visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
શ્રાવણમાં ભાદરવાનો અનુભવ: ઉકળાટથી શહેરીજનો ત્રસ્ત
ચાલુ વર્ષે અમદાવાદ શહેર તથા આજુ બાજુના વિસ્તારો પર મેઘરાજાની સારી મહેર રહેતા સારો વરસાદ થયો છે. અને સારો વરસાદ થતાં સર્વત્ર ઠંકર પ્રસરી ગઇ હતી પરંતુ આજે સવારથી અસહ્ય ઉકળાટ શરૂ થઇ જતાં શહેરીજનોને જાણેકે શ્રાવણ માસમાં ભાદરવાનો અનુભવ થઇ રહ્યો હતો અન બફારા તથા અસહ્ય ઉકળાટથી લોકો પરેશાન થઇ ગયા હતાં.ઓગષ્ટ મહિનાની શરુઆતમાં અમદાવાદમાં એકજ રાત્રિમાં ૧૪ ઇંચ વરસાદ ઝીંકાઇ જતાં સર્વત્ર જળબંબાકારની સ્થીતી સર્જાઇ હતી. ત્યાર બાદ શહેરમાં નિયમીત વરસાદ થતાં વાતાવરણ ઠંડુ ગાર થઇ ગયું હતું અને ચાલુ વર્ષે શહેરીજનોએ અનુભવેલી અસહ્યા ગરમી બાદ વરસાદની ઠંડક લોકો માટે જાણેકે આશિવૉદ સમાન બની ગઇ હતી પરંતુ આજે સવારથીજ વાતવરણાં ઉકળાટ અને જેને લીધે લોકોએ અનુભવેલા બફારાને લીધે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.
અમીત શાહના જામીન મુદ્દે વાંધા અરજીની આજે સુનાવણી
સોહરાબુદ્દીન શેખના ભાઇ રૂબાબુદ્દીને સીબીઆઇ સેસન્સ કોર્ટ સમક્ષ અમીત શાહને જામીન મળે તે મુદ્દે પોતાની વાંધા અરજી રજુ કરી હતી અને આ મુ્દ્દે પક્ષકાર તરીકે જોડાવા માટે પણ વકીલ સમસાદ પઠાણ દ્વારા અરજી કરી હતી જે અરજીની આજે કોર્ટ દ્વારા સુનાવણી હાથધરવામાં આવશે.દેશભરમાં ચર્ચાનો વિષય બની રહેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રકરણમાં તપાસ કરી રહેલી સીબીઆઇની ટીમે ગુજરાત રાજ્યના માજી ગૃહરાજ્યમંત્રી અમીત શાહની ધરપકડ કરી તેમને કોર્ટના આદેશથી જેલમાં રાખવામાં આવ્યા છે. જેના લીધે સમગ્ર પ્રકરણમાં ગરમાવો આવી ગયો છે. ધરપકડ બાદ શાહે સીબીઆઇ સેસન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી.શાહને જામીનના મળે તે માટે સોહરાબુદ્દીનના ભાઇ રુબાબુદ્દીને વાંધા અરજી કરી આ મુદ્દે પક્ષકાર તરીકે જોડાવા માટે પણ અરજી કરી રૂબાબુદ્દીને એવી રજુઆત કરી હતી કે જો શાહ ગુજરાતના માજી ગૃહરાજ્ય અંત્રી છે. અને જો તેમને શાહને જામીન મળે તો તે આ પ્રકરણમાં પુરાવાને નુકસાન કરી શકે છે અને સાક્ષીઓને ફોડી શકે છે. માટે તેમને જામીન ન આપવા જોઇએ જોકે રૂબાબુદ્દીનની આ મુદ્દે પક્ષકાર તરીકે જોડાવીની અરજીની સીબીઆઇ સેસન્સ કોર્ટ દ્વારા આજે સુનાવણી હાથ ધરાશે,
દેશમાં પહેલી વખત ગેરંટર વગર બેન્કોએ લોન આપી
મકાનોની કિંમત ૨.૫ લાખ : લાભાર્થીનો ફાળો ૫૭ હજાર : ૪૫ હજારની લોન : કુલ લાભાથ¾ ૧૬ હજાર હપ્તા નિયમિત ન ભરનારા પાસેથી મકાન પરત લઇને વેઇટિંગ લિસ્ટવાળાને ફાળવાશે. દેશમાં પહેલી વખત શહેરી ગરીબ આવાસ યોજનાના લાભાર્થી માટે કોઇપણ જાતના ગેરંટર વગર બેન્કોએ લોન મંજૂર કરી છે. શહેરી ગરીબ આવાસ યોજના અંતર્ગત પ્રથમ તબક્કાનાં તૈયાર થયેલાં મકાનો પૈકી ચાર હજાર મકાનોની ફાળવણી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે તા.૨૪મી એપ્રિલના રોજ ડ્રો દ્વારા કરવામાં આવી હતી.અંદાજે ૨.૫૬ લાખ રૂપિયાના આવાસમાં લાભાર્થીઓનો ફાળો ૫૭ હજાર ભરવાના છે. જે પૈકી ૧૨ હજાર રોકડા ચૂકવવાના રહેછે અને બાકીના ૪૫ હજાર રૂપિયાની લોન નક્કી કરવામાં આવી છે.મહાનગર સેવાસદન દ્વારા સાથ ચેરિટેબલ ટ્રસ્ટ નામની એનજીઓ સંસ્થાની નિમણુંક કરી આ ટ્રસ્ટના પ્રતિનિધિઓ લાભાર્થીના ઘરે જઇને પાવતી આપી હ’ાની રકમ મેળવશે અને બેન્કમાં જમા કરાવશે.મંજુર કરનાર બેંકો સિવાય બેન્ક ઓફ બરોડા અને દેના બેન્ક દ્વારા વધુ આઠ થી૧૦ હજાર આવાસોની લોન મંજૂરીની પ્રક્રિયા આખરી તબક્કામાં છે. આ લોન નિયમિત રીતે ભરપાઇ ન કરનારા પાસેથી મકાન પરત લેવામાં આવશે અને વેઇટિંગ લિસ્ટવાળા લાભાર્થીને અપાશે. જેના માટે નવી લોન આપવામાં આવશે.લોનની પ્રક્રિયા કેવી છે?લાભાર્થીના લોન દસ્તાવેજો તૈયાર કરી મંજૂર કરેલી લોનની રકમ સેવાસદનને અદા કરવામાં આવનાર છે. ૨૯ વર્ષની લીઝ ઉપર સેવાસદને કોઇ આર્થિક જવાબદારી સ્વીકાર્યા વગર લોન ભરપાઇ કરવાની જવાબદારી માત્ર લાભાર્થીઓની નક્કી કરેલી છે. જે માટે વસૂલાત કરવાની કાર્યવાહી એનજીઓ દ્વારા નિભાવવામાં આવનાર છે.
૬૨ના ૫૪૦ ગુણ બતાવી બોગસ માર્કશીટ બનાવી
મ.સ.યુનિના નામે ફરતી બોગસ માર્કશીટના કિસ્સા ઘણી વાર પ્રકાશમાં આવ્યા છે. પણ આ માર્કશીટ અંગે જાણ થયા બાદ યુનિ. દ્વારા શું પગલાં લેવાયા છે? એની આજદિન સુધી ખબર પડી નથી. એટલું જ નહીં, પણ યુનિ. પાસે આ અંગે વેરિફિકેશન કરવા માટેની તત્કાલ સેવાઓ પણ ઉપલબ્ધ નથી. ત્યારે આજે ફરી એક વાર વધુ એક બોગસ માર્ટશીટનો કિસ્સો સપાટી પર આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર શહેરની ધી ગવર્નમેન્ટ સર્વન્ટ્સ કો- ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિ., વડોદરા ખાતે કલાર્કના ઇન્ટવ્યું માટે અવાદેન આપનાર ભટ્ટ વિમલકુમરા હસમુખભાઇની માર્કશીટને યુનિ.માં વેરિફિકેશન અર્થે મોકલતાં તે બોગસ હોવાનું જાણવા મળ્યું હતું. સંસ્થાના સત્તાધીશોએ આ અંગે યુનિ.માં જાણ પણ કરી હોવાનું જાણવા મળ્યું હતું.આ અંગે મળતી વધુ વિગતો મુજબ એપ્રિલ વર્ષ ૨૦૦૩માં કોમર્સ ફેકલ્ટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવનાર વિમલે પોતાના આવેદનપત્ર સાથે તેની બીકોમની માર્કશીટની નકલ જોડી હતી. જેમાં તેણે પોતાને સેકન્ડ કલાસ મળ્યો હોવાનું જણાવ્યું હતું અને આ માર્કશીટમાં એક હજારમાંથી તેના ૫૪૦ માર્ક આવ્યા છે એમ બતાવવામાં આવ્યું હતું. પણ સત્તાધીશો દ્વારા વેરિફિકેશન માટે મોકલતાં વિમલના કુલ માર્કસ માત્ર ૬૨ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. જે અંગે વધુ વિગતો મેળવવા સંસ્થાના સત્તાધીશો દ્વારા યુનિ.ને જણાવતાં ૨૪ કલાકમાં પણ તેમને આ અંગેની વિગતો મળી ન હતી.આ તો માત્ર એક જ કિસ્સો છે. આવા અનેક કિસ્સાઓ છે જેમાં યુનિ. તરફથી કોઇ ધ્યાન અપાતું નથી. ન તો યુનિ દ્વારા આ અંગે કોઇ ખાસ જોગવાઇ કરવામાં આવી છે. ત્યારે આવી બોગસ માર્કશીટનો ધંધો વધે એમાં કોઇ શંકાને સ્થાન નથી.યુનિ પાસે વેરિફિકેશનની ઝડપી વ્યવસ્થા નથી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી હાઇ ટેક હોવાના દાવા તદ્દન પોકળ સાબિત થાય છે. કારણ કે આવા સમયે યુનિ. પાસે એવી કોઇ વ્યવસ્થા નથી કે કોઇ પણ વ્યક્તિ માત્ર એક ક્લિકમાં માર્કશીટનું વેરિફિકેશન કરી શકે. એ માટે વ્યવસ્થા છે પણ એ એકદમ સરકારી ઢબે ચાલે છે. જેમાં લાંબા સમય સુધી માર્કશીટ સાચી છે કે બોગસ તેની જાણ કરવામાં આવતી નથી. અહીં ૧૦૦ રૂપિયા ભરી તમારે અરજી કર્યા બાદ જવાબની રાહ જ જોવાની હોય છે.કંપની જો એફઆઇઆર કરે તો જ યુનિ. ધ્યાન આપે,કોઇ પણ કંપની આવી કોઇ બોગસ માર્કશીટ પકડી પાડે તો તેણે આ અંગે પોલીસ ફરિયાદ કરવાની ફરજ પાડવામાં આવે છે. યુનિ. તરફથી માત્ર એ અંગે જરૂરી કાગળ ત્યાં મોકલી આપવામાં આવે છે. પણ એ અંગે આગળ કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.
ચૂંટણી આવતાં જ ભાજપ આતંક ફેલાવે છે: કોંગ્રેસ
કિશનવાડી વિસ્તારમાં લાભાર્થીઓ માટેના લોનમેળા ટાણે કોંગ્રેસના માજી કાઉન્સિલરને ભાજપના કાર્યકરોએ ધીબી નાંખવાના મામલે આજે શહેર કોંગ્રેસે દેખાવો યોજયા બાદ પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.કિશનવાડીમાં એન એન યુઆરએમ હેઠળ તૈયાર થયેલા આવાસોનાં લાભાર્થીઓના લોન મેળામાં કોંગ્રેસના માજી કાઉન્સિલર જયેશ જાદવને ભાજપી કાર્યકરોએ માર માર્યો હતો. જેના વિરોધમાં આજરોજ શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઇ પટેલ સેવાસદનના વિપક્ષી નેતા ચિરાગ ઝવેરીની આગેવાનીમાં કોંગ્રેસે દેખાવો કર્યા બાદ પોલીસ ભવન જઈ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું કે, સત્તાધારી પક્ષ ભાજપ આગેવાનોએ જવાબદાર માજી કાઉન્સિલરનુ અપમાન કર્યું છે.તેમાં જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં હાજર અધિકારીએ જયેશ જાદવની ફરિયાદ લેવાની ના પાડી હતી. ત્યાર બાદ, પોલીસ સ્ટેશનમાં જ ચક્કર આવતાં એમ્બ્યુલન્સ બોલાવી સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચૂંટણી આવી રહી છે ત્યારે સમગ્ર બનાવની નિષ્પક્ષ તપાસ પણ માગણી કરાઈ હતી.માજી કાઉન્સિલરને માર મારનાર બે ઝડપાયા,ગઈકાલે ભાજપાના મંત્રી તેમજ વોર્ડ નંબર ૬ અને ૨૩ના પ્રભારી ધનંજય ઉફe છોટુ કશિનરાવ શીંદે અને તેના સાગરીત વિનોદ ગભરુ ભરવાડ, ભૂરિયાએ જયેશ જાદવને માર માર્યો હતો. આ બનાવમાં પોલીસે આજે છોટુ શીંદે અને વિનોદ ભરવાડની ધરપકડ કરી હતી.
ખુટાડિયામાં પતિએ પત્નીને રહેંસી
ચારિત્રય બાબતે બંને વચ્ચે ઝઘડો થતો રહેતો હતો , ગડદાપાટુંનો માર મારી પતાવી દીધી,વ્યારા તાલુકા મથકે આવેલ ખુટાડીયા ગામે બીજા પતિએ તેની પત્ની પર ચારિત્ર્ય પર શંકા રાખી ગત બુધવારના રોજ સાંજે તેની સાથે ઝઘડો કરી પત્નીને ઢીકામુક્કી તેમજ ગડદાપાટુનો માર મારી મોત નીપજાવ્યું હતું. જે બાદ પતિ ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે પોલીસને જાણ થતાં વ્યારા પોલીસ તેમજ એફએસએલ ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી.બનાવ અંગે ઘટના સ્થળ તેમજ પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ વ્યારા તાલુકા ખાતે આવેલા ખુટાડીયા ગામે પટેલ ફિળયામાં મીનાબહેન દીવાનભાઈ ગામીત (૪૫) રહે છે. ગત ત્રણ વર્ષ અગાઉ દીવાનભાઈ મંગલા ગામીતનું માંદગીના કારણે મોત નીપજ્યું હતું. જેથી એકવાયું જીવનથી કંટાળી મીનાએ ખુટાડીયા ગામે રહેતા હીરાભાઈ છોટુભાઈ ગામીતને બીજા પતિ તરીકે રાખ્યો હતો.બન્ને ખેતીકામ કરી જીવન ગુજારતા હતાં. ગત છ મહિનાથી બંને પતિ પત્ની એકબીજાના ચારિત્ર્ય પર શંકા રાખી અન્ય સાથે આડા સંબંધના વહેમના કારણે બન્ને અવારનવાર ઝઘડાઓ થતા રહેતા હતાં. ગત બુધવારના રોજ સાંજે ૬:૦૦ કલાકે પતિ-પત્ની વચ્ચે ભારે ઝઘડો થયો હતો. આ બબાલમાં ઉશ્કેરાયેલા હિરાએ પત્ની મીનાને ઘરના આંગણામાં મુઢ માર મારી તેને ઘરમાં ઘસડી લાવી ઉંચકીને નીચે પટકી હતી. આ દરમિયાન મીનાને પેટમાં લાતો મારતાં તેણીને ગંભીર રીતે મુઢ માર વાગતા તેનું રાત્રિ દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે આ ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.બીજા દિવસે ગુરુવારે સવારે પાડોશી તેને ઘરે આવતાં મીનાની લાશ જોતા તેમણે વ્યારા પોલીસને જાણ કરતાં વ્યારા પોસઈ જે. જે. વસાવા તેમજ સ્ટાફ ઘટના સ્થળે આવી લાશનું પંચનામું કરી એફએસએલને જાણ કરી પીએમની કાર્યાવહી હાથ ધરી હતી.મૃતકના શરીરમાંથી લોહીનું એક ટીપું પણ બહાર ન આવ્યું,ખુટાડિયા ગામે રહેતા પતિ હીરાએ તેની પત્ની મીનાબહેનને મૂઢ માર માર્યો હતો. આ સમગ્ર ઘટના દરમિયાન મીનાબહેનના શરીરમાંથી લોહીનું એક ટીપું પણ બહાર આવ્યું ન હતું. જોકે, શરીરમાં વાગેલા મૂઢ મારને કારણે તેણીએ જીવ ગૂમાવી દીધો હતો.
ભુજમાં ચાલતા ‘દેશીદારૂના બાર’ !
ભુજ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં દેશીદારૂનું ખુલ્લેઆમ ધૂમ વેચાણ થતું હોવાનું ‘દિવ્ય ભાસ્કર’ની ટીમે કરેલા એક સ્ટિંગ ઓપરેશનમાં સામે આવ્યું છે. પોલીસ તંત્રની મીઠીનજર હેઠળ બે નંબરનો આ કારોબાર બેરોકટોક અને બિન્દાસ ચાલી રહ્યો છે.દારૂબંધીનો અમલ ન થતો હોવાની વાત પણ એટલી જ સૌ જાણે છે. કેટલાંય વિસ્તારોમાં પ્યાસીઓ માટે આગતા-સ્વાગતા સાથે મોજથી પી શકવાની આરામદાયક સુવિધા છે. આ ધંધામાં ત્રણ પ્રકારના લોકોને દેખીતો ફાયદો થાય છે. બંધાણીઓને આકંઠ પીવા મળે છે, ઝૂંપડાં બાંધીને રહેતા ધંધાદારીઓનું ‘ગુજરાન’ ચાલે છે અને સૌ જાણે છે એમ પોલીસના ખિસ્સામાં હપ્તા જાય છે.ભીડનાકાં નજીકના વિસ્તારમાં સરાહજાહેર અતિ વ્યસ્ત રહેતા માર્ગ પર દેશીદારૂનું હાટડું જોવા મળ્યું હતું, જ્યાં ખુલ્લેઆમ દેશીદારૂ બનાવીને વેચવામાં આવે છે. આંગણે આવેલા ગ્રાહકને મીઠો આવકાર આપી મહેમાનની જેમ સત્કાર કરવામાં આવે છે. એટલું જ નહીં નિ:સંકોચ બેસાડીને પીવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે. ગેરકાયદે હોવા છતાં કોઇ પ્રકારનો ડર ન હોવા વિશે પૂછતાં દેશીદારૂના વિક્રેતાએ જણાવેલું કે, અમે પોલીસ ઇન્સપેક્ટરને નિયમિત હપ્તો ચૂકવીએ છીએ, ઉપરાંત નીચેના કર્મચારી પણ આવીને હપ્તો વસૂલી જાય છે.
પોલીસ વડા વાબાંગ જામીર ઉંઘતા ઝડપાયા
શહેરમાં બેધડક ચાલતા દેશીદારૂના બાર સામે પોલીસ તંત્રમાં કઇ હદે પોલ છે તેનો વરવો દાખલો પણ સામે આવ્યો છે. ખુદ ભુજ એસ.પી. વાબાંગ જામીર પણ ઉંઘતા પકડાયા છે. તેનું કહેવાતુ બાતામીદોરનું બોદં નેટર્વક પણ ખુલ્લુ પડી ગયું છે.ક્યા વિસ્તારોમાં દેશીદારૂ વેચાય છે અને બને છે તેની જાણ સુદ્ધા પણ તેઓને નથી.! ‘દિવ્ય ભાસ્કરે’ જ્યારે તેમનો સંપર્ક કરી અમુક વિસ્તારોની માહિતી આપી, ત્યારે એવો પ્રત્યુત્તર મળ્યો કે ‘મૈં અભી તપાસ કરવાતા હું!’દેશીદારૂના દૂષણ સામે પોલીસ તંત્ર કઇ રીતે કામગીરી કરે છે! એવા સવાલ સામે પણ પોલીસ વડા વાબાંગ જામીર પાસે બોલવાના કોઇ શબ્દો ન હતા!
ગાંધીધામ-ભુજ માર્ગ ફોરલેન કરવા સરકારમાં ધા
કચ્છ જિલ્લામાં ઔદ્યોગિક પ્રગતિની સાથોસાથ માળખાકીય સુવિધામાં વધારો થાય એ આવશ્યક છે ત્યારે ગાંધીધામથી ભુજનો રસ્તો ફોરલેનમાં પરિવર્તિત કરવામાં આવે તેવી માગણી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા માર્ગ મકાન વિભાગના મંત્રી સમક્ષ કરવામાં આવી છે.માર્ગ મકાન ખાતાના મંત્રી આનંદીબેન પટેલને કરાયેલી લખિત રજુઆતમાં ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ હિરાલાલ સી. પારખે જણાવ્યું છે કે, કંડલા અને મુન્દ્રા બંદરના કારણે માલસામનની હેરફેર વધી છે.છેવાડાના વિસ્તાર સુધી આવાગમન વધ્યું છે. તથા વાહન વ્યવહારમાં વૃદ્ધિ થઇ છે. આગામી સમયમાં પ્રગતિની ગતિ વધુ તેજ બનવાની સંભાવના છે ત્યારે ગાંધીધામથી ભુજ તરફનો રોડ ચાર માર્ગીય રોડમાં ફેરવાય એ જરૂરી ગણાશે. આ માટે થનારા ખર્ચાની જોગવાઇ પણ બજેટમાં કરવામાં આવે તથા તજજ્ઞોના અભિપ્રાય પણ મેળવવામાં આવે એવી વિનંતી પણ પત્રમાં જણાવાઇ છે.પ્રવાસન ક્ષેત્રે જિલ્લો આગળ વધી રહ્યો છે ત્યારે જો રસ્તા જેવી સુવિધાઓ પૂરી પડાશે તો નિ:શંકપણે ટુરિઝમને વેગ મળશે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી છે.રાજ્ય સરકાર દ્વારા ધોરીમાર્ગ નંબર ૨૫ ગાંધીધામ-આદિપુર વચ્ચેના ટાગોર રોડને દ્વ માર્ગીય બનાવવામાં આવ્યો છે. જેના થકી વાહન વ્યવહારમાં પણ ઝડપ આવી હોવાની તથા અકસ્માતનું પ્રમાણ ઘટયું હોવાનું યાદીમાં જણાવાયું છે.
રાખીએ રાજ ઠાકરેને લલકાર્યા
મુંબઈ શહેરમાં ધસી આવતા પરપ્રાંતિયોનાં ધાડાં માટે મહારાષ્ટ્ર નવિનર્માણ સેનાના વડા રાજ ઠાકરે કરતાં વધારે સારા ઉકેલ મારી પાસે છે, એમ આયટમ ગર્લ રાખી સાવંતે ગુરુવારે જણાવ્યું હતું.‘રાખી કા ઈન્સાફ’ નામે નવા રિલાયલિટી શોમાં રાખી ગુસ્સાવાળી ચાચીની ભૂમિકામાં આવી રહી છે. તેણે પરપ્રાંતિયો વિશે બોલતાં જણાવ્યું હતું કે ‘‘આવો મારા શોમાં, હું તેનો ઉકેલ જણાવીશ. મારા મિત્ર રાજ ઠાકરે કરતાં વધુ સારો ઉકેલ મારી પાસે છે.’’ઈમેજિન ટીવી ચેનલ પર આવી રહેલા તેના નવા શોના શુભારંભ બાબતે પૂછતાં ૩૧ વર્ષીય રાખીનું કહેવું છે કે આ શોમાં મેં મુંબઈની અનેકવિધ સમસ્યાઓને વાચા આપી છે. હું પોતે મહારાષ્ટ્રિયન છું. આપણા સમાજમાં ઠેર ઠેર સમસ્યાઓનો ખડકલો છે. તાજેતરની સમસ્યાઓને પણ મેં વાચા આપી છે. માધ્યમ મને વધુ સારી રીતે જાણે છે. શહેરના માર્ગોના બાંધકામ માટે મેં બીએમસીના દરવાજા ખટખટાવ્યા છે. એવી કોઈ સમસ્યા નથી કે જે મેં ઉકેલી ન હોય. તમારા માર્ગોના સમારકામ માટે બીએમસી આયુક્તના કાર્યાલયમાં બૂમાબૂમ કરી હોય તેવી એક પણ સેલિબ્રિટીનું મને નામ આપો, એમ તેણે જણાવ્યું હતું.આડેધડ ચાલતા મુંબઈ શહેરના કારભાર સામે રાખી સાવંત ઘણી જ રોષે ભરાયેલી છે. ખાસ કરીને ભારતની આર્થિક અને મનોરંજન રાજધાનીમાં કામ કરવા અને રહેવા આવનારા પરપ્રાંતિયો સામેના રાજ ઠાકરેના વિરોધથી ખફા છે.
ડિમ્પલ- બિરલાના વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
અભિનેત્રી ડિમ્પલ કાપડિયાનાં લગ્ન સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે જ્યાં થયાં હતા એ બંગલાનો વિવાદ હવે મુંબઈ વડી અદાલતમાં પહોંચ્યો છે. બંગલાના માલિક યશ બિરલાની કંપની લકસેલ પ્રોપર્ટીઝ આ મામલો હાઈકોર્ટમાં લઈ ગઈ છે.
આ બંગલામાં ૧૯૭૩ની સાલથી રહેતા હોવાનું પુરવાર કરવા માટે ડિમ્પલની માતાએ ડિમ્પલ અને રાજેશ ખન્નાનાં લગ્ન ૨૧ માર્ચ, ૧૯૭૩ના રોજ થયાં ત્યારે વરઘોડો એ બંગલામાં જ આવ્યો હોવાનું દર્શાવતા ફોટોગ્રાફસ અદાલતમાં રજુ કર્યા હતા.
ભાડા નિયંત્રણ કાયદાનું રક્ષણ મળે અને બંગલાનો કબજો છોડવા માટે યોગ્ય વળતર મળે એવી રજુઆત ડિમ્પલ તરફથી કરવામાં આવી છે. પરંતુ અદાલતે ફક્ત તસવીરોને પુરાવા માનવાને બદલે બંગલા પર હક અંગેના નક્કર દસ્તાવેજો આપવા જણાવ્યું હતું.આ ખટલો ત્રીસ વર્ષોથી અદાલતમાં ચાલી રહ્યો છે. હવે વડી અદાલત વહેલી તકે તેનો નિકાલ લાવે એવી શક્યતા છે. આ કેસ નિમિત્તે અન્ય કેટલાક મકાન માલિકોએ મુંબઈમાં આવા સેંકડો કેસ પ્રલંબિત હોવાથી તેમાં માલિકોએ ભીંસાવું પડતું હોવાનું જણાવતાં આવા માલિકોને રાહત આપવાની માગણી કરી હતી.
આણંદ : બોરીઆવીના શખસને વીજ ચોરી ગુનામાં છ માસની કેદ
વીજ ચોરી મામલે આણંદ કોર્ટે આરોપીને ત્રણ લાખનો દંડ ફટકાર્યો.આણંદ તાલુકાના બોરીઆવી ખાતે વીજ ચોરી કરતાં ઝડપાયેલા ઇસમને આણંદ કોર્ટે છ માસની સજા અને ત્રણ લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે.બોરીઆવી ખાતે મેલડી માતાના મંદિર પાસે આવેલ લગ્નવાડીમાં ગામના ભગાભાઇ બીજલભાઇના સંબંધીનું લગ્ન હોઇ વાડીની બાજુમાંથી પસાર થતી વીજ લાઇન ઉપર વાયર જોડી લગ્ન માટે વીજળી વાપરવામાં આવતી હોવાની માહિતી આધારે તા. ૧૯-૫-૦૩ના રોજ આણંદ વીજ તંત્રના અધિકારીઓએ ચેકિંગ કરી વીજ ચોરી ઝડપી પાડી હતી.વીજ કંપનીના અધિકારીએ આ બાબતે આણંદ રૂરલ પોલીસ મથકે કનુભાઇ કાભઇભાઇ ભોઇ તથા બીજા એક શખ્સ સામે વીજ ચોરીની ફરિયાદ નોંધાવી હતી.આ બાબતનો કેસ તાજેતરમાં આણંદ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો જેમાં એડીશ્નલ સેશન્સ જજ એમ.પી.ગમારાએ સરકારી વકીલ મહેશભાઇ એન.પટેલની દલીલો અને પુરાવા તથા પંચોની જુબાની આધારે આરોપી કનુભાઇ કાભઇભાઇ ભોઇને કસુરવાર ઠેરવી છ માસની કેદની સજા અને ૩૧૫૯૮૧ રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજાનો હુકમ ફરમાવ્યો હતો.
સિલિકોસિસ મામલે અંતે કેન્દ્રનું માનવ અધિકાર પંચ મેદાનમાં
કામદારોની સંસ્થાએ કેન્દ્રીય પંચ સમક્ષ ધા નાંખી હતી : રાજ્ય સરકારને માહિતી આપવાની તાકીદ,ખંભાત તાલુકામાં અકીકના પથ્થરોને કલાત્મક ઘાટ આપનાર કારીગરો અકીકની રજકણોના કારણે ૮ થી ૧૦ વર્ષની કામગીરી દરમિયાન સિલિકોસિસની બિમારીનો ભોગ બનતાં હોઈ આ કારીગરોના રક્ષણ, યોગ્ય વળતર, દાકતરી સારવાર સહિતની કામગીરી કરતી પી.ટી.આર.સી. સંસ્થાએ સંપૂર્ણ અહેવાલ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચને મોકલ્યો હતો.ખંભાત નગરમાં ૫૩ જેટલાં કામદારના સિલિકોસીસથી મૃત્યુ થવા છતાં તંત્ર બેદરકાર રહેતાં કેન્દ્રના માનવ અધિકાર પંચે રાજ્ય સરકાર, જિલ્લા તથા તાલુકા વહીવટીતંત્રને જાણ કરી તત્કાલ અહેવાલ માગતા જિલ્લા કલેક્ટર, મામલતદાર તથા વેપારી એસો. દોડતા થઈ ગયા છે.ખંભાત મામલતદાર કુ.પન્નાબહેન મોમાયાએ પીટીઆરસીના સંચાલકો સાથે બેઠક યોજી તેમના જવાબો મેળવ્યા હતા. જેમાં કલેક્ટર સહિતના અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.વિદ્યુત જોષીનો કારીગરો સાથે વિચાર વિર્મશ, ભાવનગર યુનિ. પૂર્વ કુલપતિ, લેખક તથા ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યુટના વડા વિદ્યુત જોષી તેમ જ ગુજરાત પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝના ગૌતમ ઠાકરે તથા ગુજરાત હાઈકોર્ટના વકીલ ભાવસારે તાજેતરમાં કારીગરો સાથે બેઠક યોજી હતી. જેમાં કોમન શેડ, પ્રોડ્યુસર કંપની, એકઝોસ્ટ સીસ્ટમ જેવા મુદ્દાઓ અંગે માહિતી આપી હતી. તેમણે કારીગરોને પોતાની જાતે જ ઉકેલ માટે સક્રિય બનવા આહ્વાન કર્યું હતું.
પડતર પ્રશ્નોના ઉકેલ મુદ્દે શાળા સંચાલકોના ધરણાં
જિલ્લા કલેક્ટર અને શિક્ષણાધિકારીને શાળા સંચાલક સંઘના હોદ્દેદારોએ આવેદનપત્ર સુપરત કર્યું,માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના સંચાલનમાં પડતી તકલીફો અને પ્રશ્નોના ઉકેલ લાવવા આણંદ જિલ્લા શાળા સંચાલક સંઘના હોદ્દેદારોએ આવેદનપત્ર આપીને જિલ્લા સેવા સદન ખાતે ધરણાં યોજયા હતાં.શાળા સંચાલનમાં થતી મૂંઝવણોને દૂર કરવા શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે,આણંદ જિલ્લા શાળા સંચાલક સંઘના ભરતભાઈ શાહ અને શશીકાન્તભાઈ પટેલની આગેવાનીમાં સંચાલકોએ જિલ્લા સેવા સદન ખાતે ધરણાં કર્યા હતા તેમજ જિલ્લા કલેક્ટર અને શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.આવેદનપત્રમાં શાળા સંચાલનના પાંચેક પ્રશ્નો અંગે રજુઆત કરી હતી. જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવેમ્બર ૨૦૦૯થી ભરતી બંધ કરી હોવાથી શિક્ષણને માઠી અસર પહોંચે છે.શાળામાં શિક્ષણ સહાયકો અને આચાર્યની ભરતીના સંદર્ભમાં હકારાત્મક સહયોગ આપવા, વહીવટી કર્મચારીઓની ભરતી પરનો પ્રતિબંધ હટાવી લેવા, મોંઘવારીના પ્રમાણમાં શાળા નિભાવ ગ્રાન્ટ વધારી આપવા, વર્ગખંડમાં બાળકોની સંખ્યા ઘટાડવા જેવા શાળા સંચાલનમાં મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ લાવવા રજુઆત કરી છે.જુન-૨૦૧૦થી ક્રમશ: ધો.૮ને માધ્યમિક શિક્ષણમાંથી પ્રાથમિક શિક્ષણમાં લઈ જવાના નિર્ણયથી શિક્ષકો ફાજલ થવાના છે. જેથી ૩૧મી ડિસેમ્બર,૨૦૦૯નો પરપિત્ર સ્થગિત કરીને ફાજલ શિક્ષકોની સંખ્યામાં વધારો કરવાનું મુલતવી રાખવા સાથે વિનીયમ ૯(૧૩) ૧,૨,૩ મુજબ વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા અને સરાસરી માટેની જોગવાઈઓ ચાલુ રાખવા અરજ કરી છે.
ડીટીસી દ્વારા નોનસાઇટ હોલ્ડર્સને કાચા હીરા અપાશે
ડાયમંડ ઉદ્યોગમાં રફની અછત નિવારવા ડાયમંડ ટ્રેડિંગ કંપની (ડીટીસી) હવે ટૂંક સમયમાં પોતાની જ કંપની ડાયમંડેલ ઓનલાઇન ઓકશન દ્વારા સાઇટ હોલ્ડરોને ડી-બિયર્સના ડાયમંડ્સનું વેચાણ કરશે. ઉપરાંત નોનસાઇટ હોલ્ડર્સને પણ ટેન્ડર ભરવાની તક આપશ્ો, એમ ડીટીસીના સીઈઓ વરદા સાઈને સોમવારે લંડન ખાતે એક નિવેદનમાં જણાવ્યું હતું.ડીટીસીના આ પરિવર્તનને કારણે સુરત અને ભાવનગરના ડાયમંડ મેન્યુફેકચરર્સને સારો ફાયદો થશે.ડીટીસીના સીઈઓ વરદા સાઈને કહ્યું હતું કે અત્યારનું માર્કેટ અને બે વર્ષ પહેલાંની સ્થિતિ અને હવે પછીના દસકાને ધ્યાનમાં રાખીને પરિવર્તન જરૂરી હતું. સાઈને વધુમાં કહ્યું હતું કે ડીટીસી ડાયમંડેલને માલ સપ્લાય કરશે અને ડાયમંડેલના કલાયન્ટોને ઇન્ટેન્શન ટુ ઓફર(આઈટીઓ) હેઠળ રફ ખરીદવા આમંત્રણ આપશે. આને કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને વધુ ને વધુ રફનો પુરવઠો મળી શકશે.ડીટીસીના સીઇઓએ કહ્યું હતું કે સાઇટ હોલ્ડર્સ માટે ડાયમંડેલ ઓનલાઇન ઓકશન ઓક્ટોબર ૨૦૧૦થી શરૂ થશે અને એપ્રિલ ૨૦૧૧થી બાકીના ક્વોલિફાઇંગ ડાયમંડ ઉદ્યોગકારોને સુવિધા ઉપલબ્ધ થશે. વર્ષ ૨૦૦૮ની કારમી મંદી બાદ હીરાઉદ્યોગની ગાડી ફરી પાટે ચઢી રહી છે. ત્યારે રફની ભારે અછત બજારમાં ઊભી થઈ છે. ડાયમંડ કંપનીઓ પાસે પૂરતા ઓર્ડર છે પરંતુ કાચો માલ હાથ પર નથી. ડીટીસીના આ પરિવર્તનને કારણે ભાવનગરના ડાયમંડ મેન્યુફેકચરર્સને સારો ફાયદો થશે
ભાવનગરમાં રાખડી રૂપી રક્ષાના બંધનની ઉજવણી
ભાઈ-બહેન વચ્ચેના પવિત્ર પ્રેમને વ્યક્ત કરવાનો તહેવાર રક્ષાબંધન એ ભારતીય સંસ્કૃતિમાં મહત્વનું અને આગવું સ્થાન ધરાવતો ઉત્સવ છે. ચાલુ વરસના શ્રાવણી પર્વ બળેવની ઉજવણી આજે સવાર દરમિયાન કરેલ પછી રક્ષાબંધનની ઉજવણી કરી હતી.શ્રાવણ સુદી પૂનમના દિવસે શ્રાવણ નક્ષત્ર હોય ત્યારે જ બ્રાહ્નણો યજુર્વેદી શ્રાવણી નિમિત્તે જનોઈ બદલવાનું આયોજન કરે છે અને જનોઈ બદલ્યા બાદ રક્ષાબંધન કરવાની પરંપરાગત માન્યતા છે.વહેલી સવારથી જ નવા-નવા વસ્ત્રોથી સુશોભિત આબાલ વૃદ્ધ સૌ રક્ષાબંધનનું પર્વ માણવા નીકળી પડ્યા હતા. બહેનો પોતાના વીરાને રાખી બાંધવા માટે અને પોતાના અંતરના આશિવૉદ પાઠવવા દિવસભર નાના-મોટા વાહનોમાં ધૂમતી જોવા મળી હતી. તો બીજી બાજુ શહેરના ભૂદેવો નાના-મોટા મંદિરો, જ્ઞાતિની વાડીઓ અને સમુદ્ર કિનારે જનોઈ બદલવા માટે હેમાદ્રિ મંત્રોના ઉચ્ચાર તેમજ હર હર મહાદેવના નારા સાથે મોટી સંખ્યામાં એઠકા થયા હતા.શહેરના જુના બંદર ખાતે સાંજના સમયે સમુદ્ર પૂજન તથા નાળિયેર અર્પણ કરવા માટે પરંપરાગતમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રાજાશાહીનાં સમયથી યોજાતો નાળિયેરી પૂનમનો આ મેળો ભાવનગરની જનતા ભારે શ્રદ્ધા સાથે ભાવભેર રીતે ઉજવે છે. બળેવના આ પર્વની શ્રાવણી ઉપાકર્મ તરીકે અને નાળિયેરી પૂનમ તરીકે લોકોએ મંદિરોમાં દર્શન કરીને, મેળાની મજા માણીને ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.ભાવેણાના રાજવી પરિવાર દ્વારા બળેવના દિવસે ઠાઠમાઠ ભરી હાથીની સવારી સાથે રાજાપોતે ભાવનગરની ઉભી બજારમાં પસાર થઈને જુનાબંદર ખાતે સમુદ્રનું પૂજન કરવા દરિય જતાં હતા. અનેક રત્નોની ખાણસમા રત્નાકર મહારાજનું હવે માત્ર લોકમેળારૂપેજ અસ્તિત્વમાં રહ્યું છે. રાજા અને સમુદ્રના આ સંબંધને ભાવનગરીઓએ બળેવના પ્રસંગે લોકમેળો ભરીને જાળવી રાખ્યો છે.
સીમકાર્ડ કૌભાંડમાં CBIએ ભાવનગરના શખ્સને ઉઠાવ્યો
મહુવા શહેરમાં ચોકકસ જગ્યાએ રૂ.૨ થી ૨.૫૦માં સીમકાર્ડ ખરીદવા માટે ડોકયુમેન્ટ મળી રહે છે. જેથી આવા નકલી ડોકયુમેન્ટ ઉપર વેચાતા સીમકાર્ડથી દેશની સલામતી સામે ખતરો ઉભો થશે તેવા તા.૪ જૂન-૧૦ના રોજ સૌરાષ્ટ્ર સમાચારમાં અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. તેના અનુસંધાને ભાવનગરમાંના એક શખ્સને સીબીઆઇએ ઉઠાવી લીધાના સમાચારથી ડુપ્લીકેટ ડોકયુમેન્ટ ઉપર સીમકાર્ડ વેચતા લોકોમાં ભય અને ફફડાટ વ્યાપી ગયો છે.તાજેતરમાં ભાવનગર શહેર અને જુનાગઢમાંથી દેશવ્યાપી સીમકાર્ડ કૌભાંડ ચાલતુ હોવાના પગલે ભાવનગરમાં એક શખ્સને સીબીઆઇ પુછપરછ માટે લઇ ગઇ હોવાની ચર્ચા ઉઠતા મહુવા-ભાવનગરમાં નકલી ડોકયુમેન્ટ ઉપર સીમકાર્ડ વેચતા આવા તત્વોમાં ભય અને ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.મહુવામાં આ પ્રવૃતિ ઉપર અંકુશ આવ્યો હતો. પરંતુ સીમકાર્ડ ખરીદવા માત્ર ઝેરોક્ષ ડોકયુમેન્ટ ઉપર બ્લ્યુ સહીથી સ્વપ્રમાણિત કરેલી ડોકયુમેન્ટ જરૂરી બનાવવાની જરૂરીયાત હોવાનુ ચર્ચાય છે. ઉપરાંત સીમકાર્ડના ડોકયુમેન્ટમાં ચૂંટણી ફોટો ઓળખકાર્ડની ઝેરોક્ષ અને ફોર્મમાં ઓળખકાર્ડનો નંબર લખવો જરૂરી છે. અને ભવિષ્યમાં નેશનલ આઇડી અપાય ગયા બાદ નેશનલ આઇડીની ઓળખ ફરજીયાત બનાવવી જોઇએ તેમ પણ ચર્ચા છે.
ઊંઝાના વેપારીનું અપહરણ: ૬ લાખ લઇ છુટકારો
ઊંઝાના એક વેપારીનું બુધવારે રાત્રે રૂ.૨૦ લાખની ખંડણી માટે અપહરણ કરીને અજ્ઞાત સ્થળે લઇ ગયા બાદ તેને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. આ બાદ અંતે રૂ.૬ લાખમાં સમાધાન થતાં મોડીરાત્રે સિધ્ધપુર ખાતે ખંડણીની રકમ સ્વીકાર્યા બાદ ગુરુવારે સવારે ભાંખર ગામ પાસે વેપારીને છોડી અપહરણકારો ફરાર થઇ જતાં ચકચાર પ્રસરી છે.ઊંઝાની રાજેન્દ્રરનગર સોસાયટીમાં રહેતા લલીત રામકુમાર કર્નામી કૃષિ પેદાશોને લગતો વેપાર કરે છે. જેમાં બુધવારે રાત્રે લલીતભાઇ ઊંઝાના પાટણ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે મારૂતિ કારમાં આવેલા કેટલાક શખ્સો લલીતભાઇને બળજબરીથી કારમાં બેસાડી અજ્ઞાત સ્થળે લઇ ગયા હતા.આ બાદ અપહરકારોએ લલીતભાઇ પાસેથી રૂ.૨૦ લાખની ખંડણીની માગ કરી હતી અને જાનથી મારવાની ધમકી આપી હતી. આ બાદ અંતે લલીતભાઇએ રૂ.૬ લાખ આપવાની વાત કરતા અપહરકારો સહમત થયા હતા. જેમાં સિધ્ધપુરની હોટલ પાસે મોડી રાત્રે પૈસા લઇને આવવા લલીતભાઇએ પોતાના એકાઉન્ટંટને જણાવ્યું હતું.જોકે, આ દરમિયાન આ મામલાની જાણ પોલીસને કરવામાં આવી હોવાની ગંધ અપહરકારોને આવતા તેઓએ લલીતભાઇને બિવડાવવા હાથ પર છરી વડે ઘા મારવાની શરૂઆત કરી હતી. આથી લલીતભાઇએ પોતાના એકાઉન્ટંટને એકલા હાથે જ જલ્દીથી પૈસા લઇને આવવા ફોન કર્યો હતો અને મોડીરાત્રે સિધ્ધપુરની એક હોટલ પાસે પહોંચેલા એકાઉન્ટંટ પાસેથી પૈસા લઇને બે અજાણયા યુવાનો બાઇક પર ફરાર થઇ ગયા હતા. આ બાદ વહેલી સવારે અપહરકારો લલીતભાઇને બાંધેલી હાલતમાં ભાંખર ગામના રોડ પાસે મુકીને ફરાર થઇ ગયા હતા. આ બાબતે ઊંઝા પોલીસે લલીતભાઇની ફરિયાદના આધારે અજાણ્યા ચાર યુવાનોની સામે અપહરણની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.અપહરકારોનો એક સાથી જેલમાં હોવાની શક્યતા,કલાકો સુધી અપહરણકારોની ચુંગલમાં અજ્ઞાત સ્થળે રહેલા લલીતભાઇની સાથે અપહરકારોએ કરેલી વાતોને આધારે પોલીસને અમુક વિગતો જાણવા મળી છે. જેમાં અપહરકારોનો એક સાથી કોઇ ગુના બાબતે લાંબા સમયથી જેલમાં હોવાથી તેઓએ આ અપહરણ કર્યું હોવાનું જણાવ્યુ હતુ. ચાર અપહરકારોમાંથી એક શખ્સ ૩૫ વર્ષથી વધારે ઉંમરનો તેમજ અન્ય ત્રણ વર્ષના હોવાનું પોલીસે જણાવ્યું હતું.મહેસાણાના યુવાનના અપહરણ કેસમાં ગૃહમંત્રીને રજૂઆત,મહેસાણાની સરદાર પાર્ક સોસાયટીમાં રહેતા વિપુલ પ્રજાપતિના અપહરણ કેસમાં પ્રજાપતિ સમાજના આગેવાનો સાથે અપહૃતના પરિવારે ગૃહમંત્રી પ્રફુલભાઈ પટેલને મળી વિપુલને સહીસલામત પરત લાવવા રજૂઆત કરી હતી. આ રજુઆત સમયે પાલનપુરના ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ હાજર રહ્યા હતા. તો વળી પોલીસે વિપુલનું વર્ણન અન્ય રાજ્યોની પોલીસને ફોટો સાથે મોકલી આપ્યું છે.
