02 October 2010

અમદાવાદ : સનાથલ બેઠક માટે કોંગ્રેસના નેતાઓની ખેંચતાણ ચરમસીમાએ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



અમદાવાદ : સનાથલ બેઠક માટે કોંગ્રેસના નેતાઓની ખેંચતાણ ચરમસીમાએ

અમદાવાદ જિલ્લા પંચાયતની સનાથલ બેઠક માટે કોંગ્રેસના જિલ્લાના નેતાઓની ખેંચતાણ એ ટલી તીવ્ર બની ગઈ છે કે, શનિવારે બપોર સુધી જિલ્લાની ૩૩ બેઠકોના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થઈ શકી નથી. સનાથલની બેઠક માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જે.બી. પટેલ પોતાના પુત્ર કિરણ પટેલને મેદાનમાં ઉતારવાનો આગ્રહ સેવી રહ્યા છે તો બીજીતરફ જિલ્લા પંચાયતના વપિક્ષના નેતા મુર્તુઝાખાન પઠાણ, યુથ કોંગ્રેસના નેતા ઈન્દ્રવિજયસિંહ ગોહિલ વગેરે આ બેઠક માટે નટુભા વાઘેલાને ઉમેદવાર બનાવવા માગે છે. નટુભા જિ.પં.ના માજી સભ્ય છે અને અગાઉ તેઓ ગોરજની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.ગત ચૂંટણીમાં ગોરજની બેઠક પરથી નટુવા વાઘેલાને સ્થાને કોંગ્રેસે પંકજસિંહ વાઘેલાને ટિકીટ આપી હતી અને પંકજસિંહ ચૂંટણી જીત્યા હતા. અલબત્ત, આ વખતે ગોરજની બેઠક મહિલા માટે અનામત થતાં હવે આ બેઠક ઉપરથી પંકજસિંહ વાઘેલાના પત્નીને ટિકીટ આપવામાં આવતા નટુભા વાઘેલાએ સનાથલની બેઠક માટે દાવેદારી નોંધાવી છે. નેતાઓના આ ગજગ્રાહને કારણે શનિવારે બપોર સુધી અમદાવાદ જિલ્લા પંચાયતના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થઈ શકી નથી.આવી જ સ્થિતિ ગાંધીનગર જિલ્લા પંચાયતમાં પ્રવર્તી રહી છે. ગાંધીનગર જિલ્લાની દહેગામ બેઠક માટે નક્કી કરાયેલાં ઉમેદવાર સામે દહેગામના પૂર્વ ધારાસભ્ય અને પાટણના સાંસદ જગદીશ ઠાકોરે વિરોધ નોંધાવતા ગાંધીનગરનો મામલો પણ ગૂંચવાયો છે.


અધિકારીએ પોર્ન જોતાં વેઇટ્રેસનું આવી બન્યું

અમેરિકાના વિંસકાન્સિન રાજ્યના એક જિલ્લા અધિવક્તા પર હોટલ રૂમમાં કોમ્પ્યુટર પોર્નોગ્રાફી જોયા પછી મહિલા વેઇટ્રેસ સાથે અશ્લીલ વ્યવહાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.આ ઘટના ગયા વર્ષના નવેમ્બર મહિનાની છે, પરંતુ પોલીસે તે અધિકારીના પદ અને સત્તાને જોઇને આ મામલો દબાવી દીધો હતો. ફરિયાદ કરનારી મહિલા કર્મચારી ઉપર પણ આ કિસ્સા અંગે કોઇને જાણ થવા ન દેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. પછી આ મહિલાએ ફરિયાદ કરતા તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી.હવે આ મામલો સૂચનાના અધિકાર અંતર્ગત દાખલ કરવામાં આવેલી એક અરજીમાં સામે આવ્યો છે. હોટલમાં પોર્ન ફિલ્મ જોનારા આ ઓફિસર જોન હિંકલમેનની આકરી નિંદા કરવામાં આવી રહી છે. હિંકલમેન પોતાનો બચાવ કરતા કહે છે કે તે સમયે તેઓ નશામાં હતા, આથી તેમનાથી ભૂલ થઈ ગઈ.


