24 June 2010

‘બેસ્ટ ઓફ ફાઈવ’ પદ્ધતિ હાઈ કોર્ટે ફગાવી: વિદ્યાર્થીઓ વિમાસણમાં



બેસ્ટ ઓફ ફાઈવપદ્ધતિ હાઈ કોર્ટે ફગાવી: વિદ્યાર્થીઓ વિમાસણમાં

મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક શિક્ષણ મંડળ (સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ)ની સર્વોત્તમ પાંચ (બેસ્ટ ઓફ ફાઈવ) ફોમ્યુંલા બુધવારે મુંબઈ વડી અદાલતે રદબાતલ કરી હતી. આ સંદર્ભમાં રાજ્ય સરકારે બહાર પાડેલો આદેશ રદ કરવાનો હુકમ અદાલતે કર્યો હતો. હંગામી મુખ્ય ન્યાયમૂર્તિ જયનારાયણ પટેલ અને ન્યા. સત્યરંજન ધમૉધિકારીની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો.

દરમિયાન રાજ્યના શાળા શિક્ષણ ખાતાના પ્રધાન બાળાસાહેબ થોરાતે વડી અદાલતના ચુકાદાનો અભ્યાસ કરીને બે દિવસોમાં આગામી નિર્ણય લેવાની જાહેરાત કરતાં એટલો વખત પ્રવેશ પ્રક્રિયા રોકવામાં આવનાર હોવાનું સ્પષ્ટ કર્યું હતું.

બેસ્ટ ઓફ ફાઈવ ફોમ્યુંલાના વિરોધમાં આઈસીએસઈ બોર્ડના ૨૧ વિદ્યાર્થીઓના વાલીઓએ વડી અદાલતમાં અરજી કરી હતી. એ વાલીઓને તેમના બાળકોને (સંબધિત બોર્ડસને) પણ બેસ્ટ ઓફ ફાઈવલાગુ કરવાની માગણી કરી હતી. અરજી દાખલ કર્યા પછી અદાલતે અગિયારમા ધોરણમાં પ્રવેશને હંગામી ધોરણે સ્થગિત કર્યો હતો. મંગળવારે આ બાબતની દલીલો પૂર્ણ થતાં ન્યાયમૂર્તિઓએ ચુકાદો જાહેર કર્યો હતો. એ દરમિયાન તેમણે આઈસીએસઈ અને સીબીએસઈ બોર્ડના છાત્રોના વાલીઓને ઠપકો આપ્યો હતો. આ પ્રશ્નમાં કોઈપણ વિદ્યાર્થીનાં હિતોને આંચ આવે એવું લાગતું નથી,’ એવું નિરીક્ષણ પણ અદાલતે નોંધ્યું હતું. ત્યાર પછી ખંડપીઠે બુધવારે બેસ્ટ ઓફ ફાઈવપદ્ધતિ રદ કરવાનો હુકમ કર્યો હતો.

વિમાસવિદ્યાર્થીઓણમાં

છેલ્લાં કેટલાંક વર્ષોમાં આઈસીએસઈ, સીબીએસઈ અને એસએસસી બોર્ડસના વિદ્યાર્થીઓને સમાન ધોરણે લાવવાના ઉદ્દેશથી શરૂ કરાયેલી પદ્ધતિઓમાં પર્સેન્ટાઇલ ફલોપ ગઈ, ૯૦:૧૦ કવોટા કચરા ટોપલીમાં ફેંકાઈ અને હવે બેસ્ટ ઓફ ફાઈવનાપાસ થઈ છે. બેસ્ટ ઓફ ફાઈવના સરકારી જીઆરને પણ ન્યાયતંત્રે બિનઅમલી બનાવતાં આ મુદ્દે સરકાર ઊંધે માથે પટકાઈ છે.

તેથી ૧૧મા ધોરણમાં ઊંચા શિકર સર કર્યાના ઝંડા રોપનારા વિદ્યાર્થીઓ વિમાસણમાં પડ્યા છે. રાજ્ય સરકારના શાળા શિક્ષણ વિભાગે ૨૫ ફેબ્રુઆરી, ૨૦૧૦ના રોજ બેસ્ટ ઓફ ફાઈવનો જીઆર બહાર પાડ્યો હતો. પરંતુ આઈસીએસઈ અને સીબીએસઈ બોર્ડસના વિદ્યાર્થીઓના વાલીઓએ પર્સેન્ટાઇલ અને ૯૦:૧૦ કવોટાની માફક આ વિકલ્પને પણ વડી અદાલતમાં પડકાર્યો હતો. તેની અદાલતી લડાઈમાં રાજ્ય સરકાર ફરી પરાજિત થઈ હતી.

