09 July 2010

રાજકોટને દેશભરમાં નવમાં ક્રમે લાવનાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાને ૫૦ હજારનું ઇનામ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


રાજકોટને દેશભરમાં નવમાં ક્રમે લાવનાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાને ૫૦ હજારનું ઇનામ

સ્વચ્છતા અને સફાઇ અંગે કેન્દ્ર સરકારે કરેલાં સર્વેમાં રાજકોટ દેશભરમાં નવમાં ક્રમે આવતા આ સિદ્ધિના યશભાગી એવા મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાને મ્યુનિ. કમિશનર ડો.બ્ર?ભટ્ટે રૂ.૫૦ હજારનું ઇનામ ઘોષિત કરી આગામી જનરલ બોર્ડમાં શાખા વતી વિભાગીય વડાનું જાહેર સન્માન કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.પ્રજાની પાયાની સુખ સુવિધા તરફ ધ્યાન કેન્દ્રત કરવાનું મ્યુનિ. અધિકારી ડો.બ્ર?ભટ્ટ અને શાસકોના સંયુકત પ્રયાસો રાજકોટ મનપાને દેશની અગ્રિમ હરોળમાં લાવી છે. ખાસ કરીને સફાઇની બાબતમાં પયૉવરણ ઇજનેર નિલેષ પરમારે આપેલી માહિતી મુજબ હાલ શહેરમાંથી દૈનિક ૩૦૦ મેટ્રિક ટન કચરાનો નિકાલ થાય છે. જે અગાઉના બે વર્ષ કરતાં દૈનિક ૬૮ મેિટ્રક ટન વધુ છે. આ બે વર્ષમાં રસ્તા પર ૨૯૦૧ નાની ડસ્ટબીન અને નાગરિકો તથા દુકાનદારોને ૬૦૦૦ ડસ્ટબીન અપાઇ છે.ફિલ્ડ વર્કની કામગીરીમાં ૨૦૦૮-૨૦૦૯માં ૧,૯૪,૬૪૧ અને ૨૦૦૯-૨૦૧૦માં ૩,૫૮,૬૩૫ દુકાનો તપાસવામાં આવી છે. પાતળા પ્લાસ્ટિક સામેની ઝુંબેશમાં ૧૪૭૦ કિલો જ’ કરવામાં આવ્યું છે.વોંકળા સફાઇમાં પણ સમયાંતરે ઝુંબેશ હાથ ધરાય છે. આ ઉપરાંત ‘વન-ડે વન વોર્ડ’ અને ‘વન-ડે વન રોડ’ જેવા અભિયાનોથી શહેરને સ્વચ્છ રાખવાની કામગીરી થાય છે. સતત ચાલતી આ ઝુંબેશની ફલશ્રુતિરૂપે રાજકોટ સ્વચ્છતાની દ્દિષ્ટએ દેશમાં નવમાં ક્રમે આવ્યું છે અને આગામી દિવસોમાં નંબર વનની સિદ્ધિ હાંસલ કરે એવી લાગણી સાથે સફાઇની કામગીરીનો કારોભાર સંભાળતા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટને રૂ.૫૦,૦૦૦નું ઇનામ ઘોષિત કરી પ્રોત્સાહિત કરવાનો નિર્ણય મ્યુનિ. કમિશનર ડો.બ્રહ્નભટ્ટે લીધો છે.

કંડલા : ટ્રાન્સફર ફીના વધારાને કાયદા વિરુદ્ધ ગણાવી ટ્રસ્ટ સામે વકીલો મેદાનમાં

સંકુલના યક્ષપ્રશ્ન અને રહેવાસીઓને સીધી રીતે સ્પર્શતા ટ્રાન્સફર ફીના મુદ્દે ગાંધીધામ બાર એસો. પણ કેપીટી સામે જંગમાં ઉતર્યું છે. કેપીટી દ્વારા ટ્રાન્સફર ફીમાં અસાધારણ વધારો કાયદાની વિરુદ્ધ ગણાવીને તાત્કાલિક પાછો ખેંચવા માગણી કરાઇ છે.તાજેતરમાં નવિનયુક્તિ પામેલા બાર એસો.ના હોદ્દેદારોની તાકીદની મળેલી બેઠકમાં કેપીટીએ વધારેલા બોજ સામે ઠરાવ કરાયો હતો. બારના પ્રમુખ દિનેશ મહેશ્વરી, મંત્રી શાંતિલાલ ખાંડેકા અને ઉપપ્રમુખ પ્રતીક અંજારિયા તથા અન્ય હોદ્દેદારો-સભ્યો વતી કંડલા પોર્ટ ટ્રસ્ટના ચેરમેન પી.ડી. વાઘેલાને આવેદનપત્ર પાઠવાયું હતું. જેમાં જણાવાયા મુજબ સંકુલની જમીનો પર ટ્રાન્સફર ફીમાં ફટકારાયેલો વધારો અસહ્ય અને કાયદાની વિરુદ્ધ છે, લોકોના સમાન હકો પર તરાપ મારવા સમાન છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોસર્મ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની આ મુસદ્દાની લોકચળવળમાં બાર એસોસિએશને ટેકો જાહેર કર્યો છે. કંડલા પોર્ટ અને એસઆરસી હસ્તકની જમીનો પર જુના નિયમો તળે જ ફી વસૂલ કરવા તથા કેન્દ્ર સરકારની દરમિયાનગીરીથી આ વધારો પાછો ખેંચવા પણ જણાવાયું છે. સંકુલના હિતાર્થે કરાયેલો ઠરાવ મુરારિ શર્મા, વિદ્યાદત ચંદનાની, ભાર્ગવ ભટ્ટ અને ડી.એમ. અંજારિયાએ મુક્યો હતો જેને વાલજીભાઇ કારિયાએ ટેકો આપ્યો હતો. આ સાથે સંકળાયેલા સૂત્રોએ એમ પણ ભીતિ વ્યક્ત કરી હતી કે, જો આવો વધારો ઠોકી બેસાડાય તો સ્થાયી થયેલા લોકોને રહેવું ભારે પડી જાય. કેટલાકે પડોશી પોર્ટનો વધુ વિકાસ થાય એ માટે પણ ભારે વધારો કરાયાનો આક્ષેપ કર્યો હતો.


