21 August 2010

વિમાનનું ટાયર ફાટ્યું, લખનૌમાં ઈમરજન્સી લેન્ડિંગ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

વિમાનનું ટાયર ફાટ્યું, લખનૌમાં ઈમરજન્સી લેન્ડિંગ

એર ઈન્ડિયાની લખનૌથી દિલ્હી જનાર ફ્લાઈટ આઈસી 412નું લખનૌ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું છે.જાણવા મળ્યું છે કે વિમાનનું ટાયર ફાટ્યા પછી લખનૌ એરપોર્ટ પર તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કોઈ જાનહાનીના સમાચાર નથી. વધુ વિગતો મેળવાઈ રહી છે.


મોદીની કેબિનેટનું વિસ્તરણ, પ્રફુલ પટેલ નવા ગૃહ રાજ્ય પ્રધાન

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં ત્રણ વર્ષના લાંબા સમય પછી પ્રથમવાર વિસ્તરણ કરવામાં આવ્યું છે. હાલની ૧૭ની કેબિનેટમાં વધુ ચાર સભ્યોનો ઉમેરો થતાં સંખ્યાબળ વધીને ૨૧નું થયું છે જેમાં ૧૦ કેબિનેટ અને ૧૧ રાજ્યકક્ષાના મંત્રીઓ થવા જાય છે.શપથ લેનારા સભ્યોમાં વિસાવદરના કનુભાઇ ભાલાલા, જામનગરના વસુબહેન ત્રિવેદી, અસારવાના પ્રદપિસિંહ જાડેજા અને હિંમતનગરના પ્રફુલ પટેલનો સમાવેશ થાય છે. આવનારા ઓકટોબર મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી તેમજ અન્ય મંત્રીઓ પાસે વધારે કાર્યભાર હોવાથી આ વિસ્તરણ કરવામાં આવ્યું છે.રાજભવનમાં બાંધવામાં આવેલા વોટરપ્રુફ સામિયાણામાં રાજ્યપાલ ડો.કમલાએ આજે બપોરે ૧૨.૩૯ કલાકે પદનામિત મંત્રીઓને હોદ્દા અને ગુ’તાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત હતા. ગુજરાતના રાજકારણમાં પહેલીવાર રાજ્યપાલે શપથ પછી મંત્રીઓને પુષ્પગુચ્છ આપી સન્માન્યા હતા. આ પળે પદનામિત મંત્રીઓના શુભેચ્છકો, સ્નેહીજનો તેમજ પાર્ટીના આગેવાનોએ નવા મંત્રીઓને વધાવી લીધા હતા. નવા મંત્રીઓ તેમને ફાળવેલી નવી સરકારી ગાડીમાં સચિવાલય ગયા હતા.શપથ સમારોહ પછી મળેલી મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નવા સભ્યોને વિભાગોના હવાલા સુપરત કર્યા હતા. પ્રદપિસિંહ જાડેજા હાલ વિધાનસભામાં સત્તાધારી પક્ષના મુખ્ય દંડક છે. મંત્રી બનતાં તેમણે દંડક પદેથી રાજીનામું આપી દેવું પડશે.


ખરા સમયે ભાગી જનારાઓની યાદીમાં ઝરદારી નંબર-1

દરેક દેશ અને દેશવાસીઓ માટે એ જરૂરી હોય છે કે જ્યારે સંકટનો સમય આવે ત્યારે તેમનો નેતા તેમની સાથે હોય, પણ પાકિસ્તાન એ બાબતે થોડું કમનસીબ છે. પાકિસ્તાનમાં 80 વર્ષના સમય ગાળાનું સૌથી વધુ વિનાશકારી પૂર તાજેતરમાં આવ્યું છે. અત્યારે તેમને સૌથી વધુ જરૂરિયાત તેમના નેતાની હતી, પણ દુઃખની વાત તો એ છે કે આ સમયે જ તેમના નેતા તેમનાથી દૂર હતા. વળી નવાઈની વાત તો એ છે કે જરૂરિયાત સમયે દેશવાસીઓથી દૂર રહેનારા નેતાઓની યાદીમાં પાકિસ્તાની વડાપ્રધાન આસિફ અલી ઝરદારીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.અન્ય પાંચ આવા નેતાઓની યાદી બહાર પાડતાં 'ફોરેન પોલીસી' નામના મેગેઝીને જાહેર કર્યું છે કે પૂરના સમયે પાકિસ્તાનના લોકોને સૌથી વધુ જરૂર તેમના વડાપ્રધાનના સાથ સહકારની હતી, પરંતુ આ સમયે તેઓ પૂરપીડિતોની ચિંતા કર્યા વગર યુરોપના પ્રવાસમાં હતા. ખરેખર તો આ સમયે વડાપ્રધાને બધું જ પડતું મૂકીને લોકોને કઈ રીતે રાહત સામગ્રી પહોંચાડવી તે વિશે વિચારવું જોઇએ. પણ ઝરદારીને તો પોતાના દેશવાસીઓ કરતાં પોતાની યુરોપ ટ્રીપ વધારે પ્રિય લાગી.'ફોરેન પોલીસી' મેગેઝિન પાસેથી મળતી માહિતી અનુસાર કેટલાંક અમેરિકી અધિકારીઓએ તો ઝરદારીને અંગત રીતે કહ્યું પણ હતું કે આ ટ્રીપ કેન્સલ કરી દો, પરંતુ ઝરદારીને તો 11000 ડોલરના ભાડા વાળી હોટલમાં રોકાવું વધારે જરૂરી લાગ્યું. તેમ છતાં ઝરદારીના અધિકારીઓ તો એમ જ કહે છે કે તેમના રાષ્ટ્રપતિ સૌથી સસ્તી ફાઇવ સ્ટાર હોટલમાં રહે છે, જ્યારે વાસ્તવમાં તો તેઓ ચર્રિલ હયાત રેસિડેન્સી નામની અહીંની સૌથી મોંઘામાંની એક હોટલમાં રોકાયા હતા. પૂરની માહિતી મળવા છતાં પાકિસ્તાની રાષ્ટ્રપતિ બ્રિટનમાં જલસા કરતા હતા, જો કે બ્રિટનથી આવતા પહેલા કહેવા ખાતર તેમણે એક જાહેર સભાને સંબોધી દીધી હતી.


સંબંધો મીઠા કરવા ગિલાનીએ મનમોહનને કેરીઓ મોકલી

પાકિસ્તાનના પ્રધાનમંત્રી યુસુફ રઝા ગિલાનીએ ભારતના પ્રધાનમંત્રી મનમોહન સિંહને ભેટમાં કેરીની પેટીઓ મોકલી છે. ગયા મહિને વિદેશમંત્રી એસ.એમ.કૃષ્ણાની ઈસ્લામાબાદની યાત્રા દરમિયાન બંને દેશના સંબંધોમાં ખારાશ આવી ગઈ હતી, જેને દૂર કરવાના પ્રયત્નો ગિલાની દ્વારા કરવામાં આવી રહ્યા છે.સૂત્રો જણાવે છે કે પાકિસ્તાનથી પ્રધાનમંત્રી મનમોહનસિંહ માટે કેરીની પાંચ પેટીઓ આવી છે. આ પેટી આવી એના એક દિવસ પહેલા જ મનમોહનસિંહે ગિલાનીને ફોન કરીને વધુ મદદ કરવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. આ મદદના બદલામાં ગિલાનીએ કેરી મોકલાવી હોય તેવું માનવામાં આવી રહ્યું છે. આ પહેલા 25મી મેના રોજ પ્રધાનમંત્રી મનમોહનસિંહે ગિલાનીને 20 કિલો ઉચ્ચ ગુણવત્તાની આલ્ફાન્ઝો કેરી મોકલાવી હતી.આ સિલસિલો પછી સતત ચાલતો રહ્યો છે. આ પછી જૂનમાં પાકિસ્તાનના ગૃહમંત્રી રહેમાન મલિકે પણ ભારતના ગૃહમંત્રી ચિદમ્બરમને કેરીઓ મોકલી હતી. ભારત અને પાકિસ્તાન 80ના દાયકાથી આવી રીતે કેરીની આપલે કરતા આવ્યા છે. આ દાયકામાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝિયા-ઉલ-હક અને ઈન્દિરા ગાંધીએ પણ એકબીજાને કેરીઓ મોકલાવી હતી. 2001માં પરવેઝ મુશર્રફે પણ અટલ બિહારી વાજપેયીને આ રીતે કેરીની પેટી મોકલાવી મિત્રતાનો હાથ માંગ્યો હતો.


દર અઠવાડિયે બદલાય છે દીપિકાનાં પ્રમીઓ

નિલ અને દીપિકા ફક્ત ઓન સ્ક્રિન હોટ કપલ જ નહી પણ ઓફ સ્ક્રિન પણ હોટ કપલ છે ગત દિવસોમાં બન્ને મુંબઈનાં જાહેર રસ્તાપર બાઈક રાઈડ કરતાં જોવા મળ્યાં હતાં. બન્નેની બોડી કેમેસ્ટ્રી ઘણું બધુ કહી દેતી હતી.જો કે આ વાતે દીપિકાએ સફાઈ આપી હતી કે આ ફક્ત અફવાઓ છે, અમે બન્ને ફક્ત સારા મિત્રો જ છીએ. જો લોકોને તેનાં વિશે અફવાઓ વાંચવી પસંદ છે તો જરૂરથી વાંચો મને કોઈ જ વાંધો નથી.દીપિકાની આ વાતોથી અંદાજો લગાવવામાં આવે છે કે બન્ને માત્ર મિત્રો જ નથી પણ તેમનાં વચ્ચે અન્ય કાંઈ ખિચડી પણ રંધાઈ રહી છે.


શરમ કરો..સાંસદો...શરમ કરો..

સાંસદોની વર્તણૂંક શરમજનક, જનતા સાથે સરખામણી. દેશમાં ૭૭ ટકા લોકોની આવક ૨૦ રૂપિયા રોજ પણ નથી અને બીજી તરફ ત્રણસો સાંસદો કરોડપતિ છેદેશમાં આમઆદમી ૧૦થી ૨૦ ટકા પગારવધારાથી પણ ખુશી મનાવે છે પરંતુ આપણા સાંસદો ખુદ પોતાનો પગાર ત્રણસો ગણો વધારી લીધા બાદ પણ ખુશ તો થતા જ નથી. આ વધારો થયા બાદ એક સાંસદને ભથ્થાં અને સુવિધાઓ ભેગી કરતાં સાડા ત્રણ લાખ માસિક પગાર મળશે. શું આ પગાર ઓછો છે? ભાસ્કરે ભૂતપૂર્વ સાંસદો અને વિશેષજ્ઞો પાસેથી આ પ્રશ્નનો ઉત્તર મેળવ્યો....એક વાત તો સ્પષ્ટ છે કે આઝાદી પહેલાંની જેમ જનસેવકો હવે કોઈ મશિન માટે નહીં પરંતુ સારી કારકિર્દી માટે આ ક્ષેત્રે આવે છે. આથી બહેતર એ જ રહેશે કે કોઈ સ્વતંત્ર કમિશન તેમનો પગાર નક્કી કરે અને દર પાંચ વર્ષે તે ફરી નિધૉરિત કરવામાં આવે. સિંગાપોરમાં એવું માનવામાં આવે છે કે પગાર જેટલો વધારે હોય એટલો ભ્રષ્ટાચાર ઓછો થશે.તેઓ પોતાના કર્તવ્ય પ્રત્યે વધારે ગંભીર બનશે. હું માનું છું કે વધારે પગાર હોય તેમાં કંઈ ખોટું નથી. તેનાથી તેઓ ઈમાનદારીથી કામ કરી શકશે. આપણે અહીં સવાલોના બદલે લાંચના કિસ્સા જોવા મળ્યા. પગાર વધ્યા બાદ આશા રાખી શકાય કે ફરી કદાચ આવી નોબત નહીં આવે. એતો સ્પષ્ટ છે જ કે સાંસદોના ખર્ચા બેફામ હોય છે. તેમના ક્ષેત્રથી આવતા લોકોનો પણ ભારે ખર્ચો તેઓ જ ભોગવે છે. આટલી મોંઘવારીમાં આ બધું કેવી રીતે શક્ય છે તે જોવું જરૂરી છે. દેશના અર્થતંત્રની સ્થિતિ સારી છે. આપણે આ ખર્ચ ભોગવી શકીએ તેમ છીએ.


બ્રિટિશ વડાપ્રધાને પોતાનું ઘર ભાડે આપ્યું

બ્રિટિશ વડાપ્રધાન ડેવિડ કેમરોન અને તેની પત્ની સામન્થાએ રૂપિયા કમાવાનો એક નવો કીમિયો શોધી કાઢ્યો છે. તેમણે પોતાનું નોટિંગ હિલ-લંડન ખાતેનું ઘર ભાડે આપી દીધું છે, જેના દ્વારા તેઓ દર મહિને 6000 પાઉન્ડની કમાણી થશે.ડેવિડ કેમરોન પાસે કોટ્સવોલ્ડમાં એક મિલિયન પાઉન્ડનું એક ઘર પણ છે. કેમરોન જ્યારે વડાં પ્રધાન બન્યા ત્યારે તેમણે પોતાના મંત્રીમંડળને આશ્વાસન અપાવ્યું હતું કે તે મંત્રીમંડળના સભ્યોને આવતા પાંચ વર્ષમાં પાંચ ટકા જેટલો પે કટ પાવશે.કેમરોનની અત્યારે વાર્ષિક કમાણી 142,500 પાઉન્ડ છે અને તેને ઘરના ભાડામાંથી અન્ય 72000 પાઉન્ડની વાર્ષિક આવક થશે.કેમરોન બ્રિટનના પ્રથમ એવા વડાં પ્રધાન છે, જેમણે પોતાનું ઘર ભાડે આપ્યું હોય. આ સિવાય અન્ય પ્રધાનોમાં ટોની બ્લેરે પોતાનું ઘર વેચી નાંખ્યું છે, જયારે ગોર્ડન બ્રાઉન, જોન મેજર અને માર્ગારેટ થેચર જેવા પ્રધાનો પોતાને અપાયેલા ઘરમાં જ રહે છે. એક અઠવાડિયા પહેલા જ કેમરોન અને તેનો પરિવાર ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેના પોતાના મકાનમાં રહેવા આવ્યો છે. કેમરોનના ઘરમાં ભાડે રહેવા આવેલા ભાડૂઆતો પણ ઘણા ખુશ છે. અહીં એક 40 વર્ષની સ્ત્રી અને તેની બે દીકરીઓ રહેવા આવ્યા છે. તેમણે આ ઘર એક એજન્ટ દ્વારા ભાડે લીધું છે.


લૂંટો દેશને લૂંટો, સાંસદોને કોણ રોકશે

પ્રજાના પ્રતિનિધિને નામે દેશના સાંસદોએ જાણે ઉઘાડી લૂંટાલૂંટ મચાવી છે. સાંસદોનો પગાર મહિને રૂ.૧૬ હજારથી વધારીને સીધો ૫૦ હજાર કરી નાખવાનો નિંભર નિર્ણય દેશની બાપડી પ્રજાનાં ગજવાં કાપી લેવાથી જરાય ઉતરતો નથી. છેલ્લાં ચાર વર્ષમાં મોંઘવારી ૨૦૦ ટકા વધી છે એની સામે આ સાંસદોને ૩૦૦ ટકાનો વેતનવધારો આપવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે.
વધારાનાં તોતિંગ અન્ય ભથ્થાંઓ તેમજ સાવ મફત મુસાફરી-રહેઠાણ, વીજળી-ફોન વગેરે સુવિધાઓ તો ખરી જ. નિવૃત્ત થશે ત્યારે મહિનાનું પેન્શન ૮ હજારથી વધીને ૨૦ હજાર થઈ જશે. બે-ચાર રિંગણ તોડવાની ડાહી ડાહી વાત કરીને પેલા દલા તરવાડી કરતાં પણ આજના સાંસદો તો સાવ ફાટીને ધુમાડે ગયા છે. કહીને લેવાને બદલે તેઓએ તો જાણે ઉઘાડી લૂંટાલૂંટ મચાવી છે.ગયા સોમવારે વેતનવધારાના આ મામલે મતભેદ પડતાં કેન્દ્રીય કેબિનેટે નિર્ણય પાછો ઠેલ્યો હતો, પરંતુ ત્રણ દિવસમાં એવી તે શી મોટી નોબત આવી કે ભૂવા ધૂણે ને ઘર ભણી નાળિયર ઉછાળે એમ સરકારે વેતનવધારાનાં કોપરાં ઉછાળી દીધાં! એક બાજુ દેશની પ્રજા કારમી મોંઘવારીમાં ભીંસાઈ રહી છે. રોજીરોટી ન મળતાં લોકો આપઘાત કરી રહ્યા છે ત્યારે દેશના સાંસદોને આટલો બધો પગારવધારો સેરવી લેવામાં કોઈ શરમ આવતી નથી. સરકાર પણ પરમાણુ બિલ, કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ, મોંઘવારી, ખેડૂતોની આત્મહત્યા વગેરે જેવી અણિયાળી બાબતોથી ડરીને સાંસદોને બટકાં ફેંકતી હોય એવા ઇરાદા સાથે આવા પગારવધારાની ભાગબટાઈ કરવામાં પાછી પડતી નથી.


મોરબીની લૂંટ-ડબલ મર્ડરમાં જામનગર-મહેસાણા તરફ તપાસ

મોરબી નજીક એસ.ટી. બસમાં આંગડિયા કર્મચારી અને બસના ડ્રાઇવરને ભડાકે દઇ ૨૦ લાખની લૂંટ કર્યા પછી પાટડી નજીક પોલીસ ઉપર અંધાધૂંધ ફાયરિંગ કરીને નાસી જનાર લૂટારૂ ગેંગ જામનગરના યાસીન મોટાની અથવા મહેસાણાની હોવાના તારણ સાથે પોલીસે એ દિશામાં તપાસ કરી છે. પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા કુખ્યાત તાજીયા ગેંગનો સાગરીત યાસીન ઉર્ફે મોટીયો જામનગરના લૈયારા ગામનો વતની છે. તાજીયાની જેમ જ લૂંટ વેળા ભય ફેલાવવા ફાયરીંગ તેમજ પોલીસ ઉપર ફાયરિંગ કરવાની ટેવ ધરાવતો યાસીને લૂટની ભાગ બટાઇ મુદ્દેસાગરીતની હત્યા કરી હતી.ખૂન કેસમાં વોન્ટેડ યાસીન એક વર્ષ પહેલાં ટંકારાના છતર નજીમ બસમાં ફયરિંગ કરી એક કરોડની લૂંટ કરી હતી. પોલીસે કરોડના મુદામાલ સાથે તેના સાગરીતોને ઝડપી લીધા હતા. પરંતુ, યાસીન હજી સુધી ફરાર છે. છેલ્લા ચાર માસમાં રાજકોટ, કચ્છ અને સુરેન્દ્રનગરમાં થયેલી આંગડિયા લૂંટમાં પણ યાસીનની સંડોવણી મનાય છે. જો કે , સગાભાઇ તો ઠીક પત્નીને પણ આશ્રય સ્થાન અંગે અજાણ રાખતો ચાલાક યાસીન મોબાઇલ પણ રાખતો ન હોવાથી તેનું લોકેશન મેળવવું પોલીસ માટે અશકય બની ગયુ છે. દરેક લૂંટ વખતે નવા સાગરીતો સાથે કામ પાર પાડતા યાસીને જ કાલે મોરબી નજીક બેવડી હત્યા કરીને લૂંટ કર્યાની પોલીસને દ્રઢ શંકા છે. આંગડિયા લૂંટ કરતી રાજ્યની મોટા ભાગની ગેંગના સભ્યો સાથે સંપર્ક ધરાવતો યાસીન આ વખતે પોલીસને ગેરમાર્ગે દોરવા મહેસાણા, હિંમતનગરના ગુનેગારોને સાથે રાખી જામનગરના બદલે મોરબીથી હળવદ રોડ વાયા અમદાવાદતરફ ભાગ્યો હોવાનું પોલસ માની રહી છે. આંગડિયા સાથે પોલીસતંત્રની આબરૂ લૂંટીને નાસી છુટેલા લૂટારાને શોધી કાઢવા રાજકોટ, સુરેન્દ્રનગર,અને જામનગર પોલીસની અલગ અલગ ટીમને જુદી જુદી દિશામાં રવાના કરી છે.


અમરેલીમાં મોટા આંકડીયા ગામે ૧૧ દુકાનોના તાળા તૂટયા

અમરેલી જિલ્લામા છેલ્લા ઘણા સમયથી તસ્કરોનો રંજાડ વધ્યો છે. ત્યારે જિલ્લાના મોટા આંકડીયા ગામે ગત રાત્રીના તસ્કર ટોળકી ખાબકી એક સાથે અગિયાર દુકાનોને નિશાન બનાવતા ગ્રામજનોમા ફફડાટ ફેલાયો છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તપાસ કરતા તમામ દુકાનોના તાળા તેમજ શટર ઉંચકાવી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા.જોકે તસ્કરોને કોઇ મોટી મતા હાથ લાગી ન હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. નાના એવા ગામમા એક સાથે ૧૧ દુકાનોમા ચોરીના બનાવો બનતા લોકોમા રોષ ફેલાયો છે અને રાત્રીના સમયે સઘન પેટ્રોલીંગ શરૂ કરવા પોલીસને રજુઆત કરી છે.

ધો-૧૦માં ગુજરાતીના પેપરમાં ૫૦ ગુણના ૧૩ પ્રશ્નો પુછાશે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

ધો-૧૦માં ગુજરાતીના પેપરમાં ૫૦ ગુણના ૧૩ પ્રશ્નો પુછાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ની પરીક્ષા માટે ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષાના પેપરનું પરિરૂપ જાહેર કરાયું હતું.ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટેનું ગુજરાતી પ્રથમ ભાષાનું પેપર બે ભાગમાં લેવામાં આવશે. જેમાં પાર્ટ-એમાં ૫૦ ગુણના હેતુલક્ષી પ્રશ્નો પુછાશે. જ્યારે પાર્ટ-બીમાં ૫૦ ગુણના ૧૩ પ્રશ્નો પુછાશે. ગુજરાતીના પેપરમાં પણ માત્ર ૧૫ ગુણના જ અઘરા પ્રશ્નો પુછાશે.પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડદ્વારા બુધવારે ધોરણ-૧૦ ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષાના પ્રશ્નપત્રનું પરિરૂપ જાહેર કરવામાં આવ્યું છે.ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી પ્રથમ ભાષાના પરિરૂપમાં બોર્ડ દ્વારા બે પાર્ટમાં પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. પાર્ટ-એમાં હેતુલક્ષી પ્રકારના ૫૦ ગુણના ૫૦ પ્રશ્નો પૂછવામાં આવશે. જેના માટે વિદ્યાર્થીઓને ૭૫ મિનિટ આપવામાં આવશે.જ્યારે પાર્ટ-બીમાં નબિંધલક્ષી પ્રકારના ૨૩ ગુણના ૪ પ્રશ્નો, ટૂંકા જવાબી ૧૨ ગુણના ત્રણ પ્રશ્નો અને અતિ ટૂંકા જવાબી ૧૫ ગુણના ૬ પ્રશ્નો પૂછવામાં આવશે. આમ પાર્ટ-બીમાં ૫૦ ગુણના ૧૩ પ્રશ્નો પૂછવામાં આવશે. ગુજરાતીના ૧૦૦ ગુણના બે પ્રશ્નપત્રમાં ૫૦ ગુણના સરળ પ્રશ્નો, ૩૫ ગુણના મધ્યમ પ્રશ્નો અને ૧૫ ગુણના અઘરા પ્રશ્નો રહેશે.અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી દ્વિતીય ભાષામાં પાર્ટ-એમાં ૫૦ ગુણના ૫૦ હેતુલક્ષી પ્રશ્નો હશે. પાર્ટ-બીમાં ૫૦ ગુણના ૨૩ પ્રશ્નો પૂછવામાં આવશે. જેમાં નબિંધ પ્રકારના ૨૩ ગુણના ૪ પ્રશ્નો, દીર્ઘ જવાબીના ૩ ગુણના ૧ પ્રશ્ન, ટૂંકા જવાબી ૧૨ ગુણના ૬ પ્રશ્નો અને અતિ ટૂંકા જવાબી ૧૨ ગુણના ૧૨ પ્રશ્નો પુછાશે.


સૌરાષ્ટ્રમાંથી કોણ બનશે મંત્રી?

જામનગરના ધારાસભ્ય વસુબેન ત્રિવેદીનું નામ મોખરે: મનપાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાનુબેન બાબરિયા માટે પણ તક.ગુજરાત સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ આવતીકાલે થવાનું છે તેની પૂર્વસંધ્યાએ આજે રાજ્યના રાજકારણમાં અને સાથે જ સૌરાષ્ટ્રમાં પણ અટકળો અને ઉત્તેજના શરૂ થયાં છે. કોનો સમાવેશ મંત્રીમંડળમાં થશે? તેની વાતો શરૂ થઇ છે સાથે જ એવી ચર્ચા પણ છે કે કોર્પોરેશનની ચૂંટણી આગામી પખવાડિયાંમાં જ જાહેર થાય તે પૂર્વે બોર્ડ-નિગમમાં હોદ્દેદારોની પણ વરણી થશે, તેથી હમણા ભાજપના આગેવાનોના હૈયામાં આશાઓ ઉભરાઇ રહી છે.આવતીકાલે મંત્રમંડળનું વિસ્તરણ થશે. પાંચ કે છ નવા મંત્રીઓ ઉમેરાય તેવી સંભાવના છે. આમ તો અત્યાર સુધીમાં મોદીએ મર્યાદિત મંત્રીઓથી જ રાજ્યનો વહીવટ ચલાવ્યો છે પરંતુ હવે સમય અલગ છે. અને તેથી ફેરફાર થઇ રહ્યા છે.નવા ચહેરાઓમાં સૌરાષ્ટ્રના કેટલા હશે તેની ચર્ચા છે. સિનિયર નેતા મોહનભાઇ કુંડારિયા છે, પરંતુ તેમની પાસે જિલ્લા પ્રમુખની જવાબદારી છે, ભરત બોઘરા જાયન્ટ કિલર છે પરંતુ તેઓ યુવા ભાજપમાં ઉચ્ચ હોદ્દો ધરાવે છે. જશુબેન કોરાટ એક વખત મિનસ્ટિર બની ગયા છે હવે તેમને આ સરકારમાં ચાન્સ મળે તેવી શક્યતા ઓછી છે.


