30 August 2010

સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ: પૂરમાં ૧૦ તણાયા

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ: પૂરમાં ૧૦ તણાયા

સૌરાષ્ટ્રમાં શ્રાવણમાં અષ1ઢી રંગ છવાયો હોય તેમ આભમાં ઝંઝાવાતી વરસાદ વરસતાં નદી-નાળાઓમાં ઘોડાપૂર ઉમટયા છે. દરમિયાન ભાડલા પાસે કોઝ-વે પરથી પસાર થતી પ્રજાપતિ પરિવારની સાત સહિત આઠ વ્યક્તિઓ ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ હતી. સદનસીબે બેનો બચાવ થયો હતો જ્યારે એક બાળક, ત્રણ મહિલા અને બે પુરૂષની મોડી રાત્રે શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ઓઝત નદીના પૂરમાં બે મહિલા લાપતા બની છે. આ ઉપરાંત વીજળીએ પણ એક મહિલાનો ભોગ લીધો હતો.સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદથી આઠ ઇંચ સુધીનું પાણી વરસ્યું હતું. જેમાં ઉપલેટામાં સાંબેલાધારે આઠ ઇંચ તો ઊનાના વડવિયાળામાં આઠ ઇંચ, ધોરાજીમાં સવા કલાકમાં સુપડાધારે સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત અમરેલી, રાજકોટ, પોરબંદર, ભાવનગર પંથકમાં ઝાપટાંથી માંડી સાડા પાંચ ઇંચ સુધી પાણી વરસ્યું હતું. જ્યારે જામનગર જિલ્લામાં હળવાભારે ઝાપટાં પડ્યા હતા.દરમિયાન હવામાન ખાતાએ આગાહી કરી હતી કે, સમગ્ર રાજ્યમાં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદ પડી શકે છે.છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં ફરી અષાઢી માહોલ જામ્યો છે તેમાંય રવિવારે વરસાદે તોફાની ઈનિંગ ખેલી હતી જેમાં રાજકોટથી પુત્ર માટે કન્યા જોઈ ભાડલા પરત જઈ રહેલા પરિવારને પૂરમાંથી પસાર થવું મુશ્કેલ બની ગયું હતું. પ્રજાપતિ પરિવારના સાત સહિત આઠ સભ્યો પૂરમાં તણાવા લાગ્યા હતા. જેમાં ભગાભાઈ ગોવિંદભાઈ સરેરિયા અને સંદીપ ભગાભાઈ સરેરિયાનો બચાવ થયો હતો અને બાબુભાઈ ગોવિંદભાઈ સરેરિયા, બટુક ગોવિંદભાઈ સરેરિયા, ગીતાબેન ગોવિંદભાઈ સરેરિયા, બાબુભાઈના પત્ની તેમજ ગોકળભાઈ નરશીભાઈનો પુત્ર લાપતા બની ગયા છે.રેસ્કયુ ટીમે તાબડતોબ ઘટના સ્થળે દોડી જઈ મોડીરાત્રે બચાવ કામગીરી આરંભી છે.આ ઉપરાંત જૂનાગઢના રહિશ હેમલતાબેન સાવલિયા મોટાકોટડામાં આવેલી તેમની વાડીએ પરત ફરતા હતા ત્યારે ઓઝત નદીના પૂરમાં તણાયા હતા. જ્યારે ઘોડાસણ ગામની ગીતાબેન નાગજીભાઇ દલિત (ઉ.૩૫) નામની મહિલા ખેત મજૂરી કરી આજે સાંજે પોતાનાં ઘર તરફ પરત આવી રહી હતી ત્યારે ગુડાજલી નદીમાં તણાઇને લાપત્તા બનતાં તંત્રએ તેની શોધખોળ હાથ ધરી છે.સોરઠના ઊના તાલુકાના વડાવિયાળા ગામે આઠ ઇંચ પાણી વરસ્યા બાદ ઊનામાં સાડાત્રણ, ભેંસાણ અને તાલાલામાં ત્રણ આ ઉપરાંત માણાવદરમાં અઢી, સૂત્રાપાડામાં બે, વંથલીમાં બે, વિસાવદરમાં બે, જૂનાગઢમાં દોઢ, માંગરોળમાં દોઢ અને માળિયામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. તેમજ મેંદરડા, કેશોદ વેરાવળ પંથકમાં હળવા ભારે ઝાપટાં પડ્યા હતા. પોરબંદર પંથકમાં ફરી મેઘો ઓળઘોળ થઇ ગયો હતો અને કુતિયાણા પંથકમાં પાંચ ઇંચ રાણાવાવમાં ત્રણ ઇંચ, બરડા પંથકમાં બે ઇંચ અને પોરબંદરમાં એક ઇંચ પાણી વરસી ગયું હતું.રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત ત્રીજા દિવસે પણ અનરાધાર વરસાદ વરસ્યો હતો. માત્ર સવા કલાકમાં સૂપડાધારે સાડા પાંચ ઇંચ પાણી વરસી જતાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાણી હતી અને તંત્ર સાબદુ થઇ ગયું હતું. સાથોસાથ ઉપલેટામાં સાંબેલાધારે આઠ ઇંચ વરસાદ વરસતાં પાણી-પાણી થઇ ગયું હતું. આ ઉપરાંત રાજકોટ શહેરમાં મોડી સાંજે ધોધમાર અઢી ઇંચ પાણી વરસી જતાં રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. પડધરીમાં અઢી ઇંચ, ઉપલેટામાં ત્રણ ઇંચ, જસદણમાં દોઢ, ગોંડલમાં એક, આ ઉપરાંત અન્ય તાલુકામાં હળવાભારે ઝાપટાંરૂપી વરસાદ વરસ્યો હતો.અમરેલી જિલ્લાના ધારી પંથકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જો કે ગ્રામ્ય પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યાના વાવડ મળી રહ્યા છે. આ ઉપરાંત જાફરાબાદમાં બે, બાબરામાં એક, સાવરકુંડલામાં એક, લીલિયામાં પોણો ઇંચ પાણી પડ્યું હતું. તેમજ જિલ્લાના અન્ય વિસ્તારોમાં સરવડા વરસતા રહ્યા હતા.જામનગર જિલ્લામાં જામજોધપુરમાં દોઢ ઇંચ, કાલાવડમાં એક ઇંચ, ભાણવડમાં પોણો ઇંચ, જામનગરમાં અડધો ઇંચ, કલ્યાણપુરમાં અડધો ઇંચ આ ઉપરાંત જોડિયા, ધ્રોલ સહિતના તાલુકામાં હળવાભારે ઝાપટા વરસતા રહ્યા હતા. આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં પલટાયેલા હવામાન વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં મહુવા પંથકમાં ત્રણ ઇંચ, આ ઉપરાંત અન્ય તાલુકામથકમાં પણ ભારે ઝાપટાં વરસ્યા હતા. જેના પગલે તળાજી નદી બે કાંઠે વહેવા લાગી હતી.


