરોનો વિવાદ વકર્યા પછી આ મુદ્દો સંવેદનશીલ બની ગયો છે.
રાષ્ટ્રિય સમૂહ ગાન દ્વારા ટાગોર હોલની ધરતી ધ્રુજી ઊઠી
‘‘જનની જન્મભૂમિ સ્વર્ગ સે મહાન હૈ, તુમ સમય કી રેત પર છોડ કે ચલો નિશા...’’ જેવા અનેક રાષ્ટ્ર ગીતો પર આજે ટાગોર હોલની ધરતી ધ્રુજી ઊઠી હતી. કારણ કે બારત વિકાસ પરિષદની પાલડી શાખા દ્વારા આ હોલમાં રાષ્ટ્રિય સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૪૦ જેટલા અલગ અલગ રાષ્ટ્રગીતો સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવ્યા હતાં.સમૂહગાનની આ સ્પર્ધામાં પાલડી વિસ્તારની ૨૨ જેટલી સ્કૂલના ૩૫૦થી પણ વધારે વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. જેમાં પ્રાથમીક વિભાગમાં ૧૨ ટીમો, માધ્યમિક વિભાગમાં ૮ અને સંસ્કૃત વિભાગમાં ૩ ટીમોએ ભાગ લીધો હતો. આ અંગે ભારત વિકાસ પરિષદના અરૂણભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ‘અમારી ભારત વિકાસ પરિષદની દિલ્હી શાખા દ્વારા ૪૦ રાષ્ટ્રગીતોનું એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે. આ પુસ્તકના આધાર પર જ દરેક સ્કૂલે પોતાના ગીતો સિલેકટ કરવાના હતાં.આ સિલેકટ કરેલા ગીતો પર સ્કૂલના સંગીત શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પોતે જાતે મ્યુઝિક અને સૂર તાલ બનાવવાના હતાં.’ આ સ્પર્ધામાં પ્રાથમીક અને માધ્યમિક વિભાગમાં ડિવાઇન લાઇફ સ્કૂલની ટીમ વિજેતા થઇ હતી.જ્યારે સંસ્કૃત વિભાગમાં સંસ્કારધામ સ્કૂલ વિજેતા થઇ હતી. જેઓને ટ્રોફી આપવામાં આવી હતી. જ્યારે અન્ય વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામા આવ્યા હતાં. આ વિજેતા થયેલી ટીમ જીલ્લા અને રાજ્ય કક્ષાએ સ્પર્ધા માટે જશે. આ સ્પર્ધામાં લાયન સુરેષભાઈ પટેલ અને એચ.કે. કોલેજના પ્રિન્સિપાલ સુભાષ ભ્રમબટ્ટે હાજરી આપી હતી.
ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી અપર્ણા કમિશનર
સુરતનાં મ્યુનિસપિલ કમિશનર એસ.અપર્ણાની બદલી અંગે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ચર્ચાનો શનિવારે અંત આવી ગયો હતો. આગામી કોર્પોરેશનની ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી રાજ્ય સરકાર કોઈ કમિશનરોને બદલાવવા માગતાં ન હોવાનો સરકારનો રૂખ જોઈ શનિવારે ગાંધીનગર ગયેલાં એસ. અપર્ણા પરત ફર્યા હતાં.કોર્પોરેશનનાં કમિશનર તરીકે ત્રણ વર્ષથી ફરજ બજાવતાં એસ.અપર્ણાની છબિ સ્વચ્છ છે. બીજી બાજુ મસમોટા પ્રોજેક્ટ લઈ બેઠેલા બિલ્ડરો પોતાનાં કામો ન થતાં હોવાની બૂમરાણ મચાવી રહ્યા છે એટલું જ નહીં અંદર ખાનેથી એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે બિલ્ડર લોબી અને સ્થાનિક રાજકારણીઓ દ્વારા એસ. અપર્ણાને બદલવાની માગ કરવામાં આવી છે, ત્યારે શનિવારે ખુદ એસ.અપર્ણા આ પ્રકારના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવા માટે ગાંધીનગર ગયા હતા. તેઓ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળીને પોતાની બદલીની સામે ચાલીને માગ કરવાનાં હતાં પરંતુ કહે છે કે આવનારી ચૂંટણી પૂરી કર્યા બાદ જ મ્યુનિસપિલ કમિશનરોની બદલી અંગે વિચારવામાં આવશે તેવું વાતાવરણ લાગતાં તેઓ પાછા ફર્યાં હતાં.સુરત મ્યુનિસપિલ કોર્પોરેશનમાં અત્યાર સુધીનો ઈતિહાસમાં જોઈએ તો કોઈ કમિશનર ત્રણ વર્ષથી વધુ ટક્યા નથી ત્યારે બલવંતસિંગ પછી એસ. અપર્ણાએ સૌથી વધુ સમય કાઢ્યો છે. જ્યારે અન્ય મ્યુનિસપિલ કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં આઇપી ગૌતમ તેમજ વડોદરા મ્યુનિસપિલ કોર્પોરેશનના કમિશનર એમ.કે. દાસનો પણ સમય પૂરો થઈ ગયો છે છતાં બદલી થઈ નથી. આથી નજીકના વર્તુળોમાં છેલ્લા એક માસથી મ્યુનિસપિલ કમિશનરોની બદલીની વાતો ચાલી રહી છે.
તહેવારી માંગે સોનુ રૂ. 19000ની નજીક
વૈશ્વિક તેજીની વચ્ચે તહેવારી માંગને પુરી કરવા માટે સ્ટોકિસ્ટો અને આભૂષણ નિર્માતાઓની ખરિદ્દારીની વચ્ચે સમીક્ષાધીન સપ્તાહ દરમિયાન દિલ્હી સર્રાફા બજારમાં સોનાના ભાવોમાં તીજી રહી અને આના ભાવ 19000 રૂપીયાના મનોવૈજ્ઞાનિક સપાટીની નજીક પહોચ્યો હતો.સ્થાનિક બજારની દિશા નક્કિ કરનારા વૈશ્વિક બજારમાં આ તેજી એવા સમયમાં જોવા મળી છે જ્યારે તહેવારી મોસમની ખરીદ્દારી ઝડપી છે. વિદેશોમાં સોનાના ભાવ ઉંચકાઇને 1237.50 ડૉલર પ્રતિ ઓંસ સુધી ગયા હતા, સ્થાનિક બજારમાં સોના (99.9 શુદ્ધ)ના ભાવ સ્ટોકિસ્ટો, અને આભૂષણ નિર્માતાઓની સતત ખરીદ્દારીના ચાલતા 195 રૂપીયાની તેજીની સાથે સપ્તાહાંતમાં ક્રમશઃ 18990 રૂપીયા અને 188890 રૂપીયા પ્રતિ દસ ગ્રામે બંધ થયુ હતા.ગિન્નીના ભાવ નાનીમોટી ખરિદ્દારીના ચાલતા સપ્તાહાંતે પૂર્વસ્તર 14800 રૂપીયા પ્રતિ આઠ ગ્રામ અપરિવર્તિત સ્તરે બંધ થયો હતો. તૈયાર ચાંદીનો ભાવ 50 રૂપિયાની તેજીની સાથે સપ્તાહાંતે 29400 રૂપીયા કિલો પર બંધ થયો જ્યારે બુકિઓ દ્વારા સમર્થન ના મળવાથી સાપ્તાહીક ચાંદી ડિલિવરીનો ભાવ 135 રૂપીયાના ઘટાડા સાથે સપ્તાહાંતે 28900 રૂપીયા કિલો પર બંધ થયો હતો.ચાંદી સિક્કાનો ભાવ સપ્તાહાંતમાં પૂર્વસ્તર 34500:34600 રૂપીયા પ્રતિ સો નંગ અપરિવર્તિત પર બંધ થયો હતો.
અમેરિકામાં આ વર્ષે 118 બેન્ક ધરાશાયી
અમેરિકન બેન્કિંગ ક્ષેત્રમાં સંકટના વાદળો હટવાનુ નામ નથી લેતા જેનાથી એમેરિકન બેન્કોના ડબવાની સ્થિતિ હજુ પણ ચાલુ છે. આ વર્ષે અત્યાર સુધીમાં 118 એમેરિકન બેન્કોનું દેવાળુ ફૂંકાયુ છે.દરમહીને લગભગ 15 અમેરિકન બેન્કોનુ દેવાળુ ફૂંકાય છે જેમાં નાના તેમજ મધ્યમ બેન્કોની સંખ્યા સૌથી ઉપર છે. અમેરિકામાં વધતી બેરોજગારીના કારણે બેન્ક દેવાની ચુકવણીમાં નાદારીના કારણે ધરાશાયી થઇ રહી છે.ગત શુક્રવારે માત્ર એક જ દિવસમા આઠ બેન્કને અમેરિકન અધિકારિયોએ બંધ કરવાનો આદેશ આપી દીધો હતો, જેનાથી ઓગસ્ટમાં નાદાર થનારી બેન્કોની સંખ્યા કુલ 10 સુધી પંહોચી ચુકી છે.ફેડરેલ ડિપોજિટ ઈન્શ્યોરંન્સ કૉર્પોરેશન (એફડીઆઈસી)ના મતાનુસાર આ આઠ બેન્કો બંધ થવાથી તેના પર 47.35 કરોડ ડૉલરનુ દેવુ વધશે. એફડીઆઈસી 8000થી વધુ એમેરિકન બેન્કોમાં થાપણોનો વીમો કરે છે.શુક્રવારે જે બેન્કોનુ દેવાળુ ફૂંકાયુ તેમાં શોરબેન્ક, પેસેફિક સ્ટેટ બેન્ક, ઇન્પીરિયલ સેવિન્ગ્સ એન્ડ લોન એસોસિએશન, ઇન્ડિપેન્ડન્ટ નેશનલ બેન્ક, કમ્યુનિટી નેશનલ બેન્ક, લોસ પેડ્રેસ બેન્ક, સોનોમા વેલી બેન્ક અને બુટે કમ્યુનિટિ બેન્કનો સમાવેશ થાય છે.જુલાઈમાં 22 અમેરિકન બેન્કોએ પોતાના શટર પાડ્યા હતા, જ્યારે આજ વર્ષે એપ્રિલમાં સૌથી વધુ 23 અમેરિકન બેન્કોનુ દેવાળુ ફૂંકાયુ હતુ. પાછલા વર્ષે કુલ 140 અમેરિકન બેન્કોનુ દેવાળુ ફૂંકાયુ હતુ.
ચૂંટણી પૂર્વે જ રાદડિયા જૂથની ૯ બેઠકો બિનહરીફ ચૂંટાઇ
રાજકોટ જિલ્લા બેંકની તા. ૨૨ને રવિવારના રોજ ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી પૂર્વે જ રાદડિયા સહિતના નવ સભ્યોની પેનલ બિનહરીફ ચુંટાતા વિઠ્ઠલભાઇનું શાસન નિશ્વિત બન્યું છે. આ ચૂંટણીમાં ૪૦૦ મતદારો હાજર રહી મતદાન કરશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.આર.ડી.સી. બેંકની યોજાનાર ચૂંટણીમાં વેચાણ અને રૂપાંતરમાંથી વિઠ્ઠલભાઇ રાદડિયા અને ઇત્તર વિભાગમાંથી ગોરધનભાઇ ધામેલિયા અગાઉ જ બિનહરીફ જાહેર કરાયા છે. જ્યારે ખેડૂત વિભાગની ૧૩ બેઠકમાંથી ભાજપની ૬ પેનલ તો મરણ પથારીએ પડી જતાં તેમાં પણ રાદડિયાની પેનલ માટે રસ્તો સરળ બની ગયો છે. કુલ ૧૭ સભ્યોના બોર્ડમાં ૯ બેઠકો ચૂંટણી પૂર્વે જ બિનહરીફ થઇ જતાં ચૂંટણી ઉત્તેજના વગરની બની રહેશે.આ અંગે બેંકના ચેરમેન વિઠ્ઠલભાઇનો સંર્પક સાધતા જણાવ્યું હતું કે આજે મતદાન છે તથા સોમવારે મગગણતરી રાખવામાં આવી છે ત્યારે ભાજપના સભ્યોને આડે હાથ લઇ જીતવાની વાત તો એક બાજુ રહી કોઇની ડિપોઝિટ પણ નહીં બચે તેવો પડકાર ફેંકયો હતો.આ સાથે વધુમાં ખેડૂત વિભાગની ૧૩ બેઠકની ચૂંટણીમાં ભાજપની પેનલના ૭ ઉમેદવારો મેદાનમાં છે અને કોઇ ચમત્કાર સર્જાશે, અંતમાં ખેડૂત વિભાગના મતદારોને સવારે હાજર રહેવાનું કહી દેવાયું છે અને ૪૪૦ મતદારો પૈકી ૪૦૦ મતદારો હાજર રહેશે તેવો દાવો કર્યો હતો.
૨૬મી ઓગસ્ટે રાજ્યભરમાં એસ.ટી.ના પૈડાં થંભી જશે
રાજ્યભરની એસ.ટી. બસના પૈડાં થંભાવી દેવાની એસ.ટી.ના ત્રણેય યુનિયનોએ ચીમકી ઉચ્ચાર્યા બાદ આજે નિગમના એમ.ડી. સાથે યુનિયનોના આગેવાનોની મળેલી બેઠક પડી ભાંગતા આગામી ૨૬ સપ્ટેમ્બરે રાજ્યભરના એસ.ટી. કર્મચારીઓ હડતાળમાં જોડાશે જેથી એસ.ટી. બસોના પૈડાં થંભી જશે તેવો યુનિયનોએ દાવો કર્યો છે. બીજીબાજુ એકપણ કર્મચારીની રજા મંજુર ન કરવા એમ.ડી. ઓફિસમાંથી પરપિત્ર જારી કરવામાં આવ્યા છે.રાજ્યના એસ.ટી. નિગમના કર્મચારીઓની છઠ્ઠા પગારપંચનો લાભ, બઢતી-બદલીમાં અન્યાય સહિતના ૧૬ પડતર પ્રશ્નોના નિરાકરણની માગ સાથે ત્રણેય યુનિયનોએ આગામી ૨૬ ઓગસ્ટના રોજ હડતાળની ચીમકી ઉચ્ચારી હતી.દરમિયાન ગાંધીનગર ખાતે નિગમના એમ.ડી.એ એસ.ટી.ના ત્રણેય યુનિયનના આગેવાનો સાથે આજે પડતર પ્રશ્નો સંદર્ભે એક બેઠક બોલાવી હતી. પરંતુ, કર્મચારીઓના એકપણ પ્રશ્નનો ઉકેલ ન આવતા આ બેઠક પડી ભાંગી હતી.જેના પગલે આગામી ૨૬ ઓગસ્ટે એસ.ટી.ના કર્મચારીઓ બસોના પૈડાં થંભાવી પડતર પ્રશ્નોના માગ માટે હડતાળમાં જોડાશે.તેવો યુનિયનના આગેવાનો દાવો કરી રહ્યા છે. તો બીજીબાજુ હડતાળને તોડી પાડવા એમ.ડી. ઓફિસમાંથી એકપણ કર્મચારીની રજા મંજુર ન કરવી તેવો પરપિત્ર જારી કરી દેવામાં આવ્યો છે. આમ છતાં કોઈ કર્મચારીઓ રજા પર જશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે.જન્માષ્ટમી વેળાએ હડતાળથી મુસાફરો રઝળશે -એસ.ટી.ના યુનિયનોએ ૨૬ ઓગસ્ટે મંગળવારે હડતાળનું એલાન કર્યું છે. ત્યારે, જન્માષ્ટમી વેળાએ જ બસોના પૈડાં થંભી જશે. જેથી રાજ્યભરના મુસાફરો રઝળી પડશે. તહેવાર ટાંકણે જ યુનિયને હડતાળનું શસ્ત્ર ઉગામી નિગમનું નાક દબાવી પોતાના પડતર પ્રશ્નોનો ઉકેલ આવે તેવો રસ્તો અપનાવ્યો છે.
જામનગર : મંત્રી બનેલા વસુબેનનું આજે સ્વાગત
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા રાજ્ય પ્રધાન મંડળનાં વિસ્તરણમાં જામનગર શહેરનાં ધારાસભ્ય પ્રો. વસુબેન ત્રિવેદીને સ્થાન મળતા શહેરમાં આનંદની લાગણી પ્રસરી છે. રવિવારે જામનગરમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.મુખ્યમંત્રીએ કરેલાં પ્રધાનમંડળના વિસ્તરણમાં જામનગર જિલ્લામાંથી પ્રથમ વખત મહિલા ધારાસભ્યને મંત્રી મંડળમાં સ્થાન મળતા જિલ્લાનાં પક્ષના કાર્યકરો અને આગેવાનોમાં આનંદની લાગણી પ્રસરી છે.ખાસ કરીને જામનગર શહેરમાં વિશેષ આનંદ પ્રવર્તી રહ્યો છે. આ અગાઉ જિલ્લામાંથી મંજુલાબેન દવે અને લીલાબેન ત્રિવેદી મહિલા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. પરંતુ તેઓ મંત્રી મંડળમાં સ્થાન પામી શક્યા ન હતાં. જિલ્લા ભાજપનાં આગેવાનો દ્વારા પણ વસુબેનની મંત્રી મંડળમાં પસંદગીને આવકારવામાં આવી છે. છેલ્લી બે ટર્મથી જામનગરનાં ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવતા વસુબેન પ્રધાન મંડળમાં સ્થાન પામ્યા બાદ રવિવારે તેઓ જામનગર પરત આવી રહ્યા હોય, સવારે સાડાદસ વાગ્યે ગુલાબનગર પાસે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યાર બાદ શહેરનાં મુખ્યમાર્ગો પર રેલી યોજવામાં આવશે. જે શહેર ભાજપ કાર્યાલયે પહોચ્યા બાદ આંબેડકર ગાર્ડન પાસે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર : મારા પુત્રને છોડાવવો હોય તો રૂ. પ૦ હજાર આપી જાવ
જામનગરમાં રાક્ષસી વ્યાજખોરોએ યુવાનનું અપહરણ કરી પિતાને જાણ કરી : વ્યાજ સહિત મૂડી પરત કરી દીધી છતાં સવા ત્રણ લાખની ઉઘરાણી.જામનગરમાં જંગી વ્યાજવટાવનો ધંધો કરતા શખ્સોએ વપિ્ર યુવાનનું અપહરણ કરી તેના પિતા પાસે પુત્રને છોડાવવા રૂ. પ૦ હજારની માંગણી કર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે. ૩૫ હજારની વ્યાજે લીધેલી મૂડી પર વ્યાજ સહિત રૂ. ૭૦ હજાર ચુકવી દીધા છતાં વ્યાજખોરોના કૃત્ય સામે પોલીસે તુરત કાર્યવાહી કરી તમામ આરોપીઓને પકડી પાડ્યા છે.જામનગર શહેરમાં કાયદે-ગેરકાયદે વ્યાજ વટાવનો ધંધો કરતા વ્યાજખોરોના વિષચક્રમાં અનેક જીંદગીઓ રોળાઇ ગઇ હોવાના કિસ્સા બહાર આવ્યા છે. પોલીસ પણ આ વ્યાજખોરો સામે નિષ્ક્રિય રહેતા વ્યાજ વટાવની પ્રવૃતિને ઉતેજન મળ્યું છે. નવિનયુક્ત એસપી સુભાષ ત્રિવેદીએ શહેર સહિત જિલ્લામાં વિસ્તરેલા વ્યાજખોરો અને જમીન માફીયાઓના નેટવર્કને નાબુદ કરવા કમ્મર કસી હોય તેમ છેલ્લા પખવાડીયામાં ડઝનેક ફરિયાદો નોંધાઇ છે.આવા જ વ્યાજખોરોના કૃત્યના ભોગ બનેલા પુત્રના પિતાએ પોલીસ દફતરે ફરિયાદ નોંધાવી હતી. શહેરના સેતાવાડમાં જીવા સેતાના ડેલામાં રહેતા રાજેશભાઇ પંડયાએ કો.કો.બેંકના કર્મચારી દશરથસિંહ જાડેજાના પુત્ર અજયસિંહ ઉર્ફે એડી જાડેજા પાસેથી રૂ. ૧૫,૦૦૦ અને સીટી આર્કેટમાં ઓફિસ ધરાવતા ચંદ્રેશ ગઢવી, મહેશ ગઢવી પાસેથી રૂ. ર૦ હજારની મૂડી એક ટકાના દરે વ્યાજે લીધી હતી. સમયાંતરે વપિ્ર યુવાને આ બન્ને શખ્સોને વ્યાજ સહિત રૂ. ૭૦ હજારની મુડી પરત કરી હતી. છતાં પણ બન્ને વ્યાજખોરોએ રૂ. ૩.૫૦ લાખની ઉઘરાણી કરી, ઘરેણા વેંચી નાખી, કોરા ચેકની માગણી કરી હતી.જેનો કોઇ પ્રત્યુતર નહી આપતા એડી જાડેજા સહિત વજિરખી પ્રા. શાળાના આચાર્ય પ્રફુલ દોશીના પુત્ર અમીત, મનીષ જાંટ, દિપેશ ધરાજ ગઢવીએ ગત તા. ૧રમીના રાજે રાજેશભાઇનું અપહરણ કરી ગયા હતાં. ત્યારબાદ ગુરૂદ્વારા પાસેની ઓફિસમાં યુવાનને ગોંધી રાખી તેના પિતાને ફોન કરી રૂ. પ૦ હજાર આપી પુત્રને છોડાવી જવાની ધમકી ઉચ્ચારી હતી. ત્યારબાદ વ્યાજખોરોના વિષચક્રમાં ફસાયેલા યુવાનના પિતાએ પાંચેય શખ્સો સામે ગેરકાયદે ધીરધારનો ધંધો કરી, અપહરણ કરી, બળજબરી પૂર્વક વ્યાજ વસુલવા દબાણ કર્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટમાં નાગરિકોને ગેસ સિલિન્ડર મેળવવા પડતી ભારે હાલાકી
visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
રાજકોટમાં નાગરિકોને ગેસ સિલિન્ડર મેળવવા પડતી ભારે હાલાકી
શ્રાવણ માસમાં તહેવારો સમયે જ રાંધણગેસના બાટલાની અછત સર્જાતા તેમજ બેકલોગ મુદ્દે કલેક્ટર અને આઇઓસી દ્વારા જવાબદારી સંદર્ભે ચલકચલાણાની રમત રમાતા કારણ વગર નિર્દોષ નાગરિકો હાલાકી વેઠી રહ્યા છે.શહેરમાં નોંધણી કરાવ્યા બાદ એક-એક સપ્તાહ સુધી બાટલાની ડિલિવરી થતી ન હોય તેમજ હજારો રાશનકાર્ડ ધારકોને રાશનકાર્ડ પર કેરોસીન મળતું ન હોય ગૃહિણીઓ માટે રસોઇ કરવી કેમ? ની સમસ્યા સર્જાઇ છે. તો જિલ્લાના અન્ય તાલુકામાં પણ આજ સ્થિતિ છે. આઇઓસી દ્વારા વારંવાર દાખવાતી બેદરકારી ડાંડાંઇને કારણે છાસવારે સિલિન્ડરોનો બેકલોગ વધતો જાય છે.આ કાયમી સમસ્યા અંગે જિલ્લા કલેક્ટર કે પુરવઠા તંત્ર દ્વારા કોઇ કાયમી ઉકેલ લવાતો નથી જો કે ૩૦ જુલાઇ તેમજ ૭ ઓગસ્ટના એમ બે વખત પત્ર પાઠવી પુરવઠા તંત્ર દ્વારા બેકલોગ પૂર્ણ કરવા આઇઓસીને જણાવાયું હતું પણ પુરવઠા તંત્રના આ લેખિત પત્રોની નિંભર આઇઓસી તંત્ર પર કોઇ અસર થઇ નથી, છેવટે કલેક્ટર તંત્ર દ્વારા આ અંગે રાજ્ય સરકારને જાણ કરવામાં આવી છે.દરમિયાન મંગળવારે રક્ષાબંધનનો તહેવાર હોય બે દિવસમાં બેકલોગ પૂર્ણ કરવા માટે તંત્રએ આઇઓસીના સ્ટેટ લેવલ કોઓર્ડિનેટર તેમજ જનરલ મેનેજરને રજૂઆત કરી છે.
રાજકોટમાં વીડિયો ગેમ : બાળ માનસને જુગારી બનાવતું મશીન
વીડિયો ગેમના રવાડે ચડી મોજશોખ પૂરા કરવા માટે અંતે જુગાર રમવાનો માર્ગ અપનાવ્યો અને બની ગયા જુગારી અને ગુનાખોરીની દુનિયામાં ડગ માંડી દીધા: પ૦ ચીલઝડપ કરનાર બે ગેંગના ૧૨ થી ૩પ વર્ષના સાત સભ્યોની આપેલી ચોંકાવનારી કબૂલાત.પોલીસે પખવાડિયા પહેલાં સંસ્કારી પરિવારના બે નબીરાને ચીલઝડપના ૩૬ ગુનામાં પકડ્યા હતા. બાર દિવસ પહેલાં ચીલઝડપના ૧૧ ગુનામાં ૧૨ થી ૧૭ વર્ષના પાંચ ટાબરિયાની ગેંગને પકડવામાં આવી હતી. જેમાં ત્રણ તો સગા ભાઇ છે ! આ બન્ને ટોળકીની જરૂરિયાત અને કબૂલાત સરખી હતી. વીડિયો ગેમ પર જુગાર રમવાના પૈસા માટે તે ચોરી અને ચીલઝડપ કરતા હતા.ગિલ્લી દંડા, થપ્પો, કબડ્ડી અને સાપસીડી જેવી નિર્દોષ રમત રમીને આનંદ લૂંટનારા બાળકો હવે શોધ્યા જડતા નથી. હાઇફાઇ રમતોના આકર્ષણમાં સંતાનોને વીડિયો ગેમ્સ પાર્લરમાં જવાની છૂટ આપતાં વાલીઓને એ ખબર નથી કે, પાર્લરમાં ફ્લોટ મશીન ઉપર લગાડેલા લક્કી નંબર ઉપરથી ખણણણ ટપકતા સિક્કાની લાલચમાં અનાયાસે જ તેમના બાળ માનસમાં જુગાર પ્રવૃત્તિ પગ-પેસારો કરી રહી છે. શહેરમાં વીડિયો ગેમ્સના ઓઠા હેઠળ જુગાર રમાડતા ૧પ૦થી વધુ પાર્લર ધમધમે છે. બાળકોને જુગારના રવાડે ચડાવવામાં ભ્રષ્ટ પોલીસની મીઠી નજર હેઠળ ચાલે છે. સંચાલકો પોલીસને મહિને ૩ હજારથી ૧૦ હજારનો હપ્તો ચૂકવે છે. .
કળિયુગના શ્રવણ સળિયા ગણશે
વૃધ્ધ મા-બાપને ખાધાખોરાકી નહીં ચૂકવનાર સંતાનોને સજા. ૧૪ માસથી ચડત રકમ નહીં ચૂકવતા કોર્ટે ૧૪૦ દિવસની સજા ફટકારી.‘દેખ તેરે ઇન્સાન કી હાલત ક્યા હો ગઇ ભગવાન’પેટે પાટા બાંધી પોતે ભૂખ્યા રહી સંતાનોને લાડ પ્યારથી ઉછેર કરતા મા-બાપની સંતાનોને હવે કોઇ પડી નથી. આવા જ એક કેસમાં તમામ મિલકતો પોતાના નામે કરાવી નાખ્યા બાદ મગનભાઇ પનારા અને તેમના પત્ની સંતોકબેનને તરછોડી દેનાર તેમના પુત્રો બાબુભાઇ અને અરવિંદભાઇ સામે ભરણ પોષણ મેળવવા વકીલ બકુલ વી. રાજાણી મારફત અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે કોર્ટે વૃધ્ધ દંપતીને માસિક ૭૦૦-૭૦૦ની રકમ ચૂકવવાનો હુકમ કર્યો હતો.દરમિયાન, વૃધ્ધ મા-બાપને નહીં સાચવનાર કિળયુગી શ્રવણો કાયદાને પણ ઘોળીને પી જઇ મા-બાપને ૧૪ મહિના સુધી ફદિયું પણ આપ્યું નહીં.જેથી, દીકરીના ઘરે આશરો લેનાર વૃધ્ધ દંપતીએ કપાતર પુત્રો સામે ચડત રકમ મેળવવા ફરી કોર્ટમાં અરજી કરી હતી. અરજીની સુનાવણી દરમિયાન વૃધ્ધ દંપતી તરફે રોકાયેલા વકીલે સમાજમાં બનતા આવા બનાવો અટકાવવા રજૂઆત કરી હતી.અગાઉ મા-બાપને ખાધાખોરાકીની રકમ ચૂકવવા અસમર્થ હોવાનું જણાવી હાથ ઊંચા કરી દેનાર બન્ને પુત્રો સામે અદાલતે જપ્તી અને પકડ વોરંટ ઇશ્યૂ કર્યું હતું.તેમ છતાં બન્ને પુત્રોએ વૃધ્ધ મા-બાપને રકમ ચૂકવી ન હોય અદાલતે લાલ આંખ કરી બાબુભાઇ અને અરવિંદભાઇને ૧૪૦-૧૪૦ દિવસની સજા ફટકારતો હુકમ કર્યો છે.
રાજકોટમાં સરાજાહેર ખૂન: પોલીસ ચોકી પહોંચે તે પૂર્વે મોત આંબી ગયું
રાજકોટમાં છરીના ઘા ઝીંકાતા જીવ બચાવવા ભાગેલો વિપ્ર યુવાન હુડકો પોલીસ ચોકીમાં જ ઢળી પડ્યો.રાજકોટમાં ગુનાખોરીએ માજા મૂકી છે. લૂંટ-હત્યા જેવા ગંભીર ગુનાઓ સતત બની રહ્યા છે. નિલકંઠ પાર્કના પટેલ યુવાનનું ગળું કાપી થયેલી ઘાતકી હત્યાનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યાં શનિવારે બપોરે હુડકો પોલીસ ચોકીની બાજુમાં જ વપિ્ર યુવાનને ગઢવી બંધુએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારતા સનસનાટી મચી ગઇ હતી. હત્યારાઓથી બચવા ભાગેલો વપિ્ર યુવાન પોલીસ ચોકીમાં જ ઢળી પડ્યો હતો.શહેરના કોઠારિયા રોડ પરના ઘનશ્યામનગરમાં રહેતો.અને હાલમાં હદપાર થયેલો ભોલો ઉર્ફે ભોલિયો મહેશભાઇ ઠાકર (ઉ. વ. ૨૨) બપોરે હુડકો કવાટર્સ બસ સ્ટોપ પાસે તેના મિત્ર જીતેન્દ્ર લક્ષ્મણભાઇ સગર (ઉ. વ. ૨૧) ની રિક્ષામાં ડ્રાઇવિંગ સીટ પર બેસી ટેપ વગાડતો હતો ત્યારે હુડકો વિસ્તારનો નામચીન કાકુ કરશનભાઇ ગઢવી અને તેનો ભાઇ રઘુ ધસી આવ્યા હતા અને ભોલાને રિક્ષામાંથી બહાર ખેંચી છાતી અને ગળાના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. ભોલિયાને બચાવવા દોડેલા તેના મિત્ર જીતેન્દ્ર પર રઘુ ગઢવીએ પાઇપથી હુમલો કર્યો હતો.આરોપીઓએ ઝનૂનપૂર્વક હુમલો કરતા મોત નજર સામે દેખાતા ભોલો લોહીલુહાણ હાલતમાં રોડ પર ભાગ્યો હતો. વપિ્ર યુવાનને ઢાળી દેવાના નિર્ધારસાથે આરોપીઓ પણ તેમની પાછળ દોડ્યા હતા. આ ર્દશ્ય જોઇ રાહદારીઓ સ્તબ્ધ થઇ ગયા હતા. જીવ બચાવવા ભાગેલો ભોલો હુડકો પોલીસ ચોકી સુધી પહોંચવામાં સફળ થયો હતો. પરંતુ, પોલીસ ચોકીના પટાંગણમાં જ ઢળી પડ્યો હતો અને ત્યાં લોહીનું ખાબોચિયું ભરાઇ ગયું હતું. ચોકીના કોન્સ્ટેબલ ઇકબાલભાઇએ વિપ્ર યુવાનને બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ, ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો.
રાજકોટ : ફેડરેશન ઓફ વિધ્યુત સહાયક પીજીવીસીએલ સામે આંદોલન છેડશે
રાજકોટની પીજીવીસીએલની કચેરીએ ગત વર્ષે ૪૯૨ જેટલા વિધ્યુત સહાયકોની પસંદગી કરી હતી, પરંતુ તેમાંથી માત્ર થોડા જ ઉમેદવારોને નોકરીમાં સમાવેશ કરી બાદમાં ભરતી બંધ કરતા ફેડરેશન ઓફ વિધ્યુત સહાયકે વીજકંપનીની આ અન્યાયી નીતિ સામે લડતના મંડાણ કરવા તા. ૨૨ને રવિવારે રેસકોર્સમાં સવારે ૧૦ વાગ્યે વિધ્યુત સહાયકોની બેઠક બોલાવી છે, અને નોકરી ન અપાય તો આંદોલનના મંડાણની રણનીતિ ઘડી કઢાશે.રાજકોટની પીજીવીસીએલની કચેરીએ જુલાઇ-૨૦૦૯માં જુનિ. આસિસ્ટન્ટની ૧૯૦૦ ઉમેદવારોની પરીક્ષા લીધી હતી. આ પરીક્ષામાં ૪૯૨ ઉમેદવારો વિધ્યુત સહાયક તરીકે પસંદગી પામ્યા હતા.આ ૪૯૨ પસંદગી પામેલા વિધ્યુત સહાયકોમાંથી ૭૬ને કાયમી અને ૧૦૦ને વિધ્યુત સહાયક તરીકે નોકરીએ રાખવામાં આવ્યા હતા. જો કે આ બાદ બાકી રહેલા ૩૧૬ ઉમેદવારોને પીજીવીસીએલ દ્વારા નોકરી આપવામાં આવી નથી.વાસ્તવમાં રાજકોટ પીજીવીસીએલ અંતર્ગત ૯ થી ૧૧ સર્કલ આવે છે. આ તમામ સર્કલ નીચે ૩ થી ૧૫ ડિવિઝનો આવેલા છે. જો દરેક સર્કલમાં ૩૦ થી ૪૦ વિધ્યુત સહાયકને ભરવામાં આવે તો તમામ વિધ્યુત સહાયકને નોકરી મળે તેમ છે પરંતુ પીજીવીસીએલ આઉટ સોર્સિંગના નામે ભરતી કરતું નથી. પીજીવીસીએલના ભાવનગર, પોરબંદર, મોરબી સર્કલમાં જુનિયર આસિસ્ટન્ટની જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી કરાતી નથી.પીજીવીસીએલની આ અન્યાયી નીતિ સામે લડતના મંડાણ કરવા રાજકોટમાં ફેડરેશન ઓફ વિધ્યુત સહાયક દ્વારા તા. ૨૨ને રવિવારે બહુમાળી ભવન સામે, રેસકોર્સમાં સવારે ૧૦ વાગ્યે વિધ્યુત સહાયકોની બેઠક બોલાવામાં આવી છે. બેઠકમાં આંદોલનના મંડાણ કરવાની રણનીતિ ઘડવામાં આવશે.
એક હિન્દુ કરે છે ૨૬ વર્ષથી રોજા
ત્રણ મિત્રો કે જેમાં હિન્દુ, એક મુસ્લિમ અને એક જૈન છે જેઓને પોતાના ધર્મ ઉપરાંત અન્ય ધર્મો પ્રત્ય પણ એટલું જ આકર્ષણ આદર અને માન છે જે આજે ધર્મની દીવાલથી ઉપર ઉઠીને સમસ્ત માનવ ધર્મમાં પરિવતિંત થઇ હોવાનું તેઓ મહેસૂસ કરે છે.
આ વાત છે સને ૧૯૭૪ની અને સ્થળ છે નાગદા જી. ઉજૈન, મધ્યપ્રદેશ જ્યાં આ ત્રણે મિત્રો ૯માં ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્રણે પાક્કા મિત્રો છતાં એક વખત રમજાનના સમયે ત્રણે મિત્રો વચ્ચે ધર્મ બાબતે બહેસ શરૂ થઇ કે અમારા રોજા રાખવા અઘરા પડે જ્યારે હિન્દુ અને જૈન પોત-પોતાના ઉપવાસ અધરાં પડે એમ બતાવી રહયા હતા એ બહેસ આગળ વધીને કંઇક નવું ઝઘડા રૂપ લે પહેલાં પાસે આવેલ ગ્રાસિમ કોલોનીમાંથી નીકળતા એક વડીલે.આ ચર્ચા સાંભળી અને ત્રણે મિત્રોને ટોક્યા કે આ રીતે એક બીજાના ધર્મ વિશે જાણ્યા સમજયા વિના ટીકકા કરીને ઝઘડવું તે યોગ્ય નથી પરંતુ સર્વેને એક સૂચન તેમણે કર્યું કે, એક બીજાના ઉપવાસ-રોજા-પયુંષણ સાથે જ રાખો અને પછી નકકી કરો કઇ વસ્તુ કિઠન છે. આ સૂચનનો અમલ કરતાં ત્રણે મિત્રોએ રમજાનના રોજાથી ચાલુ કર્યા.આ વાત યાદ કરતા પી.ચંદ્રા સોની ૨૬ વર્ષ પાછળ ચાલ્યા જાય છે અને ર્દશ્ય રજૂ કરતા જણાવે છે કે, એ વખતે અને એક બીજાના ધર્મની કસોટી કરવા માટે રમજાનમાં રોજા, પયુંષણમાં ઉપવાસ તથા બંને નવરાત્રિમાં માતાજીના અનુષ્ઠાન કરીને ફક્ત પાણી ઉપર ઉપવાસ કરેલાં પરંતુ બીજા વર્ષથી જાણે ત્રણે જણ આ તહેવારોની રાહ જોતા હતાં જે એમણે ચાલુ રાખ્યું અને એક સિલ સિલો બન્યો કે આ ત્રણ ઉત્સવો ત્રણેય મિત્રો સારી રતી ઉજવાય જેમાં અનુષ્ઠાન પછી પારણાં રોજા પછી ઇંદ તથા પયુંષણના પારણાં ઉજવવા માં આવે છે જે આજે ૨૬ વર્ષથી સતત એક પણ વખત ચૂક્યા વિના ત્રણે જણ દ્વારા ચાલુ છે.વધુમાં સોની ઉમેર્યું છે કે, આ સિલસિલો ક્યારેય તોડશે નહી. આનંદ અને આશ્ચર્યની વાત એછેકે હાલમાં ત્રણે મિત્રો વચ્ચે સ્થળનું ઘણું અંતર પડી ગયું છે.
'નવી મુંબઈમાં એરપોર્ટને પરવાનગીના એંધાણ'
નવી મુંબઈના પ્રસ્તાવિત એરપોર્ટને કેન્દ્રીય પર્યાવરણ ખાતાની પરવાનગી મળવાના એંધાણ છે, એમ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે કહ્યું હતું.રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓએ શુક્રવારે દિલ્હીમાં પર્યાવરણ ખાતા સમક્ષ વિમાનમથક બાબતે પોતાની ભૂમિકા રજુ કરી હતી. આ બેઠકમાં રાજ્ય સરકાર વતી જણાવાયું હતું કે, નવા એરપોર્ટ માટે નવી મુંબઈની જગ્યા જ યોગ્ય છે. વિમાનોનાં ટેક-ઓફ અને લેન્ડિંગ માટે આ જગ્યા બરાબર છે.અન્ય ઠેકાણે એરપોર્ટ ઊભું કરી શકાશે નહીં, કારણ કે સહ્યાદ્રીના પર્વતમાળાને લીધે હવાઈ ટ્રાફિકને અવરોધ નડશે. ઉલવા અને અન્ય એક નદીનો માર્ગ બદલવો પડશે, એ સામે કેન્દ્રના પર્યાવરણ ખાતાએ વાંધો ઊઠાવ્યો હતો. પર્યાવરણ ખાતાએ ઉઠાવ્યો હતો. તેના જવાબમાં રાજ્યે ‘ઉલવા નદીનો પ્રવાહ બદલવાની જરૂર નથી અને બીજી નદીનો પ્રવાહ છે એમ જ રાખવાની’ વાત જણાવી હોવાનું જાણવા મળ્યું હતું.
વાંકાનેર : ચાર વર્ષની બાળકી પર બળાત્કાર
વાંકાનેર તાલુકાના તરકિયા ગામના સરપંચના પુત્રએ ચાર વર્ષની માસૂમ ફૂલ સમાન બાળકી પર બળાત્કાર ગુજારતાં હાહાકાર મચી ગયો છે. બાળકીને ભાગ લઇ દેવાની લાલચ આપી તેને ગામની સીમમાં ચેકડેમ પાસે અંધારામાં બેસાડી અધમ કૃત્ય આચરીને ૨૩ વર્ષનો શખ્સ ભાગી છુટ્યો હતો. બાળાને ગુપ્તભાગે સતત રક્તસ્ત્રાવ થતો હતો તેને રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી છે. પોલીસે સરપંચના પુત્ર સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.તરકિયા ગામમાં રહેતો સરપંચનો પુત્ર શૈલેષ સોમા કોળી ગત શુક્રવારે સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે તેના ઘર પાસે ઊભો હતો ત્યારે કોળીની ચાર વર્ષની દીકરી પણ ત્યાં રમી રહી હતી. સાતિર દિમાગના માલિક શૈલેષના મનમાં હલકો વિચાર આવ્યો અને તેણે ચાર વર્ષની બાળાને ‘ચાલ દીકરી તને ભાગ લઇ આપું’ કહીને ગામની સીમમાં ચેકડેમ પાસે લઇ ગયો હતો.અંધારું છવાઇ ગયું હોય શૈલેષે તેનો લાભ ઊઠાવીને બાળાને ખોળામાં બેસાડી દીધી હતી અને કુકર્મ આચરવાનું શરૂ કર્યું હતું. બાળા રડવા લાગી હતી પરંતુ મગજ પર શૈતાન સવાર થઇ ગયો હોય, બાળકીની ચીસો નરાધમને સંભળાઇ ન હતી. અને તે તેના કામમાં રત રહ્યો હતો.આ સમયે સીમમાં રહેતા મગનભાઇ છનાભાઇ ડાભી ગામમાં બીડી-બાકસ લેવા માટે ગામમાં આવી રહ્યા હતા તેઓએ બાળકીના રડવાનો અવાજ સાંભળતાં ચેકડેમ તરફ ગયા હતા. જ્યાં શૈલેષ કુકર્મ આચરી રહ્યો હોય મગનભાઇએ તેને પડકાર્યો હતો.જો કે, શૈલેષ ચેકડેમમાં ભૂસકો મારી તરીને સામાકાંઠે પહોંચીને ભાગી ગયો હતો. બાદમાં મગનભાઇ બાળાને તેના ઘરે લઇ ગયા ત્યાંથી લોહીલુહાણ હાલતમાં રહેલી બાળકીને મેસરિયા ગામના હેલ્થ સેન્ટર ખાતે સારવાર માટે લઇ જવાઇ હતી. જ્યાં તાવ સંદર્ભેની દવા આપવામાં આવતાં બાળાને લઇને તેમના પરિવારજનો પરત પોતાના ગામ ચાલ્યા આવ્યા હતા.
પાણીની અરુચિ: 30 વર્ષથી માત્ર 1 ઘૂંટડો પાણી પીતો માણસ!
શરીરમાં લગભગ 70 ટકા પાણી રહેલું છે. પાણી વગર કોઈ માણસના જીવનની કલ્પના કરી શકાય તેમ નથી. પરંતુ આ તમામ વાતોથી અલગ જશપુર જિલ્લાનો એક યુવક એવો પણ છે કે તે 30 વર્ષથી દરરોજ માત્ર એક ઘૂંટ પાણી પીને જીવન-યાપન કરી રહ્યો છે. એ આશ્ચર્યની વાત છે કે તેના શરીર પર આ વાતની કોઈ અસર પડી નથી. છેલ્લા પાંચ વર્ષથી તે બિમાર પણ પડયો નથી.વ્યવસાયથી શિક્ષક એવા 39 વર્ષીય કલેશ્વર રામ ભગત હાલમાં સંયુક્ત આશ્રમ છાત્રાવાસમાં અધિક્ષકના પદ પર તેનાત છે. તેમની આ આદતથી તેમના તમામ મિત્રો પણ પરેશાન રહે છે. હવે તેમના મિત્ર અને તેમના પરિવારજનોએ પણ તેમને આ સંદર્ભે કંઈપણ કહેવાનું માંડી વાળ્યું છે. કલેશ્વર રામે જણાવ્યું હતું કે તેઓ એ નથી જાણતાં કે તેઓ પાણી કેમ પીતા નથી? પરંતુ તેમને પાણી પીવામાં અરુચિ થવા લાગે છે. તેનાથી તેમની નિયમિત દિનચર્યા પર કોઈ પ્રભાવ પડતો નથી.તેઓ સવારે નિયમિત 5 વાગ્યે ઉઠે છે. નિત્યકર્મથી નિવૃત થઈને તેઓ પોતાની દૈનિક દિનચર્યામાં લાગી જાય છે. શારીરિક રૂપથી તેઓ એ તમામ કાર્યો કરે છે કે જે એક સ્વસ્થ વ્યક્તિ કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે 1984માં બારમા ધોરણના અભ્યાસ બાદ ભોપાલ એન્જિનિયરીંગના અભ્યાસ માટે ગયા હતા, પરંતુ ત્યાં રોટલી ખાવાના કારણે તેમને ઘણી મુશ્કેલી થવા લાગી હતી. જેના કારણે તેઓ બિમાર પણ થઈ ગયા હતા. ત્યારે તેમને ખબર પડી હતી કે તેઓ ઓછું પાણી પીવે છે.
નિફ્ટી માટે ૫,૬૩૪ નવી પ્રતિકાર સપાટી
ઘરમાં જે થવું હોય તે થાય, એમાં આપણે શું? આપણે આપણી મસ્તીમાં જીવોને! અત્યારે ભારતીય શેરબજારનું વલણ કંઇક આવું જ રહ્યું છે. વૈશ્વિક શેરબજારની સ્થિતિ જે હોય તે, ત્યાં નરમાઇ હોય કે સુધારો આપણે શું? આપણી નિફ્ટી અને સેન્સેક્સ વધે છે ને, બસ આપણે એ જોઇએ. જો છેલ્લા બે સપ્તાહની વૈશ્વિક શેરબજારની ચાલ સાથે ભારતીય શેરબજારની ચાલને સરખાવવામાં આવે તો આવું ચિત્ર ઉપસે છે.વિતેલા સપ્તાહમાં સેન્સેક્સ ૨૩૫ પોઇન્ટ વધીને ૧૮,૪૦૨ની ૩૦ મહિનાની ઊંચી સપાટીને અને નિફ્ટી ૭૮ પોઇન્ટ વધીને ૫,૫૩૧ની ૩૧ મહિનાની નવી સપાટીએ બંધ રહ્યા હતા.નવા સપ્તાહમાં ડેરિવેટિવ્ઝનો છેલ્લો દિવસ આવતો હોવાથી બજારની ચાલ ઓપન ઇન્ટરેસ્ટમાં થનારા ફેરફાર પર આધાર રહેશે. વર્તમાન આરએસઆઈ પર નજર નાખવામાં આવે તો તે ઓવરબોટની સ્થિતિનો નિર્દેશ કરે છે અને સપ્ટેમ્બર કોન્ટ્રેકટ માટે સાવચેતીના અભિગમને જોતાં જો રોવઓવરની કામગીરી નીચી રહેશે તો નિફ્ટીની આગેકૂચ ધીમી થશે. નિફ્ટીએ ગયા અઠવાડિયે ૫,૪૭૫નું મહત્વનું પ્રતિકારક લેવલ કુદાવતા ૫,૫૫૦ સુધી જવાની જગા બની હતી અને હાલ નિફ્ટી ૫,૫૩૧ના મથાળે છે. હવે જો નિફ્ટી ૫,૫૪૫ ઉપર બંધ આપશે તો ૫,૬૩૪ સુધી આગળ વધવાનો માર્ગ ખૂલશે. સેન્સેક્સ માટે પણ ૧૮,૫૫૯ પ્રતિકારક લેવલ ગણવામાં આવે છે. આ સપાટી ઉપર નીકળતા ૧૮,૮૩૯ના સ્તરે જવાની સંભાવના છે.
એન્ટિબાયોટિક્સ હવે તો છોડો!
ધમ્મપદનો એક સુંદર શ્લોક આજના ભોગપ્રધાન માનવીને માટે ૨૧મી સદીમાં ઉપયોગી છે. ‘યદી થોડે સુખ કે પરિત્યાગ સે અધિક સુખ કી પ્રાપ્તિ હોતી હૈ તો બુદ્ધિમાન મનુષ્ય અધિક સુખ કી ઔર ધ્યાન દેતા હુઆ થોડે સુખ કો ત્યાગ દે.’હજી ભારતમાં અને ખાસ કરીને શહેરોમાં મેલેરિયાની વાત શમી નહોતી ત્યાં દેશવિદેશના તબીબી વિજ્ઞાનીઓએ કાગારોળ કરી મૂકી છે કે એક એવું કીટાણું, જીવાણું કે રોગાણું, જંતુ બ્રિટન, ભારત અને પાકિસ્તાનમાં ફેલાયું છે જે એન્ટિબાયોટિક્સ દવાને ગાંઠશે નહીં. ધમ્મપદના ઉપદેશ પ્રમાણે જો આ કીટાણુ કે જંતુથી મુક્ત રહેવું હોય તો આ ચોમાસામાં અને શ્રાવણ-ભાદરવામાં બહારના ખુલ્લા રેંકડીના નાસ્તા, ફરસાણની દુકાનો વગેરેનું ખાણું ઝાપટવાનું સુખ થોડો વખત ત્યાગશો તો આખી દિવાળી પછી નવું વર્ષ નરવા રહી શકશો.આજકાલ મેડિકલ જગતમાં ઓથોરિટી મનાતા ‘લાન્સેટ’ નામના મેડિકલ વીકલી તેમ જ ‘‘ન્યુ સાયિન્ટસ્ટ’’ અને લંડનના ગાિર્ડયને ધડાકો કર્યો છે કે એન્ટિબેકટેરિયલ દવાને ગાંઠે નહીં તેવું એક બેકટેરિયલ જીન (સુપર બગ) ફેલાયું છે અને તેને એન.ડી.એમ.-૧ નામ અપાયું છે. તેના ૧૪૩ કેસો ભારતમાં અને ૩૭ કેસો બ્રિટનમાં માલૂમ પડ્યા છે. તે જંતુઓને એન્ટિબાયોટિક્સ દવા અસર ન કરતાં આ દર્દીઓ મોતને ભેટવાની તૈયારીમાં છે. આ એન.ડી.એમ.-૧ નામના ખતરનાક-રોગાણુ - જંતુનું (સુપર બગ) આખું નામ ‘ન્યુ દિલ્હી-મેટ્રા લો બી.લેકટામેઝ-૧’ છે.
દીપિકાને જોઈ શરમાઈ ગયો હતો નત્થા
ખેડુતોની સમસ્યા પર રાજકારણીઓ અને મીડિયાની હાસ્યાસ્પદ રિતે ગાથા ગાતી ફિલ્મ પીપલી લાઈવમાં નત્થાનો રોલ અદા કરનાર છત્તીસગઢનાં ઓમકારદાસ મણિકપુરીએ અદા કર્યો હતો.ઓંમકારદાસે શનિવારે એક પત્રકાર પરિસદ યોજી હતી અને તેમનાં વિશે તેમજ ફિલ્મ વિશે વાત કરી હતી. હવે ઓમકાર તેમનાં સાચાં નામની જગ્યાએ નત્થાનાં નામે લોકો વધુ ઓળખે છે.આ પણ તેમની સફળતા જ કહેવાય કે તેમની ફિલ્મી કરિયરની પહેલી ફિલ્મમાં જ તેમને આટલી સારી નામનાં મળી ગઈ છે. પીપલી લાઈવનો નત્થા જે રિતે ફિલ્મમાં જોવા મળ્યો હતો તેવાં જ અંદાઝમાં તેઓ તેમની રીયલ લાઈફ જીવવાનું પસંદ કરે છે.ઓમકારદાસ દીપિકાનાં ઘણાં મોટા ચાહક છે અને તેઓ તેને મળવાં માટે આતુર હતાં આ વાતની જાણ આમિરને થતા તેણે દીપિકાને મળવાં આવવાં જણાવ્યું હતું તો આ તરફ દીપિકાએ પણ તેમની વાતનું માન રાખી ઓમકારને મળવા આવવાંનું આંમત્રણ સ્વિકાર્યુ હતું.દીપિકાને મળતા ઓમકાર તેની ખુબસુરતી પર આફરીન થઈ ગયો હતો. તેણે દીપિકાને છત્તિસગઢી કંઠી આપી હતી (આ એક માળા છે જે સિક્કાની બનેલી હોય છે. આદિવાસી મહિલાઓનું આ પસંદીદા ઘરેણું છે.) આ માળા દીપિકાએ તેમની સામે જ પહેરી લીધી હતી.ઓમકારદાસ દીપિકાની સ્માઈલ પર ફિદા થઈ ગયા હતા તેઓને કાંઈ સમજણ જ નહોતી પડતી કે તેઓ દીપિકા સાથે શું વાત કરે. તેઓ તેને મળીને શરમાઈ રહ્યાં હતાં.
શું આપુ રક્ષાબંધનની ગિફ્ટ?
બોલિવૂડ સ્ટાર અભિષેક બચ્ચન તેની મોટી બહેનને રક્ષાબંધન પર શું ભેટ આપે તે વાતે હાલમાં ઘણો જ ગુચવણ છે.અભિષેકે તેનાં ટ્વિટર પર જણાવ્યું હતું કે, ''રક્ષાબંધનને હવે ફક્ત બે દિવસ બાકી છે દરેક ભાઈ માટે સૌથી વધુ ચિંતાતુર કરતો સમય. શું લાવીશું બહેન માટે સૌથી મોટો પ્રશ્ન? એવું કાંઈ વસ્તુ છે જે એક ભાઈનો તેની બહેન પ્રત્યેનો પ્રેમ રજૂ કરી શકે? કોઈ પણ ભાઈ આ લાઈન ક્યારેય તેની બહેનને કહેતાં નહી મારો અંગત અનુભવ છે કે તમને મેથીપાક સિવાય કાંઈ જ નહી મળે. હાલમાં તો અભિષેક તેની બહેન શ્વેતા નંદાને શું ભેટ આપે તેની ગુચવણમાં છે. હાલમાં તો અભિષેકની બહેન તેને ઈમોશનલી બ્લેકમેઈલ કરી રહી છે. શ્વેતા નવી દિલ્હીમાં રહે છે.અભિષેકે વધુમાં ટ્વિટર પર જણાવ્યું હતું કે, ''આપણે કદાચ આટલું કહીએ કે 'આઈ લવ યુ વેરી મચ દીદી' અને વાર્તા પતી જાય તો કેટલું સારૂ હતું. પણ ત્યાર બાદ તો આવી જ બને તેની કચકચ ચાલુ જ થઈ જાય હું તારા માટે આટલી સરસ રાખડી લઈને આવી અને આ શું તે બસ આટલામાં જ પતાવી દીધુ.. મને વિશ્વાસ છે મારી સાથે આજ થવાનું છે''
સૈફ સાથે 4 ફિલ્મો કરી રહી છે પ્રિયંકા
પ્રિયંકાએ સાજીદ નડિયાદવાલાની આગામી ફિલ્મમાં સૈફ અલી ખાન સાથે સાઈન કર્યા બાદ તેને અન્ય ત્રણ ફિલ્મોની ઓફર આવી છે અને મઝાંની વાત તો ત્યાં છે કે આ ત્રણેય ફિલ્મોમાં તેની સામે સૈફ અલી ખાન જ છે.એ વાતતો નક્કી જ છે કે પ્રિયંકા સાજીદ નડિયાદવાલાની આગામી ફિલ્મ કરી રહી છે. આ ફિલ્મ સિધાર્થ આનંદ નિર્દેશ કરશે અને તેમાં સૈફ અલી ખાન હિરો હશે. તેમજ પ્રિયંકા અન્ય ત્રણ ફિલ્મો પણ સાઈન કરવાંનું વિચારી રહી છે જો તેની ડેટસ્ સાથે કોઈ મુશ્કેલી ન ઉભી થઈ તો તે જરૂરથી આ ત્રણ ફિલ્મો પણ સાઈન કરી લેશે.પણ મુશ્કેલી ત્યાં છે કે તેની 2011સુધીની બધી જ તારિખો નક્કી થઈ ચુકી છે. પણ તેને હાલમાં જે રીતે ફિલ્મોની ઓફર થઈ રહી છે તે જોતા લાગતું નથી કે આ બધી જ ફિલ્મો સાઈન કરી શકે.જો કે એક સમાચાર પ્રમાણે હાલમાં જ વિશાલ ભારદ્વાજે તેમની આગામી ફિલ્મમાં પ્રિયંકાની જગ્યાએ દીપિકાને સાઈન કરી છે. પણ સુત્રોનાં જણાવ્યાં પ્રમાણે ફિલ્મની વાર્તા પ્રમાણે તેમાં બે મુખ્ય વુમેન કિરદાર છે તેથી અન્ય રોલ પ્રયંકા કરે તેવી શક્યતા છે.
લગ્નથી ડરી રહી છે કેટી?
સિંગર કેટી પેરી અને તેનાં ફિઆન્સ રસેલ બ્રાંડનાં લગ્ને હવે ફક્ત એક અઠવાડિયું બાકી છે ત્યાં જાણે તેને લગ્નથી ડર લાગતો હોય તેમ લાગે છે.ખરેખરમાં કેટીને લગ્નનો નહી પણ તે દિવસે પરસેવામાં લથપથ થવાનો ડર લાગી રહ્યો છે. તેથી જ તેણે નક્કી કર્યું છે કે તે લેટેક્સમાંથી બનેલો ડ્રેસ લગ્નમાં પહેરશે નહી.આ વિશે પેરીએ જણાવ્યું હતું કે, હું લેટેક્સનો ડ્રેસ પહેરી વિવાહ કરીશ નહી. કારણકે આ પોશાક જ્યારે પણ હું પહેરુ છું મને પરસેવો છુટી જાય છે અને હું પરસેવાથી લથપથ થઈ જાવું છું.તેથી જ હું મારા લગ્ન માટે અલગ પ્રકારનો ડ્રેસ તૈયાર કરવી રહી છું. હું મારા લગ્નનાં દિવસે પરસેવામાં નાહ્વાં ઈચ્છતી નથી.
મીઠી છુરી નેહાનાં ફોટો જોઈ માતાને આચકો લાગ્યો
બાલિકા વધુની ગહેના એટલે કે નેહા મર્ડા પ્રખ્યાત ટિવી સ્ટાર હાલમાં બાલિકાની એક શરમાળ સોહામણી વધુ મટીને મીઠી છુરી બનવા જઈ રહી છે. આ માટે તેણે એક હોટ ફોટોશૂટ પણ કરાવ્યું છે.આ ફોટોમાં તે ખુબજ સુંદર લાગે છે. નેહા તેનાં આ નવા પોર્ટફોલિયોથી ઘણી જ ખુશ છે. પણ વાત ત્યાં છે કે તે તેની માતાને તેનો આ પોર્ટફોલિયો બતાવતાં અચકાઈ રહી છે.આ વિશે નેહાએ જણાવ્યું હતું કે, ''દરેક માતાની જેમ મારી માં પણ નથી ઈચ્છતી કે તેની દીકરી મોટી થઈ જાય. હું જાણું છું મારી માં પણ મારાં આટલાં બોલ્ડ અને હોટ ફોટો જોઈને નવાઈ પામી જશે અને તેને તે પસંદ પણ પડશે નહી.''
રક્ષાબંધન: ભાઈબહેનના સંબંધની મહોર
‘ખોટી લડાઈ કરી તેણે મને રડાવી છતાય મમ્મી પપ્પા સામે હંમેશાં વકીલાત કરી મને બચાવી એક એવો સલાહકાર જેણે જીવનના વાંકેચૂકે રસ્તે મને સલાહ આપી...જ તો છે ભાઈ-બહેનના ખાટામીઠા સંબંધો. થોડી મસ્તી, થોડા ઝઘડા છતાંય કશું જ કહ્યા વગર એકબીજાની વાતને સમજી તકલીફ દૂર કરવામાં લાગી જતાં ભાઈબહેનના સંબંધની મહોર છે રક્ષાબંધન. આ સંબંધોની રક્ષા કાજે ઉજવાતા રક્ષાબંધનના તહેવારને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યાં ભાઈની રક્ષા કાજે બહેન રાખડી અને મીઠાઈની ખરીદીમાં લાગી ગઈ છે. જયારે ભાઈ આ દિવસે બહેનને બેસ્ટ ગિફ્ટ આપવા માટે ગિફ્ટની ખરીદીમાં જોતરાઈ ગયો છે.ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાનાં, સૂતરના તાંતણે બંધાતી રાખડીમાં પણ બદલાતા સમય સાથે પરિવર્તન આવ્યાં છે. બાળકોને માટે સ્પાઈડર, ગણેશા, કાર્ટૂન વગેરે જેવી વેરાઈટીવાળી રાખડી સાથે લુમ્બા, ગલગોટા વગેરે જેવી વેરાઈટી ઉપરાંત સોના-ચાંદીની રાખડીઓ પણ બજારમાં વેચાઈ રહી છે. આજે જયાં ગ્રહ અને નક્ષત્રમાં લોકોની આસ્થા દિવસેને દિવસે વધી રહી છે, ત્યાં આ વર્ષે રાખડીના બજારમાં રાશિ પ્રમાણેની રાખડીઓ ધૂમ મચાવી છે અને સંખ્યાબંધ બહેનો પોતાના ભાઈની બર્થ તારીખને મેચ થતી રાખડી ખરીદીને લઈ જાય છે.ભાઈબહેનના મીઠા સંબંધોમાં મીઠાશ ઉમરે છે મીઠાઈ.સારાં કામ કે સારા પ્રસંગેને વધાવવા માટે મીઠાઈ જરૂરી છે. ત્યાં રાખડીના પર્વે ભાઈને મોંઢું મીઠું કરાવવા માટે સંખ્યાબંધ મીઠાઈઓ બજારમાં ઠલવાઈ છે. સૂકો મેવો, સાદા પેંડાથી લઈને અવનવી મીઠાઈઓ ઠલવાઈ છે. સાથે સાથે ઓલ ટાઈમ હિટ ચોકલેટના અવનવાં પેકેટ પણ ધૂમ વેચાઈ રહ્યાં છે.રાખી મેં ભી કાર્ડ...શબ્દોમાં દરેક સંબંધને વણર્વવા મુશ્કેલ છે. એક સમય હતો કે લોકો સારા કે નરસા પ્રસંગે પત્રવ્યવહાર દ્વારા એક બીજાના ખબર અંતર પૂછતા. બીજા કોઈ દિવસે બહેન ભાઈને પત્ર લખે કે ન લખે પણ રક્ષાબંધનના પર્વે બહેન પોતાના ભાઈને અચૂક પત્ર લખી રક્ષા મોકલે છે. જેનું સ્થાન બદલાયેલા સમયે ગ્રિટિંગ્સ કાર્ડે લીધું છે. દરેક સ્પેશિયલ દિવસને લઈને વેહેંચાતાં કાર્ડમાં હવે રાખીના કાર્ડનો ઉમેરો થયો છે. જેનું વેચાણ બીજા બધા સ્પેશિયલ દિવસોમાં વેહેંચાતા કાર્ડ કરતાં વિશેષ છે. જેમાં રાખડીવાળા કાર્ડનું વેચાણ વિશેષ પ્રમાણમાં થાય છે.હાઈટેક જમાનાની હાઈટેક રક્ષાબંધન,ફિલ્મો અને ટી.વી. સિરિયલો બાદ હવે રક્ષાબંધન પણ હાઈટેક બની ગઈ છે. સ્પર્શ માત્ર અનુભૂતિનો અહેસાસ કરાવે તેવી રાખડી એટલે એનિમેટેડ રાખડી. દેશવિદેશમાં જઈને વસેલા ભાઈબહેન માટે આ એનિમેટેડ રાખડી ખૂબ જ ઉપયોગી બની છે. ભાઈબહેનાં લાગણી સભર દ્વશ્યો અને ગીતો દર્શાવતી આ એનિમેટડ રાખડીનો ઉપયોગ ત્રણ દિવસમાં સાત લાખથી પણ વધારે લોકોએ કર્યો છે. જે વાત રૂબરૂ મળીને ભાઈબહેન એકબીજા સાથે શેર કરે છે તે દરેક વાત એનિમેટડ રાખડીમાં વણી લીધેલ છે. નો કુરિયર નો એસ.એમ.એસ. જસ્ટ ઈમેલ કરીને સંખ્યાબંધ ભાઈબહેન રક્ષાબંધન સેલિબ્રેટ કરે છે.
રાજકોટમાં નાગરિકોને ગેસ સિલિન્ડર મેળવવા પડતી ભારે હાલાકી
શ્રાવણ માસમાં તહેવારો સમયે જ રાંધણગેસના બાટલાની અછત સર્જાતા તેમજ બેકલોગ મુદ્દે કલેક્ટર અને આઇઓસી દ્વારા જવાબદારી સંદર્ભે ચલકચલાણાની રમત રમાતા કારણ વગર નિર્દોષ નાગરિકો હાલાકી વેઠી રહ્યા છે.શહેરમાં નોંધણી કરાવ્યા બાદ એક-એક સપ્તાહ સુધી બાટલાની ડિલિવરી થતી ન હોય તેમજ હજારો રાશનકાર્ડ ધારકોને રાશનકાર્ડ પર કેરોસીન મળતું ન હોય ગૃહિણીઓ માટે રસોઇ કરવી કેમ? ની સમસ્યા સર્જાઇ છે. તો જિલ્લાના અન્ય તાલુકામાં પણ આજ સ્થિતિ છે. આઇઓસી દ્વારા વારંવાર દાખવાતી બેદરકારી ડાંડાંઇને કારણે છાસવારે સિલિન્ડરોનો બેકલોગ વધતો જાય છે.આ કાયમી સમસ્યા અંગે જિલ્લા કલેક્ટર કે પુરવઠા તંત્ર દ્વારા કોઇ કાયમી ઉકેલ લવાતો નથી જો કે ૩૦ જુલાઇ તેમજ ૭ ઓગસ્ટના એમ બે વખત પત્ર પાઠવી પુરવઠા તંત્ર દ્વારા બેકલોગ પૂર્ણ કરવા આઇઓસીને જણાવાયું હતું પણ પુરવઠા તંત્રના આ લેખિત પત્રોની નિંભર આઇઓસી તંત્ર પર કોઇ અસર થઇ નથી, છેવટે કલેક્ટર તંત્ર દ્વારા આ અંગે રાજ્ય સરકારને જાણ કરવામાં આવી છે.દરમિયાન મંગળવારે રક્ષાબંધનનો તહેવાર હોય બે દિવસમાં બેકલોગ પૂર્ણ કરવા માટે તંત્રએ આઇઓસીના સ્ટેટ લેવલ કોઓર્ડિનેટર તેમજ જનરલ મેનેજરને રજૂઆત કરી છે.
