18 September 2010

પાકિસ્તાની ફરી ક્રિકેટને કલંકિત કર્યુ, ICCએ તપાસ શરૂ કરી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


પાકિસ્તાની ફરી ક્રિકેટને કલંકિત કર્યુ, ICCએ તપાસ શરૂ કરી

ત્રણ પાકિસ્તાની ક્રિકેટરો કથિત સ્પોટ ફિક્સિંગમાં સંડોવાયેલા હોવાની તપાસ હજી પૂરી નથી થઈ ત્યાં તો પાકિસ્તાની ટીમ ફરી એક વખત ફિક્સિંગના આરોપોમાં ઘેરાઈ ગઈ છે.બ્રિટિશ ટેબ્લોઈડ ધ સન દ્વારા શુક્રવારના રોજ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી વન ડેમાં ફિક્સિંગ થયું હોવાના ખુલાસા બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (આઈસીસી) આ મેચની તપાસ શરૂ કરી દીધી છે.ધ સનમાં દાવો કરવામાં આવ્યો હતો કે શુક્રવારના રોજ રમાયેલી મેચમાં પાકિસ્તાની ઈનિંગ્સ શરૂ થઈ તે પહેલા જ સટ્ટાખોરોને તેની માહિતી મળી ગઈ હતી અને સમાચાર પત્રએ મુકાબલા પહેલા જ આ સંબંધના પૂરાવાઓ આઈસીસીને સોંપ્યા હતા. આ ફિક્સિંગમાં કથિત રૂપે ભારત અને દુબઈના સટ્ટાખોરો સામેલ હતા.આ ખુલાસાના તુરંત બાદ આઈસીસીએ નિવેદન જાહેર કરતા કહ્યું હતું કે ઈનિંગ્સમાં રન બનાવવાની પેર્ટનની સૂચના સાચી લાગ્યા બાદ તેની તપાસ શરૂ કરવામાં આવી રહી છે.જો કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ અહેવાલોને બકવાસ ગણાવતા તેને રદિયો આપ્યો છે અને જણાવ્યું હતું કે તેમાં કોઈ જ સત્ય નથી. આઈસીસીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આઈસીસી એ લંડનના ઓવલમાં 17 સપ્ટેમ્બરના રોજ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ત્રીજી વન ડે દરમિયાન થયેલા ફિક્સિંગ અંગેની તપાસ શરૂ કરી છે. બ્રિટનના એક સમાચાર અને સૂત્ર પાસેથી મળેલી જાણકારી બાદ આઈસીસી એ આ તપાસને મંજૂરી આપી છે.


અસારવા સ્વામીનારાયણ ગુરુકુલના ત્રણ છાત્ર ગુમ

અસારવા ખાતેના(સ્વામીનારાયણ) સહજાનંદ ગુરુકુલ છાત્રાલયમાં ગંજી પાનાનો જુગાર રમતા પકડાયેલા ત્રણ છાત્રોને ગૃપ પતિએ ઠપકો આપતા ત્રણેય છાત્રો મોડી રાતે ગુરુકુલમાંથી ક્યાંક ચાલ્યા ગયા હોવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી દીધી હતી. ગૃહ પતિએ કરેલી જાહેરાતના આધારે શાહીબાગ પોલીસે ત્રણેય છાત્રોના નામ-સરનામા સહિતની માહિતી એકત્રિત કરી તેમની શોધખોળ શરુ કરી છે.પ્રાપ્તમાહિતી અનુસાર,સ્વામીનારાયણ બાલવાડી ઉત્તર ગુજરાત વિભાગ-૧ અસારવાના ગૃહ પતિ નિતિનભાઇ રમેશભાઇ મોદી તા.૧૭ સપ્ટેમ્બરની મોડી રાતે ૧.૦૦ વાગે સહજાનંદ ગુરુકુલ છાત્રાલયમાં રહેતા અને ત્યાં જ અભ્યાસ કરતા છાત્રોને ચેક કરવા નીકળ્યા હતા.દરમિયાનમાં પોતાના રુમમાં ગંજી પાનાનો જુગાર રમતા આકાશ સતીષભાઇ પટેલ(ઉ.વ.૧૫)(રહે.દેવડાગામ,તાલુકો વિજાપુર,જિલ્લો મહેસાણા)નરેન્દ્રસિંહ રતનસિંહ બારડ(ઉ.વ.૧૫)(રહે.નવ દુગૉ સોસાયટી, વિરાનગર,બાપુનગર) અને કૌશિક ભીમજીભાઇ કરેલા(ઉ.વ.૧૫)(રહે.શંકરપુરા,ડભોઇ.વડોદરા) રંગે હાથે પકડાયા હતા.જેથી ગૃહ પતિએ તેમને કડક શબ્દોમાં ઠપકો આપીને સુવડાવી દીધા હતા. ત્યારબાદ સવારે ૫.૦૦ વાગે ગૃહ પતિએ ફરી વખત ચેકÃગ કરતા આ ત્રણેય વિદ્યાર્થીઓ રુમમાં હાજર ન હતા. જેથી ત્રણેય વિદ્યાર્થીઓ ગુરુકુલ છોડીને ક્યાંય ચાલ્યા ગયા હોવાનું જાણવા મળતા ગૃહ પતિ નિતિનભાઇ મોદીએ આ અંગે શાહીબાગ પોલીસ મથકમાં જાહેરાત કરી હતી. આ અંગે પીઆઈ નાગોરીએ જણાવ્યું હતુ કે ત્રણેય વિદ્યાર્થીઓ તેમના ઘરે જતા રહ્યા હોવાની શંકાના આધારે પોલીસે તે દિશામાં તપાસ શરુ કરી છે.


ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર ઝાટકા

આજે મોડી રાત્રે 12-55 કલાકે દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ અને શ્રીનગરમાં ભૂકંપના તેજ ઝાટકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનું હિંદુકુશ હોવાનું જણાવાય છે અને રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી છે. લોકોએ 25થી 30 સેકન્ડ સુધી ધરતીમાંથી કંપન અનુભવ્યું અને તેઓ પોતાના મકાનોમાંથી બહાર ધસી આવ્યા હતા.મોડી રાત્રે ફોન કરીને કેટલાંક લોકો સાથે આ સંદર્ભે વાતચીત કરી હતી. લોકોએ જણાવ્યું હતું કે રાત્રે 12-55ની આસપાસ ધરતીમાંથી કંપનનો અનુભવ થયો હતો અને ધરતી 30થી 35 સેકન્ડ સુધી હલી હોય તેવું લાગ્યું હતું.


આજી ડેમમાથી વધુ એક પુરૂષની લાશ મળી

શહેરની ભાગોળે આવેલો આજી ડેમ આપઘાત કરવા માટેનું ઉતમ સ્થળ બની ગયું છે. ત્યારે શનિવારે સવારે ડેમમાથી વધુ એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવતા ચકચાર જાગી છે. ડેમમાથી મળી આવેલો મૃતદેહ એટલી હદે કોહવાઇ ગયો છે કે લાશની ઓળખ મેળવવી મુશ્કેલ છે.બનાવની તપાસ કરી રહેલા થોરાળા પોલીસના ફોજદાર યુ.કે.મકવાણાના જણાવ્યા મુજબ, મૃતકની ઉમર અંદાજીત ૨૭ વર્ષની હોવાનું તેમજ આ અજાણ્યા યુવાને ત્રણેક દિવસ પહેલા આપઘાત કર્યો હશે કે પાણીમા ડૂબી ગયો હશે. મૃતકે ક્રિમ કલરનું શર્ટ અને કોફી કલરનું પેન્ટ પહેયું છે. પોલીસે અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા કવાયત હાથ ધરી છે.


PCBએ તાજા ફિક્સિંગ આરોપોને ફગાવ્યા

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી) શનિવારના રોજ તે આરોપને નકારી કાઢ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવારાના રોજ ઓવલ ખાતે રમાયેલી ત્રીજી વન ડે મેચમાં કથિત મેચ ફિક્સિંગની તપાસ કરશે.પીસીબી એ જણાવ્યું હતં કે તે સમાચારમાં કોઈ સત્ય નથી. પીસીબી અધ્યક્ષ એજાઝ બટ્ટે આ અહેવાલોને બકવાસ ગણાવતા કહ્યું હતું કે આ પુરાવા વગરના આરોપો છે. મેં અહેવાલ નથી વાંચ્યો, માટે હું કોઈ ટિપ્પણી કરી શકું નહીં.બટ્ટે કહ્યું હતું કે આઈસીસી એ આ આરોપો અંગે અમારો કોઈ જ સંપર્ક કર્યો નથી. આ બધુ કાલ્પનિક છે. તેમાં કોઈ સત્ય નથી.ઉલ્લેખનીય છે કે આ પહેલા બ્રિટિશ ટેબ્લોઈડ ધ સનમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમની તપાસમાં પૂરતા પુરાવા મળ્યા છે કે પાકિસ્તાનની ઈનિંગ્સ શરૂ થતા પહેલા જ સટ્ટાખોરોને તેની સંપૂર્ણ જાણકારી હતી. આ ખુલાસા બાદ આઈસીસી પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી વન ડેની તપાસ કરશે


પરમાણુ હથિયારોની માહિતી વેચી રહ્યું હતું અમેરિકા

અમેરિકાના એક સાઇન્ટિસ્ટ દંપતિની ન્યુક્લિયર હથિયારોના સિક્રેટ્સ વહેંચવાના આરોપસર ધરપકડ કરાઈ છે. ધરપકડ બાદ સાઇન્ટિસ્ટે જણાવ્યું હતું કે તેની પત્ની એક વેનેઝુએલાના જાસૂસની ન્યુક્લિયર શસ્ત્રો બનાવવા માટે મદદ કરતી હતી. આર્જેન્ટિનામાં જન્મેલા 75 વર્ષીય પેડ્રો લીયોનાર્ડો મેસ્કેરોની અને તેની 67 વર્ષીય પત્ની મોર્જોરી રોક્સ્બી મેસ્કેરોની સામે કુલ 22 ગુના દાખલ કરવામાં આવ્યા છે. જો આ તમામ આરોપો સિદ્ધ થશે તો આ દંપતિને આજીવન કારાવાસની સજા થઈ શકે છે.આ દંપતિ પહેલા ન્યુ મેક્સિકોની એક લેબોરેટરીમાં સાથે કામ કરતા હતા. આ દંપતિએ 10 વર્ષ સુધી ન્યુક્લિયર શસ્ત્રો બનાવવામાં વેનેઝુએલાની મદદ કરી હોવાનું માનવામાં આવે છે.


લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે બેથી અઢી હજાર દર્દીનું વેઇટિંગ

સમગ્ર દેશમાં લિવરનાં દર્દીઓમાં વધારો થયો છે. પરંતુ, ચિંતાજનક બાબાત એ છે કે, સમગ્ર એશિયામાં લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે બેથી અઢી હજાર દર્દી વેઇટિંગમાં છે. તેમ હૈદરાબાદની ગ્લોબલ હોસ્પિટલનાં લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. મોહમ્મદ રેલાએ જણાવ્યું હતું.પત્રકારોને સંબોધતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હિપેટાઇટીસ- એ અને બી, ઓબેસીટી અને ખોરાકની અનિયમિતતાને કારણે લિવરને નુકશાન થઇ શકે છે. ખાસ કરીને વધુ પડતો કે જરૂર કરતા પ્રમાણમાં ઓછો ખોરાક લિવરને નુકશાન કરી શકે છે.તેમણે જણાવ્યું હતું કે, તામલિનાડુમાં છેલ્લાં સાતથી ૧૪ મહિનામાં લિવર ટ્રાન્સપ્લાન્ટનાં ૧૦૦ ઓપરેશનો કરાયા છે. જેમાંથી ૬૦ ટકા ઓપરેશનો કેડેવરમાંથી અને ૪૦ ટકા લિવર જીવંત વ્યકિતઓમાંથી પ્રાપ્તથયાં છે. આજથી પંદર વર્ષ પહેલા દર્દીને લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે હૈદરાબાદ જવાની ફરજ પડતી હતી. પરંતુ, સંસ્થા દ્વારા મુંબઇ, કોલકાત્તા અને દિલ્હીમાં સેન્ટરો ખુલ્યાં છે. તેમજ આગામી બે વર્ષમાં અમદાવાદમાં સેન્ટર ખોલવામાં આવશે.ગ્લોબલ હોસ્પિટલનાં ચેરમેન ડો. કે. વિશ્વનાથને જણાવ્યું હતું કે, દેશમાં તમામ રાજ્યોમાં દર્દી આવે છે. પરંતુ, હોસ્પિટલમાં સૌથી વધુ દર્દી ગુજરાતમાંથી આવે છે. અમે આગામી બે વર્ષમાં અમદાવાદમાં સેન્ટર ખોલવા માટે પ્રયત્નશીલ છીએ.


રાંદેરના પાળા પરથી પડતાં બે વર્ષના માસૂમનું મોત

રાંદેરમાં બાપુનગર ઝૂપડપટ્ટી વિસ્તાર નજીક રહેતો ૨ વર્ષીય ઇરફાન ઇબુસીમ શુક્રવારે રાત્રે રાંદેરમાં બનાવેલા પાળા પર રમી રહ્યો હતો. જયાંથી તે નીચે પડતાં તેના શરીરે ઇજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જયાં શનિવારે સવારે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.


નવાગામની પરિણીતાનું અગ્નિસ્નાન

શહેરની ભાગોળે નવાગામમા રહેતી શીતલ શૈલેષભાઇ મકવાણા નામની કોળી પરિણીતાએ પોતાના ઘરે અગ્નિસ્નાન કરી લેતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતુ. દોઢ વર્ષ પહેલા જ શૈલેષ સાથે લગ્ન કરનાર શીતલને સંતાનમા સવા માસનો પુત્ર છે. ત્યારે હુડકો કવૉટર નજીક આવેલા મચ્છાનગરમા રહેતા મૃતકના પિતા જાદવભાઇ કરશનભાઇ મોલીયાએ જમાઇ કંઇ કામ ધંધો કરતો ન હોય પુત્રીને અવારનવાર મારકુટ કરતા હતા અને કરિયાવર મુદે પણ મેણાટોણા મારતા હોય પુત્રીને સાસરિયાઓએ જ મરી જવા મજબુર કરી હોવાનો આક્ષેપ કરી જમાઇ અને વેવાણ સામે ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં ક્યા મુદ્દા ચાલશે?

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં ક્યા મુદ્દા ચાલશે?

રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી ક્યાં મુદ્દે લડાશે અને જીતાશે તે ચર્ચાનો મુદ્દો છે ત્યારે બન્ને પક્ષો વિકાસને પ્રાધાન્ય આપવાની વાતો કરી રહ્યા છે. જો કે સ્થાનિક મુદ્દાઓ સ્થાનિક ચૂંટણીમાં મહત્વના હોય છે. પણ, કઠલાલની બેઠક પરની ભાજપની જીત પછી વિકાસના મુદ્દા પરનો ભાજપનો વિશ્વાસ વધ્યો છે. મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ વિનાશની સામે વિકાસનો વિજય થયાનું કહ્યા પછી સ્થાનિક ભાજપી નેતાઓ પણ એ જ સૂત્ર બોલવા માંડયા છે.કોર્પોરેશનની ચૂંટણીમાં સ્થાનિક સમસ્યાઓ, સ્થાનિક અપેક્ષાઓ વગેરે મુદ્દાઓનું મહત્વ હોય છે. પણ, અમિત શાહની ધરપકડ પછી સીબીઆઇના દુરુપયોગ અને સોહરાબુદ્દીન કેસના મુદ્દાઓનું મહત્વ વધી રહ્યું છે. ભાજપે પોતે કરેલા વિકાસના કામોને અગ્રતા આપવાનું નક્કી કર્યું છે. જ્યારે કોંગ્રેસે ક્યાં વિકાસ નથી થયો તે મુદ્દાને તથા સત્તા મળે તો કયો વિકાસ કરાશે તેને પ્રાધાન્ય આપવાનું નક્કી કર્યું છે.


મહાપાલિકાનાં વાહનો અને સ્ટાફ ચૂંટણીના કામમાં હાઇજેક

આગામી મહાપાલિકાની ચૂંટણીમાં લોકોની પ્રાથમિક સુખાકારીના કામ ઉપર વહીવટી તંત્રે તરાપ મારી છે. સફાઇ અને આરોગ્ય જેવી સેવાને પણ ખોરવવાની નીતિ દાખવવામાં આવી છે. કલેક્ટરે મનપા પાસેથી આરોગ્ય અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ૧૬થી વધુ વાહનો અને ૨૩ સેનેટીરી ઇન્સપેક્ટરોને હાઇજેક કરી લેતાં પ્રાથમિક સેવાને ભારે અસર થવાની છે.
ચૂંટણીની સંપૂર્ણ વહીવટી કામગીરી કલેક્ટર હસ્તક છે. ચૂંટણી જેટલી અગત્યની છે એટલી જ જરૂરી લોકોની સુખાકારીની ચિંતા છે. પરંતુ કલેક્ટર તંત્રે આવી કોઇ પરવા કર્યા વગર પ્રાથમિક સેવા ઉપર તરાપ મારી છે. કલેક્ટરે માત્ર એક જ આદેશપત્રમાં મનપા પાસેથી આરોગ્ય અને સફાઇ વિભાગના ૧૬ વાહનો તેમજ ૨૩ સેનેટરી ઇન્સપેક્ટરોને આચારસંહિતાની અમલવારીના નામે માગી લીધા છે.મનપાને વાહનોમાં ડીઝલ ફૂલ ટેન્ક કરી આપવાના રહેશે અને જો વાહનોમાં કોઇ ભાંગતૂટ થાય તો તેનો ડામ પણ મનપાને જ આવવાનો છે. કર્મચારીની વાત જતી કરી વાહનો ન માગવા અંગે ડેપ્યુટી કમિશનર જગદીશ ડોડિયાએ કલેક્ટર તંત્રને પત્ર લખી વિનંતી કરી છે પરંતુ કલેક્ટરે પ્રજાની સુખાકારીનો સહેજ પર વિચાર કર્યા વગર હજુ તેનો કોઇ જવાબ આપ્યો નથી.

કચ્છમાંયે ચૂંટણી માટે ‘પંચજન્ય’ ફૂંકાયો

જિલ્લા પંચાયત, ૪ સુધરાઇ અને ù૧૦ તાલુકા પંચાયતોની પ્રિતષ્ઠાભરી ચૂંટણી માટે તારીખો જાહેર થતાં જ કચ્છમાં પ્રમુખ રાજકીય પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ શરૂ થઇ ગયો છે. મુખ્યત્વે ભાજપનું પ્રભુત્વ રહ્યું છે, પણ આ વખતે નવા પરબિળો શું પરિણામ લાવશે તે ચર્ચાનો વિષય છે.૨૧મી ઓક્ટોબરે મતદાન થશે તે પૂર્વે બંને રાજકીય પક્ષોને પ્રચાર માટે એક માસ જેટલો જ સમય રહ્યો છે. તે પૂર્વે તાત્કાલિક ધોરણે ઉમેદવારોની જાહેરાત કરી દેવા બંને પક્ષોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભાજપના સૂત્રોએ કહ્યું કે, એક માત્ર અંજાર તાલુકા પંચાયતને બાદ કરતાં તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ગત ટર્મમાં ભાજપનું શાસન હતું.તેથી પ્રસ્થાપિત ઉમેદવારોને ટિકિટ અપાશે અને બેઠકો વધતાં નવા ચહેરાઓને પણ સ્થાન મળશે. હાલમાં દાવેદારોનો રાફડો ફાટી નીકળ્યો છે તેમાંથી કોને ટિકિટ આપવી તે સવાલ છે. કોંગ્રેસ પહેલાં જ ભાજપ ઉમેદવારોની જાહેરાત કરી દે તેવી શક્યતા છે.અગાઉથી ભાજપે સત્તાનો ઉપયોગ કરીને ઠેર-ઠેર કરોડો રૂપિયાના કામો શરૂ કરી દીધા છે અને ઉમેદવારો વિકાસની વાત લઇને મત માગવા જશે.બીજી તરફ કોંગ્રેસ માટે ભાજપને મ્હાત કરવો એ પ્રતિષ્ઠાનો સવાલ છે. તમામ બેઠકો કબજે કરવા માટે ખાસ વ્યૂહ ગોઠવાયો છે અને ભાજપને ટક્કર આપી શકે તેવા સબળ ઉમેદવારોનો ખાસ પસંદ કરીને ટિકિટ અપાશે. તેથી મૂરતિયાઓની જાહેરાત થવામાં કોંગ્રેસને મોડું થઇ શકે તેમ છે.કોંગી ભાજપના શાસનમાં કથીત ભ્રષ્ટાચાર, મેડિકલ કોલેજ, અટલ મહેલ, ગાંધીધામ સુધરાઇના શાસનમાં વકરેલી સમસ્યાઓ તેમજ કેન્દ્ર સરકારે આપેલા નાણાંથી વિકાસકામો થયા હોવાની બાબતોને ચૂંટણી પ્રચારનો મુદ્દો બનાવશે.


આણંદમાં આચારસંહિતાના અમલ માટે તંત્રની કવાયત

આણંદ જિલ્લામાં ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે આદર્શ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ કરવા કલેક્ટર આર.એન.જોષીએ અનુરોધ કર્યો છે.મંત્રીઓ અને બીજા સત્તાધિકારીઓ સત્તાધારી પક્ષની તરફેણ મતદારો પર વગ વધારે તેવા હેતુસર કોઇપણ રૂપમાં કોઈપણ જાતની નાણાંકીય ગ્રાન્ટ અથવા તેના વચનોની જાહેરાત કરી શકશે નહીં તેમજ સરકારી સેવાઓ અને જાહેર સાહસોમાં નિમણૂંક આપી શકાશે નહીં.કેન્દ્ર કે રાજ્ય સરકારના મંત્રીઓ તેમજ બોર્ડ, નિગમ કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પદાધિકારીઓ ચૂંટણી જાહેર થયાની તારીખથી ચૂંટણી પૂર્ણ થતાં સુધી કોઈપણ મત વિભાગની કચેરી કામે મુલાકાત લઈ શકશે નહીં. મંત્રીઓ ચૂંટણી પ્રચાર કાર્ય અથવા ચૂંટણીને સંબંધકર્તા બાબતો અંગે કોઈપણ જાતની મુસાફરીમાં સરકારી વાહનો તેમજ સરકારના જાહેર સાહસો, સંયુક્ત સાહસોના જાહેર નાણાંનો જરાપણ હિસ્સો હોય તેવી કોઇપણ સંસ્થાઓના વાહનનો બિલકુલ ઉપયોગ કરી શકાશે નહીં.ચૂંટણી કામે પ્રવાસમાં આવાત કેન્દ્ર સરકારના કે રાજ્ય મંત્રીઓ અને બિન સરકારી પદાધિકારીઓ વગેરેને રાજ્યના અતિથગિણી શકાશે નહી. વિશ્રામગૃહ, ડાક બંગલા અને સરકારી રહેણાંકોનો ચૂંટણી વિષયક હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં.


ખંભાતનો ચોરખાડી ચેકડેમ છલકાતાં ખેડૂતો હરખાયાં

ખંભાતના રાલજ-કલમસર ખાતે બાંધવામાં આવેલો અને દરિયાના મુખ સુધી વિસ્તરેલ ચોરખાડી બંધમાં પણ ઉપરવાસના પાણીની આવક વધતાં વલકાયો છે. આ બંધને કારણે સિંચાઈ સુવિધાથી સંપૂર્ણ વંચિત અને માત્ર વરસાદ આધારિત ખેતી કરતાં ૭ જેટલા ગામોને ફાયદો થશે.આ અંગે સિંચાઈ વિભાગની કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ ચોરખાડી આડબંધ બીજી વખત છલકાયો છે. ઉપરવાસના પાણીની આવક તથા ખંભાતમાં વરસેલો જિલ્લાનો સૌથી વધુ વરસાદને કારણે આડબંધનું જળસ્તર વધ્યું છે. જે ચોમાસુ જ નહીં પણ શિયાળુ-ઉનાળુ પાકોમાં પણ ખૂબ જ ઉપયોગી પુરવાર થશે. ચોરખાડી આડબંધ રૂ.ર૮૯ લાખના ખર્ચે ખંભાતના અખાત ઉપર દરિયાના મુખ પાસે બાંધવામાં આવ્યો છે.ચેકડેમ છલકાતાં અહીં પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. આ યોજના દ્વારા ૩૪.૫૧ મિલિયન ઘનફૂટ જેટલું પાણી સંગ્રહીને રાલજ, કલમસર, રાજપુર, જહાંગીરપુરા, વત્રા જેવા દરિયાકાંઠાના સિંચાઈથી વંચિત ગામોને લાભ મળશે.


ઔરંગાબાદ નજીક મ્યુઝિકના રિયાલિટી શોના સિંગરોની કારને અકસ્માત

ઔરંગાબાદ નજીક મ્યુઝિકના એક રિયાલિટી શોમાં સિંગર તરીકે ખ્યાતિ પામેલા રાહુલ સક્સેના અને અપૂર્વા ગજ્જની કારને જાલના-ઔરંગાબાદ હાઈવે ઉપર અકસ્માત નડ્યો હતો.સામેથી પુરપાટ વેગે આવી રહેલી ટ્રકની સાથે કાર અથડાતા અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં સાઉન્ડ રેકોર્ડિસ્ટ ઉદય દંતાળેનું મોત નીપજ્યું હતું. રાહુલ, અપૂવૉ અને કારચાલક ગંભીર રૂપે ઘાયલ થયાં હોવાની માહિતી જાલના ઉપજિલ્લા પોલીસે આપી હતી.રાહુલ અને અપૂવૉ જાલનામાં એક કાર્યક્રમ પૂરો કરીને કારમાં ઔરંગાબાદ આવી રહ્યાં હતાં. મોડી રાતે જાલના-ઔરંગાબાદ હાઈવે પર તેમની કાર અને સામેથી આવતી ટ્રક સાથે અકસ્માત થયો હતો.


