visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
પોલીસકર્મીઓને બંધક બનાવનાર માસ્ટરમાઈન્ડ ઝડપાયો!
પોલીસકર્મીઓને બંધક બનાવાનાર નક્સલીઓના માસ્ટરમાઈન્ડને ઝડપી લેવામાં આવ્યો છે, જો કે બાકીના ત્રણ પોલીસકર્મીઓ અંગે કોઈ જાણકારી મળી નથી.બિહારના લખીસરાયમાં નક્સલીઓ દ્વારા બંધક બનાવેલ ચાર પોલીસકર્મીમાંથી એકની હત્યા કરી દેવાયા બાદ આ વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, આ કોમ્બિંગ ઓપરેશનમાં પોલીસે જમુઈ જિલ્લામાંથી બે નકસ્લી નેતાની ધરપકડ કરી લીધી છે. જેમાંથી પ્રમોદ નામનો સખશ આ હોસ્ટિજ ડ્રામાનો માસ્ટરમાઈન્ડ હોવાનું જાણવા મળ્યું છે. જો કે નક્સલીઓ દ્વારા આપવામાં આવેલી ત્રીજી ડેડલાઈન સમાપ્ત થઈ ગયાના 24 કલાક પસાર થઈ જવા છતાં હજું એ ત્રણ પોલીસકર્મી અંગે કઈ જાણકારી નથી.નક્સલઓએ ગત રવિવારે 10 પોલીસકર્મીની હત્યા કરી ચાર પોલીસકર્મીને બંધક બનાવી લીધા હતા. આ ચાર પોલીસકર્મીના બદલામાં નક્સલીઓએ જેલમાં કેદ તેમના આઠ સાથીઓને છોડી મુકવાની માંગ કરી હતી. બંધક બનાવવામાં આવેલ ચાર પોલીસકર્મીમાંથી નક્સલીઓએ એક પોલીસકર્મીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
દોષિતોને સજા કરો : સચિન
ભારતીય ખેલાડીઓનો ક્યારેય બુકી દ્વારા સંપર્ક કરાયો નથી, સમગ્ર પ્રકરણના કારણે રમતને હાનિ પહોંચી છે,સ્પોટ ફિક્સિંગના કારણે રમતની પ્રતિષ્ઠાને હાનિ પહોંચવાથી નિરાશ થયેલા ભારતના સિનિયર ક્રિકેટર સચિન તેંડુલકરે દોષિત ક્રિકેટરો સામે આઈસીસી આકરાંમાં આકરાં પગલાં ભરે તેવી માગણી કરી છે.તેંડુલકરે જણાવ્યું હતું કે બ્રિટિશ ટેબલોઇડ દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવેલું ફિક્સિંગ પ્રકરણ સાચું પડશે તો પાકિસ્તાની ખેલાડીઓએ ક્રિકેટની રમતને શરમજનક સ્થિતિમાં મૂકી દીધી છે.ઇંગ્લેન્ડમાં શું બન્યું છે તેની આઈસીસીએ ઝીણવટપૂર્વકની તપાસ કરવી જોઇએ અને દોષિત ખેલાડીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ. મને ખાતરી છે કે આઈસીસી યોગ્ય પગલાં લઈને ક્રિકેટને ફરીથી સાચી દિશામાં લઈ જશે.સચિન તેંડુલકરે જણાવ્યું હતું કે જો આક્ષેપો સાચા પુરવાર થાય તો ચોક્કસપણે રમતની પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે. હું નિષ્ણાત નથી અને ઇંગ્લેન્ડમાં બનેલી બાબત અંગે ભારતમાં બેસીને મારી પ્રતિક્રિયા વ્યક્ત કરી શકું નહીં પરંતુ પૂરા પ્રકરણના કારણે હું નિરાશ થયો છું.
ષડયંત્રમાં પવારનો હાથ : પાકિસ્તાન
સ્પોટ ફિક્સિંગમાં સંડોવણી બદલ પાકિસ્તાનના ત્રણ ક્રિકેટર સલમાન બટ્ટ, મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિરને આઈસીસીએ સસ્પેન્ડ કરી દીધા બાદ અકળાયેલા પાકિસ્તાને ખેલાડીઓના બચાવ માટેની પોતાની ઝુંબેશ આદરીને ભારત પર આક્ષેપબાજીનું શસ્ત્ર ફરીથી ઉગામ્યું છે.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ બાદ બ્રિટન ખાતેના પાકિસ્તાનના હાઈ કમિશનર વાજિદ હસને પણ ખેલાડીઓનો બચાવ કરીને સમગ્ર મામલમાં આઈસીસીના પ્રમુખ શરદ પવારને જવાબદાર ઠેરવીને તેમણે જ પાકિસ્તાનના ખેલાડીઓ સામે કાવતરું ઘડ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.વાજિદ હસને જણાવ્યું હતું કે ત્રણેય ક્રિકેટર નિર્દોષ છે અને આ ઘટનામાં ભારતીય બુકીઓનો હાથ છે. મને લાગે છે કે સલમાન બટ્ટ, મોહમ્મદ આમિર અને મોહમ્મદ આસિફ સ્પોટ ફિક્સિંગમાં સંડોવાયા નથી પરંતુ માજિદ મઝહરે ભારતીય બુકીઓને છેતર્યા છે અને મૂળ ગુનેગાર તો માજિદ મઝહર જ છે.આઈસીસીએ પાકિસ્તાનના ત્રણ ક્રિકેટરને હંગામી ધોરણે સસ્પેન્ડ કરી દીધા એ પછી વાજિદ હસને ત્રણેયનો બચાવ કર્યો હતો. ચારે તરફથી થઈ રહેલા દબાણને વશ થઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઇંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણી માટેની ટીમમાંથી ગુરુવારે સલમાન બટ્ટ, મોહમ્મદ આમિર અને આસિફને પડતા મૂક્યા હતા પરંતુ તેમનો મજબૂત બચાવ કર્યો હતો.હસને આ અંગે જણાવ્યું હતું કે છેલ્લાં એક સપ્તાહમાં જે કાંઈ બન્યું અને તેમની ઉપર જે રીતે આક્ષેપ થયા હતા તેનાથી ત્રણેય ક્રિકેટર માનસિક રીતે ભાંગી પડ્યા હતા અને ક્રિકેટ રમવા માટે માનસિક રીતે સજ્જ ન હતા. આથી જ તેમણે વન-ડે શ્રેણી માટેની ટીમમાં તેમને નહીં સમાવવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને વિનંતી કરી હતી.તેમણે આ ઘટનનાનો પર્દાફાશ કરવા માટે સ્ટિંગ ઓપરેશન હાથ ધરનારા ન્યૂઝ ઓફ ધ વર્લ્ડની વિશ્વસનીયતા પર પણ શંકા વ્યક્ત કરી હતી અને સામો પ્રશ્ન કર્યો હતો કે આ સ્ટોરી લાવનારાની શું પ્રતિષ્ઠા છે?
પાકિસ્તાન ટેબ્લોઈડ સામે દાવો માંડશે
કલંકિત ક્રિકેટર સલમાન બટ્ટ, મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિર સામે થયેલા આક્ષેપો ખોટા પુરવાર થાય તો પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સામે સ્પોટ ફિક્સિંગનો પર્દાફાશ કરનારા બ્રિટિશ ટેબ્લોઈડ સામે બદનક્ષીનો દાવો માંડવાની પાકિસ્તાનના રમતપ્રધાન ઐઝાઝ ઝારખાણીએ ધમકી આપી છે.ઝારખાણીએ જણાવ્યું હતું કે ત્રણેય ક્રિકેટરને દોષિત પુરવાર થાય નહીં ત્યાં સુધી નિર્દોષ કહેવાય અને આ આક્ષેપો ખોટા પુરવાર થશે તો પાકિસ્તાન સરકાર એ દૈનિકને કોર્ટમાં લઈ જશે.ક્રિકેટર દેશનું પ્રતિનિધિત્વ કરતો હોય છે. સલમાન બટ્ટ, આમિર અને આસિફ પાકિસ્તાની ખેલાડી છે. આમ દેશની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. આમ આ આક્ષેપો ખોટા પુરવાર થાય તો અમે તેમની સામે ચોક્કસ દાવો કરીશું અને આ મામલે બ્રિટિશ કાયદો ઘણો કડક છે તેમ તેમણે ઉમેર્યું હતું.ત્રણેય ક્રિકેટરને ઇંગ્લેન્ડ સામેની વન-ડે અને ટી૨૦ શ્રેણીમાંથી પડતા મુકાયા હોવાનો પણ રમતપ્રધાને ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે તપાસકાર્યમાં સહકાર આપી શકે તે માટે તેમને ટીમમાં પસંદ કરાયા નથી.s
કોઈ બુકીએ સંપર્ક સાધ્યો નહોતો : ગાંગુલી
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે ભારતીય ટીમના સુકાનીપદને સંભાળ્યું ત્યારે કોઇ પણ બુકીએ ક્યારેય દેશના ક્રિકેટરોનો સંપર્ક સાધ્યો નહોતો. આ પ્રકારનો સંપર્ક અમારી કલ્પના બહારની બાબત છે.ટીમના ત્રણ અન્ય સુકાની સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને અનિલ કુંબલેનો પણ કોઇએ મેચ ફિક્સ કરવા કે સ્પોટ ફિક્સિંગ માટે સંપર્ક કર્યો નહોતો.ક્રિકેટરોને વધારે જવાબદાર બનવાની અપીલ કરીને ગાંગુલીએ જણાવ્યું હતું કે આઈસીસી કોઇ પોલીસ નથી તેથી ક્રિકેટરોએ રમત પ્રત્યે તેમની જવાબદારીને વધારે સારી રીતે અદા કરવી જોઇએ.
સ્ટિંગ ઓપરેશન માટેની રકમ બટ્ટ પાસેથી મળી હતી
ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની ગયા સપ્તાહે લોર્ડ્ઝ ખાતે રમાયેલી ટેસ્ટ દરમિયાન બહાર આવેલાં સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં ઉપયોગમાં લેવાયેલી રોકડ રકમ પાકિસ્તાની ક્રિકેટ ટીમના સુકાની સલમાન બટ્ટના લગેજમાંથી મળી આવી હતી.બ્રિટનના એક દૈનિકના અહેવાલ મુજબ સલમાન બટ્ટના હોટેલરૂમમાંથી અને લોર્ડ્ઝ ક્રિકેટ ગ્રાઉન્ડના લોકરમાં આ રકમ કેવી રીતે મળી આવી તે અંગે સ્કોટલેન્ડ યાર્ડના અધિકારીઓ સલમાન બટ્ટની પૂછપરછ કરવાના છે.એમ મનાય છે કે આ રકમ ન્યૂઝ ઓફ ધ વર્લ્ડના રિપોર્ટરે નિશાની કરીને માજિદ મઝહરને સ્પોટ ફિક્સિંગના ભાગરૂપે આપી હતી. આ ચલણી નોટો પર નિશાની કરાઈ હતી જેથી ભવિષ્યમાં પોલીસ દ્વારા તેની ઓળખ થઈ શકે. અહેવાલ મુજબ આ નોટો ન્યૂઝ ઓફ ધ વર્લ્ડના સ્ટિંગ ઓપરેશન માટે ઉપયોગમાં લેવાઈ હતી.
ફિક્સર્સ પર આજીવન પ્રતિબંધ લાદો : વોર્ન
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ લેગ સ્પિનર શેન વોર્ને સ્પોટ ફિક્સિંગમાં પ્રતિબંધિત થયેલા પાકિસ્તાનના ત્રણ ક્રિકેટરો પર આજીવન પ્રતિબંધ લાદવાની માગણી કરીને જણાવ્યું હતું કે જે કોઇ ક્રિકેટરો આ પ્રકારનાં કૌભાંડમાં સંડોવાયેલા હોય તેમની રમતમાંથી હકાલપટ્ટી કરી નાખવી જોઇએ.ક્રિકેટની રમતને ફરીથી સ્વચ્છ બનાવવાની જરૂર છે તેમ છતાં પાકિસ્તાની ક્રિકેટરો સામેના આક્ષેપો હજુ પુરવાર થયા નથી તેથી તેમને ફિક્સર્સ કહેવા તે ખોટું છે, જો તેઓ દોષિત પુરવાર થાય તો અન્ય ક્રિકેટરો સામે સજ્જડ દાખલો પુરવાર થાય તેવાં આઇસીસીએ પગલાં ભરવાં જોઇએ.
લંડનના હરેકૃષ્ણ મંદિરમાં વિસ્ફોટ
મધ્ય ઇંગ્લેન્ડના ગુજરાતીઓની બહુમતી ધરાવતા વિસ્તાર લેસ્ટર સ્થિત હરેકૃષ્ણ મંદિરમાં સ્થાનિક સમય મુજબ બપોરે વિસ્ફોટ થતાં આગ ફાટી નીકળી હતી અને ત્રીજા ભાગની ઇમારત ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. જો કે પ્રાથમિક અહેવાલ મુજબ કોઈ જાનહાનિના અહેવાલ નથી. લંડનની ઉત્તરે ૧૦૦ કિ.મી. દૂર લેસ્ટર સ્થિત મંદિરમાં વિસ્ફોટ સમયે ઘણા શ્રદ્ધાળુઓ હોવાનું પોલીસે જણાવ્યું છે. જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિત્તે મંદિરમાં ઘણા શ્રદ્ધાળુઓ હાજર હતા. રાંધણગેસના બાટલામાં વિસ્ફોટને કારણે આગ લાગી હોવાનું મનાય છે, પરંતુ તેને હજુ સુધી સમર્થન મળ્યું નથી.બીબીસીના અહેવાલ અનુસાર કેટલાક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત હાલતમાં બહાર આવતા હોવાનું જણાયું છે. ફાતિમા ખત્રી નામની નજરે જોનાર વ્યક્તિના જણાવ્યા મુજબ તેઓ તમામ કામમાં વ્યસ્ત હતા ત્યારે વિસ્ફોટ થયો હતો અને તેમને લાગ્યું કે જાણે બોમ્બ ફાટ્યો છે. લેસ્ટર ફાયર એન્ડ રેસ્કયુ સર્વિસે બચાવ અને રાહતની કામગીરી શરૂ કરી દીધી છે. મંદિરના વડાએ મંદિરની અંદર ફસાઈ ગયેલા તમામ સુરક્ષિત હોવાનું જણાવ્યું છે.
ઝડફિયાનો પત્ર: ગોધરાકાંડ માટે મોદી સીધા જવાબદાર
ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધન ઝડફિયાએ ગોધરાકાંડ પછીનાં તોફાનોનો દોષનો ટોપલો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર ઢોળી સીધા તેમને જ જવાબદાર ગણાવ્યાં છે. સીટને લખેલા દસ પાનાના પત્રમાં સામેથી સાક્ષી બનવાની તૈયારી દર્શાવનારા ઝડફિયાના આ ચોંકાવનારા ઘટસ્ફોટથી મોદી માટે અનેક મુશ્કેલી સર્જાઇ શકે છે. ઝડફિયાએ લખેલા લેટરબોમ્બમાં ૨૭ ફેબ્રુઆરી-૨૦૦૨ના દિવસે ઉચ્ચ સ્તરે થયેલી ગુપ્ત બેઠકમાં કોણે શું કહ્યું હતું તે વાતના વટાણા સીટ સમક્ષ વેરી નાખ્યાં હોવાનું મનાય છે.
જો સીટ સમક્ષના નિવેદનમાં ઝડફિયા પોતાની સહીથી મોકલાવેલા પત્રની વિગતોને વળગી રહેશે તો આગામી દિવસો મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી માટે અત્યંત કપરા રહેશે, તેવું સૂત્રોએ જણાવ્યું છે. તાજેતરમાં એસ આઈ ટીએ સુપ્રીમમાં રજૂ કરેલા અહેવાલમાં, ગોરધન ઝડફિયા તથા પોલીસ અધિકારીઓ એમ કે ટંડન અને પી બી ગોંદિયાની વિવાદાસ્પદ ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો.આ ભૂમિકાને લઈને એસ આઈ ટી ગોરધન ઝડફિયાને સમન્સ પાઠવવાની તૈયારી કરી રહી છે ત્યારે ઝડફિયાએ એસ આઈ ટીને લખેલા પોતાની સહીવાળા ટાઈપ કરેલા પત્રમાં તોફાનો માટે નરેન્દ્ર મોદી પર દોષારોપણ કર્યું છે. સૂત્રોનું કહેવું છે કે હાલમાં, એસ આઈ ટીના વડા ડો આર કે રાઘવન અને એ કે મલ્હક્ષેત્રા ગાંધીનગરમાં છે અને વાય સી મોદી ટૂંક સમયમાં જ આવવાના છે. તેમની હાજરીમાં ઝડફિયાને નિવેદન માટે બોલાવવામાં આવશે.સીટની તપાસમાં ભૂતપૂર્વ ગૃહરાજ્યમંત્રી ગોરધન ઝડફિયા સામે ગાળિયો વધારે મજબૂત બન્યો છે. ૨૭ ફેબ્રુઆરીની ગુપ્ત બેઠકમાં શું થયું હતું, કોના આદેશ હતા અને ક્યા પ્રકારના પગલા લેવા જણાવાયું હતું તે વિસ્ફોટક માહિતી સીટને મળી જવા પામી છે. જેના કારણે વહીવટી તંત્રના વડા તરીકે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મુશ્કેલીમાં મુકાઇ શકે છે. કારણકે તે માહિતી રમખાણોમાં કોની ગુનાહિત બેદરકારી કે જવાબદારી હતી તે સાબિત કરવા મહત્વની પૂરવાર થઇ શકે છે. આ અગાઉ એકવાર મોદીની પૂછપરછ પણ સીટ દ્વારા કરવામાં આવેલી છે.
પીઓકેમાં ચીની સૈન્યની હાજરી : ભારત ચિંતિત
ચીન કહે છે કે માત્ર પૂરપીડિતોની મદદ માટે સૈનિકો સેવા આપી રહ્યા છે, ભારતીય રાજદૂત અને ચીનના નાયબ વિદેશ મંત્રી વચ્ચે ચર્ચા પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર(પીઓકે)ના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચીની સૈન્યની ‘પ્રવૃત્તિ અને હાજરી’ અંગે ભારતે શુક્રવારે ચીન સમક્ષ ચિંતા વ્યક્ત કરી છે. આ પ્રદેશમાં ચીને ૧૧,૦૦૦ સૈનિકો ગોઠવ્યા હોવાના અહેવાલના પગલે ભારતે આ ચિંતા વ્યક્ત કરી છે.પીઓકેમાં ચીની સૈનિકોની ગતિવિધિ અંગે વડાપ્રધાન મનમોહનસિંઘ અને સુરક્ષા અંગેની કેન્દ્રીય સમિતિના અન્ય સભ્યોને માહિતી આપીને નવી દિલ્હીથી પાછા ફરેલા ચીન ખાતેના ભારતીય રાજદૂત એસ જયશંકરે, આ બાબતે ભારતની ચિંતાને વ્યક્ત કરવા માટે ચીનના નાયબ વિદેશ મંત્રી ઝાંગ ઝિઝુનને મળ્યા હતા.જોકે, ચીની મંત્રીએ ભારતીય રાજદૂતને જણાવ્યું હતું કે એ પ્રદેશના પૂરપીડિત લોકોને માનવીય સહાયતા આપવા માટે ચીની સૈનિકો ત્યાં માત્ર સેવા આપી રહ્યા છે. ભારતીય દૂતાવાસની સૂત્રોએ જણાવ્યું હતું કે બન્નેએ દ્વિપક્ષીય સંધિને સુધારવા સંબંધિત અન્ય મુદ્દાઓ અંગે પણ ચર્ચા-વિચારણા કરી હતી. જોકે, તેની વિગતો આપવાનો સૂત્રોએ ઇનકાર કર્યો હતો.પીઓકેમાં પીપલ્સ લિબરેશન આર્મી(પીએલએ)ની હાજરી અંગે ‘ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના અહેવાલના પગલે ભારતે જણાવ્યું હતું કે તે સ્વતંત્રપણે આ બાબતની ચકાસણી કરશે અને જો એ અહેવાલ સાચા હશે તો તે એક ગંભીર બાબત ગણાશે.પીઓકેમાં ચીની સૈન્યની હાજરી અંગના અહેવાલ અંગે ટીકા-ટિપ્પણિ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે સોમવારે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિષ્ણુ પ્રકાશે જણાવ્યું હતું કે આ બાબત સાચી હોય તો તે એક ગંભીર ચિંતાનો વિષય છે અને રાષ્ટ્રના સુરક્ષા અને સલામતીની ખાતરી માટે આવશ્યક તમામ પગલાં અમે ભરીશું.
મોદીના ભાષણ માટે શાળાઓમાં રજા રદ્દ
હાલ ફેસ્ટીવલ મૂડ ચાલી રહ્યો છે. વિદ્યાર્થીઓ પણ રજાની મજા માણવામાં પડ્યા છે. સોમવાર સુધી શૈક્ષણિક સંસ્થાઓમાં વેકેશન જાહેર કરાયુ હતું પરંતુ તા. પમી શિક્ષક દિને રવિવાર આવતો હોય તેના આગલા દિવસે મુખ્યમંત્રી મોદીના ઓનલાઇન ભાષણનું આયોજન કરી કાલે શનિવારે શાળાઓ ચાલુ રાખવાનો ફતવો છેલ્લી ઘડીએ શાળા સંચાલકોને અપાતા સંચાલકો ઘાંઘાં થયા છે.
જો કે કાલે વિદ્યાર્થીઓ શાળાએ નહીં જ આવે એ નિશ્વિત વાત છે અને માત્રને માત્ર શિક્ષકોને જ ભાષણ સાંભળવાનું રહેશે એ પણ એટલી જ નક્કી વાત છે!છેલ્લા બે વર્ષથી શિક્ષક દિનના રોજ ગુજરાત સરકારની બીઆઇએસએજી સેટેલાઇન ચેનલ પર તમામ શાળાઓમાં મુખ્યમંત્રીના ઓનલાઇન પ્રવચનનું આયોજન કરવામાં આવે છે. પરમ દિવસે જ તા. પ સપ્ટેમ્બરે શિક્ષક દિવસ છે. બીજીબાજુ ગત સોમવારથી શૈક્ષણિક સંસ્થાઓમાં એક સપ્તાહનું વેકેશન જાહેર કરાયેલું છે. ૧પમી ઓગસ્ટે રવિવારે પણ બાળકોને વાઇબ્રન્ટ ઉજવણીના ભપકામાં પરાણે સામેલ કરવા શાળાઓ ચાલુ રખાઇ હતી અને એ દિવસની રવિવારની રજાને આવતીકાલે શનિવારે રજા રાખી એકઝેસ્ટ કરી અઠવાડિયાનું મીની વેકેશન જાહેર કરાયેલું હતું.એવામાં છેલ્લી ઘડીએ જિલ્લા શિક્ષણાધિકારી બગડાએ આવતીકાલે શનિવારની રજા રદ હોવાનો પરપિત્ર કાઢ્યો છે. પ સપ્ટેમ્બરે શિક્ષક દિન હોય મુખ્યમંત્રીના ઓનલાઇન ભાષણ માટે શાળા ચાલુ રાખવાનો આ ફતવો શાળા સંચાલકોને છેક ગણતરીની કલાકો પહેલા ખબર પડતા તેઓ પણ ઘાંઘા થયા છે. વિદ્યાર્થીઓને રજા રદ થવા અંગે એક જ દિવસમાં કઇ રીતે જાણ કરવી? એવી વિમાસણમાં મૂકાયા છે. જો કે બીજીબાજુ સ્થિતિ એ પણ થવાની છે કે, વિદ્યાર્થીઓમાં ફેસ્ટીવલ મૂડ હોય રદ થયેલી રજાના દિવસમાં કાલે નહીં જ આવે એ નિશ્વિત વાત છે.
68 વર્ષે બિગ બી ખતરનાક સ્ટંટ કરશે!
જો સંજય દત્ત, અજય દેવગણ અને અનિલ કપૂર ખતરનાક સ્ટંટ કરી શકતા હોય તો અમિતાભ બચ્ચન કેમ ના કરી શકે. બિગ બી દિગ્દર્શક રાજકુમાર સંતોષી અને નિર્માતા ફિરોઝ નડિયાદાવાલાને સ્પષ્ટ કહ્યું છે કે, તેમને એક્શન સ્ટંટ કરવા છે. આ ફિલ્મનું શુટિંગ જલ્દીથી શરૂ થાય તેવી શક્યતા છે.નોંધનીય છે કે, 68 વર્ષની ઉંમરે બિગ બી રાજકુમાર સંતોષીની આ ફિલ્મ દ્વારા એક્શન ફિલ્મ કરવા માંગે છે. આ ફિલ્મમાં ઘણાં જ ખતરનાક સ્ટંટ સીન હશે. સીનિયર બચ્ચન પહેલેથી જ એક્શન દ્રશ્યો પોતે જ કરે તે વાત પર ભાર મૂકતા હતા.80ના દાયકામાં અમિતાભે ફિલ્મ કુલીના શુટિંગ દરમિયાન તેમની સાથે એક અઘટતિ ઘટના બની હતી. જેને કારણે તેઓ દિવસોથી સુધી હોસ્પિટલમાં રહ્યા હતા.ફિરોઝ નડિયાદવાળાએ પણ કહ્યું હતું કે, અમિતજી ફિલ્મમાં સ્ટંટ કરતાં નજરે આવશે. સ્ક્રીપ્ટની ડિમાન્ડ પ્રમાણે એક્શન દ્રશ્યો ભરપૂર પ્રમાણમાં છે. જો કે સ્ટંટ કરતા સમયે બિગ બીનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે.
દબંગ જોતા પહેલા આ સાત વાતો જાણવી જરૂરી
સલમાન ખાનની ફિલ્મ દબંગ 10 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે સોનાક્ષી સિંહા પોતાની કરિયરની શરૂઆત કરી રહી છે.સોનાક્ષી સિંહાની કેટલીક અજાણી વાતો જાણવી જરૂરી છે....1 સોનાક્ષી સિંહા શુત્રધ્ન સિંહા અને પૂનમ સિંહાની પુત્રી છે અને તેને જોડિયા ભાઈ લવ-કુશ છે.2 તેણે વર્ષ 2005માં મેરા દિલ લેકે દેખોમાં કોસ્ચ્યુમ ડિઝાઈન કર્યા હતા.3 વર્ષ 2008 અને 2009માં સોનાક્ષી લેકમે ઈન્ડિયા ફેશન વીકમાં રેમ્પ પર કેટવોક કર્યુ હતું.4 સોનાક્ષી ઘણી જ જાડી હતી અને ફિલ્મ દબંગ માટે તેને થોડું વજન ઉતાર્યુ હતું.5 સોનાક્ષીને ફિલ્મ દબંગમાં લેવામાં ત્યારે ઘણાં લોકોને આ વાત પસંદ આવી નહોતી પરંતુ તેમ છતાં તેના નામ પર વિચાર કરીને તેને જ લેવામાં આવી હતી.6 સોનાક્ષીનો જન્મ અંક 2 છે અને તેની ઉંમર 23 વર્ષ છે.7 સોનાક્ષીને પણ ચિત્રકામનો શોખ છે અને આ શોખ સલમાન ખાનને કારણે બહાર આવ્યો છે. સોનાક્ષીએ ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કર્યો છે. તેને સ્કેચ બનાવતા આવડે છે. સલમાને તેને સારી રીતે પેઈન્ટિંગ કરતાં શીખવાડ્યું છે.આપણે આશા રાખીએ કે, સોનાક્ષીની ફિલ્મ દબંગ હિટ જાય અને તે બોલિવૂડમાં પોતાની કરિયર આગળ લઈ જાય...
‘અનિલને કારણે માધુરી મારા દૂર થઈ’
આમિર ખાન અને અનિલ કપૂર ડબલ ધમાલના મુર્હૂત પ્રસંગે સાથે નજરે આવ્યા હતા. આ ફિલ્મના દિગ્દર્શક ઈન્દ્ર કુમાર છે. ડબલ ધમાલ ફિલ્મ ધમાલની સિક્વલ છે.આમિરે ઈન્દ્ર કુમારની ફિલ્મ દિલ અને મનમાં અને અનિલે બેટા ફિલ્મમાં કામ કર્યુ છે અને ત્યારથી જ તેઓના સંબંધ ઈન્દ્ર કુમાર સાથે છે.આ પ્રસંગે આમિરને માધુરી દીક્ષિત સાથે કામ કરવાનો કેવો અનુભવ રહ્યો તેમ પૂછવામાં આવ્યું હતું. તો આ અંગે આમિરે જણાવ્યું હતું કે, માધુરી કમાલની અભિનેત્રી છે.જો કે આમિરે દુખી સ્વરે કહ્યું હતું કે, તેને માધુરી સાથે બીજીવાર કામ કરવાની તક મળી નહિ. જો કે આની પાછળનું કારણ આપતા આમિરે જણાવ્યું હતું કે, અનિલે માધુરી સાથે 13-14 ફિલ્મોમાં કામ કર્યુ છે અને અનિલે માધુરીને તેનાથી દૂર કરી છે.આમિરની આ વાત સાંભળીને હાજર રહેલા તમામ લોકો હસવા લાગ્યા હતા.
ચંડીગઢ : ગર્ભના બાળકથી અજાણ છે એ માસૂમ
ચંડીગઢની 13 વર્ષની એક બાળકીને એ વાતની ખબર નથી કે તેના ગર્ભમાં પોણા ત્રણ માસનું બાળક શ્વાસ લઈ રહ્યું છે. જ્યારે તેને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે તેને એવું હતું કે પેટમાં તકલીફ છે એટલે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી છે. આ બાળકીની અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી પણ થઈ ગઈ છે અને તેના લોહીના નમૂના પણ લેવાઈ ચૂક્યા છે.આ કેસમાં એવી વિગતો સામે આવી છે કે ઓમપ્રકાશ નામની વ્યક્તિએ તેની સાથે બળાત્કાર કર્યો, જેના કારણે તે ગર્ભવતી થઈ ગઈ છે. પોલીસે શુક્રવારે બપોરે જીએમએસએચ 16માં બાળકીનો મેડિકલ ચેકએપ કરાવ્યો હતો. ગર્ભમાં રહેલું બાળક સ્વસ્થ છે કે નહીં તેની જાણકારી માટે આ ચેકઅપ કરવામાં આવ્યો હતો. આ ચેકઅપમાં પોણો કલાક જેટલો સમય લાગ્યો હતો. પોલીસનું એવું કહેવું છે કે ડીએનએ રીપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવી જશે કે આ બાળકીના ગર્ભમાં રહેલું બાળક કોનું છે.આ સગીર વયની બાળકી એક સ્નેહાલયમાં રહે છે, પરંતુ સ્નેહાલય પરિસરના સંચાલકોએ તેમના હાથ ઊંચા કરી દીધા છે. તેમનું એવું કહેવું છે કે આ બળાત્કાર પરિસરમાં થયો નથી, તેથી તેઓ આ અંગે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. પંજાબ રાજ્ય માનવધિકાર પંચના પૂર્વ ચેરમેન રિટાયર્ડ જસ્ટીસ આરએસ મોંગિયા કહે છે કે આ બાળકીને જ નિર્ણય લેવાનો અધિકાર મળવો જોઇએ કે તેણે ગર્ભસ્થ શિશુને જન્મ આપવો છે કે નહીં. જો કોર્ટ આ બાળકની ગાર્ડિયન બનશે તો કોર્ટ આ અંગેનો નિર્ણય લઈ શકશે.વાસ્તવમાં બનાવ એવો બન્યો હતો કે આ બાળકીની નાની જ્યારે તેને પોતાના ઘરે રોકાવા માટે લેવા આવતી ત્યારે તેને નાની સાથે મોકલવામાં આવતી હતી. ક્યારેય ઓમપ્રકાશના કહેવા પર આ બાળકીને મોકલવામાં આવી નથી. મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં આ બાળકી રજા પર ગઈ હતી અને 5 જુલાઈના રોજ સ્નેહાલય પાછી આવી હતી. તબિયત ખરાબ થવાને કારણે જ્યારે 28 ઓગસ્ટના રોજ તેનો ચેકઅપ થયો ત્યારે આ હકીકત સામે આવી હતી.
ચાઇલ્ડ સેક્સમાં સપડાવા છતાં સજા સાવ નાની?
એક કોમ્પ્યુટર એક્સપર્ટ જેણે ચાઇલ્ડ સેક્સ સંબંધિત પાંચ લાખ કરતા પણ વધારે તસવીરો જમા કરીને રાખી છે, તે તાજેતરમાં જ જેલ જતાં જતાં બચી ગયો. વિકૃત વિચારો ધરાવતા 38 વર્ષના સંજીવ ડેલે ફોરબિડન રેલમ્સ નામના એક ઓનલાઇન ચાઇલ્ડ પોર્ન ગ્રુપ સાથે પોતાના સંબંધો બનાવી રાખ્યા હતા.તેણે વેબસાઇટ પર આ ગ્રુપના અન્ય સભ્યો સાથે બાળ-યૌન શોષણની 5,56,432 તસવીરો અને ફિલ્મો શેયર કરી હતી. આ આઈટી વિશેષજ્ઞ આ ગ્રુપનો આગળ પડતો સભ્ય હતો. જ્યારે પોલીસને આ વિશે ભાળ મળી, તો તેણે તરત જ એસેક્સ ખાતેના તેના ઘર પર છાપો માર્યો હતો.આ તપાસમાં અધિકારીઓને હાર્ડ ડ્રાઇવમાં સેવ કરેલી પાંચ લાખ કરતાં પણ વધુ ચાઇલ્ડ પોર્ન તસવીરો અને ફિલ્મો મળી આવી હતી. આમાંથી એક તસવીર તો માત્ર બે વર્ષની બાળકીની હતી. જ્યારે 8થી 12 વર્ષની બાળકીઓની મોબાઇલ તસવીરો હતી. અન્ય એક વિકૃત તસવીરમાં એક પુરુષને બાળકોને બાંધી તેમને કોરડા મારતો દર્શાવાયો હતો.જજ એલન સેગરસને પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું હતું કે તેમણે ડેલ પર દયા એટલા માટે કરી છે કારણ કે તેમાં 97 ટકા તસવીરો ઓછી ગંભીર છે અને વળી તેણે પોતાનો ગુનો પણ કબૂલી લીધો છે. આથી જજે તેને ત્રણ વર્ષની સામુદાયિક સેવાની સજા સંભળાવી છે.ર આ ગ્રુપના અન્ય સભ્યો સાથે બાળ-યૌન શોષણની 5,56,432 તસવીરો અને ફિલ્મો શેયર કરી હતી. આ આઈટી વિશેષજ્ઞ આ ગ્રુપનો આગળ પડતો સભ્ય હતો. જ્યારે પોલીસને આ વિશે ભાળ મળી, તો તેણે તરત જ એસેક્સ ખાતેના તેના ઘર પર છાપો માર્યો હતો.
04 September 2010
31 August 2010
રાજકોટમાં તોફાની ઝાપટું, ચોમેર પાણી ભરાયાં
visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
રાજકોટમાં તોફાની ઝાપટું, ચોમેર પાણી ભરાયાં
પંદર મિનિટમાં અડધો ઇંચ પાણી પડી ગયું.
શહેરમાં આજે ફરી મેઘરાજાએ સાંજે પડાવ નાખ્યો હતો. દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ મોડી સાંજે શરૂઆતમાં ધીમીધારે વરસાદ વરસ્યા બાદ આઠેક વાગ્યાના અરસામાં તોફાની ઝાપટું તૂટી પડ્યું હતું. માત્ર પંદર મિનિટમાં જ અડધા ઇંચથી વધુ પાણી પડી જતાં માર્ગો પર નદીના વહેણની માફક પાણી વહેતું હતું.ગઇકાલે એક જ દિવસમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યા બાદ આજે પણ મેઘસવારી અવિરત રહી હતી. જો કે દિવસ દરમિયાન માત્ર છાંટા જ પડ્યા હતા. પણ બપોર પછી રાબેતા મુજબ મેઘરાજાએ દર્શન દીધા હતા અને આઠેક વાગ્યે તોફાની ઝાપટું વરસ્યું હતું. વરસાદનું જોર એવું હતું કે, હમણાં બારે મેઘ ખાંગા થશે તેવો સૂપડાધારે વરસાદ પડતો હતો.રસ્તા ઉપર પણ કંઇ દેખાતું ન હતું. આવા તોફાની વરસાદ વચ્ચે માર્ગો પર નદીના વહેણની માફક પાણી વહેવા લાગ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણી માંડ ઓસર્યા હતા ત્યાં ફરી તળાવ ભરાઇ ગયા હતા. વીસ મિનિટના આ ઝાપટામાં અડધા ઇંચથી વધુ પાણી પડી ગયું હતું. બીજી બાજુ આવતીકાલથી જન્માષ્ટમીનો મેળો શરૂ થઇ રહ્યો છે.
રાજકોટના બદાણી જવેલર્સમાંથી ૧૭ લાખની ચોરી
શહેરને રેઢું પડ સમજીને ધમરોળી રહેલા તસ્કરો દીવાનપરા પોલીસ ચોકીની બરાબર સામે આવેલા અને ત્રણ દિવસથી બંધ બદાણી જવેલર્સમાં વેન્ટલેશનની ગ્રીલ તોડીને અંદરથી આશરે રૂ. ૧૭ લાખની કિંમતના સોનાના એક કિલો ઘરેણાં ચોરી ગયાનો બનાવ નોંધાતા સનસનાટી મચી ગઇ છે. શ્રોફ રોડ પર સૂરજ એપાર્ટમેન્ટમાં રહેતા પારસભાઇ બળવંતભાઇ બદાણીએ ભૂપેન્દ્ર રોડ પર દીવાનપરા પોલીસ ચોકી સામે આવેલા તેની માલિકીના જવેલર્સમાં ચોરી થયાની પોલીસને જાણ કરી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, જવેલર્સમાં તેમના પિતા બળવંતભાઇ (ગોલ્ડ ડિલર્સ એસો. ના પ્રમુખ) પણ સાથે બેસતા હતા. તાજેતરમાં તેમનું અવસાન થતાં પોતે એકલા શો-રૂમ સંભાળે છે. પારસભાઇ શુક્રવારે પથરીના ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા અને આજે સોમવારે રજા અપાતા સાંજે દિવાબત્તી કરવા શો-રૂમ ગયા હતા.શો-રૂમના તાળાં અકબંધ હતા. શટર ખોલીને અંદર નજર કરતા શો કેસમાં ડિસ્પ્લેમાં ગોઠવેલા અંદાજે એક કિલો વજનના સોનાના ઘરેણાં ગાયબ હતા. તપાસ કરતા સાઇન બોર્ડની ઉપરના વેિન્ટલેશનની ગ્રીલના સિળયા કપાયેલા હતા. ૧૭ લાખની ચોરી થયાની જાણ થતાં ડીસીપી મયંકસિંહ ચાવડા, પી. આઇ. વી. બી. જાડેજા, ક્રાઇમ બ્રાંચના પી. આઇ. દગિુભા વાઘેલા, સબ ઇન્સપેક્ટર ડી. એન. પટેલ સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગત મુજબ, વેન્ટિલેશનમાંથી પ્રવેશેલા તસ્કરો સ્ટોર રૂમમાં થઇને નીચેના શો રૂમમાં પ્રવેશયા હતા અને વેિન્ટલેશન ઉપર કંતાન બાંધી દીધા હતા.
સૌરાષ્ટ્રમાં વધુ અડધાથી સાડા પાંચ ઇંચ વરસાદ
વેરાવળમાં સાડા પાંચ, પોરબંદર, જામજોધપુરમાં પાંચ, કુતિયાણામાં સાડા ત્રણ, માંગરોળ, જોડિયામાં સાડા ત્રણ, મોરબીમાં પોણા ત્રણ, દામનગરમાં બે ઇંચ પાણી વરસ્યું.સૌરાષ્ટ્રભરમાં છેલ્લા છ દિવસથી મેઘરાજા શ્રાવણ માસમાં ભરચોમાસાનો અહેસાસ કરાવી રહ્યા છે. રવિવારે રાજકોટ, સોરઠ, પોરબંદર પંથકને તરબતર કર્યા બાદ સોમવારે જાણે સોમનાથ મહાદેવને જળાભિષેક કરતા હોય તેમ આભમાંથી વેરાવળ પંથકમાં સાડા પાંચ ઇંચ પાણી વરસ્યું હતું. આ ઉપરાંત સોરઠ પંથકમાં અડધાથી સાડા ત્રણ ઇંચ વધુ વરસાદ વરસતાં સતત બીજા દિવસે જુનાગઢ જિલ્લામાં જળબંબોળની સ્થિતિ સર્જાણી છે.જ્યારે હાલારમાં અડધાથી સવા ચાર ઇંચ સાર્વત્રિક વરસાદ પડતાં અનેક જળાશયો પુન: છલકાઇ ગયા છે અને અનેક સ્થળે પાણી ભરાઇ ગયા છે. દરમિયાન પોરબંદર પંથકમાં મેઘરાજાએ વધુ સાડા ત્રણ ઇંચ પાણી વરસાવતા અનેક વિસ્તારોમાં પાણી-પાણી થઇ ગયા છે. રવિવારે રાજકોટ જિલ્લામાં સૂપડાધારે વરસાદ વરસ્યા બાદ સોમવારે પણ મોરબી, ધોરાજી, ઉપલેટા પંથકમાં ઝાપટાંથી માંડી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તેમજ અમરેલી જિલ્લામાં દામનગર, ધારી, વડિયા, લાઠી, બગસરા અને ખાંભા પંથકમાં બે ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. જેના પગલે મુંજિયાસર ડેમ પ્રથમ વખત ઓવરફલો થયો હતો.
આર.પી. જાડેજાએ ૨.૫૦ કરોડનું ડિસ્ક્લોઝર કર્યું
રાજકોટમાં જમીન-મકાનની લે-વેચ ક્ષેત્રે મોટું નામ ધરાવતા આર.પી. જાડેજાને ત્યાં ઈન્કમટેક્સ વિભાગે પાડેલા દરોડાના એકાદ માસ બાદ અંતે ૨.૫૦ કરોડની બેનામી મિલકતો જાહેર કરવામાં આવી છે. આમ છતાં તપાસનો ધમધમાટ હજુ ચાલુ જ રહેશે તેવો નિર્દેશ આઈ.ટી.ના ઉચ્ચ અધિકારીઓએ આપ્યો હતો.રાજકોટમાં એકાદ માસ પહેલાં આર.પી. જાડેજા અને નરેન્દ્ર સોલંકી સહિત બિલ્ડરો અને સોની વેપારીઓને ત્યાં ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. ૧૫થી વધુ સ્થળે કરાયેલી સર્ચની કાર્યવાહી દરમિયાન ૫૦ કરોડથી વધુના બેનામી વ્યવહારો બહાર આવ્યા હતા.નરેન્દ્ર સોલંકી અને આર.પી. જાડેજાના માણસો દ્વારા આઈ.ટી.ના અધિકારીઓ પર હુમલો કરવામાં આવતાં મામલો વધુ ગંભીર બન્યો હતો. નરેન્દ્ર સોલંકી જામીન પર છૂટયા બાદ તેઓએ પણ લાખોની બેનામી મિલકત જાહેર કરી હતી. જો કે આર.પી. જાડેજાને ત્યાંથી કોઈ કાર્યવાહી થઈ ન હતી.દરમિયાન જાડેજાને ત્યાં પણ સીલ કરી દેવાયેલા સ્થળે ફરી દરોડાની ગતિવિધિ કરવામાં આવતા અઢી કરોડની બેનામી મિલકતો જાડેજા ગ્રૂપ દ્વારા જાહેર કરવામાં આવી છે.જો કે આઈ.ટી.ના અધિકારીઓને આ આંકડો હજુ બહું જ નાનો લાગે છે અને હજી વધુ કાળુ નાણું બહાર આવે તેવી સંભાવનાને નજર સમક્ષ રાખીને તપાસ ચાલુ જ રાખવામાં આવશે તેમ આઈ.ટી.ના અધિકારીઓએ જણાવ્યું હતું.
વિસ્ફોટકો માટે સાડા ત્રણ કરોડનું ચૂકવણું રાજકોટથી થયું હતું
૧પ, ઓગસ્ટ પૂર્વે રાજસ્થાનના ધોલપુરથી મધ્યપ્રદેશના સાગર જિલ્લા માટે રવાના થયા બાદ ગુમ થઇ ગયેલા વિસ્ફોટકો ભરેલા ૬૪ ટ્રકનું પગેરું રાજકોટ સુધી લંબાયુ હતું. વિસ્ફોટકો માટે રાજસ્થાન એક્સ્પ્લોઝીવ કંપની લિમિટેડ (આર.ઇ.સી.એલ.)ને સાડા ત્રણ કરોડ જેવી માતબર રકમ રાજકોટથી ચૂકવાઇ હોવાનું ખૂલતા પોલીસે આ મામલે રિઝર્વ બેંક, ઇન્કમટેક્સ અને સેલટેક્સ વિભાગને લેખિત જાણ કરતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.માલ મગાવનાર આસવાની અને શિવચરણ હેડા પણ લાપતા છે. રાજકોટમાં ભૂમી એન્ટરપ્રાઇઝ નામથી એક્સ્પ્લોઝીવનુ લાઇસન્સ ધરાવતા આસવાની અને ગંગા શ્રોફ નામની પેઢી ધરાવતા હેડાની ‘કુંડળી’ જાણવા તેમજ આ પ્રકરણમાં ઉપરોકત બન્નેની શું ભૂમિકા છે ?તે જાણવા સઘન તપાસ થઇ રહી છે. ધોલપુરથી સાગર માટે રવાના કરાયેલા ૬૪ ટ્રક વિસ્ફોટકનું ચૂકવણું રાજકોટની એક બેંકમાંથી થયું હતું. આ ટ્રાન્ઝેકશનમાં બેંકના અધિનિયમોનો ભંગ થયાની પોલીસે શંકા વ્યક્ત કરી આ અંગેની વિસ્તૃત તપાસ માટે રિઝર્વ બેંક, ઇન્કમટેક્સ અને સેલ્સ ટેક્સ વિભાગને લેખિતમાં જાણ કરાઇ હોવાનું સાગરના રેન્જ આઇ. જી. અન્વેષ મંગલમે જણાવ્યું છે.
યુવા ભાજપ દ્વારા ચિદમ્બરમના પૂતળાનું દહન કરાયું
કેન્દ્રિય ગૃહમંત્રી પી.ચિદમ્બરમે ‘ભગવા આતંકવાદ’ શબ્દના કરેલા ઉપયોગના વિરોધમાં સૌરાષ્ટ્રમાં જેતપુર, ધોરાજી, ગોંડલ, વાંકાનેર, મોરબી સહિતના શહેરોમાં યુવા ભાજપ દ્વારા ગૃહમંત્રી પી. ચિદમ્બરમ્ના પૂતળાનું દહન કરી સૂત્રોચ્ચાર કરાયા હતા. દરમિયાન પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કર્યાબાદ જામીન પર મુક્ત કર્યા હતા.કેન્દ્રિય ગૃહમંત્રી આ શબ્દના ઉપયોગના વિરોધમાં ધોરાજીમાં શહેર યુવા ભાજપ દ્વારા આઝાદ ચોકમાં કેન્દ્રિય ગૃહમંત્રીના પૂતળાનું દહન કરાયું હતું અને કેન્દ્રની યુ.પી.એ. સરકારના વિરુધ્ધ સૂત્રોચ્ચાર કરાયા હતા.આ તકે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મુક્તાબહેન વઘાસિયા, લલિતભાઇ વોરા, શહેર ભાજપ પ્રમુખ ડી.જી. બાલધા, યુવા ભાજપ પ્રમુખ રાજુભાઇ વઘાસિયા, મહામંત્રી નિમેષ અગ્રાવત હાજર રહ્યા હતા. પોલીસે આ તમામ કાર્યકર્તાઓની અટક કરી હતી અને બાદમાં છોડી મૂક્યા હતા.જેતપુરમાં શહેર યુવા ભાજપ કાર્યકરો, સત્યેન ગોસાઇ, મેહુલ વોરા, રાજુભાઇ ઉસદડિયા, જિલ્લા ભાજપના પ્રકાશભાઇ પારધી, અંકુરભાઇ વ્યાસ સહિતનાઓ ‘ભારત માતા કી જય’ અને ‘ચિદમ્બરમ્ માફી માંગે’ જેવા સૂત્રોચ્ચાર કરી પુતળાનું દહન કર્યું હતું. આ તમામ કાર્યકરોની પોલીસે જાહેર સુલેહ શાંતભિંગ કાયદા હેઠળ ધરપકડ કરી હતી, બાદમાં જામીન પર છોડી મૂક્યા હતા.મોરબીમાં પણ નગર-દરવાજા ચોકમાં યુવા ભાજપના મહામંત્રી બિપીનભાઇ વ્યાસ અને કાર્યકરોએ કેન્દ્રિય ગૃહમંત્રીના પૂતળાનું દહન કર્યું હતું. ગોંડલમાં જૂના યાર્ડ પાસેથી રેલી કાઢી બસ-સ્ટેન્ડ ચોકમાં પૂતળાદહન કરાયું હતું.આમ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાંકાનેર, ધોરાજી જેવા શહેરોમાં યુવા ભાજપે કેન્દ્રિય ગૃહમંત્રીના પૂતળાનું દહન કરાયું હતું.
