04 September 2010

કચ્છમાં અવિરત મેઘો : અંજારમાં અઢી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

કચ્છમાં અવિરત મેઘો : અંજારમાં અઢી

કચ્છમાં છેલ્લા ઘણા દિવસોથી શ્રાવણ માસમાં અષાઢી માહોલ જારી છે. નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારમાં ૩, અંજારમાં અઢી, માંડવી-મુન્દ્રામાં અડધો ઇંચ, ભુજ-ગાંધીધામમાં ઝાપટાં પડ્યા હતા.અંજારમાં બપોરે એક વાગ્યે એક કલાક સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો જેથી નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. યોગેશ્વર ચોકડીથી નાગલપર ત્રણ રસ્તા સુધી રસ્તામાં ખાડાઓમાં પાણી ભરાતા વાહન વ્યવાહારને અસર પહોંચી હતી. શહેરમાં સત્તાવાર રીતે સાંજ સુધીનો ૬૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો. તાલુકાના નાગલપુર, સિનુગ્રા, ખંભરા સહિતના ગામોમાં પણ મેઘસવારી પહોંચી હતી.નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારોમાં એકથી ત્રણ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. ખારોઇ ગામમાં એક કલાકમાં એક જેટલો વરસાદ પડ્યો હતો. શુક્રવારે રાત સુધીમાં ૩ ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. મંગવાણામાં પણ કલાકમાં ઇંચ વરસાદ પડી જતા જીવણસર તળાવ ઓગની ગયું છે. જેને સરપંચ ધર્મેન્દ્રગિરિ ગોસ્વામી વધાવશે. જીવાપર, સુખપર, કુરબઇ વગેરેમાં પણ ૨થી ૩ ઇંચ વરસાદના વાવડ છે. ૩૧ વર્ષ બાદ ડાકણિયો ડેમ ઓગનતાં તેને રાપરના ધારાસભ્ય બાબુભાઇ શાહના હસ્તે વધાવાયો હતો. ભુજ-ગાંધીધામમાં દિનભર ઝાપટાં પડ્યા હતા. માંડવી-મુન્દ્રામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યાના વાવડ છે.


દુર્લભ યોગ લઈને આવે છે 8 સપ્ટેમ્બર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સમય સમય પર અનેક દુર્લભ વાતો બનતી રહે છે. એ દરેક યોગ આપણા માટે આનંદ અને સમૃદ્ધિ લઈને આવે છે. એવો જ એક દુર્લભ યોગ છે 8 સપ્ટેમ્બર. 8 સપ્ટેમ્બરના દિવસે 5,6,7,8,9,10 અંક ધરાવનારા લોકો માટે વિશેષ લાભદાયક સિદ્ધિ યોગ બનશે.અંક જ્યોતિષ અનુસાર 8 સપ્ટેમ્બર 2010 ખૂબ ખાસ દિવસ છે. આ દિવસે સવારે અને સાંજે બે વાર આ સંયોગ બનશે. સવારે અને સાંજે 5 વાગીને 6 મિનિટ તથા 7 સેકન્ડ પર 8 તારીખ 9મો મહિનો અને 10મું વર્ષ એટલે 2010 બને છે. ઈતિહાસનો આ એક અદ્ભભૂત યોગ બનશે. આ યોગ દરેક અંકોથી સંબંધિત આનંદ લઈને આવશે.જ્યોતિષ વિશેષજ્ઞો અનુસાર બુધ અંક 5નો સ્વામી છે અને 8 સપ્ટેમ્બર બુધવારે આવે છે. શુક્ર અંગ 6નો સ્વામી છે. નેપ્ચ્યુન અર્થાત વરુણ અંક 7નો સ્વામી છે, શનિ અંદ 8નો સ્વામી છે. મંગલ અંક 9નો સ્વામી છે અને સૂર્ય અંક 1 અર્થાત 10નો સ્વામી છે. આ દરેક અંકથી જોડાયેલા લોકો ખૂબ ભાગ્યશાળી છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર તથા ભાદ્રપદ એટલે કે અમાસ પણ આવે છે. આ કારણે આ દિવસે દરેક કાર્યનો શુભ આરંભ થાય છે. આ દિવસે પૂજન કાર્યોમાં સાધકને ઈશ્વરની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.


મુંબઈમાં છોકરીને 20 નહીં પરંતુ 27 આંગળી!