મુંબઈ : ઝવેરીબજારની ૧૨ લાખની લૂંટનો ભેદ આખરે ઉકેલાયો

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાચ યુનિટ-૧૨ના અધિકારીઓએ ૨૧ ઓગસ્ટના રોજ ઝવેરીબજાર નજીક મિરઝા સ્ટ્રીટ વિસ્તારમાં થયેલા રૂ. ૧૨ લાખની લૂંટનો ભેદ બાંદરાના લિંકિંગ રોડ ઉપર સેલ્સમેન તરીકે કામ કરતા ચારની ધરપકડ કરીને ઉકેલી લીધો હતો. પોલીસે ચારેયની ધરપકડ કરીને તેમની પાસેથી લૂંટાયેલી રકમમાંથી ૯ લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી.સરફરાઝ ઉર્ફે ચિંટુ બદરુદીન ખાન (૨૫), અમિતકુમાર અરુણ સિંહા (૨૮), હિતેશ જગારામ કુમાર (૩૦) અને ગૌરવ ઈન્દ્રજિત સિંગ દેઢિયા (૨૩)ની ધરપકડ કરીને તેઓની પૂછપરછ હાથ ધરાતાં તેઓ બાંદરાના લિંકિંગ રોડ વિસ્તારમાં સેલ્સમેન તરીકે કામ કરતા હોવાનું જણાવ્યું હતું.નજીકમાં જ આવેલી પબમાં શ્રીમંતોના છોકરાઓ ચમકદાર કપડાં પહેરીને રોજેરોજ આવતા હોવાનું જોઈને તેઓ અંજાયા હતા. પરંતુ પબમાં જવા માટેના ન તો તેઓ પાસે પૈસા હતા કે ન તો તેઓ પાસે પબમાં જવા માટે શોભે એવા કપડાં. પોતાની રાતોને રંગીન બનાવવાનાં સપનાં જોઈ રહેલા આ યુવાનોએ ત્યાર બાદ લૂંટ કરવાની યોજના બનાવી હતી.આ માટે તેઓએ એલટી માર્ગ પોલીસ સ્ટેશનની હદમાં ઝવેરીબજાર નજીક મિરઝા સ્ટ્રીટ વિસ્તારમાં ૨૧ ઓગસ્ટના રોજ સંજય સોની તેના શેઠના રૂ. ૧૨ લાખની રોકડ લઈને એક વેપારીને આપવા માટે જઈ રહ્યો હતો ત્યારે ચારેયે તેને ચાકુની ધાક દાખવીને રોકડ લૂંટી લીધી હતી. ધોળે દિવસે થયેલી આ ઘટનાને કારણે વેપારીઓમાં ગભરાટ ફેલાયો હતો. પોલીસ માટે આ કેસનો ઉકેલ લાવવો એક પ્રકારે પડકાર સમાન હતું, જેને બખૂબી પોલીસે પાર પાડ્યો હતો.


બોદલા નજીક જીપની ટક્કરે બે બાઈકસવારનાં મોત

બોદલા રોડ ઉપરથી શુક્રવારે રાત્રે પૂરઝડપે જઈ રહેલો જીપના ચાલકે સામેથી આવી રહેલ બાઈકને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જીપ નીચે ચગદાયેલા મોટપના બે મિત્રોનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.મહેસાણા તાલુકાના મોટપ ગામે રહેતા વિજયભાઈ રામાભાઈ પટેલ તેમજ કલ્યાણજી ભાથીજી ઠાકોર મહેસાણા હાઈવે સ્થિત એક ફેક્ટરીમાં નોકરી કરતા હતા. આ બન્ને મિત્રોને નાઈટની નોકરી હોઈ શુક્રવારે રાત્રે તેઓ જી.જે.૨ એ.આર. ૨૦૮ નંબરના બાઈક ઉપર ઘરેથી નોકરીના સ્થળે જવા રવાના થયા હતા.આ દરમિયાન આશરે આઠ વાગ્યાના અરસામાં બોદલા રોડ ઉપર આવેલ હનુમાનજીના મંદિર નજીક સામેથી આવી રહેલી જી.જે.૨ ડબલ્યુ ૦૨૯૮ નંબરની જીપના ચાલકે બેફિકરાઈભરી રીતે હંકારીને સામેથી આવી રહેલ બાઈક ચાલકને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત દરમિયાન રોડ ઉપર પટકાયા બાદ જીપના ટાયર નીચે ચકડાયેલા બન્ને મિત્રોનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.ઉપરોકત બનાવને પગલે એકત્રિત ટોળા પૈકી મહેસાણા તાલુકા પોલીસને આ અકસ્માત અંગે જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલ પીએસઆઈ કલાસ્વાએ લાશનુ શહેરની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.


દર્શનાર્થી પિતા-પુત્ર સહિત ત્રણ ચગદાયા

મહુડીદર્શન કરી શુક્રવારે સવારે હિંમતનગર તરફ જઇ રહેલા બાઇકચાલકે વિજાપુર નજીક ટ્રકનો ઓવરટેક કરવા જતા સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા બાઇક સવાર પુત્ર અને પિતા સહિત ત્રણ ટ્રકના ટાયરમાં આવી જતા ઘટના સ્થળે મોતને ભેટ્યા હતા. આ અંગે વિજાપુર પોલીસે ટ્રક ચાલક સાથે ગુનો નોંધાયો હતો.હિંમતનગરના આંબાવાડી વિસ્તારમાં રહેતા કેતનકુમાર શાંતિલાલ શાહ (ઉં.વ. ૪૫) તેમના પુત્ર વ્યોમેશ અને તેમના બનેવી વિનોદભાઈ શાંતિલાલ શાહ (મૂળ રહે. વિજાપુર હાલ, અમદાવાદ) સાથે શુક્રવારે સવારે જી.જે. ૯ એ.એમ. ૧૫૦૦ નંબરના બાઈક પર મહુડી દર્શન કરવા ગયા હતા. દર્શન કર્યા બાદ તેઓ હિંમતનગર તરફ પરત ફરી રહ્યાં હતા ત્યારે સવારે ૧૦ વાગ્યે વિજાપુર નજીક સૂરજ ડેરી પાસેથી તેઓ પસાર થઈ રહ્યાં હતાં.આ સમયે તેમની આગળ જતી જી.જે.૪ યુ. ૯૬૮૪ નંબરની ટ્રકને ઓવરટ્રેક કરવા જતા અચાનક બાઇક ચાલક વ્યોમેશે બાઈક ઉપરનો કાબુ ગુમાવતા બાઈક ચાલક સહિત ત્રણેય ટ્રકના પાછળના ભાગના ટાયર નીચે આવતા મોતને ભેટ્યા હતા. જ્યારે ચાલક ટ્રક મૂકી નાસી છુટ્યો હતા. આ અંગે ટ્રક ચાલક સામે ગુનો નોંધી અકસ્માત અંગેની વધુ તપાસ હાથ ધરાઈ છે.


રાજકોટ : દાવેદારોના નામ ભાજપની પાર્લામેન્ટ્રીમાં સોંપાશે

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૬૯ બેઠકો માટે ભાજપમાંથી ૪૨પ જેટલા દાવેદારોના નામ આવતીકાલે પ્રદેશ પાલૉમેન્ટ્રી બોર્ડ સમક્ષ મૂકાવવાના છે. આજે શહેર ભાજપ પ્રમુખ સહિતના સ્થાનિક આગેવાનો યાદી લઇને ગાંધીનગર રવાના થયા હતા. કોના ઉપર કાતર ફરશે, ચારણીમાં કોણ નીકળી જશે ? એવી જબરી ઉત્તેજના છવાઇ ગઇ છે.બે દિવસ દરમિયાન ભાજપની સેન્સની પ્રક્રિયા ચાલી હતી. શહેરના ૨૩ વોર્ડમાં ૬૯ બેઠકો પર લડવા માટે આ બે દિવસ દરમિયાન ભાજપ કાર્યાલયથી માંડી સેન્સની પ્રક્રિયા જ્યાં ચાલતી હતી ત્યાં ટિકિટ ઇચ્છુકોનો અવિરત પ્રવાહ રહ્યો હતો. લગભગ એક વોર્ડમાંથી સરેરાશ ૨૦થી વધુ દાવેદારી આવી હતી.લગભગ ૪૨પ જેટલા નામો સેન્સની પ્રક્રિયા દરમિયાન આવ્યા હતા. આ યાદી પરથી જ્ઞાતિ, ભૂગોળ અને ક્યાં કોનું વર્ચસ્વ એ સહિતના સમીકરણો સાથે દાવેદારીનું લિસ્ટ લઇ ગાંધીનગર રવાના થયા છે.આવતીકાલે ગાંધીનગરમાં નાણામંત્રીના બંગલે પ્રદેશ પાલૉમેન્ટ્રી બોર્ડની બેઠક મળવાની છે અને આ બેઠકમાં આ તમામ નામો રજૂ થવાના છે. એ પૂર્વે રાત્રે ઊર્જામંત્રી સૌરભ પટેલના બંગલે શહેર ભાજપ સંકલન સમિતિ અને નિરીક્ષકોની બેઠકમાં એક ચારણી ફેરવી દઇ પસંદગીના નામો જ કાલે પાલૉમેન્ટ્રીમાં રજૂ થાય એવુ મનાઇ રહ્યું છે.


તંત્ર જાગ્યું તો પ્રજા બેદરકાર રોગચાળાને મળતું મોકળું મેદાન

શહેરમાં બેકાબૂ બનેલા રોગચાળા પાછળ મનપા તંત્રની નિંભરતા જેટલી જવાબદાર છે એટલી જ જવાબદાર લોકોની બેદરકારી છે. છેલ્લાં ત્રણ દિવસથી મ્યુનિ. કમિશનર ડૉ. બ્રહ્મભટ્ટ દ્વારા ચાલતી ફેરણી દરમિયાન આ વાત સામે આવી છે. આજે પણ વેપારી વર્ગ સહિત સંખ્યાબંધ લોકો રોગચાળાને આમંત્રણ મળે એવી ગુનાહિત બેદરકારી દાખવતા મ્યુનિ. કમિશનરની ઝપટે ચડી ગયા હતા.વરસાદ બાદ રોગચાળુ કાબૂમાં લેવા અને રોડ રપિરિંગ સહિતની કામગીરી માટે મ્યુનિ. કમિશનરે ઉપાડેલી ઝુંબેશમાં આજે વોર્ડ નં. ૧૦મા રાઉન્ડ લેવામાં આવતા નાલંદા સોસાયટીમાં આવેલા એક ખુલ્લા સાર્વજનિક પ્લોટમાં ગંદકી જોવા મળતી સોસાયટીના પ્રમુખને હીયરિંગ માટે હાજર રહેવા તાકીદ કરાઇ હતી.હિંગળાજનગરમાં એક માર્ગ પર અસહ્ય ગંદકી જોવા મળતા આ રોડ પર રહેતા આસામીઓને પણ કાલે રૂબરૂ મનપા કચેરીએ હાજર થવા આદેશ કરાયો હતો. રૈયા ચોકડી પર અંબિકા શોપિંગ સેન્ટરમાં માથું ફાડી નાખે એવી ગંદકી ખદબદતી હોઇ શોપિંગ સેન્ટરના જવાબદારોને નોટિસ અપાઇ હતી.આજે પશ્ચિમ ઝોનમાં નિર્મળા કોન્વેન્ટ રોડ, ૧પ૦ ફૂટ રિંગ રોડ અને તેને લાગું સોસાયટીઓ, રૈયા ચોકડી, જલારામ સોસાયટી, શ્યામનગર, હિંગળાજનગર, નાલંદા સોસાયટી સહિતના વિસ્તારોમાં સફાઇ અને આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી હતી. જેમાં ૧૬૧પ મકાનો ચેક કરવામાં આવ્યા હતા અને તેમાંથી ૧૩પ મકાનોમાં મચ્છરના લારવા મળી આવ્યા હતા.જ્યારે ઢોરને પાણી પીવા માટેની ૨૧ કૂંડીઓમાં લારવા દેખાતા કૂંડી તોડી પડાઇ હતી. લોકો દ્વારા જ આવી ગંભીર બેદરકારી દાખવવામાં આવે છે અને તેના કારણે અન્ય નાગરિકોને રોગચાળાના ભરડામાં સપડાવાની નોબત આવે છે.


ગોંડલ : ટ્રેક્ટર ૪૦ ફૂટ ઊંડા ડેમમાં ખાબક્યું

ગોંડલના આશાપુરા તેમજ સેતુબંધ ડેમની વચ્ચે આવેલા કોઝ-વે ઉપરથી પસાર થઇ રહેલું ટ્રેક્ટર ઓવરફલો થઇ રહેલાં પાણીના પ્રવાહમાં તણાઇ ૪૦ ફૂટ ઊંડા સેતુબંધ ડેમમાં ખાબકતા ટ્રેક્ટર ચાલક પાણીમાં લાપતા બન્યો હતો. જ્યારે તેની સાથેના અન્ય એક યુવાનને લોકોએ દોરડા નાખી બચાવી લીધો હતો.કોટડા સાંગાણીમાં ઇંટોનો ભઠ્ઠો ચલાવતા દિનેશભાઇ મગનભાઇ ગોંડલિયા (ઉ.વ.૩૫) તેમજ નિતેશ રવજીભાઇ માળવી (ઉ.વ.૨૦) શુક્રવારે સવારે ટ્રેક્ટરમાં ઇંટો ભરી ગોંડલ આશાપુરા રોડ ઉપર પટેલ બોર્ડિંગ સામે ઠાલવવા આવ્યા હતા. બાદમાં કોટડા સાંગાણી પરત જવા માટે આશાપુરા સેતુબંધ ડેમ વચ્ચે આવેલો કોઝ-વે પસંદ કરી ત્યાંથી પસાર થવા લાગ્યા હતા.દરમિયાન આશાપુરા ડેમમાંથી ઓવરફલો થઇ રહ્યો હોય ટ્રેક્ટર કોઝવે ઉપર અડધે સુધી પહોંચતા પાણીમાં ખેંચાવા લાગ્યું હતું અને સેતુબંધ ડેમના ચાલીસ ફૂટ ઊંડા પાણીમાં ખાબકર્યું હતું. જ્યારે ટ્રેક્ટરની ટ્રોલી અડધી પાણીમાં ડુબી કોઝવેની પાળીએ અટકી ગઇ હતી. ટ્રેક્ટર પાણીમાં ખાબકતા ચાલક કુંભાર દિનેશભાઇ પાણીમાં લાપતા બન્યા હતા.જ્યારે ટ્રેક્ટરમાં સાથે બેઠેલા નિતેશ માળવીએ પાણીમાં ખાબકતાની સાથે બચાવો... બચાવોની બૂમા બુમ કરી મુક્તા આશાપુરા મંદિર પાછળ ઉભેલા લોકોએ દોરડા નાંખી બચાવી લીધેલ હતો. ઘટનાની જાણ પાલિકાના ફાયર સ્ટાફને થતાં તેઓ ઘટના સ્થળે દોડી જઇ ક્રેઇન મારફત ટ્રોલીને બહાર કાઢી ચાલક દિનેશની શોધ શરૂ કરી હતી.


S.S.C. ના રિપિટરની પરીક્ષા કોણ લેશે?

ધો.૧૦ની પરીક્ષાનાં ફોર્મ ભરવા સહિતની કાર્યવાહી શરૂ થઇ ચૂકી છે પરંતુ શાળા સંચાલકો માટે કેટલીક દ્વિધાઓ આ વર્ષે છે અને આ સપ્તાહમાં તેનો ઉકેલ આવી જાય તેવું સંચાલકો ઇચ્છી રહ્યા છે.આ વર્ષથી બોર્ડ સાતને બદલે પાંચ જ વિષયોની પરીક્ષા લેવાનું છે અને તેથી આ સવાલો ઊભા થયા છે.શાળા સંચાલકોએ જણાવ્યું કે એસ.એસ.સી.બોર્ડ સાત વિષયોની પરીક્ષા અત્યાર સુધી લેતું આવ્યું છે આ વર્ષે ૫૦ ગુણના ઓબ્જેક્ટિવ પેપરની શરૂઆતની સાથે જ નવી પધ્ધતિ એ પણ અમલી બનવાની છે કે ગુજરાતી,ગણિત,ઇંગ્લીશ, વિજ્ઞાન, તેમ જ સમાજ વિજ્ઞાનનાં પેપરો બોર્ડ લેશે જ્યારે હિન્દી-સંસ્કૃત,કોમ્પ્યુટર કે પીટી જેવા વિષયોની પરીક્ષા શાળાઓએ લેવાની થશે.આ સંજોગોમાં જે રિપિટર વિદ્યાર્થીઓ છે કે જે જૂની પરીક્ષા પધ્ધતિમાં આ વર્ષે કામ કરવાના છે તેમની પરીક્ષાનું શું? એક્કમ સ્કૂલે લેવાની હોય તો તેના પેપર કોણ મોકલશે? અને સ્કૂલ જો પરીક્ષા યોજે તો જેમ પ્રેક્ટિલ માટે સ્કૂલને નિયત રકમ ચૂકવવામાં આવે તેવી રીતે આ કિસ્સામાં તે ચૂકવણું થશે કે નહીં તેની પણ સ્પષ્ટતા હજી સુધી થઇ નથી.

ડોલર સામે રૂપિયામાં પણ તેજી: ત્રણ માસની ટોચે

ભારતીય શેરબજારોમાં ધૂંઆધાર તેજી, વિદેશી સંસ્થાઓની ધૂમ ખરીદી અને મજબૂત અર્થતંત્રની સાથે સાથે અમેરીકન ડોલર સામે ભારતીય રૂપિયામાં પણ ઝમકદાર તેજી જોવા મળી છે. ત્રણ માસ બાદ આજે ડોલર રૂ. ૪૬ની સપાટી તોડી ૪૫.૮૩-૮૪ની સપાટીએ બંધ રહ્યો હતો. આ સપાટી છેલ્લે તા. ૨૧ જુનના રોજ જોવા મળી હતી.છેલ્લા ત્રણ સેશન દરમિયાન ડોલર સામે રૂપિયો ૬૧ પૈસા એટલેકે ૧.૩૧ ટકા સુધર્યો છે. રૂપિયામાં મજબૂત સુધારા પાછળના મુખ્ય ખેલાડીઓ વિદેશી નાણાકીય સંસ્થાઓ ગણાય છે. તા. ૧૬મી સપ્ટેમ્બર સુધીમાં વિદેશી નાણાકીય સંસ્થાઓએ ભારતીય ઇક્વિટી માર્કેટમાંથી રૂ. ૨.૫ અબજ ડોલરની ખરીદી કરી છે. જે કેલેન્ડર વર્ષ ૨૦૧૦માં અત્યારસુધીમાં કુલ ૧૫.૬૨ અબજ ડોલરની સપાટીએ પહોંચી છે.વૈશ્વિક બજારોમાં પણ ડોલરની નબળાઇના કારણે રૂપિયો મજબૂત બન્યો છે. મુખ્ય છ કરન્સી માટેનો ડોલર ઇન્ડેક્સ આજે લંડન ખાતે ૦.૧૮ ટકા ઘટ્યો હતો. ગઇકાલે રિઝર્વ બેન્કે વ્યાજદરોમાં કરેલા વધારાના કારણે પણ રૂપિયાને મજબૂતાઇ મળી છે. લર સામે રૂપિયો આજે ડોલરદીઠ ૪૬.૦૬ની સપાટીએ ખુલી ઊંચામાં ૪૫.૮૧ની સપાટીએ પહોંચી ગયો હતો.


સ્ટાર પ્લસ પર ભોજન, ભૂખ અને ફિલ્મઉદ્યોગ

ઓક્ટોબરમાં સ્ટાર પ્લસ ચેનલ પર ભોજન રાંધવાની સ્પર્ધાનો ખેલ શરૂ થઈ રહ્યો છે. એ ખેલના નિર્ણાયક અક્ષયકુમાર હશે. ‘માસ્ટર શેફ ઈન્ડિયા’ નામના આ કાર્યક્રમમાં એકશન ફિલ્મો અને ફૂવડ-સામાન્ય કક્ષાની હાસ્ય ફિલ્મોના નાયકને નિર્ણાયક પદે પસંદ કરાયો છે કારણ કે એ યુવાનીમાં થાઈલેન્ડના એક ભોજનાલયમાં કામ કરતો હતો.ફિલ્મઉદ્યોગના લોકો ફિલ્મ બનાવવામાં જેટલી રુચિ ધરાવતા હોય છે એટલી જ રુચિ ભોજનમાં લેતા હોય છે. પાકશાસ્ત્ર અને ફિલ્મ નિર્માણ વચ્ચે ગાઢ સંબંધ છે અને દર્શકોની રુચિઓ પણ અમુક હદ સુધી તેમના ભોજન સાથે જોડાયેલી હોય છે. ભારતીય થાળીમાં અનેક વાનગીઓની સાથે અથાણાં, પાપડ, ચટણી વગરે હોય છે. જોકે પશ્ચિમમાં એવું બધું હોતું નથી. આપણી ફિલ્મોમાં આપણી થાળીની માફક એકશન, કોમેડી, પ્રેમ વગેરે હોય છે. તેથી તમે કોઈ પણ ફિલ્મને પૂરેપૂરી લવસ્ટોરી, એકશન ફિલ્મ, હાસ્ય ફિલ્મ કે હોરર ફિલ્મ કહી ન શકો. વિદેશોમાં આવું વર્ગીકરણ સહેલાઈથી થઈ જાય છે. આપણે ત્યાં એક ફિલ્મમાં અનેક ફિલ્મો હોય છે. જેમ કે એક મનુષ્યમાં અનેક મનુષ્યો છુપાયેલા હોય છે અને વર્ષો સુધી સાથે રહ્યા બાદ નવું રૂપ પ્રગટ થાય છે.ભારતમાં ચાઈનીઝ વાનગીઓના શોખીન જ્યારે ચીનમાં જઈને જમવા બેસે ત્યારે તેમને એવો સ્વાદ મળતો નથી કારણ કે ભારતના ચાઈનીઝ ખાણાંમાં ભારતીય મસાલાનો ભારતીય વઘાર કરેલો હોય છે. ભારતે હંમેશાં વિદેશથી આવેલા આક્રમણકારીઓને ભારતીય બનાવી લીધા છે. આપણી અપનાવી લેવાની કળા આશ્ચર્યજનક છે. બીજી બાજુ, ભારતીયો વિદેશમાં જાય તોયે ભારતીય બની રહે એ કંઈક અનોખી બાબત છે.ભોજન તરફ સામાન્ય રીતે બે પ્રકારના દ્રષ્ટિકોણ હોય છે. ચટાકિયા લોકો થોડું થોડું બધું જ ચાખવા માગે અને ખાઉધરાઓ બધું ગળચી જવા ઉત્સુક હોય છે. એક પોતાની જીભનો ગુલામ હોય છે અને બીજો પોતાના પેટનો ગુલામ હોય છે. ખરેખર તો ભોજનનો સ્વાદ મનુષ્યની ભૂખ પર આધાર રાખે છે. ઘણા વખતથી ભૂખી વ્યક્તિને જેમ તેમ રાંધેલું બેસ્વાદ ભોજન પણ અમૃત જેવું લાગે છે અને પેટ ભરેલી વ્યક્તિ સ્વાદિષ્ટ ભોજન પણ આરોગી શકતી નથી.


વધુ એક વખત મુન્ની બદનામ.. 'ઈમામી' એ નોટિસ ફટકારી

સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાની ફિલ્મ દબંગનાં ફેમસ આઈટમ સોન્ગ મુન્ની બદનામ હુઈને લિગલ નોટીસ ફટકારવામાં આવી છે. "મુન્ની બદનામ હુઈ ડાર્લિંગ તેરે લિયે.. લે ઝંડુ બામ હુઈ ડાર્લિંગ તેરે લિયે.." ગીતમાં ઝંડુ શબ્દનાં ઉપયોગ બદલ ઈમામી કંપનીએ નોટિસ ફટકારી છે. ઈમામીએ ફિલ્મમાંથી આ ગીત હટાવી લેવાની નોટિસ ફટકારી છે. ઈમામીનું કહેવું છે કે ગીતને હિટ કરવાં ઝંડુ બામને બદનામ કરવાની શું જરૂર છે. આ ગીતમાં ઝંડુ શબ્દનો ઉપયોગ થયો છે જેનાંથી અમારી કંપનીની ઈમેજને અસર થઈ શકે છે.ઉલ્લેખનિય છે કે, અભિનવ કશ્યપનાં નિર્દેશનમાં બનેલી અને અરબાઝ ખાન અને મલાઈકા અરોરા ખાનનાં પ્રોડક્શન હાઉસની આ ફિલ્મમાં મલાઈકાએ પોતે આ આઈટમ નંબર પર પર્ફોર્મન્સ આપ્યું છે. આ ગીતમાં ઝંડુ શબ્દનાં ઉપયોગથી જ આખું ગીત વધુ ફેમસ થઈ ગયું હતું હવે જ્યારે તે શબ્દ બદલ જ અરબાઝને નોટિસ ફટકારવામાં આવી છે તો હવે જોવું રહ્યું કે ગીતનું ભાવી શું થાય છે.જોકે ગીતમાં ઝંડુ શબ્દનાં ઉપયોગની વાત કરીયે તો આ શબ્દનો ચોખ્ખો અર્થ દર્દ દુર કરવા માટે થયો હોય તેમ લાગે છે તેમ છત્તા ઈમામી કંપનીએ આઈટમ નબંર પર તેમની કંપનીને બદનામ કર્યાનો કેસ કર્યો તે નવાઈની વાત છે.ઉલ્લેખનિય છે કે આ પહેલાં મુન્ની બદનામ ગીત પર મુંબઈનાં એક બિટેકનાં વિદ્યાર્થી રાજકુમારે ગીતમાં હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ કર્યો હોવાથી કેસ કર્યો હતો.