પાંચ વર્ષમાં ૧૨૦૦ કરોડના કામ કર્યાનો ભાજપનો દાવો
નવી ચૂંટણીનું જાહેરનામુ ગમે તે ઘડીએ આવે તે પહેલા પાંચ વર્ષના શું વિકાસ કરાયો છે તેની જાણકારી માટે શહેર ભાજપ પ્રમુખ ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું ભાજપના પાંચ વર્ષના કાર્યકાળમાં ૧૨૦૦ કરોડના વિકાસના કામો થયા છે.જેથી રાજકોટવાસીઓની સમસ્યાઓમાં ઘટાડો નોંધાયો છે અને સુવિધાઓ વધી છે. ચૂંટણી પૂર્વે ભાજપે આપેલા તમામ વચનો પાળી બતાવ્યા છે તેમ શહેર પ્રમુખ ધનસુખ ભંડેરી, મેયર સંધ્યાબેન વ્યાસ, સ્ટેન્ડિંગ ચેરમેન કશ્યપ શુક્લ અને નીતિન ભારદ્વાજે જણાવ્યું હતું. ગત કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ જેટલા વિકાસ કામો કરવાની શહેરીજનોને ખાતરી આપવામાં આવી હતી. તેમાંથી મોટાભાગના કામો થઇ ગયા છે. તેમાંથી કેટલાક પ્રોજેક્ટોના કામો હાલ ચાલું છે.પોતાના શાસનમાં પ્રાણી સંગ્રહાલય, બીઆરટીએસ પ્રોજેક્ટ, રૈયાધારમાં સૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ફ્લાયઓવર, ગરીબોને આવાસ, બીટીઓ, પીપીપીઓ ધોરણે થયેલા કામો આરોગ્યની સેવાઓ, ગૌરવપથ સહિતના રસ્તાઓના કામ, એક્સપ્રેસ ફિડર લાઇન, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, ૭૬ બગીચાનું લોકાર્પણ કર્યા છે. ‘જયા માનવી ત્યા વિકાસ’ને સાર્થક કરતા ભાજપના હોદ્દેદારોએ શહેરનો એકશન પ્લાન બનાવી સમતોલ વિકાસ કરી ૧૨૦૦ કરોડના વિકાસ કામો કરાયા છે.ઇ-ગવર્નસની સેવામાં દેશભરમાં રાજકોટ પ્રથમ નંબરે દેશના ઝડપથી વિકાસ પામતા ૧૦૦ શહેરોમાં રાજકોટનું ૨૨મુ સ્થાન છે. તેમજ કોમ્પ્યુટર, ઇન્ટરનેટ વડે ઇ-ગવર્નસ હેઠળ જુદી-જુદી સેવાઓ આપવામાં દેશભરમાં રાજકોટનો પ્રથમ નંબર આવે છે એશિયામાં બીજા નંબર ઉપર છે. માટે સ્વચ્છતાની ર્દષ્ટીએ જાહેર થયેલ યાદીમાં પણ રાજકોટ ટોપટેનમાં છે
ભાજપમાંથી વધુ એક બાગી, લીલાબાનો આરપારનો જંગ
વોર્ડ નં. ૨માં ક્યાં, કેવાં કૌભાંડો થયા છે અને તેમાં ભાજપના સ્થાનિક આગેવાનોની સાંઠગાંઠ છે તેવા આક્ષેપ સાથે મ્યુનિ. કમિશનરને ધગધગતો પત્ર.રાજકોટ ભાજપના સળગતા ઘરમાં આજે વધુ એક બળવાની હવા ફૂંકાઇ હતી. આ અગાઉ સુરભી ગ્રૂપના વિજયસિંહ વાળાએ છેડો ફાડ્યા બાદ ભાજપના દોઢ દાયકાથી વધુ જૂના સભ્ય અને છેલ્લા કેટલાક સમયથી જેના ચહેરા પર અસંતોષનું મહોરું લાગેલું છે એવા વોર્ડ નં. ૨ના કોર્પોરેટર લીલાબા જાડેજાએ પણ અંતે ભાજપમાંથી છેડો ફાડવાનો નિર્ણય આજે જાહેર કરી દીધો હતો અને તેના જ પક્ષ વિરુધ્ધ આગ ઓકતો પત્ર મ્યુનિ. કમિશનરને આપતાં ખળભળાટ મચી ગયો છે.લીલાબા જાડેજા આમતો છેલ્લા ઘણા સમયથી સાઇડ લાઇન થઇ ગયેલા છે. પક્ષના કાર્યક્રમોમાં તેને કોઇ સ્થાન આપવામાં આવતું નથી ત્યાં સુધી કે, ચૂંટણી નજીક આવી રહી છે અને એવા મોકાના સમયે ભાજપે પાંચ વર્ષમાં કરેલા કામોની જે વોર્ડવાઇઝ પુસ્તિકા છપાવી છે તેમાં વોર્ડ નં. ૨ની પુસ્તિકામાંથી લીલાબા જાડેજાની સમુળગી બાદબાકી કરી નાખવામાં આવી છે. તેના નામનો સુધ્ધા કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ વાતથી લીલાબાને પક્ષમાં પોતાનું સ્થાન જોખમમાં હોવાનું પાકેપાયે થઇ જતાં આજે જ તેમણે મહાપાલિકાની લોબીમાં અને પટાંગણમાં જાહેરમાં એવો નિર્ણય જણાવ્યો હતો કે, તેમણે સામેથી જ પક્ષમાંથી છેડો ફાડી નાખ્યો છે.તેમણે મ્યુનિ. કમિશનરને ધગધગતો પત્ર લખ્યો છે અને તેમાં લખ્યું છે કે, તેના મત વિસ્તાર વોર્ડ નં. ૨માં નહેરુનગરમાં વોંકળા પર અને સાર્વજનિક પ્લોટ પર ભાજપમાં વગ ધરાવતા કૌભાંડિયાઓએ દબાણ કરેલા છે અને તેની સામે તમો રાજકીય દબાણને વશ થઇને કોઇ પગલાં લેતા નથી.આ જ વોર્ડમાં એક પચાસ વારના મકાન પર ત્રણ માળ ગેરકાયદે ચણાઇ ગયા. આવા તો અનેક વહીવટો છે કે જેમાં મારા જ પક્ષના દબાણ હેઠળ તંત્રે આંખ આડા કાન કરી નાખ્યા છે.
પાંચ પૂજારીઓએ એક કલાકમાં ગોઠવ્યા ૩૦ હજાર રૂદ્રાક્ષ
શ્રાવણમાસના ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવનું દિવ્ય જ્યોતિર્લિંગ દીપી ઊઠ્યુ.પવિત્ર શ્રાવણમાસના ત્રીજા સોમવાર નિમીતે દેવાધિદેવ સોમનાથ મહાદેવને ૩૦ હજાર રૂદ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો હતો. પાંચ ફુટ ઉંચાઈ તથા આઠથી દસ ફુટનાં પરીધવાળા ઢળાવમય રૂદ્રાક્ષનાં ઢગથી દિવ્ય જ્યોતિર્લિંગ દીપી ઉઠયું હતું. જો કે, આજે દિવસભર સતત વરસાદનાં કારણે અગાઉના બે સોમવાર કરતા ભાવિકોની ભીડ ઓછી જોવા મળતી હતી.શ્રાવણમાસના ત્રીજા સોમવાર નિમીતે આજે પ્રથમ આદિ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવને ત્રીસ હજાર જેટલા રૂદ્રાક્ષનાં દળદાર પારાઓનો શણગાર કરાયો હતો. અંદાજે પાંચ ફુટ ઉંચાઈ ધરાવતું અને આઠ થી દસ ફુટનાં પરીધવાળા ઢળાવમય રૂદ્રાક્ષના ઢગથી દિવ્ય જ્યોતિર્લિંગ દીપી ઉઠયું હતું. રૂદ્રાક્ષના ઘેરા રંગના શણગાર પર સુવર્ણનો બીજ ચંદ્ર, સુવર્ણનું ત્રિપૂંડ તથા શિવજીનું ચાંદીનું ચળકતું મહોરૂ ગોઠવવામાં આવ્યું હતું. તેના પર ગુલાબ અને સફેદ પુષ્પના દળદાર હારનો શણગાર કરાયો હતો.અનરાધાર વરસાદ વચ્ચે પણ ભાવિકો પલળતા પલળતા મહાદેવને શિશ નમાવવા વહેલી સવારે આવી પહોંચ્યા હતા. પરંતુ આગળના બે સોમવાર કરતા ભાવિકોની સંખ્યા ઓછી જોવા મળતી હતી. આજે પ્રાત: આરતીબાદ ગોંડલ નજીકના ઈશ્વરીયા ગામના ગીરનારી આશ્રમના સાધ્વી સરસ્વતી દેવી તથા તેના ૨૦૦ અનુયાયીઓએ ઢોલ, શરણાઈ સાથે વાજતે ગાજતે મહાદેવની પૂજા કરી ધ્વજા ચડાવી હતી. સાંજે ૭:૩૦ વાગ્યે રાજકોટની સુજન સ્કૂલ ઓફ ડાન્સ દ્વારા શિવજીને પ્રિય એવા નૃત્યનો કાર્યક્રમ યોજાયો હતો.આ ઉપરાંત અમદાવાદના વેજલપુરથી રાજુભાઈ ઠાકોરે તેના ત્રણસો જેટલા શિવભક્તો સાથે ધ્વજા ચડાવી હતી. જુનાગઢ રેન્જના આઈજીપીએ પણ સોમવારની પૂર્વ સંધ્યાએ મંદિરની મૂલાકાત લીધી હતી.પાંચ પૂજારીઓએ એક કલાકમાં ગોઠવ્યા ૩૦ હજાર રૂદ્રાક્ષ -આજે સવારે મંદિરના પાંચ પૂજારીઓએ એક કલાકમાં ૩૦ હજાર પ્રાચીન રૂદ્રાક્ષનો મહાદેવનો શણગાર કર્યો હતો. આ રૂદ્રાક્ષના પારા વર્ષો જુના હોવાનું જાણવા મળ્યું હતું.
જસદણ તાલુકામાં ભાડલા ગામનો એક્સાથે પાંચ અર્થી ઊઠી
જસદણ તાલુકાના ભાડલા ગામનો પ્રજાપતિ પરિવાર રવિવારે પુત્રીના સગપણની વાત કરી પરત ફરતો હતો ત્યારે ભાડલા નજીકના કોઝવે પર પૂરના ધસમસતા પાણીમાં પરિવારના છ સહિત આઠ વ્યક્તિઓ તણાઈ ગઈ હતી. જે પૈકી બેનો બચાવ થયો હતો. દરમિયાન સવારે પ્રજાપતિ પરિવારના પાંચના મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારબાદ એક સાથે પાંચેય વ્યક્તિઓની અંતિમયાત્રામાં મોટાભાગના ગ્રામજનો જોડાયા હતા. હૈયાફાટ રૂદન વચ્ચે શોકની કાલીમા છવાઈ ગઈ હતી. જ્યારે ભાડલા ગામ શોકમય બંધ રહ્યું હતું.કરુણ બનાવની વિગતમાં ભાડલા ગામે કિરાણાનો વ્યવસાય કરતાં બાબુભાઈ ગોવિંદભાઈ સરેરિયા, તેના પત્ની મંજુબેન, ભાઈ બટુકભાઈ તથા બટુકભાઈના પત્ની ગીતાબેન અને શારદાબેન ભગવાનજીભાઈ સરેરિયા સહિતનો પ્રજાપતિ પરિવાર પુત્રીના સગપણની વાત માટે રાજકોટ આવ્યો હતો. ત્યારબાદ પરત ભાડલા યુટીલિટી જીપમાં ફર્યો હતો.આ તકે સુપડાધાર વરસાદના પગલે ભાડલા પાસેના ભીડભંજન રોડ પર આવેલા કોઝવે પર પૂરના પાણી ફરી વળ્યા હતા. જેથી જીપ ચાલકે આગળ જવાનો ઈનકાર કરી દીધો હતો પરંતુ પ્રજાપતિ પરિવાર અને ભાડલા ગામના બે હીરા ઘસુ હિતેશ પ્રકાશભાઈ કાકડિયા અને ભાર્ગવ રમેશભાઈ દોમડિયા નામના બે પટેલ યુવાન એમ કુલ આઠ વ્યક્તિઓ એકબીજાનો હાથ ઝાલી પૂરના પાણીમાંથી પસાર થવાની કોશિશ કરી હતી. દરમિયાન પાણીની થપાટ લાગતા આઠે-આઠ વ્યક્તિઓ પૂરના પાણીમાં ગરક થઈ ગયા હતા.જે પૈકી ભગવાનજીભાઈ અને હિતેશ લાકડું પકડી પૂરમાંથી હેમખેમ બહાર આવી જતાં બચી ગયા હતા. જ્યારે અન્ય છ વ્યક્તિ પૂરના પાણીમાં તણાઈ ગઈ હતી. આ બનાવની જાણ થતાં જ ગ્રામજનો અને રાજકીય આગેવાનો દોડી આવ્યા હતા. સાથોસાથ રાજકોટ ફાયરબ્રિગેડની ટીમ પણ બચાવ કામગીરી માટે દોડી ગઈ હતી. આખી રાતના અંતે વહેલી સવારે તરવૈયાઓએ પ્રજાપતિ પરિવારની પાંચ વ્યક્તિના મૃતદેહો શોધી કાઢયા હતા. પરંતુ ભાર્ગવનો મૃતદેહ હજુ સુધી હાથ આવ્યો ન હતો. જેની શોધખોળ ચાલુ છે.એક સાથે પાંચ-પાંચ વ્યક્તિના મૃત્યુના બનાવથી ખોબા જેવડા ભાડલામાં સન્નાટો છવાઈ ગયો હતો. અને શોકમય ગામ બંધ રહ્યું હતું. દરમિયાન પાંચ-પાંચ અર્થી ઊઠતા મોટાભાગના ગ્રામજનો પ્રજાપતિ પરિવારના સભ્યોની અંતિમયાત્રામાં જોડાયા હતા. હૈયાફાટ રૂદન વચ્ચે શોકની કાલીમા છવાઈ ગઈ હતી.
જામનગરમાં મજદૂર સંઘોએ કર્યા ધરણાં
મોંઘવારી, બેકારી, ડીસઇન્વેસમેન્ટ, કોન્ટ્રાકટ પ્રથાના વિરોધમાં જામનગરમાં આજે ભારતીય મઝદુર સંઘ અને સંલગ્ન યુનિયનોએ ધરણાં કરી કલેક્ટર મારફત વડાપ્રધાનને આવેદન પાઠવ્યું હતું. જેમાં પડતર પ્રશ્નો તાકીદે ઉકેલવા સંગઠનોએ માંગણી કરી છે.
ભારતીય મઝદુર સંઘ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કર્મચારી સંઘ, પોર્ટ એન્ડ ડોક કર્મચારી મહાસંઘ અને પ્રતિરક્ષા મઝદુર સંઘ આવેદનપત્રમાં જણાવ્યું છેકે, દેશમાં છેલ્લા ઘણા સમયથી સરકારનો જીવન જરુરી ચીજવસ્તુઓનાં ભાવ પર કોઇ અંકુશ કે તે પ્રત્યે કોઇ પરીણામ લક્ષી કાર્યવાહી કરવામાં આવી નથી. જે દેશ ને દેશનાં ૪૫ કરોડ શ્રમિકો માટે ખુબજ દુ:ખ અને અસહ્ય બાબત છે.સરકાર દ્વારા તેલ, પેટ્રોલ ગેસનાં ભાવમાં વધારો કરી ગરીબ, સામાન્ય મધ્યમ વર્ગીય લોકોની અર્થવ્યવસ્થા અસ્તવ્યસ્ત કરી નાખી છે. સરકારનો જમાખોરો, નફાખોરો પર પણ અંકુશ રહ્યો નથી.
રાજકોટમાં તોફાની ઝાપટું, ચોમેર પાણી ભરાયાં
પંદર મિનિટમાં અડધો ઇંચ પાણી પડી ગયું.
શહેરમાં આજે ફરી મેઘરાજાએ સાંજે પડાવ નાખ્યો હતો. દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ મોડી સાંજે શરૂઆતમાં ધીમીધારે વરસાદ વરસ્યા બાદ આઠેક વાગ્યાના અરસામાં તોફાની ઝાપટું તૂટી પડ્યું હતું. માત્ર પંદર મિનિટમાં જ અડધા ઇંચથી વધુ પાણી પડી જતાં માર્ગો પર નદીના વહેણની માફક પાણી વહેતું હતું.ગઇકાલે એક જ દિવસમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યા બાદ આજે પણ મેઘસવારી અવિરત રહી હતી. જો કે દિવસ દરમિયાન માત્ર છાંટા જ પડ્યા હતા. પણ બપોર પછી રાબેતા મુજબ મેઘરાજાએ દર્શન દીધા હતા અને આઠેક વાગ્યે તોફાની ઝાપટું વરસ્યું હતું. વરસાદનું જોર એવું હતું કે, હમણાં બારે મેઘ ખાંગા થશે તેવો સૂપડાધારે વરસાદ પડતો હતો.રસ્તા ઉપર પણ કંઇ દેખાતું ન હતું. આવા તોફાની વરસાદ વચ્ચે માર્ગો પર નદીના વહેણની માફક પાણી વહેવા લાગ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણી માંડ ઓસર્યા હતા ત્યાં ફરી તળાવ ભરાઇ ગયા હતા. વીસ મિનિટના આ ઝાપટામાં અડધા ઇંચથી વધુ પાણી પડી ગયું હતું. બીજી બાજુ આવતીકાલથી જન્માષ્ટમીનો મેળો શરૂ થઇ રહ્યો છે.
રાજકોટના બદાણી જવેલર્સમાંથી ૧૭ લાખની ચોરી
શહેરને રેઢું પડ સમજીને ધમરોળી રહેલા તસ્કરો દીવાનપરા પોલીસ ચોકીની બરાબર સામે આવેલા અને ત્રણ દિવસથી બંધ બદાણી જવેલર્સમાં વેન્ટલેશનની ગ્રીલ તોડીને અંદરથી આશરે રૂ. ૧૭ લાખની કિંમતના સોનાના એક કિલો ઘરેણાં ચોરી ગયાનો બનાવ નોંધાતા સનસનાટી મચી ગઇ છે. શ્રોફ રોડ પર સૂરજ એપાર્ટમેન્ટમાં રહેતા પારસભાઇ બળવંતભાઇ બદાણીએ ભૂપેન્દ્ર રોડ પર દીવાનપરા પોલીસ ચોકી સામે આવેલા તેની માલિકીના જવેલર્સમાં ચોરી થયાની પોલીસને જાણ કરી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, જવેલર્સમાં તેમના પિતા બળવંતભાઇ (ગોલ્ડ ડિલર્સ એસો. ના પ્રમુખ) પણ સાથે બેસતા હતા. તાજેતરમાં તેમનું અવસાન થતાં પોતે એકલા શો-રૂમ સંભાળે છે. પારસભાઇ શુક્રવારે પથરીના ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા અને આજે સોમવારે રજા અપાતા સાંજે દિવાબત્તી કરવા શો-રૂમ ગયા હતા.શો-રૂમના તાળાં અકબંધ હતા. શટર ખોલીને અંદર નજર કરતા શો કેસમાં ડિસ્પ્લેમાં ગોઠવેલા અંદાજે એક કિલો વજનના સોનાના ઘરેણાં ગાયબ હતા. તપાસ કરતા સાઇન બોર્ડની ઉપરના વેિન્ટલેશનની ગ્રીલના સિળયા કપાયેલા હતા. ૧૭ લાખની ચોરી થયાની જાણ થતાં ડીસીપી મયંકસિંહ ચાવડા, પી. આઇ. વી. બી. જાડેજા, ક્રાઇમ બ્રાંચના પી. આઇ. દગિુભા વાઘેલા, સબ ઇન્સપેક્ટર ડી. એન. પટેલ સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગત મુજબ, વેન્ટિલેશનમાંથી પ્રવેશેલા તસ્કરો સ્ટોર રૂમમાં થઇને નીચેના શો રૂમમાં પ્રવેશયા હતા અને વેિન્ટલેશન ઉપર કંતાન બાંધી દીધા હતા.
સૌરાષ્ટ્રમાં વધુ અડધાથી સાડા પાંચ ઇંચ વરસાદ
વેરાવળમાં સાડા પાંચ, પોરબંદર, જામજોધપુરમાં પાંચ, કુતિયાણામાં સાડા ત્રણ, માંગરોળ, જોડિયામાં સાડા ત્રણ, મોરબીમાં પોણા ત્રણ, દામનગરમાં બે ઇંચ પાણી વરસ્યું.સૌરાષ્ટ્રભરમાં છેલ્લા છ દિવસથી મેઘરાજા શ્રાવણ માસમાં ભરચોમાસાનો અહેસાસ કરાવી રહ્યા છે. રવિવારે રાજકોટ, સોરઠ, પોરબંદર પંથકને તરબતર કર્યા બાદ સોમવારે જાણે સોમનાથ મહાદેવને જળાભિષેક કરતા હોય તેમ આભમાંથી વેરાવળ પંથકમાં સાડા પાંચ ઇંચ પાણી વરસ્યું હતું. આ ઉપરાંત સોરઠ પંથકમાં અડધાથી સાડા ત્રણ ઇંચ વધુ વરસાદ વરસતાં સતત બીજા દિવસે જુનાગઢ જિલ્લામાં જળબંબોળની સ્થિતિ સર્જાણી છે.જ્યારે હાલારમાં અડધાથી સવા ચાર ઇંચ સાર્વત્રિક વરસાદ પડતાં અનેક જળાશયો પુન: છલકાઇ ગયા છે અને અનેક સ્થળે પાણી ભરાઇ ગયા છે. દરમિયાન પોરબંદર પંથકમાં મેઘરાજાએ વધુ સાડા ત્રણ ઇંચ પાણી વરસાવતા અનેક વિસ્તારોમાં પાણી-પાણી થઇ ગયા છે. રવિવારે રાજકોટ જિલ્લામાં સૂપડાધારે વરસાદ વરસ્યા બાદ સોમવારે પણ મોરબી, ધોરાજી, ઉપલેટા પંથકમાં ઝાપટાંથી માંડી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તેમજ અમરેલી જિલ્લામાં દામનગર, ધારી, વડિયા, લાઠી, બગસરા અને ખાંભા પંથકમાં બે ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. જેના પગલે મુંજિયાસર ડેમ પ્રથમ વખત ઓવરફલો થયો હતો.
આર.પી. જાડેજાએ ૨.૫૦ કરોડનું ડિસ્ક્લોઝર કર્યું
રાજકોટમાં જમીન-મકાનની લે-વેચ ક્ષેત્રે મોટું નામ ધરાવતા આર.પી. જાડેજાને ત્યાં ઈન્કમટેક્સ વિભાગે પાડેલા દરોડાના એકાદ માસ બાદ અંતે ૨.૫૦ કરોડની બેનામી મિલકતો જાહેર કરવામાં આવી છે. આમ છતાં તપાસનો ધમધમાટ હજુ ચાલુ જ રહેશે તેવો નિર્દેશ આઈ.ટી.ના ઉચ્ચ અધિકારીઓએ આપ્યો હતો.રાજકોટમાં એકાદ માસ પહેલાં આર.પી. જાડેજા અને નરેન્દ્ર સોલંકી સહિત બિલ્ડરો અને સોની વેપારીઓને ત્યાં ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. ૧૫થી વધુ સ્થળે કરાયેલી સર્ચની કાર્યવાહી દરમિયાન ૫૦ કરોડથી વધુના બેનામી વ્યવહારો બહાર આવ્યા હતા.નરેન્દ્ર સોલંકી અને આર.પી. જાડેજાના માણસો દ્વારા આઈ.ટી.ના અધિકારીઓ પર હુમલો કરવામાં આવતાં મામલો વધુ ગંભીર બન્યો હતો. નરેન્દ્ર સોલંકી જામીન પર છૂટયા બાદ તેઓએ પણ લાખોની બેનામી મિલકત જાહેર કરી હતી. જો કે આર.પી. જાડેજાને ત્યાંથી કોઈ કાર્યવાહી થઈ ન હતી.દરમિયાન જાડેજાને ત્યાં પણ સીલ કરી દેવાયેલા સ્થળે ફરી દરોડાની ગતિવિધિ કરવામાં આવતા અઢી કરોડની બેનામી મિલકતો જાડેજા ગ્રૂપ દ્વારા જાહેર કરવામાં આવી છે.જો કે આઈ.ટી.ના અધિકારીઓને આ આંકડો હજુ બહું જ નાનો લાગે છે અને હજી વધુ કાળુ નાણું બહાર આવે તેવી સંભાવનાને નજર સમક્ષ રાખીને તપાસ ચાલુ જ રાખવામાં આવશે તેમ આઈ.ટી.ના અધિકારીઓએ જણાવ્યું હતું.
વિસ્ફોટકો માટે સાડા ત્રણ કરોડનું ચૂકવણું રાજકોટથી થયું હતું
૧પ, ઓગસ્ટ પૂર્વે રાજસ્થાનના ધોલપુરથી મધ્યપ્રદેશના સાગર જિલ્લા માટે રવાના થયા બાદ ગુમ થઇ ગયેલા વિસ્ફોટકો ભરેલા ૬૪ ટ્રકનું પગેરું રાજકોટ સુધી લંબાયુ હતું. વિસ્ફોટકો માટે રાજસ્થાન એક્સ્પ્લોઝીવ કંપની લિમિટેડ (આર.ઇ.સી.એલ.)ને સાડા ત્રણ કરોડ જેવી માતબર રકમ રાજકોટથી ચૂકવાઇ હોવાનું ખૂલતા પોલીસે આ મામલે રિઝર્વ બેંક, ઇન્કમટેક્સ અને સેલટેક્સ વિભાગને લેખિત જાણ કરતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.માલ મગાવનાર આસવાની અને શિવચરણ હેડા પણ લાપતા છે. રાજકોટમાં ભૂમી એન્ટરપ્રાઇઝ નામથી એક્સ્પ્લોઝીવનુ લાઇસન્સ ધરાવતા આસવાની અને ગંગા શ્રોફ નામની પેઢી ધરાવતા હેડાની ‘કુંડળી’ જાણવા તેમજ આ પ્રકરણમાં ઉપરોકત બન્નેની શું ભૂમિકા છે ?તે જાણવા સઘન તપાસ થઇ રહી છે. ધોલપુરથી સાગર માટે રવાના કરાયેલા ૬૪ ટ્રક વિસ્ફોટકનું ચૂકવણું રાજકોટની એક બેંકમાંથી થયું હતું. આ ટ્રાન્ઝેકશનમાં બેંકના અધિનિયમોનો ભંગ થયાની પોલીસે શંકા વ્યક્ત કરી આ અંગેની વિસ્તૃત તપાસ માટે રિઝર્વ બેંક, ઇન્કમટેક્સ અને સેલ્સ ટેક્સ વિભાગને લેખિતમાં જાણ કરાઇ હોવાનું સાગરના રેન્જ આઇ. જી. અન્વેષ મંગલમે જણાવ્યું છે.
યુવા ભાજપ દ્વારા ચિદમ્બરમના પૂતળાનું દહન કરાયું
કેન્દ્રિય ગૃહમંત્રી પી.ચિદમ્બરમે ‘ભગવા આતંકવાદ’ શબ્દના કરેલા ઉપયોગના વિરોધમાં સૌરાષ્ટ્રમાં જેતપુર, ધોરાજી, ગોંડલ, વાંકાનેર, મોરબી સહિતના શહેરોમાં યુવા ભાજપ દ્વારા ગૃહમંત્રી પી. ચિદમ્બરમ્ના પૂતળાનું દહન કરી સૂત્રોચ્ચાર કરાયા હતા. દરમિયાન પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કર્યાબાદ જામીન પર મુક્ત કર્યા હતા.કેન્દ્રિય ગૃહમંત્રી આ શબ્દના ઉપયોગના વિરોધમાં ધોરાજીમાં શહેર યુવા ભાજપ દ્વારા આઝાદ ચોકમાં કેન્દ્રિય ગૃહમંત્રીના પૂતળાનું દહન કરાયું હતું અને કેન્દ્રની યુ.પી.એ. સરકારના વિરુધ્ધ સૂત્રોચ્ચાર કરાયા હતા.આ તકે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મુક્તાબહેન વઘાસિયા, લલિતભાઇ વોરા, શહેર ભાજપ પ્રમુખ ડી.જી. બાલધા, યુવા ભાજપ પ્રમુખ રાજુભાઇ વઘાસિયા, મહામંત્રી નિમેષ અગ્રાવત હાજર રહ્યા હતા. પોલીસે આ તમામ કાર્યકર્તાઓની અટક કરી હતી અને બાદમાં છોડી મૂક્યા હતા.જેતપુરમાં શહેર યુવા ભાજપ કાર્યકરો, સત્યેન ગોસાઇ, મેહુલ વોરા, રાજુભાઇ ઉસદડિયા, જિલ્લા ભાજપના પ્રકાશભાઇ પારધી, અંકુરભાઇ વ્યાસ સહિતનાઓ ‘ભારત માતા કી જય’ અને ‘ચિદમ્બરમ્ માફી માંગે’ જેવા સૂત્રોચ્ચાર કરી પુતળાનું દહન કર્યું હતું. આ તમામ કાર્યકરોની પોલીસે જાહેર સુલેહ શાંતભિંગ કાયદા હેઠળ ધરપકડ કરી હતી, બાદમાં જામીન પર છોડી મૂક્યા હતા.મોરબીમાં પણ નગર-દરવાજા ચોકમાં યુવા ભાજપના મહામંત્રી બિપીનભાઇ વ્યાસ અને કાર્યકરોએ કેન્દ્રિય ગૃહમંત્રીના પૂતળાનું દહન કર્યું હતું. ગોંડલમાં જૂના યાર્ડ પાસેથી રેલી કાઢી બસ-સ્ટેન્ડ ચોકમાં પૂતળાદહન કરાયું હતું.આમ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાંકાનેર, ધોરાજી જેવા શહેરોમાં યુવા ભાજપે કેન્દ્રિય ગૃહમંત્રીના પૂતળાનું દહન કરાયું હતું.
પાંચ વર્ષમાં ૧૨૦૦ કરોડના કામ કર્યાનો ભાજપનો દાવો
નવી ચૂંટણીનું જાહેરનામુ ગમે તે ઘડીએ આવે તે પહેલા પાંચ વર્ષના શું વિકાસ કરાયો છે તેની જાણકારી માટે શહેર ભાજપ પ્રમુખ ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું ભાજપના પાંચ વર્ષના કાર્યકાળમાં ૧૨૦૦ કરોડના વિકાસના કામો થયા છે.જેથી રાજકોટવાસીઓની સમસ્યાઓમાં ઘટાડો નોંધાયો છે અને સુવિધાઓ વધી છે. ચૂંટણી પૂર્વે ભાજપે આપેલા તમામ વચનો પાળી બતાવ્યા છે તેમ શહેર પ્રમુખ ધનસુખ ભંડેરી, મેયર સંધ્યાબેન વ્યાસ, સ્ટેન્ડિંગ ચેરમેન કશ્યપ શુક્લ અને નીતિન ભારદ્વાજે જણાવ્યું હતું. ગત કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ જેટલા વિકાસ કામો કરવાની શહેરીજનોને ખાતરી આપવામાં આવી હતી. તેમાંથી મોટાભાગના કામો થઇ ગયા છે. તેમાંથી કેટલાક પ્રોજેક્ટોના કામો હાલ ચાલું છે.પોતાના શાસનમાં પ્રાણી સંગ્રહાલય, બીઆરટીએસ પ્રોજેક્ટ, રૈયાધારમાં સૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ફ્લાયઓવર, ગરીબોને આવાસ, બીટીઓ, પીપીપીઓ ધોરણે થયેલા કામો આરોગ્યની સેવાઓ, ગૌરવપથ સહિતના રસ્તાઓના કામ, એક્સપ્રેસ ફિડર લાઇન, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, ૭૬ બગીચાનું લોકાર્પણ કર્યા છે. ‘જયા માનવી ત્યા વિકાસ’ને સાર્થક કરતા ભાજપના હોદ્દેદારોએ શહેરનો એકશન પ્લાન બનાવી સમતોલ વિકાસ કરી ૧૨૦૦ કરોડના વિકાસ કામો કરાયા છે.ઇ-ગવર્નસની સેવામાં દેશભરમાં રાજકોટ પ્રથમ નંબરે દેશના ઝડપથી વિકાસ પામતા ૧૦૦ શહેરોમાં રાજકોટનું ૨૨મુ સ્થાન છે. તેમજ કોમ્પ્યુટર, ઇન્ટરનેટ વડે ઇ-ગવર્નસ હેઠળ જુદી-જુદી સેવાઓ આપવામાં દેશભરમાં રાજકોટનો પ્રથમ નંબર આવે છે એશિયામાં બીજા નંબર ઉપર છે. માટે સ્વચ્છતાની ર્દષ્ટીએ જાહેર થયેલ યાદીમાં પણ રાજકોટ ટોપટેનમાં છે
ભાજપમાંથી વધુ એક બાગી, લીલાબાનો આરપારનો જંગ
વોર્ડ નં. ૨માં ક્યાં, કેવાં કૌભાંડો થયા છે અને તેમાં ભાજપના સ્થાનિક આગેવાનોની સાંઠગાંઠ છે તેવા આક્ષેપ સાથે મ્યુનિ. કમિશનરને ધગધગતો પત્ર.રાજકોટ ભાજપના સળગતા ઘરમાં આજે વધુ એક બળવાની હવા ફૂંકાઇ હતી. આ અગાઉ સુરભી ગ્રૂપના વિજયસિંહ વાળાએ છેડો ફાડ્યા બાદ ભાજપના દોઢ દાયકાથી વધુ જૂના સભ્ય અને છેલ્લા કેટલાક સમયથી જેના ચહેરા પર અસંતોષનું મહોરું લાગેલું છે એવા વોર્ડ નં. ૨ના કોર્પોરેટર લીલાબા જાડેજાએ પણ અંતે ભાજપમાંથી છેડો ફાડવાનો નિર્ણય આજે જાહેર કરી દીધો હતો અને તેના જ પક્ષ વિરુધ્ધ આગ ઓકતો પત્ર મ્યુનિ. કમિશનરને આપતાં ખળભળાટ મચી ગયો છે.લીલાબા જાડેજા આમતો છેલ્લા ઘણા સમયથી સાઇડ લાઇન થઇ ગયેલા છે. પક્ષના કાર્યક્રમોમાં તેને કોઇ સ્થાન આપવામાં આવતું નથી ત્યાં સુધી કે, ચૂંટણી નજીક આવી રહી છે અને એવા મોકાના સમયે ભાજપે પાંચ વર્ષમાં કરેલા કામોની જે વોર્ડવાઇઝ પુસ્તિકા છપાવી છે તેમાં વોર્ડ નં. ૨ની પુસ્તિકામાંથી લીલાબા જાડેજાની સમુળગી બાદબાકી કરી નાખવામાં આવી છે. તેના નામનો સુધ્ધા કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ વાતથી લીલાબાને પક્ષમાં પોતાનું સ્થાન જોખમમાં હોવાનું પાકેપાયે થઇ જતાં આજે જ તેમણે મહાપાલિકાની લોબીમાં અને પટાંગણમાં જાહેરમાં એવો નિર્ણય જણાવ્યો હતો કે, તેમણે સામેથી જ પક્ષમાંથી છેડો ફાડી નાખ્યો છે.તેમણે મ્યુનિ. કમિશનરને ધગધગતો પત્ર લખ્યો છે અને તેમાં લખ્યું છે કે, તેના મત વિસ્તાર વોર્ડ નં. ૨માં નહેરુનગરમાં વોંકળા પર અને સાર્વજનિક પ્લોટ પર ભાજપમાં વગ ધરાવતા કૌભાંડિયાઓએ દબાણ કરેલા છે અને તેની સામે તમો રાજકીય દબાણને વશ થઇને કોઇ પગલાં લેતા નથી.આ જ વોર્ડમાં એક પચાસ વારના મકાન પર ત્રણ માળ ગેરકાયદે ચણાઇ ગયા. આવા તો અનેક વહીવટો છે કે જેમાં મારા જ પક્ષના દબાણ હેઠળ તંત્રે આંખ આડા કાન કરી નાખ્યા છે.
પાંચ પૂજારીઓએ એક કલાકમાં ગોઠવ્યા ૩૦ હજાર રૂદ્રાક્ષ
શ્રાવણમાસના ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવનું દિવ્ય જ્યોતિર્લિંગ દીપી ઊઠ્યુ.પવિત્ર શ્રાવણમાસના ત્રીજા સોમવાર નિમીતે દેવાધિદેવ સોમનાથ મહાદેવને ૩૦ હજાર રૂદ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો હતો. પાંચ ફુટ ઉંચાઈ તથા આઠથી દસ ફુટનાં પરીધવાળા ઢળાવમય રૂદ્રાક્ષનાં ઢગથી દિવ્ય જ્યોતિર્લિંગ દીપી ઉઠયું હતું. જો કે, આજે દિવસભર સતત વરસાદનાં કારણે અગાઉના બે સોમવાર કરતા ભાવિકોની ભીડ ઓછી જોવા મળતી હતી.શ્રાવણમાસના ત્રીજા સોમવાર નિમીતે આજે પ્રથમ આદિ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવને ત્રીસ હજાર જેટલા રૂદ્રાક્ષનાં દળદાર પારાઓનો શણગાર કરાયો હતો. અંદાજે પાંચ ફુટ ઉંચાઈ ધરાવતું અને આઠ થી દસ ફુટનાં પરીધવાળા ઢળાવમય રૂદ્રાક્ષના ઢગથી દિવ્ય જ્યોતિર્લિંગ દીપી ઉઠયું હતું. રૂદ્રાક્ષના ઘેરા રંગના શણગાર પર સુવર્ણનો બીજ ચંદ્ર, સુવર્ણનું ત્રિપૂંડ તથા શિવજીનું ચાંદીનું ચળકતું મહોરૂ ગોઠવવામાં આવ્યું હતું. તેના પર ગુલાબ અને સફેદ પુષ્પના દળદાર હારનો શણગાર કરાયો હતો.અનરાધાર વરસાદ વચ્ચે પણ ભાવિકો પલળતા પલળતા મહાદેવને શિશ નમાવવા વહેલી સવારે આવી પહોંચ્યા હતા. પરંતુ આગળના બે સોમવાર કરતા ભાવિકોની સંખ્યા ઓછી જોવા મળતી હતી. આજે પ્રાત: આરતીબાદ ગોંડલ નજીકના ઈશ્વરીયા ગામના ગીરનારી આશ્રમના સાધ્વી સરસ્વતી દેવી તથા તેના ૨૦૦ અનુયાયીઓએ ઢોલ, શરણાઈ સાથે વાજતે ગાજતે મહાદેવની પૂજા કરી ધ્વજા ચડાવી હતી. સાંજે ૭:૩૦ વાગ્યે રાજકોટની સુજન સ્કૂલ ઓફ ડાન્સ દ્વારા શિવજીને પ્રિય એવા નૃત્યનો કાર્યક્રમ યોજાયો હતો.આ ઉપરાંત અમદાવાદના વેજલપુરથી રાજુભાઈ ઠાકોરે તેના ત્રણસો જેટલા શિવભક્તો સાથે ધ્વજા ચડાવી હતી. જુનાગઢ રેન્જના આઈજીપીએ પણ સોમવારની પૂર્વ સંધ્યાએ મંદિરની મૂલાકાત લીધી હતી.પાંચ પૂજારીઓએ એક કલાકમાં ગોઠવ્યા ૩૦ હજાર રૂદ્રાક્ષ -આજે સવારે મંદિરના પાંચ પૂજારીઓએ એક કલાકમાં ૩૦ હજાર પ્રાચીન રૂદ્રાક્ષનો મહાદેવનો શણગાર કર્યો હતો. આ રૂદ્રાક્ષના પારા વર્ષો જુના હોવાનું જાણવા મળ્યું હતું.
જસદણ તાલુકામાં ભાડલા ગામનો એક્સાથે પાંચ અર્થી ઊઠી
જસદણ તાલુકાના ભાડલા ગામનો પ્રજાપતિ પરિવાર રવિવારે પુત્રીના સગપણની વાત કરી પરત ફરતો હતો ત્યારે ભાડલા નજીકના કોઝવે પર પૂરના ધસમસતા પાણીમાં પરિવારના છ સહિત આઠ વ્યક્તિઓ તણાઈ ગઈ હતી. જે પૈકી બેનો બચાવ થયો હતો. દરમિયાન સવારે પ્રજાપતિ પરિવારના પાંચના મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારબાદ એક સાથે પાંચેય વ્યક્તિઓની અંતિમયાત્રામાં મોટાભાગના ગ્રામજનો જોડાયા હતા. હૈયાફાટ રૂદન વચ્ચે શોકની કાલીમા છવાઈ ગઈ હતી. જ્યારે ભાડલા ગામ શોકમય બંધ રહ્યું હતું.કરુણ બનાવની વિગતમાં ભાડલા ગામે કિરાણાનો વ્યવસાય કરતાં બાબુભાઈ ગોવિંદભાઈ સરેરિયા, તેના પત્ની મંજુબેન, ભાઈ બટુકભાઈ તથા બટુકભાઈના પત્ની ગીતાબેન અને શારદાબેન ભગવાનજીભાઈ સરેરિયા સહિતનો પ્રજાપતિ પરિવાર પુત્રીના સગપણની વાત માટે રાજકોટ આવ્યો હતો. ત્યારબાદ પરત ભાડલા યુટીલિટી જીપમાં ફર્યો હતો.આ તકે સુપડાધાર વરસાદના પગલે ભાડલા પાસેના ભીડભંજન રોડ પર આવેલા કોઝવે પર પૂરના પાણી ફરી વળ્યા હતા. જેથી જીપ ચાલકે આગળ જવાનો ઈનકાર કરી દીધો હતો પરંતુ પ્રજાપતિ પરિવાર અને ભાડલા ગામના બે હીરા ઘસુ હિતેશ પ્રકાશભાઈ કાકડિયા અને ભાર્ગવ રમેશભાઈ દોમડિયા નામના બે પટેલ યુવાન એમ કુલ આઠ વ્યક્તિઓ એકબીજાનો હાથ ઝાલી પૂરના પાણીમાંથી પસાર થવાની કોશિશ કરી હતી. દરમિયાન પાણીની થપાટ લાગતા આઠે-આઠ વ્યક્તિઓ પૂરના પાણીમાં ગરક થઈ ગયા હતા.જે પૈકી ભગવાનજીભાઈ અને હિતેશ લાકડું પકડી પૂરમાંથી હેમખેમ બહાર આવી જતાં બચી ગયા હતા. જ્યારે અન્ય છ વ્યક્તિ પૂરના પાણીમાં તણાઈ ગઈ હતી. આ બનાવની જાણ થતાં જ ગ્રામજનો અને રાજકીય આગેવાનો દોડી આવ્યા હતા. સાથોસાથ રાજકોટ ફાયરબ્રિગેડની ટીમ પણ બચાવ કામગીરી માટે દોડી ગઈ હતી. આખી રાતના અંતે વહેલી સવારે તરવૈયાઓએ પ્રજાપતિ પરિવારની પાંચ વ્યક્તિના મૃતદેહો શોધી કાઢયા હતા. પરંતુ ભાર્ગવનો મૃતદેહ હજુ સુધી હાથ આવ્યો ન હતો. જેની શોધખોળ ચાલુ છે.એક સાથે પાંચ-પાંચ વ્યક્તિના મૃત્યુના બનાવથી ખોબા જેવડા ભાડલામાં સન્નાટો છવાઈ ગયો હતો. અને શોકમય ગામ બંધ રહ્યું હતું. દરમિયાન પાંચ-પાંચ અર્થી ઊઠતા મોટાભાગના ગ્રામજનો પ્રજાપતિ પરિવારના સભ્યોની અંતિમયાત્રામાં જોડાયા હતા. હૈયાફાટ રૂદન વચ્ચે શોકની કાલીમા છવાઈ ગઈ હતી.
જામનગરમાં મજદૂર સંઘોએ કર્યા ધરણાં
મોંઘવારી, બેકારી, ડીસઇન્વેસમેન્ટ, કોન્ટ્રાકટ પ્રથાના વિરોધમાં જામનગરમાં આજે ભારતીય મઝદુર સંઘ અને સંલગ્ન યુનિયનોએ ધરણાં કરી કલેક્ટર મારફત વડાપ્રધાનને આવેદન પાઠવ્યું હતું. જેમાં પડતર પ્રશ્નો તાકીદે ઉકેલવા સંગઠનોએ માંગણી કરી છે.
ભારતીય મઝદુર સંઘ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કર્મચારી સંઘ, પોર્ટ એન્ડ ડોક કર્મચારી મહાસંઘ અને પ્રતિરક્ષા મઝદુર સંઘ આવેદનપત્રમાં જણાવ્યું છેકે, દેશમાં છેલ્લા ઘણા સમયથી સરકારનો જીવન જરુરી ચીજવસ્તુઓનાં ભાવ પર કોઇ અંકુશ કે તે પ્રત્યે કોઇ પરીણામ લક્ષી કાર્યવાહી કરવામાં આવી નથી. જે દેશ ને દેશનાં ૪૫ કરોડ શ્રમિકો માટે ખુબજ દુ:ખ અને અસહ્ય બાબત છે.સરકાર દ્વારા તેલ, પેટ્રોલ ગેસનાં ભાવમાં વધારો કરી ગરીબ, સામાન્ય મધ્યમ વર્ગીય લોકોની અર્થવ્યવસ્થા અસ્તવ્યસ્ત કરી નાખી છે. સરકારનો જમાખોરો, નફાખોરો પર પણ અંકુશ રહ્યો નથી.
મચ્છુ-૨ના ૧૮ દરવાજા ખોલાતાં પૂરની સ્થિતિ
visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
મચ્છુ-૨ના ૧૮ દરવાજા ખોલાતાં પૂરની સ્થિતિ
મોરબી પંથકની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ-૨ ડેમમાં પાણીની તોતિંગ આવકના પગલે ડેમના ૧૮ દરવાજા ચાર ફૂટ ખોલી વિપુલ પ્રમાણમાં પાણી છોડવાની ફરજ પડતા મચ્છુ નદી ગાંડીતૂર બની છે, અને મચ્છું નદીનું સ્તર વધતા નદીકાંઠા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.મચ્છુ-૧ ડેમ સતત ઓવરફ્લો થવાથી અને ઉપરકાંઠા વિસ્તારમાં ભારે વરસાદથી પહેલેથી ઓવરફ્લો થયેલા મચ્છુ-૨ ડેમમાં પાણીની તોતિંગ આવક શરૂ થતાં આજે વહેલી સવારે ચાર વાગ્યે મચ્છુ-૨ના એકી સાથે ૧૮ દરવાજા ચાર ફૂટ સુધી ખોલવાની ફરજ પડી હતી. ડેમમાંથી એકી સાથે પ્રતિ સેકન્ડે ૪૬,૬૦૩ કયુસેક પાણી છોડાતા મચ્છુ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા પહેલેથી બે કાંઠે વહી રહેલી મચ્છુ ગાંડીતૂર બની હતી.મચ્છુ નદીમાં વિપુલ પ્રમાણમાં પાણી છોડાતાની સાથે જ તંત્રએ નિચાણવાળા અને નદીકાંઠા વિસ્તારો અને અસરગ્રસ્તોની સંભાવનાવાળા ૨૮ ગામોમાં હાઇ એલર્ટ જારી કરી દીધું હતું. જ્યારે બીજી બાજું ડેમમાંથી છોડાયેલું લાખો કયુસેક પાણી પૂર બન્ને નદી કાંઠા વિસ્તારોમાં ફરી વળ્યું હતું. મોરબીના પુલ નીચે ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને ખસેડવામાં આવ્યા હતા. જ્યારે નદીકાંઠાના રોહીદાસપરામાં પાણી ઘૂસ્યા ત્યા પણ રહેવાસીઓને ઊંચી જગ્યા પર જવાની તાકીદ કરાઇ હતી.આ ઉપરાંત મચ્છુ નદીના પાણી માળિયા (મિ.) વિસ્તારના નદી કાંઠાના ખેતરોમાં ઘૂસી જતાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. આ ઉપરાંત ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવાથી ઉછાળા મારતી મચ્છુ નદીના પાણી માળિયા (મિ.) ના હરીપર ગામ ફરતે ફરી વળતા આજ સવારથી હરીપરના ગ્રામજનો અન્ય વિસ્તારથી વિખૂટા પડી ગયા હતા. ઉપસરપંચ ગજાભાઇ માસ્તરે જણાવ્યું હતું કે અમારું ગામ બેટમાં ફેરવાઇ ગયું છે. ગામની સીમના ૯૦ ટકા ખેતરોમાં પાણી ભરાયા છે. ગામના પ્રવેશવાના રસ્તાઓ પર ચાર-ચાર ફૂટ પાણી ભરાતા ગ્રામજનો બહાર નીકળી શકે તેમ નથી.