રાજકીય પક્ષોની ઉગ્ર પ્રતિક્રિયાઓ

દરમિયાન આ વિવાદાસ્પદ પદ્ધતિ અંગે સરકાર વિરુદ્ધ ચુકાદો આવતાં કોંગ્રેસ અને એનસીપી બચાવની ભૂમિકામાં આવી ગયા છે અને વિરોધ પક્ષો ટીકા કરવા ખડે પગે તૈયાર થઈ ગયા છે. આ રીતે વારંવાર નવી નવી પદ્ધતિઓની અજમાયશથી વિદ્યાર્થીઓ અને વાલીઓ ગૂંચવણમાં મુકાતા હોવાનું જણાવતાં તાજેતરની ગૂંચવણનો અંત આણવા પોતે મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણને મળવા જનાર હોવાનું મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરેએ જણાવ્યું હતું.

*PMOએ અખબાર પાછળ 12 લાખ ખર્ચ્યા

પ્રધાનમંત્રી કાર્યાલયે પોતાના અધિકારીઓ માટે આવનાર અખબાર અને સામયિકો પર વર્ષ 2009થી 2010 દરમિયાન લગભગ 12 લાખ રૂપિયા ખર્ચ્યા છે. માહિતી અધિકારના કાયદા હેઠળ અફરોઝ આલમ સાહિલ નામના એક કાર્યકર્તા તરફથી કરવામાં આવેલી અરજીના જવાબમાં આ ખુલાસો કરવામાં આવ્યો હતો.

પીએમઓએ જણાવ્યું છે કે આ હિન્દી અને અંગ્રેજી સહીત વિભિન્ન ભાષાઓના 43 અખબાર અને 45 સામયિકો સબ્સ્ક્રાઈબ કરે છે. કાર્યકર્તાએ પૂછેલા સવાલોના જવાબમાં પીએમઓમાંથી આ જવાબ મળ્યા હતાં.

વાર્ષિક ખર્ચના જવાબમાં પીએમઓએ જણાવ્યું હતું કે અખબાર અને સામયિકો સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીથી ખરીદવામાં આવે છે, જેના માટે વર્ષ 2009-10 દરમિયાન 1.19 મિલિયન રૂપિયા આપવામાં આવ્યા હતાં.

પીએમઓએ જણાવ્યું કે વર્ષ 2005થી 06માં તેણે 908,735 રૂપિયા, 2006-07માં 1.01 મિલિયન રૂપિયા, 2007-08માં 1.03 મિલિયન રૂપિયા અને 2008-09માં 1.20 મિલિયન રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતાં.

*ટોપટેનમાં ઝી ટીવીના પાંચ શો

વર્ષનાં 24 અઠવાડિયામાં હીન્દીના મનોરંજન ટીવી ચેનલોમાં સ્ટાર પ્લસ નંબર વન રહ્યુ છે. ત્યારબાદ કલર્સ અને જી ટીવીનું સ્થાન આવે છે. પરંતુ ઝી ટીવીનો "પવિત્ર રિશ્તા" નો આ વખતના શો ને સૌથી વધુ લોકોએ જોયો. આ સીરિયલની ટીવી રેટીંગ સૌથી વધુ રહી હતી.

સૌથી વધુ જોવાયેલા ટીવી શોમાં કલર્સ ચેનલ પર દર્શાવાતી સીરિયલ "ઉતરન" (ટીવી આર 5.4)આ હપ્તે ચોથા સ્થાન પર રહી. સ્ટાર પ્લસ પર દર્શાવાતી સીરિયલ "પ્રતિજ્ઞા" આ આવૃતીમાં ત્રીજા સ્થાન પર રહી.અને આની ટીવી રેટીંગ 5.3 રહી.

"બાલીકા વધૂ" અને "ના આના ઇસ દેસ લાડો" ની ટીવી રેટીંગ ક્રમશઃ 4.9 અને 4.8 રહી છે. અને આ બન્ને શો વર્ષના 24માં હપ્તે ચોથા અને પાંચમાં સ્થાન ઉપર રહી. ટોચના દશ કાર્યક્રમોમાં સામેલ અન્ય શો, "અગલે જનમ મોહે બીટીયા કિજો", "ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર", "ઝાંસી કી રાની", "યે રિશ્તા ક્યાં કહેલાતા હે", અને "યહા મૈં ઘર ઘર ખેલી" રહ્યાં હતાં. આ રીતે 24માં હપ્તામાં પહેલા દસ કાર્યક્રમોમાં ઝી ના પાંચ શો સામેલ રહ્યાં છે.