અમદાવાદમાં સૌથી વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટનો વિશ્વ વિક્રમ નોંધાવનાર ડોક્ટર

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

અમદાવાદમાં સૌથી વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટનો વિશ્વ વિક્રમ નોંધાવનાર ડોક્ટર

વિશ્વમાં સૌથી વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરીને ‘ગ્રીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં પોતાનું નામ નોંધાવનાર ડોક્ટર અમદાવાદના મહેમાન બનશે. તેમજ લિવર ટ્રાન્સપ્લાન્ટની અત્યાધુનિક પદ્ધતિ અંગે પ્રકાશ પાડશે.હૈદરાબાદની ગ્લોબલ હોસ્પિટલનાં હેડ અને ચીફ ટ્રાન્સપ્લાન્ટ સર્જન પ્રોફેસર એન્ડ ડો. મોહમ્મહ રેલા અને હોસ્પિટલનાં ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર ડો. કે. રવિન્દ્રનાથ શહેરના મહેમાન બન્યાં છે. ડો. રેલાએ વિશ્વમાં સૌથી વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરીને એક અનોખો રેકોર્ડ કરીને ખ્યાતનામ ‘ગ્રીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં નામ નોંધાવ્યું છે.શહેરનાં સેટેલાઇટ ખાતે આવેલી હોટેલ કન્ટ્રી મેરિયેટ ખાતે આવી રહ્યાં છે. હાલના સમયમાં જ્યારે લોકો વિવિધ રોગોનાં ભોગ બની રહ્યાં છે ત્યારે શરીરનાં મહત્વનાં અંગની સંભાળ અને સારવારમાં ઉપયોગી એવી સારવાર અને લિવર ટ્રાન્સપ્લાન્ટ અંગેની અત્યાધુનિક પધ્ધતિઓ ઉપર પ્રકાશ પાડશે.


34 બાળકીઓની માતા બની પ્રિટી ઝિંટા

એવા કેટલાંયે ફિલ્મ સ્ટાર્સ છે જે સમય સમય પર ચેરિટી કરતાં રહેતાં હોય છે. પ્રિટી ઝિંટા પણ તેમાંની એક છે. હાલમાં જ પ્રિટીએ ઋષિકેશ અનાથઆશ્રમની 34 બાળકીઓને દત્તક લીધી છે. તે ગત દોઢ વર્ષથી આ અનાથઆશ્રમની બાળકીઓ પર થતાં ખર્ચાની જવાબદારી ઉપાડેલી હતી.પ્રિટીએ ટ્વિટર પર પણ આ અનાથ બાળકીઓનો ઉલ્લેખ કર્યો છે. આ 34 બાળકીઓનાં ખાવા, પિવા, ભણતર અને કપડાની વ્યવસ્થા અને તે બદલનો બધોજ ખર્ચો પ્રિટી જ કરે છે.ઋષિકેશની મધર મિરેકલ સ્કૂલ જ્યાં પ્રિટીએ આ અનાથ બાળકીઓને દત્તક લિધી છે તે સંસ્થાનાં એક ખાસ વ્યક્તિનાં જણાવ્યાં પ્રમાણે, ''આ છોકરીઓને લાગે છે કે પ્રિટી તેમનાં માટે એક એન્જલ છે. પ્રિટી ક્યાંય પણ રહે પણ તે આ બાળકીઓ સાથે સંપર્કમાં રહે છે.''સુત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે, પ્રિટીએ વચન આપ્યું છે કે વર્ષમાં બે વખત અનાથઆશ્રમની મુલાકાતે આવશે અને તેના પૈસાનો યોગ્ય ઉપયોગ થાય છે કે નહી તેનું પણ ધ્યાન રાખશે. તેમજ આ બાળકીઓની દરેક જરૂરિયાતની ચિજ વસ્તુઓ મળી રહી છે કે નહી તે પણ ધ્યાન રાખશે.


મંદિરાને ધોની સૌથી વધુ સેક્સી લાગે છે

પોતાની કારકિર્દીની શરૂઆતમાં સીધી સાદી અને શાંત છોકરીની છબિ ઉભી કરનારી મંદિરા બેદીની ગણના હાલમાં હોટ એન્ડ સેક્સી છોકરી તરીકે થાય છે. કારકિર્દીની શરૂઆતમાં મંદિરાએ એક સીધી સાદી છોકરીઓની ભૂમિકા ભજવી હતી.પરંતુ ક્રિકેટ મેચ દરમિયાન એક ચેનલ પર આવતા ચર્ચાના પ્રોગ્રામમાં મંદિરાએ પોતાની હોટ ઈમેજ ઉભી કરી હતી. ક્રિકેટરો અને ક્રિકેટ નિષ્ણાંતો સાથે બેસીને મંદિરા ક્રિકેટની ચર્ચા કરતી હતી. આ કાર્યક્રમ દરમિયાન મંદિરાના લો કટ બ્લાઉઝ ચર્ચા અને લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.જો કે તાજેતરમાં જ મંદિરાને પૂછવામાં આવ્યું કે કયો ક્રિકેટર તેને સૌથી વધુ સેક્સી લાગે છે ત્યારે મંદિરાએ સ્વીકાર્યુ હતું કે ટીમ ઈન્ડિયાનો સુકાની મહેન્દ્ર સિંહ ધોની ખરેખર સેક્સી છે.આ ઉપરાંત મેદાનમાં પોતાના બોલ જાદૂ કરનારા અને મેદાન બહાર છોકરીઓ પર પોતાનો જાદૂ પાથરનારા શેન વોર્નને પણ મંદિરાએ સેક્સી ગણાવ્યો હતો.મંદિરાએ જણાવ્યું હતું કે ધોની મને સૌથી સેક્સી લાગે છે તથા શેન વોર્ન પણ તેટલો જ સેક્સી છે. આ ઉપરાંત કુમાર સંગાકાર અને એડમ ગિલક્રિસ્ટ પણ સેક્સી છે. જ્યારે અભિનેતા રણબિર કપૂર પણ ઘણો જ હોટ છે.


CBIના તૌરમાં તરનારાને લપડાક : મોદી

કઠલાલમાં કોંગ્રેસના ગઢને વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના કનુભાઈ ડાભીએ સર કર્યા બાદ મતદાતાઓને અભિનંદન આપવા અહીં આવી પહોંચેલાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કોંગ્રેસ ઉપર આકરા ચાબખાં મારતા કહ્યું હતું કે ‘ગુજરાતને બદનામ કરનારાઓને કઠલાલની પ્રજાએ બતાવ્યું છે કે શાંતિ અને વિકાસથી જ રાજ્યની પ્રગતિ શક્ય છે.એકબાજુ વિનાશની રાજનીતિ છે, તો ગુજરાતમાં વિકાસની રાજનીતિ. એક તરફ ષડયંત્રો, બીજી તરફ સદ્દભાવના. એક તરફ કાવાદાવા, તો બીજી તરફ ગરીબને ઝૂંપડામાંથી ઘર તરફ લઈ જઈને સુખ આપવાની રાજનીતિ ભાજપે બનાવી છે. અને તેનું પરિણામ કઠલાલની પ્રજાએ અનેક કાવાદાવાઓથી પર રહીને આપી દીધું છે.’કઠલાલ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કનુભાઈ ડાભીએ પ્રતિસ્ર્પધી કોંગ્રેસના ઘેલાભાઈ ઝાલાને ૨૧,૫૪૭ મતની જંગી સરસાઈથી પરાજય આપતાં મુખ્યમંત્રીએ મતદાતાનો અંત:કરણપૂર્વક આભાર માન્યો હતો. કઠલાલ મતક્ષેત્રના નાગરિકોએ નવો ઈતિહાસ રચી અપપ્રચાર, જુઠાણાં, અડચણો, આડખિલીઓને મ્હાત આપીને લોકશાહીની મર્યાદાનું પાલન કરતાં લોકશાહી મહોત્સવને ભવ્ય રીતે ઉજવ્યો છે, તેવું પણ તેઓએ કહ્યું હતું.


દક્ષિણ આફ્રિકામાં ધોનીને જોતા જ મહિલાઓ.

ટીમ ઈન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ભલે લગ્ન કરી લીધા હોય પરંતુ તેના મહિલા પ્રશંસકોની સંખ્યામાં કોઈ ઓટ આવી નથી. આનું પ્રમાણ દક્ષિણ આફ્રિકા ખાતે ચાલી રહેલી ચેમ્પિયન્સ લીગ ટી20 શ્રેણીમાં જોવા મળી રહ્યું છે.ચેમ્પિયન્સ લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ કરી રહેલો ધોની જ્યારે પણ મેદાનમાં પહોંચે છે ત્યારે છોકરીઓ તેનું સ્વાગત સીટીઓ વગાડીને કરે છે. દક્ષિણ આફ્રિકામાં માહીને લઈને છોકરીઓનો ઉત્સાહ જોવા લાયક છે. તમામ છોકરીઓ ધોનીની આક્રમક રમત અને પ્યાર ભરેલા હાસ્યની દિવાની છે.ઉલ્લેખનીય છે કે શરૂઆતથી જ છોકરીઓમાં ધોની લોકપ્રિય રહ્યો છે. પહેલા તેના લાંબા વાળની હેરસ્ટાઈલને લઈને ધોની છોકરીઓમાં ફેવરેટ હતો તો ક્યારેક તે પોતાના આક્રમક ફટકાઓની મદદથી છોકરીઓને પોતાની દિવાની બનાવી દીધી હતી. એટલું જ નહીં બોલિવૂડ અભિનેત્રીઓને પણ ધોની બોલ્ડ કરી ચૂક્યો છે.પહેલા માનવમાં આવી રહ્યું હતું કે પોતાના બાળપણની મિત્ર સાક્ષી સાથે લગ્ન કર્યા બાદ ધોનીની મહિલા પ્રશંસકોની સંખ્યામાં ઘટાડો થઈ જશે પરંતુ દક્ષિણ આફ્રિકામાં ધોની માટે વાગી રહેલી સીટીઓને જોઈને તો આ માન્યતાનો છેદ ઉડી જાય છે.ધોનીને મળતી રહેલી સફળતા અને તેની આક્રમક રમતને જોઈને લાગી રહ્યું છે કે યુવતીઓમાં ધોની પ્રત્યેની દિવાનગી લાંબા સમય સુધી રહેશે. જેનાથી સાક્ષીએ સાવધ રહેવું પડશે.


મને તો કોઈપણ ફિલ્ડની છોકરી ચાલશે

રણબિર કપૂરની બધી જ ફિમેલ ફેન માટે અહી સારા સમાચાર છે. આ યંગ અને હેન્ડસમ એક્ટર ફક્ત કોઈ એક્ટ્રેસ સાથે જ લગ્ન કરશે એવું નથી તે ગમ્મે તે પ્રોફેશનની છોકરી સાથે લગ્ન કરવા તૈયાર છે.દીપિકા પાદુકોણે સાથેનાં બ્રેકઅપ બાદ રણબિરે હાલમાં મીડિયામાં જણાવ્યું હતું કે, " એવું ન માનો કે હું ફક્ત કોઈ એક્ટ્રેસ સાથે જ લગ્ન કરીશ. હુ સામાન્ય છોકરી સાથે પણ લગ્ન કરી શકુ છુ જે બોલિવૂડ સિવાય અન્ય કોઈ પ્રોફેશનમાં કામ કરતી હોય."તે તેની પત્ની માટે જરાં પણ ચ્યુઝી નથી કે તેને ફ્ક્ત આવી જ પત્ની જોઈએ કે આવી છોકરી જ કેની પત્ની બની શકે.આ વિશે તેણે જણાવ્યું હતું કે, " મે એવી કોઈ શરત મુકી નથી કે મારી પત્નીની 5'4 હાઈટ હોવી જોઈએ કે પછી અન્ય કોઈ માંગણી બસ એટલી ઈચ્છા છે કે તે એક સિમ્પલ છોકરી હોય અને મોટાઓનું આદર કરતી હોય એટલું મારા માટે બહુ છે."27 વર્ષિય રણબિરને તેની માતા નિતુની ફિલ્મો જોવી પસંદ નથી તે કહે છે કે હું મારી માની ફિલ્મો જોઈ શકતો નથી મને નથી ગમતું કે મારી માતા ફિલ્મમાં તો ફિલ્મમમાં અન્ય કોઈ હિરો સાથે રોમેન્સ કરતી હોય. જોકે હુ એ વાતે સમ્મત છું કે હુ મારી આવનારી પત્ની જે પણ ફિલ્ડમાંથી હશે જો તેની ઈચ્છા હશે તો તેને લગ્ન બાદ પણ તે ફોલો કરવાની છુટ આપીશ. વિશે રણબિરે જણાવ્યું હતું કે, " મને કોઈ વાંધો નથી કે તે લગ્ન બાદ પણ તેનાં કરિયરમાં આગળ વધે. મારી માતાની ઈચ્છા ન હતી કે તેથી તેણે ફિલ્મ લાઈન છોડી દીધી હતી. તે તેનાં ધર પરિવારને સંભાળવામાં અને બાળકોને મોટા કરવાને વધુ મહત્વ આપવા માગતી હતી તેથી તેણે ફિલ્મ લાઈન છોડી દીધી હતી. હુ એવું કોઈ પ્રેશર નહી કરું કે મારા અને મારા પરિવાર માટે તેને તેની કરિયર છોડી દે.


અમદાવાદમાં દર્દીના શ્વેતકણો પર ત્રાટકતો અજાણ્યો વાઇરસ

દર્દીના શ્વેતકણ (ડબલ્યુબીસી) અને પ્લેટલેટ પર ત્રાટકીને સંખ્યામાં એકદમ ઘટાડો કરી નાખતા અજાણ્યા વાઇરસે ડોક્ટરોને વિમાસણમાં મૂકી દીધા છે. ડેન્ગ્યુ જેવાં લક્ષણો ધરાવતા આ અજાણ્યા વાઇરસથી ટાઇફોઇડ, ઝેરી મેલેરિયા, ડેન્ગ્યુ અને વાઇરલ ઇન્ફેક્શનના તમામ વયજુથના દર્દીના રિપોર્ટ નેગેટિવ હોવા છતાં શ્વેતકણો અને પ્લેટલેટમાં ઘટાડો જોવા મળે છે.સરેરાશ ૨૫માંથી આઠ જેટલા દર્દીના રિપોર્ટમાં શ્વેતકણો-પ્લેટલેટનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે. ચિંતાજનક વાત એ છે કે શ્વેતકણો ઘટતાં રોગપ્રતિકારક શક્તિ ઘટવાનો અને પ્લેટલેટથી શરીરમાંથી રક્તસ્ત્રાવ થવાનો ખતરો રહે છે.એમ.ડી. ફિઝિશિયન ડૉ. પ્રવીણ ગર્ગે જણાવ્યું હતું કે, દર્દીના શ્વેતકણો અને પ્લેટપર ત્રાટકતાં ડેન્ગ્યુ જેવાં લક્ષણો ધરાવતા એક અજાણ્યા વાઇરસને કારણે વાઇરલ ઇન્ફેક્શનની સારવાર માટે આવતાં ૧૦માંથી પાંચ દર્દીના રિપોર્ટમાં શ્વેતકણો-પ્લેટલેટની સંખ્યા એકદમ ઓછી હોય છે.દરેક વ્યક્તિના લોહીમાં શ્વેતકણોની સંખ્યા ચારથી દસ હજારની વચ્ચે તેમજ પ્લેટલેટની સંખ્યા દોઢથી પાંચ લાખ હોય છે. વ્યક્તિ જ્યારે વાઇરલ ઇન્ફેક્શનનો ભોગ બને ત્યારે તેના શ્વેતકણો (ડબલ્યુબીસી) અને પ્લેટલેટની સંખ્યામાં નજીવો ઘટાડો થાય છે. પરંતુ આ અજાણ્યા વાઇરસથી દર્દીના શ્વતેકણ ત્રણ હજારથી પાંત્રીસો અને પ્લેટલેટ ૧૦થી ૧૫ હજાર સુધી ઘટી જાય છે.


વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં વડોદરાનો દર્પણ ૨૩મા ક્રમે

રશિયાના સર્બિયા ખાતે યોજાયેલ પ્રજ્ઞાચક્ષુઓની વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં વડોદરાના દર્પણ ઇનાનીએ ૨૩માં ક્રમે આવી સમગ્ર એશિયાનો પ્રથમ ખેલાડી બન્યાનું બહુમાન મેળવ્યું હતું. તેણે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં યુરોપીયન દેશોના સતત ૬૦ વર્ષના ઇજારાને ખતમ કરવાની સાથે ચેસના ક્ષેત્રે વડોદરાનું નામ ગાજતું કર્યું છે.તાજેતરમાં રશિયા ખાતે યોજાયેલી ‘ નેશનલ સ્પોર્ટ્સ યુનિયન ઓફ ધ બ્લાઇન્ડ એન્ડ પાર્શિયલી સાઇટેડ’ દ્વારા વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપેમાં ૩૪ દેશોના ૧૨૧ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વડોદરાના દર્પણે ભારતીય ટીમમાંથી ભાગ લીધો હતો. માત્ર ૧૬ વર્ષનો દર્પણ તાજેતરમાં જ નેશનલ ચેસ ચેમ્પિયન બનતા તેને ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરવા માટે રશિયા મોકલવામા આવ્યો હતો. પ્રથમવાર જ ચેસ વિશ્વ ચેમ્પિયનશિપમાં ભાગલેતા દર્પણે કુલ ૫.૫ પોઇન્ટ્સ સાથે પ્રથમ ૨૫માં ૨૩મો ક્રમાંક મેળવ્યો હતો.આ પ્રકારની સફળતા મેળવનાર માત્ર ભારત નહીં, સમગ્ર એશિયામાં તે પ્રથમ ખેલાડી છે. અગાઉ ૧૯૯૮માં ભારત તરફથી ચારુદત્તાએ ૩૬મો ક્રમાંક મેળવ્યો હતો. દર્પણ આ વિક્રમને આંબી ગયો છે. જો દર્પણ આ ચેમ્પિયનશિપમાં અંતિમ રાઉન્ડમાં વિજેતા બન્યો હોત તો તે પ્રથમ ૧૦માં સ્થાન મેળવી શક્યો હોત. શિયાનો મેશકોવ યુરિ પ્રથમ સ્થાને વિજેતા બની ગોલ્ડ મેડલ મેળવી ગયો હતો.


વડોદરામાં ડીઝલ લૂંટ કેસ : છ ફરાર આરોપીને શોધવા દોડધામ

જે.કે. લક્ષ્મી સિમેન્ટ કંપનીમાં ત્રણ સિક્યુરિટી જવાનોને રૂમમાં પૂરી દઇ ડીઝલની લૂંટના બનાવમાં બે લૂંટારાને અદાલત સમક્ષ રજુ કરતાં કોર્ટે બન્નેના તા.૨૪મી સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. આ બનાવમાં પોલીસે પાંચ રાઉન્ડ ગોળીબાર કરી ત્રણ લૂંટારાને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય છ લૂંટારા ફરાર થઈ ગયા હતા. એક લૂંટારાને ઇજા પહોંચી હોઇ તે હોસ્પિટલમાં છે. ફરાર છ આરોપીઓને ઝડપવા પોલીસની દોડધામ શરૂ કરી દીધી છે.દુમાડ ગામની સીમમાં આવેલી જે.કે. લક્ષ્મી સિમેન્ટ કંપનીમાં ગુરુવારે સવારે પાંચ વાગ્યાના સુમારે નવ જેટલા હથિયારધારી લુંટારુંઓએ ત્રણ સકયુરિટી જવાનોને રૂમમાં પૂરી દઇ મિક્સર મશીનમાંથી ડીઝલની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. બનાવની જાણ થતાં તાલુકા પોલીસે પીછો કરતાં લૂંટારાએ પથ્થરમારો કર્યો હતો. આ ઉપરાંત પોલીસના વાહનને પલટી ખવડાવી દેવા રોડ પર ડીઝલ ઢોળવા માંડ્યું હતું.દરિમયાન પોલીસે પાંચ રાઉન્ડ ગોળીબાર કરી અમદાવાદ નારોલ વિસ્તારના કેસરનગરમાં રહેતો સુનિલ ઉર્ફે સુનીયો બાજીરાવ માલુસરે, શાહવાડી ચામુંડા પાર્કનો તરુણ પૂનમ મકવાણા અને કેશવનગર બોમ્બે હોટલ સામે રહેતો ફિરોજ મહંમદ હનીફ મેવાતીને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય છ લૂંટારા ફરાર થઈ ગયા હતા.


સુરત : સપ્તાહમાં એરલાઇન્સને મંજુરી નહીં તો આંદોલન

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા હોટલ ગેટવે ઇન ખાતે મળેલી વિવિધ એરલાઇન્સની બેઠકના હકારાત્મક પ્રત્યાઘાત મળવાના સંકેત સાંપડી રહ્યા છે. લગભગ ઓક્ટોબરના અંત સુધીમાં પાંચ એરલાઇન્સ સુરતથી પોતાની ફ્લાઇટ્સ શરૂ કરી દેશે. જોકે, શહેરના ઉદ્યોગકારો વતી ચેમ્બરે આહ્વાન કર્યું છે કે સાત દિવસની અંદર એરલાઇન્સને આ અંગેનો મંજુરીપત્ર ન મળે તો ઉગ્ર લડતનાં મંડાણ થશે. ટૂંકમાં કોઈપણ ભોગે હવે શહેરને અન્ય શહેરો સાથેની કનેક્ટિવિટીથી વંચિત રાખવાની વાત ઉદ્યોગકારોને ખપતી નથી.ચેમ્બર પ્રમુખ અજોય ભટ્ટાચાર્યે જણાવ્યું હતું કે ગુરુવારે ઇન્ડસ્ટ્રીઝ તરફથી જે કલેક્ટિવ પ્રેઝન્ટેશન રજુ થયું તેનો તમામ ચિતાર કેન્દ્રના રાજ્યકક્ષાના ઉડ્ડયન મંત્રી પ્રફુલ પટેલને મોકલી આપવામાં આવ્યો છે. રજુઆતમાં જણાવાયું છે કે સુરતમાં પ્રારંભિક તબક્કે ડોમેસ્ટિક એરલાઇન્સની મંજુરી એક સપ્તાહમાં મળવી જોઈએ, અન્યથા સુરતના લોકોને જલદ આંદોલન કરવાની ફરજ પડશે. સુરતને પૂરતી એર કનેક્ટિવિટી મળે તે માટે તમામ ઉદ્યોગકારોએ પણ ઉગ્ર લડત આપવાની તૈયારી દાખવી છે.બીજી તરફ વિવિધ એર લાઇન્સ સાથે પણ પત્રવ્યવહાર શરૂ કરાયો છે. ભટ્ટાચાર્યે કહ્યું હતું કે અમે એરલાઇન્સને સ્પષ્ટ કર્યું છે કે સુરત તરફથી તમને કોઈપણ મદદ જોઈતી હોય તો તે માટે અમે ખડેપગે તૈયાર છીએ. સેવંતીભાઈ શાહ સહિતના અગ્રણીઓએ પણ આ પ્રશ્ને જ્યાં જવાની જરૂર હોય ત્યાં સાથે રહેવાની ખાતરી આપી છે.


સુરત-રિંગરોડ રૂંવાડાં ઊભાં કરી દેતી ઘટના...

