16 October 2010

રાજકોટ : નવરાત્રિમાં બાળાઓને અપાતી લાખેણી લહાણીઓ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


રાજકોટ : નવરાત્રિમાં બાળાઓને અપાતી લાખેણી લહાણીઓ

રાજકોટના કરણપરા ગરબી મંડળના પ્રમુખ નીતભિાઇ પાંધીએ જણાવ્યું હતું કે, અમારા મંડળને ૨૯ વર્ષ પૂરા થયા છે. બાળાઓ પાસે કોઇપણ ફી લેવામાં આવતી નથી. નવરાત્રિ દરમિયાન ૩૫ થી ૪૦ પ્રકારની લહાણી આપવામાં આવે છે. સાથે જોવા આવતા દર્શકો પણ રોકડ પુરસ્કાર આપે છે. તેમાં ઘરવપરાશથી લઇને ઉપયોગ થતી તમામ વસ્તુઓ આપવામાં આવે છે. બાળાઓને સોનાની કડી, ચેન, સોનાની ચીપ વાળા પાટલા પણ આપવામાં આવ્યા છે.રાજકોટના પંચનાથ ગરબી મંડળના સેક્રટરી લાલભાઇ કથરેચાએ જણાવ્યું હતું કે, નાના વાસણોથી લઇને રસોડાની તમામ ચીજવસ્તુઓ લહાણીમાં આપવામાં આવે છે. રાજકોટ જંકશનમાં નવરાત્રિ મહોત્સવ મંડળના પ્રમુખ જનકભાઇ કોટકએ જણાવ્યું હતું કે, આ વર્ષે પંદર પ્રકારની લહાણીઓ તો આપવામાં આવશે. બાળાઓનો ઇમ્પોર્ટડ મેક-અપ બોક્સથી લઇને ડિનર સેટ અને નોન સ્ટીકના તમામ વાસણો લહાણીમાં આપવામાં આવે છે. ગરુડની ગરબીના પ્રમુખ મનસુખભાઇ પોબારુએ જણાવ્યું હતું કે, વાસણની તો દરેક લહાણી આપવામાં આવે જ છે. સાથે કબાટ, ડાઇનિંગ ટેબલ, ડ્રેસિંગ ટેબલ જેવી આણામાં અપાતી તમામ વસ્તુઓ અપાઇ છે.

રાજકોટ જિ.ના ૩૭૫ કિમી. રસ્તા ધોવાયા

રાજકોટ જિલ્લામાં અનરાધાર વરસેલા વરસાદના કારણે જિલ્લાભરના મોટાભાગના રસ્તાઓ ધોવાઇ ગયા છે, આ નુકસાનીનો આંક આશરે એક અબજને આંબી જવાનો માર્ગ અને મકાન વિભાગ મત વ્યક્ત કરી રહ્યો છે.હાલમાં તંત્ર દ્વારા તૂટી ગયેલા રસ્તાઓના રિપેરિંગ માટે ત્રણ કરોડ ફાળવવામાં આવ્યા છે. પરંતુ રસ્તાની કાયમી સુવિધા માટે ખર્ચનો આંક એક અબજ થશે. રાજકોટ જિલ્લામાં ચોમાસા દરમિયાન સતત વરસતા વરસાદના કારણે જિલ્લાભરના અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં ડામર રોડ તૂટી ગયા હતા.

જામકંડોરણા : મોઢે ડૂમો દઇ કાકી પર ભત્રીજાનો બળાત્કાર

જામકંડોરણા તાબેના સાજડિયાળી ગામે ભત્રીજાએ વાડીમાં કામ કરી રહેલી કાકી પર નજર બગાડી કુકર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પટેલ સમાજમા ભારે ચકચાર જાગી છે.હવસનો શિકાર બનેલી પટેલ પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં, તે ગઇ કાલે ગામની સીમમાં આવેલી તેની વાડીએ કામ કરતી હતી. ત્યારે બાજુમાં જ વાડી ધરાવતો કૌટુબિક ભત્રીજો કિશોર જીણાભાઇ રાણપરિયા અચાનક વાડીમાંધસી આવ્યો હતો.વાડીમા કાકીને એકલી કામ કરતા જોઇ કિશોરને વાસનાનો કીડો સળવળ્યો હતો. આ વેળાએ પટેલ પરિણીતા કંઇ વિચારે તે પહેલાં કિશોરે પછાડી લઇ મોઢે ડુમો દઇ દીધો હતો.મોઢે ડૂમો દઇ દેવાથી લાચાર બની ગયેલી પરિણીતા પર નરાધમ ભત્રીજાએ બળાત્કાર ગુજાર્યો હતો. એકલતાનો ગેરલાભ ઉઠાવ્યા બાદ કિશોરે જો આ અંગે કોઇને કહ્યું તો તારા પતિ,દિયર અને પુત્રને જાનથી મારી નાખીશની ધમકી આપી નાસી છુટયો હતો.


વડોદરા : રાષ્ટ્રીયકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં રાજકોટની જુહી કેપ્ટન

વડોદરા ખાતે તાજેતરમાં યોજાયેલી રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામા રાજકોટ એસ.એન.કે. સ્કૂલમાં નવમાં ધોરણમાં અભ્યાસ કરતી જુહી ચેતનભાઇ કોઠારીએ વધુ એક સિધ્ધિ મેળવી રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.નાની ઉંમરમાં જ છત્તીસગઢ, મઝિોરમ, ગુરૂદાસપુર, જયપુર, દહેરાદૂન ખાતે યોજાયેલી રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધાઓમાં રમતનું સુંદર પ્રદર્શન કરનાર જુહીને આગામી ડિસેમ્બરમાં પૂના ખાતે રમાનાર નેશનલ સ્કૂલ ગેમ્સમાં વધુ એક વાર રાજ્યની ટેબલ ટેનિસની ટીમનું સુકાન સોંપાયું છે.જુહીએ વધુ એક વાર રમતનું સુંદર પ્રદર્શન કરી રાજકોટનું ગૌરવ વધાર્યુ છે. જુહીની ટેબલ ટેનિસની આક્રમક રમતને કારણે ભારતની જુનિયર ટીમમાં સામેલ થવાનું સ્વપ્ન હવે તેના માટે દૂર નથી.


મહેસાણા ગંજબજારમાં આત્મવિલોપનની ઉત્તેજના

મહેસાણા ગંજબજારમાં શુક્રવારે લાયસન્સ મુદ્દે સંચાલક મંડળ સામે જંગ છેડી એક વેપારીએ આત્મવિલોપનની ચીમકી આપતાં ઉત્તેજનાભર્યા માહોલમાં આખરે ચીમકી આપનાર વેપારીની ૧૫૧ મુજબ અટક કરાઇ હતી. જ્યારે આ બનાવ બાદ કેટલાક વેપારીઓના સમૂહે પોલીસ સહિત સત્તાવાળાઓને આવેદનપત્ર પાઠવી ગંજબજારનું કામ બંધ રાખવાનું જણાવતાં દિવસભર આ મામલે ગરમાવો રહ્યો હતો.મહેસાણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ભાવિન ટ્રેડર્સના નામે અનાજ, કઠોળ, તેલીબીયાનો ધંધો કરવા માટે અ-વર્ગનું લાયસન્સ ધરાવતા ભદ્રેશકુમાર સુરેન્દ્રકુમાર શાહનું કેટલાક કારણોસર ગત ૧૧-૬-૧૦ના રોજ લાયસન્સ રદ કરવામા આવ્યું હતું. ખેડૂતોનો મામલ હરાજીમાં ખરીદી કરીને મીલમાં મોકલતા આ વેપારીનું લાયસન્સ રદ કરાતાં શુક્રવારે પોતાની પેઢી પાસે જ જાહેરમાં આત્મવિલોપન કરવા અંગેની પત્રિકા વહેતી કરી હતી. જ્યારે આત્મવિલોપનની ચીમકીને લઇને શહેર પોલીસ દ્વારા શુક્રવારે સવારથી જ વેપારીના નિવાસ સ્થાન, પેઢી સહિતના સ્થળોએ વોચ ગોઠવી હતી. જ્યારે શુક્રવારે સવારથી ગંજબજારમાં ઉત્તેજનાભર્યા માહોલ વચ્ચે આત્મવિલોપનની ચીમકી આપનાર વેપારીની શોધખોળ હાથ ધરાઇ હતી. આ કવાયત વચ્ચે ચીમકી આપનાર વેપારી ગંજ બજારમાં આવતાં જ પોલીસે ૧૫૧ મુજબ એની અટક કરી હતી. દરમિયાન શહેર પોલીસ મથકે લઇ જવાયેલા વેપારી ભદ્રેશભાઇ શાહને એક રૂમમાં બંધ બારણે બેસાડી પોલીસે નિવેદન લીધું હતું. ત્યારબાદ તેઓને મામલતદાર સમક્ષ રજુ કરી પાકા જામીન લેવડાવ્યા હતા.


મહેસાણાના રાધનપુરથીબે બહેનોને લૂંટી ત્રણ ગઠિયા ફરાર

મહેસાણાના રાધનપુર ચાર રસ્તાથી રિક્ષામાં બેસી શુક્રવારે સવારે ધિણોજ જઈ રહેલી મહિલાના થેલામાંથી રોકડ R ૧૩ હજાર તથા સોનાનું મંગળસૂત્ર મળી કુલ ૫૮ હજારની મત્તા લૂંટી ગયેલા ત્રણ શખ્સો વિરુદ્ધ શહેર પોલીસે ગુનો નોંધ્યો છે.અમદાવાદ રહેતા ગીતાબેન સુરેશભાઈ પટેલના ચાણસ્મા તાલુકાના મેરવાડા ગામે રહેતા ભત્રીજાનો ગરબો હોઈ તેઓ કલોલ ખાતે રહેતી બહેન જયોત્સનાબેન સાથે જીપમાં બેસી શુક્રવારે સવારે મહેસાણા રાધનપુર ચાર રસ્તા ઉતરી હતી. અહીં તેઓ પીકઅપ સ્ટેન્ડ નજીક ઉભા હતા તે સમયે તેમની નજીક આવીને ઉભી રહેલી રિક્ષામાં બેસી તેઓ ધિણોજ જવા રવાના થયા હતા. આ દરમિયાન આશરે સાડા નવ વાગ્યાના અરસામાં પોતાના પગ નજીક મૂકેલો થેલો બાજુમાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા શખ્સો ખેંચવાનો પ્રયત્ન કરતા જોઈ તેઓને શંકા જતાં રિક્ષાચાલકને રિક્ષા થોભાવી દેવા કહ્યું હતું. જો કે, રિક્ષાચાલકે રિક્ષાની ઝડપ વધારતા આ મહિલાઓએ બૂમરાડ મચાવી મૂકી હતી. જેમાં પકડાઈ જવાના ડરથી ત્રણ શખ્સો ગીતાબેનના થેલામાં મૂકેલ R ૪૫ હજારનું સોનાનું મંગળસૂત્ર તથા રોકડ R ૧૩ હજાર મળી કુલ R ૫૮ હજારની મત્તાની લૂંટ કરી બન્ને મહિલાઓને રસ્તામાં ઉતારી રિક્ષા લઈ નાસી ગયા હતા. બન્ને મહિલાઓ રાહદારીની મદદથી શહેર પોલીસ સ્ટેશન પહોંચી રિક્ષાચાલક સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.


આણંદના પૂર્વ ધારાસભ્યને ત્રણ શખ્સની ફોન પર ધમકી

આણંદના માજી ધારાસભ્ય ને મંત્રી દિલીપભાઈ મણીભાઈ પટેલને ગુરૂવારના રોજ ત્રણ શખ્સે મોબાઈલ પર સતત ધમકી આપતા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.પોલીસ સુત્રોના જણાવ્યાનુસાર, કરમસદ રોડ પર નિવાસસ્થાન ધરાવતા માજી મંત્રી અને માજી ધારાસભ્ય દિલીપભાઈ મણીભાઈ પટેલ ગત તા.૧૪મી ઓક્ટોબરના રોજ બપોરે પોતાના ઘરે હતા, તે દરમિયાન તેમના મોબાઈલ પર સતત ધમકી ભર્યા ફોન આવતા હતાં.


‘વસૂલી ફેમ’ માણિકરાવને સોનિયા ગાંધીની કલીન ચિટ

મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ માણિકરાવ ઠાકરેની વસૂલી રેલીમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ માણિકરાવ ઠાકરે અને મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણને કલીન ચિટ આપી હતી. ગુરુવારે કંઈ જ બન્યું ન હોય એવો માણિકરાવનો વટ હોવાનું કહેવાયું હતું.તેમણે ઝંડા માર્ચનો આરંભ ભાષણથી કર્યો હતો. સેવાગ્રામની રેલી માટે કોંગ્રેસના કાર્યકર્તાઓને એકત્ર કરવા બદલ સોનિયા ગાંધીએ માણિકરાવ ઠાકરે અને અશોક ચવ્હાણનાં વખાણ કર્યાં હતાં. સામાન્ય કાર્યકર્તા એકત્ર થયાનો ગાંધીએ સંતોષ પણ વ્યક્ત કર્યો હતો. ગુરુવારે બનેલી બાબત વિશે તેમણે આ સમયે કશું પણ બોલવાનું ટાળ્યું હતું.


ઠાકરે કુટુંબની ત્રણેય પેઢી એક મંચ પર આવશે

શિવસેનાના દશેરા મેળાવડામાં જે ‘અવાજપ્ત સાંભળવા દરેક શિવસૈનિક આતુર હોય છે એ શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેનો ધારદાર અવાજ બે વર્ષના અંતર બાદ આ વર્ષે ફરી શિવાજી પાર્કમાં ગરજશે. કેટલાંક વર્ષોથી તબિયતના કારણોસર શિવાજી પાર્ક ખાતે મેળાવડાના મંચ પર તેમની ઉપસ્થિતિ અંગે અનિશ્ચિતતા હોય છે.પરંતુ આ વર્ષે તબિયતની ફરિયાદો બાજુ પર મૂકીને બાળ ઠાકરે દશેરાના મેળાવડામાં હાજર રહેવા સજ્જ હોવાની જાહેરાત ઉદ્ધવ ઠાકરેએ કરી હતી. આ ઉત્સાહનું એક કારણ એવું છે કે બાળ ઠાકરે તેમના પરિવાર અને શિવસેનાના નેતૃત્વની ત્રીજી પેઢીની જાહેરાત કરશે. શિવસેનાની યંગ બ્રિગેડ ‘યુવા સેના’ના નેતા તરીકે આદિત્ય ઉદ્ધવ ઠાકરેનું નામ જાહેર કરાશે. આમ, મંચ પર ઠાકરે કુટુંબની ત્રણ પેઢીઓ ઉપસ્થિત રહેશે. આદિત્યને ‘લોન્ચ’ કરવા માટેની આ રેલીમાં પૌત્રનું પ્રથમ જાહેર ભાષણ સાંભળવા દાદા બાળ ઠાકરે અચૂક હાજર રહેશે.


ઈરાનનું ભવિષ્ય અંધકારમય છે

રાજનૈતિક ચર્ચા માટે હજુ પણ દ્વાર ખુલ્લો હોવાનો દાવો કરતા અમેરિકાએ કહ્યું છે કે કડક પ્રતિબંધોનો સામનો કરી રહેલા ઈરાનનું ભવિષ્ય અંધકારમય છે. આનું કારણ છે અહીંના નેતાઓની એકપક્ષીય પરમાણુ કાર્યક્રમને લઇને જિદ.વિદેશ વિભાગના પ્રવક્તા પીજે ક્રાઉલેએ જણાવ્યું છે કે ગયા મહિને ઈરાની રાષ્ટ્રપતિ અહમદીનેજાદ અમેરિકા આવ્યા હતા અને તેમની વાત કરી હતી. આ પછી તેઓ લેબનોન ગયા અને ત્યાં પણ વિચિત્ર ભાષણો કર્યા હતા. હવે તેઓ તહેરાન પાછા આવી ગયા છે, જ્યાં તેમના દેશનું ભવિષ્ય ધૂંધળુ દેખાઈ રહ્યું છે. ઈરાન આંતરરાષ્ટ્રીય સમૂદાયથી હવે વધારે દૂર થઈ ગયું છે.


ફુગાવો વધીને ૮.૬૨ ટકા

જીવનજરૂરી ચીજવસ્તુના ભાવોમાં વધારો થવાને કારણે સપ્ટેમ્બર માસ દરમિયાન ફુગાવાનો દર વધીને ૮.૬૨ ટકાનો થવા પામ્યો છે, જેના કારણે વિશ્લેષકોનું માનવું છે કે પોતાની આગામી નાણાકીય નીતિમાં આરબીઆઈ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા છે.જોકે આ એવો સતત બીજો મહિનો છે કે જેમાં ફુગાવાનો દર એક આંકડે રહેવા પામ્યો છે જે જુલાઈ સુધી પૂરા થતા પાંચ માસ દરમિયાન ૧૦ ટકાનો રહેવા પામ્યો હતો. ઓગસ્ટ માસ દરમિયાન ફુગાવાનો દર ૮.૫૧ ટકાનો રહેવા પામ્યો હતો. જુલાઈ માસ દરમિયાન ફુગાવાના જે હંગામી આંકડાઓ ૯.૯૭ ટકાના જાહેર કરવામાં આવ્યા હતા તે સુધારીને ૧૦.૩૧ ટકાના જાહેર કરવામાં આવ્યા છે.દરમિયાન, સરકાર દ્વારા તારીખ ૨જી ઓક્ટોબરનાં રોજ પૂરાં થતાં સપ્તાહ માટે જાહેર કરવામાં આવેલો ખાદ્યપદાર્થો આધારિત ફુગાવાનો દર ૦.૧૩ ટકા જેટલો વધીને ૧૬.૩૭ ટકાનો થવા પામ્યો છે. ખાસ કરીને શાકભાજી અને દૂધના ભાવમાં થયેલા વધારાને કારણે ખાદ્યપદાર્થો આધારિત ફુગાવાના દરમાં વધારો થવા પામ્યો છે. નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ વધતી જતી કિંમત અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ફુગાવાને અંકુશમાં લેવો તેમના માટે સૌથી મોટો પડકાર છે. સપ્ટેમ્બર માસ દરમિયાન સમગ્ર ફુગાવામાં સમાવિષ્ટ પ્રાથમિક ચીજો(કે જેમાં કાચી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે.) ખાદ્ય અને બિનખાદ્ય પદાર્થો તેમજ ખનીજોના ભાવો વાર્ષિક ધોરણે ૧૭.૪૫ ટકાના દરે વધવા પામ્યા છે.


મલ્લિકા ઈમરાનને ચુંબન કરવા આતુર.

મલ્લિકા છ વર્ષ પછી પોતાના સેક્સી અવતારમાં પાછી ફરશે. થોડા સમય પહેલા જ દિગ્દર્શક મોહિત સુરીએ મર્ડરની સિક્વલ બનાવવાની વાત કરી હતી. નોંધનીય છે કે, મર્ડરમાં ઈમરાન હાશ્મી અને મલ્લિકા શેરવાતે કામ કર્યુ હતું. આ ફિલ્મમાં બંને વચ્ચે ખાસ્સા એવા ઉત્તેજક પ્રણય દ્રશ્યો હતા, જેને લઈને વિવાદ પણ થયો હતો.સૂત્રોના જણાવ્યા પ્રમાણે લોસ એન્જલસથી પરત ફર્યા બાદ અભિનેત્રી વારંવાર જૂહુ ખાતેની ભટ્ટ ઓફિસમાં આંટાફેરા મારે છે. મલ્લિકાને મર્ડરની સિક્વલમાં કામ કરવાની ઘણી જ ઉત્કંઠા છે.સૂત્રોના મતે મર્ડર ફિલ્મ હિટ જતાં મલ્લિકાએ નિવેદન આપ્યું હતું કે, તેને કારણે આ ફિલ્મ હિટ ગઈ છે. આ વાતને કારણે મહેશ અને મુકેશ ભટ્ટ નારાજ છે. જો કે ગયા વર્ષે મલ્લિકા અને ભટ્ટબંધુઓ વચ્ચે સમાધાન થઈ ગયું હતું.


'પીપલી'ને આ ફિલ્મો આપશે સખત સ્પર્ધા

ઓસ્કર માટે ભારત તરફથી પીપલી લાઈવને વિદેશી ભાષા ફિલ્મ ટ્રોફી જીતવા માટે આ ફિલ્મો સખત સ્પર્ધા પુરી પાડશે. આ પાંચ ફિલ્મો સારી એવી સ્પર્ધા પુરી પાડશે. 25 જાન્યુઆરી 2011એ 83માં એકેડમી એવોર્ડસની જાહેરાત થશે.ઓસ્કરમાં વિદેશી ભાષા ફિલ્મની કેટેગરી માટે 65 દેશોએ દાવેદારી નોંધાવી હતી. જેમાં ઈથિયોપિયા અને ગ્રીનલેન્ડ જેવાં દેશોનો પણ સમાવેશ થાય છે.ફિલ્મ : બલ (હની)


રાજકોટમાં પાણીકાપની હેટ્રિક, આજે મવડી ઝોન તરસ્યો રહેશે

રાજકોટવાસીઓના લલાટે પાણીકાપનું દુભૉગ્ય જાણે કાયમી લખાયેલું જ હોય તેમ શિયાળો હોય, ઉનાળો હોય કે, ચોમાસુ આવા કારમા દિવસોમાં જીવવું જ પડે છે. આવી જ એક કમનસીબી હજુ ચોમાસુ ચાલ્યું જાય છે ત્યાં ફરી આવી પડી છે. છેલ્લા બે દિવસથી ન્યૂ રાજકોટની માઠી બેઠી છે. લગલગાટ ઝીંકાતા પાણીકાપની આવતીકાલે હેટ્રિક કરી મવડી ઝોનના વોર્ડ નં. ૧૩, ૨૧, ૧૦(પાર્ટ), ૨૦(પાર્ટ), ૧૪(પાર્ટ)ના હજારો લોકોને પાણી વગર ટળવળતા રખાશે.


રાજકોટમાં શ્યામ પાર્કમાં યુવતીને અગનજવાળા ભરખી ગઇ

રાજકોટના કોઠારિયા રોડ પરના શ્યામ પાર્કમાં કડિયા યુવતીને અગનજવાળા ભરખી ગઇ હતી. તેમજ બાંટવાના પાજોઠ ગામમાં ખાનગી બસની ઠોકરે બાળકીનું મૃત્યુ થયું હતું.રણુજા મંદિર પાછળના શ્યામ પાર્કમાં રહેતી કડિયા રંજન કાંતિભાઇ મકવાણા (ઉ.વ.૨૧) ગત ૧૪ના પોતાના ઘરે પ્રાઇમસ પર રસોઇ બનાવતી હતી ત્યારે વાઇ આવતા યુવતી પ્રાઇમસ પર પડી હતી. આ ઘટનાથી દાઝી ગયેલી યુવતીને હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. યુવાન પુત્રીના મોતથી કડિયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.


કોડીનાર :૩૦ ફુટ લાંબી અને ૫ ટન વજન ધરાવતી વ્હેલ

કોડીનાર તાલુકાનાં મુળદ્વારકા બંદરના દરિયામાંથી ૩૦ ફુટ લાંબી વહેલશાર્ક માછલીને જાળમાંથી મુક્ત કરાવાઈ હતી. આજે વહેલી સવારનાં ૭ વાગ્યાની આસપાસ મુળ દ્વારકાનાં દરિયામાં ફીશીંગ કરી રહેલી વીઆરએલ ૧૨૭૯૪ નંબરની પરમેશ્વરી કૃપા નામની બોટની જાળમાં ૩૦ ફુટ લાંબી અને ૫ ટન વજન ધરાવતી મહાકાશ વ્હેલશાર્ક માછલી ફસાઈ જતાં બોટનાં માલિક પ્રકૃતિ નેચર ક્લબનાં પ્રમુખ દિનેશગીરી ગોસ્વામી,


રાજકોટ : કોંગ્રેસ આપી શકે માત્ર વચનો, કરી શકે વિનાશ: વિજય રૂપાણી

વિજયભાઇએ જણાવ્યું હતું કે, રાજકોટની પ્રજાએ વર્ષ ૨૦૦૦ માં પાંચ વર્ષ માટે કોંગ્રેસને તક આપી હતી. પરંતુ કોંગ્રેસના કુશાસનને કારણે રાજકોટનો વિકાસ અટકી ગયો. સત્તાભૂખ્યા કોંગ્રેસીઓએ પાંચ વર્ષ અંદરોઅંદર લડવા ઝઘડવામાં જ વિતાવ્યા. ત્રણ-ત્રણ તો મેયરો બદલાયા. કોંગી પદાધિકારીઓએ એ સમયે એવા લખણો ઝળકાવ્યા હતા કે રાજકોટવાસીઓના માથાં શરમથી નીચા થઇ જતા હતા. કોંગ્રેસ આજે ચૂંટણી લડી રહી છે પરંતુ પોતાના પાંચ વર્ષના શાસનના એકપણ સારા કે વિકાસલક્ષી કામને હવાલો આપવાની સ્થિતિમાં નથી. કોંગ્રેસનું એ કુશાસન આજેપણ પ્રજાને યાદ છે. કોંગ્રેસ પણ જાણે છે કે, તેનો પરાજય નિશ્વિત બની ગયો છે.


રાજકોટ :યુવતીને રિક્ષાચાલકે ડીસમીસ ઝીંકી

રેસકોર્સ રિંગ રોડ પર સવારે નેપાળી યુવતી પર ગાંધીગ્રામના રિક્ષાચાલક સહિતાનાઓએ હુમલો કરતા ઘવાયેલી યુવતીને હોસ્પિટલમાં ખસેડાઇ હતી.કોઠારિયા સોલવન્ટ પાસે રહેતી માનસી ઉર્ફે ભુરી કિશોરભાઇ થાપા (ઉ.વ.૨૦) રેસકોર્સ રિંગ રોડ પર મગનલાલ આઇસક્રીમ સામે ઊભી હતી ત્યારે ગાંધીગ્રામમાં રહેતો રિક્ષા ચાલક સંજય બાવાજી રિક્ષામાં કેટલાક શખ્સો સાથે ધસી આવ્યો હતો અને માનસી પર પક્કડ અને ડિસમિસથી તમામ શખ્સો તૂટી પડ્યા હતા.હુમલામાં ઘવાયેલી નેપાળી યુવતીને લોહી લોહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. બનાવની જાણ થતાં પ્ર. નગર પોલીસ દોડી ગઇ હતી. પોતાની સહેલી કોમલની રાહ જોતી હતી ત્યારે રિક્ષા ચાલકે હુમલો કર્યાનું યુવતીએ પોલીસ સમક્ષ કહ્યું હતું.