* લાલુ સવર્ણ જાતિઓને પટાવવાની કોશિશમાં

હંમેશા પછાત જાતિઓ જાતિઓની રાજનીતિ કરનારા રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ હવે અગડી જાતિને લુભાવવામાં લાગી ગયા છે. ફરીથી બિહારમાં સત્તાનો ભોગવટો કરવા મળે તે માટે લાલુ પ્રસાદ યાદવ આમ કરવા માટે મજબૂર છે.

લાલુએ કહ્યું હતું કે તેમની પાર્ટી ક્યારેય અગડી જાતિઓ એટલે કે સવર્ણોની વિરુદ્ધ રહી નથી. લાલુએ કહ્યું હતું કે તેમની પાર્ટી દલિત, મુસ્લિમ વર્ગની સાથે સાથે અગડી જાતિના વિકાસ માટે કામ કરવા માંગે છે. ઉલ્લેખનીય છે કે લાલુ અત્યાર સુધી ઓબીસી, દલિત અને મુસ્લિમ વર્ગોને લોભાવવા માટે સવર્ણ જાતિઓનો વિરોધ કરતા રહ્યાં છે. બિહારમાં નવેમ્બર આસપાસ ચૂંટણી થવાની સંભાવના છે.

આ વર્ષના અંત સુધી થનારી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ રામ વિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી સાથે તાલમેલ કરે તેવી સંભાવના છે. પરંતુ કોંગ્રેસ સાથે ચૂંટણી પહેલા ગઠબંધનના કોઈ સંકેતો નજરે પડી રહ્યાં નથી. કોંગ્રેસ આ વખતે બિહાર વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડવાના મૂડમાં છે. ભાજપ અને જનતાદળ-યૂનાઈટેડને પોતાના મુખ્ય પ્રતિદ્વંદ્વી માનીને લાલુ પ્રસાદ યાદવે ઓબીસી વાળી પરંપરાગત વોટબેંકથી આગળ જવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે 10 વર્ષ પહેલા બેગૂસરાયમાં પોતાના ભાષણમાં તેમણે અગડી જાતિઓ માટે કંઈક એવું કહ્યું હતું કે જેનાથી તેઓ માત્ર ભડક્યા ન હતા, પણ લાલુને બિહારની સત્તામાંથી દૂર પણ ક્રયા હતા. હવે લાલુ કહે છે કે તેમની વાતોને વિક્ષિપ્ત કરીને રજૂ કરવામાં આવી હતી. તેમના તે કથિત ભાષણમાં પછાત અને દલિત વર્ગના લોકોને ચાર સવર્ણ જાતિઓ બ્રાહ્મણ, ભૂમિહાર, રાજપૂત અને કાયસ્થ વિરુદ્ધ ભડકાવામાં આવ્યા હતા.

*૨૬ જુલાઇથી ૨૭ ઓગસ્ટ સંસદનુ વષૉસત્ર

સંસદનુ વષૉ સત્ર ૨૬ જુલાઇથી ૨૭ ઓગસ્ટ સુધી યોજાવાનો સંભવ છે. સંસદીય વર્તુળોએ કહ્યુ હતુ કે એક મહિના લાંબુ ચાલનાર આ સત્ર અંગે સંસદની કેબિનેટ સમિતિની બેઠકમાં તારીખો ટૂંક સમયમાં નકકી થવાની ધારણા છે.

સત્ર યુનિયન કાબૉઇડના વડા વોરેન એન્ડરસનને સલામત જવા દેવાયા સહિતના અનેક મુદે તોફાની બનવાના બધા સંકેતો છે. ભાજપે એન્ડરસનને ભારત લાવવાની માંગણી અને ભોપાલ ગેસ દુર્ઘટનાનો ભોગ બનેલાનુ વળતર વધારવા લોકસભામાં સભા મોકુફી પ્રસ્તાવ લાવવાનો નિર્ણય પણ કરેલો છે.