ગાંધીધામ : નકલી નોટ છાપતા આરોપીઓ નવા નિશાળિયા હતા

બંને આરોપીઓએ ત્રણ-ચાર મહિનાથી જ આ કૌભાંડ શરૂ કર્યું હતું. ગાંધીધામમાંથી રૂ. ૧૫ હજારની નકલી નોટો સાથે પકડાયેલા બંને આરોપીઓના રિમાન્ડ મંજૂર કરાવ્યા બાદ પોલીસે આરોપીઓ પાસેથી શક્ય તેટલી વિગતો બહાર લાવવાની તજવીજ હાથ ધરી છે. આ દરમિયાન પૂછપરછ વખતે આરોપીઓએ આ નકલી નોટ છાપવાનું કામ ત્રણ-ચાર મહિનાથી જ શરૂ કર્યું હોવાનું પણ બહાર આવ્યું હતું. મળતી વિગતો મુજબ નકલી નોટ કૌભાંડમાં અનેકવાર ગાંધીધામનું નામ આવ્યા બાદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે સોમવારે રાત્રે રૂ. ૧૫ હજારની નકલી નોટો સાથે એક આરોપીને પકડ્યા બાદ મંગળવારે અન્ય આરોપીને પણ પકડી પાડ્યો હતો. પીએસઆઇ બસિયાએ જણાવ્યું હતું કે, પકડાયેલા બંને આરોપીઓએ ગાંધીધામમાં ત્રણ-ચાર મહિનાથી જ નકલી નોટો છાપવાનું કામ શરૂ કર્યું હતું. આ કૃત્યમાં પ્રાથમિક તપાસમાં પકડાયેલા આ બંને આરોપીઓ સામેલ હોય તેવું લાગી રહ્યું છે તેમ છતાં અન્ય શખ્સોના નામ કઢાવવા પોલીસે તપાસ આરંભી છે તેમજ પકડાયેલી નકલી નોટ પણ જો વ્યવસ્થિત રીતે જોવામાં આવે તો કોઇપણ નાગરિક આ નકલી નોટોને ઓળખી શકે તેવી છે.


પોરબંદર : દરબારગઢમાંથી ખજાનો મળી આવ્યાની ચર્ચા

પોરબંદરના શિતલાચોક વિસ્તારમાં આવેલા ઐતિહાસીક દરબારગઢના અંદરના ભાગેથી કેટલાક લોકો દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હોવાનું અને તેમાંથી સોના-ચાંદીના સીક્કા નિકળ્યા હોવાની ચર્ચાએ જોર પકડતા પોલીસે પણ ગુપ્ત રાહે તપાસ આદરી દીધી હોવાનું કહેવાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષોથી આ દરબારગઢ બંધ હાલતમાં હોય અને તેમાથી સોના-ચાંદીના સિક્કા કાઢવામાં આવ્યા હોવાની ચર્ચાઓ ઉઠી છે.પોરબંદરના ઐતિહાસીક દરબારગઢ જે શિતલાચોક ખાતે આવેલો છે અને વર્ષોથી બંધ હાલતમાં છે તે દરબારગઢના અંદરના ભાગે છેલ્લા કેટલાક દિવસોથી રાત્રીના સમયે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. અને આ જગ્યાએ થી રાજાશાહીના વખતમાં દાટવામાં આવેલા સોના-ચાંદીના સિક્કા કાઢવામાં આવ્યા હોવાનું પણ કહેવાય રહ્યું છે. આ વિસ્તારના કેટલાક લોકોએ રાત્રીના સમયે દરબારગઢમાં પ્રવેશતા ૪ થી પ વ્યક્તિને જોયા હોવાનું પણ કહેવાય રહ્યું છે.જો કે દરબારગઢની અંદર તપાસ કરવામાં આવે તો ખરેખર ક્યાંય ખાડા ખોદવામાં આવ્યા છે કે કેમ તેમજ અહીથી સોના-ચાંદી સહિતનો ખજાનો નિકળ્યો કે કેમ તે બાબતની ચર્ચાઓનો અંત લાવી શકાય.પોરબંદરના દરબારગઢમાંથી સોના-ચાંદીના સિક્કા નિકળ્યા હોવાની ચર્ચાને પગલે પોલીસ પણ હરક્તમાં આવી ગઇ હોય તેમ છાને ખૂણે આ અંગેની તપાસ પણ આદરી દીધી છે. ત્યારે ખરેખર આ દરબારગઢમાં રાજાશાહી વખતનો ખજાનો છુપાયેલો છે કે કેમ તે બાબતે પણ અનેક તર્કવિતર્કો થઇ રહ્યા છે.

