01 January 2010

ગડકરીએ મોદીના ભરપેટ વખાણ કર્યાં

ગડકરીએ મોદીના વખાણ કર્યાં

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી બી.જે.પી. શાસિત રાજ્યો માટે એક સારા રોલ મોડલ છે પરંતુ તે પાર્ટી તરફથી પી.એમ. પદના ઉમેદવાર બનશે કે નહી તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી. મહારાષ્ટ્રના નેતાઓની નજરમાં નરેન્દ્ર મોદી ભારતમાં સૌથી સારા મુખ્ય મંત્રી છે અને બી.જે.પી. શાસિત રાજ્યો તેમની પાસેથી ઘણુ બધું શીખી શકે છે. ભારતીય ઈતિહાસમાં મોદી હજુ સુધીના સારા મુખ્ય મંત્રી રહ્યાં છે. તે એક સારી ઈમેજ ઘરાવતા વ્યક્તિ છે. બીજા રાજ્યો માટે હું તેમનો અભિપ્રાય જરૂર લઈશ. હવે હું એક કોન્ફરન્સ કરવા જઈ રહ્યો છું જેમાં હું આ મુદ્દે વાત થશે કે કેવી રીતે બી.જે.પી. શાસિત પ્રદેશમાં સારું કામ કરી શકાય. અમે મોદીની મદદ એક સારી સરકાર રચવાના રૂપમાં લઈ શકીએ છીએ. જ્યારે ગડકરીને પુછવામાં આવ્યું કે શું મોદીને 2014ના લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પીએમ પદના દાવેદાર તરીકે જોઈ શકાય ? તો આના જવાબમાં તેમણે કહ્યું હતું કે તે પાર્ટીના એક સારા નેતા છે પરંતુ પીએમ પદના દાવેદારી પર કંઈ પણ કહેવું અત્યારે જલ્દી હશે.

લગ્ન બહારના સંબંધો! ડોન્ટ વરી

લગ્ન બહારના સંબંધો! ડોન્ટ વરી
જો તમારા પતિ કોઇ બીજી સ્ત્રી સાથે લગ્નેત્તર સંબંધોની મજા લઇ રહ્યા હોય તો ગુસ્સામાં આવીને તેની પાછળ ચાકૂ લઇને ના પડી જશો કારણ કે લગ્નેત્તર સંબંધો તંદુરસ્ત લગ્નજીવન માટે સારા છે તેમ હાલમાં થયેલો એક અભ્યાસ જણાવે છે. ફ્રાંસની પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક મેર્સી વેઇલેંટે પોતાના નવા વિવાદાસ્પદ પુસ્તકમાં લગ્નજીવન, પુરૂષ, પ્રેમ, પ્રમાણિકતા વિશે વિગતવાર ચર્ચા કરી છે અને તેના મતે લગ્નેત્તર સંબંધો વિવાહિત જીવન માટે સારા છે. આ મનોવૈજ્ઞાનિકે ગણતરી સાથે જણાવ્યું છે કે લગ્નેત્તર સંબંધો રાખનારો પુરૂષ તેના લગ્નજીવનને ટકાવી શકે છે.

તે જણાવે છે કે લગ્નેત્તર સંબંધોમાં મોટાભાગે પુરૂષ પત્ની સિવાયની સ્ત્રીને સાચો પ્રેમ નથી કરતો હોતો અને તેઓ ફક્ત પોતાને મળેલી આઝાદીને માણી રહ્યા હોય છે. એક પત્નીત્વભાવ ધરાવતા પતિ માટે બેવફાઇ કરવી શક્ય નથી.

વફાદારી સ્વાભાવિક નહીં પણ સાંસ્કૃતિક છે અને બેવફાઇ અનિવાર્ય મનોવૈજ્ઞાનિક વલણ છે અને પુરૂષ પોતાના પ્રેમમાં એટલો છે જેટલો પહેલા હતો તેમ માનતી મહિલાઓ પુરૂષના લગ્નેત્તર સંબંધોને પોતાના લગ્નજીવનને મજબુત કરવા સારી રીતે ઉપયોગમાં લઇ શકે છે. પોતાના પુસ્તકમાં મેર્સીએ એમપણ જણાવ્યું છે કે પ્રેમનો અર્થ વફાદારી થાય છે તેવી વ્યાખ્યા ન કરી શકાય.

‘વિકાસ માટે પક્ષાપક્ષીથી દૂર રહેવું જરૂરી’

‘વિકાસ માટે પક્ષાપક્ષીથી દૂર રહેવું જરૂરી’
સ્વર્ણિમ ગુજરાત પરિષદમાં પૂર્વ મુખ્ય મંત્રી માધવ સિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આપણે ગાંધી અને સરદારની જન્મ અને કર્મ ભૂમિ એવા ગુજરાતમાં જન્મ્યાનો ગર્વ છે. પક્ષાપક્ષીથી દૂર રહેવાશે તો અકલ્પનીય વિકાસ સાધી શકાશે. તેમણે કહ્યું હતું કે કવિ નર્મદે લખ્યું છે તેમ આ ‘ગરવી ગુજરાત’છે. ભારતના નકશામાં તેનું સ્થાન નાનકડું છે પણ વાસ્તવમાં ગુજરાત એટલે એક નાનકડું દેશ હોય તેમ તેમાં બધું જ છે.તેમણે એક અનુભવ ટાંકતા કહ્યું કે બી.બી.સી.ના એક પત્રકારને ભારત વિશે લકવાનું કહેવાયું હતું ત્યારે તેણે માત્ર ગુજરાત વિશે લખીને ભારત વિશે લખ્યા હોવાનું સમજી સંતોષ માન્યો હતો.એવું આ ગુજરાત છે.
સોલંકીએ બીજો દાખલો ટાંકતાં જણાવ્યું કે જયારે ભગવાન શ્રીકૃષ્ણને તેમના યાદવો સાથે મથુરા છડવું પડ્યું હતું ત્યારે તેમણે ગુજરાતને પસંદ કયું હતું અને તેઓ દ્વારકા આવીને વસ્યા હતા.એ પછી પણ આ ઈતિહાસ સતત દહોરાતો ગયો છે કેમ કે આઝાદીકાળ વખતે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પણ ગુજરાતના હતા. પાકિસ્તાનના પ્રથમ પ્રમુખ મહંમદ અલી જિન્હાના બાપ-દાદા પણ ગુજરાતી હતા. દેશની પ્રથમ પાર્લામેન્ટના પ્રથમ સ્પીકર માવલેન્કર દાદા પણ અને તે પહેલા પ્રથમ અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલ પણ ગુજરાતી હતા. નવ નિર્માણ આંદોલનને યાદ કરીને તેમણે કહ્યું કે તે વખતે જય પ્રકાશ નારાયણ ગુજરાત આવ્યા હતા ત્યારે અહીના યુવકોનો જુસ્સો અને આંદોલનને જોઈ પ્રભાવિત થયા હતા તે પછી તેમણે બિહાર જઈ તેનું પુનરાવર્તન કયું હતું એટલે આ એવું ગુજરાત છે કે આપણે અહીં જનમ્યા છીએ તેનો ગૌરવ લેવા જેવું છે.આમ છતાં જો ગુજરાતમાં પક્ષાપક્ષીથી દૂર રહને અકલ્પનીય વિકાસ સાધી શકાશે.

