24 December 2009

દેશને ગંભીર-કોહલીની ક્રિસમસ ભેટ:વન-ડે મેચની શ્રેણી

ranako.s5.com 24 December Fresh news

દેશને ગંભીર-કોહલીની ક્રિસમસ ભેટ
ગંભીર-કોહલીની શાનદાર ભાગીદારીની મદદથી ભારતે ચોથી એક દિવસીય મેચમાં શ્રીલંકાને સાત વિકેટથી કારમો પરાજય આપ્યો હતો. શ્રીલંકાએ આપેલો 316 રનનો લક્ષ્યાંક ભારતે 49ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ભારતે ત્રણ વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ સાથે જ ભારતે પાંચ વન-ડે મેચની શ્રેણી જીતી લીધી છે. શ્રીલંકાએ મેચ જીતવા માટે આપેલા 316 રનના જવાબમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. 23 રનમાં ભારતની બે વિકેટ પડી ગઈ હતી. સેહવાગ 10 અને સચિન આઠ રને આઉટ થયા હતા. સચિન અને સેહવાગ આઉટ થયા બાદ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરે ભારતની ઇનિંગને સંભાળી હતી. ગંભીર-કોહલીએ મેદાનની ચારે તરફ આકર્ષક શોટર્સ ફટકારી શ્રીલંકાના બોલરોની ધોલાઇ કરી હતી. બન્ને બેટ્સમેનો સામે શ્રીલંકાના બોલોરો લાચારીની સ્થિતિમાં આવી ગયા હતા. દરમિયાન બન્નએ પોતાની સદી પૂરી કરી હતી.
કોહલી 114 બોલમાં 11 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 107 રન બનાવી આઉટ થયો હતો. કોહલીના આઉટ થયા બાદ ગંભીર વધુ ખતરનાક બની ગયો હતો. તેણે દિનેશ કાર્તિક સાથે મળી ગંભીર સ્કોર આગળ ધપાવ્યો હતો. આ સાથે જ ગંભીરે 137 બોલનો સામનો કરીને 14 ચોગ્ગાની મદદથી 150 રન બનાવ્યા હતા. જ્યારે કોહલી બાદ કાર્તિકે 15રનનું યોગદાન આપીને સારો સાથ આપી ભારતને વિજયી બનાવ્યું હતું. નોંધનીય વાત એ છે કે 90 મેચ રમીને ગંભીરે 3000 રન પુરા કર્યા છે. જેમાં તેણે 7 સદી અને 19 અડધી સદી ફટકારી છે.
આસારામના સાધકોને આખરે હાઇકોર્ટમાંથી રાહત
ગાંધી નગરમાં પોલીસ પર હુમલાના કેસમાં હાઇ કોટેં સાધકોને શરતી જામીન આપ્યા
ગાંધીનગરમાં પોલીસ પર હુમલાના ચકચારભર્યા કેસમાં ગુજરાત હાઇકોટેં એક મહત્વના ચુકાદા મારફતે આરોપી સાધકોને શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો. જસ્ટિસ એચ.બી.અંતાણીએ આસારામના સાધકોની જામીન અરજી પર અગાઉ અનામત રાખેલો ચુકાદો આજે બપોરે ૨.૦૦ વાગ્યે ખુલ્લી અદાલતમાં જાહેર કર્યો હતો. સાધકોને જામીન મળતા એ વખતે કોર્ટ રૂમમાં હાજર આસારામના અન્ય સાધકો અને સમર્થકોએ હાશકારો અનુભવ્યો હતો.
ચાઇનીઝ દોરી ઉપર ગુજરાતમાં પ્રતબિંધ
ગુજરાતમાં ઉત્તરાયણનો માહોલ છવાયા પહેલાં પતંગ માટે વાપરવામાં આવતી ચાઇનીઝ દોરીએ રાહદારી તેમજ વાહન ચાલકોના ગળા કાપવાનું શરૂ કરતાં રાજ્ય સરકારે અગમચેતી વાપરીને આવી દોરી ઉપર રાજ્યવ્યાપી પ્રતબિંધ મૂકી દીધો છે. આ સાથે પરંપરાગત દોરી સિવાયની અન્ય પ્લાસ્ટીક દોરી ઉપર પણ બાન મૂકવામાં આવ્યો છે. પગંત અને દોરીની ખરીદી પહેલાં સરકારે વેપારીઓ અને પતંગ રસિયા નાગરિકોને આ ચેતવણી આપી છે. ગુજરાતમાં ઉત્તરાયણની ખરીદી સામાન્ય રીતે ડિસેમ્બરના અંત સમયમાં શરૂ થતી હોય છે. તૈયાર દોરીના રસિયાઓ હંમેશા પ્લાસ્ટીક અને ચાઇનીઝ દોરીનો આગ્રહ રાખતા હોવાથી તેઓ જાન્યુઆરીમાં ખરીદી કરે છે. અમદાવાદમાં ચાઇનીઝ દોરીએ અત્યાર જ લોકોના ગળા કાપવાનું શરૂ કરતાં જિલ્લા કલેકટર કચેરીએ અનેક રજુઆતો કરવામાં આવી હતી

