15 December 2009

06 November Freshener news

06 November Freshener news
સ્વાઈન ફ્લૂમાંથી બહાર આવેલા
નરેન્દ્ર મોદી હવે ઈન્ડોનેશિયા જશે
આજે ‘સાઈબર સ્નેહમિલન : ‘આપની લાગણીનાં ઘોડાપૂરમાં મારી માંદગી તણાઈ ગઈ’: મોદી
સ્વાઇન ફ્લૂમાંથી મુકત થયેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સ્વાસ્થ્ય માટે દેશ-વિદેશમાંથી પ્રેમ, લાગણી, સંવેદના, સ્નેહ, હૂંફ અને પ્રાર્થના સ્વરૂપે શુભેરછા પાઠવનારા સૌ સ્નેહીજનો પ્રત્યે અંત: કરણથી જાહેર આભાર વ્યકત કર્યો છે.
ગોધરાકાંડ પછીના રમખાણો બાદ ઉભી થઈ ગયેલી પોતાની મુસ્લિમ વિરોધીની છાપ ભુંસવા માટે સદાય પ્રયત્ન કરી રહેલા રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હવે મુસ્લિમ દેશ ઈન્ડોનેશીયા જવાની તૈયારી કરી રહ્યા છે. ઈન્ડોનેશીયાની મુલાકાતે જઈને નરેન્દ્ર મોદી પોતાની મુસ્લિમ વિરોધી છાપ ધોઈ નાખવા માગે છે.તાજેતરમાં ઈન્ડોનેશીયાના સાઉથ સુલાવેશી પ્રાંતના ગવર્નર સ્યાવરાલ યાસીન લીમ્પોની આગેવાની હેઠળ એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યું હતંુ અને તેમને ઈન્ડોનેશીયા આવવાનું આમંત્રણ આપ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદીએ આ આમંત્રણનો સ્વિકાર કરી લીધો છે. નરેન્દ્ર મોદી ઈન્ડોનેશીયામાં કાૃષિ અને ઉર્જા ક્ષેત્રે ત્યાંની સરકાર સાથે વ્યાપારીક સંબંધો વિકસાવે તેવી શકયતા છે.તાજેતરની ઓમાનની વિઝીટ દરમિયાન નરેન્દ્ર મોદી સાથે જે થયું તેનાથી તેઓ થોડા વ્યથીત છે અને આ કારણે તેઓ ઈન્ડોનેશીયા જઈ પોતે મુસ્લિમ વિરોધી નથી તેવી છાપ ઉભી કરવા માગે છે. તાજેતરમાં નરેન્દ્ર મોદી ઓમાનની મુલાકાતે ગયા ત્યારે ત્યાંની સરકારે એક સરકારી નિવેદન કરીને કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીને અમે બોલાવ્યા નથી તેઓ એક ખાનગી કંપનીના આમંત્રણથી ઓમાનમાં આવ્યા છે. સ્વાઈન ફ્લુની અસરમાંથી મુક્ત થયેલા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે ૧૧ વાગે વિડિયો કોન્ફરન્સિંગના માઘ્યમથી લોકોને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવશે. આ કાર્યક્રમને ‘સાઈબર સ્નેહમિલન સંમેલન’ નામ આપવામાં આવ્યું છે.

સત્ય ક્યારેય મરતું જ નથી.
મણિનગરની સેન્ટ બ્લેઈઝ સ્કૂલમાં ધો.૭માં ભણતા
૧૨ વર્ષના વિદ્યાર્થીનું હાર્ટએટેકથી ચાલુ શાળાએ વર્ગખંડમાં મોત
મણિનગર વિસ્તારમાં આવેલી સેન્ટ બ્લેઇઝ સ્કૂલમાં ધો.૭માં ભણતા વિદ્યાર્થીને ચાલુ વર્ગખંડમાં જ હાર્ટએટેક આવી જતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. અચાનક બનેલી આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓ અને શાળાનો સ્ટાફ હેબતાઈ ગયો હતો. વિદ્યાર્થીનાં માતા-પિતાએ પોતાના વ્હાલસોયા પુત્રની આંખોનું દાન કર્યું હતું.
ગુજરાત યુનિ. દ્વારા નવા શૈક્ષણિક સત્રના પ્રારંભમાં
કોલેજોમાં છ દિવસથી વઘુ સાંસ્કૃતિક કાર્યક્રમો નહીં ઉજવવા તાકીદ
રાજયની તમામ યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલી કોલેજોમાં આવતીકાલથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ બીજા શૈક્ષણિક સત્રમાં અભ્યાસના દિવસો પુરા કરવા કોલેજોને તાકિદ કરી છે. વિદ્યાર્થીઓની સંખ્યા વઘુ હોય તેવી કોલેજોએ સાંસ્કૃતિક અને ટેલેન્ટ જેવા કાર્યક્રમોમાં છ થી વઘુ દિવસો ફાળવવા નહી તેવી પણ સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
કોલ ઇન્ડિયાએ કોલસાના ભાવમાં રૂ. ૧૦૦નો વધારો કરતાં
ગુજરાતના વીજ ગ્રાહકો પર ૧૮૦ કરોડનો વધારાનો બોજો પડશે
કેન્દ્ર સરકાર હસ્તકના કોલ ઇન્ડિયા દ્વારા કોલસાના ભાવમાં પ્રતિ ટન રૂ. ૧૦૦નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારાથી ગુજરાતમાં વીજ ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં ગુજરાતના વીજ ગ્રાહકો પર પ્રતિ યુનિટ ૫ પૈસા ભાવ વધતાં રૂ. ૧૮૦ કરોડનો બોજો પડશે.
વિસાવદરમાં રિસામણે બેઠેલી પત્નીના રામ રમાડી દીધા
ભરબજારમાં છરીના ઘા ઝીંકી પત્નીને પતાવી દેતો પતિ
વિસાવદરની મુખ્ય બજારમાં આજે બપોરે એક પટેલ યુવાને સરાજાહેર પોતાની પત્ની અને સાળા ઉપર છરી વડે હુમલો કરી પત્નીની હત્યા નિપજાવી નાખી હતી તથા સાળાને ગંભીર ઈજા પહોંચાડી હતી. બંને ભાઈ - બહેન લોહીથી લથપથ હાલતમાં ઢગલો થઈને પડી જતાં લોકોનું ટોળું જમા થઈ ગયું એવામાં આરોપી શખ્સ ત્યાંથી નાસી ગયો હતો.
રાજકોટ-લોધિકા પંથકમાંથી પકડાતી ૨૭ લાખની વીજ ચોરી
વીજ બોર્ડના વીજીલન્સ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર લોધિકા તાલુકાના સાંગણવા અને છાપરા સહિત ત્રણ ફીડરના રહેણાંક વિસ્તારના વીજ જોડાણ ઉપરાંત રાજકોટ રૂરલના ખોખડદડી અને પુનિતનગર ફીડરના વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતાં. આજે વીજ બોર્ડના વીજીલન્સ વિભાગની કુલ ૯૧ ટુકડીઓએ ૨૨૪૫ વીજ જોડાણ ચેક કરતાં તેમાંથી ૧૬૧ વીજ જોડાણમાં વીજ ચોરી પકડાઇ હતી. પરીણામે રૂ. ૨૭.૨૩ લાખની વીજ ચોરીના બિલો આપવામાં આવ્યા હતાં. ગઇકાલ ગોંડલમાંથી રૂ. ૨૨ લાખની વીજ ચોરી પકડાયા બાદ આજે લોધિકાના ગામડામાંથી ૨૭ લાખની વીજ ચોરી પકડાતા બે દિવસમાં રૂ. ૪૯ લાખની પાવર ચોરી પકડાઇ હતી.
તેંડુલકરે ૪૫મી સદી ફટકારી ૧૭ હજાર રનના વર્લ્ડ રેકોર્ડને યાદગાર બનાવ્યો
ભારતીય માસ્ટર બ્લાસ્ટર તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી વન ડેમાં કારકિર્દીના ૧૭,૦૦૦ રન પુરા કરવાની સાથે ૪૫મી સદી ફટકારતા ભારતીય ચાહકો ઉજવણીના મુડમાં આવી ગયા હતા. તેંડુલકરે તેની શ્રેષ્ઠતાની સાબિતી આપતાં ઓસ્ટ્રેલિયાએ આપેલા ૩૫૧ રનના જંગી જુમલા સામે સ્હેજ પણ દબાણમાં આવ્યા વિના શાનદાર શતક ફટકાર્યુ હતુ. એકલવીરની જેમ બેટીંગ કરતાં તેંડુલકરે માત્ર ૮૧ બોલમા ૧૦૦ રન પુરા કરી ઓસ્ટ્રેલિયાને જોરદાર જવાબ આપ્યો હતો.
બાંગ્લાદેશે રોમાંચક મુકાબલામાં એક વિકેટથી ઝિમ્બાબ્વેને પરાજય આપ્યો
ઇસ્લામના ૪ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૯૦ બોલમાં અણનમ૭૩ રનની મદદથી બાંગ્લાદેશે શ્રેણીની પાંચમી અને આખરી વન ડેમાં રોમાંચક મુકાબલા બાદ ઝિમ્બાબ્વેને એક વિકેટથી હાર આપી હતી. બાંગ્લાદેશે આ સાથે પાંચ વન ડેની શ્રેણીમાં ૪-૧થી જીત મેળવી હતી. ટેલરના અણનમ ૧૦૮ રનની મદદથી ઝિમ્બાબ્વેએ ૯ વિકેટે ૨૨૧ રન કર્યા હતા. જીતવા માટે ૨૨૨ રનના પડકારનો પીછો કરતાં બાંગ્લાદેશે એક તબક્કે ૧૮૭ રનમાં ૯ વિકેટ ગુમાવી હતી.
જાહેરક્ષેત્રની 100થી વધુ કંપનીઓ ઈશ્યુ લાવશે
નફો કરતી ૧૦૦થી વધુ સરકારી કંપનીઓ મૂડીબજારમાં પ્રવેશશે તેવી જાહેરાત આજે કેન્દ્ર સરકારે કરતાં મૂડીબજારમાં ભારે ઉત્તેજના ફેલાઇ ગઇ છે. સરકારની જંગી જાહેરાતના પગલે એક તબક્કે ૩૪૫ પોઇન્ટ તૂટી ગયેલા મુંબઇ શેરબજારના સેન્સેકસમાં પણ ૧૫૨ પોઇન્ટનો પ્રત્યાઘાતી સુધારો નોંધાયો હતો.
ગુજરાતમાં ‘યુ ટર્ન’ લઈને કોંગ્રેસ સરકાર રચશે : વાઘેલા
કોંગ્રેસ ક્યારેય નબળી ન હતી અને નબળી પડી નથી. રાજયમાં ભાજપની સત્તા હોવા છતાં ‘અમૂલ’ અને કે.ડી.સી.સી બેંકમાં તથા દેશમાં પણ ત્રણ રાજ્યોમાં ભવ્ય વિજય મેળવી લીધો છે.હવે ગુજરાતમાં પણ ‘યુટર્ન’ લઈને કોંગ્રેસ સરકાર રચવાની છે, તે વાત નિર્વિવાદ છે, તેમ પૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુરુવારે બપોરે બૃહદ ખેડા જિલ્લાના કોંગી અગ્રણીઓ અને કાર્યકરોના સ્નેહસંમેલનને સંબોધતાં જણાવ્યું હતું. કોંગી કાર્યકરોને મતભેદ ભૂલીને પક્ષ માટે કામ કરવા પણ હાકલ કરી હતી.
રાજપીપળામાં રહે છે અમિતાભના ગુરૂ !!
હિન્દી ફિલ્મોના વિતેલા સમયના નિર્માતા અને દિગ્દર્શક સુરેન્દ્રસિંહ ગોહિલ આગામી દિવસોમાં ઇટાલીયન કંપની સાથે મળી આદિવાસી સંસ્કતિ પર આધારિત ફિલ્મના નિર્માણ કરવા જઇ રહ્યાં છે. હાલમાં તેઓ રાજપીપળામાં નિવૃત્ત જીવન ગાળી રહ્યાં છે.
વંદે માતરમ્ સામેના ફતવા વિરુદ્ધ વિહિપનાં ધરણાં
મૌલવીઓએ વંદે માતરમ્ વિષે જાહેર કરેલા ફતવા સામે અવધ પ્રદેશ વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારોએ વિરોધ વ્યકત કરવા વિધાનભવન સામે ધરણાં કરતાં મોટા આંદોલનની ચીમકી આપી હતી. વિહિપના કાર્યકરોએ રાષ્ટ્રગીતનું અપમાન કરવા બદલ કેન્દ્ર સરકારે પગલાં લેવા જોઇએ એ મુજબની માગણી કરી હતી. સંગઠનના હોદ્દેદાર અમ્બુજ કુમાર ઓઝાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રગીત વંદે માતરમ્ કોઇ ધર્મનો વિરોધ કરતું નથી અને તેને ધર્મ સાથે સાંકળવું જોઇએ નહીં. તેનું ગાન કરીને તેનું ગૌરવ જાળવવું જોઇએ. વિહિપએ રાષ્ટ્રવિરોધી વિધાનો થયા હોવા છતાં ગૃહપ્રધાને જાળવેલા મૌન બદલ જાહેર માફી માગવી જોઇએ એવી પણ માગણી કરી હતી.
પાંચ વર્ષનાં બાળકો માટે સેક્સના ફરજિયાત ક્લાસ !
બ્રિટિશ સરકારે માત્ર પાંચ વર્ષની ઉમરનાં બાળકો માટે શાળામાં સેકસ અને ડ્રગ્સનું શિક્ષણ ફરજિયાત બનાવવાની યોજના જાહેર કરતાં ભારે વિવાદ ઊભો થયો છે. વાલીઓએ આક્રોષ વ્યકત કરીને કહ્યું છે કે આ યોજના તેમના અધિકારો પર તરાપ છે. ગુરુવારે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે જાહેર કરાયેલા સુધારા મુજબ બ્રિટિશ રાષ્ટ્રીય અભ્યાસક્રમમાં પાંચ વર્ષની ઉમરથી શાળામાં વિધાર્થીઓ માટે પર્સનલ, સોશિયલ અને હેલ્થ એજયુકેશનનો નવો વિષય ઉમેરાશે, જેમાં બાળકોએ ફરજિયાતપણે સેકસ અને ડ્રગ્સનું શિક્ષણ લેવાનું રહેશે.
