09 October 2010

રાજકોટમાં મહિમા છવાઇ કોંગ્રેસને સત્તા સોંપવા અપીલ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



રાજકોટમાં મહિમા છવાઇ કોંગ્રેસને સત્તા સોંપવા અપીલ

કોંગ્રેસવાલા જીતેગાના નારાથી શહેરના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા.રાજકોટમાં કોંગ્રેસના પ્રચાર માટે આવેલી ફિલ્મી હિરોઇન મહિમા ચૌધરીનો આજે રોડ શો યોજાયો હતો જેમાં મહિમાનો જાદુ છવાઇ ગયો હતો અને મહિમાએ મતદારોને અપીલ કરતા જણાવ્યું હતું કે વિકાસ માટે રાજકોટને ટોપ સુધી પહોંચાડવા કોંગ્રેસને શાસનની ધૂરા સોંપવા અપીલ કરી હતી.ચૂંટણી આડે હવે માત્ર એક દિવસ જ બાકી રહ્યો છે ત્યારે રાજકોટમાં કોંગ્રેસ તરફી માહોલ જામી ગયો છે અને શહેરમાં સર્વત્ર કોંગ્રેસનો પંજો મજબૂત બની રહ્યો છે. ત્યારે રાજકોટમાં આજે ફિલ્મ હિરોઇન મહિમા ચૌધરીનો રોડ શો યોજવામાં આવ્યો હતો. જેમાં ઠેર ઠેર તેમને ભવ્ય આવકાર મળ્યો હતો અને કોંગ્રેસને જંગી બહુમતીથી જીતાડવાનો લોકોએ કોલ આપી દીધો હતો.

કોંગ્રેસની એક જ વાત, પૂરતું પાણી, શહેરનો વિકાસ

ન્યારી ડેમને ઊંચો બનાવવાના કામને પ્રથમ પ્રાધાન્ય, ન્યારી-૨ને સિંચાઇના બદલે પીવાના પાણી તરીકે અનામત રખાવશું : કોંગ્રેસ.ચૂંટણી આડે ગણતરીની કલાકો બાકી છે ત્યારે કોંગ્રેસે રાજકોટના હર એક નાગરિકને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એ જ કટીબધ્ધતા વ્યક્ત કરી છે. કોંગ્રેસ પાસે એક જ મુદ્દાનો કાર્યક્રમ છે અને એ છે, રાજકોટને ૩૦ મિનિટ પાણી અને શહેરનો સવાઁગી વિકાસ. કોંગ્રેસ સત્તા પર આવશે તો પાણીના પ્રશ્ન સામે જડમૂળથી આયોજન કરવા તમામ મોરચે કામે લાગશે.ન્યારી-૧ ડેમની હાઇટ વધારવાનું કામ તાત્કાલિક ધોરણે હાથ પર લેવાશે અને સિંચાઇ માટે રહેલા ન્યારી-૨ ડેમની પીવાના હેતુ માટે જ અનામત રખાવવાનો દ્રઢ નિર્ધારસાંસદ કુંવરજીભાઇ બાવિળયા, શહેર કોંગ્રેસ પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરુ, કાર્યકારી પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી અને નરેન્દ્રસિંહ જાડેજાએ વ્યક્ત કર્યો છે.



બોટાદ શહેરમાં વધુ બે માસૂમ ભૂલકા ડેન્ગ્યુની ઝપેટમાં

બોટાદ શહેરમાં ડેન્ગ્યુ પોતાનો વિકરાળ પંજો પ્રસરાવતો જાય છે. છેલ્લા અઠવાડિયામાં ત્રણ કેસો મળી આવ્યા બાદ વધુ બે બાળકોના પોઝીટીવ કેસો મળી આવતા લોકોમાં ભય વ્યાપી જવા પામ્યો છે.નવ કેસમાં હેતવી અનિલભાઇ (રે.પરા વિસ્તાર,ફાટક પાસે, ઉં.વ.૪) અને કૃપાલ કિશોરભાઇ (ઉં.વ.૪, રે.ગોવિંદજીની ચાલી પાસે)નો સમાવેશ થાય છે. આ બન્ને પૈકી કૃપાલની હાલત ગંભીર હોય તેને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો છે.


ભાવનગર : 'સાંસદ અને ધારાસભ્ય વગર પણ ચૂંટણી જીતી દેખાડશું'

ભાવનગર શહેરમાં મહાપાલિકાની ચૂંટણીનો પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચ્યો છે ત્યારે આ વખતે પણ ભાજપમાં હોદ્દેદારોનો વાણી વિલાસ પક્ષની આબરૂને ઘટાડી રહ્યો છે તેમજ કાર્યકરોને હતોત્સાહ પણ કરી રહ્યો છે. તાજેતરમાં જ શહેરમાં ભાજપના એક હોદ્દેદારે જણાવ્યું હતું કે અમે ભાજપના સાંસદ કે ધારાસભ્ય વગર પણ ચૂંટણી જીતી દેખાડશું ? આવા વાણીવિલાસની છેક પ્રદેશ હાઇ કમાન્ડ સુધી રજુઆત થઇ હોવા છતાં બધાએ અત્યાર સમયનો તકાજો સમજી ‘સબસે બડી ચૂપ’ રહેવાનું યોગ્ય સમજ્યું છે. બાકી આ એક જ નિવેદન પક્ષમાં ભડકો કરવા માટે પુરતુ છે.


મુંબઈને વધુ ૧૩૦ લોકલ ટ્રેન મળશે

મુંબઈની લોકલ સેવા સુધારવા માટે ૧૯૯૯માં સ્થાપના કરાયેલા મુંબઈ રેલવે વિકાસ મહામંડળ (મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન-એમઆરવીસી)એ મુંબઈની લોકલ ટ્રેનોનો ચહેરોમહોરો જ બદલી નાખ્યો છે. જર્મન ટેક્નોલોજીની ૧૦૧મી લોકલ હાલમાં જ આવી છે. પ્રસંગની ઉજવણી વખતે મુખ્ય પ્રધાને એમઆરવીસીના વખાણ કર્યા હતા.જર્મન બનાવટની લોકલ ટ્રેનો આવવાના નિમિત્તે કોર્પોરેશનના એમ.ડી. ડૉ. પી. સી. સહેગલે કહ્યું હતું કે, મુંબઈમાં જર્મન બનાવટની ૧૦૧ લોકલો અત્યાર સુધીમાં આવી છે. વધુ ૧૩૦ લોકલ ટ્રેનો હશે. તેમાંની ત્રણ લોકલ ઓક્ટોબરમાં, નવેમ્બરમાં પાંચ અને ડિસેમ્બરમાં પણ પાંચ લોકલ આવશે. આવતા વર્ષના માર્ચ મહિના સુધીમાં ૨૮ લોકલ આવશે અને બાકીની એ પછી આવશે.


કોંગ્રેસ અને એનસીપીમાં ડખો જારી

કલ્યાણ- ડોંબિવલી પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં બાવન અને પંચાવન બેઠક પરથી ચૂંટણી જંગ લડવાની સમજુતી થઈ હોવા છતાં ૩૦ વોર્ડની ઉમેદવારી ઉપર બેઉ પક્ષોએ દાવો કર્યો છે. સ્થાનિક પ્રમુખોએ આ બાબતનો ઉકેલ લાવવો, એમ રાષ્ટ્રવાદી સંસંદીય મંડળની મુંબઈમાં થયેલી બેઠકમાં નિધૉરિત થયું હતું. એ પછી કોંગ્રસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસની યુતિનો ચૂંટણી ઢંઢેરો બહાર પડશે.રાષ્ટ્રવાદી કોંગ્રેસના ફાળે આવેલા ૩૯ વોર્ડ અને કોંગ્રેસને ફાળે આવેલા ૩૮ વોર્ડની બાબત પર યુતિની મહોર વાગી ગઈ છે. યુતિ વચ્ચે થયેલી સમજુતી અનુસાર વોર્ડ અનુસાર ઉમેદવારોની યાદી શુક્રવાર સુધીમાં તૈયાર કરવી એમ નક્કી કરાયું હતું.


‘બિગ બોસ’ને કારણ દર્શાવો નોટિસ ફટકારાઈ

ટેલિવિઝન રિયાલિટી શો ‘બિગ બોસ’માં પાકિસ્તાની કલાકારોને બોલાવવા સામે મહારાષ્ટ્ર નવિનર્માણ સેના અને શિવસેના બંનેએ વાંધા ઉઠાવ્યા છે તેને અનુલક્ષીને જિલ્લા પ્રશાસને કારણ દર્શાવો નોટિસ ફટકારી છે. પુણેના લોનાવાલામાં તૈયાર કરાયેલા બિગ હાઉસમાં ચાલતા આ શોમાં પાકિસ્તાની કલાકારોને લીધા હોવાથી અમુક રાજકીય પક્ષોએ વિરોધ ઉઠાવ્યો હોઈ કાયદો અને વ્યવસ્થાની વપિરીત પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. આવી સ્થિતિ શા માટે ઊભી કરી તેનું કારણ જિલ્લા પ્રશાસને જાણવા માગ્યું છે.દરમિયાન શિવસેનાનો આ શો પ્રત્યેનો વિરોધ ચાલુ જ છે. શિવસેનાના કાર્યકરોએ ગુરુવારે પણ શોના વિરોધમાં આંદોલન કર્યું હતું. અગાઉ મનસે પ્રમુખ રાજ ઠાકરેએ આને ટીઆરપી વધારવા માટેના ‘ત્રાગાં-નાટકબાજી’ ગણાવતાં ‘પાકિસ્તાની કલાકારોને ભારતમાં બોલાવીને શો કરવાની શી જરૂર ?’ એવો પ્રશ્ન કર્યો હતો.


ઈઝરાઇલ કોન્સ્યુલેટ જનરલે અમૂલની મુલાકાત લીધી

મુંબઈ સ્થિત ઈઝરાઇલ કોન્સ્યુલેટના જનરલ ઓનૉ સાગિવે દેશમાં શ્વેતક્રાંતિના પર્યાયમાં અમૂલ સહકારી મોડેલના અભ્યાસ માટે અમૂલ ડેરી અને ગુજરાત કોપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડની મુલાકાત લીધી હતી.ઓનૉ સાગિવને જી.સી.એમ.એમ.એફ.ના ઈન્ચાર્જ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રાહુલ કુમાર અમૂલ સહકારી મોડેલની વિકાસયાત્રાની વિગતવાર સમજણ આપવામાં આવી હતી. કોન્સ્યુલેટ જનરલને અમૂલના ઈતિહાસની અને તેના સહકારી ડેરીના અભિયાનને વિકસિત કરવામાં અમૂલના આધ્ય અધ્યક્ષ ત્રિભોવનદાસ પટેલ અને શ્વેતક્રાંતિના પ્રણેતા વર્ગીસ કુરિયનની અગ્રગણ્ય ભૂમિકા અંગેની પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી.


કેન્દ્રીય કૃષિપ્રધાન થોમસે એનડીડીબીની મુલાકાત લીધી

કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના કૃષિપ્રધાન પ્રોફેસર કે.વી.થોમસે આણંદ ખાતે આવેલા નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી)ની મુલાકાત લીધી હતી કૃષિ પ્રધાન થોમસે એનડીડીબીના ચેરમેન ડૉ. અમૃતા પટેલ સાથે વિવિધ બાબતો અંગે ચર્ચા વિચારણા કરી હતી.આ ચર્ચા દરમિયાન એનડીડીબી દ્વારા દેશના વિવિધ ભાગોમાં ડેરી ઉદ્યોગના વિકાસ માટે એનડીડીબી દ્વારા ખેડૂતોને જે ટેકનિકલ તથા આર્થિક સહાયતા આપવામાં આવે છે તે અંગે નેશનલ ડેરી પ્લાન અંગે પ્રેઝન્ટેશન દ્વારા જાણકારી આપવામાં આવી કેન્દ્રીય પ્રધાને એનડીડીબીના સેન્ટર ફોર એનાલિસીસ એન્ડ લર્નિંગ ઈન લાઈવ સ્ટોક એન્ડ ફુડ (સીએએલએફ)ની મુલાકાત પણ લીધી હતી.


મિત્રએ જ મિત્રને બનાવી દીધો વાહનચોર

વાહનચોર મિત્રના રવાડે ચઢીને બાઈક ચોરીઓ કરવામાં ઉત્સાદ કડીના બાઇક ચોરની મહેસાણા તાલુકા પોલીસે ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. ઝડપાયેલા આ વાહન ચોરે દેલા ગામની બાઈક ચોરી કબુલી છે ત્યારે તે અન્ય વણઉકલી વાહનચોરીઓમાં સંડોવાયેલો હોવાનું માનતી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.તાજેતરમાં મહેસાણા એલસીબીના હાથે ઝડપાયેલા મૂળ કડીના અને હાલમાં સાણંદ ખાતે રહેતા અમિતસિંહ ઉર્ફે લાલો ભીખુભા ચાવડાએ મહેસાણા નજીક દેલા ગામે બસ સ્ટેન્ડની નજીકથી બાઈક ચોરી કર્યાની કબુલાત કરતા મહેસાણા તાલુકા પોલીસે ટ્રાન્સફર વોરંટને આધારે તેનો કબજો મેળવ્યો હતો.


મહેસાણામાં ગેસનું કનેક્શન ચાલુ ન હોવા છતાં બિલ આવ્યું!!

કોઇ વસ્તુનો ઉપયોગ કર્યો ના હોય અને હજારોનું બિલ તમારા માથે થોપવામાં આવે તો તમારા ઉપર વીતે કેવી? આવી જ કંઇક હાલત સાબરમતી ગેસ કંપની દ્વારા ગ્રાહકો સાથે કરાયો હોવાનો કિસ્સો મહેસાણામાં પ્રકાશમાં આવ્યો છે. ધરમ સિનેમા રોડ પર આવેલી પ્રગતિનગર સોસાયટીમાં ગેસ બિલમાં લોલમલોમ ચલાવી હજારોની રકમના ખોટા બિલ અપાતાં ગ્રાહકોએ કંપનીની ઓફિસનો સંપર્ક કરી બળાપો ઠાલવ્યો હતો.મહેસાણા શહેરમાં લાઇન દ્વારા રાંધણ ગેસનું વિતરણ કાર્ય કરતી સાબરમતી ગેસ કંપની ડિપોઝીટની રકમને લઇને શરૂઆતથી વિવાદમાં રહી છે.ત્યારે ગેસ કંપની દ્વારા ગેસ બિલ આપવામાં લોલમલોલ ચલાવાઇ હોવાનું બહાર આવ્યું છે. ગેસ કંપની દ્વારા તાજેતરમાં ગ્રાહકોને આપવામાં આવેલા બિલમાં હજારોની રકમના ખોટા બિલ ફટકાર્યા હોવાનું બહાર આવ્યું છે. ગેસ જોડાણ નંખાયા બાદ ગેસ વાપર્યો પણ ના હોવા છતાં પણ મોટી રકમના બિલ આપવામાં આવ્યા છે.


ધોરાજી : જન્મેલું બાળક ગોદડીમાં રડતું હતું ને માં..

ધોરાજીના સરકારી દવાખાના પાછળના અવાવરું સ્થળેથી નવજાત શિશુ મળી આવતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ગુરુવારે સાંજે પાંચેક વાગ્યે ભાનુબેન જગદીશભાઇ ચાવડા નામની સગભૉ યુવતી દાખલ થઇ હતી.આ યુવતીને પુત્ર રત્નનો જન્મ થયો હતો. ભાનુબેનની તબિયત સ્વસ્થ જણાતા શુક્રવારે તેને રજા આપી દેવામાંઆવી હતી. દરમિયાન સાંજના સમયે હોસ્પિટલની પાછળના અવાવરું સ્થળે એક યુવાન લઘુશંકા કરવા ગયો ત્યારે બાળકના રડવાનો અવાજ સંભળાતા તેણે જોયું તો એક તાજુ જન્મેલું બાળક ગોદડીમાં વિંટળાયેલું રડી રહ્યું હતું આથી તુરંત જ આ બાળકને હોસ્પિટલમાં લાવીને પોલીસને જાણ કરવામાં આવી હતી.


"બિગ બોસ બાદ લગ્ન વિશે વિચારીશ"

મોડલ કમ એક્ટર સમિર સોની તેનાં જીવનનો સૌથી મહત્વનો નિર્ણય લીધો છે જે તેણે બિગ બોસનાં ઘરમાં જતાં પહેલાં એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યો હતો. તેણે બોલિવૂડની પૂર્વ એક્ટ્રેસ અને હાલમાં જ્વેલરી ડિઝાઈનર નિલમ કોઠાર સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. તેમજ તેઓ સાથે એક ફિલ્મ પણ નિર્દેશ કરવાનાં છે.બિગબોસ-4નાં ઘરમાં જતાં પહેલાં તેણે આઈએએનએસ સાથેનાં ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, "લોકો એમ વિચારે છે કે હું નિલમ જોડે ચાલુ વર્ષનાં ડિસેમ્બરમાં પરણવાં જઈ રહ્યો છું પણ તે સાચુ નથી. જો હું બિગબોસનાં ઘરમાં અંત સુધી રહેવામાં સફળ રહિશ તો પછી ચાલુ વર્ષનાં અંતમાં લગ્ન થશે જ નહી. જોકે બિગ બોસ બાદ હું જરૂરથીઆ વિશે વિચારીશ."


સુરવિન બનશે બિગ બોસ 4ની મહેમાન!

હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, સુરવિન ચાવલા બિગ બોસ-4નાં ઘરમાં ભાગ લે તેવી શક્યતાઓ છે. સુરવિન વાઈલ્ડ કાર્ડ દ્વારા શોમાં ભાગ લેશે. હાલમાં બિગ બોસનાં ઘરમાં 12 સ્પર્ધકો છે. ગઈ કાલે જ કસાબનો વકિલ અબ્બાસ નકવી શોમાથી આઉટ થઈ ગયો હતો.બંટી ચોર એટલે કે દેવેન્દ્ર સિંગની શોનાં બીજા જ દિવસે અણધારાં એલિનીમેશનથી શોમાં પહેલાં જ અઠવાડિયે બે વ્યક્તિઓ આઉટ થઈ ગયા હતાં. તેથી જ બિગ બોસનાં ઘરમાં સુરવિન ચાવલા તેનાં જલવા પાથરવા આવી રહી છે.

મને ફક્ત "એશ્વર્યા" કહીને જ બોલાવો"

લાગે છે બચ્ચન બહુ તેનાં હુલામણાં નામ "એશ"થી કંટાળી ગઈ છે. તેથી જ તે બધાને તેને તેનાં આખાં નામ એશ્વર્યાથી બોલાવવા ભલામણ કરી રહી છે.એશ્વર્યાએ જણાવ્યું હતું કે, " મે જ્યારે આ ઈન્ડસ્ટ્રી જોઈન કરી છે ત્યારથી જ લોકો મને "એશ"નાં નામે બોલાવે છે ચલો શરૂ શરૂમાં તેમને મારું નામ બોલવામાં તકલીફ પડે પણ હવે તો મારે અહી વર્ષો વીતી ગયા છે તેથી બધાને મારુ નામ બોલતા ફાવે જ એ સામાન્ય છે તેથી જ હવે તમે મને મારા સાચા નામે બોલાવો એ જ મને ગમશે."


'હજી પણ પ્રિયંકા સાથેનાં સંબંધો માટે મક્કમ નથી'

ભલે મીડિયા અને સમાચાર પત્રોમાં શાહિદ પ્રિયંકા એક હોવાનાં સમાચાર છપાતા રહે છે. પણ શાહિદનાં મનમાં કાઈક અલગ જ છે કારણકે હાલમાં જ કરણ જોહર અને કોફી વીથ કરણનાં બ્રોડકાસ્ટરે શાહિદ પ્રિયંકાને કપલ તરિકે ઓન સ્ક્રિન શો કોફી વીથ કરણમાં ભાગ લેવાંની ઈચ્છા જાહેર કરી હતી. પણ શાહિદે શોમાં ભાગ લેવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.એક અહેવાલ પ્રમાણે, શાહિદ તેનાં અને પ્રિયંકાનાં સંબંધો બાબતે હજી પણ મક્કમ નથી. ભલે પ્રિયંકા તેનાં જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે અને તે તેને પસંદ પણ કરે છે તેમ છત્તાં તે તેમનાં સંબંધો વિશે હજી મક્કમ નથી. હાલમાં પ્રિયંકાએ શાહિદને આગામી વર્લ્ડ ટુરમાં ભાગ લેવા પણ મનાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ શાહિદે તે માટે પણ ના પાડી દીધી હતી.


વિજય કુમારની ગોલ્ડન હેટ્રિક, ભારતને 21 ગોલ્ડ મેડલ

દિલ્હીમાં ચાલી રહેલી 19મી કોમનવેલ્થ ગેમ્સમાં વિજય કુમારની સુવર્ણ સફર ચાલું છે. શૂટર ગગન નારંગ અને ઓમકાર સિંહ બાદ વિજય કુમારે પણ ગોલ્ડ મેડલની હેટ્રિક પૂરી કરી લીધી છે.શનિવારના રોજ વિજય કુમાર-હરપ્રીતની જોડીએ 25 મીટર સેન્ટર ફાયર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. શૂટિંગમાં ભારતનો આ 21મો ગોલ્ડ મેડલ છે.આ પહેલા વિજય કુમારે ગુરપ્રીત સાથે 25 મીટર પિસ્તોલ ફાયરમાં સુવર્ણ પદક જીત્યો હતો. ત્યારબાદ વિજય કુમારે આ સ્પર્ધામાં વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.


તીરંદાજીમાં મહિલા ટીમે ઈતિહાસ રચ્યો

ડોલા બેનરજી, દીપિકાકુમારી અને બોમ્બાલિયા દેવીએ ગોલ્ડ જીત્યો, ભારતીય મેન્સ ટીમે નિરાશ કર્યા, બ્રોન્ઝથી સંતુષ્ટ. ડોલા બેનરજી, બોમ્બાલ્યા દેવી અને દીપિકાકુમારીની બનેલી ભારતીય વિમેન્સ ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં તીરંદાજીમાં શુક્રવારે ઈતિહાસ રચીને દેશને ગોલ્ડમેડલ અપાવ્યો હતો. તીરંદાજીના ઈતિહાસમાં ભારત માટે આ પ્રથમ ગોલ્ડમેડલ હતો. અહીં રમાયેલી ફાઇનલમાં ભારે રસાકસી જામી હતી અને એક સમયે તો ખુદ ખલાડીઓ પણ દબાણમં આવી ગઈ હતી.અંતે ઇંગ્લેન્ડને ૨૦૭ વિ. ૨૦૬ના અંતરથી હરાવીને ભારતે તીરંદાજીની રિકવe ઇવેન્ટની વિમેન્સની ફાઇનલ જીતી લીધી હતી, આમ માત્ર એક પોઇન્ટના તફાવતથી ભારતનો વિજય થયો હતો, જોકે મેન્સ ટીમ ઇવેન્ટમાં ભારતને બ્રોન્ઝમેડલથી સંતોષ માનવો પડ્યો હતો. બ્રોન્ઝમેડલ માટેની મેચમાં ભારતે ઇંગ્લેન્ડને ૨૨૧-૨૧૮થી હરાવ્યું હતું જ્યારે ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં મલેશિયાને ૨૧૯-૨૧૨થી હરાવીને ગોલ્ડમેડલ જીત્યો હતો.

કોમનવેલ્થ ગેમ્સમાં ખેલાડીઓનું અભદ્ર વર્તન

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


કોમનવેલ્થ ગેમ્સમાં ખેલાડીઓનું અભદ્ર વર્તન
આફ્રિકન સ્વિમરે ભારતીય પ્રેક્ષકોને વાંદરા કહ્યાં

દિલ્હીમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ખેલાડીઓનું અભદ્ર વર્તન અને વંશિય ટીપ્પણીની સફર ચાલું છે.હવે આ યાદીમાં નવું નામ ઉમેરાયું છે દક્ષિણ આફ્રિકાના સ્વિમર રોલેન્ડ શૂમેનનું. શૂમેને એક આઘાતજનક નિવેદનમાં કહ્યું છે કે ભારતીય પ્રેક્ષકો વાંદરા જેવું વર્તન કરી રહ્યા છે. શૂમેને કોમનવેલ્થ ગેમ્સની આકરી ટીકા કરતા કહ્યું છે કે અહિંયા રમવું બેવકૂફી ગણાશે. શૂમેન જ્યારે સ્વિમિંગમાં ડિસક્વોલિફાઈ થતા થતા બચ્યો હતો ત્યારબાદ તેણે આ નિવેદન આપ્યું હતું.શૂમેને કહ્યું હતું કે તે તદ્દન અયોગ્ય હતું. સ્ટેન્ડમાંનો એક વ્યક્તિ સતત બૂમો પાડી રહ્યો હતો. કોઈકે આ પ્રકારના વર્તનને અટકાવવું જોઈતું હતું. કોમનવેલ્થ જેવી મોટી પ્રોફેશનલ ઈવેન્ટમાં આ પ્રકારની વાત ચલાવી લેવાય નહીં. લોકો વાંદરા જેવું વર્તી રહ્યા હતા. કોઈ પણ વ્યક્તિ અહિંયા રમવા નહીં ઈચ્છે.

આક્રમક વોટસન આઉટ થતા ભારતને રાહત

બેંગ્લોરના ચેન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાનારી બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લંચ સમય સુધી પ્રવાસી ટીમે કોઈ પણ નુકસાન વગર 95 રન બનાવી લીધા હતા. જો કે લંચ બાદ ઓસ્ટ્રેલિયન ટીમને ઉપરા-ઉપરી બે ઝટકા પડ્યા હતા.લંચ બાદ સ્પિનર હરભજન સિંહે ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ભજ્જીએ કેટિચને દ્રવિડના હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો. કેટિચે 43 રનનું યોગદાન આપ્યું છે.


કોમનવેલ્થ ગેમ્સમાં વિજય કુમારની ગોલ્ડન હેટ્રિક, ભારતને 21 ગોલ્ડ મેડલ

રાજધાની દિલ્હીમાં ચાલી રહેલી 19મી કોમનવેલ્થ ગેમ્સમાં વિજય કુમારની સુવર્ણ સફર ચાલું છે. શૂટર ગગન નારંગ અને ઓમકાર સિંહ બાદ વિજય કુમારે પણ ગોલ્ડ મેડલની હેટ્રિક પૂરી કરી લીધી છે.શનિવારના રોજ વિજય કુમાર-હરપ્રીતની જોડીએ 25 મીટર સેન્ટર ફાયર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. શૂટિંગમાં ભારતનો આ 21મો ગોલ્ડ મેડલ છે.આ પહેલા વિજય કુમારે ગુરપ્રીત સાથે 25 મીટર પિસ્તોલ ફાયરમાં સુવર્ણ પદક જીત્યો હતો. ત્યારબાદ વિજય કુમારે આ સ્પર્ધામાં વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.આ પહેલા ગગન નારંગ અને ઓમકાર સિંહે પોત પોતાના વર્ગમાં 3-3 ગોલ્ડ જીતીને હેટ્રિક પૂરી કરી હતી.


IPLની રાજસ્થાન,પંજાબ અને કોચી ટીમનો ખેલ ખતમ?

ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ)ની ગવર્નિંગ કાઉન્સિલે રવિવારના રોજ મુંબઈ ખાતે તાકીદની બેઠક બોલાવી છે. આ બેઠકમાં આઈપીએલની ત્રણ ટીમો સાથે જોડાયેલા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે, તેમ ક્રિકેટ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું.
આ ત્રણ ટીમોમાં રાજસ્થાન રોયલ્સ, કિંગ્સ ઈલેવન પંજાબ અને નવી ટીમ કોચ્ચીનો સમાવેશ થાય છે. આ પહેલા 29 સપ્ટેમ્બરના રોજ બીસીસીઆઈ દ્વારા આ ત્રણેય ટીમોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી.


