visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
રાજકોટ : મેળામાં છેલ્લે દી’ ચાર લાખ લોકો ઊમટયા
રાજકોટનો જગવિખ્યાત લોકમેળો રવિવારે પૂરો થયો હતો. પાંચ દિવસ દરમિયાન આ મેળામાં ઓછામાં ઓછા ૧૬ લાખ લોકો ઉમટી પડ્યા હતા એવો અંદાજ તંત્રએ કાઢ્યો છે. રવિવારે છેલ્લા દિવસે ચાર લાખ કરતાં વધારે લોકોએ મેળાની મોજ માણી હતી.મેળાનો પ્રારંભ થયો તે પૂર્વે રાજકોટમાં અવિરત વરસાદ વરસતો હતો. તંત્ર દરરોજ મેળાના મેદાનમાંથી પાણીનો નિકાલ કરે અને કપચી નાખી સમું નમું કરે ત્યાં ફરી ધોધમાર વરસાદ વરસી જતાં અને બધી મહેનત ઉપર પાણી ફરી જતું. છેક સાતમની બપોર સુધી મેઘરાજા વરસતા રહેતાં આ વર્ષે લોકમેળો નિષ્ફળ જશે એવી ભીતિ સેવાતી હતી.પરંતુ રાજકોટની લોકપ્રિય પ્રજાએ કરેલી પ્રાર્થના મેઘરાજાને પીગળાવી ગઇ. સાતમની બપોર પછી અચાનક વરાપ નિકળી અને એ સાથે જ લોકમેળાનું મેદાન ભરચક્ક થવા લાગ્યું. સાતમને દિવસે બે લાખ લોકોએ મેળાની મુલાકાત લીધી પછી આઠમનો આખો દિવસ વરાપ રહેતાં મેળાનો અસ્સલ રંગ દેખાયો. ગુરુવારે જન્માષ્ટમીએ રાત્રે લોકમેળામાં એક સાથે સાડા ત્રણ લાખ લોકો ઉમટી પડતાં ક્યાંય પગ મૂકવાની જગ્યા ન રહે એવી સ્થિતિ નિર્માણ પામી હતી.
પાંચ જિલ્લાના ૭૮ પૈકી ૫૫ ડેમ ઓવરફ્લો થઈ ગયા
મેઘરાજાએ કરેલી મહેરને કારણે સમગ્ર સૌરાષ્ટ્રને પાણી-પાણી થઇ ગયું છે એટલું જ નહીં વર્તમાન સીઝન ઉપરાંત શિયાળુ પાકનું ચિત્ર પણ ઉજળું બન્યું છે. રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળ આવતા ૭૮ ડેમો પૈકી ૫૫ ડેમ ઓવરફ્લો થઇ ગયા છે તેમજ આ ડેમો પૈકી કેટલાકના દરવાજા તો હજુ સુધી ખુલ્લાં રખાયા છે. જેથી વધારાનો જળ જથ્થો વહી જાય તેમજ ડેમ પર કોઇ ખતરો ઊભો ન થાય.આ અંગે સિંચાઇ વર્તુળના અધિક્ષક ઇજનેર પ્રકાશ એ. તોતલાણીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના કુલ ૭૮ ડેમ પૈકી ૫૫ ડેમ ઓવરફ્લો છે. જ્યારે રાજકોટ સર્કલ હેઠળ આવતા ૫૭ ડેમ છે અને મોટાભાગના ડેમોમાં ભરપૂર પાણી છે. આથી શિયાળુ પાક માટે ખેડૂતોને માગ્યા પાણ મળશે તેમજ આજ સ્થિતિ ઉનાળામાં પણ જળવાશે અને ઉનાળુ પાક પણ સારો થશે. વળી વ્યાપક વરસાદને કારણે તળ ઊંચા આવ્યા હોય ખેડૂતોના કૂવામાં પણ ઘણું પાણી આવ્યું છે.જ્યારે સિંચાઇ વર્તુળના અધિકારી એ. કે. મશરૂએ પણ આ વર્ષે વ્યાપક વરસાદને કારણે શિયાળુ પાક પાણીનું ચિત્ર ઉજળું હોવાનું તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં નાના-મોટા ચેકડેમો પણ છલકાયા હોય સિંચાઇ માટે આ વર્ષે પાણીની કોઇ સમસ્યા ઊભી નહીં થાય. તેમ જણાવ્યું હતું.ડેમ વિસ્તારમાં વરસાદઆજે પણ જુદા-જુદા ડેમ વિસ્તાર પર મેઘરાજાની મહેર ચાલુ રહી હતી. ન્યારી ડેમ વિસ્તારમાં આજે ૧૦ મીમી, આજી-૨ ખાતે ૭મીમી, ભાદર પર ૫ મીમી તો મોરસલ ખાતે ૧૫ મીમી વરસાદ નોંધાયો હતો.
વાંકાનેર પંથકમાં ચાર ઇંચ વરસાદ
વાંકાનેર પંથકના ગામડાઓમાં રવિવારે મોડી સાંજ બાદ અઢી થી ચાર ઇંચ સુધીનો વરસાદ પડી ગયો હોવાના અહેવાલો મળે છે. છેલ્લા ત્રણ દિવસથી માત્ર ઝાપટાં પડતા હતા દરમિયાન રવિવારે અચાનક જ ચાર ઇંચ સુધીનો વરસાદ વરસી જતા ગામડાઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ ગઇ હતી.દિવસ દરમિયાન શહેર અને વાંકાનેર તાલુકા પંથકમાં ઉઘાડ હતો. મોડી સાંજ બાદ કાળા ડિબાંગ વાદળો આકાશમાં ચડી આવ્યા હતા. સાંજે સાડા આઠ વાગ્યા સુધી ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ અચાનક જ ધોધમાર શરૂ થયો હતો.માત્ર એક જ કલાકમાં પંચાશિયા, વાંકિયા, રાણેકપર અને વઘાસિયા ગામમાં ત્રણ થી ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો હોવાનો ઉપરોકત ગામના સરપંચોએ જણાવ્યું હતું. જ્યારે પાદરકા, વાલાસણ, તીથવા અને અગાભી પિપળીયા ગામમાં પણ માત્ર એક કલાકમાં અઢીથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.વાંકાનેર શહેર અને તાલુકા પંથકમાં ગત વર્ષ કરતા આ વર્ષે વધુ વરસાદ પડ્યો છે. નદી નાળા છલકાઇ ગયા છે. મચ્છુ-૧ ડેમ પણ ઓવર ફલો થઇ ગયો છ. તમામ ચેક ડેમો છલકાઇ ગયા છે.છેલ્લા ત્રણ દિવસથી વરસાદે વિરામ લીધો હતો. અને ક્યારે ક્યારે ઝાપટાં પડી જતા હતા. સાતમ-આઠમના તહેવારો પર મેઘરાજાએ જાણે રજા રાખીને લોકોને મોજ કરવા દીધી હતી. પરંતુ રવિવારે સાંજબાદ ફરી એક વખત આઠેક જેટલા ગામડાઓમાં અઢીથી ચાર ઇંચ સુધીનો વરસાદ પડી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ હતી.માત્ર એક કલાકમા સાંબેલાધારે વરસાદ પડતા આ બાબતથી રાજકોટ ફલડ કન્ટ્રોલરૂમને પણ જાણ કરવામાં આવી હતી. એક કલાક બાદ વરસાદનું જોર ધીમું પડતા ઉપરોકત ગામના લોકોએ હાંસકારો અનુભવ્યો હતો.રાત્રીના સાડા નવ વાગ્યા બાદ પણ ઝરમર વરસાદ ચાલું રહ્યો હતો. પરંતુ ધોધમાર વરસાદ રહી જતા સરકારી તંત્રએ પણ રાહત અનુભવી હતી. ઉપરોકત ગામડા આસપાસ આવેલી નદીઓમાં પણ પૂર આવ્યા હતા. અને તમામ પાણી મચ્છુ-૧ ડેમમાં ભળતું હોય આ ડેમ ફરીથી ઓવર ફલો થાય તેવી સંભાવના છે. અમુક વાડી-ખેતરોમાં પાણી ભરાયા હોવાની ખેડૂતોએ ફરિયાદ કરી હતી. જો કે, ખેતીને બહુ મોટું નુકસાન થાય તેવી સંભાવના ન હોવાનું પણ જાણવા મળે છે.
રાજકોટમાં તહેવાર દરમિયાન પોલીસે દરરોજ સરેરાશ ૧૫ કલાક ફરજ બજાવી
શહેરમાં રેસકોર્સ મેદાનમાં પરંપરાગત સાંસ્કૃતિક લોકમેળા સહિત કુલ નવ સ્થળે મેળાના આયોજન થયા છે. ચાર દિવસમાં લાખો સૌરાષ્ટ્રવાસીઓએ પરિવાર સાથે મન ભરીને મેળાનો આનંદ લૂંટ્યો, બાળકો રાજીના રેડ થઇ ગયા. જોકે, પ્રજાએ જે આનંદ માણ્યો છે તે માટે પોલીસતંત્રને સલામ કરવી પડે. હા, પ્રજાજનો બાળબચ્ચા સાથે મેળાની મોજ માણી શકે એ માટે પોલીસ, એસઆરપી, હોમગાર્ડઝ અને ટ્રાફિક બ્રિગેડના ૬૦૦ જવાનો મેળા બંદોબસ્તમાં દરરોજ ૧૫ કલાક ખડેપગે રહ્યા હતા.તહેવારોમાં પોલીસની ફરજ અને જવાબદારી બેવડાઇ જાય છે. જન્માષ્ટમી હોય કે દિવાળી, ઇદ સહિતના તમામ તહેવારોની ઉજવણીમાં કાંકરીચાળો કે અનિચ્છનીય ઘટના ન બને તે માટે બંદોબસ્તમાં રહેવાનું અને રૂટીન કામગીરી તો ખરી જ. એમાં પણ રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારોનું વિશેષ મહત્વ છે. લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં હોય ખિસ્સા કાતરૂઓ લફંગાઓ કે અસામાજિક તત્વો આતંક ન મચાવે તે જવાબદારી પોલીસે સુપેરે નિભાવી હતી.મેળાના પ્રવેશદ્વાર ઉપરાંત મેળાની અંદર લોકોની વચ્ચે પોલીસ જવાનો સતત ફરતા રહ્યા હતા અને લુખ્ખા તત્વોને શોધી કાઢી લોકઅપમાં ધકેલી દેવાયા હતા. લાખો લોકોની અવર જવરના કારણે મેળાના રૂટ ઉપર ટ્રાફિક જામ કે અકસ્માત જેવા બનાવ નિવારવા ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો. એસીપી મુનિયાના સુપરવિઝન હેઠળ પોલીસ, એસઆરપી, હોમગાર્ડઝ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો સહિત ૬૦૦ થી વધુ જવાનોએ દરરોજ ૧૫ કલાક ખડેપગે ફરજ બજાવી હતી.જન્માષ્ટમીના તહેવારો દરમિયાન મુખ્ય લોકમેળા ઉપરાંત અન્ય આઠ સ્થળે લોકમેળા યોજાયા હતા અને તેમાં લાખોની મેદની ઉમટી પડી હતી. એક તરફ આતંકવાદનો ભય અને બીજી તરફ અસામાજિક તત્વોની દહેશત વચ્ચે લોકોને સલામત રાખવા માટે પોલીસે ખડેપગે સેવા બજાવી હતી અને પરિણામે આ તહેવારો કોઈપણ જાતની અનિચ્છનિય ઘટના વગર પૂર્ણ થયા હતા. પોલીસની ખરડાયેલી છબીના કારણે ખાખી વર્દીનું નામ સાંભળતા જ ચહેરા પર અણગમાના ભાવ ઉપસી આવતા હોય છે. પરંતુ, પોલીસ હાજરીના કારણે જ તહેવારોની ઉજવણી શાંત અને નિર્ભય વાતાવરણમાં થાય છે એ ભૂલવું ન જોઇએ.
રાજકોટ ;બધા તહેવાર ઉજવતા હતા ત્યારે સિવિલમાં સેવાયજ્ઞ ચાલતો ’તો
દેશના કોઇપણ છેડે આફત આવે ત્યારે મદદ અને સેવાના કામમાં રાજકોટવાસીઓ અગ્રેસર રહે છે. શહેરમાં ચાલતાં અનેક મંડળો દ્વારા આખું વર્ષ સેવાકીય કામો થતાં હોય છે.સાતમ-આઠમના તહેવારોનો આનંદ શહેરીજનો લૂંટી રહ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી કાર્યરત હોસ્પિટલ સેવા મંડળે આ દિવસોમાં પણ કામગીરી ચાલુ રાખી હજજારો દુ:ખીયાઓના કોઠા ઠારી તહેવારની ઉજવણી કરી હતી.રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી દર્દીઓ દાખલ થાય છે. દૂર-દૂરના ગામોમાંથી આવતાં ગરીબ દર્દીઓ અને તેમના સંબંધીઓના દુ:ખમાં સહભાગી થવાના હેતુથી હોસ્પિટલ સેવા મંડળ દ્વારા હોસ્પિટલ કેમ્પસમાંજ વર્ષોથી નિ:શુલ્ક રસોડું ચલાવવામાં આવે છે. જેનો દરરોજ ૧૫૦૦ જેટલા લોકોને લાભ મળે છે.સેવા મંડળ દ્વારા સવારે ચા, દૂધ, ભાખરી, બપોરે દાળભાત શાક રોટી-રોટલા અને સાંજે શાક-રોટલા કઢી-ખીચડી પીરસવામાં આવે છે. ઝનાના હોસ્પિટલ અને ઓર્થોપેડિક વિભાગમાં શીરો પણ પહોંચાડવામાં આવે છે. હોસ્પિટલ સેવા મંડળના અગ્રણી કાર્યકર રમણિકભાઇ પરમારે જણાવ્યું હતું કે, સેવા મંડળ દ્વારા વર્ષોથી આ અન્નક્ષેત્ર ચાલે છે અને કોઇપણ જાતના ભેદભાવ વગર લોકોને ભોજન આપવામાં આવે છે. મહત્વની વાત એ છે કે, કોઇપણ તહેવાર હોઇ કે, વિકટ સ્થિતિઆ સેવાકીય પ્રવૃત્તિ અવિરત ચાલુ જ રહે છે.સાતમ-આઠમના તહેવારોમાં લોકો પોતાના કામ, ધંધા બંધ કરી પરિવારજનો સાથે મેળામાં અને અન્ય સ્થળે જઇ તહેવારની ઉજવણી કરે છે. ત્યારે ઉપરોકત મંડળના કાર્યકરો જરૂરમંદોની સેવા કરીને તહેવાર ઉજવે છે. તેમના માટે સમગ્ર માનવજાત જાણે પરિવાર છે.
આણંદ - ખેડા : ભૂકંપ માપક યંત્રના મામલે તંત્રનું ધૂપ્પલ!
આણંદ - ખેડા સહિત મધ્ય ગુજરાતને સાંકળતી કેમ્બે ફોલ્ટ લાઈન સક્રિય થઈ હોવાનું જાહેર થયા બાદ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. બીજી તરફ રાજ્ય સરકાર પોતાની વેબસાઈટ પર આણંદ - ખેડા જિલ્લામાં ભૂકંપમાપક યંત્ર મુક્યા હોવાનું જાહેર કરે છે. પરંતુ બન્ને જિલ્લાના કલેક્ટર કે વહીવટીતંત્ર સહિતના અધિકારી ક્યાંય સિસ્મોગ્રાફ હોવા બાબતે સંપૂર્ણ અંધારામાં છે. સિસ્મોલોજિકલ ઈન્સ્ટિટયુટના સિનિયર સાઈન્ટિસ્ટ સુમેર ચોપરાએ જણાવ્યું હતું કે ‘જન્માષ્ટમીના દિવસે સવારે આવેલા ધરતીકંપમાં કેમ્બે બેઝીન લાઈન સક્રિય જોવા મળી છે.’ આણંદ જિલ્લાને લાગેવળગે છે ત્યારે ગંભીર મુદ્દોએ છે કે, આ ફોલ્ટ લાઈન ખંભાતથી શરૂ થઈ નર્મદા નદી વિસ્તારમાં પુરી થાય છે. એક ફાંટામાં ઉત્તર ગુજરાતના વિસ્તારો પણ આવે છે.
જેમાં ખેડા જિલ્લાનો પણ સમાવેશ થાય છે. આ ફોલ્ટ લાઈનથી ચરોતરમાં ભુકંપનું જોખમ ઉભુ થયું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, આણંદ - ખેડા જિલ્લાની ભુગર્ભ ગતિવિધિ બાબતે રાજ્ય સરકાર સહિત બન્ને જિલ્લાનું વહીવટી તંત્ર ભારે બેદરકારી દાખવી રહ્યાનું જણાય રહ્યું છે. કારણ કે, આઈએસઆર વેબસાઈટ પર એન્યુઅલ રિપોર્ટમાં આણંદ અને કપડવંજમાં ભૂકંપમાપક યંત્ર તૈનાત હોવાના મામલે બન્ને જિલ્લાના આફત નિયંત્રણ વિભાગ સાવ અજાણ જોવા મળે છે.
ઈજનેરી કોલેજમાં પ્રવેશ મુદ્દે હોબાળો
ન્યુ વલ્લભ વિદ્યાનગર સ્થિત એ.ડી.પટેલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી (એડીઆઇટી)માં એન્જિનિયરિંગ અને ફાર્મસીની ખાલી બેઠકો માટે રવિવારે સવારે પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પરંતુ પ્રવેશ મેળવવા માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ ઉમટી પડ્યા હતા. કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા અંગે યોગ્ય માર્ગદર્શન ન અપાતાં અને વ્યવસ્થાના અભાવે ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ કોલેજમાં તોડફોડ કરતા દોડધામ મચી જવા પામી હતી.સીવીએમ સંચાલિત સ્વનિર્ભર અને ગ્રાન્ટ ઈન એઇડ બીવીએમ કોલેજ, જીસેટ કોલેજ, એડીઆઇટી, ઈન્સ્ટીટયુટ ઓફ કોમ્પ્યુટર એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી ફોર વિમેન, ઈન્દુકાકા ઈપ્કોવાલા કોલેજ ઓફ ફાર્મસી, સીવીએમ ઈન્સ્ટીયુટ ફોર ડીગ્રી કોર્સ ઈન ફાર્મસી સંસ્થામાં ખાલી રહેલી બેઠકોની પ્રથમ વર્ષ પ્રક્રિયા રવિવારે સવારના એડીઆઇટી વિદ્યાનગર ખાતે રાખવામાં આવી હતી. જેમાં પ્રવેશ લેવા ઈચ્છતાં વિદ્યાર્થીઓને ઓરીજીનલ ડોકયુમેન્ટસ ફી રૂ.પ૦ હજાર રોકડા વગેરે લઈને હાજર રહેવા જણાવાયું હતું.જેથી રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં એડીઆઇટીની કોલેજમાં સવારથી જ ઉમટી પડ્યા હતા અને પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ યોગ્ય માર્ગદર્શન ન મળતાં તેમજ પૂરતી વ્યવસ્થાના અભાવે ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ હલ્લો બોલાવ્યો હતો. ત્યારે કોલેજના પ્રિન્સપાલ અને સ્ટાફના સભ્યોએ વિદ્યાર્થીઓ અને વાલીઓને સમજાવવા માટે કરેલો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો હતો.વાલીઓમાં જાગૃતિનો અભાવ.ન્યુ વલ્લભવિદ્યાનગર સ્થિત ઈન્દુકાકા ઈપ્કોવાલા કોલેજ ઓફ ફાર્મસીના પ્રિન્સપાલ ડૉ. કે.કે.ભટ્ટે જણાવ્યું હતું કે હું એડીઆઇટી કોલેજમાં મોડેથી પહોંચ્યો હતો. વાલીઓ ખાલી બેઠકો અંગે માહિતી માગતા હતા. અમે વાલીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ વાલીઓ કંઈપણ સાંભળ્યા વિના બૂમાબૂમ કરી રહ્યા હતા. વાસ્તવમાં વેબસાઇટ પર ખાલી બેઠકોની માહિતી દરરોજ અપડેટ કરવામાં આવે છે. વાલીઓએ વેબસાઇટ પર જોઇને આવવું જોઈએ. વિદ્યાર્થીઓ અને વાલીઓની જાગૃતિના અભાવે પ્રશ્ન ઉભો થયો હતો.
પર્યુષણ, શ્રાવણમાં ગૌહત્યાથી વિજાપુરમાં તંગદિલી
વિજાપુર શહેરના કબ્રસ્તાન નજીક શનિવારે રાત્રિના સુમારે ચાર ગાયોની તિક્ષ્ણ હથિયાર વડે કરપીણ હત્યા કરી તેમજ અન્ય બે ગાયને નજીકમાં બાંધી દઇ કસાઇઓ ફરાર થઇ જવાની ઘટનાએ જીવદયાપ્રેમીઓમાં અરેરાટી પ્રસરી ગઇ છે. જ્યારે શ્રાવણ અને પયુંષણના પર્વ દરમિયાન જ આચરેલા આ જધન્ય કૃત્યને પગલે લોકોમાં આક્રોશ ફેલાયો છે. જેને પગલે વિહપિ,બજરંગદળ અને ગૌરક્ષા દળે સોમવારે વિજાપુર બંધનું એલાન આપતાં સમગ્ર મામલો ઉગ્રતા પકડી રહ્યો છે.વિજાપુર શહેરના રબારી વાસમાં રહેતા ધરમશીભાઇ સવજીભાઇ દેસાઇના વાડામાં બાંધેલ ગાયોની શનિવારે રાત્રિના સમયે કેટલાક શખ્સોએ ચોરી કરી હતી. શહેરના કબ્રસ્તાન પાસે લઇ જવાયેલી આ ગાયો પૈકી ચાર ગાયોની ત્રણ શખ્સો ભેગા મળીને તીક્ષ્ણ હથિયાર વડે કરપીણ હત્યા કરી માંસ લઇને અન્ય બે ગાયોને સાઇડ ઉપરના ઝાડ પાસે બાંધી દીધી હતી. બીજીબાજુ ધરમશીભાઇ દેસાઇએ રવિવારે વહેલી સવારે તેમના વાડામાં ગાયો ન જોતા ચોંકી ઉઠયા હતા. જો કે, તેમણે આસપાસ તપાસ કરતા તેમની ગાયોની હત્યા થઇ ગઇ હોવાની જાણ થતાં તેમણે તાબડતોબ વિજાપુર પોલીસને આ બાબતની જાણ કરતાં પી.આઇ.એ.એમ.પટેલ બનાવ સ્થળે પહોંચી ગયા હતા. જ્યારે શહેરમાં ગાયોની હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા જીવદયા પ્રેમીઓ સહિત સ્થાનિક રહીશોમાં રોષની લાગણી પ્રસરી હતી.આ અંગે ધરમશીભાઇ દેસાઇએ વિજાપુર પોલીસ સ્ટેશને સઇદુ મલેક (રહે.વિજાપુર), લક્ષ્મણ (આનંદપુરા ગામનો ચોકીદાર), સલીમ(મહેદાવપુરા(ભા)રખેવાળ) સામે ફરીયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પવિત્ર શ્રાવણમાસ અને જૈનોનું પયુંષણ પર્વ ચાલી રહ્યું છે ત્યારે ગૌવંશની હત્યા કરી તેનું માસ લઇ જવાનો વિજાપુરમાં બનાવ બનતાં શહેર સહિત તાલુકામાં લોકોમાં રોષની લાગણી પ્રસરી છે.
વિજાપુરમાં ગૌહત્યા: આજે બંધનું એલાન
વિજાપુર શહેરના કબ્રસ્તાન નજીક શનિવારે રાત્રિના સુમારે ચાર ગાયોની તિક્ષ્ણ હથિયાર વડે કરપીણ હત્યા કરી તેનું માસ લઇને હત્યારાઓ નાસી છુટયા બાદ અન્ય રવિવારે બે ગાય સાઇડ ઉપર બાંધેલી હાલતમાં મળી આવતા જીવદયા પ્રેમીઓ સહિત સ્થાનિક રહીશોમાં અરેરાટી પ્રસરી ગઇ હતી. જ્યારે આ બનાવને લઇ શહેરમાં તંગદિલી ન પ્રસરે તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.મોડી સાંજે પોલીસે બે શખ્સોને ઝડપી લઇ તેમની પુછપરછ હાથ ધરી છે. આ અંગે વિજાપુર પોલીસ સ્ટેશને ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરી પી.આઇ.એ.એમ.પટેલ તપાસ હાથ ધરી છે. જ્યારે આ જધન્ય કૃત્યને પગલે વિશ્વ હિન્દુ પરિષદ, ગૌરક્ષક દળ અને બજરંગ દળે સોમવારે વિજાપુર બંધનું એલાન આપતાં સમગ્ર મામલો ઉગ્રતા પકડી રહ્યો છે.વિહિપ, ગૌરક્ષક દળ અને બજરંગદળ દ્વારા બંધનું એલાન: બંધથી ભાજપ દૂર.શ્રાવણ માસ અને જૈનોનો પયુંષણ પર્વ ચાલી રહ્યા છે ત્યારે શહેરમાં ગૌહત્યાને લઇ શહેર સહિત તાલુકાના જીવદયા પ્રેમીઓ સહિત લોકોમાં રોષ પ્રસરીની લાગણી પ્રસરી છે. જ્યારે શહેરમાં ચાર ગાયોની કતલ કરવાના બનાવને લઇ વિશ્વ હિન્દુ પરિષદ, ગૌરક્ષક દળ અને બજરંગ દળ સહિતના કાર્યકરોએ રવિવારે વિજાપુર પી.આઇ.ને આવેદનપત્ર સુપ્રત કરી સોમવારે બંધનું એલાન જાહેર કર્યું હતું.જો કે, સ્થાનિક ધારાસભ્ય કાન્તીભાઇ પટેલને આ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે ગૌવંશની હત્યા તે હિચકારી ઘટના છે તેનો સખત વિરોધ છે. આરોપીઓને તાત્કાલીક પકડીને તેમની સામે કડક કાર્યવાહી કરવાની પોલીસે જાણ કરી છે. પરંતુ, સોમવારે આપેલા બંધના એલાનમાં ભાજપ સાથે નથી એમ જણાવ્યું હતું.
મેટાડોર ચાલકે માલધારી અને ઘેંટાને કચડી માર્યા...
પોરબંદરના રાતડીયા ગામના પાદરમાં ઘેંટા ચરાવવા નિકળેલા માલધારી અને ઘેંટાને મેટાડોરના ચાલકે અડફેટે લેતા માલધારી રબારી વૃધ્ધનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. જ્યારે ૧૨ ઘેંટાના કચડાઇ જવાથી અને નાસભાગમાં નદીમાં ખાબકેલા ૧૩ ઘેંટાના પણ મોત નિપજયા હતા.અરેરાટીભર્યા બનાવની વિગત મુજબ, રાતડિયા ગામે રહેતા લક્ષ્મણભાઇ રબારી (ઉ.વ.૬૦) પ૦ ઘેંટાને ચરાવવા નિકળ્યા હતા. પરત ફરતી વેળાએ ગામના પાદરમાં જીજે ૧૧ ડબલ્યુ પ૬પ નંબરના મેટાડોરના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા રબારી વૃધ્ધને ઠોકરે ચડાવ્યા હતા. અને ભાગવાના પ્રયાસમાં ૧૨ ઘેંટાને નિર્દયતાથી કચડી માર્યા હતા. અકસ્માતના કારણે ભડકીને જીવ બચાવવાના પ્રયાસમાં નદીમાં પડી ગયેલા ૧૩ ઘેંટા મોતને શરણે થઇ ગયા હતા.
પુત્રોએ આપી પિતાને મારી નાખવાની ધમકી...
રાજકોટના નવાગામમાં રહેતા ભરવાડ પ્રૌઢને તેના જ બે પુત્રએ લાકડીથી માર મારી, તમાચા ચોડીને ખૂન કરી નાખવાની ધમકી આપી હતી. પિતાએ રખડવા પ્રશ્ને ઠપકો આપતા પુત્રોએ હુમલો કર્યો હતો.નવાગામમાં રહેતા ભરવાડ ઘોઘાભાઇ જીવણભાઇ ઝાપડાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના બે પુત્ર વિપુલ અને રૂખડના નામ આપ્યા છે. બન્ને પુત્ર કામ ધંધો કરવાના બદલે દિવસ-રાત રખડતા રહેતા હોવાથી પિતાએ બન્નેને સુધરી જવા ઠપકો આપ્યો હતો. આથી રોષે ભરાયેલા વિપુલે પિતાને ચાર તમાચા ચોડી દીધા હતા. જ્યારે રૂખડે લાકડીથી હુમલો કરીને મારી નાખવાની ધમકી આપી હતી.
જમીન બિનખેતી કરાવવાના કેસોમાં ત્રણ ગણો ઉછાળો
સતત સારા ચોમાસાને કારણે રિયલ એસ્ટેટ માર્કેટ એકધારું ઉંચકાતું રહ્યું છે. વળી, આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદને કારણે પાક-પાણીનું ચિત્ર ઉજળું બનતાં જમીન, મકાન, બાંધકામક્ષેત્રે આ વર્ષ સારું જવાની આશાએ નવી શરતોની જમીન જુની શરતોમાં ફેરવી બિનખેતી કરાવવાની કાર્યવાહીમાં ઉછાળો આવ્યો છે. ૦૮-૦૯ના રેવન્યૂ વર્ષમાં જમીન બિનખેતી કરાવવાના ૧૩ કેસ સામે ૦૯-૧૦માં આ આંકડો ૪૪ પર પહોંચ્યો હતો. આમ હજારો એકર જમીન બિનખેતી થઇ ચૂકી છે. ૦૮-૦૯માં બિનખેતી પ્રિમીયમ પેટે તંત્રને રૂ.૩.૬૫ કરોડની આવક થઇ હતી. જ્યારે ગત વર્ષમાં આ આવક ૧૫.૦૧ કરોડ પર પહોંચી હતી.સમગ્ર જિલ્લામાં રાજકોટ અને લોધિકા તાલુકામાં નવી શરતની જમીન જુની શરતમાં ફેરવી અને બિનખેતી કરાવવાની કાર્યવાહીમાં વેગ આવ્યો છે અને ૧ ઓગસ્ટથી શરૂ થયેલા નવા રેન્વયૂ વર્ષમાં નવી શરતોની જમીન જુની શરતોમાં ફેરવી બિનખેતી કરાવવાના કેસોમાં વધારો થવાની શક્યતા નકારાતી નથી. તેમાં પણ આ વર્ષે પડી રહેલા સારા વરસાદને કારણે સારો પાક થવાની તેમજ કૂવા, તળ સાજા થતાં બીજા તબક્કામાં પણ ખેતીમાં ઉપજ વધવાની આશાએ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજીનો સંચાર થવાની શક્યતા નકારાતી નથી.મહેસૂલ તંત્રનું નવું વર્ષ ઓગસ્ટથી શરૂ થાય છે -દેશભરમાં વ્યાપાર, વ્યવહાર ક્ષેત્રે નાણાંકીય વર્ષ ૧ એપ્રિલથી ૩૧-માર્ચ ગણાય છે પરંતુ રેવન્યૂ-મહેસૂલ તંત્રના વર્ષનો ૧-ઓગસ્ટથી આરંભ થાય છે અને ૩૧-જુલાઇએ પૂણૉહુતિ આમ આગલા રેવન્યૂ વર્ષની સરખામણીએ ૩૧ જુલાઇએ પૂરા થયેલા વર્ષ દરમિયાન જમીન બિનખેતી કરાવવાના કેસોમાં ત્રણગણા કરતા પણ વધુ ઉછાળો આવ્યો હતો.
રાજકોટ : પરિણીતાને મારમારી સસરા અને જેઠે કેરોસીન છાંટ્યું
શહેરના ઠક્કરબાપા હરજિનવાસમાં રહેતી પરિણીતાને મારમારી સસરા અને જેઠે કેરોસીન છાંટતા ચકચાર મચી ગઇ હતી. તેમજ અન્ય બે પરિણીતાને દહેજના મુદ્દે સાસરિયાઓ ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાઇ હતી.ઠક્કરબાપા વિસ્તારમાં રહેતી દલિત રેખા કલ્પેશભાઇ ઘાવરી (ઉ.વ. રપ) પોતાના ઘરે હતી. ત્યારે છોકરા સાચવવાના મુદ્દે ઝઘડો થયો હતો. ઉશ્કેરાયેલાં સસરા દલપત તથા જેઠ રવિએ ધોકાથી મારમારી રેખા પર કેરોસીન છાંટ્યું હતું. હુમલામાં ઘવાયેલી પરિણીતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.તહેવારો ઉપર અન્ય સ્થળે પણ અજુગતો બનાવ બન્યો હતો. તેમજ સંતકબીર રોડ પર ગોવિંદબાગ શાક માર્કેટ પાસે રહેતી અને લગ્ન બાદ દેરાણી-જેઠાણીનો સંબંધ ધરાવતી બે પિત્રાઇ બહેનોએ સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી. ર્દષ્ટી કેતન બુટાણી (ઉ.વ. ર૪) એ પતિ કેતન અને સાસુ વિજયા સામે તેમજ અરુણા પ્રશાંત બુટાણી (ઉ.વ. ર૯) એ પતિ પ્રશાંત, સાસુ વિજયા તથા માસીજી ચંપા ઉકા રાદડિયા સામે રાવ કરી સાસરિયાઓ દહેજના મુદ્દે મારકૂટ કરી ત્રાસ ગુજારતાં હોવાનું કહ્યું હતું. પોલીસે બન્નેની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.
રાજકોટ : કારચાલકે પ્રૌઢાને કચડી નાંખ્યા.
શહેરમાં બેફામ દોડતા વાહનોએ અગાઉ અનેક પરિવારના દીપક બૂઝાવી નાંખ્યા છે. ત્યારે બાબરિયા કોલોની, આરએમસી કવૉટર્સ નં.૭૨૧, બ્લોક નં.૨૩માં રહેતા વનિતાબેન છગનભાઇ જોષી (ઉ.વ.૬૦) સુભાષનગર મેઇન રોડ પર આવેલા સુખનાથ મંદિરે દર્શન કરવા ગયા હતા. પ્રૌઢા દર્શન કરીને મંદિરની બહાર નિકળ્યાં હતા ત્યાં ઘસી આવેલી કારના ચાલકે પ્રૌઢાને ઠોકરે ચડાવ્યા હતા.અકસ્માતમા ગંભીર રીતે ઘવાયેલા વનિતાબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ ટૂંકી સારવારમાં તેમનું મોત નિપજ્યું હતુ. બનાવ અંગે મૃતકના પુત્ર રાજેન્દ્રભાઇએ પોલીસમાં જીજે.૩સીએ.૯૨૭૩ નંબરની કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. પ્રૌંઢાના આકસ્મિક મોતથી જોષી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
06 September 2010
આજે સોમનાથ દાદાને લીલોતરીનો શણગાર
visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
આજે સોમનાથ દાદાને લીલોતરીનો શણગાર
આવતીકાલ તા. ૬ નાં રોજ શ્રાવણમાસનો અંતિમ સોમવાર હોઇ શિવિભક્ત તેની પરપિૂર્ણતા તરફ જઇ રહી છે. મેઘરાજાએ ધરતી પર લીલી ચાદર પાથરી દીધી છે. ત્યારે સોમનાથ દાદાને પણ શ્રાવણનાં અંતિમ સોમવારે લીલોતરીનો શણગાર કરાનાર છે.સદાશિવ મહાદેવનું દિવ્ય જયોતિર્લિંગ લીલોતરીનાં કુણાં પર્ણો અને લીલીછમ ડાળખીઓથી શણગારાશે. જેમાં બિલીપત્રનાં પાન, કેળનાં પાનનાં ઝૂમખાં, ધ્રો ની સુંવાળી-મખમલી લીલીછમ લોન, આંબા અને આસોપાલવનાં પાનથી મહાદેવને ભરપૂર ભક્તિમય રીતે છાઇ દેવામાં આવશે. શિવલીંગની જળાધારી ફરતે કેળનાં થાંભલાઓ લીલાંછમ છોડવાંઓનાં કુંડાઓ તેમજ બીજ ચંદ્રમાં વિશાળ પુષ્પહાર અને શિવજીનું મ્હોરું તેમજ દીપમાળા પણ કરાશે. આ વર્ષે અઢળક વરસાદનો વૈભવ શિવિભક્તને દઇ સમગ્ર ગુજરાત ભૂમિને પ્રાકૃતિક સૌંદર્યનું આહલાદક જળધન દેનાર ભોળાનાથ ઉપર કરાયેલી લીલોતરી પૂજા એન તેનાં પાન ઉપરનાં જલબિંદુઓ ભાવિકોને મંત્રમુગ્ધ બનાવી દે છે.બે દિવસથી વરસાદે વિરામ લેતાં ભાવિકોનાં ઘોડાપુર પણ સોમનાથ દાદાનાં દર્શને ઉમટી રહ્યાં છે. આજે યોગગુરૂ બાબા રામદેવે અહીં દર્શન કરી મહાદેવને ગંગાજળથી અભિષેક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આજનાં રાષ્ટ્રીય સંકટમાં તેમણે દેશનાં કલ્યાણ માટે પ્રાર્થના કરી છે. દેશભરમાં શિવત્વ ફરી પ્રગટ થાય તેવી શુભકામના તેમણે વ્યક્ત કરી હતી.
‘આમિર દોષી હશે તો પણ આજીવન પ્રતિબંધ નહી લાગે’
હાલ સાથી ખેલાડીઓ સલમાન બટ્ટ અને મોહમ્મદ આસિફ સાથે સ્પોટ ફિક્સિંગના ગંભીર આરોપોનો સામનો કરી રહેલો મોહમ્મદ આમિર જો દોષી પુરવાર થશે તો પણ કદાચ તેની 18 વર્ષની ઉમર તેને આજીવન પ્રતિબંધના દંડમાંથી બચાવી લેશે, તેવા સંકેત આઇસીસીના સીઇઓ હારૂન લોગાર્ટે આપ્યા છે.ધ ડેઇલી મેલમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં લોગાર્ટના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, આ મારું અંગત મંતવ્ય છે. મારું માનવું છે કે, આ આખી ઘટનામાં ઉમરનો મુદ્દો આવી શકે છે. પરંતુ તેને ધ્યાનમાં લઇને અમારે અમુક સ્વાતંત્ર્ય ન્યાય અંગે વીચારવું પડશે.બ્રિટિશ ટેબ્લોઇડમાં છપાયેલા સ્પોટ ફિક્સિંગના સ્ટિંગ ઓપરેશન બાદ પાકિસ્તાનના ટેસ્ટ સુકાની સલમાન બટ્ટ, ઝડપી બોલર મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિરને પાકિસ્તાનની વનડે ટીમમાંથી હાલની તકે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
હમીદ કેવો છે તે અમે જાણીએ છીએઃ આફ્રિદી
પાકિસ્તાન ક્રિકેટ ટીમના વનડે અને ટી-20ના સુકાની શાહિદ આફ્રિદીએ બ્રિટિશ ટેબ્લોઇડ યાસિર હમીદના પ્રકાશિત કરેલા ઇન્ટર્વ્યું અંગે કહ્યું છે કે, યાસિર હમીદનો વિશ્વાસ કરી શકાય નહી. કારણ કે, તે માનસિક રીતે હજૂ ટીનેજર જેવો છે.સ્પોટ ફિક્સિંગમાં પાકિસ્તાનના ખેલાડીઓની સંડોવણી અંગે માફી માંગનાર શાહિદ આફ્રિદીએ કહ્યું કે, હામીદ વિશ્વાસપાત્ર નથી. તેની ઉમર 30 અથવા 31ની આસપાસ હશે. પરંતુ માનસિક રીતે તે હજૂ 15 અથવા 16 વર્ષનો છે.લોકો જાણે છે કે, યાસિર હમીદનું કેરેક્ટર કેવું છે. અમે તેને ઘણા લાંબા સમયથી જાણીએ છીએ. તેની પાસેથી કેવા પ્રકારની આશાઓ રાખી શકાય તે અંગે પણ માહિતગાર છીએ. તેણે આ પ્રકારની સંકુચિત વિચારસરણી અનેક વખત રજૂ કરી છે. તે વિશ્વાસપાત્ર નથી, તેમ આફ્રિદીએ જણાવ્યું છે. આફ્રિદીએ ઉમેર્યું છે કે, ન્યૂઝ ઓફ વર્લ્ડ નામના બ્રિટિશ ટેબ્લોઇડ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા સ્ટિંગમાં યાસિર હમીદને એવું કહેતો દર્શાવવામાં આવ્યો છે કે, પાકિસ્તાનની મોટાભાગની મેચો ફિક્સ હોય છે. અને બાદમાં યાસિરે આ નિવેદને ખોટું ગણાવ્યું છે. હું જાણતો નથી કે, યાસિરે કોની સાથે આ બધી વાતો કરતો હતો. અને મને એ પણ ખબર નથી કે, તેણે કઇ પરિસ્થિતિમાં આ પ્રકારનો મેસેજ આપ્યો છે.
ચિદમ્બરમ સાહેબ, નક્સલીઓની તાકાત વધી રહી છે!
ગૃહમંત્રી પી. ચિદમ્બરમની તમામ કોશિસોને નાકામ કરીને નક્સલીઓ સતત પોતાનું વર્તુળ વધારી રહ્યાં છે. ગત વર્ષની સરખામણીમાં તેમણે આ વર્ષેના પહેલા છ માસમાં ઘણી વધારે ઘટનાઓ કરી છે. સૌથી ખતરનાક વાત એ છે કે નક્સલી હવે સુરક્ષાકર્મીઓ અને તેમના મુખબીરોને સીધા નિશાન બનાવી રહ્યાં છે.ગૃહ મંત્રાલયના આંકડા પ્રમાણે, નક્સલવાદી સતત પોતાની શક્તિ વધારી રહ્યાં છે. તેઓ નવા વિસ્તારોમાં પોતાનું સંગઠન ઉભું કરી રહ્યાં છે. નવા હથિયારો અને દારૂગોળો હાસિલ કરી રહ્યાં છે. નક્સલી સતત ગંભીર ચિંતાનું કારણ બનેલા છે. નક્સલી સંગઠનોમાં સૌથી વધારે ખતરનાક સીપીઆઈ (માઓવાદી) જ છે. કુલ નક્સલી ઘટનાઓમાંથી 90 ટકા તેમના ખાતામાં છે. નક્સલી હિંસામાં માર્યા ગયેલા લોકોમાં 95 ટકા લોકો માઓવાદીઓ દ્વારા જ માર્યા ગયા છે.ગૃહ મંત્રાલયની નક્સલી સંબંધિત શાખા દ્વારા નક્સલી પ્રવૃતિઓ પર તૈયાર કરવામાં આવેલી આ વર્ષના પ્રથમ છ માસના સમીક્ષા રિપોર્ટમાં જે જાણકારી આપી છે, તે ચોંકાવનારી છે. કારણ કે આ તમામ જાણકારી પ્રમાણિત કરે છે કે ગૃહમંત્રી પી. ચિદમ્બરમની તમામ કોશિશો અપૂરતી સાબિત થઈ રહી છે.આ સમીક્ષા રિપોર્ટ પ્રમાણે, આ વર્ષે નક્સલીઓએ પોતાનો વિસ્તાર પણ વધાર્યો છે. દેશના 19 રાજ્યોના 158 જિલ્લામાં 717 પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી નક્સલ ગતિવિધિની માહિતી આવી છે. ગત વર્ષ આ અવધિ દરમિયાન 19 રાજ્યોના 131 જિલ્લાના 546 પોલીસ સ્ટેશનોથી નક્સલી ગતિવિધિઓના અહેવાલો આવ્યા હતા.આ સમયગાળામાં નક્સલી હિંસાનું વર્તુળ પણ વધ્યું છે. 2010ના પહેલા છ માસમાં 11 રાજ્યોના 85 જિલ્લાના 357 પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી નક્સલી હિંસાની ઘટનાઓના અહેવાલો આવ્યા છે. જ્યારે ગત વર્ષ તેઓ 74 જિલ્લાના 317 પોલીસ સ્ટેશન વિસ્તાર સુધી સીમિત હતા.આ વર્ષે જૂન સુધી કુલ 1116 ઘટનાઓમાં કુલ 538 લોકો માર્યા ગયા છે. જ્યારે સૌથી વધારે નક્સલી હિંસાના સાક્ષી બનેલા વર્ષ 2009માં આ સંખ્યા 459 હતી.
આમિર-આસિફને ડ્રેસિંગરૂમથી દૂર રાખો
પાકિસ્તાનની વન-ડે ટીમના સુકાની શાહિદ આફ્રિદીએ પ્રતિબંધિત ક્રિકેટર સલમાન બટ્ટ, મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિર પ્રત્યે આકરું વલણ અપનાવીને જણાવ્યું હતું કે ટીમના સર્વશ્રેષ્ઠ હિતને ધ્યાનમાં રાખીને આ દોષિત ક્રિકેટરોને ડ્રેસિંગરૂમથી દૂર રાખવા જોઇએ.અમે કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ પરંતુ અમે તેનાથી દૂર ભાગી શકીએ તેમ નથી. પાકિસ્તાનનો આ ઇંગ્લેન્ડ પ્રવાસ કેટલો મહત્વપૂર્ણ છે તે તમામ જાણે છે. ત્રણેય ખેલાડીઓને ડ્રેસિંગરૂમથી દૂર રાખવામાં આવે તેમાં જ ભલાઇ છે.
પાકિસ્તાનનું અસ્તિત્વ જોખમમાં
પાકિસ્તાનના નાગરિકો અને સૈન્ય નેતૃત્વએ રક્ષા દિવસના અવસર પર આપવામાં આવેલા સંદેશામાં કહ્યું છે કે આતંકવાદ અને તાજેતરમાં આવેલા પૂરે પાકિસ્તાન માટે ગંભીર સંકટ અને અસ્તિત્વ માટે જોખમ ઊભા કરી દીધા છે.પાકિસ્તાની સેવાઓના સર્વોચ્ચ કમાંડર અને રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ કહ્યું છે કે એકબાજુ દેશને ધર્માંધ અને અતિ ઉત્સાહી ઉગ્રવાદીઓના અસ્તિત્વથી ખતરો છે, તો બીજી બાજુ ભીષણ પૂરે વિનાશ નોતર્યો છે.એક અન્ય સંદેશમાં સેના પ્રમુખ જનરલ અશફાક પરવેઝ કયાનીએ કહ્યું છે કે પાકિસ્તાન વિવિધ મોર્ચે સુરક્ષાના પડકારો ઝીલી રહ્યું છે, પરંતુ આતંકવાદ અને ઉગ્રવાદે ખરેખર પાકિસ્તાનને અસ્તિત્વના સંઘર્ષમાં મૂકી દીધું છે. વર્ષ 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં લાહોરને ભારતીય સેનાથી બચાવી લેવામાં મળેલી સફળતાને કારણે 6 સપ્ટેમ્બરને સક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
દુનિયામાં ફરતા રહેવાની નોકરી
એક વિમાન કંપનીમાં નોકરીઓ છે. તેમાં કામ છે દુનિયાભરમાં પ્લેનમાં જ ફરવાનું અને ત્યાંની ફ્લાઇટ્સ અને એરપોર્ટની ગુણવત્તાનું નિરીક્ષણ કરવાનું.આવી નોકરી કરવાની કોણે ઇચ્છા ન હોય? આ કોઇ 'સંતા બંતા' જેવો જોક નથી, પરંતુ હકીકત છે. ફિનલેન્ડની વિમાન કંપની ફિનએરના 'ક્વોલિટી હંટર' અને સ્વતંત્ર પરામર્શકોની તપાસ શરૂ કરી છે. તેનું કામ યુરોપ, એશિયા તથા અમેરિકામાં વિભિન્ન શહેરોની યાત્રા કરીને એ જણવાનું રહેશે કે યાત્રાની ગુણવત્તાની દ્રષ્ટિએ શું-શું જરૂરી લાગે છે.આ યાત્રા દરમ્યાન ક્વોલિટી હંટરની ઉડાનો, વિમાનો, એરપોર્ટ વગેરે અંગે આકરણી કરવાની રહેશે. આમ, તો કંપની આ આકરણી ઓક્ટોબર-નવેમ્બર દરમ્યાન કરાવશે અને આ પદ માટે ફકત ચાર જ લોકોની જરૂર છે. ફિનએરની વેબસાઇટ પર 26મી સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકાય છે.
નક્સલીઓએ 3 બંધક પોલીસકર્મીઓને મુક્ત કર્યા
નક્સલીઓએ 8 દિવસથી બંધક બનાવાયેલા ત્રણ પોલીસકર્મીઓને મુક્ત કરી દીધા છે. ત્રણેય પોલીસકર્મીઓ લખીસરાય શહેરના પોલીસ સ્ટેશને પહોંચ્યા છે. આ પોલીસકર્મીઓનો લખીસરાયમાં પ્રાથમિક ઈલાજ ચાલી રહ્યો છે. ત્રણેય પોલીસકર્મીઓ જીપમાં બેસીને લખીસરાય પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ત્યાર બાદ આ ત્રણેય પોલીસકર્મીઓ પટના જવા માટે રવાના થશે. નક્સલીઓના કબ્જામાંથી છૂટયા બાદ પોલીસકર્મીઓ પટનામાં મુખ્યમંત્રી નીતિશ કુમારની મુલાકાત કરશે.મીડિયામાં આવી રહેલી ખબરો પ્રમાણે, સરકાર અને નક્સલીઓ વચ્ચે થયેલી વાતચીત બાદ નક્સલીઓએ બંધક પોલીસકર્મીઓને મુક્ત કર્યા છે. ત્યારે સરકારે નક્સલીઓને સુરક્ષિત રસ્તો આપવાનો નિર્ણય કર્યો છે. લખીસરાયના મેડિકલ ઓફિસરે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે ત્રણેય પોલીસકર્મીઓ સ્વસ્થ છે.બિહાર પોલીસે બંધક પોલીસકર્મીઓને છોડાવા માટે દબાણ બનાવતા લખીસરાયમાં કજરા પહાડીના તે વિસ્તારને ચારેય તરફથી ધેરી લીધો હતો. જો કે નક્સલીઓને દાવો છે કે તેમણે પોતાની મરજીથી પોલીસ કર્મીઓને છોડયા છે. એહસાન ખાન, રુપેશ કુમાર અને અભય યાદવને સવારે લગભગ સાડા છ કલાકે નક્સલીઓએ મુક્ત કરી દીધા છે. મીડિયાના જણાવ્યા પ્રમાણે, બિહારના પોલીસ મહાનિદેશકે આ સમાચારની પુષ્ટિ કરી છે.આ પહેલા શુક્રવાર સવારે બીએમપી હવાલદાર લુકાસ ટેટેની લાશ મળ્યા બાદ વિસ્તારમાં શોધ અભિયાન ઝડપી બનાવી દેવાયું હતું. સુરક્ષા દળો બાંકા, કૈમુર, મુંગેર, જામુઈ અને લખીસરાય જિલ્લાના જંગલોમાં કોમ્બિંગ ઓપરેશન ચલાવી રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે લગભગ આઠ દિવસો પહેલા બિહાર પોલસ સાથે અથડામણ બાદ નક્સલીઓએ ચાર પોલીસકર્મીઓને બંધક બનાવ્યા હતા.