છોટે નવાબની બહેનનો MMS હિટ

બોલિવૂડના દરેક સ્ટાર્સ રીતિક રોશન અને રણબિર કપૂર જેટલા નસીબદાર હોતા નથી કેટલીકવાર તેમના માતા-પિતા પણ તેમની કરિયરને બચાવી શકતા નથી. બોલિવૂડની ચમક-દમક દરેકના ભાગ્યમાં લખાયેલી હોતી નથી. આમાં કેટલીક અભિનેત્રીઓનો સમાવેશ થાય છે કે જેઓના નસીબમાં સફળતા લખાયેલી નથી.સોહા ફિલ્મો કરતાં ફિલ્મ રંગ દે બસંતીના સિદ્ધાર્થ અને કુનાલ ખેમુ સાથેના સંબંધોને કારણે વધુ ચર્ચામાં રહે છે. રંગ દે બસંતીમાં સોહા અલી ખાને કમાલનો અભિનય આપ્યો હતો. જો કે ફિલ્મ પૂરી થતાં સિદ્ધાર્થ અને સોહાના સંબંધોનો પણ અંત આવ્યો હતો. જો કે સોહાના સંબંધો કુનાલ ખેમુ સાથે બંધાઈ ગયા હતા. કુનાલ અને સોહાના ઉત્કટ પ્રણય જોઈને અનેક લોકોને નવાઈ લાગી હતી. હાલમાં સોહાની ચર્ચા કુનાલ સાથેના સંબંધોને લઈને નહિ પરંતુ વેક્સિંગ એમએમએસ ટેપને કારણે થઈ રહી છે. બોલિવૂડમાં અનેક અભિનેત્રીઓના ન્યૂડ વીડિયો બન્યા છે. જો કે સોહાના વીડિયોની વાત અલગ જ છે. સોહાના અંતરંગ દ્રશ્યો વીડિયોમાં કેદ કરવામાં આવ્યા છે. કેટરિનાની સેક્સ ટેપ બાદ કલ્કી અને હવે સોહાનો એમએમએસ આવ્યો છે. જો કે કોઈ પણ વ્યક્તિ એવું ના ઈચ્છે છે કે તેની સાથે આ પ્રકારનું વર્તન થાય. સોહા બ્યુટી પાર્લરમાં વેક્સ કરાવતી હતી અને તેણે બિકીની પહેરી હતી. આ સમયે ત્યાં છુપો કેમેરો લગાવવામાં આવ્યો હતો. સોહા આ વાતથી તદ્દન અજાણ હતી. થોડા સમય પછી સોહાએ માત્ર ટુવાલ જ પહેર્યો હતો. આ વીડિયો બે ભાગમાં બનાવવામાં આવ્યો છે. વેક્સ કરતાં પહેલા અને વેક્સ પછી એમ વીડિયો બનાવ્યો છે. સોહાના આ એમએમએસની ક્લિપની જોરદાર ડિમાન્ડ છે. આ ક્લિપ $20 to $30માં વેચાઈ રહી છે. જો કે એમએમએસ સોહા માટે નસીબવંતો સાબિત થયો હોય તેમ લાગી રહ્યું છે. સોહાની અત્યાર સુધી કોઈ ચર્ચા થતી નહોતી પરંતુ હવે સોહાની ચર્ચા ચારેબાજુ થવા લાગી છે. એમએમએસને કારણે સોહા અલી ખાન અને સલમાન રશ્દી વચ્ચે ખાનગી મુલાકાત પણ યોજાઈ ગઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોહા અલી ખાન સલમાન રશ્દીની પ્રખ્યાત નોવેલ મીડનાઈટ ચિલ્ડ્રનમાં મુખ્ય ભૂમિકા ભજવવાની છે.ટૂંકમાં એકદમ ફ્લોપ સ્ટાર હોવા છતાં માત્ર હોટ એમએમએસને કારણે સોહા અલી ખાન લાઈમલાઈટમાં આવી ગઈ છે.