પોરબંદરના કિંદરખેડા ગામે બની કૌતૂકભરી ઘટના
આભને આંબતો લિસોટો અનેક લોકોએ નિહાળ્યો

સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને કારણે મેઘરાજાનું આગમન થયું છે. સુરેન્દ્રનગરના ચુડા ગામે કરા પડવાની ઘટના બની છે ત્યારે પોરબંદર જીલ્લાના કિંદરખેડા ગામે એક અજુગતી કુદરતી ઘટના ચર્ચાનો વિષય બની હોય તેમ આજે બપોરના સમયે પાણી ભરેલા વિસ્તારમાંથી એકાએક ધુમાડાનો એક ચક્રવાત ઉઠ્યો હતો અને તેમાંથી એક સફેદ કલરનો લીસોટો આકાશને આંબી ગયો હતો. આ ઘટના નજરે નિહાળનાર લોકો દંગ રહી ગયા હતા.

આજે શારદીય નવરાત્રીની પૂર્ણાહુતિ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



આજે શારદીય નવરાત્રીની પૂર્ણાહુતિ

તા.૧૬મી ઓક્ટોબરના રોજ શારદીય નવરાત્રીની પૂર્ણાહુતિ થશે. આ સાથે જે ભક્તોએ અનુષ્ઠાન કર્યું છે, તેની પૂર્ણાહુતિ પણ થશે અને દશાંશ હોમ પણ કરવામાં આવશે. સાથે કુમારિકા પૂજનનો પણ આ દિવસે વિશિષ્ટ મહિમા હોય છે. સાથે આઠમના દિવસે શુક્રવારે મોટી સંખ્યામાં હવન થયા હતા અને માઇભક્તો માતાજીનાં મંદિરોમાં દર્શનાર્થે ઊમટી પડ્યા હતા.સાથે આ દિવસે માતાજીના તીર્થસ્થાનનાં દર્શનનું પણ વિશેષ મહત્વ હોય છે. જેથી આ દિવસે અનેક લોકો અંબાજી, બહુચરાજી, ચોટીલા, માટેલ વગેરે સ્થાનોએ દર્શન કરશે.જ્યારે જયોતિષાચાર્ય કંદર્પભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, નવરાત્રીના અંતિમ દિવસે, કુમારિકાનું પૂજન કરવાનું વિશેષ મહત્વ હોય છે. આઠ વર્ષ સુધીની ૧, ૩, ૫, ૭ કે ૯ની સંખ્યામાં કુમારિકાઓનું પૂજન, ભોજન અને દાન-પુણ્ય કરવાથી દેવી-કૃપા પ્રાપ્ત થાય છે, સાથે સપ્તશ્લોકી દુગૉ સ્તક્ષેત્રનું પઠન કરવાનું પણ ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે.


આલ્પ્સ પર્વતની અંદર બનશે વિશ્વની સૌથી લાંબી સુરંગ

સ્વિત્ઝરલેન્ડમાં આલ્પ્સ પર્વતની અંદર આજથી દુનિયાની સૌથી લાંબી સુરંગ બનવાની શરૂ થશે. ખોદકામ કરનારું એક વિશાળકાય મશીન આ ફાસ્ટેસ્ટ રેલવે માટે રસ્તો બનાવવાનું શરૂ કરશે.સ્વિસ પરિવહન મંત્રી મોરોત્ઝ લ્યુનબર્ગરે જણાવ્યું છે કે ગોથાર્ડ એક જોવાલાયક સ્થળ રહેશે અને તેની સાથે દુનિયાની દરેક સુરંગની તુલના કરવામાં આવશે. ગોથાર્ડ ખાતે 57 કિલોમીટર લાંબી સુરંગ 2017માં ખૂલ્યા પછી ઉત્તરીય અને દક્ષિણ-પૂર્વ યુરોપમાં નવો માર્ગ તૈયાર કરશે.


લગ્ન પછી પણ પતિનુ દિલ જીતો

એણે તમને જીતવા માટે ઘણી મહેનત કરી અને તમે પણ આગળ વધ્યા જેથી જ આજે તમે બન્ને સાથે છો અને ખુશ છો. એવુ જોવા મળતુ હોય છે કે પરિણીત યુગલો એકબીજાને ખુશ કરવા કે આકર્ષવા માટે ખાસ કંઈ જ નથી કરતા. તેઓ એકબીજાને હળવાશથી લેવા લાગે છે જેના કારણે સંબંધમાં તફાવતો આવે છે.તેમ છતા અમુક સરળ હરકતોથી તમે તમારા લગ્ન જીવનની તાજગી જાળવી શકો છો. અમે અહીં કેટલીક ટિપ્સ આપીએ છીએ જેનાથી તમે તમારા પતિને ખુશ કરી શકો છો.- તમારા પતિ જ્યારે થાકીને ઘરે આવે ત્યારે તમે એનુ સ્વાગત એક પ્રેમભર્યા સ્મિત સાથે કરી જ શકો. તમારા ઘરને સ્વચ્છ રાખો, બહુ ભારે નહીં પણ સારા કપડા પહેરો, સારુ જમવાનુ જમાડો, આનાથી તેને ઘરે આવ્યાનો આનંદ થશે


ફરી એક વખત બચ્ચન બહુએ ભજવ્યાં પ્રણયદ્રશ્યો!!

બોલિવૂડની સૌથી રોમેન્ટિંક જોડીની વાત કરીયે તો એશ્વર્યા રાય બચ્ચન અને રિતીક રોશનનું નામ જરૂરથી આવે છે. તેમાં પણ ફિલ્મ જોધા અકબર અને ધુમ-2માં તેમની જોડીને મળેલી લોકપ્રિયતા વધારી દીધી છે.હવે જો અહેવાલની વાત કરીયે તો આ બન્ને સ્ટાર્સે તેમની આગામી ફિલ્મ ગુઝારીશમાં પણ પ્રણય દ્રશ્યો ભજવ્યાં છે. તેમજ જોડીએ આ ફિલ્મમાં તેમની કેમેસ્ટ્રીને વધુ જમાવવાં પ્રણયદ્રશ્યો પણ દર્શાવવામાં આવ્યાં છે.સુત્રોનાં જણાવ્યાં પ્રમાણે, આ બન્ને સ્ટાર્સ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગુઝારિશમાં પ્રણયદ્રશ્યો કરતાં જોવા મળશે. તેમજ આ દ્રશ્યો તેમની ગત ફિલ્મો કરતાં પણ ઘણાં જ કામુક હશે.સુત્રોનાં જણાવ્યાં પ્રમાણે, '' આ સિન ઘણાં જ કામુક અને પ્રણ્યથી ભરપુર છે. આ સિન્સમાં એશ ઘણી જ પેશનેટ લાગે છે. પણ ખરેખરમાં આ સિન ભજવતાં સમયે એશ્વર્યા ઘણી જ નર્વસ હતી. પણ એક પ્રોફેશનલ વ્યક્તિ તરિકે એશે આ સિન્સ બખુબી નિભાવ્યાં હતાં.''


સેહવાગે લગાડ્યો તમિમને તોફાની બેટિંગનો ચસ્કો

ગુરુવારના રોજ વિઝડન ક્રિકેટર ઓફ ધ યરનું બહુમાન મેળવનારા 21 વર્ષિય તમિમે કહ્યું હતું કે વિરેન્દ્ર સેહવાગની બેટિંગ સ્ટાઈલ ટેસ્ટ મેચના પ્રથમ સેસનમાં મને આક્રમક ફટકા રમવાનો આત્મવિશ્વાસ અપાવે છે.જ્યારે વન ડે ક્રિકેટનો સવાલ છે ત્યાં સુધી મેં બહુ ખરાબ પ્રદર્શન નથી કર્યું પરંતુ ટેસ્ટમાં હું બે વાતને લઈને મૂંઝવણમાં મૂકાઈ જઉ છું. મારે આક્રમક રમવું કે પછી સંરક્ષણાત્મક રમવું તે વાત ઘણી મહત્વની છે. પરંતુ જ્યાં સુધી ટેસ્ટ ઓપનર્સનો સવાલ છે ત્યાં સુધી સેહવાગે બેટિંગનું ગ્રામર જ બદલી નાંખ્યું છે, તેમ તમિમે કહ્યું હતું.કેટલાક સમય બાદ મેં નક્કી કર્યુ હતું કે હું પણ સેહવાગની જેમ મારી સ્વાભાવિક રમત જ રમીશ. તેનાથી બોલરો પર પ્રભુત્વ મેળવી શક્યો અને સદનસીબે હું તેમાં સફળ પણ રહ્યો છું.


ફ્લોરિડામાં વાસણની સાથે દાદીમાના અસ્થિ પણ વેચી દીધા

ફ્લોરિડાની એક મહિલાના પતિએ ભૂલથી એક વાસણ એક યાર્ડ સેલમાં વેચી દીધું, જેમાં તેની દાદીમાના અસ્થિ ભરેલા હતા. ફોર્ટ વોલ્ટન પાસે રહેનારી પાઇપર જેફરીએ કહ્યું છે કે ગયા સપ્તાહે જ્યારે તે ઘરે આવી તો તેણે જોયું કે તેનો પતિ ઘરની કેટલીક વસ્તુઓ વેચી રહ્યો હતો.જ્યારે તેણે ઘરના સામાન તરફ નજર કરી તો ખ્યાલ આવ્યો કે એક ઘડામાં તેની દાદી મારોરી પોટેસ જેફરીની અસ્થિઓ પડી હતી, તે પણ વેચાઈ ગઈ હતી. તેની દાદીનું મૃત્યુ જાન્યુઆરીમાં 99 વર્ષની ઉમરે થયું હતું.પાઇપરે આ ઘટના પછી ફેસબુક પર એક મેસેજ લખ્યો હતો કે આ વાસણ જે કોઇએ પણ ખરીદ્યું હોય તે તેનું ધ્યાન રાખે. ખુશીની વાત તો એ છે કે જેણે આ ઘડો ખરીદ્યો હતો તેણે ફેસબુક પર સામે રીપ્લાય પણ આપ્યો હતો અને આ અસ્થિભરેલો ઘડો પાઇપરને પાછો મોકલાવ્યો હતો.


વાસણની સાથે દાદીમાના અસ્થિ પણ વેચી દીધા

ફ્લોરિડાની એક મહિલાના પતિએ ભૂલથી એક વાસણ એક યાર્ડ સેલમાં વેચી દીધું, જેમાં તેની દાદીમાના અસ્થિ ભરેલા હતા. ફોર્ટ વોલ્ટન પાસે રહેનારી પાઇપર જેફરીએ કહ્યું છે કે ગયા સપ્તાહે જ્યારે તે ઘરે આવી તો તેણે જોયું કે તેનો પતિ ઘરની કેટલીક વસ્તુઓ વેચી રહ્યો હતો.જ્યારે તેણે ઘરના સામાન તરફ નજર કરી તો ખ્યાલ આવ્યો કે એક ઘડામાં તેની દાદી મારોરી પોટેસ જેફરીની અસ્થિઓ પડી હતી, તે પણ વેચાઈ ગઈ હતી. તેની દાદીનું મૃત્યુ જાન્યુઆરીમાં 99 વર્ષની ઉમરે થયું હતું.પાઇપરે આ ઘટના પછી ફેસબુક પર એક મેસેજ લખ્યો હતો કે આ વાસણ જે કોઇએ પણ ખરીદ્યું હોય તે તેનું ધ્યાન રાખે. ખુશીની વાત તો એ છે કે જેણે આ ઘડો ખરીદ્યો હતો તેણે ફેસબુક પર સામે રીપ્લાય પણ આપ્યો હતો અને આ અસ્થિભરેલો ઘડો પાઇપરને પાછો મોકલાવ્યો હતો.


તાજના સાક્ષી તરીકેનું નિવેદન આપવું છે: અમીન

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તાજના સાક્ષી બનવા માટેની અરજી કરનારા ડૉ. નરેન્દ્ર અમીને આજે કોર્ટ સમક્ષ એવી અરજી કરી હતી કે ‘મારે કોર્ટ સમક્ષ સીઆરપીસી ૧૫૪ મુજબ ગુનાની કબૂલાત કરતું નિવેદન આપવું નથી મારે સીઆરપીસી ૩૦૬ મુજબ તાજના સાક્ષી બનવા માટેનું જ નિવેદન આપવું છે.’પોતાની અરજીમાં અમીને જણાવ્યું હતું કે, વારંવાર કોર્ટ દ્વારા મારું નિવેદન લીધા પહેલાં જ તમારું નિવેદન તમારા માટે જ ફાંસીનો ગાળિયો કે સજાનું કારણ બની શકે છે તેવાં ઉચ્ચારણો કરવામાં આવે છે, જેનાથી મારી માનસિક સ્થિતિ પર વિપરીત અસર પડી શકે છે. આ સંબંધે ડૉ. અમીનના સાક્ષી બનવા અંગે ૨૬મીએ બંધ બારણે નિવેદન લેવાશે.

અમદાવાદ : વસ્ત્રાપુર સ્ટેશન નજીક શેષનગરમાં મિત્રોએ હત્યા કરી

વસ્ત્રાપુર સ્ટેશન નજીક શેષનગર સોસાયટીમાં ઇશ્વરભાઈ દેસાઈ પત્ની અને પાંચ સંતાનો સાથે રહે છે. ઇશ્વરભાઈનાં પાંચ સંતાનો પૈકી પરિણીત દીકરો મનોજ (ઉં.વ.૨૦) તા.૧૨ સપ્ટેમ્બરની રાત્રે મિત્રો સાથે સેટેલાઇટ ખાતે ગરબા જોવા ગયો હતો, પરંતુ મોડી રાત સુધી તે ઘરે પાછો આવ્યો નહોતો. દરમિયાન વહેલી પરોઢે પોણા ચાર વાગ્યે ઇશ્વરભાઈના ઘરના નંબર ઉપર વસ્ત્રાપુર તળાવ પાસેની સંજીવની હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો અને મનોજને કોઈએ માર્યો હોવાથી હોસ્પિટલમાં દાખલ કર્યો હોવાનું જણાવ્યું હતું.આ સાંભળીને ઇશ્વરભાઈ હોસ્પિટલ પહોંચી ગયા હતા, જ્યાં મનોજે તેમને કહ્યું હતું કે, મારા મિત્રો દિનેશ રબારી, કલ્પેશ રબારી, ફુલેશ રબારી, મહેશ રબારી, દિનેશ રબારી તેમજ શૈલેષ રબારી કાર લઈને ત્યાં આવ્યા હતા. તેઓ મને ગરબા જોવાના બહાને કારમાં વાસણા રામદેવપીરના મંદિર પાસે લઈ ગયા હતા, જ્યાં છએ જણા ‘આજે તારી જિંદગીનો છેલ્લો દિવસ છે’ તેમ કહીને લાકડીઓ વડે તૂટી પડ્યા હતા. આ અંગે ઇશ્વરભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન શુક્રવારે બપોરે મનોજનું મોત નીપજતાં પોલીસે ખૂનનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


પંચાયતોની ચૂંટણીની રણનીતિ ઘડવા ભાજપની બેઠક યોજાઇ

આગામી તા.૨૧ ઓકટોબરે યોજાનારી વડોદરા જિલ્લા પંચાયતની ૫૧ બેઠકો અને ૧૨ તાલુકા પંચાયતોની ૨૬૪ બેઠકો માટેની ચંૂટણી જીતવાની રણનીતિ ઘડવા પ્રદેશ ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં ભાજપની મહત્વની બેઠક વડોદરામાં યોજાઇ હતી.પ્રદેશ મહામંત્રી-સાંસદ ભરતસિંહ પરમાર, ભીખુભાઇ દલસાણીયા અને જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ ભરત પંડ્યાની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં શહેર-જિલ્લાના સાંસદો, વર્તમાન ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને જિલ્લા ભાજપના હોદ્દેદારો સાથે ચૂંટણી સંદર્ભે ચર્ચા-વિચારણા કરાઇ હતી.બેઠકમાં જિલ્લા પંચાયતની કમજૌર ગણાતી બેઠકોને અલગ તારવી આ બેઠક જીતવા માટે શહેરના કોર્પોરેટરો અને કાર્યકરોને ત્યાં કામે લગાડવાનું નક્કી કરાયું હતું. આ ઉપરાંત પ્રચારના બાકી રહેલા દિવસોમાં જિલ્લા-તાલુકા પંચાયત બેઠકના ઇન્ચાર્જને એક પણ ગામ સંપર્કથી બાકી ન રહે તે માટેની સૂચના અપાઇ હતી. ખાસ કરીને ગામેગામ મતદાન વધુમાં વધુ થાય તે માટે મતદારોને મતદાન મથક ખાતે લઇ આવવા અનુરોધ કરાયો હતો.


વડોદરામાં રકતદાન કરી વિજયા દશમી મનાવશે

વડોદરા રાજપૂત યુવા એસોસિયેશન દ્વારા પ્રતિ વર્ષ વિજયા દશમીના પર્વે શસ્ત્ર પૂજન-સમી પૂજન, તેજસ્વી તારલાઓનું સન્માન, સમાજના રત્નોનું સન્માન અને વિશિષ્ઠ એવોર્ડ વિતરણ જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. આ વર્ષે રાજપૂત યુવા એસોસિયેશન તેની સ્થાપનાનું રજત જયંતી વર્ષ પણ માનવી રહ્યું હોઇ આ વખતનો દશેરાનો કાર્યક્રમ અલગ રીતે ઉજવાશે.આ અંગે માહિતી આપતાં સંગઠન મંત્રી જશવંતસિંહ શિનોરાએ જણાવ્યું હતું કે, રાજપૂતો સમાજના રક્ષણ માટે લોહી વહાવતા આવ્યા છે. પરંતુ હવે સમય બદલાયો હોઇ રાજપૂત સમાજ આ વખતે દશેરાના પર્વે શસ્ત્ર પૂજનની સાથે પોતાના રકતનું સમાજના જરૂરિયાત મંદો માટે દાન કરી સમાજને નવી રાહ ચિંધશે. રવિવારે સાંજે ૪.૩૦ કલાકે મકરપુરા જકાત નાકા પાસે આવેલા સ્વ.કુમારશ્રી પ્રધ્યુમનસિંહ માનસિંહજી સાંસ્કૃતિક ભવનમાં દશેરાનો કાર્યક્રમ યોજાશે.


સમુજી રામ પ્રતાપ કપિ કોપા, સભા માહિં પલ કરી પગ રોકા

સમુજી રામ પ્રતાપ કપિ કોપા, સભા માહિં પલ કરી પગ રોકા’ રામલીલામાં સ્વામી દેવકીનંદન શર્માએ આ ચોપાઈનું અર્થઘટન કરતા જણાવ્યું હતું કે જ્યારે અંગદ રાવણ પાસે શ્રી રામનો દૂત બની જાય છે ત્યારે રાવણ શ્રી રામની નિંદા કરવાનું શરૂ કરે છે. આ વાત અંગદને ગમતી નથી. ત્યારે અંગદને થયું કે આ તો આપણા ઈષ્ટદેવની નિંદા કરે છે અને ઈષ્ટદેવની નિંદા સાંભળવી જોઈએ નહીં. રાવણને તેના આ દુષ્કર્મની સજા થવી જ જોઈએ. રામલીલામાં શુક્રવારે વૃંદાવન પાર્ક ખાતે વિભિષણ શરણાગતિ, રામેશ્વર સ્થાપના, અંગદ-રાવણ સંવાદ અને લક્ષ્મણશક્તિ પ્રસંગો ભજવાયા હતા.રામલીલામાં અંગદ-રાવણ સંવાદ પ્રસંગે અંગદ રાવણને પાઠ ભણાવવા માટે પોતાનો પગ જમીન પર જમાવી દે છે અને રાવણના યોદ્ધાઓને પોતાનો પગ ખસેડવા માટે લલકારે છે. ત્યારે રાવણની સેનાના યોદ્ધાઓ એક પછી એક અંગદનો પગ ખસેડવાની કોશિશ કરે છે પરંતુ અંગદનો પગ હલાવી પણ નથી શકતા. અંતમાં જ્યારે રાવણ પોતે અંગદનો પગ ખસેડવા માટે ઝૂકે છે ત્યારે અંગદ પગ હટાવી લે છે અને કહે છે કે પગ પકડવા જ છે તો પ્રભુ શ્રી રામના પકડો, જેનાથી તમારો ઉદ્ધાર થશે.


કાપડ બજારમાં દિલ્હીની લાઈન ખૂલવાની આશા

સુરત : દિલ્હીમાં હવે કોમનવેલ્થ ગેમનું સમાપન થઇ ગયુ હોવાથી દિલ્હીની લાઇન ખુલવા સાથે દિલ્હી અને ઉત્તર ભારતમાંથી વેપારીઓની સુરતના બજારમાં આગમનની આશા રાખવામાં આવી રહી છે.સાડીના વેપારીઓનો વેપાર સરેરાશ કરતા ઘણો ઓછો હોવાને કારણે ટેક્સટાઇલ ટ્રેડર્સ ચિંતામાં મુકાયા હતા પરંતુ દક્ષિણ ભારતના વેપારીઓ દ્વારા દિવાળીની ખરીદી માટે ઘસારો કરવામાં આવતા હવે સ્થિતિમાં સુધારો થયો છે.કોમન વેલ્થ ગેમનું ગુરુવારના રોજ સમાપન થઇ ગયા બાદ હવે શુક્રવારે મધરાતથી ટ્રાન્સપોર્ટર પર લાગેલી સમયની પાબંદી પણ ઉઠી ગઇ છે જેના કારણે હવે સોમવારથી દિલ્હીના વેપારીઓ ખરીદી માટે આવશે એવી આશા રાખવામાં આવી રહી છે.આ ઉપરાંત સોમવારથી ઉત્તર ભારતના રાજ્યોમાંથી પણ વેપારીઓ દિવાળીની ખરીદી માટે આવે તેવી ધારણા રાખવામાં આવી રહી છે.


ભુજ શહેરમાં આવેલા એપાર્ટમેન્ટ વોર્ડ પર ભાજપ-કોંગ્રેસનાં જીતનાં દાવા

ભુજ શહેરમાં આવેલા એપાર્ટમેન્ટની સંખ્યા જ્યાં સવિશેષ છે તે આઠમાં વોર્ડમાં ટ્રાફિક, ગંદકી અને ખરાબ રસ્તાના પ્રશ્નો ઉભરી આવ્યા છે. ભાસ્કરની ટીમ જ્યારે હવે અહીં પહોંચી ત્યારે આવી સમસ્યાઓ જોવા મળી હતી. જોકે. ભાજપ દ્વારા વિકાસ કામોનું ભાથ્થું વિજયી બનાવશે તેવું જણાવ્યું છે તો કોંગ્રેસ કહે છે, પ્રશ્નોથી ત્રાસેલા નાગરિકો પરિવર્તન લાવશે.ઘનશ્યામ નગરમાં ઝાડી, રસ્તા, ગટર જેવી સમસ્યાઓ દેખાઇ તો એપાર્ટમેન્ટ ધારકો પાણી પ્રશ્ને ત્રસ્ત જણાયા હતા. ગઇ ટર્મમાં ભુજ પાલિકાનું નેતૃત્વ કરી ચૂકેલા દેવરાજ ગઢવીની પેનલ ફરીથી મેદાનમાં ઉતરી છે. દેવરાજભાઇ પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતાં કહે છે કે, આ વોર્ડમાં ઐતિહાસિક કહી શકાય તેવા ૧ કરોડ ૩૦ લાખના કામો થયો છે અને એકપણ વિસ્તાર બાકી રહ્યો નથી.


સિહોર તાલુકાના મોટા સુરકા ગામે સહેરો બંધાય તે પહેલા જ યુવાનનું મોત

સિહોર તાલુકાના મોટા સુરકા ગામે ભાવનગર-રાજકોટ હાઇ-વે પર આવેલ પુલ પાસે બે બાઇક સામ-સામા અથડાતા નોંઘણવદરના આશાસ્પદ અને જેમના થોડા દિવસો પછી લગ્ન થવાના હતા તેવા મુસ્લિમ યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજતા મુસ્લિમ સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.આ સમગ્ર ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર પાલિતાણા તાલુકાના નોંઘણવદર ગામે રહેતા અને ખેતમજુરી કામ કરતાં કરીમભાઇ અલ્લીભાઇ પઠાણના દીકરા યાસીનભાઇ (ઉ.વ.૧૯) ના લગ્ન આગામી તા. ૪/૧૧ના રોજ લગ્ન નિધૉયા હતા.


મહુવામાં રોગચાળો ડામવામાં તંત્ર વામણું પુરવાર

અસંખ્ય પ્રજાજનો વિવિધ બિમારીઓનો ભોગ બનેલા છે ત્યારે તમામ તંત્રો દર્દીઓને વહારે આવવાને બદલે ચૂંટણી નિવિર્ઘ્ને પાર પાડવામાં લાગી ગયા હોવાથી લોકોના આરોગ્ય પ્રત્યે બેદરકારી સેવવામાં આવી રહી છે. ચૂંટણીની કામગીરીમાં આરોગ્ય તંત્રને જોતરવામાં આવ્યું ન હોવા છતાં તેઓ ચૂંટણીનું બહાનું આગળ ધરીને આરોગ્ય તંત્ર રોગચાળાને ડામવા માટે આવશ્યક પગલાઓ ભરવામાં આળસ સેવી રહ્યું હોવાથી આ રોગચાળો વધતો ચાલ્યો છે. દિવાળીના તહેવારો નજીક આવી પહોંચ્યા છે ત્યારે વધુને વધુ લોકો આ રોગચાળાનો ભોગ બનીને વેકેશનમાં ફરવા જવાના કાર્યક્રમો રદ્દ કરે કે તહેવારોમાં જ દવાખાના-હોસ્પિટલના ચક્કરો ન કાપે તે માટે આરોગ્ય તંત્ર સક્રિય બનીને રોગચાળો ડામવા માટે જરૂરી પગલાઓ ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.


