01 October 2010

અયોધ્યા કેસ : દેશનો સૌથી લાંબો કાનૂની વિવાદ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


અયોધ્યા કેસ : દેશનો સૌથી લાંબો કાનૂની વિવાદ

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ મુદ્દો ભારતનો સૌથી લાંબા સમય સુધી ચાલેલો કાનૂની વિવાદ છે. વાસ્તવમાં આ વિવાદની શરૂઆત ૧૮૮૫માં થયો હતો, પણ લાંબા સમયગાળા સુધી તે નિષ્ક્રિય પડ્યો રહ્યો હતો. આ વિવાદના બીજ ત્યારે રોપાયાં હતાં, જ્યારે અયોધ્યામાં વિવાદાસ્પદ માળખાને અડીને આવેલી ભૂમિ પર મંદિર નિર્માણ કરવા મહંત રઘુબરદાસ ઇચ્છતા હતા, પણ ફૈઝાબાદના તત્કાલીન ડેપ્યુટી કમિશનરને તેનો ઇનકાર કર્યો હતો.આથી, આ મુદ્દે કાનૂની સ્ત્રોત મેળવવા માટે દાસે વિવાદી માળખાની નજીક ચબૂતરા પર મંદિર નિર્માણની પરવાનગી મેળવવા સરકાર સામે ૧૮૮૫માં ફૈઝાબાદ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અલબત્ત, મૂળ રામમંદિર તોડી નાંખવાની ઘટના ૩૫૦ વર્ષ(૧૫૨૮) અગાઉ બની હોવાથી ફરિયાદ દાખલ કરવામાં હવે ખૂબ જ મોડું થઇ ગયું હોવાના આધાર પર દાસને અરજી ફગાવી દેવાઇ હતી. ફૈઝાબાદની અદાલતે જૈસેથી(સ્ટેટ્સ કવો)ની સ્થિતિ જાળવી રાખવા આદેશ આપ્યો હતો. ત્યારબાદ લગભગ છ દાયકા સુધી આ બાબત નિષ્ક્રિય પડી રહી હતી અને ૧૯૫૦માં ફરીથી કેસ દાખલ કરવામાં આવ્યો હતો.આ મામલે ૨૩મી ડિસેમ્બર,૧૯૪૯માં એફઆઇઆર નોંધવામાં આવી હતી. જેમાં આક્ષેપ મુકાયો હતો કે લગભગ ૫૦ જેટલાં લોકોએ વિવાદી માળખાનાં તાળાં તોડી નાંખીને ત્યાં ભગવાન શ્રીરામ અને અન્ય હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરી હતી. આ એફઆઇઆર બાદ તુરત જ આ માળખાને ટાંચમાં લેવાયું હતું અને ફૈઝાબાદ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા નિમાયેલા રિસીવરની કસ્ટડીમાં મુકાયું હતું. જેમણે અહીં પૂજારી દ્વારા પૂજા-અર્ચનાની પરવાનગી આપી હતી.૧૬મી જાન્યુઆરી,૧૯૫૦માં આ કેસમાં એક નવો વળાંક આવ્યો હતો. જેમાં હિન્દુ મહાસભાના સભ્ય ગોપાલસિંઘ વિશારદ અને અયોધ્યાના દિગંબર અખાડાના રખેવાળ રામચરણ દાસે કેટલાક જિલ્લા અધિકારીઓ અને મુસ્લિમો સામે ફૈઝાબાદની અદાલતમાં સિવિલ શ્યૂટ દાખલ કરી હતી. તેઓએ અહીં બેરોકટોક પૂજા અને દર્શનની પરવાનગી આપવા માગણી કરી હતી. જે સંદર્ભે ૨૬મી એપ્રિલ,૧૯૫૫માં અપાયેલા વચગાળાના આદેશમાં આ સ્થળ પર સ્થપાયેલી મૂર્તિઓને દૂર નહિ કરવાનો આદેશ કરાયો હતો.


