09 July 2010

સોમવારથી એકાંતરા પાણીકાપ સામે આંદોલન

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


સોમવારથી એકાંતરા પાણીકાપ સામે આંદોલન

રેલી, ધરણાં, ઘેરાવ, ઘંટારવ, નાલેશીયાત્રા સહિતના આંદોલાત્મક કાર્યક્રમો ઘડાયા. સોમવારથી એકાંતરા પાણીકાપના કારમા દિવસો શરૂ થવા જઇ રહ્યા છે ત્યારે મનપાના શાસકોની અણઆવડતના પાપે જ પ્રજાને પાણીકાપની ગર્તામાં ધકેલાવાનો વખત આવ્યો હોવાના રોષ સાથે કોંગ્રેસે શાસકો પૂરતું નર્મદા નીર લઇ આવી પાણીકાપ ઉઠાવે એવી માગણી સાથે આંદોલન ફૂંકર્યું છે. સોમવારથી તબક્કાવાર રીતે રેલી, ઘેરાવ, ધરણાં, ઘંટારવ, નાલેશીયાત્રા સહિતના આંદોલન છેડવાની તૈયારી ચાલી રહી છે.શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી, કાર્યકારી પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને મનપાના વપિક્ષી નેતા નરેન્દ્રસિંહ જાડેજાના સંયુક્ત નિવેદનમાં એવો આક્રોશ વ્યક્ત કરાયો છે કે, નર્મદાનાં નીરથી આજી ડેમ ભરી દેશું એવા દીવા સ્વપ્નો દેખાડનાર મ્યુનિ. કમિશનર ડૉ. બ?ભટ્ટ અને પદાધિકારીઓએ વર્ષ આખંુ પૂરતું નર્મદા નીર લઇ આવવાનો પ્રયાસ ન કર્યો અને તેના પાપે આજી ડેમ વહેલો ડૂકી જતાં આજે પ્રજાને પાણીકાપના દિવસો જોવાનો વખત આવ્યો છે.રાજકોટને કરાર મુજબ નર્મદા નીર મળે તો પણ પાણીકાપનો આ ઉતાવળો નિર્ણય ઉચિત નથી એ નરી વાસ્તવિકતા છે પણ શાસકો પ્રજાના આંખે પાટા બાંધી ખોટા બચાવ કરે છે. શાસકોને પૂરતું નર્મદા નીર લઇ આવી પાણીકાપ હટાવી લેવાની ફરજ પાડવા માટે કોંગ્રેસે પણ લડતનો મોરચો માંડયોછે. આ અંગે સાંસદ કુંવરજી બાવિળયા, પ્રદેશ અગ્રણી શાંતાબેન ચાવડા, જશવંતસિંહ ભટ્ટી, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, કાશ્મીરાબેન નથવાણી, અશોક ડાંગર, પિયુષ મહેતા, જીતુ ભટ્ટ, નાથાભાઇ કીયાડા, ડૉ. હેમાંગ વસાવડા સહિતનાની હાજરીમાં મળેલી મિટિંગમાં રેલી, ધરણાં, ઘેરાવ, ઘંટારવ, નાલેશીયાત્રા સહિતના કાર્યક્રમો ઘડવામાં આવ્યા છે.


આસામ : નકસલવાદીઓએ ગરીબરથ ટ્રેનને વિસ્ફોટથી ઉડાવી દીધી

એક બાળકનું મોત, બે સુરક્ષાકર્મી સહિત ૧૩ ઘાયલ, છત્તીસગઢમાં કોંગ્રેસના નેતાના ઘર પર હુમલામાં બેનાં મોત.
આસામના નકસલવાદી સંગઠન નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડના નકસલોએ ગુરુવારે પ્રચંડ બોમ્બ વિસ્ફોટ કરી રેલવે ટ્રેક ઉડાવી દેતા ગરીબરથ ટ્રેનના ૬ ડબા પાટા પરથી ખડી પડ્યા હતા. આ ઘટનામાં એક બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે બે સુરક્ષાકર્મી સહિત ૧૩ વ્યક્તિને ઈજા પહોંચી હતી. બીજી તરફ છત્તીસગઢમાં નકસલોએ એક કોંગ્રેસી નેતાના ઘર પર હુમલો કરી તેમના બે સંબંધીઓને રહેંસી નાખ્યા હતા. અન્ય એક ઘટનામાં ઝારખંડમાં સશસ્ત્ર નકસલવાદીઓએ રેલવે સ્ટેશન પર હુમલો કરતા એક સુરક્ષાકર્મી શહીદ થયો હતો.આસામના કોકરાઝાર જિલ્લામાં ગુરુવારે બે વાગે નકસલોએ બોમ્બ વિસ્ફોટ કરી રેલવે ટ્રેક ઉડાવી દીધો હતો જેના કારણે ગુવાહાટી-કોલકાતા વચ્ચે દોડતી ગરીબરથ ટ્રેનના છ ડબા પાટા પરથી ખડી પડ્યા હતા અને ગુવાહાટીના રહેવાસી એ બાળકનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ સમગ્ર આસામમાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી.નકસલવાદીઓએ આપેલા બે દિવસીય બંધના એલાન દરમિયાન ગુરુવારે છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં કોંગ્રેસના નેતા અવધેશ ગૌતમના ઘર પર કેટલાક નકસલવાદીઓએ હુમલો કર્યો હતો. હુમલામાં અવધેશ ગૌતમના બે સંબંધીઓનાં મોત નીપજ્યાં હતાં જ્યારે તેમના પુત્ર અને એક સુરક્ષાકર્મીને ઈજા પહોંચી હતી.નકસલોએ આ જ જિલ્લાના કુકોંડા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. પોલીસે દાવો કર્યો હતો કે તેમણે કરેલા જવાબી ગોળીબારમાં છ નકસલો માર્યા ગયા હતા. જોકે હજુ સુધી કોઈના મૃતદેહો મળ્યા નથી.


બોસ ઉદ્ધત હોય તો કર્મચારીઓ ભૂલો કરે

એક નવા અભ્યાસ અનુસાર જો તમારી ઓફિસમાં ઉદ્ધત બોસ અથવા આક્રમક સાથીઓ હોય તો તમે ભૂલ કરો તેવી શક્યતા વધી જાય છે.સ્કોટલેન્ડની યુનિવર્સિટી ઓફ એબર્ડીનના સંશોધકોને તેઓના અભ્યાસમાં જણાયું હતું કે ઓફિસમાં ઉદ્ધતાઈથી સ્ટાફ વધુ ભૂલો કરી શકે છે, ભલેને તેઓ પર પ્રત્યક્ષ આક્રમકતા ન આચરવામાં આવી હોય. યુનિવર્સિટી ઓફ એબર્ડીનમાં સંશોધનનું નેતૃત્વ કરનાર પ્રોફેસર રહોના ફ્લિને જણાવ્યું હતું, ‘માનવ ધ્યાન શક્તિશાળી રીતે લાગણીથી ચાલે છે.’એક પ્રયોગમાં પ્રોફેસરે વિદ્યાર્થીઓનું અપમાન કરતા તેઓએ વિવિધ કાર્યો પર ખરાબ પરફોર્મ કર્યું હતું, જ્યારે જેઓ સાથે ઉદ્ધતાઈથી વાત ન કરાઈ હતી તે વિદ્યાર્થીઓએ આ જ કાર્યો સારી રીતે કર્યા હતાં.અન્ય એક પ્રયોગમાં જુથપ્રયોગ માટે મોડા આવેલા એક વિદ્યાર્થીનું પ્રયોગના વડાએ અન્ય વિદ્યાર્થીઓની સામે જ અપમાન કર્યું હતું.જો કે ઉદ્ધતાઈનું સ્તર આત્યંતિક ન હતું અને સામાન્ય અવાજમાં ટિપ્પણી કરાઈ હતી, તેમ છતાંય જે વિદ્યાર્થીઓએ આ બનાવ જોયો હતો તેઓએ ખરાબ રીતે કાર્યો કર્યાં હતાં, જ્યારે આ બનાવ ન જોનાર જૂથના વિદ્યાર્થીઓએ તેઓ કરતા સારી રીતે કામો કર્યા હતાં.પ્રોફેસર ફ્લિને જણાવ્યું હતું કે પરફોર્મન્સ અને ઉદ્ધતાઈ વચ્ચેની કડી ખાસ કરીને આરોગ્ય સંભાળના ક્ષેત્રમાં ચિંતાજનક છે, જેમાં દર્દીઓ જોખમમાં મુકાય છે. ઓપરેશન થિયેટરમાં ડોક્ટરો વચ્ચેની ઉદ્ધતાઈનું પ્રદર્શન ટીમના પરફોર્મન્સ પર અસર કરી શકે છે.