મુંબઈમાં એક એવી કિશોરી છે જેના હાથ અને પગ થઈને 20 નહીં પરંતુ 27 આંગળી છે. 13 વર્ષની વારાલક્ષ્મી અહીં રાજાનાકુંટે હાઈસ્કૂલમાં નવમાં ધોરણમાં અભ્યાસ કરે છે. તે પોતાની માતા સાથે રહે છે, તેના પિતાનું નિધન થઈ ગયું છે. વારાલક્ષ્મીના સ્કૂલના શિક્ષકે જણાવ્યું હતું કે હાથ અને પગની વધારાની આંગળીઓ દ્વારા પરેશાની થવા છતાં તેના અક્ષરો ખૂબ જ સુંદર છે. ડોક્ટર બહું ઝડપથી ઓપરેશન કરીને તેની વધારાની આંગળીઓ દૂર કરશે, જેના કારણે તેના હાથ પગ સામાન્ય લાગશે.
આ ઓપરેશનમાં આશરે 70 હજાર જેટલો ખર્ચ થશે, પરંતુ ડોક્ટરો તેનું મફતમાં ઓપરેશન કરશે. હાલમાં ઓપરેશનની તૈયારી કરી રહેલા એમએસ રામઝાહ હોસ્પિટલના ઓર્થોપેડિક ડોક્ટર સુંદ્રેશ બીનું કહેવું છે કે એક બીમારીને કારણે તેના હાથ અને પગમાં વધારાની આંગળી ઉગી નિકળી હતી. તેના દરેક હાથમાં આઠ અને પગમાં વધારાનો અંગૂઠો છે.ડોક્ટરે જણાવ્યું હતું કે આ બીમારીને પોલીડેક્ટિલી કહેવામાં આવે છે, અને આવું હોવું અસામાન્ય વાત નથી. સામાન્ય રીતે આવા કેસમાં હાથના છેડા તરફ વધારાની આંગળી હોવાનું માલુમ પડે છે, પરંતુ વારાલક્ષ્મીના હાથમાં અંગુઠો નથી જે ચિંતાનો વિષય છે.ડોક્ટર વેકેશન દરમિયાન વારાલક્ષ્મીના હાથનું ઓપરેશન કરશે. જેના કારણે તેના અભ્યાસમાં કોઈ ખલેલ ન પહોંચે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે વારાલક્ષ્મીને ઓપરેશન બાદ સંપૂર્ણ રીતે સ્વસ્થ થવા માટે ત્રણ મહિના લાગશે. ઓપરેશન કર્યા બાદ તેને પોતાના પગમાં જૂતા પહેરવામાં કોઈ પરેશાની નહી થાય. વારાલક્ષ્મી જણાવે છે કે પગમાં દુઃખાવો થતો હોવાને કારણે તે વધારે દૂર સુધી ચાલી શકતી નથી. વારાલક્ષ્મીના મિત્રો પણ એવું ઈચ્છે છે કે તે ઝડપથી સારી થઈ જાય, જેના કારણે તે તેમની સાથે રમી શકે.


અમેરિકા, યૂરોપ પર હુમલો કરવાની તાલિબાનની ધમકી

પાકિસ્તાનમાં સક્રિય તહરિક એ તાલિબાને ધમકી આપી છે કે તે બહુ ઝડપથી અમેરિકા અને યૂરોપમાં આતંકવાદી હુમલાને અંજામ આપશે. પાકિસ્તાન તાલિબાનના ઉચ્ચ નેતા કારી હુસૈન મહસૂદે શુક્રવારે કોઈ અજાણ્યા સ્થળેથી કહ્યું હતું કે અમે બહુ ઝડપથી અમેરિકા અને યૂરોપમાં આતંકવાદી હુમલો કરીશું.મહસૂદ તાલિબાન માટે આત્મઘાતી હુમલાખોરો તૈયાર કરે છે. નોંધનીય છે કે પાકિસ્તાનમાં આ અઠવાડિયે આતંકવાદી હુમલામાં તેજી આવી છે. બુધવારે લાહોરમાં શિયા સમુદાયના એક સરઘસ પર આત્મઘાતી હુમલો થયો હતો જેમાં 33 લોકોના મોત થયા હતાં જ્યારે 150થી વધારે લોકો ઘાયલ થયા હતાં.ક્વેટામાં શુક્રવારે શિયા સમુદાયની એક રેલીને નિશાન બનાવીને કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 59 લોકોના મોત થયા હતાં જ્યારે 160 લોકો ઘાયલ થયા છે. તાલિબાને આ બંને હુમલાની જવાબદારી લીધી છે.અમેરિકાએ હાલમાં જ તહરિક એ તાલિબાનને વિદેશી આતંકવાદી સંગઠનોની યાદીમાં શામેલ કર્યું છે. તેની સાથે સાથે અમેરિકા આતંકવાદીઓ સામે લડવા માટે સતત પાકિસ્તાન પર તબાણ કરી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકન લશ્કર ડ્રોન મિસાઈલ દ્વારા પછાત વિસ્તારોમાં તાલિબાનના આતંક વાદીઓને નિશાન બનાવી રહ્યું છે.


પત્ની,પ્રેમીકા તથા બાળકો સાથે આપઘાતનો પ્રયાસ કરનારને દંડ

પત્ની, પ્રેમીકા તથા બાળકો સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરનાર સીટીએમના પિતાના કોર્ટે રૂપીયા ૨૫૦૦૦નો દંડ તથા પત્ની અને પ્રેમીકાના કોર્ટ ઉઠતા સુધી બેસવાની સજા ફટકારી હતી. આ પ્રકરમાં રાજેશ પટેલના નાના પુત્રનું મોત થયું હતું. આ દંડની રકમ બોર્ડના વિદ્યાર્થીઓ માટેની હેલ્પલાઇને આપવા માટે કોર્ટે આદેશ કર્યો હતો.વિચિત્ર બનાવની જાણવા મળતી વિગત એવી છે. કે સીટીએમ વિસ્તારમાં રહેતા રાજેશ કાંતિલાલ પટેલ.તેમની પત્ની નિતાબેન પટેલ તથા પ્રેમીકા તારીકાએ અને બે પુત્રો કે જેપૈકી એકની ઉંમર ૩ વર્ષ તથા બાજાની ઉંમર ૮ વર્ષ હતી.જે તમામે સીટીએમ નજીક હોન્ડા સીટી કારમાં ઝેરી દવા ગટગટાવી સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જેમાં રાજેશભાઇના નાના પુત્રનું મોત થયું હતું જ્યારે બાકીના તમામનો બચાવ થયો હતો.જેમાં રાજેશભાઇ વિરુદ્દ સાપરાધ માનવ વધ તથા આત્મહત્યાના પ્રયાસની તથા તેમની પત્ની અને પ્રેમીકા વિરુદ્દ ફરીયાદ આત્મહત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઇ હતી.જે કેસમાં કોર્ટે રાજેશભાઇને સઅપરાધ માનવવધ તથા આત્મહત્યાના પ્રયાસ બદલ કોર્ટે ઉઠે ત્યાં સુધીની સજા તથા રૂપીયા ૨૫૦૦૦ના દંડની સજા કરી હતી આ દંડની રકમ બોર્ડની પરિક્ષા વખતે માનસીક તણાવમાં આવી જતાં બાળકો માટે ચલાવાતી હેલ્પ લાઇનને આપવા આદેશ કરાયો હતો જ્યારે રાજેશભાઇની પત્ની તથા પ્રેમીકાને આત્મહત્યાના ગુના બદલ કોર્ટ ઉઠે ત્યાં સુધી કોર્ટમાં બેસવાની સજા કરી હતી.ફરિયાદી પક્ષે મિતેશ અમીન તથા રોબિને દલીલો કરી હતી.


