08 July 2010

બાઇક સાથે ફરજિયાત હેલમેટ ખરીદવું પડશે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


બાઇક સાથે ફરજિયાત હેલમેટ ખરીદવું પડશે
હવે દેશમાં ફરજિયાત પણે તમામ ટુ વ્હિલર ચલાવનાર વ્યક્તિએ હેલમેટ ખરીદવું જ પડશે તેવો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. વાસ્તવમાં આજે સુપ્રીમ કોર્ટે સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેકચર્સ (SIAM)ની વિરૂદ્ધમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે તમામ ટુવ્હિલર બનાવતી કંપનીઓએ બાઇક અને સ્કૂટરના વેચાણની સાથે હેલમેટનું વેચાણ કરવું પડશે. SIAMનું કહેવું હતું કે ટુ વ્હિલર ખરીદનાર ગ્રાહકને હેલમેટ ખરીદવું હોય તો ખરીદે, તેમના પર પસંદગી છોડવામાં આવે. પરંતુ એપેક્સ કોર્ટે તેની અપીલમાં કહ્યું કે રૂ.40,000ના સ્કૂટર કે બાઇકની ખરીદી સામે ફકત રૂ.300નું હેલમેટ તો ખરીદી જ શકે છે. એપેક્સ કોર્ટે કહ્યું કે તમામ મેન્યુફેકચર્સે BSI સર્ટિફાઇડ થયેલ હેલમેટનું વેચાણ કરવું પડશે. આ ચુકાદો જસ્ટિસ જી.એસ.સંઘવી અને જસ્ટિસ એ.કે.ગાંગુલસીની બેન્ચે આપ્યો હતો.


અલગ ફ્લેટના ધોરણે પાકિઁગનું વેચાણ ખતરનાક

સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું છે કે પાર્કિંગ માટે મુકરર થયેલા પાર્કિંગપણ અલગ ફ્લેટના ધોરણે વેચાતા હોવાના દાવાનો સ્વીકાર થવા માંડે તો તે એક ખતરનાક વળાંક છે. ન્યાયમૂર્તિ આર.એમ.લોધા અને એ.કે.પટનાયકની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે, ‘આ દલીલનો સ્વીકાર થવા માંડે તો તે એક ખતરનાક ઘટના છે. આમ થવા લાગે તો એક વ્યક્તિ ફ્લેટ ખરીદશે, બીજી વ્યક્તિ પાર્કિંગમાટે ગેરેજ ખરીદશે અને ત્રીજી જ વ્યક્તિ દુકાનો ખરીદશે. જોકે અદાલતે જણાવ્યું હતું કે અદાલતની આ હંગામી ટિપ્પણી છે.બેન્ચે જણાવ્યું હતું કે પ્રમોટર્સ કે બિલ્ડર્સ ઇમારતના ભોંયતિળયે ઊભા થયેલા ગેરેજને એક અલગ ફ્લેટના રૂપમાં વેચી શકે કે ‘કોમન’ મુકત જગ્યા તરીકે જ પૂરા પાડી શકે? તે મુદ્દાને ચકાસશે. સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું છે કે દિલ્હી જેવા શહેરમાં પણ પાકિ•ગના પ્રશ્નો છે. લોકો આજે પણ પોતાનાં વાહનોને ખુલ્લા માર્ગો પર પાર્ક કરવા મજબૂર બને છે.સુપ્રીમ કોર્ટ મુંબઇના રિયલ એસ્ટેટ બિલ્ડર નહલચંદ લાલુચંદ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મુંબઇ વડી અદાલતે આપેલા ચુકાદાને પડકારતાં થયેલી એસપીએલની સુનાવણી હાથ ધરતાં સુપ્રીમે ઉપર મુજબ ટિપ્પણી આપી હતી. મુંબઇ વડી અદાલતે ચુકાદો આપ્યો છે કે ગેરેજ તે બાંધવામાં આવેલા ફ્લેટના માલિકોની કોમન જગ્યા છે અને તેને એક સ્વતંત્ર ફ્લેટની જેમ વેચી ના શકાય.

મધ્યપ્રદેશ: વાન સાથે બાંધી લાશને ઢસડવામાં આવી

આપણા દેશની સંસ્કૃતિમાં જીવનની સાથે મોતનું પણ મહત્વ છે. એટલે સુધીકે, કોઇ અંતિમયાત્રા જતી હોય તો વાહનચાલકો બાજુએ ઊભા રહીને મૃતાત્માને નમન કરે છે. પરંતુ, માનવતાને લજવી નાખે એવી ઘટના મધ્યપ્રદેશના સિહોરમાં બની છે. મળતી માહિતી પ્રમાણે, આ શખ્સનું નામ આશારામ છે. જે 35 વર્ષનો હતો. આ શખ્સને રાત્રે 11 વાગ્યે મારૂતિવેન સાથે બાંધીને ઢસડવામાં આવી રહ્યો હતો. ત્યારે એક પોલીસ કર્મચારીએ મારૂતિવેન જોઇ હતી. પોલીસ કોનસ્ટેબલે આ અંગે કંટ્રોલ રૂમને માહિતી આપી હતી. માહિતીના પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી. પરંતુ, તેમને રસ્તામાં લોહીના ધાબા જ જોવા મળ્યા હતા. રાત્રે લગભગ દોઢ વાગ્યે પોલીસને લાશ મળી હતી. મૃતકનું શબ એક પાઇપ પાસે બ્રેકના વાયરમાં ફસાયેલો મળ્યું હતું. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

હરિયાણા: જેઠે બળાત્કાર ગુજારી મહિલાને વેચી નાખી

હરિયાણાના લલિતખેડા ગામના રાકેશ સાથે ઓકટોબર ૨૦૦૯માં પરણેલી ઓરિસ્સાની યુવતીએ તેના જેઠ રાજબીર સામે બળાત્કાર ગુજારવાનો અને રાજબીર તેમ જ તેની પત્ની રાજવંતી સામે તેનું અપહરણ કરીને રૂપિયા ૪૦,૦૦૦માં પાનીપતના એક નિવાસીને વેચી નાખવાનો આરોપ મૂક્યો છે. ભોગ બનેલી યુવતી અને તેના પતિ રાકેશે કરેલી ફરિયાદને આધારે પોલીસે જિન્દમાં બુધવારે મોડી સાંજે કેસ નોંધ્યો છે પરંતુ હજીસુધી કોઇની પણ ધરપકડ કરી નથી. બળાત્કારનો ભોગ બનેલી યુવતીની ગુરુવારે તબીબી તપાસ પણ કરવામાં આવી હતી. રાકેશની પત્ની તેને ખરીદનાર પાનીપતના નિવાસીના સકંજામાંથી છટકીને બુધવારે તેના પતિના ઘરે પહોંચી હતી. તેણીએ રાજબીર અને રાજવંતી સામે એવો પણ આક્ષેપ કર્યો છે કે, ૧૫મી માચેઁ તે પોતાના ઘરે એકલી હતી ત્યારે તેના જેઠ અને જેઠાણીએ તેને કેફી પદાર્થ ખવડાવીને બેભાન અવસ્થામાં તેનું અપહરણ કરીને તેને પાનીપત લઇ ગયા હતા. પાનીપતમાં એક ઘરમાં રાજબીરે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. રાકેશની પત્નીએ ભાગી છુટવાનો પ્રયાસ કર્યો ત્યારે રૂપિયા ૪૦,૦૦૦માં ખરીદનારે તેને પકડી લીધી હતી. ખરીદનારે તેને કહ્યું હતું કે, તેણે રૂપિયા ૪૦,૦૦૦ ચૂકવ્યા છે.

કોંગ્રેસના ૬૦ કર્મચારી વી. આર. એસ. સ્વીકારશે

પેટ્રોલ-ડીઝલ સહિતની પેટ્રોલિયમ પ્રોડકટ્સના ભાવમાં જંગી વધારો કરનારી સરકારના મુખ્ય શાસક પક્ષ કોંગ્રેસને મોંઘવારી નડી રહી છે. તાજેતરમાં તેણે દિલ્હીમાં એઆઈસીસીના હેડક્વાર્ટર ખાતે કામ કરી રહેલા કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માટે જાહેર કરેલી સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના(વીઆરએસ) ૬૦ જેટલા કર્મચારીઓ સ્વીકારશે તેવી શક્યતા છે.એઆઈસીસી હેડક્વાર્ટરમાં કામ કરતા કર્મચારીઓને આ વીઆરએસ અંતર્ગત જેટલા વર્ષની નોકરી બાકી હોય તેટલા પ્રત્યેક વર્ષ માટે બે કે ત્રણ મહિનાનો પગાર ચૂકવવામાં આવશે. કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઈટી, લીવ એન્કેશમેન્ટ વગેરે રાબેતા મુજબના લાભ મળશે. કોંગ્રેસ પક્ષના ખજાનચી મોતીલાલ વોરાએ કહ્યું હતું કે ‘ઘણાં બધા કર્મચારીઓ થઈ ગયા હતા. જેને કારણે વીઆરએસ ઓફર કરવામાં આવી હતી. તે કર્મચારીઓના હિતમાં જ છે.’ સૂત્રોએ જણાવ્યું હતું કે એઆઈસીસી ખાતે કુલ ૧૪૫નો સ્ટાફ છે, જે પૈકી ૬૦ કર્મચારી વીઆરએસ ઓફર સ્વીકારશે તેવી શક્યતા છે. કારણ કે આ યોજના ખાસ કરીને જેમણે ૨૦ વર્ષ કે તેથી વધુ સર્વિસ કરી છે તેમના માટે આકર્ષક છે. જોકે તે સાથે જ ૧૦-૧૫ વર્ષની નોકરી છે તેવા લોકોની ચિંતા વધી ગઈ છે. વીઆરએસ સ્વીકારે તેવી શક્યતા ધરાવતા કર્મચારીઓમાં મુખ્યત્વે ટાઈપિસ્ટ, પર્સનલ સેક્રેટરી, કલાર્ક અને પટાવાળાનો સમાવેશ છે.વીઆરએસ ન સ્વીકારનારા કર્મચારીઓની હકાલપટ્ટી કરી દેવાશે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં વોરાએ કહ્યું કે ‘આ સ્વૈચ્છિક યોજના છે. અમે આ ઓફરને કેવો પ્રતિસાદ મળે છે તે જોઈશું.’


ક્યારેય ખાધું છે 12 કરોડનું ભાણું ?

એક ભાણાની કિંમત તમે કેટલી લગાવસો? 500 રૂપીયા, 5 હજાર રૂપીયા કે વધારેમાં વધારે 15 હજાર રૂપીયા. પણ આપણે વાત કરી રહ્યા છીએ એક એવા ભાણાની જેનો ભાવ 12 કરોડ રૂપીયાથી પણ વધારે છે. કિંમતની બાબતમાં તો આ ભાણું ખાસ છે જ, પણ જેની સાથે આ ભોજન કરવા મળશે તે વ્યક્તિ પણ ખાસ છે. વાસ્તવમાં આટલી ભારે કિંમત ચુકવ્યા પછી દુનિયાનાં ત્રીજા સૌથી ધનવાન માણસ વોરેન બફેન સાથે આ ભોજન જમવા મળશે. ખરેખર તો વોરેન બફેની સાથે ભોજન કરવા માટેતો દર વર્ષે દુનિયા ભરમાં બોલી લગાવામાં આવે છે. પાછલા 11 વર્ષોથી આ પ્રક્રિયા ચાલતી આવે છે અને હવે આ ભાણાંની બોલી 12.22 કરોડ રૂપીયા લાગી છે. વારેનની સાથે ભોજન માટેની અત્યાર સુધીની આ સૌથી મોટી બોલી લાગી છે. આ બોલી પ્રખ્યાત વેબસાઇટ ઈબ ડૉટ કૉમ પર લગાવામાં આવી રહી હતી.વોરેનની સાથે ભોજન માટે આટલી મોટી બોલી લગાવનારની ઓળખ ગુરૂવારે સૈન ફ્રાન્સિકોમાં જાહેર કરવામાં આવશે. પોતાના આ ખાસ પ્રકારના ભોજનથી મળનારી રકમ, બાળકો માટે કામ કરનાર એનજીઓને આપશે.


દિલ્હી : કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ખેલાડીઓને ગૌમાંસ પીરસાશે

ભારતમાં ગાયને અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને ગાયને માતા ગણી તેની પૂજા કરવામાં આવે છે. વેદોમાં પણ ગાયનો મહિમા ગાવામાં આવ્યો છે. તથા પ્રાચીન સમયમાં તો વધારે ગાયો હોવી તેને એક મોભો ગણવામાં આવતો હતો.જો કે હાલના સમયમાં ભારતમાં ગૌહત્યાનો ખરડો એ એક અત્યંત સંવેદનશીલ મુદ્દો બની ગયો છે. પરંતુ ભારતની રાજધાન નવી દિલ્હીમાં યોજાના કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ખેલાડીઓને ગૌમાંસ આપવામાં આવશે કે નહીં તે ચર્ચાએ જોર પકડ્યુ છે.નવી દિલ્હીમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સની આયોજન સમિતિ કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન રમતવીરોને ગાયનું માંસ પીરસશે કે નહીં તે અંગે ગોળ-ગોળ વાતો કરી રહી છે.કોમનવેલ્થ ગેમ્સના આયોજકો અત્યારે તો આ પ્રશ્નોનો જવાબ આપવાની ઈચ્છા ધરાવતા નથી અથવા તો જવાબ આપવા ઈચ્છતા નથી.માહિતી અધિકારી કાયદા હેઠળ એક અરજી દ્વારા પૂછવામાં આવ્યું હતું કે આયોજન સમિતિ કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ભાગ લેનારા રમતવીરો (એથ્લેટ્સ)ને ગાયનું માંસ (બીફ) પીરસશે કે નહીં, તો તેના જવાબમાં આયોજન સમિતિએ તેનો સ્પષ્ટ ઉત્તર આપ્યો નહોતો.જો કે આ પહેલા જ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમડીસી)માં સત્તામાં રહેલા ભાજપ અને દિલ્હીમાં રહેલા અન્ય હિન્દુવાદી સંગઠનોએ જો કોમનવેલ્થ ગેમ્સમાં ગૌમાંસનો ઉપયોગ કરવામાં આવશે તો રમતના આ મોટા કાર્યક્રમનો બહિષ્કાર કરવાની ધમકી ઉચ્ચારી છે.સમિતિએ માહિતી અધિકારના સેક્સન 7(9) હેઠળ પૂછવામાં આવેલી માહિતીનો હા કે નામાં સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. પરંતુ તેમાં કહ્યું હતું કે રમતોત્સવ દરમિયાન ભાગ લેનારા ખેલાડીઓને પૌષ્ટિક ખોરાક પૂરો પાડવામાં આવશે. માહિતી અધિકારના કાયદા મુજબ સેક્શન 7(9) હેઠળ પૂછવામાં આવેલી માહિતીનો સ્પષ્ટ જવાબ આપવાનો રહે છે.સમિતિએ આપેલા ચાર પાનાના ઉત્તરમાં જણાવ્યું છે કે કોમનવેલ્થ ગેમ્સની આયોજન સમિતિએ નક્કી કર્યું છે કે રમતમાં ભાગ લેનારા ખેલાડીઓને પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવશે. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને (સીજીએફ) આયોજન સમિતિ પાસેથી ખેલાડીઓ અને તેઓની ટીમના અધિકારીઓને 2010માં દિલ્હીમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન 24 કલાક પૌષ્ટિક ભોજન અને નાસ્તો આપવાનું જણાવ્યું છે. જેમાં પંરપરાગત ખોરાક (કલ્ચરલ ડાયેટરી રીક્વાયરમેન્ટ) તથા વાનગીઓમાં વિવિધતા હોવી જરૂરી છે.જો ખેલાડીઓને કલ્ચરલ ડાયેટરી રીક્વાયરમેન્ટ પૂરો પાડવાની વાતને અમલી બનાવવામાં આવે તો ગૌમાંસ યુરોપિયન અને આફ્રિકન ખેલાડીઓના કલ્ચરનો એક ભાગ છે. હોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલા એક નિષ્ણાંતે કહ્યું હતું કે આવા દેશોમાં ગૌમાંસ ખૂબ જ મહત્વનો ખોરાક છે અને ખાસ કરીને એથલેટ્સ માટે.અગ્રવાલે આક્ષેપ કર્યો હતો કે સમિતિ ફક્ત સમય પસાર કરી રહી છે. જો હું અત્યારે ને અત્યારે અપીલ કરૂ તો તેઓ મારી અરજી એક કે બે દિવસમાં આયોજકો પાસે પહોંચી જશે પરંતુ તેઓ મને આટલી જલદી જવાબ નહીં આપે. તેથી તેઓ મારી અરજીનો જવાબ આપવા માટે વધારે 45 દિવસ સમય લેશે.


અંબાણી પરીવારના પુત્રવધુ ટીના અંબાણીની ભાણેજ પર દહેજ માટે ત્રાસ

અંબાણી પરીવારના પુત્રવધુ ટીના અંબાણીની ભાણેજ પર દહેજ માટે ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. જેના કારણે, તેના પતિની ધરપકડ કરવામાં આવી છે. કેસની વિગતો પ્રમાણે જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પત્ની ટીના અંબાણીની ભાણેજ પર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. અરૂણ ચેટરજી નામનો આ શખ્સ 44 વર્ષનો છે. તે હોંગકોંગથી પરત ફર્યો ત્યારે એરપોર્ટ પર તેની ધરપકડ કરવામાં આવી હતી. આરૂપની પત્ની માનાએ તેની વિરૂદ્ધ દહેજ માટે પ્રત્યાડિત કરવાની ફરિયાદ નોંધાવી હતી.
ટીના અંબાણીને છ મોટા બહેનો છે. તેમાંથી એક બહેના પુત્રી માના છે. માનાનો આરોપ છેકે, તેના એકાઉન્ટમાંથી રૂપિયા 28 લાખ આરૂપના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની ફરજ પાડવામાં આવી હતી. દહેજ તથા પૈસા પડાવવાના મતલબની એક ફરિયાદ 39 વર્ષીય માનાએ ગણદેવી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી. આરૂપની ઉપર ભારતીય દંડ સંહિતાની ધારા 386 અને 498-એ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.કોર્ટે આરૂપને 12 જુલાઇ સુધી કસ્ટડીમાં મોકલી આપ્યો છે. ઉલ્લેખનીય છેકે, આરૂપ ઓટો પાર્ટ્સનો વ્યાપાર કરે છે. આરૂપ અને માનાના લગ્ન વર્ષ 1996માં થયા હતા. બંનેને દામ્પત્ય જીવનના ફળ સ્વરૂપે બે બાળકો છે. જે શાળાઓમાં અભ્યાસ કરે છે.

ભારતમાં ક્લિન્ટન ફાઉન્ડેશનની અધિકારી પર રેપ

આજે વહેલી સવારે શહેરના પોશ વિસ્તાર બંજારા હિલ્સમાં એક મહિલા પર બળાત્કારની ઘટના ઘટી હતી. જેના કારણે, શહેરમાં ચકચાર ફેલાઇ ગઇ છે. કારણકે, આ મહિલા રી ક્લિન્ટન ફાઉન્ડેશનમાં કામ કરતી હતી.મળતી માહિતી પ્રમાણે, આ મહિલા બંજાર હિલ્સના રોડ નંબર 11 પર રહેતી હતી. આજે વહેલી સવારે કેટલાક શખ્સો આ મહિલાના ઘર પર ત્રાટક્યા હતા. પહેલા તો તેની ઉપર ચાકૂની અણી ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની પાસેથી લગભગ પાંચ લાખની રકમ લૂંટીને ફરાર થઇ ગયા છે.આ મહિલા ક્લિન્ટન ફાઉન્ડેશનમાં ન્યૂટ્રિશિયન્સિસ્ટ તરીકે કામ કરે છે. જેના કારણે પોલીસ પણ હરકતમાં આવી ગઇ છે અને આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી છે. 25 વર્ષની આ મહિલાની ફરિયાદ પર પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. દરમિયાન તેને હોસ્પિટલમાં મેડિકલ તપાસ તથા વધુ નિરીક્ષણ અર્થે ખસેડવામાં આવી છે.


સિંગાપુર : કારના સ્પીકરમાં છૂપાઈ ભાગતા ભારતીયની ધરપકડ

સિંગાપુરની વૂડલેન્ડ ચેકપોસ્ટ ખાતે મોટરકારની સ્પીકરની જગ્યાએ છૂપાઈને ભાગી રહેલા ભારતીય નાગરિક સહિત બે વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી છે.બંને વ્યક્તિ ગેરકાયદેસર રીતે કારના સ્પીકરમાં છૂપાઈને દેશની બહાર ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતાં.સિંગાપુરના વર્તમાનપત્ર 'માય પેપર'ના જણાવ્યા પ્રમાણે શુક્રવારે ધરપકડ કરવામાં આવેલા ભારતીય નાગરિકે એજન્ટને દેશ બહાર લઈ જવા માટે 1500 સિંગાપુર ડોલર આપ્યા હતાં. આ માટે તે કારમાં સ્પીકર રાખવાની જગ્યાએ છૂપાયો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે આ કામ માટે ડ્રાઈવરને 300 ડોલર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ધરપકડ કરવામાં આવેલા નાગરિકની ઉંમર 25 વર્ષ હોવાનું જણાવવામાં આવ્યું છે. ધરપકડ કરવામાં આવેલો અન્ય વ્યક્તિ બાંગ્લાદેશનો નાગરિક છે.


બોલિવૂડ બેબ્સ માટે શાહિદ યુવતી બન્યો!


શાહિદ કપૂરે બોની કપૂરની ફિલ્મ મિલેંગે મિલેંગેમાં શોર્ટ સ્કર્ટ પહેર્યુ છે. મિલેંગે મિલેંગે આ શુક્રવારના રોજ રીલિઝ થાય છે.
દિગ્દર્શક સતીષ કૌશિકે જ્યારે શાહિદને સ્કર્ટમાં જોયો ત્યારે તે હસી હસીને બેવડ વળી ગયો હતો. શાહિદ છોકરી બનવા માટે તૈયાર થઈ ગયો હતો. ઘણાં અભિનેતાએ ફિલ્મમાં યુવતીની ભૂમિકા ભજવી છે.શાહિદ શોર્ટ સ્કર્ટમાં ઘણો જ ક્યુટ લાગતો હતો. શાહિદ પહેલા આમિર ખાન, શાહરૂખ, સલમાન અને અમિતાભ બચ્ચને પોતાની કરિયરમાં મહિલા પાત્ર ભજવ્યુ છે.શાહિદ આ ફિલ્મમાં જ્યારે કરિનાને પહેલીવાર મળે છે ત્યારે યુવતી તરીકે મળે છે, તેમ સતીષે કહ્યું હતું.દરેક ફિલ્મમાં અભિનેતા-અભિનેત્રીની પહેલી મુલાકાત ઘણી જ મહત્વની હોય છે. પહેલી મુલાકાતને ફિલ્મ મિલેંગે મિલેંગેમાં અલગ રીતે કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. શાહિદ અને તેના મિત્રો ગર્લ્સ હોસ્ટેલમાં જાય છે. શાહિદના એક મિત્રની પ્રેમિકાનો જન્મદિવસ હોવાથી તેઓ ગર્લ્સ હોસ્ટેલમાં જાય છે. જો કે તેઓ યુવતીઓ બનીને જાય છે. જ્યારે કરિના અને શાહિદ મળે છે ત્યારે તેઓ બે યુવતીની જેમ મળે છે, તેમ સતીષે હસતા હસતા જણાવ્યું હતું.આ ફિલ્મ રોમાન્સ પર આધારિત છે. કરિના અને શાહિદનું બ્રેક અપ થયા પછીની આ ફિલ્મ પહેલી છે. તો જોવાનું એ છે કે, કરિના અને શાહિદની જોડી લોકોને પસંદ આવે છે કે નહિ...


‘કોઈને પણ એસ. આર. કે. સાથે કામ કરવું છે’

ઓસ્ટ્રેલિયન અભિનેત્રી એમ્મા બ્રાઉન ગેરેટ બોલિવૂડમાં એક સ્વપ્ન સાથે આવી છે. તેણે પહેલા બેંગાલી ફિલ્મમાં મિથુનદા સાથે કામ કર્યું, હવે તે બોલિવૂડ પર ધ્યાન કેન્દ્રીત કરવા માંગે છે. તેણે ઈન્ટરવ્યૂમાં પોતાની કરિયર અંગેની કેટલીક વાતો કરી હતી.બોલિવૂડમાં કામ કરવાની પહેલેથી જ ઈચ્છા હતી. જ્યારે હું ભારત આવી ત્યારે જ નક્કી કર્યુ હતું કે, બોલિવૂડમાં કામ કરીશ. મેં મારી કરિયરની શરૂઆત બેંગાલી ફિલ્મથી કરી હતી અને હવે બોલિવૂડની બે ફિલ્મોમાં કામ કરી રહી છું. રોહન સિપ્પીની દમ મારો દર અને યમલા પગલા દિવાના કરી રહી છું.મને લાગે છે કે, હું ખરેખર નસીબદાર છું. ફિલ્મના સેટ પર મિથુનદા ઘણો જ સારો વ્યવહાર કરતા હતા. જ્યારે ધર્મેન્દ્રજી સાથે હોવ ત્યારે ઘરની યાદ પણ આવતી નહોતી. આ લોકોની સાથે કામ કરીને સારો અનુભવ થયો.બોલિવૂડની તમામ વાતોથી હું મંત્રમુગ્ધ થઈ જાવ છું. જ્યારે તમે બોલિવૂડ તમે બોલિવૂડની ફિલ્મો જોવો ત્યારે તમને કંઈક અલગ જ દુનિયા લાગે છે. મને કાલ્પનિક દુનિયા, વાર્તા ગમે છે. મને બોલિવૂડના તમામ કલાકારો પ્રત્યે માન છે. તેમ છતાં એસઆરકે સાથે કામ કરવું છે. આ સિવાય બિપાશા સાથે પણ કામ કરવું છે.બોલિવૂડ ડાન્સ શીખવાનું શરૂ કર્યુ છે. હું મોડલ અને અભિનેત્રી કે ડાન્સર નથી. મારા માટે અભિનય જ મહત્વનો છે. મેં પંજાબી હિન્દી શિક્ષક રાખ્યા છે. મને નથી લાગતું કે હું ક્યારેય શુદ્ઘ હિન્દીમાં વાત કરી શકીશ.ઓસ્ટ્રેલિયામાં વંશીય હુમલાની ઘણી જ વાતો કરવામાં આવે છે, તું ક્યારેય ભારતમાં વંશીય હુમલાનો ભોગ બની છે? ના, ભારતમાં ક્યારેય આવું બન્યું નથી. છેલ્લાં ત્રણ વર્ષથી અહીંયા છું પરંતુ ક્યારેય વંશીય હુમલો થયો નથી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઘણી જ બાબાતોમાં સમાનતા છે. જેમ કે, ક્રિકેટ. ભારતમાં રહેવું ઘણું જ ગમે છે.
બોલિવૂડ એટલે બોલિવૂડ. લોકોએ બોલિવૂડને સમજવાની જરૂર છે. અહીંયાના એકદમ અલગ જ છે. સ્ટોરીલાઈન પણ અલગ છે. દરેકના પોતાના મંતવ્યો છે.હું ક્યારેય તુલના કરતી નથી. મને બોલિવૂડમાં કામ કરવું ગમે છે. બોલિવૂડ અને હોલિવૂડ બંને અલગ છે અને તેઓની તુલના શક્ય નથી.તે બચ્ચન પરિવાર વિશે સાંભળ્યું છે? બચ્ચન પરિવારને મળ્યા પછી કેવું લાગ્યું? અભિષેક બચ્ચન મજાકિયો છે? ભારતમાં આવનાર તમામ લોકો બચ્ચન પરિવારને જાણે છે. અમિતાભના કામને હું ફોલો કરું છું. તેઓ ઘણાં જ સારા છે. અભિ રોહિત સિપ્પીનો મિત્ર છે. અભિએ ક્યારેય મારી મજાક કરી નથી.