મોદી પ્રચારમાં ‘વિકાસ’ના સ્થાનિક મુદ્દા જ ભુલ્યા?

ગુજરાતની છ નગરનિગમની ચૂંટણીમાં રવિવારે મતદાન થવાનું છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે જીત માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. ભાજપ તરફથી ચૂંટણી પ્રચાર માટે ખુદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને પાર્ટીના પાંચ રાષ્ટ્રીય નેતાઓ પણ મેદાનમાં ઉતર્યા હતા. ત્યારે સામે પક્ષે કોંગ્રેસ તરફથી એકાદ-બે રાષ્ટ્રીય નેતાઓ અને પ્રચારના છેલ્લા દિવસે પાંચ અભિનેત્રીઓને મેદાનમાં ઉતારવામાં આવી હતી.

અભિ-એશ બિગ બીનાં જન્મ દિવસે હાજર રહેશે?

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન 11 ઓક્ટોબરે 68 વર્ષનાં થઈ જશે. તેમણે પોતે તો તેમનાં જન્મ દિવસ માટે કોઈ ખાસ પ્લાન કર્યા નથી પણ આ દિવસે સોની ટીવીએ અમિતાભ માટે એક હોટલમાં શાનદાર પાર્ટી આપવાનું આયોજન કર્યુ છે.11ઓક્ટોબરે જ કોન બનેગા કરોડપતિ 2010 શરૂ થવા જઈ રહ્યો છે. કેબીસી બિગ બીનાં જન્મદિવસે જ શરૂ કરી ચેનલ ડબલ ધડાકો કરવાની તૈયારીમાં છે.માનવામાં આવે છે કે, મુંબઈ સ્થિત જે. ડબ્લ્યૂ મેરિટ હોટલમાં બિગ બીમાટે એક શાનદાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાર્ટીમાં બચ્ચન પરિવાર સિવાય અન્ય કેટલીએ હસ્તિઓ શામેલ થશે. આ પાર્ટીમાં જ્હોન અબ્રાહમ, બિપાશા બાસુ તેમજ ભારતિયા ક્રિકેટ ટીમનાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ હાજરી આપે તેવી શક્યતાઓ છે.


શત્રુઓ પર જીત મેળવનારી આદ્યશક્તિનું રહસ્ય

સર્વ જગત પર ઉપકાર કરનારી હે દેવી! તું તો સદાય કરુણાવાન ચિત્તવાળી છે. શક્તિપૂજા એ વૈદિકાળથી ચાલી આવતી ભારતવર્ષની ઉજજવળ પરંપરા છે. બહ્નનાં બે સ્વરૂપો નિર્દિષ્ટ કરેલાં છે- શિવ અને શક્તિ. ધાતુને પ્રત્યય લગાવવાથી શક્તિ શબ્દ બને છે. જેનો અર્થ - બળ, ધારિતા, સમાર્થ્ય, ઊર્જા, દેવોની ક્રિયાત્મક શક્તિ, દેવી, દિવ્યતા વગેરે થાય છે.
હિન્દુ સંસ્કૃતિની ધરોહર સમાં અઢાર પુરાણો પૈકીના માર્કણ્ડેય પુરાણના ‘દેવી મહાત્મ્ય’ ના બીજા અને ત્રીજા અધ્યાયમાં દેવતાઓના તેજપુંજમાંથી દૈવીશક્તિના પ્રાદુર્ભાવનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલું છે. પૂર્વકાળમાં દેવો અને દૈત્યો વચ્ચે પૂરાં સો વર્ષ સુધી ભયંકર યુદ્ધ થયું. તેમાં દાનવરાજ મહિષાસુરે દેવરાજ ઈન્દ્રને પરાજય આપી સ્વર્ગ લોકનો સ્વામી બની બેઠો. સ્વર્ગલોકમાંથી ઈન્દ્રાદિ દેવોને હાંકી કાઢ્યા


આખરે, સિદ્ધાર્થ-દીપિકા લોકોને શું બતાવવા માંગે છે...?

દીપિકા પાદુકોણ અને સિદ્ધાર્થ જાહેરમાં ઘણીબધી વાર મળે છે. હવે, તેઓ કેટલીવાર મળ્યા છે તેની ગણતરી કરવાની પણ બંધ કરી દીધી છે.હવે, ફરી પાછા દીપિકા પાદુકોણ અને સિદ્ધાર્થ જાહેરમાં જોવા મળ્યા છે. એચડીઆઈએલના કોચર ફેશન વીકની પાર્ટીમાં દીપિકા અને સિદ્ઘાર્થ સાથે આવ્યા હતા.દીપિકાએ સિદ્ધાર્થ પ્રત્યેના પોતાના પ્રેમનો અસ્વીકાર નથી કર્યો પરંતુ સ્વીકાર પણ કર્યો નથી. આ અંગે દીપિકા મૌન રહી છે.

સિગરેટ પીને ચિમ્પાન્જીએ મેળવી લાંબી ઉંમર

દક્ષિણ આફ્રિકાના વિશેષજ્ઞ આજકાલ એક અજબની ગુત્થી ઉકેલવામાં પડ્યા છે. વાસ્તવમાં અહીંના એક પ્રાણી સંગ્રહાલયમાં એક ચિમ્પાન્જી સિગરેટ પીતા પીતા 52 વર્ષ સુધી જીવ્યો, જે વાંદરાની સરેરાશ ઉંમર કરતા 10 વર્ષ વધારે છે.તાજેતરમાં જ આ ચિમ્પાન્જીનું મોત થયું છે. તેના પોસ્ટમોર્ટમનો રીપોર્ટ પણ આવવાનો બાકી છે. આ પછી આ વાંદરાના લાંબા આયુષ્યનું રહસ્ય ખૂલશે. ચાર્લી નામના આ વાંદરાને અહીંયા આવનારા દર્શકોએ સિગરેટ પીતા શીખવ્યું હતું.


પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનની સીમા નજીક ફરી મોતનું વાહન આવ્યું.

પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનની સીમા નજીક ગઈકાલે થયેલા અમેરિકી ડ્રોન હુમલામાં 7 સંદિગ્ધ આતંકવાદીઓ માર્યા ગયા છે. સમાચાર એજન્સી ડીપીએએ જણાવ્યા અનુસાર ઉત્તરીય વજિરિસ્તાનના બોયા વિસ્તારમાં તાલીબાન અને અલકાયદા આતંકવાદીઓના એક સંદિગ્ધ ઠેકાણાને નિશાનો બનાવીને અમેરિકાએ બે મિસાઇલો છોડી હતી.એક અધિકારીએ જણાવ્યા અનુસાર આ હુમલામાં 7 સંદિગ્ધ આતંકવાદીઓ માર્યા ગયા છે અને 4 ઘાયલ થયા છે. જાસૂસ વિભાગના એક અન્ય અધિકારીએ જણાવ્યા અનુસાર બીજી મિસાઇલ એ સમયે છોડવામાં આવી જ્યારે લોકો પહેલા હુમલા પછી કાટમાળમાંથી મૃતકો અને ઘાયલોને બહાર કાઢવામાં વ્યસ્ત હતા. મૃતકોની સંખ્યા હજુ વધે તેવી શક્યતા છે.


'મારી નહી મારી બહેનની માફી માંગ"

થોડા સમય પહેલાં સલમાન સોહેલ ખાનની બહેન અર્પિતા સાથે ગેરવર્તણુક કરનાર આશિષ રહેજાને સોહેલે હાલ સુધી માફ કર્યો નથી. ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલાં આશિષનાં હાથે અર્પિતા ઉપર સોફ્ટ ડ્રિંક ઢોળાયુ હતું અને તે ઘટના બાદ પણ આશિષે અર્પિતાની માફી માંગી ન હતી.14 સેપ્ટેબંરે મુંબઈનાં બાન્દ્રામાં આવેલાં ઓલિવ બરમાં અર્પિતા સાથે બનેલી આ ઘટના બાદ જ્યારે આશિષે અર્પિતાની માફી માંગવાનો ઈન્કાર કર્યો હતો ત્યારે સોહેલ-આશિષ સામસામે પણ આ વી ગયા હતાં.


હોટ બેબ્સને જ આવું થાય છે

ઘોડા અને પુરુષોને જ પરસેવો થતો હોય છે, જો તમે પણ આ ધારણામાં માનતા હો તો તમે ખોટા છો. હવે વિજ્ઞાને સાબિત કરી દીધું છે કે મહિલાઓએ પરસેવો લાવવા માટે વધારે હોટ બનવું પડે છે. જાપાનીઝ વૈજ્ઞાનિકોનું માનીએ તો પુરુષોને મહિલાઓ કરતા વધારે પરસેવો થાય છે.અભ્યાસ દરમિયાન વૈજ્ઞાનિકોએ પુરુષો અને મહિલાઓને એકસાથે એક કલાક સુધી સાઇકલિંગ કરવાનું કહ્યું હતું, પહેલા તેમણે ધીમે ધીમે પછી ઝડપી સાઇકલ ચલાવવાની હતી. સાઇકલિંગ ઝડપી થતાં તેમણે સ્ત્રી-પુરુષોમાં થતા પરસેવાના પ્રમાણને નોંધ્યું.



ટીમ ઈન્ડિયાનો ઝડપી બોલર પ્રવીણ કુમાર પાડોશણની નજરથી બોલ્ડ થયો પ્રવીણ કુમાર

હાલમાં ટીમ ઈન્ડિયામાં કુવાંરા ખેલાડીઓ વધારે છે. પરંતુ હવે તેમની સંખ્યામાં એકનો ઘટાડો થવા જઈ રહ્યો છે.ટીમ ઈન્ડિયાનો ઝડપી બોલર પ્રવીણ કુમારના આવતા મહિને લગ્ન કરે તેવી શક્યતાઓ છે. પોતાના પાડોશમાં જ રહેતી સપના ચૌધરી નામની યુવતી સાથે પ્રવીણ કુમારના લગ્ન થવાના છે.પ્રવીણ કુમારના સંબંધીઓએ પણ આ વાતને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું છે કે હજી સુધી લગ્નની તારીખ નક્કી નથી કરાઈ પરંતુ જ્યારે પણ લગ્નનું આયોજન થશે ત્યારે અન્ય લોકો સાથે મીડિયાને પણ બોલાવવામાં આવશે.ઉલ્લેખનીય છે કે આ પહેલા ટીમ ઈન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ અચાનક જ રાતોરાત લગ્ન કરી લેતા તેના પ્રશંસકો સહિત તમામ લોકોને આશ્ચર્ય થયું હતું.


મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પ્રચારમાં ‘વિકાસ’ના સ્થાનિક મુદ્દા જ ભુલ્યા?

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના પાંચ નેતાઓએ સોહરાબુદ્દીન, ભગવા આતંકવાદ, કોમનવેલ્થ, સીબીઆઈ, રામમંદિર, અયોધ્યા ચુકાદો, રામરાજ્ય વગેરે રાષ્ટ્રીય મુદ્દાઓને હથિયાર બનાવીને કોંગ્રેસ સામે તીખા વાર કર્યા હતા. તો સામે પક્ષે કોંગ્રેસે પણ તેમના મોટાભાગના મુદ્દાઓ પર પ્રત્યાઘાતો આપ્યા હતા. જો કે સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીના પ્રચાર દરમિયાન સ્થાનિક મુદ્દાઓને બહુ મહત્વ આપવામાં આવ્યું ન હતું. સ્થાનિક સમસ્યાઓની ચર્ચાઓ બંને પક્ષના મોટા નેતાની ચૂંટણી સભાઓમાં ગેરહાજર રહેતા હતા. અમદાવાદને ચોમાસામાં થયેલા ભૂવાના દર્દની વાત કે કેટલાંક વિસ્તારોમાં પાણીના ભરાવાની વાત ભાજપ કે કોંગ્રેસમાંથી કોઈ પક્ષે કરી નથી. તો તેવા જ હાલ અન્ય નગર નિગમોની ચૂંટણી સભાઓમાં રહ્યાં છે.


મેરે પાસ યુપીકે ૩૦ આદમી હૈં, તુમકો મેં દેખ લુંગા

લિંબાયતના શાસ્ત્રીચોકમાં બાળા સાથે અડપલાં કરનાર મૌલવી અકબરઅલી અંસારી શુક્રવારે કોર્ટમાંથી જામીન મળ્યા બાદ ભૂગર્ભમાં ઊતરી ગયો છે પરંતુ ફરિયાદ કરવાની હિંમત દાખવનાર બાળાના પિતા સહિત મહોલ્લાના માણસો મૌલાનાના ડરથી થરથર કાપી રહ્યા છે.મૌલાનાની હરક્ત બાદ તેને ઠપકો આપવા ગયેલા બાળાના પિતા અને તેના મિત્રોને મૌલાનાએ ધમકી આપી હતી કે મેરે પાસ યુપીકે ૩૦ આદમી હૈં, તુમકો મેં દેખ લુંગા.અને હથિયારો સાથે પહોંચી જતાં આખરે મામલો પોલીસમાં પહોંચ્યો હતો.


ઊંઝામાં બુટલેગરના દીકરાને ભાજપે ટિકિટ આપતાં હોબાળો

ઊંઝા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે અમરાઈવાડીના કુખ્યાત બુટલેગર રઘુ સવાના દીકરા હિમાંશુને ટિકિટ આપતાં ભારે હોબાળો થયો છે. હિમાંશુ વિરુદ્ધ દારૂ-જુગાર તેમજ મારામારી સહિતના ગુના નોંધાયા હોવાથી તે પણ પિતાની જેમ જ કુખ્યાત હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું. જો કે અમરાઈવાડીના રહીશોને આ અંગેની જાણ થતાં સ્થાનિક રહીશોએ રઘુ સવાના ઘર પાસે જઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.તાજેતરમાં પણ રઘુ સવાના જુગારધામ ઉપર ઝોન-૫ ઇન્ચાર્જ ડીસીપી સચિન બાદશાહે દરોડો પાડી ૩૧ જુગારીઓને પકડી લીધા હતા. જ્યારે તેના દીકરા હિમાંશુ ઉર્ફે કાળુ વિરુદ્ધ પણ દારૂ-જુગાર તેમજ મારામારીના ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે, છતાં હિમાંશુને ભારતીય જનતા પાર્ટીએ ઊંઝા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-૧૦ ના ઉમેદવાર તરીકે ઊભો રાખ્યો છે. ગુનાઇત માનસ તેમજ ગુનાઇત ઈતિહાસ ધરાવતા પિતા રઘુ સવાની ગુનાઇત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પુત્ર હિમાંશુને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવતાં પાર્ટીમાં પણ ભારે હોબાળો થયો હતો.


ગાંધીધામ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ સામે કોંગ્રેસ-બસપ-અપક્ષનો પડકાર

ગાંધીધામ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયા બાદ હવે નગરસેવક બનવાની તક ઝડપવા માટે મુખ્ય બે અને અન્ય પક્ષોના ઉમેદવારોએ પ્રચારકાર્યના શ્રીગણેશ મંદગતિએ કર્યા છે. આદિપુર સ્થિત વોર્ડ નં. એકમાં ‘દિવ્ય ભાસ્કર’ની ટીમે જ્યારે લોકપ્રતિનિધિઓ અને પાલિકાની કામગીરી તથા હવે જનતાનો ચુકાદો શું હોઇ શકે એ માટે રૂબરૂ મુલાકાત લીધી, ત્યારે ચાલુ ટર્મના સત્તાધીશોની કામગીરી અને તેની સામેનો રોષ ઉભરી આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, એક સમયે આ વોર્ડ કોંગ્રેસનો ગઢ ગણાતો હતો જે ભાજપે છીનવી લીધો હતો. આ વખતે ભાજપે સત્તા ટકાવવી હશે તો કોંગ્રેસ ઉપરાંત બસપ સામે લડવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. વોર્ડ ૧માં નવા બનેલા સીસીરોડ પર ગટર-સફાઇની રેલાઇ ગયેલી સમસ્યાઓ ભાજપને લપસાવી પરિવર્તન આણી શકે અથવા અન્ય હરીફ પક્ષોના ઉમેદવારોને નગર સેવક બનવાના સ્વપના અધૂરા રહી જાય તેમ છે.

મા જગદંબાએ સજયા સોળે શણગાર

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

મા જગદંબાએ સજયા સોળે શણગાર

મા જગદંબાની આરાધનાના પર્વ એવા નવરાત્રિ પર્વના પ્રથમ દિવસથી જ ચારેય તરફ આનંદ ઉલ્લાસનો માહોલ છવાઈ ગયો છે. માઈ મંદિરોમાં મા જગદંબાને સોળે શણગાર કરીને જવારા, ગરબો અને માંડવણીનું સ્થાપન કરવામાં આવ્યું છે. જ્યારે આખુ વર્ષ જેની આતુરતાથી રાહ જોનાર ખેલૈયાઓ નવરાત્રિ શરૂ થતાં જ ઉત્સાહમાં આવી ગયા છે.આણંદમાં આવેલ માઈમંદિરોમાં અંબાજી માતા, ચામુંડા માતા, વહેરાઈ માતા, ખોડિયાર માતાને નવરાત્રિના પ્રથમ દિવસે શણગાર કરવામાં આવ્યા હતા. મંદિરને ફૂલો અને રોશનીથી સજાવવામાં આવ્યા હતા. મંદિર આગળ પરંપરા અનુસાર ગરબો અને માંડવલીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. માઈમંદિરોમાં સવાર-સાંજ માતાજીની આરતી અને ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.


સિંહે સુતેલા યુવકનો પગ ખેંચીને ફાડી ખાધો

ચાદરની બહાર દેખાતો પગ જડબામાં દબાવી સાવજે ખેંચતા યુવાને રાડારાડી કરી મુક્તા સિંહ ભાગી છુટ્યો.ગીર પૂર્વની સરસિયા રેન્જમાં ગોપાલગ્રામની સીમમાં દીપડાએ બાળાને ફાડી ખાધા બાદ વાડીમાં સૂતેલા છતડિયાના દેવીપૂજક પર સિંહે હુમલો કરી પગ કરડી ખાતા તેને સારવાર માટે દવાખાને ખસેડાયો છે.સિંહ દ્વારા હુમલાનો આ બનાવ ગઇકાલે વહેલી સવારે બન્યો હતો. ગીર પૂર્વની સરસિયા રેન્જમાં આવેલ છતડિયા ગામના ભીખુભાઇ ટપુભાઇ દેવીપૂજકે તે જ ગામના સવજીભાઇ ઠુંમર નામના પટેલ ખેડૂતની વાડી ભાગવી વાવવા રાખી છે. ગઇરાત્રે તે વાડીએ સૂતા હતા ત્યારે મધરાત્રે શિકારની શોધમાં એક સિંહ ત્યાં ધસી આવ્યો હતો.ભીખુભાઇ દેવીપૂજક ચાદર ઓઢીને સૂતા હતા ત્યારે સિંહ તેને શિકાર સમજી બેઠો હતો અને તેમનો પગ મોઢામાં દબાવી ખેંચવા લાગ્યો હતો. સિંહની પકડના કારણે ભીખુભાઇ જાગી ગયા હતા અને રાડારાડ કરી મૂકી હતી. જેના કારણે સિંહ પણ ગભરાયો હતો. સામાન્ય રીતે સિંહ પ્રાણીઓનો શિકાર કરે છે પણ માણસને છંછેડતો નથી અહીં સિંહથી ભૂલ થતાં તે પણ ભીખુભાઇને છોડીને ભાગ્યો હતો.


મુસ્લિમો અયોધ્યાના ચુકાદાને સ્વીકારે: મહમૂદ મદની

મુસ્લિમ સમાજના પ્રતિષ્ઠિત નેતા અને જમાત ઉલેમા એ હિંદના ધર્મગુરુ મૌલાના મહમૂદ મદનીએ મુસ્લિમોને અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને સ્વીકારવાનું કહ્યું છે. સુન્ની મુસ્લિમ સમાજના સૌથી મોટા સંગઠનના નેતા મૌલાના મદનીએ કહ્યું છે કે મુસ્લિમ સમુદાય તેના પર શાંતિથી વિચારે અને ચુકાદાનો સ્વીકાર કરે. જો કે મદનીએ કહ્યું હતું કે આ તેમનો વ્યક્તિગત વિચાર છે. તેઓ મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય પણ છે.


જામખંભાળિયા પાસે અપહરણ કર્યા બાદ વારંવાર યુવતિ પર બળાત્કાર

વગઢ બારિયામાંથી અપહરણ કર્યા બાદ જામખંભાળિયા પાસેના ગામમાં લઇ જઇને યુવતી ઉપર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. યુવકની પકડમાંથી છટકીને વતનમાં આવેલી યુવતીએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બળાત્કાર સંબંધી ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્તજાણકારી અનુસાર દુધીયા ગામમાં રહેતી ૨૩ વર્ષિય યુવતી ૧૬ એપ્રિલના રોજ કામ અર્થે દેવગઢ બારિયા ગઇ હતી. ત્યાં બપોરના ૧૨ વાગ્યાના અરસામાં ગામના જ વીનોદ દીપા બારિયા મોતની ધમકી આપીને બળપૂર્વક બાઇક ઉપર બેસાડી અપહરણ કરી ગયો હતો.

*બિપાશા, કંગનાને બોલાવનારી ઇવેન્ટ મે. કંપની પર ITની નજર

નવરાત્રિમાં હોટ અભિનેત્રી બિપાશા બાસુ, કંગના રાનાવત, ઈમરાન હાશ્મી સહિતની સેલિબ્રિટીઓને બોલાવનારી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ પર ઇન્કમટેક્સ વિભાગ બાજનજર રાખશે. આ કંપનીઓએ સેલિબ્રિટીઝની ફી અને ખર્ચની પાઈએ પાઈનો હિસાબ ઈન્કમટેક્સ વિભાગને આપવો પડશે.વિભાગનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે,‘નવરાત્રીમાં બોલાવાતા બોલિવૂડના કલાકારોને લાખો રૂપિયા ચૂકવાય છે. જેની માહિતી ક્યારેક છૂપાવવાનો પ્રયાસ થાય છે. ખાસ કરીને આયોજકનું નામ અથવા કંપનીનું નામ ક્યારેક બોગસ હોય છે.’ આ વર્ષે પણ ઈમરાન હાસમી, સંજય દત્ત, અજય દેવગણ જેવા સુપરસ્ટાર ઉપરાંત બિપાસા બાસુ અને કંગના રાણાવત જેવી હિરોઇન આવવવાની માહિતી છે.

આધ્યશક્તિની આરાધના પર્વનો રંગેચંગે આરંભ

શારદીય નવરાત્રીનો દીપ-ઘટ સ્થાપના સાથે શુક્રવારે શ્રદ્ધાપૂર્વક પ્રારંભ થયો છે. શુક્રવારે મંદિરોમાં માતાજીના વિવિધ સ્વરૂપોના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી હતી. ભદ્રકાળી મંદિર ખાતે શૈલપુત્રી સ્વરૂપ, માધપુરા અંબાજી મંદિરમાં ગબ્બર ઉપર ગરબે ઘૂમતાં માતાજીનાં દર્શન થયાં હતાં. બીજી તરફ પ્રથમ નોરતાની રાત્રિના પ્રારંભ સાથે જ પરંપરાગત વેશમાં સજ્જ ખેલૈયાઓએ પાર્ટી-પ્લોટ અને શેરીગરબામાં રાસની રમઝટ બોલાવી હતી.અમદાવાદનાં નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. મંદિરના ટ્રસ્ટી રવિ અવસ્થીએ જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે મંદિરમાં ઘટ સ્થાપન થયું. નવરાત્રીની વિધિવત્ પૂજા થઈ હતી. જવારારોપણ કરી આરતી થઈ હતી. માતાજીને પ્રથમ દિવસે શૈલપુત્રી સ્વરૂપના શણગાર થયા હતા. રાત્રે આરતી બાદ ગરબા થયા હતા. ધના સુથારની પોળમાં આવેલા ૪૦૦ વર્ષ જુના અંબાજી માતાના મંદિરે પણ ઘટસ્થાપના કરવામાં આવી હતી.


મહાનગર સેવાસદનનો ચૂંટણી જંગ : ૨૮૮ યોધ્ધા મેદાનમાં

મહાનગર સેવાસદનના ચૂંટણી સંગ્રામ આડે ગણતરીના કલાકો બાકી રહેતા ઉમેદવારોના જીવ તાળવે ચોંટયા છે. મહાનગર સેવાસદનના ૨૫ વોર્ડની ૭૫ બેઠક માટે ૨૮૮ યૌધ્ધા મેદાનમાં છે ત્યારે મતદારોનો ઝોક કોની તરફ રહેશે તે અંગે ભારે ઉત્તેજના ફેલાઇ ગઇ છે.મહાનગર સેવાસદનના ૨૫ વોર્ડની ૭૫ બેઠક માટે આવતી કાલે રવિવારે ચૂંટણી યોજાનાર છે અને તેને લઇને ચૂંટણી તંત્રે પૂવઁતૈયારીઓને અંતિમ ઓપ આપ્યો છે. ૭૫ બેઠક માટે ૨૮૮ ઉમેદવારો મેદાનમાં છે અને મતદાન પૂવેઁ મતદારોની સાથે ગ્રૂપ મિટિંગનો દોર ચાલુ રાખ્યો હતો.આવતી કાલના મતદાનને ધ્યાનમાં રાખી ઉમેદવારો અને તેના સમર્થકોએ મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા ઉમટી પડે તેના પ્રયાસો શરૂ કર્યા હતા. આવતી કાલે સવારે આઠ વાગ્યાથી ૧૩૭૦ મતદાનમથકો ખાતે ઇવીએમ થકી મતદાનનો પ્રારંભ થશે અને સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન કરી શકાશે. આ મતદાનમથકોમાં ફરજ બજાવવા માટેસાત હજારથી વધુ કર્મચારીઓને મતદાનમથકોની ફાળવણી કરવામાં આવી છે અને આ કમઁચારીઓ જે તે મતદાનમથક ઉપર મતદાનની સામગ્રી લઇને રવાના થયા હતા.