2002માં બેફામ, 2010માં બુદ્ધિ આવી

વર્ષ 2002માં તા. 30 સપ્ટેમ્બર 2010 જેવી જ સ્થિતી હતી. એ સમયે ગુજરાતમાં ગોધરાકાંડ થયો હતો અને તેના પગલે સમગ્ર રાજ્યમાં હુલ્લડો ફાટી નિકળ્યા હતા. એ સમયે સરકાર, મહોલ્લા એક્તા સમિતિ અને ધાર્મિક નેતાઓ લોકોને શાંત કરવાના અને રાખવાના પ્રયાસોમાં લાગે હતા. એ સમયે બહારથી એક ટોળકી ગુજરાતમાં ઉતરી આવી હતી અને તેમણે જે કર્યું તે ક્ષમ્ય નથી.
અંગ્રેજી શાળામાં ભણેલા એક ભાઈ દિલ્હીથી ગુજરાત આવી ગયા અને ઈલેક્ટ્રોનિક મીડિયા માટે રિપોર્ટિંગ કરવા લાગ્યા. હાથમાં માઈક અને સામે કેમેરો, બસ પછી શું, જે મનમાં આવ્યું તે બોલ્યા કરવાનું. દેશનું શું થશે ? , કોમી એક્તાનું શું થશે ? તેનો કોઈ વિચાર તેમણે કરવો ન હતો. આ રિપોર્ટરને તો માત્ર તેની મહત્વકાંક્ષાની જ પડેલી હતી. તેઓ બેફામપણે સમુદાયનો ઉલ્લેખ કરી રહ્યાં હતા. ધાર્મિક સ્થળ દર્શાવી રહ્યાં હતા. આજે એ રિપોર્ટરે પ્રગતિ કરી લીધી છે અને બે ચેનલો પણ ખોલી છે. તેમના પત્ની પણ આ ચેનલોમાં તેમની સાથે છે, જે પણ પત્રકાર છે.આ ભાઈની સાથે એક બહેન પણ આવ્યા હતા. બોયકટ વાળવાળા બહેન. આ બહેન કારગીલના યુદ્ધ વખતે લાઈમલાઈટમાં આવ્યા હતા. કારણકે, તેમના પિતા ઉચ્ચ હોદા પર બેઠેલા બાબુ હતા. બહેન રિપોર્ટિંગ કરવા ગયા ત્યારે ખૂબ લોચા મારેલા. બહેનને રાત્રે બોફોર્સ તોપ સાથે ફોટો પાડવો હતો. જવાનોએ તેમને કહ્યું કે, મેડમ, આમ કરવાથી ઉપર રહેલા પાકિસ્તાની આતંકવાદીઓને આપણા લોકેશનની ખબર પડી જશે. પરંતુ, આ બહેન ન માન્યા તે ન જ માન્યા. તેમણે ફોટો પડાવ્યો અને ત્યાંથી જતા રહ્યાં. થોડા સમય પછી એક ગોળો ઉપરથી આવ્યો અને આપણા જવાનોની ખુંવારી કરી ગયો.આટલું ઓછું હોય તેમ આ બહેન ગુજરાત પણ આવ્યા હતા. હાથમાં માઈક અને સામે કેમેરો પછી આખી દુનિયા મારી જેવો ઘાટ તેમણે સર્જયો હતો. આજે એ બહેને પણ ઘણી પ્રગતિ કરી લીધી છે. તેઓ 'પાવર બ્રોકર' સુદ્ધા બની ગયા છે. જ્યારે યુપીએની ફરી સરકાર બની ત્યારે તેમણે ચોક્કસ રાજકારણીને ટેલિકોમ પ્રધાન બનાવવા માટે લોબિંગ કરવા લાગ્યા છે,આ ચેનલવાળાઓ અને પત્રકારોને જ્યારે કોઈ પુછતું કે તમારી કોઈ જવાબદારી છે કે નહીં ? ત્યારે તેમનો જવાબ એ હતો કે, અમે તો જે બની રહ્યું છે તે દર્શાવી રહ્યાં છીએ. આ ભૂંગળાવાળાઓનો ત્રાસ એટલી હદે વધી ગયો હતો કે, વહિવટી તંત્રને સ્થિતી પર કાબુ મેલવવામાં તક્લીફ પડી રહી. છેવટે, જ્યારે કોઈ કારી ન ફાવી, ત્યારે આવી તકવાદી ચેનલોના પ્રસારણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. ચમત્કારિક અસર થઈ અને રાજ્યના અન્ય વિસ્તારોમાં ફેલાયેલી કોમી હિંસાની આગ જોત-જોતામાં ઠરી ગઈ. ત્યારપછી પણ અમદાવાદમાં થોડા સમય માટે તણાવ રહ્યો પરંતુ તે તૂર્ત જ કાબુમાં લેવાઈ ગયો. ત્યારે, ચૂકાદા પછી જો આવી કોઈ જમાત કાંઈ પુછે કે દેખાડે તો એકવખત ચોક્કસપણે ખાતરી કરી લેજો.