ઓય બલ્લે બલ્લે, 1લીટરમાં 98 કિ.મી. ચાલશે આ કાર

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોના આ સમયગાળામાં કાર ચલાવાના શોખીનો માટે સૌથી મોટા ખુશીના સમાચાર આવી ગયા છે. માત્ર 1 લીટરમાં 98 કિલોમીટરની માઇલેજ આપનારી કાર ટૂંક સમયમાં જ રસ્તાઓ પર દોડતી નજરે પડશે. અમે વાત કરી રહ્યા છીએ અમેરિકાની ખ્યાતનામ કાર કંપની જનરલ મોટર્સની ઇલેક્ટ્રીક કાર 'શેવરલે વોલ્ટ'ની.જનરલ મોટર્સ પોતાની આ સેડાનને નવેમ્બર મહિનામાં રસ્તાઓ ઉપર દોડતી કરી દેશે. સૌથી પહેલા આનુ વેચાણ કેલેફોર્નિયામાં કરવામાં આવશે. ત્યારબાદ કંપની આ કારને ન્યૂયૉર્ક, ન્યૂજર્સી, વૉશિન્ગટન અને ટેક્સાસમાં લૉન્ચ કરશે. અમેરિકામાં વોલ્ટની કિંમત 41 હજાર ડૉલર એટલે કે રૂ. 19 લાખની આસપાસ રાખવામાં આવી છે.શેવરલે વોલ્ટ ઇલેક્ટ્રિક મોટરથી શુસજ્જ છે, અને સાથે જ 40 માઈલ એટલે કે 65 કિલોમીટરનો બેટરી પાવર પણ ધરાવે છે. ખાસ વાત એ છે કે આના બેટરી પાવરને તમે કોઈ પણ હોમ આઉટલેટથી રિચાર્જ કરી શકો છો અથવા કરાવી શકો છો.દુનિયા ભરમાં અત્યાર સુધીમાં ટોયાટોની 'પ્રાયસ' સૌથી વધારે ફ્યૂઅલ એફિશિએન્ટ કાર માનવામાં આવે છે. આ કાર એક લીટરમાં 20 કિલોમીટર ચાલે છે. પ્રાયસ ગેસ ઇલેક્ટ્રિક હાઈબ્રિડ કાર છે, જે એક નાનકડા ઇન્ટર્નલ કંમ્બશન એન્જીન ઉપર ચાલે છે, જેને સપોર્ટ કરવા માટે એક બેટરી પાવર ઇલેક્ટ્રિક મોટર લગાવામાં આવી છે. ટોયાટોએ પોતાની આ હાઈબ્રિડ કારને આ જ વર્ષે દિલ્હીમાં યોજાયેલ એક ઑટો એક્સ્પોમાં ભારતમાં લૉન્ચ કરી છે. અને લગભગ ત્રણ મહીના પહેલા ભારતમાં આનુ વેચાણ શરૂ કરવામાં આવ્યુ હતુ. દિલ્હીમાં આની એક્સ શોરૂમ કિંમત રૂ 27 લાખ આસપાસ છે.આમતો કાર બનાવનાર દુનિયાભરની કંપનીયો, હાઈબ્રિડ અને ઇલેક્ટ્રીક કૉસેપ્ટ પર ફ્યૂઅલ એફિશિએન્ટ કારોનુ નિર્માણ કરવામાં લાગી છે. પરંતુ જાણકારોનુ એમ પણ માનવુ છે કે વોલ્ટ દ્વારા જનરલ મોટર્સ બજારમાં માર્કેટ લીડર બનીને આગળ આવી શકે છે.


પાકિસ્તાન પર નાપાક ફિક્સિંગનું કલંક

પાકિસ્તાનના સાત ક્રિકેટરો પર સ્પોટ ફિક્સિંગનો આક્ષેપ થયો છે અને આવું પ્રથમ વખત બન્યું નથી. અગાઉ પણ પાકિસ્તાની ક્રિકેટરો પર આ પ્રકારના આક્ષેપો થતા રહ્યા છે. ખાસ કરીને મેચ ફિકગંસનાં કૌભાંડમાં સંડોવણી થઇ હોવાનું સપાટી પર આવ્યા બાદ આ દેશના ક્રિકેટરોના નામ મીડિયામાં ઘણી વખત ચર્ચાનું કેન્દ્ર બની ચૂક્યાં છે.પ્રથમ વખત ૧૯૯૪માં કામચલાઉ સુકાની સલીમ મલિક પર મેચ ફિકસ કરવાનો તથા ઓસ્ટ્રેલિયાના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન લેગ સ્પિનર શેન વોર્ન તથા માર્ક વોને તેમની ક્ષમતા કરતાં ઓછો દેખાવ કરવા બદલ જંગી નાણાંની પણ ઓફર કરી હોવાના આક્ષેપો થયા હતા.ગયા વર્ષે શ્રીલંકન ટીમ પર થયેલા આતંકવાદી હુમલા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ઘરઆંગણે રમાડવા માટે સંઘર્ષ કરી રહેલા પાકિસ્તાન માટે મેચફિક્સિંગના નવા આક્ષેપો મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે.નવા સુકાની સલમાન બટ્ટ, ઝડપી બોલર મોહમ્મદ આસફિ અને મોહમ્મદ આમિર પર કથિત રીતે સ્પોટ ફિક્સિંગના આક્ષેપો થયા છે. આ અગાઉ પણ પાકિસ્તાની ક્રિકેટરો પર આવા આક્ષેપો થઇ ચૂક્યા છે.મલિક પર ૨૦૦૦ના વર્ષમાં જસ્ટિસ મલિક મોહમ્મદ કય્યુમની તપાસ પાદ આજીવન પ્રતિંબધ લાદવામાં આવ્યો હતો. વસીમ અકરમ જેવા ખેલાડીઓ ઉપર પણ આવા આક્ષેપો થઇ ચૂક્યા છે, અકરમ પર ૧૯૯૩માં ઝડપી બોલર રહેમાનને ખરાબ પ્રદર્શન કરવા બદલ એક લાખ રૂપિયાની ઓફર કરવાનો આક્ષેપ થયો હતો. ગંભીર આક્ષેપોના કારણે અકરમને સુકાનીપદથી હાથ ધોવા પડ્યા હતા.પાકિસ્તાની તોફાની બોલર શોએબ અખ્તરે દાવો કર્યો હતો કે ૨૦૦૭ના ભારત પ્રવાસ દરમિયાન તેને ખરાબ પ્રદર્શન કરવા માટે રૂપિયાથી ભરેલી બ્રફિકેશની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેણે આ ઓફરને નકારી નાખી હતી.
તાજેતરની કેટલીક ઘટનાઓમાં વિકેટકીપર કામરાન અકમલ સામે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન સ્ટમ્પ પાછળ જાણી જોઇને કેચ પડતા મૂકવાના આક્ષેપો થયા હતા.