ગોંધી રખાયા બાદ ગરીબોનું કલ્યાણ કરાયું

રાજકોટમાં આજે યોજાયેલા પ્રથમ ગરીબ કલ્યાણ મેળામાં કાર્યક્રમનો સમય ૬ વાગ્યાનો હતો પરંતુ સમયસર પૂરતી સંખ્યા કરવા માટે લાભાર્થીઓને ૨ વાગ્યામાં જ કાર્યક્રમનું સ્થળ યાર્ડના મેદાનમાં બોલાવી લેવાયા હતા અને ચાર કલાક સુધી ત્યાં જ બેસાડી રખાતા લાભાર્થીઓ અકળાઇ ગયા હતા.રાજ્ય સરકારના ગરીબ કલ્યાણ મેળા યોજનાનું સંચાલન મહાપાલિકા દ્વારા થઇ રહ્યું છે. શહેરમાં ઇસ્ટ, સેન્ટ્રલ અને વેસ્ટ એમ ઝોનવાઇઝ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં આજે ઇસ્ટ ઝોન માટેનો ગરીબ કલ્યાણ મેળો માર્કેટિંગ યાર્ડ ખાતે રાખવામાં આવ્યો હતો.કાર્યક્રમનો સમય સાંજે ૭ વાગ્યે રાખવામાં આવ્યો છે. પરંતુ લાભાર્થીઓને ૨ વાગ્યે જ બોલાવી લેવામાં આવ્યા હતા. મેળાના નિધૉરિત સમય પૂર્વે સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભાજપના સ્થાનિક અગ્રણીઓના ભાષણ રાખવામાં આવ્યા હતા.


સંગમ નારાયણ મંદિરે શીશ ઝૂકાવી શુટિંગનો આરંભ કરતા મહાનાયક

મીઠાપુરના નિવાસસ્થાનેથી દ્વારકા પહોંચેલા બીગ બીનો કાફલો ગોમતી ઘાટે પહોંચ્યો હતો. મહાનાયક કારમાંથી ઉતરી ૫૦૦ મીટર સુધી પગપાળા ચાલી સંગમ નારાયણ મંદિરે શિશ ઝુકાવી આશિવૉદ મેળવ્યા હતાં. ત્યારબાદ બીગ બી એ કૃષ્ણ કર્મભુમિમાં શુટિંગના શ્રીગણેશ કર્યા હતાં. ચાર તબકકામાં પૂર્ણ થયેલા શુટિંગ બાદ બીગ બી એ મોટા ભાગનો સમય પોતાની અલાયદી વાનમાં ગાળ્યો હતો.ખુશ્બુ ગુજરાત કી ફિલ્માંકનમાં ચારધામ પૈકીના એક એવા દ્વારકાધામની કરાયેલી પસંદગી બાદ બચ્ચન સહિતનો કાફલો ગુરૂવારે પોરબંદરથી મીઠાપુર આવ્યો હતો. શુક્રવારે સવારે બીગ બી પોતાની કારમાં બેસી સાત વાગ્યે દ્વારકામાં પ્રવેશ કર્યો હતો. ધીરૂભાઇ માર્ગથી આ કાફલો સીધો ગોમતી ઘાટ પર આવ્યો હતો. જ્યાં બીગ બી કારમાંથી ઉતરી તેમની અલાયદી વાનમાં બેસી ગયા હતા.ત્યારબાદ સલવાર-કુર્તામાં સજ્જ બીગ બી વાનમાંથી ઉતરી ઉઘાડા પગે ચાલી સમુદ્ર અને ગોમતી નદીના સંગમ સ્થળે આવેલા સંગમ નારાયણના મંદિરે ગયા હતાં. જ્યાં પુજા-અર્ચના કરી મહાનાયકે શુટિંગના લોકેશન તરફ પ્રયાણ કર્યું હતું. ગોમતીઘાટ, છપ્પન સીડી, સ્વર્ગદ્વાર અને મંદિર પરિસરમાં શુટિંગ કાર્ય પૂર્ણ કરી મહાનાયકે મંદિર નજીકના શારદાપીઠની મુલાકાત લીધી હતી.

રાજકોટ : ટાગોર રોડ પર બંધ ડેલામાંથી લોહીલુહાણ લાશ મળી આવી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


રાજકોટ : ટાગોર રોડ પર બંધ ડેલામાંથી લોહીલુહાણ લાશ મળી આવી

શહેરના ટાગોર રોડ પરના બંધ ડેલામાંથી અજાણ્યા યુવાનની રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતા સનસનાટી મચી ગઇ હતી. યુવાનનાં મોત અંગે અનેક શંકાઓ ઉઠતા મૃતદેહને ફોરેન્સિક નિષ્ણાત પાસે પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવશે.ટાગોર રોડ પર આવેલા ભકિતસાગર ડેલામાં લાશ પડી હોવાની કોઇએ જાણ કરતા ડેલાના માલિક સિધ્ધાર્થભાઇ અને પોલીસ કાફલો દોડી ગયો હતો. ડેલાનો દરવાજો ખોલવામાં આવતાંજ આશરે ૨૦ વર્ષની વયના અજાણ્યા યુવાનની લાશ મળી હતી. યુવાનના મોઢામાંથી લોહી નીકળેલું હતું.ભેદી સંજોગોમાં લાશ મળતા ચકચાર મચી ગઇ હતી. મૃતદેહને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતકના શરીર પર કોઇ ઇજાના નિશાન દેખાતા ન હોય મૃત્યુ અંગે તરેહ તરેહની ચર્ચા શરૂ થઇ હતી. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક નિષ્ણાત પાસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાનો નિર્ણય કર્યો હતો.તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે, સફેદ રંગનો શર્ટ અને ભુખરા રંગનું પેન્ટ પહેર્યું હતું. અને તેના જમણા હાથના પંજામાં ઓમ ત્રોફાવેલું છે. ડેલો બંધ છે અને તેના ફરતે ૧૦ ફૂટ ઊંચી દીવાલ હોય યુવાન અંદર કેવી રીતે પ્રવેશ્યો? કોઇએ મારીને ફેંકયો હોય તો શરીર પર ઇજાના નિશાન હોવા જોઇએ. પરંતુ એવા કોઇ ચિહ્નો દેખાતા નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને મૃતકની ઓળખ મળ્યા બાદ તપાસને સાચી દિશા મળશે તેમ પોલીસ સૂત્રોએ કહ્યું હતું.


રાજકોટ : બેવડી હત્યા કરી લાખોની આંગડિયા લૂંટ


રિવોલ્વોરની અણીએ બસ ઉભી રખાવી, ફોન કરવાનો પ્રયાસ કરનાર આંગડિયા કર્મી અને ડ્રાઇવરને ગોળી ધરબી દીધી.ભુજ-તળાજા રૂટની એસ.ટી.બસમાં મુસાફરના સ્વાંગમાં રહેલા ચાર શખ્સે મોરબીના નાગડાવાસ નજીક ફાયરિંગ કરીને બસના ડ્રાઇવર તેમજ માધવ મગન આંગડિયાના કર્મચારીની હત્યા કરી લાખો રૂપિયાની માલમતા ભરેલા ત્રણ થેલા લૂંટીને નાસી જતા સનસનાટી મચી ગઇ છે. લુંટારા યોજના મુજબ પાછળ આવી રહેલી ઇન્ડીકા કારમાં બેસીને ભાગી જતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા નાકાબંધીના આદેશ કરાયો છે. લૂંટમાં ગયેલી માલમત્તાનો આંક બહાર આવ્યો નથી.પ્રાપ્ત વિગતો મુજબ, ભુજથી બપોરે ૨.૪પ વાગે રવાના થયેલી ભુજ-તળાજા રૂટની જીજે ૧૮ વાય ૧૨૯૪ નંબરની એસ.ટી. બસમાં માધવ મગન અને સોમા રામદાસ આંગડિયા પેઢીના કર્મચારી અમૃતસિંહ રાજપૂત અને અશોકકુમાર ગોપાલભાઇ નાઇ રાબેતા મુજબ કિંમતી પાર્સલ ભરેલા ત્રણ થેલા લઇનેરાજકોટ આવવા બસમાં બેઠા હતા.


રાજકોટ : ઝઘડાનો ખાર રાખી બે પરિવાર બાખડયા

નવયુગપરા-૪માં રહેતા સલીમ નુરમામદ જેઠવા નામના ઘાંચી યુવાનને સવારે તેજ વિસ્તારમા રહેતા ચાંદ નામના શખ્સ સાથે ઝઘડો થયો હોય સમજાવવા જતા ઉશ્કેરાયેલા ચાંદે, યુનુસ,ઇકબાલ અને અબ્દુલ નામના સાગ્રીતો સાથે મળી છરી,પાઇપ અને બેઝબોલના ઘોકા વડે હુમલો કર્યો હતો. આ વેળાએ સલીમનો ભાઇ વચ્ચે પડતા તેને પણ માર મારતા બંન્નેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યારે સામા પક્ષે ચાંદ ઇકબાઇભાઇ પણ સલીમ અને તેના ભાઇ ગુલામહુશેને પાઇપ વડે હુમલો કરી ઇજા કર્યાની ફરિયાદ સાથે સારવાર માટે હોસ્પિટલમા દાખલ થયો હતો. એ ડિવીઝન પોલીસે સામસામી ફરિયાદ નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.


ખબરદાર! ‘મોબાઈલ કાઢ્યો તો વીંધી નાખીશ’

‘કોઇપણે મોબાઇલ કાઢીને વાત કરી છે અને હોશિંયારી બતાવી છે તે અમારી ગોળીનો શિકાર બનશે’ આ શબ્દો એસટી બસમાં સનસનાટી ભરી લૂંટ ચલાવનાર લુટારુઓ મુસાફરોને બંદૂકની અણીએ ધમકાવતી વેળાએ ઉચ્ચારી બેફામ ગાળો બોલ્યા હતા.
ભુજથી બેઠેલા આંગડિયા કર્મીઓને લૂંટવાના આયોજનબધ્ધ પ્લાન સાથે ગાંધીધામથી બેઠેલા ચાર લુટારુઓ એસટીની પાછળની સીટમાં બેઠા હતા. સામાન્ય યુવાનો જેવા લાગતા આ લુટારુમાંથી એક લુટારુએ મોરબી સુધીની ત્રણ ટિકિટો લીધી હતી. જ્યારે બીજા મોરબીની એક ટિકિટ ફડાવી હતી. આ સમયે ખીચો-ખીચ મુસાફરોથી ભરેલી બસના પેસેન્જરોને અંદાજ પણ નહોતો કે ગાંધીધામથી બેઠેલા આ ચાર યુવાનો બંદૂક સાથે આતંક મચાવશે.મોરબીની નજીક લૂંટ કરતી વેળાએ પાછળ બેઠેલા ચાર લુટારુમાંથી ત્રણ આગળ આવ્યા હતા. જેમાંથી એક પોતાના મોઢા પર રૂમાલ બાંધ્યો હતો. પ્રથમ તો તેણે હાથ બનાવટની પિસ્તોલ બતાવી ડ્રાઇવરને બસ સાઇડમાં રોકવાની સૂચના આપી. બસની બારીની બહાર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી તરત જ આગળ બેઠેલા તમામ મુસાફરોને એક શખ્સે ગુજરાતીમાં ગાળો ભાંડી ‘ચાલો પાછળ ચાલ્યા જાવ’ તેવી સૂચના આપી હતી.
આ દરમિયાન કંડકટરની સીટની પાછળ બેઠેલા કર્મચારીએ મોબાઇલ કાઢી પોલીસને જાણ કરવા જતાં એક લુટારુએ ગુજરાતીમાં ‘પેલા જાડિયા પાસેથી મોબાઇલ પડાવી લે’ તેમ કહી એક લુટારુએ તરત જ આંગડિયા પેઢીના કર્મીની છાતીમાં ગોળી ધરબી દીધી અને તેને પાછળની સીટે લઇ જઇ બીજી ગોળી મારી હતી. ત્યારબાદ લુટારુઓ ગુજરાતી અને બાવા હિન્દીમાં ‘જો કોઇએ ફોન કાઢ્યો છે અને વાત કરી છે અને હોંશિયારી બતાવી છે તો તે અમારી ગોળીનો શિકાર બનશે, અને જાનથી હાથ ધોવા પડશે.’ તેવી ધમકી આપી હતી.


પૈસા મળશે તો જ CWGમાં રમીશું

ભારતના ટોપ ટેનિસ ખેલાડીઓએ બાકીની રકમની ચુકવણી નહીં કરવાના વિરોધમાં અખિલ ભારતીય ટેનિસ એસોસિએશન (એઆઇટીએ) વિરુદ્ધ બગાવત શરૂ કરી દીધી છે. અને ધમકી આપી છે કે ચુકવણી કરવામાં નહીં આવે તો તેઓ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે નહીં. જેમાં લિએન્ડર પેસ મહેશ ભૂપતિ, સોમદેવ અને રોહન બોપન્ના છે. અને તેઓએ આ અંગે એઆઇટીએને એક પત્ર લખ્યો છે.આ ખેલાડીઓએ એઆઇટીએને બાકી રહેલી રકમની ચુકવણી કરવા માટે સપ્ટેંબર સુધીનો સમય આપ્યો છે. ખેલાડીઓ અનુસાર તેઓને 2006માં થયેલી એશિયન રમતોના નાણા ચુકવવામાં આવ્યા નથી. તેઓએ ઘણી વખત આ અંગે અલગ અલગ રીતે રજૂઆત કરી ચુક્યા છે. પરંતુ કોઇએ આ વાત પર ધ્યાન આપ્યું નથી. અને હવે તેઓ નથી જાણતા કે પોતાની સમસ્યા તેઓ કોની પાસે રજૂ કરે.ખેલાડીઓના મત અનુસાર ઓલમ્પિક અને ડેવિસ કપની ચુકવણી ઉપરાંત હવાઇ મુસાફરીના ભાડાની ચુકવણી પણ કરવાની બાકી છે. તેઓનું કહેવું છે કે, તેઓને કોમનવેલ્થ ગેમ્સ માટેના ટ્રેનિંગ કેમ્પમાં પણ તેમને ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડી હતી.


લાલુ-મુલાયમ 300 ટકા પગાર વધારાથી પણ ખુશ નથી!

કેબિનેટે સાંસદોના વેતનમાં ત્રણ ગણા વધારાને મંજૂરી આપી દીધી છે. પરંતુ કેટલાંક સાંસદો તેનાથી પણ ખુશ નથી. રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ સહીત ઘણાં સાંસદોએ સંસદમાં ખૂબ હોબાળો મચાવ્યો છે. તેનાથી લોકસભાની કાર્યવાહી બપોર સુધી સ્થગિત કરવી પડી હતી. ત્યાર બાદ લાલુ-મુલાયમ ફરીથી પગાર વધારાને લઈને સંસદમાં ધરણાં પર બેસી ગયા હતા.આ પહેલા કેબિનેટે ન્યૂક્લિયર લાયબિલિટી બિલને પણ મંજૂરી આપી દીધી હતી. ભાજપના વાંધા પર ન્યૂક્લિયર બિલમાં કેટલાંક સંશોધનો કરવામાં આવ્યા છે. તેની સાથે કેબિનેટે સાંસદોના પગાર વધારાને પણ મંજૂરી આપી દીધી છે. સાંસદોના પગાર વધારામાં 300 ટકાનો વધારો થયો છે. અત્યારે સાંસદોનું માસિક વેતન 16 હજાર રૂપિયા છે, તે વધીને 50 હજાર રૂપિયા થઈ જશે.


શા માટે પુરુષો રસ્તો નથી પૂછતા?

શું તમને ખબર છે કે પુરુષો માત્ર એક પ્રશ્ન ન પૂછતા હોવાને કારણે દર વર્ષે 450 કિલોમીટર ખોટા રસ્તે ફરે છે. 450 કિલોમીટર એટલે દિલ્હીથી અમૃતસરનું અંતર ગણાય. બ્રિટનમાં કરાયેલા એક સર્વેમાં સામે આવ્યું છે કે 25 ટકા પુરુષો રસ્તો પૂછતા પહેલા અડધો કલાક તો આમથી તેમ જાતે રસ્તો શોધવામાં વેડફે છે.ડેઇલી એક્સપ્રેસ નામના અખબારના અહેવાલ પ્રમાણે 12 ટકા લોકો તો સરનામુ પૂછવાની વાતને પોતાની શાન વિરુદ્ધ સમજે છે. સૌથી વધારે સારી રીતે 55વર્ષથી વધુ ઉંમરના લોકો રસ્તો યાદ રાખી શકે છે. આ મામલે તેઓ યુવાનોથી પણ આગળ છે. તેઓ વર્ષમાં માત્ર 26 વખત જ રસ્તા પર ભૂલા પડે છે, જ્યારે 25થી ઓછી ઉંમરના લોકો 37 વખત રસ્તામાં ભૂલા પડે છે.લોકો પાસે દિશાસૂચક યંત્ર હોવા છતાં આવુ બને છે. રસ્તો ભૂલી જવાના મામલામાં સ્ત્રીઓ વધુ સમજદાર હોય છે. 74 ટકા સ્ત્રીઓ જો રસ્તો ભૂલી જાય તો સમય બગાડ્યા વગર તરત જ કોઈકને સાચો રસ્તો પૂછી લે છે.


નવરાત્રીમાં ૧૨ વાગ્યા પછી લાઉડ સ્પીકર નહીં વાગે

ગુજરાતમાં ધાર્મિક ઉત્સવો દરમિયાન કોઇની લાગણી દુભાય નહીં તે પૂર્વે રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ વિભાગે ચોક્કસ ગાઇડલાઇન નક્કી કરી છે. ખાસ કરીને નવરાત્રીમાં ઘોંઘાટનું પ્રદૂષણ ઓછું કરવા રાત્રીના બાર વાગ્યા પછી લાઉડસ્પીકર બંધ કરવાનું નિશ્વિત કરવામાં આવ્યું છે અને ઉત્સવોમાં બનાવવામાં આવતી મૂર્તિ ઘડવા ચાઇના કલે અથવા માટીનો પ્રયોગ કરવાનું સૂચવ્યું છે.વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ ડો.એસ.કે.નંદાએ જણાવ્યું હતું કે દેશભરમાં ઉજવાતા ધાર્મિક તહેવારોમાં બનાવવામાં આવતી મૂર્તિઓ સામાન્ય રીતે નદી, નાળા કે તળાવમાં વિસર્જિત કરવામાં આવતી હોય છે તેથી પાણીનું પ્રદૂષણ અટકે તે માટે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે આ મૂર્તિઓમાં પ્લાસ્ટર ઓફ પેરીસના બદલે ચાઇના કલે અથવા ચીકણી માટીનો પ્રયોગ કરવાની સૂચના આપવામાં આવી છે.રાજ્યમાં દશેરા, ગણેશોત્સવ, જન્માષ્ટમી, દશેરા અઅને દુગૉષ્ટમી જેવા તહેવારોમાં ઉપયોગમાં લેવામાં આવતી મૂર્તિઓ માટેની આ ગાઇડલાઇન છે. આ મૂર્તિઓ પર ઉપયોગમાં લેવાતા કલર પણ ઓગળી જાય તેવા બીનઝેરી હોવા જોઇએ. પાણીમાં પધરાવતા પહેલાં મૂર્તિઓ ઉપરના આભૂષણો, ફુલો વગેરેને કાઢી લેવા હિતાવહ છે.


લગ્ન કરવાનો સૌથી મોટો ફાયદો...!

બેસનના લાડૂ કદાચ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય શકે, પરંતુ લગ્નનો લાડૂ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. હાલમાં કરવામાં આવેલા એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે લગ્ન કરીને લાંબા સમય સુધી સાથે રહેવાથી સ્ટ્રેસ સામે લડવાની ક્ષમતામાં વધારો થાય છે.શિકાગો યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા પ્રમાણે લગ્નના બંધનમાં બંધાયેલા લોકોના કેસમાં સ્ટ્રેસનું લેવલ ઓછું જોવામાં આવ્યું હતું, જ્યારે એકલા રહેતા લોકોમાં સ્ટ્રેસનું લેવલ વધારે જોવા મળ્યું હતું. જ્યારે શરીર સ્ટ્રેસની અવસ્થામાં હોય છે ત્યારે તેમાં કોર્ટિસોલ નામના હોર્મોન્સનો સંચાર થાય છે. અને તેના દ્વારા જાણી શકાય છે કે કોણ કેટલા સ્ટ્રેસમાં છે.


એક રહસ્ય! શું મોટી ઉંમરની મહિલાઓ..

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે મોટી ઉંમરની મહિલાઓ યુવા પુરુષોનો સાથે ઈચ્છતી હોય છે, પરંતુ આ એક ભ્રમણા માત્ર જ છે. અનેક ડેટિંગ વેબસાઈટોને આધાર બનાવીને કરવામાં આવેલી સંશોધનમાં માલુમ પડ્યું છે કે મહિલાઓ પર આ પ્રકારનો આરોપ લગાવવો નિરાધાર છે. તેમજ મહિલાઓ પોતાનાથી નાની ઉંમરના પુરુષો તરફ આકર્ષિત થતી હોવાની વાત પાયાવિહોણી છે.જો કે અમુક એવી પણ મહિલા હસ્તીઓ છે જે પોતાનાથી નાની ઉંમરના પુરુષોના પ્રેમમાં પડી હોય. પરંતુ આ નિયમ બધી જ મહિલાઓ પર લાગુ પાડી શકાય નહીં.હોલિવૂડ અભિનેત્રી ડેમી મૂરે 47 વર્ષની છે, જ્યારે તેનું અફેર 32 વર્ષીય એસ્ટન કચર સાથે છે. મૂરે અને કચર જેવા સંબંધો રાખવાવાળા લોકોની સંખ્યા બહું વધારે નથી. જ્યાં સુધી પ્રેમની વાત છે ત્યાં સુધી મહિલાઓ અને પુરુષો પરંપરાગત ધારણાઓ પર આધાર રાખે છે. આ ધારણા પોતાના બરોબરીના અથવા મોટી ઉંમરના લોકો સાથે જોડાવાની હોય છે.


એક આદતમાં હોટ એન્ડ બોલ્ડ સેક્સ સીન

બોલિવૂડ ફિલ્મોમાં હવે હોલિવૂડની ફિલ્મોની જેમ જ બોલ્ડ એન્ડ સેક્સ સીન આવવા લાગ્યા છે. બોલિવૂડની ફિલ્મ એક આદતમાં આવા જ કંઈક હોટ સીન દર્શાવવામાં આવ્યા છે.આ ફિલ્મમાં અભિનેતા તરીકે આર્યમન અને પુનીત તેજવાની છે, જ્યારે કશીશ ધન્યો અભિનેત્રી છે. આ ફિલ્મમાં કશીશે સોનિયા નામની યુવતીની ભૂમિકા ભજવી છે. સાનિયા અભિનેત્રી હોય છે. એક દિવસ શુટિંગ સમયે અરમાન(પુનીત) તેનો જીવ બચાવે છે અને તેઓને એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી થાય છે. અરમાન મુંબઈમાં નોકરી શોધવા આવ્યો હોય છે. અરમાન શિવા(આર્યમન)ને મળે છે.સોનિયાને ખ્યાલ આવે છે કે, તે અરમાન વગર રહી શકે તેમ નથી. સોનિયા અરમાનને પ્રેમ કરવા લાગે છે. જો કે એકવાર સોનિયા શિવાને મળે છે અને તેમની વચ્ચે શારીરિક સંબંધો બંધાય જાય છે.


સલમાન ખાનનો સાથ મેળવીને આજે ઘણી અભિનેત્રીઓ આગળ આવી ગઈ છે. આમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરિનાનું નામ સૌથી ઉપર આવે છે.કેટ અને એશ બંને સલમાનની પ્રેમિકા રહી ચૂકી છે. જો કે એશ અને કેટે સલમાન સાથેના સંબંધો તોડી નાંખ્યા છે. એશ અને સલમાનની લવ સ્ટોરી ઘણી જ ચર્ચાસ્પદ બની છે.આજે એશ અને કેટરિના બંને પોતા-પોતાની જગ્યાએ સફળ છે. એશ ભારતની સૌથી મોંઘી ફિલ્મ કામ કરી રહી છે. એશની ફિલ્મ રાવણ સુપરફ્લોપ રહી હતી. કેટરિનાએ ફિલ્મ રાજનીતિમાં કામ કરીને સાબિત કર્યુ કે, તેનામાં ભરપૂર અભિનય ક્ષમતા છે. વર્ષ 2010માં એશ અને કેટ વચ્ચે ટક્કર થવાની છે. આ સલ્લુની આ ભૂતકાળની પ્રેમિકાઓમાંથી કઈ પ્રેમિકા ટોચનું સ્થાન મેળવશે તે કહી શકાય તેમ નથી.એશની ફિલ્મ રોબોટ અને ગુઝારિશ રીલિઝ થવાની છે. તો કેટની ફિલ્મ જિંદગી મિલેંગી ના દોબારા રીલિઝ થવાની છે. આ બંને ફિલ્મોને લઈને બોલિવૂડમાં ઉત્સુકતા જોતા મળી રહી છે.25 વર્ષીય કેટરિના જે પણ ફિલ્મમાં કામ કરે છે તે ફિલ્મ હિટ જાય છે. દિગ્દર્શકો અને અભિનેતાઓ કેટ સાથે કામ કરવા ઉત્સુક છે.


જે જે અબ્રાહમની ફિલ્મ સેક્સ ગેમ પર આધારિત છે

જે જે અબ્રાહમની ફિલ્મ સેવન મિનિટ ઈન હેવન 50ના દાયકાની સેક્સ ગેમ પર આધારિત છે.50ના દાયકાની એક સેક્સ ગેમમાં બે ટિનએજરો અંધારામાં સાત મિનિટ સુધી જે કરવું હોય તે કરવાની છૂટ આપવામાં આવતી હતી.બે ટિનએજર્સ આ સાત મિનિટમાં એકલા શું કરે છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ રમત દ્વારા ટિનએજર્સમાં ક્યા હોર્મોનમાં ફેરફાર થાય છે તે જાણવા માટે આ રમત રમાડવામાં આવતી હતી.દિગ્દર્શક જેક બેન્ડર આ સાત મિનિટની સેક્સ ગેમને લઈને ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે.જે કેએ જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં બે ટિનએજર્સની વાત છે. જેઓ અંધારામાં એકબીજાની એકદમ નિકટ આવી જાય છે.