પોલીસકર્મીની પુત્રીએ ૪થા માળેથી કૂદકો મારતાં ઇજા

વાડીના પોલીસ કર્મચારીની પરિણીત પુત્રીએ શુક્રવારે સાંજે ઘરના ચોથા માળેથી કૂદકો મારતાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. શહેરના પ્રતાપનગર પોલીસ ક્વાર્ટર્સમાં રહેતા રામદાસ પાટીલ વાડી પોલીસ મથકમાં મોબાઇલ-૩માં ફરજ બજાવે છે. તેમની ૨પ વર્ષીય પુત્રી રાજશ્રીનાં લગ્ન પાંચેક વર્ષ પહેલાં થયાં હતાં, પરંતુ વળગાડ હોવાની શંકાએ ત્રણ વર્ષ પહેલાં તેના છૂટાછેડા થઇ ગયા હતા.છુટાછેડા બાદ પિતાના ઘરે રહેતી રાજશ્રીએ શુક્રવારે અગમ્ય કારણસર ચોથા માળેથી કૂદકો મારી દીધો હતો. ઇજાગ્રસ્ત રાજશ્રીને સયાજી હોસ્પિટલમાં ખસેડાતાં પ્રાથમિક સારવાર બાદ તેની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે મકરપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


વડોદરા ઉત્સવ મેળાના ઉમંગમાં જોડાઓ'

વડોદરા ઉત્સવ મેળામાં લોકો જાણીતા અભિનેતા - વિલન - કોમેડિયન શક્તિકપૂરના આઉ.. પર વાઉ પોકારી ઉઠ્યા હતાં.
બોલિવુડથી માંડી હોલિવુડ સુધી અભિનયનો ડંકો વગાડનાર શક્તિકપૂર આજે સાગુ ડ્રીમલેન્ડ અને દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત વડોદરા ઉત્સવ મેળો - ૨૦૧૦માં લોકોનું મનોરંજન પુરું પાડવા ઉપસ્થિત રહ્યો હતો. છેલ્લાં બે - ત્રણ વર્ષથી શક્તિકપૂર ફિલ્મોમાં જોવા મળતો ન હતો.આ સમયમાં તે કેમ ગાયબ રહ્યો હતો? તેવા પ્રશ્નનો ઉત્તર આપતાં શક્તિકપૂરે જણાવ્યું હતું કે, હું પદ્મીની કોલ્હાપુરી સાથે નાટક ‘આસમાન સે ગિરે ખજુર પે અટકે’ના પ્રયોગોમાં વ્યસ્ત હોવાથી ફિલ્મોથી દૂર રહ્યો હતો. જોકે, હવે ટૂંક સમયમાં બચાવો, ચતુરસિંગ ટુ સ્ટાર, નો પ્રોબ્લમ, જેવી પાંચેક ફિલ્મો સાથે દર્શકોની વચ્ચે આવી રહ્યો છું.


ટાઇગર માટે પાંજરું તૈયાર


છઢ્ઢી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે અયોધ્યામાં બાબરી ધ્વંસની ઘટના બની તેના વિરોધમાં ૧૯૯૩ના વર્ષમાં સુરતમાં રેલવે સ્ટેશન અને વરાછાના મિનીબજારમાં બોમ્બબ્લાસ્ટ થયા હતા. જેમાં વરાછા રોડ પર અલ્પા નામની એક આઠ વર્ષની વિદ્યાર્થિનીનું મોત થયું હતું. આ ઘટનામાં તત્કાલીન કોંગ્રેસની સરકારમાં મસ્ત્યોધ્યોગ ખાતાના પ્રધાન મોહંમદ સુરતી, હુસેન ઘડિયાળી, મુસ્તાક પટેલ સહિત ૧૨ની ૧૯૯૫ના વર્ષમાં પોલીસે ધરપકડ કરી હતી. જેમાંથી એકને બાદ કરતાં બાકીના તમામને ૨૦૦૮ના વર્ષમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.



કચ્છ : મઢમાં પહેલી નવરાત્રે દેશદેવીના જય નાદે ગગન ગુંજ્યું

કચ્છની દેશ દેવી આઇ આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢમાં ગુરુવારે રાત્રે ઘટ સ્થાપનની ધાર્મિક વિધિ થઇ હતી. શુક્રવારથી પ્રારંભ થયેલા શારદિય અશ્વિન નવરાત્રિના પ્રથમ દિવસે વહેલી સવારથી લાંબી લાંબી કતારોમાં ઉભેલા શ્રદ્ધાળુઓએ ભાવાવેશમાં આવી ‘જય માતાજી, જય માતાજી’ના નાદથી ગગન ગૂજતું કરી દીધું હતું.ગુરુવારે મોડી સાંજે માતાના મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે ઘટ સ્થાપનની વિધિ કરાઇ હતી. શુક્રવારે વહેલી સવારથી જ લાંબી લાંબી કતારોમાં ઉભેલા પદયાત્રીઓ મુખ ઉપર પગે ચાલીને આવ્યાનો થાક જરા પણ વર્તાતો નહોતો. માના દર્શનાર્થીઓ માટે ગોઠવવામાં આવેલા મંડપ નીચેની રેલિંગમાં કતારબદ્ધ ઉભેલા ભાવિકો નજિ મંદિરના દ્વારા પાસે પહોંચી માથું ટેકવ્યું હતું.

ભુજ : વીજ વપરાશ ડબલ, આવક ૫% !

ભુજમાં શેરીએ શેરીએ સામાન્ય દિવસો કરતાં નવરાત્રિમાં પરંપરાગત રીતે ગરબીમાં માતાજીની આરાધના નથી થતી.સેંકડો આયોજનો પણ ભુજમાં ગરબીના ૮, કેમ્પના પ વીજ જોડાણો જ કાયદેસર,જિલ્લા મથક ભુજ હોય કે, છેવાડાના નાનકડું ગામડું હોય ઠેર-ઠેર શેરીએ-શેરીએ ગરબીના આયોજનો થાય છે. તેના કારણે સામાન્ય દિવસો કરતા વીજ વપરાશ સરેરાશ ડબલ ગણો વધી જાય છે. પરંતુ, મોટા ભાગની ગરબીઓમાં નિયમ મુજબ વીજજોડાણો લેવાતા નથી.એક સમય હતો જ્યારે ચોકની વચ્ચે ગરબીઓ મૂકીને તબલા, ઝાંજપખા જ વગાડીને પરંપરાગત રીતે ગરબી લઇ લોકો માતાજીની આરાધના કરતાં હતા. પરંતુ, સમયની સાથે ચોકની ગરબીનું સ્થાન પાર્ટી પ્લોટે લઇ લીધું છે. તેમાં હેવી વીજ વપરાશ કરતા સાધનો લગાડીને રોશનીનો ઝગમગાટ, ઓરકેસ્ટ્રા જેવા સાધનોનો સાર્વત્રિક રીતે ઉપયોગ થાય છે.


ભાજપ સામે કોંગ્રેસ-બસપ-અપક્ષનો પડકાર

ગાંધીધામ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયા બાદ હવે નગરસેવક બનવાની તક ઝડપવા માટે મુખ્ય બે અને અન્ય પક્ષોના ઉમેદવારોએ પ્રચારકાર્યના શ્રીગણેશ મંદગતિએ કર્યા છે. આદિપુર સ્થિત વોર્ડ નં. એકમાં ‘દિવ્ય ભાસ્કર’ની ટીમે જ્યારે લોકપ્રતિનિધિઓ અને પાલિકાની કામગીરી તથા હવે જનતાનો ચુકાદો શું હોઇ શકે એ માટે રૂબરૂ મુલાકાત લીધી, ત્યારે ચાલુ ટર્મના સત્તાધીશોની કામગીરી અને તેની સામેનો રોષ ઉભરી આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, એક સમયે આ વોર્ડ કોંગ્રેસનો ગઢ ગણાતો હતો જે ભાજપે છીનવી લીધો હતો. આ વખતે ભાજપે સત્તા ટકાવવી હશે તો કોંગ્રેસ ઉપરાંત બસપ સામે લડવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. વોર્ડ ૧માં નવા બનેલા સીસીરોડ પર ગટર-સફાઇની રેલાઇ ગયેલી સમસ્યાઓ ભાજપને લપસાવી પરિવર્તન આણી શકે અથવા અન્ય હરીફ પક્ષોના ઉમેદવારોને નગર સેવક બનવાના સ્વપના અધૂરા રહી જાય તેમ છે.


ભાવનગર શહેરમાં ઉમેદવારો હવે ઘરે ઘરે જઈ પ્રચાર કાર્યમાં લાગી ગયા

ભાવનગર શહેરમાં ૧૦મી ઓક્ટોબરને રવિવારે યોજાનારી મહાનગરપાલિકાના ૧૭ વોર્ડની ૫૧ બેઠકો માટેની ચૂંટણી પ્રચારના ભુંગળા આજે સાંજથી બંધ થઈ ગયા બાદ હવે વ્યક્તિગત સંપર્ક, ટેલિફોનિક અને SMS કે ઈ-મેઈલથી પ્રચાર શરૂ થઈ ગયો છે. ભાવનગરમાં આ વખતે ચૂંટણીમાં જ્ઞાતિવાદ વધુ વકર્યો છે અને આવા મતલબના SMS પણ ફરી રહ્યાં છે.ભાવનગર શહેરની ૫૧ બેઠકો માટેની ચૂંટણીના મતદાનનો પ્રચાર આજે સાંજથી પૂર્ણ થતા હવે ભાજપ, કોંગ્રેસ, મજપા સહિતના રાજકીય પક્ષોના ઉમેદવારોએ ડોર-ટુ-ડોર સંપર્ક તેમજ રાત્રિ ઓટલા બેઠકોમાં પ્રચાર શરૂ કરી દીધો છે.

08 October 2010

શુક્રવારથી નવલાં નોરતાનો રંગ જામશે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


શુક્રવારથી નવલાં નોરતાનો રંગ જામશે

‘‘આવ્યા રે આવ્યાં નવરાત્રિના દિન જો ગરબે ઘૂમવાને નવલાં નોરતા’’નો શુક્રવારથી પ્રારંભ થઇ રહ્યો છે. મા જગદંબાની આરાધના અને ઉપાસનાના પર્વની ઠેર-ઠેર તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. મા આધ્યશકિતના મંદિરોને રોશનીથી ઝગમગી ઉઠયાં છે. જ્યારે ગરબે ઘૂમવા ખેલૈયાઓમાં પણ ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.ગરબા આયોજકોએ પણ નવરાત્રિ મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. સમગ્ર જિલ્લામાં નવરાત્રિ પર્વની ઉજવણી માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે.


રાજકોટમાં કોંગ્રેસ માટે આજે મહિમા ચૌધરીનો રોડ શો

જાણીતી હસ્તીઓને ચૂંટણી પ્રચારમાં ઉતારવાની એક પરંપરામાં રાજકોટવાસીઓને વધુ એક ફિલ્મી હસ્તીને રૂબરૂ નિહાળવાની તક આવતીકાલે મળવાની છે. કોંગ્રેસ દ્વારા આ વખતે ધૂમધડાકાભેર પ્રચાર થઇ રહ્યો છે. સભાઓ ગજાવ્યા બાદ હવે આવતીકાલે અભિનેત્રી મહિમા ચૌધરીને કોંગ્રેસના પ્રચાર માટે રાજકોટ લાવી તેના રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે.રોડ-શોમાં રાજકોટના એકપણ વિસ્તારને બાકાત રખાયો નથી. ન્યૂ રાજકોટથી લઇ સેન્ટ્રલ અને ઉપલાકાંઠાના મુખ્ય તમામ માર્ગો પર ફરશે. રોડ-શો વખતે શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી, કાર્યકારી પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરુ, નરેન્દ્રસિંહ જાડેજા, ડૉ. શાંતાબેન ચાવડા, કાશ્મીરાબેન નથવાણી, અશોક ડાંગર સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.


રાજકોટ : વિદ્યાર્થી સહિત બેને છરી બતાવી મોબાઇલ લૂંટી લેનાર બેલડી ઝડપાઇ

આજી ડેમ નજીક રાતે એકલ દોકલ વ્યક્તિને આંતરી મોબાઇલ અને રોકડની લૂંટ ચલાવી નાસી જતા બાઇક સવાર બે શખ્સની ઓળખ મળી જતા પોલીસે બન્નેની ધરપકડ કરી છે. બન્ને આરોપી અગાઉ ચીલઝડપના ૧૨ ગુનામાં પકડાઇ ચૂક્યા છે.ચોરી, ચીલઝડપમાં પકડાઇ ચૂકેલા સુનિલ ઉર્ફે ચોટો હરિભાઇ બાબરિયા (ઉ.વ.૨૦) અને ઇરફાન અનવરભાઇ મીઠાણી (ઉ.વ.૨૦, રહે. બન્ને ભવાનીનગર, રામનાથપરા) ચોરાઉ મોબાઇલ વેચવા આવવાના છે તેવી માહિતીના આધારે ફોજદાર બી.આર.દવેરાએ બન્નેને ઝડપી લીધા હતા.


આણંદ જિલ્લામાં દારૂબંધીથી જ રાજ્યનો વિકાસ થયો છે

‘ગુજરાતમાં દારૂનું દુષણ અટકાવવું મુશ્કેલ છે. એકલી પોલીસ આ દુષણ દૂર ન કરી શકે, એ માટે સમાજના તમામ વર્ગોનો સહકાર અનિવાર્ય છે.’ ઉક્ત શબ્દો આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ આણંદના પત્રકારોને સંબોધતાં રાજ્યના પોલીસ વડા એસ.એસ. ખંડવાવાલાએ ઉચ્ચાર્યા હતા.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, દારૂબંધીના કારણે જ ગુજરાતનો આટલો વિકાસ થયો છે. સાથે સાથે દારૂબંધીના કારણે ગુજરાતમાં ક્રાઇમ રેટ ઓછો છે. દારૂનુ દુષણ દૂર કરવા માટે પોલીસને મિડિયા, સામાજીક, ધાર્મિક સંસ્થાઓ તેમજ સ્કૂલ કોલેજોના સહકાર આપવામાં આવે તો આ બદીને મહદઅંશે દૂર કરી શકાય તેમ છે.


આણંદ જિલ્લા પંચાયતમાં ૯૦ ઉમેદવાર મેદાનમાં

આણંદ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીના ફોર્મ પાછા ખેંચવાના દિવસે ત્રણ અપક્ષે ફોર્મ પાછાં ખેંચ્યા હતા. જ્યારે ડમી તથા વાસદ બેઠક પર એક અપક્ષનું ફોર્મ રદ્દ થતાં હવે મેદાનમાં ૯૦ જ ઉમેદવારો રહ્યાં છે.આણંદ જિલ્લા પંચાયતની ૩૭ બેઠકમાં કુલ ૨૧૫ ફોર્મ ભરાયા હતાં. જેમાં ફોર્મ ચકાસણીના પ્રથમ દિવસે જ ભાજપના ૨૯ અને કોંગ્રેસના ૯૨ ફોર્મ ડમી ઉમેદવારના રદ્દ થયા હતા.આ ઉપરાંત અપક્ષ ઉમેદવારમાં બામણગામના મગનભાઈ મોતીભાઈ પઢીયાર, નાપાડવાંટા બેઠક પર પ્રતિકકુમાર નરેન્દ્રકુમાર પટેલ, સોજીત્રાના કાસોરની બેઠક પર પરેશ બિપીનભાઈ જોષીએ ઉમેદવારી પાછી ખેંચી હતી. જ્યારે વાસદ બેઠક પર અપક્ષ ઉમેદવાર અર્જુન મોતીભાઈ ગોહેલનું ફોર્મ રદ્દ થયું હતું.


દીપરાકાંડ : ફરિયાદીનું હાઇકોર્ટમાં સોગંદનામું

મહેસાણા સ્પેશ્યલ કોર્ટમાં હાલમાં પૂર્ણતાના આરે પહોંચેલા બહુચર્ચીત દીપરા દરવાજા કાંડમાં જેલભેગા કરાયેલા બન્ને આગેવાનોએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી મૂકી હતી. જામીન અરજીની સુનાવણી સમયે આ કેસના મૂળ ફરિયાદીએ કરેલા સોગંદનામાને પગલે કોર્ટે આગામી ૧૩ ઓક્ટોબર ઉપર જામીન અરજીની સુનાવણી મુલતવી રાખી હતી.ગોધરાકાંડને પગલે આઠ વર્ષ પૂર્વે વિસનગરના દીપરા દરવાજા ખાતે અગિયાર વ્યક્તિઓને ઉશ્કેરાયેલા ટોળાએ સળગાવી દેવાના ઘટનાક્રમ વચ્ચે મહેસાણા કોર્ટમાં શરૂ થયેલ આ કેસની કાર્યવાહી દરમિયાન સાક્ષીઓ તેમજ મૂળ ફરિયાદીએ આપેલા નિવેદન સહિતની કાર્યવાહીને ધ્યાનમાં રાખી કોર્ટે વિસનગરના પૂર્વ ધારાસભ્ય પ્રહલાદ ગોસા તેમજ પૂર્વ નગરપાલિકા પ્રમુખ ડી.ટી.પટેલને આ કેસમાં આરોપી તરીકે લઈ તેઓને જેલ ભેગા કર્યા હતા. લાંબા સમય ગાળાથી જેલમાં રહેલા આ બન્ને આગેવાનોએ તાજેતરમાં મહેસાણા કોર્ટમાં જામીન અરજી રદ થયા બાદ હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી.


મહેસાણા : લગ્ન ટાણે ભાગી ગયેલી યુવતી સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ

મહેસાણા કસ્બામાં આવેલ મુસલીયાવાસમાં રહેતા ઈનોઈતુલ્લા શાહમહંમદ અન્સારીની પુત્રી મહેજબીનબાનુના લગ્ન નક્કી કરેલ હોઈ તેના માટે સોનાના દાગીના તેમજ રોકડ ઘરમાં લાવીને રાખ્યાં હતાં. આ દરમિયાન તેમના જ વિસ્તારમાં કુંભારવાસમાં રહેતા વલીઉલ્લા મજીબુલ્લાએ યુવતીને પોતાની વાતોમાં ભોળવી નાસી જવાનો પ્લાન બનાવ્યો હતો. જે અનુસંધાને ગત ૯ ઓગસ્ટના રોજ મહેજબીનબાનુનું સોનાના આઠ તોલાના દાગીના તેમજ રોકડ રૂ. ૨લાખ સાથે વલીઉલ્લાખાન અપહરણ કરી ગયો હતો. આ અંગે શહેર પોલીસે ફરિયાદ ન લેતા આખરે ઈનોઈતુલ્લા શાહ મહંમદે મહેસાણા ચીફ કોર્ટમાં ફરિયાદ આપી હતી. જે અનુસંધાને કોર્ટે આ કેસમાં પોલીસ ફરિયાદ કરવા શહેર પોલીસને કરેલા હુકમને પગલે આખરે વલ્લીઉલ્લા મજીબુલ્લા અન્સારી, વસીઉલ્લા મજીઉલ્લા અન્સારી તથા મહેજબીનબાનુની વિરુદ્ધમાં અપહરણ, બળાત્કાર, ચોરીની કલમો લગાવી કાર્યવાહી હાથ ધરાઈ છે.


સ્ટિલ કિંગ લક્ષ્મી મિત્તલની કંપનીને જોરદાર ફટકો

સ્ટિલ કિંગ લક્ષ્મી મિત્તલની કંપનીને જબરદસ્ત ફટકો પડ્યો છે. મિત્તલની કંપની આર્સેલર મિત્તલને કાર્ટેલિંગ (Business coalition Karaec)કરવાના આરોપ સર યુરોપિયન કમીશને ભારે દંડ ફટકાર્યો છે.દુનિયાની આ સૌથી મોટી સ્ટિલ કંપની ઉપર 23 કરોડ યૂરો (રૂ. 1422કરોડ આસપાસ)નો દંડ ફટકારવામાં આવ્યો છે. આરોપ છે કે આર્સેલર મિત્તલ કેટલીક અન્ય કંપનીઓ સાથે મળીને સ્ટિલની કિંમતો મનમાની રિતે નક્કી કરી રહ્યાં હતા.


ભારત 30 અબજ ડૉલરના ફાઇટર પ્લેન ખરીદશે

ભારત અને રૂસ વચ્ચે પાંચમી પેઢીના વિમાન એક સાથે તૈયાર કરવાને લગતા કરાર ઉપર ટૂંક સમયમાં હસ્તાક્ષર થવા જઈ રહ્યા છે. ડિસેમ્બરમાં રૂસી રાષ્ટ્રપતિની ભારત મુલાકાત દરમિયાન આ કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવશે.અત્યારે દુનિયામાં માત્ર અમેરિકા જ એક એવું રાષ્ટ્ર છે જેની પાસે પાંચમી પેઢીના એફ-22 રેપ્ટર વિમાનો ઉપલબ્ધ છે. અને તે અત્યારે એફ-35ના નામના એક વધુ પાંચમી પેઢીના વિમાન ઉપર કામ કરી રહ્યું છે.


સ્કૂટર સવારીની મજા માણશે આમિર-કરિના

ફિલ્મ 3 ઈડિયટ્સમાં કરિના કપૂર અને આમિર ખાને સાથે કામ કર્યુ હતું. આ ફિલ્મમાં આમિર અને કરિનાએ સ્કૂટર સવારીની મજા માણી હતી.હવે, આમિર અને કરિના ટુ વ્હીલર કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. કરિના ટુ વ્હીલર સરળતાથી ચલાવી શકે છે.કરિનાએ સ્વીકાર્યુ હતું કે, તેણે 3 ઈડિયટ્સમાં જે બ્રાન્ડનું ટુ વ્હીલર ચલાવ્યું હતું તે જ બ્રાન્ડની તે બ્રાન્ડ એમ્બેસેડર બની છે.આમિર પુરૂષો માટેના સ્કૂટરની જાહેરાત કરશે, જ્યારે કરિના યુવતીઓ માટેના વાહનની જાહેરાત કરશે.

અમીત શાહની જામીન અરજીનો ચૂકાદો ૪::૩૦ બાદ આવશે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


અમીત શાહની જામીન અરજીનો ચૂકાદો ૪::૩૦ બાદ આવશે

સોહરાબુદ્દિન એન્કાઉન્ટર કેસમાં અમીત શાહની જામીન અરજીનો આજે ચુકાદો આવવાની શક્યતાને પગલે તેના ટેકેદારો તથા સમાચાર સંસ્થાઓના કર્મારીઓ મોટી સંખ્યામાં સવારથી જ સીબીઆઇ કોર્ટમાં હાજર થઇ ગયા હતા.સામાન્ય રીતે પ્રથમ બોર્ડમાં જ અમીત શાહ કેસની સુનાવણીઓ શરૂ થતી હોવાથી મોટા ભાગના લોકો સવારથી જ હાજર થઇ ગયા હતા જોકે બાદમાં કોર્ટ કાર્યવાહી શરૂ થતાં એ બાબત ધ્યાન પર આવી હતીકે કેસનો ચૂકાદો બપોર પછીના બીજા બોર્ડમાં રાખવામાં આવી છે. તેથી હવે આ કેસનો ચૂકાદો સાંજે ૪:૩૦ બાદ આવવાની શક્યતા છે.

અમદાવાદ : ૩૦૦ સ્કૂલવાન બંધ રહેનાર હોઇ વાલીઓમા રોષ

શનિવારના રોજ ૩૦૦ જેટલી સ્કૂલવર્ધીની વાન બંધ રહેનાર હોઇ વાલીઓમા રોષ ફેલાયો છે. શનિવારના રોજ મોટાભાગની શાળાઓ સવારની હોઇ વાલીઓને વહેલી સવારે ઉઠી બાળકોને સ્કૂલે મુકવા જવાનુ હોઇ રોષ ફેલાયો છે.શનિવારના રોજ સ્કૂલવાન બંધ રહેનાર હોઇ વાલીઓએ બાળકોને સ્કૂલે મુકવા જવાનો વારો આવશે. એમા પણ શનિવારના રોજ મોટાભાગની સ્કૂલો સવાર પાળીમા ચાલનાર હોઇ વાલીઓએ વહેલા ઉઠીને સ્કૂલે વિદ્યાર્થીઓને મુકવા જવુ પડશે. જેથી વાલીઓમા રોષ જોવા મળી રહ્યો છે.


નરોડામાં ગળા ફાંસો ખાઇ યુવાને જીવન ટુંકાવ્યુ

નરોડામાં ખુલ્લા મેદાનમાં ઝાડની ડાળી સાથે પ્લાસ્ટીકની દોરી બાંધી યુવાને ગળા ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટનાએ રહીશોમાં ભારે ચકચાર મચાવી દીધી હતી.પ્રાપ્તમાહિતી અનુસાર,નોબલનગર સુભાષનગરના કાચા છાપરામાં રહેતો અંબિકા પ્રસાદ લાલ ચંદ્ર પ્રસાદ(ઉ.વ.૨૧) નરોડા જીઆઈડીસીમાં આવેલી રામેશ્વર ફાઉન્ડરી નામની ભઢ્ઢીમાં નોકરી કરતો હતો. અંબિકા પ્રસાદે નરોડા જીઆઈડીસી લાયન્સ સ્કુલ પાસેના ખુલ્લા મેદાનમાં જઇ ઝાળની ડાળી સાથે પ્લાસ્ટીકની દોરી બાંધી ગળા ફાંસો ખાઇ લીધો હતો.


બાળકી સાથે અડપલાં કરતાં સ્કૂલવેનના ચાલકની ધોલાઈ

મરીમાતાના ખાંચામાં રહેતી ધો.૪ની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કરનાર સ્કુલવેનના ચાલકને આજે બપોરે વિદ્યાર્થીનીની પરિવારજનોએ પકડીને ધોલાઈ કરી હતી.દાંડિયાબજાર વિસ્તારમાં મરીમાતાના ખાંચા પાસે રહેતી એક કિશોરી શહેરની જાણીતી શાળાના ધો.૪માં અભ્યાસ કરે છે. ગઈ કાલે સ્કૂલવેનના ચાલકે શાળા છુટયાં બાદ તેને ઘરે લાવતી વખતે તેની સાથે શારીરિક ચેડાં કર્યા હતા. જેથી પરિવારજનોએ વેનચાલક યુવકની ગઈ કાલના બનાવની પૂછપરછ કરી હતી.


ખોટી રીતે ફોર્મ રદ કર્યાના આક્ષેપ : ચૂંટણી અધિકારીને નોટિસ

સેવાસદનની ચૂંટણીમાં વોર્ડનં-૧૭માંથી ઉમેદવારી રદ કરાતાં અપક્ષ ઉમેદવારના વકીલે ખોટી રીતે ઉમેદવારી રદ કરવા બદલ શહેર ચૂંટણી અધિકારી અને વોર્ડના ચૂંટણી અધિકારીને નોટિસ ઇશ્યુ કરી હતી.સેવાસદનના વોર્ડનં-૧૭ના અપક્ષ ઉમેદવાર પ્રમોદ શાહના ચૂંટણી ફોર્મમાં દરખાસ્ત કરનાર તથા ટેકો આપનાર યાદીમાં ક્રમાંક નંબર ન હોવાનું કારણ રજુ કરીને ચૂંટણી અધિકારીએ તેમનું ફોર્મ રદ કર્યું હતું.


કતારગામમાં કોંગ્રેસ ભાગલા પાડીને રાજ કરે છે : ફળદુ

કતારગામમાં લલિતાચોકડી પાસે યોજેલી જાહેર સભાને સંબોધતાં ભાજપના પ્રદેશ પ્રમુખ ફળદુએ કહ્યું કે, ભાજપે સુરતને દેશમાં અગ્રિમ સ્થાન અપાવ્યું છે. ભાજપ જે બોલે છે તેને આચરણમાં મૂકે છે પણ કોંગ્રેસે અંગ્રેજોની જેમ ભાગલા પાડીને રાજ કરવાની નીતિ અખત્યાર કરી છે.રાજ્યમાં કોંગ્રેસના સમયમાં નિર્દોષ લોકોને લૂંટનારાઓનું વર્ચસ્વ હતું પણ ભાજપે આવા તમામ ‘દાદા’ઓને ભગાવીને માત્ર હનુમાનદાદાને જ રાખ્યા છે. છેલ્લાં નવ વર્ષમાં મુખ્યમંત્રીએ ગુજરાતને શાંતિ અને સલામતીની સાથે વિકાસનું શાસન આપ્યું છે પરંતુ કોંગ્રેસને ઊભા કોઠે પીડા ઊપડી છે એટલે ગુજરાત સરકારને ઊથલાવવા માટે ત્રાંસી આંખ કરી રહી છે. ગુજરાતમાં અશાંતિ ફેલાવવા માગતા આતંકવાદીઓનો ખાત્મો જો ગુજરાતની પોલીસે બોલાવ્યો હોય તો કોઇ પાપ નથી કર્યું.