ગુજરાતના વિકાસમાં પ્રત્યેક સરકારનો ફાળો મોટો છે:નરેન્દ્ર મોદી મહાનુભાવોની ઐતિહાસિક પરિષદમાં ગુજરાતના વિકાસ માટેનો સર્વ પક્ષિય સંકલ્પ,

ગુજરાતના વિકાસમાં પ્રત્યેક સરકારનો ફાળો મોટો છે:નરેન્દ્ર મોદી
મહાનુભાવોની ઐતિહાસિક પરિષદમાં ગુજરાતના વિકાસ માટેનો સર્વ પક્ષિય સંકલ્પ,
ભારતના તમામ રાજ્યો ગુજરાત નું અનુકરણ કરે:અડવાણી, વિતરણ વિનાની સમૃદ્ધિ ખરાબ છે,સંસ્કારના ઝરણાં જોઇએ :કેશુભાઇ, સત્ય સાદગી અને સ્વચ્છતા રાખી સ્વચ્છંદતા દૂર કરો:દિનશા પટેલ
ગુજરાતના ગોલ્ડન જયુબિલી વર્ષની ઉજવણીનો ૧લી જાન્યુઆરીથી પ્રારંભ થયો છે. વિધાન સભામાં આયોજીત સ્વર્ણિમ પરિષદમાં રાજ્યના ભાવિ વિકાસ માટે વાદ કે વિવાદથી દૂર રહી એક સાથે આગળ વધવાનો સર્વ પક્ષિય સંકલ્પ પારિત કરવામાં આવ્યો હતો. આ સંકલ્પની રજુઆત વખતે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ એવી ખાતરી આપી હતી કે તેમની સરકાર સૌને સાથે લઇને ચાલશે. જો કે માજી મુખ્ય મંત્રી કેશુભાઇ પટેલ અને કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે વિકાસના તબક્કાને સમર્થન આપી મીઠી ટકોર પણ કરી હતી. તેઓ અણગમો છુપાવી શકયા ન હતા. ભાજપના ટોચના રાષ્ટ્રીય નેતા અડવાણીએ ગુજરાત જેવી ઉજવણી તમામ રાજ્યમાં થવી જોઇએ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે આમંત્રિત કેન્દ્રીય નેતાઓ અને રાજ્યના પૂર્વ અને વર્તમાન નેતાઓ ઉપસ્થિત હતા પરંતું ત્રણ ભૂતપૂર્વ મુખ્ય મંત્રીઓની ગેરહાજરી નોંધ પાત્ર બની હતી. ગુજરાત વિધાન સભાને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. ઉંમરના કારણે તેમની શારિરીક સ્થિતિ નબળી પડી હતી એવા સભ્યો પણ ઉત્સાહ સાથે આવ્યા હતા. ઘણાં વર્ષો પછી સભાગૃહમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળતાં રાજીના રેડ થઇ ગયેલા ૫૦ વર્ષ જુના ધારાસભ્યો પોતાના ભૂતકાળને વાગોળી રહ્યા હતા. શુક્રવારે બપોરના સમયે વિધાન સભા ગૃહમાં પરિષદના પ્રારંભ પછી મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ સ્વર્ણિમ સંકલ્પની જાહેરાત કરતાં કહ્યું હતું કે ગુજરાતની સ્થાપના પછીના ૫૦ વર્ષના ડેવલપમેન્ટ ગ્રાફમાં કોઇ એક સરકાર કે કોઇ એક વ્યક્તિનું યોગ દાન નથી પરંતું વિકાસની ઉંચાઇઓ સર કરવામાં પાયો નાંખનારા મહાનુભાવોથી લઇને વિકાસની કેડી કંડારનારા તમામ સહભાગી છે. ૭૦૫ જેટલા આમંત્રિતોથી શોભી ઉઠેલી આ પરિષદ સભા સમક્ષ મોદીએ કહ્યું હતું કે અમે લોક સભા, રાજ્ય સભા અને વિધાન સભાના તમામ ભૂતપૂર્વ અને વર્તમાન સભ્યો ૨૦૧૦ના વર્ષને સુવર્ણ તક ગણી રાજ્યના વિકાસ માટે સમર્પિત થઇએ છીએ. હું માનું છું કે રાજ્યની પ્રગતિમાં નીચે ઉભેલા લોકોનો પુરુષાર્થ, યોગ દાન તેમજ તેમના જીવનના અમૂલ્ય દિવસોનો ભોગ છે. આ તબક્કે હું અત્યાર સુધીમાં સત્તા સ્થાને આવેલા તમામ મુખ્ય મંત્રીઓનો ઋણી છું. આખા વર્ષ દરમિયાન જન ભાગીદારીથી વિકાસની મંઝીલ ઉભી કરવાની છે અને વિશ્વમાં ગુજરાતીઓને ગૌરવ અપાવવાનું છે. આ એક ઐતિહાસિક પ્રસંગ છે અને તેને પ્રેરક, અસરકારક વળાંક આપવાનો છે.
પ્રજાના સપનાને પુરા કરવા માગતા સરકારના સ્વર્ણિમ સંકલ્પને વધાવી રાજ્યપાલ ડો. કમલા બને કહ્યું હતું કે ૨૦૧૦ના વર્ષમાં ગુજરાત તેજી સાથે વિકાસના કામોમાં કોઇ કસર નહીં છોડે. છેલ્લા પ૦ વર્ષમાં આવેલા તમામ મુખ્ય મંત્રીઓએ રાજ્યનો નિરંતર વિકાસ કર્યો છે. હું રાજસ્થાની છું અને અમારા રાજ્યએ ગુજરાતને સગા ભાઇની જેમ જોયું છે. ગુજરાતે જ અમને લગન, મહેનત અને સચ્ચાઇ શિખવી છે. તપસ્યા એ ગુજરાતીઓની એક ખૂબી રહી છે. શ્વેત ક્રાન્તિના જનક એવા ગુજરાતે ઔધ્યોગિક ક્રાન્તિમાં પણ નંબર વનનું સ્થાન હાંસલ કયું છે કારણ કે અહીં જનતાનું રાજ છે. જે સરકાર લોકો માટે વિચારે તે સફળ બને છે. પરિષદ પૂર્વે વિધાન સભાના અધ્યક્ષ અશોક ભટ્ટે સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે ૨૦૧૦ની પહેલી મે ના રોજ ગુજરાત ૫૦ વર્ષનું થવાનું છે ત્યારે એક વર્ષ સુધી રાજ્યમાં સ્વર્ણિમ સિદ્ધિ અને સોપાનનું તર્પણ ગુજરાતની પ્રજાને થવાનું છે. તેમણે ઉપસ્થિત મહાનુભાવોને આવકાર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહી શક્યા નથી તેવા ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી પ્રણવ મુકરજીના સ્વર્ણિમ સંકલ્પને સમર્થન આપતા સંદેશાનું વાંચન કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં ૧લી મે ની ઉજવણી

૧લી મે-૨૦૦૮ના રોજ ગુજરાતના પ્રથમ મુખ્ય મંત્રી ડો.જીવરાજ મહેતાના વતન અમરેલીથી શરૂ થયેલી સંકલ્પ યાત્રાનો પહેલો તબક્કો પુરો થયો છે. બીજા તબક્કામાં સમગ્ર રાજ્યમાં વિવિધ સ્પર્ધાઓ યોજાશે. ત્યારબાદ ૧લી મે-૨૦૧૦ના રોજ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ગુજરાત સરકાર સ્થાપના દિનની રંગેચંગે ઉજવણી કરશે અને ઉત્સવનું સમાપન રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ૧લી મે-૨૦૧૧ના રોજ કરવામાં આવશે. દરમ્યાન મોદી સરકાર જાન્યુઆરી-૨૦૧૧ના રોજ સાયન્સ સિટીમાં પાંચમી ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ યોજશે