અક્ષરધામના હુમલાના દોષિતોની ફાંસી પર સુપ્રિમ કોર્ટની રોક
ગુજરાતના અક્ષરધામ મંદિર પર હુમલાના બે આરોપીઓને આપવામાં આવેલી ફાંસીની સજા પર સુપ્રિમ કોર્ટે આજે રોક લગાવી દીધી છે. આ આરોપીઓએ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરીને મામલાની ફરીથી સુનાવણી માટે અપીલ કરી હતી. અક્ષરધામ હુમલાના આ દોષિતોએ સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે તેમના મામલાની તપાસ તત્કાલિન પોલીસ અધિકારી ડી. જી. વણઝારાએ કરી હતી અને સોહરાબુદ્દીનની જેમ તેમને પણ ખોટી રીતે ફસાવામાં આવ્યા છે.આરોપીઓએ કોર્ટ પાસે મામલાની તપાસ સીબીઆઈ પાસે કરવાની માગણી કરી હતી. આ અરજી પર સુનાવણી કરતાં આજે સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ જારી કરીને ફાંસીની સજા પામેલા ત્રણમાંથી બેની સજા પર રોક લાગવી દીધી છે.
આસામને બીગ-બી જેવા બ્રાન્ડ એમ્બેસેડરની જરૂર
ગુજરાત પછી હવે આસામને પણ પોતાના પ્રવાસન ને વધારવા માટે બૉલીવુડની હસ્તિઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા ઉપર વિચાર વ્યક્ત કર્યો છે.આસામ સરકારના પ્રધાન સચિવ (નાણા તેમજ પ્રવાસન) હિમાંશુ શેખર દાસે જણાવ્યુ હતુ કે અમે પ્રવાસન ને પ્રોત્સાહન આપવા માટે કોઈ બ્રાન્ડ એમ્બેસેડરની નિમણુંક ઉપર ફિલ્મ નિર્દેશક જાહનુ બરૂઆનુ મંતવ્ય લઈ રહ્યા છે.ઓક્ટોબર સુધીમાં કોઈ બૉલીવુડની હસ્તીના નામ ઉપર નિર્ણય લેવાની આશા છે. આસામમાં કાજીરંગા નેશનલ પાર્ક અને માનસ વાઈલ્ડ લાઇફ સેન્ચૂરી મોટા પ્રમાણમાં આકર્ષણનુ કેન્દ્ર છે. આ ઉપરાંત ચાના બગીચા અને ગોલ્ફ પ્રવાસન પણ પ્રવાસિયો ને ખાસ્સા આકર્ષિત કરે છે.
કુલદીપ શર્માની સુરતમાં ગુપ્ત મુલાકાત
શર્માએ જે-તે સમયે એન્કાઉન્ટરમાં સામેલ પોતાની ટીમના અધિકારીઓને એક્સંપ રહી નિર્ણયમાં અડગ રહેવા માટે મનાવ્યા છે અને વણઝારા આણી મંડળીની હાલતનું વર્ણન કરી ચેતવ્યા પણ હતા.ચોંકાવનારી બાબત તો એ છે કે આ મુલાકાત ચાલી રહી હતી તે સમયે સુરતના સર્કિટ હાઉસની બાજુની રૂમમાં સીબીઆઈના અધિકારીઓની પણ ઉપસ્થિતિ હતી.ચકચારી આસિફ અમદાવાદી એન્કાઉન્ટર કેસમાં સંભવત: આઈપીએસ કુલદીપ શર્માને સકંજામાં લેવા માટે સીઆઈડી ક્રાઈમ બ્રાંચ અને રાજકીય પ્રતિનિધિઓ હાલ સુરતના આંટાફેરા મારી રહ્યા છે. તો, બીજી તરફ શર્મા પણ મેદાને ઊતર્યા છે. તેઓ સુરતમાં શનિવારે મોડી રાત્રે આવ્યા અને રવિવારે સાંજે ૪:૦૦ કલાકે દિલ્હીની ફ્લાઈટમાં ચુપચાપ રવાના પણ થઈ ગયા હોવાની માહિતી સાંપડી છે.
શર્માએ જે તે સમયે એન્કાઉન્ટરમાં સામેલ પોતાની ટીમના અધિકારીઓને એક્સંપ રહી નિર્ણયમાં અડગ રહેવા માટે મનાવ્યા છે અને આડકતરી રીતે સરકારને મદદ કરનારા વણઝારા આણી મંડળીની હાલતનું વર્ણન કરી ચેતવ્યા પણ હતા. ચોંકાવનારી બાબત તો એ છે કે આ મુલાકાત ચાલી રહી હતી તે સમયે સુરતના સર્કિટ હાઉસની બાજુની રૂમમાં સીબીઆઈના અધિકારીઓની પણ ઉપસ્થિતિ હતી.અંતરંગ સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ આસિફ અમદાવાદી કેસમાં તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઇમને અત્યાર સુધી એન્કાઉન્ટરમાં સામેલ લોકોને ‘ફિટ’ કરી શકાય તેવા કોઇ પુરાવા હાથ લાગ્યા નથી. ત્યારે તેમની પાસે હવે આસિફ એન્કાઉન્ટરમાં સામેલ અધિકારીઓને તાજના સાક્ષી બનાવવાનો જ વિકલ્પ બચ્યો છે.તેમનાં નિવેદનોના આધારે જ સીબીઆઈ કોર્ટમાં કેસ લઇ ને ઊભી રહી શકે તેવી સ્થિતિ બને. આથી છેલ્લા પંદરેક દિવસથી આ અધિકારીઓને તાજના સાક્ષી બનાવવા માટે મનામણા ચાલી રહ્યા છે. આ કામ માટે તાજેતરમાં ઉત્તર ગુજરાતના એક ધારાસભ્ય પણ સુરત આવ્યા હતા અને આ ટીમમાં સામેલ પોલીસ ઇન્સપેક્ટર કક્ષાના એક અધિકારીને રાજ્ય સરકારના કામમાં મદદ કરવા માટે મનાવી લેવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી હતી.આ વિગતના આધારે કુલદીપ શર્મા અને તેમની સાથે રહેલી ટીમમાં સામેલ અધિકારીઓ ફફડી ઊઠ્યા હોવાનું કહેવાય છે. આથી જ શનિવારે મોડીરાત્રે ૨ વાગ્યે કુલદીપ શર્મા સુરત આવી સન૧૯૯૯માં તેમને સાથ આપનાર અને હાલ વયમર્યાદાને લીધે નિવૃત્તિ પામેલા બે અધિકારીઓ અને ત્રીજા એક બદલી પામેલા પોલીસ ઇન્સપેક્ટર કક્ષાના અધિકારીને મળ્યા હોવાનું જાણવા મળે છે. શર્માએ આ તમામ સાથે લગભગ બે કલાક સુધી ચર્ચા-વિચારણા કરી હતી.
‘શાહ સાથેની મિટિંગ બાદ મેડમ તણાવમાં હતાં’
જોહરી રાજકીય દબાણને વશ થઈ ગયાં હોવાનું સીબીઆઇ સમક્ષ રાજેન્દ્રર આચાર્યનું નિવેદન સોલંકીએ સોહરાબ એન્કાઉન્ટર બોગસ હોવાનો પ્રાથમિક અહેવાલ જોહરીને આપ્યો હતો.સોહરાબુદ્દીન કેસના સુપરવિઝન સમયે ગીથા જોહરી રાજકીય દબાણને વશ થઈ ગયાં હોવાનું ચોંકાવનારું નિવેદન તેમના પૂર્વ અંગત સચિવ રાજેન્દ્રર આચાર્યએ સીબીઆઇને આપ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અમિત શાહ સાથેની મિટિંગમાંથી બહાર આવ્યા બાદ જોહરી તણાવમાં જણાતાં હોવાનું પણ આચાર્યએ નિવેદનમાં કહ્યું હોવાની ચર્ચા છે. જોકે સીબીઆઇ સત્તાવાર રીતે આ વાતને સમર્થન આપતી નથી.રાજકોટના પોલીસ કમિશનર અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસના તત્કાલીન સુપરવાઇઝિંગ અધિકારી ગીથા જોહરીની સીબીઆઇ દ્વારા થતી કનડગત અંગેની અરજીની સુનાવણી ૭મી સપ્ટેમ્બરે છે, ત્યારે તેમના તત્કાલીન અંગત સચિવ રાજેન્દ્રર આચાર્યએ તપાસ દરમિયાન રાજકીય દબાણ કરાયું હોવાનું તથા જોહરી દબાણને વશ થઈ ગયાં હોવાનું ચોંકાવનારું નિવેદન સીબીઆઇ સમક્ષ આપ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.રાજેન્દ્રર આચાર્ય ૨૦૦૬ દરમિયાન ગીથા જોહરીના અંગત સચિવ તરીકે તહેનાત હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજેન્દ્રર આચાર્યએ સીબીઆઇને જણાવ્યું છે કે ગીથા જોહરીએ તત્કાલીન તપાસનીશ અધિકારી વી.એલ. સોલંકીને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા હતા તે દિવસે આચાર્ય ચેમ્બરમાં જ હતા. તે દિવસે સોલંકીએ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર બોગસ હોવાનો પ્રાથમિક અહેવાલ જોહરીને સોંપ્યો હતો. તે સમયે તેઓ સ્વસ્થ જણાતાં હતાં.દરમિયાન એક ફોન આવતાં ‘આવું છું’ કહી તેઓ જતાં રહ્યાં હતાં. પરત આવ્યાં ત્યારે ખૂબ જ તણાવમાં દેખાતાં હતાં. તેમણે સોલંકીને કહ્યું હતું કે, સીઆઇડી ક્રાઇમના તત્કાલીન એડશિનલ ડીજી જી.સી. રાયગર, પોલીસવડા પી.સી. પાંડે અને અમિત શાહ સાથેની મિટિંગ દરમિયાન શાહ ખૂબ જ ગુસ્સામાં હતા. અમિત શાહે કહ્યું હતું કે, વણઝારા અને પાંડિયન જેવા અધિકારીને ફિટ કરી શકે તેવો રિપોર્ટ એક ઇન્સપેક્ટર કઈ રીતે બનાવી શકે! શાહે રિપોર્ટ ફાડી નાખવાની પણ સૂચના આપી હોવાનું જોહરીએ સોલંકીને કહ્યું હતું.
સટ્ટાખોર મારી પાસે આવ્યા હોત તો થપ્પડ મારી હોત'
ભારતીય સ્પિનર હરભજન સિંહે જણાવ્યું હતું કે જો કોઈ સટ્ટાબાજ મારી પાસે આવ્યો હોત તો હું તેને થપ્પડ મારી દીધી હોત. એક ખાનગી ચેનલ સાથે વાતચિત દરમિયાન હરભજને જણાવ્યું હતું કે મારી કેરિયરમાં હજુ સુધી કોઈ સટ્ટાખોરે મારો સંપર્ક કર્યો નથી. મેં ક્યારે આવું જોયું નથી. મને તો વિશ્વાસ થતો જ નથી કે કોઈ આવું પણ કરી શકે છે.ભજ્જીએ જણાવ્યું હતું કે જો પાકિસ્તાનના ખેલાડીઓની વિરુદ્ધ સ્પોટ ફિક્સિંગનો આરોપ સાબિત થશે તો આ શરમની વાત હશે. તેણે કહ્યું હતું કે મને નથી ખબર કે ઈંગ્લેન્ડમાં શું થયું હતું. મેં સમાચારપત્રોમાં જોયું પરંતુ આમાં કેટલું સાચું છે તેની તપાસ ચાલી રહી છે. જોઈએ કે આરોપ સાચા છે કે ખોટા.હરભજને કહ્યું હતું કે જ્યારે હું ભારત માટે રમું છું તો મને ગર્વ થાય છે. મને નથી ખબર કે લોકો આવું કેવી રીતે કરી શકે છે. જો આવું થઈ રહ્યું છે તો તે આ મોટી શરમની વાત છે. જો આ સાબિત થઈ જશે તો આરોપીઓની વિરુદ્ધ કાર્યવાહી કરીને સજા કરવી જોઈએ.દસ વર્ષ પહેલાની મેચ ફિક્સિંગ કાંડ વિષે પુછવા પર ભજ્જીએ કહ્યું હતું કે તે સમયે તેઓ યુવા હતાં અને ટીમમાંથી અંદર-બહાર થયા કરતાં હતાં. પરંતુ આ દરમિયાન તેના તે સમયના કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને સજા મળી હતી.
આજે સોમનાથ દાદાને લીલોતરીનો શણગાર
આવતીકાલ તા. ૬ નાં રોજ શ્રાવણમાસનો અંતિમ સોમવાર હોઇ શિવિભક્ત તેની પરપિૂર્ણતા તરફ જઇ રહી છે. મેઘરાજાએ ધરતી પર લીલી ચાદર પાથરી દીધી છે. ત્યારે સોમનાથ દાદાને પણ શ્રાવણનાં અંતિમ સોમવારે લીલોતરીનો શણગાર કરાનાર છે.સદાશિવ મહાદેવનું દિવ્ય જયોતિર્લિંગ લીલોતરીનાં કુણાં પર્ણો અને લીલીછમ ડાળખીઓથી શણગારાશે. જેમાં બિલીપત્રનાં પાન, કેળનાં પાનનાં ઝૂમખાં, ધ્રો ની સુંવાળી-મખમલી લીલીછમ લોન, આંબા અને આસોપાલવનાં પાનથી મહાદેવને ભરપૂર ભક્તિમય રીતે છાઇ દેવામાં આવશે. શિવલીંગની જળાધારી ફરતે કેળનાં થાંભલાઓ લીલાંછમ છોડવાંઓનાં કુંડાઓ તેમજ બીજ ચંદ્રમાં વિશાળ પુષ્પહાર અને શિવજીનું મ્હોરું તેમજ દીપમાળા પણ કરાશે. આ વર્ષે અઢળક વરસાદનો વૈભવ શિવિભક્તને દઇ સમગ્ર ગુજરાત ભૂમિને પ્રાકૃતિક સૌંદર્યનું આહલાદક જળધન દેનાર ભોળાનાથ ઉપર કરાયેલી લીલોતરી પૂજા એન તેનાં પાન ઉપરનાં જલબિંદુઓ ભાવિકોને મંત્રમુગ્ધ બનાવી દે છે.બે દિવસથી વરસાદે વિરામ લેતાં ભાવિકોનાં ઘોડાપુર પણ સોમનાથ દાદાનાં દર્શને ઉમટી રહ્યાં છે. આજે યોગગુરૂ બાબા રામદેવે અહીં દર્શન કરી મહાદેવને ગંગાજળથી અભિષેક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આજનાં રાષ્ટ્રીય સંકટમાં તેમણે દેશનાં કલ્યાણ માટે પ્રાર્થના કરી છે. દેશભરમાં શિવત્વ ફરી પ્રગટ થાય તેવી શુભકામના તેમણે વ્યક્ત કરી હતી.
‘આમિર દોષી હશે તો પણ આજીવન પ્રતિબંધ નહી લાગે’
હાલ સાથી ખેલાડીઓ સલમાન બટ્ટ અને મોહમ્મદ આસિફ સાથે સ્પોટ ફિક્સિંગના ગંભીર આરોપોનો સામનો કરી રહેલો મોહમ્મદ આમિર જો દોષી પુરવાર થશે તો પણ કદાચ તેની 18 વર્ષની ઉમર તેને આજીવન પ્રતિબંધના દંડમાંથી બચાવી લેશે, તેવા સંકેત આઇસીસીના સીઇઓ હારૂન લોગાર્ટે આપ્યા છે.ધ ડેઇલી મેલમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં લોગાર્ટના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, આ મારું અંગત મંતવ્ય છે. મારું માનવું છે કે, આ આખી ઘટનામાં ઉમરનો મુદ્દો આવી શકે છે. પરંતુ તેને ધ્યાનમાં લઇને અમારે અમુક સ્વાતંત્ર્ય ન્યાય અંગે વીચારવું પડશે.બ્રિટિશ ટેબ્લોઇડમાં છપાયેલા સ્પોટ ફિક્સિંગના સ્ટિંગ ઓપરેશન બાદ પાકિસ્તાનના ટેસ્ટ સુકાની સલમાન બટ્ટ, ઝડપી બોલર મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિરને પાકિસ્તાનની વનડે ટીમમાંથી હાલની તકે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
હમીદ કેવો છે તે અમે જાણીએ છીએઃ આફ્રિદી
પાકિસ્તાન ક્રિકેટ ટીમના વનડે અને ટી-20ના સુકાની શાહિદ આફ્રિદીએ બ્રિટિશ ટેબ્લોઇડ યાસિર હમીદના પ્રકાશિત કરેલા ઇન્ટર્વ્યું અંગે કહ્યું છે કે, યાસિર હમીદનો વિશ્વાસ કરી શકાય નહી. કારણ કે, તે માનસિક રીતે હજૂ ટીનેજર જેવો છે.સ્પોટ ફિક્સિંગમાં પાકિસ્તાનના ખેલાડીઓની સંડોવણી અંગે માફી માંગનાર શાહિદ આફ્રિદીએ કહ્યું કે, હામીદ વિશ્વાસપાત્ર નથી. તેની ઉમર 30 અથવા 31ની આસપાસ હશે. પરંતુ માનસિક રીતે તે હજૂ 15 અથવા 16 વર્ષનો છે.લોકો જાણે છે કે, યાસિર હમીદનું કેરેક્ટર કેવું છે. અમે તેને ઘણા લાંબા સમયથી જાણીએ છીએ. તેની પાસેથી કેવા પ્રકારની આશાઓ રાખી શકાય તે અંગે પણ માહિતગાર છીએ. તેણે આ પ્રકારની સંકુચિત વિચારસરણી અનેક વખત રજૂ કરી છે. તે વિશ્વાસપાત્ર નથી, તેમ આફ્રિદીએ જણાવ્યું છે. આફ્રિદીએ ઉમેર્યું છે કે, ન્યૂઝ ઓફ વર્લ્ડ નામના બ્રિટિશ ટેબ્લોઇડ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા સ્ટિંગમાં યાસિર હમીદને એવું કહેતો દર્શાવવામાં આવ્યો છે કે, પાકિસ્તાનની મોટાભાગની મેચો ફિક્સ હોય છે. અને બાદમાં યાસિરે આ નિવેદને ખોટું ગણાવ્યું છે. હું જાણતો નથી કે, યાસિરે કોની સાથે આ બધી વાતો કરતો હતો. અને મને એ પણ ખબર નથી કે, તેણે કઇ પરિસ્થિતિમાં આ પ્રકારનો મેસેજ આપ્યો છે.
ચિદમ્બરમ સાહેબ, નક્સલીઓની તાકાત વધી રહી છે!
ગૃહમંત્રી પી. ચિદમ્બરમની તમામ કોશિસોને નાકામ કરીને નક્સલીઓ સતત પોતાનું વર્તુળ વધારી રહ્યાં છે. ગત વર્ષની સરખામણીમાં તેમણે આ વર્ષેના પહેલા છ માસમાં ઘણી વધારે ઘટનાઓ કરી છે. સૌથી ખતરનાક વાત એ છે કે નક્સલી હવે સુરક્ષાકર્મીઓ અને તેમના મુખબીરોને સીધા નિશાન બનાવી રહ્યાં છે.ગૃહ મંત્રાલયના આંકડા પ્રમાણે, નક્સલવાદી સતત પોતાની શક્તિ વધારી રહ્યાં છે. તેઓ નવા વિસ્તારોમાં પોતાનું સંગઠન ઉભું કરી રહ્યાં છે. નવા હથિયારો અને દારૂગોળો હાસિલ કરી રહ્યાં છે. નક્સલી સતત ગંભીર ચિંતાનું કારણ બનેલા છે. નક્સલી સંગઠનોમાં સૌથી વધારે ખતરનાક સીપીઆઈ (માઓવાદી) જ છે. કુલ નક્સલી ઘટનાઓમાંથી 90 ટકા તેમના ખાતામાં છે. નક્સલી હિંસામાં માર્યા ગયેલા લોકોમાં 95 ટકા લોકો માઓવાદીઓ દ્વારા જ માર્યા ગયા છે.ગૃહ મંત્રાલયની નક્સલી સંબંધિત શાખા દ્વારા નક્સલી પ્રવૃતિઓ પર તૈયાર કરવામાં આવેલી આ વર્ષના પ્રથમ છ માસના સમીક્ષા રિપોર્ટમાં જે જાણકારી આપી છે, તે ચોંકાવનારી છે. કારણ કે આ તમામ જાણકારી પ્રમાણિત કરે છે કે ગૃહમંત્રી પી. ચિદમ્બરમની તમામ કોશિશો અપૂરતી સાબિત થઈ રહી છે.આ સમીક્ષા રિપોર્ટ પ્રમાણે, આ વર્ષે નક્સલીઓએ પોતાનો વિસ્તાર પણ વધાર્યો છે. દેશના 19 રાજ્યોના 158 જિલ્લામાં 717 પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી નક્સલ ગતિવિધિની માહિતી આવી છે. ગત વર્ષ આ અવધિ દરમિયાન 19 રાજ્યોના 131 જિલ્લાના 546 પોલીસ સ્ટેશનોથી નક્સલી ગતિવિધિઓના અહેવાલો આવ્યા હતા.આ સમયગાળામાં નક્સલી હિંસાનું વર્તુળ પણ વધ્યું છે. 2010ના પહેલા છ માસમાં 11 રાજ્યોના 85 જિલ્લાના 357 પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી નક્સલી હિંસાની ઘટનાઓના અહેવાલો આવ્યા છે. જ્યારે ગત વર્ષ તેઓ 74 જિલ્લાના 317 પોલીસ સ્ટેશન વિસ્તાર સુધી સીમિત હતા.આ વર્ષે જૂન સુધી કુલ 1116 ઘટનાઓમાં કુલ 538 લોકો માર્યા ગયા છે. જ્યારે સૌથી વધારે નક્સલી હિંસાના સાક્ષી બનેલા વર્ષ 2009માં આ સંખ્યા 459 હતી.
આમિર-આસિફને ડ્રેસિંગરૂમથી દૂર રાખો
પાકિસ્તાનની વન-ડે ટીમના સુકાની શાહિદ આફ્રિદીએ પ્રતિબંધિત ક્રિકેટર સલમાન બટ્ટ, મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિર પ્રત્યે આકરું વલણ અપનાવીને જણાવ્યું હતું કે ટીમના સર્વશ્રેષ્ઠ હિતને ધ્યાનમાં રાખીને આ દોષિત ક્રિકેટરોને ડ્રેસિંગરૂમથી દૂર રાખવા જોઇએ.અમે કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ પરંતુ અમે તેનાથી દૂર ભાગી શકીએ તેમ નથી. પાકિસ્તાનનો આ ઇંગ્લેન્ડ પ્રવાસ કેટલો મહત્વપૂર્ણ છે તે તમામ જાણે છે. ત્રણેય ખેલાડીઓને ડ્રેસિંગરૂમથી દૂર રાખવામાં આવે તેમાં જ ભલાઇ છે.
પાકિસ્તાનનું અસ્તિત્વ જોખમમાં
પાકિસ્તાનના નાગરિકો અને સૈન્ય નેતૃત્વએ રક્ષા દિવસના અવસર પર આપવામાં આવેલા સંદેશામાં કહ્યું છે કે આતંકવાદ અને તાજેતરમાં આવેલા પૂરે પાકિસ્તાન માટે ગંભીર સંકટ અને અસ્તિત્વ માટે જોખમ ઊભા કરી દીધા છે.પાકિસ્તાની સેવાઓના સર્વોચ્ચ કમાંડર અને રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ કહ્યું છે કે એકબાજુ દેશને ધર્માંધ અને અતિ ઉત્સાહી ઉગ્રવાદીઓના અસ્તિત્વથી ખતરો છે, તો બીજી બાજુ ભીષણ પૂરે વિનાશ નોતર્યો છે.એક અન્ય સંદેશમાં સેના પ્રમુખ જનરલ અશફાક પરવેઝ કયાનીએ કહ્યું છે કે પાકિસ્તાન વિવિધ મોર્ચે સુરક્ષાના પડકારો ઝીલી રહ્યું છે, પરંતુ આતંકવાદ અને ઉગ્રવાદે ખરેખર પાકિસ્તાનને અસ્તિત્વના સંઘર્ષમાં મૂકી દીધું છે. વર્ષ 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં લાહોરને ભારતીય સેનાથી બચાવી લેવામાં મળેલી સફળતાને કારણે 6 સપ્ટેમ્બરને સક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
દુનિયામાં ફરતા રહેવાની નોકરી
એક વિમાન કંપનીમાં નોકરીઓ છે. તેમાં કામ છે દુનિયાભરમાં પ્લેનમાં જ ફરવાનું અને ત્યાંની ફ્લાઇટ્સ અને એરપોર્ટની ગુણવત્તાનું નિરીક્ષણ કરવાનું.આવી નોકરી કરવાની કોણે ઇચ્છા ન હોય? આ કોઇ 'સંતા બંતા' જેવો જોક નથી, પરંતુ હકીકત છે. ફિનલેન્ડની વિમાન કંપની ફિનએરના 'ક્વોલિટી હંટર' અને સ્વતંત્ર પરામર્શકોની તપાસ શરૂ કરી છે. તેનું કામ યુરોપ, એશિયા તથા અમેરિકામાં વિભિન્ન શહેરોની યાત્રા કરીને એ જણવાનું રહેશે કે યાત્રાની ગુણવત્તાની દ્રષ્ટિએ શું-શું જરૂરી લાગે છે.આ યાત્રા દરમ્યાન ક્વોલિટી હંટરની ઉડાનો, વિમાનો, એરપોર્ટ વગેરે અંગે આકરણી કરવાની રહેશે. આમ, તો કંપની આ આકરણી ઓક્ટોબર-નવેમ્બર દરમ્યાન કરાવશે અને આ પદ માટે ફકત ચાર જ લોકોની જરૂર છે. ફિનએરની વેબસાઇટ પર 26મી સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકાય છે.
નક્સલીઓએ 3 બંધક પોલીસકર્મીઓને મુક્ત કર્યા
નક્સલીઓએ 8 દિવસથી બંધક બનાવાયેલા ત્રણ પોલીસકર્મીઓને મુક્ત કરી દીધા છે. ત્રણેય પોલીસકર્મીઓ લખીસરાય શહેરના પોલીસ સ્ટેશને પહોંચ્યા છે. આ પોલીસકર્મીઓનો લખીસરાયમાં પ્રાથમિક ઈલાજ ચાલી રહ્યો છે. ત્રણેય પોલીસકર્મીઓ જીપમાં બેસીને લખીસરાય પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ત્યાર બાદ આ ત્રણેય પોલીસકર્મીઓ પટના જવા માટે રવાના થશે. નક્સલીઓના કબ્જામાંથી છૂટયા બાદ પોલીસકર્મીઓ પટનામાં મુખ્યમંત્રી નીતિશ કુમારની મુલાકાત કરશે.મીડિયામાં આવી રહેલી ખબરો પ્રમાણે, સરકાર અને નક્સલીઓ વચ્ચે થયેલી વાતચીત બાદ નક્સલીઓએ બંધક પોલીસકર્મીઓને મુક્ત કર્યા છે. ત્યારે સરકારે નક્સલીઓને સુરક્ષિત રસ્તો આપવાનો નિર્ણય કર્યો છે. લખીસરાયના મેડિકલ ઓફિસરે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે ત્રણેય પોલીસકર્મીઓ સ્વસ્થ છે.બિહાર પોલીસે બંધક પોલીસકર્મીઓને છોડાવા માટે દબાણ બનાવતા લખીસરાયમાં કજરા પહાડીના તે વિસ્તારને ચારેય તરફથી ધેરી લીધો હતો. જો કે નક્સલીઓને દાવો છે કે તેમણે પોતાની મરજીથી પોલીસ કર્મીઓને છોડયા છે. એહસાન ખાન, રુપેશ કુમાર અને અભય યાદવને સવારે લગભગ સાડા છ કલાકે નક્સલીઓએ મુક્ત કરી દીધા છે. મીડિયાના જણાવ્યા પ્રમાણે, બિહારના પોલીસ મહાનિદેશકે આ સમાચારની પુષ્ટિ કરી છે.આ પહેલા શુક્રવાર સવારે બીએમપી હવાલદાર લુકાસ ટેટેની લાશ મળ્યા બાદ વિસ્તારમાં શોધ અભિયાન ઝડપી બનાવી દેવાયું હતું. સુરક્ષા દળો બાંકા, કૈમુર, મુંગેર, જામુઈ અને લખીસરાય જિલ્લાના જંગલોમાં કોમ્બિંગ ઓપરેશન ચલાવી રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે લગભગ આઠ દિવસો પહેલા બિહાર પોલસ સાથે અથડામણ બાદ નક્સલીઓએ ચાર પોલીસકર્મીઓને બંધક બનાવ્યા હતા.
અક્ષરધામના હુમલાના દોષિતોની ફાંસી પર સુપ્રિમ કોર્ટની રોક
ગુજરાતના અક્ષરધામ મંદિર પર હુમલાના બે આરોપીઓને આપવામાં આવેલી ફાંસીની સજા પર સુપ્રિમ કોર્ટે આજે રોક લગાવી દીધી છે. આ આરોપીઓએ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરીને મામલાની ફરીથી સુનાવણી માટે અપીલ કરી હતી. અક્ષરધામ હુમલાના આ દોષિતોએ સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે તેમના મામલાની તપાસ તત્કાલિન પોલીસ અધિકારી ડી. જી. વણઝારાએ કરી હતી અને સોહરાબુદ્દીનની જેમ તેમને પણ ખોટી રીતે ફસાવામાં આવ્યા છે.આરોપીઓએ કોર્ટ પાસે મામલાની તપાસ સીબીઆઈ પાસે કરવાની માગણી કરી હતી. આ અરજી પર સુનાવણી કરતાં આજે સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ જારી કરીને ફાંસીની સજા પામેલા ત્રણમાંથી બેની સજા પર રોક લાગવી દીધી છે.
આસામને બીગ-બી જેવા બ્રાન્ડ એમ્બેસેડરની જરૂર
ગુજરાત પછી હવે આસામને પણ પોતાના પ્રવાસન ને વધારવા માટે બૉલીવુડની હસ્તિઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા ઉપર વિચાર વ્યક્ત કર્યો છે.આસામ સરકારના પ્રધાન સચિવ (નાણા તેમજ પ્રવાસન) હિમાંશુ શેખર દાસે જણાવ્યુ હતુ કે અમે પ્રવાસન ને પ્રોત્સાહન આપવા માટે કોઈ બ્રાન્ડ એમ્બેસેડરની નિમણુંક ઉપર ફિલ્મ નિર્દેશક જાહનુ બરૂઆનુ મંતવ્ય લઈ રહ્યા છે.ઓક્ટોબર સુધીમાં કોઈ બૉલીવુડની હસ્તીના નામ ઉપર નિર્ણય લેવાની આશા છે. આસામમાં કાજીરંગા નેશનલ પાર્ક અને માનસ વાઈલ્ડ લાઇફ સેન્ચૂરી મોટા પ્રમાણમાં આકર્ષણનુ કેન્દ્ર છે. આ ઉપરાંત ચાના બગીચા અને ગોલ્ફ પ્રવાસન પણ પ્રવાસિયો ને ખાસ્સા આકર્ષિત કરે છે.
કુલદીપ શર્માની સુરતમાં ગુપ્ત મુલાકાત
શર્માએ જે-તે સમયે એન્કાઉન્ટરમાં સામેલ પોતાની ટીમના અધિકારીઓને એક્સંપ રહી નિર્ણયમાં અડગ રહેવા માટે મનાવ્યા છે અને વણઝારા આણી મંડળીની હાલતનું વર્ણન કરી ચેતવ્યા પણ હતા.ચોંકાવનારી બાબત તો એ છે કે આ મુલાકાત ચાલી રહી હતી તે સમયે સુરતના સર્કિટ હાઉસની બાજુની રૂમમાં સીબીઆઈના અધિકારીઓની પણ ઉપસ્થિતિ હતી.ચકચારી આસિફ અમદાવાદી એન્કાઉન્ટર કેસમાં સંભવત: આઈપીએસ કુલદીપ શર્માને સકંજામાં લેવા માટે સીઆઈડી ક્રાઈમ બ્રાંચ અને રાજકીય પ્રતિનિધિઓ હાલ સુરતના આંટાફેરા મારી રહ્યા છે. તો, બીજી તરફ શર્મા પણ મેદાને ઊતર્યા છે. તેઓ સુરતમાં શનિવારે મોડી રાત્રે આવ્યા અને રવિવારે સાંજે ૪:૦૦ કલાકે દિલ્હીની ફ્લાઈટમાં ચુપચાપ રવાના પણ થઈ ગયા હોવાની માહિતી સાંપડી છે.
શર્માએ જે તે સમયે એન્કાઉન્ટરમાં સામેલ પોતાની ટીમના અધિકારીઓને એક્સંપ રહી નિર્ણયમાં અડગ રહેવા માટે મનાવ્યા છે અને આડકતરી રીતે સરકારને મદદ કરનારા વણઝારા આણી મંડળીની હાલતનું વર્ણન કરી ચેતવ્યા પણ હતા. ચોંકાવનારી બાબત તો એ છે કે આ મુલાકાત ચાલી રહી હતી તે સમયે સુરતના સર્કિટ હાઉસની બાજુની રૂમમાં સીબીઆઈના અધિકારીઓની પણ ઉપસ્થિતિ હતી.અંતરંગ સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ આસિફ અમદાવાદી કેસમાં તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઇમને અત્યાર સુધી એન્કાઉન્ટરમાં સામેલ લોકોને ‘ફિટ’ કરી શકાય તેવા કોઇ પુરાવા હાથ લાગ્યા નથી. ત્યારે તેમની પાસે હવે આસિફ એન્કાઉન્ટરમાં સામેલ અધિકારીઓને તાજના સાક્ષી બનાવવાનો જ વિકલ્પ બચ્યો છે.તેમનાં નિવેદનોના આધારે જ સીબીઆઈ કોર્ટમાં કેસ લઇ ને ઊભી રહી શકે તેવી સ્થિતિ બને. આથી છેલ્લા પંદરેક દિવસથી આ અધિકારીઓને તાજના સાક્ષી બનાવવા માટે મનામણા ચાલી રહ્યા છે. આ કામ માટે તાજેતરમાં ઉત્તર ગુજરાતના એક ધારાસભ્ય પણ સુરત આવ્યા હતા અને આ ટીમમાં સામેલ પોલીસ ઇન્સપેક્ટર કક્ષાના એક અધિકારીને રાજ્ય સરકારના કામમાં મદદ કરવા માટે મનાવી લેવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી હતી.આ વિગતના આધારે કુલદીપ શર્મા અને તેમની સાથે રહેલી ટીમમાં સામેલ અધિકારીઓ ફફડી ઊઠ્યા હોવાનું કહેવાય છે. આથી જ શનિવારે મોડીરાત્રે ૨ વાગ્યે કુલદીપ શર્મા સુરત આવી સન૧૯૯૯માં તેમને સાથ આપનાર અને હાલ વયમર્યાદાને લીધે નિવૃત્તિ પામેલા બે અધિકારીઓ અને ત્રીજા એક બદલી પામેલા પોલીસ ઇન્સપેક્ટર કક્ષાના અધિકારીને મળ્યા હોવાનું જાણવા મળે છે. શર્માએ આ તમામ સાથે લગભગ બે કલાક સુધી ચર્ચા-વિચારણા કરી હતી.
‘શાહ સાથેની મિટિંગ બાદ મેડમ તણાવમાં હતાં’
જોહરી રાજકીય દબાણને વશ થઈ ગયાં હોવાનું સીબીઆઇ સમક્ષ રાજેન્દ્રર આચાર્યનું નિવેદન સોલંકીએ સોહરાબ એન્કાઉન્ટર બોગસ હોવાનો પ્રાથમિક અહેવાલ જોહરીને આપ્યો હતો.સોહરાબુદ્દીન કેસના સુપરવિઝન સમયે ગીથા જોહરી રાજકીય દબાણને વશ થઈ ગયાં હોવાનું ચોંકાવનારું નિવેદન તેમના પૂર્વ અંગત સચિવ રાજેન્દ્રર આચાર્યએ સીબીઆઇને આપ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અમિત શાહ સાથેની મિટિંગમાંથી બહાર આવ્યા બાદ જોહરી તણાવમાં જણાતાં હોવાનું પણ આચાર્યએ નિવેદનમાં કહ્યું હોવાની ચર્ચા છે. જોકે સીબીઆઇ સત્તાવાર રીતે આ વાતને સમર્થન આપતી નથી.રાજકોટના પોલીસ કમિશનર અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસના તત્કાલીન સુપરવાઇઝિંગ અધિકારી ગીથા જોહરીની સીબીઆઇ દ્વારા થતી કનડગત અંગેની અરજીની સુનાવણી ૭મી સપ્ટેમ્બરે છે, ત્યારે તેમના તત્કાલીન અંગત સચિવ રાજેન્દ્રર આચાર્યએ તપાસ દરમિયાન રાજકીય દબાણ કરાયું હોવાનું તથા જોહરી દબાણને વશ થઈ ગયાં હોવાનું ચોંકાવનારું નિવેદન સીબીઆઇ સમક્ષ આપ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.રાજેન્દ્રર આચાર્ય ૨૦૦૬ દરમિયાન ગીથા જોહરીના અંગત સચિવ તરીકે તહેનાત હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજેન્દ્રર આચાર્યએ સીબીઆઇને જણાવ્યું છે કે ગીથા જોહરીએ તત્કાલીન તપાસનીશ અધિકારી વી.એલ. સોલંકીને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા હતા તે દિવસે આચાર્ય ચેમ્બરમાં જ હતા. તે દિવસે સોલંકીએ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર બોગસ હોવાનો પ્રાથમિક અહેવાલ જોહરીને સોંપ્યો હતો. તે સમયે તેઓ સ્વસ્થ જણાતાં હતાં.દરમિયાન એક ફોન આવતાં ‘આવું છું’ કહી તેઓ જતાં રહ્યાં હતાં. પરત આવ્યાં ત્યારે ખૂબ જ તણાવમાં દેખાતાં હતાં. તેમણે સોલંકીને કહ્યું હતું કે, સીઆઇડી ક્રાઇમના તત્કાલીન એડશિનલ ડીજી જી.સી. રાયગર, પોલીસવડા પી.સી. પાંડે અને અમિત શાહ સાથેની મિટિંગ દરમિયાન શાહ ખૂબ જ ગુસ્સામાં હતા. અમિત શાહે કહ્યું હતું કે, વણઝારા અને પાંડિયન જેવા અધિકારીને ફિટ કરી શકે તેવો રિપોર્ટ એક ઇન્સપેક્ટર કઈ રીતે બનાવી શકે! શાહે રિપોર્ટ ફાડી નાખવાની પણ સૂચના આપી હોવાનું જોહરીએ સોલંકીને કહ્યું હતું.
સટ્ટાખોર મારી પાસે આવ્યા હોત તો થપ્પડ મારી હોત'
ભારતીય સ્પિનર હરભજન સિંહે જણાવ્યું હતું કે જો કોઈ સટ્ટાબાજ મારી પાસે આવ્યો હોત તો હું તેને થપ્પડ મારી દીધી હોત. એક ખાનગી ચેનલ સાથે વાતચિત દરમિયાન હરભજને જણાવ્યું હતું કે મારી કેરિયરમાં હજુ સુધી કોઈ સટ્ટાખોરે મારો સંપર્ક કર્યો નથી. મેં ક્યારે આવું જોયું નથી. મને તો વિશ્વાસ થતો જ નથી કે કોઈ આવું પણ કરી શકે છે.ભજ્જીએ જણાવ્યું હતું કે જો પાકિસ્તાનના ખેલાડીઓની વિરુદ્ધ સ્પોટ ફિક્સિંગનો આરોપ સાબિત થશે તો આ શરમની વાત હશે. તેણે કહ્યું હતું કે મને નથી ખબર કે ઈંગ્લેન્ડમાં શું થયું હતું. મેં સમાચારપત્રોમાં જોયું પરંતુ આમાં કેટલું સાચું છે તેની તપાસ ચાલી રહી છે. જોઈએ કે આરોપ સાચા છે કે ખોટા.હરભજને કહ્યું હતું કે જ્યારે હું ભારત માટે રમું છું તો મને ગર્વ થાય છે. મને નથી ખબર કે લોકો આવું કેવી રીતે કરી શકે છે. જો આવું થઈ રહ્યું છે તો તે આ મોટી શરમની વાત છે. જો આ સાબિત થઈ જશે તો આરોપીઓની વિરુદ્ધ કાર્યવાહી કરીને સજા કરવી જોઈએ.દસ વર્ષ પહેલાની મેચ ફિક્સિંગ કાંડ વિષે પુછવા પર ભજ્જીએ કહ્યું હતું કે તે સમયે તેઓ યુવા હતાં અને ટીમમાંથી અંદર-બહાર થયા કરતાં હતાં. પરંતુ આ દરમિયાન તેના તે સમયના કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને સજા મળી હતી.
05 September 2010
જૈનોના મહાપર્વ પર્યુષણનો પ્રારંભ
visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
જૈનોના મહાપર્વ પર્યુષણનો પ્રારંભ
મહેસાણા સહિત જિલ્લાના વિસનગર, ઊંઝા, કડી, વિજાપુર, બહુરાજી, સતલાસણા સહિત નગરોમાં જૈનોના પર્યુષણ મહાપર્વનો શનિવારથી પ્રારંભ થયો છે.મહેસાણા શહેરમાં જૈનોના મહાપર્વ ગણાતા પર્યુષણ પર્વનો શનિવારથી પ્રારંભ થતાં અહીંના હાઇવે સ્થિત સિમંધર સ્વામી જૈન દેરાસર, ઉપનગર જૈનસંઘના નવિનર્મિત વાસુપુજય સ્વામી જૈન દેરાસર અને બજારમાં આવેલ પાર્શ્વનાથ જિન મંદિરમાં શનિવારે સવારથીજ ભક્તિમય માહોલ સર્જાયો હતો.શહેરના દેરાસરોના ઉપાશ્રયોમાં વિવિધ સાધુ ભગવંતોની નિશ્રામાં પર્યુષણ પર્વની વ્યાખ્યાનમાળામાં જૈન સમુદાય હાજર રહ્યો હતો. તિર્થધામ બહુચરાજી સ્થાનિક જૈનસંઘ સંચાલિત મહાવીર જૈન મંદિરને પર્યુષણ પર્વ નિમિત્તે રંગબેરંગી રોશની અને ધજા-પતાકાથી સુશોભિત કરાયું છે. જ્યારે સ્થાનિક જૈન સમાજના પરીવારજનો આ પર્વ નિમિત્તે શનિવારે પૂજા, અર્ચના, આંગી દર્શનનો લાભ લઈ અઠ્ઠાઇ સહિત તપ-આરાધનાઓમાં ભાગ લીધો હતો.
૯૫% વિદ્યાર્થીઓને હોમવર્ક ગમતું નથી..
સમગ્ર દેશ આવતીકાલે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ ‘શિક્ષકદિન’ તરીકે મનાવશે. સ્કૂલોમાં તો રજા છે તેથી આવતીકાલે નાના નાના ભૂલકાં ટીચર બનવાની મજા નહીં લઇ શકે પરંતુ આ વર્ષે દિવ્ય ભાસ્કરે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બન્નેને એક તક આપી પોતપોતાની પસંદ વ્યક્ત કરવાની.વિદ્યાર્થીઓને પૂછ્યું,તમને કેવા ટીચર ગમે? શિક્ષકોને પૂછ્યું કેવા સ્ટુડન્ટને તમે ‘સો માર્કર્સ’ આપો એટલે કે તેમને કેવા સ્ટુડન્ટ ગમે? બન્નેના જવાબો રસપ્રદ આવ્યા. જે વાતો અહીં વિદ્યાર્થીઓએ કરી છે અને જે અપેક્ષા શિક્ષકોએ રાખીે છે તે સ્કૂલ સંચાલકો અને વાલીઓ જો સંકલન કરીને સંવાદિતા સર્જીને અમલમાં મૂકે તો એટલિસ્ટ રાજકોટનું શિક્ષણ જગત ચોક્કસપણે રાજ્ય કે દેશને નવો પથ દર્શાવી શકે અને તેમાં ૯૫ ટકા વિદ્યાર્થીઓએ કહ્યું છે કે અમને હોમવર્ક વધારે પડતું અપાય છે જે ન અપાવું જોઇએ. તો શિક્ષકો કહે છે પ્રમાણસર હોમવર્ક જ અપાય છે અને તે તો અનિવાર્ય છે.
‘બન્ની’માં શિક્ષકોએ કર્યું શૂન્યમાંથી સર્જન
ભારતની કચ્છ સરહદે ચોતરફ રણ વચ્ચે ઉપસેલી જમીનમાં બેટ જેવા બન્ની વિસ્તારમાં એક સમયે શિક્ષણના નામે શૂન્યાવકાશ હતો. ભૌતિક સુવિધાના તદ્દન અભાવ વચ્ચે પણ શિક્ષકો અને તંત્રની જહેમતથી બાળકો ભણતા થયા છે. ૨૦૧૦માં જ્યારે ઈતિહાસમાં સૌપ્રથમ વખત આ વિસ્તારની વિદ્યાર્થિનીએ બોર્ડની પરીક્ષા આપી, ત્યારે કલેક્ટર સહિતના અધિકારીઓએ તેને અભિનંદન પાઠવ્યાં હતાં. આ બધું જ શિક્ષકોની જહેમતથી શક્ય બન્યું છે. સરહદની નજીક આવેલા કચ્છના બન્ની વિસ્તારમાં ગણતરીના વર્ષો પહેલાં જ શિક્ષણનો ‘શ’ પણ લોકોએ સાંભળ્યો નહોતો. આ વિસ્તારનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે અને બાળકો સમજણા થાય એટલે ઢોર ચરાવવામાં લાગી જતા હતા.પીવાના પાણીની તીવ્ર ખેંચ તેમાં ન્હાવું કેમ ? લોકોનું જીવન ‘અભાવ’ વચ્ચે આ રીતે જ વીતતું. સતત વેગીલા પવનો ફૂંકાતા રહે એટલે આ વિસ્તારમાં હમણા સુધી વીજળી પણ નહોતી. વસતીથી ખૂબ જ દૂર એટલે બન્નીમાં સુવિધાઓ પહોંચાડવી એ મોટો પડકાર હતો.આપણે વાત કરવી છે શિક્ષણની. શિક્ષકો સમાજના ઘડવૈયા છે એ આ વિસ્તારમાં ચરિતાર્થ થયું છે.આધુનિક શાળા હોય, સારો પગાર મળતો હોય તે વચ્ચે તો બધા અભ્યાસ કરાવે, પણ ૨૫૦૦ જેવા નજીવા પગારમાં વિદ્યાર્થીઓએ જ્યાં પીવાનું પાણીએ નથી મળતું, લોકોએ શાળાઓ જોઇ જ નહોતી ત્યાં જઇને શિક્ષણની મશાલ જલતી કરી છે તે કાબિલે દાદ છે. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ.કે. છાયાએ માહિતી આપતાં જણાવ્યું છે, છેલ્લા વર્ષોમાં ૧૦૯ પ્રા. શાળાઓનું નિર્માણ કરાયું છે, જેમાં ૨૮૧ શિક્ષકો ફરજ બજાવે છે. મહદ્ અંશે શાળાઓમાં શિક્ષકો, પૂરતા ઓરડા, બેન્ચ, સંગીતના સાધનો, વીજળી, કમ્પ્યૂટર, રમતના સાધનો, શાળાનું મેદાન, પાણીની સગવડ, નળ કનેકશન, સેનિટેશન, બાઉન્ડરી અને મધ્યાહ્ન ભોજનના શેડની વ્યવસ્થા ઉપલબ્ધ થઇ છે.
સોનિયા ગાંધીની આકરી ટીકા કરતા બાળા સાહેબ
સતત બાર વર્ષ પ્રમુખ પદ સંભાળવાનો વિક્રમ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને નામે જમા થયો છે. આ વિષે શિવસેનાના પ્રમુખ બાળા સાહેબ ઠાકરેએ ‘ઘાસના તણખલા જેવી કોંગ્રેસની સ્થિતિ છે ત્યારે તેનો નથી દેશને કોઈ ઉપયોગ કે નથી જનતાને’ એવી આકરી ટીકા કરી છે.જો કે, શિવસેનાની ૧૯૬૬માં સ્થાપના થઈ ત્યારથી શિવસેનાના પ્રમુખ પદ પર રહેલા બાળ ઠાકરેને આ પ્રકારે ટીકા કરવી કેટલી યોગ્ય કહેવાય એવો પ્રશ્ન અનેકોને થયો છે. શિવસેનાના મુખપત્રમાં સંપાદકીય સ્થાનેથી બાળ ઠાકરેએ ફરી એક વાર સોનિયા ગાંધી પર ટીકાની તોપ દાગી છે.‘પાનાચ્યા ઠેલ્યા વર સોનિયા’ (પાનની ગાદી પર સોનિયા) એવા આકરા અને વાગી જાય એવા શિર્ષક હેઠળ બાળ ઠાકરેએ સોનિયા ગાંધી પર નિશાન તાકયુ હતું.ગાંધી ઘરાણા સિવાય બીજું કોઈ કોંગ્રેસ પ્રમુખ થયું હોત તો ‘આ આમ કેમ થયું!’ એવું આશ્ચર્ય જનતાને થયું હોત. નહેરુ-ગાંધી પરવિાર સિવાયનો બીજો કોઈ તેમના માથાં પર બેસે તે તેમને ચાલતું નથી એટલે સોનિયા ગાંધી ચોથી વાર પક્ષપ્રમુખ થયાં તે ભલે પક્ષ માટે વિક્રમ હશે, પણ દેશ માટે સોનિયાએ અને તેમના પક્ષે કોઈ પરાક્રમ કર્યું છે એવું સમજવાને પણ કોઈ કારણ નથી, એમ બાળ ઠાકરેએ સંપાદકીય લેખમાં જણાવ્યું હતું.બાળ ઠાકરેએ આગળ કહ્યું હતું કે, ‘કોંગ્રેસ કલ્ચર’ના કોંગ્રેસીઓને કરોડના મણકા જેવો અવયવ નથી હોતો. કોંગ્રેસમાં ફક્ત ગાંધી નામનો સિક્કો કહો કે ચલણી નાણું કહો એ જ ચાલ છે એટલે કોંગ્રેસવાળાઓ એ માટે કમર તૂટી જાય ત્યાં સુધી વાંકા વળવા તૈયાર હોય છે. રમેશ બાગવે જેવા પ્રધાન ગાંધી રાજકુમારના જુતાં સુદ્ધાં ઉંચકે છે એટલે જ ૧૯૯૮થી કોંગ્રેસનું નેતૃત્વ કરનારા સોનિયા ગાંધીને સૌથી વધારે સમય પ્રમુખ પદે રહેવાનું માન મળવાનું જ હતું.
