04 September 2010

પોલીસકર્મીઓને બંધક બનાવનાર માસ્ટરમાઈન્ડ ઝડપાયો!

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

પોલીસકર્મીઓને બંધક બનાવનાર માસ્ટરમાઈન્ડ ઝડપાયો!

પોલીસકર્મીઓને બંધક બનાવાનાર નક્સલીઓના માસ્ટરમાઈન્ડને ઝડપી લેવામાં આવ્યો છે, જો કે બાકીના ત્રણ પોલીસકર્મીઓ અંગે કોઈ જાણકારી મળી નથી.બિહારના લખીસરાયમાં નક્સલીઓ દ્વારા બંધક બનાવેલ ચાર પોલીસકર્મીમાંથી એકની હત્યા કરી દેવાયા બાદ આ વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, આ કોમ્બિંગ ઓપરેશનમાં પોલીસે જમુઈ જિલ્લામાંથી બે નકસ્લી નેતાની ધરપકડ કરી લીધી છે. જેમાંથી પ્રમોદ નામનો સખશ આ હોસ્ટિજ ડ્રામાનો માસ્ટરમાઈન્ડ હોવાનું જાણવા મળ્યું છે. જો કે નક્સલીઓ દ્વારા આપવામાં આવેલી ત્રીજી ડેડલાઈન સમાપ્ત થઈ ગયાના 24 કલાક પસાર થઈ જવા છતાં હજું એ ત્રણ પોલીસકર્મી અંગે કઈ જાણકારી નથી.નક્સલઓએ ગત રવિવારે 10 પોલીસકર્મીની હત્યા કરી ચાર પોલીસકર્મીને બંધક બનાવી લીધા હતા. આ ચાર પોલીસકર્મીના બદલામાં નક્સલીઓએ જેલમાં કેદ તેમના આઠ સાથીઓને છોડી મુકવાની માંગ કરી હતી. બંધક બનાવવામાં આવેલ ચાર પોલીસકર્મીમાંથી નક્સલીઓએ એક પોલીસકર્મીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.


દોષિતોને સજા કરો : સચિન

ભારતીય ખેલાડીઓનો ક્યારેય બુકી દ્વારા સંપર્ક કરાયો નથી, સમગ્ર પ્રકરણના કારણે રમતને હાનિ પહોંચી છે,સ્પોટ ફિક્સિંગના કારણે રમતની પ્રતિષ્ઠાને હાનિ પહોંચવાથી નિરાશ થયેલા ભારતના સિનિયર ક્રિકેટર સચિન તેંડુલકરે દોષિત ક્રિકેટરો સામે આઈસીસી આકરાંમાં આકરાં પગલાં ભરે તેવી માગણી કરી છે.તેંડુલકરે જણાવ્યું હતું કે બ્રિટિશ ટેબલોઇડ દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવેલું ફિક્સિંગ પ્રકરણ સાચું પડશે તો પાકિસ્તાની ખેલાડીઓએ ક્રિકેટની રમતને શરમજનક સ્થિતિમાં મૂકી દીધી છે.ઇંગ્લેન્ડમાં શું બન્યું છે તેની આઈસીસીએ ઝીણવટપૂર્વકની તપાસ કરવી જોઇએ અને દોષિત ખેલાડીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ. મને ખાતરી છે કે આઈસીસી યોગ્ય પગલાં લઈને ક્રિકેટને ફરીથી સાચી દિશામાં લઈ જશે.સચિન તેંડુલકરે જણાવ્યું હતું કે જો આક્ષેપો સાચા પુરવાર થાય તો ચોક્કસપણે રમતની પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે. હું નિષ્ણાત નથી અને ઇંગ્લેન્ડમાં બનેલી બાબત અંગે ભારતમાં બેસીને મારી પ્રતિક્રિયા વ્યક્ત કરી શકું નહીં પરંતુ પૂરા પ્રકરણના કારણે હું નિરાશ થયો છું.