મેક્સિકન : મેયરે ટોણો મારનારને ગોળીએ દીધો

એક મેક્સિકન મેયરે એક પુરુષને ગોળીએ દીધો હતો અને બીજા પુરુષને ઘાયલ કર્યો હતો, કારણ કે તેઓએ મેક્સિકોના રાજ્ય ઓઆકસાકામાં ગવર્નરની ચૂંટણીમાં હારવા બદલ મેયરના પક્ષની મજાક ઉડાવી હતી. સાન પેડ્રો ટોટોલાપનના મેયર ગેરાર્ડો જેરકિન ડિયાઝની ધરપકડ કરવામાં આવી હતી.જેરકિન ઇન્સ્ટિટ્યૂશનલ રિવોલ્યુશનરી પાર્ટી (પીઆરઆઈ)માં છે, જેનો ઉમેદવાર રવિવારે યોજાયેલી ચૂંટણીમાં નેશનલ એકશન પાર્ટી (પીએએન) અને લેફટસ્ટિ પાર્ટી ઓફ ધ ડેમોક્રેટિક રિવોલ્યુશન (પીઆરડી)વચ્ચેના જોડાણના હોદ્દેદાર સામે હારી ગયો છે.પીઆરડીના સભ્ય અને તેના સાથીએ ગવર્નરની ચૂંટણી હારનાર પક્ષના સભ્ય હોવા બદલ જેરકિનની મજાક ઉડાવતા જેરકિને પીઆરડીના સભ્ય પર ત્રણ ગોળીઓ છોડતા તેનું મોત નિપજ્યું હતું.


અમેરિકા ; બોબી જિંદાલે ધાર્મિક સ્થળોમાં ગન લઈ જવાની મંજુરી આપી

અમેરિકાના લુઇઝિયાના પ્રાંતના ભારતીય મૂળના ગવર્નર બોબી જિંદાલે ચર્ચ, મસ્જિદ અને યહૂદી પ્રાર્થના સ્થળોમાં હેન્ડગન લઇ જવાની પરવાનગી આપી દીધી છે. તેમણે આ સંબંધિત બિલ પર મંગળવારે હસ્તાક્ષર કરી દીધા છે, પણ હિંસા વિરોધી કાર્યકર્તાઓએ તેમના આ પગલાનો વિરોધ કર્યો છે.સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર આ નિયમનો અમલ ૧૫મી ઓગસ્ટથી થઇ જશે. જે ચર્ચ, યહૂદી પ્રાર્થના સ્થળ અને મસ્જિદ પોતાના ત્યાં હેન્ડગન લાવવાની સંમતિ દેશે, તેણે પોતાના સંઘને આ નિર્ણયની જાણકારી આપવાની રહેશે. બિલના સમર્થકોનું કહેવું છે કે આનાથી ચર્ચમાં ગુનાઇત ગતિવિધિઓ રોકાશે. સાથોસાથ મંત્રી અને પાદરી પોતાના સુરક્ષા કાફલામાં પણ હેન્ડગન લઇ જઇ શકશે.આ બિલના વિરોધીઓનું કહેવું છે કે સંભવિત હુમલાના નિશાન પર રહેલા ધાર્મિક સ્થળોમાં આ નિયમથી ભલે સુરક્ષા વ્યવસ્થા વધે, પણ સાથોસાથ ધાર્મિક સ્થળોમાં આવનારા લોકો માટે ખતરો પણ વધશે. દરમિયાન, જિંદાલે બાળકોનું શારીરિક શોષણ કરનારાઓને શોધી કાઢવા અને સજા કરવા માટેની કાયદાની ક્ષમતાને સઘન બનાવવા માટે ગવર્નર્સ ૨૦૧૦ લેજિસ્લેટિવ પેકેજમાંથી પાંચ બિલ પર હસ્તાક્ષર કર્યા છે.


મેક્કુલમ આઈ. પી. એલ. માટે દેશ છોડવાનો હતો

ન્યૂઝીલેન્ડના વિકેટકિપર બેટ્સમેન બ્રેંડન મેક્કુલમે ખુલાસો કર્યો છે કે, તે ભારતીય પ્રીમિયર લીગ(આઈપીએલ)ની ચમક દમક અન રકમથી અંઝાઈ ગયો હતો અને દેશ કરતા આઈપીએલને મહત્વ આપવાનું વિચારી રહ્યો હતો.મેક્કુલમે પોતાના પુસ્તક ઇનસાઇડ ટી-20માં ક્રિકેટના નાના ફોર્મેટના પરિણામો અંગે જણાવતા આ વાત કરી હતી. મેક્કુલમે કહ્યું કે, આઈપીએલ 2માં મારું જે પ્રદર્શન રહ્યું તેનાથી હું ઘણો અસંતુષ્ટ હતો અને તેમાં સુધારો કરવા માગતો હતો.તેણે કહ્યું કે, હું સ્વિકાર કરુ છું કે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ સાથે કરાર પર સાઇન નહીં કરવા અંગે હું વિચારી રહ્યો હતો. હું મારી પત્ની સાથે રજાઓ ગાળવા ફિઝી ગયો હતો. જેથી હું ક્રિકેટ વિશે અને મારા જીવનમાં તેના મહત્વ અંગે વિચારી શકું.મે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ સાથે કરાર અને ક્રિકેટના મહત્વ અંગે ઘણું વિચાર્યું અને અંતે મે મારા દેશને પસંદ કર્યો. હું અન્ય કોઇ જવાબદારીના કારણે દેશના ક્રિકેટ બોર્ડ સાથે દગો કરી શકું નહીં. તેમ મેક્કુલમે જણાવ્યું હતું.કોલકતા નાઇટ રાઇડર્સના સભ્ય મેક્કુલમે આઇપીએલ 1નો સ્ટાર ખેલાડી રહ્યો હતો. અને તેણે 2008માં બેંગ્લોર સામે 158 રનની શાનદાર બેટિંગ કરી હતી. 2009માં તેને કોલકતા નાઈટ રાઇડર્સનું સુકાની પદ સોંપવામાં આવ્યું. પરંતુ તેમાં ટીમ 14માંથી માત્ર ત્રણ મેચ જ જીતી શકી હતી. ત્યાર બાદ 2010માં ટીમનું સુકાની પદ ફરી સૌરવ ગાંગુલીના હાથમાં સોંપવામાં આવ્યું હતું.


'અર્થ ક્રાંતિ' નામની સંસ્થાના મતે બજારમાં રૂ.50 સુધીની જ નોટો ચાલુ રાખો

દેશને ચલાવવાનો ખર્ચ વધી રહ્યો છે, પરંતુ આવકમાં એ હિસાબથી વધારો થઇ રહ્યો નથી. પરિણામ આપણી સામે છે. નાણાંકીય ખાધ વધી રહી છે. આ ખાધને ઓછી કરવા માટે સરકારને કડક પગલાં ભરવા પડી રહ્યા છે. પાછી એવામાં મોંઘવારી વધી રહી છે. આખરે આ સમસ્યાનું સમાધાન શું? કેવાં પ્રકારના પગલાં ભરવામાં આવે કે જેથી કરીને નાણાંકીય ખાધ ઘટે અને સામાન્ય પ્રજાને રાહત મળે. સ્થિતિ વિન-વિન ની છે.'અર્થ ક્રાંતિ' નામની સંસ્થાના મતે આ સમાધાન થઇ શકે છે. તેના માટે આપણે એક અગત્યનું પગલું ભરવું પડશે. પ્રથમ પગલું તો બજારમાં રૂ.50 સુધીની જ નોટો ચાલુ રાખો, 100, 500 અને 1,000 રૂપિયાની નોટોનું ચલણ બંધ કરી દો. બીજું પગલું બેન્ક ટ્રાન્ઝેકશન ટેક્સ (બીટીટી) લગાવામાં આવે. એટલે બેન્કમાં જમા રકમ પર ટેક્સ લાગે.અર્થક્રાંતિના ચેરમેન અનિલ બોકિલે કહ્યું કે અત્યારે ભારતનું આર્થિક સેકટર બે મુખ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું છે. બ્લેક મની દેશમાં વધી રહ્યું છે. આપણા જીડીપી જેટલો આકાર છે, તેના કરતાં પણ બ્લેક મની વધારે છે. તેને બહાર કાઢવાની જરૂર છે. આ સિવાય બજારમાં નકલી નોટો પણ છે. તેને પણ અર્થંતંત્રને ખરાબ રીતે નુક્સાની પહોંચાડી છે. બ્લેકમની બહાર આવી શકે છે અને નકલી નોટોનું ચલણ ઓછું કરી શકીએ છીએ, જો આપણે મોટી નોટોનું ચલણ બંધ કરી દઇએ તો.અર્થક્રાંતિના ચેરમેને કહ્યું કે બીટીટી લગાવાથી બેન્કોની આવક વધશે. તેનો ઉપયોગ સરકાર અન્ય પ્રોજેક્ટોમાં કરી શકે છે. બીટીટીની પોઝિટિવ અસર કોમોડીટ અને સર્વિસ પર લાગેલા ટેક્સ પર પડશે. સરકારે તેના પર ટેક્સ વધારવાની જરૂર નહિં પડે. એવામાં મોંઘવારીને સાચી રીતે કંટ્રોલ કરવામાં મદદ મળશે. અત્યારે એ પગલાં ઉઠાવવાની જરૂર છે, જેની બુનિયાદી વર્તમાનમાં છે, પણ તેની અસર લાંબાગાળે પડશે.


