08 July 2010

આણંદ : અમૂલ એશિયાની નંબર વન બ્રાન્ડ બની

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

8 JULY 2010
આણંદ : અમૂલ એશિયાની નંબર વન બ્રાન્ડ બની

ગુજરાતની ડેરી બ્રાન્ડ અમૂલ સતત બીજા વર્ષે ભારતીય બ્રાન્ડની સ્થિતિમાં તો અવવ્લ બરકરાર રહી છે, સાથો સાથ તે એશિયા પ્રશાંત ક્ષેત્રમાં પણ નંબર વન ડેરી બ્રાન્ડ બની છે. એ જ નહિં અમૂલ બ્રાન્ડે આ વર્ષે પોતાના રેકિંગમાં જબરદસ્ત સુધારો પણ કર્યો અને તે ગયા વર્ષના 83માં સ્થાન પરથી 10 નંબરની છલાંગ લગાવીને આ વર્ષે 73મા સ્થાન પર પહોંચી ગઇ. મીડિયા મેગેઝિન દ્વારા એશિયા પ્રશાંત ક્ષેત્રમાં મુખ્ય 1,000 બ્રાન્ડોની યાદી તૈયાર કરવામાં આવી, જેમાં અમૂલ ભારતમાંથી એક જ એવી બ્રાન્ડ છે, જેને ગ્રાહકો વચ્ચે પોતાની ખાસ ઓળખ બનાવી છે અને એશિયા પ્રશાંત ક્ષેત્રમાં તે 73 સૌથી લોકપ્રિય બ્રાન્ડના રૂપમાં ઉભરી છે. અમૂલ દ્વારા રજૂ કરાયેલ એક વિજ્ઞપ્તિ પ્રમાણે અમૂલને એશિયા પ્રશાંત ક્ષેત્રમાં અવ્વલ ડેરી બ્રાન્ડના રૂપમાં સ્થાન આપવામાં આવ્યું છે અને તે ક્રાફટ, ડચ લેડી, ડ્યૂમેક્સ, વાલ્સ, એંકર, મેંગનોલિયા અને અવરીડે જેવી બ્રાન્ડોથી આગળ છે. એસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, સિંગાપુર, તાઇવાન અને થાઇલેન્ડમાં ગ્રાહકોની વચ્ચે એક સર્વે બાદ આ યાદી તૈયાર કરવામાં આવી.

આણંદ : વલાસણ 'કોલેરાગ્રસ્ત' જાહેર

આણંદ જીલ્લાના વલાસણ ગામને ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા 'કોલેરાગ્રસ્ત' જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત આસપાસના પાંચ ગામોમાં સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે.આણંદના જીલ્લા કલેક્ટર આર. એન. જોષીએ વલાસણને કોલેરાગ્રસ્ત જાહેર કર્યું છે. ગઇકાલે આ ગામમાં કોલેરાના બે કેસ નોંધાયા હતા. જે પોઝિટીવ હોવાનું બહાર આવ્યું હતું. વલાસણ આપસપાસના કરમસદ, સંદેસર, વિદ્યાનગર, ગુંતેલી અને રવિપુરામાં આરોગ્ય વિભાગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.આરોગ્ય વિભાગે સ્થાનિક વહિવટી તંત્રને કોલેરા મોટી માત્રામાં ન ફેલાઇ તે માટે પૂરતા પગલાં લેવા જણાવવામાં આવ્યું છે. કોલેરાના વધુ કેસોની તપાસ માટે ડોર-ટુ-ડોર સર્વે હાથ ધર્યો છે.

ઓનર કિલિંગની ઘટનાઓ પર આધારિત ફિલ્મ ‘ખાપ’

દેશમાં વધી રહેલી ઓનર કિલિંગની ઘટનાઓ પર આધારિત ફિલ્મ ‘ખાપ’ માં એક કટ્ટર ગ્રામ પ્રમુખની ભૂમિકા ભજવવા જઇ રહેલા બોલિવૂડના અભિનેતા ઓમ પુરીએ કહ્યું કે તે આ ફિલ્મમાં ખોટી શાનના નામે થઇ રહેલી હત્યાઓ પર કેિન્દ્રત છે. રાષ્ટ્રીય પુરસ્કાર વજિેતા અભિનેતા પુરીએ કહ્યું કે ખોટી શાનના નામે યુવાઓની હત્યા ઘૃણાસ્પદ કાર્ય છે અને તેના પર તત્કાળ કોઇ એકશન લેવી જોઇએ. ફિલ્મ વિશે ઓમ પુરીએ જણાવ્યું હતું કે, ફિલ્મ ખાપમાં માસૂમ બાળકોને માત્ર એટલા માટે મારી નાખવામાં આવે છે કારણ કે તેઓ પોતાના માતાપિતાની વિરુદ્ધમાં જઇને લગ્ન કરવા ઇચ્છે છે. કોઇને પણ કાયદો પોતાના હાથમાં લેવાનો કે હત્યા કરવાનો અધિકાર નથી. આ ફિલ્મમાં હું એક પંચાયતના સરપંચની ભૂમિકા ભજવી રહ્યો છું, જે પહેલા ખાપ પંચાયતની માન્યતાઓને માને છે પરંતુ ફિલ્મના અંતે પરિવર્તનને સ્વીકાર કરી લે છે.

પાસપોર્ટ સરેન્ડર વખતે વધુ ફી વસુલાશે

બ્રિટનની નાગરિકતા સ્વીકાર્યા બાદ ભારતનો પાસપોર્ટ જમા કરાવતી વખતે દંડ વસુલ કરવાના વિદેશ મંત્રાલયના નિર્ણયનો ભારતીય મૂળના લોકો વિરોધ કરવામાં આવ્યો છે.ભારતીય કાયદા પ્રમાણે એક વખત ભારતીય મૂળના લોકો વિદેશની નાગરિકતા સ્વીકારી લે ત્યાર બાદ તેમણે તેની નજીક આવેલા ભારતીય દૂતાવાસ ખાતે પોતાનો પાસપોર્ટ જમા કરાવવો પડે છે. પાસપોર્ટ જમા કરાવતી વખતે તેમણે 102 પાઉન્ડનો દંડ પણ આપવો પડે છે. ત્યાર બાદ એવું પ્રમાણપત્ર આપવામાં આવે છે કે વ્યક્તિએ પોતાનો પાસપોર્ટ દૂતાવાસ ખાતે જમા કરાવ્યો છે.આ પ્રમાણપત્ર ભવિષ્યમાં વિઝા તેમજ ભારતીય પ્રવાસી કાર્ડ બનાવવા માટે ઉપયોગી છે. એચએસએમપી ફોરમના અમિત કાપડિયાએ પાસપોર્ટ જમા કરાવતી વખતે લેવામાં આવતી રકમને કોઈ ગુનો કર્યા બાદ લેવામાં આવતા દંડની રકમ સાથે સરખાવી છે. તેમણે જણાવ્યું હતું કે વિદેશી નાગરિકતા મેળવતા લોકો પર ભારત સરકાર વારંવાર આવા પ્રકારના દંડ લગાવવાનો પ્રયાસ કરે છે, તેમજ અમે આ બાબતે ખૂબ ચિંતિત છીએ.તેમણે જણાવ્યું હતું કે ભારતમાં જન્મેલા લોકો માટે બ્રિટનની નાગરિકતા મેળવવા માટે 31 મે 2010 સુધી 14 પાઉન્ડ જેટલી જ રકમ આપવી પડતી હતી. પરંતુ જૂન 2010 બાદ આ રકમ વધારીને 102 પાઉન્ડ કરી દેવામાં આવી છે. કાપડિયાની જેમ ભારતીય મૂળના અનેક લોકોએ ભારતીય હાઈ કમિશન ખાતે આ બાબતે ફરિયાદ કરી છે.