રાજકોટમાં વીડિયો ગેમ : બાળ માનસને જુગારી બનાવતું મશીન
વીડિયો ગેમના રવાડે ચડી મોજશોખ પૂરા કરવા માટે અંતે જુગાર રમવાનો માર્ગ અપનાવ્યો અને બની ગયા જુગારી અને ગુનાખોરીની દુનિયામાં ડગ માંડી દીધા: પ૦ ચીલઝડપ કરનાર બે ગેંગના ૧૨ થી ૩પ વર્ષના સાત સભ્યોની આપેલી ચોંકાવનારી કબૂલાત.પોલીસે પખવાડિયા પહેલાં સંસ્કારી પરિવારના બે નબીરાને ચીલઝડપના ૩૬ ગુનામાં પકડ્યા હતા. બાર દિવસ પહેલાં ચીલઝડપના ૧૧ ગુનામાં ૧૨ થી ૧૭ વર્ષના પાંચ ટાબરિયાની ગેંગને પકડવામાં આવી હતી. જેમાં ત્રણ તો સગા ભાઇ છે ! આ બન્ને ટોળકીની જરૂરિયાત અને કબૂલાત સરખી હતી. વીડિયો ગેમ પર જુગાર રમવાના પૈસા માટે તે ચોરી અને ચીલઝડપ કરતા હતા.ગિલ્લી દંડા, થપ્પો, કબડ્ડી અને સાપસીડી જેવી નિર્દોષ રમત રમીને આનંદ લૂંટનારા બાળકો હવે શોધ્યા જડતા નથી. હાઇફાઇ રમતોના આકર્ષણમાં સંતાનોને વીડિયો ગેમ્સ પાર્લરમાં જવાની છૂટ આપતાં વાલીઓને એ ખબર નથી કે, પાર્લરમાં ફ્લોટ મશીન ઉપર લગાડેલા લક્કી નંબર ઉપરથી ખણણણ ટપકતા સિક્કાની લાલચમાં અનાયાસે જ તેમના બાળ માનસમાં જુગાર પ્રવૃત્તિ પગ-પેસારો કરી રહી છે. શહેરમાં વીડિયો ગેમ્સના ઓઠા હેઠળ જુગાર રમાડતા ૧પ૦થી વધુ પાર્લર ધમધમે છે. બાળકોને જુગારના રવાડે ચડાવવામાં ભ્રષ્ટ પોલીસની મીઠી નજર હેઠળ ચાલે છે. સંચાલકો પોલીસને મહિને ૩ હજારથી ૧૦ હજારનો હપ્તો ચૂકવે છે. .
કળિયુગના શ્રવણ સળિયા ગણશે
વૃધ્ધ મા-બાપને ખાધાખોરાકી નહીં ચૂકવનાર સંતાનોને સજા. ૧૪ માસથી ચડત રકમ નહીં ચૂકવતા કોર્ટે ૧૪૦ દિવસની સજા ફટકારી.‘દેખ તેરે ઇન્સાન કી હાલત ક્યા હો ગઇ ભગવાન’પેટે પાટા બાંધી પોતે ભૂખ્યા રહી સંતાનોને લાડ પ્યારથી ઉછેર કરતા મા-બાપની સંતાનોને હવે કોઇ પડી નથી. આવા જ એક કેસમાં તમામ મિલકતો પોતાના નામે કરાવી નાખ્યા બાદ મગનભાઇ પનારા અને તેમના પત્ની સંતોકબેનને તરછોડી દેનાર તેમના પુત્રો બાબુભાઇ અને અરવિંદભાઇ સામે ભરણ પોષણ મેળવવા વકીલ બકુલ વી. રાજાણી મારફત અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે કોર્ટે વૃધ્ધ દંપતીને માસિક ૭૦૦-૭૦૦ની રકમ ચૂકવવાનો હુકમ કર્યો હતો.દરમિયાન, વૃધ્ધ મા-બાપને નહીં સાચવનાર કિળયુગી શ્રવણો કાયદાને પણ ઘોળીને પી જઇ મા-બાપને ૧૪ મહિના સુધી ફદિયું પણ આપ્યું નહીં.જેથી, દીકરીના ઘરે આશરો લેનાર વૃધ્ધ દંપતીએ કપાતર પુત્રો સામે ચડત રકમ મેળવવા ફરી કોર્ટમાં અરજી કરી હતી. અરજીની સુનાવણી દરમિયાન વૃધ્ધ દંપતી તરફે રોકાયેલા વકીલે સમાજમાં બનતા આવા બનાવો અટકાવવા રજૂઆત કરી હતી.અગાઉ મા-બાપને ખાધાખોરાકીની રકમ ચૂકવવા અસમર્થ હોવાનું જણાવી હાથ ઊંચા કરી દેનાર બન્ને પુત્રો સામે અદાલતે જપ્તી અને પકડ વોરંટ ઇશ્યૂ કર્યું હતું.તેમ છતાં બન્ને પુત્રોએ વૃધ્ધ મા-બાપને રકમ ચૂકવી ન હોય અદાલતે લાલ આંખ કરી બાબુભાઇ અને અરવિંદભાઇને ૧૪૦-૧૪૦ દિવસની સજા ફટકારતો હુકમ કર્યો છે.
રાજકોટમાં સરાજાહેર ખૂન: પોલીસ ચોકી પહોંચે તે પૂર્વે મોત આંબી ગયું
રાજકોટમાં છરીના ઘા ઝીંકાતા જીવ બચાવવા ભાગેલો વિપ્ર યુવાન હુડકો પોલીસ ચોકીમાં જ ઢળી પડ્યો.રાજકોટમાં ગુનાખોરીએ માજા મૂકી છે. લૂંટ-હત્યા જેવા ગંભીર ગુનાઓ સતત બની રહ્યા છે. નિલકંઠ પાર્કના પટેલ યુવાનનું ગળું કાપી થયેલી ઘાતકી હત્યાનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યાં શનિવારે બપોરે હુડકો પોલીસ ચોકીની બાજુમાં જ વપિ્ર યુવાનને ગઢવી બંધુએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારતા સનસનાટી મચી ગઇ હતી. હત્યારાઓથી બચવા ભાગેલો વપિ્ર યુવાન પોલીસ ચોકીમાં જ ઢળી પડ્યો હતો.શહેરના કોઠારિયા રોડ પરના ઘનશ્યામનગરમાં રહેતો.અને હાલમાં હદપાર થયેલો ભોલો ઉર્ફે ભોલિયો મહેશભાઇ ઠાકર (ઉ. વ. ૨૨) બપોરે હુડકો કવાટર્સ બસ સ્ટોપ પાસે તેના મિત્ર જીતેન્દ્ર લક્ષ્મણભાઇ સગર (ઉ. વ. ૨૧) ની રિક્ષામાં ડ્રાઇવિંગ સીટ પર બેસી ટેપ વગાડતો હતો ત્યારે હુડકો વિસ્તારનો નામચીન કાકુ કરશનભાઇ ગઢવી અને તેનો ભાઇ રઘુ ધસી આવ્યા હતા અને ભોલાને રિક્ષામાંથી બહાર ખેંચી છાતી અને ગળાના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. ભોલિયાને બચાવવા દોડેલા તેના મિત્ર જીતેન્દ્ર પર રઘુ ગઢવીએ પાઇપથી હુમલો કર્યો હતો.આરોપીઓએ ઝનૂનપૂર્વક હુમલો કરતા મોત નજર સામે દેખાતા ભોલો લોહીલુહાણ હાલતમાં રોડ પર ભાગ્યો હતો. વપિ્ર યુવાનને ઢાળી દેવાના નિર્ધારસાથે આરોપીઓ પણ તેમની પાછળ દોડ્યા હતા. આ ર્દશ્ય જોઇ રાહદારીઓ સ્તબ્ધ થઇ ગયા હતા. જીવ બચાવવા ભાગેલો ભોલો હુડકો પોલીસ ચોકી સુધી પહોંચવામાં સફળ થયો હતો. પરંતુ, પોલીસ ચોકીના પટાંગણમાં જ ઢળી પડ્યો હતો અને ત્યાં લોહીનું ખાબોચિયું ભરાઇ ગયું હતું. ચોકીના કોન્સ્ટેબલ ઇકબાલભાઇએ વિપ્ર યુવાનને બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ, ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો.
રાજકોટ : ફેડરેશન ઓફ વિધ્યુત સહાયક પીજીવીસીએલ સામે આંદોલન છેડશે
રાજકોટની પીજીવીસીએલની કચેરીએ ગત વર્ષે ૪૯૨ જેટલા વિધ્યુત સહાયકોની પસંદગી કરી હતી, પરંતુ તેમાંથી માત્ર થોડા જ ઉમેદવારોને નોકરીમાં સમાવેશ કરી બાદમાં ભરતી બંધ કરતા ફેડરેશન ઓફ વિધ્યુત સહાયકે વીજકંપનીની આ અન્યાયી નીતિ સામે લડતના મંડાણ કરવા તા. ૨૨ને રવિવારે રેસકોર્સમાં સવારે ૧૦ વાગ્યે વિધ્યુત સહાયકોની બેઠક બોલાવી છે, અને નોકરી ન અપાય તો આંદોલનના મંડાણની રણનીતિ ઘડી કઢાશે.રાજકોટની પીજીવીસીએલની કચેરીએ જુલાઇ-૨૦૦૯માં જુનિ. આસિસ્ટન્ટની ૧૯૦૦ ઉમેદવારોની પરીક્ષા લીધી હતી. આ પરીક્ષામાં ૪૯૨ ઉમેદવારો વિધ્યુત સહાયક તરીકે પસંદગી પામ્યા હતા.આ ૪૯૨ પસંદગી પામેલા વિધ્યુત સહાયકોમાંથી ૭૬ને કાયમી અને ૧૦૦ને વિધ્યુત સહાયક તરીકે નોકરીએ રાખવામાં આવ્યા હતા. જો કે આ બાદ બાકી રહેલા ૩૧૬ ઉમેદવારોને પીજીવીસીએલ દ્વારા નોકરી આપવામાં આવી નથી.વાસ્તવમાં રાજકોટ પીજીવીસીએલ અંતર્ગત ૯ થી ૧૧ સર્કલ આવે છે. આ તમામ સર્કલ નીચે ૩ થી ૧૫ ડિવિઝનો આવેલા છે. જો દરેક સર્કલમાં ૩૦ થી ૪૦ વિધ્યુત સહાયકને ભરવામાં આવે તો તમામ વિધ્યુત સહાયકને નોકરી મળે તેમ છે પરંતુ પીજીવીસીએલ આઉટ સોર્સિંગના નામે ભરતી કરતું નથી. પીજીવીસીએલના ભાવનગર, પોરબંદર, મોરબી સર્કલમાં જુનિયર આસિસ્ટન્ટની જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી કરાતી નથી.પીજીવીસીએલની આ અન્યાયી નીતિ સામે લડતના મંડાણ કરવા રાજકોટમાં ફેડરેશન ઓફ વિધ્યુત સહાયક દ્વારા તા. ૨૨ને રવિવારે બહુમાળી ભવન સામે, રેસકોર્સમાં સવારે ૧૦ વાગ્યે વિધ્યુત સહાયકોની બેઠક બોલાવામાં આવી છે. બેઠકમાં આંદોલનના મંડાણ કરવાની રણનીતિ ઘડવામાં આવશે.
એક હિન્દુ કરે છે ૨૬ વર્ષથી રોજા
ત્રણ મિત્રો કે જેમાં હિન્દુ, એક મુસ્લિમ અને એક જૈન છે જેઓને પોતાના ધર્મ ઉપરાંત અન્ય ધર્મો પ્રત્ય પણ એટલું જ આકર્ષણ આદર અને માન છે જે આજે ધર્મની દીવાલથી ઉપર ઉઠીને સમસ્ત માનવ ધર્મમાં પરિવતિંત થઇ હોવાનું તેઓ મહેસૂસ કરે છે.
આ વાત છે સને ૧૯૭૪ની અને સ્થળ છે નાગદા જી. ઉજૈન, મધ્યપ્રદેશ જ્યાં આ ત્રણે મિત્રો ૯માં ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્રણે પાક્કા મિત્રો છતાં એક વખત રમજાનના સમયે ત્રણે મિત્રો વચ્ચે ધર્મ બાબતે બહેસ શરૂ થઇ કે અમારા રોજા રાખવા અઘરા પડે જ્યારે હિન્દુ અને જૈન પોત-પોતાના ઉપવાસ અધરાં પડે એમ બતાવી રહયા હતા એ બહેસ આગળ વધીને કંઇક નવું ઝઘડા રૂપ લે પહેલાં પાસે આવેલ ગ્રાસિમ કોલોનીમાંથી નીકળતા એક વડીલે.આ ચર્ચા સાંભળી અને ત્રણે મિત્રોને ટોક્યા કે આ રીતે એક બીજાના ધર્મ વિશે જાણ્યા સમજયા વિના ટીકકા કરીને ઝઘડવું તે યોગ્ય નથી પરંતુ સર્વેને એક સૂચન તેમણે કર્યું કે, એક બીજાના ઉપવાસ-રોજા-પયુંષણ સાથે જ રાખો અને પછી નકકી કરો કઇ વસ્તુ કિઠન છે. આ સૂચનનો અમલ કરતાં ત્રણે મિત્રોએ રમજાનના રોજાથી ચાલુ કર્યા.આ વાત યાદ કરતા પી.ચંદ્રા સોની ૨૬ વર્ષ પાછળ ચાલ્યા જાય છે અને ર્દશ્ય રજૂ કરતા જણાવે છે કે, એ વખતે અને એક બીજાના ધર્મની કસોટી કરવા માટે રમજાનમાં રોજા, પયુંષણમાં ઉપવાસ તથા બંને નવરાત્રિમાં માતાજીના અનુષ્ઠાન કરીને ફક્ત પાણી ઉપર ઉપવાસ કરેલાં પરંતુ બીજા વર્ષથી જાણે ત્રણે જણ આ તહેવારોની રાહ જોતા હતાં જે એમણે ચાલુ રાખ્યું અને એક સિલ સિલો બન્યો કે આ ત્રણ ઉત્સવો ત્રણેય મિત્રો સારી રતી ઉજવાય જેમાં અનુષ્ઠાન પછી પારણાં રોજા પછી ઇંદ તથા પયુંષણના પારણાં ઉજવવા માં આવે છે જે આજે ૨૬ વર્ષથી સતત એક પણ વખત ચૂક્યા વિના ત્રણે જણ દ્વારા ચાલુ છે.વધુમાં સોની ઉમેર્યું છે કે, આ સિલસિલો ક્યારેય તોડશે નહી. આનંદ અને આશ્ચર્યની વાત એછેકે હાલમાં ત્રણે મિત્રો વચ્ચે સ્થળનું ઘણું અંતર પડી ગયું છે.
'નવી મુંબઈમાં એરપોર્ટને પરવાનગીના એંધાણ'
નવી મુંબઈના પ્રસ્તાવિત એરપોર્ટને કેન્દ્રીય પર્યાવરણ ખાતાની પરવાનગી મળવાના એંધાણ છે, એમ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે કહ્યું હતું.રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓએ શુક્રવારે દિલ્હીમાં પર્યાવરણ ખાતા સમક્ષ વિમાનમથક બાબતે પોતાની ભૂમિકા રજુ કરી હતી. આ બેઠકમાં રાજ્ય સરકાર વતી જણાવાયું હતું કે, નવા એરપોર્ટ માટે નવી મુંબઈની જગ્યા જ યોગ્ય છે. વિમાનોનાં ટેક-ઓફ અને લેન્ડિંગ માટે આ જગ્યા બરાબર છે.અન્ય ઠેકાણે એરપોર્ટ ઊભું કરી શકાશે નહીં, કારણ કે સહ્યાદ્રીના પર્વતમાળાને લીધે હવાઈ ટ્રાફિકને અવરોધ નડશે. ઉલવા અને અન્ય એક નદીનો માર્ગ બદલવો પડશે, એ સામે કેન્દ્રના પર્યાવરણ ખાતાએ વાંધો ઊઠાવ્યો હતો. પર્યાવરણ ખાતાએ ઉઠાવ્યો હતો. તેના જવાબમાં રાજ્યે ‘ઉલવા નદીનો પ્રવાહ બદલવાની જરૂર નથી અને બીજી નદીનો પ્રવાહ છે એમ જ રાખવાની’ વાત જણાવી હોવાનું જાણવા મળ્યું હતું.
વાંકાનેર : ચાર વર્ષની બાળકી પર બળાત્કાર
વાંકાનેર તાલુકાના તરકિયા ગામના સરપંચના પુત્રએ ચાર વર્ષની માસૂમ ફૂલ સમાન બાળકી પર બળાત્કાર ગુજારતાં હાહાકાર મચી ગયો છે. બાળકીને ભાગ લઇ દેવાની લાલચ આપી તેને ગામની સીમમાં ચેકડેમ પાસે અંધારામાં બેસાડી અધમ કૃત્ય આચરીને ૨૩ વર્ષનો શખ્સ ભાગી છુટ્યો હતો. બાળાને ગુપ્તભાગે સતત રક્તસ્ત્રાવ થતો હતો તેને રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી છે. પોલીસે સરપંચના પુત્ર સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.તરકિયા ગામમાં રહેતો સરપંચનો પુત્ર શૈલેષ સોમા કોળી ગત શુક્રવારે સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે તેના ઘર પાસે ઊભો હતો ત્યારે કોળીની ચાર વર્ષની દીકરી પણ ત્યાં રમી રહી હતી. સાતિર દિમાગના માલિક શૈલેષના મનમાં હલકો વિચાર આવ્યો અને તેણે ચાર વર્ષની બાળાને ‘ચાલ દીકરી તને ભાગ લઇ આપું’ કહીને ગામની સીમમાં ચેકડેમ પાસે લઇ ગયો હતો.અંધારું છવાઇ ગયું હોય શૈલેષે તેનો લાભ ઊઠાવીને બાળાને ખોળામાં બેસાડી દીધી હતી અને કુકર્મ આચરવાનું શરૂ કર્યું હતું. બાળા રડવા લાગી હતી પરંતુ મગજ પર શૈતાન સવાર થઇ ગયો હોય, બાળકીની ચીસો નરાધમને સંભળાઇ ન હતી. અને તે તેના કામમાં રત રહ્યો હતો.આ સમયે સીમમાં રહેતા મગનભાઇ છનાભાઇ ડાભી ગામમાં બીડી-બાકસ લેવા માટે ગામમાં આવી રહ્યા હતા તેઓએ બાળકીના રડવાનો અવાજ સાંભળતાં ચેકડેમ તરફ ગયા હતા. જ્યાં શૈલેષ કુકર્મ આચરી રહ્યો હોય મગનભાઇએ તેને પડકાર્યો હતો.જો કે, શૈલેષ ચેકડેમમાં ભૂસકો મારી તરીને સામાકાંઠે પહોંચીને ભાગી ગયો હતો. બાદમાં મગનભાઇ બાળાને તેના ઘરે લઇ ગયા ત્યાંથી લોહીલુહાણ હાલતમાં રહેલી બાળકીને મેસરિયા ગામના હેલ્થ સેન્ટર ખાતે સારવાર માટે લઇ જવાઇ હતી. જ્યાં તાવ સંદર્ભેની દવા આપવામાં આવતાં બાળાને લઇને તેમના પરિવારજનો પરત પોતાના ગામ ચાલ્યા આવ્યા હતા.
પાણીની અરુચિ: 30 વર્ષથી માત્ર 1 ઘૂંટડો પાણી પીતો માણસ!
શરીરમાં લગભગ 70 ટકા પાણી રહેલું છે. પાણી વગર કોઈ માણસના જીવનની કલ્પના કરી શકાય તેમ નથી. પરંતુ આ તમામ વાતોથી અલગ જશપુર જિલ્લાનો એક યુવક એવો પણ છે કે તે 30 વર્ષથી દરરોજ માત્ર એક ઘૂંટ પાણી પીને જીવન-યાપન કરી રહ્યો છે. એ આશ્ચર્યની વાત છે કે તેના શરીર પર આ વાતની કોઈ અસર પડી નથી. છેલ્લા પાંચ વર્ષથી તે બિમાર પણ પડયો નથી.વ્યવસાયથી શિક્ષક એવા 39 વર્ષીય કલેશ્વર રામ ભગત હાલમાં સંયુક્ત આશ્રમ છાત્રાવાસમાં અધિક્ષકના પદ પર તેનાત છે. તેમની આ આદતથી તેમના તમામ મિત્રો પણ પરેશાન રહે છે. હવે તેમના મિત્ર અને તેમના પરિવારજનોએ પણ તેમને આ સંદર્ભે કંઈપણ કહેવાનું માંડી વાળ્યું છે. કલેશ્વર રામે જણાવ્યું હતું કે તેઓ એ નથી જાણતાં કે તેઓ પાણી કેમ પીતા નથી? પરંતુ તેમને પાણી પીવામાં અરુચિ થવા લાગે છે. તેનાથી તેમની નિયમિત દિનચર્યા પર કોઈ પ્રભાવ પડતો નથી.તેઓ સવારે નિયમિત 5 વાગ્યે ઉઠે છે. નિત્યકર્મથી નિવૃત થઈને તેઓ પોતાની દૈનિક દિનચર્યામાં લાગી જાય છે. શારીરિક રૂપથી તેઓ એ તમામ કાર્યો કરે છે કે જે એક સ્વસ્થ વ્યક્તિ કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે 1984માં બારમા ધોરણના અભ્યાસ બાદ ભોપાલ એન્જિનિયરીંગના અભ્યાસ માટે ગયા હતા, પરંતુ ત્યાં રોટલી ખાવાના કારણે તેમને ઘણી મુશ્કેલી થવા લાગી હતી. જેના કારણે તેઓ બિમાર પણ થઈ ગયા હતા. ત્યારે તેમને ખબર પડી હતી કે તેઓ ઓછું પાણી પીવે છે.
નિફ્ટી માટે ૫,૬૩૪ નવી પ્રતિકાર સપાટી
ઘરમાં જે થવું હોય તે થાય, એમાં આપણે શું? આપણે આપણી મસ્તીમાં જીવોને! અત્યારે ભારતીય શેરબજારનું વલણ કંઇક આવું જ રહ્યું છે. વૈશ્વિક શેરબજારની સ્થિતિ જે હોય તે, ત્યાં નરમાઇ હોય કે સુધારો આપણે શું? આપણી નિફ્ટી અને સેન્સેક્સ વધે છે ને, બસ આપણે એ જોઇએ. જો છેલ્લા બે સપ્તાહની વૈશ્વિક શેરબજારની ચાલ સાથે ભારતીય શેરબજારની ચાલને સરખાવવામાં આવે તો આવું ચિત્ર ઉપસે છે.વિતેલા સપ્તાહમાં સેન્સેક્સ ૨૩૫ પોઇન્ટ વધીને ૧૮,૪૦૨ની ૩૦ મહિનાની ઊંચી સપાટીને અને નિફ્ટી ૭૮ પોઇન્ટ વધીને ૫,૫૩૧ની ૩૧ મહિનાની નવી સપાટીએ બંધ રહ્યા હતા.નવા સપ્તાહમાં ડેરિવેટિવ્ઝનો છેલ્લો દિવસ આવતો હોવાથી બજારની ચાલ ઓપન ઇન્ટરેસ્ટમાં થનારા ફેરફાર પર આધાર રહેશે. વર્તમાન આરએસઆઈ પર નજર નાખવામાં આવે તો તે ઓવરબોટની સ્થિતિનો નિર્દેશ કરે છે અને સપ્ટેમ્બર કોન્ટ્રેકટ માટે સાવચેતીના અભિગમને જોતાં જો રોવઓવરની કામગીરી નીચી રહેશે તો નિફ્ટીની આગેકૂચ ધીમી થશે. નિફ્ટીએ ગયા અઠવાડિયે ૫,૪૭૫નું મહત્વનું પ્રતિકારક લેવલ કુદાવતા ૫,૫૫૦ સુધી જવાની જગા બની હતી અને હાલ નિફ્ટી ૫,૫૩૧ના મથાળે છે. હવે જો નિફ્ટી ૫,૫૪૫ ઉપર બંધ આપશે તો ૫,૬૩૪ સુધી આગળ વધવાનો માર્ગ ખૂલશે. સેન્સેક્સ માટે પણ ૧૮,૫૫૯ પ્રતિકારક લેવલ ગણવામાં આવે છે. આ સપાટી ઉપર નીકળતા ૧૮,૮૩૯ના સ્તરે જવાની સંભાવના છે.
એન્ટિબાયોટિક્સ હવે તો છોડો!
ધમ્મપદનો એક સુંદર શ્લોક આજના ભોગપ્રધાન માનવીને માટે ૨૧મી સદીમાં ઉપયોગી છે. ‘યદી થોડે સુખ કે પરિત્યાગ સે અધિક સુખ કી પ્રાપ્તિ હોતી હૈ તો બુદ્ધિમાન મનુષ્ય અધિક સુખ કી ઔર ધ્યાન દેતા હુઆ થોડે સુખ કો ત્યાગ દે.’હજી ભારતમાં અને ખાસ કરીને શહેરોમાં મેલેરિયાની વાત શમી નહોતી ત્યાં દેશવિદેશના તબીબી વિજ્ઞાનીઓએ કાગારોળ કરી મૂકી છે કે એક એવું કીટાણું, જીવાણું કે રોગાણું, જંતુ બ્રિટન, ભારત અને પાકિસ્તાનમાં ફેલાયું છે જે એન્ટિબાયોટિક્સ દવાને ગાંઠશે નહીં. ધમ્મપદના ઉપદેશ પ્રમાણે જો આ કીટાણુ કે જંતુથી મુક્ત રહેવું હોય તો આ ચોમાસામાં અને શ્રાવણ-ભાદરવામાં બહારના ખુલ્લા રેંકડીના નાસ્તા, ફરસાણની દુકાનો વગેરેનું ખાણું ઝાપટવાનું સુખ થોડો વખત ત્યાગશો તો આખી દિવાળી પછી નવું વર્ષ નરવા રહી શકશો.આજકાલ મેડિકલ જગતમાં ઓથોરિટી મનાતા ‘લાન્સેટ’ નામના મેડિકલ વીકલી તેમ જ ‘‘ન્યુ સાયિન્ટસ્ટ’’ અને લંડનના ગાિર્ડયને ધડાકો કર્યો છે કે એન્ટિબેકટેરિયલ દવાને ગાંઠે નહીં તેવું એક બેકટેરિયલ જીન (સુપર બગ) ફેલાયું છે અને તેને એન.ડી.એમ.-૧ નામ અપાયું છે. તેના ૧૪૩ કેસો ભારતમાં અને ૩૭ કેસો બ્રિટનમાં માલૂમ પડ્યા છે. તે જંતુઓને એન્ટિબાયોટિક્સ દવા અસર ન કરતાં આ દર્દીઓ મોતને ભેટવાની તૈયારીમાં છે. આ એન.ડી.એમ.-૧ નામના ખતરનાક-રોગાણુ - જંતુનું (સુપર બગ) આખું નામ ‘ન્યુ દિલ્હી-મેટ્રા લો બી.લેકટામેઝ-૧’ છે.
દીપિકાને જોઈ શરમાઈ ગયો હતો નત્થા
ખેડુતોની સમસ્યા પર રાજકારણીઓ અને મીડિયાની હાસ્યાસ્પદ રિતે ગાથા ગાતી ફિલ્મ પીપલી લાઈવમાં નત્થાનો રોલ અદા કરનાર છત્તીસગઢનાં ઓમકારદાસ મણિકપુરીએ અદા કર્યો હતો.ઓંમકારદાસે શનિવારે એક પત્રકાર પરિસદ યોજી હતી અને તેમનાં વિશે તેમજ ફિલ્મ વિશે વાત કરી હતી. હવે ઓમકાર તેમનાં સાચાં નામની જગ્યાએ નત્થાનાં નામે લોકો વધુ ઓળખે છે.આ પણ તેમની સફળતા જ કહેવાય કે તેમની ફિલ્મી કરિયરની પહેલી ફિલ્મમાં જ તેમને આટલી સારી નામનાં મળી ગઈ છે. પીપલી લાઈવનો નત્થા જે રિતે ફિલ્મમાં જોવા મળ્યો હતો તેવાં જ અંદાઝમાં તેઓ તેમની રીયલ લાઈફ જીવવાનું પસંદ કરે છે.ઓમકારદાસ દીપિકાનાં ઘણાં મોટા ચાહક છે અને તેઓ તેને મળવાં માટે આતુર હતાં આ વાતની જાણ આમિરને થતા તેણે દીપિકાને મળવાં આવવાં જણાવ્યું હતું તો આ તરફ દીપિકાએ પણ તેમની વાતનું માન રાખી ઓમકારને મળવા આવવાંનું આંમત્રણ સ્વિકાર્યુ હતું.દીપિકાને મળતા ઓમકાર તેની ખુબસુરતી પર આફરીન થઈ ગયો હતો. તેણે દીપિકાને છત્તિસગઢી કંઠી આપી હતી (આ એક માળા છે જે સિક્કાની બનેલી હોય છે. આદિવાસી મહિલાઓનું આ પસંદીદા ઘરેણું છે.) આ માળા દીપિકાએ તેમની સામે જ પહેરી લીધી હતી.ઓમકારદાસ દીપિકાની સ્માઈલ પર ફિદા થઈ ગયા હતા તેઓને કાંઈ સમજણ જ નહોતી પડતી કે તેઓ દીપિકા સાથે શું વાત કરે. તેઓ તેને મળીને શરમાઈ રહ્યાં હતાં.
શું આપુ રક્ષાબંધનની ગિફ્ટ?
બોલિવૂડ સ્ટાર અભિષેક બચ્ચન તેની મોટી બહેનને રક્ષાબંધન પર શું ભેટ આપે તે વાતે હાલમાં ઘણો જ ગુચવણ છે.અભિષેકે તેનાં ટ્વિટર પર જણાવ્યું હતું કે, ''રક્ષાબંધનને હવે ફક્ત બે દિવસ બાકી છે દરેક ભાઈ માટે સૌથી વધુ ચિંતાતુર કરતો સમય. શું લાવીશું બહેન માટે સૌથી મોટો પ્રશ્ન? એવું કાંઈ વસ્તુ છે જે એક ભાઈનો તેની બહેન પ્રત્યેનો પ્રેમ રજૂ કરી શકે? કોઈ પણ ભાઈ આ લાઈન ક્યારેય તેની બહેનને કહેતાં નહી મારો અંગત અનુભવ છે કે તમને મેથીપાક સિવાય કાંઈ જ નહી મળે. હાલમાં તો અભિષેક તેની બહેન શ્વેતા નંદાને શું ભેટ આપે તેની ગુચવણમાં છે. હાલમાં તો અભિષેકની બહેન તેને ઈમોશનલી બ્લેકમેઈલ કરી રહી છે. શ્વેતા નવી દિલ્હીમાં રહે છે.અભિષેકે વધુમાં ટ્વિટર પર જણાવ્યું હતું કે, ''આપણે કદાચ આટલું કહીએ કે 'આઈ લવ યુ વેરી મચ દીદી' અને વાર્તા પતી જાય તો કેટલું સારૂ હતું. પણ ત્યાર બાદ તો આવી જ બને તેની કચકચ ચાલુ જ થઈ જાય હું તારા માટે આટલી સરસ રાખડી લઈને આવી અને આ શું તે બસ આટલામાં જ પતાવી દીધુ.. મને વિશ્વાસ છે મારી સાથે આજ થવાનું છે''
સૈફ સાથે 4 ફિલ્મો કરી રહી છે પ્રિયંકા
પ્રિયંકાએ સાજીદ નડિયાદવાલાની આગામી ફિલ્મમાં સૈફ અલી ખાન સાથે સાઈન કર્યા બાદ તેને અન્ય ત્રણ ફિલ્મોની ઓફર આવી છે અને મઝાંની વાત તો ત્યાં છે કે આ ત્રણેય ફિલ્મોમાં તેની સામે સૈફ અલી ખાન જ છે.એ વાતતો નક્કી જ છે કે પ્રિયંકા સાજીદ નડિયાદવાલાની આગામી ફિલ્મ કરી રહી છે. આ ફિલ્મ સિધાર્થ આનંદ નિર્દેશ કરશે અને તેમાં સૈફ અલી ખાન હિરો હશે. તેમજ પ્રિયંકા અન્ય ત્રણ ફિલ્મો પણ સાઈન કરવાંનું વિચારી રહી છે જો તેની ડેટસ્ સાથે કોઈ મુશ્કેલી ન ઉભી થઈ તો તે જરૂરથી આ ત્રણ ફિલ્મો પણ સાઈન કરી લેશે.પણ મુશ્કેલી ત્યાં છે કે તેની 2011સુધીની બધી જ તારિખો નક્કી થઈ ચુકી છે. પણ તેને હાલમાં જે રીતે ફિલ્મોની ઓફર થઈ રહી છે તે જોતા લાગતું નથી કે આ બધી જ ફિલ્મો સાઈન કરી શકે.જો કે એક સમાચાર પ્રમાણે હાલમાં જ વિશાલ ભારદ્વાજે તેમની આગામી ફિલ્મમાં પ્રિયંકાની જગ્યાએ દીપિકાને સાઈન કરી છે. પણ સુત્રોનાં જણાવ્યાં પ્રમાણે ફિલ્મની વાર્તા પ્રમાણે તેમાં બે મુખ્ય વુમેન કિરદાર છે તેથી અન્ય રોલ પ્રયંકા કરે તેવી શક્યતા છે.
લગ્નથી ડરી રહી છે કેટી?
સિંગર કેટી પેરી અને તેનાં ફિઆન્સ રસેલ બ્રાંડનાં લગ્ને હવે ફક્ત એક અઠવાડિયું બાકી છે ત્યાં જાણે તેને લગ્નથી ડર લાગતો હોય તેમ લાગે છે.ખરેખરમાં કેટીને લગ્નનો નહી પણ તે દિવસે પરસેવામાં લથપથ થવાનો ડર લાગી રહ્યો છે. તેથી જ તેણે નક્કી કર્યું છે કે તે લેટેક્સમાંથી બનેલો ડ્રેસ લગ્નમાં પહેરશે નહી.આ વિશે પેરીએ જણાવ્યું હતું કે, હું લેટેક્સનો ડ્રેસ પહેરી વિવાહ કરીશ નહી. કારણકે આ પોશાક જ્યારે પણ હું પહેરુ છું મને પરસેવો છુટી જાય છે અને હું પરસેવાથી લથપથ થઈ જાવું છું.તેથી જ હું મારા લગ્ન માટે અલગ પ્રકારનો ડ્રેસ તૈયાર કરવી રહી છું. હું મારા લગ્નનાં દિવસે પરસેવામાં નાહ્વાં ઈચ્છતી નથી.