ખારીમાં પાંચનાં ચેકડેમમાં ડૂબી જતા મોત
સિહોર તાલુકાના ખારી ગામે આવેલ ચેકડેમમાં નહાવા પડેલા ચાર બાળકો ચેકડેમમાં ડૂબતા હતા તેઓને બચાવવા જતાં એક આધેડ સહિત કુલ પાંચના ચેકડમમાં ડૂબી જવાથી કમકમાટીભર્યા કરૂણ મોત નિપજતા નાનકડા એવા ખારી ગામના લોકો હીબકે ચડ્યા હતા. આ બનાવ બનતાં સમગ્ર ગામ અને આહીર સમાજમાં શોકનું મોજું ફરી વળયું હતું.આ સમગ્ર ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાલુકાના ખારી ગામે આવેલ ચેકડેમમાં આ જ ગામના ચાર બાળકો વિશાલ ભનાભાઇ આહીર (ઉ.વ.૧૫),પંકજભાઇ ભનાભાઇ આહીર (ઉ.વ.૧૦),ભોજુભા ભનાભાઇ આહીર (ઉ.વ.૧૪), મિલન રાયમલભાઇ આહીર (ઉ.વ.૯) આ ચાર બાળકો ખારી-વાવડી રોડ પર આવેલ એક ચેકડેમમાં નહાવા પડેલ.તેવામાં આ ચારેય બાળકો ડૂબતા હોય આ બાળકોને બચાવવા જતાં રામાભાઇ જીવાભાઇ આહીર (ઉ.વ.૪૨)ના પગ કાંપમાં ઘુસી જતાં તેઓનું પણ ચેકડેમમાં ડૂબી જવાથી કમકમાટીભયું મોત નપિજેલ. આ પાંચેયના કરૂણ મોત નિપજતાં ખારી ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.જેમાં ભનાભાઇ ઉકાભાઇ ઢીલાના તો ત્રણ દીકરાઓના કરૂણ મોત નિપજતા તેઓના પરિવાર પર તો જાણે આભ તૂટી પડ્યું હતું. રે ! કરૂણતા એક જ પિતાના ત્રણ-ત્રણ સંતાનો એક જ સાથે મોત નિપજતા ભલભલા પહાડ જેવા પથ્થર હદયના માનવીના હદય પણ પીગળી ગયા હતા.ઉપરોકત પાંચેય વ્યક્તિઓના મૃતદેહોને આ જ ગામના અમૃતભાઇ ગોવિંદભાઇએ ચેકડેમમાંથી બહાર કાઢેલ.આ બનાવ બનતાં સિહોર મામલતદાર સહિતનો સ્ટાફ,તાલુકા પંચાયતના તા.વિ.અધિ.,સ્ટાફ, પીએસઆઇ દેસાઇ અને સ્ટાફ, આલાભાઇ, ગેમાભાઇ આહીર, માસાભાઇ ડાંગર , અભેશંગભાઇ મોરી, ગોપાલભાઇ,મેરાભાઇ આહીર તથા આહીર સમાજના આગેવાનો અને સિહોરના આગેવાનો.ગામ લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા.
ભાવનગર શહેર-જિલ્લામાં શ્રાવણી તહેવારો સાથે રોગચાળાનો કહેર
ભાવનગર શહેર-જિલ્લામાં શરદી, તાવ, ઉધરસના વાયરાએ માથુ ઉંચકતા લોકો તોબા પોકારી ગયા છે. શ્રાવણી તહેવારો સાથે શરદી, ઉધરસનો વાયરો ફુંકાયો છે. ઘરે-ઘરે લોકો તેનો ભોગ બની રહ્યા છે.ખાનગી અને સરકારી દવાખાનાઓમાં શરદી, તાવ અને ઉધરસના દર્દીઓની ભીડ વધી છે. દર વર્ષે ઋતુજન્ય રોગચાળો ફેલાય છે. પરંતુ ચાલુ વર્ષે નોર્મલ કરતા પણ વધારે આ રોગના કેસો નોંધાઈ રહ્યા છે. લગભગ દોઢેક મહિનાથી સામાન્ય રોગોનાં કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.એટલું જ નહીં પણ સ્વાઈ ફ્લૂના કેસો પણ ભાવનગરમાં નોંધાઈ રહ્યા છે. મચ્છરજન્ય અને વાયરલ ફિવરના રોગચાળાએ અજગરી ભરડો લીધો છે. જોકે, આ રોગચાળાના નિયંત્રણ માટે ઘરગથ્થુ ઉપચાર અને સ્વંયરીતે જ કાળજી લેવી વધુ ફાયદાકારક અને હિતાવહ હોવાનું નિષ્ણાંતો સલાહ આપી રહ્યાં છે.
ભાવનગર જિલ્લામાં ચાર ઈંચ વરસાદથી ટાણા તરબતર
ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે ભાવનગર જિલ્લામાં એકથી ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. જોકે ભાવનગર શહેરમાં તો આજે પણ હળવા ઝાપટા વરસ્યા હતા. જોકે સિહોરના ગ્રામ્ય પંથકમાં આજે ચારેક ઈંચ વરસાદ ખાબકી ગયો હતો જ્યારે તળાજામાં બે ઈંચ, ગારીયાધારમાં ત્રણ ઈંચ, પાલિતાણામાં સવા ઈંચ અને અન્ય વિસ્તારોમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા હતા. તો કુંઢેલી પંથકમાં બપોરે ૩થી૪ દરમિયાન એક ઈંચ વરસાદ વરસી ગયો હતો.આજે ભાવનગર શહેરમાં આજે પણ હળવા ભારે ઝાપટા જ વરસ્યા હતા. આખો દિવસ વરસાદી માહોલ રહ્યો હતો. જોકે બપોરે થોડો સમય સૂર્યપ્રકાશ ખિલ્યો હતો. ભાવનગર જિલ્લામાં પાલિતાણા પંથકમાં બપોર બાદ વરસાદ શરૂ થયો હતો અને સાંજ સુધીમાં ૨૭ મીમી વરસાદ વરસી ગયો હતો.સિહોર તાલુકાના ટાણા ગામે આજે ૪ ઈંચ વરસાદ ખાબકી જતાં શ્રાવણી મેઘમહેરથી તરબતર થઈ ગયું હતું. ઉપરાંત પીપળીયા અને આજુબાજુના મોટા સુરકા, નાના સુરકા, પાલડી વિ. ગામોમાં ત્રણેક ઈંચ વરસાદ વરસી ગયો હતો. તો સિહોરમાં અડધાથી એક ઈંચ અને વરલ, થોરાળી, ટાણા, સોનગઢ સહિતના ગામોમાં એકથી બે ઈંચ વરસાદ વરસી ગયો હતો.
ગારીયાધારમાં આજે ૪-૩૦ કલાકથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને રાત સુધીમાં ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો હતો. તળાજામાં આજે બપોરનાં સમયે બે કલાક અનરાધાર વરસાદ થતાં આજ સાંજ સુધીમાં ૫૪ મીમી જેટલું પાણી ગામોમાં પણ સારો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. તળાજાનો સીઝનનો કુલ વરસાદ આજ સાંજ સુધીનો ૬૮૩ મી.મી. નોંધાયો છે.બોટાદમાં આજે બીજા દિવસે પણ વરસાદનું જોર રહ્યું હતું અને રાત સુધીમાં ૩.૫ ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસી ગયો હતો. સેંથળી ગામે ૧ ઈંચ અને સમિઢયાળા ગામે પણ ૧ ઈંચ વરસાદ વરસી ગયો હતો. ઢસામાં સાંજે ૬થી૮ના બે કલાકના સમયગાળા દરમિયાન અઢીથી ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો હતો. ઘોઘા ખાતે આજે એકાદ ઈંચ વરસાદ વરસી ગયાના વાવડ છે. તો વલભીપુરમાં પણ પોણો ઈંચ વરસાદ વરસી ગયો હતો.
જનરલ હોસ્પિટલને ‘અસાધ્ય રોગ’
ભૂકંપ બાદ વડા પ્રધાનના એક્સો કરોડના ફંડમાંથી નિર્માણ પામેલી જી.કે. જનરલ હોસ્પિટલ અનેક પ્રકારની ઉપેક્ષાઓનો ભોગ બની છે. છેલ્લા કેટલાંય સમયથી અહીં નિષ્ણાત તબીબોની મહત્વની જગ્યાઓ ખાલી છે. ઉપરાંત કેટલાક કેટલાંય તબીબી સાધનો પણ એવા છે જેને ચલાવી શકતા સ્પેશિયલિસ્ટનો જ અહીં અભાવ છે આ પ્રકારની પરિસ્થિતિમાં ઉમદા સારવારની આશાએ આવતા અનેક દર્દીઓએ નિરાશ થવું પડે છે.ખાસ તો ગરીબ દર્દીઓએ સહન કરવું પડે છે. જેમણે ના છુટકે હોસ્પિટલના પગથિયા ચઢવા પડે છે. આવા સમાચારો કચ્છના લોકો વર્ષોથી વાંચે છે તંત્ર વાહકો પણ વાંચે છે પરંતુ જેમ કેન્સર કે એચઆઇવીનો નક્કર ઇલાજ નથી તેમ આ હોસ્પિટલ પણ અવ્યવસ્થા નામની અસાધ્ય બિમારીથી પિડાઇ રહી છે.કચ્છ એ દેશના વિશાળ જિલ્લામાંનો એક છે વસતીના પ્રમાણમાં જિલ્લાની મુખ્ય ગણાતી જી.કે. હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધુ રહે એ સ્વાભાવિક છે આવા સંજોગોમાં નિષ્ણાંત તબીબોની જગ્યાઓ પૂરી ભરાયેલી ન હોય અને મહત્વના મેડિકલ સાધનોના ચલાવનારાના અભાવ હોય ત્યારે દર્દીઓને અપાર મુશ્કેલી પડે એ પણ એટલી જ સ્વાભાવિક વાત છે.સત્તાવાર મળેલી વિગતો મુજબ આ હોસ્પિટલમાં એને સ્થેર્ટિક, ફિઝિશિયન, ઓર્થોપેડિકસ, પિડિયા ટ્રિશિયન જેવા તજજ્ઞોની એક-એક જગ્યા ખાલી છે. બીજી તરફ સીટી સ્કેન, સોનોગ્રાફી માટે રેડિયોલોજિસ્ટ પણ નથી.કહેવાય છે કે, નવિનિર્મિત હોસ્પિટલનો પ્રારંભ થયો ત્યારે ઓપીડીમાં દરરોજ સરેરાશ ૭૦૦ થી ૯૦૦ દર્દીઓની એન્ટ્રી નોંધાતી જ્યારે હવે એમાં મોટો ઘટાડો આવ્યો છે. જો કે હોસ્પિટલના ઇન્ચાર્જ સિવિલ સર્જન નિરંજન રાવલ આ વાતને નકારી જણાવે છે કે, આજે પણ સરેરાશ ૫૦૦ જેટલા દર્દીઓની એન્ટ્રી નોંધાય છે. સંખ્યામાં જોવા મળતા ઘટાડામાં ખાનગી દવાખાનાનું વધેલું પ્રમાણ છે.લોકોમાંથી ઉઠતી એક ફરિયાદ એવી પણ છે કે, એડમિટ થયેલા દર્દીએ પોતાના બેડ પરથી ઉઠીને જાતે ડોક્ટર પાસે જવું પડે છે. ઉપરાંત કેટલાક તબીબો દર્દીઓની વિઝિટ લેવામાં પણ પોતાના સમય કરતાં લેટ આવે છે.
સાતમ-આઠમ ઉજવવા કચ્છ બન્યું સજ્જ, સર્વત્ર ઉત્સાહ
કચ્છ ઉપર મેઘમહારાજે સાર્વત્રિક મહેર કરી હોવાથી આ વખતે શ્રાવણી તહેવારો અને મેળાઓ બેવડા ઉત્સાહથી ઉજવાશે.આ પવિત્ર મહિનના ઉત્તરાર્ધે નાગપંચમીથી જ પર્વો અને તહેવારોનો સિલસિલો શરૂ થઇ જતો હોય છે. શ્રાવણ સુદના આરંભે ભૂજિયાના મેળા સાથે મેળા મલાખડાની મોસમનો આરંભ થઇ ચૂક્યો છે અને દર સોમવારે સુરલભીટ્ટ જેવા અનેક સ્થળે મેળા ભરાઇ રહ્યા છે, ત્યારે મંગળવારે રાંધણછઠ્ઠથી પાંચમથી ‘સાતમ-આઠમ’ના તહેવારોની શ્રૃંખલા ઉજવવા કચ્છ સજ્જ બન્યું છે.છલોછલ ભરાયેલાં હમીરસરના કિનારે આ વખતે ચાર દિવસ મેળો ભરાશે, જેમાં શહેર ઉપરાંત આસપાસના ગામડાંના લોકો પણ ઉત્સાહથી છલોછલ હૈયા સાથે ઉમટી પડશે. દર વર્ષની જેમ જન્માષ્ટમીએ વિહિપ દ્વારા શહેરમાં શોભાયાત્રા નીકળશે. ઠેર ઠેર મટકીફોડ સહિતના કાર્યક્રમો યોજાશે. કૃષ્ણજન્મને ઉજવવા મંદિરો અને હવેલીઓમાં તૈયારીઓ આરંભી દેવાઇ છે. વિવિધ સંસ્થાઓ, મંડળો અને જ્ઞાતિ સંગઠનો દ્વારા આ તહેવારે અનેક કાર્યક્રમ યોજાશે.
કસાબનું હવે નવું નાટક: ‘મને કશું યાદ નથી’
૨૬/૧૧ના દિવસે શહેર ઉપર આતંકવાદી હુમલો કરનારા ૧૦ આતંકવાદીમાંથી એકમાત્ર જીવતા પકડાયેલા આતંકવાદી અજમલ કસાબે હવે પોતાને કંઈ પણ યાદ નથી એવું એક નવું નાટક શરૂ કર્યું છે. હેમંત કરકરે કોણ છે અને ૨૬ નવેમ્બરના દિવસે મેં શું કર્યું હતું એવા પ્રકારના પ્રશ્નો તે હાલ પૂછી રહ્યો છે. જેલ અધિકારી તેને આપવામાં આવતા ભોજનમાં માદક દ્રવ્યો ભેળવી રહ્યો છે જેને કારણે તેને કંઈ પણ યાદ રહેતું ન હોવાનો આરોપ તેણે મૂકીને ગુનાઓ પર ઢાંકપિછોડો કરવા લાગ્યો છે.કસાબે આવી ભાષા બોલીને પોતે રચેલા નવા નાટકનો અંત અહીં નથી આવતો. તેણે તે પોતાના વકીલને પણ ઓળખતો ન હોવાનું નાટક કર્યું હતું. મેં આરોપનામું વાંચ્યું નથી, કારણ કે તે ઉર્દૂમાં નહીં પણ અંગ્રેજીમાં લખેલું છે, એવું તેણે વકીલને જણાવ્યું છે.કસાબ માટે નીમવામાં આવેલા વકીલ અમીન સોલકરે જ્યારે તેને અમુક પ્રશ્નો પૂછ્યા ત્યારે તેણે આવી નાટકીય ભાષામાં વાત કરી હતી. મને કંઈ પણ યાદ નથી તેવા પ્રકારનું રટણ તેણે ચાલુ રાખ્યું હતું.દરમિયાન કોર્ટે હવે કસાબ વતી અપીલ દાખલ નહીં કરી શકાતાં સુનાવણી ૨૦ સપ્ટેમ્બર પર મોકૂફ રાખી છે. આ સંબંધે પોલીસ અધિકારી અને વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે કસાબ ગમે તેટલાં નાટક ભજવે તો પણ અમને કોઈ ફરક પડવાનો નથી, પરંતુ તેને મળેલી ફાંસીની સજામાંથી તેને મુક્તિ મળી શકે તેમ નથી.એ જે કંઈ પણ હોય પરંતુ આવા પ્રકારનું નાટક જો કસાબ ચાલુ જ રાખશે તો તે માનસિક રીતે બીમાર છે કે નહીં તેની તપાસ કરવા માટે હોસ્પિટલમાં તજજ્ઞ ડોક્ટરો પાસે તેને લઈ જવો પડશે. એટલે કે આ કાર્યવાહીમાં સમય લાગી શકે એમ છે. જોકે કસાબે સમય પસાર કરવા માટે જ આવા પ્રકારનું નાટક રચ્યું છે એમ એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે માહિતી આપતાં જણાવ્યું હતું.દરમિયાન કસાબને અહીંથી છોડાવીને લઈ જઈ શકવાની શક્યતાને કારણે આતંકવાદી હુમલો કરી શકવામાં આવી શકે છે જેને લઈ જેલ ફરતેની સુરક્ષા વધુ કડક બનાવી દેવામાં આવી છે, એમ જેલ અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું.
બોરીવલીની એચ.ડી.એફ.સી.બેન્કમાં ફિલ્મી ઢબે ૨૭.૦પ લાખની લૂંટ
એચ.ડી.એફ.સી.ની બોરીવલી શાખામાં પાંચ લૂંટારાએ ચાકુ અને પિસ્તોલની ધાકે સોમવારે સવારે સુમારે ૯.૩૦ વાગ્યે ૨૭.૦૫ લાખ રૂપિયાની રોકડની લૂંટ ચલાવી હતી. તેઓ પગપાળા આવ્યા હતા અને પાંચ જ મિનિટમાં ખેલ ખતમ કરીને નાસી ગયા હતા. બોરીવલીના આ ભરચક વિસ્તારમાં સવારે આવી લૂંટ થતાં ચકચાર મચી ગઇ હતી.બોરીવલીમાં એસ. વી. રોડ ઉપર એચડીએફસી ખાનગી બેન્કની શાખા રોજ મુજબ સવારે ખૂલી હતી. દર ૬ મહિલા સહિત ૧૧ કર્મચારી હતા, જ્યારે બહાર સિક્યુરિટી ગાર્ડ યાદવ બંદૂક સાથે બેઠેલો હતો. બેન્કમાં ખાસ કોઈ ગ્રાહક નહોતા. જોકે સોમવારે સામાન્ય રીતે લોકોની રૂપિયા કઢાવવા માટે વધુ ભીડ રહેતી હોવાથી કેશિયરના ટેબલ પર રૂ. ૨૭.૦૫ લાખની રોકડ મુકાયેલી હતી. બેન્કનું કામકાજ હજુ માંડ શરૂ થયું ત્યાં એક શખસ અંદર આવ્યો હતો. ગ્રાહકના સ્વાંગમાં તે આવ્યો હતો તેથી કોઈને શંકા ગઈ નહોતી, પરંતુ થોડી જ વારમાં તેના ચાર સાથી આવ્યા હતા. તેમની પાસે પિસ્તોલ અને ચાકુ હતા. તેમણે ગાર્ડની બંદૂક છીનવી લીધી હતી અને તેના લમણે પિસ્તોલ મૂકી દીધી હતી. આ પછી અંદર ઘૂસીને સૌ કર્મચારીઓને ઊભા કરીને એક જગ્યાએ રહેવા માટે જણાવ્યું હતું.
એક શખસનો ચહેરો ખુલ્લો હતો, જ્યારે બાકીના ચારે ચહેરા પર બુરખો ઓઢ્યો હતો. તેમણે સૌપ્રથમ દરેક કર્મચારીને તેમના મોબાઈલ ફોન હાથમાં ન રાખવાની ધમકી આપી હતી. જો કોઈ મોબાઈલ ફોન કરશે કે રિસીવ કરશે તો જાનથી મારી નાખશે એવી ધમકી આપી હતી.આ પછી કેશિયર પાસે મૂકેલી રોકડ રકમ તેમને લાવેલી મિલિટ્રીના કપડાં જેવી કાપડની બેગમાં ભરી હતી અને ત્યાંથી પાંચ જ મિનિટમાં પગપાળા જ નાસી ગયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
મુંબઈમાં ૪થી ૭ ઇંચ વરસાદ
રવિવારની સવારથી આખા મુંબઈ અને આસપાસના ક્ષેત્રોમાં અવિરત ચાલતા વરસાદે મોસમના કુલ આંકડાની સવા સદી પાર કરવાની તૈયારી કરી છે. સોમવારે સાંજે સાડાચાર વાગ્યા સુધીમાં શહેર વિસ્તાર (કોલાબા)માં ચાર ઈંચ વરસાદ નોંધાતાં મોસમનો કુલ આંક ૧૧૬ ઈંચ નજીક પહોંચ્યો છે અને પરાં વિસ્તાર (સાંતાક્રુઝ)માં સાતેક ઈંચ વરસાદ નોંધાતાં મોસમનો કુલ આંક ૧૨૩ ઈંચ પર પહોંચ્યો છે.મુંબઈનાં પ્રત્યેક ચોમાસાનો સરેરાશ અપેક્ષિત વરસાદ ૮૦થી ૧૦૦ ઈંચ હોય છે. પરંતુ મોટે ભાગે ૧૦૦ ઈંચનો આંક પાર થતો હોય છે અને કેટલીક વખત ૧૨૫ ઈંચ પાર કર્યાની ઘટનાઓ બની છે. ખાસ કરીને છેલ્લા બે દાયકામાં આવું ઘણી વખત બન્યું છે.ભારે વરસાદને લીધે દાદર, અંધેરી, મિલન સબવે, સાંતાક્રુઝ, દહિસર, મલાડ, ઘાટકોપર, વિક્રોલી, જુહુ વગેરે વિસ્તારોમાં ઘૂંટણ સમાણું પાણી ભરાતાં રાહદારીઓ અને વાહનોની ગતિ ધીમી પડી હતી. પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેની ઉપનગરીય સેવાની ટ્રેનો વીસેક મિનિટ મોડી દોડતી હતી. પરંતુ એકંદરે માર્ગ વાહનવ્યવહાર, રેલવે વ્યવહાર તથા વિમાન વ્યવહારને ઝાઝી અસર થઈ નહોતી.સવારે પોણાસાત વાગ્યે દક્ષિણ મુંબઈના મિસ્જદ બંદર વિસ્તારની શરીફ દેવજી સ્ટ્રીટ ખાતેના બયાની હાઉસ બિલ્ડિંગનો અમુક ભાગ જમીનમાં ધસી ગયો હતો. મકાનના પહેલા-બીજા માળનો સ્લેબ પણ તૂટયા હતો. મકાન ખાલી હોવાથી આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી એ વિસ્તારમાં જ ડોંગરીના જેલ રોડ પર મકાનના બીજા અને ત્રીજા માળ પર બાલ્કનીની બહારનો ભાગ અને પ્લાસ્ટરનો ભાગ તૂટ્યો હતો. ભિંડી બજારમાં ચાર માળના અમીના બિલ્ડિંગના બીજા માળના પ્લાસ્ટરનો ભાગ ઉખડીને પડ્યો હતો.
રેતીમાં વહાણ ચલાવે તે જ ખરો ઈજનેર : નરોત્તમ પટેલ
વિદ્યાનગર ખાતે બીવીએમ કોલેજના ઓડીટોરિયમ ખાતે ઈજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રેરિત કરતાં પંચાયત મંત્રી નરોત્તમભાઈ પટેલે જણાવ્યું હતું કે કુશળ ઈજનેરો તો દેશના આધારસ્તંભ સમાન છે, રેતીમાં વહાણ ચલાવવાની હિંમત કેળવવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઈજનેરી શાસ્ત્ર બધે જ છે. દેશની આંતર -માળખાકીય સુવિધાઓ, કારખાનાઓ, નહેરો અને માર્ગોના નિર્માણમાં ઈજનેરોનું બહુમૂલ્ય પ્રદાન છે.વિદ્યાનગર ખાતે ગુરૂવારે યોજાયેલા વિશેષ સમારોહમાં પ્રો. આર.પી.પટેલે જણાવ્યું હતું કે ઈજનેરો તો રાષ્ટ્રની કરોડરજજુ સમાન છે અને ભૂમિને કાંચન બનાવવાની ક્ષમતા ધરાવે છે. ડૉ. અમિત ત્રિવેદીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. બિરદા વિશ્વકમૉ મહાવિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીની હેસીયતથી પંચાયત મંત્રી નરોત્તમભાઈ પટેલે તેમના કોલેજકાળના સંભારણાનો પટારો વિદ્યાર્થીઓના માટે ખોલી દીધો હતો.અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદારસાહેબને અને પૂ. ભાઈકાકાને શ્રદ્ધાસુમન અર્પણ કરતાં તેમણે જણાવ્યું હતું કે દ્રઢ મનોબળ, નિષ્ઠા અને પ્રમાણિકતા સાથે ઈજનેરો તેમના ઉપર જે જવાબદારી છે તે વહન કરવા માટેની હિંમત કેળવે અને અંદાજે ૪૦ મિનિટ સુધી વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠી યોજી અને તેમના તમામ પ્રશ્નોના સચોટ ઉત્તરો આપ્યા હતા.
આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડમાં પૂર્વ વાઈસ ચાન્સલર સંકટમાં
આણંદ કૃષિ યુનિવર્સિટીમાં મદદનીશ પ્રાધ્યાપકોની ભરતીમાં નિયમો નેવે મુકી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવાના કથિત ગુનામાં સંડોવાયેલા આરોપીઓએ ફરિયાદ રદ કરવા અને ગુનાની તપાસ નહી કરવા માંગેલ સ્ટે ગુજરાત હાઇકોર્ટે ઉઠાવી લેતાં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને પુરાવા મળ્યે આરોપીઓની ધરપકડ કરવા પણ પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આણંદમાં મંગળપુરામાં યોગેશ્વર સોસાયટીની બાજુમાં રહેતા અને આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી સિનિયર કલાર્ક તરીકે નિવૃત થયેલા વિનોદચંદ્ર ચીમનલાલ ભટ્ટે ગત તા. ૧૪-૯-૦૯ના રોજ આણંદ સેશન્સ કોર્ટમાં એક ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેઓએ કૃષિ યુનિવર્સિટીના તત્કાલિન વાઇસ ચાન્સલર એમ.સી. વાષ્ણૈય અને તત્કાલિન રજિસ્ટ્રાર મેકવાન વિકટર પીટર સામે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ઉક્ત બંને આરોપીએ એકબીજાના મેળપણામાં યુનિવર્સિટીના મદદનીશ પ્રાધ્યાપકોની ભરતીમાં કૌભાંડ આચર્યુ છે.તા.૨૦-૩-૮૯ના રોજ ગુજરાત સરકારે પોતાના ખેતીવાડી અને ગ્રામીણ વિકાસના ખાતાઓ માટે આઇસીએઆરની ભલામણો સ્વીકારી ઠરાવ મંજુર કરેલ છે. આ ઠરાવની અવગણના કરી આર.સી.વાષ્ણેય અને રજિસ્ટ્રાર વિકટર મેકવાને જાહેરાત આપી આસિસ્ટન્ટ પ્રોફેસર અને સમકક્ષ જગ્યાઓની સીધી ભરતી કરી યુનિવર્સિટીના નિયમોનો ભંગ કરી આગોતરા આયોજીત ઉમેદવારો માટે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (નેટ)ના નિયમોમાં ફેરફાર કર્યા હતા, અને આ નેટની પરિક્ષા ફરજિયાત પાસ કરવાની હોવા છતાં તેના નિયમોમાં ફેરફાર કરી ત્રીસથી વધુ ઉમેદવારોને લાયકાત ન હોવાછતાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે મોટી રકમો લઇ નિમણુંકો કરી છે.આ નિમણુંકો કરી યુનિવર્સિટીને ત્રણ કરોડ રૂપિયાનું નૂકશાન પહોંચાડ્યું છે. આ ઉપરાંત આ આરોપીઓ તથા તેમના અન્ય મળતિયાઓએ આ ભરતી માટે ઉમેદવારો પાસેથી લાખો રૂપિયાનો આર્થિક લાભ કરી કરાવ્યો છે તેમજ ખેતી અધિકારી અને તેની સમકક્ષના સંવર્ગમાં ફરજ બજાવતા કર્મચારીઓને મદદનીશ પ્રધ્યાપકની કક્ષામાં બઢતી આપવાના વચન અને વિશ્વાસ આપી લાખો રૂપિયાનું કૌભાંડ કરેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.’
આણંદમાં બસમાં ચઢવા જતી વિદ્યાર્થિની કચડાઈ
આણંદના નવા બસ મથકે બપોરના સમયે રિવર્સ થતી બસના પાછળના વ્હીલ નીચે આવી જતાં આણંદ કોમર્સ કોલેજમાં ભણતી પેટલાદની વિદ્યાર્થીનીનું કરૂણ મોત નપિજતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પેટલાદ આંજણાવાડમાં રહેતા ૨૨ વર્ષના સીગ્માબેન મહેન્દ્રભાઇ રતનભાઇ આંજણા પટેલ આણંદની કોમર્સ કોલેજમાં ટીવાયમાં અભ્યાસ કરે છે. સોમવારે બપોરે કોલેજ છુટયા બાદ તે પેટલાદ ઘરે જવા આણંદના નવા બસ મથકે આવ્યા હતા.તે વખતે ચકલાસીથી ખંભાત વાયા પેટલાદની બસ જી.જે.૧૮.વાય.૨૪૪૯ આવતાં તેઓ તેમાં બેસવા ગયા હતા. તે વખતે બસના ચાલકે બેદરકારી પૂવર્ક બસને રીવર્સ કરતાં બસના પાછળના વ્હીલ નીચે સીગ્માબેન આવી જતાં તે કચડાઇ જતાં કરૂણ મોત નિપજ્યું હતુ.આ બનાવથી બસ મથકમાં ઉભેલા અન્ય વિદ્યાર્થીઓ સહિત મુસાફરોમાં અરેરરાટી વ્યાપી જવા પામી હતી. આ બનાવ અંગે મૃતક સીગ્માની સહઅધ્યાયી પેટલાદ રહેતા દિશાબેન આંજણા પટેલે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે બસના ચાલકે ગુનો દાખલ કર્યો છે.
વેરાવળ : પ્રભાસ પાટણ પંથકમાં ઝંઝાવાતી સાડા પાંચ ઈંચ વરસાદ
વેરાવળ-પ્રભાસ પાટણ પંથકમાં શ્રાવણમાસમાં અષાઢી રંગ છવાયો હોય તેમ ગતરાત્રીનાં બાર વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં ઝંઝાવાતી સાડા પાંચ ઈંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. નીંચાણવાળા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાતા લોકો પરેશાનીમાં મુકાયા હતા. આજે શ્રાવણમાસનો સોમવાર હતો છતા વરસાદનાં કારણે સોમનાથમાં ભાવિકોની પાંખી હાજરી જોવા મળતી હતી.સોરઠમાં છેલ્લા પાંચ-છ દિવસથી મેઘરાજાએ મુકામ કર્યો હોય તેવું જણાઈ રહ્યું છે. વેરાવળ-પ્રભાસ પાટણ પંથકમાં ગતરાત્રે બાર વાગ્યાથી ઝંઝાવાતી વરસાદ શરૂ થયો હતો. સવારે છ વાગ્યા સુધીમાં અનરાધાર ચાર ઈંચ વરસાદ પડી ગયો હતો.વહેલી સવારે શહેર પાણી પાણી થઈ ગયું હતું. સવારે છ વાગ્યાથી પણ મેઘરાજાએ ધીમી ગતિએ વરસવાનું ચાલુ રાખતા સાંજે છ વાગ્યા સુધીમાં વધુ બે ઈંચ પાણી પડી જતા કુલ છ ઈંચ વરસાદ નોંધાયો હતો. છ ઈંચ વરસાદથી શહેરના સોમનાથ ટોકીઝ તથા ભાલકા વિસ્તારમાં આવેલી તમામ સોસાયટીઓ તથા કોલોનીમાં ગોઠડુબ પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાથી સ્થાનિક લોકો હેરાન પરેશાન બની ગયા હતા.
મચ્છુ-૨ના ૧૮ દરવાજા ખોલાતાં પૂરની સ્થિતિ
મોરબી પંથકની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ-૨ ડેમમાં પાણીની તોતિંગ આવકના પગલે ડેમના ૧૮ દરવાજા ચાર ફૂટ ખોલી વિપુલ પ્રમાણમાં પાણી છોડવાની ફરજ પડતા મચ્છુ નદી ગાંડીતૂર બની છે, અને મચ્છું નદીનું સ્તર વધતા નદીકાંઠા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.મચ્છુ-૧ ડેમ સતત ઓવરફ્લો થવાથી અને ઉપરકાંઠા વિસ્તારમાં ભારે વરસાદથી પહેલેથી ઓવરફ્લો થયેલા મચ્છુ-૨ ડેમમાં પાણીની તોતિંગ આવક શરૂ થતાં આજે વહેલી સવારે ચાર વાગ્યે મચ્છુ-૨ના એકી સાથે ૧૮ દરવાજા ચાર ફૂટ સુધી ખોલવાની ફરજ પડી હતી. ડેમમાંથી એકી સાથે પ્રતિ સેકન્ડે ૪૬,૬૦૩ કયુસેક પાણી છોડાતા મચ્છુ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા પહેલેથી બે કાંઠે વહી રહેલી મચ્છુ ગાંડીતૂર બની હતી.મચ્છુ નદીમાં વિપુલ પ્રમાણમાં પાણી છોડાતાની સાથે જ તંત્રએ નિચાણવાળા અને નદીકાંઠા વિસ્તારો અને અસરગ્રસ્તોની સંભાવનાવાળા ૨૮ ગામોમાં હાઇ એલર્ટ જારી કરી દીધું હતું. જ્યારે બીજી બાજું ડેમમાંથી છોડાયેલું લાખો કયુસેક પાણી પૂર બન્ને નદી કાંઠા વિસ્તારોમાં ફરી વળ્યું હતું. મોરબીના પુલ નીચે ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને ખસેડવામાં આવ્યા હતા. જ્યારે નદીકાંઠાના રોહીદાસપરામાં પાણી ઘૂસ્યા ત્યા પણ રહેવાસીઓને ઊંચી જગ્યા પર જવાની તાકીદ કરાઇ હતી.આ ઉપરાંત મચ્છુ નદીના પાણી માળિયા (મિ.) વિસ્તારના નદી કાંઠાના ખેતરોમાં ઘૂસી જતાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. આ ઉપરાંત ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવાથી ઉછાળા મારતી મચ્છુ નદીના પાણી માળિયા (મિ.) ના હરીપર ગામ ફરતે ફરી વળતા આજ સવારથી હરીપરના ગ્રામજનો અન્ય વિસ્તારથી વિખૂટા પડી ગયા હતા. ઉપસરપંચ ગજાભાઇ માસ્તરે જણાવ્યું હતું કે અમારું ગામ બેટમાં ફેરવાઇ ગયું છે. ગામની સીમના ૯૦ ટકા ખેતરોમાં પાણી ભરાયા છે. ગામના પ્રવેશવાના રસ્તાઓ પર ચાર-ચાર ફૂટ પાણી ભરાતા ગ્રામજનો બહાર નીકળી શકે તેમ નથી.
ખારીમાં પાંચનાં ચેકડેમમાં ડૂબી જતા મોત
સિહોર તાલુકાના ખારી ગામે આવેલ ચેકડેમમાં નહાવા પડેલા ચાર બાળકો ચેકડેમમાં ડૂબતા હતા તેઓને બચાવવા જતાં એક આધેડ સહિત કુલ પાંચના ચેકડમમાં ડૂબી જવાથી કમકમાટીભર્યા કરૂણ મોત નિપજતા નાનકડા એવા ખારી ગામના લોકો હીબકે ચડ્યા હતા. આ બનાવ બનતાં સમગ્ર ગામ અને આહીર સમાજમાં શોકનું મોજું ફરી વળયું હતું.આ સમગ્ર ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાલુકાના ખારી ગામે આવેલ ચેકડેમમાં આ જ ગામના ચાર બાળકો વિશાલ ભનાભાઇ આહીર (ઉ.વ.૧૫),પંકજભાઇ ભનાભાઇ આહીર (ઉ.વ.૧૦),ભોજુભા ભનાભાઇ આહીર (ઉ.વ.૧૪), મિલન રાયમલભાઇ આહીર (ઉ.વ.૯) આ ચાર બાળકો ખારી-વાવડી રોડ પર આવેલ એક ચેકડેમમાં નહાવા પડેલ.તેવામાં આ ચારેય બાળકો ડૂબતા હોય આ બાળકોને બચાવવા જતાં રામાભાઇ જીવાભાઇ આહીર (ઉ.વ.૪૨)ના પગ કાંપમાં ઘુસી જતાં તેઓનું પણ ચેકડેમમાં ડૂબી જવાથી કમકમાટીભયું મોત નપિજેલ. આ પાંચેયના કરૂણ મોત નિપજતાં ખારી ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.જેમાં ભનાભાઇ ઉકાભાઇ ઢીલાના તો ત્રણ દીકરાઓના કરૂણ મોત નિપજતા તેઓના પરિવાર પર તો જાણે આભ તૂટી પડ્યું હતું. રે ! કરૂણતા એક જ પિતાના ત્રણ-ત્રણ સંતાનો એક જ સાથે મોત નિપજતા ભલભલા પહાડ જેવા પથ્થર હદયના માનવીના હદય પણ પીગળી ગયા હતા.ઉપરોકત પાંચેય વ્યક્તિઓના મૃતદેહોને આ જ ગામના અમૃતભાઇ ગોવિંદભાઇએ ચેકડેમમાંથી બહાર કાઢેલ.આ બનાવ બનતાં સિહોર મામલતદાર સહિતનો સ્ટાફ,તાલુકા પંચાયતના તા.વિ.અધિ.,સ્ટાફ, પીએસઆઇ દેસાઇ અને સ્ટાફ, આલાભાઇ, ગેમાભાઇ આહીર, માસાભાઇ ડાંગર , અભેશંગભાઇ મોરી, ગોપાલભાઇ,મેરાભાઇ આહીર તથા આહીર સમાજના આગેવાનો અને સિહોરના આગેવાનો.ગામ લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા.
ભાવનગર શહેર-જિલ્લામાં શ્રાવણી તહેવારો સાથે રોગચાળાનો કહેર
ભાવનગર શહેર-જિલ્લામાં શરદી, તાવ, ઉધરસના વાયરાએ માથુ ઉંચકતા લોકો તોબા પોકારી ગયા છે. શ્રાવણી તહેવારો સાથે શરદી, ઉધરસનો વાયરો ફુંકાયો છે. ઘરે-ઘરે લોકો તેનો ભોગ બની રહ્યા છે.ખાનગી અને સરકારી દવાખાનાઓમાં શરદી, તાવ અને ઉધરસના દર્દીઓની ભીડ વધી છે. દર વર્ષે ઋતુજન્ય રોગચાળો ફેલાય છે. પરંતુ ચાલુ વર્ષે નોર્મલ કરતા પણ વધારે આ રોગના કેસો નોંધાઈ રહ્યા છે. લગભગ દોઢેક મહિનાથી સામાન્ય રોગોનાં કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.એટલું જ નહીં પણ સ્વાઈ ફ્લૂના કેસો પણ ભાવનગરમાં નોંધાઈ રહ્યા છે. મચ્છરજન્ય અને વાયરલ ફિવરના રોગચાળાએ અજગરી ભરડો લીધો છે. જોકે, આ રોગચાળાના નિયંત્રણ માટે ઘરગથ્થુ ઉપચાર અને સ્વંયરીતે જ કાળજી લેવી વધુ ફાયદાકારક અને હિતાવહ હોવાનું નિષ્ણાંતો સલાહ આપી રહ્યાં છે.
ભાવનગર જિલ્લામાં ચાર ઈંચ વરસાદથી ટાણા તરબતર
ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે ભાવનગર જિલ્લામાં એકથી ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. જોકે ભાવનગર શહેરમાં તો આજે પણ હળવા ઝાપટા વરસ્યા હતા. જોકે સિહોરના ગ્રામ્ય પંથકમાં આજે ચારેક ઈંચ વરસાદ ખાબકી ગયો હતો જ્યારે તળાજામાં બે ઈંચ, ગારીયાધારમાં ત્રણ ઈંચ, પાલિતાણામાં સવા ઈંચ અને અન્ય વિસ્તારોમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા હતા. તો કુંઢેલી પંથકમાં બપોરે ૩થી૪ દરમિયાન એક ઈંચ વરસાદ વરસી ગયો હતો.આજે ભાવનગર શહેરમાં આજે પણ હળવા ભારે ઝાપટા જ વરસ્યા હતા. આખો દિવસ વરસાદી માહોલ રહ્યો હતો. જોકે બપોરે થોડો સમય સૂર્યપ્રકાશ ખિલ્યો હતો. ભાવનગર જિલ્લામાં પાલિતાણા પંથકમાં બપોર બાદ વરસાદ શરૂ થયો હતો અને સાંજ સુધીમાં ૨૭ મીમી વરસાદ વરસી ગયો હતો.સિહોર તાલુકાના ટાણા ગામે આજે ૪ ઈંચ વરસાદ ખાબકી જતાં શ્રાવણી મેઘમહેરથી તરબતર થઈ ગયું હતું. ઉપરાંત પીપળીયા અને આજુબાજુના મોટા સુરકા, નાના સુરકા, પાલડી વિ. ગામોમાં ત્રણેક ઈંચ વરસાદ વરસી ગયો હતો. તો સિહોરમાં અડધાથી એક ઈંચ અને વરલ, થોરાળી, ટાણા, સોનગઢ સહિતના ગામોમાં એકથી બે ઈંચ વરસાદ વરસી ગયો હતો.
ગારીયાધારમાં આજે ૪-૩૦ કલાકથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને રાત સુધીમાં ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો હતો. તળાજામાં આજે બપોરનાં સમયે બે કલાક અનરાધાર વરસાદ થતાં આજ સાંજ સુધીમાં ૫૪ મીમી જેટલું પાણી ગામોમાં પણ સારો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. તળાજાનો સીઝનનો કુલ વરસાદ આજ સાંજ સુધીનો ૬૮૩ મી.મી. નોંધાયો છે.બોટાદમાં આજે બીજા દિવસે પણ વરસાદનું જોર રહ્યું હતું અને રાત સુધીમાં ૩.૫ ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસી ગયો હતો. સેંથળી ગામે ૧ ઈંચ અને સમિઢયાળા ગામે પણ ૧ ઈંચ વરસાદ વરસી ગયો હતો. ઢસામાં સાંજે ૬થી૮ના બે કલાકના સમયગાળા દરમિયાન અઢીથી ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો હતો. ઘોઘા ખાતે આજે એકાદ ઈંચ વરસાદ વરસી ગયાના વાવડ છે. તો વલભીપુરમાં પણ પોણો ઈંચ વરસાદ વરસી ગયો હતો.
જનરલ હોસ્પિટલને ‘અસાધ્ય રોગ’
ભૂકંપ બાદ વડા પ્રધાનના એક્સો કરોડના ફંડમાંથી નિર્માણ પામેલી જી.કે. જનરલ હોસ્પિટલ અનેક પ્રકારની ઉપેક્ષાઓનો ભોગ બની છે. છેલ્લા કેટલાંય સમયથી અહીં નિષ્ણાત તબીબોની મહત્વની જગ્યાઓ ખાલી છે. ઉપરાંત કેટલાક કેટલાંય તબીબી સાધનો પણ એવા છે જેને ચલાવી શકતા સ્પેશિયલિસ્ટનો જ અહીં અભાવ છે આ પ્રકારની પરિસ્થિતિમાં ઉમદા સારવારની આશાએ આવતા અનેક દર્દીઓએ નિરાશ થવું પડે છે.ખાસ તો ગરીબ દર્દીઓએ સહન કરવું પડે છે. જેમણે ના છુટકે હોસ્પિટલના પગથિયા ચઢવા પડે છે. આવા સમાચારો કચ્છના લોકો વર્ષોથી વાંચે છે તંત્ર વાહકો પણ વાંચે છે પરંતુ જેમ કેન્સર કે એચઆઇવીનો નક્કર ઇલાજ નથી તેમ આ હોસ્પિટલ પણ અવ્યવસ્થા નામની અસાધ્ય બિમારીથી પિડાઇ રહી છે.કચ્છ એ દેશના વિશાળ જિલ્લામાંનો એક છે વસતીના પ્રમાણમાં જિલ્લાની મુખ્ય ગણાતી જી.કે. હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધુ રહે એ સ્વાભાવિક છે આવા સંજોગોમાં નિષ્ણાંત તબીબોની જગ્યાઓ પૂરી ભરાયેલી ન હોય અને મહત્વના મેડિકલ સાધનોના ચલાવનારાના અભાવ હોય ત્યારે દર્દીઓને અપાર મુશ્કેલી પડે એ પણ એટલી જ સ્વાભાવિક વાત છે.સત્તાવાર મળેલી વિગતો મુજબ આ હોસ્પિટલમાં એને સ્થેર્ટિક, ફિઝિશિયન, ઓર્થોપેડિકસ, પિડિયા ટ્રિશિયન જેવા તજજ્ઞોની એક-એક જગ્યા ખાલી છે. બીજી તરફ સીટી સ્કેન, સોનોગ્રાફી માટે રેડિયોલોજિસ્ટ પણ નથી.કહેવાય છે કે, નવિનિર્મિત હોસ્પિટલનો પ્રારંભ થયો ત્યારે ઓપીડીમાં દરરોજ સરેરાશ ૭૦૦ થી ૯૦૦ દર્દીઓની એન્ટ્રી નોંધાતી જ્યારે હવે એમાં મોટો ઘટાડો આવ્યો છે. જો કે હોસ્પિટલના ઇન્ચાર્જ સિવિલ સર્જન નિરંજન રાવલ આ વાતને નકારી જણાવે છે કે, આજે પણ સરેરાશ ૫૦૦ જેટલા દર્દીઓની એન્ટ્રી નોંધાય છે. સંખ્યામાં જોવા મળતા ઘટાડામાં ખાનગી દવાખાનાનું વધેલું પ્રમાણ છે.લોકોમાંથી ઉઠતી એક ફરિયાદ એવી પણ છે કે, એડમિટ થયેલા દર્દીએ પોતાના બેડ પરથી ઉઠીને જાતે ડોક્ટર પાસે જવું પડે છે. ઉપરાંત કેટલાક તબીબો દર્દીઓની વિઝિટ લેવામાં પણ પોતાના સમય કરતાં લેટ આવે છે.