હાઇસ્કૂલ સંચાલકો આંદોલનના માર્ગે
માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કર્મચારીઓની ભરતી પર લગાવેલ પ્રતિબંધ, ગ્રાન્ટ તથા વિદ્યાર્થીઓની સરેરાશ સંખ્યા સહિતના વિવિધ પ્રશ્નો મામલે જિલ્લા શાળા સંચાલક મંડળના હોદ્દેદારો તથા સંચાલકોએ ગુરૂવારે જિલ્લા શિક્ષણાધિકારી તથા કલેક્ટરને આવેદન પત્ર આપી ઉકેલની માંગ કરી હતી.રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ભરતી પર પ્રતિબંધ, વર્ગદીઠ વિદ્યાર્થીઓની સરેરાશ સંખ્યા સહિતના મામલે જાહેર કરેલા નવા નિયમોથી શાળા સંચાલકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ સમસ્યાના ઉકેલ માટે જિલ્લા કક્ષાએ બેઠકો કરી સંચાલક સંઘે આંદોલનનો માર્ગ અખત્યાર કર્યો છે.જોકે વાટાઘાટો તથા રજુઆતો બાદ પણ કંઇ નક્કર ઉકેલ ના આવતાં અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ અને રાજ્ય શાળા સંચાલક મહામંડળના આદેશ અનુસાર સંચાલકોના પડતર પ્રશ્નો જેવા કે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કર્મચારીઓની ભરતી પર પ્રતિબંધ, વર્ગમાં વિદ્યાર્થીઓની ૬૦ સંખ્યા તેમજ ગ્રાન્ટના પ્રશ્નો અંગે જિલ્લા શાળા સંચાલક મંડળ તથા સંઘે ગુરૂવારે જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.દર્શનાબેન જોશી તથા નિવાસી નાયબ કલેક્ટર ડી.આર.પટેલને આ અંગે આવેદન પત્ર આપી ઉકેલની માંગ કરી હતી.જો આમ કરવામાં વિલંબ થશે અને અમારી મૂંઝવણોના નિવારણ અંગે શિક્ષણ વિભાગ યોગ્ય પગલાં નહીં લે તો અમારે ના છુટકે ગાંધી ચીધ્યા માર્ગે આંદોલનના કાર્યક્રમો આપવાની ફરજ પડશે એવી ગર્ભિત ચીમકી પણ આપી હતી. જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ રામભાઇ પટેલ, મહામંત્રી દિનેશભાઇ ચૌધરી, ઉપ પ્રમુખ કંચનલાલ એન.પટેલ, મંત્રી દશરથભાઇ મોદી, મહામંત્રી રતિલાલ પટેલ સહિત હાજર રહ્યાં હતા.શાળા સંચાલકોની મુખ્ય માગણી,ઓમાધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નવેમ્બર ૨૦૦૯થી બંધ કરેલી શિક્ષકો, આચાર્યોની ભરતી શરૂ કરવી. પ્રાથમિક શાળાઓની જેમ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકો અને આચાર્યોની કેન્દ્રિય રીતે ભરતી કરવાની સુચવેલી પ્રથાનો અમલ થતો અટકાવવો અને ભરતી માટે સંચાલક મંડળનો અધિકાર અબાધિત રાખવો.શાળાઓમાં ખાલી પડી રહેલી વહીવટી કર્મચારીઓની ભરતી પરનો પ્રતિબંધ દુર કરી તાત્કાલિક ધોરણે ભરતી શરૂ કરવી.અગાઉની નીતિની સમીક્ષા કરી મોંઘવારીના પ્રમાણમાં શાળા નિભાવ ગ્રાન્ટ વધારી આપવી. વર્ગની શૈક્ષણિક ગુણવત્તા વધારવા માટે વર્ગમાં બાળકોની સંખ્યા ઘટાવવી જોઇએ પરંતુ તાજેતરમાં કરાયેલા નવા નિયમ મુજબ વર્ગદીઠ સરેરાશ ૬૦ બાળકોની સંખ્યાનો નિર્ણય રદ કરવો.જુન-૨૦૧૦થી ક્રમશ ધો. ૮ને માધ્યમિક શિક્ષણમાંથી પ્રાથમિક શિક્ષણમાં લઇ જવાનું પરિવર્તન આપી રહ્યું છે ત્યારે માધ્યમિક વિભાગમાં શિક્ષકો ફાજવ થવાના છે ત્યારે આ સમયે તા. ૩૧-૧૨-૨૦૦૯નો જી.આર.હાલ તુરંત સ્થગિત કરી ફાજલ શિક્ષકોની સંખ્યામાં વધારો કરવાનું મુલત્વી રાખવું જરૂરી છે
27 August 2010
ચીન સાથે તણાવ બાદ ભારતે સંરક્ષણ સંબંધો તોડ્યા
visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour27 AUGUST 2010
ચીન સાથે તણાવ બાદ ભારતે સંરક્ષણ સંબંધો તોડ્યા
ભારત અને ચીનના સંબંધોમાં તણાવ આવી ગયો છે. ભારતે ચીન સાથે તમામ સંરક્ષણ સંબંધો તોડી નાખ્યા છે. ચીને ભારતીય સેનાના ઉત્તરીય કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફને ચીન યાત્રાની મંજૂરી આપી નથી. ત્યાર બાદ ભારતે આ પગલું લીધું છે. ચીન જમ્મુ-કાશ્મીરને વિવાદીત ક્ષેત્ર માને છે. ભારતીય સેનાના આ વરિષ્ઠ અધિકારીના તાબા હેઠળ જમ્મુ-કાશ્મીરનો વિસ્તાર આવે છે અને ચીનના આ નિર્ણયનું કારણ પણ તે છે.મહત્વપૂર્ણ છે કે ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારી સંરક્ષણ સંબંધો હેઠળ દર વર્ષે ચીનની યાત્રા પર જાય છે. આ સંદર્ભે ઉત્તરીય કમાન્ડના ચીફ લેફ્ટિનન્ટ જનરલ બી. એસ. જસવાલને આ માસમાં ચીન જવાનું હતું. તેના માટે ભારતીય સેનાએ જૂનથી જ તૈયારીઓ આરંભી દીધી હતી. જો કે ચીનના આ પગલાંથી ભારત આચંબિત છે. ચીને જસવાલના નામ પર એમ કહીને વાંધો દર્શાવ્યો હતો કે જસવાલ જમ્મુ-કાશ્મીરના વિવાદીત ક્ષેત્રને ‘નિયંત્રિત’ કરે છે. ચીનના આ નિર્ણય પર ભારતે સખત વાંધો વ્યક્ત કર્યો છે. ચીનના આ પગલાંનો જવાબ આપતાં ભારતે ચીની સેનાના બે અધિકારીઓને ભારત આવવાની પરવાનગી આપી નથી. ચીનના બંને અધિકારીઓ નેશનલ ડિફેન્સ કોલેજમાં ટ્રેનિંગ માટે આવવા માગતા હતા. આ સાથે ભારતે પોતાની સેનાના અધિકારીની ચીન યાત્રાને પણ રદ્દ કરી દીધી છે. ભારતે ચીનને આ નિર્ણયના કારણની જાણકારી પણ આપી છે કે જેથી આ મામલામાં કોઈ ભ્રમની સ્થિતિ ન રહે.
ઇંગ્લેન્ડનું અર્થતંત્ર ખતરામાં
અમેરિકાના લોકો જ તેમના અર્થતંત્રને વખોડી રહ્યા છે. અમેરિકામાં ફરી એકવખત મંદીનું ભૂત બેઠું થયાની ઠેરઠેર ચર્ચા છે.
દુનિયા આખીને 2008ની વૈશ્વિક મંદીએ ભરડામાં લીધા છે. ત્યારે ફરી એકવખત આ મંદીનું ભૂત બેઠું થયું છે. ચોતરફ ચર્ચા ચાલી રહી છે કે અમેરિકામાં ફરી બીજી મંદી શરૂ થયાના એંધાણ છે. અમેરકિન અર્થંતંત્ર નિરાશાવાદમાં ગકરાવ થઇ ગયું છે તેવું 10માંથી 8 અમેરિકનો એટલે કે 83 ટકા લોકોનું કહેવું છે.અમેરિકાન અર્થંતંત્રની માઠી બેઠી છે તેમ એક શિકાગોની સ્ત્રીએ જણાવ્યું હતું. એક સર્વેમાં 59 ટકા અમેરિકનો વિચારી રહ્યા છે કે દેશની ઇકોનોમી બાઉન્સ બેક થઇ રહી છે. જ્યારે 37 ટકા લોકો અર્થંતંત્રમાં મોટો ઘટાડો જોવા મળશે તેમ કહી રહ્યા છે.વોશિંગ્ટન ડી.સી.ની એક સ્ત્રીએ જણાવ્યું કે અમેરિકામાં બેરોજગારીનો દર વધતો જાય છે. અને મને નથી લાગતું કે અર્થંતંત્રની સ્થિતિ થોડાંક સમયમાં સુધારી જાય.એક અગ્રણી અખબારના સર્વેમાં જાણવા મળ્યું છે કે દેશમાં 5 ટકા લોકો ઓબામાની પોલીસીના લીધે જ બેરોજગારીનો ગ્રાફ ઊંચો ચઢતો જાય છે તેવું માની રહ્યા છે.
નોકરિયાત વર્ગ પર સરકારની મહેરબાની
કેન્દ્ર સરકાર પગારદાર વર્ગ પર ઘણી મહેરબાન થતી નજર આવી રહી છે. સરકારના નવા પ્રસ્તાવથી કંઇક આ પ્રકારની તસવીર ઉભરીને સામે આવી છે. સરકારે વ્યક્તિગત ઇનકમ ટેક્સ મર્યાદા હાલ 1.6 લાખથી વધારીને બે લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ કર્યો છે. એ જ નહિં, કોર્પોરેટ જગત પર પણ સરકારની કૃપા નક્કી નજર આવી રહી છે. સરકારે કોર્પોરેટ ટેક્સ પર સરચાર્જ અને સેસ હટાવોન પ્રસ્તાવ કર્યો છે.ઉલ્લેખનીય છે કે એવામાં કંપનીઓને પણ ઘણી રાહત મળવાની આશા છે. કેબેનિટે ગુરૂવારે જે ડીટીસી વિધેયકની મંજૂરી આપી તેમાં આ તમામ ઉત્સાહવર્ધક વાતોનો ઉલ્લેખ કર્યો છે. સંસદના ચાલુ સત્રમાં જ આ વિધેયકને રજૂ કરવાનું મન બનાવી લેવામાં આવ્યું છે જેથી કરીને આવતા નાણાંકીય વર્ષથી ડીટીસી લાગૂ થઇ શકે.કેબિનેટની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં નાણાંમંત્રી પ્રણવ મુખર્જીએ આ તમામ માહિતી આપી. તેમણે ટેક્સના સ્લેબોનો તો ખુલાસો કર્યો નહિં, પરંતુ કહ્યું કે ત્રણ સ્બેલ હશે. આ ખુલાસો નાણાંકીય વિધેયકમાં હશે. કોર્પોરેટ ટેક્સ અંગે પ્રણવ દા નું કહેવું છે કે તેને 30 ટકા પર બરકરાર રાખવાનો પ્રસ્તાવ છે, પરંતુ તેના પર કોઇ સેસ અથવા સરચાર્જ નહિં લાગે. તેની સાથે જ તેમણે કહ્યું કે તેની પાછળનો મુખ્ય હેતુ સરકાર દ્વારા આપવામાં આવતા અલગ-અલગ પ્રકારના કર રિયાયતોની સંખ્યાને સીમિત કરવાનું છે.આ પહેલાં વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં ગુરૂવારની સાંજે અહિં બેઠકમાં ડીટીસી બિલને રજૂ કરવા અંગે નિર્ણય કરવામાં આવ્યો. મંત્રાલયના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ વિધેયક દેશના વર્તમાન ઇનકમ ટેક્સ કાયદાનું સ્થાન લેશે. તેનાથી દેશની કર પ્રક્રિયા સરળ થશે. તેમનું કહેવું છે કે ડીટીસીથી કર બોજ તો ઘટશે, સાથો સાથ તેમનો દાયરો પણ વધશે. તેના લીધે જ સરકારને ખોટ તો નહિં થાય, પણ લોકોને ફાયદો થશે. સૂત્રોનું કહેવું છે કે 30મી ઓગસ્ટના રોજ તેણે સંસદમાં રજૂ કરી શકાય છે.નાણાંમંત્રાલયે પહેલાં ડીટીસી વિધેયક પર એક ડ્રાફટ તૈયાર કર્યો હતો, પરંતુ તેની જોગવાઇઓને ઉદ્યોગ જગતની સાથો સાથ સામાન્ય પ્રજાએ પણ ઘણી ટીકા કરી હતી. તેમાં પીએફની નિકાસી પર ટેક્સ લગાવાની અને ઉદ્યોગ જગતની પરિસંપત્તિઓ પર મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ (મેટ)ની જોગવાઇની સર્વાધિક ટીકા થઇ. રાજસ્વ સચિવ સુનિલ મિત્રાના મતે ઓગસ્ટ 2009 દરમ્યાન રજૂ થયેલ ડીટીસી પર 1600 રિપ્રેઝન્ટેશન મળ્યા હતા. આ સમસ્યાઓના સમાધાન માટે મંત્રાલયે સંશોધિત ડીટીસી તૈયાર કર્યા.નાણાંમંત્રાલયનું કહેવું છે કે રિવાઇઝ્ડ ડીટીસીમાં સરકારે ભવિષ્ય નિધિ (જીપીએફ), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) અને રિકોગ્નાઇઝડ પ્રોવિડન્ટ ફંડ (આરપીએફ) પર અગજેંપ્ટ-અગજેંપ્ટ-અગજેંપ્ટ (ઇઇઇ)નો દરજ્જો બરકરાર રહેશે. એ જ નહિં ભવિષ્ય નિધિ સંગઠનની પેન્શન યોજનાની સાથો સાથ જાન્યુઆરી 2004 બાદ ભરતી થયેલ સરકારી કર્મચારીઓની પેન્શન યોજના પર પણ ઇઇઇ દરજ્જો બરકરાર રહેશે. ઉદ્યોગ જગત માટે રાહતની વાત એ છે કે તેમના પર લગાનાર મેટ માં પણ સંશોધન થયું. પહેલાં કંપનીઓની પરિસંપત્તિઓને મેટ ના દાયરામાં લાવામાં આવી હતી. જો કે હવે જોગવાઇ એ છે કે કંપનીઓના બુક પ્રોફિટ પર જ મેટ લાગશે.
‘ગડકરીજી, જલ્દી બહુ ઉંચો ‘જંપ’ લગાવ્યો’:તરુણસાગરજી
મુનિશ્રી તરુણ સાગરના કડવા વેણથી ગુરુવારે ભાજપના બે દિગ્ગજ નેતાઓ પણ બચી શક્યા નથી. મુનિશ્રી તરુણ સાગરે મંદમંદ સ્મિત સાથે ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીને કહ્યું કે ગડકરીજી, જલ્દી બહુ ઉંચો ‘જંપ’ લગાવ્યો. તેના સંદર્ભે ગડકરીએ એટલું જ કહ્યું કે બધું તમારો આશિર્વાદ છે.હવે વારો હતો પ્રદેશાધ્યક્ષ પ્રભાત ઝાનો. મુનિશ્રી બોલ્યા કે તેમને અહીં આવવાનો હવે સમય મળ્યો છે? પ્રભાત ઝા મૌન રહ્યાં અને હસતાં-હસતાં હાથ જોડી લીધાં. આ પ્રસંગે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ગૃહમંત્રી ઉમાશંકર ગુપ્તા, ધારાસભ્ય વિશ્વાસ સારંગ અને જીતેન્દ્ર ડાગા પણ હાજર હતા.તેઓ મુનિશ્રી તરુણસાગરના દર્શન કરવા માટે ટીટી નગર ખાતેના જૈન મંદિર પહોંચ્યા હતા. થોડા સમય બાદ જ પરિદ્રશ્ય બદલાય ગયું હતું. ગડકરી, ચૌહાણ અને મુનિશ્રી તરુણ સાગર વચ્ચે લગભગ દસ મિનિટ સુધી બંધ બારણે વાતચીત થઈ હતી.સંગઠનના કાર્યક્રમમાં ભાગ લીધા બાદ ગડકરી મુનિશ્રી તરુણ સાગરના દર્શન કરવા માટે જૈન મંદિર પહોંચ્યા હતા. તમામ નેતાઓએ મુનિશ્રીને શ્રીફળ ભેંટ આપીને આશિર્વાદ લીધા હતા.પ્રસન્ન ભાવથી મુનિશ્રીએ સ્મિત કરતાં કહ્યું હતું કે ઘણી ખુશીની વાત છે કે ગડકરીજી તમે ઓછાં સમયમાં ખૂબ ઝડપથી પ્રગતિ કરી છે અને દેશ હિતનું કામ પણ આ પ્રકારે કરતાં રહ્યાં. આ પ્રસંગે ગડકરીએ મુનિશ્રીને જણાવ્યું હતું કે તેઓ આજે તેમના દર્શન કરી રહ્યાં છે અને આ પહેલા તેમના કડવા પ્રવચનોના પુસ્તકો અને અન્ય સાહીત્ય તેઓ વાંચતા રહ્યાં છે.મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તરફ ઈશારો કરતાં મુનિશ્રીએ કહ્યું હતું કે તેઓ ઘણાં પરિશ્રમી અને વિનમ્ર છે. સારું કામ કરી રહ્યાં છે. ગડકરીએ પણ મુખ્યમંત્રીના કાર્યોની પ્રશંસા કરી હતી. મુનિશ્રીએ કહ્યું હતું કે વિચાર સકારાત્મક હોય તો પરિણામ પણ સારું આવે છે. તમામ દેશની પ્રગતિ અને વિકાસ માટે કામ કરે તથા વ્યવસ્થાને ભ્રષ્ટ થવાથી બચાવે.
શીર્ષસ્થ નક્સલી નેતા ઉમાકાંત મહતો એન્કાઉન્ટરમાં ઠાર
જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ ટ્રેન કાંડનો મુખ્ય આરોપી અને પીસીપીએ નેતા ઉમાકાંત મહતોને સીઆરપીએફ, એસએએફ અને પશ્ચિમ બંગાળ પોલીસે એક સંયુક્ત ઓપરેશનમાં શુક્રવાર સવારે પશ્ચિમ બંગાળના પશ્ચિમ મિદનાપુર જિલ્લાના ઝારગ્રામ વિસ્તારમાં ઠાર કર્યો છે.પશ્ચિમ બંગાળના ડીજીપી ભૂપિન્દર સિંહે જણાવ્યું હતું કે એક સંયુક્ત કાર્યવાહીમાં ઉમાકાંત મહતો માર્યો ગયો છે. મહતો પીપલ્સ કમિટી અગેન્સ્ટ પોલીસ એટ્રોસિટી એટલે કે પીસીપીએનો નેતા હતો. જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ કાંડ પાછળ પીસીપીએનો હાથ હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઉમાકાંત મહતો સાથે સુરક્ષાદળોની સંયુક્ત ટુકડી સાથેનું એન્કાઉન્ટર લોઢાશૂલી નજીક મોહનપુરના જંગલમાં રાત્રે લગભગ દોઢ વાગ્યે શરૂ થયું હતું. અથડામણ બાદ એક 9 એમ.એમ.ની પિસ્તોલ જપ્ત કરાય છે. જ્યારે ઉમાકાંત મહતોના સાથીદારો ફરાર થવામાં કામિયાબ થયા છે. આ પહેલા જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ કાંડની તપાસ કરી રહેલી સીબીઆઈએ ઉમાકાંત મહતો પર એક લાખનું ઈનામ ઘોષિત કર્યું હતું.મહત્વપૂર્ણ છે કે 28 મેના રોજ મુંબઈ જઈ રહેલી જ્ઞાનેશ્વરી એક્સપ્રેસના કેટલાંક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને તેને સામેથી આવતી માલગાડીએ ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં 148 લોકોના મોત નીપજ્યા હતા. મહતો આ દુર્ઘટના બાદથી ગાયબ હતો. આ મામલામાં અન્ય મુખ્ય આરોપી બાપી મહતોને પોલીસ ઝડપી ચુકી છે. જ્યારે ત્રીજો મુખ્ય આરોપી અસિત મહતો પોલીસની પકડમાંથી ભાગી છૂટયો છે. આ એન્કાઉન્ટર વડાપ્રધાન મનમોહન સિંહના એ નિવેદન બાદ થયું છે કે જેમાં તેમણે નક્સલીઓને ‘પોતાના’ ગણાવ્યા હતા. એવામાં માનવામાં આવતું હતું કે વડાપ્રધાન નક્સલી મુદ્દે નરમ પડી ગયા છે. પરંતુ મહતોના એન્કાઉન્ટર બાદ નક્સલીઓ અને સરકાર વચ્ચે વાતચીતની કોશિશોને ઝાટકો લાગી શકે છે.
'અમિત જેઠવા બાદ હવે અમારો જીવ જોખમમાં છે'
અમિત જેઠવાની ઠંડે કલેજે કરાયેલી હત્યા બાદ કોડીનારના કોંગ્રેસના ધારાસભ્ય ધીરસિંહભાઇ બારડે તેમની પોતાની તથા તેમના ભત્રીજા પિન્ટુની પણ હત્યાનો કારસો રચાયાની દહેશત વ્યક્ત કરી, મુખ્યમંત્રી મોદી સમક્ષ પોલીસ રક્ષણની માગણી કરતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.ધીરસિંહભાઇએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યા મુજબ મે માસમાં એક આનામી પત્ર મળ્યો હતો જેમાં તેમના ભત્રીજા પિન્ટુ ઉર્ફે રણજીતસિંહ ભૂપતભાઇ બારડની હત્યા માટે એક મોટા રાજકીય માથાએ રૂ.૫૦ લાખની સોપારી આપી હોવાની વિગત દર્શાવવામાં આવી હતી. એ અંગે ધીરસિંહભાઇએ ગત તા.૨૧-૦૫-૧૦ના રોજ જુનાગઢના ડી.આઇ.જી. સહિતનાઓનું પત્ર લખીને ધ્યાન દોર્યું હતું.ત્યારબાદ વેરાવળના ડી.વાય.એસ.પી.એ ધીરસિંહભાઇ તથા તેમના ભત્રીજાનું નિવેદન લીધું હતું. પરંતુ રક્ષણ આપવા માટે કોઇપણ કાર્યવાહી કરવામાં નહોંતી આવી. દરમિયાનમાં અમિત જેઠવાની હત્યા માટે કોડીનાર વિસ્તારના એક મોટા ઉદ્યોગગૃહમાં કાવતરું ઘડાયું હોવાની ચર્ચાનો હવાલો આપી ધીરસિંહભાઇએ જણાવ્યું હતું કે એ અંગેની મિટિંગમાં ટોચના રાજકીય માણસો અને ઔદ્યોગિક કંપનીના અધિકારીઓ સામેલ હતા.ધીરસિંહભાઇએ ઉમેર્યું છે કે એ ઉદ્યોગગૃહ દ્વારા થતી ખનિજ અને માટીની ચોરી પ્રદૂષણને કારણે ખેતી અને પીવાના પાણીના તોને થતું નુકસાન સરકારી અને ગૌચરની જમીનમાંથી થતી ખનિજ ચોરી તથા ગેરકાયદે ઓવરલોડિંગ વાહનો અંગે હું ધારાસભ્ય તરીકે વારંવાર રજુઆત કરતો આવ્યો છું. પરિણામે એ કંપની પૈસા આપીને રાજકીય માણસો સાથે મળીને મારી તથા મારા ભત્રીજાની હત્યા કરશે તેવી દહેશત છે. એ સંજોગોમાં ધીરસિંહભાઇએ રક્ષણની માંગણી કરતાં ભારે ચકચાર જાગી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, કોડીનાર ધારાસભાની બેઠક છેલ્લા ઘણા વર્ષોથી ભાજપના એટલે કે દીનુભાઈ સોલંકીના કબજામાં હતી. દીનુભાઈ સાંસદ બન્યા બાદ એ બેઠકની પેટા ચૂંટણીમાં વિજય મેળવીને ધીરસિંહભાઈ બારડે ભાજપના એ જુના અને મજબૂત ગઢના કાંગરા ખેરવી નાખ્યા હતા. ધારાસભ્ય બન્યા બાદ ધીરસિંહભાઈ એ વિસ્તારની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સતત રજુઆતો સાથે લડત ચલાવી રહ્યા છે.
ચૂંટણી આવતાં જ ભાજપ આતંક ફેલાવે છે: કોંગ્રેસ
કિશનવાડી વિસ્તારમાં લાભાર્થીઓ માટેના લોનમેળા ટાણે કોંગ્રેસના માજી કાઉન્સિલરને ભાજપના કાર્યકરોએ ધીબી નાંખવાના મામલે આજે શહેર કોંગ્રેસે દેખાવો યોજયા બાદ પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.કિશનવાડીમાં જેએન એન યુઆરએમ હેઠળ તૈયાર થયેલા આવાસોનાં લાભાર્થીઓના લોન મેળામાં કોંગ્રેસના માજી કાઉન્સિલર જયેશ જાદવને ભાજપી કાર્યકરોએ માર માર્યો હતો. જેના વિરોધમાં આજરોજ શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઇ પટેલ સેવાસદનના વિપક્ષી નેતા ચિરાગ ઝવેરીની આગેવાનીમાં કોંગ્રેસે દેખાવો કર્યા બાદ પોલીસ ભવન જઈ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું કે, સત્તાધારી પક્ષ ભાજપ આગેવાનોએ જવાબદાર માજી કાઉન્સિલરનુ અપમાન કર્યું છે.તેમાં જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં હાજર અધિકારીએ જયેશ જાદવની ફરિયાદ લેવાની ના પાડી હતી. ત્યાર બાદ, પોલીસ સ્ટેશનમાં જ ચક્કર આવતાં એમ્બ્યુલન્સ બોલાવી સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચૂંટણી આવી રહી છે ત્યારે સમગ્ર બનાવની નિષ્પક્ષ તપાસ પણ માગણી કરાઈ હતી.માજી કાઉન્સિલરને માર મારનાર બે ઝડપાયાગઈકાલે ભાજપાના મંત્રી તેમજ વોર્ડ નંબર ૬ અને ૨૩ના પ્રભારી ધનંજય ઉફe છોટુ કશિનરાવ શીંદે અને તેના સાગરીત વિનોદ ગભરુ ભરવાડ, ભૂરિયાએ જયેશ જાદવને માર માર્યો હતો. આ બનાવમાં પોલીસે આજે છોટુ શીંદે અને વિનોદ ભરવાડની ધરપકડ કરી હતી.
ફિલ્મો માટેની ઉંમર તો જતી રહી: ગૌરી ખાન
બોલિવૂડનાં સુપર સ્ટાર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન બિ ટાઉનની સૌથી સ્ટાયલિશ અને ગ્લેમરસ સેલિબ્રિટીમાંની એક છે. પણ તે પોતે માને છે કે હવે ફિલ્મોમાં આવવાં માટેનો સમય ગયો. તેની ફિલ્મો કરવાની ઉંમર જતી રહી છે.જ્યારે શાહરૂખે ગૌરીને ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા વિશે પુછ્યું ત્યારે ગૌરીએ તેને જણાવ્યું હતું કે, " હવે મારી ઉંમર થઈ ગઈ છે. જો હું જવાન હોત તો જરૂર એક ફિલ્મ કરવાની ઈચ્છા રાખત."આ ચર્ચા બોલિવૂડનાં સૌથી પ્રેમાળ કપલ વચ્ચે વિશ્વની સૌથી મોટી ફર્નિશીંગ કંપની ડિ'ડેકોરનાં બ્રાન્ડ એમ્બેસેડોરનાં જાહેરાત સમયે થઈ હતી.ઉલ્લેખનીય છે કે ડિ'ડેકોર કંપનીએ આ જોડીને કંપનીનાં બ્રાન્ડ એમ્બેસેડોર તરીકે સાઈન કરી છે.
આવી રહી છે 'ભાંગથી બનેલી કાર!!'
અત્યાર સુધી આપણે સ્ટીલ અથવા ફાયબરથી બનેલી કારો વિશે જ સાંભળ્યુ છે પરંતુ હવે એવી કાર આવી રહી છે જેની બૉડી ભાંગના પત્તાથી બનેલી છે. બેટરીથી ચાલનારી આ કારની સ્પીડ વધુમાં વધુ 55 માઈલ પ્રતિ કલાક સુધી હશે. એક વખત ચાર્જ કર્યા પછી આ 25 થી 100 માઇલ સુધી ચાલી સકે છે.જણાવ્યા પ્રમાણે કેનેડાના એન્જીનિયરોએ ભાંગના પાંદડાઓને પીગાળીને તૈયાર કરેલા પદાર્થ વડે આ કારની બૉડી બનાવી છે. આ પણ એટલીજ મજબૂત હશે જેટલુ ફાયબર. સૌથી મહત્વની વાત એ છે કે ભાંગના પાંદડાઓમાથી બનાવાયેલી કારની બૉડી એકદમ હલ્કી હશે.ભાંગના પાંદડા ઉગાડવા અમેરિકામાં ગેરકાનૂની છે. પરંતુ પડોસી દેશ કેનેડામાં આની મોટા પ્રમાણમાં ખેતી થાય છે. ફ્રાન્સ, ઇંગલેન્ડ,જર્મની, ઑસ્ટ્રેલિયા અને રૂસમાં પણ આની ખેતી કરવામાં આવે છે. આ કારનુ પ્રોટોટાઇપ તૈયાર થઈ ચુક્યૂ છે અને ગમે તે સમયે આને પરીક્ષણમાં મુકી દેવામાં આવશે.
વાહ રે... આટલી મોટી સજા ને આટલો નજીવો દંડ!!
પાંચ વર્ષ પહેલાંનાં એક કેસમાં ઉત્તર પ્રદેશની એક કોર્ટે ગઈકાલે એક્ટર આમિર ખાન, નિર્દેશક કેતન મહેતા અને નિર્માતા બોબી મહેતાને રૂપિયા 500નો દંડ કર્યો હતો. આ દંડ સિવીલ જજે કર્યો હતો.ઉલ્લેખનિય છે કે, વર્ષ 2005માં ફિલ્મ 'મંગલ પાંડે'માં સ્વતંત્ર સેનાની મંગલ પાંડેનાં ચારિત્ર્યને ખોટી રીતે દર્શાવવાની સજા હેઠળ આ દંડ ફટકારવામાં આવ્યો હતો.ફિલ્મી સિતારાઓ કોઈને કોઈ કારણોસર કોર્ટ કચેરીનાં ચક્કર કાપતાં હોય જ છે પણ આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે છેલ્લા પાંચ વર્ષથી ચાલતા આ કેસનો ચુકાદો આવ્યો તે પણ ફક્ત રૂપિયા 500નાં નજીવા દંડ સાથે.ફિલ્મનાં ચેરમેન, ફિલ્મ સેન્સર બોર્ડ અને પબ્લિકેશન ડિરેક્ટર પર પણ આ મુદ્દે કેસ થયો હતો. જેની સુનવણીની તારિખ 13 સેપ્ટેબંર નક્કી કરવામમાં આવી છે.
ગર્મીથી બચ્યા તો રેફ્રિજરેટરે માર્યા
સુદાનના ખાર્તૂમ શહેરમાં ફ્રિઝની અંદર બેઠેલા 3 યુવકોના મોત નીપજ્યા છે. આ યુવકો ગર્મીથી છુટકારો મેળવવા માટે ફ્રિઝની અંદર બેઠા હતા. અહીંયા ગરમી એટલી બધા અસહ્ય હોય છે કે લોકો અહીંયા ગરમીથી બચવા માટે રેફ્રિજરેટરમાં બેસે છે અને આવા મોટી સાઇઝના રેફ્રિજરેટરમાં બેસવા માટે તેઓ પ્રતિ કલાક બે ડોલર જેટલું ભાડુ પણ ચૂકવે છે.ન્યુઝ એજન્સી આરઆઇએ નોવોસ્તી પ્રમાણે આ શહેરમાં કેટલાંક સ્થાનિક વ્યવસાયિકો ગરમીથી બચવા માગતા લોકોને અનોખી સુવિધા પૂરી પાડે છે. પોર્ટ સુદાનના ચિકિત્સા અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે અહીંયા દર અઠવાડિએઓછામાં ઓછા 13 લોકો ગરમીના કારણે બીમાર પડે છે. આમ પણ ઓગસ્ટ મહિનો સુદાનમાં સૌથી વધુ ગરમીનો ગણાય છે. અહીંયા ગઈકાલે અતિશય ગરમી બાદ તરત જ રેફ્રિજરેટરમાં બેસવા આવેલા લોકોને ગરમી અને ઠંડી ભેગા થવાને કારણે મોતનો શિકાર બનવું પડ્યું.
એર 'ફી'સ ઘટી રે ભૈયા અબ સુખ આયો રે
હવાઈ સફર કરનારાઓ માટે એક સારા સમાચાર છે. દેશની સરકારી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાએ પોતાના ભાડામાં કાપ મુકવાની જાહેરાત કરી છે. ભાડામાં 3 થી 23 ટકા સુધીનો કાપ મુકવામાં આવ્યો છે. કુલ 48 સ્થાનિક રુટ્સમાં કરવામાં આવેલો આ ઘટાડો 1 સપ્ટેમ્બરથી લાગૂ કરી દેવામાં આવશે.ડિસેમ્બર 2008 પછી આવુ પ્રથમવાર બન્યુ છે જ્યારે એર ઇન્ડિયાએ પોતાના ભાડામાં ઘટાડો કર્યો છે. વાસ્તવમાં જુલાઈ મહિના દરમિયાન સ્થાનિક મુસાફરી કરનારા પેસેન્જર્સની સંખ્યામાં સતત સાતમાં મહિને વધારો જોવા મળ્યો છે. અને એર ઇન્ડિયા વધારેમાં વધારે પેસેન્જર્સને આકર્ષવા માટે જ પોતાના ભાડા ઘટાડી રહી છે.આ અગાઉ પણ એક પ્રાઈવેટ એરલાઈન્સે પાતાના ભાડામાં 10 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. માનવામાં આવી રહ્યુ છે કે એર ઇન્ડિયાના આ તાજા નિર્ણય પછી થોડા જ સમયમાં અન્ય એર લાઇન્સોને પણ પોતાના ભાડા ઘટાડવાં પડશે. સ્પષ્ટ છે કે હવામાં ફાટી નિકળેલા આ ભાડાયુદ્ધમાં ફાયદોતો પેસેન્જર્સને જ મળશે.
પતિને અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધ હોય તો?
પતિ- પત્ની વચ્ચે ઝઘડા તો સામાન્ય વાત છે. પતિ પત્ની વચ્ચે નાની મોટી વાતમાં ક્યારેક વાકયુદ્ધ થતું રહે છે. પરંતુ અનેક વાર પતિ પત્ની વચ્ચે ઝઘડા એટલા વધી જાય છે કે વાત મારપીટ સુધી પહોંચી જાય છે. અનેક મહિલાઓને એવા જીવનસાથી મળે છે જે પોતાની પત્નીને અનેક પ્રકારની મુશ્કેલીઓ અને તકલીફો આપે છે.પતિની તકલીફોથી પરેશાન મહિલાઓ કાં તો ઘર છોડી દે છે કાં તો આત્મહત્યા કરી લે છે. એ જ રસ્તો અપનાવી લે છે. જ્યોતિષ શાસ્ત્ર દ્વારા તમને એ વાતનો ખ્યાલ આવશે કે યુવતીને કેવો પતિ મળશે ? તેને મારપીટ કરનારા પતિનો યોગ છે તે પછી બીજી સ્ત્રી સાથે અનૈતિક સંબંધો બાંધનારા પતિ મળવાનો યોગ છે કે નહીં. આ માટે આવશ્યક જ્યોતિષી ઉપાયો કરો અને એ યોગના પ્રભાવથી તમે સાચા જીવનસાથીની શોધ પણ કરી શકો છો.- જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જો સ્ત્રીની લગ્ન કુંડળીમાં સાતમા સ્થાને સૂર્ય હોય તો તેને એવો જ પતિ પ્રાપ્ત થશે.- જે યુવતીની કુંડળીમાં શત્રુ રાશિ પ્રમાણે મંગળ, શનિ હોય અને તે ક્રુર રાશિમાં સ્થિત હોય તો સાતમા સ્થાને હોય તો ક્રુર પતિ મળી શકે છે.- રાહુ સાતમા સ્થાને હશે તો પરસ્ત્રીગામી પતિની પ્રાપ્તિ થશે. એ સ્ત્રીનો પતિ અનેક મહિલાઓ સાથે સંબંધ રાખનારો હશે. વૈશ્યાગામી હશે. શનિ મંગળ મારપીટ કરનારો પતિ આપનારા ગ્રહો છે.આ ગ્રહ દોષને લીધે યુવતીને એ પતિ મળી છે જે અનેક સ્ત્રીઓ સાથે અનૈતિક સંબંધ બાંધનારો હોય છે અને તે પોતાની પત્નીને બિલકુલ પ્રેમ નથી કરતો અને તેની કદર કે પરવાહ નથી કરતો.
સચિન ગુસ્સે થતાં જ અંજલી
ભારતીય ક્રિકેટ ટીમના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડલુકરથી જે રીતે અન્ય ટીમના ખેલાડીઓ ડરે છે. તેવી જ રીતે તેની પત્ની અંજલી પણ ડરે છે. જેનો ઉલ્લેખ વિકાસ લૂથરાના પૂસ્તક ક્રિકેટના રોમાંચક પ્રસંગમાં કરવામાં આવ્યો છે.સચિનને જ્યારે 1997-98માં ખેલ રત્ન આપવામાં આવ્યો હતો. ત્યારે અંજલીને ભયંકર રીતે ડરનો સામનો કરવો પડ્યો હતો. એ સમયે રાષ્ટ્રપતિ ભવનમાં સચિન, અજય જાડેજા, સૌરવ ગાંગુલી સહિત ઘણા દિગ્ગજ હાજર હતા. સાથે સચિનની પત્ની અંજલી પણ હતી. અને એ સાથે જ ત્યાં પત્રકારો અને ફોટોગ્રાફરોનો મોટો કાફલો પણ હાજર હતો.બધા ફોટોગ્રાફરો સચિન અને અંજલીની તસવીર પોતાના કેમેરામાં કેદ કરવા લાગ્યા હતાં. જો કે, સચિન એ વાતથી સચેત હતો કે જ્યારે તે સમારોહમાંથી બહાર જશે ત્યારે પણ તેણે આ કાફલાનો સામનો કરવો પડશે. અને અહીંથી આસાનીથી નીકળી શકાશે નહીં.સચિન જ્યારે ત્યાંથી ઉઠ્યો ત્યારે તેણે અંજલીને કહ્યું કે તે ઝડપથી કારમાં બેસી જાય. હું આવું છું. સચિને આપેલા આદેશ મૂજબ તે કારમાં બસેવા જઇ રહી હતી. પરંતુ તે દરમિયાન સચિનની ચોતરફ ફોટોગ્રાફરો ગોઠવાઇ ગયા હતા. જ્યારે કેટલાક ફોટોગ્રાફરો અંજલી તરફ દોડી ગયા હતા. અને એક ફોટો આપવા નિવેદન કરવા લાગ્યા. જે સાંભળી અંજલી ઉભી રહી ગઇ હતી. સચિને આ આખો ઘટનાક્રમ નિહાળ્યો અને અંજલીને જોરથી બૂમમારીને કારમાં બેસી જવા કહ્યું હતું.જો કે, તેમ છતાં ફોટોગ્રાફરોએ અંજલીનો પીછો છોડ્યો ન હતો. તેથી અંજલી કહ્યું કે જો હવે હું બે ઘડી પણ અહીં ઉભી રહીશ તો તે મારી જાન લઇ લેશે. આટલું કહીને અંજલી કારમાં બેસી ગઇ હતી. થોડીક ક્ષણોમાં જ સચિન પણ કારમાં આવી ગયો હતો. અને ડ્રાઇવરને કાર હંકારવા કહી દીધું હતું.
જીવના બદલામાં જીવ!
અશકતાશ્રમ હોસ્પિટલમાં ૯ ઓગસ્ટે એક યુવતીના મોત બાદ શરૂ થયેલી ઘટના ૧૫મા દિવસે વધુ એક મોત બાદ સમેટાઈ...
અશક્તાશ્રમ હોસ્પિટલમાં તોડફોડ કરી તબીબ-નર્સને માર મારવાની ઘટના બાદ એક નર્સની પ્રીમેચ્યોર ડિલિવરીમાં બાળકીનો જન્મ થયો હતો. મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલી દરેક વ્યક્તિએ આ બાળકીનો જીવ બચે તે માટે પ્રાર્થના કરી તેમ છતાં આ બાળકીએ ગુરુવારે ૧૩મા દિવસે અંતિમ શ્વાસ લીધો હતો. આ ઘટનામાં જાણે જાનના બદલામાં જાન લેવાઈ હોય તેમ મૃતકનો પરિવાર આઘાતના દરિયામાં ડૂબી ગયો છે.શું આપણા સમાજમાં જીવના બદલે જીવ હણી લેવાની પ્રથા આજે પણ યથાવત છે? તબીબોની ભૂલથી અશકતાશ્રમ હોસ્પિટલમાં જોઈ કોઈ દર્દીનું મોત થયું પણ હોય તો મૃતકના દર્દીઓ માટે કાયદા મુજબ ન્યાય મેળવવા માટે ઘણા રસ્તા છે. પરંતુ એક હોસ્પિટલમાં આતંક મચાવવાની ઘટનાનું પરિણામ કેટલું વિચિત્ર આવ્યું છે તે આજે સૌ કોઈ જોઈ રહ્યા છે, જેમાં નર્સ તો ઠીક એક નિર્દોષ બાળકીએ જીવ ખોવાનો વારો અવ્યો હતો.
એમસીએ સેકન્ડ સેમેસ્ટરનું પરિણામ ઓછુ આવતા હોબાળો
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) સાથે સંકળાયેલ એમસીએ કોલેજોનું સેકન્ડ સેમેસ્ટરનું પરિણામ તાજેતરમાં ૩૬ ટકા જાહેર થયું છે. એમસીએ સેકન્ડ સેમેસ્ટરનું પરિણામ ખૂબ જ ઓછુ આવ્યુ હોવાના મુદ્દે કોલેજોના વિદ્યાર્થીઓએ જીટીયુ ખાતે વિરોધ પ્રદિર્શત કર્યો હતો.જીટીયુની વિવિધ એમસીએ કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ કુલપતિ ડો. અક્ષય અગ્રવાલ સમક્ષ આ મુદ્દે ઉગ્ર રજુઆત કરી હતી. વિવિધ બેનર્સ સાથે અહીં આવી પહોંચેલા વિદ્યાર્થીઓએ કેમ્પસમાં ભારે હોબાળો મચાવી દીધો હતો.વિદ્યાર્થીઓએ કુલપતિને મળીને એમસીએના ખૂબ ઓછા આવેલા પરિણામ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. એમસીએ સેકન્ડ સેમેસ્ટરના પરિણામ અંતર્ગત એલ.જે એમસીએ, અમદાવાદ, જીએલએસ એમસીએ, વાસદ અને વિદ્યાનગરની એમસીએ કોલેજોના વિદ્યાર્થીઓએ ભારે શોર મચાવી દીધો હતો.
બારડોલી : પોસ્ટ ઓફિસમાં જવું હોય તો પાણીમાંથી
બારડોલીની હેડ પોસ્ટ ઓફિસના ગેટ પર સતત પાણીનો ભરાવો, વૃદ્ધોએ મદદ લેવી પડે છે,બારડોલીની પોસ્ટ ઓફિસના મુખ્ય ગેટ પર સતત પાણીનો ભરાવો રહે છે. આ પાણી ભરાવાના કારણે ઓફિસમાં લોકોને કામ અર્થે અવર-જવર કરવી મુશ્કેલ બની રહી છે. પરિણામે પોસ્ટ ઓફિસમાં કામ અર્થે આવતા વૃદ્ધોએ ગેટથી ઓફિસમાં જવા માટે કોઈની વાટ જોવી પડે છે. આવી કરૂણ દાસ્તાનના કારણે ફરિયાદ બુકમાં નોંધ પણ કરવામાં આવી છે.બારડોલી નગરપાલિકાની બાજુમાં આવેલી પોસ્ટ ઓફિસમાં ટપાલ, મનીઓર્ડર, રજીસ્ટ્રી, પીએલઆઈ, સ્પીડ પોસ્ટ, બચત જેવી વિવિધ સુવિધા અર્થે રોજીંદા લોકોની અવર-જવર રહેતી હોય છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી બારડોલીની પોસ્ટ ઓફિસ કચેરીના ગેટથી ઓફિસના દરવાજા સુધીમાં પાણીનો સતત ભરાવો રહેતાં લોકોને અવર-જવર કરવી મુશ્કેલ બની રહે છે.વૃદ્ધોને પાણીમાંથી પસાર થવાનું હોવાથી સતત પડી જવાનો ભય સતાવતો હોય છે, જેના કારણે ઘણી વખત આવતા જતાને અટકાવી અંદર સુધી મુકી આવવા જણાવતા હોય છે. આટલી ગંભીર સ્થિતિના કારણે પોસ્ટઓફિસની ફરિયાદ બુકમાં ગ્રાહકોએ નોંધ પણ કરી છે. છતાં અધિકારીઓએ ધ્યાન આપ્યુ નથી.પાણીના નિકાલ અર્થે ખુદ અધિકારીઓ દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી. બાજુમાં જ આવેલી પાલિકાને ધ્યાન દોરવામાં આવે તો સમસ્યાનો નિકાલ થઈ શકે એમ છે. જેનુ કારણ પોસ્ટ ઓફિસની બાજુમાં બનતી બિલ્ડિંગ માટે વપરાતુ પાણી પણ અહીં જમા થાય છે. જેના કારણે વરસાદ આવે કે ન આવે પોસ્ટ ઓફિસના ગેટમાં સંગ્રહ થતુ પાણીમાં ઓછુ થતુ નથી.