રાજ-ઉદ્ધવ ઠાકરેનો મનમેળ કરાવવા અનોખી ચળવળ
સગાં પિતરાઈ ભાઈઓ તેમ જ મસિયાઈ ભાઈ એવા શિવસેનાના કાર્યકારી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવિનર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેના વૈચારિક મતભેદને કારણે મરાઠી માણસનું નુકસાન થાય છે એટલે બેઉ ભાઈઓનો મનમેળ થાય તેવા આશયથી ‘માઝી ચળવળ, મી મહારાષ્ટ્રાચા’ નામે એક અનોખી ચળવળ શરૂ કરવામાં આવી છે.આ ચળવળના કાર્યક્રમ પ્રમાણે પાંચ સપ્ટેમ્બરના રવિવારે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના નિવાસ સ્થાન પર એક મૂક મોરચો લઈ જવામાં આવશે, એમ ચળવળના સંસ્થાપક સતીશ વળૂંજે કહ્યું હતું,સતીશ વળૂંજની સાથે શશી સાવંત, દીપક ભોસલે, અરવિંદ પાવસકર, યોગેન્દ્ર ચેમ્બુરકર અને પ્રતીક મંત્રી રવિવારે સવારે જસ વાગ્યે શિવાજી પાર્ક ખાતે મીનાતાઈ ઠાકરેના પૂતળા નજીક એકઠાં થશે.પૂતળાને ફૂલહાર અર્પણ કરીને કાર્યકરો એક મૂક મોરચો રાજ ઠાકરેના નિવાસ સ્થાન ‘કૃષ્ણ કુંજપ્ત ખાતે લઈ જશે. રાજ ઠાકરેને આ બાબતની આગોતરી જાણકારી આપવામાં આવી છે. રાજા ઠાકરે અમારું કહેવું માત્ર સાંભળી લે, એવી જ અમારી ઇચ્છા છે એમ વળૂંજે કહ્યું હતું.એ પછી આ મોરચો ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાન ‘માતોશ્રી’ ખાતે લઈ જવામાં આવશે. મરાઠી પ્રેમી અને મરાઠી અસ્મિતા હંમેશા ટકી રહે, એવું માનનારા તમામ લોકોએ આ મોરચામાં હાજર રહેવું એવી હાકાલ વળૂંજે કરી હતી. આ મોરચામાં દસ હજાર લોકો સામેલ તશે એવી આશા વળૂંજે વ્યક્ત કરી હતી.
અશોક ચવ્હાણને ધમકી આપનારો ઝડપાયો
આતંકવાદી અઝમલ કસાબને છોડી દેવાની માગણી સાથે મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે ફોન કરનાર શખ્સ નાશિકથી ઝડપાયો છે. પોલીસે જણાવ્યા મુજબ અબ્દુલ ગની નાશિક પાસેના માલેગાંવ શહેરનો વતની છે.
આ રીતે ફોન કરવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. અબ્દુલ ગની કોઈ ઉગ્રવાદી કે આતંકવાદી સંગઠન સાથે સંબંધીત છે કે નહીં એ બાબત પણ હજુ નક્કી કરવાની બાકી છે એમ પોલીસે જણાવ્યું હતું.
આણંદમાં સિટી બસ સ્ટોપ બાબતે છઢ્ઢીએ બસ રોકો
આણંદમાં છેલ્લા ચાર વરસથી સીટી બસના ખાનગીકરણ બાદ શહેરમાં ક્યાંય નવા બસ સ્ટોપ કે સ્ટેશન ન બનવાના કારણે સામાન્ય પ્રજાને ભારે હાલાકી વેઠવી રહી છે. આ હાલાકી દુર કરવા વરિષ્ઠ બળવંતભાઈ પટેલ (ભાદરણવાળા) દ્વારા તા.છઢ્ઢી સપ્ટે.થી આણંદ ગોદી પાસેના સીટી બસ વ્યવસ્થાના મુખ્ય સ્ટેન્ડ ખાતે વરિષ્ઠ નાગરિકો બસ આડે ઉભા રહી આંદોલનના મંડાણ કરાશે.આ અંગે બળવંતભાઈ પટેલે જણાવ્યું હતું કે ‘નડિયાદમાં થોડા મહિના પહેલા જ સીટી બસનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું. આમ છતાં અહીં ઠેર ઠેર બસ સ્ટોપ - સ્ટેશન જોવા મળી રહ્યાં છે. જ્યારે આણંદ શહેરમાં છેલ્લા ચાર વરસથી સીટી બસનો કોન્ટ્રાક્ટર વીટકોસને આપવામાં આવ્યો છે. શહેરમાં દસ રૂટ પર ૪૦ જેટલી બસ દોડી રહી છે. પરંતુ ક્યાંય બસ ઉભા રહેવાનું સ્થળ નિશ્વિત નથી. જેને કારણે બાળકો, મહિલા અને વૃધ્ધોને ભારે હાલાકી વેઠવી રહી છે.
ખેરાલુ પાલિકામાં બે સભ્યના બળવાથી ભાજપને પછડાટ
ખેરાલુ પાલિકામાં અઢી વર્ષના બીજા તબક્કા માટે શનિવારે યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં ભાજપના બે સદસ્યોએ પક્ષનો મેન્ડેટ ફગાવી દઇ વિકાસમંચ સાથે ભળી જઇ ૧૧નું ગઠબંધન રચતાં ચૂંટણી અધિકારીએ ભાજપના બળવાખોર ભરત પટેલને પ્રમુખપદે ચૂંટાયેલા જાહેર કર્યા હતા.ખેરાલુની મામલતદાર કચેરી ખાતે શનિવારે નાયબ કલેક્ટર મનોજ ઓઝા, મામલતદાર અવન્તીકાબેન દરજી, ચીફઓફીસર જયેશ પટેલ વગેરેની હાજરીમાં પાલિકા પ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપે ભરતભાઇ પટેલના નામથી મેન્ડેટ રજૂ કરતાં ભરતભાઇ પટેલે તેને ઠુકરાવ્યો હતો. પરિણામે ભાજપે નરેશભાઇ સથવારાના નામનો મેન્ડેટ રજૂ કર્યો હતો.તો બીજી તરફ ભાજપના ભરત પટેલ સહિત પાર્વતીબેન પરમારે ભાજપમાંથી ગુલાંટ મારી વિકાસમંચ સાથે હાથ મિલાવી દેતાં વિકાસમંચે પ્રમુખ તરીકે ભરતભાઇ પટેલનું નામ રજૂ કર્યું હતુ. ત્યારે ચૂંટણી અધિકારીએ ઉપસ્થિત ૨૧ નગરસેવકોને આંગળી ઊંચી કરવા કહેતાં ભાજપના નરેશ સથવારાની તરફે ૧૦ મત પડ્યા હતા.જ્યારે ભરત પટેલની તરફેણમાં વિકાસમંચના ૫, કોંગ્રેસના ૨ અને અપક્ષના ૨ સહિત ૧૧ મત પડતાં ભાજપના બળવાખોર ભરત પટેલને ચૂંટણી અધિકારીએ પ્રમુખપદે વિજયી જાહેર કર્યા હતા. જોકે ભરત પટેલ સહિત બે સદસ્યોએ કરેલા બળવાને લઇને કેટલાક કાર્યકરોએ હોબાળો મચાવતાં મામલો ગરમાયો હતો.
પાકિસ્તાની જેલમાંથી મુક્ત થયેલા ૧૦૦ માછીમારો વતન પરત
પાકિસ્તાની જેલમાંથી મુક્ત થયેલાં માછીમારોનું વેરાવળ રેલ્વે સ્ટેશને ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. જબલપુર-સોમનાથ ટ્રેન રેલ્વે સ્ટેશને આજે સાંજે ૬ વાગ્યે આવી પહોંચતાં માછીમારોનો તેમનાં સ્વજનો સાથે મેળાપ થતાં ભાવવહી દ્રશ્યો સર્જાયા હતા. પાક.ની ૩-૩ જેલોમાં બંદીવાન એવા ૪૪૨ માછીમારો મુક્ત થતાં ૧૦૦ માછીમારો વેરાવળ આવી પહોંચ્યા હતા. મુક્ત થયેલા માછીમારોમાં દીવનાં ૩૨, ઉનાનાં ૩૯, કોડીનારનાં ૧૬, ઉત્તરપ્રદેશનાં ૭, નવસારીનાં ૧ અને મહારાષ્ટ્રનાં ૫ નો સમાવેશ થાય છે.સૂત્રોનાં જણાવ્યા મુજબ, બીજા ૧૦૦ માછીમારો આવતીકાલે આવી પહોંચશે અને બાકીનાં અનુક્રમે ૧૦૦ અને ૧૪૨ માછીમારો પણ આગામી ૪ થી ૫ દિવસોમાં અત્રે આવી પહોંચશે. પવિત્ર શ્રાવણ, પયુંષણ અને રમઝાન માસનાં દિવસોમાં ૩ વર્ષનો જેલવાસ ભોગવી આ માછીમારો માદરે વતનમાં આવી પહોંચતાં તેમનાં પરિવારજનોની આંખોમાં હરખનાં આંસુ ઉભરાયાં હતાં.
ધોળકિયા સ્કૂલના પૂર્વ આર્ચાય ભૂમિતિ સમજાવવા ભવાઇ તૈયાર કરાવી
મહત્તમ વિદ્યાર્થીઓ મેથ્સ, (ગણીત) માં મુંઝાતા હોય છે અને એમાંય ભૂમિતિ વિષય આવે ત્યારે તો માથું જ ખંજોળવાની સ્થિતિ થાય પરંતુ શહેરની ધોળકિયા સ્કૂલના પૂર્વ આર્ચાય રીટા રાજ્યગુરુએ કોયડો લાગતી ભૂમિતિને આસાન બનાવી દીધી હતી અને તે માટે તેમણે ભૂમિતીની થીમ પર નાટક - ભવાઇ કરાવ્યા હતા.‘વર્તુળ’ની લાંબી લચ વ્યાખ્યા સમજવી વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ હતું તો શિક્ષિકા રીટાબેને ચોપડી બાજુમાં મૂકી ‘વિશ્વ ઐકય’ નું દ્ષ્ટાંત આપી વિદ્યાર્થીઓને વર્તુળ અંગે સમજાવ્યું રીટા રાજ્યગુરુ કહે છે કે ભૂમિતિ તર્ક સાથે સંબંધ ધરાવતો વિષય છે જે વિદ્યાર્થીને જીવનના દરેક આયામમાં તર્ક સંગત દલીલો કરવાનું પણ શીખવે છે. ભૂમિતિમાં જે પ્રમેયની સાબિતી આવે છે તેમાં ગણીત તો છે જ પણ તેમાં તર્ક સાથેની દલીલો અને તેને એક પછી એક સાબિત કરી આગળ પરિણામ સુધી પહોચવાનો હેતુ છે.રીટાબેને જણાવ્યું હતું કે એક વખત કલાસરૂમમાં વિદ્યાર્થીઓ દ્વારા રંગલા-રંગલીનું ભવાઇ આધારીત નાટક રજૂ કરાયું હતું. નાટકનું નામ હતું ‘ચતુષ્કોણ કુટુંબ’ નાટક બાદ વિદ્યાર્થીઓ માટે ચતુષ્કોણને લગતા તમામ પ્રશ્નોનો ઉકેલ મળી ગયો હતો. તેમણે કહ્યું હતું કે આપણી આસપાસ જયા જુઓ ત્યા ભૂમિતિ છે. આકારો, માપ, મકાન દરેક ભૌતિક વસ્તુની બનાવટમાં ભૂમિતિ છે. આ બધા ઉદાહરણથી વિદ્યાર્થીઓને ભૂમિતી પરિચીત લાગે છે.આજનું શિક્ષણ માર્કસની પાછળ દોટ લગાવી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓની આંતરીક શક્તિ વિકસાવવાનો તેમને મોકો જ મળતો નથી. ત્યારે રીટા મેડમે સ્કૂલમાં નાટ્ય શિબિર, કાવ્ય શિબિર, વાંચન શિબિર શરૂ કરાવી વિદ્યાર્થીઓને સ્ટેજ પુરુ પાડ્યું હતું.
જૈનોના મહાપર્વ પર્યુષણનો પ્રારંભ
મહેસાણા સહિત જિલ્લાના વિસનગર, ઊંઝા, કડી, વિજાપુર, બહુરાજી, સતલાસણા સહિત નગરોમાં જૈનોના પર્યુષણ મહાપર્વનો શનિવારથી પ્રારંભ થયો છે.મહેસાણા શહેરમાં જૈનોના મહાપર્વ ગણાતા પર્યુષણ પર્વનો શનિવારથી પ્રારંભ થતાં અહીંના હાઇવે સ્થિત સિમંધર સ્વામી જૈન દેરાસર, ઉપનગર જૈનસંઘના નવિનર્મિત વાસુપુજય સ્વામી જૈન દેરાસર અને બજારમાં આવેલ પાર્શ્વનાથ જિન મંદિરમાં શનિવારે સવારથીજ ભક્તિમય માહોલ સર્જાયો હતો.શહેરના દેરાસરોના ઉપાશ્રયોમાં વિવિધ સાધુ ભગવંતોની નિશ્રામાં પર્યુષણ પર્વની વ્યાખ્યાનમાળામાં જૈન સમુદાય હાજર રહ્યો હતો. તિર્થધામ બહુચરાજી સ્થાનિક જૈનસંઘ સંચાલિત મહાવીર જૈન મંદિરને પર્યુષણ પર્વ નિમિત્તે રંગબેરંગી રોશની અને ધજા-પતાકાથી સુશોભિત કરાયું છે. જ્યારે સ્થાનિક જૈન સમાજના પરીવારજનો આ પર્વ નિમિત્તે શનિવારે પૂજા, અર્ચના, આંગી દર્શનનો લાભ લઈ અઠ્ઠાઇ સહિત તપ-આરાધનાઓમાં ભાગ લીધો હતો.
૯૫% વિદ્યાર્થીઓને હોમવર્ક ગમતું નથી..
સમગ્ર દેશ આવતીકાલે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ ‘શિક્ષકદિન’ તરીકે મનાવશે. સ્કૂલોમાં તો રજા છે તેથી આવતીકાલે નાના નાના ભૂલકાં ટીચર બનવાની મજા નહીં લઇ શકે પરંતુ આ વર્ષે દિવ્ય ભાસ્કરે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બન્નેને એક તક આપી પોતપોતાની પસંદ વ્યક્ત કરવાની.વિદ્યાર્થીઓને પૂછ્યું,તમને કેવા ટીચર ગમે? શિક્ષકોને પૂછ્યું કેવા સ્ટુડન્ટને તમે ‘સો માર્કર્સ’ આપો એટલે કે તેમને કેવા સ્ટુડન્ટ ગમે? બન્નેના જવાબો રસપ્રદ આવ્યા. જે વાતો અહીં વિદ્યાર્થીઓએ કરી છે અને જે અપેક્ષા શિક્ષકોએ રાખીે છે તે સ્કૂલ સંચાલકો અને વાલીઓ જો સંકલન કરીને સંવાદિતા સર્જીને અમલમાં મૂકે તો એટલિસ્ટ રાજકોટનું શિક્ષણ જગત ચોક્કસપણે રાજ્ય કે દેશને નવો પથ દર્શાવી શકે અને તેમાં ૯૫ ટકા વિદ્યાર્થીઓએ કહ્યું છે કે અમને હોમવર્ક વધારે પડતું અપાય છે જે ન અપાવું જોઇએ. તો શિક્ષકો કહે છે પ્રમાણસર હોમવર્ક જ અપાય છે અને તે તો અનિવાર્ય છે.
‘બન્ની’માં શિક્ષકોએ કર્યું શૂન્યમાંથી સર્જન
ભારતની કચ્છ સરહદે ચોતરફ રણ વચ્ચે ઉપસેલી જમીનમાં બેટ જેવા બન્ની વિસ્તારમાં એક સમયે શિક્ષણના નામે શૂન્યાવકાશ હતો. ભૌતિક સુવિધાના તદ્દન અભાવ વચ્ચે પણ શિક્ષકો અને તંત્રની જહેમતથી બાળકો ભણતા થયા છે. ૨૦૧૦માં જ્યારે ઈતિહાસમાં સૌપ્રથમ વખત આ વિસ્તારની વિદ્યાર્થિનીએ બોર્ડની પરીક્ષા આપી, ત્યારે કલેક્ટર સહિતના અધિકારીઓએ તેને અભિનંદન પાઠવ્યાં હતાં. આ બધું જ શિક્ષકોની જહેમતથી શક્ય બન્યું છે. સરહદની નજીક આવેલા કચ્છના બન્ની વિસ્તારમાં ગણતરીના વર્ષો પહેલાં જ શિક્ષણનો ‘શ’ પણ લોકોએ સાંભળ્યો નહોતો. આ વિસ્તારનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે અને બાળકો સમજણા થાય એટલે ઢોર ચરાવવામાં લાગી જતા હતા.પીવાના પાણીની તીવ્ર ખેંચ તેમાં ન્હાવું કેમ ? લોકોનું જીવન ‘અભાવ’ વચ્ચે આ રીતે જ વીતતું. સતત વેગીલા પવનો ફૂંકાતા રહે એટલે આ વિસ્તારમાં હમણા સુધી વીજળી પણ નહોતી. વસતીથી ખૂબ જ દૂર એટલે બન્નીમાં સુવિધાઓ પહોંચાડવી એ મોટો પડકાર હતો.આપણે વાત કરવી છે શિક્ષણની. શિક્ષકો સમાજના ઘડવૈયા છે એ આ વિસ્તારમાં ચરિતાર્થ થયું છે.આધુનિક શાળા હોય, સારો પગાર મળતો હોય તે વચ્ચે તો બધા અભ્યાસ કરાવે, પણ ૨૫૦૦ જેવા નજીવા પગારમાં વિદ્યાર્થીઓએ જ્યાં પીવાનું પાણીએ નથી મળતું, લોકોએ શાળાઓ જોઇ જ નહોતી ત્યાં જઇને શિક્ષણની મશાલ જલતી કરી છે તે કાબિલે દાદ છે. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ.કે. છાયાએ માહિતી આપતાં જણાવ્યું છે, છેલ્લા વર્ષોમાં ૧૦૯ પ્રા. શાળાઓનું નિર્માણ કરાયું છે, જેમાં ૨૮૧ શિક્ષકો ફરજ બજાવે છે. મહદ્ અંશે શાળાઓમાં શિક્ષકો, પૂરતા ઓરડા, બેન્ચ, સંગીતના સાધનો, વીજળી, કમ્પ્યૂટર, રમતના સાધનો, શાળાનું મેદાન, પાણીની સગવડ, નળ કનેકશન, સેનિટેશન, બાઉન્ડરી અને મધ્યાહ્ન ભોજનના શેડની વ્યવસ્થા ઉપલબ્ધ થઇ છે.
સોનિયા ગાંધીની આકરી ટીકા કરતા બાળા સાહેબ
સતત બાર વર્ષ પ્રમુખ પદ સંભાળવાનો વિક્રમ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને નામે જમા થયો છે. આ વિષે શિવસેનાના પ્રમુખ બાળા સાહેબ ઠાકરેએ ‘ઘાસના તણખલા જેવી કોંગ્રેસની સ્થિતિ છે ત્યારે તેનો નથી દેશને કોઈ ઉપયોગ કે નથી જનતાને’ એવી આકરી ટીકા કરી છે.જો કે, શિવસેનાની ૧૯૬૬માં સ્થાપના થઈ ત્યારથી શિવસેનાના પ્રમુખ પદ પર રહેલા બાળ ઠાકરેને આ પ્રકારે ટીકા કરવી કેટલી યોગ્ય કહેવાય એવો પ્રશ્ન અનેકોને થયો છે. શિવસેનાના મુખપત્રમાં સંપાદકીય સ્થાનેથી બાળ ઠાકરેએ ફરી એક વાર સોનિયા ગાંધી પર ટીકાની તોપ દાગી છે.‘પાનાચ્યા ઠેલ્યા વર સોનિયા’ (પાનની ગાદી પર સોનિયા) એવા આકરા અને વાગી જાય એવા શિર્ષક હેઠળ બાળ ઠાકરેએ સોનિયા ગાંધી પર નિશાન તાકયુ હતું.ગાંધી ઘરાણા સિવાય બીજું કોઈ કોંગ્રેસ પ્રમુખ થયું હોત તો ‘આ આમ કેમ થયું!’ એવું આશ્ચર્ય જનતાને થયું હોત. નહેરુ-ગાંધી પરવિાર સિવાયનો બીજો કોઈ તેમના માથાં પર બેસે તે તેમને ચાલતું નથી એટલે સોનિયા ગાંધી ચોથી વાર પક્ષપ્રમુખ થયાં તે ભલે પક્ષ માટે વિક્રમ હશે, પણ દેશ માટે સોનિયાએ અને તેમના પક્ષે કોઈ પરાક્રમ કર્યું છે એવું સમજવાને પણ કોઈ કારણ નથી, એમ બાળ ઠાકરેએ સંપાદકીય લેખમાં જણાવ્યું હતું.બાળ ઠાકરેએ આગળ કહ્યું હતું કે, ‘કોંગ્રેસ કલ્ચર’ના કોંગ્રેસીઓને કરોડના મણકા જેવો અવયવ નથી હોતો. કોંગ્રેસમાં ફક્ત ગાંધી નામનો સિક્કો કહો કે ચલણી નાણું કહો એ જ ચાલ છે એટલે કોંગ્રેસવાળાઓ એ માટે કમર તૂટી જાય ત્યાં સુધી વાંકા વળવા તૈયાર હોય છે. રમેશ બાગવે જેવા પ્રધાન ગાંધી રાજકુમારના જુતાં સુદ્ધાં ઉંચકે છે એટલે જ ૧૯૯૮થી કોંગ્રેસનું નેતૃત્વ કરનારા સોનિયા ગાંધીને સૌથી વધારે સમય પ્રમુખ પદે રહેવાનું માન મળવાનું જ હતું.
રાજ-ઉદ્ધવ ઠાકરેનો મનમેળ કરાવવા અનોખી ચળવળ
સગાં પિતરાઈ ભાઈઓ તેમ જ મસિયાઈ ભાઈ એવા શિવસેનાના કાર્યકારી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવિનર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેના વૈચારિક મતભેદને કારણે મરાઠી માણસનું નુકસાન થાય છે એટલે બેઉ ભાઈઓનો મનમેળ થાય તેવા આશયથી ‘માઝી ચળવળ, મી મહારાષ્ટ્રાચા’ નામે એક અનોખી ચળવળ શરૂ કરવામાં આવી છે.આ ચળવળના કાર્યક્રમ પ્રમાણે પાંચ સપ્ટેમ્બરના રવિવારે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના નિવાસ સ્થાન પર એક મૂક મોરચો લઈ જવામાં આવશે, એમ ચળવળના સંસ્થાપક સતીશ વળૂંજે કહ્યું હતું,સતીશ વળૂંજની સાથે શશી સાવંત, દીપક ભોસલે, અરવિંદ પાવસકર, યોગેન્દ્ર ચેમ્બુરકર અને પ્રતીક મંત્રી રવિવારે સવારે જસ વાગ્યે શિવાજી પાર્ક ખાતે મીનાતાઈ ઠાકરેના પૂતળા નજીક એકઠાં થશે.પૂતળાને ફૂલહાર અર્પણ કરીને કાર્યકરો એક મૂક મોરચો રાજ ઠાકરેના નિવાસ સ્થાન ‘કૃષ્ણ કુંજપ્ત ખાતે લઈ જશે. રાજ ઠાકરેને આ બાબતની આગોતરી જાણકારી આપવામાં આવી છે. રાજા ઠાકરે અમારું કહેવું માત્ર સાંભળી લે, એવી જ અમારી ઇચ્છા છે એમ વળૂંજે કહ્યું હતું.એ પછી આ મોરચો ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાન ‘માતોશ્રી’ ખાતે લઈ જવામાં આવશે. મરાઠી પ્રેમી અને મરાઠી અસ્મિતા હંમેશા ટકી રહે, એવું માનનારા તમામ લોકોએ આ મોરચામાં હાજર રહેવું એવી હાકાલ વળૂંજે કરી હતી. આ મોરચામાં દસ હજાર લોકો સામેલ તશે એવી આશા વળૂંજે વ્યક્ત કરી હતી.
અશોક ચવ્હાણને ધમકી આપનારો ઝડપાયો
આતંકવાદી અઝમલ કસાબને છોડી દેવાની માગણી સાથે મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે ફોન કરનાર શખ્સ નાશિકથી ઝડપાયો છે. પોલીસે જણાવ્યા મુજબ અબ્દુલ ગની નાશિક પાસેના માલેગાંવ શહેરનો વતની છે.
આ રીતે ફોન કરવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. અબ્દુલ ગની કોઈ ઉગ્રવાદી કે આતંકવાદી સંગઠન સાથે સંબંધીત છે કે નહીં એ બાબત પણ હજુ નક્કી કરવાની બાકી છે એમ પોલીસે જણાવ્યું હતું.
આણંદમાં સિટી બસ સ્ટોપ બાબતે છઢ્ઢીએ બસ રોકો
આણંદમાં છેલ્લા ચાર વરસથી સીટી બસના ખાનગીકરણ બાદ શહેરમાં ક્યાંય નવા બસ સ્ટોપ કે સ્ટેશન ન બનવાના કારણે સામાન્ય પ્રજાને ભારે હાલાકી વેઠવી રહી છે. આ હાલાકી દુર કરવા વરિષ્ઠ બળવંતભાઈ પટેલ (ભાદરણવાળા) દ્વારા તા.છઢ્ઢી સપ્ટે.થી આણંદ ગોદી પાસેના સીટી બસ વ્યવસ્થાના મુખ્ય સ્ટેન્ડ ખાતે વરિષ્ઠ નાગરિકો બસ આડે ઉભા રહી આંદોલનના મંડાણ કરાશે.આ અંગે બળવંતભાઈ પટેલે જણાવ્યું હતું કે ‘નડિયાદમાં થોડા મહિના પહેલા જ સીટી બસનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું. આમ છતાં અહીં ઠેર ઠેર બસ સ્ટોપ - સ્ટેશન જોવા મળી રહ્યાં છે. જ્યારે આણંદ શહેરમાં છેલ્લા ચાર વરસથી સીટી બસનો કોન્ટ્રાક્ટર વીટકોસને આપવામાં આવ્યો છે. શહેરમાં દસ રૂટ પર ૪૦ જેટલી બસ દોડી રહી છે. પરંતુ ક્યાંય બસ ઉભા રહેવાનું સ્થળ નિશ્વિત નથી. જેને કારણે બાળકો, મહિલા અને વૃધ્ધોને ભારે હાલાકી વેઠવી રહી છે.
ખેરાલુ પાલિકામાં બે સભ્યના બળવાથી ભાજપને પછડાટ
ખેરાલુ પાલિકામાં અઢી વર્ષના બીજા તબક્કા માટે શનિવારે યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં ભાજપના બે સદસ્યોએ પક્ષનો મેન્ડેટ ફગાવી દઇ વિકાસમંચ સાથે ભળી જઇ ૧૧નું ગઠબંધન રચતાં ચૂંટણી અધિકારીએ ભાજપના બળવાખોર ભરત પટેલને પ્રમુખપદે ચૂંટાયેલા જાહેર કર્યા હતા.ખેરાલુની મામલતદાર કચેરી ખાતે શનિવારે નાયબ કલેક્ટર મનોજ ઓઝા, મામલતદાર અવન્તીકાબેન દરજી, ચીફઓફીસર જયેશ પટેલ વગેરેની હાજરીમાં પાલિકા પ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપે ભરતભાઇ પટેલના નામથી મેન્ડેટ રજૂ કરતાં ભરતભાઇ પટેલે તેને ઠુકરાવ્યો હતો. પરિણામે ભાજપે નરેશભાઇ સથવારાના નામનો મેન્ડેટ રજૂ કર્યો હતો.તો બીજી તરફ ભાજપના ભરત પટેલ સહિત પાર્વતીબેન પરમારે ભાજપમાંથી ગુલાંટ મારી વિકાસમંચ સાથે હાથ મિલાવી દેતાં વિકાસમંચે પ્રમુખ તરીકે ભરતભાઇ પટેલનું નામ રજૂ કર્યું હતુ. ત્યારે ચૂંટણી અધિકારીએ ઉપસ્થિત ૨૧ નગરસેવકોને આંગળી ઊંચી કરવા કહેતાં ભાજપના નરેશ સથવારાની તરફે ૧૦ મત પડ્યા હતા.જ્યારે ભરત પટેલની તરફેણમાં વિકાસમંચના ૫, કોંગ્રેસના ૨ અને અપક્ષના ૨ સહિત ૧૧ મત પડતાં ભાજપના બળવાખોર ભરત પટેલને ચૂંટણી અધિકારીએ પ્રમુખપદે વિજયી જાહેર કર્યા હતા. જોકે ભરત પટેલ સહિત બે સદસ્યોએ કરેલા બળવાને લઇને કેટલાક કાર્યકરોએ હોબાળો મચાવતાં મામલો ગરમાયો હતો.
પાકિસ્તાની જેલમાંથી મુક્ત થયેલા ૧૦૦ માછીમારો વતન પરત
પાકિસ્તાની જેલમાંથી મુક્ત થયેલાં માછીમારોનું વેરાવળ રેલ્વે સ્ટેશને ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. જબલપુર-સોમનાથ ટ્રેન રેલ્વે સ્ટેશને આજે સાંજે ૬ વાગ્યે આવી પહોંચતાં માછીમારોનો તેમનાં સ્વજનો સાથે મેળાપ થતાં ભાવવહી દ્રશ્યો સર્જાયા હતા. પાક.ની ૩-૩ જેલોમાં બંદીવાન એવા ૪૪૨ માછીમારો મુક્ત થતાં ૧૦૦ માછીમારો વેરાવળ આવી પહોંચ્યા હતા. મુક્ત થયેલા માછીમારોમાં દીવનાં ૩૨, ઉનાનાં ૩૯, કોડીનારનાં ૧૬, ઉત્તરપ્રદેશનાં ૭, નવસારીનાં ૧ અને મહારાષ્ટ્રનાં ૫ નો સમાવેશ થાય છે.સૂત્રોનાં જણાવ્યા મુજબ, બીજા ૧૦૦ માછીમારો આવતીકાલે આવી પહોંચશે અને બાકીનાં અનુક્રમે ૧૦૦ અને ૧૪૨ માછીમારો પણ આગામી ૪ થી ૫ દિવસોમાં અત્રે આવી પહોંચશે. પવિત્ર શ્રાવણ, પયુંષણ અને રમઝાન માસનાં દિવસોમાં ૩ વર્ષનો જેલવાસ ભોગવી આ માછીમારો માદરે વતનમાં આવી પહોંચતાં તેમનાં પરિવારજનોની આંખોમાં હરખનાં આંસુ ઉભરાયાં હતાં.
ધોળકિયા સ્કૂલના પૂર્વ આર્ચાય ભૂમિતિ સમજાવવા ભવાઇ તૈયાર કરાવી
મહત્તમ વિદ્યાર્થીઓ મેથ્સ, (ગણીત) માં મુંઝાતા હોય છે અને એમાંય ભૂમિતિ વિષય આવે ત્યારે તો માથું જ ખંજોળવાની સ્થિતિ થાય પરંતુ શહેરની ધોળકિયા સ્કૂલના પૂર્વ આર્ચાય રીટા રાજ્યગુરુએ કોયડો લાગતી ભૂમિતિને આસાન બનાવી દીધી હતી અને તે માટે તેમણે ભૂમિતીની થીમ પર નાટક - ભવાઇ કરાવ્યા હતા.‘વર્તુળ’ની લાંબી લચ વ્યાખ્યા સમજવી વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ હતું તો શિક્ષિકા રીટાબેને ચોપડી બાજુમાં મૂકી ‘વિશ્વ ઐકય’ નું દ્ષ્ટાંત આપી વિદ્યાર્થીઓને વર્તુળ અંગે સમજાવ્યું રીટા રાજ્યગુરુ કહે છે કે ભૂમિતિ તર્ક સાથે સંબંધ ધરાવતો વિષય છે જે વિદ્યાર્થીને જીવનના દરેક આયામમાં તર્ક સંગત દલીલો કરવાનું પણ શીખવે છે. ભૂમિતિમાં જે પ્રમેયની સાબિતી આવે છે તેમાં ગણીત તો છે જ પણ તેમાં તર્ક સાથેની દલીલો અને તેને એક પછી એક સાબિત કરી આગળ પરિણામ સુધી પહોચવાનો હેતુ છે.રીટાબેને જણાવ્યું હતું કે એક વખત કલાસરૂમમાં વિદ્યાર્થીઓ દ્વારા રંગલા-રંગલીનું ભવાઇ આધારીત નાટક રજૂ કરાયું હતું. નાટકનું નામ હતું ‘ચતુષ્કોણ કુટુંબ’ નાટક બાદ વિદ્યાર્થીઓ માટે ચતુષ્કોણને લગતા તમામ પ્રશ્નોનો ઉકેલ મળી ગયો હતો. તેમણે કહ્યું હતું કે આપણી આસપાસ જયા જુઓ ત્યા ભૂમિતિ છે. આકારો, માપ, મકાન દરેક ભૌતિક વસ્તુની બનાવટમાં ભૂમિતિ છે. આ બધા ઉદાહરણથી વિદ્યાર્થીઓને ભૂમિતી પરિચીત લાગે છે.આજનું શિક્ષણ માર્કસની પાછળ દોટ લગાવી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓની આંતરીક શક્તિ વિકસાવવાનો તેમને મોકો જ મળતો નથી. ત્યારે રીટા મેડમે સ્કૂલમાં નાટ્ય શિબિર, કાવ્ય શિબિર, વાંચન શિબિર શરૂ કરાવી વિદ્યાર્થીઓને સ્ટેજ પુરુ પાડ્યું હતું.
મેચબોક્સમાં પેક થશે મિશેલની સાડી
visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
મેચબોક્સમાં પેક થશે મિશેલની સાડી
પોતાની ફેશન માટે હમેશા ચર્ચામાં રહેતી અમેરિકી પ્રથમ મહિલા મિશેલ ઓબામા નવેમ્બરમાં જ્યારે બરાક ઓબામા સાથે ભારત આવશે ત્યારે ભારત તરફથી તેને એક સાડી ભેટમાં આપવામાં આવશે. ગિફ્ટ જ્યારે ખાસ ફેશન આઇકન મનાતી કોઈ વ્યક્તિને આપવાની હોય ત્યારે તેને અત્યંત ખાસ બનાવવી જરૂરી છે.મૈસૂર સિલ્કની આ સાડીનું વજન માત્ર 30 ગ્રામ છે. એટલું જ નહીં તેને વાળીને એક માચિસના બોક્સમાં સમાવી શકાશે. આ સાડીનું પ્રદર્શન બેંગલોરમાં ચાલી રહેલા એક સિલ્ક ઉત્સવમાં કરવામાં આવ્યું. આ સાડીને પારંપરિક વણકર દંપતી 69 વર્ષીય નારાયણપ્પા અને તેની પત્ની કમલામ્માએ બનાવ્યું છે.આ એક સાડી તૈયાર કરવામાં આ દંપતીને 6 મહિના કરતા પણ વધારે સમય લાગ્યો છે. નારાયણપ્પા એવું ઈચ્છતા હતા કે અમેરિકી રાષ્ટ્રપતિ જ્યારે પોતાની પત્ની સાથે બેંગાલુરુ આવે ત્યારે તેમને ભારતના પરંપરાગત વારસાના પ્રતીકરૂપ કોઈ ભેટ મળે.સામાન્ય રીતે આ પ્રકારની સાડીઓ બનાવવા માટે સિલ્કમાં જે સૂતર વાપરવામાં આવે છે, તેમાં કેટલાંય રેસા હોય છે, પરંતુ આ સાડીમાં માત્ર બે જ રેસાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જ કારમે આટલા પાતળા સૂતરમાંથી આખી 18 ફૂટની સાડી બનાવવાનું કામ સરળ નહોતું. આટલા પાતળા સૂતરને તૂટવાથી બચાવવાનું કામ પણ એક પડકારરૂપ હતું.
7 વર્ષમાં 80 IPS અધિકારીઓએ નોકરી છોડી
ભારતીય પોલીસ સેવા એટલે કે આઈપીએસના લગભગ 80 પોલીસ અધિકારીઓએ ગત સાત વર્ષ દરમિયાન પોતાની નોકરી છોડી છે. સેવામાં અસમાનતા, મનચાહી કેડર ન મળવી, નોકરીની પડકાર ભરેલી પ્રકૃતિ, મોડેથી પ્રમોશન અને ખાનગી ક્ષેત્રમાં આકર્ષક વેતન જેવા કારણોથી ઘણાં આઈપીએસ અધિકારીએ કેરિયરની અધવચ્ચે પોતાની નોકરીઓ છોડી દીધી છે.7 પોલીસ અધિકારીઓએ 2007માં નોકરી છોડી, 2004માં 11, 2005માં 8, 2006માં 13, 2008માં 15 અને 2009માં 8 પોલીસ અધિકારીઓએ નોકરી છોડી હતી. સીમા સુરક્ષા દળ એટલે કે બીએસએફના ભૂતપૂર્વ મહાનિદેશક અને 1972ની બેચના આઈપીએસ અધિકારી એમ. એલ. કુમાવતે કહ્યું હતું કે ગડબડવાળા વિસ્તારોમાં લાંબા સમય સુધી તેનાતી પણ આઈપીએસ અધિકારીઓનું નોકરી છોડવાનું મુખ્ય કારણ છે.કુમાવતે કહ્યું હતું કે સેવાની શરતોને સુધારવી જોઈએ. આઈપીએસ અધિકારી પોતાના સમગ્ર કેરિયર દરમિયાન ફીલ્ડમાં રહે છે. તેમને તેનો કંઈક લાભ મળવો જોઈએ, નહીંતર નોકરી છોડવાની પ્રવૃતિ બનેલી રહેશે.
હજી સુધી દેખાયા નથી મુ્ક્ત બંધક પોલીસકર્મીઓ
માઓવાદીઓએ બંધક બનાવાયેલા બિહાર મિલિટ્રી પોલીસના ત્રણ પોલીસકર્મીઓ અભય યાદવ, એહસાન ખાન અને રુપેશ સિંહેને આજે મુક્ત કરવાની વાત કહેવામાં આવી છે. જો કે હજી સુધી માઓવાદીઓ દ્વારા બંધકોને છોડવાની વાતની ઔપચારીક પુષ્ટિ થઈ નથી. મહત્વપૂર્ણ છે કે માઓવાદીઓએન ગત રવિવારે બિહારના લખીસરાયમાં એન્કાઉન્ટર બાદ ચાર પોલીસ કર્મીઓને બંધક બનાવી લીધા હતા. સરકાર પર પોતાની માગણીઓ માનવાનું દબાણ બનાવવા માટે માઓવાદીઓએ લુકસ ટેટે નામના એક બંધક પોલીસ જવાનની હત્યા પણ કરી દીધી છે.જો કે બિહાર પોલીસ તરફથી બંધકોને છોડવાની વાતની આધિકારીક પુષ્ટિ થઈ શકી નથી. બિહાર પોલીસના ડીજીપી નીલમણિએ કહ્યું છે કે તેઓ માઓવાદીઓ દ્વારા બંધકોને છોડાવના અહેવાલોની પુષ્ટિ કરવામાં કાર્યરત છે. મુંગેર, જમુઈ અને લખીસરાય જિલ્લામાં માઓવાદીઓ વિરુદ્ધ કોમ્બિંગ ઓપરેશન જોઈ રહેલા આઈજી કે. એસ. દ્વિવેદીએ કહ્યું છે કે તેમણે તમામ જિલ્લા પોલીસ અધિક્ષકોને આ વાતની પુષ્ટિ સંદર્ભે કહ્યું છે, પરંતુ હજી સુધી ત્રણેય બંધક પોલીસકર્મીઓમાંથી કોઈને જોઈ શકાયા નથી.મહત્વપૂર્ણ છે કે ગઈકાલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સર્વપક્ષીય બેઠક બાદ કહ્યું હતું કે તેઓ માઓવાદીઓ સાથે વાતચીત કરવા માટે તૈયાર છે અને વાતચીત કરનારા માઓવાદી નેતાઓને પાછા જવા માટે સુરક્ષિત રસ્તો આપવામાં આવશે. જો કે માઓવાદીઓએ વાતચીત કરવાનો ઈન્કાર કરી દીધો છે.નક્સલી નેતાએ અભય યાદવની પત્ની પાસે રાખડી બંધાવી,બીજી તરફ મુક્તિ પહેલા પોલીસ અધિકારી અભય યાદવના ઘરે એક નક્સલીના આવવાની માહિતી મળી છે અને જણાવામાં આવી રહ્યું છે કે તેણે બંધક બનાવાયેલા અભય યાદવની પત્ની પાસે રાખડી બંધાવી છે. પોલીસ અધિકારી અભય યાદવની પત્નીએ રાખડી બાંધ્યા પછી પોતાના પતિની મુક્તિની માગણી કરી હતી. ત્યાર બાદ નક્સલી નેતાએ કહ્યું હતું કે વિશ્વાસ કરો કે તમારો પતિ જલ્દીથી છુટી જશે.રજનીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તેઓ 6 વાગ્યે તેના ઘરે આવ્યા અને કહ્યું કે તેઓ તેને પોતાની બહેન માને છે. ત્યાર બાદ તેમને રાખડી બાંધી. રજનીએ જણાવ્યું હતું કે તે મને પોતાનો ભાઈ કહ્યો માટે હું તારી પાસે રાખડી બંધાવી રહ્યો છું અને તારો સુહાગ પાછો આપી રહ્યો છું.
ભારતે બ્રહ્મોસ ક્રૂજ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું
ભારતે આજે ઓરિસ્સાના તટ પર સ્થિત ચાંદીપુર ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (આઈટીઆર)ધી 290 કિલોમીટરની મારક ક્ષમતાવાળી બ્રહ્મોસ ક્રૂજ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ સૈન્ય ક્ષમતા વધારવા માટે કરવામાં આવેલા પ્રયાસનો ભાગ છે.સવારે 11 કલાક અને 35 મિનિટે કરવામાં આવેલા પરીક્ષણ બાદ થોડી વારમાં ડિફેન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ના પ્રવક્તાએ કહ્યું હતું કે આ પરીક્ષણ સૈન્યદળો દ્વારા મિસાઈલની ઉપયોગિતાની તપાસ કરવા માટે કરવામાં આવ્યું છે.બ્રહ્મોસ મિસાઈલ-2 આતંકવાદીઓના ઠેકાણા પર સટીક હુમલો કરવા માટે બેહદ ઉપયોગી સાબિત થશે. આ ક્રૂજ મિસાઈલથી નિશાના પર લેવાયેલા ઠેકાણા આસપાસ તબાહી મચાવ્યા વગર બરબાદ કરી શકાશે. આ મિસાઈલ ધ્વનિની ગતિથી 2.8 ઘણી વધારે ઝડપ ધરાવે છે. તે 300 કિલોગ્રામ વિસ્ફોટકો સાથે 290 કિલોમીટર સુધી વાર કરી શકે છે. એટલું જ નહીં તે નિશાના પર લેવાયેલા આતંકી ઠેકાણાંને માત્ર 10 મીટરની ઊંચાઈથી ઉડીને નિશાન બનાવી શકે છે. જો કે આ ક્રૂજ મિસાઈલને કોઈપણ પ્લેટફોર્મ પરથી લોન્ચ કરી શકાય છે, પરંતુ સૈન્યદળો તેના ફાઈટર પ્લેન અને સબમરીન પરથી લોન્ચ કરવાની તકનીક પર જોર આપી રહ્યાં છે.
અમેરિકામાં ઑગસ્ટમાં 54 હજાર લોકોએ નોકરી ગુમાવી
અમેરિકન અર્થવ્યવસ્થામાં ખરાબ સમાચારનુ આવવુ સતત ચાલુ છે. હવે એવા સમાચાર પ્રાપ્ત થયા છે કે ઑગસ્ટ મહિના દરમિયાન અમેરિકામાં 54 હજાર લોકોએ પોતાની નોકરી ગુમાવી છે.અમેરિકાના શ્રમ વિભાગના આંકડાઓ પ્રમાણે મોટા ભાગની નોકરીઓ સાર્વજનીક ક્ષેત્રમાં કામ કરનારા અસ્થીર કર્મચારિયોના હાથ માથી છુટી છે. અને તાજા આંકડાઓ પ્રમાણે ઑગસ્ટ માસમાં અમેરિકામાં બેરોજગારી દર વધીને 9.6 ટકાની સપાટીએ પહોંચી ગયો છે.જોકે ઓબામાં પ્રશાસન માટે રાહતના સમાચાર એમ પણ છે કે ત્યાના પ્રાઇવેટ સેક્ટરે આ દરમિયાન 67 હજાર નવા લોકોને રોજગાર આપ્યો છે. આ બાબતે પોતાનો આનંદ વ્યક્ત કરતા અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યુ હતુ કે આ સકારાત્મક સંકેત છે.ઓબામા આ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે આવનારા દિવસોમાં પરિસ્થિતિમાં સુધારો આવશે. પરંતુ તેઓએ એમ પણ સ્પષ્ટ કરી દીધુ હતુ કે બેરોજગારીને પહોચી વળવા કોઈ તાત્કાલિક ઉપાય નથી.
ઓબામાના પ્રવાસ પહેલાં વિઝા ફી વિવાદ ઉકેલવા માગતું ભારત
અમેરિકા સાથેનો વિઝા ફી વિવાદ નવેમ્બર પહેલાં ઉકેલવાની ઇચ્છા વ્યક્ત કરીને ભારતે જણાવ્યું કે, અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાના ભારતના પ્રવાસ પહેલાં નવી દિલ્હી વિઝા ફીનો વિવાદાસ્પદ ઉકેલવા માગે છે.વાણિજ્ય સચિવ રાહુલ ખુલ્લરે જણાવ્યું કે, દરેક વ્યક્તિ આ મુદ્દો મૈત્રીપૂર્ણ રીતે ઉકેલવાનો યોગ્ય માર્ગ શોધી રહી છે. બરાક ઓબામા ભારતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે વિઝા ફી વિવાદ ઉકેલાઇ જાય એવું દરેક ઇચ્છે છે. તેમણે એમ પણ જણાવ્યું કે, હવેથી બે સપ્તાહમાં જોઇન્ટ ટ્રેડ પોલિસી ફોરમ (ટીપીએફ)ની બેઠક શરૂ થવાની હોવાથી પણ આ મુદ્દો ઉકેલવાની જરૂર છે.તેમણે જણાવ્યું કે, નાયબ અમેરિકી વેપાર પ્રતિનિધિ માઇકલ પુંક અને ફ્લોરિડાના સેનેટર જ્યોર્જ લિમ્યુકસ સહિત ઘણા અમેરિકનોએ ગયા સપ્તાહે તેમની સાથે મુલાકાત કરી હતી અને વિઝા ફી વિવાદ અંગે ચર્ચા કરી હતી.
શાહરૂખ સલમાનને મસ્કા મારી રહ્યો છે..
હાલમાં જ અભિનેતા સલમાન ખાને એક ટીવી શોમાં શાહરૂખ ખાન સાથે મતભેદ હોવાની વાત કહી હતી. સલમાને કહ્યું હતું કે, શાહરૂખ સાથે તેની મિત્રતા ક્યારેય શક્ય નથી. તેઓ એકબીજા સાથે વાત નથી કરતા અને ભવિષ્યમાં ક્યારેય કામ કરે તેવી પણ શક્યતા નથી.સલમાન શાહરૂખ સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નથી પરંતુ કિંગ ખાન સલ્લુમિયા સાથેના સંબંધો સુધારવા માંગે છે. હાલમાં જ મસલ્સ અને સિક્સ પેક એબ અંગે ચર્ચા થતી હતી ત્યારે એસઆરકેએ આનો તમામ શ્રેય સલમાનને આપ્યો હતો.આટલું જ નહિ કિંગ ખાને સલમાનના વખાણ કર્યા હતા અને સલમાનની બોડિ બિલ્ડિંગને આદર્શ માની હતી. એસઆરકેના મતે સલમાને બોડિ બિલ્ડિંગને પૂજનીય બનાવવાનું કામ કર્યુ છે. શાહરૂખના મતે સલમાન બોલિવૂડનો સિલ્વેસ્ટર સ્ટેલન છે. લાગે છે કે, શાહરૂખ સલમાનને મસ્કા મારી રહ્યો છે. જેથી સલમાન શાહરૂખ સાથે મિત્રતા કરી લે...
મુંબઈ શહેરમાં જ્યારે રિક્ષાવાળાએ મિનિષાને..
રિક્ષા ડ્રાઈવરે અભિનેત્રી મિનિષા લાંબાને ઘર સુધી મુકવા જવાની ના પાડી દીધી હતી. આ અંગે રિક્ષા ડ્રાઈવરે કારણ આપ્યું હતું કે, મુંબઈ શહેરમાં ઘણાં બધા ભૂવા છેમિનિષા લાંબા મઢ આઈલેન્ડમાં શુટિંગ કરીને ઘરે જતી હતી. આ સમયે તેની પાસે કાર નહોતી અને તે રિક્ષામાં જ ઘરે જવાની હતી. જો કે જ્યારે તેણે રિક્ષા બોલાવી ત્યારે ડ્રાઈવરે તેને બેસાડવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.વધુમાં રિક્ષા ડ્રાઈવરે કહ્યું હતું કે, શહેરમાં ઘણાં બધા ભૂવા છે અને તેને કારણે તેને કમરમાં દુ:ખે છે.મિનિષાએ જણાવ્યું હતું કે, તે રિક્ષા ડ્રાઈવરે તેની માફી માંગી હતી અને કહ્યું હતું કે, રસ્તા પરના ભૂવાને કારણે તેને કમરમાં દુખાય છે.મિનિષા લાંબાએ કહ્યું હતું કે, મુંબઈમાં જાહેર પરિવહન સેવાને અવગણવામાં આવી છે. ભૂવાને કારણે અનેક લોકો બિમારીથી પીડાઈ રહ્યા છે પરંતુ આ બાબતને બિલકુલ મહત્વ આપવામાં આવ્યું નથી.
કોણે કહે છે પાક ખેલાડીઓ બુકીના સંપર્કમાં ન હતા?
ક્રિકેટને બદનામ કરનાર પાકિસ્તાનના કેપ્ટન સલમાન બટ્ટ અને મેચ ફિક્સર મઝહર મજિદ વચ્ચેના સબંધો કેટલા મજબુત છે તેના પુરાવા રૂપી તસવીરો અત્રે પ્રસ્તુત છે. જેમાં બટ્ટ દોઢ લાખ પાઉન્ડની એસ્ટોન માર્ટિન કારમાં મજિદ સાથે ફરતો જોવા મળી રહ્યો છે.આ કારને સલમાન બટ્ટ ચલાવી રહ્યો છે અને વિકેટકીપર કામરાન અકમલ તેની બાજુમાં બેઠો છે જ્યારે મેચ ફિક્સર મજિદ પાછળની સીટ પર બેઠો છે. તેમાં કોઈ બે મત નથી કે આ સફર દરમિયાન થયેલી ઘણી વાતો મેચ ફિક્સિંગને સબંધિત હશે.જુલાઈમાં ખેંચવામાં આવેલી આ તસવીર લંડનની એક હોટલની છે જ્યાં પાકિસ્તાનના ખેલાડીઓ રોકાયા હતા. આ દરમિયાન માજિદ પાકિસ્તાનના ઘણા ખેલાડીઓનો સંપર્ક કર્યો હતો. તેમાં મોહમ્મદ આમિર, બટ્ટ અને મોહમ્મદ આસિફ પ્રમુખ છે. તેણે પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હોટલમાં ડીનર પણ લીધું હતું.નોંધનિય છે કે ન્યુઝ ઓફ ધ વર્લ્ડ દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે અને પાકિસ્તાન ક્રિકેટ ટીમની ઉંઘ ઉડી ગઈ છે.
