02 October 2010

અયોધ્યાનો ચુકાદો: માહોલ ઠંડો, રાજકારણ ગરમ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



અયોધ્યાનો ચુકાદો: માહોલ ઠંડો, રાજકારણ ગરમ

અયોધ્યા વિવાદ પર હાઈકોર્ટના ચુકાદા બાદ હિંદુ અને મુસ્લિમો વચ્ચે કોઈપણ પ્રકારની ઉશ્કેરાટપૂર્ણ પ્રતિક્રિયા ન થવા છતાં કોમવાદી રાજકારણના સુરમાઓએ રાજકીય રોટલા શેકાશેની આશા છોડી નથી. લગભગ બે દશક પહેલા ઉત્તર પ્રદેશની રાજનીતિ બદલનારા અયોધ્યા મુદ્દા પર ચુકાદો આવ્યા બાદ ભાજપ અને સમાજવાદી પાર્ટી માની રહી છે કે આ મુદ્દો હજી પણ તેમના માટે વોટબેંકો અંકે કરવાનું માધ્યમ બની શકે છે.ચુકાદાના એક દિવસ બાદ મુલાયમ સિંહ યાદવે કહ્યું હતું કે આ ચુકાદાથી દેશના મુસલમાનો પોતાને છેતરાયેલા અનુભવી રહ્યાં છે. 1990ની યાદ આપવાતાં પોતાના નિવેદનમાં મુલાયમે કહ્યું હતું કે બંધારણ અને કાયદાના રક્ષણ માટે ટસથી મસ થયા વગર કર્તવ્યનું પાલન કર્યું. માનવામાં આવે છે કે રાજ્યમાં ઘણો જનાધાર ગુમાવી ચુકેલી સમાજવાદી પાર્ટી અને ભાજપ આ ચુકાદામાં ફરીથી કોમવાદી ધ્રુવીકરણની તક જોઈ રહ્યાં છે.ગત ચૂંટણીમાં દલિત, મુસ્લિમ અને બ્રાહ્મણ સમુદાયના ગઠજોડથી સત્તામાં આવનારી બહુજન સમાજ પાર્ટી કોઈ એક સમુદાયાનો પક્ષ લેવાનું જોખમ ઉઠાવી શકે તેમ નથી. આવી સ્થિતિ કોંગ્રેસ સાથે પણ છે. ગત એક-બે વર્ષથી કોંગ્રેસને પણ આ વર્ગોમાંથી સમર્થન મળવાની આસા છે. આ ચુકાદો મુસ્લિમ અને હિંદુ વોટરોને કેટલો પ્રભાવિત કરે છે. તે આવનારા દિવસોમાં ખબર પડશે. પરંતુ સમાજવાદી પાર્ટી અને ભાજપ પાસે ઉત્તર પ્રદેશમાં જનાધાર પાછો મેળવવા માટે અન્ય કોઈ વિકલ્પ બાકી બચતો નથી.રાજધાની નવી દિલ્હીમાં સંઘના મુખ્ય પદાધિકારીઓએ પરસ્પર વાતચીતમાં એ કહેવાનું શરૂ કરી દીધું છે કે ચુકાદો ચાહે જે તથ્યો પર આધારીત હતો, પરંતુ જમીન ત્રણ ભાગમાં વહેંચવા સંબંધી નિર્દેશ પૂર્ણપણે રાજકીય છે. જો કે હાલ સાર્વજનિક રીતે સંયમ રાખી રહેલા સંઘના નેતાઓ તરફથી પણ સંકેતો છે કે તેઓ સમગ્ર જમીન માટે આંદોલનની શરૂઆત કરવામાં વાર લગાડશે નહીં. જો કે હાલ ભાજપના નેતા બિહારમાં પોતાની રણનીતિમાં કોઈપણ પ્રકારના પરિવર્તનનો ઈન્કાર કરી રહ્યાં છે.




