15 January 2010

રાજકોટ: પોલા હાજાવાળી કરોડોની જમીન ખાનગી ઠરાવાઇ

રાજકોટના સાધુ વાસવાણી માર્ગ પર કરોડોની કિંમતની સરકારી જમીન અંગે ચાલી રહેલા કાનૂની જંગમાં કલેકટર તંત્રને જબ્બર પછડાટ મળી છે. રૈયા સર્વે નંબર ૩૧૮ના ટાવર્સમાં આવેલી ૧૦ એકર જેટલી જમીનની માલિકી માટે સુપ્રીમ કોટર્ની ડબલની બેંચના ચુકાદાને ફરી વિચારણા પર લેવા કયુરેટિવ મેજર્સની અરજીને રિજેકટ કરી નાખવામાં આવી છે. કલેકટર તંત્રે મૂકેલી ફાઈલ પરત આવી ગઈ છે. હવે, જાહેર હિતની અરજી સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી.
અઢી દાયકા પહેલા ડી.એલ.આર.આઈ. દ્વારા માપણી કરવામાં આવી ત્યારે પોલા હાજા પટેલની માલિકીના ૪૦ એકર ખેતરની પાસે જ ૧૦ એકરનો ટુકડો સરકારી ઠર્યો હતો. એ બાદ તાલુકા મામલતદારમાં અરજી કરવામાં આવી તો ત્યાં તે અનામી ઠેરવી દેવામાં આવી હતી. એના પગલે જેતે સમયે પ્રાંત અધિકારીને ત્યાં રિવિઝન કરવામાં આવી તો નાયબ કલેકટરે આ જમીન ખાનગી ઠેરવી દીધી હતી. તત્કાલિન કલેકટર જગદીશનને ઘ્યાને આવતા સમગ્ર પ્રકરણ રિવિઝનમાં લીધું હતું અને કલમ નંબર ૩૭(૨) મુજબ આ ૧૦ એકર જમીન સરકારી ઠેરવી દીધી હતી.
એની સામે હાઈ કોર્ટે, મહેસૂલ વિવાદ પંચ સહિતની ન્યાયિક પ્રક્રિયામાં પણ કલેકટર તંત્રને ઉત્તરોત્તર પછડાટ મળતી રહી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, જયારે પણ ચુકાદો આવ્યો ત્યારે કોઈ કલેકટરે એપેક્ષ કોટર્માં જવાનો નિર્ણય તત્કાલ લીધો નહીં. અધિકારીઓની આ ઢીલ પણ શંકાસ્પદ હતી. એ ઠીક સુપ્રીમ કોટર્માં સિંગલની બેંચનો ચુકાદો પણ કલેકટર તંત્રની વિરૂઘ્ધમાં આવ્યો એ બાદ ૨૦૦ દિવસ બાદ ડબલની બેંચ સમક્ષ રિવ્યુ પિટિશન કરવામાં આવી હતી. બેંચે ટાઈમ બાઉન્ડના મુદ્દા પર જ સરકારી તંત્રની અરજી કાઢી નાખી હતી. આ બાબત વર્તમાન કલેકટર હરિભાઈ પટેલના ઘ્યાને આવતા તેમણે કયુરેટિવ મેજર્સના આધારે ફરી નિર્ણયાર્થે કેસ ચલાવવા રાજય સરકાર પાસેથી મંજૂરી માંગી હતી. ત્યાંથી પણ મંજૂરી મોડી મળી હતી !! કયુરેટિવ મેજર્સના આધારે કરાયેલી અરજી પણ જજે રિજેકટ કરી નાખી છે. અને ફાઈલ પરત મોકલી આપી છે.
ટીપીનો રસ્તો દબાવાયો
શિલ્પન ટાવર્સ સામે આવેલી ૧૦ એકર જમીનમાંથી નીકળતો ટીપીનો રસ્તો દબાવી દઈ ફેન્સિંગ કરી નખાયું હતું. જે બાદમાં ખુલ્લું કરાવાયું હતું. અહીં પહેલા શનિવારી ભરાતી હતી અને તેના પાસેથી ભાડુ વસુલાતુ હતું. આ શનિવારી ખાલી કરાવવામાં પણ સરકારી મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સાધુ વાસવાણી માર્ગ પર આવેલી આ જમીન હવે ખાનગી ઠરી ગઈ છે. જો કે, કોઈ જાહેર હિતની અરજી કરે તો ફરી સરકાર તરફે નિર્ણય આવે તેવી શકયતા હોવાનું સૂત્રોએ કહ્યું હતું.
નેતાનો હાથ
પોલા હાજા વાળી જમીન સરકાર પાસેથી લઈ લેવામાં એક મોટા રાજ નેતાનો હાથ હોવાનું માનવામાં આવે છે. ભાજપના આ નેતા બિલ્ડર લોબીને ફાયદો કરાવતા પરિપત્રો કરાવે, અરજીઓ કરાવે કે એપેલેટમાં જવા મંજૂરીમાં વિલંબ કરાવવા પાછળ પણ નેતા સક્રિય હતા. એના કારણે આ જમીન પ્રજા પાસેથી ચાલી ગઈ છે.

રાજકોટ : દોરાને ખેંચતા વીજવાયર તૂટયો, તરૂણનું મોત

મકર સંક્રાંતિના પર્વ પર પતંગ ઉડાડતી વેળાએ અગાશી પરથી પટકાવાના, પતંગ લૂંટવા જતા અકસ્માતનો ભોગ બનવાના સહિતના બનાવો બને છે. આ ઉત્સવની પૂર્વ સંઘ્યાએ રાજકોટ નકના મુંજકામાં ઈલેકિટ્રક તારમાં ફસાયેલો દોરો કાઢતી વેળાએ વીજ કરંટ લાગતા ગરાસિયા તરૂણનું મોત નીપજયું હતું. તેમજ મવડીના સ્વામિનારાયણ પાર્કમાં અગાશી ધોતી વખતે ઈલેકિટ્રક વાયરને અડી જવાથી પટેલ મહિલાનું મત્યુ થયું હતું.

મુંજકાના ટીટોડીયા પરામાં આવેલા સ્લમ કવાટર્રમાં રહેતો અર્જુનસિંહ દશરથસિંહ ઝાલા (ઉ.વ.૧૨) બુધવારે સાંજે પોતાના ઘરની અગાશી પર પતંગ ઉડાડતો હતો. પતંગનો દોરો અગાશી પાસેથી પસાર થતાં ઈલેકિટ્રક તારમાં ફસાતાં અર્જુને ખેંરયો હતો. દોરો ખેંચતા જ ઈલેકટ્રીક તાર પણ તૂટયો હતો. તૂટેલો વીજતાર ગરાસિયા તરૂણને અડતાં તરૂણ વીજ આંચકા સાથે ઢળી પડયો હતો. અને તેનું મોત નીપજયું હતું. સંક્રાંતના આગલા દિવસે જ બે પુત્રોમાંથી નાના પુત્ર અર્જુનના આકસ્મિક મૃત્યુથી ઝાલા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

ગંગાસાગરમાં ભાગદોડ, સાતનાં મોત

પશ્ચિમ બંગાળના ગંગા સાગરમાં મકર સંક્રાતિના મેળા દરમિયાન મચેલી ભાગદોડમાં સાત લોકોના મૃત્યું નિપજ્યા હતા, જ્યારે 17થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. ઘાયલોમાં એક બાળક અને છ મહિલા સામેલ છે. લોકો બોટ પર ચડી રહ્યા હતા ત્યારે આ ભાગદોડ થઇ હતી. આ દરમિયાન એક વૃધ્ધાએ લાઇન તોડી બોટ પર ચડવાનો પ્રયાસ કરતાં ભીડને નિયંત્રિત કરવા માટે ત્યાં ઉભો કરવામાં આવેલો બેરિકેડ તૂટી ગયો હતો. નોંધનીય છે કે ગત્ વર્ષે પણ આ મેળામાં ભાગદોડમાં પાંચ લોકોના મૃત્યું નિપજ્યા હતા. મકર સંક્રાતિના અવસર પર દર વર્ષે અહીં લાખો શ્રધ્ધાળુઓ ગંગા સ્નાન માટે ઉમટી પડે છે.