સાતમ-આઠમ ઉજવવા કચ્છ બન્યું સજ્જ, સર્વત્ર ઉત્સાહ
કચ્છ ઉપર મેઘમહારાજે સાર્વત્રિક મહેર કરી હોવાથી આ વખતે શ્રાવણી તહેવારો અને મેળાઓ બેવડા ઉત્સાહથી ઉજવાશે.આ પવિત્ર મહિનના ઉત્તરાર્ધે નાગપંચમીથી જ પર્વો અને તહેવારોનો સિલસિલો શરૂ થઇ જતો હોય છે. શ્રાવણ સુદના આરંભે ભૂજિયાના મેળા સાથે મેળા મલાખડાની મોસમનો આરંભ થઇ ચૂક્યો છે અને દર સોમવારે સુરલભીટ્ટ જેવા અનેક સ્થળે મેળા ભરાઇ રહ્યા છે, ત્યારે મંગળવારે રાંધણછઠ્ઠથી પાંચમથી ‘સાતમ-આઠમ’ના તહેવારોની શ્રૃંખલા ઉજવવા કચ્છ સજ્જ બન્યું છે.છલોછલ ભરાયેલાં હમીરસરના કિનારે આ વખતે ચાર દિવસ મેળો ભરાશે, જેમાં શહેર ઉપરાંત આસપાસના ગામડાંના લોકો પણ ઉત્સાહથી છલોછલ હૈયા સાથે ઉમટી પડશે. દર વર્ષની જેમ જન્માષ્ટમીએ વિહિપ દ્વારા શહેરમાં શોભાયાત્રા નીકળશે. ઠેર ઠેર મટકીફોડ સહિતના કાર્યક્રમો યોજાશે. કૃષ્ણજન્મને ઉજવવા મંદિરો અને હવેલીઓમાં તૈયારીઓ આરંભી દેવાઇ છે. વિવિધ સંસ્થાઓ, મંડળો અને જ્ઞાતિ સંગઠનો દ્વારા આ તહેવારે અનેક કાર્યક્રમ યોજાશે.
કસાબનું હવે નવું નાટક: ‘મને કશું યાદ નથી’
૨૬/૧૧ના દિવસે શહેર ઉપર આતંકવાદી હુમલો કરનારા ૧૦ આતંકવાદીમાંથી એકમાત્ર જીવતા પકડાયેલા આતંકવાદી અજમલ કસાબે હવે પોતાને કંઈ પણ યાદ નથી એવું એક નવું નાટક શરૂ કર્યું છે. હેમંત કરકરે કોણ છે અને ૨૬ નવેમ્બરના દિવસે મેં શું કર્યું હતું એવા પ્રકારના પ્રશ્નો તે હાલ પૂછી રહ્યો છે. જેલ અધિકારી તેને આપવામાં આવતા ભોજનમાં માદક દ્રવ્યો ભેળવી રહ્યો છે જેને કારણે તેને કંઈ પણ યાદ રહેતું ન હોવાનો આરોપ તેણે મૂકીને ગુનાઓ પર ઢાંકપિછોડો કરવા લાગ્યો છે.કસાબે આવી ભાષા બોલીને પોતે રચેલા નવા નાટકનો અંત અહીં નથી આવતો. તેણે તે પોતાના વકીલને પણ ઓળખતો ન હોવાનું નાટક કર્યું હતું. મેં આરોપનામું વાંચ્યું નથી, કારણ કે તે ઉર્દૂમાં નહીં પણ અંગ્રેજીમાં લખેલું છે, એવું તેણે વકીલને જણાવ્યું છે.કસાબ માટે નીમવામાં આવેલા વકીલ અમીન સોલકરે જ્યારે તેને અમુક પ્રશ્નો પૂછ્યા ત્યારે તેણે આવી નાટકીય ભાષામાં વાત કરી હતી. મને કંઈ પણ યાદ નથી તેવા પ્રકારનું રટણ તેણે ચાલુ રાખ્યું હતું.દરમિયાન કોર્ટે હવે કસાબ વતી અપીલ દાખલ નહીં કરી શકાતાં સુનાવણી ૨૦ સપ્ટેમ્બર પર મોકૂફ રાખી છે. આ સંબંધે પોલીસ અધિકારી અને વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે કસાબ ગમે તેટલાં નાટક ભજવે તો પણ અમને કોઈ ફરક પડવાનો નથી, પરંતુ તેને મળેલી ફાંસીની સજામાંથી તેને મુક્તિ મળી શકે તેમ નથી.એ જે કંઈ પણ હોય પરંતુ આવા પ્રકારનું નાટક જો કસાબ ચાલુ જ રાખશે તો તે માનસિક રીતે બીમાર છે કે નહીં તેની તપાસ કરવા માટે હોસ્પિટલમાં તજજ્ઞ ડોક્ટરો પાસે તેને લઈ જવો પડશે. એટલે કે આ કાર્યવાહીમાં સમય લાગી શકે એમ છે. જોકે કસાબે સમય પસાર કરવા માટે જ આવા પ્રકારનું નાટક રચ્યું છે એમ એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે માહિતી આપતાં જણાવ્યું હતું.દરમિયાન કસાબને અહીંથી છોડાવીને લઈ જઈ શકવાની શક્યતાને કારણે આતંકવાદી હુમલો કરી શકવામાં આવી શકે છે જેને લઈ જેલ ફરતેની સુરક્ષા વધુ કડક બનાવી દેવામાં આવી છે, એમ જેલ અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું.
બોરીવલીની એચ.ડી.એફ.સી.બેન્કમાં ફિલ્મી ઢબે ૨૭.૦પ લાખની લૂંટ
એચ.ડી.એફ.સી.ની બોરીવલી શાખામાં પાંચ લૂંટારાએ ચાકુ અને પિસ્તોલની ધાકે સોમવારે સવારે સુમારે ૯.૩૦ વાગ્યે ૨૭.૦૫ લાખ રૂપિયાની રોકડની લૂંટ ચલાવી હતી. તેઓ પગપાળા આવ્યા હતા અને પાંચ જ મિનિટમાં ખેલ ખતમ કરીને નાસી ગયા હતા. બોરીવલીના આ ભરચક વિસ્તારમાં સવારે આવી લૂંટ થતાં ચકચાર મચી ગઇ હતી.બોરીવલીમાં એસ. વી. રોડ ઉપર એચડીએફસી ખાનગી બેન્કની શાખા રોજ મુજબ સવારે ખૂલી હતી. દર ૬ મહિલા સહિત ૧૧ કર્મચારી હતા, જ્યારે બહાર સિક્યુરિટી ગાર્ડ યાદવ બંદૂક સાથે બેઠેલો હતો. બેન્કમાં ખાસ કોઈ ગ્રાહક નહોતા. જોકે સોમવારે સામાન્ય રીતે લોકોની રૂપિયા કઢાવવા માટે વધુ ભીડ રહેતી હોવાથી કેશિયરના ટેબલ પર રૂ. ૨૭.૦૫ લાખની રોકડ મુકાયેલી હતી. બેન્કનું કામકાજ હજુ માંડ શરૂ થયું ત્યાં એક શખસ અંદર આવ્યો હતો. ગ્રાહકના સ્વાંગમાં તે આવ્યો હતો તેથી કોઈને શંકા ગઈ નહોતી, પરંતુ થોડી જ વારમાં તેના ચાર સાથી આવ્યા હતા. તેમની પાસે પિસ્તોલ અને ચાકુ હતા. તેમણે ગાર્ડની બંદૂક છીનવી લીધી હતી અને તેના લમણે પિસ્તોલ મૂકી દીધી હતી. આ પછી અંદર ઘૂસીને સૌ કર્મચારીઓને ઊભા કરીને એક જગ્યાએ રહેવા માટે જણાવ્યું હતું.
એક શખસનો ચહેરો ખુલ્લો હતો, જ્યારે બાકીના ચારે ચહેરા પર બુરખો ઓઢ્યો હતો. તેમણે સૌપ્રથમ દરેક કર્મચારીને તેમના મોબાઈલ ફોન હાથમાં ન રાખવાની ધમકી આપી હતી. જો કોઈ મોબાઈલ ફોન કરશે કે રિસીવ કરશે તો જાનથી મારી નાખશે એવી ધમકી આપી હતી.આ પછી કેશિયર પાસે મૂકેલી રોકડ રકમ તેમને લાવેલી મિલિટ્રીના કપડાં જેવી કાપડની બેગમાં ભરી હતી અને ત્યાંથી પાંચ જ મિનિટમાં પગપાળા જ નાસી ગયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
મુંબઈમાં ૪થી ૭ ઇંચ વરસાદ
રવિવારની સવારથી આખા મુંબઈ અને આસપાસના ક્ષેત્રોમાં અવિરત ચાલતા વરસાદે મોસમના કુલ આંકડાની સવા સદી પાર કરવાની તૈયારી કરી છે. સોમવારે સાંજે સાડાચાર વાગ્યા સુધીમાં શહેર વિસ્તાર (કોલાબા)માં ચાર ઈંચ વરસાદ નોંધાતાં મોસમનો કુલ આંક ૧૧૬ ઈંચ નજીક પહોંચ્યો છે અને પરાં વિસ્તાર (સાંતાક્રુઝ)માં સાતેક ઈંચ વરસાદ નોંધાતાં મોસમનો કુલ આંક ૧૨૩ ઈંચ પર પહોંચ્યો છે.મુંબઈનાં પ્રત્યેક ચોમાસાનો સરેરાશ અપેક્ષિત વરસાદ ૮૦થી ૧૦૦ ઈંચ હોય છે. પરંતુ મોટે ભાગે ૧૦૦ ઈંચનો આંક પાર થતો હોય છે અને કેટલીક વખત ૧૨૫ ઈંચ પાર કર્યાની ઘટનાઓ બની છે. ખાસ કરીને છેલ્લા બે દાયકામાં આવું ઘણી વખત બન્યું છે.ભારે વરસાદને લીધે દાદર, અંધેરી, મિલન સબવે, સાંતાક્રુઝ, દહિસર, મલાડ, ઘાટકોપર, વિક્રોલી, જુહુ વગેરે વિસ્તારોમાં ઘૂંટણ સમાણું પાણી ભરાતાં રાહદારીઓ અને વાહનોની ગતિ ધીમી પડી હતી. પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેની ઉપનગરીય સેવાની ટ્રેનો વીસેક મિનિટ મોડી દોડતી હતી. પરંતુ એકંદરે માર્ગ વાહનવ્યવહાર, રેલવે વ્યવહાર તથા વિમાન વ્યવહારને ઝાઝી અસર થઈ નહોતી.સવારે પોણાસાત વાગ્યે દક્ષિણ મુંબઈના મિસ્જદ બંદર વિસ્તારની શરીફ દેવજી સ્ટ્રીટ ખાતેના બયાની હાઉસ બિલ્ડિંગનો અમુક ભાગ જમીનમાં ધસી ગયો હતો. મકાનના પહેલા-બીજા માળનો સ્લેબ પણ તૂટયા હતો. મકાન ખાલી હોવાથી આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી એ વિસ્તારમાં જ ડોંગરીના જેલ રોડ પર મકાનના બીજા અને ત્રીજા માળ પર બાલ્કનીની બહારનો ભાગ અને પ્લાસ્ટરનો ભાગ તૂટ્યો હતો. ભિંડી બજારમાં ચાર માળના અમીના બિલ્ડિંગના બીજા માળના પ્લાસ્ટરનો ભાગ ઉખડીને પડ્યો હતો.
રેતીમાં વહાણ ચલાવે તે જ ખરો ઈજનેર : નરોત્તમ પટેલ
વિદ્યાનગર ખાતે બીવીએમ કોલેજના ઓડીટોરિયમ ખાતે ઈજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રેરિત કરતાં પંચાયત મંત્રી નરોત્તમભાઈ પટેલે જણાવ્યું હતું કે કુશળ ઈજનેરો તો દેશના આધારસ્તંભ સમાન છે, રેતીમાં વહાણ ચલાવવાની હિંમત કેળવવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઈજનેરી શાસ્ત્ર બધે જ છે. દેશની આંતર -માળખાકીય સુવિધાઓ, કારખાનાઓ, નહેરો અને માર્ગોના નિર્માણમાં ઈજનેરોનું બહુમૂલ્ય પ્રદાન છે.વિદ્યાનગર ખાતે ગુરૂવારે યોજાયેલા વિશેષ સમારોહમાં પ્રો. આર.પી.પટેલે જણાવ્યું હતું કે ઈજનેરો તો રાષ્ટ્રની કરોડરજજુ સમાન છે અને ભૂમિને કાંચન બનાવવાની ક્ષમતા ધરાવે છે. ડૉ. અમિત ત્રિવેદીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. બિરદા વિશ્વકમૉ મહાવિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીની હેસીયતથી પંચાયત મંત્રી નરોત્તમભાઈ પટેલે તેમના કોલેજકાળના સંભારણાનો પટારો વિદ્યાર્થીઓના માટે ખોલી દીધો હતો.અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદારસાહેબને અને પૂ. ભાઈકાકાને શ્રદ્ધાસુમન અર્પણ કરતાં તેમણે જણાવ્યું હતું કે દ્રઢ મનોબળ, નિષ્ઠા અને પ્રમાણિકતા સાથે ઈજનેરો તેમના ઉપર જે જવાબદારી છે તે વહન કરવા માટેની હિંમત કેળવે અને અંદાજે ૪૦ મિનિટ સુધી વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠી યોજી અને તેમના તમામ પ્રશ્નોના સચોટ ઉત્તરો આપ્યા હતા.
આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડમાં પૂર્વ વાઈસ ચાન્સલર સંકટમાં
આણંદ કૃષિ યુનિવર્સિટીમાં મદદનીશ પ્રાધ્યાપકોની ભરતીમાં નિયમો નેવે મુકી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવાના કથિત ગુનામાં સંડોવાયેલા આરોપીઓએ ફરિયાદ રદ કરવા અને ગુનાની તપાસ નહી કરવા માંગેલ સ્ટે ગુજરાત હાઇકોર્ટે ઉઠાવી લેતાં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને પુરાવા મળ્યે આરોપીઓની ધરપકડ કરવા પણ પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આણંદમાં મંગળપુરામાં યોગેશ્વર સોસાયટીની બાજુમાં રહેતા અને આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી સિનિયર કલાર્ક તરીકે નિવૃત થયેલા વિનોદચંદ્ર ચીમનલાલ ભટ્ટે ગત તા. ૧૪-૯-૦૯ના રોજ આણંદ સેશન્સ કોર્ટમાં એક ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેઓએ કૃષિ યુનિવર્સિટીના તત્કાલિન વાઇસ ચાન્સલર એમ.સી. વાષ્ણૈય અને તત્કાલિન રજિસ્ટ્રાર મેકવાન વિકટર પીટર સામે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ઉક્ત બંને આરોપીએ એકબીજાના મેળપણામાં યુનિવર્સિટીના મદદનીશ પ્રાધ્યાપકોની ભરતીમાં કૌભાંડ આચર્યુ છે.તા.૨૦-૩-૮૯ના રોજ ગુજરાત સરકારે પોતાના ખેતીવાડી અને ગ્રામીણ વિકાસના ખાતાઓ માટે આઇસીએઆરની ભલામણો સ્વીકારી ઠરાવ મંજુર કરેલ છે. આ ઠરાવની અવગણના કરી આર.સી.વાષ્ણેય અને રજિસ્ટ્રાર વિકટર મેકવાને જાહેરાત આપી આસિસ્ટન્ટ પ્રોફેસર અને સમકક્ષ જગ્યાઓની સીધી ભરતી કરી યુનિવર્સિટીના નિયમોનો ભંગ કરી આગોતરા આયોજીત ઉમેદવારો માટે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (નેટ)ના નિયમોમાં ફેરફાર કર્યા હતા, અને આ નેટની પરિક્ષા ફરજિયાત પાસ કરવાની હોવા છતાં તેના નિયમોમાં ફેરફાર કરી ત્રીસથી વધુ ઉમેદવારોને લાયકાત ન હોવાછતાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે મોટી રકમો લઇ નિમણુંકો કરી છે.આ નિમણુંકો કરી યુનિવર્સિટીને ત્રણ કરોડ રૂપિયાનું નૂકશાન પહોંચાડ્યું છે. આ ઉપરાંત આ આરોપીઓ તથા તેમના અન્ય મળતિયાઓએ આ ભરતી માટે ઉમેદવારો પાસેથી લાખો રૂપિયાનો આર્થિક લાભ કરી કરાવ્યો છે તેમજ ખેતી અધિકારી અને તેની સમકક્ષના સંવર્ગમાં ફરજ બજાવતા કર્મચારીઓને મદદનીશ પ્રધ્યાપકની કક્ષામાં બઢતી આપવાના વચન અને વિશ્વાસ આપી લાખો રૂપિયાનું કૌભાંડ કરેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.’
આણંદમાં બસમાં ચઢવા જતી વિદ્યાર્થિની કચડાઈ
આણંદના નવા બસ મથકે બપોરના સમયે રિવર્સ થતી બસના પાછળના વ્હીલ નીચે આવી જતાં આણંદ કોમર્સ કોલેજમાં ભણતી પેટલાદની વિદ્યાર્થીનીનું કરૂણ મોત નપિજતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પેટલાદ આંજણાવાડમાં રહેતા ૨૨ વર્ષના સીગ્માબેન મહેન્દ્રભાઇ રતનભાઇ આંજણા પટેલ આણંદની કોમર્સ કોલેજમાં ટીવાયમાં અભ્યાસ કરે છે. સોમવારે બપોરે કોલેજ છુટયા બાદ તે પેટલાદ ઘરે જવા આણંદના નવા બસ મથકે આવ્યા હતા.તે વખતે ચકલાસીથી ખંભાત વાયા પેટલાદની બસ જી.જે.૧૮.વાય.૨૪૪૯ આવતાં તેઓ તેમાં બેસવા ગયા હતા. તે વખતે બસના ચાલકે બેદરકારી પૂવર્ક બસને રીવર્સ કરતાં બસના પાછળના વ્હીલ નીચે સીગ્માબેન આવી જતાં તે કચડાઇ જતાં કરૂણ મોત નિપજ્યું હતુ.આ બનાવથી બસ મથકમાં ઉભેલા અન્ય વિદ્યાર્થીઓ સહિત મુસાફરોમાં અરેરરાટી વ્યાપી જવા પામી હતી. આ બનાવ અંગે મૃતક સીગ્માની સહઅધ્યાયી પેટલાદ રહેતા દિશાબેન આંજણા પટેલે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે બસના ચાલકે ગુનો દાખલ કર્યો છે.
વેરાવળ : પ્રભાસ પાટણ પંથકમાં ઝંઝાવાતી સાડા પાંચ ઈંચ વરસાદ
વેરાવળ-પ્રભાસ પાટણ પંથકમાં શ્રાવણમાસમાં અષાઢી રંગ છવાયો હોય તેમ ગતરાત્રીનાં બાર વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં ઝંઝાવાતી સાડા પાંચ ઈંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. નીંચાણવાળા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાતા લોકો પરેશાનીમાં મુકાયા હતા. આજે શ્રાવણમાસનો સોમવાર હતો છતા વરસાદનાં કારણે સોમનાથમાં ભાવિકોની પાંખી હાજરી જોવા મળતી હતી.સોરઠમાં છેલ્લા પાંચ-છ દિવસથી મેઘરાજાએ મુકામ કર્યો હોય તેવું જણાઈ રહ્યું છે. વેરાવળ-પ્રભાસ પાટણ પંથકમાં ગતરાત્રે બાર વાગ્યાથી ઝંઝાવાતી વરસાદ શરૂ થયો હતો. સવારે છ વાગ્યા સુધીમાં અનરાધાર ચાર ઈંચ વરસાદ પડી ગયો હતો.વહેલી સવારે શહેર પાણી પાણી થઈ ગયું હતું. સવારે છ વાગ્યાથી પણ મેઘરાજાએ ધીમી ગતિએ વરસવાનું ચાલુ રાખતા સાંજે છ વાગ્યા સુધીમાં વધુ બે ઈંચ પાણી પડી જતા કુલ છ ઈંચ વરસાદ નોંધાયો હતો. છ ઈંચ વરસાદથી શહેરના સોમનાથ ટોકીઝ તથા ભાલકા વિસ્તારમાં આવેલી તમામ સોસાયટીઓ તથા કોલોનીમાં ગોઠડુબ પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાથી સ્થાનિક લોકો હેરાન પરેશાન બની ગયા હતા.
કૃષ્ણના જન્મોત્સવ માટે દ્વારકા સજ્જ
visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
કૃષ્ણના જન્મોત્સવ માટે દ્વારકા સજ્જ
કૃષ્ણની કર્મભુમિ દ્વારકા નગરી ઠાકોરના જન્મોત્સવની ઉજવણી માટે સજ્જ બની છે. જગતમંદિરને રોશનીથી ઝળહળતું કરવામાં આવી રહ્યુ છે. જ્યારે નગરની શેરીઓને સજાવવામાં આવી છે. દેવસ્થાન સમિતિ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.દ્વારકા નગરીએ આ વખતે જન્માષ્ટમીના ઉત્સવમાં કંઇક જુદુ સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ શહેરના તમામ વિસ્તારોમાં લાઇટ ડેકોરેશન, સ્વાગત કમાનો તથા ધ્વજા પતાકા અને રંગબેરંગી રંગોળીથી સાચા અર્થમાં કૃષ્ણનગરી જેવો માહોલ ઉભો કરવમાં આવ્યો છે. શહેરમાં પ્રવેશતાની સાથે જ કૃષ્ણનગરીમાં કાનાનો જન્મોત્સવનો ઉત્સાહ હોય તેવું વાતાવરણ ઉભુ થઇ ગયું છે.જ્યારે દ્વારકા દેવસ્થાન સમિતિ તથા પ્રવાસન વિભાગ અને યાત્રાધામ વિકાસ બોર્ડના વિભાગ નેજા હેઠળ જન્માષ્ટમી ઉત્સવમાં આવતા ભાવિકો માટે એક ખાસ કાર્યક્રમ જન્માષ્ટમીની રાત્રે ૯ વાગ્યે ધીરૂભાઇ અંબાણી માર્ગો ઉપર રાખવામાં આવ્યો છે. જેમાં બરોડાની ન્રુત્ય નાટીકા સંસ્થા દ્વારા ગોપાલક નામનું ન્રુત્ય તથા બાદમાં લોકડાયરો યોજાશે. જેમાં અશોક પંડયા, દેવદાન ગઢવી, કમલેશ ગઢવી, મુકેશ રાવલ તથા તરૂલતાબેન ચૌહાણ કાર્યક્રમ રજુ કરશે. આ કાર્યક્રમમાં સાસંદ તથા દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ પરિમલ નથવાણી, જિલ્લા કલેક્ટર તથા અધિકારીઓ અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે.જન્માષ્ટમીના આ ઉત્સવના આયોજનને આખરી ઓપ આપવા નાયબ કલેક્ટર આલોકકુમાર પાંડેએ સંકલન માટેની એક વધુ બેઠક સ્થાનિક અધિકારીઓ તથા પાલિકાના તંત્રની બોલાવી હતી. જેમાં યાત્રિકોની ટ્રાફીક વ્યવસ્થા, ખાસ કરીને ફુડ ખાણી-પીણીની વધુ વસ્તુઓ પર જરૂરી નિયંત્રણ અને ચકાસણી કરવા સુચના આપવામાં આવી છે. દેવસ્થાન સમિતિ દ્વારા જગત મંદિર પરિસરમાં યાત્રિકો દર્શનની વ્યવસ્થા માટે અલગ-અલગ વિભાગો પાડીને ખાસ બેરી કેટ ઉભુ કરવાની કામગીરી શરૂ કરાઇ છે.
મને ભલે ગુનેગાર ગણાવાય, પણ મારી ‘સલેટ’ કોરી છે
કચ્છની સરહદ પરથી થતી સોના ચાંદીની દાણચોરીમાં જેનું નામ અનેક વખત સંડોવાયું હતું તેવા ચર્ચાસ્પદ રહેલા ઇભલા શેઠ નકલી એન્કાઉન્ટરવાળા કિસ્સામાં મોઢું ખોલે છે.‘રાજકીય રીતે મારો લાભ ઘણાએ લીધો છે મને ભલે ગુનેગાર બનાવાયો છે પરંતુ મારી સલેટ (સ્લેટ) સાફ છે, મારા પર થયેલા કેસ કિન્નાખોરીનું પરિણામ છે અને કુલદીપ શર્માએ અંગત દુશ્મનાવટ રાખીને કામ કર્યું છે.’આ શબ્દો કચ્છના એક અતિ ચર્ચાસ્પદ અને જેને કુખ્યાત પણ કહેવાય છે તેવા એક શખ્સના છે તેનું નામ અબ્દુલ્લા હાજી ઇબ્રાહીમ છે તેવું કહીએ તો કોઇ નહીં ઓળખે, પરંતુ ઇભલા શેઠ નામ આવતાં જ લોકોના કાન સરવા થઇ જશે અને અંદરો અંદર ઘૂસપુસ ચાલુ પણ થઇ જશે, ‘ઇભલાના નામે કેટલાય કેસ છે એ કંઇ કુલદીપ શર્માની સામે બોલે તે સાચું મનાય?’ ‘ભલે તે દાણચોરીમાં સંડોવાયેલો મનાય, પરંતુ ગરીબોની મદદ કરતો. અરે, અબડાસામાં તો તેના નામનો સિક્કો પડતો.’ આવી બેમતભરી વાતો આ ઇભલા શેઠ વિશે વર્ષોથી થતી આવી છે.લાંબા સમયથી રાજકીય પ્રવૃત્તિથી પણ અલ્પિત થઇ જનાર ઇભલા શેઠ પર સોના ચાંદીની દાણચોરીના આક્ષેપો જ નહીં, પરંતુ પોલીસ અને કસ્ટમના કેસ પણ દર્જ થયા છે. શસ્ત્રની હેરાફેરી કે સિમિ સાથેનું કનેકશન એવા કારણો રહ્યાં છે કે, જેને લીધે પોલીસે અડધી રાત્રે ઇભલા શેઠના દરવાજા ખખડાવ્યા છે. જોકે તે પોતે કહે છે જુગાર રમાડવા સિવાય એક પણ ગુનો મેં કર્યો નથી, હું ખેતી કરીને મહેનત કરીને આગળ આવેલો માણસ છું. કચ્છમાં કોંગ્રેસને મેં જીવાડી છે, મારી વધતી તાકાત અને લોકપ્રિયતા હરીફોને ખૂંચતાં પરિણામે કુલદીપ શર્માએ અંગત દ્વેષ રાખીને મારી સાથે સતત ગુનેગાર જેવું વર્તન કર્યું હતું.કચ્છમાં ૨૬ વર્ષ પૂર્વે થયેલા એન્કાઉન્ટર અંગે પુન: તપાસ શરૂ થઇ છે. તો આ ઇભલા શેઠને પણ તત્કાલીન ડીએસપી કુલદીપ શર્માએ માર માર્યો હોવાનો બનાવ ભુતકાળના તળમાંથી ફરી સપાટી પર આવ્યો છે, ત્યારે ગુનેગાર ન હોવાનું રટણ કરનાર છતાં પોલીસ જેના માટે સતત વોચફૂલ રહેતી તેવા ઇભલા શેઠ ‘દિવ્ય ભાસ્કર’ સામે કેટલીક સ્ફોટક વાતો કરે છે.
રાજકોટ : સાધુમાં વાસનાનો કીડો સળવળ્યો અને મહિલાને..
રાજકોટ બસ સ્ટેશનમાં રહેતી મૂળ મોરબીની મહિલાને ચોટીલા માનતા પૂરી કરવા લઇ જવાનું કહી સાધુએ મોલડી નજીક વગડામાં લઇ જઇ બળાત્કાર ગુજારતાં સનસનાટી મચી ગઇ હતી. ભોગ બનનાર મહિલા રોડ પર આવી રહી હતી. ત્યારે કોઇ સ્કૂટર ચાલકે ઠોકરે લેતાં ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલે ખસેડાઇ હતી. પોલીસે સાધુને સકંજામાં લઇ પૂછપરછ શરૂ કરી હતી.મોરબીમાં વાવડી રોડ પર રામદેવપીર મંદિર પાસે રહેતી અને એકાદ મહિનાથી રાજકોટ બસ સ્ટેશનમાં પડી પાથરી રહેતી મીના શંકરલાલ હાલાણી (ઉ.વ.૪૦) નો ભેટો રવિવારે રાત્રે બસ સ્ટેશનમાં રવિરામ રાવળદેવ નામના ૫૦ વર્ષના સાધુ સાથે થયો હતો. ચોટીલા માનતા હોવાનું અને પોતાની પાસે પૈસા નહીં હોવાનું કહેતા સાધુએ પોતે માનતા પૂરી કરાવશે તેમ કહ્યું હતું.
સોમવારે સવારે બન્ને બસમાં બેસી ચોટીલા જવા નીકળ્યા હતાં પરંતુ મોલડી પાસે ઉતરી ગયા હતાં. મંદિરે જતા પૂર્વે સ્નાન કરવાનું સાધુએ કહેતા બન્ને ગામની સીમમાં આવેલી નદીએ નાહાવા ગયા હતાં. નાહાતી વેળાએ સાધુમાં વાસનાનો કીડો સળવિળયો હતો, અને મહિલાને નદી બહાર કાઢી બળજબરી કરી બળાત્કાર ગુજાર્યો હતો.કુકર્મ આચર્યા બાદ સાધુ અને મહિલા વગડાથી રોડ તરફ આવી રહ્યા હતાં ત્યારે રસ્તામાં કોઇ સ્કૂટર ચાલકે મીનાને ઠોકરે ચડાવી હતી. અકસ્માતમાં ઘવાયેલી મહિલાને સાધુ જ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં લઇ આવ્યો હતો.સાધુએ બળાત્કાર કર્યાનું હોસ્પિટલ પોલીસ સ્ટાફ સમક્ષ કહેતાં પોલીસે સાધુને સકંજામાં લઇ વિશેષ પૂછપરછ હાથ ધરી હતી.
અમદાવાદમાં યુવકની જાહેરમાં આત્મહત્યા
પ્રગતિનગરમાં આવેલી નવનિર્માણ સોસાયટીના બાજુના રોડ પર સ્થિત જીઇબીના વીજથાંભલા પર લટકી જઈને યુવકે આત્મહત્યા કરી લેતા અરેરાટી ફેલાઈ હતી. ભરબપોરે ઓછી અવરજવરવાળા એવા આ વિસ્તારમાં જઇને યુવક થાંભલા પર ૩૫ ફૂટ ઉંચે ચઢી ગયો હતો અને તારનો ગાળિયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો.ઘટનાની જાણ થતાં જ થાંભલા પાસે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. તપાસ કરવા આવેલી પોલીસને પણ પહેલા લોકોને ખસેડવાની જહેમત ઉઠાવવી પડી હતી અને બાદમાં ફાયરબ્રિગેડની મદદથી લાશને નીચે ઉતારી હતી. આ બનાવ અંગે નારણપુરા પોલીસે અકસ્માત મોત નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.બપોરે લગભગ ત્રણ-સાડા ત્રણ વાગ્યાના અરસામાં સફેદ પેન્ટ અને શર્ટ પહેરેલો, અંદાજે ૩૨ વર્ષીય ઉંમરનો યુવક નવનિર્માણ સોસાયટી પાસે આવી પહોંચ્યો હતો. થાંભલામાં લગાવેલા એન્ગલોની મદદથી તે લગભગ ૩૫ ફૂટ ઊંચે ચડી ગયો હતો. બાદમાં પોતાની પાસેના તારનો ગાળિયો થાંભલાના એન્ગલ સાથે બાંધીને ગળેફાંસો ખાઈ લટકી ગયો હતો.લગભગ ૪.૧૫ વાગ્યે નવનિર્માણ સોસાયટીમાં રહેતા આર. જે. ઉપાધ્યાયની નજર થાંભલા પર લટકી રહેલી લાશ પર પડતાં પોલીસ કંટ્રોલરૂમને ફોન કર્યો કરતાં, નારણપુરા પોલીસમથકના પીએસઆઇ બશીર ઠાકોર સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. દરમિયાન આ વાત સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જતાં લોકોનાં થાંભલા પાસે એકઠા થઈ ગયા હતા.પોલીસે પહેલા તો ટોળાને વિખેરી નાખ્યાં હતાં અને બાદમાં ફાયરબ્રિગેડને મદદ માટે બોલાવી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ થાંભલા પર ચડીને દોરડાનું ગાળિયો બનાવી યુવકના પગના ભાગેથી છાતી સુધી સરકાવીને ફિટ કરી દીધો હતો અને દોરડાનો બીજો છેડો એન્ગલ ઉપરથી સરકાવીને લાશને ધીમે ધીમે નીચે ઉતારી હતી.નારણપુરા પોલીસમથકના પીએસઆઇ ઠાકોરે જણાવ્યું હતું કે, હજી સુધી યુવકની ઓળખ થઈ શકી નથી.
પીપલી લાઇવના હીરો નત્થાનું ઘર કાચી માટીનું છે
બોલિવૂડ સ્ટાર આમિરખાનની ફિલ્મ ‘પીપલી લાઇવ’માં નત્થાની ભૂમિકા ભજવીને દેશભરમાં લોકપ્રિય બનેલા કલાકાર ઓમકારદાસ માનિકપુરીનું ઘર આજેય કાચી માટીનું બનેલું છે. તે આજેય ભિલાઇની ગલીઓમાં શાકભાજી વેચે છે.જોકે, ફિલ્મ રિલીઝ થયા બાદ ઓમકારનાથની મુશ્કેલી એ છે કે તે પોતાના ઘરમાં રહી શકતા નથી. કેમ કે, તેઓ જેવા ઘરે પહોંચે કે તુરંત જ પ્રશંસકોની ભીડ જામી જાય છે. આજકાલ તેઓ છાનામાના પોતાના બનેવીના ઘરે રહે છે. દેશમાં લોકપ્રિય થયેલા ઓમકારનાથ આજેય કાચા મકાનમાં રહે છે.તેમનું કહેવું છે કે ‘પીપલી લાઇવ’માં મળેલું મહેનતાણું એટલું નહોતું કે હું મારું મકાન રિપેર કરાવી શકું. થિયેટરના માહિર કલાકાર માનિકપુરી(નત્થા)ના પિતા મજબૂર હતા. રોજગારીની શોધમાં દરેક વર્ષે ગામ છોડીને અલગ-અલગ શહેરોમાં રહેવું પડતું હતું. જેના કારણે ઓમકારદાસનું પ્રાથમિક શિક્ષણ શક્ય ન બન્યું, પણ ભણવાની ઘેલછાના કારણે તેઓ ૧૨ વર્ષની ઉંમરે પહેલા ધોરણમાં દાખલ થયા હતા.પાંચમા ધોરણમાં પહોંચતા સુધીમાં તો તેને મૂછ ઉગવાની શરૂઆત થઇ ગઇ હતી આથી બાકીના વિદ્યાર્થીઓ તેને ચીડવવા લાગ્યા. આથી રોષે ભરાઇને ભણવાનું છોડી દીધું. ૧૬ વર્ષની વયે તો તેના લગ્ન થઇ ગયાં હતાં.
૬ કલાક જુના ખોરાકથી ફૂડ પોઈઝનિંગનો ખતરો
શ્રાવણ માસમાં શીતળા સાતમને દિવસે લોકોમાં ઠંડું એટલે કે એક દિવસ પહેલાં બનાવેલું ખાવાની ધાર્મિક ભાવના જોડાયેલી છે. પરંતુ, આંચકાજનક બાબત એ છે કે, છ કલાક પહેલાં બનેલા આહારની યોગ્ય રીતે ફ્રીઝમાં જાળવણી અને સ્વચ્છતાને અભાવે ફૂડપોઈઝનિંગ કે પેટના ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે. જેથી ડાયાબિટીસ, બીપી અને હૃદયની બીમારીથી પીડાતાં વૃદ્ધો, બાળકો, સગભૉ મહિલાઓ અને બીમાર વ્યક્તિએ ખાસ તકેદારી રાખવાનું ડોક્ટરો જણાવી રહ્યા છે.અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રમુખ ડૉ. જીતુભાઇ પટેલે જણાવ્યું હતું કે, પુરી, ઢેબરાં અને સુખડી જેવા સૂકા પદાર્થો બેથી ત્રણ દિવસ પછી પણ ખાઇ શકાય છે. પરંતુ, શાક અને દાળ જેવી વાનગીઓ કે જેમાં પાણીનું પ્રમાણ હોય તેવા પદાર્થોમાં લિક્વિડના માધ્યમથી બેકેટેરિયા ઉત્પન્ન થાય છે.આવા પદાર્થોની ફ્રીઝમાં યોગ્ય જાળવણી ન કરી હોય અને સ્વચ્છતા જાળવવામાં ન આવે તો ફૂડ પોઈઝનિંગ થવાથી પેટના ઇન્ફેકશનને લીધે ગેસ, ડાયેરિયા અને ઝાડા-ઊલટી થઇ શકે છે. તેમજ હાલમાં શહેરમાં વાઇરલ ઇન્ફેકશન અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે. મેડિસર્જ હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડૉ. મનીષ ભટ્ટનાગરે જણાવ્યું હતું કે, હંમેશાં ગરમ ખોરાક ખાવાનો આગ્રહ રાખવો જોઇએ. કારણ કે, છ કલાક પહેલાં બનેલાં ખોરાકની યોગ્ય રીતે ફ્રીઝમાં જાળવણી ન કરાય તો બેકટેરિયા ઉત્પન્ન થઇ શકે છે. તેમાં પણ આથાવાળા ખોરાકમાં બેકટેરિયા ખૂબ જ ઝડપથી પેદા થતાં હોવાથી ફૂડ પોઈઝનિંગ અને ઇન્ફેકશન થતાં ટાઇફોઇડ, ડાયેરિયા અને ડિહાઇડ્રેશન થવાની શક્યતા રહે છે. ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડૉ. સંજય રાજપૂતે જણાવ્યું હતું કે, હાલમાં વિવિધ વસ્તુઓમાં મિલાવટ થતી હોવાથી છથી આઠ કલાક બાદ ખોરાકમાં બેકટેરિયા પેદા થાય છે.
વડોદરા : ત્રણ કલાકમાં સવા ચાર ઇંચ વરસાદ
સોમવારે સાંજે ગાજવીજ સાથે વરસેલા વાદળોએ શહેર પર કબજો જમાવ્યો હતો. માત્ર ત્રણ કલાકમાં સવા ચાર ઇંચ વરસાદ ખાબકતાં શહેરીજનોની હાલત કફોડી થઇ ગઇ હતી. ત્યાર બાદ પણ વરસાદ ચાલુ રહેતાં પૂર તો નહીં આવે તેવો ફફડાટ જોવા મળ્યો હતો.સોમવારે સવારથી સાંજ સુધી છુટોછવાયો વરસાદ રહ્યો હતો. જોકે, સાંજે પાંચ વાગ્યા પછી તીવ્ર પવન સાથે તોફાની વરસાદ શરૂ થયો હતો. સાંજે ત્રણ કલાકમાં સવા ચાર ઇંચ (૧૦૮ મિમી) વરસાદ ખાબકી પડ્યો હતો.માર્ગો પર ભરાયેલા પાણીનો જલ્દીથી નિકાલ નહીં થતાં શહેરના તમામ મુખ્ય માર્ગો સરોવરમાં ફેરવાઇ ગયા હતા.અનેક દ્વિચક્રી વાહનો પાણીમાં ખોટકાઇ જતાં વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. રાવપુરા રોડ, એમ.જી.રોડ, ગેંડીગેટ રોડ, સયાજીગંજ, અલકાપુરી, લાલબાગ કાશીવિશ્વનાથ મહાદેવ રોડ, નિઝામપુરા, કારેલીબાગ સહિત તમામ વિસ્તારોના માર્ગો પપ ઘૂંટણ સુધી પાણી ભરાતાં જનજીવન ખોરવાઇ ગયું હતું.જ્યારે તાંદળજા, ગક્ષેત્રી ઇસ્કોન મંદિર રોડ, રેસકોર્સ નટુભાઈ સર્કલમાં રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ધીમે વાહન હંકારવાની ફરજ પડી હતી. ખાસ કરીને આ વિસ્તારમાં આવેલા ખખડધજ રસ્તાઓને લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.દિવસભરના વિરામ બાદ સાંજે શરૂ થયેલા વરસાદને કારણે બજારોમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીની ખરીદી માટે નીકળેલાં શહેરજનો અટવાઇ પડ્યાં હતાં. રાતે પણ શહેરમાં મુશળધાર વરસાદ ચાલુ રહેતાં શહેરીજનોમાં પૂરનો ફફડાટ વ્યાપ્યો હતો.વડોદરા. કાળાડિબાંગ વાદળો સાથેના માહોલમાં મેઘરાજાએ દિવસો સુધી લોકોને ડર બતાવ્યા બાદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ મહેરબાની કરતાં ખેડૂતો હરખાઇ ઉઠ્યા હતા. ૨૪ કલાક દરમિયાન જિલ્લાના સંખેડા અને સાવલીમાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે નસવાડીમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો.બીજા રાઉન્ડનો વરસાદ થયા બાદ મેઘરાજાએ વિરામ ફરમાવતાં ખેડૂતોને ખેતીવાડીનું કામકાજ કરવાનો મોકો મળ્યો હતો.
વિશ્વનો સૌથી અઘરો ભારતનો સીએ અભ્યાસક્રમ : ચોપરા
સીએ અને સીએના વિદ્યાર્થીઓએ હંમેશાં પડકારોનો સામનો કરવા સજ્જ રહેવું પડશે. આજે નવી તકો અને નવી સ્થિતિઓ સર્જાઈ રહી છે તેમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઈસીએઆઈ) ના વેસ્ટર્ન ઝોનના ગુજરાતના સૌ પ્રથમ અને વડોદરામાં પહેલીવાર યોજાયેલા પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા આઈસીએઆઈએના પ્રમુખ સીએ અમરજીત ચોપરાએ જણાવ્યું હતું.આજે શહેરના અટલાદરા સ્થિત આઈસીએઆઈ ભવન ખાતે યોજાયેલા પદવીદાન સમારોહમાં આજે ૧૧૦ વિદ્યાર્થીઓને સીએ અમરજીત બોમરાના હસ્તે પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આજે નવા સીએ બની રહ્યાં છે તેમાં યુવકોની સરખામણીમાં યુવતીઓની સંખ્યા વધારે છે.આજે સ્પર્ધાત્મકતા વધુ હોવાથી સીએના વિદ્યાર્થી તરીકે પણ તાલમેલ મિલાવવા પ્રયાસો કરવા જ પડશે. ભારતમાં રાષ્ટ્રપતિ અને સીએની સાઈન જ સમગ્ર ભારતમાં ક્યાંય પ્રમાણિત ગણાય છે. તેથી સીએનું મહત્વ શું છે તે સમજી શકાય તેમ છે. ભારતનો સીએ અભ્યાસક્રમ દુનિયામાં સૌથી અઘરો છે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત મ.સ. યુનિવર્સિટીના વા.ચા.રમેશ ગોયલના હસ્તે ૨૦ જેટલા રેન્કર વિદ્યાર્થીઓને સન્માનપત્રો એનાયત કરાયા હતા.પત્રકારો સાથેની વાત ચીતમાં સીએ અમરસિંહ બોમરાએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં ઇન્સ્ટિટ્યૂટ આયલેgન્ડ સાથે એમઓયુ કરશે. અને બીજા તબક્કામા કેનેડા અને ન્યૂઝિલેન્ડ સાથે પણ એમઓયુ માટે પ્રયાસો હાથ ધરાશે.આ ઉપરાંત અબુધાબીમાં સેન્ટર ફોર એક્સિલેન્સ ચાલુ કરવામાં આવશે.જીએસટી વિશે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આ બાબતે રાજનિતિક મતભેદોથી બચવું જોઈએ અને કોઈ રાજ્યને ફાયદો થઈ રહ્યો છે તો કોઈને નુકસાન. હવે કેન્દ્ર સરકારે, જે રાજ્યોને નુકસાન થતું હોય તેમને વળતર આપવું જોઈએ. સત્યમ કૌભાંડનો કેસ અમે શક્ય એટલો ઝડપી પૂરો કરવા માગીએ છીએ.હાલમાં જાહેર બેંકોના મર્જરને આવકારતા જણાવ્યું કે મોટી બેંકો ગામડાંઓની સામાન્ય વ્યક્તિઓ સુધી પહોંચી રહ્યાં છે આવી સ્થિતિમાં કોઈ મોટા કદની બેંકોની શાખાઓ અંદરોઅંદર સ્પર્ધા કરે તેના કરતા એક જ બેંક કામગીરી કરે તો તે વ્યવસ્થા આવકાર્ય હોવી જોઈએ.બાકી પ્રાઈવેટ બેંકોને તો મંજુરી અપાઈ જ છે. ઇન્ટરનેશનલ ફાઈનાન્સીયલ રિપોટિઁગ સ્ટાન્ડર્ડસ વિવિધ એજન્સીઓને મોકલવાની કામગીરી ચાલી રહી છે. ભારતસરકારની નેશનલ એકાઉન્ટિંગ સ્ટાડર્ડ ફાઉન્ડેશનને પણ આ આઈએફઆરએસ સ્ટાડર્ડ્સ મોકલવામાં આવ્યા છે. જ્યારે આગામી ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં આઈઆરડીઅને તેની નકલ મોકલવામાં આવશે.આ પ્રસંગે ધારાસભ્ય ભૂપેન્દ્ર લાખાવાલા, બ્રાન્ચ ચેરમેન સીએ રાહુલ પરીખ, વેસ્ટર્ન કાઉન્સિલના ચેરમેન સીએ અતુલ ભેડા ઉપસ્થિત રહ્યાં હતા.
વડોદરામાં મેઘરાજાનું ચોથુ અલ્ટિમેટમ: ભ્રષ્ટાચારીઓ સાનમાં સમજે તો સારું!
વડોદરામાં ચાલુ વર્ષે મેઘરાજાનું આ ચોથી વખતનું અલ્ટીમેટમ સેવાસદનના કેટલાંક ભ્રષ્ટ અધિકારીઓ સમજી હજુ પણ ઠેરઠેર ભરાતાં વરસાદી પાણીનો નિકાલ લાવવાનું આયોજન કરે તો સારું નહીં તો ભરપૂર ભાદરવો વરસવાનો બાકી છે તેનો ગંભીરતાથી વિચાર કરવો જ રહ્યો!પહેલી વખત પાંચ ઇંચ, બીજી વખત ચાર ઇંચ, ત્રીજી વખત ચાર ઇંચ અને આજે ચોથી વખત પણ પાંચ ઇંચ વરસાદ વરસ્યોને શહેર સરોવરમાં ફેરવાઇ ગયું.ત્રણ-ત્રણ વખત ચાર-ચાર ઇંચ વરસાદ વરસાવી મેઘરાજાએ ચોગ્ગાની હેટ્રિક તો ફટકારી દીધી પરંતુ મેઘરાજાની આ ફટકાબાજીને રોકવામાં સેવાસદન તંત્રની ફિલ્ડિંગ નિષ્ફળ પુરવાર થઇ. જેનું પરિણામ સેવાસદનને નહીં પણ હજારો શહેરીજનોને વેઠવું પડ્યું. તેમ છતાં નફ્ફટ તંત્ર વરસાદ વરસ્યા પછી રોડ પર જામેલા માટીના થર હટાવી શકતી નથી તો બીજું શું કરી શકે?ચાલુ વરસાદી મોસમમાં અત્યાર સુધી ચાર વખત વરસેલા ધોધમાર વરસાદની પેટર્ન એક સરખી રહી છે. આ ઉપરાંત આ વરસાદમાં સરોવરમાં ફેરવાતા માર્ગો અને વિસ્તારો પણ દર વખતે એકના એક જ રહ્યા છે. તેમ છતાં સેવાસદનનું નઘરોળ તંત્ર આ માર્ગો અને વિસ્તારોમાં ક્યા કારણથી ઘૂંટણ સુધી પાણી ભરાઇ રહે છે, તે શોધવામાં નિષ્ફળ જ નહીં પણ ડફોળ પુરવાર થયું છે.ઓવરબ્રિજના સર્વિસ રોડની ભારે અવદશા.શહેરમાં કલાલી ફાટક અને લાલબાગ રેલવે ફાટક ઓવરબ્રિજની કામગીરીમાં બંને બાજુ બનાવેલાં સર્વિસ રોડની ભારે વરસાદમાં અવદશા થઇ છે. લાલબાગ-કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર રોડ ઉપર ઘૂંટણ સુધીનું પાણી ભરાઇ જતું હોવા છતાં સેવાસદનનું બેશરમ તંત્ર આ સમસ્યાનો ઉકેલ શોધી શક્યું નથી. આજે આ માર્ગ ઉપરથી પસાર થવાના સ્કૂટર જેવા નાના વાહનોના ચાલકોને એકથી દોઢ કલાકનો સમય વિતાવવો પડ્યો હતો.