ગુજરાત દેશ માટે અનુકરણીય છેઃ અડવાણી

ગુજરાત દેશ માટે અનુકરણીય છેઃ અડવાણી
સ્વર્ણિમ વર્ષ વખતે તમામ પૂર્વ મુખ્ય મંત્રીઓ,મંત્રીઓ, પૂર્વ-વર્તમાન સાંસદો, ધારા સભ્યોને એકી સાથે બોલાવી તેમને સ્વર્ણિમ સંકલ્પ લેવડાવવાના વિચારને દેશ માટે અનુકરણીય ગણાવી લોકસભામાં વિપક્ષના પૂર્વ નેતા અને ગાંધીનગરના સાંસદ અડવાણીએ કહ્યું હતું કે ગુજરાત દેશ માટે અનુકરણીય છે. આજે ગુજરાત વિધનસભા ખાતે સ્વર્ણિમ સંસદીય પરિષદમાં અડવાણીએ કહ્યું હતું કે કોઈ એક પ્રદેશનો વિકાસ કોઈ એક સરકાર માટે શકય નથી.આ તો,અત્યારસુધી જેટલી સરકારો આ રાજયમાં આવી અને તેમણે વિકાસની જે દિશા પકડી હતી તેને આ સરકારે આગળ વધારી છે બલ્કે ઝડપ આપી છે. ગુજરાતે જે વિકાસ સાધ્યો છે તે કોઈ એક રાજકીય નેતાને કારણે નહીં પરંતુ રાજયની જનતાને કારણે તે સાધી શકાયો છે. આવી પરિસ્થિતિમાં તમામ સરકારોના વડાઓ અને લોક પ્રતિનિધિઓને બોલાવી તેમનો ઋણ સ્વીકાર કરવાનો વિચાર અનુકરણીય છે.
અડવાણીએ કહ્યું હતું કે જેમ ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારકા આવીને વસ્યા હતા તેમ તેમના પિતા પણ સિંધ-પાકિસ્તાનથી ગુજરાતના કચ્છમાં આવીને વસ્યા હતા.એ પછી તેઓ પાંચ પાંચ વાર ગુજરાતની ગાંધીનગરની બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. ગુજરાતની સ્વર્ણિમ જયંતિનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે સાડા પાંચ કરોડ ગુજરાતીઓ એક-એક સંકલ્પ લઈને એક-એક કદમ આગળ વધશે તો ગુજરાતને વિકાસની દિશામાં આગળ વધતાં કોઈ રોકી શકશે નહીં એટલું જ નહીં પરંતુ ગુજરાત ભારતનો જ એક પ્રદેશ છે ત્યારે ભારતને આગળ વધતાં કોઈ રોકી શકશે નહીં ૧૯મી અને ૨૦ સદી ભલે રશિયા અને અમેરિકાની હશે પણ ૨૧મી સદી ભારતની છે.

રાજકોટના એસ્ટ્રોન ચોકમાં કોર્પો.ની ટીમે ધક્કો મારતા વેપારીનું મોત તંગદિલી

રાજકોટના એસ્ટ્રોન ચોકમાં કોર્પો.ની ટીમે ધક્કો મારતા વેપારીનું મોત તંગદિલી
નવા વર્ષના પ્રથમ જ દિવસે રાજકોટના હાર્દ સમાન એસ્ટ્રોન ચોકમાં આજે બપોરે ઉઘરાણા કરવા નિકળેલી મહાપાલિકાની જગ્યા રોકાણ શાખાના સ્ટાફે ફ્રુટના વેપારી સાથે દાદાગીરી કરી ધક્કે ચડાવતાં વેપારી પ્રૌઢનું પડી જતાં ઘટના સ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. આ બનાવના પગલે ભારે તંગદીલી ફેલાઈ ગઈ હતી અને રોષે ભરાયેલા વેપારીઓએ જગ્યા રોકાણ શાખાની જીપમાં તોડફોડ કરી ઉંધી નાંખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ કાફલો સમયસર પહોંચી ગયો હતો અને હળવો લાઠીચાજ કરી તોફાને ચડેલા વેપારીઓ અને ટોળાને ભગાડી મુકયા હતાં. બીજી બાજુ વેપારીઓનો રોષ જોઈને જગ્યા રોકાણ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓએ જીવ બચાવવા મુઠીઓ વાડી હતી. આ બનાવે ભારે ચકચાર જગાવી છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટના એસ્ટ્રોન ચોકમાં વીર જલા સીઝન સ્ટોર્સ નામની ફ્રુટની દુકાન ધરાવતાં વેપારી અનિલભાઈ વલ્લભદાસ કુંડલીયા (ઉ.વ.૫૮) આજે બપોરે પોતાની દુકાને બેઠા હતા ત્યારે જગ્યા રોકાણ શાખાની જીપ જી.જે.૩-ડીડી-૨૦૨૯ તેમની દુકાન પાસે આવી ઉભી રહી હતી અને તેમાંથી ત્રણ થી ચાર અધિકારીઓ અને કર્મચારીઓ નીચે ઉતર્યા હતાં. જગ્યા રોકાણ શાખાના સ્ટાફે દુકાનની બહાર ટેબલ નાંખી ફ્રુટનો વેપાર કરતાં વેપારી પ્રૌઢ પાસે દંડની માગણી કરી હતી અને રૂપિયા ૫૦૦ દંડ ન ભરવો હોય તો રૂા.૨૦૦ આપો તેમ કહ્યું હતું જેમાં રકજક થતાં સ્ટાફે ટેબલ પર પડેલ ફ્રુટ ભરવા લાગ્યા હતાં. દાદાગીરીનો વેપારી પ્રૌઢે વિરોધ કરતાં ઉશ્કેરાયેલા જગ્યા રોકાણ શાખાના સ્ટાફે લોહાણા પ્રૌઢને ધકકો મારી દીધો હતો જેના કારણે તેઓ રોડ પર પડી જતા આઘાતના કારણે તેમને હાર્ટએટેક આવી જતાં વેપારીનું ધટના સ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.

01 January Fresh news રાજકોટના એસ્ટ્રોન ચોકમાં કોર્પો.ની ટીમે ધક્કો મારતા વેપારીનું મોત તંગદિલી

01 January Fresh news
રાજકોટના એસ્ટ્રોન ચોકમાં કોર્પો.ની ટીમે ધક્કો મારતા વેપારીનું મોત તંગદિલી
નવા વર્ષના પ્રથમ જ દિવસે રાજકોટના હાર્દ સમાન એસ્ટ્રોન ચોકમાં આજે બપોરે ઉઘરાણા કરવા નિકળેલી મહાપાલિકાની જગ્યા રોકાણ શાખાના સ્ટાફે ફ્રુટના વેપારી સાથે દાદાગીરી કરી ધક્કે ચડાવતાં વેપારી પ્રૌઢનું પડી જતાં ઘટના સ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. આ બનાવના પગલે ભારે તંગદીલી ફેલાઈ ગઈ હતી અને રોષે ભરાયેલા વેપારીઓએ જગ્યા રોકાણ શાખાની જીપમાં તોડફોડ કરી ઉંધી નાંખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ કાફલો સમયસર પહોંચી ગયો હતો અને હળવો લાઠીચાજ કરી તોફાને ચડેલા વેપારીઓ અને ટોળાને ભગાડી મુકયા હતાં. બીજી બાજુ વેપારીઓનો રોષ જોઈને જગ્યા રોકાણ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓએ જીવ બચાવવા મુઠીઓ વાડી હતી. આ બનાવે ભારે ચકચાર જગાવી છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટના એસ્ટ્રોન ચોકમાં વીર જલા સીઝન સ્ટોર્સ નામની ફ્રુટની દુકાન ધરાવતાં વેપારી અનિલભાઈ વલ્લભદાસ કુંડલીયા (ઉ.વ.૫૮) આજે બપોરે પોતાની દુકાને બેઠા હતા ત્યારે જગ્યા રોકાણ શાખાની જીપ જી.જે.૩-ડીડી-૨૦૨૯ તેમની દુકાન પાસે આવી ઉભી રહી હતી અને તેમાંથી ત્રણ થી ચાર અધિકારીઓ અને કર્મચારીઓ નીચે ઉતર્યા હતાં. જગ્યા રોકાણ શાખાના સ્ટાફે દુકાનની બહાર ટેબલ નાંખી ફ્રુટનો વેપાર કરતાં વેપારી પ્રૌઢ પાસે દંડની માગણી કરી હતી અને રૂપિયા ૫૦૦ દંડ ન ભરવો હોય તો રૂા.૨૦૦ આપો તેમ કહ્યું હતું જેમાં રકજક થતાં સ્ટાફે ટેબલ પર પડેલ ફ્રુટ ભરવા લાગ્યા હતાં. દાદાગીરીનો વેપારી પ્રૌઢે વિરોધ કરતાં ઉશ્કેરાયેલા જગ્યા રોકાણ શાખાના સ્ટાફે લોહાણા પ્રૌઢને ધકકો મારી દીધો હતો જેના કારણે તેઓ રોડ પર પડી જતા આઘાતના કારણે તેમને હાર્ટએટેક આવી જતાં વેપારીનું ધટના સ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.