‘સી.એમ.ની રાજનીતિ સમાજને તોડવાની છે’

રાજસ્થાનનાં કોંગી મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુરુવારે સુરતમાં ચૂંટણી પ્રચારાર્થે આવ્યા હતાં. સુરતમાં રાજસ્થાની મતદારોની સંખ્યા ખૂબ મોટી છે ત્યારે રાજસ્થાનનાં મુખ્યમત્રીનું આગમન કોંગ્રેસ દ્વારા રાજસ્થાની લોકોને પોતાની તરફ આકર્ષવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમની કોમવાદી નીતિઓનો ઉપયોગ કરીને સમાજને તોડવાની કુચેષ્ટા કરી રહ્યાં હોવાનો આક્ષેપ ગેહલોતે કર્યો હતો. ભાજપે હંમેશા કોમવાદના નામે લોકોને ઉશ્કેરીને સમાજમાં પલિતો ચાંપવાની ચેષ્ટા કરી છે તેની સામે કોંગ્રેસે તેની સદભાવનાથી આ ભડકો હોલવવાના પ્રયાસ કર્યા છે.રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું કે ગુજરાતના વિકાસ માટે કોંગ્રેસ દ્વારા કોઇ પણ ભેદભાવ વગર વિવિધ યોજનાઓ પાછળ કરોડો રૂપિયાની લ્હાણી પ્રજાની સુખાકારી માટે કરી છે. ગુજરાતનાં મુખ્યમંત્રી કોંગ્રેસની આ સખાવતને પોતાના નામે ચઢાવીને પ્રજાને ગુમરાહ કરી છે. દેશમાંથી ભાજપને જાકારો આપવામાં આવ્યો છે. તેની સામે કોંગ્રેસ ગાંધીજીના સિધ્ધાંતોને વરેલી છે. દેશ આઝાદ થયો ત્યારે દેશની તિજોરી ખાલીખમ હતી.દેશમાં તમામ પ્રકારની પ્રાથમિક સવલતોનો અભાવ હતો. તેવા વિકટ સંજોગોમાં દેશને તથા લોકોને કોંગ્રેસ દ્વારા આજે તમામ પ્રકારની સુખાકારી આપવામાં આવી છે. કોંગ્રેસના હાઇકમાન્ડ સોનિયા ગાંધીએ પોતે સત્તાને લાત મારીને કલુષિત રાજકારણમાં એક ઉમદા ઉદાહરણ આપ્યું છે. કેન્દ્રમાં જે વિકાસ એનડીએના સમયે થયો તેનાં કરતાં બમણી ઝડપે યુપીએના સમયમાં થયો છે.


ગૌમાંસ નિકાસ કરનારને સબસીડી અને ખેડૂતો પર લદાતો વેરો

મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે ગૌમાંસની નિકાસ માટે પણ સબસીડી આપી તેને પ્રોત્સાહન પુરૂ પાડે છે તો ઘરઆંગણે અને ખાસ કરીને ગુજરાતના ખેડૂતોને જીવાદોરી સમા કપાસની નિકાસ માટે વેરા લાદી દે છે. આ તો કેવો અન્યાય? તેવો પ્રશ્ન કરી ભાવેણાવાસીઓ આનો જડબાતોડ જવાબ રવિવારે મતદાન કરી કોંગ્રેસને આપી દેશે તેમ જણાવ્યું હતું.


ભાવનગર : મોટા ઉમરડાની મહિલાના પેટમાંથી ૧૦ કિલોની ગાંઠ કઢાઇ

ગઢડાના મોટા ઉમરડા ગામના રહિશ બાલુબેન બોઘાભાઈ સાંટીયા (ઉ.વ.૪૫) છેલ્લા દોઢ વર્ષથી પેટમાં દુ:ખાવાના દર્દથી પીડાતા હતા. બાદ તેઓએ નિદાન કરાવતા તેમના પેટમાં ગાંઠ હોવાનું જણાતા તેઓને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવતા અને ત્યાં નિષ્ણાંત ડૉ. વિજય ઠક્કર તથા એનેસ્થેટીક ડૉ. પ્રવિણસિંહ વાઘેલા દ્વારા સઘન ઓપરેશન હાથ ધરી મોટા ઉમરડાની મહિલાના પેટમાંથી ૧૦ કિલો વજન ધરાવતી ૧૭ બાય ૧૦ ઈંચની ગાંઠ સફળતાપૂર્વક બહાર કઢાઈ હતી. હાલ આમ દોઢ વર્ષથી પીડાતી મહિલા સ્વસ્થ બની હતી.


ભાવનગર : મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ લાંચ લેતા ઝડપાયા

દુ:ખી અને લાચાર મહીલાઓ પાસેથી તેની મજબુરીનો લાભ લઈને ભાવનગર મહિલા પોલીસ મથકમાં ખુલ્લેઆમ ફરીયાદી અને આરોપીઓ પાસેથી નાણા ખંખેરવાની પ્રવૃત્તિ ધમધમતી હોયને, જે અંગે એક મહિલાએ હિંમતપૂર્વક પોલીસનો સામનો કરીને, ભ્રષ્ટાચાર અંગેની સિલસિલાબંધ રજુઆત એ.એસ.પી. પ્રદીપ શેદુળને કરતા, જેમાં મહીલા પોલીસ મથકમાં ટ્રેપ ગોઠવીને આ પોલીસ મથકના પીએસઆઈ એચ.ડી.સોલંકીને રૂ.૩ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવાયા હતા. છેલ્લા દસ વર્ષ દરમ્યાન મહિલા પોલીસ મથકની અંદર ૪૯૮ (ક), દહેજ ધારો, સ્ત્રી અત્યાચાર તથા કરીયાવર પાછો અપાવવા માટેની કાર્યવાહી સહિતની કામગીરી અંગે પોલીસ મથકના ફોજદાર, અને મહીલા પોલીસ કોન્સ્ટેબલોએ ભ્રષ્ટાચારની દુકાન ખોલી નાંખતા રોજ ફરીયાદી અને આરોપી પાસેથી નાણાં લીધા વગર કામ નહીં કરવાનું નક્કી થતા અનેક લોકો આનો ભોગ બની ગયા હતા.


વિશ્વનું સૌથી મોટું કાર્ગો શિપ પ્રથમવાર અદાણી બંદરે આવશે
પાં
ચ હજાર કન્ટેઇનરોને સમાવી શકે તેવું દુનિયાનું સૌથી મોટું માલવાહક જહાજ ભારતમાં પહેલીવાર મુન્દ્રા અદાણી પોર્ટ પર આવશે.અમે.વી./આઇ.ઓ.એન./આઇ.એ.એન. - પ્રોસ્ટેરિટી નામનું આ વિશાળ શિપ સાઉથ આફ્રિકાના રિચાર્ડબેથી રવાના થયું છે અને સંભવત: ૧૧મી તારીખે મુન્દ્રા આવી પહોંચશે. અદાણી પોર્ટના સૂત્રોએ જોકે કહ્યું હતું કે, તેના આગમનનો દિવસ નિશ્વિત નથી. એકાદ દિવસમાં તેનું શિડ્યુલ આવી જશે.મુન્દ્રા પોર્ટમાં અત્યાર સુધી અધિકત્તમ એક લાખની ઉંડાઇ ધરાવતા જહાજ જેટી પર લાંગયાઁ છ,ે ત્યારે આ શિપની ડેફથ એક લાખ પંચોતેર હજાર હશે, જેને બીજી ભાષામાં ડસ્પિ્લેસમેન્ટ કહી શકાય. ૧,૫૧,૨૯૦ મેટ્રિક ટન વજનનું આ જહાજ કચ્છના કાંઠે લાંગરાશે એ ઘટના દરિયાઇ ઈતિહાસમાં પ્રથમ હશે.


કચ્છની સુધરાઇની ૧૪૫ બેઠકો માટે ૩૮૬ મુરતિયા

કચ્છની ચાર સુધરાઇના ચૂંટણી જંગનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે કુલ ૧૪૭ પૈકી ૧૪૫ સીટો માટે ૩૮૬ જેટલા મુરતિયાઓ મેદાનમાં રહયા છે. ભુજ અને અંજારમાં એક-એક બેઠક બિનહરીફ વિજેતા જાહેર થઇ ચૂકી છે.નગરપાલિકામાં ફોર્મ પરત ખેંચવાના આજના અંતિમ દિવસે જોકે ખાસ રોમાંચકતા જોવા મળી નહોતી અને ૨૫ જેટલાં નામાંકનો પરત ખેંચાયાં હતાં સૌથી વધુ ગાંધીધામની ૧૪ વોર્ડની ૪૨ બેઠકોમાં ૧૩૩ ફોર્મ માન્ય રહયા હતા જેમાંથી ૯ પરત થઇ જતા હવે ૧૨૪ ઉમેદવારો રહયા છે. અંજારમાં ૧૨ વોર્ડની ૩૫ બેઠકો પર ૧૧૨ ઉમેદવારો ઝંપલાવશે. અહીં ૧૨૨ નામાંકન માન્ય રહયા હતાં અને ૧૦ પાછાં ખેચાયા હતાં તો પાંચમાં વોર્ડની એક બઠક બિનહરીફ થઇ હતી.


પુણેમાં જેલના રક્ષકે સગીર બાળાનો વિનયભંગ કર્યો

આટપાડા સ્થિત સ્વતંત્રપુર જેલના રક્ષકે શાળામાં ભણતી એક કિશોરીની છેડતી કર્યાની ઘટના બની હતી. આ કિશોરીને જેલમાં કેદ તેના પિતાની સજામાં વધારો કરી દેવાની ધાક દાખવીને તેની સાથે કુકર્મ આચયું હતું. આ ઘટના બાદ રક્ષક નાના બંસી ભોસલે ફરાર હોવાનું પોલીસે જણાવ્યું હતું. ભોસલેએ કિશોરી શાળામાંથી પાછી આવતી હતી ત્યારે તેને ધમકી આપીને સૂમસામ સ્થળે લઈ જઈને તેની સાથે વિનયભંગ કર્યો હતો.બીજે દિવસે પણ ભોસલેએ આવું જ કહીને કિશોરીની સાથે અડપલાં કર્યાં હતાં. ત્યાર બાદ કિશોરીએ તેની માતાને આ બાબતની જાણ કરતાં તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભોસલેની વિરુદ્ધમાં સગીર સાથે વિનયભંગ કરવાનો ગુનો નોંધીને તેની શોધ આદરી હતી.

મુબઈ : મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે વીજબોર્ડને કરંટ આપ્યો

મુબઈનાં ઉપનગરોમાં ૨૮ લાખ વીજળી ગ્રાહકો ઉપર રિલાયન્સ વીજળી કંપનીના જબરદસ્ત ભાવ વધારાનો બોજ ન પડવો જોઈએ, એવી માગણી રાજ્યના પ્રધાન મંડળની બેઠકમાં એક અવાજે કરવામાં આવ્યા બાદ વીજળી સંબંધી કાયદાની જોગવાઈઓનો ઉપયોગ કરીને આ ભાવવધારાને સ્થગતિ આપવાનો આદેશ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી બોર્ડને આપ્યો હતો. હવે બોર્ડ એ માટે શાં પગલાં લે છે તેની ઉપર સૌની નજર છે.પ્રધાનમંડળની બેઠકમાં ઉપનગર જિલ્લાના પાલક પ્રધાન નસીમ ખાને રિલાયન્સ દ્વારા વીજળીના ભાવમાં વધારાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. ખાને કહ્યું હતું કે, ‘ઉપનગરોમાં મધ્યમવર્ગીય અને ગરીબ લોકો રહે છે. તેમને રિલાયન્સના દર પરવડતા નથી. ટાટાની વીજળી અને રિલાયન્સની વીજળીના ભાવમાં બેથી પાંચ રૂપિયાનો તફાવત છે.’

મુબઈ : નવેમ્બર-ડિસેમ્બરમાં વધુ હોલિડે સ્પેશિયલ ટ્રેન દોડાવશે

પશ્ચિમ રેલવે શિયાળા દરમિયાન વધુ બે રુટ પર વિશેષ ટ્રેનો દોડાવશે. તેમાં ૭ નવેમ્બરથી ૨૭ ડિસેમ્બર સુધી અમદાવાદ અને મડગાવ (વાયા વસઈ) વચ્ચે સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન અને ૬ નવેમ્બરથી ૧૩ ડિસેમ્બર સુધી જયપુર અને સકિંદરાબાદ વચ્ચે સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનનો સમાવેશ છે, એમ પ. રેલવેનાં સૂત્રોએ જણાવ્યું હતું.અમદાવાદથી ગોવા જવા માટે મડગાંવ સુપરફાસ્ટ ટ્રેન દર રવિવારે બપોરે ૨.૧૦ વાગ્યે રવાના થઈને બીજે દિવસે સવારે ૨.૩૦ વાગ્યે મડગાંવ પહોંચશે. વળતા મડગાંવથી આ ગાડી દર સોમવારે બપોરે ૩.૩૦ વાગ્યે રવાના થઈબીજે દિવસે બપોરે ૧.૩૫ વાગ્યે અમદાવાદ પહોંચશે.

કોમવેલ્થ ગેમ્સને અધવચ્ચેથી છોડવાની યુગાન્ડાની ધમકી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



કોમવેલ્થ ગેમ્સને અધવચ્ચેથી છોડવાની યુગાન્ડાની ધમકી

કોમવેલ્થ ગેમ્સ વિલેજમાં ત્રણ અધિકારીઓ દુર્ઘટનાનો શિકાર થયા બાદ તેની ગંભીરતાથી તપાસ નહીં કરવા બદલ યુગાન્ડાએ ગેમ્સમાંથી હટી જવાની ધમકી ઉચ્ચારી છે. યુગાન્ડાએ આરોપ લગાવ્યો છે કે, ગેમ્સની આયોજન સમિતિ અને દિલ્હી પોલીસ તપાસ પ્રક્રિયામાં તેઓને મદદ કરી રહી નથી. યુગાન્ડાના ખેલમંત્રીએ નારાજગી વ્યક્ત કરીને ભારતીય ખેલમંત્રી એમએસ ગિલ દ્વારા આયોજીત ડિનરનો પણ બહિષ્કાર કરી દીધો છે.ગેમ્સ વિલેજ પાસે એક દુર્ઘટનામાં યુગાન્ડાના શેફ ડિ-મિશન વિલિયમ તુમાવઇન, પ્રશાસનિક અધિકારી આઇરન અને પ્રેસ એટૈચી જૂલિયટ ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. હાલ તેઓનું સ્વાસ્થ્ય સારું છે.


મહિલા દોડવીરે ઓસ્ટ્રેલિયાનું નાક કપાવ્યું, ગોલ્ડ મેડલ છીનવાયો

ઓસ્ટ્રેલિયાની ઝડપી મહિલા દોડવીર સેલી પિયરસન પાસેથી કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન 100 મીટર દોડનો ગોલ્ડ મેડલ છીનવી લેવામાં આવ્યો છે. પિયરસને દોડ 11.28 સેકન્ડમાં પૂર્ણ કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો. પરંતુ તેની દોડની શરૂઆત વિવાદાસ્પદ હતી. જ્યૂરીએ તપાસ બાદ તેને દોષી જાહેર કરીને મેડલ પરત લઇ લીધું હતું.જો કે, ઇંગ્લેન્ડની લાઉરા ટર્નરને અધિકારીઓ દ્વારા દોડની પરાવનગી સંદર્ભે બંદૂક ચલાવતા પહેલા જ દોડ શરૂ કરવા બદલ પહેલા જ રેડ કાર્ડ બતાવાયું હતું. જો કે, પિયરસને પણ આ જ રીતે દોડની શરૂઆત કરી હતી. જેના પર અધિકારીઓની નજર પડી ન હતી. રેસ પૂર્ણ થાય બાદ ટર્નર અંતિમ સ્થાન પર જ રહી જ્યારે ઓસ્ટ્રેલિયાની પિયરસને સ્પર્ધા જીતી લીધી હતી. જો કે, ટર્નરે ત્યારે અધિકૃત રીતે પિયરસન સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.


શૂટિંગ-તીરંદાજીમાં ભારતને ગોલ્ડ મેડલ

ભારતે પાંચમા દિવસે પણ ગોલ્ડ મેડલ જીતવાનું ચાલું રાખ્યું છે. તીરંદાજી અને શૂટિંગમાં ગોલ્ડ મેડલ મેળવીને ભારતના કુલ ગોલ્ડ મેડલની સંખ્યામાં 16એ પહોંચી છે. મહિલા ટીમે તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યું છે. તો શૂટિંગમાં નાંરગ-ઇરમાનની જોડીએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ સાથે કોમનવેલ્થમાં ગગન નારંગના નામે ત્રણ ગોલ્ડ મેડલ થઇ ગયા છે.


કોમનવેલ્થની ક્લોઝિંગ સેરેમનીમાં કિંગ ખાન પર્ફોમ નહિ કરે

સરકાર કોમનવેલ્થના ક્લોજિંગ સેરેમનીને લઈને ચિંતામાં છે. જો કે ક્લોઝિંગ સેરેમનીમાં કિંગ ખાન પર્ફોમ કરે તો તેને આપવામાં આવતી રકમ કોણ આપશે તેને લઈને ચર્ચા થઈ રહી છે અને માનવામાં આવે છે કે, કિંગ ખાન પર્ફોમ કરશે નહિ.
ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં ગુરૂવારના રોજ આ અંગે ચર્ચા થઈ હતી. જો કે સરકારે સ્પષ્ટ રીતે સંકેત આપ્યો છે કે, શાહરૂખ પર કરવામાં આવતી ખર્ચની રકમ સરકાર આપશે નહિ.ત્યારબાદ રિહર્સલ અંગેનો પ્રશ્ન સામે આવ્યો હતો. બેઠકમાં મુખ્યમંત્રી શીલા દીક્ષિત અને ચીફ સેક્રેટરી રાકેશ મહેતા પણ હાજર હતા. ઓપનિંગ સેરેમનીની સફળતાને લઈને અભિનંદન આપવામાં આવ્યા હતા.

પાકિસ્તાને અમેરિકાની પીઠમાં છરો ભોંક્યો

પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈ તાલીબાનને અમેરિકી સેના અને તેના સહયોગીઓ પર હુમલો કરવા માટે ઉશ્કેરી રહી છે. વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલ પ્રમાણે આઈએસઆઈ વિરુદ્ધ ઘણા ગંભીર આરોપો સામે આવ્યા છે.કેટલાંક તાલીબાની કમાન્ડરો અને અમેરિકી અધિકારીઓએ પણ આઈએસઆઈ પર આરોપ લગાવ્યો છે કે તે આતંકવાદીઓને સરેન્ડર ન થવા માટે કહી રહી છે. આ સિવાય આ જ વાત કેટલાંક ઝડપાયેલા આતંકવાદીઓએ પણ કબૂલી છે. રિપોર્ટમાં કુનાર પ્રાંતના તાલીબાન આતંકવાદીઓ પાસેથી મળતી માહિતી અનુસાર જણાવ્યું છે કે આઈએસઆઈ એવા કમાંડરોની ધરપકડ ઈચ્છે છે, જેઓ તેમના આદેશ નથી માનતા.


આખી દુનિયા શોધી રહી છે કલમાડીને!

કૉમનવેલ્થ રમતોત્ષવની ઑર્ગેનાઇઝિંગ કમિટિના ચેરમેન સુરેશ કલમાડી આ દિવસોમાં ગુગલ ઉપર ખાસ્સા છવાઈ ગયા છે. દુનિયાભરના લોકો સર્ચ એન્જીન ગૂગલ ઉપર સુરેશ કલમાડીની શોધ (સર્ચ)કરી રહ્યાં છેજોકે તેમને શોધવા માટે લોકો જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કરી રહ્યાં છે તે શબ્દો ચોક્કસ રિતે દેશની શાન ઉપર પ્રતિકૂળ અસરો પહોંચાડી રહ્યાં છે.સુરેશ કલમાડી વિશે જાણકારી પ્રાપ્ત કરવા માટે લોકો, 'સુરેશ કલમાડી કરપ્શન', 'સુરેશ કલમાડી સ્કેમ', 'સુરેશ કલમાડી પ્રોફાઇલ' જેવા શબ્દોનો ગુગલના સર્ચ એન્જીનમાં પ્રયોગ કરી રહ્યાં છે.આમ તો દુનિયાની સૌથી મોટી સર્ચ એન્જીન વેબસાઇટ ઉપર કૉમનવેલ્થ ગેમ્સ વિશે જાણકારી પ્રાપ્ત કરવા આવનારા લોકોની પણ કોઈ કમી નથી.


આર.એસ.એસ. પર પ્રતિબંધ કોઈ ઉકેલ નથી: દિગ્વિજય સિંહ

કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તર પ્રદેશ મામલાના પ્રભારી દિગ્વિજય સિંહે કહ્યું છે કે સંઘ પર પ્રતિબંધ લગાવવો કોઈ સમાધાન નથી. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે આ વાત ત્યારે કહી કે જ્યારે તેમને પુછવામાં આવ્યું હતું કે શું આરએસએસ પર પ્રતિબંધ લગાવવાનો કોઈ પ્રયાસ ચાલી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે કોઈ સંગઠન પર પ્રતિબંધ લગાવવા માટે પુરાવા જોઈએ, ત્યારે રાજ્ય સરકાર તેને કેન્દ્ર પાસે મોકલે છે.દિગ્વિજય સિંહે કહ્યું હતું કે તેઓ જ્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા, ત્યારે બજરંગ દળ અને સીમી જેવા સંગઠનો વિરુદ્ધ પુરાવાઓ અને સાક્ષીએ મળ્યા હતા. તે સમયે કેન્દ્રની એનડીએ સરકાર હતી. તેમણે કહ્યું હતું કે તેમણે આ બંને સંગઠનો પર પ્રતિબંધ લગાવવાની માગણી કરી હતી. સીમી માટે તો માગણી માની લેવામાં આવી, પરંતુ બજરંગ દળ માટે માગણી માનવામાં આવી ન હતી. તેમણે ઉમેર્યું હતું કે તે યોગ્ય ન હતું.


રેડ લાઈટ એરિયામાં ઈમરાન શું કરતો હતો?

યંગ હાર્ટથ્રોબ ઈમરાન ખાન સ્વિટ અને ચોકલેટી પર્સનાલિટી ધરાવે છે. પણ આ તો તેની પર્સનાલિટી એવી છે આમ તો તે ઘણો જ તોફાની છે. તેમાં પણ જો તે તેનાં મિત્રોની સાથે હોય પછી પુછવું જ શું.હાલમાં ઈમરાન એમસ્ટરડેમમાં છે અને ત્યાં પણ તેણે રેડ લાઈટ એરિયાની મુલાકાત લિધી હતી.


રાજકોટ : ‘લોકો એમ કહે છે કે મારો દીકરો મોદી જેવો નેતા બનશે’

રાજકોટમાં ભાજપનો જે શંખનાદ થાય તે આખા દેશમાં સંભળાય છે: સિદ્ધુ ગુજરાત સમગ્ર દેશ માટે વિકાસનું મોડેલ બન્યું છે. અહીંના શહેરોએ અભૂતપૂર્વ વિકાસ ભાજપના શાસનમાં સાધ્યો છે અને તેમાં પણ રાજકોટ તો વર્ષોથી ભાજપનો ગઢ છે અહીં જે શંખનાદ થાય છે તે આખા દેશમાં સંભળાય છે તેવું ભાજપના રાષ્ટ્રીય આગેવાન, અમૃતસરના સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર નવજયોતસિંઘ સિધ્ધુએ જણાવ્યું હતું. દેશમાં ૬૦ માંથી ૫૦ વર્ષ કોંગ્રેસે શાસન કર્યું અહીં રાજકોટમાં ૩૬માંથી પાંચ વર્ષ કોંગ્રેસે શાસન કર્યું એ જ દર્શાવે છે કે અહીં લોકો કેવી રીતે ભાજપને ચાહે છે.રાજકોટમાં જાહેરસભાઓ સંબોધ્યા બાદ પત્રકારો સાથે વાતો કરતાં સિધ્ધુએ જણાવ્યું કે કંગાળ લોકો અહીં ખુશહાલ થયા છે, નર્મદાનું પાણી ગામડે ગામડે પહોંચ્યું છે. ભાજપના શાસનમાં અહીં શાંતિ, સલામતિ સ્થપાયા છે અને વિકાસ થયો છે. તેમણે કહ્યું કે અમદાવાદ મહાનગરપાલિકાએ પાંચ વર્ષમાં વિકાસકામો પાછળ ૫૦૦૦ કરોડ વાપર્યા છે જે એક સિધ્ધિ છે. અહીંના શહેરોના મેયરો સીએમના દરજજાના છે અને સીએમ નરેન્દ્રભાઇ વડાપ્રધાનના દરજજાના છે.

'સચિનને મહાનતા કોઇ એવોર્ડથી માપી શકાય નહીં

આઇસીસી ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મેળવનાર સચિનની મહાનતા કોઇ એવોર્ડથી માપી શકાય નહીં તેમ ભારતને એક માત્ર વિશ્વ કપ જીતાડનાર પૂર્વ સુકાની કપિલ દેવનું કહેવું છે.સચિનને લાંબા સમય બાદ મળેલા એવોર્ડ અંગે પ્રતિક્રિયા આપતા લેજન્ડરી ઓલરાઉન્ડર કપિલ દેવે કહ્યું કે, સચિનને કોઇ એવોર્ડની જરૂર નથી. તે ઘણો મહાન છે તેથી કોઇ એવોર્ડ તેની મહાનતા માપી શકે નહીં.મોહલી ટેસ્ટે જૂની યાદોને તાજી કરી દીધી છે. મને મેલબોર્નમાં 1981માં મળેલો વિજય અને ચેન્નાઇમાં 1986માં ડ્રો ગયેલી ટેસ્ટ યાદ આવી ગઇ છે તેમ ઓસ્ટ્રેલિયા સામે ભારતે એક વિકેટે મેળવેલા વિજય અંગે કપિલ દેવે જણાવ્યું હતું.


શું મારી પાસે પળવાર બેસશો?

ઓસ્ટ્રેલિયામાં એક એવો પાર્ક છે, જે હવે મોટુ સરોવર બની ચૂક્યો છે. આ સ્ટીરિયાના ટ્રાગોસમાં આવેલું એક એવું તળાવ છે, જે પહેલા એક પાર્ક હતું. અત્યારે પણ જ્યારે શિયાળામાં આ તળાવ સૂકાઈ જાય ત્યારે ફરી પાછો એક પાર્ક બની જાય છે અને લોકો ત્યાં ચાલવા પણ આવે છે.એટલે કે વર્ષમાં 6 મહિના આ જગ્યા તળાવ અને 6 મહિના બગીચાની જેમ ઉપયોગમાં લેવાય છે. આ તસવીરો એક મરજીવાએ પાણીની અંદર જઈને લીધેલી છે


શાહિદ રણબિરની વર્લ્ડ ટૂરમાં ભાગ નહિ લે

રણબિર કપૂર પોતાની પ્રથમ વર્લ્ડ ટૂર પર જવાનો છે. પહેલા સમાચાર હતા કે, શાહિદ કપૂર પણ રણબિરની સાથે જશે. શાહિદને પણ ડાન્સ કરવો ઘણો જ ગમે છે.શાહિદના પ્રવક્તાએ કહ્યું હતું કે, શાહિદ રણબિર સાથે વર્લ્ડ ટૂર પર જવાનો હતો પંરતુ ફિલ્મ મૌસમની રીલિઝ અને સાજીદ ખાનની ફિલ્મના શુટિંગને કારણે હવે તે વર્લ્ડ ટૂર પર જઈ શકશે નહિ.