સુરત-રિંગરોડ રઘુકુળ માર્કેટના પાછળના ભાગે જઈ રહેલી ટ્રકમાં ફાટી નીકળેલી આગની જવાળાઓ ૧૦ ફૂટ ઊંચે ઊઠી, આ ઘટનાની જીવંત તસવીરો અમારા ફોટોગ્રાફર હેતલ શાહના કેમેરામાં કંડારાઈ હતી. ભાઠેના રઘુકુળ માર્કેટની પાછળ, ગરનાળા પાસે બિસ્મિલ્લાહ ચોકમાંથી લાલજી મુળજી ટ્રાન્સપોર્ટની ટ્રક નંબર જીઆરયુ-૪૩૦૮ પસાર થઈ રહી હતી જેમાં પાછળ ટ્રોલીમાં કેરબા, ડ્રમ અને ગાડીઓની બેટરી મૂકેલાં હતાં. જેમાં અચાનક આગ ફાટી નીકળી હતી.અને ગણતરીની સેંકડોમાં આગની ભયાનક જવાળાઓ ઊંચેને ઊંચે ઊઠવા લાગી હતી. આગની ભયાનક જવાળાઓ જોઇને તેની પાછળ આવતા બાઇકચાલક નરેન્દ્ર પંચાલે હિંમત કરી પોતાની બાઇક ટ્રકની નજીક લઈને ચાલકનું ધ્યાન દોર્યું કે ટ્રકના પાછળના ભાગે આગ જબરજસ્ત લાગી ચૂકી છે.જોકે, એટલામાં તો આગની જવાળાઓ બાઇકચાલકને પણ ઝપટમાં લઈ લે તેટલી ફેલાઈ ગઈ હતી. જીજે૫-ઈએચ-૫૦૬૩ નંબરની બાઇક પણ આગની ચપેટમાં આવતાં નરેન્દ્રભાઈ પોતાનું બાઈક ત્યાં જ મૂકી સલામત સ્થળે ખસી ગયા હતા.એટલામાં તો સામેથી આવી રહેલી આકાશ યોગેશભાઈ શાહની જીજે૫-સીએલ-૧૬૩૧ નંબરની ઇન્ડિકા વિસ્ટા કાર પર પણ આગની લપેટમાં આવી ચૂકી હતી.અચાનક આવી પડેલી આપત્તિના પગલે આકાશ શાહે પણ પોતાની ગાડી ત્યાં જ મૂકીને સ્થળ પરથી ભાગ્યાં હતાં. સમગ્ર વાતાવરણ જાણે આગની જવાળાઓમાં રંગાઈ ગયું હોય તેવું લાગતું હતું. તમામ વાહનવ્યવહાર થંભી ગયો હતો અને ટ્રક, કાર અને બાઇક સૌની નજર સામે ભડભડ સળગી ઊઠ્યાં હતાં. જોકે, ત્રણ ફાયટરોએ ચારેબાજુથી પાણીનો મારો ચલાવીને આગને સમયસર કાબૂમાં લઈ લીધી હતી.


પોલીસપુત્ર ચોરાઉ છ વાહનો સાથે ઝબ્બે

પોલીસ હેડ કોન્સ્ટેબલના અવસાન બાદ કોલેજીયન પુત્રએ મોટર સાઈકલોની ચોરી કરવાનું શરૂ કરતાં જેમાં બે વર્ષ દરમ્યાન ૧૫ જેટલા વાહનોની ચોરી કરી હતી. જે પૈકી પોલીસના સંકજામાં ફસાયા બાદ તેની પાસેથી ૬ મોટર સાઈકલો કબ્જે કરીને ડી ડીવીઝનની પોલીસે રૂ. ૧ લાખ ૩૮ હજારનો મુદામાલ કબ્જે કરેલ છે.નવાપરામાં જુની પોલીસ લાઈનમાં રૂમ નંબર ૬માં બ્લોક નંબર બી/૪માં રહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ દાનસિંહ સોલંકીનું અવસાન થયા બાદ તેનો પુત્ર અજયસિંહ જે આંબેડકર યુર્નિવસિટીમાં એફવાયબીએમાં અભ્યાસ કરે છે.આ યુવકે મોટર સાઈકલો ચોરવાનું શરૂ કરતાં જેમાં એ ડીવીઝનની હદમાંથી બે મોટર સાઈકલ, બી ડીવીઝન હેઠળ એક, સી ડીવીઝન હેઠળ એક તથા સિહોર અને રાજકોટ સહીતના ભાગમાંથી ૬ મોટરસાઈકલોની ચોરી કરી હતી.આ વાહન ચોર અંગે ડી ડીવીઝન પોલીસના ડી સ્ટાફના અરિવંદ પરમાર અને બલવીરસિંહ જાડેજાને ગુપ્ત માહીતિ મળતા કોલેજીયન અજયસિંહ (ઉ.વ.૨૦)ને ઝડપી લેવાયો હતો. આ કામગીરીમાં ડી ડીવીઝનના પીઆઈ ધરાજીયા, સ્ટાફના મહેશ દવે, પ્રાણલાલ ધાંધલ્યા, પીપી રાણા સહિતનો સ્ટાફ જોડાયો હતો.


સાયન્સનાં પુસ્તકોમાં પાયાથી કરાશે પરિવર્તન

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુન-૨૦૧૧થી શરૂ થઈ રહેલા નવા શૈક્ષણિક વર્ષથી ધો.૧૧-૧૨, વિજ્ઞાન પ્રવાહમાં સેમેસ્ટર પધ્ધતિનો અમલ થવાનો છે ત્યારે અત્યારથી જ તે અંગે નવો અભ્યાસક્રમ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. નવા પાઠ્યપુસ્તકો કેન્દ્રીય બોર્ડના પાઠ્યપુસ્તકો ઉપર આધારિત હશે.આથી હાલના કોર્સની સરખામણીમાં ધરખમ ફેરફાર નવા પાઠ્યપુસ્તકોમાં જોવા મળશે. ધોરણ-૧૦માં બોર્ડ દ્વારા માત્ર પાંચ જ વિષયોની પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તેમાં પણ ૫૦ માર્કની પરીક્ષા ઓએમઆર પદ્ધતિથી અને ૫૦ માર્કની પરીક્ષા વર્ણનાત્મક રીતે લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરાયા બાદ પાઠ્યપુસ્તકોમાં પણ ફેરફાર કરવો અનિવાર્ય હોઈ અભ્યાસક્રમોમાં ફેરફાર કરવા માટે બોર્ડ દ્વારા એક નિષ્ણાત સમિતિ બનાવવામાં આવશે. જે અભ્યાસક્રમ અંગેની તમામ તૈયારીઓ કરી નવું માળખું ઘડી કાઢશે.આ ઉપરાંત બોર્ડ દ્વારા ધો-૧૧ અને ૧૨ સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરવા માટે પણ નિર્ણય લેવાયો છે. જેનો અમલ આગામી શૈક્ષણિક સત્ર ૨૦૧૧થી કરવામાં આવનાર હોઈ તે પહેલાં સેમેસ્ટર પદ્ધતિને અનુરૂપ અભ્યાસક્રમ બનાવવાનું નક્કી કરાયું છે. જેના માટે સમિતિ બનાવવામાં આવશે. તે સાયન્સમાં સેમેસ્ટરને અનુરૂપ અભ્યાસક્રમ તૈયાર કરશે. જુન-૨૦૧૧ પહેલા નવા અભ્યાસક્રમ આધારિત પુસ્તકો તૈયાર કરી દેવામાં આવશે.

ચીન સાથે સીમા વિવાદ ઉકેલવા ભારતે પહેલ કરી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

ચીન સાથે સીમા વિવાદ ઉકેલવા ભારતે પહેલ કરી

ચીન સાથે સંબંધોમાં હાલમાં વિવાદના ઘણાં મુદ્દા ઉછળ્યા બાદ ભારત તરફથી સીમા વિવાદ પર વાતચીતનો 14 દોર કરવાની પહેલ કરવામાં આવી છે. અહીં સૂત્રોએ જણાવ્યું છે કે ચીન તરફથી વાતચીતની તારીખોની પુષ્ટિની રાહ જોવાય રહી છે.આશા છે કે વાતચીત આ વર્ષના અંત સુધીમાં થશે. 13મા દોરની વાતચીત લગભગ એક વર્ષ પહેલા થઈ હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનનને ગત 6 જુલાઈએ બેઈજિંગ યાત્રા દરમિયાન ચીનને સીમા વિવાદ પર આગામી દોરની વાતચીત જલ્દી કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ ત્યાર બાદ કાશ્મીરીઓને વીઝા અને ગિલગિટમાં ચીની સેનાનો મુદ્દો ઉછળવાને કારણે આ પ્રસ્તાવ આગળ વધી શક્યો ન હતો.પરંતુ અહીં રાજનયિક સૂત્રોનું માનવું છે કે ચીને આ વિવાદ બાદ હવે માહોલ ઠંડુ કરવાની કોશિશ કરી છે અને ચીની મીડિયાએ પણ આવી બાબતોને પ્રચારીત કરવાનું ટાળે છે. ગત એક સપ્તાહ દરમિયાન ભારતના બે કેબિનેટ મંત્રી કપિલ સિબ્બલ અને રાજમાર્ગ તથા સડક પરિવહન મંત્રી કમલનાથની ચીન યાત્રાથી ચીની પક્ષ થોડો નરમ થયો છે. ભારતે પોતાને ત્યાં ચીની રોકણ પરિયોજના હેઠળ ચીની કામદારોને આવવા પર એક ટકાની મર્યાદા હટાવી લીધી છે અને તેમને રોજગાર વીઝા પર આવવાની છૂટ આપી છે. ભારતે આ પ્રકારે ચીન સાથે સંબંધો સામાન્ય બનાવાના ઈરાદાથી કેટલાંક સકારાત્મક નિર્ણયો લીધા છે અને ચીને પણ પોતાના તરફથી વીઝા મુદ્દાને ગલતફેમી ગણાવીને ટાળવાની કોશિશ કરી છે.



બુકી મજીદનો ભાઈ ઘણા પાકિસ્તાની ખેલાડીઓનો એજન્ટ હતો

બુકી મઝહર મજીદ પાકિસ્તાની ટીમ સાથે ઘરબો ધરાવે છે તેવા આક્ષેપો ચાલી રહ્યા છે ત્યાં હવે આ આક્ષેપોને ટેકો મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. મજીદનો ભાઈ અઝહર આમાં જોડાયેલો છે. અઝહર પાકિસ્તાની ટીમના ભૂતપૂર્વ અને હાલના ઘણા ખેલાડીઓના એજન્ટ તરીકે કાર્યરત હતો.બ્રિટિશ ટેબ્લોઈડ દ્વારા કરવામાં આવેલા એક સ્ટિંગ ઓપરેશનમાં પાકિસ્તાની ટીમના કેટલાક ખેલાડીઓના એજન્ટ એવા મઝહરે દાવો કર્યો હતો કે તેણે હાલમાં સસ્પેન્ડ કરાયેલા પાકિસ્તાની ટેસ્ટ સુકાની સલમાન બટ્ટ, ઝડપી બોલરો મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિરને લોર્ડ્સ ખાતેની ઈંગ્લેન્ડ-પાકિસ્તાન ટેસ્ટમાં સ્પોટ ફિક્સિંગ માટે પૈસા ચૂકવ્યા હતા.હાલમાં સ્કોટલેન્ડ યાર્ડ કે જે આ આક્ષેપોની તપાસ કરી રહ્યું છે તેણે આ ખેલાડીઓ સામે પુરાવાઓના આધારે અહેવાલ રજૂ કર્યો હતો.હવે સામે આવ્યું છે કે મઝહરનો મોટો ભાઈ અઝહર પણ એક સમયે પાકિસ્તાની ટીમના ઘણા ખેલાડીઓના એજન્ટ તરીકે કામ કરતો હતો. જેમાં શાહિદ આફ્રિદી, મુહમ્મદ યુસુફ, અબ્દુલ રઝાક અને સક્લૈન મુશ્તાકનો સમાવેશ થાય છે.ઈંગ્લેન્ડથી હાલમાં રજાઓ માણવા લાહોર ગયેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્પિનર સક્લૈન મુશ્તાકે તે વાતને સમર્થન આપ્યું હતું કે એક સમયે અઝહર તેનો એજન્ટ રહી ચૂક્યો હતો.પરંતુ મેં મઝહર મજીદ સાથે ક્યારેય કંઈ કર્યુ નહોતું. અઝહર મને રીપ્રેસન્ટ કરતો હતો અને મને સસેક્સ અને સરેય સાથે કરારબદ્ધ કરતો હતો. પરંતુ મેં ક્યારેય તેના માટે ખોટું સાંભળ્યુ નહોતું, તેમ મુશ્તાકે જણાવ્યું હતું.


હવે વન ડેમાં પણ પાક.ટીમે કર્યુ ફિક્સિંગ

મેચ-ફિક્સિંગ સ્કેન્ડલ હાલમાં પાકિસ્તાની ટીમના પડછાયા જેવું બની ગયું હોય તેમ લાગે છે. કારણ કે આ વિવાદ હજુ પણ પાકિસ્તાનનો પીછો નથી છોડી રહ્યો.હવે ઈંગ્લેન્ડના એક સમાચાર પત્રએ દાવો કર્યો છે કે ઓવલ ખાતે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી વન ડે ફિક્સ હતી. જેમાં ભારતીય અને દુબઈના બુકીઓ પર શંકાની સોય તાકવામાં આવી રહી છે. તથા આઈસીસી હવે આ વન ડે મેચની તપાસ કરશે.બ્રિટિશ ટેબ્લોઈડ ધ સને દાવો કર્યો છે કે પાકિસ્તાનની ઈનિંગ્સની શરૂઆત થઈ તે પહેલા જ બુકીઓ તેની તમામ માહિતી જાણતા હતા. તથા આઈસીસી આ ઘટનાની તપાસ કરશે.તાજેતરમાં જ પાકિસ્તાની ટેસ્ટ સુકાની સલમાન બટ્ટ, ઝડપી બોલરો મોહમ્મદ આમિર અને મોહમ્મદ આસિફ સ્પોટ ફિક્સિંગ વિવાદમાં સંડોવાયા બાદ આ નવા ધડાકાથી વિવાદોમાં ઘેરાયેલી પાકિસ્તાની ટીમની મુશ્કેલીઓમાં વધારો થશે.આ અહેવાલમાં જણાવ્યા પ્રમાણે નવી તપાસમાં ગઈ કાલે ધ ઓવલ ખાતે રમાયેલી વન ડેમાં પાકિસ્તાની ઈનિંગ્સના સ્કોર પેટર્ન અને તેની બે શંકાસ્પદ ઓવરની તપાસ કરવામાં આવશે.


બુકીએ મારો સંપર્ક સાધ્યો હતો : ઇરફાન પઠાણ

ભારતીય ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે સનસનાટીભર્યો ઘટસ્ફોટ કર્યો છે કે એક શ્રેણી દરમિયાન કોઇ અજનબીએ તેને અત્યંત કિંમતી ભેટ મોકલી હતી જે બુકીની હોઇ શકે છે, જોકે ઇરફાને આ બાબત ક્યારે બની હતી તથા ભેટ કઇ હતી તેનો કોઇ ખુલાસો કર્યો નહોતો. માનવામાં આવી રહ્યું છે કે ૨૦૦૬માં બુકીએ મેચ ફિક્સિંગ માટે ઇરફાનનો સંપર્ક સાધ્યો હતો. આ સમયગાળામાં ભારતીય ટીમે પાકિસ્તાનનો પ્રવાસ ખેડ્યો હતો.૨૫ વર્ષીય ઓલરાઉન્ડરે એક ટીવી ચેનલમાં જણાવ્યું હતું કે હું ટીમની હોટેલમાં હતો ત્યારે એક અજનબીએ મારો સંપર્ક સાધ્યો હતો. તેણે મારા રૂમમાં ત્રણ કિંમતી ભેટ મોકલી હતી. ત્યારબાદ તેણે વધુ બે મોંઘી કિંમતની ભેટ મોકલી હતી જે હું ખરીદી શકતો નહોતો.મને એવું લાગ્યું હતું કે આ ખોટી બાબત છે, કારણ કે તે વ્યક્તિને હું જાણતો નહોતો. મેં આ બાબતની જાણકારી ટીમ મેનેજમેન્ટને આપી હતી જેની સૂચના આઈસીસીના ભ્રષ્ટાચાર વિરોધી એકમને આપવામાં આવી હતી. ત્યારબાદ મેં આ અજનબીને ક્યારેય જોયો નહોતો. નોંધનીય છે કે ઇરફાન ૨૦૦૯ બાદ ભારતીય ટીમમાંથી બહાર છે.


બૂકીનો દાવોઃ પાક-ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચો ફિક્સ હતી

લો ઇન્ફોર્સમેન્ટ એજન્સી દ્વારા એક અજાણ્યા બૂકીની શોધખોળ ચલાવાઈ રહી છે. જે એક ટીલીવિઝન શોમાં જોવા મળ્યો હતો. અને તેણે કહ્યું હતું કે, પાકિસ્તાન ઇંગ્લેન્ડ વચ્ચેની તમામ ટેસ્ટ મેચ ફિક્સ હોવાનું જણાવ્યુ છે.એક ટોક શો દરમિયાન અજાણ્યો બૂકી હાજર રહ્યો હતો જેનો ચહેરો છૂપાવવામાં આવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે પાકિસ્તાન ટીમના એકાદ બે એવા ખેલાડીઓ છે જે ભૂતકાળમાં મેચ ફિક્સિંગમાં સામેલ હતા. આ ખેલાડીઓને મોટા બૂકીઓ દ્વારા તગડી રકમ આપીને ખરીદવામાં આવ્યા હતા.તેને કરેલો આ દાવો ત્યારે પ્રકાશમાં આવ્યો છે જ્યારે સ્પોટ ફિક્સિંગમાં પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓ સલમાન બટ્ટ, મોહમ્મદ આમિર અને મોહમ્મદ આસિફ સંડોવાયા હોવાની વાત બહાર આવી છે.સૂત્રોએ જણાવ્યા અનુસાર જ્યારથી આ શો રજૂ થયો છે ત્યારથી લો ઇન્ફોર્સેમેન્ટ એજન્સીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તે વ્યક્તિને ઝડપવા અને તેની ઓળખ મેળવવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. પોલીસ અને એફઆઇએ દ્વારા એ વ્યક્તિ અંગે તપાસ ચાલું કરાઇ છે. જે હાલ ભૂગર્ભમાં જતો રહ્યો છે. આ બૂકી કરાચીનો હોવાનું બહાર આવ્યાનું સૂત્રોએ જણાવ્યું છે.અજ્ઞાત સ્થળે જતા રહેલા એ બૂકી કહ્યું હતું કે ટીમના કેટલાક સારા ખેલાડીઓ ભૂતકાળમાં પણ ફિક્સિંગમાં સંડોવાયેલા છે. જેમાં બે ઓપનિંગ બેટ્સમેનો અને બે સ્પિનર્સ છે. જો તમે એમ કહેતા હોવ કે ફિક્સિંગની ડીલ મોબાઇલ થકી થાય છે તો તમે ખોટા છો કારણ કે, મોટાભાગની ડીલ લેન્ડલાઇન નંબર પરથી કરવામાં આવે છે. સ્પોટ ફિક્સિંગ અને મેચ ફિક્સિંગના રેટ ઇંગ્લેન્ડથી નક્કી કરવામાં આવે છે.


અજમેર જેલમાં આતંકીઓ પાસેથી ફરી મોબાઈલ મળ્યા

અજમેર સેન્ટ્રલ જેલમાં શુક્રવારે આતંકવાદીઓ અને અન્ય કેદીઓ પાસેથી કુલ 23 મોબાઈલ કબ્જે કરાયા છે. તે સિવાય 14 સિમ કાર્ડ, બે બેટરી અને ચાર ચાર્જર પણ મળ્યા છે. આ જેલામાં બે સપ્તાહ પહેલા પણ સીરીયલ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ મોહમ્મદ જલીસ અંસારી અને તેના સાથીદારો પાસેથી 3 મોબાઈલ અને 2 સિમ કાર્ડ કબ્જે કરાયા હતા. તેમના દ્વારા દેશવિદેશમાં વાતચીત કરવા સિવાય ઈન્ટરનેટનો ઉપયોગ કરાયો હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે. તેનો ખુલાસો થયા બાદ હવે જેલમાં ફરીથી મોબાઈલ મળ્યા બાદ સુરક્ષાની પોલ ખુલી ગઈ છે.શુક્રવારે જપ્ત કરાયેલા 23 મોબાઈલમાંથી 3 સીરીયલ બ્લાસ્ટના આરોપીઓ મોહમ્મદ યુસુફ અને ફજલુર્રરહમાન પાસેથી મળ્યા છે. જ્યારે બાકીના અન્ય કેદીઓ પાસેથી જપ્ત કરાયા છે. આ જપ્તી બાદ જેલ અધિકારીઓએ આતંકવાદીઓની બેરેક સીજ કરી દીધી છે. શનિવારે તેની ફરીથી તલાશી લેવાશે.જેલ અધિક્ષક પ્રીતા ભાર્ગવના જણાવ્યા પ્રમાણે, શુક્રવારે જ્યારે આતંકવાદીઓની બેરેક બદલવામાં આવી હતી, ત્યારે અંસારી અને અન્ય આતંકવાદીઓ અબ્રેરહમત, મોહમ્મદ યુસુફ, મોહમ્મદ સલીમ અંસારી અને મોહમ્મદ અફાક જેલ અધિકારીઓ સાથે ઝગડો કરવા લાગ્યા હતા. અડધા કલાકની બૂમરાણ બાદ આતંકીઓ બેરેક બદલવા માટે રાજી થયા હતા. જ્યારે તેઓ અન્ય બેરેકમાં જઈ રહ્યાં હતા તો તેઓ પાણીના માટલા પણ સાથે લઈ જવા લાગ્યા હતા.શંકા જવાને કારણે જેલ અધિક્ષકે માટલાંની તપાસ કરી હતી. પાણી ભરેલા માટલામાં પ્લાસ્ટિકની થેલીમાં બાંધેલા ત્રણ મોબાઈલ તલાશી દરમિયાન મળી આવ્યા હતા. જેના કારણે આતંકવાદીઓની તલાશી લેવામાં આવી હતી. તેમની પાસે માચિસના ત્રણ મોટા બોક્સમાં ચાર ચાર્જર પણ મળ્યા હતા. ત્યાર બાદ જેલના વહીવટી તંત્રે અન્ય કેદીઓની તલાશી લીધી તો વધુ 20 મોબાઈલ મળી આવ્યા હતા. તે સિવાય 14 સિમકાર્ડ, બે બેટરી પણ જપ્ત કરવામાં આવી હતી.જેલમાં આતંકવાદીઓ પાસેથી ફરી મોબાઈલ ફોન મળવા ગંભીર વાત છે. જાણકારી ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી છે. આદેશ પ્રમાણે મામલાની તપાસ કરવામાં આવશે.- હરિપ્રસાદ શર્મા, એસ.પી.




લંડન ઓલમ્પિકને નિશાનો બનાવશે અલ-કાયદા!

કુખ્યાત આતંકવાદી સંગઠન અલકાયદા ફરીથી પગપેસારો કરી રહ્યું છે. આ સંગઠન બે વર્ષ પછી લંડનમાં થનારા ઓલમ્પિક રમતોત્સવને નિશાનો બનાવવાની તૈયારીમાં છે. અલકાયદા સાથે જોડાયેલા સંગઠનો પાકિસ્તાનથી ખસીને હવે ઉત્તરી આયરલેન્ડ, મધ્ય પૂર્વ અને ઉત્તરી અમેરિકાના દેશોમાં નવા સ્થાનો જમાવી રહ્યા છે. લંડનની એક જાસૂસી એજન્સીએ ચેતવણી આપી છે કે ઓલમ્પિક રમતોને આ સ્થાનોથી જોખમ છે.એમઆઈ-5ના વડાં જોનાથન ઈવાન્સ ચેતવણી આપે છે કે લંડન ઓલમ્પિકને અસંતુષ્ટોથી જોખમ છે. આ ઉપરાંત સોમાલિયામાં અલ કાયદા સમર્થિત આતંકવાદી સંગઠન અલ શબાબના કેમ્પોમાં ટ્રેનિંગ લઈ ચૂકેલા બ્રિટિશ મૂળના લોકોથી પણ જોખમ છે. 2012માં 27 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ઓલમ્પિકનું આયોજન થનાર છે.ઈવાન્સે જણાવ્યા અનુસાર તેને એવી સૂચના મળી છે કે સેમટેક્સ વિસ્ફોટકો જેવા ખતરનાક હથિયારો આયરલેન્ડના વિદ્રોહીઓ પાસે આવ્યા છે. આ વિદ્રોહીઓએ માદક પદાર્થોની તસ્કરી દ્વારા પણ ઘણું ધન એકઠું કર્યું છે. ઈવાન્સની આ ચેતવણી ‘રિયલ આઈઆરએ’ નામના એક આતંકવાદી સંગઠનની ધમકી પછી આવી છે, જેમાં તેણે લંડનની બેંકો અને અન્ય નાણાં સંસ્થાઓને નિશાનો બનાવવાની વાત કરી છે.


કાશ્મીરમાં કલમ-370 નબળી પડી: ફારુક અબ્દુલ્લા

કેન્દ્રીય મંત્રી ફારુખ અબ્દુલ્લાએ કહ્યું હતું કે અનુચ્છેદ 370 કમજોર થઈ ગઈ છે અને જમ્મુ-કાશ્મીરને ભારતીય બંધારણની મર્યાદામાં સ્વાયત્તતા આપવા સંદર્ભે ધ્યાન આપવાનો વખત આવી ગયો છે.અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે અનુચ્છેદ-370 ઘણાં સમયથી કમજોર થઈ ગયો છે અને બંધારણીય મર્યાદામાં જમ્મુ-કાશ્મીરને સ્વાયત્તતા આપવા સંદર્ભે વિચાર કરવાનો વખત આવી ગયો છે. બંધારણની મર્યાદામાં કોઈ અન્ય ઉકેલ પર વચાર કરી શકાય છે.નવીન અને અક્ષય ઊર્જા મંત્રીએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે સશસ્ત્ર સેના વિશેષાધિકાર અધિનિયમ(એએફએસપીએ)ને ધીરેધીરે રાજ્યાના એ વિસ્તારોમાંથી હટાવી દેવો જોઈએ કે જ્યાં તેની જરૂરત નથી.અબ્દુલ્લાએ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ દ્વારા રાજ્યની પ્રસ્તાવિત મુલાકાત સંદર્ભે કહ્યું છે કે આ એક સદભાવના યાત્રા છે અને હુર્રિયત નેતાઓ સહીત તમામની મુલાકાત કરવી જોઈએ.કટ્ટરપંથી હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાની સંદર્ભે તેમણે કહ્યું છે કે ગિલાની એમ વિચારે છે કે ભારત કાશ્મીરને છોડી દેશે. પરંતુ દરેક હિંદુસ્તાની કાશ્મીર માટે લડશે.