મીંઢોળાના પુલ પર ટ્રાફિક જામ
ઊંડા ખાડાઓને લીધે વાહચાલકોએ મંદગતિએ વાહન હંકારતાં બપોરથી મોડીરાત સુધી હાઈવે પર દોઢ બે કિ.મી. લાંબી કતાર, ને. હા. ઓથોરિટીના અધિકારીઓની લાપરવાહી.બારડોલી નેશનલ હાઇવે ઓથોરિટી અધિકારીઓની લાપરવાહીના કારણે સોમવારે બપોરે ત્રણ વાગ્યાથી મોડી રાત સુધી મીંઢોળા નદીના પુલની બંને તરફ દોઢ બે કિમી વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.છેલ્લા ઘણા સમયથી મીંઢોળા નદીના પુલ પર ઊંડા ખાડાઓ પડી જવા છતાં રિપેરિંગ કરવાની દરકાર કરી નથી. અધિકારીઓની લાપરવાહી જાણવા જેવી છે. જ્યાં પુલ પર મસમોટા ખાડાઓએ આકાર લીધા છે. તેની સામે જ ને.હા. ઓથોરિટીની કચેરી આવેલી છે.આ ખાડાઓમાંથી રોજિંદા અધિકારીઓ અવરજવર કરે છે. છતાં વાહનચાલકોને પડતી હાલાકી દૂર કરવાની તસદી લીધી નથી. પરિણામે ભારે માલવાહક સાધનોની અવર જવરના કારણે ખાડાઓ વધારે ઊંડા થઈ ગયા હતાં. જેથી સોમવારે બપોરથી લઈ રાત સુધી વાહનોની પુલની તરફ લાંબી કતાર લાગી ગઈ હતી.હાઈવે પર વાહનોની લાંબી કતારને કારણે નગરમાંથી હાઈવે પર પ્રવેશવાના મુખ્ય માર્ગ ગાંધીરોડ પર લાંબી કતાર થઈ જતાં વાહનચાલકોએ આંતરિક રસ્તાનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ અંગે બારડોલી નેહા ઓથોરિટીની કચેરીના મદદનીશ ઈજનેર ડી. એફ. શાહના જણાવ્યા મુજબ કેદારેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થીઓ પગપાળા પુલ પરથી પસાર થતાં વાહનચાલકો ધીરે હંકારતા ટ્રાફિક જામ થઈ ગયો હતો.
જે અધિકારીઓ પોતાની ભૂલ છુપાવવા લૂલો બચાવ કર્યો હતો. સમયસર ખાડાઓ પુરવાની દરકાર કરી હોત તો વાહનચાલકોને મુસીબતનો સામનો કરવો પડ્યો ન હોત.
ગ્રુપસેક્સ : આરોપી મરી ગયા બાદ પોલીસ અટક કરવા ગઈ
દિલ્હી અને હોંગકોંગના બિઝનેસમેન કુલદીપક અરોરા સાથે પરણેલી વાવની યુવતી પર આચરાયેલા ગ્રુપસેક્સ પ્રકરણમાં ભોગ બનનારના સસરા લક્ષ્મણદાસ અરોરાનું મૃત્યુ થયું તેના અઠવાડિયા પછી તેમની અટક કરવા કામરેજ પોલીસ દિલ્હી પહોંચી હતી. કેમ કે નાદુરસ્ત તબિયતના કારણે લક્ષ્મણદાસ કામરેજ પોલીસ સમક્ષ હાજર રહી શકે તેમ ન હોવાથી તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાને જઈને તેમની અટક કરવાની હતી અને તેના ખર્ચપેટે અરજદારે રૂ. ૩૪,૦૦૦ કોર્ટમાં જમા કરાવ્યા હતા.સોમવારે કોર્ટે દિલ્હી જવાના ખર્ચ પેટે લેવાયેલા રૂ. ૩૪,૦૦૦ કોર્ટમાં પરત જમા કરાવવા કામરેજ પી.આઈ.ને હુકમ કર્યો હતો કેમ કે લક્ષ્મણદાસના મૃત્યુ અંગેની જાણ આરોપીના એડ્વોકેટથી માંડીને જિલ્લા સરકારી વકીલ બંનેએ કામરેજ પીઆઈને કરી હતી. પછી તેઓએ કે તેમની ટીમે દિલ્હી રવાના થવાની જરૂર જ રહેતી ન હતી.નાદુરસ્ત તબિયતના કારણે કોર્ટે લક્ષ્મણદાસ અરોરાને આગોતરા જામીનનો લાભ આપ્યો હતો. જેના પગલે પોલીસ તેમની અટક કરી શકે પરંતુ તુરત જ તેમને જામીન પર છોડી દેવા પડે, જે માટે તેઓએ દિલ્હીથી કામરેજ પોલીસમાં હાજર થવાનું હતું પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે અરોરાએ પોતાના વકીલ કિરીટ પાનવાલા થકી કોર્ટમાં એવી અરજી આપી હતી કે જો તેમની અટક તેમના નિવાસસ્થાને જ કરીને જામીન પર છોડવામાં આવે તો તે માટેનો ખર્ચ ચૂકવી દેવામાં આવશે. આ અરજી જજે ગ્રાહ્ય રાખતાં રૂ. ૩૪,૦૦૦નો ખર્ચ કામરેજ પી. આઈ.ને ચૂકવી દેવામાં આવ્યો હતો. પરંતુ કામરેજ પીઆઈ એસ. કે. વાળા તો અરજદારના મૃત્યુ સુધી દિલ્હી પહોંચ્યા જ નહીં.
કૃષ્ણના જન્મોત્સવ માટે દ્વારકા સજ્જ
કૃષ્ણની કર્મભુમિ દ્વારકા નગરી ઠાકોરના જન્મોત્સવની ઉજવણી માટે સજ્જ બની છે. જગતમંદિરને રોશનીથી ઝળહળતું કરવામાં આવી રહ્યુ છે. જ્યારે નગરની શેરીઓને સજાવવામાં આવી છે. દેવસ્થાન સમિતિ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.દ્વારકા નગરીએ આ વખતે જન્માષ્ટમીના ઉત્સવમાં કંઇક જુદુ સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ શહેરના તમામ વિસ્તારોમાં લાઇટ ડેકોરેશન, સ્વાગત કમાનો તથા ધ્વજા પતાકા અને રંગબેરંગી રંગોળીથી સાચા અર્થમાં કૃષ્ણનગરી જેવો માહોલ ઉભો કરવમાં આવ્યો છે. શહેરમાં પ્રવેશતાની સાથે જ કૃષ્ણનગરીમાં કાનાનો જન્મોત્સવનો ઉત્સાહ હોય તેવું વાતાવરણ ઉભુ થઇ ગયું છે.જ્યારે દ્વારકા દેવસ્થાન સમિતિ તથા પ્રવાસન વિભાગ અને યાત્રાધામ વિકાસ બોર્ડના વિભાગ નેજા હેઠળ જન્માષ્ટમી ઉત્સવમાં આવતા ભાવિકો માટે એક ખાસ કાર્યક્રમ જન્માષ્ટમીની રાત્રે ૯ વાગ્યે ધીરૂભાઇ અંબાણી માર્ગો ઉપર રાખવામાં આવ્યો છે. જેમાં બરોડાની ન્રુત્ય નાટીકા સંસ્થા દ્વારા ગોપાલક નામનું ન્રુત્ય તથા બાદમાં લોકડાયરો યોજાશે. જેમાં અશોક પંડયા, દેવદાન ગઢવી, કમલેશ ગઢવી, મુકેશ રાવલ તથા તરૂલતાબેન ચૌહાણ કાર્યક્રમ રજુ કરશે. આ કાર્યક્રમમાં સાસંદ તથા દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ પરિમલ નથવાણી, જિલ્લા કલેક્ટર તથા અધિકારીઓ અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે.જન્માષ્ટમીના આ ઉત્સવના આયોજનને આખરી ઓપ આપવા નાયબ કલેક્ટર આલોકકુમાર પાંડેએ સંકલન માટેની એક વધુ બેઠક સ્થાનિક અધિકારીઓ તથા પાલિકાના તંત્રની બોલાવી હતી. જેમાં યાત્રિકોની ટ્રાફીક વ્યવસ્થા, ખાસ કરીને ફુડ ખાણી-પીણીની વધુ વસ્તુઓ પર જરૂરી નિયંત્રણ અને ચકાસણી કરવા સુચના આપવામાં આવી છે. દેવસ્થાન સમિતિ દ્વારા જગત મંદિર પરિસરમાં યાત્રિકો દર્શનની વ્યવસ્થા માટે અલગ-અલગ વિભાગો પાડીને ખાસ બેરી કેટ ઉભુ કરવાની કામગીરી શરૂ કરાઇ છે.
મને ભલે ગુનેગાર ગણાવાય, પણ મારી ‘સલેટ’ કોરી છે
કચ્છની સરહદ પરથી થતી સોના ચાંદીની દાણચોરીમાં જેનું નામ અનેક વખત સંડોવાયું હતું તેવા ચર્ચાસ્પદ રહેલા ઇભલા શેઠ નકલી એન્કાઉન્ટરવાળા કિસ્સામાં મોઢું ખોલે છે.‘રાજકીય રીતે મારો લાભ ઘણાએ લીધો છે મને ભલે ગુનેગાર બનાવાયો છે પરંતુ મારી સલેટ (સ્લેટ) સાફ છે, મારા પર થયેલા કેસ કિન્નાખોરીનું પરિણામ છે અને કુલદીપ શર્માએ અંગત દુશ્મનાવટ રાખીને કામ કર્યું છે.’આ શબ્દો કચ્છના એક અતિ ચર્ચાસ્પદ અને જેને કુખ્યાત પણ કહેવાય છે તેવા એક શખ્સના છે તેનું નામ અબ્દુલ્લા હાજી ઇબ્રાહીમ છે તેવું કહીએ તો કોઇ નહીં ઓળખે, પરંતુ ઇભલા શેઠ નામ આવતાં જ લોકોના કાન સરવા થઇ જશે અને અંદરો અંદર ઘૂસપુસ ચાલુ પણ થઇ જશે, ‘ઇભલાના નામે કેટલાય કેસ છે એ કંઇ કુલદીપ શર્માની સામે બોલે તે સાચું મનાય?’ ‘ભલે તે દાણચોરીમાં સંડોવાયેલો મનાય, પરંતુ ગરીબોની મદદ કરતો. અરે, અબડાસામાં તો તેના નામનો સિક્કો પડતો.’ આવી બેમતભરી વાતો આ ઇભલા શેઠ વિશે વર્ષોથી થતી આવી છે.લાંબા સમયથી રાજકીય પ્રવૃત્તિથી પણ અલ્પિત થઇ જનાર ઇભલા શેઠ પર સોના ચાંદીની દાણચોરીના આક્ષેપો જ નહીં, પરંતુ પોલીસ અને કસ્ટમના કેસ પણ દર્જ થયા છે. શસ્ત્રની હેરાફેરી કે સિમિ સાથેનું કનેકશન એવા કારણો રહ્યાં છે કે, જેને લીધે પોલીસે અડધી રાત્રે ઇભલા શેઠના દરવાજા ખખડાવ્યા છે. જોકે તે પોતે કહે છે જુગાર રમાડવા સિવાય એક પણ ગુનો મેં કર્યો નથી, હું ખેતી કરીને મહેનત કરીને આગળ આવેલો માણસ છું. કચ્છમાં કોંગ્રેસને મેં જીવાડી છે, મારી વધતી તાકાત અને લોકપ્રિયતા હરીફોને ખૂંચતાં પરિણામે કુલદીપ શર્માએ અંગત દ્વેષ રાખીને મારી સાથે સતત ગુનેગાર જેવું વર્તન કર્યું હતું.કચ્છમાં ૨૬ વર્ષ પૂર્વે થયેલા એન્કાઉન્ટર અંગે પુન: તપાસ શરૂ થઇ છે. તો આ ઇભલા શેઠને પણ તત્કાલીન ડીએસપી કુલદીપ શર્માએ માર માર્યો હોવાનો બનાવ ભુતકાળના તળમાંથી ફરી સપાટી પર આવ્યો છે, ત્યારે ગુનેગાર ન હોવાનું રટણ કરનાર છતાં પોલીસ જેના માટે સતત વોચફૂલ રહેતી તેવા ઇભલા શેઠ ‘દિવ્ય ભાસ્કર’ સામે કેટલીક સ્ફોટક વાતો કરે છે.
રાજકોટ : સાધુમાં વાસનાનો કીડો સળવળ્યો અને મહિલાને..
રાજકોટ બસ સ્ટેશનમાં રહેતી મૂળ મોરબીની મહિલાને ચોટીલા માનતા પૂરી કરવા લઇ જવાનું કહી સાધુએ મોલડી નજીક વગડામાં લઇ જઇ બળાત્કાર ગુજારતાં સનસનાટી મચી ગઇ હતી. ભોગ બનનાર મહિલા રોડ પર આવી રહી હતી. ત્યારે કોઇ સ્કૂટર ચાલકે ઠોકરે લેતાં ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલે ખસેડાઇ હતી. પોલીસે સાધુને સકંજામાં લઇ પૂછપરછ શરૂ કરી હતી.મોરબીમાં વાવડી રોડ પર રામદેવપીર મંદિર પાસે રહેતી અને એકાદ મહિનાથી રાજકોટ બસ સ્ટેશનમાં પડી પાથરી રહેતી મીના શંકરલાલ હાલાણી (ઉ.વ.૪૦) નો ભેટો રવિવારે રાત્રે બસ સ્ટેશનમાં રવિરામ રાવળદેવ નામના ૫૦ વર્ષના સાધુ સાથે થયો હતો. ચોટીલા માનતા હોવાનું અને પોતાની પાસે પૈસા નહીં હોવાનું કહેતા સાધુએ પોતે માનતા પૂરી કરાવશે તેમ કહ્યું હતું.
સોમવારે સવારે બન્ને બસમાં બેસી ચોટીલા જવા નીકળ્યા હતાં પરંતુ મોલડી પાસે ઉતરી ગયા હતાં. મંદિરે જતા પૂર્વે સ્નાન કરવાનું સાધુએ કહેતા બન્ને ગામની સીમમાં આવેલી નદીએ નાહાવા ગયા હતાં. નાહાતી વેળાએ સાધુમાં વાસનાનો કીડો સળવિળયો હતો, અને મહિલાને નદી બહાર કાઢી બળજબરી કરી બળાત્કાર ગુજાર્યો હતો.કુકર્મ આચર્યા બાદ સાધુ અને મહિલા વગડાથી રોડ તરફ આવી રહ્યા હતાં ત્યારે રસ્તામાં કોઇ સ્કૂટર ચાલકે મીનાને ઠોકરે ચડાવી હતી. અકસ્માતમાં ઘવાયેલી મહિલાને સાધુ જ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં લઇ આવ્યો હતો.સાધુએ બળાત્કાર કર્યાનું હોસ્પિટલ પોલીસ સ્ટાફ સમક્ષ કહેતાં પોલીસે સાધુને સકંજામાં લઇ વિશેષ પૂછપરછ હાથ ધરી હતી.
અમદાવાદમાં યુવકની જાહેરમાં આત્મહત્યા
પ્રગતિનગરમાં આવેલી નવનિર્માણ સોસાયટીના બાજુના રોડ પર સ્થિત જીઇબીના વીજથાંભલા પર લટકી જઈને યુવકે આત્મહત્યા કરી લેતા અરેરાટી ફેલાઈ હતી. ભરબપોરે ઓછી અવરજવરવાળા એવા આ વિસ્તારમાં જઇને યુવક થાંભલા પર ૩૫ ફૂટ ઉંચે ચઢી ગયો હતો અને તારનો ગાળિયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો.ઘટનાની જાણ થતાં જ થાંભલા પાસે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. તપાસ કરવા આવેલી પોલીસને પણ પહેલા લોકોને ખસેડવાની જહેમત ઉઠાવવી પડી હતી અને બાદમાં ફાયરબ્રિગેડની મદદથી લાશને નીચે ઉતારી હતી. આ બનાવ અંગે નારણપુરા પોલીસે અકસ્માત મોત નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.બપોરે લગભગ ત્રણ-સાડા ત્રણ વાગ્યાના અરસામાં સફેદ પેન્ટ અને શર્ટ પહેરેલો, અંદાજે ૩૨ વર્ષીય ઉંમરનો યુવક નવનિર્માણ સોસાયટી પાસે આવી પહોંચ્યો હતો. થાંભલામાં લગાવેલા એન્ગલોની મદદથી તે લગભગ ૩૫ ફૂટ ઊંચે ચડી ગયો હતો. બાદમાં પોતાની પાસેના તારનો ગાળિયો થાંભલાના એન્ગલ સાથે બાંધીને ગળેફાંસો ખાઈ લટકી ગયો હતો.લગભગ ૪.૧૫ વાગ્યે નવનિર્માણ સોસાયટીમાં રહેતા આર. જે. ઉપાધ્યાયની નજર થાંભલા પર લટકી રહેલી લાશ પર પડતાં પોલીસ કંટ્રોલરૂમને ફોન કર્યો કરતાં, નારણપુરા પોલીસમથકના પીએસઆઇ બશીર ઠાકોર સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. દરમિયાન આ વાત સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જતાં લોકોનાં થાંભલા પાસે એકઠા થઈ ગયા હતા.પોલીસે પહેલા તો ટોળાને વિખેરી નાખ્યાં હતાં અને બાદમાં ફાયરબ્રિગેડને મદદ માટે બોલાવી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ થાંભલા પર ચડીને દોરડાનું ગાળિયો બનાવી યુવકના પગના ભાગેથી છાતી સુધી સરકાવીને ફિટ કરી દીધો હતો અને દોરડાનો બીજો છેડો એન્ગલ ઉપરથી સરકાવીને લાશને ધીમે ધીમે નીચે ઉતારી હતી.નારણપુરા પોલીસમથકના પીએસઆઇ ઠાકોરે જણાવ્યું હતું કે, હજી સુધી યુવકની ઓળખ થઈ શકી નથી.
પીપલી લાઇવના હીરો નત્થાનું ઘર કાચી માટીનું છે
બોલિવૂડ સ્ટાર આમિરખાનની ફિલ્મ ‘પીપલી લાઇવ’માં નત્થાની ભૂમિકા ભજવીને દેશભરમાં લોકપ્રિય બનેલા કલાકાર ઓમકારદાસ માનિકપુરીનું ઘર આજેય કાચી માટીનું બનેલું છે. તે આજેય ભિલાઇની ગલીઓમાં શાકભાજી વેચે છે.જોકે, ફિલ્મ રિલીઝ થયા બાદ ઓમકારનાથની મુશ્કેલી એ છે કે તે પોતાના ઘરમાં રહી શકતા નથી. કેમ કે, તેઓ જેવા ઘરે પહોંચે કે તુરંત જ પ્રશંસકોની ભીડ જામી જાય છે. આજકાલ તેઓ છાનામાના પોતાના બનેવીના ઘરે રહે છે. દેશમાં લોકપ્રિય થયેલા ઓમકારનાથ આજેય કાચા મકાનમાં રહે છે.તેમનું કહેવું છે કે ‘પીપલી લાઇવ’માં મળેલું મહેનતાણું એટલું નહોતું કે હું મારું મકાન રિપેર કરાવી શકું. થિયેટરના માહિર કલાકાર માનિકપુરી(નત્થા)ના પિતા મજબૂર હતા. રોજગારીની શોધમાં દરેક વર્ષે ગામ છોડીને અલગ-અલગ શહેરોમાં રહેવું પડતું હતું. જેના કારણે ઓમકારદાસનું પ્રાથમિક શિક્ષણ શક્ય ન બન્યું, પણ ભણવાની ઘેલછાના કારણે તેઓ ૧૨ વર્ષની ઉંમરે પહેલા ધોરણમાં દાખલ થયા હતા.પાંચમા ધોરણમાં પહોંચતા સુધીમાં તો તેને મૂછ ઉગવાની શરૂઆત થઇ ગઇ હતી આથી બાકીના વિદ્યાર્થીઓ તેને ચીડવવા લાગ્યા. આથી રોષે ભરાઇને ભણવાનું છોડી દીધું. ૧૬ વર્ષની વયે તો તેના લગ્ન થઇ ગયાં હતાં.
૬ કલાક જુના ખોરાકથી ફૂડ પોઈઝનિંગનો ખતરો
શ્રાવણ માસમાં શીતળા સાતમને દિવસે લોકોમાં ઠંડું એટલે કે એક દિવસ પહેલાં બનાવેલું ખાવાની ધાર્મિક ભાવના જોડાયેલી છે. પરંતુ, આંચકાજનક બાબત એ છે કે, છ કલાક પહેલાં બનેલા આહારની યોગ્ય રીતે ફ્રીઝમાં જાળવણી અને સ્વચ્છતાને અભાવે ફૂડપોઈઝનિંગ કે પેટના ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે. જેથી ડાયાબિટીસ, બીપી અને હૃદયની બીમારીથી પીડાતાં વૃદ્ધો, બાળકો, સગભૉ મહિલાઓ અને બીમાર વ્યક્તિએ ખાસ તકેદારી રાખવાનું ડોક્ટરો જણાવી રહ્યા છે.અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રમુખ ડૉ. જીતુભાઇ પટેલે જણાવ્યું હતું કે, પુરી, ઢેબરાં અને સુખડી જેવા સૂકા પદાર્થો બેથી ત્રણ દિવસ પછી પણ ખાઇ શકાય છે. પરંતુ, શાક અને દાળ જેવી વાનગીઓ કે જેમાં પાણીનું પ્રમાણ હોય તેવા પદાર્થોમાં લિક્વિડના માધ્યમથી બેકેટેરિયા ઉત્પન્ન થાય છે.આવા પદાર્થોની ફ્રીઝમાં યોગ્ય જાળવણી ન કરી હોય અને સ્વચ્છતા જાળવવામાં ન આવે તો ફૂડ પોઈઝનિંગ થવાથી પેટના ઇન્ફેકશનને લીધે ગેસ, ડાયેરિયા અને ઝાડા-ઊલટી થઇ શકે છે. તેમજ હાલમાં શહેરમાં વાઇરલ ઇન્ફેકશન અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે. મેડિસર્જ હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડૉ. મનીષ ભટ્ટનાગરે જણાવ્યું હતું કે, હંમેશાં ગરમ ખોરાક ખાવાનો આગ્રહ રાખવો જોઇએ. કારણ કે, છ કલાક પહેલાં બનેલાં ખોરાકની યોગ્ય રીતે ફ્રીઝમાં જાળવણી ન કરાય તો બેકટેરિયા ઉત્પન્ન થઇ શકે છે. તેમાં પણ આથાવાળા ખોરાકમાં બેકટેરિયા ખૂબ જ ઝડપથી પેદા થતાં હોવાથી ફૂડ પોઈઝનિંગ અને ઇન્ફેકશન થતાં ટાઇફોઇડ, ડાયેરિયા અને ડિહાઇડ્રેશન થવાની શક્યતા રહે છે. ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડૉ. સંજય રાજપૂતે જણાવ્યું હતું કે, હાલમાં વિવિધ વસ્તુઓમાં મિલાવટ થતી હોવાથી છથી આઠ કલાક બાદ ખોરાકમાં બેકટેરિયા પેદા થાય છે.
વડોદરા : ત્રણ કલાકમાં સવા ચાર ઇંચ વરસાદ
સોમવારે સાંજે ગાજવીજ સાથે વરસેલા વાદળોએ શહેર પર કબજો જમાવ્યો હતો. માત્ર ત્રણ કલાકમાં સવા ચાર ઇંચ વરસાદ ખાબકતાં શહેરીજનોની હાલત કફોડી થઇ ગઇ હતી. ત્યાર બાદ પણ વરસાદ ચાલુ રહેતાં પૂર તો નહીં આવે તેવો ફફડાટ જોવા મળ્યો હતો.સોમવારે સવારથી સાંજ સુધી છુટોછવાયો વરસાદ રહ્યો હતો. જોકે, સાંજે પાંચ વાગ્યા પછી તીવ્ર પવન સાથે તોફાની વરસાદ શરૂ થયો હતો. સાંજે ત્રણ કલાકમાં સવા ચાર ઇંચ (૧૦૮ મિમી) વરસાદ ખાબકી પડ્યો હતો.માર્ગો પર ભરાયેલા પાણીનો જલ્દીથી નિકાલ નહીં થતાં શહેરના તમામ મુખ્ય માર્ગો સરોવરમાં ફેરવાઇ ગયા હતા.અનેક દ્વિચક્રી વાહનો પાણીમાં ખોટકાઇ જતાં વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. રાવપુરા રોડ, એમ.જી.રોડ, ગેંડીગેટ રોડ, સયાજીગંજ, અલકાપુરી, લાલબાગ કાશીવિશ્વનાથ મહાદેવ રોડ, નિઝામપુરા, કારેલીબાગ સહિત તમામ વિસ્તારોના માર્ગો પપ ઘૂંટણ સુધી પાણી ભરાતાં જનજીવન ખોરવાઇ ગયું હતું.જ્યારે તાંદળજા, ગક્ષેત્રી ઇસ્કોન મંદિર રોડ, રેસકોર્સ નટુભાઈ સર્કલમાં રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ધીમે વાહન હંકારવાની ફરજ પડી હતી. ખાસ કરીને આ વિસ્તારમાં આવેલા ખખડધજ રસ્તાઓને લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.દિવસભરના વિરામ બાદ સાંજે શરૂ થયેલા વરસાદને કારણે બજારોમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીની ખરીદી માટે નીકળેલાં શહેરજનો અટવાઇ પડ્યાં હતાં. રાતે પણ શહેરમાં મુશળધાર વરસાદ ચાલુ રહેતાં શહેરીજનોમાં પૂરનો ફફડાટ વ્યાપ્યો હતો.વડોદરા. કાળાડિબાંગ વાદળો સાથેના માહોલમાં મેઘરાજાએ દિવસો સુધી લોકોને ડર બતાવ્યા બાદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ મહેરબાની કરતાં ખેડૂતો હરખાઇ ઉઠ્યા હતા. ૨૪ કલાક દરમિયાન જિલ્લાના સંખેડા અને સાવલીમાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે નસવાડીમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો.બીજા રાઉન્ડનો વરસાદ થયા બાદ મેઘરાજાએ વિરામ ફરમાવતાં ખેડૂતોને ખેતીવાડીનું કામકાજ કરવાનો મોકો મળ્યો હતો.
વિશ્વનો સૌથી અઘરો ભારતનો સીએ અભ્યાસક્રમ : ચોપરા
સીએ અને સીએના વિદ્યાર્થીઓએ હંમેશાં પડકારોનો સામનો કરવા સજ્જ રહેવું પડશે. આજે નવી તકો અને નવી સ્થિતિઓ સર્જાઈ રહી છે તેમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઈસીએઆઈ) ના વેસ્ટર્ન ઝોનના ગુજરાતના સૌ પ્રથમ અને વડોદરામાં પહેલીવાર યોજાયેલા પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા આઈસીએઆઈએના પ્રમુખ સીએ અમરજીત ચોપરાએ જણાવ્યું હતું.આજે શહેરના અટલાદરા સ્થિત આઈસીએઆઈ ભવન ખાતે યોજાયેલા પદવીદાન સમારોહમાં આજે ૧૧૦ વિદ્યાર્થીઓને સીએ અમરજીત બોમરાના હસ્તે પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આજે નવા સીએ બની રહ્યાં છે તેમાં યુવકોની સરખામણીમાં યુવતીઓની સંખ્યા વધારે છે.આજે સ્પર્ધાત્મકતા વધુ હોવાથી સીએના વિદ્યાર્થી તરીકે પણ તાલમેલ મિલાવવા પ્રયાસો કરવા જ પડશે. ભારતમાં રાષ્ટ્રપતિ અને સીએની સાઈન જ સમગ્ર ભારતમાં ક્યાંય પ્રમાણિત ગણાય છે. તેથી સીએનું મહત્વ શું છે તે સમજી શકાય તેમ છે. ભારતનો સીએ અભ્યાસક્રમ દુનિયામાં સૌથી અઘરો છે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત મ.સ. યુનિવર્સિટીના વા.ચા.રમેશ ગોયલના હસ્તે ૨૦ જેટલા રેન્કર વિદ્યાર્થીઓને સન્માનપત્રો એનાયત કરાયા હતા.પત્રકારો સાથેની વાત ચીતમાં સીએ અમરસિંહ બોમરાએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં ઇન્સ્ટિટ્યૂટ આયલેgન્ડ સાથે એમઓયુ કરશે. અને બીજા તબક્કામા કેનેડા અને ન્યૂઝિલેન્ડ સાથે પણ એમઓયુ માટે પ્રયાસો હાથ ધરાશે.આ ઉપરાંત અબુધાબીમાં સેન્ટર ફોર એક્સિલેન્સ ચાલુ કરવામાં આવશે.જીએસટી વિશે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આ બાબતે રાજનિતિક મતભેદોથી બચવું જોઈએ અને કોઈ રાજ્યને ફાયદો થઈ રહ્યો છે તો કોઈને નુકસાન. હવે કેન્દ્ર સરકારે, જે રાજ્યોને નુકસાન થતું હોય તેમને વળતર આપવું જોઈએ. સત્યમ કૌભાંડનો કેસ અમે શક્ય એટલો ઝડપી પૂરો કરવા માગીએ છીએ.હાલમાં જાહેર બેંકોના મર્જરને આવકારતા જણાવ્યું કે મોટી બેંકો ગામડાંઓની સામાન્ય વ્યક્તિઓ સુધી પહોંચી રહ્યાં છે આવી સ્થિતિમાં કોઈ મોટા કદની બેંકોની શાખાઓ અંદરોઅંદર સ્પર્ધા કરે તેના કરતા એક જ બેંક કામગીરી કરે તો તે વ્યવસ્થા આવકાર્ય હોવી જોઈએ.બાકી પ્રાઈવેટ બેંકોને તો મંજુરી અપાઈ જ છે. ઇન્ટરનેશનલ ફાઈનાન્સીયલ રિપોટિઁગ સ્ટાન્ડર્ડસ વિવિધ એજન્સીઓને મોકલવાની કામગીરી ચાલી રહી છે. ભારતસરકારની નેશનલ એકાઉન્ટિંગ સ્ટાડર્ડ ફાઉન્ડેશનને પણ આ આઈએફઆરએસ સ્ટાડર્ડ્સ મોકલવામાં આવ્યા છે. જ્યારે આગામી ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં આઈઆરડીઅને તેની નકલ મોકલવામાં આવશે.આ પ્રસંગે ધારાસભ્ય ભૂપેન્દ્ર લાખાવાલા, બ્રાન્ચ ચેરમેન સીએ રાહુલ પરીખ, વેસ્ટર્ન કાઉન્સિલના ચેરમેન સીએ અતુલ ભેડા ઉપસ્થિત રહ્યાં હતા.
વડોદરામાં મેઘરાજાનું ચોથુ અલ્ટિમેટમ: ભ્રષ્ટાચારીઓ સાનમાં સમજે તો સારું!
વડોદરામાં ચાલુ વર્ષે મેઘરાજાનું આ ચોથી વખતનું અલ્ટીમેટમ સેવાસદનના કેટલાંક ભ્રષ્ટ અધિકારીઓ સમજી હજુ પણ ઠેરઠેર ભરાતાં વરસાદી પાણીનો નિકાલ લાવવાનું આયોજન કરે તો સારું નહીં તો ભરપૂર ભાદરવો વરસવાનો બાકી છે તેનો ગંભીરતાથી વિચાર કરવો જ રહ્યો!પહેલી વખત પાંચ ઇંચ, બીજી વખત ચાર ઇંચ, ત્રીજી વખત ચાર ઇંચ અને આજે ચોથી વખત પણ પાંચ ઇંચ વરસાદ વરસ્યોને શહેર સરોવરમાં ફેરવાઇ ગયું.ત્રણ-ત્રણ વખત ચાર-ચાર ઇંચ વરસાદ વરસાવી મેઘરાજાએ ચોગ્ગાની હેટ્રિક તો ફટકારી દીધી પરંતુ મેઘરાજાની આ ફટકાબાજીને રોકવામાં સેવાસદન તંત્રની ફિલ્ડિંગ નિષ્ફળ પુરવાર થઇ. જેનું પરિણામ સેવાસદનને નહીં પણ હજારો શહેરીજનોને વેઠવું પડ્યું. તેમ છતાં નફ્ફટ તંત્ર વરસાદ વરસ્યા પછી રોડ પર જામેલા માટીના થર હટાવી શકતી નથી તો બીજું શું કરી શકે?ચાલુ વરસાદી મોસમમાં અત્યાર સુધી ચાર વખત વરસેલા ધોધમાર વરસાદની પેટર્ન એક સરખી રહી છે. આ ઉપરાંત આ વરસાદમાં સરોવરમાં ફેરવાતા માર્ગો અને વિસ્તારો પણ દર વખતે એકના એક જ રહ્યા છે. તેમ છતાં સેવાસદનનું નઘરોળ તંત્ર આ માર્ગો અને વિસ્તારોમાં ક્યા કારણથી ઘૂંટણ સુધી પાણી ભરાઇ રહે છે, તે શોધવામાં નિષ્ફળ જ નહીં પણ ડફોળ પુરવાર થયું છે.ઓવરબ્રિજના સર્વિસ રોડની ભારે અવદશા.શહેરમાં કલાલી ફાટક અને લાલબાગ રેલવે ફાટક ઓવરબ્રિજની કામગીરીમાં બંને બાજુ બનાવેલાં સર્વિસ રોડની ભારે વરસાદમાં અવદશા થઇ છે. લાલબાગ-કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર રોડ ઉપર ઘૂંટણ સુધીનું પાણી ભરાઇ જતું હોવા છતાં સેવાસદનનું બેશરમ તંત્ર આ સમસ્યાનો ઉકેલ શોધી શક્યું નથી. આજે આ માર્ગ ઉપરથી પસાર થવાના સ્કૂટર જેવા નાના વાહનોના ચાલકોને એકથી દોઢ કલાકનો સમય વિતાવવો પડ્યો હતો.
મીંઢોળાના પુલ પર ટ્રાફિક જામ
ઊંડા ખાડાઓને લીધે વાહચાલકોએ મંદગતિએ વાહન હંકારતાં બપોરથી મોડીરાત સુધી હાઈવે પર દોઢ બે કિ.મી. લાંબી કતાર, ને. હા. ઓથોરિટીના અધિકારીઓની લાપરવાહી.બારડોલી નેશનલ હાઇવે ઓથોરિટી અધિકારીઓની લાપરવાહીના કારણે સોમવારે બપોરે ત્રણ વાગ્યાથી મોડી રાત સુધી મીંઢોળા નદીના પુલની બંને તરફ દોઢ બે કિમી વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.છેલ્લા ઘણા સમયથી મીંઢોળા નદીના પુલ પર ઊંડા ખાડાઓ પડી જવા છતાં રિપેરિંગ કરવાની દરકાર કરી નથી. અધિકારીઓની લાપરવાહી જાણવા જેવી છે. જ્યાં પુલ પર મસમોટા ખાડાઓએ આકાર લીધા છે. તેની સામે જ ને.હા. ઓથોરિટીની કચેરી આવેલી છે.આ ખાડાઓમાંથી રોજિંદા અધિકારીઓ અવરજવર કરે છે. છતાં વાહનચાલકોને પડતી હાલાકી દૂર કરવાની તસદી લીધી નથી. પરિણામે ભારે માલવાહક સાધનોની અવર જવરના કારણે ખાડાઓ વધારે ઊંડા થઈ ગયા હતાં. જેથી સોમવારે બપોરથી લઈ રાત સુધી વાહનોની પુલની તરફ લાંબી કતાર લાગી ગઈ હતી.હાઈવે પર વાહનોની લાંબી કતારને કારણે નગરમાંથી હાઈવે પર પ્રવેશવાના મુખ્ય માર્ગ ગાંધીરોડ પર લાંબી કતાર થઈ જતાં વાહનચાલકોએ આંતરિક રસ્તાનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ અંગે બારડોલી નેહા ઓથોરિટીની કચેરીના મદદનીશ ઈજનેર ડી. એફ. શાહના જણાવ્યા મુજબ કેદારેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થીઓ પગપાળા પુલ પરથી પસાર થતાં વાહનચાલકો ધીરે હંકારતા ટ્રાફિક જામ થઈ ગયો હતો.
જે અધિકારીઓ પોતાની ભૂલ છુપાવવા લૂલો બચાવ કર્યો હતો. સમયસર ખાડાઓ પુરવાની દરકાર કરી હોત તો વાહનચાલકોને મુસીબતનો સામનો કરવો પડ્યો ન હોત.
ગ્રુપસેક્સ : આરોપી મરી ગયા બાદ પોલીસ અટક કરવા ગઈ
દિલ્હી અને હોંગકોંગના બિઝનેસમેન કુલદીપક અરોરા સાથે પરણેલી વાવની યુવતી પર આચરાયેલા ગ્રુપસેક્સ પ્રકરણમાં ભોગ બનનારના સસરા લક્ષ્મણદાસ અરોરાનું મૃત્યુ થયું તેના અઠવાડિયા પછી તેમની અટક કરવા કામરેજ પોલીસ દિલ્હી પહોંચી હતી. કેમ કે નાદુરસ્ત તબિયતના કારણે લક્ષ્મણદાસ કામરેજ પોલીસ સમક્ષ હાજર રહી શકે તેમ ન હોવાથી તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાને જઈને તેમની અટક કરવાની હતી અને તેના ખર્ચપેટે અરજદારે રૂ. ૩૪,૦૦૦ કોર્ટમાં જમા કરાવ્યા હતા.સોમવારે કોર્ટે દિલ્હી જવાના ખર્ચ પેટે લેવાયેલા રૂ. ૩૪,૦૦૦ કોર્ટમાં પરત જમા કરાવવા કામરેજ પી.આઈ.ને હુકમ કર્યો હતો કેમ કે લક્ષ્મણદાસના મૃત્યુ અંગેની જાણ આરોપીના એડ્વોકેટથી માંડીને જિલ્લા સરકારી વકીલ બંનેએ કામરેજ પીઆઈને કરી હતી. પછી તેઓએ કે તેમની ટીમે દિલ્હી રવાના થવાની જરૂર જ રહેતી ન હતી.નાદુરસ્ત તબિયતના કારણે કોર્ટે લક્ષ્મણદાસ અરોરાને આગોતરા જામીનનો લાભ આપ્યો હતો. જેના પગલે પોલીસ તેમની અટક કરી શકે પરંતુ તુરત જ તેમને જામીન પર છોડી દેવા પડે, જે માટે તેઓએ દિલ્હીથી કામરેજ પોલીસમાં હાજર થવાનું હતું પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે અરોરાએ પોતાના વકીલ કિરીટ પાનવાલા થકી કોર્ટમાં એવી અરજી આપી હતી કે જો તેમની અટક તેમના નિવાસસ્થાને જ કરીને જામીન પર છોડવામાં આવે તો તે માટેનો ખર્ચ ચૂકવી દેવામાં આવશે. આ અરજી જજે ગ્રાહ્ય રાખતાં રૂ. ૩૪,૦૦૦નો ખર્ચ કામરેજ પી. આઈ.ને ચૂકવી દેવામાં આવ્યો હતો. પરંતુ કામરેજ પીઆઈ એસ. કે. વાળા તો અરજદારના મૃત્યુ સુધી દિલ્હી પહોંચ્યા જ નહીં.
અમીત શાહ હવે જન્માષ્ટમી જેલમાં મનાવશે
visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
અમીત શાહ હવે જન્માષ્ટમી જેલમાં મનાવશે
આજે ગુજરાતના માજી ગૃહ રાજ્યમંત્રી અને જેલમંત્રી અમીત શાહના જામીન અંગેની સ્પેશિયલ સીબીઆઇ સેસન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જે સુનાવણીને સાત સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે. ત્રીજી વખત અમિત શાહની જામીન અરજી પરની સુનાવણી મુલતવી રાખવામાં આવી છે.છેલ્લા ઘણા દિવસથી સાબરમતી જેલમાં રખાયેલા રાજ્યના માજી ગૃહ રાજ્યમંત્રી અમીત શાહની જામીન અંગેની આજે સુનાવણી હતી. શાહની જામીનની સુનાવણી અંગે રાજ્યભરના લોકોમાં ભારે ઉત્તેજના હતી.દેશભરમાં ચર્ચાનો વિષય બની રહેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રકરણમાં છેલ્લા છ મહિનાથી તપાસ કરી રહેલી તપાસ એજન્સી સીબીઆઇએ કુલ ૧૮ આરોપીઓ સામે સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં ચાર્જસીટ ફાઇલ કરી હતી. સીબીઆઇ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારી અભય ચુડાસમા તથા રાજ્યના તત્કાલીન ગૃહરાજ્યમંત્રી અમીત શાહની ધરપકડ કરતાં આ પ્રકરણમાં ગરમાટો આવી ગયો હતો. જોકે ધરપકડ પહેલા શાહે કરેલી આગોતરા જામીનની અરજી સબમીશનના તબક્કે રદ કરાઇ હતી.અમિત શાહની ધરપકડ બાદ શાહે જામીન માટે સ્પેશિયલ સીબીઆઇ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી અને શાહ માટે કોર્ટમાં દલીલો કરવા માટે દિગ્ગજ ધારાશાસ્ત્રી રામજેઠમલાણીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
આઈ.સી.સી. પાકિસ્તાનની ૮૨ મેચોની તપાસ કરશે
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (આઈસીસી) મેચ ફિક્સિંગના આક્ષેપોમાં ફસાયેલી પાકિસ્તાનની ક્રિકેટ ટીમને સકંજામાં લેવાનો પ્રયાસ કરતાં ૮૨ જેટલી ક્રિકેટ મેચની તપાસ કરવાનો આદેશ કર્યો છે. સ્પોટ ફિક્સિંગમાં સંડોવાયેલી પાકિસ્તાનની ટીમની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે.ખેલાડીઓના રૂમમાંથી મળેલી રોકડ રકમ અને ચાર ક્રિકેટરની પૂછપરછ તથા ફિક્સિંગના આક્ષેપ બાદ ખેલાડીઓ પર આજીવન પ્રતિબંધની પણ માગણી થઈ રહી છે ત્યારે એવી પણ શંકા પ્રવર્તે છે કે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની આગામી વન-ડે શ્રેણી પણ ફિક્સ થઈ હશે.દરમિયાન આઈસીસીના પ્રમુખ શરદ પવારે પોલીસના રિપોર્ટ પછી જ આઈસીસી કોઈ નિર્ણય જાહેર કરશે પરંતુ તેમણે એવો સંકેત આપ્યો હતો કે પાકિસ્તાન રમ્યું હોય તેવાં છેલ્લાં ત્રણ વર્ષની ૮૨ મેચની તપાસ થશે.બ્રિટનના દૈનિકે એવો દાવો કર્યો છે કે શનિવારે પાકિસ્તાની ટીમના મેનેજર યાવર સઈદને ફોન કરીને પોલીસ હોટેલ પર આવી ગઈ છે તેની જાણ કરીને લગભગ અઢી કલાક સુધી ખેલાડીઓના રૂમની તપાસ કરી હતી જેમાં સુકાની સલમાન બટ્ટના રૂમનો પણ સમાવેશ થતો હતો.જોકે યાવર સઈદે રવિવારે આ સમાચારનું ખંડન કર્યું હતું. દૈનિકે તો એટલે સુધી કહ્યું હતું કે પોલીસને રૂમમાંથી એટલી મોટી રકમ મળી હતી જે ક્રિકેટરોને બોર્ડ તરફથી મળતી રકમ કરતાં ઘણી વધારે હતી.સિડની ટેસ્ટ ફિક્સ હતી?ઓસ્ટ્રેલિયાના સિડની મોર્નિંગ હેરલ્ડે એવો અહેવાલ આપ્યો હતો કે માજિદ મઝહરે આ વર્ષના પ્રારંભે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાયેલી મેચ ફિકસ કરી હોવાનું કબૂલી લીધું છે.મઝહરે સ્ટિંગ કરનારા પત્રકારને જણાવ્યું હતું કે હું તમને કહી શકું છું કે અગાઉ પણ અમે આમ કરેલું છે. સિડની ટેસ્ટમાં પણ આમ બન્યું હતું અને એ મેચમાં પરિસ્થિતિ પાકિસ્તાન હારે તેવી ન હતી પરંતુ તેમાંથી અમે ૧૩ લાખ પાઉન્ડ કમાયા હતા. ટેસ્ટ મેચમાં કમાણીની તક વધારે રહે છે.
સી.બી.આઈ. હેરાનગતિ ચાલુ રાખશે તો માનવ અધિકારમાં જઈશ : જોહરી
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કાંડમાં સી.બી.આઈ. હેરાનગતિ જારી રાખશે તો પોતે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગનો સંપર્ક સાધશે, તેવો પત્ર ગીથા જોહરીએ સી.બી.આઈ. ના ડાયરેક્ટર અશ્વિનિકુમારને લખ્યો છે અને તે પત્રની એક નકલ રાજ્યના પોલીસવડાને રવાના કરી છે. ઉલ્લેખનીય છે કે સીબીઆઈ બળજબરીપૂર્વક સોહરાબુદ્દીનકાંડમાં રાજકારણીઓનાં નામ કઢાવવા માગે છે તેવો આક્ષેપ કરતી પિટિશન ગીથા જોહરીએ સુપ્રીમ કોર્ટમાં કરી છે.નોંધનીય છે કે કેસમાં સીઆઈડી ક્રાઈમ તપાસ રહી હતી ત્યારે તપાસને લગતા કેટલાક મહત્વના દસ્તાવેજો ગુમ થયા હતા. જે અંગે સી.બી.આઈ. છેલ્લા કેટલાક સમયથી ગીથા જોહરીની પૂછપરછ કરી રહી છે. ગીથા જોહરીનો આક્ષેપ છે કે સી.બી.આઈ. તેને વારંવાર સમન્સ પાઠવીને હેરાન કરે છે અને પૂછપરછ દરમિયાન રાજસ્થાન અને ગુજરાતના રાજકારણીઓનાં નામ લેવા દબાણ કરે છે.સુપ્રીમમાં પિટિશન કર્યા બાદ ગીથા જોહરીએ સોમવારે સી.બી.આઈ. ના ડાયરેક્ટર અશ્વિનિકુમારને પત્ર લખીને કહ્યું છે કે જો સીબીઆઈ જ રીતે હેરાનગતિ જારી રાખશે તો તેઓ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને પત્ર લખીને ફરિયાદ કરશે. આ પત્રની નકલ ગીથા જોહરીએ રાજ્યના પોલીસવડા એસ એસ ખંડવાવાલાની કચેરીને પણ મોકલી છે.
સુરતમાં લશ્કર, એસઆરપી, હેલિકોપ્ટર સ્ટેન્ડ ટુ
સમગ્ર દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને નર્મદા જિલ્લામાં સંભવત: ઉભા થનારા ખતરાને પહોંચી વળવા માટે લશ્કર અને એસઆરપીની ટુકડીની મદદ લેવામાં આવી છે અને હેલિકોપ્ટરને પણ સ્ટેન્ડ ટુ રખાયું છે. મોડી રાત્રે દક્ષિણ ગુજરાતના ઉચ્ચ અધિકારીઓએ વડોદરા સ્થિતિ મિલિટરી કેમ્પના ઉપરી અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને કોઈ પણ સંકટ સમયે મદદે આવવા તેમની મંજુરી મેળવી લીધી છે. દહેજ બંદરે પણ માછીમારોને દરિયામાં જતા અટકાવીને હાઈએલર્ટ કરી દેવાયા છે.ઉકાઈ ડેમમાં ઉપરવાસથી પાણીની આવક ચાલુ રહેતા સત્તાધીશો દ્વારા રૂલ લેવલ મેન્ટેઇન કરવા માટે સોમવારે રાત્રે બાર વાગ્યાથી પરોઢિયાના ચાર વાગ્યા સુધી બે લાખ કયુસેક્સ પાણી છોડવામાં આવશે. ચાલુ વર્ષમાં પહેલીવાર બે લાખ કયુસેક્સ પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. જોકે, ઉપરવાસમાં વરસાદ નહીંવત હોવાને કારણે લોકોએ પૂરથી ભયભીત ન થવાની હૈયાધરપત કલેક્ટર એ.જે.શાહે આપી છે. બીજીતરફ, કલેકટોરેટ અને સુરત મહાનગર પાલિકાના તમામ અધિકારીઓને એલર્ટ કરી દેવાયા છે.ઉકાઈ ડેમમાંથી મધ્યરાત્રિએ બાર વાગ્યાથી સવારના ચાર વાગ્યાના સુમારે બે લાખ કયુસેક્સ પાણી છોડવામાં આવશે. શહેરીઓને સવારના નવ વાગ્યાના સુમારે તાપી બન્ને કાંઠે વહેતી જોવા મળશે. તાપીમાં બે લાખ કયુસેક્સ પાણી છોડવામાં આવતાં શહેરમાં સંખ્યાબંધ વિસ્તારોમાં પાણી બેક મારે તેવી સંભાવના છે. અલબત્ત, તંત્ર દ્વારા સબ સલામતના દાવા કરવામાં આવ્યા છે.