આણંદ જિલ્લા પંચાયત ભાજપના ઉમેદવારનું નિધન

આણંદ જિલ્લા પંચાયતની સ્વરાજ્ય ચૂંટણીમાં કહાનવાડી બેઠક ભાજપના ઉમેદવાર આનંદબેન પરમારનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું.આંકલાવ તાલુકાના ભેટાસી ગામના વતની આનંદબેન મનુભાઈ પરમારે તા. ૨૧મી ઓકટો.એ યોજાનાર સ્વરાજ્ય ચૂંટણી અંતગઁત આણંદ જિલ્લા પંચાયતની કહાનવાડી બેઠક પરથી ભાજપના મેન્ડેટ પર ઉમેદવારી નોંધાવી હતી.તેઓ એક સપ્તાહ પૂર્વે આણંદ ખાતે ભાજપના ઉમેદવારોની માર્ગદર્શન તેમ જ તાલિમ શિબિરમાંથી પરત ફરી રહ્યાં હતાં, ત્યારે માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં સારવારમાં એક સપ્તાહ બાદ તેમનું શુક્રવારે અવસાન થયેલ છે.

ઔરંગાબાદમાં એક જ દિવસમાં ૧૫૦ મર્સિડીઝ ખરીદાઈ

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં એક દિવસમાં ૧૫૦ મર્સિડીઝ બેન્ઝ મોટરકારો વેચાતાં જિલ્લાના લોકોની ખરીદશક્તિ અને વૈભવ ચર્ચાનો વિષય બન્યાં છે.અગાઉ સપ્ટેમ્બર મહિના દરમિયાન અમદાવાદ અને વડોદરા શહેરોમાં મર્સિડીઝ બેન્ઝની ઈ કલાસ અને સી કલાસની ૮૪ મોટરકારોનું ૨૯ કરોડ રૂપિયામાં એક જ દિવસમાં વેચાણ થયું હતું. એક જ દિવસમાં વડોદરામાં ૫૭ (સી કલાસ) અને અમદાવાદમાં ૨૭ (ઈ કલાસ)ની કારોની ડિલિવરી અપાઈ હતી.

ગુજરાત બિઝનેસ માટે સૌથી સાનુકૂળ : ફોર્બ્સ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


ગુજરાત બિઝનેસ માટે સૌથી સાનુકૂળ : ફોર્બ્સ

વિશ્વ વિખ્યાત ફોર્બ્સ મેગેઝિને તાજેતરમાં કરેલા એક રસપ્રદ વિશ્લેષણમાં ગુજરાત અને અમદાવાદ શહેરને ગૌરવરૂપ સ્થાન મળ્યું છે. જેના અહેવાલ મુજબ ગુજરાતને મોસ્ટ માર્કેટ ઓરિએન્ટેડ એન્ડ બિઝનેસ ફ્રેન્ડલી (ઉત્તમ બજારલક્ષી અને વ્યાપાર માટે મૈત્રિપૂર્ણ રાજ્ય) સ્ટેટ તરીકેનું ગૌરવ અપાયું છે, એટલું જ નહીં અમદાવાદને વિશ્વના સૌથી વધુ ઝડપથી વિકસી રહેલાં શહેરોમાં સ્થાન મળ્યું છે.સૌથી મહત્વની બાબત તો એ છે કે ભારતનાં તમામ શહેરોમાં એકમાત્ર અમદાવાદ એવું શહેર છે કે જેની માથાદીઠ આવક દેશનાં અન્ય શહેરો કરતાં બમણી છે. દેશના ગ્લોબલ ઈમજિઁગ પાવર હાઉસ એટલે કે આગામી દાયકામાં વિકાસના ઉભરતા વૈશ્વિક ઊર્જા કેન્દ્રો તરીકે ભારતનાં ત્રણ શહેરોને સ્થાન મળ્યું છે. જેમાં બેંગલોર અને ચેન્નાઈ ઉપરાંત અમદાવાદને સ્થાન અપાયું છે.


ઝડપથી વિકાસ પામતાં શહેરોમાં સુરત ક્યાં ખોવાઈ ગયું

ફોર્બ્સની યાદી અનુસાર વિશ્વના સૌથી ઝડપથી વિકાસ પામતાં શહેરોમાં અમદાવાદ, ચેન્નાઈ અને બેંગલોરને સ્થાન મળ્યું છે. આ આનંદની વાત છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પહેલાંના સરવેમાં ભારતના સૌથી ઝડપથી વિકાસ પામી રહેલાં શહેરોમાં સુરતનું નામ ટોચ પર હતું. તો ફોર્બ્સના અભ્યાસમાં સુરત ક્યાં ખોવાઈ ગયું.શા માટે સુરતનું ક્યાંય પણ નામનિશાન નથી? ત્યારના સરવે વખતે સુરતનો જીડીપી ૧૧.૫ ટકા હતો અને અમદાવાદનો ૧૦.૧ ટકા હતો. આ બાબતે શહેરના તજજ્ઞોનું કહેવું છે કે સુરતની ઇન્ડસ્ટ્રીઝને છેલ્લાં બે વર્ષમાં મોટો ફટકો પડ્યો છે. એની સામે અમદાવાદ, બેંગલોર જેવાં શહેરોમાં સરાઉન્ડિંગ ડેવલપમેન્ટ ઘણું જ થયું છે. એ દ્રષ્ટિએ અમદાવાદ આગળ રહ્યું હશે.


ગુજરાતવિરોધીઓને ફોર્બ્સનો તમાચો

ગુજરાતને અનેક રીતે બદનામ કરીને વગોવી રહેલા લોકોને એક ઇન્ટરનેશનલ તમાચો ઝીંકાયો છે. અમેરિકાના પ્રતિષ્ઠિત ફોર્બ્સ મેગેઝિને ગુજરાત રાજ્યને ઉત્તમ બજારલક્ષી અને વાણિજિયક મૈત્રીપૂર્ણ રાજ્ય ગણાવ્યું છે અને વિશ્વના સૌથી ઝડપી વિકસી રહેલાં ૧૯ શહેરોમાં અમદાવાદની પણ પસંદગી કરી છે.વિકાસનાં ઉભરતાં વૈશ્વિક ઊર્જા કેન્દ્રો એવાં આ શહેરોમાં ભારતના બેંગ્લોર અને ચેન્નાઈ પણ છે. અમદાવાદની માથાદીઠ આવક દેશનાં અન્ય શહેરો કરતાં બમણી હોઈ તે ગ્લોબલ પાવરહાઉસ બની રહ્યું છે.ફોર્બ્સ દ્વારા આ પ્રકારની નોંધ લેવાવી એ ગર્વ અને ગૌરવની વાત છે. ભારત માટે પ્રકાશિત થતા પ્રવાસનથી માંડીને આર્થિક-સામાજિક પ્રકાશનો-લેખનોમાં હજુ અત્યારે પણ ગુજરાત અને અમદાવાદની બદબોઈ કરાય છે. ગોધરાકાંડનાં હુલ્લડોની તતૂડી વગાડીને એવું ચિત્ર બતાવાય છે કે ગુજરાત-અમદાવાદ કોમી રીતે સંવેદનશીલ છે.


ગુજરાત મોડલ'ને અનુસરશે કેન્દ્ર

ગ્રામિણ વિકાસ પ્રધાન બીકે, સિંહાની અધ્યક્ષતામાં 16 નિષ્ણાતોનું સમુહ નિમવામાં આવ્યું હતું, જે જીઓ ઈન્ફોર્મેશન સિસ્ટમ અંગેની સંભાવનાઓ ચકાસી રહ્યું હતું. જેને સ્વીકાર્યું છેકે, ગુજરાતએ આ ક્ષેત્રમાં પ્રમાણમાં ખૂબ સારી પ્રગતિ સાધી છે અને તેને બેઝ મોડલ તરીકે લઈ શકાય તેમ છે. આ જૂથમાં ઈસરોના સભ્યો પણ સામેલ હતા. આ સમુહની નિમણુંક જુલાઈ માસમાં કરવામાં આવી હતી, જેથી નરેગાનું નિયમન કેવી રીતે વધુ સારૂ થઈ શકે અને તે માટે ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે કામગીરી પણ આ જૂથને સોંપવામાં આવી હતી.


કમ્યુનિસ્ટ ચીન ભગવાન તરફ વળી રહ્યું છે

ધર્મની વધતી અસરને કારણે આર્થિક સમૃદ્ધિ વચ્ચે લોકોની સુખ-શાંતિ પામવાની ઈચ્છા અને જરૂરત તો છે જ, સરકારનું અનુકૂળ વલણ પણ ઘણી હદ સુધી તેના માટે જવાબદાર છે. સરકાર અપ્રત્યક્ષપણે લોકોને ધાર્મિક બનવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. ઉદાહરણ તરીકે આ વર્ષની શરૂઆતમાં સરકારે માજુની જયંતી પર ભવ્ય સમારંભ આયોજીત કર્યો છે. માજુ સ્થાનિક દેવતા છે. તેમને સમુદ્રના દેવતા માનવામાં આવે છે અને માન્યતા છે કે માછીમારો તથા નાવિકોની રક્ષા તેમની કૃપાથી થાય છે. આવા કાર્યક્રમો સરકાર દ્વારા વચ્ચે વચ્ચે આયોજીત થતાં રહે છે. એટલું જ નહીં પહેલી વાર ચીનની સરકારે ભારતના આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરને આમંત્રણ મોકલ્યું છે.આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર બીજિંગ પાસે આયોજીત ધાર્મિક નેતાઓના સમાગમ અને સત્સંગમાં ભાગ લેશે. સરકારી સંસ્થા ચાઈના ઓવરસીઝ ફ્રેન્ડશીપ એસોસિએશન (સીઓએફએ) 24-25 ઓક્ટોબરે આ કાર્યક્રમ આયોજીત કરી રહ્યું છે. ચીન તરફથી ભારતના કોઈ ધાર્મિક અને આધ્યાત્મિક વ્યક્તિને આ પહેલું આમંત્રણ છે. પોતાના આશ્રમમાં કાર્યક્રમની મેજબાની કનારા તેંગ ક્વિયુ કહે છેકે આધ્યાત્મને લઈને ચીની સરકારનું વલણ બદલાય રહ્યું છે.


ટીમ ઈન્ડિયાનું ટેસ્ટમાં અવ્વલ બીજુ સ્થાન જોખમમાં

ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બે ટેસ્ટ મેચની શ્રેણીમાં શાનદાર વિજય મેળવી ભારતીય ટીમે ટેસ્ટ રેન્કિંગમાં તો પોતાનું નંબર એકનું સ્થાન જાળવી રાખ્યું છે પરંતુ વન ડે રેન્કિંગમાં ભારતે તેનું બીજુ સ્થાન જાળવી રાખવું હશે તો તેણે ઓસ્ટ્રેલિયા સામે રવિવારથી શરૂ થનારી ત્રણ વન ડે મેચની શ્રેણીમાં પણ ઓસ્ટ્રેલિયાને પરાસ્ત કરવું પડશે.હાલમાં 132 પોઈન્ટ સાથે ઓસ્ટ્રેલિયન ટીમ વન ડે રેન્કિંગમાં ટોચના સ્થાને છે. જ્યારે ભારત અને દક્ષિણ આફ્રિકા હાલમાં સંયુક્ત રીતે બીજા સ્થાને છે. જો ધોનીના ધૂરંધરો ઓસ્ટ્રેલિયાને 3-0 કે પછી 2-1થી હરાવે છે તો તેઓ પાસે અનુક્રમે 121 પોઈન્ટ અને 118 પોઈન્ટ થશે.


વિવાદીત જમીન પરથી મુસ્લિમો દાવો છોડે: નિર્મોહી અખાડા

અયોધ્યામાં વિવાદીત જમીનના ત્રણ હકદારોમાંથી એક નિર્મોહી અખાડાએ સુલેહ સમજૂતીની તમામ કોશિશોને નકારતાં કહ્યું છે કે આ પ્રકારના મામલામાં આગળ ત્યારે જ વાત થઈ શકે છે કે જ્યારે મુસ્લિમો ત્રીજા ભાગ પરથી પોતાનો દાવો છોડી દે. નિર્મોહી અખાડાના આ નવા દાંવથી આ મામલામાં સુલેહની કોશિશોને મોટો આંચકો લાગ્યો છે.ભાજપના નેતા વિનય કટિયારની મહંત ભાસ્કર દાસ સાથે મુલાકાત.કટિયારની મુલાકાત બાદ નિર્મોહી અખાડાના વલણમાં ફેરફાર.રામવિલાસ વેદાંતીએ કહ્યું વાતચીત જારી રહેશે.લખનૌમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠક.મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠકમાં વિવાદ પર નિર્ણયની સંભાવના


વડોદરા જિલ્લામાં નરેન્દ્ર મોદી રવિવારે ડભોઇમાં જાહેરસભા ગજવશે

વડોદરા જિલ્લામાં તા.૨૧ ઓક્ટોબરે યોજાનારી જિલ્લા-તાલુકા પંચાયતો અને નગર પાલિકાની ચૂંટણીના પ્રચાર માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવારે જિલ્લાના ડભોઇ ખાતે આવી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મોના કલાકાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાની સભાઓનું ઠેરઠેર આયોજન કરાયું છે.વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ બાળકૃષ્ણ પટેલના જણાવ્યા મુજબ રવિવારે દશેરાના પર્વે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જિલ્લાના ડભોઇ નગરમાં આવશે. મુખ્યમંત્રી મોદી ડભોઇમાં સાંજે ૪.૩૦ કલાકે પંચાયતો અને નગર પાલિકાની ચૂંટણી સંદર્ભે પ્રચાર સભાને સંબોધન કરશે.


ઓબામા ભારત સાથે વ્યૂહાત્મક સંબંધો સ્થાપવા માગે છે

ઓબામાની ભારતયાત્રા કોઈ પણ દેશમાં રાષ્ટ્રપતિ તરીકેની સૌથી લાંબી મુલાકાત હશે. આ આયોજન પરથી જ ખ્યાલ આવે છે કે ઓબામા દુનિયાના બે વિશાળ લોકતંત્ર વચ્ચે સામરિક સંબંધ સ્થાપવાના મુદ્દાને કેટલું બધું મહત્વ આપે છે.ઓબામા નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં ભારત આવવાના છે. જો કે એ વાત નક્કી છે કે તેઓ સુવર્ણ મંદિર માથુ ટેકવવા જવાના છે. દક્ષિણ અને મધ્ય એશિયાઈ મામલાના વિદેશ ઉપમંત્રી રોબર્ટ બ્લેકે બાલ્ટીમોર કાઉન્સિલ ઓફ ફોરેન અફેર્સમાં આપેલા પોતાના વ્યાખ્યાનમાં ઓબામાની ભારત યાત્રાના કેટલાંક સંકેત આપ્યા હતા.

ભારત-ચીન વચ્ચે નાના ઘર્ષણોની સંભાવના

સેનાધ્યક્ષ જનરલ વી.કે.સિંહે કહ્યું છે કે ચીનના વલણને જોતાં આપણે આપણી પારંપરિક સૈન્ય ક્ષમતાઓ પર્યાપ્તપણે મજબૂત કરવી જોઈએ. તેમણે ચીન સાથે નાની ઝડપો કે ઘર્ષણોની સંભાવના પણ વ્યક્ત કરી છે.સેન્ટર ફોર લેન્ડ વોરફેર સ્ટડીઝ દ્વારા આયોજીત ગોષ્ઠિના ઉદઘાટન પ્રસંગે જનરલ સિંહે કહ્યું હતું કે ચીનના ઈરાદા આપણી ભૂમિકા પર અસર પાડશે. આપણે આપણી સેનાને એવી રીતે બનાવવી પડશે કે તે રાષ્ટ્રીય જવાબદારી નીભાવી શકે. માટે આ દ્રષ્ટિકોણથી આપણે જોઈએ કે આપણી સામે જોખમો ક્યાં છે અને આ પડકારોનો આપણે કેવી રીતે મુકાબલો કરીએ છીએ?


ગાંધીનગરમાં સી.બી.આઇ.ના પી.આઇ.નો ફાંસો ખાઈ આપઘાત

ગાંધીનગરમાં સીબીઆઇના પીઆઇ સુનિલકુમારે શુક્રવારે ક્વાર્ટરમાં નાયલોન દોરી વડે પંખે લટકીને ફાંસો ખાઈ લીધો હતો. એકલા રહેતા પીઆઇએ ક્યાં કારણોસર આ પગલું ભર્યું તેની વિગતો જાણવા મળી નથી. તેમનો પરિવાર નાગપુરથી આવ્યા બાદ વધુ વિગતો જાણવા મળશે.ગુજરાત સીબીઆઇની વડીકચેરીમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા મૂળ નાગપુરના વતની ૪૧ વર્ષીય સુનિલકુમારની બદલી દોઢ વર્ષ પહેલાં ગુજરાતમાં થઈ હતી. સેક્ટર-૧૨માં આવેલા સીબીઆઇ ક્વાર્ટર્સના મકાન નં. ૪૪માં તેઓ એકલા રહેતા હતા. તેમનાં પત્ની અને એક પુત્રી નાગપુર રહે છે.


ખેલનો 'મેલ' શોધવા વડાપ્રધાનની સમિતિ

કોમનવેલ્થ રમતોત્સવ પૂરો થઈ જતાં જ અને તેમાં ભ્રષ્ટાચાર અંગે તપાસની સતત માંગને ધ્યાનમાં લઈને વડાપ્રધાન મનમોહનસિંઘે, આ મેગા ઈવેન્ટમાં થયેલી ગેરરીતિની તપાસનો આદેશ આપી દીધો છે. આ માટે તેમણે ભૂતપૂર્વ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(કેગ)ના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય સમિતિની પણ નિમણુંક કરી દીધી છે.વડાપ્રધાન કાર્યાલયના પ્રવકતાએ કહ્યું છે કે, ભૂતપૂર્વ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(કેગ) વી.કે. શુંગલુની આગેવાની હેઠળની સમિતિ તપાસનો અહેવાલ ત્રણ મહિનામાં વડાપ્રધાનને સોંપી દેશે. ઉલ્લેખનીય છે કે, કોમનવેલ્થ ગેમ્સના કેટલાક પ્રોજેક્ટના મૂલ્યાંકન માટે કેગની મદદ લેવાઈ હતી. હવે, કેગ તમામ સ્ટેડિયમની મુલાકાત લેશે અને તમામ વિગતો તપાસશે. તપાસ અંગેની વધુ વિગત એક-બે દિવસમાં સ્પષ્ટ થઈ જશે. વિપક્ષોએ ૧૨ દિવસનો રમતોત્સવ પૂરો થતાં જ તેમાં કરોડો રૂપિયાના થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવાની માગણી શુક્રવારે વધુ ઉગ્ર બનાવી દીધી હતી.


માળીયા -હાટીના : મહાકાય સવા અગીયાર ફુટ લાંબી મગર ઝડપાઈ

માળીયા હાટીના તાલુકાના આછીદ્રા ગામની સીમમાં ચડી આવેલી એક સવા અગીયાર ફુટ લાંબી મગર ઝડપાઈ હતી. વનવિભાગનાં સ્ટાફે રેસ્કયૂ ટીમની મદદથી પકડી લઈ સાસણ ખસેડી હતા.આ અંગેની વધુ વિગત મુજબ માળીયા હાટીના તાલુકાના આછીદ્રા ગામની સીમમાં આવેલી રાજસી પરબતની વાડીમાં આજે બપોરનાં સમયે એક મગર ચડી આવી હતી. ખેતરમાં કામ કરતા લોકો મગરને જોઈ જતા તેઓએ માળીયા વનવિભાગને જાણ કરતા માળીયા આરએફઓ આર.ડી.વંશે સાસણની રેસ્કયુ ટીમને જાણ કરી સ્ટાફ સાથે આછીદ્રા પહોંચી ગયા હતા.s


આમિર હજામ બની ગયો!!

ફિલ્મ ગજનીની રિલીઝ પહેલાં આમિર તેનાં ચાહકોનાં વાળ ગજની સ્ટાઈલમાં કાપતો નજર આવ્યો હતો. જોકે તે તેની ફિલ્મ હતી પણ આ વખતે તે ટાટા સ્કાયની એડવર્ટાઈઝમેન્ટમાં ફરી એક વખત વાળંદ બન્યો છે.તે દિલ્હીનો એક વાળંદ બન્યો છે. તેમજ તેણે 70નાં દાયકાનો લુક અપનાવ્યો છે. રેટ્રો લુક આપતાં કલર, તેવી પેર્ટન પણ બતાવવામાં આવી છે. તેણે સલમાને ફિલ્મ દબંગમાં પહેર્યાં હતાં તેવાં જ કલરફુલ ચશમા આ એડમાં પહેર્યાં છે.તેનાં આ લુક વિશે આમિરે જણાવ્યું હતું કે, આમ તો નિર્દેશક જ નક્કી કરે છે કે તેની સ્ટોરી પ્રમાણે પાત્રનું કેવું લુક હોવું જોઈએ પણ અમે પણ તેમને થોડુ ગાઈડ કરી શકીયે છીએ. આ એડવર્ટાઈઝમેન્ટમાં મે રેટ્રો લુક ધારણ કર્યો છે.s


ધોનીની સાક્ષીના ‘દમ’ની સાક્ષી

ભારતીય ક્રિકેટ ટીમના સફળ સુકાની મહેન્દ્ર સિહં ધોનીને તમે ક્યારેય કોઇ નાઇટ ક્લબમાં પાર્ટીમાં હાજર રહેલો નહીં જોયો હોય કે પછી તેને સ્મોકિંગ કરતો પણ નહીં જોયો હોય. જો કે, અહિંયા વાત ધોનીની નહીં પણ મીસીસ ધોનીની કરવાની છે. મુંબઇ સ્થિત એક ટેબ્લોઇડ દ્વારા મીસીસ ધોનીના કેટલાક ફોટા રજૂ કરવામાં આવ્યા છે. જે જોઇને તમે પણ એમ જ કહેશો કે આ સાક્ષી, મહેન્દ્રસિંહ ધોનીની સાક્ષી ન જ હોઇ શકે.ધોનીએ તેની નાનપણની મિત્ર સાક્ષી સાથે એકદમ સાદગીથી લગ્ન કરી લીધા. લગ્ન બાદ બન્નેના કેટલાક ફોટા પણ પ્રસિદ્ધ થયા હતાં. જેમાં અમુક ફોટા બન્નેના લગ્ન પહેલાના હતા. એ બધા ફોટામાં સાક્ષીની સાદગી સ્પષ્ટપણે જોવા મળતી હતી. જો કે, મુંબઇ સ્થિત ટેબ્લોઇડને તેના વાચક દ્વારા સાક્ષીના લગ્ન પહેલાના ફોટા મોકલવામાં આવ્યા છે.


વિકાસમાં અવરોધકોને "સાફ" કરો : નરેન્દ્ર મોદી

રાજ્યના વિકાસની ટ્રેન પૂરપાટ દોડી રહી છે ત્યારે આ વિકાસમાં અડચણરૂપ ફાટકોને હટાવવા માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઝાલાવાડવાસીઓને હાકલ કરી હતી. જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકાની યોજાનારી ચૂંટણીના ઝંઝાવતી પ્રચારાર્થે વઢવાણમાં આવી પહોંચેલા નરેન્દ્ર મોદીએ પ્રચંડ જનમેદની વચ્ચે વિજય વિશ્વાસ સંમેલનમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. રાજ્યની છ મહાનગરપાલિકામાં ભવ્ય વિજય બાદ યોજાયેલી આ સભા અંગે સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્તેજના ફેલાઇ હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સ્થાનિક ચૂંટણીઓમાં ગરમાવો વ્યાપી ગયો છે ત્યારે વઢવાણ ભકિતનંદન સર્કલ પાસે શુક્રવારે ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરાયું હતું. આ સંમેલનમાં રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રની કોંગ્રેસ સલ્તનતને આડેહાથે લીધી હતી. કેન્દ્ર સરકારે માંસની નિકાસ પર સબસીડી આપે છે જ્યારે કાળી મજૂરી કરીને કપાસ પકવતા ખેડૂતોના રૂની નિકાસ માટે પૈસા આપવા પડે છે. તેઓએ ગુજરાતના વિકાસમાં રોડા નાંખતા કોંગ્રેસના આગેવાનો પર તીખા પ્રહારો કર્યા હતા અને રાજ્યની વિકાસરૂપી ટ્રેનને અડચણરૂપી ફાટકોથી અટકાવવા માટે ઝાલાવાડવાસીઓને આહવાન કર્યું હતું. આ પ્રસંગે તેઓએ મહાનગરપાલિકામાં કોંગ્રેસની હાર ઇવીએમને કારણે નહીં પરંતુ સીજેએસ (સીબીઆઇ, જુઠ્ઠાણું, સોહરાબુદ્દીન)ના કારણે થઇ છે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત નર્મદાના પાણીના કારણે સુરેન્દ્રનગર જિલ્લો રાજ્યનો સૌથી સુખી જિલ્લો બનશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો.s


કચ્છમાં કોંગ્રેસને એક પણ મત નહીં આપનારા ગામને ૧૦ લાખ

કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર પરાકાષ્ટાએ પહોંચ્યો છે અને રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા નીત નવા કીમિયા અજમાવી તાકાત લગાવી રહયા છે, ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાલીએ એક નવતર જાહેરાત કરી છે.અબડાસા તાલુકામાં ઉત્તરોત્તર કોંગ્રેસ તળિયાઝાટક સ્થિતિમાં મૂકાઇ રહી છે. કેટલાક ગામોમાં કોંગ્રેસને મળનારા મતોની સંખ્યા બે આંકડામાં નહી પહોંચે, પરંતુ જે ગામોમાં કોંગ્રેસને એક પણ મત નહી મળે તે ગામને વિકાસ માટે તેઓ પોતાની ગ્રાન્ટમાંથી દસ લાખ ફાળવશે એટલું જ નહીં તે ગામના મતદારોનું જાહેર અભિવાદન કરશે !