જમ્મુ : જન. જામવાલ - ઑપરેશન બ્લુસ્ટારના હિરો હતા

ગઇકાલે અકસ્માતે ચાલેલી ગોળીમાં રિયર એડમિરલ એસ.એસ. જામવાલનું મોત થયું છે. જેના કારણે, તેમના વતન જમ્મુમાં પિતા મેજર જનરલ (રિટાયર્ડ) જગદીશ જામવાલ તૂટી ગયા છે.રિયર એડમિરલ એસ. એસ. જામવાલના મોતના સમાચાર સાંભળીને તેમના વતન જમ્મુમાં સોપો પડી ગયો હતો. લોકો તેમના પિતા મેજર જનરલ (રિટાયર્ડ) જગદીશ જામવાલને સાંત્વના આપવા પહોંચ્યા હતા. ઓપરેશન બ્લુસ્ટાર વખતે મેજર જનરલ (રિટાયર્ડ) જગદીશ જામવાલ ભારતીય સેનાની 15 મી કોરના ઓપરેશન ઇન કમાન્ડ હતા. જેમને ઓપરેશન બ્લુસ્ટાર દરમિયાન સુવર્ણ મંદીરમાં રહેલા શીખ આતંકવાદીઓને ઝેર કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. આ કામને બહાદુરીપૂર્વક અંજામ આપનારા જનરલ પુત્રની મોતથી તૂટી ગયા હતા.
એકદમ નિરાશ અને હતાશ થઇ ગયેલા જામવાલ મહા મુશ્કેલીથી સ્વસ્થતા રાખવાનો પ્રયાસ કર્યો હતો. તેમના કહેવા પ્રમાણે પુત્ર રિયર એડમિરલ સત્યેન્દ્ર જામવાલ આદર્શ અધિકારી ઉપરાંત આદર્શ પુત્ર પણ હતા. મૃત્યુના એક દિવસ પહેલા જ તેમણે પિતા સાથે આ વાત કરી હતી. ત્યારે તેમને કલ્પના પણ ન હ તી કે બીજા દિવસે પુત્રના મોતના સમાચાર આવશે. 80 વર્ષીય જનરલ જામવાલના મતે પુત્ર તેમની તાકત હતો.આ તરફ રિયર એડમિરલ એસ. એસ. જામવાલના શબને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યું છે. આવતીકાલે તેમની અંતિમવિધિ કરવામાં આવે તેવી વકી છે.

બોસ સાથે અથડામણ ટાળવા ‘ચા’ પીવો

ઓફિસ કે ઘરમાં જો તમે તનાવનો અનુભવ કરી રહ્યા છો તો હવેથી ચિંતા કરવાનું છોડી દો. તમારા ચાના કપમાં બે ચમચી સુગર ઉમેરી ગરમા ગરમા ચાની ચુસ્કી લગાવો. થોડી જ વારમાં તમારો તનાવ દૂર થઈ જશે.એક સંશોધનમાં માલુમ પડ્યું છે કે મીઠા પદાર્થો લોકોની આક્રમકતાને ઓછી કરી નાખે છે, તેમજ લોકોને ઝઘડો કરતાં રોકે છે. સુગર મગજને ઉર્જા આપે છે, જે મગજની આક્રમકતા તેમજ આવેશોને રોકી રાખે છે. જેના કારણે લોકો તનાવ ભરી સ્થિતિમાં અન્ય કોઈ સાથે ઝઘડો કરતા અટકે છે.રિપોર્ટના જણાવ્યા પ્રમાણે જ્યારે પણ બોસ સાથે કોઈ વિવાદાસ્પદ મુદ્દા અંગે ચર્ચા કરવાની હોય, તેમજ તેના કારણે કોઈ વાતાવરણ બગડવાની શક્યતા જણાંતી હોય ત્યારે એક કપ ચા પીધા બાદ જ ચર્ચા કરવા માટે જવું. જેના કારણે તમારા આક્રોશને નિયંત્રિત કરવામાં મદદ મળી રહેશે.ડેઈલી મેઈલે સંશોધકોના હવાલેથી લખ્યું છે કે, દિવસભર ઓફિસમાં કામ કર્યા બાદ તનાવભરી સ્થિતિમાં ઘરે જતાં પહેલા કોઈ મીઠું પીણું પી લેવું, જેના કારણે ઘરના સભ્યો કે રસ્તામાં આવતા લોકો તમારા ગુસ્સાનો શિકાર ન બને.આ શોધ માટે સંશોધકોએ મહિલાઓ તેમજ પુરુષોના એક જૂથને લીંબુ પાણી આપ્યું હતું. જેમાંથી અમુકમાં સુગર ઉમેરવામાં આવી તો અમુકમાં નહીં. ત્યાર બાદ માલુમ પડ્યું હતું કે જે લોકોએ સુગર સાથેનું લીંબુ પાણી પીધું હતું તેમનો ગુસ્સો પ્રમાણમાં ઓછો હતો.

કરિના કપૂર માતા બનતા તેની બહેન કરિશ્મા ખુશ!

કરિના કપૂર હાલમાં સૈફ અલી ખાનની ફિલ્મ એજન્ટ વિનોદના શુટિંગ માટે મોરેક્કોમાં છે. જો કે બેબોને ફિલ્મ વી આર ફેમિલીના રોલ માટે રોજ હજારો મેસેજ આવે છે.કરિનાના ચાહકો અને મિત્રો બેબોને આ ફિલ્મને લઈને સારા પ્રતિભાવો આપી રહ્યા છે અને તેને કારણે કરિના પણ ઘણી જ ખુશ છે. જો કે કરિના કરતાં પણ વધારે તેની બહેન કરિશ્મા ઘણી જ ખુશ છે.લોલોએ બેબો વિષે લખ્યું છે કે, અભિનયની બાબતમાં તુ ઘણી જ પરિપક્વ થઈ છે અને આ ફિલ્મનો અભિનય તને કરિયરમાં ઘણો જ આગળ લઈ જશે. કરણ જોહરની ફિલ્મ વી આર ઈન ફેમિલીમાં બેબો માતાની ભૂમિકા ભજવી રહી છે.કરિના અને કાજોલના અભિનયની તુલના કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ હોલિવૂડ ફિલ્મ સ્ટેપ મોમની હિન્દી રીમેક છે. આ ફિલ્મમાં અર્જુન રામપાલ પણ છે.

ટેલિવિઝન પર એક રેકોર્ડ બનાવા જઇ રહી છે ફિલ્મ 3 ઇડિયટ્સ

ભલે 3 ઇડિયટ્સના નામથી બોલાવામાં આવે છે. પરંતુ નાણાં કમાવાવામાં તેનો જવાબ નથી. જી હાં, અમે વાત કરી રહ્યા છે આમિર ખાનની બ્લાક બસ્ટર ફિલ્મ 3 ઇડિયટ્સ. અંદાજે 45 કરોડના ખર્ચથી બનેલ આ ફિલ્મના દુનિયાભરમાંથી રૂ.400 કરોડની કમાણી જે એક રેકોર્ડ છે. પહેલાં 10 દિવસમાં ફિલ્મે ભારતમાં 240 કરોડ રૂપિયાની કમાણી કરી.હવે આ ફિલ્મ ટેલિવિઝન પર એક રેકોર્ડ બનાવા જઇ રહી છે. સોની એન્ટરટેઇનમેન્ટ ચેનલ આ ફિલ્મને 25મી જૂલાઇના રોજ દેખાડી રહી છે. ચેનલે તેના માટે જાહેરાતનો દર દર સેકન્ડે 2.20 લાખ નક્કી કર્યો છે. તેના તમામ ટાઇમ સ્લોટ વેચાઇ ચૂક્યા છે. જો કે એ ખબર નથી પડી કે કંપની કેટલાં નાણાં કમાશે, પરંતુ એટલું તો નક્કી છે કે આ રેકોર્ડ કમાણી કરશે. શાહરૂખની ફિલ્મ 'માઇ નામ ઇઝ ખાન'એ ટેલિવિઝન પર રેકોર્ડ કમાણી કરી હતી. પરંતુ 3 ઇડિયટ્સ આ રેકોર્ડ પણ તોડી દેશે. જો તે રૂપિયા 100 કરોડની પણ કમાણી કરી લે છે કો કોઇ આશ્ચર્ય નથી. આ ફિલ્મ ટીવી પર જોવા માટે રૂપિયા 21 કરોડમાં વેચાઇ ગઇ હતી. 3 ઇડિયટ્સના 12 સ્પોન્સર છે જેમાં એટેલ, કેડબરી, લક્સ વગેરે મુખ્ય છે. તેમણે વિજ્ઞાપનદાતાઓની સરખામણીમાં પ્રતિ દસ સેકન્ડ ઓછા નાણાં આપવા પડશે.