ષડયંત્રમાં પવારનો હાથ : પાકિસ્તાન

સ્પોટ ફિક્સિંગમાં સંડોવણી બદલ પાકિસ્તાનના ત્રણ ક્રિકેટર સલમાન બટ્ટ, મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિરને આઈસીસીએ સસ્પેન્ડ કરી દીધા બાદ અકળાયેલા પાકિસ્તાને ખેલાડીઓના બચાવ માટેની પોતાની ઝુંબેશ આદરીને ભારત પર આક્ષેપબાજીનું શસ્ત્ર ફરીથી ઉગામ્યું છે.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ બાદ બ્રિટન ખાતેના પાકિસ્તાનના હાઈ કમિશનર વાજિદ હસને પણ ખેલાડીઓનો બચાવ કરીને સમગ્ર મામલમાં આઈસીસીના પ્રમુખ શરદ પવારને જવાબદાર ઠેરવીને તેમણે જ પાકિસ્તાનના ખેલાડીઓ સામે કાવતરું ઘડ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.વાજિદ હસને જણાવ્યું હતું કે ત્રણેય ક્રિકેટર નિર્દોષ છે અને આ ઘટનામાં ભારતીય બુકીઓનો હાથ છે. મને લાગે છે કે સલમાન બટ્ટ, મોહમ્મદ આમિર અને મોહમ્મદ આસિફ સ્પોટ ફિક્સિંગમાં સંડોવાયા નથી પરંતુ માજિદ મઝહરે ભારતીય બુકીઓને છેતર્યા છે અને મૂળ ગુનેગાર તો માજિદ મઝહર જ છે.આઈસીસીએ પાકિસ્તાનના ત્રણ ક્રિકેટરને હંગામી ધોરણે સસ્પેન્ડ કરી દીધા એ પછી વાજિદ હસને ત્રણેયનો બચાવ કર્યો હતો. ચારે તરફથી થઈ રહેલા દબાણને વશ થઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઇંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણી માટેની ટીમમાંથી ગુરુવારે સલમાન બટ્ટ, મોહમ્મદ આમિર અને આસિફને પડતા મૂક્યા હતા પરંતુ તેમનો મજબૂત બચાવ કર્યો હતો.હસને આ અંગે જણાવ્યું હતું કે છેલ્લાં એક સપ્તાહમાં જે કાંઈ બન્યું અને તેમની ઉપર જે રીતે આક્ષેપ થયા હતા તેનાથી ત્રણેય ક્રિકેટર માનસિક રીતે ભાંગી પડ્યા હતા અને ક્રિકેટ રમવા માટે માનસિક રીતે સજ્જ ન હતા. આથી જ તેમણે વન-ડે શ્રેણી માટેની ટીમમાં તેમને નહીં સમાવવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને વિનંતી કરી હતી.તેમણે આ ઘટનનાનો પર્દાફાશ કરવા માટે સ્ટિંગ ઓપરેશન હાથ ધરનારા ન્યૂઝ ઓફ ધ વર્લ્ડની વિશ્વસનીયતા પર પણ શંકા વ્યક્ત કરી હતી અને સામો પ્રશ્ન કર્યો હતો કે આ સ્ટોરી લાવનારાની શું પ્રતિષ્ઠા છે?


પાકિસ્તાન ટેબ્લોઈડ સામે દાવો માંડશે

કલંકિત ક્રિકેટર સલમાન બટ્ટ, મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિર સામે થયેલા આક્ષેપો ખોટા પુરવાર થાય તો પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સામે સ્પોટ ફિક્સિંગનો પર્દાફાશ કરનારા બ્રિટિશ ટેબ્લોઈડ સામે બદનક્ષીનો દાવો માંડવાની પાકિસ્તાનના રમતપ્રધાન ઐઝાઝ ઝારખાણીએ ધમકી આપી છે.ઝારખાણીએ જણાવ્યું હતું કે ત્રણેય ક્રિકેટરને દોષિત પુરવાર થાય નહીં ત્યાં સુધી નિર્દોષ કહેવાય અને આ આક્ષેપો ખોટા પુરવાર થશે તો પાકિસ્તાન સરકાર એ દૈનિકને કોર્ટમાં લઈ જશે.ક્રિકેટર દેશનું પ્રતિનિધિત્વ કરતો હોય છે. સલમાન બટ્ટ, આમિર અને આસિફ પાકિસ્તાની ખેલાડી છે. આમ દેશની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. આમ આ આક્ષેપો ખોટા પુરવાર થાય તો અમે તેમની સામે ચોક્કસ દાવો કરીશું અને આ મામલે બ્રિટિશ કાયદો ઘણો કડક છે તેમ તેમણે ઉમેર્યું હતું.ત્રણેય ક્રિકેટરને ઇંગ્લેન્ડ સામેની વન-ડે અને ટી૨૦ શ્રેણીમાંથી પડતા મુકાયા હોવાનો પણ રમતપ્રધાને ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે તપાસકાર્યમાં સહકાર આપી શકે તે માટે તેમને ટીમમાં પસંદ કરાયા નથી.s