પ્રેમી સાથે પ્રણયફાગ ટાણે પતિ આવી ચડતાં

વિદ્યાનગર જીઆઈડીસીમાં ગુરૂવારની રાત્રે બનેલા બનાવમાં આસપાસના લોકોમાં ભારે ચકચાર મચાવી દીધી હતી. સુરક્ષા કર્મી તરીકે નોકરી કરતા યુવકની પત્ની નજીકમાં જ રહેતા યુવક સાથે પ્રેમમાં પડી હતી અને બન્ને રાત્રે રંગરેલીયા મનાવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ધસી આવેલા પતિએ બન્નેને રંગેહાથ ઝડપી લીધાં હતાં. પોતાના આડાસંબંધની પોલ ખુલી જતાં પરિણીતાએ બીજા માળેથી કૂદી આપઘાત કરી લીધો હતો.આ બનાવની તપાસ કરતા પોલીસ સબ ઈન્સ્પેકટર એ.એ. શેખે જણાવ્યું હતું કે ‘મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ વિદ્યાનગર જીઆઈડીસીમાં રહેતા અમરસિંગ ચૌહાણના લગ્ન આઠ વર્ષ પહેલા આરતીદેવી (ઉ.વ.૨૪) સાથે થયા હતા. આ લગ્ન જીવનમાં તેમને ચાર વર્ષ પહેલા એક પુત્રીનો જન્મ પણ થયો હતો. આરતીબેન છેલ્લા કેટલાક સમયથી નજીકમાં જ રહેતા દેવેન્દ્રસિંહ ગણેશભાઈ નામના રાજસ્થાની યુવકના પ્રેમમાં પડ્યાં હતાં અને બન્ને અમરસિંગની ગેરહાજરીમાં રંગરેલિયા મનાવતા હતાં. દરમિયાનમાં ગુરૂવારની રાત્રે ૮-૦૦ વાગ્યાના સુમારે અમરસીંગ ફરજ પરથી અચાનક ઘરે આવ્યો, તે સમયે દરવાજો બંધ હતો. આથી, તેમણે દરવાજાને જોરદાર પ્રહારથી ખોલતાં અંદરનું ર્દશ્ય નિહાળી ચોંકી ઊઠ્યાં હતાં. જોકે, હજુ કોઈ કંઈ સમજે તે પહેલાં દેવેન્દ્રએ અમરસિંગને હડસેલો મારી ભાગ્યો હતો.પરિસ્થિતિ પામી ગયેલો અમરસિંગે પણ તેનો પીછો કરી ઘર નજીક જ પકડી પાડ્યો હતો. બન્ને યુવક વચ્ચે ઝપાઝપી અને મારામારી થઈ હતી. બીજી તરફ આ બનાવથી હતપ્રભ આરતીદેવીએ પોતાના આડાસંબંધની પોલ પકડાઈ જતાં મકાનના બીજા માળે દોડી ગયા હતા અને ત્યાંથી જંપલાવતા ગંભીર ઈજા પહોંચી હતી.આથી, તાત્કાલિક કરમસદ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત્યુ પામેલ જાહેર કર્યા હતાં. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.’