મીઠી છુરી નેહાનાં ફોટો જોઈ માતાને આચકો લાગ્યો
બાલિકા વધુની ગહેના એટલે કે નેહા મર્ડા પ્રખ્યાત ટિવી સ્ટાર હાલમાં બાલિકાની એક શરમાળ સોહામણી વધુ મટીને મીઠી છુરી બનવા જઈ રહી છે. આ માટે તેણે એક હોટ ફોટોશૂટ પણ કરાવ્યું છે.આ ફોટોમાં તે ખુબજ સુંદર લાગે છે. નેહા તેનાં આ નવા પોર્ટફોલિયોથી ઘણી જ ખુશ છે. પણ વાત ત્યાં છે કે તે તેની માતાને તેનો આ પોર્ટફોલિયો બતાવતાં અચકાઈ રહી છે.આ વિશે નેહાએ જણાવ્યું હતું કે, ''દરેક માતાની જેમ મારી માં પણ નથી ઈચ્છતી કે તેની દીકરી મોટી થઈ જાય. હું જાણું છું મારી માં પણ મારાં આટલાં બોલ્ડ અને હોટ ફોટો જોઈને નવાઈ પામી જશે અને તેને તે પસંદ પણ પડશે નહી.''
રક્ષાબંધન: ભાઈબહેનના સંબંધની મહોર
‘ખોટી લડાઈ કરી તેણે મને રડાવી છતાય મમ્મી પપ્પા સામે હંમેશાં વકીલાત કરી મને બચાવી એક એવો સલાહકાર જેણે જીવનના વાંકેચૂકે રસ્તે મને સલાહ આપી...જ તો છે ભાઈ-બહેનના ખાટામીઠા સંબંધો. થોડી મસ્તી, થોડા ઝઘડા છતાંય કશું જ કહ્યા વગર એકબીજાની વાતને સમજી તકલીફ દૂર કરવામાં લાગી જતાં ભાઈબહેનના સંબંધની મહોર છે રક્ષાબંધન. આ સંબંધોની રક્ષા કાજે ઉજવાતા રક્ષાબંધનના તહેવારને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યાં ભાઈની રક્ષા કાજે બહેન રાખડી અને મીઠાઈની ખરીદીમાં લાગી ગઈ છે. જયારે ભાઈ આ દિવસે બહેનને બેસ્ટ ગિફ્ટ આપવા માટે ગિફ્ટની ખરીદીમાં જોતરાઈ ગયો છે.ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાનાં, સૂતરના તાંતણે બંધાતી રાખડીમાં પણ બદલાતા સમય સાથે પરિવર્તન આવ્યાં છે. બાળકોને માટે સ્પાઈડર, ગણેશા, કાર્ટૂન વગેરે જેવી વેરાઈટીવાળી રાખડી સાથે લુમ્બા, ગલગોટા વગેરે જેવી વેરાઈટી ઉપરાંત સોના-ચાંદીની રાખડીઓ પણ બજારમાં વેચાઈ રહી છે. આજે જયાં ગ્રહ અને નક્ષત્રમાં લોકોની આસ્થા દિવસેને દિવસે વધી રહી છે, ત્યાં આ વર્ષે રાખડીના બજારમાં રાશિ પ્રમાણેની રાખડીઓ ધૂમ મચાવી છે અને સંખ્યાબંધ બહેનો પોતાના ભાઈની બર્થ તારીખને મેચ થતી રાખડી ખરીદીને લઈ જાય છે.ભાઈબહેનના મીઠા સંબંધોમાં મીઠાશ ઉમરે છે મીઠાઈ.સારાં કામ કે સારા પ્રસંગેને વધાવવા માટે મીઠાઈ જરૂરી છે. ત્યાં રાખડીના પર્વે ભાઈને મોંઢું મીઠું કરાવવા માટે સંખ્યાબંધ મીઠાઈઓ બજારમાં ઠલવાઈ છે. સૂકો મેવો, સાદા પેંડાથી લઈને અવનવી મીઠાઈઓ ઠલવાઈ છે. સાથે સાથે ઓલ ટાઈમ હિટ ચોકલેટના અવનવાં પેકેટ પણ ધૂમ વેચાઈ રહ્યાં છે.રાખી મેં ભી કાર્ડ...શબ્દોમાં દરેક સંબંધને વણર્વવા મુશ્કેલ છે. એક સમય હતો કે લોકો સારા કે નરસા પ્રસંગે પત્રવ્યવહાર દ્વારા એક બીજાના ખબર અંતર પૂછતા. બીજા કોઈ દિવસે બહેન ભાઈને પત્ર લખે કે ન લખે પણ રક્ષાબંધનના પર્વે બહેન પોતાના ભાઈને અચૂક પત્ર લખી રક્ષા મોકલે છે. જેનું સ્થાન બદલાયેલા સમયે ગ્રિટિંગ્સ કાર્ડે લીધું છે. દરેક સ્પેશિયલ દિવસને લઈને વેહેંચાતાં કાર્ડમાં હવે રાખીના કાર્ડનો ઉમેરો થયો છે. જેનું વેચાણ બીજા બધા સ્પેશિયલ દિવસોમાં વેહેંચાતા કાર્ડ કરતાં વિશેષ છે. જેમાં રાખડીવાળા કાર્ડનું વેચાણ વિશેષ પ્રમાણમાં થાય છે.હાઈટેક જમાનાની હાઈટેક રક્ષાબંધન,ફિલ્મો અને ટી.વી. સિરિયલો બાદ હવે રક્ષાબંધન પણ હાઈટેક બની ગઈ છે. સ્પર્શ માત્ર અનુભૂતિનો અહેસાસ કરાવે તેવી રાખડી એટલે એનિમેટેડ રાખડી. દેશવિદેશમાં જઈને વસેલા ભાઈબહેન માટે આ એનિમેટેડ રાખડી ખૂબ જ ઉપયોગી બની છે. ભાઈબહેનાં લાગણી સભર દ્વશ્યો અને ગીતો દર્શાવતી આ એનિમેટડ રાખડીનો ઉપયોગ ત્રણ દિવસમાં સાત લાખથી પણ વધારે લોકોએ કર્યો છે. જે વાત રૂબરૂ મળીને ભાઈબહેન એકબીજા સાથે શેર કરે છે તે દરેક વાત એનિમેટડ રાખડીમાં વણી લીધેલ છે. નો કુરિયર નો એસ.એમ.એસ. જસ્ટ ઈમેલ કરીને સંખ્યાબંધ ભાઈબહેન રક્ષાબંધન સેલિબ્રેટ કરે છે.
વાંકાનેર નજીક જડેશ્વરમાં આજથી લોકમેળાનો પ્રારંભ
visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
વાંકાનેર નજીક જડેશ્વરમાં આજથી લોકમેળાનો પ્રારંભ
વાંકાનેર પાસે રતનટેકરી પરના જડેશ્વર મહાદેવના મંદિરે કોઠારિયા અને સજનપરના ગામ લોકો દ્વારા તા.૨૨ અને તા.૨૩ના રોજ લોકમેળો યોજાશે. લોકમેળાનો પ્રારંભ તા.૨૨ને રવિવારે સવારે રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના હસ્તે કરાશે.વાંકાનેર પાસે રતનટેકરી પર જડેશ્વર મહાદેવના મંદિરે દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે વિશાળ લોકમેળો યોજવામાં આવે છે. આ વર્ષે પણ કોઠારિયા અને સજનપરના ગામ લોકો દ્વારા તા.૨૨ અને તા.૨૩ના રોજ જડેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં વિશાળ લોકમેળો યોજાશે.લોકમેળાનો પ્રારંભ તા.૨૨ના સવારે ૧૦ વાગ્યે રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્યથી કરાશે. આ મેળાના પ્રારંભે મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને માજી સાંસદ લલિતભાઈ મહેતા સહિત અનેક મહાનુભાવો હાજરી આપશે.ઉલ્લેખનીય છે કે, તા.૨૩ને સોમવારે શ્રાવણ માસનો સોમવાર હોય વર્ષોની પરંપરા પ્રમાણે જડેશ્વર મહાદેવ મંદિરે શિવજીના મહોરાવાળી પાલખી યાત્રા નીકળશે જેમાં હજારો ભાવિકો જોડાશે. આ બે દિવસીય મેળાનો લાભ લેવા મંદિરના મહંત રતિલાલજી મહારાજ ગુરુ શ્રી રવિ પ્રકાશજીએ અનુરોધ કર્યો છે.
ભાનુમતીબેનને આખરે મળી ગયો જીવનનો આધાર
અનોખા સ્વયંવરમાં ૫૫ વર્ષની કન્યાએ આખરે ૩૭ ઉમેદવારોમાંથી વિપ્ર રાજન્દ્રભાઇ રાવલ પર પસંદગીનો કળશ ઢોળી તેમને વરમાળા પહેરાવી હતી. જોકે ત્યાર બાદ વિધિવત રીતે ભાનુમતીબેન તથા રાજેન્દ્રભાઇ લગ્નગ્રંથીથી જોડાયા હતા.સવારથીજ આ પપ વર્ષની કન્યાને વરવા માટે ૩૭ જેટલા દાદાઓ આવી ગયા હતા અને બીજી તરફ કોડભરી કન્યા ભાનુમતી બેન પણ મહેદી લાગાવી અને બ્યુટીપાર્લરમાં જઇ સજી ધજીના માથામાં મોગારાનો ગજરો લગાવીને પોતાના જીવન સાથીની તલાશમાં આવી ગયા હતા મહેદીનવાઝ જંગ હોલમાં ૩૭ ઉમેદવારો આવ્યા હતા. જે પૈકી ૧૦ ઉમેદવારો ભાનુમતીબેને અલગ તારવ્યા હતા અને જેમાંથી સેમીફાઇનલમાં ત્રણ ઉમેદવારો બાદ ફાયનલમાં ક્રીમ શર્ટ અને કાળા પેન્ટમાં સજજ થઇને આવેલા પાટણ નજીકના બાલીસણા ગામના જ્યોતિષ રાજન્દ્રભાઇ રાવલ પર ભાનુમતી બેને પસંદગી ઉતારી હતી. અને તેમને વરમાળા પહેરાવી હતી.રાજેન્દ્રભાઇ વિધુર છે અને જ્યોતિષનું કામ કરે છે તથા માસીક રૂપીયા ૨૦ હજારથી વધુ આવક ધરાવે છે જોકે અન્ય ઉમેદવારોએ તથા પ્રેક્ષકોએ પણ આ નવદંપતીને અભિનંદન આપ્યા હતા.
કેટલાક પુરુષો હોય છે જોરુના ગુલામ
જન્માક્ષરથી તમે કોઈ પણ વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે જાણી શકાય છે. દરેક ગ્રહનો પોતાનો એક સ્વભાવ હોય છે. જે ગ્રહ કુંડળીના જે ભાવમાં સ્થિર હોય તે પ્રમાણે તેની અસર થાય છે. આ રાશિના હિસાબે તમને પણ એવું જ ફળ મળે છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ કુંડળીના ગુરુના ભાવની. જાણીએ શું પ્રભાવ પડે છે કુંડળીના ભાવનો..- પ્રથમ ભાવમાં ગુરુ હોય તો વ્યક્તિ ધર્માત્મા, કુલીન, વિદ્વાન હોય છે અને તેની પત્ની પ્રામાણિક હોય છે.- દ્વિતીય ભાવમાં ગુરુ હોય તો એ વ્યક્તિ પિતાનું ધન નાશ કરનારો અને રાજસ્વી સુખ પ્રાપ્ત કરનારો હોય છે.- તૃતીય ભાવમાં ગુરુ હોય તો એ વ્યક્તિ ધનથી સુખ પામનારો હોય છે. વિદેશમાં રહેનારા જાતક માટે આ પ્રબળ યોગ બને છે.- ચતુર્થ ભાવમાં ગુરુ હોય તો એ વ્યક્તિ વસ્ત્રો પહેરવાનો શોખીન હોય છે. આ વ્યક્તિને વાહન અને મકાનનું સુખ પ્રાપ્ત થાય છે.- પાંચમા ભાવમાં ગુરુ હોય તો એ વ્યક્તિ ચતુર, બુદ્ધિમાન, વકીલ, વ્યાયાધીન અને કલ્પનાશીલ હોય છે.- છટ્ઠા ભાવમાં ગુરુ હોય તો એ વ્યક્તિ નોકરીના ક્ષેત્રમાં સફળ અને પ્રસિદ્ધ બનવાની ઈચ્છા ધરાવે છે.- સપ્તમા ભાવમાં ગુરુ હોય તો એ જાતક બુદ્ધિમાન અને પત્નીના ગુલામ બનવાની સાથે જ સદાચારી હોય છે.- અષ્ટમા ભાવમાં ગુરુ હોય તો એ વ્યક્તિને બિમારી ક્યારેય પીછો નથી છોડતી.નવમા ભાવમાં ગુરુ હોય તો એ વ્યક્તિના સંતાનો બહુ સારુ ફળ આપનારા હોય છે.- દશમા ભાવમાં ગુરુ હોય તો એ વ્યક્તિ વ્યર્થમાં પોતાના સમયને નષ્ટ કરવારો અને સારા કામ પર ધન ખર્ચ કરનારો હોય છે. તેમને એકાંત પ્રિય હોય છે..
સાગરબીચના કબજેદારને વૈકિલ્પક જગા આપવાની ભલામણ
સુરસાગર સરોવરમાં આવેલ સાગરબીચવાળી જગાના બદલામાં કબજેદારને વૈકિલ્પક જગા ફાળવવાની ભલામણ સ્થાયી સમિતિમાં રજુ કરવામાં આવી છે.મહાનગર સેવાસદનના વહીવટી વોર્ડનં-૮ના સમાવિષ્ટ વિસ્તારપૈકી ન્યાયમંદિરની સામે આવેલ સુરસાગર સરોવરમાં સાગર બીચ નામની મિલકત આવેલી છે. જેનો કબજો ડાહ્યાભાઇ મોતીભાઇ પટેલ ધરાવે છે. આ મિલકત ખાલી કરાવવા બાબતે ધી ગુજરાત પબ્લીક પ્રિમાઇસીસ (ઇવીકશન ઓફ અન ઓથોરાઇઝડ ઓકયુપન્ટસ) એકટ ૧૯૭૨ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે, તા.૧૪મી જુનના રોજ સક્ષમ અધિકારી દ્વારા મહાનગર સેવાસદનના લાભમાં હુકમનામું કરી આપવામાં આવ્યું હતુ અને તે હુકમ મુજબ તા.૧૪ જુલાઇના રોજ કબજેદારે મિલકત ખાલી કરવાની હતી.પરંતુ, આ હુકમ સામે કબજેદાર ડાહ્યાભાઇ પટેલના કુલમુખત્યાર પંકજ ઉર્ફે પ્રકાશભાઇ ડાહ્યાભાઇ પટેલ દ્વારા વડોદરાની ડીસ્ટ્રીકટ કોર્ટમાં અપીલ દાખલ કરી મનાઇહુકમ મેળવેલો છે.આ સમય દરમિયાન કુલમુખત્યાર દ્વારા સેવાસદનમાં અરજી કરી રહેમરાહે વૈકિલ્પક જગા ફાળવવા બાબતે રજુઆત કરી હતી અને તેની સાથે હાલની કબજાવાળી જગા જાહેર હેતુના ઉપયોગ માટે પરત સોંપવાની ખાતરી આપી હતી. જોકે,સેવવાસદનના એડવોકેટે સેવાસદન કોઇ વૈકિલ્પક જગા ફાળવવામાં નહીં આવે તેવી રજુઆત કરી હતી અને અપીલની સુનાવણીની મુદત તા.૨૫મીના રોજ છે.જે અન્વયે, સેવાસદનના વહીવટીતંત્રે જરૂરી નિર્ણય લેવા માટે સ્થાયી સમિતિને દરખાસ્ત મોકલી આપી છે. જેમાં, જણાવાયુ છેકે,કબજેદારે તા.૩૧-૧૨-૧૯૯૮પછી ભાડાની કોઇપણ રકમ સેવાસદનમાં જમા કરાવી નથી અને તેના ભાડાપટ્ટાની મુદત તા.૩૧-૩-૧૯૭૧ના રોજ પૂરી થતાં તેનો કબજો લેવા માટે સક્ષમ સત્તામંડળે ઠરાવ પણ કયોઁ હતો.
સ્કાયવોકમાં મહાનુભાવો અને ઐતિહાસિક સ્થળોના ફ્લેક્ષ ચિત્રો મૂકાશે
સ્કાયવોકમાં પોણા છ લાખ રૂપિયાના ખર્ચે પ્રતિષ્ઠિત મહાનુભાવો, રમતવીરો, ઐતિહાસિક સ્થળોના ફ્લેક્ષ ચિત્રો મૂકવામાં આવનાર છે.લાંબા સમયથી સયાજીગંજ વિસ્તારમાં સ્કાયવોકની જરૂર ઊભી થઇ હતી અને તેના માટે કન્સલન્ટે ભૂતકાળમાં ભલામણ પણ કરી હતી. રેલવે સ્ટેશનના હયાત દાદરથી સિટી બસ સ્ટેશન અને કડક બજાર નાકા સુધીના સ્કાયવોકના બ્રજિની કુલ લંબાઇ ૧૪૮ મીટર(પાંચ સ્પાન) અને પહોળાઇ ૩ મીટરની છે. જ્યારે, બ્રજિની રોડ લેવલથી છ મીટરની ઊંચાઇ રાખવામાં આવી છે. આ પ્રોજેક્ટની કિંમત રૂ.૧.૮૯કરોડની છે.આ દરમિયાનમાં, સેવાસદનના સત્તાધીશોએ સ્ટેશનેથી બસ સ્ટેન્ડ તરફ જતાં મુસાફરો પૈકી ખાસ કરીને વિકલાંગો, વૃદ્ધ નાગરિકોને રાહત મળે તે માટે સ્કાયવોકમાં લિફ્ટ મૂકવાનો નિર્ણય કર્યો છે. આ લિફ્ટ મૂકવાથી વૃદ્ધ, વિકલાંગ મુસાફરોને દાદર ઉતરવાની માથાકૂટ પડશે નહીં. જેની પાછળ ત્રીસ લાખ રૂપિયાનો કુલ ખર્ચો કરવામાં આવનાર છે અને તેના ખર્ચાનુ ભારણ સેવાસદન ઉપર પડનાર છે.તેવી જ રીતે, શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવો,રમતવીરો, શહેરની ઐતિહાસિક ઇમારતો, શહેરના વિકાસમાં ફાળો આપનાર મહાનુભાવો વગેરેના ફલેક્ષ ચિત્રો મૂકવાનુ નક્કી કરવામાં આવ્યું છે. જેની ડીઝાઇનીંગ કામગીરી ફલેક્ષ િચત્રો તૈયાર કરાવવા અને સ્કાયવોક બ્રજિ ઉપર મૂકવા સહિતની કામગીરી ટુંકી સમય મર્યાદાને ધ્યાનમાં રાખી કોઇપણ પ્રત્યાવાહિના બાધ વગર પોણા છ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવાની દરખાસ્તને સ્થાયી સમિતિએ મંજુર કરી હતી.
મોદીએ મધ્ય ગુજરાતને અન્યાય કર્યો છે
રાજ્ય મંત્રી મંડળના આજે થયેલા વિસ્તરણમાં મુખ્યમંત્રી મોદીએ વડોદરા સહિત સમગ્ર મધ્ય ગુજરાતને અન્યાય કર્યો હોવાનો આક્ષેપ પૂર્વ મંત્રી નલિન ભટ્ટે કર્યો છે.તેમણે હતું કે, ૨૦૦૭ માં મધ્ય ગુજરાતે૨૨ ધારાસભ્યોની ભેટ ધરી હતી. આ ઉપરાંત વડોદરા શહેર-જિલ્લામાં ભાજપને વધુ બેઠકો મળવા છતાંય મોદી મુખ્યમંત્રી બન્યા બાદ સતત અવગણના થઇ છે.બોર્ડ નિગમોમાં પણ નિમણુંક નહીં આપીને કાર્યકુશળતા બહાર લાવવાની તક છીનવી લીધી છે. તેમણે આ અન્યાયનો લોકશાહી ઢબે પ્રતિકાર કરવા અનુરોધ કર્યો હતો.
કોંગ્રેસના સભ્યોને ઘેરી ટપલીદાવનો પ્રયાસ
સુરત મહાપાલિકા પરિસરમાં શહેરના વિકાસના મુદ્દા પર ચર્ચા કરવાને બદલે ભાજપ દ્વારા આશ્ચર્ય રીતે એજન્ડામાં સમાવિષ્ટ કરવામાં ન આવેલું એવું કેન્દ્રીય તપાસ એજન્સીઓની કામગીરીનું ટીકાત્મક વિધેયક પસાર કર્યું હતું. કોંગ્રેસે ભાજપની આ ગુસ્તાખી સામે વળતો પ્રહાર કર્યો હતો. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે થયેલા ફેક એન્કાઉન્ટર અને ખંડણીના આક્ષેપો મામલે ઉગ્ર ચર્ચા છેડી હતી. ઉશ્કેરાયેલા ભાજપી સભ્યોએ કોંગ્રેસના સભ્યોને સામાન્ય સભામાં જ ઘેરી લીધા હતા. કોંગ્રેસી સભ્યોને બચાવવા સિક્યુરિટી ગાર્ડોએ કોર્ડન કરવાની નોબત આવી હતી.મહાપાલિકા પરિસરમાં વિકાસનાં કામોના એજન્ડામાં આજે વિવાદી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણ છવાઈ ગયું હતું. તેમાં ભાજપ દ્વારા નીચે પ્રમાણે વધારાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. આ દરખાસ્તનો એજન્ડામાં સમાવિષ્ટ કરવામાં આવ્યો ન હતો.ગુજરાત દેશના આર્થિક વિકાસનું એન્જિન છે.તેને રાજકીય હિસાબ-કિતાબ ચૂકતે કરવા માટે બદનામ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતવતી મહાપાલિકા અને નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવી ઘટનાથી દુખી છે. સામાન્ય સભા સ્પષ્ટ અનુરોધ કરે છે કે કેન્દ્રીય તપાસ એજન્સીનો દુરુપયોગ કરવાનું બંધ કરી દેવામાં આવે.
બિનવારસી બોટ મળતાં આતંકી ઘુસ્યાની આશંકા
સુરતના સુવાલી બીચથી દરિયામાં ૪ નોટિકલ માઈલ દૂરથી એક બિનવારસી બોટ ૧૫ ઓગસ્ટે મળી આવતા સુરક્ષાતંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બોટની ચકાસણી કરવા માટે તેને સુરતના દરિયાકિનારે આવેલા એક ખાનગી કંપનીના બંદરે લઈ જવામાં આવી છે. આ બોટ રીલાયંસ કંપનીના કર્મચારી રોબીન ક્રૂઝને મળી આવી હતી તેણે હજીરાની સ્થાનીક કંપનીના જેટી પર પહોંચાડી હતી અને મરીન પોલીસને જાણ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે ૨૬-૧૧ના હુમલામાં પણ પાકિસ્તાની આતંકવાદીઓએ પોરબંદરની બોટને હાઈજેક કરી ગુજરાતના દરિયાઈ સરહદનો ઉપયોગ કરીને પોતાની મેલી મુરાદને અંજામ આપ્યો હતો.બોટ મળી આવતાં ગુજરાતની મરીન સુરક્ષાને વધુ મજબૂત બનાવી દેવાઈ છે ત્યાં દક્ષિણ ગુજરાતના કાંઠાના વિસ્તારને પણ અજાણ્યા લોકોના આગમન વિશે જાણકારી મેળવવા સર્તક કરી દેવાયા છે. બોટમાંથી મળી આવેલાં પાઉચ કઈ કંપનીના છે કે પછી બોટ ક્યાં રજિસ્ટર થયેલી છે તે અંગે હજી કોઈ સ્પષ્ટ જાણકારી મેળવી શકાઈ નથી. બીજી તરફ જો આ બોટ પ્રવાસી હોય તેમાં સવાર પ્રવાસીઓ કે ખલાસીઓ ક્યાં ગયા તેની પણ સમુદ્રમાં શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
ભુજ ડેપોમાં મુસાફરોનો હંગામો
ભુજ એસ.ટી. ડેપોમાં શિનવારે સાંજે ૬ વાગ્યા બાદ માંડવીની એક પણ બસ નહીં મૂકાતાં અકળાયેલા મુસાફરોએ ધમાલ મચાવી હતી. જેના પગલે રાત્રે ડેપો મેનેજર ઘટના સ્થળે દોડી ગયા હતા.એસ.ટી.ડેપોમાં સાંજે છ વાગ્યા પછી માંડવીની બે બસો છે. પરંતુ, શનિવારે રાત્રે ૯ વાગ્યા સુધી એકપણ બસ નહીં મૂકાતાં ૨૦૦ થી વધુ મુસાફરો રાહ જોઇને અકળાઇ ઉઠયા હતા.રાત્રે ૯ વાગ્યાના અરસામાં પેસેન્જરોએ ટ્રાફિક કન્ટ્રોલરની કચેરી પાસે રીતસરનો હંગામો મચાવ્યો હતો. છેક ડી.સી. સુધી ફોન પર રજૂ આતોનો દોર થતાં તેની સૂચનાને પગલે ડેપો મેનેજર પણ ઘટના સ્થળે દોડી ગયા હતો. ટ્રાફિક કન્ટ્રોલરે જણાવ્યું કે, મોટા ભાગની બ સો ગરીબ કલ્યાણ મેળામાં ફાળવાઇ હતી.સાડા સાતની માંડવીની બસ છે તે માંડવી ડેપોથી આવીને અહીં મુકાય છે તે ઉપરથી જ કોઇ કારણોસર આવી નથી. બીજી સવા આઠની બસ ભુજ ડેપોમાંથી મૂકવામાં આવે છે તેના ટાયરમાં પંચર પડી ગયું હતું તેથી તેના રિપેરિંગની કાર્યવાહી ચાલુમાં છે. આ દરમિયાન ઉશ્કેરાયેલા પ્રવાસીઓએ હંગામો મચાવ્યો હતો. આ અંગે ડેપો મેનેરજનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, બસ પંચરમાં છે તે રિપેરિંગ થઇ જ રહી છે અને તુરંતમાં જ તે મૂકાશે.
આદિપુરના બસ સ્ટેશન પાસેથી બે બહેનોનું અપહરણ
આદિપુરના બસ સ્ટેશન વિસ્તાર પાસેથી ગત તા. ૧૦/૮ના લશ્કરના નિવૃત્ત જવાનની બે પુત્રીઓનું એક શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.જેની જાણ આદિપુર પોલીસ મથકે કરવામાં આવી હતી. આદિપુર પોલીસે જણાવ્યું હતું કે, લશ્કરમાંથી નિવૃત્ત થયેલા તથા હાલે દિલ્હી ખાતે પોલીસમાં ફરજ બજાવતા અજીતસિંહ બનવારીલાલ યાદવ (રહે ભવાનીનગર, ગળપાદર)ની ૧૭ અને ૧૯ વર્ષીય બે પુત્રીનું ગત તા. ૧૦/૮ના સાંજના ભાગે આદિપુરના બસ સ્ટેશન વિસ્તાર પાસેથી અપહરણ થઇ ગયું હતું.ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે નાગદાન ગઢવી નામનો આરોપી આ બન્ને યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. પોલીસે ગુનો નોંધી અપહરણના બનાવની વધુ તપાસ હાથ ધરી છે.
ભુજ : કાળિયાબીડ રેગ્યુલરાઈઝની મંદગતિએ કાર્યવાહી
કાળીયાબીડને રેગ્યુલરાઈઝ કર્યાનો નિર્ણય જાહેર કર્યા બાદ કામગીરી મંદગતિએ આગળ વધી રહી છે. અને કાળિયાબીડના ‘ડી’ વિસ્તારની બિલ્ડરે ચકાસણી ફી ભર્યા બાદ મહાપાલિકા દ્વારા આ વિસ્તારની રજુ કરેલા ડોક્યુમેન્ટ મુજબની સ્થળ ચકાસણી શરૂ કરવામાં આવી છે. ‘ડી’ વિસ્તાર સૌથી નાનો વિસ્તાર અને વ્યવસ્થિત હોવાથી બિલ્ડરે પ્રથમ ‘ડી’થી જ શરૂઆત કરી હોવાનું જાણવા મળેલ છે.એશિયાની સૌથી મોટી ગેરકાયદેસર વસાહત તરીકે જાણીતા બનેલા કાળિયાબીડ વિસ્તારને રેગ્યુલરાઈઝ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કરતા કાળિયાબીડમાં દિવાળી જેવો માહોલ છવાયો હતો. પરંતુ કાળિયાબીડના લેઆઉટ પ્લાનના ત્રણ-ત્રણ વખત બદલાયા બાદ કોમન પ્લોટમાં બાંધકામ, સૂચિત જગ્યાઓ નહીં છોડવા અને ડી.સી.આર.ના નિયમની ઐસીતૈસી કરી બનાવેલા મકાનો વિષે કોઈપણ જાતની વિચારણા વગર રેગ્યુલરાઈઝ કરવાનો નિર્ણય જાહેર કરતા મહાપાલિકા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.કાળીયાબીડનો બિલ્ડર જ્યાં સુધી સ્ક્રૂટીની ફી મહાપાલિકામાં જમા ન કરાવે ત્યાં સુધી મહાપાલિકા સ્થળ ચકાસણી, ડોક્યુમેન્ટની તપાસ, પ્લાન અને વર્ગીકરણની તમામ કાર્યવાહી ખોરંભે ચડી જાય. જે માટે બિલ્ડરને જાણ કર્યા બાદ સર્વે નં.૪૭૦ કાળીયાબીડના ‘ડી’ વિસ્તારની રૂ.૨ લાખ સ્ક્રૂટીની ફી મહાપાલિકામાં જમા કરાવી ડોક્યુમેન્ટ રજુ કર્યા છે.
ઓનલાઈન વોટિંગ માટે મુદત લંબાવી : બાવીસે નોંધણી કરાવી
મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં ઓનલાઈન વોટિંગ પદ્ધતિની નોંધણી માટે નિરસતાભર્યું વાતાવરણ રહેતા રજીસ્ટ્રેશનના અંતિમ દિવસે આજે કુલ ૧૦૩ ફોર્મ લીધા બાદ ૨૨ મતદારોએ ફોર્મ પરત કર્યા હતા. અને અંતે બીજી મુદત વધારતા ૨૯મી ઓગસ્ટ સુધી કરવામાં આવી છે.મહાપાલિકાઓમાં આગામી સામાન્ય ચૂંટણીઓમાં ઓનલાઈન વોટિંગ પદ્ધતિ દાખલ કરવાનું ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ઓનલાઈન વોટિંગ માટે મતદારોએ ઈ-વોટર્સ તરીકે રજીસ્ટ્રેશન કરાવવા માત્ર ભાવનગર જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં મતદારો નિરસ છે.જેથી અગાઉ પણ ઓછી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવતા ૨૧મી ઓગષ્ટ સુધી મુદત લંબાવી હતી તેમ છતાં આજે સુધીમાં પણ ભાવનગરમાં માત્ર ૨૨ મતદારો જ ઈ-વોટર્સ તરીકે નોંધણી કરાવતા આગામી ૨૯મી ઓગષ્ટને રવિવાર સુધી નોંધણીની તારીખ લંબાવી છે.
ભાવનગરને કેબીનેટ દરજ્જો ન મળતા ભાજપમાં અસંતોષ
ગુજરાત રાજ્યના પ્રધાન મંડળના વિસ્તરણમાં ભાવનગર જિલ્લાને કેબીનેટ પ્રધાનનું પદ આપવા માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. આજે નવા ચાર પ્રધાનોની શપથવિધી સમયે ભાવનગર જિલ્લાને કેબીનેટ પ્રધાનનું પદ આપવાનું હતું પરંતુ આ આશા ફળીભૂત નહીં થતાં ભાજપના અનેક કાર્યકરો નિરાશ થયા હતા.મંત્રીમંડળમાં રાજ્ય કક્ષાનું મંત્રીપદ સંભાળતા સૌરભ પટેલ અને પુરૂષોત્તમ સોલંકી પૈકી એકને કેબીનેટમાં સ્થાન મળવાનું હતું પરંતુ છેલ્લી ઘડીએ આ અંગેની જાહેરાત નહીં થતા જિલ્લાભરમાં ભાજપના કાર્યકરો નિરાશ બની ગયા હતા. મંત્રીમંડળમાં મહિલા તરીકે ધારાસભ્ય વિભાવરીબેન દવેને લેવા માટે દબાણ થયુ હતું પરંતુ તેના બદલે વસુબેન ત્રિવેદીનું નામ નક્કી થઈ ગયું.
ડાવોલમાં તસ્કરો પોલીસનું નાક વાઢી ગયા
ખેરાલુ તાલુકાના ડાવોલ ગામે શુક્રવારની મોડી રાત્રે ત્રાટકેલી તસ્કરોની ટોળકીએ ૧૩ જેટલા બંધ મકાનોના દરવાજાના નકુચા તોડી સોના, ચાંદીના ઘરેણાં સહિત રોકડની ચોરી કરી લઇ ગયાનું જાણવા મળતાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસે પ્રાથમિક તબક્કે એક જ મકાનમાં થયેલી રૂપિયા ૮.૪૯ લાખની ચોરીની ફરીયાદ નોંધી સુરત અને મુંબઇ વસતા અન્ય બંધ મકાનોના માલિકોનો સંપર્ક સાધી ચોરીનો આંકડો સ્પષ્ટ કરવા સહિત તસ્કરોનું પગેરૂ મેળવવા વધુ તપાસ આદરી હોવાનું જણાવ્યું હતુ.