મોદી બી.આર.ટી.એસ.માં
ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ આજે બી.આર.ટી.એસ.માં સવારી કરી હતી. બી.આર.ટી.એસ.ની બસમાં મુસાફરી દરમિયાન મોદીએ સાથી મુસાફરો સાથે વાતચીત પણ કરી હતી. મોદીની આ સવારીથી લોકો અચરજમાં મુકાઈ ગયા હતા.
ગુજરાત બોર્ડની પરીક્ષા ૪ માર્ચથી શરૂ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૪ માર્ચથી પરીક્ષા યોજવાનુ નક્કી કયું છે. જેના માટેનો વિગતવાર કાર્યક્રમ પણ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામા આવ્યો છે. ૪ માર્ચથી શરુ થતી પરીક્ષાઓ ૧૯ માર્ચના રોજ પુર્ણ થશે. ચાલુ વર્ષે ગત વર્ષ કરતા એક સપ્તાહ વહેલા પરીક્ષા યોજાશે. ચાલુ વર્ષે પરીક્ષા દરમિયાન એક-એક દિવસનો ગેપ આપવામા આવ્યો ન હોઇ વિદ્યાર્થીઓને મુશ્કેલી પડશે.
ધોરણ-૧૦ની પરીક્ષાનો કાર્યક્રમ
૪-૩ ગુરુવાર -પ્રથમ ભાષા : ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી, ઉર્દુ, સિંધી, તામીલ, તેલુગુ, ઉડીયા
૫-૩ શુક્રવાર સામાજીક વિજ્ઞાન
૬-૩ શનિવાર અંગ્રેજી
૮-૩ સોમવાર ગણીત
૧૦-૩ બુધવાર વિજ્ઞાન અને ટેકનોલોજી
૧૧-૩ ગુરુવાર દ્રીતીય ભાષા : હિન્દી, સીંધી, સંસ્કૃત, પ્રાકૃત, ફારસી, અરબી, ફ્રેંચ, જર્મન, પોટુગીઝ
૧૨-૩ શુક્રવાર વાણજિય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેકટીસ, બેઝીક ઓફ એન્જિ. પ્રોસેસ મેન્ટેન્સ એન્ડ સેફ્ટી, વન વિધ્યા અને વન ઔષધી, વસ્ત્ર વિધ્યા, શિવણ અને ભરત, યોગ સ્વાસ્થ અને શારિરીક શિક્ષણ
૧૩-૩ શનિવાર કોમ્પ્યુટર પરિચય, ગૃહ વિજ્ઞાન, પશુ પાલન અને ડેરી વિજ્ઞાન, વાણજિય પરિચય, એલિ. ઓફ એન્જિનિયરિંગ
૧૫-૩ સોમવાર નામાના મુળ તત્વો, કોમ્પ્યુટર એડેડ એન્જિનિયરિંગ ડ્રોઇંગ, કૃશિ વિધ્યા, ગ્રામ યંત્ર વિધ્યા, ચિત્ર કળા, સંગીત
૧૬-૩ મંગળવાર ગુજરાતી દ્રીતીય ભાષા (૧-૨)
ધોરણ-૧૨ સામાન્ય, ,વિજ્ઞાન પ્રવાહ
૪-૩ ગુરૂવાર સહકાર પંચાચત, જીવ વિજ્ઞાન, નામાના મુળ તત્વો
૫-૩ શુક્રવાર કૃષિ વિધ્યા, ગૃહ જીવન વિધ્યા, વસ્ત્ર વિધ્યા, પશુ પાલન અને ડેરી વિજ્ઞાન, જીવ વિધ્યા અને વન ઓષધી વિધ્યા, તત્વજ્ઞાન
૬-૩ શનિવાર ઇતહિસ, ભોતિક વિજ્ઞાન, આંકડા શાસ્ત્ર
૮-૩ સોમવાર ચિત્ર કામ સૌધાંતિક, ચિત્ર કામ પ્રાયોગીક, રસાયણ વિજ્ઞાન, અર્થ શાસ્ત્ર
૯-૩ મંગળવાર ભુગોળ
૧૦-૩ બુધવાર સામાજીક વિજ્ઞાન, ગણીત, વાણજિય વ્યવસ્થા
૧૧-૩ ગુરુવાર મનોવિજ્ઞાન
૧૨-૩ શુક્રવાર સંગીત સૈધ્ધાંતિક, ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉદૂ,સિંધી, અંગ્રજી, તામિલ
૧૩-૩ શનિવાર હિન્દી
૧૫-૩ સોમવાર ગુજરાતી, અંગ્રેજી
૧૬-૩ મંગળવાર રાજય શાસ્ત્ર, સમાજ શાસ્ત્ર
૧૮-૩ ગુરૂવાર સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃત
૧૯-૩ શુક્રવાર સેક્રેટરીયલ પ્રેકટીસ, વાણજિય વ્યવહાર, કોમ્પ્યુટર પરિચય