નોકિયા N8, Iફોન કરતા પણ સસ્તો મળશે

એપ્પલના આઈફોન-4ના જવાબમાં નોકિયાએ પોતાનો આધુનિક અને આકર્ષક સ્માર્ટફોન N-8ને બજારમાં ઉતારી દીધો છે. હવે કંપની તેની કિંમતનો પણ ખુલાસો કરી રહી છે.નોકિયાના કહ્યાં પ્રમાણે આ ફોનની અગાઉથી નોંધણી (પ્રી બુકિંગ)કરાવનારા લોકોને આ ફોન 26,259 રૂપિયામાં ઉપલબ્ધ કરાવાશે.જોકે વેબસાઇટ ઉપર ભારતમાં તેના વેચાણની જાહેરાત હજું કરી નથી, પરંતુ માનવામાં આવે છે કે આ ફોન 15તારીખથી 23 ઓક્ટોબર સુધીમાં ભારતમાં વેચાવાનું શરૂં કરી દવામાં આવશે. પરંતુ શરૂઆતમાં તેનું વેચાણ માત્ર નોકિયાના પ્રાયોરિટી શૉપમાં જ કરવામાં આવશે.


'હું ધોનીની જેમ ચુપચાપ લગ્ન નહી કરી લઉં'


હું ધોનીની જેમ ચુપચાપ લગ્ન નહી કરી લઉં. જ્યારે પણ મારી લગ્ન કરવાની ઇચ્છા હશે ત્યારે બધાને બતાવીને માથા પર સહેરો બાંધીશ. આ વાત દેશના ડેશિંગ ક્રિકેટર યુવરાજ સિંહે ગુરુવારે હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું છે. યુવરાજ શુક્રવારથી શરૂ થઇ રહેલી એનકેપી સાલ્વે ટ્રોફી ચેલેન્જર શ્રેણીમાં ઇન્ડિયા બલ્યૂનું નેતૃત્વ કરી રહ્યો છે.


રેમ્પ પર બિગ બી-કિંગ ખાન-રીતિકનો આગવો અંદાજ.

હાલમાં એચડીઆઈએલ ઈન્ડિયા કોચર ફેશન વીક ચાલી રહ્યું છે. ફેશન શોના પ્રથમ દિવસે ઐશ્વર્યા રાય ઘણાં લાંબા સમય પછી રેમ્પ પર જોવા મળી હતી. એશે મનીષ મલ્હોત્રાના બ્રાઈડલ વેર પહેરીને રેમ્પ પર કેટવોક કર્યુ હતું.ફેશન શોના બીજા દિવસે બોલિવૂડ લિજેન્ડ અમિતાભ બચ્ચન, રીતિક રોશન અને શાહરૂખ ખાન ત્રણેય એક સાથે રેમ્પ પર જોવા મળ્યા હતા.સ્ટેજ પર ત્રણેયની એક સાથે એન્ટ્રી થતાં જ દર્શકોએ તેમને તાળીઓથી વધાવી લીધા હતા.બિગ બી, કિંગ ખાન અને રીતિકે સ્ટેજ પર ડાન્સ પણ કર્યો હતો. આ ત્રણેએ ફેશન ડિઝાઈનર કરન જોહર અને વરૂણ બહલના ડિઝાઈન કરેલા વસ્ત્રો પરિધાન કર્યા હતા.

07 October 2010

આવતીકાલે અમિત શાહના જામીનનો ફેંસલો

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

આવતીકાલે અમિત શાહના જામીનનો ફેંસલો

આવતીકાલે અમિત શાહના જામીન અંગે કોર્ટ ચુકાદો જાહેર કરાશે.ચકચારી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં સીબીઆઇ દ્વારા ધરપકડ કરી કોર્ટના આદેશથી જેલમાં રખાયેલા ગુજરાતના માજી ગૃહરાજ્યમંત્રી અમીત શાહના જામીનનો ચુકાદો કાલે જાહેર કરાશે.. આવતીકાલે શાહને જામીન મળશે કે નહિ તે અંગે રાજ્યભરમાં ઉત્તેજના છે.દેશભરમાં ચર્ચાનો વિષય બની રહેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા કેસમાં સીબીઆઇએ શાહની ધરપકડ કરી કોર્ટના આદેશથી તેમને જેલમાં મોકલી આપ્યા હતા.ધરપકડ બાદ અમીત શાહે જામીન માટે સ્પેશિયલ સીબીઆઇ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી તેની સુનવણી પુરી થઇ ગઇ છે. અનિ આવતીકાલે તેનો ચુકાદો હાથધરવામાં આવનાર હોઇ સૌને શાહને જામીન મળશે કે કેમ તે જાણવાની ઉત્તેજના છે.


ઓસ્ટ્રેલિયન સાયકલિસ્ટનું ટક્કર માર્યા બાદ અભદ્ર વર્તન

દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં બે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ અભદ્ર વર્તન કરવાના કારણે તમામ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને નોટિસ પર રાખવામાં આવ્યા છે. લાગે છે કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પણ તેમના દેશના ક્રિકેટરોના પગલે ચાલી રહ્યા છે. કેમ કે કાંગારૂ ક્રિકેટરો તેમની આવી હરકતો માટે જાણીતા છે. ઓસ્ટ્રેલિયન ટીમના વડા સ્ટીવ મોનેઘેટ્ટીએ કહ્યું હતું કે તમામ ખેલાડીઓને સ્પષ્ટપણ જણાવી દેવામાં આવ્યું છે કે ખેલાડીઓના કોઈ પણ ગેરવર્તનને ચલાવી લેવામાં નહીં આવે.મંગળવારના રોજ ભારતીય કુસ્તીબાજ સામે ગોલ્ડ મેડલ હારી ગયા બાદ ઓસ્ટ્રેલિયન કુસ્તીબાજ હસન ફકીરીએ તેના ટીમના ખેલાડીઓ અને અધિકારીઓ તરફ બે આંગળીઓ બતાવી હતી.હવે ઓસ્ટ્રેલિયન સાયકલિસ્ટ શેન પર્કિન્સ પણ ફકીરીના પગલે ચાલતા બુધવારે સેમિફાઈનલમાં જોખમી રીતે સાયકલ ચલાવવા બદલ તેને ડિસક્વોલિફાઈ કર્યા બાદ તેણે પણ અધિકારીઓ સામે બે આંગળીઓ ચીંધી હતી.પોતાની ગેરવર્તણૂંક બદલ ફકીરીનો સિલ્વર મેડલ છીનવી લેવામાં આવ્યો હતો. બાદમાં ઓસ્ટ્રેલિયન કોમનવેલ્થ ગેમ્સ એસોસિયેશન દ્વારા તેને 12 મહિનાની સમાજ સેવા અંતર્ગત બાળકોને કોચિંગ આપાવની સજા ફટકારી હતી. જ્યારે પાર્કિન્સને પણ ગુરૂવારના રોજ તેની સજા સભળાવવામાં આવશે.શેન પાર્કિન્સ પર આરોપ છે કે તેણે સ્પર્ધા દરમિયાન ખતરનાક ડ્રાઈવિંગ કર્યુ હતું જેના કારણે દક્ષિણ આફ્રિકા અને સ્કોટલેન્ડના સાયકલિસ્ટ અંદરોઅંદર અથડાઈ ગયા હતા. એટલું જ નહીં પાર્કિન્સે તેની આ હરકતની માફી માંગવાના બદલે અધિકારીઓ સામે બે આંગળી કરીને સલામ કરી તેમની મજાક ઉડાવી હતી. અધિકારીઓએ તેને સ્પર્ધામાંથી ડિસક્વોલિફાઈ કરી દીધો હતો.


CWGમાં ઈતિહાસ રચનારી રેણુબાલાનું અપમાન

કોમનવેલ્થ ગેમ્સ આયોજન સમિતિ પહેલાથી જ તેની બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે વિવાદોમાં રહી ચૂકી છે અને ભારતના ઈજ્જત પર કાળો ધબ્બો લગાવી ચૂકી છે.પરંતુ હવે તેની બેદરકારીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. આયોજન સમિતિ તેના ચેમ્પિયન ખેલાડીઓનું કેટલું ધ્યાન રાખે છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે.ભારત માટે વેઈટલિફ્ટિંગમાં 58 કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનારી રેણુ બાલા ચાનૂને સ્પોર્ટ્સ વિલેજ જવા એક પણ અધિકારી એક ગાડી પણ પૂરી પાડી શક્યા નહોતા.ગોલ્ડ મેડલ જીતીને થોડા કલાકો સુધી રેણુબાલાને ગાડી માટે અહીં-તહીં ભટકતી જોવા મળી હતી પરંતુ જ્યારે ઘણો સમય થયો છતાં તેને ગાડી ના મળી તો તે પોતાના પરિવાર સાથે રિક્ષામાં જતી રહી હતી.આ છે ભારતીય વેઈટલિફ્ટિંગમાં ઈતિહાસ રચનારા સ્ટાર ખેલાડીની મજબૂરી કે તેણે રિક્ષામાં સ્પોર્ટ્સ વિલેજ જવું પડે છે. એટલું જ નહીં તેનો પરિવાર પણ તેની સાથે હતો. આ અંગે અધિકારીઓને પૂછવામાં આવ્યું તો તેઓ તેમ કહીંને જવાબદારી માંથી છટકી ગયા કે તેમને નહોતી ખબર કે તેઓ ગાડીમાં નથી આવી.ઉલ્લેખનીય છે કે ભારતીય મહિલા વેઈટલિફ્ટર રેણુ બાલા ચાનુએ કોમનવેલ્થ ગેમ્સની વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં 58 કિલો વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.મણિપુરની રેણુબાલા ફાઈનલમાં 194 કિલોગ્રામ વજન ઉઠાવીને પ્રથમ સ્થાને રહી હતી. વેઈટલિફ્ટિંગમાં ભારતનો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. આ પહેલા વેઈટલિફ્ટિંગમાં બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ દેશના ખાતામાં આવી ચૂક્યા છે.


“સ્પોર્ટ્સ વિલેજમાં કોન્ડોમનો ઉપયોગ સારી વાત છે”

સ્પોર્ટ્સ વિલેજના ટોયલેટ કોન્ડોમના કારણે બ્લોક થઈ જવાથી ભલે વિવાદ ઉભો થયો હોય પરંતુ કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રમુખ માઈક ફેનલે આ વાતને સકારાત્મક ગણાવતા કહ્યું છે કે ખેલાડીઓ સુરક્ષિત સેક્સ માણી રહ્યા છે.અક્ષરધામની નજીક બનાવવામાં આવેલા સ્પોર્ટ્સ વિલેજમાં ખેલાડીઓ મોટી સંખ્યામાં કોન્ડોમનો ઉપયોગ કરી રહ્યા છે. સ્પોર્ટ્સ વિલેજના ટોઈલેટ કોન્ડોમના કારણે બ્લોક થઈ જવા અંગે પૂછતા સીજીએફના અધ્યક્ષે કહ્યું હતું કે જો આવું થઈ રહ્યું છે તો તેનાથી સાબિત થાય છે કે કોન્ડોમનો ઉપયોગ થઈ રહ્યો છે જે ઘણી હકારાત્મક વાત છે.તેમણે કહ્યું હતું કે થોડા સમય પહેલા આ મામલો વિવાદસ્પદ હતો પરંતુ હવે નથી. સુરક્ષિત સેક્સને મહત્વ આપવું ઘણી મહત્વની વાત છે.1992માં બાર્સિલોનામાં યોજાયેલા કોમનવેલ્થ પછી તમામ સ્પોર્ટ્સ વિલેજમાં કોન્ડોમ મફતમાં આપવામાં આવે છે. જેથી કરીને એઈડ્સ જેવા રોગો પ્રત્યે જાગરૂકતા ફેલાવી શકાય. બેઈજિંગ ઓલિમ્પિકમાં એક લાખ કોન્ડોમ વેચાયા હતા.ઉલ્લેખનીય છે કે હાલમાં દિલ્હીમાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સ માટે બનાવવામાં આવેલા સ્પોર્ટ્સ વિલેજમાં કેટલાક ખેલાડીઓએ તેમના ટોઈલેટ બ્લોક થઈ જવાની ફરિયાદ કર્યા બાદ પ્લમ્બરને બોલાવવામાં આવ્યા હતા. જ્યારે ટોઈલેટની સફાઈ બાદ તેમાથી કોન્ડોમ મળતા હતા.


'બાયલા' છે ડાબેરીઓ: મમતા બેનરજી

તૃણમુલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજીએ સીપીઆઈ-એમ ઉપર નિશાન સાધ્યું છે. તેમણે આક્ષેપ મુ્કોય છેકે, રાજકીય સ્પર્ધામાં ડાબેરીઓ તેમને પહોંચી નથી શકતા, આથી, તેઓ લોકોને ડરાવવા માટે બંદુકનો ઉપયોગ કરે છે.પશ્ચિમ બંગાળના મિદનાપુર જીલ્લામાં એક જંગી સભાને સંબોધતા સુશ્રી મમતા બેનરજીએ કહ્યું હતુંકે, ગુરૂવારથી તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો રસ્તા ઉપર ઉતરશે અને આ વિસ્તારમાંથી સંયુક્ત દળોને દુર કરવાની માગ કરશે. મમતા બેનરજીએ રાજકીય નિવેદન કરતા જણાવ્યું હતુંકે, "જો તેમનો પક્ષ સતા ઉપર આવ્યો તો આ વિસ્તારમાં નોંધાયેલા 'ખોટા કેસ' પાછા ખેંચી લેવામાં આવશે. તેમણે ઉમેર્યું હતુંકે, તેમની સરકાર સત્તા ઉપર આવશે એટલે આ વિસ્તારમાં પોલીસ દ્વારા પકડવામાં આવેલા કાર્યકરોને છોડી દેવામાં આવશે.મમતા બેનરજીએ આક્ષેપ મુક્યો હતોકે, '' સીપીઆઈ-એમ તેમને મારી નાખવા માગે છે. તેમણે અગાઉ પણ આ માટેના પ્રયાસો કર્યા છે, પરંતુ. તેઓ મને મારી શકશે, તૃણમુલને ખત્મ નહીં કરી શકે. લોકો સીપીઆઈ-એમના ગુંડાઓનો પ્રતિકાર કરતા રહેશે. ગુરૂવારથી ચળવળ ચાલુ કરવા માટે શિર્ષસ્થ નેતાઓને સૂચના આપી છે. જેઓ જંગલમહેલમાં કાર્યવાહી હાથ ધરશે.''


અમેરિકામાં ભારતીય યુવાનો છવાયા

ભારતનો યુવા બ્રિગેડ માત્ર ભારતમાં જ નહી પરંતુ દુનિયાના અન્ય દેશોમાં પણ પોતાની કારોબારી કોઠાસૂજથી લોકોનું ધ્યાન પોતાની બાજુ ખેંચે છે.હવે અમેરિકામાં વેનિટી ફેયર 'નેકસ્ટ એસ્ટેબ્લિશમેંટ 2010' યંગ એમ્પાયર બિલ્ડર્સ નામથી પ્રકાશિત કરવામાં આવેલા લિસ્ટમાં ભારતીય મૂળના ત્રણ યુવાનોના નામ શામેલ કરવામાં આવ્યા છે.ખાસ વાત તો એમ છે કે આ 39 લોકોના લિસ્ટમાં દેસી હિટ્સ વેબસાઇટની સહ-સંસ્થાપક, ભારતીય મૂળની અંજુલા અચારિયા બાથને બીજા સ્થાને જગ્યા મળી છે.આ જ પ્રમાણે મોબાઇલ એપ્લિકેશન બનાવનાર કંપની ફોરસ્ક્વેરના સંસ્થાપક નવીન સેલ્વાદુરઈને આ લિસ્ટમાં 9માં સ્થાને જગ્યા મળી છે. તેમની ઉંમર માત્ર 28 વર્ષ છે.લિસ્ટમાં 33માં સ્થાને પણ ભારતીય મૂળના શ્રીધરને જગ્યા આપવામાં આવી છે. તેમની કંપની એક ખાસ ડિવાઇસ બનાવે છે, જેની મદદથી નેચરલ ગેસ વડે વિજળી ઉત્પન્ન કરી શકાય છે.ટૂંકમાં હવે ભારતીય યૂવાનો વિદેશોમાં પણ પોતાનો જલ્વો બતાવી રહ્યાં છે, અને તે સમય હવે દૂર નથી જ્યારે વિદેશોમાં ભારતીય યૂવાનોનો ઇજારો હશે. ભારતીય યૂવાનો વિશ્વને એક નવી ઉંચાઈએ લઈ જશે.


નિંદ્રાધીન બાળકીને દીપડો ઉઠાવી જઇ ફાડી ખાધી

અમરેલી જિલ્લાના સરસીયા રેન્જમા છેલ્લા દસેક દિવસથી દીપડો ઓના આતંકથી ગ્રામજનોમા ફફડાટ ફેલાયો છે. ત્યારે ચલાલાના ગોપાલગ્રામની સીમમા મનુભાઇ ઠુમ્મરની વાડીમા મજુરી કામ કરતા આદીવાસી પરિવારની નિંદ્રાધીન સાત વર્ષની બાળકીને ગત રાત્રે વાડીમા ઘુસી આવલો દપિડો ઉઠાવી જઇ ફાડી ખાતા અરેરાટી મચી ગઇ છે.બનાવની મળતી વિગતો મુજબ, મુળ મધ્યપ્રદેશનો અદિવાસી પરિવાર ગત રાત્રે કામ કરી સુઇ ગયો હતો. ત્યારે રાત્રીના સમયે વાડીમા ઘુસી આવેલો દીપડો મીઠી નિંદર માણી રહેલી ચંદ્રીકા નામની બાળકીને ગળેથી પકડી વાડીથી પ૦૦ મીટર દુર લઇ જઇ ફાડી ખાધી હતી. રાત્રીના સમયે પુત્રી નજરે નહીં પડતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરતા બાળકીનો લોહીલુહાણ હાલતમા મૃતદેહ મળી આવ્યો હતો.બનાવની જાણ થતા પોલીસ તેમજ વન વિભાગના અધિકારીઓ તુરંત દોડી ગયા હતા અને મૃતક બાળકીના પરિવારજનોને વળતર આપવા તજવીજ હાથ ધરીછે. ઉલ્લેખનિય છે કે, સરસીયા રેન્જમા દસેક દિવસથી દિપડાઓનો આતંક વધ્યો છે. ત્યારે આજે દપિડાએ બાળકીને ફાડી ખાધાનો બનાવ પ્રકાશમા આવતા ગ્રામજનોમા ભયનો માહોલ ફેલાયો છે.


એનસીપીના ઉમેદવારની પુત્રવધુનો ગળાફાંસો ખાઇને આપઘાત

અગાસીમાં જઇ બે દિવાલ વચ્ચે પાઇપ મુકી દુપટ્ટાથી લટકી ગઇ, ચૂનારાવાડમાં રહેતા પૂર્વ કોર્પોરેટર અને મનાપાની ચૂંટણીમાં હાલના એન.સી.પી.ના ઉમેદવાર મોહનભાઇ સરવૈયાના પુત્રવધુ પ્રભાબેન દિનેશભાઇ સરવૈયા (ઉ.વ.૪૦)એ આજે વ્હેલી સવારે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.સવારે પરિવારના સભ્યો જાગ્યા ત્યારે પ્રભાબેન નજરે પડ્યા ન હતા. દરમિયાન અગાસીમાં બે દિવાલ વચ્ચે પ્રભાબેનનો મૃતદેહ લટકતો જોઇને સ્તબ્ધ બની ગયા હતા. પ્રભાબેન અગાસીમાં જઇ બે દિવાલ વચ્ચે પાઇપ ગોઠવી, તેમાં દુપટ્ટો બાંધીને ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો.સરવૈયા પરિવારે પોલીસને જણાવ્યા મુજબ, પ્રભાબેન કેટલાક દિવસથી માનસિક હાલત બરાબર ન હતી. આથી ગતરાતે ભૂવાને બોલાવીને દાણા નખાવ્યા હતા. અને આજે સવારે તેણીએ અંતિમ પગલું ભરી લીધું હતું.


મહિલાના ડોકમાંથી સોનાના ચેનની ચિલઝડપ
શહેરમાં ચિલઝડપ કરતી ગેંગના બે સભ્ય ગઇ કાલે ભિક્તનગર સ્ટેશન પ્લોટમાં ટ્રાન્સ્પોર્ટ કંપનીના કર્મચારીને નિશાન બનાવી એક લાખની રોકડ ભરેલા થેલાની ચિલઝડપ કરી ગયા હતા. જેની તપાસ પણ શરુ નથી થઇ ત્યાં આવે ભિકતનગર વિસ્તારમાં ગાયને ઘાસચારો નાખવા નિકળેલા મહિલાની ડોકમાંથી બાઇક સવાર બે શખ્સ સોનાના બે તોલા વજનના ચેનની ચિલઝડપ કરી ગયા હતા.ગીતાનગરમાં ધર્મજીવન સોસાયટીમાં રહેતા અમૃતાબેન કરસનભાઇ વેકરિયા આજે સવારે સાડાસાત વાગ્યે ગુરુકૃપા સોસાયટી પાછળ ગાયને ઘાસ નાખવા ગયા હતા. ત્યારે અચાનક ડબલ સવારી બાઇકમાં આવેલા અજાણ્યા શખ્સ મહિલાના ડોકમાંથી ચેનની ચિલઝડપ કરીને વજિળીવેગે પલાયન થઇ ગયા હતા. મહિલાએ આ અંગે પોલીસને જાણ કરી હતી.


મારૂતિએ ગ્રાહકો માટે એક અનાખું કાર્ય કર્યું

દેશમા સૌથી વધારે કારો વેચનારી કંપની મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે પોતાના ગ્રાહકોની સગવડ માટે એક અનોખું કાર્ય શરૂ કર્યું છે. મારૂતિએ પોતાના ગ્રાહકો માટે દેશભરમાં પ્રત્યેક 25 કિલોમીટર ઉપર એક સર્વિસ આઉટલેટ ખોલવાનું લક્ષ બનાવ્યું છે.
વાસ્તવમાં ભારતીય બજારમાં મારૂતિ સુઝુકી બે લાખ રૂપિયાની મારૂતિ 800થી લઈને 16 લાખ રૂપિયાની ગ્રેન્ડ વિટારા સુધી વેચે છે અને સ્થાનીક બજારમાં તેની ભાગીદારી 50 ટકા છે.આવામાં કંપનીએ હવે એમ વિચાર્યું છે કે દુરદુરના વિસ્તારોમાં રહેનારા ગ્રાહકોને પણ સર્વિસની બાબતમાં કોઈ જ તકલીફ ના ઉઠાવવી પડે. એટલા માટે જ કંપનીએ મોટી સંખ્યામાં પોતાના નવા સર્વિસ સ્ટેશન ખોલવાની જાહેરાત કરી છે.તમને જણાવી દઇએ કે વર્ષ 2015 સુધી મારૂતિ કંપની પોતાની અત્યારના વેચાણના આંકડા બમણા કરીને 20 લાખ યૂનિટ સુધી લઈ જવાની યોજના બનાવી રહી છે.જરૂરી છે કે કારોનું વેચાણ વધશે તો તેની સર્વિસ માટે તેટલા સર્વિસ સ્ટેશનો પણ ઉભા કરવા પડશે. અત્યારે કંપનીના સર્વિસ નેટવર્કમાં 2700 આઉટલેટ છે, જેને વધારીને તેઓ 4200 સુધી પહોચાડવા માંગે છે.


'રેમ્પ વોક સમયે એશ્વર્યાની નજર ફક્ત અભિ પર જ હતી'

હાલમાં HDIL- ઈન્ડિયન કાઉન્ટર વિકમાં મનિષ મલ્હોત્રાનાં કપડાંનું ક્લેક્શન રજુ કરી એશ્વર્યા રાય બચ્ચન શો સ્ટોપર બની હતી. આ દરમિયાન સ્ટેજ પર પહોચતાં જ તેણે તેનાં પતિ અભિષેક બચ્ચન તરફ નટખટ આંખનાં ઈશારા કર્યા હતાં. તેમજ તેને ફ્લાયિંગ કિસ કરી હતી.આ કાઉન્ટર વિક બુધવારે ચાલુ થયું હતું અને જે હજી 10 ઓક્ટોબર સુધી ચાલશે. જેમાં અન્ય ડિઝાઈનર્સનું ક્લેક્શન પણ રજુ થશે.એશ્વર્યા રાય મનિષ મલ્હોત્રાનાં સફેદ ઘાઘરા ચોલી ક્લેક્શનમાં ઘણી જ સુંદર લાગતી હતી. એશ્વર્યાએ રેમ્પ વોક ચાલુ કર્યુ ત્યારથી તેની આંખો ફક્ત અને ફક્ત અભિષેક ઉપર જ હતી તેમજ તેણે તેને ફ્લાઈંગ કિસ પણ કરી હતી.શો બાદ એશ્વર્યા અભિને ભેટી પડી હતી. બન્ને જાણે કેટલાંય પ્રેમમાં હોય તેમ દેખાઈ આવતું હતું. જુનિયર બચ્ચન રેમ્પ વોક દરમિયાન તાળીઓથી તેને વધાવી રહ્યો હતો અને એશ તેને એકી ટસે નીહાળી રહી હતી.આ ફેશન વિકમાં ફક્ત ફિલ્મી હસ્તીઓની હાજરી હોય તેમ ન હતું પણ શોમાં અન્ય ઘણી જગ્યાએથી મહેમાનોએ હાજરી આપી હતી.


'મંદિર-મસ્જિદ' બાજુએ મુકો: બાબા રામદેવ

વિખ્યાત યોગગુરૂ રામદેવએ એવો મત વ્યક્ત કર્યો છેકે, દેશવાસીઓ હાલમાં મંદિર-મસ્જિદના વિવાદોમાં પડવાના બદલે ભારતની ઉન્નતીનો વિચાર કરવો જોઈએ. તેમના મતે, ભગવાન શ્રી રામ માત્ર હિન્દુઓ ના જ ન હતા પરંતુ સમગ્ર માનવજાતિના હતા.નવીદિલ્હી ખાતે યોજાઈ રહેલા કોમનવેલ્થ રમતોત્સવ અંગે મત વ્યક્ત કરતા બાબા રામદેવ કહ્યું હતુંકે, ભારતના રમતવીરો આ રમતોત્સવમાં પદકો જીતી રહ્યાં છે પરંતુ આપણએ એ ન ભૂલવું જોઈએકે, આ રમતના આયોજનમાં મોટાપાયા પર ભ્રષ્ટાચાર થયો છે. જેના કારણે, સમગ્ર વિશ્વમાં આપણું નામ બદનામ થયું છે. તેમણે ભ્રષ્ટાચારીઓને સજા કરવાની પણ માગ કરી હતી.તાજેતરમાં અયોધ્યામા રામજન્મભૂમિ અંગે અલ્લાહબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદા પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતુંકે, દેશવાસીઓ હાલમાં મંદિર-મસ્જિદના વિવાદોમાં પડવાના બદલે ભારતની ઉન્નતીનો વિચાર કરવો જોઈએ. તેમણે એવો પણ મત વ્યક્ત કર્યો હતોકે, રામ માત્ર હિન્દુઓ ના જ ન હતા પરંતુ સમગ્ર માનવજાતિના હતા ,ઉલ્લેખનીય છેકે, બાબા રામદેવ હાલ ભારત સ્વાભિમાન યાત્રા પર છે. જે તેમણે જનમાષ્ટમીથી ગુજરાતના દ્વારકાથી શરૂ કરી હતી.