સુરત : એરપોર્ટ પરથી નાઇજિરિયન રૂ. ૩.૧૪ લાખ સાથે પકડાયો

સુરતના એરપોર્ટ પરથી મંગળવારે મોડી સાંજે એક નાઇજિરિયન પકડાયો હતો. જેની પાસેથી રોકડા રૂ. ૩.૧૪ લાખ મળ્યા હતા. ઉમરા પોલીસે આ નાઇજિરિયનની ધરપકડ કરી તે સુરત શા માટે આવ્યો હતો? તે અંગે તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ મંગળવારે બપોરે દિલ્હીથી પ્લાન મારફતે સુરત આવેલા નાઇજિરિયન નેવીલી જોશાહ પ્લાનમાંથી ઊતરેલા તમામ મુસાફરો પોતપોતાના ઘરે જતા રહ્યા તે પછી પણ એકલો એરપોર્ટ પર બેસી રહ્યો હતો. આ ઘટનાની જાણ એરપોર્ટ ઓથોરિટીને થતાં તેમણે પોલીસની મદદથી આ ઇસમને ચેક કર્યો હતો. તેની પાસેથી રોકડા રૂ. ૩,૧૪,૦૦૦ મળી આવ્યા હતા. આ નાઇજિરિયન શા માટે સુરત આવ્યો હતો? તે એરપોર્ટ પર જ કેમ બેસી રહ્યો હતો? વગેરે મુદ્દે પોલીસે તપાસ આગળ ધપાવી છે. ઉમરાના ઇન્સ્પેકટર એ.આર. ચૌધરીએ કહ્યું હતું કે નેવીલી જોશાહનો પાસપોર્ટ તા. ૬-૫-‘૧૦ના રોજ પૂરો થઈ ગયો હોવા છતાં તે તેણે રિનન્યૂ કરાવ્યો નથી. તેવા સંજોગોમાં તેની સુરતની મુલાકાતને ગંભીરતાથી ધ્યાને લઈ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે


પંજાબ : વિઝા માટે મહિલાએ પિતા-પુત્ર સાથે લગ્ન કર્યા

બોલિવૂડ ફિલ્મ લેખકોના દિમાગમાં પણ ક્યારેય વિચાર ન આવ્યો હોય તેવો એક બનાવ પંજાબ રાજ્યમાં બન્યો છે. પંજાબની એક મહિલાએ કેનેડાના વિઝા મેળવવા માટે પિતા અને તેના પુત્ર સાથે લગ્ન કર્યાનો કેસ સામે આવ્યો છે. પરંતુ મહિલાનો આવો કિમિયો કામ ન આવતા આજકાલ ચંદીગઢ પોલીસ અને એનઆરઆઈ પિતા-પુત્ર મહિલાને શોધી રહ્યા છે.મહિલા સામે બે વ્યક્તિઓ સાથે લગ્ન કરી છેતરપિંડી કરવી, ખોટા પ્રમાણપત્રોને આધારે બોગસ પાસપોર્ટ મેળવવો, તેમજ ઉત્તર પ્રદેશમાં થયેલી એક હત્યામાં સંડોવણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસને એવી શંકા છે કે મહિલા આતંકવાદી તત્વો સાથે કોઈ લિન્ક ધરાવે છે.પ્રિયા ઈન્દર કૌર નામની ‘રહસ્યમય’ મહિલાએ પિતા-પુત્ર અને ચંદીગઢ પોલીસને એવી તો ગૂંચવણમાં મૂકી દીધી છે કે કોઈને પણ આ મહિલા વિશે કંઈ ખબર નથી. પિતા-પુત્ર સાથે લગ્ન કર્યા બાદ આ મહિલા અન્ય એક વ્યક્તિ સાથે ગૂમ થઈ ગઈ છે.કૌરે 2001ના વર્ષમાં એનઆરઆઈ રાજીન્દર સિંઘ રાજીન્દર(60) સાથે લગ્ન કર્યા હતાં. ત્યાર બાદ બંને ચંદીગઢમાં થોડો સમય માટે ભાડે રહ્યા હતાં. આ સમયે રાજીન્દરે પોતાની કેનેડિયન પત્નીને છૂટાછેડા આપ્યા હતાં. આથી તે થોડા દિવસ માટે રહેવા માટે ચંદીગઢ આવ્યા હતાં. રાજીન્દર જ્યારે ચંદીગઢ ખાતે પોતાના ઘરે રહેતા હતાં ત્યારે કૌર તેના ઘરે ભાડૂઆત તરીકે રહેવા આવી હતી. કૌર પોતાની સગાસબંધીઓ અંગે માહિતી આપવામાં નિષ્ફળ રહેતા રાજીન્દરે તેને ઘરમાંથી કાઢી મૂકી હતી.
જો કે થોડા સમય બાદ મહિલાએ રાજીન્દરનો ફરીથી સંપર્ક કર્યો હતો. તેમજ મદદની વિનંતી કરી હતી. કૌર પર દયા ખાઈને રાજીન્દરે તેને પોતાના ઘરે ઘરકામ માટે રાખી લીધી હતી. સમય જતાં બંને નજીક આવ્યા હતાં અને 2001માં લગ્ન કરી લીધા હતાં.રાજીન્દરે જણાવ્યું હતું કે, કૌર એવું વિચારી રહી હતી કે હું એનઆરઆઈ હોવાથી તેને કેનેડા સાથે લઈ જઈશ. પરંતુ જ્યારે મેં તેને કહ્યું કે હવે મારો કેનેડા પરત જવાનો કોઈ ઈરાદો નથી, ત્યારથી તેણે મારી સાથે ગેરવર્તન કરવાનું શરૂ કરી દીધું હતું. ઉપરાંત ફેબ્રુઆરી 2002માં તેણે મને છૂટાછેડા આપી દીધી હતાં. ઘટના બાદ બે વર્ષ સુધી કૌર ક્યાંક અદ્રશ્ય થઈ ગઈ હતી. 2004 માં તે ફરીથી રાજીન્દરના ઘરે પરત ફરી હતી. જ્યાં તેની મુલાકાત રાજીન્દરના પુત્ર સાથે થઈ હતી. રાજીન્દર આ સમયે બહારગામ ગયો હતો. રાજીન્દરને પોતાની કેનેડિયન પત્ની દ્વારા એક પુત્ર થયો હતો. રાજીન્દરના પુત્રને ઘરે એકલો જોઈને મહિલાએ તેની સાથે મૈત્રીભર્યું વર્તન કરવાનું શરૂ કર્યું હતું.બંનેની મિત્રતા થોડા દિવસો બાદ પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી. થોડા દિવસો બાદ બંને લેહ ખાતે ફરવા ગયા હતાં. જ્યાં બંનેએ લગ્ન કરી લીધા હતાં. રાજીન્દરે જણાવ્યું હતું કે કૌરે મારા પુત્રને મારા અને તેના લગ્ન વિશે જણાવ્યું ન હતું. કૌર એવું માનતી હતી કે મારો પુત્ર લગ્ન કરીને તેને કેનેડા લઈ જશે. આ સમયે હું હિમાચલ પ્રદેશ ખાતે આવેલા મારા ઘરે હતો. રાજીન્દરને જ્યારે તેના પુત્ર અને કૌરના લગ્ન વિશે ખબર પડી ત્યારે તેણે પોતાના લગ્નની વાત તેના પુત્રને કરી હતી. આ સમયે રાજનને આઘાત લાગ્યો હતો. જો કે આ સમય દરમિયાન કૌર અદ્રશ્ય થઈ ગઈ હતી. આથી રાજીન્દરે અને તેના પુત્રએ પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટના બાદ પિતા-પુત્રનેને ધ્યાનમાં આવ્યું હતું કે કૌરે રાજનની પત્ની હોવાનો દાવો કરી નવી દિલ્હી ખાતે આવેલી કેનેડિયન એમ્બેસીનો પણ સંપર્ક કર્યો હતો.


ટીમ ઈન્ડિયાના દિગ્ગજોનું દિલ કોણે તોડ્યું?

દક્ષિણ આફ્રિકા ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપની પ્રબળ દાવેદાર અને દિગ્ગજ ટીમો આર્જેન્ટિના અને બ્રાઝિલ ક્વાર્ટર ફાઈનલ મેચ હારીને મહાકુંભની બહાર થઈ ગઈ છે. હારથી ટીમોના ખેલાડીઓ અને કોરોડો ફૂટબોલ પ્રેમીઓ પણ દુખી થયા છે. આ દુખી પ્રશંસકોમાં ભારતીય ટીમના કેટલાક ક્રિકેટરો પણ સામેલ છે.ભારતીય ટીમની દિવાલ ગણાતો રાહુલ દ્રવિડ અને સ્ટાઈલિશ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ જાહેરમાં બ્રાઝિલ ટીમ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરી ચૂક્યા છે. જ્યારે ઝડપી બોલર ઝહિર ખાન અને સુરેશ રૈનાની પ્રથમ પસંદ આર્જેન્ટિનાની ટીમ હતી.એટલું જ નહીં તાજેતરમાં જ પોતાની બાળપણની મિત્ર સાક્ષી સાથે લગ્ન કરનારો સુકાની મહેન્દ્ર સિંહ ધોની પણ સ્કૂલના દિવસોમાં ફૂટબોલ રમતો હતો અને તે તેની ટીમો ગોલકિપર હતો. જો કે તે ગોલકિપર તો ના બન્યો પરંતુ ક્રિકેટ ટીમનો વિકેટકિપર બની ગયો. ધોનીએ ફૂટબોલ વર્લ્ડ કપ પહેલા કહ્યું હતું કે હજી પણ ફૂટબોલ તેના હ્રદયની નજીક છે અને તે વર્લ્ડ કપનો ભરપૂર આનંદ માણશે.રાહુલ દ્રવિડ વર્લ્ડ કપ શરૂ થયો ત્યારથી બ્રાઝિલનું સમર્થન કરતો આવ્યો છે. બ્રાઝિલ જ્યારે હોલેન્ડ સામે હારીને બહાર થઈ ગયું ત્યારે રૈનાએ તેના ટ્વિટર પર લખ્યું હતું કે મોટો ફટકો, પરંતુ કાકા હજી પણ મારો પસંદગીનો ખેલાડી છે. ઝડપી બોલર ઝહિર ખાને પણ આર્જેન્ટિનાનું સમર્થન કર્યુ હતું. ભારતીય ટીમમાં પુનરાગમન કરનારા યુવરાજ સિંહે પણ વર્લ્ડ કપની મેચોનો આનંદ માણ્યો હતો. પોર્ટુગલનો સ્ટાર ખેલાડી ક્રિસ્ટિઆનો રોનાલ્ડો તેનો પ્રિય ખેલાડી છે.


કચ્છની સરહદેથીપકડાયેલો પાગલ આઇ. એસ. આઇ. નો જાસૂસ નીકળ્યો!

કચ્છની વીઘાકોટ સરહદેથી શનિવારે સાંજે પકડાયેલો પાગલ પાકિસ્તાની ઘૂસણખોર સામે પારની કુખ્યાત એજન્સી આઇએસઆઇનો એક ભાગ એવી ફીલ્ડ ઇન્ટેલીજન્સ યુનિટ (એફઆઇયુ)નો એજન્ટ હોવાનું બહાર આવતાં કચ્છની સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. માત્ર એટલું જ નહી પરંતુ આ ‘પાગલ’ પાસેથી જે નોટબુક જેવી ડાયરી મળી આવી છે, તેમાં રેલવેના ટ્રેક જેવી નિશાનીઓ જોવા મળી છે. પાકિસ્તાનના સ્વાત નામના વિસ્તારનો રહેવાસી મહંમદ રહીમ મહમદ ઝહીર પઠાણ પૂછપરછમાં ત્રણ -ચાર કલાકે માંડ એકાદ શબ્દ બોલતો હોવાથી ભારતીય સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી ગઇ છે. નોટબુકમાં જે ટ્રેકની નિશાની મળી આવી છે તેની સાથે કેટલુંક ઉદુg લખાણ પણ છે. આ ઘૂસણખોર પાગલની હરકત તેમજ તેની પાસે મળી આવેલા પુરાવાઓ અને સામે પારથી મળેલી કેટલીક ટીપ્સને આધારે પ્રાથમિક તબક્કામાં આ શખ્સ એફઆઇયુનો જાસૂસ હોવાનું મનાઇ રહ્યું છે. કચ્છ સરહદે વીઘાકોટ પાસેથી શનિવારે સાંજે પકડાયેલો જાસૂસ છે. પાક.ની ફીલ્ડ ઇન્ટેલીજન્સ યુનિટના આ એજન્ટ પાસેની ડાયરીમાંથી રેલવે ટ્રેક જેવી નિશાનીઓ મળતાં એજન્સીઓ ચોકન્ની બની. જે રીતે એક જ સપ્તાહની અંદર કચ્છની વીઘાકોટ સરહદ વિસ્તારમાંથી બીજો પાકિસ્તાની પાગલ પકડાઇ આવ્યો છે તેને જોતાં એફઆઇયુ દ્વારા ભારતમાં ઘૂસણખોરી કરતાં કેટલો સમય લાગે છે તેની મોકડ્રીલ કરવામાં આવી હોઇ તેવું સૂત્રોએ જણાવ્યું હતું.સ્વાત ખીણ નહીં, પરંતુ તેના જેવા કોઇ ગામનો રહેવાસી નીકળ્યો. બોર્ડર પીલર નં. ૧૧૧૮થી પકડાયેલો મહંમદરહીમ પઠાણ નામનો આ શખ્સ માંડ બોલતો હોવાથી તેણે જ્યારે પોતે સ્વાતમાં રહે છે તેવું ભાંગીતૂટી ભાષામાં બોલ્યો ત્યારે એજન્સીઓ તે સ્વાત ખીણમાંથી આવેલો કોઇ ખૂંખાર આતંકવાદી હોવાનું માની લઇને ભાંગરો વાટ્યો હતો. હકીકતમાં રહીમ સ્વાત ખીણ નહીં, પરંતુ દક્ષિણી પાકિસ્તાનના કોઇક સ્વાત કે તેના જેવા કોઇ ભળતા વિસ્તારનો છે.એફઆઇયુ માત્ર જાસૂસી કરે છે. આઇએસઆઇ ઉપરાંત પાકિસ્તાનમાં ફેડરલ ઇન્ટેલીજન્સ એજન્સી (એફઆઇએ), આઇબી અને અબ્બાભીલ તેમજ એમઆઇ જેવી એજન્સીઓ જાસૂસી ઉપરાંત ભારત સહિતના આસપાસના દેશોમાં ભાંગફોડની પ્રવૃત્તિઓમાં પણ ખરડાયેલી હોય છે, જ્યારે એફઆઇયુ જાસૂસી પૂરતી સીમિત છે. અગાઉ કચ્છના એસપી પી. કે. ઝાના સમયમાં આ એજન્સીનો એક જાસૂસ પકડાયો હતો, જ્યારે ઓકટો’૯૭માં કાશ્મીરના રાજૌરી વિસ્તારમાંથી મુંબઇ અને દિલ્હીના નકશા સાથે અબ્દુલગની નામનો એજન્ટ પકડાયો હતો. આમ જવલ્લે જ ભારતીય સુરક્ષા એજન્સીઓના હાથમાં એફઆઇયુના એજન્ટો પકડાતા હોય છે ત્યારે કચ્છમાંથી પકડાયેલા આ પાગલ શખ્સનું કનેકશન એફઆઇયુ સાથે નીકળતાં એજન્સીઓના માથાના વાળ ઉંચા થઇ ગયા છે.


શિકાગો : ભારતીય સોફ્ટવેર એન્જિનિયરનું શિકાગોમાં મોત

ભારતમાંથી મલ્ટિનેશનલ કંપનીના પ્રોજેક્ટ માટે શિકાગો આવેલા એક સોફ્ટેવેર એન્જિનિયરનો મૃતદેહ લેક મિશિગન પાસેથી મળી આવ્યો છે. 32 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિદ્યા સાગર વર્મા નામનો યુવક 20 મેના રોજ ભારતમાંથી અમેરિકા આવ્યો હતો. અહીં આવ્યા બાદ તે પોતાના સગાસબંધીઓ અને મિત્રોના સંપર્કમાં હતો. પરંતુ અચાનક તેણે બધાનો સંપર્ક કરવાનું છોડી દીધો હતો.જેના કારણે તેના પરિચિતો દ્વારા તેની કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.વર્માની કંપની દ્વારા ત્યાર બાદ તેના ગુમ થયાની ફરિયાદ પોલીસ મથકે દાખલ કરવામાં આવી હતી. ભારતના ફરિદાબાદનો રહેવાસી એવો વર્મા જૂન 19ના રોજ ગુમ થઈ ગયો હતો. ત્યાર બાદ પોલીસને લેક મિશિગન ખાતેથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.જો કે વર્માનું મોત ડૂબી જવાથી થયું છે કે અન્ય કોઈ કારણથી તે અંગે પોલીસ દ્વાર કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. હાલમાં વર્માના મૃતદેહને ભારત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

શહેરના ટાગોર રોડ જે.પી.ટાવરના સેલરમાં ભીષણ આગ :૧પ૦૦ મકાન-દુકાન ખાલી કરાવાયા

શહેરના ટાગોર રોડ ઉપર પાંચ માળના વાણજિય ભવન જે.પી.ટાવરના સેલરમાં બપોરે ભિષણ આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઇ છે. આગને કાબુમાં લેવા શહેરના તમામ ફાયર ફાયટરો સ્થળ ઉપર દોડાવાયા છે. સલામતી ખાતર ટાવરની તમામ ઓફિસ ઉપરાંત આસપાસના ૧પ૦૦ જેટલા મકાન અને દુકાન ખાલી કરાવી રોડ પરનો વાહન વ્યવહાર પણ બંધ કરાવી દેવાયો છે.પ્રાપ્ત વિગતો મુજબ, આગના કારણે પાંચ માળના જે.પી. ટાવરની ૧૦૦ થી વધુ ઓફિક તાબડતોબ ખાલી કરાવી દેવામાં આવી છે. આગ સેલરમાં લાગી હોવાથી ફાયર બ્રિગેડના સ્ટાફને ત્યાંસુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડી હતી. તેમજ સેલરમાં સંગ્રહ કરાયેલો વાયરનો મોટો જથ્થો આગની લપેટમાં આવી જતાં ધુમાડાના વાદળો છવાઇ ગયા હતા. આગને કાબુમાં લેવા પાણીનો સતત મારો ચાલુ રખાયો છે. વીજ વાયરના કારણે સર્જાયેલી દુર્ઘટના, ફાયર બ્રિગેડનો તમામ સ્ટાફ તૈનાત. સ્થિતીની ગંભીરતા જાણીને તંત્ર દ્વારા બનાવ સ્થળના ૧૦૦ મીટરની ત્રજિયામાં આવેલા ૧પ૦૦ જેટલા મકાન અને દુકાન ખાલી કરાવી વિસ્તારને કોર્ડન કરી લેવાયો છે.આગ બુઝવવાની કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડના એક જવાનને ઇજા થયાનું જાણવા મળે છે.

અગ્રણી ટાઈમ મેગેઝિને ઇન્ડો-અમેરિકનોની માફી માગી

અગ્રણી ટાઈમ મેગેઝિને પોતાના એક પત્રકાર જોએલ સ્ટીનના છપાયેલા લેખ માટે ભારતીય મૂળના અમેરિકનોની માફી માગી છે. જોએલના આ લેખના કારણે અમેરિકાના ખાસ કરીને ન્યૂજર્સીના રહીસોમાં વધુ રોષ જોવા મળ્યો હતો.મેગેઝિને જણાવ્યું કે જો ‘માય ઓન પ્રાઈવેટ ઈન્ડિયા’માં છપાયેલ લેખના કારણે કોઈપણ વાચકની લાગણી દુભાઈ હોય તો તેના માટે અમે દિલગીર છીએ. સ્ટીને અફસોસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ‘મારા દ્વારા ખરેખર ઘણા લોકોનું મન દુ:ખી થયું છે.’અત્રે ઉલ્લેખનીય છે કે ન્યૂ જર્સીમાં દર પાંચ વ્યક્તિએ એક ઇન્ડો-અમેરિકન છે. આ જ સંદર્ભમાં જોલેને પોતાના લેખમાં એવું ટાંક્યુ હતું કે તેનું હોમ ટાઉન ન્યૂ જર્સી વધુને વધુ ભારતીયો આવવાના કારણે બદલાઈ ગયું છે.લેખકે પોતાના લેખમાં ન્યૂજર્સીના પરિવર્તનમાં લાગણીદુભાવનારી ટીપ્પણી કરી હતી.આ લેખ છપાયા બાદ ઘણા બધા ઇન્ડો-અમેરિકનોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો તેમજ મેગઝિન અને લેખક પાસે માફી માગવાની માગ કરી હતી.

મુંબઈને ચડશે ‘ફીવર’ કે ચમકશે ‘ગોલ્ડ’

રેડિયો ઓડિયંસ મેજરમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલા તાજા આંકડા અનુસાર 25માં અઠવાડિયામાં રેડિયો મિર્ચી મુંબઈ, દિલ્હી અને કોલકત્તામાં નંબર વન રેડિયો સ્ટેશન બની ગયું છે.મુંબઈમાં રેડિયો મિર્ચીનો માર્કેટશેર 17.2 ટકા, દિલ્હીમાં 24.8 અને કોલકત્તામાં 20.7 ટકા છે. જોકે આ અઠવાડિયે મુંબઈમાં ફીવર એફએમ અને એઆઈઆર એફએમ ગોલ્ડ, બન્નેના માર્કેટ શેર એક સરખા 11.3 ટકા છે.મુંબઈમાં રેડ એફએમ અને રેડિયો સિટી ક્રમશ: બીજા અને ત્રીજા સ્થાને છે જ્યારે દિલ્હીમા6 ફિવર એફએમ અને એઆઈઆર ગોલ્ડની આ બંને સ્થાનો પર પોતાની બાદશાહત છે. કોલકત્તામાં બિગ એફએમ અને ફ્રેન્ડ્સ એફએમ ક્રમશ: બીજા અને ત્રીજા સ્થાને છે.બેંગલૂરમાં બિગ એફએમ 19.7 ટકા માર્કેટ શેરની સાથે નંબર વન પર છે. જ્યારે રેડિયો મિર્ચી અને ફીવર એફએમ ક્રમશ: બીજા અને ત્રીજા સ્થાને છે.


નક્સલી હુમલામાં પત્રકારનું મોત

નક્સલી નેતા ચેરુકુરી રાજકુમાર ઉર્ફ આઝાદની સાથે થયેલી કથિત પોલીસ અથડામણમાં મૃત્યુ પામેલા ફ્રીલાન્સ પત્રકાર હેમચન્દ્ર પાંડેનો મૃતદેહ મંગળવારે રાત્રે દિલ્હી ખાતે પહોચતો કરવામાં આવ્યો હતો.પાંડેની પત્ની બબિતા, પાંડેના ભાઈ અને આન્ધ્રપ્રદેશના કેટલાક માનવધિકાર કાર્યકર્તા મૃતદેહને લઈને દિલ્હી પહોંચ્યા. બબિતાએ જણાવ્યું હતું કે તેનો પતિ નક્સલી નહી પણ એક ફ્રીલાન્સ પત્રકાર હતાં.ફ્રીલાંસ પત્રકાર અને પીપલ્સ યૂનિયન ફોર ડેમોક્રેટિક રાઈટસના અધ્યક્ષ આશીષ ગુપ્તાએ ‘આઈએએનએસ’ને જણાવ્યું હતું કે ‘મૃતદેહને સાત જંતરમંતર સ્થિત પ્રમુખ ધાર્મિક અને સામાજિક સુધારક સ્વામી અગ્નીવેશના કાર્યાલય લઈ જવામાં આવશે. જ્યાં બુધવારે લોકો આ પત્રકારને શ્રદ્વાંજલિ આપશે, અને ત્યાર બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.આ પહેલા બબિતા અને તેમના સંબંધિઓ દ્વારા મૃતદેહને આદિલાબાદથી હેદરાબાદ લાવી ત્યાંના પ્રેસ ક્લબમાં મૂકાયો હતો. જ્યાં પત્રકારોએ તેમણે શ્રદ્ધાંજલિ આપી હતી.ઈન્ડિયન જર્નલિસ્ટ યૂનિયનના સચિવ કે.શ્રીનિવાસ રેડ્ડી અને આન્ધ્રપ્રદેશ પ્રેસ એકેડમીના પૂર્વ અધ્યક્ષ ડી. અમરે પાંડેને શ્રદ્ધાંજલિ આપી ન્હોતી, જેમનો પત્રકારોએ વિરોધ કર્યો હતો.


શ્રીનગર : સળગતા સ્વર્ગ'ને બચાવવા સેના ઉતરી

છેલ્લા કેટલાક દિવસોથી કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં હિંસા પ્રવર્તમાન છે. જેને કાબુમાં લેવા માટે રાજ્ય સરકારે સેનાની મદદ લીધી છે. અને સેનાએ મોરચો સંભાળી પણ લીધો છે.સેનાએ ગઇકાલે મોડી રાત્રે શ્રીનગરની સ્થિતીનો કબ્જો સંભાળ્યો હતો. આજે સવારે લગભગ સાડા દસ વાગ્યે ભારતીય સેનાએ એરપોર્ટ રોડ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કર્યું હતું. ગૃહપ્રધાન તાજ મોઇનુદ્દિનના કહેવા પ્રમાણે, કાયદો અને વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવા એ તેમની સરકારની પ્રાથમિકતા છે. રાજ્ય સરકારના મતે કેટલાક લોકો આ સ્થિતીનો લાભ લેવા માગે છે. જેના કારણે તેઓ કાશ્મીરના યુવા વર્ગના હાથમાં પથ્થર આપી દેવામાં આવે છે. પત્રકારોને આપવામાં આવેલા કર્ફ્યુ પાસ પણ રદ્દ કરી દેવામાં આવ્યા છે.બીજી બાજુ, અનંતનાગ, પામ્પોર, સોપોર અને બાંદીપોરા વિસ્તારોમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છેકે, પ્રવર્તમાન હિંસાને કાબુમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા સેનાની મદદ માગવામાં આવી હતી.બીજી બાજુ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘે કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને લઇને સુરક્ષા બાબતો અંગે કેન્દ્રીય કેબિનેટની બેઠક બોલાવી છે. જેમાં કાશ્મીરની તાજેતરની સ્થિતી ઉપર વિચાર કરવામાં આવશે. ગૃહ વિભાગે એક તરફ રાજ્ય સરકારને સૂચના આપી છેકે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતી એ રાજ્ય સરકારની જવાબદારી છે તો બીજી તરફ તેમણે સીઆરપીએફને પણ સંયમ વર્તવા સૂચના આપી છે.આ તરફ રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન પલ્લમ રાજુના કહેવા પ્રમાણે, સેનાને શ્રીનગર મોકલવામાં આવી છે તથા તે જરૂર પડશે ત્યાં સુધી ત્યાં રહેશે. આ માટે કોઇ સમય મર્યાદા બાંધવામાં નથી આવી. રાજ્યના મુખ્યપ્રધાન ઉંમર અબ્દુલ્લાએ હિંસાગ્રસ્ત અનંતનાગની મુલાકાત લીધી હતી. તેમણે આશ્વાસન આપ્યું હતુંકે. હિંસાને અટકાવવા માટે સરકાર શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. ઉપારંત નિર્દોષ નાગરિકોના મોત માટે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલા લેવા માટે તત્કાળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


ભારતીય નૌસેનાના વરિષ્ઠ અધિકારી રિયર એડમિરલ જામવાલનું ફાયરિંગમાં મોત

ભારતીય નૌસેનાના વરિષ્ઠ અધિકારી રિયર એડમિરલ એસ. એસ. જામવાલનું કોચ્ચી ખાતે મોત થયું છે. જામવાલનું મોત કોચ્ચી ખાતે આવેલા આઇએનએસ દ્રોણાચાર્ય ખાતે થયું છે. આ દુર્ઘટના આઇએનએસ દ્રોણાચાર્યની ફાયરિંગ બટ્ટ પર થયું છે.
ઘટનાના કારણે નૌકાદળમાં ચકચાર ફેલાઇ ગઇ છે. આ ગોળી અકસ્માતે ફૂટી હતીકે બીજું કોઇ કારણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના સવારે સાડા દસ વાગ્યા આસપાસ બની હતી. આ માટે તપાસ સમિતિ પણ નિમવામાં આવે તેવી શક્યતા છે. આઇએનએસ દ્રોણાચાર્ય ભારતીય નૌકાદળનું ટ્રેનિંગ મથક છે તથા અહીં નેવલ ઓફિસરોને તાલિમ આપવામાં આવે છે.હાલ રિયર એડમિરલ જામવાલના પાર્થિવ દેહને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે. જ્યાં તેનુ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. 51 વર્ષીય જામવાલ પત્ની તથા બે સંતાનોને વિલાપ કરતા છોડી ગયા છે. ઉલ્લેખનીય છેકે, રિયર એડમિરલ જામવાલ ભારતીય નૌકાદળના બાહોશ અધિકારી હતી. તેઓ દેશ વિદેશના અનેક સ્થળો પર ફરજ બજાવી ચૂક્યા હતા. તેમણે સંયુક્ત નૌકા કવાયતો પણ હાથ ધરી છે. તેમનું ટૂંક સમયમાં પ્રમોશન થાય તેવી વકી હતી.


રેડિયો કાર્યક્રમમાં કેટી ચાલુ શોમાં સેક્સ પર વાતો કરવા લાગી

રેડિયો કાર્યક્રમ દરમિયાન હોલિવૂડની કેટી પેરીએ સેક્સ લાઈફને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરતા શ્રોતાઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.રેડિયો કાર્યક્રમમાં કેટીએ કહ્યું હતું કે, ફિફા વર્લ્ડ કપને કારણે તેના જીવનમાંથી રોમાન્સનું મહત્વ ઘટી ગયું છે. તેનો પ્રેમી રશેલ બ્રાન્ડ ફૂટબોલ પાછળ પાગલ છે અને તેને કારણે તેનું જીવન અત્યારે નિરસ થઈ ગયું છે.જો કે કેટીએ થોડીવાર પછી જ રેડિયો કાર્યક્રમમાં ઓરલ સેક્સની વાત કરતાં શ્રોતાઓને ભારે નવાઈ લાગી હતી.કેટીએ કહ્યું હતું કે, તે વર્લ્ડ કપને કારણે વિધવા થયેલી છે. આ સમય અત્યારે તેના માટે ઘણો જ મુશ્કેલીજનક છે. રશેલને તેના કરતાં ફૂટબોલમાં વધારે રસ છે.
વધુમાં તેણે ઉમેર્યુ હતું કે, ફિફા વર્લ્ડ કપને કારણે તેના જીવનમાં સેક્સ ઓછું થઈ ગયુ છે.