ગુજરાત દેશ માટે અનુકરણીય છેઃ અડવાણી
સ્વર્ણિમ વર્ષ વખતે તમામ પૂર્વ મુખ્ય મંત્રીઓ,મંત્રીઓ, પૂર્વ-વર્તમાન સાંસદો, ધારા સભ્યોને એકી સાથે બોલાવી તેમને સ્વર્ણિમ સંકલ્પ લેવડાવવાના વિચારને દેશ માટે અનુકરણીય ગણાવી લોકસભામાં વિપક્ષના પૂર્વ નેતા અને ગાંધીનગરના સાંસદ અડવાણીએ કહ્યું હતું કે ગુજરાત દેશ માટે અનુકરણીય છે. આજે ગુજરાત વિધનસભા ખાતે સ્વર્ણિમ સંસદીય પરિષદમાં અડવાણીએ કહ્યું હતું કે કોઈ એક પ્રદેશનો વિકાસ કોઈ એક સરકાર માટે શકય નથી.આ તો,અત્યારસુધી જેટલી સરકારો આ રાજયમાં આવી અને તેમણે વિકાસની જે દિશા પકડી હતી તેને આ સરકારે આગળ વધારી છે બલ્કે ઝડપ આપી છે. ગુજરાતે જે વિકાસ સાધ્યો છે તે કોઈ એક રાજકીય નેતાને કારણે નહીં પરંતુ રાજયની જનતાને કારણે તે સાધી શકાયો છે. આવી પરિસ્થિતિમાં તમામ સરકારોના વડાઓ અને લોક પ્રતિનિધિઓને બોલાવી તેમનો ઋણ સ્વીકાર કરવાનો વિચાર અનુકરણીય છે.
અડવાણીએ કહ્યું હતું કે જેમ ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારકા આવીને વસ્યા હતા તેમ તેમના પિતા પણ સિંધ-પાકિસ્તાનથી ગુજરાતના કચ્છમાં આવીને વસ્યા હતા.એ પછી તેઓ પાંચ પાંચ વાર ગુજરાતની ગાંધીનગરની બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. ગુજરાતની સ્વર્ણિમ જયંતિનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે સાડા પાંચ કરોડ ગુજરાતીઓ એક-એક સંકલ્પ લઈને એક-એક કદમ આગળ વધશે તો ગુજરાતને વિકાસની દિશામાં આગળ વધતાં કોઈ રોકી શકશે નહીં એટલું જ નહીં પરંતુ ગુજરાત ભારતનો જ એક પ્રદેશ છે ત્યારે ભારતને આગળ વધતાં કોઈ રોકી શકશે નહીં ૧૯મી અને ૨૦ સદી ભલે રશિયા અને અમેરિકાની હશે પણ ૨૧મી સદી ભારતની છે.
ગુજરાતના વિકાસમાં પ્રત્યેક સરકારનો ફાળો મોટો છે:નરેન્દ્ર મોદી
મહાનુભાવોની ઐતિહાસિક પરિષદમાં ગુજરાતના વિકાસ માટેનો સર્વ પક્ષિય સંકલ્પ,
ભારતના તમામ રાજ્યો ગુજરાત નું અનુકરણ કરે:અડવાણી, વિતરણ વિનાની સમૃદ્ધિ ખરાબ છે,સંસ્કારના ઝરણાં જોઇએ :કેશુભાઇ, સત્ય સાદગી અને સ્વચ્છતા રાખી સ્વચ્છંદતા દૂર કરો:દિનશા પટેલ
ગુજરાતના ગોલ્ડન જયુબિલી વર્ષની ઉજવણીનો ૧લી જાન્યુઆરીથી પ્રારંભ થયો છે. વિધાન સભામાં આયોજીત સ્વર્ણિમ પરિષદમાં રાજ્યના ભાવિ વિકાસ માટે વાદ કે વિવાદથી દૂર રહી એક સાથે આગળ વધવાનો સર્વ પક્ષિય સંકલ્પ પારિત કરવામાં આવ્યો હતો. આ સંકલ્પની રજુઆત વખતે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ એવી ખાતરી આપી હતી કે તેમની સરકાર સૌને સાથે લઇને ચાલશે. જો કે માજી મુખ્ય મંત્રી કેશુભાઇ પટેલ અને કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે વિકાસના તબક્કાને સમર્થન આપી મીઠી ટકોર પણ કરી હતી. તેઓ અણગમો છુપાવી શકયા ન હતા. ભાજપના ટોચના રાષ્ટ્રીય નેતા અડવાણીએ ગુજરાત જેવી ઉજવણી તમામ રાજ્યમાં થવી જોઇએ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે આમંત્રિત કેન્દ્રીય નેતાઓ અને રાજ્યના પૂર્વ અને વર્તમાન નેતાઓ ઉપસ્થિત હતા પરંતું ત્રણ ભૂતપૂર્વ મુખ્ય મંત્રીઓની ગેરહાજરી નોંધ પાત્ર બની હતી. ગુજરાત વિધાન સભાને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. ઉંમરના કારણે તેમની શારિરીક સ્થિતિ નબળી પડી હતી એવા સભ્યો પણ ઉત્સાહ સાથે આવ્યા હતા. ઘણાં વર્ષો પછી સભાગૃહમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળતાં રાજીના રેડ થઇ ગયેલા ૫૦ વર્ષ જુના ધારાસભ્યો પોતાના ભૂતકાળને વાગોળી રહ્યા હતા. શુક્રવારે બપોરના સમયે વિધાન સભા ગૃહમાં પરિષદના પ્રારંભ પછી મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ સ્વર્ણિમ સંકલ્પની જાહેરાત કરતાં કહ્યું હતું કે ગુજરાતની સ્થાપના પછીના ૫૦ વર્ષના ડેવલપમેન્ટ ગ્રાફમાં કોઇ એક સરકાર કે કોઇ એક વ્યક્તિનું યોગ દાન નથી પરંતું વિકાસની ઉંચાઇઓ સર કરવામાં પાયો નાંખનારા મહાનુભાવોથી લઇને વિકાસની કેડી કંડારનારા તમામ સહભાગી છે. ૭૦૫ જેટલા આમંત્રિતોથી શોભી ઉઠેલી આ પરિષદ સભા સમક્ષ મોદીએ કહ્યું હતું કે અમે લોક સભા, રાજ્ય સભા અને વિધાન સભાના તમામ ભૂતપૂર્વ અને વર્તમાન સભ્યો ૨૦૧૦ના વર્ષને સુવર્ણ તક ગણી રાજ્યના વિકાસ માટે સમર્પિત થઇએ છીએ. હું માનું છું કે રાજ્યની પ્રગતિમાં નીચે ઉભેલા લોકોનો પુરુષાર્થ, યોગ દાન તેમજ તેમના જીવનના અમૂલ્ય દિવસોનો ભોગ છે. આ તબક્કે હું અત્યાર સુધીમાં સત્તા સ્થાને આવેલા તમામ મુખ્ય મંત્રીઓનો ઋણી છું. આખા વર્ષ દરમિયાન જન ભાગીદારીથી વિકાસની મંઝીલ ઉભી કરવાની છે અને વિશ્વમાં ગુજરાતીઓને ગૌરવ અપાવવાનું છે. આ એક ઐતિહાસિક પ્રસંગ છે અને તેને પ્રેરક, અસરકારક વળાંક આપવાનો છે.
પ્રજાના સપનાને પુરા કરવા માગતા સરકારના સ્વર્ણિમ સંકલ્પને વધાવી રાજ્યપાલ ડો. કમલા બને કહ્યું હતું કે ૨૦૧૦ના વર્ષમાં ગુજરાત તેજી સાથે વિકાસના કામોમાં કોઇ કસર નહીં છોડે. છેલ્લા પ૦ વર્ષમાં આવેલા તમામ મુખ્ય મંત્રીઓએ રાજ્યનો નિરંતર વિકાસ કર્યો છે. હું રાજસ્થાની છું અને અમારા રાજ્યએ ગુજરાતને સગા ભાઇની જેમ જોયું છે. ગુજરાતે જ અમને લગન, મહેનત અને સચ્ચાઇ શિખવી છે. તપસ્યા એ ગુજરાતીઓની એક ખૂબી રહી છે. શ્વેત ક્રાન્તિના જનક એવા ગુજરાતે ઔધ્યોગિક ક્રાન્તિમાં પણ નંબર વનનું સ્થાન હાંસલ કયું છે કારણ કે અહીં જનતાનું રાજ છે. જે સરકાર લોકો માટે વિચારે તે સફળ બને છે. પરિષદ પૂર્વે વિધાન સભાના અધ્યક્ષ અશોક ભટ્ટે સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે ૨૦૧૦ની પહેલી મે ના રોજ ગુજરાત ૫૦ વર્ષનું થવાનું છે ત્યારે એક વર્ષ સુધી રાજ્યમાં સ્વર્ણિમ સિદ્ધિ અને સોપાનનું તર્પણ ગુજરાતની પ્રજાને થવાનું છે. તેમણે ઉપસ્થિત મહાનુભાવોને આવકાર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહી શક્યા નથી તેવા ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી પ્રણવ મુકરજીના સ્વર્ણિમ સંકલ્પને સમર્થન આપતા સંદેશાનું વાંચન કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં ૧લી મે ની ઉજવણી