હવે આઈફોન ઉપર પૂરી ફિલ્મ જોવો
હા મીત્રો હવે આ સંભવ છે. કોઈ પણ પ્રકારની એકસ્ટ્રા મેમરી ચિપ અથવા અન્ય વિશેષ પ્રયત્નો વગર હવે તમે કોમ્પ્યૂટર કે ટીવીની જેમ ફિલ્મ જોઈ શકાસે. અમેરિકાની કંપની નેટફ્લિક્સે એક એવી એપ્લીકેશન બજારમાં ઉતારવાની જાહેરાત કરી છે, જેનાથી આઈફોન ઉપર પૂરી ફિલ્મ જોઈ શકાસે. જેના માટે માત્ર વાઈફાઈ અથવા તો 3જી મોબાઇલની જરૂર પડશે.નેટફ્લિક્સ એક એવી કંપની છે જે અમેરિકા અને કેનાડામાં ફિલ્મ અને ટીવી કાર્યક્રમો ઑનલાઈન ભાડા ઉપર ઉપલબ્ધ કરાવે છે. તે મેલ દ્વારા પણ લોકોને ડીવીડી મોકલે છે. આ સમયે નેટફ્લિક્સ કેટલાય પ્રકારના ઉપકરણો અને સ્ક્રિન ઉપર ઉપલબ્ધ છે. માઇક્રોસૉફ્ટના એક્સબૉક્સ, સોની પ્લેસ્ટેશન 3 અને નિનટેન્ડો ડબલ્યૂઆઈઆઈ ઉપર પણ આ ઉપલબ્ધ છે.એપ્પલના આઈપેડ ઉપર પણ આ કોમ્પ્યૂટર અને લેપટૉપ દ્વારા ઉપલબ્ધ છે. આ એપ્લીકેશન તેના સભ્યો માટે તો તદ્દન નિઃશુલ્ક છે. કંપની આઈ પૉડ ઉપર પણ આ સુવિધા આપી રહી છે, જેનો ઉપયોગ ખુબજ સરળ છે.
લંડનની સીધી ફ્લાઇટ ચાલુ કરવા NRGની માગ
યુ.કે. ઉપરાંત ગુજરાતમાં વસતા ગુજરાતીઓએ એક સ્વરે ગુજરાતથી ડાયરેકટ લંડનની ફ્લાઇટ ઝડપથી શરૂ કરવા માગ કરી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલે શિયાળુ સમયપત્રકમાં અમદાવાદથી લંડન ડાયરેકટ ફ્લાઇટનું આપેલું વચન પાળ્યું નથી તે મુદ્દે સૌએ નારાજગી વ્યક્ત કરી હતી.વિધાનસભામાં વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે,નેશનલ એરલાઇન્સ તરીકે એર ઇન્ડિયાનું કામ નફો કમાવવાનું નહીં પણ સેવા આપવાનું છે. આ પ્રશ્ન રાજકીય પક્ષાપક્ષીથી દૂર રાખી ગુજરાતની પ્રજાના હિતમાં ચર્ચાવો જોઇએ અને યોગ્ય રજુઆત દ્વારા તેનું ચોક્કસ નિરાકરણ લાવવું જોઇએ. આ પ્રસંગે તેમણે ગુજરાતના અન્ય શહેરોને ડોમેસ્ટિક ફ્લાઇટ સરકિટથી જોડવા માટે પણ રાજ્ય સરકારને સૂચન કર્યું હતું. જેમાં માત્ર ૧૫થી ૨૦ કરોડના બજેટમાં આ પ્રોજેક્ટ પાર પડી શકે છે તેમ જણાવ્યું હતું.ભાજપના સંસદસભ્ય કિરીટ સોલંકીએ કહ્યું હતું કે,‘હવાઇ સેવાઓ ખૂબ અગત્યનો ભાગ ભજ્વે છે. તેથી ડાયરેક્ટ ફ્લાઇટની કનેક્ટિવિટી બંધ થતાં ગુજરાતને અન્યાય થઇ રહ્યો છે.’
હાલોલની મહિલાનું વડોદરામાં સ્વાઇન ફ્લૂમાં મોત
શહેરમાં સ્વાઇન ફ્લૂમાં વધુ એક મોત નિપજ્યું હતું. જે અંતર્ગત હાલોલની સગભૉનું વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.હોસ્પિટલના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ સયાજી હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલ હાલોલની સગભૉનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પ્રાપ્તવિગતો અનુસાર હાલોલ ખાતે આવેલ ઇન્દ્રાડ ગામે રહેતી ૨૫ વર્ષિય રાજેશ્રી દપિકભાઇ ભરવાડને સાત માસનો ગર્ભ હતો.શુક્રવારે તેને શંકાસ્પદ સ્વાઇન ફ્લૂની અસર દેખાતા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જયાં શનિવારે તેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જ્યારે આજે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
સેકન્ડ જનરેશન ટીચર કેવો હશે?
ટીમ ટીચિંગ અંતર્ગત વર્ગમાં ત્રણ શિક્ષકોની ટીમ વિદ્યાર્થીઓને ભણાવે છે, જેથી વિદ્યાર્થીઓને વેરીએશન તો મળે જ છે. સાથે સાથે તેઓ શિક્ષકોના અનુભવો મેળવી શકે છે.સેકન્ડ જનરેશન ટીચર કેવો હશે? ભાવિ શિક્ષકોને તૈયાર કરવા ડૉ.આર.સી. પટેલ કાયમ અવનવી તકનીકો વાપરતા હોય છે. એમએઇડ, પી એચ ડી ઇન સાયન્સ એજ્યુકેશનનો અભ્યાસ કરનાર આર.સી.પટેલે તકનીક અપનાવી તે છે ટીમ ટીચિંગ. જે અંતર્ગત તેઓ વર્ગમાં ત્રણ શિક્ષકોની ટીમ સાથે ભણાવે છે.મ.સ.યુનિમાં પ્રોફેસર ઇન એજ્યુકેશન સાયકોલોજી જેવો અઘરો વિષય ભણાવવમાં તેમની ટેકનીકથી વિદ્યાર્થીઓને વેરીએશન તો મળે જ છે. સાથે સાથે તેઓ ત્રણે ટીચરના અનુભવો મેળવી શકે છે.એમની જ વિદ્યાર્થીની કશ્યપીએ કહ્યું કે, સર પાસેથી વિદ્યાર્થીઓની સયાકોલોજી શું હોય છે અને એમને કંઇ રીતે ભણાવવા તે શીખી છું.જેનો અમલ કર્યા બાદ શિક્ષક શું હોવો જોઇએ એનો ખ્યાલ આવ્યો. સામાન્ય રીતે શિક્ષક વિદ્યાર્થીઓને તૈયાર કરતા હોય છે. આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં એન્જિનીયર બને કે ડોક્ટર બને એવું બની શકે પણ આર.સી.પટેલ અને તેમની ટીમ જેને તૈયાર કરે છે તે ભવિષ્યમાં શિક્ષક બને છે અને તેના માથે ભાવિ પેઢી તૈયાર કરવાની જવાબદારી આવે છે.આ જવાબદારી સુપેરે નિભાવી શકાય તે માટે આ ટીચિંગ ટીમને માથે મોટો પડકાર આવી જાય છે. તેઓ વિદ્યાર્થીની સાયકોલોજી સમજે અને પછી તેમને સમજાવે છે. વિદ્યાર્થીમાં જીજ્ઞાશા ઊભી કરવા સાથે તેમને અભ્યાસની રૂચિ કેળવી શકે તે શિખવવાની જવાબદારી તેઓ નિભાવી રહ્યા છે.
ગેમન માટે ગેટ વે ખૂલ્યો, પાલ-અઠવા દોરડે જોડાશે
લાંબા ઇંતજાર બાદ છેવટે ભાજપ શાસકોએ ટેક્નિકલ માન્યતા આપી દેતા તાપી નદી પર એલ.પી. સવાણી અને અઠવાલાઇન્સ વચ્ચે રાજ્યનો પ્રથમ કેબલ સ્ટેઇડ બ્રિજ નિર્માણ પામશે. લાંબા વિવાદના અંતે આ બ્રિજનું નિર્માણ કાર્ય ગેમન ઇન્ડિયા કંપનીને જ સોંપાયું છે.સૌપ્રથમ રૂ. ૧૬૪ કરોડનો ભાવ મૂકનાર ગેમન ઇન્ડિયા કંપની રૂ. ૧૪૩.૬૪ કરોડમાં બ્રિજ બનાવવા તૈયારી દાખવતા તેની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. શાસકોએ પંડિત દિનદયાળ ઉપાધ્યાય નામકરણ કરાયું છે. ૮મી સપ્ટેમ્બરે બ્રિજનું ખાતમુહૂર્ત કરાશે જેને માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ પણ પાઠવી દેવાયું છે. ટેન્ડરરને ૩૬ મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની શરત મૂકી હોઈ વર્ષ ૨૦૧૪-૧૫ સુધીમાં બ્રિજ આકાર પામે તેવી શક્યતા છે.બ્રિજનો સીધો ફાયદો અડાજણ અને અઠવા વચ્ચેના ટ્રાફિકને થશે. રાંદેર, પાલનપુર પાટિયા, પાલ, ભાઠાનો ટ્રાફિક સરદાર બ્રિજ સુધી ન જતાં કેબલ સ્ટેઇડ બ્રિજ પર ડાયવર્ટ થતાં સરદાર બ્રિજ પર સર્જાતી જામની પરસ્થિતિથી રાહત મળશે. જેના કારણે અઠવા ગેટ અને મજુરા ગેટ સહિત રિંગરોડ પર પણ ટ્રાફિક હળવો થશે.
સરના મુદ્દે ૧૨મીથી આંદોલન
સરને મામલે રાજ્ય સરકાર સામે તા. ૧૨મી સપ્ટેમ્બરે આંદોલન શરૂ કરવાની ખેડૂતોએ શનિવારે ઘોષણા કરી હતી. અલબત્ત આ આંદોલનને ખભે લઇને ચાલતાં માજી ધારાસભ્ય ધનસુખ પટેલે આંદોલન મામલે પોતાનો વિરોધસૂર પૂરાવીને પલ્ટી મારી દીધી હતી.હજીરામાં સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજયનના પ્રકરણમાં રાજ્ય સરકાર દ્વારા લેખિતમાં કોઇ બાયધરી આપવામાં આવી નથી. ત્યારે સરનું આંદોલન છેડવું કે નહી તે માટે શનિવારે કોરગ્રુપની મિટિંગ મળી હતી. માજી ધારાસભ્ય ધનસુખ પટેલે રાજ્ય સરકારને આ ગંભીર મામલે વધુ સમય આપવાની માંગણી કરી હતી. માજી ધારાસભ્ય અને અન્ય બે અગ્રણીઓની આ માંગણીને કોરગ્રુપે સ્વીકારવાની સ્પષ્ટત ના પાડી દીધી હતી.હજીરાનું સર કોરગ્રુપ ખેડૂતોને મળવા મહુવા જશે : કોરગ્રુપ સહિત રાજ્યના અન્ય સ્થળો જેવા કે મહેસાણા જિલ્લા અને મહુવા તાલુકામાં નિરમા પ્રોજેક્ટને રાજ્ય સરકારે ખેડૂતોની બાપદાદાની જમીન ઉદ્યોગપતિઓને ધરી દીધી છે.
બાર કીલો ગાંજાના જથ્થા સાથે ઝારખંડના બે યુવકો ગિરફ્તાર
બિહાર રાજ્ય અને ઓરીસ્સાના ઉડીયા મજુરો તેમના પ્રાંતમાંથી નશાકારક પદાર્થો લાવીને અલંગના શીપયાર્ડ પાસે વેચાણ કરતા હોયને આ પ્રવૃત્તિઓ ઘણા સમયથી ચોરી-છુપીથી ચાલતી હોયને, તેને નષ્ટ કરવા માટે એસ.પી. ચન્દ્રશેખરે પોલીસને એલર્ટ કરતા, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની પોલીસે ૧૨ કીલો ગાંજાના જથ્થા સાથે ઝારખંડ રાજ્યના બે યુવકોને રંગેહાથ ઝડપી લીધા હતા.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્તવિગત મુજબ એસ.ટી. બસ દ્વારા નારી ચોકડી પાસે થેલા લઈને ઉતરેલ પિન્ટુ રાજેન્દ્રર પ્રસાદ કેસરી અને ક્રીષ્ના રામલાલ જાદવ (રે.બન્ને ઝારખંડ-રાંચી)ને પૂર્વ બાતમીના આધારે એસઓજીના પી.આઈ. વાઢેર, સ્ટાફના તાજુદીન દલ, અશોકસિંહ, હર્ષદ ગોહેલ, સુરેશ બોરીચા, સતીષ પટેલ સહિતના સ્ટાફે ઝડપી લઈને બન્ને પરપ્રાંતિય યુવકોના થેલાની તપાસ કરતા અંદરથી નશાકારક ગાંજો નિકળતા, પોલીસે ૧૨ કિલો ગાંજો કબ્જે કરીને રૂ.૬૮ હજારનો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
ભાવનગર : ૨૩ કલાક બાદ શેત્રુંજી ડેમના દરવાજા બંધ કરાયા
ભાવનગર શહેર અને જિલ્લાભરમાં પીવાના પાણી તેમજ ચોમાસુ, શિયાળુ અને ઉનાળુ પાક માટે મુખ્ય ગણાતા શેત્રુંજી ડેમના ૨૫ દરવાજા કુલ ૨૩ કલાક સુધી ખુલ્લા રખાયા બાદ આજે સાંજે ૫ કલાકે બંધ કરાતા ડેમની સપાટી ૩૩ ફૂટ ૧૦ ઈંચ નોંધાઈ હતી.ભાવનગર જિલ્લાના પાલિતાણા નજીકના રાજસ્થળી ગામે આવેલા શેત્રુંજી ડેમના ૫૯ પૈકી ૨૫ દરવાજા ગઈકાલે સાંજે ૬ કલાકે ૨ ફૂટ ખોલવામાં આવ્યા હતા. બાદમાં ખોડિયાર ડેમમાંથી આવક ઘટી જતાં આજે સાંજે પાંચ કલાકે આ ૨૫ દરવાજા બંધ કરી દેવાયા હતા.આજે સવારે એક તબક્કે ડેમમાંથી ૧૨,૩૭૫ કયુસેક પાણીની જાવક સામે આવક ૨૪૭૨ થઈ જતાં સાંજે પાંચ વાગે દરવાજા બંધ કરી દેવાયા હતા.
ચાર્જશીટ વિના જ પ્રદીપ શર્માની જામીન અરજીએ આશ્ચર્ય સર્જ્યું
ભુજ જથ્થાબંધ બજારના કેસમાં છેલ્લા ઘણા સમયથી પાલારાની જેલમાં કેદ કચ્છના તત્કાલીન કલેક્ટર અને આઇએએસ અધિકારી પ્રદીપ શર્માએ લાખો રૂપિયાના મોબાઇલ બિલ અંગેની એન્ટી કરપ્શનના કેસમાં તેમની ધરપકડ કે કોર્ટના ચાર્જશીટ ન થવા દેવા ભુજની કોર્ટમાં જામીન અરજીએ આશ્ચર્ય સર્જ્યું હતું.આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ પ્રદીપ શર્માના એડવોકેટ રત્નાકરભાઇ ધોળકિયાએ લાંચ રૂશ્વતના કેસમાં ભુજ કોર્ટમાં જામીન માટેની અરજી કરી છે જોકે, આશ્ચર્યજનક કહી શકાય તેવી હકિકત એ છે કે, એસીપીના કેસમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા હજુ સુધી પ્રદીપ શર્માની ધરપકડ જ થઇ નથી. માત્ર એટલું જ નહીં પરંતુ કોર્ટમાં હજુ સુધી આ અંગે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી નથી. ક્રિમીનલ પ્રોસજિર કોડની કલમ ૧૬૭ મુજબ શર્માની જામીન અરજી કરવામાં આવી છે.
મેચબોક્સમાં પેક થશે મિશેલની સાડી
પોતાની ફેશન માટે હમેશા ચર્ચામાં રહેતી અમેરિકી પ્રથમ મહિલા મિશેલ ઓબામા નવેમ્બરમાં જ્યારે બરાક ઓબામા સાથે ભારત આવશે ત્યારે ભારત તરફથી તેને એક સાડી ભેટમાં આપવામાં આવશે. ગિફ્ટ જ્યારે ખાસ ફેશન આઇકન મનાતી કોઈ વ્યક્તિને આપવાની હોય ત્યારે તેને અત્યંત ખાસ બનાવવી જરૂરી છે.મૈસૂર સિલ્કની આ સાડીનું વજન માત્ર 30 ગ્રામ છે. એટલું જ નહીં તેને વાળીને એક માચિસના બોક્સમાં સમાવી શકાશે. આ સાડીનું પ્રદર્શન બેંગલોરમાં ચાલી રહેલા એક સિલ્ક ઉત્સવમાં કરવામાં આવ્યું. આ સાડીને પારંપરિક વણકર દંપતી 69 વર્ષીય નારાયણપ્પા અને તેની પત્ની કમલામ્માએ બનાવ્યું છે.આ એક સાડી તૈયાર કરવામાં આ દંપતીને 6 મહિના કરતા પણ વધારે સમય લાગ્યો છે. નારાયણપ્પા એવું ઈચ્છતા હતા કે અમેરિકી રાષ્ટ્રપતિ જ્યારે પોતાની પત્ની સાથે બેંગાલુરુ આવે ત્યારે તેમને ભારતના પરંપરાગત વારસાના પ્રતીકરૂપ કોઈ ભેટ મળે.સામાન્ય રીતે આ પ્રકારની સાડીઓ બનાવવા માટે સિલ્કમાં જે સૂતર વાપરવામાં આવે છે, તેમાં કેટલાંય રેસા હોય છે, પરંતુ આ સાડીમાં માત્ર બે જ રેસાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જ કારમે આટલા પાતળા સૂતરમાંથી આખી 18 ફૂટની સાડી બનાવવાનું કામ સરળ નહોતું. આટલા પાતળા સૂતરને તૂટવાથી બચાવવાનું કામ પણ એક પડકારરૂપ હતું.
7 વર્ષમાં 80 IPS અધિકારીઓએ નોકરી છોડી
ભારતીય પોલીસ સેવા એટલે કે આઈપીએસના લગભગ 80 પોલીસ અધિકારીઓએ ગત સાત વર્ષ દરમિયાન પોતાની નોકરી છોડી છે. સેવામાં અસમાનતા, મનચાહી કેડર ન મળવી, નોકરીની પડકાર ભરેલી પ્રકૃતિ, મોડેથી પ્રમોશન અને ખાનગી ક્ષેત્રમાં આકર્ષક વેતન જેવા કારણોથી ઘણાં આઈપીએસ અધિકારીએ કેરિયરની અધવચ્ચે પોતાની નોકરીઓ છોડી દીધી છે.7 પોલીસ અધિકારીઓએ 2007માં નોકરી છોડી, 2004માં 11, 2005માં 8, 2006માં 13, 2008માં 15 અને 2009માં 8 પોલીસ અધિકારીઓએ નોકરી છોડી હતી. સીમા સુરક્ષા દળ એટલે કે બીએસએફના ભૂતપૂર્વ મહાનિદેશક અને 1972ની બેચના આઈપીએસ અધિકારી એમ. એલ. કુમાવતે કહ્યું હતું કે ગડબડવાળા વિસ્તારોમાં લાંબા સમય સુધી તેનાતી પણ આઈપીએસ અધિકારીઓનું નોકરી છોડવાનું મુખ્ય કારણ છે.કુમાવતે કહ્યું હતું કે સેવાની શરતોને સુધારવી જોઈએ. આઈપીએસ અધિકારી પોતાના સમગ્ર કેરિયર દરમિયાન ફીલ્ડમાં રહે છે. તેમને તેનો કંઈક લાભ મળવો જોઈએ, નહીંતર નોકરી છોડવાની પ્રવૃતિ બનેલી રહેશે.
હજી સુધી દેખાયા નથી મુ્ક્ત બંધક પોલીસકર્મીઓ
માઓવાદીઓએ બંધક બનાવાયેલા બિહાર મિલિટ્રી પોલીસના ત્રણ પોલીસકર્મીઓ અભય યાદવ, એહસાન ખાન અને રુપેશ સિંહેને આજે મુક્ત કરવાની વાત કહેવામાં આવી છે. જો કે હજી સુધી માઓવાદીઓ દ્વારા બંધકોને છોડવાની વાતની ઔપચારીક પુષ્ટિ થઈ નથી. મહત્વપૂર્ણ છે કે માઓવાદીઓએન ગત રવિવારે બિહારના લખીસરાયમાં એન્કાઉન્ટર બાદ ચાર પોલીસ કર્મીઓને બંધક બનાવી લીધા હતા. સરકાર પર પોતાની માગણીઓ માનવાનું દબાણ બનાવવા માટે માઓવાદીઓએ લુકસ ટેટે નામના એક બંધક પોલીસ જવાનની હત્યા પણ કરી દીધી છે.જો કે બિહાર પોલીસ તરફથી બંધકોને છોડવાની વાતની આધિકારીક પુષ્ટિ થઈ શકી નથી. બિહાર પોલીસના ડીજીપી નીલમણિએ કહ્યું છે કે તેઓ માઓવાદીઓ દ્વારા બંધકોને છોડાવના અહેવાલોની પુષ્ટિ કરવામાં કાર્યરત છે. મુંગેર, જમુઈ અને લખીસરાય જિલ્લામાં માઓવાદીઓ વિરુદ્ધ કોમ્બિંગ ઓપરેશન જોઈ રહેલા આઈજી કે. એસ. દ્વિવેદીએ કહ્યું છે કે તેમણે તમામ જિલ્લા પોલીસ અધિક્ષકોને આ વાતની પુષ્ટિ સંદર્ભે કહ્યું છે, પરંતુ હજી સુધી ત્રણેય બંધક પોલીસકર્મીઓમાંથી કોઈને જોઈ શકાયા નથી.મહત્વપૂર્ણ છે કે ગઈકાલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સર્વપક્ષીય બેઠક બાદ કહ્યું હતું કે તેઓ માઓવાદીઓ સાથે વાતચીત કરવા માટે તૈયાર છે અને વાતચીત કરનારા માઓવાદી નેતાઓને પાછા જવા માટે સુરક્ષિત રસ્તો આપવામાં આવશે. જો કે માઓવાદીઓએ વાતચીત કરવાનો ઈન્કાર કરી દીધો છે.નક્સલી નેતાએ અભય યાદવની પત્ની પાસે રાખડી બંધાવી,બીજી તરફ મુક્તિ પહેલા પોલીસ અધિકારી અભય યાદવના ઘરે એક નક્સલીના આવવાની માહિતી મળી છે અને જણાવામાં આવી રહ્યું છે કે તેણે બંધક બનાવાયેલા અભય યાદવની પત્ની પાસે રાખડી બંધાવી છે. પોલીસ અધિકારી અભય યાદવની પત્નીએ રાખડી બાંધ્યા પછી પોતાના પતિની મુક્તિની માગણી કરી હતી. ત્યાર બાદ નક્સલી નેતાએ કહ્યું હતું કે વિશ્વાસ કરો કે તમારો પતિ જલ્દીથી છુટી જશે.રજનીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તેઓ 6 વાગ્યે તેના ઘરે આવ્યા અને કહ્યું કે તેઓ તેને પોતાની બહેન માને છે. ત્યાર બાદ તેમને રાખડી બાંધી. રજનીએ જણાવ્યું હતું કે તે મને પોતાનો ભાઈ કહ્યો માટે હું તારી પાસે રાખડી બંધાવી રહ્યો છું અને તારો સુહાગ પાછો આપી રહ્યો છું.
ભારતે બ્રહ્મોસ ક્રૂજ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું
ભારતે આજે ઓરિસ્સાના તટ પર સ્થિત ચાંદીપુર ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (આઈટીઆર)ધી 290 કિલોમીટરની મારક ક્ષમતાવાળી બ્રહ્મોસ ક્રૂજ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ સૈન્ય ક્ષમતા વધારવા માટે કરવામાં આવેલા પ્રયાસનો ભાગ છે.સવારે 11 કલાક અને 35 મિનિટે કરવામાં આવેલા પરીક્ષણ બાદ થોડી વારમાં ડિફેન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ના પ્રવક્તાએ કહ્યું હતું કે આ પરીક્ષણ સૈન્યદળો દ્વારા મિસાઈલની ઉપયોગિતાની તપાસ કરવા માટે કરવામાં આવ્યું છે.બ્રહ્મોસ મિસાઈલ-2 આતંકવાદીઓના ઠેકાણા પર સટીક હુમલો કરવા માટે બેહદ ઉપયોગી સાબિત થશે. આ ક્રૂજ મિસાઈલથી નિશાના પર લેવાયેલા ઠેકાણા આસપાસ તબાહી મચાવ્યા વગર બરબાદ કરી શકાશે. આ મિસાઈલ ધ્વનિની ગતિથી 2.8 ઘણી વધારે ઝડપ ધરાવે છે. તે 300 કિલોગ્રામ વિસ્ફોટકો સાથે 290 કિલોમીટર સુધી વાર કરી શકે છે. એટલું જ નહીં તે નિશાના પર લેવાયેલા આતંકી ઠેકાણાંને માત્ર 10 મીટરની ઊંચાઈથી ઉડીને નિશાન બનાવી શકે છે. જો કે આ ક્રૂજ મિસાઈલને કોઈપણ પ્લેટફોર્મ પરથી લોન્ચ કરી શકાય છે, પરંતુ સૈન્યદળો તેના ફાઈટર પ્લેન અને સબમરીન પરથી લોન્ચ કરવાની તકનીક પર જોર આપી રહ્યાં છે.
અમેરિકામાં ઑગસ્ટમાં 54 હજાર લોકોએ નોકરી ગુમાવી
અમેરિકન અર્થવ્યવસ્થામાં ખરાબ સમાચારનુ આવવુ સતત ચાલુ છે. હવે એવા સમાચાર પ્રાપ્ત થયા છે કે ઑગસ્ટ મહિના દરમિયાન અમેરિકામાં 54 હજાર લોકોએ પોતાની નોકરી ગુમાવી છે.અમેરિકાના શ્રમ વિભાગના આંકડાઓ પ્રમાણે મોટા ભાગની નોકરીઓ સાર્વજનીક ક્ષેત્રમાં કામ કરનારા અસ્થીર કર્મચારિયોના હાથ માથી છુટી છે. અને તાજા આંકડાઓ પ્રમાણે ઑગસ્ટ માસમાં અમેરિકામાં બેરોજગારી દર વધીને 9.6 ટકાની સપાટીએ પહોંચી ગયો છે.જોકે ઓબામાં પ્રશાસન માટે રાહતના સમાચાર એમ પણ છે કે ત્યાના પ્રાઇવેટ સેક્ટરે આ દરમિયાન 67 હજાર નવા લોકોને રોજગાર આપ્યો છે. આ બાબતે પોતાનો આનંદ વ્યક્ત કરતા અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યુ હતુ કે આ સકારાત્મક સંકેત છે.ઓબામા આ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે આવનારા દિવસોમાં પરિસ્થિતિમાં સુધારો આવશે. પરંતુ તેઓએ એમ પણ સ્પષ્ટ કરી દીધુ હતુ કે બેરોજગારીને પહોચી વળવા કોઈ તાત્કાલિક ઉપાય નથી.
ઓબામાના પ્રવાસ પહેલાં વિઝા ફી વિવાદ ઉકેલવા માગતું ભારત
અમેરિકા સાથેનો વિઝા ફી વિવાદ નવેમ્બર પહેલાં ઉકેલવાની ઇચ્છા વ્યક્ત કરીને ભારતે જણાવ્યું કે, અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાના ભારતના પ્રવાસ પહેલાં નવી દિલ્હી વિઝા ફીનો વિવાદાસ્પદ ઉકેલવા માગે છે.વાણિજ્ય સચિવ રાહુલ ખુલ્લરે જણાવ્યું કે, દરેક વ્યક્તિ આ મુદ્દો મૈત્રીપૂર્ણ રીતે ઉકેલવાનો યોગ્ય માર્ગ શોધી રહી છે. બરાક ઓબામા ભારતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે વિઝા ફી વિવાદ ઉકેલાઇ જાય એવું દરેક ઇચ્છે છે. તેમણે એમ પણ જણાવ્યું કે, હવેથી બે સપ્તાહમાં જોઇન્ટ ટ્રેડ પોલિસી ફોરમ (ટીપીએફ)ની બેઠક શરૂ થવાની હોવાથી પણ આ મુદ્દો ઉકેલવાની જરૂર છે.તેમણે જણાવ્યું કે, નાયબ અમેરિકી વેપાર પ્રતિનિધિ માઇકલ પુંક અને ફ્લોરિડાના સેનેટર જ્યોર્જ લિમ્યુકસ સહિત ઘણા અમેરિકનોએ ગયા સપ્તાહે તેમની સાથે મુલાકાત કરી હતી અને વિઝા ફી વિવાદ અંગે ચર્ચા કરી હતી.
શાહરૂખ સલમાનને મસ્કા મારી રહ્યો છે..
હાલમાં જ અભિનેતા સલમાન ખાને એક ટીવી શોમાં શાહરૂખ ખાન સાથે મતભેદ હોવાની વાત કહી હતી. સલમાને કહ્યું હતું કે, શાહરૂખ સાથે તેની મિત્રતા ક્યારેય શક્ય નથી. તેઓ એકબીજા સાથે વાત નથી કરતા અને ભવિષ્યમાં ક્યારેય કામ કરે તેવી પણ શક્યતા નથી.સલમાન શાહરૂખ સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નથી પરંતુ કિંગ ખાન સલ્લુમિયા સાથેના સંબંધો સુધારવા માંગે છે. હાલમાં જ મસલ્સ અને સિક્સ પેક એબ અંગે ચર્ચા થતી હતી ત્યારે એસઆરકેએ આનો તમામ શ્રેય સલમાનને આપ્યો હતો.આટલું જ નહિ કિંગ ખાને સલમાનના વખાણ કર્યા હતા અને સલમાનની બોડિ બિલ્ડિંગને આદર્શ માની હતી. એસઆરકેના મતે સલમાને બોડિ બિલ્ડિંગને પૂજનીય બનાવવાનું કામ કર્યુ છે. શાહરૂખના મતે સલમાન બોલિવૂડનો સિલ્વેસ્ટર સ્ટેલન છે. લાગે છે કે, શાહરૂખ સલમાનને મસ્કા મારી રહ્યો છે. જેથી સલમાન શાહરૂખ સાથે મિત્રતા કરી લે...
મુંબઈ શહેરમાં જ્યારે રિક્ષાવાળાએ મિનિષાને..
રિક્ષા ડ્રાઈવરે અભિનેત્રી મિનિષા લાંબાને ઘર સુધી મુકવા જવાની ના પાડી દીધી હતી. આ અંગે રિક્ષા ડ્રાઈવરે કારણ આપ્યું હતું કે, મુંબઈ શહેરમાં ઘણાં બધા ભૂવા છેમિનિષા લાંબા મઢ આઈલેન્ડમાં શુટિંગ કરીને ઘરે જતી હતી. આ સમયે તેની પાસે કાર નહોતી અને તે રિક્ષામાં જ ઘરે જવાની હતી. જો કે જ્યારે તેણે રિક્ષા બોલાવી ત્યારે ડ્રાઈવરે તેને બેસાડવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.વધુમાં રિક્ષા ડ્રાઈવરે કહ્યું હતું કે, શહેરમાં ઘણાં બધા ભૂવા છે અને તેને કારણે તેને કમરમાં દુ:ખે છે.મિનિષાએ જણાવ્યું હતું કે, તે રિક્ષા ડ્રાઈવરે તેની માફી માંગી હતી અને કહ્યું હતું કે, રસ્તા પરના ભૂવાને કારણે તેને કમરમાં દુખાય છે.મિનિષા લાંબાએ કહ્યું હતું કે, મુંબઈમાં જાહેર પરિવહન સેવાને અવગણવામાં આવી છે. ભૂવાને કારણે અનેક લોકો બિમારીથી પીડાઈ રહ્યા છે પરંતુ આ બાબતને બિલકુલ મહત્વ આપવામાં આવ્યું નથી.
કોણે કહે છે પાક ખેલાડીઓ બુકીના સંપર્કમાં ન હતા?
ક્રિકેટને બદનામ કરનાર પાકિસ્તાનના કેપ્ટન સલમાન બટ્ટ અને મેચ ફિક્સર મઝહર મજિદ વચ્ચેના સબંધો કેટલા મજબુત છે તેના પુરાવા રૂપી તસવીરો અત્રે પ્રસ્તુત છે. જેમાં બટ્ટ દોઢ લાખ પાઉન્ડની એસ્ટોન માર્ટિન કારમાં મજિદ સાથે ફરતો જોવા મળી રહ્યો છે.આ કારને સલમાન બટ્ટ ચલાવી રહ્યો છે અને વિકેટકીપર કામરાન અકમલ તેની બાજુમાં બેઠો છે જ્યારે મેચ ફિક્સર મજિદ પાછળની સીટ પર બેઠો છે. તેમાં કોઈ બે મત નથી કે આ સફર દરમિયાન થયેલી ઘણી વાતો મેચ ફિક્સિંગને સબંધિત હશે.જુલાઈમાં ખેંચવામાં આવેલી આ તસવીર લંડનની એક હોટલની છે જ્યાં પાકિસ્તાનના ખેલાડીઓ રોકાયા હતા. આ દરમિયાન માજિદ પાકિસ્તાનના ઘણા ખેલાડીઓનો સંપર્ક કર્યો હતો. તેમાં મોહમ્મદ આમિર, બટ્ટ અને મોહમ્મદ આસિફ પ્રમુખ છે. તેણે પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હોટલમાં ડીનર પણ લીધું હતું.નોંધનિય છે કે ન્યુઝ ઓફ ધ વર્લ્ડ દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે અને પાકિસ્તાન ક્રિકેટ ટીમની ઉંઘ ઉડી ગઈ છે.
હવે આઈફોન ઉપર પૂરી ફિલ્મ જોવો
હા મીત્રો હવે આ સંભવ છે. કોઈ પણ પ્રકારની એકસ્ટ્રા મેમરી ચિપ અથવા અન્ય વિશેષ પ્રયત્નો વગર હવે તમે કોમ્પ્યૂટર કે ટીવીની જેમ ફિલ્મ જોઈ શકાસે. અમેરિકાની કંપની નેટફ્લિક્સે એક એવી એપ્લીકેશન બજારમાં ઉતારવાની જાહેરાત કરી છે, જેનાથી આઈફોન ઉપર પૂરી ફિલ્મ જોઈ શકાસે. જેના માટે માત્ર વાઈફાઈ અથવા તો 3જી મોબાઇલની જરૂર પડશે.નેટફ્લિક્સ એક એવી કંપની છે જે અમેરિકા અને કેનાડામાં ફિલ્મ અને ટીવી કાર્યક્રમો ઑનલાઈન ભાડા ઉપર ઉપલબ્ધ કરાવે છે. તે મેલ દ્વારા પણ લોકોને ડીવીડી મોકલે છે. આ સમયે નેટફ્લિક્સ કેટલાય પ્રકારના ઉપકરણો અને સ્ક્રિન ઉપર ઉપલબ્ધ છે. માઇક્રોસૉફ્ટના એક્સબૉક્સ, સોની પ્લેસ્ટેશન 3 અને નિનટેન્ડો ડબલ્યૂઆઈઆઈ ઉપર પણ આ ઉપલબ્ધ છે.એપ્પલના આઈપેડ ઉપર પણ આ કોમ્પ્યૂટર અને લેપટૉપ દ્વારા ઉપલબ્ધ છે. આ એપ્લીકેશન તેના સભ્યો માટે તો તદ્દન નિઃશુલ્ક છે. કંપની આઈ પૉડ ઉપર પણ આ સુવિધા આપી રહી છે, જેનો ઉપયોગ ખુબજ સરળ છે.
લંડનની સીધી ફ્લાઇટ ચાલુ કરવા NRGની માગ
યુ.કે. ઉપરાંત ગુજરાતમાં વસતા ગુજરાતીઓએ એક સ્વરે ગુજરાતથી ડાયરેકટ લંડનની ફ્લાઇટ ઝડપથી શરૂ કરવા માગ કરી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલે શિયાળુ સમયપત્રકમાં અમદાવાદથી લંડન ડાયરેકટ ફ્લાઇટનું આપેલું વચન પાળ્યું નથી તે મુદ્દે સૌએ નારાજગી વ્યક્ત કરી હતી.વિધાનસભામાં વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે,નેશનલ એરલાઇન્સ તરીકે એર ઇન્ડિયાનું કામ નફો કમાવવાનું નહીં પણ સેવા આપવાનું છે. આ પ્રશ્ન રાજકીય પક્ષાપક્ષીથી દૂર રાખી ગુજરાતની પ્રજાના હિતમાં ચર્ચાવો જોઇએ અને યોગ્ય રજુઆત દ્વારા તેનું ચોક્કસ નિરાકરણ લાવવું જોઇએ. આ પ્રસંગે તેમણે ગુજરાતના અન્ય શહેરોને ડોમેસ્ટિક ફ્લાઇટ સરકિટથી જોડવા માટે પણ રાજ્ય સરકારને સૂચન કર્યું હતું. જેમાં માત્ર ૧૫થી ૨૦ કરોડના બજેટમાં આ પ્રોજેક્ટ પાર પડી શકે છે તેમ જણાવ્યું હતું.ભાજપના સંસદસભ્ય કિરીટ સોલંકીએ કહ્યું હતું કે,‘હવાઇ સેવાઓ ખૂબ અગત્યનો ભાગ ભજ્વે છે. તેથી ડાયરેક્ટ ફ્લાઇટની કનેક્ટિવિટી બંધ થતાં ગુજરાતને અન્યાય થઇ રહ્યો છે.’
હાલોલની મહિલાનું વડોદરામાં સ્વાઇન ફ્લૂમાં મોત
શહેરમાં સ્વાઇન ફ્લૂમાં વધુ એક મોત નિપજ્યું હતું. જે અંતર્ગત હાલોલની સગભૉનું વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.હોસ્પિટલના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ સયાજી હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલ હાલોલની સગભૉનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પ્રાપ્તવિગતો અનુસાર હાલોલ ખાતે આવેલ ઇન્દ્રાડ ગામે રહેતી ૨૫ વર્ષિય રાજેશ્રી દપિકભાઇ ભરવાડને સાત માસનો ગર્ભ હતો.શુક્રવારે તેને શંકાસ્પદ સ્વાઇન ફ્લૂની અસર દેખાતા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જયાં શનિવારે તેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જ્યારે આજે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
સેકન્ડ જનરેશન ટીચર કેવો હશે?
ટીમ ટીચિંગ અંતર્ગત વર્ગમાં ત્રણ શિક્ષકોની ટીમ વિદ્યાર્થીઓને ભણાવે છે, જેથી વિદ્યાર્થીઓને વેરીએશન તો મળે જ છે. સાથે સાથે તેઓ શિક્ષકોના અનુભવો મેળવી શકે છે.સેકન્ડ જનરેશન ટીચર કેવો હશે? ભાવિ શિક્ષકોને તૈયાર કરવા ડૉ.આર.સી. પટેલ કાયમ અવનવી તકનીકો વાપરતા હોય છે. એમએઇડ, પી એચ ડી ઇન સાયન્સ એજ્યુકેશનનો અભ્યાસ કરનાર આર.સી.પટેલે તકનીક અપનાવી તે છે ટીમ ટીચિંગ. જે અંતર્ગત તેઓ વર્ગમાં ત્રણ શિક્ષકોની ટીમ સાથે ભણાવે છે.મ.સ.યુનિમાં પ્રોફેસર ઇન એજ્યુકેશન સાયકોલોજી જેવો અઘરો વિષય ભણાવવમાં તેમની ટેકનીકથી વિદ્યાર્થીઓને વેરીએશન તો મળે જ છે. સાથે સાથે તેઓ ત્રણે ટીચરના અનુભવો મેળવી શકે છે.એમની જ વિદ્યાર્થીની કશ્યપીએ કહ્યું કે, સર પાસેથી વિદ્યાર્થીઓની સયાકોલોજી શું હોય છે અને એમને કંઇ રીતે ભણાવવા તે શીખી છું.જેનો અમલ કર્યા બાદ શિક્ષક શું હોવો જોઇએ એનો ખ્યાલ આવ્યો. સામાન્ય રીતે શિક્ષક વિદ્યાર્થીઓને તૈયાર કરતા હોય છે. આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં એન્જિનીયર બને કે ડોક્ટર બને એવું બની શકે પણ આર.સી.પટેલ અને તેમની ટીમ જેને તૈયાર કરે છે તે ભવિષ્યમાં શિક્ષક બને છે અને તેના માથે ભાવિ પેઢી તૈયાર કરવાની જવાબદારી આવે છે.આ જવાબદારી સુપેરે નિભાવી શકાય તે માટે આ ટીચિંગ ટીમને માથે મોટો પડકાર આવી જાય છે. તેઓ વિદ્યાર્થીની સાયકોલોજી સમજે અને પછી તેમને સમજાવે છે. વિદ્યાર્થીમાં જીજ્ઞાશા ઊભી કરવા સાથે તેમને અભ્યાસની રૂચિ કેળવી શકે તે શિખવવાની જવાબદારી તેઓ નિભાવી રહ્યા છે.
ગેમન માટે ગેટ વે ખૂલ્યો, પાલ-અઠવા દોરડે જોડાશે
લાંબા ઇંતજાર બાદ છેવટે ભાજપ શાસકોએ ટેક્નિકલ માન્યતા આપી દેતા તાપી નદી પર એલ.પી. સવાણી અને અઠવાલાઇન્સ વચ્ચે રાજ્યનો પ્રથમ કેબલ સ્ટેઇડ બ્રિજ નિર્માણ પામશે. લાંબા વિવાદના અંતે આ બ્રિજનું નિર્માણ કાર્ય ગેમન ઇન્ડિયા કંપનીને જ સોંપાયું છે.સૌપ્રથમ રૂ. ૧૬૪ કરોડનો ભાવ મૂકનાર ગેમન ઇન્ડિયા કંપની રૂ. ૧૪૩.૬૪ કરોડમાં બ્રિજ બનાવવા તૈયારી દાખવતા તેની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. શાસકોએ પંડિત દિનદયાળ ઉપાધ્યાય નામકરણ કરાયું છે. ૮મી સપ્ટેમ્બરે બ્રિજનું ખાતમુહૂર્ત કરાશે જેને માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ પણ પાઠવી દેવાયું છે. ટેન્ડરરને ૩૬ મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની શરત મૂકી હોઈ વર્ષ ૨૦૧૪-૧૫ સુધીમાં બ્રિજ આકાર પામે તેવી શક્યતા છે.બ્રિજનો સીધો ફાયદો અડાજણ અને અઠવા વચ્ચેના ટ્રાફિકને થશે. રાંદેર, પાલનપુર પાટિયા, પાલ, ભાઠાનો ટ્રાફિક સરદાર બ્રિજ સુધી ન જતાં કેબલ સ્ટેઇડ બ્રિજ પર ડાયવર્ટ થતાં સરદાર બ્રિજ પર સર્જાતી જામની પરસ્થિતિથી રાહત મળશે. જેના કારણે અઠવા ગેટ અને મજુરા ગેટ સહિત રિંગરોડ પર પણ ટ્રાફિક હળવો થશે.
સરના મુદ્દે ૧૨મીથી આંદોલન
સરને મામલે રાજ્ય સરકાર સામે તા. ૧૨મી સપ્ટેમ્બરે આંદોલન શરૂ કરવાની ખેડૂતોએ શનિવારે ઘોષણા કરી હતી. અલબત્ત આ આંદોલનને ખભે લઇને ચાલતાં માજી ધારાસભ્ય ધનસુખ પટેલે આંદોલન મામલે પોતાનો વિરોધસૂર પૂરાવીને પલ્ટી મારી દીધી હતી.હજીરામાં સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજયનના પ્રકરણમાં રાજ્ય સરકાર દ્વારા લેખિતમાં કોઇ બાયધરી આપવામાં આવી નથી. ત્યારે સરનું આંદોલન છેડવું કે નહી તે માટે શનિવારે કોરગ્રુપની મિટિંગ મળી હતી. માજી ધારાસભ્ય ધનસુખ પટેલે રાજ્ય સરકારને આ ગંભીર મામલે વધુ સમય આપવાની માંગણી કરી હતી. માજી ધારાસભ્ય અને અન્ય બે અગ્રણીઓની આ માંગણીને કોરગ્રુપે સ્વીકારવાની સ્પષ્ટત ના પાડી દીધી હતી.હજીરાનું સર કોરગ્રુપ ખેડૂતોને મળવા મહુવા જશે : કોરગ્રુપ સહિત રાજ્યના અન્ય સ્થળો જેવા કે મહેસાણા જિલ્લા અને મહુવા તાલુકામાં નિરમા પ્રોજેક્ટને રાજ્ય સરકારે ખેડૂતોની બાપદાદાની જમીન ઉદ્યોગપતિઓને ધરી દીધી છે.
બાર કીલો ગાંજાના જથ્થા સાથે ઝારખંડના બે યુવકો ગિરફ્તાર
બિહાર રાજ્ય અને ઓરીસ્સાના ઉડીયા મજુરો તેમના પ્રાંતમાંથી નશાકારક પદાર્થો લાવીને અલંગના શીપયાર્ડ પાસે વેચાણ કરતા હોયને આ પ્રવૃત્તિઓ ઘણા સમયથી ચોરી-છુપીથી ચાલતી હોયને, તેને નષ્ટ કરવા માટે એસ.પી. ચન્દ્રશેખરે પોલીસને એલર્ટ કરતા, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની પોલીસે ૧૨ કીલો ગાંજાના જથ્થા સાથે ઝારખંડ રાજ્યના બે યુવકોને રંગેહાથ ઝડપી લીધા હતા.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્તવિગત મુજબ એસ.ટી. બસ દ્વારા નારી ચોકડી પાસે થેલા લઈને ઉતરેલ પિન્ટુ રાજેન્દ્રર પ્રસાદ કેસરી અને ક્રીષ્ના રામલાલ જાદવ (રે.બન્ને ઝારખંડ-રાંચી)ને પૂર્વ બાતમીના આધારે એસઓજીના પી.આઈ. વાઢેર, સ્ટાફના તાજુદીન દલ, અશોકસિંહ, હર્ષદ ગોહેલ, સુરેશ બોરીચા, સતીષ પટેલ સહિતના સ્ટાફે ઝડપી લઈને બન્ને પરપ્રાંતિય યુવકોના થેલાની તપાસ કરતા અંદરથી નશાકારક ગાંજો નિકળતા, પોલીસે ૧૨ કિલો ગાંજો કબ્જે કરીને રૂ.૬૮ હજારનો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
ભાવનગર : ૨૩ કલાક બાદ શેત્રુંજી ડેમના દરવાજા બંધ કરાયા
ભાવનગર શહેર અને જિલ્લાભરમાં પીવાના પાણી તેમજ ચોમાસુ, શિયાળુ અને ઉનાળુ પાક માટે મુખ્ય ગણાતા શેત્રુંજી ડેમના ૨૫ દરવાજા કુલ ૨૩ કલાક સુધી ખુલ્લા રખાયા બાદ આજે સાંજે ૫ કલાકે બંધ કરાતા ડેમની સપાટી ૩૩ ફૂટ ૧૦ ઈંચ નોંધાઈ હતી.ભાવનગર જિલ્લાના પાલિતાણા નજીકના રાજસ્થળી ગામે આવેલા શેત્રુંજી ડેમના ૫૯ પૈકી ૨૫ દરવાજા ગઈકાલે સાંજે ૬ કલાકે ૨ ફૂટ ખોલવામાં આવ્યા હતા. બાદમાં ખોડિયાર ડેમમાંથી આવક ઘટી જતાં આજે સાંજે પાંચ કલાકે આ ૨૫ દરવાજા બંધ કરી દેવાયા હતા.આજે સવારે એક તબક્કે ડેમમાંથી ૧૨,૩૭૫ કયુસેક પાણીની જાવક સામે આવક ૨૪૭૨ થઈ જતાં સાંજે પાંચ વાગે દરવાજા બંધ કરી દેવાયા હતા.
ચાર્જશીટ વિના જ પ્રદીપ શર્માની જામીન અરજીએ આશ્ચર્ય સર્જ્યું
ભુજ જથ્થાબંધ બજારના કેસમાં છેલ્લા ઘણા સમયથી પાલારાની જેલમાં કેદ કચ્છના તત્કાલીન કલેક્ટર અને આઇએએસ અધિકારી પ્રદીપ શર્માએ લાખો રૂપિયાના મોબાઇલ બિલ અંગેની એન્ટી કરપ્શનના કેસમાં તેમની ધરપકડ કે કોર્ટના ચાર્જશીટ ન થવા દેવા ભુજની કોર્ટમાં જામીન અરજીએ આશ્ચર્ય સર્જ્યું હતું.આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ પ્રદીપ શર્માના એડવોકેટ રત્નાકરભાઇ ધોળકિયાએ લાંચ રૂશ્વતના કેસમાં ભુજ કોર્ટમાં જામીન માટેની અરજી કરી છે જોકે, આશ્ચર્યજનક કહી શકાય તેવી હકિકત એ છે કે, એસીપીના કેસમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા હજુ સુધી પ્રદીપ શર્માની ધરપકડ જ થઇ નથી. માત્ર એટલું જ નહીં પરંતુ કોર્ટમાં હજુ સુધી આ અંગે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી નથી. ક્રિમીનલ પ્રોસજિર કોડની કલમ ૧૬૭ મુજબ શર્માની જામીન અરજી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ ૪૦ ઈંચથી વધુ વરસાદ પડી ગયો
visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ ૪૦ ઈંચથી વધુ વરસાદ પડી ગયો
સૌરાષ્ટ્ર-કચ્છને આ વખતે મેઘરાજાએ થોડું વધારે વહાલ કર્યું છે. હજુ શ્રાવણ મહિનો પૂરો થવા આડે પાંચ દિવસ બાકી છે ત્યારે ગત વર્ષની ૩૦ ઈંચની સરેરાશ સરખામણીએ આ વખતે ૪૦ ઈંચથી વધુ વરસાદ વરસાવી દીધો છે.હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ છે ત્યારે અમુક જિલ્લાના સેન્ટરો સંભવત: ચેરાપૂંજીનો રેકોર્ડ તોડે તેવી શક્યતા ઊભી થઈ છે. સારા વરસાદથી કાઠિયાવાડના લગભગ તમામ ડેમ પાણીથી છલોછલ થઈ ગયા છે.સારા વરસાદે ખેતીના પાકનું ચિત્ર પણ ઊજળું છે અને મબલખ પાકનું ઉત્પાદન થાય તેવું હાલના સંજોગે જણાઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વર્ષ-૨૦૦૯માં રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને કચ્છમાં સરેરાશ ૩૦.૩૦ ઈંચ વરસાદ થયો હતો.વર્ષ-૨૦૧૦ના સપ્ટેમ્બર મહિનાની ૩ તારીખ સુધીના મળેલા આંકડા મુજબ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ ૪૦.૬૫ ઈંચ વરસાદ પડી ગયો છે. અને હજુ વધુ વરસાદ પડે તેવી સંભાવના છે
'રાજકોટની ભારત-શ્રીલંકાની વન-ડે ફિક્સ હતી'
૭ દડામાં જીત માટે ૧૪ રનની જરૂર હતી, શ્રીલંકાની પાંચ વિકેટો બાકી હોવા છતાં મેચ હારી ગયું હતું. આઇસીસી દ્વારા ત્રણ પાકિસ્તાની ક્રિકેટરોને સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં સસ્પેન્ડ કરાયા છે ત્યારે આઇસીસીની તપાસ માગી લે તેવા એક બૂકીના ઘટસ્ફોટમાં રાજકોટની એક વન ડે મેચ ફિક્સિંગના ઘેરામાં આવી છે ભારતના એક ટોચના બૂકીના કહેવા મુજબ ૧૫મી ડિસેમ્બર ૨૦૦૯ના રોજ રાજકોટમાં રમાયેલી ભારત-શ્રીલંકા વન ડે મેચ ફિકસ થયાની સંભાવના છે તેના કહેવા મુજબ આ મેચ ચોખ્ખી ન હતી.કોઇપણ ખેલાડી-બૂકી ષડયંત્રમાં પોતાની સંડોવણી નહીં હોવાનો દાવો કરનાર આ બૂકીએ રાજકોટની વન ડે તરફ મેચ ફિક્સિંગની આંગળી ચિંધતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજકોટની આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતી ભારતને દાવમાં ઉતાર્યું હતું અને બેટ્સમેનો માટે સ્વર્ગ સમી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમની પીચ પર ભારતે ૫૦ ઓવરમાં ૪૧૪ રનનો તોતિંગ સ્કોર ખડકયો હતો.જવાબમાં શ્રીલંકાએ તિલકરત્ને દિલશાનના આકર્ષક ૧૬૦ રનના અંગત જૂમલા સાથે શ્રીલંકા આ મેચ જીતવાના આરે આવી ગયું હતું. પરંતુ અંતમાં તે ૩ રને હારી ગયું હતું. શ્રીલંકાએ આ મેચમાં ૨૭ એક્સ્ટ્રા અને ભારતે ૨૧ એક્સ્ટ્રા બોલ નાખ્યા હતા, અને આ મેચમાં કુલ ૮૨૫ રન નોંધાયા હતા.બૂકીનું કહેવું છે કે શ્રીલંકા એક તબક્કે પ વિકેટે ૪૦૧ રન નોંધાવી ચૂક્યું હતું અને તેને જીત માટે સાત દડામાં ફક્ત ૧૪ રન જોઇતા હતા. ત્યારે બાજી સરભર કરવા માટે ધડાધડ સટ્ટાબાજી ખેલાતી હતી. શરૂઆતમાં ભારત ફેવરીટ ગણાતું હતું અને શ્રીલંકાની જીત પર કોઇ પૈસા લગાવવા તૈયાર ન હતું. પરંતુ અંતિમ તબક્કે સ્થિતિ ભયાવહ બની હતી.ત્યારે જ આ બૂકીને તેના મોબાઇલ પર એક ટેક્સ્ટ મેસેજ મળ્યો હતો. આ મેસેજ મોકલનાર રાજસ્થાનનો ૨૦ વર્ષનો યુવાનો હતો જે અગાઉ આ બૂકી માટે કલીનરનું કામ કરતો હતો તેણે લખ્યું હતું કે સબ સૌદે કાટ દો, ઔર કોલ મત લેના, ઇન્ડિયા મેચ લે જા રહા હૈ. (તમામ સોદા રદ્દ કરો અને વધુ સોદા ન લો, ભારત મેચ જીતી જશે.) આ બૂકીના કહેવા મુજબ તેને પોતાના જૂના માણસની વાત પર અચાનક વિશ્વાસ બેસી ગયો અને તેણે તેના કહેવા મુજબ જ કર્યું, ભારત ત્રણ રને જીતી ગયું.