હવે જ્હોન્સન-પેઇન ભારત માટે માથાનો દુખાવો

મોહાલી ટેસ્ટના પ્રથમ દિવસે 224-5થી અધૂરી રહેલી ઓસ્ટ્રેલિયાની પ્રથણ ઇનિંગને બીજા દિવસે શેન વોટ્સન(101) અને ટિપ પેઇન(2)એ આગળ વધાવી હતી. બીજા દિવસનો પ્રથમ સેશન ભારતના નામે રહ્યો છે. હરભજન સિંહે ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન શેન વોટ્સનના રન અભિયાનનો અંત 126 પર લાવી દીધો હતો. વોટ્સને 338 બોલનો સામનો કરીને 126 રન બનાવ્યા હતા.લંચ સુધી લાગતું હતું કે બીજા દિવસે ભારતીય બોલરોનું વર્ચસ્વ રહેશે. પરંતુ શેન વોટ્સનની વિકેટ પડ્યા બાદ પેઇન અને જ્હોન્સન ભારતીય બોલરોને પરેશાન કરી રહ્યાં છે અને ઓસ્ટ્રેલિયાના સ્કોરબોર્ડને આગળ ધપાવી રહ્યાં છે. પેઇન 50 તો જ્હોનસન 35 રન સાથે રમતમાં છે. ઓસ્ટ્રેલિયાએ છ વિકેટ ગુમાવીને 336 રન બનાવી લીધા છે.આ પહેલા પ્રથમ દિવસ ઓસ્ટ્રેલિયન ઓપનિંગ ખેલાડી શેન વોટ્સન, ભારતીય બોલર ઝહીર ખાન અને પોન્ટિંગ-ઝહીર વિવાદનો રહ્યો હતો. શેન વોટ્સને પ્રથમ દિવસે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. તો બીજી તરફ ઝહીર ખાને શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કરતા ત્રણ વિકેટ મેળવી હતી.આ બધાની વચ્ચે પોન્ટિંગ અને ઝહીર ખાન વચ્ચે બોલાચાલી પણ થઇ હતી. થોડાક સમય માટે મામલો ગરમાયો પણ હતો. આઉટ થયા બાદ પોન્ટિંગ પેવેલિયન તરફ જઇ રહ્યો હતો. પરંતુ ઝહીર ખાન દ્વારા ટીપ્પણી કરવામાં આવી હતી.જેને સાંભળીને પોન્ટિંગ પરત ફર્યો હતો અને ઝહીર ખાન સાથે બોલાચાલી કરી બેટ બતાવ્યું હતું. બાદમાં અમ્પાયર બાઉડને દખલગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો. દિવસના અંતે બોલાચાલી સબબ સમન આપવામાં આવ્યું છે. જો કે કોઇ દંડ ફટકારવામાં આવ્યો નથી.


પોન્ટિંગ સાથેની બોલાચાલીમાં ઝહીર ખાનને સમન

મોહાલી ખાતેની ટેસ્ટ મેચ દરમિયાન પોન્ટિંગ સાથે થેયલી ઉગ્ર બોલાચાલી સંદર્ભે ભારતીય બોલર ઝહીર ખાનને નોટીસ ફટકારવામાં આવી છે. જો કે, તેને કોઇ દંડ ફટકારવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું નથી.આ ઘટના મેચના પ્રથમ દિવસની 42મી ઓવર દરમિયાન ઘટી હતી. બોલિંગ હરભજન સિંહ નાંખી રહ્યો હતો. જેમાં વોટ્સને બોલને ફટકારીને પોન્ટિંગને રન લેવા માટે જણાવ્યું હતું. જો કે, પોન્ટિંગ ક્રિઝ પર પહોંચે તે પહેલા સુરેશ રૈનાના ડાયરેક્ટ થ્રોથી તે આઉટ થયો હતો.આઉટ થયા બાદ પોન્ટિંગ પેવેલિયન તરફ જઇ રહ્યો હતો. પરંતુ ઝહીર ખાન દ્વારા ટીપ્પણી કરવામાં આવી હતી. જેને સાંભળીને પોન્ટિંગ પરત ફર્યો હતો અને ઝહીર ખાન સાથે બોલાચાલી કરી બેટ બતાવ્યું હતું. બાદમાં અમ્પાયર બાઉડને દખલગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો.ઝહીર ખાનને સમન અંગે ટીમ અધિકારી મયંક પરિખે જણાવ્યું કે, એ માત્ર મૈત્રીપૂર્ણ બોલાચાલી હતી અને ઝહીર ખાનને કોઇ દંડ ફટકારવામાં આવ્યો નથી.