કોઈ બુકીએ સંપર્ક સાધ્યો નહોતો : ગાંગુલી

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે ભારતીય ટીમના સુકાનીપદને સંભાળ્યું ત્યારે કોઇ પણ બુકીએ ક્યારેય દેશના ક્રિકેટરોનો સંપર્ક સાધ્યો નહોતો. આ પ્રકારનો સંપર્ક અમારી કલ્પના બહારની બાબત છે.ટીમના ત્રણ અન્ય સુકાની સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને અનિલ કુંબલેનો પણ કોઇએ મેચ ફિક્સ કરવા કે સ્પોટ ફિક્સિંગ માટે સંપર્ક કર્યો નહોતો.ક્રિકેટરોને વધારે જવાબદાર બનવાની અપીલ કરીને ગાંગુલીએ જણાવ્યું હતું કે આઈસીસી કોઇ પોલીસ નથી તેથી ક્રિકેટરોએ રમત પ્રત્યે તેમની જવાબદારીને વધારે સારી રીતે અદા કરવી જોઇએ.


સ્ટિંગ ઓપરેશન માટેની રકમ બટ્ટ પાસેથી મળી હતી

ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની ગયા સપ્તાહે લોર્ડ્ઝ ખાતે રમાયેલી ટેસ્ટ દરમિયાન બહાર આવેલાં સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં ઉપયોગમાં લેવાયેલી રોકડ રકમ પાકિસ્તાની ક્રિકેટ ટીમના સુકાની સલમાન બટ્ટના લગેજમાંથી મળી આવી હતી.બ્રિટનના એક દૈનિકના અહેવાલ મુજબ સલમાન બટ્ટના હોટેલરૂમમાંથી અને લોર્ડ્ઝ ક્રિકેટ ગ્રાઉન્ડના લોકરમાં આ રકમ કેવી રીતે મળી આવી તે અંગે સ્કોટલેન્ડ યાર્ડના અધિકારીઓ સલમાન બટ્ટની પૂછપરછ કરવાના છે.એમ મનાય છે કે આ રકમ ન્યૂઝ ઓફ ધ વર્લ્ડના રિપોર્ટરે નિશાની કરીને માજિદ મઝહરને સ્પોટ ફિક્સિંગના ભાગરૂપે આપી હતી. આ ચલણી નોટો પર નિશાની કરાઈ હતી જેથી ભવિષ્યમાં પોલીસ દ્વારા તેની ઓળખ થઈ શકે. અહેવાલ મુજબ આ નોટો ન્યૂઝ ઓફ ધ વર્લ્ડના સ્ટિંગ ઓપરેશન માટે ઉપયોગમાં લેવાઈ હતી.


ફિક્સર્સ પર આજીવન પ્રતિબંધ લાદો : વોર્ન

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ લેગ સ્પિનર શેન વોર્ને સ્પોટ ફિક્સિંગમાં પ્રતિબંધિત થયેલા પાકિસ્તાનના ત્રણ ક્રિકેટરો પર આજીવન પ્રતિબંધ લાદવાની માગણી કરીને જણાવ્યું હતું કે જે કોઇ ક્રિકેટરો આ પ્રકારનાં કૌભાંડમાં સંડોવાયેલા હોય તેમની રમતમાંથી હકાલપટ્ટી કરી નાખવી જોઇએ.ક્રિકેટની રમતને ફરીથી સ્વચ્છ બનાવવાની જરૂર છે તેમ છતાં પાકિસ્તાની ક્રિકેટરો સામેના આક્ષેપો હજુ પુરવાર થયા નથી તેથી તેમને ફિક્સર્સ કહેવા તે ખોટું છે, જો તેઓ દોષિત પુરવાર થાય તો અન્ય ક્રિકેટરો સામે સજ્જડ દાખલો પુરવાર થાય તેવાં આઇસીસીએ પગલાં ભરવાં જોઇએ.