રેહમાને લોકોની માફી માંગી

ઓસ્કર એવોર્ડ વિજેતા ભારતીય લોકપ્રિય સંગીતકાર એ.આર.રેહમાને લોકોની માફી માંગી છે.દિલ્હીમાં સંપન્ન થયેલી કોમનવેલ્થ ગેમ્સ માટે થીમ સોન્ગ તૈયાર કરનારા રેહમાને લોકોની અપેક્ષાઓ પર ખરા ન ઉતરવા બદલ માફી માંગી છે.કોમનવેલ્થ થીમ સોન્ગ યારો ઈન્ડિયા બુલા લિયા તૈયાર કરનારા રેહમાને કહ્યું છે કે જો મારા ગીતથી કોઈને પણ નિરાશા થઈ છે તો તેના બદલ તે માફી માંગે છે. પરંતુ આ ગીત તૈયાર કરવા બદલ મને ગર્વ છે.રેહમાને કહ્યું છે કે પ્રત્યેક વ્યક્તિને સંતોષ આપવો ઘણું કપરુ કામ છે પરંતુ ભવિષ્યમાં હું મારી તરફથી પૂરતા પ્રયત્ન કરીશ. તેમણે કહ્યું હતું કે તેણે પ્રત્યેક પેઢીનો ટેસ્ટ જાણાવા માટે વધારે સતર્ક રહવું પડશે. જો કે કાર્યક્રમ દરમિયાન થીમ સોંગ માટે અલગ-અલગ દેશોના લોકો તરફથી ઘણી સકારાત્મક પ્રતિક્રિયા મળી હતી. જો કે તે પણ સત્ય છે કે લોકોને આ પસંદ નથી આવ્યું અને તેના માટે ઘણો મોટો વિવાદ પણ સામે આવ્યો છે.ઉલ્લેખનીય છે કે દિલ્હી કોમનવેલ્થ ગેમ્સના થીમ સોંગને તૈયાર કરવાની જવાબદારી રેહમાનને આપવામાં આવી હતી. તથા રેહમાનની પ્રતિભા જોઈને તમામ લોકોને આશા હતી કે રેહમાન એક ધમાકેદાર ગીત તૈયાર કરશે. એટલું જ નહીં રેહમાને તો દાવો કર્યો હતો કે આ ગીત દક્ષિણ આફ્રિકામાં રમાયેલા વર્લ્ડ કપના થીમ સોંગ વાકા વાક કરતા પણ વધારે લોકપ્રિય અને ધમાકેદાર હશે.s


ઐશ્વર્યા રાય બચ્ચન બિગ બીના નિશાના પર

ઐશ્વર્યા રાય બચ્ચન પોતાના સસરા અમિતાભ બચ્ચનના સવાલોથી હવે બચી શકશે નહિ. આ વખતે એશ પોતાના પતિ સાથે નહિ પરંતુ અક્ષય કુમાર સાથે હોટ સીટ પર બેસશે.એશ અને અક્ષય પોતાની ફિલ્મ એક્શન રિપ્લેના પ્રમોશન માટે કેબીસીમાં આવવાના છે. આ માટે એશ અને અક્કીની તારીખો પણ નક્કી થઈ ગઈ છે. આ માટે ફિલ્મના નિર્માતા વિપુલ શાહની મંજૂરી પણ મળી ગઈ છે. એશ પહેલીવાર પોતાની ફિલ્મના પ્રમોશન માટે ટીવીના પડદે જોવા મળશે.જોવાનું એ રહે છે કે, અમિતાભ પોતાની વહુને કઈ રીતે સવાલો પૂછે છે. તો એશ પોતાના સસરાના પૂછાયેલા સવાલોનો કઈ રીતે જવાબ આપે છે.

15 October 2010

કોમનવેલ્થ: જેનો અંત સારો તેનું બધું સારું

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


કોમનવેલ્થ: જેનો અંત સારો તેનું બધું સારું

કોમનવેલ્થ શરૂ થયા પહેલાં જે ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓની ઘટનાઓ બની હતી તેનાથી એવી આશંકા ઊભી થઈ હતી કે રમતોત્સવ સફળ રહેશે કે કેમ. પરંતુ, ઝાકઝમાળ ઓપનિંગ સેરેમની અને તેને પણ પાછળ રાખી દે એવી ભવ્ય કલોઝિંગ સેરેમની સાથે ભારતને ૧૦૧ પદકોએ દર્શાવી આપ્યું છે કે રમતોત્સવને ગ્રાન્ડ સફળતા મળી છે. શૂટિંગમાં ૧૪ ગોલ્ડ મેડલ જીતી જનાર ભારતે કોમનવેલ્થમાં ધાર્યું નિશાન પાડ્યું છે. આટલા સફળ આયોજન પછી એમ કહેવું યોગ્ય છે કે ભારત જો ધારે તો ઓલિમ્પિક્સનું પણ સફળ આયોજન કરી શકે. કોમનવેલ્થની શરૂઆત પહેલાં ભારતની આબરૂના કાંકરા કરવામાં કલમાડી આણી કંપનીનો વાંક હતો.ભારતે ૧૦૧ ચંદ્રકો મેળવ્યા, મહિલાઓએ ૩૬ પદક જીત્યા, લોન ટેનિસ જેવી રમતમાં ભારતે પ્રથમ વખત ખાતું ખોલાવ્યું એનાથી ભારતવાસીઓની છાતી ગજ ગજ ફૂલી રહી છે. પણ સફળતાના આ નશામાં અગાઉ થયેલી ગેરરીતિઓની તપાસ કરવાનું ભૂલાઈ ન જાય તે સુનિશ્વિત કરવું રહ્યું. કારણ કે, આવા રમતોત્સવ દેશની આર્થિક તાકાત અને આયોજન શક્તિનું વિશ્વ સમક્ષ પ્રદર્શન કરવા માટે યોજાતા હોય છે. કલમાડીને કારણે વિશ્વના ચોતરે ભારતની આબરૂના ધજાગરા થઈ ગયા હતા.

ધોનીની આ સિદ્ધિથી કદાચ તમે અજાણ હશો
ધોનીએ સુનિલ ગાવસ્કર અને સૌરવ ગાંગુલીના રેકોર્ડને તોડ્યો છે. વાત એમ છે કે સુનિલ ગાવસ્કર અને ગાંગુલીના સુકાનીપદ હેઠળ ભારતે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ ત્રણ ટેસ્ટ મેચ જીતી છે, જ્યારે મહેન્દ્ર સિંહ ધોની એવો પ્રથમ કેપ્ટન બની ગયો છે જેના સુકાની પદ હેઠળ ભારતે ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ જીતી હોય..


ગટરના પાઈપમાંથી બની ફાઈવ સ્ટાર હોટલ

ઓસ્ટ્રિયામાં ગટરના પાઈપોથી બનેલી એક ફાઈવ સ્ટાર હોટલ ખુલી છે. ઓટેનશીમ સ્થિત પાર્ક હોટલના એક મહેમાને જણાવ્યું હતું કે આમાં ફક્ત એક જ ખામી છે, પાઈપમાંથી બનાવેલા રૂમમાં બાથરૂમ અને ટોઈલેટની સુવિધા નથી.બાથરૂમ માટે અલગ પાઈપમાં જવું પડે છે. આ હોટલમાં આવનારા મહેમાનો પણ ખુશ લાગી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ રૂમમાં લગાવવામાં આવેલી બેડ ખૂબ જ આરામદાયક છે. હોટલના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે લોકોને આ હોટલ ખૂબ પસંદ પડશે. અમે હોટલના રૂમમાં બધી જ સુવિધા આપવાનો પ્રયાસ કર્યો છે.મહેમાનો અહીં રહેવા માટે ઓનલાઈન બુકિંગ કરાવી રહ્યા છે. અહીં આવતા લોકોને હોટલનો દરવાજો ખોલવા માટે એક પીનકોડ બંનર આપવામાં આવે છે. આ પીન દ્વારા એ જ દિવસે રૂમનો દરવાજો ખોલી શકાય છે જે દિવસ માટે તેમણે રૂમ બુક કરાવ્યો હોય.

ભાવનગરના કાળુભા રોડ ઉપર દરોડો પાડી મોટા માથાઓને ઝડપી લેતી પોલીસ

ક્રિકેટના સટોડીયાઓ શાહ કીરીટ અનંતરાય (રે. સિધ્ધાર્થ ફલેટ નંબર ૧૦૧, જૈન દેરાસરની બાજુમાં, કાળુભા રોડ,) સિંધી ઇન્દ્રજીત પરચામલ રોહીડા (સોના ફલેટ એસ/૪ ઘોઘાસર્કલ) પારેખ કનુભાઇ મહેન્દ્રભાઇ (રે. અનંતવાડી પ્લોટ નંબર૭/બી) ગાંધી નિરવ ઉર્ફે ગોપાલ અનંતરાય(રે. ધર્મરાજ ફલેટ એ/૬ ભગવતીપાર્ક, કાળવીબીડ) વોરા રૂપેશ અનિલકુમાર (રે. ઉષાકિરણ ફલેટ, એ/૧૨ કાળુભા રોડ) સહિત પાંચ બુકીઓને એ ડીવીઝનના પીઆઇ પ્રદીપસિંહ જાડેજા, પીએસઆઇ પીએ રાણા, સ્ટાફના અનિરૂધ્ધસિંહ, ભુપતસિંહ, મકસુદ, સમીર કોઠારીયા,ચંપકસિંહ સહિતનાએ ઝડપી લઇને રોકડા R ૨૩૦૮૦/- ૪ વાહનો, મોબાઇલ ફોન ૧૫, ટીવી, રીમોટ, લેપટોપ તથા ક્રિકેટનો જુગાર રમતા જુગારીઓના નામવાળી ડાયરી સહિત અઢી લાખનો મુદ્દામાલ કબ્જે કરેલ છે. પાંચ સટોડીયા પૈકી ત્રણ સટોડીયાઓ તો થોડા સમય પૂર્વે જ ઝડપાયા હતા ભાવનગરના ક્રિકેટના જુગારનું બુકીગ મહેસાણામાં મુન્ના શ્રીજી નામની વ્યક્તિ કરતો હતો તેમ પોલીસમાં ખુલવા પામ્યુ છે.


કોંગ્રેસના નેતા-ભાજપના માજી કોર્પોરેટરની ક્લિપિંગ ફરતી થઇ

શહેરના પશ્ચિમ વિસ્તારના કોંગી અગ્રણી અને ભાજપના માજી કોર્પોરેટરની વીડિયો ક્લિપિંગ ફરતી થતાં રાજકીય ક્ષેત્રે ભૂકંપ સર્જાયો છે. શહેરના કોંગી ઉમેદવારોને હરાવવા કોંગી અગ્રણીએ ભાજપના માજી નેતાને રૂપિયાની લહાણી કરી હોવાનો યુવક કોંગ્રેસના અગ્રણીએ આક્ષેપ કરતાં ચકચાર મચી ગઇ છે.શહેરના પશ્ચિમ વિસ્તારના એક વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાયો હતો. ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે કેમિકલના વેપારીએ દાવેદારી કરતાં ભાજપના પૂર્વ કોર્પોરેટરે ડેરા તંબૂ તાણી દીધા હતાં પરંતુ વેપારીને ટિકિટ નહિ મળતાં તેમણે એક પગ ભાજપ અને બીજો કોંગ્રેસની છાવણીમાં મુકી દીધો હતો.


રાહુલ ગાંધીના નીતિશની ધર્મનિરપેક્ષતા પર પ્રશ્નો!

રાહુલે ગુરુવારે કોધા અને સક્તિમાં આયોજીત ચૂંટણી સભાઓમાં કહ્યું હતું કે આ બધું શું છે? તમારી ભાજપ સાથે ભાગીદારી છે, પરંતુ તેમ છતાં તમે તેમના એક નેતાના પ્રવાસથી ડરી રહ્યાં છો. રાહુલનો ઈશારો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તરફ હતો. નીતિશે રાજ્યમાં ચૂંટણી પ્રચારથી નરેન્દ્ર મોદીને દૂર રાખ્યા છે.રાહુલનો આરોપ છે કે જેડીયૂ અને ભાજપ રાજકીય લાભ માટે ધર્મ અને જાતિનો ઉપયોગ કરી રહ્યાં છે. કોંગ્રેસ આવા ગઠજોડની વિરુદ્ધ છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ ગરીબ-અમીર, હિંદુ-મુસ્લિમ-શીખ-ખ્રિસ્તી તમામને માટે ઈન્સાફ અને વિકાસ ચાહે છે.


ચૂંટણીપંચને ફાળવાયેલાં વાહનો જલસા માટે લઈ જવાયાં

મહાનગર પાલિકાની ચૂંટણી માટે ફાળવાયેલા મ્યુનિ.ના ડઝનબંધ કાર સહિતના વાહનો અન્ય કામોમાં ઉપયોગમાં લેવાતા હોવાની અને કેટલાક વાહનોને રાજ્ય બહાર પ્રવાસમાં લઇ જવાયા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. આ વાહનોનો દુરુપયોગ કરનારા અધિકારી સામે પગલાં લેવાની માગણી પણ મ્યુનિ. વર્તુળો કરી રહ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, મ્યુનિ.ની ચૂંટણી માટે દર વખતની જેમ રાજ્ય ચૂંટણીપંચના આદેશથી ચૂંટાયેલી પાંખના ચેરમેન તથા અન્ય હોદ્દેદારોની મોટરકાર અને અન્ય વાહનો ચૂંટણી અધિકારીઓને સોંપી દેવાતાં હોય છે. આ વાહનોનો ઉપયોગ ચૂંટણી કામગીરી માટે જ કરવાનો હોય છે, પરંતુ કેટલાક અધિકારી ફરજ સમય પૂરો થયા બાદ ઘરના કામમાં મ્યુનિ.ની મોટરકારનો ઉપયોગ કરતા હોવાની તથા કેટલાક અધિકારી ઓફિસ આવ્યા બાદ પરિવારજનોને હરવાફરવા માટે મોટરકાર મોકલી આપતા હોવાની ફરિયાદ ઊઠી છે.

રાજકોટવાસીઓ માટે ચૂંટણી પૂરી, પાણીકાપ શરૂ આજે વોર્ડ નં. ૧૧માં કાપ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


રાજકોટવાસીઓ માટે ચૂંટણી પૂરી, પાણીકાપ શરૂ આજે વોર્ડ નં. ૧૧માં કાપ

મહાપાલિકાનું નપાણિયું તંત્ર અને પાણી વગરના શાસકો રાજકોટને પાણીકાપમાંથી કાયમી મુક્તિ અપાવવામા નિષ્ફળ નીવડી રહ્યા છે. વધુ એક વખત આવી જ એક કમનસીબી વચ્ચે હજુ તો ચોમાસુ ગયું છે ત્યાં જ ફરી પાણીકાપના કારમા દિવસો આવી ગયા છે અને એ પણ નર્મદાના ધાંધિયાના કારણે જ.આજે વોર્ડ નં. ૧ અને ૧૨માં પાણી વિતરણ થઇ શક્યું ન હતું. પાણીકાપનો આ સિલસિલો ચાલુ રાખી આવતીકાલે વોર્ડ નં. ૧૧માં પાણીકાપ ઝીંકી દેવામા આવ્યો છે. મહાપાલિકાની યાદીમાં જણાવાયા મુજબ નર્મદાની કેનાલમાં પુરતો પુરવઠો ન હોવાથી શહેરની પાણી વિતરણની વ્યવસ્થા જાળવવા દોઢસો ફૂટ રિંગ રોડ પમ્પિંગ સ્ટેશન હેઠળના વોર્ડ નં. ૧૧ અને ૧૨(પાર્ટ)માં સવારે પ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધીના વિસ્તારોમાં પાણી વિતરણ નહીં થઇ શકે. હજુ બે દિવસ સુધી આ જ સ્થિતિ રહેશે.


ભાગેડુ પાકિસ્તાની ઝડપાયો

સેલવાસ કોર્ટમાંથી પરત ફરતી વેળાએ કેદી જાપ્તામાંથી ભાગેલા લૂંટ, હત્યા તથા અપહરણના ગુનેગાર મૂળ પાકિસ્તાનના ખૂંખાર આરોપી ખેરુ તથા સત્તાર ખાનને સુરત જિલ્લા એલસીબી પોલીસે પાકિસ્તાન ભેગા થઈ જાય તે પહેલાં ગાંધીનગર-હિંમતનગર રોડ પર ચીલોડા નજીક લકઝરી બસમાંથી ઝડપી પાડ્યો હતો. ખેરુ વાયા રાજસ્થાન થઈ પાકિસ્તાન ભાગી જવાની ફિરાકમાં હતો.


અંકલેશ્વર ગરબા જોવા ગયેલો જમીનદલાલ ગાયબ

વરાછા એફિલ ટાવર પાસે આવેલી સૈફી સોસાયટીમાં રહેતા ૩૦ વર્ષના જમીનદલાલ ચેતન્ય ત્રિવેદી અંકલેશ્વર ફાલ્ગુની પાઠકના ગરબા જોવા ગયા હતા. એ પછી ત્રણ દિવસે પણ પાછા ન ફરતાં તેમની પત્નીએ આ અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. સેફી સોસાયટીમાં બનાવવામાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા ચૈતન્ય બટુકભાઈ ત્રિવેદી (૩૦) ગત તા. ૧૨મીના રોજ રાત્રે ૮.૦૦ વાગ્યે ગયા પછી પરત થયા નથી.તેમની પત્ની સુવિધાને કહ્યું હતું કે હું અંકલેશ્વર ગરબા જોવા માટે મિત્રો સાથે જાઉં છું મારી સાથે મારા પાંચ-છ મિત્રો પણ છે અમે કવોલિસ લઈને જવાના છીએ. અવારનવાર મિત્રો સાથે પતિ આ રીતે બહાર જતા હોવાથી પત્નીએ વાતને સાહજિકતાથી લીધી હતી અને પોતે સૂઈ ગયા હતા પરંતુબીજા દિવસે સવારે પતિ ઘરે ન આવતાં પત્નીએ તેમને ફોન જોડ્યો હતો.


વેરા વસૂલાત માટેની કવાયત શરૂ : ૧૩૯ કરોડ જમા

પાલિકાના ઇન્ચાર્જ ડે.કમિશનર શરદ મહેતાએ કહ્યું કે, તમામ ઝોનમાં ચાલુ નાણાંકીય વર્ષ પેટે વેરાની વસૂલાત હવે ધીમે ધીમે આગળ ધપાવી રહ્યાં છીએ. તેમાં અત્યાર સુધી તમામ ઝોનના આકારણી વિભાગ દ્વારા ૧૨ લાખ ઉપરાંત મિલકતદારોને વેરાબિલ પહોંચાડી દેવાયા છે.કુલ ૨૮૦ કરોડની માગણી કરતાં બિલ રવાના કરાયા છે. તેમણે વધુમાં કહ્યું કે, પાલિકા એપ્રિલ અને મે મહિના દરમિયાન એડવાન્સ વેરો ચૂકવવાની જે સ્કીમ્સ મૂકે છે, તેના પેટે અને અત્યારસુધી રૂટિનમાં જે વસૂલાત થઈ રહી છે. તેનાથી આજસુધીમાં રૂ.૧૩૯.૫૬ કરોડની આવક થઈ ચૂકી છે. એટલે અડધી મજલ તો કપાઈ ચૂકી છે.હવે ફેબ્રુઆરી સુધીમાં રેગ્યુલર વસૂલાત થયા પછી જે બાકી નીકળતો વેરો હશે તેના માટે વિશેષ અભિયાન છેડીશું. તેવું તેમનું કહેવું હતું.


દિયરના મૃત્યુના આઘાતથી ૧૫ મિનિટ બાદ ભાભીનું પણ મોત

દાણાપીઠની મહિપતરાય હરજીવનદાસ શાહ (અગિયાળીવાળા) પેઢીના મહિપતભાઈના પુત્ર હરેશભાઈ (ઉં.વ.૫૨) બંબો છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા. ગઈકાલે રાત્રે હરેશભાઈનું અચાનક અવસાન થયું. ભાવનગર પ્રાર્થના મંડળના સક્રિય કાર્યકર અને ખૂબ માયાળુ સ્વભાવના એવા હરેશભાઈના નિધનના સમાચાર સાંભળતા જ ૧૫ મીનીટ બાદ તેમના ભાભી કિરણબેન જયેન્દ્રભાઈ (ઉં.વ.૪૫)ને આઘાત લાગતા તેમનું પણ નિધન થયેલ છે. જૈન સમાજના એક જ પરિવારના બે સભ્યોના અચાનક અવસાનથી ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. આજે સ્વ.ની નીકળેલી સ્મશાનયાત્રામાં જૈનસમાજના આગેવાનો, વેપારીઓ વગેરે ભારે મોટી સંખ્યામાં જોડાયા હતા.


દિયરના મૃત્યુના આઘાતથી ૧૫ મિનિટ બાદ ભાભીનું પણ મોત

દાણાપીઠની મહિપતરાય હરજીવનદાસ શાહ (અગિયાળીવાળા) પેઢીના મહિપતભાઈના પુત્ર હરેશભાઈ (ઉં.વ.૫૨) બંબો છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા. ગઈકાલે રાત્રે હરેશભાઈનું અચાનક અવસાન થયું. ભાવનગર પ્રાર્થના મંડળના સક્રિય કાર્યકર અને ખૂબ માયાળુ સ્વભાવના એવા હરેશભાઈના નિધનના સમાચાર સાંભળતા જ ૧૫ મીનીટ બાદ તેમના ભાભી કિરણબેન જયેન્દ્રભાઈ (ઉં.વ.૪૫)ને આઘાત લાગતા તેમનું પણ નિધન થયેલ છે. જૈન સમાજના એક જ પરિવારના બે સભ્યોના અચાનક અવસાનથી ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. આજે સ્વ.ની નીકળેલી સ્મશાનયાત્રામાં જૈનસમાજના આગેવાનો, વેપારીઓ વગેરે ભારે મોટી સંખ્યામાં જોડાયા હતા.


જેઠવા કેસની તપાસ સીબીઆઇને સોંપવા હાઇકોર્ટમાં રિટ

અમિત જેઠવા કેસમાં ક્રાઇમબ્રાન્ચ દ્વારા હજુ સુધી સાંસદ દિનુ બોઘા સોલંકીની તપાસ પણ ન કરી હોવાથી તેના પિતાએ આ કેસની તપાસ સીબીઆઇને સોંપવા હાઇકોર્ટ સમક્ષ રિટ કરી છે. તેમણે રિટમાં જણાવ્યું છે કે હાલની તપાસ એજન્સીએ દિનુ સોલંકીના ભત્રીજા શિવાની ધરપકડ કરી તપાસ ત્યાં જ અટકાવી દીધી છે.સાંસદ સોલંકી વજુભાઈ વાળાના સંબંધી હોવાથી આ કેસની યોગ્ય તપાસ થાય તેની સામે તેમને શંકા છે. શિવા સોલંકી સિવાય પકડાયેલી એક પણ વ્યક્તિ સાથે અમિત જેઠવાને કોઈ દુશ્મની નહોતી. દિનુ બોઘાની તપાસ થાય તો જ તેની હત્યાની સંપૂર્ણ ચેન ખુલ્લી પડી શકે તેમ છે.


પ્રજાના મિજાજે કોંગ્રેસનો કચ્ચરઘાણ વાળ્યો છે : મોદી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગુરુવારે ગોધરા અને દાહોદની સભાને સંબોધતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના રાજમાં દિલ્હીથી નીકળેલો એક રૂપિયો ઘસાઈને ગરીબના હાથમાં ૧૫ પૈસા થઈ જતો હતો. કોઈ પંજો તરાપ ન મારે તે માટે ગાંધીનગરમાં ચોકીદાર તરીકે છું, માટે ઠેરઠેર યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાઓમાં ગરીબોને હાથોહાથ કરોડો રૂપિયાની સહાય આપી છે. કોંગ્રેસે મોંઘવારી હટાવવાનું વચન આપ્યુ હતું પરંતુ તેમ ન થતાં હવે કોંગ્રેસને હટાવવી પડે, તેમ તેમણે ઉમેર્યું હતું.


કોંગ્રેસના નેતા-ભાજપના માજી કોર્પોરેટરની ક્લિપિંગ ફરતી થઇ

કોંગી અગ્રણી અને ભાજપના માજી કોર્પોરેટરની વીડિયો ક્લિપિંગ ફરતી થતાં રાજકીય ક્ષેત્રે ભૂકંપ સર્જાયો છે. શહેરના કોંગી ઉમેદવારોને હરાવવા કોંગી અગ્રણીએ ભાજપના માજી નેતાને રૂપિયાની લહાણી કરી હોવાનો યુવક કોંગ્રેસના અગ્રણીએ આક્ષેપ કરતાં ચકચાર મચી ગઇ છે.શહેરના પશ્ચિમ વિસ્તારના એક વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાયો હતો. ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે કેમિકલના વેપારીએ દાવેદારી કરતાં ભાજપના પૂર્વ કોર્પોરેટરે ડેરા તંબૂ તાણી દીધા હતાં પરંતુ વેપારીને ટિકિટ નહિ મળતાં તેમણે એક પગ ભાજપ અને બીજો કોંગ્રેસની છાવણીમાં મુકી દીધો હતો.


વિશ્વની ‘બળાત્કાર’ રાજધાની બન્યું કોંગો

સંયુક્ત રાષ્ટ્રના એક દૂતે આરોપ લગાવ્યો છે કે ડેમોક્રેટિક રિપબ્લિક કોંગોના સરકારી સૈનિક પણ દૂરના ગામોમાં મહિલાઓ પર બળાત્કાર અને તેમની હત્યા કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર દૂત મારગોટ વોલસ્ટ્રોમે સુરક્ષા પરિષદને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું છે કે કોંગોમાં એક વાર ફરી મહિલાઓ યૌનહિંસાનો શિકાર બની રહી છે.ઉલ્લેખનીય છે કે જુલાઈ અને ઓગસ્ટમાં સશસ્ત્ર જૂથો માઈ-માઈ તથા ફોર્સેસ ડેમો ટિક્સ ડિ લિબરેશન ડુ રવાંડાના વિદ્રોહીઓએ મહિલાઓને પકડી, ગામવાળાઓ અને સ્વજનો સામે તેમનો બળાત્કાર કર્યો હતો.