લોકસભાના વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે કહ્યુ છે કે સત્રના આરંભના દિવસે ભોગ બનેલાને વળતર આપવા માટેની ૧૯૮૯ની સમજૂતી રદ કરવાની ખટલો ચલાવવા એન્ડરસનને ભારત લાવવા અને મૃતકોના છેલ્લા આંકડા પ્રમાણે વળતર વધારવાની માંગણી કરવા લોકસભાના ૧૮૪ (મતદાન લેવુ) નિયમ હેઠળ ભાજપ પ્રસ્તાવ રજૂ કરશે.

વિપક્ષ દ્વારા જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી ભાવ વધારો અને ઓનર કિલિંગ જેવા બીજા અનેક મુદ્દાઓ ઉપસ્થિત કરાય એવી શક્યતા છે. સરકારની ઓનર કિલિંગ માટે આકરી શિક્ષા કરતુ બિલ રજૂ કરવાની યોજના છે. સત્ર દરમિયાન હાલમાં સંસદની સ્થાયી સમિતિ સમક્ષ પડેલ વિવાદાસ્પદ ન્યુકિલયર લાયાબિલીટી બિલ ચર્ચા અને મતદાન માટે રજૂ થાય એવો સંભવ છે.

* સાંસદોના પગાર વધીને બમણા થશે

જે ૧ હજારમાંથી વધીને ૨૦૦૦ થશે તેનો પણ લાભ મળશે. કાર્યાલય ખર્ચ પણ વધીને પ્રતિમાસ રૂ. ૩૪૦૦૦ થશે. જેમાં રૂ. ૨૦ હજારનો તોતિંગ વધારો થશે. કોન્સ્ટીટુઅન્સી એલાઉન્સ પણ બમણું થઈને દરેક સાંસદને રૂ. ૪૦ હજાર લેખે મળશે.

દરેક સાંસદને વર્ષે ઓછામાં ઓછી મફત પ૦ ફ્લાઈટો જોઈતી હતી પરંતુ સરકારે તે નકારી કાઢયું હતું. હાલ તેમને વર્ષે મળતી ૩૪ મફત હવાઈ મુસાફરીથી જ સંતોષ માનવો પડશે. પરંતુ તેઓ જો ટ્રેન મારફતે મુસાફરી કરે તો ફર્સ્ટ કલાસ એસી યાત્રાની દરેક વખતે તેમને સુવિધા મળશે.

દિલ્હીમાં આ સુવિધાઓમાં વિશેષ ઉમેરો એ છે કે તેમને પાણી અને વીજળી મફત અપાય છે પરંતુ સરકારે મફત ટેલિફોન કોલની સંખ્યા વધારવાનો ઇન્કાર કરી દીધો હતો. આ સુવિધા વાર્ષિક ૧,પ૦,૦૦૦ કોલ પૂરતી મર્યાદિત છે.

સાંસદોના પેન્શનમાં પણ વધારો

એક વખત સરકાર દ્વારા આ દરખાસ્તને મંજૂરી અપાય ત્યારબાદ પેન્શનમાં પણ જંગી વધારો થશે.

સાંસદોને શું મળશે

પગાર + રૂ. ૨૦૦૦ (ડેઈલી એલાઉન્સ)+૩૪ મફત હવાઈ મુસાફરી+રૂ.૪૦,૦૦૦ કાર્યાલય ખર્ચ+રૂ. ૪૦ હજાર (કન્સિટ્યુઅન્સી એલાઉન્સ)+૧.પ લાખ મફત ટેલિફોન કોલ+ મફત ફર્સ્ટ કલાસ એસી રેલવે મુસાફરી.

શું મળતું હતું

રૂ. ૧૬૦૦૦ પગાર+રૂ. ૧૦૦૦ ડેઈલી એલાઉન્સ+૩૪ મફત વિમાની મુસાફરી+રૂ. ૨૦ હજાર (કાર્યાલય ખર્ચ)+ રૂ.૨૦૦૦૦ (કન્સ્ટીટ્યુઅન્સી એલાઉન્સ)+ ૧.પ લાખ મફત ટેલિફોન કોલ્સ+ દિલ્હીમાં રહેવાનું અને પાણી વીજળી મફત.

*ગુજરાતીઓ અટવાયા

* ગુજરાતીઓ અટવાયા

* ઇરાન વિરોધી ભારતીય વલણ પ્રશંસનીયઃUS

* 'BCCI એશિયનમાં ક્રિકેટ ટીમ મોકલે'

* સ્પાઇસ જેટના બંધ એ.સી.થી મુસાફરો ગૂંગળાયા

* શું માય નેમ ઈઝ ખાન’ ‘સ્લમડોગને પછાડશે?

