રાજકોટના સાધુ વાસવાણી માર્ગ પર કરોડોની કિંમતની સરકારી જમીન અંગે ચાલી રહેલા કાનૂની જંગમાં કલેકટર તંત્રને જબ્બર પછડાટ મળી છે. રૈયા સર્વે નંબર ૩૧૮ના ટાવર્સમાં આવેલી ૧૦ એકર જેટલી જમીનની માલિકી માટે સુપ્રીમ કોટર્ની ડબલની બેંચના ચુકાદાને ફરી વિચારણા પર લેવા કયુરેટિવ મેજર્સની અરજીને રિજેકટ કરી નાખવામાં આવી છે. કલેકટર તંત્રે મૂકેલી ફાઈલ પરત આવી ગઈ છે. હવે, જાહેર હિતની અરજી સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી.
અઢી દાયકા પહેલા ડી.એલ.આર.આઈ. દ્વારા માપણી કરવામાં આવી ત્યારે પોલા હાજા પટેલની માલિકીના ૪૦ એકર ખેતરની પાસે જ ૧૦ એકરનો ટુકડો સરકારી ઠર્યો હતો. એ બાદ તાલુકા મામલતદારમાં અરજી કરવામાં આવી તો ત્યાં તે અનામી ઠેરવી દેવામાં આવી હતી. એના પગલે જેતે સમયે પ્રાંત અધિકારીને ત્યાં રિવિઝન કરવામાં આવી તો નાયબ કલેકટરે આ જમીન ખાનગી ઠેરવી દીધી હતી. તત્કાલિન કલેકટર જગદીશનને ઘ્યાને આવતા સમગ્ર પ્રકરણ રિવિઝનમાં લીધું હતું અને કલમ નંબર ૩૭(૨) મુજબ આ ૧૦ એકર જમીન સરકારી ઠેરવી દીધી હતી.
એની સામે હાઈ કોર્ટે, મહેસૂલ વિવાદ પંચ સહિતની ન્યાયિક પ્રક્રિયામાં પણ કલેકટર તંત્રને ઉત્તરોત્તર પછડાટ મળતી રહી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, જયારે પણ ચુકાદો આવ્યો ત્યારે કોઈ કલેકટરે એપેક્ષ કોટર્માં જવાનો નિર્ણય તત્કાલ લીધો નહીં. અધિકારીઓની આ ઢીલ પણ શંકાસ્પદ હતી. એ ઠીક સુપ્રીમ કોટર્માં સિંગલની બેંચનો ચુકાદો પણ કલેકટર તંત્રની વિરૂઘ્ધમાં આવ્યો એ બાદ ૨૦૦ દિવસ બાદ ડબલની બેંચ સમક્ષ રિવ્યુ પિટિશન કરવામાં આવી હતી. બેંચે ટાઈમ બાઉન્ડના મુદ્દા પર જ સરકારી તંત્રની અરજી કાઢી નાખી હતી. આ બાબત વર્તમાન કલેકટર હરિભાઈ પટેલના ઘ્યાને આવતા તેમણે કયુરેટિવ મેજર્સના આધારે ફરી નિર્ણયાર્થે કેસ ચલાવવા રાજય સરકાર પાસેથી મંજૂરી માંગી હતી. ત્યાંથી પણ મંજૂરી મોડી મળી હતી !! કયુરેટિવ મેજર્સના આધારે કરાયેલી અરજી પણ જજે રિજેકટ કરી નાખી છે. અને ફાઈલ પરત મોકલી આપી છે.
ટીપીનો રસ્તો દબાવાયો
શિલ્પન ટાવર્સ સામે આવેલી ૧૦ એકર જમીનમાંથી નીકળતો ટીપીનો રસ્તો દબાવી દઈ ફેન્સિંગ કરી નખાયું હતું. જે બાદમાં ખુલ્લું કરાવાયું હતું. અહીં પહેલા શનિવારી ભરાતી હતી અને તેના પાસેથી ભાડુ વસુલાતુ હતું. આ શનિવારી ખાલી કરાવવામાં પણ સરકારી મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સાધુ વાસવાણી માર્ગ પર આવેલી આ જમીન હવે ખાનગી ઠરી ગઈ છે. જો કે, કોઈ જાહેર હિતની અરજી કરે તો ફરી સરકાર તરફે નિર્ણય આવે તેવી શકયતા હોવાનું સૂત્રોએ કહ્યું હતું.
નેતાનો હાથ
પોલા હાજા વાળી જમીન સરકાર પાસેથી લઈ લેવામાં એક મોટા રાજ નેતાનો હાથ હોવાનું માનવામાં આવે છે. ભાજપના આ નેતા બિલ્ડર લોબીને ફાયદો કરાવતા પરિપત્રો કરાવે, અરજીઓ કરાવે કે એપેલેટમાં જવા મંજૂરીમાં વિલંબ કરાવવા પાછળ પણ નેતા સક્રિય હતા. એના કારણે આ જમીન પ્રજા પાસેથી ચાલી ગઈ છે.
15 January 2010
રાજકોટ : દોરાને ખેંચતા વીજવાયર તૂટયો, તરૂણનું મોત
મકર સંક્રાંતિના પર્વ પર પતંગ ઉડાડતી વેળાએ અગાશી પરથી પટકાવાના, પતંગ લૂંટવા જતા અકસ્માતનો ભોગ બનવાના સહિતના બનાવો બને છે. આ ઉત્સવની પૂર્વ સંઘ્યાએ રાજકોટ નકના મુંજકામાં ઈલેકિટ્રક તારમાં ફસાયેલો દોરો કાઢતી વેળાએ વીજ કરંટ લાગતા ગરાસિયા તરૂણનું મોત નીપજયું હતું. તેમજ મવડીના સ્વામિનારાયણ પાર્કમાં અગાશી ધોતી વખતે ઈલેકિટ્રક વાયરને અડી જવાથી પટેલ મહિલાનું મત્યુ થયું હતું.
મુંજકાના ટીટોડીયા પરામાં આવેલા સ્લમ કવાટર્રમાં રહેતો અર્જુનસિંહ દશરથસિંહ ઝાલા (ઉ.વ.૧૨) બુધવારે સાંજે પોતાના ઘરની અગાશી પર પતંગ ઉડાડતો હતો. પતંગનો દોરો અગાશી પાસેથી પસાર થતાં ઈલેકિટ્રક તારમાં ફસાતાં અર્જુને ખેંરયો હતો. દોરો ખેંચતા જ ઈલેકટ્રીક તાર પણ તૂટયો હતો. તૂટેલો વીજતાર ગરાસિયા તરૂણને અડતાં તરૂણ વીજ આંચકા સાથે ઢળી પડયો હતો. અને તેનું મોત નીપજયું હતું. સંક્રાંતના આગલા દિવસે જ બે પુત્રોમાંથી નાના પુત્ર અર્જુનના આકસ્મિક મૃત્યુથી ઝાલા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
મુંજકાના ટીટોડીયા પરામાં આવેલા સ્લમ કવાટર્રમાં રહેતો અર્જુનસિંહ દશરથસિંહ ઝાલા (ઉ.વ.૧૨) બુધવારે સાંજે પોતાના ઘરની અગાશી પર પતંગ ઉડાડતો હતો. પતંગનો દોરો અગાશી પાસેથી પસાર થતાં ઈલેકિટ્રક તારમાં ફસાતાં અર્જુને ખેંરયો હતો. દોરો ખેંચતા જ ઈલેકટ્રીક તાર પણ તૂટયો હતો. તૂટેલો વીજતાર ગરાસિયા તરૂણને અડતાં તરૂણ વીજ આંચકા સાથે ઢળી પડયો હતો. અને તેનું મોત નીપજયું હતું. સંક્રાંતના આગલા દિવસે જ બે પુત્રોમાંથી નાના પુત્ર અર્જુનના આકસ્મિક મૃત્યુથી ઝાલા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
ગંગાસાગરમાં ભાગદોડ, સાતનાં મોત
પશ્ચિમ બંગાળના ગંગા સાગરમાં મકર સંક્રાતિના મેળા દરમિયાન મચેલી ભાગદોડમાં સાત લોકોના મૃત્યું નિપજ્યા હતા, જ્યારે 17થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. ઘાયલોમાં એક બાળક અને છ મહિલા સામેલ છે. લોકો બોટ પર ચડી રહ્યા હતા ત્યારે આ ભાગદોડ થઇ હતી. આ દરમિયાન એક વૃધ્ધાએ લાઇન તોડી બોટ પર ચડવાનો પ્રયાસ કરતાં ભીડને નિયંત્રિત કરવા માટે ત્યાં ઉભો કરવામાં આવેલો બેરિકેડ તૂટી ગયો હતો. નોંધનીય છે કે ગત્ વર્ષે પણ આ મેળામાં ભાગદોડમાં પાંચ લોકોના મૃત્યું નિપજ્યા હતા. મકર સંક્રાતિના અવસર પર દર વર્ષે અહીં લાખો શ્રધ્ધાળુઓ ગંગા સ્નાન માટે ઉમટી પડે છે.
ફરીથી ફાઇનલમાં ભારતનો પતંગ કપાયો કુલશેખરા મેન ઓફ ધ મેચ, સંગાકરા મેન ઓફ ધ સિરીઝ
ઝડપી બોલર્સની ઘાતક બોલિંગ બાદ સંગાકરા અને જયવર્દનેએ નોંધાવેલી અડધી સદી વડે શ્રીલંકાએ ભારતને ચાર વિકેટે હરાવીને બાંગ્લા દેશ ખાતેની ત્રિકોણીય શ્રેણી જીતી લીધી હતી અને ફાઇનલમાં હારવાની ભારતની પરંપરા જળવાઇ રહી હતી. ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર શ્રીલંકન ટીમે ભારતના ૨૪૫ રનના સ્કોર સામે છ વિકેટે ૨૪૯ રન બનાવીને વિજય મેળવી લીધો હતો. કુલશેખરાને મેન ઓફ ધ મેચ જયારે કુમાર સંગાકરાને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. એક સમયે ભારતે ૬૦ રનમાં પાંચ વિકેટ ગુમાવી દેતાં ફાઈનલ એક તરફી બનશે તેમ લાગતું હતું પરંતુ રૈનાએ બાજી સુધારી હતી. ઝડપી બોલર આશિષ નહેરા બીજી ઓવરમાં ઈજાગ્રસ્ત બનતાં તે બાકીની ઓવર્સ નાખી શકયો ન હતો જેનો ભારતને મોટો ફટકો પડયો હતો.ફાઇનલ જીતવાના લક્ષ્યાંક સાથે મેદાને પડેલી શ્રીલંકન ટીમે તરંગા (૦)ને પ્રથમ ઓવરમાં ગુમાવ્યા બાદ દિલશાન (૪૯) અને સંગાકરા (૫૫) વરચે બીજી વિકેટ માટે નોંધાયેલી ૯૩ રનની ભાગીદારી વડે વિજય તરફ કૂચ કરી હતી. મઘ્યમ હરોળમાં મહેલા જયવર્દનેએ ૮૧ બોલમાં અણનમ ૭૧ રન ફટકારવા ઉપરાંત સતત એક છેડો જાળવી રાખ્યો હતો. સમરવીરાએ ૪૧ બોલમાં ૨૭ રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી હરભજન સિંધે ૪૧ રનમાં બે વિકેટ ખેરવી હતી. સુરેશ રૈનાએ ૧૦૬ રનની શાનદાર ઇનિંગ્સ રમીને પોતાની ટીમને સંકટમાંથી બહાર કાઢતા ભારત ૨૪૫ રનનો સ્કોર નોંધાવવામાં સફળ રહ્ય હતું. શ્રીલંકન ટીમે પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપતા ભારતીય ટીમે ૧૧મી ઓવર સુધીમાં માત્ર ૬૦ રનના સ્કોરે તેની ટોચની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. રૈનાએ પોતાની ૮૭મી વન-ડેમાં ૧૧૫ બોલનો સામનો કરીને દસ બાઉન્ડ્રી અને એક સિકસર વડે કારકિર્દીની ત્રીજી સદી ફટકારી હતી. રૈનાએ રવીન્દ્ર જાડેજા સાથે છઠ્ઠી વિકેટ માટે ૧૦૬ રનની ભાગીદારી નોંધાવીને ભારતના રકાસને અટકાવ્યો હતો. જાડેજાએ ૬૪ બોલમાં ૩૮ રનનું યોગદાન આપ્યું હતું. આ બંને સિવાય અન્ય બેટ્સમેન નિષ્ફળ રહેતા ભારત નિર્ધારિત ૫૦ ઓવર પણ પૂરી રમી શકી નહોતી અને ઇનિંગ્સ ૪૮.૨ ઓવરમાં સમેટાઇ ગઇ હતી. શ્રીલંકા તરફથી કુલ શેખરાએ ૪૮ રનમાં ચાર, વેલેગેડેરાએ ૫૩ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ૪૬મી ઓવરમાં રૈનાના આઉટ થયા બાદ હરભજન (૧૧), ઝહિર ખાન (૧૬) તથા શ્રીસંત (૪) ટૂંકા ગાળામાં આઉટ થઇ ગયા હતા.
મુલતાનના સુલતાન સેહવાગના વન-ડેમાં સાત હજાર રન પૂરા
વિશ્વના સૌથી આક્રમક બેટ્સ મેનમાં સ્થાન મેળવી ચૂકેલા ભારતીય ઓપનર મુલતાનના સુલતાન વીરેન્દ્ર સેહવાગે બુધવારે શ્રીલંકા સામેની ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં ૪૨ રનની ઇનિંગ્સ રમીને વન-ડે ક્રિકેટમાં સાત હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. ડોન બ્રેડમેન તથા બ્રાયન લારા બાદ ટેસ્ટ ક્રિકેટમાં બે ત્રેવડી સદી નોંધાવનાર સેહવાગ વન-ડેમાં સાત હજાર રન પૂરા કરનાર ભારતનો છઠ્ઠો અને વિશ્વનો ૨૯મો બેટ્સમેન બન્યો છે. સેહવાગ પહેલાં ભારત તરફથી સચિન તેંડુલકર (૧૭,૩૭૮), રાહુલ દ્રવિડ (૧૦,૭૬૫), સૌરવ ગાંગુલી (૧૧,૩૬૩)યુવરાજસિંઘ (૭,૩૪૫) અને મોહમ્મદ અઝહરુદ્દીન (૯,૩૭૮) આ સિદ્ધિ મેળવી ચૂકયા છે. ત્રિકોણીય શ્રેણીની છેલ્લી બે લીગ મેચ નહીં રમાનાર સેહવાગે ફાઇનલ પહેલાં ૨૧૮ વન-ડેમાં ૩૪.૨૮ની સરેરાશથી ૬,૯૯૪ રન બનાવ્યા હતા અને સાત હજાર રનની સિદ્ધિ માટે તેને માત્ર વધુ છ રનની જરૂર હતી. તેણે ૨૧૩ ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. સૌથી ઓછી ઇનિંગ્સમાં સાત હજાર રન પૂરા કરવાનો વિક્રમ ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલીના નામે છે જેણે ૧૭૪ ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. સેહવાગનો સ્ટ્રાઈક રેટ ૧૦૦ કરતા વધારે છે.
મુલતાનના સુલતાન સેહવાગના વન-ડેમાં સાત હજાર રન પૂરા
વિશ્વના સૌથી આક્રમક બેટ્સ મેનમાં સ્થાન મેળવી ચૂકેલા ભારતીય ઓપનર મુલતાનના સુલતાન વીરેન્દ્ર સેહવાગે બુધવારે શ્રીલંકા સામેની ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં ૪૨ રનની ઇનિંગ્સ રમીને વન-ડે ક્રિકેટમાં સાત હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. ડોન બ્રેડમેન તથા બ્રાયન લારા બાદ ટેસ્ટ ક્રિકેટમાં બે ત્રેવડી સદી નોંધાવનાર સેહવાગ વન-ડેમાં સાત હજાર રન પૂરા કરનાર ભારતનો છઠ્ઠો અને વિશ્વનો ૨૯મો બેટ્સમેન બન્યો છે. સેહવાગ પહેલાં ભારત તરફથી સચિન તેંડુલકર (૧૭,૩૭૮), રાહુલ દ્રવિડ (૧૦,૭૬૫), સૌરવ ગાંગુલી (૧૧,૩૬૩)યુવરાજસિંઘ (૭,૩૪૫) અને મોહમ્મદ અઝહરુદ્દીન (૯,૩૭૮) આ સિદ્ધિ મેળવી ચૂકયા છે. ત્રિકોણીય શ્રેણીની છેલ્લી બે લીગ મેચ નહીં રમાનાર સેહવાગે ફાઇનલ પહેલાં ૨૧૮ વન-ડેમાં ૩૪.૨૮ની સરેરાશથી ૬,૯૯૪ રન બનાવ્યા હતા અને સાત હજાર રનની સિદ્ધિ માટે તેને માત્ર વધુ છ રનની જરૂર હતી. તેણે ૨૧૩ ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. સૌથી ઓછી ઇનિંગ્સમાં સાત હજાર રન પૂરા કરવાનો વિક્રમ ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલીના નામે છે જેણે ૧૭૪ ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. સેહવાગનો સ્ટ્રાઈક રેટ ૧૦૦ કરતા વધારે છે.
હૈતીમાં છેલ્લા ૨૦૦ વર્ષનો સૌથી વિનાશક ભૂકંપ, હજારોનાં મોત
કેરેબિયન દેશ હૈતીમાં સાતની તીવ્રતાની પ્રચંડ ભૂકંપે હજારો લોકોનો ભોગ લીધો છે. આ ભૂકંપથી રાષ્ટ્ર પતિનો મહેલ અને સંયુક્ત રાષ્ટ્ર મિશનના વડા મથકની પાંચ માળની ઇમારત સહિત અનેક ઇમારતો અને હોટેલો તેમજ કોમ્પ્લેક્ષને કાટમાળમાં ફેરવી દીધા છે. રિક્ટર સ્કેલ પર ૭.૦ની તીવ્રતાવાળા આ ભૂકંપે હૈતીની રાજધાની પોર્ટ-ઓ-પ્રિન્સ અને તેની આસપાસની વિસ્તારોને હચમચાવી દીધા છે. અલબત્ત, રાજધાની પોર્ટ-ઓ-પ્રિન્સમાં રહેતા તમામ ૧૪૦ ભારતીય શાંતિ સૈનિક સુરક્ષિત છે. આ સૈનિકોને ઓક્ટોબર-૨૦૦૮માં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળમાંથી પસંદ કરીને હૈતીમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન પર મોકલ્યાં હતાં. જોકે, વાણિજય દૂતાવાસના ૫૦ કર્મચારીઓનો કોઇ પત્તો નથી. અમેરિકી ભૂવિજ્ઞાન સર્વેક્ષણ વિભાગે આ ભૂકંપને હૈતીમાં છેલ્લા ૨૦૦ વર્ષમાં આવેલો સૌથી વિનાશક ભૂકંપ ગણાવ્યો છે. ભૂકંપ બાદ આફ્ટર શોકસ પણ ચાલુ રહ્યા હતાં. દસ લાખની વસ્તી ધરાવતી રાજધાનીમાં મોટાભાગની ઇમારતો લગભગ એક મિનિટ સુધી અનુભવાયેલી ધ્રુજારીના કારણે કાટમાળમાં ફેરવાઇ ગઇ છે અનો લોકો ભયના માર્યા ઘરબાર છોડીને ભાગી રહ્યા છે. ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર પોર્ટ-ઓ-પ્રિન્સથી ૧૬ કિલોમીટર દૂર હતું. ભૂકંપ ભારતીય સમયાનુસાર બુધવારે બપોરે ૩-૩૦ કલાકે આવ્યો હતો. જેમાં મોટાભાગની ઇમારતો ધરાશાયી થઇ ગઇ છે. કાટમાળ નીચે પણ અનેક લોકો ફસાયા હોવાના અહેવાલ છે. લોકો પોતાના ગુમ થયેલા સ્વજનને શોધવા માટે ફાંફાં મારી રહ્યાં છે. પ્રચંડ ભૂકંપના કારણે પાણી અને વીજ પુરવઠો ખોરવાઇ ગયા છે.
ઈશાન ભારતમાં ભૂગર્ભ ગતિવિધિ વધી
હૈતીમાં આવેલા વિનાશક ભૂકંપના પગલે ઈશાન ભારતમાં વધી રહેલી ભૂગર્ભ ગતિવિધિએ ચિંતા જન્માવી છે. ૨૦૦૯માં પ્રત્યેક ૧૦ દિવસ બાદ ભૂકંપના આંચકા નોંધાયા છે. સૌથી મોટો ૬.૨નો આંચકો ૨૧ સપ્ટેમ્બરે નોંધાયો હતો. ૨૦૦૭-૦૮માં ૨૬ અને ૨૦૦૬માં ૨૩ ભૂકંપ નોંધાયા છે.
ઈશાન ભારતમાં ભૂગર્ભ ગતિવિધિ વધી
હૈતીમાં આવેલા વિનાશક ભૂકંપના પગલે ઈશાન ભારતમાં વધી રહેલી ભૂગર્ભ ગતિવિધિએ ચિંતા જન્માવી છે. ૨૦૦૯માં પ્રત્યેક ૧૦ દિવસ બાદ ભૂકંપના આંચકા નોંધાયા છે. સૌથી મોટો ૬.૨નો આંચકો ૨૧ સપ્ટેમ્બરે નોંધાયો હતો. ૨૦૦૭-૦૮માં ૨૬ અને ૨૦૦૬માં ૨૩ ભૂકંપ નોંધાયા છે.
13 January 2010
ઉતરાયણ પૂર્વે બજારોમાં કીડિયારૂ
આકાશી યુદ્ધના પર્વ ઉતરાયણ આડે ગણતરીના કલાકો બાકી રહેતાં જિલ્લાના મુખ્ય મથકો સહિત વિવિધ વિસ્તારોમાં પતંગ-દોરા અને અન્ય ચજિ-વસ્તુઓની ખરીદી નીકળતાં બજારોમાં કીડિયારૂ ઉભરાયુ છે. આકાશી યુધ્ધનો સામાન એકઠો કરાવ માટે શહેરીજનો મેદાનમાં આવતા મોડી રાત સુધી પતંગ બજારમાં તેજી દેખાવા માંડી છે. બીજી તરફ પતંગની સાથે ટોપી,ચશ્મા સહિત અન્ય વસ્તુના વેચાણમાં પણ વધારો નોંધાયો છે.
રાજકોટમાં અશ્વોનું પ્રદર્શન
રાજકોટમાં કદી ન થયા હોય તેવા અશ્વોનું પ્રદર્શનની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. રેસકોર્સના વિશાળ મેદાનમાં ૧૫ જાન્યુઆરીથી ૧૭ જાન્યુઆરી સુધી જામશે ઘોડાઓની હણહણાટી. રાજકોટ મનપા દ્વારા આયોજિત પ્રદર્શનમાં અશ્વ પાલક સહકારી મંડળી, શ્રી ભૂવનેશ્વરી પીઠ (ગોંડલ), પીપલ્સ બેન્ક, પશુ પાલન ખાતું અશ્વોનું પ્રદર્શન યોજી રહ્યું છે. જેમાં શ્રેષ્ઠ શણગારેલ અશ્વ, ઉત્તમ કાઢિયાવાડી ઘોડો, ઘોડાઓની મટકી ફોડ, પોલ બેન્ડિંગ તેમજ અશ્વ સવારોની કૌશલ્ય સ્પર્ધા, બેરલ રેસ, અશ્વ દોડ, ડાન્સિંગ હોર્સ સહિતના અદ્દભૂત કાર્યક્રમો શહેરી જનોને નિહાળવા મળશે.
રાજકોટમાં પ્રથમવાર રાત્રિ શો : રાજકોટમાં પ્રથમવાર ૧૨મા કામા અશ્વ પ્રદર્શન અને રમતોનું આયોજન કરવામાં આવશે. જેમાં ૮ લાઈટ ટાવર, ૧૫૦ લાઈટો, ૫૦ એલોજન લાઈટો, તેમજ જાજરમાન સમિયાણા સાથે દુહા, છંદની રમઝટ યોજાશે. એક અંદાજ મુજબ રાજકોટમાં પ્રથમવાર ૩૦૦થી વધારે અશ્વો ભાગ લેશે.
શું હશે અશ્વોની રમતોમાં
શ્રેષ્ઠ શણગારેલ અશ્વ, રેવાલ ચાલ, ઉત્તમ કાઢિયાવાડી ઘોડો, ઉત્તમ મારવાડી ઘોડો, એક વર્ષ ઉપરની કાઢિયાવાડી વછેરો-વછેરી, ગરો લેવો, બેરલ રેસ, દોડ, ડાન્સિંગ હોર્સ, મટકા ફોડ, પોલ બેન્ડીંગ સહિતનું પ્રદર્શન રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજવામાં આવશે.
રાજકોટમાં પ્રથમવાર રાત્રિ શો : રાજકોટમાં પ્રથમવાર ૧૨મા કામા અશ્વ પ્રદર્શન અને રમતોનું આયોજન કરવામાં આવશે. જેમાં ૮ લાઈટ ટાવર, ૧૫૦ લાઈટો, ૫૦ એલોજન લાઈટો, તેમજ જાજરમાન સમિયાણા સાથે દુહા, છંદની રમઝટ યોજાશે. એક અંદાજ મુજબ રાજકોટમાં પ્રથમવાર ૩૦૦થી વધારે અશ્વો ભાગ લેશે.
શું હશે અશ્વોની રમતોમાં
શ્રેષ્ઠ શણગારેલ અશ્વ, રેવાલ ચાલ, ઉત્તમ કાઢિયાવાડી ઘોડો, ઉત્તમ મારવાડી ઘોડો, એક વર્ષ ઉપરની કાઢિયાવાડી વછેરો-વછેરી, ગરો લેવો, બેરલ રેસ, દોડ, ડાન્સિંગ હોર્સ, મટકા ફોડ, પોલ બેન્ડીંગ સહિતનું પ્રદર્શન રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજવામાં આવશે.
રાજકોટ એકસાઇઝના ત્રણ અધિકારી લાંચ લેતા પકડાયા
રાજકોટ સેન્ટ્રલ એકસાઇઝ કચેરીમાં સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા અને દર મહિને રૂપિયા ૪૦ હજારનો પગાર મેળવતા ત્રણ અધિકારી ભુજમાં એક કન્સ્ટ્રકશન પેઢીના માલિક પાસેથી રૂપિયા એક લાખની લાંચ લેતા સી.બી.આઇ.ના છટકામાં આબાદ સપડાઇ ગયા હતા. ત્રણેય અધિકારીઓને લઇને સી.બી.આઇ.નો કાફલો ગાંધી નગર પરત ફર્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુપ્રિન્ટેન્ડેન્ટ કક્ષાના ત્રણ-ત્રણ અધિકારીઓ મસમોટી લાંચ લેતા એક સાથે પકડાતા પગાર ઉપરાંતની રકમ ખિસ્સામાં સેરવી દેતાં અધિકારી ગણમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
રાજકોટ સેન્ટ્રલ એકસાઇઝ કચેરીમાં વિભાગમાં ફરજ બજાવતા સુપ્રિન્ટેન્ડેન્ટ ચેતન વર્મા, આર. એમ. પટેલ અને દેવેન રાવલ થોડા દિવસ પહેલાં ભુજમાં સર્વિસ ટેકસ બાબતે ગોપાલભાઇ ગોરસિયાની નેશનલ કન્સ્ટ્રકશન કંપનીમાં ઓડિટ કરવા ગયા હતા. જયાં ઓડિટ દરમિયાન અમુક ક્ષતિઓ બહાર આવતાં સેટલમેન્ટ માટે રૂપિયા એક લાખની લાંચ માગવામાં આવી હતી. એકસાઇઝ અધિકારીઓએ લાંચની માગ કરતા કન્સ્ટ્રકશન કંપનીના માલિકે સીબીઆઇનું શરણું લીધું હતું અને વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બાદમાં ભુજમાં જ આવેલી હોટેલ પ્રિન્સ રેસિડેન્સીમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. સોમવારે રાત્રિના સમયે સુપ્રિન્ટેન્ડેન્ટ વર્મા, પટેલ અને રાવલ એક લાખની લાંચ લેતાં રંગેહાથ પકડાઇ ગયા હતા. સીબીઆઇ દ્વારા અચાનક જ છાપો મારવામાં આવતાં ત્રણેય સરકારી બાબુના ધોતિયા ઢીલા થઇ ગયા હતા. પરંતુ હાથમાં પાવડરવાળી ચલણીનોટ પકડી લેતાં નીચી મુંડી કરીને સી.બી.આઇ.ના સ્ટાફ સાથે ગાંધી નગર ચાલી નીકળવું પડયું હતું.
એક મહિના પહેલાં જ બઢતી સાથે રાજકોટ પોસ્ટિંગ થયું હતું : ચેતન વર્મા, આર. એમ. પટેલ અને દેવેન રાવલ અમદાવાદમાં એન્ટી ઇવેજન વિભાગમાં હતા અને એક મહિના પહેલાં જ બઢતી સાથે રાજકોટ બદલી થઇ હતી અને સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે સેવા આપતા હતા. પરંતુ લાંચ લેવાની લાલચમાં સપડાઇ ગયા હતા.
એક અધિકારીને તો રાષ્ટ્રપતિ મેડલ મળ્યો છે : સી.બી.આઇ.એ એક લાખની લાંચ લેતાં પકડી લીધેલા ત્રણમાંથી એક અધિકારીને તો વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ પણ મળ્યો હતો.
રાજકોટ સેન્ટ્રલ એકસાઇઝ કચેરીમાં વિભાગમાં ફરજ બજાવતા સુપ્રિન્ટેન્ડેન્ટ ચેતન વર્મા, આર. એમ. પટેલ અને દેવેન રાવલ થોડા દિવસ પહેલાં ભુજમાં સર્વિસ ટેકસ બાબતે ગોપાલભાઇ ગોરસિયાની નેશનલ કન્સ્ટ્રકશન કંપનીમાં ઓડિટ કરવા ગયા હતા. જયાં ઓડિટ દરમિયાન અમુક ક્ષતિઓ બહાર આવતાં સેટલમેન્ટ માટે રૂપિયા એક લાખની લાંચ માગવામાં આવી હતી. એકસાઇઝ અધિકારીઓએ લાંચની માગ કરતા કન્સ્ટ્રકશન કંપનીના માલિકે સીબીઆઇનું શરણું લીધું હતું અને વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બાદમાં ભુજમાં જ આવેલી હોટેલ પ્રિન્સ રેસિડેન્સીમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. સોમવારે રાત્રિના સમયે સુપ્રિન્ટેન્ડેન્ટ વર્મા, પટેલ અને રાવલ એક લાખની લાંચ લેતાં રંગેહાથ પકડાઇ ગયા હતા. સીબીઆઇ દ્વારા અચાનક જ છાપો મારવામાં આવતાં ત્રણેય સરકારી બાબુના ધોતિયા ઢીલા થઇ ગયા હતા. પરંતુ હાથમાં પાવડરવાળી ચલણીનોટ પકડી લેતાં નીચી મુંડી કરીને સી.બી.આઇ.ના સ્ટાફ સાથે ગાંધી નગર ચાલી નીકળવું પડયું હતું.
એક મહિના પહેલાં જ બઢતી સાથે રાજકોટ પોસ્ટિંગ થયું હતું : ચેતન વર્મા, આર. એમ. પટેલ અને દેવેન રાવલ અમદાવાદમાં એન્ટી ઇવેજન વિભાગમાં હતા અને એક મહિના પહેલાં જ બઢતી સાથે રાજકોટ બદલી થઇ હતી અને સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે સેવા આપતા હતા. પરંતુ લાંચ લેવાની લાલચમાં સપડાઇ ગયા હતા.
એક અધિકારીને તો રાષ્ટ્રપતિ મેડલ મળ્યો છે : સી.બી.આઇ.એ એક લાખની લાંચ લેતાં પકડી લીધેલા ત્રણમાંથી એક અધિકારીને તો વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ પણ મળ્યો હતો.
હાલાર હેમાળો : રાજયનું સૌથી ઠંડું શહેર જામ નગર
સૌરાષ્ટ્ર-કચ્છમાં શિયાળાની મોસમનો અસલી મિજાજ જોવા મળતો નથી. બે દિવસ કડકડતી ઠંડીના અહેસાસ બાદ ટાઢોડામાં ફરી નોંધ પાત્ર ઘટાડો થયા પછી મંગળ વારે ઠંડા પવનના સૂસવાટા વચ્ચે ઠંડીનો પારો ફરી ગગડયો હતો. જેમાં જામ નગરમાં ઠંડીનો પારો ૯.૬ ડિગ્રીને આંબી જતાં જામનગર રાજયનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. ચાલુ વર્ષે શિયાળાના પ્રારંભ પછી ઠંડીનો સામાન્ય અનુભવ બાદ કમોસમી વરસાદ વરસતા પારો ગગડયો હતો. બે ત્રણ દિવસ શિત લહરના કહરથી જન-જીવન ગરમ કપડામાં ઢબૂરાય ગયું હતું. દરમિયાન ઠંડીના પ્રભાવમાં ઘટાડો નોંધાતા દિવસે ગરમી અને રાત્રિના ઠંડીના ચમકારાનો અનુભવ થયો હતો.
મંગળ વારે સવારથી જ સૂસવાટા મારતા પવનના કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં પારો ફરી ગગડયો હતો. જેમાં જામનગર શહેરના તાપમાનનો પારો ૯.૬ ડિગ્રીને આંબી ગયો હતો. જેના પગલે જામનગર શહેર રાજય ભરમાં સૌથી વધુ ઠંડું શહેર બન્યું હતું. આ ઉપરાંત નલિયાનું તાપમાન ૧૨.૨, ડિસામાં ૧૨.૫, રાજકોટમાં ૧૩.૩, અમરેલીમાં ૧૪.૪ ભાવનગરમાં ૧૬.૮ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હાલાર હેમાળો બનતા જામનગર પંથકની પ્રજાએ કાતિલ ઠંડીના ચમકારાનો અનુભવ કર્યો હતો.
મંગળ વારે સવારથી જ સૂસવાટા મારતા પવનના કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં પારો ફરી ગગડયો હતો. જેમાં જામનગર શહેરના તાપમાનનો પારો ૯.૬ ડિગ્રીને આંબી ગયો હતો. જેના પગલે જામનગર શહેર રાજય ભરમાં સૌથી વધુ ઠંડું શહેર બન્યું હતું. આ ઉપરાંત નલિયાનું તાપમાન ૧૨.૨, ડિસામાં ૧૨.૫, રાજકોટમાં ૧૩.૩, અમરેલીમાં ૧૪.૪ ભાવનગરમાં ૧૬.૮ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હાલાર હેમાળો બનતા જામનગર પંથકની પ્રજાએ કાતિલ ઠંડીના ચમકારાનો અનુભવ કર્યો હતો.
મમ્મી જ મારી બેસ્ટ ફ્રેન્ડ
ઘરનું કામ હોય કે સંબંધ નિભાવવાની પરંપરા હોય આ દરેક વાત માતા જ છોકરીઓને શીખવાડે છે. આના સિવાય છોકરીઓ પોતાની દરેક નાની મોટી વાતો પર માતા પાસેથી જ સલાહ લે છે. માતાની સાથે વાતવાતમાં મતભેદ થાય છે. પરંતુ જ્યારે કોઇ વિષય પર તેમને સલાહની જરૂર હોય છે તો તેમને માતાની યાદ આવે છે. હવે તો વૈજ્ઞાનિકોએ પણ આ વાત પર મહોર લગાવી દીધી છે કે, છોકરીઓ ૨૫ વર્ષ સુધી ફક્ત માતા પાસેથી જ સલાહ લે છે... દરેક કદમ પર જોઇએ માતાનો સાથ- છોકરીઓ હેલ્થ, પૈસા, મિત્રો, પિકનિક, કરિયર, ફેશન ટ્રેન્ડ અને રિલેશનશિપ જેવા મુદ્દા પર માતા સાથે ફક્ત વાત નથી કરતી પરંતુ તેમની સલાહ પણ લે છે. ટીન એજમાં હોર્મોન પરિવર્તનને કારણે છોકરીઓ બહુ ચિડિયલ થઇ જાય છે. માતાની સાથે વાતવાતમાં મતભેદ થાય છે. પરંતુ જ્યારે કોઇ વિષય પર તેમને સલાહની જરૂર હોય છે તો તેમને માતાની યાદ આવે છે. હવે તો વૈજ્ઞાનિકોએ પણ આ વાત પર મહોર લગાવી દીધી છે કે, છોકરીઓ ૨૫ વર્ષ સુધી ફક્ત માતા પાસેથી જ સલાહ લે છે, જ્યારે છોકરાઓ આવું નથી કરતા.
“સુંદર કેટરિના પરથી આંખો હટતી જ નથી”
બોલિવુડ માચોમેન સલમાન ખાન સાથે નિર્દેશક અનિલ શર્માની વીર ફિલ્મ દ્વારા બોલિવુડમાં પગ માંડનારી અભિનેત્રી ઝરીન ખાન પોતાની તુલના કેટરિના કેફ સાથે થવાથી ઘણી જ ખુશ છે. ઝરીન ખાનનું માનવું છે કે અભિનેત્રી કેટરીના કૈફ એટલી બધી સુંદર છે કે તેના પરથી નજર હટતી નથી. સલમાનની આ ફિલ્મ 22 જાન્યુઆરીના રોજ પ્રદર્શિત થશે.
ઝરીને જણાવ્યું હતું કે કેટરીના ખૂબ જ સુંદર છે અને તેની સાથે મારી તુલના મારી પ્રસંશા છે. હું માનું છું કે તે ઘણી જ સુંદર છે. જ્યારે મારી તુલના મારી સાથે કરવામાં આવે છે ત્યારે હું અભિભૂત થઈ જાઉં છું. હું તેમને એક બે વાર મળી છું અને તે એટલી તો ખૂબસૂરત છે કે મારી નજર તેના પર જ સ્થિર થઈ જાય છે. તેણે જણાવ્યું હતું કે હું હંમેશા દર્પણમાં જોઈને તેની તુલના મારી સાથે કરૂ છું પરંતુ અમારા વચ્ચે કોઈ સમાનતા નથી.
ઝરીને જણાવ્યું હતું કે કેટરીના ખૂબ જ સુંદર છે અને તેની સાથે મારી તુલના મારી પ્રસંશા છે. હું માનું છું કે તે ઘણી જ સુંદર છે. જ્યારે મારી તુલના મારી સાથે કરવામાં આવે છે ત્યારે હું અભિભૂત થઈ જાઉં છું. હું તેમને એક બે વાર મળી છું અને તે એટલી તો ખૂબસૂરત છે કે મારી નજર તેના પર જ સ્થિર થઈ જાય છે. તેણે જણાવ્યું હતું કે હું હંમેશા દર્પણમાં જોઈને તેની તુલના મારી સાથે કરૂ છું પરંતુ અમારા વચ્ચે કોઈ સમાનતા નથી.