બેલ્જિયમના પ્રવાસીઓ સિદ્ધપુરમાં
સિદ્ધપુરના કાત્યોકના મેળાનું મહત્વ હવે વિદેશોમાંથી આવતાં સહેલાણીઓ પણ સમજતા થયા છે. ગુરુવારે બેલ્જિયમના ટુરિસ્ટોએ માતૃગયા ધામની મુલાકાત લીધી હતી. પુષ્કર, ફાગવેલના મેળા માણ્યા બાદ વૌઠા, અંબાજી અને દ્વારકા થઇને સિદ્ધપુરનો મેળો, વહોરા સમાજના મકાનો તેમજ રૂદ્રમહાલય નિહાળવા પધાર્યા હતા. વ્હોરા સમાજના મકાનો જોઇને તેઓ રોમમાં ફરતા હોય તેવી અનુભૂતિ વ્યકત કરી તે બંધ પડયાં હોવાનું દુ:ખ તેમણે વ્યકત કર્યું હતું.
સરકાર રચવા અંગે સસ્પેન્સ યથાવત્
વિધાનસભાની ચૂંટણીમાં જનમત મળવા છતં મલાઈદાર ખાતાં મેળવવાની હોડમાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે સર્જાયેલી મડાગાંઠ અને રાજયપાલ એસ. સી. જમિરે લગાવેલી ફટકાર બાદ કોંગ્રેસે ૪૮ કલાકમાં સરકાર સ્થાપવાની આપેલી ખાતરી વચ્ચે ગુરુવારે સસ્પેન્સ યથાવત રહ્યું હતું.
તામિલનાડુમાં વરસાદ યથાવત્
તામિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગુરુવારે પણ વરસાદનું જોર યથાવત્ રહ્યું હતું. હવામાનખાતાએ જણાવ્યું હતું કે આગામી બે દિવસ સુધી હજુ પણ વરસાદની શકયતા છે. તામિલનાડુના ઉત્તર અને પોડિંચેરી સહિત દક્ષિણ કાંઠા વિસ્તારોમાં વરસાદની આગાહી છે. ગુરુવારે સવારે ૮:૩૦ કલાક સુધીમાં રામેશ્વરમમાં આઠ સેમી વરસાદ નોંધાયો હતો જયારે મયીલાદુથુરાઈ અને તરંગમવાડીમાં છ સેમી વરસાદ નોંધાયો હતો.
પત્નીએ પતિને પહેલા લિવર અને પછી કિડની આપી
ધાર્મિક કથા અનુસાર સતી સાવિત્રીની જીદ આગળ યમરાજે પણ તેમનું યમપાશ પાછું ખેચવું પડયું હતું. હિંદુ સંસ્કતિમાં આ ઘટનાને દેશની કરોડો પરિણીતાઓ પોતાનાં જીવનનું પરમ સત્ય માનીને તેનું અનુસરણ કરવા પ્રયાસ કરતી હોય છે.આવાજ એક અનુસરણમાં પીપલોદના શારદાબેને પોતાની કિડની અને લીવર બન્નેનું ખુદ પોતાના જ પતિને દાન કરીન સુહાગ સાથે જ દેશમાં આવા સૌ પ્રથમ દાતા બનવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત કરી લીધું છે.
ભારત-ઓસી.ની મેચમાં ઉત્તેજના : રસ્તા સૂમસામ
ભારત-ઓસ્ટ્રેલિયાની મેચમાં ઓસ્ટ્રેલિયાના વિશાળ સ્કોર સામે ભારતીય સ્ટાર સચિન તેંડુલકરની સ્ફોટક બેટિંગના લીધે ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્તેજના ફેલાઇ ગઇ હતી. મેચની અંતિમ ક્ષણોમાં શહેરના રસ્તા સૂમસામ બની ગયા હતા અને તમામ લોકો ટીવી સામે ચોંટીને બેસી ગયા હતા. છેલ્લી ક્ષણ સુધી રોમાંચિત બનેલી મેચમાં ભારતનો પરાજ્ય થતાં ક્રિકેટપ્રેમીઓ નિરાશ થયા હતા. જોકે સચિનની સ્ફોટક બેટિંગને જોઇ ચાહકો આફરીન પોકારી ગયા હતા.
જોબમાં સ્ટ્રેસનું હાઇ લેવલ ડાયાબિટીસને નોતરે છે!
બેઠાડું જીવન, અસમતોલ આહાર, જંક ફૂડની ટેવ અને ઓછો શારીરિક શ્રમ ડાયાબિટીસને આમંત્રણ આપવા પૂરતો છે. ભારત જેવા વિકસતા દેશમાં રહેતા લોકોની બદલાયેલી જીવનશૈલીના ભાગરૂપે દેશમાં દર ૧૦માંથી એક વ્યકિત ડાયાબિટીસનો શિકાર થઇ રહી છે.ડાયાબિટીસના વધતા વ્યાપને અટકાવવા માટે શહેરમાં‘રિસર્ચ સોસાયટી ફોર ધી સ્ટડી ઓફ ડાયાબિટીસ ઇન ઇન્ડિયા’દ્વારા એક આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરાયું છે. જેની ભવ્ય શરૂઆત ગુરુવારે યુનિવર્સિટી ગ્રાઉન્ડના પ્રદર્શન હોલ ખાતે થઇ છે.
હમણાં ભાજપાનો ખરાબ સમય ચાલે છે : મેનકા ગાંધી
‘જેમ બીજા બધા પક્ષોનો ખરાબ સમય આવતો હોય તેવી રીતે જ હાલમાં ભાજપનો ખરાબ સમય ચાલી રહ્યો છે’ તેમ વડોદરાની મુલાકાતે આવેલા માજી કેન્દ્રિમંત્રી અને ગાંધી પરિવારના મેનકા ગાંધીએ જણાવ્યું હતું. તેઓ સંસદીય સચિવ યોગેશભાઇ પટેલના દીકરાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યાં હતાં.
૯-૯-૯ના દિવસે જન્મનારને માના હાથે જ મોત મળ્યું
૦૯-૦૯-૦૯ની મેજિક તારીખે જન્મનાર વ્યકિતનું ભવિષ્ય કેવું હોય? જયોતિષીઓએ આ વિશે ભાત ભાતના વરતારા કર્યા હશે.પણ વાસ્તવિકતામાં કુદરતે દરેક વ્યકિતની કહાની કાંઈ અલગ જ લખી હોય છે. આ કહાનીનું ભવિષ્ય કથન કોઈ કરી શકતું નથી. ગઈ કાલે જન્મદાત્રીના હાથે જ મોત મેળવનાર બે મહિનાના ભયલુંનો જન્મ પણ મેજિક ડેટ ૦૯-૦૯-૦૯ના રોજ જ થયો હતો.
ગોંડલ રોડ પર ટ્રાફિક બંધ થતા વેપારીઓ વિફર્યા
મહાપાલિકાના મોસ્ટ કોમ્પ્લીકેટેડ ગણાતા પ્રોજેકટ ગોંડલ રોડ ફ્લાય ઓવરબ્રિજના કામમાં થઈ રહેલા વિલંબથી રોડની બન્ને સાઈડ ધંધાને પડતી મુશ્કેલી ઉપરાંત ટ્રાફિક બંધ થતાં વિફરેલા વેપારીઓના ટોળાંએ આજે સવારના સમયે ત્યાં તોડફોડ મચાવી દીધી હતી. જો કે, મામલો વધુ વિફરે એ પહેલા ત્યાં પહોંચી ગયેલી પોલીસે વેપારીઓ સાથે સમજાવટથી કામ લીધું હતું.

સારી નોકરીની આશાએ ગયેલા યુવાનને મલેશિયામાં શૌચાલય સાફ કરવા પડ્યાં
આજની પેઢીના શિક્ષિત યુવાનોમાં વિદેશમાં નોકરી કરવાની ધેલછા જોવા મળે છે. પરંતુ એજન્ટના ભરોસે મલેશિયા નોકરી કરવા ગયેલા રાજકોટના યુવાન ઉપર થયેલા અત્યાચાર અને જુલમની આપવીતી સાંભળ્યા પછી વિદેશમાં નોકરી મેળવતા પહેલાં ૧૦૦ વખત વિચાર કરવો પડે તેવી વિગતો બહાર આવી છે.
એમ.એ.ની પરીક્ષામાં બીજા દિવસનું પેપર ધાબડી દેવાયું
ફોર સ્ટારમાંથી ટુ સ્ટાર થઈ ગયેલી અને ભગા કરવા માટે કુખ્યાત બનેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણવિદોએ વધુ એક વખત ભગો કર્યો હતો. એમએની પરીક્ષામાં બીજા દિવસનું પેપર આપી દેવાયું હતું. જો કે આ અંગે જાણ થઈ જતાં છબરડાં પર ઢાંકપીછોડો કરી દેવામાં આવ્યો હતો અને અડધી કલાક પરીક્ષા મોડી શરૂ થઈ હતી. તેના બદલામાં વિદ્યાર્થીઓને અડધા કલાકનો વધારાનો સમય આપાયો હતો.
દારૂની મહેફિલમાં વેતરી નાખી લાશને નિર્વસ્ત્ર કરી ફેંકી દીધી
સિંધાવદરની સરકારી વીડીમાંથી મળેલું માનવ હાડપીંજર રાજકોટથી દોઢ માસથી લાપતા મૂળ મુંબઇના ગુનેગાર અબુલ બસર ખુરશીદઆલમ શેખનું હોવાની અને તેની કોલગર્લ બહેન રૂબીના પ્રેમી સહિત ત્રણ શખ્સોએ હત્યા કર્યાનું સ્પષ્ટ થઇ ગયું છે. રૂબીના હલકા ચારિત્ર્યના મુદે જ આરોપીઓએ પાંચમાં નોરતે સિંધાવદરમાં દારૂની મહેફિલ દરમિયાન અબુલને છરીના આડેધડ ઘા ઝીંકી પતાવી દીધો હતો.
પુણેમાં સ્વાઈન ફલૂ- મરણાંક ૧૦૦ થયો
સ્વાઈન ફલૂ પુણેમાંથી જવાનું નામ નથી લેતી. ગુરુવારે વધુ એક મહિલાના મોત સાથે પુણેમાં મરણાંક ૧૦૦ થયો છે. છેલ્લા એક સપ્તાહથી સ્વાઈન ફલૂની સારવાર લઈ રહેલી મોહિની ઉદરેએ ગુરુવારે બપોરે નોબેલ હોસ્પિટલમાં દમ તોડયો હતો. આ સાથે મરણાંક ૧૦૦ થયો છે, એમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.નોંધનીય છે કે આ બીમારી ઠંડીમાં વધુ ફેલાતી હોવાથી સત્તાવાળાને વધુ ચિંતા થવા લાગી છે. વિસ્તારમાં વધુ તપાસણી કેન્દ્રો શરૂ કરાયાં છે .
સુપ્રીમે પાટીલની જામીન અરજી ફગાવી
જયેષ્ઠ ગાંધીવાદી સમાજસેવક અણ્ણા હજારેની હત્યાની સુપારી આપવા પ્રકરણે આરોપી પદ્મસિંહ પાટીલની જામીન અરજી સુપ્રીમ કોર્ટે પણ ફગાવી દેતાં તેઓ મુસીબતમાં આવવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે.પદ્મસિંહે બધા માર્ગો બંધ થતાં સુપ્રીમ કોટર્માં જામીન માટે અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે જામીન આપવાનો ઈનકાર કરીને તેમને આઠ દિવસમાં શરણે આવવા માટે આદેશ આપ્યો છે. જો આ સમયમાં શરણે નહીં આવે તો ધરપકડ કરવાનો પોલીસને આદેશ આપ્યો છે.
સૈફ-કરિનાને સદાયને માટે એક સાથે જોવા માગું છું : સોહા
બોલિવૂડની અભિનેત્રી સોહા અલી ખાન પોતાના ભાઇ સૈફ અલી ખાન અને તેની પ્રેમિકા કરિના કપૂરને સદાયને માટે એક સાથે જોવા ઇચ્છે છે. કારણ કે રિયલ અથવા રીલ બન્ને લાઇફમાં આ જોડી સારી લાગે છે. સૈફ અને કરિના એકબીજા સાથે ખરેખર ખુશ દેખાઇ રહ્યાં છે.
‘તુમ મિલે’ ફિલ્મે સોહાને ભયભીત કરી દીધી છે
જુલાઇ-૨૦૦૫માં મુંબઇમાં પડેલા મુશળધાર વરસાદના કારણે સર્જાયેલી કુદરતી હોનારત પરથી બનેલી ફિલ્મ ‘તુમ મિલે’બાદ ફરીથી કોઇ ડિઝાસ્ટર ફિલ્મ સાઇન કરતાં પહેલાં સોહા અલી બે વાર વિચાર કરશે. કારણ કે અભિનેત્રીને લાગે છે કે‘તુમ મિલે’ફિલ્મે તેને ભયભીત(હાઇડ્રોફોબિક) કરી દીધી છે. ફિલ્મના શૂટિંગના અનુભવને એક ખરાબ સ્વપ્ન તરીકે સોહા યાદ રાખશે.
૨૨ નવેમ્બરે શિલ્પા અને રાજ કુન્દ્રા પરણી જ જશે
અભિનેત્રી શિલ્પા શેટ્ટી આવતી ૨૨ નવેમ્બરે ખંડાલા ખાતે એક ખાનગી સમારંભમાં તેના એનઆરઆઈ (લંડન) બોયફ્રેન્ડ રાજ કુન્દ્રા સાથે પરણી જશે. એક મહિના પૂર્વે શિલ્પા અને રાજની સગાઈ થઈ હતી. શિલ્પા અને રાજ, આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સની માલિકી ધરાવે છે.