યાસિરનો ધડાકો: પાક ક્રિકેટમાં બધુ ફિક્સ છે
ન્યુઝ ઓફ ધ વર્લ્ડ દ્વ્રારા કરવામાં આવેલ સ્ટિંગ ઓપરેશનમાં ક્રિકેટ જગતમાં વધુએક ખળભળાટ મચી ગયો છે. હાલમાં જ થયેલા ખુલાસામાં પાકિસ્તાન ક્રિકેટનો એક અલગ ચહરો સામે આવ્યો છે, જેમાં ફિક્સિંગનો એક એવો પુરાવો મળ્યો છે જે એ વાત તરફ સંકેત કરે છે કે પાકીસ્તાનમાં દરેક મેચ ફિક્સ થતી હતી.ન્યુઝ ઓફ ધ વર્લ્ડ અખબારે પોતાના અંડર કવર પત્રકારના માધ્યમથી પાકિસ્તાનના ખેલાડી યાસિર હમીદની મુલાકાત લીધી છે જેમાં તેણે સનસનીખેજ ખુલાસો કર્યો છે. યાસિર હમીદે આ મુલાકાતમાં પાકિસ્તાનના ઘણા ખેલાડીઓની પોલ ખોલી છે. તેમજ સ્પોટ ફિક્સિંગ અંગે પણ ખુલાસો કર્યો હતો.-યાસિરના જણાવ્યાં મુજબ મેચ ફિક્સિંગ થાય છે અને ખેલાડી સ્પોટ મેચ ફિક્સિંગ કરે છે. પાકિસ્તાનમાં રમાનાર દરેક મેચ ફિક્સ હોય છે.ક્રિકેટમાં આવું થાય છે પરંતુ જે પકડાય છે તે ચોર હોય છે.-હામિદે ખુલાસો કર્યો હતો કે તેને પણ દોઢ લાખ પાઉન્ડની ઓફર મળી હતી. પરંતુ તેણે ફગાવી દીધી હતી. પરિણામ એ આવ્યું કે પાકિસ્તાન ટીમમાંથી તેનું પત્તુ કપાઈ ગયું અને તેની કેરિયર પર પણ અસર પડી હતી.- હા તેઓ દરેક મેચ ફિક્સ કરતા હતા અને મને ગુસ્સો પણ આવતો હતો.કારણ કે તે દિવસોમાં હું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતો હતો.
'રાજકોટની ભારત-શ્રીલંકાની વન-ડે ફિક્સ હતી'
૭ દડામાં જીત માટે ૧૪ રનની જરૂર હતી, શ્રીલંકાની પાંચ વિકેટો બાકી હોવા છતાં મેચ હારી ગયું હતું. આઇસીસી દ્વારા ત્રણ પાકિસ્તાની ક્રિકેટરોને સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં સસ્પેન્ડ કરાયા છે ત્યારે આઇસીસીની તપાસ માગી લે તેવા એક બૂકીના ઘટસ્ફોટમાં રાજકોટની એક વન ડે મેચ ફિક્સિંગના ઘેરામાં આવી છે ભારતના એક ટોચના બૂકીના કહેવા મુજબ ૧૫મી ડિસેમ્બર ૨૦૦૯ના રોજ રાજકોટમાં રમાયેલી ભારત-શ્રીલંકા વન ડે મેચ ફિકસ થયાની સંભાવના છે તેના કહેવા મુજબ આ મેચ ચોખ્ખી ન હતી.કોઇપણ ખેલાડી-બૂકી ષડયંત્રમાં પોતાની સંડોવણી નહીં હોવાનો દાવો કરનાર આ બૂકીએ રાજકોટની વન ડે તરફ મેચ ફિક્સિંગની આંગળી ચિંધતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજકોટની આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતી ભારતને દાવમાં ઉતાર્યું હતું અને બેટ્સમેનો માટે સ્વર્ગ સમી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમની પીચ પર ભારતે ૫૦ ઓવરમાં ૪૧૪ રનનો તોતિંગ સ્કોર ખડકયો હતો.જવાબમાં શ્રીલંકાએ તિલકરત્ને દિલશાનના આકર્ષક ૧૬૦ રનના અંગત જૂમલા સાથે શ્રીલંકા આ મેચ જીતવાના આરે આવી ગયું હતું. પરંતુ અંતમાં તે ૩ રને હારી ગયું હતું. શ્રીલંકાએ આ મેચમાં ૨૭ એક્સ્ટ્રા અને ભારતે ૨૧ એક્સ્ટ્રા બોલ નાખ્યા હતા, અને આ મેચમાં કુલ ૮૨૫ રન નોંધાયા હતા.બૂકીનું કહેવું છે કે શ્રીલંકા એક તબક્કે પ વિકેટે ૪૦૧ રન નોંધાવી ચૂક્યું હતું અને તેને જીત માટે સાત દડામાં ફક્ત ૧૪ રન જોઇતા હતા. ત્યારે બાજી સરભર કરવા માટે ધડાધડ સટ્ટાબાજી ખેલાતી હતી. શરૂઆતમાં ભારત ફેવરીટ ગણાતું હતું અને શ્રીલંકાની જીત પર કોઇ પૈસા લગાવવા તૈયાર ન હતું. પરંતુ અંતિમ તબક્કે સ્થિતિ ભયાવહ બની હતી.ત્યારે જ આ બૂકીને તેના મોબાઇલ પર એક ટેક્સ્ટ મેસેજ મળ્યો હતો. આ મેસેજ મોકલનાર રાજસ્થાનનો ૨૦ વર્ષનો યુવાનો હતો જે અગાઉ આ બૂકી માટે કલીનરનું કામ કરતો હતો તેણે લખ્યું હતું કે સબ સૌદે કાટ દો, ઔર કોલ મત લેના, ઇન્ડિયા મેચ લે જા રહા હૈ. (તમામ સોદા રદ્દ કરો અને વધુ સોદા ન લો, ભારત મેચ જીતી જશે.) આ બૂકીના કહેવા મુજબ તેને પોતાના જૂના માણસની વાત પર અચાનક વિશ્વાસ બેસી ગયો અને તેણે તેના કહેવા મુજબ જ કર્યું, ભારત ત્રણ રને જીતી ગયું.
આમિરનો એસ.એમ.એસ. : મારે નો બોલ ફેંકવાનો છે?
બટ્ટના રૂમમાંથી મળેલી રોકડ રકમ અંગે સલમાન બટ્ટ અને ટીમના અધિકારીઓનું વિરોધાભાષી નિવેદન.સ્પોટ ફિક્સિંગ મામલામાં ફસાયેલા પાકિસ્તાનના આ ત્રણેય ખેલાડીની સ્કોટલેન્ડ યાર્ડે વિસ્તારથી પુછપરછ કરી હતી. આ ખેલાડીઓને બુકી મઝહર મજિદ દ્વારા કરાયેલ ફોન અને એસએમએસની જાણકારી લીધી હતી. તેઓને સ્વિસ અને બ્રિટિશ બેંકના ખાતા અંગે પણ પુછવામાં આવ્યું.સ્કોટલેન્ડ યાર્ડે આ ત્રણેય ખેલાડી, સલમાન બટ્ટ, મોહમ્મદ આમિર અને મહોમ્મદ આસિફના ફોન આ ઘટનાનો ખુલાસો થયો ત્યારે જ કબજે કરી લીધા હતા. મોહમ્મદ આમિરના મોબાઈલમાં એ ખુલાસો થયો છે કે તેણે નો બોલ પ્રકરણના એક દિવસ પહેલા મજિદને એસએમએસ કરી પુછ્યું હતું કે મારે નો બોલ ફેંકવાનો છે કે નહી ? અને બીજા દિવસે તેણે નો બોલ નાખ્યો હતો. આમિરની પાંચ કલાક પુછપરછ કરવામાં આવી હતી.સ્પોટ ફિક્સિંગ મામલામાં પાકિસ્તાનની ટેસ્ટ ટીમના કેપ્ટન સલમાન બટ્ટના રૂમ (લંડનની હોટલની રૂમ)માંથી 50 હજાર પાઉન્ડ મળતા તે ચારેય બાજુએથી ઘેરાય ગયો છે. પાકિસ્તાનના અધિકારીઓએ સમજમાં નથી આવતું કે આ અંગે કેવું સ્પષ્ટીકરણ આપવું. બટ્ટનું કહેવું છે કે પાકિસ્તાનમાં તેની બહેનના લગ્ન માટેના દહેજની આ રકમ હતી. જ્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કાનુની સલાહકારે આ રકમને સ્પોન્સરશીપના બદલામાં આપવામાં આવેલી હોવાનું જણાવ્યું હતું.શંકાના ઘેરામાં ત્રણેય ખેલાડીઓ છે, પરંતુ સલમાન બટ્ટના રૂમમાંથી મળેલી રોકડ રકમ તેની વિરૂદ્ધ પુરતા પુરાવા બની ગયા છે. જો કે હાલ સ્કોટલેન્ડ યાર્ડે ત્રણેય ખેલાડીઓ પર કોઈ ચાર્જ લગાવ્યા વગર જ તેને છોડી મુક્યા છે.
‘કોંગ્રેસે મુસ્લિમોને કબાડી, ક્લિનર અને ડ્રાઈવર બનાવ્યા’
ભાજપના 10 ટકા વોટ વધારવા માટે દેશવ્યાપી અભિયાન પર નીકળેલા પાર્ટી અધ્યક્ષ નીતિન ગડકરીએ મુસલમાનોના પછાતપણાં માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું હતું કે દેશમાં સતત રાજ કરનારી કોંગ્રેસે મુસલમાનોને કબાડી, ક્લિનર અને ડ્રાઈવરની ઓળખ આપી છે. ભાજપ મુસલમાન વિરોધી નથી. ભાજપ સંદર્ભે કોંગ્રેસ દુષ્પ્રચાર કરી રહી છે. વાસ્તવમાં ભાજપ મુસ્લિમો વિરુધી નથી, પરંતુ આતંકવાદીઓ વિરુદ્ધ છે.રાયપુરમાં આયોજીત પ્રદેશ સ્તરીય કાર્યકર્તા સંમેલને સંબોધિત કરતાં ગડકરીએ કોંગ્રેસને આડે હાથ લેતાં કહ્યું હતું કે કોંગ્રેસ મુસલમાનોને માત્ર વોટબેંક સમજી રહી છે, જ્યારે ભાજપે મુસલમાનોને વાસ્તવમાં સમ્માન આપ્યું છે. ભાજપે પોતાના શાસનકાળમાં દેશના સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક એ.પી.જે.અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ બનાવ્યા હતા.ગડકરીએ જણાવ્યું હતું કે તેમના દ્વારા મુસ્લિમો માટે સ્થાપિત કોલેજ અત્યાર સુધી છ હજાર મુસ્લિમ યુવતીઓને એન્જિનિયર બનાવી ચુકી છે. તેમણે કોંગ્રેસ પર સતત પ્રહાર કરીને કહ્યું હતું કે ભગવા આતંકની વાત કરનારા ગૃહમંત્રી ચિદમ્બરમને કદાચ ખબર નતી કે જ્યારે રામ રાવણ સાથે યુદ્ધ કરી રહ્યાં હતા, ત્યારે અને કૃષ્ણ યુદ્ધ મેદાનમાં નીકળ્યા હતા તે ભગવો ધ્વજ લઈને ચાલ્યા હતા.ભગવો રંગ શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક છે. હકીકતમાં વોટબેંકના રાજકારણને કારણે ચિદમ્બરમે આવું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે જ્યારથી દેશમાં યુપીએની સરકાર આવી છે, મોંઘવારી ત્રણ ગણી વધી ગઈ છે. મોંઘવારી વિરુદ્ધ ભાજપની લડાઈ ચાલુ છે. તેમણે કટાક્ષ કર્યો હતો કે કોંગ્રેસનો હાથ ગરીબોની સાથે નથી, પરંતુ કોંગ્રેસનો હાથ ગરીબોના ગળા પર છે. ભૂખમરાને કારણે દેશના 10 લાખ ખેડૂતો આત્મહત્યા કરી ચુક્યા છે.નક્સલીઓને હિંસા છોડવાનું કહેતાં ગડકરીએ કહ્યું હતું કે પશુપતિનાથથી તિરુપતિ સુધી રેડ કોરિડોર બનાવાનું સપનું જોઈ રહેલા નક્સલી સામાજીક આર્થિક સમસ્યા નથી. તેઓ લોકતાંત્રિક વ્યવસ્થાને પડકારી રહ્યાં છે. તેમણે નક્સલીઓને અપીલ કરી કે તેઓ હિંસાને છોડીને દેશના લોકતંત્ર પર ભરોસો કરે.હિંસાથી કોઈનો વિકાસ થઈ શકતનો નથી. હિંસા છોડીને મુખ્ય પ્રવાહ અપનાવે. દેશનું ભાગ્ય માત્ર ભાજપ બદલી શકે છે. ગડકરીએ કહ્યું હતું કે આ દેશની તકદીર બદલવાની તાકાત માત્ર ભાજપની પાસે છે. કોંગ્રેસના કશાસનમાં જેટલું નુકસાન દેશને થઈ ચુક્યું છે, તેમાંથી બહાર કાઢીને દેશને વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન પર બેસાડવા માટે પાર્ટી કામ કરશે.
આઇસીસીને સંગાકારા પર પણ શંકા!
હજૂ પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ખેલાડીઓની સ્પોટ ફિક્સિંગમાં સંડોવણીનો કિસ્સો ઠંડો થયો નથી. ત્યાં જ હવે આઇસીસી દ્વારા શ્રીલંકન ટીમના ખેલાડીઓ પર ચાપતી નજર રાખવામાં આવી રહી હોવાનો ધડાકો એક બ્રિટિશ અખબાર દ્વારા કરવામાં આવ્યો છે. માહિતી અનુસાર શ્રીલંકાની ટીમનો સુકાની કુમાર સંગાકારા ગઇ રાત્રે એક ગેરકાયદે બૂકી સાથે જોવા મળ્યો હતો....તો એ ચોથો ખેલાડી કોણ?બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયને જણાવ્યું છે કે, સુકાનીના ઇશારે શ્રીલંકન ખેલાડીઓ દ્વારા કોઇ ગેરકાયદે પ્રક્રિયા કરવામાં આવી રહી હોવાની ગંધ આઇસીસીના ભ્રષ્ટાચાર વિરોધ યૂનિટને આવી હતી. અને શ્રીલંકન ખેલાડીઓ વિરુદ્ધ પોલીસ તપાસ પણ થઇ હતી. જો કે, આ આખી વાતને શ્રીલંકન ક્રિકેટે પ્રકાશમાં આવવા દીધી ન હતી. 2009માં ઇંગ્લેન્ડ ખાતે રમાયેલા ટી-20 વિશ્વકપથી શ્રીલંકન ખેલાડીઓ આઇસીસીની નજર હેઠળ હતા.આઇસીસીના ભ્રષ્ટાચાર વિરોધી યૂનિટના અધિકારીઓએ કહ્યું છે કે, તેઓ કેટલીક ઉણપના કારણે તેઓ હતાશ થયા હતા. યૂનિટ કોઇ પોલીસિંગ એજન્સી નથી. અને તેની પાસે એવા કોઇ હક પણ નથી હોતા કે તે કોઇ ખેલાડીને ઝડપી શકે કે તેની ધરપકડ કરી શકે. અથવા તો સ્ટિંગ ઓપરેશનનો આધાર રાખી શકે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ ૪૦ ઈંચથી વધુ વરસાદ પડી ગયો
સૌરાષ્ટ્ર-કચ્છને આ વખતે મેઘરાજાએ થોડું વધારે વહાલ કર્યું છે. હજુ શ્રાવણ મહિનો પૂરો થવા આડે પાંચ દિવસ બાકી છે ત્યારે ગત વર્ષની ૩૦ ઈંચની સરેરાશ સરખામણીએ આ વખતે ૪૦ ઈંચથી વધુ વરસાદ વરસાવી દીધો છે.હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ છે ત્યારે અમુક જિલ્લાના સેન્ટરો સંભવત: ચેરાપૂંજીનો રેકોર્ડ તોડે તેવી શક્યતા ઊભી થઈ છે. સારા વરસાદથી કાઠિયાવાડના લગભગ તમામ ડેમ પાણીથી છલોછલ થઈ ગયા છે.સારા વરસાદે ખેતીના પાકનું ચિત્ર પણ ઊજળું છે અને મબલખ પાકનું ઉત્પાદન થાય તેવું હાલના સંજોગે જણાઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વર્ષ-૨૦૦૯માં રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને કચ્છમાં સરેરાશ ૩૦.૩૦ ઈંચ વરસાદ થયો હતો.વર્ષ-૨૦૧૦ના સપ્ટેમ્બર મહિનાની ૩ તારીખ સુધીના મળેલા આંકડા મુજબ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ ૪૦.૬૫ ઈંચ વરસાદ પડી ગયો છે. અને હજુ વધુ વરસાદ પડે તેવી સંભાવના છે
'રાજકોટની ભારત-શ્રીલંકાની વન-ડે ફિક્સ હતી'
૭ દડામાં જીત માટે ૧૪ રનની જરૂર હતી, શ્રીલંકાની પાંચ વિકેટો બાકી હોવા છતાં મેચ હારી ગયું હતું. આઇસીસી દ્વારા ત્રણ પાકિસ્તાની ક્રિકેટરોને સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં સસ્પેન્ડ કરાયા છે ત્યારે આઇસીસીની તપાસ માગી લે તેવા એક બૂકીના ઘટસ્ફોટમાં રાજકોટની એક વન ડે મેચ ફિક્સિંગના ઘેરામાં આવી છે ભારતના એક ટોચના બૂકીના કહેવા મુજબ ૧૫મી ડિસેમ્બર ૨૦૦૯ના રોજ રાજકોટમાં રમાયેલી ભારત-શ્રીલંકા વન ડે મેચ ફિકસ થયાની સંભાવના છે તેના કહેવા મુજબ આ મેચ ચોખ્ખી ન હતી.કોઇપણ ખેલાડી-બૂકી ષડયંત્રમાં પોતાની સંડોવણી નહીં હોવાનો દાવો કરનાર આ બૂકીએ રાજકોટની વન ડે તરફ મેચ ફિક્સિંગની આંગળી ચિંધતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજકોટની આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતી ભારતને દાવમાં ઉતાર્યું હતું અને બેટ્સમેનો માટે સ્વર્ગ સમી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમની પીચ પર ભારતે ૫૦ ઓવરમાં ૪૧૪ રનનો તોતિંગ સ્કોર ખડકયો હતો.જવાબમાં શ્રીલંકાએ તિલકરત્ને દિલશાનના આકર્ષક ૧૬૦ રનના અંગત જૂમલા સાથે શ્રીલંકા આ મેચ જીતવાના આરે આવી ગયું હતું. પરંતુ અંતમાં તે ૩ રને હારી ગયું હતું. શ્રીલંકાએ આ મેચમાં ૨૭ એક્સ્ટ્રા અને ભારતે ૨૧ એક્સ્ટ્રા બોલ નાખ્યા હતા, અને આ મેચમાં કુલ ૮૨૫ રન નોંધાયા હતા.બૂકીનું કહેવું છે કે શ્રીલંકા એક તબક્કે પ વિકેટે ૪૦૧ રન નોંધાવી ચૂક્યું હતું અને તેને જીત માટે સાત દડામાં ફક્ત ૧૪ રન જોઇતા હતા. ત્યારે બાજી સરભર કરવા માટે ધડાધડ સટ્ટાબાજી ખેલાતી હતી. શરૂઆતમાં ભારત ફેવરીટ ગણાતું હતું અને શ્રીલંકાની જીત પર કોઇ પૈસા લગાવવા તૈયાર ન હતું. પરંતુ અંતિમ તબક્કે સ્થિતિ ભયાવહ બની હતી.ત્યારે જ આ બૂકીને તેના મોબાઇલ પર એક ટેક્સ્ટ મેસેજ મળ્યો હતો. આ મેસેજ મોકલનાર રાજસ્થાનનો ૨૦ વર્ષનો યુવાનો હતો જે અગાઉ આ બૂકી માટે કલીનરનું કામ કરતો હતો તેણે લખ્યું હતું કે સબ સૌદે કાટ દો, ઔર કોલ મત લેના, ઇન્ડિયા મેચ લે જા રહા હૈ. (તમામ સોદા રદ્દ કરો અને વધુ સોદા ન લો, ભારત મેચ જીતી જશે.) આ બૂકીના કહેવા મુજબ તેને પોતાના જૂના માણસની વાત પર અચાનક વિશ્વાસ બેસી ગયો અને તેણે તેના કહેવા મુજબ જ કર્યું, ભારત ત્રણ રને જીતી ગયું.
યાસિરનો ધડાકો: પાક ક્રિકેટમાં બધુ ફિક્સ છે
ન્યુઝ ઓફ ધ વર્લ્ડ દ્વ્રારા કરવામાં આવેલ સ્ટિંગ ઓપરેશનમાં ક્રિકેટ જગતમાં વધુએક ખળભળાટ મચી ગયો છે. હાલમાં જ થયેલા ખુલાસામાં પાકિસ્તાન ક્રિકેટનો એક અલગ ચહરો સામે આવ્યો છે, જેમાં ફિક્સિંગનો એક એવો પુરાવો મળ્યો છે જે એ વાત તરફ સંકેત કરે છે કે પાકીસ્તાનમાં દરેક મેચ ફિક્સ થતી હતી.ન્યુઝ ઓફ ધ વર્લ્ડ અખબારે પોતાના અંડર કવર પત્રકારના માધ્યમથી પાકિસ્તાનના ખેલાડી યાસિર હમીદની મુલાકાત લીધી છે જેમાં તેણે સનસનીખેજ ખુલાસો કર્યો છે. યાસિર હમીદે આ મુલાકાતમાં પાકિસ્તાનના ઘણા ખેલાડીઓની પોલ ખોલી છે. તેમજ સ્પોટ ફિક્સિંગ અંગે પણ ખુલાસો કર્યો હતો.-યાસિરના જણાવ્યાં મુજબ મેચ ફિક્સિંગ થાય છે અને ખેલાડી સ્પોટ મેચ ફિક્સિંગ કરે છે. પાકિસ્તાનમાં રમાનાર દરેક મેચ ફિક્સ હોય છે.ક્રિકેટમાં આવું થાય છે પરંતુ જે પકડાય છે તે ચોર હોય છે.-હામિદે ખુલાસો કર્યો હતો કે તેને પણ દોઢ લાખ પાઉન્ડની ઓફર મળી હતી. પરંતુ તેણે ફગાવી દીધી હતી. પરિણામ એ આવ્યું કે પાકિસ્તાન ટીમમાંથી તેનું પત્તુ કપાઈ ગયું અને તેની કેરિયર પર પણ અસર પડી હતી.- હા તેઓ દરેક મેચ ફિક્સ કરતા હતા અને મને ગુસ્સો પણ આવતો હતો.કારણ કે તે દિવસોમાં હું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતો હતો.
'રાજકોટની ભારત-શ્રીલંકાની વન-ડે ફિક્સ હતી'
૭ દડામાં જીત માટે ૧૪ રનની જરૂર હતી, શ્રીલંકાની પાંચ વિકેટો બાકી હોવા છતાં મેચ હારી ગયું હતું. આઇસીસી દ્વારા ત્રણ પાકિસ્તાની ક્રિકેટરોને સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં સસ્પેન્ડ કરાયા છે ત્યારે આઇસીસીની તપાસ માગી લે તેવા એક બૂકીના ઘટસ્ફોટમાં રાજકોટની એક વન ડે મેચ ફિક્સિંગના ઘેરામાં આવી છે ભારતના એક ટોચના બૂકીના કહેવા મુજબ ૧૫મી ડિસેમ્બર ૨૦૦૯ના રોજ રાજકોટમાં રમાયેલી ભારત-શ્રીલંકા વન ડે મેચ ફિકસ થયાની સંભાવના છે તેના કહેવા મુજબ આ મેચ ચોખ્ખી ન હતી.કોઇપણ ખેલાડી-બૂકી ષડયંત્રમાં પોતાની સંડોવણી નહીં હોવાનો દાવો કરનાર આ બૂકીએ રાજકોટની વન ડે તરફ મેચ ફિક્સિંગની આંગળી ચિંધતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજકોટની આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતી ભારતને દાવમાં ઉતાર્યું હતું અને બેટ્સમેનો માટે સ્વર્ગ સમી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમની પીચ પર ભારતે ૫૦ ઓવરમાં ૪૧૪ રનનો તોતિંગ સ્કોર ખડકયો હતો.જવાબમાં શ્રીલંકાએ તિલકરત્ને દિલશાનના આકર્ષક ૧૬૦ રનના અંગત જૂમલા સાથે શ્રીલંકા આ મેચ જીતવાના આરે આવી ગયું હતું. પરંતુ અંતમાં તે ૩ રને હારી ગયું હતું. શ્રીલંકાએ આ મેચમાં ૨૭ એક્સ્ટ્રા અને ભારતે ૨૧ એક્સ્ટ્રા બોલ નાખ્યા હતા, અને આ મેચમાં કુલ ૮૨૫ રન નોંધાયા હતા.બૂકીનું કહેવું છે કે શ્રીલંકા એક તબક્કે પ વિકેટે ૪૦૧ રન નોંધાવી ચૂક્યું હતું અને તેને જીત માટે સાત દડામાં ફક્ત ૧૪ રન જોઇતા હતા. ત્યારે બાજી સરભર કરવા માટે ધડાધડ સટ્ટાબાજી ખેલાતી હતી. શરૂઆતમાં ભારત ફેવરીટ ગણાતું હતું અને શ્રીલંકાની જીત પર કોઇ પૈસા લગાવવા તૈયાર ન હતું. પરંતુ અંતિમ તબક્કે સ્થિતિ ભયાવહ બની હતી.ત્યારે જ આ બૂકીને તેના મોબાઇલ પર એક ટેક્સ્ટ મેસેજ મળ્યો હતો. આ મેસેજ મોકલનાર રાજસ્થાનનો ૨૦ વર્ષનો યુવાનો હતો જે અગાઉ આ બૂકી માટે કલીનરનું કામ કરતો હતો તેણે લખ્યું હતું કે સબ સૌદે કાટ દો, ઔર કોલ મત લેના, ઇન્ડિયા મેચ લે જા રહા હૈ. (તમામ સોદા રદ્દ કરો અને વધુ સોદા ન લો, ભારત મેચ જીતી જશે.) આ બૂકીના કહેવા મુજબ તેને પોતાના જૂના માણસની વાત પર અચાનક વિશ્વાસ બેસી ગયો અને તેણે તેના કહેવા મુજબ જ કર્યું, ભારત ત્રણ રને જીતી ગયું.
આમિરનો એસ.એમ.એસ. : મારે નો બોલ ફેંકવાનો છે?
બટ્ટના રૂમમાંથી મળેલી રોકડ રકમ અંગે સલમાન બટ્ટ અને ટીમના અધિકારીઓનું વિરોધાભાષી નિવેદન.સ્પોટ ફિક્સિંગ મામલામાં ફસાયેલા પાકિસ્તાનના આ ત્રણેય ખેલાડીની સ્કોટલેન્ડ યાર્ડે વિસ્તારથી પુછપરછ કરી હતી. આ ખેલાડીઓને બુકી મઝહર મજિદ દ્વારા કરાયેલ ફોન અને એસએમએસની જાણકારી લીધી હતી. તેઓને સ્વિસ અને બ્રિટિશ બેંકના ખાતા અંગે પણ પુછવામાં આવ્યું.સ્કોટલેન્ડ યાર્ડે આ ત્રણેય ખેલાડી, સલમાન બટ્ટ, મોહમ્મદ આમિર અને મહોમ્મદ આસિફના ફોન આ ઘટનાનો ખુલાસો થયો ત્યારે જ કબજે કરી લીધા હતા. મોહમ્મદ આમિરના મોબાઈલમાં એ ખુલાસો થયો છે કે તેણે નો બોલ પ્રકરણના એક દિવસ પહેલા મજિદને એસએમએસ કરી પુછ્યું હતું કે મારે નો બોલ ફેંકવાનો છે કે નહી ? અને બીજા દિવસે તેણે નો બોલ નાખ્યો હતો. આમિરની પાંચ કલાક પુછપરછ કરવામાં આવી હતી.સ્પોટ ફિક્સિંગ મામલામાં પાકિસ્તાનની ટેસ્ટ ટીમના કેપ્ટન સલમાન બટ્ટના રૂમ (લંડનની હોટલની રૂમ)માંથી 50 હજાર પાઉન્ડ મળતા તે ચારેય બાજુએથી ઘેરાય ગયો છે. પાકિસ્તાનના અધિકારીઓએ સમજમાં નથી આવતું કે આ અંગે કેવું સ્પષ્ટીકરણ આપવું. બટ્ટનું કહેવું છે કે પાકિસ્તાનમાં તેની બહેનના લગ્ન માટેના દહેજની આ રકમ હતી. જ્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કાનુની સલાહકારે આ રકમને સ્પોન્સરશીપના બદલામાં આપવામાં આવેલી હોવાનું જણાવ્યું હતું.શંકાના ઘેરામાં ત્રણેય ખેલાડીઓ છે, પરંતુ સલમાન બટ્ટના રૂમમાંથી મળેલી રોકડ રકમ તેની વિરૂદ્ધ પુરતા પુરાવા બની ગયા છે. જો કે હાલ સ્કોટલેન્ડ યાર્ડે ત્રણેય ખેલાડીઓ પર કોઈ ચાર્જ લગાવ્યા વગર જ તેને છોડી મુક્યા છે.
‘કોંગ્રેસે મુસ્લિમોને કબાડી, ક્લિનર અને ડ્રાઈવર બનાવ્યા’
ભાજપના 10 ટકા વોટ વધારવા માટે દેશવ્યાપી અભિયાન પર નીકળેલા પાર્ટી અધ્યક્ષ નીતિન ગડકરીએ મુસલમાનોના પછાતપણાં માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું હતું કે દેશમાં સતત રાજ કરનારી કોંગ્રેસે મુસલમાનોને કબાડી, ક્લિનર અને ડ્રાઈવરની ઓળખ આપી છે. ભાજપ મુસલમાન વિરોધી નથી. ભાજપ સંદર્ભે કોંગ્રેસ દુષ્પ્રચાર કરી રહી છે. વાસ્તવમાં ભાજપ મુસ્લિમો વિરુધી નથી, પરંતુ આતંકવાદીઓ વિરુદ્ધ છે.રાયપુરમાં આયોજીત પ્રદેશ સ્તરીય કાર્યકર્તા સંમેલને સંબોધિત કરતાં ગડકરીએ કોંગ્રેસને આડે હાથ લેતાં કહ્યું હતું કે કોંગ્રેસ મુસલમાનોને માત્ર વોટબેંક સમજી રહી છે, જ્યારે ભાજપે મુસલમાનોને વાસ્તવમાં સમ્માન આપ્યું છે. ભાજપે પોતાના શાસનકાળમાં દેશના સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક એ.પી.જે.અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ બનાવ્યા હતા.ગડકરીએ જણાવ્યું હતું કે તેમના દ્વારા મુસ્લિમો માટે સ્થાપિત કોલેજ અત્યાર સુધી છ હજાર મુસ્લિમ યુવતીઓને એન્જિનિયર બનાવી ચુકી છે. તેમણે કોંગ્રેસ પર સતત પ્રહાર કરીને કહ્યું હતું કે ભગવા આતંકની વાત કરનારા ગૃહમંત્રી ચિદમ્બરમને કદાચ ખબર નતી કે જ્યારે રામ રાવણ સાથે યુદ્ધ કરી રહ્યાં હતા, ત્યારે અને કૃષ્ણ યુદ્ધ મેદાનમાં નીકળ્યા હતા તે ભગવો ધ્વજ લઈને ચાલ્યા હતા.ભગવો રંગ શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક છે. હકીકતમાં વોટબેંકના રાજકારણને કારણે ચિદમ્બરમે આવું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે જ્યારથી દેશમાં યુપીએની સરકાર આવી છે, મોંઘવારી ત્રણ ગણી વધી ગઈ છે. મોંઘવારી વિરુદ્ધ ભાજપની લડાઈ ચાલુ છે. તેમણે કટાક્ષ કર્યો હતો કે કોંગ્રેસનો હાથ ગરીબોની સાથે નથી, પરંતુ કોંગ્રેસનો હાથ ગરીબોના ગળા પર છે. ભૂખમરાને કારણે દેશના 10 લાખ ખેડૂતો આત્મહત્યા કરી ચુક્યા છે.નક્સલીઓને હિંસા છોડવાનું કહેતાં ગડકરીએ કહ્યું હતું કે પશુપતિનાથથી તિરુપતિ સુધી રેડ કોરિડોર બનાવાનું સપનું જોઈ રહેલા નક્સલી સામાજીક આર્થિક સમસ્યા નથી. તેઓ લોકતાંત્રિક વ્યવસ્થાને પડકારી રહ્યાં છે. તેમણે નક્સલીઓને અપીલ કરી કે તેઓ હિંસાને છોડીને દેશના લોકતંત્ર પર ભરોસો કરે.હિંસાથી કોઈનો વિકાસ થઈ શકતનો નથી. હિંસા છોડીને મુખ્ય પ્રવાહ અપનાવે. દેશનું ભાગ્ય માત્ર ભાજપ બદલી શકે છે. ગડકરીએ કહ્યું હતું કે આ દેશની તકદીર બદલવાની તાકાત માત્ર ભાજપની પાસે છે. કોંગ્રેસના કશાસનમાં જેટલું નુકસાન દેશને થઈ ચુક્યું છે, તેમાંથી બહાર કાઢીને દેશને વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન પર બેસાડવા માટે પાર્ટી કામ કરશે.
આઇસીસીને સંગાકારા પર પણ શંકા!
હજૂ પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ખેલાડીઓની સ્પોટ ફિક્સિંગમાં સંડોવણીનો કિસ્સો ઠંડો થયો નથી. ત્યાં જ હવે આઇસીસી દ્વારા શ્રીલંકન ટીમના ખેલાડીઓ પર ચાપતી નજર રાખવામાં આવી રહી હોવાનો ધડાકો એક બ્રિટિશ અખબાર દ્વારા કરવામાં આવ્યો છે. માહિતી અનુસાર શ્રીલંકાની ટીમનો સુકાની કુમાર સંગાકારા ગઇ રાત્રે એક ગેરકાયદે બૂકી સાથે જોવા મળ્યો હતો....તો એ ચોથો ખેલાડી કોણ?બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયને જણાવ્યું છે કે, સુકાનીના ઇશારે શ્રીલંકન ખેલાડીઓ દ્વારા કોઇ ગેરકાયદે પ્રક્રિયા કરવામાં આવી રહી હોવાની ગંધ આઇસીસીના ભ્રષ્ટાચાર વિરોધ યૂનિટને આવી હતી. અને શ્રીલંકન ખેલાડીઓ વિરુદ્ધ પોલીસ તપાસ પણ થઇ હતી. જો કે, આ આખી વાતને શ્રીલંકન ક્રિકેટે પ્રકાશમાં આવવા દીધી ન હતી. 2009માં ઇંગ્લેન્ડ ખાતે રમાયેલા ટી-20 વિશ્વકપથી શ્રીલંકન ખેલાડીઓ આઇસીસીની નજર હેઠળ હતા.આઇસીસીના ભ્રષ્ટાચાર વિરોધી યૂનિટના અધિકારીઓએ કહ્યું છે કે, તેઓ કેટલીક ઉણપના કારણે તેઓ હતાશ થયા હતા. યૂનિટ કોઇ પોલીસિંગ એજન્સી નથી. અને તેની પાસે એવા કોઇ હક પણ નથી હોતા કે તે કોઇ ખેલાડીને ઝડપી શકે કે તેની ધરપકડ કરી શકે. અથવા તો સ્ટિંગ ઓપરેશનનો આધાર રાખી શકે.
04 September 2010
રાજકોટ આઠમે રજા રાખી મેઘો ફરી મંડાયો, સવા બે ઇંચ વરસાદ
visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
રાજકોટ આઠમે રજા રાખી મેઘો ફરી મંડાયો, સવા બે ઇંચ વરસાદ
રાજકોટમાં મેઘરાજાએ તહેવારના આનંદ ઉપર આજે ફરી પાણી ફેરવી દીધું હતું. ગઇકાલે માત્ર એક જ દિવસ આઠમ ઉપર પોરો ખાધા બાદ આજે દિવસ આખોવરસાદ વરસતા લોકોનો ફરવા જવાનો મૂડ ઓફ થઇ ગયો હતો. મેળાની મજા પણ બગડી હતી. દિવસ આખો નોનસ્ટોપ વરસાદ વરસતા મોડી સાંજ સુધીમાં અઢી ઇંચથી વધુ પાણી પડી ગયું હતું.છેલ્લા એક પખવાડિયાથી વરસાદી માહોલથી લોકો હવે કંટાળી ગયા છે. સાતમ-આઠમના તહેવાર ઉપર તો મેઘરાજા છુટકારો આપે એવી લોકોની આશા ઉપર પણ પાણી ફેરવી દીધું છે. સાતમ ઉપર પણ મજા બગાડી. એકમાત્ર ગઇકાલે આઠમ ઉપર નિરાંત રહી હતી. કાલે આખો દિવસ આકાશ ચોખ્ખું રહ્યું હતું.એ જોઇ લોકોએ હાશકારો અનુભવ્યો હતો અને તહેવારના બાકીના બે દિવસ મોજ માણીશું એવો ઉત્સાહ જાગ્યો હતો પરંતુ આજે ફરી મેઘરાજાએ ડેબા તંબૂ તાણી લીધા હતા અને આખો દિવસ ક્યારેક ધીંગી ધારે તો ક્યારેક ધીમી ધારે એમ સતત વરસાદ ચાલુ રહેતાં બધા ઉત્સાહ ઉપર પાણી ફરી વળ્યું હતું. આજે મોડી સાંજ સુધીમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. આખો દિવસ વરસાદ ચાલુ રહેતા રસ્તા પર સતત પાણી ભરાયેલા રહ્યા હતા.વરસાદનો રેકોર્ડ તૂટવામાં માત્ર ૬.૨પ ઇંચનું જ છેટું -રાજકોટમાં આ વખતે અપરંપાર મેઘકૃપા વરસી છે. હવે તો ખમૈયા કરો એવી વિનંતી મેઘરાજાને કરવી પડે તેટલી ધરપત આપી દીધી છે. રાજકોટનો વરસાદનો રેકોર્ડ પ૬.૨પ ઇંચનો છે. આ વર્ષે આજનો વરસાદ મળીને કુલ૧૨પ૦ મી.મી. એટલે કે પ૦ ઇંચ થઇ ગયો છે. રેકોર્ડ તૂટવામાં હવે ૬.૨પ ઇંચનું જ છેટંુ રહી ગયું છે. કુલ વરસાદનો એક નવો ઈતિહાસ આ વર્ષે સર્જાય એવુ હજુ પણ વાતાવરણ પરથી માની શકાય તેમ છે.
રાજકોટના મનપાની ભૂલે પ્રધ્યુમ્ન પાર્ક ઝૂના સહેલાણીઓની મજા બગાડી
સહેજ એવા વરસાદમાં પણ ઢંગધડા વગરના પુલ પરથી વહેતું રાંદરડાના ઓવરફ્લોનું કમરડૂબ પાણી, માત્ર આઠમે જ આખો દિવસ ખુલ્લું રહી શક્યું! આજે શનિવારે ઝૂ બંધ રહેશે.પ્રધ્યુમનપાર્ક ઝૂ જવા માટે વચ્ચેથી વહેતી નદી પર મનપાએ રૂ. ૩૦ લાખના ખર્ચે બનાવેલો પુલ રાંદરડાના ઓવરફ્લોનું પાણી રોકતું હોય સહેજ એવા વરસાદમાં પણ પુલ પરથી કમરડૂબ પાણી વહેતું હોય છે. આવી સ્થિતિમાં સાતમ-આઠમના તહેવાર પર ઝૂ જોવા આવનારા સહેલાણીઓની મજા બગડી ગઇ હતી. માત્ર આઠમે જ આખો દિવસ ઝૂ ચાલુ રહી શક્યું હતું. એ સિવાય સાતમે સવારે દસ વાગ્યાથી આખો દિવસ અને આજે નોમના દિવસે પણ બપોર પછી ઝૂ બંધ રાખવાની ફરજ પડી હતી!ઝૂની ટિકિટ બારી સામેના ભાગે નિચાણમાં બનાવેલો પુલ જે તે વખતે તૈયાર થતો હતો ત્યારે જ ટેકનિકલ દ્રષ્ટિએ ભયસ્થાન દેખાઇ ગયુ હતુ. અહીં પુલ નીચે એક-એક ફૂટના આઠથી દસ ભૂંગળા મૂકી માથે સ્લેબ ખડકી દેવાયો છે. હાલ રાંદરડા ઓવરફ્લો થઇ ગયેલો છે અને એવામાં જો ભારે ઝાપટું પડે તો વધારાનું પાણી ભુંગળામાંથી પસાર થઇ ન શકતા પુલ પર ગોઠણ ડૂબી જાય તેટલું વહે છે. આવી સ્થિતિમાં પુલના કારણે ઝૂ જઇ શકાય એવી હાલત નથી રહેતી. સાતમના દિવસે પણ સવારે દસ વાગ્યા પછી વરસાદ આવતા ઝૂ લગભગ બંધ જેવું જ રહ્યું હતું. ગઇકાલે આઠમે વરસાદ ન હતો એટલે સહેલાણીઓને કંઇ વાંધો ન આવ્યો પણ આજે નોમના દિવસે ધોધમાર વરસાદથી બપોર બાદ સહેલાણીઓ ઝૂ જઇ શકે એવી સ્થિતિ રહી શકી ન હતી. ભારે વરસાદની આગાહીના પગલે આવતીકાલે શનિવારે પણ ઝૂ બંધ રાખવામાં આવશે એવી ઝૂ સત્તાવાળાઓએ આજે મોડી સાંજે જાહેર કર્યું હતું.સાતમના દિવસે સવારે દસ વાગ્યા પછી ઝૂ બંધ હતું એ પહેલા ૧પ૦૦ જેટલા સહેલાણીઓ મુલાકાત લઇ શક્યા હતા. કાલે આખો દિવસ વરસાદનો વિરામ હોવાથી ૧પ હજાર જેટલા લોકો ઝૂ આવ્યા હતા. કાલે આઠમના દિવસે તંત્રને રૂ. એક લાખ અને પાંચ હજારની આવક થઇ હતી. બાદમાં આજે બપોર પછી વરસાદના કારણે ઝૂ બંધ રહ્યું હતું. બપોર પહેલા ૪ હજાર લોકો આવ્યા હતા અને તંત્રને રૂ. ૩૪ હજારની આવક થઇ હતી.
રાજકોટના લોકમેળામાં ચાર દિવસમાં ૧૭પ ટન કચરો નીકળ્યો
લોકમેળામાં મહાપાલિકાએ સફાઇ અને આરોગ્ય સહિતની ટુકડીઓને રાઉન્ડ ધી કલોક કાર્યરત રાખી છે. આમ તો વરસાદી માહોલની અસર મેળા પર વર્તાઇ રહી છે એમ છતાં આ ચાર દિવસમાં મેળાના મેદાનમાંથી ૧૭પ ટનથી વધુ કચરો નીકળ્યો છે. રોજ રાત્રે સફાઇ કામદારો સવાર સુધી મેદાનમાં કચરો ઉસેટવામાં કામે લાગે છે.મહાપાલિકાએ ત્રણ શિફ્ટમાં ૧૯૦થી વધુ સફાઇ કામદારોને મેળામાં સફાઇની ફરજ માટે રોક્યા છે. સેનેટરી મંડળીઓને આ જવાબદારી સોંપવામાં આવી છે. અને સફાઇ કામગીરી ઉપર પર્યાવરણ ઇજનેર નિલેષ પરમાર નજર રાખી રાખ્યા છે. આમ તો વરસાદના કારણે મેળામાં દર વર્ષે હોય એવી ભીડ જામતી નથી. વરસાદ ચાલુ હોય ત્યારે મેળા ખાલીખમ્મ હોય છે. વરસાદનો વિરામ હોય ત્યારે લોકો ઉમટી રહ્યા છે. છઠ્ઠાના દિવસે તો મેળામાં જુજ સંખ્યા જ હતી.સાતમ ઉપર આખો દિવસ વરસાદ રહ્યો પણ રાત્રે વિરામ લેતાની સાથે જ લોકો ઉમટી પડ્યા હતા અને સાતમ ઉપર ૪પ ટનથી વધુ કચરો નીકળ્યો હતો. ગઇકાલે આઠમ ઉપર આખો દિવસ મેળામાં રસ રહ્યો હતો અને આ એ દિવસે ૬૦ ટન કચરો કાઢવામાં આવ્યો હતો. આજે શુક્રવારે સાંજ પછી મેળામાં ચિક્કાર ભીડ હતી.આજે પણ મેદાનમાંથી પ૦ ટન જેટલો કચરો એકત્ર થઇ ચુકયો છે. દરમિયાન સ્ટોલ પાસે કચરો કરતા હોય એવા લોકો પાસેથી કુલ રૂ. ૩૭૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
રાજકોટ : મેળામાં સ્ટીમ ઢોકળા, અમેરિકન મકાઇની માંગ
રાજકોટના લોકમેળામાં આમ તો આ વર્ષે કાંઇ પણ ખાવું જોખમી છે છતાં લોકો ભવિષ્યની ચિંતા કર્યા વગર,‘આજનો લ્હાવો લઇએ જી રે કાલ કોણે દીઠી છે’એવું માનીને ખાણી-પીણીની મજા લઇ રહ્યા છે.મેળો હોય કે તે સિવાયની હોટેલ બધું પેક રહે છે.જો કે મેળામાં લોકો મોટાભાગે વાસી ખોરાક લેવાનું ટાળી રહ્યા છે પરંતુ તે પણ સાવ તો બંધ નથી જ. છતાં ગરમ અને પૌષ્ટિક કહેવાય તેવી ચીજો લોકો ખાઇ રહ્યાછે.લોકમેળામાં દરવર્ષની જેમ પાઉંભાજી, ભેળ , ભજિયાં, પેટીસ, સેન્ડવીચ, પીઝા,પાણીપુરી,સેવપુરી જેવી સંખ્યાબંધ વસ્તુઓ મળે જ છે પરંતુ જે લોકો ‘હવાનું રૂખ’સમજે છે તેઓ વાસી કે વસ્તુઓ ખાવાનું ટાળે છે. મેળામાં સ્ટીમ ઢોકળાના જેટલાં સ્ટોલ છે ત્યાં ભીડ વધારે છે.ગરમ ગરમ ઢોકળાં,લસણની ચટણી-તેલ ખાવાની મજા લોકો લઇ રહ્યાં છે.ઢોકળાં ખાવાથી પેટને વધારે નુકસાન થતું નથી.સાથે જ રાજકોટના લોકોની પ્રિય વાનગી,રાત્રે જમ્યા પછીનો નાસ્તો તેવી અમેરિકન મકાઇના સ્ટોલ પણ ફુલ છે.મેળામાં ભેળ કરતાં પણ વધારે ખવાતું હોય તો એ છે ‘કાઠિયાવાડી ખીચું’ ગરમ ખીચું, એમાં તેલ અને મરચાંનો ભુક્કો આ ઘરઘરાઉ ડીસ પણ હવે મેળાના સ્ટોલની વાગગી બની છે. લોકો ચમચીથી અને છેલ્લે તો આંગળાં ચાટીને ખીચું ખાય છે.ગરમ પાઉંભાજી અને રગડો તેમજ વડાપાંઉ વરસાદી સીઝનને લીધે ઉપડે છે પરંતુ શહેરી પ્રજા તે ખાતી નથી. ફ્રૂટ ડીસના પણ સ્ટોલ છે પરંતુ ખુલ્લા ફળ ખાવામાં પણ લોકો પરેજ રાખતા જોવા મળ્યા હતા.
બ્રાન્ડેડ અને લોકલ આઇસક્રીમનું મહત્વ મેળામાં યથાવત છે.વિવિધ પ્રકારની કેન્ડી અને કોન મેળો માણનારાઓ ખાઇ રહ્યા છે.કપમાં પણ તેટલો જ આઇસક્રીમ ખવાય છે.સસ્તા જયુસ લોકો બેફામ પીવે છે જે રોગચાળો સર્જી શકે છે.પાણીના પાઉચનું પણ એવું જ ધૂમ વેચાણ છે.