મેગન ફોક્સનાં દરિયા કાઠે હવાઈ બિચ પર લગ્ન

હવાઈનાં દરિયા કાઠે ભલે સુર્ય માટે આથમવા ઘણાં કિનારા હોય પરતું મેગન ફોક્સ માટે તો એક જ વ્યક્તિ છે જેની સાથે તે આ હવાઈનાં બિચ પર એક થશે.24 વર્ષિય હોલિવૂડ એકટ્રેસ મેગન ફોક્સ તેનાં જીવનનો સૌથી મોટો રોલ ભજવ્યો છે તેણે હાલમાં જ તેનાં ફિઆન્સ બ્રેઈન ઓસ્ટિન ગ્રીન સાથે લગ્ન કર્યા છે.મોગન તેનાં સફેદ સ્ટ્રીપલેસ અરમાની વેડીગ ડ્રેસમાં ખુબજ સુંદર લાગી રહી હતી. તેનાં હાથમાં સફેદ રોઝ અને 16 ફિટ લાંબો કપડું જાણે કોઈ પરી ધરતી પર ઉતરી હોય તેવું લાગતું હતું.મેગનનાં આ ફોટામાં જાણે તે બિચ પર તેની ફિલ્મનાં શૂટિંગ અર્થે આવી હોય અને લગ્ન કર્યા હોય તેવુ લાગતુ હતું જોકે આ તેનાં રિલ નહી પરતું રિઅલ લાઈફનાં લગ્ન હતાં.આ જોડી 24 જુને લગ્ન ગ્રંથીથી જોડાઈ હતી, તેઓ એ હવાઈ દરિયા કિનારે સનસેટનાં કુદરતી અલહાદક વાતાવરણમાં લગ્ન કર્યા હતા


કેમેરોન ડિયાઝ વજન વધારવા આકરી કસરત કરે છે

હોલિવૂડની અભિનેત્રી કેમેરોન ડિયાઝ વજન વધારવા માટે આકરી કસરત કરી રહી છે, કારણ કે જો તે કસરત કરવાનું બંધ કરશે તો તે ખરેખર સુકલકડી બનશે તેવું તેનું કહેવું છે.‘ચાર્લીઝ એન્જલ્સ’ ફેમ ડિયાઝ તેના કોમળ શરીર માટે જાણીતી છે, પરંતુ તે કબૂલે છે કે તેનું ધડ બરાબર નથી અને તેનું વજન તંદુરસ્ત વજન કરતાં ઘટી ન જાય તે માટે તે સખત મહેનત કરે છે. તે જિમ્નેશિયમમાં રોજ કસરત કર્યા વિનાના જીવનની કલ્પના જ કરી શકતી નથી.તે કહે છે, ‘કસરત મારા માટે ભોજન, નિદ્રા અને શ્વાસ છે. હું સાતત્યપૂર્ણ છું અને હું જ્યારે સાતત્યપૂર્ણ ન હોઉં ત્યારે તે મારા શરીર પર દેખાય છે. હું ખરેખર દૂબળી બની જાઉં છું. હું પાતળી રહેવા નહીં, પરંતુ વજન વધારવા કસરત કરું છું.’


ફિફા વર્લ્ડ કપ 2010નું શકિરાનાં ડાન્સ સાથે સમાપન

કોલેમ્બિયન સિંગર શકિરા ફિફા વર્લ્ડ કપ 2010નું સમાપન ફિફા બોર્ડ દ્વારા ફિફા કપનાં ગીત તરીકે સ્વિકૃતિ મેળવેલ વાકા વાકા- ધિસ ટાઈમ ફોર આફ્રિકા ગીત પર ફરી પર્ફોમ કરીને કરશે.તેણે ફિફા વર્લ્ડ કપની શરૂઆત એક મહિના પહેલાં આજ ગીત પર લોકલ ગ્રુપ ફ્રેશલીગ્રાઉન્ડ સાથે પર્ફોમ કરીને કરી હતી અને આજ રીતે તે ફિફા વર્લ્ડ કપનું સમાપન પણ કરશે.નિર્માતાઓએ વચન આપ્યું છે કે વર્લ્ડકપની છેલ્લી સાંજ એટલે કે સન્ડે નાઈટની ઉજવણી દર્શકો માટે અનેરી રહેશે તેની રોનક સાવ અલગ જ હશે.સાઉથ આફ્રિકા ફિફા ઓર્ગેનાઈઝ કમિટીનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ''આ વખતનો કાર્યક્રમ યુવાનોને પંસદ પડે તેવું હશે તેમજ તેમાં થોડી વધુ ટેક્નોલોજીનો ઉપયોગ થશે તેની લાઈટ અને સ્પેશલ ઈફેક્ટસ દર્શકોને જરૂર પસંદ પડશે.''

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અશોક ચવ્હાણ મરાઠી અભિનેત્રી સોનાલી કુલકર્ણી પાછળ લટ્ટુ


સોનાલીએ મરાઠી ફિલ્મમાં અપ્સરાની ભૂમિકા કરી હતી અને ત્યારથી તે અપ્સરા તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં જાણીતી છે. માનવામાં આવે છે કે, મુખ્યમંત્રી અશોક ચવ્હાણ સોનાલી કુલકર્ણીના દિવાના બની ગયા છે.
આ અભિનેત્રીને ખુશ કરવા માટે મુખ્યમંત્રીએ કેટલાંક ટોચના અધિકારીઓ પર ગુસ્સો પણ કર્યો હતો. મુખ્યમંત્રીની ઓફિસમાં આ મુદ્દો વિવાદનું કારણ બન્યો છે. સોનાલીને લઈને મુખ્યમંત્રી કોઈ નવી મુસબીતમાં મુકાય તેવી પૂરી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સોનાલીને મ્હાડામાં મકાન અપાવવા માટે મુખ્યમંત્રી પોતાનો અંગત રસ દાખવી રહ્યા છે. મધ્યમ અને ગરીબ વર્ગને સસ્તામાં મકાનમાં આપવાની યોજના મ્હાડા વિભાગ ચલાવી રહ્યો છે.સોનાલી પાસે મ્હાડાનું એક મકાન તો છે. નિયમ પ્રમાણે મ્હાડામાં વ્યક્તિ બીજું મકાન ખરીદી શકે નહિ પરંતુ મુખ્યમંત્રી સોનાલી માટે તમામ નિયમો તોડવા તૈયાર થઈ ગયા છે.અશોક ચવ્હાણે મ્હાડામાં જૂનુ મકાન પરત કરીને નવું મકાન કઈ રીતે લઈ શકાય તે નિયમ બનાવવાનો અધિકારીઓને આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીના આવા આદેશને કારણે અધિકારી વર્ગમાં નારાજગી દેખાઈ રહી છે.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય જેટલી પણ ફિલ્મોમાં કામ કરે છે તેમાં દિગ્દર્શકની પત્ની સાથે સારા સંબંધો બનાવી લે છે. ઐશ્વર્યા રાયે મણિ રત્નમ સાથે છેલ્લે ફિલ્મ રાવણમાં કામ કર્યુ છે. મણિની પત્ની સુહાસિની રત્નમ સાથે પણ એશબેબીના સારા સંબંધો છે.કહેવામાં આવતું હતું કે, સુહાસિની રત્નમ એશને લઈને એક ફિલ્મ બનાવે છે. ફિલ્મ રાવણ સુપર ફ્લોપ જવા છતાં પણ સુહાસિની અને એશ વચ્ચેના સંબંધોમાં કોઈ ફરક પડ્યો નહોતો. સુહાસિની બચ્ચન બહુને લઈને એક ફિલ્મ બનાવવાની હતી.જો કે સુહાસિનીના પ્રવક્તાએ કહ્યું હતું કે, હાલમાં ફિલ્મ બનાવવાનો કોઈ વિચાર નથી. સુહાસિની હાલમાં અન્ય કામોમાં વ્યસ્ત છે અને આ જ કારણોસર નવા પ્રોજેક્ટ વિષે વિચારી શકાય તેમ નથી.માનવામાં આવે છે કે, રત્નમ અને એશ વચ્ચે સારા સંબંધો છે. આ દરિમયાન એશ પોતાની આગામી ફિલ્મ એક્શન રિપ્લે, ગુઝારીશ અને એન્ધીરનને લઈને ઉત્સાહિત છે.


અભિનેત્રી અસીનને પણ બોલિવૂડના ગોડફાધર મળી ગયા

દક્ષિણની ફિલ્મોથી બોલિવૂડમાં આવનાર અભિનેત્રી અસીનની પ્રથમ હિન્દી ફિલ્મ ‘ગજિની’ને ભલે ભારે સફળતા મળી હોય પરંતુ આ ફિલ્મના કારણે તેની કારકિર્દીની ગાડી પાટે ચડી શકી નહીં. આમ પણ કહેવાય છે કે બોલિવૂડમાં ગોડફાધર વગર કોઈનો ઉદ્ધાર નથી.આજકાલ કંઈક આવું જ આસીનની જિંદગીમાં પણ આ બની રહ્યું છે. આસીનને પણ હવે બોલિવૂડમાં ગોડફાધર મળી ગયા છે. બોલિવૂડનાં વર્તુળોના અહેવાલો અનુસાર ફિલ્મસર્જક બોની કપૂરે આસીનની કારકિર્દી પાટે ચડાવવાનું બીડું ઝડપ્યું છે.
હવે આસીન પણ નિશ્વિંત બની ગઈ છે કે પોતાની કારકિર્દીની કોઈપણ બાબત હોય તો બોની અને તેના પરિવારની મદદ લઈ શકે છે.