૧લી મે-૨૦૦૮ના રોજ ગુજરાતના પ્રથમ મુખ્ય મંત્રી ડો.જીવરાજ મહેતાના વતન અમરેલીથી શરૂ થયેલી સંકલ્પ યાત્રાનો પહેલો તબક્કો પુરો થયો છે. બીજા તબક્કામાં સમગ્ર રાજ્યમાં વિવિધ સ્પર્ધાઓ યોજાશે. ત્યારબાદ ૧લી મે-૨૦૧૦ના રોજ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ગુજરાત સરકાર સ્થાપના દિનની રંગેચંગે ઉજવણી કરશે અને ઉત્સવનું સમાપન રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ૧લી મે-૨૦૧૧ના રોજ કરવામાં આવશે. દરમ્યાન મોદી સરકાર જાન્યુઆરી-૨૦૧૧ના રોજ સાયન્સ સિટીમાં પાંચમી ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ યોજશે

ગડકરીએ મોદીના ભરપેટ વખાણ કર્યાં

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી બી.જે.પી. શાસિત રાજ્યો માટે એક સારા રોલ મોડલ છે પરંતુ તે પાર્ટી તરફથી પી.એમ. પદના ઉમેદવાર બનશે કે નહી તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી. મહારાષ્ટ્રના નેતાઓની નજરમાં નરેન્દ્ર મોદી ભારતમાં સૌથી સારા મુખ્ય મંત્રી છે અને બી.જે.પી. શાસિત રાજ્યો તેમની પાસેથી ઘણુ બધું શીખી શકે છે. ભારતીય ઈતિહાસમાં મોદી હજુ સુધીના સારા મુખ્ય મંત્રી રહ્યાં છે. તે એક સારી ઈમેજ ઘરાવતા વ્યક્તિ છે. બીજા રાજ્યો માટે હું તેમનો અભિપ્રાય જરૂર લઈશ. હવે હું એક કોન્ફરન્સ કરવા જઈ રહ્યો છું જેમાં હું આ મુદ્દે વાત થશે કે કેવી રીતે બી.જે.પી. શાસિત પ્રદેશમાં સારું કામ કરી શકાય. અમે મોદીની મદદ એક સારી સરકાર રચવાના રૂપમાં લઈ શકીએ છીએ. જ્યારે ગડકરીને પુછવામાં આવ્યું કે શું મોદીને 2014ના લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પીએમ પદના દાવેદાર તરીકે જોઈ શકાય ? તો આના જવાબમાં તેમણે કહ્યું હતું કે તે પાર્ટીના એક સારા નેતા છે પરંતુ પીએમ પદના દાવેદારી પર કંઈ પણ કહેવું અત્યારે જલ્દી હશે.

‘વિકાસ માટે પક્ષાપક્ષીથી દૂર રહેવું જરૂરી’
સ્વર્ણિમ ગુજરાત પરિષદમાં પૂર્વ મુખ્ય મંત્રી માધવ સિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આપણે ગાંધી અને સરદારની જન્મ અને કર્મ ભૂમિ એવા ગુજરાતમાં જન્મ્યાનો ગર્વ છે. પક્ષાપક્ષીથી દૂર રહેવાશે તો અકલ્પનીય વિકાસ સાધી શકાશે. તેમણે કહ્યું હતું કે કવિ નર્મદે લખ્યું છે તેમ આ ‘ગરવી ગુજરાત’છે. ભારતના નકશામાં તેનું સ્થાન નાનકડું છે પણ વાસ્તવમાં ગુજરાત એટલે એક નાનકડું દેશ હોય તેમ તેમાં બધું જ છે.તેમણે એક અનુભવ ટાંકતા કહ્યું કે બી.બી.સી.ના એક પત્રકારને ભારત વિશે લકવાનું કહેવાયું હતું ત્યારે તેણે માત્ર ગુજરાત વિશે લખીને ભારત વિશે લખ્યા હોવાનું સમજી સંતોષ માન્યો હતો.એવું આ ગુજરાત છે.
સોલંકીએ બીજો દાખલો ટાંકતાં જણાવ્યું કે જયારે ભગવાન શ્રીકૃષ્ણને તેમના યાદવો સાથે મથુરા છડવું પડ્યું હતું ત્યારે તેમણે ગુજરાતને પસંદ કયું હતું અને તેઓ દ્વારકા આવીને વસ્યા હતા.એ પછી પણ આ ઈતિહાસ સતત દહોરાતો ગયો છે કેમ કે આઝાદીકાળ વખતે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પણ ગુજરાતના હતા. પાકિસ્તાનના પ્રથમ પ્રમુખ મહંમદ અલી જિન્હાના બાપ-દાદા પણ ગુજરાતી હતા. દેશની પ્રથમ પાર્લામેન્ટના પ્રથમ સ્પીકર માવલેન્કર દાદા પણ અને તે પહેલા પ્રથમ અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલ પણ ગુજરાતી હતા. નવ નિર્માણ આંદોલનને યાદ કરીને તેમણે કહ્યું કે તે વખતે જય પ્રકાશ નારાયણ ગુજરાત આવ્યા હતા ત્યારે અહીના યુવકોનો જુસ્સો અને આંદોલનને જોઈ પ્રભાવિત થયા હતા તે પછી તેમણે બિહાર જઈ તેનું પુનરાવર્તન કયું હતું એટલે આ એવું ગુજરાત છે કે આપણે અહીં જનમ્યા છીએ તેનો ગૌરવ લેવા જેવું છે.આમ છતાં જો ગુજરાતમાં પક્ષાપક્ષીથી દૂર રહને અકલ્પનીય વિકાસ સાધી શકાશે.
લગ્ન બહારના સંબંધો! ડોન્ટ વરી
જો તમારા પતિ કોઇ બીજી સ્ત્રી સાથે લગ્નેત્તર સંબંધોની મજા લઇ રહ્યા હોય તો ગુસ્સામાં આવીને તેની પાછળ ચાકૂ લઇને ના પડી જશો કારણ કે લગ્નેત્તર સંબંધો તંદુરસ્ત લગ્નજીવન માટે સારા છે તેમ હાલમાં થયેલો એક અભ્યાસ જણાવે છે. ફ્રાંસની પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક મેર્સી વેઇલેંટે પોતાના નવા વિવાદાસ્પદ પુસ્તકમાં લગ્નજીવન, પુરૂષ, પ્રેમ, પ્રમાણિકતા વિશે વિગતવાર ચર્ચા કરી છે અને તેના મતે લગ્નેત્તર સંબંધો વિવાહિત જીવન માટે સારા છે. આ મનોવૈજ્ઞાનિકે ગણતરી સાથે જણાવ્યું છે કે લગ્નેત્તર સંબંધો રાખનારો પુરૂષ તેના લગ્નજીવનને ટકાવી શકે છે.

તે જણાવે છે કે લગ્નેત્તર સંબંધોમાં મોટાભાગે પુરૂષ પત્ની સિવાયની સ્ત્રીને સાચો પ્રેમ નથી કરતો હોતો અને તેઓ ફક્ત પોતાને મળેલી આઝાદીને માણી રહ્યા હોય છે. એક પત્નીત્વભાવ ધરાવતા પતિ માટે બેવફાઇ કરવી શક્ય નથી.