72 કલાક સુધી બેટરી ચાલનાર ફોન રજૂ

ગ્રાહકોની બદલાતી માંગ પ્રમાણે ઝેન મોબાઇલે આજે ડુએલ સિમવાળો ફોન એમ-25 રજૂ કર્યો છે. કંપનીએ આ ફોનને બજારમાં 72 કલાક સુધી ચાલનાર બેટરીની સાથે ઉતાર્યો છે. ફોનની કિંમત રૂ.3,400 રાખવામાં આવી છે.કંપનીની એક યાદીમાં કહેવામાં આવ્યું છે કે ફોનને સતત 16 કલાક સુધી ઉપયોગ કરી શકાય છે. સાથો સાથ તેની સ્ક્રીન પણ મોટા આકારની છે.કંપનીના પ્રબંધ નિર્દેશક દીપેશ ગુપ્તા દ્વારા રજૂ કરાયેલ એક યાદીમાં કહ્યું કે 72 કલાકની બેટરી બેકઅપ વાળા એમ-25 એ ગ્રાહકો માટે બહુ કામમાં આવી શકે છે, જે ગ્રામીણ ક્ષેત્રોમાં રહે છે. તેમણે કહ્યું કે કંપની પોતાનું વિતરણ નેટવર્ક વધારવા માટે પ્રયાસ કરી રહી છે જેથી કરીને તેનો લાભ વઘુ લોકો સુધી પહોંચી શકે.ઉલ્લેખનીય છે કે કંપનીએ તાજેતરમાં જ અમિતાભ બચ્ચનને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે.


લાલ' બંધમાં લોહી રેડાયુ

માઓવાદી નેતા ચેરુકુરી રાજકુમારને આંધ્રપ્રદેશ પોલીસ દ્વારા ઠાર મારવામાં આવ્યો હતો. જેના પગલે પ્રતિબંધિત માઓવાદી સંગઠન દ્વારા બે દિવસીય બંધનું એલાન આપ્યું છે. જેને આજે વહેલી સવારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.માઓવાદીઓ ઝારખંડના લેહતર અને ધનબાદમાં ત્રાટક્યાં હતા. અહીં તેમણે હેગરા રેલવે સ્ટેશનની ઇમારત ઉડાવી દીધી હતી. ઉપરાંત તેમણે નિચિતપુર પાસે રેલવે ટ્રેક ઉડાવી દીધો હતો. જેના કારણે અહીંથી પસાર થતી ટ્રેનોને કલાકો સુધી અટકાવી દેવામાં આવી હતી. લગભગ 100 થી 120 માઓવાદીઓ હેગરા સ્ટેશન પર ત્રાટક્યા હતા અને બિલ્ડિંગને ઉડાવી દીધું હતું. સાવચેતીના પગલારૂપે આ સ્ટેશન પરથી પસાર થતી તમામ ટ્રેનોને રદ્દ કરી દેવામાં આવી છે.અન્ય એક ઘટનામાં માઓવાદીઓએ ધનબાદ જિલ્લાના નિચિતપુર પર ટ્રેનના પાટા ઉડાવી દીધા હતા. જેના કારણે અહીં ટ્રેન વ્યવહાર ખોરવાય ગયો હતો. આથી રાજધાની એક્સપ્રેસ સહિતની કેટલીક ટ્રેનોને નજીકના સ્થળો પર રોકી દેવામાં આવી હતી. જ્યારે સવારે લગભગ નવ વાગ્યા આસપાસ ટ્રેન વ્યવહાર ફરી શરૂ થઇ ગયો હતો.બીજી બાજુ આસામના કોરઝાર જીલ્લામાં પ્રતિબંધિત સંગઠન એનડીએફબીએ ટ્રેકને ઉડાવી દીધો હતો. જેના કારણે કોલકત્તા જતી ગરીબરથ એક્સપ્રેસનું એન્જીન અને પાંચ બોગી પાટા ઉપરથી ઉતરી ગયા હતા. આ ઘટના સવારે 2.25 કલાકે ઘટી હતી. અકસ્માતમાં ટ્રેનના ડ્રાઇવર સહિત છને ઇજા પહોંચી છે. જ્યારે એક બાળકનું મોત નિપજ્યું છે. મુસાફરોને અન્ય ટ્રેન દ્વારા તેમના ગંતવ્ય માટે રવાના કરવામાં આવ્યા છે. જ્યારે ટ્રેન વ્યવહારને પુનઃ શરૂ કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.માઓવાદીઓ આજે છત્તિસગઢના દંતેવાડામાં એક પોલીસ સ્ટેશન તથા કોંગ્રેસી નેતા અવધેશ ગૌતમના ઘર ઉપર ત્રાટક્યા હતા. અહીં તેમણે કોંગ્રેસી નેતા સહિત અન્ય એક શખ્સની હત્યા કરી હતી. જ્યારે બે અન્યને ઇજા પહોંચાડી હતી. જેમાં અવધેશ ગૌતમના પુત્ર અને સુરક્ષા કર્મચારીનો સમાવેશ થાય છે.

એરલાઇન્સનું વિશાળકાય વિમાન એરબસ A380ની મુસાફરી માટે ખાસ ઓફર

દિલ્હી એરપોર્ટ પર નવા ટર્મિનલ ટી3 પર અમીરાત એરલાઇન્સનું વિશાળકાય વિમાન એરબસ A380, 15મી જૂલાઇના રોજ લેન્ડ કરશે. આ વિમાનમાં 517 લોકો મુસાફરી કરી શકે છે. અમીરાત એરલાઇનની ફલાઇટ સંખ્યા ઇકે-516 દુબઇ થી દિલ્હીની સફર કરે આઇજીઆઇ એરપોર્ટ પર લેન્ડિંગ કરશે. એરબસના આ જમ્બો એરક્રાફટમાં 15 ફ્લેટ બેડ ફર્સ્ટ કલાસ સૂઇટ છે. સાથો સાથ તેમાં 76 ફૂલ ફ્લેટ સિટો પણ છે. ઇકોનોમી ક્લાસ પેસેન્જર્સ માટે તેમાં 427 સીટો છે.આ બીજો મોકો હશે જ્યારે એ-380 દિલ્હીમાં લેન્ડ કરશે. આ પહેલાં જૂન 2005માં દિલ્હીમાં તેનું લેન્ડિંગ થયું હતું. ત્યારે કિંગફિશર એરલાઇન્સે એ-380 બનાવનાર કંપની એરબસને આવા 5 વિમાન ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો.આ વખતે આ વિમાનમાં દુબઇથી દિલ્હી આવનાર લોકોને કંપની ખાસ ઓફર આપી રહી છે. જેના અંતર્ગત દુબઇથી દિલ્હીની રિટર્ન ટિકિટ રૂ.9,900માં આપવામાં આવી રહી છે. જો કે આ કિંમત સિવાય મુસાફરોએ અન્ય ટેક્સ પણ આપવા પડશે.15મી જૂલાઇના રોજ આ વિમાન દિવસે અંદાજે 2.15 વાગ્યે ઉતરશે અને એ દિવસે સાંજે 5.50 વાગ્યે દુબઇ માટે ઉડાન ભરશે. દિલ્હી એરપોર્ટ પર આ વિમાન યાત્રીઓ માટે ખાસ મોટા એરોબ્રીજની સગવડ કરવામાં આવી રહી છે.


અમેરિકા : ભારતીય મૂળના મુસ્લિમની મેયર તરીકે પસંદગી

અમેરિકામાં એક ભારતીય મૂળના અમેરિકન મુસ્લિમ નાગરિકની મેયર તરીકે પસંદગી કરવામાં આવી છે. જેવીશ લોકોથી પ્રભાવીત એવા ન્યૂ ઝર્સીના એક ટાઉનમાં મોહમ્મદ હમીદુદ્દીનની પસંદગી મેયર તરીકે કરવામાં આવી છે.હમીદુદ્દીન ભારતના હૈદ્રાબાદ શહેર સાથે સબંધ ધરાવે છે. ગયા અઠવાડિયે ન્યૂ ઝર્સીની ટીનેક ટાઉનશિપના મેયર તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી.હમીદુદ્દીને બે વર્ષ પહેલા કાઉન્સીલની બેઠક પર વિજય મેળવ્યો હતો. પહેલી જૂલાઈના રોજ યોજાયેલી ટાઉનશીપની વાર્ષીક બેઠકમાં હમીદુદ્દીનને સાતમાંથી પાંચ વોટ મળ્યા હતાં. બેઠકમાં આદમ ગુસેનની ડેપ્યુટી મેયર તરીકે પસંદગી કરવામાં આવી હતી.મેયર તરીકે ચૂંટાઈ આવ્યા બાદ હમીદુદ્દીને એબીસી ન્યૂઝને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, દુનિયામાં આવું કોઈ પણ જગ્યાએ શક્ય બન્યું નથી. જ્યાં જેવીશથી પ્રભાવિત વસ્તીમાં એક મુસ્લિમની મેયર તરીકે પસંદગી કરવામાં આવી હોય. તેમજ વર્ષોથી લડી રહેલી બે કોમને એક કરવાનો મને જે મોકો મળ્યો છે તેને હું સાર્થક કરી બતાવીશ.