23 December 2009

બાવાશ્રી સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ : ધોરાજીમાં ખળભળાટ

બાવાશ્રી સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ : ધોરાજીમાં ખળભળાટ
ધોરાજીમાં છપ્પન ભોગ મહોત્સવ દરમિયાન દર્શનના સમયે મચેલી ધમાચકડીમાં આઠ વૈષ્ણવોના થયેલા મોતની ઘટનામાં આયોજન સમિતિ સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ કાર્યક્રમનું આયોજન કરનાર તમામ શખ્સોની આગામી દિવસોમાં ધરપકડ કરવામાં આવે તેવી સંભાવના છે. સમિતિ દ્વારા ૧૪/૧૨/૦૯ થી ૨૦/૧૨/૦૯ સાત દિવસ સુધી હાલારી રાસ, હવેલી સંગીત, ઢાઢી લીલા, મહિયારી લીલા, કીર્તન સંમેલન અને છપ્પનભોગ મહોત્સવ રાખવામાં આવ્યો હતો. સેવા ભેટ માટે મોટી હવેલી, સોની બજાર ખાતે સંપર્ક કરવા પણ જણાવાયું હતું. તા. ૧૪થી ૧૯ સુધીના કાર્યક્રમો રંગેચંગે ઉજવાયા હતા. જોકે, ૨૦/૧૨ના રોજ ધારણા કરતાં વધુ વૈષ્ણવો એકઠા થઇ જતાં અંધાધૂંધી ફેલાઇ હતી અને ધક્કામુક્કી થતાં બાર વર્ષની એક બાળા અને સાત વૈષ્ણવ મહિલાના કમકમાટીભયા મોત નિપજયા હતા. આ ઘટનાના ગંભીર પ્રત્યાઘાત પડયા હતા. પોલીસ તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. દરમિયાન, ધક્કા મુક્કીમાં મૃત્યુ પામનાર ધોરાજીના સવિતાબેન માવાણીના પુત્ર દીપક વ્રજલાલે વિધિવત્ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, રવિવારના રોજ મુખ્ય પ્રવેશ દ્વારથી પ્રવેશ ન આપી તેમજ દર્શન કરવા માગતી વૈષ્ણવ મહિલાઓને પાછળના સાંકડા માર્ગથી પ્રવેશ આપતા ધક્કા મુક્કી થઇ હતી તેમજ મુખ્ય પ્રવેશ દ્વાર નિર્ધારિત સમયે ખોલવામાં આવ્યા ન હતા. આથી, ભીડ બેકાબૂ બની ગઇ હતી. આ ઉપરાંત મુખ્ય પ્રવેશ દ્વાર અવાર નવાર બંધ કરવામાં આવતા પણ ભીડ વધી ગઇ હતી. ભીડ બેકાબૂ બનતા ધક્કા મુક્કી થતાં પોતાના માતા સહિત આઠનાં મોત થયા હતા અને પંદરને ઇજાઓ થવા પામી હતી. લેઉવા પટેલ સાંસ્કતિક ભવન ખાતે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં અવ્યવસ્થાના કારણે જ ઉપરોકત પરિસ્થિતિ થઇ હતી અને તેના માટે છપ્પનભોગ મહા મહોત્સવ સમિતિ સંપૂર્ણપણે જવાબદાર છે. પોલીસે દીપક માવાણીની ફરિયાદના આધારે સમિતિના આયોજક સામે સાપરાધ મનુષ્યવધની કલમ ૩૦૪ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
સમિતિમાં કોણ છે તેનો પત્રિકામાં ઉલ્લેખ જ નથી
છપ્પન ભોગ મહા મહોત્સવનું આયોજન કરવા માટે સમિતિ બનાવવામાં આવી હતી. પરંતુ તેમાં કોઈના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અઘ્યક્ષ તરીકે.પ્રબોધકુમાર મહારાજનું નામ છે. અને તેમના સંપર્ક માટે રાજકોટ તેમજ ધોરાજીનાં બે સરનામા મોબાઈલ નંબર સાથે લખવામાં આવ્યા છે. ભેટ સંપર્ક માટે પણ કોઈના નામનો ઉલ્લેખ નથી કરાયો માત્ર ટેલિફોન નંબર જ લખવામાં આવ્યા છે.
કમુરતામાં સગાઈ રાખીને મોટી દુઘટર્ના સર્જાઈ
હિન્દુ શાસ્ત્ર વિધિ પ્રમાણે કમુરતામાં કોઈ સારા પ્રસંગો રાખવામાં આવતા નથી. પરંતુ પ્રબોધ મહારાજના પુત્ર રત્નેશ બાવાની સગાઈ કમુરતામાં રાખવામાં આવી હતી. ત્યારે વૈષ્ણવોમાં જ એવી ચર્ચા હતી કે, કમુરતામાં સગાઇ રાખવા પાછળનું કારણ શું ? માત્ર ભેટ-સોગાદો જ વધુ મળે તે માટે જ કમુરતામાં છપ્પન ભોગનો કાર્યક્રમ સગાઈનો ખર્ચ કાઢવા રખાયો હશે ? તેવો સવાલ પણ ઉપસ્થિત થયો છે.