પોસ્ટ ઓફિસમાં વિમાનની ટિકિટ મળશે
ટૂંક સમયમાં જ પોસ્ટ ઓફિસમાંથી વિમાનની ટિકિટ સહિત વિદેશી ચલણ, પ્રમુખ ટ્રેવેલર ચેક, પ્રીપેડ કાર્ડ, વિદેશી નાણાંકીય ડ્રાફટ અને પાસપોર્ટ જેવી સેવાઓનો લાભ મેળવી શકશે. પર્યટન અને પર્યટન સાથે જોડાયેલ નાણાંકીય સેવાઓ ઉપલબ્ધ કરાવા માટે થોમસ કૂક ઇન્ડિયાએ પોસ્ટ ઓફિસો દ્વારા વિદેશી નાણાં અને અન્ય સેવાઓ ઉપલબ્ધ કરાવા માટે ભારતીય પોસ્ટ વિભાગ સાથે આજે એક સહમતિ પત્ર પર હસ્તાક્ષર કર્યા. કંપનીની આ સેવા હાલમાં પ્રાયોગિક રૂપે દેશની રાજધાની સહિત પાંચ પોસ્ટ વિભાગમાં ઉપલ્બધ કરાશે. થોમસ કૂક ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેકટર માધવન મેનને કહ્યું કે, "આ સેવા શરૂઆતમાં પાંચ પોસ્ટ ઓફિસમાં શરૂ કરાવ્યા બાદ, આવતા કેટલાંક મહિનામાં અન્ય શહેરોમાં તેનું વિસ્તરણ કરાશે." તેમણે કહ્યું કે પર્યટન સ્થળો પર વિદેશી નાણાંના વિનિમય માટે પ્રવાસી અહિં-તહિં ભટકતા જોવા મળે છે. પરંતુ પોસ્ટ ઓફિસમાં આ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ થતાં પ્રવાસીઓને ઘણી સુવિધા મળશે.
માધવને કહ્યું કે વિદેશી ચલણ ઉપલબ્ધ કરાવા માટે નિષ્ણાતોની જરૂર પડે છે, તેના માટે પ્રત્યેક કેન્દ્ર પર થોમસ કૂકના 2-3 લોકો ઉપલબ્ધ હશે.
માધવને કહ્યું કે વિદેશી ચલણ ઉપલબ્ધ કરાવા માટે નિષ્ણાતોની જરૂર પડે છે, તેના માટે પ્રત્યેક કેન્દ્ર પર થોમસ કૂકના 2-3 લોકો ઉપલબ્ધ હશે.
નેનો યુએસમાં પ્રદર્શિત
વિશ્વમાં સૌથી સસ્તીકાર ટાટા નેનોને શીકાગો ખાતે બે કલાક માટે પ્રદર્શિત કરાઈ હતી. અહીં સૌ પ્રથમવાર ત્યાંના લોકો માટે વિશ્વની સૌથી સસ્તી કાર પ્રદર્શનમાં મુકાઈ હતી.
શિકાગો બાદ નેનોને ડિટ્રોઈટ શહેર ખાતે પ્રદર્શિત કરાશે. ટાટા નેનોએ યુએસમાં તેની સફર ડેનવર કોલારોડાથી શરૂ કરી હતી અને ગઈકાલે તે ડિટ્રોઈટ ખાતેની જુડસન યુનિ. ખાતે આવી પહોંચી હતી. વિશ્વની સૌથી સસ્તી કરાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યાં હતા અને લોકોએ તેને સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.
શિકાગો બાદ નેનોને ડિટ્રોઈટ શહેર ખાતે પ્રદર્શિત કરાશે. ટાટા નેનોએ યુએસમાં તેની સફર ડેનવર કોલારોડાથી શરૂ કરી હતી અને ગઈકાલે તે ડિટ્રોઈટ ખાતેની જુડસન યુનિ. ખાતે આવી પહોંચી હતી. વિશ્વની સૌથી સસ્તી કરાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યાં હતા અને લોકોએ તેને સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.
ભગવાન બુદ્ધ ગુજરાત આવ્યા હતા...
- ભગવાને તેમનો છઠ્ઠો વર્ષાવાસ ગુજરાતમાં કર્યો
- ગુજરાતમાં સૌ પ્રથમ નાગ જાતિના લોકોએ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો
-૧૫મીએ રાજયમાં બુદ્ધિસ્ટ હેરિટેજનો આંતરરાષ્ટ્રીય સેમિનાર
- સચ્ચબંદ નામના તપસ્વીએ પણ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો આ પ્રસંગને યાદ કરવા થાઇલેન્ડમાં એક પર્વતનું નામ સચ્ચબંદ
ગુજરાતમાં બૌદ્ધ ધર્મના પ્રાચીન અવશેષો છે, ભગવાન બુદ્ધ સ્વયં ગુજરાત આવ્યા હતા અને છઠ્ઠો વર્ષાવાસ તેમણે ગુજરાતમાં કર્યો હતો, એમ ત્રૈલોક્ય બૌદ્ધ મહા સંઘ સહાયક ગણ-અમદાવાદના પ્રમુખ ધમ્મચારી રત્નાકરે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તા.૧૫થી ૧૭ જાન્યુઆરી દરમિયાન વડોદરામાં ‘બુદ્ધિસ્ટ હેરિટેજ-ગુજરાત’ અંગેનો આંતરાષ્ટ્રીય સેમિનાર એમ.એસ.યુનિવર્સિટી ખાતે યોજાશે. જેમાં દલાઇ લામા, મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી અને ૫૦૦ લામાઓ પણ ઉપસ્થિત રહેશે.
છેલ્લા ૩૫ વર્ષથી બૌદ્ધ ધર્મનું અધ્યયન-પરશિલન કરી રહેલા ધમ્મચારી રત્નાકરે જણાવ્યું કે જેવી રીતે ‘ચાતુર્માસ’ હોય છે તેવી જ રીતે બૌદ્ધ ધર્મમાં ‘વર્ષાવાસ’ હોય છે પરંતુ તેમાં ચાર મહિના નહીં પણ ત્રણ માસ એક જ સ્થળે એટલે કે બૌદ્ધ વિહારમાં રહેવાનું હોય છે. વર્ષાવાસનો પ્રારંભ અષાઢી પૂર્ણિમાથી આસો પૂર્ણિમાએ તેની સમાપ્તિ થાય છે. ઇ.સ.પૂર્વે છઠ્ઠી સદીમાં ભગવાન બુદ્ધ ગુજરાતમાં છઠ્ઠો વર્ષાવાસ કરવા આવ્યા હતા અને તેઓએ શૂરપારક બંદર પાસે આવેલા મુકુલારામ વિહારમાં વષૉવાસ કર્યો હતો. ભગવાન બુદ્ધ ગુજરાત આવ્યા ત્યારે અહીં રહેતા નાગ જાતિના લોકોએ સૌ પ્રથમ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. આજે પણ ભગવાન બુદ્ધના પગલા સચ્ચબંદ પર્વત ઉપર જોવા મળે છે. સચ્ચબંદ નામનો એક તપસ્વી હતો તેણે પણ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો. આ પ્રસંગને ધ્યાનમાં રાખીને થાઇલેન્ડમાં એક પર્વતનું નામ સચ્ચબંદ અપાયું છે. તેમણે જણાવ્યું કે ભગવાન બુદ્ધ ગુજરાતના દેવની મોરી અને ગિરનાર પણ આવ્યા હતા અને ભગવાન બુદ્ધ નર્મદા નદીના કિનારે થઇને મધ્ય પ્રદેશ થઇ શ્રાવસ્તી-ઉત્તર પ્રદેશ પહોંચ્યાના ઉલ્લેખો મળી આવે છે. આજે મળતા બૌદ્ધ ધર્મના અવશેષોથી કહી શકાય કે પ્રાચીન સમયમાં ગુજરાતમાં બૌદ્ધ ધર્મનું ખૂબ જ પ્રચલન હશે.
ગુજરાતની વલભી વિશ્વ વિધ્યાલયમાં ૬ હજાર બૌદ્ધ ભિખ્ખુઓ અભ્યાસ કરતા હતા
બૌદ્ધ ધર્મના અવશેષો ગુજરાતના ૬૦ ટકા વિસ્તારોમાંથી પ્રાપ્ત થાય છે ત્યારે એટલું તો ચોક્કસ કહી શકાય કે ગુજરાત બૌદ્ધ ધર્મનું એક મહત્વનું સ્થાન હતું. એટલું જ નહીં નાલંદા-તક્ષશીલા સાથે સરખામણી થઇ શકે એવી રાજયની પ્રાચીન વલ્લભી વિશ્વ વિધ્યાલયમાં તત્કાલિન સમયે ૬ હજાર બૌદ્ધ ભિખ્ખુઓ અભ્યાસ કરતા હતા. આના પરથી કહી શકાય કે બૌદ્ધ ધર્મનો પ્રચાર-પ્રસાર આ પ્રાંતમાં ખૂબ જ હતો, એમ ધમ્મચારી રત્નાકરજીએ ઉમેર્યું હતું.
- ગુજરાતમાં સૌ પ્રથમ નાગ જાતિના લોકોએ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો
-૧૫મીએ રાજયમાં બુદ્ધિસ્ટ હેરિટેજનો આંતરરાષ્ટ્રીય સેમિનાર
- સચ્ચબંદ નામના તપસ્વીએ પણ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો આ પ્રસંગને યાદ કરવા થાઇલેન્ડમાં એક પર્વતનું નામ સચ્ચબંદ
ગુજરાતમાં બૌદ્ધ ધર્મના પ્રાચીન અવશેષો છે, ભગવાન બુદ્ધ સ્વયં ગુજરાત આવ્યા હતા અને છઠ્ઠો વર્ષાવાસ તેમણે ગુજરાતમાં કર્યો હતો, એમ ત્રૈલોક્ય બૌદ્ધ મહા સંઘ સહાયક ગણ-અમદાવાદના પ્રમુખ ધમ્મચારી રત્નાકરે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તા.૧૫થી ૧૭ જાન્યુઆરી દરમિયાન વડોદરામાં ‘બુદ્ધિસ્ટ હેરિટેજ-ગુજરાત’ અંગેનો આંતરાષ્ટ્રીય સેમિનાર એમ.એસ.યુનિવર્સિટી ખાતે યોજાશે. જેમાં દલાઇ લામા, મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી અને ૫૦૦ લામાઓ પણ ઉપસ્થિત રહેશે.
છેલ્લા ૩૫ વર્ષથી બૌદ્ધ ધર્મનું અધ્યયન-પરશિલન કરી રહેલા ધમ્મચારી રત્નાકરે જણાવ્યું કે જેવી રીતે ‘ચાતુર્માસ’ હોય છે તેવી જ રીતે બૌદ્ધ ધર્મમાં ‘વર્ષાવાસ’ હોય છે પરંતુ તેમાં ચાર મહિના નહીં પણ ત્રણ માસ એક જ સ્થળે એટલે કે બૌદ્ધ વિહારમાં રહેવાનું હોય છે. વર્ષાવાસનો પ્રારંભ અષાઢી પૂર્ણિમાથી આસો પૂર્ણિમાએ તેની સમાપ્તિ થાય છે. ઇ.સ.પૂર્વે છઠ્ઠી સદીમાં ભગવાન બુદ્ધ ગુજરાતમાં છઠ્ઠો વર્ષાવાસ કરવા આવ્યા હતા અને તેઓએ શૂરપારક બંદર પાસે આવેલા મુકુલારામ વિહારમાં વષૉવાસ કર્યો હતો. ભગવાન બુદ્ધ ગુજરાત આવ્યા ત્યારે અહીં રહેતા નાગ જાતિના લોકોએ સૌ પ્રથમ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. આજે પણ ભગવાન બુદ્ધના પગલા સચ્ચબંદ પર્વત ઉપર જોવા મળે છે. સચ્ચબંદ નામનો એક તપસ્વી હતો તેણે પણ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો. આ પ્રસંગને ધ્યાનમાં રાખીને થાઇલેન્ડમાં એક પર્વતનું નામ સચ્ચબંદ અપાયું છે. તેમણે જણાવ્યું કે ભગવાન બુદ્ધ ગુજરાતના દેવની મોરી અને ગિરનાર પણ આવ્યા હતા અને ભગવાન બુદ્ધ નર્મદા નદીના કિનારે થઇને મધ્ય પ્રદેશ થઇ શ્રાવસ્તી-ઉત્તર પ્રદેશ પહોંચ્યાના ઉલ્લેખો મળી આવે છે. આજે મળતા બૌદ્ધ ધર્મના અવશેષોથી કહી શકાય કે પ્રાચીન સમયમાં ગુજરાતમાં બૌદ્ધ ધર્મનું ખૂબ જ પ્રચલન હશે.
ગુજરાતની વલભી વિશ્વ વિધ્યાલયમાં ૬ હજાર બૌદ્ધ ભિખ્ખુઓ અભ્યાસ કરતા હતા
બૌદ્ધ ધર્મના અવશેષો ગુજરાતના ૬૦ ટકા વિસ્તારોમાંથી પ્રાપ્ત થાય છે ત્યારે એટલું તો ચોક્કસ કહી શકાય કે ગુજરાત બૌદ્ધ ધર્મનું એક મહત્વનું સ્થાન હતું. એટલું જ નહીં નાલંદા-તક્ષશીલા સાથે સરખામણી થઇ શકે એવી રાજયની પ્રાચીન વલ્લભી વિશ્વ વિધ્યાલયમાં તત્કાલિન સમયે ૬ હજાર બૌદ્ધ ભિખ્ખુઓ અભ્યાસ કરતા હતા. આના પરથી કહી શકાય કે બૌદ્ધ ધર્મનો પ્રચાર-પ્રસાર આ પ્રાંતમાં ખૂબ જ હતો, એમ ધમ્મચારી રત્નાકરજીએ ઉમેર્યું હતું.
અવતાર જાતિવાદના વિવાદમાં ઢસડાઈ
ગયા વર્ષના છેલ્લા મહિના પ્રદર્શિત થયેલી ડિરેક્ટર જેમ્સ કેમેરૂનની ફિલ્મ અવતાર ભારે હિટ રહી છે. જો કે આ ફિલ્મ હવે વિવાદમાં સપડાય તેવી સંભાવનાઓ વધી ગઈ છે. આ ફિલ્મમાં એક અમેરિકન સૈનિક પેન્ડોરા નામના ગ્રહ પર રહેતા નેવી જાતીના લોકોને તેના જ સાથીદારોથી બચાવે છે. આ નેવી લોકો આદિવાસી જેવું જીવન જીવતા હોય છે. જેઓ વાદળી રંગના અને પોતાની જાતનો બચાવ કરવામાં અક્ષમ બતાવવામાં આવ્યા છે. અવતાર ફિલ્મ પેન્ડોરા નામના ગ્રહ પર આધારિત છે જ્યાં પ્રકૃતિને પ્રેમ કરતા અને વાદળી રંગની ચામડી ધરાવતા નેવી નામની જાતિના લોકો વસે છે. નૌકાદળના એક અપંગ સૈનિકને ત્યાં મોકલવામાં આવે છે. પરંતુ તે સૈનિક એ જાતિમાં ભળી જાય છે અને પોતાના જ શ્વેત સાથીદારોથી પેન્ડોરાને બચાવે છે. આ સૈનિકની ભૂમિકા ઓસ્ટ્રેલિન અભિનેતા સામ વર્થિગંટન દ્વારા ભજવવામાં આવી છે.
આ ફિલ્મ પ્રદર્શિત થઈ ત્યારથી વેબ સાઈટ પર અસંખ્ય બ્લોગ, સમાચાર પત્રોના ઘણા લેખકો, ટ્વિટર પર અને યૂ ટ્યૂબ પર અપલોડ કરવામાં આવેલા વિડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અવતાર ફિલ્મ જાતિવાદ પર આધારિત ફિલ્મ છે. ફિલ્મના લેખક અને ડિરેક્ટર જેમ્સ કેમરૂનનું કહેવું છે કે અન્ય લોકોનું સન્માન કરવું તે આ ફિલ્મનો મહત્વનો સંદેશ છે.
આ ફિલ્મ પ્રદર્શિત થઈ ત્યારથી વેબ સાઈટ પર અસંખ્ય બ્લોગ, સમાચાર પત્રોના ઘણા લેખકો, ટ્વિટર પર અને યૂ ટ્યૂબ પર અપલોડ કરવામાં આવેલા વિડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અવતાર ફિલ્મ જાતિવાદ પર આધારિત ફિલ્મ છે. ફિલ્મના લેખક અને ડિરેક્ટર જેમ્સ કેમરૂનનું કહેવું છે કે અન્ય લોકોનું સન્માન કરવું તે આ ફિલ્મનો મહત્વનો સંદેશ છે.
“ટીમ ઈન્ડિયા નં-1 પર ટકી શકશે નહીં”
હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 પર છે. આ વિશે પૂર્વ ઓસ્ટ્રેલિયન સુકાની ઈઆન ચેપલનું માનવું છે કે ભારત પાસે બોલિંગ પાવર નથી જેથી તે લાંબા સમય સુધી ટેસ્ટ રેન્કિંગમાં ટોચ પર રહી શકશે નહીં. ચેપલે જણાવ્યું કે હું નથી માનતો કે ટોચની બેટિંગ ભાગીદારીથી મહાન ટીમનું નિર્માણ થાય છે. પરંતુ મારા મત પ્રમાણે તેના કરતા પણ વધારે મહત્વની બાબતો રહેલી છે અને તેથી જ ભારત લાંબા સમય સુધી નંબક-1 રહી શકશે નહીં. હું માનું છું કે જો તમારે લાંબા સમય સુધી સફળ ટીમ બની રહેવું હોય તો તમારી પાસે બે ચેમ્પિયન બોલર હોવા જરૂરી છે. અને ભારત ત્યાં જ માર ખાઈ જાય છે, તેમ ચેપલે ઉમેર્યુ હતું. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે ભારત પાસે એક પણ ચેમ્પિયન બોલર નથી. જ્યારે હું છેલ્લા 12 મહિનાથી ભારતની સ્ટ્રાઈક રેટ અને એવરેજ પર નજર નાંખુ છું ત્યારે મને બે ચેમ્પિયન બોલર દેખાતા નથી. હકિકતમાં મને તો એક પણ ચેમ્પિયન બોલર દેખાતો નથી. ટીમ ઈન્ડિયાને કેટલાક ચેમ્પિયન બોલરની જરૂર છે. તેમની પાસે શ્રેષ્ઠ બેટિંગ લાઈન અપ છે તેમાં બેમત નથી પરંતુ તેમની પાસે સારી બોલિંગ લાઈન નથી કે જેની મદદથી તેઓ વિશ્વમાં સતત જીતતા રહે, તેમ ચેપલે જણાવ્યું હતું.
રાજકોટ : સુગર હાઉસ, વિત્ત ભવન જપ્ત કરવા કોર્પોરેશનની કાર્યવાહી
રાજકોટ મહા નગર પાલિકાની ટેકસ શાખા ૦૯-૧૦ના બજેટમાં અપાયેલા ૧૧૫ કરોડની આવકના લક્ષ્યથી ૩૨ કરોડ દૂર હોઇ આવક વધારવા ઝોન વાઇઝ ધડાધડ નોટિસો ઇસ્યુ થઇ રહી છે. તો મનપાને વર્ષોથી મિલકત વેરા પેટે એક પૈસો પણ ન ચૂકવનાર ગોંડલ રોડ પરના વિત્ત ભવન તથા ત્રિકોણ બાગ પાસેના સુગર હાઉસ નામક મિલકતો કબજે કરવા તૈયારી ચાલી રહી છે. સોની બજાર ખાતે વિવિધ કોમ્પ્લેકસમાં ૭૨ વેપારીઓને નોટિસ ફટકારાઇ છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગત બજેટમાં મિલકત વેરાની આવકનો ૧૧૫ કરોડનો લક્ષ્યાંક અપાયા બાદ ટેકસ શાખાને હજૂ સુધીમાં ૮૩ કરોડની જ આવક થઇ છે જયારે જાન્યુઆરી માસ અડધો પૂર્ણ થઇ ગયો છે અને લક્ષ્ય ૩૨ કરોડ છેટું છે. આથી મકાનો જપ્ત કરવા પણ ફાઇલો તૈયાર થઇ રહી છે.
ગોંડલ રોડ પરનું વિત્ત ભવન બન્યું ત્યારથી આ ભવનના એક પણ દુકાનદાર કે ઓફિસ માલિકે વેરો ભર્યો નથી વેરા પ્રશ્ને વાંધો પડતા તમામે વાંધા અરજી કરી હતી. જેનો નિકાલ થઇ ગયો છતાં ર૦ લાખનો ટેકસ ભરાતો ન હોઇ સમગ્ર ભવન કબજે કરવા તજવીજ આરંભવામાં આવી છે. સોની બજાર વિસ્તારમાં આવેલા ગોલ્ડન પ્લાઝા, દેવ કોપ્લેકસ, કેવલ કોમ્પલેકસમાં દુકાનો અને ઓફિસો ધરાવતા તેમજ મનપાને વર્ષોથી મિલકત વેરો ન ચૂકવતા ૭૨ બાકીદારોને ટેકસ ડિપાટર્મેન્ટ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. ત્રિકોણ બાગ પાસે આવેલા સુગર હાઉસ નામક બિલ્ડંગમાં તથા ત્યાં જ આવેલી લાખાજીરાજ સ્મારક ટ્રસ્ટની માલિકીની મિલકતમાં આવેલી દુકાનો, ઓફિસો પાસે ૨૧ લાખની રકમ બાકી નીકળતી હોઇ તે મિલકત પણ કબજે કરી નાણાં વસૂલવા મનપાએ તૈયારી આદરી છે શહેરના સેન્ટ્રલ ઝોનના શ્રોફ રોડ, સુભાષનગર તથા કસ્તુરબા રોડ પર આવેલા કેટલાક એપાટર્મેન્ટો તેમજ દુકાનદારોને બાકી વેરો તાત્કાલિક ભરી જવા નોટિસ પાઠવી અને તાકીદ કરવામાં આવી છે.
ગોંડલ રોડ પરનું વિત્ત ભવન બન્યું ત્યારથી આ ભવનના એક પણ દુકાનદાર કે ઓફિસ માલિકે વેરો ભર્યો નથી વેરા પ્રશ્ને વાંધો પડતા તમામે વાંધા અરજી કરી હતી. જેનો નિકાલ થઇ ગયો છતાં ર૦ લાખનો ટેકસ ભરાતો ન હોઇ સમગ્ર ભવન કબજે કરવા તજવીજ આરંભવામાં આવી છે. સોની બજાર વિસ્તારમાં આવેલા ગોલ્ડન પ્લાઝા, દેવ કોપ્લેકસ, કેવલ કોમ્પલેકસમાં દુકાનો અને ઓફિસો ધરાવતા તેમજ મનપાને વર્ષોથી મિલકત વેરો ન ચૂકવતા ૭૨ બાકીદારોને ટેકસ ડિપાટર્મેન્ટ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. ત્રિકોણ બાગ પાસે આવેલા સુગર હાઉસ નામક બિલ્ડંગમાં તથા ત્યાં જ આવેલી લાખાજીરાજ સ્મારક ટ્રસ્ટની માલિકીની મિલકતમાં આવેલી દુકાનો, ઓફિસો પાસે ૨૧ લાખની રકમ બાકી નીકળતી હોઇ તે મિલકત પણ કબજે કરી નાણાં વસૂલવા મનપાએ તૈયારી આદરી છે શહેરના સેન્ટ્રલ ઝોનના શ્રોફ રોડ, સુભાષનગર તથા કસ્તુરબા રોડ પર આવેલા કેટલાક એપાટર્મેન્ટો તેમજ દુકાનદારોને બાકી વેરો તાત્કાલિક ભરી જવા નોટિસ પાઠવી અને તાકીદ કરવામાં આવી છે.
જામનગર: જામ બંગલાનું ચોરાયેલા ઝવેરાત કબજે
રાજવી પરિવારના પ્રતાપ વિલાસ પેલેસમાંથી સાચા મોતી અને હીરા જડિત સોના ચાંદીના આભૂષણો તેમજ એન્ટીક ચીજ વસ્તુ મળી કરોડો રૂપિયાની થયેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી ચોરીનો પોલીસે ભેદ ઉકેલી ચાર દેવીપૂજક સહોદર સહિત પાંચ તસ્કરોને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી રૂ. પાંચ લાખ રોકડા, અડધા કરોડની કિંમતનો એક એવા બે ડાયમંડ, ઘરેણા તેમજ કિંમતી ધાતુના ઘરેણા મળી અંદાજે દોઢથી બે કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ચોરાઉ માલ ખરીદનાર સુરેન્દ્રનગર પંથકના ત્રણ સોનીની પણ અટકાયત થયાનું જાણવા મળે છે. તસ્કરોએ રેઢા પડ સમાન પ્રતાપ વિલાનાં જામ બંગલામાં છેલ્લા ૮ માસ દરમિયાન ૨૫ થી વધુ વખત ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસ અધિકારીઓ ચોકી ઉઠયા હતા. જામ બંગલામાંથી કરોડોના ઝર ઝવેરાત, એન્ટીક વસ્તુઓની ચોરી થયા અંગે ચાર જાન્યુઆરી ૨૦૧૦ના રોજ ફરિયાદ નોંધાઇ હતી. એક તબક્કે એન્ટીક ચીજ વસ્તુઓની ચોરી કરતી પ્રોફેશનલ ગેંગ હોવાની શંકા હતી. પરંતુ સ્થળ નિરીક્ષણ દરમિયાન રૂમમાંથી બીડીના ઠૂંઠા, પાણીના ખાલી પાઉચ મળ્યા હતા. તેમ જ તસ્કરોએ રૂમમાં હાજત કરી હોવાથી ચોરીમાં દેવીપૂજક ગેંગ હોવાની શંકા દ્રઢ બની હતી. ડી.આઇ.જી. મનોજ શશીધરે પડકારરૂપ ચોરીનો ભેદ ઉકેલવા જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગરના એલ.સી.બી. એસ.ઓ.જી. અને આર.આર. સેલના ચુનંદા અધિકારીઓ જવાનોની ટુકડી બનાવી જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરાવી હતી. દરમિયાન સુરેન્દ્રનગર એલસીબીના એ.એસ.આઇ. મહાવીરસિંહ અને કોન્સ્ટેબલ શકિતદાનને બાતમી મળી હતી કે કુંભાર પરામાં રહેતા 2 શખ્સો હિરાજડીત ઘરેણા અને સોના ચાંદીના તાર જડિત ગાલીચા વેચવાની પેરવી કરી રહ્યાં છે. પોલીસે કરેલા ચેકીંગ દરમિયાન સંજય બાબુ અને અશોક રામુ રજવાડી ઘરેણા ભરેલા થેલા સાથે ઝડપાઇ જતા સૌરાષ્ટ્રની સૌથી મોટી ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો હતો. પોલીસે અન્ય ત્રણ તસ્કરોને પણ ઝડપી લીધા છે. ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલનાર સમગ્ર સ્ટાફને ડી.આઇ.જી.એ અભિનંદન પાઠવ્યા હતા. બે આરોપી નશામાં ૧.૪૭ લાખ રોકડા ટેકસીમાં ભૂલી ગયા હતા. મળતી વિગત મુજબ પકડાયેલા આરોપીઓ પૈકી સંજય બાબુ અને વિજય રામુ દોઢ માસ પહેલા જામનગરથી ગોંડલ જવા ટેકસી ભાડે કરી હતી. દારૂના ચિક્કાર નશામાં ટેકસીમાં બેઠેલા બન્નો શખ્સોને ગોંડલ ઉતારીને પરત જામનગર પહોંચેલા ટેકસી ચાલકને પાછળની સીટમાંથી ૧ લાખ ૪૭ હજાર રોકડ સહિત થેલી મળી હતી. મુસાફરને ઓળખતો ન હોવાથી તેણે એ રકમ જામનગરના ચોકકસ પોલીસ મથકમાં જમા કરાવી હતી. થેલાની તપાસમાં ટેકસી ચાલક પાસે આવેલા આરોપી વિજય બાબુને પોલીસે ઝડપી લીધો હતો. આરોપીએ આ રકમ શેઠ પાસેથી ઉપાડ પેટે લીધી હોવાનું જણાવી પોલીસને મૂર્ખ બનાવી હતી. આરોપીએ પોતાનું નામ પણ ખોટું લખાવ્યું હોવાનું જાણવા મળે છે. જામ બંગલામાંથી ચીજ વસ્તુઓની ચોરી કરનાર તસ્કર ગેંગના એક આરોપીને દોઢ માસ પૂર્વે ૨૮ નવેમ્બરના રોજ રોકડા રૂ. ૧ લાખ ૪૭ હજાર સાથે પોલીસે ઝડપી લીધો હતો. પરંતુ આટલી મોટી રકમ કયાંથી આવી તે અંગે મોઢું નહીં ખોલાવી શકતા કરોડોની ચોરીનો ભેદ અકબંધ રહ્યો હતો.
બે ફરાર આરોપીઓ પાસે ચારેક કરોડના ઘરેણાં હોવાની શંકા
પકડાયેલા આરોપીઓનો પાંચમો ભાઇ અજય રામુ અને સાગરીત વિજય ચંદુ (મૂળ પોરબંદર) હજુ ફરાર છે. અજય પાસે ત્રણથી ચાર કરોડ રૂપિયાની કિંમતના ૧૦ કિલો ઘરેણાં હોવાનું બહાર આવતા બન્નો શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
બે ફરાર આરોપીઓ પાસે ચારેક કરોડના ઘરેણાં હોવાની શંકા
પકડાયેલા આરોપીઓનો પાંચમો ભાઇ અજય રામુ અને સાગરીત વિજય ચંદુ (મૂળ પોરબંદર) હજુ ફરાર છે. અજય પાસે ત્રણથી ચાર કરોડ રૂપિયાની કિંમતના ૧૦ કિલો ઘરેણાં હોવાનું બહાર આવતા બન્નો શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
દ્વારકામાં નિવૃત પ્રાથમિક શિક્ષકોને વસુલાતની નોટીસ... !! :ઉગ્ર વિરોધ
દ્વારકા તાલુકાના નિવૃત પ્રાથમિક શિક્ષકોને રજા-પગારના મામલે રૂ.૧૫ થી ૫૫ હજારની વસુલાતની નોટીસ ફટકારવામાં આવતા ચકચાર જાગી છે. નોટીસ ગેરકાનૂની હોવાનું જણાવી શિક્ષકોએ ઉગ્ર વિરોધ કર્યો છે. તાલુકામાં છેલ્લા પાંચેક વર્ષથી નિવૃત થઇ માત્ર પેન્શનની રકમમાંથી પોતાના કુટુંબનું જીવન નિર્વાહ ચલાવતા પ્રાથમિક શિક્ષકો પૈકી કેટલાક શિક્ષક ભાઇઓ-બહેનોને જિલ્લા શિક્ષણાધિકારીની સુચના અનુસાર દ્વારકા તાલુકા વિકાસ અધિકારી દ્વારા રૂ.૧૫ હજારથી ૫૫ હજાર સુધીની રકમ વસુલ કરવાની નોટીસો આપવામાં આવી છે. વર્ષ-૨૦૦૩-૦૫ના ઓડીટ અહેવાલ પ્રમાણે નિવૃતિ પૂર્વે ૧૫૦ દિવસની મર્યાદામાં રજાના રૂપાંતરીત પગાર ચુકવવાના બદલે ૩૦૦ દિવસની રજાનો પગાર ચૂકવાયો હોય વસુલાતનો પ્રશ્ન ઉભો થયો છે. આ નોટીસ મળતાં નિવૃત પ્રાથમિક શિક્ષકોમાં આશ્ચર્ય સાથે ખળભળાટ મચી ગયો છે. રોષે ભરાયેલા શિક્ષકોએ રજૂઆત કરી છે કે, પગારની રકમ સક્ષમ અધિકારી દ્વારા મંજૂર કરી ચૂકવવામાં આવી છે. જેમાં તેમની કોઇ કસૂર નથી.
પોરબંદર : પ્રેમ સંબંધમાં પરિવારો વચ્ચે બઘડાટી
પરિણીતનો પ્રેમ ધોકા ઉલાળવા સુધી પહોંચી ગયો હતો. જેમા બે મહિલાઓને ઇજા થતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવી પડી હતી. પતિના આડા સબંધને લઇને પત્નીએ અન્ય મહિલાને ધોકાવી ગાળો આપીને મારી નાખવાની ધમકી આપી તો સામા પક્ષે પરિણીતાને ધોકા વડે માર મારી ઇજા કરી હતી. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ છાંયા મહેર બોર્ડિંગ પાસે રહેતા રંજનબેન કેશુભાઇ બાપોદરા નામના પરિણીતાના પતિને આ જ વિસ્તારમાં રહેતા મનિષાબેન કમલેશભાઇ ઓડેદરા સાથે સબંધ હોવાના કારણોસર કમલેશભાઇ ભુરાભાઇ ઓડેદરા અને મનિષાબેને રંજનબેનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી માર માર્યો હતો તો સામા પક્ષે મનિષાબેન કમલેશભાઇ ઓડેદરા નામની પરિણીતાએ એવી ફરીયાદ નોંધાવી હતી કે રંજનબેને તેમને બોલાવીને તેવું કહ્યું હતું કે તુ મારા ઘરવાળાને રાખીને બેઠી છે તેમ કહીને રંજનબેન, અરભમભાઇ, વેજાભાઇ ઓડેદરા, કેશુ ચના ઓડેરાએ એક સંપ કરીને મનિષાબેનના માથાના ભાગે લાકડાનો ધોકો ઝીંકી દીધો હતો. આ બઘડાટીમાં ઇજાગ્રસ્ત બનેલી બન્ને મહિલાઓને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પત્નીઓથી છોડાવો: પતિઓની રાવ
અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ દ્વારા સોમવારે રાજકોટ કલેકટર અને પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં માગ કરી હતી કે, પોલીસના વુમન સેલ બંધ થાય અને સ્ત્રીધનના નામે લૂંટ પર નિયંત્રણ મુકાય, પતિ-પત્નીના ઝઘડામાં અન્ય સગા-સંબંધીઓને ફસાવવામાં ન આવે, પત્નીની ખોટી ફરિયાદ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે, છૂટાછેડાની પ્રક્રિયા આસાન બનવી જોઈએ. આવેદનપત્ર પાઠવવા હાજર રહેલાં પત્ની પીડિતોએ તેમને થતી પરેશાની અંગે દિલ ખોલીને વાતો કરી હતી
જૂનાગઢમાં ગૌમાંસ રાંધીને જમાડી દીધા ?
જૂનાગઢ શહેરમાં સુખનાથ ચોક પાસે એક જ્ઞાતિની વાડીમાં ગૌમાંસ રંધાયાની આશંકા દર્શાવતો એક ફોન મળ્યા બાદ પોલીસે તપાસ કરી હતી. જોકે, ઘટનાસ્થળે જમણવાર પૂરો થઇ ગયો હોઇ પોલીસે વધેલી મટન બિરયાનીમાં ગૌમાંસનો ઉપયોગ થયો છે કે કેમ તેની તપાસ માટે એફ.એસ.એલ. ને જાણ કરતાં માંસના નમૂના એકત્ર કરી લેબોરેટરીમાં મોકલાયા હતા.
હોટેલમાં ૩૩ યુવક અને યુવતીને બાનમાં રખાયા
જાણીતી મોબાઇલ કંપનીના નામે ફ્રેન્ચાઇઝી લીધી હોવાના બહાને એક ચીટરે સંખ્યાબંધ યુવક-યુવતીઓને ટ્રેનિંગ માટે શહેરની ભાગોળે આવેલી હોટેલમાં બોલાવ્યા હતા. થોડા દિવસ બાદ ચીટર હોટેલનું બિલ ભર્યા વગર પોબારા ભણી ગયો હતો. જેથી ટ્રેનિંગ લેવા આવેલા યુવક-યુવતીઓને હોટેલ સંચાલકે રૂમમાં પૂરી દેતા હોબાળો મચી ગયો હતો. જોકે, બાદમાં સાચી હકીકત બહાર આવતા હોટેલના સંચાલકોએ યુવક-યુવતીઓને જવા દેવાયા હતા.
હોટેલમાં ૩૩ યુવક અને યુવતીને બાનમાં રખાયા
જાણીતી મોબાઇલ કંપનીના નામે ફ્રેન્ચાઇઝી લીધી હોવાના બહાને એક ચીટરે સંખ્યાબંધ યુવક-યુવતીઓને ટ્રેનિંગ માટે શહેરની ભાગોળે આવેલી હોટેલમાં બોલાવ્યા હતા. થોડા દિવસ બાદ ચીટર હોટેલનું બિલ ભર્યા વગર પોબારા ભણી ગયો હતો. જેથી ટ્રેનિંગ લેવા આવેલા યુવક-યુવતીઓને હોટેલ સંચાલકે રૂમમાં પૂરી દેતા હોબાળો મચી ગયો હતો. જોકે, બાદમાં સાચી હકીકત બહાર આવતા હોટેલના સંચાલકોએ યુવક-યુવતીઓને જવા દેવાયા હતા.
આઇએએસ પ્રદિપ શમૉ આખરે સસ્પેન્ડ
ભાવનગરના મ્યુનિસપિલ કમિશનર પ્રદિપ શમૉને આખરે સરકારી નોકરીમાંથી સસ્પેન્ડ કરાયા છે. રાજય સરકારે તેમના સસ્પેન્શનની પ્રક્રિયા ૨૪ કલાકમાં પુરી કરી છે. તેઓ કચ્છ જિલ્લાના જમીન કૌભાંડમાં સંડોવાયેલા છે અને સીઆઇડી ક્રાઇમે તેમની ધરપકડ કરી છે.
ભાવનગરના મ્યનિસપિલ કમિશનર તરીકે ફરજ બજાવતા અને ૧૯૫૫માં જન્મેલા પ્રદપિ શમૉ ગુજરાત એડમિનિસ્ટ્રેટીવ સર્વિસમાં ગુજરાત કેડરના ઓફિસર તરીકે સિલેકટ થયા હતા અને ૧૯૯૪ની બેચમાં આઇએએસ તરીકે નોમિનેટેડ થયા છે. કચ્છ અને રાજકોટ જિલ્લા કલેકટર તરીકે તેઓએ ફરજ બજાવેલી છે.
સનદી અધિકારીની ચાલુ નોકરીએ ધરપકડ કરવાની હોય તો પોલીસે તેની જાણ સરકારને કરવાની હોય છે. મુખ્યમંત્રી અને ગૃહ રાજયમંત્રીએ સીઆઇડી ક્રાઇમને એવી સૂચના આપી હતી કે પ્રદપિ શમૉ જો દોષિત લાગતા હોય તો કોઇપણ રાજકીય દબાણ વિના તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરો. એ પછી સીઆઇડીના ઓફિસરોએ પ્રદિપ શમૉના ભાવનગર સ્થિત નિવાસસ્થાને છાપો મારીને એરેસ્ટ કરી હતી.
રિમાન્ડ પુરા થતાં તેમને કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. સોમવારે રાજય સરકારે સસ્પેન્શનની કાર્યવાહી શરૂ કરી કેન્દ્ર સાથે પરામર્શ કર્યો હતો અને મંગળવારે સાંજે તેમને સસ્પેન્શનનો ઓર્ડર ઇસ્યુ કરી દેવામાં આવ્યો છે. કચ્છની ૭૦ કરોડની જમીન અસરગ્રસ્તોને આપવાને બદલે બિન લાભાર્થીઓને આપી દેવાનો આરોપ આ ઓફિસર સામે મૂકવામાં આવ્યો છે.
ભાવનગરના મ્યનિસપિલ કમિશનર તરીકે ફરજ બજાવતા અને ૧૯૫૫માં જન્મેલા પ્રદપિ શમૉ ગુજરાત એડમિનિસ્ટ્રેટીવ સર્વિસમાં ગુજરાત કેડરના ઓફિસર તરીકે સિલેકટ થયા હતા અને ૧૯૯૪ની બેચમાં આઇએએસ તરીકે નોમિનેટેડ થયા છે. કચ્છ અને રાજકોટ જિલ્લા કલેકટર તરીકે તેઓએ ફરજ બજાવેલી છે.