દિલ્હીની શાળામાં ત્રણ વિદ્યાર્થીઓનું જાતિય શોષણ

રાજધાની નવી દિલ્હીમાં શાળાના બાળકોના જાતિય શોષણનો સનસનાટીપૂર્ણ મામલો સામે આવ્યો છે. એક નામી ખાનગી શાળાના ડ્રાઈવર સાથે મળીને શાળાના જ કેટલાંક લોકો ત્રણ બાળકોનું જાતિય શોષણ કરી રહ્યાં હતા. ખબર છે કે શાળાની બસમાં સવાર બાકી બાળકોને ઉતાર્યા બાદ ત્રણ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને બેહોશીની દવા સુંઘાડી દેવામાં આવતી હતી. ત્યાર બાદ તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવતો હતો. જણાવામાં આવે છે કે બાળકોને એક રૂમમાં લઈ જવાતા હતા અને ત્યાં પહેલેથી જ ત્રણ-ચાર લોકો હાજર રહેતા હતા. તેઓ સાથે મળીને માસૂમ બાળકોનું જાતિય શોષણ કરતાં હતા.પીડિતોમાં દસમા ધોરણની વિદ્યાર્થિની અને બે વિદ્યાર્થીઓ સામેલ છે. આ વિદ્યાર્થીઓની ઉંમર 9 વર્ષ અને 10 વર્ષ જણાવવામાં આવે છે. જ્યારે વિદ્યાર્થિની ઉંમર 14 વર્ષની ગણાવામાં આવે છે. આ ડ્રાઈવર બાળકોને ધમકી આપતો હતો કે જો તેઓ કોઈને પણ આ સંદર્ભે માહિતી આપશે તો તેઓ તેમના માતાપિતાને મારી નાખશે. આ કારણથી બાળકો ચુપ રહ્યાં હતા.બાળકોની તબીબી તપાસ કરાવ્યા બાદ જ આ કેસમાં કલમો નક્કી કરવામાં આવશે. બાળકોના માતાપિતા પહેલા શાળાના વહીવટી તંત્રને આ સંદર્ભે જણાવ્યું હતું પરંતુ જ્યારે કોઈ કાર્યવાહી ન થઈ, તેથી છેવટે તેમણે પોલીસ સમક્ષ ફરીયાદ કરી હતી.


શેરબજારના ધંધાર્થીનું અપહરણનું તરકટ

શેરબજારના ધંધાર્થી દિનેશ અદાણી (૫૮)નું શુક્રવારે સાંજે નહેરુનગર પાર્શ્વનાથ દેરાસર પાસેથી ભેદી રીતે અપહરણ થતાં સનસનાટી મચી ગઈ હતી. જો કે મોડી રાત્રે તેમનો ભાવનગરથી બસ સ્ટેન્ડ પરથી પત્તો લાગતા પોલીસે તેમને લઇને અમદાવાદ આવવા રવાના થઈ હતી. ઝોન-૧ના ડીસીપી બ્રિજેશકુમાર ઝા એ જણાવ્યું હતું કે, દિનેશ અદાણી ભાવનગરના બસ સ્ટેન્ડ પરથી સુતેલી હાલતમાં મળી આવ્યા છે. અપહૃત અદાણી જુથની ગીલમોર કંપનીમાં નોકરી કરતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, નહેરુનગર પાસેના પંચધારા પ્લાઝામાં સી-૪૦૫ નંબરના ફલેટમાં રહેતા દિનેશ અદાણી સાંજે લગભગ ૬.૩૦ વાગ્યે ઘરની નજીકમાં આવેલા વાસુપૂજ્ય પાર્શ્વનાથ દેરાસરમાં દર્શન કરવા ગયા હતા.જો કે મોડે સુધી તેઓ ઘરે પરત ન આવતાં તેમનો પુત્ર પ્રશાંત તેમને શોધવા નીકળ્યો ત્યારે લગભગ ૭.૩૦ વાગ્યે દિનેશભાઈએ પુત્રના મોબાઇલ ફોન પર ફોન કરીને કહ્યું હતું કે, ‘બેટા મમ્મીને કહે જે મને પાંચ લોકો ઉઠાવી ગયા છે.’ બાદ ફોન કપાઈ ગયો હતો. આથી પુત્રે સેટેલાઇટ પોલીસ સ્ટેશને જઈને ઘટનાની જાણ કરી હતી. સંદેશો મળતાં જ ક્રાઇમબ્રાન્ચ, એટીએસની. ટીમ દોડી આવી હતી. બીજી બાજુ દિનેશભાઈનો ફોન ચાલુ હોવાથી પોલીસે તુરંત જ મોબાઈલ લોકેશનના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, તેમનું લોકેશન બગોદરા પાસે છે. જો કે તે પછી ખંડણી માટે કે અન્ય કોઇ માગણી કરતો ફોન આવ્યો નહતો.પોલીસનું માનવું છે કે, દિનેશ અદાણી એ અદાણી પરિવારના સંબંધી છે. જો કે મોડી રાત્રે તેમની ભાળ મળી જતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.


ચિદમ્બરમને પ્રાણાયામની જરૂરત: બાબા રામદેવ

યોગગુરુ બાબા રામદેવે કહ્યું છે કે ગૃહમંત્રી પી. ચિદમ્બરમને ભારતીય સંસ્કૃતિ સંદર્ભે કોઈ જ્ઞાન નથી. ભારતીય સંસ્કૃતિથી રૂબરૂ થવા માટે તેમને પ્રાણાયામ કરવાની જરૂરત છે.તેઓ શુક્રવારે અહીં આયોજીત યોગ શિબિર બાદ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યાં હતા. ભગવા આતંકવાદ પર ગૃહમંત્રી પી.ચિદમ્બરમની ટિપ્પણીના સવાલ પર સ્વામી રામદેવે કહ્યું હતું કે ભગવો એક સંસ્કૃતિ છે. ભગવો સદાથી લોકોની રક્ષા કરતો રહ્યો છે. ભગવામાં પ્રબલ સામર્થ્થય છે. તેમણે કહ્યું હતું કે કોઈ એક સમુદાયા પર આ પ્રકારની ટિપ્પણી કરતાં પહેલા તેમણે વિચારવું જોઈએ.તેમના દ્વારા કરવામાં આવેલી ભગવા આતંકવાદની ટિપ્પણી નિંદનીય છે. બાબા રામદેવે કહ્યું હતું કે ચિદમ્બરમે પણ ધ્યાન, યોગ અને પ્રાણાયામ કરવાની જરૂરત છે. તેમણે કહ્યું હતું કે તેઓ તો મુસ્લિમ આતંકવાદ શબ્દની પણ સંપૂર્ણપણે વિરુદ્ધ છે. આતંકવાદને કોઈપણ સમુદાય વિશેષ સાથે જોડવો અયોગ્ય છે.સંતોના દિવસેને દિવસે થઈ રહેલા પતન સંદર્ભે તેમણે કહ્યું હતું કે તમામ સંતો કોઈને કોઈ સમુદાય સાથે જોડાયેલા હોય છે. સમુદાયોએ આવા સંતોની ઓળખ કરી તેમના પર અંકુશ લગાવો જોઈએ. રાજકારણમાં પોતાના પ્રવેશને લઈને અલગ પાર્ટી બનાવાના મુદ્દા પર તેમણે કહ્યું હતું કે હજુ તેઓ આ વાતને વાસ્તવિક રીતે કહી શકતા નથી. એ સમય આવે ત્યારે નક્કી થશે કે તેમણે પાર્ટી બનાવી જોઈએ કે કેમ?


વિવેક એકાએક ઈન્ટરવ્યૂને અધવચ્ચે છોડીને કેમ જતો રહ્યો?

પત્રકારે વિવેક ઓબેરોયને સલમાન ખાન વિશે પ્રશ્ન પુછતા તે ગુસ્સે થઈને ઇન્ટરવ્યૂને અધવચ્ચે છોડીને જતો રહ્યો હતો.સૂત્રોના જણાવ્યાં મુજબ વાત જાણે એમ હતી કે ટીવી પત્રકાર વિવેક ઓબેરોયનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યો હતો. રામગોપાલ વર્માની આગામી ફિલ્મ વિશે તેને પ્રશ્નો પુછાઈ રહ્યાં હતા જેને લઈને તે ઉત્સુક હતો.આ દરમિયાન પત્રકારે વિવેકને પુછ્યું કે 29 ઓક્ટોબરના રોજ પ્રિયંકા આલ્વા સાથે યોજાનાર તેના લગ્નમાં તે સલમાન ખાનને આમંત્રણ આપશે કે નહી? આ દરમિયાન વિવેકે કેમેરામેનને કેમેરો બંધ કરી દેવા જણાવ્યું અને પત્રકારને માફી માગવાનું કહ્યું. જો કે પત્રકારે જણાવ્યું હતું કે તમારા લગ્ન સબંધમાં આ તો એક સામાન્ય પ્રશ્ન છે. ગુસ્સે ભરાયેલો વિવેક ઈન્ટરવ્યૂને અધવચ્ચે જ છોડીને જતો રહ્યો હતો.


પાવાગઢ : પિનાકીનને સર્વસ્વ સોંપી દીધું પણ તેણે...

પાવાગઢમાં થયેલી યુવકની રહસ્યમય હત્યાના તાણાવાણા ઉકલી રહયાં છે. પ્રેમીને સર્વસ્વ સોંપી દીધાં બાદ કરાયેલા અપમાનનો બદલો લેવા પ્રેમિકાએ બીજા પ્રેમી સાથે મળી પ્રથમ પ્રેમીની હથોડીના ફટકા મારી તથા ગળું દબાવી ઘાતકી પણે હત્યા કરી હોવાની કબૂલાત કરતાં પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે પ્રેમિકા અને તેના બીજા પ્રેમીની ધરપકડ કરવા સાથે હત્યામાં વપરાયેલી હથોડી કબજે લઇ વધુ તપાસ લંબાવી છે.પાવાગઢમાં તાજેતરમાં કરાયેલ યુવકની હત્યા પ્રકરણમાં સનસનાટીભરી વિગતો બહાર આવી રહી છે. જે મુજબ સંતરામપુરનાં પિનાકીન પટેલ તથા સેજલ બારૈયા બે વર્ષથી પ્રેમના તાંતણે બંધાયા હતાં. દરમિયાન તેણીએ પ્રેમી સાથે અલગ અલગ મુલાકાતમાં પોતાનું સર્વસ્વ તેને અર્પણ કરી દીધું હતું. પરંતુ ધોરણ ૧૨માં પ્રેમિકાના ૫૪ ટકા આવતા પીટીસીમાં પ્રવેશ મળે તેમ લાગતું નથી, વળી મારા પરિવારનું સમાજમાં ખરાબ દેખાય છે.જેથી આપણા લગ્ન શક્ય નથી તેમ પિનાકીને જણાવતા સેજલ નારાજ થઇ ગઇ હતી. મા બાપની હૂંફ અને પ્રેમ વગર ઉછરીને મોટી થયેલી સેજલને બીજી તરફ એક લગ્ન સમારંભમાં જયેન્દ્ર ડામોર સાથે આંખ મળતા પ્રેમ સબંધ બંધાયો હતો. જેની જાણ થતા પિનાકીને સેજલને ખખડાવી નવા પ્રેમીને અપશબ્દો કહેતો હતો. આખરે રક્ષાબંધન બાદ સેજલ અને જયેન્દ્ર ભેગાં થઇ વેડા ગામે પ્રથમ પ્રેમી પિનાકીનની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.જેનાં ભાગરૂપ સેજલ તેનાં જૂના પ્રેમી પિનાકીન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં પણ ફોન કાપી નાંખતો હતો. આખરે સેજલે પોતે તેના વગર રહી શકતી નથી જેવો એસએમએસ કરતાં પિનાકીને સામો ઉત્તર આપી તા.૭ના રોજ પાવાગઢ આવવાનું જણાવ્યું હતું. જેનાંથી અગાઉથી કરાયેલા પ્લાનિંગ મુજબ જયેન્દ્ર તેની સાથે હથોડી લઇને અમદાવાદથી પાવાગઢ આવ્યો હતો.જ્યાં તક મળતા પિનાકીનની હત્યા કરી બંને પ્રેમી પંખીડાં ફરાર થઇ ગયા હતા. પોલીસે બંનેની ધરપકડ કરી હત્યામાં વપરાયેલી હથોડી કબજે કરી હતી.પોલીસે ચકચારી ખૂન કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.

17 September 2010

રાજકોટમાં દાવેદારોના નામ ભાજપની પાર્લામેન્ટ્રીમાં સોંપાશે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


રાજકોટમાં દાવેદારોના નામ ભાજપની પાર્લામેન્ટ્રીમાં સોંપાશે

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૬૯ બેઠકો માટે ભાજપમાંથી ૪૨પ જેટલા દાવેદારોના નામ આવતીકાલે પ્રદેશ પાલૉમેન્ટ્રી બોર્ડ સમક્ષ મૂકાવવાના છે. આજે શહેર ભાજપ પ્રમુખ સહિતના સ્થાનિક આગેવાનો યાદી લઇને ગાંધીનગર રવાના થયા હતા. કોના ઉપર કાતર ફરશે, ચારણીમાં કોણ નીકળી જશે ? એવી જબરી ઉત્તેજના છવાઇ ગઇ છે.બે દિવસ દરમિયાન ભાજપની સેન્સની પ્રક્રિયા ચાલી હતી. શહેરના ૨૩ વોર્ડમાં ૬૯ બેઠકો પર લડવા માટે આ બે દિવસ દરમિયાન ભાજપ કાર્યાલયથી માંડી સેન્સની પ્રક્રિયા જ્યાં ચાલતી હતી ત્યાં ટિકિટ ઇચ્છુકોનો અવિરત પ્રવાહ રહ્યો હતો. લગભગ એક વોર્ડમાંથી સરેરાશ ૨૦થી વધુ દાવેદારી આવી હતી.લગભગ ૪૨પ જેટલા નામો સેન્સની પ્રક્રિયા દરમિયાન આવ્યા હતા. આ યાદી પરથી જ્ઞાતિ, ભૂગોળ અને ક્યાં કોનું વર્ચસ્વ એ સહિતના સમીકરણો સાથે દાવેદારીનું લિસ્ટ લઇ ગાંધીનગર રવાના થયા છે.આવતીકાલે ગાંધીનગરમાં નાણામંત્રીના બંગલે પ્રદેશ પાલૉમેન્ટ્રી બોર્ડની બેઠક મળવાની છે અને આ બેઠકમાં આ તમામ નામો રજૂ થવાના છે. એ પૂર્વે રાત્રે ઊર્જામંત્રી સૌરભ પટેલના બંગલે શહેર ભાજપ સંકલન સમિતિ અને નિરીક્ષકોની બેઠકમાં એક ચારણી ફેરવી દઇ પસંદગીના નામો જ કાલે પાલૉમેન્ટ્રીમાં રજૂ થાય એવુ મનાઇ રહ્યું છે.


રાજકોટ : પ્રદેશ કોંગ્રેસનો કાફલાનો આજે રાજકોટમાં પડાવ

મનપાની ચૂંટણી આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પ્રદેશ કોંગ્રેસના આગેવાનો આવતીકાલે રાજકોટમાં પડાવ નાખવા આવી રહ્યા છે. જો કે કોંગ્રેસને ૧૨પ વર્ષ થયા હોય એ પ્રસંગને અનુલક્ષીને તેઓ આવી રહ્યા છે પણ ચૂંટણીને અનુલક્ષીને ફાઇનલ પ્લેટફોર્મ પણ ઘડાય જાય એ નિશ્વિત છે.કોંગ્રેસમાં પેનલોની ગોઠવણ ચાલી રહી છે. અમુક વોર્ડમાં તો ચોક્કસ ચહેરાઓના નામો પણ ફાઇનલ ચર્ચાઇ રહ્યા છે. જો કે અસંતોષનો ભડકો દઝાડી ન જાય એ માટે નેતાઓ ફૂંકી ફૂંકીને છાશ પી રહ્યા છે. દરમિયાન આવતીકાલે પ્રદેશ પ્રમુખ સિધ્ધાર્થ પટેલ સહિતના આગેવાનો અને કોર કમિટીના સભ્યોનો રાજકોટમાં પડાવ છે.પ્રદેશ આગેવાનોની આ હાજરી આમતો કોંગ્રેસને ૧૨પ વર્ષ થયા હોય એ સંદર્ભે હોવાનું કહેવાય છે પણ એ વાત નિશ્વિત છે કે, ચૂંટણીલક્ષી મોટાભાગનું પ્લેટફોર્મ આવતીકાલે જ પ્રદેશ આગેવાનો સમક્ષ ઘડાઇ જશે. કોની પસંદગી કરવી અને કોના નામ ઉપર કાતર ફેરવવી એ તમામ ચર્ચાઓ થશે.


ભાવનગર જિલ્લામાં વરસાદની અછતવાળા ત્રણ તાલુકામાં ભરપૂર મેઘમહેર

ભાવનગર જિલ્લામાં આ વર્ષે ચોમાસામાં સિઝનના સરેરાશ ૬૩૮ મીમી વરસાદની સામે આજ દિન સુધીમાં ૭૧૫ મીમી વરસાદ વરસી જતા ૧૧૨.૦૧ ટકા વરસાદ વરસી ગયો છે. જેમાં વલ્લભીપુર, ગઢડા અને ગારીયાધાર જેવા ત્રણેય વરસાદની અછતવાળા ગણાતા તાલુકામાં આ વર્ષે ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે.ભાવનગર જિલ્લામાં આ વર્ષે મેઘરાજા મહેરબાન થઈ વરસી રહ્યાં છે. જેમાં વલ્લભીપુરમાં સિઝનનો ૧૧૯. ૬૪ ટકા વરસાદ વરસી ગયો છે. આ તાલુકામાં સિઝનના કુલ સરેરાશ ૬૬૩ મીમી વરસાદની સામે આજ દિન સુધીમાં જ ૭૯૩ મીમી વરસાદ વરસી ગયો છે. આ વર્ષે વરસાદની કાયમી અછતવાળા આ તાલુકામાં કુલ વર્ષા ૩૨ ઈનને આંબવા આવ્યો છે.આ ઉપરાંત ગઢડામાં ૧૨૭ ટકા વરસાદ વરસ્યો છે. જ્યાં એવરેજ ૫૬૪ મીમીની સામે આજ દિન સુધીમાં ૭૧૬ મીમી વરસાદ વરસી ગયો છે. તો ગારીયાધારમાં પણ ૧૨૬.૬૭ ટકા વરસાદ વરસી ગયો છે.આ તાલુકામાં ૪૮૧ મીમીની વાર્ષિક એવરેજ સામે આજદિન સુધીમાં ૬૦૭ મીમી વરસાદ વરસી ગયો છે. આમ, આ બન્ને તાલુકા જ્યાં વરસાદની એવરેજ ૧૯.૫ ઈંચથી ૨૨.૫ ઈંચ છે ત્યાં અત્યાર સુધીમાં ૨૪થી ૨૮ ઈંચ વરસાદ વરસી ગયો છે. એટલે કે સરેરાશથી ૪ થી ૬ ઈંચ વરસાદ વધુ વરસ્યો છે અને હજી અંતિમ તબકકો બાકી છે.


ધીમા પગલે ડુંગળીના ભાવો પણ બેવડાઇ ગયા

જેને ગરીબોની કસ્તૂરીની ઉપમા અપાઇ છે તેવી ડુંગળીના ભાવોમાં ધીમા ડગલે થતો વધારો ધીમેધીમે બેવડાતાં તે લોકોને કઠી રહ્યો છે. મહિનો અગાઉ ૯ થી ૧૦ રૂપિયામાં વેચાતી ડુંગળી અત્યારે ૧૬ થી ૨૦માં મળી રહી છે. વધારાની આ સ્થિતિ લાંબો સમય સુધી રહે તેવી ભીતિ સેવાઇ રહી છે.ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વેપારીઓના જણાવ્યા મુજબ કાઠિયાવાડથી આવતી ડુંગળીની આવક ઘટતાં છેક નાસિકથી ડુંગળી રાજ્યમાં આવતી હોઇ તેની કિંમત વધી જાય તે સ્વાભાવિક છે.છૂટક વેપાર કરતા રામજીભાઇએ કહ્યું કે, અમે એડવાન્સ ઓર્ડર નોંધાવીએ છીએ, પછી માંડ બે દિવસે માલ મળે છે. વળી, ૧૦ રૂમાં છૂટક વેચાતી ડુંગળી જથ્થાબંધમાં આ કિંમતે મળતા ના છુટકે ૧૫ થી ૨૦ના ભાવે વેચવી પડે છે. ગૃહિણી હર્ષિલાબેને કહ્યું કે, લગભગ દરેક શાકભાજીના ભાવ વધ્યા છે, ત્યારે શું ખરીદવું એ જ મૂંઝવણ વધી
ગઇ છે.


ધ્રોલના મેમણે સર્જી’તી કચ્છી લિપિ

કોઇપણ ભાષાની લિપિનું સર્જન કોઇ એક વ્યક્તિ દ્વારા થતું નથી, પરંતુ કાળક્રમે લિપિ આકાર પામે છે. જોકે ભાષા તરીકે આગવું સ્થાન ધરાવતી કચ્છીની વાત જ અનોખી છે. લિપિ વિનાની કચ્છી માટે અનેક લોકોએ લિપિ સર્જવાના પ્રયાસો કર્યા. જામનગર જિલ્લાના ધ્રોલ શહેરના એક મેમણે પણ ચાર દાયકાની મહેનતથી મૌલિક લિપિ બનાવી છે.કચ્છીભાષી વિશ્વ આખામાં ફેલાયેલો છે. તેની પાસે પોતાની લિપિ હોવી જોઇએ એવા વિચાર સાથે ધ્રોલના હાજી મુહમ્મદ હુસેન નાગાણીને કચ્છી બોલી માટે લિપિ સર્જવાની પ્રેરણા મળી. સૌ પ્રથમ તેમણે ‘ણ’ માટેનો મૂળાક્ષર બનાવ્યો. એક દાયકામાં ૪૦ મૂળાક્ષર સર્જી લીધા. ત્યારબાદ તેના પ્રસાર માટે જાતમહેનતે ઝૂંબેશ શરૂ કરી.‘હાજીભા’ના ઉપનામે ઓળખાતા આ ૭૪ વર્ષના બુઝુર્ગ પોતે જણાવે છે કે, અત્યાર સુધી મે લિપિ માટે ગાંઠના એક લાખ ખર્ચી નાખ્યા છે. કચ્છીઓ પાસે આશા હતી કે લિપિ અપનાવી લેશે, પરંતુ એ શક્ય બન્યું નથી. કચ્છી સાહિત્ય અકાદમીએ પણ મારી આ મહેનતની નોંધ લીધી નથી. એમ કહેતા તેઓ થોડા નિરાશ બની જાય છે. પછી આંખમાં ચમક લાવી ઉમેરે છે કે, સરકાર તરફથી સહકાર મળે અને લિપિની નોંધણી થાય તો થોડી આશા જરૂર છે.૨૦૦૮માં તેમણે કચ્છના કલેક્ટરને પણ પત્ર લખેલો, પરંતુ કોઇ જવાબ મળ્યો નહોતો. જોકે આ પ્રકારના કડવા-મીઠા અનુભવોનો તેમને હવે હરખ કે શોક નથી. ઢળતી ઉંમરે પણ તેઓ રેડિમેઇડના કપડાંનો ધંધો કરી આનંદપૂર્વક પરિવાર સાથે જીવન વિતાવે છે.


જર્મન બેકરી કેસમાં આવેલો નવો વળાંક

પુણે સ્થિત કોરેગાંવ પાર્કમાં જર્મન બેકરીમાં સ્ફોટ પ્રકરણમાં મહારાષ્ટ્રની એટીએસે મુખ્ય આરોપીઓ બેગ અને બિલાલની ધરપકડ કરીને સફળતા હાંસલ કરી હોવાનો દાવો કર્યો હતો. ઈન્ડિયન મુજાહિદ્દીનના શકમંદ મનાતા મોહંમદ ચૌધરીની સાથે મોહંમદ એહમદ ઝરાર સિદિબાબા ઉર્ફે યાસીન જર્મન બેકરીમાં બોમ્બ મૂકવા માટે ગયો હતો, લશ્કરે તોઈબાનો આતંકવાદી હિમાયત બેગ નહીં, એવું મહારાષ્ટ્રના એટીએસના વડા મારિયાથી એકદમ વિરોધાભાસી નિવેદન કરીને એટીએસના વધારાના કમિશનર રવીન્દ્ર કદમે વિવાદ સર્જ્યો હતો.કદમે લાતુરમાં પત્રકારો સમક્ષ આવા પ્રકારનું નિવેદન કરીને એટીએસના વડા મારિયાએ આપેલી માહિતી સામે મતભેદ સર્જાયો હતો. જોકે મારિયાએ પત્રકારોને કદમ પાસે આ કેસ અંગેની કોઈ નક્કર માહિતી નથી એવું સ્પષ્ટીકરણ કર્યું હતું.કદમના અનુસાર તેઓએ (મોહસીન, યાસીન અને બેગ) ઉદગીરમાં બોમ્બ બનાવ્યા હતા અને બાદમાં મોહસીન અને યાસીન પુણે જવા માટે રવાના થયા હતા. ત્યાર બાદ બંને અલગ અલગ દિશામાં ફંટાયા હતા અને જ્યાં ૧૩મી ફેબ્રુઆરીના યાસીને બેકરીમાં બોમ્બ ગોઠવ્યા હતા, એવું પત્રકારો સમક્ષકહીને મતભેદ ઊભો કર્યો હતો. જ્યારે બેગ બ્લાસ્ટના સમયે પુણે હતો એવો પ્રશ્ન કદમને પુછાયો ત્યારે તેમણે તેનો જવાબ નકારમાં આપ્યો હતો.


