01 January 2010

01 January Fresh news રાજકોટના એસ્ટ્રોન ચોકમાં કોર્પો.ની ટીમે ધક્કો મારતા વેપારીનું મોત તંગદિલી

01 January Fresh news
રાજકોટના એસ્ટ્રોન ચોકમાં કોર્પો.ની ટીમે ધક્કો મારતા વેપારીનું મોત તંગદિલી
નવા વર્ષના પ્રથમ જ દિવસે રાજકોટના હાર્દ સમાન એસ્ટ્રોન ચોકમાં આજે બપોરે ઉઘરાણા કરવા નિકળેલી મહાપાલિકાની જગ્યા રોકાણ શાખાના સ્ટાફે ફ્રુટના વેપારી સાથે દાદાગીરી કરી ધક્કે ચડાવતાં વેપારી પ્રૌઢનું પડી જતાં ઘટના સ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. આ બનાવના પગલે ભારે તંગદીલી ફેલાઈ ગઈ હતી અને રોષે ભરાયેલા વેપારીઓએ જગ્યા રોકાણ શાખાની જીપમાં તોડફોડ કરી ઉંધી નાંખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ કાફલો સમયસર પહોંચી ગયો હતો અને હળવો લાઠીચાજ કરી તોફાને ચડેલા વેપારીઓ અને ટોળાને ભગાડી મુકયા હતાં. બીજી બાજુ વેપારીઓનો રોષ જોઈને જગ્યા રોકાણ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓએ જીવ બચાવવા મુઠીઓ વાડી હતી. આ બનાવે ભારે ચકચાર જગાવી છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટના એસ્ટ્રોન ચોકમાં વીર જલા સીઝન સ્ટોર્સ નામની ફ્રુટની દુકાન ધરાવતાં વેપારી અનિલભાઈ વલ્લભદાસ કુંડલીયા (ઉ.વ.૫૮) આજે બપોરે પોતાની દુકાને બેઠા હતા ત્યારે જગ્યા રોકાણ શાખાની જીપ જી.જે.૩-ડીડી-૨૦૨૯ તેમની દુકાન પાસે આવી ઉભી રહી હતી અને તેમાંથી ત્રણ થી ચાર અધિકારીઓ અને કર્મચારીઓ નીચે ઉતર્યા હતાં. જગ્યા રોકાણ શાખાના સ્ટાફે દુકાનની બહાર ટેબલ નાંખી ફ્રુટનો વેપાર કરતાં વેપારી પ્રૌઢ પાસે દંડની માગણી કરી હતી અને રૂપિયા ૫૦૦ દંડ ન ભરવો હોય તો રૂા.૨૦૦ આપો તેમ કહ્યું હતું જેમાં રકજક થતાં સ્ટાફે ટેબલ પર પડેલ ફ્રુટ ભરવા લાગ્યા હતાં. દાદાગીરીનો વેપારી પ્રૌઢે વિરોધ કરતાં ઉશ્કેરાયેલા જગ્યા રોકાણ શાખાના સ્ટાફે લોહાણા પ્રૌઢને ધકકો મારી દીધો હતો જેના કારણે તેઓ રોડ પર પડી જતા આઘાતના કારણે તેમને હાર્ટએટેક આવી જતાં વેપારીનું ધટના સ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.