જ્યારે અભિનેત્રીઓ બીડી-સિગારેટ ફૂંકવા લાગે છે..

શરૂઆતથી જ બોલિવૂડ અભિનેત્રીઓ અવનવા અખતરા કરતી હોય છે. બોલિવૂડ અભિનેત્રીઓને બોલ્ડ ભૂમિકા ભજવવામાં પણ કોઈ જાતનો ડર લાગતો હતો. આમ તો ધૂમ્રપાન પુરૂષો કરતાં હોય છે પંરતુ કેટલીક બોલિવૂડ અભિનેત્રીઓએ ફિલ્મોમાં ધૂમ્રપાન કરવાની હિંમત દાખવી છે. અભિનય માત્રને માત્ર પાત્રને પૂરતો ન્યાય આપી શકતો નથઈ પરંતુ ઘણીવાર પાત્રને પૂરતો ન્યાય આપવા માટે ધૂમ્રપાન પણ કરવું પડે છે.ઐશ્વર્યા રાય બચ્ચન: ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચને પોતાની કરિયરમાં પહેલીવાર ઓન સ્ક્રીન ધૂમ્રપાન કર્યું છે. ફિલ્મ ગુઝારીશમાં એશે સિગારેટ પીધી છે. આ ફિલ્મમાં રીતિક રોશન છે. ફિલ્મ ગુઝારિશમાં એશે સોફી ડીસોઝાની ભૂમિકા ભજવી છે અને તે એક નર્સ હોય છે. એશ રીતિકને ધૂમ્રપાન છોડવા અંગે સમજાવી રહી હોય છે પંરતુ રીતિક માનતી નથી અને તેથી જ એશ પણ ધૂમ્રપાન કરવા લાગે છે.કંગના રાણાવત: ફિલ્મ વો લમ્હે અને ફેશનમાં કંગના રાણવાતે ધૂમ્રપાન કર્યુ છે. ફિલ્મ વો લમ્હેમાં કંગના સ્ક્રિઝોફેરનિકની દર્દી હોય છે અને તેની ભૂમિકા પરવની બાબીને મળતી આવે છે. તેથી જ તે સિગારેટ પીતી હોય છે. જ્યારે ફિલ્મ ફેશનમાં કંગના સુપરમોડલ બની હોય છે. જો કે તેની કરિયરનો અંત આવતા તે હતાશ થઈ જાય છે અને તે હતાશામાં સિગારેટ પીવાનું શરૂ કરી દે છે. આ ફિલ્મ માટે કંગનાને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે.કરિના કપૂર: ફિલ્મ ચમેલીમાં કરિના કપૂર વેશ્યા બની હોય છે. આ ફિલ્મમાં કરિનાએ વેશ્યાની ભૂમિકાને ન્યાય આપવા માટે ધૂમ્રપાન કર્યુ છે. આ ફિલ્મ માટે કરિનાને ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો છે.પ્રિયંકા ચોપરા: ફિલ્મ ફેશનમાં પ્રિયંકા ચોપરા ધૂમ્રપાન કરતી હોય છે. મેઘના માથુરની ભૂમિકામાં પ્રિયંકા ઘણી જ સારી લાગી છે. આ ફિલ્મના કેટલાંક દ્રશ્યોમાં પ્રિયંકાને ડ્રગ્સ લેતી પણ દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ માટે પ્રિયંકાને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે.દીપિકા પાદુકોણ: દીપિકા પાદુકોણે ફિલ્મ કાર્તિક કોલિંગ કાર્તિકમાં ધૂમ્રપાન કર્યુ છે. આ ફિલ્મના કેટલાંક દ્રશ્યોમાં દીપિકાના હાથમાં સિગારેટ જોવા મળે છે. આ ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર છે. દીપિકાએ શોનાલી મુખર્જીની ભૂમિકા ભજવી છે.