વિદેશી સાહિત્યમાં પણ મહાત્મા ગાંધી અમર

ભારતને અંગ્રેજોની દાસતામાંથી મુક્તિ અપાવનારા મહાત્મા ગાંધીનું નામ ન કેવળ ઈતિહાસના પૃષ્ઠો પર અમર છે, પરંતુ બ્રાઝિલ, રશિયા, મેક્સિકો, ફ્રાંસ, ઘાના, અમેરિકા, ઈજીપ્ત, અરબ દેશો, જાપાન અને બ્રિટનના સાહિત્યમાં સ્વપ્ન સુમન ફેલાવી રહ્યું છે.બ્રાઝિલની કવિયત્રી સિસીલિયા મેયરલીજમએ બાપુનો ઉલ્લેખ કરતાં પોતાની કવિતામાં આ પ્રમાણે કહ્યું છે, માયાવનિયોના ભૂરા, મોહક સ્વર, પાંખો ફેલાવીને ઉડી જનારા તે ઘાડા. પહોંચી રહી છે, એ ખબર, માર્યા ગયા તે દુઆ દેતા લોકોને. આહ સંઘર્ષના તે દિવસોમાં ઘરમાં ઘરઘરાતા ચરખા. સોનેરી ખાદીના પરિવેશમાં દાર્જીલિંગની ચાની ગુલાબી મહેક.ઘાનાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને આફ્રિકી સ્વતંત્રતા સંઘર્ષના અપ્રતિમ સેનાની અને કવિ નક્રુમાએ પોતાના સ્વતંત્રતા સંઘર્ષ પરની કવિતામાં કહ્યું છે કે ગાઢ જંગલમાં થાકેલો હારેલો સિપાહી, હતાશ સુઈ ગયો. તેના સપનાઓને કૃતાર્થ કર્યા એક મહાત્માએ, એક ગુરુદેવે. એકે મુસ્કાન કરતાં અગ્નિપથ પર ચાલવાની પ્રેરણા આપી. એકે અમૃતવાણીથી મૂર્છિત ચેતનાને ઝકઝોરી દીધી. મારું નમન લો મહાત્મા.પ્રસિદ્ધ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટીને કહ્યું છે કે આવાનારી પેઢી આશ્ચર્ય કરશે અને વિસ્મયપૂર્વક પુછશે, શું આવો હાડમાંસનો વ્યક્તિ ક્યારેય કોઈ યુગમાં આ ધરતી પર હાલતો-ચાલતો પણ હતો. તે મુશ્કેલીથી આ વિશ્વાસ કરશે કે માણસના શરીરમાં આવું સંભવ થયું.



દરિયાઇ સુરક્ષા વધુ કડક કરવા હેલ્પલાઇન શરૂ કરાઇ

દરિયાકાંઠે અજાણ્યા શખ્સો કે બોટ જોવા મળે તો તેની જાણ તાત્કાલીક પોલીસને કરી શકાય તેવા હેતુસર એક નવી હેલ્પલાઇનની સુરક્ષાતંત્ર દ્વારા શરૂઆત કરવામાં આવી છે, એટલુંજ નહી કોઇ પણ પ્રકારની શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ અંગે ૧૦૯૩ નંબરની આ હેલ્પલાઇન પર પોલીસને જાણવા કરવા જાહેર જનતાને અનુરોધ કરાયો છે.ઉચ્ચ પોલીસ અધીકારીઓ પાસેથી મળતી વિગતો અનુસાર, અમદાવાદ શહેરથી સૌથી નજીકનો દરિયાકાંઠો ધોલેરા ગણવામાં આવે છે. આશરે ૩૫ કિં.મી લાંબા આ દરિયાકાંઠાની સુરક્ષા પુરતી હોવા છતા કાંઠાના ગામમાં રહેતા લોકોમાં જાગૃતતા આવે તથા કોઇ પણ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ અંગે તાત્કાલીક પોલીસને જાણ કરી શકાય તે માટે ૧૦૯૩ નંબરની સેવા કાર્યરત કરવામાં આવી છે. કાંઠાનાં ગામમાં રહેતા લોકો કોઇ પણ પ્રકારની માહિતી પોલીસને આ નંબર પર આપી શકે છે.આ નંબર ટોલફ્રી ઉપરાંત લાગતા વળગતા પોલીસ કંટ્રોલ રૂમમાં લાગતો હોવાથી સુરક્ષાકર્મીઓ પણ તાત્કાલીક આ અંગે એક્સન લઇ શકે છે. તંત્રએ આ ટોલફ્રી નંબરનો ઉપયોગ કરી દેશની સુરક્ષામાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો છે.