આજે શાહના જામીન મુદ્દે રૂબાબુદ્દીનની વાંધા અરજી અંગે ચુકાદો

સોહરાબુદ્દીન શેખના ભાઇ રૂબાબુદ્દીને સીબીઆઇ સેસન્સ કોર્ટ સમક્ષ ગુજરાતના માજી ગૃહ રાજ્યમંત્રી અમીત શાહને જામીન મળે તે મુદ્દે પોતાની વાંધા અરજી રજુ કરી હતી અને આ મુ્દ્દે પક્ષકાર તરીકે જોડાવા માટે પણ વકીલ સમસાદ પઠાણ દ્વારા અરજી કરી હતી જે અરજી અંગે આજે કોર્ટમાં ચુકાદો જાહેર કરવામાં આવશે. એટલે કે આજે કોર્ટ પોતાનો ચુકાદો જાહેર કરશે કે રુબાબુદ્દીનન પક્ષકાર બની શકે કે કેમ?દેશભરમાં ચર્ચાનો વિષય બની રહેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રકરણમાં તપાસ કરી રહેલી સીબીઆઇની ટીમે ઉચ્ચ પોલીસ અધિકારી અભય ચુડાસમા તથા ગુજરાત રાજ્યના માજી ગૃહરાજ્યમંત્રી અમીત શાહની ધરપકડ કરી તેમને કોર્ટના આદેશથી જેલમાં રાખ્યા છે. જોકે હાલમાં સોહરાબુદ્દીન પ્રકરણમાં કુલ ૧૬ આરોપીઓ જેલમાં છે. ધરપકડ બાદ શાહે સીબીઆઇ સેસન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી.શાહને જામીન ના મળે તે માટે સોહરાબુદ્દીનના ભાઇ રુબાબુદ્દીને વાંધા અરજી કરી અને આ મુદ્દે પક્ષકાર તરીકે જોડાવા માટે પણ અરજી કરી હતી. રૂબીબુદ્દીને એવી રજુઆત કરી હતી કે જો શાહ ગુજરાતના માજી ગૃહરાજ્ય મંત્રી છે માટે તેમના પાસે ઘણી તાકાત છે. અને જો આ પરસ્થિતીમાં શાહને જામીન મળે તો તે આ પ્રકરણમાં પુરવાને નુકસાન કરી શકે છે અને સાક્ષીઓને ફોડી શકે છે માટે તેમને જામીન ન આપવા જોઇએ. જોકે રૂબાબુદ્દીનની આ મુદ્દે પક્ષકાર તરીકે જોડાવીની અરજીની સીબીઆઇ સેસન્સ કોર્ટમાં સુનાવણી હતી. જેમાં અમીત શાહના વકીલે એવી રજુઆત કરી હતી કે રૂબાબુદ્દીન વિકટીમ નહિ હોવાથી તે પક્ષકાર તરીકે જોડાઇ શહે નહિ જ્યારે રૂબાબુદીનના વકીલે પોતે મરનાર સોહરાબુદીદના ભાઇ હોવાથી પક્ષકાર બની શકે તેવી રજુઆતો કરી હતી, જો કે ખુદ સીબીઆઇના વકીલો દ્વારા પણ એવી રજુઆત કરવામાં આવી હતી કે રૂબાબુદ્દીન ધારે તો સરકારી વકીલને પોતાના પાસેની માહિતી આપીને તેને સહાયક બની શકે છે. તમામ પક્ષે રજુઆત સાંભળ્યા બાદ સીબીઆઇ સેસન્સ જજ જી.કે ઉપાધ્યાયે આ મદ્દે ચુકાદો કેસનો ચુકાદો આજે તા. ૩૦ ઓગષ્ટના રોજ જાહેર કરવાનો આદેશ કર્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે કોર્ટનો ચુકાદો શું છે?