સનદી અધિકારીની ચાલુ નોકરીએ ધરપકડ કરવાની હોય તો પોલીસે તેની જાણ સરકારને કરવાની હોય છે. મુખ્યમંત્રી અને ગૃહ રાજયમંત્રીએ સીઆઇડી ક્રાઇમને એવી સૂચના આપી હતી કે પ્રદપિ શમૉ જો દોષિત લાગતા હોય તો કોઇપણ રાજકીય દબાણ વિના તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરો. એ પછી સીઆઇડીના ઓફિસરોએ પ્રદિપ શમૉના ભાવનગર સ્થિત નિવાસસ્થાને છાપો મારીને એરેસ્ટ કરી હતી.
રિમાન્ડ પુરા થતાં તેમને કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. સોમવારે રાજય સરકારે સસ્પેન્શનની કાર્યવાહી શરૂ કરી કેન્દ્ર સાથે પરામર્શ કર્યો હતો અને મંગળવારે સાંજે તેમને સસ્પેન્શનનો ઓર્ડર ઇસ્યુ કરી દેવામાં આવ્યો છે. કચ્છની ૭૦ કરોડની જમીન અસરગ્રસ્તોને આપવાને બદલે બિન લાભાર્થીઓને આપી દેવાનો આરોપ આ ઓફિસર સામે મૂકવામાં આવ્યો છે.
૧૫મીએ સૂર્યગ્રહણ : મંદિરોના દર્શનનાં સમયમાં ફેરફાર
- સોમનાથ મહાદેવ ખાતે પ્રાત:, મધ્યાહ્ન આરતી નહીં થાય, સાંજે શુદ્ધિકરણ થશે
- પ્રખ્યાત ભદ્રકાળી માતાજી મંદિર સવારે ૮થી સાંજે ૫ સુધી બંધ રહેશે
- ગ્રહણ સ્પર્થથી મોક્ષ દરમિયાન ધૂન-ભજન-જપ-તપ થશે
તા.૧૫મીએ કંકણાકૃતિ સૂર્યગ્રહણ છે. જેના લીધે રાજયભરના અનેક મંદિરોના દર્શનનાં સમયમાં ફેરફાર થયો છે અને મંદિર સવારે વહેલા બંધ થઇ જશે. જે સાંજે શુદ્ધિકરણ વિધિ બાદ ખુલશે. રાજયના સોમનાથ જયોતિર્લિગ ખાતે પ્રાત: અને મધ્યાહ્ન આરતી નહીં થાય તો અનેક ભકતો ગ્રહણ સ્પર્શથી મોક્ષ દરમિયાન ધૂન-ભજન-જપ-તપ કરશે.
પ્રસિદ્ધ તીર્થધામ, જયોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે સૂર્યગ્રહણને કારણે પ્રાત:આરતી જે સવારે ૭ વાગ્યે થાય છે તે અને મધ્યા«ન આરતી જે બપોરે૧૨ વાગ્યે થાય છે, તે બંધ રહેશે અને કોઇ પૂજા વિધિ થઇ શકશે નહીં. સાંજે ૪ વાગ્યે મંદિરનું શુદ્ધિકરણ કરાશે અને ભગવાનને વિશિષ્ટ પૂજન-અર્ચન કરવામાં આવશે અને સાંજે ૭ વાગ્યે આરતી થશે, એમ સોમનાથ ટ્રસ્ટના ડેપ્યુટી મેનેજર વજિયસિંહ ચાવડાએ જણાવ્યું હતું.
શહેરના કુળદેવી ગણાતા ભદ્રકાળી માતાજીનું મંદિર ખાતે દર્શનનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગે ભદ્રકાળી માતાજી મંદિરના ટ્રસ્ટી શશીકાંત તિવારીએ જણાવ્યું કે કંકણાકૃતિ સૂર્યગ્રહણને સવારે ૭ વાગ્યે આરતી થયા બાદ સવારે ૮ વાગ્યાથી મંદિર બંધ રહેશે અને ગ્રહણ મોક્ષ થયા બાદ માતાજીને વિશિષ્ટ પૂજન-વિધિ બાદ સાંજે ૫ વાગ્યા પછી મંદિર ખુલશે અને ત્યારબાદ રાબેતા મુજબ રાત્રિ સુધી દર્શન થશે.
સ્વામિનારાયણ મંદિર-રામબાગ-કાંકરિયા ખાતે સૂર્યગ્રહણને કારણે તા.૧૫મીએ ગ્રહણ સ્પર્શથી મોક્ષ દરમિયાન સામુહિક ધૂન-ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. જયારે સ્વામિનારાયણ મંદિર-કુમકુમ-મણિનગર ખાતે સૂર્યગ્રહણ નિમિત્તે તા.૧૫મીએ સમયમાં ફેરફાર કરાયો છે. સવારે ૯ વાગ્યે દર્શન બંધ થશે. જે સામાન્ય રીતે ૧૨ ખુલ્લુ રહેતુ હોય છે પરંતુ ગ્રહણને કારણે બંધ રહેશે અને સાંજે ૫ વાગ્યે મંદિર ખુલશે. જયારે વ્રજધામ-સેટેલાઇટ ખાતે વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમારજી મહારાજ, વૈષ્ણવાચાર્ય યદુનાથજી મહારાજની નશિ્રામાં ગ્રહણ સમયે ભગવદ્ નામ સંકીર્તન અને જાપ કરવામાં આવશે અને મોટી સંખ્યામાં વૈષ્ણવો પણ ઉપસ્થિત રહી દર્શન-જાપનો લાભ લેશે.
- પ્રખ્યાત ભદ્રકાળી માતાજી મંદિર સવારે ૮થી સાંજે ૫ સુધી બંધ રહેશે
- ગ્રહણ સ્પર્થથી મોક્ષ દરમિયાન ધૂન-ભજન-જપ-તપ થશે
તા.૧૫મીએ કંકણાકૃતિ સૂર્યગ્રહણ છે. જેના લીધે રાજયભરના અનેક મંદિરોના દર્શનનાં સમયમાં ફેરફાર થયો છે અને મંદિર સવારે વહેલા બંધ થઇ જશે. જે સાંજે શુદ્ધિકરણ વિધિ બાદ ખુલશે. રાજયના સોમનાથ જયોતિર્લિગ ખાતે પ્રાત: અને મધ્યાહ્ન આરતી નહીં થાય તો અનેક ભકતો ગ્રહણ સ્પર્શથી મોક્ષ દરમિયાન ધૂન-ભજન-જપ-તપ કરશે.
પ્રસિદ્ધ તીર્થધામ, જયોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે સૂર્યગ્રહણને કારણે પ્રાત:આરતી જે સવારે ૭ વાગ્યે થાય છે તે અને મધ્યા«ન આરતી જે બપોરે૧૨ વાગ્યે થાય છે, તે બંધ રહેશે અને કોઇ પૂજા વિધિ થઇ શકશે નહીં. સાંજે ૪ વાગ્યે મંદિરનું શુદ્ધિકરણ કરાશે અને ભગવાનને વિશિષ્ટ પૂજન-અર્ચન કરવામાં આવશે અને સાંજે ૭ વાગ્યે આરતી થશે, એમ સોમનાથ ટ્રસ્ટના ડેપ્યુટી મેનેજર વજિયસિંહ ચાવડાએ જણાવ્યું હતું.
શહેરના કુળદેવી ગણાતા ભદ્રકાળી માતાજીનું મંદિર ખાતે દર્શનનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગે ભદ્રકાળી માતાજી મંદિરના ટ્રસ્ટી શશીકાંત તિવારીએ જણાવ્યું કે કંકણાકૃતિ સૂર્યગ્રહણને સવારે ૭ વાગ્યે આરતી થયા બાદ સવારે ૮ વાગ્યાથી મંદિર બંધ રહેશે અને ગ્રહણ મોક્ષ થયા બાદ માતાજીને વિશિષ્ટ પૂજન-વિધિ બાદ સાંજે ૫ વાગ્યા પછી મંદિર ખુલશે અને ત્યારબાદ રાબેતા મુજબ રાત્રિ સુધી દર્શન થશે.
સ્વામિનારાયણ મંદિર-રામબાગ-કાંકરિયા ખાતે સૂર્યગ્રહણને કારણે તા.૧૫મીએ ગ્રહણ સ્પર્શથી મોક્ષ દરમિયાન સામુહિક ધૂન-ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. જયારે સ્વામિનારાયણ મંદિર-કુમકુમ-મણિનગર ખાતે સૂર્યગ્રહણ નિમિત્તે તા.૧૫મીએ સમયમાં ફેરફાર કરાયો છે. સવારે ૯ વાગ્યે દર્શન બંધ થશે. જે સામાન્ય રીતે ૧૨ ખુલ્લુ રહેતુ હોય છે પરંતુ ગ્રહણને કારણે બંધ રહેશે અને સાંજે ૫ વાગ્યે મંદિર ખુલશે. જયારે વ્રજધામ-સેટેલાઇટ ખાતે વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમારજી મહારાજ, વૈષ્ણવાચાર્ય યદુનાથજી મહારાજની નશિ્રામાં ગ્રહણ સમયે ભગવદ્ નામ સંકીર્તન અને જાપ કરવામાં આવશે અને મોટી સંખ્યામાં વૈષ્ણવો પણ ઉપસ્થિત રહી દર્શન-જાપનો લાભ લેશે.
ગૃહમંત્રીના રાજીનામાનો પ્રશ્ન નથી : રાજ્ય સરકાર સોરાબુદ્દીન કેસમાં તપાસ એજન્સી બદલાઇ છે,ન્યાયિક પ્રક્રિયાનો ભાગ છે:જયનારાયણ વ્યાસ
ગુજરાતની એજન્સીઓમાં રાજય સરકારને વિશ્વાસ હોવાથી સોરાબુદ્દીન પ્રકરણની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી ન હતી તેવા પ્રત્યાધાત આપી સરકારના પ્રવકતા મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે દેશની સર્વોચ્ચ અદાલતે આપેલા આદેશનું પાલન કરાશે. આ કેસમાં ન્યાય આવવાનો બાકી છે, સીબીઆઇને તપાસ સોંપવાનો હુકમ એ ન્યાયીક પ્રક્રિયાનો ભાગ છે તેથી વિપક્ષે હરખાવાની જરૂર નથી.
સોરાબુદ્દીન કેસની તપાસમાં સુપ્રિમ કોટેં આપેલા જજમેન્ટનો ગુજરાત સરકાર અભ્યાસ કરશે. વિપક્ષના નેતાઓ રાજયકક્ષાના ગૃહમંત્રીનું રાજીનામું માગે છે તે અકલ્પનિય બાબત છે. વ્યાસે કહ્યું કે રાજય સરકારે પ્રથમ તો તેની પોતાની તપાસ એજન્સીઓ ઉપર વિશ્વાસ મૂકવો જોઇએ. જો આ તપાસ પહેલેથી સીબીઆઇને સુપરત કરવામાં આવે તો સ્થાનિક
એજન્સીઓના મોરલ ઉપર અસર થાય.
વપિક્ષને તો તેના પડછાયામાં ભૂત દેખાય છે તેવો શબ્દપ્રયોગ કરી પ્રવકતા મંત્રીએ જણાવ્યું હતું કે કોઇના રાજીનામાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કાર્યદક્ષ એજન્સીઓ ઉપર સરકારને ટ્રસ્ટ છે પણ કોઇ પક્ષકારને એવું લાગે તો તે વાંધો ઉઠાવી શકે છે. રાજય સરકારે આ કેસમાં કંઇ છુપાવ્યું નથી કે છુપાવવા માગતી નથી. ન્યાયની પ્રક્રિયામાં બીજી એજન્સીને તપાસનું કામ સોંપવાથી સરકાર ઉપર દોષારોપણ થઇ શકે નહીં.
સોરાબુદ્દીન કેસની તપાસમાં સુપ્રિમ કોટેં આપેલા જજમેન્ટનો ગુજરાત સરકાર અભ્યાસ કરશે. વિપક્ષના નેતાઓ રાજયકક્ષાના ગૃહમંત્રીનું રાજીનામું માગે છે તે અકલ્પનિય બાબત છે. વ્યાસે કહ્યું કે રાજય સરકારે પ્રથમ તો તેની પોતાની તપાસ એજન્સીઓ ઉપર વિશ્વાસ મૂકવો જોઇએ. જો આ તપાસ પહેલેથી સીબીઆઇને સુપરત કરવામાં આવે તો સ્થાનિક
એજન્સીઓના મોરલ ઉપર અસર થાય.
વપિક્ષને તો તેના પડછાયામાં ભૂત દેખાય છે તેવો શબ્દપ્રયોગ કરી પ્રવકતા મંત્રીએ જણાવ્યું હતું કે કોઇના રાજીનામાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કાર્યદક્ષ એજન્સીઓ ઉપર સરકારને ટ્રસ્ટ છે પણ કોઇ પક્ષકારને એવું લાગે તો તે વાંધો ઉઠાવી શકે છે. રાજય સરકારે આ કેસમાં કંઇ છુપાવ્યું નથી કે છુપાવવા માગતી નથી. ન્યાયની પ્રક્રિયામાં બીજી એજન્સીને તપાસનું કામ સોંપવાથી સરકાર ઉપર દોષારોપણ થઇ શકે નહીં.
મહારાષ્ટ્ર કોઇની ખાનગી મિલકત નથી : પ્રિયા દત્ત
મનસેનો આડકતરો ઉલ્લેખ કરતાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટિના જનરલ સેક્રેટરી અને સાંસદ પ્રિયા દત્તે આજે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર કોઇની ખાનગી મિલકત નથી અને દેશના કોઇપણ રાજ્યના લોકોને ત્યાં વસવાનો, કામ કરવાનો અને રોકાવાનો બંધારણીય હક્ક છે.
બિહારમાં બેગુસરાઇ અને ખગારી લોકસભા બેઠકો યુથ કોંગ્રેસ દ્વારા મેમ્બર બનાવવાની પ્રક્રિયાને ખુલ્લી મુકતા પ્રિયા દત્તે જણાવ્યું હતું કે,"મહારાષ્ટ્ર કોઇની ખાનગી મિલકત નથી અને લોકોને ત્યાં રહેવાનો બંધારણીય અધિકાર છે."
જોકે, દત્તે આ પ્રસંગે અવારનવાર એન્ટી બિહારી નિવેદનો કરતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અથવા તેના સુપ્રીમો બાલ ઠાકરેનું પ્રત્યક્ષ રીતે નામ નહોતું લીધું.
કોંગ્રેસ જ્યારે સત્તા પર આવે ત્યારે ભાવ વધે છે તેવી બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારની કોમેન્ટનો જવાબ આપતા દત્તે જણાવ્યું હતું કે ભાવવધારો ખેડુતોને આપવામાં આવતી સબસીડીને આભારી છે. ખેડુતોને આપવામાં આવેલી વધારાની સબસીડીને લીધે ભાવવધારો થયો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
બિહારમાં બેગુસરાઇ અને ખગારી લોકસભા બેઠકો યુથ કોંગ્રેસ દ્વારા મેમ્બર બનાવવાની પ્રક્રિયાને ખુલ્લી મુકતા પ્રિયા દત્તે જણાવ્યું હતું કે,"મહારાષ્ટ્ર કોઇની ખાનગી મિલકત નથી અને લોકોને ત્યાં રહેવાનો બંધારણીય અધિકાર છે."
જોકે, દત્તે આ પ્રસંગે અવારનવાર એન્ટી બિહારી નિવેદનો કરતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અથવા તેના સુપ્રીમો બાલ ઠાકરેનું પ્રત્યક્ષ રીતે નામ નહોતું લીધું.
કોંગ્રેસ જ્યારે સત્તા પર આવે ત્યારે ભાવ વધે છે તેવી બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારની કોમેન્ટનો જવાબ આપતા દત્તે જણાવ્યું હતું કે ભાવવધારો ખેડુતોને આપવામાં આવતી સબસીડીને આભારી છે. ખેડુતોને આપવામાં આવેલી વધારાની સબસીડીને લીધે ભાવવધારો થયો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
હમ દીલ દેને કો ભી તૈયાર: મોદી - નિફ્ટના સમારોહમાં નરેન્દ્ર મોદી ખીલી ઉઠ્યા - કામ કરને મે જમીન કયા ચીજ હૈ, હમ તો દિલ ભી દેને કો તૈયાર હૈ
ગુજરાતના મુખ્યમંત્રીએ હિન્દી ભાષામાં તેમના અલગ અંદાજથી નિફ્ટ સંસ્થાના સ્ટુડન્ટ્સને ખુશખુશાલ કરી દીધા હતા. અડવાણી અને કેન્દ્રીય મંત્રી મારનની ઉપસ્થિતિમાં તેમણે કહ્યું હતું કે ગુજરાત એક એવો પ્રદેશ છે કે જયાં વર્ષે સાત ટન ગોલ્ડ ઉત્પાદન થાય છે. વિશ્વમાં પહોંચતા ૧૦ ડાયમન્ડ પૈકી નવ ઉપર એક ગુજરાતીનો હાથ ફરેલો છે. ચાહે તે ડાયમન્ડ રાજા-મહારાજાએ પહેર્યો હોય કે કોઇ હિરોઇને...!!
નિફ્ટ સંસ્થાએ તેના નવા પ્રોજેકટો માટે વધારે ૧૦ એકર જમીનની માગણી કરી હતી તેનો પ્રવચનમાં જવાબ આપતાં મોદીએ કહ્યું હતું કે ડિઝાઇનમેં કામ કરનેવાલે મેરે મિત્રો કો મેં કહેના ચાહતા હું કી જમીન કયા ચીજ હૈ, હમ તો દિલ ભી દેને કો તૈયાર હૈ...!! તેમનો સંદર્ભ વધારે જમીન આપવાનો હતો.
નિફ્ટને ગાંધીનગરમાં મફતમાં અબજો-ખરબોની જમીન આપી છે. વધારાની માગણી આવી તે જમીન પણ અપાશે. તમે યોજના લાવો હું તમામ મદદ કરીશ. હું અહીં જોઉં છું કે નિફ્ટના સ્ટુડન્ટ્સના બેસવાના, ફરવાના અને ઉઠવાના ઢંગ અલગ છે. નિફ્ટ અને એનઆઇડી એવી સંસ્થાઓ છે કે જેમની એક અલગ પહેચાન છે. કપડાં પહેરવાની પદ્ધતિ પણ જુદી છે છતાં મારા આદિવાસી સમાજની બહેનોને નિફ્ટમાં કામ કરવાની તક મળી છે તે કલ્પના પણ કરી ન શકાય તેવી બાબત છે.
નિફ્ટ સંસ્થાએ તેના નવા પ્રોજેકટો માટે વધારે ૧૦ એકર જમીનની માગણી કરી હતી તેનો પ્રવચનમાં જવાબ આપતાં મોદીએ કહ્યું હતું કે ડિઝાઇનમેં કામ કરનેવાલે મેરે મિત્રો કો મેં કહેના ચાહતા હું કી જમીન કયા ચીજ હૈ, હમ તો દિલ ભી દેને કો તૈયાર હૈ...!! તેમનો સંદર્ભ વધારે જમીન આપવાનો હતો.
નિફ્ટને ગાંધીનગરમાં મફતમાં અબજો-ખરબોની જમીન આપી છે. વધારાની માગણી આવી તે જમીન પણ અપાશે. તમે યોજના લાવો હું તમામ મદદ કરીશ. હું અહીં જોઉં છું કે નિફ્ટના સ્ટુડન્ટ્સના બેસવાના, ફરવાના અને ઉઠવાના ઢંગ અલગ છે. નિફ્ટ અને એનઆઇડી એવી સંસ્થાઓ છે કે જેમની એક અલગ પહેચાન છે. કપડાં પહેરવાની પદ્ધતિ પણ જુદી છે છતાં મારા આદિવાસી સમાજની બહેનોને નિફ્ટમાં કામ કરવાની તક મળી છે તે કલ્પના પણ કરી ન શકાય તેવી બાબત છે.
ફેશનમાં ભારત વિશ્વ-લીડર : નિફ્ટના ડેવલપમેન્ટ માટે જમીનની માગણી કરતા કેન્દ્રીય મંત્રી મારન: પ્રાચીન સાથે આધુનિકનો મેળ કરવો જોઇએ: મુખ્ય મંત્રી
ફેશન ડિઝાઇનમાં ભારત સમગ્ર વિશ્વમાં લીડર બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી કેન્દ્રીય કાપડ મંત્રી દયાનિધી મારને કહ્યું હતું કે હાલ ૧૩ કેન્દ્રોમાં ફેલાયેલી નિફ્ટની શાખાઓનો વિસ્તાર કરવાનું આયોજન છે અને વધુને વધુ રાજયોમાં શાખાઓ ઉભી કરવાની મંજુરી આપવામાં આવી રહી છે. નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી (નિફ્ટ)ના ગાંધીનગર સંકુલમાં નવ નિર્મિત કન્યા છાત્રાલય, ઓડિટોરિયમ તેમજ અતિથિ ગૃહના ઉદ્દધાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે રાજસ્થાનના જોધપુર, બિહારના પટના, ઓરિસ્સાના ભૂવનેશ્વર, પંજાબના મોહાલી અને તામિલનાડુના કોઇમ્બતૂરમાં નિફ્ટની પાંચ શાખાઓ ખોલવા નું આયોજન છે. મારને ગુજરાત સરકારની વિકાસ યોજનાઓ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કયૉ હતા. ભાજપના વરિષ્ઠ નેતા અને ગાંધીનગરના સાંસદ લાલ કૃષ્ણ અડવાણીએ કહ્યું કે સમગ્ર દેશમાં નિફ્ટનું એકમાત્ર ગાંધીનગરનું સેન્ટર એવું છે કે જયાં જવેલરી ડિઝાઇનનું કામ થાય છે. મને જાન્યુઆરી મહિનામાં ગાંધીનગર આવવાનો બે વખત મોકો મળ્યો છે. ૧લી જાન્યુઆરીએ ગુજરાતના સ્વર્ણિમ જયંતિ મહોત્સવમાં હું આવ્યો હતો અને આજે ૧૨મી તારીખે સ્વામી વિવેકાનંદના જન્મદિને સહભાગી થયો છું. ગુજરાત એ દેશમાં ઝડપથી વિકસતું રાજય છે. દેશના રાજકારણમાં નરેન્દ્ર મોદી રોલ મોડલ તરીકે ઉભરી રહ્યાં છે ત્યારે નિફ્ટનું ગાંધીનગર સેન્ટર ભારતમાં રોલમોડલ બને તેવા મારા આશીવૉદ છે. નિફ્ટના નવા ઓડિટોરિયમમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના પ્રવચનમાં નિફ્ટના વિકાસ માટે વધારાની જમીન આપવાની દરખાસ્ત સ્વીકારી હતી અને કહ્યું હતું કે ગુજરાતમાં ડાયમન્ડ જવેલરીનું માર્કેટ ઉભું થઇ શકે તેવી સ્કીલ પડેલી છે. વિશ્વના બજારમાં ડિઝાઇનનું આઉટસોર્સિગ કરવાથી નવયુવાનોને વૈશ્વિક તકો મળશે. રાજયમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટામાં બહેનો પાસે અદ્દભૂત ક્ષમતા પડેલી છે. નિફ્ટમાં તેનો ઉપયોગ શરૂ થયો છે.
ફેશન ડિઝાઇન ક્ષેત્રમાં ચેલેન્જનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું હતું કે આપણે સદીઓથી ચાલતી આવતી પરંપરાગત જીવન વ્યવસ્થામાં કેવી રીતે બદલાવ લાવવો તેના માટે સંશોધનો કરવાની આવશ્યકતા છે. આઝાદી પહેલાં ખાદી ફોર નેશનનું સૂત્ર હતું પરંતું પોરબંદરમાં નિફ્ટના સ્ટુડન્ટ્સની પરેડ પછી મેં ખાદી ફોર ફેશનનું નવું સૂત્ર આપ્યું છે અને તેને આ વિધ્યાર્થીઓએ ઉજાગર કયું છે. મારી આ સંસ્થાના વિધ્યાર્થીઓને એટલી જ વિનંતી છે કે સ્થળ, કાળ અને સ્થિતિ જોઇને તેમની ચીજવસ્તુ બજાર મૂકે અને ફેશન ડિઝાઇનને વિશ્વમાં મશહૂર બનાવે. ગાંધીનગર સ્થિત નિફ્ટ સંસ્થામાં કન્યા છાત્રાલયને નર્મદા અને તાપી, ભોજનાલયને ફ્યુઅલ સ્ટેશન, ગેસ્ટ હાઉસને ગુલમહોર અને ઓડિટોરિયમને તાના-રીરી નામ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિફ્ટના ડાયરેકટર જનરલ રાજીવ ટકરૂ ઉપસ્થિત હતા.
ફેશન ડિઝાઇન ક્ષેત્રમાં ચેલેન્જનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું હતું કે આપણે સદીઓથી ચાલતી આવતી પરંપરાગત જીવન વ્યવસ્થામાં કેવી રીતે બદલાવ લાવવો તેના માટે સંશોધનો કરવાની આવશ્યકતા છે. આઝાદી પહેલાં ખાદી ફોર નેશનનું સૂત્ર હતું પરંતું પોરબંદરમાં નિફ્ટના સ્ટુડન્ટ્સની પરેડ પછી મેં ખાદી ફોર ફેશનનું નવું સૂત્ર આપ્યું છે અને તેને આ વિધ્યાર્થીઓએ ઉજાગર કયું છે. મારી આ સંસ્થાના વિધ્યાર્થીઓને એટલી જ વિનંતી છે કે સ્થળ, કાળ અને સ્થિતિ જોઇને તેમની ચીજવસ્તુ બજાર મૂકે અને ફેશન ડિઝાઇનને વિશ્વમાં મશહૂર બનાવે. ગાંધીનગર સ્થિત નિફ્ટ સંસ્થામાં કન્યા છાત્રાલયને નર્મદા અને તાપી, ભોજનાલયને ફ્યુઅલ સ્ટેશન, ગેસ્ટ હાઉસને ગુલમહોર અને ઓડિટોરિયમને તાના-રીરી નામ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિફ્ટના ડાયરેકટર જનરલ રાજીવ ટકરૂ ઉપસ્થિત હતા.
12 January 2010
ભારત-શ્રીલંકા વચ્ચે ફાઈનલ
ત્રિકોણીય શ્રેણીમાં જીતની હેટ્રિક નોંધાવી ચૂકેલી ટીમ ઈન્ડિયા બુધવારના રોજ શ્રીલંકા સામે ફાઈનલ રમશે. આમાં ભારતીય ટીમ મનોવૈજ્ઞાનિક રીતે આગળ છે. તાજેતરમાં જ ભારતે શ્રીલંકાને ભારતમાં રમાયેલી શ્રેણીમાં હરાવ્યું હતું. હાલમાં ચાલી રહેલી શ્રેણીમાં પણ ભારતે શ્રીલંકાને મજબૂત લડત આપી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે છેલ્લી પાંચ શ્રેણીના પરિણામોમાં ભારતનું પલડું ભારે રહ્યું છે. આ પહેલા ગયા વર્ષે શ્રીલંકાની ધરતી પર રમાયેલી શ્રેણી સહિત ભારત શ્રીલંકા સામે સતત ચાર શ્રેણી જીતી ચૂક્યું છે.
ટોસની ભૂમિકા : આં મેચમાં ટોસની ભૂમિકા મહત્વની રહેશે. ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવા ઈચ્છશે કેમ કે બાદમાં ઝાકળના કારણે બોલિંગ ઘણી મુશ્કેલ સાબિત થશે.
સેહવાગનું પુનરાગમન નક્કી : આક્રમક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગના પુરાગમનથી ભારતીય બેટિંગ લાઈન વધારે મજબૂત થશે. ગૌતમ ગંભીર સાથે મળીને ઓપનિંગની શરૂઆત કરનાર દિનેશ કાર્તિકને ટીમની બહાર બેસવું પડશે.
ટોસની ભૂમિકા : આં મેચમાં ટોસની ભૂમિકા મહત્વની રહેશે. ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવા ઈચ્છશે કેમ કે બાદમાં ઝાકળના કારણે બોલિંગ ઘણી મુશ્કેલ સાબિત થશે.
સેહવાગનું પુનરાગમન નક્કી : આક્રમક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગના પુરાગમનથી ભારતીય બેટિંગ લાઈન વધારે મજબૂત થશે. ગૌતમ ગંભીર સાથે મળીને ઓપનિંગની શરૂઆત કરનાર દિનેશ કાર્તિકને ટીમની બહાર બેસવું પડશે.
11 January 2010
ચીને લદાખનો મોટો હિસ્સો કબજે કર્યો
વાસ્તવિક નિયંત્રણ રેખાથી ભારતની પીછેહઠ થઈ હોવાનું સત્તાવાર અહેવાલમાં સ્વીકારાયું
ચીને છેલ્લા બે દાયકા દરમિયાન વાસ્તવિક નિયંત્રણ રેખા સાથે જોડાયેલા લદાખના એક મોટા હિસ્સા પર કબજો જમાવી દીધો હોવાનું એક સત્તાવાર અહેવાલમાં જણાવાયું છે. જમ્મુ-કાશ્મીર સરકાર, ગૃહ મંત્રાલય અને લશ્કરના અધિકારીઓની ઉપસ્થિતિ વાળી એક બેઠક તાજેતરમાં લેહમાં મળી હતી. જેમાં કબૂલાત કરાઇ હતી કે વિવિધ એજન્સીઓ દ્વારા આ વિસ્તારના તૈયાર કરાયેલા નકશાઓમાં ભિન્નતા છે અને આ વિસ્તારના નકશાઓને યોગ્ય રીતે તૈયાર નથી કરાયા. આ બેઠકમાં એ સ્પષ્ટતા અને કબૂલાત થઇ હતી કે એલએસીમાંથી આપણે પાછા હટી રહ્યા છીએ, ઘણા લાંબા સમયથી આપણો વિસ્તાર સંકોચાઇ રહ્યો છે.
ચીને છેલ્લા બે દાયકા દરમિયાન વાસ્તવિક નિયંત્રણ રેખા સાથે જોડાયેલા લદાખના એક મોટા હિસ્સા પર કબજો જમાવી દીધો હોવાનું એક સત્તાવાર અહેવાલમાં જણાવાયું છે. જમ્મુ-કાશ્મીર સરકાર, ગૃહ મંત્રાલય અને લશ્કરના અધિકારીઓની ઉપસ્થિતિ વાળી એક બેઠક તાજેતરમાં લેહમાં મળી હતી. જેમાં કબૂલાત કરાઇ હતી કે વિવિધ એજન્સીઓ દ્વારા આ વિસ્તારના તૈયાર કરાયેલા નકશાઓમાં ભિન્નતા છે અને આ વિસ્તારના નકશાઓને યોગ્ય રીતે તૈયાર નથી કરાયા. આ બેઠકમાં એ સ્પષ્ટતા અને કબૂલાત થઇ હતી કે એલએસીમાંથી આપણે પાછા હટી રહ્યા છીએ, ઘણા લાંબા સમયથી આપણો વિસ્તાર સંકોચાઇ રહ્યો છે.
08 January 2010
‘અમે આયોજન કરીને સેક્સ માણીએ છીએ’: ડેવિડ
કોર્ટેની કોક્સના પતિ ડેવિડ આર્કેટ્ટે જણાવ્યું હતું કે, તેઓને જ્યારે પણ સેક્સ માણવું હોય ત્યારે તેઓ પૂરતું આયોજન કરે છે. 38 વર્ષીય ડેવિડે કહ્યું હતું કે, તેઓ અઠવાડિયામાં એક વાર સેક્સ માણે છે. જ્યારે તમે લગ્ન કરો છો ત્યારે તમે સેક્સને અવગણી શકતા નથી. તમારે સેક્સ માટે એક પ્રકારનું આયોજન કરવું પડે છે. માટે જ અમે આ અંગે આયોજન કરીએ છીએ અને અઠવાડિયે એક વાર સેક્સ માણીએ છીએ. અભિનેતાએ ખુલાસો કર્યો હતો કે, જ્યારે નવા વર્ષની પાર્ટી હતી ત્યારે તેણે કોર્ટનીની 40 મિનિટ રાહ જોવાની થઈ ત્યારે તે હતાશ થઈ ગયો હતો. કોર્ટેની મિત્રો સાથે ગપ્પા મારી રહી હતી. ડેવિડ ત્યાર બાદ ઘરે આવી ગયો હતો. ઘરે આવીને તેણે જોયું કે, કોર્ટેની રસોડામાં હતી.
હોટ એન્ડ સેક્સી બિપ્સનો જન્મદિવસ
નિઠારી કાંડ : સુરેન્દ્ર કોહલીની ફાંસી પર રોક
માર્ગ અકસ્માતો ડામવા વાહનો પર સેસ લાદો : સર્વોચ્ચ અદાલત
જીએસટી માટે કેન્દ્રની કોઈ તૈયારી નથી : ભાજપ
જમીન જૂની શરતમાં ફેરવવા ૩૫ ટકા સ્ટાન્ડર્ડ કપાત ગણાશે
ગરીબ લાભાર્થીને મફત અપાતા પ્લોટોની કિંમત જ અબજો રૂપિયાની છે - મોદી
*ઈસ્લામની આલોચના કરી શકો છો: મુંબઈ હાઈકોર્ટ
*શર્માની ધરપકડથી ઓફિસરો સ્તબ્ધ
*અમિતાભ ગુજરાતનો બ્રાન્ડ એમ્બેસેડર બનવા તૈયાર
‘પા’ને ૧૦૦ ટકા કરમુક્તિ
હોટ એન્ડ સેક્સી બિપ્સનો જન્મદિવસ
નિઠારી કાંડ : સુરેન્દ્ર કોહલીની ફાંસી પર રોક
માર્ગ અકસ્માતો ડામવા વાહનો પર સેસ લાદો : સર્વોચ્ચ અદાલત
જીએસટી માટે કેન્દ્રની કોઈ તૈયારી નથી : ભાજપ
જમીન જૂની શરતમાં ફેરવવા ૩૫ ટકા સ્ટાન્ડર્ડ કપાત ગણાશે
ગરીબ લાભાર્થીને મફત અપાતા પ્લોટોની કિંમત જ અબજો રૂપિયાની છે - મોદી
*ઈસ્લામની આલોચના કરી શકો છો: મુંબઈ હાઈકોર્ટ
*શર્માની ધરપકડથી ઓફિસરો સ્તબ્ધ
*અમિતાભ ગુજરાતનો બ્રાન્ડ એમ્બેસેડર બનવા તૈયાર
‘પા’ને ૧૦૦ ટકા કરમુક્તિ
આફ્રિકાના રસ્તાઓ પર નેનો દોડશે
'જનતાની કાર' તરીકે પ્રખ્યાત બહુ ચર્ચિત કાર નેનો આફ્રિકાના રસ્તાઓ પર દોડતી નજર આવશે. રતન ટાટાની આ લાખેણી કારને આફ્રિકાના દેશોમાં દોડાવા માટેની તપાસ ચાલી રહી છે. ટાટા આફ્રિકા હોલ્ડિંગ લિમિટેડના મેનેજિંગ ડાયરેકટર રમણ ધવને કહ્યું કે અમે નિશ્ચિત સમયમાં આફ્રિકાના રસ્તાઓ પર નેનોને દોડતી જોવા માંગીએ છીએ. ટાટા આફ્રિકના 10 દેશોમાં સ્થાન ધરાવે છે. ધવને કહ્યું કે બીજા દેશોની જેમ આફ્રિકાના દેશોમાં પણ ગાડીઓનો જબરદસ્ત ક્રેઝ છે. નેનોની સવારી માટે આફ્રિકાના લોકોએ થોડોક સમય રાહ જોવી પડશે. કારણ કે આફ્રિકાના બજાર સાથે જોડાયેલા કાયદા-કાનૂન અને માપ દંડને લઇને કંપનીએ અભ્યાસ શરૂ કરી દીધો છે.
રૂપિયો 15 મહિનાની ટોચે
ડોલર સામે ભારતીય રૂપિયો સતત મજબૂત બનતો જાય છે. આજે ડોલર સામે રૂપિયો 10 પૈસા ઉપરમાં ખૂલતા 15 મહિનાની ટોચ રૂ.45.74 પર પહોંચી ગયો છે. બીજી બાજુ એશિયન કરન્સી પણ મજબૂતીથી ટ્રેડ થઇ રહી છે. આંતર બેન્ક ફોરેન એક્સચેન્જ (ફોરેક્સ) બજારમાં ડોલર સામે રૂપિયો સપ્ટેમ્બર, 2008 બાદની સૌથી ઊંચી સપાટી રૂ.45.74 પર છે. ગઇ કાલે ડોલર સામે રૂપિયો 40 પૈસા ઉછળીને દિવસના અંતે રૂ.45.84/85 પર બંધ રહ્યો હતો. ડિલરો કહે છે કે શેરબજારો મજબૂત થઇ રહ્યા હોવાથી એશિયન કરન્સી સામે ડોલર નબળો પડી રહ્યો છે. રૂપિયાને વધવા માટે મજબૂત સપોર્ટ મળ્યો છે.
દાઉદ ઇબ્રાહિમ મોટો ખતરો : યુએસ કોંગ્રેસ
અમેરિકાનું માનવું છે કે દાઉદ ઇબ્રાહિમ દક્ષિણ એશિયામાં સૌથી મોટો ખતરો છે. અમેરિકન કોંગ્રેસના એક રિપોર્ટમાં જણાવાયું છે કે પાકિસ્તાની જાસુસી એજન્સી આઇએસઆઇ દાઉદ ઇબ્રાહિમને સતત મદદ કરી રહી છે. અને તેના આધારે જ દાઉદે લગભગ 5000 આતંકવાદીઓ તૈયાર કર્યા છે. દાઉદના આ આતંકવાદીઓ દક્ષિણ એશિયાના વિસ્તારોમાં અમેરિકાના ઠેકાણાઓ પર હુમલો કરી શકે છે તેવો અંદેશો પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.
રાણા પાક. સૈન્યનો ભાગેડું પોતે પાકિસ્તાનમાં હવે જઇ શકે તેમ ન હોવાથી બોન્ડ પર છોડવા અરજી દાખલ કરી
પોતે પાકિસ્તાનમાં હવે જઇ શકે તેમ ન હોવાથી બોન્ડ પર છોડવા અરજી દાખલ કરી
ભારત પર આતંકવાદી હુમલાનું કાવતરૂં રચવા માટે તેમજ 26/11ના હુમલાના શકમંદ એવા પાકિસ્તાની-કેનેડિયન નાગરિક તવ્વહુર હુસૈન રાણાએ કબુલ કર્યું હતું કે તે પાકિસ્તાની સૈન્યનો ભાગેડુ છે. તેણે આ કારણ આગળ ધરીને જામીન અરજી કરી છે. તેણે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે તે પાકિસ્તાન અથવા ક્યાંય પણ જઇ શકે તેમ નથી. પોતે પાકિસ્તાનમાં હવે જઇ શકે તેમ ન હોવાથી તે ફ્લાઇટ રિસ્ક ધરાવતો વ્યક્તિ નથી અને તેને આ કારણે બોન્ડ પર છોડવામાં આવે તેવી તેણે અરજી દાખલ કરી હતી. જોકે, જજ કેનલીએ તેની અરજીની સુનાવણી મોકુફ રાખી છે તેના વકીલે જણાવ્યું કે 14 જાન્યુઆરી સુધીમાં સુનાવણી થઇ શકે છે. ફેડરલ પ્રોસિક્યુટરે જણાવ્યું કે તે જેલમાં જ રહેવો જોઇએ કારણ કે તે મુંબઇમાં 26/11ના રોજ થયેલા હુમલા અંગે પુરી માહિતી ધરાવે છે. જેમાં 166 લોકોના મોત થયા હતા. એફ.બી.આઇ.એ જણાવ્યું કે હેડલી દ્વારા ચલાવાતા લશ્કર-એ-તોઇબાનો રાણા સહ-કાવતરાખોર છે અને તેને 26/11ની અગાઉથી માહિતી હતી.