રોટરી ક્લબ વાસણા દ્વારા મ્યુ. સ્કૂલને એડોપ કરાઈ

શહેરની રોટરી કલબ ઓફ અમદાવાદ વાસણા દ્વારા વાસણા મ્યુનિસપલ સ્કૂલના વિદ્યાર્થીઓને એક વર્ષ માટે એડોપ કર્યા હતા.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને સ્કૂલ યુનફિોર્મ, બેગ, નોટબુક તેમજ અન્ય અભ્યાસને લગતા વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સેક્રટરી ધવલ ઝવેરી, પ્રેસિડેન્ટ શીતલ મહેતા, એ.જી. ડો. તેજસ મહેતા, ચેરમેન ડો. ધીરજ મહેતા તે ઉપરાંત બીજા રોટરીયન સભ્યોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ૩૦૦ જેટલી કિટનું વિતરણ કર્યું હતું.


‘સાહેબ આવું દૂધ આપણે નથી પીવું.’

હજારો વિદ્યાર્થીઓ અને સફળ વ્યક્તિઓના માર્ગદર્શક વિનોદભાઈ દેસાઈને વડોદરામાં વિશેષ ઓળખની જરૂર નથી. જીવનમાં પ્રામાણિકતા, સરળતા, નમ્રતા અને મદદરૂપ થવાની ભાવના સાથે કેળવણી માટેની એકનિષ્ઠા જેવા ગુણોએ જ સફળતા અપાવી હોવાનો સહજ સ્વીકાર તેમના વ્યક્તિત્વનો એક મહત્વનો આયામ છે. તેમની સફળતાની ભીતર પથરાયેલા તેમના જીવન અનુભવો નવા ગાંધીની તલાશની દિશામાં પ્રથમ પગરણ છે.દસ વર્ષ પહેલાં રેલવે પ્રદર્શનમાં ધો.૧૧ અને ધો.૧૨ના ૬૦ થી ૭૦ જેટલાં વિદ્યાર્થીઓ મારી સાથે ગયાં હતાં. ત્યાં ડેરી દ્વારા સ્પોન્સર્ડ પણ ડીઈઓ કચેરી દ્વારા ફ્લેવર્ડ મિલ્કની બોટલ્સની વિદ્યાર્થીઓમાં વહેંચણી કરવાની હતી. પણ ફાળવણી માત્ર ૩૦ બોટલોની કરાઈ. અધિકારીએ મને બોલાવીને કહ્યું ‘દરેકને અડધી અડધી આપવાની વ્યવસ્થા કરો. આટલી જ બોટલો આવી છે.’ત્યારે મેં સ્પષ્ટ સુણાવી દીધું ‘ એકપણ વિદ્યાર્થી દૂધ નહીં પીવે’. આટલું જ કહેતાં વિદ્યાર્થીઓએ પણ આચાર્યને વધાવી લેતાં એક અવાજે જાહેર કર્યું ‘સાહેબ આવું દૂધ આપણે નથી પીવું.’ દરેક વિદ્યાર્થી સત્ય સાથે જીતવાનો ભાવ સ્પષ્ટપણે જાતે જ અનુભવી શકતો હતો. સરદાર પટેલ વિદ્યાલયના આચાર્ય વિનોદભાઈ દેસાઈ સત્યનિષ્ઠા અને અન્યાય સામેના અહિંસક પ્રયાસની વાત યાદ કરતા કહે છે.


