26 October 2010

રાજકોટ : સગાભાઇએ મોટાભાઇ પર હુમલો કર્યો

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



રાજકોટ : સગાભાઇએ મોટાભાઇ પર હુમલો કર્યો

રાજકોટ શહેરના જામનગર રોડ,સંજયનગર-૨મા રહેતા સુરેશ નાનજીભાઇ ડોડીયા પર તેનાંજ નાના ભાઇ વિજયે લોખંડના પાઇપ વડે માર મારી ઇજાઓ પહોંચાડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.ઘવાયેલા સુરેશના જણાવ્યા મુજબ નાના ભાઇને ઘરમા આવવાની ના પાડી હુમલો કર્યો હતો. ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



રાજકોટ- મોરબી રોડ પર કાગદડી ગામ નજીક અકસ્માત
કાર ચાલકે પિતા-પુત્રને ઠોકરે લેતા પિતાનો પગ કપાઇ ગયો

રાજકોટ મોરબી રોડ પર કાગદડી ગામ નજીક સવારે ૧૦ વાગ્યે બાઇક સવાર પિતા,પુત્રનેકારના ચાલકે ઠોકરે ચડાવ્યા હતા. અકસ્માતમાં ઘવાયેલા પિતા,પુત્ર પૈકી પિતાનો એક પગ કપાઇ ગયો હતો. અકસ્માત સર્જનાર કારમાં માળીયાના ફોજદાર પરમાર બેઠા હતા.કાગદડલ ગામે રહેતા અને મગફળીની દલાલી કરતા ચંદુભાઇ નાથાભાઇ ચૌહાણ (ઉ.વ.પ૦) આજે તેના પુત્ર દપિક (ઉ.વ.૧૮) સાથે બાઇકમાં જઇ રહ્યા હતા ત્યારે જીજે ૩ સીએ ૨૯૩૦ નંબરની કારના ચાલકે બાઇકને અડફેટે લેતા ચંદુભાઇ અને તેના પુત્રને ઇજા થઇ હતી.અકસ્માતમાં ચંદુભાઇનો પગ કપાઇ ગયો હતો. મળતી વિગતો મુજબ, માળીયાના ફોજદારને ગોંડલ કોર્ટમાં મુદત હોવાથી તે હાઇ-વે ઉપર ઉભા હતા. અને ઉપરોકત કારમાં લીફ્ટ લઇને રાજકોટ આવવા બેઠા હતા. એ કારના ચાલકે જ અકસ્માત સર્જયો હતો.


મેઘાણીનગર :ચાલુ કોર્ટે ભાગી જનારા કોર્પોરેટરને બે હજારનો દંડ

મેઘાણીનગરના હાલના ભાજપના કોર્પોરેટર બિપીન પટેલ ચાલુ કોર્ટે બહાર જતા રહેતાં સ્પેશિયલ ડેઝિગ્નેટેડ કોર્ટ બે હજારનો દંડ કર્યો હતો. સાથેસાથે બાંયધરીરૂપે ૧૦ હજારના બોન્ડ લેવાયા હતા. ગુલબર્ગકેસના મહત્વના સાક્ષી ઝકિયા જાફરીની જુબાની સમયે રિસેસ બાદ બિપીન પટેલ ગેરહાજર રહ્યા હતા. કોર્ટે ગેરહાજરીને ગંભીરતાથી લઈ આરોપી સામે બિનજામીનપાત્ર વોરંટ કાઢયું હતું. જોકે પાછળથી દંડ કરાયો હતો.આઠ મહિનાની સતત મુદત બાદ ઝકિયા જાફરી ૨૨મી ઓક્ટોબરે જુબાની આપવા હાજર રહ્યાં હતાં. નિયમ મુજબ કેસ દરમિયાન દરેક આરોપીએ કોર્ટમાં હાજર રહેવું ફરજિયાત છે. ઝકિયાની જુબાની વખતે સવારના સેશનમાં બિપીન પટેલ હાજર રહ્યા હતા. જોકે રિસેસ બાદ તેઓ પોતાના વકીલ કે કોર્ટનું ધ્યાન દોર્યા વગર ક્યાંક ચાલ્યા ગયા હતા. બીજા સેશનમાં કોર્ટને આ ગેરહાજરી ધ્યાન ઉપર આવી હતી. કોર્ટે ગેરહાજરીને ગંભીર ગણી બિપીન પટેલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું હતું. જોકે પાછળથી તેને દંડ ફટકારાયો હતો.


