17 January 2010

લૌકિક ક્રિયાને તિલાજંલિ આપતો પોરબંદરનો પરિવાર : જ્ઞાતિના આગેવાનોએ આવકાર્ય પગલું ગણાવ્યું

પરિવારના કોઇ સ્વજનનો સ્વર્ગ વાસ થાય એટલે બેસણું, લૌકીક, ઉત્તર ક્રિયા, સોળમું ધામ જેવા પ્રસંગો સાથે કુટુંબના સભ્યો સફેદ વસ્ત્ર ધારણ કરીને શોક મગ્ન બની જતા હોય છે પરંતુ પોરબંદરના લોહાણા જ્ઞાતિના કારીયા પરિવારે પોતાના સ્વજનને ગુમાવ્યાના દુ:ખની લાગણી સાથે આ લૌકિક ક્રિયાને તિલાંજલી આપતા જ્ઞાતિ મહાજને આવા કાર્યને અનુસરવા તમામ જ્ઞાતિજનોને અપિલ કરી છે. પોરબંદર લોહાણા જ્ઞાતિના તેમજ લોહાણા મહા પરિષદના સભ્ય હિંમતલાલ ભીમજીભાઇ કારીયાના ધર્મપત્નિ વનિતાબેન તા.૯ જાન્યુઆરીના રોજ શ્રીજી ચરણ પામતા સદગતની ઇરછા મુજબ કારીયા પરિવારે પ્રાર્થના સભાના દિવસે જ કુટુંબના તમામ સભ્યોને શોક મુકત થવા તેમ જ સફેદ વસ્ત્રો ન પહેરવા જણાવ્યું હતું. જ્ઞાતિના રિવાજ મુજબની તમામ પ્રથાઓને તિલાંજલી આપી જ્ઞાતિ માટે ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. આ તમામ ખર્ચની રકમ અબોલ પશુઓની સેવામાં વાપરવાનો નિર્ણય કર્યો હતો.
પોરબંદર લોહાણા મહાજના વૃજલાલ મણીલાલ કારીયા તેમજ રામજીભાઇ રૂગનાથભાઇ પોપટ સહિતના આગેવાનોએ આ ઉમદા, સાહસિક પગલાને બિરદાવી આ પગલાને અનુસરવા જ્ઞાતિજનોને અનુરોધ કર્યો હતો.

No comments:

Post a Comment