6 માસ બાદ ના’પાક આસિફ અને સાના એક થયા

પાકિસ્તાનની અભિનેત્રી વિણા મલિક, સ્પોટ ફિક્સિંગ સહિતના વિવાદોના કારણે સતત ચર્ચમાં રહેનાર પાકિસ્તાન ક્રિકેટના સસ્પેન્ડેડ ખેલાડી મોહમ્મદ આસિફ તેની પત્ની સાના હિલાલને ઘરે લાવ્યો છે. આસિફે છ મહિના પહેલા જ લગ્ન કરી લીધા હતા. જો કે, ક્રિકેટની વ્યસ્તતાના કારણે તે રુખસાતિનો કાર્યક્રમ ગોઠવી શક્યો ન હતો.આસિફે લગ્નના રિશેપ્શન દરમિયાન પત્રકારોને કહ્યું કે, આખરે પત્નીને ઘરે લાવ્યો તેનો આનંદ છે. અમે ઘણા સમયથી ભેગા થવા માગતા હતા પરંતુ વિદેશના પ્રવાસના કારણે હું ઘણો વ્યસ્ત હતો.આસિફના રિશેપ્શનમાં પાકિસ્તાન ટીમના ઘણા ખેલાડીઓ હાજર રહ્યાં હતા. જેમાં સ્પોટ ફિક્સિંગમાં ફસાયેલ સલમાન બટ્ટ સાથે મોહમ્મદ હાફીઝ, કામરાન અકમલ, ઉમર અકમલ, મિસ્બાહ ઉલ હક સહિત કેટલાક પૂર્વ ખેલાડીઓ અને અધિકારીઓ હાજર રહ્યાં હતા.

ધોની પુજારા સાથે પણ સૌરભ તિવારી જેવું તો નહીં કરે ને!

મોહાલી ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટે શ્રેણીની પ્રથમ ટેસ્ટ રમાઇ રહી છે. જો કે, સૌરાષ્ટ્રના ક્રિકેટ રસીકો જે ખેલાડીને મોહાલી ટેસ્ટમાં રમતો જોવા ઇચ્છી રહ્યા છે. તેનો સમાવેશ ટીમ ઇન્ડિયાના અંતિમ 11 ખેલાડીઓમાં કરવામાં આવ્યો નથી. શુક્રવારે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતના અંતિમ 11 ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી જેમાં ચેતેશ્વર પુજારાને તક આપવામાં આવી નથી.ચેતેશ્વર ઉભરતો ખેલાડી છે. તેનામાં મેદાન પર ઉભા રહેવાની ગજબની શક્તિ છે. જે તેણે અનેક વખત ડોમેસ્ટિક ક્રિકેટમાં બતાવી દીધી છે. ઉપરાંત વનડે અને ટી-20 ક્રિકેટમાં પણ તે સારું પ્રદર્શન કરી શકે છે. તેણે ઇન્ડિયા એ, ઇન્ડિયા અન્ડર 19, કોલકત્તા નાઇટ રાઇડર્સ જેવી ટીમો માટે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.ક્રિકેટ રસીકોને આશા હતી કે, ટીમ ઇન્ડિયા જ્યારે મોહાલીના મેદાન પર ઉતરશે ત્યારે ટીમમાં આ યુવા નોવદિત ખેલાડી પણ હશે. જો કે, તેના પર પસંદગી ઉતારવા કરતા રૈના પર વધારે વિશ્વાસ મુકવામાં આવ્યો છે. ત્યારે એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, ધોની પુજારા સાથે પણ સૌરભ તિવરી જેવું તો નહીં કરે ને.કારણ કે, સૌરભ તિવારીને બે વખત ટીમ ઇન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ બન્ને વખત સુકાની મહેન્દ્ર સિંહ ધોની દ્વારા તેને તક આપવામાં આવી ન હતી. તેટલું જ નહીં પરંતુ જ્યારે દિનેશ કાર્તિક, કોહલી અને રોહિત શર્મા સદંતર નિષ્ફળ જઇ રહ્યાં હતા. ત્યારે પણ ધોનીએ આ યુવા ખેલાડીને તક આપવાની દરકાર કરી ન હતી. હવે જોવાનું એ રહ્યું કે, જો મોહાલી ટેસ્ટમાં સ્થાન નહીં મેળવી શકનાર પુજારાને બીજી ટેસ્ટમાં સ્થાન આપવામાં આવશે કે પછી તેને પણ સૌરભ તિવારીની જેમ પેવેલિયનમાં બેઠા બેઠા ટેસ્ટ શ્રેણીનો આનંદ ઉઠાવવો પડશે.s