યુવકના પરિવારજનોના હત્યાના આક્ષેપથી ચકચાર

પત્નીને તેડવા ગયેલા યુવકની લાશ નદીમાંથી મળતાં ચકચાર. ગોરવાના યુવકનો મૃતદેહ ઇટોલા વિશ્વામિત્રી બ્રિજ પાસેથી મળ્યો. ડૂબી જવાથી મોતનો પ્રાથમિક પી.એમ. રિપોર્ટ. યુવકના પરિવારજનોના હત્યાના આક્ષેપથી ચકચાર. વિસેરા તપાસાર્થે મોકલાયા. તરસાલી ગામના ગોરવા ફિળયામાં રહેતો યુવક સાસરીમાં પત્નીને તેડવા ગયા બાદ તેની લાશ ઇંટોલા નજીક વિશ્વામિત્રી નદીના બ્રિજ નીચેથી મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. મૃતકના પરિવારજનોએ બનાવ હત્યાનો હોવાનો આક્ષેપ કરતાં પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. તપાસ અધિકારીના જણાવ્યાં મુજબ પ્રાથમિક પી.એમ. રિપોર્ટમાં યુવકનું મોત ડૂબી જવાના કારણે થયું હોવાનું જણાતાં પોલીસે વધુ વિસેરા મેળવી તપાસ માટે મોકલી આપ્યા છે.ખૂબ જ ચકચાર જગાવનારા આ બનાવની વિગત એવી છે કે, તરસાલી ખાતે રહેતા અને બરોડા ડેરીમાં નોકરી કરતાં હેમંત અરવિંદભાઇ પટેલ નામના ૨૫ વર્ષીય યુવકના લગ્ન પાંચ મહિના પહેલા પાદરા તાલુકાના હુસેપુર ગામ દીપીકા નામની યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ બન્ને વચ્ચે મનમેળ ન હોઇ દીપીકા તેના પિતાના ઘરે રહેવા માટે જતી રહી હતી.તાજેતરમાં હેમંત પત્નીને તેડવા માટે હુસેપુર ગામ ખાતે ગયો હતો અને ત્યાર બાદ તે રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ જતાં પરિવારજનોએ હેમંતની તપાસ હાથ ધરી હતી. વિવિધ સ્થળે તપાસ કરવા છતાં હેમંતનો કોઇ પત્તો લાગી શક્યો ન હતો અને ત્યાર બાદ તા.૨૯ના રોજ તેનું સ્કૂટર ઇટોલા વિશ્વામિત્રી બ્રિજ પરથી મળી આવ્યું હતું.


માજી મેયર સુનીલ સોલંકી વિરુદ્ધ નારા લગાવાયા

માજી મેયર સુનીલ સોલંકી વિરુદ્ધ નવી ધરતીમાં નારા લગાવાયા. શહેરના નાગરવાડા - નવી ધરતી વિસ્તારમાં આજે બપોરે પ્રચાર માટે વોર્ડનં-૯ના ભાજપના ઉમેદવારો નિકળ્યા હતા. ત્યારે રહીશોના ટોળાએ તેમને અટકાવ્યા હતા. અને સુનીલ સોલંકી વિરુદ્ધ નારા લગાવીને હુરિયો બોલાવીને ફટાકડાની લૂમ પણ ફેંકતાં દેતાં એક તબક્કે મામલો વણસ્યો હતો અને પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.સુનિલ સોલંકીએ જણાવ્યું હતું કે, અગાઉ હું આ વિસ્તારનો કાઉન્સિલર ન હતો અને આજે મારા વિરુદ્ધ જ સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા. જેની પાછળ આ વિસ્તારના ચોક્કસ માથાભારે અસામાજિક તત્વોનું કારસ્તાન છે.