ગુજરાત દેશ માટે અનુકરણીય છેઃ અડવાણી
સ્વર્ણિમ વર્ષ વખતે તમામ પૂર્વ મુખ્ય મંત્રીઓ,મંત્રીઓ, પૂર્વ-વર્તમાન સાંસદો, ધારા સભ્યોને એકી સાથે બોલાવી તેમને સ્વર્ણિમ સંકલ્પ લેવડાવવાના વિચારને દેશ માટે અનુકરણીય ગણાવી લોકસભામાં વિપક્ષના પૂર્વ નેતા અને ગાંધીનગરના સાંસદ અડવાણીએ કહ્યું હતું કે ગુજરાત દેશ માટે અનુકરણીય છે. આજે ગુજરાત વિધનસભા ખાતે સ્વર્ણિમ સંસદીય પરિષદમાં અડવાણીએ કહ્યું હતું કે કોઈ એક પ્રદેશનો વિકાસ કોઈ એક સરકાર માટે શકય નથી.આ તો,અત્યારસુધી જેટલી સરકારો આ રાજયમાં આવી અને તેમણે વિકાસની જે દિશા પકડી હતી તેને આ સરકારે આગળ વધારી છે બલ્કે ઝડપ આપી છે. ગુજરાતે જે વિકાસ સાધ્યો છે તે કોઈ એક રાજકીય નેતાને કારણે નહીં પરંતુ રાજયની જનતાને કારણે તે સાધી શકાયો છે. આવી પરિસ્થિતિમાં તમામ સરકારોના વડાઓ અને લોક પ્રતિનિધિઓને બોલાવી તેમનો ઋણ સ્વીકાર કરવાનો વિચાર અનુકરણીય છે.
અડવાણીએ કહ્યું હતું કે જેમ ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારકા આવીને વસ્યા હતા તેમ તેમના પિતા પણ સિંધ-પાકિસ્તાનથી ગુજરાતના કચ્છમાં આવીને વસ્યા હતા.એ પછી તેઓ પાંચ પાંચ વાર ગુજરાતની ગાંધીનગરની બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. ગુજરાતની સ્વર્ણિમ જયંતિનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે સાડા પાંચ કરોડ ગુજરાતીઓ એક-એક સંકલ્પ લઈને એક-એક કદમ આગળ વધશે તો ગુજરાતને વિકાસની દિશામાં આગળ વધતાં કોઈ રોકી શકશે નહીં એટલું જ નહીં પરંતુ ગુજરાત ભારતનો જ એક પ્રદેશ છે ત્યારે ભારતને આગળ વધતાં કોઈ રોકી શકશે નહીં ૧૯મી અને ૨૦ સદી ભલે રશિયા અને અમેરિકાની હશે પણ ૨૧મી સદી ભારતની છે.
ગુજરાતના વિકાસમાં પ્રત્યેક સરકારનો ફાળો મોટો છે:નરેન્દ્ર મોદી
મહાનુભાવોની ઐતિહાસિક પરિષદમાં ગુજરાતના વિકાસ માટેનો સર્વ પક્ષિય સંકલ્પ,
ભારતના તમામ રાજ્યો ગુજરાત નું અનુકરણ કરે:અડવાણી, વિતરણ વિનાની સમૃદ્ધિ ખરાબ છે,સંસ્કારના ઝરણાં જોઇએ :કેશુભાઇ, સત્ય સાદગી અને સ્વચ્છતા રાખી સ્વચ્છંદતા દૂર કરો:દિનશા પટેલ
ગુજરાતના ગોલ્ડન જયુબિલી વર્ષની ઉજવણીનો ૧લી જાન્યુઆરીથી પ્રારંભ થયો છે. વિધાન સભામાં આયોજીત સ્વર્ણિમ પરિષદમાં રાજ્યના ભાવિ વિકાસ માટે વાદ કે વિવાદથી દૂર રહી એક સાથે આગળ વધવાનો સર્વ પક્ષિય સંકલ્પ પારિત કરવામાં આવ્યો હતો. આ સંકલ્પની રજુઆત વખતે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ એવી ખાતરી આપી હતી કે તેમની સરકાર સૌને સાથે લઇને ચાલશે. જો કે માજી મુખ્ય મંત્રી કેશુભાઇ પટેલ અને કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે વિકાસના તબક્કાને સમર્થન આપી મીઠી ટકોર પણ કરી હતી. તેઓ અણગમો છુપાવી શકયા ન હતા. ભાજપના ટોચના રાષ્ટ્રીય નેતા અડવાણીએ ગુજરાત જેવી ઉજવણી તમામ રાજ્યમાં થવી જોઇએ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે આમંત્રિત કેન્દ્રીય નેતાઓ અને રાજ્યના પૂર્વ અને વર્તમાન નેતાઓ ઉપસ્થિત હતા પરંતું ત્રણ ભૂતપૂર્વ મુખ્ય મંત્રીઓની ગેરહાજરી નોંધ પાત્ર બની હતી. ગુજરાત વિધાન સભાને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. ઉંમરના કારણે તેમની શારિરીક સ્થિતિ નબળી પડી હતી એવા સભ્યો પણ ઉત્સાહ સાથે આવ્યા હતા. ઘણાં વર્ષો પછી સભાગૃહમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળતાં રાજીના રેડ થઇ ગયેલા ૫૦ વર્ષ જુના ધારાસભ્યો પોતાના ભૂતકાળને વાગોળી રહ્યા હતા. શુક્રવારે બપોરના સમયે વિધાન સભા ગૃહમાં પરિષદના પ્રારંભ પછી મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ સ્વર્ણિમ સંકલ્પની જાહેરાત કરતાં કહ્યું હતું કે ગુજરાતની સ્થાપના પછીના ૫૦ વર્ષના ડેવલપમેન્ટ ગ્રાફમાં કોઇ એક સરકાર કે કોઇ એક વ્યક્તિનું યોગ દાન નથી પરંતું વિકાસની ઉંચાઇઓ સર કરવામાં પાયો નાંખનારા મહાનુભાવોથી લઇને વિકાસની કેડી કંડારનારા તમામ સહભાગી છે. ૭૦૫ જેટલા આમંત્રિતોથી શોભી ઉઠેલી આ પરિષદ સભા સમક્ષ મોદીએ કહ્યું હતું કે અમે લોક સભા, રાજ્ય સભા અને વિધાન સભાના તમામ ભૂતપૂર્વ અને વર્તમાન સભ્યો ૨૦૧૦ના વર્ષને સુવર્ણ તક ગણી રાજ્યના વિકાસ માટે સમર્પિત થઇએ છીએ. હું માનું છું કે રાજ્યની પ્રગતિમાં નીચે ઉભેલા લોકોનો પુરુષાર્થ, યોગ દાન તેમજ તેમના જીવનના અમૂલ્ય દિવસોનો ભોગ છે. આ તબક્કે હું અત્યાર સુધીમાં સત્તા સ્થાને આવેલા તમામ મુખ્ય મંત્રીઓનો ઋણી છું. આખા વર્ષ દરમિયાન જન ભાગીદારીથી વિકાસની મંઝીલ ઉભી કરવાની છે અને વિશ્વમાં ગુજરાતીઓને ગૌરવ અપાવવાનું છે. આ એક ઐતિહાસિક પ્રસંગ છે અને તેને પ્રેરક, અસરકારક વળાંક આપવાનો છે.
પ્રજાના સપનાને પુરા કરવા માગતા સરકારના સ્વર્ણિમ સંકલ્પને વધાવી રાજ્યપાલ ડો. કમલા બને કહ્યું હતું કે ૨૦૧૦ના વર્ષમાં ગુજરાત તેજી સાથે વિકાસના કામોમાં કોઇ કસર નહીં છોડે. છેલ્લા પ૦ વર્ષમાં આવેલા તમામ મુખ્ય મંત્રીઓએ રાજ્યનો નિરંતર વિકાસ કર્યો છે. હું રાજસ્થાની છું અને અમારા રાજ્યએ ગુજરાતને સગા ભાઇની જેમ જોયું છે. ગુજરાતે જ અમને લગન, મહેનત અને સચ્ચાઇ શિખવી છે. તપસ્યા એ ગુજરાતીઓની એક ખૂબી રહી છે. શ્વેત ક્રાન્તિના જનક એવા ગુજરાતે ઔધ્યોગિક ક્રાન્તિમાં પણ નંબર વનનું સ્થાન હાંસલ કયું છે કારણ કે અહીં જનતાનું રાજ છે. જે સરકાર લોકો માટે વિચારે તે સફળ બને છે. પરિષદ પૂર્વે વિધાન સભાના અધ્યક્ષ અશોક ભટ્ટે સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે ૨૦૧૦ની પહેલી મે ના રોજ ગુજરાત ૫૦ વર્ષનું થવાનું છે ત્યારે એક વર્ષ સુધી રાજ્યમાં સ્વર્ણિમ સિદ્ધિ અને સોપાનનું તર્પણ ગુજરાતની પ્રજાને થવાનું છે. તેમણે ઉપસ્થિત મહાનુભાવોને આવકાર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહી શક્યા નથી તેવા ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી પ્રણવ મુકરજીના સ્વર્ણિમ સંકલ્પને સમર્થન આપતા સંદેશાનું વાંચન કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં ૧લી મે ની ઉજવણી