રાજકોટ : લાદી કાપવાનું કટર છટકીને વાગતા કારીગરનું મોત

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



રાજકોટ : લાદી કાપવાનું કટર છટકીને વાગતા કારીગરનું મોત

બાબરિયા કોલોનીના મોરારીનગરમાં રહેતા અને મકાનમાં લાદી ચોડવાનું કામ કરતા પ્રદપિભાઇ જયંતિભાઇ જેઠવા (ઉ.વ.૪૦)નું કામ કરતી વેળા કટર વાગવાથી લોહી વહી જવાથી તેનું મૃત્યુ નિપજયુ હતું.પ્રદપિભાઇએ સાગરનગરમાં મુકેશભાઇના મકાનમાં લાદી ચોંટાડવાનું કામ ચાલુ હતું. લાદી ચોટાડતી વેળા કટર છટકીને હાથમાં વાગી જતાં વધુ પડતું લોહી વહી જતાં તેને હોસ્પિટલ લઇ જવાયા હતા.પરંતુ સારવાર કારગત નહીં નિવડતા ટૂંકી સારવારના અંતે તેનું મોત નિપજ્યું હતું


એનસીપીના ઉમેદવારની પુત્રવધુનો ગળાફાંસો ખાઇને આપઘાત

અગાસીમાં જઇ બે દિવાલ વચ્ચે પાઇપ મુકી દુપટ્ટાથી લટકી ગઇ.ચૂનારાવાડમાં રહેતા પૂર્વ કોર્પોરેટર અને મનાપાની ચૂંટણીમાં હાલના એન.સી.પી.ના ઉમેદવાર મોહનભાઇ સરવૈયાના પુત્રવધુ પ્રભાબેન દિનેશભાઇ સરવૈયા (ઉ.વ.૪૦)એ આજે વ્હેલી સવારે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.સવારે પરિવારના સભ્યો જાગ્યા ત્યારે પ્રભાબેન નજરે પડ્યા ન હતા. દરમિયાન અગાસીમાં બે દિવાલ વચ્ચે પ્રભાબેનનો મૃતદેહ લટકતો જોઇને સ્તબ્ધ બની ગયા હતા. પ્રભાબેન અગાસીમાં જઇ બે દિવાલ વચ્ચે પાઇપ ગોઠવી, તેમાં દુપટ્ટો બાંધીને ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો.સરવૈયા પરિવારે પોલીસને જણાવ્યા મુજબ, પ્રભાબેન કેટલાક દિવસથી માનસિક હાલત બરાબર ન હતી. આથી ગતરાતે ભૂવાને બોલાવીને દાણા નખાવ્યા હતા. અને આજે સવારે તેણીએ અંતિમ પગલું ભરી લીધું હતું.


ભાજપ વધુ ૪ બેઠકો પર બિનહરીફ વિજયી

ચૂંટણી પહેલા જ કોંગ્રેસે રતનાલ (તા.પં.) અને સુખપર (જિ.પં.) બેઠકો ભાજપની તાસકમાં ધરી દીધા બાદ કોંગ્રેસનો રકાસ જારી રહ્યો હોય તેમ વધુ ૪ બેઠકો ભાજપને બિનહરીફ ધરી દીધી છે. બીજી તરફ એક બેઠક ભાજપે કોંગ્રેસને ધરી દીધી છે.પ્રાપ્ત વિગતો મુજબ કચ્છમાં પાલિકા અને પંચાયતોમાં ચૂંટણીજંગ જામે તે પૂર્વે જ રતનાલ તાલુકા પંચાયતની બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં ભાજપના ઉમેદવાર પરમાબેન વાસણભાઇ છાંગા બિનહરીફ થયા હતા.જિલ્લા પંચાયતની સુખપર બેઠકમાં પણ કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતાં ભાજપના અરવિંદભાઇ લાલજીભાઇ પીંડોરિયા બિનહરીફ થયા હતા. ત્યાર બાદ બુધવારે ભુજ નગરપાલિકાના વોર્ડ નં. ૧૦નો કોંગ્રેસના ઉમેદવાર પણ ખસી જતાં ભાજપના હેમલતાબેન એચ. ભારથી બિનહરીફ થઇ ગયા છે.ભુજ તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસના બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતાં બળદિયા બેઠકમાં ભાજપના રબારી જેમલભાઇ કાનાભાઇ અને માનકૂવા - ૧માં મહેશ્વરી મેઘબાઇ દેવશી અને નખત્રાણા તાલુકામાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતાં મોટી ખોંભડી બેઠકમાં ભાજપના પટેલ ધીરજભાઇ જેઠાભાઇને ચૂંટણી લડ્યા વગર જ બેઠક મળી ગઇ છે.તો બીજી તરફ ગાંધીધામ તાલુકા પંચાયતની કિડાણા બેઠકમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર કુંવરબેન જરૂએ કોઇ કારણોસર ફોર્મ પરત ખેંચી લેતાં કોંગ્રેસના ઉમેદવાર લક્ષ્મીબેન જીવણભાઇ મરંડ વગર હરીફે ચૂંટાઇ આવ્યા છે.ચૂંટણી લડ્યા વગર જ મળેલા આ વિજયથી બંને રાજકીય પક્ષોમાં કહીં ખુશી - કહીં ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.


કચ્છમાં પંચાયતોમાં ૫૫૦ ઉમેદવારો મેદાનમાં

કચ્છમાં જિલ્લા અને તાલુકા પંચાયતોની બેઠકો માટે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિને બુધવારે વધુ ૩૬ ખેંચાઇ જતાં ૧૮૦ બેઠકમાં ૫૫૦ ઉમેદવારો મેદાનમાં છે. પાલિકાઓમાં આજે ચિત્ર સ્પષ્ટ થઇ જશે.બુધવારે જિલ્લા પંચાયતની ૩૩ અને તાલુકા પંચાયતની ૧૪૭ બેઠકો માટે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો, જે દિવસે વધુ ૩૬ ઉમેદવારોએ ફોર્મ પાછાં ખેંચી લીધાં હતાં, તેથી હવે ક્યાં કેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે તે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે.કચ્છમાં પંચાયતોની સ્થિતિ જોઇએ તો ભચાઉ તાલુકામાં જિલ્લા પંચાયતમાં ૭ અને તા.પં.માં ૪૨, મુન્દ્રા તાલુકામાં જિ.પં.માં ૪, તા.પં.માં ૪૭ , રાપર તાલુકામાં જિ.પં.માં ૧૧ અને તા.પં.માં ૫૩, માંડવી તાલુકામાં જિ.પં.માં ૧૩ અને તા.પં.માં ૫૮, ભુજ તાલુકામાં જિ.પં.માં૧૩ અને તા.પં.માં ૫૯, અંજાર તાલુકામાં જિ.પં.માં ૬ અને તા.પં.માં ૩૯, ગાંધીધામ તાલુકામાં જિ.પં.માં ૩ અને તા.પં.માં ૩૬, અબડાસા તાલુકામાં જિ.પં.માં ૧૦ અને તા.પં.માં ૫૦, નખત્રાણા તાલુકામાં જિ.પં.માં ૧૦ અને તા.પં.માં ૪૬ તેમજ લખપત તાલુકામાં જિ.પં.માં ૩ અને તા.પં.માં ૩૩ ઉમેદવારો મેદાનમાં છે.સમગ્ર જિલ્લાનું ચિત્ર જોઇએ તો બુધવારે પરત ખેંચાતાં ૮૪ અને તાલુકા પંચાયતોમાં વધુ ૩૬ ફોર્મ ખેંચાઇ જતાં ૪૬૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. અગાઉની બે સહિત કુલ સાત બેઠકો બિનહરીફ થઇ છે, તેમાંથી ૬ ભાજપને અને ૧ કોંગ્રેસના ફાળે ગઇ છે.નગરપાલિકાઓમાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ આજે છે, તેથી સાંજે ૩ વાગ્યા સુધીમાં સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઇ જશે.


પરિણીત છું, એટલે તારી માગણી પૂરી નહીં કરી શકું'

કાનપુર ભગાવીને લઈ ગયા બાદ લગ્ન કરે તો બાળકીને પાછી આપીશ એવી ધમકી આપી હતી.ચેમ્બુર વિસ્તારમાં આરસીએફ પોલીસે દોઢ વર્ષીય બાળકીનું અપહરણ કરવાના પ્રકરણમાં ૩૦ વર્ષીય યુવકની કાનપુરના રેલવે સ્ટેશનેથી ધરપકડ કરી હતી. આ યુવકે બાળકીની માતાને પોતાની સાથે લગ્ન નહીં કરે તો તેની બાળકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બાળાના પિતા ઉમાશંકરનારાયણ ગટ્ટા (૩૩)એ આરસીએફ પોલીસમાં અશરફ મદાર શેખે તેની દીકરી દિશાનું તેના ઘરે અપહરણ કર્યાની શુક્રવારે ફરિયાદ નોંધાવી હતી. ચેમ્બુરના વાશીનાકા સ્થિત સાઈનાથ કોઓપ. હાઉસિંગ સોસાયટીમાં ૩૦ સપ્ટેમ્બરે આ બનાવ બન્યાનું ગટ્ટાએ પોલીસને જણાવ્યું હતું. શેખ દિશાને અમારી જાણ વિના ઉઠાવી ગયો હતો અને બાદમાં પાછો ફર્યો નહોતો.શેખ ગટ્ટા અને તેની પત્ની મુસ્કાનનો મિત્ર હતો અને તે પાડોશમાં રહેતો હોવાથી તેના ઘરે અવરજવર કરતો હતો. અમને જ્યારે ગટ્ટાએ આ અંગે ફરિયાદ કરી ત્યારે અમે મોબાઈલ સર્વિસ પ્રોવાઈડરની સહાય લઈને તેનો ફોન ટ્રેસ કરતાં તે ઉત્તર પ્રદેશ હોવાનું જાણવા મળ્યું હતું,એમ જાલિંધર ખંડાગલેએ જણાવ્યું હતું.બીજે દિવસે તેણે મુસ્કાનને ફોન કરીને તેની સાથે લગ્ન કરીશ તો જ તેની દીકરી દિશાને તે પાછી આપશે એવી ધમકી આપી હતી. મુસ્કાને તેને આજીજી કરી હતી કે હું પરિણીત છું, એટલે હું તારી આ માગણી પૂરી નહીં કરી શકું, પરંતુ શેખે તેની કોઈ વાત સાંભળી નહોતી. દરમિયાન પોલીસે મુસ્કાનને વાત કરતાં રહેવા માટે જણાવ્યું હતું જેથી તે પોતાનો માબાઈલ બંધ કરી દે તે પહેલાં તે ક્યા વિસ્તારમાં છે તેની તેઓને જાણ થઈ શકે. જોકે એક સમયે શેખે મુસ્કાનને ફોન કરીને તેને કાનપુર સ્ટેશને મળવા આવવા માટે જણાવ્યું હતું. પોલીસના કહેવા પ્રમાણે મુસ્કાને તેને મળવા માટે તૈયારી દર્શાવી હતી.પોલીસની એક ખાસ ટુકડી સાદા વેશમાં મુસ્કાનની સાથે કાનપુર સ્ટેશને ગઈ હતી. કાનપુર સ્ટેશને શેખ જેવો મુસ્કાનને મળવા માટે આવ્યો કે તેની પોલીસે ધરપકડ કરી હતી અને શેખના કબજામાં મચ્છરિયા વિસ્તારમાં ગોંધી રાખવામાં આવેલી દિશાનો પોલીસે છુટકારો કરાવ્યો હતો. પોલીસ તેને મંગળવારે મુંબઈ લઈ આવી હતી અને તેને કોર્ટમાં હાજર કરતાં ૧૪ ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.


કસાબને મૃત્યુદંડ અંગેની વહેલી સુનાવણીનો કોઈ વાંધો નથી

‘‘૨૬/૧૧ના ત્રાસવાદી હુમલામાં મારી ભૂમિકાના અનુસંધાનમાં પોતાને ફરમાવાયેલા મૃત્યુદંડને મંજુરીના વિષય પર સરકાર પહેલાં દલીલો શરૂ કરે તેની સામે મને કોઈ વાંધો નથી,’’ એમ પાકિસ્તાની ત્રાસવાદી અજમલ કસાબે મુંબઈ વડી અદાલતને તેનાં વકીલ ફરહાના શાહ દ્વારા જણાવ્યું હતું.જોકે સરકારી ધારાશાસ્ત્રી ઉજજવલ નિકમે જણાવ્યું હતું કે ‘‘કસાબે તેની મોતની સજાને પડકારતાં કરેલી અપીલની સુનાવણી પહેલાં હાથ ધરવી જોઈએ. ત્યાર પછી ‘સજાને મંજુરી’નો મુદ્દો હાથ ધરવો જોઈએ. જો અપીલ નિષ્ફળ જાય તો જ કસાબને ફરમાવાયેલી મોતની સજાને મંજુરી અંગે સુનાવણી હાથ ધરી શકાય.’’ન્યા. રંજના દેસાઈ અને ન્યા. આર. વી. મોરેની ખંડપીઠે આ બાબતે લેખિત રજુઆત કરવાની ઉજજવલ નિકમને સૂચના આપવા સાથે સુનાવણી ગુરુવાર પર મોકૂફ રાખી હતી. ફોજદારી દંહ સંહિતા (સીઆરપીસી)ની જોગવાઈઓ અનુસાર અદાલત (ટ્રાયલ કોર્ટ) કોઈ આરોપીને મોતની સજા ફરમાવે તો એ સજાના ફરમાન પર વડી અદાલતની મંજુરીની મહોર લાગવી જરૂરી બને છે.
ન્યાયમૂર્તિઓએ જણાવ્યું હતું કે મૃત્યુદંડને મંજુરી અને અપીલ બન્ને બાબતોની સુનાવણી સમાંતર રીતે ચાલવી જોઈએ. જોકે સજાને મંજુરીના મુદ્દા પર ૧૮ ઓક્ટોબરથી દૈનિક ધોરણે દલીલોની સુનાવણી હાથ ધરવાનો નિર્ણય પણ ખંડપીઠે જાહેર કર્યો હતો. આ બાબત સાથે સંબંધિત અન્ય ઘટનામાં અદાલતે વકીલની એપોઈન્ટમેન્ટ તેમ જ જેલમાં સગાં-સંબંધીઓને મળવાની પરવાનગી માગતી ફહીમ અન્સારીની અરજીનો નિકાલ કર્યો હતો.


આણંદમાં ચૂંટણી પૂર્વે જ વિરોધીઓને પછાડવા દાવપેચ!

આણંદ સહિત કુલ પાંચ પાલિકામાં ફોર્મ ચકાસણી દરમિયાન મામલો ગરમ રહ્યો : આણંદમાં ત્રણ બાળકના મુદ્દે અપક્ષે ઉમેદવારી ગુમાવી.આણંદ સહિત જિલ્લાની કુલ પાંચ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ - કોંગ્રેસના મેન્ડેટ પર તેમ જ અપક્ષ તરીકે ઉમેદવારોની ફોર્મ ચકાસણી બુધવારના રોજ હાથ ધરવામાં આવી હતી. જેમાં ચૂંટણી જ પહેલા જ વિરોધીઓને પછાડવા એકબીજા પર આક્ષેપ - પ્રતિઆક્ષેપના કારણે વાતાવરણ ગરમ રહ્યું હતું. ક્યાંક ઉમેદવારોની ભુલને કારણે તો ક્યાંક વિરોધીઓ હાવી થઈ જતાં ઉમેદવારી ફોર્મ રદ્દ થયાં હતાં. જો કે, સૌથી વધુ બોરસદમાં મામલો વધુ ગરમ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ અને ઉમરેઠ નગરપાલિકામાં ઉમેદવારી ફોર્મ ચકાસણીના પ્રથમ દિવસે ડમી ઉમેદવારો સહિત અનેક અપક્ષોના ફોર્મ રદ્દ થયાં હતાં. સવારથી જ પાંચેય ચૂંટણી અધિકારીઓની ઓફિસ પર ભીડ જોવા મળી હતી. આણંદ નગરપાલિકાના વોર્ડ નં. ૯માં અપક્ષ ઉમેદવાર વ્હોરા આરીફભાઈ ઐયુબભાઈને ત્રણ સંતાન હોવાની રજુઆત ચિરાગભાઈ હસમુખભાઈ શાહે કરી હતી. તેમાંય જિલ્લા પંચાયત ભવન સ્થિત ચૂંટણી કાર્યાલયમાં બુધવારે મોડી સાંજ સુધી ચાલેલી મડાગાંઠમાં આરીફભાઈ દોષિત ઠર્યા હતાં અને ચૂંટણી અધિકારી આર.જી. ભાલારાએ આરીફભાઈની ઉમેદવારી રદ્દ કરી હતી.
આ ઉપરાંત કોંગ્રેસના વ્હોરા મેહરૂનનીશા ગુલામનબી સામે નીતુબેન વાઘેલાએ રજુઆત કરી તેઓ પછાતવર્ગમાં આવતા ન હોવા છતાં ઉમેદવારી કરી હોવાનું જણાવ્યું હતું. જો કે, આ અરજી નામંજુર થઈ હતી અને મેહરૂનનીશાનું ઉમેદવારી ફોર્મ માન્ય રખાયું હતું. તેવી જરીતે વોર્ડ નં.૯માં પરેશ રમણભાઈ પટેલ સામે વેરોબાકી હોવાની રજુઆત થઈ હતી. સદર વાંધા અરજીને આણંદ પાલિકા ચીફ ઓફિસરના મંતવ્યના પગલે અરજી દફતરે કરવામાં આવી હતી.અન્ય ચાર નગરપાલિકામાં પણ દિવસભર ભારે ગરમાવો જોવા મળ્યો હતો. ઉમેદવારો ઉપરાંત ભાજપ, કોંગ્રેસના હોદ્દેદારો, ધારાસભ્યોને પણ ચૂંટણી અધિકારી પાસે ખડેપગે રહેવું પડ્યું હતું. આક્ષેપ - પ્રતિઆક્ષેપમાં દિવસભર ઉમેદવારો કામમાં વ્યસ્ત જોવા મળ્યાં હતાં અને ચૂંટણી પ્રચારના કાર્યમાં વેગ મળ્યો નહતો.


ગુજરાતનું ગૌરવ : લજ્જા પર શુભેચ્છાઓનો વરસાદ

કોમનવેલ્થમાં સુવર્ણચંદ્રક જીતવા ચરોતરમાંથી શુભેચ્છાઓનો વરસાદ, કોમન વેલ્થ ગેમ્સમાં રાયફલ શૂટિંગમાં વ્યક્તિગત સ્પર્ધામાં ઈતિહાસ રચવાની સોનેરી તક, દિલ્હીમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં રાયફલ શૂટિંગની ગુરુવારે યોજાનાર વ્યક્તિગત સ્પર્ધામાં સમગ્ર ગુજરાતવાસીઓની નજર મંડાયેલી છે. રાયફલ શૂટિંગમાં પોઇન્ટ ટુટુ પ૦ મીટર થ્રિ પોઝિશનીંગની ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવનાર આણંદની લજજા ગોસ્વામીને કોમનવેલ્થમાં ગોલ્ડમેડલ જીતવાની સોનેરી તક સાંપડી છે.
કોમનવેલ્થ ગેમ્સમાં લજજાએ મેળવેલી સિદ્ધિને તેના સ્નેહીજનોએ બિરદાવી હતી. સાથે ગુરુવારે રાયફલ શૂટિંગની વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડમેડલ જીતે તે માટે શુભેચ્છાઓનો વરસાદ કર્યો હતો.કોમનવેલ્થ ગેમ્સમાં ગુરૂવારે યોજાનારી વ્યક્તિગત ઈવેન્ટમાં આણંદની લજજા ગોસ્વામી ગોલ્ડ મેડલ વિજેતા બને તે માટે નડિયાદની ટી.જે.કોર્મસ કોલેજમાં શુભેચ્છા સમારંભ યોજાયો હતો. આ સમારંભમાં કોલેજના વિદ્યાર્થીઓએ ‘‘ચરોતરની શાન’’, ‘‘શાબાશ લજજા શાબાશ’’ જેવા બેનરો સાથે લજજા તુમ આગે બડો, હમ તુમ્હારે સાથ હૈ તેવા સૂત્રોચ્ચાર કરીને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી.નડિયાદની ટી.જે.પટેલ કોર્મસ કોલેજ (ઈંગ્લીશ મીડિયમ)માં બુધવારે ચરોતરની શાન લજજા ગોસ્વામી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા બને તે હેતુથી પ્રિન્સીપાલ કે.બી.રાવના અધ્યક્ષપદે શુભેચ્છા સમારંભનું આયોજન કરવામા આવ્યું હતું. આ સમારંભ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ કે.બી.રાવે જણાવ્યું હતું કે,લજજા ગોસ્વામીએ કોમનવેલ્થ ગેમ્સમાં રજત ચંદ્રક મેળવીને ગુજરાતનું નહીં પણ સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે.
પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીએ બતાવેલ શક્તિને આજના માતા-પિતાઓએ પોતાની દિકરીને પ્રોત્સાહિત કરવા અને પ્રેરિત કર્યા છે. જ્યારે કોલેજની વિદ્યાર્થીની પૂજા ટહેલ્યાણી, નાહર શેખ, પ્રાચી શાહ, અજરા શેખ, દિપાલી પટેલ વગેરેએ જણાવ્યું હતું કે, કોમનવેલ્થ ગેમ્સમાં લજજા ગોસ્વામીએ ૫૦ મીટર થ્રી પોઝીશનમાં રજત ચંદ્રક મેળવીને ચરોતર સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે. લજજા વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને સમગ્ર દેશમાં ચરોતરનું નામ ગુંજતું કરે તેવી પ્રાર્થના સાથે શુભેચ્છાઓની વર્ષા વરસાવી હતી.


ગેરહાજરીના કારણે ઊંઝાના પોલીસકર્મીને ડિસમિસ કરાયો

ઊંઝા પોલીસ મથક ખાતે સતત ગેરહાજર રહેતા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ મુળાભાઇની આ બેદરકારીની સામે જિલ્લા પોલીસવડા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અન્ય કર્મચારીઓને શીખ મળે એ હેતુ સાથે આ કોંસ્ટેબલને પોલીસ ખાતામાંથી રૂકસત(ડીસમીસ)કરાયો હતો.પ્રાપ્ત માહિતી પ્રમાણે આ પોલીસકર્મી છેલ્લા બે દાયકા જેટલા સમયથી પોલીસખાતા સાથે સંકળાયેલો હતો. જેમાં છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ઊંઝા પોલીસ મથક ખાતે સતત ગેરહાજર રહેવાના કારણે તેની સામે આ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડાના આ પ્રકારના કડક વલણની વાત વાયુવેગે ફેલાતા પોલીસબેડાં અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું હતું.


મોદી સોહરાબુદ્દીનના નામે મત માગવા નીકળી પડ્યા છે

સભામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સિધ્ધાર્થ પટેલના પ્રહારો.મુખ્યમંત્રી મોદીએ રાજકોટમાં યોજેલી બન્ને સભામાં સોહરાબુદ્દીન પ્રકરણને ચૂંટણીનો મુદ્દો બનાવી કોંગ્રેસ સામે કરેલા આક્ષેપો સામે આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિધ્ધાર્થ પટેલે જાહેર સભામાં ભાજપ સામે વળતો પ્રહાર કર્યો હતો.તેમણે કહ્યું હતું કે, ચૂંટણી મહાપાલિકાની છે, લોકોને લગતા પ્રાણ પ્રશ્નોની છે, વિકાસની વાત છે. ત્યારે નરેન્દ્ર મોદી સોહરાબુદ્દીનના નામે મત માગવા નીકળી પડ્યા છે અને તેના કારણે વિકાસનો મુખ્ય મુદ્દો જ ભુલી જઇ ગંદી રાજનીતિ અપનાવે છે.આકાશવાણી ચોકમાં અને ઉપલાકાંઠે પાણીના ઘોડા પાસે પ્રદેશ પ્રમુખ સિધ્ધાર્થ પટેલની જાહેરસભા યોજાઇ હતી. સભામાં જંગી જનમેદની વચ્ચે સિધ્ધાર્થ પટેલે સીધા મોદી ઉપર જ આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી સોહરાબુદ્દીન પ્રકરણને લઇને સીબીઆઇ કોંગ્રેસના ઇશારે ચાલે છે એવા જુઠ્ઠાણા ચલાવી પ્રજા સમક્ષ ખરડાયેલા ચહેરાન સાફ કરવાનો પ્રયાસ કરે છે. હકીકત તો એ છે કે, સોહરાબુદ્દીનને ભાજપ સાથ ઘરોબો હતો.સોહરાબુદ્દીનનો ભાઇ મધ્યપ્રદેશમાં ભાજપમાંથી ટિકિટ મેળવી ચૂંટણી લડી ચુકેલો છે. સોહરાબુદ્દીનના પરિવારમાંથી કોઇ આર.એસ.એસ.માં તો કોઇ સીધા જ ભાજપ સાથે સંકળાયેલ છે. મોદી સરકારના રાજમાં સોહરાબુદ્દીનનો ઉપયોગ ખંડણી ઉઘરાવવા માટે જ થતો હતો અને જ્યારે સોહરાબુદ્દીન જોખમી બની જતાં એન્કાઉન્ટરના નામે તેનું કાસળ કાઢી નાખવામાં આવ્યું. હવે જ્યારે પ્રજા સમક્ષ ચહેરો બેનકાબ થઇ ગયો છે ત્યારે સોહરાબુદ્દીન પ્રકરણને ચૂંટણી પ્રચારનો મુદ્દો બનાવી લેવાયો છે. ખરેખર તો ચૂંટણી મહાપાલિકાની છે, એટલે કે, પ્રજાની પ્રાથમિક સુવિધાની અને વિકાસની વાત છે ત્યારે મોદી સોહરાબુદ્દીનના નામે મત માગી વિકાસનો મુદ્દો જ ભૂલી જઇ ગંદી રાજનીતિ રમે છે.વધુમાં સિધ્ધાર્થ પટેલે કહ્યું હતું કે, રાજકોટમાં વિકાસના જે કોઇ પણ પ્રોજેક્ટો થઇ રહ્યા છે તેમાં કેન્દ્રની કોંગ્રેસ સરકાર દ્વારા માતબર રકમની સહાય મળી રહી છે.છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્રની જેએનએનયુઆરએમ યોજના હેઠળ ૬પ૨ કરોડના પ્રોજેક્ટો મંજૂર થયા છે. કેન્દ્રની સહાયમાંથી ગુજરાત સરકારે બેફામ ભ્રષ્ટાચારો કર્યા છે. રાજકોટમાં ભાજપે પણ કેન્દ્રના પૈસાનો દુરૂપયોગ કર્યો છે. લાગતાવળગતાઓને કામના કોન્ટ્રાકટ આપી ટકાવારી ખાધી છે. ૧ રૂ.ની વસ્તુના ૨-૩ રૂપિયા ચુકવી જબરો ભ્રષ્ટાચાર આચર્યો છે.


અભિ-એશને ક્લાઉનીનું ખાસ આંમત્રણ!!

અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચનને જ્યોર્જ ક્લાઉનીએ ખાસ આંમત્રણ આપ્યું છે. ખરેખરમાં હોલિવૂડ એક્ટરની એશ અભિ સાથે એટલી તે સારા સંબંધો થઈ ગયાં હતાં કે તેણે ઈટાલી ખાતેનાં તેનાં લેક હાઉસની મુલાકાતે આવવાનું આંમત્રણ આપી દીધુ હતું. આ મુલાકાત સમયે જ્યોર્જની ગર્લફ્રેન્ડ એલિસાબેટ્ટા કેનેલિસ પણ તેમને મળવાં આવે તેની પુરી શક્યતાઓ છે.
જ્યોર્જને ભારત માટે ઘણું માન છે અને તે ખરેખરમાં અભિ-એશને મળીને ખુશ થઈ ગયો હતો. તે બોલિવૂડનો પણ દિવાનો છે. તેને બોલિવૂડનાં ગીતો અને ડાન્સ ખુબ પસંદ છે તેમજ અભિ-એશની જોડી પણ તેને પસંદ છે.તો અભિ-એશ પર જ્યોર્જનાં લેક હાઉસની ચાલુ વર્ષનાં અંત સુધીમાં જ મુલાકાત લે તેવી શક્યાતાઓ છે. ક્લાઉનીએ ઘણી સહજતાથી આંમત્રણ આપતાં જણાવ્યું હતું કે તેઓ ગમ્મેતે સમયે તેમનાં મહેમાન બની શકે છે.