આણંદ : માર્ગો પર ખાડારૂપી ગ્રહોથી પ્રજાને અસ્થિભંગનો યોગ!

ભાદરવાના આરંભથી જ ધોધમાર વરસાદી ઝાપટાંથી શહેરના મહત્વના માર્ગો પર ખાડાઓનું સામ્રાજ્ય.
આણંદ શહેરમાં તાજેતરના ધોધમાર વરસાદ બાદ પણ જોરદાર વરસાદી ઝાપટાંનો દૌર યથાવત રહેવા પામ્યા છે. જેના પગલે શહેરના મહત્વના માર્ગો પર જોખમી ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે. તેમાંય તકલાદી માર્ગો પર મસમોટા ખાડા પડતાં વાહનચાલકોની હાલત કફોડી બની છે. તેમાંય વરસાદ બાદ પાણીમાં ગરકાવ થઈ જતાં ખાડામાં ખાબકતાં વાહનચાલકો જમીન પર પટકાઈ જતાં ઈજાનો ભોગ બની રહ્યા છે.આણંદ શહેર સહિત જિલ્લામાં ભાદરવાના આરંભે વરસાદ પડયો હતો. તેમાંય ભાદરવાના આરંભથી ભારે વરસાદી ઝાપટાંનો દૌર યથાવત રહેતા શહેરના સ્ટેશન રોડ, પોલસન ડેરી રોડ, લક્ષ્મી ચાર રસ્તા, ગણેશ ચોકડી, જૂના તથા નવા બસ મથક રોડ, વિદ્યાનગર રોડ, ગામડી ચાર રસ્તા વગેરે વિસ્તારના રસ્તાઓ ઉપર અનેક ઠેકાણે ખાડા પડી ગયા છે.વરસાદ દરમિયાન આ ખાડામાં પાણી ભરાઇ રહેતું હોવાના કારણે કેટલીક વાર વાહનચાલક ખાડામાં પડી ગડથોલિયું ખાઇ જવાના બનાવ પણ બને છે. આવતા જતા વાહનો ખાડામાં પડતાં પાણી ઉડવાને કારણે રાહદારીઓના કપડાં પણ બગડતા હોય છે.આમ શહેરના તકલાદી માર્ગો શહેરીજનો માટે હાલાકીનો પર્યાય બની ચૂક્યા હોવા છતાંય પાલિકા તંત્ર દ્વારા માત્ર અધૂરાં થીંગડા મારવામાં આવી રહ્યા છે. જેમાં ખાડામાં માત્ર મેટલના ઢગ કરી દેતા હોઈ બેવડી આફત સર્જાઈ રહી છે.


આણંદ જિલ્લામાં સ્થાનિક ચરોતરમાં જામશે ચૂંટણીની મોસમ

આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે જિલ્લા ભાજપ સંગઠન અને કોંગ્રેસમાં નિયુક્ત કરાયેલ નિરિક્ષકો સમક્ષ ઉમેદવારોની ભારે ભીડ જોવા મળી રહી છે. આગામી ૨૧મી ઓકટોમ્બરે ચૂંટણી યોજવા અંગેના જાહેરનામા પગલે નિયત કરાયેલા દિવસો દરમિયાન શહેર, તાલુકા અને જિલ્લાની બેઠકો માટે ચૂંટણી લડવા ઈચ્છતા દાવેદારોની પસંદગી માટે ભારે કશ્મકશ સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.આણંદ જિલ્લા ભાજપ સંગઠનને પ્રદેશ ભાજપ દ્વારા મળેલ આદેશો મુજબ જિલ્લા સ્તરેથી ૩૬ જેટલા નિરિક્ષકની નિમણુંક કરવામાં આવી છે. તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણી લડવા ઈચ્છતા દાવેદારોની નિયત કરાયેલ સ્થળે નિરિક્ષકોની પેનલ સમક્ષ રજુઆત કરી હતી. આણંદ જિલ્લાની પાંચ પાલિકા, જિલ્લા - તાલુકા પંચાયતની બેઠકો માટે ભાજપે શરૂ કરેલી પસંદગી પ્રક્રિયામાં ગત ચૂંટણી દરમિયાન વિજયી બનેલા સભ્યો સહિત નવા ચહેરા પણ ચૂંટણીમાં ઝંપલાવવા માટે રજુઆત કરતાં મોવડીઓમાં અવઢવભરી સ્થિતિ સર્જાઈ છે.જ્યારે કોંગ્રેસમાં પણ પ્રથમ વખત મેન્ટેડ ઉતારવાના કારણે કોને ઉમેદવાર તરીકે પસંદ કરવા ? તે બાબતે ભારે અસંમજસમાં છે. ઉમેદવારી પસંદગી માટે અગાઉથી મોવડીઓ દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેમાં પક્ષમાં ફાટફુટ ઉભી નથાય અને અસંતોષના પગલે પક્ષને ગુમાવવું ન પડે તે માટે છાસ ફુંકીને પીવા જેવી હાલત ઉભી થઈ છે. ખાસ કરીને આણંદ નગરપાલિકામાં કોંગ્રેસના મેન્ડેડ પર ચૂંટણી લડવા અનેક ઉમેદવારોએ લાઈન લગાડી છે.


ભાજપમાં પસંદગી પ્રક્રિયા શરૂ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ભાજપે હાથ ધરેલ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે ગુરુવારે પ્રદેશના ત્રણ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લા તેમજ તાલુકાની બેઠકો માટે ઉમેદવારી ઈચ્છુકોના મુદ્દે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પ્રદેશ નિરીક્ષકો દ્વારા નિયત કરાયેલ પેનલ પર આખરી મહોર પાલૉમેન્ટરી મારશે.મહેસાણા નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીના પડઘમ વચ્ચે પ્રદેશ ભાજપ કક્ષાએથી ઉમેદવારી ઈચ્છુકોની રજુઆતો સાંભળવા માટે નિરીક્ષકોની ટીમોની કરેલી રચનાના ભાગ રૂપે ગુરુવારે શહેરની ડોસાભાઈની ધર્મશાળામાં રાજ્યના શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણ, માજી મંત્રી હરજીવનભાઈ ચૌધરી તથા પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ અરૂણાબેન ચૌધરીની નિરીક્ષક ટીમ સમક્ષ સવારે નવ વાગ્યાથી મોડી સાંજ સુધી ઉમેદવારી ઈચ્છુકો માટેની રજુઆતોનો દોર લંબાયો હતો.તાલુકા મુજબ ઉમેદવારી ઈચ્છુકોની રજુઆતો સાંભળ્યા બાદ નિરીક્ષકો દ્વારા તૈયારી કરાનારો અહેવાલ સંકલન સમિતિ સમક્ષ રજુ કરાશે. નોંધનીય છે કે, મહેસાણા જિલ્લા તથા તાલુકાની બેઠક દીઠ ત્રણ ઉમેદવારી ઈચ્છુકની પેનલ તૈયાર કરીને સંકલનની બેઠકમાં મંજુરીની મહોર માટે મોકલી અપાશે.પ્રદેશ નિરીક્ષકો દ્વારા ઉમેદવારોની હાથ ધરાયેલી પસંદગી પ્રક્રિયા દરમિયાન મંત્રી નીતિનભાઈ પટેલ સિવાય જિલ્લાના તમામ ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ ઋષિભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી નીતિનભાઈ પટેલ, અશોકભાઈ ચૌધરી તથા રાજુભાઈ શુક્લ હાજર રહ્યા હતા.


ચીલાચાલુ ફિલ્મો, સિરિયલો વધી રહી છે

ટીવી, ફિલ્મ જેવા માધ્યમો સમાજને નવી દિશા આપવાનું કામ કરતા સમાજના દર્પણ છે. પરંતુ આજકાલ વાસ્તવિકતા ઓછી અને છિછરાપણું વધુ દેખાઇ રહ્યું છે એમ તારક મહેતાના ઉલ્ટા ચશ્માના નટખટ મુનીમજી નટુકાકાએ ગુરૂવારે મહેસાણા ખાતે દિવ્ય ભાસ્કરની મુલાકાતમાં જણાવ્યું હતું.શેઠ, મેરી પગાર કબ બઢેગી ! શબ્દો જેની ઓળખ બન્યા છે એવા તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સિરીયલના હિરો જેઠાલાલના મુનીમ ‘નટુકાકા’ એવા ઘનશ્યામભાઇ નાયક મહેસાણા જિલ્લાના ઉંઢાઇ ગામના વતની છે. કેશવ રાઠોડની ઘરવાળી, બહારવાળી અને કામવાળી નામની આગામી ગુજરાતી ફિલ્મના શુટિંગ માટે મહેસાણા આવેલા નટુકાકા તથા બકા ફેઇમ કાંતિ જોશીએ ગુરૂવારે કાર્યક્રમમાં મુલાકાત આપી મન છુટી વાતો કરી હતી. ગુજરાતી હોવાનું ગૌરવ લેતાં નટુકાકાએ કહ્યું હતું કે, ભવાઇ, નાટક સહિતની કળા ભુલાઇ રહી છે અને ચીલા ચાલુ ફિલ્મો, સિરીયલો વધી રહી છે. જોકે ભગવાનનો આભાર માનવો રહ્યો કે આજે પણ એવા ચમત્કાર થાય છે જેના પ્રતાપે ‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’ જેવી સિરીયલો બને છે. સાડા પાંચ દાયકાની અભિનયની સંઘર્ષ યાત્રાનો ઉલ્લેખ કરતાં તેઓએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી બસોથી વધુ ફિલ્મો, ત્રણસોથી વધુ સિરીયલો અને સોથી વધુ નાટકોમાં કામ કર્યું છે. પરંતુ ‘નટુકાકા’ જેવી ઓળખ, પ્રસિદ્ધિ અને આત્મ સંતોષ અગાઉ ક્યારેય નથી મળ્યો.


ગ્રામ્ય પ્રજાના પ્રેમથી ગુજરાતી ફિલ્મોનો પ્રભાવ અકબંધ રહેશે

ગુજરાતી ફિલ્મના કલાકાર હિતેનકુમાર અને હિતુ કનોડીયા નિર્માતા ગૌરાંગ પટેલના નેજા હેઠળ બનનારી ગુજરાતી ફિલ્મ ‘નહિ રે છુટે તારો સાથ’ના શુટિંગ માટે ગુરૂવારે કડીના બુડાસણ સ્થિત જાનકી ઓઈલ ઈન્ડસ્ટ્રીઝમાં આવી પહોંચતા શુટિંગ જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટયા હતા. જ્યારે બન્ને કલાકારોએ ગુજરાતી ફિલ્મોનું ભાવિ ઉજળું હોવાનું અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ અને રિયાલીટી શોના ક્રેઝ સામે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનો પ્રભાવ અકબંધ રહેશે તે વિશેની રસપ્રદ વાતો ‘દિવ્ય ભાસ્કર’ સાથે કરી હતી.રિયાલીટી શોની અસર મેગાસિટી જેવા શહેરોમાં જોવા મળે છે.જ્યારે ગુજરાતી ફિલ્મ અને તેના કલાકારો ગામડાના લોકોના હૃદયમાં સદાય વસેલા હોય છે ત્યારે અનેક પ્રકારના રિયાલીટી શોથી ગુજરાતી ફિલ્મને કોઈ જ અસર થવાની નથી એમ ૭૬ જેટલી ગુજરાતી ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથરનાર ગૂજજુ કલાકાર હિતેનકુમારે જણાવ્યું હતું.તેમણે ઈતિહાસમાં ડોકિયું કરતા જણાવ્યું હતું કે,અગાઉ ‘ભવની ભવાઈ’ ફિલ્મને નેશનલ ફિલ્મ ફેર એવોર્ડમાં પસંદ થઇ હતી. ઘણા વર્ષો પછી ગોવામાં યોજાનાર નેશનલ ફિલ્મફેર એવોર્ડમાં હિતેનકુમાર અને હિતુ કનોડીયાની ફિલ્મ ‘જન્મદાતા’ની પસંદગી થઇ છે.


સૌરાષ્ટ્રમાં પાકમાં ૨૫ ટકા નુકસાની

સૌરાષ્ટ્રભરમાં સરેરાશ કરતા સારો વરસાદ પડી જતાં મગફળી અને કપાસના પાકને થોડું નુકસાન પહોંચ્યું છે. જ્યાં વધુ વરસાદ થયો છે અને પાણી ભરાઇ રહ્યું છે તેવા કેટલાક વિસ્તારમાં છોડવા સૂકાઇ ગયા છે અને રેચ ફૂટી નીકળ્યા છે. એક અંદાજ પ્રમાણે સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ, તલ અને કઠોળમાં સરેરાશ પચીસ ટકા નુકસાનની શક્યતા છે.સૌરાષ્ટ્રમાં એકંદરે પાકની સ્થિતિ સારી છે. હવે પાકને વરાપની ખાસ જરૂર છે. કૃષિ વૈજ્ઞાનિક ડૉ. બી. કે. કિકાણીએ જણાવ્યું હતું કે મગફળી અને કપાસના પાકને થોડું નુકસાન થયું છે. ખેતરમાં જયા પાણી ભરાઇ ગયા છે ત્યાં પાક સુકાઇ ગયા છે. મગફળીમાં છોડવા મોટા થઇ ગયા છે ત્યાં સૂયા બેસવામાં મુશ્કેલી ઉભી થાય.મગફળી અને કપાસમાં પચીસ ટકા, તલમાં ૫૦ ટકાથી વધુ અને કઠોળમાં પણ વ્યાપક નુકસાનની શક્યતા નકારી શકાય નહીં. કોડીનાર, પોરબંદર, જામખંભાળિયા, ઉપલેટા, ધોરાજી વિસ્તારમાં નુકસાન વધુ છે. તેમ છતાં આ નુકસાન નડશે નહીં કારણ કે જે પાક ઉભો છે તે સારું ઉપ્તાદન આપશે એટલે નુકસાનની ભરપાઇ થઇ જશે.જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.એન. સી. પટેલ કહે છે કે મગફળીમાં ૧૫-૨૦ ટકા, તલમાં ૨૦ ટકા, કપાસમાં ૧૫ ટકાથી ઓછું અને કઠોળમાં ૨૦-૨૫ ટકા નુકસાન ગણી શકાય. માધવપુર ઘેડમાં ૪૦ ટકાથી વધુ નુકસાન છે. જે વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યાં ૩૦ ટકાથી વધુ પાક ખરાબ થયો છે.સૌરાષ્ટ્રમાં મગફળીનું ૧૫,૭૪,૬૨૪ હેકટર, કપાસનું ૧૭,૬૦,૦૯૬ હેકટર, તલનું ૧,૫૪,૯૩૪ હેકટર અને એરંડાનું ૯૮૮૯૩ હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે. જો કે હાલ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં નુકસાની અંગેનો સર્વે થયો નથી. પરંતુ થોડુઘણું નુકસાન થયાનું જણાઇ રહ્યું છે.

રાજકોટના ઇશ્વરિયામાં સપ્તાહથી બંધ બોટિંગ ફરી શરૂ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


રાજકોટના ઇશ્વરિયામાં સપ્તાહથી બંધ બોટિંગ ફરી શરૂ

રાજકોટના લોકો માટે વીકએન્ડ અને ખાસ તો રવિવારની સાંજ ગાળવા માટે રમણિય સ્થળ એવા ઇશ્વરિયાપાર્કનું સૌથી મોટું આકર્ષણ ગણાતું બોટિંગ પુન: શરૂ થતાં ત્યાંના મુલાકાતીઓની સંખ્યા ફરી વધી ગઇ છે. એક અઠવાડિયાથી આ નૌકાવિહાર બંધ હતો.નિસર્ગના ખોળાંમાં બનેલો ઇશ્વરિયાપાર્ક વેકેશનમાં ફરવા આવનારા લોકોથી ભર્યો ભર્યો રહ્યો હતો. પરંતુ, તળાવમાં પાણી ન હોવાને લીધે નૌકાવિહાર બંધ હતો. જુલાઇ માસમાં વરસાદ પડ્યો પછી તે પુન: શરૂ થયો હતો. પરંતુ, જેના પર ચાલીને બોટ સુધી જઇ શકાય તે જેટી ગત સપ્તાહે તૂટી જતાં બોટિંગ બંધ હતું. ભર્યાભાદયાઁ તળાવમાં હોડીઓ તરતી નહોતી.જો નવી જેટી ખરીદવામાં આવે તો રૂ. દોઢ લાખનો ખર્ચ થાય તેમ હતું તેથી તંત્રે રૂ. નવ હજારના ખર્ચે રપિેરિંગ કરાવી લીધું છે અને ફરી બોટિંગ ચાલુ થઇ ગયું છે. રવિવારે તો ફ્કત બોટિંગની જ આવક રૂ. ૧૨ હજાર થઇ હતી. આ વર્ષે તો વરસાદ પણ અત્યંત સારો થયો છે તેથી ઇશ્વરિયાપાર્કનું વાતાવરણ વધુ રમ્ય થઇ ગયું છે ઉપરાંત તળાવમાં પણ પાણી ભરપૂર છે. અને વિદેશી પક્ષીઓનું આગમન પણ શરૂ થઇ ગયું છે.


મફતમાં ઇન્ટરનેટ એક્સપ્લોરર 9

માઇક્રોસૉફ્ટે ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકો માટે એક નવો પ્રોગ્રામ પ્રસ્તુત કરવામાં આવ્યો છે, જેનાથી તેમને વેબ એક્સેસ કરવામા સરળતા રહેશે. આ છે ઇન્ટરનેટ એક્સપ્લોરર 9 અને આ તમને આપવામાં આવશે વિનામૂલ્યે.માઇક્રોસૉફ્ટ કોર્પોરેશને સેન ફ્રાન્સિસ્કોમાં તેને લૉન્ચ કરતા દાવા સાથે કહ્યુ હતુ કે આ તમામ બ્રાઉઝર્સ કરતા ઝડપી હશે. તેનો ઉપયોગ કરવા માટે કોઇ પણ પ્રકારના વિશેષ પ્રયત્નની જરૂર નથી.આ ખુબજ ઝડપથી કામ કરે છે અને ખાસ્સા પ્રમાણમાં સુરક્ષિત છે. આ કોઈ પણ કોમ્પ્યૂટર ઉપર ચાલી શકે છે, અને તેના માટે કોઈ પણ પ્રકારના હાર્ડવેરની જરૂરત નથી.માઇક્રોસૉફ્ટની સામે મોઝિલા ફાયરફૉક્સ અને ગૂગલ ક્રોમે મોટો પડકાર ઉભો કર્યો છે. મોઝિલાએ માર્કેટમાં 31 ટકા અને ગૂગલે 11 ટકા ઉપર પોતાનો કબ્જો જમાવ્યો છે. માઇક્રોસૉફ્ટે બજારમાં પોતાનો હિસ્સો વધારવા માટે આ પ્રકારની ઑફર્સ લોકો માટે પુરી પાડી છે.


હવે ખોટું બોલશો તો પોલ ખૂલી જશે!

સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પોતાના યુઝર્સને આકર્ષવા માટે અવનવા કીમિયા કરતી હોય છે. તાજેતરમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટરે તાજેતરમાં જ એક નવો પ્રયોગ કર્યો છે, જેમાં ટ્વિટ મારફતે ચેટ કરતા પહેલા વ્યક્તિએ પોતાનું લોકેશન ફિલ કરવું ફરજિયાત રહેશે.લોકેશન જણાવ્યા વગર ચેટ માટે પરમિશન નહીં મળે. આનો ફાયદો એ થશે કે જો કોઈ અજાણી વ્યક્તિ તમને કહે કે તે ફ્રાંસમાં છે અને ખરેખર તે હોય બીજા દેશમાં તો ટ્વિટર તમને સાચુ લોકેશન જણાવી દેશે.આમ તો મોટા ભાગની સોશિયલ નેટવર્કિંગ સાઇટ યુઝર્સને અઢળક સુવિધાઓ આપવાની જદ્દોજહેમતમાં લાગેલી રહે છે, પરંતુ ટ્વિટર એકમાત્ર એવી સાઇટ છે, જે અવનવા પ્રયોગો કરતી રહે છે. આ જ કારણોસર હવે લોકો ઝડપથી ટ્વિટર સાથે જોડાઈ રહ્યા છે.


આમના જીવનમાં ભૂતકાળનું પુનરાવર્તન થઈને જ રહ્યું...

જીવનના કોઈને કોઈ તબક્કે આપણે આપણો ભૂતકાળ જીવતા હોઈ છીએ. આમાંથી બોલિવૂડ પણ બાકાત નથી. વર્ષ 2010 બોલિવૂડના ઘણાં સ્ટાર્સ માટે ગોળ ચક્કર બનીને પાછુ આવ્યું છે. વ્યક્તિગત રીતે અને વ્યાવસાયિક રીતે પણ બોલિવૂડ સ્ટાર્સ પોતાનો ભૂતકાળ જીવતા હોય તેમ લાગી રહ્યું છે.જીવન એક ગોળ ચક્કર જેવું છે. જ્યાં આપણે જીવનના કોઈ તબક્કે ફરી એ જ બાબત કે સમયમાં જીવવું પડે છે.તો આજે આપણે એવા જ કેટલાંક સ્ટાર્સની વાત કરીશું કે, જેઓ ફરીથી પોતાનો ભૂતકાળ જીવી રહ્યા છે.


ગુસ્સે ભરાયેલી કરિશ્માએ તેને તમાચો ચોડ્યો

કરિશ્મા કપૂરની પહેલી ફિલ્મ પ્રેમકેદી હતી. આ ફિલ્મમાં તેનો અભિનેતા હરિશ હતો. માનવામાં આવે છે કે, કરિશ્માને કપૂર ખાનદાનનું ઘણું જ અભિમાન હતું. કરિશ્મા અભિનેતા હરિશને નીચુ બતાડવવા માટે શક્ય એટલા તમામ પ્રયાસો કરતી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે એકવાર તો કરિશ્મા કપૂરે ગુસ્સામાં આવીને હરિશને થપ્પડ જ મારી દીધી હતી. ચર્ચા પ્રમાણે કરિશ્મા, અજય દેવગણ અને રવિના ટંડન વચ્ચે પ્રેમ ત્રિકોણ સર્જાયો હતો. આ જ કારણથી કરિશ્મા અને રવિના વચ્ચે કટ્ટર દુશ્મનાવટ હતી. આ જ કારણોથી અજયના લગ્ન કાજોલ સાથે થયા હોવા છતાં કરિશ્મા અને રવિના વચ્ચે શીત યુદ્ધ છે.કરિશ્મા અને ગોવિંદાની જોડીએ તો કમાલ કરી નાંખી હતી. ગોવિંદા અને કરિશ્માએ અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે. જો કે ગોવિંદા સાથે કામ કરવાને કારણે કરિશ્માને એક પણ એવોર્ડ મળ્યો નહોતો.ઉલ્લેખનીય છે કે, કરિશ્માને ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં રાની મુખર્જીનો રોલ ઓફર થયો હતો. જો કે કરિશ્માને કાજોલની ભૂમિકા કરવી હતી. આથી જ કરિશ્માએ ફિલ્મ ઠુકરાવી દીધી હતી.કરિશ્માના નિકનેમ લોલો પાછળ પણ બે વાતો કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે, રાજકપૂરે કરિશ્માનું નામ લોલો(પંજાબીમાં ઘી ચોપડેલી રોટલી) રાખ્યું હતું. જ્યારે અન્ય કેટલાંક લોકોના મતે લોકો નામ તેની માતા બબિતાએ રાખ્યું છે.


ચોરોને ભગાડવાના આરોપસર પોપટની ધરપકડ

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ગુનેગારોને ભગાડવા માટે કોઈ પોપટે મદદ કરી હોય? કોલમ્બિયાના બારાનક્વિલા શહેરમાં પોલીસે એક પોપટની ધરપકડ કરી છે.સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગંભીર ફરિયાદો પછી લગભગ 300 પોલીસ અધિકારીઓએ મળીને તાજેતરમાં એક ઘર પર છાપો માર્યો હતો. પોલીસને એવી માહિતી મળી હતી કે આ ઘરમાં ચોરો અને નશીલા પદાર્થોના તસ્કરો છુપાયેલા છે. પોલીસ જ્યારે આ ઘરમાં આવી તો તેમણે એવો અવાજ સાંભળ્યો, ‘ભાગો ભાગો નહીંતો બિલ્લી તુમ્હે પકડ લેગી.’ બાદમાં પોલીસ અધિકારીઓને જાણવા મળ્યું હતું કે લોરેન્ઝો નામનો પોપટ આવું બોલ્યો હતો.આ કામ માટે ખાસ તેને તાલીમ પણ આપવામાં આવી હતી. પોપટ દ્વારા સતર્ક થયા બાદ બધા જ ગુનેગારો અહીંથી ભાગી નીકળ્યા હતા. પોલીસે આ ધરપકડ થયેલા પોપટને પશુ-પક્ષીઓના સંરક્ષણ માટે કામ કરતી સંસ્થાને સોંપી દીધો છે. પોલીસે આ ઘરમાંથી 250 ચપ્પા અને 1000 નશીલા પદાર્થોના પેકેટ પણ જપ્ત કર્યા હતા. નવાઈની વાત તો એ છે કે પોલીસ જ્યારે આ પોપટને લઈ જઈ રહી હતી, ત્યારે પણ તે પોપટ ‘ભાગો…ભાગો...’નું રટણ કરી રહ્યો હતો.