મહિલા ઉમેદવારો માત્ર હાથ ઊંચો કરવા માટે

મહિલા અનામત જોગવાઈનો સાચો ફાયદો નથી મળતો. દરેક પક્ષમાં એકાદ બે મહિલા જ પ્રતિભાશાળી અન્યને માત્ર રાજકીય ગોઠવણ કરવા જ તક અપાઇ.ગ્રામ પંચાયતથી લઇને સંસદ સુધી મહિલાઓને પણ પ્રતિનિધિત્વની તક મળે અને તેઓ પણ ચૂંટાય તે માટે અનામત બેઠકોની જોગવાઇ છે પરંતુ મોટાભાગે આ મહિલાઓ શોભામાં અભિવૃદ્ધિ કરવા જ બેસતા હોય છે તેવું જ આ વખતે પણ છે. કારણ કે આજ સુધી જે જે પ્રક્રિયા થઇ તેમાં ફોર્મમાં સહી કરવા સિવાય બન્ને પક્ષના કોઇ મહિલા ઉમેદવાર ક્યાંય સક્રિય રીતે દેખાયા નથી. તેઓ જાણે ચૂંટણી લડવામાં પણ પત્નીધર્મ કે પુત્રીધર્મ નિભાવી રહ્યાં છે.કોઇ મહિલા ચૂંટાઇને જાય તો સમાજની બહેનોના પ્રશ્નો હલ થાય તેવી કલ્પના કાગળ પર જ રહે તેવી સ્થિતિ ફરી ઊભી થાય તેવી શક્યતા છે. પ્રચારમાં મહિલા ઉમેદવારો નીકળે છે. પરંતુ તેઓ કાંઇ જ બોલતા નથી. તેમના વતી તેમના તમામ વહીવટ તેમના ‘ઇ’ સંભાળે છે. કોઇ પણ સિનિયર કોર્પોરેટર પરિચય કરાવે ત્યારે કહે છે કે આ અમારા સાથી ઉમેદવાર અને આ બીજા ઇ ઉમેદવારના ઘરવાળા ! કાનૂની કાર્યવાહીમાં ક્યાંય કોઇ મહિલા કોર્પોરેટર નથી દેખાતા. કોંગ્રેસ અને ભાજપ બન્ને પાસે મૌલિક પ્રતિભા ધરાવતા હોય શિક્ષિત હોય તેવા ગણતરીના મહિલા ઉમેદવારો છે. તે સિવાય તમામ ફ્કત સવૉનુમત પસાર કરવાની દરખાસ્તમાં હાથ ઊંચા કરવા માટે જ છે.જે જે વોર્ડમાં મહિલાઓને પક્ષોએ ટિકિટ આપી છે તે પણ તેમની લાયકાતને લીધે નહીં પરંતુ ક્યાંક જ્ઞાતિનું ફેકટર છે. ક્યાંક કોઇ પુરુષ ઉમેદવારને ટિકિટ આપી શકાય તેમ ન હોય તેથી તેમના પત્નીને તક અપાઇ છે તો કોઇ અગાઉ ચૂંટણી લડી ચૂક્યા હોય અને બીજી વાર ટિકિટ ન આપી શકાય તેમ હોય તેવા લોકોની પત્નીને પણ પાર્ટીએ તક આપી છે. મહિલા ઉમેદવારો અલબત્ત ચુંટાશે પરંતુ વાસ્તવમાં શાસનમાં તેમની ભાગીદારી નહી હોય.


કલીમુદ્દીનનો ભાણેજ જમાઈ રહસ્યમય રીતે ગુમ..!