જુનાગઢ, અમરેલી પંથકમાં ઝાપટાંથી માંડી ૨ ઈંચ વરસાદ
હાલારમાં ભાણવડ પંથકમાં પોણો કલાકમાં સવા બે ઈંચ ખાબક્યો, એક ધારા એક મહિના સુધી સમગ્ર સૌરાષ્ટ્રમાં અવિરતપણે વરસ્યા બાદ શ્રાવણ માસના પ્રારંભે જ સરવડાં વરસાવ્યા પછી મેઘરાજા અમરેલી અને જુનાગઢ પંથકમાં ફરી પધાર્યા છે. વીજળીના કડાકાભડાકા સાથે આ બન્ને જિલ્લામાં ઝાપટાંથી માંડીને સવા બે ઈંચ સુધીનો વરસાદ થયો છે. જ્યારે હાલારના ભાણવડ પંથકમાં માત્ર પોણી કલાકમાં સવા બે ઈંચ વરસાદ ખાબક્યો હોવાના અહેવાલો મળે છે.જુનાગઢ શહેર અને જિલ્લામાં બુધવારે પણ ચાર ઈંચ સુધીનો વરસાદ અમુક વિસ્તારોમાં થયો હતો. દરમિયાન સતત બીજા દિવસે ઊનામાં બે ઈંચ અને માણાવદર પંથકમાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ શહેર અને તાલાલામાં ઝાપટાં પડ્યા હતા. જુનાગઢથી મળતા અહેવાલ મુજબ સુત્રાપાડામાં ગુરુવારની સાંજના સાડા છ વાગ્યા બાદ વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર બે ઇંચ વરસાદ પડ્યો હતો.અમરેલી જિલ્લામાં પણ સર્વત્ર વરસાદ પડ્યો હોવાના વાવડ મળી રહ્યા છે. સૌથી વધુ ચલાલા પંથકમાં ગાજવીજ સાથે સવા બે ઈંચ વરસાદ થયો હતો. રાજુલા, લીલિયા અને ધારી પંથકમાં પણ એક-એક ઈંચ વરસાદ નોંધાયો છે. જાફરાબાદ અને ખાંભા પંથકમાં અડધો ઈંચ વરસાદ પડી ગયો હતો.પોરબંદરના રાણાકંડોરણા પંથકમાં માત્ર એક કલાકમાં એક ઈંચ વરસાદ થયો હતો.
આટકોટના ત્રણ માફિયાની ધરપકડ : એક ફરાર
જાહેરમાં મારનો ભોગ બનનાર પરિવારની તરુણી હજુ પણ લાપતા,આટકોટમાં એક દેવીપૂજક પરિવારની મહિલા સહિત ત્રણ સભ્યોને જાહેરમાં ડંકી સાથે બાંધીને બે-બે કલાક સુધી માર મારવાની અતિ ગંભીર ઘટનામાં પણ જસદણ પોલીસે અપનાવેલા કૂણા વલણને કારણે આજે એ ઘટનાના પાંચ આરોપીઓ પૈકીના ત્રણ આરોપીઓ પોલીસમાં રજૂ થઇ ગયા બાદ જસદણ કોર્ટમાં રજૂ કરતાં ત્રણેનો જામીન ઉપર છુટકારો થયો હતો.જસદણના અશોકભાઇ સોલંકીએ એમની ભત્રીજી ઉપર બળાત્કાર થયાની ગત તા.૫-૮ના રોજ ફરિયાદ નોંધાવ્યા બાદ ઉશ્કેરાયેલા આરોપી અને તેના સાગરીતોએ ગત સોમવારે અશોક સોલંકી તેના પત્ની જયાબેન તેમજ ભત્રીજા હરેશને ઘરમાં ઘુસી માર માર્યો હતો. બાદમાં ત્રણેને જાહેરમાં ડંકી સાથે દોરડા વડે બાંધી બે-બે કલાક સુધી ઢોર માર મારવામાં આવ્યો હતો.આ ઘટનામાં ઘવાયેલાં સોલંકી પરિવારના ત્રણે સભ્યોને બાદમાં પ્રથમ જસદણ હોસ્પિટલે અને ત્યારબાદ રાજકોટની હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જસદણ પોલીસે તે સમયે ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો હતો અને ત્યારબાદ હોસ્પિટલના બિછાનેથી અશોક સોલંકીએ જિલ્લા પોલીસ વડાને કુલ પાંચ શખ્સો વિરૂધ્ધ લેખિત અરજી આપી હતી. આ ઘટના બન્યા બાદ એ પરિવારની પંદર વર્ષની કિશોરી લાપતા બની ગઇ છે. એ કિશોરીને આરોપીઓજ ઉપાડી ગયા હશે એવી દહેશત અશોક સોલંકીએ વ્યક્ત કરી હતી.આ બનાવનો ‘દિવ્ય ભાસ્કર’માં સતસવીર અહેવાલ પ્રસિધ્ધ થતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. જાહેરમાં ડંકી સાથે બાંધીને ઢોર માર મારનારા ગુંડાઓ સામે પોલીસે કડક પગલાં લેવા જોઇએ એવી લોકલાગણી વ્યાપી હતી. પરંતુ માફિયાઓ સાથેના ગાઢ સંબંધોને કારણે પોલીસે કાંઇ પગલાં લીધા નહોતા.આવી ગંભીર ઘટના પછી પણ પોલીસે પાંચ પાંચ દિવસ સુધી આરોપીઓની ધરપકડ નહોતી કરી. જો કે હોબાળો થયા બાદ પોલીસે તપાસનું નાટક ચલાવ્યું હતું અને ધારણા મુજબના આરોપીઓ પૈકીના વિનુ નાનજી, જીવણ નાનજી અને બહાદુર વાઘેલા પોલીસમાં રજુ થયા બાદ આજે કોર્ટમાં રજુ કરાતાં ત્રણે આરોપીનો જામીન ઉપર છુટકારો થયો હતો.
રાજકોટ : પ્રૌઢાએ ગળાફાંસો ખાઇ લીધો
આપઘાત પૂર્વે લખેલી સુસાઇડ નોટ પોલીસે કબજે કરી,પોપટપરા મેઇન રોડ પર રહેતા નિરૂબેન હર્ષદભાઇ ચૌહાણ નામના મોચી પ્રૌઢાએ ગુરુવારે સવારે પોતાના ઘરના બાથરૂમમાં રબ્બર બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ પરિવારજનોને થતા પ્રૌઢાને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતુ.પુત્રવધૂના આપઘાત બાદ થયેલા કેસમાં સમાધાન કરવાનું વેવાણને કહેતા તેમણે કહેલા આકરા વેણ કહ્યાં હતા. જે સહન નહીં થતા આપઘાતનું પગલું ભર્યાની પોલીસ કમિશનરને સંબોધીને લખેલી સુસાઇડ નોટ મળી આવતા પોલીસે તે કબજે લઇ તપાસ હાથ ધરી છે.બનાવની મળતી વિગતો મુજબ મૃતકના બે પુત્ર અને એક પુત્રી પૈકી નાના પુત્ર સુનિલે વૈશાલીનગરમાં રહેતા રમેશભાઇ લીડિયાની પુત્રી શિલ્પા સાથે એક વર્ષ પહેલા બન્ને પરિવારની રાજીખુશીથી લગ્ન કર્યા હતા.પરંતુ લગ્નના છ માસ બાદ જ શિલ્પાએ અગ્નિસ્નાન કરી આપઘાત કરી લીધો હતો. પુત્રીના મોત માટે તેની જ સાસુ નિરૂબેન જ જવાબદાર હોવાનો આક્ષેપ કરી મૃતક શિલ્પાની માતા દીદીબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ બાદ પોલીસે નિરૂબેનની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. જેલમાં ત્રણ મહિના રહ્યા બાદ નિરૂબેન જામીન પર મુક્ત થયા હતા.દરમિયાન નિરૂબેન કોર્ટની મુદ્દતે ગયા ત્યારે વેવાણ દીદીબેનને સમાધાન કરી લેવા જણાવ્યું હતું. આ વેળાએ દીદીબેને ‘તને તો જેલમાં જ સડાવવી છે’ તેવા કડવા વેણ કહ્યા હતા.વેવાણના આવા આકરા વેણ કહ્યા બાદ માતા નિરૂબેન ગુમસુમ રહેતા હોવાનું અને અંતે આજે તેમને આ પગલું ભરી લીધાનું પુત્ર સુનિલે જણાવ્યું હતું. પોલીસે કબ્જે કરેલી સુસાઇડ નોટમાં પોલીસ કમિશનરને સંબોધી લખ્યું છે કે, હું ગુનેગાર નથી, મેં સજા ભોગવી છે. છોકરા મરે એના કરતા હું મરૂ તે વધારે સારૂ, મને મારા વેવાણે મરવા મજબૂર કરી છે. પ્રધ્યુમનનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
ચીન સાથે તણાવ બાદ ભારતે સંરક્ષણ સંબંધો તોડ્યા
ભારત અને ચીનના સંબંધોમાં તણાવ આવી ગયો છે. ભારતે ચીન સાથે તમામ સંરક્ષણ સંબંધો તોડી નાખ્યા છે. ચીને ભારતીય સેનાના ઉત્તરીય કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફને ચીન યાત્રાની મંજૂરી આપી નથી. ત્યાર બાદ ભારતે આ પગલું લીધું છે. ચીન જમ્મુ-કાશ્મીરને વિવાદીત ક્ષેત્ર માને છે. ભારતીય સેનાના આ વરિષ્ઠ અધિકારીના તાબા હેઠળ જમ્મુ-કાશ્મીરનો વિસ્તાર આવે છે અને ચીનના આ નિર્ણયનું કારણ પણ તે છે.મહત્વપૂર્ણ છે કે ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારી સંરક્ષણ સંબંધો હેઠળ દર વર્ષે ચીનની યાત્રા પર જાય છે. આ સંદર્ભે ઉત્તરીય કમાન્ડના ચીફ લેફ્ટિનન્ટ જનરલ બી. એસ. જસવાલને આ માસમાં ચીન જવાનું હતું. તેના માટે ભારતીય સેનાએ જૂનથી જ તૈયારીઓ આરંભી દીધી હતી. જો કે ચીનના આ પગલાંથી ભારત આચંબિત છે. ચીને જસવાલના નામ પર એમ કહીને વાંધો દર્શાવ્યો હતો કે જસવાલ જમ્મુ-કાશ્મીરના વિવાદીત ક્ષેત્રને ‘નિયંત્રિત’ કરે છે. ચીનના આ નિર્ણય પર ભારતે સખત વાંધો વ્યક્ત કર્યો છે. ચીનના આ પગલાંનો જવાબ આપતાં ભારતે ચીની સેનાના બે અધિકારીઓને ભારત આવવાની પરવાનગી આપી નથી. ચીનના બંને અધિકારીઓ નેશનલ ડિફેન્સ કોલેજમાં ટ્રેનિંગ માટે આવવા માગતા હતા. આ સાથે ભારતે પોતાની સેનાના અધિકારીની ચીન યાત્રાને પણ રદ્દ કરી દીધી છે. ભારતે ચીનને આ નિર્ણયના કારણની જાણકારી પણ આપી છે કે જેથી આ મામલામાં કોઈ ભ્રમની સ્થિતિ ન રહે.
ઇંગ્લેન્ડનું અર્થતંત્ર ખતરામાં
અમેરિકાના લોકો જ તેમના અર્થતંત્રને વખોડી રહ્યા છે. અમેરિકામાં ફરી એકવખત મંદીનું ભૂત બેઠું થયાની ઠેરઠેર ચર્ચા છે.
દુનિયા આખીને 2008ની વૈશ્વિક મંદીએ ભરડામાં લીધા છે. ત્યારે ફરી એકવખત આ મંદીનું ભૂત બેઠું થયું છે. ચોતરફ ચર્ચા ચાલી રહી છે કે અમેરિકામાં ફરી બીજી મંદી શરૂ થયાના એંધાણ છે. અમેરકિન અર્થંતંત્ર નિરાશાવાદમાં ગકરાવ થઇ ગયું છે તેવું 10માંથી 8 અમેરિકનો એટલે કે 83 ટકા લોકોનું કહેવું છે.અમેરિકાન અર્થંતંત્રની માઠી બેઠી છે તેમ એક શિકાગોની સ્ત્રીએ જણાવ્યું હતું. એક સર્વેમાં 59 ટકા અમેરિકનો વિચારી રહ્યા છે કે દેશની ઇકોનોમી બાઉન્સ બેક થઇ રહી છે. જ્યારે 37 ટકા લોકો અર્થંતંત્રમાં મોટો ઘટાડો જોવા મળશે તેમ કહી રહ્યા છે.વોશિંગ્ટન ડી.સી.ની એક સ્ત્રીએ જણાવ્યું કે અમેરિકામાં બેરોજગારીનો દર વધતો જાય છે. અને મને નથી લાગતું કે અર્થંતંત્રની સ્થિતિ થોડાંક સમયમાં સુધારી જાય.એક અગ્રણી અખબારના સર્વેમાં જાણવા મળ્યું છે કે દેશમાં 5 ટકા લોકો ઓબામાની પોલીસીના લીધે જ બેરોજગારીનો ગ્રાફ ઊંચો ચઢતો જાય છે તેવું માની રહ્યા છે.
નોકરિયાત વર્ગ પર સરકારની મહેરબાની
કેન્દ્ર સરકાર પગારદાર વર્ગ પર ઘણી મહેરબાન થતી નજર આવી રહી છે. સરકારના નવા પ્રસ્તાવથી કંઇક આ પ્રકારની તસવીર ઉભરીને સામે આવી છે. સરકારે વ્યક્તિગત ઇનકમ ટેક્સ મર્યાદા હાલ 1.6 લાખથી વધારીને બે લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ કર્યો છે. એ જ નહિં, કોર્પોરેટ જગત પર પણ સરકારની કૃપા નક્કી નજર આવી રહી છે. સરકારે કોર્પોરેટ ટેક્સ પર સરચાર્જ અને સેસ હટાવોન પ્રસ્તાવ કર્યો છે.ઉલ્લેખનીય છે કે એવામાં કંપનીઓને પણ ઘણી રાહત મળવાની આશા છે. કેબેનિટે ગુરૂવારે જે ડીટીસી વિધેયકની મંજૂરી આપી તેમાં આ તમામ ઉત્સાહવર્ધક વાતોનો ઉલ્લેખ કર્યો છે. સંસદના ચાલુ સત્રમાં જ આ વિધેયકને રજૂ કરવાનું મન બનાવી લેવામાં આવ્યું છે જેથી કરીને આવતા નાણાંકીય વર્ષથી ડીટીસી લાગૂ થઇ શકે.કેબિનેટની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં નાણાંમંત્રી પ્રણવ મુખર્જીએ આ તમામ માહિતી આપી. તેમણે ટેક્સના સ્લેબોનો તો ખુલાસો કર્યો નહિં, પરંતુ કહ્યું કે ત્રણ સ્બેલ હશે. આ ખુલાસો નાણાંકીય વિધેયકમાં હશે. કોર્પોરેટ ટેક્સ અંગે પ્રણવ દા નું કહેવું છે કે તેને 30 ટકા પર બરકરાર રાખવાનો પ્રસ્તાવ છે, પરંતુ તેના પર કોઇ સેસ અથવા સરચાર્જ નહિં લાગે. તેની સાથે જ તેમણે કહ્યું કે તેની પાછળનો મુખ્ય હેતુ સરકાર દ્વારા આપવામાં આવતા અલગ-અલગ પ્રકારના કર રિયાયતોની સંખ્યાને સીમિત કરવાનું છે.આ પહેલાં વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં ગુરૂવારની સાંજે અહિં બેઠકમાં ડીટીસી બિલને રજૂ કરવા અંગે નિર્ણય કરવામાં આવ્યો. મંત્રાલયના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ વિધેયક દેશના વર્તમાન ઇનકમ ટેક્સ કાયદાનું સ્થાન લેશે. તેનાથી દેશની કર પ્રક્રિયા સરળ થશે. તેમનું કહેવું છે કે ડીટીસીથી કર બોજ તો ઘટશે, સાથો સાથ તેમનો દાયરો પણ વધશે. તેના લીધે જ સરકારને ખોટ તો નહિં થાય, પણ લોકોને ફાયદો થશે. સૂત્રોનું કહેવું છે કે 30મી ઓગસ્ટના રોજ તેણે સંસદમાં રજૂ કરી શકાય છે.નાણાંમંત્રાલયે પહેલાં ડીટીસી વિધેયક પર એક ડ્રાફટ તૈયાર કર્યો હતો, પરંતુ તેની જોગવાઇઓને ઉદ્યોગ જગતની સાથો સાથ સામાન્ય પ્રજાએ પણ ઘણી ટીકા કરી હતી. તેમાં પીએફની નિકાસી પર ટેક્સ લગાવાની અને ઉદ્યોગ જગતની પરિસંપત્તિઓ પર મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ (મેટ)ની જોગવાઇની સર્વાધિક ટીકા થઇ. રાજસ્વ સચિવ સુનિલ મિત્રાના મતે ઓગસ્ટ 2009 દરમ્યાન રજૂ થયેલ ડીટીસી પર 1600 રિપ્રેઝન્ટેશન મળ્યા હતા. આ સમસ્યાઓના સમાધાન માટે મંત્રાલયે સંશોધિત ડીટીસી તૈયાર કર્યા.નાણાંમંત્રાલયનું કહેવું છે કે રિવાઇઝ્ડ ડીટીસીમાં સરકારે ભવિષ્ય નિધિ (જીપીએફ), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) અને રિકોગ્નાઇઝડ પ્રોવિડન્ટ ફંડ (આરપીએફ) પર અગજેંપ્ટ-અગજેંપ્ટ-અગજેંપ્ટ (ઇઇઇ)નો દરજ્જો બરકરાર રહેશે. એ જ નહિં ભવિષ્ય નિધિ સંગઠનની પેન્શન યોજનાની સાથો સાથ જાન્યુઆરી 2004 બાદ ભરતી થયેલ સરકારી કર્મચારીઓની પેન્શન યોજના પર પણ ઇઇઇ દરજ્જો બરકરાર રહેશે. ઉદ્યોગ જગત માટે રાહતની વાત એ છે કે તેમના પર લગાનાર મેટ માં પણ સંશોધન થયું. પહેલાં કંપનીઓની પરિસંપત્તિઓને મેટ ના દાયરામાં લાવામાં આવી હતી. જો કે હવે જોગવાઇ એ છે કે કંપનીઓના બુક પ્રોફિટ પર જ મેટ લાગશે.
‘ગડકરીજી, જલ્દી બહુ ઉંચો ‘જંપ’ લગાવ્યો’:તરુણસાગરજી
મુનિશ્રી તરુણ સાગરના કડવા વેણથી ગુરુવારે ભાજપના બે દિગ્ગજ નેતાઓ પણ બચી શક્યા નથી. મુનિશ્રી તરુણ સાગરે મંદમંદ સ્મિત સાથે ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીને કહ્યું કે ગડકરીજી, જલ્દી બહુ ઉંચો ‘જંપ’ લગાવ્યો. તેના સંદર્ભે ગડકરીએ એટલું જ કહ્યું કે બધું તમારો આશિર્વાદ છે.હવે વારો હતો પ્રદેશાધ્યક્ષ પ્રભાત ઝાનો. મુનિશ્રી બોલ્યા કે તેમને અહીં આવવાનો હવે સમય મળ્યો છે? પ્રભાત ઝા મૌન રહ્યાં અને હસતાં-હસતાં હાથ જોડી લીધાં. આ પ્રસંગે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ગૃહમંત્રી ઉમાશંકર ગુપ્તા, ધારાસભ્ય વિશ્વાસ સારંગ અને જીતેન્દ્ર ડાગા પણ હાજર હતા.તેઓ મુનિશ્રી તરુણસાગરના દર્શન કરવા માટે ટીટી નગર ખાતેના જૈન મંદિર પહોંચ્યા હતા. થોડા સમય બાદ જ પરિદ્રશ્ય બદલાય ગયું હતું. ગડકરી, ચૌહાણ અને મુનિશ્રી તરુણ સાગર વચ્ચે લગભગ દસ મિનિટ સુધી બંધ બારણે વાતચીત થઈ હતી.સંગઠનના કાર્યક્રમમાં ભાગ લીધા બાદ ગડકરી મુનિશ્રી તરુણ સાગરના દર્શન કરવા માટે જૈન મંદિર પહોંચ્યા હતા. તમામ નેતાઓએ મુનિશ્રીને શ્રીફળ ભેંટ આપીને આશિર્વાદ લીધા હતા.પ્રસન્ન ભાવથી મુનિશ્રીએ સ્મિત કરતાં કહ્યું હતું કે ઘણી ખુશીની વાત છે કે ગડકરીજી તમે ઓછાં સમયમાં ખૂબ ઝડપથી પ્રગતિ કરી છે અને દેશ હિતનું કામ પણ આ પ્રકારે કરતાં રહ્યાં. આ પ્રસંગે ગડકરીએ મુનિશ્રીને જણાવ્યું હતું કે તેઓ આજે તેમના દર્શન કરી રહ્યાં છે અને આ પહેલા તેમના કડવા પ્રવચનોના પુસ્તકો અને અન્ય સાહીત્ય તેઓ વાંચતા રહ્યાં છે.મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તરફ ઈશારો કરતાં મુનિશ્રીએ કહ્યું હતું કે તેઓ ઘણાં પરિશ્રમી અને વિનમ્ર છે. સારું કામ કરી રહ્યાં છે. ગડકરીએ પણ મુખ્યમંત્રીના કાર્યોની પ્રશંસા કરી હતી. મુનિશ્રીએ કહ્યું હતું કે વિચાર સકારાત્મક હોય તો પરિણામ પણ સારું આવે છે. તમામ દેશની પ્રગતિ અને વિકાસ માટે કામ કરે તથા વ્યવસ્થાને ભ્રષ્ટ થવાથી બચાવે.
શીર્ષસ્થ નક્સલી નેતા ઉમાકાંત મહતો એન્કાઉન્ટરમાં ઠાર
જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ ટ્રેન કાંડનો મુખ્ય આરોપી અને પીસીપીએ નેતા ઉમાકાંત મહતોને સીઆરપીએફ, એસએએફ અને પશ્ચિમ બંગાળ પોલીસે એક સંયુક્ત ઓપરેશનમાં શુક્રવાર સવારે પશ્ચિમ બંગાળના પશ્ચિમ મિદનાપુર જિલ્લાના ઝારગ્રામ વિસ્તારમાં ઠાર કર્યો છે.પશ્ચિમ બંગાળના ડીજીપી ભૂપિન્દર સિંહે જણાવ્યું હતું કે એક સંયુક્ત કાર્યવાહીમાં ઉમાકાંત મહતો માર્યો ગયો છે. મહતો પીપલ્સ કમિટી અગેન્સ્ટ પોલીસ એટ્રોસિટી એટલે કે પીસીપીએનો નેતા હતો. જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ કાંડ પાછળ પીસીપીએનો હાથ હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઉમાકાંત મહતો સાથે સુરક્ષાદળોની સંયુક્ત ટુકડી સાથેનું એન્કાઉન્ટર લોઢાશૂલી નજીક મોહનપુરના જંગલમાં રાત્રે લગભગ દોઢ વાગ્યે શરૂ થયું હતું. અથડામણ બાદ એક 9 એમ.એમ.ની પિસ્તોલ જપ્ત કરાય છે. જ્યારે ઉમાકાંત મહતોના સાથીદારો ફરાર થવામાં કામિયાબ થયા છે. આ પહેલા જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ કાંડની તપાસ કરી રહેલી સીબીઆઈએ ઉમાકાંત મહતો પર એક લાખનું ઈનામ ઘોષિત કર્યું હતું.મહત્વપૂર્ણ છે કે 28 મેના રોજ મુંબઈ જઈ રહેલી જ્ઞાનેશ્વરી એક્સપ્રેસના કેટલાંક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને તેને સામેથી આવતી માલગાડીએ ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં 148 લોકોના મોત નીપજ્યા હતા. મહતો આ દુર્ઘટના બાદથી ગાયબ હતો. આ મામલામાં અન્ય મુખ્ય આરોપી બાપી મહતોને પોલીસ ઝડપી ચુકી છે. જ્યારે ત્રીજો મુખ્ય આરોપી અસિત મહતો પોલીસની પકડમાંથી ભાગી છૂટયો છે. આ એન્કાઉન્ટર વડાપ્રધાન મનમોહન સિંહના એ નિવેદન બાદ થયું છે કે જેમાં તેમણે નક્સલીઓને ‘પોતાના’ ગણાવ્યા હતા. એવામાં માનવામાં આવતું હતું કે વડાપ્રધાન નક્સલી મુદ્દે નરમ પડી ગયા છે. પરંતુ મહતોના એન્કાઉન્ટર બાદ નક્સલીઓ અને સરકાર વચ્ચે વાતચીતની કોશિશોને ઝાટકો લાગી શકે છે.
'અમિત જેઠવા બાદ હવે અમારો જીવ જોખમમાં છે'
અમિત જેઠવાની ઠંડે કલેજે કરાયેલી હત્યા બાદ કોડીનારના કોંગ્રેસના ધારાસભ્ય ધીરસિંહભાઇ બારડે તેમની પોતાની તથા તેમના ભત્રીજા પિન્ટુની પણ હત્યાનો કારસો રચાયાની દહેશત વ્યક્ત કરી, મુખ્યમંત્રી મોદી સમક્ષ પોલીસ રક્ષણની માગણી કરતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.ધીરસિંહભાઇએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યા મુજબ મે માસમાં એક આનામી પત્ર મળ્યો હતો જેમાં તેમના ભત્રીજા પિન્ટુ ઉર્ફે રણજીતસિંહ ભૂપતભાઇ બારડની હત્યા માટે એક મોટા રાજકીય માથાએ રૂ.૫૦ લાખની સોપારી આપી હોવાની વિગત દર્શાવવામાં આવી હતી. એ અંગે ધીરસિંહભાઇએ ગત તા.૨૧-૦૫-૧૦ના રોજ જુનાગઢના ડી.આઇ.જી. સહિતનાઓનું પત્ર લખીને ધ્યાન દોર્યું હતું.ત્યારબાદ વેરાવળના ડી.વાય.એસ.પી.એ ધીરસિંહભાઇ તથા તેમના ભત્રીજાનું નિવેદન લીધું હતું. પરંતુ રક્ષણ આપવા માટે કોઇપણ કાર્યવાહી કરવામાં નહોંતી આવી. દરમિયાનમાં અમિત જેઠવાની હત્યા માટે કોડીનાર વિસ્તારના એક મોટા ઉદ્યોગગૃહમાં કાવતરું ઘડાયું હોવાની ચર્ચાનો હવાલો આપી ધીરસિંહભાઇએ જણાવ્યું હતું કે એ અંગેની મિટિંગમાં ટોચના રાજકીય માણસો અને ઔદ્યોગિક કંપનીના અધિકારીઓ સામેલ હતા.ધીરસિંહભાઇએ ઉમેર્યું છે કે એ ઉદ્યોગગૃહ દ્વારા થતી ખનિજ અને માટીની ચોરી પ્રદૂષણને કારણે ખેતી અને પીવાના પાણીના તોને થતું નુકસાન સરકારી અને ગૌચરની જમીનમાંથી થતી ખનિજ ચોરી તથા ગેરકાયદે ઓવરલોડિંગ વાહનો અંગે હું ધારાસભ્ય તરીકે વારંવાર રજુઆત કરતો આવ્યો છું. પરિણામે એ કંપની પૈસા આપીને રાજકીય માણસો સાથે મળીને મારી તથા મારા ભત્રીજાની હત્યા કરશે તેવી દહેશત છે. એ સંજોગોમાં ધીરસિંહભાઇએ રક્ષણની માંગણી કરતાં ભારે ચકચાર જાગી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, કોડીનાર ધારાસભાની બેઠક છેલ્લા ઘણા વર્ષોથી ભાજપના એટલે કે દીનુભાઈ સોલંકીના કબજામાં હતી. દીનુભાઈ સાંસદ બન્યા બાદ એ બેઠકની પેટા ચૂંટણીમાં વિજય મેળવીને ધીરસિંહભાઈ બારડે ભાજપના એ જુના અને મજબૂત ગઢના કાંગરા ખેરવી નાખ્યા હતા. ધારાસભ્ય બન્યા બાદ ધીરસિંહભાઈ એ વિસ્તારની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સતત રજુઆતો સાથે લડત ચલાવી રહ્યા છે.
ચૂંટણી આવતાં જ ભાજપ આતંક ફેલાવે છે: કોંગ્રેસ
કિશનવાડી વિસ્તારમાં લાભાર્થીઓ માટેના લોનમેળા ટાણે કોંગ્રેસના માજી કાઉન્સિલરને ભાજપના કાર્યકરોએ ધીબી નાંખવાના મામલે આજે શહેર કોંગ્રેસે દેખાવો યોજયા બાદ પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.કિશનવાડીમાં જેએન એન યુઆરએમ હેઠળ તૈયાર થયેલા આવાસોનાં લાભાર્થીઓના લોન મેળામાં કોંગ્રેસના માજી કાઉન્સિલર જયેશ જાદવને ભાજપી કાર્યકરોએ માર માર્યો હતો. જેના વિરોધમાં આજરોજ શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઇ પટેલ સેવાસદનના વિપક્ષી નેતા ચિરાગ ઝવેરીની આગેવાનીમાં કોંગ્રેસે દેખાવો કર્યા બાદ પોલીસ ભવન જઈ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું કે, સત્તાધારી પક્ષ ભાજપ આગેવાનોએ જવાબદાર માજી કાઉન્સિલરનુ અપમાન કર્યું છે.તેમાં જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં હાજર અધિકારીએ જયેશ જાદવની ફરિયાદ લેવાની ના પાડી હતી. ત્યાર બાદ, પોલીસ સ્ટેશનમાં જ ચક્કર આવતાં એમ્બ્યુલન્સ બોલાવી સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચૂંટણી આવી રહી છે ત્યારે સમગ્ર બનાવની નિષ્પક્ષ તપાસ પણ માગણી કરાઈ હતી.માજી કાઉન્સિલરને માર મારનાર બે ઝડપાયાગઈકાલે ભાજપાના મંત્રી તેમજ વોર્ડ નંબર ૬ અને ૨૩ના પ્રભારી ધનંજય ઉફe છોટુ કશિનરાવ શીંદે અને તેના સાગરીત વિનોદ ગભરુ ભરવાડ, ભૂરિયાએ જયેશ જાદવને માર માર્યો હતો. આ બનાવમાં પોલીસે આજે છોટુ શીંદે અને વિનોદ ભરવાડની ધરપકડ કરી હતી.
ફિલ્મો માટેની ઉંમર તો જતી રહી: ગૌરી ખાન
બોલિવૂડનાં સુપર સ્ટાર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન બિ ટાઉનની સૌથી સ્ટાયલિશ અને ગ્લેમરસ સેલિબ્રિટીમાંની એક છે. પણ તે પોતે માને છે કે હવે ફિલ્મોમાં આવવાં માટેનો સમય ગયો. તેની ફિલ્મો કરવાની ઉંમર જતી રહી છે.જ્યારે શાહરૂખે ગૌરીને ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા વિશે પુછ્યું ત્યારે ગૌરીએ તેને જણાવ્યું હતું કે, " હવે મારી ઉંમર થઈ ગઈ છે. જો હું જવાન હોત તો જરૂર એક ફિલ્મ કરવાની ઈચ્છા રાખત."આ ચર્ચા બોલિવૂડનાં સૌથી પ્રેમાળ કપલ વચ્ચે વિશ્વની સૌથી મોટી ફર્નિશીંગ કંપની ડિ'ડેકોરનાં બ્રાન્ડ એમ્બેસેડોરનાં જાહેરાત સમયે થઈ હતી.ઉલ્લેખનીય છે કે ડિ'ડેકોર કંપનીએ આ જોડીને કંપનીનાં બ્રાન્ડ એમ્બેસેડોર તરીકે સાઈન કરી છે.
આવી રહી છે 'ભાંગથી બનેલી કાર!!'
અત્યાર સુધી આપણે સ્ટીલ અથવા ફાયબરથી બનેલી કારો વિશે જ સાંભળ્યુ છે પરંતુ હવે એવી કાર આવી રહી છે જેની બૉડી ભાંગના પત્તાથી બનેલી છે. બેટરીથી ચાલનારી આ કારની સ્પીડ વધુમાં વધુ 55 માઈલ પ્રતિ કલાક સુધી હશે. એક વખત ચાર્જ કર્યા પછી આ 25 થી 100 માઇલ સુધી ચાલી સકે છે.જણાવ્યા પ્રમાણે કેનેડાના એન્જીનિયરોએ ભાંગના પાંદડાઓને પીગાળીને તૈયાર કરેલા પદાર્થ વડે આ કારની બૉડી બનાવી છે. આ પણ એટલીજ મજબૂત હશે જેટલુ ફાયબર. સૌથી મહત્વની વાત એ છે કે ભાંગના પાંદડાઓમાથી બનાવાયેલી કારની બૉડી એકદમ હલ્કી હશે.ભાંગના પાંદડા ઉગાડવા અમેરિકામાં ગેરકાનૂની છે. પરંતુ પડોસી દેશ કેનેડામાં આની મોટા પ્રમાણમાં ખેતી થાય છે. ફ્રાન્સ, ઇંગલેન્ડ,જર્મની, ઑસ્ટ્રેલિયા અને રૂસમાં પણ આની ખેતી કરવામાં આવે છે. આ કારનુ પ્રોટોટાઇપ તૈયાર થઈ ચુક્યૂ છે અને ગમે તે સમયે આને પરીક્ષણમાં મુકી દેવામાં આવશે.
વાહ રે... આટલી મોટી સજા ને આટલો નજીવો દંડ!!
પાંચ વર્ષ પહેલાંનાં એક કેસમાં ઉત્તર પ્રદેશની એક કોર્ટે ગઈકાલે એક્ટર આમિર ખાન, નિર્દેશક કેતન મહેતા અને નિર્માતા બોબી મહેતાને રૂપિયા 500નો દંડ કર્યો હતો. આ દંડ સિવીલ જજે કર્યો હતો.ઉલ્લેખનિય છે કે, વર્ષ 2005માં ફિલ્મ 'મંગલ પાંડે'માં સ્વતંત્ર સેનાની મંગલ પાંડેનાં ચારિત્ર્યને ખોટી રીતે દર્શાવવાની સજા હેઠળ આ દંડ ફટકારવામાં આવ્યો હતો.ફિલ્મી સિતારાઓ કોઈને કોઈ કારણોસર કોર્ટ કચેરીનાં ચક્કર કાપતાં હોય જ છે પણ આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે છેલ્લા પાંચ વર્ષથી ચાલતા આ કેસનો ચુકાદો આવ્યો તે પણ ફક્ત રૂપિયા 500નાં નજીવા દંડ સાથે.ફિલ્મનાં ચેરમેન, ફિલ્મ સેન્સર બોર્ડ અને પબ્લિકેશન ડિરેક્ટર પર પણ આ મુદ્દે કેસ થયો હતો. જેની સુનવણીની તારિખ 13 સેપ્ટેબંર નક્કી કરવામમાં આવી છે.
ગર્મીથી બચ્યા તો રેફ્રિજરેટરે માર્યા
સુદાનના ખાર્તૂમ શહેરમાં ફ્રિઝની અંદર બેઠેલા 3 યુવકોના મોત નીપજ્યા છે. આ યુવકો ગર્મીથી છુટકારો મેળવવા માટે ફ્રિઝની અંદર બેઠા હતા. અહીંયા ગરમી એટલી બધા અસહ્ય હોય છે કે લોકો અહીંયા ગરમીથી બચવા માટે રેફ્રિજરેટરમાં બેસે છે અને આવા મોટી સાઇઝના રેફ્રિજરેટરમાં બેસવા માટે તેઓ પ્રતિ કલાક બે ડોલર જેટલું ભાડુ પણ ચૂકવે છે.ન્યુઝ એજન્સી આરઆઇએ નોવોસ્તી પ્રમાણે આ શહેરમાં કેટલાંક સ્થાનિક વ્યવસાયિકો ગરમીથી બચવા માગતા લોકોને અનોખી સુવિધા પૂરી પાડે છે. પોર્ટ સુદાનના ચિકિત્સા અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે અહીંયા દર અઠવાડિએઓછામાં ઓછા 13 લોકો ગરમીના કારણે બીમાર પડે છે. આમ પણ ઓગસ્ટ મહિનો સુદાનમાં સૌથી વધુ ગરમીનો ગણાય છે. અહીંયા ગઈકાલે અતિશય ગરમી બાદ તરત જ રેફ્રિજરેટરમાં બેસવા આવેલા લોકોને ગરમી અને ઠંડી ભેગા થવાને કારણે મોતનો શિકાર બનવું પડ્યું.
એર 'ફી'સ ઘટી રે ભૈયા અબ સુખ આયો રે
હવાઈ સફર કરનારાઓ માટે એક સારા સમાચાર છે. દેશની સરકારી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાએ પોતાના ભાડામાં કાપ મુકવાની જાહેરાત કરી છે. ભાડામાં 3 થી 23 ટકા સુધીનો કાપ મુકવામાં આવ્યો છે. કુલ 48 સ્થાનિક રુટ્સમાં કરવામાં આવેલો આ ઘટાડો 1 સપ્ટેમ્બરથી લાગૂ કરી દેવામાં આવશે.ડિસેમ્બર 2008 પછી આવુ પ્રથમવાર બન્યુ છે જ્યારે એર ઇન્ડિયાએ પોતાના ભાડામાં ઘટાડો કર્યો છે. વાસ્તવમાં જુલાઈ મહિના દરમિયાન સ્થાનિક મુસાફરી કરનારા પેસેન્જર્સની સંખ્યામાં સતત સાતમાં મહિને વધારો જોવા મળ્યો છે. અને એર ઇન્ડિયા વધારેમાં વધારે પેસેન્જર્સને આકર્ષવા માટે જ પોતાના ભાડા ઘટાડી રહી છે.આ અગાઉ પણ એક પ્રાઈવેટ એરલાઈન્સે પાતાના ભાડામાં 10 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. માનવામાં આવી રહ્યુ છે કે એર ઇન્ડિયાના આ તાજા નિર્ણય પછી થોડા જ સમયમાં અન્ય એર લાઇન્સોને પણ પોતાના ભાડા ઘટાડવાં પડશે. સ્પષ્ટ છે કે હવામાં ફાટી નિકળેલા આ ભાડાયુદ્ધમાં ફાયદોતો પેસેન્જર્સને જ મળશે.
પતિને અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધ હોય તો?
પતિ- પત્ની વચ્ચે ઝઘડા તો સામાન્ય વાત છે. પતિ પત્ની વચ્ચે નાની મોટી વાતમાં ક્યારેક વાકયુદ્ધ થતું રહે છે. પરંતુ અનેક વાર પતિ પત્ની વચ્ચે ઝઘડા એટલા વધી જાય છે કે વાત મારપીટ સુધી પહોંચી જાય છે. અનેક મહિલાઓને એવા જીવનસાથી મળે છે જે પોતાની પત્નીને અનેક પ્રકારની મુશ્કેલીઓ અને તકલીફો આપે છે.પતિની તકલીફોથી પરેશાન મહિલાઓ કાં તો ઘર છોડી દે છે કાં તો આત્મહત્યા કરી લે છે. એ જ રસ્તો અપનાવી લે છે. જ્યોતિષ શાસ્ત્ર દ્વારા તમને એ વાતનો ખ્યાલ આવશે કે યુવતીને કેવો પતિ મળશે ? તેને મારપીટ કરનારા પતિનો યોગ છે તે પછી બીજી સ્ત્રી સાથે અનૈતિક સંબંધો બાંધનારા પતિ મળવાનો યોગ છે કે નહીં. આ માટે આવશ્યક જ્યોતિષી ઉપાયો કરો અને એ યોગના પ્રભાવથી તમે સાચા જીવનસાથીની શોધ પણ કરી શકો છો.- જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જો સ્ત્રીની લગ્ન કુંડળીમાં સાતમા સ્થાને સૂર્ય હોય તો તેને એવો જ પતિ પ્રાપ્ત થશે.- જે યુવતીની કુંડળીમાં શત્રુ રાશિ પ્રમાણે મંગળ, શનિ હોય અને તે ક્રુર રાશિમાં સ્થિત હોય તો સાતમા સ્થાને હોય તો ક્રુર પતિ મળી શકે છે.- રાહુ સાતમા સ્થાને હશે તો પરસ્ત્રીગામી પતિની પ્રાપ્તિ થશે. એ સ્ત્રીનો પતિ અનેક મહિલાઓ સાથે સંબંધ રાખનારો હશે. વૈશ્યાગામી હશે. શનિ મંગળ મારપીટ કરનારો પતિ આપનારા ગ્રહો છે.આ ગ્રહ દોષને લીધે યુવતીને એ પતિ મળી છે જે અનેક સ્ત્રીઓ સાથે અનૈતિક સંબંધ બાંધનારો હોય છે અને તે પોતાની પત્નીને બિલકુલ પ્રેમ નથી કરતો અને તેની કદર કે પરવાહ નથી કરતો.
સચિન ગુસ્સે થતાં જ અંજલી
ભારતીય ક્રિકેટ ટીમના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડલુકરથી જે રીતે અન્ય ટીમના ખેલાડીઓ ડરે છે. તેવી જ રીતે તેની પત્ની અંજલી પણ ડરે છે. જેનો ઉલ્લેખ વિકાસ લૂથરાના પૂસ્તક ક્રિકેટના રોમાંચક પ્રસંગમાં કરવામાં આવ્યો છે.સચિનને જ્યારે 1997-98માં ખેલ રત્ન આપવામાં આવ્યો હતો. ત્યારે અંજલીને ભયંકર રીતે ડરનો સામનો કરવો પડ્યો હતો. એ સમયે રાષ્ટ્રપતિ ભવનમાં સચિન, અજય જાડેજા, સૌરવ ગાંગુલી સહિત ઘણા દિગ્ગજ હાજર હતા. સાથે સચિનની પત્ની અંજલી પણ હતી. અને એ સાથે જ ત્યાં પત્રકારો અને ફોટોગ્રાફરોનો મોટો કાફલો પણ હાજર હતો.બધા ફોટોગ્રાફરો સચિન અને અંજલીની તસવીર પોતાના કેમેરામાં કેદ કરવા લાગ્યા હતાં. જો કે, સચિન એ વાતથી સચેત હતો કે જ્યારે તે સમારોહમાંથી બહાર જશે ત્યારે પણ તેણે આ કાફલાનો સામનો કરવો પડશે. અને અહીંથી આસાનીથી નીકળી શકાશે નહીં.સચિન જ્યારે ત્યાંથી ઉઠ્યો ત્યારે તેણે અંજલીને કહ્યું કે તે ઝડપથી કારમાં બેસી જાય. હું આવું છું. સચિને આપેલા આદેશ મૂજબ તે કારમાં બસેવા જઇ રહી હતી. પરંતુ તે દરમિયાન સચિનની ચોતરફ ફોટોગ્રાફરો ગોઠવાઇ ગયા હતા. જ્યારે કેટલાક ફોટોગ્રાફરો અંજલી તરફ દોડી ગયા હતા. અને એક ફોટો આપવા નિવેદન કરવા લાગ્યા. જે સાંભળી અંજલી ઉભી રહી ગઇ હતી. સચિને આ આખો ઘટનાક્રમ નિહાળ્યો અને અંજલીને જોરથી બૂમમારીને કારમાં બેસી જવા કહ્યું હતું.જો કે, તેમ છતાં ફોટોગ્રાફરોએ અંજલીનો પીછો છોડ્યો ન હતો. તેથી અંજલી કહ્યું કે જો હવે હું બે ઘડી પણ અહીં ઉભી રહીશ તો તે મારી જાન લઇ લેશે. આટલું કહીને અંજલી કારમાં બેસી ગઇ હતી. થોડીક ક્ષણોમાં જ સચિન પણ કારમાં આવી ગયો હતો. અને ડ્રાઇવરને કાર હંકારવા કહી દીધું હતું.
જીવના બદલામાં જીવ!
અશકતાશ્રમ હોસ્પિટલમાં ૯ ઓગસ્ટે એક યુવતીના મોત બાદ શરૂ થયેલી ઘટના ૧૫મા દિવસે વધુ એક મોત બાદ સમેટાઈ...
અશક્તાશ્રમ હોસ્પિટલમાં તોડફોડ કરી તબીબ-નર્સને માર મારવાની ઘટના બાદ એક નર્સની પ્રીમેચ્યોર ડિલિવરીમાં બાળકીનો જન્મ થયો હતો. મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલી દરેક વ્યક્તિએ આ બાળકીનો જીવ બચે તે માટે પ્રાર્થના કરી તેમ છતાં આ બાળકીએ ગુરુવારે ૧૩મા દિવસે અંતિમ શ્વાસ લીધો હતો. આ ઘટનામાં જાણે જાનના બદલામાં જાન લેવાઈ હોય તેમ મૃતકનો પરિવાર આઘાતના દરિયામાં ડૂબી ગયો છે.શું આપણા સમાજમાં જીવના બદલે જીવ હણી લેવાની પ્રથા આજે પણ યથાવત છે? તબીબોની ભૂલથી અશકતાશ્રમ હોસ્પિટલમાં જોઈ કોઈ દર્દીનું મોત થયું પણ હોય તો મૃતકના દર્દીઓ માટે કાયદા મુજબ ન્યાય મેળવવા માટે ઘણા રસ્તા છે. પરંતુ એક હોસ્પિટલમાં આતંક મચાવવાની ઘટનાનું પરિણામ કેટલું વિચિત્ર આવ્યું છે તે આજે સૌ કોઈ જોઈ રહ્યા છે, જેમાં નર્સ તો ઠીક એક નિર્દોષ બાળકીએ જીવ ખોવાનો વારો અવ્યો હતો.
એમસીએ સેકન્ડ સેમેસ્ટરનું પરિણામ ઓછુ આવતા હોબાળો
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) સાથે સંકળાયેલ એમસીએ કોલેજોનું સેકન્ડ સેમેસ્ટરનું પરિણામ તાજેતરમાં ૩૬ ટકા જાહેર થયું છે. એમસીએ સેકન્ડ સેમેસ્ટરનું પરિણામ ખૂબ જ ઓછુ આવ્યુ હોવાના મુદ્દે કોલેજોના વિદ્યાર્થીઓએ જીટીયુ ખાતે વિરોધ પ્રદિર્શત કર્યો હતો.જીટીયુની વિવિધ એમસીએ કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ કુલપતિ ડો. અક્ષય અગ્રવાલ સમક્ષ આ મુદ્દે ઉગ્ર રજુઆત કરી હતી. વિવિધ બેનર્સ સાથે અહીં આવી પહોંચેલા વિદ્યાર્થીઓએ કેમ્પસમાં ભારે હોબાળો મચાવી દીધો હતો.વિદ્યાર્થીઓએ કુલપતિને મળીને એમસીએના ખૂબ ઓછા આવેલા પરિણામ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. એમસીએ સેકન્ડ સેમેસ્ટરના પરિણામ અંતર્ગત એલ.જે એમસીએ, અમદાવાદ, જીએલએસ એમસીએ, વાસદ અને વિદ્યાનગરની એમસીએ કોલેજોના વિદ્યાર્થીઓએ ભારે શોર મચાવી દીધો હતો.