હવે, એશ બિગ બીના નિશાના પર

એશ અને અક્ષય પોતાની ફિલ્મ એક્શન રિપ્લેના પ્રમોશન માટે કેબીસીમાં આવવાના છે. આ માટે એશ અને અક્કીની તારીખો પણ નક્કી થઈ ગઈ છે. આ માટે ફિલ્મના નિર્માતા વિપુલ શાહની મંજૂરી પણ મળી ગઈ છે. એશ પહેલીવાર પોતાની ફિલ્મના પ્રમોશન માટે ટીવીના પડદે જોવા મળશે.જોવાનું એ રહે છે કે, અમિતાભ પોતાની વહુને કઈ રીતે સવાલો પૂછે છે. તો એશ પોતાના સસરાના પૂછાયેલા સવાલોનો કઈ રીતે જવાબ આપે છે.


કોંગ્રેસના નેતા-ભાજપના માજી કોર્પોરેટરની ક્લિપિંગ ફરતી થઇ

શહેરના પશ્ચિમ વિસ્તારના કોંગી અગ્રણી અને ભાજપના માજી કોર્પોરેટરની વીડિયો ક્લિપિંગ ફરતી થતાં રાજકીય ક્ષેત્રે ભૂકંપ સર્જાયો છે. શહેરના કોંગી ઉમેદવારોને હરાવવા કોંગી અગ્રણીએ ભાજપના માજી નેતાને રૂપિયાની લહાણી કરી હોવાનો યુવક કોંગ્રેસના અગ્રણીએ આક્ષેપ કરતાં ચકચાર મચી ગઇ છે.શહેરના પશ્ચિમ વિસ્તારના એક વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાયો હતો. ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે કેમિકલના વેપારીએ દાવેદારી કરતાં ભાજપના પૂર્વ કોર્પોરેટરે ડેરા તંબૂ તાણી દીધા હતાં પરંતુ વેપારીને ટિકિટ નહિ મળતાં તેમણે એક પગ ભાજપ અને બીજો કોંગ્રેસની છાવણીમાં મુકી દીધો હતો.ચૂંટણીની કતલની રાતોમાં કોંગ્રેસના દિગ્ગજ અને ભાજપના માજી કોર્પોરેટર બંધ બારણે મતોની ગોઠવણ કરી રહ્યા હતા ત્યારે યુવક કોંગ્રેસના નેતાએ તેમની વીડિયો ક્લિપિંગ ઉતારી લીધી હતી.


૧જાન્યુઆરીથી CNG સિવાયની રિક્શા નહીં દોડે

પર્યાવરણને થતાં નુકસાનને ધ્યાનમાં લઇ હવે આરટીઓ દ્વારા ફક્ત સીએનજી રિક્શાનું જ રજિસ્ટ્રેશન કરવામાં આવશે. તેમજ હાલમાંપેટ્રોલ-ડીઝલથી ચાલતી રિક્શાઓ પણ સીએનજી કિટથી સજ્જ કરવી પડશે. જેના માટે રિક્શાચાલકોને તા.૧ જાન્યુઆરી સુધીની મુદત આપવામાં આવી છે.શહેરમાં હાલમાં કુલ ૪૫ હજાર જેટલી રિક્શાઓ રોડ પર દોડી રહી છે. જેમાંથી ચાર હાજર જેટલી રિક્શાઓ પેટ્રોલ-ડીઝલથી ચાલી રહી છે અને ૪૧ હજાર રિક્શાઓ સીએનજી સંચાલિત આરટિઓ કચેરીમાં રજિસ્ટ્રેશન થયેલી છે. પેટ્રોલ અને ડીઝલથી ચાલતી રિક્શાઓ દ્વારા પ્રદૂષણમાં બેફામ વધારો થતાં પર્યાવરણને નુકસાન થઇ રહ્યું છે. તેમાંય કેટલાક રિક્શા ચાલકો કેરોસીન નાખીને રિક્શા ચલાવતા હોવાથી પર્યાવરણની ઘોર ખોદાઇ રહી છે.


પોલીસની શેરી ગરબા પર તવાઈ, મોટા ગરબાને છુટ

શેરી ગરબાઓમાં કાયદાનું ચુસ્તપણે પાલન કરાવવા દંડુકો લઈને ઉતરી પડતી પોલીસ ફોજ માલેતુજારોના મોટા ગરબામાં ગરીબડી બની જતી હોઈ શેરી ગરબા બારનો ટકોરે બંધ થઈ જાય છે જ્યારે ધંધાકીય મોટા ગરબા રાતે બે વાગ્યા સુધી પોલીસ અધિકારીઓની હાજરીમાં ચાલું રહે છે.ગરબા ગમે ત્યાં યોજાય પરંતુ રાતે બાર વાગે ગરબામાં વાગતા લાઉડસ્પીકરો બંધ કરી દેવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ હોઈ પોલીસ તંત્ર દ્વારા આદેશનું ચુસ્તપણે પાલન કરાવવા માટે બંધાઈ છે. જોકે સુપ્રીમકોર્ટનો આદેશનું પાલન કરાવવા માટે શહેર પોલીસ તંત્ર દ્વારા વ્હાલાદવલાની નિતિ સપાટી પર આવતાં શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે


અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ‘ગે’?

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ઈસ્લામિક આત્મઘાતી બોમ્બર, ગે અને મેક્સિકન લૂંટારાના રૂપમાં દર્શાવતા એક જાહેરાતના બોર્ડને કારણે અમેરિકામાં વિરોધનો વંટોળ ઉભો થયો છે.અમેરિકાના પશ્ચિમ શહેર કોલોરાડોમાં આવતા મહિને યોજાનાર મિડ ટર્મ ચૂંટણી પહેલા ઓબામાના વિરોધીઓ કંઈક આવી રીતે તેમની પર વાર કરી રહ્યા છે.આ વિવાદિત પોસ્ટરમાં ઓબામાના ચાર રૂપ બતાવવામાં આવ્યા છે. એકમાં તેમને ઈસ્લામિક આત્મઘાતી બોમ્બર, બીજામાં સિગારેટ પીતા, ત્રીજામાં લૂંટારા અને ચોથામાં ગે રૂપમાં બતાવવામાં આવ્યા છે. પોસ્ટરની નીચે એક સ્લોગન લખવામાં આવ્યું છે - 'Vote DemocRAT'

હોકીમાં છેલ્લે છેલ્લે નિરાશ કર્યા, રજતથી સંતોષ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



હોકીમાં છેલ્લે છેલ્લે નિરાશ કર્યા, રજતથી સંતોષ

ભારતે કોમનવેલ્થ ગેમ્સની હોકી ટૂનૉમેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો તે ફાઇનલમાં ચકનાચુર થઈ ગઈ અને વિશ્વમાં મોખરાના ક્રમની ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને ૮-૦થી હરાવીને ગોલ્ડમેડલ જીતી લીધો હતો. આ સાથે ભારતે હોકીમાં સિલ્વરમેડલથી સંતોષ માનવો પડ્યો હતો.ગુરુવારે અહીંનાં મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે રમાયેલી હોકીની ફાઇનલમાં વડાપ્રધાન મનમોહનસિંઘ ઉપરાંત ભૂતપૂર્વ ઓલિમ્પિયન અશોક ધ્યાનચંદ, બલબિરસિંઘ સિનિયર અને અજિતપાલસિંઘ જેવા મહાન ખેલાડીઓની હાજરી પણ ભારતને પ્રોત્સાહિત કરી શકી ન હતી. સમગ્ર મેચ દરમિયાન ભારત પાસે કોઈ ધારદાર રમત ન હતી તો સાથે સાથે કોઈ રણનીતિ પણ જોવા મળતી ન હતી.ઓસ્ટ્રેલિયાએ પ્રથમ હાફમાં ચાર ગોલ નોંધાવીને પોતાનો વિજય નક્કી કરી લીધો હતો અને એ પછી તો ભારત જાણે મેચ પૂર્ણ કરવાની ઔપચારિકતા જ નિભાવી રહ્યું હતું.


ખેલગાંવમાં ઓસ્ટ્રેલિયાના એથ્લેટ્સની તોડફોડ

ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ભલે 19માં કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ ટેલીમાં ટોચના ક્રમાંકે હોય પરંતુ તેઓનો વ્યવહાર વિજેતાઓને છાજે એવો ન હતો. ઓસ્ટ્રેલિયાના એથ્લિટોએ ખેલભાવનાથી વિપરીત વર્તન કર્યું હતું. ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં મળેલા 2-0થી કારમા પરાજયને ઓસ્ટ્રેલિયન એથ્લિટો પચાવી શક્યા નથી. ક્રિકેટમાં મળેલી હારથી ગુસ્સે ભરાયેલા ઓસ્ટ્રેલિયન એથ્લિટોએ સચિન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ખેલગાંવમાં તોડફોડ કરી હતી. ખેલગાંવમાં આઠમાં માળેથી આ ખેલાડીઓએ વોશિંગમશિનને નીચે ફેંક્યું હતું.ગેમ્સ વિલેજમાં તૈનાત દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યા અનુસાર મગંળવાર અને બુધવારે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ પોતાના ટાવરમાં ઇલેક્ટ્રોનિક ફિટિંગ કાઢી નાંખ્યા હતા અને ફર્નીચર તોડી નાંખ્યા હતા. તેમજ આઠમાં માળેથી વોશિંગ મશિનને નીચે ફેંકી દીધું હતું.


બાય બાય દિલ્હી, ઓવર ટુ ગ્લાસગો

ભારતની અવિસ્મરણીય સિદ્ધિ (૩૮ ગોલ્ડ, ૨૭ સિલ્વર, ૩૬ બ્રોન્ઝ) તથા યાદગાર સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે લેસર લાઇટ્સથી ઝળહળી ઉઠેલાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં ૧૯મી કોમનવેલ્થ ગેમ્સનું સમાપન થયું હતું. રંગારંગ કાર્યક્રમો દ્વારા પૂરા વિશ્વનાં લોકોએ ભારતની વિરાટ સંસ્કૃતિનો દબદબો નિહાળ્યો હતો. ગેમ્સના સમાપનમાં વડાપ્રધાન મનમોહનસિંઘ, ક્રોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને ઇંગ્લેન્ડના પ્રિન્સ એડવર્ડ હાજર રહ્યા હતા. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રમુખ જેકસ રોગે પણ હાજર રહ્યા હતા. સમાપન પહેલાં ૧૧ દિવસ સુધી ૭૧ કોમનવેલ્થ દેશના લગભગ ૬,૭૦૦ ખેલાડીઓએ પોતાનાં પ્રદર્શનથી વિશ્વને ચકિત કર્યું હતું.


રેક પર એથ્લેટ્સે રચ્યો સોનેરી ઈતિહાસ

૧૯મી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સે બે ગોલ્ડમેડલ સહિત કુલ ૧૨ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. દિલ્હી ગેમ્સ પહેલાં ભારતે ગઇ ૧૮મી કોમનવેલ્થમાં એક ગોલ્ડ સહિત નવ મેડલ્સ જીત્યા હતા. એથ્લેટિકસમાં ભારતીય મહિલાઓએ ડસ્કિસ થ્રો અને ચાર બાય ૪૦૦ મીટર રિલેમાં ગોલ્ડન પ્રદર્શન કર્યું હતું.ડિસ્કસ થ્રોમાં ક્રિષ્ના પૂનિયા, હરવંતકૌર અને સીમા એન્ટિલે અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ જીતીને આ સ્પર્ધામાં કલીન સ્વિપ કરી હતી. મનજિતકૌર, સાઇની જોશ, અશ્વિની ચિરાનંદા અને મનદીપકૌરની ટીમે ચાર બાય ૪૦૦ મીટર રિલેમાં પ્રથમ ક્રમાંકે રહીને એથ્લેટિકસમાં બીજો ગોલ્ડ અપાવ્યો હતો. ભારતને અગાઉ કોમનવેલ્થ ગેમ્સમાં મિલ્ખાસિંઘે ૧૯૫૮માં સૌથી પહેલો ગોલ્ડમેડલ અપાવ્યો હતો.


ભાયંદરની પેટાચૂંટણીમાં ચાર પાટિલો વચ્ચે સ્પર્ધા

મીરા-ભાયંદર મહાનગરપાલિકાના વોર્ડ નં-૪૫ની પેટા ચૂંટણી માટે કુલ ચાર ‘પાટિલ’ ઉમેદવારો મેદાનમાં છે. ગુરુવારે ઉમેદવારીપત્રક ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસના ઉમેદવારે દસ્તાવેજો ચૂંટણી અધિકારીને સુપરત કરીને નામાંકન નોંધાવ્યું હતું. તેથી આ ચૂંટણીમાં શિવસેના, કોંગ્રેસ અને મનસે વચ્ચે ત્રિરંગી સ્પર્ધા જોવા મળશે.કોંગ્રેસના નગરસેવક પ્રફુલ્લ પાટિલની હત્યાને કારણે ખાલી પડેલી બેઠક માટે ૩૧ ઓક્ટોબરે આ પેટા ચૂંટણી યોજાશે. બુધવાર સુધીમાં શિવસેના તરફથી સ્વ. પ્રફુલ્લ પાટીલનાં પત્ની સંધ્યા અને મનસે તરફથી સુશાંત પાટિલે ઉમેદવારી પત્રો ભર્યા હતા.


આણંદ તાલુકાના બેડવામાં ગેસ બોટલ લીકેજ બાદ સળગતાં દોડધામ

બેડવા ગામે મોટી ખડકીમાં રહેતા મફતભાઇ પટેલેના ઘરે ચિખોદરા ધવલ ગેસ એજન્સીંનો કર્મચારી ગેસનો ભરેલો સીલપેક બોટલ મૂકવા આવ્યો હતો. કર્મચારીના ગયા બાદ મફતભાઇએ આ બોટલનું સીલ તોડી ઢાંકણું ખોલતાંની સાથે જ વાલ બહાર નીકળી ગયો અને સૂસવાટા મારતો ગેસ બહાર નીકળ્યો હતો. એ સમયે બાજુમાં સ્ટવ સળગતો હોઇ ગેસના બોટલમાં આગ લાગી ગઇ હતી.


શાળાની છાત્રા સાથે શિક્ષક કઢંગી હાલતમાં ઝડપાયો

ડનગર તાલુકાની ગ્રામ્ય વિસ્તારમાં આવેલી માધ્યમિક શાળાનો એક શિક્ષક આ જ શાળાની ધોરણ-૯ની એક વિદ્યાર્થિની સાથે કઢંગી હાલતમાં ઝડપાઇ જતાં ગ્રામજનોમાં ભારે રોષ પ્રસરી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થિનીના પરિવારજનોએ ફરીયાદ કરવાનું ટાળતાં ગ્રામજનોએ લંપટ શિક્ષકને શાળામાંથી બરતરફ કરવા માંગણી કરી છે.સમગ્ર જિલ્લાના શિક્ષણજગતને કાળી ટીલી લાગડે તેવા આ બનાવની હકીકત એવી છે કે વડનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી એક માધ્યમિક શાળાનો શિક્ષક શાળાની ધોરણ ૯માં અભ્યાસ કરતી એક છાત્રા સાથે ગત ૩૦મી ઓગસ્ટના રોજ કઢંગી હાલતમાં ઝડપાઇ જતાં ગ્રામજનોમાં ભારે રોષ પ્રસરી રહ્યો છે.


ઊંઝામાં વીમો પકવવા મોતનું નાટક

ઊંઝા હાઇવે પર વર્ષ ૧૯૯૪માં બનેલ એક અકસ્માતના બનાવમાં બે વ્યક્તિઓને ઇજા થઇ હોવાનો ગુનો ઊંઝા પોલીસ મથકે નોંધાયો હતો. આ બનાવમાં વીમાની રકમ મેળવવાના હેતુ સાથે એક ટોળકીએ ખોટા દસ્તાવેજો ઉભા કરીને એક વ્યક્તિના મોતનું ખોટુ નાટક ઉભુ કર્યું હતુ. આ બાબતે પોલીસ અને વીમા કંપનીની તપાસમાં આ નાટકનો પર્દાફાશ થતા ઊંઝા પોલીસે આઠ શખ્સો સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.બોલીવુડની ફિલ્મોના પ્લોટને યથાર્થ સાબિત કરતા આ બનાવની પોલીસ મથકેથી મળતી માહિતી પ્રમાણે ૨૭ ફેબ્રુઆરી, ૧૯૯૪ના રોજ ઊંઝા હાઇવે પર આવેલ ધાણાદાળની ફેક્ટરી પાસે અકસ્માત થયો હોવાની લેખિત ફરિયાદ પ્રવિણભાઇ જોઇતારામ પટેલ દ્વારા ઊંઝા પોલીસ મથકે કરવામાં આવી હતી. આ ફરિયાદમાં સ્કુટરની ટક્કરે થયેલા આ અકસ્માતથી મણીભાઇ પીતાંબર પટેલ અને જીતુભાઇ અંબાલાલ પટેલ (બન્ને રહે.બ્રાહ્મણવાડા)ને ઇજા થઇ હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. આ કેસ અંગે ફરિયાદના આધારે પોલીસે અશ્વિનભાઇ ભીખાભાઇ પટેલ(રહે.મહેસાણા) નામના શખ્સની અકસ્માત કરવા બાબતે અટકાયત કરીને બાદમાં તેને જામીન પર મુક્ત કર્યો હતો.


બિગ બોસમાં આજે પરિણામ

બિગ બોસના આજના એપિસોડમાં સલમાન ખાન આજે પરિણામ જાહેર કરશે.સમીર સોની, સીમા પરિહાર અને સાક્ષી પ્રધાન આ ત્રણમાંથી ગમે તે એક આજે બિગ બોસનું ઘર છોડીને જશે.જનતાના વોટને આધારે આ ત્રણમાંથી ગમે તે એકને ઘરની બહાર કાઢવામાં આવશે.


હવે, મોનિકા બેદીનો સ્વંયવર યોજાશે?

મોનિકા બેદી પોતાનો ભૂતકાળ ભૂલીને જીવનમાં આગળ વધવા માંગે છે. મોનિકા બેદીએ બિગ બોસ, દેસી ગર્લને કારણે જાણીતી બની હતી.હવે, મોનિકાએ પોતાના લગ્ન અંગે કેટલીક વાતો કરી હતી.મોનિકાએ થોડા સમય પહેલા જ એક ઈન્ટરવ્યૂમાં પોતાના લગ્ન અને કરિયર અંગે વાત કરી હતી.મોનિકાએ સ્વંયવર અંગે જણાવ્યું હતું કે, રાખી સાવંતનો સ્વંયવર પૂરો થયો પછી અને રાહુલનો શરૂ થયો તે પહેલા ચેનલે તેનો સંપર્ક કર્યો હતો પરંતુ તેણે આ આખી વાત હસવામાં કાઢી દીધી હતી.


જ્હોનને 15 દિવસની જેલની સજા

બોલિવૂડ અભિનેતા જ્હોન અબ્રાહમને 15 દિવસની જેલની સજા ફટકારવામાં આવી છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે રેશ ડ્રાઈવિંગના એક કેસમાં જ્હોનને આ સજા આપવામાં આવી છે.મુંબઈની બાંદ્રા કોર્ટે વર્ષ 2006ના એક અકસ્માત કેસમાં જ્હોનને 15 દિવસની સજા ફટકારી છે.ઉલ્લેખનીય છે કે, જ્હોન હાલમાં પોતાની ફિલ્મ જૂઠા હી સહીના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં જ્હોન પુસ્તક વિક્રેતા બન્યો હોય છે. જ્હોન આ ફિલ્મમાં ખોટું જ બોલતો હોય છે અને તેની આસપાસ ફિલ્મની વાર્તા દર્શાવવામાં આવી છે.


શાહની જામીન અરજીની સુનાવણી ૨૨મી ઓક્ટોબર પર મુલત્વી

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં પુર્વગૃહમંત્રી અમીત શાહની જામીન અરજીની સુનાવણી ન્યાયમુતિg આર.એચ.શુકલએ ૨૨મી ઓકટોબર પર રાખી સીબીઆઇને નોટીસ પાઠવી છે.સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં છેલ્લા અઢી મહીનાથી જેલમાં રહેલા અમીત શાહની જામીન અરજી સીબીઆઇ કોર્ટે નામંજુર કરતા તેમણે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજી કરી હતી.જે અંગેની આજે સુનાવણી દરમિયાન કોર્ટે સીબીઆઇને નોટીસ ઇસ્યુ કરી કેસની વધુ સુનાવણી ૨૨મી ઓકટોબર પર મુકરર કરી છે.

કચ્છના અંજાર ખાતે ૫૯૯ કરોડનું ડિસ્ક્લોઝ
વેલસ્પન ગ્રૂપના અંજાર, મુંબઇ અને વાપીમાં આવેલા યુનિટમાં બે દિવસથી ચાલી રહેલી ઇન્કમટેક્સની કાર્યવાહી દરમિયાન આ ગ્રૂપના માલિકો દ્વારા અધધ રૂ.૫૯૯ કરોડનું ડિસ્ક્લોઝર કરવામાં આવ્યું હતું.માત્ર એક જ કંપની દ્વારા આવડી મોટી રકમના બેનામી વ્યવહારો મળી આવતાં ઇન્કમટેક્સના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કંપની પાસેથી પેનલ્ટી સહિતની કરચોરીની રકમ વસુલ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કચ્છના અંજાર ખાતે આવેલાં વેલસ્પનના યુનિટમાંથી ૩૫લાખ રૂપિયા રોકડા અને કેટલાક મહત્વના દસ્તાવેજો મળી આવ્યા હોવાનું આઇ.ટી.ના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું.


કોંગ્રેસના નેતા-ભાજપના માજી કોર્પોરેટરની ક્લિપિંગ ફરતી થઇ

શહેરના પશ્ચિમ વિસ્તારના કોંગી અગ્રણી અને ભાજપના માજી કોર્પોરેટરની વીડિયો ક્લિપિંગ ફરતી થતાં રાજકીય ક્ષેત્રે ભૂકંપ સર્જાયો છે. શહેરના કોંગી ઉમેદવારોને હરાવવા કોંગી અગ્રણીએ ભાજપના માજી નેતાને રૂપિયાની લહાણી કરી હોવાનો યુવક કોંગ્રેસના અગ્રણીએ આક્ષેપ કરતાં ચકચાર મચી ગઇ છે.શહેરના પશ્ચિમ વિસ્તારના એક વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાયો હતો. ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે કેમિકલના વેપારીએ દાવેદારી કરતાં ભાજપના પૂર્વ કોર્પોરેટરે ડેરા તંબૂ તાણી દીધા હતાં પરંતુ વેપારીને ટિકિટ નહિ મળતાં તેમણે એક પગ ભાજપ અને બીજો કોંગ્રેસની છાવણીમાં મુકી દીધો હતો.

14 October 2010

દશેરામાં સાટા-જલેબી સાથે જ સંતરા-ક્રીમ નૂરીની પણ મજા

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



દશેરામાં સાટા-જલેબી સાથે જ સંતરા-ક્રીમ નૂરીની પણ મજા

વિજયાદસમીના દિવસે મીઠાઇની એક થી એક ચડિયાતી વેરાઇટી બજારમાં મુકાશે. આ વખતે જો કે મિષ્ટાનના ભાવ સાંભળીને મોં કડવી દવા પીધી હોય તેવું થઇ જાય તો પણ નવાઇ નહીં, કારણ કે કાચી સામગ્રીના ભાવ વધ્યા છે.પરંતુ સામે મીઠાઇમાં પણ વૈવિધ્ય આવ્યું છે અને તેથી હવે બજારમાં દશેરાએ સાટા-જલેબી જેવી પરંપરાગત મીઠાઇ ઉપરાંત અન્ય મીઠાઇઓ પણ પ્રાપ્તછે. દશેરાના એક જ દિવસમાં રાજકોટમાં રૂ.૧ કરોડની મીઠાઇનો વેપાર થાય છે.વેપારી જગદીશભાઇએ જણાવ્યું કે આ વખતે મખ્ખન સંતરા અને ક્રીમ નૂરી નામની બે નવી મીઠાઇઓ બજારમાં મુકવામાં આવી છે. મખ્ખન સંતરામાં માખણ અને સંતરા ફ્લેવરનો ઉપયોગ છે. રૂ.૨૨૦ થી ૨૬૦ પ્રતિકિલોની રેન્જવાળી મીઠાઇ વધારે વેચાય છે. કમલભોગ, ખજુરરોલ, કાજુ કતરી જેવી કાયમી મળતી મીઠાઇઓ પણ ડિમાન્ડમાં છે.અન્ય વેપારી સંજયભાઇએ જણાવ્યું કે આ વખતે મગદાળ અને કાજુના કોમ્બિનેશનથી રાજભોગ નામની મીઠાઇ બનાવી છે. જ્યારે ઓછી ખાંડવાળો છપ્પનભોગ પણ તૈયાર કર્યો છે. તે ઉપરાંત કલાકંદ કેક,લાડુ, લાખનશાહી વગેરે વસ્તુઓ તો છે જ. લોકો દર વર્ષે કાંઇક નવું માંગે છે. આ વખતે તો જન્માષ્ટમી વખતે વરસાદને લીધે વેપાર થયો જ નહોતો.