જાતે જ રીચાર્જ થશે વીજચાલિત કાર

હાઈબ્રીડ અને ઈલેક્ટ્રિક કાર નિર્માતાઓની સૌથી મોટી મુશ્કેલી એ છે કે તેની ભારેખમ બેટરીઓ. વોલ્વો કંપનીએ હવે આ સમસ્યાનો ઉકેલ શોધી નાખ્યો છે. વોલ્વો કંપની એક એવી ઈલેક્ટ્રિક કાર વિકસિત કરી રહી છે, જે પોતાના આખા બોડીને રીચાર્જ કરશે. ભવિષ્યની આ ગાડી પોતાના બોડી મારફતે ઉર્જા એકત્રિત કરવામાં સક્ષમ રહેશે.ત્રણ વર્ષનો આ પ્રોજેક્ટ આ જ વર્ષે લોન્ચ થાય તેવી આશા છે. ઈમ્પીરીયલ કોલેજના અભ્યાસકર્તા કાર્બન ફાઇબર્સ તથા પોલીમર રેસિનના મિશ્રણ પર કામ કરે છે, જે પહેલાની સરખામણીમાં વધુ ઝડપથી ઉર્જા સ્ટોર કરશે. આ મિશ્રણ સ્ટીલની તુલનામાં વધારે મજબૂત અને લચીલુ હશે.વોલ્વોનો દાવો છે કે સ્ટીલ પેનલની જગ્યાએ આ મિશ્રણના ઉપયોગથી કારના વજનમાં 15 ટકા જેટલો કાપ રહેશે. ઈમ્પીરીયલ કોલેજના અભ્યાસકર્તાઓએ જણાવ્યા પ્રમાણે જો આ પ્રોજેક્ટ સફળ રહેશે તો કેટલીય વસ્તુઓમાં સ્ટીલના બદલે આ મિશ્રણ ઉપયોગમાં લેવાશે. જેવાકે આની મદદથી બનેલા મોબાઇલ, ક્રેડિટ કાર્ડની જેમ પાતળા હશે અને લેપટોપને પણ ક્યારેય ચાર્જ કરવાની જરૂર નહીં પડે.


પોર્ન તસવીરો ડાઉનલોડ કરી બાળકોને બચાવ્યા!

ઓસ્ટ્રેલિયામાં એક મામલાની સુનાવણી દરમિયાન સામે આવ્યું છે કે ઈન્ટરનેટથી બાળકોના સેંકડો પોર્ન ફોટા ડાઉનલોડ કરનારો બાળ લેખક પોર્ન તસવીરોમાં દેખાઈ રહેલા બાળકોને બચાવવા માંગતો હતો.43 વર્ષીય ક્રિસ્ટોફર જોન સ્ટિટે 2004થી 2009 વચ્ચે ઈન્ટરનેટ મારફતે 600 ચાઇલ્ડ પોર્ન તસવીરો ડાઉનલોડ કરી હતી. ઓસ્ટ્રેલિયામાં બાળકોની પોર્ન તસવીરો રાખવી એ કાયદેસર ગુનો છે. ગઈકાલે આ કેસ પર ચાલેલી સુનાવણી બાદ કોર્ટે તેમને માત્ર 10 મહિનાની કેદની સજા સંભળાવી હતી.કોર્ટમાં સુનાવણી દરમિયાન સામે આવ્યું છે કે સ્ટિટે તસવીરોમાં દેખાતા બાળકોને છોડાવવા માટે આ તસવીરો ડાઉનલોડ કરી હતી. સ્ટિટે પોતાનો આરોપ સ્વીકારી લીધો છે.કેસની સુનાવણી કરી રહેલા જજ મેરિલ સેક્સટને જણાવ્યું છે કે મનોવૈજ્ઞાનિકોના અહેવાલથી એ સાબિત થયું છે કે આ તસવીરો જોવા પાછળ સ્ટિટનો ઉદ્દેશ્ય સેક્સ નહોતો, પણ તેઓ આ પોર્ન મુવીમાં કયા કયા બાળકો સામેલ છે તે જોવા માગતા હતા.