ભારત પર આતંકવાદી હુમલાનું કાવતરૂં રચવા માટે તેમજ 26/11ના હુમલાના શકમંદ એવા પાકિસ્તાની-કેનેડિયન નાગરિક તવ્વહુર હુસૈન રાણાએ કબુલ કર્યું હતું કે તે પાકિસ્તાની સૈન્યનો ભાગેડુ છે. તેણે આ કારણ આગળ ધરીને જામીન અરજી કરી છે. તેણે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે તે પાકિસ્તાન અથવા ક્યાંય પણ જઇ શકે તેમ નથી. પોતે પાકિસ્તાનમાં હવે જઇ શકે તેમ ન હોવાથી તે ફ્લાઇટ રિસ્ક ધરાવતો વ્યક્તિ નથી અને તેને આ કારણે બોન્ડ પર છોડવામાં આવે તેવી તેણે અરજી દાખલ કરી હતી. જોકે, જજ કેનલીએ તેની અરજીની સુનાવણી મોકુફ રાખી છે તેના વકીલે જણાવ્યું કે 14 જાન્યુઆરી સુધીમાં સુનાવણી થઇ શકે છે. ફેડરલ પ્રોસિક્યુટરે જણાવ્યું કે તે જેલમાં જ રહેવો જોઇએ કારણ કે તે મુંબઇમાં 26/11ના રોજ થયેલા હુમલા અંગે પુરી માહિતી ધરાવે છે. જેમાં 166 લોકોના મોત થયા હતા. એફ.બી.આઇ.એ જણાવ્યું કે હેડલી દ્વારા ચલાવાતા લશ્કર-એ-તોઇબાનો રાણા સહ-કાવતરાખોર છે અને તેને 26/11ની અગાઉથી માહિતી હતી.
શ્રીનગર ધિન્ગાણામાં બેય આતંકવાદી ઠાર
જમ્મુ કાશ્મીરના પાટનગર શ્રી નગરના હાર્દ સમા વિસ્તાર લાલ ચોકમાં ગઇ કાલે હુમલો કર્યા બાદ અહીંની એક હોટેલમાં ઘુસી ગયેલા આતંક વાદીઓનો સફાયો કરવા સુરક્ષા દળોએ કરેલા અંતિમ હુમલામાં બંને આતંક વાદીઓ ઠાર થતા છેલ્લા બાવીસ કલાકથી ચાલી રહેલું ઓપરેશન સમાપ્ત થયું હતું. સુરક્ષા એજન્સીઓએ આતંક વાદીઓના વાયરલેસ સંદેશાઓ આંતર્યા બાદ તેમની ઓળખ પણ મેળવી લીધી હતી. આ બંને આતંક વાદીઓ પાકિસ્તાનના હતા જેમા એકનું નામ ક્વારી અને બીજાનું ઉસ્માન હતું. લાલ ચોકમાં આવેલી હોટેલ પંજાબ પર સુરક્ષા દળોએ આજે સવારે ખુબ નજીકથી હુમલો કરતાં તેમાં આગ લાગી હતી. ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓ આ હોટેલમાં ગઇ કાલે છુપાઇ ગયા હતા તેઓ સૌથી ઉપરના માળે છુપાયા હોવાનો સુરક્ષા દળોને અંદેશો હતો. આતંક વાદીઓ હોટેલમાંથી ગોળીબાર ઉપરાંત બોંબમારો પણ કરી રહ્યા હતા. પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા આ ઓપરેશનને ગઇ કાલે રાત્રે 11 વાગ્યે કામચલાઉ રીતે બંધ કરી દેવાયુ હતું જેને આજે સવારે સાત વાગ્યે ફરી શરૂ કરવામાં આવ્યું હતું. ગઇ કાલે આતંક વાદીઓએ કરેલા હુમલામાં ઘવાયેલા નાગરિકે આજે સવારે એસ.એચ.એમ.એસ. હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. આતંક વાદીઓએ ગઇ કાલે શ્રી નગરના લાલ ચોકમાં કરેલા હુમલામાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ ઘવાયો હતો.
પતિ પ્રેમ કે અંધ શ્રદ્ધા ?
અંધ વિશ્વાસના નમૂના ભારતમાં ઘણી વાર જોવા મળે છે. પૂનાની 44 વર્ષીય ગૃહિણીને એક મહિલાએ કહ્યું કે, તેના પતિ પર કાળો જાદુ કરવામાં આવ્યો છે અને કેટલીક વિધી કરીને પોતે તે દૂર કરી દેશે. જો કે એ મહિલાનો પતિ સાજો તો ન થયો અને ડિસેમ્બરમાં પાર્કિન્સન રોગથી મૃત્યુ પામ્યો પરંતુ વિધિ કરનારી મહિલા માલામાલ થઈ ગઈ છે. રૂચા ગોડસે નામની આ મહિલાએ રૂપિયા 83 લાખ પડાવ્યા હતા. કો થરૂડ પોલીસે રૂચા ગોડસેની ધરપકડ કરી છે. રૂચાએ સુજાતા દેવધરને જણાવ્યું હતું કે, તેના પતિ પ્રમોદ પર કાળો જાદુ થયો છે. રૂચાએ સુજાતાના મનમાં કાળો જાદુનો ભય ઉભો કર્યો હતો. આ બનાવ મે અને ઓગસ્ટ 2009 દરમિયાન બન્યો હતો. પોલીસ ઈન્સેપક્ટર એ ડી વાળમ્બેએ કહ્યું કે, સુજાતાનો પતિ પાર્કિન્સન રોગથી પીડાતો હતો. તેઓ ગન્નજય સોસાયટીમાં રહેતા હતા. તેમના બંને સંતાનો વિદેશમાં વસે છે. દેવધર પરિવારની બાજુમાં રહેતી રૂચા અને સુજાતા વચ્ચે સારા સંબંધ હતા. ગોડસેએ સુજાતાને કહ્યું હતું કે, તેના પતિ પર કોઈએ કાળો જાદુ કર્યો છે. તેણે દાવો કર્યો હતો કે, તેને જ્યોતિષી વિદ્યા આવડે છે અને તે વિધી દ્વારા તેના પતિને સારો કરી દેશે. વધુમાં ગોડસેએ કહ્યું હતું કે, તે નવ ગ્રહ પૂજા દ્વારા તેના પતિ પરથી કાળો જાદુ દૂર કરી દેશે. વિધી કરાવ્યા પહેલા નક્કી કરવામાં આવ્યું કે, સુજાતા રોકડ રકમ રૂચાને આપશે અને રૂચા વિધી કરાવ્યા બાદ તે રકમ પરત કરશે. ત્રણ મહિના પછી ગોડસેએ રૂપિયા 1.03 કરોડ પડાવી લીધા હતા. જ્યારે પણ રૂચા પૈસાની માંગણી કરતી ત્યારે સુજાતા તેને નાણાં આપતી હતી. એક સમયે તો તેણે પોતાના સગાંસબંધી પાસેથી ઉધાર નાણાં લાવીને રૂચાને આપ્યા હતા. રૂચાએ માત્ર 20 લાખ રૂપિયા પરત આપ્યા હતા. જો કે તેને કહ્યું હતું કે, તે બાકીની રકમ ચેકથી ચૂકવી દેશે. પરંતુ તમામ ચેક બાઉન્સ થયા હતા. આ દરમિયાન સુજાતાનો પતિ ડિસેમ્બર મહિનામાં મૃત્યુ પામ્યો હતો. તેના બંને સંતાનો વિદેશથી ભારત આવ્યા હતા અને સુજાતાએ પોતાના બંને દિકરાઓ સાથે રૂચાની વાત કરી હતી. પરિણામે તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. રૂચા એક ગૃહિણી છે અને તેનો પતિ બેન્કમાં કર્મચારી હતો.
કોની તાકાત છે કે મારી ધરપકડ કરે ? : આસારામ
ગુજરાતના મુખ્ય મંત્રીએ પોતાની સાત વાર માફી માંગી હોવાનો દાવો કરતા આસારામે આજે અહીં જણાવ્યું કે દુનિયાની કોઇ એવી તાકાત નથી કે જે મારી ધરપકડ કરી શકે. હરદા નજીકના ચારખેડા ગામે આવેલા પોતાના આશ્રમમાં ભેગા થયેલા શિષ્યોને બુધવારે મોડી સાંજે સંબોધિત કરતાં આસારામે કહ્યું કે, "મોદી મારી સાત વાર માફી માંગી ચુક્યા છે. તેમણે પોતે મને મારા ભક્ત ગણાવતા કહ્યું હતું કે આપની સાથે જે થઇ રહ્યું છે તેમાં આપનો કોઇ દોષ નથી."
આસારામે કહ્યું કે દુનિયાની કોઇ એવી તાકાત નથી કે જે મારી ધરપકડ કરી શકે. સાથે તેમણે એમ પણ જણાવ્યું કે સર્વોચ્ચ અદાલતમાં અરજી પોતે નહી પણ ભક્તોએ કરી હતી. સુપ્રિમે એ અરજીને નકારી નથી પરંતુ પોતે જ તે પાછી ખેંચી લીધી છે. આસારામે કહ્યું હતું કે જે રીતે જયેન્દ્ર સરસ્વતીની ધરપકડ કર્યા બાદ તામિલનાડુમાં જયલલિતાને સત્તા ગુમાવી પડી હતી તે રીતે તેમના વિરૂદ્ધ ષડયંત્ર કરનારાની સત્તા પણ પલટી જશે.
આસારામે કહ્યું કે દુનિયાની કોઇ એવી તાકાત નથી કે જે મારી ધરપકડ કરી શકે. સાથે તેમણે એમ પણ જણાવ્યું કે સર્વોચ્ચ અદાલતમાં અરજી પોતે નહી પણ ભક્તોએ કરી હતી. સુપ્રિમે એ અરજીને નકારી નથી પરંતુ પોતે જ તે પાછી ખેંચી લીધી છે. આસારામે કહ્યું હતું કે જે રીતે જયેન્દ્ર સરસ્વતીની ધરપકડ કર્યા બાદ તામિલનાડુમાં જયલલિતાને સત્તા ગુમાવી પડી હતી તે રીતે તેમના વિરૂદ્ધ ષડયંત્ર કરનારાની સત્તા પણ પલટી જશે.
પક્ષીરક્ષા-જીવદયા માટે અમદાવાદનાં ૨૫૦૦ બાળકો-કિશોરો પતંગ નહીં ચગાવે પક્ષીઓની કરૂણ અવસ્થાને દર્શાવતી ફિલ્મ નિહાળ્યા બાદ બાળકો-કિશોરોએ કરેલો નિર્ણય
પક્ષીરક્ષા-જીવદયા માટે અમદાવાદનાં ૨૫૦૦ બાળકો-કિશોરો પતંગ નહીં ચગાવે
પક્ષીઓની કરૂણ અવસ્થાને દર્શાવતી ફિલ્મ નિહાળ્યા બાદ બાળકો-કિશોરોએ કરેલો નિર્ણય
એકબાજુ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે અને ૩૪ દેશોમાંથી ૧૦૫ પતંગ રસિકો આવશે ત્યારે અમદાવાદના ૨૫૦૦ બાળકો-કિશોરોએ જૈન સાધુઓની પ્રેરણાથી પક્ષી રક્ષા-જીવ દયા માટે પતંગ નહીં ચગાવવાનો સંકલ્પ કર્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં મોટી સંખ્યામાં વસતા જૈનો આજે પણ અમદાવાદને ‘રાજ નગર’ તરીકે ઓળખે છે. દિવાળીમાં ધ્વનિ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ ન ફેલાય તે માટે ફટાકડા નહીં ફોડવાનો સંકલ્પ પણ મોટી સંખ્યામાં જૈન બાળકોએ અગાઉ કર્યો હતો. આ અંગે સજાગ ગ્રુપના પૌરીક શાહે જણાવ્યું કે જૈન સાધુ પંન્યાસ મુક્તિ વલ્લભ વિજયજી અને ગણિવર્ય ઉદય વલ્લભ વિજયજી મ.સા.ની પ્રેરણાથી અને સજાગ ગ્રૂપના પ્રયાસથી અમદાવાદના ૨૫૦૦થી વધુ બાળકો-કિશોરોએ પતંગ નહીં ચગાવવા સંકલ્પપત્રો ભયૉ છે. પાલડીની ૩૫ જૈન પાઠ શાળા અને સાબરમતીની ૧૧ જૈન પાઠ શાળાના ૧૦૦૦થી વધુ બાળકોએ પતંગ નહીં ચગાવવાનો નિર્ણય કર્યો છે આ માટે છેલ્લા એક મહિનાથી પ્રયાસો ચાલી રહ્યા હતા. તેમણે કહ્યું કે ઉત્તરાયણ-પતંગોત્સવ દરમિયાન પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓની કરૂણ અવસ્થાને બતાવતી ૧૦ મિનિટની ડોકયુમેન્ટરી ફિલ્મ પાલડીની જૈન પાઠ શાળામાં પ્રોજેકટર દ્વારા બતાવવામાં આવી હતી.
ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે ૫૦ યુવાનો ૧૩મીથી ૧૬મી જાન્યુઆરી દરમિયાન ખડેપગે
૧૩મીથી ૧૬મી જાન્યુઆરી દરમિયાન સજાગ ગ્રુપના ૫૦ જેટલા યુવાનો પતંગ
ચગાવવાને બદલે પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે ખડેપગે સેવા આપશે અને જીવ દયાના કાર્યમાં જોડાશે. પાલડી વિસ્તારમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ નિ:શુલ્ક પક્ષી સારવાર કેન્દ્ર રાખવામાં આવ્યું છે.
પક્ષીઓની કરૂણ અવસ્થાને દર્શાવતી ફિલ્મ નિહાળ્યા બાદ બાળકો-કિશોરોએ કરેલો નિર્ણય
એકબાજુ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે અને ૩૪ દેશોમાંથી ૧૦૫ પતંગ રસિકો આવશે ત્યારે અમદાવાદના ૨૫૦૦ બાળકો-કિશોરોએ જૈન સાધુઓની પ્રેરણાથી પક્ષી રક્ષા-જીવ દયા માટે પતંગ નહીં ચગાવવાનો સંકલ્પ કર્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં મોટી સંખ્યામાં વસતા જૈનો આજે પણ અમદાવાદને ‘રાજ નગર’ તરીકે ઓળખે છે. દિવાળીમાં ધ્વનિ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ ન ફેલાય તે માટે ફટાકડા નહીં ફોડવાનો સંકલ્પ પણ મોટી સંખ્યામાં જૈન બાળકોએ અગાઉ કર્યો હતો. આ અંગે સજાગ ગ્રુપના પૌરીક શાહે જણાવ્યું કે જૈન સાધુ પંન્યાસ મુક્તિ વલ્લભ વિજયજી અને ગણિવર્ય ઉદય વલ્લભ વિજયજી મ.સા.ની પ્રેરણાથી અને સજાગ ગ્રૂપના પ્રયાસથી અમદાવાદના ૨૫૦૦થી વધુ બાળકો-કિશોરોએ પતંગ નહીં ચગાવવા સંકલ્પપત્રો ભયૉ છે. પાલડીની ૩૫ જૈન પાઠ શાળા અને સાબરમતીની ૧૧ જૈન પાઠ શાળાના ૧૦૦૦થી વધુ બાળકોએ પતંગ નહીં ચગાવવાનો નિર્ણય કર્યો છે આ માટે છેલ્લા એક મહિનાથી પ્રયાસો ચાલી રહ્યા હતા. તેમણે કહ્યું કે ઉત્તરાયણ-પતંગોત્સવ દરમિયાન પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓની કરૂણ અવસ્થાને બતાવતી ૧૦ મિનિટની ડોકયુમેન્ટરી ફિલ્મ પાલડીની જૈન પાઠ શાળામાં પ્રોજેકટર દ્વારા બતાવવામાં આવી હતી.
ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે ૫૦ યુવાનો ૧૩મીથી ૧૬મી જાન્યુઆરી દરમિયાન ખડેપગે
૧૩મીથી ૧૬મી જાન્યુઆરી દરમિયાન સજાગ ગ્રુપના ૫૦ જેટલા યુવાનો પતંગ
ચગાવવાને બદલે પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે ખડેપગે સેવા આપશે અને જીવ દયાના કાર્યમાં જોડાશે. પાલડી વિસ્તારમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ નિ:શુલ્ક પક્ષી સારવાર કેન્દ્ર રાખવામાં આવ્યું છે.
આઈડિયા કપ ત્રિકોણીય શ્રેણી : ભારતનો છ વિકેટે વિજય, મેન ઓફ ધ મેચ સુકાની ધોનીની સદી
સુકાની ધોની (101 નોટ આઉટ), વિરાટ કોહલી (91) અને સુરેશ રૈના (51 નોટ આઉટ)ની લડાયક બેટિંગની મદદથી ભારતે બાંગ્લા દેશને છ વિકેટે હરાવીને 2010માં વિજયનું ખાતુ ખોલાવ્યું છે. 297 રનના વિજય લક્ષ્યાંકને ભારતે 47.3 ઓવરમાં સર કરી લીધો હતો. આઈડિયા કપ ત્રિકોણીય શ્રેણીની બાંગ્લા દેશ અને ભારત વચ્ચે રમાયેલી ત્રીજી ઍક દિવસીય મેચમાં બાંગ્લા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
યજમાન ટીમ ભારતીયો પર ભારે પડી
બાંગ્લા ટીમે આપેલા 297 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતની શરૂઆત નબળી રહી હતી. આક્રમક ઓપનર વિરેન્દ્ર સેહવાગ 13 રન પર આઉટ થતા ભારતને મોટો ફટકો પડ્યો હતો. સેહવાગ બાદ ગૌતમ ગંભીર 18 અને યુવરાજ સિંહ ઍક રને પેવેલિયન પરત ફરતા ભારત મુશ્કેલીમાં મૂકાયું હતું.
જોકે ત્યાર બાદ સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીએ બાજી સંભાળતા ક્રિકેટ ચાહકોના જીવમાં જીવ આવ્યો હતો. ધોની અને કોહલી વચ્ચે 152 રનની ભાગીદારી થઈ હતી, કોહલી 91 રને આઉટ થતા નવ રને સદી ચૂકી ગયો હતો. ચાલું ત્રિકોણીય શ્રેણીમાં નબળી ગણાતી બાંગ્લા દેશની ટીમે ભારતીય ટીમની નબળી બોલિંગ અને કંગાળ ફિલ્ડિંગને કારણે જીત માટે 297 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. બાંગ્લાદેશના બેટધરોએ ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી અને મેચના અંતે પૂછડિયાઓએ તોફાની બેટિંગ કરી ભારત સામે 296 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. પ્રથમ બેટિંગના બાંગ્લાદેશના સુકાનીના નિર્ણયને ટીમના ઓપનર બેટધરોએ યોગ્ય ઠેરવ્યો હતો. તમિમ ઈકબાલ અને ઈમરૂલ કેયસે મજબૂત શરૂઆત કરાવી હતી. તમિમ ઈકબાલે આક્રમક સ્વરૂપ ધારણ કરીને 42 બોલમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 60 રન બનાવ્યા હતા. જ્યારે ઈમરૂલે મક્કમતાપૂર્વક ફટકાબાજી કરતા 100 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 70 રન ફટકાર્યા હતા. અંતિમ ઓવરોમાં મોહમ્મદ અબ્દુલ્લા તોફાની બેટિંગ કરીને ભારતીય બોલરોને ચોમેર ફટકારી 8 ચોગ્ગાની મદદથી 60 રન સાથે અણનમ રહ્યો હતો. આ મેચમાં પણ ભારતીય ટીમની બોલિંગ અને ફિલ્ડિંગ ઘણી નબળી રહી હતી. હરભજન સિંહે બે મહત્વપૂર્ણ કેચ પણ છોડ્યા હતા. ભારતની આ નબળી બોલિંગ અને ફિલ્ડિંગનો યજમાન ટીમે ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો.
બાંગ્લાદેશ બેટિંગ: (ઓવર / રન / વિકેટ )
5/28/0, 10/73/0, 15/98/1, 20/122/1, 25/138/1, 30/159/3, 35/194/4, 40/208/5, 45/245/6, 50/296/6
યજમાન ટીમ ભારતીયો પર ભારે પડી
બાંગ્લા ટીમે આપેલા 297 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતની શરૂઆત નબળી રહી હતી. આક્રમક ઓપનર વિરેન્દ્ર સેહવાગ 13 રન પર આઉટ થતા ભારતને મોટો ફટકો પડ્યો હતો. સેહવાગ બાદ ગૌતમ ગંભીર 18 અને યુવરાજ સિંહ ઍક રને પેવેલિયન પરત ફરતા ભારત મુશ્કેલીમાં મૂકાયું હતું.
જોકે ત્યાર બાદ સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીએ બાજી સંભાળતા ક્રિકેટ ચાહકોના જીવમાં જીવ આવ્યો હતો. ધોની અને કોહલી વચ્ચે 152 રનની ભાગીદારી થઈ હતી, કોહલી 91 રને આઉટ થતા નવ રને સદી ચૂકી ગયો હતો. ચાલું ત્રિકોણીય શ્રેણીમાં નબળી ગણાતી બાંગ્લા દેશની ટીમે ભારતીય ટીમની નબળી બોલિંગ અને કંગાળ ફિલ્ડિંગને કારણે જીત માટે 297 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. બાંગ્લાદેશના બેટધરોએ ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી અને મેચના અંતે પૂછડિયાઓએ તોફાની બેટિંગ કરી ભારત સામે 296 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. પ્રથમ બેટિંગના બાંગ્લાદેશના સુકાનીના નિર્ણયને ટીમના ઓપનર બેટધરોએ યોગ્ય ઠેરવ્યો હતો. તમિમ ઈકબાલ અને ઈમરૂલ કેયસે મજબૂત શરૂઆત કરાવી હતી. તમિમ ઈકબાલે આક્રમક સ્વરૂપ ધારણ કરીને 42 બોલમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 60 રન બનાવ્યા હતા. જ્યારે ઈમરૂલે મક્કમતાપૂર્વક ફટકાબાજી કરતા 100 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 70 રન ફટકાર્યા હતા. અંતિમ ઓવરોમાં મોહમ્મદ અબ્દુલ્લા તોફાની બેટિંગ કરીને ભારતીય બોલરોને ચોમેર ફટકારી 8 ચોગ્ગાની મદદથી 60 રન સાથે અણનમ રહ્યો હતો. આ મેચમાં પણ ભારતીય ટીમની બોલિંગ અને ફિલ્ડિંગ ઘણી નબળી રહી હતી. હરભજન સિંહે બે મહત્વપૂર્ણ કેચ પણ છોડ્યા હતા. ભારતની આ નબળી બોલિંગ અને ફિલ્ડિંગનો યજમાન ટીમે ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો.
બાંગ્લાદેશ બેટિંગ: (ઓવર / રન / વિકેટ )
5/28/0, 10/73/0, 15/98/1, 20/122/1, 25/138/1, 30/159/3, 35/194/4, 40/208/5, 45/245/6, 50/296/6
07 January 2010
શાહરૂખે ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી
કાર બનાવતી કોરિયાની કંપની હ્યુન્ડાઇએ સ્મોલ કાર વર્ઝનમાં ઇલેક્ટ્રિક કાર હ્યુન્ડાઇ i10 બોલિવુડ અભિનેતા શાહરૂખના હસ્તે ભારતમાં લોન્ચ કરી છે. દેશમાં સ્મોલ કાર અને ઇલેકટ્રિક કારનો ક્રેઝ દિવસે દિવસે વધી રહ્યો છે તે ધ્યાનમાં રાખીને હ્યુન્ડાઇએ i10 ઇલેક્ટ્રિક દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે 10મા ઓટો એક્સપોમાં રજૂ કરી છે.
હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડના ડાયરેકટર (માર્કેટિંગ અને સેલ્સ) અરવિંદ સક્સેનાએ કહ્યું કે, "ભારતીય બજારમાં નજીકના ભવિષ્યમાં ઇલેકટ્રિક કારનો દબદબો વધતો જશે તેને ધ્યાનમાં રાખીને અમે ઇલેકટ્રિક કાર લોન્ચ કરી છે. ગ્રાહકો પણ આ પ્રકારની કોમ્પેક્ટ કારમાં ઇલેક્ટ્રિક વર્ઝન માંગી રહ્યા હતા." કંપનીએ i10 ઇલેક્ટ્રિક કાર ગયા વર્ષે ફ્રેન્કફ્રૂટ મોટર શોમાં સપ્ટેમ્બર મહિનામાં ડિસપ્લે કરી હતી. ત્યાર બાદ કંપનીએ આ વર્ષે સાઉથ કોરિયામાં મર્યાદિત કારનું ઉત્પાદન કરીને સાઉથ કોરિયાના બજારમાં કાર મૂકી છે. હાલમાં ભારતીય બજારમાં ફોર વ્હિલરમાં ફકત રેવા કંપનીની જ ઇલેક્ટ્રિક કાર દોડે છે. કંપનીએ i10નું 2007માં વૈશ્વિક સ્તરે લોન્ચિંગ કર્યું હતું, ત્યારથી અત્યાર સુધીમાં ભારતીય બજારમાં 3 લાખથી વધુ i10નું વેચાણ કર્યું છે. બીજી બાજુ કંપનીએ આ ઓટો એક્સપોમાં i10 સહિત લક્ઝુરીયસ સેડાન જીનીસીસનું પણ પ્રદર્શન કર્યું છે.
હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડના ડાયરેકટર (માર્કેટિંગ અને સેલ્સ) અરવિંદ સક્સેનાએ કહ્યું કે, "ભારતીય બજારમાં નજીકના ભવિષ્યમાં ઇલેકટ્રિક કારનો દબદબો વધતો જશે તેને ધ્યાનમાં રાખીને અમે ઇલેકટ્રિક કાર લોન્ચ કરી છે. ગ્રાહકો પણ આ પ્રકારની કોમ્પેક્ટ કારમાં ઇલેક્ટ્રિક વર્ઝન માંગી રહ્યા હતા." કંપનીએ i10 ઇલેક્ટ્રિક કાર ગયા વર્ષે ફ્રેન્કફ્રૂટ મોટર શોમાં સપ્ટેમ્બર મહિનામાં ડિસપ્લે કરી હતી. ત્યાર બાદ કંપનીએ આ વર્ષે સાઉથ કોરિયામાં મર્યાદિત કારનું ઉત્પાદન કરીને સાઉથ કોરિયાના બજારમાં કાર મૂકી છે. હાલમાં ભારતીય બજારમાં ફોર વ્હિલરમાં ફકત રેવા કંપનીની જ ઇલેક્ટ્રિક કાર દોડે છે. કંપનીએ i10નું 2007માં વૈશ્વિક સ્તરે લોન્ચિંગ કર્યું હતું, ત્યારથી અત્યાર સુધીમાં ભારતીય બજારમાં 3 લાખથી વધુ i10નું વેચાણ કર્યું છે. બીજી બાજુ કંપનીએ આ ઓટો એક્સપોમાં i10 સહિત લક્ઝુરીયસ સેડાન જીનીસીસનું પણ પ્રદર્શન કર્યું છે.
અશ્લિલ હરકતોની વીડિયો ઓન લાઈન
મહિલાઓ સાથે અંગત પળો માણ્યા બાદ ગુપ્ત રીતે વીડિયો ઉતારીને ઓન લાઈન મુકવાના ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ત્યારે હવે વેબ કેમમાં મહિલા સાથે ચેટિંગ કરી તેની કેટલીક અશ્લિલ તસવીરો નેટમાં ઓન લાઈન મુકવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના સિંગાપોરમાં ઘટી છે. જ્યાં એક મહિલા સાથે વેબ કેમમાં ચેટિંગ દરમિયાન અશ્લિલ હરકત કરાવી એક યુવકે તેની વિડિયો ઓન લાઈન મુકી હતી. એક યુવક તેના એમ.એસ.એન. વેબકેમ થકી સિંગાપોરની યુવતી સાથે ચેટ કરતો હતો. ઓન લાઈન ચેટ થકી થયેલી મિત્રતા ખૂબ જ ગાઢ બની ગઈ હતી. ગાઢ બનેલી મિત્રતાનો લાભ લઈ યુવકે એક દિવસ એ યુવતી સાથે ચેટીંગ દરમિયાન કેટલીક અશ્લિલ માંગણીઓ કરી હતી. શરુઆતમાં યુવતીએ ના પાડી હતી પરંતુ ત્યાર બાદ તે વાતોમાં આવી ગઈ હતી. યુવકે યુવતી પાસે શરીર પર રહેલા વસ્ત્રોના આવરણને હટાવવા માટે આગ્રહ કરતા તેણીએ એક પછી એક વસ્ત્રો ઉતારી નાંખ્યા અને કેટલાક ટુ પીસ સેક્સી ફોટા પડાવ્યા હતા. વેબ કેમ થકી આ પ્રકારની માંગણી કરી રહેલા તેના મિત્રની મેલી ઈચ્છાથી અજાણ યુવતીને નહોતી ખબર કે તેનો મિત્ર તેની પાસે જે કંઈ કરાવી રહ્યો છે. તેને તે ઓનલાઈન મુકી દેશે. જ્યારે યુવતીને આ અંગે જાણ થઈ ત્યારે તેણે અન્ય યુવતી કે જે વેબકેમ પર તેમના મિત્રો સાથે ચેટ કરી રહી છે, તેમને મિત્રની કેટલીક માંગણીઓ ન સ્વિકારવા અનુરોધ કર્યો છે.
પટેલ અટક પર બ્રિટનમાં સંશોધન
બ્રિટનમાં સંશોધનકર્તાઓ પટેલ, સિંહ, અહમદ અને અલી જેવી અટકો સહિત હજારો અટકોની ઉત્પતિ અંગે સંશોધન કરશે. બ્રિસ્ટલ સ્થિત વેસ્ટ ઓફ ઈંગ્લેન્ડ યુનિવર્સિટીના ભાષા નિષ્ણાંતોના એક જૂથે આ અંગે એક યોજના શરૂ કરી છે.
યોજના પાછળ 8,40,000 જેટલો ખર્ચ કરવામાં આવશે. આ યોજના હેઠળ બ્રિટન હવે અત્યાર સુધીનો સૌથી મોટો અટક ડેટાબેઝ તૈયાર કરશે. એપ્રિલ મહિનામાં શરૂ થનાર ચાર વર્ષીય યોજના હેઠળ લગભગ 1, 50, 000 અટકોના અર્થ, ઉત્પતિ અને સમયની સાથે તેમાં આવેલા ફેરફાર અંગે સંશોધન કરવામાં આવશે. સંશોધનકર્તા ફક્ત બ્રિટિશ અટકો પર સંશોધન નહિ કરે પરંતુ 19મી અને 20મી સદીમાં બ્રિટન આવેલા લોકોની અટકનો અભ્યાસ કરવામાં આવશે. 1945 પછી બ્રિટનમાં આવીને વસેલા લગભગ 75 હજાર અટકોનો અભ્યાસ આ વર્ષે કરવામાં આવશે. આ તમામ અટકોનો બ્રિટનમાં સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીનાં ભાષા વિજ્ઞાનના પ્રોફેસર રિચાર્ડ કોટ્સે કહ્યું હતું કે, પરિવારના નામો અને તેના ઈતિહાસ અંગે જાણવામાં લોકોને ઘણી જ ઉત્સુકતા હોય છે. આ યોજનામાં આધુનિક પ્રૌદ્યોગિકીનો ઉપયોગ કરવામાં આવશે અને જાણકારીને વિસ્તૃત બનાવવામાં આવશે. આ અંગે ભારતીય, કેરેબિયન, આફ્રિકા, ચીન અને જાપાનના વિદ્વાનોની પણ મદદ લેવામાં આવશે.
યોજના પાછળ 8,40,000 જેટલો ખર્ચ કરવામાં આવશે. આ યોજના હેઠળ બ્રિટન હવે અત્યાર સુધીનો સૌથી મોટો અટક ડેટાબેઝ તૈયાર કરશે. એપ્રિલ મહિનામાં શરૂ થનાર ચાર વર્ષીય યોજના હેઠળ લગભગ 1, 50, 000 અટકોના અર્થ, ઉત્પતિ અને સમયની સાથે તેમાં આવેલા ફેરફાર અંગે સંશોધન કરવામાં આવશે. સંશોધનકર્તા ફક્ત બ્રિટિશ અટકો પર સંશોધન નહિ કરે પરંતુ 19મી અને 20મી સદીમાં બ્રિટન આવેલા લોકોની અટકનો અભ્યાસ કરવામાં આવશે. 1945 પછી બ્રિટનમાં આવીને વસેલા લગભગ 75 હજાર અટકોનો અભ્યાસ આ વર્ષે કરવામાં આવશે. આ તમામ અટકોનો બ્રિટનમાં સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીનાં ભાષા વિજ્ઞાનના પ્રોફેસર રિચાર્ડ કોટ્સે કહ્યું હતું કે, પરિવારના નામો અને તેના ઈતિહાસ અંગે જાણવામાં લોકોને ઘણી જ ઉત્સુકતા હોય છે. આ યોજનામાં આધુનિક પ્રૌદ્યોગિકીનો ઉપયોગ કરવામાં આવશે અને જાણકારીને વિસ્તૃત બનાવવામાં આવશે. આ અંગે ભારતીય, કેરેબિયન, આફ્રિકા, ચીન અને જાપાનના વિદ્વાનોની પણ મદદ લેવામાં આવશે.
ભારતીય મૂળના ૨૫૦૦૦ તબીબો બ્રિટનથી પાછા ફરશે
બ્રિટનમાં વસી રહેલા ૨૫૦૦૦ જેટલા ભારતીય મૂળના તબીબો આગામી બે ચાર વર્ષમાં ભારત પાછા ફરવાની અને કેન્દ્ર સરકાર દ્વારા ઊભી થનારી એ.આઇ.આઇ.એમ.એસ. જેવી સંસ્થામાં જોડાવાની યોજના બનાવી રહ્યા છે. ભારતના પ્રવાસે આવેલા બ્રિટિશ એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઇન્ડિયન ઓરિજીનના પ્રમુખ રમેશ મહેતાએ જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં નિવૃત્ત થનારા વરિષ્ઠ તબીબો ભારત આવવા વિચારી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આ તબીબોને સરકાર તરફથી હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે. મંત્રાલયે પણ બ્રિટનના આ તબીબી સંગઠનને જણાવ્યું હતું કે ‘એ.આઇ.આઇ.એમ.એસ.’ના મોડેલ આધારે ઊભી થનારી નવી સાત તબીબી કોલેજોમાં ગુણવત્તા યુક્ત તબીબોની અછત રહેવાની સરકારને ચિંતા છે.
નવી તબીબી કોલેજો
બ્રિટિશ સંગઠન માને છે કે વર્તમાનમાં તાલીમ લઇ રહેલા ૧૫૦૦૦ તબીબો ભારતમાં ઊભી થનારી સાત નવી તબીબી કોલેજોમાં મદદરૂપ રહેશે. કેન્દ્ર સરકાર સાત રાજયોમાં એઈમ્સ જેવી તબીબી કોલેજો ઊભી કરવાની દરખાસ્તને લીલી ઝંડી આપી ચૂકી છે. આ પ્રત્યેક કોલેજ રૂ. ૩૦૦ કરોડના ખર્ચે ઊભી થશે.
નવી તબીબી કોલેજો
બ્રિટિશ સંગઠન માને છે કે વર્તમાનમાં તાલીમ લઇ રહેલા ૧૫૦૦૦ તબીબો ભારતમાં ઊભી થનારી સાત નવી તબીબી કોલેજોમાં મદદરૂપ રહેશે. કેન્દ્ર સરકાર સાત રાજયોમાં એઈમ્સ જેવી તબીબી કોલેજો ઊભી કરવાની દરખાસ્તને લીલી ઝંડી આપી ચૂકી છે. આ પ્રત્યેક કોલેજ રૂ. ૩૦૦ કરોડના ખર્ચે ઊભી થશે.
હાસ્ય ભાષામાંથી જ ઉત્પન્ન થાય છે
કોમેડી દરેક જગ્યાએ તમામ વાતોમાં હોય છે. હાસ્યની દ્રષ્ટિએ જોવામાં આવે તો હાસ્યનું સર્જન આપોઆપ જ થઇ જાય છે. ‘લાંબા આયુષ્ય માટે જિંદગીમાં હસતા રહેવું ખૂબ જ જરૂરી છે. સ્ટેજ ઉપર લાઇવ પરફોર્મન્સ આપતી વખતે લોકોને રડાવવા મને પસંદ નથી. આ માટે જયાં સુધી જીવીશ ત્યાં સુધી સ્ટેજ પરથી લોકોને હસાવતો રહીશ. આ મારા જીવનનો ઉદેશ છે,’ આ ‘ગંભીર’ વિધાનો એક હાસ્ય કલાકારના છે. એક કાર્યક્રમમાં અમદાવાદના ત્રણ વિધાર્થીઓને સ્કોલરશિપ આપવા માટે શહેરમાં આવેલા પરાગ કંસારાએ પોતાના વિચારો શેર કર્યા હતા. લાફટર શોના માઘ્યમથી આખા દેશમાં પ્રખ્યાત થયેલા આ ગુજરાતી હાસ્ય કલાકાર કહે છે કે, ‘આજે કોમેડીનો યુગ ચાલી રહ્યો છે. ૨૦૦૫માં લાફટર શો દ્વારા આ યુગની શરૂઆત થઇ છે તેવું કહેવું કદાચ ખોટું નથી. હાસ્યના આ યુગમાં મારી પણ ‘‘ભાવનાઓ કો સમજો’’ નામની હિન્દી ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મમાં ૫૪ લોકોએ રમૂજી ભૂમિકા કરી છે જે વિશ્વ વિક્રમ છે.’ નાનપણથી જ સ્ટેજ પ્રત્યે લગાવ ધરાવનાર પરાગ કંસારા ૨૦૦૫માં લાફ્ટર શોમાં જોડાયા તે પહેલા જાદુની સાથે મિમિક્રી દ્વારા લોકોને હસાવતા હતા. શાહબુદીન રાઠોડ અને જગદીશ ત્રિવેદી જેવા હાસ્ય કલાકારોને આદર્શ માનનાર પરાગ કહે છે કે, ‘સ્ટેજ પર જ રહીને લોકોને હસાવવા છે. ફિલ્મ લાઇનમાં કોમેડી સિવાય પણ સારી ઓફર મળશે તો હું ચોક્કસ સ્વીકારીશ.’
06 January 2010
અમર સિંહ કોંગ્રેસમાં જોડાશે ? ? ? ?
સમાજવાદી પાર્ટીના મહા સચિવ અને અન્ય પદો પરથી અમર સિંહે સ્વાસ્થ્ય સંબંધી કારણો આગળ ધરીને બુધવારે રાજીનામું ધરી દીધુ હતું. આમ પણ છેલ્લા કેટલાક દિવસોથી અમર સિંહ અને સપાના પ્રમુખ મુલાયમ સિંહ યાદવ વચ્ચે મતભેદ વધ્યા હોવાની અટકળો ચાલી રહી હતી. ખુદ અમર સિંહ પણ અન્ય પક્ષમાં જોડાવા અંગેની વાતને નકારતા નથી. અમર સિહં હાલ દુબઇ છે. કોંગ્રેસના નેતા રાજીવ શુક્લા પણ દુબઇમાં અમર સિંહ સાથે મોજૂદ છે અને ત્યાં સપાના નેતા સંજય દત્ત પણ હાજર છે. અમર સિંહના કોંગ્રેસમાં જવા અંગેની અટકળો પણ તેજ બની છે.