‘અવતાર’ ફેમ અભિનેત્રી ઝો સલ્દાનાને પુરુષના હાથની ઘેલછા

‘અવતાર’ ફેમ અભિનેત્રી ઝો સલ્દાનાનું કહેવું છે કે તેના માટે પુરુષમાં સૌથી મહત્વની બાબત હાથ છે, કારણકે હાથ પુરુષના વ્યક્તિત્વ વિશે ઘણુંબધું કહી જાય છે. ૩૨ વર્ષની અભિનેત્રીને હાથની ઘેલછા છે અને તેનું કહેવું છે કે તેને સુંદર અને સુંવાળી હથેળીવાળો પુરુષ ગમે છે. તે કહે છે, ‘મને પુરુષોના હાથ ગમે છે, માત્ર સરસ નહીં, પરંતુ મેનીકયોર્ડ હાથ ગમે છે. મને લાગે છે કે હાથ તમારા અને તમારા ઈતિહાસ વિશે ઘણું કહે છે.’ ઝોએ તેના ૧૦ વર્ષથી પ્રેમી રહેલા કિથ બ્રિટન સાથે ગત મહિને સગાઈ કરી હતી. તેને સંવેદનશીલ પુરુષો ઘણા આકર્ષક લાગે છે.


અંડરવિયર વધારે હોટ કે મેગનની બોડી

હોલીવુડની હોટ બેબી મેગન ફોક્સે અરમાનીની અંડરવિયર માટે ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું. એમપીરિયો અંડરવિયર અને અરમાની જીન્સ માટે કરવામાં આવેલા આ ફોટોશૂટને ઈન્ટરનેટ પર મૂકતાંની સાથે જ મોટા પ્રમાણમાં જોવામાં આવી રહ્યું છે. અરમાનીની સ્પોક્સ મોડલ તરીકે આ તેની બીજી સીઝન છે. આ પહેલા પણ તે અરમાની માટે ફોટોશૂટ કરી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ફોક્સને ટ્રાન્સફૉર્મર-3માંથી દૂર કરાઈ હતી અને તેના સ્થાને બ્રિટિશ મોડલને લેવામાં આવી હતી.

એસ. એસ.જી. હોસ્પિટલમાં કામલીલા

ધંધાદારી મહિલાને ઓપીડી રૂમમાં લાવી આઠ જણાએ લાઇન લગાવી હતી. સયાજી હોસ્પિટલના ઓપીડી રૂમમાં ધંધાદારી મહિલા સાથે કામલીલા કરવા પાંચ સિકયુરિટી અને ત્રણ સર્વન્ટ સહિત આઠ કામાંધ શખ્સોએ લાઇન લગાવી હતી. બપોરે વરસતા વરસાદમાં અચાનક નર્સ આવી જતાં એક સિકયુરિટી કઢંગી હાલતમાં ઝડપાઇ ગયો હતો જ્યારે અન્ય સાત નૌ દો ગ્યારાહ થઇ ગયા હતા. સમગ્ર પ્રકરણે ભારે હોબાળો મચતાં ત્રણ સિકયુરિટી અને એક ચોથા વર્ગના કોન્ટ્રાકટના કર્મચારી સહિત ચારને પાણીચું આપી દેવાયું હતું.ખાનગી એમ્બ્યુલન્સ, ખાનગી લેબોરેટરી, દર્દીઓને મધરાતે બહાર મૂકી આવવાના મામલે પંકાયેલી સયાજી હોસ્પિટલ હવે સેક્સ માણવાના સુરક્ષિત સ્થળ તરીકે પણ ચર્ચાની એરણે ચઢી છે. ગત શુક્રવારે શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે હોસ્પિટલના પાંચ સિકયુરિટી અને ત્રણ સર્વન્ટો એક ધંધાદારી મહિલાને લઇ આવ્યા હતા.ઓપીડી રૂમમાં સવારે ૯થી ૧૨ અને બપોરે ૩થી પ દરમિયાન દર્દીઓને તપાસવામાં આવે છે જ્યારે ૧૨ થી ૩ માં ઓપીડી વિભાગ બંધ રહેતો હોય છે. જેનો લાભ લઇ ભારત સિકયુરિટી એન્ડ પર્સનલ સર્વિસીસનો એક ગાર્ડ મહિલાને લઇ ઓપીડીના રૂમ નં.પમાં ગયો હતો જ્યારે અન્ય સાત શખ્સો બહાર લાઇન લગાવી ઊભા હતા.દરમિયાન હોસ્પિટલનાં નર્સ કોઇ કામ અર્થે ઓપીડી રૂમ પાસે આવતાં સિકયુરિટી અને વર્ગ ૪ના કર્મચારીઓનો જમાવડો જોઇ અટકી ગયા હતા. તેમણે ટોળે વળી ઊભેલા શખ્સોને પૂછતાછ કરતાં તેઓ ત્યાંથી નૌ દો ગ્યારાહ થઇ ગયા હતા જ્યારે રૂમમાં પ્રવેશ કરતાં એક સિકયુરિટી કઢંગી હાલતમાં ઝડપાઇ ગયો હતો.બનાવના પગલે નર્સે સંબંધિત વિભાગને જાણ કરતાં ભારે હોબાળો મચી ગયો હતો.તંત્રે સિકયુરિટીના સત્તાધીશોને જાણ કરતાં હોસ્પિટલમાં કામલીલા કરનાર ત્રણ સિકયુરિટી અને ચોથા વર્ગના કોન્ટ્રાકટના કર્મચારીને તાકીદે પાણીચું આપી દેવાયું હતું. અલબત્ત ચાર જણને બાદ કરતાં અન્ય શખ્સોની સંડોવણી અંગે તંત્ર નન્નો ભણી રહ્યું છે.વોર્ડ ર૦માં પણ મહિલાની છેડતીની ફરિયાદ ઊઠી હતીતાજેતરમાં વોર્ડ.૨૦માં પણ એક મહિલાની છેડતીની ફરિયાદ ઊઠી હતી. ઉક્ત બનાવના ચાર દિવસ અગાઉ રાત્રે મહિલા લઘુશંકાએ ગઇ હતી ત્યારે એક સિકયુરિટી ગાર્ડે અંધારામાં તેની સાથે અટકચાળો કર્યો હતો. બે મહિના પહેલાં પણ એનસીઓટી વોર્ડની બાજુમાં સર્વન્ટ ક્વાર્ટરમાં એક મહિલા સાથે બદકામ કરતો સિકયુરિટી પકડાયો હોવાની વાત ભારે ચર્ચાસ્પદ બની હતી. જોકે, દલાલોની દરમિયાનગીરીથી તેનું ભીનું સંકેલાઇ ગયું હતું.


કોન્ટ્રાક્ટરો પાસેથી લાખોની પેનલ્ટી વસૂલાશે

વરસાદી ગટર પ્રોજેક્ટનાં કરોડો રૂપિયાનાં કામો થયાં નહીં હોવાનું મ્યુ. કમિશનરની તપાસમાં બહાર આવ્યું. અલકાપુરી, સુભાનપુરા, ઇલોરાપાર્ક અને માંજલપુરમાં કામગીરીમાં ગંભીર ક્ષતિઓ.પહેલા વરસાદમાં જ શહેરીજનોને ભારે આપદા ભોગવવાનો વારો આવ્યો હતો ત્યારે તેના માટે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે આખરે મ્યુ.કમિશનરે લાલ આંખ કરીને વરસાદી ગટર પ્રોજેક્ટના ચાર મોટા કોન્ટ્રાક્ટરો પાસેથી લાખો રૂપિયાની પેનલ્ટી વસૂલ કરવાની તાકીદ કરી છે.જેથી, આવા કોન્ટ્રાક્ટરોના બિલમાંથી કપાત કેમ નહીં કરવી તેવી તાકીદ કરતી નોટિસો ફટકારવામાં આવી છે.વિતેલા સપ્તાહમાં ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતાં સમગ્ર શહેર જળબંબાકાર થઇ ગયું હતું અને વરસાદી ગટરોમાં પાણીનો સમયસર નિકાલ ન થતાં શહેરીજનોને પાણી ભરાવાની સમસ્યાથી પીડાવાનો વારો આવ્યો હતો.વડોદરાવાસીઓને બાનમાં લેનારા સેવાસદનના તંત્રની સાથે કોન્ટ્રાક્ટરોનો પણ ભાંડો ફૂટયો હતો. જેથી, મ્યુ.કમિશનર મનોજકુમાર દાસે શહેરના તમામ વિસ્તારોની ફેરણી કરી હતી અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરાયેલાં કામોની સમીક્ષા કરી હતી. જેમાં ખાસ કરીને વરસાદી ગટર પ્રોજેક્ટના કરોડો રૂપિયાનાં કામો કરનાર કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય રીતે ચરીપુરાણ અને માટી પુરાણ થયું ન હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી, મ્યુ.કમિશનર મનોજકુમાર દાસે સેવાસદનના એન્જિનિયરોની બેઠક બોલાવી સુપવરવિઝનમાં નિષ્કાળજી દાખવવા બદલ ‘શાબ્દિક ફાયરિંગ’ આપ્યું હતું અને જવાબદાર કોન્ટ્રાક્ટરોની યાદી તૈયાર કરવાનું લેશન આપ્યું હતું.જેમાં, ખાસ કરીને શહેરના અલકાપુરી, સુભાનપુરા, ઇલોરાપાર્ક સહિતના પશ્ચિમ વિસ્તારમાં તેમજ માંજલપુર વિસ્તારમાં ચરીપુરાણ બરાબર થયું ન હોવાની ગંભીર ક્ષતિ ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. જેના આધારે કરોડો રૂપિયાનાં કામ કરનાર ચાર મોટા કોન્ટ્રાક્ટરોના બિલમાંથી પેનલ્ટીરૂપે લાખો રૂપિયા કેમ નહીં કાપવા તેવી તાકીદ સાથે નોટિસ ઇશ્યૂ કરવામાં આવી હોવાની વિગત પ્રકાશમાં આવી છે.એટલું જ નહીં, આ કોન્ટ્રાક્ટરો દ્વારા તાકીદ પછી કરાયેલ માટીપુરાણ, ચરીપુરાણ સહિતની કામગીરી સૂચના મુજબની થઇ છે કે કેમ તેનું પણ થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કરવાના આદેશો કમિશનર દ્વારા જારી કરવામાં આવ્યા છે.પ્રજાની આપદાના અહેવાલ ‘દિવ્યભાસ્કર’માં પ્રસિદ્ધ થયાં બાદ સફાળા જાગેલાં તંત્ર દ્વારા જાતતપાસ અને સમીક્ષા શરૂ થતાં વરસાદી ગટરો ચરી-પુરાણ માટીકામ અને સાફસફાઇના મામલે ગોરખ ધંધા બહાર આવ્યા હતા. આગળ વધીએ ... વધતા રહીએના અભિયાનમાં દિવ્ય ભાસ્કરે પ્રજાજનોને આગળ વધવા આડે આવતી તમામ અડચણોમાં ખભે ખભા મિલાવી લડવાનું બીડુ ઝડપ્યું છે. તેની સફળતાનું શ્રેય પણ વાચકોને જ જાય છે.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના લગ્નથી મારું દિલ પણ તૂટ્યું

નવેમ્બરમાં મિસ વર્લ્ડની સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર મનસ્વી મોડેલ વિવેકા બાબાજીના મોતથી પણ દુ:ખી
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પોતાની બાળપણની સાથી સાક્ષી રાવત સાથે અચાનક લગ્ન કરી લેતાં મારું પણ દિલ તૂટ્યું છે જો કે હવે તેણે લગ્ન કરી જ લીધાં છે ત્યારે તેને મારી હ્રદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છે. એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડોદરા આવેલી ફેમિના મીસ ઇન્ડિયા વર્લ્ડની રૂપસુંદરી અને મોડલ મનસ્વી મામગઇએ ઉપર મુજબ જણાવ્યું હતું.
મોસ્ટ ઈલીજિબલ બેચલર ગણાતો માહી ઘડીયાં લગ્ન કરી ઠરીઠામ થતાં દેશની સેંકડો યુવતીઓની જેમ મારુ પણ દિલ તૂટી ગયું છે તેમ આઇએનઆઇએફડીના વડોદરા કેમ્પસના ઉદ્દઘાટન પ્રસંગે આવેલી ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ મનસ્વીએ જણાવ્યું હતું. જો કે સુપર મોડલ વિવેકા બાબાજીના અચાનક મોતથી પણ આઘાત લાગ્યો હોવાનું મનસ્વીએ જણાવ્યું હતું.
ફેશન ઇન્ડસ્ટિ્રીના લોકો પણ તેની આત્મહત્યાનું કારણ જાણવા આતુર છે. પરંતુ પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં જ સાચી માહિતી બહાર આવશે. ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ બાદ હવે નવેમ્બરમાં વિયેતનામમાં યોજાનારી મિસ વર્લ્ડ-૨૦૧૦ની સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરીશ. મનસ્વીએ જણાવ્યું કે ઐશ્વર્યા રાય તેનો આદર્શ છે. શાહરૂખ ખાન તથા પ્રિયંકા ચોપરા ગમે છે. શાહરૂખ ખાન સાથે ફિલ્મ કરવાની ઇચ્છા છે. ફેશન વર્લ્ડ બોલિવુડમાં પ્રવેશવાનો શોર્ટકટ છે ? તેવા પ્રશ્નમાં પણ મનસ્વી મનમોહક સ્મિત સાથે કહે છે, શોર્ટકટ જરૂરી છે. પરંતુ તેના માટે અથાગ મહેનત પણ જરૂરી છે. મને બોલિવુડમાં હિરોઇન બનવાની અનેક ઓફરો મળી છે. પરંતુ હાલમાં તો અનુપમ ખેરની એકેડમીમાંથી એક્ટિંગની તાલીમ લઇ રહી છું. સાથે સાથે નવેમ્બરમાં યોજાનાર મિસ વર્લ્ડ સ્પર્ધાની તૈયારી કરી રહી છું.


સુરેન્દ્રનગરમાં રૂ.10 લાખની લૂંટ થતા સનસનાટી મચી

સુરેન્દ્રનગરમાં આજે વહેલી સવારે બનેલી એક ઘટનામાં રૂ.10 લાખની લૂંટ થતા સનસનાટી મચી જવા પામી છે.આજે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં રૂ.10 લાખની દિલધડક લૂંટ થઈ હતી. તથા લૂંટ કોણે કરી છે હજી સુધી જાણી શકાયું નથી.પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.


સુરત : ટ્રેનમાં અશ્લીલ ક્લિપ જોતો સરકારી કર્મચારી ઝડપાયો

સુરતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કલાર્કની ધરપકડબ્લુ ફિલ્મની સીડી વેચનાર લારીવાળાની ૭૪ અશ્લીલ સીડી જપ્ત.ભીલાડ એક્સપ્રેસના એમએસટી કોચમાં મુસાફરોને દેખાય તે રીતે મોબાઇલ પર અશિ્લલ કિલપિંગ જોતા સુરતના પુરવઠા વિભાગના કલાર્કને પોલીસે ઝડપી પાડતા ચકચાર મચી ગઇ હતી.ભીલાડ એક્સપ્રેસ ટ્રેનમાં કેટલાક પાસ હોલ્ડરો દ્વારા મુસાફરોની હેરાનગતિ કરવામાં આવતી હોવાની ફરિયાદના પગલે રેલવે પીઆઇ બી.એમ. ખાંટની સૂચનાથી ઘનિષ્ઠ પેટ્રોલિંગ હાથ ધરાયું છે. મંગળવારે સાંજે ભીલાડથી વડોદરા આવતી ટ્રેનના એમએસટી કોચમાં શહેરના માંજલપુર સ્વાતી કવાટર્સમાં રહેતો અને સુરત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં કલાર્ક તરીકે ફરજ બજાવતો ભૂપેન્દ્ર કંચનભાઇ પરમાર મોબાઇલ પર અશિ્લલ કિલપિંગ જોતો હતો.ટ્રેનમાં સવાર અન્ય મુસાફરોને દેખાય તે રીતે અશિ્લલ કલીપીંગ જોતા સરકારી કર્મચારીને પોલીસે ઝડપી પાડી તેની બેગની જડતી લેતા બેગમાંથી બ્લૂ ફિલ્મની એક સહિત પાંચ સીડી મળી આવી હતી. પોલીસે સીડી અને મોબાઇલ સહિત રૂ.૩૬પ૦ નો મુદ્દામાલ જપ્ત કરી પૂછતાછ કરતાં તેણે સીડી જૂના પાદરા રોડ પર લારી લઇ ઊભા રહેતા કમલ રમેશ સતવાણી પાસેથી ખરીદી હોવાની કબૂલાત કરતાં પોલીસે લારીવાળા કમલ સતવાણીની ધરપકડ કરી તેની પાસેથી બ્લૂ ફિલ્મની ૭૨ અને પાઇરેટેડ સીડી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેની પૂછતાછમા અન્ય શખ્સોના નામ ખૂલે તેવી શક્યતાથી હે.કો. વિજયસિંહે તપાસ હાથ ધરી છે.નાગરવાડાનો હજીમ બ્લુ ફિલ્મોની સીડીનો સૂત્રધાર. ટ્રેનમાં બ્લુ ફિલ્મની સીડી સાથે ઝડપાયેલા સરકારી કર્મચારીની પૂછતાછમાં શહેરમાં અશિ્લલ ફિલ્મોની સીડીના વેપારની મુખ્ય કડી હાથ લાગી છે. શહેરના જૂના પાદરા રોડ પર લારી ઊભી રાખી બ્લુ ફિલ્મ વેચતા વેપારીએ સીડી નાગરવાડાના હજીમ નામના શખ્સ પાસેથી ખરીદી હોવાની કેફિયત કરી છે. હજીમ શહેરભરમાં બ્લૂ ફિલ્મોની સીડીનો વેપલો કરતો હોવાની માહિતી પણ પોલીસ સૂત્રો જણાવી રહ્યાં છે.


પ્રેમમાં પાગલ યુવાનને સળિયા ગણવાનો વખત આવ્યો

પોતે બારમા ધોરણમાં નાપાસ થયો હોવા છતાં યુવતીને પામવા યુનિવર્સિટીમાં કલાસ પણ ભરતો હતો!‘જ્ઞાતા થજો રસ-રૂપના, ભોક્તા કદી બનશો નહીં,પ્રેમા થજો પણ પ્રેમમાં પાગલ થઈ ફરશો નહીં’- કદાચ આ વાતને ચરિતાર્થ કરતો બનાવ ઉમરા પોલીસ મથક સુધી પહોંચ્યો છે જેમાં એક તરફી પ્રેમમાં ગળાડૂબ થયેલા યુવાનને લોકપના સળિયા ગણવાનો વખત આવ્યો હતો.હિન્દી ફિલ્મને ટક્કર મારી દે તેવી આ એક તરફી પ્રેમની કહાની કાંઇક એવી છે કે એક તરુણ અને તરુણી ગયા વર્ષે બારમા ધોરણમાં સાથે અભ્યાસ કરતા હતા. પાસ થયેલી યુવતીએ એફ.વાય. બીએસ.સી.માં પ્રવેશ મેળવી લીધો. જેના કારણે અભ્યાસ માટે આ યુવતીને દરરોજ વેડરોડ, સિંગણપોર ચાર રસ્તાથી છેક વાર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુધી જવું પડતું હતું.
બારમા ધોરણમાં નાપાસ થયેલો આ યુવાન એક તરફી પ્રેમમાં એટલો તો પાગલ હતો કે તે આ યુવતીને પામવા માટે છેક યુનિવર્સિટી સુધી લાંબો થતો હતો અને તેના જ કલાસમાં બેસી જતો હતો. આ સિલસિલો બે ત્રણ દિવસ સુધી ચાલુ રહેતા યુવતીને ગંધ આવી ગઈ કે આ યુવાન તેના એક તરફી પ્રેમમાં પાગલ છે.દરમિયાન બુધવારે સવારે સાડા દસેક વાગ્યે બન્યું એવું કે આ યુવતી પોતાના ઘરે જવા માટે યુનિવર્સિટીથી બસમાં બેઠી તો આ યુવાન પણ તેની સાથે એ જ બસમાં બેઠો હતો. બસ રેલવે સ્ટેશન પર પહોંચી તો ત્યાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને પોતાનું પોત પ્રકાશ્યું હતું અને યુવતીને હાથ પકડી બસમાંથી નીચે ઊતારી એકાંત ગાળવાની વાત કરી હતી. જેથી ગુસ્સે ભરાયેલી યુવતી ત્યાંથી ભાગી એક રિક્ષામાં બેસી હતી. તો આ યુવાન પણ તે જ રિક્ષામાં બેસી ગયો હતો. હવે તો હદ થઈ ગઈ તેમ માની યુવતી તે રિક્ષામાંથી નીચે ઊતરી ગઈ હતી.
આખરે મામલો હદ વટાવી જતાં યુવતીએ ફોન કરી તેના પિતાને રેલવે સ્ટેશન પર બોલાવ્યા હતા. યુવતીના પરિવારજનોએ હિંમત કરી ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધાવતા ઇન્સપેક્ટર એ.આર. ચૌધરીએ એક તરફી પ્રેમમાં પાગલ યુવાન વિવેક શૈલેન્દ્ર મિશ્રા (રહે: પૂણા ગામ)ની ધરપકડ કરી હતી. જેથી એક તરફી પ્રેમમાં પાગલ આ યુવાનને લોકપના સળિયા ગણવાનો વખત આવ્યો હતો. વધુ તપાસ પોસઈ બી.એમ. વસાવા કરી રહ્યા છે.


અમેરિકા : ભારતીય કંપનીને લાંચ અપાતા વિવાદ

કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભેલ, એનટીપીસી, મહારાષ્ટ્ર વિધ્યુત બોર્ડ, હરિયાણા વિધ્યુત બોર્ડ અને ભાલિયા ઇલેક્ટ્રિકને લાંચ અપાઈ છે. કેલિફોર્નિયા સ્થિત એક અમેરિકી કંપનીએ કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભેલ અને એનટીપીસી જેવી ભારતની કેટલીક જાહેર ક્ષેત્રની કંપનીઓના અધિકારીઓને લાંચ આપી છે. આ કોન્ટ્રાકટ મોટેભાગે અણુ વીજળીઘરોના નિર્માણમાં ઉપયોગમાં લેવાતા સાધનોના હોય છે.એક અમેરિકી અદાલત સમક્ષ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા રજુ કરાયેલી દસ્તાવેજો અનુસાર લાંચ લેનારી આ કંપનીઓમાં ભારતીય હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી બોર્ડ, હરિયાણા સ્ટેટ ઈલેક્ટ્રિસિટી બોર્ડ, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન અને ભાલિયા ઇલેક્ટ્રિકનો સમાવેશ થાય છે. લાંચ આપનારી કંપનીનું નામ કંટ્રોલ કંપોનેટ્સ ઇંક(સીસીઆઇ) છે. કંપનીએ પણ કબૂલાત કરી છે તેણે વર્ષ ૨૦૦૩થી લઇને વર્ષ ૨૦૦૭ની વચ્ચે વિવિધ કોન્ટ્રાક્ટ મેળવવા માત્ર ભારતીય જ નહિ પણ ૩૬ અન્ય દેશોની કંપનીઓને લાંચ આપી છે. અદાલતમાં રજુ કરાયેલા દસ્તાવેજો દર્શાવે છે કેભારતીય કંપનીઓને વર્ષ ૨૦૦૪થી વર્ષ ૨૦૦૭ની વચ્ચે લાંચ આપવામાં આવી હતી.

સેક્સી અમિષાનો હોટ અંદાજ...
બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલે ધ મેન નામના મેગેઝીનમાં એકદમ હોટ પોઝ આપ્યા છે. મેગેઝીનને ઈન્ટરવ્યૂ આપતા સમયે અમિષા પટેલે કહ્યું હતું કે, તેના નિકટના મિત્રોમાં યુવકોનો સમાવેશ થાય છે.મારા ગ્રુપમાં યુવકો વધારે હોવાથી પુરૂષો સાથે કઈ રીતે કામ પાર પાડવું તે બાબાત સારી રીતે આવડે છે.અમિષાએ વધુમાં કહ્યું હતું કે, ક્યારેય મારો પ્રેમી કે પતિ થોડી છોકરી જેવી વસ્તુ કરે તો મને ઘણું જ ગમે છે.અમિષાની આ વાત સાંભળ્યા પછી અમિષાના ભૂતપૂર્વ પ્રેમી વિક્રમ ભટ્ટ અને હાલનો પ્રેમી કાનવ પુરીએ કંઈક કરવું જોઈએ.


પોર્ન શોના સંચાલન માટે અનોખી જાહેરખબર

આજકાલ વિજ્ઞાપનની દુનિયામાં એક અનોખી જાહેરખબર લઇને જોરદાર ચર્ચા ચાલી રહી છે. આ અનોખી જાહેરખબરમાં દર્શાવવામાં આવ્યું છે કે જો તમે બોલ્ડ અને બિન્દાસ અંદાજમાં સેક્સ વિષય પર વાતો કરી શકતા હોય અને શો દરમિયાન સેમી ન્યૂડ દેખાવામાં તમને કોઇ વાંધો ન હોય તો તમે અરજી કરી શકો છો.આ જાહેરખબર એક પોર્નોગ્રાફિક ચેનલ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવી છે. આ શોનું સંચાલન કરનાર વ્યક્તિને પ્રતિ એપિશોડ 220 ડોલર ચુકવવામાં આવશે. જે લોકો અરજી કરશે તેમાંથી વિજેતાની પસંદગી કરવામાં આવશે અને તેને સપ્તાહમાં ફક્ત ત્રણ દિવસ જ કામ કરવાનું રહેશે. આ દરમિયાન તેણે સેક્સુઅલ ઉત્તેજનાને વધારતા સંવાદો બોલવા પડશે અને અંગપ્રદર્શન કરવું પડશે.શોનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. આ જાહેરખબરને લંડનની એક એજન્સીએ પ્રસિધ્ધ કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આમાં કોઇ પણ પુરુષ અને મહિલા અરજી મોકલાવી શકે છે.

બાઇક સાથે ફરજિયાત હેલમેટ ખરીદવું પડશે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


બાઇક સાથે ફરજિયાત હેલમેટ ખરીદવું પડશે
હવે દેશમાં ફરજિયાત પણે તમામ ટુ વ્હિલર ચલાવનાર વ્યક્તિએ હેલમેટ ખરીદવું જ પડશે તેવો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. વાસ્તવમાં આજે સુપ્રીમ કોર્ટે સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેકચર્સ (SIAM)ની વિરૂદ્ધમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે તમામ ટુવ્હિલર બનાવતી કંપનીઓએ બાઇક અને સ્કૂટરના વેચાણની સાથે હેલમેટનું વેચાણ કરવું પડશે. SIAMનું કહેવું હતું કે ટુ વ્હિલર ખરીદનાર ગ્રાહકને હેલમેટ ખરીદવું હોય તો ખરીદે, તેમના પર પસંદગી છોડવામાં આવે. પરંતુ એપેક્સ કોર્ટે તેની અપીલમાં કહ્યું કે રૂ.40,000ના સ્કૂટર કે બાઇકની ખરીદી સામે ફકત રૂ.300નું હેલમેટ તો ખરીદી જ શકે છે. એપેક્સ કોર્ટે કહ્યું કે તમામ મેન્યુફેકચર્સે BSI સર્ટિફાઇડ થયેલ હેલમેટનું વેચાણ કરવું પડશે. આ ચુકાદો જસ્ટિસ જી.એસ.સંઘવી અને જસ્ટિસ એ.કે.ગાંગુલસીની બેન્ચે આપ્યો હતો.


અલગ ફ્લેટના ધોરણે પાકિઁગનું વેચાણ ખતરનાક

સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું છે કે પાર્કિંગ માટે મુકરર થયેલા પાર્કિંગપણ અલગ ફ્લેટના ધોરણે વેચાતા હોવાના દાવાનો સ્વીકાર થવા માંડે તો તે એક ખતરનાક વળાંક છે. ન્યાયમૂર્તિ આર.એમ.લોધા અને એ.કે.પટનાયકની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે, ‘આ દલીલનો સ્વીકાર થવા માંડે તો તે એક ખતરનાક ઘટના છે. આમ થવા લાગે તો એક વ્યક્તિ ફ્લેટ ખરીદશે, બીજી વ્યક્તિ પાર્કિંગમાટે ગેરેજ ખરીદશે અને ત્રીજી જ વ્યક્તિ દુકાનો ખરીદશે. જોકે અદાલતે જણાવ્યું હતું કે અદાલતની આ હંગામી ટિપ્પણી છે.બેન્ચે જણાવ્યું હતું કે પ્રમોટર્સ કે બિલ્ડર્સ ઇમારતના ભોંયતિળયે ઊભા થયેલા ગેરેજને એક અલગ ફ્લેટના રૂપમાં વેચી શકે કે ‘કોમન’ મુકત જગ્યા તરીકે જ પૂરા પાડી શકે? તે મુદ્દાને ચકાસશે. સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું છે કે દિલ્હી જેવા શહેરમાં પણ પાકિ•ગના પ્રશ્નો છે. લોકો આજે પણ પોતાનાં વાહનોને ખુલ્લા માર્ગો પર પાર્ક કરવા મજબૂર બને છે.સુપ્રીમ કોર્ટ મુંબઇના રિયલ એસ્ટેટ બિલ્ડર નહલચંદ લાલુચંદ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મુંબઇ વડી અદાલતે આપેલા ચુકાદાને પડકારતાં થયેલી એસપીએલની સુનાવણી હાથ ધરતાં સુપ્રીમે ઉપર મુજબ ટિપ્પણી આપી હતી. મુંબઇ વડી અદાલતે ચુકાદો આપ્યો છે કે ગેરેજ તે બાંધવામાં આવેલા ફ્લેટના માલિકોની કોમન જગ્યા છે અને તેને એક સ્વતંત્ર ફ્લેટની જેમ વેચી ના શકાય.