વડોદરા : રેલવે તંત્ર દ્વારા ટ્રેકની આસપાસના ઝૂંપડા હટાવાયા

વડોદરામાં આજે સવારથી રેલવે તંત્રએ સપાટો બોલાવી રેલવે ટ્રેકની આસપાસ બનેલા ઝૂંપડાઓ દૂર કરવાનું ઓપરેશન હાથ ધર્યું હતું. રેલવે તંત્રએ રેલવે પોલીસ અને આર.પી.એફ. ના જવાનો સાથે હાથ ધરેલી આ કાર્યવાહીને પગલે ઉત્તેજના વ્યાપી ગઇ હતી.વડોદરામાં પ્રતાપનગર રેલવે સ્ટેશનથી વિશ્વામિત્રી રેલવે સ્ટેશન સુધીના નેરોગેજ અને બ્રોડગેજ રેલવે ટ્રેકની આસપાસ છેલ્લા ઘણા સમયથી શ્રમજીવીઓ દ્વારા ગેરકાયદેસર ઝૂંપડાંઓ ઊભાં કરી દેવાયાં હતા. આ ઝૂંપડાઓ બન્યા બાદ શ્રમજીવીઓના પરિવારો રાતના સમયે ટ્રેકને અડીને સૂઇ જતા હતા. એટલું જ નહીં શ્રમજીવીઓના બાળકો ટ્રેક ઉપર જ રખડતા હોઇ અહીંથી પસાર થતી નેરોગેજ અને બ્રોડગેજ ટ્રેનોને ધીમી ગતિએ લઇ જવી પડતી હતી.રમજીવીઓની તેમના બાળકો પ્રત્યેની નિષ્કાળજીને કારણે ક્યારેક મોટા અકસ્માતની આશંકા સેવાતી હતી. જેથી રેલવે તંત્રએ આ ઝૂંપડાવાસીઓને ઝૂંપડાં ખાલી કરી અહીંથી હટી જવા નોટિસ ફટકારી હતી. તેમ છતાં ઝૂંપડાવાસીઓ ટસના મસ નહીં થતાં આખરે રેલવે તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે આજે સવારથી ઓપરેશન હાથ ધરી ઝૂંપડાં તોડી પાડ્યા હતા. આ કામગીરીને પગલે ઝૂંપડાવાસીઓમાં દોડધામ મચી ગઇ હતી. આ કામગીરી જોવા લોકોનાં ટોળાં ઉમટી પડતાં ઉત્તેજનાસભર દ્રશ્યો સર્જાયા હતા.સૂત્રોના જણાવ્યા મુજબ પ્રતાપનગર રેલવે સ્ટેશનથી વિશ્વામિત્રી રેલવે સ્ટેશન સુધીના પટ્ટામાં રેલવે ટ્રેકને અડીને બનેલા અંદાજે ૫૦ જેટલાં ઝૂંપડાનો સફાયો કરી નંખાયો હતો. આ કાર્યવાહીમાં રેલવે પી.ડબલ્યુ.ડી. વિભાગ, રેલવે પોલીસ અને આર.પી.એફ.નો સ્ટાફ જોડાયો હતો.


GIDCમાં ધાડપાડુઓનો આતંક

મકરપુરા જી.આઇ.ડી.સી.માં છેલ્લા બે મહિનાથી ધાડપાડુઓએ આતંક મચાવ્યો છે. ધાડપાડુ ટોળકી કંપનીમાં લૂંટ કરતાં પહેલાં વોંચમેનની બેરહેમીપૂર્વક ધોલાઇ કરે છે. અત્યાર સુધીમાં ૧૫થી વધુ વોચમેનની આ રીતે પીટાઇ થઇ ચૂકી છે. જી.આઇ.ડી.સી.ના શેડ નંબર ૧૧૪માં શનિવારે રાત્રે લૂંટારાઓએ પથ્થરમારો કરતાં બે સિક્યુરિટી જવાનને ઇજા પહોંચી હતી.મકરપુરા જીઆઇડીસીમાં શનિવારે રાતે ત્રાટકેલા લૂંટારાએ શેડ નં. ૧૧૪માં પથ્થરમારો કરતાં સિક્યુરીટી ગાર્ડ નટવરસિંહ રામસિંહ રાઠોડને તેમજ અંબિકા પાસવાનને ઇજા પહોંચી હતી. લૂંટારાએ લૂંટના ઇરાદે પથ્થરમારો કર્યો હતો, પરંતુ સિક્યુરિટી જવાનોએ સામે પથ્થરમારો કરતાં સફળતા મળી ન હતી. પથ્થરમારામાં અન્ય બે વ્યક્તિને પણ ઇજા પહોંચી હતી.પોલીસે ૧૫ લૂંટારા વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જી.આઇ.ડી.સી.માં ગલી નંબર ૮૭૦માં આવેલી ૨૦થી વધુ કંપનીમાં કિંમતી મુદ્દામાલ હોવાના કારણે ૨૦ દિવસથી લૂંટારાઓ આ ગલીમાં આવેલી એક પછી એક કંપનીમાં લૂંટ ચલાવી રહ્યા છે. શરીર પર તેલ જેવુ પ્રવાહી લગાવીને આવતાં ચડ્ડી-બનિયાન ધારી લૂંટારાઓ લાકડી, દંડા અને પાઇપથી સજ્જ હોય છે.સૌથી પહેલાં કંપનીના વોચમેનની બરાબરની ધોલાઇ કરે છે અને કેટલાક કેસમાં તો વોચમેનને બાંધીને પણ ફટકારે છે અને ત્યાર બાદ ગણતરીની મિનિટોમાં જ લૂંટારાઓ મુદ્દામાલની લૂંટ કરી રેલવે લાઇન તરફ ફરાર થઇ જાય છે.અગાઉ રક્ષાબંધનના આગલા દિવસે જ એક કંપનીમાં સાડા ત્રણ લાખથી વધુની મતાની લૂંટ થઇ હતી. આ પહેલાં જલારામ એસ્ટેટમાં ૨૦ દુકાનનાં તાળાં તૂટયા હતા. લૂંટના બનાવને ડામવામાં પોલીસ નિષ્ફળ નિવડી છે.ફેબ્રિકેશનની કંપની ધરાવતા વિરેનભાઇ પંચાલે જણાવ્યું હતું કે, ધાડપાડુઓના હાહાકારને પગલે હવે કંપનીઓમાં વોચમેન રહેવા માટે તૈયાર થતાં નથી. જેથી માલિકોને રાત્રે કંપનીમાં સૂવું પડે છે.