સિંહે જણાવ્યું કે તેમણે સપાના મહા સચિવ, પ્રવક્તા અને સંસદિય બોર્ડ અને અન્ય પદો પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું હતું કે ત્રણેય પદો પરનું રાજીનામું તેમણે ફેક્સ દ્વારા મુલાયમ સિંહ યાદવને મોકલી આપ્યું છે. નવેમ્બર 2009માં ફિરોઝાબાદ લોક સભા સીટ પર થયેલી ચૂંટણીઓમાં પાર્ટીને અપમાનજનક હાર મળી હતી ત્યારબાદ સિંહે એમ કહેતા યાદવની આલોચના કરી હતી કે પક્ષની હારનું કારણ સપાના પ્રમુખ અને તેમના પરિવાર પરનો તેમનો વધુ પડતો આત્મ વિશ્વાસ હતો. ફિરોઝાબાદ સીટ પરથી યાદવની પુત્રવધુ ડિંપલ યાદવ લડી હતી. ડિમ્પલને તેના કોંગ્રેસી પ્રતિનિધિ રાજ બબ્બરે હરાવી હતી. લોક સભાની ચૂંટણીઓ વખતે પણ રામપુર સીટ પર જયા પ્રદાની ઉમેદવારીને લઇને સિંહ અને પક્ષ વચ્ચેના સંબંધો તંગ બન્યા હતા. જયા પ્રદાની ઉમેદવારીનો આઝમ ખાને ઉગ્ર વિરોધ કર્યો હતો અને બાદમાં પક્ષ છોડી દીધો હતો. સિંહે જણાવ્યું કે, "મારા રાજીનામા પાછળ કોઇ રાજનીતિક કારણ નથી. મેં ડોક્ટરોની સલાહને માનીને આ પગલું લીધું છે. થોડા સમય પહેલા મારી કિડનીનું ટ્રાન્સ પ્લાન્ટેશનનું ઓપરેશન થયું છે અને ડોક્ટરોએ મને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે." ઓપરેશનના ત્રણ મહિના બાદ રાજીનામું કેમ આપ્યું ? તે અંગે સિંહે જણાવ્યું કે આ પહેલા પણ મેં ત્રણ વાર રાજીનામું આપ્યું હતું પરંતુ નેતાજી (મુલાયમ સિંહ) મારો અનુરોધ ઠુકરાવી દેતા હતા. તેમના પ્રત્યે મારા મનમાં ખુબ સમ્માન છે. સિંહે ક્હ્યું કે,"મારા માટે પરિવાર અને મારૂં સ્વાસ્થ્ય સૌથી પહેલા છે. ડોક્ટરોએ મને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે અને વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે તેમની સલાહનું પાલન કરવું શક્ય નથી. આ કારણે મે ત્રણેય પદો પરથી રાજીનામું આપવાનો ફેંસલો કર્યો છે. સિંહે જણાવ્યું હતું કે તેઓ પાર્ટીના સામાન્ય કાર્યકર્તા બની રહેશે અને સપાના પ્રમુખને અનુરોધ કરશે કે તેમના બાદ રામ ગોપાલ યાદવને પાર્ટીનો રાષ્ટ્રીય પ્રવક્તા બનાવવામાં આવે.
સિંહે જણાવ્યું કે તેમણે સપાના મહા સચિવ, પ્રવક્તા અને સંસદિય બોર્ડ અને અન્ય પદો પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું હતું કે ત્રણેય પદો પરનું રાજીનામું તેમણે ફેક્સ દ્વારા મુલાયમ સિંહ યાદવને મોકલી આપ્યું છે. નવેમ્બર 2009માં ફિરોઝાબાદ લોક સભા સીટ પર થયેલી ચૂંટણીઓમાં પાર્ટીને અપમાનજનક હાર મળી હતી ત્યારબાદ સિંહે એમ કહેતા યાદવની આલોચના કરી હતી કે પક્ષની હારનું કારણ સપાના પ્રમુખ અને તેમના પરિવાર પરનો તેમનો વધુ પડતો આત્મ વિશ્વાસ હતો. ફિરોઝાબાદ સીટ પરથી યાદવની પુત્રવધુ ડિંપલ યાદવ લડી હતી. ડિમ્પલને તેના કોંગ્રેસી પ્રતિનિધિ રાજ બબ્બરે હરાવી હતી. લોક સભાની ચૂંટણીઓ વખતે પણ રામપુર સીટ પર જયા પ્રદાની ઉમેદવારીને લઇને સિંહ અને પક્ષ વચ્ચેના સંબંધો તંગ બન્યા હતા. જયા પ્રદાની ઉમેદવારીનો આઝમ ખાને ઉગ્ર વિરોધ કર્યો હતો અને બાદમાં પક્ષ છોડી દીધો હતો. સિંહે જણાવ્યું કે, "મારા રાજીનામા પાછળ કોઇ રાજનીતિક કારણ નથી. મેં ડોક્ટરોની સલાહને માનીને આ પગલું લીધું છે. થોડા સમય પહેલા મારી કિડનીનું ટ્રાન્સ પ્લાન્ટેશનનું ઓપરેશન થયું છે અને ડોક્ટરોએ મને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે." ઓપરેશનના ત્રણ મહિના બાદ રાજીનામું કેમ આપ્યું ? તે અંગે સિંહે જણાવ્યું કે આ પહેલા પણ મેં ત્રણ વાર રાજીનામું આપ્યું હતું પરંતુ નેતાજી (મુલાયમ સિંહ) મારો અનુરોધ ઠુકરાવી દેતા હતા. તેમના પ્રત્યે મારા મનમાં ખુબ સમ્માન છે. સિંહે ક્હ્યું કે,"મારા માટે પરિવાર અને મારૂં સ્વાસ્થ્ય સૌથી પહેલા છે. ડોક્ટરોએ મને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે અને વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે તેમની સલાહનું પાલન કરવું શક્ય નથી. આ કારણે મે ત્રણેય પદો પરથી રાજીનામું આપવાનો ફેંસલો કર્યો છે. સિંહે જણાવ્યું હતું કે તેઓ પાર્ટીના સામાન્ય કાર્યકર્તા બની રહેશે અને સપાના પ્રમુખને અનુરોધ કરશે કે તેમના બાદ રામ ગોપાલ યાદવને પાર્ટીનો રાષ્ટ્રીય પ્રવક્તા બનાવવામાં આવે.
રીડિંગ નેટવર્ક બનાવવા બુક કલબ
વ્યસ્ત શિડયુલમાં પુસ્તક વાંચવાનો સમય રહ્યો નથી ત્યારે લોકોમાં વાંચનની ટેવ વધારવા માટે ‘કારવા’ એન.જી.ઓ.એ આ પ્રોજેકટ હાથ ધર્યો છે. સ્ટુડન્ટ, બિઝનેસ કલાસ, વર્કિંગ વુમન અને હાઉસ વાઇફ દરેક કેટેગરીમાં ‘બુક કલબ’ અંગે રિસર્ચ કરીને અલગ અલગ કેટેગરી પ્રમાણે બુક કલબની સ્થાપના કરવામાં આવી છે. એક પુસ્તક વાંચવું અને એક બીજા સાથે વિચારોની આપ-લે કરવી આ બંને બાબતોનો સમન્વય છે ‘બુક કલબ’. આ પ્રોજેકટ અંગે વાત કરતા બુક કલબ પ્રોજેકટના કો-ઓર્ડિનેટર કહે છે કે, ‘કેટેગરી પ્રમાણે ૧૦થી ૧૫ વ્યક્તિઓના ગ્રૂપ અમે બનાવ્યા છે. જેઓ દર સપ્તાહે એક વખત એક બીજાને મળીને કોઇ પણ એક પુસ્તક અંગે ચર્ચા વિચારણા અને અભિપ્રાયોની આપ-લે કરશે. સતત કોઇ એક વ્યક્તિ દ્વારા વાંચવાની પ્રક્રિયા બોરિંગ લાગે છે તેથી અમે બુકના ઇન્ટર એકિટવ સેસન થાય તેવું નક્કી કર્યું છે. જેમાં અમારી સાથે શહેરનું યૂથ, બિઝનેસ મેન અને વર્કિગ વુમન અને હાઉસ વાઇફ પણ જોડાયેલી છે. બુક કલબની આ વિચાર ધારાને દેશભરમાં પ્રસરાવીને લોકોમાં પુસ્તક વાંચન અંગે જાગૃતિ લાવવા માંગીએ છીએ.’
ઘર-વાળી ટકાવવા બહાર-વાળી જરૂરી
જો તમારો પતિ અન્ય કોઈ સ્ત્રીના પ્રેમમાં હોય તો તમારે તેની પાછળ ચાકુ લઈને ફરવાની જરૂર નથી લગ્ન બાહ્ય સંબંધો તમારા લગ્ન જીવન માટે સારા સાબિત થઈ શકે તેમ છે. ફ્રાન્સમાં કરવામાં આવેલા એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારના સંબંધો લગ્ન જીવન માટે શુભ સાબિત થાય છે. મનોવૈજ્ઞાનિક માર્યસે વૈલ્લિન્ટના વિવાદાસ્પદ પુસ્તકમાં પુરૂષ, પ્રેમ, વફાદારી વિશે ચર્ચા કરવામાં આવી છે. વૈલ્લિન્ટના મતે જે પુરૂષોના જીવનમાં અન્ય સ્ત્રીનું અસ્તિત્વ હોય તેઓ ખરેખર પોતાના લગ્ન જીવનને મજબૂત બનાવવા માંગતા હોય છે.
ઇલેકટ્રોનિક બાઇક હવે વધુ ઝડપે દોડશે
ભારતમાં ઇલેકટ્રોનિક બાઇકસનું બજાર એટલા માટે જોર નથી પકડી રહ્યું કેમ કે તે પેટ્રોલના વાહનો જેટલી ઝડપે ચાલતા નથી. આ વર્ષે ચિત્ર બદલાઈ જશે. બજાજ, ઇલેકટ્રોથર્મ અને હીરો જેવી કંપનીઓએ ૪૦ થી ૫૫ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડનારી ઇલેકટ્રોનિક બાઇકસ ૨૦૧૦માં રજૂ કરવાની જાહેરાત કરી છે. આ બાઇકસની બેટરી વધુ ચાલશે અને તેને ચાર્જ કરવાનો સમય પણ અડધો થશે. વર્તમાનમાં ઇલેકટ્રોનિક બાઇકસ એક વખત બેટરી ચાર્જ કર્યા બાદ ૭૦ થી ૮૦ કિમી ચાલે છે, પરંતુ નવી બાઇકસ એક વખત ચાર્જ કર્યા બાદ ૧૦૦ કિમી સુધી ચાલશે અને તેને ચાર્જ કરવા માટે ચાર કલાક પૂરતા રહેશે.
સરકારી કર્મચારીઓ માટે કોમ્પ્યુટરની પરીક્ષા ફરજિયાત કરવાના નિર્ણયને પડકાર
રાજ્ય સરકાર દ્વારા અંધ જનો, બહેરા-મૂંગા, વિકલાંગ સહિતના કર્મચારીઓને કોમ્પ્યુટરની પરીક્ષા ફરજિયાત કરવાના નિર્ણયને ગુજરાત હાઇ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જસ્ટિસ ડી.એચ.વાઘેલાએ રાજય સરકાર, મુખ્ય સચિવ, સામાન્ય વહીવટી વિભાગના સચિવ, સમાજ કલ્યાણ વિભાગના સચિવ સહિતના સત્તાવાળાઓને શો-કોઝ નોટિસ જારી કરી છે અને વધુ સુનાવણી તા.૧૮મી જાન્યુઆરીએ મુકરર કરી છે. રાજય સરકારે તા.૧-૧-૦-૨૦૦૭ના એક પરીપત્ર મારફત તમામ કર્મચારીઓને કોમ્પ્યુટરને લગતી સી.સી.સી. પરીક્ષા ફરજિયાત પાસ કરવાનું ફરમાન જારી કયું છે. તેમાં અંધ જનો, બહેરા-મૂંગા અને વિકલાંગ કર્મચારીઓને પણ આવરી લેવાયા છે પરંતુ વાસ્તવમાં તેઓને આ પરીપત્ર કે આદેશ લાગુ પડી શકે નહી. સરકારે સ્પષ્ટ ઠરાવ્યુ છે કે, જે કર્મચારીઓ કોમ્પ્યુટરની પરીક્ષા પાસ નહી કરે તેઓને નોકરીમાં ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ મળવા પાત્ર થશે નહી. સરકારના આ ઠરાવના કારણે અંધ જનો સહિત વિકલાંગ કર્મચારીઓ ઉચ્ચત્તર પગાર ધોરણના લાભથી વંચિત થઇ જાય. ડિસેબલીટીઝ એકટ હેઠળ અંધ જનો અને વિકલાંગ કર્મચારીઓને પણ નોકરીમાં સમાન તક મેળવવાનો અધિકાર છે. વળી, સરકારે તેની આ જોગવાઇમાં ૪૫ વર્ષથી વધુની વયના કર્મચારીઓને બાકાત રાખ્યા છે. સરકારના આ નિર્ણયથી બંધારણીય જોગવાઇઓ અને ડિસેબલીટીઝ એકટના નિદેઁશોનો ભંગ થાય છે. ખરેખર તો, અંધ જનો માટે કોમ્પ્યુટરના ટોકિંગ સોફ્ટવેર કે કોમ્પ્યુટર શીખવવાની કોઇ વ્યવસ્થા જ નથી. એટલુ જ નહી, તાલીમ મેળવ્યા બાદ પણ કર્મચારીઓ માટે તે વ્યવહારૂ કામમાં આવવાનું જ નથી. અંધ જનોને તો સીવણ, મિસ્ત્રીકામ અને હાથથી શીખી શકાય તેવા કાર્યો શીખવવામાં આવે છે. આ સંજોગોમાં અંધ જનો- વિકલાંગ કર્મચારીઓને કોમ્પ્યુટરની ફરજિયાત પરીક્ષામાંથી મુકિત અપાવવા હાઇ કોટેં સરકારના સંબંધિત સત્તાવાળાઓને આદેશો કરવા જોઇએ. ડિસેબલીટીઝ એકટ-૧૯૯૫ની જોગવાઇઓનો તમામ વિકલાંગ કર્મચારીઓના કિસ્સામાં અમલ કરાવવા પણ બ્લાઇન્ડ મેન એસોસીએશન તરફથી કરાયેલી રિટમાં માંગણી કરાઇ છે.
દુબઈમાં બુર્જમાં બે માળ માટે NRIએ રૂપિયા 114 કરોડ ખર્ચ્યા
એન.આર.આઈ. બિઝનેસમેન બી આર શેટ્ટીએ બુર્જ ખલીફામાં બે માળ ખરીદ્યા છે. શેટ્ટી અબુ ધાબીમાં એક કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર અને સી.ઈ.ઓ. છે. તેઓ મલ્ટી સ્પેશિયાલિસ્ટ આરોગ્ય સુવિધા આપતી ન્યૂ મેડિસીન સેન્ટર કંપનીમાં કામ કરે છે. તેમણે બુર્જ ખલીફામાં રૂપિયા 115 કરોડના ખર્ચે ફ્લોર લીધો છે. 67 વર્ષીય શેટ્ટી શરૂઆતમાં મેડિકલ રિપ્રેઝન્ટેટીવ હતા અને હવે મલ્ટી મિલિયોનર બની ગયા છે. તેમણે બે ફ્લોર લીધા છે. એક ફ્લોરની કિંમત રૂપિયા 57 કરોડ છે. શેટ્ટીએ 3000 દિરહામ (રૂપિયા 38000) પ્રતિ ચોરસ મીટર ખર્ચ્યા છે. દુબઈમાં મંદી હોવા છતાં લોકો બુર્જમાં એપાર્ટમેન્ટ લેવા માટે મોં માંગ્યા દામ ચૂકવવા તૈયાર છે. જો કે શેટ્ટી કોઈ પણ કિંમતે બુર્જમાં પોતાનો એપાર્ટમેન્ટ વેચવા તૈયાર નથી. શેટ્ટીને ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં તેમના એપાર્ટમેન્ટનો કબજો મળી જશે.
બિગ બી અમદાવાદમાં
ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી માટે ‘પા’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ ગોઠવાતા હિન્દી ફિલ્મોના મહા નાયક અમિતાભ બચ્ચને બુધવારે બપોરે અમદાવાદમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. પ્રાઇવેટ ચાર્ટર પ્લેનમાં ઉતરેલા બીગ બીની એક ઝલક જોવા માટે તેમના ચાહકો એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલની બહાર ટોળે વળ્યાં હતાં. બીગ બીએ ચાહકોની સાથે હાથ મિલાવીને અભિવાદન પણ કયૉ હતા. એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ પર જયારે પણ કોઇ સેલિબ્રિટિ આવતી હોય ત્યારે અનેક ચાહકો પહોંચી જતાં હોય છે. અમિતાભ બચ્ચનને રૂબરૂ જોવા ચાહકોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો.
બીગ બીની આ લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને જ સિક્યોરિટી માટે પોલિસનો કાફલો પણ ખડકી દેવાયો હતો. જેના લીધે અનેક ચાહકોને નિરાશા પણ હાથ લાગી હતી. અલબત્ત, જીવનમાં એક વાર અમિતાભને જોવાનો લ્હાવો મેળવવા આવેલા ચાહકોને હવામાં હાથ હલાવીને બીગ બીએ બધા અમદાવાદીઓનો આભાર માન્યો હતો. ત્યારબાદ કારમાં બેસીને તાજ હોટલમાં પહોંચી ગયા હતા.
બીગ બીની આ લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને જ સિક્યોરિટી માટે પોલિસનો કાફલો પણ ખડકી દેવાયો હતો. જેના લીધે અનેક ચાહકોને નિરાશા પણ હાથ લાગી હતી. અલબત્ત, જીવનમાં એક વાર અમિતાભને જોવાનો લ્હાવો મેળવવા આવેલા ચાહકોને હવામાં હાથ હલાવીને બીગ બીએ બધા અમદાવાદીઓનો આભાર માન્યો હતો. ત્યારબાદ કારમાં બેસીને તાજ હોટલમાં પહોંચી ગયા હતા.
આસારામ આશ્રમે દબાણ જાતે દુર કર્યું
આસારામ આશ્રમે દબાણ જાતે દુર કર્યું
આસારામ આશ્રમ દ્વારા મોટેરા ખાતે સરકારની ૬૭૦૦૦ ચો.મી. જમીન પર કરેલા દબાણ પૈકીનું બાંધકામ જાતે જ દુર કરી જિલ્લા કલેકટરને તેની જાણ કરવામાં આવી છે. નદીના પટમાં કરવામાં આવેલો પાણીનો બોર અને તેના માટેની નાની ઓરડી દુર કરવામાં આવી છે. તે ઉપરાંત ફેન્સીંગ પણ દુર કરવામાં આવી છે. આશ્રમના જન સંપર્ક અધિકારી ઉદય સાંગાણીએ જણાવ્યું કે સરકારી જમીન પરના દબાણો દુર કરવા માટે રેવન્યુ ધારાની કલમ ૨૦૨ હેઠળ નોટીસ બાદ અમે નદીના પટમાં કહેવાતા ૫૧૦૦૦ વાર જગ્યાના બાંધકામમાં કરવામાં આવેલો પાણીનો બોર અને તેની ઓરડી હટાવી લેવામાં આવ્યો છે. આમ હવે આ જગ્યા પર કોઇ ગેરકાયદે દબાણ રહેતું નથી. જયારે ૧૫૪૫૧ વાર જગ્યામાં કરાયેલા દબાણ બાબતે તેમણે જણાવ્યું હતુંકે આ જમીન પર મજુરોના માલ-સામાન મુકવાની ઓરડી તથા ચોકીદારનો સેડ દુર કરવામાં આવ્યા છે. હવે સરકારી જમીન પરનું દબાણ સંપુર્ણ દુર થઇ ગયું છે.
આસારામ આશ્રમ દ્વારા મોટેરા ખાતે સરકારની ૬૭૦૦૦ ચો.મી. જમીન પર કરેલા દબાણ પૈકીનું બાંધકામ જાતે જ દુર કરી જિલ્લા કલેકટરને તેની જાણ કરવામાં આવી છે. નદીના પટમાં કરવામાં આવેલો પાણીનો બોર અને તેના માટેની નાની ઓરડી દુર કરવામાં આવી છે. તે ઉપરાંત ફેન્સીંગ પણ દુર કરવામાં આવી છે. આશ્રમના જન સંપર્ક અધિકારી ઉદય સાંગાણીએ જણાવ્યું કે સરકારી જમીન પરના દબાણો દુર કરવા માટે રેવન્યુ ધારાની કલમ ૨૦૨ હેઠળ નોટીસ બાદ અમે નદીના પટમાં કહેવાતા ૫૧૦૦૦ વાર જગ્યાના બાંધકામમાં કરવામાં આવેલો પાણીનો બોર અને તેની ઓરડી હટાવી લેવામાં આવ્યો છે. આમ હવે આ જગ્યા પર કોઇ ગેરકાયદે દબાણ રહેતું નથી. જયારે ૧૫૪૫૧ વાર જગ્યામાં કરાયેલા દબાણ બાબતે તેમણે જણાવ્યું હતુંકે આ જમીન પર મજુરોના માલ-સામાન મુકવાની ઓરડી તથા ચોકીદારનો સેડ દુર કરવામાં આવ્યા છે. હવે સરકારી જમીન પરનું દબાણ સંપુર્ણ દુર થઇ ગયું છે.
05 January Fresh news અમિતાભ અને મોદી સાથે બેસી પા ફિલ્મ જોશે
05 January Fresh news
અમિતાભ અને મોદી સાથે બેસી પા ફિલ્મ જોશે
હિન્દી ફિલ્મના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે બુધવારે પહેલીવાર મિલન થશે. આ મિલન ગાંધીનગર પાસેના એક મલ્ટીપ્લેકસમાં થવાનું છે.
અમિતાભ અને નરેન્દ્ર મોદી એબીસીએલના સાહસ અને અમિતાભ અભિનિત પા ફિલ્મ સાથે બેસીને જોશે. આ ફિલ્મમાં અમિતાભ તેના પુત્ર અભિષેકના પુત્રની ભૂમિકા ભજવે છે. બુધવારે સાંજે આઠ વાગ્યાની આસપાસ સ્પેશ્યલ શો રાખવામાં આવ્યો છે.
અમિતાભ અમદાવાદ એરપોર્ટ પર ઉતરી સીધો મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન ગાંધીનગર જશે ત્યાંથી તેઓ નજીકના મલ્ટીપ્લેકસમાં ફિલ્મ જોવા જશે.
આ શો માટે અમિતાભ સાથે કોણ આવવાનું છે તેની માહિતી જાણવા મળી નથી પરંતું મુખ્યમંત્રીનો સાંજનો સમય અનામત કરી દેવામાં આવ્યો છે. મોદીએ આ અગાઉ ચરિત્ર અભિનેતા અનુપમ ખેર સાથે ગાંધીનગરમાં વેનસ્ડે ફિલ્મ જોઇ હતી.*
ઓસ્ટ્રેલિયામાં વધુ એક ભારતીયની કરપીણ હત્યા
ઓસ્ટ્રેલિયામાં વધુ એક ભારતીયની હત્યા કરવામાં આવી છે. ગત સપ્તાહે વધુ એક ભારતીયનું શબ મળી આવતાં તેના પર પણ ઓસ્ટ્રેલિયન ગોરાઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની શંકા છે. ઓસ્ટ્રેલિયામાં માઇગ્રન્ટની હત્યાને પગલે સર્જાયેલો તનાવ દૂર કરવા માટે બેઠક યોજવા બન્ને દેશોના સત્તાવાળાઓ તૈયાર હોવાનું જણાવવામાં આવ્યું છે.
ભારતના વિદેશ પ્રધાન એસ.એમ. ક્રિશ્નાએ ભારતીયો પર આવા હુમલાના આર્થિક પરિણામો આવવાની અને બન્ને દેશોના દ્વિપક્ષીય સંબંધો પર અસર પડવાની ઓસ્ટ્રેલિયાને ચેતવણી આપી છે. અપરાધીઓને સજા કરવા માટે કડક પગલાં ભરવાનું વિદેશ પ્રધાને ઓસ્ટ્રેલિયાને જણાવ્યું છે.
પોલીસે જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ પ્રાંતમાંથી ગત ૨૯મી ડિસેમ્બરે ગીરીફિથ નજીક આવેલા એક માર્ગની બાજુમાં એક આંશિક બળેલું શબ મળી આવ્યું છે. જોકે, આ શબની વિધિસર રીતે ઓળખ કરવાનું હજી બાકી છે પરંતુ આ શબ એક ૨૫ વર્ષીય ભારતીયનું હોવાનું માનવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયન અધિકારીઓ ભારતમાં આ યુવાનના પરિવાર સાથે સંપર્કમાં છે અને ભારતીય દૂતાવાસ શબ ઓળખી પાડવામાં મદદ કરશે તેવું એક નિવેદનમાં ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ ફોર્સે જણાવ્યું છે.
રવિવારે મેલબોર્નમાં ૨૧ વર્ષીય નીતિન ગર્ગની હત્યા કરવામાં આવ્યા બાદ વધુ એક ભારતીયની હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ નવી દિલ્હી અને કેનબરા વચ્ચે સર્જાયેલો રાજદ્વારી તનાવ દૂર કરવાના પ્રયાસમાં ભારતીય રાજદ્વારીઓ ઓસ્ટ્રેલિયન અધિકારીઓને મળે તેવી સંભાવના છે.*
શું ભારતીય છોકરીઓ ખોટું બોલતી નથી?
શું ભારતીય છોકરીઓ સેક્સ્યૂઅલ બાબતોમાં ખોટૂં બોલતી નથી? શું તે ક્રાઈમ થયા બાદ જ ફરીયાદ કરે છે? સુપ્રીમ કોર્ટે પોતાના એક નિર્ણયમાં જણાવ્યું હતું કે કોઈ પણ ભારતીય છોકરી કોઈના પર સેક્સ્યૂઅલ એસોલ્ટનો ખોટો આરોપ લગાવી શકે નહી કારણ કે તે જાણે છે કે તેને જિંદગીભર સોસાયટીથી શું સહન કરવું પડશે. પરંતુ રેપના ઘણાં આવા મામલા છે કે જે બાદમાં ખોટો સાબિત થાય છે.
સુપ્રીમ કોર્ટના જજે જણાવ્યું હતું કે ઈન્ડિયન સોસાયટી વેસ્ટર્ન દેશોની જેમ મોર્ડન નથી. અહિં સેક્સ્યૂઅલ એટેકની પીડિતા સામાજિક પ્રતિક્રિયાને લઈને એટલી ગભરાયેલી હોય છે કે તે ફરિયાદને અંતિમ વિકલ્પ તરીકે લે છે. તે ત્યારે ફરિયાદ કરે છે જ્યારે અપરાધ ખરેખર થયો હોય. સપ્ટેમ્બર 2009માં દિલ્હીની સેશન કોર્ટના જર્જ અનિલ શર્માએ એક મહિલા અને તેની પુત્રી પર ક્રિમિનલ કેસ ચલાવવાનો ઓર્ડર આપ્યો હતો કારણ કે તેઓએ એક શખ્સ પર રેપનો ખોટો આરોપ લગાવ્યો હતો બાદમાં તે ફરી ગઈ હતી.
જયપુરમાં ઔધોગિકરણની હિમાયત કરી રહેલ એક વ્યક્તિ પર એક મહિલાએ રેપનો કેસ કર્યો હતો, પરંતું બાદમાં પોલિગ્રાફિ ટેસ્ટથી સાબિત થયું હતું કે મામલો ખોટો છે. 2008માં પણજીમાં એક મહિલાએ પોતાના પાડોશી પર આરોપ લગાવ્યો હતો કે તેણે તેની સાથે રેપ કર્યો હતો અને તેણે રેપિસ્ટના પુત્રને જન્મ આપ્યો હતો. બાદમાં ડીએનએ ટેસ્ટથી ખબર પડી કે પુત્રનો પિતા કોઈ બીજો જ છે. એપ્રિલ 2009માં દિલ્હી પોલીસે 38 વર્ષની એક મહિલાની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે લોકો પર રેપનો આરોપ લગાવીને તેની પાસે પૈસા પડાવતીહતી.
સુપ્રિમ કોર્ટમાં એડવોકેટ મીનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે કોર્ટે જે પણ કહ્યું છે તેનો સંબંધ વધારે મામલા સાથે છે કે આવા ધણાં મામલામાં મહિલાઓ ખોટું બોલતી નથી. જો હજારમાંથી એક મહિલા ખોટું બોલી રહી છે તો તેનો મતલબ એ થયો કે બીજી મહિલાઓ સાચુ બોલી રહી છે. મહિલા એક્ટિવિસ્ટ અંજલિ સિન્હાએ કહ્યું હતું કે કોર્ટે જે કહ્યું છે તેને સમર્થન કરવું જોઈએ. અપવાદ તો દરેક મામલામાં હોય છે. મુખ્ય વાત તો એ છે કે 100માંથી ચાર કેસ પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે.*
મહિલાઓ શારીરિક ઉત્તેજનાને... ?
મહિલાઓ પુરૂષો કરતાં અલગ રીતે સેક્સની લાગણી અનુભવતી હોય છે. તાજેતરમાં થયેલા એક સંશોધન પ્રમાણે મહિલાઓ શારીરિક ઉત્તેજનાને ગુનાહિત લાગણીની રીતે જોતી હોવાથી તેઓ પુરૂષોની તુલનાએ સેક્સને ઓછી રીતે માણી શકે છે.
સંશોધન પ્રમાણે પુરૂષો માનસિક અને શારીરિક ઉત્તેજનાને અનુભવે છે અને તે જ સમયે મહિલાઓ પોતાની શારીરિક ઉત્તેજનાને પ્રમાણમાં ઓછી જાહેર કરે છે.
સંશોધન પ્રમાણે કેટલીક મહિલાને શારીરિક ઉત્તેજના થતી હોય છે તે વાતનો ખ્યાલ હોતો જ નથી. સંશોધનકર્તાના મતે મહિલાઓમાં સેક્સને લઈને ગુનાહિત લાગણી વધારે જોવા મળે છે .
કેટલીક મહિલાઓ ઉત્તેજીતની લાગણી અનુભવ્યા વગર જ સેક્સ માણતી હોય છે. અહેવાલ પ્રમાણે શારીરિક ઉત્તેજનાની લાગણી વ્યક્તિ વ્યક્તિએ અલગ અલગ હોય છે પરંતુ સ્ત્રીઓમાં સેક્સને લઈને ગુનાહિત લાગણી વધુ જોવા મળે છે.
આ જ કારણોસર મહિલાઓ પોતાની સેક્સ લાઈફથી ઓછી સંતુષ્ટ હોય છે.
પુરૂષો માટે મગજથી તેઓ શારીરિક ઈચ્છા પૂર્તિ માટે હોય છે અને આ બાબત પેઢી દર પેઢી જોવા મળતી હોય છે. પરિણામે પુરૂષોમાં સેક્સની વૃત્તિ વધારે જોવા મળતી હોય છે.
અહેવાલ પ્રમાણે શારીરિક ઉત્તેજના મહિલાઓ અને પુરૂષોમાં અલગ હોય છે તે બાબતનો નિર્દેશ કરે છે.
અમિતાભ અને મોદી સાથે બેસી પા ફિલ્મ જોશે
હિન્દી ફિલ્મના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે બુધવારે પહેલીવાર મિલન થશે. આ મિલન ગાંધીનગર પાસેના એક મલ્ટીપ્લેકસમાં થવાનું છે.
અમિતાભ અને નરેન્દ્ર મોદી એબીસીએલના સાહસ અને અમિતાભ અભિનિત પા ફિલ્મ સાથે બેસીને જોશે. આ ફિલ્મમાં અમિતાભ તેના પુત્ર અભિષેકના પુત્રની ભૂમિકા ભજવે છે. બુધવારે સાંજે આઠ વાગ્યાની આસપાસ સ્પેશ્યલ શો રાખવામાં આવ્યો છે.
અમિતાભ અમદાવાદ એરપોર્ટ પર ઉતરી સીધો મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન ગાંધીનગર જશે ત્યાંથી તેઓ નજીકના મલ્ટીપ્લેકસમાં ફિલ્મ જોવા જશે.
આ શો માટે અમિતાભ સાથે કોણ આવવાનું છે તેની માહિતી જાણવા મળી નથી પરંતું મુખ્યમંત્રીનો સાંજનો સમય અનામત કરી દેવામાં આવ્યો છે. મોદીએ આ અગાઉ ચરિત્ર અભિનેતા અનુપમ ખેર સાથે ગાંધીનગરમાં વેનસ્ડે ફિલ્મ જોઇ હતી.*
ઓસ્ટ્રેલિયામાં વધુ એક ભારતીયની કરપીણ હત્યા
ઓસ્ટ્રેલિયામાં વધુ એક ભારતીયની હત્યા કરવામાં આવી છે. ગત સપ્તાહે વધુ એક ભારતીયનું શબ મળી આવતાં તેના પર પણ ઓસ્ટ્રેલિયન ગોરાઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની શંકા છે. ઓસ્ટ્રેલિયામાં માઇગ્રન્ટની હત્યાને પગલે સર્જાયેલો તનાવ દૂર કરવા માટે બેઠક યોજવા બન્ને દેશોના સત્તાવાળાઓ તૈયાર હોવાનું જણાવવામાં આવ્યું છે.
ભારતના વિદેશ પ્રધાન એસ.એમ. ક્રિશ્નાએ ભારતીયો પર આવા હુમલાના આર્થિક પરિણામો આવવાની અને બન્ને દેશોના દ્વિપક્ષીય સંબંધો પર અસર પડવાની ઓસ્ટ્રેલિયાને ચેતવણી આપી છે. અપરાધીઓને સજા કરવા માટે કડક પગલાં ભરવાનું વિદેશ પ્રધાને ઓસ્ટ્રેલિયાને જણાવ્યું છે.
પોલીસે જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ પ્રાંતમાંથી ગત ૨૯મી ડિસેમ્બરે ગીરીફિથ નજીક આવેલા એક માર્ગની બાજુમાં એક આંશિક બળેલું શબ મળી આવ્યું છે. જોકે, આ શબની વિધિસર રીતે ઓળખ કરવાનું હજી બાકી છે પરંતુ આ શબ એક ૨૫ વર્ષીય ભારતીયનું હોવાનું માનવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયન અધિકારીઓ ભારતમાં આ યુવાનના પરિવાર સાથે સંપર્કમાં છે અને ભારતીય દૂતાવાસ શબ ઓળખી પાડવામાં મદદ કરશે તેવું એક નિવેદનમાં ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ ફોર્સે જણાવ્યું છે.
રવિવારે મેલબોર્નમાં ૨૧ વર્ષીય નીતિન ગર્ગની હત્યા કરવામાં આવ્યા બાદ વધુ એક ભારતીયની હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ નવી દિલ્હી અને કેનબરા વચ્ચે સર્જાયેલો રાજદ્વારી તનાવ દૂર કરવાના પ્રયાસમાં ભારતીય રાજદ્વારીઓ ઓસ્ટ્રેલિયન અધિકારીઓને મળે તેવી સંભાવના છે.*
શું ભારતીય છોકરીઓ ખોટું બોલતી નથી?
શું ભારતીય છોકરીઓ સેક્સ્યૂઅલ બાબતોમાં ખોટૂં બોલતી નથી? શું તે ક્રાઈમ થયા બાદ જ ફરીયાદ કરે છે? સુપ્રીમ કોર્ટે પોતાના એક નિર્ણયમાં જણાવ્યું હતું કે કોઈ પણ ભારતીય છોકરી કોઈના પર સેક્સ્યૂઅલ એસોલ્ટનો ખોટો આરોપ લગાવી શકે નહી કારણ કે તે જાણે છે કે તેને જિંદગીભર સોસાયટીથી શું સહન કરવું પડશે. પરંતુ રેપના ઘણાં આવા મામલા છે કે જે બાદમાં ખોટો સાબિત થાય છે.
સુપ્રીમ કોર્ટના જજે જણાવ્યું હતું કે ઈન્ડિયન સોસાયટી વેસ્ટર્ન દેશોની જેમ મોર્ડન નથી. અહિં સેક્સ્યૂઅલ એટેકની પીડિતા સામાજિક પ્રતિક્રિયાને લઈને એટલી ગભરાયેલી હોય છે કે તે ફરિયાદને અંતિમ વિકલ્પ તરીકે લે છે. તે ત્યારે ફરિયાદ કરે છે જ્યારે અપરાધ ખરેખર થયો હોય. સપ્ટેમ્બર 2009માં દિલ્હીની સેશન કોર્ટના જર્જ અનિલ શર્માએ એક મહિલા અને તેની પુત્રી પર ક્રિમિનલ કેસ ચલાવવાનો ઓર્ડર આપ્યો હતો કારણ કે તેઓએ એક શખ્સ પર રેપનો ખોટો આરોપ લગાવ્યો હતો બાદમાં તે ફરી ગઈ હતી.
જયપુરમાં ઔધોગિકરણની હિમાયત કરી રહેલ એક વ્યક્તિ પર એક મહિલાએ રેપનો કેસ કર્યો હતો, પરંતું બાદમાં પોલિગ્રાફિ ટેસ્ટથી સાબિત થયું હતું કે મામલો ખોટો છે. 2008માં પણજીમાં એક મહિલાએ પોતાના પાડોશી પર આરોપ લગાવ્યો હતો કે તેણે તેની સાથે રેપ કર્યો હતો અને તેણે રેપિસ્ટના પુત્રને જન્મ આપ્યો હતો. બાદમાં ડીએનએ ટેસ્ટથી ખબર પડી કે પુત્રનો પિતા કોઈ બીજો જ છે. એપ્રિલ 2009માં દિલ્હી પોલીસે 38 વર્ષની એક મહિલાની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે લોકો પર રેપનો આરોપ લગાવીને તેની પાસે પૈસા પડાવતીહતી.
સુપ્રિમ કોર્ટમાં એડવોકેટ મીનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે કોર્ટે જે પણ કહ્યું છે તેનો સંબંધ વધારે મામલા સાથે છે કે આવા ધણાં મામલામાં મહિલાઓ ખોટું બોલતી નથી. જો હજારમાંથી એક મહિલા ખોટું બોલી રહી છે તો તેનો મતલબ એ થયો કે બીજી મહિલાઓ સાચુ બોલી રહી છે. મહિલા એક્ટિવિસ્ટ અંજલિ સિન્હાએ કહ્યું હતું કે કોર્ટે જે કહ્યું છે તેને સમર્થન કરવું જોઈએ. અપવાદ તો દરેક મામલામાં હોય છે. મુખ્ય વાત તો એ છે કે 100માંથી ચાર કેસ પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે.*
મહિલાઓ શારીરિક ઉત્તેજનાને... ?
મહિલાઓ પુરૂષો કરતાં અલગ રીતે સેક્સની લાગણી અનુભવતી હોય છે. તાજેતરમાં થયેલા એક સંશોધન પ્રમાણે મહિલાઓ શારીરિક ઉત્તેજનાને ગુનાહિત લાગણીની રીતે જોતી હોવાથી તેઓ પુરૂષોની તુલનાએ સેક્સને ઓછી રીતે માણી શકે છે.
સંશોધન પ્રમાણે પુરૂષો માનસિક અને શારીરિક ઉત્તેજનાને અનુભવે છે અને તે જ સમયે મહિલાઓ પોતાની શારીરિક ઉત્તેજનાને પ્રમાણમાં ઓછી જાહેર કરે છે.
સંશોધન પ્રમાણે કેટલીક મહિલાને શારીરિક ઉત્તેજના થતી હોય છે તે વાતનો ખ્યાલ હોતો જ નથી. સંશોધનકર્તાના મતે મહિલાઓમાં સેક્સને લઈને ગુનાહિત લાગણી વધારે જોવા મળે છે .