મધ્યપ્રદેશ: વાન સાથે બાંધી લાશને ઢસડવામાં આવી

આપણા દેશની સંસ્કૃતિમાં જીવનની સાથે મોતનું પણ મહત્વ છે. એટલે સુધીકે, કોઇ અંતિમયાત્રા જતી હોય તો વાહનચાલકો બાજુએ ઊભા રહીને મૃતાત્માને નમન કરે છે. પરંતુ, માનવતાને લજવી નાખે એવી ઘટના મધ્યપ્રદેશના સિહોરમાં બની છે. મળતી માહિતી પ્રમાણે, આ શખ્સનું નામ આશારામ છે. જે 35 વર્ષનો હતો. આ શખ્સને રાત્રે 11 વાગ્યે મારૂતિવેન સાથે બાંધીને ઢસડવામાં આવી રહ્યો હતો. ત્યારે એક પોલીસ કર્મચારીએ મારૂતિવેન જોઇ હતી. પોલીસ કોનસ્ટેબલે આ અંગે કંટ્રોલ રૂમને માહિતી આપી હતી. માહિતીના પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી. પરંતુ, તેમને રસ્તામાં લોહીના ધાબા જ જોવા મળ્યા હતા. રાત્રે લગભગ દોઢ વાગ્યે પોલીસને લાશ મળી હતી. મૃતકનું શબ એક પાઇપ પાસે બ્રેકના વાયરમાં ફસાયેલો મળ્યું હતું. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

હરિયાણા: જેઠે બળાત્કાર ગુજારી મહિલાને વેચી નાખી

હરિયાણાના લલિતખેડા ગામના રાકેશ સાથે ઓકટોબર ૨૦૦૯માં પરણેલી ઓરિસ્સાની યુવતીએ તેના જેઠ રાજબીર સામે બળાત્કાર ગુજારવાનો અને રાજબીર તેમ જ તેની પત્ની રાજવંતી સામે તેનું અપહરણ કરીને રૂપિયા ૪૦,૦૦૦માં પાનીપતના એક નિવાસીને વેચી નાખવાનો આરોપ મૂક્યો છે. ભોગ બનેલી યુવતી અને તેના પતિ રાકેશે કરેલી ફરિયાદને આધારે પોલીસે જિન્દમાં બુધવારે મોડી સાંજે કેસ નોંધ્યો છે પરંતુ હજીસુધી કોઇની પણ ધરપકડ કરી નથી. બળાત્કારનો ભોગ બનેલી યુવતીની ગુરુવારે તબીબી તપાસ પણ કરવામાં આવી હતી. રાકેશની પત્ની તેને ખરીદનાર પાનીપતના નિવાસીના સકંજામાંથી છટકીને બુધવારે તેના પતિના ઘરે પહોંચી હતી. તેણીએ રાજબીર અને રાજવંતી સામે એવો પણ આક્ષેપ કર્યો છે કે, ૧૫મી માચેઁ તે પોતાના ઘરે એકલી હતી ત્યારે તેના જેઠ અને જેઠાણીએ તેને કેફી પદાર્થ ખવડાવીને બેભાન અવસ્થામાં તેનું અપહરણ કરીને તેને પાનીપત લઇ ગયા હતા. પાનીપતમાં એક ઘરમાં રાજબીરે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. રાકેશની પત્નીએ ભાગી છુટવાનો પ્રયાસ કર્યો ત્યારે રૂપિયા ૪૦,૦૦૦માં ખરીદનારે તેને પકડી લીધી હતી. ખરીદનારે તેને કહ્યું હતું કે, તેણે રૂપિયા ૪૦,૦૦૦ ચૂકવ્યા છે.

કોંગ્રેસના ૬૦ કર્મચારી વી. આર. એસ. સ્વીકારશે

પેટ્રોલ-ડીઝલ સહિતની પેટ્રોલિયમ પ્રોડકટ્સના ભાવમાં જંગી વધારો કરનારી સરકારના મુખ્ય શાસક પક્ષ કોંગ્રેસને મોંઘવારી નડી રહી છે. તાજેતરમાં તેણે દિલ્હીમાં એઆઈસીસીના હેડક્વાર્ટર ખાતે કામ કરી રહેલા કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માટે જાહેર કરેલી સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના(વીઆરએસ) ૬૦ જેટલા કર્મચારીઓ સ્વીકારશે તેવી શક્યતા છે.એઆઈસીસી હેડક્વાર્ટરમાં કામ કરતા કર્મચારીઓને આ વીઆરએસ અંતર્ગત જેટલા વર્ષની નોકરી બાકી હોય તેટલા પ્રત્યેક વર્ષ માટે બે કે ત્રણ મહિનાનો પગાર ચૂકવવામાં આવશે. કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઈટી, લીવ એન્કેશમેન્ટ વગેરે રાબેતા મુજબના લાભ મળશે. કોંગ્રેસ પક્ષના ખજાનચી મોતીલાલ વોરાએ કહ્યું હતું કે ‘ઘણાં બધા કર્મચારીઓ થઈ ગયા હતા. જેને કારણે વીઆરએસ ઓફર કરવામાં આવી હતી. તે કર્મચારીઓના હિતમાં જ છે.’ સૂત્રોએ જણાવ્યું હતું કે એઆઈસીસી ખાતે કુલ ૧૪૫નો સ્ટાફ છે, જે પૈકી ૬૦ કર્મચારી વીઆરએસ ઓફર સ્વીકારશે તેવી શક્યતા છે. કારણ કે આ યોજના ખાસ કરીને જેમણે ૨૦ વર્ષ કે તેથી વધુ સર્વિસ કરી છે તેમના માટે આકર્ષક છે. જોકે તે સાથે જ ૧૦-૧૫ વર્ષની નોકરી છે તેવા લોકોની ચિંતા વધી ગઈ છે. વીઆરએસ સ્વીકારે તેવી શક્યતા ધરાવતા કર્મચારીઓમાં મુખ્યત્વે ટાઈપિસ્ટ, પર્સનલ સેક્રેટરી, કલાર્ક અને પટાવાળાનો સમાવેશ છે.વીઆરએસ ન સ્વીકારનારા કર્મચારીઓની હકાલપટ્ટી કરી દેવાશે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં વોરાએ કહ્યું કે ‘આ સ્વૈચ્છિક યોજના છે. અમે આ ઓફરને કેવો પ્રતિસાદ મળે છે તે જોઈશું.’


ક્યારેય ખાધું છે 12 કરોડનું ભાણું ?

એક ભાણાની કિંમત તમે કેટલી લગાવસો? 500 રૂપીયા, 5 હજાર રૂપીયા કે વધારેમાં વધારે 15 હજાર રૂપીયા. પણ આપણે વાત કરી રહ્યા છીએ એક એવા ભાણાની જેનો ભાવ 12 કરોડ રૂપીયાથી પણ વધારે છે. કિંમતની બાબતમાં તો આ ભાણું ખાસ છે જ, પણ જેની સાથે આ ભોજન કરવા મળશે તે વ્યક્તિ પણ ખાસ છે. વાસ્તવમાં આટલી ભારે કિંમત ચુકવ્યા પછી દુનિયાનાં ત્રીજા સૌથી ધનવાન માણસ વોરેન બફેન સાથે આ ભોજન જમવા મળશે. ખરેખર તો વોરેન બફેની સાથે ભોજન કરવા માટેતો દર વર્ષે દુનિયા ભરમાં બોલી લગાવામાં આવે છે. પાછલા 11 વર્ષોથી આ પ્રક્રિયા ચાલતી આવે છે અને હવે આ ભાણાંની બોલી 12.22 કરોડ રૂપીયા લાગી છે. વારેનની સાથે ભોજન માટેની અત્યાર સુધીની આ સૌથી મોટી બોલી લાગી છે. આ બોલી પ્રખ્યાત વેબસાઇટ ઈબ ડૉટ કૉમ પર લગાવામાં આવી રહી હતી.વોરેનની સાથે ભોજન માટે આટલી મોટી બોલી લગાવનારની ઓળખ ગુરૂવારે સૈન ફ્રાન્સિકોમાં જાહેર કરવામાં આવશે. પોતાના આ ખાસ પ્રકારના ભોજનથી મળનારી રકમ, બાળકો માટે કામ કરનાર એનજીઓને આપશે.


દિલ્હી : કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ખેલાડીઓને ગૌમાંસ પીરસાશે

ભારતમાં ગાયને અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને ગાયને માતા ગણી તેની પૂજા કરવામાં આવે છે. વેદોમાં પણ ગાયનો મહિમા ગાવામાં આવ્યો છે. તથા પ્રાચીન સમયમાં તો વધારે ગાયો હોવી તેને એક મોભો ગણવામાં આવતો હતો.જો કે હાલના સમયમાં ભારતમાં ગૌહત્યાનો ખરડો એ એક અત્યંત સંવેદનશીલ મુદ્દો બની ગયો છે. પરંતુ ભારતની રાજધાન નવી દિલ્હીમાં યોજાના કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ખેલાડીઓને ગૌમાંસ આપવામાં આવશે કે નહીં તે ચર્ચાએ જોર પકડ્યુ છે.નવી દિલ્હીમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સની આયોજન સમિતિ કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન રમતવીરોને ગાયનું માંસ પીરસશે કે નહીં તે અંગે ગોળ-ગોળ વાતો કરી રહી છે.કોમનવેલ્થ ગેમ્સના આયોજકો અત્યારે તો આ પ્રશ્નોનો જવાબ આપવાની ઈચ્છા ધરાવતા નથી અથવા તો જવાબ આપવા ઈચ્છતા નથી.માહિતી અધિકારી કાયદા હેઠળ એક અરજી દ્વારા પૂછવામાં આવ્યું હતું કે આયોજન સમિતિ કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ભાગ લેનારા રમતવીરો (એથ્લેટ્સ)ને ગાયનું માંસ (બીફ) પીરસશે કે નહીં, તો તેના જવાબમાં આયોજન સમિતિએ તેનો સ્પષ્ટ ઉત્તર આપ્યો નહોતો.જો કે આ પહેલા જ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમડીસી)માં સત્તામાં રહેલા ભાજપ અને દિલ્હીમાં રહેલા અન્ય હિન્દુવાદી સંગઠનોએ જો કોમનવેલ્થ ગેમ્સમાં ગૌમાંસનો ઉપયોગ કરવામાં આવશે તો રમતના આ મોટા કાર્યક્રમનો બહિષ્કાર કરવાની ધમકી ઉચ્ચારી છે.સમિતિએ માહિતી અધિકારના સેક્સન 7(9) હેઠળ પૂછવામાં આવેલી માહિતીનો હા કે નામાં સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. પરંતુ તેમાં કહ્યું હતું કે રમતોત્સવ દરમિયાન ભાગ લેનારા ખેલાડીઓને પૌષ્ટિક ખોરાક પૂરો પાડવામાં આવશે. માહિતી અધિકારના કાયદા મુજબ સેક્શન 7(9) હેઠળ પૂછવામાં આવેલી માહિતીનો સ્પષ્ટ જવાબ આપવાનો રહે છે.સમિતિએ આપેલા ચાર પાનાના ઉત્તરમાં જણાવ્યું છે કે કોમનવેલ્થ ગેમ્સની આયોજન સમિતિએ નક્કી કર્યું છે કે રમતમાં ભાગ લેનારા ખેલાડીઓને પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવશે. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને (સીજીએફ) આયોજન સમિતિ પાસેથી ખેલાડીઓ અને તેઓની ટીમના અધિકારીઓને 2010માં દિલ્હીમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન 24 કલાક પૌષ્ટિક ભોજન અને નાસ્તો આપવાનું જણાવ્યું છે. જેમાં પંરપરાગત ખોરાક (કલ્ચરલ ડાયેટરી રીક્વાયરમેન્ટ) તથા વાનગીઓમાં વિવિધતા હોવી જરૂરી છે.જો ખેલાડીઓને કલ્ચરલ ડાયેટરી રીક્વાયરમેન્ટ પૂરો પાડવાની વાતને અમલી બનાવવામાં આવે તો ગૌમાંસ યુરોપિયન અને આફ્રિકન ખેલાડીઓના કલ્ચરનો એક ભાગ છે. હોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલા એક નિષ્ણાંતે કહ્યું હતું કે આવા દેશોમાં ગૌમાંસ ખૂબ જ મહત્વનો ખોરાક છે અને ખાસ કરીને એથલેટ્સ માટે.અગ્રવાલે આક્ષેપ કર્યો હતો કે સમિતિ ફક્ત સમય પસાર કરી રહી છે. જો હું અત્યારે ને અત્યારે અપીલ કરૂ તો તેઓ મારી અરજી એક કે બે દિવસમાં આયોજકો પાસે પહોંચી જશે પરંતુ તેઓ મને આટલી જલદી જવાબ નહીં આપે. તેથી તેઓ મારી અરજીનો જવાબ આપવા માટે વધારે 45 દિવસ સમય લેશે.


અંબાણી પરીવારના પુત્રવધુ ટીના અંબાણીની ભાણેજ પર દહેજ માટે ત્રાસ

અંબાણી પરીવારના પુત્રવધુ ટીના અંબાણીની ભાણેજ પર દહેજ માટે ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. જેના કારણે, તેના પતિની ધરપકડ કરવામાં આવી છે. કેસની વિગતો પ્રમાણે જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પત્ની ટીના અંબાણીની ભાણેજ પર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. અરૂણ ચેટરજી નામનો આ શખ્સ 44 વર્ષનો છે. તે હોંગકોંગથી પરત ફર્યો ત્યારે એરપોર્ટ પર તેની ધરપકડ કરવામાં આવી હતી. આરૂપની પત્ની માનાએ તેની વિરૂદ્ધ દહેજ માટે પ્રત્યાડિત કરવાની ફરિયાદ નોંધાવી હતી.
ટીના અંબાણીને છ મોટા બહેનો છે. તેમાંથી એક બહેના પુત્રી માના છે. માનાનો આરોપ છેકે, તેના એકાઉન્ટમાંથી રૂપિયા 28 લાખ આરૂપના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની ફરજ પાડવામાં આવી હતી. દહેજ તથા પૈસા પડાવવાના મતલબની એક ફરિયાદ 39 વર્ષીય માનાએ ગણદેવી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી. આરૂપની ઉપર ભારતીય દંડ સંહિતાની ધારા 386 અને 498-એ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.કોર્ટે આરૂપને 12 જુલાઇ સુધી કસ્ટડીમાં મોકલી આપ્યો છે. ઉલ્લેખનીય છેકે, આરૂપ ઓટો પાર્ટ્સનો વ્યાપાર કરે છે. આરૂપ અને માનાના લગ્ન વર્ષ 1996માં થયા હતા. બંનેને દામ્પત્ય જીવનના ફળ સ્વરૂપે બે બાળકો છે. જે શાળાઓમાં અભ્યાસ કરે છે.

ભારતમાં ક્લિન્ટન ફાઉન્ડેશનની અધિકારી પર રેપ

આજે વહેલી સવારે શહેરના પોશ વિસ્તાર બંજારા હિલ્સમાં એક મહિલા પર બળાત્કારની ઘટના ઘટી હતી. જેના કારણે, શહેરમાં ચકચાર ફેલાઇ ગઇ છે. કારણકે, આ મહિલા રી ક્લિન્ટન ફાઉન્ડેશનમાં કામ કરતી હતી.મળતી માહિતી પ્રમાણે, આ મહિલા બંજાર હિલ્સના રોડ નંબર 11 પર રહેતી હતી. આજે વહેલી સવારે કેટલાક શખ્સો આ મહિલાના ઘર પર ત્રાટક્યા હતા. પહેલા તો તેની ઉપર ચાકૂની અણી ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની પાસેથી લગભગ પાંચ લાખની રકમ લૂંટીને ફરાર થઇ ગયા છે.આ મહિલા ક્લિન્ટન ફાઉન્ડેશનમાં ન્યૂટ્રિશિયન્સિસ્ટ તરીકે કામ કરે છે. જેના કારણે પોલીસ પણ હરકતમાં આવી ગઇ છે અને આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી છે. 25 વર્ષની આ મહિલાની ફરિયાદ પર પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. દરમિયાન તેને હોસ્પિટલમાં મેડિકલ તપાસ તથા વધુ નિરીક્ષણ અર્થે ખસેડવામાં આવી છે.


સિંગાપુર : કારના સ્પીકરમાં છૂપાઈ ભાગતા ભારતીયની ધરપકડ

સિંગાપુરની વૂડલેન્ડ ચેકપોસ્ટ ખાતે મોટરકારની સ્પીકરની જગ્યાએ છૂપાઈને ભાગી રહેલા ભારતીય નાગરિક સહિત બે વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી છે.બંને વ્યક્તિ ગેરકાયદેસર રીતે કારના સ્પીકરમાં છૂપાઈને દેશની બહાર ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતાં.સિંગાપુરના વર્તમાનપત્ર 'માય પેપર'ના જણાવ્યા પ્રમાણે શુક્રવારે ધરપકડ કરવામાં આવેલા ભારતીય નાગરિકે એજન્ટને દેશ બહાર લઈ જવા માટે 1500 સિંગાપુર ડોલર આપ્યા હતાં. આ માટે તે કારમાં સ્પીકર રાખવાની જગ્યાએ છૂપાયો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે આ કામ માટે ડ્રાઈવરને 300 ડોલર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ધરપકડ કરવામાં આવેલા નાગરિકની ઉંમર 25 વર્ષ હોવાનું જણાવવામાં આવ્યું છે. ધરપકડ કરવામાં આવેલો અન્ય વ્યક્તિ બાંગ્લાદેશનો નાગરિક છે.


બોલિવૂડ બેબ્સ માટે શાહિદ યુવતી બન્યો!


શાહિદ કપૂરે બોની કપૂરની ફિલ્મ મિલેંગે મિલેંગેમાં શોર્ટ સ્કર્ટ પહેર્યુ છે. મિલેંગે મિલેંગે આ શુક્રવારના રોજ રીલિઝ થાય છે.
દિગ્દર્શક સતીષ કૌશિકે જ્યારે શાહિદને સ્કર્ટમાં જોયો ત્યારે તે હસી હસીને બેવડ વળી ગયો હતો. શાહિદ છોકરી બનવા માટે તૈયાર થઈ ગયો હતો. ઘણાં અભિનેતાએ ફિલ્મમાં યુવતીની ભૂમિકા ભજવી છે.શાહિદ શોર્ટ સ્કર્ટમાં ઘણો જ ક્યુટ લાગતો હતો. શાહિદ પહેલા આમિર ખાન, શાહરૂખ, સલમાન અને અમિતાભ બચ્ચને પોતાની કરિયરમાં મહિલા પાત્ર ભજવ્યુ છે.શાહિદ આ ફિલ્મમાં જ્યારે કરિનાને પહેલીવાર મળે છે ત્યારે યુવતી તરીકે મળે છે, તેમ સતીષે કહ્યું હતું.દરેક ફિલ્મમાં અભિનેતા-અભિનેત્રીની પહેલી મુલાકાત ઘણી જ મહત્વની હોય છે. પહેલી મુલાકાતને ફિલ્મ મિલેંગે મિલેંગેમાં અલગ રીતે કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. શાહિદ અને તેના મિત્રો ગર્લ્સ હોસ્ટેલમાં જાય છે. શાહિદના એક મિત્રની પ્રેમિકાનો જન્મદિવસ હોવાથી તેઓ ગર્લ્સ હોસ્ટેલમાં જાય છે. જો કે તેઓ યુવતીઓ બનીને જાય છે. જ્યારે કરિના અને શાહિદ મળે છે ત્યારે તેઓ બે યુવતીની જેમ મળે છે, તેમ સતીષે હસતા હસતા જણાવ્યું હતું.આ ફિલ્મ રોમાન્સ પર આધારિત છે. કરિના અને શાહિદનું બ્રેક અપ થયા પછીની આ ફિલ્મ પહેલી છે. તો જોવાનું એ છે કે, કરિના અને શાહિદની જોડી લોકોને પસંદ આવે છે કે નહિ...


‘કોઈને પણ એસ. આર. કે. સાથે કામ કરવું છે’

ઓસ્ટ્રેલિયન અભિનેત્રી એમ્મા બ્રાઉન ગેરેટ બોલિવૂડમાં એક સ્વપ્ન સાથે આવી છે. તેણે પહેલા બેંગાલી ફિલ્મમાં મિથુનદા સાથે કામ કર્યું, હવે તે બોલિવૂડ પર ધ્યાન કેન્દ્રીત કરવા માંગે છે. તેણે ઈન્ટરવ્યૂમાં પોતાની કરિયર અંગેની કેટલીક વાતો કરી હતી.બોલિવૂડમાં કામ કરવાની પહેલેથી જ ઈચ્છા હતી. જ્યારે હું ભારત આવી ત્યારે જ નક્કી કર્યુ હતું કે, બોલિવૂડમાં કામ કરીશ. મેં મારી કરિયરની શરૂઆત બેંગાલી ફિલ્મથી કરી હતી અને હવે બોલિવૂડની બે ફિલ્મોમાં કામ કરી રહી છું. રોહન સિપ્પીની દમ મારો દર અને યમલા પગલા દિવાના કરી રહી છું.મને લાગે છે કે, હું ખરેખર નસીબદાર છું. ફિલ્મના સેટ પર મિથુનદા ઘણો જ સારો વ્યવહાર કરતા હતા. જ્યારે ધર્મેન્દ્રજી સાથે હોવ ત્યારે ઘરની યાદ પણ આવતી નહોતી. આ લોકોની સાથે કામ કરીને સારો અનુભવ થયો.બોલિવૂડની તમામ વાતોથી હું મંત્રમુગ્ધ થઈ જાવ છું. જ્યારે તમે બોલિવૂડ તમે બોલિવૂડની ફિલ્મો જોવો ત્યારે તમને કંઈક અલગ જ દુનિયા લાગે છે. મને કાલ્પનિક દુનિયા, વાર્તા ગમે છે. મને બોલિવૂડના તમામ કલાકારો પ્રત્યે માન છે. તેમ છતાં એસઆરકે સાથે કામ કરવું છે. આ સિવાય બિપાશા સાથે પણ કામ કરવું છે.બોલિવૂડ ડાન્સ શીખવાનું શરૂ કર્યુ છે. હું મોડલ અને અભિનેત્રી કે ડાન્સર નથી. મારા માટે અભિનય જ મહત્વનો છે. મેં પંજાબી હિન્દી શિક્ષક રાખ્યા છે. મને નથી લાગતું કે હું ક્યારેય શુદ્ઘ હિન્દીમાં વાત કરી શકીશ.ઓસ્ટ્રેલિયામાં વંશીય હુમલાની ઘણી જ વાતો કરવામાં આવે છે, તું ક્યારેય ભારતમાં વંશીય હુમલાનો ભોગ બની છે? ના, ભારતમાં ક્યારેય આવું બન્યું નથી. છેલ્લાં ત્રણ વર્ષથી અહીંયા છું પરંતુ ક્યારેય વંશીય હુમલો થયો નથી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઘણી જ બાબાતોમાં સમાનતા છે. જેમ કે, ક્રિકેટ. ભારતમાં રહેવું ઘણું જ ગમે છે.
બોલિવૂડ એટલે બોલિવૂડ. લોકોએ બોલિવૂડને સમજવાની જરૂર છે. અહીંયાના એકદમ અલગ જ છે. સ્ટોરીલાઈન પણ અલગ છે. દરેકના પોતાના મંતવ્યો છે.હું ક્યારેય તુલના કરતી નથી. મને બોલિવૂડમાં કામ કરવું ગમે છે. બોલિવૂડ અને હોલિવૂડ બંને અલગ છે અને તેઓની તુલના શક્ય નથી.તે બચ્ચન પરિવાર વિશે સાંભળ્યું છે? બચ્ચન પરિવારને મળ્યા પછી કેવું લાગ્યું? અભિષેક બચ્ચન મજાકિયો છે? ભારતમાં આવનાર તમામ લોકો બચ્ચન પરિવારને જાણે છે. અમિતાભના કામને હું ફોલો કરું છું. તેઓ ઘણાં જ સારા છે. અભિ રોહિત સિપ્પીનો મિત્ર છે. અભિએ ક્યારેય મારી મજાક કરી નથી.


સુરત : એરપોર્ટ પરથી નાઇજિરિયન રૂ. ૩.૧૪ લાખ સાથે પકડાયો

સુરતના એરપોર્ટ પરથી મંગળવારે મોડી સાંજે એક નાઇજિરિયન પકડાયો હતો. જેની પાસેથી રોકડા રૂ. ૩.૧૪ લાખ મળ્યા હતા. ઉમરા પોલીસે આ નાઇજિરિયનની ધરપકડ કરી તે સુરત શા માટે આવ્યો હતો? તે અંગે તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ મંગળવારે બપોરે દિલ્હીથી પ્લાન મારફતે સુરત આવેલા નાઇજિરિયન નેવીલી જોશાહ પ્લાનમાંથી ઊતરેલા તમામ મુસાફરો પોતપોતાના ઘરે જતા રહ્યા તે પછી પણ એકલો એરપોર્ટ પર બેસી રહ્યો હતો. આ ઘટનાની જાણ એરપોર્ટ ઓથોરિટીને થતાં તેમણે પોલીસની મદદથી આ ઇસમને ચેક કર્યો હતો. તેની પાસેથી રોકડા રૂ. ૩,૧૪,૦૦૦ મળી આવ્યા હતા. આ નાઇજિરિયન શા માટે સુરત આવ્યો હતો? તે એરપોર્ટ પર જ કેમ બેસી રહ્યો હતો? વગેરે મુદ્દે પોલીસે તપાસ આગળ ધપાવી છે. ઉમરાના ઇન્સ્પેકટર એ.આર. ચૌધરીએ કહ્યું હતું કે નેવીલી જોશાહનો પાસપોર્ટ તા. ૬-૫-‘૧૦ના રોજ પૂરો થઈ ગયો હોવા છતાં તે તેણે રિનન્યૂ કરાવ્યો નથી. તેવા સંજોગોમાં તેની સુરતની મુલાકાતને ગંભીરતાથી ધ્યાને લઈ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે


પંજાબ : વિઝા માટે મહિલાએ પિતા-પુત્ર સાથે લગ્ન કર્યા

બોલિવૂડ ફિલ્મ લેખકોના દિમાગમાં પણ ક્યારેય વિચાર ન આવ્યો હોય તેવો એક બનાવ પંજાબ રાજ્યમાં બન્યો છે. પંજાબની એક મહિલાએ કેનેડાના વિઝા મેળવવા માટે પિતા અને તેના પુત્ર સાથે લગ્ન કર્યાનો કેસ સામે આવ્યો છે. પરંતુ મહિલાનો આવો કિમિયો કામ ન આવતા આજકાલ ચંદીગઢ પોલીસ અને એનઆરઆઈ પિતા-પુત્ર મહિલાને શોધી રહ્યા છે.મહિલા સામે બે વ્યક્તિઓ સાથે લગ્ન કરી છેતરપિંડી કરવી, ખોટા પ્રમાણપત્રોને આધારે બોગસ પાસપોર્ટ મેળવવો, તેમજ ઉત્તર પ્રદેશમાં થયેલી એક હત્યામાં સંડોવણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસને એવી શંકા છે કે મહિલા આતંકવાદી તત્વો સાથે કોઈ લિન્ક ધરાવે છે.પ્રિયા ઈન્દર કૌર નામની ‘રહસ્યમય’ મહિલાએ પિતા-પુત્ર અને ચંદીગઢ પોલીસને એવી તો ગૂંચવણમાં મૂકી દીધી છે કે કોઈને પણ આ મહિલા વિશે કંઈ ખબર નથી. પિતા-પુત્ર સાથે લગ્ન કર્યા બાદ આ મહિલા અન્ય એક વ્યક્તિ સાથે ગૂમ થઈ ગઈ છે.કૌરે 2001ના વર્ષમાં એનઆરઆઈ રાજીન્દર સિંઘ રાજીન્દર(60) સાથે લગ્ન કર્યા હતાં. ત્યાર બાદ બંને ચંદીગઢમાં થોડો સમય માટે ભાડે રહ્યા હતાં. આ સમયે રાજીન્દરે પોતાની કેનેડિયન પત્નીને છૂટાછેડા આપ્યા હતાં. આથી તે થોડા દિવસ માટે રહેવા માટે ચંદીગઢ આવ્યા હતાં. રાજીન્દર જ્યારે ચંદીગઢ ખાતે પોતાના ઘરે રહેતા હતાં ત્યારે કૌર તેના ઘરે ભાડૂઆત તરીકે રહેવા આવી હતી. કૌર પોતાની સગાસબંધીઓ અંગે માહિતી આપવામાં નિષ્ફળ રહેતા રાજીન્દરે તેને ઘરમાંથી કાઢી મૂકી હતી.
જો કે થોડા સમય બાદ મહિલાએ રાજીન્દરનો ફરીથી સંપર્ક કર્યો હતો. તેમજ મદદની વિનંતી કરી હતી. કૌર પર દયા ખાઈને રાજીન્દરે તેને પોતાના ઘરે ઘરકામ માટે રાખી લીધી હતી. સમય જતાં બંને નજીક આવ્યા હતાં અને 2001માં લગ્ન કરી લીધા હતાં.રાજીન્દરે જણાવ્યું હતું કે, કૌર એવું વિચારી રહી હતી કે હું એનઆરઆઈ હોવાથી તેને કેનેડા સાથે લઈ જઈશ. પરંતુ જ્યારે મેં તેને કહ્યું કે હવે મારો કેનેડા પરત જવાનો કોઈ ઈરાદો નથી, ત્યારથી તેણે મારી સાથે ગેરવર્તન કરવાનું શરૂ કરી દીધું હતું. ઉપરાંત ફેબ્રુઆરી 2002માં તેણે મને છૂટાછેડા આપી દીધી હતાં. ઘટના બાદ બે વર્ષ સુધી કૌર ક્યાંક અદ્રશ્ય થઈ ગઈ હતી. 2004 માં તે ફરીથી રાજીન્દરના ઘરે પરત ફરી હતી. જ્યાં તેની મુલાકાત રાજીન્દરના પુત્ર સાથે થઈ હતી. રાજીન્દર આ સમયે બહારગામ ગયો હતો. રાજીન્દરને પોતાની કેનેડિયન પત્ની દ્વારા એક પુત્ર થયો હતો. રાજીન્દરના પુત્રને ઘરે એકલો જોઈને મહિલાએ તેની સાથે મૈત્રીભર્યું વર્તન કરવાનું શરૂ કર્યું હતું.બંનેની મિત્રતા થોડા દિવસો બાદ પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી. થોડા દિવસો બાદ બંને લેહ ખાતે ફરવા ગયા હતાં. જ્યાં બંનેએ લગ્ન કરી લીધા હતાં. રાજીન્દરે જણાવ્યું હતું કે કૌરે મારા પુત્રને મારા અને તેના લગ્ન વિશે જણાવ્યું ન હતું. કૌર એવું માનતી હતી કે મારો પુત્ર લગ્ન કરીને તેને કેનેડા લઈ જશે. આ સમયે હું હિમાચલ પ્રદેશ ખાતે આવેલા મારા ઘરે હતો. રાજીન્દરને જ્યારે તેના પુત્ર અને કૌરના લગ્ન વિશે ખબર પડી ત્યારે તેણે પોતાના લગ્નની વાત તેના પુત્રને કરી હતી. આ સમયે રાજનને આઘાત લાગ્યો હતો. જો કે આ સમય દરમિયાન કૌર અદ્રશ્ય થઈ ગઈ હતી. આથી રાજીન્દરે અને તેના પુત્રએ પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટના બાદ પિતા-પુત્રનેને ધ્યાનમાં આવ્યું હતું કે કૌરે રાજનની પત્ની હોવાનો દાવો કરી નવી દિલ્હી ખાતે આવેલી કેનેડિયન એમ્બેસીનો પણ સંપર્ક કર્યો હતો.