વિક્ટોરિયાએ પતિને ડુક્કરનાં બચ્ચાં ભેટ આપ્યાં
ભૂતપૂર્વ સ્પાઈસ ગર્લ વિકટોરિયા બેકહામે તેના પતિ અને પ્રસિદ્ધ ફૂટબોલ ખેલાડી ડેવિડ બેકહામને ક્રિસમસ નિમિત્તે ડુક્કરનાં બચ્ચાં ભેટ આપ્યાં હતાં.વિક્ટોરિયાએ બે બચ્ચાં માટે ૧૪૦૦ પાઉન્ડ ચૂકવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે વિક્ટોરિયાએ ડુક્કરનાં બચ્ચાંની જોડી જોતાં જ પ્રથમ નજરે તેને ખૂબ ગમી ગયાં હતાં અને ડેવિડ માટે પરફેક્ટ ભેટ હોવાનું લાગતાં તુરંત ખરીદી લીધા હતા.
બોયલ સ્લમડોગના બાળકલાકારોથી કંટાળી ગયા છે*
ભારતીય પૃષ્ઠભૂમિ પર તૈયાર થયેલી ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનર’ના બાળકલાકારોના પરિવારજનોએ વધુ રકમની માગણી કર્યા બાદ હવે ફિલ્મના નિર્દેશક ડેની બોયલ તેમની સાથે વાટાઘાટો કરીને કંટાળી ગયા છે અને હવે વધુ ચર્ચા કરવાનું બંધ કરી દીધું છે.
ફિલ્મ રિવ્યૂ - અલાદીન
આ સપ્તાહમાં લંડન ડ્રીમ્સ સાથે અલાદીન ફિલ્મ સિનેમાઘરોમાં આવી છે. જે બાળકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ફિલ્મમાં રિતેશ દેશમુખ અલાદીનની મુખ્ય ભૂમિકામાં છે. જે ઉત્તર ભારતના ખ્વાહિસ નામના શહેરમાં રહે છે. જે પોતાની સાથે ભણતી જેકલીનને પસંદ કરે છે. અલાદીન હંમેશા પરેશાન રહે છે. સાથે તે કાસિલ એટલે કે સોહિલ ખાનને પરેશાન કરે છે.એક દિવસ જેસમીન એટલે કે જેકલીન ફર્નાન્ડિઝ અલાદીનને એક જાદૂઈ ચિરાગ આપે છે. જેમાંથી એક જાદૂઈ જિન્ન નિકળે છે, જે અમિતાભ બચ્ચન હોય છે. ફિલ્મમાં વિલનની ભૂમિકામાં રિંગ માસ્ટર સંજય દત્ત હોય છે. જિન્નની જાદૂગરીમાં સર પડે તેવો નથી.અલાદીનમાં બધા કલાકારોનું કામ સારૂ છે. અમિતાભ જિન્નની ભૂમિકામાં શોભી રહ્યા છે. ફિલ્મમાં એનીમેશન લાજવાબ છે. ફિલ્મ તમામ દર્શકોને ભ્રમિત કરી શકે તેમ છે.
અનોખો 'મગ'...જે ચાને ગરમ અને દારૂને ઠંડો રાખે છે
મગ છે, જેમા તમેચા પી રહ્યા છો તો તમને ચા ઠંડી થઇ જવાની ચિંતા નહી રહે અને જો દારૂ કે બિયર પી રહ્યા છો તો બેફિકર રહો કારણ કે તે ઠંડી જ રહશે. ક્લૌંઝ સેડબાઉર અને હર્બર્ટ સાઇનસબિચલર નામના જર્મનીના બે વિજ્ઞાનિકોએ આ મગની શોધ કરી છે.આ મગ બનાવવા માટે તેમને ફેસ ચેન્જ મટિરીયલનો ઉપયોગ કર્યો છે. આ પદાર્થનો ઉપયોગ નિર્માણ સ્થળો પર થાય છે. જ્યાં તેમને રૂમની દિવાલોની વચ્ચે લગાવવામાં આવે છે, જેનાથી સૂર્યની ગરમી ઘરમાં દાખલ ન થઇ શકે.
ચેરિટી કરો, બટર ચીકન ફ્રી ખાઓ
ચેરિટી (દાન) કરવાના બદલામાં અત્યાર સુધીમાં વાહવાહી સિવાય પ્રશસ્તિપત્ર અથવા મેડલ મળવાની વાત સાંભળી હતી પરંતુ હવે બદલામાં એક પ્લેટ ચીકન ખાવા મળશે. જી હા, એક લાખ રૂપિયા દાન કરવા પર તમને એક પ્લેટ સ્વાદિષ્ટ બટર ચીકન મળશે.
મહિલાઓ માટે વધુ સેક્સી હોવું નોકરી માટે ખતરારૂપ!!!
લંડનમાં એક યુવતીને નોકરીમાંથી એટલા માટે હાકી કાઢવામાં આવી કારણ કે તે વધારે સેક્સી હતી. જો જ્યોર્જીના વિલબર્નનું કહેવું માનવામાં આવે તો તેને તેની મહિલા બોસે એટલા માટે નોકરીમાંથી કાઢી મુકી કારણ કે તે વધારે સેક્સી અને સુંદર હતી. વિલબર્નના જણાવ્યા પ્રમાણે તેણે ગયા મહિને એક બેકરીની દુકાનમાં નોકરી કરવાનું શરૂ કર્યું. પરંતુ તેની મહિલા બોસ તેની સુંદરતાને જોઈને તેની ઈર્ષા કરવા લાગી હતી, ત્યારબાદ તેને નોકરીમાંથી હાકી કાઢવામાં આવી હતી.તેના જણાવ્યા પ્રમાણે તેના આવવાથી દુકાનના વેચાણમાં વધારો થયો હતો. અને કેટલાક લોકો તો તેની સુંદરતાને જોઈને જ દુકાનના કાયમીના ગ્રાહક બની ગયા હતા.
રિલાયન્સ ગેસ વિવાદ : નવી બેન્ચ રચાઈ, સુનાવણી શરૂ
મુકેશ અંબાણી જૂથની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અનિલ અંબાણી જૂથની આરએનઆરએલ વચ્ચે ગેસ વિવાદ અંગેના કેસની ગુરુવારે ફરી સુનાવણી આગળ વધી હતી. બુધવારે જસ્ટિસ આર.વી. રવીન્દ્રન આ કેસમાંથી ખસી ગયા બાદ નવેસરથી બેન્ચની રચના થઈ હતી.
એકવીસમી સદીમાં પણ સ્ત્રીએ કેટલાક નિર્ણયો અંગે પુરુષ પર જ આધાર રાખવો પડે છે. સામાન્ય એવી વાતમાં પતિ કે પિતાની મંજૂરી લેવી પડે છે.
સ્ત્રી સ્વનિર્ણયની હકદાર નથી ?
આજે જવલ્લે જ એવું કોઇ ક્ષેત્ર હશે, જેમાં સ્ત્રીએ પોતાનું સ્થાન ન બનાવ્યું હોય. તેમ છતાં એની જે ઉપેક્ષા કરવામાં આવે છે, તે જોઇને આશ્ચર્ય થયા વિના ન રહે. વાસ્તવમાં પુરુષ હંમેશાં પોતાને સ્ત્રીથી ચડિયાતો માનતો રહ્યો છે. આથી જ સ્ત્રી એનાથી આગળ વધે એ બાબતને એનો અહમ સ્વીકારી નથી શકતો.
આપણા દેશે આઝાદી મેળવી હોવા છતાં કેટલીક સ્ત્રીઓ આજે પણ આઝાદી મેળવવા સંઘર્ષ કરી રહી છે. આમાંથી છુટકારો મેળવવા માટે સ્ત્રીએ સ્વાવલંબી બનવાની જરૂર છે. સ્ત્રીએ લીધેલા નિર્ણયને માન્ય રાખવાથી એના આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
કોઇ પણ બાબતમાં બીજા પર આશ્રિત રહેવાથી વિકાસ રુંધાઇ જાય છે. વિપરીત સંજોગોમાં પણ અડગ રહેવાની હિંમત સ્વનિર્ણય લેવાથી જ આવે છે. સ્વનિર્ણય ન લઇ શકવાની પોતાની નબળાઇમાંથી સ્ત્રીએ જાતે જ બહાર આવવું રહ્યું. એ માટે એણે સૌથી મહત્વપૂર્ણ પાસા ‘શિક્ષણ’ વિશે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.
પેસમેકર એટલે શું?
હૃદયનાં ધબકારા જ્યારે અનિયમિત બને અથવા તો ધબકારા બંધ થઈ જવાનો ભય જણાય ત્યારે તેને જોઈતા વીજસંકેતો મળવા જરૂરી છે. એ માટે ગળાના હાડકા નીચે શરીરની અંદરના ભાગમાં વીજાણુ ઉપકરણ બેસાડવામાં આવે છે. તેને પેસમેકર કહે છે.
અમદાવાદમાં તરખાટ મચાવનાર લખપતિ ચોર ઝડપાયો
લકઝુરિયસ કાર ટ્વેરામાં સાગરીતો સાથે ચોરી કરવા નીકળતા ‘લખપતિ’ ચોરને રવિવારે મોડી રાત્રે લોકોએ ઝડપી લીધો હતો. શહેરભરમાં કુખ્યાત ગણાતો અને પોલીસ માટે છેલ્લા ઘણા સમયથી માથાનો દુખાવો સાબિત થઈ રહેલા કુખ્યાત લખપતિ ચોરને મણિનગરની પ્રજાએ પકડી પોલીસને હવાલે કર્યો હતો.
હળવદમાં પત્નીને મોતને ઘાટ ઉતારતો પતિ
હળવદ-કચ્છ હાઇવે પર ફેરીનો વ્યવસાય કરતા દારૂડિયા પતિએ પત્નીના ચારિત્ર્ય અંગે શંકા કરી દારૂ પીને રાત્રે ધેર આવી પત્ની પર પથ્થરના ઘા મારી ગંભીર રીતે ઘાયલ કરતા ઘવાયેલી પત્નીએ અમદાવાદમાં સારવાર દરમિયાન દમ તોડયો હતો. આ ઘટનાને લૂંટના બનાવમાં ફેરવવાનો પ્રયાસ કરનાર પતિની પોલીસે ઉલટ તપાસ કરતા દારૂડિયા પતિએ આ કત્ય કર્યાનું કબૂલ કરતા પોલીસે વધુ તપાસ આરંભી હતી.
ડીએનએ માટે અધતન ડેટાબેઝ લેબ ઊભી કરાશે
ગુજરાતની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ) ને કેન્દ્ર સરકારે ડીએનએ ડેટાબેઝ લેબોરેટરી ઊભી કરવાની મંજૂરી આપી છે. આ લેબ રાજ્યમાં મોડલ બનશે અને તેનો ઉપયોગ અન્ય રાજયોના ગૃહ અને કાયદા વિભાગના અધિકારીઓ કરી શકશે. જટીલમાં જટીલ ગુનાઓ ઉકેલવામાં આ લેબ મદદરૂપ થશે.
જામનગરમાં ૧૨.૨૫ કરોડના કામોનું લોકાર્પણ
ગુજરાત રાજ્યની સ્થાપનાને વર્ષ ૨૦૧૦માં પૂર્ણ થતાં ૫૦ વર્ષના અવસરે રાજ્ય સરકારે શરૂ કરેલી સ્વિર્ણમ ગુજરાત સંકલ્પ જયોત રથ યાત્રાનું જામનગર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ અવસરે પદાધિકારીઓ, અધિકારીઓ તથા નગરજનો વિશાળ સંખ્યામાં સહભાગી થયા હતાં.
જામનગરમાં માથાભારે શખ્સોએ દલિત પરિવારને ઝૂડી નાખ્યો
જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં પોતાના ઘરની નજીક અડીંગો જમાવી ઉભા રહેતા માથાભારે શખ્સોને ના પાડતા ઉશ્કેરાયેલા બે ગરાસિયા સહિતના ચાર શખ્સોએ ઘરમાં ઘુસી દલીત પિતા-પુત્રોને બેફામ માર મારી હડધૂત કરી નાસી છુટયા હતાં. ત્યારબાદ આ જ વિસ્તારના લોકો રાત્રે પોલીસ દફતરે દોડી જઇ દલીતોની ફરિયાદ ખોટી હોવાની રજૂઆત કરતા આશ્ચર્ય ફેલાયું છે. જિલ્લાભરમાં દલીત વર્ગ પર સવર્ણોના વધી રહેલા ત્રાસના બનાવોમાં વધુ એક ઉમેરો થયો હતો.
દાદાની મિલકત માટે પૌત્રીનો જંગ
દાદાના નામની કરોડોની મિલકતમાં ભાગ મેળવવા માટે ૭૭ વર્ષની પૌત્રીએ અદાલતમાં કાનુની જંગ છેડતા લોહાણા સમાજમાં ચકચાર જાગી છે. આ ચકચારી કેસની વિગતો મુજબ જામનગરમાં રહેતા વિજયાબેન ચંદુલાલ ગોકાણીએ અત્રેની ડિસ્ટ્રીકટ કોર્ટમાં સુંદરદાસ દામોદર બથિયાએ ૧૯૮૪માં કરેલું પ્રોબેટ ખોટી રીતે મેળવ્યું હોવાનું જણાવી આ પ્રોબેટ રદ કરવા માંગણી કરી છે.
મહાબળેશ્વર જતાં પંચગીની ઘાટમાં મુસીબતોનો પહાડ
રજા માણવા માટે દેશ-વિદેશના પયટર્કો મહાબળેશ્વર, પંચગીની તરફ દોટ મૂકે છે ત્યારે આ સ્થળોએ આવનારા પયટર્કોને માટે મોટું જોખમ ઊભું થયું છે. વાઈ-પસરણી પંચગીની ઘાટમાં ભયજનક વળાંકો પર મોટાં ઘાસ,ઝાડી વધેલાં હોવાને કારણે તેમ જ ઠેકઠેકાણે ભેખડ ખડી પડવાને કારણે વાહનચાલકોને આ વળાંક અને ભાંગી પાડેલી ભેખડ ભયજનક બની રહ્યા છે. આ બાજુના રસ્તાના બાંધકામ સામે અધિકારીઓ પૂર્વ દુર્લક્ષ કરી રહ્યા છે. પરિણામે પંચગીની ઘાટ વાહનચાલકો માટે મોતનો કૂવો બનતો જાય છે. ભયજનક વળાંકો પરના અવરોધો તાત્કાલિકરૂપે દૂર કરવાની માગણી ઊભી થઈ છે. વાઈ-પસરણી પંચગીની ઘાટમાં ચોમાસાને કારણે રસ્તાની બન્ને બાજુએ ઊચાં ગાઢ ઘાસ મોટા પ્રમાણમાં ઊગી નીકયાં છે તેમ જ ઝાડીઝાંખરા વાહનચાલકો માટે અડચણ પેદા કરનારાં થયાં છે. આ ઘાટમાં ભયજનક વળાંકો પર મોટાં ઘાસ અને ઝાડી વધેલાં હોવાને કારણે સામેથી આવનારાં વાહનો બીજાં વાહનોને દેખાતાં નથી. રસ્તા પરના સાઈટ પટ્ટાઓ પણ ખરાબ થયા હોવાને કારણે વાાહનચાલકોએ વાહન ચલાવવામાં કસરત કરવી પડે છે.