ટોપ ઓર્ડરમાં કોણ વધારે સફળ?

જ્યારે ક્રિકેટના કોઇ એક ભાગ અંગે વાત કરવામાં આવે ત્યારે ચોકક્સ પણે તેની સાથે જોડાયેલા બે પ્રકારના ખેલાડીઓની તુલના કરવા આવે છે. એ પછી બોલિંગ હોય કે બેટિંગ. આજે વાત માત્ર બેટિંગના દિગ્ગજોની કરવાની છે. અને એ પણ માત્ર કોઇ એક પ્રકારના બેટ્સમેનો નહીં પરંતુ ક્રિકેટ વિશ્વમાં દબદબો ધરાવતા રાઇટ એન્ડ લેફ્ટ હેન્ડ બેટ્સમેનોમાંથી ટોપ ઓર્ડરમાં કોણ સૌથી વધારે સફળ છે તે અંગેની તુલના કરવાની છે.આમ જોવા જઇએ તો રેકોર્ડની દ્રષ્ટીએ રાઇટ હેન્ડ બેટ્સમેનોનો દબદબો રહ્યો છે. સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ, વિરેન્દ્ર સેહવાગ, દ્રવિડ, મહિલા જયવર્દને જેવા ખેલાડીઓ વિશ્વ ક્રિકેટમાં એક અલગ છાપ અને રેકોર્ડો ધરાવે છે. પરંતુ બીજી તરફ બ્રાયન લારા, ડેવિડ ગોવર, કુમાર સંગાકારા, ગ્રિમ સ્મિથ, મેથ્યુ હેડન, ક્રિસ ગેયલ, એડમ ગિલક્રિસ્ટ વગેરેએ પણ ક્રિકેટમાં પોતાની છાપ છોડી છે.છેલ્લા કેટલાક દશકાઓથી લેફ્ટ હેન્ડ બેટ્સમેનોની સફળતાનો ગ્રાફ દિવસેને દિવસે ઉપર જઇ રહ્યો છે. 1970, 80 અને 90માં જે સ્થિતિ રાઇટ હેન્ડ સામે લેફ્ટ હેન્ડ બેટ્સમેનોની હતી તેમાં 2000માં ઘણો સુધારો જોવા મળ્યો છે. 1970માં રાઇટ હેન્ડની એવરેજ 36.52 હતી જેની સામે લેફ્ટીઓની એવરેજ 37.49 પરંતુ 2000માં લેફ્ટીઓ રાઇટ હેન્ડ કરતા ચાર પોઇન્ટ આગળ નીકળી ગયા હતા. 2000માં રાઇટ હેન્ડ બેટ્સમેનોએ 36.90ની એવરેજથી રન બનાવ્યા હતા. જ્યારે લેફ્ટ હેન્ડ બેટ્સમેનોએ 41.05ની એવરેજથી. હાલ એટલે કે 2010 સુધીમાં રાઇટીઓએ 39.74 અને લેફ્ટીઓએ 37.53ની એવરેજથી રન બનાવ્યા છે.ટીમ અનુસાર જોઇએ તો 2000માં વેસ્ટ ઇન્ડિઝની ટીમના લેફ્ટીઓ અન્ય ટીમના લેફ્ટીઓ કરતા ઘણા સફળ રહ્યા છે. જેમાં લારા, ચન્દ્રપોલ, ગેઇલ છે. જેઓએ 40થી વધુની એવરેજથી રન બનાવ્યા હતા. જ્યારે રાઇટીઓએ 30 કરતા પણ ઓછી એવરેજથી રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડમાં માર્ક રિચાર્ડસન અને સ્ટેફન ફ્લેમિંગે લેફ્ટીઓની બાજી જાળવી રાખી હતી. જ્યારે રાઇટીઓમાં માત્ર રોસ ટેલરે જ 40ની એવરેજ કરતા વધારે એવરેજથી રન બનાવ્યા હતા.


કઠલાલના પરિણામની અસર મનપા,પાલિકા-પંચાયતો પર પડશે

કઠલાલ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે પ્રથમવાર ઝળહળતો વિજય પ્રાપ્તકર્યો છે અને આઝાદી પછી પહેલીવાર આ બેઠક પરથી કોંગ્રેસને જાકારો મળ્યો છે.તાજેતરમાં બદલાયેલી રાજકીય પરિસ્થિતિમાં ભાજપના હતાશ કાર્યકરોમાં આ વિજયથી ઉત્સાહનો સંચાર થયો છે.જેની હવે સીધી અસર આગામી ૧૦મી ઓકટોબરે યોજનારી છ મહાનગરપાલિકાઓની અને ૨૧મી ઓકટોબરે યોજાનારી પાલિકા-પંચાયતોની ચૂંટણી પર પડશે.સોબરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ,ખંડણી અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિતશાહની સંડોવણી તેમજ સીબીઆઈની તપાસ જેવા મુદ્દાઓને લઈ ભાજપ અને તેના કાર્યકરોમાં સોંપો પડી ગયો હતો. તેઓ હતાશાની ગર્તામાં ધકેલાઈ ગયા હોય અને રાજ્યમાં ભાજપ અને મુખ્યમંત્રી નરેન્દ્દ મોદીની લોકપ્રિયતામાં ઘટાડો થયો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું હતું.હવે લોકો ભાજપ અને મુખ્યમંત્રીને ધિક્કારશે એવો પણ પ્રચાર શરુ કરી દેવાયો હતો.આવી પરિસ્થિતિમાં છ મહાનગરપાલિકાઓ,૫૩ નગરપાલિકાઓ,૨૪ જિલ્લા અને ૨૦૮ તાલુકા પંચયાતોની ચૂંટણી જાહેર થતાં સ્વાભાવિક રીતે જ કોંગ્રેસ ગેલમાં આવી ગયું હતું.જોકે બીજીબાજુ છેલ્લા ૧૯૯૦થી રાજ્યમાં પોતાની લોકપ્રિયતાનો ડંકો વગાડનારા ભાજપ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આ ચૂંટણી તેની પ્રતિષ્ઠાના જંગ સમાન બની હતી અને તે જીતવી એ તેના માટે વટનો સવાલ હતો.


દિવાળીમાં અ'વાદ પર ત્રાસવાદી હુમલો કરવાનો હતો

‘દિવાળી પર ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરના પોલીસ સંસ્થાનો તથા ધર્મસ્થાનો પર ત્રાસવાદી હુમલા કરી તબાહી મચાવવાનું ષડયંત્ર હતું’, એવી ચોંકાવનારી કબૂલાત તાજેતરમાં મહારાષ્ટ્રમાંથી ઝડપાયેલા ઇન્ડિયન મુજાહિદ્દીન તથા લશ્કર-એ-તોઇબાના બે સભ્યોએ કરી છે. ૧૩મી ફેબ્રુઆરી, ૨૦૧૦ના રોજ પુનાની જર્મન બેકરીમાં બોમ્બ વિસ્ફોટ કરનાર આ બંને આતંકીની કબૂલાતના આધારે પોલીસે બંને શહેરોની મહત્વની ઇમારતો અને ધર્મસ્થળોની સુરક્ષા મજબૂત બનાવવાની કવાયત શરૂ કરી છે.
ગુજરાત પોલીસનાં સૂત્રોએ આ વાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે, હાલમાં અમદાવાદ-ગાંધીનગરમાં આઈ એમ અને એલઈટીના સ્લીપર સેલ મોજૂદ હોવાથી સ્થિતિ વધુ ગંભીર છે.પ્રાપ્ત વિગતો અનુસાર ૮મી સપ્ટેમ્બર ૨૦૧૦ના રોજ મહારાષ્ટ્ર એટીએસે પુનાના મહાત્માગાંધી બસ સ્ટેન્ડથી એલ ઈ ટીના ઓરંગાબાદ મોડયુલના ચીફ અને લાતુરમાં સાયબર કાફે ધરાવતા હિમાયત બેગ તથા નાસિકથી બિલાલ નામના શખ્સની બે કિલો આરડીએક્સ સાથે ધરપકડ કરી હતી.આ બંને શખ્સોએ, અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના આરોપી અકબર ચૌધરીના ભાઈ મૌહસીન ચૌધરીની સાથે મળીને જર્મન બેકરી વિસ્ફોટને અંજામ આપ્યાની કબૂલાત કરી હતી. જેમાં ઈટાલિયન, સુદાની અને ઈરાની નાગરિકો સહિત ૧૬નાં મોત નીપજ્યાં હતાં જ્યારે ૬૫થી વધુને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સાથે તેમણે એવી પણ કબૂલાત કરી હતી કે ભારતભરનાં ૧૨ શહેરો તેમના હીટ લિસ્ટ પર હતાં જેમાં અમદાવાદ અને ગાંધીનગરનો પણ સમાવશે થાય છે.એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર પોલીસ દ્વારા તેમને આ બાબતે જાણ કરવામાં આવી છે. જેથી નજીકના ભવિષ્યમાં ગુજરાત એટીએસની ટીમ મહારાષ્ટ્ર જઈને હિમાયત બેગ તથા બિલાલની પૂછપરછ કરે તેવી સંભાવના છે. હાલમાં કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ અને રો દ્વારા તેમની પૂછપરછ જારી છે.


વોર્ડનં-૧માટે ભાજપમાંથી સૌથી વધુ ૧૨૨ દાવેદારો

સેવાસદનની ચૂંટણીમાં ભાજપ તરફથી પૂરી થયેલી સુનાવણીમાં સૌથી વધુ દાવેદારી વોર્ડનં-૧માં તો સૌથી ઓછી દાવેદારી વોર્ડનં ૨ અને ૧૮માંથી નોંધાઇ છે.મહાનગર સેવાસદનની ચૂંટણી નવા સીમાંકન પ્રમાણે યોજાઇ રહી છે ત્યારે ભાજપે ચૂંટણી વાંચ્છુઓના ઇન્ટવ્ર્યુ ગોઠવ્યા હતા અને બે દિવસ સુધી ત્રણ સ્થળોએ ઉમેદવારોને નિરીક્ષકોએ સાંભળ્યા હતા.બે દિવસ સુધી ચાલેલા ઇન્ટરવ્યુમાં સૌથી વધુ ૧૨૨ દાવેદારો ઇલેકશન વોર્ડનં-૧માં નોંધાયા હતા ત્યારે તેમાંથી ત્રણ નામોની પસંદગી કરવી તે ભાજપ મોવડીમંડળ માટે પણ માથાનો દુખાવો સાબિત થશે. તેવી જ રીતે, ૮૯ દાવેદારો સાથે વોર્ડનં-૨૦ બીજા નંબરે આવી રહ્યો છે.જ્યારે,વોર્ડનં-૨માં સૌથી ઓછા ૨૩ અને વોર્ડનં.૧૮માં ૨૪ દાવેદારો છે. ૧ હજારથી વધુ દાવેદારોમાંથી ભાજપે ૨૫ મહિલા સહિત ૭૫ મૂરતિયા ઉપર પસંદગીનો કળશ ઢોળવાનો છે ત્યારે ક્યા નસીબવંતા ઉમેદવારો સાબિત થાય છે તેને લઇને ભાજપમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઇ છે.


નક્સલવાદ એ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ છે : કોર્ટ

આરોપીને જામીન અપાય તો જોખમ નક્સલવાદી પ્રવૃત્તિ ફેલાવી રાષ્ટ્રવિરોધી કાવતરું કરવાના આરોપસર હાલ કસ્ટડી ભોગવી રહેલાં સાત આરોપીઓની જામીન માગતી અરજીને ગુરુવારે ચીફ કોર્ટે નકારી કાઢી હતી, જ્યારે બે આરોપીઓની અરજી પર ચુકાદો મુલતવી રાખ્યો હતો. પછાત વર્ગને ઉશ્કેરી હથિયાર ઉઠાવવા પ્રેરી દેશવિરુદ્ધ લોકમત ઊભો કરવાની પેરવી કરવાના ગંભીર ગુનામાં જામીન આપી શકાય નહીં તેમ કોર્ટે નોંધ્યું હતું.નક્સલવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ૧૪ જણાને અલગ-અલગ તબક્કે કામરેજ પોલીસે પકડ્યા હતાં. આરોપીઓની રિમાન્ડ દરમિયાન પૂછપરછ થયા બાદ હાલ આરોપીઓ કસ્ટડી હેઠળ ધકેલી દેવાયા હતા. બાદમાં એક આરોપી સુલત પવાર જામીન પર મુક્ત થયો હતો. તેના આધાર પર છેલ્લાં પાંચ મહિનાથી જેલવાસ ભોગવતા અન્ય નવ આરોપીઓએ પણ કોર્ટમાં જામીન અરજી કરી હતી.ગુરુવારે કોર્ટે નવ પૈકી સાત આરોપીની જામીન અરજી નકારી હતી. આ તબક્કે કોર્ટે નોંધ્યું હતું કે તપાસ અધિકારીના સોગંદનામા અને આરોપીઓ વિરુદ્ધના પુરાવા જોતાં તેઓ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલા હોવાનું પ્રતીત થાય છે. પછાત વર્ગના, આદિવાસી અને વનવાસીઓમાં ઉશ્કેરણીજનક સાહિત્ય વહેંચી તેઓને દેશવિરોધી પ્રવૃત્તિ કરવા માટે પ્રેરવાનું કાર્ય કરનારાઓને જામીન પર છોડી શકાય નહીં.આમ કરવાથી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિને વેગ મળે તેવી દહેશત છે. જેમાં આરોપીઓ પાસેથી મળી આવેલાં ઉશ્કેરણીજનક સાહિત્યોના ૬૩ જેટલાં દસ્તાવેજોનો સમાવેશ થાય છે. નિરંજન મહાપાત્રે ગ્રુપ મિટિંગો માટે સ્વહસ્તાક્ષરે લખેલા પત્રો, કેટલાક આરોપીઓ હથિયારની તાલીમ લેવા દક્ષિણ ભારત ગયા હોવાના પણ પુરાવા રજુ કરાયા હતા.


હરિયાળા ૪ ગામ ખારપાટ બનાવવાનો કારસો

સરકારી તંત્રોની ગુનાહિત બેદરકારી સામે ચારેય ગામના ખેડૂતોમાં વ્યાપેલો જબરદસ્ત આક્રોશષડયંત્રની બૂ સાથે ચારેય ગામના લોકોએ કલેક્ટરને મળીને આક્રોશપૂર્વક રજુઆત કરી૧ કરોડના ચેકડેમને પણ જિંગા ફાર્મિગના પ્લોટિંગ માટે ગેરકાઈદે મેપિંગમાં લેવાયાં. ઓલપાડ તાલુકાના ચાર ગામોની અંદાજે ૧,૦૨૫ હેકટર (૫,૧૨૫ વીઘાં) જમીનને જિંગા ફાર્મિગમાં આવરી લેવા માટેની રાજ્ય સરકારની હરાજી વિવાદી બની છે. આ ગામોમાં જિંગા ફાર્મ ઊભા કરવાની યોજનામાં કરાયેલા માસ્ટર મેપિંગમાં ૨૫૦૦ વીંઘા હરિયાળી તથા ગોચર જમીનને ચોંકાવનારી રીતે ખારપાટ તરીકે સમાવી લેવામાં આવી છે.ખુદ કલેક્ટર આ મામલે ચોંકી ઊઠ્યા છે અને લોકોની રજુઆત બાદ તેમણે તપાસ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ મામલે સુરત ફશિરીઝ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે માસ્ટર મેપિંગમાં મરીન પ્રોડકટ એક્સપોર્ટ ડેવ. ઓથોરિટી (એમપીઈડી)એ ગંભીર ગફલત કરી છે. અહીં દૂધાળાં ઢોર-ખેતી થકી કરોડો રૂપિયાની વાર્ષિક આવક થાય છે. ગામમાં ૫૦૦થી વધુ દૂધાળા ઢોરો છે.


ભાવનગર :ચૂંટણી જાહેર થતા રાજકીય પક્ષોમાં દોડધામ શરૂ

ભાવનગર મહાપાલિકા બાદ આજે જિલ્લા તાલુકા પંચયાત અને નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતા ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોમાં ભારે દોડધામ થઈ છે. જિલ્લામાં ૨૧મી ઓક્ટોબરના રોજ યોજાનાર ચૂંટણી માટે ભાજપે તો પૂર્વ તૈયારી શરૂ કરી દીધી છે જ્યારે કોંગ્રેસ ઉંઘતુ ઝડપાઈ ગયું હતું.ભાવનગર જિલ્લા પંચાયતની ૪૧, બોટાદ, મહુવા અને પાલીતાણા નગરપાલિકા ઉપરાંત ગારીયાધાર નગરપાલિકાના વોર્ડ નં.૭ સામાન્ય સ્ત્રી અનામત બેઠકની પેટા તેમજ ૧૧ તાલુકા પંચાયતની આગામી તા.૨૧મી ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને ૨૩મી ઓક્ટોબરે મતગણતરી યોજાશે.આજે ચૂંટણી જાહેર થતા રાજકીય પક્ષોમાં ભાગંભાગી શરૂ થઈ ગઈ છે. જ્યારે ચૂંટણી લડવા ઈચ્છુકો પણ પોતાના ગોડફાધરોને ફોન રણકાવવા લાગ્યા છે. ગઈકાલે જિલ્લા ભાજપ દ્વારા અગીયારે તાલુકામાં ત્રણ-ત્રણ નિરીક્ષકોને ઉમેદવારી માટે થનગનતા કાર્યકરોને સાંભળવા મોકલ્યા હતા જ્યારે કોંગ્રેસમાં હજુ ઠેકાણા જ નથી. જો કે, ભાજપમાં પણ નિરિક્ષકો સ્થાનિક કક્ષાના હતા. હજુ પ્રદેશમાંથી આવવાના બાકી છે.

આઝાદી પછી કોંગ્રેસે પ્રથમ વખત કઠલાલ બેઠક ગુમાવી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


આઝાદી પછી કોંગ્રેસે પ્રથમ વખત કઠલાલ બેઠક ગુમાવી

કઠલાલ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. આ સીટ પરથી ભાજપના કનુભાઈ ડાભીનો 21547 મતથી વિજય થયો છે. કઠલાલ બેઠક પરથી ભાજપના વિજય સાથે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની અનેરી ભેટ મળી છે. મતગણતરીના પ્રારંભિક તબક્કાથી જ ભાજપના ઉમેદવાદ કનુભાઈ આગળ ચાલી રહ્યાં હતા.કોંગ્રેસનો ગઢ ગણાતા આ વિસ્તારમાં આઝાદી બાદ કોંગ્રેસે ક્યારેય હારનો સ્વાદ ચાખ્યો ન હતો ત્યારે આજે આઝાદી બાદ પ્રથમ વખત કોંગ્રેસે સીટ પરથી હારનો સ્વાદ ચાખ્યો છે.પોતાના જન્મ દિવસે જ કઠલાલ બેઠક પરથી ભાજપનો વિજય થતાં લોકોનું અભિવાદન કરવા માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાંજે ચાર વાગ્યે કઠલાલ જશે.ભાજપના કનુભાઈ ડાભીને 62120 મત જ્યારે કોંગ્રેસના ઘેલાભાઈ ઝાલાને 40573 મત મળતા કનુભાઈનો 21547 મતથી વિજય થયો હતો. આઝાદી બાદ પ્રથમ વખત પરાજય મળતા કોંગ્રેસની છાવણીમાં સન્નાટો છવાઈ ગયો હતો.


પઠાણનો ધડાકો અજાણી વ્યક્તિએ તેને મોંઘી ગિફ્ટ મોકલી હતી

સ્પોટ ફિક્સિંગના સ્કેન્ડલે સમગ્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખળભળાટ મચાવી દીધો છે ત્યારે ભારતીય બોલર ઈરફાન પઠાણે ધડાકો કર્યો છે કે એક સીરીઝ દરમિયાન અજાણી વ્યક્તિએ તેને મોંઘી ગિફ્ટ મોકલી હતી, જે કદાચ બુકી પણ હોય શકે.જો કે ઈરફાન પઠાણે એ ખુલાસો કર્યો નથી કે આ ઘટના ક્યારે બની હતી અને તે સમયે ટીમ ક્યાં દેશ સામે રમી રહી હતી. આ સીરીઝ દરમિયાન અજાણી વ્યક્તિએ મોંધી ગિફ્ટ તેની હોટલની રૂમમાં મોકલી હતી અને પઠાણે આ અંગેની જાણ ટીમ મેનેજરને કરી હતી.એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં પઠાણે જણાવ્યું હતું કે હું ટીમ સાથે હોટલમાં હતો ત્યારે અજાણી વ્યક્તિએ મારો સંપર્ક કર્યો હતો. તેણે ત્રણ મોંઘી વસ્તુઓ મારી રૂમમાં મોકલી હતી. ત્યાર બાદ વધુ બે મોંઘી વસ્તુઓ તેણે મારી રૂમમાં મોકલી હતી. ઈરફાન પઠાણ છેલ્લે એપ્રીલ 2008માં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ મેચ રમ્યો હતો.તેણે વધુમાં જણાવ્યું હતું કે મને લાગ્યું કે આ ખોટું છે કારણ કે હું તે વ્યક્તિને જાણતો ન હતો. મેં તરત જ ટીમ મેનેજરને વાત કરી હતી જેઓએ આઈસીસીના ભ્રષ્ટાચાર વિરોધી યુનિટને જાણ કરી હતી.પઠાણે ફેબ્રુઆરી 2009માં કોલંબોમાં શ્રીલંકા સામે વન ડે રમી હતી ઈજાના કારણે તેની કેરિયર પર માઠી અસર પડી છે. પઠાણે વધુમાં જણાવ્યું હતુ કે મેં ત્યાર બાદ આ અજાણી વ્યક્તિને ક્યારેય જોઈ નથી અને મને ગૌરવ છે કે મેં યોગ્ય સમયે ટીમ મેનેજરને આ વાતની જાણ કરી હતી.



રામમંદિર: ઉગ્ર પ્રતિક્રિયા નહીંનો RSS-VHPનો વાયદો

રામમંદિર પર 24 સપ્ટેમ્બરે આવનારા કોર્ટના ચુકાદા પહેલા ભગવા પરિવારમાં ગરમીનો પારો વધી ગયો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિંદુ પરિષદના નેતાઓએ દિલ્હીમાં બે દિવસ વિચાર-વિમર્શ કર્યા બાદ સંકેત આપ્યા છે કે વિવાદીત જમીનના માલિકી હકને લઈને હિંદુ સંગઠનો વિરુદ્ધ ચુકાદો આવશે, તો પણ તેમની પ્રતિક્રિયા ઉગ્ર નહીં હોય. સંઘ પ્રમુખ મોહન ભાગવત બે દિવસ પહેલા કહી ચુક્યા છે કે અયોધ્યા મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો જે પણ આવશે, સંઘની પ્રતિક્રિયા બંધારણીય મર્યાદામાં જ રહેશે. તેમણે વાયદો કર્યો છે કે કોઈપણ પ્રકારની હિંસા થવા દેવાશે નહીં.અલ્હાબાદ હાઈકોર્ટના અંતિમ સમયે આ મુદ્દા પર કોઈ સર્વમાન્ય ઉકેલની શોધની કોશિશો વચ્ચે આરએસએસના અખિલ ભારતીય પ્રચારકોની બુધવારે શરૂ થયેલી બે દિવસીય બેઠકના બીજા દિવસે વિશ્વ હિંદુ પરિષદના નેતાઓએ પણ આ મુદ્દે લાંબી ચર્ચા કરી છે. વિશ્વ હિંદુ પરિષદ અધ્યક્ષ અશોક સિંઘલ અને મહામંત્રી પ્રવિણિ તોગડિયા ગુરુવાર સવારે સંઘ મુખ્યાલય પહોંચ્યા અને તેમણે સરસંઘચાલક મોહન ભાગવત સાથે ચર્ચાવિચારણા કરી હતી. તેમાં ભાજપ તરફથી સંગઠન મહામંત્રી રામલાલે ભાગ લીધો હતો.


હજ સબસિડી ઈસ્લામ વિરુદ્ધ?