રવિવારે શનિ-મંગળવાળા માટે ખાસ જીવનસાથી પસંદગીમેળો

રાજ્યભરના શની-મંગળ દોષવાળા લગ્નોત્સો યુવક યુવતીઓ કે જેમને જીવનસાથીની પસંદગીમાં ઘણી તકલીફો પડતી હોય છે. આવા માત્ર અને માત્ર શનિ મંગળના દોષવાળા ઉમેદવારો માટે શહેરની વિના મુલ્ય અમુલ્ય સેવા નામની સંસ્થા દ્વારા રાજ્યમાં પહેલીવખત જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શનિ- મંગલના દોષવાળા કોઇ પણ જ્ઞાતિના કુંવાર ઉમેદવારો ભાગ લઇ શકશે.અનોખા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન આવતીકાલે તા. ૫-૯-૨૦૧૦ ને રવિવારના રોજ પાલડી મહેદી નવાઝ જંગ હોલ ખાતે કરવામાં આવ્યું છે. આ પસંદગી મેળામાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ રવિવારે બપોરે ૧૨ કલાકે મહેદીનવાઝ હોલ ખાતે ઉપસ્થીત રહેવા જણાવવામાં આવ્યું છે.અનોખા જીવનસાથી પસંદગી સંમેલન અંગે માહિતી આપતાં વિના મુલ્ય અમુલ્ય સેવાના સંચલક નટુભાઇ પટેલ તથા ભારતીબેન રાવલે જણાવ્યું હતું કે તેમની સંસ્થા ઘણા વર્ષોથી કોઇ પણ પ્રકારની ફી લીધા વગર જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરે છે.જેમાં ઘણી વખત લગ્ન માટે આવતા યુવક-યુવતીઓ પૈકી ઘણા યુવક-યુવતીઓની જન્મ કુંડળીમાં મંગળ-શનીનો દોષ હોવાથી તેમને લગ્નમા તકલીફ થતી હોય છે. જેને માટે મંગળ-શનિ દોષવાળા યુવક-યુવતીઓ માટે ખાસ જીવનસાથી પસંદગીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં માત્ર શનિ અને મંગળ દોષ વાળાજ યુવક-યુવતીઓજ ભાગ લેનાર હોવાથી તમામને આસાનીથી યોગ્ય જીવનસાથી મળી રહેવાની શક્યાતા છે.


મચ્છીપીઠમાં વરસાદી ગટરના રિપેરિંગ પાછળ ૧૧ લાખ રૂ. ખર્ચાશે

મચ્છીપીઠમાં આવેલ વરસાદી ચેનલની દુરસ્તી રૂ.૧૧.૧૪ લાખના ખર્ચે કરાવવાની ભલામણને સ્થાયી સમિતિએ એકી અવાજે મંજૂર કરી હતી.મચ્છીપીઠ વિસ્તારમાં ઘણા જુના સમયની વરસાદી ચેનલ આવે છે અને એ તે ચેનલ દ્વારા રાવપુરા મેન રોડ અને જીપીઓ તરફના વરસાદી પાણીનો નિકાલ થાય છે. આ વરસાદી ગટર ઘણી જુની હોવાથી કેટલાક સ્થળોના ડ્રેનેજનું મલિન જળ પણ વહન થાય છે. વરસાદી ગટરની દીવાલ-સ્લેબ તૂટી જતાં મોટુ ભંગાણ પડ્યું છે.જેથી ભયજનક સ્થિતિ ઉભી થઇ છે અને ગટરમાં વહન થતો ડ્રેનેજનો ફલો બંધ થઇ જાય તો ગંદા પાણી અને આરોગ્ય વિષયક પ્રશ્નો ઊભા થવાની ભીતિ સેવાઇ રહી છે. હાલમાં ચોમાસાની ઋતુ ચાલુ છે અને વધુ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થાય તેમ છે.જેથી, આ રપિેરિંગ માટે સેવાસદનના ઉત્તર ઝોનના કાર્યપાલક ઇજનેરની કચેરી દ્વારા ૬.૭૦ લાખ રૂ.નો અંદાજ તૈયાર કરીને બીપીએમસી એકટની કલમ ૬૭-૩-સી હેઠળ ઓફર મંગાવી હતી. જેમાં એક ઇજારદારે અંદાજીત ભાવથી ૯૮ ટકા વધુની ઓફર મૂકી હતી અને નેગોશિએશન બાદ ૯૧ ટકા ઉપર સમંતિ આપી હતી. પરંતુ, આ ભાવ વધારે લાગતાં પાંચ ઇજારદારો પાસે ઓફર મંગાવી હતી.જોકે, ચાર ઇજારદાર પૈકી બે ઇજારદારની ઓફર સેવાસદનને મળી હતી. જેમાં, એક ઇજારદારેખાતાના અંદાજ કરતાં ૮૭ ટકા વધુ અને બીજા ઇજારદાર દ્વારા અંદાજ કરતાં ૯૧ ટકા વધુ ભાવ મૂક્યા હતા. જેમાં, લોએસ્ટ ઇજારદારને ભાવ ઘટાડા માટે કહેવામાં આવતા આખરે ૭૮ ટકા સુધી ભાવ ઘટાડો કરીને રૂ.૧૧.૪૦ લાખના ખર્ચે કામગીરી કરવાની તૈયારી બતાવી હતી.