લંડનના હરેકૃષ્ણ મંદિરમાં વિસ્ફોટ

મધ્ય ઇંગ્લેન્ડના ગુજરાતીઓની બહુમતી ધરાવતા વિસ્તાર લેસ્ટર સ્થિત હરેકૃષ્ણ મંદિરમાં સ્થાનિક સમય મુજબ બપોરે વિસ્ફોટ થતાં આગ ફાટી નીકળી હતી અને ત્રીજા ભાગની ઇમારત ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. જો કે પ્રાથમિક અહેવાલ મુજબ કોઈ જાનહાનિના અહેવાલ નથી. લંડનની ઉત્તરે ૧૦૦ કિ.મી. દૂર લેસ્ટર સ્થિત મંદિરમાં વિસ્ફોટ સમયે ઘણા શ્રદ્ધાળુઓ હોવાનું પોલીસે જણાવ્યું છે. જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિત્તે મંદિરમાં ઘણા શ્રદ્ધાળુઓ હાજર હતા. રાંધણગેસના બાટલામાં વિસ્ફોટને કારણે આગ લાગી હોવાનું મનાય છે, પરંતુ તેને હજુ સુધી સમર્થન મળ્યું નથી.બીબીસીના અહેવાલ અનુસાર કેટલાક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત હાલતમાં બહાર આવતા હોવાનું જણાયું છે. ફાતિમા ખત્રી નામની નજરે જોનાર વ્યક્તિના જણાવ્યા મુજબ તેઓ તમામ કામમાં વ્યસ્ત હતા ત્યારે વિસ્ફોટ થયો હતો અને તેમને લાગ્યું કે જાણે બોમ્બ ફાટ્યો છે. લેસ્ટર ફાયર એન્ડ રેસ્કયુ સર્વિસે બચાવ અને રાહતની કામગીરી શરૂ કરી દીધી છે. મંદિરના વડાએ મંદિરની અંદર ફસાઈ ગયેલા તમામ સુરક્ષિત હોવાનું જણાવ્યું છે.


ઝડફિયાનો પત્ર: ગોધરાકાંડ માટે મોદી સીધા જવાબદાર

ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધન ઝડફિયાએ ગોધરાકાંડ પછીનાં તોફાનોનો દોષનો ટોપલો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર ઢોળી સીધા તેમને જ જવાબદાર ગણાવ્યાં છે. સીટને લખેલા દસ પાનાના પત્રમાં સામેથી સાક્ષી બનવાની તૈયારી દર્શાવનારા ઝડફિયાના આ ચોંકાવનારા ઘટસ્ફોટથી મોદી માટે અનેક મુશ્કેલી સર્જાઇ શકે છે. ઝડફિયાએ લખેલા લેટરબોમ્બમાં ૨૭ ફેબ્રુઆરી-૨૦૦૨ના દિવસે ઉચ્ચ સ્તરે થયેલી ગુપ્ત બેઠકમાં કોણે શું કહ્યું હતું તે વાતના વટાણા સીટ સમક્ષ વેરી નાખ્યાં હોવાનું મનાય છે.
જો સીટ સમક્ષના નિવેદનમાં ઝડફિયા પોતાની સહીથી મોકલાવેલા પત્રની વિગતોને વળગી રહેશે તો આગામી દિવસો મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી માટે અત્યંત કપરા રહેશે, તેવું સૂત્રોએ જણાવ્યું છે. તાજેતરમાં એસ આઈ ટીએ સુપ્રીમમાં રજૂ કરેલા અહેવાલમાં, ગોરધન ઝડફિયા તથા પોલીસ અધિકારીઓ એમ કે ટંડન અને પી બી ગોંદિયાની વિવાદાસ્પદ ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો.આ ભૂમિકાને લઈને એસ આઈ ટી ગોરધન ઝડફિયાને સમન્સ પાઠવવાની તૈયારી કરી રહી છે ત્યારે ઝડફિયાએ એસ આઈ ટીને લખેલા પોતાની સહીવાળા ટાઈપ કરેલા પત્રમાં તોફાનો માટે નરેન્દ્ર મોદી પર દોષારોપણ કર્યું છે. સૂત્રોનું કહેવું છે કે હાલમાં, એસ આઈ ટીના વડા ડો આર કે રાઘવન અને એ કે મલ્હક્ષેત્રા ગાંધીનગરમાં છે અને વાય સી મોદી ટૂંક સમયમાં જ આવવાના છે. તેમની હાજરીમાં ઝડફિયાને નિવેદન માટે બોલાવવામાં આવશે.સીટની તપાસમાં ભૂતપૂર્વ ગૃહરાજ્યમંત્રી ગોરધન ઝડફિયા સામે ગાળિયો વધારે મજબૂત બન્યો છે. ૨૭ ફેબ્રુઆરીની ગુપ્ત બેઠકમાં શું થયું હતું, કોના આદેશ હતા અને ક્યા પ્રકારના પગલા લેવા જણાવાયું હતું તે વિસ્ફોટક માહિતી સીટને મળી જવા પામી છે. જેના કારણે વહીવટી તંત્રના વડા તરીકે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મુશ્કેલીમાં મુકાઇ શકે છે. કારણકે તે માહિતી રમખાણોમાં કોની ગુનાહિત બેદરકારી કે જવાબદારી હતી તે સાબિત કરવા મહત્વની પૂરવાર થઇ શકે છે. આ અગાઉ એકવાર મોદીની પૂછપરછ પણ સીટ દ્વારા કરવામાં આવેલી છે.