અમદાવાદ: ઇન્ટરનેશનલ એરપોર્ટ આખરે શરૂ થશે
છેલ્લાં ૪ વર્ષથી બંધાઇ રહેલું, છેવટે ૪થી ઓગસ્ટે ઉદ્ઘાટન પામેલું અને ૧૫મી ઓગસ્ટથી શરૂ થવાની વાટ જોઇ રહેલું અમદાવાદનું નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ-ટૂ હવે અંતે મેન્યુઅલી ચેક-ઇન દ્વારા ૧લી સપ્ટેમ્બરથી શરૂ થવાની જાહેરાત એરલાઇન્સો દ્વારા કરી દેવાઇ છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એરલાઇન્સ અને એરપોર્ટ વચ્ચે શેર થતી ‘ક્યુટ સિસ્ટમ’ની વ્યવસ્થા ફાળવવામાં ઓથોરિટી દ્વારા મોડું થઇ રહ્યું છે. જેના લીધે નવા ટર્મિનલથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેટ કરવામાં બાધા ઊભી થઇ રહી છે.એક ઇન્ટરનેશનલ એરલાઇન્સના અધિકારીએ જણાવ્યું હતું કે,‘નવા ટર્મિનલને ઝટ શરૂ કરવા બધા પર દબાણ છે. પરંતુ બેગેજ, બોર્ડિગપાસ, સ્કેનિંગ, ઇન્ફોર્મેશન આપતી એરપોર્ટની કોમન ‘ક્યુટ સિસ્ટમ’ના ટેકિનકલ ઇશ્યૂ ઊભા થયા છે. પરિણામે અમે ૧લી સપ્ટેમ્બરથી મેન્યુઅલી ચેક-ઇન કરીને પણ ફ્લાઇટ ઓપરેટ કરવાના છીએ.’
રાજ્યમાં ભારે વરસાદ : ૨૪ કલાકમાં ડૂબવાથી ૧૦નાં મોત
રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની ચેતવણી,અમદાવાદમાં મોડી રાત્રે કડાકા-ભડાકા સાથે ઝાપટાં,અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ રાજ્યમાં બે દિવસથી પડી રહેલો સાર્વત્રિક વરસાદ રવિવારે પણ ચાલુ રહેતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદમાં પણ સોમવારે મોડી રાત્રે કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. બીજી તરફ સિહોર તાલુકાના ખારી ગામે ચેકડેમમાં નહાવા પડેલાં ચાર બાળક સહિત કુલ પાંચ વ્યક્તિનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. રાજકોટના ભાડલામાં રવિવારે ડૂબેલી ૮ પૈકી કુલ પાંચ વ્યક્તિનાં મૃતદેહ મળી આવતાં પંથકમાં કમકમાટી વ્યાપી ગઈ છે.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આગામી ૪૮ કલાકમાં અતિભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને સાબદાં રહેવા આદેશ આપ્યા છે. બીજી તરફ નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાના આરે છે અને તાપી નદીમાં ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતાં સુરત ઉપર પૂરનું સંકટ પેદા થયું છે.પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યમાં પડી રહેલા વ્યાપક વરસાદને કારણે સોમવાર પૂરા થતા ૨૪ કલાક દરમિયાન નવસારીમાં સૌથી વધુ વરસાદ ૯ ઇંચ વરસાદ નોંધાયો છે. રવિવાર સાંજથી શરૂ થયેલા સાંબેલાધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. જિલ્લાના જલાલપોરમાં પણ પાંચ ઇંચ વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે. વલસાડમાં પણ ૪ ઇંચ, પારડીમાં ત્રણ ઇંચ, ઉમરગામ અને ધરમપુરમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.મધ્ય ગુજરાતના વડોદરામાં પણ સોમવાર સાંજે વીજળીના કડાકા અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યાં બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ ખેડાના મહુધા અને નડિયાદમાં અઢી ઇંચ અને ગ્રામ્ય વિસ્તારમાં અડધાથી એક ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.વેરાવળમાં ૬ કલાકમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે સુત્રાપાડા અને માંગરોળમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. પોરબંદરમાં ૧ ઇંચ અને મોરબીમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. સોમવારે ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર થતાં રાધનપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાતાં પ્રજાજનોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું.હવામાનખાતાની આગાહી મુજબ, ૩૧મી ઓગસ્ટ અને ૧લી તેમજ ૨જી સપ્ટેમ્બરે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાના સંજોગ છે. હવામાનખાતાના ડાયરેક્ટર કમલજિત રેના જણાવ્યા પ્રમાણે, માત્ર સુરત જ નહીં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાદળો છવાયેલા માલૂમ પડે છે. માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.
બુકીઓ દોઢસો કરોડ કમાયા
પાકિસ્તાનના ખેલાડીઓ મેચ ફિક્સિંગમાં સંડોવાયા છે તે બાબતે ક્રિકેટજતમાં ખળભળાટ મચાવી દીધો છે ત્યારે ઇંગ્લેન્ડના એક દૈનિકે એવા અહેવાલ પ્રકાશિત કર્યા છે કે પાકિસ્તાનની ટીમના ઇંગ્લેન્ડના આ પ્રવાસ દરમિયાન બુકીઓ અંદાજે ૧૪૬ કરોડ રૂપિયા (બે કરોડ પાઉન્ડ) કમાયા છે અને તેમાંથી પાકિસ્તાની ક્રિકેટરોને લગભગ ૪૫ કરોડ રૂપિયા મળ્યા હોવાનો અંદાજ છે. પાકિસ્તાન આ સિઝનમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે બ્રિટનમાં ટેસ્ટ શ્રેણી રમ્યું હતું.પોલીસનાં સૂત્રોને ટાંકીને દૈનિકે એવો પણ રિપોર્ટ આપ્યો હતો કે આ શ્રેણીમાં જંગી રકમ સંડોવાયેલી છે અને એક સુનિયોજિત ગેંગ મળીને આ કામ કરી રહી છે ત્યારે વિશ્વભરમાંથી સટોડિયાઓ પાસેથી એકત્રિત કરાયેલી રકમનો પણ સમાવેશ થઈ જાય છે.રવિવારે સ્કોટલેન્ડ યાર્ડે પાકિસ્તાનની ટીમના કેટલાક ખેલાડીઓએ ઇંગ્લેન્ડ સામેની લોર્ડ્ઝ ટેસ્ટ દરમિયાન સ્પોટ ફિક્સિંગ કર્યું હોવાનો પર્દાફાશ કર્યો હતો અને ખેલાડીઓના રૂમમાંથી ઝડપાયેલા મોબાઇલ ફોનની તપાસ હાલમાં ચાલી રહી છે.પોલીસે ચાર ખેલાડીઓની પૂછપરછ કરી એ પછી લોર્ડ્ઝ પરથી પરત ફરી રહેલી પાકિસ્તાની ટીમની બસ પર તેમના જ સ્થાનિક ટેકેદારોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ટામેટા પણ ફેંક્યાં હતાં.ઇંગ્લેન્ડ સામેની લોર્ડ્ઝ ટેસ્ટમાં બુકી મઝહર માજિદ સાથે સ્પોટ ફિક્સિંગ કરીને ઝડપી બોલર મોહમ્મદ આમિર અને મોહમ્મદ આસિફે જાણી જોઇને નોબોલ ફેંક્યા હતા. એક સ્ટિંગ ઓપરેશનમાં આ બાબતનો પર્દાફાશ થઈ ગયો હતો અને તેને કારણે આ સમગ્ર વિવાદ બહાર આવી ગયો હતો.અગાઉથી જ આ પ્રકારની ઘટના માટે બદનામ પાકિસ્તાન ક્રિકેટની પ્રતિષ્ઠા રવિવારના પર્દાફાશ પછી વધુ ખરડાઈ છે. માજિદની શનિવારે રાત્રે ધરપકડ કરાઈ હતી અને રવિવારે મોડી રાત્રે તેને જામીન પર મુક્ત કરાયો હતો.
આસિફ સિરિયલ ફિક્સર છે
પાકિસ્તાનની જાણીતી અભિનેત્રી અને મોહમ્મદ આસિફની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ વીણા મલિકે દાવો કર્યો છે કે તેની પાસે મેચફિક્સિંગમાં આસિફ સંડોવાયેલો હોય તેવા પુરાવા છે. વીણાએ જણાવ્યું હતું કે આસિફ લાંબા સમયથી બુકીઓના સંપર્કમાં છે.
ચાલુ વર્ષની શરૂઆતમાં આસિફથી છૂટી પડનારી વીણા મલિકે જણાવ્યું હતું કે આસિફ દીક્ષિત નામના સટોડિયાના સંપર્કમાં રહેતો હતો જે મેચફિક્સિંગ માટે તેને અઢળક નાણાં આપતો હતો. આસિફ આ ભારતીય સટોડિયા અને અન્ય બુકીઓનો પોતાના નોકરના ફોનથી સંપર્ક કરતો હતો. બુકીઓને કરેલા કેટલાક મેસેજની લેવડદેવડના મારી પાસે પુરાવા છે.વીણાએ એવો પણ દાવો કર્યો છે કે આસિફે તેને કહ્યું હતું કે પાકિસ્તાન ૨૦૧૦ સુધી એક પણ ટેસ્ટ શ્રેણી જીતી શકશે નહીં અને મેચોનાં પરિણામને અસર થયા વિના ખેલાડીઓ સ્પોટ ફિક્સિંગ દ્વારા નાણાં બનાવી લેશે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં પણ સ્પોટ ફિક્સિંગ થયું હોવાના મારી પાસે પુરાવા છે.
પાકિસ્તાની ક્રિકેટરો પર ટામેટાં ફેંક્યાં
ઇંગ્લેન્ડમાં રહેતા પાકિસ્તાનના ક્રિકેટ સમર્થકોએ લોર્ડ્ઝમાં રમાયેલી ચોથી ટેસ્ટ દરમિયાન સપાટી પર આવેલા સ્પોટ ફિક્સિંગના સનસનાટીભર્યા અહેવાલ બાદ પોતાના દેશના ખેલાડીઓને અપશબ્દો કહ્યા હતા અને તેમની પર સડેલાં ટામેટાંનો વરસાદ વરસાવ્યો હતો.લોર્ડ્ઝ ટેસ્ટમાં નાલેશીભર્યો પરાજય મેળવ્યા બાદ પાકિસ્તાનની ટીમને શરમજનક સ્થિતિમાં હોટેલ સુધી પહોંચવા માટે પાછલા દરવાજાનો ઉપયોગ કરવો પડ્યો હતો. સમર્થકોએ પાક. ક્રિકેટરોને ગાળો પણ ભાંડી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી ચિદમ્બરમ સામે બદનક્ષીનો દાવો
‘ભગવા આતંકવાદ’ના મુદ્દે ચિદમ્બરમ્ સામે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં બદનક્ષીનો દાવો મંડાયો છે. રાધનપુર નજીકના ગોતરડા ગામના બ્રહ્નચારી આશ્રમના સ્વામી નિજાનંદ તીર્થે ગૃહમંત્રીના વિવાદાસ્પદ નિવેદનને ભારતીય સાધુ સમાજનું અપમાન ગણાવી, સાધુ-સંતોની બદનામી બદલ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. કોર્ટે આ ફરિયાદ નોંધી, ફરિયાદીઓને વધુ પૂરાવા રજુ કરવા માટે છઠ્ઠી સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે.તાજેતરમાં જ દેશના ગૃહમંત્રી પી. ચિદમ્બરમે દિલ્હીમાં તમામ રાજ્યોના પોલીસવડાની બેઠક બોલાવી હતી .જેમાં સેફ્રોન ટેરરિઝમ (ભગવો આતંકવાદ) શબ્દનો ચિદંબરમ દ્વારા ઉલ્લેખ કરતાં દેશભરમાં આ મુદ્દે વિવાદ શરૂ થઈ ગયો છે. દેશના ગૃહમંત્રીએ ‘ભગવો આતંકવાદ’ શબ્દનો ઉપયોગ કરી હિન્દુવાદી સંગઠનો સહિત સાધુ સંતોની નારાજગી વહોરી લીધી છે. સોમવારે અમદાવાદ મેટ્રપોલિટન કોર્ટ નં-પ માં સ્વામી નિજાનંદ તીર્થે પી. ચિદંબરમ વિરુદ્ધ બદનક્ષીનો દાવો પોતાના વકીલ વિરાટ પોપટ મારફતે દાખલ કરાવ્યો હતો. તેમણે કોર્ટ સમક્ષ કરેલી અરજીમાં એવી રજુઆત કરી હતી કે, દેશના ગૃહમંત્રી પી. ચિદમ્બરમે ભગવા આતંકવાદનો મુદ્દો છેડી સાધુ સમાજ પર આતંકવાદી હોવાનો આરોપ મૂક્યો છે.ભારતમાં ભગવો શબ્દ માત્ર અને માત્ર સાધુ -સંન્યાસી સાથેજ જોડાયેલો છે જેથી ગૃહમંત્રીના આ વિધાનથી સમાજમાં સાધુ સમાજની બદનામી થઈ છે. ૮૫ કરોડ હિન્દુઓનાં દેશમાં હિન્દુ સમાજના સંતો વિરુદ્ધ ખુદ દેશનો ગૃહમંત્રી આવું બેજવાબદાર નિવેદન કરે તે કેટલું યોગ્ય છે. ચિદમ્બરમના આ નિવેદનથી તેમને ખૂબ જ દુ:ખ થયું હતું. વારંવાર આ વિધાન ટીવી ચેનલો પર દેખાડાતા લોકમાનસ પર પણ સાધુ સમાજની છાપ પર અસર પડી છે.આટલુંજ નહિ બે દિવસ અગાઉ કેટલાક લોકોએ સ્વામી નિજાનંદ તીર્થની પણ આતંકવાદી કહીને ઠેકડી ઉડાવી હતી. જેથી તેમણે સાધુ સમાજનું આ અપમાન નહિ ચલાવી લેવાનું નક્કી કરી દેશના ગૃહમંત્રી પી. ચિદમ્બરમ વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરવાનો નિર્ણય લીધો હતો અનેકોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.
અશોક ભટ્ટની તબિયતમાં સુધારો છતાં ચિંતાજનક
વિધાનસભાના સ્પીકર અશોકભાઈ ભટ્ટની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. તેમ છતાં તેમની સ્થિતિ નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યા છે. ખાસ કરીને હૃદય, ફેફસાં અને કિડનીની તકલીફમાં સુધારો થતાં સોમવારે ડોક્ટરોએ કેટલીક દવાઓ ઓછી કરી છે, છતાં હજુ આગામી ૨૪ કલાક સુધી સઘન સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.સાલ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. નીતિન શાહે જણાવ્યું હતું કે, અશોકભાઈની તબિયતમાં તબક્કાવારી સુધારો થઈ રહ્યો છે. રવિવારે વેન્ટિલેટર સપોર્ટ ૫૦ ટકા ઘટાડ્યા બાદ સોમવારે તેમની હૃદયની તકલીફમાં ઘટાડો થતાં કેટલીક દવાઓ ઓછી કરવામાં આવી છે. અશોકભાઈની તબિયતમાં સુધારો જરૂર થયો છે છતાં હજુ તબિયત ગંભીર કહી શકાય.જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સમીર દાણીએ જણાવ્યું હતું કે, અશોકભાઈની તબિયતમાં શનિવાર કરતાં સુધારાનાં ચિહ્નો જરૂર દેખાયાં છે, છતાં ભયમુક્ત કહી શકાય નહિ.શનિવાર કરતાં તેમનાં હૃદય, ફેફસાં અને કિડનીનાં ફંકશનમાં સુધારો થયો છે. ફેફસાંના ફંકશનમાં સુધારો થતાં ઓિકસજનનું લેવલ ઓછું કરી શક્યા છે. જોકે તેમને હૃદયની તકલીફ સૌથી વધુ ગંભીર હતી, પરંતુ એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ હવે બ્લડપ્રેશર પણ સ્થિર થયું છે. જેને પગલે બ્લડપ્રેશરની દવામાં ઘટાડો કર્યો છે. જ્યારે કિડનીની તકલીફ સંપૂર્ણપણે સુધરી નથી છતાં હાલત સ્થિર કહી શકાય. હાલમાં હોસ્પિટલમાં તેમની સઘન સારવાર ચાલી રહી છે.
"મોદી આક્ષેપ પુરવાર કરે અથવા માફી માંગે"
ખંડણીખોર અને સોપારીબાજ કોણ છે તે ગુજરાત જ નહિ દેશની જનતાને જાણ થઈ ગઈ છે તેમ છતાં ‘ચોર મચાયે શોર’ જેવી ભૂમિકા ભજવતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હવે શાંતપ્રિય જનતાને ઉશ્કેરવાના મિથ્યા પ્રયાસો કરી રહ્યા હોવાનો વળતો પ્રહાર કોંગ્રેસે કર્યો છે.ભગવા આતંકવાદ શબ્દ પ્રયોગના મામલે રવિવારે એક જાહેરસભામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કોંગ્રેસ ઉપર ભરપેટ વરસ્યા હતા તેનો વળતો જવાબ આપતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થભાઈ પટેલે પણ આકરી ભાષામાં જણાવ્યું હતું કે, ખૂંખાર ગુનેગારોની મદદથી ખંડણી કોણ ઉઘરાવતું હતું અને ખંડણીખોરીમાં જ રાચતા મંત્રી અમિત શાહ એક મહિનાથી જેલમાં સબડે છે ત્યારે શરમથી ડૂબી મરવાને બદલે ગાલ ઉપર તમાચો મારી લાલ રાખવાના નિષ્ફળ પ્રયાસો કરી રહ્યા છે.તેમણે કહ્યું કે, મારી ધરપકડ કરી લો તેવા પ્રશ્નો ઊભા કરી લોકોને ઉશ્કેરી શાંતિનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે તે બતાવે છે કે, મુખ્યમંત્રી પાણી પહેલાં પાળ બાંધવાનો પ્રયાસ કરે છે. કોણે કોની સોપારી આપી છે તે જગજાહેર છે.સોપારી આપવાનો સિલસિલો તો ભાજપ સરકારમાં ચાલુ છે. સરકારમાં બેઠેલાઓની સાંઠગાંઠ તથા ખનીજ માફિયાઓની પ્રવૃત્તિને ખુલ્લી પાડનારા અમિત જેઠવાની સોપારી કોણે આપી તેનું હજુ રહસ્ય જ છે.
DTC બિલનો એપ્રિલ-૨૦૧૨થી અમલ
આવકવેરા મુક્તિની મર્યાદા રૂ. બે લાખ, કોર્પોરેટ ટેક્સ ૩૦ ટકા યથાવત્, સરચાર્જ અને સેસ અલગ લેવાશે.ડાયરેક્ટ ટેક્સ કોડ(ડીટીસી) બિલ લોકસભામાં સોમવારે રજુ કરાયું હતું. જેમાં અગાઉની દરખાસ્ત કરતાં પણ ઘણાં ઓછા લાભ કરદાતાને અપાયા છે. આવકવેરા મુક્તિની મર્યાદા રૂ. ૧.૬૦ લાખથી વધારીને રૂ. ૨ લાખ કરી દેવાઈ છે.જોકે કોર્પોરેટ ટેક્સ ૩૦ ટકા યથાવત્ રખાયો છે અને તેમાં પણ સરચાર્જ અને સેસ અલગથી વસૂલવામાં આવશે. સૌથી નિરાશાજનક બાબત એ છે કે આ બિલ હવે ૧ એપ્રિલ, ૨૦૧૨થી લાગુ થશે. અગાઉ તેનો અમલ આગામી એપ્રિલ-૨૦૧૧થી થવાનો હતો. આમ, કરમુક્તિ સહિતની રાહતો મેળવવા માટે વધુ એક વર્ષ રાહ જોવાની રહેશે.લોકસભામાં રજુ થયેલા ડીટીસી બિલ મુજબ ત્રણ ટેક્સ સ્લેબ રહેશે. રૂ. ૨લાખથી રૂ. ૫ લાખ સુધીની આવક પર ૧૦ ટકા ટેક્સ લાગુ થશે. રૂ. ૫-૧૦ લાખ સુધીની આવક પર ૨૦ ટકા અને રૂ. ૧૦ લાખથી વધુની આવક પર ૩૦ ટકા ટેક્સ લાગુ થશે. નવા સ્લેબને કારણે રૂ. ૨ લાખથી રૂ. ૫ લાખ સુધીની આવક ધરાવતા દરેક કરદાતાને સરેરાશ રૂ. ૭૬૬૦ની વાર્ષિક બચત થશે. રૂ. ૧૦ લાખથી વધુની આવક હશે તેમને સરેરાશ વાર્ષિક રૂ. ૪૧,૦૪૦ની બચત થશે.હાઉસિંગ લોનના રૂ. ૧.૫ લાખ સુધીના વ્યાજની ચુકવણી પર કરમુક્તિ યથાવત્ રાખવામાં આવી છે. સિનિયર સિટઝિન માટે કરમુક્તિની મર્યાદા રૂ. ૨.૪૦ લાખથી વધારીને રૂ. ૨.૫૦ લાખ કરવામાં આવી છે.કોર્પોરેટ જગતને ડીટીસી બિલથી કોઈ જ ફાયદો થશે નહીં. કોર્પોરેટ ટેક્સ ૩૦ ટકા યથાવત્ રાખવામાં આવ્યો છે. અગાઉ સરચાર્જ અને સેસ સહિત આ ૩૦ ટકા ટેક્સ રહેશે તેવી દરખાસ્ત હતી. પરંતુ પસાર કરાયેલા બિલ મુજબ સરચાર્જ અને સેસ અલગથી ચૂકવવાના રહેશે. મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સ ૧૮ ટકાથી વધારીને ૨૦ ટકા કરી દેવાયો છે. જોકે તે માત્ર બુક પ્રોફિટ પર જ લાગુ પડશે. ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ ૧૫ ટકા રહેશે. અગાઉ નાણામંત્રી પ્રણવ મુખરજીએ લોકસભામાં ડીટીસી બિલ રજુ કર્યું હતું.૯૬ ટકા કરદાતાઓને ડીટીસીથી લાભ થશે.પ્રસ્તાવિત ડાયરેકટ ટેક્સ કોડ(ડીટીસી) બિલમાં આવકવેરા મુક્તિની મર્યાદામાં એ રીતે ફેરફાર કરવામાં આવ્યા છે જેથી મહત્તમ સંખ્યામાં કરદાતાઓને રાહત થાય.-ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવાથી રૂ. ૫ લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા દેશના ૯૬ ટકા કરદાતાઓને લાભ થશે તેવી શક્યતા છે.-રૂ. ૮ લાખ અને તેનાથી વધુ આવક ધરાવતા કરદાતાઓ માત્ર ૨.૨ ટકા છે, પરંતુ તેઓ કુલ ટેક્સના ૬૦ ટકા ટેક્સ ચૂકવે છે. રૂ. ૫ લાખથી રૂ. ૮ લાખની આવક ધરાવતા કરદાતાઓનું યોગદાન કુલ ટેક્સની વસૂલાતમાં ૧૦ ટકાનું છે.
રાજ્યમાં ૪૧ હજાર લોકો વચ્ચે હોમો સેક્સ્યુઅલ સંબંધ
‘દોસ્તાના’ જેવી ફિલ્મોમાં હોમો સેક્સ્યુઅલ સંબંધને વર્ણવવામાં આવ્યો છે, પરંતુ જાણીને આંચકો લાગશે કે હવે રિયલ લાઇફમાં પણ હોમો સેક્સ્યુઅલ સંબંધોનું પ્રમાણ વધતાં હોમો સેક્સ્યુઅલ લોકોની સંખ્યા વધી છે.એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા રાજ્યકક્ષાના હાથ ધરાયેલા સર્વેના આંકડા મુજબ રાજ્યમાં સેક્સવર્કર્સની સંખ્યા ૩૫ હજાર અને હોમો સેક્સ્યુઅલની સંખ્યા ૪૧ હજાર નોંધાઈ છે, એટલે કે સેક્સવર્કર્સ કરતાં હોમો સેક્સ્યુઅલની સંખ્યા છ હજાર જેટલી વધી છે. મહત્વની વાત એ છે કે સમગ્ર રાજ્યમાં સેક્સવર્કર્સ-હોમો સેક્સ્યુઅલ લોકોના પ્રમાણમાં પ્રથમ ક્રમે સુરત બાદ અમદાવાદ અને ભાવનગર મોખરે છે.એઇડ્સ કંટ્રોલ સોસાયટીના ડાયરેક્ટર ડૉ. પ્રદીપકુમારે જણાવ્યું હતું કે, વર્ષ-’૦૮માં હાથ ધરાયેલા સર્વેમાં સેક્સવર્કર્સની સંખ્યા ૩૫ હજાર અને હોમોની સંખ્યા ૪૧ હજાર હોવાનું જાણવા મળ્યું છે.ખાસ કરીને એચઆઇવી ફેલાવવા માટે જવાબદાર એવા ‘કોર ગ્રૂપ’માં પુરુષથી પુરુષ, ગ્રૂપમાં ઇન્જેક્શન દ્વારા ડ્રગ્સ અને સેક્સવર્કર્સ સાથે સહશયનનું પ્રમાણ જોવા મળે છે. આ ગ્રૂપના સભ્યો પત્ની સાથે પણ શારીરિક સુખ માણતા હોવાથી એઇડ્સ ફેલાવવાની શક્યતા સૌથી વધુ હોય છે.
ગદ્દાર ક્રિકેટરોનાં માથાં સાટે ઇનામ જાહેર કરતા ત્રાસવાદીઓ
પાકિસ્તાનના ક્રિકેટરોએ મેચ ફિક્સ કરી હોવાના આક્ષેપને પગલે સમગ્ર ક્રિકેટજગત આ ખેલાડીઓથી નારાજ છે અને હવે તેમાં પાકિસ્તાનનાં કેટલાક ત્રાસવાદી સંગઠનો પણ સામેલ થયાં છે.બ્રિટિશ અખબાર ડેઇલી સ્ટારે એવો દાવો કર્યો હતો કે કેટલાક ત્રાસવાદી જુથોએ તો પાકિસ્તાનના ખેલાડીઓનાં માથાં સાટે ઇનામ જાહેર કર્યું છે. આ જુથોનું કહેવું છે કે પાકિસ્તાનના ક્રિકેટર ગદ્દાર છે અને તેમણે દેશની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે. જોકે કોઈ સંગઠને પોતાનું નામ જાહેર કર્યું નથી પરંતુ તેમની આ ધમકી બાદ ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડી રહેલી પાકિસ્તાનની ટીમના ખેલાડીઓ ડરી ગયા છે અને સુરક્ષાની માગણી પણ કરી છે.પાકિસ્તાનની ટીમ અત્યારે લંડનમાં છે અને તેમને ઇંગ્લેન્ડ સામે વન-ડે શ્રેણીમાં રમવાનું છે ત્યારે બ્રિટિશ સત્તાવાળાઓ સામે આ ખેલાડીઓની સુરક્ષાની જવાબદારીનો પડકાર પણ સામે આવી ગયો છે. આ ઘટનાને પગલે પાકિસ્તાન ક્રિકેટરો પર ચારે બાજુથી માછલા ધોવાઈ રહ્યા છે.
લોકોને ભારતની નાગરિકતા લેવામાં શરમ આવે છે?
બોલીવુડમાં વર્ષોથી કામ કરનારા સેંકડો વિદેશીએ હજુ પણ ભારતીય નાગરિકત્વ લેવાની તસદી લીધી નથી. મુંબઈમાં જિલ્લાધિકારીની કચેરીમાં ૧૫૦ આસપાસ અરજી ગત પાંચ વર્ષમાં ભારતીય નાગરિકત્વ મેળવવા માટે આવી છે, પરંતુ તેમાંથી ભારતમાં સાતથી વધુ વર્ષ સુધી વસવાટ કરી રહ્યા હોવા છતાં એકેય અરજી બોલીવુડમાં કામ કરનારા વિદેશી કલાકારની નથી.
ઇમિગ્રેશન વિભાગ આજકાલ ટુરિસ્ટ વિઝા પર ભારતમાં પ્રવેશ મેળવીને બોલીવુડમાં કામ કરનારા વિદેશીઓની એક ડઝન વિઝા શ્રેણીઓની તપાસ કરવામાં પરોવાયેલી છે. જો એકાદ વ્યક્તિને એમ્પ્લોયમેન્ટ વિઝા મળતો હોય અને તેની પર તે કામ કરી શકે તો તેણે વિઝિટર્સ વિઝા લેવાની શી જરૂર છે એમ ઇમિગ્રેશન અધિકારીએ જણાવ્યું હતું. અમે હવે ચોક્કસ વિઝા લઈને દેશમાં આવ્યા બાદ નિયમોનું ઉલ્લંઘન કરનારા વિદેશીઓની વિઝાની વિગતોને વગીકૃત કરી રહ્યા છીએ, એમ પણ તેમણે જણાવ્યું હતું.
ભારતમાં વસવાટ કરી રહેલા અને એમ્પ્લોયમેન્ટ વિઝા પર કામ કરનારા કલાકારોમાં કેટ્રિના કૈફ (યુકેની નાગરિક), દીપ્તિ નવલ (અમેરિકન નાગરિક), સલમા આગા (યુકેની નાગરિક), યાના ગુપ્તા (ઝેક નાગરિક) વગેરેનો સમાવેશ થાય છે.બોલીવુડમાં કામ કરનારા મોટા ભાગના કલાકારો અને વિદેશીઓ ભારતમાં એમ્પ્લોયમેન્ટ વિઝા પર રહેવાનું પસંદ કરે છે. અમુક વાર તેઓ વિઝાનો સમયગાળો વિસ્તારવા માટે પૂછે છે. અમે કાયદા અનુસાર સાચું શું છે તે તપાસી રહ્યા છીએ, એમ તેમણે જણાવ્યું હતું.પાકિસ્તાની ગાયક અદનાન સામી જર્મન પત્ની સાતે મુંબઈમાં રહે છે. અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષી કરાર અનુસાર અમેરિકન નાગરિક ભારતમાં ટુરિસ્ટ વિઝા પર ૧૦ વર્ષ સુધી રહી શકે છે. આ જ નિયમ ભારતીય નાગરિકને અમેરિકામાં લાગુ થાય છે.અમુક મોડેલો ભારતમાં ટૂંકા ગાળાના ટુરિસ્ટ અથવા એમ્પ્લોયમેન્ટ વિઝા પર આવે છે અને તેઓ વિઝાની મુદત વિસ્તારી લેતા નથી. તેમને હવે કાયદાનો સામનો કરવો પડશે. નોર્વેજિયન મોડેલ નગિાર ખાનને ૭ ફેબ્રુઆરી, ૨૦૦૫ના રોજ ભારતમાં ડિપોર્ટ કરવામાં આવી હતી.
અમીત શાહ હવે જન્માષ્ટમી જેલમાં મનાવશે
આજે ગુજરાતના માજી ગૃહ રાજ્યમંત્રી અને જેલમંત્રી અમીત શાહના જામીન અંગેની સ્પેશિયલ સીબીઆઇ સેસન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જે સુનાવણીને સાત સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે. ત્રીજી વખત અમિત શાહની જામીન અરજી પરની સુનાવણી મુલતવી રાખવામાં આવી છે.છેલ્લા ઘણા દિવસથી સાબરમતી જેલમાં રખાયેલા રાજ્યના માજી ગૃહ રાજ્યમંત્રી અમીત શાહની જામીન અંગેની આજે સુનાવણી હતી. શાહની જામીનની સુનાવણી અંગે રાજ્યભરના લોકોમાં ભારે ઉત્તેજના હતી.દેશભરમાં ચર્ચાનો વિષય બની રહેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રકરણમાં છેલ્લા છ મહિનાથી તપાસ કરી રહેલી તપાસ એજન્સી સીબીઆઇએ કુલ ૧૮ આરોપીઓ સામે સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં ચાર્જસીટ ફાઇલ કરી હતી. સીબીઆઇ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારી અભય ચુડાસમા તથા રાજ્યના તત્કાલીન ગૃહરાજ્યમંત્રી અમીત શાહની ધરપકડ કરતાં આ પ્રકરણમાં ગરમાટો આવી ગયો હતો. જોકે ધરપકડ પહેલા શાહે કરેલી આગોતરા જામીનની અરજી સબમીશનના તબક્કે રદ કરાઇ હતી.અમિત શાહની ધરપકડ બાદ શાહે જામીન માટે સ્પેશિયલ સીબીઆઇ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી અને શાહ માટે કોર્ટમાં દલીલો કરવા માટે દિગ્ગજ ધારાશાસ્ત્રી રામજેઠમલાણીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
આઈ.સી.સી. પાકિસ્તાનની ૮૨ મેચોની તપાસ કરશે
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (આઈસીસી) મેચ ફિક્સિંગના આક્ષેપોમાં ફસાયેલી પાકિસ્તાનની ક્રિકેટ ટીમને સકંજામાં લેવાનો પ્રયાસ કરતાં ૮૨ જેટલી ક્રિકેટ મેચની તપાસ કરવાનો આદેશ કર્યો છે. સ્પોટ ફિક્સિંગમાં સંડોવાયેલી પાકિસ્તાનની ટીમની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે.ખેલાડીઓના રૂમમાંથી મળેલી રોકડ રકમ અને ચાર ક્રિકેટરની પૂછપરછ તથા ફિક્સિંગના આક્ષેપ બાદ ખેલાડીઓ પર આજીવન પ્રતિબંધની પણ માગણી થઈ રહી છે ત્યારે એવી પણ શંકા પ્રવર્તે છે કે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની આગામી વન-ડે શ્રેણી પણ ફિક્સ થઈ હશે.દરમિયાન આઈસીસીના પ્રમુખ શરદ પવારે પોલીસના રિપોર્ટ પછી જ આઈસીસી કોઈ નિર્ણય જાહેર કરશે પરંતુ તેમણે એવો સંકેત આપ્યો હતો કે પાકિસ્તાન રમ્યું હોય તેવાં છેલ્લાં ત્રણ વર્ષની ૮૨ મેચની તપાસ થશે.બ્રિટનના દૈનિકે એવો દાવો કર્યો છે કે શનિવારે પાકિસ્તાની ટીમના મેનેજર યાવર સઈદને ફોન કરીને પોલીસ હોટેલ પર આવી ગઈ છે તેની જાણ કરીને લગભગ અઢી કલાક સુધી ખેલાડીઓના રૂમની તપાસ કરી હતી જેમાં સુકાની સલમાન બટ્ટના રૂમનો પણ સમાવેશ થતો હતો.જોકે યાવર સઈદે રવિવારે આ સમાચારનું ખંડન કર્યું હતું. દૈનિકે તો એટલે સુધી કહ્યું હતું કે પોલીસને રૂમમાંથી એટલી મોટી રકમ મળી હતી જે ક્રિકેટરોને બોર્ડ તરફથી મળતી રકમ કરતાં ઘણી વધારે હતી.સિડની ટેસ્ટ ફિક્સ હતી?ઓસ્ટ્રેલિયાના સિડની મોર્નિંગ હેરલ્ડે એવો અહેવાલ આપ્યો હતો કે માજિદ મઝહરે આ વર્ષના પ્રારંભે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાયેલી મેચ ફિકસ કરી હોવાનું કબૂલી લીધું છે.મઝહરે સ્ટિંગ કરનારા પત્રકારને જણાવ્યું હતું કે હું તમને કહી શકું છું કે અગાઉ પણ અમે આમ કરેલું છે. સિડની ટેસ્ટમાં પણ આમ બન્યું હતું અને એ મેચમાં પરિસ્થિતિ પાકિસ્તાન હારે તેવી ન હતી પરંતુ તેમાંથી અમે ૧૩ લાખ પાઉન્ડ કમાયા હતા. ટેસ્ટ મેચમાં કમાણીની તક વધારે રહે છે.
સી.બી.આઈ. હેરાનગતિ ચાલુ રાખશે તો માનવ અધિકારમાં જઈશ : જોહરી
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કાંડમાં સી.બી.આઈ. હેરાનગતિ જારી રાખશે તો પોતે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગનો સંપર્ક સાધશે, તેવો પત્ર ગીથા જોહરીએ સી.બી.આઈ. ના ડાયરેક્ટર અશ્વિનિકુમારને લખ્યો છે અને તે પત્રની એક નકલ રાજ્યના પોલીસવડાને રવાના કરી છે. ઉલ્લેખનીય છે કે સીબીઆઈ બળજબરીપૂર્વક સોહરાબુદ્દીનકાંડમાં રાજકારણીઓનાં નામ કઢાવવા માગે છે તેવો આક્ષેપ કરતી પિટિશન ગીથા જોહરીએ સુપ્રીમ કોર્ટમાં કરી છે.નોંધનીય છે કે કેસમાં સીઆઈડી ક્રાઈમ તપાસ રહી હતી ત્યારે તપાસને લગતા કેટલાક મહત્વના દસ્તાવેજો ગુમ થયા હતા. જે અંગે સી.બી.આઈ. છેલ્લા કેટલાક સમયથી ગીથા જોહરીની પૂછપરછ કરી રહી છે. ગીથા જોહરીનો આક્ષેપ છે કે સી.બી.આઈ. તેને વારંવાર સમન્સ પાઠવીને હેરાન કરે છે અને પૂછપરછ દરમિયાન રાજસ્થાન અને ગુજરાતના રાજકારણીઓનાં નામ લેવા દબાણ કરે છે.સુપ્રીમમાં પિટિશન કર્યા બાદ ગીથા જોહરીએ સોમવારે સી.બી.આઈ. ના ડાયરેક્ટર અશ્વિનિકુમારને પત્ર લખીને કહ્યું છે કે જો સીબીઆઈ જ રીતે હેરાનગતિ જારી રાખશે તો તેઓ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને પત્ર લખીને ફરિયાદ કરશે. આ પત્રની નકલ ગીથા જોહરીએ રાજ્યના પોલીસવડા એસ એસ ખંડવાવાલાની કચેરીને પણ મોકલી છે.
સુરતમાં લશ્કર, એસઆરપી, હેલિકોપ્ટર સ્ટેન્ડ ટુ
સમગ્ર દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને નર્મદા જિલ્લામાં સંભવત: ઉભા થનારા ખતરાને પહોંચી વળવા માટે લશ્કર અને એસઆરપીની ટુકડીની મદદ લેવામાં આવી છે અને હેલિકોપ્ટરને પણ સ્ટેન્ડ ટુ રખાયું છે. મોડી રાત્રે દક્ષિણ ગુજરાતના ઉચ્ચ અધિકારીઓએ વડોદરા સ્થિતિ મિલિટરી કેમ્પના ઉપરી અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને કોઈ પણ સંકટ સમયે મદદે આવવા તેમની મંજુરી મેળવી લીધી છે. દહેજ બંદરે પણ માછીમારોને દરિયામાં જતા અટકાવીને હાઈએલર્ટ કરી દેવાયા છે.ઉકાઈ ડેમમાં ઉપરવાસથી પાણીની આવક ચાલુ રહેતા સત્તાધીશો દ્વારા રૂલ લેવલ મેન્ટેઇન કરવા માટે સોમવારે રાત્રે બાર વાગ્યાથી પરોઢિયાના ચાર વાગ્યા સુધી બે લાખ કયુસેક્સ પાણી છોડવામાં આવશે. ચાલુ વર્ષમાં પહેલીવાર બે લાખ કયુસેક્સ પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. જોકે, ઉપરવાસમાં વરસાદ નહીંવત હોવાને કારણે લોકોએ પૂરથી ભયભીત ન થવાની હૈયાધરપત કલેક્ટર એ.જે.શાહે આપી છે. બીજીતરફ, કલેકટોરેટ અને સુરત મહાનગર પાલિકાના તમામ અધિકારીઓને એલર્ટ કરી દેવાયા છે.ઉકાઈ ડેમમાંથી મધ્યરાત્રિએ બાર વાગ્યાથી સવારના ચાર વાગ્યાના સુમારે બે લાખ કયુસેક્સ પાણી છોડવામાં આવશે. શહેરીઓને સવારના નવ વાગ્યાના સુમારે તાપી બન્ને કાંઠે વહેતી જોવા મળશે. તાપીમાં બે લાખ કયુસેક્સ પાણી છોડવામાં આવતાં શહેરમાં સંખ્યાબંધ વિસ્તારોમાં પાણી બેક મારે તેવી સંભાવના છે. અલબત્ત, તંત્ર દ્વારા સબ સલામતના દાવા કરવામાં આવ્યા છે.
અમદાવાદ: ઇન્ટરનેશનલ એરપોર્ટ આખરે શરૂ થશે
છેલ્લાં ૪ વર્ષથી બંધાઇ રહેલું, છેવટે ૪થી ઓગસ્ટે ઉદ્ઘાટન પામેલું અને ૧૫મી ઓગસ્ટથી શરૂ થવાની વાટ જોઇ રહેલું અમદાવાદનું નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ-ટૂ હવે અંતે મેન્યુઅલી ચેક-ઇન દ્વારા ૧લી સપ્ટેમ્બરથી શરૂ થવાની જાહેરાત એરલાઇન્સો દ્વારા કરી દેવાઇ છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એરલાઇન્સ અને એરપોર્ટ વચ્ચે શેર થતી ‘ક્યુટ સિસ્ટમ’ની વ્યવસ્થા ફાળવવામાં ઓથોરિટી દ્વારા મોડું થઇ રહ્યું છે. જેના લીધે નવા ટર્મિનલથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેટ કરવામાં બાધા ઊભી થઇ રહી છે.એક ઇન્ટરનેશનલ એરલાઇન્સના અધિકારીએ જણાવ્યું હતું કે,‘નવા ટર્મિનલને ઝટ શરૂ કરવા બધા પર દબાણ છે. પરંતુ બેગેજ, બોર્ડિગપાસ, સ્કેનિંગ, ઇન્ફોર્મેશન આપતી એરપોર્ટની કોમન ‘ક્યુટ સિસ્ટમ’ના ટેકિનકલ ઇશ્યૂ ઊભા થયા છે. પરિણામે અમે ૧લી સપ્ટેમ્બરથી મેન્યુઅલી ચેક-ઇન કરીને પણ ફ્લાઇટ ઓપરેટ કરવાના છીએ.’
રાજ્યમાં ભારે વરસાદ : ૨૪ કલાકમાં ડૂબવાથી ૧૦નાં મોત
રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની ચેતવણી,અમદાવાદમાં મોડી રાત્રે કડાકા-ભડાકા સાથે ઝાપટાં,અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ રાજ્યમાં બે દિવસથી પડી રહેલો સાર્વત્રિક વરસાદ રવિવારે પણ ચાલુ રહેતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદમાં પણ સોમવારે મોડી રાત્રે કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. બીજી તરફ સિહોર તાલુકાના ખારી ગામે ચેકડેમમાં નહાવા પડેલાં ચાર બાળક સહિત કુલ પાંચ વ્યક્તિનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. રાજકોટના ભાડલામાં રવિવારે ડૂબેલી ૮ પૈકી કુલ પાંચ વ્યક્તિનાં મૃતદેહ મળી આવતાં પંથકમાં કમકમાટી વ્યાપી ગઈ છે.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આગામી ૪૮ કલાકમાં અતિભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને સાબદાં રહેવા આદેશ આપ્યા છે. બીજી તરફ નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાના આરે છે અને તાપી નદીમાં ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતાં સુરત ઉપર પૂરનું સંકટ પેદા થયું છે.પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યમાં પડી રહેલા વ્યાપક વરસાદને કારણે સોમવાર પૂરા થતા ૨૪ કલાક દરમિયાન નવસારીમાં સૌથી વધુ વરસાદ ૯ ઇંચ વરસાદ નોંધાયો છે. રવિવાર સાંજથી શરૂ થયેલા સાંબેલાધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. જિલ્લાના જલાલપોરમાં પણ પાંચ ઇંચ વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે. વલસાડમાં પણ ૪ ઇંચ, પારડીમાં ત્રણ ઇંચ, ઉમરગામ અને ધરમપુરમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.મધ્ય ગુજરાતના વડોદરામાં પણ સોમવાર સાંજે વીજળીના કડાકા અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યાં બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ ખેડાના મહુધા અને નડિયાદમાં અઢી ઇંચ અને ગ્રામ્ય વિસ્તારમાં અડધાથી એક ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.વેરાવળમાં ૬ કલાકમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે સુત્રાપાડા અને માંગરોળમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. પોરબંદરમાં ૧ ઇંચ અને મોરબીમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. સોમવારે ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર થતાં રાધનપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાતાં પ્રજાજનોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું.હવામાનખાતાની આગાહી મુજબ, ૩૧મી ઓગસ્ટ અને ૧લી તેમજ ૨જી સપ્ટેમ્બરે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાના સંજોગ છે. હવામાનખાતાના ડાયરેક્ટર કમલજિત રેના જણાવ્યા પ્રમાણે, માત્ર સુરત જ નહીં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાદળો છવાયેલા માલૂમ પડે છે. માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.
બુકીઓ દોઢસો કરોડ કમાયા
પાકિસ્તાનના ખેલાડીઓ મેચ ફિક્સિંગમાં સંડોવાયા છે તે બાબતે ક્રિકેટજતમાં ખળભળાટ મચાવી દીધો છે ત્યારે ઇંગ્લેન્ડના એક દૈનિકે એવા અહેવાલ પ્રકાશિત કર્યા છે કે પાકિસ્તાનની ટીમના ઇંગ્લેન્ડના આ પ્રવાસ દરમિયાન બુકીઓ અંદાજે ૧૪૬ કરોડ રૂપિયા (બે કરોડ પાઉન્ડ) કમાયા છે અને તેમાંથી પાકિસ્તાની ક્રિકેટરોને લગભગ ૪૫ કરોડ રૂપિયા મળ્યા હોવાનો અંદાજ છે. પાકિસ્તાન આ સિઝનમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે બ્રિટનમાં ટેસ્ટ શ્રેણી રમ્યું હતું.પોલીસનાં સૂત્રોને ટાંકીને દૈનિકે એવો પણ રિપોર્ટ આપ્યો હતો કે આ શ્રેણીમાં જંગી રકમ સંડોવાયેલી છે અને એક સુનિયોજિત ગેંગ મળીને આ કામ કરી રહી છે ત્યારે વિશ્વભરમાંથી સટોડિયાઓ પાસેથી એકત્રિત કરાયેલી રકમનો પણ સમાવેશ થઈ જાય છે.રવિવારે સ્કોટલેન્ડ યાર્ડે પાકિસ્તાનની ટીમના કેટલાક ખેલાડીઓએ ઇંગ્લેન્ડ સામેની લોર્ડ્ઝ ટેસ્ટ દરમિયાન સ્પોટ ફિક્સિંગ કર્યું હોવાનો પર્દાફાશ કર્યો હતો અને ખેલાડીઓના રૂમમાંથી ઝડપાયેલા મોબાઇલ ફોનની તપાસ હાલમાં ચાલી રહી છે.પોલીસે ચાર ખેલાડીઓની પૂછપરછ કરી એ પછી લોર્ડ્ઝ પરથી પરત ફરી રહેલી પાકિસ્તાની ટીમની બસ પર તેમના જ સ્થાનિક ટેકેદારોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ટામેટા પણ ફેંક્યાં હતાં.ઇંગ્લેન્ડ સામેની લોર્ડ્ઝ ટેસ્ટમાં બુકી મઝહર માજિદ સાથે સ્પોટ ફિક્સિંગ કરીને ઝડપી બોલર મોહમ્મદ આમિર અને મોહમ્મદ આસિફે જાણી જોઇને નોબોલ ફેંક્યા હતા. એક સ્ટિંગ ઓપરેશનમાં આ બાબતનો પર્દાફાશ થઈ ગયો હતો અને તેને કારણે આ સમગ્ર વિવાદ બહાર આવી ગયો હતો.અગાઉથી જ આ પ્રકારની ઘટના માટે બદનામ પાકિસ્તાન ક્રિકેટની પ્રતિષ્ઠા રવિવારના પર્દાફાશ પછી વધુ ખરડાઈ છે. માજિદની શનિવારે રાત્રે ધરપકડ કરાઈ હતી અને રવિવારે મોડી રાત્રે તેને જામીન પર મુક્ત કરાયો હતો.