નવરંગપુરા : સેન્ટ ઝેવિયર્સમાંથી પીધેલા થ્રી-ઇડિયટ્સ મળ્યા

નવરંગપુરા વિસ્તારમા આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કુલમાં આજે સવારે ત્રણ ભુતપુર્વ વિદ્યાર્થીઓ દારૂ પીધેલી હાલતમાં સ્કુલમા પ્રવેશી કલાસરૂમમાં જઇ સુઇ ગયા હોવાની ઘટના પ્રકાશમા આવી છે. સ્કુલ શરુ થયા બાદ વિદ્યાર્થીઓએ આ ત્રણેય દારુ પીધેલી હાલતમાં યુવાનો કલાસમાં સુતા હોવાની જાણ કરતાં સ્કુલ સત્તાવાળાઓએ તેમને પકડી પોલીસને હવાલે કર્યા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કુલમાં આજે સવારે પોણા સાત વાગ્યાના સુમારે ત્રણ ભુતપુર્વ વિદ્યાર્થીઓ આવ્યા હતા અને કલાસરૂમ નંબર ૧૪માં જઇને સુઇ ગયા હતા. ત્યાર બાદ સ્કુલ શરુ થવાના સમયે વિદ્યાર્થીઓ કલાસમાં આવતાં તેમણે ૨૫ વર્ષની આસપાસની ઉંમર ધરાવતા ત્રણ યુવાનોને કલાસરૂમમાં સુતા જોયા હતા.જેથી તેમણે આ અંગે સ્કુલના પટ્ટાવાળાનું ધ્યાન દોર્યું હતું. પટ્ટાવાળાએ આચાર્યને જાણ કરતા તેમણે પકડી લેવા સુચના આપવામાં આવી હતી.
ત્રણેય વિદ્યાર્થીઓને પકડવા જતા બે વિદ્યાર્થી ઝડપાઇ ગયા હતા, જ્યારે એક વિદ્યાર્થી નાસી છુટવામાં સફળ રહ્યો હતો. આ વિદ્યાર્થીઓ લોયલા સ્કુલના જ ભુતપુર્વ વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળ્યું હતું. પકડાયેલા બે વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીનો બર્થ ડે હોઇ તેઓ ટિચરને મળવા માટે આવ્યા હતા. પરંતુ સ્કુલમાં કોઇ હાજર ન હોઇ કલાસરૂમમાં જઇને સુઇ ગયા હતા.સ્કુલ સત્તાવાળાઓએ આ વિદ્યાર્થીઓને પકડી ગુજરાત યુનિવર્સિટી પોલીસને હવાલે કર્યા હતા. પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળે છે.

હરિયાણામાં પૂરની પરિસ્થિતી વકરી

છેલ્લા ત્રણ દિવસથી પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે, સામાન્ય જનજીવન અસ્તવય્સત થઇ ગયું છે. અને લોકોને જનજીવનની સામાન્ય ચીજવસ્તુઓ મેળવવામાં તકલીફ પડી રહી છે.રાષ્ટ્રીય ધોરી માર્ગ એક અંબાલાને ચંદીગઢ અને દિલ્હી સાથે જોડે છે. પરંતુ, આજે વહેલી સવારે હરિયાણાના શબ્દ શહેરના લોકો રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ઉતરી આવ્યા હતા અને તેનું પરિવહન અટકાવી દીધું હતું. આ સમાચાર મળતા વહિવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ હરિયાણાના અંબાલા અને કુરૂક્ષેત્રમાં પૂરના પાણીના કારણે સ્થિતી વધુ વકરી છે. વધુમાં, સતલજ યમુના લિન્કમાં ગાબડું પડ્યું છે. ઉદારસી પાસે લિન્ક કેનાલમાં લગભગ 30 ફૂટની તિરાડ પડી છે. જેના કારણે લિન્ક કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં તથા વિસ્તારોમાં જઇ રહ્યું છે. ગઇકાલે પણ આ લિન્કમાં 45 ફૂટની તિરાડ પડી હતી.ઘાઘર, ટીંગરી નદી ઉપરાંત નર્વાણ કેનાલમાં જબરદસ્ત પાણી વહી રહ્યાં છે. જેના કારણે, હાલત વણસી ગયા છે. નવદીલ્હી જતી કાલકાજી એક્સપ્રેસ સહિતની કેટલીક ટ્રેનોને ભારે વરસાદના કારણે રદ્દ કરી દેવામાં આવી છે.

ઓબામાને પણ પગાર વધારો ન મળ્યો

ભારતમાં સાંસદો ભલે પોતાનો પગાર વધારવામાં સફળ રહ્યા હોય, પરંતુ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાને ગયા વર્ષ એક પણ પૈસાનું ઈન્ક્રીમેન્ટ મળ્યું નથી. ઓબામા દર વર્ષ ચાર લાખ ડોલર પગાર તરીકે મેળવે છે.જો કે મંદીનો માર સહન કરી રહેલા ઓબામા સરકારના મોટા ભાગના અધિકારીઓને પગાર વધારો મળ્યો નથી. અમેરિકાએ એક રિપોર્ટ દ્વારા આ વાત જાહેર કરી છે. વ્હાઈટ હાઉસ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વ્હાઈટ હાઉસમાં 469 કર્મચારીઓ અને અધિકારીઓ કામ કરે છે.વ્હાઈટ હાઉસ આ અધિકારીઓના વેતન ઉપર દર વર્ષે 3.90 કરોડ ડોલરનો ખર્ચ કરે છે. દર વર્ષે આ બાબતે એક રિપોર્ટ જાહેર કરવામાં આવે છે. પરંતુ આ વખતે આ રિપોર્ટને ઈન્ટરનેટ પર મુકવામાં આવ્યો છે.વ્હાઈટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલી સેલેરી સ્લીપમાં દરેક કર્મચારીઓના મળતા વાર્ષીક પગારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 2009માં કર્માચારીઓની સંખ્યા 485ની હતી. આ કર્મચારીઓનો પગાર વાર્ષીક ધોરણે 21 હજાર ડોલરથી 1.80 લાખ ડોલર છે.
વ્હાઈટ હાઉસના 23 મુખ્ય અધિકારીઓને વાર્ષીક 1.72 લાખ ડોલર પગાર તરીકે ચુકવવામાં આવે છે. આ કર્મચારીઓમાં ચીફ ઓફ સ્ટાર આર. ઈમૈનુઅલ, પ્રેસ સેક્રેટરી રોબર્ટ ગિબ્સ, ઓબામાના ભાષણ લખનાર જોન ફૈવર, વકીલ બોબ બોઅર વગેરેનો સમાવેશ થાય છે.ઓબામાના બોડીગાર્ડને તેમજ ભૂતપૂર્વ બાસ્કેટબોલ સ્ટાર રેગી લવને વાર્ષીય એક લાખ ડોલર પગાર ચુકવવામાં આવે છે. વ્હાઈટ હાઉસમાં ત્રણ લોકો એવા પણ છે જે પગાર લીધા વગર જ કામ કરે છે.

પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પોનું અસ્તિત્વ : અમેરિકા

અમેરિકાએ તાજેતરમાં એક રિપોર્ટમાં જણાવ્યું છે કે પાકિસ્તાનના પછાત વિસ્તારોમાં હજી પણ આતંકવાદી કેમ્પો ધમધમે છે. ઓબામા વહિવટી તંત્રના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનમાં અલ-કાયદા હજી પણ મોટા પ્રમાણમાં આતંકવાદી કેમ્પો ચલાવી રહ્યું છે. તેની સાથે અમેરિકાએ એમ પણ કહ્યું હતું કે આતંકવાદ સામે લડવા માટે અમેરિકાને પાકિસ્તાન તરફથી પુરતો સહકાર મળી રહ્યો છે.ન્યૂ યોર્કની ફેડરલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકા દ્વારા ધરપકડ કરવામાં આવેલા પાંચ આતંકવાદીઓએ 2008 અને 2009ના વર્ષમાં પાકિસ્તાનના વર્ઝિરિસ્તાનમાં આતંકવાદી તાલિમ મેળવી હતી.ન્યૂ યોર્કમાં ગયા વર્ષ સબવે ટ્રેનમાં થયેલા બ્લાસ્ટ બાબતે અમેરિકાએ અલ-કાયદાને દોષિત ગણાવ્યું હતું. જો કે અમેરિકાના સ્ટેટ ડિપોર્ટમેન્ટના પ્રવક્તા માર્ક ટોનરે જણાવ્યું હતું કે, અમને આતંકવાદ સામે લડવા માટે પાકિસ્તાન તરફથી પુરતો સહકાર મળી રહ્યો છે.


