15 December 2009

સેતુ-સમુદ્રમ : સરકાર અહેવાલ ન આપી શકી

સેતુ-સમુદ્રમ : સરકાર અહેવાલ ન આપી શકી
સેતુ-સમુદ્રમ પ્રોજેક્ટને રામસેતુ તોડ્યા વિના ધનુષકોડી મારફતે પાર પાડવો શક્ય છે કે કેમ તેની ચકાસણી કરી રહેલી તજજ્ઞોની સમિતિનો અહેવાલ સુપ્રીમ કોટ સમક્ષ નિર્ધારિત સમયમર્યાદામાં રજૂ કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. સરકારના સોગંદનામાને રેકોર્ડ પર લઈને કોર્ટે વધુ સુનાવણી ૨૩ ફેબ્રુઆરી પર નક્કી કરી છે. સરકારે કહ્યું છે કે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી (એનઆઈઓ)ના પ્રાથમિક અહેવાલને અંતિમ નિર્ણય ન ગણી શકાય અને તે તજજ્ઞોની સમિતિ માટે બાઘ્ય નથી. પર્યાવરણવાદી આર.કે. પચૌરીની અઘ્યક્ષતા હેઠળ આ સમિતિ રચાઈ છે.

No comments:

Post a Comment