હજયાત્રા માટે આપવામાં આવતી સબસિડી ઈસ્લામ વિરુદ્ધ છે? ચોંકશો નહીં, હજ સબસિડી પર આ દ્રષ્ટિકોણ લઘુમતી મંત્રાલયનો જ છે. હજ પર મંત્રાલયની એક આંતરીક બેઠકમાં મંત્રાલયે હજ પર અપાનારી સબસિડી પર પુનર્વિચારની અપીલ કરી છે. જો કે કેબિનેટ મીટિંગમાં તેને ફગાવીને આ વર્ષનો હજ પ્રોગ્રામ જાહેર કરી દેવાયો છે.લઘુમતી મંત્રાલયે પોતાનો આ અટપટો દ્રષ્ટિકોણ હજ સ્કીમ પર મંત્રલાયની આંતરીક ચર્ચા દરમિયાન રજૂ કર્યો છે. જેમાં સરકારને હજ પર અપાનારી મદદને પાછી ખેંચવાની અપીલ કરવામાં આવી છે. મંત્રાલયનો તર્ક હતો કે હજ માટે કોઈપણ પ્રકારની સબસિડી શરિયાની વિરુદ્ધ છે.જો કે સરકારનો હજ સબસિડી ખતમ કરવાનો કોઈ ઈરાદો નથી. પરંતુ સરકારની અંદરથી જ હજ પર આ પ્રકારના વિચારોએ તેમાં અસમંજસતા જરૂરથી પેદા કરી છે.



ટાટા 'નેનો'નુ ઑનલાઇન વેચાણ

ટાટા નેનોએ ઑનલાઇન વેચાણ ક્ષેત્રમાં પદાર્પણ કરવાનુ શરૂ કર્યુ છે. દેશના ઘરેલૂ બજાર પછી તેનુ આકર્ષણ વિદેશોમાં પણ પહોચી ગયુ છે.અમેરિકાના એક ડૉક્ટરે પોતાના વારાણસીમાં રહેનારા એક પરિવાર માટે ટાટા નેનોનુ ઑનલાઇન બુકિંગ કરાવ્યુ છે. ઈ-બે મોટર્સ ઇન્ડિયા તરફથી આ નેટ બુકિંગ કન્ફોર્મ કરવામાં આવ્યુ છે.આની પહેલા દેશના ઘરેલૂ બજારમાં મુંબઈના ડીલર જેએડી ઑટો ઇન્ડિયાથી મિનાજ નાયરે ટાટા નેનોને ઑનલાઇન ખરિદી હતી. તેઓએ વર્ષ 2010માં નેનો એલએક્સની 1,80,000 રૂપિયાની બોલી લગાવી જીતી હતી.



જેતપુર ચેતના ટોકીઝ પાસે બોંબ હોવાનો પોલીસને ફોન મળ્યો

જેતપુર શહેરના તીનબતી ચોક પાસે આવેલી ચેતના ટોકીઝ પાસે બોંબ હોવાનો શુક્રવારે સવારે પોલીસને નનામો ફોન આવતા દોડધામ મચી ગઇ છે. સવારે આવેલા નનામા ફોનને પોલીસે ગંભીરતાથી ધ્યાને લઇ તુરંત પોલીસ કાફલો ચેતના ટોકીઝ પહોંચી ગયો હતો.સવારના પહોરમા આટલી મોટી સંખ્યામા પોલીસ નજરે પડતા લોકોમા તરેહ તરેહની ચર્ચા જાગી હતી. શહેર પોલીસ મથકના ઇન્સપેકટરે નગરપાલીકાના ફાયર ફાયટર સહિતનો કાફલો તૈયાર રખાવ્યો હતો. અને ટોકીઝની આસપાસનો વિસ્તાર કોર્ડન કરી બોંબ શોધવાની કવાયત શરૂ કરી દેવાઇ છે. બનાવ અંગે જિલ્લા પોલીસ વડાને પણ જાણ કરાતા તેઓ જેતપુર જવા રવાના થયા છે.આ લખાય છે ત્યારે બોંબ ડસ્પિોઝલ સ્કવોડ પણ જેતપુર પહોંચી ટોકીઝની આસપાસનો ખુણેખુણો તપાસ કરી રહી છે. જેતપુરની મુખ્ય બજારમા બનાવને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા છે. પોલીસે આ બનાવને ગંભીરતાથી લીધો છે. તેમ છતા કોઇ ટીખળખોરોનું તો કારસ્તાન નથી ને તે અંગે પણ તપાસ શરૂ કરી છે.


અયોધ્યા પર ચુકાદો ટાળવાની વાત નામંજૂર

અયોધ્યામાં વિવાદીત જમીનના માલિકી હકના મામલામાં સુલેહ દ્વારા ઉકેલવાની અરજી પર શુક્રવારે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેચમાં સુનવણી છે. આ અરજી 13માં તારીખે દાખલ કરવામાં આવી હતી. આ મામલાથી જોડાયેલા બે પક્ષોએ તેનો વિરોધ કરતાં કહ્યું છે કે કોર્ટ નક્કી કરેલી તારીખ એટલે કે 24 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો સંભળાવે.અખિલ ભારતીય હિંદુ મહાસભા અને સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે ચુકાદો ટાળવા વિરુદ્ધ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપીઠમાં અરજી દાખળ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કેસ પર ચુકાદો સંભળાવાની તારીખ વધારવી જોઈએ નહીં અને ચુકાદો નક્કી તારીખે જ સંભળાવો જોઈએ.આ બંને પક્ષોની અરજીને શુક્રવારે આ મામલા સાથે જોડાયેલી વિશેષ ખંડપીઠ સામે મૂકવામાં આવશે. રમેશચંદ્ર ત્રિપાઠી નામના શખ્સે આ અરજી દાખલ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કેસનો ચુકાદો ટાળીને કોર્ટ આ સંદર્ભે સુલહ કરવાની કોશિશ કરે.


11 વર્ષથી ફરાર એમક્યુએમ નેતાની લંડનમાં હત્યા

પાકિસ્તાનની ત્રીજી સૌથી મોટી પાર્ટી મુત્તાહિદા કોમી મુવમેન્ટ એટલેકે એમક્યુએમના નેતા ઈમરાન ફારૂખની ચાકુ હુલાવીને હત્યા કરવામાં આવી છે. ફારૂખ પર હત્યા સહિતના કેટલાંય આરોપો હતા, જેના કારણે તે 1999થી જ દેશમાંથી ફરાર થઈ લંડનમાં રહેતો હતો.ફારૂખ મોહાજિર કોમી મુવમેન્ટનો સંસ્થાપક હતો, જે પછી એમક્યુએમ બની ગયો હતો. પારિવારિક સૂત્રો જણાવે છે કે કેટલાંક અજ્ઞાત હુમલાખોરોએ લંડનમાં મળીને હિલ વિસ્તાર ખાતેના ફારૂખના ઘર નજીક હુમલો કરી દીધો અને તેના શરીર પર ચપ્પાના ઘા પણ કર્યા હતા. ફારૂખને તરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.ફારૂખની હત્યાની ખબરથી પાકિસ્તાનના કેટલાંક વિસ્તારોમાં સન્નાટો છવાઈ ગયો છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત કેટલાંય અગ્રણી પ્રધાનોએ આ હત્યા પર શોક વ્યક્ત કર્યો છે. એમક્યુએમ પ્રમુખ અલ્તાફ હુસેને 57મા જન્મદિવસ નિમિત્તે કરાંચીમાં આયોજિત કાર્યક્રમને ફારૂખની હત્યાની ખબર મળતાં જ રદ કરી નાંખ્યો છે.


રામમંદિર આંદોલનથી દેશને નુકસાન જ નુકસાન

રામમંદિર-બાબરી મસ્જિદથી ભારતે આગળ ધપવું પડશે. ભારતના રાજકારણમાં રામમંદિર આંદોલન એક મોટા વળાંકરૂપ આંદોલન હતું. આ આંદોલનમાં નવી ક્રાંતિને જન્માવાની તાકાત હતી. પણ આ આંદોલનને માત્ર સત્તા પરિવર્તનનું સાધન જ બનાવામાં આવ્યું હતું. આ આંદોલન દેશમાં તમામ ધર્મ, જાતિ અને વર્ગના લોકોને સાથે લઈને ચાલવાની તાકાત ધરાવતું હતું. પરંતુ આ આંદોલનને માત્ર ભાજપને સત્તાસ્થાને પહોંચાડવાનું માધ્યમ બનાવામાં આવ્યું હતું. 1984થી શરૂ થયેલા આંદોલનને 1992માં બાબરી ધ્વંસ થયા બાદ લગભગ સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. પરંતુ દેશની સંસદમાં રામમંદિર અને બાબરી મસ્જિદનો મુદ્દો મોટા પ્રમાણમાં ઉછળતો રહ્યો હતો. સંસદીય સત્રોના ઘણાં દિવસો રામમંદિર-બાબરી મસ્જિદ વિવાદના હોબાળામાં બરબાદ થયા હતા.તો બીજી તરફ સતત એક દશક સુધી 6 ડિસેમ્બરે બાબરી ધ્વંસની વરસીએ આખા દેશમાં તણાવ વ્યાપી જતો હતો. આ આંદોલનની રાજકારણ પરની અસર પણ વિપરીત હતી. કોંગ્રેસને સત્તા પરથી હટાવા માટેનું સાધન બનેલા રામમંદિર આંદોલનથી દેશના લોકોને ફાયદો ઓછો અને નુકસાન વધુ મળ્યું છે.


જીએમે શારીરિક અડપલાં કરીને અશ્લીલ SMS મોકલ્યા

કાર્યસ્થળ પર મહિલા કર્મચારીઓ સાથે શારીરિક અડપલાં જેવા મામલાથી હવે દિલ્હી મેટ્રો રેલવે નિગમ (ડીએમઆરસી) પણ બાકી બચ્યું નથી. ડીએમઆરસીમાં કાર્યરત એક વિરિષ્ઠ અધિકારીએ પોતના વિભાગના જનરલ મેનેજર પર શારીરિક અડપલાં કરવાનો અને અશ્લીલ એસએમએસ મોકલવાનો આરોપ લગાવતા પોલીસને ફરિયાદ કરી છે.ત્યાર બાદ પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ-354, 509 હેઠળ કેસ નોંધ્યો છે. પીડિતાનો આરોપ છે કે તેણે પોલીસને ફરિયાદ કર્યા પહેલા ડીએમઆરસીના ઉચ્ચ અધિકારીઓને પણ ફરિયાદ કરી હતી. પરંતુ તેમના લચ્ચડ વલણને કારણે તેને પોલીસ ફરિયાદનો સહારો લેવો પડયો છે. પીડિત મહિલા કર્મચારી ડીએમઆરસીના કાયદા વિભાગમાં વરિષ્ઠ કાયદા અધિકારીના પદ પર કાર્યરત છે. પીડિતાનો આરોપ છે કે તે લગભગ સાડા પાંચ વર્ષોથી આ સંસ્થામાં કાર્યરત છે. તેમના વિભાગના જનરલ મેનેજર નરેન્દ્ર પ્રતાપ સિંહ છે. શરૂઆતમાં તે તેમના ઈરાદાને ઓળખી શકી ન હતી.ધીરેધીરે તેમનો વ્યવહાર વાંધાજનક થતો ગયો. લગભગ ત્રણ સપ્તાહથી તો હદ થઈ ગઈ હતી. તેમનો આરોપ છે કે નરેન્દ્ર પ્રતાપ સિંહે તેમને બળજબરીથી મોડે સુધી ઓફિસમાં બેસડતા અને રજાના દિવસે પણ કામ માટે બોલાવતા હતા. આ દરમિયાન તેમણે મહિલા કર્મચારીને શાબાશી આપવાના બહાને શારીરિક અડપલાં કર્યા હતા. આ સિવાય કેટલાંક એસએમએસ પણ મોકલ્યા હતા. આ એસએમએસ ખુબ જ વાંધાજનક હતા. જ્યારે તેમણે ફરીથી વહીવટી તંત્રનો સંપર્ક કર્યો તો તેમને ઉંધાચત્તા જવાબ મળ્યા હતા.


મુંબઇ ઇન્ડિયન્સના સુકાની સચિન હજૂ પણ ચિંતિત

મુંબઇ ઇન્ડિયન્સના સુકાની સચિન તેંડુલકરે પોલાર્ડના પેટભરીને વખાણ કર્યા છે. જો કે તેણે કહ્યું છે કે તે હજૂ પણ બોલરોના નબળા પ્રદર્શનથી ચિંતિત છે.પોલાર્ડ કે જેણે 30 બોલમાં વિસ્ફોટક 72 રન ફટકાર્યા હતા. જેમાં તેણે નવ છગ્ગા અને ચોગ્ગો લગાવ્યો હતો. તેના વખાણ કરતા સચિને કહ્યું હતું કે, અમારી બેટિંગ શાનદાર રહી હતી. ખાસ કરીને પોલાર્ડ. તેણે ટીમને ભયાનક પરિસ્થિતિમાંથી બહાર કાઢી હતી. ડ્યૂમિનિએ પણ સારું બેટિંગ કર્યું હતું.પોલાર્ડે બેટિંગ થકી સુંદર અને આક્રમક અંદાજ બતાવ્યો હતો. તેના અસાધારણ શક્તિ રહેલી છે તેથી તે વિશ્વના કોઇપણ મેદાનમાં પોતાનો ઝલવો બતાવી શકે છે. તે સારી ઇનિંગ રમ્યો હતો તેમ સચિને ઉમેર્યું હતું.જો કે, તે બોલરોના પ્રદર્શનથી નાખૂશ હોવાનું સ્પષ્ટ જણાતું હતું. તેણે કહ્યું કે, હું અમારા પ્રદર્શનથી ખૂશ છું. તેનો અર્થ એ નથી કે હું સંતુષ્ઠ છું પરંતુ અમે સારી રીતે મેચને પૂર્ણ કરી શક્યા હતા. બેટિંગમાં અમે દરેક ઇનિંગમાં 180ની નજીક પહોંચી શક્યા હતા. પરંતુ અમારે બોલિંગમાં હજૂ મહેનત કરવાની જરૂર છે.

16 September 2010

રાજકોટમાં ચૂંટણીપંચ મોટું કે મોદી ? તંત્ર હોર્ડિંગ હટાવતાં ડરે છે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



રાજકોટમાં ચૂંટણીપંચ મોટું કે મોદી ? તંત્ર હોર્ડિંગ હટાવતાં ડરે છે

રાજકોટમાં જાહેર સ્થળે લાગતાં રાજકીય પક્ષોના બોર્ડ પૈકી નરેન્દ્ર મોદીના ફોટાવાળા બોર્ડ કે હોર્ડિંગ ઉતારતાં તંત્રને જાણે ૪૦૦ વોટનો વીજ આંચકો લાગતો હોય તેવી હાલત છે કારણ કે આચારસંહિતાનો અમલ શરૂ થઇ ગયો હોવા છતાં શહેરમાં અનેક સ્થળે ‘ભગવો આતંકવાદ’ સંદર્ભના બોર્ડ યથાવત છે.તમામ રિટર્નિંગ ઓફિસરોને કોઇ પણ પક્ષના બોર્ડ ઉતારી લેવા કડક સૂચના છે અને તેમને સત્તા પણ છે તેમ છતાં ચૂંટણીપંચ કરતાં જાણે મોદી સરકાર મોટી હોય તેમ અધિકારીઓ ભાજપના બોર્ડને હાથ પણ અડાડતા નથી. જ્યારે ચૂંટણી જાહેર થઇ ત્યારથી જ આચારસંહિતાનો અમલ શરૂ થઇ ગયો છે, ચૂંટણી છે ત્યાં સુધી કલેક્ટર તંત્ર તેને આધિન છે પરંતુ રાજકોટમાં એવું લાગતું નથી, ચૂંટણીપંચની અમર્યાદિત સત્તા કરતાં મોદી સરકારની ‘આમાન્યા’ વધારે મહત્વની હોય તેવું લાગે છે.નરેન્દ્ર મોદીના ફોટા સાથે ‘ભગવો આતંકવાદ’ ના બોર્ડ બધે લાગેલાં છે. કિસાનપરા ચોકમાં ભાજપ પ્રેરિત સંસ્થા રેસકોર્સ ક્લબ દ્વારા ગણપતિ સ્થાપન કરાયું છે તેની બહાર આ હોર્ડિંગ છે. કલેક્ટર તંત્રે હજી તે હટાવ્યું નથી. શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ રીતે રાજકીય પક્ષોના અને વિશેષ તો નરેન્દ્ર મોદીના ફોટાવાળા બોર્ડ છે પરંતુ તંત્ર તેને હાથ લગાવતાં ડરે છે.પંદર ઓગસ્ટની ઉજવણીના હોર્ડિંગનો વિવાદ તો હતો જ અને તેમાં ચૂંટણી પંચ ક્યાંય ચિત્રમાં નહોતું તેથી તંત્રે જ નિયમોનો ભંગ કર્યો હતો પરંતુ અહીં તો તંત્રને સંપૂર્ણ સત્તા છે છતાં કામ થતું નથી. ચૂંટણી શાખાના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે દરેક આર. ઓ. ને આ અંગે સૂચના અપાઇ ગઇ છે. દરરોજ આ અંગે ફોલોઅપ પણ થાય છે જો કે તેમ છતાં બોર્ડ તો યથાવત છે.


સાવકી માતા પર બળાત્કાર ગુજારનાર પુત્ર ભાગી છુટ્યો

ધોરાજી તાલુકાના મોટી મારડમાં રહેતાં દલિત પ્રૌઢા રતનબેન પોપટભાઇ પરમાર (ઉ.વ.૫૩) એ પાટણવાવ પોલીસમથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેનો સાવકો પુત્ર ચંદુ પોપટભાઇ તેની પત્ની મંજુબેનની મદદથી છેલ્લા ૧૩ વર્ષથી પોતાના પર પોતાની ઇચ્છા વિરુદ્ધ અવારનવાર બળાત્કાર ગુજારતો હતો અને માનસિક ત્રાસ આપે છે અને આ બાબતે જો કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો.પ્રૌઢાની ફરિયાદના આધારે પાટણવાવ પોલીસે ચંદુ પરમાર અને તેની પત્ની મંજુ સામે ગુનો નોંધ્યો હતો. પરંતુ પોલીસ આરોપીઓ સુધી પહોંચે તે પહેલાં બન્ને ફરાર થઇ ગયા હતાં.આ બનાવની તપાસ ચલાવી રહેલાં પીએસઆઇ વણજારાએ બળાત્કારનો ભોગ બનેલા દલિત પ્રૌઢાનું મેડિકલ ચેકઅપ કરાવી આરોપીઓને પકડી લેવા તજવીજ શરૂ કરી છે.


દાવેદારો માટે ૨૩મી સુધી ભરેલું નાળિયેર

ભાજપની સેન્સ લેવાનું કામ પૂરું થઇ ગયું છે અને કોંગ્રેસે દાવેદારોની યાદી પ્રદેશમાં મોકલાવી દીધી છે એટલે મહાનગર પાલિકાની ચૂંટણી માટે બન્ને પક્ષના દાવેદારો માટે ૨૩મી સપ્ટેમ્બર સુધી ભરેલા નાળિયેર જેવી સ્થિતિ રહેવાની છે. બન્ને પક્ષો છેક છેલ્લી ઘડીએ ઉમેદવારોના નામ જાહેર કરવાના છે ત્યારે કેટલાક શ્યોર શોટ સિવાયના તમામ દાવેદારો લોબિંગના પ્રયાસોમાં વ્યસ્ત થઇ ગયા છે.દરમિયાન વોર્ડ નં.૪માં પણ દાવેદારોનો રાફડો છે ત્યારે એક સમયે ભાજપ સંગઠનના હોદ્દેદાર રહેલા પરંતુ કાર્યકરો અને લોકોમાં કોઇ વિશેષ સ્થાન ન ધરાવતા એવા અગ્રણીએ ઉગ્રતા ધારણ કરીને ઉમેદવારી માટે દાવેદારી નોંધાવી હતી. પક્ષના મોવડીઓને આ આગેવાને એવું કહ્યું હતું કે, ગયા વખતે પણ મને ટિકિટ મળી ન હતી છતાં પક્ષની સાથે હું રહ્યો છું.હવે આ વખતે મને તકમળવી જોઇએ, અને જો તે ન મળે,તો પછી જે કાંઇ પણ પરિણામ આવે તેની તૈયારી પાર્ટીએ રાખવી પડશે. જો કે, આ અગ્રણીની કોઇ એવી ક્ષમતા નથી કે તે પરિણામ પર અસર પાડી શકે. તેમની જ્ઞાતિના મતદારો પણ પોતાની જ્ઞાતિના અન્ય અગ્રણીઓને વધુ સારી રીતે ઇચ્છાણે છે તેથી પક્ષ પણ આ ધમકીને ગંભીરતાથી લેશે નહીં તેવું સ્પષ્ટ છે.


પોતાના દેશની નથી ચિંતા અને ભારતની કરે છે નિંદા’

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ જમ્મુ કાશ્મીરમાં વિરોધ પ્રદર્શનોને શાંત કરવા માટેના ભારત સરકારના ઉપાયોની નિંદા કરી છે.પાકિસ્તાનની મુલાકાતે આવેલા અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હમીદ કરજાઈ સાથે પ્રેસ કોન્ફરન્સમાં ઝરદારીએ કહ્યું હતું, ‘ભારત જે રીતે કાશ્મીરીઓના લોકતાંત્રિક સંઘર્ષના મામલાને ઉકેલી રહ્યું છે, તેની પાકિસ્તાન નિંદા કરે છે.’ તેઓ જમ્મુ-કાશ્મીરમાં હિંસા સંબંધિત એક સવાલનો જવાબ આપી રહ્યા હતા. આ સવાલ પર કરજાઈએ કહ્યું હતું કે ભારત કે પાકિસ્તાન જો તેમની મદદ માંગશે તો અમે ચોક્કસ મદદ કરીશું.



આજે અમિત શાહના જામીન અંગે ફેસલો

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી અમીત શાહના જામીનનો ફેસલો આજે થવાની શક્યાતા છે. આજે સીબીઆઇ સેસન્સ કોર્ટમાં શાહના જામીનની સુનાવણી હાથ ધરાશે.અમિત શાહની જામીન અંગેની સુનાવણી છેલ્લી ચાર ચાર મુદતથી હાથ નહીં ધરાતાં હવે આજે ૧૬મી સપ્ટેમ્બર અને ગુરુવારના રોજ હાથ ધરાશે. શાહના જામીન મુદ્દે અગાઉ સતત ચાર ચાર મુદત પડી ચૂકી છે.ત્રણ મુદતમાં શાહ તથા સીબીઆઇના સિનિયર કાઉન્સિલર નહીં ઉપસ્થિત રહેતાં મુદત પડતી હતી, જ્યારે ચોથી મુદત વખતે શાહ તથા સીબીઆઇના ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા ત્યારે સ્પેશિયલ સીબીઆઇ સેશન્સ જજ પી.પી. ભટ્ટ નાદુરસ્ત તબિયતને લીધે રજા પર હોવાથી સુનાવણી હાથ ધરાઈ નહોતી, જેથી શાહનો જેલવાસ વધુ એક અઠવાડિયું લંબાયો હતો. જજ રજા પર હોવાથી બંને પક્ષે વકીલોએ સાથે મળીને સુનાવણી માટે આજની તારીખ નક્કી કરી હતી.


શેરબજારની તેજી હવે કેટલા દિવસ?

શેરબજાર, સોનું અને ચાંદીમાં તેજીનો તરખાટ પાછું વાળીને જોતો જ નથી. કરેકશનની અપેક્ષાને સતત ખોટી પાડતાં શેરબજારે સતત સાતમા દિવસે તેજીની ચાલ જાળવી રાખી છે.સેન્સેક્સ ૨૦,૦૦૦ની અને નિફ્ટી ૬૦૦૦ની સપાટી ભણી આગેકૂચ કરી રહ્યા છે. તેજી પાછળનું એકમાત્ર કારણ વિદેશી નાણાસંસ્થાઓની એકધારી ખરીદી છે. ૧૯૫૦૦નો આંકડો સેન્સેક્સે એટલી સરળતાથી પાર કરી લીધો કે, કરેકશનની અપેક્ષા રાખીને બેઠેલાઓને આઘાત લાગે. વિદેશી રોકાણકારોને અચાનક ભારતના બજારમાં કરોડો ડોલર ઠાલવવાની હોંશ થઇ છે.બે જ દિવસમાં ૪૨૦૦ કરોડ રૂપિયાથી વધુની ખરીદી તેમણે કરી છે. અને, આ ખરીદી બુધવારે પણ ચાલુ જ રહી છે. એટલે જ, કંપનીઓએ ચૂકવેલા એડવાન્સ ટેક્સના આંકડા અપેક્ષિત ન હોવા છતાં તેજી ચાલુ રહી હતી. ફરી એક વખત નાના રોકાણકારો શેરબજારની વાત કરતા થયા છે.અધધ.. તેજી જોઇને બજારમાં ઘૂસવાનો મોહ જ્યારે સામાન્ય રોકાણકારોને જાગે ત્યારે સાવધ થઇ જવું જોઇએ. આંકડાઓના પૃથક્કરણ બતાવે છે કે, શેરબજાર, સોના અને ચાંદીમાં રોકાણ કરનારાઓ ન્યાલ થઇ ગયા છે. પણ, આ એ જ શેરબજાર છે જેમણે અઢી વર્ષ પહેલાં રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા હતા. તે વખતે ઓલટાઇમ હાઇ થયા પછી બજાર વધતું રહ્યું હતું,અને ૨૧મી જાન્યુઆરી, ૨૦૦૮ના દિવસે એક જ દિવસમાં ૧૪૦૮ પોઇન્ટનું ગાબડું પડ્યું હતું, તેના બીજા દિવસે તો ઐતિહાસિક ૨૨૭૩ પોઇન્ટનો સૌથી મોટો કડાકો નોંધાયો હતો.