અધ્યક્ષ અશોક ભટ્ટના નિધનથી ભાજપના ચૂંટણીપ્રચારને અસર

છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારથી અમદાવાદમાં ત્રણ સ્થળે કાર્યકર સંમેલનોને સંબોધીને ભાજપના ચૂંટણી પ્રચારની શરૂઆત કરવાના હતા, પરંતુ વિધાનસભાના અધ્યક્ષ અને લોકનેતા અશોકભાઈ ભટ્ટનું નિધન થતાં રાજ્યમાં બે દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે, જેના કારણે આ કાર્યકર સંમેલનો સ્વ. અશોકભાઈ ભટ્ટની શોકસભામાં ફેરવાઈ ગયા છે. આમ ભાજપના ચૂંટણી પ્રચારના કાર્યક્રમને સ્વાભાવિક અસર પહોંચી છે. મુખ્યમંત્રીના પ્રચાર કાર્યક્રમો પણ બદલાય એવી શક્યતા ઊભી થઈ છે.મહાનગરપાલિકાઓની ચૂંટણીના નિયત કાર્યક્રમ મુજબ ૨૫મીએ ઉમેદવારીપત્રો ભરાઈ ગયા પછી ભાજપ તરફથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં જાહેરસભા યોજીને ચૂંટણીપ્રચારનો ટંકાર કરશે એમ નક્કી હતું, પરંતુ ટિકિટોની વહેંચણીને લઈ ભાજપમાં સર્જાયેલી ભાંજગડ અને સ્થાનિક આગેવાનો તથા કાર્યકરોમાં અસંતોષનું પ્રમાણ વધતાં તેમને સમજાવી લેવાના પ્રયાસો શરૂ કરાયા હતા.પરિણામસ્વરૂપ ચૂંટણીપ્રચારના કાર્યક્રમમાં ફેરફાર કરાયો હોવાનું મનાય છે. હજુ પણ ભાજપના નારાજ કાર્યકરો માન્યા નથી એટલે મુખ્યમંત્રીની જાહેરસભાને બદલે ગુરુવારે સાંજે શહેરના ત્રણ સંસદીય મતવિસ્તારોમાં ત્રણ જુદાજુદા કાર્યકર સંમેલનો રાખીને પ્રચારની શરૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