ગાંધી અને માર્ટિન લ્યુથર છે ઓબામાના હીરો

દક્ષિણ અને મધ્ય એશિયાના મામલાના અમેરિકી સહાયક વિદેશ મંત્રી રોબર્ટ બ્લેકે જણાવ્યું છે કે મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયર એ મહાન લોકો છે, જેમને રાષ્ટ્રપતિ બરાક ઓબામા પોતાના હીરો માને છે. બ્લેક કહે છે કે પહેલા આફ્રિકી- અમેરિકી રાષ્ટ્રપતિ ઓબામા એવું માને છે કે ગાંધીજીના કેટલાંક પુસ્તકોએ તેમના જીવન નિર્માણમાં ખાસ્સી મદદ કરી છે.બ્લેકે કેલિફોર્નિયાની સેન ડિએગો સ્ટેટ યુનિવર્સિટીમાં 27મા વાર્ષિક મહાત્મા ગાંધી સ્મૃતિ વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે ઓબામાએ વારંવાર કહ્યું છે કે તેઓ ગાંધી અને કિંગ માર્ટિન લ્યુથરને હીરો માને છે. તાજેતરમાં ઓબામા પોતાની નવી ઓફિસના અનાવરણથી ખૂબ ખુશ છે. આ એક એવી પરંપરા છે, જેને રાષ્ટ્રપતિની ચૂંટણી પતી ગયા પછી નિભાવવામાં આવે છે.આ નવી ઓફિસમાં બરાબર વચ્ચે એક ગાલીચો છે, તેના પર ઓબામાએ ડો.કિંગનો એક મંત્ર લખ્યો છે. આ મંત્રમાં કહેવામાં આવ્યું છે કે નૈતિક બ્રહ્માંડનું ક્ષેત્ર વિશાળ છે, પરંતુ તે ન્યાય તરફ જ નમે છે. બ્લેક કહે છે કે બરાબર એ જ સંવેદના આપણી વિદેશનીતિના એજન્ડાને તૈયાર કરવા તેમજ ભારત સાથે વ્યૂહાત્મક ભાગીદારીમાં મદદ કરે છે. આપણે સહિષ્ણુતા અને બહુલતાવાદના સિદ્ધાંતો પર સ્થાપિત લોકતાંત્રિક દેશ છે, જે આશાવાદ અને જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થાઓથી સંચાલિત છે.તેમણે ઉમેર્યું છે કે ગાંધીના દર્શન અને અહિંસાના માધ્યમથી સામાજિક ન્યાયની ઉત્કૃષ્ટ રણનીતિ સાથે તેમનો સંદેશ હમેશા અનુકૂળ રહ્યો છે. દક્ષિણ અને મધ્ય એશિયા માટે ઓબામા પ્રશાસન તરફથી નિયુક્ત કરાયેલા બ્લેક જણાવે છે કે વિભિન્ન પૃષ્ઠભૂમિમાંથી આવનારા ભારતીયોના શાંતિપૂર્ણ સશક્તિકરણ માટે પોતાના જીવનને સમર્પિત કરતા તેમણે અનેક લોકોને શાંતિ માટે પ્રેરિત કર્યા અને ભવિષ્યમાં બદલાવના વાહકો માટે એક વધુ સારુ ઉદાહરણ રજૂ કર્યું.