વડોદરામાં આતશબાજી અને હર્ષોલ્લાસ સાથે કૃષ્ણજન્મનાં વધામણાં

ઉત્સવપ્રિય નગરી તરીકે જાણીતા વડોદરામાં જન્માષ્ટમી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી થતાં કૃષ્ણ ભક્તો ભાવવિભોર બની ઝૂમી ઊઠ્યાં હતા.દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા બાદ રાત્રે ૧૨ ના ટકોરે શહેરમાં આવેલાં વિવિધ દેવાલયો અનેવૈષ્ણવ હવેલીઓ કૃષ્ણ જન્મોત્સવ વેળાએ શંખનાદ અને ઘંટારવથી ગુંજી ઊઠ્યાં હતા. એટલુંજ નહીં શ્રદ્ધાળુઓએ દારુખાનું ફોડી અને આતશબાજી કરી કૃષ્ણ લલ્લાનો જન્મોત્સવ મનાવ્યો હતો.દેવકી-વાસુદેવ અને નંદ-યશોદાના લાડલા કનૈયા અને જગતગુરુ તરીકે ેપૂજય ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિન જન્માષ્ટમીનું પર્વ પરંપરાગત રીતે મનાવાયું હતું. શહેરીજનોએ કૃષ્ણ ભક્તિ અને ઉપવાસ સાથે દિવસ દરમિયાન મંદિરોમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.આ ઉપરાંત સાંજના સમયે શહેરમાં અંદાજે૧૨૫ જેટલાં સ્થળોએ ગોવિંદા આલા રે....ની ધૂન સાથે મટકી ફોડીને માખણ ખાતા માખણચોર કનૈયાના તોફાનની યાદમાં મટકીફોડનાં કાર્યક્રમો યોજાયાં હતાં. આ કાર્યક્રમોને જોવા લોકોના ટોળાં ઊમટી પડ્યાં હતાં.બાદમાં રાત્રે ૧૦ વાગ્યાથી મંદિરો, દેવાલયો અને વૈષ્ણવ હવેલીઓમાં મહાઅભિષેક સાથે મહાપૂજાનો પ્રારંભ થયો હતો. વેદમંત્રો સાથેલાલજીને થતી અભિષેક વિધિના દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા. બરાબરના ૧૨ ના ટકોરે શંખનાદ અને ઘંટારવ સાથે ભગવાનશ્રી કૃષ્ણના પ્રાગટ્યને આવકારી નંદ ઘેર આનંદ ભયો...જય કનૈયાલાલકી..ના ગાન સાથે શ્રદ્ધાળુઓ ઝૂમી ઉઠ્યા હતા.


ડિઁડોલી વિસ્તારમાં બે દિવસમાં બે નવજાત બાળક ત્યજાયાં


ડિઁડોલી વિસ્તારના સંજયભાઈ પાટીલે ૨ સપ્ટેમ્બરે સાંજે પ.૩૦ કલાકે ભેસ્તાન અને ચલથાણ વચ્ચે ગુડ્સ રેલવેલાઇન પાસે એક નવજાત બાળકની લાશ જોતા તાત્કાલિક લિંબાયત પોલીસને જાણ કરી હતી. બનાવ અંગે પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. વધુ તપાસ પીએસઆઈ કે. એસ. મોટાવર કરી રહ્યા છે.બીજા બનાવમાં સણિયા કણદે ગામ ખાતે આવેલા ખત્રીદાદાના મંદિરમાં ૧ સપ્ટેમ્બરે સાંજે કોઈ અજાણી સ્ત્રી તેની નવજાત બાળકીને કાળાં કપડાં વીંટાળી મંદિરમાં મૂકી ગઈ હતી. મંદિર નાથુભાઈ રાઠોડને બાળકીનો રડવાનો અવાજ આવતાં તેઓ તાત્કાલિક મંદિરમાં ગયા હતા અને જોયું તો કોઈ અજાણી સ્ત્રી બાળકીને તરછોડીને જતી રહી છે.


પુણાગામ : ગર્ભને બદલે પેટમાં ઊછરી રહેલા શિશુને બહાર કઢાયું

શહેરની એક મહિલાનો ગર્ભ તેમનાં ગર્ભાશયમાં નહીં પણ પેટમાં ઉછરી રહ્યો હતો. આથી તબીબોએ તેમનું ઓપરેશન કરી ગર્ભને બહાર કાઢ્યો હતો.પુણાગામ ખાતે રહેતાં સરોજબેન યાદવને અઢી માસનો ગર્ભ હતો. તેઓ શારદા હોસ્પિટલમાં ડૉ. પ્રકાશ પટેલને મળ્યા હતા. જ્યાં ખબર પડી હતી કે સરોજબેનનો ગર્ભ ગભૉશયમાં નથી પણ પેટની કોથળીમાં ઉછરી રહ્યો છે. આથી તબીબોએ સંબંધીઓને એબ્ડોમિનલ પ્રેગ્નન્સી બાબતે જાણ કરી પેટમાંથી ગર્ભ બહાર કાઢ્યો હતો.