સીબીઆઈએ નિવેદન લીધું ત્યારથી નકસલી ઈન્ફોર્મર નઈમુદ્દીન ઉર્ફે કલીમુદ્દીન ભોંગીરનો ભાણેજ જમાઈ ફઈમ રહસ્મય રીતે લાપતા બન્યો છે. આ બાબતે ફઈમની પત્ની સાજીદાએ ગ્રેટર હૈદરાબાદના વનસ્થલીપુરમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નઈમુદ્દીન ઉર્ફે કલીમુદ્દીન પોતે એક ભેદી વ્યક્તિત્વ છે અને આવામાં સીબીઆઈ દ્વારા નિવેદન લેવાયાના દિવસે જ ફઈમ ગુમ થતાં અનેક પ્રકારની અટકળો સેવાઈ રહી છે.નવેમ્બર ૨૦૦૫માં સોહરાબુદ્દીન અને તેની પત્ની કૌસરબી નઈમુદ્દીન ઉર્ફે કલીમુદ્દીને ઈદ મળવા હદરાબાદ ગયા હતા અને ત્યાંથી સાંગલી જતી વખતે ગુજરાત એટીએસે તેમનું અપહરણ કરીને મોતને ઘાટ ઉતાર્યા હોવાની હકીકતના આધારે ૨૭મી માર્ચ ૨૦૧૦ના રોજ સીબીઆઈના ડી વાય એસ પી ગીરેની ટીમ નિવેદન લેવા સલીમાની દીકરી સાજીદાના ઘરે પહોંચી હતી. બપોરના સુમારે સીબીઆઈ સાજીદા અને તેના પતિ ફઈમના જવાબો લીધા હતા. સાંજે શોપિંગ કરીને આવું છે તેમ કહીને ફઈમ ઘરેથી બહાર નીકળ્યા હતા. તે પછી તેઓ આજદિન સુધી પરત આવ્યા નથી.આ બાબતે સાજીદાએ ગ્રેટર હૈદરાબાદના વનસ્થલીપુરમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. સાજીદાની મુશ્કેલી એ છે કે તેની માતા સલીમા ક્યાં રહે છે તે તેને ખબર નથી. મામા નઈમુદ્દીન ઉર્ફે કલીમુદ્દીન નકસલી ઈન્ફોર્મર હોવાથી તે ક્યાં અને કેવી રીતે રહે છે તે પણ તેને ખબર નથી. માતા ક્યારેક ક્યારેક તેને મળવા આવી જાય છે પરંતુ જ્યારે જ્યારે સાજીદા તેમને સરનામું પૂછે છે ત્યારે સલીમા ઉશ્કેરાઈને તેને ના પાડી દે છે.ફઈમના ગુમ થવાની ઘટનાની સીબીઆઈએ પણ ગંભીર નોંધ લીધી છે અને તે ક્યાં અને કેવી સ્થિતિમાં છે તે અંગે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. બીજી બાજુ હૈદરાબાદ પોલીસ પણ ફઈમને શોધવા મથી પડી છે.


આ તે કોમનવેલ્થ છે કે ‘કોંગ્રેસવેલ્થ’?: મોદીનો સવાલ

નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સમાં થયેલું ૭૦ હજાર કરોડનું કૌભાંડ આઝાદ ભારતનું સૌથી મોટું કૌભાંડ હોવાનો સંગીન આરોપ મૂક્યો છે. આ કોમનવેલ્થ છે કે ‘કોંગ્રેસવેલ્થ’ ? તેવો સોંસરો સવાલ પણ તેમણે કર્યો હતો.શુક્રવારે સરસાણા ખાતે ભાજપના વિજય વિશ્વાસ સંમેલનને સંબોધતાં મોદીએ એમ પણ ઉમેર્યું કે સ્વ. રાજીવ ગાંધી કહેતા હતા કે કેન્દ્રમાંથી એક રૂપિયો મોકલાય છે તો ગરીબો સુધી માત્ર ૧૫ પૈસા જ પહોંચે છે, તો બાકીના ૮૫ પૈસાનું તો ‘કોમનવેલ્થ’ જ થઈ જાય છે ને? તેથી રાજીવના જમાનાથી ‘કોમનવેલ્થ’ ચાલે છે.ઉપરોક્ત શબ્દો મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રચાર માટે કાર્યકરોને દિશા નિર્દેશ આપવા માટે શહેરમાં આવેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હતા. તેમણે પોતાના ૪૫ મિનિટના સંબોધનમાં ૨૫ મિનિટનો સમય સ્વ. અશોક ભટ્ટનાં સંસ્મરણોને રજુ કરીને તેના માધ્યમથી ભાજપના કાર્યકરોને શિખામણ આપવામાં કાઢ્યો હતો.જોકે, મુખ્યમંત્રીએ સીબીઆઈનો દુરુપયોગ, કોમનવેલ્થમાં ભ્રષ્ટાચાર, તમામ મોરચે નિષ્ફળતા જેવા મુદ્દાઓ ઉપર યુપીએ સરકારની આકરી ઝાટકણીઓ કાઢી હતી અને આ મુદ્દાઓ લઈને ચૂંટણીમાં લોકો સમક્ષ જવા માટેનું આહ્વાન કર્યું હતું.આ ચૂંટણી માત્ર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તા મેળવવા માટે નહિ પરંતુ કેન્દ્ર દ્વારા ગુજરાત ઉપર થતાં જુલ્મ સામે અવાજ પહોંચાડવાનું માધ્યમ હોવાનું જણાવીને તેમણે કેન્દ્ર સરકાર સામે એક નવો પડકાર ફેંક્યો હતો.ચેમ્બર ઓફ કોમર્સના સરસાણા કન્વેન્શન સેન્ટરમાં નિર્ધારિત સમયથી એક કલાક મોડા પહોંચેલા મુખ્યમંત્રી મોદીએ પોણો કલાક સુધી કાર્યકરો અને ઉમેદવારોને સંબોધન કર્યું હતું. તેમાં ૨૫ મિનિટ સુધી તેમણે સ્વ. અશોક ભટ્ટની ૫૩ વર્ષની રાજકીય કારકિર્દીનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં.