ગવરીદડ : રિમાન્ડની મુદ્દત પૂરી થતાં રાજભા સતુભા જાડેજા ને જેલ હવાલે કરાયો

દસ્તાવેજો કબજે કરવામાં પોલીસ અસફળ, ગવરીદડના કૌભાંડમાં કબજો મગાશે. ૨૫ કરોડના જમીન કૌભાંડમાં પકડાયેલા પૂર્વ કોર્પોરેટરના પુત્ર અને સેનેટ સભ્ય રાજભા સતુભા જાડેજા પાસેથી બોગસ સાટાખત સહિતનું સાહિત્ય કબજે કરવામાં પોલીસને સફળતા મળી નથી. આજે રિમાન્ડની મુદ્દત પૂરી થતાં તેને જેલહવાલે કરાયો છે. ગવરીદડના કૌભાંડમાં તેનો ટ્રાન્સફર વોરન્ટથી કબજો મેળવાશે.રાજભાએ સાગરીતો મારફત સુથી પેટે મામુલી રકમ આપી છળ કપટથી કુલમુખત્યારનામામાં સહી કરાવીને પોતાના નામે વેચાણ દસ્તાવેજ કરાવી અનેક ખેડૂતને રાતે પાણીએ રોવડાવ્યા છે. એટલું જ નહીં જમીનના કબજા અંગે કોર્ટમાં સિવિલ દાવા દાખલ કરી મિલકતોને વિવાદમાં મૂકી દીધી છે.પૂર્વ મંત્રીના સગાની જમીન પણ હડપ કરી જતાં તેની સામે એક ગુનો દાખલ થયા પછી છેતરાયેલા ખેડૂતો હિંમત કરીને ફરિયાદ નોંધાવવા આગળ આવતા કુલ ત્રણ ગુના નોંધાયા છે. જોકે, ભેજાબાજ રાજભાએ કૌભાંડની આંટીઘૂંટીમાં પોતાનો વાળ પણ વાંકો ન થાય એ રીતે દરેક વખતે સાગરીતોને આગળ ધરી દીધા હતા. રિમાન્ડ દરમિયાન પણ બબ્બે વખત આપઘાતના પ્રયાસના નાટક કર્યા હતા. જબરુ રાજકીય પીઠબળ હોવાના કારણે કાયદાને રમકડાંની જેમ રમાડતા રાજભાને આ વખતે આકરું પડ્યું છે. જોકે, તેના પાસેથી દસ્તાવેજી પુરાવા એકત્ર કરવામાં પોલીસના હાથ ટૂંકા પડ્યા છે.રાજભાના ભાઇ મયૂરના બે કૌભાંડોની તપાસ સામે સ્ટે છેરાજભાના ભાઇ મયૂરસિંહઅને સાગરીત સંજયિંસધી સહિતના શખ્સો સામે પણ કરોડોના જમીન કૌભાંડની બે ફરિયાદ ફેબ્રુઆરીમાં થઇ હતી. જોકે, ફરાર આરોપીઓએ વકીલ મારફત હાઇકોર્ટના દ્વાર ખખડાવતા હાઇકોર્ટે તપાસ સામે સ્ટે આપતા બન્ને તપાસ પેન્ડિંગ છે.


જામનગર : લોટરીના ધંધાર્થીએ સરકારને ૧૧.૧૪ કરોડની છેતરપિંડી


જામનગરમાં લોટરીના ધંધાર્થી લોહાણા શખ્સસે એક વર્ષના ગાળામાં સરકારી પરવાના વગર કારોબાર કરી રૂ.૧૧.૧૪ કરોડની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે. વર્ષ ૧૯૯૭-૯૮માં લોટરી ધંધાર્થીએ સરકારને ચોપડેલા ચુનાની પોલીસે તપાસ હાથ ધરી છે.જામનગરમાં ચકચાર જગાવનાર પોલીસ ફરિયાદની વિગતો મુજબ શહેરના ટાઉનહોલ વિસ્તાર નજીક શ્રીધન પેલેસમાં રહેતા બીપીન મણીલાલ તન્નાએ વર્ષ ૧૯૯૭-૯૮માં ઋષિતા એજન્સીના નામે લોટરીનો ધંધો શરૂ કર્યો હતો. આ વ્યવસાય શરૂ કરતા પૂર્વે લોહાણા શખ્સે સરકારી ધારા ધોરણોને નેવે મુકી પોતાની પેઢીનું રજીસ્ટ્રેશન કરાવ્યુ ન હતું. વેચાણ વેરા શાખા તરફથી નોંધણી નંબર મેળવ્યા વિના બીપીન તન્નાએ તા.૨૬-૬-૧૯૯૭ થી તા.૩૧-૭-૯૮ સુધી ધંધો કરી રૂ.૧૭,૨૦,૪૧,૭૭૦નું ટર્નઓવર કર્યું હતું. ત્યારબાદ સ્થાનિક વાણિજ્ય કચેરીએ ગોરખધંધાની ચકાસણી કરતા આ પ્રકરણ ઉઘાડુ પડયુ હતું.દરમિયાન વેટ શાખાએ ઉપરોકત બાબતે અનેક નોટીસ આપવા છતાં કોઇ પ્રત્યુત્તર નહીં મળતા વાણિજ્ય કચેરીના નિયામક કે.બી. જાડેજાએ લોહાણા શખ્સ સામે વેચાણ વેરા કાયદાની કલમ-૭૫(૧)(૬) તથા ૪૭(ક)(૧)(૩-ક) મુજબ નોંધણી વગર ધંધો કરી રૂ. ૧૧.૧૪ કરોડનું ટર્નઓવર કર્યાની સીટી-બી ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પીએસઆઇ એચ.જે. છેલાવડાએ લોહાણા શખ્સની શોધખોળ હાથ ધરી છે.