ટીમ ઈન્ડિયાના દિગ્ગજોનું દિલ કોણે તોડ્યું?

દક્ષિણ આફ્રિકા ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપની પ્રબળ દાવેદાર અને દિગ્ગજ ટીમો આર્જેન્ટિના અને બ્રાઝિલ ક્વાર્ટર ફાઈનલ મેચ હારીને મહાકુંભની બહાર થઈ ગઈ છે. હારથી ટીમોના ખેલાડીઓ અને કોરોડો ફૂટબોલ પ્રેમીઓ પણ દુખી થયા છે. આ દુખી પ્રશંસકોમાં ભારતીય ટીમના કેટલાક ક્રિકેટરો પણ સામેલ છે.ભારતીય ટીમની દિવાલ ગણાતો રાહુલ દ્રવિડ અને સ્ટાઈલિશ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ જાહેરમાં બ્રાઝિલ ટીમ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરી ચૂક્યા છે. જ્યારે ઝડપી બોલર ઝહિર ખાન અને સુરેશ રૈનાની પ્રથમ પસંદ આર્જેન્ટિનાની ટીમ હતી.એટલું જ નહીં તાજેતરમાં જ પોતાની બાળપણની મિત્ર સાક્ષી સાથે લગ્ન કરનારો સુકાની મહેન્દ્ર સિંહ ધોની પણ સ્કૂલના દિવસોમાં ફૂટબોલ રમતો હતો અને તે તેની ટીમો ગોલકિપર હતો. જો કે તે ગોલકિપર તો ના બન્યો પરંતુ ક્રિકેટ ટીમનો વિકેટકિપર બની ગયો. ધોનીએ ફૂટબોલ વર્લ્ડ કપ પહેલા કહ્યું હતું કે હજી પણ ફૂટબોલ તેના હ્રદયની નજીક છે અને તે વર્લ્ડ કપનો ભરપૂર આનંદ માણશે.રાહુલ દ્રવિડ વર્લ્ડ કપ શરૂ થયો ત્યારથી બ્રાઝિલનું સમર્થન કરતો આવ્યો છે. બ્રાઝિલ જ્યારે હોલેન્ડ સામે હારીને બહાર થઈ ગયું ત્યારે રૈનાએ તેના ટ્વિટર પર લખ્યું હતું કે મોટો ફટકો, પરંતુ કાકા હજી પણ મારો પસંદગીનો ખેલાડી છે. ઝડપી બોલર ઝહિર ખાને પણ આર્જેન્ટિનાનું સમર્થન કર્યુ હતું. ભારતીય ટીમમાં પુનરાગમન કરનારા યુવરાજ સિંહે પણ વર્લ્ડ કપની મેચોનો આનંદ માણ્યો હતો. પોર્ટુગલનો સ્ટાર ખેલાડી ક્રિસ્ટિઆનો રોનાલ્ડો તેનો પ્રિય ખેલાડી છે.


કચ્છની સરહદેથીપકડાયેલો પાગલ આઇ. એસ. આઇ. નો જાસૂસ નીકળ્યો!

કચ્છની વીઘાકોટ સરહદેથી શનિવારે સાંજે પકડાયેલો પાગલ પાકિસ્તાની ઘૂસણખોર સામે પારની કુખ્યાત એજન્સી આઇએસઆઇનો એક ભાગ એવી ફીલ્ડ ઇન્ટેલીજન્સ યુનિટ (એફઆઇયુ)નો એજન્ટ હોવાનું બહાર આવતાં કચ્છની સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. માત્ર એટલું જ નહી પરંતુ આ ‘પાગલ’ પાસેથી જે નોટબુક જેવી ડાયરી મળી આવી છે, તેમાં રેલવેના ટ્રેક જેવી નિશાનીઓ જોવા મળી છે. પાકિસ્તાનના સ્વાત નામના વિસ્તારનો રહેવાસી મહંમદ રહીમ મહમદ ઝહીર પઠાણ પૂછપરછમાં ત્રણ -ચાર કલાકે માંડ એકાદ શબ્દ બોલતો હોવાથી ભારતીય સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી ગઇ છે. નોટબુકમાં જે ટ્રેકની નિશાની મળી આવી છે તેની સાથે કેટલુંક ઉદુg લખાણ પણ છે. આ ઘૂસણખોર પાગલની હરકત તેમજ તેની પાસે મળી આવેલા પુરાવાઓ અને સામે પારથી મળેલી કેટલીક ટીપ્સને આધારે પ્રાથમિક તબક્કામાં આ શખ્સ એફઆઇયુનો જાસૂસ હોવાનું મનાઇ રહ્યું છે. કચ્છ સરહદે વીઘાકોટ પાસેથી શનિવારે સાંજે પકડાયેલો જાસૂસ છે. પાક.ની ફીલ્ડ ઇન્ટેલીજન્સ યુનિટના આ એજન્ટ પાસેની ડાયરીમાંથી રેલવે ટ્રેક જેવી નિશાનીઓ મળતાં એજન્સીઓ ચોકન્ની બની. જે રીતે એક જ સપ્તાહની અંદર કચ્છની વીઘાકોટ સરહદ વિસ્તારમાંથી બીજો પાકિસ્તાની પાગલ પકડાઇ આવ્યો છે તેને જોતાં એફઆઇયુ દ્વારા ભારતમાં ઘૂસણખોરી કરતાં કેટલો સમય લાગે છે તેની મોકડ્રીલ કરવામાં આવી હોઇ તેવું સૂત્રોએ જણાવ્યું હતું.સ્વાત ખીણ નહીં, પરંતુ તેના જેવા કોઇ ગામનો રહેવાસી નીકળ્યો. બોર્ડર પીલર નં. ૧૧૧૮થી પકડાયેલો મહંમદરહીમ પઠાણ નામનો આ શખ્સ માંડ બોલતો હોવાથી તેણે જ્યારે પોતે સ્વાતમાં રહે છે તેવું ભાંગીતૂટી ભાષામાં બોલ્યો ત્યારે એજન્સીઓ તે સ્વાત ખીણમાંથી આવેલો કોઇ ખૂંખાર આતંકવાદી હોવાનું માની લઇને ભાંગરો વાટ્યો હતો. હકીકતમાં રહીમ સ્વાત ખીણ નહીં, પરંતુ દક્ષિણી પાકિસ્તાનના કોઇક સ્વાત કે તેના જેવા કોઇ ભળતા વિસ્તારનો છે.એફઆઇયુ માત્ર જાસૂસી કરે છે. આઇએસઆઇ ઉપરાંત પાકિસ્તાનમાં ફેડરલ ઇન્ટેલીજન્સ એજન્સી (એફઆઇએ), આઇબી અને અબ્બાભીલ તેમજ એમઆઇ જેવી એજન્સીઓ જાસૂસી ઉપરાંત ભારત સહિતના આસપાસના દેશોમાં ભાંગફોડની પ્રવૃત્તિઓમાં પણ ખરડાયેલી હોય છે, જ્યારે એફઆઇયુ જાસૂસી પૂરતી સીમિત છે. અગાઉ કચ્છના એસપી પી. કે. ઝાના સમયમાં આ એજન્સીનો એક જાસૂસ પકડાયો હતો, જ્યારે ઓકટો’૯૭માં કાશ્મીરના રાજૌરી વિસ્તારમાંથી મુંબઇ અને દિલ્હીના નકશા સાથે અબ્દુલગની નામનો એજન્ટ પકડાયો હતો. આમ જવલ્લે જ ભારતીય સુરક્ષા એજન્સીઓના હાથમાં એફઆઇયુના એજન્ટો પકડાતા હોય છે ત્યારે કચ્છમાંથી પકડાયેલા આ પાગલ શખ્સનું કનેકશન એફઆઇયુ સાથે નીકળતાં એજન્સીઓના માથાના વાળ ઉંચા થઇ ગયા છે.


શિકાગો : ભારતીય સોફ્ટવેર એન્જિનિયરનું શિકાગોમાં મોત

ભારતમાંથી મલ્ટિનેશનલ કંપનીના પ્રોજેક્ટ માટે શિકાગો આવેલા એક સોફ્ટેવેર એન્જિનિયરનો મૃતદેહ લેક મિશિગન પાસેથી મળી આવ્યો છે. 32 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિદ્યા સાગર વર્મા નામનો યુવક 20 મેના રોજ ભારતમાંથી અમેરિકા આવ્યો હતો. અહીં આવ્યા બાદ તે પોતાના સગાસબંધીઓ અને મિત્રોના સંપર્કમાં હતો. પરંતુ અચાનક તેણે બધાનો સંપર્ક કરવાનું છોડી દીધો હતો.જેના કારણે તેના પરિચિતો દ્વારા તેની કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.વર્માની કંપની દ્વારા ત્યાર બાદ તેના ગુમ થયાની ફરિયાદ પોલીસ મથકે દાખલ કરવામાં આવી હતી. ભારતના ફરિદાબાદનો રહેવાસી એવો વર્મા જૂન 19ના રોજ ગુમ થઈ ગયો હતો. ત્યાર બાદ પોલીસને લેક મિશિગન ખાતેથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.જો કે વર્માનું મોત ડૂબી જવાથી થયું છે કે અન્ય કોઈ કારણથી તે અંગે પોલીસ દ્વાર કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. હાલમાં વર્માના મૃતદેહને ભારત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

શહેરના ટાગોર રોડ જે.પી.ટાવરના સેલરમાં ભીષણ આગ :૧પ૦૦ મકાન-દુકાન ખાલી કરાવાયા

શહેરના ટાગોર રોડ ઉપર પાંચ માળના વાણજિય ભવન જે.પી.ટાવરના સેલરમાં બપોરે ભિષણ આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઇ છે. આગને કાબુમાં લેવા શહેરના તમામ ફાયર ફાયટરો સ્થળ ઉપર દોડાવાયા છે. સલામતી ખાતર ટાવરની તમામ ઓફિસ ઉપરાંત આસપાસના ૧પ૦૦ જેટલા મકાન અને દુકાન ખાલી કરાવી રોડ પરનો વાહન વ્યવહાર પણ બંધ કરાવી દેવાયો છે.પ્રાપ્ત વિગતો મુજબ, આગના કારણે પાંચ માળના જે.પી. ટાવરની ૧૦૦ થી વધુ ઓફિક તાબડતોબ ખાલી કરાવી દેવામાં આવી છે. આગ સેલરમાં લાગી હોવાથી ફાયર બ્રિગેડના સ્ટાફને ત્યાંસુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડી હતી. તેમજ સેલરમાં સંગ્રહ કરાયેલો વાયરનો મોટો જથ્થો આગની લપેટમાં આવી જતાં ધુમાડાના વાદળો છવાઇ ગયા હતા. આગને કાબુમાં લેવા પાણીનો સતત મારો ચાલુ રખાયો છે. વીજ વાયરના કારણે સર્જાયેલી દુર્ઘટના, ફાયર બ્રિગેડનો તમામ સ્ટાફ તૈનાત. સ્થિતીની ગંભીરતા જાણીને તંત્ર દ્વારા બનાવ સ્થળના ૧૦૦ મીટરની ત્રજિયામાં આવેલા ૧પ૦૦ જેટલા મકાન અને દુકાન ખાલી કરાવી વિસ્તારને કોર્ડન કરી લેવાયો છે.આગ બુઝવવાની કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડના એક જવાનને ઇજા થયાનું જાણવા મળે છે.

અગ્રણી ટાઈમ મેગેઝિને ઇન્ડો-અમેરિકનોની માફી માગી

અગ્રણી ટાઈમ મેગેઝિને પોતાના એક પત્રકાર જોએલ સ્ટીનના છપાયેલા લેખ માટે ભારતીય મૂળના અમેરિકનોની માફી માગી છે. જોએલના આ લેખના કારણે અમેરિકાના ખાસ કરીને ન્યૂજર્સીના રહીસોમાં વધુ રોષ જોવા મળ્યો હતો.મેગેઝિને જણાવ્યું કે જો ‘માય ઓન પ્રાઈવેટ ઈન્ડિયા’માં છપાયેલ લેખના કારણે કોઈપણ વાચકની લાગણી દુભાઈ હોય તો તેના માટે અમે દિલગીર છીએ. સ્ટીને અફસોસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ‘મારા દ્વારા ખરેખર ઘણા લોકોનું મન દુ:ખી થયું છે.’અત્રે ઉલ્લેખનીય છે કે ન્યૂ જર્સીમાં દર પાંચ વ્યક્તિએ એક ઇન્ડો-અમેરિકન છે. આ જ સંદર્ભમાં જોલેને પોતાના લેખમાં એવું ટાંક્યુ હતું કે તેનું હોમ ટાઉન ન્યૂ જર્સી વધુને વધુ ભારતીયો આવવાના કારણે બદલાઈ ગયું છે.લેખકે પોતાના લેખમાં ન્યૂજર્સીના પરિવર્તનમાં લાગણીદુભાવનારી ટીપ્પણી કરી હતી.આ લેખ છપાયા બાદ ઘણા બધા ઇન્ડો-અમેરિકનોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો તેમજ મેગઝિન અને લેખક પાસે માફી માગવાની માગ કરી હતી.

મુંબઈને ચડશે ‘ફીવર’ કે ચમકશે ‘ગોલ્ડ’

રેડિયો ઓડિયંસ મેજરમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલા તાજા આંકડા અનુસાર 25માં અઠવાડિયામાં રેડિયો મિર્ચી મુંબઈ, દિલ્હી અને કોલકત્તામાં નંબર વન રેડિયો સ્ટેશન બની ગયું છે.મુંબઈમાં રેડિયો મિર્ચીનો માર્કેટશેર 17.2 ટકા, દિલ્હીમાં 24.8 અને કોલકત્તામાં 20.7 ટકા છે. જોકે આ અઠવાડિયે મુંબઈમાં ફીવર એફએમ અને એઆઈઆર એફએમ ગોલ્ડ, બન્નેના માર્કેટ શેર એક સરખા 11.3 ટકા છે.મુંબઈમાં રેડ એફએમ અને રેડિયો સિટી ક્રમશ: બીજા અને ત્રીજા સ્થાને છે જ્યારે દિલ્હીમા6 ફિવર એફએમ અને એઆઈઆર ગોલ્ડની આ બંને સ્થાનો પર પોતાની બાદશાહત છે. કોલકત્તામાં બિગ એફએમ અને ફ્રેન્ડ્સ એફએમ ક્રમશ: બીજા અને ત્રીજા સ્થાને છે.બેંગલૂરમાં બિગ એફએમ 19.7 ટકા માર્કેટ શેરની સાથે નંબર વન પર છે. જ્યારે રેડિયો મિર્ચી અને ફીવર એફએમ ક્રમશ: બીજા અને ત્રીજા સ્થાને છે.


નક્સલી હુમલામાં પત્રકારનું મોત

નક્સલી નેતા ચેરુકુરી રાજકુમાર ઉર્ફ આઝાદની સાથે થયેલી કથિત પોલીસ અથડામણમાં મૃત્યુ પામેલા ફ્રીલાન્સ પત્રકાર હેમચન્દ્ર પાંડેનો મૃતદેહ મંગળવારે રાત્રે દિલ્હી ખાતે પહોચતો કરવામાં આવ્યો હતો.પાંડેની પત્ની બબિતા, પાંડેના ભાઈ અને આન્ધ્રપ્રદેશના કેટલાક માનવધિકાર કાર્યકર્તા મૃતદેહને લઈને દિલ્હી પહોંચ્યા. બબિતાએ જણાવ્યું હતું કે તેનો પતિ નક્સલી નહી પણ એક ફ્રીલાન્સ પત્રકાર હતાં.ફ્રીલાંસ પત્રકાર અને પીપલ્સ યૂનિયન ફોર ડેમોક્રેટિક રાઈટસના અધ્યક્ષ આશીષ ગુપ્તાએ ‘આઈએએનએસ’ને જણાવ્યું હતું કે ‘મૃતદેહને સાત જંતરમંતર સ્થિત પ્રમુખ ધાર્મિક અને સામાજિક સુધારક સ્વામી અગ્નીવેશના કાર્યાલય લઈ જવામાં આવશે. જ્યાં બુધવારે લોકો આ પત્રકારને શ્રદ્વાંજલિ આપશે, અને ત્યાર બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.આ પહેલા બબિતા અને તેમના સંબંધિઓ દ્વારા મૃતદેહને આદિલાબાદથી હેદરાબાદ લાવી ત્યાંના પ્રેસ ક્લબમાં મૂકાયો હતો. જ્યાં પત્રકારોએ તેમણે શ્રદ્ધાંજલિ આપી હતી.ઈન્ડિયન જર્નલિસ્ટ યૂનિયનના સચિવ કે.શ્રીનિવાસ રેડ્ડી અને આન્ધ્રપ્રદેશ પ્રેસ એકેડમીના પૂર્વ અધ્યક્ષ ડી. અમરે પાંડેને શ્રદ્ધાંજલિ આપી ન્હોતી, જેમનો પત્રકારોએ વિરોધ કર્યો હતો.


શ્રીનગર : સળગતા સ્વર્ગ'ને બચાવવા સેના ઉતરી

છેલ્લા કેટલાક દિવસોથી કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં હિંસા પ્રવર્તમાન છે. જેને કાબુમાં લેવા માટે રાજ્ય સરકારે સેનાની મદદ લીધી છે. અને સેનાએ મોરચો સંભાળી પણ લીધો છે.સેનાએ ગઇકાલે મોડી રાત્રે શ્રીનગરની સ્થિતીનો કબ્જો સંભાળ્યો હતો. આજે સવારે લગભગ સાડા દસ વાગ્યે ભારતીય સેનાએ એરપોર્ટ રોડ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કર્યું હતું. ગૃહપ્રધાન તાજ મોઇનુદ્દિનના કહેવા પ્રમાણે, કાયદો અને વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવા એ તેમની સરકારની પ્રાથમિકતા છે. રાજ્ય સરકારના મતે કેટલાક લોકો આ સ્થિતીનો લાભ લેવા માગે છે. જેના કારણે તેઓ કાશ્મીરના યુવા વર્ગના હાથમાં પથ્થર આપી દેવામાં આવે છે. પત્રકારોને આપવામાં આવેલા કર્ફ્યુ પાસ પણ રદ્દ કરી દેવામાં આવ્યા છે.બીજી બાજુ, અનંતનાગ, પામ્પોર, સોપોર અને બાંદીપોરા વિસ્તારોમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છેકે, પ્રવર્તમાન હિંસાને કાબુમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા સેનાની મદદ માગવામાં આવી હતી.બીજી બાજુ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘે કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને લઇને સુરક્ષા બાબતો અંગે કેન્દ્રીય કેબિનેટની બેઠક બોલાવી છે. જેમાં કાશ્મીરની તાજેતરની સ્થિતી ઉપર વિચાર કરવામાં આવશે. ગૃહ વિભાગે એક તરફ રાજ્ય સરકારને સૂચના આપી છેકે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતી એ રાજ્ય સરકારની જવાબદારી છે તો બીજી તરફ તેમણે સીઆરપીએફને પણ સંયમ વર્તવા સૂચના આપી છે.આ તરફ રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન પલ્લમ રાજુના કહેવા પ્રમાણે, સેનાને શ્રીનગર મોકલવામાં આવી છે તથા તે જરૂર પડશે ત્યાં સુધી ત્યાં રહેશે. આ માટે કોઇ સમય મર્યાદા બાંધવામાં નથી આવી. રાજ્યના મુખ્યપ્રધાન ઉંમર અબ્દુલ્લાએ હિંસાગ્રસ્ત અનંતનાગની મુલાકાત લીધી હતી. તેમણે આશ્વાસન આપ્યું હતુંકે. હિંસાને અટકાવવા માટે સરકાર શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. ઉપારંત નિર્દોષ નાગરિકોના મોત માટે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલા લેવા માટે તત્કાળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


ભારતીય નૌસેનાના વરિષ્ઠ અધિકારી રિયર એડમિરલ જામવાલનું ફાયરિંગમાં મોત

ભારતીય નૌસેનાના વરિષ્ઠ અધિકારી રિયર એડમિરલ એસ. એસ. જામવાલનું કોચ્ચી ખાતે મોત થયું છે. જામવાલનું મોત કોચ્ચી ખાતે આવેલા આઇએનએસ દ્રોણાચાર્ય ખાતે થયું છે. આ દુર્ઘટના આઇએનએસ દ્રોણાચાર્યની ફાયરિંગ બટ્ટ પર થયું છે.
ઘટનાના કારણે નૌકાદળમાં ચકચાર ફેલાઇ ગઇ છે. આ ગોળી અકસ્માતે ફૂટી હતીકે બીજું કોઇ કારણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના સવારે સાડા દસ વાગ્યા આસપાસ બની હતી. આ માટે તપાસ સમિતિ પણ નિમવામાં આવે તેવી શક્યતા છે. આઇએનએસ દ્રોણાચાર્ય ભારતીય નૌકાદળનું ટ્રેનિંગ મથક છે તથા અહીં નેવલ ઓફિસરોને તાલિમ આપવામાં આવે છે.હાલ રિયર એડમિરલ જામવાલના પાર્થિવ દેહને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે. જ્યાં તેનુ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. 51 વર્ષીય જામવાલ પત્ની તથા બે સંતાનોને વિલાપ કરતા છોડી ગયા છે. ઉલ્લેખનીય છેકે, રિયર એડમિરલ જામવાલ ભારતીય નૌકાદળના બાહોશ અધિકારી હતી. તેઓ દેશ વિદેશના અનેક સ્થળો પર ફરજ બજાવી ચૂક્યા હતા. તેમણે સંયુક્ત નૌકા કવાયતો પણ હાથ ધરી છે. તેમનું ટૂંક સમયમાં પ્રમોશન થાય તેવી વકી હતી.


રેડિયો કાર્યક્રમમાં કેટી ચાલુ શોમાં સેક્સ પર વાતો કરવા લાગી

રેડિયો કાર્યક્રમ દરમિયાન હોલિવૂડની કેટી પેરીએ સેક્સ લાઈફને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરતા શ્રોતાઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.રેડિયો કાર્યક્રમમાં કેટીએ કહ્યું હતું કે, ફિફા વર્લ્ડ કપને કારણે તેના જીવનમાંથી રોમાન્સનું મહત્વ ઘટી ગયું છે. તેનો પ્રેમી રશેલ બ્રાન્ડ ફૂટબોલ પાછળ પાગલ છે અને તેને કારણે તેનું જીવન અત્યારે નિરસ થઈ ગયું છે.જો કે કેટીએ થોડીવાર પછી જ રેડિયો કાર્યક્રમમાં ઓરલ સેક્સની વાત કરતાં શ્રોતાઓને ભારે નવાઈ લાગી હતી.કેટીએ કહ્યું હતું કે, તે વર્લ્ડ કપને કારણે વિધવા થયેલી છે. આ સમય અત્યારે તેના માટે ઘણો જ મુશ્કેલીજનક છે. રશેલને તેના કરતાં ફૂટબોલમાં વધારે રસ છે.
વધુમાં તેણે ઉમેર્યુ હતું કે, ફિફા વર્લ્ડ કપને કારણે તેના જીવનમાં સેક્સ ઓછું થઈ ગયુ છે.

‘અવતાર’ ફેમ અભિનેત્રી ઝો સલ્દાનાને પુરુષના હાથની ઘેલછા

‘અવતાર’ ફેમ અભિનેત્રી ઝો સલ્દાનાનું કહેવું છે કે તેના માટે પુરુષમાં સૌથી મહત્વની બાબત હાથ છે, કારણકે હાથ પુરુષના વ્યક્તિત્વ વિશે ઘણુંબધું કહી જાય છે. ૩૨ વર્ષની અભિનેત્રીને હાથની ઘેલછા છે અને તેનું કહેવું છે કે તેને સુંદર અને સુંવાળી હથેળીવાળો પુરુષ ગમે છે. તે કહે છે, ‘મને પુરુષોના હાથ ગમે છે, માત્ર સરસ નહીં, પરંતુ મેનીકયોર્ડ હાથ ગમે છે. મને લાગે છે કે હાથ તમારા અને તમારા ઈતિહાસ વિશે ઘણું કહે છે.’ ઝોએ તેના ૧૦ વર્ષથી પ્રેમી રહેલા કિથ બ્રિટન સાથે ગત મહિને સગાઈ કરી હતી. તેને સંવેદનશીલ પુરુષો ઘણા આકર્ષક લાગે છે.


અંડરવિયર વધારે હોટ કે મેગનની બોડી

હોલીવુડની હોટ બેબી મેગન ફોક્સે અરમાનીની અંડરવિયર માટે ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું. એમપીરિયો અંડરવિયર અને અરમાની જીન્સ માટે કરવામાં આવેલા આ ફોટોશૂટને ઈન્ટરનેટ પર મૂકતાંની સાથે જ મોટા પ્રમાણમાં જોવામાં આવી રહ્યું છે. અરમાનીની સ્પોક્સ મોડલ તરીકે આ તેની બીજી સીઝન છે. આ પહેલા પણ તે અરમાની માટે ફોટોશૂટ કરી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ફોક્સને ટ્રાન્સફૉર્મર-3માંથી દૂર કરાઈ હતી અને તેના સ્થાને બ્રિટિશ મોડલને લેવામાં આવી હતી.

એસ. એસ.જી. હોસ્પિટલમાં કામલીલા

ધંધાદારી મહિલાને ઓપીડી રૂમમાં લાવી આઠ જણાએ લાઇન લગાવી હતી. સયાજી હોસ્પિટલના ઓપીડી રૂમમાં ધંધાદારી મહિલા સાથે કામલીલા કરવા પાંચ સિકયુરિટી અને ત્રણ સર્વન્ટ સહિત આઠ કામાંધ શખ્સોએ લાઇન લગાવી હતી. બપોરે વરસતા વરસાદમાં અચાનક નર્સ આવી જતાં એક સિકયુરિટી કઢંગી હાલતમાં ઝડપાઇ ગયો હતો જ્યારે અન્ય સાત નૌ દો ગ્યારાહ થઇ ગયા હતા. સમગ્ર પ્રકરણે ભારે હોબાળો મચતાં ત્રણ સિકયુરિટી અને એક ચોથા વર્ગના કોન્ટ્રાકટના કર્મચારી સહિત ચારને પાણીચું આપી દેવાયું હતું.ખાનગી એમ્બ્યુલન્સ, ખાનગી લેબોરેટરી, દર્દીઓને મધરાતે બહાર મૂકી આવવાના મામલે પંકાયેલી સયાજી હોસ્પિટલ હવે સેક્સ માણવાના સુરક્ષિત સ્થળ તરીકે પણ ચર્ચાની એરણે ચઢી છે. ગત શુક્રવારે શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે હોસ્પિટલના પાંચ સિકયુરિટી અને ત્રણ સર્વન્ટો એક ધંધાદારી મહિલાને લઇ આવ્યા હતા.ઓપીડી રૂમમાં સવારે ૯થી ૧૨ અને બપોરે ૩થી પ દરમિયાન દર્દીઓને તપાસવામાં આવે છે જ્યારે ૧૨ થી ૩ માં ઓપીડી વિભાગ બંધ રહેતો હોય છે. જેનો લાભ લઇ ભારત સિકયુરિટી એન્ડ પર્સનલ સર્વિસીસનો એક ગાર્ડ મહિલાને લઇ ઓપીડીના રૂમ નં.પમાં ગયો હતો જ્યારે અન્ય સાત શખ્સો બહાર લાઇન લગાવી ઊભા હતા.દરમિયાન હોસ્પિટલનાં નર્સ કોઇ કામ અર્થે ઓપીડી રૂમ પાસે આવતાં સિકયુરિટી અને વર્ગ ૪ના કર્મચારીઓનો જમાવડો જોઇ અટકી ગયા હતા. તેમણે ટોળે વળી ઊભેલા શખ્સોને પૂછતાછ કરતાં તેઓ ત્યાંથી નૌ દો ગ્યારાહ થઇ ગયા હતા જ્યારે રૂમમાં પ્રવેશ કરતાં એક સિકયુરિટી કઢંગી હાલતમાં ઝડપાઇ ગયો હતો.બનાવના પગલે નર્સે સંબંધિત વિભાગને જાણ કરતાં ભારે હોબાળો મચી ગયો હતો.તંત્રે સિકયુરિટીના સત્તાધીશોને જાણ કરતાં હોસ્પિટલમાં કામલીલા કરનાર ત્રણ સિકયુરિટી અને ચોથા વર્ગના કોન્ટ્રાકટના કર્મચારીને તાકીદે પાણીચું આપી દેવાયું હતું. અલબત્ત ચાર જણને બાદ કરતાં અન્ય શખ્સોની સંડોવણી અંગે તંત્ર નન્નો ભણી રહ્યું છે.વોર્ડ ર૦માં પણ મહિલાની છેડતીની ફરિયાદ ઊઠી હતીતાજેતરમાં વોર્ડ.૨૦માં પણ એક મહિલાની છેડતીની ફરિયાદ ઊઠી હતી. ઉક્ત બનાવના ચાર દિવસ અગાઉ રાત્રે મહિલા લઘુશંકાએ ગઇ હતી ત્યારે એક સિકયુરિટી ગાર્ડે અંધારામાં તેની સાથે અટકચાળો કર્યો હતો. બે મહિના પહેલાં પણ એનસીઓટી વોર્ડની બાજુમાં સર્વન્ટ ક્વાર્ટરમાં એક મહિલા સાથે બદકામ કરતો સિકયુરિટી પકડાયો હોવાની વાત ભારે ચર્ચાસ્પદ બની હતી. જોકે, દલાલોની દરમિયાનગીરીથી તેનું ભીનું સંકેલાઇ ગયું હતું.