ભુજ : હે રામ, ભુજમાં શૈતાનો ગાંધીજીનું ‘નાક’ કાપી ગયા

ગાંધીજીની જન્મતિથિ ૨ ઓક્ટોમ્બરને એક માસની વાર છે, ત્યાં જ ગુરુવારે મોડી રાત્રે ભુજ મ્યૂઝિયમની સામે આવેલી ગાંધીજીની પ્રતિમાને કોઇ હરામખોરો ખંડિત કરી નાક, કાન કાપી રાષ્ટ્રપિતાનો ચહેરો કદરૂપો કરતાં શહેરમાં આ હિચકારા કૃત્યથી સોંપો પડી ગયો હતો.દેશના રાષ્ટ્રપિતાનું અપમાન કરનારા શૈતાનોને પકડી જાહેરમાં સજા કરાય તેવી માગણી ભુજવાસીઓએ કરી હતી. મળતી વિગતો મુજબ વહેલી સવારે સિનિયર સિટીઝન એવા નરેશભાઇ વચ્છરાજાની મોર્નિંગ વોક પર નીકળ્યા હતા, ત્યારે તેમની નજર પ્રતિમા પર પડતા ગાંધીજીની મૂર્તિને કોઇ નુકસાન પહોંચાડ્યું હોય તેવું જણાતાં તેમણે નગરપતિને ફોન કરી ઘટનાથી વાકેફ કર્યા હતા.આ સમાચાર વાયુવેગે ભુજમાં ફેલાઇ જતાં દેશદાઝ ધરાવતા લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. નગરપતિ દેવરાજ ગઢવી સહિત અન્ય અગ્રણીઓ ઘટનાસ્થળે પહોંચી મૂર્તિનું નિરીક્ષણ કરી ખંડિત મૂર્તિ પર સફેદ કપડાથી ઢાંકી દીધી હતી. માનસિક વિકૃતિ ધરાવતા આ ભાંગફોડિયા તત્વો દ્વારા યેનકેન પ્રકારે કોમી એકતાને પલીતો ચોપવા આવા કૃત્યો કરાતા હોય છે, ત્યારે આવા તત્વોને સબક શીખડાવવા પોલીસ તાબડતોડ પગલાં ભરે એવો આક્રોશ નગરજનોમાં સ્પષ્ટ જોવા મળ્યો હતો.


રાજુલા પાલિકામાં ભાજપના શાસનનો અંત

રાજુલા નગરપાલિકામાં ભાજપના શાસન દરમિયાન બિસ્માર રસ્તા, ડહોળુ પાણી, ભ્રષ્ટાચાર, આકરા કરવેરા, તળાવના રીનોવેશન માટે ૪૦ લાખ રૂપિયા જેવી માતબર રકમ વાપરી ન શકાઇ, છતાં પાણી માટે પાણી વિહોણા પ્રજા વગરે પ્રશ્નો અણઉકેલ છે ત્યારે રાજુલા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીમાં મહિલા ઉમેદવાર પ્રમુખ માટેની ચૂંટણીમાં ચૂંટાઇ આવતા ભાજપના હાથમાંથી સત્તા ઝુંટવાઇ ગઇ છે.નગરપાલિકાની ચૂંટણી સમયે પ્રજાજનોએ ભાજપને વિકાસના નામે મત આપેલા પરંતુ વિકાસ કરવામાં ઉણા ઉતરેલા શાસકોથી પ્રજા પણ નારાજ થઇ છે ત્યારે ખુદ ભાજપના જ સભ્યો પણ કોંગ્રેસમાં ભળી ને સમાજવાદી પક્ષના મીનાબેન વાઘેલાને ટેકો જાહેર કરતા નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટાઇ આવેલ છે.પાલિકા પ્રમુખની ચૂંટણીમાં છેલ્લા ૧૫ દિવસથી અમરશીભાઇ ડેર કોંગ્રેસ અને ભાજપના સભ્યોનેલઇને ભુગર્ભમાં ઉતરી ગયેલ અને આમ ભાજપના હાથમાંથી નગર પાલિકાનું શાસન જતું રહેતા મોવડી મંડળ ભાજપના ત્રણ ઉમેદવાર સામે શું પગલા લેશે તેમ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.


ભાવનગર : શેત્રુંજી ડેમ ઓવરફલો થયો

ભાવનગર શહેર અને જિલ્લામાં પાક અને પાણીના પ્રશ્ને જીવાદોરી સમા શેત્રુંજી ડેમના આજે સાંજે બરાબર ૬ કલાકે ૫૯ પૈકી ૨૫ દરવાજા બે ફૂટ ખોલી નાંખતાં તેના નીચાણવાળા વિસ્તારમાં સૌરાષ્ટ્રના આ મહાકાય ડેમમાંથી નોંધપાત્ર જથ્થો વહેતો થયો છે. શેત્રુંજી ડેમ તેની સ્થાપના બાદ ૧૬મી વખતી ઓવરફલો થતાં સમગ્ર ભાવનગર જિલ્લામાં હરખની હેલી ફરી વળી છે.પાલીતાણા નજીકના રાજસ્થળી ગામે આવેલા શેત્રુંજી ડેમની ૩૪ ફૂટની છલક સપાટીને આજે આંબી ગયા બાદ આવક શરૂ રહેતા આજે સાંજે ૬ કલાકે ડેમમાં ૨૫ દરવાજા ખોલવામાં આવ્યાં હતાં. ૨૯’ધ્૫’ની સાઈઝના આ ૨૫ દરવાજા ખોલતાની સાથે જ ૬૫૦૦ કયુસેક પાણીનો ધસમસતો જથ્થો નિચાણવાળા વિસ્તારમાં વહેતો થતાં તળાજા તાલુકાના શેત્રુંજી કાંઠાના તમામ ગામોના લોકોને સાવચેતી સાધવા સૂચના આપી દેવામાં આવી હતી.ગત વર્ષે ઓછા વરસાદને લીધે આ ડેમ ખાલી રહી ગયો હતો તે આ વર્ષે સંતોષકારક ચોમાસાને લીધે છલકાઈ જતાં ખેડૂતો અને ખાસ કરીને ભાવનગરની પાણી પ્રશ્ને કાયમ તંગી અનુભવતી પ્રજામાં જન્માષ્ટમી બાદ નોમના પર્વે હરખની હેલી ચડી છે. આ ડેમમાં આજે સાંજે પણ ૧૪૧૩ કયુસેક પાણીની આવક શરૂ હતી.