ચીનમાં ભૂતપૂર્વ ચીફ જજ દોષિત જાહેર થતાં ફાંસીની સજા

ભ્રષ્ટાચાર, બળાત્કાર તથા અન્ય ગુનાઓમાં દોષિત જાહેર થતાં ચીનની કોર્ટે ભૂતપૂર્વ ચીફ ન્યાયધિશને ફાંસીની સજા ફટકારી છે.
દક્ષિણ-પશ્ચિમ ચાંગક્વિંગ વિસ્તારના ભૂતપૂર્વ ન્યાયપાલિકાના પ્રમુખ વેન કિયાંગ(55)ને લાંચ, ગુનેગારોને આશરો આપવો, બળાત્કાર જેવા ગુનાઓ તેમજ પોતાની આવક બાબતે કોઈ ખુલાસો નહીં આપી શકવાના ગુનામાં ફાંસીની સજા ફટકારી હતી.ચાંગક્વિંગ મ્યુનિસિપલ હાયર પીપલ કોર્ટે 21મેના રોજ વેનની ફાંસી નહીં આપવાની અરજીને ફગાવી દીધી હતી. હકીકતમાં 14 એપ્રિલે નીચલી કોર્ટે અનેક ગુનાઓમાં દોષિત વેનને ફાંસીની સજા ફટકારી હતી. મ્યુનિસિપલ હાયર પીપલ કોર્ટના જણાવ્યા પ્રમાણે વેનની અરજીને હાઈકોર્ટમાં મોકલવામાં આવી હતી. હાઈકોર્ટે પણ વેનની સજા યથાવત રાખવાનો આદેશ આપ્યો હતો. વેનની સપ્ટેમ્બર 2009માં ધરપકડ કરવામાં આવી હતી.


રમતની દુનિયામાં અપસેટ કરી મૂકે એવા અપસેટ્સ!

ગયા અઠવાડિયે રમતપ્રેમીઓને બે આઘાત લાગ્યા. એક તો વિમ્બલડનમાંથી રોજર ફેડરર બહાર ફેંકાઇ ગયો અને બીજું પાંચ વખત વર્લ્ડ કપ જીતી ચૂકેલું બ્રાઝિલ નેધરલેન્ડ સામે પરાજિત થઇને સોકર વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઇ ગયું.સોકરની દુનિયામાં આવા અપસેટ્સની નવાઇ નથી. ૧૯૫૦ના વર્લ્ડ કપમાં ફૂટબોલના અરસિક ગણાતા અમેરિકાએ ‘કિંગ ઓફ સોકર’ ગણાતા ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. ત્યાર પછીના વર્લ્ડ કપમાં તત્કાલીન વેસ્ટ જર્મનીની ટીમે પાછલી સળંગ ૩૨ મેચ જીતી ચૂકેલા હંગેરીને હરાવીને અપસેટ સજેઁલો.૧૯૯૨ની યુઇએફએ ચેમ્પિયનશીપમાં યુગોસ્લાવિયાને યુદ્ધ પ્રતિબંધોને કારણે પ્રતિબંધિત કરાયેલું. તેને બદલે છેલ્લી ઘડીએ ડેનમાર્કનો ચાન્સ લાગી ગયો. આ ડેનમાર્કે સેમી ફાઇનમાં તત્કાલીન ચેમ્પિયન નેધરલેન્ડ્સ અને ફાઇનલમાં જર્મનીને હરાવીને આખી ચેમ્પિયનશીપ જ જીતી લીધી. ગયા વર્ષે સળંગ ૧૫ મેચ જીત્યા પછી કન્ફેડરેશન કપમાં નંબર વન ટીમ સ્પેન યુ.એસ. સામે હારી ગયેલી!‘

ક્રિકેટના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર શ્રીલંકા પ્રવાસ માટે આતુર

ક્રિકેટના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનું કહેવું છે કે તે ગાલે ખાતે 18 જુલાઈથી શરૂ થનારી ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ માટે તૈયાર છે. એટલું જ નહીં તે આ પ્રવાસ શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.સચિન તેંડુલકર તેના પરિવાર સાથે ત્રણ અઠવાડિયાનું વેકેશન મનાવીને પરત ફર્યો છે અને હવે તે શ્રીલંકા પ્રવાસ માટે પોતાની જાતને તૈયાર કરી રહ્યો છે. તેંડુલકરે કહ્યું હતું કે હું ત્રણ અઠવાડિયાની રજાઓ માણીને પાછો ફર્યો છું અને હું ઘણો જ પ્રસન્ન છું.હું મારા પરિવાર સાથે વેકેશન માણી પરત ફર્યો છું. અમે સારો એવો સમય આનંદ માણ્યો. હવે હું મારૂ સમગ્ર ધ્યાન શ્રીલંકા પ્રવાસ પર કેન્દ્રીત કરી રહ્યો છું. તેંડુલકરે તેના વેકેશન દરમિયાન લંડનમાં સંપન્ન થયેલા વિમ્બલ્ડન ચેમ્પિયનશિપમાં લારા સાથે એક મેચ પણ જોઈ હતી. ઉલ્લેખનીય છે કે શ્રીલંકાની ધરતી પર સચિન તેંડુલકર સૌથી વધુ સફળ રહેનારો ભારતીય ક્રિકેટર છે. તથા હાલમાં તેનું શાનદાર ફોર્મ જોતા તે કોઈ નવો ઈતિહાસ રચે તેવી શક્યતાને નકારી શકાતી નથી. કેમ કે વન ડેમાં બેવડી સદી ફટકાર્યા બાદ સચિની નજર હવે ટેસ્ટમાં લારાના સૌથી વધુ 400 રનના રેકોર્ડને તોડવા પર હશે.


ફુગાવાનો દર ઘટીને 12.63%

મોંઘવારી દરના આંકડા આજે રજૂ થઇ ગયા છે. 26મી જૂનના રોજ પૂરા થતાં સપ્તાહમાં ખાદ્ય ફુગાવાનો દર ઘટીને 12.63% રહ્યો છે. જ્યારે ઇંધણનો દર વધીને 18.02 % રહ્યો.જો કે, વીતેલા સપ્તાહમાં આવેલા આંકડાની સરખામણીમાં મોંઘવારીના દરમાં નજીવો ઘટાડો નોંધાયો છે. વીતેલા સપ્તાહમાં મોંઘવારીનો દર 12.92% હતો, જ્યારે ઇંધણીનો દર 12.90% હતો, જે વધીને 18.02 % આવ્યો.વાર્ષિક આધાર પર શાકભાજીના ભાવમાં 4%નો ઘટાડો નોંધાયો છે. બટાટાના ભાવમાં 42% અને ડુંગળીના ભાવમાં 8.75%નો ઘટાડો થયો છે. મે માં ફુગાવાનો દર 10.16% પર આવ્યો છે.