માર્ગો પરનું વરસાદી પાણી બોરથી જમીનમાં ઉતારાશે
રાજકોટમાં વર્ષ ભલે ગમે તેવું સારુ ગયુ હોય છતાં બીજા વર્ષે ચોમાસુ મોડુ પડે એટલે પાણીના સાંસા પડતા હોવાની કમનસીબી વર્ષોથી ચાલી આવે છે. ડેમમાં તો ઠીક તળ પણ સૂક્કા ભઠ્ઠ થઇ જાય છે. ડંકીઓ ડચકા ખાઇ જાય છે ને બોર પણ ડૂકી જાય છે.
આવી સ્થિતિમાં મ્યુનિ. કમિશનર ડૉ. બ્રહ્નભટ્ટે જળ સમસ્યા સામે લોકભાગીદારીના અભિગમથી ઘરગથ્થુ ઉપચાર શોધી કાઢી રાજકોટમાં વરસતું પાણી રાજકોટની જ ધરતીમાં ઉતારવાનું એક પથદર્શક અભિયાન ઉપાડ્યું છે. તેના પ્રથમ પ્રયોગને જબરી સફળતા પણ મળી છે.રાજકોટમાં અત્યાર સુધીના વરસાદનો રેકોર્ડ તૂટવામાં હાથવેંતનું જ છેટું છે. જો કે એ વાત અલગ છે કે, વરસાદના ચાર-ચાર રાઉન્ડ આવ્યા ત્યાંરે છેક જળાશયોમાં શહેરનું વર્ષ આખું ચાલે તેટલુ પાણી આવ્યું છે. તેનું એકમાત્ર કારણ એ છે કે, જળાશય ઉપર વરસાદ ઓછો પડ્યો છે. મોટાભાગનો વરસાદ માર્ગો પર નદીની જેમ વહી વોંકળા મારફત શહેરની બહાર વહી ગયું છે.જે વર્ષે ચોમાસુ મોડુ થાય ત્યારે કમસેકમ તળ સાજા હોય તો પણ લોકોને થોડીઘણી રાહત તો થાય જ. આ જ વાસ્તવિકતાને નજર સમક્ષ રાખી આર્કિટેક ઇલાબેન લોઢવિયાને જે વિસ્તારમાં વરસાદી પાણી તળાવડાની જેમ ભરાય છે ત્યાં બોર બનાવી પાણી જમીનમાં ઉતારવાનો વિચાર સૂજ્યો. તેમના આ વિચારને મ્યુનિ. કમિશનર ડૉ. બ્રહ્નભટ્ટે વધાવી લઇ જળસંચયની દિશામાં રાજકોટ માટે એક વૈચારિક ક્રાંતિ કહી શકાય એવો ઘરગથ્થો ઉપાયને અમલમાં મૂકી લોકભાગીદારીથી આ અભિયાનને આગળ વધારવાનું શરૂ કર્યું. ખુશીના સમાચાર એ છે કે, પ્રથમ પ્રયોગમાં જ જબરી સફળતા મળી છે. પ્રથમ બોર વિરાણી રોડ પર હેમુગઢવી હોલ પાસેસરગમ ક્લબના લોકભાગીદારીથી બનાવવામા આવ્યો છે. આ જગ્યાએ પહેલાની જેમ લાંબા સમય સુધી પાણી ભરાયેલુ નથી રહેતુ અને બધુ જ પાણી બોર વાટે જમીનમાં સળસળાટ ઉતરી જાય છે. આર્કિટેક ઇલાબેનની ઓફિસ સરદારનગર મેઇન રોડ ઉપર પણ વેપારીઓની લોકભાગીદારીથી બનાવવામા આવેલા બોરને પણ આવી જ સફળતા મળી છે.પ્રથમ પ્રયોગોમાં જ આવી જબરી સફળતાનેજોઇને હવે આગામી દિવસોમાં સમગ્ર શહેરમાં જ્યાં પાણી ભરાવવાની સમસ્યા છે અને ભૌગોલિક દ્રષ્ટિએ ત્યાં બોર કરી શકાય એમ હોય એવા આવા તમામ વિસ્તારોમાં રોડની સાઇડમાં નડતરરૂપ ન થાય એ રીતે શક્ય એટલા બોર બનાવવાની તૈયારી હોવાનું મ્યુનિ. કમિશનર ડૉ. બ્રહ્નભટ્ટે જણાવ્યું હતુ.અત્રે ઉલ્લેખનીય છે કે, કૂવા રિચાર્જ તથા ચેક ડેમ નિર્માણ દ્વારા સૌરાષ્ટ્ર અને ગુજરાતે જળ સંચયના ક્ષેત્રે એક અદ્દભૂત ક્રાંતિ સર્જી સમગ્ર રાષ્ટ્રને રાહ ચિંધ્યો છે. એ ઝુંબેશન મીઠા ફળ અત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતને મળી રહ્યા છે. તેજ રીતે રાજકોટ મનપાએ આ નવો પ્રયોગ હાથ ધરી એક નવી ક્રાંતિના મંડાણ કર્યા છે. જેનો શહેરને ફાયદો મળશે.
મોદીના ભાષણ માટે શાળાઓમાં રજા રદ્દ
હાલ ફેસ્ટીવલ મૂડ ચાલી રહ્યો છે. વિદ્યાર્થીઓ પણ રજાની મજા માણવામાં પડ્યા છે. સોમવાર સુધી શૈક્ષણિક સંસ્થાઓમાં વેકેશન જાહેર કરાયુ હતું પરંતુ તા. પમી શિક્ષક દિને રવિવાર આવતો હોય તેના આગલા દિવસે મુખ્યમંત્રી મોદીના ઓનલાઇન ભાષણનું આયોજન કરી કાલે શનિવારે શાળાઓ ચાલુ રાખવાનો ફતવો છેલ્લી ઘડીએ શાળા સંચાલકોને અપાતા સંચાલકો ઘાંઘાં થયા છે.જો કે કાલે વિદ્યાર્થીઓ શાળાએ નહીં જ આવે એ નિશ્વિત વાત છે અને માત્રને માત્ર શિક્ષકોને જ ભાષણ સાંભળવાનું રહેશે એ પણ એટલી જ નક્કી વાત છે! છેલ્લા બે વર્ષથી શિક્ષક દિનના રોજ ગુજરાત સરકારની બીઆઇએસએજી સેટેલાઇન ચેનલ પર તમામ શાળાઓમાં મુખ્યમંત્રીના ઓનલાઇન પ્રવચનનું આયોજન કરવામાં આવે છે. પરમ દિવસે જ તા. પ સપ્ટેમ્બરે શિક્ષક દિવસ છે. બીજીબાજુ ગત સોમવારથી શૈક્ષણિક સંસ્થાઓમાં એક સપ્તાહનું વેકેશન જાહેર કરાયેલું છે. ૧પમી ઓગસ્ટે રવિવારે પણ બાળકોને વાઇબ્રન્ટ ઉજવણીના ભપકામાં પરાણે સામેલ કરવા શાળાઓ ચાલુ રખાઇ હતી અને એ દિવસની રવિવારની રજાને આવતીકાલે શનિવારે રજા રાખી એકઝેસ્ટ કરી અઠવાડિયાનું મીની વેકેશન જાહેર કરાયેલું હતું.એવામાં છેલ્લી ઘડીએ જિલ્લા શિક્ષણાધિકારી બગડાએ આવતીકાલે શનિવારની રજા રદ હોવાનો પરપિત્ર કાઢ્યો છે. પ સપ્ટેમ્બરે શિક્ષક દિન હોય મુખ્યમંત્રીના ઓનલાઇન ભાષણ માટે શાળા ચાલુ રાખવાનો આ ફતવો શાળા સંચાલકોને છેક ગણતરીની કલાકો પહેલા ખબર પડતા તેઓ પણ ઘાંઘા થયા છે. વિદ્યાર્થીઓને રજા રદ થવા અંગે એક જ દિવસમાં કઇ રીતે જાણ કરવી? એવી વિમાસણમાં મૂકાયા છે. જો કે બીજીબાજુ સ્થિતિ એ પણ થવાની છે કે, વિદ્યાર્થીઓમાં ફેસ્ટીવલ મૂડ હોય રદ થયેલી રજાના દિવસમાં કાલે નહીં જ આવે એ નિશ્વિત વાત છે.ડીઇઓ બગડા, મેસેજ આપતા ભૂલી ગયા કે સંદેશો પ્રોપર ચેનલ મારફતે ન પહોંચ્યો?રજા રદ થઇ હોવાનો સંદેશો છેલ્લી ઘડીએ મળ્યો હોવાનું મોટાભાગની શાળાના સંચાલકો પાસેથી જાણવા મળ્યું છે ત્યાંરે તેની સામે જિલ્લા શિક્ષણાધિકારી બગડાએ એવુ રટણ કર્યું હતુ કે, મે તો ૩૧ તારીને જ પરપિત્ર જારી કરી દીધો હતો! અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે, શિક્ષણાધિકારીઓ આ બચાવ છે કે પછી સંદેશો પ્રોપર ચેનલ મારફતે શાળા સંચાલકોને સમયસર ન પહોંચ્યો?
BMC મરાઠી અનુસ્નાતકોને બમણો પગારવધારો આપશે
શિવસેના-ભાજપ શાસિત બૃહદ મુંબઈ મહાનગર પાલિકા (બીએમસી)એ પાલિકાના ૧.૨ લાખના સ્ટાફમાં મરાઠી પોસ્ટ ગ્રેજ્યુએટોને બમણો પગારવધારો આપવાનો નિર્ણય કર્યો હતો, જેની સામે વિરોધ પક્ષોનો વિરોધ ભડકયો હતો.દરખાસ્ત પસાર કરનારી બીએમસીની સ્થાયી સમિતિના અધ્યક્ષ રાહુલ શેવાળેએ જણાવ્યું હતું કે, ‘બીએમસી આ સંબંધે કદાચ શુક્રવારે એક પરપિત્ર કાઢશે.’ફક્ત મરાઠી અનુસ્નાતકોનો વિચાર કરવાના આ પગલાનો વિરોધ કરતાં પાલિકામાં વિપક્ષના નેતા રાજહંસ સિંહે કહ્યું હતું કે કોઈ ભેદભાવ રખાયો ન હોવાની બાબત નશિ્વિત કરવા માટે હિન્દી અનુસ્નાતકોને પણ આ લાભ આપવો જોઈએ. ‘જો બીએમસી એમ નહીં કરે તો અમે આ નિર્ણયને અદાલતમાં પડકારીશું’, એમ તેમણે ઉમેર્યું હતું. જોકે શેવાળેએ કહ્યું હતું કે સિંહે પેનલની બેઠકમાં આવું કશું સૂચવ્યું નહોતું. ‘તેઓ ચૂપ રહ્યા હતા. એમ તેમણે ઉમેર્યું હતું. વિવાદાસ્પદ દરખાસ્તનો બચાવ કરતાં શેવાળેએ આ નિર્ણયમાં કોઈ રાજકીય કારણો ન જોવા જોઈએ, એમ તેમણે કહ્યું હતું. ‘આ બાબત તો ફક્ત સારી ભાષાકીય આવડત સાથે પાલિકાના અસરકારક વહિવટને પ્રોત્સાહન આપવા માટે જ છે’, એમ તેમણે વધુમાં કહ્યું હતું અને ઉમેર્યું હતું કે, ‘આ બાબત અન્ય રાજ્યના સરકારી ખાતાંઓને મરાઠીમાં પાઠવવામાં આવતા પત્રોમાં વાક્યરચના અને તેના નિયમોની ભૂલોને અટકાવશે.’એક અધિકારીએ કહ્યું હતું કે, બીએમસી ધારા હેઠળ પાલિકાને તેની સ્થાનિક ભાષાને પ્રોત્સાહન આપવા માટે પગલાં લેવાનો અધિકાર છે. ‘જો સ્થાનિક કોર્પોરશન તેની સ્થાનિક ભાષાને આગળ નહીં વધારે તો કોણ એ કરશે?’ એવો સવાલ એમણે પૂછ્યો હતો.મહારાષ્ટ્ર નવિનર્માણ સેના (મનસે)ના કોર્પોરેટર મંગેશ સાંગળેએ એપ્રિલ મહિનામાં આ વિચાર પ્રગટ કર્યો હતો અને સેના, ભાજપ અને કોંગ્રેસ સહિત કોઈ પણ રાજકીય પક્ષ મરાઠી વિરોધી દેખાવા નહોતો માગતો એટલે આ દરખાસ્તે તમામ અવરોધો ખાસ્સી ઝડપે પસાર કરી દીધા હતા.
પશ્ચિમ રેલવે ‘ગો મુંબઈ’ સ્માર્ટ કાર્ડ સેવા બંધ કરાશે
પ્રવાસીના શુષ્ક પ્રતિસાદને પગલે અને મેસર્સ કેએપીએલ દ્વારા અંધેરી અને ચર્ચગેટ સ્ટેશને સેવા બંધ કરવાને કારણે મહત્વાકાક્ષી ગો મુંબઈ કોન્ટેકટલેસ સ્માર્ટ કાર્ડ બંધ કરવાનું નક્કી થયું છે.પશ્ચિમ રેલવેના ઉપનગરીય વિભાગમાં ૨૮ ડિસેમ્બરથી આ સેવા બંધ થશે.આ મુજબ પેઢીને ૧૦-૮-૨૦૧૦ અને ૧૦-૧૧-૨૦૧૦થી અનુક્રમે ત્રિમાસિક અને માસિક પાસ આપવાનું બંધ કરવા કહેવાયું છે. ઉપરાંત ઈ-પર્સ પર ટોપ અપ્સ અને કાર્ડ જારી કરવાનું ૨૦-૧૨-૨૦૧૦થી બંધ કરવાનું કહેવાયું છે.આ પ્રકલ્પ ૨૮-૧૨-૨૦૧૦થી સમેટી લેવાશે. ૧૧-૧૨-૨૦૧૦થી અંત સુધીના સમયમાં દાવાની પતાવટ તથા પ્રવાસીઓનાં લેણાં પાછાં આપવામાં આવશે, એમ પશ્ચિમ રેલવેનાં સૂત્રોએ જણાવ્યું હતું.
રાજકોટ : ખાબોચિયાં યથાવત, કપચીના ટ્રક ક્યાં ગયા?
થોડા સમય પહેલાં અહીં સ્વતંત્રતાપર્વની ઉજવણી થઇ ત્યારે બે માસથી તંત્ર ઊંધા માથે હતું,છેલ્લા દિવસોમાં તો વરસાદ પડે કે તરત કપચી-માટીના ટ્રકના ટ્રક ઠલવાતા,તે જ મેદાનમાં અત્યારે રાજકોટના લોકો મેળામાં ફરી રહ્યા છે પરંતુ તેમણે કાદવ ખૂંદવો પડી રહ્યો છે.સતત પડતા વરસાદને લીધે પાણી સૂકાતું નથી,કાદવ પણ યથાવત છે.આમ તો તંત્રે આ વર્ષે મોસમનો મિજાજ જોઇને જ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની જરૂર હતી,પરંતુ આ મેળામાં તો સામાન્ય માણસો જ આવવાના હતા, મંત્રી કે વીઆઇપી તો અહીં ફરકે નહીં તેથી તંત્રે થોડું કામ કર્યું,બાકી રામ ભરોસે. જેટલી કપચી કે રેતી કે મોરમ ઠલવાઇ હોવાનું કાગળ પર દર્શાવાયું છે તેટલી ઠલવાઇ હશે કે નહીં તે પણ સવાલ છે.પ્રથમ દિવસે જે પ્રમાણમાં વરસાદ પડ્યો તેવી રીતે જ આજે પણ વરસાદ પડ્યો છે પરંતુ તેની વચ્ચે બે દિવસ કોરા ગયા ત્યારે પણ કાદવ ઉલેચવાનું કે ખાબોચિયાં સૂકવવાનું તંત્રને જરૂરી જણાયું નથી.સાતમ અને આઠમના દિવસોએ પણ મેળામાં ફરનારા માણસો કાદવ ખૂંદીને ફયાઁ હતાં, તેમના માટે ગંદા પાણીમાં જ જવા સિવાય કોઇ વિકલ્પ નહોતો.
રાજકોટ : શંકાશીલ પતિના ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત
ચારિત્રય પર શંકા કરી ત્રાસ ગુજારતાં પતિની હેરાનગતિથી કંટાળી ખવાસ પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.ગુરુપ્રસાદ ચોક પાસેના આરએમસી કવાટર્સમાં રહેતી ખવાસ પરિણીતા સોનલબેન અજય ડોડિયા (ઉ.વ.૨૭) એ પોતાના ઘરે પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં માલવિયાનગરના પીએસઆઈ રામ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે, સોનલના છ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. અને તેને સંતાનમાં એક પુત્રી છે. લગ્ન બાદ ચારિત્રય પર શંકા કરી પતિ ત્રાસ ગુજારતો હતો. પાંચ વર્ષ પૂર્વે પણ પરિણીતાએ તેના પતિ સામે ફરિયાદ કરી હતી પરંતુ પતિની શંકાનો અંત આવ્યો ન હતો. ગુરુવારે રાત્રે પણ પતિએ એજ મુદ્દે ઝઘડો કરતાં પરિણીતાએ કંટાળી આપઘાત કરી લીધો હતો. મૃતકની માતાની ફરિયાદ પરથી પોલીસે અજય ડોડિયા સામે ગુનો નોંધ્યો હતો.
મવડી પ્લોટમાં આવેલા અમૃતવાડીમાં નવા બનતાં મકાનમાં સેન્ટ્રિંગનું કામ કરતી વેળાએ હિતેષ મનસુખભાઈ વશિપરા (ઉ.વ.૨૧) નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
રાજકોટ : સગાઈ તૂટી જતાં યુવકના પરિવાર પર હુમલો
શહેરના ચુનારાવાડ પાસેના શિવાજીનગરમાં સગાઈ તૂટી જવાના મુદ્દે યુવકના પરિવારજનો પર યુવતી, યુવતીના ભાઈઓ સહિતનાઓએ હુમલો કરતા ચાર ઘવાયા હતા.એચ.જે. સ્ટીલ પાસેની રિધ્ધીસિધ્ધી સોસાયટીમાં રહેતા કોળી જીતેશ ભૂપતભાઈ બાંભિળયાની સગાઈ શિવાજીનગરની યુવતી સાથે થઈ હતી. પરંતુ કોઈ કારણોસર સગાઈ તૂટી જતાં યુવતીના ભાઈઓ સંજય ભરત બારિયા અને કાળો બારિયા, જીતેશને ધમકાવતાં હતા અને ઝઘડો કરતાં હતાં.બાંભણિયા પરિવાર ગુરુવારે શિવાજીનગરમાં હતો ત્યારે સંજય, કાળો તથા કિશોર ધના બારિયા, મુન્નો બારિયાએ છરીથી હુમલો કર્યો હતો. હુમલામાં ભૂપતભાઈ, રમાબેન જીતેશ અને અશ્વિનને ઈજા થતાં ચારેયને હોસ્પિટલમાં ખસેડાયા હતા.
વેસ્ટ બંગાલના હિલ્દયા ગામેથી ટ્રકમાંથી ૪.૯૦ લાખના પ્લાસ્ટિકના દાણાની ચોરી
શહેરમાં વધી રહેલા ચોરીના બનાવમાં શુક્રવારે મોડી રાત્રે તસ્કરો ટ્રકની તાલપત્રી કાપી રૂ.૪.૯૦ લાખની કિંમતના પ્લાસ્ટિકના દાણા ભરેલી બોરીઓ ચોરી ગયાની ટ્રકચાલકે પોલીસમા ફરિયાદ નોંધાવી છે.બનાવની મળતી વિગતો મુજબ, વેસ્ટ બંગાલના હિલ્દયા ગામેથી આરજે.૦૪જી.૩૦પ૯ નંબરના ટ્રકમાં પ્લાસ્ટિકના દાણા ભરેલી લાખોની કિંમતની ૬૪૦ બોરીઓ ભરી રાજકોટની ભાગોળે આવેલા શાપર વેરાવળ ખાતે બે પેઢીને મોકલવા ટ્રક રવાના કર્યો હતો. દરમિયાન ગત રાત્રે ટ્રક રાજકોટની ભાગોળે કુવાડવા રોડ પહોંચ્યો હતો. સાતમ આઠમની રજાઓ હોય ટ્રકચાલકે કુવાડવા રોડ, જે.કે.હોટલની સામે આવેલા ગાૈહાટી-ગુજરાત રોડવેઝ નજીક ખુલ્લા મેદાનમાં ટ્રક પાર્ક કરી ચાલક ટ્રાન્સપોર્ટની ઓફિસમાં સૂઇ ગયો હતો.આ વેળાએ મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ ટ્રકને નિશાન બનાવી ટ્રક ઉપર બાંધેલી તાલપત્રી કાપી અંદર પડેલી રૂ.૪,૯૦,૨૪૦ના કિંમતની ૨૭૧ પ્લાસ્ટિકના દાણા ભરેલી બોરીઓ ચોરી ગયા હતા. સવારે આઠેક વાગ્યાના અરસામાં ચાલક ઉઠી ટ્રક પાસે જતા તાલપત્રી ફાટેલી નજરે પડતા અંદર તપાસ કરી હતી જેમા ચોરી થયાની જાણ થઇ હતી. બનાવ અંગે રાજસ્થાનના પંચપાદરા ગામે રહેતા ટ્રકચાલક ધનરાજ દેવીલાલ નાઇ નામના યુવાને કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ચાલકના જણાવ્યા મુજબ તે અને કલીનર રાત્રીના એક વાગ્યા સુધી ટ્રક પાસે જ હતા. ત્યાર બાદ તે ઓફિસમાં જઇને સૂઇ ગયો હતો અને કલીનર ટ્રકની કેબિનમાં સૂઇ ગયો હતો.ટ્રકમાંથી એક સાથે પ્લાસ્ટિકના દાણા ભરેલી વજનદાર ૨૭૧ બોરીઓ ચોરી જવાના બનાવમાં બે થી વધુ શખ્સો હોવાની તેમજ બોરીઓ લઇ જવામાં મોટા વાહનનો ઉપયોગ કર્યાની શંકા હોય કુવાડવા પોલીસના ફોજદાર જી.પી.પરમાર સહિતના સ્ટાફે વિશેષ તપાસ હાથ ધરી છે.
હાલારમાં નોમની રંગત બગાડતો મેઘો
હાલારમાં નોમના તહેવારના રંગમાં મેઘરાજાએ ભંગ પાડ્યો હતો. ખંભાળિયામાં ૪, કલ્યાણપુરમાં ૩, લાલપુરમાં ૧ અને કાલાવડમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે જામજોધપુર, દ્વારકા, ભાણવડમાં હળવાથી ભારે ઝાપટા પડ્યા હતાં.જામનગર શહેર-જિલ્લામાં સાતમ-આઠમ-નોમના તહેવાર ટાકણે મેઘરાજાએ પધરામણી કરતાં લોકો સાથે મેળાના આયોજકો અને સ્ટોલધારકો ચિંતામાં મુકાયા હતાં. જો કે, સાતમ અને આઠમના મેઘરાજાએ સવારના ભાગે વિરામ લેતા લોકોએ મન ભરીને મેળાની મોજ માણી હતી. પરંતુ રાત્રીના કલ્યાણપુરમાં અઢી, ભાણવડમાં દોઢ અને દ્વારકામાં અઢી ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે ખંભાળિયા, ધ્રોલમાં ઝાપટા પડ્યા હતાં.જોડિયા, લાલપુર, જામજોધપુર, જામનગર, કાલાવડ તાલુકા કોરા ધાકોડ રહયા હતાં. આજરોજ સવારથી અસહ્ય બફારા વચ્ચે આકાશમાં વાદળોનું સામ્રાજ્ય જોવા મળ્યુ હતું. ખાસ કરીને ખંભાળિયામાં સવારથી પુન: મેઘરાજાનું આગમન થયુ હતું. સવારે ૭ થી ૧૦માં ૫૯ મીમી એટલે કે, સવા બે ઇંચ વરસાદ પડયો હતો.જે સતત ચાલુ રહેતા સાંજ સુધીમાં વધુ બે ઇંચ પાણી વરસી ગયુ હતું. બીજીબાજુ આજ સવારથી સાંજ સુધીમાં લાલપુરમાં ૧, કલ્યાણપુરમાં જામજોધપુર અને કાલાવડમાં ૦ાા ઇંચ વરસાદ નોંધાયો હતો. અત્રે નોંધનિય છે કે, સાતમ-આઠમના તહેવારોને લીધે મીની વેકેશન હોય લોકો તહેવારની મજા માણવા તત્પર હોય તે સમયે વરસાદથી રંગમાં ભંગ પડયો હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી.
લોકોએ વરસતા વરસાદમાં માણી મેળાની મોજ -શહેરમાં સાંજે ૪ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો ત્યારે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજિત લોક મેળામાં વરસાદમાં પણ ભારે જનમેદની જોવા મળી હતી. લોકોએ વરસતા વરસાદ વચ્ચે મેળાની મોજ માણતા સ્ટોલધારકોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.જામનગરમાં બે કલાકમાં એક ઇંચ -શહેરમાં શુક્રવારના સવારથી અસહ્ય ઉકળાટ વચ્ચે વાદળછાયા વાતાવરણથી વરસાદ પડવાની શક્યતા ઉભી થઇ હતી. સવારે ૧૧ વાગ્યાની આસપાસ વરસાદના હળવા ઝાપટા પડતા માર્ગો ભીંજાઇ ગયા હતાં. ત્યારબાદ બપોરના ૪ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થતાં બે કલાકમાં એક ઇંચ પાણી વરસી ગયુ હતું. જેના કારણે માર્ગો પર પાણી ભરાઇ ગયા હતાં.
ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચમાં ભયાનક ભૂકંપ
ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચ શહેરમાં રિક્ટર સ્કેલ પર 7ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો છે. દેશના પશ્ચિમ હિસ્સામાં ભૂકંપના કેન્દ્રબિંદુથી નજીકના ગ્રામીણ વિસ્તારમાં જબરદસ્ત નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ ક્રાઇસ્ટ ચર્ચથી 20 કિલોમીટર દૂર પશ્ચિમમાં આવેલા એક નાનકડાં વિસ્તાર ડોરફીલ્ડમાં તો રસ્તાં ઉપર પણ મોટી તિરાડો પડી ગઈ છે.ન્યુઝીલેન્ડ સરકારની ભૂગર્ભીય એજન્સી જીએનએસ સાયન્સ પ્રમાણે આ ભૂકંપની તીવ્રતા 7.4 માપવામાં આવી છે, જોકે અમેરિકી ભૂસર્વેક્ષણ વિભાગે આ ભૂકંપની તીવ્રતા 7 કહી છે.પ્રશાંત સુનામી ચેતવણી કેન્દ્રે કહ્યું છે કે ભૂકંપ અને સુનામીના ઐતિહાસિક આંકડા પ્રમાણે સુનામી ઉઠવાનું કોઈ જોખમ દેખાઈ રહ્યું નથી. ન્યુઝીલેન્ડને ભૂગર્ભીય હિલચાલની બાબતે ઘણું સંવેદનશીલ ગણવામાં આવે છે અને પેસિફિક તેમજ ઈન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટો અહીંથી પસાર થાય છે. દેશમાં દર વર્ષે લગભગ 14000 જેટલા ભૂકંપ આવે છે, જેમાં 20ની તીવ્રતા પાંચથી વધારે હોય છે.દેશમાં આ પહેલા વર્ષ 1968માં અને આખરે 1971માં વિનાશકારી ભૂકંપ આવ્યા હતા, જેની તીવ્રતા 7.1 રિક્ટર સ્કેલ હતી. ભૂકંપના કારણે દક્ષિણ દ્વીપના સમુદ્રી તટ પર રહેતા લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા હતા.
રાજકોટ આઠમે રજા રાખી મેઘો ફરી મંડાયો, સવા બે ઇંચ વરસાદ
રાજકોટમાં મેઘરાજાએ તહેવારના આનંદ ઉપર આજે ફરી પાણી ફેરવી દીધું હતું. ગઇકાલે માત્ર એક જ દિવસ આઠમ ઉપર પોરો ખાધા બાદ આજે દિવસ આખોવરસાદ વરસતા લોકોનો ફરવા જવાનો મૂડ ઓફ થઇ ગયો હતો. મેળાની મજા પણ બગડી હતી. દિવસ આખો નોનસ્ટોપ વરસાદ વરસતા મોડી સાંજ સુધીમાં અઢી ઇંચથી વધુ પાણી પડી ગયું હતું.છેલ્લા એક પખવાડિયાથી વરસાદી માહોલથી લોકો હવે કંટાળી ગયા છે. સાતમ-આઠમના તહેવાર ઉપર તો મેઘરાજા છુટકારો આપે એવી લોકોની આશા ઉપર પણ પાણી ફેરવી દીધું છે. સાતમ ઉપર પણ મજા બગાડી. એકમાત્ર ગઇકાલે આઠમ ઉપર નિરાંત રહી હતી. કાલે આખો દિવસ આકાશ ચોખ્ખું રહ્યું હતું.એ જોઇ લોકોએ હાશકારો અનુભવ્યો હતો અને તહેવારના બાકીના બે દિવસ મોજ માણીશું એવો ઉત્સાહ જાગ્યો હતો પરંતુ આજે ફરી મેઘરાજાએ ડેબા તંબૂ તાણી લીધા હતા અને આખો દિવસ ક્યારેક ધીંગી ધારે તો ક્યારેક ધીમી ધારે એમ સતત વરસાદ ચાલુ રહેતાં બધા ઉત્સાહ ઉપર પાણી ફરી વળ્યું હતું. આજે મોડી સાંજ સુધીમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. આખો દિવસ વરસાદ ચાલુ રહેતા રસ્તા પર સતત પાણી ભરાયેલા રહ્યા હતા.વરસાદનો રેકોર્ડ તૂટવામાં માત્ર ૬.૨પ ઇંચનું જ છેટું -રાજકોટમાં આ વખતે અપરંપાર મેઘકૃપા વરસી છે. હવે તો ખમૈયા કરો એવી વિનંતી મેઘરાજાને કરવી પડે તેટલી ધરપત આપી દીધી છે. રાજકોટનો વરસાદનો રેકોર્ડ પ૬.૨પ ઇંચનો છે. આ વર્ષે આજનો વરસાદ મળીને કુલ૧૨પ૦ મી.મી. એટલે કે પ૦ ઇંચ થઇ ગયો છે. રેકોર્ડ તૂટવામાં હવે ૬.૨પ ઇંચનું જ છેટંુ રહી ગયું છે. કુલ વરસાદનો એક નવો ઈતિહાસ આ વર્ષે સર્જાય એવુ હજુ પણ વાતાવરણ પરથી માની શકાય તેમ છે.
રાજકોટના મનપાની ભૂલે પ્રધ્યુમ્ન પાર્ક ઝૂના સહેલાણીઓની મજા બગાડી
સહેજ એવા વરસાદમાં પણ ઢંગધડા વગરના પુલ પરથી વહેતું રાંદરડાના ઓવરફ્લોનું કમરડૂબ પાણી, માત્ર આઠમે જ આખો દિવસ ખુલ્લું રહી શક્યું! આજે શનિવારે ઝૂ બંધ રહેશે.પ્રધ્યુમનપાર્ક ઝૂ જવા માટે વચ્ચેથી વહેતી નદી પર મનપાએ રૂ. ૩૦ લાખના ખર્ચે બનાવેલો પુલ રાંદરડાના ઓવરફ્લોનું પાણી રોકતું હોય સહેજ એવા વરસાદમાં પણ પુલ પરથી કમરડૂબ પાણી વહેતું હોય છે. આવી સ્થિતિમાં સાતમ-આઠમના તહેવાર પર ઝૂ જોવા આવનારા સહેલાણીઓની મજા બગડી ગઇ હતી. માત્ર આઠમે જ આખો દિવસ ઝૂ ચાલુ રહી શક્યું હતું. એ સિવાય સાતમે સવારે દસ વાગ્યાથી આખો દિવસ અને આજે નોમના દિવસે પણ બપોર પછી ઝૂ બંધ રાખવાની ફરજ પડી હતી!ઝૂની ટિકિટ બારી સામેના ભાગે નિચાણમાં બનાવેલો પુલ જે તે વખતે તૈયાર થતો હતો ત્યારે જ ટેકનિકલ દ્રષ્ટિએ ભયસ્થાન દેખાઇ ગયુ હતુ. અહીં પુલ નીચે એક-એક ફૂટના આઠથી દસ ભૂંગળા મૂકી માથે સ્લેબ ખડકી દેવાયો છે. હાલ રાંદરડા ઓવરફ્લો થઇ ગયેલો છે અને એવામાં જો ભારે ઝાપટું પડે તો વધારાનું પાણી ભુંગળામાંથી પસાર થઇ ન શકતા પુલ પર ગોઠણ ડૂબી જાય તેટલું વહે છે. આવી સ્થિતિમાં પુલના કારણે ઝૂ જઇ શકાય એવી હાલત નથી રહેતી. સાતમના દિવસે પણ સવારે દસ વાગ્યા પછી વરસાદ આવતા ઝૂ લગભગ બંધ જેવું જ રહ્યું હતું. ગઇકાલે આઠમે વરસાદ ન હતો એટલે સહેલાણીઓને કંઇ વાંધો ન આવ્યો પણ આજે નોમના દિવસે ધોધમાર વરસાદથી બપોર બાદ સહેલાણીઓ ઝૂ જઇ શકે એવી સ્થિતિ રહી શકી ન હતી. ભારે વરસાદની આગાહીના પગલે આવતીકાલે શનિવારે પણ ઝૂ બંધ રાખવામાં આવશે એવી ઝૂ સત્તાવાળાઓએ આજે મોડી સાંજે જાહેર કર્યું હતું.સાતમના દિવસે સવારે દસ વાગ્યા પછી ઝૂ બંધ હતું એ પહેલા ૧પ૦૦ જેટલા સહેલાણીઓ મુલાકાત લઇ શક્યા હતા. કાલે આખો દિવસ વરસાદનો વિરામ હોવાથી ૧પ હજાર જેટલા લોકો ઝૂ આવ્યા હતા. કાલે આઠમના દિવસે તંત્રને રૂ. એક લાખ અને પાંચ હજારની આવક થઇ હતી. બાદમાં આજે બપોર પછી વરસાદના કારણે ઝૂ બંધ રહ્યું હતું. બપોર પહેલા ૪ હજાર લોકો આવ્યા હતા અને તંત્રને રૂ. ૩૪ હજારની આવક થઇ હતી.
રાજકોટના લોકમેળામાં ચાર દિવસમાં ૧૭પ ટન કચરો નીકળ્યો
લોકમેળામાં મહાપાલિકાએ સફાઇ અને આરોગ્ય સહિતની ટુકડીઓને રાઉન્ડ ધી કલોક કાર્યરત રાખી છે. આમ તો વરસાદી માહોલની અસર મેળા પર વર્તાઇ રહી છે એમ છતાં આ ચાર દિવસમાં મેળાના મેદાનમાંથી ૧૭પ ટનથી વધુ કચરો નીકળ્યો છે. રોજ રાત્રે સફાઇ કામદારો સવાર સુધી મેદાનમાં કચરો ઉસેટવામાં કામે લાગે છે.મહાપાલિકાએ ત્રણ શિફ્ટમાં ૧૯૦થી વધુ સફાઇ કામદારોને મેળામાં સફાઇની ફરજ માટે રોક્યા છે. સેનેટરી મંડળીઓને આ જવાબદારી સોંપવામાં આવી છે. અને સફાઇ કામગીરી ઉપર પર્યાવરણ ઇજનેર નિલેષ પરમાર નજર રાખી રાખ્યા છે. આમ તો વરસાદના કારણે મેળામાં દર વર્ષે હોય એવી ભીડ જામતી નથી. વરસાદ ચાલુ હોય ત્યારે મેળા ખાલીખમ્મ હોય છે. વરસાદનો વિરામ હોય ત્યારે લોકો ઉમટી રહ્યા છે. છઠ્ઠાના દિવસે તો મેળામાં જુજ સંખ્યા જ હતી.સાતમ ઉપર આખો દિવસ વરસાદ રહ્યો પણ રાત્રે વિરામ લેતાની સાથે જ લોકો ઉમટી પડ્યા હતા અને સાતમ ઉપર ૪પ ટનથી વધુ કચરો નીકળ્યો હતો. ગઇકાલે આઠમ ઉપર આખો દિવસ મેળામાં રસ રહ્યો હતો અને આ એ દિવસે ૬૦ ટન કચરો કાઢવામાં આવ્યો હતો. આજે શુક્રવારે સાંજ પછી મેળામાં ચિક્કાર ભીડ હતી.આજે પણ મેદાનમાંથી પ૦ ટન જેટલો કચરો એકત્ર થઇ ચુકયો છે. દરમિયાન સ્ટોલ પાસે કચરો કરતા હોય એવા લોકો પાસેથી કુલ રૂ. ૩૭૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
રાજકોટ : મેળામાં સ્ટીમ ઢોકળા, અમેરિકન મકાઇની માંગ
રાજકોટના લોકમેળામાં આમ તો આ વર્ષે કાંઇ પણ ખાવું જોખમી છે છતાં લોકો ભવિષ્યની ચિંતા કર્યા વગર,‘આજનો લ્હાવો લઇએ જી રે કાલ કોણે દીઠી છે’એવું માનીને ખાણી-પીણીની મજા લઇ રહ્યા છે.મેળો હોય કે તે સિવાયની હોટેલ બધું પેક રહે છે.જો કે મેળામાં લોકો મોટાભાગે વાસી ખોરાક લેવાનું ટાળી રહ્યા છે પરંતુ તે પણ સાવ તો બંધ નથી જ. છતાં ગરમ અને પૌષ્ટિક કહેવાય તેવી ચીજો લોકો ખાઇ રહ્યાછે.લોકમેળામાં દરવર્ષની જેમ પાઉંભાજી, ભેળ , ભજિયાં, પેટીસ, સેન્ડવીચ, પીઝા,પાણીપુરી,સેવપુરી જેવી સંખ્યાબંધ વસ્તુઓ મળે જ છે પરંતુ જે લોકો ‘હવાનું રૂખ’સમજે છે તેઓ વાસી કે વસ્તુઓ ખાવાનું ટાળે છે. મેળામાં સ્ટીમ ઢોકળાના જેટલાં સ્ટોલ છે ત્યાં ભીડ વધારે છે.ગરમ ગરમ ઢોકળાં,લસણની ચટણી-તેલ ખાવાની મજા લોકો લઇ રહ્યાં છે.ઢોકળાં ખાવાથી પેટને વધારે નુકસાન થતું નથી.સાથે જ રાજકોટના લોકોની પ્રિય વાનગી,રાત્રે જમ્યા પછીનો નાસ્તો તેવી અમેરિકન મકાઇના સ્ટોલ પણ ફુલ છે.મેળામાં ભેળ કરતાં પણ વધારે ખવાતું હોય તો એ છે ‘કાઠિયાવાડી ખીચું’ ગરમ ખીચું, એમાં તેલ અને મરચાંનો ભુક્કો આ ઘરઘરાઉ ડીસ પણ હવે મેળાના સ્ટોલની વાગગી બની છે. લોકો ચમચીથી અને છેલ્લે તો આંગળાં ચાટીને ખીચું ખાય છે.ગરમ પાઉંભાજી અને રગડો તેમજ વડાપાંઉ વરસાદી સીઝનને લીધે ઉપડે છે પરંતુ શહેરી પ્રજા તે ખાતી નથી. ફ્રૂટ ડીસના પણ સ્ટોલ છે પરંતુ ખુલ્લા ફળ ખાવામાં પણ લોકો પરેજ રાખતા જોવા મળ્યા હતા.
બ્રાન્ડેડ અને લોકલ આઇસક્રીમનું મહત્વ મેળામાં યથાવત છે.વિવિધ પ્રકારની કેન્ડી અને કોન મેળો માણનારાઓ ખાઇ રહ્યા છે.કપમાં પણ તેટલો જ આઇસક્રીમ ખવાય છે.સસ્તા જયુસ લોકો બેફામ પીવે છે જે રોગચાળો સર્જી શકે છે.પાણીના પાઉચનું પણ એવું જ ધૂમ વેચાણ છે.
માર્ગો પરનું વરસાદી પાણી બોરથી જમીનમાં ઉતારાશે
રાજકોટમાં વર્ષ ભલે ગમે તેવું સારુ ગયુ હોય છતાં બીજા વર્ષે ચોમાસુ મોડુ પડે એટલે પાણીના સાંસા પડતા હોવાની કમનસીબી વર્ષોથી ચાલી આવે છે. ડેમમાં તો ઠીક તળ પણ સૂક્કા ભઠ્ઠ થઇ જાય છે. ડંકીઓ ડચકા ખાઇ જાય છે ને બોર પણ ડૂકી જાય છે.
આવી સ્થિતિમાં મ્યુનિ. કમિશનર ડૉ. બ્રહ્નભટ્ટે જળ સમસ્યા સામે લોકભાગીદારીના અભિગમથી ઘરગથ્થુ ઉપચાર શોધી કાઢી રાજકોટમાં વરસતું પાણી રાજકોટની જ ધરતીમાં ઉતારવાનું એક પથદર્શક અભિયાન ઉપાડ્યું છે. તેના પ્રથમ પ્રયોગને જબરી સફળતા પણ મળી છે.રાજકોટમાં અત્યાર સુધીના વરસાદનો રેકોર્ડ તૂટવામાં હાથવેંતનું જ છેટું છે. જો કે એ વાત અલગ છે કે, વરસાદના ચાર-ચાર રાઉન્ડ આવ્યા ત્યાંરે છેક જળાશયોમાં શહેરનું વર્ષ આખું ચાલે તેટલુ પાણી આવ્યું છે. તેનું એકમાત્ર કારણ એ છે કે, જળાશય ઉપર વરસાદ ઓછો પડ્યો છે. મોટાભાગનો વરસાદ માર્ગો પર નદીની જેમ વહી વોંકળા મારફત શહેરની બહાર વહી ગયું છે.જે વર્ષે ચોમાસુ મોડુ થાય ત્યારે કમસેકમ તળ સાજા હોય તો પણ લોકોને થોડીઘણી રાહત તો થાય જ. આ જ વાસ્તવિકતાને નજર સમક્ષ રાખી આર્કિટેક ઇલાબેન લોઢવિયાને જે વિસ્તારમાં વરસાદી પાણી તળાવડાની જેમ ભરાય છે ત્યાં બોર બનાવી પાણી જમીનમાં ઉતારવાનો વિચાર સૂજ્યો. તેમના આ વિચારને મ્યુનિ. કમિશનર ડૉ. બ્રહ્નભટ્ટે વધાવી લઇ જળસંચયની દિશામાં રાજકોટ માટે એક વૈચારિક ક્રાંતિ કહી શકાય એવો ઘરગથ્થો ઉપાયને અમલમાં મૂકી લોકભાગીદારીથી આ અભિયાનને આગળ વધારવાનું શરૂ કર્યું. ખુશીના સમાચાર એ છે કે, પ્રથમ પ્રયોગમાં જ જબરી સફળતા મળી છે. પ્રથમ બોર વિરાણી રોડ પર હેમુગઢવી હોલ પાસેસરગમ ક્લબના લોકભાગીદારીથી બનાવવામા આવ્યો છે. આ જગ્યાએ પહેલાની જેમ લાંબા સમય સુધી પાણી ભરાયેલુ નથી રહેતુ અને બધુ જ પાણી બોર વાટે જમીનમાં સળસળાટ ઉતરી જાય છે. આર્કિટેક ઇલાબેનની ઓફિસ સરદારનગર મેઇન રોડ ઉપર પણ વેપારીઓની લોકભાગીદારીથી બનાવવામા આવેલા બોરને પણ આવી જ સફળતા મળી છે.પ્રથમ પ્રયોગોમાં જ આવી જબરી સફળતાનેજોઇને હવે આગામી દિવસોમાં સમગ્ર શહેરમાં જ્યાં પાણી ભરાવવાની સમસ્યા છે અને ભૌગોલિક દ્રષ્ટિએ ત્યાં બોર કરી શકાય એમ હોય એવા આવા તમામ વિસ્તારોમાં રોડની સાઇડમાં નડતરરૂપ ન થાય એ રીતે શક્ય એટલા બોર બનાવવાની તૈયારી હોવાનું મ્યુનિ. કમિશનર ડૉ. બ્રહ્નભટ્ટે જણાવ્યું હતુ.અત્રે ઉલ્લેખનીય છે કે, કૂવા રિચાર્જ તથા ચેક ડેમ નિર્માણ દ્વારા સૌરાષ્ટ્ર અને ગુજરાતે જળ સંચયના ક્ષેત્રે એક અદ્દભૂત ક્રાંતિ સર્જી સમગ્ર રાષ્ટ્રને રાહ ચિંધ્યો છે. એ ઝુંબેશન મીઠા ફળ અત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતને મળી રહ્યા છે. તેજ રીતે રાજકોટ મનપાએ આ નવો પ્રયોગ હાથ ધરી એક નવી ક્રાંતિના મંડાણ કર્યા છે. જેનો શહેરને ફાયદો મળશે.
મોદીના ભાષણ માટે શાળાઓમાં રજા રદ્દ
હાલ ફેસ્ટીવલ મૂડ ચાલી રહ્યો છે. વિદ્યાર્થીઓ પણ રજાની મજા માણવામાં પડ્યા છે. સોમવાર સુધી શૈક્ષણિક સંસ્થાઓમાં વેકેશન જાહેર કરાયુ હતું પરંતુ તા. પમી શિક્ષક દિને રવિવાર આવતો હોય તેના આગલા દિવસે મુખ્યમંત્રી મોદીના ઓનલાઇન ભાષણનું આયોજન કરી કાલે શનિવારે શાળાઓ ચાલુ રાખવાનો ફતવો છેલ્લી ઘડીએ શાળા સંચાલકોને અપાતા સંચાલકો ઘાંઘાં થયા છે.જો કે કાલે વિદ્યાર્થીઓ શાળાએ નહીં જ આવે એ નિશ્વિત વાત છે અને માત્રને માત્ર શિક્ષકોને જ ભાષણ સાંભળવાનું રહેશે એ પણ એટલી જ નક્કી વાત છે! છેલ્લા બે વર્ષથી શિક્ષક દિનના રોજ ગુજરાત સરકારની બીઆઇએસએજી સેટેલાઇન ચેનલ પર તમામ શાળાઓમાં મુખ્યમંત્રીના ઓનલાઇન પ્રવચનનું આયોજન કરવામાં આવે છે. પરમ દિવસે જ તા. પ સપ્ટેમ્બરે શિક્ષક દિવસ છે. બીજીબાજુ ગત સોમવારથી શૈક્ષણિક સંસ્થાઓમાં એક સપ્તાહનું વેકેશન જાહેર કરાયેલું છે. ૧પમી ઓગસ્ટે રવિવારે પણ બાળકોને વાઇબ્રન્ટ ઉજવણીના ભપકામાં પરાણે સામેલ કરવા શાળાઓ ચાલુ રખાઇ હતી અને એ દિવસની રવિવારની રજાને આવતીકાલે શનિવારે રજા રાખી એકઝેસ્ટ કરી અઠવાડિયાનું મીની વેકેશન જાહેર કરાયેલું હતું.એવામાં છેલ્લી ઘડીએ જિલ્લા શિક્ષણાધિકારી બગડાએ આવતીકાલે શનિવારની રજા રદ હોવાનો પરપિત્ર કાઢ્યો છે. પ સપ્ટેમ્બરે શિક્ષક દિન હોય મુખ્યમંત્રીના ઓનલાઇન ભાષણ માટે શાળા ચાલુ રાખવાનો આ ફતવો શાળા સંચાલકોને છેક ગણતરીની કલાકો પહેલા ખબર પડતા તેઓ પણ ઘાંઘા થયા છે. વિદ્યાર્થીઓને રજા રદ થવા અંગે એક જ દિવસમાં કઇ રીતે જાણ કરવી? એવી વિમાસણમાં મૂકાયા છે. જો કે બીજીબાજુ સ્થિતિ એ પણ થવાની છે કે, વિદ્યાર્થીઓમાં ફેસ્ટીવલ મૂડ હોય રદ થયેલી રજાના દિવસમાં કાલે નહીં જ આવે એ નિશ્વિત વાત છે.ડીઇઓ બગડા, મેસેજ આપતા ભૂલી ગયા કે સંદેશો પ્રોપર ચેનલ મારફતે ન પહોંચ્યો?રજા રદ થઇ હોવાનો સંદેશો છેલ્લી ઘડીએ મળ્યો હોવાનું મોટાભાગની શાળાના સંચાલકો પાસેથી જાણવા મળ્યું છે ત્યાંરે તેની સામે જિલ્લા શિક્ષણાધિકારી બગડાએ એવુ રટણ કર્યું હતુ કે, મે તો ૩૧ તારીને જ પરપિત્ર જારી કરી દીધો હતો! અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે, શિક્ષણાધિકારીઓ આ બચાવ છે કે પછી સંદેશો પ્રોપર ચેનલ મારફતે શાળા સંચાલકોને સમયસર ન પહોંચ્યો?
BMC મરાઠી અનુસ્નાતકોને બમણો પગારવધારો આપશે
શિવસેના-ભાજપ શાસિત બૃહદ મુંબઈ મહાનગર પાલિકા (બીએમસી)એ પાલિકાના ૧.૨ લાખના સ્ટાફમાં મરાઠી પોસ્ટ ગ્રેજ્યુએટોને બમણો પગારવધારો આપવાનો નિર્ણય કર્યો હતો, જેની સામે વિરોધ પક્ષોનો વિરોધ ભડકયો હતો.દરખાસ્ત પસાર કરનારી બીએમસીની સ્થાયી સમિતિના અધ્યક્ષ રાહુલ શેવાળેએ જણાવ્યું હતું કે, ‘બીએમસી આ સંબંધે કદાચ શુક્રવારે એક પરપિત્ર કાઢશે.’ફક્ત મરાઠી અનુસ્નાતકોનો વિચાર કરવાના આ પગલાનો વિરોધ કરતાં પાલિકામાં વિપક્ષના નેતા રાજહંસ સિંહે કહ્યું હતું કે કોઈ ભેદભાવ રખાયો ન હોવાની બાબત નશિ્વિત કરવા માટે હિન્દી અનુસ્નાતકોને પણ આ લાભ આપવો જોઈએ. ‘જો બીએમસી એમ નહીં કરે તો અમે આ નિર્ણયને અદાલતમાં પડકારીશું’, એમ તેમણે ઉમેર્યું હતું. જોકે શેવાળેએ કહ્યું હતું કે સિંહે પેનલની બેઠકમાં આવું કશું સૂચવ્યું નહોતું. ‘તેઓ ચૂપ રહ્યા હતા. એમ તેમણે ઉમેર્યું હતું. વિવાદાસ્પદ દરખાસ્તનો બચાવ કરતાં શેવાળેએ આ નિર્ણયમાં કોઈ રાજકીય કારણો ન જોવા જોઈએ, એમ તેમણે કહ્યું હતું. ‘આ બાબત તો ફક્ત સારી ભાષાકીય આવડત સાથે પાલિકાના અસરકારક વહિવટને પ્રોત્સાહન આપવા માટે જ છે’, એમ તેમણે વધુમાં કહ્યું હતું અને ઉમેર્યું હતું કે, ‘આ બાબત અન્ય રાજ્યના સરકારી ખાતાંઓને મરાઠીમાં પાઠવવામાં આવતા પત્રોમાં વાક્યરચના અને તેના નિયમોની ભૂલોને અટકાવશે.’એક અધિકારીએ કહ્યું હતું કે, બીએમસી ધારા હેઠળ પાલિકાને તેની સ્થાનિક ભાષાને પ્રોત્સાહન આપવા માટે પગલાં લેવાનો અધિકાર છે. ‘જો સ્થાનિક કોર્પોરશન તેની સ્થાનિક ભાષાને આગળ નહીં વધારે તો કોણ એ કરશે?’ એવો સવાલ એમણે પૂછ્યો હતો.મહારાષ્ટ્ર નવિનર્માણ સેના (મનસે)ના કોર્પોરેટર મંગેશ સાંગળેએ એપ્રિલ મહિનામાં આ વિચાર પ્રગટ કર્યો હતો અને સેના, ભાજપ અને કોંગ્રેસ સહિત કોઈ પણ રાજકીય પક્ષ મરાઠી વિરોધી દેખાવા નહોતો માગતો એટલે આ દરખાસ્તે તમામ અવરોધો ખાસ્સી ઝડપે પસાર કરી દીધા હતા.