એક્ટર અજય દેવગણ બિલ્ડર બન્યો: બે પ્રોજેક્ટ શરૂ કરશે

ફિલ્મ અભિનેતા અને નિર્માતા અજય દેવગણે હવે રિયલ એસ્ટેટ ક્ષેત્રે પદાર્પણ કર્યું છે. તેણે રોહા ગ્રુપ સાથે ટાઈ અપ કરીને રહેઠાણનાં અને ધંધાદારી (રેસિડેન્શિયલ એન્ડ કમિર્શયલ) સંકુલો બાંધવાની યોજના ઘડી છે. રોહા ગ્રુપ સાત વર્ષોથી બાંધકામ ક્ષેત્રે સક્રિય છે અને તેમાં સિદ્ધહસ્તતા ધરાવે છે.તાજેતરમાં એક રિયલ એસ્ટેટ ઈવેન્ટ બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં અજય દેવગણે જણાવ્યું હતું કે ‘‘મકાનો, જગ્યાઓમાં હું નિયમિત મૂડીરોકાણ કરું છું. મને બ્રાન્ડેડ પ્રોડકટસ માટે ભરપૂર શક્યતાઓ જણાય છે. હું ઘણા વખતથી આ ક્ષેત્રે પદાર્પણ માટે યોગ્ય સહયોગીની શોધમાં હતો. એ શોધ પૂરી થઈ છે. ‘રોહા ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ કંપની સાથે આ વ્યવસાયમાં આગળ વધવું મને વ્યવહારુ લાગે છે. તેમને આ ક્ષેત્રનો સાત વર્ષનો અનુભવ છે.’’ તેમની કંપની અજય દેવગણ ઈન્ફ્રાસ્ટ્રકચર (એડીઆઈ) મુંબઈમાં એક રેસિડેન્શિયલ અને એક કમિર્શયલ પ્રોજેક્ટસ હાથ ધરશે.રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ ‘એડીઆઈ વેસ્ટ કોસ્ટ’ વર્સોવામાં અને કમિર્શયલ બિલ્ડિંગ ‘એડીઆઈ ઈગો’ વિલે પાર્લે (પૂર્વ)માં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર બંધાશે. રહેણાકોનું મકાન વર્સોવામાં ૬૦ હજારથી ૭૦ હજાર ચો. ફૂટના ક્ષેત્રમાં બંધાશે. લકઝરી કક્ષાનાં રહેઠાણો ધરાવતા એડીઆઈ વેસ્ટ કોસ્ટમાં પાંચ પોડિયમ્સ અને બાર માળ રહેશે. પ્રત્યેક માળ પર પાંચ હજાર ચો. ફૂટનો એક ફ્લેટ રહેશે અને ફ્લેટો આમંત્રણથી વેચાશે. કમિર્શયલ કોમ્પ્લેકસ ચાર માળનો રહેશે,’’ એમ અજયે જણાવ્યું હતું.

No comments:

Post a Comment