ફરીથી ફાઇનલમાં ભારતનો પતંગ કપાયો કુલશેખરા મેન ઓફ ધ મેચ, સંગાકરા મેન ઓફ ધ સિરીઝ

ઝડપી બોલર્સની ઘાતક બોલિંગ બાદ સંગાકરા અને જયવર્દનેએ નોંધાવેલી અડધી સદી વડે શ્રીલંકાએ ભારતને ચાર વિકેટે હરાવીને બાંગ્લા દેશ ખાતેની ત્રિકોણીય શ્રેણી જીતી લીધી હતી અને ફાઇનલમાં હારવાની ભારતની પરંપરા જળવાઇ રહી હતી. ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર શ્રીલંકન ટીમે ભારતના ૨૪૫ રનના સ્કોર સામે છ વિકેટે ૨૪૯ રન બનાવીને વિજય મેળવી લીધો હતો. કુલશેખરાને મેન ઓફ ધ મેચ જયારે કુમાર સંગાકરાને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. એક સમયે ભારતે ૬૦ રનમાં પાંચ વિકેટ ગુમાવી દેતાં ફાઈનલ એક તરફી બનશે તેમ લાગતું હતું પરંતુ રૈનાએ બાજી સુધારી હતી. ઝડપી બોલર આશિષ નહેરા બીજી ઓવરમાં ઈજાગ્રસ્ત બનતાં તે બાકીની ઓવર્સ નાખી શકયો ન હતો જેનો ભારતને મોટો ફટકો પડયો હતો.ફાઇનલ જીતવાના લક્ષ્યાંક સાથે મેદાને પડેલી શ્રીલંકન ટીમે તરંગા (૦)ને પ્રથમ ઓવરમાં ગુમાવ્યા બાદ દિલશાન (૪૯) અને સંગાકરા (૫૫) વરચે બીજી વિકેટ માટે નોંધાયેલી ૯૩ રનની ભાગીદારી વડે વિજય તરફ કૂચ કરી હતી. મઘ્યમ હરોળમાં મહેલા જયવર્દનેએ ૮૧ બોલમાં અણનમ ૭૧ રન ફટકારવા ઉપરાંત સતત એક છેડો જાળવી રાખ્યો હતો. સમરવીરાએ ૪૧ બોલમાં ૨૭ રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી હરભજન સિંધે ૪૧ રનમાં બે વિકેટ ખેરવી હતી. સુરેશ રૈનાએ ૧૦૬ રનની શાનદાર ઇનિંગ્સ રમીને પોતાની ટીમને સંકટમાંથી બહાર કાઢતા ભારત ૨૪૫ રનનો સ્કોર નોંધાવવામાં સફળ રહ્ય હતું. શ્રીલંકન ટીમે પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપતા ભારતીય ટીમે ૧૧મી ઓવર સુધીમાં માત્ર ૬૦ રનના સ્કોરે તેની ટોચની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. રૈનાએ પોતાની ૮૭મી વન-ડેમાં ૧૧૫ બોલનો સામનો કરીને દસ બાઉન્ડ્રી અને એક સિકસર વડે કારકિર્દીની ત્રીજી સદી ફટકારી હતી. રૈનાએ રવીન્દ્ર જાડેજા સાથે છઠ્ઠી વિકેટ માટે ૧૦૬ રનની ભાગીદારી નોંધાવીને ભારતના રકાસને અટકાવ્યો હતો. જાડેજાએ ૬૪ બોલમાં ૩૮ રનનું યોગદાન આપ્યું હતું. આ બંને સિવાય અન્ય બેટ્સમેન નિષ્ફળ રહેતા ભારત નિર્ધારિત ૫૦ ઓવર પણ પૂરી રમી શકી નહોતી અને ઇનિંગ્સ ૪૮.૨ ઓવરમાં સમેટાઇ ગઇ હતી. શ્રીલંકા તરફથી કુલ શેખરાએ ૪૮ રનમાં ચાર, વેલેગેડેરાએ ૫૩ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ૪૬મી ઓવરમાં રૈનાના આઉટ થયા બાદ હરભજન (૧૧), ઝહિર ખાન (૧૬) તથા શ્રીસંત (૪) ટૂંકા ગાળામાં આઉટ થઇ ગયા હતા.




મુલતાનના સુલતાન સેહવાગના વન-ડેમાં સાત હજાર રન પૂરા
વિશ્વના સૌથી આક્રમક બેટ્સ મેનમાં સ્થાન મેળવી ચૂકેલા ભારતીય ઓપનર મુલતાનના સુલતાન વીરેન્દ્ર સેહવાગે બુધવારે શ્રીલંકા સામેની ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં ૪૨ રનની ઇનિંગ્સ રમીને વન-ડે ક્રિકેટમાં સાત હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. ડોન બ્રેડમેન તથા બ્રાયન લારા બાદ ટેસ્ટ ક્રિકેટમાં બે ત્રેવડી સદી નોંધાવનાર સેહવાગ વન-ડેમાં સાત હજાર રન પૂરા કરનાર ભારતનો છઠ્ઠો અને વિશ્વનો ૨૯મો બેટ્સમેન બન્યો છે. સેહવાગ પહેલાં ભારત તરફથી સચિન તેંડુલકર (૧૭,૩૭૮), રાહુલ દ્રવિડ (૧૦,૭૬૫), સૌરવ ગાંગુલી (૧૧,૩૬૩)યુવરાજસિંઘ (૭,૩૪૫) અને મોહમ્મદ અઝહરુદ્દીન (૯,૩૭૮) આ સિદ્ધિ મેળવી ચૂકયા છે. ત્રિકોણીય શ્રેણીની છેલ્લી બે લીગ મેચ નહીં રમાનાર સેહવાગે ફાઇનલ પહેલાં ૨૧૮ વન-ડેમાં ૩૪.૨૮ની સરેરાશથી ૬,૯૯૪ રન બનાવ્યા હતા અને સાત હજાર રનની સિદ્ધિ માટે તેને માત્ર વધુ છ રનની જરૂર હતી. તેણે ૨૧૩ ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. સૌથી ઓછી ઇનિંગ્સમાં સાત હજાર રન પૂરા કરવાનો વિક્રમ ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલીના નામે છે જેણે ૧૭૪ ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. સેહવાગનો સ્ટ્રાઈક રેટ ૧૦૦ કરતા વધારે છે.

હૈતીમાં છેલ્લા ૨૦૦ વર્ષનો સૌથી વિનાશક ભૂકંપ, હજારોનાં મોત

કેરેબિયન દેશ હૈતીમાં સાતની તીવ્રતાની પ્રચંડ ભૂકંપે હજારો લોકોનો ભોગ લીધો છે. આ ભૂકંપથી રાષ્ટ્ર પતિનો મહેલ અને સંયુક્ત રાષ્ટ્ર મિશનના વડા મથકની પાંચ માળની ઇમારત સહિત અનેક ઇમારતો અને હોટેલો તેમજ કોમ્પ્લેક્ષને કાટમાળમાં ફેરવી દીધા છે. રિક્ટર સ્કેલ પર ૭.૦ની તીવ્રતાવાળા આ ભૂકંપે હૈતીની રાજધાની પોર્ટ-ઓ-પ્રિન્સ અને તેની આસપાસની વિસ્તારોને હચમચાવી દીધા છે. અલબત્ત, રાજધાની પોર્ટ-ઓ-પ્રિન્સમાં રહેતા તમામ ૧૪૦ ભારતીય શાંતિ સૈનિક સુરક્ષિત છે. આ સૈનિકોને ઓક્ટોબર-૨૦૦૮માં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળમાંથી પસંદ કરીને હૈતીમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન પર મોકલ્યાં હતાં. જોકે, વાણિજય દૂતાવાસના ૫૦ કર્મચારીઓનો કોઇ પત્તો નથી. અમેરિકી ભૂવિજ્ઞાન સર્વેક્ષણ વિભાગે આ ભૂકંપને હૈતીમાં છેલ્લા ૨૦૦ વર્ષમાં આવેલો સૌથી વિનાશક ભૂકંપ ગણાવ્યો છે. ભૂકંપ બાદ આફ્ટર શોકસ પણ ચાલુ રહ્યા હતાં. દસ લાખની વસ્તી ધરાવતી રાજધાનીમાં મોટાભાગની ઇમારતો લગભગ એક મિનિટ સુધી અનુભવાયેલી ધ્રુજારીના કારણે કાટમાળમાં ફેરવાઇ ગઇ છે અનો લોકો ભયના માર્યા ઘરબાર છોડીને ભાગી રહ્યા છે. ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર પોર્ટ-ઓ-પ્રિન્સથી ૧૬ કિલોમીટર દૂર હતું. ભૂકંપ ભારતીય સમયાનુસાર બુધવારે બપોરે ૩-૩૦ કલાકે આવ્યો હતો. જેમાં મોટાભાગની ઇમારતો ધરાશાયી થઇ ગઇ છે. કાટમાળ નીચે પણ અનેક લોકો ફસાયા હોવાના અહેવાલ છે. લોકો પોતાના ગુમ થયેલા સ્વજનને શોધવા માટે ફાંફાં મારી રહ્યાં છે. પ્રચંડ ભૂકંપના કારણે પાણી અને વીજ પુરવઠો ખોરવાઇ ગયા છે.
ઈશાન ભારતમાં ભૂગર્ભ ગતિવિધિ વધી
હૈતીમાં આવેલા વિનાશક ભૂકંપના પગલે ઈશાન ભારતમાં વધી રહેલી ભૂગર્ભ ગતિવિધિએ ચિંતા જન્માવી છે. ૨૦૦૯માં પ્રત્યેક ૧૦ દિવસ બાદ ભૂકંપના આંચકા નોંધાયા છે. સૌથી મોટો ૬.૨નો આંચકો ૨૧ સપ્ટેમ્બરે નોંધાયો હતો. ૨૦૦૭-૦૮માં ૨૬ અને ૨૦૦૬માં ૨૩ ભૂકંપ નોંધાયા છે.

13 January 2010

ઉતરાયણ પૂર્વે બજારોમાં કીડિયારૂ

આકાશી યુદ્ધના પર્વ ઉતરાયણ આડે ગણતરીના કલાકો બાકી રહેતાં જિલ્લાના મુખ્ય મથકો સહિત વિવિધ વિસ્તારોમાં પતંગ-દોરા અને અન્ય ચજિ-વસ્તુઓની ખરીદી નીકળતાં બજારોમાં કીડિયારૂ ઉભરાયુ છે. આકાશી યુધ્ધનો સામાન એકઠો કરાવ માટે શહેરીજનો મેદાનમાં આવતા મોડી રાત સુધી પતંગ બજારમાં તેજી દેખાવા માંડી છે. બીજી તરફ પતંગની સાથે ટોપી,ચશ્મા સહિત અન્ય વસ્તુના વેચાણમાં પણ વધારો નોંધાયો છે.

રાજકોટમાં અશ્વોનું પ્રદર્શન

રાજકોટમાં કદી ન થયા હોય તેવા અશ્વોનું પ્રદર્શનની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. રેસકોર્સના વિશાળ મેદાનમાં ૧૫ જાન્યુઆરીથી ૧૭ જાન્યુઆરી સુધી જામશે ઘોડાઓની હણહણાટી. રાજકોટ મનપા દ્વારા આયોજિત પ્રદર્શનમાં અશ્વ પાલક સહકારી મંડળી, શ્રી ભૂવનેશ્વરી પીઠ (ગોંડલ), પીપલ્સ બેન્ક, પશુ પાલન ખાતું અશ્વોનું પ્રદર્શન યોજી રહ્યું છે. જેમાં શ્રેષ્ઠ શણગારેલ અશ્વ, ઉત્તમ કાઢિયાવાડી ઘોડો, ઘોડાઓની મટકી ફોડ, પોલ બેન્ડિંગ તેમજ અશ્વ સવારોની કૌશલ્ય સ્પર્ધા, બેરલ રેસ, અશ્વ દોડ, ડાન્સિંગ હોર્સ સહિતના અદ્દભૂત કાર્યક્રમો શહેરી જનોને નિહાળવા મળશે.
રાજકોટમાં પ્રથમવાર રાત્રિ શો : રાજકોટમાં પ્રથમવાર ૧૨મા કામા અશ્વ પ્રદર્શન અને રમતોનું આયોજન કરવામાં આવશે. જેમાં ૮ લાઈટ ટાવર, ૧૫૦ લાઈટો, ૫૦ એલોજન લાઈટો, તેમજ જાજરમાન સમિયાણા સાથે દુહા, છંદની રમઝટ યોજાશે. એક અંદાજ મુજબ રાજકોટમાં પ્રથમવાર ૩૦૦થી વધારે અશ્વો ભાગ લેશે.
શું હશે અશ્વોની રમતોમાં
શ્રેષ્ઠ શણગારેલ અશ્વ, રેવાલ ચાલ, ઉત્તમ કાઢિયાવાડી ઘોડો, ઉત્તમ મારવાડી ઘોડો, એક વર્ષ ઉપરની કાઢિયાવાડી વછેરો-વછેરી, ગરો લેવો, બેરલ રેસ, દોડ, ડાન્સિંગ હોર્સ, મટકા ફોડ, પોલ બેન્ડીંગ સહિતનું પ્રદર્શન રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજવામાં આવશે.