બારડોલી : પોસ્ટ ઓફિસમાં જવું હોય તો પાણીમાંથી
બારડોલીની હેડ પોસ્ટ ઓફિસના ગેટ પર સતત પાણીનો ભરાવો, વૃદ્ધોએ મદદ લેવી પડે છે,બારડોલીની પોસ્ટ ઓફિસના મુખ્ય ગેટ પર સતત પાણીનો ભરાવો રહે છે. આ પાણી ભરાવાના કારણે ઓફિસમાં લોકોને કામ અર્થે અવર-જવર કરવી મુશ્કેલ બની રહી છે. પરિણામે પોસ્ટ ઓફિસમાં કામ અર્થે આવતા વૃદ્ધોએ ગેટથી ઓફિસમાં જવા માટે કોઈની વાટ જોવી પડે છે. આવી કરૂણ દાસ્તાનના કારણે ફરિયાદ બુકમાં નોંધ પણ કરવામાં આવી છે.બારડોલી નગરપાલિકાની બાજુમાં આવેલી પોસ્ટ ઓફિસમાં ટપાલ, મનીઓર્ડર, રજીસ્ટ્રી, પીએલઆઈ, સ્પીડ પોસ્ટ, બચત જેવી વિવિધ સુવિધા અર્થે રોજીંદા લોકોની અવર-જવર રહેતી હોય છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી બારડોલીની પોસ્ટ ઓફિસ કચેરીના ગેટથી ઓફિસના દરવાજા સુધીમાં પાણીનો સતત ભરાવો રહેતાં લોકોને અવર-જવર કરવી મુશ્કેલ બની રહે છે.વૃદ્ધોને પાણીમાંથી પસાર થવાનું હોવાથી સતત પડી જવાનો ભય સતાવતો હોય છે, જેના કારણે ઘણી વખત આવતા જતાને અટકાવી અંદર સુધી મુકી આવવા જણાવતા હોય છે. આટલી ગંભીર સ્થિતિના કારણે પોસ્ટઓફિસની ફરિયાદ બુકમાં ગ્રાહકોએ નોંધ પણ કરી છે. છતાં અધિકારીઓએ ધ્યાન આપ્યુ નથી.પાણીના નિકાલ અર્થે ખુદ અધિકારીઓ દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી. બાજુમાં જ આવેલી પાલિકાને ધ્યાન દોરવામાં આવે તો સમસ્યાનો નિકાલ થઈ શકે એમ છે. જેનુ કારણ પોસ્ટ ઓફિસની બાજુમાં બનતી બિલ્ડિંગ માટે વપરાતુ પાણી પણ અહીં જમા થાય છે. જેના કારણે વરસાદ આવે કે ન આવે પોસ્ટ ઓફિસના ગેટમાં સંગ્રહ થતુ પાણીમાં ઓછુ થતુ નથી.
જુનાગઢ, અમરેલી પંથકમાં ઝાપટાંથી માંડી ૨ ઈંચ વરસાદ
હાલારમાં ભાણવડ પંથકમાં પોણો કલાકમાં સવા બે ઈંચ ખાબક્યો, એક ધારા એક મહિના સુધી સમગ્ર સૌરાષ્ટ્રમાં અવિરતપણે વરસ્યા બાદ શ્રાવણ માસના પ્રારંભે જ સરવડાં વરસાવ્યા પછી મેઘરાજા અમરેલી અને જુનાગઢ પંથકમાં ફરી પધાર્યા છે. વીજળીના કડાકાભડાકા સાથે આ બન્ને જિલ્લામાં ઝાપટાંથી માંડીને સવા બે ઈંચ સુધીનો વરસાદ થયો છે. જ્યારે હાલારના ભાણવડ પંથકમાં માત્ર પોણી કલાકમાં સવા બે ઈંચ વરસાદ ખાબક્યો હોવાના અહેવાલો મળે છે.જુનાગઢ શહેર અને જિલ્લામાં બુધવારે પણ ચાર ઈંચ સુધીનો વરસાદ અમુક વિસ્તારોમાં થયો હતો. દરમિયાન સતત બીજા દિવસે ઊનામાં બે ઈંચ અને માણાવદર પંથકમાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ શહેર અને તાલાલામાં ઝાપટાં પડ્યા હતા. જુનાગઢથી મળતા અહેવાલ મુજબ સુત્રાપાડામાં ગુરુવારની સાંજના સાડા છ વાગ્યા બાદ વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર બે ઇંચ વરસાદ પડ્યો હતો.અમરેલી જિલ્લામાં પણ સર્વત્ર વરસાદ પડ્યો હોવાના વાવડ મળી રહ્યા છે. સૌથી વધુ ચલાલા પંથકમાં ગાજવીજ સાથે સવા બે ઈંચ વરસાદ થયો હતો. રાજુલા, લીલિયા અને ધારી પંથકમાં પણ એક-એક ઈંચ વરસાદ નોંધાયો છે. જાફરાબાદ અને ખાંભા પંથકમાં અડધો ઈંચ વરસાદ પડી ગયો હતો.પોરબંદરના રાણાકંડોરણા પંથકમાં માત્ર એક કલાકમાં એક ઈંચ વરસાદ થયો હતો.
આટકોટના ત્રણ માફિયાની ધરપકડ : એક ફરાર
જાહેરમાં મારનો ભોગ બનનાર પરિવારની તરુણી હજુ પણ લાપતા,આટકોટમાં એક દેવીપૂજક પરિવારની મહિલા સહિત ત્રણ સભ્યોને જાહેરમાં ડંકી સાથે બાંધીને બે-બે કલાક સુધી માર મારવાની અતિ ગંભીર ઘટનામાં પણ જસદણ પોલીસે અપનાવેલા કૂણા વલણને કારણે આજે એ ઘટનાના પાંચ આરોપીઓ પૈકીના ત્રણ આરોપીઓ પોલીસમાં રજૂ થઇ ગયા બાદ જસદણ કોર્ટમાં રજૂ કરતાં ત્રણેનો જામીન ઉપર છુટકારો થયો હતો.જસદણના અશોકભાઇ સોલંકીએ એમની ભત્રીજી ઉપર બળાત્કાર થયાની ગત તા.૫-૮ના રોજ ફરિયાદ નોંધાવ્યા બાદ ઉશ્કેરાયેલા આરોપી અને તેના સાગરીતોએ ગત સોમવારે અશોક સોલંકી તેના પત્ની જયાબેન તેમજ ભત્રીજા હરેશને ઘરમાં ઘુસી માર માર્યો હતો. બાદમાં ત્રણેને જાહેરમાં ડંકી સાથે દોરડા વડે બાંધી બે-બે કલાક સુધી ઢોર માર મારવામાં આવ્યો હતો.આ ઘટનામાં ઘવાયેલાં સોલંકી પરિવારના ત્રણે સભ્યોને બાદમાં પ્રથમ જસદણ હોસ્પિટલે અને ત્યારબાદ રાજકોટની હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જસદણ પોલીસે તે સમયે ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો હતો અને ત્યારબાદ હોસ્પિટલના બિછાનેથી અશોક સોલંકીએ જિલ્લા પોલીસ વડાને કુલ પાંચ શખ્સો વિરૂધ્ધ લેખિત અરજી આપી હતી. આ ઘટના બન્યા બાદ એ પરિવારની પંદર વર્ષની કિશોરી લાપતા બની ગઇ છે. એ કિશોરીને આરોપીઓજ ઉપાડી ગયા હશે એવી દહેશત અશોક સોલંકીએ વ્યક્ત કરી હતી.આ બનાવનો ‘દિવ્ય ભાસ્કર’માં સતસવીર અહેવાલ પ્રસિધ્ધ થતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. જાહેરમાં ડંકી સાથે બાંધીને ઢોર માર મારનારા ગુંડાઓ સામે પોલીસે કડક પગલાં લેવા જોઇએ એવી લોકલાગણી વ્યાપી હતી. પરંતુ માફિયાઓ સાથેના ગાઢ સંબંધોને કારણે પોલીસે કાંઇ પગલાં લીધા નહોતા.આવી ગંભીર ઘટના પછી પણ પોલીસે પાંચ પાંચ દિવસ સુધી આરોપીઓની ધરપકડ નહોતી કરી. જો કે હોબાળો થયા બાદ પોલીસે તપાસનું નાટક ચલાવ્યું હતું અને ધારણા મુજબના આરોપીઓ પૈકીના વિનુ નાનજી, જીવણ નાનજી અને બહાદુર વાઘેલા પોલીસમાં રજુ થયા બાદ આજે કોર્ટમાં રજુ કરાતાં ત્રણે આરોપીનો જામીન ઉપર છુટકારો થયો હતો.
રાજકોટ : પ્રૌઢાએ ગળાફાંસો ખાઇ લીધો
આપઘાત પૂર્વે લખેલી સુસાઇડ નોટ પોલીસે કબજે કરી,પોપટપરા મેઇન રોડ પર રહેતા નિરૂબેન હર્ષદભાઇ ચૌહાણ નામના મોચી પ્રૌઢાએ ગુરુવારે સવારે પોતાના ઘરના બાથરૂમમાં રબ્બર બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ પરિવારજનોને થતા પ્રૌઢાને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતુ.પુત્રવધૂના આપઘાત બાદ થયેલા કેસમાં સમાધાન કરવાનું વેવાણને કહેતા તેમણે કહેલા આકરા વેણ કહ્યાં હતા. જે સહન નહીં થતા આપઘાતનું પગલું ભર્યાની પોલીસ કમિશનરને સંબોધીને લખેલી સુસાઇડ નોટ મળી આવતા પોલીસે તે કબજે લઇ તપાસ હાથ ધરી છે.બનાવની મળતી વિગતો મુજબ મૃતકના બે પુત્ર અને એક પુત્રી પૈકી નાના પુત્ર સુનિલે વૈશાલીનગરમાં રહેતા રમેશભાઇ લીડિયાની પુત્રી શિલ્પા સાથે એક વર્ષ પહેલા બન્ને પરિવારની રાજીખુશીથી લગ્ન કર્યા હતા.પરંતુ લગ્નના છ માસ બાદ જ શિલ્પાએ અગ્નિસ્નાન કરી આપઘાત કરી લીધો હતો. પુત્રીના મોત માટે તેની જ સાસુ નિરૂબેન જ જવાબદાર હોવાનો આક્ષેપ કરી મૃતક શિલ્પાની માતા દીદીબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ બાદ પોલીસે નિરૂબેનની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. જેલમાં ત્રણ મહિના રહ્યા બાદ નિરૂબેન જામીન પર મુક્ત થયા હતા.દરમિયાન નિરૂબેન કોર્ટની મુદ્દતે ગયા ત્યારે વેવાણ દીદીબેનને સમાધાન કરી લેવા જણાવ્યું હતું. આ વેળાએ દીદીબેને ‘તને તો જેલમાં જ સડાવવી છે’ તેવા કડવા વેણ કહ્યા હતા.વેવાણના આવા આકરા વેણ કહ્યા બાદ માતા નિરૂબેન ગુમસુમ રહેતા હોવાનું અને અંતે આજે તેમને આ પગલું ભરી લીધાનું પુત્ર સુનિલે જણાવ્યું હતું. પોલીસે કબ્જે કરેલી સુસાઇડ નોટમાં પોલીસ કમિશનરને સંબોધી લખ્યું છે કે, હું ગુનેગાર નથી, મેં સજા ભોગવી છે. છોકરા મરે એના કરતા હું મરૂ તે વધારે સારૂ, મને મારા વેવાણે મરવા મજબૂર કરી છે. પ્રધ્યુમનનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
26 August 2010
ગીથા જોહરી આજે સીબીઆઇ સમક્ષ હાજર થશે
visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
ગીથા જોહરી આજે સીબીઆઇ સમક્ષ હાજર થશે
રાજકોટ પોલીસ કમિશનર એડીજી ગીથા જોહરી આખરે આવતીકાલે ગુરુવારે સવારે સીબીઆઇ સમક્ષ હાજર થવાનાં છે. તેમણે સીબીઆઇના અધિકારીને પોતે હાજર રહેવા હોવાની જાણ કરી દીધી છે. સીબીઆઇએ ગીથા જોહરી સાથે સીઆઇડી ક્રાઈમના પૂર્વ વડા ઓ.પી.માથુરને પણ હાજર રહેવા માટે જણાવ્યું હતું, પરંતુ આવતીકાલે ગીથા જોહરી એકલાં જ આવવાનાં હોવાનું જાણવા મળ્યું છે. જોકે ૨૭મીએ ઓ.પી. માથુરની પુછપરછ થાય તેવી શક્યતા છે.સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર પ્રકરણમાં સીબીઆઇએ અમિત શાહની બે દિવસ પૂછપરછ કર્યા બાદ ઓ.પી.માથુરની પૂછપરછ કરી હતી. સીઆઇડી ક્રાઇમના પૂર્વ વડા અને રક્ષાશક્તિ યુનિવર્સિટીના ડાયરેક્ટર ઓ.પી. માથુરે ગીથા જોહરી પર એન્કાઉન્ટરની તપાસનો દોષનો ટોપલો નાખી દીધો હતો. આથી સીબીઆઇએ ગીથા જોહરી અને ઓ.પી.માથુરની સંયુક્ત પૂછપરછ કરવાનો નિર્ણય લીધો હતો.ગઇ ૭મી ઓગસ્ટે ગીથા જોહરી વિદેશથી આવી ગયાં હતાં અને ૧૦મી ઓગસ્ટના રોજ સીબીઆઇ સમક્ષ હાજર રહેવાનાં હતાં. પરંતુ રાજકોટમાં રાજ્યકક્ષાની સ્વાતંત્રય દિનની ઉજવણી હોવાથી ૧૭મી ઓગસ્ટે હાજર રહેવા મુદત માગી હતી.પરંતુ સીબીઆઇ સમક્ષ હાજર થવાને બદલે ગીથા જોહરી માંદગીની લાંબી રજા પર ઊતરી ગયાં હતાં. સીબીઆઇએ બે વખત ગીથા જોહરીને હાજર થવા જણાવ્યું હતું. પરંતુ બંને વખત ગીથા જોહરી હાજર થયા ન હતાં. બે વખત મુદત પડ્યા બાદ ગીથા જોહરીએ સીબીઆઇને સામેથી આવતીકાલે ગુરુવારે સવારે હાજર થશે તેવી જાણ કરી દીધી છે. સીબીઆઇને ગીથા જોહરીની સાથે ઓ.પી.માથુરની પણ પૂછપરછ કરવી છે. જોકે ગીથા જોહરી એકલા જ હાજર થવાનાં છે.
બિરલા-અંબાણીને સલાહ આપો ફાઇનાન્શિયલ પ્લાનર બનો
ભારત આજે વૈશ્વિક આર્થિક સ્તરે બહુ મોખરાના દેશોની હરોળમાં છે. સેલરીડ કલાસ હોય કે બિઝનેસમેન ભારતમાં ‘પૈસાવાળા’ઓની વસ્તીમાં વધારો થઇ રહ્યો છે. સામાન્ય માન્યતા એવી છે કે પૈસા હોય એને કંઇ કોઇની જરૂર ના પડે, પણ અહીં જ તમે થાપ ખાવ છો. એક વ્યક્તિ છે જેની સહાય લેવાનું હાલમાં ઉભરેલા તવંગર-હાયર કલાસને માટે બહુ જ જરૂરી છે. અંબાણી હોય કે તાતા કે પછી મહાકાય મલ્ટિનેશનલ બેંક હોય અથવા તો વર્ષે દસ લાખથી માંડીને પંદર લાખ કમાનારા ઉચ્ચ મધ્યમવર્ગના લોકો હોય, તેમને માટે એક વ્યક્તિની સલાહ હંમેશા અમૂલ્ય હોય છે.વધારે સસ્પેન્સ ના રાખતાં આ વ્યક્તિ વિષે જાણીયે, એ છે ‘ફાઇનાન્શિયલ પ્લાનર- વેલ્થ મેનેજર’. યેસ, આ એક એવી વ્યક્તિ છે જેની સલાહ પર કેટલાય શેર્સનું ટ્રેડિઁગ થઇ જાય અથવા ડિપોઝીટથી માંડીને મ્યુચ્યઅલ ફંડ કે એસઆઇપીમાં પૈસાનું રોકાણ થઇ જાય. ફાઇનાન્સિયલ પ્રોડ્કટ સેલ્સના મુખ્ય ટાઇટલ હેઠળનાં પેટા ટાઇટલ્સમાં ફાઇનાન્સિયલ પ્લાનર, ફાઇનાન્સિયલ એડવાઇઝર કે પર્સનલ ફાઇનાન્સિયલ કન્સલટન્ટના જોબ ટાઇટલ્સનો સમાવેશ થાય છે.
પાલારા જેલમાં કેદીઓને ભાગવા માટે મોકળું મેદાન !
કચ્છ જિલ્લાની પાલારા ખાસ જેલમાં મુખ્ય હોદ્દાઓની મોટા ભાગની જગ્યાઓ છેલ્લા કેટલાક સમયથી ખાલી રહેવાથી જેલનો વહીવટ ચલાવવો મુશ્કેલ બન્યો છે. સરેરાશ જ્યાં ૪૫૦થી વધુ કેદીઓને સમાવવામાં આવે છે એવી આ જેલમાં પચાસથી વધુ જગ્યાઓ હાલ ખાલી છે.એવી પરિસ્થિતિમાં કેદીઓ છટકબારી શોધીને નાસી છુટે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.જેલના અધિક્ષક એસ.આર. રબારીએ આ વિશે જણાવ્યું કે, જેલના સ્ટાફની ઘણી બધી જગ્યાઓ ખાલી હોવાથી વહીવટી કાર્ય મુશ્કેલ બન્યું છે. ખાસ જેલ બની ત્યારથી એક જેલરની જગ્યા ખાલી છે, તેથી નિવૃત્ત પોલીસ અધિકારીઓ પાસેથી પણ સેવા લેવામાં આવે છે.પરંતુ એ અપૂરતું રહે છે. ઉપરાંત ખાલી જગ્યાઓ પૂરવા કામ ચલાઉ ધોરણે બોર્ડર વિંગના દસ અને જીઆઇએસએફના વીસ જવાનો રાખવામાં આવ્યા છે. સ્ટાફ અંગે ઉપરી અધિકારીને પૂરતા કર્મચારીઓની માગણી કરવામાં આવી છે. જેલના કેદીઓ માટે અવાર-નવાર મનોરંજક તેમજ સંસ્કારી કાર્યક્રમોનું આયોજન કરવા તંત્ર પગલાં લે છે, જ્યારે બીજીતરફ સ્ટાફમાં ઘણી બધી જગ્યાઓ ખાલી હોવાથી વ્યવસ્થા સંભાળવી ભારે મુશ્કેલ બની છે.છેલ્લા કેટલાક સમયથી બે જેલરોની જવાબદારીનો ભાર માત્ર એક જેલર સંભાળી રહ્યા છે. જેલ અધ્યક્ષના કહ્યા મુજબ જેલના મેન્યુઅલ ન જાણતા જે કર્મચારીઓ પાસેથી સેવા લેવામાં આવે છે, એના લીધે પણ અપેક્ષિત કામગીરી થતી નથી.જેલના સંચાલન માટે ખાસ ભરતી કરવામાં આવતી હોય છે, ત્યારે એ સિવાયના ક્ષેત્રો માંથી આવતા કર્મચારી જેલ વ્યવસ્થા જાળવવામાં પૂરેપૂરા સફળ ન થાય એ પાલારા જેલ પાસે વિશાળ જગ્યા છે અને મુખ્ય સગવડો અહીં ઉપલબ્ધ છે. સાથે સાથે ૪૮૦ પુરુષો અને ૪૦ મહિલા કેદી સમાઇ શકે એવી ક્ષમતા છે, ત્યારે માત્ર સ્ટાફમાં રહેલી ખાલી જગ્યાઓની જ કમી ઉડીને આંખે વળગે છે.
તપોભૂમિ તરભના આંગણે આજે શિવધામનું ભૂમિપૂજન
૯૦૦ વર્ષ પૂર્વે વિસનગર તાલુકાના તરભ ગામમાં રબારી સમાજની ગુરૂ ગાદી શ્રી વાળીનાથજી અખાડાની પ્રથમ મહંત વિરમગીરીજી મહારાજે સ્થાપના કરી હતી. ગુરૂવારે તરભની પાવન તપોભૂમિમાં આવેલ શ્રી વાળીનાથજી મંદિરના પુન: નિર્માણનો ભૂમિપૂજન સમારંભ વર્તમાન ગાદીપતિ મહંત બળદેવગીરી મહારાજના હસ્તે કરાશે. તરભમાં નવીન આકાર લઇ રહેલ આ શિવધામના ભૂમિપૂજનની તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. આ ધર્મ અવસરમાં ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર, કચ્છના રબારી સમાજના ૫૦,૦૦૦થી વધુ ગુરુભક્તો માટે પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે.વિસનગર તાલુકાના તરભ ગામમાં રબારી સમાજની ગુરૂગાદી એવી શ્રી વાળીનાથ અખાડાનું મંદિર આવેલ છે. ૯૦૦ વર્ષ પૂર્વે આ જગ્યાના પ્રથમ મહંત વિરમગીરી મહારાજે આ પાવનભુમિમાં ગુરૂગાદીની સ્થાપના કરી હતી. જે ગાદી રબારી સમાજના લોકો માટે વંદનીય છે. અહી ગુરૂપૂર્ણિમાના દિવસેે રબારી સમાજ મોટી સંખ્યામાં દર્શને ઉમટી પડે છે તેવા આ પ્રાચીન સ્થાનકમાં ૭૦ વર્ષથી પ.પૂ.ધ.ધૂ.શ્રી ૧૦૦૮મહંત બળદેવગીરી બાપુ ગુરૂગાદી શોભાવે છે. ધર્મ સાથે શિક્ષણને જોડાયાનું કામ કરનાર મહંત બળદેવગીરી બાપુએ આવનાર પેઢીઓ માટે આ સ્થળ દિવ્ય અને ઐતિહાસિક વારસો બની રહે તે હેતુથી મંદિરના પુન: નિર્માણ માટેની ટહેલ કરતાં રબારી સમાજે તેને વધાવી લીધી છે અને ગુરૂવારે તરભની આ પવિત્ર ભૂમિમાં ૨૦૦ સંતો-મહંતોની ઉપસ્થિતિમાં મહંત બળદેવગીરીજી બાપુના હસ્તે શિવધામનું ભૂમપિૂજન વિધિ કરાશે. હાલ સમગ્ર રબારી સમાજ તેમની ગુરૂગાદીના નવિનર્માણમાં કાર્યરત છે આ યાદગાર પ્રસંગને સફળ બનાવવા અને ભૂમિપૂજન વિધિ માટે તરભ વાળીનાથ અખાડા ખાતે તમામ તૈયારી આ અવસરની પૂર્વસંધ્યાએ બુધવારે પૂર્ણ કરી દેવાઇ છે. આ ધર્મઅવસરમાં આવનાર ગુરૂભક્તો માટે વિશાળ શમિયાણો બાંધવામાં આવ્યો છે તેમજ ૫૦હજારથી વધુ ગુરૂભક્તો માટે પ્રસાદીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.ધર્મ સાથે શિક્ષણના સમન્વયનો હેતુછેલ્લાં ૭૦ વર્ષથી તરભની આ ગુરુગાદી શોભાવી રહેલા પ.પૂ.ધ.ધૂ. શ્રી બળદેવગીરી બાપુ આ ધર્મઅવસરનો હેતુ સમજાવતાં કહે છે કે, ‘‘રબારી સમાજમાં ધર્મની સાથે શિક્ષણનો વ્યાપ વધે અને સમગ્ર સમાજ આ બંનેના સમન્વયથી પ્રગતિ સાધે.’’વાળીનાથના ઈતિહાસમાં ઉજવાયેલા મહોત્સવ.પૂ. મહંતશ્રી સુરજિગરિજી ગુરૂશ્રી હરિગિરિજી મહારાજ તથા પૂ.કોઠારી શ્રી રણછોડગિરિજી ગુરૂશ્રી દેવગિરિજી તથા સૌ સંતોના પ્રયત્નથી ૨૬ એપ્રિલ ૧૯૩૯ના રોજ અખાડા ખાતે હર્ષ-ઉલટના મેળો તેમજ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારપછીમહંત બળદેવગિરિજી ગુરૂશ્રી સૂરજિગરિજી મહારાજ તથા પૂ. કોઠારીશ્રી ગોવિંદગિરિજી સહિત સંતો દ્વારા ૨૨માર્ચ ૧૯૯૩ થી ૨૪ માર્ચ ૧૯૯૩ દરમ્યાન ભવ્ય મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં પ્રવેશદ્વારનો ઉદ્ઘાટન, વાળીનાથ મંદિરે સુવર્ણ શિખર પ્રતિષ્ઠા, પૂ. મહંત શ્રી બળદેવગિરિજી બાપુની રજતતુલા સહિત મહારૂદ્ર યજ્ઞ જેવા કાર્યક્રમો ઉજવાયા હતા. ૧૬ જૂન ૨૦૦૭ના રોજ મહંત બળદેવગિરિજી બાપુનો અમૃત મહોત્સવ અને તેમની રજતતુલા ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે શૈક્ષણિક ભંડોળ માટે શિક્ષણરથની પૂજા પણ કરવામાં આવી હતી.વાળીનાથ અખાડાના ૯૦૦ વર્ષના સુધીના ગુરુગાદી પતિપૂ. વિરમગિરિ બાપુના નિમાર્ણ પછી શ્રી વાળીનાથજીની જગ્યામાં મહંત-આચાર્ય પરંપરા શરૂ થઇ. આ મહંતોએ હંમેશાં સંસ્થા દ્વારા સેવકોમાં ધાર્મિક સંસ્કારોની જાગૃતિ માટે પ્રયત્નો કર્યા છે. જેમાં પ્રથમ મહંત વિરમગિરિ, બીજા પ્રેમગિરિજી, ત્રીજા સંતોકગિરિજી, ચોથા ગુલાબિગરિજી, પાંચમા નાથાગિરિજી, છઠ્ઠા જગમાલગિરિજી, સાતમા શંભુગિરિજી, આઠમા ભગવાનગિરિજી, નવમા મોતીગિરિજી, દસમા કેશવગિરીજી, અગિયારમા હરિગિરિજી, બારમા સૂરજિગરિજી અને બળદેવગિરીજી હાલ આચાર્ય પરંપરા નિભાવી રહ્યા છે.
ઊંઝામાં ક્રિકેટ સટ્ટાધામ : પાંચ ઝડપાયા
શ્રીલંકા ખાતે બુધવારે રમાઈ રહેલ ન્યુઝિલેન્ડ-ભારત વચ્ેચની વન-ડે મેચ પર ઊંઝા ખાતે શાકુન્તલ ફ્લેટમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમાડાતો હોવાની પૂર્વ બાતમીને આધારે મહેસાણા એલસીબી શાખાએ ઓચિંતી રેડ રોકડ રૂ. ૧૬,૮૦૦, ૧૭ મોબાઈલ, લેપટોપ, ટીવી મળી કુલ રૂ. ૮૯,૨૦૫ના મુદ્દામાલ સાથે પાંચ શખ્સને ઝડપી લીધા હતા. આ અંગે ઊંઝા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.શ્રીલંકા ખાતે બુધવારે ભારત-ન્યુઝિલેન્ડ વચ્ચે રમાઈ રહેલ ત્રિકોણીય વન-ડે મેચ પર ઊંઝાના શાકુન્તલ ફ્લેટમાં એ/૧૧માં કેટલાક વ્યક્તિઓ ક્રિકેટ સટ્ટો રમી રહ્યો હોવાની બાતમી મહેસાણા એલસીબી પી.આઈ શક્તિસિંહ પરમારને મળી હતી. જે અનુસંધાને બપોરે આશરે સવા પાંચ વાગ્યાના અરસામાં પોલીસે સ્થાનિક પોલીસને સાથે રાખીને ઉપરોકત ફ્લેટમાં ચાલી રહેલા સટ્ટાધામ પર ઓચિંતી રેડ કરી હતી. પોલીસ રેડ દરમિયાન બનાવ સ્થળે ઊંઝાના અલ્પેશ રામજીભાઈ પટેલ, પિયુશ જયંતભિાઈ પટેલ, ચેતન કાશીરામ પટેલ, આકાશ અલ્કેશભાઈ પટેલને રોકડ રૂ. ૧૬,૮૦૦, ૧૭ મોબાઈલ, લેપટોપ, ટીવી મળી કુલ રૂ. ૮૯,૨૦૫ના મુદામાલ સાથે ઝડપ્યા હતા. ઝડપાયેલા તમામ શખ્સોને ઊંઝા પોલીસને સોંપ્યા બાદ તમામની વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.ઊંઝાનો પિયુષ પટેલ કાકાના ફ્લેટમાં સટ્ટાધામ ચલાવતો હોવાનું પોલીસ રેડ દરમિયાન ખુલ્યું છે ત્યારે મહેસાણા એલસીબીએ કરેલી આ રેડને પગલે ઘટના સ્થળે કુતૂહલવશ ટોળા જામ્યા હતા. જો કે, ફ્લેટમાં સટ્ટાધામ ચાલતું હોવા છતાં પડોશીઓ આ બાબતે અજાણ હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
૨૭મીએ જિ.પં.ની છેલ્લી સાધારણ સભા
જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોમાં આગામી ગણત્રીના દિવસોમાં ચૂંટણી જાહેર કરવામાં આવે એવા ભણકારા વાગી રહ્યા છે ત્યારે આગામી ૨૭મી આગસ્ટે જિલ્લા પંચાયતની છેલ્લી સાધારણ સભા મળનાર છે. જેમાં બાકી રહી ગયેલા કામો પૂર્ણ કરવા સદસ્યો વ્યસ્ત બન્યા છે.જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ટર્મ પૂર્ણ થતાં આગામી ગણત્રીના દિવસોમાં ચૂંટણી જાહેર કરવામાં આવે એવી વકી સેવાઇ રહી છે ત્યારે વિકાસ કામો પૂર્ણ કરવા માટે વર્તમાન સત્તાધીશો દ્વારા મથામણ કરવામાં આવી રહી છે. આગામી ૨૭મી આગસ્ટને શુક્રવારના રોજ જિલ્લા પંચાયત હોલ ખાતે જિલ્લા પંચાયતની સાધારણ સભા મળનાર છે. જે જિલ્લા પંચાયત પ્રમુખ રમણભાઇ પટેલના નેતૃત્વવાળી વર્તમાન બોડીની છેલ્લી સભા હશે.આ છેલ્લી સભામાં પોતાના વિસ્તારના વિકાસ કામોની મંજુરી માટે સદસ્યો દોડાદોડી કરી રહ્યા છે. સાથોસાથ એજન્ડામાં લેવાયા ન હોય એવા કામોને પ્રમુખ સ્થાનેથી રજુ કરાવવા માટે પણ સદસ્યો પોતાનું બળ લગાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત સોમવારે જિ.પંચાયતની કારોબારીની બેઠક મળી હતી. દરમિયાન આગામી ટૂંકગાળામાં જાહેર થનારી આ ચૂંટણીના અનુસંધાને રાજકીય પક્ષોમાં તૈયારીનો ધમધમાટ પણ શરૂ કરી દેવાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ATMમાં ૧૦૦ની નોટ એકતરફ કોરી મળી!
વલ્લભવિદ્યાનગરમાં બેંક ઓફ બરોડાના એટીએમમાંથી રૂ.૧૦૦ની ચલણી નોટ એક તરફ બિલકુલ કોરી નીકળતાં ગ્રાહક મૂંઝવણમાં મુકાઈ ગયો હતો અને આ અંગે વિદ્યાનગર બ્રાન્ચમાં રજૂઆત કરતાં મેનેજરે ચલણી નોટ બદલી આપવાના બદલે ઉદ્ધત વર્તન કહ્યું હોવાની ગ્રાહકે બેંક ઓફ બરોડાના ઉચ્ચ અધિકારીને રજૂઆત કરી છે.આણંદ પીપલ્સ મેડીકેર સોસાયટી સંચાલિત કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતાં રાજેન્દ્રરભાઈ ગોહેલે જણાવ્યું હતું કે ‘‘૨૧મી ઓગસ્ટના રોજ સવારના ૧૧ કલાકે વિદ્યાનગરમાં નલિની કોલેજ સામે આવેલા એટીએમમાંથી રૂ.ચાર હજાર ઉપાડ્યા હતા. જેમાં રૂ.પ૦૦ની સાત અને રૂ.૧૦૦ની પાંચ નોટ નીકળી હતી. જે પૈસા લઇને ઘરે પહોંચ્યા હતા. માલૂમ પડ્યું કે રૂ.૧૦૦ની નોટ એકતરફ બિલકુલ કોરી છે, ત્યારબાદ રવિવાર અને રક્ષાબંધનનો પર્વ હોવાથી સોમ-મંગળ કોલેજમાં રજા હોવાથી અમે બહારગામ ગયા હતા. બુધવારે બેંક ઓફ બરોડાની વિદ્યાનગર બ્રાન્ચના મેનેજર મનને કોરી નીકળેલી નોટ વિશે જણાવીને બદલી આપવા જણાવ્યું હતું તેમ જ રૂ.૧૦૦ની પાંચ નોટ પણ એક સિરીઝની છે.
આણંદ : સૂરજદાદાની સંતાકૂકડી અને શ્રાવણના સરવલાની મોસમ
આણંદ જિલ્લામાં આગાહી સપ્તાહમાં હળવો વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આણંદ, વિદ્યાનગર, આંકલાવ અને બોરસદમાં રાત્રિના ઝરમર વરસાદ વરસ્યો હતો. જ્યારે ખંભાતમાં પ મીમી વરસાદ પડયો હતો. પેટલાદ, સોજિત્રા અને ઉમરેઠ તાલુકા કોરાધાકોર રહ્યા હતા.ભારત મોસમ વિજ્ઞાન વિભાગ અને આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી સપ્તાહમાં ર૮ મીમી વરસાદ થવાનો વર્તારો કરવામાં આવ્યો છે. જેમાં તા. ર૩મી ઓગસ્ટના રોજ ૪ મીમી, તા. ર૬ અને ર૭મીના રોજ ૩ મીમી, તા. ર૮મીના રોજ પ મીમી અને તા. ર૯મીના રોજ ૮ મીમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત છે.આ દરમિયાન મહત્તમ તાપમાન ર૯ થી ૩૨ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન રપ થી ર૭ ડિગ્રી રહેશે. આણંદ જિલ્લા ફલડ કન્ટ્રોલ વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે સવારના ત્રણ કલાકે ઝરમર વરસાદ વરસી બંધ થઈ ગયો હતો. અન્ય વિસ્તારમાં વરસાદે વિરામ રાખ્યો હતો. બુધવારે દિવસ દરમિયાન વાદળોની અવરજવર ચાલુ રહી હતી. જો કે તાપમાનનો પારો ઉંચો જવા સાથે ભેજનું પ્રમાણ ૯૮ ટકા હોવાથી વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અનુભવાઈ રહ્યો હતો.
બહેન પર નજર નાખનારને રક્ષાબંધનના પતાવી દીધો
રક્ષાબંધન તહેવારના દિને જ બહેનને બૂરી નજરથી જોનારા યુવાનને ભાઈએ ચોપરના વાર કરીને મોતને ઘાટ ઉતારી મૂક્યો હતો અને તેના અન્ય ત્રણ સાથી ઉપર પણ ચોપરના વાર કરીને તેમને ગંભીર રૂપે ઘાયલ કર્યા હતા.દહીસર પશ્ચિમ સ્થિત જગન્નાથ કોમ્પ્લેકસ વિસ્તારમાં આવેલી શિવમ હાઉસિંગ સોસાયટીની નજીક આ ઘટના બની હતી. એમએચબી પોલીસે હત્યારા હેમંત રાઝમ દેશપાંડેની ધરપકડ કરી હતી. દહીસરના કાંદરપાડા વિસ્તારમાં આવેલા જગન્નાથ કોમ્પ્લેકસમાં રહેતા હેમંતે મંગળવારે જનક ચમણ સાવડિયા ઉપર ચોપરના અનેક વાર કરીને તેને મોતને ઘાટ ઉતારી મૂક્યો હતો.મંતે જનકના સાથીદારો જિતેન્દ્ર લાડ, નરેશ ખેડેકર અને મનોજ માને ઉપર પણ ચોપરના વાર કર્યા હતા. હેમંતની ધરપકડ કરીને તેની ઉપર હત્યા અને હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે
વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી યુવાનને ધોકાવ્યો
નવા થોરાળા, કસ્તુરબા વાલ્મીકીવાસ-૬મા રહેતા વિપુલ ડાયાભાઇ બાબરીયા નામના દલિત યુવાનને તેજ વિસ્તારના અશોક ચમન નારોલા અને કાંતી લક્ષ્મણ બારૈયાએ હોકી તેમજ લાકડી વડે ઢોરમાર મારતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.ઘવાયેલા યુવાને ઉપરોકત બંન્ને શખ્સો પાસેથી ૧૦ ટકાના વ્યાજે રૂ.૨પ હજાર લીધા હોય જેની ગત રાત્રે બંન્ને વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી માર માર્યો હતો અને જતા જતા જો તે વ્યાજ સહિત પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. થોરાળા પોલીસે દલિત યુવાનની ફરિયાદ પરથી બંન્ને વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો હતો અને તાત્કાલીક બેય આરોપીને ઝડપી લઇ ધરપકડ કરી હતી.
શ્રાવણિયા જુગારના ત્રણ દરોડા: ૩૨ જુગારી ઝડપાયા
શહેરમા શરૂ થયેલી જુગારની મોસમમા પોલીસ વિલન બની ત્રાટકી રહી છે. ત્યારે જુદા જુદા વધુ ત્રણ સ્થળે દરોડા પાડી ૩૨ પત્તાપ્રેમીઓને રૂ.૧.૩૬ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.જુગારનો પ્રથમ દરોડો એ ડિવીઝન પોલીસે ગત મોડી રાત્રે તીલક પ્લોટ-૨મા અનિલ રાણાભાઇ અઘેરાના મકાનમા પાડયો હતો. જયાંથી જુગાર રમતા ૧૪ શખ્સોને રોકડા રૂ.૨૭,૧૧૦ તેમજ બે બાઇક મળી કુલ રૂ.૬પ,૬૧૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જો કે મકાન માલીક અનિલ પોલીસને જોઇ નાસી છુટવામા સફળ રહ્યો હતો.બીજો દરોડો ગુરૂપ્રસાદ ચોક નજીક આવેલા રાજ યોગી ટાવરના ફલેટ નં ૩૦૩મા રહેતા મનીષ નટવરલાલ કથરેચાને ત્યાં પાડ્યો હતો. પોલીસે મકાનમાલીક સહિત ૧૨ શખ્સોને ઝડપી લીધા હતા. જુગારના પટમાથી રૂ.૨૬,પ૯૦ રોકડા, બાર મોબાઇલ મળી કુલ ૬૪,૨૯૦નો મુદામાલ જપ્ત કર્યો હતો.જ્યારે ત્રિજો દરોડામા અટીકા સાઉથમા જાહેરમા તીનપતીનો જુગાર રમતા છ શખ્સોને રૂ.૬,૧પ૦ની રોકડ સાથે ક્રાઇમબ્રાંચે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
હવે ભારતે જાપાનને પછાડ્યું
ભારતનો વિકાસ પૂરજોશમાં પાટા પર દોડી રહ્યો છે. આ ક્રમમાં ભારત દુનિયાની મોટી તાકાતોને પણ પાછળ છોડી રહ્યું છે. આ વખતે જાપાનનો વારો છે. ક્રૂડ તેલની માંગના મામલામાં જાપાનને પાછળ છોડી દીધું છે. 2010ના પૂર્વાર્ધના આંકડા પ્રમાણે એપ્રિલ-જૂનમાં ભારતમાં દરરોજ 31 લાખ બેરલ તેલની માંગ રહી જ્યારે જાપાનમાં તેની સરખામણીમાં 30 લાખ બેરલ જ રહી. ચીન આ બંને દેશો કરતાં ઘણું આગળ રહ્યું છે. તેની માંગ ભારતથી ત્રણ ગણી રહી.એશિયામાં સૌથી વધુ તેલનો વપરાશ ચીનમાં છે. એક્સપોટર્સનું કહેવું છે કે ભારતની તેલની માંગ વધતી જ જશે. પરંતુ તેની ચેતવણી છે કે ભારતે તેના તેલનો સાચો ઉપયોગ કરવા અંગે વિચારવું જોઇએ. માંગ-પુરવઠાની સરખામણી બનાવી રાખવી જરૂરી છે. તેના વગર કિંમતોમાં ભારે વોલેટાલિટી ઝીલવી મુશ્કેલ થશે. દેશમાં વસતીના હિસાબથી પણ અહિં તેલનો વપરાશ બહુ ઓછો છે. આથી અહિં હજુ તેલનો વપરાશ અને માંગ વધશે.ભારતમાં તેલ અને ગેસની વધતી માંગને જોતા એસ્સાર અને રિલાયન્સ જેવી મોટી કંપનીઓ પોતાની ઉત્પાદન ક્ષમતના વિસ્તારની તૈયારીમાં છે. એસ્સાર એનર્જી એક નવી રિફાઇનરી પણ લગાવી રહ્યું છે જે એક વર્ષમાં ચાલુ પણ થઇ જશે. ભારત જો કે ક્રૂડ તેલનો બહુ મોટો ખરીદદાર છે પરંતુ સાથો સાથ તે તેલ પ્રોડક્ટનો મોટો નિકાસકાર પણ છે.
વડાપ્રધાન મનમોહન સિંહે રક્ષાબંધન ઉજવી
વડાપ્રધાન મનમોહન સિંહે રક્ષાબંધનની ઉજવણી કરી છે. વહેલી સવારે વડાપ્રધાન નિવાસે બાળકો અને મહીલાઓએ વડાપ્રધાન મનમોહન સિંહને રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધવા માટે કતાર લગાવી હતી. વડાપ્રધાન મનમોહન સિંહે ભાઈ-બહેનના પવિત્ર તહેવાર નિમિત્તે દેશને શુભકામાનાઓ પાઠવી છે.
રૂ. 1700માં નોકિયા ડ્યૂઅલ સિમ
જો તમે પણ ડ્યૂઅસ સિમ મોબાઇલ ફોન ખરિદવાનુ વિચારી રહ્યાં છો તો થોડા દિવસ રુકી જાવ. કેમકે આવનારા દિવસોમાં નોકિયાનો ડ્યૂઅલ સિમ મોબાઇલ સસ્તા ભાવે બજારમાં તમારા માટે ઉપલબ્ધ કરી દેવામાં આવશે. ફિનલેન્ડની ખ્યાતનામ મોબાઇલ બનાવનાર કંપની નોકિયા થોડાજ સમયમાં ભારતમાં પોતાના બે એન્ટ્રી લેવલ ડ્યૂઅલ સિમ મોબાઇલ લૉન્ચ કરવા જઇ રહી છે.સૂત્રોના જણાવ્યાનુસાર આ મોબાઇલ દિવાળી પહેલાજ ભારતના બજારોમાં લૉન્ચ કરી દેવામાં આવશે. જણાવામા આવ્યુ છે કે આ બન્ને મોબાઇલમાં એફએમ રેડિઓ, એલઈડી ટોર્ચ, વીજીએ કેમેરો અને 1 હજાર નંબર સ્ટોર થનારા ફોનબુક જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. આની સાથે જ આ બન્ને મોબાઇલમાં નોકિયા લાઇફ ટૂલ પણ ઉપલબ્ધ હશે, જેના દ્વારા ફોન પર જ હેલ્થ ટિપ્સ, અનાજના ભાવ અને મનોરંજન સાથે જોડાયેલા સમાચાર તમને મળતા રહેશે.અત્યારે કંપની ડ્યૂઅલ સિમ મોબાઇલ ફોનના બે મૉડલ ભારતીય બજારમાં ઉતારી રહી છે. આ મૉડલ્સ છે સી-1 અને સી-2. માનવામાં આવી રહ્યુ છે કે સી-1ની કિંમત 1700 રૂપીયા આસપાસ હશે, અને સી-2ની કિંમત લગભગ 2500 રૂપીયા આસપાસ હશે.
ગીથા જોહરી આજે સીબીઆઇ સમક્ષ હાજર થશે
રાજકોટ પોલીસ કમિશનર એડીજી ગીથા જોહરી આખરે આવતીકાલે ગુરુવારે સવારે સીબીઆઇ સમક્ષ હાજર થવાનાં છે. તેમણે સીબીઆઇના અધિકારીને પોતે હાજર રહેવા હોવાની જાણ કરી દીધી છે. સીબીઆઇએ ગીથા જોહરી સાથે સીઆઇડી ક્રાઈમના પૂર્વ વડા ઓ.પી.માથુરને પણ હાજર રહેવા માટે જણાવ્યું હતું, પરંતુ આવતીકાલે ગીથા જોહરી એકલાં જ આવવાનાં હોવાનું જાણવા મળ્યું છે. જોકે ૨૭મીએ ઓ.પી. માથુરની પુછપરછ થાય તેવી શક્યતા છે.સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર પ્રકરણમાં સીબીઆઇએ અમિત શાહની બે દિવસ પૂછપરછ કર્યા બાદ ઓ.પી.માથુરની પૂછપરછ કરી હતી. સીઆઇડી ક્રાઇમના પૂર્વ વડા અને રક્ષાશક્તિ યુનિવર્સિટીના ડાયરેક્ટર ઓ.પી. માથુરે ગીથા જોહરી પર એન્કાઉન્ટરની તપાસનો દોષનો ટોપલો નાખી દીધો હતો. આથી સીબીઆઇએ ગીથા જોહરી અને ઓ.પી.માથુરની સંયુક્ત પૂછપરછ કરવાનો નિર્ણય લીધો હતો.ગઇ ૭મી ઓગસ્ટે ગીથા જોહરી વિદેશથી આવી ગયાં હતાં અને ૧૦મી ઓગસ્ટના રોજ સીબીઆઇ સમક્ષ હાજર રહેવાનાં હતાં. પરંતુ રાજકોટમાં રાજ્યકક્ષાની સ્વાતંત્રય દિનની ઉજવણી હોવાથી ૧૭મી ઓગસ્ટે હાજર રહેવા મુદત માગી હતી.પરંતુ સીબીઆઇ સમક્ષ હાજર થવાને બદલે ગીથા જોહરી માંદગીની લાંબી રજા પર ઊતરી ગયાં હતાં. સીબીઆઇએ બે વખત ગીથા જોહરીને હાજર થવા જણાવ્યું હતું. પરંતુ બંને વખત ગીથા જોહરી હાજર થયા ન હતાં. બે વખત મુદત પડ્યા બાદ ગીથા જોહરીએ સીબીઆઇને સામેથી આવતીકાલે ગુરુવારે સવારે હાજર થશે તેવી જાણ કરી દીધી છે. સીબીઆઇને ગીથા જોહરીની સાથે ઓ.પી.માથુરની પણ પૂછપરછ કરવી છે. જોકે ગીથા જોહરી એકલા જ હાજર થવાનાં છે.