મહેસાણા : નંદલાલા પર હેત વરસ્યાં..

મહેસાણા સહિત જિલ્લાભરમાં શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીના પર્વની ગુરૂવારે ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ઠેર ઠેર લોકમેળા અને ભજનકિર્તનો સાથે બરાબર મધરાત્રિ બારના ટકોરે દેવમંદિરો ‘નંદ ઘેર આનંદ ભયો’ તથા ‘જય રણછોડ માખણચોર’ના નાદ અને ઘંટારાવથી ગુંજી ઉઠ્યા હતા.મહેસાણાએ કર્યું માધવને ‘હેપ્પી બર્થ ડે’..મહેસાણા : શહેરમાં કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. જે અંતર્ગત શહેરમાં આવેલા ગોવિંદ માધવ મંદિર, સ્વામિનારાયણ મંદિર, નાગલપુર રામજી મંદિર, ગાયત્રી શકિતપીઠ, જલારામ મંદિર સહિત દેવ મંદિરોમાં મધ્યરાત્રિએ ભકિતભર્યા માહોલમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઇ હતી. આ ઉપરાંત પરા વિસ્તારના રામજી મંદિરમાં જન્માષ્ટમીના મેળામાં મંદિરના સાંનિધ્યે ગુરૂવારે સવારથીજ માનવ સમુદાય મેળો માણવા ઉમટી પડ્યો હતો.જન્માષ્ટમી પર્વ નિમિત્તે શહેરની રાધાકૃષ્ણ ટાઉનશીપ સહિત વિવિધ સ્થળોએ મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. કૃષ્ણજન્મના સમયે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી જેવા નાદો તથા આતશબાજીથી મંદિરો ગુંજી ઉઠ્યા હતા. તેમજ મહા આરતી, આતશબાજી, પારણા ઝુલણ, માખણ અને પંજરીના પ્રસાદની સાથે જન્મોત્સવ ઉજવ્યો હતો.


આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખે ખેડૂતની ઘરવખરી ફેંકી દીધી

પેટલાદ તાલુકાના વટાવ ગામની સીમમાં આવેલી જમીન બાબતે આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા ઉપપ્રમુખે કેટલાક ભાડુતી માણસો સાથે ઘુસી જઈ ખેડૂતની ઓરડીમાંથી ઘરવખરી ફેંકી દીધાની ફરિયાદ મહેળાવ પોલીસ મથકે નોંધાઈ હતી. આ અંગે પોલીસે પૂર્વ ઉપપ્રમુખ સહિત ચાર શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, પેટલાદમાં રહેતા જિલ્લા કોંગ્રેસના મહિલા અગ્રણી વિજ્ઞાત્રીબેન વિજયભાઈ શાહને છેલ્લા કેટલાક સમયથી દશરથ રાવજીભાઈ પટેલ સાથે વટાવ ગામની સીમમાં આવેલી જમીન બાબતે તકરાર ચાલી રહી છે. જો કે, આ મામલો કોર્ટ સુધી પણ પહોંચી ચુકયો છે. આ દરમિયાનમાં એકાએક તા.૨જી સપ્ટેમ્બરના રોજ સવારે વિજ્ઞાત્રીબેન પોતાના માણસો રણજીતસિંહ ફતેસિંહ રાણા (રહે.નાપા), સકિંદર જશુભા રાણા (રહે.નાપા) તથા એક અજાણ્યા શખસ સાથે ધસી આવી દશરથભાઈની ઓરડીમાંથી ઘરવખરીનો સામાન બહાર ફેંકી દઈ પોતાનો સામાન ઓરડીમાં મુકી દઈ તાળુ મારી દીધું હતું.આ ઉપરાંત દશરથભાઈને અપશબ્દો બોલી, ગડદાપાટુનો મારમારી ઓરડીમાંથી બહાર નીકળી જવા ધમકી આપી હતી. આ અંગે મહેળાવ પોલીસે વિજ્ઞાત્રીબેન સહિત ચારેય વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ એએસઆઈ ભુલાભાઈ ચંદાભાઈને સોંપી છે.