કોંગ્રેસ દુશ્મન નંબર એકઃ ઝડફિયા

મહાગુજરાત જનતા પાર્ટીની રચના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની નીતિ રીતિના વિરોધમાં બળવા સ્વરૂપે થઇ હતી પરંતુ આશ્ચર્યની વાત એ છે કે હવે પાર્ટીની દુશ્મની ભાજપ સાથે નહીં પરંતુ કોંગ્રેસ સાથે થઇ ગઇ છે. શુક્રવારે મહાનગરપાલિકાની ચૂંટણી માટે મજપાનો મેનિફેસ્ટો જાહેર કરવા સુરત આવેલા પક્ષ પ્રમુખ ગોરધન ઝડફિયાએ કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં તેમનો દુશ્મન નંબર-૧ ભાજપ નહીં પરંતુ કોંગ્રેસ છે!ગોરધન ઝડફિયાના આ વિધાનથી જાત-જાતના તર્કવિતર્ક શરૂ થઇ ગયા હતા. શું સીટની તપાસમાં ભેરવાયેલા ઝડફિયાએ ભાજપ સાથે કોઇ સમાધાન કરી લીધું છે? શું આ ચૂંટણીમાં ભાજપ સાથે કોઇ છુપો તાલમેલ છે? કે પછી થોડા સમય પછી પાર્ટીનો ભાજપમાં વિલય કરી દેવાશે?એમજેપીમાં એકને નગારું, બીજાને મીણબત્તી અને ત્રીજાને પંતગ! પત્રકાર પરિષદમાં પક્ષ પ્રમુખ ગોરધન ઝડફિયા, કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડના અધ્યક્ષ ફકીરભાઇ ચૌહાણ અને અન્ય નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે અધિકારીઓ જાણી જોઇને તેમને અન્યાય કરી રહ્યા છે.પાર્ટીએ અગાઉથી જ અરજી કરી હતી કે તેમના તમામ ઉમેદવારોને કોમન સિમ્બલ નગારૂં આપવામાં આવે છતાં નવાપુરા વોર્ડમાં એક ઉમેદવારને નગારૂં, બીજાને મીણબત્તી અને ત્રીજાને પંતગનું સિમ્બલ આપી દેવાયું હતું. વોર્ડ નંબર ૧૭- માતાવાડીના ઉમેદવાર મનુભાઇ બાવડિયાનું ફોર્મ તદ્દન નજીવી કારણસર (૨૫-૪૩ની જગ્યાએ ૨૪-૪૩ લખાઇ ગયું હતું) રદ કરી દેવાયું હતું. આ અંગે તેમને ગાંધીનગર ખાતે મુખ્ય ચૂંટણી કમિશનરને પણ ફરિયાદ કરી હોવા છતાં કોઇ પગલા લેવાયા ન હતા.


કોણ છે બિગ બીની લકી ચાર્મ?

જયા બચ્ચનને લાગે છે કે વિદ્યા બાલન તેની કંપની એબીસીએલ માટે ઘણી જ લકી છે. વિદ્યા એબીસીએલની ફિલ્મમાં કામ કરી ચુકેલી છે અને આ ફિલ્મ ઘણી જ હિટ સાબિત થઈ હતી.એક સમાચાર પ્રમાણે થોડા દિવસો પહેલાં શબાના આઝમીની બર્થડે પાર્ટીમાં જયા બચ્ચને વિદ્યાનાં ભરપેટ વખાણ કર્યા હતાં.જયાએ વિદ્યાને પોતાનાં ગળે લગાડી અને તેનાંથી ઘણી ઉત્ષુક્તાથી મળી હતી. વિદ્યા એબીસીએલની આગામી ફિલ્મમાં પણ નજર આવશે. આ સિવાય તે ફિલ્મ 'થેન્ક યૂ'માં અક્ષય કુમારની પત્નીનાં નાનકડાં રોલમાં પણ નજર આવશે.વિદ્યાને અમિતાભની કંપનીની એક બાદ એક ફિલ્મોમાં જોઈને એજ લાગે છે કે સાચે સાચ તે અમિતાભમાટે લકી મેસ્કોટ બની ચુકી છે.


‘બાપુ લાજવાબ ક્રિકેટર પણ હતા’