પીઓકેમાં ચીની સૈન્યની હાજરી : ભારત ચિંતિત

ચીન કહે છે કે માત્ર પૂરપીડિતોની મદદ માટે સૈનિકો સેવા આપી રહ્યા છે, ભારતીય રાજદૂત અને ચીનના નાયબ વિદેશ મંત્રી વચ્ચે ચર્ચા પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર(પીઓકે)ના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચીની સૈન્યની ‘પ્રવૃત્તિ અને હાજરી’ અંગે ભારતે શુક્રવારે ચીન સમક્ષ ચિંતા વ્યક્ત કરી છે. આ પ્રદેશમાં ચીને ૧૧,૦૦૦ સૈનિકો ગોઠવ્યા હોવાના અહેવાલના પગલે ભારતે આ ચિંતા વ્યક્ત કરી છે.પીઓકેમાં ચીની સૈનિકોની ગતિવિધિ અંગે વડાપ્રધાન મનમોહનસિંઘ અને સુરક્ષા અંગેની કેન્દ્રીય સમિતિના અન્ય સભ્યોને માહિતી આપીને નવી દિલ્હીથી પાછા ફરેલા ચીન ખાતેના ભારતીય રાજદૂત એસ જયશંકરે, આ બાબતે ભારતની ચિંતાને વ્યક્ત કરવા માટે ચીનના નાયબ વિદેશ મંત્રી ઝાંગ ઝિઝુનને મળ્યા હતા.જોકે, ચીની મંત્રીએ ભારતીય રાજદૂતને જણાવ્યું હતું કે એ પ્રદેશના પૂરપીડિત લોકોને માનવીય સહાયતા આપવા માટે ચીની સૈનિકો ત્યાં માત્ર સેવા આપી રહ્યા છે. ભારતીય દૂતાવાસની સૂત્રોએ જણાવ્યું હતું કે બન્નેએ દ્વિપક્ષીય સંધિને સુધારવા સંબંધિત અન્ય મુદ્દાઓ અંગે પણ ચર્ચા-વિચારણા કરી હતી. જોકે, તેની વિગતો આપવાનો સૂત્રોએ ઇનકાર કર્યો હતો.પીઓકેમાં પીપલ્સ લિબરેશન આર્મી(પીએલએ)ની હાજરી અંગે ‘ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના અહેવાલના પગલે ભારતે જણાવ્યું હતું કે તે સ્વતંત્રપણે આ બાબતની ચકાસણી કરશે અને જો એ અહેવાલ સાચા હશે તો તે એક ગંભીર બાબત ગણાશે.પીઓકેમાં ચીની સૈન્યની હાજરી અંગના અહેવાલ અંગે ટીકા-ટિપ્પણિ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે સોમવારે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિષ્ણુ પ્રકાશે જણાવ્યું હતું કે આ બાબત સાચી હોય તો તે એક ગંભીર ચિંતાનો વિષય છે અને રાષ્ટ્રના સુરક્ષા અને સલામતીની ખાતરી માટે આવશ્યક તમામ પગલાં અમે ભરીશું.