વડોદરા : રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડતાં જળબંબાકાર

વડોદરા શહેરમાં ૫ મિમી અને નસવાડીમાં ૨૦ મિમી વરસાદ નોંધાતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી.ગઈ કાલેના ધોધમાર વરસાદ બાદ આજે બપોરે અઢી વાગે એક ઝાપટું પડતાં વરસાદી વાતાવરણનો માહોલ સર્જાઈ ગયો હતો.જો કે રાતે ૧૦ વાગ્યાના સુમારે ધોધમાર વરસાદના બે ઝાપટાં પડી જતાં શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.પ્રાપ્તવિગતો અનુસાર, રાજ્યમાં પડેલા સાર્વત્રિક વરસાદમાં વડોદરા શહેર અને જિલ્લા પણ બાકાત રહ્યો ન હતો. રવિવારે સાંજે શહેરમાં વરસાદનો એક સ્પેલ પડ્યા બાદ રાતે ફરીથી જોરદાર વરસાદી ઝાપટાં પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. વડોદરા શહેરમાં રાત્રે આઠ વાગ્યા સુધીમાં પાંચ મિમી જેટલો વરસાદ પડ્યો હતો.બીજી તરફ વડોદરા જિલ્લામાં બપોર બાદ તમામ તાલુકાઓમાં વરસાદે હાજરી નોંધાવી હતી. આજે સંખેડામાં ધોધમાર વરસાદ તૂટી પડતાં સાંજ સુધીમાં ૪૨ મિમી વરસાદ નોંધાયો હતો. મોડી રાતે પણ જિલ્લાના ડભોઇ,નસવાડીમાં વરસાદ પડ્યાના અહેવાલો છે.રવિવારે સવારથી છોટાઉદેપુરમાં ૧ મિમી, ડભોઈમાં ૭ મિમી, પાવીજેતપુરમાં ૩ મિમી, કરજણમાં ૫ મિમી, કવાંટમાં ૪ મિમી જ્યારે સાવલી શિનોરમાં ૨-૨ મિમી વરસાદ નોંધાયો હતો. આજે વડોદરામાં મહત્તમ તાપમાન ૩૨.૨ ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન નોંધપાત્ર રીતે ઘટીને ૨૪.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. દિવસ દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૦ ટકાની આસપાસ રહ્યું હતું


ઉચ્છલ-નિઝર તાલુકાના આરોગ્ય કર્મીઓને પગાર ન ચૂકવાતાં રોષ

આરોગ્ય શાખા જિલ્લા પંચાયત તાપી-વ્યારાના નિઝર બ્લોક હેલ્થ કચેરીના કાર્યક્ષેત્ર ઉચ્છલ અને નિઝર તાલુકાના આરોગ્ય કર્મચારીઓનો જુલાઈ માસનો ઈજાફા સાથેના પગાર આજદિન સુધી ન ચૂકવાયો નથી. ત્રણ માસથી અનિયમિત થતાં બ્લોક વહીવટ કથળી જતાં જે આરોગ્ય મંડળના પ્રમુખ સુરેશ ગામીતે જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી.આરોગ્ય શાખા જિલ્લા પંચાયત તાપીના વ્યારાના નિઝર બ્લોક ઓફિસના કાર્યક્ષેત્ર ઉચ્છલ અને નિઝર તાલુકાના આરોગ્ય કર્મચારીઓ જુલાઈ માસનો પગાર ન આવતા સહિત બીજા અન્ય પ્રશ્નો ચાલુ માસના પગાર પ્રક્રિયા, છઠ્ઠા પગારપંચની હપ્તાની રકમ જીપીએફમાં જમા કરાવવી, જીપીએફની કપાત રકમના ચલણો થવા, બીલો મંજુર કરવા, ડુપ્લિકેટ સેવાપોથી બનાવવા જેવા અન્ય મહત્વના પ્રશ્નોના નિકાલ માટે લેખિતમાં રજુઆતો કરી હતી. જેના પરિણામ ન આવે તો આગામી દિવસોમાં આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી હતી. જેમાં ઉચ્છલ ખાતે આગામી કુટુંબ નિયોજન કેમ્પનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. જે અંગે એક યાદી તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ તાપીના પ્રમુખ સુરેશભાઈ ગામીતે જણાવ્યુ હતુ.


આઠ આરટીઆઈ ચળવળકારોને ગોળીએ દેવાયા

માહિતી અધિકારના કાયદાનો ઉપયોગ કરી સરકારી અધિકારી, નેતાઓના કરતૂતોનો ભાંડો ફોડવા નીકળેલા ચળવળકર્તાઓને પતાવી દેવાનું પ્રમાણ વધી ગયું છે. છેલ્લા સાત માસમાં આઠની હત્યા કરી દેવાઇ હોવાનું મુવમેન્ટ ફોર એકાઉન્ટેબિલિટી ટુ પબ્લિક (એમએપી)ના રાષ્ટ્રીય કન્વીનરે તેમના પત્ર આરટીઆઇ ટાઇમ્સમાં જણાવ્યું છે. જોકે થોડા સમય અગાઉ કેન્દ્ર સરકારે આ પ્રકારના ચળવળકારો માટે ખાસ સુરક્ષા માટે કાયદો બનાવ્યો છે પરંતુ તેનો કેટલો ઉપયોગ થાય છે તેના પર મીટ મંડાઇ છે.
તાજેતરમાં ૨૦મી જુલાઇએ ગીરનેચર ક્લબના પ્રમુખ અને આરટીઆઇ હેઠળ અનેક લોકોના ખોટા મ્હોરાં હટાવનારા અમિત જેઠવાની અમદાવાદમાં હાઇકોર્ટની સામે હત્યા થઇ તે અગાઉ ૧૧મી ફેબ્રુઆરીના વિશ્રામ લક્ષ્મણ ડોડિયાને પણ મારી નખાયા હતા. આઠ ચળવળકારો પૈકી સૌથી વધુ ૪ની હત્યા મહારાષ્ટ્રમાં થઇ હતી જ્યારે બિહાર તેમજ આંધ્રપ્રદેશમાં એક એક કાર્યકર્તા મોતને ભેટ્યા હતા. ખુદ આરટીઆઇ ટાઇમ્સના તંત્રી મિલાપ ચોલારિયા સહિત ૨૦ પર હુમલાનો પ્રયાસ થયો હોવાનું તેમના સાથીદાર બાબુલાલ વાઘેલાએ કહ્યું હતું.રાજઘાટ નવી દિલ્હી ખાતે અરવિંદ કજરીવાલના નેતૃત્વમાં યોજાયેલી રેલીમાં અમિત જેઠવાની શહીદીને યાદ કરાઇ હતી. આ તકે અનેક લોકોએ તેમના સંબોધનમાં ભ્રષ્ટ તત્વો ખુલ્લા પડવાની બીકે સુપારી આપવાનું શસ્ત્ર અજમાવી રહ્યા છે, ત્યારે આવા તત્વો વિરુદ્ધ કાયદો તુરંતમાં ઘડવા માંગ કરી હતી તે સાથે આવા શહીદોના પરિવારને આર્થિક સહાય ઉપરાંત આજે પણ લડી રહેલા લોકોને રક્ષણ પૂરું પાડવા સૂર વ્યક્ત કરાયો હતો.નોંધનીય છે કે, અમિત જેઠવા ઉપરાંતના અનેક ચળવળકારો જમીન માફિયા, રાજકારણીઓ તેમજ સરકારી અધિકારીઓ સામે રીતસરનું રણશિંગું ફૂંકી કાયદાકીય રીતે આગળ વધી રહ્યા છે જેને રક્ષણ મળવું જોઇએ તેવી લાગણી દેશભરમાં પ્રવર્તી રહી છે.