બગસરા : નાગરિક બેંક પર ચેરમેન પદ મેળવવા કોંગ્રેસે કબજો જમાવ્યો
બગસરા નાગરિક બેંકની ગુરૂવારે યોજાયેલ ચેરમેન પદની ચૂંટણીમાં ભા.જ.પ.ને લપડાક આપી કોંગીએ બેંક પર કબજો મેળવ્યો હતો. બગસરા નાગરિક સહકારી બેંકના ચેરમેનની ચૂંટણી જાહેર થયા બાદ સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયુ હતું. ચેરમેન પદ મેળવવા માટે બન્ને પક્ષના ઉમેદવારોએ ખૂબ જ બળ લગાડ્યું હતું.આજે ગુરૂવારે યોજાયેલ ચૂંટણીમાં ભા.જ.પ ના કનુભાઇ પટોળીયાને મ્હાત આપી કોંગીએ ચેરમેન તેમજ વાઇસ ચેરમેન બન્ને પદ ખૂંચવી લીધા હતા. નાગરિક બેંકના નવા ચેરમેન તરીકે શહેર કોંગ્રેસ પ્રમુખ નાગજીભાઇ ધાધલ તેમજ વાઇસ ચેરમેન તરીકે યુવા કાર્યકર છગનભાઇ હિરાણીની જાહેરાત બેંક દ્વારા કરવામાં આવી હતી. આ બેંક પર કોંગ્રેસના વાવટો લહેરાયો હતો. આ બેઠકમાં બેંકના ડિરેક્ટર દિનેશભાઇ વિસાણીનું રાજીનામુ પણ મંજૂર કરવામાં આવ્યું હતું.


રાજકોટ : ચંદ્રયાનમાં જે પાટર્સનો ઉપયોગ થયો હતો તેમાંના કેટલાક રાજકોટમાં બન્યા હતા

નાના નાના ઉદ્યોગોએ રાજકોટને મોટું નામ અપાવ્યું છે. અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે અદ્રિતીય કહી શકાય તેવી સિદ્ધિ ગત વર્ષે ભારતે મેળવી, ચંદ્રયાને એવું શોધ્યું કે ચંદ્ર પર તો પાણી પણ છે. આ એચિવમેન્ટ અમદાવાદ સ્થિત રાષ્ટ્રીયકક્ષાની સંસ્થા ઇસરો અને એવાં જ એક સંસ્થાન, વિક્રમ સારાભાઇની કર્મભૂમિ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીનું હતું. પી.આર.એલ.ના ડિરેક્ટર ગોસ્વામી અને તેમની ટીમ આ અભિયાનમાં ‘ફ્રન્ટફૂટ’ પર હતી, ગુજરાતીઓ માટે ગૌરવ એ છે કે આ મશિનમાં જે કેમેરાનો યુઝ થયો તે અમદાવાદમાં છે. પરંતુ રાજકોટનું પણ આ અભિયાનમાં યોગદાન છે. હા,ચંદ્રયાનમાં જે પાટર્સનો ઉપયોગ થયો હતો તેમાંના કેટલાક રાજકોટમાં બન્યા હતા.ગયા અઠવાડિયે જ ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપુર્વ પ્રમુખ હિતેષ બગડાઇએ આ માહિતી આપી હતી કે ચંદ્રયાનના અમુક સ્પેરપાર્ટ રાજકોટમાં બન્યાં હતા. રાજકોટના ૨૦૦૧ના ગેઝેટમાં પણ ઉલ્લેખ છે કે એચ.જે.સ્ટીલ્સમાં ઉત્પાદિત સામાન સંરક્ષણ માટે, તેમજ ઇસરોમાં જાય છે. અનેક યુધ્ધ વાહનો, શસ્ત્રોના નાના નાના પાર્ટ અહીં બને છે અને આ રાજકોટની મોટી સિસિદ્ધિ છે. સ્થાપના પછીના ૪૦૦ અને દેશની આઝાદી પછીના ૬૪ વર્ષ પછી રાજકોટનો ઔધ્યોગિક વિકાસ અમદાવાદ કે અંકલેશ્વર જેવો થયો નથી. પરંતુ અહીં નાના ઉદ્યોગો વર્ષોથી ધબકે છે. કેન્દ્ર કે રાજ્ય સરકાર સાથે લડી ઝઘડીને ઉદ્યોગોના હક્ક અપાવે, ટેક્સમાં રાહત અપાવે પ્રોત્સાહક નીતિ અપનાવે તેવા નેતાઓ નથી તેથી પાણી નથી અને પાણી નથી એટલે વિકાસ ઓછો છે. પરંતુ જે સ્થિતિ છે તેની અંદર રહીને રાજકોટ અને આસપાસમાં ઉદ્યોગોના વિકાસની નોંધ તો લેવી જ પડે.શહેરની હદની બહાર નીકળીને વાત કરવામાં આવે તો દોઢ સદી પૂર્વે વાંકાનેરમાં કાપડ ઉદ્યોગ શરૂ થયો,૧૯૩૩માં ત્યાં અમરસિંહ મિલની સ્થાપના થઇ.ધોરાજીમાં ૧૮૭૦-૭૧માં ધોરાજીમાં જીનિંગ મિલની સ્થાપના થઇ. રાજકોટમાં ત્યારે મદ્રાસી કાપડ પર પ્રિન્ટિંગનું કામ થતું અને ફેન્સી પટોળાં પરનું કામ થતું.૧૯૨૭માં રાજકોટ ઓઇલમિલ નામની પ્રથમ ઓઇલમિલની સ્થાપના થઇ હતી. એ સમયેતેલના દૈનિક ૬૦૦ ડબ્બા અને ૬૦૦ મણ ખોળનું ઉત્પાદન થતું. રાજકોટ માં કોટેચા ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના ૧૯૪૬માં થઇ હતી. ત્યાં દૈનિક ૪૦૦ ડબ્બાનું ઉત્પાદન થતું.એવી જ ઇન્ડસ્ટ્રી છે પી.એમ.ડીઝલ,પોપટભાઇ પટેલ અને તેમના પરિવારે ‘ફિલ્ડ માર્શલ’ના નામે આ ઉદ્યોગના ‘મેદાન’માં ખરેખર ફિલ્ડ માર્શલ તરીકે કામ કર્યું છે. છગનભાઇ પટેલે પણ ગુજરાત ફોર્જિંગના નામથી આ જ ઉદ્યોગમાં કાઠું કાઢયું હતું.૧૯૭૪માં સ્થપાયેલી ફોર્જ એન્ડ ફોર્જ કંપની કે કે.એસ.ડીઝલ્સ,એચ.જે.સ્ટીલ્સ પણ એવાં જ નામો છે જે દેશની બહાર ગૂંજે છે. કુલ ઉત્પાદનમાંથી ૫૫ ટકાની નિકાસ થાય છે. જેમાં મુખ્ય દેશો દુબઇ, કેન્યા, જોર્ડન, સિરિયા, ઇરાન, ઇરાક સુદાન છે. આ ઉપરાંત લેથ, સ્પેરપાટ્gસ, પાવર પ્રેસ, વૂડ વકિ•ગ, મિલ મશીનરી જેવા ઉદ્યોગો પણ રાજકોટમાં ધબકે છે.