વિશ્રામપુરામાં વાયરલ ફીવરનો અજગર ભરડો

પેટલાદ તાલુકાના વિશ્રામપુરા ગામમાં વાયરલ ફીવરના ૧૦૦થી વધુ દર્દીના ઘેર ઘેર ખાટલા ખડકાઇ ગયા છે. છેલ્લાં ત્રણ દિવસમાં વરસાદી માહોલ વચ્ચે ગ્રામજનો શરદી, ઉધરસ અને તાવની ઝપટમાં આવી ગયા છે. વિશ્રામપુરાના હરજિનવાસ, વાઘરીવાસ, ઠાકોરવાસમાં દર્દીઓનો વધતાં ફફડાટની લાગણી પ્રસરી છે. વિશ્રામપુરા ઉપરાંત પંથકના રૂપિયાપુરા, શાહપુર અને સુંદરણામાં પણ છુટાછવાયા તાવ, શરદી, ખાંસીના દર્દીઓ હોવાનું જાણવા મળે છે.પેટલાદ તાલુકાના વિશ્રામપુરા ગામમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે. ગામમાં હરજિનવાસ, વાઘરીવાસ, ઠાકોરવાસ અને મુખ્ય રસ્તાઓ ઉપર અસહ્ય ગંદકી ફેલાયેલી છે. વરસાદના પાણીનો સમયસર નિકાલ નહીં થવાને કારણે કાદવ અને કીચડ થઈ જતાં બેસુમાર દુર્ગંધ મારે છે. તેમાંય ગામના નિચાણના વિસ્તારોમાં વરસાદી પાણીનો દિવસો સુધી નિકાલ નહી થતાં પાણીમાંથી દુર્ગંધની સાથે મચ્છરોનો ઉપદ્રવ શરૂ થઈ ગયો છે. આ વિસ્તારોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી તાવ, શરદી અને ખાંસીના દર્દીઓ વધતાં જતાં હોવાનું જાણવા મળે છે. ગામમાં સ્થાનિક ડોક્ટરોની સારવાર લેવા ઉપરાંત કેટલાક દર્દીઓ પેટલાદની ખાનગી હોસ્પિટલોમાં જઈ સારવાર લઈ આવે છે. મચ્છરોનો ઉપદ્રવ અને પાણીજન્ય રોગચાળાએ ફરી એકવખત વિશ્રામપુરામાં માથુ ઉચકર્યું છે. થોડા દિવસો અગાઉ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સર્વે હાથ ધરાયો હતો. પરંતુ ત્યારબાદ આ દર્દીઓને સમયસર સારવાર અને દવા નહી મળી હોવાનું જાણવા મળે છે. હાલમાં આ ગામના બે ડોક્ટર ઉપરાંત ત્રભિુવન ફાઉન્ડેશન દ્વારા દર્દીઓને સારવાર આપવામાં આવે છે.પેટલાદમાં ડેન્ગ્યુનો કેસ મળતાં ફફડાટ -પેટલાદ નગરનો પૂર્વ વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે. પૂર્વ વિસ્તારની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ પાણી ભરાઇ રહેવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ થવાથી રોગચાળો માથુ ઉચકી રહ્યો છે. નગરના સાંઇનાથ રોડ સ્થિત ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા નટુભાઈ મિસ્ત્રીની ૧૪ વર્ષીય પુત્રી દિવ્યાને ડેન્ગ્યુનો રીપોર્ટ પોઝીટીવ આવતાં વધુ સારવાર અર્થે કૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે ખસેડવામાં આવી છે.હાલ દિવ્યા હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ હોવાનું જાણવા મળે છે. પેટલાદ પાલિકાએ પૂર્વમાં ચોમાસા ટાણે જ કાંસનું કામ શરૂ કરતા નકૉગારની સ્થિતિ સર્જાઈ છે.


ખંડણીના ખેલંદાઓએ સીમ કાર્ડના ટુકડાં કરીને વઘાસી રોડ પર પધરાવ્યા

આ અંગે પોલીસ ઈન્સ્પેકટર ધનંજયસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ‘આણંદ શહેરની ઠક્કરવાડીની પાછળ આવેલા અખંડ-આનંદ બંગલામાં રહેતા અને જવેલર્સની દુકાન ધરાવતા યોગેશભાઈ સોનીનો છ વર્ષના પુત્ર હર્ષનું ગત તા.૩૧મી ઓગસ્ટે અપહરણ થયું હતું. અપહરણકર્તાઓ તેને કારમાં ઉઠાવી ગયા હતા.બાદમાં તેઓએ રૂ.૪૦ની લાખની ખંડણી યોગેશભાઈ પાસેથી માંગી હતી. આ બાબતે પોલીસને જાણ કરતાં જિલ્લા પોલીસ વડા એ.કે. જાડેજાની સુચના અને માર્ગદર્શન અનુસાર ચારેક ટીમ કાર્યરત થઈ હતી. આ બાબતની જાણ અપહરણકર્તાઓને થતાં તેઓએ હર્ષને વિદ્યાનગર રોડ પર જ છોડી મુકયો હતો. બીજી તરફ અપહરણકર્તા અને યોગેશભાઈની વાતચીતના આધારે પોલીસે તેમને ટ્રેસ કરી અજય સુરેશભાઈ વસાવા, રૂપેશ સુરેશભાઈ વસાવા, અક્ષય ઉર્ફે લાલુ રમેશ વસાવા, આકાશ ઉર્ફે અક્કુ નિરવભાઈ વસાવાની ધરપકડ કરી હતી.આ સમગ્ર અપહરણકાંડનું કાવતરૂ પૂર્વ આયોજીત હોવાથી વધુ વિગતો મેળવવા પોલીસે તેમના તા.છઢ્ઢી સુધીના રિમાન્ડ મેળવ્યાં છે. જેમાં તેમની પ્રાથમિક પુછપરછમાં તેઓએ એક મહિના પહેલા જ સમગ્ર યોજના તૈયાર કરી હોવાની કબુલાત પણ કરી હતી. જેમાં તેઓએ ગત તા.૨૧મી ઓગસ્ટે વડોદરા પાસેના પોર ગામેથી સીમકાર્ડ ખરીધ્યાં હતાં. જે અપહરણના ફ્લોપ શો બાદ તેઓએ ચખિોદરા ચોકડીથી વઘાસી રોડ તરફ ક્યાંક ફેંકી દીધાની કબુલાત કરી હતી. આ કબુલાત આધારે પોલીસે પુરાવાના નાશની કલમનો ઉમેરો કર્યો હતો. ’ચોરીના દસ્તાવેજોથી સીમકાર્ડ ખરીદી !