યુરોપ-યુએસમાં ભિષણ હિમવર્ષા : ૧૦૦ મોત
તાપમાન શૂન્યથી ૩૩ અંશ નીચે જતાં ક્રિસમસ ખરીદી ખોરવાઈ હજી વધુ બરફ વર્ષાની આગાહી
યુરોપ અને અમેરિકામાં બર્ફીલી હવા અને બરફ વર્ષા થવાને પગલે તાપમાન ખૂબ જ નીચું જતાં ૧૦૦થી વધુ લોકોનાં મોત નિપજયાં છે. પોલેન્ડમાં જ છેલ્લા ત્રણ દિવસમાં ૪૨ લોકોનાં મોત થયાં છે. યુક્રેન સહિતના વિસ્તારોમાં મોતનો અંક ૪૮એ પહોંરયો છે. ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ અને જર્મનીમાં તાપમાન શૂન્યથી ૩૩ અંશ ડિગ્રી નીચે ઊતરી ગયું હતું. વિસ્તારમાં સર્જાયેલી દુઘર્ટનાઓને કારણે ૧૩ મોત થયાં હતાં.





અમ્પાયરની ભૂલને કારણે સચિન સદી ચૂક્યો ?
સચિનના બેટને સ્પર્શીને ગયેલા બોલમાં ઇરાસમસે વાઇડના રન આપ્યા
સચિન તેંડુલકર તેની વન-ડે કારકિર્દીમાં અગાઉ ૧૭ વખત નર્વસ નાઇન્ટીઝમાં આઉટ થયેલો હતો અને સદી ચૂકી જવી એ તેના માટે સોમવારની મેચમાં પહેલી ઘટના ન હતી પરંતુ કટક ખાતે જે કાંઇ બન્યું તેમાં સચિનનો વાંક ન હતો. ત્રીજી વન-ડે ક્રિકેટ મેચમાં સચિન ૯૬ રન સાથે અણનમ રહ્યો હતો અને ભારત આસાનીથી મેચ જીતી ગયું ત્યારે દિનેશ કાર્તિકે જાણી જોઇને સચિનને સદીથી વંચિત રાખ્યો હોવાની રમતપ્રેમીઓમાં લાગણી પેદા થઇ છે. કાર્તિકે છેલ્લી ઓવરોમાં સિક્સર અને બાઉન્ડ્રી ફટકારીને ટીમને લક્ષ્યાંક સુધી પહોંચાડી દીધી અને સચિન અણનમ રહી ગયો. જોકે એક હકીકત એવી પણ છે કે સાઉથ આફ્રિકન અમ્પાયર મેરિયસ ઇરાસમસની ભૂલને કારણે સચિન સદીથી વંચિત રહ્યો હતો. અજંતા મેન્ડીસે ફેંકેલી ૩૮મી ઓવરના છેલ્લા બોલે સચિન તેંડુલકર લેગ સાઇડમાં રમ્યો હતો અને તેના બેટને સ્પર્શીને ગયેલા બોલને અમ્પાયર ઇરાસમસે વાઇડના રન આપ્યા હતા. એ બોલે ભારતને ત્રણ રન મળ્યા હતા. આ જ રીતે એ પછી મલિંગાની ઓવરમાં સચિન રમ્યો ત્યારે પણ અમ્પાયરે લેગ બાયનો રન આપ્યો હતો.