પશ્ચિમ રેલવે ‘ગો મુંબઈ’ સ્માર્ટ કાર્ડ સેવા બંધ કરાશે
પ્રવાસીના શુષ્ક પ્રતિસાદને પગલે અને મેસર્સ કેએપીએલ દ્વારા અંધેરી અને ચર્ચગેટ સ્ટેશને સેવા બંધ કરવાને કારણે મહત્વાકાક્ષી ગો મુંબઈ કોન્ટેકટલેસ સ્માર્ટ કાર્ડ બંધ કરવાનું નક્કી થયું છે.પશ્ચિમ રેલવેના ઉપનગરીય વિભાગમાં ૨૮ ડિસેમ્બરથી આ સેવા બંધ થશે.આ મુજબ પેઢીને ૧૦-૮-૨૦૧૦ અને ૧૦-૧૧-૨૦૧૦થી અનુક્રમે ત્રિમાસિક અને માસિક પાસ આપવાનું બંધ કરવા કહેવાયું છે. ઉપરાંત ઈ-પર્સ પર ટોપ અપ્સ અને કાર્ડ જારી કરવાનું ૨૦-૧૨-૨૦૧૦થી બંધ કરવાનું કહેવાયું છે.આ પ્રકલ્પ ૨૮-૧૨-૨૦૧૦થી સમેટી લેવાશે. ૧૧-૧૨-૨૦૧૦થી અંત સુધીના સમયમાં દાવાની પતાવટ તથા પ્રવાસીઓનાં લેણાં પાછાં આપવામાં આવશે, એમ પશ્ચિમ રેલવેનાં સૂત્રોએ જણાવ્યું હતું.
રાજકોટ : ખાબોચિયાં યથાવત, કપચીના ટ્રક ક્યાં ગયા?
થોડા સમય પહેલાં અહીં સ્વતંત્રતાપર્વની ઉજવણી થઇ ત્યારે બે માસથી તંત્ર ઊંધા માથે હતું,છેલ્લા દિવસોમાં તો વરસાદ પડે કે તરત કપચી-માટીના ટ્રકના ટ્રક ઠલવાતા,તે જ મેદાનમાં અત્યારે રાજકોટના લોકો મેળામાં ફરી રહ્યા છે પરંતુ તેમણે કાદવ ખૂંદવો પડી રહ્યો છે.સતત પડતા વરસાદને લીધે પાણી સૂકાતું નથી,કાદવ પણ યથાવત છે.આમ તો તંત્રે આ વર્ષે મોસમનો મિજાજ જોઇને જ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની જરૂર હતી,પરંતુ આ મેળામાં તો સામાન્ય માણસો જ આવવાના હતા, મંત્રી કે વીઆઇપી તો અહીં ફરકે નહીં તેથી તંત્રે થોડું કામ કર્યું,બાકી રામ ભરોસે. જેટલી કપચી કે રેતી કે મોરમ ઠલવાઇ હોવાનું કાગળ પર દર્શાવાયું છે તેટલી ઠલવાઇ હશે કે નહીં તે પણ સવાલ છે.પ્રથમ દિવસે જે પ્રમાણમાં વરસાદ પડ્યો તેવી રીતે જ આજે પણ વરસાદ પડ્યો છે પરંતુ તેની વચ્ચે બે દિવસ કોરા ગયા ત્યારે પણ કાદવ ઉલેચવાનું કે ખાબોચિયાં સૂકવવાનું તંત્રને જરૂરી જણાયું નથી.સાતમ અને આઠમના દિવસોએ પણ મેળામાં ફરનારા માણસો કાદવ ખૂંદીને ફયાઁ હતાં, તેમના માટે ગંદા પાણીમાં જ જવા સિવાય કોઇ વિકલ્પ નહોતો.
રાજકોટ : શંકાશીલ પતિના ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત
ચારિત્રય પર શંકા કરી ત્રાસ ગુજારતાં પતિની હેરાનગતિથી કંટાળી ખવાસ પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.ગુરુપ્રસાદ ચોક પાસેના આરએમસી કવાટર્સમાં રહેતી ખવાસ પરિણીતા સોનલબેન અજય ડોડિયા (ઉ.વ.૨૭) એ પોતાના ઘરે પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં માલવિયાનગરના પીએસઆઈ રામ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે, સોનલના છ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. અને તેને સંતાનમાં એક પુત્રી છે. લગ્ન બાદ ચારિત્રય પર શંકા કરી પતિ ત્રાસ ગુજારતો હતો. પાંચ વર્ષ પૂર્વે પણ પરિણીતાએ તેના પતિ સામે ફરિયાદ કરી હતી પરંતુ પતિની શંકાનો અંત આવ્યો ન હતો. ગુરુવારે રાત્રે પણ પતિએ એજ મુદ્દે ઝઘડો કરતાં પરિણીતાએ કંટાળી આપઘાત કરી લીધો હતો. મૃતકની માતાની ફરિયાદ પરથી પોલીસે અજય ડોડિયા સામે ગુનો નોંધ્યો હતો.
મવડી પ્લોટમાં આવેલા અમૃતવાડીમાં નવા બનતાં મકાનમાં સેન્ટ્રિંગનું કામ કરતી વેળાએ હિતેષ મનસુખભાઈ વશિપરા (ઉ.વ.૨૧) નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
રાજકોટ : સગાઈ તૂટી જતાં યુવકના પરિવાર પર હુમલો
શહેરના ચુનારાવાડ પાસેના શિવાજીનગરમાં સગાઈ તૂટી જવાના મુદ્દે યુવકના પરિવારજનો પર યુવતી, યુવતીના ભાઈઓ સહિતનાઓએ હુમલો કરતા ચાર ઘવાયા હતા.એચ.જે. સ્ટીલ પાસેની રિધ્ધીસિધ્ધી સોસાયટીમાં રહેતા કોળી જીતેશ ભૂપતભાઈ બાંભિળયાની સગાઈ શિવાજીનગરની યુવતી સાથે થઈ હતી. પરંતુ કોઈ કારણોસર સગાઈ તૂટી જતાં યુવતીના ભાઈઓ સંજય ભરત બારિયા અને કાળો બારિયા, જીતેશને ધમકાવતાં હતા અને ઝઘડો કરતાં હતાં.બાંભણિયા પરિવાર ગુરુવારે શિવાજીનગરમાં હતો ત્યારે સંજય, કાળો તથા કિશોર ધના બારિયા, મુન્નો બારિયાએ છરીથી હુમલો કર્યો હતો. હુમલામાં ભૂપતભાઈ, રમાબેન જીતેશ અને અશ્વિનને ઈજા થતાં ચારેયને હોસ્પિટલમાં ખસેડાયા હતા.
વેસ્ટ બંગાલના હિલ્દયા ગામેથી ટ્રકમાંથી ૪.૯૦ લાખના પ્લાસ્ટિકના દાણાની ચોરી
શહેરમાં વધી રહેલા ચોરીના બનાવમાં શુક્રવારે મોડી રાત્રે તસ્કરો ટ્રકની તાલપત્રી કાપી રૂ.૪.૯૦ લાખની કિંમતના પ્લાસ્ટિકના દાણા ભરેલી બોરીઓ ચોરી ગયાની ટ્રકચાલકે પોલીસમા ફરિયાદ નોંધાવી છે.બનાવની મળતી વિગતો મુજબ, વેસ્ટ બંગાલના હિલ્દયા ગામેથી આરજે.૦૪જી.૩૦પ૯ નંબરના ટ્રકમાં પ્લાસ્ટિકના દાણા ભરેલી લાખોની કિંમતની ૬૪૦ બોરીઓ ભરી રાજકોટની ભાગોળે આવેલા શાપર વેરાવળ ખાતે બે પેઢીને મોકલવા ટ્રક રવાના કર્યો હતો. દરમિયાન ગત રાત્રે ટ્રક રાજકોટની ભાગોળે કુવાડવા રોડ પહોંચ્યો હતો. સાતમ આઠમની રજાઓ હોય ટ્રકચાલકે કુવાડવા રોડ, જે.કે.હોટલની સામે આવેલા ગાૈહાટી-ગુજરાત રોડવેઝ નજીક ખુલ્લા મેદાનમાં ટ્રક પાર્ક કરી ચાલક ટ્રાન્સપોર્ટની ઓફિસમાં સૂઇ ગયો હતો.આ વેળાએ મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ ટ્રકને નિશાન બનાવી ટ્રક ઉપર બાંધેલી તાલપત્રી કાપી અંદર પડેલી રૂ.૪,૯૦,૨૪૦ના કિંમતની ૨૭૧ પ્લાસ્ટિકના દાણા ભરેલી બોરીઓ ચોરી ગયા હતા. સવારે આઠેક વાગ્યાના અરસામાં ચાલક ઉઠી ટ્રક પાસે જતા તાલપત્રી ફાટેલી નજરે પડતા અંદર તપાસ કરી હતી જેમા ચોરી થયાની જાણ થઇ હતી. બનાવ અંગે રાજસ્થાનના પંચપાદરા ગામે રહેતા ટ્રકચાલક ધનરાજ દેવીલાલ નાઇ નામના યુવાને કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ચાલકના જણાવ્યા મુજબ તે અને કલીનર રાત્રીના એક વાગ્યા સુધી ટ્રક પાસે જ હતા. ત્યાર બાદ તે ઓફિસમાં જઇને સૂઇ ગયો હતો અને કલીનર ટ્રકની કેબિનમાં સૂઇ ગયો હતો.ટ્રકમાંથી એક સાથે પ્લાસ્ટિકના દાણા ભરેલી વજનદાર ૨૭૧ બોરીઓ ચોરી જવાના બનાવમાં બે થી વધુ શખ્સો હોવાની તેમજ બોરીઓ લઇ જવામાં મોટા વાહનનો ઉપયોગ કર્યાની શંકા હોય કુવાડવા પોલીસના ફોજદાર જી.પી.પરમાર સહિતના સ્ટાફે વિશેષ તપાસ હાથ ધરી છે.
હાલારમાં નોમની રંગત બગાડતો મેઘો
હાલારમાં નોમના તહેવારના રંગમાં મેઘરાજાએ ભંગ પાડ્યો હતો. ખંભાળિયામાં ૪, કલ્યાણપુરમાં ૩, લાલપુરમાં ૧ અને કાલાવડમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે જામજોધપુર, દ્વારકા, ભાણવડમાં હળવાથી ભારે ઝાપટા પડ્યા હતાં.જામનગર શહેર-જિલ્લામાં સાતમ-આઠમ-નોમના તહેવાર ટાકણે મેઘરાજાએ પધરામણી કરતાં લોકો સાથે મેળાના આયોજકો અને સ્ટોલધારકો ચિંતામાં મુકાયા હતાં. જો કે, સાતમ અને આઠમના મેઘરાજાએ સવારના ભાગે વિરામ લેતા લોકોએ મન ભરીને મેળાની મોજ માણી હતી. પરંતુ રાત્રીના કલ્યાણપુરમાં અઢી, ભાણવડમાં દોઢ અને દ્વારકામાં અઢી ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે ખંભાળિયા, ધ્રોલમાં ઝાપટા પડ્યા હતાં.જોડિયા, લાલપુર, જામજોધપુર, જામનગર, કાલાવડ તાલુકા કોરા ધાકોડ રહયા હતાં. આજરોજ સવારથી અસહ્ય બફારા વચ્ચે આકાશમાં વાદળોનું સામ્રાજ્ય જોવા મળ્યુ હતું. ખાસ કરીને ખંભાળિયામાં સવારથી પુન: મેઘરાજાનું આગમન થયુ હતું. સવારે ૭ થી ૧૦માં ૫૯ મીમી એટલે કે, સવા બે ઇંચ વરસાદ પડયો હતો.જે સતત ચાલુ રહેતા સાંજ સુધીમાં વધુ બે ઇંચ પાણી વરસી ગયુ હતું. બીજીબાજુ આજ સવારથી સાંજ સુધીમાં લાલપુરમાં ૧, કલ્યાણપુરમાં જામજોધપુર અને કાલાવડમાં ૦ાા ઇંચ વરસાદ નોંધાયો હતો. અત્રે નોંધનિય છે કે, સાતમ-આઠમના તહેવારોને લીધે મીની વેકેશન હોય લોકો તહેવારની મજા માણવા તત્પર હોય તે સમયે વરસાદથી રંગમાં ભંગ પડયો હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી.
લોકોએ વરસતા વરસાદમાં માણી મેળાની મોજ -શહેરમાં સાંજે ૪ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો ત્યારે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજિત લોક મેળામાં વરસાદમાં પણ ભારે જનમેદની જોવા મળી હતી. લોકોએ વરસતા વરસાદ વચ્ચે મેળાની મોજ માણતા સ્ટોલધારકોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.જામનગરમાં બે કલાકમાં એક ઇંચ -શહેરમાં શુક્રવારના સવારથી અસહ્ય ઉકળાટ વચ્ચે વાદળછાયા વાતાવરણથી વરસાદ પડવાની શક્યતા ઉભી થઇ હતી. સવારે ૧૧ વાગ્યાની આસપાસ વરસાદના હળવા ઝાપટા પડતા માર્ગો ભીંજાઇ ગયા હતાં. ત્યારબાદ બપોરના ૪ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થતાં બે કલાકમાં એક ઇંચ પાણી વરસી ગયુ હતું. જેના કારણે માર્ગો પર પાણી ભરાઇ ગયા હતાં.
ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચમાં ભયાનક ભૂકંપ
ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચ શહેરમાં રિક્ટર સ્કેલ પર 7ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો છે. દેશના પશ્ચિમ હિસ્સામાં ભૂકંપના કેન્દ્રબિંદુથી નજીકના ગ્રામીણ વિસ્તારમાં જબરદસ્ત નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ ક્રાઇસ્ટ ચર્ચથી 20 કિલોમીટર દૂર પશ્ચિમમાં આવેલા એક નાનકડાં વિસ્તાર ડોરફીલ્ડમાં તો રસ્તાં ઉપર પણ મોટી તિરાડો પડી ગઈ છે.ન્યુઝીલેન્ડ સરકારની ભૂગર્ભીય એજન્સી જીએનએસ સાયન્સ પ્રમાણે આ ભૂકંપની તીવ્રતા 7.4 માપવામાં આવી છે, જોકે અમેરિકી ભૂસર્વેક્ષણ વિભાગે આ ભૂકંપની તીવ્રતા 7 કહી છે.પ્રશાંત સુનામી ચેતવણી કેન્દ્રે કહ્યું છે કે ભૂકંપ અને સુનામીના ઐતિહાસિક આંકડા પ્રમાણે સુનામી ઉઠવાનું કોઈ જોખમ દેખાઈ રહ્યું નથી. ન્યુઝીલેન્ડને ભૂગર્ભીય હિલચાલની બાબતે ઘણું સંવેદનશીલ ગણવામાં આવે છે અને પેસિફિક તેમજ ઈન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટો અહીંથી પસાર થાય છે. દેશમાં દર વર્ષે લગભગ 14000 જેટલા ભૂકંપ આવે છે, જેમાં 20ની તીવ્રતા પાંચથી વધારે હોય છે.દેશમાં આ પહેલા વર્ષ 1968માં અને આખરે 1971માં વિનાશકારી ભૂકંપ આવ્યા હતા, જેની તીવ્રતા 7.1 રિક્ટર સ્કેલ હતી. ભૂકંપના કારણે દક્ષિણ દ્વીપના સમુદ્રી તટ પર રહેતા લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા હતા.
કચ્છમાં અવિરત મેઘો : અંજારમાં અઢી
visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
કચ્છમાં અવિરત મેઘો : અંજારમાં અઢી
કચ્છમાં છેલ્લા ઘણા દિવસોથી શ્રાવણ માસમાં અષાઢી માહોલ જારી છે. નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારમાં ૩, અંજારમાં અઢી, માંડવી-મુન્દ્રામાં અડધો ઇંચ, ભુજ-ગાંધીધામમાં ઝાપટાં પડ્યા હતા.અંજારમાં બપોરે એક વાગ્યે એક કલાક સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો જેથી નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. યોગેશ્વર ચોકડીથી નાગલપર ત્રણ રસ્તા સુધી રસ્તામાં ખાડાઓમાં પાણી ભરાતા વાહન વ્યવાહારને અસર પહોંચી હતી. શહેરમાં સત્તાવાર રીતે સાંજ સુધીનો ૬૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો. તાલુકાના નાગલપુર, સિનુગ્રા, ખંભરા સહિતના ગામોમાં પણ મેઘસવારી પહોંચી હતી.નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારોમાં એકથી ત્રણ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. ખારોઇ ગામમાં એક કલાકમાં એક જેટલો વરસાદ પડ્યો હતો. શુક્રવારે રાત સુધીમાં ૩ ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. મંગવાણામાં પણ કલાકમાં ઇંચ વરસાદ પડી જતા જીવણસર તળાવ ઓગની ગયું છે. જેને સરપંચ ધર્મેન્દ્રગિરિ ગોસ્વામી વધાવશે. જીવાપર, સુખપર, કુરબઇ વગેરેમાં પણ ૨થી ૩ ઇંચ વરસાદના વાવડ છે. ૩૧ વર્ષ બાદ ડાકણિયો ડેમ ઓગનતાં તેને રાપરના ધારાસભ્ય બાબુભાઇ શાહના હસ્તે વધાવાયો હતો. ભુજ-ગાંધીધામમાં દિનભર ઝાપટાં પડ્યા હતા. માંડવી-મુન્દ્રામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યાના વાવડ છે.
દુર્લભ યોગ લઈને આવે છે 8 સપ્ટેમ્બર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સમય સમય પર અનેક દુર્લભ વાતો બનતી રહે છે. એ દરેક યોગ આપણા માટે આનંદ અને સમૃદ્ધિ લઈને આવે છે. એવો જ એક દુર્લભ યોગ છે 8 સપ્ટેમ્બર. 8 સપ્ટેમ્બરના દિવસે 5,6,7,8,9,10 અંક ધરાવનારા લોકો માટે વિશેષ લાભદાયક સિદ્ધિ યોગ બનશે.અંક જ્યોતિષ અનુસાર 8 સપ્ટેમ્બર 2010 ખૂબ ખાસ દિવસ છે. આ દિવસે સવારે અને સાંજે બે વાર આ સંયોગ બનશે. સવારે અને સાંજે 5 વાગીને 6 મિનિટ તથા 7 સેકન્ડ પર 8 તારીખ 9મો મહિનો અને 10મું વર્ષ એટલે 2010 બને છે. ઈતિહાસનો આ એક અદ્ભભૂત યોગ બનશે. આ યોગ દરેક અંકોથી સંબંધિત આનંદ લઈને આવશે.જ્યોતિષ વિશેષજ્ઞો અનુસાર બુધ અંક 5નો સ્વામી છે અને 8 સપ્ટેમ્બર બુધવારે આવે છે. શુક્ર અંગ 6નો સ્વામી છે. નેપ્ચ્યુન અર્થાત વરુણ અંક 7નો સ્વામી છે, શનિ અંદ 8નો સ્વામી છે. મંગલ અંક 9નો સ્વામી છે અને સૂર્ય અંક 1 અર્થાત 10નો સ્વામી છે. આ દરેક અંકથી જોડાયેલા લોકો ખૂબ ભાગ્યશાળી છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર તથા ભાદ્રપદ એટલે કે અમાસ પણ આવે છે. આ કારણે આ દિવસે દરેક કાર્યનો શુભ આરંભ થાય છે. આ દિવસે પૂજન કાર્યોમાં સાધકને ઈશ્વરની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
મુંબઈમાં છોકરીને 20 નહીં પરંતુ 27 આંગળી!
મુંબઈમાં એક એવી કિશોરી છે જેના હાથ અને પગ થઈને 20 નહીં પરંતુ 27 આંગળી છે. 13 વર્ષની વારાલક્ષ્મી અહીં રાજાનાકુંટે હાઈસ્કૂલમાં નવમાં ધોરણમાં અભ્યાસ કરે છે. તે પોતાની માતા સાથે રહે છે, તેના પિતાનું નિધન થઈ ગયું છે. વારાલક્ષ્મીના સ્કૂલના શિક્ષકે જણાવ્યું હતું કે હાથ અને પગની વધારાની આંગળીઓ દ્વારા પરેશાની થવા છતાં તેના અક્ષરો ખૂબ જ સુંદર છે. ડોક્ટર બહું ઝડપથી ઓપરેશન કરીને તેની વધારાની આંગળીઓ દૂર કરશે, જેના કારણે તેના હાથ પગ સામાન્ય લાગશે.
આ ઓપરેશનમાં આશરે 70 હજાર જેટલો ખર્ચ થશે, પરંતુ ડોક્ટરો તેનું મફતમાં ઓપરેશન કરશે. હાલમાં ઓપરેશનની તૈયારી કરી રહેલા એમએસ રામઝાહ હોસ્પિટલના ઓર્થોપેડિક ડોક્ટર સુંદ્રેશ બીનું કહેવું છે કે એક બીમારીને કારણે તેના હાથ અને પગમાં વધારાની આંગળી ઉગી નિકળી હતી. તેના દરેક હાથમાં આઠ અને પગમાં વધારાનો અંગૂઠો છે.ડોક્ટરે જણાવ્યું હતું કે આ બીમારીને પોલીડેક્ટિલી કહેવામાં આવે છે, અને આવું હોવું અસામાન્ય વાત નથી. સામાન્ય રીતે આવા કેસમાં હાથના છેડા તરફ વધારાની આંગળી હોવાનું માલુમ પડે છે, પરંતુ વારાલક્ષ્મીના હાથમાં અંગુઠો નથી જે ચિંતાનો વિષય છે.ડોક્ટર વેકેશન દરમિયાન વારાલક્ષ્મીના હાથનું ઓપરેશન કરશે. જેના કારણે તેના અભ્યાસમાં કોઈ ખલેલ ન પહોંચે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે વારાલક્ષ્મીને ઓપરેશન બાદ સંપૂર્ણ રીતે સ્વસ્થ થવા માટે ત્રણ મહિના લાગશે. ઓપરેશન કર્યા બાદ તેને પોતાના પગમાં જૂતા પહેરવામાં કોઈ પરેશાની નહી થાય. વારાલક્ષ્મી જણાવે છે કે પગમાં દુઃખાવો થતો હોવાને કારણે તે વધારે દૂર સુધી ચાલી શકતી નથી. વારાલક્ષ્મીના મિત્રો પણ એવું ઈચ્છે છે કે તે ઝડપથી સારી થઈ જાય, જેના કારણે તે તેમની સાથે રમી શકે.
અમેરિકા, યૂરોપ પર હુમલો કરવાની તાલિબાનની ધમકી
પાકિસ્તાનમાં સક્રિય તહરિક એ તાલિબાને ધમકી આપી છે કે તે બહુ ઝડપથી અમેરિકા અને યૂરોપમાં આતંકવાદી હુમલાને અંજામ આપશે. પાકિસ્તાન તાલિબાનના ઉચ્ચ નેતા કારી હુસૈન મહસૂદે શુક્રવારે કોઈ અજાણ્યા સ્થળેથી કહ્યું હતું કે અમે બહુ ઝડપથી અમેરિકા અને યૂરોપમાં આતંકવાદી હુમલો કરીશું.મહસૂદ તાલિબાન માટે આત્મઘાતી હુમલાખોરો તૈયાર કરે છે. નોંધનીય છે કે પાકિસ્તાનમાં આ અઠવાડિયે આતંકવાદી હુમલામાં તેજી આવી છે. બુધવારે લાહોરમાં શિયા સમુદાયના એક સરઘસ પર આત્મઘાતી હુમલો થયો હતો જેમાં 33 લોકોના મોત થયા હતાં જ્યારે 150થી વધારે લોકો ઘાયલ થયા હતાં.ક્વેટામાં શુક્રવારે શિયા સમુદાયની એક રેલીને નિશાન બનાવીને કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 59 લોકોના મોત થયા હતાં જ્યારે 160 લોકો ઘાયલ થયા છે. તાલિબાને આ બંને હુમલાની જવાબદારી લીધી છે.અમેરિકાએ હાલમાં જ તહરિક એ તાલિબાનને વિદેશી આતંકવાદી સંગઠનોની યાદીમાં શામેલ કર્યું છે. તેની સાથે સાથે અમેરિકા આતંકવાદીઓ સામે લડવા માટે સતત પાકિસ્તાન પર તબાણ કરી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકન લશ્કર ડ્રોન મિસાઈલ દ્વારા પછાત વિસ્તારોમાં તાલિબાનના આતંક વાદીઓને નિશાન બનાવી રહ્યું છે.
પત્ની,પ્રેમીકા તથા બાળકો સાથે આપઘાતનો પ્રયાસ કરનારને દંડ
પત્ની, પ્રેમીકા તથા બાળકો સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરનાર સીટીએમના પિતાના કોર્ટે રૂપીયા ૨૫૦૦૦નો દંડ તથા પત્ની અને પ્રેમીકાના કોર્ટ ઉઠતા સુધી બેસવાની સજા ફટકારી હતી. આ પ્રકરમાં રાજેશ પટેલના નાના પુત્રનું મોત થયું હતું. આ દંડની રકમ બોર્ડના વિદ્યાર્થીઓ માટેની હેલ્પલાઇને આપવા માટે કોર્ટે આદેશ કર્યો હતો.વિચિત્ર બનાવની જાણવા મળતી વિગત એવી છે. કે સીટીએમ વિસ્તારમાં રહેતા રાજેશ કાંતિલાલ પટેલ.તેમની પત્ની નિતાબેન પટેલ તથા પ્રેમીકા તારીકાએ અને બે પુત્રો કે જેપૈકી એકની ઉંમર ૩ વર્ષ તથા બાજાની ઉંમર ૮ વર્ષ હતી.જે તમામે સીટીએમ નજીક હોન્ડા સીટી કારમાં ઝેરી દવા ગટગટાવી સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જેમાં રાજેશભાઇના નાના પુત્રનું મોત થયું હતું જ્યારે બાકીના તમામનો બચાવ થયો હતો.જેમાં રાજેશભાઇ વિરુદ્દ સાપરાધ માનવ વધ તથા આત્મહત્યાના પ્રયાસની તથા તેમની પત્ની અને પ્રેમીકા વિરુદ્દ ફરીયાદ આત્મહત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઇ હતી.જે કેસમાં કોર્ટે રાજેશભાઇને સઅપરાધ માનવવધ તથા આત્મહત્યાના પ્રયાસ બદલ કોર્ટે ઉઠે ત્યાં સુધીની સજા તથા રૂપીયા ૨૫૦૦૦ના દંડની સજા કરી હતી આ દંડની રકમ બોર્ડની પરિક્ષા વખતે માનસીક તણાવમાં આવી જતાં બાળકો માટે ચલાવાતી હેલ્પ લાઇનને આપવા આદેશ કરાયો હતો જ્યારે રાજેશભાઇની પત્ની તથા પ્રેમીકાને આત્મહત્યાના ગુના બદલ કોર્ટ ઉઠે ત્યાં સુધી કોર્ટમાં બેસવાની સજા કરી હતી.ફરિયાદી પક્ષે મિતેશ અમીન તથા રોબિને દલીલો કરી હતી.
રવિવારે શનિ-મંગળવાળા માટે ખાસ જીવનસાથી પસંદગીમેળો
રાજ્યભરના શની-મંગળ દોષવાળા લગ્નોત્સો યુવક યુવતીઓ કે જેમને જીવનસાથીની પસંદગીમાં ઘણી તકલીફો પડતી હોય છે. આવા માત્ર અને માત્ર શનિ મંગળના દોષવાળા ઉમેદવારો માટે શહેરની વિના મુલ્ય અમુલ્ય સેવા નામની સંસ્થા દ્વારા રાજ્યમાં પહેલીવખત જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શનિ- મંગલના દોષવાળા કોઇ પણ જ્ઞાતિના કુંવાર ઉમેદવારો ભાગ લઇ શકશે.અનોખા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન આવતીકાલે તા. ૫-૯-૨૦૧૦ ને રવિવારના રોજ પાલડી મહેદી નવાઝ જંગ હોલ ખાતે કરવામાં આવ્યું છે. આ પસંદગી મેળામાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ રવિવારે બપોરે ૧૨ કલાકે મહેદીનવાઝ હોલ ખાતે ઉપસ્થીત રહેવા જણાવવામાં આવ્યું છે.અનોખા જીવનસાથી પસંદગી સંમેલન અંગે માહિતી આપતાં વિના મુલ્ય અમુલ્ય સેવાના સંચલક નટુભાઇ પટેલ તથા ભારતીબેન રાવલે જણાવ્યું હતું કે તેમની સંસ્થા ઘણા વર્ષોથી કોઇ પણ પ્રકારની ફી લીધા વગર જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરે છે.જેમાં ઘણી વખત લગ્ન માટે આવતા યુવક-યુવતીઓ પૈકી ઘણા યુવક-યુવતીઓની જન્મ કુંડળીમાં મંગળ-શનીનો દોષ હોવાથી તેમને લગ્નમા તકલીફ થતી હોય છે. જેને માટે મંગળ-શનિ દોષવાળા યુવક-યુવતીઓ માટે ખાસ જીવનસાથી પસંદગીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં માત્ર શનિ અને મંગળ દોષ વાળાજ યુવક-યુવતીઓજ ભાગ લેનાર હોવાથી તમામને આસાનીથી યોગ્ય જીવનસાથી મળી રહેવાની શક્યાતા છે.
મચ્છીપીઠમાં વરસાદી ગટરના રિપેરિંગ પાછળ ૧૧ લાખ રૂ. ખર્ચાશે
મચ્છીપીઠમાં આવેલ વરસાદી ચેનલની દુરસ્તી રૂ.૧૧.૧૪ લાખના ખર્ચે કરાવવાની ભલામણને સ્થાયી સમિતિએ એકી અવાજે મંજૂર કરી હતી.મચ્છીપીઠ વિસ્તારમાં ઘણા જુના સમયની વરસાદી ચેનલ આવે છે અને એ તે ચેનલ દ્વારા રાવપુરા મેન રોડ અને જીપીઓ તરફના વરસાદી પાણીનો નિકાલ થાય છે. આ વરસાદી ગટર ઘણી જુની હોવાથી કેટલાક સ્થળોના ડ્રેનેજનું મલિન જળ પણ વહન થાય છે. વરસાદી ગટરની દીવાલ-સ્લેબ તૂટી જતાં મોટુ ભંગાણ પડ્યું છે.જેથી ભયજનક સ્થિતિ ઉભી થઇ છે અને ગટરમાં વહન થતો ડ્રેનેજનો ફલો બંધ થઇ જાય તો ગંદા પાણી અને આરોગ્ય વિષયક પ્રશ્નો ઊભા થવાની ભીતિ સેવાઇ રહી છે. હાલમાં ચોમાસાની ઋતુ ચાલુ છે અને વધુ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થાય તેમ છે.જેથી, આ રપિેરિંગ માટે સેવાસદનના ઉત્તર ઝોનના કાર્યપાલક ઇજનેરની કચેરી દ્વારા ૬.૭૦ લાખ રૂ.નો અંદાજ તૈયાર કરીને બીપીએમસી એકટની કલમ ૬૭-૩-સી હેઠળ ઓફર મંગાવી હતી. જેમાં એક ઇજારદારે અંદાજીત ભાવથી ૯૮ ટકા વધુની ઓફર મૂકી હતી અને નેગોશિએશન બાદ ૯૧ ટકા ઉપર સમંતિ આપી હતી. પરંતુ, આ ભાવ વધારે લાગતાં પાંચ ઇજારદારો પાસે ઓફર મંગાવી હતી.જોકે, ચાર ઇજારદાર પૈકી બે ઇજારદારની ઓફર સેવાસદનને મળી હતી. જેમાં, એક ઇજારદારેખાતાના અંદાજ કરતાં ૮૭ ટકા વધુ અને બીજા ઇજારદાર દ્વારા અંદાજ કરતાં ૯૧ ટકા વધુ ભાવ મૂક્યા હતા. જેમાં, લોએસ્ટ ઇજારદારને ભાવ ઘટાડા માટે કહેવામાં આવતા આખરે ૭૮ ટકા સુધી ભાવ ઘટાડો કરીને રૂ.૧૧.૪૦ લાખના ખર્ચે કામગીરી કરવાની તૈયારી બતાવી હતી.
વડોદરામાં આતશબાજી અને હર્ષોલ્લાસ સાથે કૃષ્ણજન્મનાં વધામણાં
ઉત્સવપ્રિય નગરી તરીકે જાણીતા વડોદરામાં જન્માષ્ટમી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી થતાં કૃષ્ણ ભક્તો ભાવવિભોર બની ઝૂમી ઊઠ્યાં હતા.દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા બાદ રાત્રે ૧૨ ના ટકોરે શહેરમાં આવેલાં વિવિધ દેવાલયો અનેવૈષ્ણવ હવેલીઓ કૃષ્ણ જન્મોત્સવ વેળાએ શંખનાદ અને ઘંટારવથી ગુંજી ઊઠ્યાં હતા. એટલુંજ નહીં શ્રદ્ધાળુઓએ દારુખાનું ફોડી અને આતશબાજી કરી કૃષ્ણ લલ્લાનો જન્મોત્સવ મનાવ્યો હતો.દેવકી-વાસુદેવ અને નંદ-યશોદાના લાડલા કનૈયા અને જગતગુરુ તરીકે ેપૂજય ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિન જન્માષ્ટમીનું પર્વ પરંપરાગત રીતે મનાવાયું હતું. શહેરીજનોએ કૃષ્ણ ભક્તિ અને ઉપવાસ સાથે દિવસ દરમિયાન મંદિરોમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.આ ઉપરાંત સાંજના સમયે શહેરમાં અંદાજે૧૨૫ જેટલાં સ્થળોએ ગોવિંદા આલા રે....ની ધૂન સાથે મટકી ફોડીને માખણ ખાતા માખણચોર કનૈયાના તોફાનની યાદમાં મટકીફોડનાં કાર્યક્રમો યોજાયાં હતાં. આ કાર્યક્રમોને જોવા લોકોના ટોળાં ઊમટી પડ્યાં હતાં.બાદમાં રાત્રે ૧૦ વાગ્યાથી મંદિરો, દેવાલયો અને વૈષ્ણવ હવેલીઓમાં મહાઅભિષેક સાથે મહાપૂજાનો પ્રારંભ થયો હતો. વેદમંત્રો સાથેલાલજીને થતી અભિષેક વિધિના દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા. બરાબરના ૧૨ ના ટકોરે શંખનાદ અને ઘંટારવ સાથે ભગવાનશ્રી કૃષ્ણના પ્રાગટ્યને આવકારી નંદ ઘેર આનંદ ભયો...જય કનૈયાલાલકી..ના ગાન સાથે શ્રદ્ધાળુઓ ઝૂમી ઉઠ્યા હતા.
ડિઁડોલી વિસ્તારમાં બે દિવસમાં બે નવજાત બાળક ત્યજાયાં
ડિઁડોલી વિસ્તારના સંજયભાઈ પાટીલે ૨ સપ્ટેમ્બરે સાંજે પ.૩૦ કલાકે ભેસ્તાન અને ચલથાણ વચ્ચે ગુડ્સ રેલવેલાઇન પાસે એક નવજાત બાળકની લાશ જોતા તાત્કાલિક લિંબાયત પોલીસને જાણ કરી હતી. બનાવ અંગે પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. વધુ તપાસ પીએસઆઈ કે. એસ. મોટાવર કરી રહ્યા છે.બીજા બનાવમાં સણિયા કણદે ગામ ખાતે આવેલા ખત્રીદાદાના મંદિરમાં ૧ સપ્ટેમ્બરે સાંજે કોઈ અજાણી સ્ત્રી તેની નવજાત બાળકીને કાળાં કપડાં વીંટાળી મંદિરમાં મૂકી ગઈ હતી. મંદિર નાથુભાઈ રાઠોડને બાળકીનો રડવાનો અવાજ આવતાં તેઓ તાત્કાલિક મંદિરમાં ગયા હતા અને જોયું તો કોઈ અજાણી સ્ત્રી બાળકીને તરછોડીને જતી રહી છે.
પુણાગામ : ગર્ભને બદલે પેટમાં ઊછરી રહેલા શિશુને બહાર કઢાયું
શહેરની એક મહિલાનો ગર્ભ તેમનાં ગર્ભાશયમાં નહીં પણ પેટમાં ઉછરી રહ્યો હતો. આથી તબીબોએ તેમનું ઓપરેશન કરી ગર્ભને બહાર કાઢ્યો હતો.પુણાગામ ખાતે રહેતાં સરોજબેન યાદવને અઢી માસનો ગર્ભ હતો. તેઓ શારદા હોસ્પિટલમાં ડૉ. પ્રકાશ પટેલને મળ્યા હતા. જ્યાં ખબર પડી હતી કે સરોજબેનનો ગર્ભ ગભૉશયમાં નથી પણ પેટની કોથળીમાં ઉછરી રહ્યો છે. આથી તબીબોએ સંબંધીઓને એબ્ડોમિનલ પ્રેગ્નન્સી બાબતે જાણ કરી પેટમાંથી ગર્ભ બહાર કાઢ્યો હતો.
ભુજ : હે રામ, ભુજમાં શૈતાનો ગાંધીજીનું ‘નાક’ કાપી ગયા
ગાંધીજીની જન્મતિથિ ૨ ઓક્ટોમ્બરને એક માસની વાર છે, ત્યાં જ ગુરુવારે મોડી રાત્રે ભુજ મ્યૂઝિયમની સામે આવેલી ગાંધીજીની પ્રતિમાને કોઇ હરામખોરો ખંડિત કરી નાક, કાન કાપી રાષ્ટ્રપિતાનો ચહેરો કદરૂપો કરતાં શહેરમાં આ હિચકારા કૃત્યથી સોંપો પડી ગયો હતો.દેશના રાષ્ટ્રપિતાનું અપમાન કરનારા શૈતાનોને પકડી જાહેરમાં સજા કરાય તેવી માગણી ભુજવાસીઓએ કરી હતી. મળતી વિગતો મુજબ વહેલી સવારે સિનિયર સિટીઝન એવા નરેશભાઇ વચ્છરાજાની મોર્નિંગ વોક પર નીકળ્યા હતા, ત્યારે તેમની નજર પ્રતિમા પર પડતા ગાંધીજીની મૂર્તિને કોઇ નુકસાન પહોંચાડ્યું હોય તેવું જણાતાં તેમણે નગરપતિને ફોન કરી ઘટનાથી વાકેફ કર્યા હતા.આ સમાચાર વાયુવેગે ભુજમાં ફેલાઇ જતાં દેશદાઝ ધરાવતા લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. નગરપતિ દેવરાજ ગઢવી સહિત અન્ય અગ્રણીઓ ઘટનાસ્થળે પહોંચી મૂર્તિનું નિરીક્ષણ કરી ખંડિત મૂર્તિ પર સફેદ કપડાથી ઢાંકી દીધી હતી. માનસિક વિકૃતિ ધરાવતા આ ભાંગફોડિયા તત્વો દ્વારા યેનકેન પ્રકારે કોમી એકતાને પલીતો ચોપવા આવા કૃત્યો કરાતા હોય છે, ત્યારે આવા તત્વોને સબક શીખડાવવા પોલીસ તાબડતોડ પગલાં ભરે એવો આક્રોશ નગરજનોમાં સ્પષ્ટ જોવા મળ્યો હતો.
રાજુલા પાલિકામાં ભાજપના શાસનનો અંત
રાજુલા નગરપાલિકામાં ભાજપના શાસન દરમિયાન બિસ્માર રસ્તા, ડહોળુ પાણી, ભ્રષ્ટાચાર, આકરા કરવેરા, તળાવના રીનોવેશન માટે ૪૦ લાખ રૂપિયા જેવી માતબર રકમ વાપરી ન શકાઇ, છતાં પાણી માટે પાણી વિહોણા પ્રજા વગરે પ્રશ્નો અણઉકેલ છે ત્યારે રાજુલા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીમાં મહિલા ઉમેદવાર પ્રમુખ માટેની ચૂંટણીમાં ચૂંટાઇ આવતા ભાજપના હાથમાંથી સત્તા ઝુંટવાઇ ગઇ છે.નગરપાલિકાની ચૂંટણી સમયે પ્રજાજનોએ ભાજપને વિકાસના નામે મત આપેલા પરંતુ વિકાસ કરવામાં ઉણા ઉતરેલા શાસકોથી પ્રજા પણ નારાજ થઇ છે ત્યારે ખુદ ભાજપના જ સભ્યો પણ કોંગ્રેસમાં ભળી ને સમાજવાદી પક્ષના મીનાબેન વાઘેલાને ટેકો જાહેર કરતા નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટાઇ આવેલ છે.પાલિકા પ્રમુખની ચૂંટણીમાં છેલ્લા ૧૫ દિવસથી અમરશીભાઇ ડેર કોંગ્રેસ અને ભાજપના સભ્યોનેલઇને ભુગર્ભમાં ઉતરી ગયેલ અને આમ ભાજપના હાથમાંથી નગર પાલિકાનું શાસન જતું રહેતા મોવડી મંડળ ભાજપના ત્રણ ઉમેદવાર સામે શું પગલા લેશે તેમ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
ભાવનગર : શેત્રુંજી ડેમ ઓવરફલો થયો
ભાવનગર શહેર અને જિલ્લામાં પાક અને પાણીના પ્રશ્ને જીવાદોરી સમા શેત્રુંજી ડેમના આજે સાંજે બરાબર ૬ કલાકે ૫૯ પૈકી ૨૫ દરવાજા બે ફૂટ ખોલી નાંખતાં તેના નીચાણવાળા વિસ્તારમાં સૌરાષ્ટ્રના આ મહાકાય ડેમમાંથી નોંધપાત્ર જથ્થો વહેતો થયો છે. શેત્રુંજી ડેમ તેની સ્થાપના બાદ ૧૬મી વખતી ઓવરફલો થતાં સમગ્ર ભાવનગર જિલ્લામાં હરખની હેલી ફરી વળી છે.પાલીતાણા નજીકના રાજસ્થળી ગામે આવેલા શેત્રુંજી ડેમની ૩૪ ફૂટની છલક સપાટીને આજે આંબી ગયા બાદ આવક શરૂ રહેતા આજે સાંજે ૬ કલાકે ડેમમાં ૨૫ દરવાજા ખોલવામાં આવ્યાં હતાં. ૨૯’ધ્૫’ની સાઈઝના આ ૨૫ દરવાજા ખોલતાની સાથે જ ૬૫૦૦ કયુસેક પાણીનો ધસમસતો જથ્થો નિચાણવાળા વિસ્તારમાં વહેતો થતાં તળાજા તાલુકાના શેત્રુંજી કાંઠાના તમામ ગામોના લોકોને સાવચેતી સાધવા સૂચના આપી દેવામાં આવી હતી.ગત વર્ષે ઓછા વરસાદને લીધે આ ડેમ ખાલી રહી ગયો હતો તે આ વર્ષે સંતોષકારક ચોમાસાને લીધે છલકાઈ જતાં ખેડૂતો અને ખાસ કરીને ભાવનગરની પાણી પ્રશ્ને કાયમ તંગી અનુભવતી પ્રજામાં જન્માષ્ટમી બાદ નોમના પર્વે હરખની હેલી ચડી છે. આ ડેમમાં આજે સાંજે પણ ૧૪૧૩ કયુસેક પાણીની આવક શરૂ હતી.
મહેસાણા : નંદલાલા પર હેત વરસ્યાં..
મહેસાણા સહિત જિલ્લાભરમાં શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીના પર્વની ગુરૂવારે ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ઠેર ઠેર લોકમેળા અને ભજનકિર્તનો સાથે બરાબર મધરાત્રિ બારના ટકોરે દેવમંદિરો ‘નંદ ઘેર આનંદ ભયો’ તથા ‘જય રણછોડ માખણચોર’ના નાદ અને ઘંટારાવથી ગુંજી ઉઠ્યા હતા.મહેસાણાએ કર્યું માધવને ‘હેપ્પી બર્થ ડે’..મહેસાણા : શહેરમાં કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. જે અંતર્ગત શહેરમાં આવેલા ગોવિંદ માધવ મંદિર, સ્વામિનારાયણ મંદિર, નાગલપુર રામજી મંદિર, ગાયત્રી શકિતપીઠ, જલારામ મંદિર સહિત દેવ મંદિરોમાં મધ્યરાત્રિએ ભકિતભર્યા માહોલમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઇ હતી. આ ઉપરાંત પરા વિસ્તારના રામજી મંદિરમાં જન્માષ્ટમીના મેળામાં મંદિરના સાંનિધ્યે ગુરૂવારે સવારથીજ માનવ સમુદાય મેળો માણવા ઉમટી પડ્યો હતો.જન્માષ્ટમી પર્વ નિમિત્તે શહેરની રાધાકૃષ્ણ ટાઉનશીપ સહિત વિવિધ સ્થળોએ મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. કૃષ્ણજન્મના સમયે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી જેવા નાદો તથા આતશબાજીથી મંદિરો ગુંજી ઉઠ્યા હતા. તેમજ મહા આરતી, આતશબાજી, પારણા ઝુલણ, માખણ અને પંજરીના પ્રસાદની સાથે જન્મોત્સવ ઉજવ્યો હતો.
આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખે ખેડૂતની ઘરવખરી ફેંકી દીધી
પેટલાદ તાલુકાના વટાવ ગામની સીમમાં આવેલી જમીન બાબતે આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા ઉપપ્રમુખે કેટલાક ભાડુતી માણસો સાથે ઘુસી જઈ ખેડૂતની ઓરડીમાંથી ઘરવખરી ફેંકી દીધાની ફરિયાદ મહેળાવ પોલીસ મથકે નોંધાઈ હતી. આ અંગે પોલીસે પૂર્વ ઉપપ્રમુખ સહિત ચાર શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, પેટલાદમાં રહેતા જિલ્લા કોંગ્રેસના મહિલા અગ્રણી વિજ્ઞાત્રીબેન વિજયભાઈ શાહને છેલ્લા કેટલાક સમયથી દશરથ રાવજીભાઈ પટેલ સાથે વટાવ ગામની સીમમાં આવેલી જમીન બાબતે તકરાર ચાલી રહી છે. જો કે, આ મામલો કોર્ટ સુધી પણ પહોંચી ચુકયો છે. આ દરમિયાનમાં એકાએક તા.૨જી સપ્ટેમ્બરના રોજ સવારે વિજ્ઞાત્રીબેન પોતાના માણસો રણજીતસિંહ ફતેસિંહ રાણા (રહે.નાપા), સકિંદર જશુભા રાણા (રહે.નાપા) તથા એક અજાણ્યા શખસ સાથે ધસી આવી દશરથભાઈની ઓરડીમાંથી ઘરવખરીનો સામાન બહાર ફેંકી દઈ પોતાનો સામાન ઓરડીમાં મુકી દઈ તાળુ મારી દીધું હતું.આ ઉપરાંત દશરથભાઈને અપશબ્દો બોલી, ગડદાપાટુનો મારમારી ઓરડીમાંથી બહાર નીકળી જવા ધમકી આપી હતી. આ અંગે મહેળાવ પોલીસે વિજ્ઞાત્રીબેન સહિત ચારેય વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ એએસઆઈ ભુલાભાઈ ચંદાભાઈને સોંપી છે.
વિશ્રામપુરામાં વાયરલ ફીવરનો અજગર ભરડો
પેટલાદ તાલુકાના વિશ્રામપુરા ગામમાં વાયરલ ફીવરના ૧૦૦થી વધુ દર્દીના ઘેર ઘેર ખાટલા ખડકાઇ ગયા છે. છેલ્લાં ત્રણ દિવસમાં વરસાદી માહોલ વચ્ચે ગ્રામજનો શરદી, ઉધરસ અને તાવની ઝપટમાં આવી ગયા છે. વિશ્રામપુરાના હરજિનવાસ, વાઘરીવાસ, ઠાકોરવાસમાં દર્દીઓનો વધતાં ફફડાટની લાગણી પ્રસરી છે. વિશ્રામપુરા ઉપરાંત પંથકના રૂપિયાપુરા, શાહપુર અને સુંદરણામાં પણ છુટાછવાયા તાવ, શરદી, ખાંસીના દર્દીઓ હોવાનું જાણવા મળે છે.પેટલાદ તાલુકાના વિશ્રામપુરા ગામમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે. ગામમાં હરજિનવાસ, વાઘરીવાસ, ઠાકોરવાસ અને મુખ્ય રસ્તાઓ ઉપર અસહ્ય ગંદકી ફેલાયેલી છે. વરસાદના પાણીનો સમયસર નિકાલ નહીં થવાને કારણે કાદવ અને કીચડ થઈ જતાં બેસુમાર દુર્ગંધ મારે છે. તેમાંય ગામના નિચાણના વિસ્તારોમાં વરસાદી પાણીનો દિવસો સુધી નિકાલ નહી થતાં પાણીમાંથી દુર્ગંધની સાથે મચ્છરોનો ઉપદ્રવ શરૂ થઈ ગયો છે. આ વિસ્તારોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી તાવ, શરદી અને ખાંસીના દર્દીઓ વધતાં જતાં હોવાનું જાણવા મળે છે. ગામમાં સ્થાનિક ડોક્ટરોની સારવાર લેવા ઉપરાંત કેટલાક દર્દીઓ પેટલાદની ખાનગી હોસ્પિટલોમાં જઈ સારવાર લઈ આવે છે. મચ્છરોનો ઉપદ્રવ અને પાણીજન્ય રોગચાળાએ ફરી એકવખત વિશ્રામપુરામાં માથુ ઉચકર્યું છે. થોડા દિવસો અગાઉ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સર્વે હાથ ધરાયો હતો. પરંતુ ત્યારબાદ આ દર્દીઓને સમયસર સારવાર અને દવા નહી મળી હોવાનું જાણવા મળે છે. હાલમાં આ ગામના બે ડોક્ટર ઉપરાંત ત્રભિુવન ફાઉન્ડેશન દ્વારા દર્દીઓને સારવાર આપવામાં આવે છે.પેટલાદમાં ડેન્ગ્યુનો કેસ મળતાં ફફડાટ -પેટલાદ નગરનો પૂર્વ વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે. પૂર્વ વિસ્તારની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ પાણી ભરાઇ રહેવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ થવાથી રોગચાળો માથુ ઉચકી રહ્યો છે. નગરના સાંઇનાથ રોડ સ્થિત ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા નટુભાઈ મિસ્ત્રીની ૧૪ વર્ષીય પુત્રી દિવ્યાને ડેન્ગ્યુનો રીપોર્ટ પોઝીટીવ આવતાં વધુ સારવાર અર્થે કૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે ખસેડવામાં આવી છે.હાલ દિવ્યા હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ હોવાનું જાણવા મળે છે. પેટલાદ પાલિકાએ પૂર્વમાં ચોમાસા ટાણે જ કાંસનું કામ શરૂ કરતા નકૉગારની સ્થિતિ સર્જાઈ છે.