સી.બી.આઇ. ના દરોડામાં ૩ ટીસી સસ્પેન્ડ

રેલવે તંત્રમાં દિવાળી જેવા તહેવારોમાં દર વર્ષે ટિકિટ ચેકરો બેરોકટોક કાળાબજાર કરે છે. આવા કૌભાંડી ટીસીઓ પર શનિવારે સીબીઆઇ દ્વારા દરોડા કાર્યવાહી કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. રેલવેની ટિકિટોના કાળાબજાર કરતાં ટિકિટ ચેકરોને ઓગસ્ટ ક્રાંતિ ટ્રેનમાં સીબીઆઇ દ્વારા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતાં.ઓગસ્ટ ક્રાંતિમાં રેલવેના ચેકરો દ્વારા પ્રત્યેક ટિકિટ પર રૂ.૨૦૦૦ થી રૂ.૫૦૦૦નો તોડ કરવામાં આવતો હોવાનું સીબીઆઇના દરોડામાં ઝડપાયું છે. સીબીઆઇ દ્વારા ત્રણ જેટલા રેલવે ટીસીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં (૧) એન.કે. ચાવલા (૨) આર.પી. સિંહા (૩) એ.કે.સિંઘનો સમાવેશ થાય છે. દિલ્હીથી મુંબઇ તરફ જતી ઓગસ્ટ ક્રાંતિ ટ્રેનમાં સીબીઆઇના અધિકારીઓ બરોડાથી ચેકિંગ શરૂ કરતાં ટીસીઓના કાળા કરતૂતો રંગેહાથ ઝડપાયા હતા.


મુઝે ક્રિકેટ મેં ઇન્વેસ્ટ કરના હૈ: ધોની

‘ભારતની ધરતી પર ઓસ્ટ્રેલિયાને પહેલીવાર ટેસ્ટ અને વન-ડે બંને માં કારમો શ્રેણી પરાજય આપવાની સફળતાથી હું ખૂબ જ ખુશ છું. સમગ્ર ટીમના સંયુક્ત પ્રયાસોને કારણે જ આ શક્ય બન્યું છે.’ એવા વાક્યો મહેન્દ્રસિંહ ધોનીએ દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં ઉચ્ચાર્યા હતા.ઓસ્ટ્રેલિયા સામે મળેલી સફળતા ભારતીય ક્રિકેટ ઈતિહાસની પ્રથમ અને અભૂતપૂર્વ ઉપલબ્ધિ હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે સફળતા એ અવિરત પ્રક્રિયા છે અને ભારતીય ટીમ આવનારા દિવસોમાં પણ આવી જ ઝળહળતી સફળતાના નવા સિમા ચિન્હો સ્થાપિત કરવા કટિબદ્ધ છે.


ભાવનગર : સરકારી ફાઈલો ધૂળ ખાતા મ્યુ. કમિશનર રોષે ભરાયા

ભાવનગર મહાનગરપાલિકામાં ચૂંટણી દરમિયાન વિકાસ કાર્યો સ્થગિત થઈ ગયા હોય તેમ સરકારની પણ અનેક ફાઈલો ધૂળ ખાતી હતી જે માટે કમિશનરે તમામ વિભાગના અધિકારીઓની મિટિંગ બોલાવી તાત્કાલિક ફાઈલોનો નિકાલ કરવા સુચના આપી હતી.મહાનગરપાલિકાની ચૂંટણી ગઈ પરંતુ હજુ સુધી મહાપાલિકાને કળ વળતી નથી. મ્યુ. કોર્પો.ની કચેરીમાં શુષ્ક વાતાવરણ લાગે છે. અધિકારીઓ-કર્મચારીઓમાં પણ દિવાળી અગાઉ રજાના માહોલમાં ટહેલતા જોવા મળે છે.


ભાવનગર : ચૂંટણીનો જંગ જીતનાર કુદરત સામે હારી ગયા

પાલિતાણાના લીલુવાડી વિસ્તારમાં રહેતા ભરતભાઇ વલ્લભભાઇ બારડ (ઉં.વ.૪૮) પાલિતાણા નગરપાલિકાના વોર્ડ નં.૨માંથી ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા. આમ તો તેઓ ડમી ઉમેદવાર હતા. મૂળ ઉમેદવાર દિલીપભાઇ બારડ હતા પણ તેમનું ફોર્મ રદ્દ થતાં ભરતભાઇ ઉમેદવાર બન્યા હતા.તા.૨૩ શનિવારે ચૂંટણીના પરિણામો જાહેર થતાં તેઓ વિજેતા જાહેર થતાં તેમના પરિવારમાં હર્ષની લાગણી ફેલાઇ જવા પામી હતી. પણ ન જાણ્યું જાનકીનાથે કે આવતીકાલે સવારે શું થવાનું છેની ઉક્તિને સાર્થક કરતા જાણે આ અકલ્પનિય વિજય ન જીરવાયો હોય તેમ રવિવારે તીવ્ર હાર્ટએટેક આવતાં તેમને ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નિપજતાં ઘડી પહેલા જ્યાં જીતના વિજયની ખુશી હતી ત્યાં માતમ ફેલાઇ જવા પામ્યો હતો.