કેટલીક મહિલાઓ ઉત્તેજીતની લાગણી અનુભવ્યા વગર જ સેક્સ માણતી હોય છે. અહેવાલ પ્રમાણે શારીરિક ઉત્તેજનાની લાગણી વ્યક્તિ વ્યક્તિએ અલગ અલગ હોય છે પરંતુ સ્ત્રીઓમાં સેક્સને લઈને ગુનાહિત લાગણી વધુ જોવા મળે છે.
આ જ કારણોસર મહિલાઓ પોતાની સેક્સ લાઈફથી ઓછી સંતુષ્ટ હોય છે.
પુરૂષો માટે મગજથી તેઓ શારીરિક ઈચ્છા પૂર્તિ માટે હોય છે અને આ બાબત પેઢી દર પેઢી જોવા મળતી હોય છે. પરિણામે પુરૂષોમાં સેક્સની વૃત્તિ વધારે જોવા મળતી હોય છે.
અહેવાલ પ્રમાણે શારીરિક ઉત્તેજના મહિલાઓ અને પુરૂષોમાં અલગ હોય છે તે બાબતનો નિર્દેશ કરે છે.
03 January 2010
થ્રી ઈડિયટ્સ ફિલ્મના કલાકારો ગાંધીનગરમાં
થ્રી ઇડિયટ્સ ફિલ્મના પ્રચાર માટે અગાઉ ગુજરાતની મુલાકાત લઇ ચૂકેલો ફિલ્મસ્ટાર આમિરખાન રવિવારે સાંજે ગાંધીનગરની મુલાકાતે આવ્યો હતો. એક મિલ્ટપ્લેક્સમાં તેણે આ ફિલ્મની સફળતા વિશે દર્શકોને માહિતગાર કર્યાં હતાં. તેની સાથે આ ફિલ્મના અન્ય કલાકારો આર.માધવન અને શરમન જોષી ઉપસ્થિત રહ્યાં હતાં. ગાંધીનગરમાં આ કલાકારોએ ડિનર પણ લીધું હતું. ફિલ્મની વાર્તા અંગે સર્જાયેલો વિવાદ છેડાયો ન હતો.
ઉત્તરાયણની મજા, નિર્દોષ પક્ષીઓ માટે મોતની સજા ૧૦૦થી વધુ પક્ષીઓના મોત: ૫૦૦થી વધુ ઘાયલ
ઉત્તરાયણનું પર્વ પતંગ રસિયાઓ માટે ઉત્સાહ અને મોજ મસ્તીનું બની રહે છે પરંતુ આ તહેવાર નિદોઁષ પક્ષીઓ માટે મોતની સજા સમાન અને અત્યંત કાતિલ બની રહે છે. ઉત્તરાયણ પહેલા જ પતંગની દોરીથી કપાઇ જવાના કારણે અત્યાર સુધીમાં ૧૦૦ થી વધુ પક્ષીઓના મોત નીપજયા છે, જ્યારે ૫૦૦થી વધુ પક્ષીઓ ઘાયલ થયા છે. સૌથી વધુ સમડી અને કબૂતરનો ભોગ લેવાયો છે. ચાઇનીઝ દોરી પશુ-પક્ષીઓ માટે અત્યંત ઘાતક સાબિત થતી હોઇ રાજય સરકારે તેના પર પ્રતબિંધ મૂકયો હોવા છતાં તેનું વેચાણ ચાલુ છે, બીજી બાજુ, કાચ અને લુગ્દીવાળી માંજા દોરી પણ પક્ષીઓના મોત માટે લગભગ એટલી જ જવાબદાર ઠરી રહી છે. અબોલ પશુ-પક્ષીઓ અને જીવો માટે કાર્યરત સંસ્થા આશા ફાઉન્ડેશનના કો-ઓિર્ડનેટર હરમેશ ભટ્ટે જણાવ્યુ કે, અત્યાર સુધીમાં તેમની સંસ્થા પાસે ૧૦૨થી વધુ ઘાયલ પક્ષીઓના કેસ આવ્યા છે. જેમાં રાષ્ટ્રીય પક્ષી મોર, ગીધ, યાયાવર પક્ષીઓ, સમડી, કબૂતર, ઘુવડ, પોપટ, ચકલી વગેરેનો સમાવેશ થાય છે. જયારે ૩૨થી વધુ પક્ષીઓના કરૂણ મોત નીપજયા છે. ગીતાબહેન રાંભિયા સ્મૃતિ અહિંસા ટ્રસ્ટના સંચાલક બચુભાઇએ જણાવ્યુ કે, તેમની સંસ્થા પાસે ૨૦૦થી વધુ ઘાયલ પક્ષીઓના કિસ્સા આવ્યા છે, જ્યારે ૨૫થી વધુ પક્ષીઓના મોત નોંધાયા છે. જેમાં સૌથી વધુ કબૂતર, સમડી ઉપરાંત ઘુવડ, પોપટ, કાબર વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય બે વાંદરા પણ ગંભીર રીતે ઘાયલ થવાથી મોતને ભેટ્યા હતા. પશુ-પક્ષી અને અન્ય જીવો માટે નવકાર એનીમલ હેલ્પલાઇન, જીવદયા હેલ્પ લાઇન સહિતની સંસ્થાઓ પણ કાર્યરત છે. જયાં રોજબરોજ પતંગની દોરીથી કપાઇ જવાથી ઘાયલ પક્ષીઓ અને તેમના મોતના નવા નવા કિસ્સા નોંધાય છે
રાજ્યભરમાં અષાઢી માહોલ, ઠેર-ઠેર માવઠું
સૌરાષ્ટ્ર-કરછ, મઘ્ય અને દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળે માવઠું આગામી ૨૪ કલાકમાં વધુ વરસાદની આગાહી
અરબી સમુદ્રમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તીવ્ર બની રહી હોય તેમ છેલ્લા ત્રણેક દિવસથી રાજ્યના હવામાનમાં ભારે તફાવત સર્જાયો છે. ખોરવાયેલા ઋતુ ચક્ર બાદ ભર શિયાળે અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં ગોરંભાયેલા વાતાવરણને પગલે શનિવારે મોડી રાત્રે સૌરાષ્ટ્ર, કરછ ઉપરાંત દ.ગુજરાતમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જયારે રવિવાર પરોઢથી જ અમદાવાદમાં પણ સમયાંતરે હળવાં ઝાપટાં નોંધાયાં હતાં. જાન્યુઆરી માસમાં વરસાદ થતા લોકો આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. લગભગ તમામ જિલ્લાઓમાં થઇ રહેલા માવઠાને પગલે રવી પાકને ભારે નુકસાન જવાની ભીતિ ઉપરાંત રોગચાળો ફેલાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, તો બીજી તરફ હવામાન ખાતાએ આગામી ૨૪ કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના વ્યકત કરી છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તીવ્ર બની રહી હોય તેમ છેલ્લા ત્રણેક દિવસથી રાજ્યના હવામાનમાં ભારે તફાવત સર્જાયો છે. ખોરવાયેલા ઋતુ ચક્ર બાદ ભર શિયાળે અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં ગોરંભાયેલા વાતાવરણને પગલે શનિવારે મોડી રાત્રે સૌરાષ્ટ્ર, કરછ ઉપરાંત દ.ગુજરાતમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જયારે રવિવાર પરોઢથી જ અમદાવાદમાં પણ સમયાંતરે હળવાં ઝાપટાં નોંધાયાં હતાં. જાન્યુઆરી માસમાં વરસાદ થતા લોકો આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. લગભગ તમામ જિલ્લાઓમાં થઇ રહેલા માવઠાને પગલે રવી પાકને ભારે નુકસાન જવાની ભીતિ ઉપરાંત રોગચાળો ફેલાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, તો બીજી તરફ હવામાન ખાતાએ આગામી ૨૪ કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના વ્યકત કરી છે.
કર્મચારીઓના સામાન્ય ભવિષ્ય નિધિ ખાતામાં ઝીરો બેલેન્સ
ગુજરાત સરકારમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ એટલી હદ સુધી પોતાના સામાન્ય ભવિષ્ય નિધિ ખાતામાંથી રકમ ઉપાડે છે કે તેમના ખાતાની સિલક ઝીરો થઇ જાય છે. તાજેતરમાં સમીક્ષા દરમ્યાન ઝીરો સિલકના ખાતા જોવા મળ્યાં છે. આ ઘટનાથી ચોંકેલી રાજય સરકારે હવે એવા નિયંત્રણો મૂકયાં છે કે કોઇ પણ ગફલત માટે વહેંચણી અધિકારીને સજા કરાશે. એકાઉન્ટન્ટ જનરલની કચેરી દ્વારા સામાન્ય ભવિષ્ય નિધિ ખાતાઓના હિસાબોની સમયાંતરે સમીક્ષા કરવામાં આવે છે. આ કચેરીના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક ખાતા ધારકોની સિલક માયનસ થઇ ગઇ છે. તેમના ખાતામાં ઝીરો સિલક માટેનું કારણ ઉપાડ અને વહેચણી અધિકારી દ્વારા નિયમોનુસાર મળવાપાત્ર મયૉદા કરતાં વધારે જીપીએફ ઉપાડ મંજુર કરવામાં આવે છે. સામાન્ય ભવિષ્ય નિધિ ખાતામાં માઇનસ બેલેન્સ થઇ જાય તે ખૂબ જ ગંભીર નાણાકીય અનિયમિતતા ગણાય છે. સરકાર આવી ઘટનાને ગંભીરતાથી જુએ છે. રાજયના નાણા વિભાગના ઉપ સચિવ કે. બી. દાણીની સહીથી બહાર પાડવામાં આવેલા આદેશમાં તમામ વિભાગોને આવી અનિયમિતતાની ઘટના ફરી ન બને તેની કાળજી રાખવા જણાવાવ્યું છે સિલક કરતાં વધારે ઉપાડ થયાનું ધ્યાન પર આવશે તો ઉપાડ અને વહેંચણી અધિકારીની જવાબદારી ગણાશે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમને સજા પણ કરી શકાશે. .
01 January 2010
ગડકરીએ મોદીના ભરપેટ વખાણ કર્યાં
ગડકરીએ મોદીના વખાણ કર્યાં
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી બી.જે.પી. શાસિત રાજ્યો માટે એક સારા રોલ મોડલ છે પરંતુ તે પાર્ટી તરફથી પી.એમ. પદના ઉમેદવાર બનશે કે નહી તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી. મહારાષ્ટ્રના નેતાઓની નજરમાં નરેન્દ્ર મોદી ભારતમાં સૌથી સારા મુખ્ય મંત્રી છે અને બી.જે.પી. શાસિત રાજ્યો તેમની પાસેથી ઘણુ બધું શીખી શકે છે. ભારતીય ઈતિહાસમાં મોદી હજુ સુધીના સારા મુખ્ય મંત્રી રહ્યાં છે. તે એક સારી ઈમેજ ઘરાવતા વ્યક્તિ છે. બીજા રાજ્યો માટે હું તેમનો અભિપ્રાય જરૂર લઈશ. હવે હું એક કોન્ફરન્સ કરવા જઈ રહ્યો છું જેમાં હું આ મુદ્દે વાત થશે કે કેવી રીતે બી.જે.પી. શાસિત પ્રદેશમાં સારું કામ કરી શકાય. અમે મોદીની મદદ એક સારી સરકાર રચવાના રૂપમાં લઈ શકીએ છીએ. જ્યારે ગડકરીને પુછવામાં આવ્યું કે શું મોદીને 2014ના લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પીએમ પદના દાવેદાર તરીકે જોઈ શકાય ? તો આના જવાબમાં તેમણે કહ્યું હતું કે તે પાર્ટીના એક સારા નેતા છે પરંતુ પીએમ પદના દાવેદારી પર કંઈ પણ કહેવું અત્યારે જલ્દી હશે.
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી બી.જે.પી. શાસિત રાજ્યો માટે એક સારા રોલ મોડલ છે પરંતુ તે પાર્ટી તરફથી પી.એમ. પદના ઉમેદવાર બનશે કે નહી તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી. મહારાષ્ટ્રના નેતાઓની નજરમાં નરેન્દ્ર મોદી ભારતમાં સૌથી સારા મુખ્ય મંત્રી છે અને બી.જે.પી. શાસિત રાજ્યો તેમની પાસેથી ઘણુ બધું શીખી શકે છે. ભારતીય ઈતિહાસમાં મોદી હજુ સુધીના સારા મુખ્ય મંત્રી રહ્યાં છે. તે એક સારી ઈમેજ ઘરાવતા વ્યક્તિ છે. બીજા રાજ્યો માટે હું તેમનો અભિપ્રાય જરૂર લઈશ. હવે હું એક કોન્ફરન્સ કરવા જઈ રહ્યો છું જેમાં હું આ મુદ્દે વાત થશે કે કેવી રીતે બી.જે.પી. શાસિત પ્રદેશમાં સારું કામ કરી શકાય. અમે મોદીની મદદ એક સારી સરકાર રચવાના રૂપમાં લઈ શકીએ છીએ. જ્યારે ગડકરીને પુછવામાં આવ્યું કે શું મોદીને 2014ના લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પીએમ પદના દાવેદાર તરીકે જોઈ શકાય ? તો આના જવાબમાં તેમણે કહ્યું હતું કે તે પાર્ટીના એક સારા નેતા છે પરંતુ પીએમ પદના દાવેદારી પર કંઈ પણ કહેવું અત્યારે જલ્દી હશે.
લગ્ન બહારના સંબંધો! ડોન્ટ વરી
લગ્ન બહારના સંબંધો! ડોન્ટ વરી
જો તમારા પતિ કોઇ બીજી સ્ત્રી સાથે લગ્નેત્તર સંબંધોની મજા લઇ રહ્યા હોય તો ગુસ્સામાં આવીને તેની પાછળ ચાકૂ લઇને ના પડી જશો કારણ કે લગ્નેત્તર સંબંધો તંદુરસ્ત લગ્નજીવન માટે સારા છે તેમ હાલમાં થયેલો એક અભ્યાસ જણાવે છે. ફ્રાંસની પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક મેર્સી વેઇલેંટે પોતાના નવા વિવાદાસ્પદ પુસ્તકમાં લગ્નજીવન, પુરૂષ, પ્રેમ, પ્રમાણિકતા વિશે વિગતવાર ચર્ચા કરી છે અને તેના મતે લગ્નેત્તર સંબંધો વિવાહિત જીવન માટે સારા છે. આ મનોવૈજ્ઞાનિકે ગણતરી સાથે જણાવ્યું છે કે લગ્નેત્તર સંબંધો રાખનારો પુરૂષ તેના લગ્નજીવનને ટકાવી શકે છે.
તે જણાવે છે કે લગ્નેત્તર સંબંધોમાં મોટાભાગે પુરૂષ પત્ની સિવાયની સ્ત્રીને સાચો પ્રેમ નથી કરતો હોતો અને તેઓ ફક્ત પોતાને મળેલી આઝાદીને માણી રહ્યા હોય છે. એક પત્નીત્વભાવ ધરાવતા પતિ માટે બેવફાઇ કરવી શક્ય નથી.
વફાદારી સ્વાભાવિક નહીં પણ સાંસ્કૃતિક છે અને બેવફાઇ અનિવાર્ય મનોવૈજ્ઞાનિક વલણ છે અને પુરૂષ પોતાના પ્રેમમાં એટલો છે જેટલો પહેલા હતો તેમ માનતી મહિલાઓ પુરૂષના લગ્નેત્તર સંબંધોને પોતાના લગ્નજીવનને મજબુત કરવા સારી રીતે ઉપયોગમાં લઇ શકે છે. પોતાના પુસ્તકમાં મેર્સીએ એમપણ જણાવ્યું છે કે પ્રેમનો અર્થ વફાદારી થાય છે તેવી વ્યાખ્યા ન કરી શકાય.
જો તમારા પતિ કોઇ બીજી સ્ત્રી સાથે લગ્નેત્તર સંબંધોની મજા લઇ રહ્યા હોય તો ગુસ્સામાં આવીને તેની પાછળ ચાકૂ લઇને ના પડી જશો કારણ કે લગ્નેત્તર સંબંધો તંદુરસ્ત લગ્નજીવન માટે સારા છે તેમ હાલમાં થયેલો એક અભ્યાસ જણાવે છે. ફ્રાંસની પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક મેર્સી વેઇલેંટે પોતાના નવા વિવાદાસ્પદ પુસ્તકમાં લગ્નજીવન, પુરૂષ, પ્રેમ, પ્રમાણિકતા વિશે વિગતવાર ચર્ચા કરી છે અને તેના મતે લગ્નેત્તર સંબંધો વિવાહિત જીવન માટે સારા છે. આ મનોવૈજ્ઞાનિકે ગણતરી સાથે જણાવ્યું છે કે લગ્નેત્તર સંબંધો રાખનારો પુરૂષ તેના લગ્નજીવનને ટકાવી શકે છે.
તે જણાવે છે કે લગ્નેત્તર સંબંધોમાં મોટાભાગે પુરૂષ પત્ની સિવાયની સ્ત્રીને સાચો પ્રેમ નથી કરતો હોતો અને તેઓ ફક્ત પોતાને મળેલી આઝાદીને માણી રહ્યા હોય છે. એક પત્નીત્વભાવ ધરાવતા પતિ માટે બેવફાઇ કરવી શક્ય નથી.
વફાદારી સ્વાભાવિક નહીં પણ સાંસ્કૃતિક છે અને બેવફાઇ અનિવાર્ય મનોવૈજ્ઞાનિક વલણ છે અને પુરૂષ પોતાના પ્રેમમાં એટલો છે જેટલો પહેલા હતો તેમ માનતી મહિલાઓ પુરૂષના લગ્નેત્તર સંબંધોને પોતાના લગ્નજીવનને મજબુત કરવા સારી રીતે ઉપયોગમાં લઇ શકે છે. પોતાના પુસ્તકમાં મેર્સીએ એમપણ જણાવ્યું છે કે પ્રેમનો અર્થ વફાદારી થાય છે તેવી વ્યાખ્યા ન કરી શકાય.
‘વિકાસ માટે પક્ષાપક્ષીથી દૂર રહેવું જરૂરી’
‘વિકાસ માટે પક્ષાપક્ષીથી દૂર રહેવું જરૂરી’
સ્વર્ણિમ ગુજરાત પરિષદમાં પૂર્વ મુખ્ય મંત્રી માધવ સિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આપણે ગાંધી અને સરદારની જન્મ અને કર્મ ભૂમિ એવા ગુજરાતમાં જન્મ્યાનો ગર્વ છે. પક્ષાપક્ષીથી દૂર રહેવાશે તો અકલ્પનીય વિકાસ સાધી શકાશે. તેમણે કહ્યું હતું કે કવિ નર્મદે લખ્યું છે તેમ આ ‘ગરવી ગુજરાત’છે. ભારતના નકશામાં તેનું સ્થાન નાનકડું છે પણ વાસ્તવમાં ગુજરાત એટલે એક નાનકડું દેશ હોય તેમ તેમાં બધું જ છે.તેમણે એક અનુભવ ટાંકતા કહ્યું કે બી.બી.સી.ના એક પત્રકારને ભારત વિશે લકવાનું કહેવાયું હતું ત્યારે તેણે માત્ર ગુજરાત વિશે લખીને ભારત વિશે લખ્યા હોવાનું સમજી સંતોષ માન્યો હતો.એવું આ ગુજરાત છે.
સોલંકીએ બીજો દાખલો ટાંકતાં જણાવ્યું કે જયારે ભગવાન શ્રીકૃષ્ણને તેમના યાદવો સાથે મથુરા છડવું પડ્યું હતું ત્યારે તેમણે ગુજરાતને પસંદ કયું હતું અને તેઓ દ્વારકા આવીને વસ્યા હતા.એ પછી પણ આ ઈતિહાસ સતત દહોરાતો ગયો છે કેમ કે આઝાદીકાળ વખતે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પણ ગુજરાતના હતા. પાકિસ્તાનના પ્રથમ પ્રમુખ મહંમદ અલી જિન્હાના બાપ-દાદા પણ ગુજરાતી હતા. દેશની પ્રથમ પાર્લામેન્ટના પ્રથમ સ્પીકર માવલેન્કર દાદા પણ અને તે પહેલા પ્રથમ અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલ પણ ગુજરાતી હતા. નવ નિર્માણ આંદોલનને યાદ કરીને તેમણે કહ્યું કે તે વખતે જય પ્રકાશ નારાયણ ગુજરાત આવ્યા હતા ત્યારે અહીના યુવકોનો જુસ્સો અને આંદોલનને જોઈ પ્રભાવિત થયા હતા તે પછી તેમણે બિહાર જઈ તેનું પુનરાવર્તન કયું હતું એટલે આ એવું ગુજરાત છે કે આપણે અહીં જનમ્યા છીએ તેનો ગૌરવ લેવા જેવું છે.આમ છતાં જો ગુજરાતમાં પક્ષાપક્ષીથી દૂર રહને અકલ્પનીય વિકાસ સાધી શકાશે.
સ્વર્ણિમ ગુજરાત પરિષદમાં પૂર્વ મુખ્ય મંત્રી માધવ સિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આપણે ગાંધી અને સરદારની જન્મ અને કર્મ ભૂમિ એવા ગુજરાતમાં જન્મ્યાનો ગર્વ છે. પક્ષાપક્ષીથી દૂર રહેવાશે તો અકલ્પનીય વિકાસ સાધી શકાશે. તેમણે કહ્યું હતું કે કવિ નર્મદે લખ્યું છે તેમ આ ‘ગરવી ગુજરાત’છે. ભારતના નકશામાં તેનું સ્થાન નાનકડું છે પણ વાસ્તવમાં ગુજરાત એટલે એક નાનકડું દેશ હોય તેમ તેમાં બધું જ છે.તેમણે એક અનુભવ ટાંકતા કહ્યું કે બી.બી.સી.ના એક પત્રકારને ભારત વિશે લકવાનું કહેવાયું હતું ત્યારે તેણે માત્ર ગુજરાત વિશે લખીને ભારત વિશે લખ્યા હોવાનું સમજી સંતોષ માન્યો હતો.એવું આ ગુજરાત છે.
સોલંકીએ બીજો દાખલો ટાંકતાં જણાવ્યું કે જયારે ભગવાન શ્રીકૃષ્ણને તેમના યાદવો સાથે મથુરા છડવું પડ્યું હતું ત્યારે તેમણે ગુજરાતને પસંદ કયું હતું અને તેઓ દ્વારકા આવીને વસ્યા હતા.એ પછી પણ આ ઈતિહાસ સતત દહોરાતો ગયો છે કેમ કે આઝાદીકાળ વખતે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પણ ગુજરાતના હતા. પાકિસ્તાનના પ્રથમ પ્રમુખ મહંમદ અલી જિન્હાના બાપ-દાદા પણ ગુજરાતી હતા. દેશની પ્રથમ પાર્લામેન્ટના પ્રથમ સ્પીકર માવલેન્કર દાદા પણ અને તે પહેલા પ્રથમ અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલ પણ ગુજરાતી હતા. નવ નિર્માણ આંદોલનને યાદ કરીને તેમણે કહ્યું કે તે વખતે જય પ્રકાશ નારાયણ ગુજરાત આવ્યા હતા ત્યારે અહીના યુવકોનો જુસ્સો અને આંદોલનને જોઈ પ્રભાવિત થયા હતા તે પછી તેમણે બિહાર જઈ તેનું પુનરાવર્તન કયું હતું એટલે આ એવું ગુજરાત છે કે આપણે અહીં જનમ્યા છીએ તેનો ગૌરવ લેવા જેવું છે.આમ છતાં જો ગુજરાતમાં પક્ષાપક્ષીથી દૂર રહને અકલ્પનીય વિકાસ સાધી શકાશે.
ગુજરાતના વિકાસમાં પ્રત્યેક સરકારનો ફાળો મોટો છે:નરેન્દ્ર મોદી મહાનુભાવોની ઐતિહાસિક પરિષદમાં ગુજરાતના વિકાસ માટેનો સર્વ પક્ષિય સંકલ્પ,
ગુજરાતના વિકાસમાં પ્રત્યેક સરકારનો ફાળો મોટો છે:નરેન્દ્ર મોદી
મહાનુભાવોની ઐતિહાસિક પરિષદમાં ગુજરાતના વિકાસ માટેનો સર્વ પક્ષિય સંકલ્પ,
ભારતના તમામ રાજ્યો ગુજરાત નું અનુકરણ કરે:અડવાણી, વિતરણ વિનાની સમૃદ્ધિ ખરાબ છે,સંસ્કારના ઝરણાં જોઇએ :કેશુભાઇ, સત્ય સાદગી અને સ્વચ્છતા રાખી સ્વચ્છંદતા દૂર કરો:દિનશા પટેલ
ગુજરાતના ગોલ્ડન જયુબિલી વર્ષની ઉજવણીનો ૧લી જાન્યુઆરીથી પ્રારંભ થયો છે. વિધાન સભામાં આયોજીત સ્વર્ણિમ પરિષદમાં રાજ્યના ભાવિ વિકાસ માટે વાદ કે વિવાદથી દૂર રહી એક સાથે આગળ વધવાનો સર્વ પક્ષિય સંકલ્પ પારિત કરવામાં આવ્યો હતો. આ સંકલ્પની રજુઆત વખતે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ એવી ખાતરી આપી હતી કે તેમની સરકાર સૌને સાથે લઇને ચાલશે. જો કે માજી મુખ્ય મંત્રી કેશુભાઇ પટેલ અને કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે વિકાસના તબક્કાને સમર્થન આપી મીઠી ટકોર પણ કરી હતી. તેઓ અણગમો છુપાવી શકયા ન હતા. ભાજપના ટોચના રાષ્ટ્રીય નેતા અડવાણીએ ગુજરાત જેવી ઉજવણી તમામ રાજ્યમાં થવી જોઇએ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે આમંત્રિત કેન્દ્રીય નેતાઓ અને રાજ્યના પૂર્વ અને વર્તમાન નેતાઓ ઉપસ્થિત હતા પરંતું ત્રણ ભૂતપૂર્વ મુખ્ય મંત્રીઓની ગેરહાજરી નોંધ પાત્ર બની હતી. ગુજરાત વિધાન સભાને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. ઉંમરના કારણે તેમની શારિરીક સ્થિતિ નબળી પડી હતી એવા સભ્યો પણ ઉત્સાહ સાથે આવ્યા હતા. ઘણાં વર્ષો પછી સભાગૃહમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળતાં રાજીના રેડ થઇ ગયેલા ૫૦ વર્ષ જુના ધારાસભ્યો પોતાના ભૂતકાળને વાગોળી રહ્યા હતા. શુક્રવારે બપોરના સમયે વિધાન સભા ગૃહમાં પરિષદના પ્રારંભ પછી મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ સ્વર્ણિમ સંકલ્પની જાહેરાત કરતાં કહ્યું હતું કે ગુજરાતની સ્થાપના પછીના ૫૦ વર્ષના ડેવલપમેન્ટ ગ્રાફમાં કોઇ એક સરકાર કે કોઇ એક વ્યક્તિનું યોગ દાન નથી પરંતું વિકાસની ઉંચાઇઓ સર કરવામાં પાયો નાંખનારા મહાનુભાવોથી લઇને વિકાસની કેડી કંડારનારા તમામ સહભાગી છે. ૭૦૫ જેટલા આમંત્રિતોથી શોભી ઉઠેલી આ પરિષદ સભા સમક્ષ મોદીએ કહ્યું હતું કે અમે લોક સભા, રાજ્ય સભા અને વિધાન સભાના તમામ ભૂતપૂર્વ અને વર્તમાન સભ્યો ૨૦૧૦ના વર્ષને સુવર્ણ તક ગણી રાજ્યના વિકાસ માટે સમર્પિત થઇએ છીએ. હું માનું છું કે રાજ્યની પ્રગતિમાં નીચે ઉભેલા લોકોનો પુરુષાર્થ, યોગ દાન તેમજ તેમના જીવનના અમૂલ્ય દિવસોનો ભોગ છે. આ તબક્કે હું અત્યાર સુધીમાં સત્તા સ્થાને આવેલા તમામ મુખ્ય મંત્રીઓનો ઋણી છું. આખા વર્ષ દરમિયાન જન ભાગીદારીથી વિકાસની મંઝીલ ઉભી કરવાની છે અને વિશ્વમાં ગુજરાતીઓને ગૌરવ અપાવવાનું છે. આ એક ઐતિહાસિક પ્રસંગ છે અને તેને પ્રેરક, અસરકારક વળાંક આપવાનો છે.
પ્રજાના સપનાને પુરા કરવા માગતા સરકારના સ્વર્ણિમ સંકલ્પને વધાવી રાજ્યપાલ ડો. કમલા બને કહ્યું હતું કે ૨૦૧૦ના વર્ષમાં ગુજરાત તેજી સાથે વિકાસના કામોમાં કોઇ કસર નહીં છોડે. છેલ્લા પ૦ વર્ષમાં આવેલા તમામ મુખ્ય મંત્રીઓએ રાજ્યનો નિરંતર વિકાસ કર્યો છે. હું રાજસ્થાની છું અને અમારા રાજ્યએ ગુજરાતને સગા ભાઇની જેમ જોયું છે. ગુજરાતે જ અમને લગન, મહેનત અને સચ્ચાઇ શિખવી છે. તપસ્યા એ ગુજરાતીઓની એક ખૂબી રહી છે. શ્વેત ક્રાન્તિના જનક એવા ગુજરાતે ઔધ્યોગિક ક્રાન્તિમાં પણ નંબર વનનું સ્થાન હાંસલ કયું છે કારણ કે અહીં જનતાનું રાજ છે. જે સરકાર લોકો માટે વિચારે તે સફળ બને છે. પરિષદ પૂર્વે વિધાન સભાના અધ્યક્ષ અશોક ભટ્ટે સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે ૨૦૧૦ની પહેલી મે ના રોજ ગુજરાત ૫૦ વર્ષનું થવાનું છે ત્યારે એક વર્ષ સુધી રાજ્યમાં સ્વર્ણિમ સિદ્ધિ અને સોપાનનું તર્પણ ગુજરાતની પ્રજાને થવાનું છે. તેમણે ઉપસ્થિત મહાનુભાવોને આવકાર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહી શક્યા નથી તેવા ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી પ્રણવ મુકરજીના સ્વર્ણિમ સંકલ્પને સમર્થન આપતા સંદેશાનું વાંચન કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં ૧લી મે ની ઉજવણી
૧લી મે-૨૦૦૮ના રોજ ગુજરાતના પ્રથમ મુખ્ય મંત્રી ડો.જીવરાજ મહેતાના વતન અમરેલીથી શરૂ થયેલી સંકલ્પ યાત્રાનો પહેલો તબક્કો પુરો થયો છે. બીજા તબક્કામાં સમગ્ર રાજ્યમાં વિવિધ સ્પર્ધાઓ યોજાશે. ત્યારબાદ ૧લી મે-૨૦૧૦ના રોજ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ગુજરાત સરકાર સ્થાપના દિનની રંગેચંગે ઉજવણી કરશે અને ઉત્સવનું સમાપન રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ૧લી મે-૨૦૧૧ના રોજ કરવામાં આવશે. દરમ્યાન મોદી સરકાર જાન્યુઆરી-૨૦૧૧ના રોજ સાયન્સ સિટીમાં પાંચમી ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ યોજશે
મહાનુભાવોની ઐતિહાસિક પરિષદમાં ગુજરાતના વિકાસ માટેનો સર્વ પક્ષિય સંકલ્પ,
ભારતના તમામ રાજ્યો ગુજરાત નું અનુકરણ કરે:અડવાણી, વિતરણ વિનાની સમૃદ્ધિ ખરાબ છે,સંસ્કારના ઝરણાં જોઇએ :કેશુભાઇ, સત્ય સાદગી અને સ્વચ્છતા રાખી સ્વચ્છંદતા દૂર કરો:દિનશા પટેલ
ગુજરાતના ગોલ્ડન જયુબિલી વર્ષની ઉજવણીનો ૧લી જાન્યુઆરીથી પ્રારંભ થયો છે. વિધાન સભામાં આયોજીત સ્વર્ણિમ પરિષદમાં રાજ્યના ભાવિ વિકાસ માટે વાદ કે વિવાદથી દૂર રહી એક સાથે આગળ વધવાનો સર્વ પક્ષિય સંકલ્પ પારિત કરવામાં આવ્યો હતો. આ સંકલ્પની રજુઆત વખતે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ એવી ખાતરી આપી હતી કે તેમની સરકાર સૌને સાથે લઇને ચાલશે. જો કે માજી મુખ્ય મંત્રી કેશુભાઇ પટેલ અને કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે વિકાસના તબક્કાને સમર્થન આપી મીઠી ટકોર પણ કરી હતી. તેઓ અણગમો છુપાવી શકયા ન હતા. ભાજપના ટોચના રાષ્ટ્રીય નેતા અડવાણીએ ગુજરાત જેવી ઉજવણી તમામ રાજ્યમાં થવી જોઇએ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે આમંત્રિત કેન્દ્રીય નેતાઓ અને રાજ્યના પૂર્વ અને વર્તમાન નેતાઓ ઉપસ્થિત હતા પરંતું ત્રણ ભૂતપૂર્વ મુખ્ય મંત્રીઓની ગેરહાજરી નોંધ પાત્ર બની હતી. ગુજરાત વિધાન સભાને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. ઉંમરના કારણે તેમની શારિરીક સ્થિતિ નબળી પડી હતી એવા સભ્યો પણ ઉત્સાહ સાથે આવ્યા હતા. ઘણાં વર્ષો પછી સભાગૃહમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળતાં રાજીના રેડ થઇ ગયેલા ૫૦ વર્ષ જુના ધારાસભ્યો પોતાના ભૂતકાળને વાગોળી રહ્યા હતા. શુક્રવારે બપોરના સમયે વિધાન સભા ગૃહમાં પરિષદના પ્રારંભ પછી મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ સ્વર્ણિમ સંકલ્પની જાહેરાત કરતાં કહ્યું હતું કે ગુજરાતની સ્થાપના પછીના ૫૦ વર્ષના ડેવલપમેન્ટ ગ્રાફમાં કોઇ એક સરકાર કે કોઇ એક વ્યક્તિનું યોગ દાન નથી પરંતું વિકાસની ઉંચાઇઓ સર કરવામાં પાયો નાંખનારા મહાનુભાવોથી લઇને વિકાસની કેડી કંડારનારા તમામ સહભાગી છે. ૭૦૫ જેટલા આમંત્રિતોથી શોભી ઉઠેલી આ પરિષદ સભા સમક્ષ મોદીએ કહ્યું હતું કે અમે લોક સભા, રાજ્ય સભા અને વિધાન સભાના તમામ ભૂતપૂર્વ અને વર્તમાન સભ્યો ૨૦૧૦ના વર્ષને સુવર્ણ તક ગણી રાજ્યના વિકાસ માટે સમર્પિત થઇએ છીએ. હું માનું છું કે રાજ્યની પ્રગતિમાં નીચે ઉભેલા લોકોનો પુરુષાર્થ, યોગ દાન તેમજ તેમના જીવનના અમૂલ્ય દિવસોનો ભોગ છે. આ તબક્કે હું અત્યાર સુધીમાં સત્તા સ્થાને આવેલા તમામ મુખ્ય મંત્રીઓનો ઋણી છું. આખા વર્ષ દરમિયાન જન ભાગીદારીથી વિકાસની મંઝીલ ઉભી કરવાની છે અને વિશ્વમાં ગુજરાતીઓને ગૌરવ અપાવવાનું છે. આ એક ઐતિહાસિક પ્રસંગ છે અને તેને પ્રેરક, અસરકારક વળાંક આપવાનો છે.
પ્રજાના સપનાને પુરા કરવા માગતા સરકારના સ્વર્ણિમ સંકલ્પને વધાવી રાજ્યપાલ ડો. કમલા બને કહ્યું હતું કે ૨૦૧૦ના વર્ષમાં ગુજરાત તેજી સાથે વિકાસના કામોમાં કોઇ કસર નહીં છોડે. છેલ્લા પ૦ વર્ષમાં આવેલા તમામ મુખ્ય મંત્રીઓએ રાજ્યનો નિરંતર વિકાસ કર્યો છે. હું રાજસ્થાની છું અને અમારા રાજ્યએ ગુજરાતને સગા ભાઇની જેમ જોયું છે. ગુજરાતે જ અમને લગન, મહેનત અને સચ્ચાઇ શિખવી છે. તપસ્યા એ ગુજરાતીઓની એક ખૂબી રહી છે. શ્વેત ક્રાન્તિના જનક એવા ગુજરાતે ઔધ્યોગિક ક્રાન્તિમાં પણ નંબર વનનું સ્થાન હાંસલ કયું છે કારણ કે અહીં જનતાનું રાજ છે. જે સરકાર લોકો માટે વિચારે તે સફળ બને છે. પરિષદ પૂર્વે વિધાન સભાના અધ્યક્ષ અશોક ભટ્ટે સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે ૨૦૧૦ની પહેલી મે ના રોજ ગુજરાત ૫૦ વર્ષનું થવાનું છે ત્યારે એક વર્ષ સુધી રાજ્યમાં સ્વર્ણિમ સિદ્ધિ અને સોપાનનું તર્પણ ગુજરાતની પ્રજાને થવાનું છે. તેમણે ઉપસ્થિત મહાનુભાવોને આવકાર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહી શક્યા નથી તેવા ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી પ્રણવ મુકરજીના સ્વર્ણિમ સંકલ્પને સમર્થન આપતા સંદેશાનું વાંચન કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં ૧લી મે ની ઉજવણી
૧લી મે-૨૦૦૮ના રોજ ગુજરાતના પ્રથમ મુખ્ય મંત્રી ડો.જીવરાજ મહેતાના વતન અમરેલીથી શરૂ થયેલી સંકલ્પ યાત્રાનો પહેલો તબક્કો પુરો થયો છે. બીજા તબક્કામાં સમગ્ર રાજ્યમાં વિવિધ સ્પર્ધાઓ યોજાશે. ત્યારબાદ ૧લી મે-૨૦૧૦ના રોજ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ગુજરાત સરકાર સ્થાપના દિનની રંગેચંગે ઉજવણી કરશે અને ઉત્સવનું સમાપન રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ૧લી મે-૨૦૧૧ના રોજ કરવામાં આવશે. દરમ્યાન મોદી સરકાર જાન્યુઆરી-૨૦૧૧ના રોજ સાયન્સ સિટીમાં પાંચમી ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ યોજશે
ગુજરાત દેશ માટે અનુકરણીય છેઃ અડવાણી
ગુજરાત દેશ માટે અનુકરણીય છેઃ અડવાણી
સ્વર્ણિમ વર્ષ વખતે તમામ પૂર્વ મુખ્ય મંત્રીઓ,મંત્રીઓ, પૂર્વ-વર્તમાન સાંસદો, ધારા સભ્યોને એકી સાથે બોલાવી તેમને સ્વર્ણિમ સંકલ્પ લેવડાવવાના વિચારને દેશ માટે અનુકરણીય ગણાવી લોકસભામાં વિપક્ષના પૂર્વ નેતા અને ગાંધીનગરના સાંસદ અડવાણીએ કહ્યું હતું કે ગુજરાત દેશ માટે અનુકરણીય છે. આજે ગુજરાત વિધનસભા ખાતે સ્વર્ણિમ સંસદીય પરિષદમાં અડવાણીએ કહ્યું હતું કે કોઈ એક પ્રદેશનો વિકાસ કોઈ એક સરકાર માટે શકય નથી.આ તો,અત્યારસુધી જેટલી સરકારો આ રાજયમાં આવી અને તેમણે વિકાસની જે દિશા પકડી હતી તેને આ સરકારે આગળ વધારી છે બલ્કે ઝડપ આપી છે. ગુજરાતે જે વિકાસ સાધ્યો છે તે કોઈ એક રાજકીય નેતાને કારણે નહીં પરંતુ રાજયની જનતાને કારણે તે સાધી શકાયો છે. આવી પરિસ્થિતિમાં તમામ સરકારોના વડાઓ અને લોક પ્રતિનિધિઓને બોલાવી તેમનો ઋણ સ્વીકાર કરવાનો વિચાર અનુકરણીય છે.