જમ્મુ-કાશ્મીરના ભાગ્યમાં લશ્કર જ

ઓમર પાસે સમય ઓછો છે : રાષ્ટ્રપતિ શાસનની ઘડીઓ ગણાય.જમ્મુ-કાશ્મીર રાજ્યમાં ફરી ૨૦ વર્ષ પહેલાંની સ્થિતિ આવીને ઊભી હોય એવું લાગી રહ્યું છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સૈન્ય તેનાત કરવું પડ્યું છે. ચૂંટણીના દોઢ જ વર્ષમાં ઓમર અબ્દુલ્લાની અણઆવડત દેખાઇ આવી છે અને કાશ્મીરનું ગંદું રાજકારણ પણ બહાર આવ્યું છે. કોંગ્રેસ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી બંને ઓમરની પરિસ્થિતિની મજા લઈ રહ્યાં છે.પરિસ્થિતિ વણસવા પાછળ પાકિસ્તાન અને ત્રાસવાદીઓની જેવડી ભૂમિકા છે તેનાથી બહુ નાની નહીં એવડી ભૂમિકા કાશ્મીરના રાજકીય પક્ષોની પણ છે. પાકિસ્તાન તો કાશ્મીરમાં અવ્યવસ્થા ફેલાવવા માટે તમામ પ્રયત્ન કરતું જ રહે તે સ્વાભાવિક છે. ત્રાસવાદીઓ પણ કાશ્મીરમાં શાંતિ સ્થાપવામાં મદદ કરે એવી અપેક્ષા રાખી શકાય નહીં. પણ જ્યારે મુફિત મોહમ્મદ સઈદનો પક્ષ પીડીપી અને ખુદ ઓમર અબ્દુલ્લાના પક્ષ નેશનલ કોન્ફરન્સના કેટલાક નેતાઓ અસ્થિરતા ફેલાવવામાં મદદગાર થાય ત્યારે વાડ જ ચીભડાં ગળે એવી દશા પેદા થાય છે. શ્રીનગર શહેરમાં ૧૯ વર્ષ પછી સેના મોકલવી પડી એ દર્શાવે છે કે સ્થિતિ ગંભીર છે. એવું નથી કે ઓમર અબ્દુલ્લાનો આમાં કોઈ વાંક નથી. ઓમર સત્તા પર આવ્યા તે વખતે જે અપેક્ષાઓ હતી તે પૂર્ણ થઈ નથી. નાગરિકોને લાગે છે કે, ઓમર કશું કરી શક્યા નથી. ભરોસાની ભેંસે પાડો જણ્યો છે. કેન્દ્ર સરકારે ગૃહ સચિવને શ્રીનગર દોડાવ્યા તે દર્શાવે છે કે ઓમર પાસે સમય બહુ ઓછો છે. ઝડપથી સ્થિતિ થાળે પાડવામાં તેઓ નિષ્ફળ રહેશે તો રાજ્યમાં ફરીથી રાષ્ટ્રપતિ શાસન આવતાં વાર નહીં લાગે. કેન્દ્ર સરકાર બહુ લાંબો સમય ધીરજ ધરીને બેસી રહી શકે તેમ નથી. સરકારે કહ્યું છે કે શ્રીનગરમાં સેના મોકલાઈ છે તે માત્ર ભાંગફોડિયા પર દબાણ ઊભું કરવા માટે જ છે. પણ વાસ્તવમાં એવું હોવું જોઈએ નહીં અને હોતું પણ નથી. સૈન્યની ફલેગમાર્ચ માત્ર સેરેમોનિયલ પરેડ નથી હોતી, ઠંડી તાકાતનું પ્રદર્શન હોય છે. અને આ તાકાત આખા કાશ્મીરમાં પ્રદર્શિત થાય એ જરૂરી છે. વર્ષો સુધી ધીમે ધીમે લડતા રહેવા કરતા આ ગૂમડાનો એક જ ઝાટકે ઉપાય કરવાની વ્યૂહરચના ઘડી કાઢવી જરૂરી છે. લશ્કરી, સામાજિક અને રાજકીય પગલાંઓનું યોગ્ય સંકલન કરીને ઝુંબેશ ચલાવવામાં આવે તો કાશ્મીરમાં શાંતિ સ્થપાવી અશક્ય નથી પણ તેના માટે રાજકીય ઇચ્છાશક્તિની જરૂર છે, જે કાશ્મીરના જ નહીં, કેન્દ્રના નેતાઓમાં પણ નથી.


ઑનર કિલિંગ્સ મુદ્દે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ નિર્ણય લેશે

ઉત્તર ભારતમાં ઑનર કિલિંગના મુદ્દે છાશવારે પ્રેમી યુગલોની હત્યા થતી રહે છે. આ દુષણને નાથવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ કાયદો લાવવામાં આવશે. આ અંગે કેબિનેટના ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની પણ નિમણુંક કરવામાં આવશે. માહિતી અને પ્રસારણ પ્રધાન અંબિકા સોનીએ કહ્યું હતુંકે, વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં ભારતીય દંડ સંહિતા અને ક્રિમિનલ પ્રોસિજર કોડ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. તેમાં કયા પ્રકારના સુધારાથી ઑનર કિલિંગ અટકાવી શકાય તેની ઉપર પણ કેબિનેટે ચર્ચા કરી હતી. આ મુદ્દે તમામ રાજ્ય સરકારો પાસેથી પણ અભિપ્રાય મંગાવવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, ઉત્તરભારતમાં ઑનર કિલિંગના નામે છાશવારે પ્રેમી યુગલોની હત્યા થતી રહે છે. જેમણે આંતરજ્ઞાતિય કે સગોત્ર લગ્ન કર્યા હોય. કેન્દ્ર સરકાર ઉપર દબાણ હતુંકે, આ અંગેનો ખરડો ચોમાસું સત્રમાં રજૂ કરવામાં આવે.


દિલ્હીમાં ફરી ઓનર કિલિંગ : મહિલા તેના પ્રેમીની હત્યા

રાજધાનીમાં ઓનર કિલિંગની એક વધુ ઘટના નોંધાઇ છે. એક સ્ત્રીના પતિએ સંબંધીઓની મદદથી વર્ગ ચારમાં સરકારી ફરજ બજાવતી પોતાની પત્ની અને તેના પ્રેમીની હત્યા કરી છે. પતિ, મહિલાના પિતરાઇ, તેના ભાઇઓએ સાથે મળીને પ્રેમી અને તે મહિલાની હત્યા કરી હોવાના આક્ષેપ છે.ઉત્તમકુમાર અને અંજુની થયેલી હત્યાના કિસ્સામાં છ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પરિવારના સભ્યોએ જ હત્યાઓ કરી હોવાથી કેસ ઓનર કિલિંગનો છે. અંજુ અને ઉત્તમકુમાર જુદી જુદી જ્ઞાતિના હતા. ઉત્તમકુમાર ૨૭ જુનથી લાપતા હોવા સંબંધે તેના ભાઇએ ફરિયાદ નોંધાવતાં થયેલી તપાસમાં હકીકતો ખૂલી હતી.કુમાર સફદરગંજ હોસ્પિટલમાં વિદ્યુત વિભાગમાં ફરજ બજાવતો હતો . તપાસમાં માલુમ પડ્યું હતું કે તે અંજુના પ્રેમમાં હતો. અગાઉ અંજુ તેની સાથે ભાગી પણ ગઇ હતી. તપાસકર્તાને લાગ્યું કે અંજુની ૨૨ જુનના રોજ કરમવીર દ્વારા હત્યા થઇ હતી. કરમવીરે પત્નીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. પોલીસના ધ્યાને બીજી હકીકત આવી હતી કે અંજુ સાથોસાથ તેના પડોશી નવીનકુમાર સાથે પણ પ્રેમમાં હતી. અંજુ છેલ્લા કેટલાક મહિનાથી તેના સંપર્કમાં હતી.