રાજ્યના કેદીઓને વગર ફીએ ભણવા મળશે

શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર હવે કેદીઓ માટે પણ હવે લાગુ પાડવામાં આવ્યો છે. રાજ્યના જેલ વિભાગે ૨૪ જેલમાં રખાયેલા તમામ કેદીઓને શિક્ષણ મળી રહે તે માટે બાબ સાહેબ આંબેડકર અને ઇન્દિરા ગાંધી ઓપન યુનિ. સાથે સિદ્ધાંતિક સમજૂતી કરી છે. હવે, બન્ને યુનિ.એ કેદીઓ પાસેથી ફી લેવામાં નહી આવે તે બાબતને મંજુરી આપી દીધી છે.જેલ વિભાગના વડા એડશિનલ ડી.જી. પી.સી ઠાકુરે જણાવ્યું હતું કે, રાજ્યની ૨૪ જેલ પૈકીની અમદાવાદ અને જૂનાગઢ જેલનું ઇન્દિરા ગાંધી ઓપન યુનિ. સાથે જોડાણ થયેલું હતું અને અત્યાર સુધી કેદીઓ નિયમ મુજબ ફી ચૂક્વીને વિવિધ અભ્યાસ ક્રમમાં જોડાતાં હતાં.પરંતુ તાજેતરમાં વડોદરા સેન્ટ્રલ જેલનું પણ ઇન્દિરા ગાંધી ઓપન યુનિ. સાથે જોડાણ કરવામાં આવ્યું છે અને તાજેતરમાં જે સિદ્ધાંતીક સમજૂતી થઇ છે તે મુજબ હવે ઇન્દિરા ગાંધી ઓપન યુનિ. કેદીઓ પાસેથી કોઇ ફી લેશે નહીં.આજ રીતે રાજ્યના સાત જેલ અને બે સ્પેશિયલ જેલ મળી કુલ નવ જેલનું જોડાણ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિ. સાથે કરવામાં આવ્યું છે. સાત જિલ્લા જેલમાં સુરત, રાજકોટ, મહેસાણા, ભુજ, નડિયાદ, જામનગર અને ભાવનગરની જેલનો સમાવેશ થાય છે. જ્યારે બે સ્પેશિયલ જેલમાં પોરબંદર અને ભૂજ જેલનો સમાવેશ થાય છે.આ તમામ જેલમાં જે કેદીની ઉંમર ૧૮ વર્ષ હશે અને તેને વાંચતા લખતાં આવડતું હશે તે કેદી બે વર્ષનો કોર્સ પૂરો કરતાં જ તેને ૧૦ પ્લસ ૨ની સમકક્ષણ સર્ટિફિકેટ અપાશે (ધો.૧૨ પાસ) અને તે ઉચ્ચ ડિગ્રી કોર્સ (ગ્રેજયુએશન) કરી શકશે. રાજ્યમાં ૨૪ જેલ આવેલી છે અને તેમાં અંદાજે ૧૩ હજારથી વધુ કેદી છે, જેમાં પાકા કામના કેદીઓની સંખ્યાં ૭૦ ટકા જેવી છે.


તીર્થયાત્રા કરતાં પુણ્ય અન્યને ઉપયોગી થવામાં છે

એક સાધુ તીર્થયાત્રા પર જવા માગતા હતા.પોતાની આ ઇચ્છા પૂરી કરવા માટે તેઓ દિવસ-રાત પૈસા ભેગા કરવા મથતા રહેતા. એક દિવસ તેમણે સપનામાં જોયું અને સાંભળ્યું કે જો કોઈ વ્યક્તિમાં પરોપકારની ભાવના હોય તો ઘેર બેઠા જ તેને તીર્થયાત્રાનું પુણ્ય મળી શકે છે. આવી જ ભાવના હિમાચલના એક ગામમાં જોડાં બનાવીને ગુજરાન ચલાવી રહેલા શ્યામુભક્તમાં છે.આંખ ઊઘડતાં જ સાધુએ શ્યામુભક્તને મળવાનું નક્કી કર્યું. શોધતાં-શોધતાં તે શ્યામુભક્તના ઘરે પહોંચી ગયો અને તેમને તીર્થયાત્રા ન કરવાનું કારણ પૂછ્યું. શ્યામુએ સાધુને નમ્રતાથી જવાબ આપ્યો કે, તીર્થયાત્રા પર જવાની ઇચ્છા તો ઘણી હતી. તેના માટે નાણાં પણ ભેગાં કર્યા હતાં પરંતુ એક એવી ઘટના ઘટી કે તીર્થયાત્રા પર જવાનો વિચાર જ છોડી દીધો. મારી પત્ની ગર્ભવતી હતી. એક દિવસ તેને પાડોશીના ઘરમાંથી મેથીનાં શાકની સુગંધ આવી. તેને આ શાક ખાવાની ઇચ્છા થઈ.મેં પાડોશીના ઘરે જઈને તેની પાસે મેથીનું થોડુંક શાક માગ્યું. પાડોશીએ સંકોચ સાથે જવાબ આપ્યો કે, શ્યામુ ચાર દિવસથી બાળકો ભૂખ્યાં હતાં, એટલે આજે જ સ્મશાનમાંથી મેથીનાં પાંદડાં તોડી લાવીને શાક બનાવ્યું છે. શાક અપવિત્ર છે, છતાં પણ જોઈતું હોય તો તારી ઇચ્છા. તેની આવી દયનીય સ્થિતિ જોઈને મેં તીર્થયાત્રા માટે એકઠા કરેલા તમામ પૈસા તેને આપી દીધા. પાડોશીને થોડુંક સુખ મળવાથી મારી તીર્થયાત્રાની ઇચ્છા પૂરી થઈ ગઈ.આ સાંભળીને સાધુના જીવનની સંપૂર્ણ દિશા જ બદલાઈ ગઈ. કથાનો સાર એ છે કે, કોઈ જરૂરિયાતવાળાને મદદ કરવાથી તીર્થયાત્રાનું તે પુણ્ય મળી જાય છે, જે ચાર ધામની યાત્રાથી પણ મળતું નથી.


દિલ્હીમાં પૂરનો ખતરો

યમુના નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, આજે તેણે ખતરાના નિશાનને પણ વટાવી દીધુ છે. જેનાથી દિલ્હીમાં પૂરનો ખતરો મંડાયો છે. યમુનાનું જળસ્તર 204.96 મીટર નોંધવામાં આવ્યું છે, જેનું ખતરાનું સ્તર 204.88 મીટર છે. પૂરની આશંકાને ધ્યાનમાં રાખીને નદીના નિચાણવાળા વિસ્તારોને ખાલી કરાવી દેવામાં આવ્યાં છે.છેલ્લા 24 કલાકમાં યમુનાનું જળસ્તર લગભગ 1.4 મીટર વધ્યું છે. નદીના કિનારે રહેનાર લોકોને બચાવવા માટે ખાસ ટીમોની રચના કરવામાં આવી છે.


માછલીઓ માટે 25 લાખનું ઘર!

માણસો માટે લકઝુરિયસ ઘર અંગે તમે સાંભળ્યું હશે, પણ તમને આ જાણીને નવાઇ લાગશે કે માછલીઓને રહેવા માટે પણ લક્ઝુરિયસ ઘર બનવા લાગ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ 'એક્વેરિયમ'ની. જો કે એક્વેરિયમ બનાવનાર કંપનીઓ હવે પોતાના ખાસ ગ્રાહકો માટે 'ક્સટમાઇજ્ડ એક્વેરિયમ' બનાવી રહી છે. જેમાં પોતાની માછલી માટે બનનાર ઘરનો દરેક ખૂણો તમારી મરજી પ્રમાણે તૈયાર કરવામાં આવે છે.સામાન્ય રીતે લોકો ઘરમાં એક્વેરિયમ રાખવાની શરૂઆત 5 ગૈલન સુધી પાણી રહી શકે તેવા નાના એક્વેરિયમથી કરે છે. પરંતુ જે લોકો તેના બહુ શોખીન હોય છે તે 35-40 ગેલ ક્ષમતાવાળા એક્વેરિયમ પણ પોતાના ઘરમાં રાખે છે. પરંતુ અમે જે 'કસ્ટમાઇજ્ડ એક્વેરિયમ'ની વાત કરી રહ્યા છે તેની ક્ષમતા 700 ગેલન સુધી પણ હોઇ શકે છે. પાણી ભર્યા બાદ પર ભારે ભરખમ એક્વેરિયમનું વજન અંદાજે 6,000 પાઉન્ડ સુધી આવે છે. પરંતુ આ ખાસ પ્રકારના એક્વેરિયમ વજનની સાથો સાથ કિંમતમાં પણ ભારે ભરખમ છે. અમેરિકાની 'વિલજિગ્સ' નામની કંપનીએ 25 લાખ રૂપિયા સુધીને એક્વેરિયમ બજારાં લોન્ચ કર્યા છે. અને કંપનીએ કહ્યું કે બજારમાં તેની માંગ દિવસે દિવસે વધતી જઇ રહી છે.


૫૫ વર્ષની ‘કન્યા’નો અનોખો સ્વયંવર

સતયુગમાં સીતા અને દ્રૌપદીના સ્વયંવર યોજાયા હતા. સદીઓ બાદ અમદાવાદ શહેરમાં પણ એક અનોખો સ્વયંવર યોજાશે. ૫૫ વર્ષની ‘કન્યા’ ૫૫થી ૬૦ વર્ષના વિધુર અથવા ડિવોર્સી ઉમેદવારોમાંથી ‘મુરતિયો’ પસંદ કરશે.અમદાવાદમાં ૨૨મીએ રવિવારે યોજાનારા સ્વયંવરની વિગત અનુસાર અમદાવાદ નજીકના એક શહેરમાં રહેતા વિપ્ર પરિવારમાં ઘરના મોભીનું મોત થતાં વિધવા માતા ભાનુમતીબહેનને પુત્રએ કનડવાનું શરૂ કરી દીધું હતું. ઘડપણની લાકડીસમાન પુત્રએ જ તરછોડતાં ભાનુમતીબહેન પર દુ:ખનો ડુંગર આવી પડ્યો હતો. પોતાની દુ:ખી દાસ્તાન આગળ ચલાવતાં ભાનુમતીબહેને જણાવ્યું હતું કે, પુત્રથી તરછોડાયા બાદ તેઓ વૃદ્ધાશ્રમના આશરે ગયાં, ત્યાં પણ જીવન સેટ નહીં થતાં તેમણે જીવનસંધ્યા માટે કોઈ સહારો શોધવાનો નિર્ણય લીધો હતો.આ નિર્ણય લીધા બાદ ભાનુમતીબહેને કોઈ પણ જ્ઞાતિના અને ઉંમરના લોકોને વિનામૂલ્યે લગ્ન કરાવતી સંસ્થા ‘વિનામૂલ્યે અમૂલ્ય સેવા’નો સંપર્ક કર્યો હતો. સંસ્થાના સંચાલક નટુભાઈ તથા ભારતીબહેને જણાવ્યું હતું કે, ભાનુમતીબહેને લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી, પરંતુ તેમને તાકીદે લગ્ન કરવા હોઈ તેમના માટે સ્વયંવરનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તેમની પરવાનગીથી રવિવારે પાલડી મહેંદી નવાઝ જંગ હોલ ખાતે સવારે ૮થી ૧૨ કલાક દરમિયાન આ અનોખા સ્વયંવરનું આયોજન કરાયું છે, જેમાં ઇચ્છુક ઉમેદવારોને બાયોડેટા, ફોટો તથા જન્માક્ષર લઈ હાજર રહેવા જણાવાયું છે અને એની ચોક્કસ નોંધ લેવી કે ઉમેદવારે મહાભારતની જેમ મત્સ્યવેધ કરવાનો નથી.


રાપર આવતી પરિણીતા પુત્રી સાથે છ દિ’થી ગુમ

રાપરમાં તેના પિયર ખાતે આવવા પુત્રી સાથે અમદાવાદના સાણંદથી નીકળેલી પરિણીતા છેલ્લા છ દિવસથી રાપર ન પહોંચતાં બંને પક્ષના પરિવારજનો ચિંતામાં મૂકાયા છે.આ અંગે સાણંદ પોલીસ મથકે ફરિયાદ થતાં બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.રાપરમાં રહેતા પરિણીતાના પિતા દામજીભાઇ મગનભાઇ સુથારે જણાવ્યું કે, ગત તા. ૧૫ ના રોજ અમદાવાદ-ભુજ રૂટની એસ.ટી. બસમાં મારી દીકરી હસુમતીબેન (ઉ.વ.૨૬) તેની ત્રણ વર્ષની પુત્રી શ્રુતિ સાથે રાપર આવવા નીકળી હતી. આજે છ દિવસ થયા છતાં બંને ઘેર પહોંચી નથી. તેમને શોધવા અનેક પ્રયાસો કર્યા છતાં ક્યાંય પત્તો લાગ્યો નથી.ઉલ્લેખનીય છે કે, છેલ્લા છ દિવસથી બંને ગુમ હોવાથી સાસરિયા અને પિયર પક્ષના કુટુંબીજનોએ ચિંતાજનક પરિસ્થિતિમાં તપાસ માટે શક્ય એટલા તમામ પ્રયાસો કર્યા છે. ઉપરાંત પોલીસમાં પણ આ અંગે નોંધ થતાં સત્તાવાર તપાસ પણ હાથ ધરવામાં આવી છે. જેના પગલે લોકોમાં ચકચાર જાગી છે.


શિવા પચાણ રાજકોટમાં smના નામથી રહેતો હતો

આશ્રયસ્થાનો અંગે માહિતી મેળવવા શિવા સાથે સંપર્ક ધરાવતા રાજકોટના ત્રણ શખ્સને ક્રાઇમ બ્રાંચ ઉઠાવી ગઇ.આરટીઆઇ એક્ટીવિસ્ટ અમિત જેઠવાની હત્યમાં તપાસનો રેલો સાંસદના ભત્રીજા સુધી પહોંચી ગયો છે. હત્યામાં પકડયેલો નામચીન બુટલેગર શિવા પચાણ રાજકોટમાં એસ.એમ.ના ટૂંકા નામથી રહેતો હતો. શિવા સાથે સંપર્ક ધરાવતા રાજકોટના ત્રણ શખ્સને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઉઠાવી લીધા છે. તેના આશ્રય સ્થાનો અંગેની માહિતી મેળવવા ત્રણેયની અજ્ઞાત સ્થળે પૂછપરછ ચાલુ હોવાનું જાણવા મળે છે. જો કે, આ અંગે પોલીસે ચૂપકીદી સેવી લીધી છે.હત્યાની સોપારી આપનાર ગીરગઢડાના કોન્સ્ટેબલે હત્યા પછી શિવા પચાણને નાણાં ચૂકવ્યાની કબૂલાત આપતા પોલીસે શિવાની ધરપકડ કરી હતી. તેના મોબાઇલ ડિટેઇલની ચકાસણીમાં શિવા પચાણનું રાજકોટ કનેકશન બહાર આવ્યું હતું.


‘કૃષ્ણ કી યે નગરી ગુજરાત કી ખુશ્બૂ હૈ’

ખુશ્બુ ગુજરાત કી એડ ફિલ્મના બીજા તબક્કાનો અંતિમ પડાવ આજે દ્વારકા ખાતે શરૂ કરાયો હતો. યાત્રાધામ દ્વારકાના મહત્વને સાક્ષાત્કાર કરતા મહાનાયક અમિતાભે કૃષ્ણ કી યે નગરી ગુજરાત કી ખુશ્બુ હૈનો ડાયલોગ હિન્દી-અંગ્રેજી અને મરાઠીમાં સુટ કરતા ભાવવિભોર બની ગયા હતાં. આજે બીગ-બીએ ગોમતીઘાટ, પ૬ સીડી અને જગત મંદિરમાં શુટિંગ કર્યું હતું. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બીગ-બીએ દર્શન નહી આપતા ઉમટી પડેલા સેંકડો ચાહકો નિરાશ થયા હતાં.બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનની મુખ્ય ભુમિકાવાળી ‘ખુશ્બુ ગુજરાત કી’ એડ ફિલ્મના શુટિંગનો દ્રિતીય તબક્કાનો અંતિમ પડાવ શુક્રવારે વહેલી સવારે કૃષ્ણની કર્મભૂમિ દ્વારકાનગરી ખાતે પ્રારંભ થયો હતો. ભગવાન શ્રી કૃષ્ણની ગાથાને વર્ણવતા શુટિંગનો સવારે સાડા સાત વાગે પ્રારંભ કરાયો હતો.જગતમંદિરની ઉતરે એક કી.મી. વિસ્તારના ગોમતીઘાટ પર સ્થાનિક બ્રાહ્નણો સાથે બીગ-બીએ ગોમતી માતાની શાસ્ત્રોકત વિધીથી મહાપુજા કરતા હોય તેવું શુટિંગ કર્યું હતું. આ ફિલ્માંકનમાં મહાનાયક પાછળ સ્થાનિક મહિલાઓ હાથમાં થાળી લઇ કંકુ, ચોખા, અબીલ ગુલાલથી પુજા કરતી દર્શાવાઇ હતી. ગોમતીઘાટ પર પ્રથમ પડાવ પૂર્ણ કરી સવારે સાડા દશ વાગ્યે જગતમંદિર સંકુલથી જોડાયેલી છપ્પન સીડીઓ પર લોકેશન ગોઠવવામાં આવ્યું હતું.

હવે લેન્ડલાઇન નંબર પણ દસ આંકડાનો થશે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
21 AUGUST 2010

હવે લેન્ડલાઇન નંબર પણ દસ આંકડાનો થશે

આવનારા દિવસોમાં આપણો લેન્ડલાઇન નંબર પણ દસ આંકડાનો થવા જઇ રહ્યો છે. દુરસંચાર નિયામક ટ્રાઈએ દેશમાં ફોનહોલ્ડરોની વધતી સંખ્યાને જોતા નંબરૉના સારા વપરાસ માટે મોબાઇલ અને લેન્ડલાઇન કનેક્સનોની એકીકૃત યોજનાનો આજે પ્રસ્તુત એક ચર્ચાપત્રમાં આ સુજાવ આપ્યો હતો.નિયામકે કહ્યુ હતુ કે દેશમાં ફિક્સડ તેમજ મોબાઇલ સેવાઓ માટે એકીકૃત નંબરીગ યોજના 31 ડિસેમ્બર 2011 સુધીમાં લાગૂ કરવામાં આવે જેમાં લેન્ડલાઇન તેમજ મોબાઇલ બન્ને પ્રકારના કનેક્શનમાં દસ આકડાના નંબર હોય. ભારતીય દુરસંચાર નિયામક પ્રાધિકારનુ કહેવુ છે કે આનાથી આગલા 30-40 વર્ષ સુધી દેશમાં હાલની તેમજ નવી સેવાઓની માટે પર્યાપ્ત સંખ્યામાં નંબર ઉપલબ્ધ હશે.દેશમાં નંબરોની ચાલુ યોજના એનએનપી 2003માં 75 કરોડ કનેક્શનો માટે બનાવવામાં આવી હતી જેમાં 45 કરોડ મોબાઇલ કનેક્શન હતા અને આ યોજના 2030 સુધીના વર્ષો માટે હતી. પરંતુ દેશમાં મોબાઇલ કનેક્શનોની સંખ્યામાં પાછલા વર્ષે જ નક્કિ આંકને પાર કરી ચુકી છે.ટ્રાયનો વિચાર છે કે જ્યા સુધી એકીકૃત નંબર યોજના ચાલુ ન થાય એક જ સર્કલમાં લેન્ડલાઇનમાંથી મોબાઇલમાં ફોન કરવા માટે પહેલા શૂન્ય લગાવવાની વ્યવસ્થા કરવામાં આવે. નિયામકે ટેલીફોન નંબરોની વધતી માંગ તેમજ સીમીત નંબરોને ધ્યાનમાં લઇને આ વિચાર રજુ કર્યો હતો કે કોઇ સર્કલમાં વિશેષમાં કંપનીયોની પાસે સમય વિશેષમાં 30 લાખથી વધારે નંબર ના છોડવામાં આવે.


૯૮% લોકો કહે છે, ‘સાંસદોને ફદિયું પણ વધારે ન અપાય’

મોંઘવારી, આતંકવાદ ડામવામાં સાંસદો નિષ્ફળ છે, ચૂંટાયા પછી દેખાતા જ નથી, ફોન-પ્રવાસ ભથ્થાં તો મળે જ છે, જો કે નેતાઓ કહે છે, વાંધો નહીં. પ્રજાના પ્રતિનિધિ કહેવાતા સાંસદોના પગારમાં થયેલા વધારાથી સામાન્ય પ્રજામાં ભારે વિરોધ અને નારાજગી ફેલાયા છે. લોકોએ એક અવાજે પગાર-ભથ્થા વધારાના આ નિર્ણયને વખોડી કાઢ્યો છે.મોંઘવારી અને આતંકવાદ તેમજ નકસલીઓની પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવામાં તદ્દન નિષ્ફળ રહેલા વિવિધ પક્ષોના સાંસદોને વળી વધારે પૈસા શાના? દેશમાં આટલો ફુગાવો, પેટ્રોલના ભાવોમાં વધારો છતાં કોઇ પગલાં નહીં, ત્યારે આ ‘સાહેબો’ના પગાર માટે પ્રજાના ખિસ્સાં પર આવડો બોજ? એવો સૂર આજે સ્પષ્ટ સંભળાઇ રહ્યો છે અને ‘દિવ્યભાસ્કરે’ જ્યારે આજે રાજકોટના વિવિધ ક્ષેત્રના વિવિધ વયજુથના સો લોકોને પૂછ્યું કે ‘સંસદનો આ નિર્ણય કેટલો યોગ્ય છે?’ ત્યારે ૯૮ લોકોએ કહ્યું કે આ સંસદસભ્યોને એક ફદિયું પણ વધારે આપવુંજોઇએ નહીં. જો કે રાજકીય નેતાઓના અભિપ્રાય અલગ રહ્યા, તેમણે કહ્યું કે જો સાંસદોનો પગાર વધારો યોગ્ય છે.


સોહરાબકાંડનું ભૂત અમીનની કલમે ધૂણશે

તાજનો સાક્ષી બનવાની જાહેરાત કરી ચૂકેલા સોહરાબુદ્દીન બોગસ એન્કાઉન્ટરના આરોપી ડીવાયએસપી ડૉ. નરેન્દ્ર અમીન લેખક બનવા જઈ રહ્યા છે. જેલવાસ દરમિયાન અમીન ‘ ધ ઘોસ્ટ બિહાઇન્ડ ધ વેઇલ’ નામનું પુસ્તક લખી રહ્યા છે. આ પુસ્તક સોહરાબુદ્દીનકાંડ અને તેની પત્ની કૌસરબીની હત્યા સાથે જોડાયેલા વણઉલ્લેખાયેલા તથ્ય પર આધારિત હશે. હાલમાં તો આ પુસ્તકનાં છેલ્લાં પાનાં લખાઈ રહ્યાં છે, પરંતુ જ્યારે આ પુસ્તક પ્રકાશિત થશે ત્યારે ખરેખર સોહરાબુદ્દીન અને તેની પત્ની કૌસરબીની હત્યાનું ભૂત અમીનની કલમે ધૂણી ઊઠશે.અત્યંત આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ પુસ્તકમાં અમીને સોહરાબુદ્દીનના અપહરણથી માંડીને તેના એન્કાઉન્ટર સુધીનાં તથ્યો તથા ત્યારબાદ કૌસરબીની હાલત અને તેની હત્યા અંગે અનેક ચોંકાવનારાં અધ્યાયો લખ્યાં છે. જેમાં અધિકારીઓ સાથેના સંવાદોથી માંડીને સોહરાબુદ્દીનને ખતમ કરવામાં રસ ધરાવનારા અનેકને ઉઘાડા પાડવામાં આવ્યા છે.આ પુસ્તકમાં અમીને જેલવાસ દરમિયાન પોતાના ખાટા-મીઠા અનુભવોને પણ ટાંક્યા છે. મળતી માહિતી મુજબ આ પુસ્તકનાં અમુક પાનાં લખવાનાં હજી બાકી છે. લખાયા બાદ આ પુસ્તકને અમીન અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં પ્રકાશિત કરવાનો પ્રયાસ કરશે.ઉલ્લેખનીય છે કે, મુખ્યત્વે કૌસરબીની હત્યામાં મહત્વની ભૂમિકા ભજવનાર ડૉ. નરેન્દ્ર અમીને સીબીઆઇ માટે રાજનો સાક્ષી બનવાની ઇચ્છા દર્શાવતી અરજી અદાલતમાં કરી છે. જેના સખત વિરોધ અન્ય આરોપીઓ કરી રહ્યા છે. આ અરજીની સુનાવણી આગામી ૨૬મી ઓગસ્ટે થવાની છે. આવામાં અમીન પુસ્તક લખી રહ્યા હોવાના સમાચાર જેલની બહાર આવતાં સોહરાબુદ્દીન કાંડ સાથે સંકળાયેલા આરોપીઓ અને હમણા સુધી જેમનાં નામ કે પછી ભૂમિકાનો કોઈ ઉલ્લેખ નથી તેવાં તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


વરિષ્ઠ પત્રકાર દિગંત ઓઝાનું નિધન

ગુજરાતના બાહોશ અને વરિષ્ઠ પત્રકાર-સાહિત્યકાર દિગંત ઓઝાનું લાંબી માંદગી બાદ આજે સવારે અમદાવાદ ખાતે નિધન થયું હતું. ૭૧ વર્ષીય દિગંતભાઈના અંતિમ સંસ્કાર આજે બપોરે ત્રણ કલાકે અમદાવાદના થલતેજ સ્મશાન ગૃહ ખાતે રાખવામાં આવ્યા છે. દંતકથા સમાન કારકિર્દીમાં દગિંતભાઈએ ગુજરાતી પત્રકારત્વમાં અનેક સીમાચિન્હો સ્થાપિત કર્યા છે, જેને વાચકો અને પત્રકારો ક્યારેય ભૂલી નહીં શકે.દિગંતભાઈના દીકરી અને લેખિકા કાજલ ઓઝા વૈધ્યના જણાવ્યા પ્રમાણે તેઓ લાંબા સમયથી કેન્સરથી પીડાઈ રહ્યા હતા અને આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દિગંતભાઈની પાછળ લૌકિક ક્રિયા રાખવામાં આવી નથી, પરંતુ સ્વજનો, મિત્રો અને શુભેચ્છકો તેમનો શોક સંદેશો તેમના નિવાસસ્થાન ૧, નીલદીપ કોમ્પલેકસ, લાડ સોસાયટી રોડ, ચાણકય ટાવરની સામે, બોડકદેવ અમદાવાદ ખાતે મોકલી શકે છે. પાંચ દાયકાથી પણ લાંબી કારકિર્દી દરમિયાન દિગંતભાઈના સંપાદકીય માર્ગદર્શન હેઠળ નયા પડકાર, જનસત્તા અને સમભાવ જેવા અખબારોનો પ્રારંભ થયો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદો પર બેરોકટોક આવનજાવનને જાતે પાકિસ્તાન પહોંચીને ખુલ્લી પાડતી દિગંતભાઈની બ્રેકિંગ સ્ટોરી આજે પણ ગુજરાતના વાચકો ભૂલી શકે તેમ નથી, જેણે આખી કેન્દ્ર સરકાર હચમચાવી નાંખી હતી. મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ અને ચીમનભાઈ પટેલના સમયમાં નર્મદા યોજનાની તરફેણમાં ઉતરેલી તેમની કલમે ગુજરાતમાં યોજનાના સમર્થનમાં એક જન આંદોલન ઊભું કર્યું હતું. એ ઉપરાંત તેમની નવલકથાઓ અને નવલિકાઓએ પણ ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યની લાંબા સમય સુધી સેવાઓ કરી છે.છેલ્લા ૧૦ વર્ષથી તેમણે કોમવાદ સામેની લડત અને ગુજરાતમાં જળ સંચયને પ્રોત્સાહન આપવાના ક્ષેત્રે કાર્ય કર્યું હતું અને છેક સુધી એ કાર્યોને સમર્પિત રહ્યા હતા.