આસિફ સિરિયલ ફિક્સર છે
પાકિસ્તાનની જાણીતી અભિનેત્રી અને મોહમ્મદ આસિફની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ વીણા મલિકે દાવો કર્યો છે કે તેની પાસે મેચફિક્સિંગમાં આસિફ સંડોવાયેલો હોય તેવા પુરાવા છે. વીણાએ જણાવ્યું હતું કે આસિફ લાંબા સમયથી બુકીઓના સંપર્કમાં છે.
ચાલુ વર્ષની શરૂઆતમાં આસિફથી છૂટી પડનારી વીણા મલિકે જણાવ્યું હતું કે આસિફ દીક્ષિત નામના સટોડિયાના સંપર્કમાં રહેતો હતો જે મેચફિક્સિંગ માટે તેને અઢળક નાણાં આપતો હતો. આસિફ આ ભારતીય સટોડિયા અને અન્ય બુકીઓનો પોતાના નોકરના ફોનથી સંપર્ક કરતો હતો. બુકીઓને કરેલા કેટલાક મેસેજની લેવડદેવડના મારી પાસે પુરાવા છે.વીણાએ એવો પણ દાવો કર્યો છે કે આસિફે તેને કહ્યું હતું કે પાકિસ્તાન ૨૦૧૦ સુધી એક પણ ટેસ્ટ શ્રેણી જીતી શકશે નહીં અને મેચોનાં પરિણામને અસર થયા વિના ખેલાડીઓ સ્પોટ ફિક્સિંગ દ્વારા નાણાં બનાવી લેશે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં પણ સ્પોટ ફિક્સિંગ થયું હોવાના મારી પાસે પુરાવા છે.
પાકિસ્તાની ક્રિકેટરો પર ટામેટાં ફેંક્યાં
ઇંગ્લેન્ડમાં રહેતા પાકિસ્તાનના ક્રિકેટ સમર્થકોએ લોર્ડ્ઝમાં રમાયેલી ચોથી ટેસ્ટ દરમિયાન સપાટી પર આવેલા સ્પોટ ફિક્સિંગના સનસનાટીભર્યા અહેવાલ બાદ પોતાના દેશના ખેલાડીઓને અપશબ્દો કહ્યા હતા અને તેમની પર સડેલાં ટામેટાંનો વરસાદ વરસાવ્યો હતો.લોર્ડ્ઝ ટેસ્ટમાં નાલેશીભર્યો પરાજય મેળવ્યા બાદ પાકિસ્તાનની ટીમને શરમજનક સ્થિતિમાં હોટેલ સુધી પહોંચવા માટે પાછલા દરવાજાનો ઉપયોગ કરવો પડ્યો હતો. સમર્થકોએ પાક. ક્રિકેટરોને ગાળો પણ ભાંડી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી ચિદમ્બરમ સામે બદનક્ષીનો દાવો
‘ભગવા આતંકવાદ’ના મુદ્દે ચિદમ્બરમ્ સામે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં બદનક્ષીનો દાવો મંડાયો છે. રાધનપુર નજીકના ગોતરડા ગામના બ્રહ્નચારી આશ્રમના સ્વામી નિજાનંદ તીર્થે ગૃહમંત્રીના વિવાદાસ્પદ નિવેદનને ભારતીય સાધુ સમાજનું અપમાન ગણાવી, સાધુ-સંતોની બદનામી બદલ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. કોર્ટે આ ફરિયાદ નોંધી, ફરિયાદીઓને વધુ પૂરાવા રજુ કરવા માટે છઠ્ઠી સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે.તાજેતરમાં જ દેશના ગૃહમંત્રી પી. ચિદમ્બરમે દિલ્હીમાં તમામ રાજ્યોના પોલીસવડાની બેઠક બોલાવી હતી .જેમાં સેફ્રોન ટેરરિઝમ (ભગવો આતંકવાદ) શબ્દનો ચિદંબરમ દ્વારા ઉલ્લેખ કરતાં દેશભરમાં આ મુદ્દે વિવાદ શરૂ થઈ ગયો છે. દેશના ગૃહમંત્રીએ ‘ભગવો આતંકવાદ’ શબ્દનો ઉપયોગ કરી હિન્દુવાદી સંગઠનો સહિત સાધુ સંતોની નારાજગી વહોરી લીધી છે. સોમવારે અમદાવાદ મેટ્રપોલિટન કોર્ટ નં-પ માં સ્વામી નિજાનંદ તીર્થે પી. ચિદંબરમ વિરુદ્ધ બદનક્ષીનો દાવો પોતાના વકીલ વિરાટ પોપટ મારફતે દાખલ કરાવ્યો હતો. તેમણે કોર્ટ સમક્ષ કરેલી અરજીમાં એવી રજુઆત કરી હતી કે, દેશના ગૃહમંત્રી પી. ચિદમ્બરમે ભગવા આતંકવાદનો મુદ્દો છેડી સાધુ સમાજ પર આતંકવાદી હોવાનો આરોપ મૂક્યો છે.ભારતમાં ભગવો શબ્દ માત્ર અને માત્ર સાધુ -સંન્યાસી સાથેજ જોડાયેલો છે જેથી ગૃહમંત્રીના આ વિધાનથી સમાજમાં સાધુ સમાજની બદનામી થઈ છે. ૮૫ કરોડ હિન્દુઓનાં દેશમાં હિન્દુ સમાજના સંતો વિરુદ્ધ ખુદ દેશનો ગૃહમંત્રી આવું બેજવાબદાર નિવેદન કરે તે કેટલું યોગ્ય છે. ચિદમ્બરમના આ નિવેદનથી તેમને ખૂબ જ દુ:ખ થયું હતું. વારંવાર આ વિધાન ટીવી ચેનલો પર દેખાડાતા લોકમાનસ પર પણ સાધુ સમાજની છાપ પર અસર પડી છે.આટલુંજ નહિ બે દિવસ અગાઉ કેટલાક લોકોએ સ્વામી નિજાનંદ તીર્થની પણ આતંકવાદી કહીને ઠેકડી ઉડાવી હતી. જેથી તેમણે સાધુ સમાજનું આ અપમાન નહિ ચલાવી લેવાનું નક્કી કરી દેશના ગૃહમંત્રી પી. ચિદમ્બરમ વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરવાનો નિર્ણય લીધો હતો અનેકોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.
અશોક ભટ્ટની તબિયતમાં સુધારો છતાં ચિંતાજનક
વિધાનસભાના સ્પીકર અશોકભાઈ ભટ્ટની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. તેમ છતાં તેમની સ્થિતિ નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યા છે. ખાસ કરીને હૃદય, ફેફસાં અને કિડનીની તકલીફમાં સુધારો થતાં સોમવારે ડોક્ટરોએ કેટલીક દવાઓ ઓછી કરી છે, છતાં હજુ આગામી ૨૪ કલાક સુધી સઘન સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.સાલ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. નીતિન શાહે જણાવ્યું હતું કે, અશોકભાઈની તબિયતમાં તબક્કાવારી સુધારો થઈ રહ્યો છે. રવિવારે વેન્ટિલેટર સપોર્ટ ૫૦ ટકા ઘટાડ્યા બાદ સોમવારે તેમની હૃદયની તકલીફમાં ઘટાડો થતાં કેટલીક દવાઓ ઓછી કરવામાં આવી છે. અશોકભાઈની તબિયતમાં સુધારો જરૂર થયો છે છતાં હજુ તબિયત ગંભીર કહી શકાય.જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સમીર દાણીએ જણાવ્યું હતું કે, અશોકભાઈની તબિયતમાં શનિવાર કરતાં સુધારાનાં ચિહ્નો જરૂર દેખાયાં છે, છતાં ભયમુક્ત કહી શકાય નહિ.શનિવાર કરતાં તેમનાં હૃદય, ફેફસાં અને કિડનીનાં ફંકશનમાં સુધારો થયો છે. ફેફસાંના ફંકશનમાં સુધારો થતાં ઓિકસજનનું લેવલ ઓછું કરી શક્યા છે. જોકે તેમને હૃદયની તકલીફ સૌથી વધુ ગંભીર હતી, પરંતુ એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ હવે બ્લડપ્રેશર પણ સ્થિર થયું છે. જેને પગલે બ્લડપ્રેશરની દવામાં ઘટાડો કર્યો છે. જ્યારે કિડનીની તકલીફ સંપૂર્ણપણે સુધરી નથી છતાં હાલત સ્થિર કહી શકાય. હાલમાં હોસ્પિટલમાં તેમની સઘન સારવાર ચાલી રહી છે.
"મોદી આક્ષેપ પુરવાર કરે અથવા માફી માંગે"
ખંડણીખોર અને સોપારીબાજ કોણ છે તે ગુજરાત જ નહિ દેશની જનતાને જાણ થઈ ગઈ છે તેમ છતાં ‘ચોર મચાયે શોર’ જેવી ભૂમિકા ભજવતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હવે શાંતપ્રિય જનતાને ઉશ્કેરવાના મિથ્યા પ્રયાસો કરી રહ્યા હોવાનો વળતો પ્રહાર કોંગ્રેસે કર્યો છે.ભગવા આતંકવાદ શબ્દ પ્રયોગના મામલે રવિવારે એક જાહેરસભામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કોંગ્રેસ ઉપર ભરપેટ વરસ્યા હતા તેનો વળતો જવાબ આપતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થભાઈ પટેલે પણ આકરી ભાષામાં જણાવ્યું હતું કે, ખૂંખાર ગુનેગારોની મદદથી ખંડણી કોણ ઉઘરાવતું હતું અને ખંડણીખોરીમાં જ રાચતા મંત્રી અમિત શાહ એક મહિનાથી જેલમાં સબડે છે ત્યારે શરમથી ડૂબી મરવાને બદલે ગાલ ઉપર તમાચો મારી લાલ રાખવાના નિષ્ફળ પ્રયાસો કરી રહ્યા છે.તેમણે કહ્યું કે, મારી ધરપકડ કરી લો તેવા પ્રશ્નો ઊભા કરી લોકોને ઉશ્કેરી શાંતિનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે તે બતાવે છે કે, મુખ્યમંત્રી પાણી પહેલાં પાળ બાંધવાનો પ્રયાસ કરે છે. કોણે કોની સોપારી આપી છે તે જગજાહેર છે.સોપારી આપવાનો સિલસિલો તો ભાજપ સરકારમાં ચાલુ છે. સરકારમાં બેઠેલાઓની સાંઠગાંઠ તથા ખનીજ માફિયાઓની પ્રવૃત્તિને ખુલ્લી પાડનારા અમિત જેઠવાની સોપારી કોણે આપી તેનું હજુ રહસ્ય જ છે.
DTC બિલનો એપ્રિલ-૨૦૧૨થી અમલ
આવકવેરા મુક્તિની મર્યાદા રૂ. બે લાખ, કોર્પોરેટ ટેક્સ ૩૦ ટકા યથાવત્, સરચાર્જ અને સેસ અલગ લેવાશે.ડાયરેક્ટ ટેક્સ કોડ(ડીટીસી) બિલ લોકસભામાં સોમવારે રજુ કરાયું હતું. જેમાં અગાઉની દરખાસ્ત કરતાં પણ ઘણાં ઓછા લાભ કરદાતાને અપાયા છે. આવકવેરા મુક્તિની મર્યાદા રૂ. ૧.૬૦ લાખથી વધારીને રૂ. ૨ લાખ કરી દેવાઈ છે.જોકે કોર્પોરેટ ટેક્સ ૩૦ ટકા યથાવત્ રખાયો છે અને તેમાં પણ સરચાર્જ અને સેસ અલગથી વસૂલવામાં આવશે. સૌથી નિરાશાજનક બાબત એ છે કે આ બિલ હવે ૧ એપ્રિલ, ૨૦૧૨થી લાગુ થશે. અગાઉ તેનો અમલ આગામી એપ્રિલ-૨૦૧૧થી થવાનો હતો. આમ, કરમુક્તિ સહિતની રાહતો મેળવવા માટે વધુ એક વર્ષ રાહ જોવાની રહેશે.લોકસભામાં રજુ થયેલા ડીટીસી બિલ મુજબ ત્રણ ટેક્સ સ્લેબ રહેશે. રૂ. ૨લાખથી રૂ. ૫ લાખ સુધીની આવક પર ૧૦ ટકા ટેક્સ લાગુ થશે. રૂ. ૫-૧૦ લાખ સુધીની આવક પર ૨૦ ટકા અને રૂ. ૧૦ લાખથી વધુની આવક પર ૩૦ ટકા ટેક્સ લાગુ થશે. નવા સ્લેબને કારણે રૂ. ૨ લાખથી રૂ. ૫ લાખ સુધીની આવક ધરાવતા દરેક કરદાતાને સરેરાશ રૂ. ૭૬૬૦ની વાર્ષિક બચત થશે. રૂ. ૧૦ લાખથી વધુની આવક હશે તેમને સરેરાશ વાર્ષિક રૂ. ૪૧,૦૪૦ની બચત થશે.હાઉસિંગ લોનના રૂ. ૧.૫ લાખ સુધીના વ્યાજની ચુકવણી પર કરમુક્તિ યથાવત્ રાખવામાં આવી છે. સિનિયર સિટઝિન માટે કરમુક્તિની મર્યાદા રૂ. ૨.૪૦ લાખથી વધારીને રૂ. ૨.૫૦ લાખ કરવામાં આવી છે.કોર્પોરેટ જગતને ડીટીસી બિલથી કોઈ જ ફાયદો થશે નહીં. કોર્પોરેટ ટેક્સ ૩૦ ટકા યથાવત્ રાખવામાં આવ્યો છે. અગાઉ સરચાર્જ અને સેસ સહિત આ ૩૦ ટકા ટેક્સ રહેશે તેવી દરખાસ્ત હતી. પરંતુ પસાર કરાયેલા બિલ મુજબ સરચાર્જ અને સેસ અલગથી ચૂકવવાના રહેશે. મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સ ૧૮ ટકાથી વધારીને ૨૦ ટકા કરી દેવાયો છે. જોકે તે માત્ર બુક પ્રોફિટ પર જ લાગુ પડશે. ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ ૧૫ ટકા રહેશે. અગાઉ નાણામંત્રી પ્રણવ મુખરજીએ લોકસભામાં ડીટીસી બિલ રજુ કર્યું હતું.૯૬ ટકા કરદાતાઓને ડીટીસીથી લાભ થશે.પ્રસ્તાવિત ડાયરેકટ ટેક્સ કોડ(ડીટીસી) બિલમાં આવકવેરા મુક્તિની મર્યાદામાં એ રીતે ફેરફાર કરવામાં આવ્યા છે જેથી મહત્તમ સંખ્યામાં કરદાતાઓને રાહત થાય.-ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવાથી રૂ. ૫ લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા દેશના ૯૬ ટકા કરદાતાઓને લાભ થશે તેવી શક્યતા છે.-રૂ. ૮ લાખ અને તેનાથી વધુ આવક ધરાવતા કરદાતાઓ માત્ર ૨.૨ ટકા છે, પરંતુ તેઓ કુલ ટેક્સના ૬૦ ટકા ટેક્સ ચૂકવે છે. રૂ. ૫ લાખથી રૂ. ૮ લાખની આવક ધરાવતા કરદાતાઓનું યોગદાન કુલ ટેક્સની વસૂલાતમાં ૧૦ ટકાનું છે.
રાજ્યમાં ૪૧ હજાર લોકો વચ્ચે હોમો સેક્સ્યુઅલ સંબંધ
‘દોસ્તાના’ જેવી ફિલ્મોમાં હોમો સેક્સ્યુઅલ સંબંધને વર્ણવવામાં આવ્યો છે, પરંતુ જાણીને આંચકો લાગશે કે હવે રિયલ લાઇફમાં પણ હોમો સેક્સ્યુઅલ સંબંધોનું પ્રમાણ વધતાં હોમો સેક્સ્યુઅલ લોકોની સંખ્યા વધી છે.એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા રાજ્યકક્ષાના હાથ ધરાયેલા સર્વેના આંકડા મુજબ રાજ્યમાં સેક્સવર્કર્સની સંખ્યા ૩૫ હજાર અને હોમો સેક્સ્યુઅલની સંખ્યા ૪૧ હજાર નોંધાઈ છે, એટલે કે સેક્સવર્કર્સ કરતાં હોમો સેક્સ્યુઅલની સંખ્યા છ હજાર જેટલી વધી છે. મહત્વની વાત એ છે કે સમગ્ર રાજ્યમાં સેક્સવર્કર્સ-હોમો સેક્સ્યુઅલ લોકોના પ્રમાણમાં પ્રથમ ક્રમે સુરત બાદ અમદાવાદ અને ભાવનગર મોખરે છે.એઇડ્સ કંટ્રોલ સોસાયટીના ડાયરેક્ટર ડૉ. પ્રદીપકુમારે જણાવ્યું હતું કે, વર્ષ-’૦૮માં હાથ ધરાયેલા સર્વેમાં સેક્સવર્કર્સની સંખ્યા ૩૫ હજાર અને હોમોની સંખ્યા ૪૧ હજાર હોવાનું જાણવા મળ્યું છે.ખાસ કરીને એચઆઇવી ફેલાવવા માટે જવાબદાર એવા ‘કોર ગ્રૂપ’માં પુરુષથી પુરુષ, ગ્રૂપમાં ઇન્જેક્શન દ્વારા ડ્રગ્સ અને સેક્સવર્કર્સ સાથે સહશયનનું પ્રમાણ જોવા મળે છે. આ ગ્રૂપના સભ્યો પત્ની સાથે પણ શારીરિક સુખ માણતા હોવાથી એઇડ્સ ફેલાવવાની શક્યતા સૌથી વધુ હોય છે.
ગદ્દાર ક્રિકેટરોનાં માથાં સાટે ઇનામ જાહેર કરતા ત્રાસવાદીઓ
પાકિસ્તાનના ક્રિકેટરોએ મેચ ફિક્સ કરી હોવાના આક્ષેપને પગલે સમગ્ર ક્રિકેટજગત આ ખેલાડીઓથી નારાજ છે અને હવે તેમાં પાકિસ્તાનનાં કેટલાક ત્રાસવાદી સંગઠનો પણ સામેલ થયાં છે.બ્રિટિશ અખબાર ડેઇલી સ્ટારે એવો દાવો કર્યો હતો કે કેટલાક ત્રાસવાદી જુથોએ તો પાકિસ્તાનના ખેલાડીઓનાં માથાં સાટે ઇનામ જાહેર કર્યું છે. આ જુથોનું કહેવું છે કે પાકિસ્તાનના ક્રિકેટર ગદ્દાર છે અને તેમણે દેશની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે. જોકે કોઈ સંગઠને પોતાનું નામ જાહેર કર્યું નથી પરંતુ તેમની આ ધમકી બાદ ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડી રહેલી પાકિસ્તાનની ટીમના ખેલાડીઓ ડરી ગયા છે અને સુરક્ષાની માગણી પણ કરી છે.પાકિસ્તાનની ટીમ અત્યારે લંડનમાં છે અને તેમને ઇંગ્લેન્ડ સામે વન-ડે શ્રેણીમાં રમવાનું છે ત્યારે બ્રિટિશ સત્તાવાળાઓ સામે આ ખેલાડીઓની સુરક્ષાની જવાબદારીનો પડકાર પણ સામે આવી ગયો છે. આ ઘટનાને પગલે પાકિસ્તાન ક્રિકેટરો પર ચારે બાજુથી માછલા ધોવાઈ રહ્યા છે.
લોકોને ભારતની નાગરિકતા લેવામાં શરમ આવે છે?
બોલીવુડમાં વર્ષોથી કામ કરનારા સેંકડો વિદેશીએ હજુ પણ ભારતીય નાગરિકત્વ લેવાની તસદી લીધી નથી. મુંબઈમાં જિલ્લાધિકારીની કચેરીમાં ૧૫૦ આસપાસ અરજી ગત પાંચ વર્ષમાં ભારતીય નાગરિકત્વ મેળવવા માટે આવી છે, પરંતુ તેમાંથી ભારતમાં સાતથી વધુ વર્ષ સુધી વસવાટ કરી રહ્યા હોવા છતાં એકેય અરજી બોલીવુડમાં કામ કરનારા વિદેશી કલાકારની નથી.
ઇમિગ્રેશન વિભાગ આજકાલ ટુરિસ્ટ વિઝા પર ભારતમાં પ્રવેશ મેળવીને બોલીવુડમાં કામ કરનારા વિદેશીઓની એક ડઝન વિઝા શ્રેણીઓની તપાસ કરવામાં પરોવાયેલી છે. જો એકાદ વ્યક્તિને એમ્પ્લોયમેન્ટ વિઝા મળતો હોય અને તેની પર તે કામ કરી શકે તો તેણે વિઝિટર્સ વિઝા લેવાની શી જરૂર છે એમ ઇમિગ્રેશન અધિકારીએ જણાવ્યું હતું. અમે હવે ચોક્કસ વિઝા લઈને દેશમાં આવ્યા બાદ નિયમોનું ઉલ્લંઘન કરનારા વિદેશીઓની વિઝાની વિગતોને વગીકૃત કરી રહ્યા છીએ, એમ પણ તેમણે જણાવ્યું હતું.
ભારતમાં વસવાટ કરી રહેલા અને એમ્પ્લોયમેન્ટ વિઝા પર કામ કરનારા કલાકારોમાં કેટ્રિના કૈફ (યુકેની નાગરિક), દીપ્તિ નવલ (અમેરિકન નાગરિક), સલમા આગા (યુકેની નાગરિક), યાના ગુપ્તા (ઝેક નાગરિક) વગેરેનો સમાવેશ થાય છે.બોલીવુડમાં કામ કરનારા મોટા ભાગના કલાકારો અને વિદેશીઓ ભારતમાં એમ્પ્લોયમેન્ટ વિઝા પર રહેવાનું પસંદ કરે છે. અમુક વાર તેઓ વિઝાનો સમયગાળો વિસ્તારવા માટે પૂછે છે. અમે કાયદા અનુસાર સાચું શું છે તે તપાસી રહ્યા છીએ, એમ તેમણે જણાવ્યું હતું.પાકિસ્તાની ગાયક અદનાન સામી જર્મન પત્ની સાતે મુંબઈમાં રહે છે. અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષી કરાર અનુસાર અમેરિકન નાગરિક ભારતમાં ટુરિસ્ટ વિઝા પર ૧૦ વર્ષ સુધી રહી શકે છે. આ જ નિયમ ભારતીય નાગરિકને અમેરિકામાં લાગુ થાય છે.અમુક મોડેલો ભારતમાં ટૂંકા ગાળાના ટુરિસ્ટ અથવા એમ્પ્લોયમેન્ટ વિઝા પર આવે છે અને તેઓ વિઝાની મુદત વિસ્તારી લેતા નથી. તેમને હવે કાયદાનો સામનો કરવો પડશે. નોર્વેજિયન મોડેલ નગિાર ખાનને ૭ ફેબ્રુઆરી, ૨૦૦૫ના રોજ ભારતમાં ડિપોર્ટ કરવામાં આવી હતી.
30 August 2010
રાજકોટમાં વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ
visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
રાજકોટમાં વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ
રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી સાંજ પડે ને તે સાથેજ મેઘરાજાનું આગમન થાય છે. મેઘરાજા જાણે કે ઘડિયાળના ટકોરે ચાલતા હોય તેમ રવિવારે સાંજે પણ પાંચ વાગ્યે વરસાદ શરૂ થયો હતો અને રાત્રે ૧૦-૩૦ વાગ્યા સુધીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો હતો. એકરસ થયેલા આકાશમાંથી અવિરત વરસેલા વરસાદને કારણે ફરી એક વખત શહેર જળબંબાકાર થઇ ગયું હતું. ભારે વરસાદના કારણે લોકો ઘરમાં પૂરાઇ રહ્યા હતા અને રવિવારની રંગત પર પાણી ફરી વળ્યું હતું.શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલતો સિલસિલો રવિવારે પણ યથાવત રહ્યો હતો. બપોરે ચાર વાગ્યા પછી આકાશ ઘેરાવા લાગ્યું હતું ઘટાટોપ વાદળો ગગન ગોખે ગોઠવાઇ ગયા હતા અને પાંચ વાગ્યે વરસાદ શરૂ થઇ ગયો હતો.ધીમી ધારે શરૂ થયેલા વરસાદે ધીમે ધીમે ગતી પકડી હતી. વાદળોમાંથી ગડગડાટી અને વીજળીના ચમકારા વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. રાત્રે ૧૦-૩૦ સુધી એકધારો વરસાદ પડ્યો હતો અને શહેરની ધરા ઉપર વધુ સાડા ત્રણ ઇંચ પાણી ઠલવાઇ ગયું હતું.આજના વરસાદને કારણે પોપટપરા નાળામાં પાણી ભરાતા લોકોને રૂખડિયા કોલોની થઇ ફરી ફરી ઘેર પહોંચવું પડ્યું હતું તો લક્ષ્મીનગરના નાળાની પણ એજ સ્થિતિ હતી. આ ઉપરાંત મારુતિનગર એરપોર્ટ રોડમાં ઘરમાં પણી ઘૂસ્યા તો દોઢસો ફૂટ રિંગ રોડ, રૈયા ચોકડી રણછોડવાડી, રણછોડનગર શેરીનં. ૪, કુવાડવા રોડ, રામનાથપરા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.મહાત્મા ગાંધી વિદ્યાલય, બહુમાળી ભવન, ત્રિકોણબાગ, જાગનાથ પ્લોટ મહાકાળી મંદિર, હેમુ ગઢવી હોલ સામેનો માર્ગ સહિત શહેરના વિવિધ રાજમાર્ગો પર પાણી ભરાઇ જતાં અનેક વાહન ચાલકોના વાહનો બંધ પડી ગયા હતા. વળી રવિવાર હોવાના કારણે ગેરેજો પણ બંધ હોય વાહન ખેંચી ઘર સુધી લઇ જવા પડ્યા હતા.
જન્માષ્ટમીની ઉજવણી રાજકોટમાં કરવાનો મેઘરાજાનો મિજાજ
જન્માષ્ટમીના તહેવારો સાવ નજીક આવી ગયા છે ત્યારે જ વરસાદનો એક નવું ધૂંવાધાર રાઉન્ડ શરૂ થતાં તહેવારોની ઉજવણી તથા રાજકોટના લોકમેળાની તૈયારી પર તેની વપિરીત અસર પડી છે.રાજકોટમાં જન્માષ્ટમીની દર વર્ષે અનોખી અને ઉમંગભરી ઉજવણી થાય છે. રાજકોટનો લોકમેળો આખા ભારતમાં વિખ્યાત છે. મુંબઇમાં ગણપતિ મહોત્સવનું જેટવું મહત્વ હોય છે એટલું જ મહત્વ રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારોનું છે.દર વર્ષે આ તહેવાર ઉપર શહેરના મહત્વના તમામ ચોકમાં ફલોટ્સ મૂકવામાં આવે છે. રોશનીના શણગાર થાય છે. રાંધણ છઠથી ચાર દિવસ સુધી રાજકોટ કૃષ્ણમય અને તહેવારમય બની જાય છે. અત્યારે આ બધા આયોજનોની તડામાર તૈયારી ચાલી રહી છે. પણ છેલ્લા ત્રણ દિવસથી પડતાં વરસાદને કારણે તૈયારીમાં વિધ્ન સર્જાયું છે.લોકમેળો જ્યાં યોજાવાનો છે એ રેસકોર્સ મેદાનમાં વરસાદને કારણે પાણી ભરાયા છે. કાદવ-કીચડનું સામ્રાજ્ય છે. તંત્ર દ્વારા મેદાનને સમું-નમું કરવાના પ્રયત્નો થાય છે પણ કુદરતની પ્રચંડ શક્તિ કાળા માથાંના માનવીના પ્રયાસો ઉપર પાણી ફેરવી દે છે. મેળાના સ્ટોલધારકો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. બે દિવસ પછી મેળો શરૂ થવાનો છે પણ હજુ સુધી અડધું કામ પણ પૂરું નથી થયું. ઈલેક્ટ્રિફિકેશન તથા સ્ટોલમાં રમકડાં કે અન્ય સામગ્રીઓ ભરવાની કામગીરી સતત વરસતા વરસાદના કારણે થઇ શકતી નથી.સાંજના સમયે જ વરસતા વરસાદને કારણે વેપારીઓને પણ મોટો ફટકો પડી રહ્યો છે. ખરીદીના સાચા સમયે, એટલે કે સાંજે જ દરરોજ વરસાદ વરસતાં બજારો સૂમસામ થઇ જાય છે. એકંદરે વરસાદને કારણે તૈયારીઓ ખોરંભે પડી છે. ઉપરથી હવામાન ખાતાએ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરતાં વેપારીઓ તથા સ્ટોલધારકોનો જીવ તાળવે બંધાયો છે.
જસદણ : સગપણ માટે નીકળેલો પરિવાર પાણીમાં ગરક
જસદણ તાલુકાના ભાડલા ગામે રહેતો પ્રજાપતિ પરિવાર પોતાની પુત્રી માટે રાજકોટ મુરતિયો જોઇ પરત ફરી રહ્યા હતા. ત્યારે ભાડલા રાજાવડલા વચ્ચે ભીડભંજન મહાદેવ પાસેના બેઠા પુલ પર યુટિલિટી ફસાઇ જતાં હાથાજોડી કરી નીકળવાના પ્રયાસમાં પાંચ ગ્રામજનો પ્રવાહમાં તણાઇ ગયા હતા. જ્યારે બે બચી ગયા હતા.ભાડલા ખાતે રહેતા ભગાભાઇ ગોવિંદભાઇ સરેરિયાની પુત્રી માટે મુરતિયો જોવા રાજકોટ જવાનું હોય આજે સવારે રાજાવડલા ગામની યુટિલિટી ભાડે કરી આજે સવારે ભગાભાઇ સહપરિવાર રાજકોટ આવ્યા હતા સાથે ગોકળભાઇ નરશીભાઇના પુત્રને પણ લીધો હતો. રાજકોટમાં લોકલ ફંડમાં ઓડિટર તરીકે નોકરી કરતાં નગવાડિયાભાઇના પુત્રને જોઇ સાંજે પ વાગ્યે આ તમામ રાજકોટથી ભાડલા જવા રવાના થયા હતા.રાજકોટથી યુટિલિટીમાં નીકળેલો પ્રજાપતિ પરિવાર જ્યારે ભંડારિયા પાસે પહોંચ્યો ત્યારે ભારે વરસાદના કારણે પાણી ભરાયા હોય આગળ વધી શકાય તેમ ન હોય યુટિલિટી પાછી વાળી રાજાવડલાનો માર્ગ પકડ્યોહતો. રાજાવડલા અને ભાડલાને જોડતો એક બેઠો પુલ છે. જેનો કેટલોક ભાગ ભારે વરસાદમાં તૂટી ગયો હતો. જેની આ કોઇને ખબર નહતી. બેઠા પુલ પરથી ડ્રાઇવરે યુટિલિટી આગળ વધારી પણ આગળ જતાં તે પાણીના ભારે પ્રવાહમાં ખાંગી થઇ ગઇ હતી.પાણીના ધસમસતો પ્રવાહ તેમજ યુટીલીટી ખાંગી થઇ જતાં ડ્રાઇવરે આગળ વધવા ના પાડી હતી. ડ્રાઇવરે ના પાડ્યા બાદ બધા નીચે ઉતર્યા હતા અને નીકળી જવાશે એમ માની એક-બીજાના હાથ પકડી આગળ વધવા નિર્ણય કર્યો હતો. ભગાભાઇ ગોવિંદભાઇ સરેરિયા તથા તેમનો પુત્ર સંદપિ એક બીજાનો હાથ પકડી પાણીમાં આગળ વધ્યા હતા.
પુત્રીની હત્યા કર્યા બાદ પિતા રામનાથ મંદિરે દર્શને ગયો’તો
પુત્રીના પ્રેમ પ્રકરણની જાણ થતાં કોળી તરુણીને તેના જ પિતાએ મોતને ઘાટ ઉતારી દીધાના ચકચારી બનાવમાં પુત્રીની હત્યા કર્યા બાદ તેનો પિતા રામનાથ મંદિરે દર્શન કરવા ગયો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કર્યા બાદ જેલહવાલે કર્યો હતો તેમજ મૃતક તરુણીના પ્રેમીનું પણ પોલીસે નિવેદન નોંધ્યું હતું.ચુનારાવાડમાં રહેતી કિરણ રઘુ કોળી (ઉ.વ. ૧૫) ને એ જ વિસ્તારના નિર્મળ કોળી સાથે પ્રેમસંબંધ હતો. પુત્રીના પ્રેમપ્રકરણની જાણ થતાં ઉશ્કેરાયેલા તરુણીના પિતા રઘુ કોળીએ શુક્રવારે રાત્રિના પોતાના જ ઘરે પુત્રીને લાકડીના ઘા ફટકારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. શનિવારે બપોરે હત્યાનો બનાવ પ્રકાશમાં આવતા પોલીસે આરોપી રઘુની ધરપકડ કરી હતી.રઘુએ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે, કિરણની રાત્રે હત્યા કર્યા બાદ બાજુના રૂમમાં આખીરાત સૂતો રહ્યો હતો અને શનિવારે વહેલી સવારે રામનાથ મંદિરે દર્શન કરવા ગયો હતો. બાદમાં, પોલીસે હત્યાના ગુનામાં તેની ધરપકડ કરી હતી. પોલીસે રઘુની પૂછપરછ કરી હત્યામાં ઉપયોગમાં લેવાયેલી લાકડી કબજે કરી હતી અને અંતે આરોપીને જેલહવાલે કર્યો હતો.બીજી બાજુ કિરણની હત્યા થયાની જાણ થતાં તેના પ્રેમી નિર્મળ કોળીએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે કોળી યુવાનનું નિવેદન નોંધ્યું હતું. નિર્મળે કહ્યું હતું કે, કિરણ સાથે તેને પ્રેમસંબંધ હતો. પરંતુ, રઘુને તે પસંદ ન હતું અને તેણે આ અંગે કિરણને અગાઉ મારી નાખવાની ધમકી પણ આપી હતી.
રમકડાંના-૧૩, યાંત્રિકના ૫ અને આઇસક્રીમના ૬ સ્ટોલ ખાલી
લોકમેળામાં સ્ટોલ મેળવવા માટે એક સમયે પડાપડી થતી હતી. સ્ટોલના ઓન બોલાતા અને કાળાબજારમાં સ્ટોલ વેંચાતા પણ ખરા, જ્યારે આજે સ્થિતિ એવી છે કે, લોકમેળાના ઉદ્દઘાટન આડે માત્ર ૪૮ કલાક બાકી રહ્યા હોવા છતાં યાંત્રિકના-૫ સ્ટોલ, આઇસક્રીમના ૬ જ્યારે સહકારી, સામાજિક સંસ્થાઓ માટે હેન્ડલુમ પ્રદર્શન માટે દોઢ ડઝનથી વધુ સ્ટોલની ફાળવણી કરવામાં આવી હતી પણ કોઇએ રસ ન દાખવાતા આખરે આ જગ્યામાં રમકડાના નવા ૨૬ પ્લોટ પાડી દેવાયા હતા.આ ૨૬ માંથી પણ રવિવારની સાંજ સુધીમાં ૧૩ પ્લોટ વેંચાયા છે તો ૧૩ પ્લોટ બાકી રહ્યા છે. તેનું કોઇ લેવાલ નથી, જ્યારે શહેર પર રોજરોજ મેહુલો મંડાતો હોય હરાજીમાં સ્ટોલની ઊંચા ભાવે ખરીદી કરનાર વેપારીઓના જીવ પડિકે બંધાયા છે. દરમિયાન આજે સાંજે ૫ વાગ્યે માત્ર પંદર મિનિટ વરસાદનું જોરદાર ઝાપટું તૂટી પડતા મેદાનમાં પાણી-પાણી થઇ ગયું હતું. તો બહુમાળી ભવન સામે રાજમાર્ગ પર પાણી ભરાઇ ગયા હતા.આ અંગે સિટી મામલતદાર એસ.જે. ખાચરનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ૧૫મી ઓગસ્ટના કાર્યક્રમને અનુલક્ષી મેદનમાં કપચી નાખવામાં આવી છે. માત્ર એરપોર્ટ તરફના ગેટ બાજુ પાણી ભરાયા છે. પણ ત્યાં મોટર મૂકી પાણી ખેંચી રોડની સામેની બાજુ આવેલા વોકળામાં પાણી વહેતું કરી દેવાશે અને કપચી પણ પાથરી દેવાશે. આ અંગે અધિકારી પાઠક, તાલુકા મામલતદાર ગણાત્રા તેમજ પી. ડબલ્યૂ ડી.ના સ્ટાફ દ્વારા કામગીરી ચાલુ જ છે. તેમજ સોમવાર સાંજ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી દેવાશે.
ખંભાત-બોરસદમાં મેઘો ઓળઘોળ
આણંદ જિલ્લામાં રવિવારે મેઘરાજાની મહેરથી લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. એમાંય ખંભાત અને બોરસદ તાલુકામાં મેઘરાજા ઓળઘોળ થઈને વરસ્યા હતા. જ્યારે આણંદ શહેરમાં બપોરના સુમારે વાદળછાયાં વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ થયો હતો.જિલ્લામાં રવિવારે સવારના ૮થી સાંજના ૪ કલાક સુધીમાં ૧૮૨ મીમી વરસાદ નોંધાયો હતો. સાર્વત્રિક વરસાદથી ઉકળાટભર્યા વાતાવરણમાં થોડા અંશે પ્રસરેલી ઠંડકથી લોકોએ રાહત અનુભવી હતી.ચરોતરમાં છેલ્લા બે દિવસથી આકાશમાં ઘેરાયેલા વાદળોથી વરસાદી માહોલ બન્યો હતો. રાત્રિના ૮ કલાક બાદ ઝરમર વરસાદ થઈને બંધ થઈ જતો હતો. જેથી ભેજનું પ્રમાણ વધુ હોવાથી વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને બફારો અનુભવાતાં લોકો હેરાનપરેશાન થઈ ગયા હતા.શનિવારે રાત્રિના ઝરમર વરસાદ સાથે વીજળીના ચમકારા થઈ રહ્યા હતા. પરંતુ વરસાદ વરસ્યો ન હતો. પરંતુ રવિવારે સવારથી જ મેઘરાજાની સવારી આવી ચૂકી હતી. ખંભાત અને બોરસદ પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.સવારના ૮ થી બપોરના ૨.૩૦ કલાક સુધીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં જનજીવન ઠપ થઈ ગયું હતું. ત્યારબાદ બપોરના ત્રણ કલાકે પુન: વરસાદ શરૂ થતાં ગામડાઓમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. મોટા કલોદરાથી તારાપુર જવાના માર્ગ પર વૈણજ-ખંભાત માર્ગ પર વૃક્ષો ધરાશાયી થયા હતા.જલસણ, નવાગામ બારા, જહાંગીરપુરા, દેવપરા જેવા ગામડામાં કેડસમા પાણી ભરાઈ ગયા હતા. બોરસદમાં પણ બે ઇંચ વરસાદ ખાબકતાં ઠેર-ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે એક સપ્તાહના વિરામ બાદ થયેલા વરસાદથી ખેડૂતો પણ ઘેલમાં આવી ગયા હતા. ખેતરોમાં ચારેય તરફ લીલોતરી છવાઈ જવા પામી છે. જ્યારે આણંદ શહેરમાં સવારના ઉઘાડ નીકળ્યા બાદ બપોરે ઝરમર વરસાદ વરસ્યો હતો.
ગુજરાતી બિલ્ડરના ઘર સામે ખંડણીખોરોનો ગોળીબાર
ગુજરાતી બિલ્ડરના નિવાસસ્થાન બહાર ખંડણીખોરો ગોળીબાર કરીને નાસી ગયા હતા. શનિવારે રાત્રે બનેલી આ ઘટનામાં જોકે કોઈને ઈજા થઈ નહોતી. સાંતાક્રુઝ પશ્ચિમમાં લાજપતરાય રોડ પર આશા કિરણ બિલ્ડિંગમાં બિલ્ડર શેઠ પ્રવીણ દોશી રહે છે. શનિવારે રાત્રે ૮.૩૫ વાગ્યાના સુમારે બે અજ્ઞાત શખ્સ અહીં આવ્યા હતા.મકાનના વોચમેન પ્રદીપ દિનેશ ચૌધરી (ઉ.વ.૨૪) પાસે બે જણ આવ્યા હતા. તેમણે પ્રવીણ શેઠ હૈ ક્યા એવું પૂછ્યું હતું. વોચમેને ઈનકાર કરતાં તેમણે એક ચિઢ્ઢી આપી હતી. યે ચિઢ્ઢીમેં રવિ પૂજારી કા ફોન નંબર હૈ. શેઠ કો બોલના, યહ નંબર પર ફોન કરે એવું તેમણે કહ્યું હતું.વોચમેન પ્રદીપ ચૌધરી કશું બોલે તે પૂર્વે બે આરોપીઓમાંના એક આરોપીએ રિવોલ્વર કાઢીને બે ગોળી ગેટની દિશામાં છોડી હતી. બાદમાં ત્યાંથી નાસી ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યું હતું.પૂજારી ટોળકી આજકાલ માથું ઊંચકી રહી છે. તેના જ ગુંડાઓએ ખંડણી માટે ધાકધમકી આપ્યો ગોળીબાર કર્યાનો અંદાજ છે. પ્રવીણ દોશીને અગાઉ પણ ધમકી મળતી હતી, પરંતુ શનિવારે છેક તેમના ઘર સુધી ગુંડાઓ પહોંચી જતાં અમે આ કેસને ગંભીરતાથી લીધો છે અને ખંડણીખોરોને પકડવા માટે પ્રયાસ શરૂ કરી દીધા છે, એમ તેમણે જણાવ્યું હતું.
ગણપતિ બાપ્પા ચાલ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો
આગમનથી વાતાવરણ મંગલમય કરનારા અને વિસર્જન સમયે તીવ્ર ગમગીન વાતાવરણ સર્જનારા ગણપતિ બાપ્પા હવે મહારાષ્ટ્રની સીમા ઓળંગી છેક અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં પહોંચવાનો છે. ઢોલ- નગારાની રમઝટ, મોદકની રેલમછેલ અને ગુલાબની ઉછામણીથી વાતાવરણ ભરી દેનારો આ ઉત્સવ અમેરિકાના ગણેશ ભક્તો વચ્ચે આ વરસે સૌપ્રથમ વાર શ્રી ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધીના દસ દિવસો સુધી બાપ્પાનો મુકામ અમેરિકામાં રહેવાનો છે.કામકાજ અને રોજગારી નિમિત્તે અનેક ભારતીયો કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં સ્થાયી થયા છે. છેલ્લા ત્રણ દાયકાથી આ મિત્ર મંડળી એકત્રિત થઈ ગણેશોત્સવની ઉજવણી કરી રહી છે. અહીં ફ્રેમોંટ વિસ્તારમાં ગણેશનું કાયમી રૂપે મંદિર હોવું જોઈએ, જે માટે અહીંના ગણેશ ભક્તોએ ઉત્સાહપૂર્વક તૈયારી કરી હોઈ હવે આ મંડળી દસ દિવસનો ગણેશોત્સવ ઊજવવા કટિબદ્ધ થઈ છે.અમેરિકી સરકાર પાસેથી આ ઉત્સવ ઊજવવા માટેની જરૂરી એવી પરવાનગી પણ આ મંડળીએ મેળવી છે. ભારતના લોકપ્રિય અને નામાંકિત મૂર્તિકાર દ્વારા આ ગણેશની મૂર્તિ ઘડવા માટે ત્યાંના ફ્રેમોંટ હિન્દુ મંદિરના પદાધિકારી સંદીપ દેઉળકરે સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટનો સંપર્ક કર્યો છે.
'બેસ્ટ અને એર ઈન્ડિયાનું ખાનગીકરણ નહીં થવા દઉં'
‘બસ સેવા અને સ્થાનિક જાહેર પરિવહન સેવા આપતા બેસ્ટ ઉપક્રમ તેમ જ વિમાન સેવા આપતી કંપની એર ઈન્ડિયાના ખાનગીકરણની પેરવીઓ ચાલતી હશે તોએ હિલચાલોને સફળ થવા નહીં દેવાય.’ એવી ચીમકી મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ શનિવારે આપી હતી.પ્રભાદેવીના રવીન્દ્ર નાટ્ય મંદિર ખાતે મહારાષ્ટ્ર નવિનર્માણ સેનાના નેજા હેઠળ ‘બેસ્ટ કામગાર સેના’ નામના કર્મચારી સંગઠનની સ્થાપનાની જાહેરાત રાજ ઠાકરેએ કરી હતી. આ ટ્રેડ યુનિયનનું પ્રમુખપદ અવિનાશ અભ્યંકરને સોંપાયું છે.‘દાદાગીરી કરતા રિક્ષા-ટેક્સી ચાલકો વિરુદ્ધ મેં આંદોલન કર્યું ત્યાર પછી મને નોટિસ મોકલાઈ તેમાં હું ઉશ્કેરણીજનક ભાષણો કરતો હોવાનું સરકારનું કહેવું છે. સરકાર જે કહેવું હોય તે કહે પણ હું મહારાષ્ટ્રના હિતમાં હોય એ કરીશ. સરકારે જે પગલાં લેવાં હોય તે લીધાં કરે,’ એમ રાજ ઠાકરેએ કહ્યું હતું.તેમણે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે તરફ કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે ‘મનસે કંઈક કરે ત્યાર પછી અન્ય પક્ષો ‘અમે એવું અગાઉ કર્યું’ એવા દાવા કરે છે. આવતીકાલે તેઓ સાદામ હુસેનને ફાંસી પણ અમારે લીધે જ અપાઈ’ એવો દાવો કરશે. મનસેના અન્ય કર્મચારી સંગઠન મ્યુનિસપિલ કર્મચારી કામગાર સેનાના પ્રમુખ પદે દિલીપ નાઈકની નિમણુંક કરાઈ હતી. આ કાર્યક્રમમાં પ્રવીણ દરેકર, બાળા નાંદગાંવકર, મંગેશ સાંગતે, મનોજ ચવ્હાણ હાજર હતા.
વિસનગર જિલ્લામાં શ્રાવણિયો જુગાર બેફામ
વિસનગર શહેરની અનુરાધા સોસાયટીમાંથી પાંચ અને બાસણા ગામેથી પાંચ પકડાયા: કડી તાલુકાના નગરાસણમાંથી પણ ૧૬ ઝડપાયા: ૩૫ હજારનો મુદ્દામાલ જપ્ત. જન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યાં શ્રાવણિયો જુગાર બેફામ બનતો જાય છે શનિવારે કડીમાં વિજિલન્સના દરોડા છતાં રવિવારે જુગારધામો ધમધમ્યા હતા.વિસનગરની અનુંરાધા સોસાયટી અને બાસણમાં પણ પોલીસે દરોડા પાડી ૧૦ને ઝઢપી લીધા હતા જ્યારે કડીના નગરાસણમાં પણ પોલીસે કાર્યવાહી કરી ૧૬ જુગારી ઝડપી લીધા હતા.વિસનગર: શહેરની અનુરાધા સોસાયટીમાં આવેલ એક મકાનમાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમી વિસનગર પોલીસને મળી હતી. આ બાતમીને આધારે પી.એસ.આઇ. એમ.એમ.સિંધી, એ.એસ.આઇ. હરગોવનભાઇ, મુલચંદભાઇ, નારણસિંહ સહિત સ્ટાફને સાથે રાખી રેડ કરી હતી.જ્યાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સો રંગેહાથ ઝડપાઇ આવ્યા હતા. પોલીસે તેમની તલાશી લેતાં તેમનું નામ નાયક વિનોદભાઇ કેશવલાલ, પટેલ મહેશકુમાર હીરાભાઇ, સોનપુરા મિતેષકુમાર જગદીશભાઇ , મોચી કલ્પેશભાઇ વાડીલાલ અને પટેલ સચીનકુમાર મગનલાલ હોવાનું જણાવ્યું હતું.