ફર્સ્ટ લેડી રિયાલિટી શો 'આઇરોન શેફ અમેરિકા'માં
અમેરિકાના રાષ્ટ્રપતિ બારાક ઓબામાની પત્ની અને અમેરિકાની પ્રથમ મહિલા મિશેલ ઓબામા હવે ટીવી રિયાલિટી શોમાં ચમકશે. હાં, મિશેલ જાણીતા રિયાલિટી શો 'આઇરોન શેફ અમેરિકા'માં મહેમાન કલાકારની ભુમિકામાં જોવા મળશે.રિયાલિટી શોનો આ ખાસ એપિસોડ ન્યુ યરના દિવસે પ્રસારિત કરવામાં આવશે જેમાં વ્હાઇટ હાઉસનાં પ્રખ્યાત રસોઇયાઓ નવીનવી વાનગીઓ બનાવશે. શોમાં તૈયાર થનારા ખોરાકનો મોટો ભાગ થોડાક સમય પહેલાંજ વ્હાઇટ હાઉસમાં ઉગાડેલા શાકભાજીમાંથી તૈયાર કરાશે.
...ને બિગ બોસના ઘરમાં રડી પડી શમિતા!!!
એવું લાગી રહ્યું છે કે બિગ બોસમાં આ વખતે સ્પર્ધકો સાથે કંઈક કઠોર વલણ અપનાવવામાં આવી રહ્યું છે. પહેલા કમાલ ખાન અને બખ્તિયારને જેલમાં ઘકેલવામાં આવ્યા હતા, તો રોહિતને મૌન વ્રતની સુચના આપવામાં આવી હતી.હવે કંઈક એવું કરવામાં આવ્યું છે કે જેનાથી શમિતા શેટ્ટી રડી પડી હતી. આ વખતે બિગ બોસમાં જેવી રીતે નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે તેના પરથી લાગી રહ્યું છે કે સ્પર્ધકોની ખેર નથી.
થાળીના ભાવમાં અનલિમિટેડ વધારો
કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ પરંતુ છેલ્લા કેટલાક સમયથી અનાજ, કઠોળ, શાકભાજી, ખાંડ, કોથમીર, લીંબુ વગેરેના ભાવોમાં આસમાની સુલતાની તેજીને કારણે હોટલ રેસ્ટોરન્ટની વાનગીઓ પણ મોંઘી થવા માંડી છે. ટૂંકમાં કહીએ તો સુરતીઓને ચટાકો મોંઘો પડી રહ્યો છે.
નોકરી તો ન મળી, બની ગઈ હવસનો શિકાર
દિલ્હીના દક્ષિણના એક જિલ્લામાં હોસ્પિટલની એક નર્સને અન્ય જગ્યાએ નોકરી અપાવવાની લાલચ આપી હવસનો શિકાર બનાવ્યાની ઘટના સામે આવી છે. એક જાણીતા બિઝનેસમેનના પુત્ર દ્વારા નર્સને અન્ય જગ્યાએ નોકરી અપાવવાની લાલચ આપવામાં આવી હતી. ભોગ બનનારી મહિલા જે હોસ્પિટલમાં કામ કરે છે, તેના મકાનની માલિકી યુવકના કાકાની છે.
પ્રતિષ્ઠિત અદાણી પરિવારનાં મુમુક્ષુ શર્મિષ્ટાબેન દીક્ષા ગ્રહણ કરશે
ઉમરા વિસ્તારમાં આવેલા ધરમ પેલેસમાં રહેતા ચુનીલાલ નાગરદાસ અદાણીનાં સુપુત્રી તેમજ મુંબઈનાં કુમારપાલભાઈ સંઘવીનાં ધર્મપત્ની શર્મિષ્ટાબેન મુંબઈ નગરે પૂજયશ્રીની નિશ્રામાં ભવ્યતાપૂર્વક દીક્ષા ગ્રહણ કરશે. આ પ્રસંગે ગુરુવારે સવારે ૯.૦૦ કલાકે શહેરનાં ઉમરાસ્થિત ધરમપેલેસથી વરસીદાનનો વરઘોડો નીકળ્યો હતો.
બ્રૂનીથી ત્રાસેલા સરકોઝીએ કહ્યું...
ફ્રેંચ પ્રમુખ નિકોલ સારકોઝીએ પોતાની પત્ની કાર્લા બ્રૂનીને લો પ્રોફાઇલ જાળવી રાખવા માટે ટકોર કરી હતી. રાજકીય મામલાઓમાં બ્રૂનીની વધતી જતી દખલ અંદાજીની ફરિયાદને ધ્યાનમાં લઇને સારકોઝી તેને આ ટકોર કરવા માટે મજબુર બન્યા હતા.
મહારાષ્ટ્ર: સરકાર બનાવવાનો દાવો આજે
મહારાષ્ટ્ર માં સરકારના રચનાનાં મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી ખેંચતાણ ચાલી રહી છે ત્યારે કાર્યકારી મુખ્યમંત્રી અશોક ચવ્હાણે જણાવી દીધુ છે કે, આજે સાંજે તે સરકાર બનાવવાનો દાવો કરશે. તેમજ કોંગ્રેસ એનસીપી વચ્ચે બેઠકોને લઇને થયેલો વિવાદ પણ ઉકેલાઇ ગયો છે.
માઓવાદીઓ સામે કોઇ ઓપરેશન હાથ પર નથી: ચિદમ્બરમ્
ન્દ્રિય ગૃહ મંત્રી પી.ચિદમ્બરમે જણાવ્યું હતું કે હાલમાં કેન્દ્ર સરકારે માઓવાદીઓ સામે કોઇપણ ઓપરેશન હાથ પર લીધું નથી. તે ફક્ત રાજ્ય સરકારોને માઓવાદી સામે ચલાવાઇ રહેલા અભિયાનને ટેકો આપી રહી છે.
તુમ્હારે પાંવ કે નીચે કોઇ જમીન નહીં
કરો વાત. કવિ દુષ્યંતકુમાર કહે છે કે તમારા પગ નીચે કોઇ જમીન નથી એટલું જ નહીં, તમને એ વાતની ખબર પણ નથી કે તમે હવામાં અઘ્ધર ઊડી કે લટકી રહ્યા છો. આવું તે કંઇ હોતું હશે? સૌના પગ નીચે આધાર હોય જ.અમીર માણસના પગ નીચે લાલ પોચોપોચો-આકર્ષક ગાલીચો હોય, ગાલીચા નીચે ફર્શ હોય, ફર્શ નીચે જમીન હોય અને માણસ સાવ જ ગરીબ હોય તો પણ તેના પગ નીચે ભલે કાંટાવાળી કે ધગધગતી રેતીવાળી જમીન તો હોય જ. તો પછી કવિ અહીં કહેવા શું માગે છે ? આ કવિ દુષ્યંતકુમાર ગરીબોના હકની વાતો કહેનાર સમાજસુધારક કવિ હતો. યુપીના એક મિત્રનું કહેવું છે કે ૪૩ વર્ષની ઉમરે હૃદયરોગથી કવિનું મૃત્યુ થયું એના થોડા કલાકો પહેલાં કોઇ ગરીબ માણસને કનડી રહેલા પોલીસ સાથે કવિને કંઇક બબાલ થયેલી અને પછી તરત એમનું ભેદી મૃત્યુ થયું.એ મિત્રની વાત કેટલી સાચી છે એ તો ન કહી શકાય પણ એટલું કહી શકાય કે તુમ્હારે પાંવ કે નીચે કોઇ જમીન નહીં. એમ કહેવા પાછળ આ સમાજપ્રેમી કવિનો ઇશારો ‘સામાજિક અઘ્ધરતા’ તરફ હોઇ શકે. કવિ કદાચ એમ કહેવા માગતા હશે કે હે સામાન્ય નાગરિક તું જો એમ માનતો હોય કે સરકાર-તંત્ર તને ટેકો આપશે, તારી સંભાળ રાખશે, તને આધાર પૂરો પાડશે તો તું ખાંડ ખાઇ રહ્યો છે.બેઝિકલી તું એક અઘ્ધરતાલ નાગરિક છે, જેનો ઉદ્ધાર કરવા કોઇ નથી આવવાનું તેણે પોતાનો ઉદ્ધાર જાતે જ કરવાનો છે. તેણે જાતે જ પોતાની એક જમીન રચવાની છે અને પછી એ જમીન પર જાતે જ ઊભા રહેવાનું છે. આ થઇ બાહ્ય જગતની વાત.
આપણે ખેડી રહ્યા છીએ અંતર્યાત્રા. અંદરના જગતમાં પણ આ જ લોચો છે. પગ નીચે જમીન છે નહીં અને માણસને એની ખબર પણ નથી. આપણી જિંદગી ‘હું’ નામની જમીન પર ટકેલી હોય છે. પણ બેઝિકલી આ ‘હું’ નામની જે બડી મસ્ત મસ્ત ચીજ છે એ પ્યોરલી મગજની પેદાશ છે.
સંબંધ
વિશ્વની લગભગ દરેક સભ્યતાઓમાં પિતા-પુત્રના સંબંધોના બહુ ગૌરવપૂર્ણ ઉલ્લેખો જોવા મળે છે. એક તો પુત્ર પિતાની મિલકતનો વારસ છે અને વંશનું નામ આગળ વધારે છે. ભારતમાં તો પિતાના મૃત્યુ બાદ પુત્ર જ તેમને સદગતિ આપી શકે છે ! આશ્ચર્યની વાત એ છે કે ભારતીય મનીષીઓને ક્યાંય મા-દીકરીના સંબંધોની ચર્ચા કરવાનું જરૂરી જણાયું જ નથી! માત્ર ભારત જ શા માટે, સમગ્ર વિશ્વના સાંસ્કૃતિક ઈતિહાસમાં આ સંબંધને કોઈ પ્રકારનું મહત્વ અપાયું નથી. આજે નારી ધીમે ધીમે પોતાની અલાયદી ઓળખાણ બનાવવા માંડી છે, ત્યારે તે પોતાની મા સાથેના સંબંધોનું પણ વિશ્લેષણ કરતી થઈ છે.
એક્સ રે મશીન ટોચનું વૈજ્ઞાનિક સંશોધન
સ્વાસ્થ્ય ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારો લાવનારા એક્સ રે મશીનને ટોચના વૈજ્ઞાનિક સંશોધન તરીકે વોટ મળ્યા હતા. એક્સ રે મશીને ટોચના સ્થાનની હરિફાઇમાં અપોલો 10 સ્પેસ કેપ્સ્યુલ અને સ્ટિફન્સનના રોકેટને પણ પાછા પાડી દીધા હતા.પચાસ હજાર વોટર્સમાંથી દર પાંચમાંથી એક વ્યક્તિએ એક્સ રેને ભૂતકાળ, વર્તમાન તેમજ ભવિષ્યમાં પણ પોતાની પ્રભાવક અસરને કારણે વોટ આપ્યો હતો..
યુગે યુગે, નવા રૂપે
મુગલ-એ-આઝમ’ અને ‘નયા દૌર’ બાદ વધુ એક બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ ‘હમ દોનોં’ (૧૯૬૧) હવે કલરમાં આવી રહી છે. ફરી એ જ સવાલ: અસલ કૃતિ સાથે ચેડાં થવા જોઈએ કે નહીં? વાત સાવ નાની છે, પણ જરા વિચારતાં સમજાય કે મામલો ફક્ત ‘હમ દોનોં’નો નથી, રામાયણ-મહાભારતથી માંડીને દેવદાસને નવાં નવાં રૂપે રજૂ કરવામાં, ગીતોના રિમિકસમાં, ઝીણા વિશે પ્રગટ થતાં એક પછી એક વર્ઝનમાં પણ વત્તેઓછે અંશે ‘ઓરિજિનલ’ સાથે ચેડાંનો સવાલ પેદા થાય જ છે.
પત્ની કે પ્રેમિકા
સંતા : યાર મને તો એક પત્ની પણ મુસીબત જેવી લાગે છે અને તું બબ્બે પત્નીઓની સાથે કવી રીતે રહે છે ? બંતા : યાર ! તેં કયારેય એક હાથે એક બાલદી પાણીની ઉઠાવી છે ?
સંતા : હાં, ઘણી વખત..! બંતા : કયારેક બંન્નો હાથે બાલદી ઉઠાવીને અનુભવ કરજે કેટલું બેલેન્સ રહે છે...!
અજબ હિંદી ભાષા
ચિંટુ : (બિટ્ટુ ને) આ હિંદી પણ અજબ ભાષા છે.
બિટ્ટુ : તે કેવી રીતે?
ચિંટુ : ઘડીયાળ ખરાબ હોય તો ‘બંધ છે’ તેમ કહેવાય છે અને છોકરી ખરાબ હોય તો ‘ચાલુ છે’ તેમ કહે છે...!
મનીઓર્ડર
રમણ મનીઓર્ડર કરવા પોસ્ટ ઓફિસ પર ગયો. પોસ્ટ માસ્તર : આ નોટ ફાટેલી છે, બીજી આપો !
રમણ : હું મારા પિતાને રુપિયા મોકલી રહ્યો છું, નોટ ફાટેલી મોકલું કે નવી, તેની સાથે તમારે શું લેવા દેવા ?
પત્ની કે પ્રેમિકા
સંતા : યાર, એક વાત કહે..!