બિરલા-અંબાણીને સલાહ આપો ફાઇનાન્શિયલ પ્લાનર બનો
ભારત આજે વૈશ્વિક આર્થિક સ્તરે બહુ મોખરાના દેશોની હરોળમાં છે. સેલરીડ કલાસ હોય કે બિઝનેસમેન ભારતમાં ‘પૈસાવાળા’ઓની વસ્તીમાં વધારો થઇ રહ્યો છે. સામાન્ય માન્યતા એવી છે કે પૈસા હોય એને કંઇ કોઇની જરૂર ના પડે, પણ અહીં જ તમે થાપ ખાવ છો. એક વ્યક્તિ છે જેની સહાય લેવાનું હાલમાં ઉભરેલા તવંગર-હાયર કલાસને માટે બહુ જ જરૂરી છે. અંબાણી હોય કે તાતા કે પછી મહાકાય મલ્ટિનેશનલ બેંક હોય અથવા તો વર્ષે દસ લાખથી માંડીને પંદર લાખ કમાનારા ઉચ્ચ મધ્યમવર્ગના લોકો હોય, તેમને માટે એક વ્યક્તિની સલાહ હંમેશા અમૂલ્ય હોય છે.વધારે સસ્પેન્સ ના રાખતાં આ વ્યક્તિ વિષે જાણીયે, એ છે ‘ફાઇનાન્શિયલ પ્લાનર- વેલ્થ મેનેજર’. યેસ, આ એક એવી વ્યક્તિ છે જેની સલાહ પર કેટલાય શેર્સનું ટ્રેડિઁગ થઇ જાય અથવા ડિપોઝીટથી માંડીને મ્યુચ્યઅલ ફંડ કે એસઆઇપીમાં પૈસાનું રોકાણ થઇ જાય. ફાઇનાન્સિયલ પ્રોડ્કટ સેલ્સના મુખ્ય ટાઇટલ હેઠળનાં પેટા ટાઇટલ્સમાં ફાઇનાન્સિયલ પ્લાનર, ફાઇનાન્સિયલ એડવાઇઝર કે પર્સનલ ફાઇનાન્સિયલ કન્સલટન્ટના જોબ ટાઇટલ્સનો સમાવેશ થાય છે.
પાલારા જેલમાં કેદીઓને ભાગવા માટે મોકળું મેદાન !
કચ્છ જિલ્લાની પાલારા ખાસ જેલમાં મુખ્ય હોદ્દાઓની મોટા ભાગની જગ્યાઓ છેલ્લા કેટલાક સમયથી ખાલી રહેવાથી જેલનો વહીવટ ચલાવવો મુશ્કેલ બન્યો છે. સરેરાશ જ્યાં ૪૫૦થી વધુ કેદીઓને સમાવવામાં આવે છે એવી આ જેલમાં પચાસથી વધુ જગ્યાઓ હાલ ખાલી છે.એવી પરિસ્થિતિમાં કેદીઓ છટકબારી શોધીને નાસી છુટે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.જેલના અધિક્ષક એસ.આર. રબારીએ આ વિશે જણાવ્યું કે, જેલના સ્ટાફની ઘણી બધી જગ્યાઓ ખાલી હોવાથી વહીવટી કાર્ય મુશ્કેલ બન્યું છે. ખાસ જેલ બની ત્યારથી એક જેલરની જગ્યા ખાલી છે, તેથી નિવૃત્ત પોલીસ અધિકારીઓ પાસેથી પણ સેવા લેવામાં આવે છે.પરંતુ એ અપૂરતું રહે છે. ઉપરાંત ખાલી જગ્યાઓ પૂરવા કામ ચલાઉ ધોરણે બોર્ડર વિંગના દસ અને જીઆઇએસએફના વીસ જવાનો રાખવામાં આવ્યા છે. સ્ટાફ અંગે ઉપરી અધિકારીને પૂરતા કર્મચારીઓની માગણી કરવામાં આવી છે. જેલના કેદીઓ માટે અવાર-નવાર મનોરંજક તેમજ સંસ્કારી કાર્યક્રમોનું આયોજન કરવા તંત્ર પગલાં લે છે, જ્યારે બીજીતરફ સ્ટાફમાં ઘણી બધી જગ્યાઓ ખાલી હોવાથી વ્યવસ્થા સંભાળવી ભારે મુશ્કેલ બની છે.છેલ્લા કેટલાક સમયથી બે જેલરોની જવાબદારીનો ભાર માત્ર એક જેલર સંભાળી રહ્યા છે. જેલ અધ્યક્ષના કહ્યા મુજબ જેલના મેન્યુઅલ ન જાણતા જે કર્મચારીઓ પાસેથી સેવા લેવામાં આવે છે, એના લીધે પણ અપેક્ષિત કામગીરી થતી નથી.જેલના સંચાલન માટે ખાસ ભરતી કરવામાં આવતી હોય છે, ત્યારે એ સિવાયના ક્ષેત્રો માંથી આવતા કર્મચારી જેલ વ્યવસ્થા જાળવવામાં પૂરેપૂરા સફળ ન થાય એ પાલારા જેલ પાસે વિશાળ જગ્યા છે અને મુખ્ય સગવડો અહીં ઉપલબ્ધ છે. સાથે સાથે ૪૮૦ પુરુષો અને ૪૦ મહિલા કેદી સમાઇ શકે એવી ક્ષમતા છે, ત્યારે માત્ર સ્ટાફમાં રહેલી ખાલી જગ્યાઓની જ કમી ઉડીને આંખે વળગે છે.
તપોભૂમિ તરભના આંગણે આજે શિવધામનું ભૂમિપૂજન
૯૦૦ વર્ષ પૂર્વે વિસનગર તાલુકાના તરભ ગામમાં રબારી સમાજની ગુરૂ ગાદી શ્રી વાળીનાથજી અખાડાની પ્રથમ મહંત વિરમગીરીજી મહારાજે સ્થાપના કરી હતી. ગુરૂવારે તરભની પાવન તપોભૂમિમાં આવેલ શ્રી વાળીનાથજી મંદિરના પુન: નિર્માણનો ભૂમિપૂજન સમારંભ વર્તમાન ગાદીપતિ મહંત બળદેવગીરી મહારાજના હસ્તે કરાશે. તરભમાં નવીન આકાર લઇ રહેલ આ શિવધામના ભૂમિપૂજનની તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. આ ધર્મ અવસરમાં ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર, કચ્છના રબારી સમાજના ૫૦,૦૦૦થી વધુ ગુરુભક્તો માટે પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે.વિસનગર તાલુકાના તરભ ગામમાં રબારી સમાજની ગુરૂગાદી એવી શ્રી વાળીનાથ અખાડાનું મંદિર આવેલ છે. ૯૦૦ વર્ષ પૂર્વે આ જગ્યાના પ્રથમ મહંત વિરમગીરી મહારાજે આ પાવનભુમિમાં ગુરૂગાદીની સ્થાપના કરી હતી. જે ગાદી રબારી સમાજના લોકો માટે વંદનીય છે. અહી ગુરૂપૂર્ણિમાના દિવસેે રબારી સમાજ મોટી સંખ્યામાં દર્શને ઉમટી પડે છે તેવા આ પ્રાચીન સ્થાનકમાં ૭૦ વર્ષથી પ.પૂ.ધ.ધૂ.શ્રી ૧૦૦૮મહંત બળદેવગીરી બાપુ ગુરૂગાદી શોભાવે છે. ધર્મ સાથે શિક્ષણને જોડાયાનું કામ કરનાર મહંત બળદેવગીરી બાપુએ આવનાર પેઢીઓ માટે આ સ્થળ દિવ્ય અને ઐતિહાસિક વારસો બની રહે તે હેતુથી મંદિરના પુન: નિર્માણ માટેની ટહેલ કરતાં રબારી સમાજે તેને વધાવી લીધી છે અને ગુરૂવારે તરભની આ પવિત્ર ભૂમિમાં ૨૦૦ સંતો-મહંતોની ઉપસ્થિતિમાં મહંત બળદેવગીરીજી બાપુના હસ્તે શિવધામનું ભૂમપિૂજન વિધિ કરાશે. હાલ સમગ્ર રબારી સમાજ તેમની ગુરૂગાદીના નવિનર્માણમાં કાર્યરત છે આ યાદગાર પ્રસંગને સફળ બનાવવા અને ભૂમિપૂજન વિધિ માટે તરભ વાળીનાથ અખાડા ખાતે તમામ તૈયારી આ અવસરની પૂર્વસંધ્યાએ બુધવારે પૂર્ણ કરી દેવાઇ છે. આ ધર્મઅવસરમાં આવનાર ગુરૂભક્તો માટે વિશાળ શમિયાણો બાંધવામાં આવ્યો છે તેમજ ૫૦હજારથી વધુ ગુરૂભક્તો માટે પ્રસાદીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.ધર્મ સાથે શિક્ષણના સમન્વયનો હેતુછેલ્લાં ૭૦ વર્ષથી તરભની આ ગુરુગાદી શોભાવી રહેલા પ.પૂ.ધ.ધૂ. શ્રી બળદેવગીરી બાપુ આ ધર્મઅવસરનો હેતુ સમજાવતાં કહે છે કે, ‘‘રબારી સમાજમાં ધર્મની સાથે શિક્ષણનો વ્યાપ વધે અને સમગ્ર સમાજ આ બંનેના સમન્વયથી પ્રગતિ સાધે.’’વાળીનાથના ઈતિહાસમાં ઉજવાયેલા મહોત્સવ.પૂ. મહંતશ્રી સુરજિગરિજી ગુરૂશ્રી હરિગિરિજી મહારાજ તથા પૂ.કોઠારી શ્રી રણછોડગિરિજી ગુરૂશ્રી દેવગિરિજી તથા સૌ સંતોના પ્રયત્નથી ૨૬ એપ્રિલ ૧૯૩૯ના રોજ અખાડા ખાતે હર્ષ-ઉલટના મેળો તેમજ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારપછીમહંત બળદેવગિરિજી ગુરૂશ્રી સૂરજિગરિજી મહારાજ તથા પૂ. કોઠારીશ્રી ગોવિંદગિરિજી સહિત સંતો દ્વારા ૨૨માર્ચ ૧૯૯૩ થી ૨૪ માર્ચ ૧૯૯૩ દરમ્યાન ભવ્ય મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં પ્રવેશદ્વારનો ઉદ્ઘાટન, વાળીનાથ મંદિરે સુવર્ણ શિખર પ્રતિષ્ઠા, પૂ. મહંત શ્રી બળદેવગિરિજી બાપુની રજતતુલા સહિત મહારૂદ્ર યજ્ઞ જેવા કાર્યક્રમો ઉજવાયા હતા. ૧૬ જૂન ૨૦૦૭ના રોજ મહંત બળદેવગિરિજી બાપુનો અમૃત મહોત્સવ અને તેમની રજતતુલા ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે શૈક્ષણિક ભંડોળ માટે શિક્ષણરથની પૂજા પણ કરવામાં આવી હતી.વાળીનાથ અખાડાના ૯૦૦ વર્ષના સુધીના ગુરુગાદી પતિપૂ. વિરમગિરિ બાપુના નિમાર્ણ પછી શ્રી વાળીનાથજીની જગ્યામાં મહંત-આચાર્ય પરંપરા શરૂ થઇ. આ મહંતોએ હંમેશાં સંસ્થા દ્વારા સેવકોમાં ધાર્મિક સંસ્કારોની જાગૃતિ માટે પ્રયત્નો કર્યા છે. જેમાં પ્રથમ મહંત વિરમગિરિ, બીજા પ્રેમગિરિજી, ત્રીજા સંતોકગિરિજી, ચોથા ગુલાબિગરિજી, પાંચમા નાથાગિરિજી, છઠ્ઠા જગમાલગિરિજી, સાતમા શંભુગિરિજી, આઠમા ભગવાનગિરિજી, નવમા મોતીગિરિજી, દસમા કેશવગિરીજી, અગિયારમા હરિગિરિજી, બારમા સૂરજિગરિજી અને બળદેવગિરીજી હાલ આચાર્ય પરંપરા નિભાવી રહ્યા છે.
ઊંઝામાં ક્રિકેટ સટ્ટાધામ : પાંચ ઝડપાયા
શ્રીલંકા ખાતે બુધવારે રમાઈ રહેલ ન્યુઝિલેન્ડ-ભારત વચ્ેચની વન-ડે મેચ પર ઊંઝા ખાતે શાકુન્તલ ફ્લેટમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમાડાતો હોવાની પૂર્વ બાતમીને આધારે મહેસાણા એલસીબી શાખાએ ઓચિંતી રેડ રોકડ રૂ. ૧૬,૮૦૦, ૧૭ મોબાઈલ, લેપટોપ, ટીવી મળી કુલ રૂ. ૮૯,૨૦૫ના મુદ્દામાલ સાથે પાંચ શખ્સને ઝડપી લીધા હતા. આ અંગે ઊંઝા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.શ્રીલંકા ખાતે બુધવારે ભારત-ન્યુઝિલેન્ડ વચ્ચે રમાઈ રહેલ ત્રિકોણીય વન-ડે મેચ પર ઊંઝાના શાકુન્તલ ફ્લેટમાં એ/૧૧માં કેટલાક વ્યક્તિઓ ક્રિકેટ સટ્ટો રમી રહ્યો હોવાની બાતમી મહેસાણા એલસીબી પી.આઈ શક્તિસિંહ પરમારને મળી હતી. જે અનુસંધાને બપોરે આશરે સવા પાંચ વાગ્યાના અરસામાં પોલીસે સ્થાનિક પોલીસને સાથે રાખીને ઉપરોકત ફ્લેટમાં ચાલી રહેલા સટ્ટાધામ પર ઓચિંતી રેડ કરી હતી. પોલીસ રેડ દરમિયાન બનાવ સ્થળે ઊંઝાના અલ્પેશ રામજીભાઈ પટેલ, પિયુશ જયંતભિાઈ પટેલ, ચેતન કાશીરામ પટેલ, આકાશ અલ્કેશભાઈ પટેલને રોકડ રૂ. ૧૬,૮૦૦, ૧૭ મોબાઈલ, લેપટોપ, ટીવી મળી કુલ રૂ. ૮૯,૨૦૫ના મુદામાલ સાથે ઝડપ્યા હતા. ઝડપાયેલા તમામ શખ્સોને ઊંઝા પોલીસને સોંપ્યા બાદ તમામની વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.ઊંઝાનો પિયુષ પટેલ કાકાના ફ્લેટમાં સટ્ટાધામ ચલાવતો હોવાનું પોલીસ રેડ દરમિયાન ખુલ્યું છે ત્યારે મહેસાણા એલસીબીએ કરેલી આ રેડને પગલે ઘટના સ્થળે કુતૂહલવશ ટોળા જામ્યા હતા. જો કે, ફ્લેટમાં સટ્ટાધામ ચાલતું હોવા છતાં પડોશીઓ આ બાબતે અજાણ હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
૨૭મીએ જિ.પં.ની છેલ્લી સાધારણ સભા
જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોમાં આગામી ગણત્રીના દિવસોમાં ચૂંટણી જાહેર કરવામાં આવે એવા ભણકારા વાગી રહ્યા છે ત્યારે આગામી ૨૭મી આગસ્ટે જિલ્લા પંચાયતની છેલ્લી સાધારણ સભા મળનાર છે. જેમાં બાકી રહી ગયેલા કામો પૂર્ણ કરવા સદસ્યો વ્યસ્ત બન્યા છે.જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ટર્મ પૂર્ણ થતાં આગામી ગણત્રીના દિવસોમાં ચૂંટણી જાહેર કરવામાં આવે એવી વકી સેવાઇ રહી છે ત્યારે વિકાસ કામો પૂર્ણ કરવા માટે વર્તમાન સત્તાધીશો દ્વારા મથામણ કરવામાં આવી રહી છે. આગામી ૨૭મી આગસ્ટને શુક્રવારના રોજ જિલ્લા પંચાયત હોલ ખાતે જિલ્લા પંચાયતની સાધારણ સભા મળનાર છે. જે જિલ્લા પંચાયત પ્રમુખ રમણભાઇ પટેલના નેતૃત્વવાળી વર્તમાન બોડીની છેલ્લી સભા હશે.આ છેલ્લી સભામાં પોતાના વિસ્તારના વિકાસ કામોની મંજુરી માટે સદસ્યો દોડાદોડી કરી રહ્યા છે. સાથોસાથ એજન્ડામાં લેવાયા ન હોય એવા કામોને પ્રમુખ સ્થાનેથી રજુ કરાવવા માટે પણ સદસ્યો પોતાનું બળ લગાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત સોમવારે જિ.પંચાયતની કારોબારીની બેઠક મળી હતી. દરમિયાન આગામી ટૂંકગાળામાં જાહેર થનારી આ ચૂંટણીના અનુસંધાને રાજકીય પક્ષોમાં તૈયારીનો ધમધમાટ પણ શરૂ કરી દેવાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ATMમાં ૧૦૦ની નોટ એકતરફ કોરી મળી!
વલ્લભવિદ્યાનગરમાં બેંક ઓફ બરોડાના એટીએમમાંથી રૂ.૧૦૦ની ચલણી નોટ એક તરફ બિલકુલ કોરી નીકળતાં ગ્રાહક મૂંઝવણમાં મુકાઈ ગયો હતો અને આ અંગે વિદ્યાનગર બ્રાન્ચમાં રજૂઆત કરતાં મેનેજરે ચલણી નોટ બદલી આપવાના બદલે ઉદ્ધત વર્તન કહ્યું હોવાની ગ્રાહકે બેંક ઓફ બરોડાના ઉચ્ચ અધિકારીને રજૂઆત કરી છે.આણંદ પીપલ્સ મેડીકેર સોસાયટી સંચાલિત કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતાં રાજેન્દ્રરભાઈ ગોહેલે જણાવ્યું હતું કે ‘‘૨૧મી ઓગસ્ટના રોજ સવારના ૧૧ કલાકે વિદ્યાનગરમાં નલિની કોલેજ સામે આવેલા એટીએમમાંથી રૂ.ચાર હજાર ઉપાડ્યા હતા. જેમાં રૂ.પ૦૦ની સાત અને રૂ.૧૦૦ની પાંચ નોટ નીકળી હતી. જે પૈસા લઇને ઘરે પહોંચ્યા હતા. માલૂમ પડ્યું કે રૂ.૧૦૦ની નોટ એકતરફ બિલકુલ કોરી છે, ત્યારબાદ રવિવાર અને રક્ષાબંધનનો પર્વ હોવાથી સોમ-મંગળ કોલેજમાં રજા હોવાથી અમે બહારગામ ગયા હતા. બુધવારે બેંક ઓફ બરોડાની વિદ્યાનગર બ્રાન્ચના મેનેજર મનને કોરી નીકળેલી નોટ વિશે જણાવીને બદલી આપવા જણાવ્યું હતું તેમ જ રૂ.૧૦૦ની પાંચ નોટ પણ એક સિરીઝની છે.
આણંદ : સૂરજદાદાની સંતાકૂકડી અને શ્રાવણના સરવલાની મોસમ
આણંદ જિલ્લામાં આગાહી સપ્તાહમાં હળવો વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આણંદ, વિદ્યાનગર, આંકલાવ અને બોરસદમાં રાત્રિના ઝરમર વરસાદ વરસ્યો હતો. જ્યારે ખંભાતમાં પ મીમી વરસાદ પડયો હતો. પેટલાદ, સોજિત્રા અને ઉમરેઠ તાલુકા કોરાધાકોર રહ્યા હતા.ભારત મોસમ વિજ્ઞાન વિભાગ અને આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી સપ્તાહમાં ર૮ મીમી વરસાદ થવાનો વર્તારો કરવામાં આવ્યો છે. જેમાં તા. ર૩મી ઓગસ્ટના રોજ ૪ મીમી, તા. ર૬ અને ર૭મીના રોજ ૩ મીમી, તા. ર૮મીના રોજ પ મીમી અને તા. ર૯મીના રોજ ૮ મીમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત છે.આ દરમિયાન મહત્તમ તાપમાન ર૯ થી ૩૨ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન રપ થી ર૭ ડિગ્રી રહેશે. આણંદ જિલ્લા ફલડ કન્ટ્રોલ વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે સવારના ત્રણ કલાકે ઝરમર વરસાદ વરસી બંધ થઈ ગયો હતો. અન્ય વિસ્તારમાં વરસાદે વિરામ રાખ્યો હતો. બુધવારે દિવસ દરમિયાન વાદળોની અવરજવર ચાલુ રહી હતી. જો કે તાપમાનનો પારો ઉંચો જવા સાથે ભેજનું પ્રમાણ ૯૮ ટકા હોવાથી વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અનુભવાઈ રહ્યો હતો.
બહેન પર નજર નાખનારને રક્ષાબંધનના પતાવી દીધો
રક્ષાબંધન તહેવારના દિને જ બહેનને બૂરી નજરથી જોનારા યુવાનને ભાઈએ ચોપરના વાર કરીને મોતને ઘાટ ઉતારી મૂક્યો હતો અને તેના અન્ય ત્રણ સાથી ઉપર પણ ચોપરના વાર કરીને તેમને ગંભીર રૂપે ઘાયલ કર્યા હતા.દહીસર પશ્ચિમ સ્થિત જગન્નાથ કોમ્પ્લેકસ વિસ્તારમાં આવેલી શિવમ હાઉસિંગ સોસાયટીની નજીક આ ઘટના બની હતી. એમએચબી પોલીસે હત્યારા હેમંત રાઝમ દેશપાંડેની ધરપકડ કરી હતી. દહીસરના કાંદરપાડા વિસ્તારમાં આવેલા જગન્નાથ કોમ્પ્લેકસમાં રહેતા હેમંતે મંગળવારે જનક ચમણ સાવડિયા ઉપર ચોપરના અનેક વાર કરીને તેને મોતને ઘાટ ઉતારી મૂક્યો હતો.મંતે જનકના સાથીદારો જિતેન્દ્ર લાડ, નરેશ ખેડેકર અને મનોજ માને ઉપર પણ ચોપરના વાર કર્યા હતા. હેમંતની ધરપકડ કરીને તેની ઉપર હત્યા અને હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે
વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી યુવાનને ધોકાવ્યો
નવા થોરાળા, કસ્તુરબા વાલ્મીકીવાસ-૬મા રહેતા વિપુલ ડાયાભાઇ બાબરીયા નામના દલિત યુવાનને તેજ વિસ્તારના અશોક ચમન નારોલા અને કાંતી લક્ષ્મણ બારૈયાએ હોકી તેમજ લાકડી વડે ઢોરમાર મારતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.ઘવાયેલા યુવાને ઉપરોકત બંન્ને શખ્સો પાસેથી ૧૦ ટકાના વ્યાજે રૂ.૨પ હજાર લીધા હોય જેની ગત રાત્રે બંન્ને વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી માર માર્યો હતો અને જતા જતા જો તે વ્યાજ સહિત પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. થોરાળા પોલીસે દલિત યુવાનની ફરિયાદ પરથી બંન્ને વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો હતો અને તાત્કાલીક બેય આરોપીને ઝડપી લઇ ધરપકડ કરી હતી.
શ્રાવણિયા જુગારના ત્રણ દરોડા: ૩૨ જુગારી ઝડપાયા
શહેરમા શરૂ થયેલી જુગારની મોસમમા પોલીસ વિલન બની ત્રાટકી રહી છે. ત્યારે જુદા જુદા વધુ ત્રણ સ્થળે દરોડા પાડી ૩૨ પત્તાપ્રેમીઓને રૂ.૧.૩૬ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.જુગારનો પ્રથમ દરોડો એ ડિવીઝન પોલીસે ગત મોડી રાત્રે તીલક પ્લોટ-૨મા અનિલ રાણાભાઇ અઘેરાના મકાનમા પાડયો હતો. જયાંથી જુગાર રમતા ૧૪ શખ્સોને રોકડા રૂ.૨૭,૧૧૦ તેમજ બે બાઇક મળી કુલ રૂ.૬પ,૬૧૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જો કે મકાન માલીક અનિલ પોલીસને જોઇ નાસી છુટવામા સફળ રહ્યો હતો.બીજો દરોડો ગુરૂપ્રસાદ ચોક નજીક આવેલા રાજ યોગી ટાવરના ફલેટ નં ૩૦૩મા રહેતા મનીષ નટવરલાલ કથરેચાને ત્યાં પાડ્યો હતો. પોલીસે મકાનમાલીક સહિત ૧૨ શખ્સોને ઝડપી લીધા હતા. જુગારના પટમાથી રૂ.૨૬,પ૯૦ રોકડા, બાર મોબાઇલ મળી કુલ ૬૪,૨૯૦નો મુદામાલ જપ્ત કર્યો હતો.જ્યારે ત્રિજો દરોડામા અટીકા સાઉથમા જાહેરમા તીનપતીનો જુગાર રમતા છ શખ્સોને રૂ.૬,૧પ૦ની રોકડ સાથે ક્રાઇમબ્રાંચે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
હવે ભારતે જાપાનને પછાડ્યું
ભારતનો વિકાસ પૂરજોશમાં પાટા પર દોડી રહ્યો છે. આ ક્રમમાં ભારત દુનિયાની મોટી તાકાતોને પણ પાછળ છોડી રહ્યું છે. આ વખતે જાપાનનો વારો છે. ક્રૂડ તેલની માંગના મામલામાં જાપાનને પાછળ છોડી દીધું છે. 2010ના પૂર્વાર્ધના આંકડા પ્રમાણે એપ્રિલ-જૂનમાં ભારતમાં દરરોજ 31 લાખ બેરલ તેલની માંગ રહી જ્યારે જાપાનમાં તેની સરખામણીમાં 30 લાખ બેરલ જ રહી. ચીન આ બંને દેશો કરતાં ઘણું આગળ રહ્યું છે. તેની માંગ ભારતથી ત્રણ ગણી રહી.એશિયામાં સૌથી વધુ તેલનો વપરાશ ચીનમાં છે. એક્સપોટર્સનું કહેવું છે કે ભારતની તેલની માંગ વધતી જ જશે. પરંતુ તેની ચેતવણી છે કે ભારતે તેના તેલનો સાચો ઉપયોગ કરવા અંગે વિચારવું જોઇએ. માંગ-પુરવઠાની સરખામણી બનાવી રાખવી જરૂરી છે. તેના વગર કિંમતોમાં ભારે વોલેટાલિટી ઝીલવી મુશ્કેલ થશે. દેશમાં વસતીના હિસાબથી પણ અહિં તેલનો વપરાશ બહુ ઓછો છે. આથી અહિં હજુ તેલનો વપરાશ અને માંગ વધશે.ભારતમાં તેલ અને ગેસની વધતી માંગને જોતા એસ્સાર અને રિલાયન્સ જેવી મોટી કંપનીઓ પોતાની ઉત્પાદન ક્ષમતના વિસ્તારની તૈયારીમાં છે. એસ્સાર એનર્જી એક નવી રિફાઇનરી પણ લગાવી રહ્યું છે જે એક વર્ષમાં ચાલુ પણ થઇ જશે. ભારત જો કે ક્રૂડ તેલનો બહુ મોટો ખરીદદાર છે પરંતુ સાથો સાથ તે તેલ પ્રોડક્ટનો મોટો નિકાસકાર પણ છે.
વડાપ્રધાન મનમોહન સિંહે રક્ષાબંધન ઉજવી
વડાપ્રધાન મનમોહન સિંહે રક્ષાબંધનની ઉજવણી કરી છે. વહેલી સવારે વડાપ્રધાન નિવાસે બાળકો અને મહીલાઓએ વડાપ્રધાન મનમોહન સિંહને રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધવા માટે કતાર લગાવી હતી. વડાપ્રધાન મનમોહન સિંહે ભાઈ-બહેનના પવિત્ર તહેવાર નિમિત્તે દેશને શુભકામાનાઓ પાઠવી છે.
રૂ. 1700માં નોકિયા ડ્યૂઅલ સિમ
જો તમે પણ ડ્યૂઅસ સિમ મોબાઇલ ફોન ખરિદવાનુ વિચારી રહ્યાં છો તો થોડા દિવસ રુકી જાવ. કેમકે આવનારા દિવસોમાં નોકિયાનો ડ્યૂઅલ સિમ મોબાઇલ સસ્તા ભાવે બજારમાં તમારા માટે ઉપલબ્ધ કરી દેવામાં આવશે. ફિનલેન્ડની ખ્યાતનામ મોબાઇલ બનાવનાર કંપની નોકિયા થોડાજ સમયમાં ભારતમાં પોતાના બે એન્ટ્રી લેવલ ડ્યૂઅલ સિમ મોબાઇલ લૉન્ચ કરવા જઇ રહી છે.સૂત્રોના જણાવ્યાનુસાર આ મોબાઇલ દિવાળી પહેલાજ ભારતના બજારોમાં લૉન્ચ કરી દેવામાં આવશે. જણાવામા આવ્યુ છે કે આ બન્ને મોબાઇલમાં એફએમ રેડિઓ, એલઈડી ટોર્ચ, વીજીએ કેમેરો અને 1 હજાર નંબર સ્ટોર થનારા ફોનબુક જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. આની સાથે જ આ બન્ને મોબાઇલમાં નોકિયા લાઇફ ટૂલ પણ ઉપલબ્ધ હશે, જેના દ્વારા ફોન પર જ હેલ્થ ટિપ્સ, અનાજના ભાવ અને મનોરંજન સાથે જોડાયેલા સમાચાર તમને મળતા રહેશે.અત્યારે કંપની ડ્યૂઅલ સિમ મોબાઇલ ફોનના બે મૉડલ ભારતીય બજારમાં ઉતારી રહી છે. આ મૉડલ્સ છે સી-1 અને સી-2. માનવામાં આવી રહ્યુ છે કે સી-1ની કિંમત 1700 રૂપીયા આસપાસ હશે, અને સી-2ની કિંમત લગભગ 2500 રૂપીયા આસપાસ હશે.
વિશ્વમાં ભારત-બાંગ્લાદેશ સીમાથી સૌથી વધારે ઘૂસણખોરી
visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
વિશ્વમાં ભારત-બાંગ્લાદેશ સીમાથી સૌથી વધારે ઘૂસણખોરી
વિશ્વ બેંકના એક અધિકારીએ દાવો કર્યો છે કે દુનિયામાં સૌથી વધારે ઘૂસણખોરી બાંગ્લાદેશ સાથે લાગેલી ભારતીય સરહદથી થાય છે.વિશ્વ બેંકની પ્રવાસી શાખાના વરિષ્ઠ અર્થશાસ્ત્રી દિલીપ રાઠાએ દાવો કર્યો છે કે બાંગ્લાદેશ સરહદે લગભગ 1.2 કરોડ લોકો ગેરકાયદેસર રીતે ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી ગયા છે. જો કે 2001ની વસ્તીગણતરીમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની સંખ્યા 30 લાખની દર્શાવાય છે. અહીં એક સંગોષ્ઠિને સંબોધિક કરતાં રાઠાએ કહ્યું હતું કે મેક્સિકો-અમેરીકાની સરહદ અને ભારત-બાંગ્લાદેશની સરહદે સૌથી વધારે ગેરકાયદેસર ઘૂસણખોરી થાય છે.તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની ગેરકાયદેસર ઘૂસણખોરીથી જ્યાં ઘૂસણખોરી થાય છે, તે દેશના લોકોનો હક માર્યો જાય છે. પરંતુ એ દેશ ફાયદામાં રહે છેકે જ્યાંથી લોકો અન્ય દેશમાં ઘૂસણખોરી કરે છે. રાઠાએ જણાવ્યું હતું કે આ લોકો પોતાના દેશમાં પરિવારજનોને ધન મોકલે છે, જેનાથી ત્યાંની અર્થવ્યવસ્થા ફલે-ફૂલે છે.
આખરે ક્યાં ગાયબ થઈ ગયા એ લોકો?
ઉત્તર-પશ્ચિમ અમેરિકાના વેરમાઉન્ટ સ્ટેટનો એક રહસ્યમય કિસ્સો સામે આવ્યો છે. વેરમાઉન્ટના બેનિંગ્ટનમાં 1920થી 1950ના સમયગાળામાં ઘણાં બધા લોકોના ગુમ થઈ જવાની ઘટનાઓ સામે આવી હતી. આમાંથી કોઈ પણ કેસ હજુ સુધી ઉકેલી શકાયો નથી. ન્યુ ઈંગ્લેન્ડના લેખક જોસેફ એ સિટોએ પોતાના એક રેડિયો કાર્યક્રમમાં આ રહસ્યને બેનિંગ્ટન ટ્રાયંગલ એવું નામ આપ્યું છે.અહીંના ગ્લાસ્ટેનબરી પહાડની આજુબાજુ આ લોકો ગાયબ થયા હોવાનું માનવામાં આવે છે. આ ક્ષેત્રનો વિસ્તાર ચોક્કસ નથી.1892માં એક મિલ કર્મચારી હેનરી મેક ડોવેલે દારૂના નશામાં પોતાના મિત્ર જિ ક્રાઉલેની હત્યા કરી નાખી હતી. આ માટે તેને ઉંમરકેદની સજા પણ સંભળાવવામાં આવી હતી, પણ પોલીસની પકડમાંથી ભાગી છૂટેલો હેનરી કદી પાછો જ ન આવ્યો.1945માં મિડી રિવર્સ નામનો એક વ્યક્તિ આ પહાડ પાસે પોતાના મિત્રો સાથે અહીં શિકાર કરવા આવ્યો હતો. મિત્રોથી અહીંના કોઇક વિસ્તારમાં છૂટા પડી ગયા બાદ તે પણ કદી પાછો ન આવ્યો. ત્યારબાદ તો દરેક વર્ષે સતત આવા કોઇને કોઇ કિસ્સા બનતા જ રહ્યા છે. 1946માં પાઉલા નામની એક 18 વર્ષીય યુવતી અહીં ફરવા આવી અને ગાયબ થઈ ગઈ. ત્યાર પછી દર વર્ષે અહીંયા કોઇને કોઈ લાપતા થાય છે, પણ શોધખોળ કરવા છતાં તેઓની કોઈ ભાળ મળતી નથી. અહીંયા લોકો ખોવાઈ જાય પછી પાછા શા માટે મળતા નથી તે રહસ્ય હજુ સુધી કોઈ શોધી શક્યું નથી. આ કારણે અહીંયા ઘણાં બધા લોકો આવતા પણ ડરી રહ્યા છે.
બોલિવૂડ: કોઇને છે એકલતા તો કોઇએ જમાવી છે જોડી
બોલિવૂડમાં અભિનેતા-અભિનેત્રીઓના સંબંધોને લઈને અનેક સવાલો કરવામાં આવે છે અને તેઓના સંબંધોનો અંત કેવો હશે તે બાબત જાણવાની લોકોને ઘણી જ ઉત્સુકતા હોય છે. આવા સમાચારો ચપોચપ વેચાઈ જતા હોય છે અને એમાંય જો કોઈ અભિનેત્રી જાહેરમાં રડવા લાગે તો પછી તો પૂછવું જ શું.શાહિદ કપૂર: શાહિદ કપૂરના સંબંધો સૌ પહેલા કરિના કપૂર હતા. કરિના સાથેના સંબંધોમાં શાહિદ ઘણો જ ગંભીર હતો. જો કે કરિના સાથેના સંબંધો તૂટ્યા પછી શાહિદનું નામ અનેક અભિનેત્રીઓ સાથે જોડાયું હતુ પરંતુ હાલમાં તો શાહિદ એકલો જ છે.દીપિકા પાદુકોણ: દીપિકા અને રણબિરના સંબંધોનો અંત આવી ગયો છે. દીપિકા અને સિદ્ધાર્થના સંબંધો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. દીપિકા તો સિદ્ઘાર્થને માત્ર સારો મિત્ર માને છે. દીપિકાએ સ્વીકાર્યુ છે કે, તે હાલમાં એકલી છે.કેટરિના કૈફ: કેટરિના અને સલમાન સાથેના સંબંધો તૂટી ગયા છે. કેટરિનાનું નામ રણબિર સાથે જોડાયું હતુ. જો કે આ માત્ર અફવા હતી. કેટરિનાએ મંગળવારના રોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં સ્વીકાર્યુ હતું કે, તેના અને સલમાનના સંબંધોનો અંત આવ્યો છે અને તે હાલમાં એકલી છે.સોનમ કપૂર: સોનમ કપૂરની ફિલ્મ આઈ હેટ લવ સ્ટોરી ઘણી જ સફળ રહી હતી. જો કે સોનમ અને ફિલ્મ મેકર પુનીત મલ્હોત્રા સાથેના સંબંધો ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. જો કે સોનમે આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.નીલ નીતિન મુકેશ: નીલ નીતિન મુકેશના સંબંધો પ્રિયંકા સાથે હતા. જો કે તેઓ સત્તાવાર રીતે અલગ થઈ ગયા છે. હવે નીલ એકલો છે.રણબિર કપૂર: રણબિર અને દીપિકાના સંબંધોનો અંત આવ્યો છે. રણબિર એકલો જ છે.
સૈફિના: કરિના કપૂર અને સૈફ અલી ખાને પોતાના સંબંધોનો જાહેરમાં સ્વીકાર કર્યો હતો. કરિના પોતાના સંબંધોને લઈને હંમેશા બોલતી હોય છે.
અમીનની પત્નીની અરજીની આજે સુનાવણી
સાબરમતી જેલમાં ડો. નરેન્દ્ર અમીનની જાનનું જોખમ હોઇ તેમની સુરક્ષા માટે યોગ્ય પગલા લેવા અમીનની પત્ની જયશ્રીબેને સીબીઆઇને અરજી સીબીઆઇને કરી હતી. જે બાબતે સીબીઆઇ દ્વારા સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં અમીનની સુરક્ષા મુદ્દે અરજી કરતાં કોર્ટે તેની આજે સુનાવણી હાથ ધરવાનો કોર્ટે આદેશ કર્યો હતો આજે હવે એ જોવાનું રહ્યું કે કોર્ટ અમીનની સુરાક્ષા માટે શું આદેશ કરે છે.થોડા દિવસ અગાઉ જ તેજા નામના એક માથાભારે કેદીએ કોર્ટ સમક્ષ એવો ઘટસ્ફોટ કર્યો હતો કે તેને સાબરમતી જેલના જેલરોએ જ ડો. નરેન્દ્ર અમીનનું મર્ડર કરી નાંખવા માટે રૂપીયા ૧૦ લાખની સોપારીની ઓફર કરી હતી. પરંતુ તેને ઓફર ઠુકરાવતાં જેલરોએ તેને ઢોર માર માર્યો હતો, આ બાબતને લઇને ફરી એક વખત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તાજના સાક્ષી બનવાની જાહારાત કરનાર ડો. નરેન્દ્ર અમીનની સલામતીને લઇને સવાલ ઉભા થયા છે.દેશભરમાં ચર્ચાનો વિષય બની રહેલ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં રાજ્યના માજી ગૃહરાજ્યમંત્રી અમિત શાહ સહિત કુલ ૧૫ આરોપીઓને સાબરમતી જેલમાં રાખવામાં આવેલ છે. જો કે વર્ષ ૨૦૦૭થી જેલમાં રાખવામાં આવેલા અને સસ્પેન્ડેડ પોલીસ અધિકારી ડો. નરેન્દ્ર અમીને પોતાની પાસેની માહિતી સીબીઆઇને આપીને તાજના સાક્ષી બનવાની અરજી કરી હતી.જેને લઇને તેમને સહઆરોપીઓ સાથેના સંબંધો વણસ્યા હતા માટે તેમને આ પ્રકરણના તમામ આરોપીઓથી દુર રાખવામાં આવ્યા હતા. તેમાંય વળી અમિત શાહની જેલમાં એન્ટ્રી થતાંજ ડો.અમીને જેલમાં પોતાની જાનને ખતરો હોવાથી જેલ ટ્રન્ફર માટે અરજી કરી હતી જોકે તે અરજી કોર્ટે ફગાવી દીધી હતી. પરંતુ તાજેતરમાંજ તેજા ઉર્ફે શકીલના નિવેદન બાદ અમીની પત્નએ સીબીઆઇને અરજી કરી છે.કે શકીલનના નિવેદન ભલે સાચા હોય કે ખોટા તે અમે નથી જાણતા પરંતુ આ સંજોગોમાં મારા પતિની જેલમાં સલામતીને લઇને ચિંતા સતાવી હતી છે. માટે તેમની સુરક્ષા સઘન કરવી જરુરી છે.જે અરજીને આધારે સીબીઆઇ દ્વારા પણ સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં અમીનની સુરક્ષા વધારવા માટે અરજી કરી હતી જેની સુનાવણી આજે કોર્ટમાં હાથ ધરાશે હવે કોર્ટ અમીનની સુરક્ષા માટે જેલ તંત્રને શું આદેશ કરે છે તે જોવાનું રહ્યું.
આજે યશપાલ-અજય પટેલના આગોતરા જામીન અંગે સુનાવણી
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સ્પેશિયલ સીબીઆઇ સેશન્સ કોર્ટે અજય પટેલ તથા યશપાલ ચુડાસમા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યુ કર્યા હતાં. આથી બંનેએ કરેલી આગોતરા જામીનઅરજીની આજે સીબીઆઇ સેસન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન અજય પટેલ તથા યશપાલ ચુડાસમાએ પોતાના વકીલ અજિતસિંહજાડેજા મારફતે સ્પેશિયલ સીબીઆઇ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, જેની ગુરુવારે સુનાવણી હાથ ધરાઇ હતી. યશપાલ ચુડાસમા તરફી અજિતસિંહજાડેજા, હાઇકોર્ટના કાઉન્સેલ જે .એમ. પંચાલ તથા દિલ્હી સુપ્રીમ કોર્ટના કાઉન્સેલ કે.કે. મનન તથા અજય પટેલ તરફી હાઇકોર્ટના કાઉન્સેલ કે.જી. આનંદજીવાલાએ દલીલો કરી હતી. જ્યારે સીબીઆઇ તરફથી એજાઝ ખાન તથા હરીશ સાલવેએ દલીલો કરી હતી.ચુડાસમા તથા પટેલના વકીલોએ એવી દલીલો કરી હતી કે તેમને જયાર સમન્સ પાઠવવામાં આવ્ય ાહતા ત્યારે તેઓ વિદેશ હતા અને આ ઉપરાંત પણ તેમણે સીબીઆઇ સમક્ષ મુંબઇ જઇને નિવેદનો આપ્યા છે, સાથેસાથે તેમની કોઇપણ મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદનો આપવાની તૈયારી છે માટે તેમને આગોતરા જામીન મળવા જોઇએ બન્ને પક્ષે દલીલો સાંભળ્યા બાદ કોર્ટે બન્નેના આગોતરા જામીન અંગેની સુનાવણી આજે હાથધરવાનો આદેશ કર્યો હતો હવે એ જોવાનું રહ્યું કે તેમને આગોતર જામીન મળે છે કેમ?
મ્યુનિસપિલ ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો
અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશનના સત્તાધારી પક્ષ ભાજપમાં અંદરોઅંદરના વિખવાદ આજે ચરમસપાટીએ આવી ગયા હતા. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સમારોહની જાહેરાતમાં મ્યુનિ. ભાજપે છેલ્લા ત્રણ વર્ષના વિકાસની ગાથા વર્ણવતા ભાજપનું એક જુથ ભારે રોષે ભરાયું છે અને આ અંગેની રજુઆત કરવાનો પણ નિર્ણય લેવાયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સમારોહની જાહેરાતમાં હાલના સત્તાધીશોએ એવું જણાવ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં રમત-ગમત ક્ષેત્રે સુવિધાઓ સ્થાપવા સફળ પ્રયાસો કર્યા છે. એનો મતલબ અગાઉના બે વર્ષમાં કોઈપણ કામો થયા નથી.સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રીએ સને ૨૦૦૫-૦૬માં પૂર્વનો વિકાસ પશ્ચિમ જેમ કરવા મ્યુનિ. સત્તાધીશોને જણાવ્યું હતું અને તેના ભાગરૂપે ડે. મેયર દિનેશ મકવાણા તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મધુબેન પટેલ પૂર્વ વિસ્તારમાં સ્પોટ્સ કોમ્પ્લેક્સ, સ્વિમિંગપૂલ, જિન્મેશિયમ વગેરેના બજેટની જેગવાઈ કરાઈ હતી, એટલું જ નહી મેમ્કો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાસ મુહૂર્ત પણ તેજ સમયે થયું હતું ત્યારે કાનાજી ઠાકોર કે અસિત વોરા સામાન્ય કોર્પોરેટર જ હતા.હાલ મ્યુનિ. ભાજપમાં જુના અને વર્તમાન શાસકો વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે. આ ખેંચતાણ હવે જાહેરાતના સ્વરૂપમાં આવી ગઈ છે. મોવડી મંડળ આ અંગે ધ્યાન નહીં આપેતો આગામી દિવસોમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડે તેમ ચર્ચાઈ રહ્યું છે.વર્તમાન શાસકો ભાજપે માત્ર ત્રણ વર્ષમાંજ સમગ્ર શહેરનો વિકાસ કર્યો છે. તેવું દર્શાવવા માગે છે જેના કારણે લોકોમાં ભાજપની છબી ખરડાઈ રહી છે શું આગળના બે વર્ષના શાસકો શું ભ્રષ્ટાચારી જ હતા તેમણે કોઈ કાર્યો કર્યા નથી. તમામ કામો છેલ્લા ત્રણ વર્ષમાંજ થયા છે. આ અંગે મ્યુનિ. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર પ્રથમ અઢી વર્ષમાં ૯૭ કામોના ખાત મુહૂર્ત થયા હતા જેમાં વર્તમાન શાસકોએ ૬૩ કામોના ઉદ્ઘાટનો કર્યા છે આમ વિકાસનું બીજ તો પ્રથમ અઢી વર્ષમાં રોપાઈ ગયું હતું.