ઊંઝા પાલિકા પ્રાંગણમાં જુગાર રમતા સાત ઝડપાયા
ઊંઝા નગરપાલિકાના આસપાસ જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધયું હતુ.જેમાં પાલિકાના પ્રાંગણની અંદર જ જુગારધામ ચાલતુ હોવાનું જણાતા પોલીસે દરોડો કરીને પાલિકાના એક નગરસેવક સહિત સાત શખ્સોને રૂ.૭૩૫૫૦ના મુ્દામાલ સાથે ઝડપી લીધા હતા.આ અંગે ઊંઝા નગર પાલિકાના ચીફ ઓફિસર નરેશભાઇ પટેલે જણાવ્યુ કે, પાલિકાની અંદર ગેરકાયદે કૃત્ય કરવાના આ બનાવમાં તપાસ કર્યા બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકરણમાં પાલિકાના કર્મચારીઓની સંભવિત સંડોવણીને ધ્યાને લેતા એ દિશામાં પણ કડક પગલા ભરવામાં આવશે.
બહુચરાજી તરબોળ:કલાકમાં બે ઇંચ
જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોના વિરામ બાદ રવિવાર સાંજે મહેસાણા, બહુચરાજી, વિસનગર, વડનગર, ખેરાલુ, વિજાપુર સહિતના સ્થળોએ ભારે પવન સાથે ઝંઝાવાતી વરસાદ થયો હતો. બહુચરાજીના માર્કેટયાર્ડ, હરગોવનપુરા સહિતના વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાઇ જતાં રહીશો અટવાયા હતા.બહુચરાજીમાં કલાકમાં બે ઇંચ, મહેસાણામાં પોણો ઇંચ તથા વિસનગરમાં અડધો ઇંચ જેટલો વરસાદ થયો હતો. જ્યારે બપોરની આકરી ગરમી બાદ સમી સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવતાં થયેલા વરસાદથી લોકોને ગરમીથી રાહતનો અનુભવ થયો હતો.મહેસાણા સહિત જિલ્લામાં છેલ્લા સપ્તાહના વિરામ બાદ શનિવારે વરસાદ થયો હતો. મહેસાણામાં શનિવારે બપોર બાદ પોણા ઇંચ જેટલો વરસાદ થયો હતો. જોકે રવિવારે સવારથી બપોર સુધી આકાશ ચોખ્ખુ દેખાતું હતું અને આકરી ગરમી પડી હતી. પરંતુ સમી સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે ઝંઝાવાતી વરસાદ તૂટી પડ્યો હતો. સાંજે ૬ વાગ્યાના અરસામાં વરસાદ તૂટી પડતાં વાહન ચાલકો અટવાયા હતા.
ફોન પર બીભત્સ માગ કરનાર રોમિયો ઝડપાયો
જામ-કંડોરણાના સનાળા ગામે પટેલ પરિવારને ત્યાં અવાર નવાર ફોન કરીને, મહિલાઓને પજવતો અને બીભત્સ વાતો કરતો અને બીભત્સ માગણીઓ કરનાર ભાયાવદરના રોમિયોને પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગેની મળતી વિગતો પ્રમાણે જામ કંડોરણા તાલુકાના સનાળા ગામે રહેતા અલ્પેશભાઇ હંસરાજભાઇ પોસિયાને ઘરે ટેલિફોન ઉપર કોઇ શખ્સ વારંવાર ફોન કરતો હતો.આ શખ્સ ફોન કરી અલ્પેશભાઇના પત્ની રિનાબેન સાથે બીભત્સ વાતો કરતો અને બીભત્સ માગણીઓ કરતો હતો. આ શખ્સ વારંવાર આવી રીતે ફોન કરીને તેમને પરેશાન કરતો હતો. જોકે, અલ્પેશભાઇ જ્યારે જ્યારે ફોન રિસીવ કરતા ત્યારે આ શખ્સ ફોન કટ કરી નાખતો હતો. આ શખ્સના ફોન કરવાથી પરેશાની વધતા અંતે જામ કંડોરણા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.ફરિયાદના આધારે પોલીસે અલ્પેશભાઇના ફોનના ડિટેઇલ બિલ કઢાવ્યા હતા. નંબરની તપાસ કરતા નંબર ભાયાવદરના કેતન હરસુખ તન્નાનો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. જામ કંડોરણા પોલીસે આ કેતન તન્નાની ભાયાવદરથી પકડી જામ કંડોરણા લાવી આકરી પૂછપરછ કરતા તેને ફોનમાં બીભત્સ માગણીઓ કરતો હોવાનું કબૂલ્યું હતું.
પ્રજાપતિ પરિવાર પર વજ્રઘાત, એક સાથે પાંચના મોત
જસદણના ભાડલા ગામે રહેતા અને પુત્રી માટે રાજકોટમાં મુરતિયો જોઇને પરત ફરી રહેલા પ્રજાપતિ ભગાભાઇ ગોવિંદભાઇ સરેરીયા અને તેના પરિવારના છ સભ્યો સહિત આઠ વ્યક્તિ ભારે વરસાદના કારણે ભીડભંજન રોડ પર બેઠા પૂલમાં ભરાયેલા પાણીના પ્રચંડ પ્રવાહમાંથી એકબીજાના હાથ પકડીને પસાર થવાના પ્રયાસમાં તણાઇ ગયા હતા.બે વ્યક્તિને ત્યારે જ બચાવી લેવાયા હતા. જ્યારે લાપત્તા અન્ય છ વ્યક્તિને શોધવા રેસ્કયુ ઓપરેશન શરૂ કરાતા આજે સવારે પાંચ હતભાગીના મૃતદેહ મળી આવતા પ્રજાપતિ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. એક વ્યકિત હજી લાપત્તા છે.ભાડલાના ભગાભાઇ રાજકોટથી યુટીલીટી જીપમાં પરિવાર સાથે પરત ગામ જઇ રહક્ષ્યા હતા. ધોધમાર વરસાદના કારણે પૂલ ઉપર ભરાયેલા પાણી જોઇને જીપના ચાલકે આગળ વધવામાં જોખમ છે તેમ કહેતા આઠેય વ્યક્તિ જીપમાંથી ઉતરીને એકબીજાના હાથ પકડી પાણીના પ્રંચડ પ્રવાહમાંથી નિકળવા આગળ વધ્યા હતા. કમનસીબે તમામ સભ્યો પ્રવાહમાં તણાવા લાગતા મદદ માટે બૂમાબૂમ કરી હતી. ગ્રામજનો અને મામલતદાર સહિતના આગેવાનો પહોંચી જતા ભગાભાઇ અને હિતેષ પ્રકાશભાઇ કાકડિયાને બચાવી લેવામાં સફળતા મળી હતી. પરંતુ, અન્ય છ વ્યક્તિ ધસમસતા વ્હેણમાં તણાઇ જતાં રાજકોટ ફાયર બ્રિગેડની રેસ્કયુ ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.દરમિયાન આજે સવારથી શરૂ કરેલા રેસ્કયુ ઓપરેશનમાં લાપત્તા વ્યક્તિઓ પૈકી શારદાબેન ભગાભાઇ, બાબુભાઇ ગોવિંદભાઇ, મંજુલાબેન બાબુભાઇ, બટુકભાઇ ગોવિંદભાઇ અને ગીતાબેન બટુકભાઇના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે લાલજીભાઇ રમેશભાઇ પટેલ હજી લાપત્તા છે. એક જ પરિવારના પાંચ સભ્યોના મૃત્યુથી પ્રજાપતિ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. બનાવના પગલે ભાડલા ગામમાં ઘેરા શોકની કાલીમા છવાઇ ગઇ છે.
સ્વાઇન ફ્લૂથી વધુ બે મહિલાનાં મોત
જામનગર જિલ્લામાં સ્વાઇન ફ્લૂએ માથું ઊંચકર્યું છે અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. જામનગરના સપડા ગામની સગભૉનું સ્વાઇન ફ્લૂથી મોત નપિજતાં અરેરાટી મચી ગઇ હતી. તેમજ અમરેલીમાં ચાંચ બંદરની યુવતીનું સ્વાઇન ફલૂથી મોત નિપજ્યું હતું. તથા રાજકોટ હોસ્પિટલમાં ૩૦ દર્દીઓ દાખલ છે તે પૈકી છની હાલત ગંભીર છે.જામનગર તાલુકાના સપડા ગામના અમીબેન હીરાભાઇ (ઉ.વ.૨૫)ને સ્વાઇન ફ્લૂની આશંકાએ જામનગરની જીજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ રવિવારે તેમનું મોત નિપજ્યું હતું. અમીબેન સગભૉ હોય તેમના મોતથી અરેરાટી મચી ગઇ હતી. મહિલાના મૃત્યુ સાથે જામનગર સ્વાઇન ફ્લૂ વોર્ડનો મૃત્યુઆંક ૨૪ થયો હતો.રાજકોટ મેડિકલ કોલેજ લેબોરેટરી ખાતે આજે વધુ ૨૬ સેમ્પલનું પ્રુથ્થકરણ થયું હતું. જેમાંથી ૧૨નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સ્વાઇન ફ્લૂ વોર્ડમાં ૩૦ દર્દીઓ દાખલ છે જેમાંથી ૨૪નો રિપોર્ટ પોઝિટિવ છે અને પોઝિટિવ પૈકીના ૬ દર્દીઓની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
ઉપલેટામાં સૂપડાધારે આઠ ઇંચ વરસાદ : જનજીવન ઠપ્પ
સમગ્ર સૌરાષ્ટ્રમાં ચોમાસાનું નવું અને ઝંઝાવાતી રાઉન્ડ શરૂ થયું છે. ત્યારે ઉપલેટામાં રવિવારે આઠ ઇંચ જેવો ભારે વરસાદ પડતાં સમગ્ર શહેર જળબંબાકાર થઇ ગયું હતું. બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થયેલો વરસાદ રાત્રે પણ ચાલું રહ્યો હતો અને વરસાદનું જોર જોતાં હજુ તેનો આંક વધે તેવી સંભાવના દર્શાતી હતી.ઉપલેટામાં બપોરે ૩:૩૦ વાગ્યે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. પ્રારંભે જોરદાર ઝાપટું વરસ્યા બાદ મેઘસવારી થંભી ગઇ હતી. પરંતુ ત્યારબાદ કાળા ડિબાંગ વાદળોથી છવાયેલું આકાશ જાણેકે નીચોવાતું હોય તેમ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અતિ ભારે વરસાદના કારણે શહેરના રાજમાર્ગો પર નદીઓ દોડવા લાગી હતી. ઝીરાપા પ્લોટ, યાદવ ચોક, અશ્વિન ચોક, મુરખડાનો માર્ગ વગેરે વિસ્તારોમાં તો ગોઠણડૂબ પાણી ભરાયા હતા. શહેરના અન્ય વિસ્તારોમાં પણ જળબંબાકાર થઇ ગયું હતું.ભારે વરસાદના કારણે લોકોએ ઘરમાં જ રહેવાનું પસંદ કરતાં શહેરમાં મેઘરાજાનો કફ્યું લાગ્યો હોય તેવી સ્થિતિ સર્જાણી હતી. રવિવારે સામાન્ય રીતે સહેલાણીઓથી ઉભરાતા હરવા ફરવાના સ્થળો પર કાગડા ઉડતા હતા. ઉપલેટા પાસેથી પસાર થતી મોજ નદીમાં પણ નવા નીર સાથે પૂર આવ્યું હતું.ઉપલેટાની સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ મુશળધાર વરસાદ વરસતાં સમગ્ર પંથક બેટમાં ફેરવાઇ ગયો હતો. તાલુકાના પાટણવાવ, સમિઢયાળા, વરજાંગણિયા, નાગવદર, ઇસરા, ગણોદ વગેરે ગામોમાં પણ ત્રણથી છ ઇંચ સુધીના વરસાદના વાવડ છે.સરકારી ચોપડે ઉપલેટામાં સત્તાવાર રીતે આઠ ઇંચ વરસાદ નોંધાયા બાદ પણ રાત્રે મેઘસવારી ચાલુ રહેતા તે આંક હજુ પણ વધે તેવી સંભાવના છે.
રાજકોટમાં વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ
રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી સાંજ પડે ને તે સાથેજ મેઘરાજાનું આગમન થાય છે. મેઘરાજા જાણે કે ઘડિયાળના ટકોરે ચાલતા હોય તેમ રવિવારે સાંજે પણ પાંચ વાગ્યે વરસાદ શરૂ થયો હતો અને રાત્રે ૧૦-૩૦ વાગ્યા સુધીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો હતો. એકરસ થયેલા આકાશમાંથી અવિરત વરસેલા વરસાદને કારણે ફરી એક વખત શહેર જળબંબાકાર થઇ ગયું હતું. ભારે વરસાદના કારણે લોકો ઘરમાં પૂરાઇ રહ્યા હતા અને રવિવારની રંગત પર પાણી ફરી વળ્યું હતું.શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલતો સિલસિલો રવિવારે પણ યથાવત રહ્યો હતો. બપોરે ચાર વાગ્યા પછી આકાશ ઘેરાવા લાગ્યું હતું ઘટાટોપ વાદળો ગગન ગોખે ગોઠવાઇ ગયા હતા અને પાંચ વાગ્યે વરસાદ શરૂ થઇ ગયો હતો.ધીમી ધારે શરૂ થયેલા વરસાદે ધીમે ધીમે ગતી પકડી હતી. વાદળોમાંથી ગડગડાટી અને વીજળીના ચમકારા વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. રાત્રે ૧૦-૩૦ સુધી એકધારો વરસાદ પડ્યો હતો અને શહેરની ધરા ઉપર વધુ સાડા ત્રણ ઇંચ પાણી ઠલવાઇ ગયું હતું.આજના વરસાદને કારણે પોપટપરા નાળામાં પાણી ભરાતા લોકોને રૂખડિયા કોલોની થઇ ફરી ફરી ઘેર પહોંચવું પડ્યું હતું તો લક્ષ્મીનગરના નાળાની પણ એજ સ્થિતિ હતી. આ ઉપરાંત મારુતિનગર એરપોર્ટ રોડમાં ઘરમાં પણી ઘૂસ્યા તો દોઢસો ફૂટ રિંગ રોડ, રૈયા ચોકડી રણછોડવાડી, રણછોડનગર શેરીનં. ૪, કુવાડવા રોડ, રામનાથપરા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.મહાત્મા ગાંધી વિદ્યાલય, બહુમાળી ભવન, ત્રિકોણબાગ, જાગનાથ પ્લોટ મહાકાળી મંદિર, હેમુ ગઢવી હોલ સામેનો માર્ગ સહિત શહેરના વિવિધ રાજમાર્ગો પર પાણી ભરાઇ જતાં અનેક વાહન ચાલકોના વાહનો બંધ પડી ગયા હતા. વળી રવિવાર હોવાના કારણે ગેરેજો પણ બંધ હોય વાહન ખેંચી ઘર સુધી લઇ જવા પડ્યા હતા.
જન્માષ્ટમીની ઉજવણી રાજકોટમાં કરવાનો મેઘરાજાનો મિજાજ
જન્માષ્ટમીના તહેવારો સાવ નજીક આવી ગયા છે ત્યારે જ વરસાદનો એક નવું ધૂંવાધાર રાઉન્ડ શરૂ થતાં તહેવારોની ઉજવણી તથા રાજકોટના લોકમેળાની તૈયારી પર તેની વપિરીત અસર પડી છે.રાજકોટમાં જન્માષ્ટમીની દર વર્ષે અનોખી અને ઉમંગભરી ઉજવણી થાય છે. રાજકોટનો લોકમેળો આખા ભારતમાં વિખ્યાત છે. મુંબઇમાં ગણપતિ મહોત્સવનું જેટવું મહત્વ હોય છે એટલું જ મહત્વ રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારોનું છે.દર વર્ષે આ તહેવાર ઉપર શહેરના મહત્વના તમામ ચોકમાં ફલોટ્સ મૂકવામાં આવે છે. રોશનીના શણગાર થાય છે. રાંધણ છઠથી ચાર દિવસ સુધી રાજકોટ કૃષ્ણમય અને તહેવારમય બની જાય છે. અત્યારે આ બધા આયોજનોની તડામાર તૈયારી ચાલી રહી છે. પણ છેલ્લા ત્રણ દિવસથી પડતાં વરસાદને કારણે તૈયારીમાં વિધ્ન સર્જાયું છે.લોકમેળો જ્યાં યોજાવાનો છે એ રેસકોર્સ મેદાનમાં વરસાદને કારણે પાણી ભરાયા છે. કાદવ-કીચડનું સામ્રાજ્ય છે. તંત્ર દ્વારા મેદાનને સમું-નમું કરવાના પ્રયત્નો થાય છે પણ કુદરતની પ્રચંડ શક્તિ કાળા માથાંના માનવીના પ્રયાસો ઉપર પાણી ફેરવી દે છે. મેળાના સ્ટોલધારકો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. બે દિવસ પછી મેળો શરૂ થવાનો છે પણ હજુ સુધી અડધું કામ પણ પૂરું નથી થયું. ઈલેક્ટ્રિફિકેશન તથા સ્ટોલમાં રમકડાં કે અન્ય સામગ્રીઓ ભરવાની કામગીરી સતત વરસતા વરસાદના કારણે થઇ શકતી નથી.સાંજના સમયે જ વરસતા વરસાદને કારણે વેપારીઓને પણ મોટો ફટકો પડી રહ્યો છે. ખરીદીના સાચા સમયે, એટલે કે સાંજે જ દરરોજ વરસાદ વરસતાં બજારો સૂમસામ થઇ જાય છે. એકંદરે વરસાદને કારણે તૈયારીઓ ખોરંભે પડી છે. ઉપરથી હવામાન ખાતાએ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરતાં વેપારીઓ તથા સ્ટોલધારકોનો જીવ તાળવે બંધાયો છે.
જસદણ : સગપણ માટે નીકળેલો પરિવાર પાણીમાં ગરક
જસદણ તાલુકાના ભાડલા ગામે રહેતો પ્રજાપતિ પરિવાર પોતાની પુત્રી માટે રાજકોટ મુરતિયો જોઇ પરત ફરી રહ્યા હતા. ત્યારે ભાડલા રાજાવડલા વચ્ચે ભીડભંજન મહાદેવ પાસેના બેઠા પુલ પર યુટિલિટી ફસાઇ જતાં હાથાજોડી કરી નીકળવાના પ્રયાસમાં પાંચ ગ્રામજનો પ્રવાહમાં તણાઇ ગયા હતા. જ્યારે બે બચી ગયા હતા.ભાડલા ખાતે રહેતા ભગાભાઇ ગોવિંદભાઇ સરેરિયાની પુત્રી માટે મુરતિયો જોવા રાજકોટ જવાનું હોય આજે સવારે રાજાવડલા ગામની યુટિલિટી ભાડે કરી આજે સવારે ભગાભાઇ સહપરિવાર રાજકોટ આવ્યા હતા સાથે ગોકળભાઇ નરશીભાઇના પુત્રને પણ લીધો હતો. રાજકોટમાં લોકલ ફંડમાં ઓડિટર તરીકે નોકરી કરતાં નગવાડિયાભાઇના પુત્રને જોઇ સાંજે પ વાગ્યે આ તમામ રાજકોટથી ભાડલા જવા રવાના થયા હતા.રાજકોટથી યુટિલિટીમાં નીકળેલો પ્રજાપતિ પરિવાર જ્યારે ભંડારિયા પાસે પહોંચ્યો ત્યારે ભારે વરસાદના કારણે પાણી ભરાયા હોય આગળ વધી શકાય તેમ ન હોય યુટિલિટી પાછી વાળી રાજાવડલાનો માર્ગ પકડ્યોહતો. રાજાવડલા અને ભાડલાને જોડતો એક બેઠો પુલ છે. જેનો કેટલોક ભાગ ભારે વરસાદમાં તૂટી ગયો હતો. જેની આ કોઇને ખબર નહતી. બેઠા પુલ પરથી ડ્રાઇવરે યુટિલિટી આગળ વધારી પણ આગળ જતાં તે પાણીના ભારે પ્રવાહમાં ખાંગી થઇ ગઇ હતી.પાણીના ધસમસતો પ્રવાહ તેમજ યુટીલીટી ખાંગી થઇ જતાં ડ્રાઇવરે આગળ વધવા ના પાડી હતી. ડ્રાઇવરે ના પાડ્યા બાદ બધા નીચે ઉતર્યા હતા અને નીકળી જવાશે એમ માની એક-બીજાના હાથ પકડી આગળ વધવા નિર્ણય કર્યો હતો. ભગાભાઇ ગોવિંદભાઇ સરેરિયા તથા તેમનો પુત્ર સંદપિ એક બીજાનો હાથ પકડી પાણીમાં આગળ વધ્યા હતા.
પુત્રીની હત્યા કર્યા બાદ પિતા રામનાથ મંદિરે દર્શને ગયો’તો
પુત્રીના પ્રેમ પ્રકરણની જાણ થતાં કોળી તરુણીને તેના જ પિતાએ મોતને ઘાટ ઉતારી દીધાના ચકચારી બનાવમાં પુત્રીની હત્યા કર્યા બાદ તેનો પિતા રામનાથ મંદિરે દર્શન કરવા ગયો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કર્યા બાદ જેલહવાલે કર્યો હતો તેમજ મૃતક તરુણીના પ્રેમીનું પણ પોલીસે નિવેદન નોંધ્યું હતું.ચુનારાવાડમાં રહેતી કિરણ રઘુ કોળી (ઉ.વ. ૧૫) ને એ જ વિસ્તારના નિર્મળ કોળી સાથે પ્રેમસંબંધ હતો. પુત્રીના પ્રેમપ્રકરણની જાણ થતાં ઉશ્કેરાયેલા તરુણીના પિતા રઘુ કોળીએ શુક્રવારે રાત્રિના પોતાના જ ઘરે પુત્રીને લાકડીના ઘા ફટકારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. શનિવારે બપોરે હત્યાનો બનાવ પ્રકાશમાં આવતા પોલીસે આરોપી રઘુની ધરપકડ કરી હતી.રઘુએ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે, કિરણની રાત્રે હત્યા કર્યા બાદ બાજુના રૂમમાં આખીરાત સૂતો રહ્યો હતો અને શનિવારે વહેલી સવારે રામનાથ મંદિરે દર્શન કરવા ગયો હતો. બાદમાં, પોલીસે હત્યાના ગુનામાં તેની ધરપકડ કરી હતી. પોલીસે રઘુની પૂછપરછ કરી હત્યામાં ઉપયોગમાં લેવાયેલી લાકડી કબજે કરી હતી અને અંતે આરોપીને જેલહવાલે કર્યો હતો.બીજી બાજુ કિરણની હત્યા થયાની જાણ થતાં તેના પ્રેમી નિર્મળ કોળીએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે કોળી યુવાનનું નિવેદન નોંધ્યું હતું. નિર્મળે કહ્યું હતું કે, કિરણ સાથે તેને પ્રેમસંબંધ હતો. પરંતુ, રઘુને તે પસંદ ન હતું અને તેણે આ અંગે કિરણને અગાઉ મારી નાખવાની ધમકી પણ આપી હતી.
રમકડાંના-૧૩, યાંત્રિકના ૫ અને આઇસક્રીમના ૬ સ્ટોલ ખાલી
લોકમેળામાં સ્ટોલ મેળવવા માટે એક સમયે પડાપડી થતી હતી. સ્ટોલના ઓન બોલાતા અને કાળાબજારમાં સ્ટોલ વેંચાતા પણ ખરા, જ્યારે આજે સ્થિતિ એવી છે કે, લોકમેળાના ઉદ્દઘાટન આડે માત્ર ૪૮ કલાક બાકી રહ્યા હોવા છતાં યાંત્રિકના-૫ સ્ટોલ, આઇસક્રીમના ૬ જ્યારે સહકારી, સામાજિક સંસ્થાઓ માટે હેન્ડલુમ પ્રદર્શન માટે દોઢ ડઝનથી વધુ સ્ટોલની ફાળવણી કરવામાં આવી હતી પણ કોઇએ રસ ન દાખવાતા આખરે આ જગ્યામાં રમકડાના નવા ૨૬ પ્લોટ પાડી દેવાયા હતા.આ ૨૬ માંથી પણ રવિવારની સાંજ સુધીમાં ૧૩ પ્લોટ વેંચાયા છે તો ૧૩ પ્લોટ બાકી રહ્યા છે. તેનું કોઇ લેવાલ નથી, જ્યારે શહેર પર રોજરોજ મેહુલો મંડાતો હોય હરાજીમાં સ્ટોલની ઊંચા ભાવે ખરીદી કરનાર વેપારીઓના જીવ પડિકે બંધાયા છે. દરમિયાન આજે સાંજે ૫ વાગ્યે માત્ર પંદર મિનિટ વરસાદનું જોરદાર ઝાપટું તૂટી પડતા મેદાનમાં પાણી-પાણી થઇ ગયું હતું. તો બહુમાળી ભવન સામે રાજમાર્ગ પર પાણી ભરાઇ ગયા હતા.આ અંગે સિટી મામલતદાર એસ.જે. ખાચરનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ૧૫મી ઓગસ્ટના કાર્યક્રમને અનુલક્ષી મેદનમાં કપચી નાખવામાં આવી છે. માત્ર એરપોર્ટ તરફના ગેટ બાજુ પાણી ભરાયા છે. પણ ત્યાં મોટર મૂકી પાણી ખેંચી રોડની સામેની બાજુ આવેલા વોકળામાં પાણી વહેતું કરી દેવાશે અને કપચી પણ પાથરી દેવાશે. આ અંગે અધિકારી પાઠક, તાલુકા મામલતદાર ગણાત્રા તેમજ પી. ડબલ્યૂ ડી.ના સ્ટાફ દ્વારા કામગીરી ચાલુ જ છે. તેમજ સોમવાર સાંજ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી દેવાશે.
ખંભાત-બોરસદમાં મેઘો ઓળઘોળ
આણંદ જિલ્લામાં રવિવારે મેઘરાજાની મહેરથી લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. એમાંય ખંભાત અને બોરસદ તાલુકામાં મેઘરાજા ઓળઘોળ થઈને વરસ્યા હતા. જ્યારે આણંદ શહેરમાં બપોરના સુમારે વાદળછાયાં વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ થયો હતો.જિલ્લામાં રવિવારે સવારના ૮થી સાંજના ૪ કલાક સુધીમાં ૧૮૨ મીમી વરસાદ નોંધાયો હતો. સાર્વત્રિક વરસાદથી ઉકળાટભર્યા વાતાવરણમાં થોડા અંશે પ્રસરેલી ઠંડકથી લોકોએ રાહત અનુભવી હતી.ચરોતરમાં છેલ્લા બે દિવસથી આકાશમાં ઘેરાયેલા વાદળોથી વરસાદી માહોલ બન્યો હતો. રાત્રિના ૮ કલાક બાદ ઝરમર વરસાદ થઈને બંધ થઈ જતો હતો. જેથી ભેજનું પ્રમાણ વધુ હોવાથી વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને બફારો અનુભવાતાં લોકો હેરાનપરેશાન થઈ ગયા હતા.શનિવારે રાત્રિના ઝરમર વરસાદ સાથે વીજળીના ચમકારા થઈ રહ્યા હતા. પરંતુ વરસાદ વરસ્યો ન હતો. પરંતુ રવિવારે સવારથી જ મેઘરાજાની સવારી આવી ચૂકી હતી. ખંભાત અને બોરસદ પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.સવારના ૮ થી બપોરના ૨.૩૦ કલાક સુધીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં જનજીવન ઠપ થઈ ગયું હતું. ત્યારબાદ બપોરના ત્રણ કલાકે પુન: વરસાદ શરૂ થતાં ગામડાઓમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. મોટા કલોદરાથી તારાપુર જવાના માર્ગ પર વૈણજ-ખંભાત માર્ગ પર વૃક્ષો ધરાશાયી થયા હતા.જલસણ, નવાગામ બારા, જહાંગીરપુરા, દેવપરા જેવા ગામડામાં કેડસમા પાણી ભરાઈ ગયા હતા. બોરસદમાં પણ બે ઇંચ વરસાદ ખાબકતાં ઠેર-ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે એક સપ્તાહના વિરામ બાદ થયેલા વરસાદથી ખેડૂતો પણ ઘેલમાં આવી ગયા હતા. ખેતરોમાં ચારેય તરફ લીલોતરી છવાઈ જવા પામી છે. જ્યારે આણંદ શહેરમાં સવારના ઉઘાડ નીકળ્યા બાદ બપોરે ઝરમર વરસાદ વરસ્યો હતો.
ગુજરાતી બિલ્ડરના ઘર સામે ખંડણીખોરોનો ગોળીબાર
ગુજરાતી બિલ્ડરના નિવાસસ્થાન બહાર ખંડણીખોરો ગોળીબાર કરીને નાસી ગયા હતા. શનિવારે રાત્રે બનેલી આ ઘટનામાં જોકે કોઈને ઈજા થઈ નહોતી. સાંતાક્રુઝ પશ્ચિમમાં લાજપતરાય રોડ પર આશા કિરણ બિલ્ડિંગમાં બિલ્ડર શેઠ પ્રવીણ દોશી રહે છે. શનિવારે રાત્રે ૮.૩૫ વાગ્યાના સુમારે બે અજ્ઞાત શખ્સ અહીં આવ્યા હતા.મકાનના વોચમેન પ્રદીપ દિનેશ ચૌધરી (ઉ.વ.૨૪) પાસે બે જણ આવ્યા હતા. તેમણે પ્રવીણ શેઠ હૈ ક્યા એવું પૂછ્યું હતું. વોચમેને ઈનકાર કરતાં તેમણે એક ચિઢ્ઢી આપી હતી. યે ચિઢ્ઢીમેં રવિ પૂજારી કા ફોન નંબર હૈ. શેઠ કો બોલના, યહ નંબર પર ફોન કરે એવું તેમણે કહ્યું હતું.વોચમેન પ્રદીપ ચૌધરી કશું બોલે તે પૂર્વે બે આરોપીઓમાંના એક આરોપીએ રિવોલ્વર કાઢીને બે ગોળી ગેટની દિશામાં છોડી હતી. બાદમાં ત્યાંથી નાસી ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યું હતું.પૂજારી ટોળકી આજકાલ માથું ઊંચકી રહી છે. તેના જ ગુંડાઓએ ખંડણી માટે ધાકધમકી આપ્યો ગોળીબાર કર્યાનો અંદાજ છે. પ્રવીણ દોશીને અગાઉ પણ ધમકી મળતી હતી, પરંતુ શનિવારે છેક તેમના ઘર સુધી ગુંડાઓ પહોંચી જતાં અમે આ કેસને ગંભીરતાથી લીધો છે અને ખંડણીખોરોને પકડવા માટે પ્રયાસ શરૂ કરી દીધા છે, એમ તેમણે જણાવ્યું હતું.
ગણપતિ બાપ્પા ચાલ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો
આગમનથી વાતાવરણ મંગલમય કરનારા અને વિસર્જન સમયે તીવ્ર ગમગીન વાતાવરણ સર્જનારા ગણપતિ બાપ્પા હવે મહારાષ્ટ્રની સીમા ઓળંગી છેક અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં પહોંચવાનો છે. ઢોલ- નગારાની રમઝટ, મોદકની રેલમછેલ અને ગુલાબની ઉછામણીથી વાતાવરણ ભરી દેનારો આ ઉત્સવ અમેરિકાના ગણેશ ભક્તો વચ્ચે આ વરસે સૌપ્રથમ વાર શ્રી ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધીના દસ દિવસો સુધી બાપ્પાનો મુકામ અમેરિકામાં રહેવાનો છે.કામકાજ અને રોજગારી નિમિત્તે અનેક ભારતીયો કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં સ્થાયી થયા છે. છેલ્લા ત્રણ દાયકાથી આ મિત્ર મંડળી એકત્રિત થઈ ગણેશોત્સવની ઉજવણી કરી રહી છે. અહીં ફ્રેમોંટ વિસ્તારમાં ગણેશનું કાયમી રૂપે મંદિર હોવું જોઈએ, જે માટે અહીંના ગણેશ ભક્તોએ ઉત્સાહપૂર્વક તૈયારી કરી હોઈ હવે આ મંડળી દસ દિવસનો ગણેશોત્સવ ઊજવવા કટિબદ્ધ થઈ છે.અમેરિકી સરકાર પાસેથી આ ઉત્સવ ઊજવવા માટેની જરૂરી એવી પરવાનગી પણ આ મંડળીએ મેળવી છે. ભારતના લોકપ્રિય અને નામાંકિત મૂર્તિકાર દ્વારા આ ગણેશની મૂર્તિ ઘડવા માટે ત્યાંના ફ્રેમોંટ હિન્દુ મંદિરના પદાધિકારી સંદીપ દેઉળકરે સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટનો સંપર્ક કર્યો છે.
'બેસ્ટ અને એર ઈન્ડિયાનું ખાનગીકરણ નહીં થવા દઉં'
‘બસ સેવા અને સ્થાનિક જાહેર પરિવહન સેવા આપતા બેસ્ટ ઉપક્રમ તેમ જ વિમાન સેવા આપતી કંપની એર ઈન્ડિયાના ખાનગીકરણની પેરવીઓ ચાલતી હશે તોએ હિલચાલોને સફળ થવા નહીં દેવાય.’ એવી ચીમકી મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ શનિવારે આપી હતી.પ્રભાદેવીના રવીન્દ્ર નાટ્ય મંદિર ખાતે મહારાષ્ટ્ર નવિનર્માણ સેનાના નેજા હેઠળ ‘બેસ્ટ કામગાર સેના’ નામના કર્મચારી સંગઠનની સ્થાપનાની જાહેરાત રાજ ઠાકરેએ કરી હતી. આ ટ્રેડ યુનિયનનું પ્રમુખપદ અવિનાશ અભ્યંકરને સોંપાયું છે.‘દાદાગીરી કરતા રિક્ષા-ટેક્સી ચાલકો વિરુદ્ધ મેં આંદોલન કર્યું ત્યાર પછી મને નોટિસ મોકલાઈ તેમાં હું ઉશ્કેરણીજનક ભાષણો કરતો હોવાનું સરકારનું કહેવું છે. સરકાર જે કહેવું હોય તે કહે પણ હું મહારાષ્ટ્રના હિતમાં હોય એ કરીશ. સરકારે જે પગલાં લેવાં હોય તે લીધાં કરે,’ એમ રાજ ઠાકરેએ કહ્યું હતું.તેમણે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે તરફ કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે ‘મનસે કંઈક કરે ત્યાર પછી અન્ય પક્ષો ‘અમે એવું અગાઉ કર્યું’ એવા દાવા કરે છે. આવતીકાલે તેઓ સાદામ હુસેનને ફાંસી પણ અમારે લીધે જ અપાઈ’ એવો દાવો કરશે. મનસેના અન્ય કર્મચારી સંગઠન મ્યુનિસપિલ કર્મચારી કામગાર સેનાના પ્રમુખ પદે દિલીપ નાઈકની નિમણુંક કરાઈ હતી. આ કાર્યક્રમમાં પ્રવીણ દરેકર, બાળા નાંદગાંવકર, મંગેશ સાંગતે, મનોજ ચવ્હાણ હાજર હતા.
વિસનગર જિલ્લામાં શ્રાવણિયો જુગાર બેફામ
વિસનગર શહેરની અનુરાધા સોસાયટીમાંથી પાંચ અને બાસણા ગામેથી પાંચ પકડાયા: કડી તાલુકાના નગરાસણમાંથી પણ ૧૬ ઝડપાયા: ૩૫ હજારનો મુદ્દામાલ જપ્ત. જન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યાં શ્રાવણિયો જુગાર બેફામ બનતો જાય છે શનિવારે કડીમાં વિજિલન્સના દરોડા છતાં રવિવારે જુગારધામો ધમધમ્યા હતા.વિસનગરની અનુંરાધા સોસાયટી અને બાસણમાં પણ પોલીસે દરોડા પાડી ૧૦ને ઝઢપી લીધા હતા જ્યારે કડીના નગરાસણમાં પણ પોલીસે કાર્યવાહી કરી ૧૬ જુગારી ઝડપી લીધા હતા.વિસનગર: શહેરની અનુરાધા સોસાયટીમાં આવેલ એક મકાનમાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમી વિસનગર પોલીસને મળી હતી. આ બાતમીને આધારે પી.એસ.આઇ. એમ.એમ.સિંધી, એ.એસ.આઇ. હરગોવનભાઇ, મુલચંદભાઇ, નારણસિંહ સહિત સ્ટાફને સાથે રાખી રેડ કરી હતી.જ્યાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સો રંગેહાથ ઝડપાઇ આવ્યા હતા. પોલીસે તેમની તલાશી લેતાં તેમનું નામ નાયક વિનોદભાઇ કેશવલાલ, પટેલ મહેશકુમાર હીરાભાઇ, સોનપુરા મિતેષકુમાર જગદીશભાઇ , મોચી કલ્પેશભાઇ વાડીલાલ અને પટેલ સચીનકુમાર મગનલાલ હોવાનું જણાવ્યું હતું.
ઊંઝા પાલિકા પ્રાંગણમાં જુગાર રમતા સાત ઝડપાયા
ઊંઝા નગરપાલિકાના આસપાસ જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધયું હતુ.જેમાં પાલિકાના પ્રાંગણની અંદર જ જુગારધામ ચાલતુ હોવાનું જણાતા પોલીસે દરોડો કરીને પાલિકાના એક નગરસેવક સહિત સાત શખ્સોને રૂ.૭૩૫૫૦ના મુ્દામાલ સાથે ઝડપી લીધા હતા.આ અંગે ઊંઝા નગર પાલિકાના ચીફ ઓફિસર નરેશભાઇ પટેલે જણાવ્યુ કે, પાલિકાની અંદર ગેરકાયદે કૃત્ય કરવાના આ બનાવમાં તપાસ કર્યા બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકરણમાં પાલિકાના કર્મચારીઓની સંભવિત સંડોવણીને ધ્યાને લેતા એ દિશામાં પણ કડક પગલા ભરવામાં આવશે.
બહુચરાજી તરબોળ:કલાકમાં બે ઇંચ
જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોના વિરામ બાદ રવિવાર સાંજે મહેસાણા, બહુચરાજી, વિસનગર, વડનગર, ખેરાલુ, વિજાપુર સહિતના સ્થળોએ ભારે પવન સાથે ઝંઝાવાતી વરસાદ થયો હતો. બહુચરાજીના માર્કેટયાર્ડ, હરગોવનપુરા સહિતના વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાઇ જતાં રહીશો અટવાયા હતા.બહુચરાજીમાં કલાકમાં બે ઇંચ, મહેસાણામાં પોણો ઇંચ તથા વિસનગરમાં અડધો ઇંચ જેટલો વરસાદ થયો હતો. જ્યારે બપોરની આકરી ગરમી બાદ સમી સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવતાં થયેલા વરસાદથી લોકોને ગરમીથી રાહતનો અનુભવ થયો હતો.મહેસાણા સહિત જિલ્લામાં છેલ્લા સપ્તાહના વિરામ બાદ શનિવારે વરસાદ થયો હતો. મહેસાણામાં શનિવારે બપોર બાદ પોણા ઇંચ જેટલો વરસાદ થયો હતો. જોકે રવિવારે સવારથી બપોર સુધી આકાશ ચોખ્ખુ દેખાતું હતું અને આકરી ગરમી પડી હતી. પરંતુ સમી સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે ઝંઝાવાતી વરસાદ તૂટી પડ્યો હતો. સાંજે ૬ વાગ્યાના અરસામાં વરસાદ તૂટી પડતાં વાહન ચાલકો અટવાયા હતા.
ફોન પર બીભત્સ માગ કરનાર રોમિયો ઝડપાયો
જામ-કંડોરણાના સનાળા ગામે પટેલ પરિવારને ત્યાં અવાર નવાર ફોન કરીને, મહિલાઓને પજવતો અને બીભત્સ વાતો કરતો અને બીભત્સ માગણીઓ કરનાર ભાયાવદરના રોમિયોને પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગેની મળતી વિગતો પ્રમાણે જામ કંડોરણા તાલુકાના સનાળા ગામે રહેતા અલ્પેશભાઇ હંસરાજભાઇ પોસિયાને ઘરે ટેલિફોન ઉપર કોઇ શખ્સ વારંવાર ફોન કરતો હતો.આ શખ્સ ફોન કરી અલ્પેશભાઇના પત્ની રિનાબેન સાથે બીભત્સ વાતો કરતો અને બીભત્સ માગણીઓ કરતો હતો. આ શખ્સ વારંવાર આવી રીતે ફોન કરીને તેમને પરેશાન કરતો હતો. જોકે, અલ્પેશભાઇ જ્યારે જ્યારે ફોન રિસીવ કરતા ત્યારે આ શખ્સ ફોન કટ કરી નાખતો હતો. આ શખ્સના ફોન કરવાથી પરેશાની વધતા અંતે જામ કંડોરણા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.ફરિયાદના આધારે પોલીસે અલ્પેશભાઇના ફોનના ડિટેઇલ બિલ કઢાવ્યા હતા. નંબરની તપાસ કરતા નંબર ભાયાવદરના કેતન હરસુખ તન્નાનો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. જામ કંડોરણા પોલીસે આ કેતન તન્નાની ભાયાવદરથી પકડી જામ કંડોરણા લાવી આકરી પૂછપરછ કરતા તેને ફોનમાં બીભત્સ માગણીઓ કરતો હોવાનું કબૂલ્યું હતું.
પ્રજાપતિ પરિવાર પર વજ્રઘાત, એક સાથે પાંચના મોત
જસદણના ભાડલા ગામે રહેતા અને પુત્રી માટે રાજકોટમાં મુરતિયો જોઇને પરત ફરી રહેલા પ્રજાપતિ ભગાભાઇ ગોવિંદભાઇ સરેરીયા અને તેના પરિવારના છ સભ્યો સહિત આઠ વ્યક્તિ ભારે વરસાદના કારણે ભીડભંજન રોડ પર બેઠા પૂલમાં ભરાયેલા પાણીના પ્રચંડ પ્રવાહમાંથી એકબીજાના હાથ પકડીને પસાર થવાના પ્રયાસમાં તણાઇ ગયા હતા.બે વ્યક્તિને ત્યારે જ બચાવી લેવાયા હતા. જ્યારે લાપત્તા અન્ય છ વ્યક્તિને શોધવા રેસ્કયુ ઓપરેશન શરૂ કરાતા આજે સવારે પાંચ હતભાગીના મૃતદેહ મળી આવતા પ્રજાપતિ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. એક વ્યકિત હજી લાપત્તા છે.ભાડલાના ભગાભાઇ રાજકોટથી યુટીલીટી જીપમાં પરિવાર સાથે પરત ગામ જઇ રહક્ષ્યા હતા. ધોધમાર વરસાદના કારણે પૂલ ઉપર ભરાયેલા પાણી જોઇને જીપના ચાલકે આગળ વધવામાં જોખમ છે તેમ કહેતા આઠેય વ્યક્તિ જીપમાંથી ઉતરીને એકબીજાના હાથ પકડી પાણીના પ્રંચડ પ્રવાહમાંથી નિકળવા આગળ વધ્યા હતા. કમનસીબે તમામ સભ્યો પ્રવાહમાં તણાવા લાગતા મદદ માટે બૂમાબૂમ કરી હતી. ગ્રામજનો અને મામલતદાર સહિતના આગેવાનો પહોંચી જતા ભગાભાઇ અને હિતેષ પ્રકાશભાઇ કાકડિયાને બચાવી લેવામાં સફળતા મળી હતી. પરંતુ, અન્ય છ વ્યક્તિ ધસમસતા વ્હેણમાં તણાઇ જતાં રાજકોટ ફાયર બ્રિગેડની રેસ્કયુ ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.દરમિયાન આજે સવારથી શરૂ કરેલા રેસ્કયુ ઓપરેશનમાં લાપત્તા વ્યક્તિઓ પૈકી શારદાબેન ભગાભાઇ, બાબુભાઇ ગોવિંદભાઇ, મંજુલાબેન બાબુભાઇ, બટુકભાઇ ગોવિંદભાઇ અને ગીતાબેન બટુકભાઇના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે લાલજીભાઇ રમેશભાઇ પટેલ હજી લાપત્તા છે. એક જ પરિવારના પાંચ સભ્યોના મૃત્યુથી પ્રજાપતિ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. બનાવના પગલે ભાડલા ગામમાં ઘેરા શોકની કાલીમા છવાઇ ગઇ છે.
સ્વાઇન ફ્લૂથી વધુ બે મહિલાનાં મોત
જામનગર જિલ્લામાં સ્વાઇન ફ્લૂએ માથું ઊંચકર્યું છે અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. જામનગરના સપડા ગામની સગભૉનું સ્વાઇન ફ્લૂથી મોત નપિજતાં અરેરાટી મચી ગઇ હતી. તેમજ અમરેલીમાં ચાંચ બંદરની યુવતીનું સ્વાઇન ફલૂથી મોત નિપજ્યું હતું. તથા રાજકોટ હોસ્પિટલમાં ૩૦ દર્દીઓ દાખલ છે તે પૈકી છની હાલત ગંભીર છે.જામનગર તાલુકાના સપડા ગામના અમીબેન હીરાભાઇ (ઉ.વ.૨૫)ને સ્વાઇન ફ્લૂની આશંકાએ જામનગરની જીજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ રવિવારે તેમનું મોત નિપજ્યું હતું. અમીબેન સગભૉ હોય તેમના મોતથી અરેરાટી મચી ગઇ હતી. મહિલાના મૃત્યુ સાથે જામનગર સ્વાઇન ફ્લૂ વોર્ડનો મૃત્યુઆંક ૨૪ થયો હતો.રાજકોટ મેડિકલ કોલેજ લેબોરેટરી ખાતે આજે વધુ ૨૬ સેમ્પલનું પ્રુથ્થકરણ થયું હતું. જેમાંથી ૧૨નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સ્વાઇન ફ્લૂ વોર્ડમાં ૩૦ દર્દીઓ દાખલ છે જેમાંથી ૨૪નો રિપોર્ટ પોઝિટિવ છે અને પોઝિટિવ પૈકીના ૬ દર્દીઓની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
ઉપલેટામાં સૂપડાધારે આઠ ઇંચ વરસાદ : જનજીવન ઠપ્પ
સમગ્ર સૌરાષ્ટ્રમાં ચોમાસાનું નવું અને ઝંઝાવાતી રાઉન્ડ શરૂ થયું છે. ત્યારે ઉપલેટામાં રવિવારે આઠ ઇંચ જેવો ભારે વરસાદ પડતાં સમગ્ર શહેર જળબંબાકાર થઇ ગયું હતું. બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થયેલો વરસાદ રાત્રે પણ ચાલું રહ્યો હતો અને વરસાદનું જોર જોતાં હજુ તેનો આંક વધે તેવી સંભાવના દર્શાતી હતી.ઉપલેટામાં બપોરે ૩:૩૦ વાગ્યે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. પ્રારંભે જોરદાર ઝાપટું વરસ્યા બાદ મેઘસવારી થંભી ગઇ હતી. પરંતુ ત્યારબાદ કાળા ડિબાંગ વાદળોથી છવાયેલું આકાશ જાણેકે નીચોવાતું હોય તેમ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અતિ ભારે વરસાદના કારણે શહેરના રાજમાર્ગો પર નદીઓ દોડવા લાગી હતી. ઝીરાપા પ્લોટ, યાદવ ચોક, અશ્વિન ચોક, મુરખડાનો માર્ગ વગેરે વિસ્તારોમાં તો ગોઠણડૂબ પાણી ભરાયા હતા. શહેરના અન્ય વિસ્તારોમાં પણ જળબંબાકાર થઇ ગયું હતું.ભારે વરસાદના કારણે લોકોએ ઘરમાં જ રહેવાનું પસંદ કરતાં શહેરમાં મેઘરાજાનો કફ્યું લાગ્યો હોય તેવી સ્થિતિ સર્જાણી હતી. રવિવારે સામાન્ય રીતે સહેલાણીઓથી ઉભરાતા હરવા ફરવાના સ્થળો પર કાગડા ઉડતા હતા. ઉપલેટા પાસેથી પસાર થતી મોજ નદીમાં પણ નવા નીર સાથે પૂર આવ્યું હતું.ઉપલેટાની સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ મુશળધાર વરસાદ વરસતાં સમગ્ર પંથક બેટમાં ફેરવાઇ ગયો હતો. તાલુકાના પાટણવાવ, સમિઢયાળા, વરજાંગણિયા, નાગવદર, ઇસરા, ગણોદ વગેરે ગામોમાં પણ ત્રણથી છ ઇંચ સુધીના વરસાદના વાવડ છે.સરકારી ચોપડે ઉપલેટામાં સત્તાવાર રીતે આઠ ઇંચ વરસાદ નોંધાયા બાદ પણ રાત્રે મેઘસવારી ચાલુ રહેતા તે આંક હજુ પણ વધે તેવી સંભાવના છે.
Subscribe to:
Posts (Atom)