15 December 2009

બિહારના એક ગામમાં મુસ્લિમોએ હિન્દુ મંદિર બનાવ્યું

બિહારના એક ગામમાં મુસ્લિમોએ હિન્દુ મંદિર બનાવ્યું
અયોધ્યા રામ મંદિર વિવાદનો કોઈ ઉકેલ મળતો નથી પરંતુ બિહારના એક નાના ગામે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બિહારના કદારાબાદ ગામમાં મુસ્લિમોએ હિંદુ મંદિર બનાવ્યું છે. ત્રણ વર્ષ અગાઉ આ જ ગામના હિંદુઓએ મુસ્લિમ સંતની કબર બાંધી હતી. મોહમ્મદ ફખરૂલા ઈસ્લામે બેગુસારાઈથી 125 કિમી દૂર કદારાબાદ ગામમાં 2700 સ્કેવેર ફૂટ જમીન દાનમાં આપી છે. આ જમીન પર હિંદુ મંદિર બાંધવામાં આવ્યુ છે. મહોમ્મદ હસરત અને મોહમ્મદ વાસી સહિત અનેક મુસ્લિમ લોકોએ મંદિર બાંધવાનું નક્કી કર્યુ હતું. હસરતે કહ્યું હતું કે, મુસ્લિમે ભગવાન શિવના મંદિરની પ્રતિષ્ઠા કરી છે, વાસીએ જણાવ્યું હતું કે, અમે મંદિર બાંધીને કોમી એકતાનો સંદેશો આપવા માંગીએ છીએ. પોલીસના જણાવ્યા પ્રમાણે કેટલાંક મુસ્લિમોએ મંદિર બાંધવાનો વિરોધ કર્યો હતો પરંતુ બાકીના લોકો મંદિર બાંધવા મક્કમ હતા

No comments:

Post a Comment