કાશ્મીરા શાહ લગ્ન વગર જ કૃષ્ણા સાથે

કાશ્મીરા શાહ અને કૃષ્ણા વચ્ચે છેલ્લાં કેટલાંય સમયથી સંબંધો છે. જો કે તેઓ લગ્ન કરવાના હોય તેમ લાગતું નથી.દેસી ગર્લમાં રોશની ચોપરા આગળ હારનાર કાશ્મીરા થોડી ઉદાસ છે પરંતુ તેણે પોતાના પ્રેમી કૃષ્ણા વિશે વાત કરી હતી.કાશ્મીરાએ કહ્યું હતું કે, તેના સંબંધો કૃષ્ણા સાથે છે પરંતુ તેને હાલમાં તેની સાથે લગ્ન કરવા નથી.વધુમાં કાશ્મીરાએ જણાવ્યું હતું કે, અમે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છીએ પરંતુ હાલમાં લગ્ન કરવા અંગે કંઈ જ વિચાર્યુ નથી.કૃષ્ણાના પરિવારે કાશ્મીરા સાથેના સંબંધોને ક્યારેય સ્વીકાર્યા નથી. કૃષ્ણાના મામા ગોંવિદાએ પણ ક્યારેય કાશ્મીરાનો સ્વીકાર કર્યો નથી. તેમ છતાં કૃષ્ણા અને કાશ્મીરા પોતાના સંબંધોને લઈને મક્કમ છે.

ઉતરણ સીરિયલમાં તેના પાત્રથી નારાજ તપસ્યા ઉતરણ છોડી દેશે?

રશ્મી ઝરા નચકે દિખા, કોમેડી સર્કસમાં પણ આવે છે. જો કે આપણે તેને તપસ્યા તરીકે જ ઓળખીએ છીએ, ઉતરણને કારણે રશ્મીની અલગ ઓળખ બની છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે રશ્મી ઉતરણ સીરિયલમાં તેના પાત્રથી નારાજ છે. જો તેના પાત્રમાં ફેરફાર કરવામાં નહિ આવે તો તે આ સીરિયલ છોડી દેશે.આ પહેલા ઈચ્છાએ એટલે કે ટીનાએ પણ સીરિયલ છોડવાની ધમકી આપી હતી પરંતુ પછીથી તે માની ગઈ હતી.

ટેલપિથી અંગે ગીતાદર્શન


ગીતાજીમાં કહ્યું છે કે ચિત્તની પ્રસન્નતાથી એનાં બધાં દુ:ખો ટળે છે અને આવા નિર્મળ ચિત્તવાળાની બુિદ્ધ જલદી સ્થિર થાય છે.કહેવાનું તાત્પર્ય એ છે કે રાગ-દ્વેષરહિતનું નિર્મળ જીવન જીવવાથી અંતરમનની પ્રસન્નતા અનુભવાય છે. આવા પ્રસન્ન ચિત્તવાળાને પરમાત્મ તત્વનો સહજતાથી અનુભવ થઇ શકે છે. ગીતાનો આ સંદેશ સમાજના તમામ વર્ગના મનુષ્યોને સમાન રીતે લાગુ પડે છે. એક શ્રમજીવીને વિચાર સંપ્રેષણનાં આંદોલનો થકી અતીતની સાક્ષાત્ પ્રતીતિ કેવી પ્રાપ્ત થઇ તેની હૃદયસ્પર્શી સત્ય ઘટના રજુ કરેલી છે.Beyond Telepathyના લેખક એન્ટ્રિચા પુહેરિવે બોસ્ટન શહેરના એક વેલ્ડિંગ કરવાવાળા કર્મચારી જૈક સુલેવનના જીવનની એક અત્યંત રસપ્રદ અને આશ્ચર્યજનક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. એક વાર જૈક સુલેવન વોશિંગ્ટન શહેરની એક સડક ઉપર કામ કરી રહ્યો હતો. તે સમયે તેની સાથે કોઇ મદદનીશ હાજર ન હતો. સડક ઉપર કામ કરતાં કરતાં દુભૉગ્યવશ જૈકનો પગ લપસ્યો અને બાજુના કાદવ-કીચડવાળા ઊંડા નાળામાં ફસડાઇ ગયો! ધીમે ધીમે તે અંદરની તરફ ખેંચાવા લાગ્યો. ત્યાં તેને બચાવવાવાળું કોઇ જ ન હતું. જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલાં ખાતા જૈકને પકડવા માટે કોઇ તરણું પણ હાથ આવે તેમ ન હતું. વિચારશૂન્ય અવસ્થામાં એકાએક તેને પોતાના ખાસ મિત્ર મિટ્ટેકરની યાદ આવી ગઇ. અનેકવાર મુશ્કેલીના સમયમાં મિટ્ટેકર તેને મદદરૂપ થયો હતો. તે સાથે જ એક અજીબ ઘટના બની. જે ક્ષણે જૈક સુલેવને સહાયતા માટે પોતાના મિત્રનું સ્મરણ કર્યું, તત્ક્ષણે મિટ્ટેકરના મનમાં પણ એવી જ તીવ્ર લાગણી ઉદ્ભવી અને અજાણતાં જ તે એ જ સડક પરથી પસાર થતો હતો, જેની નજીકમાં જ તેનો મિત્ર જૈક પૂર્ણપણે ડૂબી ચૂકવાની તૈયારીમાં હતો.કીચડથી ભરેલા નાળામાં ગરકાવ થવાની અંતિમ ક્ષણે સુલેવનના બંને હાથ છેલ્લા પ્રયત્નરૂપે બચવાનાં હવાતિયાં મારતા ઉપર ઊઠ્યા હતા! મિટ્ટેકરની નજરમાં દૂરથી તે આવી ગયું! અંતરમાં જીવદયાની ભાવના ઉદ્ભવતા ત્વરિત દોડી જઇ ડૂબતા માણસના બંને હાથ પકડી લીધા. પોતાના દોસ્તને જ મૃત્યુના મુખેથી બચાવ્યો હોવાનું જાણતાં જ મિટ્ટેકર ગદ્ગદિત થઇ ગયો.આ પ્રકારની ઘટનાઓથી એક વાત સ્પષ્ટ થાય છે કે એ એક શક્તિશાળી વિચાર સંપ્રેષણની ક્રિયા છે. જેના દ્વારા પોતાને આદ્રભાવે યાદ કરતા પરિચિત વ્યક્તિને જાણે-અજાણે મદદરૂપ થઇ શકાય છે. ટેલિપથી ફકત વપિત્તિઓની જ પૂર્વ જાણકારી પૂરતી મર્યાદિત સંવેદનારૂપે કાર્ય કરતી નથી, પરંતુ જીવનનાં માંગલિક કાર્યોની પણ પૂર્વ સૂચના મેળવી આપવા મદદરૂપ થાય છે. ક્યારેક આવી જાણકારી તીવ્રતમ વૈચારિક સ્પંદનો દ્વારા પ્રાપ્ત થાય છે. તો ક્યારેક સ્વપ્નના માધ્યમથી પૂવૉભાસ રૂપે અનુભવી શકાય છે.સામાન્યત: જ્યારે સ્વપ્નમાં પિતૃઓનો મિલાપ થાય અથવા જાગૃત અવસ્થામાં પણ પોતાના દિવંગત પૂર્વજોનો તાદાત્મ્યતાનો આભાસ થઇ આવે, ત્યારે અવશ્ય માની લેવું કે પરિવારમાં કોઇ મંગલમય પ્રસંગ સંપન્ન થવાનો આ પૂર્વ સંકેત છે.પરંતુ તે માટેની પૂર્વશરત એ ઉપર દર્શાવેલા ગીતાદર્શનમાં બતાવેલી આંતરમનની નિર્મળ અવસ્થા કેળવવાની છે. રાગ-દ્વેષ, વેર-ઝેર, છુતાછત, દેખાદેખી, મારું-તારું, સ્વાર્થ-દંભ જેવા અહંકારી વિકારો મનમાં ન ઉદ્ભવવા દેવા તે આંતરિક પ્રસન્નતા પામવા માટેનું પ્રથમ સોપાન છે.


જગન્નાથજીનું મામેરું જોવા મોટી સંખ્યામાં ભકતોની ભીડ

સરસપુર ખાતે અત્યારે મોસાળાની તૈયારીઓ અંતિમ તબક્કામાં ચાલી રહી છે ત્યારે રણછોડરાયજી મંદિર-સરસપુર ખાતે અગિયારશના પવિત્ર દિવસે, ગુરુવારે મોસાળાના દર્શન થયા હતા. જેના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભકતોની ભીડ ઉમટી પડી છે. આ વર્ષે ભગવાનને લગભગ સવા લાખ રૂપિયાથી વધુનું મોસાળું અર્પણ કરાયું હતું. જ્યારે આ વર્ષે પ્રથમવાર મોસાળાનાં દર્શનાર્થીઓને ગાંઠીયા-બુંદીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોસાળાના દર્શન પૂર્વે જગન્નાથજી મંદિરના દિલીપ મહારાજની નિશ્રામાં મંદિરમાં આરતી થઇ હતી.આ અંગે વિગતો આપતા રણછોડરાયજી મંદિર-સરસપુર ખાતે છેલ્લા ૩૬ વર્ષથી સેવા આપતા ધીરુભાઇ કાપડીયાએ જણાવ્યું કે આ વર્ષે ભગવાનનું મોસાળું લગભગ સવા લાખ રૂપિયાથી વધુનું તૈયાર થયું છે. જેમાં ભગવાનનાં આલંકારિક વસ્ત્રોથી માંડીને પાર્વતી શણગાર સુધીનો સમાવેશ થયો છે.તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી અમે રથયાત્રાના અગાઉ મામેરું સ્થાનિક જનતાના દર્શનાર્થે મૂકીએ છીએ. તેનું કારણ છે કે મોસાળાના ત્રણ દિવસ પૂર્વેથી સમગ્ર સરસપુરની જનતા પૂર્વ તૈયારીમાં લાગી જાય છે. જેથી રથયાત્રાના દિવસે અહીંના લોકોને મોસાળાનાં દર્શન નહીં થતાં હોવાથી તેના પૂર્વે આ મોસાળાનાં દર્શન લોકોને થાય તે હેતુ છે. આ વર્ષે તો ગાંઠીયા-બુંદીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભગવાનનાં મામેરાના દર્શનાર્થે ભકતોની ભીડ જામી- ભગવાનને સવા લાખ રૂપિયાથી વધુનું મોસાળું- આ વર્ષે ભકતોને પ્રથમવાર ગાંઠીયા-બુંદીનો પ્રસાદ વહેંચાયો. તેમણે કહ્યું કે મોસાળામાં વિવિધ અલંકારો ભગવાનનાં મોટા પાઘ, નવા વસ્ત્રો, સુભદ્રાજીને પાર્વતી શણગાર થશે. જેમાં સોનાની ચુની, બુટ્ટી, ચાંદીની પાયલ, કલાત્મક ચાંદીના હાર અને અન્ય શ્રૃંગારની વસ્તુઓનો સમાવેશ થાય છે. આ સમગ્ર મોસાળું રથયાત્રાને દિવસે ભગવાનને અર્પણ કરાશે.રણછોડરાયજી મંદિર-સરસપુર ખાતે ભગવાન જગન્નાથજીની પ્રતિકૃતિ પણ અહીં રાખવામાં આવી છે. જેના દર્શનાથેg મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે આવી રહ્યાં છે. જે અમાસની વહેલી પરોઢ સુધી અહીં રહેશે. ત્યારબાદ નજિ મંદિરે પ્રભુના વિગ્રહના દર્શન થઇ શકશે.