નરેન્દ્ર મોદીએ અમેરિકાને ટક્કર આપી છે!

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હવે અમેરિકાને જવાબ આપવા કમર કસી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ એવી જાહેરાત કરી છે કે તેઓ ગુજરાતમાં દુનિયાની સૌથી મોટી પ્રતિમાનું નિર્માણ કાર્ય કરવા જઈ રહ્યાં છે.આ પ્રતિમા અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલી 'સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી' કરતા ખાસ્સી મોટી હશે અથવા તો બમણી. ગુજરાતમાં બનનારી આ પ્રતિમા છે લોખંડી પુરૂષ સરદાર વલ્લભ ભાઈ પટેલની. અને આ પ્રતિમાને નામ આપવામાં આવ્યું છે 'સ્ટેચ્યુ ઑફ યૂનિટી'.સરદાર પટેલની આ પ્રસ્તાવિત પ્રતિમાની ઉચાંઈ હશે 182મીટર (392 ફુટ)એટલે કે તેની ઉંચાઈ સ્ટેચ્યુ ઑફ લિબર્ટીથી આશરે બમણી હશે. તમને જણાવી દઈએ કે સ્ટેચ્યુ ઑફ લિબર્ટીની ઉંચાઈ 93 મીટર આસપાસ છે.સરદાર પટેલની આ પ્રતિમાને નર્મદા બંધથી આશરે 3 કિલોમીટર દૂર, સાધુ બેટમાં બનાવવામાં આવશે. અને પ્રોજેક્ટ ઉપર મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી પોતે દેખરેખ રાખશે.મુખ્યમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ગુજરાતને વાઇબ્રન્ટ સ્વરૂપ આપીને ખાસ્સા નિર્માણ કાર્યો કર્યા છે. અને આ ઓક્ટોબરની 9મી તારીખે તેઓ પોતાના શાસનના 9 વર્ષ પૂરા કરીને 10 વર્ષમાં પદાર્પણ કરશે.વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીત, સાબરમતી રિવર ફ્રન્ટ, નર્મદા યોજના, સર્વ શિક્ષા અભિયાન, ગુજરાત પ્રવાસન વિભાગને વિશ્વ મંચ ઉપર લાવવું, અમદાવાદને મેગાસિટી બનાવવું, સુરતના હિરા ઉદ્યોગને નવી દિશા આપવી, જેવા અનેક નિર્માણ તેમજ બાંઘકામ કાર્યો અને યોજનાઓની તેઓએ ગુજરાતને ભેટ આપી છે.ઉલ્લેખનીય છે કે ગુજરાતને એક વૈશ્વિક ફલક પર લાવીને તેઓએ સ્વર્ણિમ ગુજરાતના સંકલ્પ સાથે અનેક વિકાસશિલ કાર્યોનું નિર્માણ કરાવ્યું છે. 2011 સૂધીમાં પૂરા થતા ગુજરાતનાં 50 સ્વર્ણીમ વર્ષોને વધાવવા તેઓ ભાગ્યશાળી રહ્યાં છે. તેમના આવા જ નિર્માણ કાર્યોને ગુજરાતની જનતા સલામ કરે છે.


હોટ કેટનું સેક્સી ફોટોશુટ

હાલમાં તો બોલિવૂડ અને ફેશન ઈન્ડસ્ટ્રીઝ કોચર ફેશન વીકમાં વ્યસ્ત છે. જો કે બોલિવૂડની અભિનેત્રી કેટરિના કૈફે હાર્પર બાઝારના ઓક્ટોબર મહિનાના અંક માટે કમાલનું ફોટોશુટ કરાવ્યું છે.આ મેગેઝીન માટેના ફોટોશુટ માટે કેટરિના ઘણી જ હોટ લાગતી હતી. કેટરિના છ મહિનામાં બીજીવાર હાર્પર મેગેઝીનના કવરપેજ પર ચમકી છે.ઉલ્લેખનીય છે કે, આ પહેલા કેટરિનાએ રીતિક રોશન સાથે ફોટોશુટ કરાવ્યું હતું. રીતિક સાથે કેટરિના એકદમ હોટ લાગતી હતી.કેટરિના વેસ્ટર્ન વેરમાં ઘણી જ હોટ એન્ડ સેક્સી લાગતી હતી.

વેઈટલિફ્ટિંગમાં રેણુબાલાએ ઈતિહાસ રચ્યો

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


વેઈટલિફ્ટિંગમાં રેણુબાલાએ ઈતિહાસ રચ્યો

ભારતીય મહિલા વેઈટલિફ્ટર રેણુ બાલા ચાનુએ કોમનવેલ્થ ગેમ્સની વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં 58 કિલો વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.મણિપુરની રેણુબાલા ફાઈનલમાં 194 કિલોગ્રામ વજન ઉઠાવીને પ્રથમ સ્થાને રહી હતી. વેઈટલિફ્ટિંગમાં ભારતનો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. આ પહેલા વેઈટલિફ્ટિંગમાં બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ દેશના ખાતામાં આવી ચૂક્યા છે.બુધવારના રોજ ભારતે ચાર ગોલ્ડ મેડલ જીતી લીધા છે. બુધવારે શરૂઆતમાં શૂટર ગગન નારંગ, અનિસા સૈયદ અને ઓમકાર સિંહે ગોલ્ડ મેડલ પર નિશાન લગાવ્યું હતું. હાલમાં ભારતે કુલ નવ ગોલ્ડ મેડલ જીતી લીધા છે.ઓસ્ટ્રેલિયાની લી સીને 192 કિલોગ્રામ વજન ઉઠાવીને સિલ્વર મેડલ જીત્યો છે. જ્યારે ઈંગ્લેન્ડની જેડ સ્મિથે 188 કિલોગ્રામ વજન ઉઠાવીને સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.


માંગ્યું સેક્સ અને મળ્યો મેથીપાક

સોલા સાયન્સ સિટી રોડ પરની આર.સી. ટેક્નિકલ કોલેજમાં અભ્યાસ કરતા યુવાને સાથે અભ્યાસ કરતી પ્રેમિકા સમક્ષ સેક્સનો પ્રસ્તાવ મૂકતાં યુવતીએ આ અંગે તેના મિત્રોને વાત કરતાં ભારે હોબાળો થયો હતો.નારણપુરાનો કીર્તન ઉપેન્દ્રકુમાર પટેલ (૧૯) આર.જે. તિબ્રેવાલ કોલેજમાં બીસીએના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. કીર્તન ધોરણ-૧૧માં ઘાટલોડિયાની જ્ઞાનજ્યોત સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારે તેની મિત્રતા સાથે અભ્યાસ કરતી વર્ષા (નામ બદલ્યું છે) સાથે થઈ હતી.હાલમાં વર્ષા આર.સી. ટેક્નિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. સોમવારે સાંજે વર્ષાએ કીર્તનને ફોન કરીને કહ્યું હતું કે કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ધ્રુવિક જિતેન્દ્રભાઈ પટેલ ઉર્ફે ધ્રુવ સાથે મારે પ્રેમસંબંધ બંધાયો છે અને તે વારંવાર સેક્સની માગણી કરે છે તો હું શું કરું?આ વાત સાંભળીને મંગળવારે કીર્તને તેના મિત્રો સાથે કોલેજ જઈને ધ્રુવ અને તેના મિત્રો સાથે મારામારી કરી હતી. જેમાં કીર્તનના મિત્ર વનરાજે ઈંટથી ધ્રુવને મારતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો. ત્યાંથી વનરાજ ભાગી જતાં કીર્તનને પકડીને ધ્રુવના મિત્રો હોસ્ટેલમાં લઈ જઈ ધોલાઈ કરી હતી. ત્યાર બાદ ધ્રુવના મિત્રો કીર્તનને લઈ કારમાં વનરાજને શોધવા નીકળ્યા હતા.


‘સીબીઆઈ કેસ કરી શકે, ચૂંટણી જીતાડી ન શકે’

‘કોંગ્રેસીઓ ચૂંટણીમાં આરામથી જીતી શકતા નથી. ચૂંટણી જીતવા માટે તેઓએ ચારે બાજુ પ્રયાસ કર્યો પરંતુ ફેલ થયા બાદ હવે તેઓ સીબીઆઇનો ઉપયોગ કરે છે, પણ સીબીઆઇ કેસ ચલાવી શકે છે, ચૂંટણી જીતાડી શકતી નથી.સીબીઆઇ પણ કોંગ્રેસને ચૂંટણીમાં સહાય નહીં કરી શકે તેથી કોંગ્રેસ ચિંતામાં છે.’ તેમ આજે અમદાવાદના ટાઉનહોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનને સંબોધતાં રાજ્યસભાના વિપક્ષના નેતા અરુણ જેટલીએ જણાવ્યું હતું.સીબીઆઇ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, સીબીઆઇ ખોટા સાક્ષી બનાવે છે બનાવટ કરે છે પણ સીબીઆઇના અધિકારીઓએ સમજી લેવું જોઈએ કે સરકાર અમર નથી હોતી. પાર્ટી બદલાય છે ત્યારે સીબીઆઇના અધિકારીઓએ જવાબ આપવો પડશે.સીબીઆઇ ચૂંટણીમાં કોંગ્રેસને ઉગારી શકશે નહીં અને ગુજરાતની જનતા ભાજપના પક્ષમાં જનમત આપી જડબાતોડ જવાબ આપશે.અરુણ જેટલીએ સંમેલનમાં કાશ્મીર મુદ્દે પંડિત જવાહરલાલ નહેરુ પર પણ ચાબખા માર્યા હતા. જો કાશ્મીર મુદ્દે જનમત મેળવવામાં આવે તો નહેરુના નિર્ણયને લોકો પણ ખોટો માનશે. જેટલીએ અયોધ્યા અને માઓવાદીઓ મુદ્દે પણ આકરા પ્રહારો કર્યા હતા.


મહિલાને પતિ દ્વારા અભદ્ર મેસેજ

શહેરના બિલ્ડર સાથે લગ્ન કરનાર રાજકોટની પરિણીતાને દહેજ માટે ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકનાર પતિએ અભદ્ર ભાષામાં અને એસએમએસ કરી હેરાનગતિ શરૂ કરી હતી. જેથી પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.વીઆઇપી રોડ પર રહેતા બિલ્ડર રશેષભાઇ કિરીટભાઇ શાહનું બીજા લગ્ન રાજકોટના જાગનાથ પ્લોટમાં રહેતી તૃપ્તિ રમેશભાઇ શાહ સાથે થયું હતું. જો કે લગ્ન બાદ સાસુ અને સસરાએ ઓછું કરિયાવર લાવી હોવાનાં મેણા મારી ત્રાસ ગુજારવાનો શરૂ કર્યો હતો. તેમજ લગ્નના છ માસ જેટલા સમય બાદ પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી.ત્યારબાદ પતિએ તૃપિ્તના મેઇલ એડ્રેસ પર મેસેજ મોકલવાના શરૂ કર્યા હતા. જેમાં નીચ, હલકટ, પૈસાની ભૂખડી જેવી અભદ્ર અને ધમકીભરી ભાષાનો ઉપયોગ કર્યો હતો. જો કે પરિણીતાએ તેને ગંભીરતા થી લીધા ન હતા. મેસેજ સતત ચાલુ રહેતા આખરે સાસુ અને સસરાને જાણ કરતા તેમને કહયું હતું કે રશેષ અમને વંચાવીને જ મેસેજ મોકલે છે, તું તેને જ લાયક છે.ત્યારબાદ પણ ઇમેલ અને મોબાઇલ ફોન પર એસએમએસનો સિલસિલો ચાલુ જ રહ્યો હતો. બિલ્ડરે સૌમિલ શાહના નામે બોગસ મેઇલ એકાઉન્ટ ખોલીને પણ મેલ મોકલ્યા હતા. મોબાઇલ પર મેસેજ મોકલી પતિએ ધમકી આપી હતી કે તને અને તારા કુંટુંબને જાનથી મારી નાખીશ.સ્ત્રી ઔચિત્ય ભંગ થાય તેવા પતિના મેસેજથી કંટાળીને આખરે પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કારેલીબાગ પોલીસે રશેષ શાહ, કિરીટભાઇ શાહ અને મીનાબહેન શાહ સામે ઇર્ન્ફોમેશન ટેક્નોલોજી એક્ટ સહિતની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


વડોદરા : બિલ્ડરની ૧.૨૦ કરોડની બેનામી આવકનો પર્દાફાશ
ચૂંટણીના માહોલ વચ્ચે આવકવેરા વિભાગે માંજલપુર વિસ્તારના બિલ્ડરને ત્યાં ત્રાટકીને તપાસ કરતા ૧.૨૦ કરોડ રૂપિયાની બેનામી આવકની સ્વૈચ્છિક કબૂલાત કરાઈ હતી.આવકવેરા અધિકારીઓની ટીમે મંગળવારે માંજલપુર વિસ્તારના બિલ્ડરના દસ્તાવેજોની તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી. આ બિલ્ડરની વૈભવી સ્કીમો ઉપરાંત જમીનોના સોદાબાજીને લગતા દસ્તાવેજોની ગત મોડી રાત સુધી તપાસ કરવામાં આવી હતી.આ બિલ્ડરના કમ્પ્યૂટર રેકર્ડની પણ છણાવટ હાથ ધરવામાં આવી હતી. આ બિલ્ડર દ્વારા રજુ કરાયેલા પ્રોજેક્ટમાં પણ પ્રોપર્ટી ખરીદનારાઓ પાસેથી મોટા પ્રમાણમાં ઓન મની લેવાતી હોવાની ગેરરીતિનો પર્દાફાશ થયો હતો. સમા વિસ્તારમાં પણ સાઇટ ધરાવતાં આ બિલ્ડરે ૧.૨૦ કરોડની છુપી આવકની સ્વૈચ્છિક કબૂલાત કરી હતી.


વડોદરા : મસલ પાવર વાપરનારાના દા‘ડા હવે પૂરા થયા : મોદીનો ધ્રુજારો

વડોદરા શહેરના ઉમા ચાર રસ્તા ખાતે યોજાયેલી જાહેરસભાને સંબોધતા મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ચુંટણીમાં મસલ્સ પાવરના જોરે જીતવા માગતા તત્વોને આડે હાથે લેતા ચીમકી સ્વરૂપે જણાવ્યું હતું કે પ્રજાને રંજાડનારાઓ હવે ચેતી જાય. હવે આવા તત્વોનો ખેલ લાંબો સમય નહીં ચાલે તેવી ખાતરી તેમને ઉપસ્થિત જનમેદનીને આપી હતી.સેવાસદનની ચૂંટણીના પ્રચાર અર્થે બુધવારે વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા ખાતે યોજાયેલી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.ઉપસ્થિત લોકોએ લોકલાડીલા મુખ્યમંત્રીને ભારે ઉમળકા ભેર વધાવી લીધા હતા.સભાને સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ચૂંટણીમાં જુસ્સો હોય, ઉમંગ હોય ઉત્સાહ હોય પણ આજે જુદો જ માહોલ છે.જુસ્સો તો છે પણ સાથે ગુસ્સો છે. ૧૦મી તારીખે ભાજપના કમળ પર ઇવીએમનું બટન દબાવી ગુસ્સો પ્રદર્શિત કરવાનો છે જેમાં આપના સાથ અને સહકારની જરૂર છે.કેટલાક તત્વો સત્તાભૂખને સંતોષવા મસલ પાવરનો ઉપયોગ કરીને સામાન્ય પ્રજાને રંજાડતા હોય છે. આવા તત્વોને હું કહેવા માંગુ છુ કે તમારો ખેલ હવે બહુ લાંબો નહીં ચાલે અને તેમનુ બ્લડગ્રૂપ ગમે તે હોય પણ અમે તેમને કાયદાની મર્યાદામાં રાખીને જંપીશું .મુખ્યમંત્રીએ આ સાથે એમ પણ જણાવ્યું હતું કે આવા તત્વોને મત આપીને તમારા મત વેડફશો નહીં. મસલ પાવર વાપરીને વડોદરાની પ્રજાને પજવતા તત્વોના હવે દા‘ડા પુરા થઇ ગયા હોવાનો ધ્રુજારો મુખ્યમંત્રીએ સભામાં વ્યક્ત કર્યો હતો.

સીએમની સભામાં ત્રણ ‘સીએમ’નાં ખિસ્સાં કપાયાં!

આખી શહેર પોલીસ જ્યારે મુખ્યમંત્રીની સલામતી જાળવવા માટે વ્યસ્ત હતી બરોબર તે જ સમયે બે ખિસ્સાકાતરુએ પોતાની કળા અજમાવી હતી અને સભામાં આવેલી ત્રણ વ્યક્તિનાં ખિસ્સાં હળવાં કરી દીધાં હતાં. બેમાંથી એક ખિસ્સાકાતરુને લોકોએ સ્થળ પરથી જ પકડી પાડી બરાબરનો ઠમઠોર્યો હતો જ્યારે બીજો ભાગી ગયો હતો.ભાઠેના-બેમાં નરેશ ટેક્સટાઇલ નામે કાપડનું કારખાનું ધરાવતા નરેશભાઈ બચુભાઈ જરીવાલા (રહે: વાણિયા શેરી, બેગમપુરા)એ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ પોતે મુખ્યમંત્રીની સભા પૂર્ણ થયા બાદ ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે બે ખિસ્સાકાતરુએ તેમના ખિસ્સામાંથી રૂ. ૧,૫૦૦ ચોરી લીધા હતા.મંગળવારે રાત્રે સાડા નવ વાગ્યે બનેલી આ ઘટનામાં નરેશભાઈ ઉપરાંત જરીના વ્યવસાય સાથે સંકળાયેલા ભરતભાઈ ડાહ્યાભાઈ ભગત (રહે: લીમડા ચોક, ડબગરવાડ) અને ટાઇલ્સ ફિટિંગનો વ્યવસાય કરતા ભવરસિંગ મૂલસિંગ ચુડાવત (રહે: ન્યૂ હરિધામ સોસાયટી, આશાપુરી સોસાયટી ત્રણ રસ્તા, પાંડેસરા)ના ખિસ્સાંમાંથી અનુક્રમે ૧,૪૮૦ અને રૂ ૪,૪૦ની ચોરી કરી લીધી હતી.


શાળા-કોલેજોમાં મિલિટરી એકેડેમી ફરજિયાત કરો

દેશની આંતરિક સુરક્ષા સામે આજે ખતરો ઉભો થયો છે અને જો આ રાષ્ટ્રને બચાવવુ હશે તો વિદ્યાર્થીઓને આર્મીની તાલિમ ફરજિયાત આપવી પડશે તેના માટે દેશની તમામ શાળા કોલેજોમાં મિલટ્રી એકેડેમી અને એનસીસીની તાલિમ ફરજિયાત કરવી પડશે એવુ જાણીતા પત્રકાર પદ્મશ્રી મુઝફ્ફર હુસેને જણાવ્યું હતું. રાષ્ટ્રીય સુરક્ષા સમસ્યા અને સમાધાન એ વિષય પર બોલતા તેઓએ દેશમાં લોકશાહીના જતન માટે અને અનામત પ્રથાને ખતમ કરવા માટે ફરજિયાત મતદાનનો નિર્ણય કરવાની પણ હિમાયત કરી હતી.ભારતીય વિચાર મંચ દ્વારા વરાછા રોડ સરદાર સ્મૃતિ ભવન ખાતે આયોજિત રાષ્ટ્રીય સુરક્ષા સમસ્યા અને સમાધાન એ વિષય પર બોલતા પદ્મશ્રી મુઝફ્ફર હુસેને જણાવ્યું હતું કે, દેશના સીમાડાઓ ખુલ્લા છે અને આવનારો સમય વધુ કઠીન આવી રહ્યો છે. આજે દેશના ઘણા ભાગોમાં ધર્માંતરણની પ્રવૃતિ બેહદ વધી રહી છે ત્યારે લોકોએ જાગૃત થવાની આવશ્યકતા છે.આતંકવાદ અને માઓવાદ સામે લડવા માટે દેશની તમામ શાળા કોલેજોમાં મિલટ્રી એકેડેમી સ્થાપીને અનસીસીની તાલિમ ફરજિયાત બનાવવી પડશે. દેશમાં લોકશાહીને મજબુત કરવા માટે ફરજિયાત મતદાનના માધ્યમથી અનામત પ્રથાનો પણ અંત લાવવો પડશે.કાશ્મીર વિચાર મંચના અધ્યક્ષ ત્રિલોકીનાથ રાજદાને કાશ્મીર સમસ્યાને કારણે ઉભી થયેલી સ્થિતિનો ચિતાર આપ્યો હતો. દેશમાં આંતરિક સુરક્ષાનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે ત્યારે સમગ્ર રાષ્ટ્રને દેશભક્ત નાગરિકની આવશ્યકતા છે. જે કાંઇ ભાગ કાશ્મીરનો બચ્યો છે તેમાં સરદાર વલ્લભભાઇ પટેલનો મોટો ફાળો છે તેમણે સેના મોકલીને હુમલો ખાળ્યો હતો. સ્વામી અંબરીષાનંદજીએ દેશની હાલની સમસ્યાઓ પાછળ લોકશાહી જવાબદાર હોવાનું જણાવ્યું હતું તેમજ દેશમાં ર૦ વર્ષ માટે લોકશાહી પ્રથા બંધ કરવાની હિમાયત કરી હતી.


બોરડા પંથકમાં ભેદી રોગચાળો ટપોટપ મરી રહેલા ઘેટાં-બકરાં

તળાજા તાલુકાના બોરડા ગામે ઘેટા-બકરામાં કોઇ ભેદી રોગચાળો ફેલાવાને કારણે મરવા લાગતા માલધારી સમાજમાં ભારે ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. દરરોજ ઘેટા-બકરા ભેદી રીતે મૃત્યુ પામતા હોય તંત્ર દ્વારા આ અંગે સત્વરે પગલાં ભરાય તેવી માંગ ઉઠવા પામી છે.બોરડામાં માલધારી સમાજની વસતી બહોળા પ્રમાણમાં છે. તેમનો મુખ્ય વ્યવસાય ઘેટા-બકરા પાળી પોતાનું ગુજરાન ચલાવવાનો છે. આ વર્ષે બોરડા પંથકમાં દર વર્ષ કરતા વરસાદ વધારો પડ્યો હોય કોઇ કારણોસર ઘેટા-બકરા સહિતનાં પશુઓમાં વિચિત્ર રોગચાળો ફાટી નિકળ્યો છે. જેના કારણે દરરોજ ઘેટા-બકરા ભેદી રીતે મરવા લાગ્યા છે. જેના કારણે માલધારીઓમાં ભારે દહેશત ફેલાઇ જવા પામી છે.માલધારી સમાજમાં માંગ ઉઠવા પામી છે કે ગામમાં કોઇ પશુ ડોક્ટર ન હોય તાકીદે પશુ ડોક્ટરની નિમણૂંક કરી આરોગ્ય ખાતાની ટીમ તાકીદે ઉતારી તપાસ કરવાની જરૂર છે કે આ એવો કયો રોગ છે કે જેને કારણે દરરોજ આટલા બધા ઘેટા-બકરાઓ મોટા પ્રમાણમાં મરી રહ્યાં છે. આ કારણોની તપાસ કરી લાચાર પશુપાલકોને જરૂરી સહાય અને દવાનું વિતરણ કરવામાં આવે.

'ભાવનગરને વિકાસના મંત્ર સાથે શાંતિ અને સલામતિ આપવી છે'

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જંગી જાહેર સભાને સંબોધતા દેશનાં નંબર-૧ મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ માને છે ચૂંટણી જીતવા વિકાસ નહી માત્ર વોટ જોઇએ. કોંગ્રેસની તે માન્યતાને કારમો ઘા મારવાનો સમય આવી ગયો છે. વિકાસના મુદ્દે ચૂંટણી લડી નહીં પરંતુ જીતી પણ શકાય તે ગુજરાતની પ્રજાએ કરી બતાવ્યું છે અને ભાજપે વિકાસના મંત્ર સાથે ભાવનગરને શાંતિ અને સલામતી આપવાનો નિર્ધાર કર્યો છે.શહેરના નિર્મળનગર ખાતે આટામીલમાં મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની જંગી જાહેર સભાનું ભવ્ય આયોજન કરાયું હતું મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કોંગ્રેસની કૂટનીતિ પ્રજા સમક્ષ લાવતા જણાવ્યું હતું કે, ભાવનગરમાં ઘરે-ઘરે ગેસ પાઇપ લાઇન નાખવાનું મેં આપેલું વચન પુરૂ ન થયું દિલ્હીની સરકારે ફતવો કરી ગેસ પાઇપલાઇન નાખવાના વિકાસ કામોમાં રોડા નાખ્યા. કોંગ્રેસે રૂપિયા ઉલેચવા સિવાય કશું કર્યું નથી. કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર આચરી કોમનવેલ્થના નામે દેશની આબરૂ દુનિયામાં નિલામ કરી છે. આવી કોંગ્રેસ સરકારના ઉમેદવારોની પસંદગી કરશો તો ભાવનગર વિકાસના માર્ગે જે તે જ ગતિએ જાય છે તેને લુણો લાગી જશે.ભાવનગરના વિકાસ માટે નગરજનોએ કલ્પના ન કરી હોય તેટલો વિકાસ થવાનો છે. ધોલેરા ‘સર’ દ્વારા અમદાવાદ-ભાવનગર સુધીનું જોડાણ થઇ જશે. બન્ને વચ્ચે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે. સાથે સાથે કલ્પસરની યોજના પણ આવી રહી છે. દરિયા કિનારો ધમધમતો થવાનો છે. અમદાવાદને પણ ટક્કર મારે તેવો ભાવનગરનો વિકાસ થવાનો છે. ઘોઘા-દહેજ ફેરી સર્વિસ દ્વારા સુરત તમારા ઘર આંગણે લાવીને ઝંપીશ. ભાવનગરની તો પાંચે’ય આંગળીઓ ઘીમાં છે.