મોદીના ભાષણ માટે શાળાઓમાં રજા રદ્દ

હાલ ફેસ્ટીવલ મૂડ ચાલી રહ્યો છે. વિદ્યાર્થીઓ પણ રજાની મજા માણવામાં પડ્યા છે. સોમવાર સુધી શૈક્ષણિક સંસ્થાઓમાં વેકેશન જાહેર કરાયુ હતું પરંતુ તા. પમી શિક્ષક દિને રવિવાર આવતો હોય તેના આગલા દિવસે મુખ્યમંત્રી મોદીના ઓનલાઇન ભાષણનું આયોજન કરી કાલે શનિવારે શાળાઓ ચાલુ રાખવાનો ફતવો છેલ્લી ઘડીએ શાળા સંચાલકોને અપાતા સંચાલકો ઘાંઘાં થયા છે.
જો કે કાલે વિદ્યાર્થીઓ શાળાએ નહીં જ આવે એ નિશ્વિત વાત છે અને માત્રને માત્ર શિક્ષકોને જ ભાષણ સાંભળવાનું રહેશે એ પણ એટલી જ નક્કી વાત છે!છેલ્લા બે વર્ષથી શિક્ષક દિનના રોજ ગુજરાત સરકારની બીઆઇએસએજી સેટેલાઇન ચેનલ પર તમામ શાળાઓમાં મુખ્યમંત્રીના ઓનલાઇન પ્રવચનનું આયોજન કરવામાં આવે છે. પરમ દિવસે જ તા. પ સપ્ટેમ્બરે શિક્ષક દિવસ છે. બીજીબાજુ ગત સોમવારથી શૈક્ષણિક સંસ્થાઓમાં એક સપ્તાહનું વેકેશન જાહેર કરાયેલું છે. ૧પમી ઓગસ્ટે રવિવારે પણ બાળકોને વાઇબ્રન્ટ ઉજવણીના ભપકામાં પરાણે સામેલ કરવા શાળાઓ ચાલુ રખાઇ હતી અને એ દિવસની રવિવારની રજાને આવતીકાલે શનિવારે રજા રાખી એકઝેસ્ટ કરી અઠવાડિયાનું મીની વેકેશન જાહેર કરાયેલું હતું.એવામાં છેલ્લી ઘડીએ જિલ્લા શિક્ષણાધિકારી બગડાએ આવતીકાલે શનિવારની રજા રદ હોવાનો પરપિત્ર કાઢ્યો છે. પ સપ્ટેમ્બરે શિક્ષક દિન હોય મુખ્યમંત્રીના ઓનલાઇન ભાષણ માટે શાળા ચાલુ રાખવાનો આ ફતવો શાળા સંચાલકોને છેક ગણતરીની કલાકો પહેલા ખબર પડતા તેઓ પણ ઘાંઘા થયા છે. વિદ્યાર્થીઓને રજા રદ થવા અંગે એક જ દિવસમાં કઇ રીતે જાણ કરવી? એવી વિમાસણમાં મૂકાયા છે. જો કે બીજીબાજુ સ્થિતિ એ પણ થવાની છે કે, વિદ્યાર્થીઓમાં ફેસ્ટીવલ મૂડ હોય રદ થયેલી રજાના દિવસમાં કાલે નહીં જ આવે એ નિશ્વિત વાત છે.


68 વર્ષે બિગ બી ખતરનાક સ્ટંટ કરશે!

જો સંજય દત્ત, અજય દેવગણ અને અનિલ કપૂર ખતરનાક સ્ટંટ કરી શકતા હોય તો અમિતાભ બચ્ચન કેમ ના કરી શકે. બિગ બી દિગ્દર્શક રાજકુમાર સંતોષી અને નિર્માતા ફિરોઝ નડિયાદાવાલાને સ્પષ્ટ કહ્યું છે કે, તેમને એક્શન સ્ટંટ કરવા છે. આ ફિલ્મનું શુટિંગ જલ્દીથી શરૂ થાય તેવી શક્યતા છે.નોંધનીય છે કે, 68 વર્ષની ઉંમરે બિગ બી રાજકુમાર સંતોષીની આ ફિલ્મ દ્વારા એક્શન ફિલ્મ કરવા માંગે છે. આ ફિલ્મમાં ઘણાં જ ખતરનાક સ્ટંટ સીન હશે. સીનિયર બચ્ચન પહેલેથી જ એક્શન દ્રશ્યો પોતે જ કરે તે વાત પર ભાર મૂકતા હતા.80ના દાયકામાં અમિતાભે ફિલ્મ કુલીના શુટિંગ દરમિયાન તેમની સાથે એક અઘટતિ ઘટના બની હતી. જેને કારણે તેઓ દિવસોથી સુધી હોસ્પિટલમાં રહ્યા હતા.ફિરોઝ નડિયાદવાળાએ પણ કહ્યું હતું કે, અમિતજી ફિલ્મમાં સ્ટંટ કરતાં નજરે આવશે. સ્ક્રીપ્ટની ડિમાન્ડ પ્રમાણે એક્શન દ્રશ્યો ભરપૂર પ્રમાણમાં છે. જો કે સ્ટંટ કરતા સમયે બિગ બીનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે.