ઝાપટાં પૂર્વ કચ્છમાં ઝંઝાવાતી વરસાદ

પૂર્વ કચ્છમાં રવિવારે રાત્રે અચાનક મેઘરાજા રૌદ્ર સ્વરૂપમાં ત્રાટક્યા હતા. ભચાઉ તાલુકાના પેથાપર, લાકડિયા વિસ્તારમાં મિનિ વાવાઝોડાંએ ખાનાખરાબી સર્જી હતી, સદભાગ્યે જાનહાનિ થઇ નહતી, પરંતુ સંખ્યાબંધ વૃક્ષોનો સોથ વળી ગયો, મકાનોના નળિયાં ઉડ્યાં હતાં.રાપરના તા.ના પ્રાંથળમાં પણ ગાજવીજ અને જોરદાર પવન સાથે વરસાદ પડ્યો હતો. વાગડના આ બન્ને તાલુકા પછી થોડા સમયમાં ગાંધીધામ, અંજાર અને મુન્દ્રામાં જોરદાર ઝડી વરસી હતી. ગાંધીધામમાં કલાકમાં દોઢેક ઇંચ પાણી વરસી જતાં અનેક વિસ્તાર જળબંબાકાર બન્યા હતા, બીજી બાજુ માંડવીમાં ઝાપટાં પડ્યા હતા.પશ્ચિમ કચ્છમાં મેઘરાજાએ પોરો ખાધો હતો. જોકે, રાત્રિના મોડેથી ભુજમાં પણ માહોલ પલટાયો હતો અને ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. પૂર્વ કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં અનેક સ્થળે પવનનું તોફાન અને વરસાદનું જોર એવું હતું કે, લોકોએ અગાઉ ભાગ્યે જ જોયું - અનુભવ્યું હોય.



ગટરમાં ડૂબી જનારા આંધ્રના યુવાનની લાશ સ્વીકારવા નનૈયો

નગરપાલિકા દ્વારા શહેરના સેક્ટર-૭માં ચાલતા ગટરના કામ વચ્ચે શનિવારે રાત્રે ખૂલી ગટરમાં બાઇક સાથે પડી જવાથી એક આશાસ્પદ યુવાનનું મોત થતાં શહેરભરમાં રોષની લાગણી ફેલાઇ હતી.મૂળ આંધ્રપ્રદેશના આ યુવાનનું પાલિકાની બેદરકારીથી મોત થયું હોવાના આક્રોશ સાથે શનિવારે વહેલી સવારે શહેરની રામબાગ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં આંધ્રપ્રદેશના લોકો એકત્ર થઇ ગયા હતા. મૃતકના પરિવારે લાશ સ્વીકારવાની ના પાડતાં હોસ્પિટલમાં ઉચાટ સર્જાયો હતો, પરંતુ સમજાવટને અંતે સમાધાન થયું હતું અને લાશ સ્વીકારી લેવાઇ હતી.પોલીસે જણાવ્યું હતું કે, ગઇકાલે ખૂલી ગટરમાં ડૂબી જનારો લક્ષ્મીનારાયણ સૂર્યનારાયણ કાકી (ઉ.વ.૨૬) પોતાના બાઇકથી રાત્રે ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. જીવ ગુમાવનારાને દસ વર્ષના લગ્નજીવનમાં એક આઠ વર્ષની પુત્રી અને પાંચ વર્ષનો પુત્ર પણ હતો, તથા પાંચ ભાઇઓમાંથી તે ચોથા નંબરનો હતો. તે પોતાના ભાઇઓ સાથે ગેરેજમાં કામ કરતો હતો.તો બીજીતરફ નગરપાલિકાએ ઘટનાસ્થળે કામકાજ ચાલુ હોવા છતાં કોઇ જાતનું ચિન્હ કે બોર્ડ ન લગાડ્યુ હોવાથી આ યુવાને જીવ ગુમાવ્યો હોવાના રોષ સાથે રવિવારે વહેલી સવારે રામબાગ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં આંધ્ર સમાજના લોકો એકઠા થયા હતા. એક તબ્બકે તો મૃતકના પરિવારે જ્યાં સુધી તંત્ર જવાબ ના આપે ત્યાં સુધી લાશ ન સ્વીકારવાની તૈયાર દર્શાવી હતી, પરંતુ ત્યાર બાદ કેટલાક લોકપ્રતિનિધિએ અંગત રસ લઇ સમાધાન કરાવ્યું હતું.નગરપાલિકા સામે ગુનો દાખલ કરો : કોંગ્રેસ,ખૂલી ગટરમાં ડૂબી જતાં એક આશાસ્પદ યુવાનનું મૃત્યુ થવાની ઘટનાને કોંગ્રેસે વખોડી હતી. કચ્છ જિલ્લા કોંગ્રેસ કમિટીના કાર્યકરી પ્રમુખ શૈલેન્દ્રસિંહ જાડેજાએ કલેક્ટરને પત્ર લખી સુધરાઇ સામે પગલાં ભરવાની રજુઆત કરી હતી. જણાવ્યું હતું કે, પાલિકાની બેદર-કારીના લીધે આ યુવાનનું મોત થયું છે, ત્યારે સુધરાઇ સામે ફોજદારી ગુનો દાખલ કરી જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરી હતી. શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ યોગેન્દ્રસિંહ જાડેજાએ આ વાતમાં સૂર પૂરાવ્યો હતો.