કોંગ્રેસી આગેવાનને માર મારવાના વિરોધમાં આજે સાંજે દેખાવો
ગરીબ આવાસ યોજનાના લાભાર્થીઓ માટેના લોન મેળામાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના માજી કાઉન્સિલરને ધીબી નાંખ્યો હતો. આ ઘટનાના વિરોધમાં શહેર કોંગ્રેસ આજે સાંજે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી દેખાવો કરનાર છે. એટલુ જ નહીં, ત્યાર બાદ પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપરત કરશે.શહેરના કશિનવાડી વિસ્તારમાં બુધવારે શહેરી ગરીબોના આવાસોના લાભાર્થીઓ માટે લોન મેળો યોજાયો હતો. આ લોનમેળામાં કોંગ્રેસના માજી કાઉન્સિલર અને શહેર અનુ.જાતિ મોરચાના અધ્યક્ષ જયેશ જાદવે ગરીબોને મકાન ક્યારે આપશો તેવો સવાલ ઉઠાવતાં ભારે હોબાળો મચી ગયો હતો.આ ઘટનામાં છંછેડાયેલા ભાજપના કેટલાક કાર્યકરોએ જયેશ જાદવ ઉપર હુમલો કરીને જાહેરમાં જ માર માર્યો હતો. જેમાં,શહેર ભાજપના મંત્રી છોટુ (ધનંજય) શિંદે સહિત બે ભાજપી આગેવાનો વિરુધ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.કોંગ્રેસના આગેવાનને માર મારવાના વિરોધમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઇ પટેલની આગેવાનીમાં ગુરુવારે સાંજે ચાર વાગે સેવાસદનના પ્રાંગણમાં એટલેકે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે દેખાવો યોજવામાં આવનાર છે. સુરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, નૂર્મની આવાસ યોજનામાં વિલંબ થઇ રહ્યો છે અને તેના કારણે ગરીબોને વગર વાંકે સહન કરવાનો વારો આવ્યો છે.
કોંગ્રેસી આગેવાનને માર મારવાના વિરોધમાં આજે સાંજે દેખાવો
ગરીબ આવાસ યોજનાના લાભાર્થીઓ માટેના લોન મેળામાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના માજી કાઉન્સિલરને ધીબી નાંખ્યો હતો. આ ઘટનાના વિરોધમાં શહેર કોંગ્રેસ આજે સાંજે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી દેખાવો કરનાર છે. એટલુ જ નહીં, ત્યાર બાદ પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપરત કરશે.શહેરના કશિનવાડી વિસ્તારમાં બુધવારે શહેરી ગરીબોના આવાસોના લાભાર્થીઓ માટે લોન મેળો યોજાયો હતો. આ લોનમેળામાં કોંગ્રેસના માજી કાઉન્સિલર અને શહેર અનુ.જાતિ મોરચાના અધ્યક્ષ જયેશ જાદવે ગરીબોને મકાન ક્યારે આપશો તેવો સવાલ ઉઠાવતાં ભારે હોબાળો મચી ગયો હતો.આ ઘટનામાં છંછેડાયેલા ભાજપના કેટલાક કાર્યકરોએ જયેશ જાદવ ઉપર હુમલો કરીને જાહેરમાં જ માર માર્યો હતો. જેમાં,શહેર ભાજપના મંત્રી છોટુ (ધનંજય) શિંદે સહિત બે ભાજપી આગેવાનો વિરુધ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.કોંગ્રેસના આગેવાનને માર મારવાના વિરોધમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઇ પટેલની આગેવાનીમાં ગુરુવારે સાંજે ચાર વાગે સેવાસદનના પ્રાંગણમાં એટલેકે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે દેખાવો યોજવામાં આવનાર છે. સુરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, નૂર્મની આવાસ યોજનામાં વિલંબ થઇ રહ્યો છે અને તેના કારણે ગરીબોને વગર વાંકે સહન કરવાનો વારો આવ્યો છે.
ભાજપના કાર્યકરોએ કોંગ્રેસીને ધીબ્યો
શહેરી ગરીબો માટેની આવાસ યોજનાના લાભાર્થીઓ માટેના લોન મેળાના પ્રસંગમાં ભાજપના કાર્યકરોએ માજી કોંગી કાઉન્સિલરને માર મારતાં ભારે હોબાળો મચી ગયો હતો.આ ઘટનામાં કોંગ્રસના માજી કાઉન્સિલરને ઇજા થતાં તેના વિરોધમાં શહેર કોંગ્રેસે આવતી કાલે દેખાવો સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપરત કરવાનું એલાન આપતા રાજકીય મોરચે ભડકો નિશ્વિત થયો છે.મહાનગર સેવાસદન અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના સહયોગથી શહેરી ગરીબ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે આજે સવારે કિશનવાડી ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આવાસ યોજનાના લાભાર્થીઓની હાજરીમાં આયોજિત સમારોહમાં મેયર બાળકૃષ્ણ શુક્લ, મ્યુ.કમિશનર મનોજકુમાર દાસ, ડેપ્યુટી મેયર, વિરોધ પક્ષના નેતા ડાયસ ઉપર હાજર રહ્યા હતા.આ ટાણે, કોંગ્રેસના માજી કાઉન્સિલર અને શહેર કોંગ્રેસના અનુ.જનજાતિ મોરચાના અધ્યક્ષ જયેશ જાદવ લાભાર્થીઓ સાથે સ્ટેજ ઉપર ધસી ગયા હતા અને ક્યાં સુધી ગરીબોએ ભાડાં ભરવાના તેવો સવાલ કર્યો હતો. ત્રણ ત્રણ વર્ષથી ગરીબો ભાડાં ભરી રહ્યા છે અને હજી સુધી મકાનોના ઠેકાણાં નથી તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો.એક તબક્કે વિરોધ પક્ષના નેતા ચિરાગ ઝવેરીની આભારવિધિ ચાલતી હતી ત્યારે મેયર બાળુ શુક્લે લોનની કાર્યવાહી પૂરી થયાના બીજા દિવસે લાભાર્થીને મકાનનો કબજો મળી જશે તેવી ખાતરી આપી હતી. પરંતુ, કોંગી આગેવાન જયેશ જાદવે ક્યાં સુધી ઉલ્લુ બનાવતા રહેશો તેવો ટોણો મારતાં ભાજપના કેટલાક કાર્યકરોના પેટમાં તેલ રેડાયું હતું અને જયેશ જાદવની ફેંટ પકડી ઝાપટ મારી દેતાં સન્નાટો છવાઇ ગયો હતો.એટલું જ નહીં, જયેશ જાદવને માર મારવામાં આવતા ભાજપના કેટલાક કાઉન્સિલરો અને વિપક્ષી નેતાઓ દ્વારા દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કરવામાં આવતા મામલો બેકાબૂ બનતાં અટક્યો હતો. જોકે, આ મારામારીમાં ઇજાગ્રસ્ત જયેશ જાદવને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી.આ ઘટનાને વખોડી કાઢતાં શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, મકાનોથી વંચિત લાભાર્થીઓ ઉપર ભાજપના કાર્યકરોએ કરેલા હુમલાના વિરોધમાં આવતી કાલે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે દેખાવો કરવામાં આવનાર છે અને ત્યારબાદ પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપરત કરવામાં આવનાર છે.તેવી જ રીતે, સેવાસદનના વિરોધ પક્ષના નેતા ચિરાગ ઝવેરીએ મુખ્યમંત્રીને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે, પેકેજ નં.૩ હેઠળ કિશનવાડી ખાતે ૧૩૪૪ મકાનો બાંધવામાં આવ્યા હતા અને ત્યાં બબ્બે કાર્યક્રમો બાદ પણ મકાન ફાળવવામાં આવ્યા નથી.ભાજપની નિષ્ફળતા છતી થતી જોઇ ભાજપના કાર્યકરોએ કિશનવાડી વિસ્તારના માજી સભાસદ જયેશ જાદવ ઉપર હુમલો કરી ગુંડાગીરીનું વરવું પ્રદર્શન કર્યું છે. ભારતીય જનતા પાર્ટી ભારતીય ગુંડા પાર્ટી બની ગયેલ છે તેવી તેમણે ટીકા પણ કરી હતી.લાભાર્થીઓને લોન મેળાનો લાભ મળે તે જયેશ જાધવને પચ્યું ન હતું : ભાજપદલિત સમાજના લોન મેળામાં કોંગ્રેસના માજી કાઉન્સિલરે ધાંધલ ધમાલ મચાવી હોવાનો આક્ષેપ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. ભાજપના શહેર અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી મગનભાઇ પરમાર અને સુરેન્દ્ર રાજે જણાવ્યું હતું કે, કિશનવાડી ખાતેના લોનમેળામાં ઉપસ્થિત લાભાર્થીઓને લાભ મળે તો સ્થાનિક વિસ્તારના માજી કાઉન્સિલર જયેશ જાદવને પચ્યુ ન હતું. તેઓ બદઇરાદા સાથે વાતાવરણ ડહોળવા અને લોન મેળાને નિષ્ફળ બનાવવા માટે સ્ટેજ ઉપર ચડી જયેશ જાદવે અભદ્ર વર્તન કર્યું હતું.તેમને ભાજપના કાર્યકરોએ સમજાવીને નીચે લાવ્યા ત્યારે તેમની સાથે તેઓ હાથાપાઇ ઉપર ઉતરી આવ્યા હતા તેવો આક્ષેપ કરી તેમણે માજી કાઉન્સિલર અગાઉ પણ દલિત સમાજને મળતાં લાભોથી વંચિત રાખવા માટે છપાયેલા કાટલા સમાન છે વધુમાં, આ બનાવને ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ.જીવરાજ ચૌહાણ અને શહેર મોરચાના પ્રમુખ ચંદ્રકાંત સોલંકીએ વખોડી કાઢયો છે.ભાજપના મંત્રી સહિત બે સામે પોલીસ ફરિયાદ,ભાજપના કાર્યકરોએ માજી કોંગી કાઉન્સિલર જયેશ જાધવને ઝૂડી નાંખતાં આ અંગે કિશનવાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે શહેર ભાજપ મંત્રી છોટુ શીંદે અને તેના સાગરીત ભૂરિયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ટ્યૂશન ચલાવતો આધેડ વિદ્યાર્થિનીને લઈને છુ
કાપોદ્રા રામકૃપા સોસાયટી ખાતે રહેતી ૧૯ વર્ષની યુવતીને વેડ રોડ પરના કલાસીસનો આધેડ સંચાલક લલચાવી ફોસલાવીને અપહરણ કરીને પલાયન થઈ ગયો હોવાનો આક્ષેપ કરતી અરજી કાપોદ્રા પોલીસ સ્ટેશને કરવામાં આવી છે, જેમાં યુવતીના પિતાએ એવો આક્ષેપ કર્યો છે કે વિદેશમાં સેટ કરવાની લાલચ આપીને મારી પુત્રીને લાઇફ સ્કીલ ઇન્ડિયા નામના સ્પોકન ઇંગ્લિશના કલાસ ચલાવતા આધેડે રીતસર ફસાવી છે.રામકૃપા સોસાયટી ખાતે રહેતા દિલીપભાઈ સોલંકી દરજીકામ કરીને ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં મોટી પુત્રી જાગૃતિ (૧૯) અને એક વર્ષ પહેલાં જ બીજી એક પુત્રીની પ્રાપ્તિ થઈ હતી. જાગૃતિ સુમુલ ડેરી રોડ પર આવેલી એસ.વી. પટેલ કોલેજમાં બીબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને છએક માસ પહેલાં વેડ રોડ પર માધવ કોમ્પ્લેક્સમાં ચાલતા લાઇફ સ્કીલ ઇન્ડિયા નામના સ્પોકન ઇંગ્લિશના કલાસ કરવા માટે જોડાઈ હતી. દરમિયાનમાં આ કોર્સ પૂરો થતાં કલાસના સંચાલક ધવલ હરશિંકર ત્રિવેદી (૪૫)એ જાગૃતિને નોકરીની ઓફર કરી હતી. આ ઓફર જાગૃતિએ સ્વીકારી હતી અને કોલેજની સાથેસાથે નોકરી પણ કરતી હતી. દરમિયાન ગત શનિવારના રોજ સવારે તે કોલેજ ગઈ હતી અને પછી ઘરે પાછી ન ફરતાં પરિવારના સભ્યોએ તેની શોધખોળ હાથ ધરી હતી.દરમિયાન પરિવારના સભ્યોને જાણવા મળ્યું હતું કે તે કોલેજથી સીધી જ કલાસ ખાતે ગઈ હતી અને ત્યારબાદ કલાસના સંચાલક ધવલ ત્રિવેદી સાથે ગઈ હતી. આ પછી તેનો કોઈ પત્તો નથી. આથી પરિવારના સભ્યોએ ધવલ ત્રિવેદીની શોધખોળ કરતાં જાણવા મળ્યું હતું કે તે કામરેજ પેસેફિક હોટલમાં રહેતો હતો અને કૈલાસ કોમ્પ્લેકસમાં કલાસની ઓફિસ પણ ખોલી હતી. પરંતુ તે પણ શનિવાર સવારથી ગાયબ છે. આથી આ અંગે મંગળવારે જાગૃતિના પિતાએ કાપોદ્રા પોલીસ સ્ટેશને રજુઆત કરી હતી. પરંતુ પોલીસે તેમની અરજી સ્વીકારી ન હતી. ત્યારબાદ બુધવારે આ અંગે અરજી સ્વીકારીને પોલીસ સબ ઇન્સપેક્ટર પરમારે વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ : જંબુસરના દરિયામાં શંકાસ્પદ બોટની હિલચાલ
ભરૂચ જિલ્લાના જંબુસર નજીકના નાડા ગામ નજીકના દરિયામાં શનિવારની રાત્રિથી એક શંકાસ્પદ બોટ ઊભી હોવા છતાં પોલીસ ચાર દિવસથી કોઈ કાર્યવાહી કરી શકી નથી.આ બોટ દેખાઈ ત્યારે રખેને આતંકીઓ હોય તેમ માની ગામવાસીઓએ પોલીસને જાણ કરી હતી પરંતુ સ્થળ પર પહોંચેલી જંબુસર પોલીસનો ટાંચા સાધનોની સાથે કિચડમાં બોટ સુધી પહોંચવાનો પનો ટૂંકો પડ્યો હતો.જંબુસર પોલીસે સુરત અને ભાવનગર મરિન પોલીસની મદદ માગી પણ પોતાની હદ ન હોવાનું બહાનું ધરી બંનેએ નનૈયો ભણી દીધો હતો. સ્ટેટ પોલીસ કંટ્રોલને જાણ કરાય પણ ત્યાંથી પણ મદદ ન મળી નહોતી.બોટમાં રાત્રે લાઈટ પણ ઝગમગે છે!આ શંકાસ્પદ બોટ બે દિવસથી એકની એક જગ્યાએ જ પડેલી છે. નવાઈની વાત તો એ છે કે આ બોટમાં રાત્રિના સમયે ફ્લેશ લાઈટ ઝગમગે છે. જેથી, તેનું લોકેશન પણ જાણી શકાય છે. આ જ બાબત બોટમાં કોઈ હોવાનો ઈશારો કરે છે. છતાં રાજ્યની પોલીસ તેને ગંભીરતાથી લેતું નથી અને ગામવાસીઓના જીવ અધ્ધર થઈ ગયા છે.ભરતી વેળા બોટ દરિયાની સપાટી ઉપર તરી આવે છે જેના કારણે તેને સ્પષ્ટ જોઈ શકાય છે. જ્યારે ઓટ આવતા જ તે ફરી કિચડમાં ખૂપી જાય છે. જેથી, દેખાતી બંધ થઈ જાય છે.ભરૂચ મરીન પોલીસ પાસે બોટ ન હોવાથી અમે પડોશી મરીન પોલીસ પાસે મદદ માગી છે. વળી, દરિયામાં કાદવ વધારે હોવાથી ત્યાં સુધી સ્થાનિક પોલીસ પહોંચી શકે તેમ નથી.
સ્વાઇન ફ્લૂથી મોતની બાબતમાં ગુજરાત બીજા નંબરે
સ્વાઇન ફ્લુને મહામારી જાહેર કરાયાં છતાં તેને અટકાવવામાં અસરકારક પગલાં લેવામાં સરકારની નિષ્ફળ રહી છે. ગુજરાત રાજ્યમાં ૧૬થી ૨૨ ઓગસ્ટ સુધીમાં સ્વાઇન ફ્લુના કારણે ૧૨ જણાનાં મોત થઈ ગયા છે. પરિણામે ગુજરાત દેશમાં સ્વાઇન ફ્લુના કારણે મૃતકોની સંખ્યાની બાબતમાં બીજા નંબરનું રાજ્ય બની ગયું છે.૧૬થી ૨૨ ઓગસ્ટ સુધીનાં આકડામાં મહારાષ્ટ્ર ૪૦ માત સાથે પ્રથમ નંબરે, ગુજરાત ૧૨ મોત સાથે બીજા નંબરે, કર્ણાટક ૮ મોત સાથે ત્રીજા નંબરે, મધ્ય પ્રદેશ ૬ મોત સાથે ચોથા નંબરે, દિલ્હી પાંચ મોત સાથે પાંચમાં નંબરે અને રાજસ્થાન ૪ જણાનાં મોત સાથે છઠ્ઠા નંબર પર રહ્યું છે. સુરત શહેરમાં આ સમયગાળામાં ૧૮૭ શંકાસ્પદ કેસ નોંધાયા છે.જેમાંથી ૨૧ કેસ પોઝિટીવ આવ્યા છે. આવા કેસોમાંથી સાતના મોત થયાં છે. શહેરમાં એક દિવસમાં શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના વધુ બે દર્દી નોંધાયા હતા. જેમાંથી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે બીજાનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. ૧૫ જૂન બાદ શહેરમાં સ્વાઇન ફ્લૂના બીજો રાઉન્ડ શરૂ થયો છે. અત્યાર સુધી ૧૮૫ શંકાસ્પદ દર્દી નોંધાયા છે, જેમાંથી ૨૧ પોઝિટિવ અને તેમાંથી ૭નાં મોત નીપજ્યાં છે. બુધવારે શહેરની મશિન અને એપલ હોસ્પિટલમાં બે શંકાસ્પદ દર્દી નોંધાયા હતા. મશિનમાં દાખલ ૧૮ વર્ષીય યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
સીમકાર્ડ કૌભાંડમાં CBIએ ભાવનગરના શખ્સને ઉઠાવ્યો
મહુવા શહેરમાં ચોકકસ જગ્યાએ રૂ.૨ થી ૨.૫૦માં સીમકાર્ડ ખરીદવા માટે ડોકયુમેન્ટ મળી રહે છે. જેથી આવા નકલી ડોકયુમેન્ટ ઉપર વેચાતા સીમકાર્ડથી દેશની સલામતી સામે ખતરો ઉભો થશે તેવા તા.૪ જૂન-૧૦ના રોજ સૌરાષ્ટ્ર સમાચારમાં અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. તેના અનુસંધાને ભાવનગરમાંના એક શખ્સને સીબીઆઇએ ઉઠાવી લીધાના સમાચારથી ડુપ્લીકેટ ડોકયુમેન્ટ ઉપર સીમકાર્ડ વેચતા લોકોમાં ભય અને ફફડાટ વ્યાપી ગયો છે.તાજેતરમાં ભાવનગર શહેર અને જુનાગઢમાંથી દેશવ્યાપી સીમકાર્ડ કૌભાંડ ચાલતુ હોવાના પગલે ભાવનગરમાં એક શખ્સને સીબીઆઇ પુછપરછ માટે લઇ ગઇ હોવાની ચર્ચા ઉઠતા મહુવા-ભાવનગરમાં નકલી ડોકયુમેન્ટ ઉપર સીમકાર્ડ વેચતા આવા તત્વોમાં ભય અને ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.મહુવામાં આ પ્રવૃતિ ઉપર અંકુશ આવ્યો હતો. પરંતુ સીમકાર્ડ ખરીદવા માત્ર ઝેરોક્ષ ડોકયુમેન્ટ ઉપર બ્લ્યુ સહીથી સ્વપ્રમાણિત કરેલી ડોકયુમેન્ટ જરૂરી બનાવવાની જરૂરીયાત હોવાનુ ચર્ચાય છે. ઉપરાંત સીમકાર્ડના ડોકયુમેન્ટમાં ચૂંટણી ફોટો ઓળખકાર્ડની ઝેરોક્ષ અને ફોર્મમાં ઓળખકાર્ડનો નંબર લખવો જરૂરી છે. અને ભવિષ્યમાં નેશનલ આઇડી અપાય ગયા બાદ નેશનલ આઇડીની ઓળખ ફરજીયાત બનાવવી જોઇએ તેમ પણ ચર્ચા છે.
ડીટીસી દ્વારા નોનસાઇટ હોલ્ડર્સને કાચા હીરા અપાશે
ડાયમંડ ઉદ્યોગમાં રફની અછત નિવારવા ડાયમંડ ટ્રેડિંગ કંપની (ડીટીસી) હવે ટૂંક સમયમાં પોતાની જ કંપની ડાયમંડેલ ઓનલાઇન ઓકશન દ્વારા સાઇટ હોલ્ડરોને ડી-બિયર્સના ડાયમંડ્સનું વેચાણ કરશે. ઉપરાંત નોનસાઇટ હોલ્ડર્સને પણ ટેન્ડર ભરવાની તક આપશ્, એમ ડીટીસીના સીઈઓ વરદા સાઈને સોમવારે લંડન ખાતે એક નિવેદનમાં જણાવ્યું હતું.ડીટીસીના આ પરિવર્તનને કારણે સુરત અને ભાવનગરના ડાયમંડ મેન્યુફેકચરર્સને સારો ફાયદો થશે.ડીટીસીના સીઈઓ વરદા સાઈને કહ્યું હતું કે અત્યારનું માર્કેટ અને બે વર્ષ પહેલાંની સ્થિતિ અને હવે પછીના દસકાને ધ્યાનમાં રાખીને પરિવર્તન જરૂરી હતું. સાઈને વધુમાં કહ્યું હતું કે ડીટીસી ડાયમંડેલને માલ સપ્લાય કરશે અને ડાયમંડેલના કલાયન્ટોને ઇન્ટેન્શન ટુ ઓફર(આઈટીઓ) હેઠળ રફ ખરીદવા આમંત્રણ આપશે. આને કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને વધુ ને વધુ રફનો પુરવઠો મળી શકશે.ડીટીસીના સીઇઓએ કહ્યું હતું કે સાઇટ હોલ્ડર્સ માટે ડાયમંડેલ ઓનલાઇન ઓકશન ઓક્ટોબર ૨૦૧૦થી શરૂ થશે અને એપ્રિલ ૨૦૧૧થી બાકીના ક્વોલિફાઇંગ ડાયમંડ ઉદ્યોગકારોને સુવિધા ઉપલબ્ધ થશે. વર્ષ ૨૦૦૮ની કારમી મંદી બાદ હીરાઉદ્યોગની ગાડી ફરી પાટે ચઢી રહી છે. ત્યારે રફની ભારે અછત બજારમાં ઊભી થઈ છે. ડાયમંડ કંપનીઓ પાસે પૂરતા ઓર્ડર છે પરંતુ કાચો માલ હાથ પર નથી. ડીટીસીના આ પરિવર્તનને કારણે ભાવનગરના ડાયમંડ મેન્યુફેકચરર્સને સારો ફાયદો થશે
ભચાઉમાં ચાર મહિલાએ કરી ચાંદીના દાગીનાની તફડંચી
ભચાઉમાં આજે ધોળા દિવસે સોની વેપારીને ચકમો આપીને ચાર મહિલાઓએ દુકાનમાંથી ચાંદીના દાગીનાની તફડંચી કરી જતાં થોડા સમય માટે વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. જો કે, દુકાનના સી.સી. ટી.વી. કેમેરામાં ચોરી કરતાં કેદ થયેલી મહિલામાંથી બેને તો તાત્કાલિક પકડી પાડવામાં આવી હતી.પકડાયેલી મહિલાઓ મૂળ મોરબી તરફથી હોવાનું ખૂલ્યું હતું. શહેરના સિધ્ધાચલ કોમ્પલેક્ષની સામે મારુતિ જવેલર્સ દુકાન ધરાવતા મયૂરકુમાર મહેશભાઇ સોનીની દુકાનમાં આજે ૩.૩૦ વાગ્યાની આસપાસ ચાર જેટલી મહિલાઓ અંદર ઘૂસી હતી અને સોની વેપારી ચાંદીના સાકળા બતાવવા કહ્યું હતું. જેમાં બે મહિલાઓ આગળ કાઉન્ટર બાજુ ઉભી હતી અને બે મહિલાઓ પાછળ ઉભી હતી.જેમાં જોતાં-જોતાં બે સાકળા જોડી તફડાવી લીધા અને અને પસંદ ન પડ્યાનું કહીને નીકળી ગઇ હતી. બાદ વેપારીએ સાકળા પરત મૂકતાં બે જોડી સાકળા ઓછા જોવા મળ્યા. કંઇક ગડબડ થઇ હોવાનું જણાતાં સી.સી. કેમેરામાં તપાસ કરતાં મહિલાઓની હાથ ચાલાકીની જાણ થઇ હતી. ત્યારબાદ તસ્કર મહિલાઓને શોધવાની તજવીજ હાથ ધરાઇ અને ભચાઉના વથાણ ચોકમાંથી ચારમાંથી બે મહિલાઓ પોલીસ હસ્તક પકડી પાડી હતી.જેમાં પી.એસ.આઇ. જે.જે.પટેલને ઘટનાની જાણ થતાં સી.સી. કેમેરામાં થયેલા શુટિંગ મારફત ન મળેલી. બે મહિલાઓની તપાસ ચાલુ કરવામાં આવી છે.બીજી તરફ પકડાયેલી બે મહિલાઓની મહિલા પોલીસ દ્વારા આકરી પૂછપરછ કરાતાં પણ તેમણે ચોરી કબૂલી નહોતી. પકડાયેલી મહિલાઓ મૂળ મોરબી બાજુની અને દેવીપૂજક હોવાનું જાણવા મળ્યું હતું.
‘ઝળુંબતું મોત’ હટાવવા સૂચના
ભુજના મહત્વના માર્ગોના ડિવાઇડર પર લગાવેલા પોલ પરના તૂટેલા અને નીચાં ડસ્ટિ્રીબ્યુશન બોક્સ હટાવવા નગરપાલિકાએ લોક ભાગીદારીની ટહેલ નાંખવા વિચાર્યું છે.સંભવિત અકસ્માત ટાળવા ત્વરાએ કામગીરી કરવા સૂચના અપાઇ છે.પાલિકાએ જ્યાં જ્યાં આવી ક્ષતિઓ છે, ત્યાં સ્થાનિક લોકો કે સંસ્થાના સહકારથી નવાં. સાધનો નાંખવા નક્કી કર્યું છે, ચીફ ઓફિસર ચેતન ડુડિયાએ કહ્યું કે, ભૂકંપ બાદ જીયુડીસી દ્વારા લાઇટોના કામ આડેધડ કરાયા હતા.જેના પરિણામે આજે આવી હાલત થઇ છે શહેરની તમામ લાઇટો સલામત તબક્કે લઇ જવા પાછળ અંદાજે ૧૫ લાખનો ખર્ચ કરવો પડે તેમ છે.કલેક્ટરે રિપોર્ટ માગ્યોકલેક્ટરે પણ આ અંગે તુરંત જ સાચી સ્થિતી અંગેનો રિપોર્ટ માંગ્યો હોવાનું પાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુડીયાએ જણાવ્યું હતું.
વિશ્વમાં ભારત-બાંગ્લાદેશ સીમાથી સૌથી વધારે ઘૂસણખોરી
વિશ્વ બેંકના એક અધિકારીએ દાવો કર્યો છે કે દુનિયામાં સૌથી વધારે ઘૂસણખોરી બાંગ્લાદેશ સાથે લાગેલી ભારતીય સરહદથી થાય છે.વિશ્વ બેંકની પ્રવાસી શાખાના વરિષ્ઠ અર્થશાસ્ત્રી દિલીપ રાઠાએ દાવો કર્યો છે કે બાંગ્લાદેશ સરહદે લગભગ 1.2 કરોડ લોકો ગેરકાયદેસર રીતે ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી ગયા છે. જો કે 2001ની વસ્તીગણતરીમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની સંખ્યા 30 લાખની દર્શાવાય છે. અહીં એક સંગોષ્ઠિને સંબોધિક કરતાં રાઠાએ કહ્યું હતું કે મેક્સિકો-અમેરીકાની સરહદ અને ભારત-બાંગ્લાદેશની સરહદે સૌથી વધારે ગેરકાયદેસર ઘૂસણખોરી થાય છે.તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની ગેરકાયદેસર ઘૂસણખોરીથી જ્યાં ઘૂસણખોરી થાય છે, તે દેશના લોકોનો હક માર્યો જાય છે. પરંતુ એ દેશ ફાયદામાં રહે છેકે જ્યાંથી લોકો અન્ય દેશમાં ઘૂસણખોરી કરે છે. રાઠાએ જણાવ્યું હતું કે આ લોકો પોતાના દેશમાં પરિવારજનોને ધન મોકલે છે, જેનાથી ત્યાંની અર્થવ્યવસ્થા ફલે-ફૂલે છે.
આખરે ક્યાં ગાયબ થઈ ગયા એ લોકો?
ઉત્તર-પશ્ચિમ અમેરિકાના વેરમાઉન્ટ સ્ટેટનો એક રહસ્યમય કિસ્સો સામે આવ્યો છે. વેરમાઉન્ટના બેનિંગ્ટનમાં 1920થી 1950ના સમયગાળામાં ઘણાં બધા લોકોના ગુમ થઈ જવાની ઘટનાઓ સામે આવી હતી. આમાંથી કોઈ પણ કેસ હજુ સુધી ઉકેલી શકાયો નથી. ન્યુ ઈંગ્લેન્ડના લેખક જોસેફ એ સિટોએ પોતાના એક રેડિયો કાર્યક્રમમાં આ રહસ્યને બેનિંગ્ટન ટ્રાયંગલ એવું નામ આપ્યું છે.અહીંના ગ્લાસ્ટેનબરી પહાડની આજુબાજુ આ લોકો ગાયબ થયા હોવાનું માનવામાં આવે છે. આ ક્ષેત્રનો વિસ્તાર ચોક્કસ નથી.1892માં એક મિલ કર્મચારી હેનરી મેક ડોવેલે દારૂના નશામાં પોતાના મિત્ર જિ ક્રાઉલેની હત્યા કરી નાખી હતી. આ માટે તેને ઉંમરકેદની સજા પણ સંભળાવવામાં આવી હતી, પણ પોલીસની પકડમાંથી ભાગી છૂટેલો હેનરી કદી પાછો જ ન આવ્યો.1945માં મિડી રિવર્સ નામનો એક વ્યક્તિ આ પહાડ પાસે પોતાના મિત્રો સાથે અહીં શિકાર કરવા આવ્યો હતો. મિત્રોથી અહીંના કોઇક વિસ્તારમાં છૂટા પડી ગયા બાદ તે પણ કદી પાછો ન આવ્યો. ત્યારબાદ તો દરેક વર્ષે સતત આવા કોઇને કોઇ કિસ્સા બનતા જ રહ્યા છે. 1946માં પાઉલા નામની એક 18 વર્ષીય યુવતી અહીં ફરવા આવી અને ગાયબ થઈ ગઈ. ત્યાર પછી દર વર્ષે અહીંયા કોઇને કોઈ લાપતા થાય છે, પણ શોધખોળ કરવા છતાં તેઓની કોઈ ભાળ મળતી નથી. અહીંયા લોકો ખોવાઈ જાય પછી પાછા શા માટે મળતા નથી તે રહસ્ય હજુ સુધી કોઈ શોધી શક્યું નથી. આ કારણે અહીંયા ઘણાં બધા લોકો આવતા પણ ડરી રહ્યા છે.
બોલિવૂડ: કોઇને છે એકલતા તો કોઇએ જમાવી છે જોડી
બોલિવૂડમાં અભિનેતા-અભિનેત્રીઓના સંબંધોને લઈને અનેક સવાલો કરવામાં આવે છે અને તેઓના સંબંધોનો અંત કેવો હશે તે બાબત જાણવાની લોકોને ઘણી જ ઉત્સુકતા હોય છે. આવા સમાચારો ચપોચપ વેચાઈ જતા હોય છે અને એમાંય જો કોઈ અભિનેત્રી જાહેરમાં રડવા લાગે તો પછી તો પૂછવું જ શું.શાહિદ કપૂર: શાહિદ કપૂરના સંબંધો સૌ પહેલા કરિના કપૂર હતા. કરિના સાથેના સંબંધોમાં શાહિદ ઘણો જ ગંભીર હતો. જો કે કરિના સાથેના સંબંધો તૂટ્યા પછી શાહિદનું નામ અનેક અભિનેત્રીઓ સાથે જોડાયું હતુ પરંતુ હાલમાં તો શાહિદ એકલો જ છે.દીપિકા પાદુકોણ: દીપિકા અને રણબિરના સંબંધોનો અંત આવી ગયો છે. દીપિકા અને સિદ્ધાર્થના સંબંધો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. દીપિકા તો સિદ્ઘાર્થને માત્ર સારો મિત્ર માને છે. દીપિકાએ સ્વીકાર્યુ છે કે, તે હાલમાં એકલી છે.કેટરિના કૈફ: કેટરિના અને સલમાન સાથેના સંબંધો તૂટી ગયા છે. કેટરિનાનું નામ રણબિર સાથે જોડાયું હતુ. જો કે આ માત્ર અફવા હતી. કેટરિનાએ મંગળવારના રોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં સ્વીકાર્યુ હતું કે, તેના અને સલમાનના સંબંધોનો અંત આવ્યો છે અને તે હાલમાં એકલી છે.સોનમ કપૂર: સોનમ કપૂરની ફિલ્મ આઈ હેટ લવ સ્ટોરી ઘણી જ સફળ રહી હતી. જો કે સોનમ અને ફિલ્મ મેકર પુનીત મલ્હોત્રા સાથેના સંબંધો ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. જો કે સોનમે આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.નીલ નીતિન મુકેશ: નીલ નીતિન મુકેશના સંબંધો પ્રિયંકા સાથે હતા. જો કે તેઓ સત્તાવાર રીતે અલગ થઈ ગયા છે. હવે નીલ એકલો છે.રણબિર કપૂર: રણબિર અને દીપિકાના સંબંધોનો અંત આવ્યો છે. રણબિર એકલો જ છે.
સૈફિના: કરિના કપૂર અને સૈફ અલી ખાને પોતાના સંબંધોનો જાહેરમાં સ્વીકાર કર્યો હતો. કરિના પોતાના સંબંધોને લઈને હંમેશા બોલતી હોય છે.
અમીનની પત્નીની અરજીની આજે સુનાવણી
સાબરમતી જેલમાં ડો. નરેન્દ્ર અમીનની જાનનું જોખમ હોઇ તેમની સુરક્ષા માટે યોગ્ય પગલા લેવા અમીનની પત્ની જયશ્રીબેને સીબીઆઇને અરજી સીબીઆઇને કરી હતી. જે બાબતે સીબીઆઇ દ્વારા સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં અમીનની સુરક્ષા મુદ્દે અરજી કરતાં કોર્ટે તેની આજે સુનાવણી હાથ ધરવાનો કોર્ટે આદેશ કર્યો હતો આજે હવે એ જોવાનું રહ્યું કે કોર્ટ અમીનની સુરાક્ષા માટે શું આદેશ કરે છે.થોડા દિવસ અગાઉ જ તેજા નામના એક માથાભારે કેદીએ કોર્ટ સમક્ષ એવો ઘટસ્ફોટ કર્યો હતો કે તેને સાબરમતી જેલના જેલરોએ જ ડો. નરેન્દ્ર અમીનનું મર્ડર કરી નાંખવા માટે રૂપીયા ૧૦ લાખની સોપારીની ઓફર કરી હતી. પરંતુ તેને ઓફર ઠુકરાવતાં જેલરોએ તેને ઢોર માર માર્યો હતો, આ બાબતને લઇને ફરી એક વખત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તાજના સાક્ષી બનવાની જાહારાત કરનાર ડો. નરેન્દ્ર અમીનની સલામતીને લઇને સવાલ ઉભા થયા છે.દેશભરમાં ચર્ચાનો વિષય બની રહેલ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં રાજ્યના માજી ગૃહરાજ્યમંત્રી અમિત શાહ સહિત કુલ ૧૫ આરોપીઓને સાબરમતી જેલમાં રાખવામાં આવેલ છે. જો કે વર્ષ ૨૦૦૭થી જેલમાં રાખવામાં આવેલા અને સસ્પેન્ડેડ પોલીસ અધિકારી ડો. નરેન્દ્ર અમીને પોતાની પાસેની માહિતી સીબીઆઇને આપીને તાજના સાક્ષી બનવાની અરજી કરી હતી.જેને લઇને તેમને સહઆરોપીઓ સાથેના સંબંધો વણસ્યા હતા માટે તેમને આ પ્રકરણના તમામ આરોપીઓથી દુર રાખવામાં આવ્યા હતા. તેમાંય વળી અમિત શાહની જેલમાં એન્ટ્રી થતાંજ ડો.અમીને જેલમાં પોતાની જાનને ખતરો હોવાથી જેલ ટ્રન્ફર માટે અરજી કરી હતી જોકે તે અરજી કોર્ટે ફગાવી દીધી હતી. પરંતુ તાજેતરમાંજ તેજા ઉર્ફે શકીલના નિવેદન બાદ અમીની પત્નએ સીબીઆઇને અરજી કરી છે.કે શકીલનના નિવેદન ભલે સાચા હોય કે ખોટા તે અમે નથી જાણતા પરંતુ આ સંજોગોમાં મારા પતિની જેલમાં સલામતીને લઇને ચિંતા સતાવી હતી છે. માટે તેમની સુરક્ષા સઘન કરવી જરુરી છે.જે અરજીને આધારે સીબીઆઇ દ્વારા પણ સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં અમીનની સુરક્ષા વધારવા માટે અરજી કરી હતી જેની સુનાવણી આજે કોર્ટમાં હાથ ધરાશે હવે કોર્ટ અમીનની સુરક્ષા માટે જેલ તંત્રને શું આદેશ કરે છે તે જોવાનું રહ્યું.
આજે યશપાલ-અજય પટેલના આગોતરા જામીન અંગે સુનાવણી
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સ્પેશિયલ સીબીઆઇ સેશન્સ કોર્ટે અજય પટેલ તથા યશપાલ ચુડાસમા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યુ કર્યા હતાં. આથી બંનેએ કરેલી આગોતરા જામીનઅરજીની આજે સીબીઆઇ સેસન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન અજય પટેલ તથા યશપાલ ચુડાસમાએ પોતાના વકીલ અજિતસિંહજાડેજા મારફતે સ્પેશિયલ સીબીઆઇ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, જેની ગુરુવારે સુનાવણી હાથ ધરાઇ હતી. યશપાલ ચુડાસમા તરફી અજિતસિંહજાડેજા, હાઇકોર્ટના કાઉન્સેલ જે .એમ. પંચાલ તથા દિલ્હી સુપ્રીમ કોર્ટના કાઉન્સેલ કે.કે. મનન તથા અજય પટેલ તરફી હાઇકોર્ટના કાઉન્સેલ કે.જી. આનંદજીવાલાએ દલીલો કરી હતી. જ્યારે સીબીઆઇ તરફથી એજાઝ ખાન તથા હરીશ સાલવેએ દલીલો કરી હતી.ચુડાસમા તથા પટેલના વકીલોએ એવી દલીલો કરી હતી કે તેમને જયાર સમન્સ પાઠવવામાં આવ્ય ાહતા ત્યારે તેઓ વિદેશ હતા અને આ ઉપરાંત પણ તેમણે સીબીઆઇ સમક્ષ મુંબઇ જઇને નિવેદનો આપ્યા છે, સાથેસાથે તેમની કોઇપણ મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદનો આપવાની તૈયારી છે માટે તેમને આગોતરા જામીન મળવા જોઇએ બન્ને પક્ષે દલીલો સાંભળ્યા બાદ કોર્ટે બન્નેના આગોતરા જામીન અંગેની સુનાવણી આજે હાથધરવાનો આદેશ કર્યો હતો હવે એ જોવાનું રહ્યું કે તેમને આગોતર જામીન મળે છે કેમ?
મ્યુનિસપિલ ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો
અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશનના સત્તાધારી પક્ષ ભાજપમાં અંદરોઅંદરના વિખવાદ આજે ચરમસપાટીએ આવી ગયા હતા. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સમારોહની જાહેરાતમાં મ્યુનિ. ભાજપે છેલ્લા ત્રણ વર્ષના વિકાસની ગાથા વર્ણવતા ભાજપનું એક જુથ ભારે રોષે ભરાયું છે અને આ અંગેની રજુઆત કરવાનો પણ નિર્ણય લેવાયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સમારોહની જાહેરાતમાં હાલના સત્તાધીશોએ એવું જણાવ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં રમત-ગમત ક્ષેત્રે સુવિધાઓ સ્થાપવા સફળ પ્રયાસો કર્યા છે. એનો મતલબ અગાઉના બે વર્ષમાં કોઈપણ કામો થયા નથી.સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રીએ સને ૨૦૦૫-૦૬માં પૂર્વનો વિકાસ પશ્ચિમ જેમ કરવા મ્યુનિ. સત્તાધીશોને જણાવ્યું હતું અને તેના ભાગરૂપે ડે. મેયર દિનેશ મકવાણા તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મધુબેન પટેલ પૂર્વ વિસ્તારમાં સ્પોટ્સ કોમ્પ્લેક્સ, સ્વિમિંગપૂલ, જિન્મેશિયમ વગેરેના બજેટની જેગવાઈ કરાઈ હતી, એટલું જ નહી મેમ્કો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાસ મુહૂર્ત પણ તેજ સમયે થયું હતું ત્યારે કાનાજી ઠાકોર કે અસિત વોરા સામાન્ય કોર્પોરેટર જ હતા.હાલ મ્યુનિ. ભાજપમાં જુના અને વર્તમાન શાસકો વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે. આ ખેંચતાણ હવે જાહેરાતના સ્વરૂપમાં આવી ગઈ છે. મોવડી મંડળ આ અંગે ધ્યાન નહીં આપેતો આગામી દિવસોમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડે તેમ ચર્ચાઈ રહ્યું છે.વર્તમાન શાસકો ભાજપે માત્ર ત્રણ વર્ષમાંજ સમગ્ર શહેરનો વિકાસ કર્યો છે. તેવું દર્શાવવા માગે છે જેના કારણે લોકોમાં ભાજપની છબી ખરડાઈ રહી છે શું આગળના બે વર્ષના શાસકો શું ભ્રષ્ટાચારી જ હતા તેમણે કોઈ કાર્યો કર્યા નથી. તમામ કામો છેલ્લા ત્રણ વર્ષમાંજ થયા છે. આ અંગે મ્યુનિ. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર પ્રથમ અઢી વર્ષમાં ૯૭ કામોના ખાત મુહૂર્ત થયા હતા જેમાં વર્તમાન શાસકોએ ૬૩ કામોના ઉદ્ઘાટનો કર્યા છે આમ વિકાસનું બીજ તો પ્રથમ અઢી વર્ષમાં રોપાઈ ગયું હતું.
કોંગ્રેસી આગેવાનને માર મારવાના વિરોધમાં આજે સાંજે દેખાવો
ગરીબ આવાસ યોજનાના લાભાર્થીઓ માટેના લોન મેળામાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના માજી કાઉન્સિલરને ધીબી નાંખ્યો હતો. આ ઘટનાના વિરોધમાં શહેર કોંગ્રેસ આજે સાંજે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી દેખાવો કરનાર છે. એટલુ જ નહીં, ત્યાર બાદ પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપરત કરશે.શહેરના કશિનવાડી વિસ્તારમાં બુધવારે શહેરી ગરીબોના આવાસોના લાભાર્થીઓ માટે લોન મેળો યોજાયો હતો. આ લોનમેળામાં કોંગ્રેસના માજી કાઉન્સિલર અને શહેર અનુ.જાતિ મોરચાના અધ્યક્ષ જયેશ જાદવે ગરીબોને મકાન ક્યારે આપશો તેવો સવાલ ઉઠાવતાં ભારે હોબાળો મચી ગયો હતો.આ ઘટનામાં છંછેડાયેલા ભાજપના કેટલાક કાર્યકરોએ જયેશ જાદવ ઉપર હુમલો કરીને જાહેરમાં જ માર માર્યો હતો. જેમાં,શહેર ભાજપના મંત્રી છોટુ (ધનંજય) શિંદે સહિત બે ભાજપી આગેવાનો વિરુધ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.કોંગ્રેસના આગેવાનને માર મારવાના વિરોધમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઇ પટેલની આગેવાનીમાં ગુરુવારે સાંજે ચાર વાગે સેવાસદનના પ્રાંગણમાં એટલેકે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે દેખાવો યોજવામાં આવનાર છે. સુરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, નૂર્મની આવાસ યોજનામાં વિલંબ થઇ રહ્યો છે અને તેના કારણે ગરીબોને વગર વાંકે સહન કરવાનો વારો આવ્યો છે.
કોંગ્રેસી આગેવાનને માર મારવાના વિરોધમાં આજે સાંજે દેખાવો
ગરીબ આવાસ યોજનાના લાભાર્થીઓ માટેના લોન મેળામાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના માજી કાઉન્સિલરને ધીબી નાંખ્યો હતો. આ ઘટનાના વિરોધમાં શહેર કોંગ્રેસ આજે સાંજે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી દેખાવો કરનાર છે. એટલુ જ નહીં, ત્યાર બાદ પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપરત કરશે.શહેરના કશિનવાડી વિસ્તારમાં બુધવારે શહેરી ગરીબોના આવાસોના લાભાર્થીઓ માટે લોન મેળો યોજાયો હતો. આ લોનમેળામાં કોંગ્રેસના માજી કાઉન્સિલર અને શહેર અનુ.જાતિ મોરચાના અધ્યક્ષ જયેશ જાદવે ગરીબોને મકાન ક્યારે આપશો તેવો સવાલ ઉઠાવતાં ભારે હોબાળો મચી ગયો હતો.આ ઘટનામાં છંછેડાયેલા ભાજપના કેટલાક કાર્યકરોએ જયેશ જાદવ ઉપર હુમલો કરીને જાહેરમાં જ માર માર્યો હતો. જેમાં,શહેર ભાજપના મંત્રી છોટુ (ધનંજય) શિંદે સહિત બે ભાજપી આગેવાનો વિરુધ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.કોંગ્રેસના આગેવાનને માર મારવાના વિરોધમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઇ પટેલની આગેવાનીમાં ગુરુવારે સાંજે ચાર વાગે સેવાસદનના પ્રાંગણમાં એટલેકે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે દેખાવો યોજવામાં આવનાર છે. સુરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, નૂર્મની આવાસ યોજનામાં વિલંબ થઇ રહ્યો છે અને તેના કારણે ગરીબોને વગર વાંકે સહન કરવાનો વારો આવ્યો છે.