નેપાળ : ગંડકી નદીના તળમાં કાળા રંગના, ચમકતા અને ઈંડાકાર શાલિગ્રામ પત્થર

ગંડકી નદીના તળમાં કાળા રંગના, ચમકતા અને ઈંડાકાર પત્થરો મળી આવ્યા છે જેમને શાલીગ્રામ કહેવામાં આવે છે. શાલિગ્રામ પત્થરમાં એક છીદ્ર હોય છે અને એ પત્થરની અંદર શંખ,ચક્ર, ગદા કે પદ્મ ખુલે છે.કેટલાક પત્થરો પર સફેદ રંગના છરા ચક્ર સમાન હોય છે.આ પત્થરને ભગવાન વિષ્ણુનું રુપ માનવમાં આવે છે.કેટલાક પત્થરો પર સફેદ રંગના ગોળ છકા ચક્ર સમાન હોય છે. આ ચક્રને ભગવાન વિષ્ણુનું સ્વરુપ માનવામાં આવે છે.તેની પૂજા શાલિગ્રામના સ્વરુપમાં કરવામાં આવે છે.શાલીગ્રામને અતિમૂલ્યવાન પત્થર ગણવામાં આવે છે.વૈષ્ણવજન તેનું પુરેપુરુ સન્માન કરે છે.વેદોમાં કહેવામાં આવ્યું છે કે જેમના ઘરમાં શાલિગ્રામ પત્થર હોય તે ઘર સમસ્ત તીર્થની ઝાંખી કરાવે છે.સર્વ તીર્થોથી વિશેષ છે. તેના દર્શન અને પૂજાથી સમસ્ત ભોગનું સુખ મળે છે. ભગવાન શિવે પણ સ્કંદપુરાણમાં કાર્તિક માહાત્મયમાં ભગવાન શાલિગ્રામની સ્તુતી કરી હતી.દરેક વર્ષે કાર્તિક માસમાં બીજના દિવસે મહિલાઓ પ્રતિક સ્વરુપે તુલસી અને ભગવાન શાલીગ્રામનો વિવાહ કરાવે છે. એ પછી જ હિંદુ ધર્મના લોકો વિવાહ કે લગ્ન જેવા શુભ કાર્યો કરે છે. બ્રહ્મપુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભગવાન શાલિગ્રામની પૂજા થાય છે તથા ભગવાન વિષ્ણુ સાથે ભગવતી લક્ષ્મી પણ નિવાસ કરે છે.પુરાણોમાં લખવામાં આવ્યું છે કે શાલીગ્રામ શીલાનું જળ જે પોતાના શરીર પર રેડે છે તેને સમસ્ત યજ્ઞ અને સંપૂર્ણ તીર્થનું સન્માન મળે છે. તે સ્નાનનું વિશેષ મહત્વ છે. જે નિરંતર શાલીગ્રામ શિલાના જળનો અભિષેક કરે છે તે સંપૂર્ણ દાન, પુણ્ય તથા પૃથ્વીની સમગ્ર પ્રદક્ષિણા ઉત્તમ ફળનો અધિકારી છે.મૃત્યુકાળમાં તેનું જલપાન કરવાવાળા સમસ્ત પાપમાંથી મુક્ત થઈને વિષ્ણુલોકમાં જતા રહે છે.


અમદાવાદ : જય રણછોડ…માખણચોર.

રથયાત્રા એ અમદાવાદીઓ માટે એક અનેરું પર્વ છે. સદ્નસીબે વર્ષાનો પ્રારંભ થઇ ચૂકયો છે અને રથયાત્રા પણ ધર્મની ઉચ્ચભાવના સાથે ઉત્સાહભેર પસાર થઇ જશે. કારણ કે આ યાત્રા સદ્ભાવ અને સમભાવની યાત્રા છે. જગન્નાથજીની માનવ કલ્યાણાથેg રંગચંગે નીકળતી યાત્રા છે. આ એક એવી યાત્રા છે જેમાં સ્વયં જગતનો નાથ સામે ચાલીને પોતાના ભકત સમુદાયને ઉમળકાભેર મળવા વાજતે-ગાજતે નગરના રસ્તે નીકળી પડે છે ને સહુ તેને જય રણછોડ...માખણચોરના દિક્ઘોષથી વધાવતાં રહે છે. ૧૩૨ વર્ષ પુરાણી આ રથયાત્રાની પરંપરા પણ હવે તો અમદાવાદની એક આગવી ઓળખ બની ગઇ છે. હવે તેના દર્શનાર્થે પણ શ્રદ્ધાસભર લાખો ભાવિકો જોડાય છે અને સમગ્ર અમદાવાદમાં જાણે કે ધન્યતા અને અહોભાવનો મહાસાગર હિલ્લોળા લે છે.જગદીશ મંદિરના મહંતશ્રી નરસિંહદાસજીના નેતૃત્વમાં ઇ.સ. ૧૮૭૮ની અષાઢીબીજની વહેલી સવારે રથયાત્રાની ભવ્ય પરંપરાનો પ્રારંભ થયો જે આજદિન સુધી ૧૩૩મા વર્ષે પણ નીકળનારી રથયાત્રા કોઇપણ પ્રકારના વિઘ્નવિના અવિરતપણે વહેતી રહીને વર્ષોવર્ષ તેનું મહાત્મ્ય અને મહત્વ અધિકાધિત વધારતી રહી છે!ઇ.સ. ૧૮૭૮માં સૌપ્રથમ નીકળેલી રથયાત્રામાં સાધુ-સંતો, ભજનમંડળીઓ, નિશાન, ગજરાજો, ધજા-પતાકા, ઢોલ-નગારાં અને બેન્ડવાજાં સામેલ હતાં પરંતુ સમયનાં પરિવર્તને પાછળથી આ રથયાત્રામાં પોલીસદળ, અખાડાઓ, ટ્રકો અને ઊંટગાડીઓ જોડાઇ. આ ટ્રકોમાંથી ઠંડં પાણી, મગ-જાંબુ-કાકડી ને ચોકલેટો વહેંચવામાં આવતાં હતાં જે આજે પણ વહેંચાય છે. ગુલાલના ગુબ્બાર ઉડાવતી ભજનમંડળીઓની સાથે કાનઘેલી સાહેલીઓ રાસ રમતી માથે મટુકી મૂકીને તરહ તરહનાં નાચગાન કરે છે. અખાડાની સાથે અંગકસરતનાં કરતબો દર્શાવતી મોટી ફોજ રથયાત્રાની છડી પોકારતી આજે પણ આગળ ધપે છે.૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના પછીની પ્રથમ રથયાત્રામાં હજારો લોકો દર્શનાર્થે ઊમટયા હતા પરંતુ આ રથયાત્રામાં દર વર્ષે પગપાળા સાથે રહેતા મહાનસંતશ્રી નરસિંહદાસજી સ્થૂળ દેહે હાજર નહોતા. તે વર્ષે નવા મહંત સેવાદાસજીએ આ રથયાત્રાની આગેવાની લીધી હતી. આ રથયાત્રાની ખાસ વાત તો એ હતી કે મુંબઇથી આવેલા સરકારી કર્મચારીઓ પોતાના કુટુંબ સાથે અમદાવાદની રથયાત્રાનો ઐતિહાસિક મહોત્સવ નિહાળવા મોટી સંખ્યામાં આવ્યા હતા.