વફાદારી સ્વાભાવિક નહીં પણ સાંસ્કૃતિક છે અને બેવફાઇ અનિવાર્ય મનોવૈજ્ઞાનિક વલણ છે અને પુરૂષ પોતાના પ્રેમમાં એટલો છે જેટલો પહેલા હતો તેમ માનતી મહિલાઓ પુરૂષના લગ્નેત્તર સંબંધોને પોતાના લગ્નજીવનને મજબુત કરવા સારી રીતે ઉપયોગમાં લઇ શકે છે. પોતાના પુસ્તકમાં મેર્સીએ એમપણ જણાવ્યું છે કે પ્રેમનો અર્થ વફાદારી થાય છે તેવી વ્યાખ્યા ન કરી શકાય.














*


*
*


*
*

*
*

*
*


*


*
*


*
*

*
*

*
*


*
*
*
*


*
*

*
*

*
*


*
*

30 December 2009

પાક.માં આશુરા દિને વિસ્ફોટ:૩૫નાં મોત, ૮૦થી વધુ ઘાયલ

પાકિસ્તાનમાં મહોરમના દિવસે શિયાઓ દ્વારા યોજાયેલા આશુરાના જુલૂસ દરમિયાન થયેલા પ્રચંડ બોંબ વિસ્ફોટમાં ૩૫ વ્યક્તિનાં મોત નીપજયાં હતાં જ્યારે ૮૦થી વધુને ઈજા પહોંચી હતી.પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં થયેલા આ આત્મઘાતી હુમલામાં આઠ વ્યક્તિનાં મોત નીપજયાં હતાં જ્યારે કરાચીમાં રવિવારે મોડી રાત્રે વિસ્ફોટ થયો હતો. મહોરમ નિમિત્તે નીકળતા જુલૂસના રૂટ પર સુરક્ષા એજન્સી અને પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત હોવા છતાં હુમલાખોર તમામ સુરક્ષા વ્યવસ્થાના ચિંથરા ઉડાવી અંદર ઘૂસી ગયો હતો અને વિસ્ફોટ કરી નિર્દોષ લોકોના જીવ લીધા હતા. કરાચીમાં તાજેતરમાં લઘુમતી સમુદાય પર થયેલો આ ત્રીજો વંશીય હુમલો છે.જિલ્લા વહીવટીતંત્રના વડા જાવેદ હનિફે જણાવ્યું હતું કે બોંબ વિસ્ફોટમાં કુલ ૩૫ વ્યક્તિનાં મોત નીપજ્યાં છે જ્યારે ૮૦થી વધુને ઈજા પહોંચી છે. હુમલાખોરનું માથું મળતાં નક્કી થયું છે કે આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. ઈમામબાગ નજીક જુલૂસ જઈ રહ્યું હતું ત્યારે આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ થતાં જ અહીં ભારે નાસભાગ મચી ગઈ હતી.લોકોને કાબૂમાં લેવા પોલીસે તુરંત હવામાં ગોળીબાર કર્યો હતો. વિસ્ફોટ બાદ તુરંત બચાવ કામગીરી આરંભી ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે હુમલાબાદ કોઈપણ સંગઠને જવાબદારી સ્વીકારી નથી.

વિકાસગૃહમાંથી બે યુવતીઓ નાસી

જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાંથી બે યુવતિઓ નાસી છુટતા ચકચાર મચી ગઇ છે. ચકચારી ગેંગ રેપ પ્રકરણમાં સંડોવાયેલા શખ્સોની ગેંગના સભ્યો સામે સંસ્થાએ શંકાની સોય તાણી છે. પોલીસે સંસ્થાની યુવતિઓના નિવેદનો નોંધી શોધખોળ આદરી છે. બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાંથી રવિવારે રાત્રે બે યુવતિઓ ભાગી છુટતા દોડધામ મચી ગઇ હતી. રાત્રે નવેક વાગ્યે સંસ્થા સંચાલિકા અને ગૃહ માતા સહિતનાને જાણ થતાં તાત્કાલીક પોલીસ બોલાવવામાં આવી હતી. બિલ્કીશબેન (ઉ.વ.૧૯) અને રાજુબેન ચૌહાણ (ઉ.વ.૧૮) નામની બન્ને યુવતિઓ સંસ્થાની પાછળના ભાગે આવેલી વંડી કુદી નાસી છુટયાનું સંસ્થા સંચાલિકા કમળાબેને જણાવ્યુ હતું.

શિપ મેકિંગ - સોલાર એનર્જી માટે જાપાન-ગુજરાત પાર્ટનર

ગુજરાતમાં શિપ મેકિંગ ઇન્ડસ્ટ્રીઝ અને સોલાર એનર્જી માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાન સરકાર સાથે ભાગીદારી કરી છે. ઉપરાંત જીઓ એન્જિનિયિંરગ તેમજ ગ્રીન એન્વાયર્નમેન્ટ ટેક્નોલોજી ક્ષેત્રે સહકાર મેળવવાનું નક્કી કર્યું છે. ભારત અને જાપાનના સંયુક્ત દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોજેક્ટમાં સૌથી મોટો ભાગ ગુજરાતમાં આવે છે ત્યારે નવા આયામ સાથે આ સંબંધો વધુ મજબૂત બને તે દિશામાં ફળદાયી ચર્ચા કરવામાં આવી હતી.જાપાનના વડાપ્રધાન યુકીઓ હાટોયામા અને નરેન્દ્ર મોદી વચ્ચે રવિવારે મુંબઈમાં ૪૦ મિનિટ સુધી યોજાયેલી બેઠકમાં આર્થિક, ઔધોગિક અને આંતર માળખાકીય સુવિધાનાં ક્ષેત્રોમાં ભાગીદારી વિકસાવવા બંને મહાનુભાવો તૈયાર થયા હતા. છેલ્લી વાઇબ્રન્ટ સમિટમાં જાપાનની કન્ટ્રી પાર્ટનરશિપ તરીકેની પ્રતિષ્ઠા આપવા માટે મોદીએ વડાપ્રધાનનો આભાર માન્યો હતો જાપાનનો સહયોગ માગી મોદીએ કહ્યું હતું કે, ગુજરાતના સાગર કિનારે શિપ મેકિંગનો ઉદ્યોગ વિકસી શકે તેમ છે.

ડાંગમાં ‘રામાયણ સરકિટ’ બનશે

રામાયણમાં જેનો ઉલ્લેખ દંડકારણ્ય તરીકે થયો છે તેવા ગુજરાતના ડાંગ જિલ્લામાં ભગવાન રામ અને હનુમાનજીએ ગુજરાતમાં ગાળેલા સ્થળોને પ્રવાસન સરકિટમાં વણી લઈને સરકારે એક પ્રોજેક્ટ અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે. વનરાજીથી ધેરાયેલા દક્ષિણ પ્રાંતના ડાંગમાં આવેલાં આ પૌરાણિક સ્થળોને જીવંત બનાવવા મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ પ્રવાસન વિભાગને આદેશ કર્યો છે. એટલું જ નહીં, આગામી બજેટમાં આ પ્રોજેક્ટ માટે અલગ ભંડોળ ફાળવવા ઉપરાંત કેન્દ્ર સરકાર પાસેથી સહાય માગવાનો તખતો ઘડાઈ ચૂક્યો છે. આ પ્રોજેક્ટમાં રામાયણમાં દર્શાવેલાં સ્થળોને જોડતા રસ્તાનું નવીનીકરણ, પ્રવાસીઓ માટેની સગવડો, પૌરાણિક કથા પ્રમાણેનાં પાત્રોની સ્થાપના તેમજ તે સમયનું કુદરતી સૌંદર્ય સમાવી લેવાશે.

દરેક ફરિયાદને F.I.R. ગણવા રાજ્યોને આદેશ

રુચિકા વિનય ભંગ કેસમાં સામે આવેલા પરિણામોને જોતાં ગૃહ મંત્રાલયે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પોલીસ મથકે મળતી તમામ ફરિયાદને એફ.આઇ.આર. માનીને જ તેના પર કામગીરી કરવાનો આદેશ આપ્યો છે. ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને આ મુજબનો પરિપત્ર જારી કરવા નિર્ણય લઇ લીધો છે. આગામી સપ્તાહે આ પરિપત્ર જાહેર થશે. દરમિયાન પોલીસ અધિકારી કોઇપણ આરોપમાં દોષિત ઠરતાં આપોઆપ તેના પોલીસ અને બહાદુરી મેડલ પાછા ખેંચાયેલા માનવા અંગેનો નિયમ બનાવવાની કાર્યવાહી પણ ચાલી રહી છે.