ચેમ્બર: હાઈ પાવર કમિટીની સત્તા સામે આજે કોર્ટમાં સુનાવણી

ચેમ્બરની એજીએમ પહેલા જ કોર્ટ કેસ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં વહીવટ કરતી હાઈ પાવર કિમિટી અમર્યાદિત સમય માટે સત્તા ભોગવી શકે નહિં તેવા મતલબની એક પીટીશન મિતેશ પટેલે સિટી સિવિલ કોર્ટમાં કરી છે. આ પીટીશનની આજે મેજીસ્ટ્રેટ એ પી ભોજકની કોર્ટમાં ૧૧ વાગ્યાથી સુનાવણી હાથ ધરાશે.હાઈ પાવર કમિટી દ્વારા આજે એજીએમમાં સિલેકટ થનારી કારોબારી એપ્રિલ ૨૦૧૧થી વધુ વહીવટ ન કરી શકે અને ત્યારબાદ ચેમ્બરના બંધારણ મુજબ ચુંટણી આપી દેવી જોઈએ તેવી દાદ આ પીટીશનમાં માંગવામાં આવી છે. ચેમ્બરની નજીકના સૂત્રોના જણાવ્યાં મુજબ આજે જ્યારે આ પીટીશનની સુનાવણી હાથ ધરાવાની છે ત્યારે આ કેસમાં કોઈ ત્રીજો પક્ષ પણ પોતાની રજુઆત કરવાની પરવાનગી કોર્ટ પાસે માંગે તેવી શક્યતા છે.


વડોદરા : ડોર ટુ ડોર કચરો લેવા માટે ઝોન મુજબ કોન્ટ્રાકટ

વડોદરા શહેરમાં સેવાસદન તરફથી શરૂ કરાયેલી ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરીમાં અનેક ત્રુટિઓ અને ફરિયાદો ઊભી થયા બાદ નવા કોન્ટ્રાકટમાં હવે શહેરના ચાર ઝોન મુજબ કોન્ટ્રાકટ સોંપી કામગીરી કરાવવાનું નક્કી કરાયું છે. આ અંગેની દરખાસ્ત મ્યુ.કમિશનરે સ્થાયી સમિતિની મંજુરી માટે રજુ કરી દીધી છે.વડોદરામાં હાલ બે કોન્ટ્રાક્ટરોને સમગ્ર શહેરમાંથી ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરી સોંપાયેલી છે. આ કોન્ટ્રાક્ટરો દ્વારા કચરો ઉપાડવા મૂકાયેલા વાહનો ઓછા હોવાની તેમજ નિયમિત કચરો ઉપાડાતો નથી તેવી વ્યાપક ફરિયાદો સેવાસદન સમક્ષ આવી હતી. એટલું જ નહીં કચરો ઉપાડતી ગાડીઓમાં કચરાની જગ્યાએ માટી અને રોળાં ભરીને ખોટું વજન બતાવાતું હોવાની વિગતો પણ સપાટી પર આવી હતી. સાથેસાથે કામગીરી કરવા માટેના નક્કી કરાયેલા રૂટ ઉપર ગાડીઓ નહીં મોકલી ગેરરીતિ થતી હોવાનું પણ જાણમાં આવતાં કોન્ટ્રાક્ટરોને પેનલ્ટી ફટકારવામાં આવી હતી.દરમિયાન ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરીનો વર્તમાન કોન્ટ્રાકટ આગામી ફેબ્રુઆરી મહિનામાં પૂરો થતો હોઇ સેવાસદને અત્યારથી નવા કોન્ટ્રાકટ માટેની કવાયત શરૂ કરી દીધી છે. જો કે, નવા કોન્ટ્રાકટમાં શહેરના ચાર ઝોન મુજબ આ કામગીરી સોંપવાની દરખાસ્ત મ્યુ.કમિશનર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવી છે. નવા કોન્ટ્રાકટમાં કચરો ઉપાડનારા દરેક વાહનોમાં જી.પી.એસ. સિસ્ટમ મૂકવાની ફરજિયાત કરાયું છે. જેથી દરેક વાહન તેને ફાળવેલા રૂટ મુજબ સમયસર કામગીરી કરે છે કે નહીં તે જાણી શકાશે. સાથેસાથે નાના વાહનોમાં ભરાતો કચરો દૂર અંતરે આવેલા સ્થળે ઠાલવવાના બદલે રિફ્યુઝ કોમ્પેકટરમાં ખાલી કરવાનું આયોજન છે. જેથી નાની ગાડીઓના આવનજાવનનો સમય બચાવી શકાશે.


સોહરાબને પૂરો કરવા ટ્રસ્ટ દ્વારા નાણાં અપાયાં

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તપાસ કરતી સીબીઆઇના ડીવાય.એસ.પી. બી.એસ. ખેરા સહિતના છ સભ્યોની ટીમે છેલ્લા ત્રણ દિવસથી સુરતમાં ધામા નાંખ્યા છે. સુરત સ્થિત માર્બલના એક મોટા વેપારીએ ટ્રસ્ટ દ્વારા સોપારીની રકમ ટ્રાન્સફર કરાવી હોવાની માહિતી ઉપરાંત અન્ય કેટલાક માર્બલના વેપારીઓ પાસેથી સોહરાબુદ્દીને ખંડણી વસૂલી હોવાની માહિતી અંગે પણ ખરાઈ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.મધ્યપ્રદેશના ઝરણિયાના વતની સોહરાબુદ્દીન શેખ રાજસ્થાન ઉપરાંત ગુજરાતમાં ખંડણીની પ્રવૃત્તિ આચરતો હતો. સીબીઆઇએ કરેલી તપાસમાં બહાર આવેલી વિગતો ચોંકાવનારી છે. આખી વાતમાં સોહરાબુદ્દીન તો માત્ર પ્યાદું હતો. કેટલાક રાજકારણીઓ તેમજ પોલીસ અધિકારીઓ તેને ઓપરેટ કરતા હતા.આ સમયે સોહરાબુદ્દીન મારફતે રાજસ્થાનમાં માર્બલની ખાણો ધરાવતા મોટા ગજાના વેપારીઓને ધમકી આપીને યેનકેન પ્રકારે માતબર રકમની ખંડણી ઉઘરાવવામાં આવી હતી, જેમાં મૂળ રાજસ્થાનના અને સુરતમાં ટ્રેડિંગનો ધંધો કરતા ચાર વેપારી પણ સોહરાબુદ્દીનનો ભોગ બન્યા હતા. જેથી સીબીઆઈ સુરતમાં આવી છે. ઉપરાંત એક વાત એવી પણ બહાર આવી છે કે આવા જ એક માર્બલના વેપારી મારફતે સોપારીની રકમ ગુજરાત આવી હતી. આ વેપારીએ ટ્રસ્ટ મારફતે રાજસ્થાનથી પાંચ કરોડ રૂપિયા મેળવ્યા બાદ જે તે વ્યક્તિને પહોંચાડ્યા હતા.


કોમનવેલ્થની ટ્રાયલ ગેમમાં ભુજ કેવી-ટુનો વિદ્યાર્થી

ભુજની કેન્દ્રીય વિદ્યાલય ટુમાં અભ્યાસ કરતો અને સીમા સુરક્ષા દળની બટાલિયનના કમાન્ડન્ટનો દીકરો આ મહિનાના અંતમાં પૂણે ખાતે આયોજિત થનારી નેશનલ કોમનવેલ્થ ગેમ્સ ટ્રાયલમાં ભાગ લેવા જઇ રહ્યો છે.અગાઉ પણ શૂટિંગમાં પોતાનું નામ રોશન કરનાર આ વિદ્યાર્થી અગાઉ અન્ડર ૧૮ જુનિયર નેશનલ શૂટિંગ સ્પર્ધામાં પણ દેશના જુદા જુદા સ્થળોએ આયોજિત થયેલી સ્પર્ધામાં ભાગ લઇને વિશિષ્ટ ઉપલબ્ધીઓ પ્રાપ્ત કરી ચૂકયો છે.ભુજ બીએસએફની ૧૧૭મી બટાલિયનના કમાન્ડન્ટ પુષ્પેન્દ્રસિંહ રાઠોડનો પુત્ર ચંદ્રદેવસિંગ ભુજની કેન્દ્રીય વિદ્યાલય ૨માં ધો. ૧૦માં અભ્યાસ કરે છે અને આગામી ૧૯મી ઓગસ્ટથી ૨૧મી ઓગસ્ટ સુધી બિકાનેરમાં આયોજિત થનારી ઓલ ઇન્ડિયા નેશનલ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે તેમના દાદા શ્યામસુંદરસિંગ રાઠોડના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરી રહેલો છે.વર્ષ ૨૦૦૯માં દિલ્હીમાં આયોજિત ૪૩મા કેન્દ્રીય વિદ્યાલયમાં કે.વી. નેશનલમાં પણ તેણે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરીને કેન્દ્રીય વિદ્યાલય ભુજનું નામ રોશન કર્યું હતું.


ગેચડામાં પહોંચેલી દારૂની ૧૬૮ બોટલો પકડી પાડતી પોલીસ

નખત્રાણા પોલીસે તાલુકાના ગેચડા ગામમા દરોડો પાડી છુપાયેલા ઇંગ્લિશ શરાબનો ૧૬૮ બોટલો સહિત કુલ રૂ. ૬૨ હજારનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. જતાવીરા તાલુકા પોલીસે ગેચડા ગામે જેઠુભા કાનજી સોઢાના રહેણાંક મકાનમાંથી ૧૬૮ બોટલો જપ્ત કરી હતી ઉપરાંતએ સાથે ૧૩૮૦ લિટર કાચો આથો અને ૨૦ લિટર દેશી દારૂ સહિતનો મુદ્દામાલ પણ પકડી પાડ્યો હતો. પીએસઆઇ એમ.ડી. ચંદ્રવાડિયાએ વહેલી સવારે જતાવીરા, ફુલાય માર્ગ પર પસાર થતી શંકાસ્પદ મહિન્દ્રા જીપને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ઉભી ન રહેતા પોલીસની શંકા દ્રઢ બની હતી. તેથી ધામાય, દેશલપર, રવાપર અને લક્ષ્મીપર (નેત્રા) સુધી પીછો કરવામાં આવ્યો હતો. બાતમી આધારે એ જીપ બૂટલેગર ભાણુભા વિક્રમસિંહ સોઢાની હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. એ અંગે વધુ તપાસ હાથ ધરતા દારૂનો જથ્થો તાલુકાના ગેચડા ગામે પહોચ્યો હોવાનું ખૂલ્યું હતું સવારે ૧૦:૩૦ કલાકે નખત્રાણા પીએસઆઇ પી.વી. જાડેજાની આગેવાની હેઠળ ઉદયસિંહ, મહેન્દ્રભાઇ ગઢવી, બટુકસિંહ અને મહિલા કોન્સ્ટેબલ વિજયાલક્ષ્મીએ રેડ પાડી હતી.


ભાવનગર પધારશે પ્રમુખ સ્વામી

બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વિશ્વ વંદનીય સંત પૂ. પ્રમુખ સ્વામી મહારાજ તા.૨૩ ઓગષ્ટને સોમવારથી ભાવનગરમાં વાઘાવાડી રોડ પર આવેલા અક્ષરવાડી ધામ ખાતે પધારી રહ્યાંના સમાચાર આવતા જ સમગ્ર ભાવનગર શહેર-જિલ્લાના હરિભક્તોમાં હરખની હેલી છવાઈ ગઈ છે. પૂ.પ્રમુખસ્વામી મહારાજ દોઢેક વર્ષના સમયગાળા બાદ ભાવનગર આવી રહ્યાં છે.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ તા.૨૩ ઓગસ્ટને સોમવારથી ભાવનગરના અક્ષરવાડી ખાતે આવી રહ્યાના કાર્યક્રમ અંગે મળેલી માહિતી મુજબ છેલ્લાં ઘણા વખતથી નાદુરસ્ત તબિયતથી પિડાતા પૂ.પ્રમુખ સ્વામી અક્ષરવાડી ખાતે પણ એક સપ્તાહનું રોકાણ કરશે પરંતુ તબિયતેને કારણે કોઈ મુલાકાતીઓને રૂબરૂ મળી આશિવૉદ આપશે નહીં.બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થાના પૂ.વિવેકસાગર મહારાજ આ રોકાણ દરમિયાન દરરોજ પોતાની આગવી શૈલીમાં ધર્મમય પ્રવચન આપશે જેનો શ્રવણલાભ ભાવેણાના હરિભક્તોને મળશે.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ભાવનગરમાં પધારી રહ્યાં હોય અક્ષરવાડી ખાતે તેમના સ્વાગત સહિતના કાર્યક્રમો માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે.

* અમિત જેઠવાના હત્યારા શૈલેષના માથે ઇનામ
આરટીઆઇ અક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યાકેસના શાર્પશૂટર તરીકે જેનું નામ ખુલ્યું છે તે શૈલેષ પંડ્યા પાટણ જિલ્લા પોલીસના ચોપડે વોન્ટેડ છે અને એક વર્ષ અગાઉ જિલ્લા પોલીસ દ્વારા તેના માથે ઈનામ પણ જાહેર કરાયેલું છે.

શૈલેષ પંડ્યાની શોધખોળ માટે બે જિલ્લાની પોલીસ સતર્ક બની છે.


હવે ગ્રામ્યકક્ષાએ ૭૦ ટકા ગ્રાન્ટ

કેન્દ્ર સરકાર દ્રારા ૧૩મા નાણાપંચમાં ગ્રાન્ટની ફાળવણીમાં ગ્રામ પંચાયતોને વધુ મહત્વ આપતાં ગ્રામ સરકારનો અભિગમ સાકાર થશે. અગાઉ ગ્રામ પંચાયતોને ૩૦ ટકા મુજબ સીધી ગ્રાન્ટ આપવામાં આવતી હતી જેમાં વધારો કરી આ ગ્રાન્ટ ૭૦ ટકા કરાઇ છે.ગામડું સધ્ધર તો દેશ સધ્ધર એ અભિગમ મુજબ કેન્દ્ર સરકાર દ્રારા ગામડાના વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યો છે. આ અંતર્ગત ગ્રામ પંચાયતોને આપવામાં આવતી ગ્રાન્ટમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યો છે. ૧૩મા નાણાપંચમાં ગ્રામ પંચાયતોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. અગાઉ ગ્રામ પંચાયતોને ૩૦ ટકા ગ્રાન્ટ આપવામાં આવતી હતી જે હવેથી ૭૦ ટકા કરવામાં આવી છે.જ્યારે તાલુકા પંચાયત અને જિ. પંચાયતને ૧૫-૧૫ ટકા ગ્રાન્ટ આપવામાં આવશે. ગ્રામ પંચાયતોને ફાળવાયેલ ગ્રાન્ટમાંથી વિકાસ કાર્યો કરવાના થશે જે ગ્રામસભા નક્કી કરશે. ૧૩મા નાણાપંચ અંતર્ગત જિલ્લાને વર્ષ ૨૦૧૦-૧૧ માટે અંદાજે રૂ.૯૬૬ લાખ ફાળવાયા છે. જે પૈકી પ્રથમ તબક્કામાં રૂ.૪૮૭.૬૬ લાખ ગ્રાન્ટ ફાળવાયા છે.


ઊંઝામાં પ્રજાના પૈસાનો ‘સોલિડ વેસ્ટ’

ઊંઝા શહેરમાંથી એકત્ર થતા ઘન કચરા પર વિવિધ પ્રક્રિયાઓ કરીને તેમાંથી જૈવિક ખાતર બનાવવાનો મહત્વકાંક્ષી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ વણાગલા ગામ ખાતે થોડા વર્ષો પહેલા શરૂ કરવામાં આવ્યો હતો.જો કે, ગુજરાત સરકાર હસ્તકની ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપનીનો આ પ્રોજેક્ટ વિવિધ સમસ્યાઓને લીધે મહિનાઓથી ઠપ પડ્યો છે ત્યારે આ પ્રોજેક્ટ પાછળ વપરાયેલ લાખો રૂપિયા ‘કચરા’માં ગયા હોય એવો ઘાટ હાલ સર્જાયો છે.ગુજરાતના શહેરોમાં સતત વધતી જતી વસ્તી અને બદલાતી લાઇફ સ્ટાઇલની અસરથી ઘન કચરાની સમસ્યા વધી છે. આ સમસ્યાના ઉકેલ માટે વર્ષ ૨૦૦૫માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપની(જીયુડીસી) દ્વારા રાજ્યની ૧૫૯ જેટલી નગરપાલિકાઓમાં ઘન કચરાના નિકાલ માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ અમલી કરવા આયોજન હાથ ધરાયું હતું. જે હેઠળ ૪૦ વધુ નગરપાલિકાઓમાં ઘન કચરામાંથી જૈવિક ખાતર બનાવવાના પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા હતા. જેમાં ઊંઝા તાલુકાના વણાગલા ગામ પાસે આ પ્રકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. આ પ્રોજેક્ટ હેઠળ ઊંઝા શહેરમાંથી એકત્ર થતા ઘન કચરાને આ પ્લાન્ટના સ્થળે લાવીને તેમાંથી પ્લાસ્ટીકનો કચરો દૂર કરવામાં આવતો હતો. આ બાદ બાકીના કચરાને વિવિધ પ્રક્રિયા દ્વારા સડવી દઇને તેમાંથી જૈવિક ખાતર તૈયાર કરીને ખેડૂતોને તેનું વેચાણ કરવામાં આવતું હતું.


GCMMF : સત્તા માટે ઘમ્મરવલોણું

ટેલ, ડૉ. કુરિયન સહિત ચરોતરના અન્ય સહકારી ક્ષેત્રના નામી - અનામી મહારથીઓની અથાગ જહેમત બાદ સહકારી ક્ષેત્રમાં અદકેરૂ સ્થાન મેળવનાર અમૂલ ડેરી સહિત રાજ્યની કુલ ૧૩ જેટલી ડેરીનો વહીવટ સંભાળતી ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં હાલ ચેરમેન પદ માટે ગજગ્રાહ ચાલી રહ્યો છે.તેમાંય રાજ્યમાં મોખરાનું સ્થાન ધરાવતી મહેસાણાની દૂધ સાગર ડેરીના ચેરમેન વિપુલ ચૌધરીએ તાજેતરમાં ફેડરેશનને આઈસીયુમાં દાખલ દર્દી જેવી સંસ્થા ગણાવતાં ચરોતરની ડેરીઓમાં દૂધ ભરતાં અને સંસ્થાને આઠ હજાર કરોડનું ટર્નઓવર કરતી બનાવવામાં પાયાની ભૂમિકા ભજવતાં સભાસદોમાં પણ તેનાં ઘેરાં પ્રત્યાઘાત પડવા પામ્યા છે. તેમાંય ફેડરેશનમાં વર્તમાન ચેરમેન પરથી ભટોળ સામે રજુ થયેલી અવિશ્વાસની દરખાસ્તનો ફેંસલો તા. ૨૧મી ઓગસ્ટને શનિવારના રોજ (આજે) મળનારી વિશેષ સભામાં થનાર છે, ત્યારે અમૂલની અટરલી - બટરલી ઢીંગલીએ દેશભરમાં વિશાળ હોર્ડિગના માધ્યમથી મુંબઈ દરિયામાં બે માલવાહક જહાજ વચ્ચેની ટક્કર સંદર્ભે વ્યક્ત કરેલો પોતાનો મત ‘પોર્લ્યુશન ગયા તેલ લગાને’ જેવો જ ટોન મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના વર્તમાન મોભીઓ પણ બંધ હોઠેથી આપી રહ્યા હોવાનો સૂર કેટલાક જાગૃત્ત સભાસદોએ વ્યક્ત કર્યો હતો.


ઘાટકોપર : ટોપી પહેરાવતો' ગુજરાતી શખ્સ ઝડપાયો

ઘાટકોપર પોલીસે ૩૦૦૦થી નકલી ડેબિટકાર્ડ સાથે પકડેલા ૧૦ સુશિક્ષિત યુવાનો પાસેથી અનેક ચોંકાવનારી માહિતી બહાર આવી છે. આ ટોળકીએ બોલીવુડની કેટલીક હસ્તીઓનાં પણ નકલી ડેબિટ કાર્ડ બનાવી રાખ્યાં હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.આ ટોળકીનો મુખ્ય અને માસ્ટરમાઈન્ડ અમજદ ખાન ઉર્ફે મેક બ્રિટનનો એક એક્ઝિકયુટિવ હતો અને તે જ આખી યોજના ઘડતો હતો. જોકે હજુ તેની ધરપકડ થઈ શકી નથી. આ ટોળકીમાં બેન્કના ભૂતપૂર્વ અધિકારીઓનો પણ સમાવેશ હોવાનું સ્થાનિક પોલીસે જણાવ્યું હતું.ફિલ્મોધ્યોગ સહિત વિવિધ ક્ષેત્રની હસ્તીઓને ઠગવા નીકળેલી આ ટોળકીનો મુખ્ય શકમંદ ગુજરાતનો મુકેશ શાહ પણ હોવાની માહિતી પોલીસે આપી હતી. જોકે પોલીસ હજુ તેના સુધી પણ પહોંચી શકી નથી. અમે આ કેસમાં વધુ તપાસ કરી રહ્યા છીએ એમ ઘાટકોપર પોલીસ સ્ટેશનના અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું.


મુલુંડમાં છોકરીને મારનાર શિક્ષક-પ્રિન્સપાલ ધોવાયાં

મુલુંડમાં પાલિકાની શાળામાં એક વિદ્યાર્થિનીને મારવા બદલ ભારતીય વિદ્યાર્થી સેનાના કાર્યકરોએ શિક્ષણ અને પ્રિન્સપાલની મારપીટ કરી કરી હતી.આ સંબંધે શિક્ષક પ્રકાશ બાપુ સલગર(૨૮) દ્વારા ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિજય ગર્વ અને તેના ૧૦થી ૧૨ સાથીદારો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસનું કહેવું છે કે ત્રણ દિવસ પૂર્વે સલગરે એક નવમા ધોરણની મીના નામની વિદ્યાર્થિનીને હાથ વડે મારી હતી.આને લઈ ગવઈ અને તેના સાથીદારો શુક્રવારે બપોરે શાળામાં ધસી ગયા હતા. તેમણે સલગર અને પ્રિન્સપલની મારપીટ કરી હતી. બાદમાં સલગરના મોઢા પર કાળું પણ ચોપડ્યું હતું. વળી, આ ઘટના બની ત્યારે તેમણે અન્ય વિદ્યાર્થીઓને શાળામાં બહાર જવા દીધા નહોતા. આ સંબંધમાં ફરિયાદ બાદ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.



આવનારા દિવસોમાં આપણો લેન્ડલાઇન નંબર પણ દસ આંકડાનો થવા જઇ રહ્યો છે. દુરસંચાર નિયામક ટ્રાઈએ દેશમાં ફોનહોલ્ડરોની વધતી સંખ્યાને જોતા નંબરૉના સારા વપરાસ માટે મોબાઇલ અને લેન્ડલાઇન કનેક્સનોની એકીકૃત યોજનાનો આજે પ્રસ્તુત એક ચર્ચાપત્રમાં આ સુજાવ આપ્યો હતો.નિયામકે કહ્યુ હતુ કે દેશમાં ફિક્સડ તેમજ મોબાઇલ સેવાઓ માટે એકીકૃત નંબરીગ યોજના 31 ડિસેમ્બર 2011 સુધીમાં લાગૂ કરવામાં આવે જેમાં લેન્ડલાઇન તેમજ મોબાઇલ બન્ને પ્રકારના કનેક્શનમાં દસ આકડાના નંબર હોય. ભારતીય દુરસંચાર નિયામક પ્રાધિકારનુ કહેવુ છે કે આનાથી આગલા 30-40 વર્ષ સુધી દેશમાં હાલની તેમજ નવી સેવાઓની માટે પર્યાપ્ત સંખ્યામાં નંબર ઉપલબ્ધ હશે.દેશમાં નંબરોની ચાલુ યોજના એનએનપી 2003માં 75 કરોડ કનેક્શનો માટે બનાવવામાં આવી હતી જેમાં 45 કરોડ મોબાઇલ કનેક્શન હતા અને આ યોજના 2030 સુધીના વર્ષો માટે હતી. પરંતુ દેશમાં મોબાઇલ કનેક્શનોની સંખ્યામાં પાછલા વર્ષે જ નક્કિ આંકને પાર કરી ચુકી છે.ટ્રાયનો વિચાર છે કે જ્યા સુધી એકીકૃત નંબર યોજના ચાલુ ન થાય એક જ સર્કલમાં લેન્ડલાઇનમાંથી મોબાઇલમાં ફોન કરવા માટે પહેલા શૂન્ય લગાવવાની વ્યવસ્થા કરવામાં આવે. નિયામકે ટેલીફોન નંબરોની વધતી માંગ તેમજ સીમીત નંબરોને ધ્યાનમાં લઇને આ વિચાર રજુ કર્યો હતો કે કોઇ સર્કલમાં વિશેષમાં કંપનીયોની પાસે સમય વિશેષમાં 30 લાખથી વધારે નંબર ના છોડવામાં આવે.