ભચાઉ તાલુકા પંચાયતમાં ભાજપના વિજયસરઘસ નીકળ્યાં

ભચાઉ તાલુકા પંચાયતમાં ભાજપે વિજય મેળવ્યા બાદ સોમવારે ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું. મંત્રી અને ધારાસભ્યના હસ્તે ઉમેદવારોનું સન્માન કરાયું હતું.પ્રારંભે ભાજપ કાર્યાલયેથી કાર્યકરોની વિશાળ હાજરી વચ્ચે ચૂંટાયેલા સભ્યોની શોભાયાત્રા નીકળી હતી.કચ્છમંત્રી વાસણભાઇ આહિર, ધારાસભ્ય ડૉ.નીમાબેન આચાર્ય, ગત ટર્મના જિ.પં. પ્રમુખ જીવાભાઇ શેઠ સહિતના અગ્રણીઓના હસ્તે ઉમેદવારોનું સન્માન કરાયું હતું.કચ્છીમંત્રી વાસણભાઇએ જણાવ્યું કે, કાર્યકરોની મહેનત રંગ લાવી છે. તેમણે પ્રજાના ચૂકાદાને શિરોમાન્ય ગણ્યો હતો. મહામંત્રી અરજણભાઇ રબારીએ કોંગ્રેસ પક્ષનો આડે હાથે લીધો હતો. પૂર્વ સાંસદ હરીભાઇને ગુંડાઓના સરદાર કહ્યા અને કોંગ્રેસે દુકાનો બંધ કરી દેવી જોઇએ તેવો કટાક્ષ કર્યો હતો.


રાહુલ વિરુદ્ધ સેનાની સહી ઝુંબેશ સામે કોંગ્રેસનો વિરોધ

આ સહીઝુંબેશ શિવસેના નાસીપાસ થઈ હોવાનો સંકેત આપે છે. તેની પાસે કોઈ મુદ્દા નથી આથી આવાં ગતકડાં કરે છે, એમ કોંગ્રેસના વિધાનસભ્ય કૃષ્ણા હેગડેએ જણાવ્યું હતું. બિહારમાં રાહુલે મુંબઈ અને મહારાષ્ટ્રમાં થયેલા વિકાસ વિશે વાતો કરી હતી, જેમાં સર્વ સમુદાયોનું યોગદાન છે. સેના તેમના શબ્દોનું ખોટું અર્થઘટન કરીને અપપ્રચાર કરે છે, એમ તેમણે જણાવ્યું હતું.હેગડે પાલૉ વિધાનસભામાંથી ચૂંટાઈ આવ્યા હતા.


ઘાટકોપર : હોસ્પિટલે ‘મૃત’ જાહેર કરેલી વ્યક્તિ જીવિત થતા આશ્ચર્ય

ઘાટકોપરના સાવિત્રી નગર ફુલે વિસ્તારમાં રહેતા ઠાકુર પરિવારને આશ્ચર્યનો આઘાત લગાવતી ઘટનાથી અનેકનાં ભવાં ઊંચકાયાં છે. સાયન હોસ્પિટલના સત્તાવાળાઓએ ઠાકુરનું ૨૫ ઓગસ્ટે મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. પંતનગર પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી. તપાસમાં ઠાકુરની સ્ત્રીમિત્ર શારદાએ તેના ભાઈ બાબુ વિજયકરની સારવાર કરાવવા માટે ઠાકુરના નામનો ઉપયોગ કર્યો હતો એવું બહાર આવ્યું હતું.બાબુને દારૂ અને ડ્રગનો નશો કરવાની લત હતી અને તે અગાઉ હોસ્પિટલમાંથી અનેક વાર ભાગી ગયો હતો.જોકે ૧૭ ઓગસ્ટે બાબુની તબિયત વધુ પડતી લથડી હતી અને શારદાને ખાતરી હતી કે બાબુ અનેક વાર હોસ્પિટલમાંથી ભાગી ગયો હોવાને કારણે આ વખતે હોસ્પિટલવાળા તેને સારવાર માટે દાખલ કરશે નહીં. આથી તેણે બાબુને ઠાકુરના નામનો ઉપયોગ કરીને હોસ્પિટલમાં દાખલ કરી દીધો હતો.