જીંદગીમાં પત્ની સારી રીતે સાથ આપે કે પ્રેમિકા ?
બંતા : આમ જોવા જઇએ તો બંન્ને, પરંતુ તેમને એક બીજા અંગે ખબર પડી જાય તો એકેય નહીં...
ગૂગલ, યાહૂ કે ફાયરફોક્સ, સૌને લાગ્યો કસુંબીનો રંગ : વિશ્વની જાયન્ટ નેટ ટેકનોલોજી કંપનીઓ હવે સ્થાનિક ભાષામાં પગપેસારો કરવાની પળોજણમાં પડી છે, લેવાય એટલો લાભ ક્લિક કરી લો!
સર્જનહાર સુધી પહોંચવાનું સૂરીલું માઘ્યમ : સૂફી સંગીત
આબિદા પરવીન, કૈલાસ ખેર, હંસરાજ હંસ, ગિટાર વગાડતો સરદાર ગાયક રાબી શેરગીલ- આ બધા જ સૂફી સંગીત દ્વારા જોડાયેલાં છે. નવાં હિંદી ફિલ્મી ગીતોમાં પણ સૂફિયાના કલામની ઝલક જોવા મળી જાય છે.ઈશ્વર સાથેનો પ્રેમ (ઇશ્કે હકિકી) સૂફી સંગીતનો પાયો છે. મંદિરમાં જેમ ભજનનું મહત્વ છે તે પ્રમાણે દરગાહમાં કવ્વાલીની અહેમિયત છે. સૂફી સંતોની દરગાહો પર ઉર્સના સમયે ગવાતી કવ્વાલીમાં ધાર્મિક રંગ છે. ફિલ્મોએ કવ્વાલીને સસ્તી અને બાજારુ બનાવી દીધી છે.
સાતે વાર તહેવાર
એવા અનેક લોકોને તમે ઓળખતા જ હશો, જે ઉત્સાહી બહુ હોય, કોઇ હોટેલનું ભોજન એમને ભાવી જાય તો એ તમારી પાછળ પડી જાય ‘બોસ, ફલાણી ઢીંકણી હોટેલમાં રીંગણાનું શાક ખાધું છે?
બાપ્પુ, ભલભલી હોટેલ એની આગળ પાણી ભરે પાણી...’ એ ભાઇ બીજી વાર મળે ત્યારે પૂછે : ‘ફલાણી ઢીંકણી હોટેલનું રીંગણાનું શાક ખાધું?’ જો તમે ના પાડો તો તમારું આવી બને. ભાઇ જરા નારાજ થઇ જાય : ‘શું યાર તમેય... આટલું સારું સજેશન કર્યું ને તમે સાવ...’
પછી ત્રીજી મુલાકાત વખતે પણ તમારે ફલાણી ઢીંકણીનાં રીંગણાં ચાખવાનાં બાકી રહી ગયા હોય તો ભાઇ તૂટી પડે: ‘સિરિયસલી, તમને છે ને, સારી વસ્તુની કદર જ નથી... ખાખરાની ખીસકોલી છો તમે...’ ભૂલેચૂકે તમે એમ કહો કે મને રીંગણાં નથી ભાવતાં તો ભાઇને માઠું લાગી જાય: ‘રીંગણાં નથી ભાવતાં? તમે યાર માણસ છો કે...’રીંગણાં ન ભાવવાં એ કોઇ વાંક છે ? મોટો અપરાધ છે? નથી જ, છતાં ભાઇ એ વાતે નારાજ એવી રીતે થશે જાણે રીંગણાં ન ભાવે એવું સંતાન પેદા કરીને તમારી માતાએ મોટો અપરાધ કર્યો હોય.ઠીક છે, આપણે કશુંક સારું માણ્યું તો બીજા પણ ભલે માણે એવો ઇરાદો નેક છે, પણ નેક ઇરાદો વ્યક્ત કરવાની રીત નેક હોવી જોઇએ. ભલામણમાં ભાર-આગ્રહ-દુરાગ્રહ ન હોવો જોઇએ. સામેના માણસને એવું ન લાગવું જોઇએ કે આ તો પરાણે ધક્કા મારી રહી - રહી છે.
હિન્દુ-મુસ્લિમ એકતાનો સંદેશો ફેલાવનારા ગુરુનાનક
કાર્તિક પૂર્ણિમા એટલે દેવદિવાળી. આ પવિત્ર દિને સંવત ૧૫૨૬ કારતક સુદ પૂનમ ( ૧૫ નવેમ્બર, ૧૪૬૯) તલવંડી ગામમાં ગુરુનાનકનો જન્મ થયો હતો. પિતાનું નામ કલ્યાણદાસ બેદી (ખત્રી), માતાનું નામ ત્રિપ્તાદેવી, એક મોટી બહેન હતી નાનકી.
ભારતમાં કિલ્લા કેટલા?
ભારતમાં કુલ ૧૮ કિલ્લાઓ જાણીતા છે. સૌથી વધુ ૫ કિલ્લાઓ રાજસ્થાનમાં આવેલા છે. તે ચિત્તોડગઢ, બુંદી, કોટા, જોધપુર અને આમેર છે.
અણમોલ હીરો!
અમેરિકાની Gemological Institute of America(GIA) ‘જેમોલોજિકલ ઈન્સ્ટિટ્યુટ ઓફ અમેરિકા’ના એક સંશોધન પ્રમાણે ૧૮૯૬ સુધી આખા વિશ્વમાં હીરા મેળવવાનો એકમાત્ર સ્ત્રોત ભારત હતો.
નોલેજ ડોટ કોમ
(૧) ગંગા નદી પર આવેલો કયો સેતુ ભારતમાં નદી પરનો સૌથી લાંબો પુલ છે?
(૨) ‘ઈન્ડિયન એરલાઈન્સ’ની શરૂઆત કઈ સાલમાં થઈ?
(૩) ભારતનો સૌથી લાંબો હાઈવે ‘નેશનલ હાઈવે નં. ૭’ કેટલા કિલોમીટર લાંબો છે?
(૪) ‘ચાચા ચૌધરી’ કયા કાટૂર્નિસ્ટની પ્રિય રચના છે?
(૫) ભારતમાં સૌથી મોટું ચર્ચ ક્યાં આવેલું છે? ચર્ચનું નામ શું?
(૬) રાક્ષસી હિડિંબા અને ભીમના પુત્રનું નામ શું?
(૭) ગુજરાતનો સૌથી પહોળો પુલ કયો?
(૮) કર્નાળા પક્ષી અભયારણ્ય ક્યાં આવ્યું?
(૯) રાજસ્થાનના રાણકપુરમાં ભગવાન આદિનાથનું કયું દેરાસર આવેલું છે?
(૧૦) હોકીના દડાનું વજન કેટલું હોય છે?
જવાબો - (૧) મહાત્મા ગાંધી (૨) માર્ચ, ૧૯૫૩ (૩) ૨૩૬૯ કિ.મી. (૪) પ્રાણ (૫) પણજી (ગોવા)માં આવેલું ‘સી કેથેડ્રલ’ ચર્ચ (૬) ઘટોત્કચ (૭) અમદાવાદમાં સાબરમતી નદી પરનો ૨૪ મીટર પહોળો નેહરુ પુલ. (૮) મહારાષ્ટ્રના પનવેલમાં (૯) ચૌમુખા (૧૦) ૧૫૬થી ૧૬૩ ગ્રામ
સુખી જીવન
શબ્દો નિષ્પ્રાણ છે કે તાકાતથી છલકાતા, તેનો આધાર શબ્દ ક્યાંથી આવે છે અને કોને કહેવાય છે તેની પર છે; કઇ મનોદશામાં શબ્દો પેદા થયા છે અને કઇ મનોદશા ધરાવતા લોકો સમક્ષ તેમને મુકાય છે, એ મહત્વનું છે. આ જગતની મોટા ભાગની અશાંતિનાં મૂળમાં શબ્દો છે અને શબ્દોથી જ શાંતિની કોમળ લહરીઓ વહે છે.શબ્દ મંત્ર છે. ઉપયોગ કરનારની ઇચ્છા, માનસિકતા અને મનોભૂમિ વડે શબ્દોમાં પ્રાણનો સંચાર થાય છે. તેને હથિયારની જેમ વાપરવામાં આવે તો એ હિંસા માટે કારણભૂત બને અથવા તેનાથી લોકોની સૂતેલી ચેતના પણ જાગી ઊઠે. નબળા મનના લોકો બન્ને રીતે શબ્દોની તાકાતથી પ્રભાવિત થાય છે. સામાન્ય લાગે એવા શબ્દોથી તેમની ધાર્મિક લાગણી દુભાઇ જાય છે અને કોઇના અંતરમનનાં ઊંડાણમાંથી નીકળ્યા ન હોય એવા, ફક્ત અફસોસ સૂચવતા સામાન્ય શબ્દોથી તેમની દુભાયેલી લાગણી પર મલમપટ્ટો પણ થઇ જાય છે.
અવસાન નોંધ
અમદાવાદ ભટ્ટઃ - અવનિશભાઈ તથા શૌનકભાઈના માતુશ્રી સ્વ. સત્યવતીબેન ભાસ્કરરાવ ભટ્ટનું બેસણું, વિઠ્ઠલમંદિર, દોલતખાના, સારંગપુર, સાંજે ૪થી ૬
- સ્વ. અવિનાશ શિવકુમાર ભટ્ટ (સિટી સિવિલ કોર્ટ- સુપ્રિન્ટેન્ડેન્ટ)નું બેસણું, પ્લોટ નં.-૮, દામુભાઈ કોલોની, અંજલી ચાર રસ્તા, વાસણા રોડ, બપોરે ૨થી ૫
મહેતાઃ - સ્વ. નટવરલાલ ગૌરીશંકર મહેતાનું બેસણું, ૪૫૯/૨૬૮૭, ગુ.હા. બોર્ડ, કવિનગર પાછળ, ઘંટી સ્ટેન્ડ, બાપુનગર, સવારે ૯થી ૧૧
ખત્રીઃ - સ્વ. ભરતભાઈ ધનીરામ ખત્રીનું બેસણું, ૨૨, માતૃ બંગલોઝ, અયોઘ્યા પાર્ક પાસે, બરોડા એક્સપ્રેસ હાઈવે પાસે, સીટીએમ, સવારે ૯થી ૧૧
શાહઃ - બચુભાઈ ચીમનલાલ શાહના ધર્મપત્ની સ્વ. વિદ્યાબેનનું બેસણું, કાળુશીની પોળ, રાજા મહેતાની પોળ પાસે, કાલુપુર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. બાબુલાલ હરિલાલ શાહનું બેસણું, ૪, જલારામ પાર્ક, ભૈરવનાથ રોડ, ટેલીફોન એક્સચેન્જ સામે, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
ગલગલેઃ - સ્વ. સુધાકર વ્યંકટેશ ગલગલેનું બેસણું, બી-૨૨, સિઘ્ધાર્થ એપાર્ટમેન્ટ, શ્રીપાદવાડી પાસે, દક્ષિણી સોસાયટી, મણિનગર, સવારે ૯થી ૧૧
દોશીઃ - સ્વ. ઈન્દુબેન વિનુભાઈ દોશી (દસાડાવાળા)નું બેસણું, જૈન નાની વાડી, નરોડાબજાર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
સચાણિયાઃ - સ્વ. ધવલભાઈ રમેશભાઈ સચાણિયાનું બેસણું, ૫૫/૨, ચાણક્યપુરી, ઘાટલોડિયા, સાંજે ૪થી ૬
રાણાઃ - સ્વ. નટવરભાઈ મફાભાઈ રાણાનું બેસણું, કુબેરપુરા ભીલવાસ, અસારવા, સવારે ૯થી ૧૨
દરજીઃ - સ્વ. વસંતબેન રમણભાઈ દરજી (દામનગરવાળા)નું બેસણું, ભોંયરાવાળા મહાદેવની વાડી, શીખ ગુરૂદ્વારા પાસે, સરસપુર પુલના છેડે, બપોરે ૩થી ૬
મકવાણાઃ - સ્વ. શિરીષભાઈ મફતલાલ મકવાણા (રાયસણવાળા)નું બેસણું, જય સંતોષીનગર સોસાયટી, શાંતિનિકેતન સોસાયટી પાસે, રાધાસ્વામી રોડ, રાણીપ, સવારે ૯થી ૧૨
ચૌહાણઃ - સ્વ. મંગુબેન અમૃતલાલ ચૌહાણનું બેસણું, સી-૭, લક્ષ્મી ફ્લેટ, દેનાબેંક સામે, ભીમજીપુરા, નવા વાડજ, સવારે ૮થી ૧૧
પટેલઃ - સ્વ. નાગરભાઈ ખીમજીભાઈ પટેલનું બેસણું, ૧૧, વેનીસ સોસાયટી, નવા વાડજ, સવારે ૮થી ૧૦
- સ્વ. પોપટલાલ નરસિંહદાસ પટેલનું બેસણું, ભાટની પોળ સામે, અખાડામાં, ગોમતીપુર ગામ, સવારે ૮થી ૧૧
બારોટઃ - સ્વ. સુમિત્રાબેન શંકરલાલ બારોટ (વિજાપુરવાળા)નું બેસણું, ૧૦, રાજમણી સોસાયટી, ગોપી વલ્લભ એવન્યુ સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઈટ, સવારે ૯થી ૧૧
આદેશરાઃ - સ્વ. કંચનબેન છોટાલાલ આદેશરાનું બેસણું, ૫૦, શાકુન્તલ બંગલોઝ, સત્તાધાર ચાર રસ્તા, સોલા રોડ, નારણપુરા, સવવારે ૯થી ૧૦.૩૦
સરગરાઃ - સ્વ. ફુસાજી રાજાજી સરગરાનું બેસણું, ગરીબનગર, બહેરામપુરા, બળિયા કાકાની ચાલી, બપોરે ૩થી ૫
રામીઃ - સ્વ. સરયુબેન હરિકૃષ્ણ રામીનું બેસણું, મોટો વ્યાસ વાડો, નરોડા ગામ, સવારે ૯થી ૧૨
સોલંકીઃ - સ્વ. વિઠ્ઠલદાસ મોતીરામ સોલંકીનું બેસણું, સિટીમીલ કમ્પાઉન્ડ, રામદેવપીર મંદિર, રાયપુર દરવાજા બહાર, બપોરે ૩થી ૬
ગજ્જરઃ - સ્વ. ભરતભાઈ ડાહ્યાભાઈ ગજ્જરનું બેસણું, એ-૩૬, પદ્માવતી સોસાયટી, લાંભા ગામ, સવારે ૮થી ૧૧
જયસ્વાલઃ - સ્વ. ભાનુબેન હસમુખલાલ જયસ્વાલનું બેસણું, એ, ખોડિયાર પાર્ક સોસાયટી, જીવરાજ પાર્ક, સવારે ૯થી ૧૧
ભીલઃ - સ્વ. ભીખીબેન જેરામભાઈ ભીલનું બેસણું, આશાભીલવાસ, આશુતોષ સોસાયટી સામે, ભૈરવનાથ, મણિનગર, સવારે ૯થી ૧૧
રાઠોડઃ - સ્વ. મણીબેન વાલજીભાઈ રાઠોડનું બેસણું, પાઠાણની ચાલી, લાઠીબજાર-૨ સામે, ગીતામંદિર પાછળ, સવારે ૧૦થી ૧૨
ચૌધરીઃ - સ્વ. મંગળદાસ સોમાભાઈ ચૌધરીનું બેસણું, ૩/૭૭, મ્યુનિ. સ્લમ ક્વાટર્સ, ગંજશહીદ દરગાહ પાસે, દાણીલીમડા, સવારે ૧૦થી ૧

વડોદરા
---

સુરત
લેઉઆ પાટીદાર
- જેઠીબેન દયારામભાઇ પટેલની સંયુકત પ્રાર્થના સભા બપોરે ૨ કલાકે છ ગાળા, કુંભારીયા ગામ, તા. ચોર્યાસી, જી. સુરત ખાતે.