અડવાણીએ કહ્યું હતું કે જેમ ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારકા આવીને વસ્યા હતા તેમ તેમના પિતા પણ સિંધ-પાકિસ્તાનથી ગુજરાતના કચ્છમાં આવીને વસ્યા હતા.એ પછી તેઓ પાંચ પાંચ વાર ગુજરાતની ગાંધીનગરની બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. ગુજરાતની સ્વર્ણિમ જયંતિનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે સાડા પાંચ કરોડ ગુજરાતીઓ એક-એક સંકલ્પ લઈને એક-એક કદમ આગળ વધશે તો ગુજરાતને વિકાસની દિશામાં આગળ વધતાં કોઈ રોકી શકશે નહીં એટલું જ નહીં પરંતુ ગુજરાત ભારતનો જ એક પ્રદેશ છે ત્યારે ભારતને આગળ વધતાં કોઈ રોકી શકશે નહીં ૧૯મી અને ૨૦ સદી ભલે રશિયા અને અમેરિકાની હશે પણ ૨૧મી સદી ભારતની છે.
સ્વર્ણિમ વર્ષ વખતે તમામ પૂર્વ મુખ્ય મંત્રીઓ,મંત્રીઓ, પૂર્વ-વર્તમાન સાંસદો, ધારા સભ્યોને એકી સાથે બોલાવી તેમને સ્વર્ણિમ સંકલ્પ લેવડાવવાના વિચારને દેશ માટે અનુકરણીય ગણાવી લોકસભામાં વિપક્ષના પૂર્વ નેતા અને ગાંધીનગરના સાંસદ અડવાણીએ કહ્યું હતું કે ગુજરાત દેશ માટે અનુકરણીય છે. આજે ગુજરાત વિધનસભા ખાતે સ્વર્ણિમ સંસદીય પરિષદમાં અડવાણીએ કહ્યું હતું કે કોઈ એક પ્રદેશનો વિકાસ કોઈ એક સરકાર માટે શકય નથી.આ તો,અત્યારસુધી જેટલી સરકારો આ રાજયમાં આવી અને તેમણે વિકાસની જે દિશા પકડી હતી તેને આ સરકારે આગળ વધારી છે બલ્કે ઝડપ આપી છે. ગુજરાતે જે વિકાસ સાધ્યો છે તે કોઈ એક રાજકીય નેતાને કારણે નહીં પરંતુ રાજયની જનતાને કારણે તે સાધી શકાયો છે. આવી પરિસ્થિતિમાં તમામ સરકારોના વડાઓ અને લોક પ્રતિનિધિઓને બોલાવી તેમનો ઋણ સ્વીકાર કરવાનો વિચાર અનુકરણીય છે.
અડવાણીએ કહ્યું હતું કે જેમ ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારકા આવીને વસ્યા હતા તેમ તેમના પિતા પણ સિંધ-પાકિસ્તાનથી ગુજરાતના કચ્છમાં આવીને વસ્યા હતા.એ પછી તેઓ પાંચ પાંચ વાર ગુજરાતની ગાંધીનગરની બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. ગુજરાતની સ્વર્ણિમ જયંતિનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે સાડા પાંચ કરોડ ગુજરાતીઓ એક-એક સંકલ્પ લઈને એક-એક કદમ આગળ વધશે તો ગુજરાતને વિકાસની દિશામાં આગળ વધતાં કોઈ રોકી શકશે નહીં એટલું જ નહીં પરંતુ ગુજરાત ભારતનો જ એક પ્રદેશ છે ત્યારે ભારતને આગળ વધતાં કોઈ રોકી શકશે નહીં ૧૯મી અને ૨૦ સદી ભલે રશિયા અને અમેરિકાની હશે પણ ૨૧મી સદી ભારતની છે.
રાજકોટના એસ્ટ્રોન ચોકમાં કોર્પો.ની ટીમે ધક્કો મારતા વેપારીનું મોત તંગદિલી
રાજકોટના એસ્ટ્રોન ચોકમાં કોર્પો.ની ટીમે ધક્કો મારતા વેપારીનું મોત તંગદિલી
નવા વર્ષના પ્રથમ જ દિવસે રાજકોટના હાર્દ સમાન એસ્ટ્રોન ચોકમાં આજે બપોરે ઉઘરાણા કરવા નિકળેલી મહાપાલિકાની જગ્યા રોકાણ શાખાના સ્ટાફે ફ્રુટના વેપારી સાથે દાદાગીરી કરી ધક્કે ચડાવતાં વેપારી પ્રૌઢનું પડી જતાં ઘટના સ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. આ બનાવના પગલે ભારે તંગદીલી ફેલાઈ ગઈ હતી અને રોષે ભરાયેલા વેપારીઓએ જગ્યા રોકાણ શાખાની જીપમાં તોડફોડ કરી ઉંધી નાંખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ કાફલો સમયસર પહોંચી ગયો હતો અને હળવો લાઠીચાજ કરી તોફાને ચડેલા વેપારીઓ અને ટોળાને ભગાડી મુકયા હતાં. બીજી બાજુ વેપારીઓનો રોષ જોઈને જગ્યા રોકાણ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓએ જીવ બચાવવા મુઠીઓ વાડી હતી. આ બનાવે ભારે ચકચાર જગાવી છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટના એસ્ટ્રોન ચોકમાં વીર જલા સીઝન સ્ટોર્સ નામની ફ્રુટની દુકાન ધરાવતાં વેપારી અનિલભાઈ વલ્લભદાસ કુંડલીયા (ઉ.વ.૫૮) આજે બપોરે પોતાની દુકાને બેઠા હતા ત્યારે જગ્યા રોકાણ શાખાની જીપ જી.જે.૩-ડીડી-૨૦૨૯ તેમની દુકાન પાસે આવી ઉભી રહી હતી અને તેમાંથી ત્રણ થી ચાર અધિકારીઓ અને કર્મચારીઓ નીચે ઉતર્યા હતાં. જગ્યા રોકાણ શાખાના સ્ટાફે દુકાનની બહાર ટેબલ નાંખી ફ્રુટનો વેપાર કરતાં વેપારી પ્રૌઢ પાસે દંડની માગણી કરી હતી અને રૂપિયા ૫૦૦ દંડ ન ભરવો હોય તો રૂા.૨૦૦ આપો તેમ કહ્યું હતું જેમાં રકજક થતાં સ્ટાફે ટેબલ પર પડેલ ફ્રુટ ભરવા લાગ્યા હતાં. દાદાગીરીનો વેપારી પ્રૌઢે વિરોધ કરતાં ઉશ્કેરાયેલા જગ્યા રોકાણ શાખાના સ્ટાફે લોહાણા પ્રૌઢને ધકકો મારી દીધો હતો જેના કારણે તેઓ રોડ પર પડી જતા આઘાતના કારણે તેમને હાર્ટએટેક આવી જતાં વેપારીનું ધટના સ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.
નવા વર્ષના પ્રથમ જ દિવસે રાજકોટના હાર્દ સમાન એસ્ટ્રોન ચોકમાં આજે બપોરે ઉઘરાણા કરવા નિકળેલી મહાપાલિકાની જગ્યા રોકાણ શાખાના સ્ટાફે ફ્રુટના વેપારી સાથે દાદાગીરી કરી ધક્કે ચડાવતાં વેપારી પ્રૌઢનું પડી જતાં ઘટના સ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. આ બનાવના પગલે ભારે તંગદીલી ફેલાઈ ગઈ હતી અને રોષે ભરાયેલા વેપારીઓએ જગ્યા રોકાણ શાખાની જીપમાં તોડફોડ કરી ઉંધી નાંખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ કાફલો સમયસર પહોંચી ગયો હતો અને હળવો લાઠીચાજ કરી તોફાને ચડેલા વેપારીઓ અને ટોળાને ભગાડી મુકયા હતાં. બીજી બાજુ વેપારીઓનો રોષ જોઈને જગ્યા રોકાણ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓએ જીવ બચાવવા મુઠીઓ વાડી હતી. આ બનાવે ભારે ચકચાર જગાવી છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટના એસ્ટ્રોન ચોકમાં વીર જલા સીઝન સ્ટોર્સ નામની ફ્રુટની દુકાન ધરાવતાં વેપારી અનિલભાઈ વલ્લભદાસ કુંડલીયા (ઉ.વ.૫૮) આજે બપોરે પોતાની દુકાને બેઠા હતા ત્યારે જગ્યા રોકાણ શાખાની જીપ જી.જે.૩-ડીડી-૨૦૨૯ તેમની દુકાન પાસે આવી ઉભી રહી હતી અને તેમાંથી ત્રણ થી ચાર અધિકારીઓ અને કર્મચારીઓ નીચે ઉતર્યા હતાં. જગ્યા રોકાણ શાખાના સ્ટાફે દુકાનની બહાર ટેબલ નાંખી ફ્રુટનો વેપાર કરતાં વેપારી પ્રૌઢ પાસે દંડની માગણી કરી હતી અને રૂપિયા ૫૦૦ દંડ ન ભરવો હોય તો રૂા.૨૦૦ આપો તેમ કહ્યું હતું જેમાં રકજક થતાં સ્ટાફે ટેબલ પર પડેલ ફ્રુટ ભરવા લાગ્યા હતાં. દાદાગીરીનો વેપારી પ્રૌઢે વિરોધ કરતાં ઉશ્કેરાયેલા જગ્યા રોકાણ શાખાના સ્ટાફે લોહાણા પ્રૌઢને ધકકો મારી દીધો હતો જેના કારણે તેઓ રોડ પર પડી જતા આઘાતના કારણે તેમને હાર્ટએટેક આવી જતાં વેપારીનું ધટના સ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.
01 January Fresh news રાજકોટના એસ્ટ્રોન ચોકમાં કોર્પો.ની ટીમે ધક્કો મારતા વેપારીનું મોત તંગદિલી
01 January Fresh news
રાજકોટના એસ્ટ્રોન ચોકમાં કોર્પો.ની ટીમે ધક્કો મારતા વેપારીનું મોત તંગદિલી
નવા વર્ષના પ્રથમ જ દિવસે રાજકોટના હાર્દ સમાન એસ્ટ્રોન ચોકમાં આજે બપોરે ઉઘરાણા કરવા નિકળેલી મહાપાલિકાની જગ્યા રોકાણ શાખાના સ્ટાફે ફ્રુટના વેપારી સાથે દાદાગીરી કરી ધક્કે ચડાવતાં વેપારી પ્રૌઢનું પડી જતાં ઘટના સ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. આ બનાવના પગલે ભારે તંગદીલી ફેલાઈ ગઈ હતી અને રોષે ભરાયેલા વેપારીઓએ જગ્યા રોકાણ શાખાની જીપમાં તોડફોડ કરી ઉંધી નાંખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ કાફલો સમયસર પહોંચી ગયો હતો અને હળવો લાઠીચાજ કરી તોફાને ચડેલા વેપારીઓ અને ટોળાને ભગાડી મુકયા હતાં. બીજી બાજુ વેપારીઓનો રોષ જોઈને જગ્યા રોકાણ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓએ જીવ બચાવવા મુઠીઓ વાડી હતી. આ બનાવે ભારે ચકચાર જગાવી છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટના એસ્ટ્રોન ચોકમાં વીર જલા સીઝન સ્ટોર્સ નામની ફ્રુટની દુકાન ધરાવતાં વેપારી અનિલભાઈ વલ્લભદાસ કુંડલીયા (ઉ.વ.૫૮) આજે બપોરે પોતાની દુકાને બેઠા હતા ત્યારે જગ્યા રોકાણ શાખાની જીપ જી.જે.૩-ડીડી-૨૦૨૯ તેમની દુકાન પાસે આવી ઉભી રહી હતી અને તેમાંથી ત્રણ થી ચાર અધિકારીઓ અને કર્મચારીઓ નીચે ઉતર્યા હતાં. જગ્યા રોકાણ શાખાના સ્ટાફે દુકાનની બહાર ટેબલ નાંખી ફ્રુટનો વેપાર કરતાં વેપારી પ્રૌઢ પાસે દંડની માગણી કરી હતી અને રૂપિયા ૫૦૦ દંડ ન ભરવો હોય તો રૂા.૨૦૦ આપો તેમ કહ્યું હતું જેમાં રકજક થતાં સ્ટાફે ટેબલ પર પડેલ ફ્રુટ ભરવા લાગ્યા હતાં. દાદાગીરીનો વેપારી પ્રૌઢે વિરોધ કરતાં ઉશ્કેરાયેલા જગ્યા રોકાણ શાખાના સ્ટાફે લોહાણા પ્રૌઢને ધકકો મારી દીધો હતો જેના કારણે તેઓ રોડ પર પડી જતા આઘાતના કારણે તેમને હાર્ટએટેક આવી જતાં વેપારીનું ધટના સ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.
ગુજરાત દેશ માટે અનુકરણીય છેઃ અડવાણી
સ્વર્ણિમ વર્ષ વખતે તમામ પૂર્વ મુખ્ય મંત્રીઓ,મંત્રીઓ, પૂર્વ-વર્તમાન સાંસદો, ધારા સભ્યોને એકી સાથે બોલાવી તેમને સ્વર્ણિમ સંકલ્પ લેવડાવવાના વિચારને દેશ માટે અનુકરણીય ગણાવી લોકસભામાં વિપક્ષના પૂર્વ નેતા અને ગાંધીનગરના સાંસદ અડવાણીએ કહ્યું હતું કે ગુજરાત દેશ માટે અનુકરણીય છે. આજે ગુજરાત વિધનસભા ખાતે સ્વર્ણિમ સંસદીય પરિષદમાં અડવાણીએ કહ્યું હતું કે કોઈ એક પ્રદેશનો વિકાસ કોઈ એક સરકાર માટે શકય નથી.આ તો,અત્યારસુધી જેટલી સરકારો આ રાજયમાં આવી અને તેમણે વિકાસની જે દિશા પકડી હતી તેને આ સરકારે આગળ વધારી છે બલ્કે ઝડપ આપી છે. ગુજરાતે જે વિકાસ સાધ્યો છે તે કોઈ એક રાજકીય નેતાને કારણે નહીં પરંતુ રાજયની જનતાને કારણે તે સાધી શકાયો છે. આવી પરિસ્થિતિમાં તમામ સરકારોના વડાઓ અને લોક પ્રતિનિધિઓને બોલાવી તેમનો ઋણ સ્વીકાર કરવાનો વિચાર અનુકરણીય છે.
અડવાણીએ કહ્યું હતું કે જેમ ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારકા આવીને વસ્યા હતા તેમ તેમના પિતા પણ સિંધ-પાકિસ્તાનથી ગુજરાતના કચ્છમાં આવીને વસ્યા હતા.એ પછી તેઓ પાંચ પાંચ વાર ગુજરાતની ગાંધીનગરની બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. ગુજરાતની સ્વર્ણિમ જયંતિનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે સાડા પાંચ કરોડ ગુજરાતીઓ એક-એક સંકલ્પ લઈને એક-એક કદમ આગળ વધશે તો ગુજરાતને વિકાસની દિશામાં આગળ વધતાં કોઈ રોકી શકશે નહીં એટલું જ નહીં પરંતુ ગુજરાત ભારતનો જ એક પ્રદેશ છે ત્યારે ભારતને આગળ વધતાં કોઈ રોકી શકશે નહીં ૧૯મી અને ૨૦ સદી ભલે રશિયા અને અમેરિકાની હશે પણ ૨૧મી સદી ભારતની છે.
ગુજરાતના વિકાસમાં પ્રત્યેક સરકારનો ફાળો મોટો છે:નરેન્દ્ર મોદી
મહાનુભાવોની ઐતિહાસિક પરિષદમાં ગુજરાતના વિકાસ માટેનો સર્વ પક્ષિય સંકલ્પ,
ભારતના તમામ રાજ્યો ગુજરાત નું અનુકરણ કરે:અડવાણી, વિતરણ વિનાની સમૃદ્ધિ ખરાબ છે,સંસ્કારના ઝરણાં જોઇએ :કેશુભાઇ, સત્ય સાદગી અને સ્વચ્છતા રાખી સ્વચ્છંદતા દૂર કરો:દિનશા પટેલ
ગુજરાતના ગોલ્ડન જયુબિલી વર્ષની ઉજવણીનો ૧લી જાન્યુઆરીથી પ્રારંભ થયો છે. વિધાન સભામાં આયોજીત સ્વર્ણિમ પરિષદમાં રાજ્યના ભાવિ વિકાસ માટે વાદ કે વિવાદથી દૂર રહી એક સાથે આગળ વધવાનો સર્વ પક્ષિય સંકલ્પ પારિત કરવામાં આવ્યો હતો. આ સંકલ્પની રજુઆત વખતે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ એવી ખાતરી આપી હતી કે તેમની સરકાર સૌને સાથે લઇને ચાલશે. જો કે માજી મુખ્ય મંત્રી કેશુભાઇ પટેલ અને કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે વિકાસના તબક્કાને સમર્થન આપી મીઠી ટકોર પણ કરી હતી. તેઓ અણગમો છુપાવી શકયા ન હતા. ભાજપના ટોચના રાષ્ટ્રીય નેતા અડવાણીએ ગુજરાત જેવી ઉજવણી તમામ રાજ્યમાં થવી જોઇએ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે આમંત્રિત કેન્દ્રીય નેતાઓ અને રાજ્યના પૂર્વ અને વર્તમાન નેતાઓ ઉપસ્થિત હતા પરંતું ત્રણ ભૂતપૂર્વ મુખ્ય મંત્રીઓની ગેરહાજરી નોંધ પાત્ર બની હતી. ગુજરાત વિધાન સભાને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. ઉંમરના કારણે તેમની શારિરીક સ્થિતિ નબળી પડી હતી એવા સભ્યો પણ ઉત્સાહ સાથે આવ્યા હતા. ઘણાં વર્ષો પછી સભાગૃહમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળતાં રાજીના રેડ થઇ ગયેલા ૫૦ વર્ષ જુના ધારાસભ્યો પોતાના ભૂતકાળને વાગોળી રહ્યા હતા. શુક્રવારે બપોરના સમયે વિધાન સભા ગૃહમાં પરિષદના પ્રારંભ પછી મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ સ્વર્ણિમ સંકલ્પની જાહેરાત કરતાં કહ્યું હતું કે ગુજરાતની સ્થાપના પછીના ૫૦ વર્ષના ડેવલપમેન્ટ ગ્રાફમાં કોઇ એક સરકાર કે કોઇ એક વ્યક્તિનું યોગ દાન નથી પરંતું વિકાસની ઉંચાઇઓ સર કરવામાં પાયો નાંખનારા મહાનુભાવોથી લઇને વિકાસની કેડી કંડારનારા તમામ સહભાગી છે. ૭૦૫ જેટલા આમંત્રિતોથી શોભી ઉઠેલી આ પરિષદ સભા સમક્ષ મોદીએ કહ્યું હતું કે અમે લોક સભા, રાજ્ય સભા અને વિધાન સભાના તમામ ભૂતપૂર્વ અને વર્તમાન સભ્યો ૨૦૧૦ના વર્ષને સુવર્ણ તક ગણી રાજ્યના વિકાસ માટે સમર્પિત થઇએ છીએ. હું માનું છું કે રાજ્યની પ્રગતિમાં નીચે ઉભેલા લોકોનો પુરુષાર્થ, યોગ દાન તેમજ તેમના જીવનના અમૂલ્ય દિવસોનો ભોગ છે. આ તબક્કે હું અત્યાર સુધીમાં સત્તા સ્થાને આવેલા તમામ મુખ્ય મંત્રીઓનો ઋણી છું. આખા વર્ષ દરમિયાન જન ભાગીદારીથી વિકાસની મંઝીલ ઉભી કરવાની છે અને વિશ્વમાં ગુજરાતીઓને ગૌરવ અપાવવાનું છે. આ એક ઐતિહાસિક પ્રસંગ છે અને તેને પ્રેરક, અસરકારક વળાંક આપવાનો છે.
પ્રજાના સપનાને પુરા કરવા માગતા સરકારના સ્વર્ણિમ સંકલ્પને વધાવી રાજ્યપાલ ડો. કમલા બને કહ્યું હતું કે ૨૦૧૦ના વર્ષમાં ગુજરાત તેજી સાથે વિકાસના કામોમાં કોઇ કસર નહીં છોડે. છેલ્લા પ૦ વર્ષમાં આવેલા તમામ મુખ્ય મંત્રીઓએ રાજ્યનો નિરંતર વિકાસ કર્યો છે. હું રાજસ્થાની છું અને અમારા રાજ્યએ ગુજરાતને સગા ભાઇની જેમ જોયું છે. ગુજરાતે જ અમને લગન, મહેનત અને સચ્ચાઇ શિખવી છે. તપસ્યા એ ગુજરાતીઓની એક ખૂબી રહી છે. શ્વેત ક્રાન્તિના જનક એવા ગુજરાતે ઔધ્યોગિક ક્રાન્તિમાં પણ નંબર વનનું સ્થાન હાંસલ કયું છે કારણ કે અહીં જનતાનું રાજ છે. જે સરકાર લોકો માટે વિચારે તે સફળ બને છે. પરિષદ પૂર્વે વિધાન સભાના અધ્યક્ષ અશોક ભટ્ટે સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે ૨૦૧૦ની પહેલી મે ના રોજ ગુજરાત ૫૦ વર્ષનું થવાનું છે ત્યારે એક વર્ષ સુધી રાજ્યમાં સ્વર્ણિમ સિદ્ધિ અને સોપાનનું તર્પણ ગુજરાતની પ્રજાને થવાનું છે. તેમણે ઉપસ્થિત મહાનુભાવોને આવકાર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહી શક્યા નથી તેવા ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી પ્રણવ મુકરજીના સ્વર્ણિમ સંકલ્પને સમર્થન આપતા સંદેશાનું વાંચન કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં ૧લી મે ની ઉજવણી
૧લી મે-૨૦૦૮ના રોજ ગુજરાતના પ્રથમ મુખ્ય મંત્રી ડો.જીવરાજ મહેતાના વતન અમરેલીથી શરૂ થયેલી સંકલ્પ યાત્રાનો પહેલો તબક્કો પુરો થયો છે. બીજા તબક્કામાં સમગ્ર રાજ્યમાં વિવિધ સ્પર્ધાઓ યોજાશે. ત્યારબાદ ૧લી મે-૨૦૧૦ના રોજ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ગુજરાત સરકાર સ્થાપના દિનની રંગેચંગે ઉજવણી કરશે અને ઉત્સવનું સમાપન રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ૧લી મે-૨૦૧૧ના રોજ કરવામાં આવશે. દરમ્યાન મોદી સરકાર જાન્યુઆરી-૨૦૧૧ના રોજ સાયન્સ સિટીમાં પાંચમી ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ યોજશે
ગડકરીએ મોદીના ભરપેટ વખાણ કર્યાં
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી બી.જે.પી. શાસિત રાજ્યો માટે એક સારા રોલ મોડલ છે પરંતુ તે પાર્ટી તરફથી પી.એમ. પદના ઉમેદવાર બનશે કે નહી તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી. મહારાષ્ટ્રના નેતાઓની નજરમાં નરેન્દ્ર મોદી ભારતમાં સૌથી સારા મુખ્ય મંત્રી છે અને બી.જે.પી. શાસિત રાજ્યો તેમની પાસેથી ઘણુ બધું શીખી શકે છે. ભારતીય ઈતિહાસમાં મોદી હજુ સુધીના સારા મુખ્ય મંત્રી રહ્યાં છે. તે એક સારી ઈમેજ ઘરાવતા વ્યક્તિ છે. બીજા રાજ્યો માટે હું તેમનો અભિપ્રાય જરૂર લઈશ. હવે હું એક કોન્ફરન્સ કરવા જઈ રહ્યો છું જેમાં હું આ મુદ્દે વાત થશે કે કેવી રીતે બી.જે.પી. શાસિત પ્રદેશમાં સારું કામ કરી શકાય. અમે મોદીની મદદ એક સારી સરકાર રચવાના રૂપમાં લઈ શકીએ છીએ. જ્યારે ગડકરીને પુછવામાં આવ્યું કે શું મોદીને 2014ના લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પીએમ પદના દાવેદાર તરીકે જોઈ શકાય ? તો આના જવાબમાં તેમણે કહ્યું હતું કે તે પાર્ટીના એક સારા નેતા છે પરંતુ પીએમ પદના દાવેદારી પર કંઈ પણ કહેવું અત્યારે જલ્દી હશે.
‘વિકાસ માટે પક્ષાપક્ષીથી દૂર રહેવું જરૂરી’
સ્વર્ણિમ ગુજરાત પરિષદમાં પૂર્વ મુખ્ય મંત્રી માધવ સિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આપણે ગાંધી અને સરદારની જન્મ અને કર્મ ભૂમિ એવા ગુજરાતમાં જન્મ્યાનો ગર્વ છે. પક્ષાપક્ષીથી દૂર રહેવાશે તો અકલ્પનીય વિકાસ સાધી શકાશે. તેમણે કહ્યું હતું કે કવિ નર્મદે લખ્યું છે તેમ આ ‘ગરવી ગુજરાત’છે. ભારતના નકશામાં તેનું સ્થાન નાનકડું છે પણ વાસ્તવમાં ગુજરાત એટલે એક નાનકડું દેશ હોય તેમ તેમાં બધું જ છે.તેમણે એક અનુભવ ટાંકતા કહ્યું કે બી.બી.સી.ના એક પત્રકારને ભારત વિશે લકવાનું કહેવાયું હતું ત્યારે તેણે માત્ર ગુજરાત વિશે લખીને ભારત વિશે લખ્યા હોવાનું સમજી સંતોષ માન્યો હતો.એવું આ ગુજરાત છે.
સોલંકીએ બીજો દાખલો ટાંકતાં જણાવ્યું કે જયારે ભગવાન શ્રીકૃષ્ણને તેમના યાદવો સાથે મથુરા છડવું પડ્યું હતું ત્યારે તેમણે ગુજરાતને પસંદ કયું હતું અને તેઓ દ્વારકા આવીને વસ્યા હતા.એ પછી પણ આ ઈતિહાસ સતત દહોરાતો ગયો છે કેમ કે આઝાદીકાળ વખતે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પણ ગુજરાતના હતા. પાકિસ્તાનના પ્રથમ પ્રમુખ મહંમદ અલી જિન્હાના બાપ-દાદા પણ ગુજરાતી હતા. દેશની પ્રથમ પાર્લામેન્ટના પ્રથમ સ્પીકર માવલેન્કર દાદા પણ અને તે પહેલા પ્રથમ અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલ પણ ગુજરાતી હતા. નવ નિર્માણ આંદોલનને યાદ કરીને તેમણે કહ્યું કે તે વખતે જય પ્રકાશ નારાયણ ગુજરાત આવ્યા હતા ત્યારે અહીના યુવકોનો જુસ્સો અને આંદોલનને જોઈ પ્રભાવિત થયા હતા તે પછી તેમણે બિહાર જઈ તેનું પુનરાવર્તન કયું હતું એટલે આ એવું ગુજરાત છે કે આપણે અહીં જનમ્યા છીએ તેનો ગૌરવ લેવા જેવું છે.આમ છતાં જો ગુજરાતમાં પક્ષાપક્ષીથી દૂર રહને અકલ્પનીય વિકાસ સાધી શકાશે.
લગ્ન બહારના સંબંધો! ડોન્ટ વરી
જો તમારા પતિ કોઇ બીજી સ્ત્રી સાથે લગ્નેત્તર સંબંધોની મજા લઇ રહ્યા હોય તો ગુસ્સામાં આવીને તેની પાછળ ચાકૂ લઇને ના પડી જશો કારણ કે લગ્નેત્તર સંબંધો તંદુરસ્ત લગ્નજીવન માટે સારા છે તેમ હાલમાં થયેલો એક અભ્યાસ જણાવે છે. ફ્રાંસની પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક મેર્સી વેઇલેંટે પોતાના નવા વિવાદાસ્પદ પુસ્તકમાં લગ્નજીવન, પુરૂષ, પ્રેમ, પ્રમાણિકતા વિશે વિગતવાર ચર્ચા કરી છે અને તેના મતે લગ્નેત્તર સંબંધો વિવાહિત જીવન માટે સારા છે. આ મનોવૈજ્ઞાનિકે ગણતરી સાથે જણાવ્યું છે કે લગ્નેત્તર સંબંધો રાખનારો પુરૂષ તેના લગ્નજીવનને ટકાવી શકે છે.
તે જણાવે છે કે લગ્નેત્તર સંબંધોમાં મોટાભાગે પુરૂષ પત્ની સિવાયની સ્ત્રીને સાચો પ્રેમ નથી કરતો હોતો અને તેઓ ફક્ત પોતાને મળેલી આઝાદીને માણી રહ્યા હોય છે. એક પત્નીત્વભાવ ધરાવતા પતિ માટે બેવફાઇ કરવી શક્ય નથી.
વફાદારી સ્વાભાવિક નહીં પણ સાંસ્કૃતિક છે અને બેવફાઇ અનિવાર્ય મનોવૈજ્ઞાનિક વલણ છે અને પુરૂષ પોતાના પ્રેમમાં એટલો છે જેટલો પહેલા હતો તેમ માનતી મહિલાઓ પુરૂષના લગ્નેત્તર સંબંધોને પોતાના લગ્નજીવનને મજબુત કરવા સારી રીતે ઉપયોગમાં લઇ શકે છે. પોતાના પુસ્તકમાં મેર્સીએ એમપણ જણાવ્યું છે કે પ્રેમનો અર્થ વફાદારી થાય છે તેવી વ્યાખ્યા ન કરી શકાય.
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
રાજકોટના એસ્ટ્રોન ચોકમાં કોર્પો.ની ટીમે ધક્કો મારતા વેપારીનું મોત તંગદિલી
નવા વર્ષના પ્રથમ જ દિવસે રાજકોટના હાર્દ સમાન એસ્ટ્રોન ચોકમાં આજે બપોરે ઉઘરાણા કરવા નિકળેલી મહાપાલિકાની જગ્યા રોકાણ શાખાના સ્ટાફે ફ્રુટના વેપારી સાથે દાદાગીરી કરી ધક્કે ચડાવતાં વેપારી પ્રૌઢનું પડી જતાં ઘટના સ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. આ બનાવના પગલે ભારે તંગદીલી ફેલાઈ ગઈ હતી અને રોષે ભરાયેલા વેપારીઓએ જગ્યા રોકાણ શાખાની જીપમાં તોડફોડ કરી ઉંધી નાંખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ કાફલો સમયસર પહોંચી ગયો હતો અને હળવો લાઠીચાજ કરી તોફાને ચડેલા વેપારીઓ અને ટોળાને ભગાડી મુકયા હતાં. બીજી બાજુ વેપારીઓનો રોષ જોઈને જગ્યા રોકાણ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓએ જીવ બચાવવા મુઠીઓ વાડી હતી. આ બનાવે ભારે ચકચાર જગાવી છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટના એસ્ટ્રોન ચોકમાં વીર જલા સીઝન સ્ટોર્સ નામની ફ્રુટની દુકાન ધરાવતાં વેપારી અનિલભાઈ વલ્લભદાસ કુંડલીયા (ઉ.વ.૫૮) આજે બપોરે પોતાની દુકાને બેઠા હતા ત્યારે જગ્યા રોકાણ શાખાની જીપ જી.જે.૩-ડીડી-૨૦૨૯ તેમની દુકાન પાસે આવી ઉભી રહી હતી અને તેમાંથી ત્રણ થી ચાર અધિકારીઓ અને કર્મચારીઓ નીચે ઉતર્યા હતાં. જગ્યા રોકાણ શાખાના સ્ટાફે દુકાનની બહાર ટેબલ નાંખી ફ્રુટનો વેપાર કરતાં વેપારી પ્રૌઢ પાસે દંડની માગણી કરી હતી અને રૂપિયા ૫૦૦ દંડ ન ભરવો હોય તો રૂા.૨૦૦ આપો તેમ કહ્યું હતું જેમાં રકજક થતાં સ્ટાફે ટેબલ પર પડેલ ફ્રુટ ભરવા લાગ્યા હતાં. દાદાગીરીનો વેપારી પ્રૌઢે વિરોધ કરતાં ઉશ્કેરાયેલા જગ્યા રોકાણ શાખાના સ્ટાફે લોહાણા પ્રૌઢને ધકકો મારી દીધો હતો જેના કારણે તેઓ રોડ પર પડી જતા આઘાતના કારણે તેમને હાર્ટએટેક આવી જતાં વેપારીનું ધટના સ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.
ગુજરાત દેશ માટે અનુકરણીય છેઃ અડવાણી
સ્વર્ણિમ વર્ષ વખતે તમામ પૂર્વ મુખ્ય મંત્રીઓ,મંત્રીઓ, પૂર્વ-વર્તમાન સાંસદો, ધારા સભ્યોને એકી સાથે બોલાવી તેમને સ્વર્ણિમ સંકલ્પ લેવડાવવાના વિચારને દેશ માટે અનુકરણીય ગણાવી લોકસભામાં વિપક્ષના પૂર્વ નેતા અને ગાંધીનગરના સાંસદ અડવાણીએ કહ્યું હતું કે ગુજરાત દેશ માટે અનુકરણીય છે. આજે ગુજરાત વિધનસભા ખાતે સ્વર્ણિમ સંસદીય પરિષદમાં અડવાણીએ કહ્યું હતું કે કોઈ એક પ્રદેશનો વિકાસ કોઈ એક સરકાર માટે શકય નથી.આ તો,અત્યારસુધી જેટલી સરકારો આ રાજયમાં આવી અને તેમણે વિકાસની જે દિશા પકડી હતી તેને આ સરકારે આગળ વધારી છે બલ્કે ઝડપ આપી છે. ગુજરાતે જે વિકાસ સાધ્યો છે તે કોઈ એક રાજકીય નેતાને કારણે નહીં પરંતુ રાજયની જનતાને કારણે તે સાધી શકાયો છે. આવી પરિસ્થિતિમાં તમામ સરકારોના વડાઓ અને લોક પ્રતિનિધિઓને બોલાવી તેમનો ઋણ સ્વીકાર કરવાનો વિચાર અનુકરણીય છે.
અડવાણીએ કહ્યું હતું કે જેમ ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારકા આવીને વસ્યા હતા તેમ તેમના પિતા પણ સિંધ-પાકિસ્તાનથી ગુજરાતના કચ્છમાં આવીને વસ્યા હતા.એ પછી તેઓ પાંચ પાંચ વાર ગુજરાતની ગાંધીનગરની બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. ગુજરાતની સ્વર્ણિમ જયંતિનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે સાડા પાંચ કરોડ ગુજરાતીઓ એક-એક સંકલ્પ લઈને એક-એક કદમ આગળ વધશે તો ગુજરાતને વિકાસની દિશામાં આગળ વધતાં કોઈ રોકી શકશે નહીં એટલું જ નહીં પરંતુ ગુજરાત ભારતનો જ એક પ્રદેશ છે ત્યારે ભારતને આગળ વધતાં કોઈ રોકી શકશે નહીં ૧૯મી અને ૨૦ સદી ભલે રશિયા અને અમેરિકાની હશે પણ ૨૧મી સદી ભારતની છે.
ગુજરાતના વિકાસમાં પ્રત્યેક સરકારનો ફાળો મોટો છે:નરેન્દ્ર મોદી
મહાનુભાવોની ઐતિહાસિક પરિષદમાં ગુજરાતના વિકાસ માટેનો સર્વ પક્ષિય સંકલ્પ,
ભારતના તમામ રાજ્યો ગુજરાત નું અનુકરણ કરે:અડવાણી, વિતરણ વિનાની સમૃદ્ધિ ખરાબ છે,સંસ્કારના ઝરણાં જોઇએ :કેશુભાઇ, સત્ય સાદગી અને સ્વચ્છતા રાખી સ્વચ્છંદતા દૂર કરો:દિનશા પટેલ
ગુજરાતના ગોલ્ડન જયુબિલી વર્ષની ઉજવણીનો ૧લી જાન્યુઆરીથી પ્રારંભ થયો છે. વિધાન સભામાં આયોજીત સ્વર્ણિમ પરિષદમાં રાજ્યના ભાવિ વિકાસ માટે વાદ કે વિવાદથી દૂર રહી એક સાથે આગળ વધવાનો સર્વ પક્ષિય સંકલ્પ પારિત કરવામાં આવ્યો હતો. આ સંકલ્પની રજુઆત વખતે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ એવી ખાતરી આપી હતી કે તેમની સરકાર સૌને સાથે લઇને ચાલશે. જો કે માજી મુખ્ય મંત્રી કેશુભાઇ પટેલ અને કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે વિકાસના તબક્કાને સમર્થન આપી મીઠી ટકોર પણ કરી હતી. તેઓ અણગમો છુપાવી શકયા ન હતા. ભાજપના ટોચના રાષ્ટ્રીય નેતા અડવાણીએ ગુજરાત જેવી ઉજવણી તમામ રાજ્યમાં થવી જોઇએ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે આમંત્રિત કેન્દ્રીય નેતાઓ અને રાજ્યના પૂર્વ અને વર્તમાન નેતાઓ ઉપસ્થિત હતા પરંતું ત્રણ ભૂતપૂર્વ મુખ્ય મંત્રીઓની ગેરહાજરી નોંધ પાત્ર બની હતી. ગુજરાત વિધાન સભાને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. ઉંમરના કારણે તેમની શારિરીક સ્થિતિ નબળી પડી હતી એવા સભ્યો પણ ઉત્સાહ સાથે આવ્યા હતા. ઘણાં વર્ષો પછી સભાગૃહમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળતાં રાજીના રેડ થઇ ગયેલા ૫૦ વર્ષ જુના ધારાસભ્યો પોતાના ભૂતકાળને વાગોળી રહ્યા હતા. શુક્રવારે બપોરના સમયે વિધાન સભા ગૃહમાં પરિષદના પ્રારંભ પછી મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ સ્વર્ણિમ સંકલ્પની જાહેરાત કરતાં કહ્યું હતું કે ગુજરાતની સ્થાપના પછીના ૫૦ વર્ષના ડેવલપમેન્ટ ગ્રાફમાં કોઇ એક સરકાર કે કોઇ એક વ્યક્તિનું યોગ દાન નથી પરંતું વિકાસની ઉંચાઇઓ સર કરવામાં પાયો નાંખનારા મહાનુભાવોથી લઇને વિકાસની કેડી કંડારનારા તમામ સહભાગી છે. ૭૦૫ જેટલા આમંત્રિતોથી શોભી ઉઠેલી આ પરિષદ સભા સમક્ષ મોદીએ કહ્યું હતું કે અમે લોક સભા, રાજ્ય સભા અને વિધાન સભાના તમામ ભૂતપૂર્વ અને વર્તમાન સભ્યો ૨૦૧૦ના વર્ષને સુવર્ણ તક ગણી રાજ્યના વિકાસ માટે સમર્પિત થઇએ છીએ. હું માનું છું કે રાજ્યની પ્રગતિમાં નીચે ઉભેલા લોકોનો પુરુષાર્થ, યોગ દાન તેમજ તેમના જીવનના અમૂલ્ય દિવસોનો ભોગ છે. આ તબક્કે હું અત્યાર સુધીમાં સત્તા સ્થાને આવેલા તમામ મુખ્ય મંત્રીઓનો ઋણી છું. આખા વર્ષ દરમિયાન જન ભાગીદારીથી વિકાસની મંઝીલ ઉભી કરવાની છે અને વિશ્વમાં ગુજરાતીઓને ગૌરવ અપાવવાનું છે. આ એક ઐતિહાસિક પ્રસંગ છે અને તેને પ્રેરક, અસરકારક વળાંક આપવાનો છે.