ભાજપના કાર્યકરોએ કોંગ્રેસીને ધીબ્યો
શહેરી ગરીબો માટેની આવાસ યોજનાના લાભાર્થીઓ માટેના લોન મેળાના પ્રસંગમાં ભાજપના કાર્યકરોએ માજી કોંગી કાઉન્સિલરને માર મારતાં ભારે હોબાળો મચી ગયો હતો.આ ઘટનામાં કોંગ્રસના માજી કાઉન્સિલરને ઇજા થતાં તેના વિરોધમાં શહેર કોંગ્રેસે આવતી કાલે દેખાવો સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપરત કરવાનું એલાન આપતા રાજકીય મોરચે ભડકો નિશ્વિત થયો છે.મહાનગર સેવાસદન અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના સહયોગથી શહેરી ગરીબ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે આજે સવારે કિશનવાડી ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આવાસ યોજનાના લાભાર્થીઓની હાજરીમાં આયોજિત સમારોહમાં મેયર બાળકૃષ્ણ શુક્લ, મ્યુ.કમિશનર મનોજકુમાર દાસ, ડેપ્યુટી મેયર, વિરોધ પક્ષના નેતા ડાયસ ઉપર હાજર રહ્યા હતા.આ ટાણે, કોંગ્રેસના માજી કાઉન્સિલર અને શહેર કોંગ્રેસના અનુ.જનજાતિ મોરચાના અધ્યક્ષ જયેશ જાદવ લાભાર્થીઓ સાથે સ્ટેજ ઉપર ધસી ગયા હતા અને ક્યાં સુધી ગરીબોએ ભાડાં ભરવાના તેવો સવાલ કર્યો હતો. ત્રણ ત્રણ વર્ષથી ગરીબો ભાડાં ભરી રહ્યા છે અને હજી સુધી મકાનોના ઠેકાણાં નથી તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો.એક તબક્કે વિરોધ પક્ષના નેતા ચિરાગ ઝવેરીની આભારવિધિ ચાલતી હતી ત્યારે મેયર બાળુ શુક્લે લોનની કાર્યવાહી પૂરી થયાના બીજા દિવસે લાભાર્થીને મકાનનો કબજો મળી જશે તેવી ખાતરી આપી હતી. પરંતુ, કોંગી આગેવાન જયેશ જાદવે ક્યાં સુધી ઉલ્લુ બનાવતા રહેશો તેવો ટોણો મારતાં ભાજપના કેટલાક કાર્યકરોના પેટમાં તેલ રેડાયું હતું અને જયેશ જાદવની ફેંટ પકડી ઝાપટ મારી દેતાં સન્નાટો છવાઇ ગયો હતો.એટલું જ નહીં, જયેશ જાદવને માર મારવામાં આવતા ભાજપના કેટલાક કાઉન્સિલરો અને વિપક્ષી નેતાઓ દ્વારા દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કરવામાં આવતા મામલો બેકાબૂ બનતાં અટક્યો હતો. જોકે, આ મારામારીમાં ઇજાગ્રસ્ત જયેશ જાદવને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી.આ ઘટનાને વખોડી કાઢતાં શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, મકાનોથી વંચિત લાભાર્થીઓ ઉપર ભાજપના કાર્યકરોએ કરેલા હુમલાના વિરોધમાં આવતી કાલે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે દેખાવો કરવામાં આવનાર છે અને ત્યારબાદ પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપરત કરવામાં આવનાર છે.તેવી જ રીતે, સેવાસદનના વિરોધ પક્ષના નેતા ચિરાગ ઝવેરીએ મુખ્યમંત્રીને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે, પેકેજ નં.૩ હેઠળ કિશનવાડી ખાતે ૧૩૪૪ મકાનો બાંધવામાં આવ્યા હતા અને ત્યાં બબ્બે કાર્યક્રમો બાદ પણ મકાન ફાળવવામાં આવ્યા નથી.ભાજપની નિષ્ફળતા છતી થતી જોઇ ભાજપના કાર્યકરોએ કિશનવાડી વિસ્તારના માજી સભાસદ જયેશ જાદવ ઉપર હુમલો કરી ગુંડાગીરીનું વરવું પ્રદર્શન કર્યું છે. ભારતીય જનતા પાર્ટી ભારતીય ગુંડા પાર્ટી બની ગયેલ છે તેવી તેમણે ટીકા પણ કરી હતી.લાભાર્થીઓને લોન મેળાનો લાભ મળે તે જયેશ જાધવને પચ્યું ન હતું : ભાજપદલિત સમાજના લોન મેળામાં કોંગ્રેસના માજી કાઉન્સિલરે ધાંધલ ધમાલ મચાવી હોવાનો આક્ષેપ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. ભાજપના શહેર અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી મગનભાઇ પરમાર અને સુરેન્દ્ર રાજે જણાવ્યું હતું કે, કિશનવાડી ખાતેના લોનમેળામાં ઉપસ્થિત લાભાર્થીઓને લાભ મળે તો સ્થાનિક વિસ્તારના માજી કાઉન્સિલર જયેશ જાદવને પચ્યુ ન હતું. તેઓ બદઇરાદા સાથે વાતાવરણ ડહોળવા અને લોન મેળાને નિષ્ફળ બનાવવા માટે સ્ટેજ ઉપર ચડી જયેશ જાદવે અભદ્ર વર્તન કર્યું હતું.તેમને ભાજપના કાર્યકરોએ સમજાવીને નીચે લાવ્યા ત્યારે તેમની સાથે તેઓ હાથાપાઇ ઉપર ઉતરી આવ્યા હતા તેવો આક્ષેપ કરી તેમણે માજી કાઉન્સિલર અગાઉ પણ દલિત સમાજને મળતાં લાભોથી વંચિત રાખવા માટે છપાયેલા કાટલા સમાન છે વધુમાં, આ બનાવને ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ.જીવરાજ ચૌહાણ અને શહેર મોરચાના પ્રમુખ ચંદ્રકાંત સોલંકીએ વખોડી કાઢયો છે.ભાજપના મંત્રી સહિત બે સામે પોલીસ ફરિયાદ,ભાજપના કાર્યકરોએ માજી કોંગી કાઉન્સિલર જયેશ જાધવને ઝૂડી નાંખતાં આ અંગે કિશનવાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે શહેર ભાજપ મંત્રી છોટુ શીંદે અને તેના સાગરીત ભૂરિયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ટ્યૂશન ચલાવતો આધેડ વિદ્યાર્થિનીને લઈને છુ
કાપોદ્રા રામકૃપા સોસાયટી ખાતે રહેતી ૧૯ વર્ષની યુવતીને વેડ રોડ પરના કલાસીસનો આધેડ સંચાલક લલચાવી ફોસલાવીને અપહરણ કરીને પલાયન થઈ ગયો હોવાનો આક્ષેપ કરતી અરજી કાપોદ્રા પોલીસ સ્ટેશને કરવામાં આવી છે, જેમાં યુવતીના પિતાએ એવો આક્ષેપ કર્યો છે કે વિદેશમાં સેટ કરવાની લાલચ આપીને મારી પુત્રીને લાઇફ સ્કીલ ઇન્ડિયા નામના સ્પોકન ઇંગ્લિશના કલાસ ચલાવતા આધેડે રીતસર ફસાવી છે.રામકૃપા સોસાયટી ખાતે રહેતા દિલીપભાઈ સોલંકી દરજીકામ કરીને ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં મોટી પુત્રી જાગૃતિ (૧૯) અને એક વર્ષ પહેલાં જ બીજી એક પુત્રીની પ્રાપ્તિ થઈ હતી. જાગૃતિ સુમુલ ડેરી રોડ પર આવેલી એસ.વી. પટેલ કોલેજમાં બીબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને છએક માસ પહેલાં વેડ રોડ પર માધવ કોમ્પ્લેક્સમાં ચાલતા લાઇફ સ્કીલ ઇન્ડિયા નામના સ્પોકન ઇંગ્લિશના કલાસ કરવા માટે જોડાઈ હતી. દરમિયાનમાં આ કોર્સ પૂરો થતાં કલાસના સંચાલક ધવલ હરશિંકર ત્રિવેદી (૪૫)એ જાગૃતિને નોકરીની ઓફર કરી હતી. આ ઓફર જાગૃતિએ સ્વીકારી હતી અને કોલેજની સાથેસાથે નોકરી પણ કરતી હતી. દરમિયાન ગત શનિવારના રોજ સવારે તે કોલેજ ગઈ હતી અને પછી ઘરે પાછી ન ફરતાં પરિવારના સભ્યોએ તેની શોધખોળ હાથ ધરી હતી.દરમિયાન પરિવારના સભ્યોને જાણવા મળ્યું હતું કે તે કોલેજથી સીધી જ કલાસ ખાતે ગઈ હતી અને ત્યારબાદ કલાસના સંચાલક ધવલ ત્રિવેદી સાથે ગઈ હતી. આ પછી તેનો કોઈ પત્તો નથી. આથી પરિવારના સભ્યોએ ધવલ ત્રિવેદીની શોધખોળ કરતાં જાણવા મળ્યું હતું કે તે કામરેજ પેસેફિક હોટલમાં રહેતો હતો અને કૈલાસ કોમ્પ્લેકસમાં કલાસની ઓફિસ પણ ખોલી હતી. પરંતુ તે પણ શનિવાર સવારથી ગાયબ છે. આથી આ અંગે મંગળવારે જાગૃતિના પિતાએ કાપોદ્રા પોલીસ સ્ટેશને રજુઆત કરી હતી. પરંતુ પોલીસે તેમની અરજી સ્વીકારી ન હતી. ત્યારબાદ બુધવારે આ અંગે અરજી સ્વીકારીને પોલીસ સબ ઇન્સપેક્ટર પરમારે વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ : જંબુસરના દરિયામાં શંકાસ્પદ બોટની હિલચાલ
ભરૂચ જિલ્લાના જંબુસર નજીકના નાડા ગામ નજીકના દરિયામાં શનિવારની રાત્રિથી એક શંકાસ્પદ બોટ ઊભી હોવા છતાં પોલીસ ચાર દિવસથી કોઈ કાર્યવાહી કરી શકી નથી.આ બોટ દેખાઈ ત્યારે રખેને આતંકીઓ હોય તેમ માની ગામવાસીઓએ પોલીસને જાણ કરી હતી પરંતુ સ્થળ પર પહોંચેલી જંબુસર પોલીસનો ટાંચા સાધનોની સાથે કિચડમાં બોટ સુધી પહોંચવાનો પનો ટૂંકો પડ્યો હતો.જંબુસર પોલીસે સુરત અને ભાવનગર મરિન પોલીસની મદદ માગી પણ પોતાની હદ ન હોવાનું બહાનું ધરી બંનેએ નનૈયો ભણી દીધો હતો. સ્ટેટ પોલીસ કંટ્રોલને જાણ કરાય પણ ત્યાંથી પણ મદદ ન મળી નહોતી.બોટમાં રાત્રે લાઈટ પણ ઝગમગે છે!આ શંકાસ્પદ બોટ બે દિવસથી એકની એક જગ્યાએ જ પડેલી છે. નવાઈની વાત તો એ છે કે આ બોટમાં રાત્રિના સમયે ફ્લેશ લાઈટ ઝગમગે છે. જેથી, તેનું લોકેશન પણ જાણી શકાય છે. આ જ બાબત બોટમાં કોઈ હોવાનો ઈશારો કરે છે. છતાં રાજ્યની પોલીસ તેને ગંભીરતાથી લેતું નથી અને ગામવાસીઓના જીવ અધ્ધર થઈ ગયા છે.ભરતી વેળા બોટ દરિયાની સપાટી ઉપર તરી આવે છે જેના કારણે તેને સ્પષ્ટ જોઈ શકાય છે. જ્યારે ઓટ આવતા જ તે ફરી કિચડમાં ખૂપી જાય છે. જેથી, દેખાતી બંધ થઈ જાય છે.ભરૂચ મરીન પોલીસ પાસે બોટ ન હોવાથી અમે પડોશી મરીન પોલીસ પાસે મદદ માગી છે. વળી, દરિયામાં કાદવ વધારે હોવાથી ત્યાં સુધી સ્થાનિક પોલીસ પહોંચી શકે તેમ નથી.
સ્વાઇન ફ્લૂથી મોતની બાબતમાં ગુજરાત બીજા નંબરે
સ્વાઇન ફ્લુને મહામારી જાહેર કરાયાં છતાં તેને અટકાવવામાં અસરકારક પગલાં લેવામાં સરકારની નિષ્ફળ રહી છે. ગુજરાત રાજ્યમાં ૧૬થી ૨૨ ઓગસ્ટ સુધીમાં સ્વાઇન ફ્લુના કારણે ૧૨ જણાનાં મોત થઈ ગયા છે. પરિણામે ગુજરાત દેશમાં સ્વાઇન ફ્લુના કારણે મૃતકોની સંખ્યાની બાબતમાં બીજા નંબરનું રાજ્ય બની ગયું છે.૧૬થી ૨૨ ઓગસ્ટ સુધીનાં આકડામાં મહારાષ્ટ્ર ૪૦ માત સાથે પ્રથમ નંબરે, ગુજરાત ૧૨ મોત સાથે બીજા નંબરે, કર્ણાટક ૮ મોત સાથે ત્રીજા નંબરે, મધ્ય પ્રદેશ ૬ મોત સાથે ચોથા નંબરે, દિલ્હી પાંચ મોત સાથે પાંચમાં નંબરે અને રાજસ્થાન ૪ જણાનાં મોત સાથે છઠ્ઠા નંબર પર રહ્યું છે. સુરત શહેરમાં આ સમયગાળામાં ૧૮૭ શંકાસ્પદ કેસ નોંધાયા છે.જેમાંથી ૨૧ કેસ પોઝિટીવ આવ્યા છે. આવા કેસોમાંથી સાતના મોત થયાં છે. શહેરમાં એક દિવસમાં શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના વધુ બે દર્દી નોંધાયા હતા. જેમાંથી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે બીજાનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. ૧૫ જૂન બાદ શહેરમાં સ્વાઇન ફ્લૂના બીજો રાઉન્ડ શરૂ થયો છે. અત્યાર સુધી ૧૮૫ શંકાસ્પદ દર્દી નોંધાયા છે, જેમાંથી ૨૧ પોઝિટિવ અને તેમાંથી ૭નાં મોત નીપજ્યાં છે. બુધવારે શહેરની મશિન અને એપલ હોસ્પિટલમાં બે શંકાસ્પદ દર્દી નોંધાયા હતા. મશિનમાં દાખલ ૧૮ વર્ષીય યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
સીમકાર્ડ કૌભાંડમાં CBIએ ભાવનગરના શખ્સને ઉઠાવ્યો
મહુવા શહેરમાં ચોકકસ જગ્યાએ રૂ.૨ થી ૨.૫૦માં સીમકાર્ડ ખરીદવા માટે ડોકયુમેન્ટ મળી રહે છે. જેથી આવા નકલી ડોકયુમેન્ટ ઉપર વેચાતા સીમકાર્ડથી દેશની સલામતી સામે ખતરો ઉભો થશે તેવા તા.૪ જૂન-૧૦ના રોજ સૌરાષ્ટ્ર સમાચારમાં અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. તેના અનુસંધાને ભાવનગરમાંના એક શખ્સને સીબીઆઇએ ઉઠાવી લીધાના સમાચારથી ડુપ્લીકેટ ડોકયુમેન્ટ ઉપર સીમકાર્ડ વેચતા લોકોમાં ભય અને ફફડાટ વ્યાપી ગયો છે.તાજેતરમાં ભાવનગર શહેર અને જુનાગઢમાંથી દેશવ્યાપી સીમકાર્ડ કૌભાંડ ચાલતુ હોવાના પગલે ભાવનગરમાં એક શખ્સને સીબીઆઇ પુછપરછ માટે લઇ ગઇ હોવાની ચર્ચા ઉઠતા મહુવા-ભાવનગરમાં નકલી ડોકયુમેન્ટ ઉપર સીમકાર્ડ વેચતા આવા તત્વોમાં ભય અને ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.મહુવામાં આ પ્રવૃતિ ઉપર અંકુશ આવ્યો હતો. પરંતુ સીમકાર્ડ ખરીદવા માત્ર ઝેરોક્ષ ડોકયુમેન્ટ ઉપર બ્લ્યુ સહીથી સ્વપ્રમાણિત કરેલી ડોકયુમેન્ટ જરૂરી બનાવવાની જરૂરીયાત હોવાનુ ચર્ચાય છે. ઉપરાંત સીમકાર્ડના ડોકયુમેન્ટમાં ચૂંટણી ફોટો ઓળખકાર્ડની ઝેરોક્ષ અને ફોર્મમાં ઓળખકાર્ડનો નંબર લખવો જરૂરી છે. અને ભવિષ્યમાં નેશનલ આઇડી અપાય ગયા બાદ નેશનલ આઇડીની ઓળખ ફરજીયાત બનાવવી જોઇએ તેમ પણ ચર્ચા છે.
ડીટીસી દ્વારા નોનસાઇટ હોલ્ડર્સને કાચા હીરા અપાશે
ડાયમંડ ઉદ્યોગમાં રફની અછત નિવારવા ડાયમંડ ટ્રેડિંગ કંપની (ડીટીસી) હવે ટૂંક સમયમાં પોતાની જ કંપની ડાયમંડેલ ઓનલાઇન ઓકશન દ્વારા સાઇટ હોલ્ડરોને ડી-બિયર્સના ડાયમંડ્સનું વેચાણ કરશે. ઉપરાંત નોનસાઇટ હોલ્ડર્સને પણ ટેન્ડર ભરવાની તક આપશ્, એમ ડીટીસીના સીઈઓ વરદા સાઈને સોમવારે લંડન ખાતે એક નિવેદનમાં જણાવ્યું હતું.ડીટીસીના આ પરિવર્તનને કારણે સુરત અને ભાવનગરના ડાયમંડ મેન્યુફેકચરર્સને સારો ફાયદો થશે.ડીટીસીના સીઈઓ વરદા સાઈને કહ્યું હતું કે અત્યારનું માર્કેટ અને બે વર્ષ પહેલાંની સ્થિતિ અને હવે પછીના દસકાને ધ્યાનમાં રાખીને પરિવર્તન જરૂરી હતું. સાઈને વધુમાં કહ્યું હતું કે ડીટીસી ડાયમંડેલને માલ સપ્લાય કરશે અને ડાયમંડેલના કલાયન્ટોને ઇન્ટેન્શન ટુ ઓફર(આઈટીઓ) હેઠળ રફ ખરીદવા આમંત્રણ આપશે. આને કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને વધુ ને વધુ રફનો પુરવઠો મળી શકશે.ડીટીસીના સીઇઓએ કહ્યું હતું કે સાઇટ હોલ્ડર્સ માટે ડાયમંડેલ ઓનલાઇન ઓકશન ઓક્ટોબર ૨૦૧૦થી શરૂ થશે અને એપ્રિલ ૨૦૧૧થી બાકીના ક્વોલિફાઇંગ ડાયમંડ ઉદ્યોગકારોને સુવિધા ઉપલબ્ધ થશે. વર્ષ ૨૦૦૮ની કારમી મંદી બાદ હીરાઉદ્યોગની ગાડી ફરી પાટે ચઢી રહી છે. ત્યારે રફની ભારે અછત બજારમાં ઊભી થઈ છે. ડાયમંડ કંપનીઓ પાસે પૂરતા ઓર્ડર છે પરંતુ કાચો માલ હાથ પર નથી. ડીટીસીના આ પરિવર્તનને કારણે ભાવનગરના ડાયમંડ મેન્યુફેકચરર્સને સારો ફાયદો થશે
ભચાઉમાં ચાર મહિલાએ કરી ચાંદીના દાગીનાની તફડંચી
ભચાઉમાં આજે ધોળા દિવસે સોની વેપારીને ચકમો આપીને ચાર મહિલાઓએ દુકાનમાંથી ચાંદીના દાગીનાની તફડંચી કરી જતાં થોડા સમય માટે વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. જો કે, દુકાનના સી.સી. ટી.વી. કેમેરામાં ચોરી કરતાં કેદ થયેલી મહિલામાંથી બેને તો તાત્કાલિક પકડી પાડવામાં આવી હતી.પકડાયેલી મહિલાઓ મૂળ મોરબી તરફથી હોવાનું ખૂલ્યું હતું. શહેરના સિધ્ધાચલ કોમ્પલેક્ષની સામે મારુતિ જવેલર્સ દુકાન ધરાવતા મયૂરકુમાર મહેશભાઇ સોનીની દુકાનમાં આજે ૩.૩૦ વાગ્યાની આસપાસ ચાર જેટલી મહિલાઓ અંદર ઘૂસી હતી અને સોની વેપારી ચાંદીના સાકળા બતાવવા કહ્યું હતું. જેમાં બે મહિલાઓ આગળ કાઉન્ટર બાજુ ઉભી હતી અને બે મહિલાઓ પાછળ ઉભી હતી.જેમાં જોતાં-જોતાં બે સાકળા જોડી તફડાવી લીધા અને અને પસંદ ન પડ્યાનું કહીને નીકળી ગઇ હતી. બાદ વેપારીએ સાકળા પરત મૂકતાં બે જોડી સાકળા ઓછા જોવા મળ્યા. કંઇક ગડબડ થઇ હોવાનું જણાતાં સી.સી. કેમેરામાં તપાસ કરતાં મહિલાઓની હાથ ચાલાકીની જાણ થઇ હતી. ત્યારબાદ તસ્કર મહિલાઓને શોધવાની તજવીજ હાથ ધરાઇ અને ભચાઉના વથાણ ચોકમાંથી ચારમાંથી બે મહિલાઓ પોલીસ હસ્તક પકડી પાડી હતી.જેમાં પી.એસ.આઇ. જે.જે.પટેલને ઘટનાની જાણ થતાં સી.સી. કેમેરામાં થયેલા શુટિંગ મારફત ન મળેલી. બે મહિલાઓની તપાસ ચાલુ કરવામાં આવી છે.બીજી તરફ પકડાયેલી બે મહિલાઓની મહિલા પોલીસ દ્વારા આકરી પૂછપરછ કરાતાં પણ તેમણે ચોરી કબૂલી નહોતી. પકડાયેલી મહિલાઓ મૂળ મોરબી બાજુની અને દેવીપૂજક હોવાનું જાણવા મળ્યું હતું.
‘ઝળુંબતું મોત’ હટાવવા સૂચના
ભુજના મહત્વના માર્ગોના ડિવાઇડર પર લગાવેલા પોલ પરના તૂટેલા અને નીચાં ડસ્ટિ્રીબ્યુશન બોક્સ હટાવવા નગરપાલિકાએ લોક ભાગીદારીની ટહેલ નાંખવા વિચાર્યું છે.સંભવિત અકસ્માત ટાળવા ત્વરાએ કામગીરી કરવા સૂચના અપાઇ છે.પાલિકાએ જ્યાં જ્યાં આવી ક્ષતિઓ છે, ત્યાં સ્થાનિક લોકો કે સંસ્થાના સહકારથી નવાં. સાધનો નાંખવા નક્કી કર્યું છે, ચીફ ઓફિસર ચેતન ડુડિયાએ કહ્યું કે, ભૂકંપ બાદ જીયુડીસી દ્વારા લાઇટોના કામ આડેધડ કરાયા હતા.જેના પરિણામે આજે આવી હાલત થઇ છે શહેરની તમામ લાઇટો સલામત તબક્કે લઇ જવા પાછળ અંદાજે ૧૫ લાખનો ખર્ચ કરવો પડે તેમ છે.કલેક્ટરે રિપોર્ટ માગ્યોકલેક્ટરે પણ આ અંગે તુરંત જ સાચી સ્થિતી અંગેનો રિપોર્ટ માંગ્યો હોવાનું પાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુડીયાએ જણાવ્યું હતું.
સોહરાબુદ્દીન કેસ: ગીતા જોહરી સીબીઆઈ સમક્ષ હાજર થયા
visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
સોહરાબુદ્દીન કેસ: ગીતા જોહરી સીબીઆઈ સમક્ષ હાજર થયા
2005ના સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસ અને સોહરાબુદ્દીનની પત્ની કૌસરબીની હત્યાના કેસની તપાસ કરનારા આઈપીએસ અધિકારી ગીતા જોહરી સીબીઆઈ સમક્ષ પ્રશ્નોતરી માટે હાજર થયા છે. ગીતા જોહરી આજે સવારે સાડા દસ કલાકે ગાંધીનગર ખાતેના જૂના સચિવાલય કેમ્પસમાં આવેલી સીબીઆઈની ઓફિસમાં પહોંચ્યા હતા. સીબીઆઈએ રાજકોટમાં પોલીસ કમિશનરના પદે ફરજ બજાવતા ગીતા જોહરીને 10 ઓગસ્ટે હાજર થવા માટેનું સમન્સ પાઠવ્યું હતું. પરંતુ ગીતા જોહરી લાંબી રજા પરથી પરત ફર્યા હોવાના કારણે સીબીઆઈ પાસે વધારે સમય આપવાની વિનંતી કરી હતી.પોતાની વિનંતીમાં ગીતા જોહરીએ કહ્યું હતું કે તેઓ લાંબા અંતરાલ બાદ ફરજ પર પાછા ફર્યા છે, માટે તેમને પ્રશ્નોના જવાબ આપવા માટે કેસના અભ્યાસ માટે સમયની જરૂર છે. ઉલ્લેખનીય છે કે સીબીઆઈને સુપ્રિમ કોર્ટ દ્વારા આ વર્ષે જાન્યુઆરી માસમાં કેસ સોંપાયા બાદ તપાસ એજન્સીએ ગીતા જોહરીની બે વખત પૂછપરછ કરી છે.સીબીઆઈને કેસ સુપરત કરતી વેળાએ સુપ્રિમ કોર્ટે ગુજરાત પોલીસના આઈજીપી ગીતા જોહરીના વડપણ હેઠળની સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમની અસફળતા સંદર્ભે પોતાની સખત નારાજગી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે આ કેસની તપાસ દરમિયાન સ્થાનિક પોલીસને મદદ કરી રહેલા આંધ્ર પ્રદેશના સાત પોલીસકર્મીઓની ઓળખ ન થવા બદલ નારાજગી વ્યક્ત કરાય હતી.ગુજરાત પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં નિષ્ફળતા અને કોર્ટને ગેરમાર્ગે દોરતા વિરોધાભાસી એકશન ટેકન રિપોર્ટ સંદર્ભે સુપ્રિમ કોર્ટે સખત ટિપ્પણી કરી હતી.કોર્ટે કહ્યું હતું કે જ્યારે તપાસ અધિકારીઓમાંના એક વી. એલ. સોલંકી તપાસને યોગ્ય દિશામાં લઈ જતાં હતા, ત્યારે ગીતા જોહરી તપાસ સાચી રીતે કરી શક્યા ન હતા.
ધોનીએ સેહવાગના ભરપેટ વખાણ કર્યા
105 રને વિજય મેળવ્યા બાદ ધોનીએ સેહવાગના ભરપેટ વખાણ કર્યા હતા. ધોનીએ જણાવ્યું હતું કે તે એક માત્ર એવો બેટ્સમેન હતો જે શ્રીલંકાના બોલરોની સામે ટકી શક્યો. તેની સાથે બેટિંગ કરવાની મજા આવી હતી. સેહવાગે ગત મેચમાં પણ 99 રન બનાવ્યા હતા અને આ મેચમાં સદી ફટકારી હતી. તેની સદીની મદદથી અમને લડાવા લાયક સ્કોર મળ્યો હતો.ધોનીએ સેહવાગની સાથે જીતનો શ્રેય બોલરોને આપતા જણાવ્યું હતું કે મેચના બીજા ભાગમાં બોલરોએ સારી કામગીરી કરી હતી. આશિશ અને મુનાફ પટેલે સારી બોલિંગ કરી હતી. બોલરોએ સારા પ્રદર્શનની મદદથી જીતને નિશ્ચિત બનાવી હતી. અમે પ્રવિણ કુમારને નવો બોલ એટલા માટે આપ્યો કારણ કે તે એકમાત્ર સ્વિંગ બોલર છે અને સ્વિંગ પર તેનું સારૂ નિયંત્રણ છે.
રામજન્મભૂમિ વિવાદના ચુકાદા પર `ઈમરજન્સી પ્લાન` બનશે
રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના અયોધ્યા મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચ દ્વારા 17 સપ્ટેમ્બરે અપાનારા ચુકાદાને કારણે કોઈ અપ્રિય ઘટનાથી બચવા માટે કેન્દ્ર સરકાર સંકટાવસ્થાની યોજના તૈયાર કરશે. સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે ગૃહ મંત્રાલય ઈમરજન્સી પ્લાન બનાવાની શરૂઆત કરશે અને આ સંદર્ભે વિચારવિમર્શની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ ચુકાદા બાદ સાંપ્રદાયિક સૌહાર્દ અને શાંતિ બનાવી રાખવાના ઉદેશ્યથી ઉત્તર પ્રદેશ સરકારે કેન્દ્ર પાસે અર્ધલશ્કરી દળોની 485 કંપનીઓ માંગી છે. આ ચુકાદાથી નક્કી થશે કે અયોધ્યામાં વિવાદીત રામજન્મભૂમિ સ્થળે મંદિર હતું કે નહીં? વડાપ્રધાન મનમોહન સિંહે પણ આ સંદર્ભે મંગળવારે એક ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. તે બેઠકમાં ગૃહમંત્રી પી. ચિદમ્બરમ, સંરક્ષણ મંત્રી એ.કે.એન્ટની, નાણાંમંત્રી પ્રણવ મુખર્જી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનને ભાગ લીધો હતો.ગુપ્તચર સંસ્થાઓની ખબરો પ્રમાણે, આ ચુકાદા વિરુદ્ધ લોકો સડકો પર ઉતરી શકે છે અને તેને કારણે ઓક્ટોબરમાં બિહારમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં ધ્રુવીકરણ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોટાભાગના અર્ધલશ્કરી દળોની તેનાતી રાજધાની નવી દિલ્હીમાં થનારા કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન કરવામાં આવશે. અયોધ્યા વિવાદનો કેસ 13 ડિસેમ્બર, 1992એ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો અને એજન્સીએ આરોપીઓ વિરુદ્ધ 27 ઓગસ્ટ, 1993ના રોજ આરોપપત્ર દાખલ કર્યું હતું.
ભારે માત્રામાં સોનુ ખરીદી રહ્યા છે ભારતીયો
તહેવારોની શરૂઆત સાથે જ ભારતમાં સોનાની માંગમાં ભારે વધારો થયો છે. પરિસ્થિતિ જોતા જાણવા મળ્યુ છે કે સોનાની માંગમાં 93.74 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. લોકો પોતાની જરૂરતો માટે સોનાના ઘરેણાતો ખરીદી જ રહ્યા છે, સાથે-સાથે રોકાણકારો માટે પણ લોકો આની ખરીદ્દારી કરી રહ્યા છે. આ વાત વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા જાણવા મળી છે. સોનાની માંગમાં અચાનક આવેલી તેજીને જોતા વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ પણ હેરાન છે. કાઉન્સિલનુ કહેવુ છે કે સોનાની માંગમાં આવેલી આ તેજી આગળ પણ ચાલુ રહેશે.પાછલા કેટલાય મહિનાઓથી દેશમાં સોનાની માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. જાણકારોનુ કહેવુ છે સારા ચોમાસાની સાથે સારી ગ્રોથ રેટના ચાલતા સોનાની માંગમાં તેજી આવી છે. થોડા સમયમાં લગ્નગાળાની મોસમ શરૂ થવાની છે આવામાં કહેવામાં આવી રહ્યુ છે કે આગલા 4-5 મહિના સુધી સોનાની માંગમાં સતત તેજી બનેલી રહેશે. પાછલા વર્ષે જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે સોનાની કુલ માંગ લગભગ 188 ટન રહી હતી. ત્યાજ આ વર્ષે આ ગાળામાંતો સોનાની માંગ 538 ટન રહેવા પામી છે
હવે જી-મેલથી કરો મોબાઇલ કૉલ
અત્યાર સુધી તમે જી-મેલ દ્વારા માત્ર પોતાના મેલ મોકલી સકતા હતા અથવા બીજાના મેલ પ્રાપ્ત કરી સકતા હતા. પરંતુ હવે તમે જી-મેલ દ્વારા ફોન કૉલ પણ કરી શકો છો.ગૂગલ દ્વારા કૉમ્પ્યૂટરથી કૉમ્પ્યૂટર ઉપર વોઈસ અથવા વિડિયો કૉલતો તમે પહેલા પણ કરી શકતા હતા, પરંતુ પ્રથમ વાર જી-મેલ સર્વિસ આપનાર કંપની ગૂગલે જી-મેલ દ્વારા મોબાઇલ ફોન અથવા લેન્ડ લાઇન ફોન ઉપર કૉલ કરવાની સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે.પોતાની આ નવી સર્વિસ દ્વારા ગૂગલ વેબ કૉલિંગ સર્વિસ આપનારી કંપનીયો, સ્પાઇક અને એટી એન્ડ ટીને ટક્કર આપવાની તૈયારીમાં છે. અમેરિકા અને કેનેડા માટે જી-મેલની આ ફોન કૉલ સર્વિસ આ વર્ષે મફતમાં આપવામાં આવશે. ત્યાજ બ્રિટન. ફ્રાન્સ. જર્મની, ચીન અને જાપાનના લોકોને આ સર્વિસ 2 સેન્ટ પ્રતિ મિનિટની એક દમ સસ્તા કૉલ દરમાં આપવામાં આવશે.
અમીનની પત્નીની અરજીની આજે સુનાવણી
સાબરમતી જેલમાં ડો. નરેન્દ્ર અમીનની જાનનું જોખમ હોઇ તેમની સુરક્ષા માટે યોગ્ય પગલા લેવા અમીનની પત્ની જયશ્રીબેને સીબીઆઇને અરજી સીબીઆઇને કરી હતી. જે બાબતે સીબીઆઇ દ્વારા સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં અમીનની સુરક્ષા મુદ્દે અરજી કરતાં કોર્ટે તેની આજે સુનાવણી હાથ ધરવાનો કોર્ટે આદેશ કર્યો હતો આજે હવે એ જોવાનું રહ્યું કે કોર્ટ અમીનની સુરાક્ષા માટે શું આદેશ કરે છે.થોડા દિવસ અગાઉ જ તેજા નામના એક માથાભારે કેદીએ કોર્ટ સમક્ષ એવો ઘટસ્ફોટ કર્યો હતો કે તેને સાબરમતી જેલના જેલરોએ જ ડો. નરેન્દ્ર અમીનનું મર્ડર કરી નાંખવા માટે રૂપીયા ૧૦ લાખની સોપારીની ઓફર કરી હતી. પરંતુ તેને ઓફર ઠુકરાવતાં જેલરોએ તેને ઢોર માર માર્યો હતો, આ બાબતને લઇને ફરી એક વખત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તાજના સાક્ષી બનવાની જાહારાત કરનાર ડો. નરેન્દ્ર અમીનની સલામતીને લઇને સવાલ ઉભા થયા છે.દેશભરમાં ચર્ચાનો વિષય બની રહેલ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં રાજ્યના માજી ગૃહરાજ્યમંત્રી અમિત શાહ સહિત કુલ ૧૫ આરોપીઓને સાબરમતી જેલમાં રાખવામાં આવેલ છે. જો કે વર્ષ ૨૦૦૭થી જેલમાં રાખવામાં આવેલા અને સસ્પેન્ડેડ પોલીસ અધિકારી ડો. નરેન્દ્ર અમીને પોતાની પાસેની માહિતી સીબીઆઇને આપીને તાજના સાક્ષી બનવાની અરજી કરી હતી.
વિકિલીક્સે ફરી અમેરિકાના ગુપ્ત દસ્તાવેજ જાહેર કર્યા
ગુપ્ત દસ્તાવેજો જાહેર કરનારી વેબસાઈટ વિકિલીક્સે ફરી એક વખત અમેરિકાની સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીનો(સીઆઈએ) એક ગુપ્ત રિપોર્ટ જાહેર કરી દીધો છે. ત્રણ પેજના આ રિપોર્ટમાં બીજી ફેબ્રુઆરી-2010ની તારીખ નોંધવામાં આવી છે. સમાચાર ચેનલ સીએનએનના જણાવ્યા પ્રમાણે રિપોર્ટનું શીર્ષક ‘શું વિદેશીઓ અમેરિકાને આતંકવાદના નિકાસકાર તરીકે જુએ છે’ એવું રાખવામાં આવ્યું છે.નોંધનીય છે કે વિકિલીક્સે થોડા દિવસો પહેલા જ અફઘાનિસ્તાન યુદ્ધ અંગેના અમેરિકાના 90000 જેટલા ગુપ્ત દસ્તાવેજો જાહેર કરી દીધા હતાં. વિકિલીક્સે એમ પણ જણાવ્યું હતું કે તે થોડા સમય બાદ 15000 જેટલા વધારે દસ્તાવેજ જાહેર કરશે. અમેરિકાના રક્ષા વિભાગે વિકિલીક્સને તમામ જાહેર કરવામાં આવેલા દસ્તાવેજો વેબસાઈટ પરથી હટાવી લેવાની સુચના આપી છે.નવા જાહેર થયેલા રિપોર્ટ અંગે સીઆઈએના પ્રવક્તા જ્યોર્જ લિટલએ જણાવ્યું હતું કે આ એક નાનો રિપોર્ટ છે. જેમાં સામાન્ય વિચારો પર અલગ અલગ ચર્ચાઓ કરવામાં આવી છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ગુપ્ત દસ્તાવેજ જાહેર થવાથી હંમેશા સમસ્યા થાય છે પરંતુ આ કેસમાં કોઈ ચિંતા જેવું નથી. કારણ કે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં વાંધાજનક કોઈ નથી.
1962ના ભારત-ચીન યુદ્ધનો રિપોર્ટ જાહેર થશે નહીં
ભારત-ચીન વચ્ચે 1962માં થયેલા યુદ્ધના સરકારી રેકોર્ડ માહિતીના અધિકાર કે અન્ય કોઈ કાયદા હેઠળ સાર્વજનિક નહીં કરી શકાય. કારણ કે તેનાથી બંને દેશો વચ્ચે સીમા વિવાદ પર ચાલી રહેલી વાતચીતને અસર થઈ શકે છે.મુખ્ય માહિતી કમિશનર (સીઆઈસી) વજાહત હબીબુલ્લાએ બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે આ વર્ગીકૃત રિપોર્ટના કેટલાંક અંશો રાષ્ટ્રીય હિતમાં નથી. તેમાં ભારતીય સેનાના તત્કાલિન શીર્ષસ્થ અધિકારીઓની અક્ષમતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે વરિષ્ઠ પત્રકાર કુલદીપ નૈયરના મામલાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે નૈયરે ભારત-ચીન યુદ્ધ દરમિયાન ભારતના તત્કાલિન વિદેશ મંત્રી સ્વર્ણ સિંહ અને પાકિસ્તાનના તત્કાલિન વિદેશ મંત્રી ઝુલ્ફિકાર અલી ભુટ્ટો વચ્ચે થયેલી વાતચીતની જાણકારી માંગી હતી. પરંતુ તેમના આગ્રહને નામંજૂર કરવામાં આવ્યો હતો. જો કે સરકારે એક ઉચ્ચસ્તરીય કમિટી બનાવી છે. આ કમિટી અંતિમ નિર્ણય કરશે.હબીબુલ્લાએ કહ્યું હતું કે અમેરીકા અને બ્રિટનમાં કોઈ યુદ્ધના 20 વર્ષ બાદ તેની સાથે સંલગ્ન દસ્તાવેજોને વર્ગીકૃત શ્રેણીમાંથી હટાવાની જોગવાઈ છે. પરંતુ ભારતમાં રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને જ આમ કરી શકાય છે.
ભારતમાં ઑડીની સસ્તી લક્ઝૂરિયસ કાર મળશે
યૂરોપમા ધૂમ મચાવી ચુકેલી જર્મનીની પ્રસિદ્ઘ કાર કંપની ઑડીની સસ્તા લક્ઝરી કારને કંપની ભારતમાં ઉતારવાની તૈયારીમાં છે. આ લક્ઝરી કારનુ નામ છે એ-વન કૉમ્પેક્ટ અને આ અત્યારે માત્ર યુરોપમાં વેચાઈ રહી છે.ઑડીના સેલ્સ પ્રમુખે જણાવ્યુ હતુ કે હવે આ કાર યુરોપ બહાર પણ વેચવામાં આવશે. આવતા વર્ષે ભારત સહિત કેટલાક અન્ય દેશોમાં પણ આના વેચાણની સંભાવના છે. આ કાર માટે વિશેષ પ્રકારે બનાવવામાં આવેલી વેબસાઈટમાં લગભગ ડોઢ લાખ લોકોએ રસ દાખવ્યો છે.આ લક્ઝરી કાર મર્સિડીઝ બેન્ઝ એ ક્લાસને ટક્કર દેવા માટે તૈયાર કરવામાં આવી છે. ત્યાં આની કિંમત લગભગ 15,800 યૂરો (9,40,000 રૂપીયા) છે. ભારતમાં આ કારને આયાત કરીને વેચવા પર 150 ટકા કર લાગશે.
“પાર્થે મારી જિંદગી નર્ક બનાવી દીધી”
આંબાવાડીમાં રહેતી એર હોસ્ટેસે તેના ભાવિ પતિ વિરુદ્ધ નોંધાવેલી બળાત્કારની ફરિયાદ બાદ સરખેજ પોલીસે આરોપી યુવક તથા તેની માતાની ધરપકડ કરી છે. આ કેસમાં હવે યુવકે યુવતીના ચારિત્ર્ય પર આક્ષેપો કર્યા છે, તો યુવતીએ પણ આરોપી પાર્થે તેના રૂપિયા જોઇ તેને ફસાવી તેની જિંદગી નર્ક બનાવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.આંબાવાડીમાં રહેતી અને એક ખાનગી એરલાઇન્સમાં ફરજ બજાવી ચૂકેલી નિલમે (નામ બદલ્યું છે) તેના પર બોપલનાં અવંતી બંગલોઝમાં રહેતા પાર્થે સગાઇ બાદ બળાત્કાર ગુજાર્યો હોવાની તથા તેમની અંગત પળોને મોબાઇલમાં ઉતારી લઇ તેને બ્લેક મેઇલ કરી હોવાના ગંભીર આક્ષેપ કરતી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બુધવાર મોડી રાત્રે પાર્થની ઘરેથી ધરપકડ કરી હતી.નિલમની ફરિયાદમાં પાર્થનાં માતા-પિતાનું પણ પાર્થની મદદ કરવા બદલ આરોપી તરીકે નામ હોઇ પોલીસે બુધવાર સાંજે પાર્થની માતા દિપ્તીબેનની પણ ધરપકડ કરી હતી. જ્યારે પોલીસના કહેવા પ્રમાણે પાર્થના પિતા અમિત વસાવડા હાલ વિદેશ છે. યુવતી પર બળાત્કારના આરોપસર પકડાયેલા પાર્થે પોલીસની પૂછપરછમાં યુવતી પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે, નિલમ સગાઇ બાદ પણ અન્ય યુવકો સાથે તેની જાણ બહાર વાતો કરતી તે મુદ્દે બંને વચ્ચે તકરાર થતી રહેતી હતી.
સલ્લુને કારણે કેટરિના રડવા લાગી!
મંગળવારની સાંજ કેટરિના માટે સૌથી દુ:ખદ રહી હતી. કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર બન્યા બાદ કેટરિનાએ પત્રકાર પરિષદને સંબોધી હતી. જો કે આ સમયે મીડિયાએ કેટને અંગત સવાલો અને ખાસ કરીને સલમાન સાથેના બ્રેક અપ અંગે પૂછ્યું હતું. જેને કારણે કેટરિના દુખી થઈ ગઈ હતી.શરૂઆતમાં તો કેટરિનાએ તમામ સવાલોના જવાબ ટાળ્યા હતા અને માત્ર સ્માઈલ આપી દેતી હતી. જો કે કેટલાંક પત્રકારોએ અંગત સવાલો અને ટિપ્પણી કરતાં કેટરિના ગુસ્સે થઈ ગઈ હતી અને પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શકી નહોતી. તેણે કંઈ પણ વિચાર્યા વગર કહી નાંખ્યું હતું કે, જો સલમાને કહ્યું છે કે તેઓ અલગ થઈ ગયા છે તો તેઓ અલગ છે અને તે વાત સાચી છે.કેટરિનાના નિકટના મિત્રે કહ્યું હતું કે, કેટરિના ઘણી જ મજબૂત યુવતી છે અને જાહેરમાં ક્યારેય પોતાની લાગણીઓને વ્યક્ત કરતી નથી પરંતુ મંગળવારના રોજ તે ઘણી ભાંગી પડી હતી. સલમાને બ્રેક અપની વાત કહી અને સવાલો કેટરિનાને પૂછવામાં આવતા હતા અને આ જ કારણથી તેને ઘણું સહન કરવું પડ્યું હતુ.વધુમાં કેટરિના ગુસ્સે થઈ ગઈ હતી. સલમાને જે પણ જાહેરમાં કહ્યું તે તેઓનું અંગત જીવન છે અને તેઓ પોતાની રીતે નિર્ણય લઈ શકવામાં સમર્થ છે.સલમાને જ્યારથી કહ્યું છે કે, તે સિંગલ છે ત્યારથી જ કેટરિનાને સવાલો પૂછવામાં આવી રહ્યા છે. તો બીજી બાજુ કેટરિનાના સલમાનના પરિવાર સાથે ખાસ સંબંધો છે.