આણંદ ઓનેસ્ટ ડેરીમાં દરોડો માવાનો શંકાસ્પદ જથ્થો જપ્ત

આણંદ શહેર પીઆઇ ડી.એસ.વાઘેલાના જણાવ્યાં મુજબ ઔરંગાબાદમાં પોલીસે અખાદ્ય માવાનો જથ્થા સાથે કેટલાક ઇસમોને ઝડપી લીધાં હતાં. જેઓની તપાસમાં સંજયસીંગ પાલ અને ગોપાલસીંગ પાલ આ માવાનો જથ્થો આણંદ હાઇવે ઉપર આવેલ ઓનેસ્ટે ડેરી પ્રોડેકટ્સમાંથી લાવતા હોવાની કબુલાત કરી હતી.આધારે ઔરંગાબાદ પોલીસે આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક એ.કે.જાડેજાને જાણ કરતાં તેઓની સૂચના આધારે પીઆઇ ડી.એસ.વાઘેલા તેમજ સ્ટાફના માણસોએ મોડી રાત્રે દરોડો પાડ્યો હતો, જેમાં સ્થળ ઉપરથી ૧૦૨ કિલો માવો હાથમાં આવ્યો હતો.

મહેસાણા : બે વર્ષની પુત્રીને ઝેરી દવા પીવડાવી માતાનો આપઘાતનો પ્રયાસ

મહેસાણામાં બહુચરાજી તાલુકાના કનોડા ગામે આવેલા ઈન્દીરાનગરમાં રહેતા અશ્વિનભાઈ રાવળ રિક્ષા ચલાવીને ત્રણ બાળકો અને પત્નીનું ગુજરાન ચલાવે છે. રવિવારે સવારે તેમની પત્ની નીતા ઘરે હાજર હતી તે સમયે ત્રણ બાળકો પરેશાન કરતા હોઈ તેની બે વર્ષની પુત્રી જાનકીને લઈને ઘરેથી નીકળી ગઈ હતી. સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં મહેસાણાની એક દવાની દુકાનમાંથી તેણીએ ઉધઈ મારવાની દવા ખરીદી હતી અને રસ્તા પર જ કેટલીક દવા પીધા બાદ બાકીની પોતાની પુત્રી જાનકીને પીવડાવી હતી. ગણતરીના સમયમાં બન્નેની હાલત ગંભીર બની જતાં નીતાબેને પતિ અશ્વિનભાઈને ફોન કરીને બનાવ અંગે જાણ કરતાં જ તે તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. માતા-પુત્રીને ગંભીર હાલતમાં શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પીએસઆઈ ઝેડ.એન.ધાસુરાએ મહિલાનું નિવેદન લીધા બાદ તેણી વિરુદ્ધ બે વર્ષની પુત્રી જાનકીને ઉધઈ મારવાની દવા પીવડાવી ખૂનની કોશિષ કર્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


ભૂજ : કેમેરામાં કેદ થઇ મેડીકલ સ્ટોરમાથી ચોરી

ભૂજના જ્યુબિલી ગાર્ડન નજીક આવેલા શિવમ મેડીકલ સ્ટોરમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગિઠયાએ સંચાલકની નજર ચૂકવી ગલ્લામાંથી રૂપિયા ૧પ હજાર રોકડા સેરવી લીધા હતા. સંચાલક રવિભાઇ ગોવિંદભાઇ અખાણીએ પોલીસને જણાવ્યા મુજબ, તેમણે દુકાનમાં સીસીટીવી કેમેરા ફીટ કરાવેલા છે.


ઐશ્વર્યા સીધી-સાદી કલાકાર છે'