અમદાવાદ : જાહેરમાં લઘુ શંકા કરતા યુવક જેલ ભેગો ..!
જાહેરમાં લઘુશંકા કરવી એ ગુનો બને છે...! આ વાત કદાચ ઘણા લોકોને ખબર નહીં હોય. આવા કાયદાથી અજાણ માતરનાં એક યુવકને જાહેરમાં લઘુશંકા કરવા બદલ અમદાવાદ પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મુળ માતર તાલુકાનો હમીદ મીયા બુલુ મીયા મલેક (ઉં.૨૨) થોડા દિવસ અગાઉ કામ અર્થે અમદાવાદ આવ્યો હતો. દાણી લીમડા વિસ્તારમાં એક જગ્યાએ એ લઘુ શંકા કરી રહ્યો હતો, ત્યારે પેટ્રોલીંગમાં નીકળેલી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને કસ્ટડીમાં પુરી દીધી હતો. આ અંગે સુત્રોએ જણાવ્યું હતુ કે જાહેર સ્થળો પર લઘુ શંકા કરવાથી ગુનો બને છે. દાણી લીમડા પોલીસે પણ હમીદ મીયા વિરૂધ્ધ જાહેરમાં બીભત્સ ચેનચાળાનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

22 December 2009

પોલીસ પર હુમલો કરનારા સાધકો પૈકી ૧૦૩ તો ગુજરાત બહારના : :સાધકોની જામીન અરજીમાં સરકારનો ઘટસ્ફોટ, હાઇ કોર્ટનો ચુકાદો અનામત

પોલીસ પર હુમલો કરનારા સાધકો પૈકી ૧૦૩ તો ગુજરાત બહારના
સાધકોની જામીન અરજીમાં સરકારનો ઘટસ્ફોટ, હાઇ કોર્ટનો ચુકાદો અનામત
ગાંધીનગરમાં પોલીસ પર હુમલાના ચકચારભર્યા કેસમાં રાજ્ય સરકાર તરફથી હાઇ કોર્ટ સમક્ષ એવી ચોંકાવનારો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે, હુમલો કરનારા સાધકો પૈકી મોટા ભાગના સાધકો એટલે કે, ૧૦૩ સાધકો ગુજરાત બહારના હતા. ૧૫૦થી વધુ સાધકોએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરેલી જામીન અરજીમાં સાધકો, રાજ્ય સરકાર સહિતના પક્ષકારોની સુનાવણી પૂરી થઇ જતા જસ્ટિસ એચ.બી.અંતાણીએ ચુકાદો અનામત રાખ્યો હતો. ગાંધીનગરમાં આસારામના સમર્થનમાં કાઢવામાં આવેલી રેલી દરમ્યાન સાધકો દ્વારા પોલીસ પર હુમલાના કેસમાં ૧૫૦ જેટલા સાધકો તરફથી એડવોકેટ એસ.કે.પટેલે જણાવ્યુ હતુ કે, પોલીસ દ્વારા સાધકો વિરૂદ્ધ ખોટી રીતે ગુનો નોંધવામાં આવ્યો છે. માત્ર આઠેક વ્યકિતઓ વિરૂદ્ધ જ રેલી દરમ્યાન તોફાન કરવાના આક્ષેપો છે, ત્યારે બાકીના સાધકોને પોલીસ ખોટી રીતે જેલમાં પૂરી શકે નહી. કારણ કે, મોટાભાગના સાધકોની પોલીસ પર હુમલો કરવામાં કે તોફાન કરવામાં કોઇ ભૂમિકા નથી. આ સંજોગોમાં હાઇકોટેં અરજદાર સાધકોના જામીન મંજુર કરવા જોઇએ.
સાધકો તરફથી કરાયેલી દલીલોનું ખંડન કરતા રાજય સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ પ્રકાશ કે. જાનીએ જણાવ્યુ કે, આરોપી સાધકો વિરૂદ્ધ જાહેર સુલેહ-શાંતિના ભંગ ઉપરાંત પોલીસ પર હુમલો કરવાનો ગંભીર ગુનો છે. સાધકો પાસેથી લકઝરી બસમાં ભરીને લાવેલા પથ્થરો, લાકડીઓ, ડંડા અને બેઝ બોલ સ્ટીક જેવા હથિયારો પણ પકડાયા હતા. સાધકો દ્વારા પોલીસ પર કરાયેલા હુમલામાં ૨૫ થી વધુ પોલીસ કર્મચારીઓ-અધિકારીઓને ઇજા પહોંચી હતી. જેમાં ડીવાયએસપી મોઢપરીયા તો હજુ પણ સારવાર હેઠળ છે. હુમલો કરનાર પૈકી પકડાયેલા ૧૬૦ જેટલા સાધકો પૈકી ૧૦૩ તો ગુજરાત બહારના હતા. જે પરથી સ્પષ્ટ થાય છે કે, આરોપી સાધકોનું રેલી પર તોફાન કરવાનું અને પોલીસ પર હુમલો કરવાનું પૂર્વ આયોજિત કાવતરૂ હતુ.