સચિનમાં ગુંદરની મિલમાં આગ, ૧૫ ફૂટ ઊંચી જવાળા

સચિન જીઆઈડીસીમાં આવેલી મહાલક્ષ્મી ડાઇંગ મિલમાં સાંજે સાડા પાંચ કલાકે ફાટી નીકળેલી ભયંકર આગમાં આખી ફેક્ટરી હોમાઈ ગઈ હતી. ગુંદર બનાવવાનું કામ કરતી આ ફેક્ટરીમાં જ્વલનશીલ એવા ઇથાઇલ એસિટેટ નામના કેમિકલના ૩૦ ઉપરાંત ડ્રમ ભરેલા હોવાથી આગ વધુ ભડકી હતી. જેના કારણે મનપાના ત્રણ અને જીઆઈડીસીના બે એમ કુલ પાંચ ફાયર ફાયટરો ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લઈ શક્યા હતા.આગની જવાળાઓ ૧૫થી ૨૦ ફૂટ જેટલી ઊંચે ઊડી હતી અને ધુમાડાના ગોટેગોટાના કારણે વાતાવરણ એકદમ ગરમ થઈ ગયું હતું. ફાયરબિગ્રેડના ફાયર ઓફિસર કીર્તિ મોઢે જણાવ્યું હતું કે ઇથાઇલ એસિટેટ એવું કેમિકલ છે કે જેમ પાણીનો મારો ચલાવાય તેમ તેમાં આગ વધુ ભડકે. તેથી આ આગ હોલવવા માટે અમારે ફોમ (ઝાગ) ના લિક્વિડનો ઉપયોગ કરવો પડ્યો હતો.મિલના માલિક સુભૈયા સારુંગમ નાડાર છે અને રોજ જ આ ફેક્ટરી ચાલુ હોય છે પરંતુ સંજોગોવશાત ગુરુવારે જ આ ફેક્ટરી બંધ હતી. જેના કારણે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ આ લખાય છે ત્યાં સુધી જાણવા નથી મળ્યું, પરંતુ ફાયર ઓફિસર મોઢના જણાવ્યા મુજબ શોટ સર્કિટનું કારણ હોઈ શકે.બે રિએક્ટર, અનેક ડ્રમ, કાચોમાલ ખાક : આ ભયંકર આગમાં ઇથાઇલ એસિટેટ કેમિકલનાં તમામ ડ્રમ, વામ લિક્વિડના ડ્રમ, બે રિએક્ટર તથા ગુંદર બનાવવા માટે વપરાતો અન્ય કાચો માલ બળીને ભસ્મીભૂત થઈ ગયાં છે. લગભગ ૭૦થી ૮૦ ફીટ લાંબો ફેક્ટરીનો આખો શેડ સળગી ગયો હતો. જેની જવાળાઓ છેક શહેર સુધી દેખાતી હતી. જેના પગલે આગને કાબૂમાં લેતાં ઘણો સમય લાગ્યો હતો.


ગોવિંદા અહિ શું કરી રહ્યો છે ?

દક્ષિણ પ્રયાગતીર્થ ચાંદોદમાં પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા ગોધરા ધાર્મિક વિધી અર્થે આવી પહોંચ્યા હતા. ફિલ્મ અભિનેતા પગલે ચાહકોની ભીડ જામી હતી. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ વિધી-વિધાન અને ધાર્મિક કાર્યક્રમો માટે દેશભરમાં જાણીતું છે.
પવિત્ર નર્મદાજીના પાવન કિનારે આવેલા ત્રિવેણી સંગમ ખાતે વર્ષભર દેશ-પરદેશથી શ્રદ્ધાળુઓ ધાર્મિક વિધી અને પત્રિ સ્નાન અર્થે આવે છે. તેમાં દેશનો ફિલ્મી ઉદ્યોગ અને અદાકારો પણ બાકાત નથી.બુધવારે અભિનેતા ગોવિંદા ચાંદોદ ત્રિવેણી સંગમ નજીકના ત્રુણ મુક્તેશ્વર મહાદેવના મંદિરે ધાર્મિક પૂજા-વિધી માટે આવી પહોંચ્યા હતા અને શિવજીના સાંનિધ્યમાં પૂજા-વિધી બાદ ત્રિવેણી સંગમના પ્રવાહમાં નૌકા વિહારની મોજ માણી હતી.અભિનેતા ગોવિંદા આવ્યા હોવાની જાણ થતાં પોતાના ચાહિતા અભિનેતાની એક ઝલક મેળવવા ચાહકોનો ઘસારો થયો હતો. જ્યાં મુક્તમને નમામને મુલાકાત આપી હસ્તાક્ષર કરી આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગોવિંદાની આ બીજી મુલાકાત હતી.વર્ષો પહેલાં પોતાની લાડકી પુત્રીના નિધન બાદ પુણ્ય સલિલા નર્મદાજીના જળમાં જળ સમાધિ અર્થે ચાંદોદ આવ્યા હતા. નર્મદા કિનારાના પ્રાકૃતિક સૌદંર્ય પુણ્ય સલિલા નર્મદાજી પ્રત્યેની શ્રદ્ધાથી અભિભૂત ગોવિંદાએ તેઓની પુત્રીનું નામ પણ નર્મદા રાખ્યું હતું.

No comments:

Post a Comment