ખાખી’ બાદ વિપુલ શાહની આગામી ફિલ્મ ‘એક્શન રિપ્લે’માં અક્ષય-ઐશ્વર્યાની જોડી ફરી ચમકી રહી છે. અક્ષયે જણાવ્યું હતું કે ઐશ્વર્યા મોટા ગજાની સ્ટાર હોવાછતાં તે એકદમ સીધી-સાદી કલાકાર છે. તે ક્યારેય ખોટા નખરા કે વિવાદો ઊભા કરતી નથી.
ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં પાલેકર અને ઘોષની ફિલ્મો દેખાડાશે પણજી : ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા-૨૦૧૦માં ભારતીય પ્રીમિયર સેક્સનમાં પીઢ દિગ્દર્શકો અમોલ પાલેકર મરાઠી ફિલ્મ ‘ધૂસર’ અને રિતુપૂણોg ઘોષની ‘નૌકા દૂબી’ ફિલ્મ દર્શાવવામાં આવશે.આ સેક્સનમાં દર્શાનારી ત્રણ ફિલ્મની યાદીમાં કોકણી ફિલ્મમેકર રાજેન્દ્રર તાલાકની ફિલ્મ ‘ઓ મારિયા’નું નામ પણ છે. ઘોષની ‘નૌકા દૂબી’ રવિન્દ્રનાથ ટાગોરની આ જ નામની વાર્તા પરથી બનાવવામાં આવી છે. તેમાં રિયા અને રાઇમા સેને ભૂમિકા ભજવી છે. ઇન્ડિયન પ્રીમિયર સેક્સનમાં દર્શાવનારી ફિલ્મોની પસંદગી છ સભ્યના જજની ટૂકડી કરે છે.

નરેન્દ્ર મોદીમાં આર.એસ.એસ.ને તારણહારના દર્શન

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

નરેન્દ્ર મોદીમાં આર.એસ.એસ.ને તારણહારના દર્શન

આતંકવાદના ષડયંત્રમાં ઈન્દ્રેશ કુમારનું નામ આવ્યા બાદ હિંદુ આતંકના ઠપ્પાથી કાયદાકીય અને રાજકીય રીતે કેવી રીતે લડી શકાય, એ સોમવારે જલગાંવમાં શરૂ થયેલી આરએસએસની બેઠકનો મુખ્ય એજન્ડા હશે. સંઘના દિગ્ગજો માટે એ આસાન નથી. આ નવા પડકારથી રૂબરૂ સંઘનું નેતૃત્વ પોતાની લડાઈ લડવા માટે હવે એક એવા વ્યક્તિ તરફ જોઈ રહ્યું છે કે જેની સાથે તેના સંબંધોમાં લાંબા સમયથી ચઢાવ-ઉતાર આવ્યા છે. સંઘની આશા હવે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર ટકી છે. સંઘના કાર્યકારી મંડળની ઔપચારીક બેઠક 29 ઓક્ટોબરથી પ્રસ્તાવિત છે. પરંતુ શીર્ષસ્થ નેતાઓ વચ્ચે મહત્વના મુદ્દાઓ પર ચર્ચાઓ શરૂ થઈ ચુકી છે.


યુવરાજ-રોહિતના ટ્વિટથી BCCI રોષે ભરાયું

ગોવા ખાતે રવિવારે ઓસ્ટ્રેલિયા સામે વરસાદના કારણે રદ્દ થયેલી અંતિમ વન ડે દરમિયાન યુવરાજ સિંહ અને રોહિત શર્માએ લખેલી ટ્વિટથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) રોષે ભરાયું છે.ગોવા ખાતે રવિવારે ઓસ્ટ્રેલિયા સામે વરસાદના કારણે રદ્દ થયેલી અંતિમ વન ડે દરમિયાન યુવરાજ સિંહ અને રોહિત શર્માએ લખેલી ટ્વિટથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) રોષે ભરાયું છે.સૂત્રોએ તો ત્યાં સુધી જણાવ્યું છે કે ક્રિકેટરો દ્વારા મેચના દિવસે કરવામાં આવતા ટ્વિટ પર પ્રતિબંધ લાગી શકે છે.આ દરમિયાન યુવરાજ સિંહે 10 વાગ્યે 58 મિનિટે ટ્વિટ કરી હતી કે ગઈ રાતે પણ વરસાદ થયો હતો અને અત્યારે હવામાન પણ સાફ નથી. તેવામાં ટી20 મેચની આશા રાખી શકાય છે. પરંતુ 1 વાગ્યા સુધી મેચ શરૂ થવાની કોઈ જ સંભાવના નથી.ત્યાં તો 12 વાગ્યેને 44 મિનિટે રોહિત શર્માએ ટ્વિટર બ્રેકિંગ ન્યૂઝ આપી દીધા હતા. રોહિતે ટ્વિટમાં મેચ રદ્દ થઈ ગઈ તેમ લખ્યું હતું. રોહિતની આ ટ્વિટની ફક્ત પાંચ મિનિટ બાદ જ મેચ રદ્દ થઈ હોવાની અધિકારીક જાહેરાત કરવામાં આવી હતી.


જાપાનયાત્રા બાદ મનમોહનસિંહ ભારત માટે શું લાવશે?