બોરીવલીના જૈન મંદિરના લૂંટારાની ધરપકડ

બોરીવલીના જૈન મંદિરમાં સંત્રીની હત્યા કરીને લૂંટ ચલાવવાના પ્રકરણમાં પોલીસે આખરે આઠ લૂંટારાઓની ધરપકડ કરી છે, જ્યારે ચોરી કરેલી તમામ મૂર્તિઓ હસ્તગત કરાઈ છે. ૨૨ ઓગસ્ટે બનેલી આ ઘટનામાં એક સંત્રીની હત્યા કરવામાં આવી હતી, જ્યારે બીજો ગંભીર રીતે ઘાયલ થયો હોવાને પગલે સમગ્ર જૈન સમાજમાં તીવ્ર પ્રત્યાઘાત પડ્યા હતા.બોરીવલી પશ્ચિમના મંડપેશ્વર રોડ પર ભગવતી હોસ્પિટલની બાજુમાં આવેલા નંદશ્વિર દ્વીપ દગિંબર જૈન મંદિરમાં રવિવારે પરોઢિયે આશરે ૨.૩૦ કલાકના સુમારે લૂંટારુઓની એક ટોળકીએ ત્રાટકીને પંચધાતુની બનેલી આંગી કરેલી છ મૂર્તિની લૂંટ ચલાવી હતી. જોકે એક મૂર્તિનું વજન એટલું બધું હતું કે તેને લૂંટારાઓ ઉપાડી શક્યા નહોતા અને દેરાસરની નજીકમાં જ છોડીને ચાલ્યા ગયા હતા.આ કેસમાં ક્રાઈમ બ્રાંચે જણાવ્યું હતું કે લૂંટની યોજના ઘડનાર મુખ્ય હારુણ અબ્દુલ શેખ (૪૦) અને રમેશ મોહન પાટીલ ઉર્ફે ભાઈજાન હતા. આ બંનેની મુલાકાત બે વર્ષ પહેલાં જેલમાં થઈ હતી અને ૨૦૦૫માં દેરાસરની ઉજવણી વેળા હેલિકોપ્ટરમાંથી ચાંદીના સિક્કા અને પૈસાની ઉછામણી થઈ હતી. આ ર્દશ્ય જોઈને નિયતમાં ખોટ આવી હતી અને બંનેએ જેલમાં બેઠાં બેઠાં દેરાસરમાં લૂંટ કરવાની યોજના બનાવી હતી.જેલમાંથી છુટયા બાદ આખા વિસ્તારની રેકી કરી હતી. આઠ આરોપીમાંથી મોટા ભાગના નજીકની ઈન્દિરાનગર ઝંપડપટ્ટીના જ રહેવાસી છે. આથી ઘણી ખરી માહિતી તેમને હતી અને એક ભૂતપૂર્વ વોટમેને પણ તેમને મંદિરમાં કીમતી ચીજો કઈ છે તેના સહિતની માહિતી આપી હતી.આને આધારે ૨૨ ઓગસ્ટના રોજ લૂંટારાઓએ પોતાનો મનસૂબો પાર પાડ્યો હતો, પરંતુ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ તેમની ધરપકડ કરી લૂંટાયેલી પાંચેય મૂર્તિઓ તેમ જ અન્ય ચાંદીના સિક્કા, છત્ર અને કીમતી માલમતાને જપ્ત કરીને કેસ ઉકેલી કાઢવામાં સફળતા મેળવી છે.આરોપીમાંથી રાજગુરુ મુરારીસિંગ ઉર્ફે રાજુ પંજાબી મૂર્તિને વેચવા ગયો ત્યારે ટીપ મળતાં પોલીસે ગોરેગાંવ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. ત્યાર બાદ હારુણ, ભાઈજાન અને સંતોષ હરશ્ચંદ્ર ભોઈરની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમના અન્ય સાથી સુરેશ રાજેન્દ્રર ગુપ્તા, વિનોદકુમાર જગદીશપ્રસાદ યાદવ, માઈકલ થાપા ઉર્ફે વિકી અને મકેશકુમાર જગદીશપ્રસાદ યાદવની થાણે શહેરના ઘણસોલી વિસ્તારમાંથી ધરપકડ કરીને સંતાડી રાખેલી મૂર્તિઓ અને અન્ય કીમતી માલમતા જપ્ત કરી હતી.નોંધનીય છે કે દેરાસરમાં ચોકી કરતા બે સુરક્ષા રક્ષકમાંથી એક દેવીલાલ સેવક (૫૫)ને લૂંટારુઓએ હથિયારથી મારી નાખ્યો હતો, જ્યારે બીજો સુરક્ષા રક્ષક રામપ્રસાદ ગંગારામ જોષી (૪૫) ગંભીર ઇજા પામ્યો હતો. દેવીલાલ રાજસ્થાનના ડુંગરપુરનો રહેવાસી હતો જ્યારે રાજુ ગંગારામ નેપાળી હતો.આ ઘટનાને લઈ સમગ્ર જૈન સમાજમાં ઉશ્કેરાટ ફેલાયો હતો. પખવાડિયામાં લૂંટારા નહીં પકડાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.

No comments:

Post a Comment