બુધવારે વર્જિન એટલાન્ટિક એરવેઝની લંડનથી નેવાર્કની ફ્લાઈટમાં ગુજરાતીઓ સહિતના પ્રવાસીઓ ભારે પરેશાન થઈ ગયા હતા. ખરાબ વાતાવરણને કારણે ફ્લાઈટ કનેક્ટિકટ પહોંચ્યા બાદ તો ખોરવાઈ જ ગઈ હતી, જેને કારણે પ્રવાસીઓને ત્યાં ચાર કલાક ત્યાં પ્લેનમાં જ બેસી સહેવું પડ્યું હતું. અંતે બસ મારફતે તેઓ નેવાર્ક પહોંચ્યા હતા.

*9/11ના સ્થળેથી હજુ પણ મૃતદેહો મળે છે

9/11ની ઘટનાને નવ વર્ષ જેટલો લાંબો સમય વિતી ગયો હોવા છતાં પણ તેના કાટમાળમાંથી મૃતદેહો મળી રહ્યા છે. તાજેતરમાં જ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના કાટમાળમાંથી 72 જેટલા મૃતદેહો મળી આવ્યાં હતા.

આ મૃતદેહોમાં મોટા ભાગના મૃતદેહો વેસ્ટ સ્ટ્રીટ તરફના ગ્રાઉન્ડ ઝીરો ખાતેથી મળી આવ્યાં હતા. લગભગ 37 જેટલા મૃતદેહો આ સ્થળે કાટમાળમાં દટાયેલા પડ્યાં હતા.

ઉપરાંત આ સ્થળ અન્ય કારણોથી પણ વિવાદમાં ઘેરાયેલુ છે. મે મહિનામાં ન્યૂયોર્ક શહેરની કોમ્યુનિટી બોર્ડે આ ગ્રાઉન્ડ ઝીરો ઘટના સ્થળની નજીક એક મસ્જીદ અને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવા માટેની તરફેણ કરી હતી. આ મસ્જીદ 13 માળની હશે જેમાં મુસ્લિમ કોમ્યુનિટી સેન્ટર, સ્વિમિંગ પુલ, થિયેટર અને રમત-ગમતની સુવિધા ઉપલબ્ધ હશે.

જો કે કન્ઝરવેટિવ કાર્યકર્તાઓએ અને દુર્ઘટનનો ભોગ બનેલા લોકોના પરિવારજનોએ ગ્રાઉન્ડ ઝીરો પાસે મસ્જીદ બાંધવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.

* 9/11ના સ્થળેથી હજુ પણ મૃતદેહો મળે છે

9/11ની ઘટનાને નવ વર્ષ જેટલો લાંબો સમય વિતી ગયો હોવા છતાં પણ તેના કાટમાળમાંથી મૃતદેહો મળી રહ્યા છે. તાજેતરમાં જ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના કાટમાળમાંથી 72 જેટલા મૃતદેહો મળી આવ્યાં હતા.

આ મૃતદેહોમાં મોટા ભાગના મૃતદેહો વેસ્ટ સ્ટ્રીટ તરફના ગ્રાઉન્ડ ઝીરો ખાતેથી મળી આવ્યાં હતા. લગભગ 37 જેટલા મૃતદેહો આ સ્થળે કાટમાળમાં દટાયેલા પડ્યાં હતા.

ઉપરાંત આ સ્થળ અન્ય કારણોથી પણ વિવાદમાં ઘેરાયેલુ છે. મે મહિનામાં ન્યૂયોર્ક શહેરની કોમ્યુનિટી બોર્ડે આ ગ્રાઉન્ડ ઝીરો ઘટના સ્થળની નજીક એક મસ્જીદ અને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવા માટેની તરફેણ કરી હતી. આ મસ્જીદ 13 માળની હશે જેમાં મુસ્લિમ કોમ્યુનિટી સેન્ટર, સ્વિમિંગ પુલ, થિયેટર અને રમત-ગમતની સુવિધા ઉપલબ્ધ હશે.

જો કે કન્ઝરવેટિવ કાર્યકર્તાઓએ અને દુર્ઘટનનો ભોગ બનેલા લોકોના પરિવારજનોએ ગ્રાઉન્ડ ઝીરો પાસે મસ્જીદ બાંધવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.

*અભિનો એશ સાથેનો સૌથી કડવો પ્રસંગ!