- લક્ષ્મીબેન નરોત્તમભાઇ પટેલની સંયુકત પ્રાર્થના સભા બપોરે ૩ કલાકે પૂણા લેઉવા પાટીદાર સમાજ વાડી ખાતે.
ગજેરા
- ઉકાભાઇ નારણભાઇ ગજેરાનું બેસણું ૪ થી ૬ કલાક દરમિયાન ૮૬, યમુનાકુંજ સોસાયટી, કાપોદ્રા ચાર રસ્તા વરાછારોડ, સુરત ખાતે.
લાલચુડા કડવા પાટીદાર સમાજ
- ઠાકોરભાઇ પરભુભાઇ પટેલની સંયુકત પ્રાર્થના સભા સવારના ૮-૩૦ કલાકે અલુરા ખાતે.
પારસી મરણ
- બેહરામ બહાદુરશા ગ્યારા (ઉ.વ. ૮૩)નું રહે. ચોકા સ્ટ્રીટ ઘર નં. ૧/૧૦૨૮ નાનપુરા સુરત ખાતે અવસાન થયું છે.

ભાવનગર,રાજકોટ
સુન્ની સોરઠીયા ઘાંચી (પાલિતાણા)
જનાબ હાજીભાઇ રેેમાનભાઇ સૈયદ (અમદાવાદી) ના ઔરત સારાબેન(ઉ.વ.૬૪) આજરોજ તા. ૫ ના ગુરૂવારે ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે તે સલેમાનભાઇ કાસમભાઇ અગવાનની દીકરી, ફકીરભાઇ, મ.અલારખભાઇ, સતારભાઇ, જમાલભાઇ અગવાનની બેન થાય મ.રેમાનભાઇ ,હાજીભાઇ, મહંમદભાઇ,નુરાભાઇ અગવાનની ભત્રીજી થાય તથા ભાવનગરવાળા ઇસ્માઇલભાઇ સૈયદ તથા મુસાભાઇના ભાભી થાય ગાજીભાઇ અલીભાઇ, ગાજીભાઇ આમદભાઇ (કલીવાળા), રાધનપરા નુરમહંમદભાઇ ઇબ્રાહીમભાઇ ભાવનગર વાળા ગફુરભાઇ યાકુબભાઇ લોડીયા ભાવનગરવાળા જમાલભાઇ આમદભાઇના વેવાઇ થાય. મરહુમની જીયારત તા. ૭ને સવારના ૧૦ કલાકે શનિવારના મર્દો માટે પંચબીબી મસ્જીદ અને ઔરતો માટે તેેેમના નિવાસે ૫૦ વારીયા રાખેલ છે.
દેસાઇ સઇ સુથાર (પાલીતાણા-મુંબઇ)
મુૅંબઇ નિવાસી રમાબેન રતીલાલ રાઠોડ (ઉ.વ.૭૬) તા. ૧ રવિવારે રામચરણ પામેલ છે. તે કિરીટભાઇ (મુંબઇ) હેમંતભાઇ (અમેરિકા), ભાનુબેન (સે.વન આર્ટ ભાવનગર), દેવયાનીબેન (અમેરિકા), રેખાબેન (લંડન),ના માતુશ્રી થાય તેમજ બુઢણાવાળા ગણેશભાઇ ભવાનભાઇ સરવૈયા પાલીતાણાના બેન થાય તેમની પીયર પક્ષની સાદડી તા. ૭ સનિવારે ૪ થી ૬, ગણેશભાઇ સરવૈયાના નિવાસે આદર્શ સોસા. પાલીતાણા રાખેલ છે
તળપદા કોળી
રાજપરાવાળા હાલ પાલિતાણા બારૈયા અરજણભાઇ માધાભાઇ (ઉ.વ.૯૦) તા. ૪ ના સ્વર્ગવાસ પામેલ છે.તે બારૈયા પોપટભાઇ, ધીરૂભાઇ, વલ્લભભાઇ,ના પિતા થાય ઓધાભાઇ માધાભાઇના મોટાભાઇ, ભીમાભાઇ કાનાભાઇ, કાળાભાઇ, ઘેલાભાઇ, નાગજીભાઇ, હરીભાઇ,જીવરાજભાઇ રામભાઇના મોટા ભાઇ થાય. બાબુભાઇ, હિમતભાઇ, અરવિંદભાઇ, ભાવેશભાઇ, શૈલષના દાદા થાય તેમનું ઉત્તરકારજ તા. ૧૩ શક્રવારે નિવાસે હરિરામનગર, ઘેટી રીંગરોડ, પાલિતાણા રાખેલ છે.
લેઉવા પટેલ
પાલિતાણા નિવાસી કરશનભાઇ જેઠાભાઇ દાવરા (ઉ.વ.૯૧) તા. ૫ના સ્વર્ગવાસ પામેલ છે.જે લાભુભાઇ નારણભાઇના પિતા થાય તેની ઉત્તરક્રિયા તા. ૧૫ ના તેમજ સરવણી તા. ૧૬ ના તેમના નિવાસે હરિરામ નગર, બારપરા પાલિતાણા રાખેલ છે.
ક્ષત્રિય (ત્રાપજ)
ત્રાપજ નિવાસી હાલ ભાવનગર સ્વ. ભોજુભા વેલુભા (રીટા. જમાદાર) ના પત્ની નંદકુંવરબા (ઉ.વ.૮૦) બટુકસિંહ મેરભા, ઉમેદસિંહ વેલુભા, સ્વ. જીણકુભા વેલુભા, સ્વ. રધુભા વેલુભાના ભાભી થાય. કીરીટસિંહ (એસ,.ટી કન્ડકટર ભાવ), મહેન્દ્રસિંહ (એસઆઇ અલંગ ) નરેન્દ્રસિંહ (બબભા) (સીતારામ પાન),ના માતુશ્રી થાય. માવુભા બોધુભા ,અશોકસિંહ મોતીભા, પ્રવિણસિંહ ટપુભા (રીટા, એસ.ટી.),ના કાકી મા થાય દિગ્વીજયસિંહ (યુવક કોંગ્રેસ), બ્રિજરાજસિંહ (રેશનશોપ),ના માસીબા થાય સુખદેવસિંહ, રણજીતસિંહ, મુન્નાભાઇ, પદુભા ,કિશોરસિંહ, નરવિરસિંહ,ના ભાભુમા થાય. પ્રદ્યુમનસિંહ (વડોદરા), કુલદીપસિંહ (ગોપનાથ ઓટો)., ધર્મેન્દ્રસિંહ, ઘુ્રવરાજસિંહ, જયરાજસિંહના દાદીમા થાયતે તા. ૫ ગુરૂવારના રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા. ૯ સોમવાર સાંજે ૪ થી ૬, તેમના નીવાસે કાળીયાબીડ નારેસ્વર સોસા. ગોકુળધામ સોસાય રોડ ભાવનગર રાખેલ છ ે.

મુંબઇ
બાવીસી પંચાલ
મુકામ વડનગર (હાલ મુંબઈ) હરેશભાઈ રવચંદદાસ પંચાલ (ઉ. વ. ૫૧) તેઓ સ્વ. રવચંદદાસ મગનલાલ પંચાલ તથા કાન્તાબેનના પુત્ર તથા પુષ્પાબેનના પતિ. તેમજ ભરતભાઈ, હરિકેષ, મીતલ, ગીતાના પિતા. તેમજ માણકેલાલ, અમૃતલાલ, હસમુખભાઈ, જશોદાબેન, જ્યોત્સનાબેન, અનસુયાબેન, રંજનબેન, સરોજબેનના ભાઈ. ગુડસેફના માલિક સોમનાથ મોહનલાલ પંચાલના જમાઈ તા. ૩-૧૧-૦૯ના સ્વર્ગલોક પામ્યા છે. બેસણુ શુક્રવાર તા. ૬-૧૧-૦૯ના ૩થી ૬ રાખેલ છે. સરનામુંઃ શ્યામ વાડી, સંતશ્રી શ્યામજી બાપુ ચોક, ઓબરોય મોલની સામે, નેશનલ હાઈવે, ડિંડોશી કોર્નર, મલાડ (ઈસ્ટ), મુંબઈ- ૯૭.
ચરોતર રૂખી
ગામ ભડકદના (હાલ મુંબઈ) સ્વ. ઝવેર છોટુ પરમાર તેમજ હિરાબેનના દીકરા ભરત પરમાર (ઉ. વ. ૪૨)નું તા. ૨૭-૧૦-૦૯ના અવસાન થયેલ છે. તે દુર્ગાબેનના પતિ. ચંદ્રકાંત, પ્રવિણ, ગીતાબેનના ભાઈ. ગિરીષ, મનિષા,ચેતનના બાપુજી. સુતક સુવાળા તા. ૬-૧૧-૦૯ને શુક્રવારના સાંજે ૫ આઈઆઈટી પવઈ હિલ સાઈડ, બિલ્ડીંગ નં. ૨૦, રૂમ નં. ૧૫૪, પવઈમાં રાખેલ છે.
હિન્દુ મેઘવાળ
ગામ-રેવા (હાલ મંુબઈ) તાડવાડીનાં આલજી વિશ્રામ કોળી (જય ગોપાળ) (ઉ. વ. ૮૮) તે મોહનભાઈ, લક્ષ્મણભાઈ, દિનેશભાઈ, દિવાબેન, શાંતાબેન, કુંવરબેનના પિતા તેમજ વિશ્રામભાઈ, કેશવભાઈ, ડાયાલાલ, ભાનુબેન, મીનાબેન, ગીતાબેનના સસરા. કૌશિક, રિશીક, તુષાર, કોમલ, કવિતા. મયૂરીના દાદાનંું અવસાન મંગળવાર તા. ૨૭-૧૦-૦૯ના થયેલ છે. શોકસભા તેમજ બારમાની વિધિ શનિવાર તા. ૭-૧૧-૦૯ના સાંજે ૫ કલાકે શ્રી કૈલાસબાગ લક્ષ્મીનારાયણ મંદિર, પટાંગણ, ચાલ નં. ૧૬ની પાસે, તાડવાડી મઝગાંવ, મુંબઈ-૧૦માં રાખેલ છે.
માંગરોલ દશાશ્રીમાળી સ્થા. જૈન
એડનવાલા (હાલ મુંબઇ) શાન્તાબેન શાહ (ઉ. વ. ૯૫) તે સ્વ. ગુલાબચંદ ખીમજી બાવાની પત્ની તથા રસિકલાલ, હેમંત, સુશીલા, મંજુલા, નલિની અને જયશ્રીના માતા. સુલોચના, હેમંતી, કુમુદચંદ્ર, પ્રફુલચંદ્ર, સ્વ. પ્રફુલચંદ્ર અને તુષારના સાસુ. પિયર પક્ષે સ્વ. વંદ્રાવન ભગવાનજી જુઠાણીના પુત્રી. સ્વ. ચંપકલાલ, સ્વ. નગિનદાસ, સ્વ. વૃજલાલ પ્રવિણચંદ્ર, સ્વ. કાન્તાબેન અને મંજુલાબહેન અરિહંતશરણ થયેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૬-૧૧-૦૯ના સાંજે ૫થી ૭ યોગીસભા, સ્વામીનારાયણ મંદિર, દાદર ટીટી (સે.રે.)માં રાખેલ છે. ચક્ષુદાન કરેલ છે.
કચ્છ વાગડ સાત ચોવિસી ગુર્જર જૈન
ગામશ્રી બાદરગઢના (હાલ દાદર) સ્વ. પ્રભુલાલ મહાદેવભાઈ ભણસાલીના પત્ની હેમકુંવરબેન (ઉ. વ. ૬૬) તા. ૪-૧૧-૦૯ને બુધવારના અરિહંતશરણ થયેલ છે. તે કિર્તી, કનક, જયેશ, સ્વ. મંજુબેન તથા વર્ષા અનિલ કુમાર બોરીચાના માતા. તથા મોહનલાલ, નાનાલાલ, સ્વરૂપચંદ, હિંમતલાલ, નાનાલાલ, કાન્તીલાલ, વૃજલાલ, નવીન તથા અમૃતબેન, હેમકુંવરબેન, માનુબેન, જવેરબેનના ભાભી. તે ગાગોદરના મહેતા સોમચંદ પ્રેમચંદની દીકરી તથા હરખચંદ, સ્વ.મગનલાલ, જયંતીલાલ, ચંપાબેનના બેન. પ્રાર્થના બન્ને પક્ષ તરફથી શુક્રવાર તા. ૬-૧૧-૦૯ના સાંજે ૪થી ૫.૩૦ વાગ્યે કરસન લધુ નિસર હોલ (દાદર) રાખેલ છે. રહેઠાણઃ કિર્તી પ્રભુલાલ ભણસાલી, આસાવરી કો. ઓ. સોસાયટી, બ્લોક નં. ૬, બીજે માળે, ગોખલે રોડ (સાઉથ), દાદર (વેસ્ટ).