29 December 2009

તમે વડાપ્રધાન ક્યારે બનશો? તું ૨૦ વર્ષની થઈશ ત્યારે...

૧૭મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસના બીજા દિવસે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોનાં બાળકો સાથે ખાસ સંવાદ સાઘ્યો હતો. દોઢ કલાક જેટલો સમય બાળકો સાથે પસાર કરનારા મુખ્યમંત્રીએ ક્યાંક નિર્દોષ પ્રશ્નોની ગંભીરતાની નોંધ લીધી તો ક્યાંક ગંભીર પ્રશ્નોના નિર્દોષ જવાબો વાળ્યા હતા. બાળવિજ્ઞાનીઓએ અસાધારણ રીતે રાજકીય પ્રશ્નોની પણ ઝડી વરસાવી હતી. મોદીને ખાસ કરીને તમે વડાપ્રધાન ક્યારે બનશો તેવા પ્રશ્ન પણ અનેક બાળકોએ પૂછયા હતા. જેમાં એક વિદ્યાર્થિનીને તેમણે એવો જવાબ આપ્યા હતો કે, ‘ તું ૨૦ વર્ષ પછી મોટી થઇશ ત્યારે ’ . આ જવાબ સાંભળીને બાળ વૈજ્ઞાનિકોમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું. અરુણાચલના વિદ્યાર્થીને તેમણેપૂછ્યું કે, ‘ગુજરાતની કઇ યાદ તમે સાથે લઇ જશો?’ બાળકોએ રાજ્યનાં કુદરતી દ્રશ્યો અને વેજિટેરિયન આહારનાં વખાણ કર્યા હતા. જ્યારે એક બાળકે તેમની સફળતાનું કારણ પૂછ્યું તો તેમણે સખત પરિશ્રમ એમ જવાબ આપ્યો. બાળકોની સાથે ગ્રૂપ ફોટો પડાવતા જે હસશે નહીં તેની તસવીર નહીં આવે તેવી ટિપ્પણી કરી દરેક ફોટોગ્રાફમાં હસતા ચહેરાઓ આવે તેની પૂરી કાળજી લીધી હતી.

કોટલાની ઘટના શરમ જનક : રમત ગમત મંત્રી / સલમાને કેટ સાથેનો બ્રેક અપ સ્વીકાર્યો!

રમત ગમત મંત્રી એમ.એસ.ગિલે ફિરોઝશા કોટલા પિચ પ્રકરણને શરમ જનક કહ્યું હતું કેન્દ્રિય રમત-ગમત મંત્રીએ કહ્યું
કે બોર્ડ અને ડી.ડી.સી.એ. દ્વારા આ મુદ્દે સફાઇ પ્રસ્તુત થવી જોઇએ. ભારત અને શ્રીલંકા વચ્ચેની પાંચમી અને અંતિમ વનડે ક્રિકેટ મેચ રવિવારે દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર એટલા માટે પૂર્ણ નહોતી થઇ શકે કારણકે પીચ પર બોલ ખતરનાક રીતે ઉછળતો હતો. કેન્દ્રિય રમત-ગમત મંત્રીએ જણાવ્યું કે દેશ માટે આ ખુબ દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક ઘટના છે. આ નહોતુ થવું જોઇતું. હું ટીવી પર મેચ નિહાળી રહ્યો હતો. આ પ્રકારની ઘટના શરમજનક છે.


બોલિવૂડ સ્ટાર સલમાન ખાને રવિવારે પોતાનો 44મો જન્મ દિવસ મનાવ્યો હતો. સલ્લુએ પનવેલ ફાર્મ હાઉસમાં આખો દિવસ પસાર કર્યો હતો. આ દિવસે તેણે માત્ર નિકટના અને પરિવારના લોકોને જ જન્મ દિવસની પાર્ટી આપી હતી. આ ખાસ દિવસ પર સલ્લુએ પોતાનો બ્લોગ શરૂ કર્યો કે જેમાં લોકો પોતાની બહાદૂરીની વાતો પોસ્ટ કરી શકશે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે સલમાન આ પાર્ટી દરમિયાન ઘણો જ ખુશ હતો. આમ પણ સલ્લુની પાર્ટીમાં આમંત્રણ મળે તેની રાહ લોકો જોતા હોય છે. આ વર્ષે સલમાન અને કેટરિના કૈફ વચ્ચે તાજેતરમાં જ બ્રેક અપ થયું હોવાથી તેણે પોતાની કોઈ મહિલા મિત્રને પાર્ટીમાં નિમંત્રણ આપ્યું નહોતું. સલમાન નથી ઈચ્છતો કે કોઈ મહિલા મિત્ર તેને બ્રેક અપ પર આશ્વાસન આપે. પાર્ટીમાં સાજીદ વાજીદ, અલીમ હકીમ, શેરા, નદીમ અને વિજય ગિલાની તથા સાજીદ નડિયાદવાળા જેવા નજીકના જ મિત્રો આવ્યા હતા. સલમાને શનિવારે રાતના પરિવાર સાથે પાર્ટી મનાવી હતી

સોનું 17000ની અંદર : : : : ટાટાની નેનોના ભાવ વધશે નહિં

આંતર-રાષ્ટ્રીય સ્તરે ક્રિસમસની ખરીદીને બ્રેક લાગતા સોનાની માંગમાં ઘટાડો નોંધાયો છે. તેમજ સ્થાનિક સ્તરે પણ ઉત્સવ ન હોવાથી સોનાની માંગમાં ઘટાડો થયો છે. આજે દસ ગ્રામ સોનાની કિંમત રૂ.50 ઘટીને 17000ની અંદર રૂ.16,990 થઇ હતી.
સૂત્રોનું કહેવું છે કે છેલ્લાં કેટલાંક દિવસથી આંતર-રાષ્ટ્રીય સ્તરે ક્રિસમસના લીધે સોનામાં જબ્બર માંગ નીકળી હતી. પરંતુ ક્રિસમસ પૂર્ણ થવાની તૈયારીમાં હોવાથી સોનાની ખરીદી પર બ્રેક લાગી છે. આથી સોનાની માંગ ઘટતા ભાવો તૂટયા છે.














ટાટા મોટર્સની નેનોનું જે લોકોએ બુકિંગ કરાવ્યું છે, તેમણે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે કંપનીએ લાખેણી કારના ભાવમાં વધારો કરવાની ના પાડી છે. દેશની આ અગ્રણી કંપનીએ કહ્યું કે વધતા ભાવ ગ્રાહક પર નહિં નાંખે. અન્ય કંપનીઓ નવા વર્ષ ભાવમાં વધારો કરવા જઇ રહી છે, એવામાં ટાટા મોટર્સનું આ આશ્વાસન ગ્રાહકો માટે રાહતથી ઓછું નથી. ટાટા મોટર્સના એમ.ડી. પ્રકાશ એમ. તૈલંગે કહ્યું કે જેટલી કારોનું બુકિંગ થઇ ચૂકયું છે, તેમને વાયદા પ્રમાણેની કિંમતે જ નેનો આપવામાં આવશે.
દુનિયાની આ સૌથી સસ્તી કાર માટે 1.55 લાખ ગ્રાહકો માટે જૂનમાં લોટરી દ્વારા પંસદગી કરવામાં આવી હતી. આ કાર માટે 2 લાખથી વધુ લોકોએ આવેદન કર્યું હતું. કંપની માર્ચ, 2010 સુધીમાં એક લાખ નેનો બજારમાં મૂકશે. કંપનીએ નવેમ્બર સુધીમાં 13,924 કારની ડિલીવરી આપી છે. ટાટા મોટર્સે જાહેરાત કરી હતી કે પહેલા એક લાખ ગ્રાહકોને આ કાર સસ્તામાં અપાશે. આ નાની કારના ત્રણ મોડલ છે. તેની દિલ્લીમાં રૂ.1.23 લાખ થી લઇને રૂ.1.72 લાખ વચ્ચે કિંમત છે.