મોદી ઇફેક્ટ : અનંત કુમારની પાંખો કપાશે

બિહાર ભાજપના ચૂંટણી પ્રભારી અનંત કુમાર તાજેતરમાં અમદાવાદની મુલાકાતે હતા. અહીં તેમણે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીની હાજરીમાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન પ્રચાર કરવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. જેને હાજર લોકોએ તાળીઓથી વધાવી લીધી હતી. પરંતુ, આ તાળીઓ હવે અનંતકુમારને ભારે પડે તેમ છે.ભાજપના સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, અનંતકુમારના 'વણનોતર્યા' આમંત્રણના કારણે બિહાર શાંત પડેલો 'જાહેરાત વિવાદ'નો મધપૂ઼ડો ફરી છંછેડાઇ ગયો છે. જોકે, માત્ર અનંત કુમાર જ નહીં પરંતુ હાજર રહેલા અરૂણ જેટલીની પણ મુશ્કેલીઓ વધી શકે છે. કારણકે, વર્ષ 2005માં તેમણે જનતાદળ યુનાઇટેડ સાથે સીટોની ફાળવણી અંગેની કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં ભાજપને સારો એવો ફાયદો થયો હતો અને પંદર વર્ષ જૂની લાલુ-રાબડી સરકારને ઉખેડી ફેંકવામાં એનડીએને સફળતા મળી હતી. આ વખતે જેટલી અને વૈંકેયા નાયડુને આ જવાબદારી મળી શકે છે.સી. પી. ઠાકુર અને સુશિલકુમાર સહિત બિહાર ભાજપના કેટલાક નેતાઓ અનંતકુમારના વલણથી નારાઝ છે. તેમણે આ અંગે પક્ષની કેન્દ્રીય નેતાગીરીને પણ જાણ કરી છે. એવું માનવામાં આવે છેકે, આ અંગે કેન્દ્રીય નેતાગીરી દ્વારા કડક વલણ અખત્યાર કરવામાં આવશે. જેથી જેડીયુ સાથે જોડાણ ટકી રહે. કારણકે, બિહાર ભાજપના આ નેતાઓ જનતાદળ યુનાઇટેડ સાથે જોડાણ ટકી રહે તે માટે નખશીખ જોર લગાડી રહ્યાં છે. ખુદ ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીએ પણ એવું નિવેદન આપ્યું છેકે, વરૂણ ગાંધી અને નરેન્દ્ર મોદીને બિહારમાં ચૂંટણી પ્રચાર માટે ઉતારવા કે નહીં તે અંગે પક્ષ દ્વારા હવે પછી નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, ગત ચૂંટણીઓ દરમિયાન ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને વિધાનસભાના ચૂંટણી પ્રચારથી દુર રાખવામાં આવ્યા હતા.પરંતુ, અનંત કુમારના આમંત્રણે કેન્દ્રીય નેતાગીરીની મુશ્કેલીઓ વધારી દીધી છે. આ લોકો જનતા દળ યુનાઇટેડ સાથે કોઇપણ જાતના મતભેદ નહીં હોવાના તથા સાથે મળીને ચૂંટણી લડવાનો રાગ આલાપી રહ્યાં છે. ઉલ્લેખનીય છેકે, ભાજપની રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠક પટનામાં મળી હતી, ત્યારે નરેન્દ્ર મોદીના સમર્થનમાં સ્થાનિક અખબારોમાં મોટાપાયા પર જાહેરાતો પ્રકાશિત થઇ હતી. જેના કારણે ગિન્નાયેલા નીતિશ કુમારે ભાજપના નેતાઓ સાથેનો ભોજન સમારંભ રદ્દ કરી નાખ્યો હતો. એટલું જ નહીં તેમણે, ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલો કોશી પૂર રાહતનો રૂપિયા પાંચ કરોડનો ચેક પણ પરત કરી દીધો હતો.

આણંદ : અમૂલ એશિયાની નંબર વન બ્રાન્ડ બની

ગુજરાતની ડેરી બ્રાન્ડ અમૂલ સતત બીજા વર્ષે ભારતીય બ્રાન્ડની સ્થિતિમાં તો અવવ્લ બરકરાર રહી છે, સાથો સાથ તે એશિયા પ્રશાંત ક્ષેત્રમાં પણ નંબર વન ડેરી બ્રાન્ડ બની છે. એ જ નહિં અમૂલ બ્રાન્ડે આ વર્ષે પોતાના રેકિંગમાં જબરદસ્ત સુધારો પણ કર્યો અને તે ગયા વર્ષના 83માં સ્થાન પરથી 10 નંબરની છલાંગ લગાવીને આ વર્ષે 73મા સ્થાન પર પહોંચી ગઇ. મીડિયા મેગેઝિન દ્વારા એશિયા પ્રશાંત ક્ષેત્રમાં મુખ્ય 1,000 બ્રાન્ડોની યાદી તૈયાર કરવામાં આવી, જેમાં અમૂલ ભારતમાંથી એક જ એવી બ્રાન્ડ છે, જેને ગ્રાહકો વચ્ચે પોતાની ખાસ ઓળખ બનાવી છે અને એશિયા પ્રશાંત ક્ષેત્રમાં તે 73 સૌથી લોકપ્રિય બ્રાન્ડના રૂપમાં ઉભરી છે. અમૂલ દ્વારા રજૂ કરાયેલ એક વિજ્ઞપ્તિ પ્રમાણે અમૂલને એશિયા પ્રશાંત ક્ષેત્રમાં અવ્વલ ડેરી બ્રાન્ડના રૂપમાં સ્થાન આપવામાં આવ્યું છે અને તે ક્રાફટ, ડચ લેડી, ડ્યૂમેક્સ, વાલ્સ, એંકર, મેંગનોલિયા અને અવરીડે જેવી બ્રાન્ડોથી આગળ છે. એસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, સિંગાપુર, તાઇવાન અને થાઇલેન્ડમાં ગ્રાહકોની વચ્ચે એક સર્વે બાદ આ યાદી તૈયાર કરવામાં આવી.


હારેલા ફૂટબોલરોને ગટરમાં સ્નાન કરાવતો સદ્દામનો પુત્ર

ઈરાકમાં વર્ષો સુધી શાસન કરનારા સરમુખત્યાર સદ્દામ હુસૈન જેટલો ક્રુર અને ઘાતકી હતો તેનો પુત્ર ઉદ્ધૈ હુસૈન પણ તેટલો જ ઘાતકી હતો. હુસૈનના પુત્રનો ફૂટબોલ પ્રેમ પણ તેના પિતાના સ્વભાવ જેવો ઘાતકી હતો.


ઈરાક : ફરીથી સાચા પડ્યા 'બાબા ઓક્ટોપસ'

ઉદ્ધૈ હુસૈને ઈરાકી ફૂટબોલ ટીમ પર અત્યાચાર ગુજારવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. જો ઈરાકના એથ્લેટ્સ અને ફૂટબોલરો કોઈ મોટી શ્રેણીમાં હારીને આવે કે પછી ખરાબ દેખાવ કરીને પરત ફરે ત્યારે ઉદ્ધૈ તેઓ પર ભયંકર અત્યાચારો ગુજારતો હતો.24 ઓક્ટોબરના રોજ બૈરૂત ખાતે રમાયેલી એશિયન કપની ક્વાર્ટર ફાઈનલમાં ઈરાકની ટીમ જાપાન સામે 1-4થી હારી ગઈ હતી. ત્યારે ઈરાકી ઓલિમ્પિક સમિતિના પ્રમુખ બની બેઠેલા ઉદ્ધૈ હુસૈને તેની ટીમના ખેલાડીઓ પર અત્યાચાર ગુજારવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. દિવસો સુધી તેના ખેલાડીઓને ચાબુકથી ફટકારવામાં આવ્યા હતા.તેણે તે મેચના ગોલકિપર હાશિમ હસન, ડિફેન્ડર અબ્દુલ જબેર અને સ્ટ્રાઈકર ચિથેરને મુખ્ય જવાબદારો ગણીને જેલની સજા કરી હતી. જ્યારે ટીમ બગદાદ પરત ફરી ત્યારે તે ત્રણેય ખેલાડીઓને ઓલિમ્પિક સમિતિના મુખ્યમથકે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તે બિલ્ડિંગના ભોંયરામાં આવેલી જેલમાં રાખ્યા હતા અને તેના બોડિગાર્ડોએ ત્રણેય ખેલાડીઓને સતત ત્રણ દિવસ સુધી ચાબુક ફટકાર્યા હતા.આ પહેલા 1994માં યુએસએમાં રમાયેલા વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી શકવામાં નિષ્ફળ રહેલી ટીમના ફૂટબોલરો પણ ભયંકર અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા. તે ટીમના ખેલાડીઓને બગદાદ પાસે આવેલી ઈરાકની કુખ્યાત જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા અને તેમની ઉપર ત્રાસ ગુજારવમાં આવ્યો હતો. ત્યાં ખેલાડીઓને ગટરમાં નહાવાની ફરજ પાડવામાં આવતી હતી. જ્યારે કેટલાક ખેલાડીઓને કોન્ક્રિટ (સિમેન્ટ કપચીથી બનેલા)ના બોલને કિક મારવાની ફરજ પાડવામાં આવતી હતી.જો કે ખાડી યુદ્ધ (ગલ્ફ વોર) બાદ ઈરાક પર એશિયન ગેમ્સ અને મોટા ભાગની આરબ કોમ્પિટિશનમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. 1996માં ઈરાક ફૂટબોલ રેન્કિંગમાં 139માં સ્થાને હતું જે ઈરાકી ફૂટબોલ ઈતિહાસનું સૌથી નીચું સ્થાન રહ્યું હતું. જો કે 1970-80ના દાયકામાં ઈરાકી ટીમ તેની ટોચ પર હતી. આ દરમિયાન મેક્સિકોમાં રમાયેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં પંહોચી ગઈ હતી.ઉપરાંત મોસ્કો, લોસ એન્જલસ તથા સિઓલ ખાતે રમાયેલા ઓલિમ્પિક ગેમ્સમાં ચેમ્પિયન રહી હતી. 1982માં તેણે એશિયન ગેમ્સ જીતી હતી. જ્યારે 4 વખત આરબ નેશન્સ કપમાં પણ વિજેતા બની હતી. ત્રણ વખત ગલ્ફ નેશન્સ કપ પણ જીતી ચૂકી છે.