મનમોહનસિંહે જાપાનયાત્રા દરમિયાન ભારત અને જાપાને અસૈન્ય પરમાણુ સમજૂતિ સહિત વિભિન્ન મુદ્દા પર દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો નિર્ણય કર્યો છે. બંને પક્ષોએ વ્યાપક આર્થિક સહયોગ સમજૂતિને સુદૃઢ કરવાની પણ જાહેરાત કરી છે, જે અંતર્ગત બંને દેશોએ વ્યાપાર ખોલવા અને વેરાને આવતા દાયકા સુધી 94 ટકા ઓછા કરવાનો નિર્દેશ છે.


મુંબઈ : બાલ ઠાકરે ‘નકલખોર બિલાડી’: રાજ ઠાકરે

મુંબઈ નજીકના કલ્યાણના ડોંબીવલીમાં એમએનએસની એક રેલી દરમિયાન રાજ ઠાકરેએ બાલ ઠાકરેને ‘નકલખોર પોપટ’ કહ્યાં હતા. મહારાષ્ટ્રની રાજનીતિમાં આ પહેલો મોકો છે કે જ્યારે રાજ ઠાકરેએ બાલ ઠાકરે પર આ પ્રકારે શાબ્દિક પ્રહારો કર્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સોમવારે એક રેલીને સંબોધિત કરતી વખતે રાજ ઠાકરેએ કહ્યું હતું કે તેમના કાકા એટલે કે બાલ ઠાકરે દાદા પ્રબોધંકર ઠાકરે અને લેખક આચાર્ય અત્રેની નકલ કરે છે. રાજના જણાવ્યા પ્રમાણે, બાલાસાહેબ ઠાકરે ‘કોપી કેટ’ છે. તેમણે કહ્યું હતું કે તમે આચાર્ય અત્રેનું પુસ્તક વાંચો તો લાગે કે બાલાસાહેબનો કોઈ સંપાદકીય વાંચી રહ્યાં છો. બાળાસાહેબ પાસે તેમના પોતાના કોઈ વિચાર નથી, તે દાદાના વિચારોની નકલ કરીને જનતા સામે રાખે છે અને વાહવાહી લૂંટે છે.


આર.એસ.એસ.માં ઈન્દ્રેશ કુમાર હાશિયામાં ધકેલાયા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જલગાંવમાં અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક દરમિયાન મોટાભાગના સભ્યોએ ઈન્દ્રેશ કુમારથી અંતર રાખવાનો પ્રયત્ન કર્યો છે. બીજી તરફ ઈન્દ્રેશ કુમારના મોબાઈલ ફોન કોલની ડિટેલથી પણ તેમના આરોપીઓ સાથે સંબંધ હોવાની વાત સામે આવી છે. એટીએસનો દાવો છે કે ઈન્દ્રેશ વિરુદ્ધ દરગાહ વિસ્ફોટના આરોપી સુનિલ જોશી ઉર્ફે મનોજની ડાયરી જ એકમાત્ર પુરાવો નથી.કોલ વિવરણ પણ તેમના આરોપીઓ સાથે સંપર્ક હોવાની વાતની પુષ્ટિ કરે છે. એટીએસે જોશીની બંને ડાયરીઓ અને આરોપીઓના મોબાઈલ કોલ ડિટેલ પણ કોર્ટમાં રજૂ કર્યા છે. જલગાંવમાં સંઘની બેઠકના પહેલા દિવસે ઈન્દ્રેશ કુમારનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. તેમના કારણે મુશ્કેલીમાં મુકાયેલા સંઘે તેમને હાશિયામાં નાખવાનું મન બનાવી લીધું છે. સંઘના સૂત્રો અનુસાર સંઘની સર્વોચ્ચ નીતિ નિર્ધારક સભા અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની આગામી બેઠકમાં ઈન્દ્રેશ કુમારનું ભવિષ્ય નક્કી થશે અને તેમને સોંપવામાં આવેલી જવાબદારીઓ પાછી લેવાય તેવી પૂરી સંભાવના દર્શાવાય રહી છે.