ડાવોલ ગામે શુક્રવારની મોડી રાત્રે ત્રાટકેલી તસ્કર ટોળકીએ ડાવોલનાં ૧૩ જેટલાં બંધ મકાનોના દરવાજાના નકુચા તોડી સોના ચાંદીના ઘરેણાં સહિત રોકડ મળી આશરે ૨૫ લાખ રૂપિયાની ચોરી કરી લઇ જતાં ગ્રામજનો ભયભીત થઇ ઉઠ્યા છે.
આ મુદ્દે ગામના મહિલા સરપંચ જે.પી. ચૌધરીના પતિ પરથીભાઇ ચૌધરી સહિતે પોલીસને જાણ કરતાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસની ડૉગ સ્કવોડ, એફ.એસ.એલ., લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની તપાસ એજન્સીઓ દોડતી થઇ ગઇ હતી. ત્યારે અડધા દિવસની દોડધામ બાદ પોલીસે બપોરે તસ્કરોના તરખાટનો સૌથી વધુ ભોગ બનેલા ચૌધરી લવજીભાઇ મસોતભાઇની દરદાગીના સહિત રૂપિયા ૮.૪૯ લાખની ચોરી થયાની ફરિયાદ નોંધી અન્ય ૧૨ જેટલા બંધ મકાનોમાં થયેલી ચોરીનો આંકડો મેળવવા સહિત તસ્કરોનું પગેરૂ મેળવવા વધુ તપાસ આદરી હતી.આ મુદ્દે પી.આઇ. આર.પી.ઝાલાનું કહેવું છે કે લવજીભાઇ ચૌધરી સહિત ગામના ૧૨ વ્યક્તિઓ કે જેમાંથી મોટા ભાગના હાલ સુરત ,મુંબઇ જેવા સ્થળે બહારગામ રહેતા હોવાથી તેમના આવ્યા પછી ચોરીનો આંકડો જાણી શકાશે.
‘કલોલનાં DYSPએ એન્કાઉન્ટરની ધમકી આપી’
ચાર માસ પૂર્વે કલોલની એક હોસ્પિટલમાં સારવાર અર્થે ગયેલા નંદાસણના સરપંચના પિતા ઉપર હુમલો થવાના કેસમાં નંદાસણના મુસ્લિમ યુવાને કોર્ટમાં ૧૬૪ અંતર્ગત નિવેદનના મુદ્દે કલોલનાં મહિલા ડીવાયએસપીએ એન્કાઉન્ટર કરવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારતું લેખિત ઉચ્ચકક્ષાએ મોકલી આપતાં દોડધામ મચી છે.કડી તાલુકાના નંદાસણ ગામના સરપંચ યમદુમીયાના પિતા સહિત પરિવાર ચાર માસ પૂર્વે કલોલની એક હોસ્પિટલમાં ગયા હતા તે સમયે નંદાસણના માથાભારે બુટલેગર કાલુ સેન્ડો સહિત ચાર શખ્સોએ હુમલો કરવા અંગે કલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ઉપરોક્ત બહુચર્ચિત કેસમાં નંદાસણના સોએબ કાદરભાઈ ઘાંચીએ કોર્ટમાં ૧૬૪ અંતર્ગતનું નિવેદન આપવાના મુદ્દે કલોલના ડીવાયએસપી ઉષા રાડાએ એન્કાઉન્ટર કરવાની ધમકી આપી હોવાની રજૂઆત કરી છે.જેમાં તેના ૧૬૪ અંતર્ગતના નિવેદન મામલે કોર્ટે કાઢેલી નોટીસની બજવણી કરવા તે ગયો ત્યારે ડીવાયએસપી રાડાએ તેને ધોલધપાટ કરી કોર્ટમાં નિવેદન આપવા જતો નહીં નહીંતર એન્કાઉન્ટર કરી નાંખીશ તેવી ધમકી આપવાનો તેમજ અત્રે હાજર અન્ય પોલીસ કર્મીઓએ લાકડી વડે તેને માર માર્યાનો આક્ષેપ કર્યો હતો.
મહેસાણાના મગપરામાં ગેસ સિલિન્ડર લિકેજ થતાં આગ
મહેસાણાના મગપરામાં શનિવારે મોડી સાંજે સિલીન્ડરમાંથી લીકેજ થઈ રહેલા ગેસથી અચાનક આગ લાગતાં વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં એક યુવાન હાથ સહિત શરીરે દાઝી જતાં સારવાર માટે ખસેડાયો હતો.મહેસાણાના મગપરામાં ભાડાના મકાનમાં રહેતા ભરતજી બબાજી ઠાકોરનાં પત્ની વસંતબેને આપેલી ઘટનાની વિગતો અનુસાર, શનિવારે સાંજે વસંતબેન રસોઈ બનાવી રહ્યાં હતાં ત્યારે ગેસના સિલીન્ડરમાં ગેસ થઈ રહેતાં તેણીએ ભરતજીને બીજો સિલીન્ડર લગાવી આપવાનું કહ્યું હતું.ભરતજીએ બીજા સિલીન્ડરનું ઢાંકણ ખોલતાં જ ગેસ બહાર નીકળવા લાગતાં તેઓ તે બંધ કરવાના પ્રયાસો કરવા લાગ્યા હતા. પરંતુ જોતજોતામાં ગેસ રૂમમાં ફેલાઈ જતાં વસંતબેન અને ભરતજી ત્યાંથી બહાર નીકળી ગયાં હતાં. પરંતુ અચનાક જ આગ લાગતાં ભરતજી હાથ સહિતના ભાગે દાઝતાં તેમને સારવાર માટે લાયન્સ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જો કે, અન્ય રૂમમાં ટીવી જોઈ રહેલાં બાળકો સલામત રીતે બહાર નીકળી ગયાં હતાં. બીજી તરફ રૂમના બારણા સહિતના ભાગે આગ પકડી લેતાં લોકો એકઠા થઈ ગયા હતા અને આગ બૂઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ સફળતા ન મળતાં પાલિકાના ફાયર ફાયટરની મદદથી આગ બૂઝાવાઈ હતી.
આણંદ જિલ્લામાં સરકારી ઘઉંનો મલાઈદાર વેપલો!
આણંદ જિલ્લામાં સસ્તા અનાજની દુકાને વેચાતાં સરકારી ઘઉંનો મસમોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યાનો ઘટસ્ફોટ પુરવઠા વિભાગે કર્યો છે. તારાપુરમાં ટ્રકમાં ઝડપાયેલા સરકારી ઘઉં બાદ ખંભાત અને પેટલાદમાં દરોડા પાડ્યા હતા. જેમાં મોટા મોટા વેપારી પાસેથી મળી આવેલા જથ્થા સંદર્ભે પુછતાછ કરતાં સમગ્ર મામલો આણંદના સરદાર ગંજ તરફ ફંટાયો છે.એક કબુલાતમાં જિલ્લામાં એપીએલ કાર્ડધારકો માટે રાહતદરના વેપારીને અપાતા ૧૬૩૭ મેટ્રીક ટનમાંથી આશરે ૧૫૦૦ મેટ્રીક ટન ઘઉં ખુલ્લાં બજારમાં સગેવગે થઈ રહ્યાં છે. ખંભાત - તારાપુર રોડ પર તારાપુર મામલતદાર દેવાંગી દેસાઈએ સરકારી ઘઉં ૧૩૦ કટ્ટા સાથે શંકાસ્પદ હાલતમાં મિનટ્રિકને ઝડપી પાડ્યો હતો. આ ઘઉંના જથ્થા અંગે તપાસ કરતાં પગેરૂ પ્રથમ ખંભાત અને બાદમાં પેટલાદ તાલુકાના દંતાલી ગામે પહોંચ્યું હતું.જ્યાં ગુરૂવારના રોજ જિલ્લા પુરવઠા વિભાગે ગીરીશ અંબાલાલ પટેલના ગોડાઉનમાંથી ૨૧૪ કટ્ટા ઘઉં સહિતનો સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેની પુછપરછમાં આ જથ્થો તેણે ખંભાતના વેપારી પાસેથી ખરીધ્યો હતો. જોકે, આ દરોડામાં પુરવઠા વિભાગને રાહતદરના વેપારીઓ દ્વારા ઘઉંનો ચાલતો મસમોટા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે અને તે બાબતે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.સુત્રોના જણાવ્યાનુસાર, આણંદ જિલ્લામાં કુલ ૨,૯૦,૫૧૩ એપીએલ કાર્ડ ધારકો છે. જેઓને મહિને કાર્ડ દીઠ ૧૦ કિલો સરકારી રાહતદરના ઘઉં આપવામાં આવે છે. જિલ્લામાં કુલ મળીને ૧૬૩૭ મેટ્રીક ટન ઘઉં રાહતદરના વેપારીઓને ફાળવવામાં આવે છે. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે, મોટા ભાગના શહેરી વિસ્તાર અને ગામડાંના સમૃધ્ધ લોકો આ ઘઉંનો જથ્થો રાહતદરના ભાવની દુકાન પરથી ખરીદતાં જ નથી.
અવિશ્વાસ દરખાસ્તમાં વિશ્વાસની કમી!
ગુજરાત કો.ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગફેડરેશન લિમિટેડ (જીસીએમએમએફ)ના ચેરમેન પરથી ભટોળ સામે રજૂ કરાયેલ અવિશ્વાસની દરખાસ્ત સંદર્ભે શનિવારે બોલાવેલી રિકિવઝિટ મિટિંગ નોનકોરમ થઈ હતી. જીસીએમએમએફના હેડકવાટર્સમાં સમયસર પહોંચી ગયેલાં ૧૩માંથી ૧૨ ડિરેક્ટર્સ બોર્ડ રૂમમાં ફરક્યાં જ ન હતા, જેથી મિટિંગ નોનકોરમ થતાં અવિશ્વાસની દરખાસ્તનો રકાસ થયો હતો. અલબત્ત, પરથી ભટોળ સામે ઊઠેલાં અવિશ્વાસમાં જ પૂરતો વિશ્વાસ ન હોવાનું શનિવારે સ્પષ્ટ થયું હતું.બપોરના એક વાગ્યે બહાર નીકળતાં બોર્ડના ડિરેક્ટર્સનો મોંઢા પર ખંભાતી તાળા લાગી ગયા હતા. આ વખતે મહેસાણા ડેરીના ચેરમેન વિપુલ ચૌધરી એકપણ શબ્દ ઉચ્ચાર્યા વિના સડસડાટ પોતાની કારમાં બેસીને ચાલ્યાં ગયા હતા, જ્યારે અન્ય ડિરેકટર્સે ‘ચેરમેનને પૂછો’નો સૂર વ્યક્ત કર્યો હતો. સહકારી ક્ષેત્રમાં રૂ.૮ હજાર કરોડનું ટર્નઓવર ધરાવનાતાં જી.સી.એ.મએમ.એફ.માં સત્તાને લઈને ઊઠેલો વિવાદ હાલ પૂરતો સમી ગયો હતો. જીસીએમએમએફની ગત ૧૨મી ઓગસ્ટે યોજાયેલી વાર્ષિક સાધારણ સભા (એજીએમ)માં ગેરહાજર રહીને બોર્ડના દસ ડિરેક્ટર્સ દ્વારા ચેરમેન પરથી ભટોળ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેનાં સંદર્ભે શનિવારે સવારના ૧૧.૩૦ કલાકે રાખેલી રિિકવઝિટ મિટિંગમાં ચેરમેન પરથી ભટોળ સહિત ૧૨ બોર્ડ ડિરેક્ટર્સ સમયસર આવી પહોંચ્યા હતા, પરંતુ બોર્ડ રૂમમાં ચેરમેન પરથી ભટોળ, ઈન્ચાર્જ એમ.ડી. આર.એસ.સોઢી અને રજિસ્ટ્રાર સિવાય બોર્ડના એકપણ ડિરેક્ટર ફરક્યાં નોહતા.જીસીએમએમએફની ઓફિસમાં ૧૧.૩૦ કલાકથી બપોરના ૧ કલાક સુધી બોર્ડ ડિરેક્ટર્સ હાજર રહ્યા હોવા છતાં બોર્ડ રૂમમાં નહીં જતાં મિટિંગ નોનકોરમ જાહેર કરવામાં આવી હતી. બપોરના ૧૨.૪પ કલાકની આસપાસ અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર, પંચમહાલ ડેરીના ચેરમેને જેઠાભાઇ ભરવાડ સહિત બોર્ડના ચાર સભ્ય બહાર આવ્યા હતા. બધાના આશ્ચર્યની વચ્ચે લોબીમાં ચારથી પાંચ મિનિટ આ સભ્યો વચ્ચે કોઈ મુદ્દે ગુફતગુ થઈ હતી.
બોરસદ : વસતી ગણતરીના દસ્તાવજો પાણીમાં!
બોરસદના સરકારી દવાખાનામાં ચાલતી મામલતદાર કચેરીમાં કોઈ કર્મચારીની બેદરકારીના કારણે વસતી ગણતરી, મતદાર યાદી સહિતના અગત્યના દસ્તાવેજો પાણીમાં પલળી ગયાં હતાં. વાત એવી બની કે, શુક્રવારના રોજ દવાખાનાની પાણીની ટાંકી ખાલી થઈ ગઈ હતી. જે રૂમમાં મામલતદારની ઓફિસ આવેલી છે, ત્યાં વોશબેસીન પણ છે.અહીં આવેલા કોઈ કર્મચારીએ નળ ખોલ્યો હશે, પરંતુ પાણી ન આવતા તેને ખુલ્લો મુકી જતો રહ્યો હતો. દરમિયાનમાં બીજા દિવસે સવારે ટાંકીમાં પાણી ભરવામાં આવ્યું હતું. બીજી તરફ ખુલ્લા નળમાંથી ધોધમાર પાણી વછુટયું હતું. જેને કારણે મામલતદારની રૂમમાં પાણી... પાણી... થઈ ગયું.સવારના ૧૧ વાગ્યાના સુમારે કચેરી ખોલતાં જ પાણીનો ધોધ બહાર આવ્યો હતો. સાથોસાથ વસતી ગણતરીના દસ્તાવેજો, મતદાર યાદી સહિતનો રેકર્ડ પણ પાણી પર તરતો જોવા મળતાં સૌ કર્મચારીઓ ઘાંઘા થઈ ગયા હતાં. આ અંગે મામલતદાર વી.એમ. પ્રજાપતિને જાણ થતાં તેઓ પણ ત્રાડુક્યાં હતાં. આખરે સૌ કર્મચારીઓએ પાણી નીકાલ કર્યા બાદ બધા દસ્તાવેજ ભેગા કરી તેને વિવિધ રીતોથી સુકવવા પ્રયાસો કર્યા હતાં.
'સાહેબ, બીબી ઔર કનિઝ'
ચેમ્બુર સ્થિત એચ. જી બર્વે માર્ગ વિસ્તારમાં આવેલી પ્રગતિ કો. ઓપ. હાઉસિંગ સોસાયટીમાં રહેતા આનંદ ઈશ્વર કાંબળેએ નોકરાણી નાઝિયા શેખની સાથે મળીને પત્ની ચંપાવતીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. નેહરુનગર પોલીસે પતિ કાંબળે અને નોકરાણી નાઝિયાની ચંપાવતીના નાસિક રહેતા ભાઈ નીલેશ જાધવે ફરિયાદ નોંધાવતાં ધરપકડ કરી હતી. નેહરુનગર પોલીસ સ્ટેશનમાં જાધવે ફરિયાદ નોંધાવી હતી કે મારી બહેન ચંપાવતીને તેના પતિ આનંદે ૧૪ ઓગસ્ટના રોજ પ્લાસ્ટિકની પાઈપ વડે બેરહેમ ફટકારી હતી અને તેને ડાયાબિટીસ છે તેની તેના પતિને ખબર હોવા છતાં તેને આપવો જોઈતો હતો તેના કરતાં અધિક દવાનો ડોઝ આપી દીધો હતો.આનંદ ઘરમાં કામ કરવા આવતી નોકરાણી નાઝિયાની પણ સંડોવણી હોવાની ફરિયાદમાં જાધવે જણાવ્યું હતું, એમ નેહરુનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું. ચંપાવતીને મંગલદીપ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે અને અમે આનંદ અને નાઝિયાની હત્યાનો પ્રયાસ કરવાના ગુના હેઠળ ધરપકડ કરી છે એમ અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું.
રીતેશ દેશમુખ મરાઠી કાર્ડ ઉતર્યો'
મલ્ટિપ્લેક્સ સિનેમાગૃહોમાં મરાઠી ફિલ્મોને પ્રાઈમ ટાઈમ સ્લોટ આપવાની મરાઠી ફિલ્મ નિર્માતાઓની માગણીને બોલિવૂડમાંથી સૌપ્રથમ અભિનેતા રીતેશ દેશમુખે ટેકો જાહેર કર્યો છે.સોશિયલ નેટવર્કિંગ સાઈટ ‘ટ્વીટર’ પર રીતેશ દેશમુખે મરાઠી ફિલ્મોને મલ્ટિપ્લેક્સ સિનેમાગૃહોમાં મુખ્ય સમયગાળા (પ્રાઈમ ટાઈમ)ના શોમાં દર્શાવવાની માગણી સદંતર વાજબી હોવાનું જણાવ્યું છે.આ પગલું પ્રાદેશિક સિનેમાના પ્રોત્સાહન અને ઉત્કર્ષ માટે મદદરૂપ સાબિત થનાર હોવાનું પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.
વાંકાનેર નજીક જડેશ્વરમાં આજથી લોકમેળાનો પ્રારંભ
વાંકાનેર પાસે રતનટેકરી પરના જડેશ્વર મહાદેવના મંદિરે કોઠારિયા અને સજનપરના ગામ લોકો દ્વારા તા.૨૨ અને તા.૨૩ના રોજ લોકમેળો યોજાશે. લોકમેળાનો પ્રારંભ તા.૨૨ને રવિવારે સવારે રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના હસ્તે કરાશે.વાંકાનેર પાસે રતનટેકરી પર જડેશ્વર મહાદેવના મંદિરે દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે વિશાળ લોકમેળો યોજવામાં આવે છે. આ વર્ષે પણ કોઠારિયા અને સજનપરના ગામ લોકો દ્વારા તા.૨૨ અને તા.૨૩ના રોજ જડેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં વિશાળ લોકમેળો યોજાશે.લોકમેળાનો પ્રારંભ તા.૨૨ના સવારે ૧૦ વાગ્યે રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્યથી કરાશે. આ મેળાના પ્રારંભે મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને માજી સાંસદ લલિતભાઈ મહેતા સહિત અનેક મહાનુભાવો હાજરી આપશે.ઉલ્લેખનીય છે કે, તા.૨૩ને સોમવારે શ્રાવણ માસનો સોમવાર હોય વર્ષોની પરંપરા પ્રમાણે જડેશ્વર મહાદેવ મંદિરે શિવજીના મહોરાવાળી પાલખી યાત્રા નીકળશે જેમાં હજારો ભાવિકો જોડાશે. આ બે દિવસીય મેળાનો લાભ લેવા મંદિરના મહંત રતિલાલજી મહારાજ ગુરુ શ્રી રવિ પ્રકાશજીએ અનુરોધ કર્યો છે.
ભાનુમતીબેનને આખરે મળી ગયો જીવનનો આધાર
અનોખા સ્વયંવરમાં ૫૫ વર્ષની કન્યાએ આખરે ૩૭ ઉમેદવારોમાંથી વિપ્ર રાજન્દ્રભાઇ રાવલ પર પસંદગીનો કળશ ઢોળી તેમને વરમાળા પહેરાવી હતી. જોકે ત્યાર બાદ વિધિવત રીતે ભાનુમતીબેન તથા રાજેન્દ્રભાઇ લગ્નગ્રંથીથી જોડાયા હતા.સવારથીજ આ પપ વર્ષની કન્યાને વરવા માટે ૩૭ જેટલા દાદાઓ આવી ગયા હતા અને બીજી તરફ કોડભરી કન્યા ભાનુમતી બેન પણ મહેદી લાગાવી અને બ્યુટીપાર્લરમાં જઇ સજી ધજીના માથામાં મોગારાનો ગજરો લગાવીને પોતાના જીવન સાથીની તલાશમાં આવી ગયા હતા મહેદીનવાઝ જંગ હોલમાં ૩૭ ઉમેદવારો આવ્યા હતા. જે પૈકી ૧૦ ઉમેદવારો ભાનુમતીબેને અલગ તારવ્યા હતા અને જેમાંથી સેમીફાઇનલમાં ત્રણ ઉમેદવારો બાદ ફાયનલમાં ક્રીમ શર્ટ અને કાળા પેન્ટમાં સજજ થઇને આવેલા પાટણ નજીકના બાલીસણા ગામના જ્યોતિષ રાજન્દ્રભાઇ રાવલ પર ભાનુમતી બેને પસંદગી ઉતારી હતી. અને તેમને વરમાળા પહેરાવી હતી.રાજેન્દ્રભાઇ વિધુર છે અને જ્યોતિષનું કામ કરે છે તથા માસીક રૂપીયા ૨૦ હજારથી વધુ આવક ધરાવે છે જોકે અન્ય ઉમેદવારોએ તથા પ્રેક્ષકોએ પણ આ નવદંપતીને અભિનંદન આપ્યા હતા.
કેટલાક પુરુષો હોય છે જોરુના ગુલામ
જન્માક્ષરથી તમે કોઈ પણ વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે જાણી શકાય છે. દરેક ગ્રહનો પોતાનો એક સ્વભાવ હોય છે. જે ગ્રહ કુંડળીના જે ભાવમાં સ્થિર હોય તે પ્રમાણે તેની અસર થાય છે. આ રાશિના હિસાબે તમને પણ એવું જ ફળ મળે છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ કુંડળીના ગુરુના ભાવની. જાણીએ શું પ્રભાવ પડે છે કુંડળીના ભાવનો..- પ્રથમ ભાવમાં ગુરુ હોય તો વ્યક્તિ ધર્માત્મા, કુલીન, વિદ્વાન હોય છે અને તેની પત્ની પ્રામાણિક હોય છે.- દ્વિતીય ભાવમાં ગુરુ હોય તો એ વ્યક્તિ પિતાનું ધન નાશ કરનારો અને રાજસ્વી સુખ પ્રાપ્ત કરનારો હોય છે.- તૃતીય ભાવમાં ગુરુ હોય તો એ વ્યક્તિ ધનથી સુખ પામનારો હોય છે. વિદેશમાં રહેનારા જાતક માટે આ પ્રબળ યોગ બને છે.- ચતુર્થ ભાવમાં ગુરુ હોય તો એ વ્યક્તિ વસ્ત્રો પહેરવાનો શોખીન હોય છે. આ વ્યક્તિને વાહન અને મકાનનું સુખ પ્રાપ્ત થાય છે.- પાંચમા ભાવમાં ગુરુ હોય તો એ વ્યક્તિ ચતુર, બુદ્ધિમાન, વકીલ, વ્યાયાધીન અને કલ્પનાશીલ હોય છે.- છટ્ઠા ભાવમાં ગુરુ હોય તો એ વ્યક્તિ નોકરીના ક્ષેત્રમાં સફળ અને પ્રસિદ્ધ બનવાની ઈચ્છા ધરાવે છે.- સપ્તમા ભાવમાં ગુરુ હોય તો એ જાતક બુદ્ધિમાન અને પત્નીના ગુલામ બનવાની સાથે જ સદાચારી હોય છે.- અષ્ટમા ભાવમાં ગુરુ હોય તો એ વ્યક્તિને બિમારી ક્યારેય પીછો નથી છોડતી.નવમા ભાવમાં ગુરુ હોય તો એ વ્યક્તિના સંતાનો બહુ સારુ ફળ આપનારા હોય છે.- દશમા ભાવમાં ગુરુ હોય તો એ વ્યક્તિ વ્યર્થમાં પોતાના સમયને નષ્ટ કરવારો અને સારા કામ પર ધન ખર્ચ કરનારો હોય છે. તેમને એકાંત પ્રિય હોય છે..
સાગરબીચના કબજેદારને વૈકિલ્પક જગા આપવાની ભલામણ
સુરસાગર સરોવરમાં આવેલ સાગરબીચવાળી જગાના બદલામાં કબજેદારને વૈકિલ્પક જગા ફાળવવાની ભલામણ સ્થાયી સમિતિમાં રજુ કરવામાં આવી છે.મહાનગર સેવાસદનના વહીવટી વોર્ડનં-૮ના સમાવિષ્ટ વિસ્તારપૈકી ન્યાયમંદિરની સામે આવેલ સુરસાગર સરોવરમાં સાગર બીચ નામની મિલકત આવેલી છે. જેનો કબજો ડાહ્યાભાઇ મોતીભાઇ પટેલ ધરાવે છે. આ મિલકત ખાલી કરાવવા બાબતે ધી ગુજરાત પબ્લીક પ્રિમાઇસીસ (ઇવીકશન ઓફ અન ઓથોરાઇઝડ ઓકયુપન્ટસ) એકટ ૧૯૭૨ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે, તા.૧૪મી જુનના રોજ સક્ષમ અધિકારી દ્વારા મહાનગર સેવાસદનના લાભમાં હુકમનામું કરી આપવામાં આવ્યું હતુ અને તે હુકમ મુજબ તા.૧૪ જુલાઇના રોજ કબજેદારે મિલકત ખાલી કરવાની હતી.પરંતુ, આ હુકમ સામે કબજેદાર ડાહ્યાભાઇ પટેલના કુલમુખત્યાર પંકજ ઉર્ફે પ્રકાશભાઇ ડાહ્યાભાઇ પટેલ દ્વારા વડોદરાની ડીસ્ટ્રીકટ કોર્ટમાં અપીલ દાખલ કરી મનાઇહુકમ મેળવેલો છે.આ સમય દરમિયાન કુલમુખત્યાર દ્વારા સેવાસદનમાં અરજી કરી રહેમરાહે વૈકિલ્પક જગા ફાળવવા બાબતે રજુઆત કરી હતી અને તેની સાથે હાલની કબજાવાળી જગા જાહેર હેતુના ઉપયોગ માટે પરત સોંપવાની ખાતરી આપી હતી. જોકે,સેવવાસદનના એડવોકેટે સેવાસદન કોઇ વૈકિલ્પક જગા ફાળવવામાં નહીં આવે તેવી રજુઆત કરી હતી અને અપીલની સુનાવણીની મુદત તા.૨૫મીના રોજ છે.જે અન્વયે, સેવાસદનના વહીવટીતંત્રે જરૂરી નિર્ણય લેવા માટે સ્થાયી સમિતિને દરખાસ્ત મોકલી આપી છે. જેમાં, જણાવાયુ છેકે,કબજેદારે તા.૩૧-૧૨-૧૯૯૮પછી ભાડાની કોઇપણ રકમ સેવાસદનમાં જમા કરાવી નથી અને તેના ભાડાપટ્ટાની મુદત તા.૩૧-૩-૧૯૭૧ના રોજ પૂરી થતાં તેનો કબજો લેવા માટે સક્ષમ સત્તામંડળે ઠરાવ પણ કયોઁ હતો.
સ્કાયવોકમાં મહાનુભાવો અને ઐતિહાસિક સ્થળોના ફ્લેક્ષ ચિત્રો મૂકાશે
સ્કાયવોકમાં પોણા છ લાખ રૂપિયાના ખર્ચે પ્રતિષ્ઠિત મહાનુભાવો, રમતવીરો, ઐતિહાસિક સ્થળોના ફ્લેક્ષ ચિત્રો મૂકવામાં આવનાર છે.લાંબા સમયથી સયાજીગંજ વિસ્તારમાં સ્કાયવોકની જરૂર ઊભી થઇ હતી અને તેના માટે કન્સલન્ટે ભૂતકાળમાં ભલામણ પણ કરી હતી. રેલવે સ્ટેશનના હયાત દાદરથી સિટી બસ સ્ટેશન અને કડક બજાર નાકા સુધીના સ્કાયવોકના બ્રજિની કુલ લંબાઇ ૧૪૮ મીટર(પાંચ સ્પાન) અને પહોળાઇ ૩ મીટરની છે. જ્યારે, બ્રજિની રોડ લેવલથી છ મીટરની ઊંચાઇ રાખવામાં આવી છે. આ પ્રોજેક્ટની કિંમત રૂ.૧.૮૯કરોડની છે.આ દરમિયાનમાં, સેવાસદનના સત્તાધીશોએ સ્ટેશનેથી બસ સ્ટેન્ડ તરફ જતાં મુસાફરો પૈકી ખાસ કરીને વિકલાંગો, વૃદ્ધ નાગરિકોને રાહત મળે તે માટે સ્કાયવોકમાં લિફ્ટ મૂકવાનો નિર્ણય કર્યો છે. આ લિફ્ટ મૂકવાથી વૃદ્ધ, વિકલાંગ મુસાફરોને દાદર ઉતરવાની માથાકૂટ પડશે નહીં. જેની પાછળ ત્રીસ લાખ રૂપિયાનો કુલ ખર્ચો કરવામાં આવનાર છે અને તેના ખર્ચાનુ ભારણ સેવાસદન ઉપર પડનાર છે.તેવી જ રીતે, શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવો,રમતવીરો, શહેરની ઐતિહાસિક ઇમારતો, શહેરના વિકાસમાં ફાળો આપનાર મહાનુભાવો વગેરેના ફલેક્ષ ચિત્રો મૂકવાનુ નક્કી કરવામાં આવ્યું છે. જેની ડીઝાઇનીંગ કામગીરી ફલેક્ષ િચત્રો તૈયાર કરાવવા અને સ્કાયવોક બ્રજિ ઉપર મૂકવા સહિતની કામગીરી ટુંકી સમય મર્યાદાને ધ્યાનમાં રાખી કોઇપણ પ્રત્યાવાહિના બાધ વગર પોણા છ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવાની દરખાસ્તને સ્થાયી સમિતિએ મંજુર કરી હતી.
મોદીએ મધ્ય ગુજરાતને અન્યાય કર્યો છે
રાજ્ય મંત્રી મંડળના આજે થયેલા વિસ્તરણમાં મુખ્યમંત્રી મોદીએ વડોદરા સહિત સમગ્ર મધ્ય ગુજરાતને અન્યાય કર્યો હોવાનો આક્ષેપ પૂર્વ મંત્રી નલિન ભટ્ટે કર્યો છે.તેમણે હતું કે, ૨૦૦૭ માં મધ્ય ગુજરાતે૨૨ ધારાસભ્યોની ભેટ ધરી હતી. આ ઉપરાંત વડોદરા શહેર-જિલ્લામાં ભાજપને વધુ બેઠકો મળવા છતાંય મોદી મુખ્યમંત્રી બન્યા બાદ સતત અવગણના થઇ છે.બોર્ડ નિગમોમાં પણ નિમણુંક નહીં આપીને કાર્યકુશળતા બહાર લાવવાની તક છીનવી લીધી છે. તેમણે આ અન્યાયનો લોકશાહી ઢબે પ્રતિકાર કરવા અનુરોધ કર્યો હતો.
કોંગ્રેસના સભ્યોને ઘેરી ટપલીદાવનો પ્રયાસ
સુરત મહાપાલિકા પરિસરમાં શહેરના વિકાસના મુદ્દા પર ચર્ચા કરવાને બદલે ભાજપ દ્વારા આશ્ચર્ય રીતે એજન્ડામાં સમાવિષ્ટ કરવામાં ન આવેલું એવું કેન્દ્રીય તપાસ એજન્સીઓની કામગીરીનું ટીકાત્મક વિધેયક પસાર કર્યું હતું. કોંગ્રેસે ભાજપની આ ગુસ્તાખી સામે વળતો પ્રહાર કર્યો હતો. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે થયેલા ફેક એન્કાઉન્ટર અને ખંડણીના આક્ષેપો મામલે ઉગ્ર ચર્ચા છેડી હતી. ઉશ્કેરાયેલા ભાજપી સભ્યોએ કોંગ્રેસના સભ્યોને સામાન્ય સભામાં જ ઘેરી લીધા હતા. કોંગ્રેસી સભ્યોને બચાવવા સિક્યુરિટી ગાર્ડોએ કોર્ડન કરવાની નોબત આવી હતી.મહાપાલિકા પરિસરમાં વિકાસનાં કામોના એજન્ડામાં આજે વિવાદી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણ છવાઈ ગયું હતું. તેમાં ભાજપ દ્વારા નીચે પ્રમાણે વધારાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. આ દરખાસ્તનો એજન્ડામાં સમાવિષ્ટ કરવામાં આવ્યો ન હતો.ગુજરાત દેશના આર્થિક વિકાસનું એન્જિન છે.તેને રાજકીય હિસાબ-કિતાબ ચૂકતે કરવા માટે બદનામ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતવતી મહાપાલિકા અને નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવી ઘટનાથી દુખી છે. સામાન્ય સભા સ્પષ્ટ અનુરોધ કરે છે કે કેન્દ્રીય તપાસ એજન્સીનો દુરુપયોગ કરવાનું બંધ કરી દેવામાં આવે.