‘જાડેજાને ઘણી તકો આપી હવે ઇરફાનને લાવો’
1983નો વિશ્વકપ ભારતે જ્યારે જીત્યો ત્યારે ભારત પાસે મહાન બોલરો ન હતા. પરંતુ ભારત પાસે કેટલાક સારા કહી શકાય તેવા ઓલ રાઉન્ડર હતા. કપિલ દેવ, મોહિન્દર અમરનાથ, રોજર બિન્ની, મદન લાલ અને રવિ શાસ્ત્રી કે જેઓએ વિશ્વકપમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને ભારતને એકમાત્ર વિશ્વકપ જીતી આપ્યો. ત્યારે આગામી વિશ્વકપ કે જે ભારત સહિતના પાડોશી દેશોમાં યોજાઇ રહ્યો છે. તેમાં સારું પ્રદર્શન કરવાની તૈયારી ભારતે આદરી છે. જો કે ભારત પાસે અત્યારે એકમાત્ર રવિન્દ્ર જાડેજા ઓલ રાઉન્ડર તરીકે છે. પરંતુ તે જોઇએ તેવું સારું પ્રદર્શન કરી રહ્યો નથી.પૂર્વ ભારતીય કોચ અને 1983 વિશ્વકપની વિજેતા ટીમના સભ્ય મદન લાલ પણ હવે ઇરાફન પઠાણને એક ઓલરાઉન્ડર તરીકે ટીમ ઇન્ડિયામાં સમાવવામા આવે તે વાતના સમર્થનમાં આવ્યા છે. તેમનું કહેવું છે કે, ટીમ ઇન્ડિયાએ રવિન્દ્ર જાડેજાના સ્થાને ઇરફાન પઠાણને ઓલરાઉન્ડર તરીકે વનડે ટીમમાં સ્થાન આપવું જોઇએ. કારણ કે, જાડેજાને પુરતી તક આપવામાં આવી છે. છતાં, તે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ નિવડ્યો છે.શેન વોર્નના માર્ગદર્શન હેઠળની રાજસ્થાન રોયલ્સ ટીમ તરફથી આઈપીએલમાં રમીને શાનદાર પ્રદર્શન થકી વિશ્વભરની ચાહના મેળવનાર રવિન્દ્ર જાડેજા આંતરરાષ્ટ્રીય ટીમમાં આઈપીએલ એ જેવો જાદૂ ચલાવી શક્યો નથી. તેથી ભારત પાસે ઓલરાઉન્ડર તરીકે જોઇએ તેટલા વિકલ્પ નથી. ત્યારે મદનલાલે ટીમ ઇન્ડિયાને ઇરફાન પઠાણનું નામ સુચવ્યું છે. અને તેને ટીમમાં સમાવવો જોઇએ તેમ એક સ્પોર્ટ્સ વેબસાઇટને આપેલા ઇન્ટર્વ્યુંમાં જણાવ્યું છે. તેમણે કહ્યું કે, રવિન્દ્ર જાડેજાના સ્થાને ઇરફાનને તક આપવી જોઇએ. ઇરફાન ટીમ ઇન્ડિયામાં એક ઓલરાઉન્ડરની ભૂમિકામાં યોગ્ય રીતે ફિટ બેસે છે. રિવન્દ્ર જાડેજા એક સારો યુવા ખેલાડી છે. તેમાં નાની અમથી શંકા ઉભી થાય છે. કારણ કે, તેને ઘણી તકો મળી છે. પરંતુ તે સારું પ્રદર્શન કરી શક્યો નથી. ત્યારે ભારતે ઇરફાન પઠાણને ટીમમાં પરત લાવવો જોઇએ.તેમણે વધુમાં કહ્યું કે, ઇરફાન એક સારો ઓલ રાઉન્ડર છે. તે વનડેમાં વિકેટ ટુ વિકેટ બોલ કરી શકે છે. પરંતુ તેની સૌથી મોટી સ્ટ્રેન્થ તેની બેટિંગ છે. તે લથડી પડતી બાજીને સંભાળી શકે છે.
ફેસબુક ઑર્કુટને પછાડીને નંબર વન
ભારતમાં સાશિયલ નેટવર્કિંગ સાઇટ્સની બાબતમાં ફેસબુકે પોતાના હરીફને માત આપી દીધી છે. હવે ભારતમાં ફેસબુક નંબર વન સોશિયલ નેટવર્કિંગ સાઇટ બની ગઈ છે. ફેસબુકે પોતાના ઑર્કુટ અને યાહૂ જેવા હરીફોને પછાડ્યા છે.
રિસર્ચ ફર્મ કૉમસ્કોર દ્વારા પ્રકાશિત એક તાજા આંકડાઓ પ્રમાણે જુલાઈમાં દેશમાં ફેસબુકના 2.9 કરોડ વિઝિટર રહ્યા હતા. પાછલા એક વર્ષ દરમિયાન ફેસબુક પર વિઝિટરની સંખ્યા 179 ટકા વધી ગઈ છે. અત્યાર સુધી ભારત એ દેશોના લિસ્ટમાં સમાવિષ્ટ હતુ જ્યાં સોશિયલ નેટવર્કિંગ સાઇટની બાબતમાં ઑર્કુટનો દબદબો હતો.દુનિયાની સૌથી મોટી સર્ચ એન્જીન ગૂગલની નેટવર્કિંગ સાઇટ ઑરકુટ ભારતમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સની બાબતમાં બીજા નંબરે આવી ગયુ છે. જુલાઈ માસમાં આ સાઇટ પર 1.99 કરોડ વિઝિટર્સ આવ્યા હતા. ઑર્કુટ પછી ત્રીજા સ્થાને છે ભારતસ્ટ્યૂડન્ટ, આના વિઝિટર્સની સંખ્યા લગભગ 44 લાખ રહી છે. ત્યાજ ટ્વિટર માં 33 લાખ વિઝિટર્સ જોવા મળ્યા છે. સમાચાર છે કે ભારતમાં ફેસબુકના હાથે પછડાયા પછી ઑર્કુટ પોતાની સાઇટનો લેઆઉટસ બદલવા જઈ રહી છે. પરંતુ જાણકારોના કહેવા પ્રમાણે હવે ઘણી વાર થઈ ચુકી છે. અને આ ફેરફારો છત્તા ઑર્કુટ માટે ફેસબુકને પછાડવુ ઘણુ મુશ્કેલ છે.
આ વડોદરાની નહિ અમદાવાદની ભૂમિ છે
બાળપણથી જ અભિનય ક્ષેત્રમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હોય અને સાથોસાથ મેજિશિયન તરીકે પણ શો કરતાં હોય ત્યારે ક્યા ક્ષેત્રમાં આગળ વધવું તે પ્રશ્ન ઘણો વિચાર માંગી લે છે. આવો જ વિચાર પંદર વર્ષની ઉંમરે ભૂમિ શુક્લને પણ આવ્યો અને તે જ વર્ષે એણે મેજિકની દુનિયા છોડી અભિનયના મેજિકલ ક્ષેત્રમાં આગળ વધવાનો મક્કમ નિર્ણય કરી લીધો. ગુજરાતી નાટકો, ફિલ્મો અને ગુજરાતી સિરિયલોમાં કામ કરી ચૂકેલી અમદાવાદની ભૂમિ શુક્લ હાલમાં સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી સિરિયલ ‘હમારી દેવરાની’માં અલ્પાનું પાત્ર ભજવે છે.અઢાર વર્ષથી અભિનય ક્ષેત્ર સાથે સંકલાયેલી ભૂમિ કહે છે, ‘મારા પિતા કૌશિક શુક્લ પણ અભિનયના ક્ષેત્રે સંકળાયેલા હતા તેથી મને અભિનય વારસામાં મળ્યો છે. અત્યારે તો મારા પિતા ઇવેન્ટ મેનેજરનું અને મેજિશિયન તરીકે કામ કરે છે. માતા રક્ષાબહેન અને પિતાના સહકારથી જ આજે હું આ ક્ષેત્રમાં આગળ વધી શકી છું.હું આઠ વર્ષની હતી ત્યારે મેં પહેલી વખત ગુજરાતી સિરિયલ ‘સત્યમ’માં ચાઇલ્ડ આર્ટિસ્ટની ભૂમિકા ભજવીને મારી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. એ પછી તો મેં ‘હુતોહુતી’ જેવી બીજી અનેક સિરિયલોમાં કામ કર્યું. નાની હતી ત્યારે અભિનયની સાથે મને જાદુમાં પણ ખૂબ રસ હોવાથી હું જાદુ શીખી અને નાનપણથી જ મેજિક શો કરવા લાગી. મેં ઘણા મેજિક શો કર્યા છે અને અનેક એવોર્ડ પણ તેમાં મેળવ્યાં છે. હું એક મેજિશિયન છું એમ કહું તો ખોટું પણ નથી.’અમદાવાદની એચ.કે. આર્ટ્સ કોલેજમાંથી ભૂમિ શુક્લએ ઇંગ્લિશ લિટરેચર સાથે ગ્રેજયુએશન કર્યું છે. ૨૦૦૧માં અમદાવાદમાં ‘બેસ્ટ મોડલ ઓફ ધ યર’નું બિરુદ મેળવ્યું હતું.
ટેસ્ટ ક્રિકેટનો આ રેકોર્ડ જે આજે પણ અતૂટ છે
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા ખેલાડીઓ અને ટીમોએ વિશ્વ રેકોર્ડ સ્થાપ્યા અને ઘણી ટીમો અને ખેલાડીઓએ એ રેકોર્ડ તોડીને નવા રેકોર્ડ ક્રિતીમાન કર્યાં છે. જે અંગે દરેક ક્રિકેટ પ્રેમી જાણે છે. પરંતું બહુ ઓછા ક્રિકેટ ચાહકોને એ વાતની ખબર હશે કે, વિશ્વ ક્રિકેટમાં એક એવો રેકોર્ડ નોંધાયો છે(બ્રાયન લારાએ કરેલા 400 રન ઉપરાંત) કે, જે અત્યાર સુધી તુટી શક્યો નથી.
આમ તો સચિન તેંડલુકર, બ્રાયન લારા, ગિલક્રિસ્ટ મુરલીધરન, શેન વોર્ન, કુંબલે દરેક મહાન ખેલાડીએ ઘણા રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા છે. આ તમામે જૂના મહાન ખેલાડીઓએ બનાવેલા રેકોર્ડોને તોડીને તેના સ્થાને નવા રેકોર્ડ સર્જયા છે. તે પછી સૌથી વધારે રન, વિકેટ કે પછી સૌથી વધારે ટેસ્ટ રમવાનો હોય. વર્ષ 1938માં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી એશીઝ શ્રેણીને પાંચમી ટેસ્ટમાં એક અનોખો રેકોર્ડ સર્જાયો હતો. અને છે એક ઇનિંગમાં સૌથી વધારે રન આપવાનો.ઓવેલ ખાતે રમાયેલી એ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ પ્રથમ બેટિંગ કરી રહ્યું હતું. જેમાં ઇંગ્લેન્ડ ઐતિહાસિક 903 રન બનાવ્યા હતા. જો કે, આટલો વિશાળ સ્કોર ખડો કરવામાં ઓસ્ટ્રેલિયાના બોલર ફ્લીટવૂડ-સ્મિથે વહેંચેલા રનનું યોગદાન અભૂતપૂર્વ છે.ફ્લીટવૂડે આ મેચની પ્રથમ ઇનિંગમાં 87 ઓવર નાંખી હતી. જેમાં 11 મેડન ગઇ હતી. જો કે, તેણે 3.42ની ઇકોનોમી સાથે અધધ 298 રન આપ્યા હતા. જે ક્રિકેટ ઇતિહાસમાં અત્યારસુધી કોઇ બોલર દ્વારા વિરોધી ટીમને આપેલા રનોની સંખ્યામાં વધારે છે. અને આ રીતે ફ્લીટવૂડે એક અનોખો રેકોર્ડ પ્રસ્થાપિત કરી દીધો. જે આજ સુધી અતૂટ રહ્યો છે.નોંધનીય છે કે, આ મેચ દરમિયાન ઇંગ્લેન્ડે ફટકારેલા 903 રન પણ એક વિશ્વ રેકોર્ડ સમાન છે. અને 1997-98માં શ્રીલંકાએ ભારત સામે બનાવેલા 952 રન બાદ આ એક વિશાળ સ્કોર છે. તેમજ 1938માં રમાયેલી ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચેની એશીઝની પાંચમી મેચમાં ઓસ્ટ્રેલિયાએ મેળવેલા એક ઇનિંગ અને 579 રનના કારમા પરાજયે પણ પોતાની રીતે એક અલગ રેકોર્ડ બનાવ્યો છે. જે પણ અતૃટ છે.
સોહરાબુદ્દીન કેસ: ગીતા જોહરી સીબીઆઈ સમક્ષ હાજર થયા
2005ના સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસ અને સોહરાબુદ્દીનની પત્ની કૌસરબીની હત્યાના કેસની તપાસ કરનારા આઈપીએસ અધિકારી ગીતા જોહરી સીબીઆઈ સમક્ષ પ્રશ્નોતરી માટે હાજર થયા છે. ગીતા જોહરી આજે સવારે સાડા દસ કલાકે ગાંધીનગર ખાતેના જૂના સચિવાલય કેમ્પસમાં આવેલી સીબીઆઈની ઓફિસમાં પહોંચ્યા હતા. સીબીઆઈએ રાજકોટમાં પોલીસ કમિશનરના પદે ફરજ બજાવતા ગીતા જોહરીને 10 ઓગસ્ટે હાજર થવા માટેનું સમન્સ પાઠવ્યું હતું. પરંતુ ગીતા જોહરી લાંબી રજા પરથી પરત ફર્યા હોવાના કારણે સીબીઆઈ પાસે વધારે સમય આપવાની વિનંતી કરી હતી.પોતાની વિનંતીમાં ગીતા જોહરીએ કહ્યું હતું કે તેઓ લાંબા અંતરાલ બાદ ફરજ પર પાછા ફર્યા છે, માટે તેમને પ્રશ્નોના જવાબ આપવા માટે કેસના અભ્યાસ માટે સમયની જરૂર છે. ઉલ્લેખનીય છે કે સીબીઆઈને સુપ્રિમ કોર્ટ દ્વારા આ વર્ષે જાન્યુઆરી માસમાં કેસ સોંપાયા બાદ તપાસ એજન્સીએ ગીતા જોહરીની બે વખત પૂછપરછ કરી છે.સીબીઆઈને કેસ સુપરત કરતી વેળાએ સુપ્રિમ કોર્ટે ગુજરાત પોલીસના આઈજીપી ગીતા જોહરીના વડપણ હેઠળની સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમની અસફળતા સંદર્ભે પોતાની સખત નારાજગી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે આ કેસની તપાસ દરમિયાન સ્થાનિક પોલીસને મદદ કરી રહેલા આંધ્ર પ્રદેશના સાત પોલીસકર્મીઓની ઓળખ ન થવા બદલ નારાજગી વ્યક્ત કરાય હતી.ગુજરાત પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં નિષ્ફળતા અને કોર્ટને ગેરમાર્ગે દોરતા વિરોધાભાસી એકશન ટેકન રિપોર્ટ સંદર્ભે સુપ્રિમ કોર્ટે સખત ટિપ્પણી કરી હતી.કોર્ટે કહ્યું હતું કે જ્યારે તપાસ અધિકારીઓમાંના એક વી. એલ. સોલંકી તપાસને યોગ્ય દિશામાં લઈ જતાં હતા, ત્યારે ગીતા જોહરી તપાસ સાચી રીતે કરી શક્યા ન હતા.
ધોનીએ સેહવાગના ભરપેટ વખાણ કર્યા
105 રને વિજય મેળવ્યા બાદ ધોનીએ સેહવાગના ભરપેટ વખાણ કર્યા હતા. ધોનીએ જણાવ્યું હતું કે તે એક માત્ર એવો બેટ્સમેન હતો જે શ્રીલંકાના બોલરોની સામે ટકી શક્યો. તેની સાથે બેટિંગ કરવાની મજા આવી હતી. સેહવાગે ગત મેચમાં પણ 99 રન બનાવ્યા હતા અને આ મેચમાં સદી ફટકારી હતી. તેની સદીની મદદથી અમને લડાવા લાયક સ્કોર મળ્યો હતો.ધોનીએ સેહવાગની સાથે જીતનો શ્રેય બોલરોને આપતા જણાવ્યું હતું કે મેચના બીજા ભાગમાં બોલરોએ સારી કામગીરી કરી હતી. આશિશ અને મુનાફ પટેલે સારી બોલિંગ કરી હતી. બોલરોએ સારા પ્રદર્શનની મદદથી જીતને નિશ્ચિત બનાવી હતી. અમે પ્રવિણ કુમારને નવો બોલ એટલા માટે આપ્યો કારણ કે તે એકમાત્ર સ્વિંગ બોલર છે અને સ્વિંગ પર તેનું સારૂ નિયંત્રણ છે.
રામજન્મભૂમિ વિવાદના ચુકાદા પર `ઈમરજન્સી પ્લાન` બનશે
રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના અયોધ્યા મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચ દ્વારા 17 સપ્ટેમ્બરે અપાનારા ચુકાદાને કારણે કોઈ અપ્રિય ઘટનાથી બચવા માટે કેન્દ્ર સરકાર સંકટાવસ્થાની યોજના તૈયાર કરશે. સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે ગૃહ મંત્રાલય ઈમરજન્સી પ્લાન બનાવાની શરૂઆત કરશે અને આ સંદર્ભે વિચારવિમર્શની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ ચુકાદા બાદ સાંપ્રદાયિક સૌહાર્દ અને શાંતિ બનાવી રાખવાના ઉદેશ્યથી ઉત્તર પ્રદેશ સરકારે કેન્દ્ર પાસે અર્ધલશ્કરી દળોની 485 કંપનીઓ માંગી છે. આ ચુકાદાથી નક્કી થશે કે અયોધ્યામાં વિવાદીત રામજન્મભૂમિ સ્થળે મંદિર હતું કે નહીં? વડાપ્રધાન મનમોહન સિંહે પણ આ સંદર્ભે મંગળવારે એક ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. તે બેઠકમાં ગૃહમંત્રી પી. ચિદમ્બરમ, સંરક્ષણ મંત્રી એ.કે.એન્ટની, નાણાંમંત્રી પ્રણવ મુખર્જી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનને ભાગ લીધો હતો.ગુપ્તચર સંસ્થાઓની ખબરો પ્રમાણે, આ ચુકાદા વિરુદ્ધ લોકો સડકો પર ઉતરી શકે છે અને તેને કારણે ઓક્ટોબરમાં બિહારમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં ધ્રુવીકરણ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોટાભાગના અર્ધલશ્કરી દળોની તેનાતી રાજધાની નવી દિલ્હીમાં થનારા કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન કરવામાં આવશે. અયોધ્યા વિવાદનો કેસ 13 ડિસેમ્બર, 1992એ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો અને એજન્સીએ આરોપીઓ વિરુદ્ધ 27 ઓગસ્ટ, 1993ના રોજ આરોપપત્ર દાખલ કર્યું હતું.
ભારે માત્રામાં સોનુ ખરીદી રહ્યા છે ભારતીયો
તહેવારોની શરૂઆત સાથે જ ભારતમાં સોનાની માંગમાં ભારે વધારો થયો છે. પરિસ્થિતિ જોતા જાણવા મળ્યુ છે કે સોનાની માંગમાં 93.74 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. લોકો પોતાની જરૂરતો માટે સોનાના ઘરેણાતો ખરીદી જ રહ્યા છે, સાથે-સાથે રોકાણકારો માટે પણ લોકો આની ખરીદ્દારી કરી રહ્યા છે. આ વાત વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા જાણવા મળી છે. સોનાની માંગમાં અચાનક આવેલી તેજીને જોતા વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ પણ હેરાન છે. કાઉન્સિલનુ કહેવુ છે કે સોનાની માંગમાં આવેલી આ તેજી આગળ પણ ચાલુ રહેશે.પાછલા કેટલાય મહિનાઓથી દેશમાં સોનાની માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. જાણકારોનુ કહેવુ છે સારા ચોમાસાની સાથે સારી ગ્રોથ રેટના ચાલતા સોનાની માંગમાં તેજી આવી છે. થોડા સમયમાં લગ્નગાળાની મોસમ શરૂ થવાની છે આવામાં કહેવામાં આવી રહ્યુ છે કે આગલા 4-5 મહિના સુધી સોનાની માંગમાં સતત તેજી બનેલી રહેશે. પાછલા વર્ષે જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે સોનાની કુલ માંગ લગભગ 188 ટન રહી હતી. ત્યાજ આ વર્ષે આ ગાળામાંતો સોનાની માંગ 538 ટન રહેવા પામી છે
હવે જી-મેલથી કરો મોબાઇલ કૉલ
અત્યાર સુધી તમે જી-મેલ દ્વારા માત્ર પોતાના મેલ મોકલી સકતા હતા અથવા બીજાના મેલ પ્રાપ્ત કરી સકતા હતા. પરંતુ હવે તમે જી-મેલ દ્વારા ફોન કૉલ પણ કરી શકો છો.ગૂગલ દ્વારા કૉમ્પ્યૂટરથી કૉમ્પ્યૂટર ઉપર વોઈસ અથવા વિડિયો કૉલતો તમે પહેલા પણ કરી શકતા હતા, પરંતુ પ્રથમ વાર જી-મેલ સર્વિસ આપનાર કંપની ગૂગલે જી-મેલ દ્વારા મોબાઇલ ફોન અથવા લેન્ડ લાઇન ફોન ઉપર કૉલ કરવાની સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે.પોતાની આ નવી સર્વિસ દ્વારા ગૂગલ વેબ કૉલિંગ સર્વિસ આપનારી કંપનીયો, સ્પાઇક અને એટી એન્ડ ટીને ટક્કર આપવાની તૈયારીમાં છે. અમેરિકા અને કેનેડા માટે જી-મેલની આ ફોન કૉલ સર્વિસ આ વર્ષે મફતમાં આપવામાં આવશે. ત્યાજ બ્રિટન. ફ્રાન્સ. જર્મની, ચીન અને જાપાનના લોકોને આ સર્વિસ 2 સેન્ટ પ્રતિ મિનિટની એક દમ સસ્તા કૉલ દરમાં આપવામાં આવશે.
અમીનની પત્નીની અરજીની આજે સુનાવણી
સાબરમતી જેલમાં ડો. નરેન્દ્ર અમીનની જાનનું જોખમ હોઇ તેમની સુરક્ષા માટે યોગ્ય પગલા લેવા અમીનની પત્ની જયશ્રીબેને સીબીઆઇને અરજી સીબીઆઇને કરી હતી. જે બાબતે સીબીઆઇ દ્વારા સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં અમીનની સુરક્ષા મુદ્દે અરજી કરતાં કોર્ટે તેની આજે સુનાવણી હાથ ધરવાનો કોર્ટે આદેશ કર્યો હતો આજે હવે એ જોવાનું રહ્યું કે કોર્ટ અમીનની સુરાક્ષા માટે શું આદેશ કરે છે.થોડા દિવસ અગાઉ જ તેજા નામના એક માથાભારે કેદીએ કોર્ટ સમક્ષ એવો ઘટસ્ફોટ કર્યો હતો કે તેને સાબરમતી જેલના જેલરોએ જ ડો. નરેન્દ્ર અમીનનું મર્ડર કરી નાંખવા માટે રૂપીયા ૧૦ લાખની સોપારીની ઓફર કરી હતી. પરંતુ તેને ઓફર ઠુકરાવતાં જેલરોએ તેને ઢોર માર માર્યો હતો, આ બાબતને લઇને ફરી એક વખત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તાજના સાક્ષી બનવાની જાહારાત કરનાર ડો. નરેન્દ્ર અમીનની સલામતીને લઇને સવાલ ઉભા થયા છે.દેશભરમાં ચર્ચાનો વિષય બની રહેલ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં રાજ્યના માજી ગૃહરાજ્યમંત્રી અમિત શાહ સહિત કુલ ૧૫ આરોપીઓને સાબરમતી જેલમાં રાખવામાં આવેલ છે. જો કે વર્ષ ૨૦૦૭થી જેલમાં રાખવામાં આવેલા અને સસ્પેન્ડેડ પોલીસ અધિકારી ડો. નરેન્દ્ર અમીને પોતાની પાસેની માહિતી સીબીઆઇને આપીને તાજના સાક્ષી બનવાની અરજી કરી હતી.
વિકિલીક્સે ફરી અમેરિકાના ગુપ્ત દસ્તાવેજ જાહેર કર્યા
ગુપ્ત દસ્તાવેજો જાહેર કરનારી વેબસાઈટ વિકિલીક્સે ફરી એક વખત અમેરિકાની સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીનો(સીઆઈએ) એક ગુપ્ત રિપોર્ટ જાહેર કરી દીધો છે. ત્રણ પેજના આ રિપોર્ટમાં બીજી ફેબ્રુઆરી-2010ની તારીખ નોંધવામાં આવી છે. સમાચાર ચેનલ સીએનએનના જણાવ્યા પ્રમાણે રિપોર્ટનું શીર્ષક ‘શું વિદેશીઓ અમેરિકાને આતંકવાદના નિકાસકાર તરીકે જુએ છે’ એવું રાખવામાં આવ્યું છે.નોંધનીય છે કે વિકિલીક્સે થોડા દિવસો પહેલા જ અફઘાનિસ્તાન યુદ્ધ અંગેના અમેરિકાના 90000 જેટલા ગુપ્ત દસ્તાવેજો જાહેર કરી દીધા હતાં. વિકિલીક્સે એમ પણ જણાવ્યું હતું કે તે થોડા સમય બાદ 15000 જેટલા વધારે દસ્તાવેજ જાહેર કરશે. અમેરિકાના રક્ષા વિભાગે વિકિલીક્સને તમામ જાહેર કરવામાં આવેલા દસ્તાવેજો વેબસાઈટ પરથી હટાવી લેવાની સુચના આપી છે.નવા જાહેર થયેલા રિપોર્ટ અંગે સીઆઈએના પ્રવક્તા જ્યોર્જ લિટલએ જણાવ્યું હતું કે આ એક નાનો રિપોર્ટ છે. જેમાં સામાન્ય વિચારો પર અલગ અલગ ચર્ચાઓ કરવામાં આવી છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ગુપ્ત દસ્તાવેજ જાહેર થવાથી હંમેશા સમસ્યા થાય છે પરંતુ આ કેસમાં કોઈ ચિંતા જેવું નથી. કારણ કે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં વાંધાજનક કોઈ નથી.
1962ના ભારત-ચીન યુદ્ધનો રિપોર્ટ જાહેર થશે નહીં
ભારત-ચીન વચ્ચે 1962માં થયેલા યુદ્ધના સરકારી રેકોર્ડ માહિતીના અધિકાર કે અન્ય કોઈ કાયદા હેઠળ સાર્વજનિક નહીં કરી શકાય. કારણ કે તેનાથી બંને દેશો વચ્ચે સીમા વિવાદ પર ચાલી રહેલી વાતચીતને અસર થઈ શકે છે.મુખ્ય માહિતી કમિશનર (સીઆઈસી) વજાહત હબીબુલ્લાએ બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે આ વર્ગીકૃત રિપોર્ટના કેટલાંક અંશો રાષ્ટ્રીય હિતમાં નથી. તેમાં ભારતીય સેનાના તત્કાલિન શીર્ષસ્થ અધિકારીઓની અક્ષમતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે વરિષ્ઠ પત્રકાર કુલદીપ નૈયરના મામલાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે નૈયરે ભારત-ચીન યુદ્ધ દરમિયાન ભારતના તત્કાલિન વિદેશ મંત્રી સ્વર્ણ સિંહ અને પાકિસ્તાનના તત્કાલિન વિદેશ મંત્રી ઝુલ્ફિકાર અલી ભુટ્ટો વચ્ચે થયેલી વાતચીતની જાણકારી માંગી હતી. પરંતુ તેમના આગ્રહને નામંજૂર કરવામાં આવ્યો હતો. જો કે સરકારે એક ઉચ્ચસ્તરીય કમિટી બનાવી છે. આ કમિટી અંતિમ નિર્ણય કરશે.હબીબુલ્લાએ કહ્યું હતું કે અમેરીકા અને બ્રિટનમાં કોઈ યુદ્ધના 20 વર્ષ બાદ તેની સાથે સંલગ્ન દસ્તાવેજોને વર્ગીકૃત શ્રેણીમાંથી હટાવાની જોગવાઈ છે. પરંતુ ભારતમાં રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને જ આમ કરી શકાય છે.
ભારતમાં ઑડીની સસ્તી લક્ઝૂરિયસ કાર મળશે
યૂરોપમા ધૂમ મચાવી ચુકેલી જર્મનીની પ્રસિદ્ઘ કાર કંપની ઑડીની સસ્તા લક્ઝરી કારને કંપની ભારતમાં ઉતારવાની તૈયારીમાં છે. આ લક્ઝરી કારનુ નામ છે એ-વન કૉમ્પેક્ટ અને આ અત્યારે માત્ર યુરોપમાં વેચાઈ રહી છે.ઑડીના સેલ્સ પ્રમુખે જણાવ્યુ હતુ કે હવે આ કાર યુરોપ બહાર પણ વેચવામાં આવશે. આવતા વર્ષે ભારત સહિત કેટલાક અન્ય દેશોમાં પણ આના વેચાણની સંભાવના છે. આ કાર માટે વિશેષ પ્રકારે બનાવવામાં આવેલી વેબસાઈટમાં લગભગ ડોઢ લાખ લોકોએ રસ દાખવ્યો છે.આ લક્ઝરી કાર મર્સિડીઝ બેન્ઝ એ ક્લાસને ટક્કર દેવા માટે તૈયાર કરવામાં આવી છે. ત્યાં આની કિંમત લગભગ 15,800 યૂરો (9,40,000 રૂપીયા) છે. ભારતમાં આ કારને આયાત કરીને વેચવા પર 150 ટકા કર લાગશે.
“પાર્થે મારી જિંદગી નર્ક બનાવી દીધી”
આંબાવાડીમાં રહેતી એર હોસ્ટેસે તેના ભાવિ પતિ વિરુદ્ધ નોંધાવેલી બળાત્કારની ફરિયાદ બાદ સરખેજ પોલીસે આરોપી યુવક તથા તેની માતાની ધરપકડ કરી છે. આ કેસમાં હવે યુવકે યુવતીના ચારિત્ર્ય પર આક્ષેપો કર્યા છે, તો યુવતીએ પણ આરોપી પાર્થે તેના રૂપિયા જોઇ તેને ફસાવી તેની જિંદગી નર્ક બનાવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.આંબાવાડીમાં રહેતી અને એક ખાનગી એરલાઇન્સમાં ફરજ બજાવી ચૂકેલી નિલમે (નામ બદલ્યું છે) તેના પર બોપલનાં અવંતી બંગલોઝમાં રહેતા પાર્થે સગાઇ બાદ બળાત્કાર ગુજાર્યો હોવાની તથા તેમની અંગત પળોને મોબાઇલમાં ઉતારી લઇ તેને બ્લેક મેઇલ કરી હોવાના ગંભીર આક્ષેપ કરતી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બુધવાર મોડી રાત્રે પાર્થની ઘરેથી ધરપકડ કરી હતી.નિલમની ફરિયાદમાં પાર્થનાં માતા-પિતાનું પણ પાર્થની મદદ કરવા બદલ આરોપી તરીકે નામ હોઇ પોલીસે બુધવાર સાંજે પાર્થની માતા દિપ્તીબેનની પણ ધરપકડ કરી હતી. જ્યારે પોલીસના કહેવા પ્રમાણે પાર્થના પિતા અમિત વસાવડા હાલ વિદેશ છે. યુવતી પર બળાત્કારના આરોપસર પકડાયેલા પાર્થે પોલીસની પૂછપરછમાં યુવતી પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે, નિલમ સગાઇ બાદ પણ અન્ય યુવકો સાથે તેની જાણ બહાર વાતો કરતી તે મુદ્દે બંને વચ્ચે તકરાર થતી રહેતી હતી.
સલ્લુને કારણે કેટરિના રડવા લાગી!
મંગળવારની સાંજ કેટરિના માટે સૌથી દુ:ખદ રહી હતી. કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર બન્યા બાદ કેટરિનાએ પત્રકાર પરિષદને સંબોધી હતી. જો કે આ સમયે મીડિયાએ કેટને અંગત સવાલો અને ખાસ કરીને સલમાન સાથેના બ્રેક અપ અંગે પૂછ્યું હતું. જેને કારણે કેટરિના દુખી થઈ ગઈ હતી.શરૂઆતમાં તો કેટરિનાએ તમામ સવાલોના જવાબ ટાળ્યા હતા અને માત્ર સ્માઈલ આપી દેતી હતી. જો કે કેટલાંક પત્રકારોએ અંગત સવાલો અને ટિપ્પણી કરતાં કેટરિના ગુસ્સે થઈ ગઈ હતી અને પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શકી નહોતી. તેણે કંઈ પણ વિચાર્યા વગર કહી નાંખ્યું હતું કે, જો સલમાને કહ્યું છે કે તેઓ અલગ થઈ ગયા છે તો તેઓ અલગ છે અને તે વાત સાચી છે.કેટરિનાના નિકટના મિત્રે કહ્યું હતું કે, કેટરિના ઘણી જ મજબૂત યુવતી છે અને જાહેરમાં ક્યારેય પોતાની લાગણીઓને વ્યક્ત કરતી નથી પરંતુ મંગળવારના રોજ તે ઘણી ભાંગી પડી હતી. સલમાને બ્રેક અપની વાત કહી અને સવાલો કેટરિનાને પૂછવામાં આવતા હતા અને આ જ કારણથી તેને ઘણું સહન કરવું પડ્યું હતુ.વધુમાં કેટરિના ગુસ્સે થઈ ગઈ હતી. સલમાને જે પણ જાહેરમાં કહ્યું તે તેઓનું અંગત જીવન છે અને તેઓ પોતાની રીતે નિર્ણય લઈ શકવામાં સમર્થ છે.સલમાને જ્યારથી કહ્યું છે કે, તે સિંગલ છે ત્યારથી જ કેટરિનાને સવાલો પૂછવામાં આવી રહ્યા છે. તો બીજી બાજુ કેટરિનાના સલમાનના પરિવાર સાથે ખાસ સંબંધો છે.
‘જાડેજાને ઘણી તકો આપી હવે ઇરફાનને લાવો’
1983નો વિશ્વકપ ભારતે જ્યારે જીત્યો ત્યારે ભારત પાસે મહાન બોલરો ન હતા. પરંતુ ભારત પાસે કેટલાક સારા કહી શકાય તેવા ઓલ રાઉન્ડર હતા. કપિલ દેવ, મોહિન્દર અમરનાથ, રોજર બિન્ની, મદન લાલ અને રવિ શાસ્ત્રી કે જેઓએ વિશ્વકપમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને ભારતને એકમાત્ર વિશ્વકપ જીતી આપ્યો. ત્યારે આગામી વિશ્વકપ કે જે ભારત સહિતના પાડોશી દેશોમાં યોજાઇ રહ્યો છે. તેમાં સારું પ્રદર્શન કરવાની તૈયારી ભારતે આદરી છે. જો કે ભારત પાસે અત્યારે એકમાત્ર રવિન્દ્ર જાડેજા ઓલ રાઉન્ડર તરીકે છે. પરંતુ તે જોઇએ તેવું સારું પ્રદર્શન કરી રહ્યો નથી.પૂર્વ ભારતીય કોચ અને 1983 વિશ્વકપની વિજેતા ટીમના સભ્ય મદન લાલ પણ હવે ઇરાફન પઠાણને એક ઓલરાઉન્ડર તરીકે ટીમ ઇન્ડિયામાં સમાવવામા આવે તે વાતના સમર્થનમાં આવ્યા છે. તેમનું કહેવું છે કે, ટીમ ઇન્ડિયાએ રવિન્દ્ર જાડેજાના સ્થાને ઇરફાન પઠાણને ઓલરાઉન્ડર તરીકે વનડે ટીમમાં સ્થાન આપવું જોઇએ. કારણ કે, જાડેજાને પુરતી તક આપવામાં આવી છે. છતાં, તે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ નિવડ્યો છે.શેન વોર્નના માર્ગદર્શન હેઠળની રાજસ્થાન રોયલ્સ ટીમ તરફથી આઈપીએલમાં રમીને શાનદાર પ્રદર્શન થકી વિશ્વભરની ચાહના મેળવનાર રવિન્દ્ર જાડેજા આંતરરાષ્ટ્રીય ટીમમાં આઈપીએલ એ જેવો જાદૂ ચલાવી શક્યો નથી. તેથી ભારત પાસે ઓલરાઉન્ડર તરીકે જોઇએ તેટલા વિકલ્પ નથી. ત્યારે મદનલાલે ટીમ ઇન્ડિયાને ઇરફાન પઠાણનું નામ સુચવ્યું છે. અને તેને ટીમમાં સમાવવો જોઇએ તેમ એક સ્પોર્ટ્સ વેબસાઇટને આપેલા ઇન્ટર્વ્યુંમાં જણાવ્યું છે. તેમણે કહ્યું કે, રવિન્દ્ર જાડેજાના સ્થાને ઇરફાનને તક આપવી જોઇએ. ઇરફાન ટીમ ઇન્ડિયામાં એક ઓલરાઉન્ડરની ભૂમિકામાં યોગ્ય રીતે ફિટ બેસે છે. રિવન્દ્ર જાડેજા એક સારો યુવા ખેલાડી છે. તેમાં નાની અમથી શંકા ઉભી થાય છે. કારણ કે, તેને ઘણી તકો મળી છે. પરંતુ તે સારું પ્રદર્શન કરી શક્યો નથી. ત્યારે ભારતે ઇરફાન પઠાણને ટીમમાં પરત લાવવો જોઇએ.તેમણે વધુમાં કહ્યું કે, ઇરફાન એક સારો ઓલ રાઉન્ડર છે. તે વનડેમાં વિકેટ ટુ વિકેટ બોલ કરી શકે છે. પરંતુ તેની સૌથી મોટી સ્ટ્રેન્થ તેની બેટિંગ છે. તે લથડી પડતી બાજીને સંભાળી શકે છે.
ફેસબુક ઑર્કુટને પછાડીને નંબર વન
ભારતમાં સાશિયલ નેટવર્કિંગ સાઇટ્સની બાબતમાં ફેસબુકે પોતાના હરીફને માત આપી દીધી છે. હવે ભારતમાં ફેસબુક નંબર વન સોશિયલ નેટવર્કિંગ સાઇટ બની ગઈ છે. ફેસબુકે પોતાના ઑર્કુટ અને યાહૂ જેવા હરીફોને પછાડ્યા છે.
રિસર્ચ ફર્મ કૉમસ્કોર દ્વારા પ્રકાશિત એક તાજા આંકડાઓ પ્રમાણે જુલાઈમાં દેશમાં ફેસબુકના 2.9 કરોડ વિઝિટર રહ્યા હતા. પાછલા એક વર્ષ દરમિયાન ફેસબુક પર વિઝિટરની સંખ્યા 179 ટકા વધી ગઈ છે. અત્યાર સુધી ભારત એ દેશોના લિસ્ટમાં સમાવિષ્ટ હતુ જ્યાં સોશિયલ નેટવર્કિંગ સાઇટની બાબતમાં ઑર્કુટનો દબદબો હતો.દુનિયાની સૌથી મોટી સર્ચ એન્જીન ગૂગલની નેટવર્કિંગ સાઇટ ઑરકુટ ભારતમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સની બાબતમાં બીજા નંબરે આવી ગયુ છે. જુલાઈ માસમાં આ સાઇટ પર 1.99 કરોડ વિઝિટર્સ આવ્યા હતા. ઑર્કુટ પછી ત્રીજા સ્થાને છે ભારતસ્ટ્યૂડન્ટ, આના વિઝિટર્સની સંખ્યા લગભગ 44 લાખ રહી છે. ત્યાજ ટ્વિટર માં 33 લાખ વિઝિટર્સ જોવા મળ્યા છે. સમાચાર છે કે ભારતમાં ફેસબુકના હાથે પછડાયા પછી ઑર્કુટ પોતાની સાઇટનો લેઆઉટસ બદલવા જઈ રહી છે. પરંતુ જાણકારોના કહેવા પ્રમાણે હવે ઘણી વાર થઈ ચુકી છે. અને આ ફેરફારો છત્તા ઑર્કુટ માટે ફેસબુકને પછાડવુ ઘણુ મુશ્કેલ છે.
આ વડોદરાની નહિ અમદાવાદની ભૂમિ છે
બાળપણથી જ અભિનય ક્ષેત્રમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હોય અને સાથોસાથ મેજિશિયન તરીકે પણ શો કરતાં હોય ત્યારે ક્યા ક્ષેત્રમાં આગળ વધવું તે પ્રશ્ન ઘણો વિચાર માંગી લે છે. આવો જ વિચાર પંદર વર્ષની ઉંમરે ભૂમિ શુક્લને પણ આવ્યો અને તે જ વર્ષે એણે મેજિકની દુનિયા છોડી અભિનયના મેજિકલ ક્ષેત્રમાં આગળ વધવાનો મક્કમ નિર્ણય કરી લીધો. ગુજરાતી નાટકો, ફિલ્મો અને ગુજરાતી સિરિયલોમાં કામ કરી ચૂકેલી અમદાવાદની ભૂમિ શુક્લ હાલમાં સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી સિરિયલ ‘હમારી દેવરાની’માં અલ્પાનું પાત્ર ભજવે છે.અઢાર વર્ષથી અભિનય ક્ષેત્ર સાથે સંકલાયેલી ભૂમિ કહે છે, ‘મારા પિતા કૌશિક શુક્લ પણ અભિનયના ક્ષેત્રે સંકળાયેલા હતા તેથી મને અભિનય વારસામાં મળ્યો છે. અત્યારે તો મારા પિતા ઇવેન્ટ મેનેજરનું અને મેજિશિયન તરીકે કામ કરે છે. માતા રક્ષાબહેન અને પિતાના સહકારથી જ આજે હું આ ક્ષેત્રમાં આગળ વધી શકી છું.હું આઠ વર્ષની હતી ત્યારે મેં પહેલી વખત ગુજરાતી સિરિયલ ‘સત્યમ’માં ચાઇલ્ડ આર્ટિસ્ટની ભૂમિકા ભજવીને મારી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. એ પછી તો મેં ‘હુતોહુતી’ જેવી બીજી અનેક સિરિયલોમાં કામ કર્યું. નાની હતી ત્યારે અભિનયની સાથે મને જાદુમાં પણ ખૂબ રસ હોવાથી હું જાદુ શીખી અને નાનપણથી જ મેજિક શો કરવા લાગી. મેં ઘણા મેજિક શો કર્યા છે અને અનેક એવોર્ડ પણ તેમાં મેળવ્યાં છે. હું એક મેજિશિયન છું એમ કહું તો ખોટું પણ નથી.’અમદાવાદની એચ.કે. આર્ટ્સ કોલેજમાંથી ભૂમિ શુક્લએ ઇંગ્લિશ લિટરેચર સાથે ગ્રેજયુએશન કર્યું છે. ૨૦૦૧માં અમદાવાદમાં ‘બેસ્ટ મોડલ ઓફ ધ યર’નું બિરુદ મેળવ્યું હતું.
ટેસ્ટ ક્રિકેટનો આ રેકોર્ડ જે આજે પણ અતૂટ છે
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા ખેલાડીઓ અને ટીમોએ વિશ્વ રેકોર્ડ સ્થાપ્યા અને ઘણી ટીમો અને ખેલાડીઓએ એ રેકોર્ડ તોડીને નવા રેકોર્ડ ક્રિતીમાન કર્યાં છે. જે અંગે દરેક ક્રિકેટ પ્રેમી જાણે છે. પરંતું બહુ ઓછા ક્રિકેટ ચાહકોને એ વાતની ખબર હશે કે, વિશ્વ ક્રિકેટમાં એક એવો રેકોર્ડ નોંધાયો છે(બ્રાયન લારાએ કરેલા 400 રન ઉપરાંત) કે, જે અત્યાર સુધી તુટી શક્યો નથી.
આમ તો સચિન તેંડલુકર, બ્રાયન લારા, ગિલક્રિસ્ટ મુરલીધરન, શેન વોર્ન, કુંબલે દરેક મહાન ખેલાડીએ ઘણા રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા છે. આ તમામે જૂના મહાન ખેલાડીઓએ બનાવેલા રેકોર્ડોને તોડીને તેના સ્થાને નવા રેકોર્ડ સર્જયા છે. તે પછી સૌથી વધારે રન, વિકેટ કે પછી સૌથી વધારે ટેસ્ટ રમવાનો હોય. વર્ષ 1938માં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી એશીઝ શ્રેણીને પાંચમી ટેસ્ટમાં એક અનોખો રેકોર્ડ સર્જાયો હતો. અને છે એક ઇનિંગમાં સૌથી વધારે રન આપવાનો.ઓવેલ ખાતે રમાયેલી એ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ પ્રથમ બેટિંગ કરી રહ્યું હતું. જેમાં ઇંગ્લેન્ડ ઐતિહાસિક 903 રન બનાવ્યા હતા. જો કે, આટલો વિશાળ સ્કોર ખડો કરવામાં ઓસ્ટ્રેલિયાના બોલર ફ્લીટવૂડ-સ્મિથે વહેંચેલા રનનું યોગદાન અભૂતપૂર્વ છે.ફ્લીટવૂડે આ મેચની પ્રથમ ઇનિંગમાં 87 ઓવર નાંખી હતી. જેમાં 11 મેડન ગઇ હતી. જો કે, તેણે 3.42ની ઇકોનોમી સાથે અધધ 298 રન આપ્યા હતા. જે ક્રિકેટ ઇતિહાસમાં અત્યારસુધી કોઇ બોલર દ્વારા વિરોધી ટીમને આપેલા રનોની સંખ્યામાં વધારે છે. અને આ રીતે ફ્લીટવૂડે એક અનોખો રેકોર્ડ પ્રસ્થાપિત કરી દીધો. જે આજ સુધી અતૂટ રહ્યો છે.નોંધનીય છે કે, આ મેચ દરમિયાન ઇંગ્લેન્ડે ફટકારેલા 903 રન પણ એક વિશ્વ રેકોર્ડ સમાન છે. અને 1997-98માં શ્રીલંકાએ ભારત સામે બનાવેલા 952 રન બાદ આ એક વિશાળ સ્કોર છે. તેમજ 1938માં રમાયેલી ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચેની એશીઝની પાંચમી મેચમાં ઓસ્ટ્રેલિયાએ મેળવેલા એક ઇનિંગ અને 579 રનના કારમા પરાજયે પણ પોતાની રીતે એક અલગ રેકોર્ડ બનાવ્યો છે. જે પણ અતૃટ છે.
Subscribe to:
Posts (Atom)