અભિષેક બચ્ચન પોતાની પત્ની એશને કેન્ડલ લાઈટ ડિનર માટે લઈ ગયો હતો પરંતુ આ ડિનર અભિ માટે સૌથી મુશ્કેલીરૂપ રહ્યું હતું. અભિને જીવનનો સૌથી કડવો અનુભવ કેન્ડલ લાઈટ ડિનર વખતે થયો હતો.

આ અંગે અભિષેકે કહ્યું હતું કે, એક વખત એશે અભિને દરિયાની નજીક કેન્ડલ લાઈટ ડિનર લેવાનું કહ્યું હતું. પરંતુ આ ઘટના તેના માટે દુખદાયક બની ગઈ હતી.

અભિએ કહ્યું હતું કે, ફિલ્મોમાં દરિયા વચ્ચે કેન્ડલ લાઈટ ડિનર રોમેન્ટિક લાગે છે પરંતુ વાસ્તવિક જીવનમાં દરિયા આગળ કેન્ડલ લાઈટ ડિનર ઘણું જ ખરાબ હોય છે. દરિયા પાસે પવન આવતો રહેતો હોવાને કારણે કેન્ડલ બુઝાઈ જતી હતી.

દરિયા આગળ ઘણી જ રેતી ઉડતી હોવાથી અભિ અને એશના કપડાં રેતીવાળા થઈ ગયા હતા. આટલું જ નહિ તેઓના જમવામાં પણ રેતી હતી.

આ બાબતથી દુખી અભિએ ક્યારેય એશને દરિયા આગળ કેન્ડલ લાઈટ ડિનર લેવાની ના પાડી દીધી હતી.

હજી સુધી અભિને રોમેન્ટિક કેન્ડલ લાઈટ ડિનરનો કોન્સેપ્ટ સમજાયો નથી. તેના માટે ડેટ પર ડિનરમાં જવું તે બાબત ઘણી જ ખરાબ છે. તેના મતે ડિનર પર પ્રેમિકા ક્યારેય ખુશ થશે નહિ.

* કેટની ડોક મચકોડાઈ ગઈ!

વરસાદને કારણે કેટરિનાની પાર્ટીનું આયોજન કરી શકી નથી. હવે, ઝોયા અખ્તરની ફિલ્મ જિંદગી મિલેંગીની દોબારાના શુટિંગ દરમિયાન કેટરિનાની ડોક મચકોડાઈ ગઈ છે.

સોમવાર સવારે કેટબેબી જીમમાં હતી અને તે દરમિયાન તેની ડોક મચકોડાઈ ગઈ હતી. ત્યારબાદ તેને ઘણો જ દુખાવો થયો હતો.

કેટે આ અંગે કહ્યું હતું કે, તેને ખ્યાલ નથી કે તેની સાથે આવું કઈ રીતે બન્યું. કેટ પોતાનું માથુ પણ હલાવી શકતી નથી.

આ ફિલ્મમાં કેટબેબીએ એક્શન દ્રશ્યો ભજવવાના છે અને તેથી જ તે નિયમિત રીતે જીમમાં જાય છે. જો કે કેટે પ્રોફેશનલની જેમ શુટિંગ ચાલું જ રાખ્યું છે.

*65 વર્ષે ટોપલેસ ફોટોશુટ

હોલિવૂડની લિજેન્ડરી અભિનેત્રી ડેમ હેલેન મિરેન લવ રાન્ચ નામની ફિલ્મ માટે એક મેગેઝીનમાં ટોપલેસ ફોટો આપ્યો છે.

હેલેને ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, તે હજી પણ સારી યુવતી છે કે જે ખરાબ થવા માટે તૈયાર છે.

જો કે તેણે સ્વીકાર્યુ હતું કે, તે ક્યારેય ખરાબ યુવતી થશે નહિ. હેલેને કહ્યું હતું કે, તે ઘણી જ ડરપોક અને સંન્યાસી જેવી છે.

1979મં ફિલ્મ કાલીગુલામાં મસ્તીખોર યુવતીની ભૂમિકા ભજવ્યા પછી હેલેને કહ્યું હતું કે, તેણે પોતાની સેક્સ્યુએલિટિનો ઉપયોગ કરિયરની શરૂઆતમાં કર્યો હતો.

હેલેને કહ્યું હતું કે, તે સારી ફિલ્મોમાં કામ કરવા માંગે છે.













visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

No comments:

Post a Comment