ફાઈનલ....બિહારમાં મોદી ચૂંટણી પ્રચાર નહીં કરે

મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણીપ્રચાર અર્થે બિહાર જશે કે નહીં તે અંગે છેલ્લા લાંબા સમયથી સસ્પેન્સ ચાલી રહ્યું હતું. જોકે, હવે ભાજપે સ્પષ્ટતા કરી દીધી છેકે, નરેન્દ્ર મોદી બિહારમાં ચૂંટણી પ્રચાર નહીં કરે કારણકે તેઓ ગુજરાતના કાર્યક્રમોમાં 'પહેલાથી જ વ્યસ્ત' છે.પટના ખાતે ભાજપના ઉપાધ્યક્ષ કલરાજ મિશ્રાએ કહ્યું હતુંકે, ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પહેલાથી જ ગુજરાતના કામોમાં વ્યસ્ત હોવાના કારણે તેઓ ચૂંટણી પ્રચાર અર્થે બિહાર નહીં આવી શકે, તેવું કારણ આપવામાં આવ્યું છે. આ પહેલા જૂન માસમાં બિહારમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાનિક અખબારોમાં જાહેરાતો છપાવી હતી. જેના કારણે, ગિન્નાયેલા નીતિશ કુમારએ ભાજપના શિર્ષસ્થ નેતાઓ સાથેનો ભોજન સમારંભ રદ્દ કરી નાખ્યો હતો


મોદી મહારાષ્ટ્રમાં તારણહાર બને એવી ભાજપને આશા

ભાજપના મુંબઈ એકમે ‘મોદી મેજિક’ની મુંબઈમાં અજમાયશની કવાયત શરૂ કરી દીધી છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં હારથી નિરાશ મહારાષ્ટ્ર ભાજપ માટે ગુજરાતની છ મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં પક્ષની જીત સંજીવની સાબિત થતી દેખાય છે. જોકે ૧૯ ઓક્ટોબરે નરેન્દ્ર મોદી મુંબઈ આવશે ત્યારે એ બાબતનો ચમકારો જોવા મળશે.મહારાષ્ટ્રમાં કલ્યાણ- ડોમ્બિવલી તેમ જ કોલ્હાપુર મહાનગરપાલિકાની ચૂંટણીઓ આ મહિનામાં યોજાશે. ત્યાર પછી વર્ષ ૨૦૧૨માં મુંબઈ મહાપાલિકાની ચૂંટણી યોજાશે. ભાજપના મુંબઈ એકમના પ્રમુખ રાજ પુરોહિત હવે ‘મોદી મેજિક’ને વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં તારણહાર બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે.મંગળવારે સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં કોંગ્રેસને કંગાળ બનાવે એવા ધજાગરા ઉડાડતો વિજય ભાજપે મેળવ્યા પછી રાજ પુરોહિતે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપતાં વિશાળ પોસ્ટર્સ અને હોર્ડિંગ્સ મુંબઈમાં ઠેકઠેકાણે ગોઠવી દીધાં હતાં.


મોદી અને ભાજપનો જનાદેશ જોઈને કર્મીઓએ શઢ બદલ્યા

એક અધિકારીએ કહ્યું હતું કે તમામ શહેરોમાં કોંગ્રેસ બે આંકડે માંડ થઇ છે ત્યારે અસરકારક અને પ્રજાલક્ષી વહીવટ કરવા ભાજપે તેના ચૂંટાયેલા સભ્યો કોંગ્રેસને ઉછીના આપવા જોઇએ કે જેથી મ્યુનિસપિલ કોર્પોરેશનમાં વિરોધપક્ષ મજબૂતરીતે ઉપસી આવે અને લોકોના અટવાયેલા કામો થઇ શકે.સચિવાલયમાં આ જ પ્રકારનો ડર ૨૦૦૨ અને ૨૦૦૭ની વિધાનસભાની ચૂંટણીમાં હતો.વિધાનસભામાં મોદી મેજિક ચાલતાં સચિવાલયના કેટલાક ઉચ્ચ અધિકારીઓ પ્રોટોકોલ છોડી મુખ્યમંત્રીને શુભેચ્છા આપવા દોડી ગયા હતા. મોદીની ગુડબૂકમાં આવવા માટે ટોપ થી બોટમ સુધીના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતું સોહરાબુદ્દીન કેસમાં મોદી કેબિનેટના મંત્રીની ધરપકડ અને તેમના જેલવાસ પછી અધિકારીઓની ચેમ્બરોમાં હોતી હૈ ચલતી હૈ જેવું ચાલતું હતું. ફાઇલોમાં વાંધા-વચકા કાઢી દિવસો ના દિવસો સુધી મૂકી રાખવામાં આવતી હતી. વહીવટી તંત્ર જાણે કે મંત્રીઓને ગાંઠતું ન હતું પણ હવે ફરીથી ડરનો અનુભવ થવા લાગ્યો છે.


‘મોદી મેજિક’ બાદ હવે ભાજપ પાલિકા-પંચાયતોની ચૂંટણી માટે સજ્જ

અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાઓમાં મોદીના જાદુએ કમાલ સજર્યા બાદ હવે તેઓ આગામી ૨૧મીએ યોજાનારી પાલિકા -પંચાયતોની ચૂંટણીમાં પણ કેસરિયો લહેરાવવા સજ્જ થયા છે.રાજ્યની ૫૩ નગરપાલિકા,૨૪ જિલ્લા અને ૨૦૮ તાલુકા પંચાયતોની ચૂંટણીઓ ૨૧મી, ઓક્ટોબરે યોજાવાની છે અને આ માટેનો ચૂંટણી પ્રચાર ૧૯મીની સાંજના ૫ વાગ્યે બંધ થશે.અત્યારે રાજકીય પક્ષો અને ઉમેદવારો પાસે ચૂંટણી પ્રચાર માટે ૬ દિવસ બાકી રહ્યાં છે.અમદાવાદ સહિતની છ મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ ભાજપ અને મોદી માટે વટનો સવાલ બની હોવાથી તેઓ આ મહાનગરપાલિકાઓની ચૂંટણીના પ્રચાર તથા બુથ મેનેજમેન્ટમાં વ્યસ્ત હતા અને એટલે પાલિકા-પંચાયતોની ચૂંટણી માટેનો માહોલ જામતો ન હતો પરંતુ હવે મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામ આવી ગયા છે અને એમાં મોદીએ બુલડોઝર ફેરવીને કોંગ્રેસનો સફાયો કરી નાંખ્યો છે એ પછી હવે તેઓ પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં ભાજપના કેસરિયાને લહેરાવી દેવામાં કોઈ કસર બાકી છોડવા માંગતા નથી.


દુનિયાના સૌથી નાની વયના સીઈઓ

આ છે ગ્લોબલ આઈટીસ પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ સુહાસ ગોપીનાથ. ભારતના આ બિઝનેસમેનનું નામ એક એવા પુરસ્કાર સાથે જોડાયેલુ છે જેના ઉપર ભારતીયોને ગર્વ અનુભવાય છે.આજથી લગભગ 10 વર્ષ પહેલા જ્યારે સુહાસે એક સાઇબર કેફેથી પોતાની કંપનીની શરૂઆત કરી હતી, ત્યારે તેમને થોડો પણ અંદાજો નહોતો કે પોતાની કંપની આ સમયે અબજો રૂપિયાની મુલ્યક્ષમતા ધરાવતી કંપની બની જશે.સુહાસની કંપનીમાં વેબ ડિઝાઇનિંગનું કામ થાય છે. અને તેમની કંપની ગ્લોબ્સ ઇન્કૉર્પોરેટેડ કેલેફોર્નિયાની સિલિકન વેલીમાં રજિસ્ટર્ડ થયેલી કંપની છે.ભારત ઉપરાંત અમેરિકા, કેનેડા, જર્મની, ઇટાલી, ઇંગ્લેન્ડ, સ્પેન, ઑસ્ટ્રેલિયા, સિંગાપુર અને મિડિલ ઈસ્ટમાં તેમની બ્રાન્ચીસ પણ હયાત છે.આંતરરષ્ટ્રીય સ્તરે સુહાસને કેટકેટલાય સમ્માન પણ પ્રાપ્ત થયા છે. જેમાં વર્ષ 2008709 દરમિયાન વર્લ્ડ ઇકોનૉમિક ફોરમ તરફથી 'યંગ ગ્લોબલ લીડર્સ એવૉર્ડ'થી સમ્માનીત કરવામાં આવ્યો છે.


સચિને પુજારાની મદદ ના કરી હોત તો?

ઓસ્ટ્રેલિયા સામે બેંગ્લોર ખાતે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમાનારા સૌરાષ્ટ્રના બેટ્સમેન ચેતેશ્વર પુજારા પ્રથમ દાવમાં નિષ્ફળ ગયો હતો પરંતુ બીજા દાવમાં તેણે ટેસ્ટ કારકિર્દીની પ્રથમ અડધી સદી નોંધાવીને ક્રિકેટ દિગ્ગજોની પ્રશંસા મેળવી છે.
જો કે પુજારાએ કહ્યું હતું કે તે ઘણો નર્વસ હતો પરંતુ સામે છેડે રમી રહેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે તેને તેમાંથી બહાર આવવામાં મદદ કરી હતી.પુજારાએ બીજા દાવમાં 72 રન ફટકારી તથા મુરલી વિજય અને સચિન તેંડુલકર સાથે ભાગીદારી નોંધાવીને ભારતની જીતનો પાયો નાંખ્યો હતો.તેણે કહ્યું હતું કે આ ઘણો જ અદભૂત અને સુંદર અનુભવ હતો. પ્રથમ વાત તે હતી કે મેં સચિન સામે જોયું હતું. સચિન મારી તરફ આવ્યો અને મને કહ્યું કે તુ નર્વસ દેખાય છે પરંતુ તું તેમાંથી બહાર આવવાનો પ્રયત્ન કર. ભગવાને તને આ સુંદર તક આપી છે અને તું તેનો ભરપૂર ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કર અને રન બનાવ.


આખરે કોણ હતો એ કાળા કપડાવાળો?

ઈક પૂછે કે કોણ હતા અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ તો બધા જ્યોર્જ વોશિંગ્ટનનું નામ લેશે, પણ બહુ ઓછા લોકો જાણે છે કે વોશિંગ્ટન કાયદેસર પ્રથમ રાષ્ટ્રપતિ નહોતા. અમેરિકી ક્રાંતિ માટે કોંગ્રેસે પીટન રેડોલ્પને પ્રથમ રાષ્ટ્રપતિ પસંદ કર્યા હતા. વોશિંગ્યનને તેના આઠ વર્ષ પછી પબ્લિક વોટથી લીડર પસંદ કરવામાં આવ્યો હતો. અમેરિકાના નેતાઓએ નહીં પરંતુ જનતાએ વોશિંગ્ટનને પ્રથમ રાષ્ટ્રપતિ ચૂંટ્યો હતો.જ્યારે અહીંયા આઝાદીની ઘોષણા થઈ ત્યારે પણ પરિસ્થિતિ સારી નહોતી. તલવારો સાથે બધા જ નેતા એકઠા થયા હતા. બ્રિટિશ કોલોનિસ્ટે એવું જાહેર કર્યું હતું કે જે વ્યક્તિ સૌથી પહેલા ડિક્લેરેશન સાઇન કરશે તેને મારી નાંખવામાં આવશે. આ લોકોમાં કાળા કપડાં પહેરેલો એક વ્યક્તિ ઊભો થયો. તેના હાથમાં ભાષણ લખેલો એક કાગળ હતો. જેવું તેણે ભાષણ વાંચવાનું શરૂ કર્યું કે તરત જ ત્યાં ઉપસ્થિત લોકો તેની વાતોથી હિપ્નોટાઇઝ થવા લાગ્યા. તેના શબ્દોમાં જાણે જાદુ હતો.


શાહરૂખે રજનીકાંતની નકલ કરી!

શાહરૂખ ખાન પોતાની ફિલ્મ રા.વનને લઈને ઘણો જ ઉત્સાહિત છે. જો કે રજનીકાંતની ફિલ્મ રોબોટ સુપરડુપર હિટ જતાં કિંગ ખાન ચિંતામાં મુકાઈ ગયો છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ફિલ્મમાં શાહરૂખ ખાને ઘણાં જ ખતરનાક સ્ટંટ ભજવ્યા છે. ટ્રેનની ટોચે પહોંચીને સ્ટંટ ભજવે છે.જો કે બે શહેરમાં અલગ અલગ ટ્રેન પર ટેકનિકલ ટીમ કરી રીતે સ્ટંટમાં સામ્યતા લાવશે તે એક ગંભીર સવાલ છે.આ ફિલ્મ સાથે સંકળાયેલા નિકટના વ્યક્તિએ જણાવ્યું હતું કે, શાહરૂખ ખાનને હંમેશા ટ્રેનના સ્ટંટ કરવા ગમે છે. તેને શોલે ફિલ્મમાં દર્શાવવામં આવેલું ટ્રેનનું દ્રશ્ય ભજવવું છે. તે પોતાની ફિલ્મમાં આ સીનને લેવા માંગે છે.


વંઠેલા વારસદારોના કારણે પીડાતી પારકી થાપણ

આધુનિક ભારતમાં હવે મા-બાપની સેવા ચાકરી બાબતે પૈસાદાર વર્ગમાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે અને તેના કારણે અનેક પરિણીત દીકરીઓ હવે ડિપ્રેશનનો શિકાર બની રહી છે. પરણીને સાસરીમાં ગયેલી દીકરીઓના ભાઇ મા-બાપની સેવા ચાકરી કરવા બાબતે હાથ ઊંચા કરી રહ્યાં હોવાના કારણે અનેક પરણિત દીકરીઓને તેઓના વૃદ્ધ મા-બાપની સેવા કરવી પડી રહી છે અને તેના કારણે તેના સબંધો પતિ, બાળકો અને અન્ય સાસરીયાઓ સાથે બગડી રહ્યાં હોઇ તેઓ ડિપ્રેશનનો શિકાર બને છે. વડોદરામાં હાલ ડિપ્રેશનનો ભોગ બનેલી ૨૦થી વધુ પરિણીતા સારવાર લઇ રહી છે.મનોચિકિત્સક ડૉ.યોગેશ પટેલે જણાવ્યું હતું કે, અગાઉ દીકરીનું લગ્ન થતાં ત્યારે મા-બાપ દીકરીને મોટો દહેજ આપીને સાસરીમાં વળાવતાં હતાં, કારણ કે, લગ્ન બાદ દીકરીનો મા-બાપની મિલ્કતમાં કોઇ અધિકાર રહેતો ન હતો. બીજી તરફ મા-બાપને રાખવાની અને તેની સેવા ચાકરી કરવાની જવાબદારી દીકરાઓ પર રહેતી અને મા-બાપની મિલ્કત પર અધિકાર રહેતો હતો.


ભાવિ કલામને સલામ!

યુરોપમાં ન્યૂક્લિયર ફ્યૂઝનમાં માસ્ટર કોર્સ કરનાર સુરતનો ઘનશ્યામ ખત્રી શહેરના યુવાવર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. વિપરિત પરિસ્થિતિ સૌના જીવનમાં આવે છે, પરંતુ ઘનશ્યામ ખત્રીએ હિંમતપૂર્વક પડકારોનો સામનો કરીને સુરતનું જ નહીં સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. ગરીબ પરિવારમાં જન્મેલો ઘનશ્યામ બાળપણમાં ભણવામાં બીલો લેવલ હતો, તે એ સમયે દિશાહીન હતો. આખરે સમાજ તરફથી સહાયનો હાથ લંબાવવામાં આવ્યો, તેણે અમરેલીમાં ધોરણ ૮થી ૧૨નો અભ્યાસ કર્યો હતો ત્યારે હોસ્ટેલનો ખર્ચ સમાજે ઉપાડ્યો હતો.જોકે ૧૨ સાયન્સમાં ઓછા ટકાને લીધે શહેરની કોલેજમાં પ્રવેશ ન મળ્યો, પણ બીજા યુવાનોની જેમ તે હતાશામાં ગરક ન થયો, અચાનક કોલેજે સમાજના નબળા વર્ગોને પ્રોત્સાહિત કરવાના હેતુસર ઘનશ્યામને એડમિશન આપ્યું. કોલેજમાં એડમિશન મળ્યા બાદ પ્રોફેસરોએ એક વાત નોંધી હતી કે ભલે ઘનશ્યામ એવરેજ સ્ટુડન્ટ છે, પરંતુ તેને ફિઝિકસમાં વિશેષ રસ છે અને ફિઝિકસ જ એનો સ્ટ્રોન્ગ પોઇન્ટ છે.કોલેજના પ્રોફેસરોએ તેને પ્રેરણા અને આર્થિક સહાય કરતા ઘનશ્યામે યુરોપમાં ન્યૂક્લિયર ફ્યૂઝનમાં માસ્ટર કોર્સ કરવાની તક ઝડપી લીધી, આમ ઘનશ્યામ યોગ્ય સમયે યોગ્ય તક ઝડપીને આગળ વધ્યો. ઘનશ્યામ ખત્રી કહે છે કે વિદેશમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે ભારત માટે રિસર્ચ વર્ક કરશે. હાલ ફશિન ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ તે ફ્યૂઝન ટેક્નોલોજીથી એનર્જી સેક્ટરની કાયાપલટ કરશે.


સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર વર્ષમાં 600 વાર વીજળી પડે છે

ન્યુયોર્કના ફોટોગ્રાફર જે ફાઇને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર વીજળી પડવાની તસવીર ખેંચી છે. પરફેક્ટ પિક્ચર લેવા માટે તેમણે બહાદુરીપૂર્વક આખી રાત વંટોળભરી રાત ઘરની બહાર વિતાવી હતી. રાત્રે લગભગ બે કલાક સુધી તેઓ તસવીરો ખેંચતા રહ્યા હતા. આ તસવીર ખેંચતા પહેલા તેઓ 81 શોટ્સ લઈ ચૂક્યા હતા.આ તસવીરમાં જે દ્રશ્ય દેખાઈ રહ્યું છે તે 22 સપ્ટેમ્બર રાત્રે 8:45 વાગ્યાનું છે. 58 વર્ષીય ફાઇન જણાવે છે કે આ તેમના બાળપણનું સ્વપ્ન હતું. આ માટે તેઓ પાછલા 40 વર્ષથી પ્રયત્નો કરી રહ્યા હતા. ફાઇનને હવામાનશાસ્ત્રનું થોડું જ્ઞાન ધરાવે છે, આથી તેમને ખ્યાલ હતો કે તોફાન આવવાનું છે અને વાવાઝોડું થશે.


બુટલેગરને લૂંટી લેવાના ગુનામાં પાંચ કોન્સ્ટેબલ સામે ગુનો

નિકોલ-નરોડા રોડ પર આવેલી ખોડલધામ સોસાયટીમાં રહેતો બુટલેગર પૃથ્વીસિંહ નરસિંહ ઝાલા (૩૫)એ ઓઢવ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતાં આક્ષેપ કર્યો હતો કે, પાંચ માસ અગાઉ બાપુનગરમાંથી વિદેશી દારૂની બે બોટલ સાથે તે ઝડપાયો ત્યારે ઓઢવના કોન્સ્ટેબલ રોહિતસિંહ ચાવડા, હરિશ્વદ્ર સિંહ તથા શહેરકોટડાના હરેન્દ્રસિંહ તથા કાલુપુરના કોન્સેટબલ વિજયસિંહ તથા એલ.પી. નામના એક કર્મચારીએ તેની પાસેથી અડધા લાખ રૂપિયાની માગણી કરી હતી. જો કે જે-તે સમયે થોડા રૂપિયાથી પતાવટ કરી દેવાઈ હતી.બાદમાં આ કોન્સ્ટેબલે તેને અનિલ સ્ટાર્ચ મિલથી શ્યામશિખર રોડ પર ફરી બે માસ અગાઉ ઝડપી ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત એક કોન્સ્ટેબલે તેની અઢી તોલાની સોનાની ચેન લૂંટી લીધી હતી.


વડોદરા : રાજધાની ટ્રેનમાંથી બનાવટી વિજિલન્સ ઇન્સપેક્ટર ઝડપાયો

રાજધાની એક્સપ્રેસમાં વિજિલન્સ ઇન્સપેક્ટરના સ્વાંગમાં મુસાફરી કરતાં ગઠિયાને ટિકિટ ચેકરે ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો.પોલીસે ગઠિયાની પૂછતાછ કરતાં તે રેલવે બોર્ડ દિલ્હીનો કર્મચારી હતો અને તેને સસ્પેન્ડ કરી દીધો હોવાની કબૂલાત કરી હતી.પંજાબના પટિયાલા સ્થિત મહેન્દ્રગંજનો રમેશ હુકમચંદ કાલરા વડોદરાથી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસમાં મુસાફરી કરવા માટે વડોદરા રેલવે સ્ટેશન પર આવ્યો હતો. સ્ટેશન પર હાજર ડભોઇ ચીફ ટિકિટ ઇન્સપેક્ટર મૂકેશ અગ્નિહક્ષેત્રીને શખ્સ પર શંકા જતાં રાજધાનીમાં હાજર સ્ટાફને જાણ કરી હતી.


વડોદરા : ૧૫ વર્ષે ઊંઘ ન ઊડી હવે કોંગ્રેસ પોસ્ટમોર્ટમ કરશે

સેવાસદનની માત્ર ૧૧ બેઠકો કોંગ્રેસના ફાળે આવતાં કોંગી મોરચે ભૂકંપ સર્જાયો છે તેના માટે દોષનો ટોપલો શહેર પ્રમુખ અને સેવાસદનના વિરોધ પક્ષનાં નેતા ઉપર ઢોળીને બંનેના રાજીનામાની માગણીકરાઇ છે. ૧૫ વર્ષ સુધી ઉંઘ નહીં ઉડાડનારા સ્થાનિક કોંગ્રેસી આગેવાનોએ હવે હારના કારણો જાણવા પોસ્ટમોર્ટમ શરૂ કર્યું છે.સત્તાથી દૂર રહેવાની કોંગ્રેસને છેલ્લાં પંદર વર્ષથી જાણે આદત પડી ગઇ હોય તેવી હાલત ઊભી થઇ છે ત્યારે આ વખતે ઉમેદવારોની પસંદગીમાં કોંગ્રેસે માર ખાધો હોવાનો આક્ષેપ થયો છે. કોંગ્રેસના એક સિનિયર આગેવાને ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના ૮૦ ટકા ઉમેદવારોને શહેર કોંગ્રેસ કાર્યાલય ક્યાં આવ્યું તેની હજી સુધી ખબર નથી ત્યારે તેમની પસંદગી સામે ગંભીર પ્રશ્નાર્થ ઉભો થયો છે.


વડોદરા : ચૂંટણીનાં પરિણામ જાણવા પાંચ કલાકમાં ૧૧ લાખના SMS

સેવાસદનની ચૂંટણીના પળ-પળના ટ્રેન્ડ અને પરિણામો જાણવા માટે વડોદરાના શહેરીજનોએ માત્ર પાંચ કલાકમાં જ ૧૧ લાખના એસ.એમ.એસ કર્યા હતા.સેવાસદનની ચૂંટણીમાં પોલિટેકિનક ખાતે મતોની ગણતરી શરૂ થતાંની સાથે જ વડોદરામાં શહેરીજનોમાં ભારે ઉત્સાહ છવાઇ ગયો હતો. ખાસ કરીને યુવાનોમાં તો પરિણામોમાં કોંગ્રેસ અને ભાજપનાં ક્યા ઉમેદવારો આગળ છે કે કેમ ? જીતી રહ્યા છે કે કેમ ? તે ટ્રેન્ડ જાણવા માટે દર પાંચ મિનિટ એસ.એમ.એસ કર્યા હતા. વડોદરાના શહેરીજનોએ માત્ર પાંચ કલાકમાં જ ૧૧ લાખના એસ.એમ.એસ કર્યા હતા.
એમાંય ૧૧ થી ૨ના સમય દરમિયાન સૌથી વધુ એટલેકે ૬.૭ લાખના એસ.એમ.એસ પરિણામના ઇચ્છુક મતદારોએ કર્યા હતા. આ ઉપરાંત નવરાત્રીની શુભેચ્છાના સંદેશાના એસ.એમ.એસ તથા એમ. એમ. એસ પણ થયા છે.

કોમનવેલ્થ ગેમ્સમાં ફાઈનલમાં ભારતની હાર

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



કોમનવેલ્થ ગેમ્સમાં ફાઈનલમાં ભારતની હાર

ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની આક્રમક રમત અને શરૂઆતથી જ ગોલની લીડથી મેચ એકતરફી બની ગઈ હતી. મેચ એક તરફ બની જતાં દર્શકો નિરાશ થઈ ગયા હતા.ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓના પ્રદર્શન આગળ ભારતના ખેલાડીઓનું પ્રદર્શન થોડું ફીક્કુ દેખાઈ રહ્યું હતું. ઓસ્ટ્રેલિયાના આઠ ગોલના કારણે ભારતીય ખેલાડીઓ દબાણમાં આવી ગયા હતાં.ભારતીય ટીમે 1998માં પ્રથમ વખત હોકી સ્પર્ધામાં ભાગ લીધો હતો. 2002માં તે કોમનવેલ્થ ગેમ્સમાં નહોતી રમી શકી. જ્યારે 2006માં તેને ચોથા સ્થાનથી જ સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે બીજી બાજુ ઓસ્ટ્રેલિયન ટીમે તમામ ચાર વર્ષોમાં ભાગ લીધો હતો અને ત્રણ વખત ચેમ્પિયન બની હતી. અને આ વખતે પણ તેને ચેમ્પિયનનો તાજ જાળવી રાખ્યો છે.


કર્ણાટક: યેદિયુરપ્પા બીજી વખત વિશ્વાસમત જીત્યા

વિધાનસુધા શરૂ થઈ તે પહેલા યેદિયુરપ્પાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતોકે, તેઓ બીજી વખત પણ વિશ્વાસનો મત જીતી જશે. અગ્યાર વાગતાની સાથે જ વિધાનસુધાની કામગીરી શરૂ થઈ હતી. સોમવારની સરખામણી આજના દ્રશ્યો એકદમ અલગ હતા. સોમવારે વિધાનસભ્યોએ ઉગ્ર દ્રશ્યો સર્જયા હતા, જ્યારે આજે વિધાનસભ્યો શાંત રહ્યા હતા. ભાજપના સભ્યોના ચહેરા પરથી જણાતું હતુંકે તેઓ વિજય માટે નિશ્ચિત છે. પાંચ અપક્ષ ધારાસભ્યો અને બળવાખોર ધારાસભ્યોને સ્પીકરના આદેશના પગલે વિધાનસુધામાં પ્રવેશ કરવા દેવામાં આવ્યો હતો.જે સ્પીકરની ખુરશીની ફરતે અને વેલમાં માર્શલની હાજરી ઉડીને આંખે વળગતી હતી. સવારે અગ્યાર વાગ્યે મુખ્ય એજન્ડાને પગલે સ્પીકરએ મુખ્યપ્રધાન યેદિયુરપ્પાને વિશ્વાસના મતનો પ્રસ્તાવ મુકવા માટે કહ્યું હતું. ત્યારબાદ સ્પીકરએ વિધાનસભાના અધિકારીઓને 'મેન્યુઅલ હેડકાઉન્ટ' કરવા માટે કહ્યું હતું. જે અંતર્ગત અધિકારીઓ વ્યક્તિગત રીતે દરેક ધારાસભ્યો પાસે પહોંચ્યા હતા અને તેઓ વિશ્વાસમતના સમર્થનમાં છે કે વિરોધમાં તે અંગે મત લીધો હતો.