ફેવરિટ બની યૂઝ્ડ લકઝુરિયસ કાર

શહેરમાં યૂઝડ કાર એટલે કે પ્રી-ઓન્ડ કારનાં માર્કેટમાં પુન: વધારો દેખાવા લાગ્યો છે. લાખો રૂપિયાનાં ફાયદા સાથે બજારમાં ઉપલબ્ધ પ્રી-ઓન્ડ કારમાં લકઝુરિયસ કારનાં માર્કેટ તરફ આજે યંગસ્ટર્સ ખૂબ આકષૉઈ રહ્યા છે.કોલેજિયન હોય કે કોર્પોરેટ સેક્ટર્સ. આજકાલ બધી જ જગ્યાએ નાની કારને બદલે લકઝુરિયસ કાર વધુ પસંદ કરવામાં આવી રહી છે. આ કારણોસર છેલ્લા થોડાંક વર્ષોમાં લકઝુરિયસ યૂઝડકારમાં માર્કેટમાં દેખીતો વધારો નોંધાઈ રહ્યો છે. હવે લકઝુરિયસ યૂઝડ કાર લોકો માટે ફાયદામંદ સોદો સાબિત થઈ રહી છે. આવી વધતી જતી ડિમાન્ડ જોઈને મોટીમોટી કંપનીઓ પણ આ માર્કેટ સર કરવા મેદાને પડી છે.મહાદેવ મોટર્સનાં ઓનર મિતુલ ટીલાવત કહે છે કે, આ માર્કેટમાં છેલ્લા બે-ત્રણ વર્ષોમાં ૨૫થી૩૦% સેલિંગ વધેલું દેખાય છે. પહેલાં ૧ લાખ થી ૫ લાખથી કિંમતની કારનું વેચાણ વધું હતું પરંતુ આજે ટ્રેન્ડ બદલાઈ ગયો છે.આજે ૨.૫ લાખથી ૧૦ લાખની કારનું વેચાણ વધી ગયું છે. એમાંયે લકઝુરિયસ સેકન્ડ હેન્ડ કારની ડિમાન્ડ વધવા લાગી છે. બી.એમ.ડબલ્યૂની નવી ગાડી ૫૦ લાખની હોય તો તે ૬-૮ મહિના વાપર્યા પછી લગભગ ૩૦થી ૩૫ લાખમાં વેચાય છે.


ભરૂચ : મદ્રેસાની ૨૧૦ વિદ્યાર્થિનીઓને ફૂડપોઈઝનિંગ

ભરૂચ તાલુકાના મનુબર ગામની દારૂલ-ઉલ-બનાસમાં ભણતી વિદ્યાર્થિનીઓએ વાર્ષિકોત્સવમાં ભોજન આરોગ્યા બાદ ખોરાકી ઝેરની અસર થતાં તેમને પટેલ વેલફેર હોસ્પિટલમાં તાબડતોબ ખસેડવામાં આવી હતી. અસરગ્રસ્ત ૨૧૦ વિદ્યાર્થિનીઓને સારવાર આપવામાં આવી હતી. જ્યાં તમામની હાલત સુધારા પર હોવાનું તબીબી વર્તુળોએ જણાવ્યું હતું. જ્યારે પાંચ વિદ્યાર્થીનીની તબીયત વધુ બગડી હતી.મનુબર ગામમાં દારૂલ-ઉલ-બનાસ નામની મદ્રેસા આવેલી છે. જેમાં વાર્ષિકોત્સવ નિમિત્તે ભોજન સમારંભ આયોજિત કરાયો હતો. જેમાં સંસ્થામાં અભ્યાસ કરતી છાત્રાઓએ ભોજન આરોગ્યું હતું. સમારંભ બાદ સાંજનાં પાંચ કલાકના અરસામાં વિદ્યાર્થિઓની સાગમટે ઊલટીની ઝપેટમાં આવી જતાં ટ્રસ્ટીઓ હેબતાઇ ગયા હતા. અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓને સારવાર માટે તાત્કાલીક સંસ્થાનાં સંચાલકોએ પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે ખસેડી હતી. બનાવની જાણ થતા નગરસેવક સલીમ અમદાવાદી, હોસ્પિટલનાં પ્રમુખ મોહમદભાઇ ફાંસીવાલા સહિતનાં અગ્રણીઓ દોડી આવ્યા હતા. છાત્રાઓને ઊલટીનાં વાવર વાયુવેગે ફેલાતા હોસ્પિટલનાં પટાંગણમાં ચિંતાતુર વાલીઓનાં ટોળા ઉમટી પડ્યાં હતા. પાંચ વિદ્યાર્થિનીઓની તબિયત વધુ બગડી હોવાનું તબીબી વર્તુળોમાંથી જાણવા મળ્યુ હતું.


દવાઓની એક્સ્પાયરી ડેટ સુધારવાનું કૌભાંડ પકડાયું

જીવન રક્ષક ગણાતી દવાઓની એક્સ્પાયરી ડેટ વીતી જાય પછી તેની પરની તારીખ બદલીને બજારમાં પુન: વેચવાનું અને તેની નવી વધારે કિંમત વસૂલવાનું કૌભાંડ વડોદરામાં બહાર આવતાં ચકચાર મચી છે. બે બાઈક ચોર પકડાયા બાદ તેના બનાવટી દસ્તાવેજ બનાવનારાઓને ત્યાં પોલીસે પાડેલા દરોડામાં ૧૦૦૧ જેટલી એક્સ્પાયરી ડેટની દવાઓ મળી આવ્યા બાદ ઉપરોકત હકીકતોનો ખુલાસો થતાં રોગ ભગાડવા રોજ દવાની ગોળીઓ ગળનારાના પગ નીચેથી ધરતી ખસી ગઈ છે. દરોડામાં મળેલી દવાઓ જોઈને ચોંકી ઉઠેલી પોલીસે તપાસ કરતાં આ દવાઓની એક્સ્પાયરી ડેટ સુધારવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડમાં શહેરના કેટલાક મેડીકલ સ્ટોરવાળાઓ પણ સંડોવાયેલા હોવાની પોલીસને આશંકા છે.શહેરમાંથી બાઈક ચોરી કરતાં પકડાયેલા બે ઉઠાવગીરો પાસેથી મળેલી માહિતીના આધારે બાઈકના બોગસ દસ્તાવેજો બનાવી આપનાર પ્રવીણ દલસુખભાઇ શાહ (રહે.ગુજરાત હાઉસિંગ બોર્ડ, નવજીવન, વડોદરા)ની સંડોવણી સપાટી પર આવી હતી. પોલીસે તેના ઘરની ઝડતી લેતાં તેના ઘરેથી દવાની અલગ અલગ ૧૪ બ્રાન્ડની દવાના ૧૦૦૧ પત્તા મળી આવ્યાં હતા. આ તમામ અકસપાયર ડેટની હતી અને પ્રવીણ કેમિકલની મદદથી એક્સપાયર ડેટનું લખાણ દુર કરી તેની જગ્યાએ નવી એક્સપાયર ડેટ પ્રિન્ટ કરતો હોવાનું અને દવાની કિંમતમાં પણ ફેરફાર કરતો હોવાનું બહાર આવ્યું હતું.આ એક્સપાયર ડેટની દવાઓ શહેરના કેટલાક મેડિકલ સ્ટોર દ્વારા વાળા વેંચી રહ્યાં હોવાની ચોંકાવનારી વિગતો પણ સપાટી પર આવતાં રોગ ભગાડવા દવા ખાતા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાનું મસ મોટું કૌભાંડ બહાર આવ્યું છે.પી.આઇ. એચ.એમ. આલ્શિકાએ જણાવ્યું હતું કે, પ્રવીણ શાહને ક્યાં મેડિકલ સ્ટોરના સંચાલકે નવી એક્સપાયર ડેટ નાંખવા દવાનો જથ્થો આપ્યો છે અને આ પ્રકારે અન્ય કેટલા મેડિકલ સ્ટોરના સંચાલકો અકસપાયર ડેટની દવામાં નવી તારીખ નાંખી માનવ જિંદગી જોખમમાં મુકી રહ્યાં છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. તેમણે આ કૌભાંડમાં કેટલાક મેડિકલ સ્ટોરના સંચાલકો અને દવાના હોલસેલના વેપારીઓની સંડોવણીની પણ શક્યતાં વ્યક્ત કરી હતી.


નવસારી : ફેમિલી કોર્ટમાં પ્રિન્સપલ જજનો ચાર્જ સંભાળતા ડી.આર. શાહ

ફેમિલી કોટનાં પ્રિન્સપાલ જજ ગીતાબહેન ગોપીની હિંમતનગરનાં ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બઢતી સાથે બદલી થતાં તેમના સ્થાને નવસારીમાં ડિસ્ટ્રિક્ટ જજ તરીકે કાર્યરત ડી. આર. શાહની સુરતની ફેમિલી કોર્ટના પ્રિન્સપાલ જજ તરીકે બદલી થઈ હતી. ન્યાયાધીશ ડી.આર. શાહે શુક્રવારે ફેમિલી કોર્ટમાં પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળ્યો હતો.૨૦૦૮માં જ્યારે ફેમિલી કોર્ટની સ્થાપના થઈ ત્યારે સૌ પ્રથમ ન્યાયાધીશ ડી.આર. શાહ જ સુરતની ફેમિલી કોર્ટના પ્રિન્સપાલ ડિસ્ટ્રિક્ટ જજ હતા.આઠેક મહિનામાં જ તેમની બદલી નવસારીના ડિસ્ટ્રિકટ જજ તરીકે થઈ હતી. તેઓ પુન: સુરતમાં બદલી પામીને આવતા ઇન્ડિયન એસોસિયેશન ઓફ લા¸યર્સનાં પ્રમુખ પ્રીતિ જોશી તથા તેમની ટીમના સભ્યો મીતલ પાઠક, મોના ત્રિવેદી, બેલા પટેલ વગેરેએ પ્રિન્સપાલ જજ ડી. આર. શાહને પુષ્પગુચ્છ આપી અભિવાદન કરી આવકાર આપ્યો હતો.


સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાઓમાં આજથી ઈ-ક્લાસનો પ્રારંભ

વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વિકાસ આજે દરેક ક્ષેત્રમાં થઈ રહ્યો છે ત્યારે શિક્ષણજગતમાં પણ ટેક્નોલોજીનો દિવસે ને દિવસે ઉપયોગ વધી રહ્યો છે ત્યારે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા ગુરુવારે ટેક્નોલોજીનો ઉપયોગ કરતા ઈ-ક્લાસનો પ્રારંભ કરાવામાં આવ્યો છે. શિક્ષણ ક્ષેત્રે મલ્ટીમીડિયા પ્રોજેક્ટર દ્વારા ભણવવાના નવતર પ્રયોગસમા ‘ઈ-ક્લાસ’નું ઉદ્ઘાટન કલેક્ટર એ.જે. શાહ, જિલ્લા શિક્ષણાધિકારી ડી.એસ. પટેલ તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના યુ.કે. જેઠવાના અતિથપિદે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સોસાયટીના ચેરમેન રજનીકાંત મારફતિયાએ જણાવ્યું હતું કે નવી શિક્ષણ પદ્ધતિનો મુખ્ય ફાયદો એ છે કે એકથી વધુ વર્ગખંડમાં એક જ વિષય એક્સાથે ભણાવી શકાશે. સાર્વજનિક સોસાયટીની તમામ શાળાઓમાં કુલ ૭૫ જેટલા મલ્ટીમીડિયા ક્લાસરૂમો પૈકી ૪૪ તૈયાર થઈ ચૂક્યા છે, જે માટે શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ઈ ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન અને સમાજવિદ્યા જેવા વિષયો ભણાવવામાં આવશે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના યુ.કે. જેઠવાએ કહ્યું હતું કે ૨૦ સદી અને ૨૧ સદીના શિક્ષણમાં ઘણા ફેરફારો થઈ રહ્યા છે અને શિક્ષણની બાબતમાં ટેક્નોલોજીના આધારે શિક્ષણના નવા અખતરા થઈ રહ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી ડી.એસ. પટેલે જણાવ્યું હતું કે ઈ ક્લાસ ડિજિટલ ક્લાસરૂમના શિક્ષણ માટે વિદ્યાર્થીઓએ, શિક્ષકોએ, વાલીઓએ તેનાં દૂષણો પ્રત્યે જાગૃત રહેવું પડશે. જિલ્લા કલેક્ટર એ.જે. શાહે જણાવ્યું હતું કે ઈ લર્નિંગના નવા કાર્યક્રમ આજના સમયનો તકાદો ગણાવી સાર્વજનિક સોસાયટીના સંચાલકોનો ધન્યવાદ આપ્યા હતા.


૧૪ જુલાઇએ કેન્સર હોસ્પિટલનો ‘કેસ’ રાજ્ય સરકારમાં

રાજકોટની કેન્સર હોસ્પિટલના વહીવટ અંગે સતત ઉઠતી ફરિયાદોના પગલે રાજ્ય સરકારે તપાસ માટે એક ખાસ સમિતિની રચનાનો આદેશ આપતા મેડિકલ ફિલ્ડમાં ખળભળાટ મચી ગયો છે. કેન્સર હોસ્પિટલમાં અનેક પ્રકારની ગેરરીતિઓ અને દર્દીઓ સાથે વિશ્વાસઘાત થતો હોવાની ફરિયાદો વર્ષોથી ચાલુ છે. તા.૧૪ જુલાઇએ આ સમિતિ સમક્ષ તમામ ટ્રસ્ટીઓ તેમજ એથિક કમિટીના સભ્યોને હાજર રહેવા આદેશ કરાયો છે.રાજકોટમાં નિર્મલા કોન્વેન્ટ રોડ પર આવેલી અનિલાબેન કોઠારી કેન્સર હોસ્પિટલના સંચાલનની ક્ષતિઓ અને દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાની ફરિયાદો અવાર નવાર ઉઠી છે ત્યારે, હોસ્પિટલના ટ્રસ્ટી કિશોર ઘીયાએ તા.૩ જુલાઈ, ૨૦૧૦ના રોજ ટ્રસ્ટી મંડળને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકારના સ્વાસ્થ્ય અને તબીબી સેવા કમિશનર તરફથી તેમને તા.૨૮ જૂને પત્ર મળ્યો છે.જેમાં જણાવ્યું છે કે, કેન્સર હોસ્પિટલ સંદર્ભે ઉઠેલી ફરિયાદોની તપાસ માટે રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીની રચના કરી છે. સૌરાષ્ટ્રની આ પ્રતિષ્ઠિત તબીબી સંસ્થાને બચાવવા માટે શું કરવું જોઈએ તેનાં સૂચનો કરવા તેમણે સંચાલક મંડળના સભ્યોને અનુરોધ કર્યો છે અને ડોક્ટરો દ્વારા થતી પ્રાઈવેટ પ્રેક્ટિસ અટકાવવા સૂચન માગ્યા છે.


રાજકોટ : લોન, મિલકત છતાં ૬૦૦ કર્મચારી દ્વારા પ્લોટની માગણી

સરકારી કર્મચારીઓને પ્લોટ આપવા માટે કલેક્ટર તંત્રએ હાથ ધરેલી કાર્યવાહી દરમિયન મકાનની લોન લેનાર કે વડીલો પાર્જિત મિલકત ધરાવતા ૬૨૩ કર્મચારીઓ દ્વારા પણ પ્લોટની માગણી કરાતા આ તમામ સામે કાર્યવાહી હાથ ધરી ખાતાના અધિકારીનો દાખલો, રજિસ્ટર દસ્તાવેજ રજૂ કરવા તાકીદ કરાઇ છે .રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા સરકારી કર્મચારીઓને મકાન બનાવવા માટે પ્લોટ ફાળવવા નિર્ણય લેવાયા બાદ અરજી માગવામા આવતા ૩૫૦૦ કર્મચારીઓએ અરજી કરી હતી સ્ક્રુટીની દરમિયાન ૭૫૦ અરજીઓ ખોટી હોવાનું જણાતા આ અંગે કલેક્ટર તંત્રએ કડક પગલાં લેવાની જાહેરાત કરતા ૧૨૭ કર્મચારીએ ત્વરિત પ્લોટની માગણી કરતી પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી જ્યારે હજુ ૬૨૩ કર્મચારીઓએ પોતાની અરજી પરત ખેંચી નથી જ્યારે જેમણે પોતાની અરજી પરત ખેંચી નથી તેવા કર્મચારીઓને તેમના રહેણાકનો આધાર, કર્મચારી કે પરિવારજનોના નામે જે મિલકત હોય તેનો રજિસ્ટર દસ્તાવેજ, મકાન ભાડાની પહોંચ રજૂ કરવા જણાવાયું છે.આ ઉપરાંત કેટલાક કર્મચારીઓ દ્વારા તો મકાન પેશગી પણ લેવામાં આવી છે તો તે રકમ ક્યાં વાપરી? આ અંગે ખાતાના અધિકારીનો દાખલો પણ રજૂ કરવા તાકીદ કરાઇ છે. જોકે આમ છતાં કોઇ ગેરરીતિ આચરાશે તો તેવા કર્મચારી સામે પગલાં લેવાની પણ કલેક્ટર તંત્ર તરફથી ચીમકી અપાઇ છે. સૂત્રોના જણાવ્યા મુજબ આશરે ૨૭૦૦ કર્મચારીને માધાપર, રૈયા, નાનામવા તથા વાજડી-વિરડા ખાતે પ્લોટ ફાળવવા નિર્ણય લેવાયો છે.


રાજકોટ : ત્રાસ ગૂજારીને પુત્રવધૂને કાઢી મૂકી

મહિલા પોલીસ મથક શરૂ થયા બાદ મહિલા પર થતાં અત્યાચારોની અસંખ્ય ફરિયાદો નોંધવા પામી છે. ત્યારે વધુ એક પરણિતા સાસરીના ત્રાસનો ભોગ બનતા ન્યાય મેળવવા પોલીસ્નો આશરો મેળવ્યો છે. હાલ જૂનાગઢ માવતરે રહેતી શીતલ નામની પરણિતાએ રાજકોટ કોઠારિયા રોડ, શ્રધ્ધા પાર્ક-ર માં રહેતા પતિ ચંદ્રેશ નારણભાઇ પંચાસરા દિયર સંજય, નણંદ મીના, વિરુધ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ શીતલને પતિ સહિતનાઓ છેલ્લા ત્રણ વર્ષથી યેનકેન પ્રકારે ત્રાસ ગુજારતા હતા. તેમજ પતિએ તુ ગમતી નથી તારા માવતરે જતી રહે તેમ કહી માર માર્યાનું જણાવ્યું છે. બનાવ અંગે હેડ કોન્સ. સવિતાબેન ગુનો નોંધી પતિ, દિયર અને નણંદની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.