ફરી આવ્યો રોમેન્ટિક ગીતોનો જમાનો દ્વિઅર્થી કે અર્થહીન ગીતો બાદ ફરી એક વાર અર્થસભર ગીતોનો જમાનો

‘કૈસે બતાયેં, કયોં તુજ કો ચાહેં, યારા બતા ના પાએ...’ ફિલ્મ ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’નું આ ગીત આજ કાલ યુવાઓની જીભે ચઢ્યું છે. કોઈએ આ ગીતને મોબાઇલમાં રિંગ ટોન તરીકે રાખ્યું છે તો કોઈ કોલેજની કેન્ટીનમાં પોતાના મિત્રોની સાથે મળીને આ જ ગીત ગાતું જોવા મળે છે. એટલું જ નહિ, આજ કાલ ફિલ્મી ગીતોનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે ફકત યુવાઓ જ નહિ, પરંતુ દરેક ઉમરના લોકોમાં તથા ઘર-પરિવારના દરેક સભ્યોમાં પણ લોકપ્રિય છે. આ જ કારણ છે કે જે ઘરમાં પહેલેથી જ સાઠ-સિત્તેરના દશકના ગીત સંભળાતાં હતાં ત્યાં આજની ફિલ્મોનાં સોફ્ટ સોફ્ટ સોંગ્સની ધૂન કાને પડે છે, જેથી એટલું તો સ્પષ્ટ છે કે રોમેન્ટિક ગીતોનો જમાનો ફરી આવી ગયો છે, જેને લોકપ્રિય બનાવવામાં યુવાઓનો ફાળો પણ એક મ્યુઝિક ડિરેક્ટર, લિરિક્સ લખનાર અને ગાયક જેટલો જ મહત્વનો છે. હાલ તો ‘થ્રી ઇડિયટ્સ’, ‘પા’, ‘પ્યાર ઇમ્પોસિબલ’, ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ ફિલ્મનાં ગીતો યુવાનો હોઠ ગણગણતાં જોવા મળે છે. સંગીત સાથે સંકળાયેલા વિક્રાંત જૈન જણાવે છે કે ‘યુવાઓમાં રોમેન્ટિક અને ફાસ્ટ મ્યુઝિકની વધારે ડિમાન્ડ છે. સૌથી હોટ મૂવી હાલ તો ‘થ્રી ઇડિયટ્સ’ છે. જોકે ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ થોડી જૂની થઈ ગઈ હોવા છતાં તેનો ક્રેઝ હજુ છવાયેલો છે. ૨૫થી ૨૮ વર્ષની વયે ભલે કોઈ યુવતી પરણી ગઈ હોય, પરંતુ ઘણી વાર ઘરમાં આવાં ગીતો સાંભળતાની સાથે તે ખોવાઈ જાય છે. નર્મિલા પરિણીત છે, પરંતુ તે યુવાન છે. તે કહે છે કે તેને ‘દે દના દન’નું ‘બા મુલાયજા..’ અને ‘અજબ...’નું ‘તું જાને ના...’ ગીત મનને શાંતિ આપે છે.
યુવાઓમાં ફેવરિટ ‘તું જાને ના...’
એન્જિનિયરિંગની વિધાર્થિની નેહા કહે છે કે ‘ફ્રી ટાઇમ હોય ત્યારે મોટા ભાગના સ્ટુડન્ટ્સ ‘તુ જાને ના...’ જ સાંભળતા હોય છે. એટલું જ નહિ, કેટલાક સ્ટુડન્ટ્સે તો આ મૂવીનાં અન્ય ગીતોને તેમના મોબાઇલની રિંગ ટોન અથવા કોલર ટયૂન તરીકે સેટ કરી રાખી છે.’ જ્યારે અનુષ્કા અને આયુષીને ફકત ‘ઓલ ઇઝ વેલ...’ સાંભળવું જ ગમે છે.

મોદી જાપાનના વડાપ્રધાનને મળ્યા

દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર સહિત અન્ય પ્રોજેક્ટ અંગે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડા પ્રધાન યૂકિઓ હાતોયામા સાથે મળીને ચર્ચા કરી તેમ સૂત્રોએ જણાવ્યું હતું. હાતોયામા સાથે લગભગ 40 મિનિટ સુધી ચર્ચા ચાલી હતી અને સારી રહી હતી. આ મીટિંગમાં જાપાન અને ગુજરાત વચ્ચે વેપાર મજબૂત થાય તે અંગે ચર્ચા કરાઇ હતી. તદ્ઉપરાંત નાણાંકીય, ઔદ્યોગિક અને ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટર અંગેની ચર્ચા થઇ હતી. તેમ જ શીપ-બિલ્ડિંગ અને સોલાર એનર્જીની ભાગીદારી અંગે વાતચીત થઇ હતી. તાજેતરમાં જ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં જાપાને પાર્ટનર તરીકે 12 લાખ કરોડના એમ.ઓ.યુ. કર્યા હતા. આ અંગે મોદીએ હાતોયામાનો આભાર માન્યો હતો. આ મીટિંગમાં હાતોયામાએ દિલ્હી-મુંબઇ કોરિડોર પ્રોજેક્ટને ફકત ભારતનો જ નહિં ગ્લોબલ ઇકોનોમી પ્રોજેક્ટ ગણાવયો હતો.

અમદાવાદમાં જુલુસ દરમિયાન પથ્થરમારો તોફાનીઓને કાબૂમાં લેવા ટીયર ગેસના ૯ સેલ છોડાયા..! યુવતીની છેડતી બાદ ટોળા આમને સામને: એસીપી સહીત ચાર પોલીસને ઈજા

સોમવારે સાંજે તાજીયા જુલુસ શાહપુર ચાલતા પીરની દરગાહ, રેંટીયા વાડી પાસેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે યુવતિની છેડતીના મામલે બંને કોમના ટોળા આમને સામને આવી ગયા હતા અને એક બીજા પર જોરદાર પત્થરમારો કરતા સનસનાટી મચી ગઈ હતી. એકાએક ફાટી નિકળેલા હિઁસા ના દોરથી પોલીસ પણ ઉંઘતી ઝડપાઈ હતી અને મામલો વણસે નહીં તે માટે તાબડતોબ કુમક સ્થળ પર પહોંચી ગઈ હતી અને લાઠી ચાર્જ કરીને તોફાનીઓને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પત્થમારો જારી રહેતા પોલીસને ટીયર ગેસના ૯ જેટલા સેલ છોડવાની ફરજ પડી હતી. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે આશરે દસેક મિનિટ સુધી પત્થરમારામાં એક એ.સી.પી. સહીત ચાર પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી. તેમને સારવાર માટે વા.સા. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ જુલુસનો છેલ્લો તાજીયો શાહપુર રેંટીયા વાડીના સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે યુવતિની છેડતી મામલે મામલો બિચકતા બંને કોમના ટોળાએ એક બીજા પર પત્થરમારો કર્યો હતો. વધુ માણસો આવતા ગયા તેમ હાજી બિલ્ડીંગથી ચાલતા પીરની દરગાહ સુધીના રસ્તા પર લોકો એકત્ર થઈ ગયા હતા અને ચારેય બાજુથી જોરદાર પત્થમારો કર્યો હતો. જુલુસના બંદોબસ્તમાં પોલીસ પહેલાથી જ તૈનાત હતી પરંતુ મામલો વણસતા સંયુકત પોલીસ કમિશનર અતૂલ કરવલ અને સતીશ શર્મા પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના ૯ સેલ છોડયા હતા. લગભગ દસેક મિનિટ સુધી એક બીજા પર પત્થરમારો કર્યા બાદ તોફાનીઓ શાંત પડી જતા તાજીયાના જુલુસને પોલીસ સુરક્ષા વચ્ચે આગળ વધારવામાં આવ્યો હતો. જો કે આ બનાવની વાત શહેરના અન્ય વિસ્તારમાં ફેલાતા તોફાનો ફાટી નિકળ્યા હોવાની જોરદાર અફવા ફેલાઈ હતી જેના કારણે બજારો અને દુકાનો ટપોટપ બંધ થઈ ગયા હતા.
સૂત્રોએ જણાવ્યાં અનુસાર પત્થરમારામાં એ.સી.પી. એન.એન. ગોહીલ, કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ, જશ્વતભાઈ દંતાણી અને ગોપાલ પટેલને ઈજા થઈ છે. શાહપુર પોલીસે સત્તાવાર ફરિયાદ નોંધીને તોફાનીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.