૧લી મે-૨૦૦૮ના રોજ ગુજરાતના પ્રથમ મુખ્ય મંત્રી ડો.જીવરાજ મહેતાના વતન અમરેલીથી શરૂ થયેલી સંકલ્પ યાત્રાનો પહેલો તબક્કો પુરો થયો છે. બીજા તબક્કામાં સમગ્ર રાજ્યમાં વિવિધ સ્પર્ધાઓ યોજાશે. ત્યારબાદ ૧લી મે-૨૦૧૦ના રોજ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ગુજરાત સરકાર સ્થાપના દિનની રંગેચંગે ઉજવણી કરશે અને ઉત્સવનું સમાપન રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ૧લી મે-૨૦૧૧ના રોજ કરવામાં આવશે. દરમ્યાન મોદી સરકાર જાન્યુઆરી-૨૦૧૧ના રોજ સાયન્સ સિટીમાં પાંચમી ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ યોજશે

ગડકરીએ મોદીના ભરપેટ વખાણ કર્યાં

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી બી.જે.પી. શાસિત રાજ્યો માટે એક સારા રોલ મોડલ છે પરંતુ તે પાર્ટી તરફથી પી.એમ. પદના ઉમેદવાર બનશે કે નહી તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી. મહારાષ્ટ્રના નેતાઓની નજરમાં નરેન્દ્ર મોદી ભારતમાં સૌથી સારા મુખ્ય મંત્રી છે અને બી.જે.પી. શાસિત રાજ્યો તેમની પાસેથી ઘણુ બધું શીખી શકે છે. ભારતીય ઈતિહાસમાં મોદી હજુ સુધીના સારા મુખ્ય મંત્રી રહ્યાં છે. તે એક સારી ઈમેજ ઘરાવતા વ્યક્તિ છે. બીજા રાજ્યો માટે હું તેમનો અભિપ્રાય જરૂર લઈશ. હવે હું એક કોન્ફરન્સ કરવા જઈ રહ્યો છું જેમાં હું આ મુદ્દે વાત થશે કે કેવી રીતે બી.જે.પી. શાસિત પ્રદેશમાં સારું કામ કરી શકાય. અમે મોદીની મદદ એક સારી સરકાર રચવાના રૂપમાં લઈ શકીએ છીએ. જ્યારે ગડકરીને પુછવામાં આવ્યું કે શું મોદીને 2014ના લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પીએમ પદના દાવેદાર તરીકે જોઈ શકાય ? તો આના જવાબમાં તેમણે કહ્યું હતું કે તે પાર્ટીના એક સારા નેતા છે પરંતુ પીએમ પદના દાવેદારી પર કંઈ પણ કહેવું અત્યારે જલ્દી હશે.