મોદીનો પાસપોર્ટ જપ્ત કરી લો
મોદી સામે ‘બ્લ્યૂ એલર્ટ’, હવે બની ગયા મોસ્ટ વોન્ટેડ

એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ (ઈડી)એ મુંબઈ પાસપોર્ટ ઓફિસને મોદીને પાસપોર્ટ રદ કરવા માટે એક પત્ર લખ્યો છે. મોદીએ તપાસમાં સહયોગ આપવાની ના પાડતા ઈડી દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.મોદીએ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (એફઈએમએ) નો ભંગ કરતા સો કરોડનું કૌભાંડ આચર્યુ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી ઈડી દ્વારા મોદી સામે બ્લ્યૂ એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે આઈપીએલમાં કથિત નાણાંકિય ગોટાળાઓ બાદ મોદીએ આઈપીએલના કમિશ્નર પદેથી સસ્પેન્ડ થવું પડ્યું હતું. જ્યારે તાજેતરમાં જ બીસીસીઆઈ દ્વારા મોદી સાથે તમામ સંબંધો તોડી નાંખવામાં આવ્યા છે.


આઘાતજનક : સોનિયા ગાંધીની રેલી માટે ઉઘરાણું

કોંગ્રેસ દ્વારા મહારાષ્ટ્રના શુક્રવારે વર્ધા ખાતે ઝંડા મોરચો શરૂ કરવામાં આવી રહ્યો છે. જેમાં ચલો સેવાગ્રામનું આહ્વાન કરવામાં આવ્યું છે. જે હેઠળ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો વર્ધા ખાતે એકઠાં થવાના છે. જેના પગલે મોટાપાયા પર ખર્ચ થવાનું હોવાથી કોંગ્રેસના શિર્ષસ્થ નેતાઓ દ્વારા મહારાષ્ટ્રમાંથી નાણા મંગાવવામાં આવ્યા હતા. આ અંગેનો ખુલાસો અજાણતા જ ખુદ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષે કર્યો છે. અને આ મતલબની વીડિયો એક ન્યૂઝ ચેનલ દ્વારા પ્રસારિત પણ કરવામાં આવી છે.નાગપુરમાં એક પત્રકાર પરિષદને મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ માણિક રાવ ઠાકરે અને ભૂતપૂર્વ ટેક્સ્ટાઈલ પ્રધાન સતિષ ચતુર્વેદી સંબોધિત કરવાના હતા. આ માટે પત્રકારોના માઈક પણ ગોઠવાઈ ગયા હતા. આમ છતાં. બંને નેતાઓ વાતચીતમાં મશગુલ હતા. જેમાં બંનેને એમ કહેતા સાંભળી શકાય છેકે, વર્ધા ખાતે યોજાઈ રહેલી સોનિયા ગાંધીની રેલીને સફળ બનાવવા માટે તમામ પ્રધાનો પાસેથી રૂપિયા ત્રીસ થી ચાલિસ લાખની માગ કરવામાં આવી હતી. પરંતુ. પ્રધાનોએ દસ-દસ લાખ રૂપિયા આપ્યા હતા. જ્યારે મુખ્યપ્રધાન અશોક ચવ્હાણને રૂપિયા બે કરોડ મોકલવા માટે જણાવવામાં આવ્યું હતું.


ચીન અરુણાચલપ્રદેશ પર કબજો કરવાની તૈયારીમાં, ભારત ચિંતિત

ચીનની હરકતોએ એકવાર ફરી ભારત સરકારને ચિંતામાં મૂકી દીધી છે. ભારત સરકારને મળેલા તાજા અહેવાલોમાં સામે આવ્યું છે કે ચીન કેટલાંક એવા પગલાં ભરી રહ્યું છે, જેના કારણે ભારતને ઘણું નુકસાન થશે. ચીને તિબ્બત રેલવે લાઇનથી યુદ્ધ માટેનો તૈયાર સામાન સપ્લાય કરવાનું શરૂ કરી દીધું છે. તિબ્બત રેલવે લાઇનને નેપાળ સુધી લાવવા સાથે જ ચીન એક અન્ય રેલવે લાઇન પર કામ કરી રહ્યું છે, જે અરુણાચલપ્રદેશની સીમા સાથે જોડાયેલા ન્યાનગત્રી સુધી આવશે. આ જ જગ્યાએ ચીને દુનિયાના સૌથી મોટા ડેમ કરતા બમણો મોટો ડેમ બનાવવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે, જેથી બ્રહ્મપુત્રાનું વહેણ બદલી શકાય.


સુરત : કિસ્તાની ગુનેગાર સુરતી પોલીસને બેભાન કરી છુ!

૨૦૦૭ના વર્ષમાં જ્યારે ખેરમહંમદ ઉર્ફે ખેરુ સુરત ગ્રામ્ય પોલીસના હાથે પકડાયો ત્યારે તેણે ૨૮ લૂંટના ગુનાની કબૂલાત કરી હતી. આવા અત્યંત રીઢા ગુનેગારનો કોર્ટની કાર્યવાહી માટે સુરત ગ્રામ્ય પોલીસના ત્રણ કર્મચારી સાથે સેલવાસ ગયો હતો ત્યાંથી તે મંગળવારે બપોરે બે વાગ્યા પછી કોઈ પણ સમયે ભાગી ગયો હતો.સુરત ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઇમ બ્રાંચના તત્કાલીન પોઈ આર.વી. રબારી અને પ્રકાશ રઘુનાથ પાટીલે ૨૦૦૭ના વર્ષમાં આ ખૂંખાર ગુનેગાર ખેરમહંમદ ઉર્ફે ખેરુ નબી સિંધી પઠાણ અને તેના સાગરીત સત્તાર પઠાણને પકડી પાડ્યા હતા. તે વખતે પોલીસે કરેલી પૂછપરછમાં ખેરુએ અપહરણ કરી હત્યા કરવી, હત્યા, નકલી નોટ, હથિયારના ગુના સહિત કુલ ૨૮ ગુનાની કબૂલાત કરી હતી. આ ગુનાના કારણે તે જેલમાં હતો.


ચોટીલા : '5 દિવસમાં 10 શખ્સોએ જાતિય સંબંધ બાંધ્યો'તો'

ચોટીલામાં ૧૪ વર્ષની બાળા સાથે સંબંધ બાંધનાર બેને પોલીસે ઝડપી લીધા છે. જ્યારે બાળા પાસે કુકર્મ કરાવનાર મહિલા આરોપીના કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.આ કેસની મળતી માહિતી મુજબ ચોટીલાના હાઇવે પર ગેસ્ટ હાઉસ પાછળ મકાન ભાડે રાખીને રહેતી જબલપુરની રૂપા મનોજ પાંડેને ૧૪ વર્ષની બાળા પાસે કુકર્મ કરાવવા સબબ એસઓજીની ટીમે ઝડપી લીધી હતી. ત્યારે આ બાળાએ પોલીસને જણાવેલી હકિકત મુજબ પાંચ દિવસમાં ૧૦ શખ્સોએ તેની સાથે જાતિય સંબંધ બાંધ્યો હતો. જે પૈકીના શાહીદ ઉર્ફે મુન્ના હબીબભાઇ સૈયદ અને જોરૂભાઇ બાવકુભાઇને ઝડપી તેમની પૂછપરછ સીપીઆઇ દ્વારા કરાઇ હતી.ચોટીલામાં દેહ વ્યાપારની હાટડી ખોલી બાળાની જિંદગી બગાડનાર રૂપાને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરાતા તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ મહિલા મકાન ભાડે રાખી ગોરખધંધા કરતી હોવાથી આસપાસના રહીશો પણ વાજ આવી ગયા હતા.જ્યારે પાંચ દિવસમાં ૧૦ વ્યક્તિઓએ કાળા કામ કર્યા છે તેવા ગ્રાહકોની પોલીસ તપાસ ચલાવી રહી છે. આ તપાસમાં મોટા માથાના નામ બહાર આવે તેવી પોલીસ શંકા વ્યક્ત કરી છે.


આવી ઘટના ભાગ્યે જ બને!

કોઈ પણ દંપતિ માટે એ વાત ખુશીની હોય છે કે તેમના બધા જ સંતાનોની જન્મ તારીખ એક જ હોય. ઈસ્ટબોર્નમાં રહેતા જેનિફર અને ડ્રિસ અલાલી નામના દંપતિના ત્રણેય બાળકો એક જ તારીખે જન્મ્યા છે. તાજેતરમાં 7 ઓક્ટોબરે તેમનું ત્રીજુ બાળક સેમી જન્મ્યું છે. તેનો મોટો ભાઈ એડમ 3 વર્ષનો છે, તેની જન્મ તારીખ પણ 7 ઓક્ટોબર છે. સામીને મોટી બહેન નજ્લા પાંચ વર્ષની છે, તેનો જન્મ પણ 7 ઓક્ટોબરે જ થયો હતો.મિસિસ અલાલીની તાજેતરમાં બ્રેઇન સર્જરી કરવામાં આવી છે. તે જણાવે છે કે આ બધુ સંયોગે થયું છે. તેમણે ત્રણેય બાળકોના એક જ તારીખે જન્મ કરાવવા માટે કોઈ પ્લાનિંગ નહોતુ કર્યું. અત્યાર સુધી લગભગ કોઈ જ દંપતિના સંતાનોના જન્મ એક તારીખે થયા હોય તેવું બન્યું નથી.


મહુવામાં ગ્રેસ-ભાજપ સામે ડૉ.કળસરીયાએ ત્રીજો મોરચો ખોલ્યો

મહુવામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ તેમજ વર્તમાન ધારાસભ્ય કનુભાઈ કળસરીયાની સદ્દભાવના સેવા સમિતિએ ઝુકાવતા ત્રિપાંખીયો જંગ શરૂ થયો છે. કોંગ્રેસની સાથે ગઠબંધન કરીને નિરમા સામે લડાઈ ચલાવનાર ધારાસભ્ય કનુભાઈએ અલગથી લડવાનું નક્કી કરતા જે બાબતે કોંગ્રેસનું પ્રદેશ એકમ ટૂંક સમયમાં તેની રણનીતિ જાહેર કરશે.રાષ્ટ્રીય યુવા નેતા રાહુલ ગાંધીના યુવા કાર્યક્રમમાં હાજર રહેનાર અને યુવક કોંગ્રેસનું સમર્થન મેળવનાર ધારાસભ્ય કનુભાઈ કળસરીયાએ પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસની સામે મોરચો માંડતા જેને લઈને કોંગ્રેસ પક્ષ તરફથી ઉચ્ચ સ્તરે રજુઆત થનાર છે.


ભાવનગર : કતલખાને ધકેલાતા આઠ બળદ સાથેનું આઇશર ઝડપાયું

ભાવનગર જિલ્લાના ગઢડા ગામ પાસે ગત મોડીરાત્રે અમરેલી તરફથી અમદાવાદ જતી આઇશર ટ્રકમાં ક્રુરતાપૂર્વક બળદ ભરી કતલખાને લઇ જવાતા હોવાની બાતમીના આધારે જીવદયાપ્રેમીઓએ વોચ ગોઠવતા ગઢડાના બોટાદ રોડ પાસેથી આઠ બળદોને કસકસાવી બાંધી તેના ઉપર બેરલ ગોઠવી ઢોરની હેરાફેરી કરવાનું કૌભાંડ ખુલવા પામ્યું હતું.અમરેલીથી ઢસા તરફના રસ્તેથી મોટાપાયે ગેરકાયદેસર રીતે મુંગા પશુઓની હેરાફેરી કરી કતલખાના સુધી માલ પહોંચાડવાના ચાલતા મોટા ષડયંત્ર સામે જીવદયાપ્રેમીઓએ અભિયાન હાથ ધરતા ગત રાત્રીના ૨-૩૦ કલાકે આઇશર નં.જી.જે.૧ એક્સ ૩૪૧૫ના કુલ આઠ બળદને કસકસાવીને બાંધી ઉપર પ્લાસ્ટીકના બેરલ ગોઠવી બેરલ લઇને ગાડી જતી હતી તેવું આયોજન કરી ઢોરની હેરાફેરી કરવાનો કારસો ખુલવા પામ્યો હતો.


ચૂંટણીના પગલે ગાંધીધામમાં જામે છે શરાબની મહેફિલ

કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણ્યા ગાઠયા દિવસો જ બાકી રહયા છે ત્યારે મુખ્ય પક્ષોએ પોતાના કાર્યકર્તાઓને રાજી કરવા અને મતદારોના દિલ જીતવા માટે નવા-નવા નુસખા શરૂ કરી દીધા છે. ખાસ કરીને કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં તો મુખ્ય પક્ષોએ પોતાના કાર્યકર્તાઓને રાજી કરવા માટે મોટી માત્રામાં શરાબનો જથ્થો મંગાવ્યો હોવાની વાત પણ બહાર આવી છે.વિશ્વસનિય સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીને હવે ગણતરીના દિવસોજ બાકી રહયા છે ત્યારે રાજકીય પક્ષોએ જીત માટેના તમામ પ્રયત્નો શરૂ કરી દીધા છે. સ્થાનિક ચૂંટણીમા મહત્વની કામગીરી બજાવતા કાર્યકર્તાઓને રાજી કરવા માટે રાજકીય પક્ષોએ ખાસ આયોજન ગોઠવ્યું છે. ગાંધીધામમાં અત્યારથી જ કેટલાક રાજકીય પક્ષો પોતાના કાર્યકર્તાઓ માટે શરાબની વ્યવસ્થા કરી રહયા છે.


ગાંધીધામ વોર્ડનં. ૬માં ઉમેદવારોનો પરસેવો છુટી જશે

શહેર સુધરાઇના ૧થી ૫ વોર્ડમાં પારાવાર ગંદકી, પાણી, રસ્તા જેવી પ્રાથમિક સુવિદ્યાઓને મુદ્દે ચૂંટણી જંગ ખેલાશે ત્યારે વોર્ડનં. ૬માં કોઇપણ પક્ષના ઉમેદવારે નગરસેવક બનવા માટે પ્રતસ્પિધીઁને કાંટે કી ટક્કર આપવી પડે એવા એંધાણ વર્તાઇ રહ્યા છે. ઝૂંપડપટ્ટી અને રેલવે કોલોની ધરાવતા આ વિસ્તારમાં કોંગ્રેસે પોતાની સીટ જાળવી રાખી બે બેઠક લેવાની છે તો ભાજપે આ બેઠક પરત મેળવીને પેનલ પૂરી કરવાની છે બન્ને પક્ષોએ કમ્મર કસીને ઉમેદવારો ખડા કર્યા છે. પણ સામે રેલવે કોલોનીમાંથી પણ બે અપક્ષ હટીને માર્ગ દેવાના નથી કારણ કે, ભાજપ અને કોંગ્રેસ કોઇ સ્થાનિક ટિકિટ આપી નથી તેવો વિરોધ આંતરિક રીતે વર્તી રહ્યો છે. જો કે, કોંગ્રેસના ઉમેદવારનું જોર વધારે દેખાઇ રહ્યું છે.પછાત નિરક્ષર અને મોટાભાગની ગરીબ-મજુર વર્ગ જેવી વસતી ધરાવતા વોર્ડનંબર છમાં જ્ઞાતિ આધારિત સમીકરણ પણ એક પરબિળ તરીકે ઉભરી આવ્યું છે.ખોડિયારનગરમાં દેવીપૂજક સમાજના કાંતિભાઇને કોંગ્રેસે જ્યારે ભાજપે આ વિસ્તારના અગ્રણી ગણાતા અભેસિંહને સામાન્ય કેટેગરીમાં ટિકિટ ફાળવી છે.દેવીપૂજક સમાજને ૪૦ વર્ષમાં પ્રથમ વખત ચૂંટણીમાં ઉમેદવારીનો મોકો મળ્યો છે. તો સામે સામાન્ય બેઠકના ભાજપના ઉમેદવારો હાલના સતાધીશોએ કેટલો વિકાસ વટાવી ખાવાનો છે. બીજી બાજુ કાર્ગો ઝૂંપડાઓની વાત કરીએ તો બન્ને મુખ્ય મંડળોએ અનુસૂચિત જાતિના મહિલાને ઉભા રાખ્યા છે.


આણંદ : કમોસમી માવઠાથી ખેડૂતોમાં ફફડાટ

આણંદ સહિત સમગ્ર જિલ્લામાં બુધવારે સમી સાંજના વાતાવરણમાં એકાએક નાટયાત્મક પલટો આવ્યો હતો. તેમાંય નમતી બપોરે ચાર વાગ્યા પછી ખંભાત, તારાપુર, બોરસદ અને આંકલાવ પંથકમાં વંટોળ ફૂંકાવા સાથે અમીછાંટણા થયા હતા. ત્યારબાદ પેટલાદ, સોજિત્રા અને આણંદ પંથકમાં પણ ઘનઘોર વાદળો છવાઈ જવા સાથે અમીછાંટણા થયા હતા અને ઉમેરઠ પંથકમાં હળવો વરસાદ થતાં માવઠું થયું હતું.છેલ્લા પ્રણેક દિવસથી વાતાવરણમાં આવેલ બદલાવથી ખેડૂતોની ઉંઘ ઉડી ગઈ છે. વરસાદ થાય તો ખેતરોમાં તૈયાર થયેલા પાકને નુકશાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. જ્યારે ખેલૈયાઓને નવરાત્રિમાં ગરબે ઘૂમવાના રંગમાં ભંગ પડવાનો ડર સતાવી રહ્યો છે.છેલ્લા બે દિવસથી વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ બુધવારે સવારના સૂર્યનારાયણે દર્શન દીધા હતા અને આકાશમાંથી વાદળો વિખરાઈ જતાં વાતાવરણ ચોખ્ખુ થઈ ગયું હતું. પરંતુ સાંજના ચાર વાગ્યા બાદ વાતાવરણમાં ફરીથી એકવાર પલટો આવ્યો હતો. આકાશમાં વાદળો છવાઈ જતાં વરસાદી માહોલ બન્યો હતો અને ઉમરેઠ પંથકમાં હળવો વરસાદ વરસ્યો હતો.

મોદી મહારાષ્ટ્રમાં તારણહાર બને એવી ભાજપને આશા

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



મોદી મહારાષ્ટ્રમાં તારણહાર બને એવી ભાજપને આશા


ગુજરાતની છ મહાપાલિકાઓની ચૂંટણીઓનાં પરિણામોનું પુનરાવર્તન મુંબઈમાં થશે?ભાજપના મુંબઈ એકમે ‘મોદી મેજિક’ની મુંબઈમાં અજમાયશની કવાયત શરૂ કરી દીધી છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં હારથી નિરાશ મહારાષ્ટ્ર ભાજપ માટે ગુજરાતની છ મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં પક્ષની જીત સંજીવની સાબિત થતી દેખાય છે. જોકે ૧૯ ઓક્ટોબરે નરેન્દ્ર મોદી મુંબઈ આવશે ત્યારે એ બાબતનો ચમકારો જોવા મળશે.મહારાષ્ટ્રમાં કલ્યાણ- ડોમ્બિવલી તેમ જ કોલ્હાપુર મહાનગર -પાલિકાની ચૂંટણીઓ આ મહિનામાં યોજાશે. ત્યાર પછી વર્ષ ૨૦૧૨માં મુંબઈ મહાપાલિકાની ચૂંટણી યોજાશે. ભાજપના મુંબઈ એકમના પ્રમુખ રાજ પુરોહિત હવે ‘મોદી મેજિક’ને વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં તારણહાર બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે.


મુકેશ અંબાણી દિવાળીમાં બે અબજ રૂપિયાના નવા ઘરમાં પ્રવેશ કરશે

દક્ષિણ મુંબઈના ભદ્ર વિસ્તાર અલ્ટામાઉન્ટ રોડ પરનું ‘એન્ટિલિયા’ નામનું વિશ્વનું સૌથી વધુ ખર્ચાળ ઘર તેના રહેવાસીઓને આવકારવા તૈયાર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનું કુટુંબ આ દિવાળીએ તેમના નવા ઘરમાં પ્રવેશ કરશે.લગભગ બે અબજ રૂપિયાના ખર્ચે બંધાયેલું આ (રકમ એક અબજથી બે અબજ રૂપિયા વચ્ચે ફરતી રહે છે) મકાન ૪,૦૦,૦૦૦ ચોરસફૂટમાં ફેલાયેલું છે અને તેની ટોચ ઉપર ત્રણ હેલિપેડ છે. મકાનના દરેક માળ સરેરાશ ઊંચાઈ કરતાં બમણી ઊંચાઈના છે. ત્રણ માળનો ગાર્ડન આ મકાનની શોભા વધારે છે. મકાન ૫૭૦ ફૂટની ઊંચાઈનું છે, પણ તેમાં માત્ર ૨૭ માળ છે. પહેલા ૬ માળ કાર પાર્કિંગની સુવિધા માટે છે, જેમાં ૧૬૦ કાર ઊભી કરી શકાશે.

વિકાસનો વાયરો ફૂંકવા મોદીની હાકલ

અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાઓમાં ભગવો લહેરાયાના બીજા દિવસે પોતાના માદરે વતન મહેસાણામાં ભાજપ આયોજીત જાહેર સભામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનો વિકાસ એ જ ભાજપનો જીવન મંત્ર ગણાવી કોંગ્રેસને જડમૂળમાંથી ઊખાડી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભગવો લહેરાવવા હાજર વિશાળ મેદનીને હાકલ કરી હતી. આત્મા ગામડાનો અને વ્યવસ્થા શહેરની હોય તેવા ૧૫૦ જેટલા ગામોને રૂરલ અર્બન યોજના અંતર્ગત પસંદ કરી પરિવર્તનની એક લહેર ઉભી કરવા સહિતના વિકાસ કાર્યોમાં ભાજપ હંમેશા અગ્રસ્થાને રહ્યું હોવાનો ટંકાર પણ આ સભામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો.


ચેતેશ્વર પર ક્રિકેટ જગતના મહારથીઓ ઓળઘોળ

બેંગ્લોર ખાતે ઓસ્ટ્રેલિયા સામેના બીજા ટેસ્ટમાં ૭૨ રનનો જુમલો નોંધાવીને ભારતના વિજયમાં સિંહફાળો આપનાર રાજકોટના સપૂત ચેતેશ્વર પૂજારા ઉપર ક્રિકેટ જગતના મહારથીઓ ઓળઘોળ થઈ ગયા છે. આજના પરફોર્મન્સે ભારતીય ટેસ્ટ ટીમમાં ચેતેશ્વરનું સ્થાન મજબૂત બનાવ્યું છે.ચેતેશ્વરના નિવાસસ્થાને મીઠા મોં કરી, ફટાકડાં ફોડી આ પ્રસંગને વધાવવામાં આવ્યો હતો.ચેતેશ્વરની લાંબા સમયની તપશ્વર્યા અંતે ફળી છે. તેના આજના બેટિંગે સચિન તેંડુલકર-ગાવસ્કર જેવા મહાન બેટસમેનોને પણ પ્રભાવિત કર્યા છે. તેંડુલકરે આ વિજયનો યશ ચેતેશ્વરના વ્યક્તિગત પરફોર્મન્સ તથા મૂરલી સાથેની તેની ભાગીદારીને આપતાં જણાવ્યું હતું કે, આજે દડો અનિયમિત રીતે ક્યારેક બાઉન્સ થતો હતો તો ક્યારેક નીચો રહી જતો હતો. વિકેટ વિચિત્ર રીતે વર્તતી હતી. એ સંજોગોમાં ૨૦૦ રનનો જુમલો આંબવો મુશ્કેલ હતો. આવા વપિરીત સંજોગોમાં પણ પૂજારાએ જે હિંમત, સ્વસ્થતા અને કૌશલ્યથી બેટિંગ કર્યું તે કાબિલેદાદ છે.


આડા સંબંધની શંકાથી પતિએ પત્નીને ફાંસો દઇ પતાવી દીધી

લાખાજીરાજ ઉદ્યોગનગરમાં વહેલી સવારે હત્યા.હત્યારાએ પોલીસ મથકે જઇને કહ્યું ‘સાહેબ મને પકડી લ્યો, મેં પત્નીને મારી નાખી છે!’થોરાળા પોલીસ મથકમાં સાંજે આવેલા એક યુવકે ફરજ પરના અધિકારી પાસે જઇને સાહેબ, મેં મારી પત્નીને ગળા ફાંસો દઇને પતાવી દીધી છે. મારી ધરપકડ કરી લ્યો’ તેમ કહી ગુનાનો એકરાર કરતા પોલીસે ખરાઇ કર્યા બાદ આરોપીની ધરપકડ કરી હતી. આડા સંબંધ હોવાની શંકાથી હત્યા કર્યાની આરોપીએ કબૂલાત આપી હતી.ભાવનગર રોડ પર લાખાજીરાજ ઉદ્યોગનગર ૭/૮ માં રહેતો દિનેશ ભીખુભાઇ બાવળીયા (ઉ.વ.૩૭) નામનો યુવાન સાંજે થોરાળા પોલીસ મથકે આવ્યો હતો. દિનેશે ફરજ પરના અધિકારી પાસે જઇને તેણે પત્ની દિના (મીના) ને પ્લાસ્ટિકની દોરીથી ગળાફાંસો દઇને મોતને ઘાટ ઉતારી દીધાની કબૂલાત આપતા પોલીસ અધિકારી ચોંકી ઉઠ્યા હતા. ફોજદાર આર.એમ.જોષી, રાઇટરકાર્તિકભાઇ ગઢવીને ખરાઇ કરવા દિનેશ સાથે તેના ઘરે મોકલ્યા હતા.