બિનવારસી બોટ મળતાં આતંકી ઘુસ્યાની આશંકા
સુરતના સુવાલી બીચથી દરિયામાં ૪ નોટિકલ માઈલ દૂરથી એક બિનવારસી બોટ ૧૫ ઓગસ્ટે મળી આવતા સુરક્ષાતંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બોટની ચકાસણી કરવા માટે તેને સુરતના દરિયાકિનારે આવેલા એક ખાનગી કંપનીના બંદરે લઈ જવામાં આવી છે. આ બોટ રીલાયંસ કંપનીના કર્મચારી રોબીન ક્રૂઝને મળી આવી હતી તેણે હજીરાની સ્થાનીક કંપનીના જેટી પર પહોંચાડી હતી અને મરીન પોલીસને જાણ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે ૨૬-૧૧ના હુમલામાં પણ પાકિસ્તાની આતંકવાદીઓએ પોરબંદરની બોટને હાઈજેક કરી ગુજરાતના દરિયાઈ સરહદનો ઉપયોગ કરીને પોતાની મેલી મુરાદને અંજામ આપ્યો હતો.બોટ મળી આવતાં ગુજરાતની મરીન સુરક્ષાને વધુ મજબૂત બનાવી દેવાઈ છે ત્યાં દક્ષિણ ગુજરાતના કાંઠાના વિસ્તારને પણ અજાણ્યા લોકોના આગમન વિશે જાણકારી મેળવવા સર્તક કરી દેવાયા છે. બોટમાંથી મળી આવેલાં પાઉચ કઈ કંપનીના છે કે પછી બોટ ક્યાં રજિસ્ટર થયેલી છે તે અંગે હજી કોઈ સ્પષ્ટ જાણકારી મેળવી શકાઈ નથી. બીજી તરફ જો આ બોટ પ્રવાસી હોય તેમાં સવાર પ્રવાસીઓ કે ખલાસીઓ ક્યાં ગયા તેની પણ સમુદ્રમાં શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
ભુજ ડેપોમાં મુસાફરોનો હંગામો
ભુજ એસ.ટી. ડેપોમાં શિનવારે સાંજે ૬ વાગ્યા બાદ માંડવીની એક પણ બસ નહીં મૂકાતાં અકળાયેલા મુસાફરોએ ધમાલ મચાવી હતી. જેના પગલે રાત્રે ડેપો મેનેજર ઘટના સ્થળે દોડી ગયા હતા.એસ.ટી.ડેપોમાં સાંજે છ વાગ્યા પછી માંડવીની બે બસો છે. પરંતુ, શનિવારે રાત્રે ૯ વાગ્યા સુધી એકપણ બસ નહીં મૂકાતાં ૨૦૦ થી વધુ મુસાફરો રાહ જોઇને અકળાઇ ઉઠયા હતા.રાત્રે ૯ વાગ્યાના અરસામાં પેસેન્જરોએ ટ્રાફિક કન્ટ્રોલરની કચેરી પાસે રીતસરનો હંગામો મચાવ્યો હતો. છેક ડી.સી. સુધી ફોન પર રજૂ આતોનો દોર થતાં તેની સૂચનાને પગલે ડેપો મેનેજર પણ ઘટના સ્થળે દોડી ગયા હતો. ટ્રાફિક કન્ટ્રોલરે જણાવ્યું કે, મોટા ભાગની બ સો ગરીબ કલ્યાણ મેળામાં ફાળવાઇ હતી.સાડા સાતની માંડવીની બસ છે તે માંડવી ડેપોથી આવીને અહીં મુકાય છે તે ઉપરથી જ કોઇ કારણોસર આવી નથી. બીજી સવા આઠની બસ ભુજ ડેપોમાંથી મૂકવામાં આવે છે તેના ટાયરમાં પંચર પડી ગયું હતું તેથી તેના રિપેરિંગની કાર્યવાહી ચાલુમાં છે. આ દરમિયાન ઉશ્કેરાયેલા પ્રવાસીઓએ હંગામો મચાવ્યો હતો. આ અંગે ડેપો મેનેરજનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, બસ પંચરમાં છે તે રિપેરિંગ થઇ જ રહી છે અને તુરંતમાં જ તે મૂકાશે.
આદિપુરના બસ સ્ટેશન પાસેથી બે બહેનોનું અપહરણ
આદિપુરના બસ સ્ટેશન વિસ્તાર પાસેથી ગત તા. ૧૦/૮ના લશ્કરના નિવૃત્ત જવાનની બે પુત્રીઓનું એક શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.જેની જાણ આદિપુર પોલીસ મથકે કરવામાં આવી હતી. આદિપુર પોલીસે જણાવ્યું હતું કે, લશ્કરમાંથી નિવૃત્ત થયેલા તથા હાલે દિલ્હી ખાતે પોલીસમાં ફરજ બજાવતા અજીતસિંહ બનવારીલાલ યાદવ (રહે ભવાનીનગર, ગળપાદર)ની ૧૭ અને ૧૯ વર્ષીય બે પુત્રીનું ગત તા. ૧૦/૮ના સાંજના ભાગે આદિપુરના બસ સ્ટેશન વિસ્તાર પાસેથી અપહરણ થઇ ગયું હતું.ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે નાગદાન ગઢવી નામનો આરોપી આ બન્ને યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. પોલીસે ગુનો નોંધી અપહરણના બનાવની વધુ તપાસ હાથ ધરી છે.
ભુજ : કાળિયાબીડ રેગ્યુલરાઈઝની મંદગતિએ કાર્યવાહી
કાળીયાબીડને રેગ્યુલરાઈઝ કર્યાનો નિર્ણય જાહેર કર્યા બાદ કામગીરી મંદગતિએ આગળ વધી રહી છે. અને કાળિયાબીડના ‘ડી’ વિસ્તારની બિલ્ડરે ચકાસણી ફી ભર્યા બાદ મહાપાલિકા દ્વારા આ વિસ્તારની રજુ કરેલા ડોક્યુમેન્ટ મુજબની સ્થળ ચકાસણી શરૂ કરવામાં આવી છે. ‘ડી’ વિસ્તાર સૌથી નાનો વિસ્તાર અને વ્યવસ્થિત હોવાથી બિલ્ડરે પ્રથમ ‘ડી’થી જ શરૂઆત કરી હોવાનું જાણવા મળેલ છે.એશિયાની સૌથી મોટી ગેરકાયદેસર વસાહત તરીકે જાણીતા બનેલા કાળિયાબીડ વિસ્તારને રેગ્યુલરાઈઝ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કરતા કાળિયાબીડમાં દિવાળી જેવો માહોલ છવાયો હતો. પરંતુ કાળિયાબીડના લેઆઉટ પ્લાનના ત્રણ-ત્રણ વખત બદલાયા બાદ કોમન પ્લોટમાં બાંધકામ, સૂચિત જગ્યાઓ નહીં છોડવા અને ડી.સી.આર.ના નિયમની ઐસીતૈસી કરી બનાવેલા મકાનો વિષે કોઈપણ જાતની વિચારણા વગર રેગ્યુલરાઈઝ કરવાનો નિર્ણય જાહેર કરતા મહાપાલિકા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.કાળીયાબીડનો બિલ્ડર જ્યાં સુધી સ્ક્રૂટીની ફી મહાપાલિકામાં જમા ન કરાવે ત્યાં સુધી મહાપાલિકા સ્થળ ચકાસણી, ડોક્યુમેન્ટની તપાસ, પ્લાન અને વર્ગીકરણની તમામ કાર્યવાહી ખોરંભે ચડી જાય. જે માટે બિલ્ડરને જાણ કર્યા બાદ સર્વે નં.૪૭૦ કાળીયાબીડના ‘ડી’ વિસ્તારની રૂ.૨ લાખ સ્ક્રૂટીની ફી મહાપાલિકામાં જમા કરાવી ડોક્યુમેન્ટ રજુ કર્યા છે.
ઓનલાઈન વોટિંગ માટે મુદત લંબાવી : બાવીસે નોંધણી કરાવી
મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં ઓનલાઈન વોટિંગ પદ્ધતિની નોંધણી માટે નિરસતાભર્યું વાતાવરણ રહેતા રજીસ્ટ્રેશનના અંતિમ દિવસે આજે કુલ ૧૦૩ ફોર્મ લીધા બાદ ૨૨ મતદારોએ ફોર્મ પરત કર્યા હતા. અને અંતે બીજી મુદત વધારતા ૨૯મી ઓગસ્ટ સુધી કરવામાં આવી છે.મહાપાલિકાઓમાં આગામી સામાન્ય ચૂંટણીઓમાં ઓનલાઈન વોટિંગ પદ્ધતિ દાખલ કરવાનું ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ઓનલાઈન વોટિંગ માટે મતદારોએ ઈ-વોટર્સ તરીકે રજીસ્ટ્રેશન કરાવવા માત્ર ભાવનગર જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં મતદારો નિરસ છે.જેથી અગાઉ પણ ઓછી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવતા ૨૧મી ઓગષ્ટ સુધી મુદત લંબાવી હતી તેમ છતાં આજે સુધીમાં પણ ભાવનગરમાં માત્ર ૨૨ મતદારો જ ઈ-વોટર્સ તરીકે નોંધણી કરાવતા આગામી ૨૯મી ઓગષ્ટને રવિવાર સુધી નોંધણીની તારીખ લંબાવી છે.
ભાવનગરને કેબીનેટ દરજ્જો ન મળતા ભાજપમાં અસંતોષ
ગુજરાત રાજ્યના પ્રધાન મંડળના વિસ્તરણમાં ભાવનગર જિલ્લાને કેબીનેટ પ્રધાનનું પદ આપવા માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. આજે નવા ચાર પ્રધાનોની શપથવિધી સમયે ભાવનગર જિલ્લાને કેબીનેટ પ્રધાનનું પદ આપવાનું હતું પરંતુ આ આશા ફળીભૂત નહીં થતાં ભાજપના અનેક કાર્યકરો નિરાશ થયા હતા.મંત્રીમંડળમાં રાજ્ય કક્ષાનું મંત્રીપદ સંભાળતા સૌરભ પટેલ અને પુરૂષોત્તમ સોલંકી પૈકી એકને કેબીનેટમાં સ્થાન મળવાનું હતું પરંતુ છેલ્લી ઘડીએ આ અંગેની જાહેરાત નહીં થતા જિલ્લાભરમાં ભાજપના કાર્યકરો નિરાશ બની ગયા હતા. મંત્રીમંડળમાં મહિલા તરીકે ધારાસભ્ય વિભાવરીબેન દવેને લેવા માટે દબાણ થયુ હતું પરંતુ તેના બદલે વસુબેન ત્રિવેદીનું નામ નક્કી થઈ ગયું.
ડાવોલમાં તસ્કરો પોલીસનું નાક વાઢી ગયા
ખેરાલુ તાલુકાના ડાવોલ ગામે શુક્રવારની મોડી રાત્રે ત્રાટકેલી તસ્કરોની ટોળકીએ ૧૩ જેટલા બંધ મકાનોના દરવાજાના નકુચા તોડી સોના, ચાંદીના ઘરેણાં સહિત રોકડની ચોરી કરી લઇ ગયાનું જાણવા મળતાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસે પ્રાથમિક તબક્કે એક જ મકાનમાં થયેલી રૂપિયા ૮.૪૯ લાખની ચોરીની ફરીયાદ નોંધી સુરત અને મુંબઇ વસતા અન્ય બંધ મકાનોના માલિકોનો સંપર્ક સાધી ચોરીનો આંકડો સ્પષ્ટ કરવા સહિત તસ્કરોનું પગેરૂ મેળવવા વધુ તપાસ આદરી હોવાનું જણાવ્યું હતુ.
ડાવોલ ગામે શુક્રવારની મોડી રાત્રે ત્રાટકેલી તસ્કર ટોળકીએ ડાવોલનાં ૧૩ જેટલાં બંધ મકાનોના દરવાજાના નકુચા તોડી સોના ચાંદીના ઘરેણાં સહિત રોકડ મળી આશરે ૨૫ લાખ રૂપિયાની ચોરી કરી લઇ જતાં ગ્રામજનો ભયભીત થઇ ઉઠ્યા છે.
આ મુદ્દે ગામના મહિલા સરપંચ જે.પી. ચૌધરીના પતિ પરથીભાઇ ચૌધરી સહિતે પોલીસને જાણ કરતાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસની ડૉગ સ્કવોડ, એફ.એસ.એલ., લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની તપાસ એજન્સીઓ દોડતી થઇ ગઇ હતી. ત્યારે અડધા દિવસની દોડધામ બાદ પોલીસે બપોરે તસ્કરોના તરખાટનો સૌથી વધુ ભોગ બનેલા ચૌધરી લવજીભાઇ મસોતભાઇની દરદાગીના સહિત રૂપિયા ૮.૪૯ લાખની ચોરી થયાની ફરિયાદ નોંધી અન્ય ૧૨ જેટલા બંધ મકાનોમાં થયેલી ચોરીનો આંકડો મેળવવા સહિત તસ્કરોનું પગેરૂ મેળવવા વધુ તપાસ આદરી હતી.આ મુદ્દે પી.આઇ. આર.પી.ઝાલાનું કહેવું છે કે લવજીભાઇ ચૌધરી સહિત ગામના ૧૨ વ્યક્તિઓ કે જેમાંથી મોટા ભાગના હાલ સુરત ,મુંબઇ જેવા સ્થળે બહારગામ રહેતા હોવાથી તેમના આવ્યા પછી ચોરીનો આંકડો જાણી શકાશે.
‘કલોલનાં DYSPએ એન્કાઉન્ટરની ધમકી આપી’
ચાર માસ પૂર્વે કલોલની એક હોસ્પિટલમાં સારવાર અર્થે ગયેલા નંદાસણના સરપંચના પિતા ઉપર હુમલો થવાના કેસમાં નંદાસણના મુસ્લિમ યુવાને કોર્ટમાં ૧૬૪ અંતર્ગત નિવેદનના મુદ્દે કલોલનાં મહિલા ડીવાયએસપીએ એન્કાઉન્ટર કરવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારતું લેખિત ઉચ્ચકક્ષાએ મોકલી આપતાં દોડધામ મચી છે.કડી તાલુકાના નંદાસણ ગામના સરપંચ યમદુમીયાના પિતા સહિત પરિવાર ચાર માસ પૂર્વે કલોલની એક હોસ્પિટલમાં ગયા હતા તે સમયે નંદાસણના માથાભારે બુટલેગર કાલુ સેન્ડો સહિત ચાર શખ્સોએ હુમલો કરવા અંગે કલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ઉપરોક્ત બહુચર્ચિત કેસમાં નંદાસણના સોએબ કાદરભાઈ ઘાંચીએ કોર્ટમાં ૧૬૪ અંતર્ગતનું નિવેદન આપવાના મુદ્દે કલોલના ડીવાયએસપી ઉષા રાડાએ એન્કાઉન્ટર કરવાની ધમકી આપી હોવાની રજૂઆત કરી છે.જેમાં તેના ૧૬૪ અંતર્ગતના નિવેદન મામલે કોર્ટે કાઢેલી નોટીસની બજવણી કરવા તે ગયો ત્યારે ડીવાયએસપી રાડાએ તેને ધોલધપાટ કરી કોર્ટમાં નિવેદન આપવા જતો નહીં નહીંતર એન્કાઉન્ટર કરી નાંખીશ તેવી ધમકી આપવાનો તેમજ અત્રે હાજર અન્ય પોલીસ કર્મીઓએ લાકડી વડે તેને માર માર્યાનો આક્ષેપ કર્યો હતો.
મહેસાણાના મગપરામાં ગેસ સિલિન્ડર લિકેજ થતાં આગ
મહેસાણાના મગપરામાં શનિવારે મોડી સાંજે સિલીન્ડરમાંથી લીકેજ થઈ રહેલા ગેસથી અચાનક આગ લાગતાં વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં એક યુવાન હાથ સહિત શરીરે દાઝી જતાં સારવાર માટે ખસેડાયો હતો.મહેસાણાના મગપરામાં ભાડાના મકાનમાં રહેતા ભરતજી બબાજી ઠાકોરનાં પત્ની વસંતબેને આપેલી ઘટનાની વિગતો અનુસાર, શનિવારે સાંજે વસંતબેન રસોઈ બનાવી રહ્યાં હતાં ત્યારે ગેસના સિલીન્ડરમાં ગેસ થઈ રહેતાં તેણીએ ભરતજીને બીજો સિલીન્ડર લગાવી આપવાનું કહ્યું હતું.ભરતજીએ બીજા સિલીન્ડરનું ઢાંકણ ખોલતાં જ ગેસ બહાર નીકળવા લાગતાં તેઓ તે બંધ કરવાના પ્રયાસો કરવા લાગ્યા હતા. પરંતુ જોતજોતામાં ગેસ રૂમમાં ફેલાઈ જતાં વસંતબેન અને ભરતજી ત્યાંથી બહાર નીકળી ગયાં હતાં. પરંતુ અચનાક જ આગ લાગતાં ભરતજી હાથ સહિતના ભાગે દાઝતાં તેમને સારવાર માટે લાયન્સ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જો કે, અન્ય રૂમમાં ટીવી જોઈ રહેલાં બાળકો સલામત રીતે બહાર નીકળી ગયાં હતાં. બીજી તરફ રૂમના બારણા સહિતના ભાગે આગ પકડી લેતાં લોકો એકઠા થઈ ગયા હતા અને આગ બૂઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ સફળતા ન મળતાં પાલિકાના ફાયર ફાયટરની મદદથી આગ બૂઝાવાઈ હતી.
આણંદ જિલ્લામાં સરકારી ઘઉંનો મલાઈદાર વેપલો!
આણંદ જિલ્લામાં સસ્તા અનાજની દુકાને વેચાતાં સરકારી ઘઉંનો મસમોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યાનો ઘટસ્ફોટ પુરવઠા વિભાગે કર્યો છે. તારાપુરમાં ટ્રકમાં ઝડપાયેલા સરકારી ઘઉં બાદ ખંભાત અને પેટલાદમાં દરોડા પાડ્યા હતા. જેમાં મોટા મોટા વેપારી પાસેથી મળી આવેલા જથ્થા સંદર્ભે પુછતાછ કરતાં સમગ્ર મામલો આણંદના સરદાર ગંજ તરફ ફંટાયો છે.એક કબુલાતમાં જિલ્લામાં એપીએલ કાર્ડધારકો માટે રાહતદરના વેપારીને અપાતા ૧૬૩૭ મેટ્રીક ટનમાંથી આશરે ૧૫૦૦ મેટ્રીક ટન ઘઉં ખુલ્લાં બજારમાં સગેવગે થઈ રહ્યાં છે. ખંભાત - તારાપુર રોડ પર તારાપુર મામલતદાર દેવાંગી દેસાઈએ સરકારી ઘઉં ૧૩૦ કટ્ટા સાથે શંકાસ્પદ હાલતમાં મિનટ્રિકને ઝડપી પાડ્યો હતો. આ ઘઉંના જથ્થા અંગે તપાસ કરતાં પગેરૂ પ્રથમ ખંભાત અને બાદમાં પેટલાદ તાલુકાના દંતાલી ગામે પહોંચ્યું હતું.જ્યાં ગુરૂવારના રોજ જિલ્લા પુરવઠા વિભાગે ગીરીશ અંબાલાલ પટેલના ગોડાઉનમાંથી ૨૧૪ કટ્ટા ઘઉં સહિતનો સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેની પુછપરછમાં આ જથ્થો તેણે ખંભાતના વેપારી પાસેથી ખરીધ્યો હતો. જોકે, આ દરોડામાં પુરવઠા વિભાગને રાહતદરના વેપારીઓ દ્વારા ઘઉંનો ચાલતો મસમોટા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે અને તે બાબતે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.સુત્રોના જણાવ્યાનુસાર, આણંદ જિલ્લામાં કુલ ૨,૯૦,૫૧૩ એપીએલ કાર્ડ ધારકો છે. જેઓને મહિને કાર્ડ દીઠ ૧૦ કિલો સરકારી રાહતદરના ઘઉં આપવામાં આવે છે. જિલ્લામાં કુલ મળીને ૧૬૩૭ મેટ્રીક ટન ઘઉં રાહતદરના વેપારીઓને ફાળવવામાં આવે છે. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે, મોટા ભાગના શહેરી વિસ્તાર અને ગામડાંના સમૃધ્ધ લોકો આ ઘઉંનો જથ્થો રાહતદરના ભાવની દુકાન પરથી ખરીદતાં જ નથી.
અવિશ્વાસ દરખાસ્તમાં વિશ્વાસની કમી!
ગુજરાત કો.ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગફેડરેશન લિમિટેડ (જીસીએમએમએફ)ના ચેરમેન પરથી ભટોળ સામે રજૂ કરાયેલ અવિશ્વાસની દરખાસ્ત સંદર્ભે શનિવારે બોલાવેલી રિકિવઝિટ મિટિંગ નોનકોરમ થઈ હતી. જીસીએમએમએફના હેડકવાટર્સમાં સમયસર પહોંચી ગયેલાં ૧૩માંથી ૧૨ ડિરેક્ટર્સ બોર્ડ રૂમમાં ફરક્યાં જ ન હતા, જેથી મિટિંગ નોનકોરમ થતાં અવિશ્વાસની દરખાસ્તનો રકાસ થયો હતો. અલબત્ત, પરથી ભટોળ સામે ઊઠેલાં અવિશ્વાસમાં જ પૂરતો વિશ્વાસ ન હોવાનું શનિવારે સ્પષ્ટ થયું હતું.બપોરના એક વાગ્યે બહાર નીકળતાં બોર્ડના ડિરેક્ટર્સનો મોંઢા પર ખંભાતી તાળા લાગી ગયા હતા. આ વખતે મહેસાણા ડેરીના ચેરમેન વિપુલ ચૌધરી એકપણ શબ્દ ઉચ્ચાર્યા વિના સડસડાટ પોતાની કારમાં બેસીને ચાલ્યાં ગયા હતા, જ્યારે અન્ય ડિરેકટર્સે ‘ચેરમેનને પૂછો’નો સૂર વ્યક્ત કર્યો હતો. સહકારી ક્ષેત્રમાં રૂ.૮ હજાર કરોડનું ટર્નઓવર ધરાવનાતાં જી.સી.એ.મએમ.એફ.માં સત્તાને લઈને ઊઠેલો વિવાદ હાલ પૂરતો સમી ગયો હતો. જીસીએમએમએફની ગત ૧૨મી ઓગસ્ટે યોજાયેલી વાર્ષિક સાધારણ સભા (એજીએમ)માં ગેરહાજર રહીને બોર્ડના દસ ડિરેક્ટર્સ દ્વારા ચેરમેન પરથી ભટોળ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેનાં સંદર્ભે શનિવારે સવારના ૧૧.૩૦ કલાકે રાખેલી રિિકવઝિટ મિટિંગમાં ચેરમેન પરથી ભટોળ સહિત ૧૨ બોર્ડ ડિરેક્ટર્સ સમયસર આવી પહોંચ્યા હતા, પરંતુ બોર્ડ રૂમમાં ચેરમેન પરથી ભટોળ, ઈન્ચાર્જ એમ.ડી. આર.એસ.સોઢી અને રજિસ્ટ્રાર સિવાય બોર્ડના એકપણ ડિરેક્ટર ફરક્યાં નોહતા.જીસીએમએમએફની ઓફિસમાં ૧૧.૩૦ કલાકથી બપોરના ૧ કલાક સુધી બોર્ડ ડિરેક્ટર્સ હાજર રહ્યા હોવા છતાં બોર્ડ રૂમમાં નહીં જતાં મિટિંગ નોનકોરમ જાહેર કરવામાં આવી હતી. બપોરના ૧૨.૪પ કલાકની આસપાસ અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર, પંચમહાલ ડેરીના ચેરમેને જેઠાભાઇ ભરવાડ સહિત બોર્ડના ચાર સભ્ય બહાર આવ્યા હતા. બધાના આશ્ચર્યની વચ્ચે લોબીમાં ચારથી પાંચ મિનિટ આ સભ્યો વચ્ચે કોઈ મુદ્દે ગુફતગુ થઈ હતી.
બોરસદ : વસતી ગણતરીના દસ્તાવજો પાણીમાં!
બોરસદના સરકારી દવાખાનામાં ચાલતી મામલતદાર કચેરીમાં કોઈ કર્મચારીની બેદરકારીના કારણે વસતી ગણતરી, મતદાર યાદી સહિતના અગત્યના દસ્તાવેજો પાણીમાં પલળી ગયાં હતાં. વાત એવી બની કે, શુક્રવારના રોજ દવાખાનાની પાણીની ટાંકી ખાલી થઈ ગઈ હતી. જે રૂમમાં મામલતદારની ઓફિસ આવેલી છે, ત્યાં વોશબેસીન પણ છે.અહીં આવેલા કોઈ કર્મચારીએ નળ ખોલ્યો હશે, પરંતુ પાણી ન આવતા તેને ખુલ્લો મુકી જતો રહ્યો હતો. દરમિયાનમાં બીજા દિવસે સવારે ટાંકીમાં પાણી ભરવામાં આવ્યું હતું. બીજી તરફ ખુલ્લા નળમાંથી ધોધમાર પાણી વછુટયું હતું. જેને કારણે મામલતદારની રૂમમાં પાણી... પાણી... થઈ ગયું.સવારના ૧૧ વાગ્યાના સુમારે કચેરી ખોલતાં જ પાણીનો ધોધ બહાર આવ્યો હતો. સાથોસાથ વસતી ગણતરીના દસ્તાવેજો, મતદાર યાદી સહિતનો રેકર્ડ પણ પાણી પર તરતો જોવા મળતાં સૌ કર્મચારીઓ ઘાંઘા થઈ ગયા હતાં. આ અંગે મામલતદાર વી.એમ. પ્રજાપતિને જાણ થતાં તેઓ પણ ત્રાડુક્યાં હતાં. આખરે સૌ કર્મચારીઓએ પાણી નીકાલ કર્યા બાદ બધા દસ્તાવેજ ભેગા કરી તેને વિવિધ રીતોથી સુકવવા પ્રયાસો કર્યા હતાં.
'સાહેબ, બીબી ઔર કનિઝ'
ચેમ્બુર સ્થિત એચ. જી બર્વે માર્ગ વિસ્તારમાં આવેલી પ્રગતિ કો. ઓપ. હાઉસિંગ સોસાયટીમાં રહેતા આનંદ ઈશ્વર કાંબળેએ નોકરાણી નાઝિયા શેખની સાથે મળીને પત્ની ચંપાવતીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. નેહરુનગર પોલીસે પતિ કાંબળે અને નોકરાણી નાઝિયાની ચંપાવતીના નાસિક રહેતા ભાઈ નીલેશ જાધવે ફરિયાદ નોંધાવતાં ધરપકડ કરી હતી. નેહરુનગર પોલીસ સ્ટેશનમાં જાધવે ફરિયાદ નોંધાવી હતી કે મારી બહેન ચંપાવતીને તેના પતિ આનંદે ૧૪ ઓગસ્ટના રોજ પ્લાસ્ટિકની પાઈપ વડે બેરહેમ ફટકારી હતી અને તેને ડાયાબિટીસ છે તેની તેના પતિને ખબર હોવા છતાં તેને આપવો જોઈતો હતો તેના કરતાં અધિક દવાનો ડોઝ આપી દીધો હતો.આનંદ ઘરમાં કામ કરવા આવતી નોકરાણી નાઝિયાની પણ સંડોવણી હોવાની ફરિયાદમાં જાધવે જણાવ્યું હતું, એમ નેહરુનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું. ચંપાવતીને મંગલદીપ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે અને અમે આનંદ અને નાઝિયાની હત્યાનો પ્રયાસ કરવાના ગુના હેઠળ ધરપકડ કરી છે એમ અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું.
રીતેશ દેશમુખ મરાઠી કાર્ડ ઉતર્યો'
મલ્ટિપ્લેક્સ સિનેમાગૃહોમાં મરાઠી ફિલ્મોને પ્રાઈમ ટાઈમ સ્લોટ આપવાની મરાઠી ફિલ્મ નિર્માતાઓની માગણીને બોલિવૂડમાંથી સૌપ્રથમ અભિનેતા રીતેશ દેશમુખે ટેકો જાહેર કર્યો છે.સોશિયલ નેટવર્કિંગ સાઈટ ‘ટ્વીટર’ પર રીતેશ દેશમુખે મરાઠી ફિલ્મોને મલ્ટિપ્લેક્સ સિનેમાગૃહોમાં મુખ્ય સમયગાળા (પ્રાઈમ ટાઈમ)ના શોમાં દર્શાવવાની માગણી સદંતર વાજબી હોવાનું જણાવ્યું છે.આ પગલું પ્રાદેશિક સિનેમાના પ્રોત્સાહન અને ઉત્કર્ષ માટે મદદરૂપ સાબિત થનાર હોવાનું પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આજે અમિત શાહને જેલમાં ચાર સપ્તાહ પૂરા
visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
આજે અમિત શાહને જેલમાં ચાર સપ્તાહ પૂરા
અમિત શાહની ધરપકડને આજે ચાર અઠવાડીયાં પૂરા થઇ ગયા છે. આ ચાર અઠવાડીયામાં અમિત શાહ દેશભરમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે અને તે જાણેકે મંત્રીમાંથી મુદ્દો બની ગયા છે. ચાર અઠવાડીયામાં માજી જેલમંત્રી શાહે જેલ પણ જોઇ લીધી અને સીબીઆઇની પુછપરછનો સામનો કરી લીધો, રીમાન્ડનો સામનો પણ કરી લીધો એક રાષ્ટ્રીય તહેવાર (૧૫મી ઓગષ્ટ, સ્વાતંત્રય દિન)ની ઉજવણી પણ જેલમાં કરી અને હવે રક્ષાબંધન પણ જેલમાંજ ઉજવશે તે વાત સ્પષ્ટ થઇ છે.શાહને જામીન મળે તે માટે પાર્ટી દ્વારા પણ પ્રયાસો થઇ રહ્યા છે. દેશના જાણીતા ધારાશાસ્ત્રી રામ જેઠમલાની ખુદ શાહ માટે ૮૭ વર્ષની વયે પણ અદાલતના ચાર દાદારા ચઢીને શાહને જામીન અપાવવા માટે કોર્ટમાં આવ્યા હતા.સોહરાબુદ્દીન એન્કાઉન્ટર અને કૌશરબી હત્યા પ્રકરણ લગભગ અઢી વર્ષથી સતત ગાજતું રહ્યું છે. પંરતુ છ મહિનાથી તેની તપાસ સીબીઆઇને સોંપવામાં આવતાં તેમાં રોજે રોજ કંઇનું કંઇ ડિવલપમેન્ટ નોંધાયું છે અને તેમાંય વળી છેલ્લા ચાર અઠવાડીયામાં તેની ચર્ચા માત્ર ગુજરાતમાંજ નહિ પરંતુ સમગ્ર દેશ અને દુનિયામાં થઇ રહી છે. કેમકે સીબીઆઇએ સોહરાબુદ્દીન પ્રકરણમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અમીત શાહની ધરપકડ કરી તેમને જેલના સળીયા પાછલ ધકેલી દીધા છે. જેલ ખાતુ સંભાળતા શાહે થોડા સ અગાઉજ જેલ સુધરાવી હતી પરંતુ ત્યારે તેમને ક્યાં ખબર હકી કે આજ સ્થળે તેમને પણ દિવસો ગુજારવા પડશે.આજે અમિત શાહની ધરપકડને ચાર અઠવાડીયા પુરા થઇ ગયા છે. રવિવારે તા. ૨૫મી જુલાઇને સવારે સાડા અગિયાર વાગ્યે અમિત શાહ ભાજપ કાર્યાલયે પત્રકાર પરિષદને સંબોધીને સીબીઆઇ સમક્ષ હાજર થયા હતા અને સીબીઆઇએ તેમની ધરપકડ કરી કોર્ટના આદેશથી શાહને સાબરમતી જેલમાં મોકલી આપ્યા હતા.
ભારત અમેરિકાની આગળ નિકળશે
ભારતની શાનમાં અન્ય એક ઓળખ જોડાઈ ચુકી છે. તાજા આંકડાઓ પ્રમાણે ભારતીય અર્થવ્યવસ્થા દુનિયાની ટૉપ 20 અર્થવ્યવસ્થાઓમાં ચોથા સ્થાને પર પહોચી ગયુ છે. આ આંકડાઓ આઈએમએફ દ્વારા પ્રકાશીત કરવામાં આવ્યા છે. વાસ્તવમાં આઈએમએફે તાજેતરમાંજ પર્ચેજિંગ પાવરના આધારે દુનિયાની 20 સૌથી મજબુત અર્થવ્યવસ્થાઓનુ લીસ્ટ પ્રકાશીત કર્યું છે. આ લીસ્ટમાં ભારત અત્યારે ચોથા સ્થાને છે. ત્યાજ ભારતનો પાડોશી દેશ ચીન આ લીસ્ટમાં બીજા નંબર પર છે. લિસ્ટમાં પ્રથમ નંબર પર અમેરિકાને સ્થાન મળ્યુ છે.પરંતુ બીજી બાજુ આ વાત પણ કહેવામાં આવી રહી છે કે અમેરિકા પર એકવાર ફરીથી મંદીના વાદળો વર્તાઇ રહ્યાં છે. અને જો આવુ થાય છે તો અમેરિકાની અર્થવ્યવસ્થા બરબાદીની અસરમાં સપડાઇ જશે. કેમકે તે હજુ પ્રથમ મંદીમાથી પણ ઉપર નથી આવી શક્યુ. 2008ની મંદીના દરમિયાન ત્યાની બેરોજગારીની સંખ્યામાં લાખો લોકોને હજુ સુધી નોકરી નથી મળી શકી. જાણકારોનુ કહેવુ છે કે આવામાં જો બીજીવાર ત્યા મંદી આવે છે તો ચીન અને ભારત પર્ચેજિંગ પાવરની બાબતમાં એમેરિકન અર્થવ્યવસ્થાને પછાડી શકે છે.
આખરે કોણે કર્યો અમિત શાહ સાથે વિશ્વાસઘાત?