ગ્રામ્ય જીવન પર આધારિત આમિરની આગામી ફિલ્મ ‘પીપલી લાઈવ’

બુધવારના રોજ દિલ્હીમાં આમિર પોતાની આગામી ફિલ્મ પીપલી લાઈવના પ્રમોશન અર્થે આવ્યો હતો. આ સમયે તે એકદમ આત્મવિશ્વાસથી ભરપૂર લાગી રહ્યો હતો. આમિરે પોતાની જાત પર જ મજાક કરી હતી. તેણે પોતાની માર્કેટિંગ સ્ટ્રેટેજીની મજાક કરી હતી.પીપલી લાઈવ ગ્રામ્ય જીવન પર આધારિત છે. આ ફિલ્મ ખેડૂતના વિષય પર બનાવવામાં આવી છે. જ્યારે એક ખેડૂત આત્મહત્યાની વાત કરે છે ત્યારે તેનું જીવન કઈ રીતે બદલાઈ જાય છે તેની વાત કરવામાં આવી છે.

અમેરિકા : આને કહેવાય ફેસબુકનો ચસ્કો...

અમેરિકનો સવારે બ્રશ કરતા પહેલા પોતાનું ફેસબુક એકાઉન્ટ ચેક કરે છે.સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટો જેવી કે, ફેસબુક, ટ્વિટર, ઓરકુટ વગેરેએ આપણા જીવનનું એકલતાપણું દૂર કરવામાં ઘણી મદદ કરી છે. પરંતું આ વેબસાઈટોનો પ્રભાવ હવે એટલો બધો વધી રહ્યો છે કે લોકો અન્ય વ્યસનની જેમ ફેસબુક અને ટ્વિટરના પણ વ્યસની બની રહ્યા છે.અમેરિકામાં હાલમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, અહીંના લોકો સવારે ઉઠ્યા બાદ બ્રશ કરતા પહેલા ફેસબુક ચેક કરે છે. એટલે કે સવારે ઉઠતાની સાથે લોકો પોતાનું ફેસબુક એકાઉન્ટ ચેક કરે છે. ઓક્સિજન મીડિયા દ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં અહીની 18 થી 34 વર્ષની મહિલાઓએ સ્વીકાર કર્યો હતો કે તેઓ સવારે ઉઠ્યા બાદ કંઈ પણ કરતા પહેલા પોતાનું ફેસબુક એકાઉન્ટ ચેક કરે છે. ત્યાર બાદ હાથ-પગ ધોઈને ફ્રેશ થાય છે.સંશોધનમાં 20 ટકા મહિલાઓએ સ્વીકાર કર્યો હતો કે તેઓ મોડી રાત્રે કોઈની જાણ બહાર ફેસબુકનો ઉપયોગ કરે છે. તો 26 ટકા મહિલાઓએ એવો જવાબ આપ્યો હતો કે તેઓ અડધી રાત્રે ઉઠીને પોતાનું ફેસબુક એકાઉન્ટ ચેક કરે છે. જ્યારે 39 ટકા મહિલાઓએ કહ્યું હતું કે તેમને હવે ફેસબુકનું વ્યસન થઈ ગયું છે.સર્વેમાં ભાગ લેનાર લોકોમાંથી અમુકે જણાવ્યું હતું કે, તે પોતાનું કેરિયર બનાવવા માટે ફેસબુકનો ઉપયોગ કરે છે. તો કોઈએ કહ્યું હતું કે ફેસબુક તેમને વાસ્તવિક જીવન કરતા વધારે ખુશી આપે છે. તો અમુક લોકોએ ફેસબુકને સમાચાર જાણવાનું માધ્યમ ગણાવ્યું હતું. આ સર્વેમાં 18 થી 54 વર્ષના 1605 લોકોએ ભાગ લીધો હતો.

જર્મની : ફરીથી સાચા પડ્યા 'બાબા ઓક્ટોપસ' !

જર્મન ટીમનું ભવિષ્ય ભાંખનારા બાબા પૌલ ઓક્ટોપસની વધુ એક ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. જો કે આ વખતને તેણે કરેલી ભવિષ્યવાણી જર્મન ટીમ અને તેના કરોડો પ્રશંસકો માટે સારી નથી રહી.ઓક્ટોપસે જર્મની અને સ્પેન વચ્ચે રમાનારી સેમિફાઈનલ મેચ પહેલા ભવિષ્યવાણી કરી હતી કે સ્પેન સામે જર્મનીનો પરાજય થશે. જો કે પહેલા કેટલાક લોકોએ તેને નકારી કાઢી હતી. પરંતુ જ્યારે સેમિફાઈનલનો અંત આવ્યો ત્યારે જર્મની 0-1થી હારી જતા જર્મન પ્રશંસકોના સપનાઓ ચકનાચૂર થઈ ગયા હતા.આ પહેલા આર્જેન્ટિના સામે રમાયેલી ક્વાર્ટર ફાઈનલમાં ઓક્ટોપસે જર્મની માટે આગાહી કરી હતી કે જર્મની આર્જેન્ટિનાને હરાવી દેશે. જો કે તે વખતે લોકોને તે માનવામાં આવતું નહોતું. કેમ કે આ વખતે ડિએગો મારાડોનાની આર્જેન્ટિના ટીમે શાનદાર રમત દાખવી હતી. પરંતુ જર્મનીએ ક્વાર્ટર ફાઈલનમાં આર્જેન્ટિનાને 4-0થી સજ્જડ પરાજય આપ્યો હતો.
હવે જ્યારે જર્મનીનો સેમિફાઈનલમાં પ્રવેશ થયો છે ત્યારે હવે 11 જુલાઈના રોજ સ્પેન અને નેધરલેન્ડ ફાઈનલમાં આમનેસામને થશે.


મેડિકલ વિદ્યાર્થિનીએ વિમાનના ટોઈલેટમાં બાળકને જન્મ આપ્યો

ભારતની યુવા મેડિકલ વિદ્યાર્થિનીએ તુર્કમેનિસ્તાન ખાતેથી પરત ફરતી વખતે વિમાનના ટોઈલેટમાં બાળકને જન્મ આપ્યો હોવાનો કેસ સામે આવ્યો છે. બાળકને જન્મ આપ્યા બાદ યુવતીએ એરપોર્ટ ખાતેથી બાળકને તરછોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.એરપોર્ટ પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલાની ઓળખ અમનદીપ કૌર મન તરીકે કરવામાં આવી છે, તેમજ તે પંજાબના હોશિયાર પુરની વતની છે. અમૃતસર એરપોર્ટ ખાતે વિમાને લેન્ડિંગ કર્યું ત્યારે યુવતીએ તાજા જન્મેલા બાળકને વિમાનના ટોઈલેટમાં જ છોડીને બહાર ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ક્રુ મેમ્બરને ટોઈલેટમાં બાળક હોવાનું માલુમ પડતાં તેમણે પોલીસને જાણ કરી હતી.અમનદીપ તુર્કમેનિસ્તાનની એક કોલેજ ખાતે મેડિકલનો અભ્યાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે ફ્લાઈટ્માં અમનદીપ ખૂબ પરેશાન હતી. તેમજ વારંવાર વિમાનના ટોઈલેટમાં જતી હતી. વિમાનના સ્ટાફે પણ તેને પોતાની તબિયત અંગે પૂછપરછ કરી હતી.પરંતુ એરપોર્ટ ખાતે પ્લેન લેન્ડ થયાંની સાથે તેણે તાત્કાલિક નીચે ઉતરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એરપોર્ટ બહાર નિકળે તે પહેલા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ટોઈલેટની અંદર બાળકના રડવાનો અવાજ સાંભળીને એરક્રાફ્ટનો સ્ટાફ ચક થઈ ગયો હતો.પોલીસે જણાવ્યું હતું કે શરૂઆતમાં અમનદીપે બાળકને જન્મ આપવાનો ઈનકાર કર્યો હતો, પરંતુ પૂછપરછ દરમિયાન તે ભાંગી પડી હતી. અને તેણે જ બાળકને જન્મ આપ્યાનું કબૂલ્યું હતું. પોલીસે યુવતી સામે ગુનો દાખલ કર્યો છે. હાલમાં યુવતી તેમજ તેની બાળકી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

1 comment:

  1. હું બ્રાઝીલ પાસેથી છું મારા બ્લોગ પર અનુસરો

    ReplyDelete