30 December 2009

ડાંગમાં ‘રામાયણ સરકિટ’ બનશે

રામાયણમાં જેનો ઉલ્લેખ દંડકારણ્ય તરીકે થયો છે તેવા ગુજરાતના ડાંગ જિલ્લામાં ભગવાન રામ અને હનુમાનજીએ ગુજરાતમાં ગાળેલા સ્થળોને પ્રવાસન સરકિટમાં વણી લઈને સરકારે એક પ્રોજેક્ટ અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે. વનરાજીથી ધેરાયેલા દક્ષિણ પ્રાંતના ડાંગમાં આવેલાં આ પૌરાણિક સ્થળોને જીવંત બનાવવા મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ પ્રવાસન વિભાગને આદેશ કર્યો છે. એટલું જ નહીં, આગામી બજેટમાં આ પ્રોજેક્ટ માટે અલગ ભંડોળ ફાળવવા ઉપરાંત કેન્દ્ર સરકાર પાસેથી સહાય માગવાનો તખતો ઘડાઈ ચૂક્યો છે. આ પ્રોજેક્ટમાં રામાયણમાં દર્શાવેલાં સ્થળોને જોડતા રસ્તાનું નવીનીકરણ, પ્રવાસીઓ માટેની સગવડો, પૌરાણિક કથા પ્રમાણેનાં પાત્રોની સ્થાપના તેમજ તે સમયનું કુદરતી સૌંદર્ય સમાવી લેવાશે.

No comments:

Post a Comment