ભારતનો સાત વિકેટે વિજય: સીરિઝમાં 2-1ની સરસાઈ

ભારતનો સાત વિકેટે વિજય: સીરિઝમાં 2-1ની સરસાઈ
કટ્ટકમાં શ્રીલંકા સામેની ત્રીજી વન ડે મેચને સાત વિકેટે જીતીને ભારતે વન ડે સીરિઝમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. ભારતની જીતમાં સચિન તેન્ડુલકર અને રવિન્દ્ર જાડેજાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. રવિન્દ્ર જાડેજાએ ચાર વિકેટ ઝડપી હતી જ્યારે સચિન રન 96 રન બનાવી અણનમ રહ્યો હતો. દિનેશ કાર્તિક 36 રન પર નોટ આઉટ રહ્યો હતો. ભારતે વિજય લક્ષ્યાંકને 42.4 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાને મેળવી લીધો હતો. 240 રનના જવાબમાં કેપ્ટન સેહવાગ અને સચિન તેન્ડુલકરે ભારતને સારી શરૂઆત અપાવી હતી. ભારતની પ્રથમ વિકેટ 55 રન પર પડી હતી. કેપ્ટન સેહવાગ 28 બોલમાં 44 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે ગંભીર 32 રન બનાવી આઉટ થયો હતો. પુનરાગમ કરનાર યુવરાજ સિંહ 23 રને આઉટ થયો હતો.
શ્રીલંકાના કેપ્ટન સંગાકારાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સંગાકારાનો આ નિર્ણય શ્રીલંકા માટે યોગ્ય સાબિત કરી દિલશાન અને થરંગાએ શ્રીલંકાને તોફાની શરૂઆત અપાવી હતી. 165 રન પર બે વિકેટ ગુમાવનાર શ્રીલંકા 44.2 ઓવરમાં 239 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું. 20 ઓવરમાં એક વિકેટના નુકસાને 151 રન બનાવનાર શ્રીલંકા અહિ વિશાળ સ્કોર કરે તેવુ લાગી રહ્યું હતું, પરંતુ રવિન્દ્ર જાડેજાની વેધક બોલિંગના કારણે શ્રીલંકા 239 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જાડેજાએ ચાર વિકેટ ઝડપી હતી.
શ્રીલંકાની પ્રથમ વિકેટે 65 રનની ભાગીદારી થઈ હતી. શ્રીલંકાને તોફાની શરૂઆત અપાવ્યા બાદ દિલશાન 41 રન બનાવી આઉટ થયો હતો. આશિશ નહેરાએ ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. શ્રીલંકાની બીજી વિકેટ 165 રન પર પડી હતી. સંગાકારા 46 રન બનાવી આઉટ થયો હતો. સેહવાગે સંગાકારાની વિકેટ લીધી હતી. ત્યાર બાદ ભારત માટે મુશ્કેલી ઉભી કરી રહેલ થરંગાની વિકેટ રવિન્દ્ર જાડેજાએ ઝડપી હતી. થરંગાએ 81 બોલમાં 73 રન બનાવ્યા હતા. દિલશાને તોફાની બેટિંગ કરી 18 બોલમાં 41 રન બનાવ્યા હતા. જેમાં 10 ચોગ્ગાનો સમાવેશ થાય છે. ઈશાંત શર્મા અને ઝહીર ખાન ખર્ચાળ સાબિત થયા હતા.
શ્રીલંકાની વિકેટ પડવાનો ક્રમ- 1- 65 (6.2 ઓવર) 2-165 (22.3 ઓવર) 3-169 (24.4 ઓવર) 4- 173 (26 ઓવર) 5- 204(34.5 ઓવર) 6- 210 (35.5 ઓવર) 7-210 (36 ઓવર)
8- 218 (38.1 ઓવર) 9- 236 (43 ઓવર) 239-ઓલ આઉટ.
ભારતીય ટીમ- વિરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, સચિન તેન્ડુલકર, સુરેશ રૈના, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, યુવરાજ સિંહ, ઝહીર ખાન, ઈશાંત શર્મા, આશિશ નહેરા, હરભજન સિંહ.