પ્રજાના સપનાને પુરા કરવા માગતા સરકારના સ્વર્ણિમ સંકલ્પને વધાવી રાજ્યપાલ ડો. કમલા બને કહ્યું હતું કે ૨૦૧૦ના વર્ષમાં ગુજરાત તેજી સાથે વિકાસના કામોમાં કોઇ કસર નહીં છોડે. છેલ્લા પ૦ વર્ષમાં આવેલા તમામ મુખ્ય મંત્રીઓએ રાજ્યનો નિરંતર વિકાસ કર્યો છે. હું રાજસ્થાની છું અને અમારા રાજ્યએ ગુજરાતને સગા ભાઇની જેમ જોયું છે. ગુજરાતે જ અમને લગન, મહેનત અને સચ્ચાઇ શિખવી છે. તપસ્યા એ ગુજરાતીઓની એક ખૂબી રહી છે. શ્વેત ક્રાન્તિના જનક એવા ગુજરાતે ઔધ્યોગિક ક્રાન્તિમાં પણ નંબર વનનું સ્થાન હાંસલ કયું છે કારણ કે અહીં જનતાનું રાજ છે. જે સરકાર લોકો માટે વિચારે તે સફળ બને છે. પરિષદ પૂર્વે વિધાન સભાના અધ્યક્ષ અશોક ભટ્ટે સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે ૨૦૧૦ની પહેલી મે ના રોજ ગુજરાત ૫૦ વર્ષનું થવાનું છે ત્યારે એક વર્ષ સુધી રાજ્યમાં સ્વર્ણિમ સિદ્ધિ અને સોપાનનું તર્પણ ગુજરાતની પ્રજાને થવાનું છે. તેમણે ઉપસ્થિત મહાનુભાવોને આવકાર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહી શક્યા નથી તેવા ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી પ્રણવ મુકરજીના સ્વર્ણિમ સંકલ્પને સમર્થન આપતા સંદેશાનું વાંચન કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં ૧લી મે ની ઉજવણી
૧લી મે-૨૦૦૮ના રોજ ગુજરાતના પ્રથમ મુખ્ય મંત્રી ડો.જીવરાજ મહેતાના વતન અમરેલીથી શરૂ થયેલી સંકલ્પ યાત્રાનો પહેલો તબક્કો પુરો થયો છે. બીજા તબક્કામાં સમગ્ર રાજ્યમાં વિવિધ સ્પર્ધાઓ યોજાશે. ત્યારબાદ ૧લી મે-૨૦૧૦ના રોજ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ગુજરાત સરકાર સ્થાપના દિનની રંગેચંગે ઉજવણી કરશે અને ઉત્સવનું સમાપન રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ૧લી મે-૨૦૧૧ના રોજ કરવામાં આવશે. દરમ્યાન મોદી સરકાર જાન્યુઆરી-૨૦૧૧ના રોજ સાયન્સ સિટીમાં પાંચમી ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ યોજશે
ગડકરીએ મોદીના ભરપેટ વખાણ કર્યાં
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી બી.જે.પી. શાસિત રાજ્યો માટે એક સારા રોલ મોડલ છે પરંતુ તે પાર્ટી તરફથી પી.એમ. પદના ઉમેદવાર બનશે કે નહી તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી. મહારાષ્ટ્રના નેતાઓની નજરમાં નરેન્દ્ર મોદી ભારતમાં સૌથી સારા મુખ્ય મંત્રી છે અને બી.જે.પી. શાસિત રાજ્યો તેમની પાસેથી ઘણુ બધું શીખી શકે છે. ભારતીય ઈતિહાસમાં મોદી હજુ સુધીના સારા મુખ્ય મંત્રી રહ્યાં છે. તે એક સારી ઈમેજ ઘરાવતા વ્યક્તિ છે. બીજા રાજ્યો માટે હું તેમનો અભિપ્રાય જરૂર લઈશ. હવે હું એક કોન્ફરન્સ કરવા જઈ રહ્યો છું જેમાં હું આ મુદ્દે વાત થશે કે કેવી રીતે બી.જે.પી. શાસિત પ્રદેશમાં સારું કામ કરી શકાય. અમે મોદીની મદદ એક સારી સરકાર રચવાના રૂપમાં લઈ શકીએ છીએ. જ્યારે ગડકરીને પુછવામાં આવ્યું કે શું મોદીને 2014ના લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પીએમ પદના દાવેદાર તરીકે જોઈ શકાય ? તો આના જવાબમાં તેમણે કહ્યું હતું કે તે પાર્ટીના એક સારા નેતા છે પરંતુ પીએમ પદના દાવેદારી પર કંઈ પણ કહેવું અત્યારે જલ્દી હશે.
‘વિકાસ માટે પક્ષાપક્ષીથી દૂર રહેવું જરૂરી’
સ્વર્ણિમ ગુજરાત પરિષદમાં પૂર્વ મુખ્ય મંત્રી માધવ સિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આપણે ગાંધી અને સરદારની જન્મ અને કર્મ ભૂમિ એવા ગુજરાતમાં જન્મ્યાનો ગર્વ છે. પક્ષાપક્ષીથી દૂર રહેવાશે તો અકલ્પનીય વિકાસ સાધી શકાશે. તેમણે કહ્યું હતું કે કવિ નર્મદે લખ્યું છે તેમ આ ‘ગરવી ગુજરાત’છે. ભારતના નકશામાં તેનું સ્થાન નાનકડું છે પણ વાસ્તવમાં ગુજરાત એટલે એક નાનકડું દેશ હોય તેમ તેમાં બધું જ છે.તેમણે એક અનુભવ ટાંકતા કહ્યું કે બી.બી.સી.ના એક પત્રકારને ભારત વિશે લકવાનું કહેવાયું હતું ત્યારે તેણે માત્ર ગુજરાત વિશે લખીને ભારત વિશે લખ્યા હોવાનું સમજી સંતોષ માન્યો હતો.એવું આ ગુજરાત છે.
સોલંકીએ બીજો દાખલો ટાંકતાં જણાવ્યું કે જયારે ભગવાન શ્રીકૃષ્ણને તેમના યાદવો સાથે મથુરા છડવું પડ્યું હતું ત્યારે તેમણે ગુજરાતને પસંદ કયું હતું અને તેઓ દ્વારકા આવીને વસ્યા હતા.એ પછી પણ આ ઈતિહાસ સતત દહોરાતો ગયો છે કેમ કે આઝાદીકાળ વખતે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પણ ગુજરાતના હતા. પાકિસ્તાનના પ્રથમ પ્રમુખ મહંમદ અલી જિન્હાના બાપ-દાદા પણ ગુજરાતી હતા. દેશની પ્રથમ પાર્લામેન્ટના પ્રથમ સ્પીકર માવલેન્કર દાદા પણ અને તે પહેલા પ્રથમ અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલ પણ ગુજરાતી હતા. નવ નિર્માણ આંદોલનને યાદ કરીને તેમણે કહ્યું કે તે વખતે જય પ્રકાશ નારાયણ ગુજરાત આવ્યા હતા ત્યારે અહીના યુવકોનો જુસ્સો અને આંદોલનને જોઈ પ્રભાવિત થયા હતા તે પછી તેમણે બિહાર જઈ તેનું પુનરાવર્તન કયું હતું એટલે આ એવું ગુજરાત છે કે આપણે અહીં જનમ્યા છીએ તેનો ગૌરવ લેવા જેવું છે.આમ છતાં જો ગુજરાતમાં પક્ષાપક્ષીથી દૂર રહને અકલ્પનીય વિકાસ સાધી શકાશે.
લગ્ન બહારના સંબંધો! ડોન્ટ વરી
જો તમારા પતિ કોઇ બીજી સ્ત્રી સાથે લગ્નેત્તર સંબંધોની મજા લઇ રહ્યા હોય તો ગુસ્સામાં આવીને તેની પાછળ ચાકૂ લઇને ના પડી જશો કારણ કે લગ્નેત્તર સંબંધો તંદુરસ્ત લગ્નજીવન માટે સારા છે તેમ હાલમાં થયેલો એક અભ્યાસ જણાવે છે. ફ્રાંસની પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક મેર્સી વેઇલેંટે પોતાના નવા વિવાદાસ્પદ પુસ્તકમાં લગ્નજીવન, પુરૂષ, પ્રેમ, પ્રમાણિકતા વિશે વિગતવાર ચર્ચા કરી છે અને તેના મતે લગ્નેત્તર સંબંધો વિવાહિત જીવન માટે સારા છે. આ મનોવૈજ્ઞાનિકે ગણતરી સાથે જણાવ્યું છે કે લગ્નેત્તર સંબંધો રાખનારો પુરૂષ તેના લગ્નજીવનને ટકાવી શકે છે.
તે જણાવે છે કે લગ્નેત્તર સંબંધોમાં મોટાભાગે પુરૂષ પત્ની સિવાયની સ્ત્રીને સાચો પ્રેમ નથી કરતો હોતો અને તેઓ ફક્ત પોતાને મળેલી આઝાદીને માણી રહ્યા હોય છે. એક પત્નીત્વભાવ ધરાવતા પતિ માટે બેવફાઇ કરવી શક્ય નથી.
વફાદારી સ્વાભાવિક નહીં પણ સાંસ્કૃતિક છે અને બેવફાઇ અનિવાર્ય મનોવૈજ્ઞાનિક વલણ છે અને પુરૂષ પોતાના પ્રેમમાં એટલો છે જેટલો પહેલા હતો તેમ માનતી મહિલાઓ પુરૂષના લગ્નેત્તર સંબંધોને પોતાના લગ્નજીવનને મજબુત કરવા સારી રીતે ઉપયોગમાં લઇ શકે છે. પોતાના પુસ્તકમાં મેર્સીએ એમપણ જણાવ્યું છે કે પ્રેમનો અર્થ વફાદારી થાય છે તેવી વ્યાખ્યા ન કરી શકાય.
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
30 December 2009
પાક.માં આશુરા દિને વિસ્ફોટ:૩૫નાં મોત, ૮૦થી વધુ ઘાયલ
પાકિસ્તાનમાં મહોરમના દિવસે શિયાઓ દ્વારા યોજાયેલા આશુરાના જુલૂસ દરમિયાન થયેલા પ્રચંડ બોંબ વિસ્ફોટમાં ૩૫ વ્યક્તિનાં મોત નીપજયાં હતાં જ્યારે ૮૦થી વધુને ઈજા પહોંચી હતી.પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં થયેલા આ આત્મઘાતી હુમલામાં આઠ વ્યક્તિનાં મોત નીપજયાં હતાં જ્યારે કરાચીમાં રવિવારે મોડી રાત્રે વિસ્ફોટ થયો હતો. મહોરમ નિમિત્તે નીકળતા જુલૂસના રૂટ પર સુરક્ષા એજન્સી અને પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત હોવા છતાં હુમલાખોર તમામ સુરક્ષા વ્યવસ્થાના ચિંથરા ઉડાવી અંદર ઘૂસી ગયો હતો અને વિસ્ફોટ કરી નિર્દોષ લોકોના જીવ લીધા હતા. કરાચીમાં તાજેતરમાં લઘુમતી સમુદાય પર થયેલો આ ત્રીજો વંશીય હુમલો છે.જિલ્લા વહીવટીતંત્રના વડા જાવેદ હનિફે જણાવ્યું હતું કે બોંબ વિસ્ફોટમાં કુલ ૩૫ વ્યક્તિનાં મોત નીપજ્યાં છે જ્યારે ૮૦થી વધુને ઈજા પહોંચી છે. હુમલાખોરનું માથું મળતાં નક્કી થયું છે કે આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. ઈમામબાગ નજીક જુલૂસ જઈ રહ્યું હતું ત્યારે આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ થતાં જ અહીં ભારે નાસભાગ મચી ગઈ હતી.લોકોને કાબૂમાં લેવા પોલીસે તુરંત હવામાં ગોળીબાર કર્યો હતો. વિસ્ફોટ બાદ તુરંત બચાવ કામગીરી આરંભી ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે હુમલાબાદ કોઈપણ સંગઠને જવાબદારી સ્વીકારી નથી.
વિકાસગૃહમાંથી બે યુવતીઓ નાસી
જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાંથી બે યુવતિઓ નાસી છુટતા ચકચાર મચી ગઇ છે. ચકચારી ગેંગ રેપ પ્રકરણમાં સંડોવાયેલા શખ્સોની ગેંગના સભ્યો સામે સંસ્થાએ શંકાની સોય તાણી છે. પોલીસે સંસ્થાની યુવતિઓના નિવેદનો નોંધી શોધખોળ આદરી છે. બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાંથી રવિવારે રાત્રે બે યુવતિઓ ભાગી છુટતા દોડધામ મચી ગઇ હતી. રાત્રે નવેક વાગ્યે સંસ્થા સંચાલિકા અને ગૃહ માતા સહિતનાને જાણ થતાં તાત્કાલીક પોલીસ બોલાવવામાં આવી હતી. બિલ્કીશબેન (ઉ.વ.૧૯) અને રાજુબેન ચૌહાણ (ઉ.વ.૧૮) નામની બન્ને યુવતિઓ સંસ્થાની પાછળના ભાગે આવેલી વંડી કુદી નાસી છુટયાનું સંસ્થા સંચાલિકા કમળાબેને જણાવ્યુ હતું.
શિપ મેકિંગ - સોલાર એનર્જી માટે જાપાન-ગુજરાત પાર્ટનર
ગુજરાતમાં શિપ મેકિંગ ઇન્ડસ્ટ્રીઝ અને સોલાર એનર્જી માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાન સરકાર સાથે ભાગીદારી કરી છે. ઉપરાંત જીઓ એન્જિનિયિંરગ તેમજ ગ્રીન એન્વાયર્નમેન્ટ ટેક્નોલોજી ક્ષેત્રે સહકાર મેળવવાનું નક્કી કર્યું છે. ભારત અને જાપાનના સંયુક્ત દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોજેક્ટમાં સૌથી મોટો ભાગ ગુજરાતમાં આવે છે ત્યારે નવા આયામ સાથે આ સંબંધો વધુ મજબૂત બને તે દિશામાં ફળદાયી ચર્ચા કરવામાં આવી હતી.જાપાનના વડાપ્રધાન યુકીઓ હાટોયામા અને નરેન્દ્ર મોદી વચ્ચે રવિવારે મુંબઈમાં ૪૦ મિનિટ સુધી યોજાયેલી બેઠકમાં આર્થિક, ઔધોગિક અને આંતર માળખાકીય સુવિધાનાં ક્ષેત્રોમાં ભાગીદારી વિકસાવવા બંને મહાનુભાવો તૈયાર થયા હતા. છેલ્લી વાઇબ્રન્ટ સમિટમાં જાપાનની કન્ટ્રી પાર્ટનરશિપ તરીકેની પ્રતિષ્ઠા આપવા માટે મોદીએ વડાપ્રધાનનો આભાર માન્યો હતો જાપાનનો સહયોગ માગી મોદીએ કહ્યું હતું કે, ગુજરાતના સાગર કિનારે શિપ મેકિંગનો ઉદ્યોગ વિકસી શકે તેમ છે.
ડાંગમાં ‘રામાયણ સરકિટ’ બનશે
રામાયણમાં જેનો ઉલ્લેખ દંડકારણ્ય તરીકે થયો છે તેવા ગુજરાતના ડાંગ જિલ્લામાં ભગવાન રામ અને હનુમાનજીએ ગુજરાતમાં ગાળેલા સ્થળોને પ્રવાસન સરકિટમાં વણી લઈને સરકારે એક પ્રોજેક્ટ અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે. વનરાજીથી ધેરાયેલા દક્ષિણ પ્રાંતના ડાંગમાં આવેલાં આ પૌરાણિક સ્થળોને જીવંત બનાવવા મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ પ્રવાસન વિભાગને આદેશ કર્યો છે. એટલું જ નહીં, આગામી બજેટમાં આ પ્રોજેક્ટ માટે અલગ ભંડોળ ફાળવવા ઉપરાંત કેન્દ્ર સરકાર પાસેથી સહાય માગવાનો તખતો ઘડાઈ ચૂક્યો છે. આ પ્રોજેક્ટમાં રામાયણમાં દર્શાવેલાં સ્થળોને જોડતા રસ્તાનું નવીનીકરણ, પ્રવાસીઓ માટેની સગવડો, પૌરાણિક કથા પ્રમાણેનાં પાત્રોની સ્થાપના તેમજ તે સમયનું કુદરતી સૌંદર્ય સમાવી લેવાશે.
દરેક ફરિયાદને F.I.R. ગણવા રાજ્યોને આદેશ
રુચિકા વિનય ભંગ કેસમાં સામે આવેલા પરિણામોને જોતાં ગૃહ મંત્રાલયે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પોલીસ મથકે મળતી તમામ ફરિયાદને એફ.આઇ.આર. માનીને જ તેના પર કામગીરી કરવાનો આદેશ આપ્યો છે. ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને આ મુજબનો પરિપત્ર જારી કરવા નિર્ણય લઇ લીધો છે. આગામી સપ્તાહે આ પરિપત્ર જાહેર થશે. દરમિયાન પોલીસ અધિકારી કોઇપણ આરોપમાં દોષિત ઠરતાં આપોઆપ તેના પોલીસ અને બહાદુરી મેડલ પાછા ખેંચાયેલા માનવા અંગેનો નિયમ બનાવવાની કાર્યવાહી પણ ચાલી રહી છે.
29 December 2009
તમે વડાપ્રધાન ક્યારે બનશો? તું ૨૦ વર્ષની થઈશ ત્યારે...
૧૭મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસના બીજા દિવસે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોનાં બાળકો સાથે ખાસ સંવાદ સાઘ્યો હતો. દોઢ કલાક જેટલો સમય બાળકો સાથે પસાર કરનારા મુખ્યમંત્રીએ ક્યાંક નિર્દોષ પ્રશ્નોની ગંભીરતાની નોંધ લીધી તો ક્યાંક ગંભીર પ્રશ્નોના નિર્દોષ જવાબો વાળ્યા હતા. બાળવિજ્ઞાનીઓએ અસાધારણ રીતે રાજકીય પ્રશ્નોની પણ ઝડી વરસાવી હતી. મોદીને ખાસ કરીને તમે વડાપ્રધાન ક્યારે બનશો તેવા પ્રશ્ન પણ અનેક બાળકોએ પૂછયા હતા. જેમાં એક વિદ્યાર્થિનીને તેમણે એવો જવાબ આપ્યા હતો કે, ‘ તું ૨૦ વર્ષ પછી મોટી થઇશ ત્યારે ’ . આ જવાબ સાંભળીને બાળ વૈજ્ઞાનિકોમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું. અરુણાચલના વિદ્યાર્થીને તેમણેપૂછ્યું કે, ‘ગુજરાતની કઇ યાદ તમે સાથે લઇ જશો?’ બાળકોએ રાજ્યનાં કુદરતી દ્રશ્યો અને વેજિટેરિયન આહારનાં વખાણ કર્યા હતા. જ્યારે એક બાળકે તેમની સફળતાનું કારણ પૂછ્યું તો તેમણે સખત પરિશ્રમ એમ જવાબ આપ્યો. બાળકોની સાથે ગ્રૂપ ફોટો પડાવતા જે હસશે નહીં તેની તસવીર નહીં આવે તેવી ટિપ્પણી કરી દરેક ફોટોગ્રાફમાં હસતા ચહેરાઓ આવે તેની પૂરી કાળજી લીધી હતી.
કોટલાની ઘટના શરમ જનક : રમત ગમત મંત્રી / સલમાને કેટ સાથેનો બ્રેક અપ સ્વીકાર્યો!
રમત ગમત મંત્રી એમ.એસ.ગિલે ફિરોઝશા કોટલા પિચ પ્રકરણને શરમ જનક કહ્યું હતું કેન્દ્રિય રમત-ગમત મંત્રીએ કહ્યું
કે બોર્ડ અને ડી.ડી.સી.એ. દ્વારા આ મુદ્દે સફાઇ પ્રસ્તુત થવી જોઇએ. ભારત અને શ્રીલંકા વચ્ચેની પાંચમી અને અંતિમ વનડે ક્રિકેટ મેચ રવિવારે દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર એટલા માટે પૂર્ણ નહોતી થઇ શકે કારણકે પીચ પર બોલ ખતરનાક રીતે ઉછળતો હતો. કેન્દ્રિય રમત-ગમત મંત્રીએ જણાવ્યું કે દેશ માટે આ ખુબ દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક ઘટના છે. આ નહોતુ થવું જોઇતું. હું ટીવી પર મેચ નિહાળી રહ્યો હતો. આ પ્રકારની ઘટના શરમજનક છે.
બોલિવૂડ સ્ટાર સલમાન ખાને રવિવારે પોતાનો 44મો જન્મ દિવસ મનાવ્યો હતો. સલ્લુએ પનવેલ ફાર્મ હાઉસમાં આખો દિવસ પસાર કર્યો હતો. આ દિવસે તેણે માત્ર નિકટના અને પરિવારના લોકોને જ જન્મ દિવસની પાર્ટી આપી હતી. આ ખાસ દિવસ પર સલ્લુએ પોતાનો બ્લોગ શરૂ કર્યો કે જેમાં લોકો પોતાની બહાદૂરીની વાતો પોસ્ટ કરી શકશે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે સલમાન આ પાર્ટી દરમિયાન ઘણો જ ખુશ હતો. આમ પણ સલ્લુની પાર્ટીમાં આમંત્રણ મળે તેની રાહ લોકો જોતા હોય છે. આ વર્ષે સલમાન અને કેટરિના કૈફ વચ્ચે તાજેતરમાં જ બ્રેક અપ થયું હોવાથી તેણે પોતાની કોઈ મહિલા મિત્રને પાર્ટીમાં નિમંત્રણ આપ્યું નહોતું. સલમાન નથી ઈચ્છતો કે કોઈ મહિલા મિત્ર તેને બ્રેક અપ પર આશ્વાસન આપે. પાર્ટીમાં સાજીદ વાજીદ, અલીમ હકીમ, શેરા, નદીમ અને વિજય ગિલાની તથા સાજીદ નડિયાદવાળા જેવા નજીકના જ મિત્રો આવ્યા હતા. સલમાને શનિવારે રાતના પરિવાર સાથે પાર્ટી મનાવી હતી
કે બોર્ડ અને ડી.ડી.સી.એ. દ્વારા આ મુદ્દે સફાઇ પ્રસ્તુત થવી જોઇએ. ભારત અને શ્રીલંકા વચ્ચેની પાંચમી અને અંતિમ વનડે ક્રિકેટ મેચ રવિવારે દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર એટલા માટે પૂર્ણ નહોતી થઇ શકે કારણકે પીચ પર બોલ ખતરનાક રીતે ઉછળતો હતો. કેન્દ્રિય રમત-ગમત મંત્રીએ જણાવ્યું કે દેશ માટે આ ખુબ દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક ઘટના છે. આ નહોતુ થવું જોઇતું. હું ટીવી પર મેચ નિહાળી રહ્યો હતો. આ પ્રકારની ઘટના શરમજનક છે.
બોલિવૂડ સ્ટાર સલમાન ખાને રવિવારે પોતાનો 44મો જન્મ દિવસ મનાવ્યો હતો. સલ્લુએ પનવેલ ફાર્મ હાઉસમાં આખો દિવસ પસાર કર્યો હતો. આ દિવસે તેણે માત્ર નિકટના અને પરિવારના લોકોને જ જન્મ દિવસની પાર્ટી આપી હતી. આ ખાસ દિવસ પર સલ્લુએ પોતાનો બ્લોગ શરૂ કર્યો કે જેમાં લોકો પોતાની બહાદૂરીની વાતો પોસ્ટ કરી શકશે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે સલમાન આ પાર્ટી દરમિયાન ઘણો જ ખુશ હતો. આમ પણ સલ્લુની પાર્ટીમાં આમંત્રણ મળે તેની રાહ લોકો જોતા હોય છે. આ વર્ષે સલમાન અને કેટરિના કૈફ વચ્ચે તાજેતરમાં જ બ્રેક અપ થયું હોવાથી તેણે પોતાની કોઈ મહિલા મિત્રને પાર્ટીમાં નિમંત્રણ આપ્યું નહોતું. સલમાન નથી ઈચ્છતો કે કોઈ મહિલા મિત્ર તેને બ્રેક અપ પર આશ્વાસન આપે. પાર્ટીમાં સાજીદ વાજીદ, અલીમ હકીમ, શેરા, નદીમ અને વિજય ગિલાની તથા સાજીદ નડિયાદવાળા જેવા નજીકના જ મિત્રો આવ્યા હતા. સલમાને શનિવારે રાતના પરિવાર સાથે પાર્ટી મનાવી હતી
સોનું 17000ની અંદર : : : : ટાટાની નેનોના ભાવ વધશે નહિં
આંતર-રાષ્ટ્રીય સ્તરે ક્રિસમસની ખરીદીને બ્રેક લાગતા સોનાની માંગમાં ઘટાડો નોંધાયો છે. તેમજ સ્થાનિક સ્તરે પણ ઉત્સવ ન હોવાથી સોનાની માંગમાં ઘટાડો થયો છે. આજે દસ ગ્રામ સોનાની કિંમત રૂ.50 ઘટીને 17000ની અંદર રૂ.16,990 થઇ હતી.
સૂત્રોનું કહેવું છે કે છેલ્લાં કેટલાંક દિવસથી આંતર-રાષ્ટ્રીય સ્તરે ક્રિસમસના લીધે સોનામાં જબ્બર માંગ નીકળી હતી. પરંતુ ક્રિસમસ પૂર્ણ થવાની તૈયારીમાં હોવાથી સોનાની ખરીદી પર બ્રેક લાગી છે. આથી સોનાની માંગ ઘટતા ભાવો તૂટયા છે.
ટાટા મોટર્સની નેનોનું જે લોકોએ બુકિંગ કરાવ્યું છે, તેમણે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે કંપનીએ લાખેણી કારના ભાવમાં વધારો કરવાની ના પાડી છે. દેશની આ અગ્રણી કંપનીએ કહ્યું કે વધતા ભાવ ગ્રાહક પર નહિં નાંખે. અન્ય કંપનીઓ નવા વર્ષ ભાવમાં વધારો કરવા જઇ રહી છે, એવામાં ટાટા મોટર્સનું આ આશ્વાસન ગ્રાહકો માટે રાહતથી ઓછું નથી. ટાટા મોટર્સના એમ.ડી. પ્રકાશ એમ. તૈલંગે કહ્યું કે જેટલી કારોનું બુકિંગ થઇ ચૂકયું છે, તેમને વાયદા પ્રમાણેની કિંમતે જ નેનો આપવામાં આવશે.
દુનિયાની આ સૌથી સસ્તી કાર માટે 1.55 લાખ ગ્રાહકો માટે જૂનમાં લોટરી દ્વારા પંસદગી કરવામાં આવી હતી. આ કાર માટે 2 લાખથી વધુ લોકોએ આવેદન કર્યું હતું. કંપની માર્ચ, 2010 સુધીમાં એક લાખ નેનો બજારમાં મૂકશે. કંપનીએ નવેમ્બર સુધીમાં 13,924 કારની ડિલીવરી આપી છે. ટાટા મોટર્સે જાહેરાત કરી હતી કે પહેલા એક લાખ ગ્રાહકોને આ કાર સસ્તામાં અપાશે. આ નાની કારના ત્રણ મોડલ છે. તેની દિલ્લીમાં રૂ.1.23 લાખ થી લઇને રૂ.1.72 લાખ વચ્ચે કિંમત છે.
સૂત્રોનું કહેવું છે કે છેલ્લાં કેટલાંક દિવસથી આંતર-રાષ્ટ્રીય સ્તરે ક્રિસમસના લીધે સોનામાં જબ્બર માંગ નીકળી હતી. પરંતુ ક્રિસમસ પૂર્ણ થવાની તૈયારીમાં હોવાથી સોનાની ખરીદી પર બ્રેક લાગી છે. આથી સોનાની માંગ ઘટતા ભાવો તૂટયા છે.
ટાટા મોટર્સની નેનોનું જે લોકોએ બુકિંગ કરાવ્યું છે, તેમણે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે કંપનીએ લાખેણી કારના ભાવમાં વધારો કરવાની ના પાડી છે. દેશની આ અગ્રણી કંપનીએ કહ્યું કે વધતા ભાવ ગ્રાહક પર નહિં નાંખે. અન્ય કંપનીઓ નવા વર્ષ ભાવમાં વધારો કરવા જઇ રહી છે, એવામાં ટાટા મોટર્સનું આ આશ્વાસન ગ્રાહકો માટે રાહતથી ઓછું નથી. ટાટા મોટર્સના એમ.ડી. પ્રકાશ એમ. તૈલંગે કહ્યું કે જેટલી કારોનું બુકિંગ થઇ ચૂકયું છે, તેમને વાયદા પ્રમાણેની કિંમતે જ નેનો આપવામાં આવશે.
દુનિયાની આ સૌથી સસ્તી કાર માટે 1.55 લાખ ગ્રાહકો માટે જૂનમાં લોટરી દ્વારા પંસદગી કરવામાં આવી હતી. આ કાર માટે 2 લાખથી વધુ લોકોએ આવેદન કર્યું હતું. કંપની માર્ચ, 2010 સુધીમાં એક લાખ નેનો બજારમાં મૂકશે. કંપનીએ નવેમ્બર સુધીમાં 13,924 કારની ડિલીવરી આપી છે. ટાટા મોટર્સે જાહેરાત કરી હતી કે પહેલા એક લાખ ગ્રાહકોને આ કાર સસ્તામાં અપાશે. આ નાની કારના ત્રણ મોડલ છે. તેની દિલ્લીમાં રૂ.1.23 લાખ થી લઇને રૂ.1.72 લાખ વચ્ચે કિંમત છે.
ફરી આવ્યો રોમેન્ટિક ગીતોનો જમાનો દ્વિઅર્થી કે અર્થહીન ગીતો બાદ ફરી એક વાર અર્થસભર ગીતોનો જમાનો
‘કૈસે બતાયેં, કયોં તુજ કો ચાહેં, યારા બતા ના પાએ...’ ફિલ્મ ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’નું આ ગીત આજ કાલ યુવાઓની જીભે ચઢ્યું છે. કોઈએ આ ગીતને મોબાઇલમાં રિંગ ટોન તરીકે રાખ્યું છે તો કોઈ કોલેજની કેન્ટીનમાં પોતાના મિત્રોની સાથે મળીને આ જ ગીત ગાતું જોવા મળે છે. એટલું જ નહિ, આજ કાલ ફિલ્મી ગીતોનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે ફકત યુવાઓ જ નહિ, પરંતુ દરેક ઉમરના લોકોમાં તથા ઘર-પરિવારના દરેક સભ્યોમાં પણ લોકપ્રિય છે. આ જ કારણ છે કે જે ઘરમાં પહેલેથી જ સાઠ-સિત્તેરના દશકના ગીત સંભળાતાં હતાં ત્યાં આજની ફિલ્મોનાં સોફ્ટ સોફ્ટ સોંગ્સની ધૂન કાને પડે છે, જેથી એટલું તો સ્પષ્ટ છે કે રોમેન્ટિક ગીતોનો જમાનો ફરી આવી ગયો છે, જેને લોકપ્રિય બનાવવામાં યુવાઓનો ફાળો પણ એક મ્યુઝિક ડિરેક્ટર, લિરિક્સ લખનાર અને ગાયક જેટલો જ મહત્વનો છે. હાલ તો ‘થ્રી ઇડિયટ્સ’, ‘પા’, ‘પ્યાર ઇમ્પોસિબલ’, ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ ફિલ્મનાં ગીતો યુવાનો હોઠ ગણગણતાં જોવા મળે છે. સંગીત સાથે સંકળાયેલા વિક્રાંત જૈન જણાવે છે કે ‘યુવાઓમાં રોમેન્ટિક અને ફાસ્ટ મ્યુઝિકની વધારે ડિમાન્ડ છે. સૌથી હોટ મૂવી હાલ તો ‘થ્રી ઇડિયટ્સ’ છે. જોકે ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ થોડી જૂની થઈ ગઈ હોવા છતાં તેનો ક્રેઝ હજુ છવાયેલો છે. ૨૫થી ૨૮ વર્ષની વયે ભલે કોઈ યુવતી પરણી ગઈ હોય, પરંતુ ઘણી વાર ઘરમાં આવાં ગીતો સાંભળતાની સાથે તે ખોવાઈ જાય છે. નર્મિલા પરિણીત છે, પરંતુ તે યુવાન છે. તે કહે છે કે તેને ‘દે દના દન’નું ‘બા મુલાયજા..’ અને ‘અજબ...’નું ‘તું જાને ના...’ ગીત મનને શાંતિ આપે છે.
યુવાઓમાં ફેવરિટ ‘તું જાને ના...’
એન્જિનિયરિંગની વિધાર્થિની નેહા કહે છે કે ‘ફ્રી ટાઇમ હોય ત્યારે મોટા ભાગના સ્ટુડન્ટ્સ ‘તુ જાને ના...’ જ સાંભળતા હોય છે. એટલું જ નહિ, કેટલાક સ્ટુડન્ટ્સે તો આ મૂવીનાં અન્ય ગીતોને તેમના મોબાઇલની રિંગ ટોન અથવા કોલર ટયૂન તરીકે સેટ કરી રાખી છે.’ જ્યારે અનુષ્કા અને આયુષીને ફકત ‘ઓલ ઇઝ વેલ...’ સાંભળવું જ ગમે છે.
યુવાઓમાં ફેવરિટ ‘તું જાને ના...’
એન્જિનિયરિંગની વિધાર્થિની નેહા કહે છે કે ‘ફ્રી ટાઇમ હોય ત્યારે મોટા ભાગના સ્ટુડન્ટ્સ ‘તુ જાને ના...’ જ સાંભળતા હોય છે. એટલું જ નહિ, કેટલાક સ્ટુડન્ટ્સે તો આ મૂવીનાં અન્ય ગીતોને તેમના મોબાઇલની રિંગ ટોન અથવા કોલર ટયૂન તરીકે સેટ કરી રાખી છે.’ જ્યારે અનુષ્કા અને આયુષીને ફકત ‘ઓલ ઇઝ વેલ...’ સાંભળવું જ ગમે છે.
મોદી જાપાનના વડાપ્રધાનને મળ્યા
દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર સહિત અન્ય પ્રોજેક્ટ અંગે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડા પ્રધાન યૂકિઓ હાતોયામા સાથે મળીને ચર્ચા કરી તેમ સૂત્રોએ જણાવ્યું હતું. હાતોયામા સાથે લગભગ 40 મિનિટ સુધી ચર્ચા ચાલી હતી અને સારી રહી હતી. આ મીટિંગમાં જાપાન અને ગુજરાત વચ્ચે વેપાર મજબૂત થાય તે અંગે ચર્ચા કરાઇ હતી. તદ્ઉપરાંત નાણાંકીય, ઔદ્યોગિક અને ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટર અંગેની ચર્ચા થઇ હતી. તેમ જ શીપ-બિલ્ડિંગ અને સોલાર એનર્જીની ભાગીદારી અંગે વાતચીત થઇ હતી. તાજેતરમાં જ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં જાપાને પાર્ટનર તરીકે 12 લાખ કરોડના એમ.ઓ.યુ. કર્યા હતા. આ અંગે મોદીએ હાતોયામાનો આભાર માન્યો હતો. આ મીટિંગમાં હાતોયામાએ દિલ્હી-મુંબઇ કોરિડોર પ્રોજેક્ટને ફકત ભારતનો જ નહિં ગ્લોબલ ઇકોનોમી પ્રોજેક્ટ ગણાવયો હતો.
અમદાવાદમાં જુલુસ દરમિયાન પથ્થરમારો તોફાનીઓને કાબૂમાં લેવા ટીયર ગેસના ૯ સેલ છોડાયા..! યુવતીની છેડતી બાદ ટોળા આમને સામને: એસીપી સહીત ચાર પોલીસને ઈજા
સોમવારે સાંજે તાજીયા જુલુસ શાહપુર ચાલતા પીરની દરગાહ, રેંટીયા વાડી પાસેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે યુવતિની છેડતીના મામલે બંને કોમના ટોળા આમને સામને આવી ગયા હતા અને એક બીજા પર જોરદાર પત્થરમારો કરતા સનસનાટી મચી ગઈ હતી. એકાએક ફાટી નિકળેલા હિઁસા ના દોરથી પોલીસ પણ ઉંઘતી ઝડપાઈ હતી અને મામલો વણસે નહીં તે માટે તાબડતોબ કુમક સ્થળ પર પહોંચી ગઈ હતી અને લાઠી ચાર્જ કરીને તોફાનીઓને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પત્થમારો જારી રહેતા પોલીસને ટીયર ગેસના ૯ જેટલા સેલ છોડવાની ફરજ પડી હતી. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે આશરે દસેક મિનિટ સુધી પત્થરમારામાં એક એ.સી.પી. સહીત ચાર પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી. તેમને સારવાર માટે વા.સા. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ જુલુસનો છેલ્લો તાજીયો શાહપુર રેંટીયા વાડીના સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે યુવતિની છેડતી મામલે મામલો બિચકતા બંને કોમના ટોળાએ એક બીજા પર પત્થરમારો કર્યો હતો. વધુ માણસો આવતા ગયા તેમ હાજી બિલ્ડીંગથી ચાલતા પીરની દરગાહ સુધીના રસ્તા પર લોકો એકત્ર થઈ ગયા હતા અને ચારેય બાજુથી જોરદાર પત્થમારો કર્યો હતો. જુલુસના બંદોબસ્તમાં પોલીસ પહેલાથી જ તૈનાત હતી પરંતુ મામલો વણસતા સંયુકત પોલીસ કમિશનર અતૂલ કરવલ અને સતીશ શર્મા પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના ૯ સેલ છોડયા હતા. લગભગ દસેક મિનિટ સુધી એક બીજા પર પત્થરમારો કર્યા બાદ તોફાનીઓ શાંત પડી જતા તાજીયાના જુલુસને પોલીસ સુરક્ષા વચ્ચે આગળ વધારવામાં આવ્યો હતો. જો કે આ બનાવની વાત શહેરના અન્ય વિસ્તારમાં ફેલાતા તોફાનો ફાટી નિકળ્યા હોવાની જોરદાર અફવા ફેલાઈ હતી જેના કારણે બજારો અને દુકાનો ટપોટપ બંધ થઈ ગયા હતા.
સૂત્રોએ જણાવ્યાં અનુસાર પત્થરમારામાં એ.સી.પી. એન.એન. ગોહીલ, કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ, જશ્વતભાઈ દંતાણી અને ગોપાલ પટેલને ઈજા થઈ છે. શાહપુર પોલીસે સત્તાવાર ફરિયાદ નોંધીને તોફાનીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.
સૂત્રોએ જણાવ્યાં અનુસાર પત્થરમારામાં એ.સી.પી. એન.એન. ગોહીલ, કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ, જશ્વતભાઈ દંતાણી અને ગોપાલ પટેલને ઈજા થઈ છે. શાહપુર પોલીસે સત્તાવાર ફરિયાદ નોંધીને તોફાનીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.
Subscribe to:
Posts (Atom)