૯૮% લોકો કહે છે, ‘સાંસદોને ફદિયું પણ વધારે ન અપાય’

મોંઘવારી, આતંકવાદ ડામવામાં સાંસદો નિષ્ફળ છે, ચૂંટાયા પછી દેખાતા જ નથી, ફોન-પ્રવાસ ભથ્થાં તો મળે જ છે, જો કે નેતાઓ કહે છે, વાંધો નહીં. પ્રજાના પ્રતિનિધિ કહેવાતા સાંસદોના પગારમાં થયેલા વધારાથી સામાન્ય પ્રજામાં ભારે વિરોધ અને નારાજગી ફેલાયા છે. લોકોએ એક અવાજે પગાર-ભથ્થા વધારાના આ નિર્ણયને વખોડી કાઢ્યો છે.મોંઘવારી અને આતંકવાદ તેમજ નકસલીઓની પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવામાં તદ્દન નિષ્ફળ રહેલા વિવિધ પક્ષોના સાંસદોને વળી વધારે પૈસા શાના? દેશમાં આટલો ફુગાવો, પેટ્રોલના ભાવોમાં વધારો છતાં કોઇ પગલાં નહીં, ત્યારે આ ‘સાહેબો’ના પગાર માટે પ્રજાના ખિસ્સાં પર આવડો બોજ? એવો સૂર આજે સ્પષ્ટ સંભળાઇ રહ્યો છે અને ‘દિવ્યભાસ્કરે’ જ્યારે આજે રાજકોટના વિવિધ ક્ષેત્રના વિવિધ વયજુથના સો લોકોને પૂછ્યું કે ‘સંસદનો આ નિર્ણય કેટલો યોગ્ય છે?’ ત્યારે ૯૮ લોકોએ કહ્યું કે આ સંસદસભ્યોને એક ફદિયું પણ વધારે આપવુંજોઇએ નહીં. જો કે રાજકીય નેતાઓના અભિપ્રાય અલગ રહ્યા, તેમણે કહ્યું કે જો સાંસદોનો પગાર વધારો યોગ્ય છે.


સોહરાબકાંડનું ભૂત અમીનની કલમે ધૂણશે

તાજનો સાક્ષી બનવાની જાહેરાત કરી ચૂકેલા સોહરાબુદ્દીન બોગસ એન્કાઉન્ટરના આરોપી ડીવાયએસપી ડૉ. નરેન્દ્ર અમીન લેખક બનવા જઈ રહ્યા છે. જેલવાસ દરમિયાન અમીન ‘ ધ ઘોસ્ટ બિહાઇન્ડ ધ વેઇલ’ નામનું પુસ્તક લખી રહ્યા છે. આ પુસ્તક સોહરાબુદ્દીનકાંડ અને તેની પત્ની કૌસરબીની હત્યા સાથે જોડાયેલા વણઉલ્લેખાયેલા તથ્ય પર આધારિત હશે. હાલમાં તો આ પુસ્તકનાં છેલ્લાં પાનાં લખાઈ રહ્યાં છે, પરંતુ જ્યારે આ પુસ્તક પ્રકાશિત થશે ત્યારે ખરેખર સોહરાબુદ્દીન અને તેની પત્ની કૌસરબીની હત્યાનું ભૂત અમીનની કલમે ધૂણી ઊઠશે.અત્યંત આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ પુસ્તકમાં અમીને સોહરાબુદ્દીનના અપહરણથી માંડીને તેના એન્કાઉન્ટર સુધીનાં તથ્યો તથા ત્યારબાદ કૌસરબીની હાલત અને તેની હત્યા અંગે અનેક ચોંકાવનારાં અધ્યાયો લખ્યાં છે. જેમાં અધિકારીઓ સાથેના સંવાદોથી માંડીને સોહરાબુદ્દીનને ખતમ કરવામાં રસ ધરાવનારા અનેકને ઉઘાડા પાડવામાં આવ્યા છે.આ પુસ્તકમાં અમીને જેલવાસ દરમિયાન પોતાના ખાટા-મીઠા અનુભવોને પણ ટાંક્યા છે. મળતી માહિતી મુજબ આ પુસ્તકનાં અમુક પાનાં લખવાનાં હજી બાકી છે. લખાયા બાદ આ પુસ્તકને અમીન અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં પ્રકાશિત કરવાનો પ્રયાસ કરશે.ઉલ્લેખનીય છે કે, મુખ્યત્વે કૌસરબીની હત્યામાં મહત્વની ભૂમિકા ભજવનાર ડૉ. નરેન્દ્ર અમીને સીબીઆઇ માટે રાજનો સાક્ષી બનવાની ઇચ્છા દર્શાવતી અરજી અદાલતમાં કરી છે. જેના સખત વિરોધ અન્ય આરોપીઓ કરી રહ્યા છે. આ અરજીની સુનાવણી આગામી ૨૬મી ઓગસ્ટે થવાની છે. આવામાં અમીન પુસ્તક લખી રહ્યા હોવાના સમાચાર જેલની બહાર આવતાં સોહરાબુદ્દીન કાંડ સાથે સંકળાયેલા આરોપીઓ અને હમણા સુધી જેમનાં નામ કે પછી ભૂમિકાનો કોઈ ઉલ્લેખ નથી તેવાં તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


વરિષ્ઠ પત્રકાર દિગંત ઓઝાનું નિધન

ગુજરાતના બાહોશ અને વરિષ્ઠ પત્રકાર-સાહિત્યકાર દિગંત ઓઝાનું લાંબી માંદગી બાદ આજે સવારે અમદાવાદ ખાતે નિધન થયું હતું. ૭૧ વર્ષીય દિગંતભાઈના અંતિમ સંસ્કાર આજે બપોરે ત્રણ કલાકે અમદાવાદના થલતેજ સ્મશાન ગૃહ ખાતે રાખવામાં આવ્યા છે. દંતકથા સમાન કારકિર્દીમાં દગિંતભાઈએ ગુજરાતી પત્રકારત્વમાં અનેક સીમાચિન્હો સ્થાપિત કર્યા છે, જેને વાચકો અને પત્રકારો ક્યારેય ભૂલી નહીં શકે.દિગંતભાઈના દીકરી અને લેખિકા કાજલ ઓઝા વૈધ્યના જણાવ્યા પ્રમાણે તેઓ લાંબા સમયથી કેન્સરથી પીડાઈ રહ્યા હતા અને આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દિગંતભાઈની પાછળ લૌકિક ક્રિયા રાખવામાં આવી નથી, પરંતુ સ્વજનો, મિત્રો અને શુભેચ્છકો તેમનો શોક સંદેશો તેમના નિવાસસ્થાન ૧, નીલદીપ કોમ્પલેકસ, લાડ સોસાયટી રોડ, ચાણકય ટાવરની સામે, બોડકદેવ અમદાવાદ ખાતે મોકલી શકે છે. પાંચ દાયકાથી પણ લાંબી કારકિર્દી દરમિયાન દિગંતભાઈના સંપાદકીય માર્ગદર્શન હેઠળ નયા પડકાર, જનસત્તા અને સમભાવ જેવા અખબારોનો પ્રારંભ થયો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદો પર બેરોકટોક આવનજાવનને જાતે પાકિસ્તાન પહોંચીને ખુલ્લી પાડતી દિગંતભાઈની બ્રેકિંગ સ્ટોરી આજે પણ ગુજરાતના વાચકો ભૂલી શકે તેમ નથી, જેણે આખી કેન્દ્ર સરકાર હચમચાવી નાંખી હતી. મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ અને ચીમનભાઈ પટેલના સમયમાં નર્મદા યોજનાની તરફેણમાં ઉતરેલી તેમની કલમે ગુજરાતમાં યોજનાના સમર્થનમાં એક જન આંદોલન ઊભું કર્યું હતું. એ ઉપરાંત તેમની નવલકથાઓ અને નવલિકાઓએ પણ ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યની લાંબા સમય સુધી સેવાઓ કરી છે.છેલ્લા ૧૦ વર્ષથી તેમણે કોમવાદ સામેની લડત અને ગુજરાતમાં જળ સંચયને પ્રોત્સાહન આપવાના ક્ષેત્રે કાર્ય કર્યું હતું અને છેક સુધી એ કાર્યોને સમર્પિત રહ્યા હતા.


ચેમ્બર: હાઈ પાવર કમિટીની સત્તા સામે આજે કોર્ટમાં સુનાવણી

ચેમ્બરની એજીએમ પહેલા જ કોર્ટ કેસ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં વહીવટ કરતી હાઈ પાવર કિમિટી અમર્યાદિત સમય માટે સત્તા ભોગવી શકે નહિં તેવા મતલબની એક પીટીશન મિતેશ પટેલે સિટી સિવિલ કોર્ટમાં કરી છે. આ પીટીશનની આજે મેજીસ્ટ્રેટ એ પી ભોજકની કોર્ટમાં ૧૧ વાગ્યાથી સુનાવણી હાથ ધરાશે.હાઈ પાવર કમિટી દ્વારા આજે એજીએમમાં સિલેકટ થનારી કારોબારી એપ્રિલ ૨૦૧૧થી વધુ વહીવટ ન કરી શકે અને ત્યારબાદ ચેમ્બરના બંધારણ મુજબ ચુંટણી આપી દેવી જોઈએ તેવી દાદ આ પીટીશનમાં માંગવામાં આવી છે. ચેમ્બરની નજીકના સૂત્રોના જણાવ્યાં મુજબ આજે જ્યારે આ પીટીશનની સુનાવણી હાથ ધરાવાની છે ત્યારે આ કેસમાં કોઈ ત્રીજો પક્ષ પણ પોતાની રજુઆત કરવાની પરવાનગી કોર્ટ પાસે માંગે તેવી શક્યતા છે.


વડોદરા : ડોર ટુ ડોર કચરો લેવા માટે ઝોન મુજબ કોન્ટ્રાકટ

વડોદરા શહેરમાં સેવાસદન તરફથી શરૂ કરાયેલી ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરીમાં અનેક ત્રુટિઓ અને ફરિયાદો ઊભી થયા બાદ નવા કોન્ટ્રાકટમાં હવે શહેરના ચાર ઝોન મુજબ કોન્ટ્રાકટ સોંપી કામગીરી કરાવવાનું નક્કી કરાયું છે. આ અંગેની દરખાસ્ત મ્યુ.કમિશનરે સ્થાયી સમિતિની મંજુરી માટે રજુ કરી દીધી છે.વડોદરામાં હાલ બે કોન્ટ્રાક્ટરોને સમગ્ર શહેરમાંથી ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરી સોંપાયેલી છે. આ કોન્ટ્રાક્ટરો દ્વારા કચરો ઉપાડવા મૂકાયેલા વાહનો ઓછા હોવાની તેમજ નિયમિત કચરો ઉપાડાતો નથી તેવી વ્યાપક ફરિયાદો સેવાસદન સમક્ષ આવી હતી. એટલું જ નહીં કચરો ઉપાડતી ગાડીઓમાં કચરાની જગ્યાએ માટી અને રોળાં ભરીને ખોટું વજન બતાવાતું હોવાની વિગતો પણ સપાટી પર આવી હતી. સાથેસાથે કામગીરી કરવા માટેના નક્કી કરાયેલા રૂટ ઉપર ગાડીઓ નહીં મોકલી ગેરરીતિ થતી હોવાનું પણ જાણમાં આવતાં કોન્ટ્રાક્ટરોને પેનલ્ટી ફટકારવામાં આવી હતી.દરમિયાન ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરીનો વર્તમાન કોન્ટ્રાકટ આગામી ફેબ્રુઆરી મહિનામાં પૂરો થતો હોઇ સેવાસદને અત્યારથી નવા કોન્ટ્રાકટ માટેની કવાયત શરૂ કરી દીધી છે. જો કે, નવા કોન્ટ્રાકટમાં શહેરના ચાર ઝોન મુજબ આ કામગીરી સોંપવાની દરખાસ્ત મ્યુ.કમિશનર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવી છે. નવા કોન્ટ્રાકટમાં કચરો ઉપાડનારા દરેક વાહનોમાં જી.પી.એસ. સિસ્ટમ મૂકવાની ફરજિયાત કરાયું છે. જેથી દરેક વાહન તેને ફાળવેલા રૂટ મુજબ સમયસર કામગીરી કરે છે કે નહીં તે જાણી શકાશે. સાથેસાથે નાના વાહનોમાં ભરાતો કચરો દૂર અંતરે આવેલા સ્થળે ઠાલવવાના બદલે રિફ્યુઝ કોમ્પેકટરમાં ખાલી કરવાનું આયોજન છે. જેથી નાની ગાડીઓના આવનજાવનનો સમય બચાવી શકાશે.


સોહરાબને પૂરો કરવા ટ્રસ્ટ દ્વારા નાણાં અપાયાં

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તપાસ કરતી સીબીઆઇના ડીવાય.એસ.પી. બી.એસ. ખેરા સહિતના છ સભ્યોની ટીમે છેલ્લા ત્રણ દિવસથી સુરતમાં ધામા નાંખ્યા છે. સુરત સ્થિત માર્બલના એક મોટા વેપારીએ ટ્રસ્ટ દ્વારા સોપારીની રકમ ટ્રાન્સફર કરાવી હોવાની માહિતી ઉપરાંત અન્ય કેટલાક માર્બલના વેપારીઓ પાસેથી સોહરાબુદ્દીને ખંડણી વસૂલી હોવાની માહિતી અંગે પણ ખરાઈ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.મધ્યપ્રદેશના ઝરણિયાના વતની સોહરાબુદ્દીન શેખ રાજસ્થાન ઉપરાંત ગુજરાતમાં ખંડણીની પ્રવૃત્તિ આચરતો હતો. સીબીઆઇએ કરેલી તપાસમાં બહાર આવેલી વિગતો ચોંકાવનારી છે. આખી વાતમાં સોહરાબુદ્દીન તો માત્ર પ્યાદું હતો. કેટલાક રાજકારણીઓ તેમજ પોલીસ અધિકારીઓ તેને ઓપરેટ કરતા હતા.આ સમયે સોહરાબુદ્દીન મારફતે રાજસ્થાનમાં માર્બલની ખાણો ધરાવતા મોટા ગજાના વેપારીઓને ધમકી આપીને યેનકેન પ્રકારે માતબર રકમની ખંડણી ઉઘરાવવામાં આવી હતી, જેમાં મૂળ રાજસ્થાનના અને સુરતમાં ટ્રેડિંગનો ધંધો કરતા ચાર વેપારી પણ સોહરાબુદ્દીનનો ભોગ બન્યા હતા. જેથી સીબીઆઈ સુરતમાં આવી છે. ઉપરાંત એક વાત એવી પણ બહાર આવી છે કે આવા જ એક માર્બલના વેપારી મારફતે સોપારીની રકમ ગુજરાત આવી હતી. આ વેપારીએ ટ્રસ્ટ મારફતે રાજસ્થાનથી પાંચ કરોડ રૂપિયા મેળવ્યા બાદ જે તે વ્યક્તિને પહોંચાડ્યા હતા.


કોમનવેલ્થની ટ્રાયલ ગેમમાં ભુજ કેવી-ટુનો વિદ્યાર્થી

ભુજની કેન્દ્રીય વિદ્યાલય ટુમાં અભ્યાસ કરતો અને સીમા સુરક્ષા દળની બટાલિયનના કમાન્ડન્ટનો દીકરો આ મહિનાના અંતમાં પૂણે ખાતે આયોજિત થનારી નેશનલ કોમનવેલ્થ ગેમ્સ ટ્રાયલમાં ભાગ લેવા જઇ રહ્યો છે.અગાઉ પણ શૂટિંગમાં પોતાનું નામ રોશન કરનાર આ વિદ્યાર્થી અગાઉ અન્ડર ૧૮ જુનિયર નેશનલ શૂટિંગ સ્પર્ધામાં પણ દેશના જુદા જુદા સ્થળોએ આયોજિત થયેલી સ્પર્ધામાં ભાગ લઇને વિશિષ્ટ ઉપલબ્ધીઓ પ્રાપ્ત કરી ચૂકયો છે.ભુજ બીએસએફની ૧૧૭મી બટાલિયનના કમાન્ડન્ટ પુષ્પેન્દ્રસિંહ રાઠોડનો પુત્ર ચંદ્રદેવસિંગ ભુજની કેન્દ્રીય વિદ્યાલય ૨માં ધો. ૧૦માં અભ્યાસ કરે છે અને આગામી ૧૯મી ઓગસ્ટથી ૨૧મી ઓગસ્ટ સુધી બિકાનેરમાં આયોજિત થનારી ઓલ ઇન્ડિયા નેશનલ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે તેમના દાદા શ્યામસુંદરસિંગ રાઠોડના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરી રહેલો છે.વર્ષ ૨૦૦૯માં દિલ્હીમાં આયોજિત ૪૩મા કેન્દ્રીય વિદ્યાલયમાં કે.વી. નેશનલમાં પણ તેણે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરીને કેન્દ્રીય વિદ્યાલય ભુજનું નામ રોશન કર્યું હતું.


ગેચડામાં પહોંચેલી દારૂની ૧૬૮ બોટલો પકડી પાડતી પોલીસ

નખત્રાણા પોલીસે તાલુકાના ગેચડા ગામમા દરોડો પાડી છુપાયેલા ઇંગ્લિશ શરાબનો ૧૬૮ બોટલો સહિત કુલ રૂ. ૬૨ હજારનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. જતાવીરા તાલુકા પોલીસે ગેચડા ગામે જેઠુભા કાનજી સોઢાના રહેણાંક મકાનમાંથી ૧૬૮ બોટલો જપ્ત કરી હતી ઉપરાંતએ સાથે ૧૩૮૦ લિટર કાચો આથો અને ૨૦ લિટર દેશી દારૂ સહિતનો મુદ્દામાલ પણ પકડી પાડ્યો હતો. પીએસઆઇ એમ.ડી. ચંદ્રવાડિયાએ વહેલી સવારે જતાવીરા, ફુલાય માર્ગ પર પસાર થતી શંકાસ્પદ મહિન્દ્રા જીપને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ઉભી ન રહેતા પોલીસની શંકા દ્રઢ બની હતી. તેથી ધામાય, દેશલપર, રવાપર અને લક્ષ્મીપર (નેત્રા) સુધી પીછો કરવામાં આવ્યો હતો. બાતમી આધારે એ જીપ બૂટલેગર ભાણુભા વિક્રમસિંહ સોઢાની હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. એ અંગે વધુ તપાસ હાથ ધરતા દારૂનો જથ્થો તાલુકાના ગેચડા ગામે પહોચ્યો હોવાનું ખૂલ્યું હતું સવારે ૧૦:૩૦ કલાકે નખત્રાણા પીએસઆઇ પી.વી. જાડેજાની આગેવાની હેઠળ ઉદયસિંહ, મહેન્દ્રભાઇ ગઢવી, બટુકસિંહ અને મહિલા કોન્સ્ટેબલ વિજયાલક્ષ્મીએ રેડ પાડી હતી.


ભાવનગર પધારશે પ્રમુખ સ્વામી

બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વિશ્વ વંદનીય સંત પૂ. પ્રમુખ સ્વામી મહારાજ તા.૨૩ ઓગષ્ટને સોમવારથી ભાવનગરમાં વાઘાવાડી રોડ પર આવેલા અક્ષરવાડી ધામ ખાતે પધારી રહ્યાંના સમાચાર આવતા જ સમગ્ર ભાવનગર શહેર-જિલ્લાના હરિભક્તોમાં હરખની હેલી છવાઈ ગઈ છે. પૂ.પ્રમુખસ્વામી મહારાજ દોઢેક વર્ષના સમયગાળા બાદ ભાવનગર આવી રહ્યાં છે.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ તા.૨૩ ઓગસ્ટને સોમવારથી ભાવનગરના અક્ષરવાડી ખાતે આવી રહ્યાના કાર્યક્રમ અંગે મળેલી માહિતી મુજબ છેલ્લાં ઘણા વખતથી નાદુરસ્ત તબિયતથી પિડાતા પૂ.પ્રમુખ સ્વામી અક્ષરવાડી ખાતે પણ એક સપ્તાહનું રોકાણ કરશે પરંતુ તબિયતેને કારણે કોઈ મુલાકાતીઓને રૂબરૂ મળી આશિવૉદ આપશે નહીં.બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થાના પૂ.વિવેકસાગર મહારાજ આ રોકાણ દરમિયાન દરરોજ પોતાની આગવી શૈલીમાં ધર્મમય પ્રવચન આપશે જેનો શ્રવણલાભ ભાવેણાના હરિભક્તોને મળશે.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ભાવનગરમાં પધારી રહ્યાં હોય અક્ષરવાડી ખાતે તેમના સ્વાગત સહિતના કાર્યક્રમો માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે.

* અમિત જેઠવાના હત્યારા શૈલેષના માથે ઇનામ
આરટીઆઇ અક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યાકેસના શાર્પશૂટર તરીકે જેનું નામ ખુલ્યું છે તે શૈલેષ પંડ્યા પાટણ જિલ્લા પોલીસના ચોપડે વોન્ટેડ છે અને એક વર્ષ અગાઉ જિલ્લા પોલીસ દ્વારા તેના માથે ઈનામ પણ જાહેર કરાયેલું છે.

શૈલેષ પંડ્યાની શોધખોળ માટે બે જિલ્લાની પોલીસ સતર્ક બની છે.


હવે ગ્રામ્યકક્ષાએ ૭૦ ટકા ગ્રાન્ટ

કેન્દ્ર સરકાર દ્રારા ૧૩મા નાણાપંચમાં ગ્રાન્ટની ફાળવણીમાં ગ્રામ પંચાયતોને વધુ મહત્વ આપતાં ગ્રામ સરકારનો અભિગમ સાકાર થશે. અગાઉ ગ્રામ પંચાયતોને ૩૦ ટકા મુજબ સીધી ગ્રાન્ટ આપવામાં આવતી હતી જેમાં વધારો કરી આ ગ્રાન્ટ ૭૦ ટકા કરાઇ છે.ગામડું સધ્ધર તો દેશ સધ્ધર એ અભિગમ મુજબ કેન્દ્ર સરકાર દ્રારા ગામડાના વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યો છે. આ અંતર્ગત ગ્રામ પંચાયતોને આપવામાં આવતી ગ્રાન્ટમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યો છે. ૧૩મા નાણાપંચમાં ગ્રામ પંચાયતોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. અગાઉ ગ્રામ પંચાયતોને ૩૦ ટકા ગ્રાન્ટ આપવામાં આવતી હતી જે હવેથી ૭૦ ટકા કરવામાં આવી છે.જ્યારે તાલુકા પંચાયત અને જિ. પંચાયતને ૧૫-૧૫ ટકા ગ્રાન્ટ આપવામાં આવશે. ગ્રામ પંચાયતોને ફાળવાયેલ ગ્રાન્ટમાંથી વિકાસ કાર્યો કરવાના થશે જે ગ્રામસભા નક્કી કરશે. ૧૩મા નાણાપંચ અંતર્ગત જિલ્લાને વર્ષ ૨૦૧૦-૧૧ માટે અંદાજે રૂ.૯૬૬ લાખ ફાળવાયા છે. જે પૈકી પ્રથમ તબક્કામાં રૂ.૪૮૭.૬૬ લાખ ગ્રાન્ટ ફાળવાયા છે.


ઊંઝામાં પ્રજાના પૈસાનો ‘સોલિડ વેસ્ટ’

ઊંઝા શહેરમાંથી એકત્ર થતા ઘન કચરા પર વિવિધ પ્રક્રિયાઓ કરીને તેમાંથી જૈવિક ખાતર બનાવવાનો મહત્વકાંક્ષી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ વણાગલા ગામ ખાતે થોડા વર્ષો પહેલા શરૂ કરવામાં આવ્યો હતો.જો કે, ગુજરાત સરકાર હસ્તકની ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપનીનો આ પ્રોજેક્ટ વિવિધ સમસ્યાઓને લીધે મહિનાઓથી ઠપ પડ્યો છે ત્યારે આ પ્રોજેક્ટ પાછળ વપરાયેલ લાખો રૂપિયા ‘કચરા’માં ગયા હોય એવો ઘાટ હાલ સર્જાયો છે.ગુજરાતના શહેરોમાં સતત વધતી જતી વસ્તી અને બદલાતી લાઇફ સ્ટાઇલની અસરથી ઘન કચરાની સમસ્યા વધી છે. આ સમસ્યાના ઉકેલ માટે વર્ષ ૨૦૦૫માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપની(જીયુડીસી) દ્વારા રાજ્યની ૧૫૯ જેટલી નગરપાલિકાઓમાં ઘન કચરાના નિકાલ માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ અમલી કરવા આયોજન હાથ ધરાયું હતું. જે હેઠળ ૪૦ વધુ નગરપાલિકાઓમાં ઘન કચરામાંથી જૈવિક ખાતર બનાવવાના પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા હતા. જેમાં ઊંઝા તાલુકાના વણાગલા ગામ પાસે આ પ્રકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. આ પ્રોજેક્ટ હેઠળ ઊંઝા શહેરમાંથી એકત્ર થતા ઘન કચરાને આ પ્લાન્ટના સ્થળે લાવીને તેમાંથી પ્લાસ્ટીકનો કચરો દૂર કરવામાં આવતો હતો. આ બાદ બાકીના કચરાને વિવિધ પ્રક્રિયા દ્વારા સડવી દઇને તેમાંથી જૈવિક ખાતર તૈયાર કરીને ખેડૂતોને તેનું વેચાણ કરવામાં આવતું હતું.


GCMMF : સત્તા માટે ઘમ્મરવલોણું

ટેલ, ડૉ. કુરિયન સહિત ચરોતરના અન્ય સહકારી ક્ષેત્રના નામી - અનામી મહારથીઓની અથાગ જહેમત બાદ સહકારી ક્ષેત્રમાં અદકેરૂ સ્થાન મેળવનાર અમૂલ ડેરી સહિત રાજ્યની કુલ ૧૩ જેટલી ડેરીનો વહીવટ સંભાળતી ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં હાલ ચેરમેન પદ માટે ગજગ્રાહ ચાલી રહ્યો છે.તેમાંય રાજ્યમાં મોખરાનું સ્થાન ધરાવતી મહેસાણાની દૂધ સાગર ડેરીના ચેરમેન વિપુલ ચૌધરીએ તાજેતરમાં ફેડરેશનને આઈસીયુમાં દાખલ દર્દી જેવી સંસ્થા ગણાવતાં ચરોતરની ડેરીઓમાં દૂધ ભરતાં અને સંસ્થાને આઠ હજાર કરોડનું ટર્નઓવર કરતી બનાવવામાં પાયાની ભૂમિકા ભજવતાં સભાસદોમાં પણ તેનાં ઘેરાં પ્રત્યાઘાત પડવા પામ્યા છે. તેમાંય ફેડરેશનમાં વર્તમાન ચેરમેન પરથી ભટોળ સામે રજુ થયેલી અવિશ્વાસની દરખાસ્તનો ફેંસલો તા. ૨૧મી ઓગસ્ટને શનિવારના રોજ (આજે) મળનારી વિશેષ સભામાં થનાર છે, ત્યારે અમૂલની અટરલી - બટરલી ઢીંગલીએ દેશભરમાં વિશાળ હોર્ડિગના માધ્યમથી મુંબઈ દરિયામાં બે માલવાહક જહાજ વચ્ચેની ટક્કર સંદર્ભે વ્યક્ત કરેલો પોતાનો મત ‘પોર્લ્યુશન ગયા તેલ લગાને’ જેવો જ ટોન મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના વર્તમાન મોભીઓ પણ બંધ હોઠેથી આપી રહ્યા હોવાનો સૂર કેટલાક જાગૃત્ત સભાસદોએ વ્યક્ત કર્યો હતો.