અસગરઅલી મુ.હુસેનભાઈ મોરબીવાલા
તે મ. બતુલભાઈના શોહર, તે મરહુમ અબ્બાસભાઈ, જાફરભાઈ, શબ્બીરભાઈ, મોઈઝભાઈ અને બીલકીસબેનના બાવાજી. તે અકબરભાઈ સરીયા, રેહાનાબેન, નફીસાબેન, નફીસાબેનના સસરાજી તે તસનીમ, ફરીદા, શબ્બર, સકીના અને હાતીમના દાદાજી. તે યુસુફ અને તસનીમના નાનાજી ગુજરી ગાય છે. બીજ્યા અને ત્રીજ્યાના સીપારા હુસેની મસ્જીદમાં મરદો-બૈરાંના શુક્રવાર તા. ૬-૧૧-૦૯ના ઝીલકાદ, સવારે ૧૦ વાગ્યે રાખવામાં આવેલા છે. સરનામુંઃ ૧૩૦, કાંચવાલા બિલ્ડીંગ, રોદત તાહેરા સ્ટ્રીટ, બીજે માળે, રૂમ નં. ૧૦, મુંબઈ- ૪૦૦૦૦૩.
સોરઠીયા બ્રહ્મક્ષત્રીય
વિજ્યાબેન કાંતીલાલ નિર્મળ (ઉ. વ. ૭૭) તે લલીતભાઈ, અશકોભાઈ, તથા રાજુભાઈના માતા. તથા જેતપુર જગદીશભાઈ ગોરધનભાઈ બોસમીયાના બેન તથા રમણીકલાલ નથુભાઈ નિર્મળના ભત્રીજા વહુ રાજકોટ મુકામે તા. ૩૦-૧૦-૦૯ના અવસાન થયેલ છે. સાદડી તા. ૬-૧૧-૦૯ને શુક્રવારના સાંજે ૫થી ૬ નીચેના સરનામે રાખેલ છે. વસંતલાલ રમણીકલાલ નિર્મળ ૮, પારસી પંચાયત રોડ, અમરદીપ હોસ્પિટલ પાછળ, વૈશાલી સદન જુના નાગરદાસ રોડ, અંધેરી -ઈસ્ટ. મુંબઈ-૬૯.
લુહાર પંચાલ
સ્વ. ચંદુલાલ મુલચંદદાસ પંચાલ (કડી-કલોલ)ના પુત્ર ભરત ચંદુલાલ પંચાલ (ઉ. વ. ૫૮) તે મુકેશ, દિલીપ, રાકેશ, દેવેન, પુષ્પાબેન, કલ્પનાબેન, નિમાબેન તથા ઉમાબેનના ભાઈ તા. ૪-૧૧-૦૯ના સ્વર્ગવાસ થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૬-૧૧-૦૯ને શુક્રવારે સાંજે ૪થી ૬ ૩-એ/ ૧૦૩ ઇડનરોઝ કો. ઉ. હાઉસીંગ સોસાયટી સિનેમેક્સની સામે બેર્વલી પાર્ક, મીરા રોડ ઇસ્ટમાં રાખેલ છે.
ચરોતર રૂખી
ગામ બામણવા (હાલ મુંબઈ) ગોવિંદભાઈ ભીખા સોલંકી (ઉ. વ. ૫૬) તા. ૧-૧૧-૦૯ના રવિવારે દેવલોક પામ્યા છે. તેઓ ધનીબેનના પતિ. કિશોર, ધીરજ, હંસા અને રમીલાના પિતા. અજીતભાઈના ભત્રીજા, દક્ષાબેનના સસરા. સાસરા પક્ષે સ્વ. ભીખાભાઈ અને મગનભાઈના બનેવી શોકસભા તા. ૬-૧૧-૦૯ને શુક્રવારે સાંજે ૫થી ૭ નિવાસસ્થાને રાખેલ છે. ઠે.ઃ કિશોરભાઈ ગોવિંદભાઈ સોલંકી, એકવિરા કૃપા ચાલ, રૂમ નં. ૫, ચીકુવાડી, માર્વે ચર્ચ રોડ, મલાડ (વેસ્ટ), બસ નં.૨૭૨ અને ૨૭૧.
કપોળ
પંકજ (ઉ. વ. ૫૦) મોણપરવાળા પુષ્પાબેન તથા રમણીકલાલ જયંતીલાલ મહેતાના પુત્રના પુત્ર. મમતાના પતિ. પીંકી અને નીલના પિતા. નયન, હેમંત, ભારતી, અશોક ભુતાના ભાઈ. મધુભાઈ વૃંદાવનદાસ સંઘવીના જમાઈ તા. ૪-૧૧-૦૯ને બુધવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૬-૧૧-૦૯ને શુક્રવારે સાંજે ૪થી ૬ રાખેલ છે. સ્થળઃ શ્રી અક્ષર પુરુષોત્તમ, સ્વામીનારાયણ સંસ્કાર કેન્દ્ર, સરીતા પાર્ક, ગારોડીયા નગર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઈ), મુંબઈ- ૭૭. ચક્ષુદાન કરેલ છે.
મારવાડ ગોડવાડ દશા ઓશવાલ જૈન
ગામ મુન્ડારા (રાજ.) (હાલ મલાડ) સ્વ. દાનમલજી લાદમલજી કોઠારીના પત્ની. તે સ્વ. મુલતાનમલજી, સ્વ. મોતીલાલજી, સાગરમલજીના ભાભી તે સ્વ. ફતેચંદજી, જેન્તીલાલજી, શાન્તીલાલજી ઈંદિરાબેન રતનબેનના માતા. પાનીબેન દાનમલજી કોઠારી (ઉ. વ. ૮૫) તા. ૩-૧૧-૦૯ના અરિહંતશરણ પામ્યા છે. પિયર પક્ષ બિસલપુરના નિવાસી સ્વ. હિરાચંદજી વોતાવતના પુત્રી. સ્વ. ગણેશમલજી, સ્વ. ગુલાબચંદજી, સ્વ. બાબુલાલજી, વેજરાજજી ઓટરમલજીના બહેન. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૬-૧૧-૦૯ના ૨થી ૪ સાથે રાખી છે. સ્થળઃ નડીયાદવાલા હોલ, પોદાર રોડ, લક્ષ્મીનારાયણ શોપીં સેન્ટરની સામે, મલાડ (ઈસ્ટ).
ગુર્જર ક્ષત્રીયા કડીયા
સ્વ. ભીખુભાઈ જીવરાજભાઈ ચોટલીયા તથા સોનાબેન ભીખુભાઈ ચોટલીયાના પુત્ર સૂર્યકાંતભાઈ ભીખુભાઈ ચોટલીયા (ઉ. વ. ૩૧) એ ચંદ્રકાંતભાઈ, સુભાષભાઈ, અશોકભાઈ, પ્રકાશભાઈ, સંજયભાઈના, રસીલાબેન તથા વીણાબેનના ભાઈ. ગોકુળભાઈ તથા કીશનભાઈ લાડવાના ભાણેજ તા. ૨-૧૧-૦૯ સોમવારના રામશરણ પામેલ છે. સાદડી તા. ૭-૧૧-૦૯ને શુક્રવારના સાંજે ૪થી ૬ નિવાસસ્થાને રાખેલ છે. રહેઠાણઃ ચંદ્રકાંત પ્રભુભાઈ ચોટલીયા, ૫/૯, કદમવાડી, વાકોલા વીલેજ રોડ, વાકોલા મસ્જીદની પાસે, સાંતાક્રુજ (ઈ), મુંબઈ-૫૫.
લુહાર સુતાર
ગામ ચાવંડવાળા (હાલ કાંદિવલી) સ્વ. રાઘવજીભાઈ જીવરાજભાઈ પરમારના પત્ની શાંતાબેન રાઘવજીભાઈ પરમાર (ઉ. વ. ૮૫) તા. ૨-૧૧-૦૯ને સોમવારના સ્વર્ગવાસ થયેલ છે. તે હસમુખભાઈ, અરવિંદભાઈ, ભરતભાઈ તથા ઇન્દુબેન વ્રજલાલ દાવડા, સ્વ. નયનાબેન, રીટાબેન હિમ્મતલાલ હરસોરાનાં માતા. તથા દીપ્તિબેન તરૂણ કુમાર સોલંકી તથા નિધિ અરવિંદભાઈ પરમારના દાદી તથા રેખાબેન, અમીબેનના નાની. ગામ બાબરાવાળા મુળજીભઆઈ નાગજીભાઈ ડોડીયાની દીકરી. સાદડી તા. ૬-૧૧-૦૯ને શુક્રવારે ૪થી ૬ રાખેલ છે. સ્થળઃ લુહાર સુતાર વેલફેર સેન્ટર, કાર્ટર રોડ નં. ૩, અંબાજીના મંદિરની બાજુમાં, બોરીવલી (ઈસ્ટ). લૌકિક પ્રથા બંધ છે.
લુહાર સુતાર
ધ્રાંગધ્રાવાળા (હાલ પવઈ અંધેરી) સ્વ. ધનજીભઆઈ કાનજીભાઈ ઉમરાણીયા (ઉ. વ. ૬૫) મીસ્ત્રી તે કંચનબેનના પતિ. દિનેશભાઈ, કમલેશભાઈ, સુનીતા શૈલેષ પરમારના પિતા. કુંજનબેનના સસરા. ભાવનગરવાળા નટવરલાલના જમાઈ. સા. કુ.વાળા સ્વ. પ્રતાપભાઈ રણછોડ પરમાર તથા રમેશભાઈ લીલાધર પરમારના વેવાઈ તા. ૩-૧૧-૦૯ના મંગળવારે દેવલોક પામ્યા છે. બેસણું શુક્રવાર તા. ૬-૧૧-૦૯ના સાંજે ૪થી ૬ નિવાસસ્થાને રાખેલ છે. નિ.ઃ મીસ્ત્રી દિનેશ, ધનજી, ઉમરાણીયા, ગુલમહોર કો. હા. સોસા., બિલ્ડીંગ નં. ૫, ફલેટ નં. ૭૦૮/૭૦૯, જે. વી. એલ. આર. રોડ, મીલીંદ નગરની સામે, પવઈ અંધેરી (પૂર્વ), મુંબઈ- ૭૨.
પરજીયા સોની
વસંતબેન (ઉ. વ. ૯૦) તે તળાજાવાળા (હાલ અંધેરી) સ્વ. હરકીશનદાસ ગોરધનદાસ જવેરીના પત્ની. તે ચંદ્રકાન્તભાઈ, મુળરાજભાઈ, શરદભાઈ તથા શ્રીદેવી દિલીપભઆઈ ચોકસીના માતા તથા સ્વ.મંગળાબેન, સ્વ. રમણીકભાઈ, સ્વ. જગમોહનભાઈ અને વિજયભાઈના ભાભી તથા સ્વ. અમૃતલાલ નારણદાસ ધકાણના બેન તેમજ ઉષા, હેના, પ્રેમલ, વિરલ, જીગ્નેશ, મેઘના અનિલકુમાર થડેશ્વ્વર અને રાજીવના દાદી તા. ૩-૧૧-૦૯ને મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૬-૧૧-૦૯ને સાંજે ૪થી ૬ સન્યાસ આશ્રમ, વિલે પાર્લા (પશ્ચિમ), મુંબઈ- ૪૦૦ ૦૫૬ના દિવસે રાખેલ છે.
અનાવિલ બ્રાહ્મણ
તા. પારડી, ગામ ટુ કવાડાના પાણુભાઈ પરાગજી દેસાઈના પત્ની. દક્ષાબેન તા. ૩-૧૧-૦૯ના દેવલોક પામ્યા છે. જે સ્વ. મનુભાઈ, સ્વ. રમણભાઈ, મોહનભાઈ, હરરાય તથા પાર્વતીબેનના ભાભી અને સ્વ. સુધાબેન, શાંતાબેન, ધીરીબેન, ઇન્દુબેનના દેરાણી જે ગામ આસમાના સ્વ. ઝીણાભાઈ દયાળજી વશી, સ્વ. મણિબેનના દીકરી તા. ૭-૧૧-૦૯ને શનિવારે ૨થી ૫ શ્રી અનાવિલ વાડી હોલ, નેશનલ હાઈવે નં. ૮, ઉદવાડા ખાતે બન્ને પક્ષની પ્રાર્થનાસભા રાખવામાં આવી છે. લૌકિક રિવાજ બંધ છે.
પુષ્કર્ણાં બ્રાહ્મણ
(હાલ દહિસર) - નીલમ (ભારતી) પ્રકાશ વિશા (ઉ. વ. ૫૫) તા. ૪-૧૧-૦૯ના શ્રીજીચરણ પામેલ છે. તે મથુરાદાસ ગજ્જા અને સુશીલાબેન ગજ્જાની પુત્રી. વીક્રમ, વિજેતા રાજેશ કુકાની, પૂજા હિતેશ પનીયાના માતા. પ્રાર્થનાસભા (બન્ને પક્ષની) તા. ૬-૧૧-૦૯, શુક્રવારે સાંજે ૫થી ૫.૩૦. નિ.ઃ ૧૯, પ્રેમાબાઈ ચાલ, મ્હાત્રે વાડી, બાલક્રિષ્ના તાવડે માર્ગ, દહિંસર (વે), સ્ટેશન સામે, મંુબઈ-૬૮ ખાતે રાખેલ છે.