‘વિકાસ માટે પક્ષાપક્ષીથી દૂર રહેવું જરૂરી’
સ્વર્ણિમ ગુજરાત પરિષદમાં પૂર્વ મુખ્ય મંત્રી માધવ સિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આપણે ગાંધી અને સરદારની જન્મ અને કર્મ ભૂમિ એવા ગુજરાતમાં જન્મ્યાનો ગર્વ છે. પક્ષાપક્ષીથી દૂર રહેવાશે તો અકલ્પનીય વિકાસ સાધી શકાશે. તેમણે કહ્યું હતું કે કવિ નર્મદે લખ્યું છે તેમ આ ‘ગરવી ગુજરાત’છે. ભારતના નકશામાં તેનું સ્થાન નાનકડું છે પણ વાસ્તવમાં ગુજરાત એટલે એક નાનકડું દેશ હોય તેમ તેમાં બધું જ છે.તેમણે એક અનુભવ ટાંકતા કહ્યું કે બી.બી.સી.ના એક પત્રકારને ભારત વિશે લકવાનું કહેવાયું હતું ત્યારે તેણે માત્ર ગુજરાત વિશે લખીને ભારત વિશે લખ્યા હોવાનું સમજી સંતોષ માન્યો હતો.એવું આ ગુજરાત છે.
સોલંકીએ બીજો દાખલો ટાંકતાં જણાવ્યું કે જયારે ભગવાન શ્રીકૃષ્ણને તેમના યાદવો સાથે મથુરા છડવું પડ્યું હતું ત્યારે તેમણે ગુજરાતને પસંદ કયું હતું અને તેઓ દ્વારકા આવીને વસ્યા હતા.એ પછી પણ આ ઈતિહાસ સતત દહોરાતો ગયો છે કેમ કે આઝાદીકાળ વખતે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પણ ગુજરાતના હતા. પાકિસ્તાનના પ્રથમ પ્રમુખ મહંમદ અલી જિન્હાના બાપ-દાદા પણ ગુજરાતી હતા. દેશની પ્રથમ પાર્લામેન્ટના પ્રથમ સ્પીકર માવલેન્કર દાદા પણ અને તે પહેલા પ્રથમ અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલ પણ ગુજરાતી હતા. નવ નિર્માણ આંદોલનને યાદ કરીને તેમણે કહ્યું કે તે વખતે જય પ્રકાશ નારાયણ ગુજરાત આવ્યા હતા ત્યારે અહીના યુવકોનો જુસ્સો અને આંદોલનને જોઈ પ્રભાવિત થયા હતા તે પછી તેમણે બિહાર જઈ તેનું પુનરાવર્તન કયું હતું એટલે આ એવું ગુજરાત છે કે આપણે અહીં જનમ્યા છીએ તેનો ગૌરવ લેવા જેવું છે.આમ છતાં જો ગુજરાતમાં પક્ષાપક્ષીથી દૂર રહને અકલ્પનીય વિકાસ સાધી શકાશે.
લગ્ન બહારના સંબંધો! ડોન્ટ વરી
જો તમારા પતિ કોઇ બીજી સ્ત્રી સાથે લગ્નેત્તર સંબંધોની મજા લઇ રહ્યા હોય તો ગુસ્સામાં આવીને તેની પાછળ ચાકૂ લઇને ના પડી જશો કારણ કે લગ્નેત્તર સંબંધો તંદુરસ્ત લગ્નજીવન માટે સારા છે તેમ હાલમાં થયેલો એક અભ્યાસ જણાવે છે. ફ્રાંસની પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક મેર્સી વેઇલેંટે પોતાના નવા વિવાદાસ્પદ પુસ્તકમાં લગ્નજીવન, પુરૂષ, પ્રેમ, પ્રમાણિકતા વિશે વિગતવાર ચર્ચા કરી છે અને તેના મતે લગ્નેત્તર સંબંધો વિવાહિત જીવન માટે સારા છે. આ મનોવૈજ્ઞાનિકે ગણતરી સાથે જણાવ્યું છે કે લગ્નેત્તર સંબંધો રાખનારો પુરૂષ તેના લગ્નજીવનને ટકાવી શકે છે.

તે જણાવે છે કે લગ્નેત્તર સંબંધોમાં મોટાભાગે પુરૂષ પત્ની સિવાયની સ્ત્રીને સાચો પ્રેમ નથી કરતો હોતો અને તેઓ ફક્ત પોતાને મળેલી આઝાદીને માણી રહ્યા હોય છે. એક પત્નીત્વભાવ ધરાવતા પતિ માટે બેવફાઇ કરવી શક્ય નથી.

વફાદારી સ્વાભાવિક નહીં પણ સાંસ્કૃતિક છે અને બેવફાઇ અનિવાર્ય મનોવૈજ્ઞાનિક વલણ છે અને પુરૂષ પોતાના પ્રેમમાં એટલો છે જેટલો પહેલા હતો તેમ માનતી મહિલાઓ પુરૂષના લગ્નેત્તર સંબંધોને પોતાના લગ્નજીવનને મજબુત કરવા સારી રીતે ઉપયોગમાં લઇ શકે છે. પોતાના પુસ્તકમાં મેર્સીએ એમપણ જણાવ્યું છે કે પ્રેમનો અર્થ વફાદારી થાય છે તેવી વ્યાખ્યા ન કરી શકાય.














*


*
*


*
*

*
*

*
*


*


*
*


*
*

*
*

*
*


*
*
*
*


*
*

*
*

*
*


*
*

No comments:

Post a Comment