કોન્ટ્રાક્ટરો પાસેથી લાખોની પેનલ્ટી વસૂલાશે

વરસાદી ગટર પ્રોજેક્ટનાં કરોડો રૂપિયાનાં કામો થયાં નહીં હોવાનું મ્યુ. કમિશનરની તપાસમાં બહાર આવ્યું. અલકાપુરી, સુભાનપુરા, ઇલોરાપાર્ક અને માંજલપુરમાં કામગીરીમાં ગંભીર ક્ષતિઓ.પહેલા વરસાદમાં જ શહેરીજનોને ભારે આપદા ભોગવવાનો વારો આવ્યો હતો ત્યારે તેના માટે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે આખરે મ્યુ.કમિશનરે લાલ આંખ કરીને વરસાદી ગટર પ્રોજેક્ટના ચાર મોટા કોન્ટ્રાક્ટરો પાસેથી લાખો રૂપિયાની પેનલ્ટી વસૂલ કરવાની તાકીદ કરી છે.જેથી, આવા કોન્ટ્રાક્ટરોના બિલમાંથી કપાત કેમ નહીં કરવી તેવી તાકીદ કરતી નોટિસો ફટકારવામાં આવી છે.વિતેલા સપ્તાહમાં ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતાં સમગ્ર શહેર જળબંબાકાર થઇ ગયું હતું અને વરસાદી ગટરોમાં પાણીનો સમયસર નિકાલ ન થતાં શહેરીજનોને પાણી ભરાવાની સમસ્યાથી પીડાવાનો વારો આવ્યો હતો.વડોદરાવાસીઓને બાનમાં લેનારા સેવાસદનના તંત્રની સાથે કોન્ટ્રાક્ટરોનો પણ ભાંડો ફૂટયો હતો. જેથી, મ્યુ.કમિશનર મનોજકુમાર દાસે શહેરના તમામ વિસ્તારોની ફેરણી કરી હતી અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરાયેલાં કામોની સમીક્ષા કરી હતી. જેમાં ખાસ કરીને વરસાદી ગટર પ્રોજેક્ટના કરોડો રૂપિયાનાં કામો કરનાર કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય રીતે ચરીપુરાણ અને માટી પુરાણ થયું ન હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી, મ્યુ.કમિશનર મનોજકુમાર દાસે સેવાસદનના એન્જિનિયરોની બેઠક બોલાવી સુપવરવિઝનમાં નિષ્કાળજી દાખવવા બદલ ‘શાબ્દિક ફાયરિંગ’ આપ્યું હતું અને જવાબદાર કોન્ટ્રાક્ટરોની યાદી તૈયાર કરવાનું લેશન આપ્યું હતું.જેમાં, ખાસ કરીને શહેરના અલકાપુરી, સુભાનપુરા, ઇલોરાપાર્ક સહિતના પશ્ચિમ વિસ્તારમાં તેમજ માંજલપુર વિસ્તારમાં ચરીપુરાણ બરાબર થયું ન હોવાની ગંભીર ક્ષતિ ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. જેના આધારે કરોડો રૂપિયાનાં કામ કરનાર ચાર મોટા કોન્ટ્રાક્ટરોના બિલમાંથી પેનલ્ટીરૂપે લાખો રૂપિયા કેમ નહીં કાપવા તેવી તાકીદ સાથે નોટિસ ઇશ્યૂ કરવામાં આવી હોવાની વિગત પ્રકાશમાં આવી છે.એટલું જ નહીં, આ કોન્ટ્રાક્ટરો દ્વારા તાકીદ પછી કરાયેલ માટીપુરાણ, ચરીપુરાણ સહિતની કામગીરી સૂચના મુજબની થઇ છે કે કેમ તેનું પણ થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કરવાના આદેશો કમિશનર દ્વારા જારી કરવામાં આવ્યા છે.પ્રજાની આપદાના અહેવાલ ‘દિવ્યભાસ્કર’માં પ્રસિદ્ધ થયાં બાદ સફાળા જાગેલાં તંત્ર દ્વારા જાતતપાસ અને સમીક્ષા શરૂ થતાં વરસાદી ગટરો ચરી-પુરાણ માટીકામ અને સાફસફાઇના મામલે ગોરખ ધંધા બહાર આવ્યા હતા. આગળ વધીએ ... વધતા રહીએના અભિયાનમાં દિવ્ય ભાસ્કરે પ્રજાજનોને આગળ વધવા આડે આવતી તમામ અડચણોમાં ખભે ખભા મિલાવી લડવાનું બીડુ ઝડપ્યું છે. તેની સફળતાનું શ્રેય પણ વાચકોને જ જાય છે.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના લગ્નથી મારું દિલ પણ તૂટ્યું

નવેમ્બરમાં મિસ વર્લ્ડની સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર મનસ્વી મોડેલ વિવેકા બાબાજીના મોતથી પણ દુ:ખી
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પોતાની બાળપણની સાથી સાક્ષી રાવત સાથે અચાનક લગ્ન કરી લેતાં મારું પણ દિલ તૂટ્યું છે જો કે હવે તેણે લગ્ન કરી જ લીધાં છે ત્યારે તેને મારી હ્રદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છે. એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડોદરા આવેલી ફેમિના મીસ ઇન્ડિયા વર્લ્ડની રૂપસુંદરી અને મોડલ મનસ્વી મામગઇએ ઉપર મુજબ જણાવ્યું હતું.
મોસ્ટ ઈલીજિબલ બેચલર ગણાતો માહી ઘડીયાં લગ્ન કરી ઠરીઠામ થતાં દેશની સેંકડો યુવતીઓની જેમ મારુ પણ દિલ તૂટી ગયું છે તેમ આઇએનઆઇએફડીના વડોદરા કેમ્પસના ઉદ્દઘાટન પ્રસંગે આવેલી ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ મનસ્વીએ જણાવ્યું હતું. જો કે સુપર મોડલ વિવેકા બાબાજીના અચાનક મોતથી પણ આઘાત લાગ્યો હોવાનું મનસ્વીએ જણાવ્યું હતું.
ફેશન ઇન્ડસ્ટિ્રીના લોકો પણ તેની આત્મહત્યાનું કારણ જાણવા આતુર છે. પરંતુ પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં જ સાચી માહિતી બહાર આવશે. ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ બાદ હવે નવેમ્બરમાં વિયેતનામમાં યોજાનારી મિસ વર્લ્ડ-૨૦૧૦ની સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરીશ. મનસ્વીએ જણાવ્યું કે ઐશ્વર્યા રાય તેનો આદર્શ છે. શાહરૂખ ખાન તથા પ્રિયંકા ચોપરા ગમે છે. શાહરૂખ ખાન સાથે ફિલ્મ કરવાની ઇચ્છા છે. ફેશન વર્લ્ડ બોલિવુડમાં પ્રવેશવાનો શોર્ટકટ છે ? તેવા પ્રશ્નમાં પણ મનસ્વી મનમોહક સ્મિત સાથે કહે છે, શોર્ટકટ જરૂરી છે. પરંતુ તેના માટે અથાગ મહેનત પણ જરૂરી છે. મને બોલિવુડમાં હિરોઇન બનવાની અનેક ઓફરો મળી છે. પરંતુ હાલમાં તો અનુપમ ખેરની એકેડમીમાંથી એક્ટિંગની તાલીમ લઇ રહી છું. સાથે સાથે નવેમ્બરમાં યોજાનાર મિસ વર્લ્ડ સ્પર્ધાની તૈયારી કરી રહી છું.


સુરેન્દ્રનગરમાં રૂ.10 લાખની લૂંટ થતા સનસનાટી મચી

સુરેન્દ્રનગરમાં આજે વહેલી સવારે બનેલી એક ઘટનામાં રૂ.10 લાખની લૂંટ થતા સનસનાટી મચી જવા પામી છે.આજે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં રૂ.10 લાખની દિલધડક લૂંટ થઈ હતી. તથા લૂંટ કોણે કરી છે હજી સુધી જાણી શકાયું નથી.પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.


સુરત : ટ્રેનમાં અશ્લીલ ક્લિપ જોતો સરકારી કર્મચારી ઝડપાયો

સુરતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કલાર્કની ધરપકડબ્લુ ફિલ્મની સીડી વેચનાર લારીવાળાની ૭૪ અશ્લીલ સીડી જપ્ત.ભીલાડ એક્સપ્રેસના એમએસટી કોચમાં મુસાફરોને દેખાય તે રીતે મોબાઇલ પર અશિ્લલ કિલપિંગ જોતા સુરતના પુરવઠા વિભાગના કલાર્કને પોલીસે ઝડપી પાડતા ચકચાર મચી ગઇ હતી.ભીલાડ એક્સપ્રેસ ટ્રેનમાં કેટલાક પાસ હોલ્ડરો દ્વારા મુસાફરોની હેરાનગતિ કરવામાં આવતી હોવાની ફરિયાદના પગલે રેલવે પીઆઇ બી.એમ. ખાંટની સૂચનાથી ઘનિષ્ઠ પેટ્રોલિંગ હાથ ધરાયું છે. મંગળવારે સાંજે ભીલાડથી વડોદરા આવતી ટ્રેનના એમએસટી કોચમાં શહેરના માંજલપુર સ્વાતી કવાટર્સમાં રહેતો અને સુરત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં કલાર્ક તરીકે ફરજ બજાવતો ભૂપેન્દ્ર કંચનભાઇ પરમાર મોબાઇલ પર અશિ્લલ કિલપિંગ જોતો હતો.ટ્રેનમાં સવાર અન્ય મુસાફરોને દેખાય તે રીતે અશિ્લલ કલીપીંગ જોતા સરકારી કર્મચારીને પોલીસે ઝડપી પાડી તેની બેગની જડતી લેતા બેગમાંથી બ્લૂ ફિલ્મની એક સહિત પાંચ સીડી મળી આવી હતી. પોલીસે સીડી અને મોબાઇલ સહિત રૂ.૩૬પ૦ નો મુદ્દામાલ જપ્ત કરી પૂછતાછ કરતાં તેણે સીડી જૂના પાદરા રોડ પર લારી લઇ ઊભા રહેતા કમલ રમેશ સતવાણી પાસેથી ખરીદી હોવાની કબૂલાત કરતાં પોલીસે લારીવાળા કમલ સતવાણીની ધરપકડ કરી તેની પાસેથી બ્લૂ ફિલ્મની ૭૨ અને પાઇરેટેડ સીડી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેની પૂછતાછમા અન્ય શખ્સોના નામ ખૂલે તેવી શક્યતાથી હે.કો. વિજયસિંહે તપાસ હાથ ધરી છે.નાગરવાડાનો હજીમ બ્લુ ફિલ્મોની સીડીનો સૂત્રધાર. ટ્રેનમાં બ્લુ ફિલ્મની સીડી સાથે ઝડપાયેલા સરકારી કર્મચારીની પૂછતાછમાં શહેરમાં અશિ્લલ ફિલ્મોની સીડીના વેપારની મુખ્ય કડી હાથ લાગી છે. શહેરના જૂના પાદરા રોડ પર લારી ઊભી રાખી બ્લુ ફિલ્મ વેચતા વેપારીએ સીડી નાગરવાડાના હજીમ નામના શખ્સ પાસેથી ખરીદી હોવાની કેફિયત કરી છે. હજીમ શહેરભરમાં બ્લૂ ફિલ્મોની સીડીનો વેપલો કરતો હોવાની માહિતી પણ પોલીસ સૂત્રો જણાવી રહ્યાં છે.


પ્રેમમાં પાગલ યુવાનને સળિયા ગણવાનો વખત આવ્યો

પોતે બારમા ધોરણમાં નાપાસ થયો હોવા છતાં યુવતીને પામવા યુનિવર્સિટીમાં કલાસ પણ ભરતો હતો!‘જ્ઞાતા થજો રસ-રૂપના, ભોક્તા કદી બનશો નહીં,પ્રેમા થજો પણ પ્રેમમાં પાગલ થઈ ફરશો નહીં’- કદાચ આ વાતને ચરિતાર્થ કરતો બનાવ ઉમરા પોલીસ મથક સુધી પહોંચ્યો છે જેમાં એક તરફી પ્રેમમાં ગળાડૂબ થયેલા યુવાનને લોકપના સળિયા ગણવાનો વખત આવ્યો હતો.હિન્દી ફિલ્મને ટક્કર મારી દે તેવી આ એક તરફી પ્રેમની કહાની કાંઇક એવી છે કે એક તરુણ અને તરુણી ગયા વર્ષે બારમા ધોરણમાં સાથે અભ્યાસ કરતા હતા. પાસ થયેલી યુવતીએ એફ.વાય. બીએસ.સી.માં પ્રવેશ મેળવી લીધો. જેના કારણે અભ્યાસ માટે આ યુવતીને દરરોજ વેડરોડ, સિંગણપોર ચાર રસ્તાથી છેક વાર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુધી જવું પડતું હતું.
બારમા ધોરણમાં નાપાસ થયેલો આ યુવાન એક તરફી પ્રેમમાં એટલો તો પાગલ હતો કે તે આ યુવતીને પામવા માટે છેક યુનિવર્સિટી સુધી લાંબો થતો હતો અને તેના જ કલાસમાં બેસી જતો હતો. આ સિલસિલો બે ત્રણ દિવસ સુધી ચાલુ રહેતા યુવતીને ગંધ આવી ગઈ કે આ યુવાન તેના એક તરફી પ્રેમમાં પાગલ છે.દરમિયાન બુધવારે સવારે સાડા દસેક વાગ્યે બન્યું એવું કે આ યુવતી પોતાના ઘરે જવા માટે યુનિવર્સિટીથી બસમાં બેઠી તો આ યુવાન પણ તેની સાથે એ જ બસમાં બેઠો હતો. બસ રેલવે સ્ટેશન પર પહોંચી તો ત્યાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને પોતાનું પોત પ્રકાશ્યું હતું અને યુવતીને હાથ પકડી બસમાંથી નીચે ઊતારી એકાંત ગાળવાની વાત કરી હતી. જેથી ગુસ્સે ભરાયેલી યુવતી ત્યાંથી ભાગી એક રિક્ષામાં બેસી હતી. તો આ યુવાન પણ તે જ રિક્ષામાં બેસી ગયો હતો. હવે તો હદ થઈ ગઈ તેમ માની યુવતી તે રિક્ષામાંથી નીચે ઊતરી ગઈ હતી.
આખરે મામલો હદ વટાવી જતાં યુવતીએ ફોન કરી તેના પિતાને રેલવે સ્ટેશન પર બોલાવ્યા હતા. યુવતીના પરિવારજનોએ હિંમત કરી ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધાવતા ઇન્સપેક્ટર એ.આર. ચૌધરીએ એક તરફી પ્રેમમાં પાગલ યુવાન વિવેક શૈલેન્દ્ર મિશ્રા (રહે: પૂણા ગામ)ની ધરપકડ કરી હતી. જેથી એક તરફી પ્રેમમાં પાગલ આ યુવાનને લોકપના સળિયા ગણવાનો વખત આવ્યો હતો. વધુ તપાસ પોસઈ બી.એમ. વસાવા કરી રહ્યા છે.


અમેરિકા : ભારતીય કંપનીને લાંચ અપાતા વિવાદ

કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભેલ, એનટીપીસી, મહારાષ્ટ્ર વિધ્યુત બોર્ડ, હરિયાણા વિધ્યુત બોર્ડ અને ભાલિયા ઇલેક્ટ્રિકને લાંચ અપાઈ છે. કેલિફોર્નિયા સ્થિત એક અમેરિકી કંપનીએ કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભેલ અને એનટીપીસી જેવી ભારતની કેટલીક જાહેર ક્ષેત્રની કંપનીઓના અધિકારીઓને લાંચ આપી છે. આ કોન્ટ્રાકટ મોટેભાગે અણુ વીજળીઘરોના નિર્માણમાં ઉપયોગમાં લેવાતા સાધનોના હોય છે.એક અમેરિકી અદાલત સમક્ષ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા રજુ કરાયેલી દસ્તાવેજો અનુસાર લાંચ લેનારી આ કંપનીઓમાં ભારતીય હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી બોર્ડ, હરિયાણા સ્ટેટ ઈલેક્ટ્રિસિટી બોર્ડ, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન અને ભાલિયા ઇલેક્ટ્રિકનો સમાવેશ થાય છે. લાંચ આપનારી કંપનીનું નામ કંટ્રોલ કંપોનેટ્સ ઇંક(સીસીઆઇ) છે. કંપનીએ પણ કબૂલાત કરી છે તેણે વર્ષ ૨૦૦૩થી લઇને વર્ષ ૨૦૦૭ની વચ્ચે વિવિધ કોન્ટ્રાક્ટ મેળવવા માત્ર ભારતીય જ નહિ પણ ૩૬ અન્ય દેશોની કંપનીઓને લાંચ આપી છે. અદાલતમાં રજુ કરાયેલા દસ્તાવેજો દર્શાવે છે કેભારતીય કંપનીઓને વર્ષ ૨૦૦૪થી વર્ષ ૨૦૦૭ની વચ્ચે લાંચ આપવામાં આવી હતી.

સેક્સી અમિષાનો હોટ અંદાજ...
બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલે ધ મેન નામના મેગેઝીનમાં એકદમ હોટ પોઝ આપ્યા છે. મેગેઝીનને ઈન્ટરવ્યૂ આપતા સમયે અમિષા પટેલે કહ્યું હતું કે, તેના નિકટના મિત્રોમાં યુવકોનો સમાવેશ થાય છે.મારા ગ્રુપમાં યુવકો વધારે હોવાથી પુરૂષો સાથે કઈ રીતે કામ પાર પાડવું તે બાબાત સારી રીતે આવડે છે.અમિષાએ વધુમાં કહ્યું હતું કે, ક્યારેય મારો પ્રેમી કે પતિ થોડી છોકરી જેવી વસ્તુ કરે તો મને ઘણું જ ગમે છે.અમિષાની આ વાત સાંભળ્યા પછી અમિષાના ભૂતપૂર્વ પ્રેમી વિક્રમ ભટ્ટ અને હાલનો પ્રેમી કાનવ પુરીએ કંઈક કરવું જોઈએ.


પોર્ન શોના સંચાલન માટે અનોખી જાહેરખબર

આજકાલ વિજ્ઞાપનની દુનિયામાં એક અનોખી જાહેરખબર લઇને જોરદાર ચર્ચા ચાલી રહી છે. આ અનોખી જાહેરખબરમાં દર્શાવવામાં આવ્યું છે કે જો તમે બોલ્ડ અને બિન્દાસ અંદાજમાં સેક્સ વિષય પર વાતો કરી શકતા હોય અને શો દરમિયાન સેમી ન્યૂડ દેખાવામાં તમને કોઇ વાંધો ન હોય તો તમે અરજી કરી શકો છો.આ જાહેરખબર એક પોર્નોગ્રાફિક ચેનલ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવી છે. આ શોનું સંચાલન કરનાર વ્યક્તિને પ્રતિ એપિશોડ 220 ડોલર ચુકવવામાં આવશે. જે લોકો અરજી કરશે તેમાંથી વિજેતાની પસંદગી કરવામાં આવશે અને તેને સપ્તાહમાં ફક્ત ત્રણ દિવસ જ કામ કરવાનું રહેશે. આ દરમિયાન તેણે સેક્સુઅલ ઉત્તેજનાને વધારતા સંવાદો બોલવા પડશે અને અંગપ્રદર્શન કરવું પડશે.શોનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. આ જાહેરખબરને લંડનની એક એજન્સીએ પ્રસિધ્ધ કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આમાં કોઇ પણ પુરુષ અને મહિલા અરજી મોકલાવી શકે છે.

07 July 2010

સમગ્ર દેશમાં ચોમાસું, આગામી ૪૮ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની હવામાન ખાતાની આગાહી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



સમગ્ર દેશમાં ચોમાસું, આગામી ૪૮ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની હવામાન ખાતાની આગાહી

ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં આગામી ૪૮ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની હવામાન ખાતાની આગાહી કૃષિ ક્ષેત્ર માટે અત્યંત મહત્વનું ચોમાસું સમગ્ર દેશમાં બેસી ગયું હોવાથી ડાંગર, સોયાબીન અને કઠોળ જેવા ખરીફ પાકોની વાવણી હવે વધી જશે અને તમામ ખરીફ પાકમાં વધારો થશે. ચોમાસું બેસી ગયું હોવાથી પંજાબ અને હરિયાણામાં બાસમતી અને બાસમતી સિવાયના અન્ય ચોખાની વાવણી વેગ પકડવાની હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું છે. ગુજરાત સહિત ઘણાં રાજ્યોમાં આગામી ૪૮ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.ખરીફ સિઝનમાં ચાર કરોડ હેકટરમાં ડાંગરની વાવણીનું સરકારનું લક્ષ્યાંક છે. જો આ વર્ષે ચોમાસું સારું રહેશે તો ૨૦૧૦-૧૧માં ચોખાનું રેકોર્ડ ૧૦ કરોડ ટન ઉત્પાદન થશે.ઓલ ઇન્ડિયા રાઇસ એક્સપોર્ટર એસોસિએશનના પ્રમુખ વિજય સેઠિયાએ જણાવ્યું કે, ચોમાસું બેસવામાં વિલંબ થવાને કારણે પંજાબ અને હરિયાણામાં બાસમતી અને બિનબાસમતી ચોખાની વહેલાં વાવણી થઇ શકી ન હતી. તેમણે એમ પણ જણાવ્યું કે, પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં એરોમેટિક બાસમતી ચોખાની વ્યાપક વાવણી કરવામાં આવે છે.ભારતીય હવામાન ખાતાના મંગળવારે જારી કરવામાં આવેલા હવામાન બુલેટીનમાં જણાવવામાં આવ્યું છે કે, દક્ષિણ પશ્ચિમી ચોમાસું મંગળવારે રાજસ્થાનના બાકીના ભાગોમાં આગળ વધ્યું છે અને સામાન્ય તારીખ કરતાં આશરે ૧૦ દિવસ વહેલા ચોમાસાએ સમગ્ર દેશને આવરી લીધું છે.હવામાન ખાતાએ સમુદ્રકાંઠે આવેલા ગુજરાત, કણૉટક, આન્ધ્રપ્રદેશ, દક્ષિણ ઓરિસા, પૂર્વ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશમાં આગામી ૪૮ કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.કૃષિ પ્રધાન શરદ પવારે જણાવ્યું કે, અનુમાન મુજબ જો જુલાઇ મહિનામાં પૂરતો વરસાદ પડશે તો છેલ્લા બે વર્ષની સરખામણીમાં આ વર્ષે ખરીફ પાક હેઠળનો વિસ્તાર વધવાની સંભાવના છે.ઉત્તર ભારતમાં ચોમાસું સક્રિય થવાની સાથે જ પંજાબ, હરિયાણામાં મંગળવારે ભારે વરસાદ નોંધાયો હતો. અંબાલાની આજુબાજુના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ ઊભી થતાં લશ્કરને સતર્ક કરાયું હતું. અત્યાર સુધીમાં અહીં ચાર વ્યક્તિનાં મોત થઈ ચૂક્યા છે. પટિયાલા, ચંદીગઢ, રોપાર, કરનાલમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં ભારે વરસાદ થવાથી એક ઘર પડી જતાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણને ઈજા થઈ હતી. ગંગા અને યમુના જેવી ઘણી નદીઓમાં પાણી ભયજનક સપાટીએ વહી રહ્યા છે.

સેક્સ માટે પુરૂષ કાંઇ પણ કરી શકે

તાજેતરમાં થયેલા એક સર્વેમાં બહાર આવેલી ચોંકાવનારી વિગતમાં જાણવા મળ્યું છે કે વાત જ્યારે સેક્સ કરવાની હોય ત્યારે પુરૂષ તેને માટે કાંઇપણ કરી શકે છે. એટલે સુધી કે અમુકવાર પુરૂષ પોતાની જાતિય જરૂરિયાત તૃપ્ત કરવા પોતાનો જીવ જોખમમાં આવી પડે તેવા જોખમ લેતા પણ અચકાતા નથી.બેડ પર પોતાના પાર્ટનરને આકર્ષિત કરવા માટે સૌથી વિચિત્ર કહી શકાય તેવી કઇ હરકત કરી શકો? જો આપ એક મહિલા હો તો કદાચ આપ એક સમયે આ અંગે વિચારવામાં મશગુલ થઇ જશો પરંતુ એટલા સમયમાં આપના મેલ પાર્ટનરે આપને પોતાની તરફ આકર્ષિત કરવા ગમે તેવી ટેકનિક વિચારી લીધી હશે. પુરૂષોના સ્વભાવને લગતી આ બાબત પર પ્રકાશ પાડનારા આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલા આ સર્વેના જણાવ્યા અનુસાર ફક્ત સેક્સ કરવા ખાતરજ સ્ત્રીને પોતાના તરફ આકર્ષિત કરવા પુરૂષ ગમે તેવું જોખમ લઇ શકે છે પછી ભલે તેમાં તેના જીવનું જોખમ જ કેમ ન હોય.આ સર્વે પર મિશિગન યુનિવર્સિટીના સભ્ય અને આ સર્વે કરનારા ગ્રુપના મેમ્બર એવા ડેનિયલ ક્રગરના જણાવ્યા અનુસાર,"પુરૂષ મહિલાઓને આકર્ષવા ગમે તેવું જોખમ ખેડવા તૈયાર થઇ જાય છે. તેઓના અર્ધજાગ્રત મનમાં એવો ખ્યાલ પ્રબળ હોય છે કે મહિલાઓ એવા પુરૂષોને વધારે પસંદ કરે છે જે સારામાં સારી વસ્તુઓ આપી શકવા સક્ષમ હોય. અને આ વસ્તુઓ એટલે સ્ટેટસ અને સ્ટફ."મનોવૈજ્ઞાનિકોના મતે,"જોખમ લેવામાં પુરૂષોને એક પ્રકારની થ્રિલનો અનુભવ થાય છે જે તેમને ગમે તે સ્તરનું જોખમ લેવા પ્રેરે છે. પુરૂષોના આવા વર્તનનું કારણ એટલું જ છે કે તેઓ આ પ્રકારની વૃત્તિને એન્જોય કરતા હોય છે જોકે, આ બાબતને તેમના વ્યક્તિત્વ સાથે કોઇ લેવાદેવા નથી હોતી.""પુરૂષોની આ વૃત્તિથી આકર્ષાઇને એકવાર જો કોઇ મહિલા તેમના પ્રેમમાં પડી જાય તે સાથેજ પુરૂષોને તે મહિલાને આકર્ષવામાં જેવી થ્રિલનો અનુભવ થયો હતો તે સમાપ્ત થઇ જાય છે અને તેઓ જેટલી ઝડપથી ફિમેલ પાર્ટનરના પ્રેમમાં પડ્યા હોય તેના કરતાં વધુ ઝડપથી છુટા પડવાના પ્રયાસ શરૂ કરી દે છે."


કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવાર 'પાવર' કેમ ઓછો કરવા માંગે છે

કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવારે વડાપ્રધાનને પોતાની જવાબદારીઓનો ભાર ઓછો કરવાની માંગ કરી મંત્રીમંડળમાં ફેરફારની અટકળોને ફરી તેજ કરી દીધી છે. સંસદના ચોમાસું સત્ર પહેલા મંત્રી મંડળમાં ફેરફાર હવે લગભગ નક્કી લાગી રહ્યું છે.
નોંધનીય છે કે શરદ પવારે સોમવારે વડાપ્રધાન ડો. મનમોહન સિંહની મુલાકાત લઇ ફક્ત તેમણે કામનો ભાર ઓછો કરવાનો આગ્રહ જ નહોતો કર્યો પરંતુ આ વાતને જાહેર પણ કરી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ ઘણા સમયથી વડાપ્રધાનને આ આગ્રહ કરી રહ્યા છે અને હવે આઇસીસી અને પોતાની પાર્ટી એનસીપી સાથે જોડાયેલી જવાબદારીઓ માટે વધુ સમય ફાળવવા માંગે છે.પવારના આ પગલાથી રાજકીય આલમમાં જાત-જાતની અટકળો શરૂ થઇ ગઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે પવારે મોંઘવારી અંગે વિપક્ષના ભારત બંધને ધ્યાનમાં રાખી આ ચાલ રમી છે, કારણ કે ફરીથી મોંઘવારીના દોષનો ટોપલો તેમના પર ઢોળવાનો પ્રયાસ શરૂ ન થઇ જાય. એક વાત એ પણ છે કે પવાર પોતાના માટે રાજ્યમંત્રીઓની સંખ્યા વધારવા માંગે છે.પરંતુ જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ આઇસીસીની જવાબદારીઓ અને મોંઘવારી અંગે આલોચનાને પવારના આ પગલા સાથે કોઇ સંબંધ નથી. આઇસીસીની મોટાભાગની જવાબદારીઓ ઇ-મેલ દ્વારા પતાવી શકાય છે. ખાદ્ય પદાર્થોના ભાવનો ઇન્ડેક્સ પણ નીચે તરફ છે. આવી સ્થિતીમાં આ અટકળોને કોઇ આધાર મળતો નથી.સૂત્રોનું કહેવું છે કે અજીતસિંહ સાથે થયેલી સમજૂતીને ધ્યાનમાં રાખી તેમનો યુપીએ સરકારમાં સમાવેશ નક્કી છે અને બદલામાં તેમણે કોઇ મહત્વનું મંત્રાલય જરૂર માંગ્યું હશે. પવારે વડાપ્રધાનને કરેલા તાજા અનુરોધથી આ સમસ્યા ઉકેલાઇ જવાની શક્યતા છે. જેથી હવે સંભાવના એવી બની રહી છે કે પવાર પાસેથી કૃષિ મંત્રાલય લઇ અજીતસિંહના હવાલે કરી દેવામાં આવશે, તેના બદલામાં એનસીપી કોટામાંથી સ્વતંત્ર પ્રભારીવાળા નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી પ્રફુલ્લ પટેલને કેબિનેટ મંત્રી બનાવવામાં આવી શકે છે.

લોરિયલ રોકડ કૌભાંડમાં સરકોઝીની સીધી સંડોવણી

ફ્રાન્સના પ્રમુખ નિકોલસ સરકોઝી સામે લોરિયલ ઉત્તરાધિકારી લિલિયન બેટેનકોર્ટ નાણાકીય કૌભાંડમાં સીધી સંડોવણી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પ્રમુખપદે ચૂંટાતા પહેલાં તેમના ચૂંટણીપ્રચારમાં રોકડા ૧.૫ લાખ યુરો આપવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે, સરકોઝીના એક સાથીદારે આ લેટેસ્ટ અહેવાલોને સંપૂર્ણપણે ખોટા ગણાવીને ફગાવી દીધા છે.
લિલિયન બેટેનકોર્ટ ફ્રાન્સની સૌથીવધુ ધનિક મહિલા છે. સરકોઝી ફ્રાન્સના પ્રમુખપદની ૨૦૧૨માં યોજાનારી ચૂંટણી ફરી લડવા માગે છે ત્યારે તેમની સામે નાણાકીય કૌભાંડમાં સંડોવણીનો મૂકવામાં આવેલો આરોપ તેમના માટે ભારે મુશ્કેલીઓ ઊભી કરે તેવી સંભાવના છે.


ગુજરાતમાં રિલાયન્સનો થર્મલ પાવર પ્લાન તૈયાર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગુજરાતના દરિયાકિનારાની નજીકના વિસ્તારમાં થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવાની પૂરી રણનીતિ તૈયાર કરી લીધી છે. કંપની પાવર પ્લાન્ટ લોન્ચ કરવા માટે તૈયાર છે. જેમકે પહેલેથી જ સમાચાર મળી રહ્યા છે કે રિલાયન્સ થર્મલ પાવર સેકટરમાં આવી રહી છે અને તેની અલ્ટ્રા મેગા પાવર પ્લાન્ટ બોલી લગાવાનો ઇરાદો પણ છે. હવે તેની પૂરેપૂરી શક્યતા છે. જાણકારોના મતે સૌથી પહેલી કંપની ઓછામાં ઓછો કુલ વીસ હજાર માગાવોટ ક્ષમતાનો પાવર પ્લાન્ચ લગાવાનું વિચારી રહી છે અને દસ વર્ષમાં પોતાની કુલ વીજળી ઉત્પાદન ક્ષમતા વધારીને 50,000 મેગાવોટ કરવાનો ઇરાદો રાખે છે. કંપનીએ પોતાના પાવર પ્લાન્ટ માટેની જગ્યા પણ મોટાભાગે નક્કી કરી લીધી છે.રિલાયન્સનો પાવર પ્લાન્ટ ગુજરાત અને મહારાષ્ટ્રમાં હશે. અને તેનું લોકેશન મોટાભાગે દરિયાકિનારાની નજીક હશે, જેથી કરીને પોતાના પાવર પ્લાન્ટ માટે આયાતી કોલસાનો ઉપયોગ સરળતાથી કરી શકે. કંપની પોતાના પાવર પ્લાન્ટ માટે ઇન્ડોનેશિયા અને આફ્રિકાથી કોલસાની આયાત કરશે. આફ્રિકાથી કોલસો આયાત કરવાની તૈયારી થઇ ચૂકી છે.જામગરની રિફાઇનરીમાંથી પેટ્રોલિયમ કોકનો ઉપયોગ થશે
કંપની પોતાની જામનગર રિફાઇનરીમાંથી નીકળનાર પેટ્રોલિયમ કોકનો પણ ઉપયોગ કરશે. તેની રિફાઇનરીમાંથઈ મોટી માત્રામાં પેટ્રોલિયમ કોક બાઇપ્રોડક્ટના રૂપમાં નીકળે છે. તેને કોલસા સાથે ભેળવીને પાવર પ્લાન્ટમાં ઉપયોગ કરી શકાય છે.
રિલાયન્સ અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટ્સ (યૂએમપીપી) માટે પણ બોલી લગાવી શકે છે. જો કે તે

આઇફોન-4 એ અનોખો રેકોર્ડ બનાવ્યો

એપ્પલનો આઇફોન-4 એક દિવસમાં સૌથી વધુ મોબાઇલ ફોન વેચવાનો તો રેકોર્ડ બનાવી ચૂકી છે, હવે તેની બદોલત વધુ એક અનોખો રેકોર્ડ પણ બનાવી દીધો છે. આ રેકોર્ડ આઇફોનના જૂના મોડલ્સના વેચાણનો છે. ગ્રાહકો પાસેથી જૂના ગેઝેટ ખરીદનાર અમેરિકાની એક ઓનલાઇન કંપની ગૈજલે ડોટ કોમ એ આઇફોનનું પ્રી-બુકિંગ શરૂ થયા બાદ, બે સપ્તાહની વચ્ચે ગ્રાહકો પાસેથી 20,000 જૂના આઇફોન ખરીદ્યા છે.એટલું જ નહિં ઓનલાઇન વેચાણ કરનરા વધુ એક વેબસાઇટ ઇ-બે ડોટ કોમ પર પણ મોટી સંખ્યામાં લોકો આઇફોનના જૂના વર્ઝનની હરાજી કરી રહ્યા છે.જો કે યુરોપ અને અમેરિકામાં આઇફોન-4નો જાદુ લોકોના માથા પર ચઢીને બોલી રહ્યો છે. એવામાં લોકો આઇફોનના આ નવા વર્ઝનને ખરીદવા માટે પોતાના જૂના આઇફોન વેચવામાં લાગી ગયા છે.

મેચમાં ઉરૂગ્વેને હરાવી નેધરલેન્ડ ફાઈનલમાં

પ્રથમ હાફમાં એક અને બીજા હાફમાં બે શાનદાર ગોલની મદદથી ટીમ ઈન ઓરેન્જ નેધરલેન્ડની ટીમે ઉરૂગ્વેને 3-2થી હરાવીને ફૂટબોલ વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. મંગળવારે મોડી રાત્રે ગ્રીન પોઈન્ટ સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ મિફાઈનલમાં લેટિન અમેરિકાના સપનાને ચકનાચૂર કરતા ડચ ટીમે ઉરૂગ્વેની ટીમને હરાવીને 32 વર્ષ બાદ પ્રથમ વખત ફૂટબોલ વર્લ્ડમાં પ્રવેશ કર્યો છે. આ પહેલા નેધરલેન્ડ સતત બે વખત 1974 અને 1978માં વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું હતું. જો કે તે હજી સુધી એક પણ વર્લ્ડ કપ જીતી શક્યું નથી. ડચ વાવાઝોડાએ ઉરૂગ્વેને હરાવીને લેટિન અમેરિકાની આશાઓ પર પાણી ફેરવી દીધુ હતું.સેમિફાઈનલનો પ્રથમ ગોલ નેધરલેન્ડના સુકાનીએ ગિયાવાની બેન બ્રોંકારોસ્ટે નોંધાવ્યો હતો. સુકાનીએ પ્રથમ ગોલ નોંધાવી ઉરૂગ્વેને જણાવી દીધુ હતું કે નેધરલેન્ડની ટીમ ફાઈનલમાં પ્રવેશવા આક્રમક બની છે. બાદમાં 70મી મિનિટમાં ટીમના સુપર સ્નાઈડર તરીકે જાણીતા વેસ્લે સ્નાઈડરે બીજો ગોલ નોંધાવીને ટીમને મજબૂત સ્થિતીમાં મૂકી દીધી હતી. જ્યારે આર્યેન રોબેને 73મી મિનિટમાં નોંધાવેલો ગોલ ટીમ માટે મહત્વનો રહ્યો હતો. જ્યારે ઉરૂગ્વેની ટીમ તરફથી ફરલોને અને મેક્સિમિનો પરેરાએ સંઘર્ષપૂર્ણ ગોલ ફટકાર્યો હતો પરંતુ તે તેની ટીમને ફાઈનલમાં પહોંચાડવામાં નિષ્ફળ રહ્યો હતો.
ફાઈનલમાં નેધરલેન્ડનો મુકાબલો સ્પેન અને જર્મની વચ્ચે આજે રમાનારી બીજી સેમિફાઈનલના વિજેતા સામે થશે. 11 જુલાઈના રોજ જોહનિસબર્ગના સોકર સિટી સ્ટેડિયમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ રમાશે.ડચ ખેલાડીઓ મેચની શરૂઆતમાં જ વિજેતાના લયમાં જોવા મળ્યા હતા અને ઉરૂગ્વેના મજબૂત સંરક્ષણને તોડવાના સતત પ્રયત્નો કરતા રહ્યા હતા. નેધરલેન્ડ તરફથી ગિયોવાની વાન બ્રોંકોર્સ્ટે મેચની 18મી મિનિટમાં જ લાંબા અંતરથી ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી. જેના કારણે લેટિન અમેરિકાની ટીમ દબાણમાં આવી ગઈ હતી.
આશરે 30 મીટરના અંતરથી બ્રોંકોર્સ્ટ દ્વારા ફટકારવામાં આવેલા ગોલને રોકવા માટે ઉરૂગ્વેના ગોલકિપરે મોટી છલાંગ લગાવી હતી પરંતુ તેના હાથમાં છટકીને બોલ ગોલપોસ્ટ સાથે અથડાયો હતો અને ત્યાંથી નેટમાં પહોંચીને ગોલમાં પરિવર્તન પામ્યો હતો. આ સાથે ડચ ટીમ આનંદમાં આવી ગઈ હતી.જો કે ઉરૂગ્વેના સ્ટાટ સ્ટ્રાઈકર ડિએગો ફરલોને હાફટાઈના ચાર મિનિટ પહેલા જ લગભગ તે જ રીતે 30 મીટરના અંતરેથી રોકેટ શોટ વડે ગોલ ફટકારીને વિરોધી ટીમને સણસણતો જવાબ આપ્યો હતો અને મેચને બરાબરી પર લાવીને મેચમાં પુનરાગમન કર્યુ હતું.બીજા હાફમાં મેચનો રોમાંચ ચરમસીમાએ પહોંચી રહ્યો હતો. બન્ને ટીમો માટે પરિસ્થિતી મુશ્કેલ થતી જતી હતી પરંતુ ત્યારે જ ત્રણ મિનિટની અંદર જ સતત બે ગોલ કરીને ડચ ટીમે સંપૂર્ણ રીતે મેચને પોતાના કબ્જામાં કરી લીધી હતા. સ્નેજડરે 70મી મિનિટમાં તો 73મી મિનિટમાં રોબેને ગોલ કરીને ટીમને મજબૂત સ્થિતીમાં મૂકી દીધી હતી.


સુરત શહેર અને દક્ષિણ ગુજરાતે પાણી માટે અન્ય વિકલ્પ શોધવો પડશે

આવનારાં વર્ષોમાં શહેર અને જિલ્લાના લોકોએ પાણી વલખાં મારવાં પડે તેવા દિવસો આવી શકે તેમ છે. તાપીમાં વહેતા પાણીમાંથી હજીરા ઇન્ડસ્ટ્રીઝ સહિતના અન્ય ઉદ્યોગો દ્વારા તાપીમાંથી કેટલા પ્રમાણમાં પાણી લેવામાં આવી રહ્યું છે તેની ઉપર પણ કોઈ પણ સરકારી ઓથોરિટીનું સુપરવિઝન ન હોવાથી મોકળું મેદાન મળી રહ્યું છે.જેનું કારણ એ છે કે દર પાંચ વર્ષમાં તાપીમાંથી અંદાજે વીસ ટકા કરતાં વધારે પાણીની માંગણી વધી રહી છે. રાઇટ ટુ ઇન્ફ્રોમેશન એક્ટ હેઠળ મેળવવામાં આવેલી અત્યંત ચોંકાવનારી વિગતો મળી છે.ઉકાઈ પરિયોજના વખતે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે થયેલા કરાર અન્વયે ઉકાઈ જળાશયમાં રહેતાં અંદાજે ૧૨૭૫૦ મિલિયન મીટર કયુબ પાણી પૈકી ગુજરાતના ભાગે માત્ર ૫૪૨૦ મિલિયન મીટર કયુબ પાણી વાપરી શકે છે. હાલમાં મહારાષ્ટ્ર અંદાજે ત્રણ હજાર મિલિયન મીટર ક્યુબ પાણીનો વપરાશ કરી રહ્યું છે તેના દ્વારા સંપૂર્ણ ક્ષમતાથી પાણીનો વપરાશ કરવામાં ન આવતાં ગુજરાતને સીધો જ તેનો લાભ મળી રહ્યો છે. આવનારા વર્ષોમાં કરાર અંતર્ગત જો મહારાષ્ટ્ર વપરાશ વધારી દે તો સુરતે પાણી માટે વલખા મારવા પડશે તેમાં મીનમેખ નથી.ભરૂચ-વલસાડ પણ તાપીના પાણીનો ઉપયોગ કરે છેતાપીમાંથી પ્રતિ પાંચ વર્ષની સાયકલ ચકાસીએ તો અંદાજે વીસ ટકા જેટલા પાણીનો વપરાશ વધી રહ્યો હોવાનું આંકડા પરથી જાણી શકાય છે. તાપીના પાણીનો વપરાશ ભરૂચ અને વલસાડના ઉદ્યોગો પણ બેરોકટોકપણે કરી રહ્યાં હોવાનું કહેવાય છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી બની ગયેલી તાપીમાંથી જે રીતે પાણીની ફાળવણી કરવામાં આવી રહી છે, તેના કારણે આવનારા દિવસોમાં ઉદ્યોગોના હરણફાળ વિકાસની સામે સુરત શહેરના અડધાકરોડ લોકોએ પાણીની તીવ્ર સમસ્યાનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.વિકલ્પ શોધવો પડશે ઉકાઈ પરિયોજના વખતે મહારાષ્ટ્રને નિયત કરાયેલું પાણી કરતાં તે અંદાજે પચાસ ટકા પાણીનો વપરાશ કરી રહ્યું છે. હાલમાં મહારાષ્ટ્રમાં તાપીના તટીય વિસ્તારોમાં જે રીતે ઉદ્યોગોનો વિકાસ વધી રહ્યો છે તે જોતા આવતા દિવસોમાં સુરત શહેર અને દક્ષિણ ગુજરાતે પાણી માટે અન્ય વિકલ્પ શોધવો પડશે તેમાં મીનમેખ નથી. તાપીમાંથી કેટલું પાણી લેવાય છે તેની પર ડોગવોચ રાખવી જરૂરી છે.


રાજકોટ: શાકમાર્કેટ અને પીરછલ્લા વિસ્તારમાં ઓપરેશન ડિમોલશિન


મહાપાલિકાના દબાણ હટાવ સેલે આજથી ઓપરેશન ડિમોલીશન શરૂ કરતા શાકમાર્કેટ, પિરછલ્લા, હવેલીવાળી શેરી સહિતના ગીચ વિસ્તારોમાંથી ટ્રાફિકને અડચણરૂપ ત્રણ ટ્રક ભરી સામાન કબજે કરતા દબાણકર્તા વેપારીઓમાં ફફડાટની લાગણી ફેલાઈ હતી.મ્યુ.કમિશનર તરીકે ગઈકાલે એ.એસ. પટેલે ચાર્જ સંભાળ્યાના બીજા જ દિવસે મહાપાલિકા દ્વારા ઓપરેશન ડિમોલીશન હાથ ધરતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે. પરંતુ દબાણ હટાવ વિભાગ દ્વારા છેલ્લા દસ દિવસથી શહેરની મુખ્ય બજારોમાં રાઉન્ડ લઈ લારી અને શાકભાજીવાળાને દિવાલને અડીને રહેવા તેમજ બાકડાઓ-ટેબલ હટાવી લેવા અવાર-નવાર સૂચનાઓ આપી હતી.તેમ છતાં નહીં હટાવાતા આજે સવારથી દબાણ હટાવ વિભાગની ટીમે પથિકાશ્રમથી શાકમાર્કેટના મુખ્ય દરવાજા સુધી ટ્રાફિકને અડચણકર્તા શાકભાજીની લારીઓ, પથરણાવાળાઓનો બે ટ્રક ભરી સામાન જપ્ત કયોઁ હતો. ત્યારબાદ પીરછલ્લા શેરી અને હવેલીવાળી શેરીમાં દુકાનની બહાર કાઢેલા પાટીયા, બેનર, ટેબલ, બહાર લટકાડેલી ચજિવસ્તુઓ પણ કબ્જે કરી હતી તેમજ દુકાન બહારના ઓટલા તોડી પાડ્યા હતા. અને એંગલો તોડી નાંખી હતી. જે દરમિયાન સામાન લઈ ભાગવા જતા વેપારી સાથે દબાણો હટાવના સ્ટાફને ચકમક જરી હતી.પરંતુ પીરછલ્લા શેરીમાં સોની અને હોઝીયરી એસોસિએશન તેમજ હવેલીવાળી શેરી વેપારી એસો. દ્વારા વેપારીઓ ટ્રાફિકને અડચણો થાય તેમ સામાન નહીં રાખેની મહાપાલિકાને ખાત્રી આપી હતી. અને તે સંદર્ભે એસોસિએશન ઠરાવ કરી તમામ વેપારીઓને સૂચના આપશે. તેમજ જો પાલન નહીં કરે તો મહાપાલિકાને જાણ કરવાના વચનથી પણ બંધાયા હતા.તેમજ આગામી દિવસોમાં રથયાત્રાના રૂટ પર પણ દબાણકર્તાઓ પર દબાણ હટાવ સેલ ત્રાટકવાનું હોવાનું જાણવા મળેલ છે.


કરબટીયામાં વાઘ દેખાયાની ચર્ચા

સીમમાં આવેલા માધવ ફાર્મમાં વાઘ દેખાયાનો ખેડૂતોનો દાવો કોઇ જંગલી પ્રાણી હોય એવું લાગી રહ્યું છે. વાવ તાલુકાના તીર્થગામે આતંક મચાવનાર દપિડાની ઘટના હજુ તાજી છે ત્યાં વડનગર તાલુકાના કરબટીયા ગામે મંગળવારે સવારે વાઘ આવ્યો હોવાની વાતે આ પંથકમાં ચર્ચાઓ જગાવી છે. ગામની સીમમાં આવેલા માધવ ફાર્મમાં વાઘ આવ્યો હોવાનો ખેડૂતો દાવો કરી રહ્યા છે તો બીજી બાજુ આ વાઘ નહીં પરંતુ અન્ય કોઇ જંગલી પ્રાણી હોવાનું વન ખાતું જણાવી રહ્યું છે.બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના તીર્થ ગામે રવિવારે આતંક મચાવી દસેક વ્યક્તિઓને ઇજા પહોંચાડનાર દપિડાને છેવટે લોકોએ ઠાર કર્યાના ત્રણ દિવસ બાદ વડનગર પંથકના કરબટીયા ગામે વાઘ આવ્યો હોવાની ઘટનાએ ભય ફેલાવ્યો છે. ગામની સીમમાં આવેલા વડનગર પાલિકાના માજી પ્રમુખ પટેલ માધવલાલ ઇશ્વરલાલના માધવ ફાર્મમાં મંગળવારે સવારે સાત વાગ્યાના અરસામાં વાઘ દેખાયો હોવાનો ખેડૂતો દાવો કરી રહ્યા છે.વીસેક મીટરના અંતરેથી વાઘ જોયો હોવાનો દાવો કરતા ખેડૂત ભોપાભાઇ જણાવે છે કે, મંગળવારે સવારે અમે ખેતરમાં હતા ત્યારે શિયાળ જેવા પ્રાણીઓનો અવાજ આવતાં અમે બે ખેડૂતો ખેતરમાં બનાવેલી ખેત તલાવડી તરફ આવ્યા હતા. જ્યાં લીમડાના ઝાડ નીચે વાઘ બેઠો જોઇ અમારા હોશકોશ ઉડી ગયા હતા અને અમે જીવ બચાવી અન્ય ખેડૂતોને બોલવી લાવવા ભાગ્યા હતા.જોકે થોડા સમય બાદ ફરીથી ત્યાં જતાં વાઘ ત્યાં જણાયો ન હતો. જોકે એના પગલાં ત્યાં દેખાતા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, વાઘ આવ્યો વાતોને પગલે ગામમાં કુતુહલ સાથે ભયની લાગણી ફેલાઇ છે.જંગલી પ્રાણી હોઇ શકે.વડનગર આર.એફ.ઓ. એન.એસ.પરમારે આ અંગે જણાવ્યું હતું કે, વાઘ દેખાયોની ઘટનાને પગલે વન ખાતાની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને પ્રાણીના પગલાની છાપ સહિતના નમુના એકઠા કર્યા છે. જે પરથી જોતાં વાઘની શક્યતાઓ નથી લાગતું પરંતુ કોઇ અન્ય જંગલી પ્રાણી હોવાનું જણાય છે.

સાબરમતીના દૂષિત નીરે દાટ વાળ્યો!

પ્રદૂષણનું કલંક - ખંભાત અખાતમાં નદીના વહેણમાં ઉપરવાસના વરસાદી પાણી સાથે ઔધ્યોગિક વસાહતમાંથી રંગ, રસાયણનો જોખમી કચરો ધસી આવ્યો.ખંભાત-તારાપુરમાં નદીકાંઠાની ૧૮૦૦ એકરથી વધુ કૃષિલક્ષી જમીનને નુકસાન ખાડીમાં મૃત માછલાં, કાચબાં સહિત અન્ય જળચરનો ઢગ ખડકાતાં તીવ્ર દૂગઁધ.ખંભાતના અખાતને મળતી સાબરમતી નદીમાં ૧૨ માસમાંથી ચોમાસા સિવાય આઠ મહિના સતત રાજ્યના પ્રદૂષણ બોર્ડની રહેમનજર તળે ઉપરવાસમાંથી કેમિકલયુકત દુર્ગંધ મારતું પ્રદૂષિત પાણી વહે છે.ચોમાસાના પ્રારંભમાં તાજેતરના વરસાદથી ઉપરવાસમાંથી પાણીની આવક થતાં દૂષિત પાણીનાં થાડાઅંશે જળસ્તર વધતાં ખંભાત-તારાપુર તાલુકાના ૧૬ જેટલા ગામોની નદીકાંઠાની ૧૮૦૦ એકરથી વધુ ખેડૂતો માટે કિંમતી જણસ જેવી કૃષિલક્ષી જમીનને વ્યાપક નુકશાન થયું છે. રંગ-રસાયણયુકત દૂષિત પાણીને પગલે ગાણોલ, પીસાવાડા તથા ગાણેહરમાં ૧૯ જેટલા પશુઓના મોત થયા હોઈ પશુપાલકો તથા ખેડૂતોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠયો છે.ખંભાત-તારાપુરના ભાલ પંથકમાંથી પસાર થતી સાબરમતી નદીમાં જળસ્તર વધતાં આ દુષિત પાણીથી બોર કૂવાઓને પણ માઠી અસર થતાં રÃઝા, નભોઈ, અસામલી, તૈયબપુરા, પાલ્લા, જાફરગંજ, મોટાકલોદરા, નભોઈ, ખડા, પચેગામ, ફતેપુરા, ગલિયાણામાં હાલ ચોમાસામાં પીવાના પાણીની તંગી સર્જાઈ છે.આ અંગે ખડા હાઈસ્કૂલના આચાર્ય બિપીનસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભાલ પંથકના ૧૬ ગામોમાં સાબરમતીના દુષિત પાણીને પગલે પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. બોર કૂવાઓમાં પણ દૂષિત તથા ર૯૦૦થી વધુ ટીડીએસ ધરાવતું પાણી આવતું હોઈ હાલ સ્થિતિ કફોડી બની છે.નદીમાં ખુલ્લેઆમ છોડી દેવાતાં કેમિકલયુકત પાણીને રાજ્ય સરકાર સહિત અન્ય સત્તાધીશો દ્વારા યુધ્ધના ધોરણે બંધ કરવામાં નહીં આવે તો પંથકની ફળદ્રુપ જમીનો બિનખેતીલાયક બની જશે.હાલમાં દૂષિત પાણીને પગલે વડગામ દરિયાઈ ખાડી વિસ્તારમાં અસંખ્ય જળચર જીવોના મૃત્યુ થવા પામ્યા છે. તેમાંય તીવ્ર દુર્ગંધયુકત કાળા રંગના ઓઇલ જેવા પાણીને કારણે મોટી સંખ્યામાં માછલી, કાચબા, દેડકા, કરચલા તથા દરિયાઈ સર્પના મૃત્યુ થવા પામ્યા છે. માછીમારી પ્રવૃતિ સાથે સંકળાયેલા નાથુભાઈ ખારવાના જણાવ્યા મુજબ પાણીની આવક વધતાં ખાડીમાં બે ભાગ પડી ગયા હતા.


ઓસ્ટ્રેલિયા: સેક્સ માટે વેબનો સહારો

ઓસ્ટ્રેલિયાના એક વર્તમાનપત્રએ જણાવ્યું છે કે, ઓસ્ટ્રેલિયામાં ગૂગલ પર સૌથી વધારે સર્ચ થતો કોઈ પ્રશ્ન હોય તો તે "how to have sex" છે.વર્તમાનપત્રના જણાવ્યા પ્રમાણે છેલ્લા ત્રણ મહિના દરમિયાન ગૂગલ પર સૌથી વધૂ પ્રશ્નો પ્રેમ બાબતે વિવિધ સલાહ માગતા પૂછવામાં આવ્યા હતાં. તો કિસ કેવી રીતે કરવી તે પ્રશ્ન સેક્સ પછી બીજા ક્રમે રહ્યો હતો.આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાની યુવતીઓ દ્વારા કોઈ યુવકને ગમે તેવું બનવા માટે શું કરવું તેવા પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતાં. તો મહિલાઓને કેવી રીતે બહાર લઈ જવી તેવા પ્રશ્નો પુરુષો દ્વારા પૂછવામાં આવ્યા હતાં.નિષ્ણાંતો એવું માની રહ્યા છે કે શરમાળ પ્રકૃતિના યુવક અને યુવતીએ હવે સેક્સ બાબતની સલાહ લેવા માટે પોતાના મિત્રોની બદલે ઈન્ટરનેટનો સહારો લઈ રહ્યા છે. તો ગર્ભવતી કેવી રીતે બનવું તે પ્રશ્ન મોસ્ટ પોપ્યુલર સર્ચમાં 17માં સ્થાને રહ્યો હતો.ટોપ સર્ચમાં ફક્ત સેક્સ અંગેના જ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતાં એવું નથી. સેક્સ ઉપરાંત વજન કેવી રીતે ગુમાવવું, સિક્સ પેક્સ એબ્સ કેવી રીતે કરવા વગેરે પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતાં.