મહાત્મા ગાંધીએ ભારત વર્ષને અંગ્રેજોના રાજમાંથી આઝાદ કરાવ્યું છે. એ વાત આપણે બધા જાણીએ છીએ પરંતુ બાપુ એક સારા ક્રિકેટર પણ હતા તે અંગે કદાચ બહું ઓછા લોકો જાણતા હશે.ગાંધીજીની ક્રિકેટ પ્રત્યેની રુચી અંગેનું પ્રમાણ 1958માં ગુજરાતના પત્રકાર હરીશ બૂચના લેખ થકી મળે છે. બૂચ મહાત્મા ગાંધીજીના એક સહપાઠીને મળ્યા હતા. રતીલાલ ઘેલાભાઇ મહેતા રાજકોટની આલફ્રેડ હાઇ સ્કૂલમાં મોહનદાસ કરમચંદ ગાંધી(મહાત્મા ગાંધી) સાથે ભણતા હતા.મહેતાએ જણાવ્યું હતું કે, ગાંધીજી એક જોશીલા ક્રિકેટર હતા. તે બોલિંગ અને બેટિંગ બન્નેમાં શ્રેષ્ઠ હતા. અહિંસાના પુજારી ગાંધીજીને ક્રિકેટ અંગે સારી એવી જાણકારી હતી.રતીલાલ મહેતાએ એક મેચનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રાજકોટ સિટી અને રાજકોટ કોંટોનમેન્ટ વચ્ચેની મેચ દરમિયાન ગાંધીજીએ એક ખેલાડી અંગે કહ્યું હતું કે આ ખેલાડી આઉટ થઇ જશે અને ત્યારબાદની બોલમાં એ ખેલાડી આઉટ થઇ ગયો હતો.


ચિમ્પાન્જીને મળ્યા વહુરાણી

એકલા રહેનારા જાનવરો હવે લગ્ન જેવા પવિત્ર બંધનમાં બંધાવા માટે ઉતાવળા થઈ રહ્યા છે. તાજેતરમાં જ બે ચિમ્પાન્જી ખરેખર લગ્નની ગાંઠે બંધાયા છે. પૂર્વીય ચીનના એન્હુઈ પ્રાંતની રાજધાનીહેફીના વાઇલ્ડ લાઇફ પાર્કમાં રહેતા એક ચિમ્પાન્જીના પાર્કના સભ્યોએ મળીને એક માદા ચિમ્પાન્જી સાથે લગ્ન કરાવ્યા છે.તસવીરમાં જમણી બાજુ દુલ્હન બનેલી માદા ચિમ્પાન્જીનું નામ વેનજિંગ છે, જે એન્હુઈ પ્રાંતમાં જન્મેલી પહેલી ચિમ્પાન્જી છે. જ્યારે વરરાજા બનેલા ચિમ્પાન્જીને કેટલાંક વર્ષો પહેલા ગિનિયાથી લાવવામાં આવ્યો હતો. હાથમાં હાથ નાખીને ફરી રહેલા આ નવવિવાહિત દંપતિની ખુશીઓ તેમના ચહેરા પર જ ઝળકે છે.


મહાત્મા ગાંધી સંદર્ભે ગેરધારણાંઓમાંથી બહિર્ગમન

મહાત્મા ગાંધી એક એવું વ્યક્તિત્વ કે જેનું જીવન જ સંદેશ છે. પરંતુ આ સંદેશને આપણે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ. બાપુએ બતાવેલો સત્યાગ્રહના રસ્તે ચાલવા માટે આપણે તૈયાર છીએ? સત્યાગ્રહ માટે દ્રઢનિશ્ચયી છીએ? બાપુએ એક વાત શિખવાડી છે કે સત્યાગ્રહ કરવાનો પણ તે અહિંસકપણે કરવાનો. જ્યારે સત્યાગ્રહ કરીએ ત્યારે હિંસાને કેવી રીતે સ્થાન આપી શકાય?વળી તે સત્યાગ્રહ આપણા લોકો સામે હોય કે આપણા લોકો દ્વારા ચાલતી વ્યવસ્થા સામે હોય, ત્યારે તો હિંસાનો સહારો કેવી રીતે લઈ શકાય? ભારતમાં બ્રિટિશ શાસન હતું, પરંતુ તે બ્રિટિશરોના નામે કંપનીના નામે, તાજના નામે તેને અમલમાં મુકાવનારા તો ભારતીયો જ હતા. ભારતીયો જ અંગ્રેજી સત્તાને ચલાવવાની વ્યવસ્થાના ભાગ હતા. ત્યારે તેવા વખતે સ્વતંત્રતા, સ્વરાજ્યનો સત્યાગ્રહ હિંસક બન્યો હોત, તો તેમા મરનાર અંગ્રેજ ન હોત. અવશ્ય તેમાં મરનારા બ્રિટિશ શાસન વ્યવસ્થાના ભાગ બનેલા ભારતીયો હોત અને તે હિંસા ભારતીયોની હિંસાનું કારણ બનત. આપણાં દેશ ભારતનું સ્વરાજ્ય અને સ્વતંત્રતા ભારતીયોના લોહી વહેવડાવીને મળત, તો તેનાથી ભારતની માતાઓ, અરે ભારતમાતા જ તો દુ: ખી થાત.ભારતીયો સત્યાગ્રહનો આગ્રહ રાખે, તે જરૂરી છે. પરંતુ તેના માટે કોઈ હિંસક માર્ગ અપનાવે પોતાના લોકો સામે તે સર્વથા અનિચ્છનીય બાબત છે. હિંસાથી આ દુનિયાની સમસ્યાઓનું સમાધાન થયું હોય, તેવા ઉદાહરણો ઘણાં ઓછાં હશે. આમ તો હિંસા પોતે જ એક નવી ન ઉકેલી શકાય તેવી સમસ્યા છે. ત્યારે એક સમસ્યા બીજી સમસ્યાનો ઉકેલ કેવી રીતે બની શકે? હવે દેશ-દુનિયા મધ્યયુગીન બર્બર માનસિકતામાંથી બહાર આવી રહી છે. આપણે હિંસાને પાછળ છોડીને આગળ વધી ગયા છીએ.