ઘાટકોપર : ટોપી પહેરાવતો' ગુજરાતી શખ્સ ઝડપાયો

ઘાટકોપર પોલીસે ૩૦૦૦થી નકલી ડેબિટકાર્ડ સાથે પકડેલા ૧૦ સુશિક્ષિત યુવાનો પાસેથી અનેક ચોંકાવનારી માહિતી બહાર આવી છે. આ ટોળકીએ બોલીવુડની કેટલીક હસ્તીઓનાં પણ નકલી ડેબિટ કાર્ડ બનાવી રાખ્યાં હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.આ ટોળકીનો મુખ્ય અને માસ્ટરમાઈન્ડ અમજદ ખાન ઉર્ફે મેક બ્રિટનનો એક એક્ઝિકયુટિવ હતો અને તે જ આખી યોજના ઘડતો હતો. જોકે હજુ તેની ધરપકડ થઈ શકી નથી. આ ટોળકીમાં બેન્કના ભૂતપૂર્વ અધિકારીઓનો પણ સમાવેશ હોવાનું સ્થાનિક પોલીસે જણાવ્યું હતું.ફિલ્મોધ્યોગ સહિત વિવિધ ક્ષેત્રની હસ્તીઓને ઠગવા નીકળેલી આ ટોળકીનો મુખ્ય શકમંદ ગુજરાતનો મુકેશ શાહ પણ હોવાની માહિતી પોલીસે આપી હતી. જોકે પોલીસ હજુ તેના સુધી પણ પહોંચી શકી નથી. અમે આ કેસમાં વધુ તપાસ કરી રહ્યા છીએ એમ ઘાટકોપર પોલીસ સ્ટેશનના અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું.


મુલુંડમાં છોકરીને મારનાર શિક્ષક-પ્રિન્સપાલ ધોવાયાં

મુલુંડમાં પાલિકાની શાળામાં એક વિદ્યાર્થિનીને મારવા બદલ ભારતીય વિદ્યાર્થી સેનાના કાર્યકરોએ શિક્ષણ અને પ્રિન્સપાલની મારપીટ કરી કરી હતી.આ સંબંધે શિક્ષક પ્રકાશ બાપુ સલગર(૨૮) દ્વારા ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિજય ગર્વ અને તેના ૧૦થી ૧૨ સાથીદારો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસનું કહેવું છે કે ત્રણ દિવસ પૂર્વે સલગરે એક નવમા ધોરણની મીના નામની વિદ્યાર્થિનીને હાથ વડે મારી હતી.આને લઈ ગવઈ અને તેના સાથીદારો શુક્રવારે બપોરે શાળામાં ધસી ગયા હતા. તેમણે સલગર અને પ્રિન્સપલની મારપીટ કરી હતી. બાદમાં સલગરના મોઢા પર કાળું પણ ચોપડ્યું હતું. વળી, આ ઘટના બની ત્યારે તેમણે અન્ય વિદ્યાર્થીઓને શાળામાં બહાર જવા દીધા નહોતા. આ સંબંધમાં ફરિયાદ બાદ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

બધા મોબાઇલને પછાળશે નોકિયાનો એક્સ-3

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


બધા મોબાઇલને પછાળશે નોકિયાનો એક્સ-3

ફિનલેન્ડની ખ્યાતનામ મોબાઇલ કંપની નોકિયાએ પોતાનો નવો હેન્ડસેટ બજારમાં ઉતાર્યો છે. નોકિયાએ જે નવો હેન્ડસેટ બજારમાં લૉન્ચ કર્યો છે તેની માંગ દુનિયાભરના તમામ દેશો લાંબા સમયથી કરી રહ્યા હતા. અમે વાત કરી રહ્યા છીએ નોકિયાના નવા એક્સ-3 ટચ એન્ડ ટાઇપ હેન્ડસેટની. કંપની એ મદ્યમ કિંમતની રેન્જમાં સ્માર્ટફોન કેટેગરીમાં આને લૉન્ચ કર્યો છે. નોકિયા કંપનીની તરફથી આ પ્રથમ હેન્ડસેટ છે જેમાં ટચસ્ક્રિની સાથેસાથે કી-પેડ પણ આપવામાં આવ્યુ છે.ક્સ-3 માં નોકિયાની તમામ આકર્ષક સુવિધાઓ આપવામાં આવી છે. સોથી પહેલા વાત વજનની કરીએ તો તે વજનની બાબતમાં ખુબજ હલ્કો મોબાઇલ છે અને તેનુ વજન માત્ર 78 ગ્રામ છે. એટલે કે ઓછામાં ઓછા વજનની બાબતમાંતો આ તમારા ખીસ્સામાં ભારે નઇજ પડે. આની સાથે જ એક્સ-3 માં 5 મેગાપિક્સલનો કેમેરો લગાવવાંમાં આવ્યો છે. સાથે એમાં 3જી વાઈફાઈ, મ્યુઝિક સિસ્ટમ પ્લેયર અને એફએમ રેડિઓ પણ છે. એક્સ-3માં નોકિયાને 2.4 ઇન્ સ્ટાન્ડર્ડ સાઇઝ ટચ સ્ક્રિનનો ઉપયોગ કર્યો છે. આ સાથે સૌથી મહત્વની વાત આ ફોનની બેટરી એકદમ જબરદસ્ત છે. જેનાથી સતત 5 કલ્લાક સુધી વાત કરી શકો છે. અને તેને ફુલ ચાર્જ કર્યા પછી આ ફોન 17 દિવસ સુધી સ્ટેન્ડબાય મોડમાં રાખી સકાશે.એક્સ થોડાજ સમયમાં વેચાણ માટે નોકિયાની દુકાનોમાં આવી રહ્યો છે. આની કિંમત લગભગ 7.5 હજાર (ટેક્ષ રહીત)છે. કંપનીએ આને પાંચ રંગોમાં લૉન્ચ કર્યો છે. શરૂઆતમાં નોકિયા આ મોબાઇલને ચીન, આર્યલેન્ડ, ઇંગલેન્ડ, રૂસ, ઑસ્ટ્રેલિયા, ન્યૂજીલેન્ડ, સિંગાપોર, જર્મની, સ્પેલ, પોર્ટુગલ, ફ્રાન્સ, મેક્સિકો અને યમનમાં વેચાણ કરવાની છે. ત્યારબાદ ભારત સહિત અન્ય તમામ દેશોના સ્ટોર્સમાં આને વેચાણાર્થે મુકશે.


મોદીએ જાહેર કર્યું BCCI સચિવનું 'સ્કેન્ડલ'

આઇપીએલના પૂર્વ કમિશ્નર લલિત મોદીએ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના ઉચ્ચ હોદ્દેદારો પર નિશાન તાકવા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટરનો ઉપયોગ કર્યો છે. તેણે પોતાની ટ્વિટમાં એક ન્યૂઝ ચેનલનો રીપોર્ટ પોસ્ટ કર્યો છે. જેમાં આઇપીએલની ફ્રેન્ચાઇઝીની હરાજી દરમિયાન બીસીસીઆઇ સચિવ એન શ્રીનિવાસન પર ખોટી રીતે સોદો કરવાનો આરોપ લગાવાયો છે.વીડિયોમાં દર્શાવવામાં આવેલા રીપોર્ટમાં બીસીસઆઇ સચિવ એન શ્રીનિવાસન પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. જે અનુસાર વર્ષ 2008માં શ્રીનિવાસને તત્કાલિન બીસીસીઆઇ અધ્યક્ષ શરદ પવારને ખોટું બોલીને ચેન્નાઇ સુપર કિંગ્સની ફ્રેન્ચાઇઝી હાંસલ કરી હતી.શ્રિનિવાસને બોર્ડને જણાવ્યું હતું કે, ચેન્નાઇ ટીમની ફ્રેન્ચાઇઝી માટે અન્ય કોઇ યોગ્ય કંપની દાવેદાર નથી. અને આ સ્થિતિમાં તેમને ચેન્નાઇ ટીમની ફ્રેન્ચાઇઝી આપવામાં આવે. પરંતુ 9 એક્સ ન્યૂઝ ચેનલના દાવા અનુસાર ત્રણ યોગ્ય કંપનીઓએ આ ટીમ માટે બોલી લગાવી હતી.ચેનલનું કહેવું છે કે, શ્રિનિવાસનના આ કાર્યમાં વર્તમાન બીસીસીઆઇ અધ્યક્ષ શશાંક મનોહરે પણ તેમની મદદ કરી હતી. મોદીએ ટ્વિટ પર કહ્યું છે કે, આઇપીએલનો ઉદ્દેશ્ય માત્ર યુવા પ્રતિભાઓને વધારો આપવાનો છે. પરંતુ તેમાં ભ્રષ્ટાચાર ફેલાવીને કેટલાક લોકોએ આ ટૂર્નામેન્ટની છબી ખરાબ કરી છે.


તમામ તાલુકાઓમાં વરસાદ માપક યંત્રો મૂકાશે

રાજ્યના તમામ ૨૨૫ તાલુકાઓમાં ઓટોમેટિક ‘રેઈન ગેઝ’(વરસાદ માપક યંત્રો )મૂકવાનો નિર્ણય લેવાયો છે અને તે દિશામાં કામગીરી પણ શરુ કરી દેવામાં આવી છે.આ મશીન સેટેલાઈટથી જોડાયેલા હશે અને એના કારણે કોઈપણ તાલુકાની વરસાદની માહિતી તરત જ કોમ્પ્યુટર પર જાણી શકાશે.જે દરેક જિલ્લા અને રાજ્ય કક્ષાએ પણ આપી શકાશે.આ ઉપરાંત વારસાઈ હક્કોમાં કુંટંુબની દીકરીનો સમાવેશ થાય તે માટે ખાસ કાળજી લેવાનું પણ નક્કી કરાયું હતું.અમદાવાદ ખાતે શુક્રવારે મહેસુલ મંત્રી આનંદીબેન પટેલના અધ્યક્ષ સ્તાને જિલ્લા કલેક્ટરોની બેઠક યોજાઈ હતી.જેમાં મહેસુલ મંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે રાજ્યમાં સારો વરસાદ પડ્યો છે અને તેના કારણે જળાશયોમાં પાણીનો સારો ભરાવો થયો છે.વાવણી પણ સારી થઈ છે.જોકે હવે પછી પાણીજન્યા રોગોચાળો ફેલાય નહીં તે માટે જિલ્લાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાય અને વોટર કોલરીનેશન જેવી બાબતો ઉપર વધુ ધ્યાન આપવું જરુરી હોવાથી તેમણે તે અંગે કલેકટોરને સૂચના આપી હતી.તેમણે દરેેક જિલ્લાઓમાં કલેક્ટરો દ્વારા તાલુકા મામલતદારોની બેઠક બોલાવવા ઉપરાંત તેમની કામગીરીની સમીક્ષા કરવા અને તેમની ફરિયાદોનો સ્તવરે નિકાલ કરવા તથા વારસાઈ હક્કોમાં કંુટંુબની દીકરીનો સમાવેશ થાય તે માટે ખાસ કાળજી રાખવાની તાકીદ કરી હતી.આ બેઠકમાં મહેસુલ વિભાગના અગ્ર સચિવ પનીરવેલે કલેક્ટરોની કામગીરીની સમીક્ષા કરી હતી અને જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ થયો છે.જ્યારે ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં સંતોષજનક તથા દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડ્યો છે.આ બેઠકમાં તલાટી દ્વારા વાવેતરની સમયસર નોંધ કરવા,તુમાર નિકાલ,જિલ્લાવાર વરસાદની સમીક્ષા બાબત તેમજ તાલુકા ઈ-ધરા કેન્દ્દો ખાતે નિભાવેલ ફેરફાર પત્રકોનું અસલ રેકોર્ડ જે તે તાલુકા ગામે નિભાવણી કામગીરી અને ખાતેદારના ખર્ચમાં રાહત આપવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.


મોદીની કેબિનેટનું વિસ્તરણ

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કેબિનેટનું આજે વિસ્તરણ કરાયું છે. પહેલાથી જ જે મુજબ અપેક્ષા રાખવામાં આવી રહી હતી તે પ્રમાણે ચાર નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.શપત લેનાર મંત્રીઓમાં ધારાસભ્ય પ્રદિપસિંહ જાડેજા, વિસાવદરના સભ્ય કનુભાઇ ભાલાલા, હિંમતનગરના પ્રફુલ્લ પટેલ અને જામનગરના વસુબેન ત્રિવેદીનો સમાવેશ થાય છે.ગુજરાતના રાજ્યપાલ ડો. કમલા બેનીવાલે ચારેય મંત્રીઓને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા.


શેરહોલ્ડર 5 જ દિવસમાં લાખોપતિ બન્યા!

શેરબજારમાં નાણાં લગાવનાર ફકત પાંચ દિવસમાં જ લાખોપતિ બની ગયા. જી હા, વીતેલા સપ્તાહમાં બીએસઇમાં લિસ્ટેડ થયેલ એસકેએસ માઇક્રોફાઇનાન્સના શેરહોલ્ડરોની સાથે તો કંઇક આવું જ થયું છે. 16મી ઓગસ્ટના રોજ લિસ્ટેડ થયેલ એસકેએસનો શેર શુક્રવાર સુધીમાં 23 ટકા સુધીની વૃદ્ધિ બનાવી રૂ.1211 પર બંધ થયો. તમને બતાવી દઇએ કે એસકેએસ માઇક્રોફાઇનાન્સ એક એનજીઓ હતી, જે પાછળથી ગેર નાણાંકીય બેકિંગ કંપનીમાં તબદીલ થઇ ગઇ. કંપનીએ પોતાની યોજના અંતર્ગત પોતાના કર્મચારીઓને પ્રતિ શેર રૂ.10ના હિસાબથી 2007માં કંપનીના શેર આપ્યા હતા.બીએસઇમાં લિસ્ટ થતાંની સાથે જ એસકેએસ માઇક્રોફાઇનાન્સને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો. રોકાણકારોએ કંપનીના શેરને હાથો હાથ લીધા અને થોડાંક જ દિવસોમાં તેનો શેર ભાવ આસમાને પહોંચવા લાગ્યો છે.



અમૂલના ચેરમેન-વા.ચેરમેન બિનહરીફ ચૂંટાયા

ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (અમૂલ ડેરી)ના ચેરમેન તરીકે રામસિંહ પરમાર અને વાઇસ ચેરમેન તરીકે રાજેન્દ્રરસિંહ પરમાર પુન: બિનહરીફ ચૂંટાયા છે. અમુલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર અને વાઇસ ચેરમેન રાજેન્દ્રરસિંહ પરમારની એક વર્ષની મુદત પૂર્ણ થતાં શુક્રવારે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.પ્રાંત અધિકારી આર.જી.ચૌધરી દ્વારા શુક્રવારે સવારે હાથ ધરાયેલ ચૂંટણી પ્રક્રિયામાં ચેરમેન અને વાઇસ ચેરમેન માટે એક-એક ઉમેદવારીપત્રક ભરવામાં આવતાં ચેરમેન તરીકે રામસિંહ પરમાર અને વાઇસ ચેરમેન તરીકે રાજેન્દ્રરસિંહ પરમારને બિનહરીફ જાહેર કરાયાં હતા.


આ ભારત છે, ગાલ પર ચુંબન નહીં પણ નમસ્તે કરો

‘આ ભારત છે અહીં તમે જો કોઈને મળો તો અભિવાદન કરવા માટે ગાલો પર ચુંબન નહીં પરંતુ નમસ્તે કરો’’. ૩જી ઓક્ટોબરથી શરૂ થનારી કોમન વેલ્થ ગેમ્સ પૂર્વે આયોજકોએ પર્યટકો માટે આ પ્રકારની સૂચના જારી કરી છે. કોમનવેલ્થની વેબસાઈટ પર શું કરવું અને શું નહીં તેની સલાહ આપવામાં આવી છે.વેબસાઈટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં અભિવાદનની રિત નમસ્તે કરવાની છે. આ બે હાથ જોડીને ચહેરાની સામે લાવવામાં આવે છે અને પછી માથું થોડું નમાવીને અભિવાદન કરવામાં આવે છે.આગળ કહેવામાં આવ્યું છે કે, તમે જો પુરુષ હો અને તમારો કોઈ મહિલા કે યુવતી સાથે પરિચય કરાવવામાં આવે તો તમે સામે ચાલીને હાથ મિલાવવા માટે પહેલ કરશો નહીં.જો તમે મહિલા છો અને તમારો પરિચય પુરુષ સાથે કરવામાં આવે તો એ તમારા પર નિર્ભર કરે છે કે તમે હાથ મિલાવવા માટે પહેલ કરો છો કે નહીં.વૈજ્ઞાનિક રીતે પણ શ્રેષ્ઠ પદ્ધતિ,
ભારતમાં હાથ જોડીને નમસ્તે કરવાની પરંપરા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પર આધારિત છે. ચુંબન કરવાથી સ્વાઈન ફલૂ જેવી બીમારીઓનો ચેપ લાગી શકે છે. હાથ મિલાવવાથી પણ ચેપ લાગવાની સંભાવના રહે છે. તેને ધ્યાનમાં લેતા હાથ જોડીને નમસ્તે કરવાની પદ્ધતિ વધારે સારી છે.


દિનુ બોઘાના ભત્રીજા શિવાની દીવથી ધરપકડ થયાની ચર્ચા

આર.ટી.આઇ. એક્ટિવિસ્ટ અમિત જેઠવાના હત્યા કેસમાં અ’વાદ ક્રાઇમ બ્રાંચે શુક્રવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં જુનાગઢના સાંસદ દિનુ બોઘાભાઇ સોલંકીના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ કરી લીધાની ચર્ચાને પગલે કોડીનાર પંથકમાં ભારે હલચલ મચી જવા પામી હતી.જેઠવા હત્યા કેસમાં ગીર ગઢડાના પોલીસ કોન્સ્ટેબલ બહાદુર વાઢેર તથા પચાણ શિવાની ધરપકડ થયા બાદ પચાણ શીવાની કબૂલાતને પગલે શિવા સોલંકીનું નામ ઉભરી આવ્યું હતું. હત્યા માટે સોપારીની રકમ શિવા સોલંકીએ આપવાનું ઠરાવ્યું હોવાનું ક્રાઇમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યા બાદ આ ચકચારી કેસમાં શીવા સોલંકીની ધરપકડ થવાના ભણકારા સંભળાતા હતા.


વાંકાનેર:૪ વર્ષની માસૂમ બાળકી ઉપર સરપંચના પુત્રનો બળાત્કાર

વાંકાનેરના તરકિયા ગામના સરપંચના પુત્ર શૈલેષ સોમાભાઇ કોળીએ ૪ વર્ષની માસૂમ બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાતા આરોપી ઉપર ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે.ધૃણાસ્પદ બનાવની પ્રાપ્ત વિગત મુજબ, હકાભાઇ કોળીની માસૂમ પુત્રીને સરપંચનો શુક્રવારે રાતે આઠ વાગે બિસ્કીટ,ચોકલેટ અપાવી દેવાની લાલચ આપીને ચેક ડેમ પાછળ લઇ ગયો હતો. વાસનાંધ સખશે પોતાના વસ્ત્રો ઉતારી ફૂલ સરીખી બાળકછને ખોળામાં બેસાડી કુકર્મ આચર્યું હતું. દરમિયાન ગામનો ભરવાડ યુવાન ત્યાંથી પસાર થતાં આરોપી બાળકીને ચેકડેમમાં ફેંકીને ભાગી ગયો હતો.બીજી તરફ લાપતા પુત્રીની શોધખોળ કરી રહેલા બાળકીના પરિવારને ભરવાડ યુવાને સઘળી વિગત જણાવતા ચેકડેમના પાણીમાં રડી રહેલી બાળકીને તાત્કાલીક સારવાર માટે ઝનાના હોસ્પિટલમ ખસેડવામાં આવી છે.


સલમાનને અસિનનાં બોડિગાર્ડ બનવું છે!!

અસિન તેનાં કામને ઘણી જ સમર્પિત છે તે તો સૈ કોઈ જાણે છે. તે છેલ્લા ત્રણ મહિનાથી નોન સ્ટોપ તેની ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. તેની ફિલ્મ રેડી માટે તે છેલ્લા ઘણાં મહિનાથી કોલંબોમાં શૂટિંગ કરી રહી હતી અને બાદમાં તેની એડવર્ટાઈઝમેન્ટનાં એન્ડોર્સમેન્ટ માટે મુસાફરી કરતી જોવા મળી હતી.અસિન છેલ્લા ઘણાં સમયથી દિવસનાં 22 ક્લાક નોન સ્ટોપ શૂટિંગ કરતી જોવા મળી હતી. પણ તે ક્યારેય તેનાં આટલાં ચુસ્ત શિડ્યુલની ત્રસ્ત થઈ તેનાં યુનિટ પર ચિડાઈ ન હતી કે ન તે ક્યારેય મોડી પડી હતી.સુત્રોનાં જણાવ્યાં અનુસાર, ''સલમાન તેનાં આ પ્રોફેશનાલિઝમથી એટલો તે પ્રભાવિત થઈ ગયો હતો કે તે તેનો બોડિગાર્ડ બનવાં તૈયાર થઈ ગયો હતો.''રજત રાવાઈલે આ વિશે જણાવ્યું હતું કે, ''અમે અસિન દ્વારા મળેલાં સહયોગથી ઘણાં જ ખુશ છીએ અને આટલી પ્રોફેશનલ હિરોઈન સાથે સાથે કામ કરવાની ખરેખરમાં ઘણી મઝાં આવી હતી. ફિલ્મનું એક શિડ્યુલ કોલંબોમાં પતી ગયું છે.''ફિલ્મનું અન્ય શિડ્યુલ બેંગકોકમાં ફિલ્માવાશે અને અંતે છેલ્લું શિડ્યુલ મુંબઈમાં આટોપોવામાં આવશે.


સૈફ સાથે 4 ફિલ્મો કરી રહી છે પ્રિયંકા

પ્રિયંકાએ સાજીદ નડિયાદવાલાની આગામી ફિલ્મમાં સૈફ અલી ખાન સાથે સાઈન કર્યા બાદ તેને અન્ય ત્રણ ફિલ્મોની ઓફર આવી છે અને મઝાંની વાત તો ત્યાં છે કે આ ત્રણેય ફિલ્મોમાં તેની સામે સૈફ અલી ખાન જ છે.એ વાતતો નક્કી જ છે કે પ્રિયંકા સાજીદ નડિયાદવાલાની આગામી ફિલ્મ કરી રહી છે. આ ફિલ્મ સિધાર્થ આનંદ નિર્દેશ કરશે અને તેમાં સૈફ અલી ખાન હિરો હશે. તેમજ પ્રિયંકા અન્ય ત્રણ ફિલ્મો પણ સાઈન કરવાંનું વિચારી રહી છે જો તેની ડેટસ્ સાથે કોઈ મુશ્કેલી ન ઉભી થઈ તો તે જરૂરથી આ ત્રણ ફિલ્મો પણ સાઈન કરી લેશે.પણ મુશ્કેલી ત્યાં છે કે તેની 2011સુધીની બધી જ તારિખો નક્કી થઈ ચુકી છે. પણ તેને હાલમાં જે રીતે ફિલ્મોની ઓફર થઈ રહી છે તે જોતા લાગતું નથી કે આ બધી જ ફિલ્મો સાઈન કરી શકે.

સંગાકારાને આઈ.સી.સી.ની ક્લિન ચીટ

આઇસીસીએ શ્રીલંકાના સુકાની કુમાર સંગાકારાને શનિવારે ક્લિનચીટ આપતા કહ્યું કે, તેણે આઇસીસીની આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું નથી. ન્યૂઝીલેન્ડ સામેની શુક્રવારની મેચ દરમિયાન નાથન મેક્કુલમ સાથે અથડાયા બાદ સંગાકારાએ જોરદાર વિવાદનો સામનો કરવો પડ્યો હતો. તેના પર મેચ દરમિયાન જાણીજોઇને કોઇ ખેલાડી સાથે અથડાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પરંતુ મેચ બાદ રેફરીએ વીડિયો ફૂટેજ જોઇએ સંગાકારાને આરોપમાંથી મુક્ત કર્યો હતો.ભારતીય ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગને સદીથી વંચિત રાખવા માટે શ્રીલંકાના સ્પિન બોલર સૂરજ રણદિવે ઇરાદાપૂર્વક ફેંકેલા નો-બોલ પ્રકરણમાં પણ સંગાકારાને દોષી માનવામાં આવી રહ્યો હતો. પરંતુ તેમાં તેને માત્ર ચેતવણી આપીને છોડી મુકવામાં આવ્યો હતો. જો કે, પૂર્વ ક્રિકેટ ખેલાડીઓ બિશન સિંહ બેદી અને સુરિંદર ખન્નાનું માનવું છે કે સંગાકારા પર પાંચ મેચનો પ્રતિબંધ લગાવવો જોઇતો હતો. શુક્રવારે વરસાદના કારણે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચનો નિર્ણય વરસાદના કારણે થઇ શક્યો ન હતો. સંગાકારા અને મેક્કુલમ વચ્ચે શ્રીલંકાની બેટિંગ દરમિયાન 27મી ઓવરમાં વિવાદ થયો હતો. સંગાકારા મેક્કુલમની એક બોલને ફાઇન લેગમાં ફટકારીને એક રન લીધો હતો. અને બીજો રન લેતી વખતે તે મેક્કુલમ સાથે અથડાયો હતો. મેક્કુલમની પીઠ સંગાકારા તરફ હતી. અને તેના કારણે સંગાકારા મેક્કુલમને આકરા શબ્દોમાં ઠપકો આપ્યો હતો.સંગાકારાના આ પ્રકારના વર્તન અંગે મેક્કુલમે અંપ્યારનો સમક્ષ ફરિયાદ કરી હતી. અને સંગાકારાને વિરુદ્ધ આઇસીસી એક્ટ 2.2.4 મૂજબ આરોપી માનીને તેના પર જાણીજોઇને વિરોધી ટીમના ખેલાડી સાથે વિવાદ કરવા અંગેનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જો સંગાકારાને આ આરોપ સબબ દોષી માનવામાં આવ્યો હોત તો તેના પર મેચની અડધી કે પછી આખી ફી અથવા તો બે મેચોનો પ્રતિબંધ લાગી શક્યો હોત. પરંતુ મેચ રેફરી એલન હર્સ્ટે મેચ પછી ફૂટેજ જોયા અને સંગાકારાને આરોપમાંથી મુક્ત કર્યો હતો.
તેમણે કહ્યું કે, મે ફૂટેજને અલગ અલગ એંગલથી નિહાળ્યા અને અમ્પાયરો સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. અને આ સમગ્ર પ્રકરણમાં શંકાના આધાર પર સંગાકારાને આરોપમુક્ત કરવામાં આવ્યો હતો.