ગાંધીનગરમાં આજે ભાજપની બે મહત્વની બેઠક

ગાંધીનગર ખાતે મંગળવારે ભાજપની બે મહત્વની બેઠકો મળશે. બપોરે ૩ વાગ્યે પ્રદેશ ભાજપ પ્રમુખ આર. સી. ફળદુની અધ્યક્ષતામાં મળનારી પ્રથમ બેઠકમાં ભાજપના હોદ્દેદારો અને જિલ્લા ચૂંટણી ઈનચાર્જ હાજર રહેશે.ચૂંટણી પરિણામોએ ભાજપની સંગઠન શક્તિને નવો જુસ્સો આપ્યો છે પણ તેમાં છકી ન જવાય તે માટે સત્તાના પાઠ શીખવા પ્રદેશના નેતાઓને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના બંગલે આમંત્રણ આપ્યું છે. સચિવાલયનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, ચૂંટણીમાં કામગીરી કરી છે તેવા તમામ કાર્યકરો-નેતાઓને મોદીએ તેડાવ્યા છે. તમામને ભોજન સાથે શિખામણના બે શબ્દો સાંભળવા મળશે, કારણ કે અલ્પ સંખ્યામાં વિપક્ષની હાજરી વચ્ચે સ્થાનિક સંસ્થાઓમાં શાસન કેમ ચલાવવું, ચૂંટાયેલા સભ્યોમાંથી નેતૃત્વ કોને આપી શકાય વગેરે બાબતોની વિસ્તૃત ચર્ચાઓ આ બેઠકમાં કરવામાં આવશે.


કોંગ્રેસના પ્રદેશપ્રમુખ માટે લોબિંગ શરૂ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ રાજીનામું આપનારા કોંગ્રેસ પ્રદેશપ્રમુખ સિદ્ધાર્થ પટેલ અને વિરોધપક્ષના નેતા શક્તિસિંહગોહિલ સોમવારે દિલ્હી જવા રવાના થયા છે. હાઇકમાન્ડ સમક્ષ આ બંને નેતાઓ વર્તમાન જવાદારીમાંથી મુક્ત કરવા રજુઆત કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ મહાપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતો અને નગરપાલિકામાં કોંગ્રેસની કારમી પછડાટને પગલે હાઇકમાન્ડે ભારે નારાજગી વ્યક્ત કરી છે. જેના પગલે રાજીનામું ધરી દીધા પછી પ્રદેશપ્રમુખ અને વિપક્ષી નેતાએ રૂબરૂ દિલ્હી જવાનું મુનાસીબ માન્યું છે. દિલ્હીની મુલાકાત અંગે વિરોધપક્ષના નેતા શક્તિસિંહગોહિલે જણાવ્યું કે, તેઓ વર્તમાન જવાબદારીમાંથી મુક્ત કરવાનું કહેવા માટે જ દિલ્હી જઈ રહ્યા છે.

અજય-કરિના પણ આવું કરી શકે

બોલિવૂડમાં અભિનેતા અને અભિનેત્રીઓને ક્યારેય નિર્માતાની પડી હોતી નથી. આવું એકવાર નહિ અનેક વાર થતું હોય છે. તાજેતરમાં જ ફિલ્મ ગોલમાલનું એક પ્રમોશનલ ગીતનું શુટિંગ કરવાનું હતું. જો કે ફિલ્મના મુખ્ય કલાકાર કરિના કપૂર અને અજય દેવગણે આ ગીતનું શુટિંગ કરવાની ના પાડી દીધી હતી. જેને કારણે ફિલ્મના નિર્માતાને રૂપિયા 35 લાખનો ફટકો પડ્યો હતો.


ધોનીએ બિપાશા બાસુને બચાવી!

બોલિવૂડની બ્લેક બ્યૂટી તરીકે જાણીતી અભિનેત્રી બિપાશા બાસુને સોમવારના રોજ એક ફાઈવ સ્ટાર હોટલમાં તેના પ્રશંસકોની ભીડ દ્વારા ધક્કા-મુક્કીનો શિકાર બનવું પડ્યું હતું.બિપાશા સુરત ખાતે ફાઈવ સ્ટાર હોટલ ધ ગ્રાન્ડ ભગવતીના ઉદ્ઘાટન સમારંભમાં ભાગ લેવા માટે આવી હતી. હોટલમાં ભારે ભીડ હોવાના કારણે બિપ્સને ધક્કા-મુક્કીનો સામનો કરવો પડ્યો હતો. અને કહેવામાં આવી રહ્યું છે કે આ ધક્કા-મુક્કીમાં બિપાશાની ડાબી આંખ પર નાનકડી ઈજા પણ થઈ હતી.આ ધક્કા-મુક્કીમાં બિપાશા એટલી ઘેરાઈ ગઈ હતી કે તેણે આયોજકોને ભીડને કાબૂમાં રાખવાનું કહ્યું હતું. એટલું જ નહીં તેણે તો આયોજકોને ધમકી પણ આપી દીધી હતી કે જો તેઓ ભીડને કાબૂમાં નહીં કરે તો તે ત્યાંથી જ એરપોર્ટ રવાના થઈ જશે અને કાર્યક્રમમાં હાજરી નહીં આપે