હાલાઈ લોહાણા
કંકુબેન તે સ્વ. પરષોત્તમ જીવરાજ પાબારીના પત્ની (ઉ. વ. ૯૫) તે જયંતીલાલ, હિમ્મતભાઈ, મુકેશકુમાર, સંજયકુમાર, રંભાબેન, નિર્મળાબેન, મંજુલાબેન, કુસુમબેનના માતા. તે સ્વ. જયાબેન, વિણાબેન, મીતાબેન સીમાબેનના સાસુ. તે સ્વ. ધનજી ભીમજી સીમરીયાના પુત્રી બોરીવલી મુકામે તા. ૪-૧૧-૦૯ને બુધવારના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૬-૧૧-૦૯ના સવારે ૯.૩૦થી ૧૧ હાલાઈ લોહાણા મહાજન વાડી, શંકર મંદિરની બાજુમાં, એસ.વી. રોડ, કાંદિવલી (પશ્ચિમ), મુંબઈ-૬૭માં રાખેલ છે.
દેસાઈ સઈ સુતાર
પાલિતાણા નિવાસી (હાલ જોગેશ્વ્વરી) સ્વ. રતિલાલ કાનજીભાઈ રાઠોડના પત્ની રમાબેન (ઉ. વ. ૭૬) તા. ૧-૧૧-૦૯ને રવિવારના રામચરણ પામ્યા છે. તે કિરિટભાઈ હેમંતભાઈ ભાનુબેન ઘનશ્યામભાઈ પરમાર દેવીયાની જોગીરાજ ગોહિલ, રેખાબેન મહેશકુમાર જેઠવાના માતા. તે સ્વ. કનુભાઈ રમણિકભાઈ, સ્વ. હસુભાઈ, બળવંતભાઈ, સવિતાબેન, ભગવતીબેન, મઘુબેન, આશાબેનના કાકી. તે તેજલબેન ધર્મેશકુમાર વાઘેલા (બેંગકોક) મેહુલ, મયુર, સૂરજ, ભક્તિ, રાજેશ, અનિતા, કુશ, અદિતિ, સાર્થકના દાદી તથા બુઢણાવાળા ગણેશભાઈ ભવાનભાઈ સરવૈયાના બેન સાદડી તા. ૬-૧૧-૦૯ને શુક્રવારે સાંજે ૪થી ૬ રાખેલ છે. સ્થળઃ સેટેલાઈટ પાર્ક સી. વિંગના ગ્રાઉન્ડમાં, ગુફા રોડ, સ્ટેશન સામે, જોગેશ્વ્વરી (પૂર્વ), મુંબઈ- ૬૦. લૌકિક પ્રથા બંધ છે.
કાંઠા સત્તાવીશ દશાશ્રીમાળી જૈન
આગલોડ નિવાસી (હાલ મીરારોડ) શાહ ચીનુભાઈ લક્ષ્મીચંદના પત્ની સવિતાબેન (ઉ. વ. ૬૩) ગુુરુવાર તા. ૫-૧૧-૦૯ના અરિહંતશરણ થયેલ છે. તે સ્વ. ગજીબેન તથા મણિલાલ નેમચંદ શાહ હિમ્મતનગરના પુત્રી તે નરેશભાઈ, ચન્દ્રેશભાઈ, નીતાબેનના ભાભી. તે રાહુલ, સુનીતા, હિના, તૃપ્તી, આશાના મમ્મી તથા પાયલ જયેશકુમાર, ભાવેશકુમાર, વિનોદકુમાર જીગ્નેશકુમારના સાસુ. બન્ને પક્ષો તરફથી પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૬-૧૧-૦૯ના સાંજે ૪થી ૬ થયેલ છે. સ્થળઃ શાંતીનગર જૈન દેરાસર, સેકટર નં. ૩, મીરા રોડ (ઈસ્ટ). રહેઠાણઃ એ/૫ પુનમ નગર હા. સો. ૨૦૪, પેસે -૩ કેનેરા બેંકની બાજુમાં, મીરારોડ (ઈસ્ટ).
ગોડવાલ ઓશવાળ જૈન
બીજોવા નિવાસી સ્વ. હિંમતમલજી સોલંકીના પુત્ર તે સ્વ. મોહનલાલ, નગરાજ, સોહનલાલના ભાઈ. તે લલીતકુમાર, મહેન્દ્રકુમાર, જયશ્રી-લલીતજીના પિતા. તે સુરેશચંદ્ર, કુશલરાજ, પ્રકાશ, સંદીપના કાકા તે સુમિત, પરાગ, જીમ્મી, કાજલ- મેહુલના દાદા તે શાંતીબાઈના પતિ. જાંવતરાજજી (ઉ. વ. ૭૩)નું અવસાન બુધવાર તા. ૪-૧૧-૦૯ના મુંબઈમાં થયું છે. પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૬-૧૧-૦૯ના બપોરે ૨થી ૪ સુધી રાખેલ છે. ઠે.ઃ શા ક્ષેત્રપાલ અતિથી ભવન, ઝાબાવાડી, ઠાકુર દ્વાર, મુંબઈ-૨માં રાખેલ છે. સાસરા પક્ષ ફુચ્ચરમલજી મનીષ પુત્ર પૌત્ર મેઘરાજજી રાંકા, બાલી નિવાસી, હાલ ડોમ્બિવલી. બન્ને પક્ષની પ્રાર્થના સાથે રાખેલ છે. પલ્લા પ્રથા બંધ રાખેલ છે.
ઝાલાવાડી શ્વ્વે મૂ. પૂ. જૈન
સ્વ. ભરતકુમાર રમણલાલ શાહ (કોલસાવાળા)ના પત્ની કલ્પનાબેન (ઉ. વ. ૭૬) જે પિયર પક્ષે સ્વ. રતિલાલ, સ્વ. જયંતીલાલ, સ્વ. ડાહ્યાલાલ માણેકચંદ શાહ તથા સ્વ. કાન્તાબેન રસિકલાલ શાહના બહેન. શ્વ્વસુર પક્ષે જસવંતભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, સુરેન્દ્રભાઈ, સ્વ. નીલાબેન જયમલભાઈ શાહ, ઉષાકાન્તભાઈ તથા બકુલભાઈ શાહ (કોલસાવાળા)ના ભાભી. બીના, મુકેશ, ડોલી, રાકેશના માતા. ભરતભાઈ પટેલ નિપૂર્ણભાઈ ઝવેરી, રશ્મિબેન તથા બિન્દુબેનના સાસુ તા. ૩-૧૧-૦૯ના સુરત મુકામે અરિહંતશરણ પામેલ છે. સદગતની પ્રાર્થનાસભા તા. ૬-૧૧-૦૯ને શુક્રવારના સાંજે ૩થી ૫ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ ડાયમંડ સિનેમા સામે, એલ. ટી. રોડ, બોરીવલી (વેસ્ટ)માં રાખેલ છે. લૌકિક વહેવાર બંધ છે.
સત્તાવીસ સાબરકાંઠા ઔ.સહસ્ત્ર બ્રાહ્મણ
ઈલોલ નિવાસી (હાલ અંધેરી) સ્થિત ઈન્દુબાળા ગજાનન ભટ્ટ (ઉ,વ.૮૦) ગજાનન ડાહ્યાલાલ ભટ્ટના પત્ની, સ્વ.સરસ્વતીબેન, ગાયત્રીબેન, પ્રિતીબેન, જયોતિન્દ્રભાઈ, યોગિનીબેનના માતા, રૂપા, મિહીરના દાદી, સરયૂબેન, વિજયભાઈ, દેવલભાઈના સાસુ. સ્વ.ત્રિકમલાલ ઠાકરની પુત્રી (પેઢામલી) તા.૪-૧૧-૦૯ બુધવારે દેવલોક પામ્યા છે. લૌ. વ્ય.બંધ છે.
કચ્છી દશા મોઢ માંડલિયા વણિક
કચ્છ ભુજ નિવાસી (હાલ બોરીવલી) સ્વ.ઈશ્વરલાલ કાનજી મહેતા તથા સ્વ.જયાબેનના પુત્ર લલીતકુમાર (ઉ.વ.૬૧) તે જયશ્રીબેનના પતિ તથા વિકાસ, જશ્મીન દેવાંગ શાહ અને ધારીણી મયુર મેવાડાના પિતા તથા કુસુમબેન કુંદનલાલ મહેતા સરલા સતીશ ભગત તથા હર્ષવદનના ભાઈ તથા સ્વ. રસીકલાલ મણીલાલ શાહના જમાઈ તા.૪-૧૧-૦૯ બુધવારે શ્રીજીચરણ પામેલ છે. સાદડી તથા લૌ.પ્રથા બંધ છે. નિ.ઃ બી-૩ મહા સિઘ્ધી વિનાયક સોસાયટી, ચિકુ વાડી, સિમ્પોલી રોડ, બોરીવલી (વે.), મું-૯૨.
ઘોઘારી દશા દિશાવાળ વણિક
પ્રેમીલાબેન મઘુસુદન કાનાણી (ઉ.વ.૭૦) તે મઘુસુદન છગનલાલ કાનાણીના પત્ની તેમ જ પ્રજ્ઞેશ, દિપીકાબેન, મોનાબેન સ્વ,પારેખ રતીલાલ પરસોત્તમદાસના દિકરી તથા સ્વ.વિનોદચંદ્ર, સ્વ.નરેન્દ્રભાઈ, રશ્મિભાઈ સુરેન્દ્રભાઈ, હર્ષદભાઈના ભાભી તા.૩-૧૧-૦૯ના ભાવનગર મુકામે શ્રીજીચરણ પામ્યા છે. તેમની સાદડી તા.૬-૧૧-૦૯ને શુક્રવારે સાંજે ૪થી ૬ રશ્મિકાંતચ છગનલાલ કાનાણી, મહેશ્વર દર્શન, એસ.વી.રોડ, આશા પારેખ હોસ્પિટલની સામે, બેંક ઓફ ઈન્ડિયાની બાજુમાં, સાંતાક્રુઝ (વે.), મું-૫૪ રાખેલ છે.
ઈડર પિપાવંશી દરજી
ગામ કૃષ્ણનગર (હાલ દહિંસર) સોમાલાલ જેઠાભાઈ દરજી તે સ્વ.ડાહીબેનના પતિ મુળજીભાઈ, નગીનભાઈ, સ્વ.પ્રકાશ, વિનોદ, કંચનબેન, સરોજબેનના પિતા કૈલાસ, મંજુલા, પ્રેમીલા, અમૃતલાલ, પોશીના, કાન્તિલાલ, લાલોડાના સસરા. રાજુ, રણજીત, સિઘ્ધાર્થ, નિશિત, સમીરના દાદા ઈડર દેવચંદભાઈ તથા નારાયણભાઈના બનેવી તે તા.૨-૧૧-૦૯ના સોમવલારે દેવલોક પામ્યા છે. સાદડી તા.૧૧-૧૧ના બુધવારે કૃષ્ણનગર ખાતે રાખેલ છે.
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
બગસરાવાળા કાળીબાપા પાનવાળાના પુત્ર હિંમતલાલ ત્રિભોવનદાસ પડિયા (ઉ.વ.૬૫) નાલાસોપારા મુકામે તા.૪-૧૧ બુધવારે શ્રીજીચરણ પામેલ છે. તે ઈન્દુમતીબેનના પતિ, તે ભીખાલાલ, મુકુંદભાઈ, મંજુબેન ધર્મેન્દ્રકુમાર- રામવાઢા તથા શમુબેન લલીતકુમાર જગડના ભાઈ તે વિશાલ, વૈભવી તથા નેહાબેન દિલીપકુમાર છાટબારના પિતા. તે દડવાવાળા પ્રેમજીરામજી જોગીના જમાઈ, પ્રાર્થના સભા તેમના નિવાસસ્થાને ૬-૧૧ શુક્રવારે સાંજે ૪થી ૬ રાખેલ છે. એ-૭૦૪, આકાશ ટાવર, પ્રસ્પ કોમ્પ્લેક્ષ, ફનફિએસ્ટા થિયેટરનીપાસે, નાલાસોપારા (વે.).
સમસ્ત બાબરિયાવાડ સઈ-સુતાર દરજી સમાજ
ગામ ખાંભલિયા (હાલ ભાયંદર) સ્વ.વિઠ્ઠલભાઈ કાળાભાઈના પુત્ર જગદીશભાઈ પરમાર તા.૨-૧૧ સોમવારે રામચરણ પામ્યા છે. (ઉ.વ.૪૫) તે આતુભાઈ કાળાભાઈ પરમારના ભત્રીજા, તે સ્વ.નરશીભાઈ તથા શાંતિભાઈ, ભીખુભાઈ, કાંતીભાઈ, વિનોદભાઈ, રાજુભાઈ તથા મજુબેન અમૃતલાલ હિંગુ તથા ઊષાબેન રમણલાલ વાઘેલાના ભાઈ તે રમેશભાઈ, ભરત, ધર્મેશ, નિમેશ, પરેશ, વિરલ, મનીષ, માનવ, દર્શનના કાકા. સાદડી તા.૬-૧૧ શુક્રવારે બપોરે ૪થી ૬ રાખેલ છે. સ્થળઃ માતુશ્રી તારામતી કપોળ વાડી, બી.પી.રોડ, સ્ટેશનની બાજુમાં, ભાયંદર (ઈ.) (લૌ.પ્ર.બંધ છે.)
અનાવિલ બ્રાહ્મણ
ગામ ડુંગરા તા.પારડીના હાર્દિક (લાલુ) (ઉ.૨૪) તે સ્વ.ધનવિદ્યા તથા શીલા તથા રણજીતભાઈ ભીખુભાઈ વશીના પુત્ર રમેશબાઈ, શાંતિલાલ, બળવંતબાઈ, સુશીલાબેન, નિર્મળાબેન, જયાબેન, હીરૂભાઈ વશીના ભત્રીજા ધાર્મિકના ભાઈ પલસાણા નિવાસી સ્વ.કીકીબેન તથા સ્વ.ભીખુભાઈ બાવાભાઈના દોહિત્ર. જયંતિભાઈ, નરેન્દ્રભાઈ, શૈલેશભાઈના ભાણેજ. તા.૩-૧૧ને મંગળવારે અ.પા. છે. (બન્ને પક્ષની) પ્રાર્થના સબા તા.૭-૧૧ શનિવારે ૨થી ૫ ક. એમના નિવાસસ્થાન ડુંગરા દેસાઈ વાડ મુકામે રાખેલ છે. લૌ.રિ.બંધ છે.

No comments:

Post a Comment