...તો સલામત રહેશે મિત્રતા

...તો સલામત રહેશે મિત્રતા

મિત્રતાની વાત આવે ત્યારે યુવા, કોલેજ જેવા શબ્દો આપોઆપ જોડાઈ જાય છે, જેમાંની કેટલીક ખાસ હોય છે, જેને કહેવામાં આવે છે ‘બેસ્ટ ફ્રેન્ડશિપ’, પરંતુ આ મિત્રતા પર કયારેક પ્રશ્નાર્થ ચિન્હ ઊભું થઈ જાય છે યુવા સાથે મિત્રતા શબ્દ જોડાયેલો જ હોય છે. સામાન્ય રીતે યુવાનોની વાત આવે એટલે કોલેજની પણ ચિત્ર ઊભું થાય અને કોલેજ એટલે મિત્રતા કરવાની દિવસો, પરંતુ તેમાંય એક એવી મિત્રતા હોય છે કે જેને આજના જમાનામાં બેસ્ટ ફ્રેન્ડશિપ કહે છે. આવી મિત્રતા રાખતા યુવાનોના કોલેજના દિવસો કયાં પૂરા થઈ જાય છે તેની ખબર જ નથી પડતી, પરંતુ મિત્રતાના આ સંબંધમાં કોલેજના વર્ષ દરમિયાન કેટલીક કડવી બાબતો પણ બને છે, જે તેમની મિત્રતા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દે છે. સારા અને સાચા દોસ્ત આપણને ઘણી મુશ્કેલીથી મળે છે. યુવાનીમાં મિત્રતા તો ઘણી બંધાય છે, પરંતુ કયારેક કોઈ કારણસર તે જળવાતી નથી. જો તમારી દોસ્તીમાં પણ એવી કોઈ સમસ્યા હોય તો કેટલીક વાતોને અનુસરવી જરૂરી છે.
હંમેશાં મિત્રનું હિત વિચારો
અત્યારે મિત્રોની સંખ્યા વધી ગઈ છે, પરંતુ ઘણા ઓછા લોકો તમારા કલોઝ ફ્રેન્ડ્સ હશે. જોકે તે તમારા પર આધાર રાખે છે. ઘણાને તેમનો એક જ બેસ્ટ ફ્રેન્ડ હોય છે, પરંતુ આ મિત્રતા જાળવવી હોય તો હંમેશાં ફ્રેન્ડના હિતમાં વિચારો.
વાતો એકલામાં શેર કરો
સારો મિત્ર એ જ હોય છે કે જે બીજા લોકો વચ્ચે મિત્રનુ ઇનસલ્ટ નથી કરતો. જો તમે કોઈના મિત્ર હો તો સ્વાભાવિક છે કે તમને તેની કેટલીક વાતો ગમશે અને કેટલીક નહિ ગમે, પરંતુ એનો એ મતલબ નથી કે તમે તેની સાથે ચર્ચામાં ઊતરો. અન્યની હાજરીમાં કહેવાને બદલે તેને એકલામાં પ્રોબ્લેમ્સ શેર કરો.
હંમેશાં પહેલ કરો
મિત્રતામાં ક્યારેક ઝઘડો પણ થાય. હંમેશાં ઝઘડાનું સમાધાન લાવવામાં પહેલ કરો. કોઈ પણ વાતનો ઇગો રાખ્યા વિના ઈ-મેઇલ કે એસએમએસ કરીને માફી માગી લો. કેટલાક નાની નાની વાતોમાં ઝઘડો થયા બાદ એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દેય છે. આવું કયારેય ન કરવું.
સાચો માર્ગ બતાવવો જરૂરી
બે ખાસ મિત્રો છે. તેમાંથી એકની મિત્રતા એક એવા ગ્રુપ સાથે થાય છે, જેમાં દરેક બધા બગડેલ છે. જયારે બીજા મિત્રને તેની જાણ થાય છે ત્યારે તે પહેલા મિત્ર સાથે વાત નથી કરતો, પરંતુ તે મન પરિવર્તન કરી તેને બગડેલ ગ્રુપમાંથી બહાર કાઢે છે. આ બાબત તમારી મિત્રતા મજબૂત કરે છે. હવે તે મિત્ર તમારું આ કામ કયારેય નહિ ભૂલે.
એ વાત સાચી છે કે તમે બેસ્ટ ફ્રેન્ડ છો, પરંતુ એનો મતલબ એમ પણ નથી કે તમે તેની પર્સનલ લાઇફમાં દખલ કરો. જો તે તમારી પાસે સલાહ માગે તો તમે તેના વિચાર બતાવી શકો છો, પરંતુ અર્થહીન સલાહ આપવી નહિ કે ન તો તેને અનુસરવા માટે દબાણ કરવું. તેનાથી તમારી મિત્રતામાં વિવાદ ઊભો થઈ શકે છે.