રાજકોટ મહાપાલિકા રોડે ચડ્યું : પાંચ કરોડ બાદ ૮૬ લાખના કામો

મહાપાલિકા ધીમે ધીમે રોડે ચડ્યું હોય તેમ પાંચ કરોડના રોડના કામો શરૂ થયા બાદ રૂ.૮૬ લાખના રોડ કામો મંજૂરી તરફ આગળ વધી રહ્યાં છે.શહેરના વિકાસ માટે રાજ્ય સરકારે ચોમાસા પહેલા પૂર્ણ કરવાની શરતે રૂ.૨૫ કરોડ ફાળવ્યા છે. જેમાંથી મોટાભાગે શહેરના રોડના અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના કાર્યોજ હાથ ધરાવાની ફોમ્ર્યુલા ઘડાઇ ચુકી છે.તાજેતરમાં જ રૂ.પાંચ કરોડના રોડના કામો મંજૂર થઇ શરૂ પણ ગયા છે. ત્યારે હજુ બાકી રહી ગયેલા રોડ વિભાગના રૂ.૮૬ લાખના કામોની પણ મંજૂરી માટેની તૈયારી થઇ ગઇ છે. જે આગામી દિવસોમાં જ સ્ટેન્ડિંગ કમિટીમાં મુકવામાં આવશે.પરંતુ એ પણ હકીકત છે કે, આ રૂ.૮૬ લાખના કામો પૈકી મોટાભાગના કામો મંજૂરીની અપેક્ષાએ શરૂ થઇ ગયા છે.




રાજકોટમાં સતત એક કલાક આભ વરસતા દે ધનાધન, પોણા બે ઇંચ

સતત એક કલાક આભ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં : મોસમનો કુલ વરસાદ ૧૦ ઇંચે પહોંચ્યો. ગત શનિવારની હેલીથી મંડાયેલા મેઘરાજાએ આજે રાજકોટવાસીઓને અમીવર્ષાથી ભીંજવી દીધા હતા. બપોર સુધી આકાશ કોરુધાકોડ રહ્યા બાદ અચાનક કાળાડિબાંગ વાદળોની જમાવટ થઇ હતી અને સુસવાટા નાખતા ઠંડા પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સતત એક કલાક સુધી ધીંગી ધારે વરસાદ પડ્યો હતો અને એક કલાકમાં જ પોણા બે ઇંચથી વધુ પાણી પડી જતાં ચોમેર પાણી પાણી થઇ ગયું હતું.છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજા ક્યારેક હળવાથી ભારે ઝાપટાં સ્વરૂપે તો ક્યારેક ધોધમાર વરસી રહ્યા છે. આજે પણ મેઘાએ બપોરની પાળી સાચવી લીધી હતી અને સવારથી બપોર સુધી ધૂપ-છાંવ જેવું વાતાવરણ રહ્યું હતું. આકાશમાં કોરાકટ વાદળો આવ-જા કરતા હતા. બે વાગ્યાના અરસામાં અચાનક આકાશ ગોરંભાઇ ગયું હતું. સમી સાંજ જેવું અંધારુ થઇ ગયું હતું અને બાદમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.લગભગ એકાદ કલાક સુધી ધીંગી ધારે વરસાદ ચાલુ રહેતા શહેરના મહિલા કોલેજ અન્ડરબ્રિજ, રૈયા રોડ પર આઝાદા ચોક, સંતકબીર રોડ પર કે.ડી. ચોક, લક્ષ્મીનગર નાળુ, માલવિયા ચોક, એરપોર્ટ નજીક આવેલા રામેશ્વર ચોક સહિતના વિસ્તારોમાં નદીની જેમ પાણી વહેતા હતા. એક કલાકમાં ૪૧ મી.મી. એટલે કે પોણા બે ઇંચ જેટલું પાણી પડી ગયું હતું.આજના વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૧૦ ઇંચ થઇ ગયો છે. જો કે આટલા વરસાદ પછી પણ શહેરની જીવાદોરી એવા આજી અને ન્યારી ડેમમાં પર્યાપ્તમાત્રામાં જળરાશી ઠલવાઇ નથી.