સાળી સાથે અશ્લીલ ક્લિપિંગ ઉતારી

સાવલીમાં શાળાના એક જવાબદાર હોદ્દેદારના પુત્રેસગી સાળીને પ્રેમના પાઠ ભણાવી શિક્ષણધામમાં જ અશ્લિલ કલીપીંગ ઉતારતાં હોબાળો મચી ગયો હતો. ત્રણેક દિવસથી સમગ્ર પંથકના લોકોના મોબાઇલમાં ફરતી થયેલી કલીપીંગ અંગે શાળા મેનેજમેન્ટને જાણ થતાં તેઓ ચોંકી ઉઠ્યા હતાં.મેનેજમેન્ટે તાબડતોબ બેઠક બોલાવી આ હોદ્દેદાર પિતાને સસ્પેન્ડ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. સાવલીની શાળાના એક મહત્વના હોદ્દેદારના પુત્રે પાસેના ગામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. પ્રેમલગ્ન કર્યા બાદ પણ લંપટ યુવકે સગી સાળી પર ડોળો નાંખ્યો હતો. પત્નીની સુવાવડ સમયે સાળી ઘરે આવતાં યુવકે તેને પણ પ્રેમના પાઠ ભણાવ્યા હતાં.પ્રેમમાં અંધ બનેલા સાળી-બનેવીએ શિક્ષણધામમાં જ પોતાની હવસ સંતોષી હતી. એટલું જ નહિ યુવકે તો સગી સાળી સાથે અંગતપળોની અશિ્લલ કલીપીંગ ઉતારી લીધી હતી. થોડા સમય બાદ પ્રેમમાં અંધ બનેલા સાળી-બનેવી ઉડન છુ થઇ જતાં ભારે ઊહાપોહ મચ્યો હતો.

20 August 2010

સાંસદોના 300 ટકાના પગાર વધારાને મંજૂરી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


સાંસદોના 300 ટકાના પગાર વધારાને મંજૂરી

સાંસદોનું વેતન 300 ટકા વધારવાના નિર્ણયને કેબિનેટે મંજૂરી આપી છે. માત્ર ચાર દિવસમાં જ કેબિનેટનું મન બદલાય ગયું છે અને તેમણે આજે સાંસદોના પગાર વધારાને મંજૂરી આપી દીધી છે. આ પહેલા સોમવારે થયેલી કેબિનેટની બેઠકમાં મતભેદ સપાટી પર આવતા નિર્ણય ટાળી દેવામાં આવ્યો હતો. પરંતુ ત્યાર બાદ રાષ્ટ્રીય જનતા દળ અને સમાજવાદી પાર્ટીના સાંસદો દ્વારા સંસદમાં કરાયેલા ભારે વિરોધ બાદ આજે નિર્ણય કેબિનેટ દ્વારા ફેરવી તોળાયો છે. રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે ત્યાં સુધી કહી દીધી હતું કે જે લોકો સંસદના વેતનના વધારાનો વિરોધ કરી રહ્યાં છે, તેમના સ્વિસ બેંકમાં ખાતા છે.સોમવારે કેબિનેટના કેટલાંક મંત્રીઓએ સૂચન કર્યું હતું કે આ સંદર્ભે કોઈપણ નિર્ણય બહારના વિશેષજ્ઞોની સમિતિ કે સમૂહ બનાવીને તેમનો મત લીધા બાદ કરવો જોઈએ. કેન્દ્રીય ગૃહ મંત્રી પી. ચિદમ્બરમ, માહિતી-પ્રસારણ મંત્રી અંબિકા સોની, અપ્રવાસી મામલાના મંત્રી વ્યાલાર રવિ અને સંરક્ષણ મંત્રી એ. કે. એન્ટનીએ કેબિનેટ બેઠકમાં જનતા વચ્ચે ખોટો સંદેશો જવાની આશંકા વ્યક્ત કરી હતી. પરંતુ શુક્રવારે કેબિનેટે પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે. હવે પ્રસ્તાવ સંસદમાં રાખવામાં આવશે. સંસદમાં સાંસદોના પગાર વધારાનું વિધેયક પારિત થવામાં હાલ કોઈ શંકા દેખાતી નથી. આ વિધેયકના પારિત થયા બાદ સાંસદોનો પગાર 16 હજાર રૂપિયાથી વધીને 50 હજાર રૂપિયાનું (મૂળ વેતન) થઈ જશે.લગભગ તમામ પક્ષોના સાંસદો આ મામલામાં એકજૂટ નજરે પડે છે. સાંસદોનો તર્ક છે કે દુનિયાના કોઈપણ દેશમાં સાંસદો આટલા ઓછું વેતન મેળવતા નથી. ખાસ કરીને બ્યૂરોક્રેટ્સથી પણ ઓછું વેતન મેળવવા પર સાંસદોને વાંધો છે. મહત્વપૂર્ણ છે કે સંયુક્ત સંસદીય સમિતિના સાંસદોનું વેતન વધારવાની ભલામણ કરી હતી. સાંસદો ઈચ્છે છે કે તેમનું વેતન ઓછામાં ઓછું સચિવોના પગારથી તો વધારે હોવું જોઈએ.


અમિતાભ બચ્ચન ગુજરાતના પ્રવાસન ઉદ્યોગની ઇમેજ બદલશે

ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને નવો વેગ આપવા બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. હાલ તેઓ ગુજરાતમાં જ આ માટેની એડફિલ્મના વ્યસ્ત છે. ત્યારે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીના નિષ્ણાંતો માને છે કે બચ્ચન ગુજરાત સાથે જોડાતાં અહીંના પ્રવાસન ઉદ્યોગની ઇમેજમાં ઘણો બદલાવ થઇ શકે છે.બીગ બીનું નામ તો મોટું જ છે અને તેમની ઇમેજ પણ એટલી જ મોટી છે. તેથી ગુજરાત માટેનું તેમનું પ્રમોશનની ટુરઝિમના લોકોને પણ ભારે ઇન્તેજારી છે. શહેરમાં યોજાયેલા ટ્રાવેલ એન્ડ ટુર ફેરના આયોજક સંજય અગ્રવાલે કહ્યું હતું કે,‘બીગ બીના પ્રમોશનથી ગુજરાતના ટુરઝિમની ઇમેજ બદલાઇ શકે છે, જો કે તેના વિશે વધુ કંઇ કહેવું હાલના તબક્કે યોગ્ય નથી.’બીગ બીએ ગાંધી આશ્રમ ઉપરાંત પોરબંદરમાં ગાંધીના જન્મસ્થળે પણ શૂટિંગ કર્યું છે. ત્યારે સંજય અગ્રવાલનું કહેવું છે કે ‘ગાંધી વૈશ્વિક સેલિબ્રિટી છે. ગુજરાત તેમની જન્મ અને કર્મભૂમિ રહી છે. તેથી ગુજરાતે ‘ગાંધી ટુરઝિમ’નું પણ માર્કેટિંગ વિશ્વ સમક્ષ કરવું જોઇએ.’


સુષ્માની હાજરીમાં બેલ્લારીમાં બાળ લગ્નો?

રેડ્ડી બંધુઓ સાથે ઘનિષ્ઠ સંબંધને કારણે ભાજપ ફરી એક વખત વિવાદોમાં ઘેરાતો નજરે પડે છે. રેડ્ડી બંધુઓએ શુક્રવારે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. પરંતુ એવી માહિતી છે કે આ સમારંભમાં સગીર યુગલો પણ પરિણય સૂત્રમાં બંધાશે. આમ તો આ આયોજનમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ સહીત ભાજપના ઘણાં વરિષ્ઠ નેતાઓ સામેલ થઈ રહ્યાં છે.બાલ અને મહિલા પંચે રેડ્ડી બંધુઓના સમૂહ લગ્ન વિરુદ્ધ ફરીયાદ કરતાં આશંકા વ્યક્ત કરી છે કે આ સમારંભમાં ઘણાં સગીરોના લગ્ન થઈ રહ્યાં છે. ફરીયાદ પ્રમાણે, 2008 અને 2009માં રાજ્યના આરોગ્ય મંત્રી બી.શ્રીરાલામુલુએ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું, જેમાં ઘણાં સગીરોના લગ્ન થયા હતા. પરંતુ રાજ્ય સરકારે કોઈ કાર્યવાહી કરી ન હતી. એવામાં એ વાતની સંપૂર્ણ આશંકા છે કે આ વખતે પણ રેડ્ડી બંધુઓ તરફથી આયોજીત આ સમૂહ લગ્ન સમારંભમાં સગીરોના લગ્ન થઈ શકે છે.રાજ્યના પર્યટન મંત્રી જનાર્દન રેડ્ડી જો કે આ સમૂહ લગ્ન સમારંભમાં સગીરોના લગ્ન થવાની વાતનો ઈન્કાર કરે છે. જ્યારે સુષ્મા સ્વરાજે આ મામલે પત્રકારો સાથે વાતચીતનો કરવાનું ટાળ્યું છે.



ભૂમિ નરેન્દ્ર મોદીથી પ્રભાવિત

3મી ઓગસ્ટે ભૂમિનો જન્મ દિવસ.કેન્સરથી ગ્રસ્ત દર્દીઓ માટે જીવનમાં કંઇક કરવું છે. કેન્સરથી પીડાતા લોકોનું દર્દ ઓછું થાય અને તેમને નવું જીવન બક્ષી શકાય તેવા કાર્યો કરવાની હૃદયથી ઇચ્છા છે.આ ઉપરાંત મારે સંગીત માટે જીવનમાં એક એકેડમી ખોલવી છે. જેમાં નવા ઉભરતાં સિંગરોને સંગીતની સઘન તાલીમ મળી શકે.. આ શબ્દો છે ઇન્ડિયન આઇડિયલ-૫માં ટોપ-થ્રી સુધી પહોંચેલી વડોદરાની ભૂમિ ત્રિવેદીના.ઇન્ડિયન આઇડિયલ-૫ની સ્પર્ધાની ચાર મહિનાનો સફર પૂર્ણ કર્યા બાદ પોતાના વતનમાં પરત ફરેલી ભૂમિ ત્રિવેદીએ ‘ દિવ્ય ભાસ્કર’ સાથેની ખાસ વાતચીતમાં પોતાના ઇન્ડિયન આઇડિયલ-૫ના અનુભવને વર્ણવતાં જણાવ્યું કે, ઇન્ડિયન આઇડિયલ-૫ની સ્પર્ધામાં ભાગ લઇને મને સંગીતના દિગ્ગજો સાથે ગાવાનો અને કંઇક નવું શીખવાનો મોકો મળ્યો હતો.


અમેરિકન અર્થંતંત્રની બરબાદી?

અમેરિકન અર્થતંત્રની સ્થિતિ આવનાર દિવસોમાં હજુ પણ ખરાબ હશે. વધતી બેરોજગારી અને મેન્યુફેકચરિંગ સેક્ટરની સુસ્તીથી ત્યાંની સરકાર ચલાવનાર માટે માથા પર ચિંતાની રેખાઓ ખેંચાઇ ગઇ છે. અમેરિકન સંસદના કૉંગ્રેસની એક સમિતિએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આવનારા દિવસો આનાથી પણ ખરાબ હશે અને અર્થંતંત્ર આવતા ચાર વર્ષ સુધી બેઠું થાય તેવા કોઇ સંકેતો દેખાતા નથી.ક્રૉંગ્રેસનલ બજેટ ઓફિસના મતે અમેરિકામાં બેરોજગારીનો દર હવે વધીને 9.5 ટકા થઇ ગયો છે, જે બહુ ચિંતાજનક છે. તેને 4 ટકાના દરે આવતા ઓછામાં ઓછા ચાર વર્ષ લાગશે. 2014માં બેરોજગારીનો દર અંદાજે 5 ટકાએ આવશે. આમ તો બેરોજગારીનો દર 4 ટકા એક્સેપેટેબલ માનવામાં આવે છે અને સરકાર પણ એવી સ્થિતિ ઇચ્છે છે. પરંતુ મેન્યુફેકચરિંગ સેકટરનો વિકાસ ધીમો થતાં કોઇ આશા દેખાતી નથી. હવે મંદીની છાયા વધુ ઘેરી દેખાઇ રહી છે અને બેરોજગારીના આંકડા નવ મહિનાની ઉપલી સપાટી પર પહોંચી જતા અર્થતંત્રમાં નિરાશા છે. સીબીઓના ડાયરેક્ટર ડોગલસ અલમેંજરના મતે અમેરિકન અર્થંતંત્રનો ઉદ્ધાર અત્યારે થતો દેખાતો નથી, જૂલાઇના આંકડા આવ્યા બાદ તે સ્પષ્ટ ઇ ગયું છે કે યુએસએ ને આ વર્ષે 1.34 ખરબ ડોલરની ખોટ થશે.


ઘાટલોડિયામાં રબારી અને ઠાકોર જૂથ બાખડ્યા, વાહનો સળગાવાયાં

ઘાટલોડિયામાં દશામાના ગરબાના કાર્યક્રમ દરમિયાન ઠાકોર અને રબારીઓ વચ્ચે ઘર્ષણ રબારીઓના ટોળાએ પાંચ બાઈક અને સાયકલ સળગાવી દેતા સમગ્ર વિસ્તારમાં તંગદીલી ફેલાવવા સાથે નાસભાગ મચી ગઇ હતી. આ અંગે પોલીસે રબારીઓના ટોળા વિરુધ્ધ ગુનો નોંધી ચારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્તમાહિતી અનુસાર,અલકાપુરી સોસાયટીમાં આવેલા દશામાના મંદિર ખાતે યોજાયેલા ગરબાના કાર્યક્રમ દરમિયાન ૨૦ થી ૨૫ રબારી યુવાનો આવ્યા હતા અને ઠઠ્ઠા મશ્કરી કરી રહ્યા હતા. દરમિયાનમાં એક રબારી યુવાને પાણીનો જગ ઉછાળતા તે કમલેશ ઠાકોર નામના યુવાનને વાગતા કમલેશે રબારી યુવાનો સાથે ઝગડો કરતા યુવાનોએ ભેગા મળીને કમલેશની ધોલાઇ કરી હતી.જો કે આ દ્રશ્ય જોઇ કમલેશના સગા સબંધી દોડી આવતા રબારી યુવાનો ભાગ્યા હતા અને નજીકમાં પડેલી બાઈકોની પેટ્રોલની પાઈપો કાઢીને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઇ હતી. આ અંગે હરેશભાઇ અંબારામ મેરાજી ઠાકોરની ફરિયાદના આધારે ઘાટલોડિયા પોલીસે ૨૦ થી ૨૫ રબારી યુવાનો વિરુધ્ધ ગુનો નોંધી ચાર જણાંની ધરપકડ કરી છે. જેમાં અમૃત ગોવા રબારી, દિનેશ પ્રભાત રબારી,દેવરાજ શરતાનભાઇ રબારી અને રઘુ ગોવા રબારીનો સમાવેશ થાય છે.


ભાવનગર યુનિ.ને રૂપિયા બે કરોડની ગ્રાન્ટ

ભાવનગર યુનિવર્સિટીમાં ચોઈસ બેઈઝડ ક્રેડીટ સિસ્ટમની અમલવારી શરૂ થઈ ગયા બાદ રાજ્યની ભાવનગર યુનિ. સહિત ત્રણ વિશ્વ વિદ્યાલયોને વધારાની રૂ. બે કરોડની ગ્રાન્ટ આપવાની જાહેરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણમંત્રી રમણભાઈ વોરાએ કરી છે.ચોઈસ બેઈઝડ ક્રેડિટ સિસ્ટમ (સીબીસીએસ)ની અમલવારી માટે રાજ્યની ભાવનગર યુનિ., સૌરાષ્ટ્ર યુનિ. અને સરદાર પટેલ યુનિવર્સિટી, આ પ્રત્યેક યુનિવર્સિટીને રૂ.બે-બે કરોડની વધારાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત રાજ્યભરના કુલપતિઓની મળેલી બેઠકમાં કરવામાં આવી હતી.યુજીસીની ગાઈડલાઈન મુજબ દરેક યુનિવર્સિટીએ આ સિસ્ટમનો અમલ કરવાનો છે અને સમગ્ર રાજ્યમાં ચોઈસ બેઈઝડ ક્રેડિટ સિસ્ટમનો સૌ પ્રથમ અમલ ભાવનગર યુનિવર્સિટીએ કર્યો છે તે અંગે વિસ્તૃત જાણકારી ભાવ.યુનિ.ના કુલપતિ પ્રો.બી.એલ. શર્માએ ઉચ્ચ શિક્ષણમંત્રી રમણભાઈ વોરાને આપી હતી.


સુરત એરપોર્ટ પરથી લેપટોપ અને ક્રેડિટ કાર્ડ્સ ચોરાયા

સુરત એરપોર્ટ પર આવેલા એક મુસાફરનું લેપટોપ, ક્રેડિટ કાર્ડસ તથા અલગ અલગ હોટેલ્સના સ્ટે કાર્ડની ચોરી થઈ હતી. મુસાફર મોઢું ધોવા માટે એક મિનિટ બાથરૂમમાં ગયા ને એરપોર્ટ પર ગઠિયો કળા કરી બેગ ક્યાં ગાયબ કરી ગયો તેની કોઈને જાણ નથી.પ્રાપ્ત વિગતો અનુસાર કલ્પેશભાઈ વાડીલાલ શાહ દિલ્હીની ફ્લાઇટમાં જવા માટે સુરત એરપોર્ટ પર ગુરુવારે બપોરે પહોંચ્યા હતા. દરમિયાન તેઓ ફ્રેશ થવા માટે બાથરૂમમાં ગયા હતા, બાથરૂમમાં તેમની લેપટોપની બેગમાં પાણી લાગી જશે એવું માની તેઓ ફરીથી બહાર આવ્યા અને બેગ બાથરૂમની બહાર મૂકી દીધી હતી. આ ઘટના એરપોર્ટ પર કોઈ ગઠિયો જોઈ રહ્યો હતો, કલ્પેશભાઈ જેવા બાથરૂમની અંદર ગયા ને ગઠિયો લેપટોપની બેગ લઈ રફૂચક્કર થઈ ગયો હતો.આ બેગમાં એક લેપટોપ, બે બેંકના ક્રેડિટ-ડેબિટ કાર્ડ, બે અલગ અલગ એરલાઇન્સના કાર્ડ તેમજ ફાઇવ સ્ટાર હોટેલના સ્ટે કાર્ડ હતું. આ બનાવ અંગે કલ્પેશભાઈએ ઉમરા પોલીસ મથકમાં જઈ ફરિયાદ કરતાં મામલો પ્રકાશમાં આવ્યો છે. બનાવ અંગે પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


‘રામમંદિર નિર્માણને ચુટકી વગાડું એટલી વાર’

આ જન્મમાં કરેલાં સત્કાર્યો પાછલાં જન્મોના કર્મોના મોટાભાગનાં દુષ્પરિણામને નષ્ટ કરે છે માટે જીવનમાં સત્કાર્યો કરવાં જોઈએ જેથી સમાજ અને રાષ્ટ્રનો ઉત્કર્ષ થશે ત્યારે દેશ અને સમાજનાં કલ્યાણકારી કાર્યોમાં લાગી જવાનું આહ્વાન વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો..પ્રવિણ તોગડિયાએ ગુરુવારે મહેસાણા ખાતે વિહિપ આયોજીત સ્નેહમિલન સમારોહમાં નિવૃત્ત કર્મચારીઓને કર્યું હતું.મહેસાણામાં લાંબા સમયગાળા પછી આવેલા ડો.. પ્રવિણ તોગડિયાએ આ પ્રસંગે ‘‘દાનનો અર્થ માત્ર પૈસાનું દાન જ નથી પરંતુ અન્નદાન, વિદ્યાદાન, જીવનદાન, પાણીદાન પણ શ્રેષ્ઠ દાન છે તેમ કહીને અર્થ ઉપાર્જનની જવાબદારીમાંથી મુક્ત થયેલા વડીલોને હવે સમાજ અને રાષ્ટ્રની સેવામાં જોડાવું જોઈએ’’ તેમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ભગવાનનું નામ લેવું અને બીજાને લેવડાવવું એ પણ શ્રેષ્ઠ કર્મ છે. જ્યારે ઉપસ્થિત સંતો-મહંતોએ વિદેશી સંસ્કૃતિના મારાથી બચીને ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરવાનું તેમજ હનુમંત શક્તિ જાગરણ મંચ સહિતમાં જોડાઇને સત્કાર્યો કરવા અનુરોધ કર્યો હતો.રામમંદિર બનાવવા માટે દેશભરમાં હનુમાન શક્તિ જાગરણ અભિયાન અંતર્ગત ૧૬મી ઓગસ્ટથી ૧૫મી નવેમ્બર સુધી દર શનિવારે ગામેગામ અને શેરીએ શેરીએ ૧૧ હનુમાન ચાલીસાના પાઠ કરવાનું શરૂ કરાયું છે ત્યારે આ હનુમંત શક્તિ જાગરણ અભિયાનમાં તેમજ રાષ્ટ્રના ઉત્કર્ષના કાર્યોમાં નિવૃત્ત વડીલો પણ જોડાય તેવા હેતુથી વિશ્વ હિન્દુ પરિષદ મહેસાણા જિલ્લા દ્વારા ગુરૂવારે સવારે શહેરના કમળાબા હોલમાં જિલ્લાના વાનપ્રસ્થિ નિવૃત્ત કર્મચારીઓના સ્નેહમિલન સમારોહનું આયોજન કરાયું હતું.


સચિનનો હોય સાથ તો પછી જોવાનું જ શું

ક્રિકેટ જગતમાં ડગ માંડનાર દરેક યુવાન ખેલાડી સચિન તેંડુલકર જેવું બનવા માંગે છે. મુંબઇ ઇન્ડિયન્સ માટે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરનાર કેરોન પોલાર્ડનું કહેવું છે કે, સચિન જેવા મહાન ખેલાડી સાથે રમવાનું તેનું સ્વપ્ન પૂરુ થયું છે.આંખમાં થયેલી ઇજાના કારણે મેદાનથી દૂર રહેલા પોલાર્ડને વિશ્વાસ છે કે, તે દક્ષિણ આફ્રિકામાં થનાર ચેમ્પિયન્સ લીગ ટી-20 ટૂર્નામેન્ટમાં ધમાકેદાર પુનરાગમન કરશે. ત્રિનિદાદથી ડીએનએને આપેલા ઇન્ટર્વ્યુંમાં તેણે જણાવ્યું હતું કે તેની આંખની ઇજા પહેલા કરતા વધારે સારી છે. અને ટૂંક સમયમાં રમવાનું શરૂ કરશે.ઉલ્લેખનીય છે કે ડોમિનિક કોર્કની એક બાઉન્સરથી પોલાર્ડની આંખ ઇજાગ્રસ્ત થઇ હતી. આઇપીએલ-3ના સૌથી મોંઘા ખેલાડી રહેલા પોલાર્ડે કહ્યું કે તેની પાસે હજૂ ત્રણ સપ્તાહ જેટલો સમય છે અને તે આ ઇજામાંથી બહાર આવી જશે.


ટ્રેનને જોતા બિગ બીને શોલેના દિવસો યાદ આવ્યા

બોલિવૂડ લિજેન્ડ અમિતાભ બચ્ચન હાલમાં ગુજરાત પ્રવાસન વિભાગની એડ ફિલ્મના શુટિંગ અર્થે ગુજરાત આવ્યા છે. બુધવારના રોજ બિગ બી પોરબંદર ગયા હતા. આ સમયે રેલવે ફાટક ક્રોસ કરતી વખતે તેમણે પોતાની ગાડી ઉભી રખાવી દીધી હતી.સીનિયર બચ્ચન કારમાં બેસીને શુટિંગ અર્થે જઈ રહ્યા હતા. આ સમયે રેલવે ફાટક બંધ હતું. બિગ બી કારમાંથી નીચે ઉતર્યા હતા અને ટ્રેન આવે તેની રાહ જોઈ રહ્યા હતા. બિગ બીને આ સમયે ફિલ્મ શોલેની યાદ આવી હતી.અમિતાભ બચ્ચને કહ્યું હતું કે, રેલવેને જોઈને તેમને શોલે અને મે આઝાદ હૂં જેવી ફિલ્મોની યાદ આવી ગઈ હતી.બિગ બી રેલવે ફાટક આગળ ઉભા રહેતા ગાર્ડ તેમને જોઈને ભાન ભૂલી ગયો હતો અને તેણે ભૂલથી લાલ ઝંડી બતાવી હતી. આ જોઈને બિગ બી તરત જ બોલી ઉઠ્યા હતા કે, અરે લાલ ઝંડી ના બતાવીશ ગાડી ઉભી રહી જશે. અમિતાભે રેલવે ગાર્ડનું હાથ જોડીને અભિવાદન કર્યુ હતું. ટ્રેન જતી રહી પછી બિગ બી કારમાં બેસીને રવાના થયા હતા.