જુન,૨૦૦૬ અને જાન્યુઆરી ૨૦૧૦માં શું તફાવત છે? સોહરાબ એન્કાઉન્ટર કેસનો બારીકાઈથી અભ્યાસ કરી રહેલા લોકો એ વાતથી પરિચિત હશે કે બે અલગ-અલગ તપાસ સંસ્થાઓએ આ કેસના તથ્યોને ઉજાગર કરવાનું બીડુ ઝડપ્યુ હતું.૨૫ નવેમ્બર, ૨૦૦૫ની મધરાતે થયેલા સોહરાબના એન્કાઉન્ટર મામલે ભારે ઉહાપોહ સર્જાતા સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપવામાં આવી ત્યારથી ૧૧ જાન્યુઆરી ૨૦૧૦ સુધીમાં ગૃહ રાજ્યમંત્રી કે તત્કાલીન ડીસીપી-ક્રાઈમ અભય ચુડાસમા સામે આંગળી ચિંધવાનું સાહસ પણ કોઈએ દાખવ્યુ નહોતું.૨૪ એપ્રિલ, ૨૦૦૭ બાદ આ કેસમાં જેલમાં ગયેલા એટીએસના બે ઉચ્ચ અધિકારીઓ સહિત ૧૩ પોલીસ કર્મચારીઓએ પણ આ બંને પૈકી કોઈનું નામ લીધુ હોવાનું રેકોર્ડ પર નોંધાયાનું જાણમાં આવ્યું નથી. આ તમામ લોકોના અકળ મૌનને શું સરકાર પ્રત્યેની તેમની વફાદારી ગણવી?
‘કુકર્મો કોઇને છોડતા નથી અમિત શાહને પૂછો’
ગુજરાતમાં સ્ત્રીઓ ઉપર અત્યાચારના બનાવો વધ્યા છે ત્યારે માત્ર અને માત્ર ચુંટણીના સમયે મહિલાઓની ભાવના જીતવા ૧પ પૈસાનો પોસ્ટકાર્ડ લખવાની વાતો કરતા મુખ્યમંત્રી આજે ક્યાં છે તેવો સણસણતો સવાલ કેન્દ્રીય મંત્રી ડૉ.તુષાર ચૌધરીએ કર્યો હતો.ઝગડીયા તાલુકાના રાજપારડી ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે સત્ય ઉજાગર સંમેલન યોજાયું હતું. સત્ય ઉજાગર સંમેલનમાં સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટરનો મુદ્દો છવાયેલો રહયો હતો. વપિક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપની સરકારે બે હત્યા કરાવી છે.એક હરેન પંડ્યાની અને બીજી કૌસરબીની રાજ્યના પુર્વ ગૃહ મંત્રી અમીતશાહ તેમના કુકર્મોની સજા આજે સાબરમતી જેલમાં ભોગવી રહયા છે નરહરિ અમીને જણાવ્યું કે હું ખાતો નથી અને ખાવા દેતો નથીની વાત કહેતા નરેન્દ્ર મોદીની સરકારના ગૃહમંત્રી જ મારબલના વેપારીઓ તથા બિલ્ડરો પાસેથી ખંડેણી ઉઘરાવતા હોવાનો પર્દાફાશ થયો છે.ખંડણીખોરોનો સરદાર જેલમાં બેઠો છે જે એક સમયે જેલમંત્રી હતો. અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે ગુજરાતની ભાજપ સરકારે પોતાના સ્વાર્થ માટે અધિકારીઓ તથા કર્મચારીઓ પાસે ખોટા કામો કરાવ્યા છે. આજે રાજ્યના ૨૮ જેટલા અધિકારીઓને જેલમાં જવાનો વારો આવ્યો છે.
અમિત શાહના જામીનની સુનાવણી 30 સુધી ટળી
આજે અમીત શાહના જામીન અંગેની સુનવણી હાથ ધરાઇ હતી. બાવીસ દિવસના જેલવાસ બાદ જેલની બહાર આવવાની શાહની ઇચ્છા પર પાણી રેડાઇ ગયું છે. કારણ કે એમની જામીનની સુનાવણી હવે 30મી ઓગસ્ટના રોજ હાથ ધરાશે. આમ આજે એમને જામીન ના મળતા તેઓ ફરી પાછા જેલમાં. અમીત શાહના વકીલ રામ જેઠમલાણી અને પીઢ વકીલ કે.ટી.એસ. તુલસીની આજે સુપ્રિમ કોર્ટમાં હાજરી હોવાથી તેઓ બન્ને આજની સુનાવણીમાં હાજર ન્હોતા.છેલ્લા ઘણા દિવસનથી સાબરમતી જેલમાં રખાયેલા રાજ્યના માજી ગૃહ રાજ્યમંત્રી અમીત શાહની જામીન અંગેની આજે સુનવણી હતી. અમીત શાહ તેમના જેલવાસ દરમીયાન સીબીઆઇની ત્રણ દિવસની પુછપરછ તથા બે દિવસના રીમાન્ડનો સામનો કરી ચુક્યા છે.દેશભરમાં ચર્ચાનો વિષય બની રહેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રકરણમાં સીબીઆઇએ કુલ ૧૮ આરોપીઓ સામે સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં ચાર્જસીટ ફાઇલ કરી હતી. સીબીઆઇ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારી અભય ચુડાસમા તથા રાજ્યના તત્કાલીની ગૃહરાજ્યમંત્રી અમીત શાહની ધરપકડ કરતાં આ પ્રકરણમાં ગરમાટો આવી ગયો છે. જોકે ધરપકડ પહેલા શાહે કરેલી આગોતરા જામીનની અરજી સબમીશનના સ્ટેજે રદ કરાઇ હતી.સીબીઆઇએ શાહની ધરપકડ કરી કોર્ટના આદેશથી તેમને જેલમાં મોકલી આપ્યા બાદ સીબીઆઇની પરવાનગીથી તેમની ઓન કેમેરા ત્રણ દિવસની પુછપરછ કરવામાં આવી હતી ત્યાર બાદ હાઈકોર્ટે સીબીઆઇને શાહના બે દિવસના રીમાન્ડ પણ આપ્યા હતા. રીમાન્ડમાં પણ સીબીઆઇએ શાહની પુછપરછ કરી હતી.
દર પાંચમા કર્મચારીની જાતિય સતામણી થાય છે: સર્વે
કોર્પોરેટ સેક્ટરમાં કામ કરનારા દર પાંચમા કર્મચારી પોતાની નોકરી દરમિયાન વર્કપ્લેસ પર ક્યારેકને ક્યારેક જાતિય અત્યાચારના દોરમાંથી પસાર થાય છે. એક સર્વેક્ષણ દ્વારા આ વાતનો ખુલાસો થયો છે. આ મામલામાં આઈટી સેક્ટરના હબ બેંગલુરુમાં સ્થિતિ ઘણી ચિંતાજનક છે. ત્યાં લગભગ પચાસ ટકા કર્મચારીઓનું કહેવું છે કે પોતાની નોકરી દરમિયાન તેઓ કોઈને કોઈ જાતિય ત્રાસમાંથી પસાર થયા છે. જ્યારે ચેન્નઈ આ મામલે અન્ય સ્થળોથી વધારે સુરક્ષિત છે. ચેન્નઈમાં માત્ર ત્રણ ટકા કર્મચારીઓને જ આ પ્રકારના ખરાબ અનુભવમાંથી પસાર થવું પડયું છે.ઈટી-સિનોવેટના આ ચોંકાવનારા સર્વેક્ષણથી ‘એપ્લયોઈ ફ્રેન્ડલી’ હોવાનો દાવો કરનારી કંપનીઓની પોલ ખુલી છે. આ સર્વેક્ષણ દર્શાવે છે કે કર્મચારીઓને પોતાના વર્કપ્લેસ પર કેટલાં ખરાબ અનુભવમાંથી પસાર થવું પડે છે. આ સર્વેમાં દેશના અલગ-અલગ શહેરોના 527 કર્માચારીઓને આ સવાલ પુછવમાં આવ્યો હતો કે શું તમારે તમારી ઓફિસમાં જાતિય સતામણીના દોરમાંથી પસાર થવું પડયું છે? તેના સંદર્ભે કર્મચારીઓનો જવાબ ચોંકાવનારો હતો.લગભગ 20 ટકા કર્મચારીઓએ એ વાતનો સ્વીકાર કર્યો કે તેમને ઓફિસમાં ક્યારેકને ક્યારેક જાતિય સતામણીનો શિકાર થવું પડ્યું છે. આશ્ચર્યજનક વાત એ છે કે લગભગ 38 ટકા કર્મચારીઓએ કહ્યું હતું કે વર્કપ્લેસ પર યુવતીઓની જેમ જ યુવકોને પણ જાતિય ત્રાસના મુશ્કેલીકારક દોરમાંથી પસાર થવું પડે છે.
પાટીદાર સમાજનો ખંડણીખોરોને પડકાર
જ્યના માજી ગૃહરાજ્યમંત્રી અમિત શાહના ઇશારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ખંડણીનો ભોગ બનેલા પોપ્યુલર બિલ્ડરવાળા રમણ પટેલ અને દશરથ પટેલનું આજે પાટીદારા સમાજ દ્વારા બાપુનગરમાં જાહેર સન્માન કરી ખંડણીખોરોને પડકાર ફેંકવાનો નિર્ધાર કરવામાં આવ્યો હોવાનું પાટીદાર સમાજના કન્વીનર રોહિત પટેલે જણાવ્યું હતું.આજે સાંજે ૪-૦૦ કલાકે બાપુનગર સ્થીત ઇન્દુલાલ યાજ્ઞિક હોલ ખાતે યોજાનારા આ પાટીદાર એકતા સંમેલન અંગે વધુ માહિતી આપતાં રોહિત પટેલે જણાવ્યું હતું કે પોપ્યુલર બિલ્ડર્સ પટેલ બંધુઓ પર ફાયરિંગ થી લઇને તેમની પાસેથી લેવાયેલી લાખો રૂપીયાનની ખંડણી અને સંખ્યાબંધ ખોટા આક્ષેપોમાંથી પટેલ બંધુઓ નિડરતા અને પ્રમાણીકતાના જોરે બહાર આવ્યા છે.આ વાતો ગુજરાતમાં કંઇ કેટલાય લોકો પરેશાન હશે તે તમામની હિમ્મત ખુલે તથા તેઓ પણ પોતાના પર થતા અત્યાચાર જાહેરમાં જણાવે તો આ ખંડણી અને અત્યાચારનું દુષણ ચોકકસ બંધ થશે. આ હેતુ માટેજ ખાસ પાટીદાર એકતા સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે.
મથુરાના પ્રોફેસરે બનાવ્યો વિદ્યાર્થિનીનો અશ્લીલ એમ.એ.મએસ.
શિક્ષકની મર્યાદાને તાર-તાર કરતીને મથુરાના એક પ્રોફેસરે પોતાની જ વિદ્યાર્થિનીની ઈજ્જતને નિલામ કરવાની તૈયારી કરી લીધી હતી. વિદ્યાર્થિનીના જણાવ્યા પ્રમાણે, પ્રોફેસરે માર્ક્સ ઓછા આપવાની ધમકી આપીને બળજબરીપૂર્વક તેનો અશ્લીલ એમએમએસ બનાવ્યો હતો. વિદ્યાર્થિનીએ આ વાતની ફરીયાદ પોલીસને કરી છે. આ મામલો જ્યારે વિદ્યાર્થીઓની સામે આવ્યો તો તેમણે કોલેજમાં તોડફોડ કરી હતી.મથુરાની બીએસએ ડિગ્રી કોલેજની વિદ્યાર્થિનીના જણાવ્યા પ્રમાણે, પ્રોફેસર જે. એસ. પરિહારે બળજબરીપૂર્વક તેનો અશ્લીલ એમએમએસ બનાવી લીધો હતો. પીડિતોનું કહેવું છે કે પ્રોફેસરે માર્ક્સ ઘટાડવાની ધમકી આપીને ઘણી વિદ્યાર્થિનીઓ સાથે બળજબરી કરી છે.અશ્લીલ એમએમએસની ખબર પડતા જ કોલેજમાં હંગામો મચી ગયો છે. એમએમએસમાં પ્રોફેસરની હાજરી વિદ્યાર્થિનીના આરોપને સાચો ઠેરવે છે. હવે કોલેજના વિદ્યાર્થી સંગઠનો માગણી કરી રહ્યાં છે કે પ્રોફેસરની તુરંત ધરપકડ કરવામાં આવે. વિદ્યાર્થીનો આરોપ છે કે કોલેજનું વહીવટી તંત્ર આરોપી પ્રોફેસરને બચાવીનો પ્રયત્ન કરી રહ્યું છે.
અમદાવાદની જેલમાં અમીનની હત્યા માટે સોપારી
અમદાવાદની સાબરમતી જેલના ત્રણ જેલરોએ સોહરાબુદ્દીનકેસના આરોપી અને તાજના સાક્ષી બનવા અરજી આપનારા ડૉ. નરેન્દ્ર અમીનને મારી નાખવા માટે રૂ. ૧૦ લાખની સોપારી આપી હોવાનો આક્ષેપ કાચા કામના કેદી તેજાએ કરતા સનસનાટી મચી જવા પામી છે. હત્યા કરવાની ના પાડતાં ત્રણેય જેલરોએ વડોદરાના કેદીને મારમારી મારી નાખવાની ધમકી આપી હોઈ તેણે અન્ય જેલમાં ખસેડવાની કોર્ટ સમક્ષ માગણી કરતાં આ કેસની સુનાવણી ૪થી તારીખ પર મુલતવી રખાઈ હતી.વડોદરાના એક ખૂનકેસમાં હાલમાં અમદાવાદની સાબરમતી જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા શકીલ ઉર્ફે તેજા ગુલામહુસેન શેખને શનિવારે કેસની મુદતમાં અત્રેની સેશન્સ કોર્ટમાં હાજર કરાયો હતો. દરમિયાન કોર્ટમાં તેણે એવી લેખિત રજુઆત કરી હતી કે ગત ૧૧મી ઓગસ્ટે સવારે નવથી દસના સમયગાળામાં તેને સિનિયર જેલરની ઓફિસમાં બોલાવાયો હતો. ત્યાં હાજર જેલર મકવાણા, જેલર ગઢવી અને જેલર જાડેજાએ તેને ધમકાવીને જણાવ્યું હતું કે તેને જ્યારે બહાર લઈ જઈએ ત્યારે તું સોહરાબકેસના આરોપી ડૉ. નરેન્દ્ર અમીનની બેરેક વચ્ચે આવે ત્યારે તારે અમીનને મારી નાખવાનો છે અને આ કામ માટે તને રૂ. ૧૦ લાખ મળશે.જેલરોની વાત સાંભળી શકીલે તુરંત ના પાડતાં જેલરોએ ખૂબ મારમારી જમણા હાથે ફ્રેક્ચર કર્યું હતું. ત્રણેય જેલરોએ તેને એવી પણ ધમકી આપી હતી કે આ વાતની કોઈને પણ ફરિયાદ કે જાણ કરીશ નહિ ,નહીંતર તારે પાછા સાબરમતી જેલમાં આવવાનું જ છે ત્યારે તારી શું હાલત થશે? અને તેઓ તેને જીવતો નહિ રહેવા દે. ઇજા બાદ તેણે ફ્રેકચર થતાં ૨૧મી તારીખે જેલમાં એક્સ-રે પડાવ્યો હતો.તેજાના આક્ષેપ બાદ જેલના આઇ જી પી.સી. ઠાકુરે આ સમગ્ર પ્રકરણની તાકીદે તપાસ કરવાનો આદેશ કર્યો હોવાનું સૂત્રો પાસેથી જાણી શકાયું છે. જોકે આ મુદ્દે પી.સી.ઠાકુરનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે ફોન રિસિવ કરવાનું ટાળ્યું હતું.
જેઠવા હત્યાકાંડ : દિનુ બોઘાની પુછપરછની તૈયારી
જેઠવા હત્યાકાંડમાં કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવા સોલંકીની સંડોવણી પ્રકાશમાં આવ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચ ધીમે ધીમે તેના કાકા અને સાંસદ દિનુ બોઘા સામે પુરાવા એકત્ર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ કોડીનારમાં ધામા નાંખીને બેઠી છે ત્યારે સાંસદ દિનુ બોઘા સંસદનું ચોમાસુ સત્ર છોડીને શનિવારે સવારે કોડીનાર આવી પહોંચ્યા હતા.ક્રાઈમ બ્રાન્ચે તેમની પૂછપરછ કરવા માટે લોકસભાના સ્પીકરની પરવાનગી મેળવવાની પણ તજવીજ હાથ ધરે તેવી પણ શક્યતા છે. જેઠવાનો કાંટો કાઢી નાંખવા માટે સાંસદના ભત્રીજા શિવા સોલંકીની સૂચનાથી શૈલેષ પંડ્યા અને પચાણ શિવાને સોપારી આપનારા ગીરગઢડાના કોન્સ્ટેબલ બહાદુરસિંહે દિનુ બોઘા સામે પણ વટાણા વેરી દીધા છે.બહાદુરસિંહે પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું છે કે સોપારી માટેના પૈસા ચૂકવવામાં દિનુ બોઘાનો ખાસ મનાતો એક સ્થાનિક શખ્સ સંડોવાયેલો છે. આ શખ્સ કોણ છે તે અંગેની તમામ માહિતી ક્રાઈમ બ્રાન્ચે એકત્ર કરી લીધી છે અને હવે ટૂંક સમયમાં જ તેની પણ ધરપકડ થશે તેવી સંભાવના છે. જો કે દિનુ બોઘા ઉપરાંત સોરાષ્ટ્રમાં વગદાર મનાતા અન્ય પાંચ કે છ શખ્સો પણ જેઠવા હત્યાકાંડમાં પકડાશે તેવા સંકેતો ક્રાઈમ બ્રાન્ચે આપ્યા છે.બહાદુરસિંહ, શિવા સોલંકી તથા જેઠવા હત્યાકાંડમાં સંડોવાયેલા અન્ય કેટલાક શખ્સો દિવના નાગવા બીચ પરની હોટેલમાં રોકાયા હતા તેવી માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે તે હોટેલમાં ચકાસણી કરી હતી. એવું મનાય છે કે બહાદુરસિંહ તેના મિત્રો સાથે ઐયાશી કરવા આ જ હોટેલમાં કાયમ જતો હતો. જેથી ક્રાઈમ બ્રાન્ચે તે હોટેલમાં પણ તપાસ કરી હતી.
મોદીની કાર્યવાહીથી નારાજ ધારાસભ્યો ગાંધીનગર ગયા જ નહીં
મુખ્યમંત્રી મોદીએ તેમના મંત્રીમંડળના ખરડાયેલા મંત્રીઓનાં રાજીનામાં બાદ ખાલી જગ્યા ભરવા આજે નવા ચાર મંત્રીઓને લઇ મંત્રી મંડળનું વિસ્તરણ કર્યું હતું. પરંતુ આ વિસ્તરણના નામોની માહિતી અગાઉથી મળી જતાં મધ્ય ગુજરાતના મોટાભાગનાં નારાજ ધારાસભ્યોએ ગાંધીનગરમાં આયોજિત મંત્રી મંડળ વિસ્તરણ કાર્યક્રમમાં જવાનું ટાળ્યું હતું. જેના પગલે ભાજપમાં મોદી સામે છુપો અસંતોષ પ્રવર્તતો હોવાની વાતને સમર્થન મળ્યું હતું.ગુજરાતના મંત્રી મંડળમાં પ્રતિનિધિત્વ આપવાના મુદ્દે મધ્ય ગુજરાતને અન્યાય કરવાનો સિલસિલો વધુ એક વખત યથાવત્ રહ્યો છે. જેની પ્રતીતિ આજના મંત્રી મંડળના વિસ્તરણમાં પણ થઇ હતી. પરિણામે આ અન્યાયથી સમસમી ઉઠેલા મધ્ય ગુજરાતના મોટાભાગના ભાજપના ધારાસભ્યો એક્યા બીજા બહાને ગાંધીનગરના કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હોવાની વિગતો સપાટી પર આવી છે. મંત્રી મંડળ વિસ્તરણમાં મધ્ય ગુજરાતને સ્થાન મળશે તેવી વાત વહેતી થઇ હતી. એટલું જ નહીં પસંદગીનાં નામો પણ બહાર આવ્યા હતા. આ દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ આર.સી.ફળદુ શુક્રવારે વડોદરા જિલ્લાની મુલાકાતે આવ્યા ત્યારે પણ જિલ્લામાંથી કોઇ એકને મંત્રી મંડળમાં સમાવવા માટે રજુઆત કરાઇ હતી. જેથી મંત્રી મંડળમાં વડોદરા શહેર-જિલ્લા, ભરૂચ-નર્મદા અને પંચમહાલ-દાહોદ જિલ્લામાંથી કોઇને સ્થાન મળશે તેવી આશા કાર્યકરોમાં બંધાઇ હતી.પરંતુ આજે જ્યારે વિસ્તરણ થયું ત્યારે સમગ્ર મધ્ય ગુજરાતની બાદબાકી કરી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને મહત્વ અપાયું હતું. જેથી મધ્ય ગુજરાતના ધારાસભ્યો, આગેવાનો અને કાર્યકરોમાં જબરદસ્ત અસંતોષ ભભૂકી ઊઠ્યો હતો. પ્રાપ્તમાહિતી મુજબ મધ્ય ગુજરાતના ભાજપના ધારાસભ્યોને મંત્રી મંડળ વિસ્તરણમાં પોતાનો નંબર નથી લાગવાનો તેની જાણ અગાઉથી જ થઇ ગઇ હતી.
એન.આર.આઇ. મતદાન માટેનું પહેલું પગલું મંડાયું
દેશ બહાર વસતા ભારતીયો(એનઆરઆઇ)ને મતાધિકાર માટેની સતત માગણી સમક્ષ ઝૂકીને સરકારે શનિવારે મતદાર યાદીમાં તેઓનાં નામની નોંધણી થઇ શકે તે સંબંધિત એક બિલને રાજ્યસભામાં દાખલ કર્યું છે. રીપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ,૧૯૫૦માં સુધારાની માગણી કરતું રીપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ(એમેન્ડમેન્ટ) બિલ,૨૦૧૦ને કાયદા મંત્રી વીરપ્પા મોઇલીએ દાખલ કર્યું હતું.દેશથી દૂર વસતા અને અન્ય કોઇ દેશનું નાગરિકત્વ નહિ મેળવનારા ભારતીયો મતદાર યાદીમાં તેમનાં નામો નોંધાવી શકે તેવી જોગવાઇ આ નવું બિલ પૂરું પાડશે. આવા નાગરિકોના પાસપોર્ટમાં ઉલ્લેખ કરાયેલા સરનામાવાળા મતક્ષેત્રમાં તેમનાં નામ નોંધવામાં આવશે. ચૂંટણીપંચ સાથે સલાહ-મસલત બાદ ક્યા સમયગાળા દરમિયાન મતદાર યાદીમાં એનઆરઆઇના નામ નોંધવા તે કેન્દ્ર સરકાર નક્કી કરશે.સરકારે આ સંબંધિત બિલ વર્ષ ૨૦૦૬માં ઉપલા ગૃહમાં દાખલ કર્યું હતું અને વિચારણા અંગે સંસદીય સ્થાયી સમિતિને પણ મોકલી આપ્યું હતું. સમિતિએ આ બિલનો સ્વીકાર કર્યો હતો અને બિન-નિવાસી ભારતીયોને મતદાર યાદીમાં નોંધણી સંદર્ભે એક સર્વગ્રાહી બિલ લાવવા ભલામણ કરી હતી. તદનુસાર, સરકારે વર્ષ ૨૦૦૬ બિલને પાછું ખેંચવાનો અને નવું બિલ દાખલ કરવાનો નિર્ણય કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મતાધિકાર માટે દેશ બહાર વસતા અસંખ્ય ભારતીયો તરફથી સતત માગણી થઇ રહી હતી.
સમજણપૂર્વક લઇશું નિર્ણયઃ પ્રણવ
નાણામંત્રી પ્રણવ મુખર્જિએ ત્રીમાસીક સમીક્ષા રિપોટ જાહેર કરતા પ્રોત્સાહન પેકેજ સમજીવિચારીને પાછા ખેંચવાનો સંકેત કર્યો છે. મંત્રાલયએ જાહેર કરેલા રિપોટમાં કહ્યું છે કે આ નિર્ણય સમજદારી પુર્વકનો હોવો જોઈએ, જેનાથી વૃદ્ધિ દર અસરગ્રસ્ત ન થાય અને અમારો આર્થિક વૃદ્ધિનુ લક્ષ પુરૂ થઇ શકે.સરકારે ચાલૂ નાણાકીયમાં 8.5 ટકાની આર્થિક વૃદ્ધિ પ્રાપ્ત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેના માટે પ્રોત્સાહન પેકેજોને સમજી-વિચારીને પાછા લેવા પડશે. નાણા મંત્રાલયે ત્રીમાસીક સમીક્ષામાં કહ્યું છે કે, પ્રોત્સાહન ઉપાયોને પાછા ખેંચવાથી આર્થિક વૃદ્ધિ દર પ્રાપ્ત કરવામાં મદદ મળી સકશે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સમાવિષ્ટ અનિશ્ચિત્તાઓને ધ્યાનમાં લેતા રિપોટમાં આ વાત પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે.
કેટરિનાનાં શિરે વધુ એક યશકલગી
બોલિવૂડ બાર્બી ડોલ કેટરિના કૈફ 'યુનાઈટેડ અરબ એમિરેટ્સ' એરવેઝની બ્રાન્ડ એમ્બેસેડર બની છે. યુએઈની રાષ્ટ્રિય એરલાઈનની બ્રાન્ડ એમ્બેસેડર બનતાં હાલમાં કેટરિના ઘણી જ ખુશ છે. જો કે હાલમાં કેટરિનાને અધિકૃત રિતે યુએઈ એરલાઈનની બ્રાન્ડએમ્બેસેડર જાહેર કરવામાં આવી નથી. પણ એરલાઈનનાં માર્કેટિંગ ઉપ પ્રમુખ અને એરલાઈનનાં મેનેજર નિર્જા ભાટિયાએ મંગળવારે એક પત્રકાર પરિસદમાં કેટરિનાને એરલાઈનની બ્રાન્ડએમ્બેસેડર જાહેર કરી હતી. અધિકૃત માહિતી પ્રમાણે કેટરિના સાથેનાં કરારો કરવાનાં બાકી છે પણ બન્ને પક્ષે સમતિં થઈ ગઈ હોવાથી તે એરલાઈનની બ્રાન્ડએમ્બેસેડર બનશે તે વાત નક્કી છે.
‘વીરુ લેશે રણદિવની માનસિક શક્તિની પરિક્ષા’
આજે ભારત અને શ્રીલંકા વચ્ચે નિર્ણાયક મુકાબલો થવાનો છે. જો ભારત આજની મેચ જીતી જશે તો તે ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે. જ્યારે શ્રીલંકા માટે આ મુકાબલો કરો યા મરો જેવો છે. પરંતુ રવિવારે રમાનાર ત્રિકોણીય શ્રેણીના આ મુકાબલામાં બન્ને ટીમો કરતા બે ખેલાડીઓ પર વિશ્વ ક્રિકેટ ચાહકોની નજર હશે. અને એ રણદિવ અને સેહવાગ છે. તેમાં પણ ખાસ કરીને રણદિવી માનસિક સ્થિતિની કપરી પરિક્ષા થશે.ટીમ ઇન્ડિયાના સફળ સુકાનીઓમાં જેમની ગણના થાય છે તેવા સૌરવ ગાંગુલીનું માનવું છે કે, રવિવારની મેચ બે ટીમ કરતા બે ખેલાડી વચ્ચેની મેચ બની રહશે કારણ કે, આ પહેલાની મેચમાં શ્રીલંકાના ખેલાડી રણદિવે ઇરાદાપૂર્વક નાંખેલા નો-બોલની સજા ભલે મેળવી ચુક્યો હોય. પરંતુ ટીમ ઇન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગના આક્રમક રૂપનો સામનો કરવા તેણે તૈયાર રહેવું પડશે.રવિવારની મેચમાં વિરેન્દ્ર સેહવાગ માત્ર બોલિંગમાં આક્રમક વલણ જ નહીં દર્શાવે પરંતુ સાથોસાથ તે રણદિવની માનસિક તાકાતની પણ કપરી કસોટી કરશે. આ સાથે જ ગાંગુલીએ ટીમ ઇન્ડિયાએ જે રીતે તેની બીજી ટીમમા પ્રદર્શન કર્યું હતું. તે સરાહનીય હતું. અને આજની મેચમાં પણ તેની પાસેથી આ પ્રકારના પ્રદર્શનની આશા રાખવામાં આવશે. જ્યારે બીજી તરફ શ્રીલંકાને વિવાદમાંથી બહાર આવવા માટે થોડો સમય મળી ગયો હશે. તેથી તેઓ પણ ટીમ ઇન્ડિયાને પરાસ્ત કરવા બનતા પ્રયત્નો કરશે.
ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી અપર્ણા કમિશનર
સુરતનાં મ્યુનિસપિલ કમિશનર એસ.અપર્ણાની બદલી અંગે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ચર્ચાનો શનિવારે અંત આવી ગયો હતો. આગામી કોર્પોરેશનની ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી રાજ્ય સરકાર કોઈ કમિશનરોને બદલાવવા માગતાં ન હોવાનો સરકારનો રૂખ જોઈ શનિવારે ગાંધીનગર ગયેલાં એસ. અપર્ણા પરત ફર્યા હતાં.કોર્પોરેશનનાં કમિશનર તરીકે ત્રણ વર્ષથી ફરજ બજાવતાં એસ.અપર્ણાની છબિ સ્વચ્છ છે. બીજી બાજુ મસમોટા પ્રોજેક્ટ લઈ બેઠેલા બિલ્ડરો પોતાનાં કામો ન થતાં હોવાની બૂમરાણ મચાવી રહ્યા છે એટલું જ નહીં અંદર ખાનેથી એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે બિલ્ડર લોબી અને સ્થાનિક રાજકારણીઓ દ્વારા એસ. અપર્ણાને બદલવાની માગ કરવામાં આવી છે, ત્યારે શનિવારે ખુદ એસ.અપર્ણા આ પ્રકારના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવા માટે ગાંધીનગર ગયા હતા. તેઓ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળીને પોતાની બદલીની સામે ચાલીને માગ કરવાનાં હતાં પરંતુ કહે છે કે આવનારી ચૂંટણી પૂરી કર્યા બાદ જ મ્યુનિસપિલ કમિશનરોની બદલી અંગે વિચારવામાં આવશે તેવું વાતાવરણ લાગતાં તેઓ પાછા ફર્યાં હતાં.સુરત મ્યુનિસપિલ કોર્પોરેશનમાં અત્યાર સુધીનો ઈતિહાસમાં જોઈએ તો કોઈ કમિશનર ત્રણ વર્ષથી વધુ ટક્યા નથી ત્યારે બલવંતસિંગ પછી એસ. અપર્ણાએ સૌથી વધુ સમય કાઢ્યો છે. જ્યારે અન્ય મ્યુનિસપિલ કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં આઇપી ગૌતમ તેમજ વડોદરા મ્યુનિસપિલ કોર્પોરેશનના કમિશનર એમ.કે. દાસનો પણ સમય પૂરો થઈ ગયો છે છતાં બદલી થઈ નથી. આથી નજીકના વર્તુળોમાં છેલ્લા એક માસથી મ્યુનિસપિલ કમિશનરોની બદલીની વાતો ચાલી રહી છે.
આજે અમિત શાહને જેલમાં ચાર સપ્તાહ પૂરા
અમિત શાહની ધરપકડને આજે ચાર અઠવાડીયાં પૂરા થઇ ગયા છે. આ ચાર અઠવાડીયામાં અમિત શાહ દેશભરમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે અને તે જાણેકે મંત્રીમાંથી મુદ્દો બની ગયા છે. ચાર અઠવાડીયામાં માજી જેલમંત્રી શાહે જેલ પણ જોઇ લીધી અને સીબીઆઇની પુછપરછનો સામનો કરી લીધો, રીમાન્ડનો સામનો પણ કરી લીધો એક રાષ્ટ્રીય તહેવાર (૧૫મી ઓગષ્ટ, સ્વાતંત્રય દિન)ની ઉજવણી પણ જેલમાં કરી અને હવે રક્ષાબંધન પણ જેલમાંજ ઉજવશે તે વાત સ્પષ્ટ થઇ છે.શાહને જામીન મળે તે માટે પાર્ટી દ્વારા પણ પ્રયાસો થઇ રહ્યા છે. દેશના જાણીતા ધારાશાસ્ત્રી રામ જેઠમલાની ખુદ શાહ માટે ૮૭ વર્ષની વયે પણ અદાલતના ચાર દાદારા ચઢીને શાહને જામીન અપાવવા માટે કોર્ટમાં આવ્યા હતા.સોહરાબુદ્દીન એન્કાઉન્ટર અને કૌશરબી હત્યા પ્રકરણ લગભગ અઢી વર્ષથી સતત ગાજતું રહ્યું છે. પંરતુ છ મહિનાથી તેની તપાસ સીબીઆઇને સોંપવામાં આવતાં તેમાં રોજે રોજ કંઇનું કંઇ ડિવલપમેન્ટ નોંધાયું છે અને તેમાંય વળી છેલ્લા ચાર અઠવાડીયામાં તેની ચર્ચા માત્ર ગુજરાતમાંજ નહિ પરંતુ સમગ્ર દેશ અને દુનિયામાં થઇ રહી છે. કેમકે સીબીઆઇએ સોહરાબુદ્દીન પ્રકરણમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અમીત શાહની ધરપકડ કરી તેમને જેલના સળીયા પાછલ ધકેલી દીધા છે. જેલ ખાતુ સંભાળતા શાહે થોડા સ અગાઉજ જેલ સુધરાવી હતી પરંતુ ત્યારે તેમને ક્યાં ખબર હકી કે આજ સ્થળે તેમને પણ દિવસો ગુજારવા પડશે.આજે અમિત શાહની ધરપકડને ચાર અઠવાડીયા પુરા થઇ ગયા છે. રવિવારે તા. ૨૫મી જુલાઇને સવારે સાડા અગિયાર વાગ્યે અમિત શાહ ભાજપ કાર્યાલયે પત્રકાર પરિષદને સંબોધીને સીબીઆઇ સમક્ષ હાજર થયા હતા અને સીબીઆઇએ તેમની ધરપકડ કરી કોર્ટના આદેશથી શાહને સાબરમતી જેલમાં મોકલી આપ્યા હતા.