કોંગ્રેસ દુશ્મન નંબર એકઃ ઝડફિયા

મહાગુજરાત જનતા પાર્ટીની રચના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની નીતિ રીતિના વિરોધમાં બળવા સ્વરૂપે થઇ હતી પરંતુ આશ્ચર્યની વાત એ છે કે હવે પાર્ટીની દુશ્મની ભાજપ સાથે નહીં પરંતુ કોંગ્રેસ સાથે થઇ ગઇ છે. શુક્રવારે મહાનગરપાલિકાની ચૂંટણી માટે મજપાનો મેનિફેસ્ટો જાહેર કરવા સુરત આવેલા પક્ષ પ્રમુખ ગોરધન ઝડફિયાએ કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં તેમનો દુશ્મન નંબર-૧ ભાજપ નહીં પરંતુ કોંગ્રેસ છે!ગોરધન ઝડફિયાના આ વિધાનથી જાત-જાતના તર્કવિતર્ક શરૂ થઇ ગયા હતા. શું સીટની તપાસમાં ભેરવાયેલા ઝડફિયાએ ભાજપ સાથે કોઇ સમાધાન કરી લીધું છે? શું આ ચૂંટણીમાં ભાજપ સાથે કોઇ છુપો તાલમેલ છે? કે પછી થોડા સમય પછી પાર્ટીનો ભાજપમાં વિલય કરી દેવાશે?એમજેપીમાં એકને નગારું, બીજાને મીણબત્તી અને ત્રીજાને પંતગ! પત્રકાર પરિષદમાં પક્ષ પ્રમુખ ગોરધન ઝડફિયા, કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડના અધ્યક્ષ ફકીરભાઇ ચૌહાણ અને અન્ય નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે અધિકારીઓ જાણી જોઇને તેમને અન્યાય કરી રહ્યા છે.પાર્ટીએ અગાઉથી જ અરજી કરી હતી કે તેમના તમામ ઉમેદવારોને કોમન સિમ્બલ નગારૂં આપવામાં આવે છતાં નવાપુરા વોર્ડમાં એક ઉમેદવારને નગારૂં, બીજાને મીણબત્તી અને ત્રીજાને પંતગનું સિમ્બલ આપી દેવાયું હતું. વોર્ડ નંબર ૧૭- માતાવાડીના ઉમેદવાર મનુભાઇ બાવડિયાનું ફોર્મ તદ્દન નજીવી કારણસર (૨૫-૪૩ની જગ્યાએ ૨૪-૪૩ લખાઇ ગયું હતું) રદ કરી દેવાયું હતું. આ અંગે તેમને ગાંધીનગર ખાતે મુખ્ય ચૂંટણી કમિશનરને પણ ફરિયાદ કરી હોવા છતાં કોઇ પગલા લેવાયા ન હતા.

No comments:

Post a Comment