જામજોધપુર : ગરીબ કલ્યાણ મેળામાં સાંસદ, ધારાસભ્યની અવગણના

જામજોધપુરમાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમનાં આમંત્રણ કાર્ડમાંથી જિલ્લાના સાંસદ અને જામજોધપુરના ધારાસભ્યનાં નામોની બાદબાકી કરી સરકાર પ્રોટોકોલનો ભંગ કરી પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓની અવગણના કરતી હોવાનો આક્ષેપ જામજોધપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ રસીકભાઇ જોષીએ કર્યો છે.તેમણે જણાવ્યું છે કે, જે વિસ્તારમાં આ કાર્યક્રમ યોજાવાનો છે તે વિસ્તારનાં જ લોક પ્રતિનિધિની અવગણના કરી સરકાર રાજકીય કિન્નાખોરી દર્શાવી રહી છે. સાંસદ કે ધારાસભ્યને આમંત્રીત મહેમાન તરીકે પણ કાર્ડમાં સમાવેશ કરવામાં ન આવે તે લોકશાહી નહીં પરંતુ મોદીશાહી છે.રાજપાલે આ અંગે સરકારનો ખુલાસો માગવો જોઇએ. લાભાર્થીઓને તેનો લાભ આપવો તે સરકારની ફરજ છે. તે માટે આટલા મોટા તમાશા કરવાની જરૂર ન હોવાનું તેમણે જણાવ્યુ છે. સરકાર જો ખરેખર પ્રજાનું હિત ઇચ્છતી હોય તો તાલુકા પંચાયત કે તલાટી દ્વારા પણ લોકોને સહાય ચુકવી શકાય છે.

અંબાણી અને ટાટાના ફોન ટેપ થયા હતા

તાજેતરમાં ચાર નેતાઓના ફોન ટેપ થયા હોવાના અહેવાલ એક સામયિકમાં પ્રકાશિત થયા હતા. ત્યારે આજે મુંબઇથી પ્રકાશિત થતા અખબારે સનસનાટીપૂર્ણ રિપોર્ટ છાપ્યો છે. જેમાં જણાવ્યા પ્રમાણે માત્ર રાજનેતાઓ જ નહીં, પરંતુ મુકેશ અંબાણી, ટાટા જૂથના રતન ટાટા અને ભારતી-એરટેલ ગ્રુપના સુનિલ મિત્તલના ફોન ટેપ કરવામાં આવ્યા હતા. ઉપરાંતમાં બે વરિષ્ઠ પત્રકારોના પણ ફોન ટેપ કરવામાં આવ્યો હોવાનો દાવો આ અખબાર દ્વારા કરવામાં આવ્યો છે.અખબાર દ્વારા દાવો કરવામાં આવ્યો છેકે, સીબીઆઇ અને આવકવેરા વિભાગના સ્ત્રોતો પાસે તેમને કેટલાક દસ્તાવેજો મળ્યા છે. જેનાથી સ્પષ્ટ થાય છેકે, રતન ટાટા, મુકેશ અંબાણી અને સુનિલ મિત્તલના ફોન ટેપ થયા હતા.દસ્તાવેજોની વિગતો પ્રમાણે ટાટાના મહત્વકાંક્ષી નેનો પ્રોજેક્ટને સિંગુરથી ગુજરાત ખસેડવા અંગેના કેટલાક વાર્તાલાપો રેકોર્ડ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ચોક્કસ પ્રધાનોને ટેલિકોમ પ્રધાન ન બનાવવા માટે કરવામાં આવેલા પ્રયાસો વખતે થયેલી વાતચીત પણ આ દસ્તાવેજોમાં નોંધાયેલી છે.ટાટા અને મુકેશ અંબાણીના જનસંપર્કનું કામ કરનારી કંપની વૈશ્વી કોમ્યુનિકેશન્સ અને ન્યૂકોમ કનસલટિંગના વડા નીરા રાડિયાને મુખ્ય ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. નીરા ઉપરાંત તેમના સાથીઓના પણ ફોન ટેપ કરવામાં આવ્યા હતા.તત્કાલિન ગૃહપ્રધાન જી. કે. પિલ્લાઇએ સ્વીકાર્યું છેકે, તેમના કાર્યકાળ દરમિયાન કેટલાક ફોન ટેપ કરવામાં આવ્યા હોય તેવી સંભાવના છે. તેમના કહેવાથી કેન્દ્રીય કર વિભાગ અને આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી અરજી પર ફોન ટેપિંગને મંજૂરી આપવામાં આવતી હોય છે. પિલ્લાઇના કહેવા પ્રમાણે, તેમાં કશુ ખોટું ન હતું કારણકે, કરચોરીને લગતા કેટલાક બાબતોમાં આ પ્રકારની મંજૂરી આપવામાં આવતી હોય છે.કેન્દ્રીય કર વિભાગના કહેવા પ્રમાણે તેમના દ્વારા કોઇ ઉદ્યોગપતિ કે પત્રકારોના ફોન ટેપ કરવામાં આવ્યા ન હતા. રિલાયન્સના જનસંપર્ક વિભાગના અધિકારીના કહેવા પ્રમાણે, કોઇ ફોન ટેપિંગ નહીં થયું હોય. કારણકે, ખુદ કેન્દ્ર સરકારે આ વાત કરી છે. આ અંગે ભારતી- એરટેલ તથા નીરા રાડિયાનો અખબાર દ્વારા સંપર્ક સાધવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ બંને પક્ષોના પ્રતિભાવો મળ્યા ન હતા. તેમ પણ મુંબઇથી પ્રકાશિત થતા આ અખબારે તેના અહેવાલમાં નોંધ્યું છે.