ઓખા ટ્રેનમાં એન્જિનનો પાવર ફેલ થતા દોડધામ

ઓખાથી ભાવનગર તરફ આવતી લોકલ પેસેન્જર ટ્રેઈનમાં એન્જીનનો પાવર ફેલ થઈ જતા, આ ગાડીને ભાવનગર લાવવા માટે અહીંથી એન્જીનને રવાના કરવામાં આવ્યા હતા, આના કારણે ઓખા ટ્રેન ચાર કલાક મોડી આવી હતી.ભાવનગર રેલવે ડીવીઝનમાં ખખડધજ ડીઝલ એન્જીન અપાતા આ પ્રકારની ઘટના અનેકવખત બની રહી છે, ડીઝલ એન્જીનના મરામતનું સેન્ટર અમદાવાદના વટવા ખાતે આવેલ છે. ઓખા ટ્રેઈનનું એન્જીન સુરેન્દ્રનગર તરફ ફેલ થઈ જવા પામ્યું હતું.


બોટાદમાં ત્રણ ઈંચ વરસાદથી જળબંબાકાર

ભાવનગર જિલ્લામાં આજે પણ મેઘમહેર યથાવત રહેતા પાંચ તાલુકામાં અડધાથી ત્રણ ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસી ગયો હતો. ભાવનગર જિલ્લાના બોટાદમાં આજે ૩ ઈંચ વરસાદ ખાબકી કયો હતો. મહુવા શહેરમાં આજે દોઢ ઈંચ વરસાદ વરસી ગયો હતો. તો મહુવાના ગ્રામ્ય પંથકમાં ૧ થી ૩ ઈંચ વરસાદ વરસ્યાના વાવડ મળ્યાં છે.બોટાદ શહેરમાં આજ બપોરના બાદ ૫-૩૦ વાગ્યાની આસપાસ જોરદાર વરસાદ વરસી ગયો હતો અને બે કલાકની અંદર બે થી ત્રણ ઈંચ વરસાદ પડી ગયો હતો. અને ઠેર-ઠેર જગ્યાએ પાણી ભરાય ગયા હતા.અચાનક પડેલા વરસાદ કારણે બોટાદ શહેર જળબંબાકાર થઈ ગયું હતું અને બે કલાકમાં પડેલા વરસાદના કારણે બોટાદની બન્ને નદીમાં પાણી ભરાયઈ ગયા હતા. શરૂ વરસાદના કારણે ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે.આજ સવારથી મહુવા શહેર અને તાલુકામાં આકાશ ગોરંભાયેલ અને બપોર સુધીમાં ૩૪ મીમી (દોઢઈંચ) વરસાદ પડતા મોસમનો કુલ વરસાદ ૫૩૯ મીમી થવા જાય છે. આજના સાવત્રીક વરસાદથી પાણીની સારી એવી આવક થઈ છે. આજે બપોરે તળાજાના દાઠા અને આજુબાજુના વિસ્તારમાં બે કલાકમાં ધોધમાર વરસાદ પડી જતાં જળબંબાકાર જેવી સ્થિતિ થઈ ગઈ હતી.દાઠા તથા આજુબાજુ વાલર, વાટલીયા, વેજોદરી, રીજીયા સહિતના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. તળાજામાં આજે અડધો ઈંચ વરસાદ પડયો હતો. તળાજી નદીના ઉપરવાસના ગામોમાં આજે ભારે વરસાદથી મોડી સાંજે તળાજી નદીમાં પૂર આવતા નદી બે કાંઠે વહેલી થઈ ગઈ હતી.


સુરતથી ટ્રેન શરૂ કરવા હકારાત્મક પ્રતિભાવ

સુરતમાં વસતા લાખો સૌરાષ્ટ્રવાસીઓની સુવિધા માટે ભાવનગર-સુરત, મહુવા-સુરત તેમજ વેરાવળથી સૂરતની ઈન્ટરસીટી ટ્રેઈનને સુરત સુધી લંબાવવા સુરતના કોંગ્રેસ અગ્રણીઓ પ્રફુલ્લ ભટ્ટ, લાખાભાઈ પટેલ અને ગોરધનભાઈ અમરેલીયાએ સુરતના સાંસદ તુષારભાઈ ચૌધરી દ્વારા રેલ્વે મંત્રી મમતા બેનર્જીને રજુઆત કરતાં આ અંગે હકારાત્મક પ્રતિભાવ પાઠવતો જવાબ રેલવે મંત્રીએ આપેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં ૨૫ લાખ જેટલા સૌરાષ્ટ્ર વાસીઓ વસે છે.

No comments:

Post a Comment