ડેમના તળિયાં દેખાયાં ત્યારે પાણીકાપ અનિવાર્ય બન્યો છે: મેયર

રાજકોટમાં દસ-દસ ઇંચ વરસાદ પડી જવા છતાં સ્થાનિક જળાશયોમાં નવાં નીર ન આવતા સંભવિત સ્થિતિને તેમજ લાંબાગાળાના આયોજનના ભાગરૂપે મહી-પરિએજનું પાણી ગોંડલથી રાજકોટ લઇ આવવાનું આયોજન શરૂ કરવામાં આવ્યું હોવાનું આજે મેયર સંધ્યાબેન વ્યાસ અને શહેર ભાજપ પ્રમુખ ધનસુખ ભંડેરી સહિતના શાસકોએ જણાવ્યું હતું.મેયર સંધ્યાબેન વ્યાસે પાણીનું વર્તમાન ચિત્ર અંગેની માહિતી આપતા કહ્યું હતું કે, ગત તા. ૧લી નવેમ્બરના રોજ મ્યુનિ. કમિશનરે સૂચવેલી એકાંતરા પાણીકાપની દરખાસ્ત જ્યારે શાસકોએ ફગાવી હતી ત્યારે જળાશયોની સ્થિતિમાં આજી-૧ ડેમમાં ૪૭૧.૭૦ એમસીએફટી, ન્યારી-૧માં ૮૦૦ એમસીએફટી, લાલપરી-રાંદરડામાં ૧૧પ એમસીએફટી, ભાદર-૧માં ૧૭૪૬.૯૩ એમસીએફટી અને ન્યારી-૨માં ૩પ૦ એમસીએફટી જથ્થો હતો. ઉક્ત જળસ્ટોક પણ આખંુ વર્ષ ચાલે તેમ ન હતો છતાં દૈનિક પાણી વિતરણ જાળવી રખાયું.જ્યારે વર્તમાન સ્થિતિએ દસ ઇંચ વરસાદ પડી ગયો હોવા છતાં આજી-૧માં ૩૯ એમસીએફટી, ન્યારી-૧માં ૧૦૦ એમસીએફટી, ભાદર-૧માં ૩પ૦ એમસીએફટી, લાલપરા-રાંદરડા હજુપણ ખાલીખમ અને ન્યારી-૨માં પણ પીવા માટે પાણી ઉપાડી શકાય એટલું લેવલ થયું નથી. જો જળાશયોમાં હજુપણ નવાં નીર નહીં આવે તો વિકલ્પરૂપે મહી-પરિએજનું પાણી ગોંડલથી રાજકોટ લઇ આવવાના પ્રયાસો અત્યારથી જ ચાલુ કરી દેવામાં આવ્યા છે. મેયર સહિતના અગ્રણીએ જણાવ્યું હતું કે રાજકોટને પુરતુ પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા સંનિષ્ઠ પ્રયાસો સતત ચાલી રહ્યા છે.

ધુવારણ : NTPC રાજ્યમાં ૬૬૦ મે.વો.ના 2 પાવર પ્લાન્ટ સ્થાપશે

ધુવારણ ખાતે પાવર પ્લાન્ટ સ્થાપવા ગુજરાત સરકારની મંજુરી. કેન્દ્રીય ઊર્જા રાજ્યમંત્રી ભરતસિંહ સોલંકી સાથે દિલ્હી ખાતે બેઠક યોજાઈ. વધતી જતી ઊર્જાની જરૂરિયાતને પહોંચી વળવા એનટીપીસીએ ગુજરાતમાં કોલસા આધારિત ૬૬૦ મેગાવોટના બે પાવર પ્લાન્ટ સ્થાપવાની તૈયારી દર્શાવી છે. ગુજરાત સરકારે ધુવારણ ખાતે પાવર પ્લાન્ટ માટે શરતી મંજુરી આપી છે. જેમાં ૫૦ ટકા વીજળી ગુજરાતની સરકારીવીજ કંપનીઓને વેચવા અને ઘરેલુ કોલસાનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. તેનો ફિઝિબિલિટી રિપોર્ટ માર્ચ -૨૦૧૧ સુધીમાં તૈયાર થાય તેવી શક્યતા છે.નવી દિલ્હી ખાતે કેન્દ્રીય ઊર્જા રાજ્યમંત્રી ભરતસિંહસોલંકી અને ગુજરાતના ઊર્જા રાજ્યમંત્રી સૌરભભાઈ પટેલ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યના ઊર્જા અગ્રસચિવ પાંડિÛન, ઊર્જા મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી આઇ.સી.પી. કેસરી અને એનટીપીસીના સીએમડી આર.એસ. શર્મા હાજર રહ્યા હતા.નવી દિલ્હી ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં જ્યારે એનટીપીસીએ ગુજરાતમાં બે થર્મલ પાવર સ્ટેશન સ્થાપવાની દરખાસ્ત રજુ કરતાં ગુજરાત સરકારે રાજ્ય વીજ નિગમના હાલના ધુવારણ વીજમથક ખાતે ઉપલબ્ધ વધારાની જમીનમાં આ પ્રોજેક્ટની સ્થાપના માટે સૈધ્ધાંતિક મંજુરી આપી હતી. જાણવા મળ્યા મુજબ એનટીપીસીની દરખાસ્તની સામે ગુજરાત સરકારે એવી શરત મૂકી હતી કે આ પ્રોજેક્ટ હેઠળ માત્ર ઘરેલુ કોલસાનો ઉપયોગ કરવો પડશે.આયાતી કોલસાનો ઉપયોગ નહીં કરાય એટલું જ નહીં, પરંતુ આ કુલ ૧૩૨૦ મે.વો.ના વીજમથકો દ્વારા જે વીજ ઉત્પાદન કરાશે. તેની ૫૦ ટકા જેટલી વીજળી ગુજરાતમાં વેચવી પડશે. જે ગુજરાત સરકારની વીજકંપની દ્વારા ખરીદી લેવાશે. જો આ શરતો મંજુર રખાશે તો આ સૂચિત વીજ પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારે બાકીની તમામ મદદ કરવા તૈયારી દર્શાવી છે.સૂચિત થર્મલ પાવર પ્લાન્ટ સુપર ક્રિટિકલ ટેક્નોલોજીથી ચલાવાશે. એનટીપીસીએ પ્રોજેક્ટની ટેક્નો ઈકોનોમિક ફિઝિબિલિટી સ્થાપિત કરવા માટે સૂચિત સ્થળે ખાસ અભ્યાસ શરૂ કરવાનું નક્કી કર્યું છે. ટૂંકમાં ગુજરાત સરકાર અને એનટીપીસી વચ્ચે એમઓયુ કરાશે. ગુજરાતમાં વીજ ઉત્પાદનની હાલની સ્થિતિ


તળાજા : રોગચાળો ફેલાવાની શક્યતા

તળાજામાં તથા આજુબાજુનાં વિસ્તારમાં તાજેતરમાં ધીમીધારે વરસાદથી રસ્તા પર અને ખાસ કરીને રહેણાંકી સોસાયટીમાં નીચાણ વિસ્તારમાં ઠેરઠેર પાણી ભરાતા તથા રોડ પરનાં ખાડાઓમાં કાદવ-કીચડ સર્જાતા ઉદભવેલ ગંદકીનાં કારણે મચ્છરોનો ઉપદ્રવ ફેલાઇ રહ્યો છે. તેમજ ખાડાઓમાં સંગ્રહાયેલ પાણીને કારણે વાતાવરણ દુષિત થવાથી મચ્છર અને વાઇરસજન્ય રોગચાળો ફેલાવાની શક્યતા જણાંઇ રહી છે.આ સંજોગોમાં તળાજા નગરપાલિકા દ્વારા ખાડાઓ પુરી પાણીનાં નિકાલની તથા સઘન સફાઇ અને જંતુનાશકોનો છંટકાવ કરી જાહેર આરોગ્યની જાળવણી માટે તાત્કાલિક પગલા લેવાય તેવી આમ નાગરીકોની લાગણી છે.


બંદરો પર યુદ્ધ સામગ્રીની આયાત દેશ માટે જોખમી

ગાંધીધામ : સુપ્રીમે કંડલાના કેસમાં સોલિસીટરના વખાણ કર્યા

વર્ષ ૨૦૦૪માં કંડલા બંદર ખાતે જપ્ત કરવામાં આવેલા યુદ્ધ સામગ્રી અને વિસ્ફોટકોના કેસમાં સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય સુરક્ષાની ગંભીર નોંધ લઇને આયાત પર કડક સુપરવિઝન થાય તે દ્રષ્ટિએ સોલિસીટર જનરલ ગોપાલ સુબહ્નણ્યમે તૈયાર કરેલી સર્વગ્રાહી નીતિના વખાણ કર્યાં હતાં.પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગઇકાલે જાહેર કરેલા ચુકાદામાં ન્યાયાધીશો જી.એસ. સિંઘવી અને અશોકકુમાર ગાંગૂલીની બેંચે નોંધ્યું હતું કે, હેવી મેટલ સ્ક્રેપના નામે યુદ્ધ સામગ્રી અને વિસ્ફોટકોની થતી આયાતથી દેશની સુરક્ષા સામે ખતરો ઊભો થાય છે. આ બાબતે સોલિસિટર જનરલે જે નીતિ રજૂ કરી છે તે મુદ્દે ગૃહમંત્રાલયે પણ નિર્ણયો લીધા છે. ૧૦ પાનાના ચુકાદામાં ન્યાયાધીશોએ કોર્ટના રજિસ્ટ્રારને પણ એવો આદેશ આપ્યો છે કે, કેન્દ્રના નિર્ણયની એક નકલ સોલિસીટર જનરલની કચેરીને મોકલવામાં આવે

No comments:

Post a Comment