રાજકોટ એકસાઇઝના ત્રણ અધિકારી લાંચ લેતા પકડાયા

રાજકોટ સેન્ટ્રલ એકસાઇઝ કચેરીમાં સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા અને દર મહિને રૂપિયા ૪૦ હજારનો પગાર મેળવતા ત્રણ અધિકારી ભુજમાં એક કન્સ્ટ્રકશન પેઢીના માલિક પાસેથી રૂપિયા એક લાખની લાંચ લેતા સી.બી.આઇ.ના છટકામાં આબાદ સપડાઇ ગયા હતા. ત્રણેય અધિકારીઓને લઇને સી.બી.આઇ.નો કાફલો ગાંધી નગર પરત ફર્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુપ્રિન્ટેન્ડેન્ટ કક્ષાના ત્રણ-ત્રણ અધિકારીઓ મસમોટી લાંચ લેતા એક સાથે પકડાતા પગાર ઉપરાંતની રકમ ખિસ્સામાં સેરવી દેતાં અધિકારી ગણમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
રાજકોટ સેન્ટ્રલ એકસાઇઝ કચેરીમાં વિભાગમાં ફરજ બજાવતા સુપ્રિન્ટેન્ડેન્ટ ચેતન વર્મા, આર. એમ. પટેલ અને દેવેન રાવલ થોડા દિવસ પહેલાં ભુજમાં સર્વિસ ટેકસ બાબતે ગોપાલભાઇ ગોરસિયાની નેશનલ કન્સ્ટ્રકશન કંપનીમાં ઓડિટ કરવા ગયા હતા. જયાં ઓડિટ દરમિયાન અમુક ક્ષતિઓ બહાર આવતાં સેટલમેન્ટ માટે રૂપિયા એક લાખની લાંચ માગવામાં આવી હતી. એકસાઇઝ અધિકારીઓએ લાંચની માગ કરતા કન્સ્ટ્રકશન કંપનીના માલિકે સીબીઆઇનું શરણું લીધું હતું અને વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બાદમાં ભુજમાં જ આવેલી હોટેલ પ્રિન્સ રેસિડેન્સીમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. સોમવારે રાત્રિના સમયે સુપ્રિન્ટેન્ડેન્ટ વર્મા, પટેલ અને રાવલ એક લાખની લાંચ લેતાં રંગેહાથ પકડાઇ ગયા હતા. સીબીઆઇ દ્વારા અચાનક જ છાપો મારવામાં આવતાં ત્રણેય સરકારી બાબુના ધોતિયા ઢીલા થઇ ગયા હતા. પરંતુ હાથમાં પાવડરવાળી ચલણીનોટ પકડી લેતાં નીચી મુંડી કરીને સી.બી.આઇ.ના સ્ટાફ સાથે ગાંધી નગર ચાલી નીકળવું પડયું હતું.
એક મહિના પહેલાં જ બઢતી સાથે રાજકોટ પોસ્ટિંગ થયું હતું : ચેતન વર્મા, આર. એમ. પટેલ અને દેવેન રાવલ અમદાવાદમાં એન્ટી ઇવેજન વિભાગમાં હતા અને એક મહિના પહેલાં જ બઢતી સાથે રાજકોટ બદલી થઇ હતી અને સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે સેવા આપતા હતા. પરંતુ લાંચ લેવાની લાલચમાં સપડાઇ ગયા હતા.
એક અધિકારીને તો રાષ્ટ્રપતિ મેડલ મળ્યો છે : સી.બી.આઇ.એ એક લાખની લાંચ લેતાં પકડી લીધેલા ત્રણમાંથી એક અધિકારીને તો વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ પણ મળ્યો હતો.

હાલાર હેમાળો : રાજયનું સૌથી ઠંડું શહેર જામ નગર

સૌરાષ્ટ્ર-કચ્છમાં શિયાળાની મોસમનો અસલી મિજાજ જોવા મળતો નથી. બે દિવસ કડકડતી ઠંડીના અહેસાસ બાદ ટાઢોડામાં ફરી નોંધ પાત્ર ઘટાડો થયા પછી મંગળ વારે ઠંડા પવનના સૂસવાટા વચ્ચે ઠંડીનો પારો ફરી ગગડયો હતો. જેમાં જામ નગરમાં ઠંડીનો પારો ૯.૬ ડિગ્રીને આંબી જતાં જામનગર રાજયનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. ચાલુ વર્ષે શિયાળાના પ્રારંભ પછી ઠંડીનો સામાન્ય અનુભવ બાદ કમોસમી વરસાદ વરસતા પારો ગગડયો હતો. બે ત્રણ દિવસ શિત લહરના કહરથી જન-જીવન ગરમ કપડામાં ઢબૂરાય ગયું હતું. દરમિયાન ઠંડીના પ્રભાવમાં ઘટાડો નોંધાતા દિવસે ગરમી અને રાત્રિના ઠંડીના ચમકારાનો અનુભવ થયો હતો.
મંગળ વારે સવારથી જ સૂસવાટા મારતા પવનના કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં પારો ફરી ગગડયો હતો. જેમાં જામનગર શહેરના તાપમાનનો પારો ૯.૬ ડિગ્રીને આંબી ગયો હતો. જેના પગલે જામનગર શહેર રાજય ભરમાં સૌથી વધુ ઠંડું શહેર બન્યું હતું. આ ઉપરાંત નલિયાનું તાપમાન ૧૨.૨, ડિસામાં ૧૨.૫, રાજકોટમાં ૧૩.૩, અમરેલીમાં ૧૪.૪ ભાવનગરમાં ૧૬.૮ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હાલાર હેમાળો બનતા જામનગર પંથકની પ્રજાએ કાતિલ ઠંડીના ચમકારાનો અનુભવ કર્યો હતો.

મમ્મી જ મારી બેસ્ટ ફ્રેન્ડ

ઘરનું કામ હોય કે સંબંધ નિભાવવાની પરંપરા હોય આ દરેક વાત માતા જ છોકરીઓને શીખવાડે છે. આના સિવાય છોકરીઓ પોતાની દરેક નાની મોટી વાતો પર માતા પાસેથી જ સલાહ લે છે. માતાની સાથે વાતવાતમાં મતભેદ થાય છે. પરંતુ જ્યારે કોઇ વિષય પર તેમને સલાહની જરૂર હોય છે તો તેમને માતાની યાદ આવે છે. હવે તો વૈજ્ઞાનિકોએ પણ આ વાત પર મહોર લગાવી દીધી છે કે, છોકરીઓ ૨૫ વર્ષ સુધી ફક્ત માતા પાસેથી જ સલાહ લે છે... દરેક કદમ પર જોઇએ માતાનો સાથ- છોકરીઓ હેલ્થ, પૈસા, મિત્રો, પિકનિક, કરિયર, ફેશન ટ્રેન્ડ અને રિલેશનશિપ જેવા મુદ્દા પર માતા સાથે ફક્ત વાત નથી કરતી પરંતુ તેમની સલાહ પણ લે છે. ટીન એજમાં હોર્મોન પરિવર્તનને કારણે છોકરીઓ બહુ ચિડિયલ થઇ જાય છે. માતાની સાથે વાતવાતમાં મતભેદ થાય છે. પરંતુ જ્યારે કોઇ વિષય પર તેમને સલાહની જરૂર હોય છે તો તેમને માતાની યાદ આવે છે. હવે તો વૈજ્ઞાનિકોએ પણ આ વાત પર મહોર લગાવી દીધી છે કે, છોકરીઓ ૨૫ વર્ષ સુધી ફક્ત માતા પાસેથી જ સલાહ લે છે, જ્યારે છોકરાઓ આવું નથી કરતા.

“સુંદર કેટરિના પરથી આંખો હટતી જ નથી”

બોલિવુડ માચોમેન સલમાન ખાન સાથે નિર્દેશક અનિલ શર્માની વીર ફિલ્મ દ્વારા બોલિવુડમાં પગ માંડનારી અભિનેત્રી ઝરીન ખાન પોતાની તુલના કેટરિના કેફ સાથે થવાથી ઘણી જ ખુશ છે. ઝરીન ખાનનું માનવું છે કે અભિનેત્રી કેટરીના કૈફ એટલી બધી સુંદર છે કે તેના પરથી નજર હટતી નથી. સલમાનની આ ફિલ્મ 22 જાન્યુઆરીના રોજ પ્રદર્શિત થશે.
ઝરીને જણાવ્યું હતું કે કેટરીના ખૂબ જ સુંદર છે અને તેની સાથે મારી તુલના મારી પ્રસંશા છે. હું માનું છું કે તે ઘણી જ સુંદર છે. જ્યારે મારી તુલના મારી સાથે કરવામાં આવે છે ત્યારે હું અભિભૂત થઈ જાઉં છું. હું તેમને એક બે વાર મળી છું અને તે એટલી તો ખૂબસૂરત છે કે મારી નજર તેના પર જ સ્થિર થઈ જાય છે. તેણે જણાવ્યું હતું કે હું હંમેશા દર્પણમાં જોઈને તેની તુલના મારી સાથે કરૂ છું પરંતુ અમારા વચ્ચે કોઈ સમાનતા નથી.

પોસ્ટ ઓફિસમાં વિમાનની ટિકિટ મળશે

ટૂંક સમયમાં જ પોસ્ટ ઓફિસમાંથી વિમાનની ટિકિટ સહિત વિદેશી ચલણ, પ્રમુખ ટ્રેવેલર ચેક, પ્રીપેડ કાર્ડ, વિદેશી નાણાંકીય ડ્રાફટ અને પાસપોર્ટ જેવી સેવાઓનો લાભ મેળવી શકશે. પર્યટન અને પર્યટન સાથે જોડાયેલ નાણાંકીય સેવાઓ ઉપલબ્ધ કરાવા માટે થોમસ કૂક ઇન્ડિયાએ પોસ્ટ ઓફિસો દ્વારા વિદેશી નાણાં અને અન્ય સેવાઓ ઉપલબ્ધ કરાવા માટે ભારતીય પોસ્ટ વિભાગ સાથે આજે એક સહમતિ પત્ર પર હસ્તાક્ષર કર્યા. કંપનીની આ સેવા હાલમાં પ્રાયોગિક રૂપે દેશની રાજધાની સહિત પાંચ પોસ્ટ વિભાગમાં ઉપલ્બધ કરાશે. થોમસ કૂક ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેકટર માધવન મેનને કહ્યું કે, "આ સેવા શરૂઆતમાં પાંચ પોસ્ટ ઓફિસમાં શરૂ કરાવ્યા બાદ, આવતા કેટલાંક મહિનામાં અન્ય શહેરોમાં તેનું વિસ્તરણ કરાશે." તેમણે કહ્યું કે પર્યટન સ્થળો પર વિદેશી નાણાંના વિનિમય માટે પ્રવાસી અહિં-તહિં ભટકતા જોવા મળે છે. પરંતુ પોસ્ટ ઓફિસમાં આ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ થતાં પ્રવાસીઓને ઘણી સુવિધા મળશે.
માધવને કહ્યું કે વિદેશી ચલણ ઉપલબ્ધ કરાવા માટે નિષ્ણાતોની જરૂર પડે છે, તેના માટે પ્રત્યેક કેન્દ્ર પર થોમસ કૂકના 2-3 લોકો ઉપલબ્ધ હશે.

નેનો યુએસમાં પ્રદર્શિત

વિશ્વમાં સૌથી સસ્તીકાર ટાટા નેનોને શીકાગો ખાતે બે કલાક માટે પ્રદર્શિત કરાઈ હતી. અહીં સૌ પ્રથમવાર ત્યાંના લોકો માટે વિશ્વની સૌથી સસ્તી કાર પ્રદર્શનમાં મુકાઈ હતી.


શિકાગો બાદ નેનોને ડિટ્રોઈટ શહેર ખાતે પ્રદર્શિત કરાશે. ટાટા નેનોએ યુએસમાં તેની સફર ડેનવર કોલારોડાથી શરૂ કરી હતી અને ગઈકાલે તે ડિટ્રોઈટ ખાતેની જુડસન યુનિ. ખાતે આવી પહોંચી હતી. વિશ્વની સૌથી સસ્તી કરાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યાં હતા અને લોકોએ તેને સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.

ભગવાન બુદ્ધ ગુજરાત આવ્યા હતા...

- ભગવાને તેમનો છઠ્ઠો વર્ષાવાસ ગુજરાતમાં કર્યો
- ગુજરાતમાં સૌ પ્રથમ નાગ જાતિના લોકોએ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો
-૧૫મીએ રાજયમાં બુદ્ધિસ્ટ હેરિટેજનો આંતરરાષ્ટ્રીય સેમિનાર
- સચ્ચબંદ નામના તપસ્વીએ પણ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો આ પ્રસંગને યાદ કરવા થાઇલેન્ડમાં એક પર્વતનું નામ સચ્ચબંદ
ગુજરાતમાં બૌદ્ધ ધર્મના પ્રાચીન અવશેષો છે, ભગવાન બુદ્ધ સ્વયં ગુજરાત આવ્યા હતા અને છઠ્ઠો વર્ષાવાસ તેમણે ગુજરાતમાં કર્યો હતો, એમ ત્રૈલોક્ય બૌદ્ધ મહા સંઘ સહાયક ગણ-અમદાવાદના પ્રમુખ ધમ્મચારી રત્નાકરે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તા.૧૫થી ૧૭ જાન્યુઆરી દરમિયાન વડોદરામાં ‘બુદ્ધિસ્ટ હેરિટેજ-ગુજરાત’ અંગેનો આંતરાષ્ટ્રીય સેમિનાર એમ.એસ.યુનિવર્સિટી ખાતે યોજાશે. જેમાં દલાઇ લામા, મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી અને ૫૦૦ લામાઓ પણ ઉપસ્થિત રહેશે.
છેલ્લા ૩૫ વર્ષથી બૌદ્ધ ધર્મનું અધ્યયન-પરશિલન કરી રહેલા ધમ્મચારી રત્નાકરે જણાવ્યું કે જેવી રીતે ‘ચાતુર્માસ’ હોય છે તેવી જ રીતે બૌદ્ધ ધર્મમાં ‘વર્ષાવાસ’ હોય છે પરંતુ તેમાં ચાર મહિના નહીં પણ ત્રણ માસ એક જ સ્થળે એટલે કે બૌદ્ધ વિહારમાં રહેવાનું હોય છે. વર્ષાવાસનો પ્રારંભ અષાઢી પૂર્ણિમાથી આસો પૂર્ણિમાએ તેની સમાપ્તિ થાય છે. ઇ.સ.પૂર્વે છઠ્ઠી સદીમાં ભગવાન બુદ્ધ ગુજરાતમાં છઠ્ઠો વર્ષાવાસ કરવા આવ્યા હતા અને તેઓએ શૂરપારક બંદર પાસે આવેલા મુકુલારામ વિહારમાં વષૉવાસ કર્યો હતો. ભગવાન બુદ્ધ ગુજરાત આવ્યા ત્યારે અહીં રહેતા નાગ જાતિના લોકોએ સૌ પ્રથમ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. આજે પણ ભગવાન બુદ્ધના પગલા સચ્ચબંદ પર્વત ઉપર જોવા મળે છે. સચ્ચબંદ નામનો એક તપસ્વી હતો તેણે પણ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો. આ પ્રસંગને ધ્યાનમાં રાખીને થાઇલેન્ડમાં એક પર્વતનું નામ સચ્ચબંદ અપાયું છે. તેમણે જણાવ્યું કે ભગવાન બુદ્ધ ગુજરાતના દેવની મોરી અને ગિરનાર પણ આવ્યા હતા અને ભગવાન બુદ્ધ નર્મદા નદીના કિનારે થઇને મધ્ય પ્રદેશ થઇ શ્રાવસ્તી-ઉત્તર પ્રદેશ પહોંચ્યાના ઉલ્લેખો મળી આવે છે. આજે મળતા બૌદ્ધ ધર્મના અવશેષોથી કહી શકાય કે પ્રાચીન સમયમાં ગુજરાતમાં બૌદ્ધ ધર્મનું ખૂબ જ પ્રચલન હશે.
ગુજરાતની વલભી વિશ્વ વિધ્યાલયમાં ૬ હજાર બૌદ્ધ ભિખ્ખુઓ અભ્યાસ કરતા હતા
બૌદ્ધ ધર્મના અવશેષો ગુજરાતના ૬૦ ટકા વિસ્તારોમાંથી પ્રાપ્ત થાય છે ત્યારે એટલું તો ચોક્કસ કહી શકાય કે ગુજરાત બૌદ્ધ ધર્મનું એક મહત્વનું સ્થાન હતું. એટલું જ નહીં નાલંદા-તક્ષશીલા સાથે સરખામણી થઇ શકે એવી રાજયની પ્રાચીન વલ્લભી વિશ્વ વિધ્યાલયમાં તત્કાલિન સમયે ૬ હજાર બૌદ્ધ ભિખ્ખુઓ અભ્યાસ કરતા હતા. આના પરથી કહી શકાય કે બૌદ્ધ ધર્મનો પ્રચાર-પ્રસાર આ પ્રાંતમાં ખૂબ જ હતો, એમ ધમ્મચારી રત્નાકરજીએ ઉમેર્યું હતું.

અવતાર જાતિવાદના વિવાદમાં ઢસડાઈ

ગયા વર્ષના છેલ્લા મહિના પ્રદર્શિત થયેલી ડિરેક્ટર જેમ્સ કેમેરૂનની ફિલ્મ અવતાર ભારે હિટ રહી છે. જો કે આ ફિલ્મ હવે વિવાદમાં સપડાય તેવી સંભાવનાઓ વધી ગઈ છે. આ ફિલ્મમાં એક અમેરિકન સૈનિક પેન્ડોરા નામના ગ્રહ પર રહેતા નેવી જાતીના લોકોને તેના જ સાથીદારોથી બચાવે છે. આ નેવી લોકો આદિવાસી જેવું જીવન જીવતા હોય છે. જેઓ વાદળી રંગના અને પોતાની જાતનો બચાવ કરવામાં અક્ષમ બતાવવામાં આવ્યા છે. અવતાર ફિલ્મ પેન્ડોરા નામના ગ્રહ પર આધારિત છે જ્યાં પ્રકૃતિને પ્રેમ કરતા અને વાદળી રંગની ચામડી ધરાવતા નેવી નામની જાતિના લોકો વસે છે. નૌકાદળના એક અપંગ સૈનિકને ત્યાં મોકલવામાં આવે છે. પરંતુ તે સૈનિક એ જાતિમાં ભળી જાય છે અને પોતાના જ શ્વેત સાથીદારોથી પેન્ડોરાને બચાવે છે. આ સૈનિકની ભૂમિકા ઓસ્ટ્રેલિન અભિનેતા સામ વર્થિગંટન દ્વારા ભજવવામાં આવી છે.
આ ફિલ્મ પ્રદર્શિત થઈ ત્યારથી વેબ સાઈટ પર અસંખ્ય બ્લોગ, સમાચાર પત્રોના ઘણા લેખકો, ટ્વિટર પર અને યૂ ટ્યૂબ પર અપલોડ કરવામાં આવેલા વિડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અવતાર ફિલ્મ જાતિવાદ પર આધારિત ફિલ્મ છે. ફિલ્મના લેખક અને ડિરેક્ટર જેમ્સ કેમરૂનનું કહેવું છે કે અન્ય લોકોનું સન્માન કરવું તે આ ફિલ્મનો મહત્વનો સંદેશ છે.

“ટીમ ઈન્ડિયા નં-1 પર ટકી શકશે નહીં”

હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 પર છે. આ વિશે પૂર્વ ઓસ્ટ્રેલિયન સુકાની ઈઆન ચેપલનું માનવું છે કે ભારત પાસે બોલિંગ પાવર નથી જેથી તે લાંબા સમય સુધી ટેસ્ટ રેન્કિંગમાં ટોચ પર રહી શકશે નહીં. ચેપલે જણાવ્યું કે હું નથી માનતો કે ટોચની બેટિંગ ભાગીદારીથી મહાન ટીમનું નિર્માણ થાય છે. પરંતુ મારા મત પ્રમાણે તેના કરતા પણ વધારે મહત્વની બાબતો રહેલી છે અને તેથી જ ભારત લાંબા સમય સુધી નંબક-1 રહી શકશે નહીં. હું માનું છું કે જો તમારે લાંબા સમય સુધી સફળ ટીમ બની રહેવું હોય તો તમારી પાસે બે ચેમ્પિયન બોલર હોવા જરૂરી છે. અને ભારત ત્યાં જ માર ખાઈ જાય છે, તેમ ચેપલે ઉમેર્યુ હતું. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે ભારત પાસે એક પણ ચેમ્પિયન બોલર નથી. જ્યારે હું છેલ્લા 12 મહિનાથી ભારતની સ્ટ્રાઈક રેટ અને એવરેજ પર નજર નાંખુ છું ત્યારે મને બે ચેમ્પિયન બોલર દેખાતા નથી. હકિકતમાં મને તો એક પણ ચેમ્પિયન બોલર દેખાતો નથી. ટીમ ઈન્ડિયાને કેટલાક ચેમ્પિયન બોલરની જરૂર છે. તેમની પાસે શ્રેષ્ઠ બેટિંગ લાઈન અપ છે તેમાં બેમત નથી પરંતુ તેમની પાસે સારી બોલિંગ લાઈન નથી કે જેની મદદથી તેઓ વિશ્વમાં સતત જીતતા રહે, તેમ ચેપલે જણાવ્યું હતું.

રાજકોટ : સુગર હાઉસ, વિત્ત ભવન જપ્ત કરવા કોર્પોરેશનની કાર્યવાહી

રાજકોટ મહા નગર પાલિકાની ટેકસ શાખા ૦૯-૧૦ના બજેટમાં અપાયેલા ૧૧૫ કરોડની આવકના લક્ષ્યથી ૩૨ કરોડ દૂર હોઇ આવક વધારવા ઝોન વાઇઝ ધડાધડ નોટિસો ઇસ્યુ થઇ રહી છે. તો મનપાને વર્ષોથી મિલકત વેરા પેટે એક પૈસો પણ ન ચૂકવનાર ગોંડલ રોડ પરના વિત્ત ભવન તથા ત્રિકોણ બાગ પાસેના સુગર હાઉસ નામક મિલકતો કબજે કરવા તૈયારી ચાલી રહી છે. સોની બજાર ખાતે વિવિધ કોમ્પ્લેકસમાં ૭૨ વેપારીઓને નોટિસ ફટકારાઇ છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગત બજેટમાં મિલકત વેરાની આવકનો ૧૧૫ કરોડનો લક્ષ્યાંક અપાયા બાદ ટેકસ શાખાને હજૂ સુધીમાં ૮૩ કરોડની જ આવક થઇ છે જયારે જાન્યુઆરી માસ અડધો પૂર્ણ થઇ ગયો છે અને લક્ષ્ય ૩૨ કરોડ છેટું છે. આથી મકાનો જપ્ત કરવા પણ ફાઇલો તૈયાર થઇ રહી છે.
ગોંડલ રોડ પરનું વિત્ત ભવન બન્યું ત્યારથી આ ભવનના એક પણ દુકાનદાર કે ઓફિસ માલિકે વેરો ભર્યો નથી વેરા પ્રશ્ને વાંધો પડતા તમામે વાંધા અરજી કરી હતી. જેનો નિકાલ થઇ ગયો છતાં ર૦ લાખનો ટેકસ ભરાતો ન હોઇ સમગ્ર ભવન કબજે કરવા તજવીજ આરંભવામાં આવી છે. સોની બજાર વિસ્તારમાં આવેલા ગોલ્ડન પ્લાઝા, દેવ કોપ્લેકસ, કેવલ કોમ્પલેકસમાં દુકાનો અને ઓફિસો ધરાવતા તેમજ મનપાને વર્ષોથી મિલકત વેરો ન ચૂકવતા ૭૨ બાકીદારોને ટેકસ ડિપાટર્મેન્ટ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. ત્રિકોણ બાગ પાસે આવેલા સુગર હાઉસ નામક બિલ્ડંગમાં તથા ત્યાં જ આવેલી લાખાજીરાજ સ્મારક ટ્રસ્ટની માલિકીની મિલકતમાં આવેલી દુકાનો, ઓફિસો પાસે ૨૧ લાખની રકમ બાકી નીકળતી હોઇ તે મિલકત પણ કબજે કરી નાણાં વસૂલવા મનપાએ તૈયારી આદરી છે શહેરના સેન્ટ્રલ ઝોનના શ્રોફ રોડ, સુભાષનગર તથા કસ્તુરબા રોડ પર આવેલા કેટલાક એપાટર્મેન્ટો તેમજ દુકાનદારોને બાકી વેરો તાત્કાલિક ભરી જવા નોટિસ પાઠવી અને તાકીદ કરવામાં આવી છે.

જામનગર: જામ બંગલાનું ચોરાયેલા ઝવેરાત કબજે

રાજવી પરિવારના પ્રતાપ વિલાસ પેલેસમાંથી સાચા મોતી અને હીરા જડિત સોના ચાંદીના આભૂષણો તેમજ એન્ટીક ચીજ વસ્તુ મળી કરોડો રૂપિયાની થયેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી ચોરીનો પોલીસે ભેદ ઉકેલી ચાર દેવીપૂજક સહોદર સહિત પાંચ તસ્કરોને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી રૂ. પાંચ લાખ રોકડા, અડધા કરોડની કિંમતનો એક એવા બે ડાયમંડ, ઘરેણા તેમજ કિંમતી ધાતુના ઘરેણા મળી અંદાજે દોઢથી બે કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ચોરાઉ માલ ખરીદનાર સુરેન્દ્રનગર પંથકના ત્રણ સોનીની પણ અટકાયત થયાનું જાણવા મળે છે. તસ્કરોએ રેઢા પડ સમાન પ્રતાપ વિલાનાં જામ બંગલામાં છેલ્લા ૮ માસ દરમિયાન ૨૫ થી વધુ વખત ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસ અધિકારીઓ ચોકી ઉઠયા હતા. જામ બંગલામાંથી કરોડોના ઝર ઝવેરાત, એન્ટીક વસ્તુઓની ચોરી થયા અંગે ચાર જાન્યુઆરી ૨૦૧૦ના રોજ ફરિયાદ નોંધાઇ હતી. એક તબક્કે એન્ટીક ચીજ વસ્તુઓની ચોરી કરતી પ્રોફેશનલ ગેંગ હોવાની શંકા હતી. પરંતુ સ્થળ નિરીક્ષણ દરમિયાન રૂમમાંથી બીડીના ઠૂંઠા, પાણીના ખાલી પાઉચ મળ્યા હતા. તેમ જ તસ્કરોએ રૂમમાં હાજત કરી હોવાથી ચોરીમાં દેવીપૂજક ગેંગ હોવાની શંકા દ્રઢ બની હતી. ડી.આઇ.જી. મનોજ શશીધરે પડકારરૂપ ચોરીનો ભેદ ઉકેલવા જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગરના એલ.સી.બી. એસ.ઓ.જી. અને આર.આર. સેલના ચુનંદા અધિકારીઓ જવાનોની ટુકડી બનાવી જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરાવી હતી. દરમિયાન સુરેન્દ્રનગર એલસીબીના એ.એસ.આઇ. મહાવીરસિંહ અને કોન્સ્ટેબલ શકિતદાનને બાતમી મળી હતી કે કુંભાર પરામાં રહેતા 2 શખ્સો હિરાજડીત ઘરેણા અને સોના ચાંદીના તાર જડિત ગાલીચા વેચવાની પેરવી કરી રહ્યાં છે. પોલીસે કરેલા ચેકીંગ દરમિયાન સંજય બાબુ અને અશોક રામુ રજવાડી ઘરેણા ભરેલા થેલા સાથે ઝડપાઇ જતા સૌરાષ્ટ્રની સૌથી મોટી ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો હતો. પોલીસે અન્ય ત્રણ તસ્કરોને પણ ઝડપી લીધા છે. ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલનાર સમગ્ર સ્ટાફને ડી.આઇ.જી.એ અભિનંદન પાઠવ્યા હતા. બે આરોપી નશામાં ૧.૪૭ લાખ રોકડા ટેકસીમાં ભૂલી ગયા હતા. મળતી વિગત મુજબ પકડાયેલા આરોપીઓ પૈકી સંજય બાબુ અને વિજય રામુ દોઢ માસ પહેલા જામનગરથી ગોંડલ જવા ટેકસી ભાડે કરી હતી. દારૂના ચિક્કાર નશામાં ટેકસીમાં બેઠેલા બન્નો શખ્સોને ગોંડલ ઉતારીને પરત જામનગર પહોંચેલા ટેકસી ચાલકને પાછળની સીટમાંથી ૧ લાખ ૪૭ હજાર રોકડ સહિત થેલી મળી હતી. મુસાફરને ઓળખતો ન હોવાથી તેણે એ રકમ જામનગરના ચોકકસ પોલીસ મથકમાં જમા કરાવી હતી. થેલાની તપાસમાં ટેકસી ચાલક પાસે આવેલા આરોપી વિજય બાબુને પોલીસે ઝડપી લીધો હતો. આરોપીએ આ રકમ શેઠ પાસેથી ઉપાડ પેટે લીધી હોવાનું જણાવી પોલીસને મૂર્ખ બનાવી હતી. આરોપીએ પોતાનું નામ પણ ખોટું લખાવ્યું હોવાનું જાણવા મળે છે. જામ બંગલામાંથી ચીજ વસ્તુઓની ચોરી કરનાર તસ્કર ગેંગના એક આરોપીને દોઢ માસ પૂર્વે ૨૮ નવેમ્બરના રોજ રોકડા રૂ. ૧ લાખ ૪૭ હજાર સાથે પોલીસે ઝડપી લીધો હતો. પરંતુ આટલી મોટી રકમ કયાંથી આવી તે અંગે મોઢું નહીં ખોલાવી શકતા કરોડોની ચોરીનો ભેદ અકબંધ રહ્યો હતો.
બે ફરાર આરોપીઓ પાસે ચારેક કરોડના ઘરેણાં હોવાની શંકા
પકડાયેલા આરોપીઓનો પાંચમો ભાઇ અજય રામુ અને સાગરીત વિજય ચંદુ (મૂળ પોરબંદર) હજુ ફરાર છે. અજય પાસે ત્રણથી ચાર કરોડ રૂપિયાની કિંમતના ૧૦ કિલો ઘરેણાં હોવાનું બહાર આવતા બન્નો શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

દ્વારકામાં નિવૃત પ્રાથમિક શિક્ષકોને વસુલાતની નોટીસ... !! :ઉગ્ર વિરોધ

દ્વારકા તાલુકાના નિવૃત પ્રાથમિક શિક્ષકોને રજા-પગારના મામલે રૂ.૧૫ થી ૫૫ હજારની વસુલાતની નોટીસ ફટકારવામાં આવતા ચકચાર જાગી છે. નોટીસ ગેરકાનૂની હોવાનું જણાવી શિક્ષકોએ ઉગ્ર વિરોધ કર્યો છે. તાલુકામાં છેલ્લા પાંચેક વર્ષથી નિવૃત થઇ માત્ર પેન્શનની રકમમાંથી પોતાના કુટુંબનું જીવન નિર્વાહ ચલાવતા પ્રાથમિક શિક્ષકો પૈકી કેટલાક શિક્ષક ભાઇઓ-બહેનોને જિલ્લા શિક્ષણાધિકારીની સુચના અનુસાર દ્વારકા તાલુકા વિકાસ અધિકારી દ્વારા રૂ.૧૫ હજારથી ૫૫ હજાર સુધીની રકમ વસુલ કરવાની નોટીસો આપવામાં આવી છે. વર્ષ-૨૦૦૩-૦૫ના ઓડીટ અહેવાલ પ્રમાણે નિવૃતિ પૂર્વે ૧૫૦ દિવસની મર્યાદામાં રજાના રૂપાંતરીત પગાર ચુકવવાના બદલે ૩૦૦ દિવસની રજાનો પગાર ચૂકવાયો હોય વસુલાતનો પ્રશ્ન ઉભો થયો છે. આ નોટીસ મળતાં નિવૃત પ્રાથમિક શિક્ષકોમાં આશ્ચર્ય સાથે ખળભળાટ મચી ગયો છે. રોષે ભરાયેલા શિક્ષકોએ રજૂઆત કરી છે કે, પગારની રકમ સક્ષમ અધિકારી દ્વારા મંજૂર કરી ચૂકવવામાં આવી છે. જેમાં તેમની કોઇ કસૂર નથી.

પોરબંદર : પ્રેમ સંબંધમાં પરિવારો વચ્ચે બઘડાટી

પરિણીતનો પ્રેમ ધોકા ઉલાળવા સુધી પહોંચી ગયો હતો. જેમા બે મહિલાઓને ઇજા થતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવી પડી હતી. પતિના આડા સબંધને લઇને પત્નીએ અન્ય મહિલાને ધોકાવી ગાળો આપીને મારી નાખવાની ધમકી આપી તો સામા પક્ષે પરિણીતાને ધોકા વડે માર મારી ઇજા કરી હતી. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ છાંયા મહેર બોર્ડિંગ પાસે રહેતા રંજનબેન કેશુભાઇ બાપોદરા નામના પરિણીતાના પતિને આ જ વિસ્તારમાં રહેતા મનિષાબેન કમલેશભાઇ ઓડેદરા સાથે સબંધ હોવાના કારણોસર કમલેશભાઇ ભુરાભાઇ ઓડેદરા અને મનિષાબેને રંજનબેનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી માર માર્યો હતો તો સામા પક્ષે મનિષાબેન કમલેશભાઇ ઓડેદરા નામની પરિણીતાએ એવી ફરીયાદ નોંધાવી હતી કે રંજનબેને તેમને બોલાવીને તેવું કહ્યું હતું કે તુ મારા ઘરવાળાને રાખીને બેઠી છે તેમ કહીને રંજનબેન, અરભમભાઇ, વેજાભાઇ ઓડેદરા, કેશુ ચના ઓડેરાએ એક સંપ કરીને મનિષાબેનના માથાના ભાગે લાકડાનો ધોકો ઝીંકી દીધો હતો. આ બઘડાટીમાં ઇજાગ્રસ્ત બનેલી બન્ને મહિલાઓને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પત્નીઓથી છોડાવો: પતિઓની રાવ

અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ દ્વારા સોમવારે રાજકોટ કલેકટર અને પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં માગ કરી હતી કે, પોલીસના વુમન સેલ બંધ થાય અને સ્ત્રીધનના નામે લૂંટ પર નિયંત્રણ મુકાય, પતિ-પત્નીના ઝઘડામાં અન્ય સગા-સંબંધીઓને ફસાવવામાં ન આવે, પત્નીની ખોટી ફરિયાદ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે, છૂટાછેડાની પ્રક્રિયા આસાન બનવી જોઈએ. આવેદનપત્ર પાઠવવા હાજર રહેલાં પત્ની પીડિતોએ તેમને થતી પરેશાની અંગે દિલ ખોલીને વાતો કરી હતી

જૂનાગઢમાં ગૌમાંસ રાંધીને જમાડી દીધા ?

જૂનાગઢ શહેરમાં સુખનાથ ચોક પાસે એક જ્ઞાતિની વાડીમાં ગૌમાંસ રંધાયાની આશંકા દર્શાવતો એક ફોન મળ્યા બાદ પોલીસે તપાસ કરી હતી. જોકે, ઘટનાસ્થળે જમણવાર પૂરો થઇ ગયો હોઇ પોલીસે વધેલી મટન બિરયાનીમાં ગૌમાંસનો ઉપયોગ થયો છે કે કેમ તેની તપાસ માટે એફ.એસ.એલ. ને જાણ કરતાં માંસના નમૂના એકત્ર કરી લેબોરેટરીમાં મોકલાયા હતા.

હોટેલમાં ૩૩ યુવક અને યુવતીને બાનમાં રખાયા

જાણીતી મોબાઇલ કંપનીના નામે ફ્રેન્ચાઇઝી લીધી હોવાના બહાને એક ચીટરે સંખ્યાબંધ યુવક-યુવતીઓને ટ્રેનિંગ માટે શહેરની ભાગોળે આવેલી હોટેલમાં બોલાવ્યા હતા. થોડા દિવસ બાદ ચીટર હોટેલનું બિલ ભર્યા વગર પોબારા ભણી ગયો હતો. જેથી ટ્રેનિંગ લેવા આવેલા યુવક-યુવતીઓને હોટેલ સંચાલકે રૂમમાં પૂરી દેતા હોબાળો મચી ગયો હતો. જોકે, બાદમાં સાચી હકીકત બહાર આવતા હોટેલના સંચાલકોએ યુવક-યુવતીઓને જવા દેવાયા હતા.

હોટેલમાં ૩૩ યુવક અને યુવતીને બાનમાં રખાયા

જાણીતી મોબાઇલ કંપનીના નામે ફ્રેન્ચાઇઝી લીધી હોવાના બહાને એક ચીટરે સંખ્યાબંધ યુવક-યુવતીઓને ટ્રેનિંગ માટે શહેરની ભાગોળે આવેલી હોટેલમાં બોલાવ્યા હતા. થોડા દિવસ બાદ ચીટર હોટેલનું બિલ ભર્યા વગર પોબારા ભણી ગયો હતો. જેથી ટ્રેનિંગ લેવા આવેલા યુવક-યુવતીઓને હોટેલ સંચાલકે રૂમમાં પૂરી દેતા હોબાળો મચી ગયો હતો. જોકે, બાદમાં સાચી હકીકત બહાર આવતા હોટેલના સંચાલકોએ યુવક-યુવતીઓને જવા દેવાયા હતા.

આઇએએસ પ્રદિપ શમૉ આખરે સસ્પેન્ડ

ભાવનગરના મ્યુનિસપિલ કમિશનર પ્રદિપ શમૉને આખરે સરકારી નોકરીમાંથી સસ્પેન્ડ કરાયા છે. રાજય સરકારે તેમના સસ્પેન્શનની પ્રક્રિયા ૨૪ કલાકમાં પુરી કરી છે. તેઓ કચ્છ જિલ્લાના જમીન કૌભાંડમાં સંડોવાયેલા છે અને સીઆઇડી ક્રાઇમે તેમની ધરપકડ કરી છે.

ભાવનગરના મ્યનિસપિલ કમિશનર તરીકે ફરજ બજાવતા અને ૧૯૫૫માં જન્મેલા પ્રદપિ શમૉ ગુજરાત એડમિનિસ્ટ્રેટીવ સર્વિસમાં ગુજરાત કેડરના ઓફિસર તરીકે સિલેકટ થયા હતા અને ૧૯૯૪ની બેચમાં આઇએએસ તરીકે નોમિનેટેડ થયા છે. કચ્છ અને રાજકોટ જિલ્લા કલેકટર તરીકે તેઓએ ફરજ બજાવેલી છે.

સનદી અધિકારીની ચાલુ નોકરીએ ધરપકડ કરવાની હોય તો પોલીસે તેની જાણ સરકારને કરવાની હોય છે. મુખ્યમંત્રી અને ગૃહ રાજયમંત્રીએ સીઆઇડી ક્રાઇમને એવી સૂચના આપી હતી કે પ્રદપિ શમૉ જો દોષિત લાગતા હોય તો કોઇપણ રાજકીય દબાણ વિના તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરો. એ પછી સીઆઇડીના ઓફિસરોએ પ્રદિપ શમૉના ભાવનગર સ્થિત નિવાસસ્થાને છાપો મારીને એરેસ્ટ કરી હતી.

રિમાન્ડ પુરા થતાં તેમને કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. સોમવારે રાજય સરકારે સસ્પેન્શનની કાર્યવાહી શરૂ કરી કેન્દ્ર સાથે પરામર્શ કર્યો હતો અને મંગળવારે સાંજે તેમને સસ્પેન્શનનો ઓર્ડર ઇસ્યુ કરી દેવામાં આવ્યો છે. કચ્છની ૭૦ કરોડની જમીન અસરગ્રસ્તોને આપવાને બદલે બિન લાભાર્થીઓને આપી દેવાનો આરોપ આ ઓફિસર સામે મૂકવામાં આવ્યો છે.

૧૫મીએ સૂર્યગ્રહણ : મંદિરોના દર્શનનાં સમયમાં ફેરફાર

- સોમનાથ મહાદેવ ખાતે પ્રાત:, મધ્યાહ્ન આરતી નહીં થાય, સાંજે શુદ્ધિકરણ થશે
- પ્રખ્યાત ભદ્રકાળી માતાજી મંદિર સવારે ૮થી સાંજે ૫ સુધી બંધ રહેશે
- ગ્રહણ સ્પર્થથી મોક્ષ દરમિયાન ધૂન-ભજન-જપ-તપ થશે

તા.૧૫મીએ કંકણાકૃતિ સૂર્યગ્રહણ છે. જેના લીધે રાજયભરના અનેક મંદિરોના દર્શનનાં સમયમાં ફેરફાર થયો છે અને મંદિર સવારે વહેલા બંધ થઇ જશે. જે સાંજે શુદ્ધિકરણ વિધિ બાદ ખુલશે. રાજયના સોમનાથ જયોતિર્લિગ ખાતે પ્રાત: અને મધ્યાહ્ન આરતી નહીં થાય તો અનેક ભકતો ગ્રહણ સ્પર્શથી મોક્ષ દરમિયાન ધૂન-ભજન-જપ-તપ કરશે.

પ્રસિદ્ધ તીર્થધામ, જયોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે સૂર્યગ્રહણને કારણે પ્રાત:આરતી જે સવારે ૭ વાગ્યે થાય છે તે અને મધ્યા«ન આરતી જે બપોરે૧૨ વાગ્યે થાય છે, તે બંધ રહેશે અને કોઇ પૂજા વિધિ થઇ શકશે નહીં. સાંજે ૪ વાગ્યે મંદિરનું શુદ્ધિકરણ કરાશે અને ભગવાનને વિશિષ્ટ પૂજન-અર્ચન કરવામાં આવશે અને સાંજે ૭ વાગ્યે આરતી થશે, એમ સોમનાથ ટ્રસ્ટના ડેપ્યુટી મેનેજર વજિયસિંહ ચાવડાએ જણાવ્યું હતું.

શહેરના કુળદેવી ગણાતા ભદ્રકાળી માતાજીનું મંદિર ખાતે દર્શનનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગે ભદ્રકાળી માતાજી મંદિરના ટ્રસ્ટી શશીકાંત તિવારીએ જણાવ્યું કે કંકણાકૃતિ સૂર્યગ્રહણને સવારે ૭ વાગ્યે આરતી થયા બાદ સવારે ૮ વાગ્યાથી મંદિર બંધ રહેશે અને ગ્રહણ મોક્ષ થયા બાદ માતાજીને વિશિષ્ટ પૂજન-વિધિ બાદ સાંજે ૫ વાગ્યા પછી મંદિર ખુલશે અને ત્યારબાદ રાબેતા મુજબ રાત્રિ સુધી દર્શન થશે.

સ્વામિનારાયણ મંદિર-રામબાગ-કાંકરિયા ખાતે સૂર્યગ્રહણને કારણે તા.૧૫મીએ ગ્રહણ સ્પર્શથી મોક્ષ દરમિયાન સામુહિક ધૂન-ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. જયારે સ્વામિનારાયણ મંદિર-કુમકુમ-મણિનગર ખાતે સૂર્યગ્રહણ નિમિત્તે તા.૧૫મીએ સમયમાં ફેરફાર કરાયો છે. સવારે ૯ વાગ્યે દર્શન બંધ થશે. જે સામાન્ય રીતે ૧૨ ખુલ્લુ રહેતુ હોય છે પરંતુ ગ્રહણને કારણે બંધ રહેશે અને સાંજે ૫ વાગ્યે મંદિર ખુલશે. જયારે વ્રજધામ-સેટેલાઇટ ખાતે વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમારજી મહારાજ, વૈષ્ણવાચાર્ય યદુનાથજી મહારાજની નશિ્રામાં ગ્રહણ સમયે ભગવદ્ નામ સંકીર્તન અને જાપ કરવામાં આવશે અને મોટી સંખ્યામાં વૈષ્ણવો પણ ઉપસ્થિત રહી દર્શન-જાપનો લાભ લેશે.

ગૃહમંત્રીના રાજીનામાનો પ્રશ્ન નથી : રાજ્ય સરકાર સોરાબુદ્દીન કેસમાં તપાસ એજન્સી બદલાઇ છે,ન્યાયિક પ્રક્રિયાનો ભાગ છે:જયનારાયણ વ્યાસ

ગુજરાતની એજન્સીઓમાં રાજય સરકારને વિશ્વાસ હોવાથી સોરાબુદ્દીન પ્રકરણની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી ન હતી તેવા પ્રત્યાધાત આપી સરકારના પ્રવકતા મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે દેશની સર્વોચ્ચ અદાલતે આપેલા આદેશનું પાલન કરાશે. આ કેસમાં ન્યાય આવવાનો બાકી છે, સીબીઆઇને તપાસ સોંપવાનો હુકમ એ ન્યાયીક પ્રક્રિયાનો ભાગ છે તેથી વિપક્ષે હરખાવાની જરૂર નથી.

સોરાબુદ્દીન કેસની તપાસમાં સુપ્રિમ કોટેં આપેલા જજમેન્ટનો ગુજરાત સરકાર અભ્યાસ કરશે. વિપક્ષના નેતાઓ રાજયકક્ષાના ગૃહમંત્રીનું રાજીનામું માગે છે તે અકલ્પનિય બાબત છે. વ્યાસે કહ્યું કે રાજય સરકારે પ્રથમ તો તેની પોતાની તપાસ એજન્સીઓ ઉપર વિશ્વાસ મૂકવો જોઇએ. જો આ તપાસ પહેલેથી સીબીઆઇને સુપરત કરવામાં આવે તો સ્થાનિક
એજન્સીઓના મોરલ ઉપર અસર થાય.

વપિક્ષને તો તેના પડછાયામાં ભૂત દેખાય છે તેવો શબ્દપ્રયોગ કરી પ્રવકતા મંત્રીએ જણાવ્યું હતું કે કોઇના રાજીનામાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કાર્યદક્ષ એજન્સીઓ ઉપર સરકારને ટ્રસ્ટ છે પણ કોઇ પક્ષકારને એવું લાગે તો તે વાંધો ઉઠાવી શકે છે. રાજય સરકારે આ કેસમાં કંઇ છુપાવ્યું નથી કે છુપાવવા માગતી નથી. ન્યાયની પ્રક્રિયામાં બીજી એજન્સીને તપાસનું કામ સોંપવાથી સરકાર ઉપર દોષારોપણ થઇ શકે નહીં.

મહારાષ્ટ્ર કોઇની ખાનગી મિલકત નથી : પ્રિયા દત્ત

મનસેનો આડકતરો ઉલ્લેખ કરતાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટિના જનરલ સેક્રેટરી અને સાંસદ પ્રિયા દત્તે આજે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર કોઇની ખાનગી મિલકત નથી અને દેશના કોઇપણ રાજ્યના લોકોને ત્યાં વસવાનો, કામ કરવાનો અને રોકાવાનો બંધારણીય હક્ક છે.


બિહારમાં બેગુસરાઇ અને ખગારી લોકસભા બેઠકો યુથ કોંગ્રેસ દ્વારા મેમ્બર બનાવવાની પ્રક્રિયાને ખુલ્લી મુકતા પ્રિયા દત્તે જણાવ્યું હતું કે,"મહારાષ્ટ્ર કોઇની ખાનગી મિલકત નથી અને લોકોને ત્યાં રહેવાનો બંધારણીય અધિકાર છે."


જોકે, દત્તે આ પ્રસંગે અવારનવાર એન્ટી બિહારી નિવેદનો કરતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અથવા તેના સુપ્રીમો બાલ ઠાકરેનું પ્રત્યક્ષ રીતે નામ નહોતું લીધું.


કોંગ્રેસ જ્યારે સત્તા પર આવે ત્યારે ભાવ વધે છે તેવી બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારની કોમેન્ટનો જવાબ આપતા દત્તે જણાવ્યું હતું કે ભાવવધારો ખેડુતોને આપવામાં આવતી સબસીડીને આભારી છે. ખેડુતોને આપવામાં આવેલી વધારાની સબસીડીને લીધે ભાવવધારો થયો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

હમ દીલ દેને કો ભી તૈયાર: મોદી - નિફ્ટના સમારોહમાં નરેન્દ્ર મોદી ખીલી ઉઠ્યા - કામ કરને મે જમીન કયા ચીજ હૈ, હમ તો દિલ ભી દેને કો તૈયાર હૈ

ગુજરાતના મુખ્યમંત્રીએ હિન્દી ભાષામાં તેમના અલગ અંદાજથી નિફ્ટ સંસ્થાના સ્ટુડન્ટ્સને ખુશખુશાલ કરી દીધા હતા. અડવાણી અને કેન્દ્રીય મંત્રી મારનની ઉપસ્થિતિમાં તેમણે કહ્યું હતું કે ગુજરાત એક એવો પ્રદેશ છે કે જયાં વર્ષે સાત ટન ગોલ્ડ ઉત્પાદન થાય છે. વિશ્વમાં પહોંચતા ૧૦ ડાયમન્ડ પૈકી નવ ઉપર એક ગુજરાતીનો હાથ ફરેલો છે. ચાહે તે ડાયમન્ડ રાજા-મહારાજાએ પહેર્યો હોય કે કોઇ હિરોઇને...!!

નિફ્ટ સંસ્થાએ તેના નવા પ્રોજેકટો માટે વધારે ૧૦ એકર જમીનની માગણી કરી હતી તેનો પ્રવચનમાં જવાબ આપતાં મોદીએ કહ્યું હતું કે ડિઝાઇનમેં કામ કરનેવાલે મેરે મિત્રો કો મેં કહેના ચાહતા હું કી જમીન કયા ચીજ હૈ, હમ તો દિલ ભી દેને કો તૈયાર હૈ...!! તેમનો સંદર્ભ વધારે જમીન આપવાનો હતો.

નિફ્ટને ગાંધીનગરમાં મફતમાં અબજો-ખરબોની જમીન આપી છે. વધારાની માગણી આવી તે જમીન પણ અપાશે. તમે યોજના લાવો હું તમામ મદદ કરીશ. હું અહીં જોઉં છું કે નિફ્ટના સ્ટુડન્ટ્સના બેસવાના, ફરવાના અને ઉઠવાના ઢંગ અલગ છે. નિફ્ટ અને એનઆઇડી એવી સંસ્થાઓ છે કે જેમની એક અલગ પહેચાન છે. કપડાં પહેરવાની પદ્ધતિ પણ જુદી છે છતાં મારા આદિવાસી સમાજની બહેનોને નિફ્ટમાં કામ કરવાની તક મળી છે તે કલ્પના પણ કરી ન શકાય તેવી બાબત છે.

ફેશનમાં ભારત વિશ્વ-લીડર : નિફ્ટના ડેવલપમેન્ટ માટે જમીનની માગણી કરતા કેન્દ્રીય મંત્રી મારન: પ્રાચીન સાથે આધુનિકનો મેળ કરવો જોઇએ: મુખ્ય મંત્રી

ફેશન ડિઝાઇનમાં ભારત સમગ્ર વિશ્વમાં લીડર બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી કેન્દ્રીય કાપડ મંત્રી દયાનિધી મારને કહ્યું હતું કે હાલ ૧૩ કેન્દ્રોમાં ફેલાયેલી નિફ્ટની શાખાઓનો વિસ્તાર કરવાનું આયોજન છે અને વધુને વધુ રાજયોમાં શાખાઓ ઉભી કરવાની મંજુરી આપવામાં આવી રહી છે. નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી (નિફ્ટ)ના ગાંધીનગર સંકુલમાં નવ નિર્મિત કન્યા છાત્રાલય, ઓડિટોરિયમ તેમજ અતિથિ ગૃહના ઉદ્દધાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે રાજસ્થાનના જોધપુર, બિહારના પટના, ઓરિસ્સાના ભૂવનેશ્વર, પંજાબના મોહાલી અને તામિલનાડુના કોઇમ્બતૂરમાં નિફ્ટની પાંચ શાખાઓ ખોલવા નું આયોજન છે. મારને ગુજરાત સરકારની વિકાસ યોજનાઓ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કયૉ હતા. ભાજપના વરિષ્ઠ નેતા અને ગાંધીનગરના સાંસદ લાલ કૃષ્ણ અડવાણીએ કહ્યું કે સમગ્ર દેશમાં નિફ્ટનું એકમાત્ર ગાંધીનગરનું સેન્ટર એવું છે કે જયાં જવેલરી ડિઝાઇનનું કામ થાય છે. મને જાન્યુઆરી મહિનામાં ગાંધીનગર આવવાનો બે વખત મોકો મળ્યો છે. ૧લી જાન્યુઆરીએ ગુજરાતના સ્વર્ણિમ જયંતિ મહોત્સવમાં હું આવ્યો હતો અને આજે ૧૨મી તારીખે સ્વામી વિવેકાનંદના જન્મદિને સહભાગી થયો છું. ગુજરાત એ દેશમાં ઝડપથી વિકસતું રાજય છે. દેશના રાજકારણમાં નરેન્દ્ર મોદી રોલ મોડલ તરીકે ઉભરી રહ્યાં છે ત્યારે નિફ્ટનું ગાંધીનગર સેન્ટર ભારતમાં રોલમોડલ બને તેવા મારા આશીવૉદ છે. નિફ્ટના નવા ઓડિટોરિયમમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના પ્રવચનમાં નિફ્ટના વિકાસ માટે વધારાની જમીન આપવાની દરખાસ્ત સ્વીકારી હતી અને કહ્યું હતું કે ગુજરાતમાં ડાયમન્ડ જવેલરીનું માર્કેટ ઉભું થઇ શકે તેવી સ્કીલ પડેલી છે. વિશ્વના બજારમાં ડિઝાઇનનું આઉટસોર્સિગ કરવાથી નવયુવાનોને વૈશ્વિક તકો મળશે. રાજયમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટામાં બહેનો પાસે અદ્દભૂત ક્ષમતા પડેલી છે. નિફ્ટમાં તેનો ઉપયોગ શરૂ થયો છે.
ફેશન ડિઝાઇન ક્ષેત્રમાં ચેલેન્જનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું હતું કે આપણે સદીઓથી ચાલતી આવતી પરંપરાગત જીવન વ્યવસ્થામાં કેવી રીતે બદલાવ લાવવો તેના માટે સંશોધનો કરવાની આવશ્યકતા છે. આઝાદી પહેલાં ખાદી ફોર નેશનનું સૂત્ર હતું પરંતું પોરબંદરમાં નિફ્ટના સ્ટુડન્ટ્સની પરેડ પછી મેં ખાદી ફોર ફેશનનું નવું સૂત્ર આપ્યું છે અને તેને આ વિધ્યાર્થીઓએ ઉજાગર કયું છે. મારી આ સંસ્થાના વિધ્યાર્થીઓને એટલી જ વિનંતી છે કે સ્થળ, કાળ અને સ્થિતિ જોઇને તેમની ચીજવસ્તુ બજાર મૂકે અને ફેશન ડિઝાઇનને વિશ્વમાં મશહૂર બનાવે. ગાંધીનગર સ્થિત નિફ્ટ સંસ્થામાં કન્યા છાત્રાલયને નર્મદા અને તાપી, ભોજનાલયને ફ્યુઅલ સ્ટેશન, ગેસ્ટ હાઉસને ગુલમહોર અને ઓડિટોરિયમને તાના-રીરી નામ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિફ્ટના ડાયરેકટર જનરલ રાજીવ ટકરૂ ઉપસ્થિત હતા.

12 January 2010

ભારત-શ્રીલંકા વચ્ચે ફાઈનલ

ત્રિકોણીય શ્રેણીમાં જીતની હેટ્રિક નોંધાવી ચૂકેલી ટીમ ઈન્ડિયા બુધવારના રોજ શ્રીલંકા સામે ફાઈનલ રમશે. આમાં ભારતીય ટીમ મનોવૈજ્ઞાનિક રીતે આગળ છે. તાજેતરમાં જ ભારતે શ્રીલંકાને ભારતમાં રમાયેલી શ્રેણીમાં હરાવ્યું હતું. હાલમાં ચાલી રહેલી શ્રેણીમાં પણ ભારતે શ્રીલંકાને મજબૂત લડત આપી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે છેલ્લી પાંચ શ્રેણીના પરિણામોમાં ભારતનું પલડું ભારે રહ્યું છે. આ પહેલા ગયા વર્ષે શ્રીલંકાની ધરતી પર રમાયેલી શ્રેણી સહિત ભારત શ્રીલંકા સામે સતત ચાર શ્રેણી જીતી ચૂક્યું છે.
ટોસની ભૂમિકા : આં મેચમાં ટોસની ભૂમિકા મહત્વની રહેશે. ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવા ઈચ્છશે કેમ કે બાદમાં ઝાકળના કારણે બોલિંગ ઘણી મુશ્કેલ સાબિત થશે.
સેહવાગનું પુનરાગમન નક્કી : આક્રમક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગના પુરાગમનથી ભારતીય બેટિંગ લાઈન વધારે મજબૂત થશે. ગૌતમ ગંભીર સાથે મળીને ઓપનિંગની શરૂઆત કરનાર દિનેશ કાર્તિકને ટીમની બહાર બેસવું પડશે.

11 January 2010

ચીને લદાખનો મોટો હિસ્સો કબજે કર્યો

વાસ્તવિક નિયંત્રણ રેખાથી ભારતની પીછેહઠ થઈ હોવાનું સત્તાવાર અહેવાલમાં સ્વીકારાયું

ચીને છેલ્લા બે દાયકા દરમિયાન વાસ્તવિક નિયંત્રણ રેખા સાથે જોડાયેલા લદાખના એક મોટા હિસ્સા પર કબજો જમાવી દીધો હોવાનું એક સત્તાવાર અહેવાલમાં જણાવાયું છે. જમ્મુ-કાશ્મીર સરકાર, ગૃહ મંત્રાલય અને લશ્કરના અધિકારીઓની ઉપસ્થિતિ વાળી એક બેઠક તાજેતરમાં લેહમાં મળી હતી. જેમાં કબૂલાત કરાઇ હતી કે વિવિધ એજન્સીઓ દ્વારા આ વિસ્તારના તૈયાર કરાયેલા નકશાઓમાં ભિન્નતા છે અને આ વિસ્તારના નકશાઓને યોગ્ય રીતે તૈયાર નથી કરાયા. આ બેઠકમાં એ સ્પષ્ટતા અને કબૂલાત થઇ હતી કે એલએસીમાંથી આપણે પાછા હટી રહ્યા છીએ, ઘણા લાંબા સમયથી આપણો વિસ્તાર સંકોચાઇ રહ્યો છે.