ભાવનગર : ખેડૂતોને ગુણવત્તા વિહીન દવા પધરાવતી ત્રણ કંપની ઝડપાઈ

મોંઘા ભાવના ખાતર-બિયારણ લાવીને મબલખ કૃષિપાકની આશા સેવી ખેતરમાં વાવેતર કર્યા બાદ તેમાં રોગચાળો પ્રસરે તેને ડામવા ખેડૂતો હજારો રૂપિયાની દવાઓનો છંટકાવ કરે છે. પરંતુ આ દવા ગુણવત્તાયુક્ત હશે કે કેમ ? તેનો ક્યાંથી ખ્યાલ હોઈ શકે ? ચાલુ સિઝનમાં જ ત્રણ દવા કંપનીને તંત્રએ ઝડપી લીધી હતી. જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.ભાવનગર જિલ્લામાં હજારો હેકટરમાં ખરીફ પાકનું વાવતેર થયું છે. દિવાળી નજીક આવી રહી છે તેની સાથો-સાથ ખરીફ પાક લેવાની મૌસમ પૂર બહારમાં ખિલી છે, પરંતુ આ પાકમાં બેસેલો રોગચાળો ડામવા ખેડૂતોએ જે દવાનો છંટકાવ કર્યો હતો તેમાં અમુક દવાઓ ગુણંવત્તાવિહીન દવા પધરાવતી ત્રણ દવા કંપની ઝડપાઈ છે.જેમાં મુંબઈની કેમેટ કેમિકલ્સ અને ન્યુ કેમી. ઈન્ડસ્ટ્રીઝ તેમજ દિલ્હીની કોરટેક ઈન્ડિયા લિ. દવા કંપનીઓની દવાઓના નમુના બહુમાળી ભવન ખાતેની કચેરીએ લીધા હતા. જે બિન પ્રમાણિત સાબિત થયા છે. જુલાઈથી સપ્ટેમ્બર ત્રણ માસ દરમિયાન ૭૨ જેટલા નમૂના લેવાયા હતાં. આ દરેક નમુના ગાંધીનગર અને જુનાગઢ ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતાં. જોકે, હજુ ૨૫ ટકા નમૂનાના રિપોર્ટ બાકી છે. ઉક્ત ઝડપાયેલી ત્રણેય કંપની સામે કાનૂની પ્રક્રિયા હાથ ધરાઈ છે.ભાવનગર જિલ્લામાં ૫૫૦ લાયસન્સ ધારક બિયારણ વિક્રેતા છે, સામાન્ય રીતે ખેતીવાડી વિભાગ દ્વારા ત્રણ વર્ષના સમયગાળા માટે લાયસન્સ ઈશ્યુ કરાતાં હોય છે. આ સમય સપ્ટેમ્બર-૨૦૧૦માં પુરો થઈ ગયો છે. મતલબ કે હવે ૩૧મી ઓક્ટોબર સુધીમાં જે વિક્રેતાઓના લાયસન્સ રિન્યુ નહીં થાય તેના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી થઈ શકે છે.


અમેરિકન યુવતી પર ગેંગરેપના કેસમાં છ છાત્રોનો છુટકારો

એપ્રિલ ૨૦૦૯માં બહુ જ ગાજેલો અમેરિકન યુવતી પર સામૂહિક બળાત્કારના કેસમાં એક વર્ષ સુધી જેલવાસ ભોગવનારા છ વિદ્યાર્થીઓ પુરાવાને અભાવે આખરે નિર્દોષ જાહેર થયા છે.એપ્રિલ ૨૦૦૯માં ૨૩ વર્ષીય અમેરિકન યુવતી પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો આરોપ મુકાયો હતો. આ યુવતી પ્રતિષ્ઠિત ટાટા ઈન્સ્ટિટ્યુટ ઓફ સોશિયલ સાયન્સીસ (ટીઆઈએસએસ)માં ટૂંકા સમયગાળાનો અભ્યાસક્રમ કરતી હતી. તેની પર છ વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો આરોપ કરાયો હતો. જોકે તેણે આરોપીમાંથી બેને જ જાણતી હોવાનું કહ્યું હતું.જજોએ એવી નોંધ કરી હતી કે યુવતીની જુબાની ભરોસો આપતી નથી. વળી, તબીબી પુરાવા પણ યુવતીના દાવાઓને ટેકો આપતા નથી. આથી આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવે છે.છ આરોપીમાં વિનમ્ર સોની, હર્ષવર્ધન યાદવ, યશકરણ ભુલ્લર, અનીશ બોરકાટકી, દેવ કોલાબાવાલા, કુંદનરાજ બોરગેહેઈનનો સમાવેશ થતો હતો.૧૧ એપ્રિલે યુવતી છ વિદ્યાર્થી સાથે નાઈટ ક્લબમાં ગઈ હતી ત્યારે આ ઘટના બની હતી.

CWGમાં ઈતિહાસ રચનારી રેણુબાલાનું અપમાન

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



CWGમાં ઈતિહાસ રચનારી રેણુબાલાનું અપમાન

કોમનવેલ્થ ગેમ્સ આયોજન સમિતિ પહેલાથી જ તેની બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે વિવાદોમાં રહી ચૂકી છે અને ભારતના ઈજ્જત પર કાળો ધબ્બો લગાવી ચૂકી છે.પરંતુ હવે તેની બેદરકારીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. આયોજન સમિતિ તેના ચેમ્પિયન ખેલાડીઓનું કેટલું ધ્યાન રાખે છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે.ભારત માટે વેઈટલિફ્ટિંગમાં 58 કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનારી રેણુ બાલા ચાનૂને સ્પોર્ટ્સ વિલેજ જવા એક પણ અધિકારી એક ગાડી પણ પૂરી પાડી શક્યા નહોતા.ગોલ્ડ મેડલ જીતીને થોડા કલાકો સુધી રેણુબાલાને ગાડી માટે અહીં-તહીં ભટકતી જોવા મળી હતી પરંતુ જ્યારે ઘણો સમય થયો છતાં તેને ગાડી ના મળી તો તે પોતાના પરિવાર સાથે રિક્ષામાં જતી રહી હતી.આ છે ભારતીય વેઈટલિફ્ટિંગમાં ઈતિહાસ રચનારા સ્ટાર ખેલાડીની મજબૂરી કે તેણે રિક્ષામાં સ્પોર્ટ્સ વિલેજ જવું પડે છે. એટલું જ નહીં તેનો પરિવાર પણ તેની સાથે હતો. આ અંગે અધિકારીઓને પૂછવામાં આવ્યું તો તેઓ તેમ કહીંને જવાબદારી માંથી છટકી ગયા કે તેમને નહોતી ખબર કે તેઓ ગાડીમાં નથી આવી.ઉલ્લેખનીય છે કે ભારતીય મહિલા વેઈટલિફ્ટર રેણુ બાલા ચાનુએ કોમનવેલ્થ ગેમ્સની વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં 58 કિલો વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.મણિપુરની રેણુબાલા ફાઈનલમાં 194 કિલોગ્રામ વજન ઉઠાવીને પ્રથમ સ્થાને રહી હતી. વેઈટલિફ્ટિંગમાં ભારતનો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. આ પહેલા વેઈટલિફ્ટિંગમાં બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ દેશના ખાતામાં આવી ચૂક્યા છે.


ભારત-ચીનના કારણે વૈશ્વિક મંદી હટી-IMF

ભારત અને ચીનની વધતી આર્થિક ક્ષમતા હવે આઈએમએફે પણ માની લીધી છે.વૉશિંગન્ટનમાં કાલે આઈએમએફે કહ્યું હતુ કે ભારત અને ચીનની આર્થિક વ્યવસ્થામાં આવેલી વૃદ્ધિના પરિણામે વૈશ્વિક અને એશિયન અર્થવ્યવસ્થાને આર્થિક સંકટમાંથી ઉગરવામાં મદદ મળી છે.જોકે આઈએમએફે એ વાતની પણ સ્પષ્ટતા કરી દીધી હતી કે ભારત અને ચીને આ વધતી ઝડપને ટકાવી રાખવા માટે કેટલીય લૉન્ગ ટર્મ પૉલિસિઓનું નિર્માણ કરવું પડશે.આઈએમએફે કહ્યું હતુ કે ભારત અને ચીનનું ઔદ્યોગીક ઉત્પાદન અને રિટેલ વેચાણમાં ખાસ્સી મજબૂતાઈ છે, જેના કારણે એશિયાના બાકિ ક્ષેત્રો માટે સકારાત્મક પરિણામો લાવી છે.આઈએમએફના જણાવ્યાનુંસાર ભારતની સકલ ઘરેલુ ઉત્પાદ (જીડીપી)દર 9.7ટકા અને વર્ષ 2011માં 8.4 ટકાના દરે વધશે, જ્યારે ચીનની અર્થવ્યવસ્થા 10.5ટકા અને વર્ષ 2011માં 9.6ટકાના દરે વધશે.


‘સીબીઆઈ કેસ કરી શકે, ચૂંટણી જીતાડી ન શકે’

‘કોંગ્રેસીઓ ચૂંટણીમાં આરામથી જીતી શકતા નથી. ચૂંટણી જીતવા માટે તેઓએ ચારે બાજુ પ્રયાસ કર્યો પરંતુ ફેલ થયા બાદ હવે તેઓ સીબીઆઇનો ઉપયોગ કરે છે, પણ સીબીઆઇ કેસ ચલાવી શકે છે, ચૂંટણી જીતાડી શકતી નથી.સીબીઆઇ પણ કોંગ્રેસને ચૂંટણીમાં સહાય નહીં કરી શકે તેથી કોંગ્રેસ ચિંતામાં છે.’ તેમ આજે અમદાવાદના ટાઉનહોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનને સંબોધતાં રાજ્યસભાના વિપક્ષના નેતા અરુણ જેટલીએ જણાવ્યું હતું.સીબીઆઇ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, સીબીઆઇ ખોટા સાક્ષી બનાવે છે બનાવટ કરે છે પણ સીબીઆઇના અધિકારીઓએ સમજી લેવું જોઈએ કે સરકાર અમર નથી હોતી. પાર્ટી બદલાય છે ત્યારે સીબીઆઇના અધિકારીઓએ જવાબ આપવો પડશે.સીબીઆઇ ચૂંટણીમાં કોંગ્રેસને ઉગારી શકશે નહીં અને ગુજરાતની જનતા ભાજપના પક્ષમાં જનમત આપી જડબાતોડ જવાબ આપશે.અરુણ જેટલીએ સંમેલનમાં કાશ્મીર મુદ્દે પંડિત જવાહરલાલ નહેરુ પર પણ ચાબખા માર્યા હતા. જો કાશ્મીર મુદ્દે જનમત મેળવવામાં આવે તો નહેરુના નિર્ણયને લોકો પણ ખોટો માનશે. જેટલીએ અયોધ્યા અને માઓવાદીઓ મુદ્દે પણ આકરા પ્રહારો કર્યા હતા.



અમેરિકાએ પાકિસ્તાનની માફી માંગી

અમેરિકાએ પાકિસ્તાન પર ગત દિવસોમાં કરેલા હવાઈ હુમલા બદલ માફી માંગી છે. આ હુમલામાં પાકિસ્તાનના બે સૈનિકો માર્યા ગયા હતા.સમાચાર એજન્સી ડીપીએ પ્રમાણે પાકિસ્તાનમાં અમેરિકી રાજદૂત એની પેટરસને કહ્યું છે કે બુધવારે ઔપચારિક રીતે પાકિસ્તાની સરકાર પાસે માફી માંગી છે. અફઘાનિસ્તાનમાં અમેરિકી સેનાની કમાન સંભાળી રહેલા ડેવિડ પેટ્રિયોસે પણ આ હુમલા બદલ ખેદ પ્રકટ કર્યો છે.ઉલ્લેખનીય છે કે 30 સપ્ટેમ્બરે અમેરિકી સેનાએ પાક પર કરેલા હુમલામાં પાકિસ્તાની સેનાના બે જવાન માર્યા ગયા છે. અમેરિકી સેનાનો નિશાનો ખરેખર આતંકવાદીઓ હતા. આ ઘટના પર પાકિસ્તાન સરકારે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.


શૂટિંગમાં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ

ભારતની રાજધાની દિલ્હીમાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય શૂટરોનો દબદબો જળવાઈ રહ્યો છે.25 મીટર ફાયર પિસ્તોલમાં વિજય કુમાર-ગુરમીત સિંહની જોડીએ શૂટિંગમાં ભારતને છઠ્ઠો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. 19માં કોમનવેલ્થમાં ભારતનો આ 12મો ગોલ્ડ મેડલ છે.આ પહેલા ભારતે શૂટિંગમાં બીજા દિવસે બે અને ત્રીજા દિવસે ત્રણ ગોલ્ડ મેડલ મળ્યા હતા.કોમનવેલ્થ ગેમ્સમાં તીરંદાજીમાં ભારતને પ્રથમ મેડલ મળ્યો છે. કમ્પાઉન્ડ તીરંદાજી સ્પર્ધાની ટીમ ઈવેન્ટમાં ભારતે મલેશિયાને હરાવની બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારત તરફથી ભાગ્યવતી ચાનૂ, ઝાઓ હંસદા અને ગગનદીપ કૌરકીની ત્રિપુટીએ મલેશિયાની ત્રિપુટીને હરાવીને તીરંદાજીમાં પ્રથમ મેડલ હાંસલ કર્યો છે.આ પહેલા ભારતીય ટીમે મલેશિયાને હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ સેમિફાઈનલમાં કેનેડાની ટીમ સામે હારી ગઈ હતી. કમ્પાઉન્ડ ઈવેન્ટની ફાઈનલમાં ઈંગ્લેન્ડે કેનેડાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે.આ બાજુ શુક્રવારના રોજ જયંત તાલુકદાર, રાહુલ બેનર્જી અને તનરદીપ રોયની પુરુષ કમ્પાઉન્ડ સ્પર્ધાની સેમિફાઈનલમાં મજબૂત ઓસ્ટ્રેલિયાની ટીમ સામે ટકરાશે. આ ઉપરાંત મહિલા વર્ગમાં રિકર્વ સ્પર્ધાની સેમિફાઈનલમાં મેંમેં ડોલા બેનર્જી, લૈસરામ દેવી અને દીપિકા કુમારીની ટીમ મલેશિયાની ટીમ સામે ટકરાશે.


ભારતને વધુ ૬ ગોલ્ડ મેડલ

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો મેડલ જીતવાનો સિલસિલો યથાવત્ રીતે ચાલુ છે. ભારતે હજીસુધી ૧૧ ગોલ્ડ, ૮ સિલ્વર અને ૪ બ્રોન્ઝ મેડલ જીતી લીધા છે. બુધવારે ભારતે ૧૧ મેડલ મેળવ્યા. જે પૈકી શૂટિંગ (નિશાનબાજી)માં ૩ ગોલ્ડ અને ૩ સિલ્વર, વેઇટ લિફ્ટિંગમાં બે અને કુસ્તીમાં એક ગોલ્ડ અને કુસ્તીમાં ૧ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.ભારતીય નિશાનબાજો (શૂટર્સ)/ પહેલવાનો મિડાસ ટચ બુધવારે પણ ચાલુ રહ્યો અને તેમણે કોમનવેલ્થ ગેમ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ પર નિશાન લગાવી દીધા. ડૉ. કણીઁસિંહ રેન્જમાં ગગન નારંગે ઓલિમ્પિક ચેમ્પિયન અભિનવ બિન્દ્રાને પાછળ ધકેલીને ૧૦ મીટર એર રાઇફલમાં ગોલ્ડ મેડલ જીતી લીધો. જ્યારે અનિસા સૈયદે ૨૫ મીટર પિસ્તોલમાં બાજી મારી લીધી. ઓમકારસિંહે ૫૦ મીટર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતીય પ્રશંસકોની ખુશીમાં ત્રીજો હીરો જડી દીધો. યજમાનના ખોળામાં ત્રણ સિલ્વર મેડલ પણ આવ્યા.અભિનવ બિન્દ્રા (૧૦ મી. એર રાઇફલ), રાહી સરનોબત (૨૫ મી. પિસ્તોલ) તથા રંજન સોઢી અને અશર નોરિયા (ડબલ ટ્રેપ પેર્સ)ને સિલ્વર મેડલ મળ્યા. મંગળવારે અમારા નિશાનબાજોને બે ગોલ્ડ અને એટલા જ સિલ્વર મેડલ મળ્યા હતા.સવારના સત્રમાં વર્લ્ડ કાર્ડધારક નારંગ છવાઇ ગયો. તેણે કવાલિફિકેશનમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ૬૦૦માંથી ૬૦૦ અંક બનાવીને પોતાના જ વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી. બિન્દ્રા કવાલિફાઇંગમાં જ પાછળ ધકેલાઇ ગયા અને ૫૯૫ અંક બનાવી શક્યા. ફાઇનલમાં ગગને ૧૦૩.૬ અને બિન્દ્રાએ ૧૦૩ અંક બનાવ્યા. આવી રીતે ગગને ૭૦૩.૬ અંક સાથે ગોલ્ડ મેડલ જીત્યો. બિન્દ્રાએ ૬૯૮ અંક સાથે સિલ્વર મેડલ જીત્યો. ગગન અને બિન્દ્રાએ મંગળવારે પેર્સનું ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ગગનની જેમ અનિસાએ પણ સતત બીજા દિવસે ગોલ્ડ મેડલ જીત્યો. તેણે કવાલફિાઇંગમાં જ સરસાઇ મેળવીને પોતાના ઇરાદા જાહેર કરી દીધા છે. ૫૮૩ અંક બનાવીને ફાઇનલમાં પહોંચેલી આ શૂટરે કુલ ૭૮૬.૮ અંક મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો. મંગળવારે અનિસાની સાથે મળીને પેર્સનું ગોલ્ડ મેડલ જીતનારી સરનોબત ૭૮૧ અંક સાથે બીજા સ્થાને રહી.s


“લક્ષ્મણ નિવૃત્ત થશે તે દિવસે ઓસી.માં નેશનલ હોલીડે હશે”

મોહાલી ખાતે ઓસ્ટ્રેલિયા સામે જે રીતે વીવીએસ લક્ષ્મણે ભારતને જીત અપાવી હતી તેના લીધે આજે ટીવી, ન્યૂઝ પેપરથી માંડીને ઈન્ટરનેટ પર લક્ષ્મણની જ ચર્ચાઓ ચાલી રહી છે.લક્ષ્મણે ફરી એક વખત ભારતની હારની બાજીને જીતમાં પલટી નાંખી હતી. ટીમ ઈન્ડિયા જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પણ લક્ષ્મણની પ્રશંસા કરી રહ્યા છે.હાલમાં ટ્વિટર પર પણ લક્ષ્મણ જ છવાયેલો રહ્યો છે. લોકો લક્ષ્મણની જાદૂઈ ઈનિંગ્સ માટે જાતજાતની ટ્વિટ લખી રહ્યા છે. લક્ષ્મણની પ્રશંસા માટે લોકો ટ્વિટરનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે.આવી જ એક રસપ્રદ ટ્વિટ આ પ્રમાણે છે. જેમાં લખ્યું છે કે જે દિવસે વીવીએસ લક્ષ્મણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થશે તે દિવસે ઓસ્ટ્રેલિયામાં નેશનલ હોલીડે હશે.જ્યારે એક બીજી ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયાએ તેમના દેશમાં કેટલાક વિસ્તારને લક્ષ્મણ જન્મસ્થાન તરીકે જાહેર કરી દેવો જોઈએ.આ ઉપરાંત ઈશાંત શર્માની પણ ભરપૂર પ્રશંસા કરવામાં આવી હતી. એક પ્રશંસકે તો અયોધ્યામાં લક્ષ્મણનું મંદિર બનાવવાની, ઈશાંત શર્માને રાષ્ટ્રપતિ બનાવવાની અને પ્રજ્ઞાન ઓઝાને કોઈ મંત્રાલય સોંપવા માટેની ટ્વિટ લખી છે.


42 શ્રદ્ધાળુઓ સાથેની હોડી લાપતા

ઓરિસ્સાના ભદ્રક જિલ્લના ધામ્રા પોર્ટ પરથી એક હોડી રવાના થઈ હતી. જેમાં, સ્ત્રીઓ અને બાળકો સહિત 42 મુસાફરો સવાર હતા. જે લાપતા થતા વહિવટીતંત્ર કામે લગ્યું છે.ભદ્રક જિલ્લાના પોલીસ સુપ્રીટેન્ડન્ટ જે. એન. પંકજના કહેવા પ્રમાણે, તમામ શ્રદ્ધાળુઓ નવાગાંવના નિવાસી છે, જેઓ એક હોડીમાં આજુબાજુના મંદીરોના દર્શન માટે નિકળ્યા હતા. મંગળવારે સાંજે છેલ્લી વખત આ નૌકાએ દેખા દીધી હતી. કેટલાક માછીમારોએ આ હોડીને ધામ્રા પરત ફરતા જોઈ હતી. વહિવટી તંત્રએ તપાસ અભિયાન હાથ ધર્યું છે. પરંતુ, ઊંચા મોજાઓ અને ખરાબ વાતાવરણને કારણે બચાવ અને તપાસકાર્યમાં અવરોધ આવી રહ્યો છે.હાલ, કોસ્ટગાર્ડે શ્રદ્ધાળુઓની તપાસ હાથ ધરી છે. વહિવટીતંત્રને વિશ્વાસ છેકે, આ મુસાફરોએ આજુબાજુના કોઈ વિસ્તારમાં આશ્રય લીધો હશે. ભારતીય નૌકાદળ અને કોસ્ટગાર્ડને વિનંતી કરવામાં આવી છેકે, તેઓ હેલિકોપ્ટર દ્વારા તપાસકાર્યમાં સહાયતા આપે.


‘સરકાર વિરોધી તાકાતો પાક પર કબજો કરવા માગે છે’

પૂરના સંકટ સામે ઝઝૂમવામાં નિષ્ફળ રહેલા ઝરદારીએ સરકાર વિરોધી તાકાતો પર શંકા વ્યક્ત કરી છે. તેમનો એવા દાવો છે કે આ તાકાતો પાક પર કબજો જમાવવા માગે છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે જો આવી તાકાતો પોતાના ઈરાદામાં કામિયાબ થઈ જશે તો સમગ્ર દક્ષિણ એશિયા માટે જોખમ ઊભુ થશે. આવી જ તાકાતોએ મુંબઈ હુમલાનું કાવતરુ ઘડ્યું હતું.
રાષ્ટ્રપતિએ આશા વ્યક્ત કરી છે કે પાકિસ્તાનમાં હવે ગેર-લોકતાંત્રિક રીતે સત્તા પરિવર્તન નહીં થાય. એક ટીવી ઈન્ટરવ્યુમાં ઝરદારીએ કહ્યું હતું કે પહેલા પણ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સરકારને બે વખત પાયાવિહોણા આરોપ લગાવીને સત્તા પરથી ઉતારી દેવામાં આવી હતી. આ આરોપો આજ સુધી સાબિત થયા નથી.વિપક્ષના નેતા નવાજ શરીફ માટે ઝરદારીએ કહ્યું હતું કે તેઓ લોકતાંત્રિક નેતા છે અને તેમણે ક્યારેય ખોટી રીતે સરકારને પાડવાની તરફેણ નથી કરી. તેમણે પૂર મામલે સરકારની વિફળતાની જવાબદારી લેતા પદ છોડવાનો ઈનકાર કરી દીધો હતો.


કડીથી ભાજપના વિજયના શ્રીગણેશ : ૨૮ બેઠકો બિનહરીફ

પાલિકા-પંચાયતોની ચૂંટણી પહેલાં જ ભાજપના ૫૬ ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં અપસેટ સર્જાયો છે. કડી નગરપાલિકામાં ૩૬માંથી ૨૮ બેઠક બિનહરીફ રહેતાં ભાજપે પાલિકા કબજે કરી વિજયના શ્રીગણેશ કર્યા છે. ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડીને વિજયોત્સવ પણ ઉજવ્યો હતો.આ ૨૮ બેઠક ઉપર કોંગ્રેસ પોતાના એક પણ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા નહોતા તેમજ કોંગ્રેસના ગઢ ગણાતી પાંચ બેઠક ઉપર કોંગ્રેસના જ મુસ્લિમ ઉમેદવારોએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવતાં તેઓ પણ બિનહરીફ રહ્યા હતા. ૩૬ પૈકીની ૨૮ બેઠક ભાજપે બિનહરીફ મેળવી હોવાનો દાવો કર્યો છે. આ પાલિકામાં ૨૮ બેઠકો પર કોંગ્રેસે તેના ઉમેદવારો જ ઊભા રાખ્યા ન હતા.પ્રદેશ ભાજપના પ્રવક્તા આઇ. કે. જાડેજાએ જણાવ્યું હતું કે, ડાંગ, પંચમહાલ, કચ્છ અને જામનગર જિલ્લા પંચાયતમાં એક-એક મળીને કુલ ૪ બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે. આ બેઠકો પર કોંગ્રેસ કે અન્ય કોઈપણ ઉમેદવારે ફોર્મ ભયાઁ ન હતાં. ચીખલી, કરજણ, પાદરા, સહેરા, ફતેહપુર, બાયડ, રાધનપુર, પાલનપુર, અંજાર, નખત્રાણા, ભેંસાણ અને રાણાવાવ તાલુકા પંચાયતની એક-એક તથા માંગરોળ, ઝાલોદ, મહેસાણા અને ભુજ તાલુકા પંચાયતની બે-બે બેઠકો મળીને કુલ ૨૦ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર કરાયા છે. આ ઉપરાંત નગરપાલિકાઓની ૩૨ બેઠકો ભાજપ બિનહરીફ કબજે કરી છે.


અમીનને માફી આપવા બાબતે પ્રથમ નિર્ણય કરવા હાઇકોર્ટનો આદેશ

નરેન્દ્ર અમીનને માફી આપવાની બાબતે પ્રથમ સુનાવણી કર્યા બાદ તેના નિવેદનને લગતી બાબતે સુનાવણી હાથ ધરવા ન્યયામુર્તિ જયંત પટેલની ખંડપીઠે મેટ્રોપોલીટન કોર્ટને આદેશ કર્યો છે. બંધારણીય મુદ્દે અમીનને તાજનો સાક્ષી બનાવવાના બાબતે થયેલા રેફરન્સનો ચૂકાદો આપતા કોર્ટે મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટને આ બાબતે નિર્ણય લેવાની સત્તા હોવાનું ઠરાવ્યું હતું. સાથે સહઆરોપીઓ બાબતે કોર્ટે નોંધ્યું હતુકે તેમને ટ્રાયલના તબક્કે સાક્ષીને તપાસવાની પુરતી તક આપવામાં આવે છે. આ તબક્કે તેમને તક આપવી યોગ્ય નથી.દેશભરમાં ચર્ચાનો મુદ્દો બની રહેલ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રકરણમાં હાઇપ્રોફાઇલ આરોપીઓ પૈકી સસ્પેન્ડેડ પોલીસ અધિકારી ડો. નરેન્દ્ર અમીને આ કેસને લગતી માહિતી તથા જરૂરી પુરાવા સીબીઆઇને આપીને તાજના સાક્ષી બનવા માગે છે.


અમીનને માફી આપવા બાબતે પ્રથમ નિર્ણય કરવા હાઇકોર્ટનો આદેશ

નરેન્દ્ર અમીનને માફી આપવાની બાબતે પ્રથમ સુનાવણી કર્યા બાદ તેના નિવેદનને લગતી બાબતે સુનાવણી હાથ ધરવા ન્યયામુર્તિ જયંત પટેલની ખંડપીઠે મેટ્રોપોલીટન કોર્ટને આદેશ કર્યો છે. બંધારણીય મુદ્દે અમીનને તાજનો સાક્ષી બનાવવાના બાબતે થયેલા રેફરન્સનો ચૂકાદો આપતા કોર્ટે મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટને આ બાબતે નિર્ણય લેવાની સત્તા હોવાનું ઠરાવ્યું હતું. સાથે સહઆરોપીઓ બાબતે કોર્ટે નોંધ્યું હતુકે તેમને ટ્રાયલના તબક્કે સાક્ષીને તપાસવાની પુરતી તક આપવામાં આવે છે. આ તબક્કે તેમને તક આપવી યોગ્ય નથી.દેશભરમાં ચર્ચાનો મુદ્દો બની રહેલ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રકરણમાં હાઇપ્રોફાઇલ આરોપીઓ પૈકી સસ્પેન્ડેડ પોલીસ અધિકારી ડો. નરેન્દ્ર અમીને આ કેસને લગતી માહિતી તથા જરૂરી પુરાવા સીબીઆઇને આપીને તાજના સાક્ષી બનવા માગે છે.