પાકિસ્તાની આતંકવાદિઓએ હુમલો કર્યો હતો તે તાજમાં અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ઉતારો આપવામાં આવ્યો છે.
હોટલના ખાસ રૂમ 'ટાટા સુઈટ' તેમના માટે પસંદ કરવામાં આવ્યો છે અને ત્યાં અત્યારે તેમની માટેની જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.ટાટા સુઈટ 5000 વર્ગફુટમાં વિસ્તરાયેલો છે અને તેનુ એક રાતનું ભાડુ 7 લાખ રૂપિયા છે. આ રૂમમાં શયન કક્ષા (બેડરૂમ) ટાઇનિંગ હૉલ, ડ્રૉઇંગ રૂમ તેમજ બાથરૂમ પણ છે.માં વાઈફાઈ સહિત તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. તેમાં એક આગવા પ્રકારની અદભુત કલાકૃતિઓ છે જેને હુમલા પછી ફરીથી તૈયાર કરવામાં આવી છે. તેની બારીમાંથી અરબ સાગર અને ગેટવે ઑફ ઇન્ડિયાનો સુંદર નજારો જોઈ શકાય છે.જો કોઈ કારણથી ઓબામાં ટાટા સુઈટમાં રોકાઈ ના શક્યા તો તેઓ રાજપૂત સુઈટમાં ઉતરશે. તે પણ એટલોજ આલીશાન છે. તાજમાં કુલ 285 રૂમો અને 42 પ્રકારના સુઈટ છે જેનું એક રાતનુ ભાડું 85 હજારથી સવા લાખ રૂપિયા છે.


અલવી બેંકના કૌભાંડીઓને પોલીસ છાવરી રહી છે !

અલવી કો.ઓપરેટીવ બેંકના આજવા રોડ શાખાના હિસાબોનું ઓડિટ હાથ ધરાતાં ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી કે બેંકના તત્કાલીન એમ ડી અને હાલના જોઈન્ટ એમડી અકબરી બી ચારણીવાલા, તત્કાલીન ચેરમન આબેદીન એસ બાલદીવાલા ઉપરાંત બેંકના કમિટીસભ્યો ફકરુદ્દીન એસ. ભાઈસાહેબ, જીયાઉદ્દીન એસ. બાલદીવાલા , કાશીમઅલી મુલ્લા, તાલીબ હુસેન લોખંડવાલા, રોનકઅલી ભાઈસાહેબ, હમજાઅલી કે. અત્તરવાલા , શબ્બીરહુસેન આર.ચશ્માવાલા, ઈકબાલ બી. ચારણીવાલા, અબ્બાસી બી.મોતીવાલા, આબ્દેઅલી આઈ. ગુલાબીવાલાએ ભેગા મળી હિસાબોમાં ગોટાળા કરીને R ૭૦.૨૬ લાખની બેંક સાથે ઠગાઈ કરી હતી.પોલીસ મથકની હદ અંગે દસ દિવસ સુધી વિવાદ ચાલ્યા બાદ આખરે આ બનાવની જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના અધિકારી દ્વારા ગત ૧૯મી તારીખે કશિનવાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.જોકે ફરિયાદના અઠવાડિયા સુધી હજુ સુધી કોઈ આરોપીની નહી ધરપકડ થતાં બેંક ખાતેદારોમાં પોલીસની ઢીલી નીતિ સામે ભારે રોષ ફેલાયો છે અને કૌભાંડીઓને પોલીસ કેમ છાવરી રહી છે તે પ્રશ્ન તેમને ભારે અકળાવી રહ્યો છે.


કોન્સ્ટેબલને ફટકારનારા બુટલેગર પિતા-પૂત્ર હજુ ફરાર

માથાભારે બુટલેગર રાજુ ગેડ્ડી, તેના પુત્ર વિકી તથા તેના સાગરીતોએ સરદારનગરના કોન્સ્ટેબલ રવીન્દ્રસિંહસૂર્યસિંહ ચુંડાવતની ધોલાઈ કરીને છેક પોલીસમથક સુધી દોડાવ્યો હતો. રવીન્દ્રની ફરિયાદના આધારે પોલીસે બુટલેગર રાજુ ગેડ્ડીના દીકરા વિકી સહિતના આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સરદારનગર પીઆઇ સગરે જણાવ્યું હતું કે, હુમલાખોરો પૈકી વિકી અને હરીશ બે નામ મળ્યાં છે, જ્યારે બાકીનાનાં નામ પણ મેળવી શકી નથી. હુમલાખોરો ભાગી ગયા હોવાથી પકડી શકી નહીં હોવાનું ખુદ પીઆઇએ કબૂલ્યું હતું.