ડેન્ટલ કાઉન્સિલના અધ્યક્ષ ડો.કોહલી સામે ફરિયાદ

સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે જોડાયેલી કાઉન્સિલલોમાં ભ્રષ્ટાચારના મામલા અટકી રહ્યા નથી. સીબીઆઇ દ્વારા ધરપકડ કરાયેલા મેડિકલ કાઉન્સિલલ ઓફ ઇન્ડિયા (એમસીઆઇ)ના અધ્યક્ષ કેતન દેસાઇ પછી હવે ડેન્ટલ કાઉન્સિલલ ઓફ ઇન્ડિયા (ડીસીઆઇ)ના અધ્યક્ષ ડોકટર અનિલ કોહલી સામે પ્રશ્નો ઊભા થયા છે. આ દસ્તાવેજોથી જાણવા મળે છે કે, ત્રણ સાંસદોએ ડીસીઆઇમાં ફેલાયેલા ભ્રષ્ટાચારની ફરિયાદ વડાપ્રધાન ડો.મનમોહનસિંઘ, મુખ્ય સતર્કતા પંચથી માંડીને કેન્દ્રીય ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ અને નાણાપ્રધાન પ્રણવ મુખરજી સુધી કરી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ડો.કોહલીએ ૨૦૦૮-૦૯માં આવકવેરા વિભાગને પોતાની આવકની ખોટી માહિતી આપી હતી.ડેન્ટલ કાઉન્સિલલમાં ફેલાયેલા ભ્રષ્ટાચારની આરોગ્ય મંત્રાલયને ઘણી વાર ફરિયાદ કરી ચૂકેલા સમાજવાદી પક્ષના સાંસદ વૃજભૂષણ શરણસિંહે વડાપ્રધાનને પત્ર પાઠવીને આ મામલે માહિતી આપી છે. ભાસ્કર પાસે ડો. અનિલ કોહલી, તેમની પત્ની સુષ્મા કોહલી, બે પુત્રીઓ મિલ્લકા અને સોનાલી કોહલીના લાજપતનગર સ્થિત યુનિયન બેંકના ખાતાઓમાં ૨૦૦૪થી ૨૦૦૯ સુધીની એન્ટ્રીની વગિતો છે. આ સમગ્ર પ્રકરણ વિશે ભાસ્કરે ડેન્ટલ કાઉન્સિલલના અધ્યક્ષ અનિલ કોહલી સાથે વાત કરવાના ઘણાં પ્રયાસો કર્યા પરંતુ તેમણે કોઇ જવાબ ન આપ્યો.
ડો. કોહલી નિયમોનો ભંગ કરીને બીજી વાર કાઉન્સિલલના અધ્યક્ષ બન્યા. લાઇસન્સ આપવા માટે લાંચ લેવાના પણ આરોપો. આરોગ્ય મંત્રાલય સાથે સાઠગાંઠના પણ પ્રશ્નો ઊભા થઇ રહ્યા છે. કોહલી પરિવારની સંપત્તિ. - ડો. કોહલીના ખાતામાં (૨૦૦૪-૦૯ દરમિયાન) ૫,૦૦,૬૮,૦૦૦ જમા થયા. પત્ની સુષ્મા કોહલીના ખાતામાં (૨૦૦૫-૦૯ દરમિયાન) ૩,૦૦,૪૦,૦૦૦ જમા કરાયા. - મોટી પુત્રી મિલ્લકા કોહલીના ખાતામાં ૧,૦૦,૨૯,૦૦૦ જમા. નાની પુત્રી સોનાલી કોહલીના ખાતામાં આશરે ૬૦ લાખ રૂપિયા.


બોલિવૂડ એક્ટ્રેસ સુસ્મિતા સેનનો એક્સ બોયફ્રેન્ડ જાહેરમાં ઝગડી પડ્યો

બોલિવૂડ એક્ટ્રેસ સુસ્મિતા સેનનો એક્સ બોયફ્રેન્ડ અને એક્ટર રણદિપ હુડ્ડા જાહેરમાં તેનાં કો-સ્ટાર એજાઝ ખાન સાથે ઝગડી પડ્યો હતો.એક ફિલ્મમાં બોક્સરની ભૂમિકા માટે ચાલી રહેલાં ફોટોશૂટ સમયે આ ઘટના બની હતી. એજાઝે રણદિપ પણ આક્ષેપ મુકતાં કહ્યું હતું કે, ફિલ્મનાં પ્રોડ્યુસર પંચાલી ચક્રવર્તીનાં રણદિપ સાથે નિકટનાં સંબંધો છે તેથી જ તેને ફિલ્મમાંથી હટાવી રણદિપને લેવામાં આવ્યો છે.એજાઝે જણાવ્યું હતું કે, ''મારું ફોટોશૂટ ચાલી રહ્યું હતું તે સમયે અચાનક જ રણદિપ આવી ગયો હતો અને તેણે મને કહ્યું હતું કે કોઈ બોક્સરને સિક્સ પેક હોતા નથી. હું આ ફોટોઝમાં એક બોડીબિલ્ડર જેવો લાગુ છું બોક્સર જેવો નહી. જ્યારે મે તેને દલીલ કરી હતી કે તે એવી કઈ ફિલ્મ જોઈ છે જેમાં બોક્સરનાં સિક્સ પેક એબ હોતા નથી? તો તેણે મને કહ્યું હતું કે,રેગીંગ બુલ ફિલ્મમાં રોબર્ટ દિ નીરોને સિક્સ પેક નથી. આ ચર્ચા અમારી જાહેરમાં જ થઈ હતી.''
આ વિશે રણદિપે જણાવ્યું હતું કે, ''એજાઝ હવે આ ફિલ્મનો હિસ્સો નથી. તે ગમ્મે તે કહે પરતું હવે તે આ ફિલ્મનો ભાગ નથી. મારે તે બનાવ અંગે કાઈ કહેવું નથી કારણકે મને ફિલ્મની રિલીઝ પહેલાં તેનાં વિશે કાઈ પણ બોલવાની ના પાડવામાં આવી છે.''


બોલિવૂડની સુંદર એકટ્રેસ કરિના કપુર ફરી પ્રેમમાં!!