ખંડણીના ખેલંદાઓએ સીમ કાર્ડના ટુકડાં કરીને વઘાસી રોડ પર પધરાવ્યા
આ અંગે પોલીસ ઈન્સ્પેકટર ધનંજયસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ‘આણંદ શહેરની ઠક્કરવાડીની પાછળ આવેલા અખંડ-આનંદ બંગલામાં રહેતા અને જવેલર્સની દુકાન ધરાવતા યોગેશભાઈ સોનીનો છ વર્ષના પુત્ર હર્ષનું ગત તા.૩૧મી ઓગસ્ટે અપહરણ થયું હતું. અપહરણકર્તાઓ તેને કારમાં ઉઠાવી ગયા હતા.બાદમાં તેઓએ રૂ.૪૦ની લાખની ખંડણી યોગેશભાઈ પાસેથી માંગી હતી. આ બાબતે પોલીસને જાણ કરતાં જિલ્લા પોલીસ વડા એ.કે. જાડેજાની સુચના અને માર્ગદર્શન અનુસાર ચારેક ટીમ કાર્યરત થઈ હતી. આ બાબતની જાણ અપહરણકર્તાઓને થતાં તેઓએ હર્ષને વિદ્યાનગર રોડ પર જ છોડી મુકયો હતો. બીજી તરફ અપહરણકર્તા અને યોગેશભાઈની વાતચીતના આધારે પોલીસે તેમને ટ્રેસ કરી અજય સુરેશભાઈ વસાવા, રૂપેશ સુરેશભાઈ વસાવા, અક્ષય ઉર્ફે લાલુ રમેશ વસાવા, આકાશ ઉર્ફે અક્કુ નિરવભાઈ વસાવાની ધરપકડ કરી હતી.આ સમગ્ર અપહરણકાંડનું કાવતરૂ પૂર્વ આયોજીત હોવાથી વધુ વિગતો મેળવવા પોલીસે તેમના તા.છઢ્ઢી સુધીના રિમાન્ડ મેળવ્યાં છે. જેમાં તેમની પ્રાથમિક પુછપરછમાં તેઓએ એક મહિના પહેલા જ સમગ્ર યોજના તૈયાર કરી હોવાની કબુલાત પણ કરી હતી. જેમાં તેઓએ ગત તા.૨૧મી ઓગસ્ટે વડોદરા પાસેના પોર ગામેથી સીમકાર્ડ ખરીધ્યાં હતાં. જે અપહરણના ફ્લોપ શો બાદ તેઓએ ચખિોદરા ચોકડીથી વઘાસી રોડ તરફ ક્યાંક ફેંકી દીધાની કબુલાત કરી હતી. આ કબુલાત આધારે પોલીસે પુરાવાના નાશની કલમનો ઉમેરો કર્યો હતો. ’ચોરીના દસ્તાવેજોથી સીમકાર્ડ ખરીદી !
બોરીવલીના જૈન મંદિરના લૂંટારાની ધરપકડ
બોરીવલીના જૈન મંદિરમાં સંત્રીની હત્યા કરીને લૂંટ ચલાવવાના પ્રકરણમાં પોલીસે આખરે આઠ લૂંટારાઓની ધરપકડ કરી છે, જ્યારે ચોરી કરેલી તમામ મૂર્તિઓ હસ્તગત કરાઈ છે. ૨૨ ઓગસ્ટે બનેલી આ ઘટનામાં એક સંત્રીની હત્યા કરવામાં આવી હતી, જ્યારે બીજો ગંભીર રીતે ઘાયલ થયો હોવાને પગલે સમગ્ર જૈન સમાજમાં તીવ્ર પ્રત્યાઘાત પડ્યા હતા.બોરીવલી પશ્ચિમના મંડપેશ્વર રોડ પર ભગવતી હોસ્પિટલની બાજુમાં આવેલા નંદશ્વિર દ્વીપ દગિંબર જૈન મંદિરમાં રવિવારે પરોઢિયે આશરે ૨.૩૦ કલાકના સુમારે લૂંટારુઓની એક ટોળકીએ ત્રાટકીને પંચધાતુની બનેલી આંગી કરેલી છ મૂર્તિની લૂંટ ચલાવી હતી. જોકે એક મૂર્તિનું વજન એટલું બધું હતું કે તેને લૂંટારાઓ ઉપાડી શક્યા નહોતા અને દેરાસરની નજીકમાં જ છોડીને ચાલ્યા ગયા હતા.આ કેસમાં ક્રાઈમ બ્રાંચે જણાવ્યું હતું કે લૂંટની યોજના ઘડનાર મુખ્ય હારુણ અબ્દુલ શેખ (૪૦) અને રમેશ મોહન પાટીલ ઉર્ફે ભાઈજાન હતા. આ બંનેની મુલાકાત બે વર્ષ પહેલાં જેલમાં થઈ હતી અને ૨૦૦૫માં દેરાસરની ઉજવણી વેળા હેલિકોપ્ટરમાંથી ચાંદીના સિક્કા અને પૈસાની ઉછામણી થઈ હતી. આ ર્દશ્ય જોઈને નિયતમાં ખોટ આવી હતી અને બંનેએ જેલમાં બેઠાં બેઠાં દેરાસરમાં લૂંટ કરવાની યોજના બનાવી હતી.જેલમાંથી છુટયા બાદ આખા વિસ્તારની રેકી કરી હતી. આઠ આરોપીમાંથી મોટા ભાગના નજીકની ઈન્દિરાનગર ઝંપડપટ્ટીના જ રહેવાસી છે. આથી ઘણી ખરી માહિતી તેમને હતી અને એક ભૂતપૂર્વ વોટમેને પણ તેમને મંદિરમાં કીમતી ચીજો કઈ છે તેના સહિતની માહિતી આપી હતી.આને આધારે ૨૨ ઓગસ્ટના રોજ લૂંટારાઓએ પોતાનો મનસૂબો પાર પાડ્યો હતો, પરંતુ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ તેમની ધરપકડ કરી લૂંટાયેલી પાંચેય મૂર્તિઓ તેમ જ અન્ય ચાંદીના સિક્કા, છત્ર અને કીમતી માલમતાને જપ્ત કરીને કેસ ઉકેલી કાઢવામાં સફળતા મેળવી છે.આરોપીમાંથી રાજગુરુ મુરારીસિંગ ઉર્ફે રાજુ પંજાબી મૂર્તિને વેચવા ગયો ત્યારે ટીપ મળતાં પોલીસે ગોરેગાંવ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. ત્યાર બાદ હારુણ, ભાઈજાન અને સંતોષ હરશ્ચંદ્ર ભોઈરની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમના અન્ય સાથી સુરેશ રાજેન્દ્રર ગુપ્તા, વિનોદકુમાર જગદીશપ્રસાદ યાદવ, માઈકલ થાપા ઉર્ફે વિકી અને મકેશકુમાર જગદીશપ્રસાદ યાદવની થાણે શહેરના ઘણસોલી વિસ્તારમાંથી ધરપકડ કરીને સંતાડી રાખેલી મૂર્તિઓ અને અન્ય કીમતી માલમતા જપ્ત કરી હતી.નોંધનીય છે કે દેરાસરમાં ચોકી કરતા બે સુરક્ષા રક્ષકમાંથી એક દેવીલાલ સેવક (૫૫)ને લૂંટારુઓએ હથિયારથી મારી નાખ્યો હતો, જ્યારે બીજો સુરક્ષા રક્ષક રામપ્રસાદ ગંગારામ જોષી (૪૫) ગંભીર ઇજા પામ્યો હતો. દેવીલાલ રાજસ્થાનના ડુંગરપુરનો રહેવાસી હતો જ્યારે રાજુ ગંગારામ નેપાળી હતો.આ ઘટનાને લઈ સમગ્ર જૈન સમાજમાં ઉશ્કેરાટ ફેલાયો હતો. પખવાડિયામાં લૂંટારા નહીં પકડાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.
કચ્છમાં અવિરત મેઘો : અંજારમાં અઢી
કચ્છમાં છેલ્લા ઘણા દિવસોથી શ્રાવણ માસમાં અષાઢી માહોલ જારી છે. નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારમાં ૩, અંજારમાં અઢી, માંડવી-મુન્દ્રામાં અડધો ઇંચ, ભુજ-ગાંધીધામમાં ઝાપટાં પડ્યા હતા.અંજારમાં બપોરે એક વાગ્યે એક કલાક સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો જેથી નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. યોગેશ્વર ચોકડીથી નાગલપર ત્રણ રસ્તા સુધી રસ્તામાં ખાડાઓમાં પાણી ભરાતા વાહન વ્યવાહારને અસર પહોંચી હતી. શહેરમાં સત્તાવાર રીતે સાંજ સુધીનો ૬૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો. તાલુકાના નાગલપુર, સિનુગ્રા, ખંભરા સહિતના ગામોમાં પણ મેઘસવારી પહોંચી હતી.નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારોમાં એકથી ત્રણ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. ખારોઇ ગામમાં એક કલાકમાં એક જેટલો વરસાદ પડ્યો હતો. શુક્રવારે રાત સુધીમાં ૩ ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. મંગવાણામાં પણ કલાકમાં ઇંચ વરસાદ પડી જતા જીવણસર તળાવ ઓગની ગયું છે. જેને સરપંચ ધર્મેન્દ્રગિરિ ગોસ્વામી વધાવશે. જીવાપર, સુખપર, કુરબઇ વગેરેમાં પણ ૨થી ૩ ઇંચ વરસાદના વાવડ છે. ૩૧ વર્ષ બાદ ડાકણિયો ડેમ ઓગનતાં તેને રાપરના ધારાસભ્ય બાબુભાઇ શાહના હસ્તે વધાવાયો હતો. ભુજ-ગાંધીધામમાં દિનભર ઝાપટાં પડ્યા હતા. માંડવી-મુન્દ્રામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યાના વાવડ છે.
દુર્લભ યોગ લઈને આવે છે 8 સપ્ટેમ્બર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સમય સમય પર અનેક દુર્લભ વાતો બનતી રહે છે. એ દરેક યોગ આપણા માટે આનંદ અને સમૃદ્ધિ લઈને આવે છે. એવો જ એક દુર્લભ યોગ છે 8 સપ્ટેમ્બર. 8 સપ્ટેમ્બરના દિવસે 5,6,7,8,9,10 અંક ધરાવનારા લોકો માટે વિશેષ લાભદાયક સિદ્ધિ યોગ બનશે.અંક જ્યોતિષ અનુસાર 8 સપ્ટેમ્બર 2010 ખૂબ ખાસ દિવસ છે. આ દિવસે સવારે અને સાંજે બે વાર આ સંયોગ બનશે. સવારે અને સાંજે 5 વાગીને 6 મિનિટ તથા 7 સેકન્ડ પર 8 તારીખ 9મો મહિનો અને 10મું વર્ષ એટલે 2010 બને છે. ઈતિહાસનો આ એક અદ્ભભૂત યોગ બનશે. આ યોગ દરેક અંકોથી સંબંધિત આનંદ લઈને આવશે.જ્યોતિષ વિશેષજ્ઞો અનુસાર બુધ અંક 5નો સ્વામી છે અને 8 સપ્ટેમ્બર બુધવારે આવે છે. શુક્ર અંગ 6નો સ્વામી છે. નેપ્ચ્યુન અર્થાત વરુણ અંક 7નો સ્વામી છે, શનિ અંદ 8નો સ્વામી છે. મંગલ અંક 9નો સ્વામી છે અને સૂર્ય અંક 1 અર્થાત 10નો સ્વામી છે. આ દરેક અંકથી જોડાયેલા લોકો ખૂબ ભાગ્યશાળી છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર તથા ભાદ્રપદ એટલે કે અમાસ પણ આવે છે. આ કારણે આ દિવસે દરેક કાર્યનો શુભ આરંભ થાય છે. આ દિવસે પૂજન કાર્યોમાં સાધકને ઈશ્વરની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
મુંબઈમાં છોકરીને 20 નહીં પરંતુ 27 આંગળી!
મુંબઈમાં એક એવી કિશોરી છે જેના હાથ અને પગ થઈને 20 નહીં પરંતુ 27 આંગળી છે. 13 વર્ષની વારાલક્ષ્મી અહીં રાજાનાકુંટે હાઈસ્કૂલમાં નવમાં ધોરણમાં અભ્યાસ કરે છે. તે પોતાની માતા સાથે રહે છે, તેના પિતાનું નિધન થઈ ગયું છે. વારાલક્ષ્મીના સ્કૂલના શિક્ષકે જણાવ્યું હતું કે હાથ અને પગની વધારાની આંગળીઓ દ્વારા પરેશાની થવા છતાં તેના અક્ષરો ખૂબ જ સુંદર છે. ડોક્ટર બહું ઝડપથી ઓપરેશન કરીને તેની વધારાની આંગળીઓ દૂર કરશે, જેના કારણે તેના હાથ પગ સામાન્ય લાગશે.
આ ઓપરેશનમાં આશરે 70 હજાર જેટલો ખર્ચ થશે, પરંતુ ડોક્ટરો તેનું મફતમાં ઓપરેશન કરશે. હાલમાં ઓપરેશનની તૈયારી કરી રહેલા એમએસ રામઝાહ હોસ્પિટલના ઓર્થોપેડિક ડોક્ટર સુંદ્રેશ બીનું કહેવું છે કે એક બીમારીને કારણે તેના હાથ અને પગમાં વધારાની આંગળી ઉગી નિકળી હતી. તેના દરેક હાથમાં આઠ અને પગમાં વધારાનો અંગૂઠો છે.ડોક્ટરે જણાવ્યું હતું કે આ બીમારીને પોલીડેક્ટિલી કહેવામાં આવે છે, અને આવું હોવું અસામાન્ય વાત નથી. સામાન્ય રીતે આવા કેસમાં હાથના છેડા તરફ વધારાની આંગળી હોવાનું માલુમ પડે છે, પરંતુ વારાલક્ષ્મીના હાથમાં અંગુઠો નથી જે ચિંતાનો વિષય છે.ડોક્ટર વેકેશન દરમિયાન વારાલક્ષ્મીના હાથનું ઓપરેશન કરશે. જેના કારણે તેના અભ્યાસમાં કોઈ ખલેલ ન પહોંચે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે વારાલક્ષ્મીને ઓપરેશન બાદ સંપૂર્ણ રીતે સ્વસ્થ થવા માટે ત્રણ મહિના લાગશે. ઓપરેશન કર્યા બાદ તેને પોતાના પગમાં જૂતા પહેરવામાં કોઈ પરેશાની નહી થાય. વારાલક્ષ્મી જણાવે છે કે પગમાં દુઃખાવો થતો હોવાને કારણે તે વધારે દૂર સુધી ચાલી શકતી નથી. વારાલક્ષ્મીના મિત્રો પણ એવું ઈચ્છે છે કે તે ઝડપથી સારી થઈ જાય, જેના કારણે તે તેમની સાથે રમી શકે.
અમેરિકા, યૂરોપ પર હુમલો કરવાની તાલિબાનની ધમકી
પાકિસ્તાનમાં સક્રિય તહરિક એ તાલિબાને ધમકી આપી છે કે તે બહુ ઝડપથી અમેરિકા અને યૂરોપમાં આતંકવાદી હુમલાને અંજામ આપશે. પાકિસ્તાન તાલિબાનના ઉચ્ચ નેતા કારી હુસૈન મહસૂદે શુક્રવારે કોઈ અજાણ્યા સ્થળેથી કહ્યું હતું કે અમે બહુ ઝડપથી અમેરિકા અને યૂરોપમાં આતંકવાદી હુમલો કરીશું.મહસૂદ તાલિબાન માટે આત્મઘાતી હુમલાખોરો તૈયાર કરે છે. નોંધનીય છે કે પાકિસ્તાનમાં આ અઠવાડિયે આતંકવાદી હુમલામાં તેજી આવી છે. બુધવારે લાહોરમાં શિયા સમુદાયના એક સરઘસ પર આત્મઘાતી હુમલો થયો હતો જેમાં 33 લોકોના મોત થયા હતાં જ્યારે 150થી વધારે લોકો ઘાયલ થયા હતાં.ક્વેટામાં શુક્રવારે શિયા સમુદાયની એક રેલીને નિશાન બનાવીને કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 59 લોકોના મોત થયા હતાં જ્યારે 160 લોકો ઘાયલ થયા છે. તાલિબાને આ બંને હુમલાની જવાબદારી લીધી છે.અમેરિકાએ હાલમાં જ તહરિક એ તાલિબાનને વિદેશી આતંકવાદી સંગઠનોની યાદીમાં શામેલ કર્યું છે. તેની સાથે સાથે અમેરિકા આતંકવાદીઓ સામે લડવા માટે સતત પાકિસ્તાન પર તબાણ કરી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકન લશ્કર ડ્રોન મિસાઈલ દ્વારા પછાત વિસ્તારોમાં તાલિબાનના આતંક વાદીઓને નિશાન બનાવી રહ્યું છે.
પત્ની,પ્રેમીકા તથા બાળકો સાથે આપઘાતનો પ્રયાસ કરનારને દંડ
પત્ની, પ્રેમીકા તથા બાળકો સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરનાર સીટીએમના પિતાના કોર્ટે રૂપીયા ૨૫૦૦૦નો દંડ તથા પત્ની અને પ્રેમીકાના કોર્ટ ઉઠતા સુધી બેસવાની સજા ફટકારી હતી. આ પ્રકરમાં રાજેશ પટેલના નાના પુત્રનું મોત થયું હતું. આ દંડની રકમ બોર્ડના વિદ્યાર્થીઓ માટેની હેલ્પલાઇને આપવા માટે કોર્ટે આદેશ કર્યો હતો.વિચિત્ર બનાવની જાણવા મળતી વિગત એવી છે. કે સીટીએમ વિસ્તારમાં રહેતા રાજેશ કાંતિલાલ પટેલ.તેમની પત્ની નિતાબેન પટેલ તથા પ્રેમીકા તારીકાએ અને બે પુત્રો કે જેપૈકી એકની ઉંમર ૩ વર્ષ તથા બાજાની ઉંમર ૮ વર્ષ હતી.જે તમામે સીટીએમ નજીક હોન્ડા સીટી કારમાં ઝેરી દવા ગટગટાવી સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જેમાં રાજેશભાઇના નાના પુત્રનું મોત થયું હતું જ્યારે બાકીના તમામનો બચાવ થયો હતો.જેમાં રાજેશભાઇ વિરુદ્દ સાપરાધ માનવ વધ તથા આત્મહત્યાના પ્રયાસની તથા તેમની પત્ની અને પ્રેમીકા વિરુદ્દ ફરીયાદ આત્મહત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઇ હતી.જે કેસમાં કોર્ટે રાજેશભાઇને સઅપરાધ માનવવધ તથા આત્મહત્યાના પ્રયાસ બદલ કોર્ટે ઉઠે ત્યાં સુધીની સજા તથા રૂપીયા ૨૫૦૦૦ના દંડની સજા કરી હતી આ દંડની રકમ બોર્ડની પરિક્ષા વખતે માનસીક તણાવમાં આવી જતાં બાળકો માટે ચલાવાતી હેલ્પ લાઇનને આપવા આદેશ કરાયો હતો જ્યારે રાજેશભાઇની પત્ની તથા પ્રેમીકાને આત્મહત્યાના ગુના બદલ કોર્ટ ઉઠે ત્યાં સુધી કોર્ટમાં બેસવાની સજા કરી હતી.ફરિયાદી પક્ષે મિતેશ અમીન તથા રોબિને દલીલો કરી હતી.
રવિવારે શનિ-મંગળવાળા માટે ખાસ જીવનસાથી પસંદગીમેળો
રાજ્યભરના શની-મંગળ દોષવાળા લગ્નોત્સો યુવક યુવતીઓ કે જેમને જીવનસાથીની પસંદગીમાં ઘણી તકલીફો પડતી હોય છે. આવા માત્ર અને માત્ર શનિ મંગળના દોષવાળા ઉમેદવારો માટે શહેરની વિના મુલ્ય અમુલ્ય સેવા નામની સંસ્થા દ્વારા રાજ્યમાં પહેલીવખત જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શનિ- મંગલના દોષવાળા કોઇ પણ જ્ઞાતિના કુંવાર ઉમેદવારો ભાગ લઇ શકશે.અનોખા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન આવતીકાલે તા. ૫-૯-૨૦૧૦ ને રવિવારના રોજ પાલડી મહેદી નવાઝ જંગ હોલ ખાતે કરવામાં આવ્યું છે. આ પસંદગી મેળામાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ રવિવારે બપોરે ૧૨ કલાકે મહેદીનવાઝ હોલ ખાતે ઉપસ્થીત રહેવા જણાવવામાં આવ્યું છે.અનોખા જીવનસાથી પસંદગી સંમેલન અંગે માહિતી આપતાં વિના મુલ્ય અમુલ્ય સેવાના સંચલક નટુભાઇ પટેલ તથા ભારતીબેન રાવલે જણાવ્યું હતું કે તેમની સંસ્થા ઘણા વર્ષોથી કોઇ પણ પ્રકારની ફી લીધા વગર જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરે છે.જેમાં ઘણી વખત લગ્ન માટે આવતા યુવક-યુવતીઓ પૈકી ઘણા યુવક-યુવતીઓની જન્મ કુંડળીમાં મંગળ-શનીનો દોષ હોવાથી તેમને લગ્નમા તકલીફ થતી હોય છે. જેને માટે મંગળ-શનિ દોષવાળા યુવક-યુવતીઓ માટે ખાસ જીવનસાથી પસંદગીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં માત્ર શનિ અને મંગળ દોષ વાળાજ યુવક-યુવતીઓજ ભાગ લેનાર હોવાથી તમામને આસાનીથી યોગ્ય જીવનસાથી મળી રહેવાની શક્યાતા છે.
મચ્છીપીઠમાં વરસાદી ગટરના રિપેરિંગ પાછળ ૧૧ લાખ રૂ. ખર્ચાશે
મચ્છીપીઠમાં આવેલ વરસાદી ચેનલની દુરસ્તી રૂ.૧૧.૧૪ લાખના ખર્ચે કરાવવાની ભલામણને સ્થાયી સમિતિએ એકી અવાજે મંજૂર કરી હતી.મચ્છીપીઠ વિસ્તારમાં ઘણા જુના સમયની વરસાદી ચેનલ આવે છે અને એ તે ચેનલ દ્વારા રાવપુરા મેન રોડ અને જીપીઓ તરફના વરસાદી પાણીનો નિકાલ થાય છે. આ વરસાદી ગટર ઘણી જુની હોવાથી કેટલાક સ્થળોના ડ્રેનેજનું મલિન જળ પણ વહન થાય છે. વરસાદી ગટરની દીવાલ-સ્લેબ તૂટી જતાં મોટુ ભંગાણ પડ્યું છે.જેથી ભયજનક સ્થિતિ ઉભી થઇ છે અને ગટરમાં વહન થતો ડ્રેનેજનો ફલો બંધ થઇ જાય તો ગંદા પાણી અને આરોગ્ય વિષયક પ્રશ્નો ઊભા થવાની ભીતિ સેવાઇ રહી છે. હાલમાં ચોમાસાની ઋતુ ચાલુ છે અને વધુ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થાય તેમ છે.જેથી, આ રપિેરિંગ માટે સેવાસદનના ઉત્તર ઝોનના કાર્યપાલક ઇજનેરની કચેરી દ્વારા ૬.૭૦ લાખ રૂ.નો અંદાજ તૈયાર કરીને બીપીએમસી એકટની કલમ ૬૭-૩-સી હેઠળ ઓફર મંગાવી હતી. જેમાં એક ઇજારદારે અંદાજીત ભાવથી ૯૮ ટકા વધુની ઓફર મૂકી હતી અને નેગોશિએશન બાદ ૯૧ ટકા ઉપર સમંતિ આપી હતી. પરંતુ, આ ભાવ વધારે લાગતાં પાંચ ઇજારદારો પાસે ઓફર મંગાવી હતી.જોકે, ચાર ઇજારદાર પૈકી બે ઇજારદારની ઓફર સેવાસદનને મળી હતી. જેમાં, એક ઇજારદારેખાતાના અંદાજ કરતાં ૮૭ ટકા વધુ અને બીજા ઇજારદાર દ્વારા અંદાજ કરતાં ૯૧ ટકા વધુ ભાવ મૂક્યા હતા. જેમાં, લોએસ્ટ ઇજારદારને ભાવ ઘટાડા માટે કહેવામાં આવતા આખરે ૭૮ ટકા સુધી ભાવ ઘટાડો કરીને રૂ.૧૧.૪૦ લાખના ખર્ચે કામગીરી કરવાની તૈયારી બતાવી હતી.
વડોદરામાં આતશબાજી અને હર્ષોલ્લાસ સાથે કૃષ્ણજન્મનાં વધામણાં
ઉત્સવપ્રિય નગરી તરીકે જાણીતા વડોદરામાં જન્માષ્ટમી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી થતાં કૃષ્ણ ભક્તો ભાવવિભોર બની ઝૂમી ઊઠ્યાં હતા.દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા બાદ રાત્રે ૧૨ ના ટકોરે શહેરમાં આવેલાં વિવિધ દેવાલયો અનેવૈષ્ણવ હવેલીઓ કૃષ્ણ જન્મોત્સવ વેળાએ શંખનાદ અને ઘંટારવથી ગુંજી ઊઠ્યાં હતા. એટલુંજ નહીં શ્રદ્ધાળુઓએ દારુખાનું ફોડી અને આતશબાજી કરી કૃષ્ણ લલ્લાનો જન્મોત્સવ મનાવ્યો હતો.દેવકી-વાસુદેવ અને નંદ-યશોદાના લાડલા કનૈયા અને જગતગુરુ તરીકે ેપૂજય ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિન જન્માષ્ટમીનું પર્વ પરંપરાગત રીતે મનાવાયું હતું. શહેરીજનોએ કૃષ્ણ ભક્તિ અને ઉપવાસ સાથે દિવસ દરમિયાન મંદિરોમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.આ ઉપરાંત સાંજના સમયે શહેરમાં અંદાજે૧૨૫ જેટલાં સ્થળોએ ગોવિંદા આલા રે....ની ધૂન સાથે મટકી ફોડીને માખણ ખાતા માખણચોર કનૈયાના તોફાનની યાદમાં મટકીફોડનાં કાર્યક્રમો યોજાયાં હતાં. આ કાર્યક્રમોને જોવા લોકોના ટોળાં ઊમટી પડ્યાં હતાં.બાદમાં રાત્રે ૧૦ વાગ્યાથી મંદિરો, દેવાલયો અને વૈષ્ણવ હવેલીઓમાં મહાઅભિષેક સાથે મહાપૂજાનો પ્રારંભ થયો હતો. વેદમંત્રો સાથેલાલજીને થતી અભિષેક વિધિના દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા. બરાબરના ૧૨ ના ટકોરે શંખનાદ અને ઘંટારવ સાથે ભગવાનશ્રી કૃષ્ણના પ્રાગટ્યને આવકારી નંદ ઘેર આનંદ ભયો...જય કનૈયાલાલકી..ના ગાન સાથે શ્રદ્ધાળુઓ ઝૂમી ઉઠ્યા હતા.
ડિઁડોલી વિસ્તારમાં બે દિવસમાં બે નવજાત બાળક ત્યજાયાં
ડિઁડોલી વિસ્તારના સંજયભાઈ પાટીલે ૨ સપ્ટેમ્બરે સાંજે પ.૩૦ કલાકે ભેસ્તાન અને ચલથાણ વચ્ચે ગુડ્સ રેલવેલાઇન પાસે એક નવજાત બાળકની લાશ જોતા તાત્કાલિક લિંબાયત પોલીસને જાણ કરી હતી. બનાવ અંગે પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. વધુ તપાસ પીએસઆઈ કે. એસ. મોટાવર કરી રહ્યા છે.બીજા બનાવમાં સણિયા કણદે ગામ ખાતે આવેલા ખત્રીદાદાના મંદિરમાં ૧ સપ્ટેમ્બરે સાંજે કોઈ અજાણી સ્ત્રી તેની નવજાત બાળકીને કાળાં કપડાં વીંટાળી મંદિરમાં મૂકી ગઈ હતી. મંદિર નાથુભાઈ રાઠોડને બાળકીનો રડવાનો અવાજ આવતાં તેઓ તાત્કાલિક મંદિરમાં ગયા હતા અને જોયું તો કોઈ અજાણી સ્ત્રી બાળકીને તરછોડીને જતી રહી છે.
પુણાગામ : ગર્ભને બદલે પેટમાં ઊછરી રહેલા શિશુને બહાર કઢાયું
શહેરની એક મહિલાનો ગર્ભ તેમનાં ગર્ભાશયમાં નહીં પણ પેટમાં ઉછરી રહ્યો હતો. આથી તબીબોએ તેમનું ઓપરેશન કરી ગર્ભને બહાર કાઢ્યો હતો.પુણાગામ ખાતે રહેતાં સરોજબેન યાદવને અઢી માસનો ગર્ભ હતો. તેઓ શારદા હોસ્પિટલમાં ડૉ. પ્રકાશ પટેલને મળ્યા હતા. જ્યાં ખબર પડી હતી કે સરોજબેનનો ગર્ભ ગભૉશયમાં નથી પણ પેટની કોથળીમાં ઉછરી રહ્યો છે. આથી તબીબોએ સંબંધીઓને એબ્ડોમિનલ પ્રેગ્નન્સી બાબતે જાણ કરી પેટમાંથી ગર્ભ બહાર કાઢ્યો હતો.
ભુજ : હે રામ, ભુજમાં શૈતાનો ગાંધીજીનું ‘નાક’ કાપી ગયા
ગાંધીજીની જન્મતિથિ ૨ ઓક્ટોમ્બરને એક માસની વાર છે, ત્યાં જ ગુરુવારે મોડી રાત્રે ભુજ મ્યૂઝિયમની સામે આવેલી ગાંધીજીની પ્રતિમાને કોઇ હરામખોરો ખંડિત કરી નાક, કાન કાપી રાષ્ટ્રપિતાનો ચહેરો કદરૂપો કરતાં શહેરમાં આ હિચકારા કૃત્યથી સોંપો પડી ગયો હતો.દેશના રાષ્ટ્રપિતાનું અપમાન કરનારા શૈતાનોને પકડી જાહેરમાં સજા કરાય તેવી માગણી ભુજવાસીઓએ કરી હતી. મળતી વિગતો મુજબ વહેલી સવારે સિનિયર સિટીઝન એવા નરેશભાઇ વચ્છરાજાની મોર્નિંગ વોક પર નીકળ્યા હતા, ત્યારે તેમની નજર પ્રતિમા પર પડતા ગાંધીજીની મૂર્તિને કોઇ નુકસાન પહોંચાડ્યું હોય તેવું જણાતાં તેમણે નગરપતિને ફોન કરી ઘટનાથી વાકેફ કર્યા હતા.આ સમાચાર વાયુવેગે ભુજમાં ફેલાઇ જતાં દેશદાઝ ધરાવતા લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. નગરપતિ દેવરાજ ગઢવી સહિત અન્ય અગ્રણીઓ ઘટનાસ્થળે પહોંચી મૂર્તિનું નિરીક્ષણ કરી ખંડિત મૂર્તિ પર સફેદ કપડાથી ઢાંકી દીધી હતી. માનસિક વિકૃતિ ધરાવતા આ ભાંગફોડિયા તત્વો દ્વારા યેનકેન પ્રકારે કોમી એકતાને પલીતો ચોપવા આવા કૃત્યો કરાતા હોય છે, ત્યારે આવા તત્વોને સબક શીખડાવવા પોલીસ તાબડતોડ પગલાં ભરે એવો આક્રોશ નગરજનોમાં સ્પષ્ટ જોવા મળ્યો હતો.
રાજુલા પાલિકામાં ભાજપના શાસનનો અંત
રાજુલા નગરપાલિકામાં ભાજપના શાસન દરમિયાન બિસ્માર રસ્તા, ડહોળુ પાણી, ભ્રષ્ટાચાર, આકરા કરવેરા, તળાવના રીનોવેશન માટે ૪૦ લાખ રૂપિયા જેવી માતબર રકમ વાપરી ન શકાઇ, છતાં પાણી માટે પાણી વિહોણા પ્રજા વગરે પ્રશ્નો અણઉકેલ છે ત્યારે રાજુલા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીમાં મહિલા ઉમેદવાર પ્રમુખ માટેની ચૂંટણીમાં ચૂંટાઇ આવતા ભાજપના હાથમાંથી સત્તા ઝુંટવાઇ ગઇ છે.નગરપાલિકાની ચૂંટણી સમયે પ્રજાજનોએ ભાજપને વિકાસના નામે મત આપેલા પરંતુ વિકાસ કરવામાં ઉણા ઉતરેલા શાસકોથી પ્રજા પણ નારાજ થઇ છે ત્યારે ખુદ ભાજપના જ સભ્યો પણ કોંગ્રેસમાં ભળી ને સમાજવાદી પક્ષના મીનાબેન વાઘેલાને ટેકો જાહેર કરતા નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટાઇ આવેલ છે.પાલિકા પ્રમુખની ચૂંટણીમાં છેલ્લા ૧૫ દિવસથી અમરશીભાઇ ડેર કોંગ્રેસ અને ભાજપના સભ્યોનેલઇને ભુગર્ભમાં ઉતરી ગયેલ અને આમ ભાજપના હાથમાંથી નગર પાલિકાનું શાસન જતું રહેતા મોવડી મંડળ ભાજપના ત્રણ ઉમેદવાર સામે શું પગલા લેશે તેમ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
ભાવનગર : શેત્રુંજી ડેમ ઓવરફલો થયો
ભાવનગર શહેર અને જિલ્લામાં પાક અને પાણીના પ્રશ્ને જીવાદોરી સમા શેત્રુંજી ડેમના આજે સાંજે બરાબર ૬ કલાકે ૫૯ પૈકી ૨૫ દરવાજા બે ફૂટ ખોલી નાંખતાં તેના નીચાણવાળા વિસ્તારમાં સૌરાષ્ટ્રના આ મહાકાય ડેમમાંથી નોંધપાત્ર જથ્થો વહેતો થયો છે. શેત્રુંજી ડેમ તેની સ્થાપના બાદ ૧૬મી વખતી ઓવરફલો થતાં સમગ્ર ભાવનગર જિલ્લામાં હરખની હેલી ફરી વળી છે.પાલીતાણા નજીકના રાજસ્થળી ગામે આવેલા શેત્રુંજી ડેમની ૩૪ ફૂટની છલક સપાટીને આજે આંબી ગયા બાદ આવક શરૂ રહેતા આજે સાંજે ૬ કલાકે ડેમમાં ૨૫ દરવાજા ખોલવામાં આવ્યાં હતાં. ૨૯’ધ્૫’ની સાઈઝના આ ૨૫ દરવાજા ખોલતાની સાથે જ ૬૫૦૦ કયુસેક પાણીનો ધસમસતો જથ્થો નિચાણવાળા વિસ્તારમાં વહેતો થતાં તળાજા તાલુકાના શેત્રુંજી કાંઠાના તમામ ગામોના લોકોને સાવચેતી સાધવા સૂચના આપી દેવામાં આવી હતી.ગત વર્ષે ઓછા વરસાદને લીધે આ ડેમ ખાલી રહી ગયો હતો તે આ વર્ષે સંતોષકારક ચોમાસાને લીધે છલકાઈ જતાં ખેડૂતો અને ખાસ કરીને ભાવનગરની પાણી પ્રશ્ને કાયમ તંગી અનુભવતી પ્રજામાં જન્માષ્ટમી બાદ નોમના પર્વે હરખની હેલી ચડી છે. આ ડેમમાં આજે સાંજે પણ ૧૪૧૩ કયુસેક પાણીની આવક શરૂ હતી.
મહેસાણા : નંદલાલા પર હેત વરસ્યાં..
મહેસાણા સહિત જિલ્લાભરમાં શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીના પર્વની ગુરૂવારે ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ઠેર ઠેર લોકમેળા અને ભજનકિર્તનો સાથે બરાબર મધરાત્રિ બારના ટકોરે દેવમંદિરો ‘નંદ ઘેર આનંદ ભયો’ તથા ‘જય રણછોડ માખણચોર’ના નાદ અને ઘંટારાવથી ગુંજી ઉઠ્યા હતા.મહેસાણાએ કર્યું માધવને ‘હેપ્પી બર્થ ડે’..મહેસાણા : શહેરમાં કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. જે અંતર્ગત શહેરમાં આવેલા ગોવિંદ માધવ મંદિર, સ્વામિનારાયણ મંદિર, નાગલપુર રામજી મંદિર, ગાયત્રી શકિતપીઠ, જલારામ મંદિર સહિત દેવ મંદિરોમાં મધ્યરાત્રિએ ભકિતભર્યા માહોલમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઇ હતી. આ ઉપરાંત પરા વિસ્તારના રામજી મંદિરમાં જન્માષ્ટમીના મેળામાં મંદિરના સાંનિધ્યે ગુરૂવારે સવારથીજ માનવ સમુદાય મેળો માણવા ઉમટી પડ્યો હતો.જન્માષ્ટમી પર્વ નિમિત્તે શહેરની રાધાકૃષ્ણ ટાઉનશીપ સહિત વિવિધ સ્થળોએ મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. કૃષ્ણજન્મના સમયે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી જેવા નાદો તથા આતશબાજીથી મંદિરો ગુંજી ઉઠ્યા હતા. તેમજ મહા આરતી, આતશબાજી, પારણા ઝુલણ, માખણ અને પંજરીના પ્રસાદની સાથે જન્મોત્સવ ઉજવ્યો હતો.
આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખે ખેડૂતની ઘરવખરી ફેંકી દીધી
પેટલાદ તાલુકાના વટાવ ગામની સીમમાં આવેલી જમીન બાબતે આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા ઉપપ્રમુખે કેટલાક ભાડુતી માણસો સાથે ઘુસી જઈ ખેડૂતની ઓરડીમાંથી ઘરવખરી ફેંકી દીધાની ફરિયાદ મહેળાવ પોલીસ મથકે નોંધાઈ હતી. આ અંગે પોલીસે પૂર્વ ઉપપ્રમુખ સહિત ચાર શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, પેટલાદમાં રહેતા જિલ્લા કોંગ્રેસના મહિલા અગ્રણી વિજ્ઞાત્રીબેન વિજયભાઈ શાહને છેલ્લા કેટલાક સમયથી દશરથ રાવજીભાઈ પટેલ સાથે વટાવ ગામની સીમમાં આવેલી જમીન બાબતે તકરાર ચાલી રહી છે. જો કે, આ મામલો કોર્ટ સુધી પણ પહોંચી ચુકયો છે. આ દરમિયાનમાં એકાએક તા.૨જી સપ્ટેમ્બરના રોજ સવારે વિજ્ઞાત્રીબેન પોતાના માણસો રણજીતસિંહ ફતેસિંહ રાણા (રહે.નાપા), સકિંદર જશુભા રાણા (રહે.નાપા) તથા એક અજાણ્યા શખસ સાથે ધસી આવી દશરથભાઈની ઓરડીમાંથી ઘરવખરીનો સામાન બહાર ફેંકી દઈ પોતાનો સામાન ઓરડીમાં મુકી દઈ તાળુ મારી દીધું હતું.આ ઉપરાંત દશરથભાઈને અપશબ્દો બોલી, ગડદાપાટુનો મારમારી ઓરડીમાંથી બહાર નીકળી જવા ધમકી આપી હતી. આ અંગે મહેળાવ પોલીસે વિજ્ઞાત્રીબેન સહિત ચારેય વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ એએસઆઈ ભુલાભાઈ ચંદાભાઈને સોંપી છે.
વિશ્રામપુરામાં વાયરલ ફીવરનો અજગર ભરડો
પેટલાદ તાલુકાના વિશ્રામપુરા ગામમાં વાયરલ ફીવરના ૧૦૦થી વધુ દર્દીના ઘેર ઘેર ખાટલા ખડકાઇ ગયા છે. છેલ્લાં ત્રણ દિવસમાં વરસાદી માહોલ વચ્ચે ગ્રામજનો શરદી, ઉધરસ અને તાવની ઝપટમાં આવી ગયા છે. વિશ્રામપુરાના હરજિનવાસ, વાઘરીવાસ, ઠાકોરવાસમાં દર્દીઓનો વધતાં ફફડાટની લાગણી પ્રસરી છે. વિશ્રામપુરા ઉપરાંત પંથકના રૂપિયાપુરા, શાહપુર અને સુંદરણામાં પણ છુટાછવાયા તાવ, શરદી, ખાંસીના દર્દીઓ હોવાનું જાણવા મળે છે.પેટલાદ તાલુકાના વિશ્રામપુરા ગામમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે. ગામમાં હરજિનવાસ, વાઘરીવાસ, ઠાકોરવાસ અને મુખ્ય રસ્તાઓ ઉપર અસહ્ય ગંદકી ફેલાયેલી છે. વરસાદના પાણીનો સમયસર નિકાલ નહીં થવાને કારણે કાદવ અને કીચડ થઈ જતાં બેસુમાર દુર્ગંધ મારે છે. તેમાંય ગામના નિચાણના વિસ્તારોમાં વરસાદી પાણીનો દિવસો સુધી નિકાલ નહી થતાં પાણીમાંથી દુર્ગંધની સાથે મચ્છરોનો ઉપદ્રવ શરૂ થઈ ગયો છે. આ વિસ્તારોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી તાવ, શરદી અને ખાંસીના દર્દીઓ વધતાં જતાં હોવાનું જાણવા મળે છે. ગામમાં સ્થાનિક ડોક્ટરોની સારવાર લેવા ઉપરાંત કેટલાક દર્દીઓ પેટલાદની ખાનગી હોસ્પિટલોમાં જઈ સારવાર લઈ આવે છે. મચ્છરોનો ઉપદ્રવ અને પાણીજન્ય રોગચાળાએ ફરી એકવખત વિશ્રામપુરામાં માથુ ઉચકર્યું છે. થોડા દિવસો અગાઉ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સર્વે હાથ ધરાયો હતો. પરંતુ ત્યારબાદ આ દર્દીઓને સમયસર સારવાર અને દવા નહી મળી હોવાનું જાણવા મળે છે. હાલમાં આ ગામના બે ડોક્ટર ઉપરાંત ત્રભિુવન ફાઉન્ડેશન દ્વારા દર્દીઓને સારવાર આપવામાં આવે છે.પેટલાદમાં ડેન્ગ્યુનો કેસ મળતાં ફફડાટ -પેટલાદ નગરનો પૂર્વ વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે. પૂર્વ વિસ્તારની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ પાણી ભરાઇ રહેવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ થવાથી રોગચાળો માથુ ઉચકી રહ્યો છે. નગરના સાંઇનાથ રોડ સ્થિત ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા નટુભાઈ મિસ્ત્રીની ૧૪ વર્ષીય પુત્રી દિવ્યાને ડેન્ગ્યુનો રીપોર્ટ પોઝીટીવ આવતાં વધુ સારવાર અર્થે કૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે ખસેડવામાં આવી છે.હાલ દિવ્યા હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ હોવાનું જાણવા મળે છે. પેટલાદ પાલિકાએ પૂર્વમાં ચોમાસા ટાણે જ કાંસનું કામ શરૂ કરતા નકૉગારની સ્થિતિ સર્જાઈ છે.
ખંડણીના ખેલંદાઓએ સીમ કાર્ડના ટુકડાં કરીને વઘાસી રોડ પર પધરાવ્યા
આ અંગે પોલીસ ઈન્સ્પેકટર ધનંજયસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ‘આણંદ શહેરની ઠક્કરવાડીની પાછળ આવેલા અખંડ-આનંદ બંગલામાં રહેતા અને જવેલર્સની દુકાન ધરાવતા યોગેશભાઈ સોનીનો છ વર્ષના પુત્ર હર્ષનું ગત તા.૩૧મી ઓગસ્ટે અપહરણ થયું હતું. અપહરણકર્તાઓ તેને કારમાં ઉઠાવી ગયા હતા.બાદમાં તેઓએ રૂ.૪૦ની લાખની ખંડણી યોગેશભાઈ પાસેથી માંગી હતી. આ બાબતે પોલીસને જાણ કરતાં જિલ્લા પોલીસ વડા એ.કે. જાડેજાની સુચના અને માર્ગદર્શન અનુસાર ચારેક ટીમ કાર્યરત થઈ હતી. આ બાબતની જાણ અપહરણકર્તાઓને થતાં તેઓએ હર્ષને વિદ્યાનગર રોડ પર જ છોડી મુકયો હતો. બીજી તરફ અપહરણકર્તા અને યોગેશભાઈની વાતચીતના આધારે પોલીસે તેમને ટ્રેસ કરી અજય સુરેશભાઈ વસાવા, રૂપેશ સુરેશભાઈ વસાવા, અક્ષય ઉર્ફે લાલુ રમેશ વસાવા, આકાશ ઉર્ફે અક્કુ નિરવભાઈ વસાવાની ધરપકડ કરી હતી.આ સમગ્ર અપહરણકાંડનું કાવતરૂ પૂર્વ આયોજીત હોવાથી વધુ વિગતો મેળવવા પોલીસે તેમના તા.છઢ્ઢી સુધીના રિમાન્ડ મેળવ્યાં છે. જેમાં તેમની પ્રાથમિક પુછપરછમાં તેઓએ એક મહિના પહેલા જ સમગ્ર યોજના તૈયાર કરી હોવાની કબુલાત પણ કરી હતી. જેમાં તેઓએ ગત તા.૨૧મી ઓગસ્ટે વડોદરા પાસેના પોર ગામેથી સીમકાર્ડ ખરીધ્યાં હતાં. જે અપહરણના ફ્લોપ શો બાદ તેઓએ ચખિોદરા ચોકડીથી વઘાસી રોડ તરફ ક્યાંક ફેંકી દીધાની કબુલાત કરી હતી. આ કબુલાત આધારે પોલીસે પુરાવાના નાશની કલમનો ઉમેરો કર્યો હતો. ’ચોરીના દસ્તાવેજોથી સીમકાર્ડ ખરીદી !
બોરીવલીના જૈન મંદિરના લૂંટારાની ધરપકડ
બોરીવલીના જૈન મંદિરમાં સંત્રીની હત્યા કરીને લૂંટ ચલાવવાના પ્રકરણમાં પોલીસે આખરે આઠ લૂંટારાઓની ધરપકડ કરી છે, જ્યારે ચોરી કરેલી તમામ મૂર્તિઓ હસ્તગત કરાઈ છે. ૨૨ ઓગસ્ટે બનેલી આ ઘટનામાં એક સંત્રીની હત્યા કરવામાં આવી હતી, જ્યારે બીજો ગંભીર રીતે ઘાયલ થયો હોવાને પગલે સમગ્ર જૈન સમાજમાં તીવ્ર પ્રત્યાઘાત પડ્યા હતા.બોરીવલી પશ્ચિમના મંડપેશ્વર રોડ પર ભગવતી હોસ્પિટલની બાજુમાં આવેલા નંદશ્વિર દ્વીપ દગિંબર જૈન મંદિરમાં રવિવારે પરોઢિયે આશરે ૨.૩૦ કલાકના સુમારે લૂંટારુઓની એક ટોળકીએ ત્રાટકીને પંચધાતુની બનેલી આંગી કરેલી છ મૂર્તિની લૂંટ ચલાવી હતી. જોકે એક મૂર્તિનું વજન એટલું બધું હતું કે તેને લૂંટારાઓ ઉપાડી શક્યા નહોતા અને દેરાસરની નજીકમાં જ છોડીને ચાલ્યા ગયા હતા.આ કેસમાં ક્રાઈમ બ્રાંચે જણાવ્યું હતું કે લૂંટની યોજના ઘડનાર મુખ્ય હારુણ અબ્દુલ શેખ (૪૦) અને રમેશ મોહન પાટીલ ઉર્ફે ભાઈજાન હતા. આ બંનેની મુલાકાત બે વર્ષ પહેલાં જેલમાં થઈ હતી અને ૨૦૦૫માં દેરાસરની ઉજવણી વેળા હેલિકોપ્ટરમાંથી ચાંદીના સિક્કા અને પૈસાની ઉછામણી થઈ હતી. આ ર્દશ્ય જોઈને નિયતમાં ખોટ આવી હતી અને બંનેએ જેલમાં બેઠાં બેઠાં દેરાસરમાં લૂંટ કરવાની યોજના બનાવી હતી.જેલમાંથી છુટયા બાદ આખા વિસ્તારની રેકી કરી હતી. આઠ આરોપીમાંથી મોટા ભાગના નજીકની ઈન્દિરાનગર ઝંપડપટ્ટીના જ રહેવાસી છે. આથી ઘણી ખરી માહિતી તેમને હતી અને એક ભૂતપૂર્વ વોટમેને પણ તેમને મંદિરમાં કીમતી ચીજો કઈ છે તેના સહિતની માહિતી આપી હતી.આને આધારે ૨૨ ઓગસ્ટના રોજ લૂંટારાઓએ પોતાનો મનસૂબો પાર પાડ્યો હતો, પરંતુ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ તેમની ધરપકડ કરી લૂંટાયેલી પાંચેય મૂર્તિઓ તેમ જ અન્ય ચાંદીના સિક્કા, છત્ર અને કીમતી માલમતાને જપ્ત કરીને કેસ ઉકેલી કાઢવામાં સફળતા મેળવી છે.આરોપીમાંથી રાજગુરુ મુરારીસિંગ ઉર્ફે રાજુ પંજાબી મૂર્તિને વેચવા ગયો ત્યારે ટીપ મળતાં પોલીસે ગોરેગાંવ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. ત્યાર બાદ હારુણ, ભાઈજાન અને સંતોષ હરશ્ચંદ્ર ભોઈરની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમના અન્ય સાથી સુરેશ રાજેન્દ્રર ગુપ્તા, વિનોદકુમાર જગદીશપ્રસાદ યાદવ, માઈકલ થાપા ઉર્ફે વિકી અને મકેશકુમાર જગદીશપ્રસાદ યાદવની થાણે શહેરના ઘણસોલી વિસ્તારમાંથી ધરપકડ કરીને સંતાડી રાખેલી મૂર્તિઓ અને અન્ય કીમતી માલમતા જપ્ત કરી હતી.નોંધનીય છે કે દેરાસરમાં ચોકી કરતા બે સુરક્ષા રક્ષકમાંથી એક દેવીલાલ સેવક (૫૫)ને લૂંટારુઓએ હથિયારથી મારી નાખ્યો હતો, જ્યારે બીજો સુરક્ષા રક્ષક રામપ્રસાદ ગંગારામ જોષી (૪૫) ગંભીર ઇજા પામ્યો હતો. દેવીલાલ રાજસ્થાનના ડુંગરપુરનો રહેવાસી હતો જ્યારે રાજુ ગંગારામ નેપાળી હતો.આ ઘટનાને લઈ સમગ્ર જૈન સમાજમાં ઉશ્કેરાટ ફેલાયો હતો. પખવાડિયામાં લૂંટારા નહીં પકડાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.
Subscribe to:
Posts (Atom)