આઘાતજનક : સોનિયા ગાંધીની રેલી માટે ઉઘરાણું

કોંગ્રેસ દ્વારા મહારાષ્ટ્રના શુક્રવારે વર્ધા ખાતે ઝંડા મોરચો શરૂ કરવામાં આવી રહ્યો છે. જેમાં ચલો સેવાગ્રામનું આહ્વાન કરવામાં આવ્યું છે. જે હેઠળ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો વર્ધા ખાતે એકઠાં થવાના છે. જેના પગલે મોટાપાયા પર ખર્ચ થવાનું હોવાથી કોંગ્રેસના શિર્ષસ્થ નેતાઓ દ્વારા મહારાષ્ટ્રમાંથી નાણા મંગાવવામાં આવ્યા હતા. આ અંગેનો ખુલાસો અજાણતા જ ખુદ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષે કર્યો છે. અને આ મતલબની વીડિયો એક ન્યૂઝ ચેનલ દ્વારા પ્રસારિત પણ કરવામાં આવી છે.નાગપુરમાં એક પત્રકાર પરિષદને મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ માણિક રાવ ઠાકરે અને ભૂતપૂર્વ ટેક્સ્ટાઈલ પ્રધાન સતિષ ચતુર્વેદી સંબોધિત કરવાના હતા. આ માટે પત્રકારોના માઈક પણ ગોઠવાઈ ગયા હતા. આમ છતાં. બંને નેતાઓ વાતચીતમાં મશગુલ હતા. જેમાં બંનેને એમ કહેતા સાંભળી શકાય છેકે, વર્ધા ખાતે યોજાઈ રહેલી સોનિયા ગાંધીની રેલીને સફળ બનાવવા માટે તમામ પ્રધાનો પાસેથી રૂપિયા ત્રીસ થી ચાલિસ લાખની માગ કરવામાં આવી હતી. પરંતુ. પ્રધાનોએ દસ-દસ લાખ રૂપિયા આપ્યા હતા. જ્યારે મુખ્યપ્રધાન અશોક ચવ્હાણને રૂપિયા બે કરોડ મોકલવા માટે જણાવવામાં આવ્યું હતું.


કૉમનવેલ્થ જેમ ભારત બિઝનેસમાં પણ છવાયુ

ભારતીય બિઝેનેસ ટાયકુન સમગ્ર દુનિયામાં પોતાની સફળતાની ઉંચાઇઓ સર કરી રહ્યાં છે. ભારતના એક વધુ બિઝનેસમેનને ગ્લોબલ સ્તરનું સમ્માન આપવામાં આવ્યું છે.યૂરોપમાં કામ કરી રહેલા એક એશિયન સંગઠન 'એશિયા હાઉસ'એ ભારતમાં શેલ કંપનીના અધ્યક્ષ વિક્રમ સિંહ મેહતાને 'ફર્સ્ટ એશિયન બિઝનેસ લીડર' પુરસ્કારથી સમ્માનીત કરવામાં આવ્યા છે.કંપનીના એક નિવેદનમાં કહેવામાં આવ્યુ હતુ કે મેહતાને 14 ઓક્ટોબરે લંડનનાં એક સમારંભમાં આ પુરસ્કાર આપવામાં આવશે.


ભારતની સૌથી સસ્તી વિમા પૉલીસી
વધુમાં વધુ ગ્રાહકોને આકર્ષવા માટે અત્યારે વીમાં કંપનીઓમાં સ્પર્ધાત્મક વ્યૂહરચનાઓ ચાલી રહી છે. આવામાં ખાનગી ક્ષેત્રની વીમાં કંપની 'મેટલાઇફ'એ સૌથી સસ્તી ઑનલાઇન વીમા પૉલીસીને પ્રસ્તુત કરવાનો દાવો કર્યો છે.કંપનીએ 'મેટ પ્રોટેક્ટ'નામથી એક વિમા પૉલીસી લૉન્ચ કરતા કહ્યું હતુ કે અત્યાર સુધી બજારમાં ઉપલબ્ધ વીમા યોજનાઓમાથી સૌથી સસ્તી વીમા પૉલીસી છે. 21થી 45 વર્ષની ઉંમરના લોકો માટે વીમાં પૉલીસી શરૂ કરવામાં આવી છે.કંપનીના જણાવ્યાનુસાર આ એક પ્યોર ટર્મ વીમા યોજના છે જેમા ગ્રાહકોને જીવન વીમાં સુરક્ષા ઉપલબ્ધ કરાવામાં આવી છે. તેને માટે એક સાથે અથવા છમાસીક હપ્તામાં પ્રિમિયમની ચુકવણીનો વિકલ્પ ઉપલબ્ધ કરાવામાં આવી છે.

13 October 2010

રાજકોટ : યાદ રહ્યા માત્ર મોદી, મોદી ને મોદી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટ : યાદ રહ્યા માત્ર મોદી, મોદી ને મોદી

રાજકોટમાં ભાજપે અપેક્ષા કરતાં પણ વધારે જંગી લીડ મેળવી છે ત્યારે તેના જે જે કારણો છે તેમાં એક મહત્વનું કારણ નરેન્દ્ર મોદીની અહીં થયેલી સભાઓ પણ છે. અલબત્ત, આખાં રાજ્યમાં આ પરિણામો આવ્યાં તેમાં મોદીનો જાદુ જ અગત્યનું કારણ ગણી શકાય છે પરંતુ અહીંની સભાઓની પણ નોંધ તો લેવી જ પડે.ચૂંટણી અગાઉ લાંબા સમયથી કોંગ્રેસે ભાજપ પર અનેક આક્ષેપો કર્યા હતા. તો લોકોને પાણીની, તૂટેલા રસ્તાની સમસ્યા પણ હતી જ. અહીં લોકોએ કોર્પોરેટરોને વિસ્તારમાં ન આવવા દેવા પણ બોર્ડ માયાઁ હતાં. પરંતુ પરિણામો તદ્દન વિપરિત આવ્યાં છે. મુખ્યમંત્રીએ મવડી ચોકડી ખાતે જાહેરસભા કરી હતી તો વોર્ડ નં. ૨૦, ૨૧માં ભાજપને બહુમતિ મળી છે, ૨૧માં એક બેઠક ગુમાવી છે. વોર્ડનં. ૧૩માં ત્રણેય બેઠકો પર ભાજપનો વિજય થયો છે.


જકોટમાં ૫૮ બેઠકો સાથે ભગવો લહેરાયો

ભારતીય જનતા પાર્ટીનો અભેધ્ય ગઢ ગણાતા રાજકોટ મ્યુનિસપિલ કોર્પોરેશનમાં ફરી એક વાર ભાજપનું જ શાસન નિશ્વિત થઇ ગયું છે. આજે જાહેર થયેલાં પરિણામોમાં મતદારોએ કોંગ્રેસને ઘરભેગી કરી દીધી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ૨૩ વોર્ડની ૬૯ બેઠકોમાંથી ભાજપને ૫૮ અને કોંગ્રેસને ફ્કત ૧૧ બેઠકો આવી છે. અન્ય પક્ષો અને અપક્ષોતો ક્યાંય દેખાયા પણ નથી. સતત અફવા, અટકળો, ક્રોસ વોટિંગનો ભયથી માંડીને અનેક આટાપાટા પછી અંતે આજે પરિણામો જાહેર થયાં ત્યારે ભાજપ તરફી વાવાઝોડું ફૂંકાયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. સમગ્ર ગુજરાતની મહાનગરપાલિકાઓમાં ભાજપનું શાસન આવતાં કાર્યકરો, આગેવાનોનો ઉત્સાહ આભને આંબ્યો છે.રાજકોટમાં કોંગ્રેસનો પોકેટ વોટ એરિયા ગણાતા વોર્ડ નં.૧૭માં ભાજપને બે બેઠકો પર વિજય મળ્યો છે જ્યારે વર્ષોથી ભાજપનો ગઢ માનવામાં આવતા વોર્ડ નં. ૮ માં કોંગ્રેસના યુવાન ઉમેદવારોની પેનલે વિજય મેળવતાં ભાજપને આંચકો લાગ્યો છે. જો કે વોર્ડ નં. ૧,૨માં કોંગ્રેસનો સફાયો થયો છે. વોર્ડ.૩માં કોંગ્રેસે તેની બે બેઠક જાળવી રાખી છે. જ્યારે વોર્ડનં.૪માં ફરી એક વાર જનકભાઇ કોટક અને સાથીઓએ બેઠક જાળવી રાખી છે.


રાજકોટ :પ્રેમી સાથે પ્રેમાલાપ કરતી પત્નીને જોઇને.

રાજકોટના સહકારનગર મેઇન રોડ, પીપિળયા હોલ નજીક સોમવારની મોડી રાત્રે સરાજાહેર પ્રેમી સાથે પ્રેમાલાપ કરતી પત્નીને જોઇ ગયા બાદ તેની હત્યા કરી પત્નીના પ્રેમી પર ખૂની હુમલો કરી નાસી છૂટેલા વિજય ભવાનભાઇ સોલંકી નામના કડિયા શખ્સને પોલીસે ગણતરીની કલાકોમાં જ છરી સાથે ઝડપી લઇ ધરપકડ કરી છે.આરોપી વિજય સોલંકીની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, પત્ની ભાવના અને મિત્ર વિજય નજરે પડતા તે ઉકળી ગયો હતો. અને નેફામાંથી છરી કાઢી વિજય પર ખૂની હુમલો કર્યો હતો.તેને ૧૪ વર્ષ પૂર્વે લોહાણા જ્ઞાતિની ભાવના સાથે આંખ મળી જતા બંન્નેએ લગ્ન કરી લીધા હતા અને લગ્ન જીવન દરમિયાન એક પુત્ર અને પુત્રી છે. ખૂની હુમલામાં ઘવાયેલો વિજય રાજ પોપટ તેનો મિત્ર છે. તે ઘરે અવરજવર કરતો હોય પત્ની ભાવના અને મિત્ર વિજયની આંખ મળી ગઇ હતી. આ અંગે મને ખબર પડતા પત્ની સાથે અવારનવાર ઝઘડો પણ થતો હતો.તે દર નવરાત્રિએ કેશોદ રહેતા પિતા અને ભાઇને ત્યાં જઇ તેમના બરફના ગોલાના ધંધામાં મદદ કરવા જતો હતો. આ નવરાત્રિએ પણ તે પુત્રીને લઇ કેશોદ ગયો હતો. ગમે તે થયું તે તુરંત કેશોદથી ગઇ કાલે રાત્રે રાજકોટ આવ્યો હતો.


કચ્છમાં શિયાળો સામાન્ય બની રહેવાના એંધાણ

સામાન્ય રીતે કચ્છમાં શિયાળાની શરુઆત કારતક માસથી થાય છે, પરંતુ ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગે ૧૦થી ૧૫ દિવસ પહેલાં શિયાળાની શરૂઆત થશે તેવી આગાહી કરી છે. એટલું જ નહીં, પરંતુ આ વર્ષે શિયાળો ધાર્યા કરતાં ઠંડો નહીં જાય. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભુજ અને નલિયામાં ઓછામાં ઓછું તાપમાન ૮થી ૧૦ ડિગ્રી રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે.ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા અપાયેલી માહિતી અનુસાર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ જળવાઇ રહેશે, પરંતુ ધાર્યા કરતાં ઠંડી વધુ નહીં પડે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, કચ્છનું પ્રતિ વર્ષ ૦.૨થી ૦.૪ ડિગ્રી તાપમાન વધે છે. પરિણામે શિયાળો ટૂંકો અને ઉનાળો લાંબો થતો જાય છે.


ભાવનગરમાં ભાજપનો ૧૦ પેનલ પર વિજય

ભાવનગર મ્યુ. કોર્પો.માં ભાજપને જે વોર્ડમાં ત્રણ પૈકી ત્રણ વિજય એટલે કે સંપૂર્ણ પેનલનો વિજય મળ્યો તેમાં વોર્ડ નં. ૩ કરચલીયા પરા, વોર્ડ ન. ૬, તખ્તેશ્વર-નવાપરા, વોર્ડ નં.૮, વડવા-અ, વોર્ડ નં. ૫ , ચિત્રા ફુલસર, વોર્ડ નં. ૧૧ પાનવાડી, વોર્ડ નં. ૧૨ વડવા-ક, વોર્ડનં. ૧૩ ઘોઘાસર્કલ, વોર્ડ નં. ૧૪, ઉત્તર સરદારનગર, વોર્ડ નં. ૧૫, દક્ષિણ સરદારનગર અને વોર્ડ નં. ૧૬, કાળીયાબીડમાં ભાજપના ત્રણેત્રણ ઉમેદવાર વિજેતા થયા છે જ્યારે કોંગ્રેસને કણબીવાડ, ઉ. કૃષ્ણનગર અને કુંભારવાડામાં બે-બે અને દ. કૃષ્ણનગર, પીરછલ્લા, બોરતળાવ અને વડવા-બમાં એક એક બેઠક મળી છે તે જોતા કોંગ્રેસે કેટલી બેઠકોમાં સિંગલ વોટિંગ કરાવ્યાનું વધુ એકવાર પુરવાર થયું છે.કોંગ્રેસ પક્ષમાં કેટલાક સ્થળોએ તો ઉમેદવારો પણ સામે ચાલીને સીંગલ વોટિંગની હિમાયત કરતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તેમજ આ પરિણામ પણ આ બાબતને પુરવાર કરે છે.


ભાવનગર મહાપાલિકામાં ૪૧ બેઠકો સાથે ભાજપનો ભગવો

ભાવનગર મહાનગરપાલિકાના ૧૭ વોર્ડની ૫૧ બેઠકોની ચૂંટણીમાં ખરાખરીના જામેલા જંગમાં આજે ખાન-ખાના રાજકીય તજજ્ઞોનું ગણિત ખોટું પડ્યું હતું અને ૫૧ બેઠકો પૈકી ૪૧ બેઠકોની જંગી બહુમતી સાથે ભાજપનો ભગવો લહેરાયો હતો. જ્યારે કોંગ્રેસને ગત ટર્મ કરતાં પણ બે બેઠકો ઘટતા ૧૦ બેઠકોમાં કોંગ્રેસના ઉમેદવારો વિજયી બન્યા હતાં.ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રારંભથી જ વર્તમાન સ્થાનિક અને પ્રાદેશિક પરિસિથતિઓને લઈ ભાજપની બેઠકો ઘટવાની અફવાઓએ જોર પકડ્યું હતું. જે માટે રાજ્યકક્ષાના મંત્રીઓના પણ ભાવનગરમાં ધાડા ઉતર્યા હતા અને દિવસ-રાત એક કરી પ્રચારમાં લાગી ગયા હતા.


દાદર અને કાંદિવલીમાં તંત્રની દાદાગીરીથી બે ગરબા મંડળ બંધ

દાદર અને કાંદિવલી સહિત અનેક સ્થળે નવરાત્રિ બંધ પાડવામાં આવતાં ખેલૈયા અને આયોજકો પણ ભારે નારાજ થયા છે.નવરાત્રિ માટે જુદી જુદી પરવાનગીઓ લેવાની હોય છે. વળી, પરવાનગીઓ માટે કર પણ ભરવો પડતો હોય છે. ઉપરાંત સત્તાવાળાઓની જોહુકમીનો ભોગ બનવું પડે છે.આથી ઘણી નવરાત્રિઓ આ વખતે બંધ પડી ગઈ છે. દાદરમાં દાદર દાંડિયા ધમાલ ૨૦૧૦ની નવરાત્રિ તથા કાંદિવ- લીમાં કાવની ઈવેન્ટ્સ પ્રસ્તુત કરે છે નવરાત્રિ ૨૦૧૦ પણ બંધ પડી છે. આને કારણે સેંકડો ખેલૈયા નારાજ થયા છે.અને આના લીધે આયોજકો ને લાખો રૂપિયાનું નુકશાન થયું છે.


કોંગ્રેસની યુવા તાકાત સામે શિવસેનાની ‘યુવા સેના’

શિવસેનાની ભારતીય વિદ્યાર્થી સેના હોવા છતાં ‘યુવા સેના’ સંબંધે સવાલ ઊઠવા લાગ્યા છે. આને લઈ આદિત્ય ઠાકરેને ઔપચારિક રૂપમાં રાજકારણમાં સક્રિય કરવા માટે શિવસેના દ્વારા શરૂ કરવામાં આવતાં આ સંગઠનને યુવા કોંગ્રેસના રાહુલ ગાંધીની નકલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.શિવસેનાનાં પ્રવકતા શ્વેતા પરુળકરે જણાવ્યું હતું કે યુવા સેનાના સભ્યોની વયમર્યાદા ૨૨-૪૦ની રહેશે. જેઓ પોતાનો અભ્યાસકાળ પૂરો કરી સામાજિક, રાજનૈતિક અને રોજગાર બાબતોની જવાબદારી હાથ ધરશે.


આણંદ : સ્વરાજ્ય ચૂંટણીમાં ટી-૨૦નો માહોલ

રાજ્યની છ મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામના પગલે ચરોતરના રાજકારણમાં પણ ભારે ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને કોંગ્રેસના ગઢ ગણાતાં આણંદ જિલ્લામાં તેની અસર કેટલી પહોંચે તે માટે બંને મુખ્ય રાજકીય પક્ષના તજજ્ઞ નિરીક્ષકો અત્યારથી જ કામે લાગી ગયાં છે.તેમના મતે, અત્યાર સુધીના આંકડાઓ જોતાં આણંદ-ખેડા જિલ્લો એ કોંગ્રેસનો ગઢ ગણાતો આવ્યો છે, શહેરી વિસ્તારને બાદ કરતાં ગામડાંના મતદારોનો ઝોક કેટલાક તાલુકામાં મોટાભાગે એકતરફી જોવા મળ્યો છે.વિધાનસભા, લોકસભામાં તેની અસર જોવા મળી હતી. આથી, છ મહાનગરપાલિકાના પરિણામની અસર તેમનાં પર પહોંચશે કે કેમ ? તે કહેવું મુશ્કેલ છે, પરંતુ હાલ બન્ને રાષ્ટ્રીય પક્ષના મોવડીઓના ચહેરા પર પોતાની પ્રતિષ્ઠા બચાવવારૂપી જવાબદારીની ચિંતા જરૂર જોવા મળી છે.ભાજપના મોવડીઓએ ઉમેદવારની પસંદગીમાં છેલ્લી ઘડી સુધી દોડધામ કર્યા બાદ મહાનગરપાલિકાથી ઉલટું પરિણામ આવે તો પ્રદેશ કક્ષાએ પોતાનું નાક કપાય અને ઉપર શું જવાબ આપવો ? તે મુશ્કેલ બને. આથી, તેમનાં માથે જવાબદારી વધી છે.


આણંદ - ખેડામાં કમોસમી વાદળોની ઘેરાબંધી હળવી થશે

આણંદ - ખેડામાં છેલ્લા બે દિવસ રહેલા વાદળછાયા વાતવરણને કારણે માવઠાની અસર ઉભી થઈ હતી. જેને કારણે ડાંગર સહિતના તૈયાર પાકને પણ ભારે અસર પહોંચે તેવી શક્યતા ઉભી થતા ખેડૂતોના જીવ અધ્ધર થયા હતા. જો કે, હવામાન વિભાગે વાદળો હવે રાજસ્થાન તરફ ફંટાયા હોવાનો વર્તારો આપતા ખેડૂતોમાં હાશકારો થયો હતો.આણંદ કૃષિ વિભાગના હવામાન વિભાગના જણાવ્યાનુસાર, વેસ્ટ બંગાળમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમની અસર આણંદ - ખેડા જિલ્લા પર જોવા મળી હતી. જેમાં સોમવાર સવારથી વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું અને તાપમાનમાં પણ ઘટાડો થયો હતો.સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે વરસાદી વાતાવરણના કારણે લોકોએ એક જ દિવસમાં ત્રેવડી ઋતુનો અનુભવ કર્યો હતો. આ વાતાવરણને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. ડાંગર ઉપરાંતનો પાક તૈયાર થઈ ચૂક્યો છે અને માવઠાથી ઉતારાને ભારે નુકશાન થવાની ભીતિ પણ સેવાઈ રહી હતી.

મહેસાણા : દાસણ નજીકથી જુગાર રમતાં નવ શખ્સ ઝડપાયા

નંદાસણ નજીક માથાસુર રોડ પર સોમવારે મોડી રાત્રે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે કડી પોલીસે ઓંચિતી રેડ કરી રોકડ રૂ.૧૧,૯૦૦ તથા ૧૦ મોબાઈલ મળી કુલ રૂ. ૧૯,૪૦૦ના મુદ્દામાલ સાથે નવ શખ્સોને ઝડપી લીધા હતા. આ અંગે કડી પોલીસે જુગારધારા અંતર્ગત ગુનો નોંધતા નંદાસણ પોલીસે તપાસ હાથ ધરી છે.નંદાસણ ખાતે રહેતો મુનાફઅલી સૈયદ માથાસુર રોડ પર આર્થિક ફાયદા સારું બહારથી માણસો બોલાવીને જુગાર રમાડતો હોવાની પૂર્વ બાતમીને આધારે કડી પોલીસે સોમવારે રાત્રે ૩ વાગ્યાના અરસામાં અત્રે ઓંચિતી રેડ કરી હતી. રાત્રિના અંધકારમાં જુગારીઓ કાંઈ સમજે તે પૂર્વે પોલીસે તમામને કોર્ડન કરીને ઝડપી લીધા હતા. પોલીસે બનાવ સ્થળેથી રોકડ રૂ. ૧૧,૯૦૦ તથા રૂ. ૭૫૦૦ની કિંમતના ૧૦ મોબાઈલ મળી કુલ રૂ. ૧૯,૪૦૦ના મુદ્દામાલ સાથે મુનાફઅલી તાહીરઅલી સૈયદ, અકરમ અબ્દુલકાદર સૈયદ, સબ્બીર હુસેન અકબરઅલી સૈયદ, ઈસ્માઈલ ઉસ્માનગની સૈયદ, ઈમરાનઅલી અકબરઅલી સૈયદ, મહેબુબ દાઉદભાઈ ઘાંચી, જાવેદ ઈસ્માઈલ કુરેશી, અબ્બાસભાઈ યાકુબભાઈ સૈયદ અને જહીર અબ્બાસ રીયામતઅલી સૈયદને રંગે હાથે ઝડપી લીધા હતા. આ અંગે કડી પોલીસે ગુનો નોંધતા નંદાસણ પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છેકે, જુગારધામ પર કડી પોલીસે દરોડાની કરેલી કાર્યવાહીથી શકુનિઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.


મહેસાણામાં એસટી બસે અજાણી વૃદ્ધાને કચડી નાખી

બહુચરાજી એસટી ડેપોમાંથી સોમવારે સવારે નીકળેલી મહુડી-શંખેશ્વર એસટી બસના ચાલકે પૂરઝડપે અને બેફિકરાઈ ભરી રીતે હંકારી મોઢેરા સર્કલ નજીક વૃદ્ધાને કચડી અકસ્માત સર્જ્યો હતો. રસ્તાના કિનારે બેઠેલી અજાણી વૃદ્ધાના શરીર પરથી બસના ટાયર ફરી વળતા તેના માથા તેમજ શરીરના અન્ય ભાગોની ઈજાઓને કારણે તેનું બનાવ સ્થળે જ મોત નિપજ્યું હતું. ઉપરોકત બનાવના પગલે ટોળાએ એસટી બસના ચાલકને મારવા લેતા તે એસટી બસ મૂકી નાસી ગયો હતો. આ અંગે શહેર પોલીસને જાણ કરાતા પીએસઆઈ એલ.એન.મકવાણાએ ઘટનાસ્થળના પંચનામા બાદ લાશનું શહેરની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. અકસ્માતની ઘટના બાદ શહેર પોલીસ સ્ટેશનમાં હાજર થયેલા એસટી બસના ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે.


સમિરને બચાવવાંનો નિલમનો નુસખો

બોલિવૂડની એક્ટ્રેસ અને હાલમાં જ્વેલરી ડિઝાઈનર નિલમ કોઠારી લાગે છે તેનાં બોયફ્રેન્ડ સમિર સોનીને બચાવવાં કોઈ કસર બાકી રાખવામાં માંગતી નથી. તેથી જ બિગ બોસનાં ઘરમાંથી એલિમીનીટેડ થયેલાં સમિરને બચાવવાં નિલમ આજકાલ ભારે મહેનત કરી રહી છે.તેથી જ હાલમાં નિલમે સોસિયલ નેટવર્કીગ સાઈટ ટ્વિટર પર તેનાં ચાહકોને સમિરને વોટ કરવા અપીલ કરી હતી. તેણે ટ્વિટ કરી હતી કે, '' મિત્રો હવે સમિરને 'બિગ બોસ'નાં ઘરમાંબચાવવાનો સમય આવી ગયો છે.


KBCની શરૂઆત થતા જ બિગ બોસની લોકપ્રિયતા ઘટી

સોમવારથી શરૂ થયેલા કેબીસી શો પ્રથમ એપિસોડમાં જ સરેરાશ પાંચ પોઈન્ટ ટીઆરપી સાથે બિગ બોસથી આગળ વધી ગયો છે. ઓડિયન્સ મેઝરમેન્ટ એન્ડ એનાલિસ્ટિકસના આંકડા અનુસાર કોઈ સામાન્ય મનોરંજન ચેનલ દ્વારા નોંધાયેલા આ સવૉધિક સરેરાશ પોઈન્ટ છે. કેબીસીના પ્રસારણ સમયે જ તેના પ્રતસ્પિર્ધી મનાતા શો બિગ બોસને સોમવારે ૩.૪ રેટિંગ પોઈન્ટ મળ્યા હતા.સલમાનખાન રિયાલિટી શો બિગ બોસને શરૂઆતથી જ કોઈને કોઈ સમસ્યા સામે આવી રહી છે. ૩ ઓક્ટોબરના રોજ આ શો શરૂ થયો ત્યારે કોમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટનના કારણે તેને નબળું રેટિંગ મળ્યું હતું અને હજી માંડ દર્શકોને પોતાના તરફ ખેંચ્યા ત્યાં જ કોન બનેગા કરોડપતિની શરૂઆત થતા ફરી તેને લપડાક લાગી છે. કેબીસીના પ્રસારણ દરમિયાન અન્ય ચેનલો પર આવતો બીજો કોઈપણ શો બિગ બીના જાદુ સામે ટકી શક્યો નહોતો અને તમામ કાર્યક્રમોને નબળું રેટિંગ મળ્યું હતું.