શા માટે મહિલાઓ સેક્સ માણવાનું ટાળે છે?
લાંબા સમયથી ચાલતા સંબંધોમાં સામાજીક સમજણની સાથો સાથ દર રોજ સેક્સ માણવાની વાત પણ ઘણી મહત્વ ધરાવે છે. ખાસ કરીને પુરુષો માટે. કારણ કે સેક્સ બીજા પ્રત્યે પોતાની જાતને અર્પણ કરવાની એક મહત્વની વસ્તું છે. જો કે કેટલીક મહિલાઓ પ્રેમી સાથે સેક્સ માણતા પહેલા પોતાના અહંકારનો ઉપયોગ કરે છે. જ્યારે કેટલીક મહિલાઓ તેના પાર્ટનર સાથે સેક્સ માણતા પહેલા કંઈક ડરની લાગણી અનુભવતી હોય છે. પરંતુ કેટલીક મહિલાઓ એવી હોય છે કે જે સેક્સ તેમના પાર્ટનર સાથે સેક્સ માણવાની હમેંશા ના કહે છે. જેના કારણ નીચે પ્રમાણે છે.
જ્યારે તે ગુસ્સમાં હોય
મહિલા ગુસ્સામાં હોય અથવા કોઈ મુશ્કેલી, તણાવ જેવી સ્થિતિમાં હોય ત્યારે તે સેક્સ માણવા ઈચ્છતી નથી હોતી. આ સમયે જો તેમે તેની સાથે સેક્સ માણવા માગતા હો તો તમારે તેને કઈ બાબતની મુશ્કેલી, તણાવ છે તેની જાણકારી મેળવીને તેનો ઉકેલ લાવી તણાવભર્યા વાતાવરણને રોમેન્ટિક બનાવવાથી તે સેક્સ માણવા તૈયાર થઈ જાય છે.
પોતાને સેક્સ માણતા રોકવી
સુંવાળા પ્રેમ સંબંધ રાખવા માટે તે સંબંધોમાં પોતાની શક્તિને રજૂ કરવાનો આગ્રહ રાખે છે. અને તે માટે તે સેક્સ નહીં માણવા પર વધારે જોર આપે છે. તે પોતે કંઈક છે તે પાર્ટનર સમક્ષ રજૂ કરવા માગંતી હોય છે. જ્યારે તમને એ વાતની જાણ થાય કે તે પોતાની જાતને સેક્સ માણતી રોકી રહી છે ત્યારે તમારે સેક્સ દરમિયાન તે જ બોસ છે તેવી ભાવના તેનામાં જાગૃત કરવી જેથી સેક્સ માણતી વખતે આનંદની અનુભૂતિ થાય.
સેક્સમાં વિભિન્નતા
સેક્સ નહીં માણવાની મહિલાની ઈચ્છાનું એક કારણ આ પણ છે. જ્યારે સેક્સમાં વિભિન્નતા જોવા નથી મળતી ત્યારે તે બોર થઈ જાય છે. અને સેક્સ માણવાનું ટાળે છે. તેની અપેક્ષા જાણીને તે અનુરુપ તેની સાથે સેક્સ માણવા પ્રયાસ કરવો જોઈએ.
આનંદ ન થવો
કેટલીક મહિલાઓ પાર્ટનર સાથે સેક્સ અંગે વાત કરવામાં પણ અચકાતી હોય છે. તેનો આનંદ ઉઠાવી શક્તિ નથી તેથી તે સેક્સ માણવાનું પસંદ કરતી નથી ખાસ કરીને જ્યારે તે મુશ્કેલીમાં હોય છે. તેવા સમયે તેની સાથે નવિનતમ રીતે સેક્સ માણીને તથા તેને શું મુશ્કેલી છે તે જાણીને તેને સેક્સનો આંનદ ઉઠાવવા તૈયાર કરી શકો છો.
કંટાળો આવવો
ક્યારેક એવું પણ બની શકે છે કે થાક અને કંટાળાના કારણે પણ મહિલાઓ સેક્સ માણવા માટે તૈયાર થતી નથી. તેવા સમયે તેમનો થાક અને કંટાળો દુર કરવા માટે થોડીક હળવી અને રમૂજ હરકતો કરીને તેમને ખુશ કરવી જેથી તે તમારી સાથે સેક્સ માણવા માટે તૈયાર થઈ જાય.
છેતરવું
આ એક પ્રબળ કારણ છે કે તમારી પ્રેમિકા તમારી સાથે સેક્સ માણવા માટે તૈયાર થતી નથી. તે તમારી સાથે સેક્સ માણવા તૈયાર થતી નથી કારણ કે તે અન્ય કોઈ વ્યક્તિ સાથે સેક્સ માણવા માગતી હોય. અને તેના કારણે એ તેમને છેતરતી હોય તેવું પણ બની શકે છે. જેનું નિરાકરણ તેની સાથે બેસીને ચર્ચા કરીને લાવવું.*

20 December 2009

ધોરાજીમાં હવેલીમાં ધક્કા-મુક્કીથી નવના મોત

ધોરાજીમાં હવેલીમાં ધક્કા-મુક્કીથી નવના મોત
ધોરાજી ખાતે ગોપાલ નાથજીની હવેલીમાં છપ્પન ભોગના દર્શન દરમિયાન નાસ ભાગ થતા આઠ મહિલા અને એક પુરુષના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા, અન્ય પાંચ મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ગોપાલ નાથજી હવેલી ખાતે સાંજે સાત વાગ્યે છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું તેના દર્શન કરવા માટે ભક્તોનું ટોળું દરવાજા પાસે ઉભું હતું ત્યારે હવેલીનો દરવાજો અચાનક ખોલી નાંખવામાં આવતા નાસ ભાગ થઈ હતી. જેમાં આઠ મહિલા અને એક પુરુષના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે અન્ય પાંચની હાલત ગંભીર થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા છે. સરકારે ઘટનાની મેજેસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે.