20 December 2009

ધોરાજીમાં હવેલીમાં ધક્કા-મુક્કીથી નવના મોત

ધોરાજીમાં હવેલીમાં ધક્કા-મુક્કીથી નવના મોત
ધોરાજી ખાતે ગોપાલ નાથજીની હવેલીમાં છપ્પન ભોગના દર્શન દરમિયાન નાસ ભાગ થતા આઠ મહિલા અને એક પુરુષના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા, અન્ય પાંચ મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ગોપાલ નાથજી હવેલી ખાતે સાંજે સાત વાગ્યે છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું તેના દર્શન કરવા માટે ભક્તોનું ટોળું દરવાજા પાસે ઉભું હતું ત્યારે હવેલીનો દરવાજો અચાનક ખોલી નાંખવામાં આવતા નાસ ભાગ થઈ હતી. જેમાં આઠ મહિલા અને એક પુરુષના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે અન્ય પાંચની હાલત ગંભીર થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા છે. સરકારે ઘટનાની મેજેસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે.

No comments:

Post a Comment