નોકરીના નામે આવતા ઈમેલથી સાવધાન

પહેલા લોટરીના નામે અને હવે નોકરી અપાવવાના નામે આવતા ઈમેલથી છેતરપીંડી થવાની ઘટનાઓ સામે આવી છે.
આ છેતરપીંડીના ‘રેકેટ’માં લોકોને પ્રખ્યાત કંપનીયો, જેવી કે વીડિયોકોન વગેરે તરફથી નોકરી માટે ઈન્ટરવ્યૂ મેલ મળતા હોય છે. જેમાં આવવા જવા માટે એર ટિકીટ તેમજ ઊંચા પગારનો પ્રસ્તાવ મૂકવામાં આવે છે.જો તમે આ મેલનો રિપ્લાઈ આપો છો તો કંપની તમને એક બેંક એકાઉન્ટમાં ઈન્ટરવ્યૂ ફી સ્વરૂપે કેટલાક રૂપિયા જમા કરાવવા કહે છે.જો આપને પણ કોઈ આવા પ્રકારનો મેલ આવે તો સચેત રહેજો અને તેનો કોઈ રિપ્લાઈ ન આપો. એ વાતનું ધ્યાન રાખજો કે કોઈપણ કંપની ઈન્ટરવ્યૂ માટે નાણા વસૂલતી નથી. તેમજ મોટી કંપનીના નામે આ પ્રકારનો મેલ મળવો એ પણ એક મોટી ઓનલાઈન છેતરપીંડી છે.

શ્રીનગરમાં કર્ફ્યુ યથાવત

શ્રીનગરમાં મંગળવારની તણાવપૂર્ણ સ્થિતિને કારણે બુધવારે પણ અનિશ્ચિતકાલિન કર્ફ્યુ ચાલુ રખાયો છે. પ્રદેશ પ્રશાસનની મદદ માટે સેનાને પણ તૈનાત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શહેરના બટમાલુ અને માઇસુલા વિસ્તારમાં મંગળવારે હિંસક પ્રદર્શન પછી આખાય શહેરમાં લશ્કર ગોઠવી દેવામાં આવ્યું હતું.દક્ષિણ કાશ્મીરના અનંતનાગ, પમ્પોર, પુલવામા અને કુલગામ ઉપરાંત ઉત્તર કાશ્મીરના કુપવાડા અને બાંદીપોરમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. સોપોર અને બારામુલામાં પણ કર્ફ્યુ યથાવત છે. બંને શહેરોમાં સેનાએ ફ્લેગ માર્ચ પણ કર્યું હતું.સરકારી સુત્રોએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પોલીસ દળ ઉપલબ્ધ ન હોવાને કારણે શ્રીનગરમાં મંગળવારે મોડી રાત્રે સેનાને તૈનાત કરવામાં આવી હતી. હાલમાં પોલીસના મોટાભાગના જવાન અમરનાથ યાત્રા અને આતંકવાદ-નિરોધક અભિયાનમાં લાગેલા હોવાને કારણે આ પગલું લેવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રમુખ સચિવ એસએસ કપૂરે કાયદો-વ્યવસ્થાના પાલન માટે સેનાની મદદ માંગી હતી.




પવારનો બોજ હળવો કરવા કેબિનેટમાં ફેરફારની કવાયત

ટેલિકોમ મંત્રી એ. રાજાને પડતા મુકાય તેવી વકી, થરૂરનું પદ પણ ખાલી છે, સંસદના ચોમાસું સત્ર પહેલાં જ ગંજીપો ચીપાશે
કૃષિમંત્રી શરદ પવારે વડાપ્રધાન મનમોહનસિંઘને મળીને તેમનો બોજ હળવો કરવા માટે કરેલી વિનંતીને પગલે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓએ કેબિનેટમાં ફેરફાર અંગે મંગળવારે ચર્ચા શરૂ કરી દીધી છે. સંસદના ચોમાસું સત્ર પહેલાં જ કેબિનેટનું વિસ્તરણ કરે તેવી શક્યતા છે.૨૬મી જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસું સત્ર આડે હવે માત્ર ૧૫ દિવસ બાકી છે ત્યારે વડાપ્રધાન તેમના મંત્રીમંડળમાં કેટલાક નવા ચૂંટાયેલા સાંસદોને મંત્રી બનાવે તેવી શક્યતા છે, જેથી તેઓ સંસદની કામગીરીથી પરિચિત થાય.૭૦ વર્ષીય શરદ પવારના મંત્રાલયમાં ત્રણ પોર્ટફોલિયો માટે હાલ એક જ રાજ્યમંત્રી છે. તેમાં વળી પવાર આઈસીસીના પ્રમુખ બની ગયા છે અને તેમણે વડાપ્રધાનને ‘તેમનો બોજ હળવો કરવાની’ વિનંતી પણ કરી નાખી છે. આ ઉપરાંત વિપક્ષોએ પણ તેમના પર આક્ષેપ કર્યો છે કે પવારને દેશના ખેડૂતો અને મોંઘવારીને બદલે ક્રિકેટમાં જ રસ છે. કેબિનેટની પુનર્રચનામાં પવાર કૃષિમંત્રાલયનો હવાલો જાળવી રાખશે, પરંતુ ખાદ્યમંત્રાલય, જાહેર વિતરણ અને ઉપભોકતા બાબતોનું મંત્રાલય એ તમામ તેમણે ગુમાવવા પડશે તેમ જણાય છે. આ મંત્રાલય કોંગ્રેસના ફાળે જાય તેવી શક્યતા છે, કારણ કે એનસીપીમાં તે સંભાળી શકે તેવું કોઈ નથી.બીજી તરફ વિપક્ષો ટેલિકોમ મંત્રી એ. રાજા પર ટુ-જી સ્પેકટ્રમ લાઈસિન્સંગમાં મોટાપાયે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરીને તેમના રાજીનામાની સતત માગણી કરી રહ્યા છે. આથી રાજાને ટેલિકોમ મંત્રીપદેથી પડતા મુકાય તેવી શક્યતા વધારે જણાય છે. એવા પણ અહેવાલ છે કે ઉત્તરપ્રદેશના આરએલડીના નેતા અજિતસિંહને કેબિનેટમાં સ્થાન અપાશે. કોંગ્રેસ ઉત્તરપ્રદેશમાં જાટ સમુદાયમાં તેનું વર્ચસ્વ ઊભું કરવા માગે છે, જેને પગલે આ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.વિદેશ મંત્રાલયમાં શશી થરૂરના રાજીનામા પછી તેમનું સ્થાન ખાલી છે. ગત એપ્રિલમાં આઈપીએલના વિવાદને પગલે ભારે દબાણને કારણે થરૂરે રાજીનામું આપી દીધું હતું.આ ઉપરાંત કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ ગઈકાલે સોમવારે લોકજનશક્તિ પાર્ટીના નેતા રામવિલાસ પાસવાનને તેમના ૬૪મા જન્મદિવસે ફોન કરીને અભિનંદન આપ્યા તેના પરથી તેમને પણ કેબિનેટમાં સમાવી લેવાય તેવી સંભાવના છે. જોકે પાસવાનના નિકટનાં સૂત્રોએ આવી શક્યતા નકારી કાઢી છે.


શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ

ગાલે ખાતે 18 જુલાઇથી ભારત સામે શરૂ થતી પહેલી ટેસ્ટ બાદ મુરલીધરન ક્રિકેટને અલવિદા કહેશે.ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો રેકોર્ડ મુરલીધરનના નામે છે. તેણે અત્યાર સુધીમાં 792 વિકેટ ઝડપી છે. જ્યારે વન-ડેમાં તેણે 515 વિકેટ મેળવી છે. તે અત્યાર સુધીમાં 337 વન-ડે અને 132 ટેસ્ટ રમી ચૂક્યો છે.આ પહેલા મુરલીધરને 2010માં યોજાનારા વર્લ્ડ કપ બાદ નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી, પરંતુ તેણે અચાનક સંન્યાસ લેવાની વાત કહી લાખો ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવી દીધા છે.


ફોક્સવેગાન મારૂતિ સુઝુકી ઇન્ડિયાની સાથે મળીને કાર બનાવશે

જર્મન કાર કંપની ફોક્સવેગાને મારૂતિ સુઝુકી ઇન્ડિયાની સાથે મળીને કાર વિકસિત કરવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. ગયા વર્ષે સુઝુકી મોટર કોર્પમાં 19.9 ટકા હિસ્સો 2.5 અરબ ડોલરમાં ખરીદનાર ફોક્સવેગાને કહ્યું કે બંને કંપનીઓ બજારમાં સામંજસ્ય સ્થાપિત કરવા માટે પોત-પોતાની રીતે ધારણાઓને મૂલ્યાંકન કરી રહી છે.ફોક્સવેગાનના પ્રબંધન બોર્ડના સભ્ય ક્રિસ્ટિયન ક્લિંગરે કહ્યું કે કેટલાંક પ્રોજેક્ટો ભારતીય બજારમાં શરૂ થશે. તેની અમારે રાહ જોવી પડશે. મારૂતિ સુઝુકી સાથે મળીને કાર વિક્સિત કરે તેવી શક્યતા છે તેના જવાબમાં તેમણે કહ્યું કે ચોક્કસ સાથે મળીને કાર વિક્સિત કરવાની શક્યતા છે, પરંતુ હું આ અંગેની પુષ્ટિ કરી શકું નહિં.તેમણે કહ્યું કે સુઝુકીની સાથે ફોક્સવેગાનની વૈશ્વિક ભાગીદારીમાં ભારતીય બજાર એક અગત્યની ભૂમિકા નિભાવી શકે છે. તેમણે કહ્યું કે ફોક્સવેગન અને સુઝુકીની વચ્ચે ભાગીદારી એક-બીજાની તાકાતનો લાભ ઉઠાવવા માટે છે. સુઝુકી ભારત અને જાપાન સહિત એશિયન બજારમાં બહુ મજબૂત સ્થિતિમાં છે. તે નાની કાર બનાવે છે. કેટલીય કંપનીઓ નાની કાર બનાવે છે, પરંતુ તેઓ પૈસા બનાવતી નથી.

ગાયિકા જેસિકાનો પાંચમો પ્રેમી

ગાયિકા જેસિકા સિમ્પસન પોતાના પ્રેમીને છોડીને નવો પ્રેમી એરિક જોનસન સાથે ડેટિંગ કરી રહી છે.એરિક ભૂતપૂર્વ ફૂટબોલ પ્લેયર છે. જેસિકાએ પોતાના પૂર્વ પ્રેમી રોમોને છોડ્યા બાદ તેને એકલતા સાલતી હતી. આ દરમિયાન તે એરિકની નિકટ આવી હતી.વર્ષ 2006માં સ્ટાર નિક લેકે સાથે છૂટાછેડા લીધા બાદ જેસિકા અત્યાર સુધીમાં ચાર પ્રેમીઓ બદલી ચૂકી છે. તો જોનસને પણ પોતાની પત્નીને છૂટાછેડા આપવાનું નક્કી કર્યુ છે.

અમિતાભ બચ્ચન દગાખોર છે?

અમિતાભ બચ્ચનના દૌલતપુરા કેસની સુનાવણી 14 જુલાઈના રોજ થવાની છે. 2 જુલાઈના રોજ દૌલતપુરાના ગ્રામપ્રધાન રાજ કુમારીએ કોર્ટમાં અરજી કરી હતી.જૂન 11ના રોજ એડિશનલ ચિફ જ્યુડિશયલ મેજીસ્ટ્રેટના કોર્ટની વિરોધમાં રાજકુમારીએ અર્જી કરી હતી.હવે, કોર્ટ 14 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરશે. રાજકુમારીએ દૌલતપુરા ગામની જમીનને લઈને અમિતાભ સહિત આઠ લોકો સામે છેતરપીંડિનો કેસ કર્યો છે.અમિતાભ બચ્ચન દૌલતપુરામાં ઐશ્વર્યા રાય બચ્ચનના નામથી એક કોલેજ શરૂ કરવાના હતા પરંતુ હજી સુધી અમિતાભે કોલેજ માટેની જમીન ગ્રામસભાને આપી નથી.


કોલોનોપ્સી 32000 જીંદગીને બચાવી શકે

અમેરિકાના સેન્ટર ફોર ડિઝીઝ કન્ટ્રોલના જણાવ્યા અનુસાર જો 50 વર્ષથી ઉપરની વય ધરાવતા લોકો નિયમિત ધોરણે કોલક્ટલ કેન્સર (આંતરડાનું કેન્સર)નો જરૂરિયાત મુજબ ટેસ્ટ કરાવે તો દરવર્ષે 32000 જીંદગીઓને બચાવી શકાય તેમ છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ફેફસાના કેન્સર પછી આંતરડાનું કેન્સર સૌથી વધુ લોકોનો ભોગ લે છે. આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર લાખો અમેરિકનોને હજૂપણ આ ટેસ્ટ માટે સલાહ આપવામાં આવતી નથી.આ રિપોર્ટ બહાર પાડનારી સંસ્થાના ડિરેક્ટર થોમસ ફ્રિડમેનના જણાવ્યા અનુસાર,"આશ્ચર્યજનક રીતે આ ટેસ્ટ કરાવવાની જેને જરૂર છે તેવા દર ત્રણમાંથી એક વ્યક્તિએ આ ટેસ્ટ કરાવવો જોઇતો હતો પરંતુ તેમ નથી થઇ રહ્યું અને અને આ દર બ્લેક લોકોમાં વધુ ઉંચો છે."ફ્રિડમેને જણાવ્યું હતું કે,"મેમોગ્રાફીને કારણે હાલમાં દરવર્ષે 12000 લોકોના જીવ બચાવી શકાય છે અને જો 50 વર્ષથી વધુની વય ધરાવતા લોકો કોલરેક્ટલ કેન્સરને લગતો ટેસ્ટ નિયમિત રીતે કરાવે તો વધુ 32000 જીંદગીઓ બચાવી શકાય તેમ છે."


દ.આફ્રિકા: સેલફોન ચાર્જ કરશે ફૂટબોલ

દ.આફ્રિકામાં ચાલી રહેલી ફિફા વર્લ્ડકપ દરમિયાન એક એવા ફૂટબોલનું પરીક્ષણ કરાશે જેને હલાવવાથી સેલફોન ચાર્જ થઈ જશે. આ ફૂટબોલને હાવર્ડ યુનિવર્સિટીની ચાર મહિલા સંશોધનકર્તાઓએ બનાવ્યો છે. તેને એક ટોર્ચની અંદર બનાવાયો છે. ટોર્ચને હલાવતા મેગ્નેટિક ફૂટબોલ એક કોઈલમાં થઈને પસાર થાય છે. તેનાથી વીજળી પેદા થાય છે અને ટોર્ચ ચાલુ થઈ જાય છે.ટોર્ચને ૧૫ મિનિટ સુધી હલાવતા એટલી વીજળી બની જાય છે કે જેનાથી આ એલઈડી ટોર્ચ ત્રણ કલાક સુધી ચાલે છે. ટોર્ચમાં ફિટ કરવામાં આવેલા સોકેટથી મોબાઈલ ફોન પણ ચાર્જ કરી શકાય છે. આ ટોર્ચને આ વર્ષના અંત સુધીમાં બજારમાં રજૂ કરાશે.


ભૂકંપની ચેતવણી આપશે ઉપકરણ

ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓએ એક એવો કમ્પ્યૂટર પ્રોગ્રામ બનાવ્યો છે, જે જમીનની નીચેના ભૂકંપનીય તરંગોને પકડીને સચોટ ભવિષ્યવાણી કરે છે. આ સોફ્ટવેરથી સજજ કમ્પ્યૂટરને કોઈ એક ભૂકંપીય કેન્દ્ર સાથે જોડવાથી ૨૦૦ મીટરના દાયરામાં ભૂકંપની સમય કરતાં પહેલાં સચોટ ભવિષ્યવાણી કરી શકાય છે.આ ઉપકરણ ઓછી તીવ્રતાના ભૂકંપો અને ત્યાર બાદ આવનાર આફ્ટરશોકને માપી શકે છે. સોફ્ટવેર તૈયાર કરનારા કેનબરા યુનિવર્સિટીના ડેવિડ રોબિનસને જણાવ્યું કે આ ઉપકરણથી તેવા ક્ષેત્રોની ભૂકંપનીય ગતિવિધિઓનો અંદાજ લગાવી શકાય છે જ્યાં વર્ષોથી ભૂકંપ નથી આવ્યો.


પોતાના કરતાં બમણું વજન ઊંચક્યું

૧૨ વર્ષનો એક છોકરો તેના પોતાના વજન કરતાં બે ગણું વજન ઊંચકી શકે છે, જે તેને વિશ્વનો સૌથી શક્તિશાળી છોકરો બનાવે છે.૫ ફીટ ૭ ઇંચની ઊંચાઈ અને ૧૦.૫ સ્ટોનનું વજન ધરાવતા કાયલ કેનીએ ૧૪૦ કિગ્રાનું વજન ઊંચકીને નવો વિશ્વવિક્રમ સ્થાપ્યો છે. કાયલના વતન કોવેન્ટ્રીમાં યોજાયેલી ચેરિટી બોડીબિલ્ડિંગ ઇવેન્ટમાં તેણે પોતાની ઉંમર માટેનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો.કાયલે નવ વર્ષની ઉંમરે કીકબોક્સિંગમાં બ્લેક બેલ્ટ મેળવ્યો હતો અને માત્ર ૧૦ વર્ષની ઉંમરે વેઇટલિફિંટગ શરૂ કર્યું હતું. વિખ્યાત બોડીબિલ્ડર અને હોલિવૂડના સ્ટાર આર્નોલ્ડ શ્વાર્ત્ઝેનેગર પરથી તેનું હુલામણું નામ ‘લિટલ આર્ની’ પાડવામાં આવ્યું છે. તે સપ્તાહમાં ચાર વખત જિમ્નેશિયમમાં ટ્રેનિંગ લે છે. તે ઓલિમ્પિક વેઇટલિફટર બનીને બ્રિટન માટે સુવર્ણચંદ્રક જીતવા માગે છે.


કારનો રંગ કાળો છે તો બદલી નાખો

જો તમારી ગાડીનો રંગ કાળો, ભૂરો કે સફેદ છે તો તેને ઝડપથી બદલી નાખો! કારણ કે ચોરોના લિસ્ટમાં આ રંગની ગાડીઓ સૌથી મોખરે છે. ઓટોમોબાઈલ ક્ષેત્રમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં સલાહ આપવામાં આવી છે કે ચોરોથી બચવા માટે તમારી ગાડીને અસામાન્ય પ્રકારના ચમકદાર રંગથી રંગાવી નાખો.વોક્સ બેન વોલાર્ડને નેધલેન્ડમાં નિરિક્ષણ કરતા માલુમ પડ્યું હતું કે વિદ્યાર્થીઓએ પોતાની સાઈકલોને ચોરોથી બચાવવા માટે ગુલાબી અને પીળા રંગથી રંગાવી નાખી હતી. આ જ રંગનો ઉપયોગ ગાડી પર કરવામાં આવતા વોલાર્ડને માલુમ પડ્યું હતું કે કારના રંગનો પ્રભાવ ચોર પર પડી રહ્યો છે. વોલાર્ડના જણાવ્યા પ્રમાણે ચોર કોઈ પણ ગાડી ચોરતા પહેલા તેને બજારમાં ફરીથી વેચતા કેટલી કિંમત ઉપજશે તેનો વિચાર કરે છે.
સંશોધનના જણાવ્યા પ્રમાણે કાળો, સિલ્વર, ભૂરો અને આસમાની રંગ વપરાશકારોની યાદીમાં પ્રથમ આવે છે. જ્યારે પીળા, ગુલાબી અને લાલ રંગના કલરની માંગ વધારે હોવાને કારણે ગાડી ચોરી થવાની શક્યતા ઓછી થઈ જાય છે. તો હવે રાહ શેની જોઈ રહ્યા છો? તમારી કારને ચોરથી બચાવવા માટે રંગી નાખો પીળા રંગમાં!


પ્રેમ માંગવાથી નહીં આપવાથી વધે છે

પ્યાર ,ઈશ્ક, લવ, મહોબ્બત, પ્રીત, ચાહત, દિલ્લગી એક અનુભવ. જેને શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે. પ્રેમનો અલૌકિક અનુભવ કરી શકાય છે. એ ફક્ત ભાવનાઓનું અતૂટ બંધન છે.ઘણા લોકોને મનમાં પ્રશ્ન થાય છે પ્રેમ શું છે? પ્રેમ કેવી રીતે થાય છે? પ્રેમ ક્યારે થાય છે?પ્રેમની મહાનતાના અસંખ્ય કિસ્સાઓ અને ઉદાહરણો છે. જેને આપણે અનેક વાર જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તેને વ્યક્ત કરીએ છીએ.પ્રેમીઓ માટે આદર્શ પ્રેમ છે રાધા-કૃષ્ણનો પ્રેમ. શ્રીકૃષ્ણનું સંપૂર્ણ જીવન પ્રેમનું પ્રતિબિંબ છે.શ્રીકૃષ્ણ અને રાધાનો પ્રેમ સર્વસ્વ સ્વીકાર્ય છે. તેમના લગ્ન નહોતા થયા તેમ છતા આજે પણ પૂજા રાધા-કૃષ્ણની થાય છે.આ વાતથી જ એ સિદ્ધ થાય છે કે પ્રેમ પૂજનીય છે. પ્રેમનું આપણા ધર્મોમાં એક મહત્વપૂર્ણ સ્થાન છે.પ્રેમ એક એવો અહેસાસ છે જે પ્રેમીઓના હ્રદય અને જીવનમાં ખુશીઓનો સંચાર કરે છે. પ્રેમમાં ડૂબેલા વ્યક્તિઓ દુનિયાની ખરાબીઓને અવગણીને પોતાની જ એક રંગીન દુનિયામાં રાચે છે. નિજ આનંદમાં તેઓ મગ્ન રહેવાનું પસંદ કરે છે.પ્રેમમાં પડેલી વ્યક્તિને આખીય દુનિયા ખૂબ પ્યારી દેખાય છે. કોઈ પણ અવગુણને તે દૂર કરી શકે છે.પ્રેમમાં એવી અદ્ભભૂત શક્તિ છે તે સાવ ખરાબ માણસની જિંદગીનો રાહ પણ બદલી શકે છે. જે કાર્ય તમે ગુસ્સાથી કે જબરજસ્તીપૂર્વક કરો એ કાર્ય તમે પ્રેમના બે શબ્દો બોલીને પણ આસાનીથી કરાવી શકો છો.પ્રેમ માંગવાથી ઓછો થાય છે અને આપવાથી વધે છે. આ માટે સંબંધો વચ્ચે પ્રેમનો તાલમેલ હોવો બહુ જરુરી છે. પ્રેમના મધુર સંગીતની ડોર તમારા જ હાથમાં છે.અહંકાર છુટવાથી પ્રેમનો જન્મ થાય છે.જ્યાં સુધી મીરા અને સુફી સંતોની વાત છે તેમનો પ્રેમ ખરેખર અમૃત છે.પ્રેમ સત્ય છે.


ભગવાન શંકરને અતિપ્રિય: રુદ્રાક્ષ

ભગવાન શંકરને રુદ્રાક્ષ અતિપ્રિય છે. રુદ્રાક્ષ વિશે શિવમહાપુરાણમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. શિવમહાપુરાણ અનુસાર એકમુખવાળું રુદ્રાક્ષ સાક્ષાત શિવનું સ્વરુપ છે. તે ભોગ અને મોક્ષ પેદા કરનારું છે. જે આ રુદ્રાક્ષની પૂજા કરે છે તેના ઘરમાંથી લક્ષ્મી ક્યારેય પણ દૂર થતી નથી. ત્રણ મુખવાળું રુદ્રાક્ષ સાક્ષાત સાધનનું ફળ આપનારું છે એના પ્રભાવથી દરેક વિદ્યા પ્રભાવિત થાય છે.ચારમુખવાળું રુદ્રાક્ષ બ્રહ્માનું સ્વરુપ છે. તેના દર્શનથી તથા સ્પર્શથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પાંચ મુખવાળું રુદ્રાક્ષ કાલાગ્નિનું સ્વરુપ છે.એ દરેક કાર્ય કરવામાં સક્ષમ છે. મનુષ્યને મુક્તિ આપનારું તથા સંપૂર્ણ મનોવાચ્છિત ફળ આપનારું છે. છ મુખવાળું રુદ્રાક્ષ કાર્તિકેયનું સ્વરુપ છે. તેને ધારણ કરનાર વ્યક્તિ બ્રહ્મહત્યા અને પાપમાંથી મુક્ત બની જાય છે.આઠ મુખવાળું રુદ્રાક્ષ અષ્ટમૂર્તિ સ્વરુપ છે. તેને ધારણ કરનાર મનુષ્ય પૂર્ણાયુ છે.નવ મુખવાળું રુદ્રાક્ષ ભૈરવ તથા કપિલ મુનીનું પ્રતિક માનવામાં આવે છે. દસમુખવાળું રુદ્રાક્ષ ભગવાન વિષ્ણુનુ સ્વરુપ છે.તેને ધારણ કરનાર મનુષ્યની દરેક કામનાઓ પૂર્ણ થાય છે.અગિયાર મુખવાળું રુદ્રાક્ષ સર્વત્ર વિજયી છે.બાર મુખવાળું રુદ્રાક્ષ ધારણ કરવાથી મસ્તક પર બારેય આદિત્ય બિરાજમાન છે. તેર મુખવાળું રુદ્રાક્ષ વિશ્વદેવનું સ્વરુપ છે.તેને ધારણ કરનાર મનુષ્ય સૌભાગ્ય અને મંગળકારી છે.ચૌદ મુખવાળું રુદ્રાક્ષ પરમ વિશ્વરુપ છે.તેને ધારણ કરવાથી દરેક પાપનો નાશ થાય છે.


સાસુ વહુના મીઠા સંબંધો

આધુનિક સમયમાં મોટા ભાગની યુવતીઓ કરિયર બનાવવાની પ્રબળ ઈચ્છા રાખે છે. મહત્વકાંક્ષી યુવતીઓ પોતાની અંગત લાઈફમાં આઝાદીની ઈચ્છા ધરાવે છે પરિણામે ઘરના કામકાજમાં તેઓ પુરતો સમય નથી આપી શકતી. પરિણામે આ કાર્યોમાં તેઓ પુરતી કુશળતા પ્રાપ્ત નથી કરી શકતા. લગ્ન બાદ જ્યારે તેઓ શ્વસુરગૃહે પહોંચે છે ત્યારે ક્યારેય લગ્નજીવનમાં અનેક મુશ્કેલીઓને આમંત્રે છે.નવવધૂ અને સાસુ વચ્ચેના સંબંધો ઘનિષ્ઠ હોવા ખૂબ જરુરી છે.રસોડાના કામ અને ઘરના અન્ય કામકાજમાં સાસુ વહુએ સમાયોજન કરવું ખૂબ જરુરી છે. સાસુ વહુ વચ્ચે જો આત્મીયતા હોય તો પરિવારની દોર સુમેળભરી બની શકે છે.ફેંગશુઈ પ્રમાણે સાસુ વહુ વચ્ચે સંબંધો ખાટા થાય છે તો તેનું કારણ વૈચારિક મતભેદ નથી.પરંતુ તેનું કારણ રસોડામાં ગોઠવેલી સામગ્રીની જગ્યા અને દિશા છે. ફેંગશુઈમાં જળ અને અગ્નિ તત્વને એકબીજાના વિરોધી માનવામાં આવે છે. આ આધારે માટલું અને સ્ટવ એકબીજાની સામસામે ના રાખવા જોઈએ. ચુલો પણ એકબીજાની સામે ના રાખવો જોઈએ. જો આ રીતે ગોઠવવામાં આવે તો સાસુ વહુ વચ્ચેના મીઠા સંબંધોમાં મતભેદ આવી શકે છે.તેમની વચ્ચે ભયંકર કટુતા અને ખટાશ પણ આવી શકે છે.એટલા માટે જ ધ્યાનમાં રાખવું જોઈએ કે માટલાનું પાણી ગેસ સ્ટવથી દૂર રાખવું જોઈએ. ફેંગશુઈના નાના અને સરળ ઉપાયો ઘરમાં ક્લેશ પેદા કરી શકે છે.ફેંગશુઈના નાના અને સરળ ઉપાયો ઘરમાં શાંતિ કાયમ રાખવામાં કારગત નિવડી શકે છે.


મંત્રોચ્ચારથી અટકાવો ગર્ભપાત

જો કોઈ મહિલાને વારંવાર ગર્ભપાત થાય છે તો મંત્રો અને જાપ દ્નારા ગર્ભપાતને રોકવાના ઉપાયો હિંદુ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યા છે. ગર્ભધારણ કરવામાં સમસ્યાઓ નડતી હોય તો કેટલાક જાપ અને મંત્રોનું રટણ તમારી તકલીફોને દૂર કરી શકે છે.
- દર રવિવારે જ્યારે પુષ્ય નક્ષત્રનો યોગ આવે ત્યારે કાળા ધતૂરાની જડ નીકાળીને ગર્ભવતી સ્ત્રીની કમરે બાંધી દેવી. જેનાથી તેના ગર્ભનું રક્ષણ થાય છે.- કુંભાર પાસેથી માટી લઈને તેને ચાળીને સાફ કર્યા બાદ મધ ઉમેરીને બકરીના દૂધ સાથે પીવાથી ગર્ભને રક્ષણ મળે છે.- કેસર, પીઠી તથા ચંદનને મધ સાથે ચાટવાથી વારંવાર પડી જતું ગર્ભ રોકી શકાય છે.तंदुली मूलकं चैव देयं तंदुलवारिणा।धतूर मूलचूर्णन्तु योनिस्थं गर्भधारणम्।।ધતુરાના મૂળને ચુરણ પોટલીમાં રાખીને યોનિમાં રાખવાથી ગર્ભપાત થતા અટકે છે.- ऊँ नमो भगवते महारौद्राये गर्भस्तंभनम्। कुरु कुरु स्वाहा।।- આ મંત્રનો જાપ 100000 વાર કરવાથી દરેક કાર્યસિદ્ધ થાય છે. તેને 108 વાર વાંચવાથી અને મંત્રોચ્ચાર કર્યા બાદ તેનું પાણી પીવાથી ગર્ભનું રક્ષણ થાય છે.