બોલિવૂડની સુંદર એકટ્રેસ કરિના કપુર હાલમાં તેની ફિલ્મ એજન્ટ વિનોદનાં શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ સેફ અલી ખાનનાં હોમ પ્રોડક્શનની ફિલ્મ છે. હાલમાં બેબો ફિલ્મનાં શૂટિંગ માટે મોરેક્કોમાં છે. તેને આ જગ્યા એટલી તે પસંદ પડી ગઈ છે કે તેને તેનાંથી પ્રેમ થઈ ગયો છે.સુત્રોનાં જણાવ્યાં પ્રમાણે, કરિના આ લોકેશનનાં વખાણ કરતાં થાકતી નથી. સેફ કરિના હાલમાં ફિલ્મનું શૂટિંગ પુરુ કરવામાં વ્યસ્ત છે તેઓ સ્પેન આફ્રિકાની બોર્ડર પર શૂટિંગ કરી રહ્યાં છે. બેબોને આ જગ્યા એટલી પંસદ પડી ગઈ છે કે તેને નવાઈ લાગે છે કે આટલી સુંદર જગ્યા હોવા છતા હજી પણ બોલિવૂડની એક પણ ફિલ્મનું શૂટિંગ આ જગ્યા પર થયુ નથી.સેફ અને કરિના હાલમાં ફિલ્મનાં સટન્ટ સિનનું શૂટિંગ કરી રહ્યાં છે. ફિલ્મમાં સેફનો લુક ઘણો જ અલગ છે. તે કરિનાનાં મોરેક્કો સાથેનાં પ્રેમથી ઘણો ખુશ છે.આશા રાખીએ મોરેક્કોમાં કરિના સેફને ભુલીનાં જાય અને સેફિના એક સાથે સુંદર સમય વિતાવે!


આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ બજારમાં 191.3 મે.ટન સોનું ઠલવાશે

આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ (આઇએમએફ) ખુલ્લા બજારમાં 191.3 મેટ્રિક ટન સોનું વેચશે તેવી માહિતી આઇએમએફના સૂત્રો પાસેથી મળી છે. ગયા સપ્ટેમ્બર મહિનામાં આઇએમએફે 403.3 મેટ્રિક ટન સોનું દુનિયાના વિકાસશીલ દેશોને વેચવાની વાત કરી હતી. તેમાંથી હજુ પણ 191.3 મેટ્રિક ટન સોનું વેચવાનું બાકી છે.આઇએમએફે ભારતીય સેન્ટ્રલ બેન્કને 200 ટન સોનું વેચવાની વાત કરી હતી, તે ઉપરાંત શ્રીલંકા અને મોરેશિયસે પણ આઇએમએફ પાસેથી સોનું ખરીદવાની તૈયારી દર્શાવી હતી.આઇએમએફના ફાઇનાન્સ ડિરેકટર એન્ડ્રુ ટ્વિડિએ કહ્યું કે હજુ પણ આઇએમએફ ઓપન ટુ ઓફ માર્કેટમાં સોનું વેચશે. આઇએમએફ સોનું વેચવા માટે તૈયાર છે. અત્યારસુધીમાં ભારત, શ્રીલંકા અને મોરેશિયસને એક ઔસ સોનું અંદાજે 1050 ડોલરે વેચ્યું છે.આઇએમએફે સોનું વેચવાની વાત કરતાં હવે સોનામાં ઘટાડો જોવા મળે તો નવાઇ નહિં. આઇએમએફ જ્યારે જ્યારે સોનું વેચવાની વાત કરે છે ત્યારે બુલિયન બજારમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે.


હોમલોન અને ઓટો લોન માર્ચ સુધી મોંઘી થશે નહિં

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર)માં 0.75%નો વધારો જાહેર કર્યો. છતાં તાત્કાલિક ગ્રાહકો પર આ વ્યાજદરની અસર પડશે નહિં. હાલમાં બેન્કો માર્ચ સુધી પીએલઆરમાં વધારો કરશે નહિં. જો કે, હવે પીએલઆર દરમાં વધારો કરી શકે છે. આ દર પર મોટી કંપનીઓ ઓછા સમય માટે બેન્કોથી લોન લે છે. સીઆરઆરમાં 0.75 બેસીસનો વધારો થયા બાદ કોમર્શિયલ બેન્કોના સીઇઓએ હવે પીએલઆર દરો વધારવાના સંકેત આપ્યા હતા. જો કે કાર લોનના વ્યાજદરો વધવાની સંભાવના નથી. કારણ કે આ સેગમેન્ટમાં બેન્કો વચ્ચે મોટી હરિફાઇ ચાલી રીહ છે.સીઆરઆરમાં 0.75 ટકાનો વધારો કરતાં હવે સીઆરઆર 5 ટકાથી વધીને 5.75 ટકા થઇ જશે. તેની સાથે જ બેકિંગ સીસ્ટમના 36,000 કરોડ પાછા ખેંચી લેવાશે. આ અંગે દેના બેન્કના સીએમડી ડીએલ રાવલે કહ્યું કે, \"સીઆરઆરમાં વધારો થયો છતાં સિસ્ટમમાં જરૂરી મૂડી છે. એવામાં વ્યાજદરો જલ્થી વધારવા જોઇએ નહિં. જો લોનની માંગ વધી તો વ્યાજ દરો વધારવા જોઇએ.\" બેન્કો હજુ 3.5 ટકા રિવર્સ રેપોના અંતર્ગત રૂપિયા 75,000-85,000 કરોડ આરબીઆઇમાં જમા કરાવે છે.સીઆરઆરમાં વધારો થતાં પંજાબ નેશનલ બેન્કે રૂ.1,800 કરોડ, એચડીએફસી બેન્કે રૂ.1,500 કરોડ, યુનિયન બેન્કે રૂ.1,200 કરોડ અને કેનેરા બેન્કે રૂ. 1,600 કરોડ આરબીઆઇને જમા કરાવા પડશે.

No comments:

Post a Comment