રાજકોટમાં સ્ટોલની હરાજીમાં ૫૪ લાખ મળ્યા

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટમાં સ્ટોલની હરાજીમાં ૫૪ લાખ મળ્યા

રેસકોર્સ મેદાન ખાતે ૩૧ ઓગસ્ટથી ૫ સપ્ટેમ્બર સુધી યોજાનાર લોકમેળા માટે વિવિધ કેટેગરીના સ્ટોલની હરાજી દ્વારા અત્યાર સુધીમાં તંત્રને ૫૪ લાખની આવક થવા પામી છે અને હજુ આઇસ્ક્રીમના મોટા ૨૨ ચોકઠાંની હરાજી બાકી હોય તંત્રને એકાદ કરોડની આવક થવાની આશા છે. આજે રમકડાંના ૧૬૨ સ્ટોલનો ડ્રો યોજાયો હતો. જે માટે ૭૦૦ અરજીઓ આવી હતી તો ખાણી-પીણી માટે સી કેટેગરીના ૨૬ સ્ટોલ માટેનો ડ્રો પણ જૂની કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો.લોકમેળામાં યાંત્રિક કેટેગરીના કુલ ૫૫ પ્લોટ છે. જે પૈકી ૪૬ની હરાજી ગઇકાલે યોજાઇ હતી અને તે દ્વારા તંત્રને ૪૩.૭૫ લાખની રકમ મળી હતી. હજુ આઠ પ્લોટની હરાજી બાકી છે તો બીજી તરફ યાંત્રિક આઇટમમાં જી. કેટેગરીમાં ૮૦ હજારની અપસેટ કિંમત સામે ૧.૮૦ લાખ જેવી ઊંચી બોલી બોલાઇ હતી.તેમજ યાંત્રિકમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વહીવટીતંત્રને ૧૦ લાખની વધુ આવક થવા પામી છે. આવતીકાલે શુક્રવારે સવારે ૧૧ વાગ્યે આઇસ્ક્રીમના એક્સ અને વાય કેટેગરીના ૨૨ પ્લોટની હરાજી તેમજ બાકી બચેલા અન્ય પ્લોટ્સની પણ હરાજી કરવામાં આવશે. મેદનામાં ખાલી જગ્યાએ રેંકડી કે કેબીન રાખવાની મંજુરીની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે.


રાજકોટ : પટેલ યુવાનની તેની જ કારમાં ગળું કાપી હત્યા

મોરબી રોડ પરથી લાશ મળી, ગળામાં દુપટ્ટો વિટાંયેલો હોવાથી સ્ત્રીપાત્ર કારણભૂત હોવાની શંકા. શહેરમાં રહસ્યમય હત્યામાં વધુ એક બનાવમાં કોઠારિયા રોડ પર રહેતા અને મંગળવારની રાતે શાપર જવાનું કહીને નીકળ્યા પછી લાપતા બની ગયેલા પટેલ યુવાનની ગળું કાપી હત્યા કરાયેલી લાશ તેની જ કારમાંથી મળી આવતા સનસનાટી મચી ગઇ છે.મૃતદેહના ગળા પર દુપટ્ટો વિંટાળેલો હોવાથી હત્યા પાછળ સ્ત્રીપાત્ર કારણભૂત હોવાનું પોલીસનું અનુમાન છે.પ્રાપ્ત વિગત મુજબ, બી.ડિવિઝનના પીઆઇ. એમ.એફ.જેઠવા, હેડ કોન્સ્ટેબલ મહેશગીરી સહિતનો સ્ટાફ બુધવારની રાતે પેટ્રોલિંગમાં હતો ત્યારે, મોરબી રોડ પર વેલનાથ પરા નજીક પાર્ક કરાયેલી કાળા કલરની જીજે પ સીએ ૯૨૬૬ નંબરની સેન્ટ્રો કારનો દરવાજો થોડો ખુલ્લો નજરે પડ્યો હતો. પોલીસે દરવાજો ખોલતા કારની પાછળની સીટમાં યુવાનની લોહી નિતરતી લાશ પડી હતી. ખૂનીએ છરીના બે ઘા ગળામાં અને બે ઘા પેટમાં ઝીંકી ઘાતકી પણે હત્યા કરી હતી. કારની આર.સી. બુક મળી આવતા કાર માલિક નિલકંઠ પાર્ક બ્લોક નંબર ૯૪/૧ માં રહેતા છગનભાઇ પાટડિયાનો સંપર્ક કરતા તેમણે એ કાર પોતાની હોવાનું અને મૃતદેહ એકના એક પુત્ર યોગેશનો હોવાનું કહી ભાંગી પડ્યા હતા.છગનભાઇએ પોલીસને જણાવ્યા મુજબ યોગેશ મારૂતિ સેલ્સ એજન્સી નામથી પાન-બીડીનો હોલસેલનો ધંધો કરતો હતો. યોગેશ (ઉ.વ.૨પ ) ૧૭ તારીખે રાતે ધંધાના કામથી શાપર વેરાવળમાં માસા રમેશભાઇ બાંભરોલીયાને ત્યાં જવાનું કહીને સેન્ટ્રો કાર લઇને ગયો હતો. એક કલાક પછી યોગેશે મોબાઇલમાંથી પિતાને ફોન કરીને જે વસ્તુ લેવાની હોય તેની યાદી તૈયાર કરવાનું કહ્યું હતું. ત્યારે પિતાએ તારી સાથે બીજું કોઇ છે?’ તેમ પૂછતા તેણે કોઇની કારમાં પેટ્રોલ ખૂટી ગયું હોવાથી લીફ્ટ આપ્યાનું કહીને ફોન કાપી નાખ્યો હતો.યોગેશ સવાર સુધી પરત નહીં આવતા તેમજ શાપર પહોંચ્યો ન હતો, તેનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ મળતા ૧૮ તારીખે સવારે ભક્તિનગર પોલીસ મથકમાં પુત્ર ગુમ થયાની નોંધ કરાવી હતી.દરમિયાન લાપતા યોગેશની લાશ તેની જ કારમાંથી મળી આવતા પટેલ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પરિવારજનોએ પોલીસને કહ્યું હતુ કે, તેમને કે પુત્રને કોઇ સાથે દુશ્મની નથી. યોગેશને દારૂ,જુગાર તો ઠીક પાનનું વ્યસન પણ ન હતું.


નેચર મેગેઝિને જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાનના ગણાવ્યા

કોંગ્રેસ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ. અમેરિકાથી પ્રસિધ્ધ થતાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્તમેગેઝીન ‘નેચર’ના એક અહેવાલમાં જમ્મુ-કાશ્મીર પાકિસ્તાનનો ભાગ હોય એવો નકશો પ્રસિધ્ધ કરતાં ભારે અનર્થ સર્જાયો છે. એ મુદ્દે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આ મેગેઝીન સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.પાકિસ્તાનમાં તાજેતરમાં આવેલાં પુર અંગે નેચર મેગેઝીન દ્વારા તા.૧૩-૦૮-૨૦૧૦ના રોજ પ્રસિધ્ધ થયેલાં એક આર્ટિકલમાં પ્રસિધ્ધ કરવામાં આવેલાં નકશામાં જમ્મુ-કાશ્મીરને ભારતનાં નકશામાંથી ઉડાડીને પાકિસ્તાનના નકશામાં ભેળવી દેવાયા છે.ઇન્ટરનેટ ઉપર નેચર ન્યૂઝની સાઇટ ઉપર આ લેખ પ્રસિધ્ધ થતાં અનેક દેશપ્રેમીઓ ચોંકી ઉઠ્યા હતા. કેટલાક જાગૃત વાંચકોએ એ અંગે સાઇટ ઉપર જ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.


રાજકોટમાં ભાજપની પુસ્તિકાને લોકોએ આગ ચાંપી

રાજકોટમાં મહાપાલિકાની આગામી ચૂંટણી ભાજપ માટે કપરા ચઢાણ જેવી બની રહેશે તેવા એંધાણ આપતી એક અતિ ગંભીર ઘટના આજે વોર્ડ નં. પમાં બની હતી. ચૂંટણી પૂર્વે મતદારો સામે ક્લિક થવાના કીમિયા અજમાવવા ભાજપે આ પાંચ વર્ષમાં ક્યાં વોર્ડમાં કેટલા વિકાસકામો થયા છે.તેવી વોર્ડવાઇઝ પુસ્તિકા છપાવી છે અને આજે વોર્ડ નં. પની પુસ્તિકાનું વિતરણ શરૂ કરવા પૂર્વે તેના વિમોચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એ દરમિયાન ૬૦૦ થી ૭૦૦ લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને અહીં રોડ, ગંદકી, ગટર અને પાણી સહિતના પ્રશ્નો પહેલા ઉકેલો એમ કહીં પુસ્તિકાને આંગ ચાંપી દીધી હતી. બનાવના પગલે ભાજપના કાર્યકરો અને લોકોના ટોળાં વચ્ચે ભારે બઘડાટી બોલી ગઇ હતી.બનાવની મળતી વિગત મુજબ આજે મોડી સાંજે રણછોડદાસજી બાપુ આશ્રમના પાછળના વિસ્તારમાં ભાજપના સ્થાનિક કાર્યકરોની બેઠક અને સાથે વોર્ડ નં. પમાં ભાજપના પાંચ વર્ષના શાસનમાં ક્યાં-ક્યાં વિકાસ કામો થયા છે તે વર્ણવતી પુસ્તિકાનો વિમોચન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વોર્ડ નં. પમાં રૂ. ૭ કરોડથી વધુ વિકાસકામો થયા છે અને તેનો હિસાબ આ પુસ્તિકામાં માંડવામાં આવ્યો હતો.


રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી ઊનાની બાળકીનું મોત

શિયાળા બાદ બીજા તબક્કામાં પ્રસરી રહેલા સ્વાઇન ફલૂના મહાભયાનક રોગે સૌરાષ્ટ્રને ભરડામાં લઇ એક પછી એક માનવ જિંદગીનો ભોગ લેવાઇ રહ્યો છે ત્યારે વધુ એક મોતની ઘટનામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી ઊનાની ચાર વર્ષની માસૂમ બાળકીએ દમ તોડતા અરેરાટી ફેલાઇ ગઇ છે.ઊના પંથકના જુડવદર ગામની ચાર વર્ષની મમતા ચંદુભાઇ નામની માસૂમ બાળકીને શરદી, ઉધરસ થતાં પ્રથમ ઊના હોસ્પિટલ ત્યાર બાદ જૂનાગઢ સારવાર માટે ખસેડાઇ હતી. જૂનાગઢ સારવાર દરમિયાન માસૂમ બાળકીને સ્વાઇન ફલૂના લક્ષણો જણાતા તેને ગત તા.૧૬ના રોજ સારવાર માટે રાજકોટ ખસેડી સ્વાઇન ફલૂ વોર્ડમાં દાખલ કરાઇ હતી. બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતા સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી.પરંતુ, ત્રણ દિવસની સારવાર કારગત ન નિવડતા મમતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. ચાર વર્ષની માસૂમ બાળકીના મૃત્યુ સાથે સ્વાઇન ફલૂથી મોતને ભેટેલાઓનો આંક ૧૪૦ ઉપર પહોંચ્યો હતો. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ હાલ, સ્વાઇન ફલૂ વોર્ડમાં દસ દર્દી સારવારમાં છે. જેમાં પાંચ પોઝિટિવ કેસ છે અને પાંચના રિપોર્ટ લેવાયા છે.


અયોધ્યા વિવાદ પર ચુકાદા પહેલા સરકાર સતર્ક

અયોધ્યામાં વિવાદિત ઢાંચાના વિધ્વંસ મામલે કોર્ટનો ચુકાદો આવવાના પહેલા ઉત્તર પ્રદેશ સરકારે સતર્કતા વધારી દીધી છે. દિલ્હી-હરિયાણા અને રાજસ્થાન સાથે લાગેલા પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણાં જિલ્લામાં રાજ્ય સરકારે અયોધ્યા વિવાદ સંદર્ભે આગામી માસમાં આવનારા કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને અતિ સંવેદનશીલ માન્યા છે. 20 ઓગસ્ટથી રાજ્યના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ આગામી આદેશ સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારે કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમ સમક્ષ રાજ્યમાં સારી સુરક્ષા વ્યવસ્થા માટે સીઆરપીએફની 460 કંપનીઓ આપવાની માગણી કરી છે.કેન્દ્ર અને રાજ્ય સરકારની ગુપ્તચર સંસ્થાઓએ માહિતી આપી છે કે અયોધ્યા મામલામાં ચુકાદો આવે તે પહેલા આરએસએસ સાથે જોડાયેલા વિશ્વ હિંદુ પરિષદના નેતાઓ સંગઠિત થઈ રહ્યાં છે. સાધુ-સંતો અને ધર્માચાર્યોનો ચાર પીઠના શંકરાચાર્યો સાથે સંપર્ક બનેલો છે. ફૈઝાબાદના અખાડા પરિષદની બેઠક પણ થઈ ચુકી છે. જો હાઈકોર્ટનો ચુકાદો તેમની તરફેણમાં નહીં આવે, તો મથુરા-વારાણસીના વિવાદને પણ રામ મંદિર આંદોલન સાથે સીધા જોડવાની મનસા વિશ્વ હિંદુ પરિષદના કેટલાંક નેતાઓની છે. ગુપ્તચર સંસ્થાએ એ પણ માહિતી આપી છે કે કોર્ટનો ચુકાદો આધો-પાછો આવશે, તો અન્ય પક્ષ પણ નવેસરથી આંદોલન ચાલુ કરવાની ફિરાકમાં છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી માયાવતીએ ઉચ્ચસ્તરીય અધિકારીઓની બેઠકમાં તમામ કમિશનરોને તેમાય ખાસ કરીને મથુરા સાથે જોડાયેલા આગ્રા-અલીગઢના કમિશનર અને ડીએમને વધુ સતર્કતા દાખવવાના નિર્દેશ આપ્યા છે. વારાણસી-અલ્હાબાદ અને મિર્ઝાપુરના અધિકારીઓને પણ વિશેષ સતર્કતા દાખવવાની સલાહ આપી છે, કારણ કે વિશ્વ હિંદુ પરિષદ સાથે જોડાયેલા લોકો વિપરીત ચુકાદો આવતા કાશી મુદ્દાને લઈને પણ સંઘર્ષ કરી શકે છે. ઉત્તર પ્રદેશ સરકારે ગાઝિયાબાદ, મેરઠ, બુલંદ શહેર, બિજનૌર, અલીગઢ, મુજફ્ફરનગર, હાથરસ, સહરાનપુર, મથુરા, આગ્રા, મુરાદાબાદ, રામપુર, બરૈલી, વારણસી, ફૈઝાબાદ, કાનપુર અને લખનૌ સહીત 44 જિલ્લાને સંવેદનશીલ અથવા અતિ સંવેદનશીલ શ્રેણીમાં મુક્યા છે.


ચીન : નદીમાં ટ્રેનના બે ડબ્બા ડૂબી ગયા છતાં..

ભયાનક પૂરે ચીનમાં ભારે વિનાસવેર્યો છે. છેલ્લા કેટલાય દિવસોથી ચીનના લોકો ભારે પૂરના કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે ચાનના સીચુઆન વિસ્તારમાં પૂરે તારાજી સર્જી છે, પૂરના કારણે રેલ્વે પૂલ તૂટી ગયો હતો. જેના કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી અને તેના બે ડબ્બા નદીમાં ડૂબી ગયા હતા. જોકે સદનસીબે બધા મુસાફરોને હેમખેમ બચાવી લેવામાં આવ્યા હતા. યુદ્ધના ધોરણે રાતકામગીરી કરવામાં આવી રહી છે.


પાકિસ્તાને ભારતની મદદ સ્વિકારી

પાકિસ્તાને આખરે ભારત તરફથી પૂર પીડિતોને આપવામાં આવનારી 50 લાખ ડોલરની મદદને સ્વિકારી લીધી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય કાર્યાલયને આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે હું જણાવવા માંગુ છું કે પાકિસ્તાન સરકારને ભારત પાસેથી મદદ લેવામાં કોઈ પરેશાની નથી અને અમે 50 લાખ ડોલરની મદદનો સ્વિકાર કરી લીધો છે. પાકિસ્તાને આપતીના આ સમયમાં ભારતના સકારાત્મક વલણ અને મદદના વખાણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ગુરૂવારે પાકિસ્તાનને ભારતની મદદનો સ્વિકાર કરવાની સલાહ આપી હતી.કુરેશીએ સ્પષ્ટ કર્યું હતું કે પાકિસ્તાન સરકાર ભારત તરફથી આપવામાં આવેલા મદદના પ્રસ્તાવ પર કોઈ રાજનીતિ કરી રહી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતના વિદેશ મંત્રી એસ એમ કૃષ્ણાએ ફોન પર પૂરમાં માર્યા ગયેલા લોકો અંગે સંવેદના વ્યક્ત કરી મદદનો પ્રસ્તાવ રાખ્યો હતો. મદદ અંગે કુરેશીએ આભાર વ્યક્ત કર્યો હતો. ભારતના પ્રધાનમંત્રી મનમોહન સિંહે ગઈકાલે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ગિલાનીને ફોન કરી પૂરની સ્થિતિની જાણકારી મેળવી હતી.


પચાણ શિવાના આશ્રયદાતા કોણ?

અમિત જેઠવા હત્યા કેસમાં પકડાયેલા પચાણ શિવા નામના કુખ્યાત ગુનેગારના સૌરાષ્ટ્ર કનેકશનો ખૂલતાં ભારે સનસનાટી મચી જવા પામી છે. અમિત જેઠવાની હત્યા બાદ પચાણ શિવા જુનાગઢ તથા રાજકોટમાં રોકાયો હતો. એ સમય દરમિયાન એને આશરો આપનારા કોણ હતા એ અંગે તપાસનીશ અધિકારીઓએ કોઈ ફોડ નથી પાડ્યો. પણ, એ કામગીરી મોટા રાજકીય માથાઓના આશીર્વાદ હેઠળ બજાવવામાં આવી હોવાના નિર્દેશો મળતા ભારે ઉત્તેજના ફેલાઈ છે.જેઠવા હત્યા કેસમાં પોલીસ રિમાન્ડ પર રહેલા ગીરગઢડાના પોલીસ કોન્સ્ટેબલ બહાદૂર વાઢેરે પોલીસને એવી કબૂલાત આપી હતી કે જેઠવાની હત્યા બાદ સોપારીની ચાર લાખની રકમ તેણે પચાણ શિવાને જુનાગઢમાં આપી હતી.બહાદૂરની આ કબૂલાતને પગલે બીજા અનેક પેટા પ્રશ્નો ઊભા થયા છે. જુનાગઢમાં પચાણ શિવો કોને ત્યાં રહ્યો એ મુદ્દો મહત્વનો બની રહ્યો છે. પચાણ શિવાએ હત્યા બાદ સંતાવા માટે જુનાગઢને જ શા માટે પસંદ કર્યું એ મુદ્દો પણ તપાસનો વિષય બની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પચાણ શિવા સામે સૌરાષ્ટ્રમાં આજ સુધી કોઈ ગુનો નથી નોંધાયો. એનો અર્થ એ કે સૌરાષ્ટ્ર તેનું કાર્યક્ષેત્ર નહોતું અને સૌરાષ્ટ્રમાં દેખીતી રીતે જ એને આશરો આપવાનું જોખમ લે એવા કોઈ વ્યક્તિગત ગાઢ સંબંધો નહોતા. ત્યારે જુનાગઢમાં એને પૂરેપૂરી સલામતિની ખાતરી આપીને આશરો આપનાર કોણ હોઈ શકે એ વિશે જાણકાર વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.અત્રે એ પણ નોંધનીય છે કે, અમિત શાહની સીબીઆઈ ધરપકડ કરી શકે છે એવું ચિત્ર ઉપસ્યા બાદ જુનાગઢ જિલ્લો અને કોડીનાર ભેદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગયા હતા. અમિત શાહ એ ગાળામાં બે વખત સોરઠમાં રહ્યાં હોવાનું સૂત્રો જણાવે છે. યોગાનુયોગ જુનાગઢના સાંસદ દિનુભાઈ સોલંકી સામે પણ જેઠવા હત્યા કેસમાં આંગળી ચિંધાઈ રહી છે ત્યારે અમિત શાહનું કોડીનારમાં રોકાવું અને પચાણ શિવાનું જુનાગઢમાં આશરો લેવાનું પગલું કેટલાક ભેદી અને સૂચક નિર્દેશો આપી રહ્યા છે.



ચોટીલા હાઇ-વે પરથી ખનીજ ચોરી કરતા ૧૨ ટ્રક ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ તાલુકામાં બેફામ ખનીજ ચોરી થઇ રહી હોવા છતાં પણ સ્થાનિક તંત્ર દ્વારા ખાણ માફિયા સામે કોઇ પગલાં લેવામાં આવતા નથી ત્યારે વધુ એક વખત રાજકોટ ફ્લાઇંગ સ્કવોડે રાજકોટ ચોટીલા હાઇ-વે પર રાત્રિના ૧૨ થી સવારના ૬ સુધી વોચ ગોઠવી ૯૬ લાખની કિંમતના ૧૨ ટ્રક પકડી પાડ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી રેતી, કપચી અને સિલિસેન્ડ ભરેલા આ ટ્રક રાજકોટ, જૂનાગઢ તથા જામનગર જઇ રહ્યા હતા.આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ખાણ ખનીજ ખાતાની ફ્લાઇંગ સ્કવોડના એસ. જી. બારોટ, ભરત માંગલિયા, નરેશ કલસરિયા તથા દિપેન કાથરોટિયા ગત રાત્રિના ૧૨ વાગ્યે રાજકોટ-ચોટીલા હાઇ-વે પર વોચ રાખી બેઠા હતા ત્યારે સવારના ૬ વાગ્યા સુધીમાં અલગ અલગ સમયે રેતી, કપચી તેમજ સિલિસેન્ડ ભરેલા ૧૨ ટ્રક નીકળતા તમામને અટકાવી તલાશી લેતાં બિન અધિકૃત રીતે હેરફેર થતો વિવિધ ખનીજનો જથ્થો નીકળી પડ્યો હતો.અધિકારીઓની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા અનુસાર આ જથ્થો રાજકોટ, જામનગર તથા જૂનાગઢ જઇ રહ્યો હતો. ખનીજ ચોરી સબબ ફ્લાઇંગ સ્કવોડ દ્વારા ૪.૫૦ લાખનો દંડ ફટકારાતા ૬ ટ્રક માલિકો દ્વારા બે લાખનો દંડ ભરી દેવામાં આવ્યો હતો. એ ઉલ્લેખનીય છે કે, હજુ થોડાં દિવસ પૂર્વે જ ફ્લાઇંગ સ્કવોડ દ્વારા હળવદના મિયાણી ગામે દરોડો પાડી ૨.૫૬ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.


રાજકોટ : આજીવન કેદનો ૧૧ વર્ષથી ફરાર કેદી પકડાયો

જેલમાંથી ફર્લો, વચગાળાના જામીન મેળવીને બહાર નીકળ્યા પછી લાંબા સમયથી ફરાર કેદીઓને શોધીને જેલભેગા કરવાની ઝુંબેશના ભાગરૂપે રાજકોટની ફર્લો સ્કવોડના સ્ટાફે વચગાળાના જામીન પર છુટીને ૧૧ વર્ષથી ફરાર ખૂનના કેદી મુન્નો ઉર્ફે રઘુરામ જગદીશ અગ્રાવતને ગાંધીધામથી ઝડપી લીધો છે.રઘુરામ અગ્રાવતે રાજકોટમાં ૧૯૯૨માં હત્યા કરી હતી. જે ગુનામાં અદાલતે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. સાબરમતી જેલમાં સજા ભોગવતો પાકા કામનો કેદી રઘુરામ વચગાળાના જામીન મેળવીને ૨૩/૮/૯૯ ના રોજ બહાર નીકળ્યા પછી ૨૦/૯/૯૯ના રોજ પૂરી થતી મુદ્દતે જેલમાં હાજર થવાના બદલે ફરાર થઇ ગયો હતો.


વાહન ઉઠાંતરી અને ચિલઝડપ કરતી ત્રિપૂટી પકડાઇ

ભક્તિ નગર પોલીસે નામચીન કોળી શખ્સ સહિત ત્રણ શખ્સને ચોરાઉ બાઇક સાથે ઝડપી લઇ કરેલી પૂછપરછમાં વાહનચોરી અને મોબાઇલની ચિલઝડપના કુલ ૧૩ ગુનાના ભેદ ઉકેલાયા છે.પ્રાપ્ત વિગત મુજબ, અગાઉ જામનગરમાં લૂંટ કરવાના ગુનામાં પકડાઇ ચૂકેલો દપિક કોળી ગેંગ બનાવીને ચોરી કરતો હોવાની માહિતી મળી હતી. પોલીસે દીપક અને તેના બે સાગરીત ગુજ્જુભૈયા તેમજ સુરેશ બારોટને ચોરાઉ મનાતા બાઇક સાથે અટકાયતમાં લીધા હતા. પૂછપરછમાં આરોપીએ શહેરના વિવિધ વિસ્તારમાંથી છ બાઇકની ઉઠાંતરી કર્યાની તેમજ ચાલુ વાહને ફોનમાં વાત કરતા સાત વાહન ચાલકોના હાથમાંથી મોબાઇલની ચીલઝડપ કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપીઓની સઘન પૂછતાછ શરૂ કરી છે.


રાજકોટ શહેરમાં પીળા કલરની બસોને અકસ્માતોનો પીળો પરવાનો

રાજકોટમાં સવાર-બપોર દોડતી સ્કૂલ બસો અને વેન તેમ જ રિક્ષાઓ આરટીઓ અને પોલીસના કાયદાના કાર્યક્ષેત્રની બહાર હોય તેવા દ્રશ્યો દરરોજ જોવા તો મળે જ છે પરંતુ આ વાહનો એટલી બેફામ રીતે દોડે છે કે તેને લીધે થતા નાના-મોટા એક્સિડન્ટનું પ્રમાણ પણ વધી ગયું છે. રાજકોટમાં આજે બપોરે સનસાઇન સ્કૂલની બસે એક સ્કૂટર ચાલકને અને જિનિયસ સ્કૂલની બસના ચાલકે રિક્ષાને હડફેટે લીધી હતી, જેમાંનો એક બનાવ પોલીસ ચોપડે પણ નોંધાયો છે.બુધવારે બપોરે બે વાગ્યાના અરસામાં કિસાનપરા ચોક નજીક જિનિયસ સ્કૂલ લખેલી પીળા રંગની એક બસે ત્યારે પણ બ્રેક મારવાનું તેના ચાલકને યોગ્ય જણાયું નહીં હોય તેથી સામેથી આવી રહેલી રિક્ષાને તેણે હડફેટે લઇ લીધી હતી. આ બનાવ સત્તાવાર રીતે નોંધાયો નથી.બપોરે અઢી વાગ્યે એરપોર્ટ રોડ પર આરાધના સોસાયટી પાસે સનસાઇન સ્કૂલ લખેલી જી. જે ૩એટી ૬૧૨૩ નંબરની પીળા રંગની બસ શેરીમાંથી ગતિશીલ રીતે આવી હતી અને જી. જે ૩ડીસી ૪૦૧૪ નંબરના એક્ટિવાના ચાલકને હડફેટે લીધા હતા. આ સમયે ત્યાં લોકો પણ એકઠાં થઇ ગયાં હતાં. બે કલાકની રકઝકના અંતે ગાંધીગ્રામ પોલીસને બોલાવાઇ હતી. સ્કૂટર ચાલકને પગમાં ઇજા થઇ હતી.