દબંગ જોતા પહેલા આ સાત વાતો જાણવી જરૂરી

સલમાન ખાનની ફિલ્મ દબંગ 10 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે સોનાક્ષી સિંહા પોતાની કરિયરની શરૂઆત કરી રહી છે.સોનાક્ષી સિંહાની કેટલીક અજાણી વાતો જાણવી જરૂરી છે....1 સોનાક્ષી સિંહા શુત્રધ્ન સિંહા અને પૂનમ સિંહાની પુત્રી છે અને તેને જોડિયા ભાઈ લવ-કુશ છે.2 તેણે વર્ષ 2005માં મેરા દિલ લેકે દેખોમાં કોસ્ચ્યુમ ડિઝાઈન કર્યા હતા.3 વર્ષ 2008 અને 2009માં સોનાક્ષી લેકમે ઈન્ડિયા ફેશન વીકમાં રેમ્પ પર કેટવોક કર્યુ હતું.4 સોનાક્ષી ઘણી જ જાડી હતી અને ફિલ્મ દબંગ માટે તેને થોડું વજન ઉતાર્યુ હતું.5 સોનાક્ષીને ફિલ્મ દબંગમાં લેવામાં ત્યારે ઘણાં લોકોને આ વાત પસંદ આવી નહોતી પરંતુ તેમ છતાં તેના નામ પર વિચાર કરીને તેને જ લેવામાં આવી હતી.6 સોનાક્ષીનો જન્મ અંક 2 છે અને તેની ઉંમર 23 વર્ષ છે.7 સોનાક્ષીને પણ ચિત્રકામનો શોખ છે અને આ શોખ સલમાન ખાનને કારણે બહાર આવ્યો છે. સોનાક્ષીએ ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કર્યો છે. તેને સ્કેચ બનાવતા આવડે છે. સલમાને તેને સારી રીતે પેઈન્ટિંગ કરતાં શીખવાડ્યું છે.આપણે આશા રાખીએ કે, સોનાક્ષીની ફિલ્મ દબંગ હિટ જાય અને તે બોલિવૂડમાં પોતાની કરિયર આગળ લઈ જાય...


‘અનિલને કારણે માધુરી મારા દૂર થઈ’

આમિર ખાન અને અનિલ કપૂર ડબલ ધમાલના મુર્હૂત પ્રસંગે સાથે નજરે આવ્યા હતા. આ ફિલ્મના દિગ્દર્શક ઈન્દ્ર કુમાર છે. ડબલ ધમાલ ફિલ્મ ધમાલની સિક્વલ છે.આમિરે ઈન્દ્ર કુમારની ફિલ્મ દિલ અને મનમાં અને અનિલે બેટા ફિલ્મમાં કામ કર્યુ છે અને ત્યારથી જ તેઓના સંબંધ ઈન્દ્ર કુમાર સાથે છે.આ પ્રસંગે આમિરને માધુરી દીક્ષિત સાથે કામ કરવાનો કેવો અનુભવ રહ્યો તેમ પૂછવામાં આવ્યું હતું. તો આ અંગે આમિરે જણાવ્યું હતું કે, માધુરી કમાલની અભિનેત્રી છે.જો કે આમિરે દુખી સ્વરે કહ્યું હતું કે, તેને માધુરી સાથે બીજીવાર કામ કરવાની તક મળી નહિ. જો કે આની પાછળનું કારણ આપતા આમિરે જણાવ્યું હતું કે, અનિલે માધુરી સાથે 13-14 ફિલ્મોમાં કામ કર્યુ છે અને અનિલે માધુરીને તેનાથી દૂર કરી છે.આમિરની આ વાત સાંભળીને હાજર રહેલા તમામ લોકો હસવા લાગ્યા હતા.