ભારત અમેરિકાની આગળ નિકળશે
ભારતની શાનમાં અન્ય એક ઓળખ જોડાઈ ચુકી છે. તાજા આંકડાઓ પ્રમાણે ભારતીય અર્થવ્યવસ્થા દુનિયાની ટૉપ 20 અર્થવ્યવસ્થાઓમાં ચોથા સ્થાને પર પહોચી ગયુ છે. આ આંકડાઓ આઈએમએફ દ્વારા પ્રકાશીત કરવામાં આવ્યા છે. વાસ્તવમાં આઈએમએફે તાજેતરમાંજ પર્ચેજિંગ પાવરના આધારે દુનિયાની 20 સૌથી મજબુત અર્થવ્યવસ્થાઓનુ લીસ્ટ પ્રકાશીત કર્યું છે. આ લીસ્ટમાં ભારત અત્યારે ચોથા સ્થાને છે. ત્યાજ ભારતનો પાડોશી દેશ ચીન આ લીસ્ટમાં બીજા નંબર પર છે. લિસ્ટમાં પ્રથમ નંબર પર અમેરિકાને સ્થાન મળ્યુ છે.પરંતુ બીજી બાજુ આ વાત પણ કહેવામાં આવી રહી છે કે અમેરિકા પર એકવાર ફરીથી મંદીના વાદળો વર્તાઇ રહ્યાં છે. અને જો આવુ થાય છે તો અમેરિકાની અર્થવ્યવસ્થા બરબાદીની અસરમાં સપડાઇ જશે. કેમકે તે હજુ પ્રથમ મંદીમાથી પણ ઉપર નથી આવી શક્યુ. 2008ની મંદીના દરમિયાન ત્યાની બેરોજગારીની સંખ્યામાં લાખો લોકોને હજુ સુધી નોકરી નથી મળી શકી. જાણકારોનુ કહેવુ છે કે આવામાં જો બીજીવાર ત્યા મંદી આવે છે તો ચીન અને ભારત પર્ચેજિંગ પાવરની બાબતમાં એમેરિકન અર્થવ્યવસ્થાને પછાડી શકે છે.
આખરે કોણે કર્યો અમિત શાહ સાથે વિશ્વાસઘાત?
જુન,૨૦૦૬ અને જાન્યુઆરી ૨૦૧૦માં શું તફાવત છે? સોહરાબ એન્કાઉન્ટર કેસનો બારીકાઈથી અભ્યાસ કરી રહેલા લોકો એ વાતથી પરિચિત હશે કે બે અલગ-અલગ તપાસ સંસ્થાઓએ આ કેસના તથ્યોને ઉજાગર કરવાનું બીડુ ઝડપ્યુ હતું.૨૫ નવેમ્બર, ૨૦૦૫ની મધરાતે થયેલા સોહરાબના એન્કાઉન્ટર મામલે ભારે ઉહાપોહ સર્જાતા સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપવામાં આવી ત્યારથી ૧૧ જાન્યુઆરી ૨૦૧૦ સુધીમાં ગૃહ રાજ્યમંત્રી કે તત્કાલીન ડીસીપી-ક્રાઈમ અભય ચુડાસમા સામે આંગળી ચિંધવાનું સાહસ પણ કોઈએ દાખવ્યુ નહોતું.૨૪ એપ્રિલ, ૨૦૦૭ બાદ આ કેસમાં જેલમાં ગયેલા એટીએસના બે ઉચ્ચ અધિકારીઓ સહિત ૧૩ પોલીસ કર્મચારીઓએ પણ આ બંને પૈકી કોઈનું નામ લીધુ હોવાનું રેકોર્ડ પર નોંધાયાનું જાણમાં આવ્યું નથી. આ તમામ લોકોના અકળ મૌનને શું સરકાર પ્રત્યેની તેમની વફાદારી ગણવી?
‘કુકર્મો કોઇને છોડતા નથી અમિત શાહને પૂછો’
ગુજરાતમાં સ્ત્રીઓ ઉપર અત્યાચારના બનાવો વધ્યા છે ત્યારે માત્ર અને માત્ર ચુંટણીના સમયે મહિલાઓની ભાવના જીતવા ૧પ પૈસાનો પોસ્ટકાર્ડ લખવાની વાતો કરતા મુખ્યમંત્રી આજે ક્યાં છે તેવો સણસણતો સવાલ કેન્દ્રીય મંત્રી ડૉ.તુષાર ચૌધરીએ કર્યો હતો.ઝગડીયા તાલુકાના રાજપારડી ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે સત્ય ઉજાગર સંમેલન યોજાયું હતું. સત્ય ઉજાગર સંમેલનમાં સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટરનો મુદ્દો છવાયેલો રહયો હતો. વપિક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપની સરકારે બે હત્યા કરાવી છે.એક હરેન પંડ્યાની અને બીજી કૌસરબીની રાજ્યના પુર્વ ગૃહ મંત્રી અમીતશાહ તેમના કુકર્મોની સજા આજે સાબરમતી જેલમાં ભોગવી રહયા છે નરહરિ અમીને જણાવ્યું કે હું ખાતો નથી અને ખાવા દેતો નથીની વાત કહેતા નરેન્દ્ર મોદીની સરકારના ગૃહમંત્રી જ મારબલના વેપારીઓ તથા બિલ્ડરો પાસેથી ખંડેણી ઉઘરાવતા હોવાનો પર્દાફાશ થયો છે.ખંડણીખોરોનો સરદાર જેલમાં બેઠો છે જે એક સમયે જેલમંત્રી હતો. અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે ગુજરાતની ભાજપ સરકારે પોતાના સ્વાર્થ માટે અધિકારીઓ તથા કર્મચારીઓ પાસે ખોટા કામો કરાવ્યા છે. આજે રાજ્યના ૨૮ જેટલા અધિકારીઓને જેલમાં જવાનો વારો આવ્યો છે.
અમિત શાહના જામીનની સુનાવણી 30 સુધી ટળી
આજે અમીત શાહના જામીન અંગેની સુનવણી હાથ ધરાઇ હતી. બાવીસ દિવસના જેલવાસ બાદ જેલની બહાર આવવાની શાહની ઇચ્છા પર પાણી રેડાઇ ગયું છે. કારણ કે એમની જામીનની સુનાવણી હવે 30મી ઓગસ્ટના રોજ હાથ ધરાશે. આમ આજે એમને જામીન ના મળતા તેઓ ફરી પાછા જેલમાં. અમીત શાહના વકીલ રામ જેઠમલાણી અને પીઢ વકીલ કે.ટી.એસ. તુલસીની આજે સુપ્રિમ કોર્ટમાં હાજરી હોવાથી તેઓ બન્ને આજની સુનાવણીમાં હાજર ન્હોતા.છેલ્લા ઘણા દિવસનથી સાબરમતી જેલમાં રખાયેલા રાજ્યના માજી ગૃહ રાજ્યમંત્રી અમીત શાહની જામીન અંગેની આજે સુનવણી હતી. અમીત શાહ તેમના જેલવાસ દરમીયાન સીબીઆઇની ત્રણ દિવસની પુછપરછ તથા બે દિવસના રીમાન્ડનો સામનો કરી ચુક્યા છે.દેશભરમાં ચર્ચાનો વિષય બની રહેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રકરણમાં સીબીઆઇએ કુલ ૧૮ આરોપીઓ સામે સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં ચાર્જસીટ ફાઇલ કરી હતી. સીબીઆઇ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારી અભય ચુડાસમા તથા રાજ્યના તત્કાલીની ગૃહરાજ્યમંત્રી અમીત શાહની ધરપકડ કરતાં આ પ્રકરણમાં ગરમાટો આવી ગયો છે. જોકે ધરપકડ પહેલા શાહે કરેલી આગોતરા જામીનની અરજી સબમીશનના સ્ટેજે રદ કરાઇ હતી.સીબીઆઇએ શાહની ધરપકડ કરી કોર્ટના આદેશથી તેમને જેલમાં મોકલી આપ્યા બાદ સીબીઆઇની પરવાનગીથી તેમની ઓન કેમેરા ત્રણ દિવસની પુછપરછ કરવામાં આવી હતી ત્યાર બાદ હાઈકોર્ટે સીબીઆઇને શાહના બે દિવસના રીમાન્ડ પણ આપ્યા હતા. રીમાન્ડમાં પણ સીબીઆઇએ શાહની પુછપરછ કરી હતી.
દર પાંચમા કર્મચારીની જાતિય સતામણી થાય છે: સર્વે
કોર્પોરેટ સેક્ટરમાં કામ કરનારા દર પાંચમા કર્મચારી પોતાની નોકરી દરમિયાન વર્કપ્લેસ પર ક્યારેકને ક્યારેક જાતિય અત્યાચારના દોરમાંથી પસાર થાય છે. એક સર્વેક્ષણ દ્વારા આ વાતનો ખુલાસો થયો છે. આ મામલામાં આઈટી સેક્ટરના હબ બેંગલુરુમાં સ્થિતિ ઘણી ચિંતાજનક છે. ત્યાં લગભગ પચાસ ટકા કર્મચારીઓનું કહેવું છે કે પોતાની નોકરી દરમિયાન તેઓ કોઈને કોઈ જાતિય ત્રાસમાંથી પસાર થયા છે. જ્યારે ચેન્નઈ આ મામલે અન્ય સ્થળોથી વધારે સુરક્ષિત છે. ચેન્નઈમાં માત્ર ત્રણ ટકા કર્મચારીઓને જ આ પ્રકારના ખરાબ અનુભવમાંથી પસાર થવું પડયું છે.ઈટી-સિનોવેટના આ ચોંકાવનારા સર્વેક્ષણથી ‘એપ્લયોઈ ફ્રેન્ડલી’ હોવાનો દાવો કરનારી કંપનીઓની પોલ ખુલી છે. આ સર્વેક્ષણ દર્શાવે છે કે કર્મચારીઓને પોતાના વર્કપ્લેસ પર કેટલાં ખરાબ અનુભવમાંથી પસાર થવું પડે છે. આ સર્વેમાં દેશના અલગ-અલગ શહેરોના 527 કર્માચારીઓને આ સવાલ પુછવમાં આવ્યો હતો કે શું તમારે તમારી ઓફિસમાં જાતિય સતામણીના દોરમાંથી પસાર થવું પડયું છે? તેના સંદર્ભે કર્મચારીઓનો જવાબ ચોંકાવનારો હતો.લગભગ 20 ટકા કર્મચારીઓએ એ વાતનો સ્વીકાર કર્યો કે તેમને ઓફિસમાં ક્યારેકને ક્યારેક જાતિય સતામણીનો શિકાર થવું પડ્યું છે. આશ્ચર્યજનક વાત એ છે કે લગભગ 38 ટકા કર્મચારીઓએ કહ્યું હતું કે વર્કપ્લેસ પર યુવતીઓની જેમ જ યુવકોને પણ જાતિય ત્રાસના મુશ્કેલીકારક દોરમાંથી પસાર થવું પડે છે.
પાટીદાર સમાજનો ખંડણીખોરોને પડકાર
જ્યના માજી ગૃહરાજ્યમંત્રી અમિત શાહના ઇશારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ખંડણીનો ભોગ બનેલા પોપ્યુલર બિલ્ડરવાળા રમણ પટેલ અને દશરથ પટેલનું આજે પાટીદારા સમાજ દ્વારા બાપુનગરમાં જાહેર સન્માન કરી ખંડણીખોરોને પડકાર ફેંકવાનો નિર્ધાર કરવામાં આવ્યો હોવાનું પાટીદાર સમાજના કન્વીનર રોહિત પટેલે જણાવ્યું હતું.આજે સાંજે ૪-૦૦ કલાકે બાપુનગર સ્થીત ઇન્દુલાલ યાજ્ઞિક હોલ ખાતે યોજાનારા આ પાટીદાર એકતા સંમેલન અંગે વધુ માહિતી આપતાં રોહિત પટેલે જણાવ્યું હતું કે પોપ્યુલર બિલ્ડર્સ પટેલ બંધુઓ પર ફાયરિંગ થી લઇને તેમની પાસેથી લેવાયેલી લાખો રૂપીયાનની ખંડણી અને સંખ્યાબંધ ખોટા આક્ષેપોમાંથી પટેલ બંધુઓ નિડરતા અને પ્રમાણીકતાના જોરે બહાર આવ્યા છે.આ વાતો ગુજરાતમાં કંઇ કેટલાય લોકો પરેશાન હશે તે તમામની હિમ્મત ખુલે તથા તેઓ પણ પોતાના પર થતા અત્યાચાર જાહેરમાં જણાવે તો આ ખંડણી અને અત્યાચારનું દુષણ ચોકકસ બંધ થશે. આ હેતુ માટેજ ખાસ પાટીદાર એકતા સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે.
મથુરાના પ્રોફેસરે બનાવ્યો વિદ્યાર્થિનીનો અશ્લીલ એમ.એ.મએસ.
શિક્ષકની મર્યાદાને તાર-તાર કરતીને મથુરાના એક પ્રોફેસરે પોતાની જ વિદ્યાર્થિનીની ઈજ્જતને નિલામ કરવાની તૈયારી કરી લીધી હતી. વિદ્યાર્થિનીના જણાવ્યા પ્રમાણે, પ્રોફેસરે માર્ક્સ ઓછા આપવાની ધમકી આપીને બળજબરીપૂર્વક તેનો અશ્લીલ એમએમએસ બનાવ્યો હતો. વિદ્યાર્થિનીએ આ વાતની ફરીયાદ પોલીસને કરી છે. આ મામલો જ્યારે વિદ્યાર્થીઓની સામે આવ્યો તો તેમણે કોલેજમાં તોડફોડ કરી હતી.મથુરાની બીએસએ ડિગ્રી કોલેજની વિદ્યાર્થિનીના જણાવ્યા પ્રમાણે, પ્રોફેસર જે. એસ. પરિહારે બળજબરીપૂર્વક તેનો અશ્લીલ એમએમએસ બનાવી લીધો હતો. પીડિતોનું કહેવું છે કે પ્રોફેસરે માર્ક્સ ઘટાડવાની ધમકી આપીને ઘણી વિદ્યાર્થિનીઓ સાથે બળજબરી કરી છે.અશ્લીલ એમએમએસની ખબર પડતા જ કોલેજમાં હંગામો મચી ગયો છે. એમએમએસમાં પ્રોફેસરની હાજરી વિદ્યાર્થિનીના આરોપને સાચો ઠેરવે છે. હવે કોલેજના વિદ્યાર્થી સંગઠનો માગણી કરી રહ્યાં છે કે પ્રોફેસરની તુરંત ધરપકડ કરવામાં આવે. વિદ્યાર્થીનો આરોપ છે કે કોલેજનું વહીવટી તંત્ર આરોપી પ્રોફેસરને બચાવીનો પ્રયત્ન કરી રહ્યું છે.
અમદાવાદની જેલમાં અમીનની હત્યા માટે સોપારી
અમદાવાદની સાબરમતી જેલના ત્રણ જેલરોએ સોહરાબુદ્દીનકેસના આરોપી અને તાજના સાક્ષી બનવા અરજી આપનારા ડૉ. નરેન્દ્ર અમીનને મારી નાખવા માટે રૂ. ૧૦ લાખની સોપારી આપી હોવાનો આક્ષેપ કાચા કામના કેદી તેજાએ કરતા સનસનાટી મચી જવા પામી છે. હત્યા કરવાની ના પાડતાં ત્રણેય જેલરોએ વડોદરાના કેદીને મારમારી મારી નાખવાની ધમકી આપી હોઈ તેણે અન્ય જેલમાં ખસેડવાની કોર્ટ સમક્ષ માગણી કરતાં આ કેસની સુનાવણી ૪થી તારીખ પર મુલતવી રખાઈ હતી.વડોદરાના એક ખૂનકેસમાં હાલમાં અમદાવાદની સાબરમતી જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા શકીલ ઉર્ફે તેજા ગુલામહુસેન શેખને શનિવારે કેસની મુદતમાં અત્રેની સેશન્સ કોર્ટમાં હાજર કરાયો હતો. દરમિયાન કોર્ટમાં તેણે એવી લેખિત રજુઆત કરી હતી કે ગત ૧૧મી ઓગસ્ટે સવારે નવથી દસના સમયગાળામાં તેને સિનિયર જેલરની ઓફિસમાં બોલાવાયો હતો. ત્યાં હાજર જેલર મકવાણા, જેલર ગઢવી અને જેલર જાડેજાએ તેને ધમકાવીને જણાવ્યું હતું કે તેને જ્યારે બહાર લઈ જઈએ ત્યારે તું સોહરાબકેસના આરોપી ડૉ. નરેન્દ્ર અમીનની બેરેક વચ્ચે આવે ત્યારે તારે અમીનને મારી નાખવાનો છે અને આ કામ માટે તને રૂ. ૧૦ લાખ મળશે.જેલરોની વાત સાંભળી શકીલે તુરંત ના પાડતાં જેલરોએ ખૂબ મારમારી જમણા હાથે ફ્રેક્ચર કર્યું હતું. ત્રણેય જેલરોએ તેને એવી પણ ધમકી આપી હતી કે આ વાતની કોઈને પણ ફરિયાદ કે જાણ કરીશ નહિ ,નહીંતર તારે પાછા સાબરમતી જેલમાં આવવાનું જ છે ત્યારે તારી શું હાલત થશે? અને તેઓ તેને જીવતો નહિ રહેવા દે. ઇજા બાદ તેણે ફ્રેકચર થતાં ૨૧મી તારીખે જેલમાં એક્સ-રે પડાવ્યો હતો.તેજાના આક્ષેપ બાદ જેલના આઇ જી પી.સી. ઠાકુરે આ સમગ્ર પ્રકરણની તાકીદે તપાસ કરવાનો આદેશ કર્યો હોવાનું સૂત્રો પાસેથી જાણી શકાયું છે. જોકે આ મુદ્દે પી.સી.ઠાકુરનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે ફોન રિસિવ કરવાનું ટાળ્યું હતું.
જેઠવા હત્યાકાંડ : દિનુ બોઘાની પુછપરછની તૈયારી
જેઠવા હત્યાકાંડમાં કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવા સોલંકીની સંડોવણી પ્રકાશમાં આવ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચ ધીમે ધીમે તેના કાકા અને સાંસદ દિનુ બોઘા સામે પુરાવા એકત્ર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ કોડીનારમાં ધામા નાંખીને બેઠી છે ત્યારે સાંસદ દિનુ બોઘા સંસદનું ચોમાસુ સત્ર છોડીને શનિવારે સવારે કોડીનાર આવી પહોંચ્યા હતા.ક્રાઈમ બ્રાન્ચે તેમની પૂછપરછ કરવા માટે લોકસભાના સ્પીકરની પરવાનગી મેળવવાની પણ તજવીજ હાથ ધરે તેવી પણ શક્યતા છે. જેઠવાનો કાંટો કાઢી નાંખવા માટે સાંસદના ભત્રીજા શિવા સોલંકીની સૂચનાથી શૈલેષ પંડ્યા અને પચાણ શિવાને સોપારી આપનારા ગીરગઢડાના કોન્સ્ટેબલ બહાદુરસિંહે દિનુ બોઘા સામે પણ વટાણા વેરી દીધા છે.બહાદુરસિંહે પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું છે કે સોપારી માટેના પૈસા ચૂકવવામાં દિનુ બોઘાનો ખાસ મનાતો એક સ્થાનિક શખ્સ સંડોવાયેલો છે. આ શખ્સ કોણ છે તે અંગેની તમામ માહિતી ક્રાઈમ બ્રાન્ચે એકત્ર કરી લીધી છે અને હવે ટૂંક સમયમાં જ તેની પણ ધરપકડ થશે તેવી સંભાવના છે. જો કે દિનુ બોઘા ઉપરાંત સોરાષ્ટ્રમાં વગદાર મનાતા અન્ય પાંચ કે છ શખ્સો પણ જેઠવા હત્યાકાંડમાં પકડાશે તેવા સંકેતો ક્રાઈમ બ્રાન્ચે આપ્યા છે.બહાદુરસિંહ, શિવા સોલંકી તથા જેઠવા હત્યાકાંડમાં સંડોવાયેલા અન્ય કેટલાક શખ્સો દિવના નાગવા બીચ પરની હોટેલમાં રોકાયા હતા તેવી માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે તે હોટેલમાં ચકાસણી કરી હતી. એવું મનાય છે કે બહાદુરસિંહ તેના મિત્રો સાથે ઐયાશી કરવા આ જ હોટેલમાં કાયમ જતો હતો. જેથી ક્રાઈમ બ્રાન્ચે તે હોટેલમાં પણ તપાસ કરી હતી.
મોદીની કાર્યવાહીથી નારાજ ધારાસભ્યો ગાંધીનગર ગયા જ નહીં
મુખ્યમંત્રી મોદીએ તેમના મંત્રીમંડળના ખરડાયેલા મંત્રીઓનાં રાજીનામાં બાદ ખાલી જગ્યા ભરવા આજે નવા ચાર મંત્રીઓને લઇ મંત્રી મંડળનું વિસ્તરણ કર્યું હતું. પરંતુ આ વિસ્તરણના નામોની માહિતી અગાઉથી મળી જતાં મધ્ય ગુજરાતના મોટાભાગનાં નારાજ ધારાસભ્યોએ ગાંધીનગરમાં આયોજિત મંત્રી મંડળ વિસ્તરણ કાર્યક્રમમાં જવાનું ટાળ્યું હતું. જેના પગલે ભાજપમાં મોદી સામે છુપો અસંતોષ પ્રવર્તતો હોવાની વાતને સમર્થન મળ્યું હતું.ગુજરાતના મંત્રી મંડળમાં પ્રતિનિધિત્વ આપવાના મુદ્દે મધ્ય ગુજરાતને અન્યાય કરવાનો સિલસિલો વધુ એક વખત યથાવત્ રહ્યો છે. જેની પ્રતીતિ આજના મંત્રી મંડળના વિસ્તરણમાં પણ થઇ હતી. પરિણામે આ અન્યાયથી સમસમી ઉઠેલા મધ્ય ગુજરાતના મોટાભાગના ભાજપના ધારાસભ્યો એક્યા બીજા બહાને ગાંધીનગરના કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હોવાની વિગતો સપાટી પર આવી છે. મંત્રી મંડળ વિસ્તરણમાં મધ્ય ગુજરાતને સ્થાન મળશે તેવી વાત વહેતી થઇ હતી. એટલું જ નહીં પસંદગીનાં નામો પણ બહાર આવ્યા હતા. આ દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ આર.સી.ફળદુ શુક્રવારે વડોદરા જિલ્લાની મુલાકાતે આવ્યા ત્યારે પણ જિલ્લામાંથી કોઇ એકને મંત્રી મંડળમાં સમાવવા માટે રજુઆત કરાઇ હતી. જેથી મંત્રી મંડળમાં વડોદરા શહેર-જિલ્લા, ભરૂચ-નર્મદા અને પંચમહાલ-દાહોદ જિલ્લામાંથી કોઇને સ્થાન મળશે તેવી આશા કાર્યકરોમાં બંધાઇ હતી.પરંતુ આજે જ્યારે વિસ્તરણ થયું ત્યારે સમગ્ર મધ્ય ગુજરાતની બાદબાકી કરી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને મહત્વ અપાયું હતું. જેથી મધ્ય ગુજરાતના ધારાસભ્યો, આગેવાનો અને કાર્યકરોમાં જબરદસ્ત અસંતોષ ભભૂકી ઊઠ્યો હતો. પ્રાપ્તમાહિતી મુજબ મધ્ય ગુજરાતના ભાજપના ધારાસભ્યોને મંત્રી મંડળ વિસ્તરણમાં પોતાનો નંબર નથી લાગવાનો તેની જાણ અગાઉથી જ થઇ ગઇ હતી.
એન.આર.આઇ. મતદાન માટેનું પહેલું પગલું મંડાયું
દેશ બહાર વસતા ભારતીયો(એનઆરઆઇ)ને મતાધિકાર માટેની સતત માગણી સમક્ષ ઝૂકીને સરકારે શનિવારે મતદાર યાદીમાં તેઓનાં નામની નોંધણી થઇ શકે તે સંબંધિત એક બિલને રાજ્યસભામાં દાખલ કર્યું છે. રીપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ,૧૯૫૦માં સુધારાની માગણી કરતું રીપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ(એમેન્ડમેન્ટ) બિલ,૨૦૧૦ને કાયદા મંત્રી વીરપ્પા મોઇલીએ દાખલ કર્યું હતું.દેશથી દૂર વસતા અને અન્ય કોઇ દેશનું નાગરિકત્વ નહિ મેળવનારા ભારતીયો મતદાર યાદીમાં તેમનાં નામો નોંધાવી શકે તેવી જોગવાઇ આ નવું બિલ પૂરું પાડશે. આવા નાગરિકોના પાસપોર્ટમાં ઉલ્લેખ કરાયેલા સરનામાવાળા મતક્ષેત્રમાં તેમનાં નામ નોંધવામાં આવશે. ચૂંટણીપંચ સાથે સલાહ-મસલત બાદ ક્યા સમયગાળા દરમિયાન મતદાર યાદીમાં એનઆરઆઇના નામ નોંધવા તે કેન્દ્ર સરકાર નક્કી કરશે.સરકારે આ સંબંધિત બિલ વર્ષ ૨૦૦૬માં ઉપલા ગૃહમાં દાખલ કર્યું હતું અને વિચારણા અંગે સંસદીય સ્થાયી સમિતિને પણ મોકલી આપ્યું હતું. સમિતિએ આ બિલનો સ્વીકાર કર્યો હતો અને બિન-નિવાસી ભારતીયોને મતદાર યાદીમાં નોંધણી સંદર્ભે એક સર્વગ્રાહી બિલ લાવવા ભલામણ કરી હતી. તદનુસાર, સરકારે વર્ષ ૨૦૦૬ બિલને પાછું ખેંચવાનો અને નવું બિલ દાખલ કરવાનો નિર્ણય કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મતાધિકાર માટે દેશ બહાર વસતા અસંખ્ય ભારતીયો તરફથી સતત માગણી થઇ રહી હતી.
સમજણપૂર્વક લઇશું નિર્ણયઃ પ્રણવ
નાણામંત્રી પ્રણવ મુખર્જિએ ત્રીમાસીક સમીક્ષા રિપોટ જાહેર કરતા પ્રોત્સાહન પેકેજ સમજીવિચારીને પાછા ખેંચવાનો સંકેત કર્યો છે. મંત્રાલયએ જાહેર કરેલા રિપોટમાં કહ્યું છે કે આ નિર્ણય સમજદારી પુર્વકનો હોવો જોઈએ, જેનાથી વૃદ્ધિ દર અસરગ્રસ્ત ન થાય અને અમારો આર્થિક વૃદ્ધિનુ લક્ષ પુરૂ થઇ શકે.સરકારે ચાલૂ નાણાકીયમાં 8.5 ટકાની આર્થિક વૃદ્ધિ પ્રાપ્ત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેના માટે પ્રોત્સાહન પેકેજોને સમજી-વિચારીને પાછા લેવા પડશે. નાણા મંત્રાલયે ત્રીમાસીક સમીક્ષામાં કહ્યું છે કે, પ્રોત્સાહન ઉપાયોને પાછા ખેંચવાથી આર્થિક વૃદ્ધિ દર પ્રાપ્ત કરવામાં મદદ મળી સકશે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સમાવિષ્ટ અનિશ્ચિત્તાઓને ધ્યાનમાં લેતા રિપોટમાં આ વાત પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે.
કેટરિનાનાં શિરે વધુ એક યશકલગી
બોલિવૂડ બાર્બી ડોલ કેટરિના કૈફ 'યુનાઈટેડ અરબ એમિરેટ્સ' એરવેઝની બ્રાન્ડ એમ્બેસેડર બની છે. યુએઈની રાષ્ટ્રિય એરલાઈનની બ્રાન્ડ એમ્બેસેડર બનતાં હાલમાં કેટરિના ઘણી જ ખુશ છે. જો કે હાલમાં કેટરિનાને અધિકૃત રિતે યુએઈ એરલાઈનની બ્રાન્ડએમ્બેસેડર જાહેર કરવામાં આવી નથી. પણ એરલાઈનનાં માર્કેટિંગ ઉપ પ્રમુખ અને એરલાઈનનાં મેનેજર નિર્જા ભાટિયાએ મંગળવારે એક પત્રકાર પરિસદમાં કેટરિનાને એરલાઈનની બ્રાન્ડએમ્બેસેડર જાહેર કરી હતી. અધિકૃત માહિતી પ્રમાણે કેટરિના સાથેનાં કરારો કરવાનાં બાકી છે પણ બન્ને પક્ષે સમતિં થઈ ગઈ હોવાથી તે એરલાઈનની બ્રાન્ડએમ્બેસેડર બનશે તે વાત નક્કી છે.
‘વીરુ લેશે રણદિવની માનસિક શક્તિની પરિક્ષા’
આજે ભારત અને શ્રીલંકા વચ્ચે નિર્ણાયક મુકાબલો થવાનો છે. જો ભારત આજની મેચ જીતી જશે તો તે ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે. જ્યારે શ્રીલંકા માટે આ મુકાબલો કરો યા મરો જેવો છે. પરંતુ રવિવારે રમાનાર ત્રિકોણીય શ્રેણીના આ મુકાબલામાં બન્ને ટીમો કરતા બે ખેલાડીઓ પર વિશ્વ ક્રિકેટ ચાહકોની નજર હશે. અને એ રણદિવ અને સેહવાગ છે. તેમાં પણ ખાસ કરીને રણદિવી માનસિક સ્થિતિની કપરી પરિક્ષા થશે.ટીમ ઇન્ડિયાના સફળ સુકાનીઓમાં જેમની ગણના થાય છે તેવા સૌરવ ગાંગુલીનું માનવું છે કે, રવિવારની મેચ બે ટીમ કરતા બે ખેલાડી વચ્ચેની મેચ બની રહશે કારણ કે, આ પહેલાની મેચમાં શ્રીલંકાના ખેલાડી રણદિવે ઇરાદાપૂર્વક નાંખેલા નો-બોલની સજા ભલે મેળવી ચુક્યો હોય. પરંતુ ટીમ ઇન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગના આક્રમક રૂપનો સામનો કરવા તેણે તૈયાર રહેવું પડશે.રવિવારની મેચમાં વિરેન્દ્ર સેહવાગ માત્ર બોલિંગમાં આક્રમક વલણ જ નહીં દર્શાવે પરંતુ સાથોસાથ તે રણદિવની માનસિક તાકાતની પણ કપરી કસોટી કરશે. આ સાથે જ ગાંગુલીએ ટીમ ઇન્ડિયાએ જે રીતે તેની બીજી ટીમમા પ્રદર્શન કર્યું હતું. તે સરાહનીય હતું. અને આજની મેચમાં પણ તેની પાસેથી આ પ્રકારના પ્રદર્શનની આશા રાખવામાં આવશે. જ્યારે બીજી તરફ શ્રીલંકાને વિવાદમાંથી બહાર આવવા માટે થોડો સમય મળી ગયો હશે. તેથી તેઓ પણ ટીમ ઇન્ડિયાને પરાસ્ત કરવા બનતા પ્રયત્નો કરશે.
ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી અપર્ણા કમિશનર
સુરતનાં મ્યુનિસપિલ કમિશનર એસ.અપર્ણાની બદલી અંગે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ચર્ચાનો શનિવારે અંત આવી ગયો હતો. આગામી કોર્પોરેશનની ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી રાજ્ય સરકાર કોઈ કમિશનરોને બદલાવવા માગતાં ન હોવાનો સરકારનો રૂખ જોઈ શનિવારે ગાંધીનગર ગયેલાં એસ. અપર્ણા પરત ફર્યા હતાં.કોર્પોરેશનનાં કમિશનર તરીકે ત્રણ વર્ષથી ફરજ બજાવતાં એસ.અપર્ણાની છબિ સ્વચ્છ છે. બીજી બાજુ મસમોટા પ્રોજેક્ટ લઈ બેઠેલા બિલ્ડરો પોતાનાં કામો ન થતાં હોવાની બૂમરાણ મચાવી રહ્યા છે એટલું જ નહીં અંદર ખાનેથી એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે બિલ્ડર લોબી અને સ્થાનિક રાજકારણીઓ દ્વારા એસ. અપર્ણાને બદલવાની માગ કરવામાં આવી છે, ત્યારે શનિવારે ખુદ એસ.અપર્ણા આ પ્રકારના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવા માટે ગાંધીનગર ગયા હતા. તેઓ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળીને પોતાની બદલીની સામે ચાલીને માગ કરવાનાં હતાં પરંતુ કહે છે કે આવનારી ચૂંટણી પૂરી કર્યા બાદ જ મ્યુનિસપિલ કમિશનરોની બદલી અંગે વિચારવામાં આવશે તેવું વાતાવરણ લાગતાં તેઓ પાછા ફર્યાં હતાં.સુરત મ્યુનિસપિલ કોર્પોરેશનમાં અત્યાર સુધીનો ઈતિહાસમાં જોઈએ તો કોઈ કમિશનર ત્રણ વર્ષથી વધુ ટક્યા નથી ત્યારે બલવંતસિંગ પછી એસ. અપર્ણાએ સૌથી વધુ સમય કાઢ્યો છે. જ્યારે અન્ય મ્યુનિસપિલ કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં આઇપી ગૌતમ તેમજ વડોદરા મ્યુનિસપિલ કોર્પોરેશનના કમિશનર એમ.કે. દાસનો પણ સમય પૂરો થઈ ગયો છે છતાં બદલી થઈ નથી. આથી નજીકના વર્તુળોમાં છેલ્લા એક માસથી મ્યુનિસપિલ કમિશનરોની બદલીની વાતો ચાલી રહી છે.
Subscribe to:
Posts (Atom)