ચંડીગઢ : ગર્ભના બાળકથી અજાણ છે એ માસૂમ

ચંડીગઢની 13 વર્ષની એક બાળકીને એ વાતની ખબર નથી કે તેના ગર્ભમાં પોણા ત્રણ માસનું બાળક શ્વાસ લઈ રહ્યું છે. જ્યારે તેને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે તેને એવું હતું કે પેટમાં તકલીફ છે એટલે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી છે. આ બાળકીની અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી પણ થઈ ગઈ છે અને તેના લોહીના નમૂના પણ લેવાઈ ચૂક્યા છે.આ કેસમાં એવી વિગતો સામે આવી છે કે ઓમપ્રકાશ નામની વ્યક્તિએ તેની સાથે બળાત્કાર કર્યો, જેના કારણે તે ગર્ભવતી થઈ ગઈ છે. પોલીસે શુક્રવારે બપોરે જીએમએસએચ 16માં બાળકીનો મેડિકલ ચેકએપ કરાવ્યો હતો. ગર્ભમાં રહેલું બાળક સ્વસ્થ છે કે નહીં તેની જાણકારી માટે આ ચેકઅપ કરવામાં આવ્યો હતો. આ ચેકઅપમાં પોણો કલાક જેટલો સમય લાગ્યો હતો. પોલીસનું એવું કહેવું છે કે ડીએનએ રીપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવી જશે કે આ બાળકીના ગર્ભમાં રહેલું બાળક કોનું છે.આ સગીર વયની બાળકી એક સ્નેહાલયમાં રહે છે, પરંતુ સ્નેહાલય પરિસરના સંચાલકોએ તેમના હાથ ઊંચા કરી દીધા છે. તેમનું એવું કહેવું છે કે આ બળાત્કાર પરિસરમાં થયો નથી, તેથી તેઓ આ અંગે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. પંજાબ રાજ્ય માનવધિકાર પંચના પૂર્વ ચેરમેન રિટાયર્ડ જસ્ટીસ આરએસ મોંગિયા કહે છે કે આ બાળકીને જ નિર્ણય લેવાનો અધિકાર મળવો જોઇએ કે તેણે ગર્ભસ્થ શિશુને જન્મ આપવો છે કે નહીં. જો કોર્ટ આ બાળકની ગાર્ડિયન બનશે તો કોર્ટ આ અંગેનો નિર્ણય લઈ શકશે.વાસ્તવમાં બનાવ એવો બન્યો હતો કે આ બાળકીની નાની જ્યારે તેને પોતાના ઘરે રોકાવા માટે લેવા આવતી ત્યારે તેને નાની સાથે મોકલવામાં આવતી હતી. ક્યારેય ઓમપ્રકાશના કહેવા પર આ બાળકીને મોકલવામાં આવી નથી. મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં આ બાળકી રજા પર ગઈ હતી અને 5 જુલાઈના રોજ સ્નેહાલય પાછી આવી હતી. તબિયત ખરાબ થવાને કારણે જ્યારે 28 ઓગસ્ટના રોજ તેનો ચેકઅપ થયો ત્યારે આ હકીકત સામે આવી હતી.


ચાઇલ્ડ સેક્સમાં સપડાવા છતાં સજા સાવ નાની?

એક કોમ્પ્યુટર એક્સપર્ટ જેણે ચાઇલ્ડ સેક્સ સંબંધિત પાંચ લાખ કરતા પણ વધારે તસવીરો જમા કરીને રાખી છે, તે તાજેતરમાં જ જેલ જતાં જતાં બચી ગયો. વિકૃત વિચારો ધરાવતા 38 વર્ષના સંજીવ ડેલે ફોરબિડન રેલમ્સ નામના એક ઓનલાઇન ચાઇલ્ડ પોર્ન ગ્રુપ સાથે પોતાના સંબંધો બનાવી રાખ્યા હતા.તેણે વેબસાઇટ પર આ ગ્રુપના અન્ય સભ્યો સાથે બાળ-યૌન શોષણની 5,56,432 તસવીરો અને ફિલ્મો શેયર કરી હતી. આ આઈટી વિશેષજ્ઞ આ ગ્રુપનો આગળ પડતો સભ્ય હતો. જ્યારે પોલીસને આ વિશે ભાળ મળી, તો તેણે તરત જ એસેક્સ ખાતેના તેના ઘર પર છાપો માર્યો હતો.આ તપાસમાં અધિકારીઓને હાર્ડ ડ્રાઇવમાં સેવ કરેલી પાંચ લાખ કરતાં પણ વધુ ચાઇલ્ડ પોર્ન તસવીરો અને ફિલ્મો મળી આવી હતી. આમાંથી એક તસવીર તો માત્ર બે વર્ષની બાળકીની હતી. જ્યારે 8થી 12 વર્ષની બાળકીઓની મોબાઇલ તસવીરો હતી. અન્ય એક વિકૃત તસવીરમાં એક પુરુષને બાળકોને બાંધી તેમને કોરડા મારતો દર્શાવાયો હતો.જજ એલન સેગરસને પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું હતું કે તેમણે ડેલ પર દયા એટલા માટે કરી છે કારણ કે તેમાં 97 ટકા તસવીરો ઓછી ગંભીર છે અને વળી તેણે પોતાનો ગુનો પણ કબૂલી લીધો છે. આથી જજે તેને ત્રણ વર્ષની સામુદાયિક સેવાની સજા સંભળાવી છે.ર આ ગ્રુપના અન્ય સભ્યો સાથે બાળ-યૌન શોષણની 5,56,432 તસવીરો અને ફિલ્મો શેયર કરી હતી. આ આઈટી વિશેષજ્ઞ આ ગ્રુપનો આગળ પડતો સભ્ય હતો. જ્યારે પોલીસને આ વિશે ભાળ મળી, તો તેણે તરત જ એસેક્સ ખાતેના તેના ઘર પર છાપો માર્યો હતો.

No comments:

Post a Comment