30 December 2009

દરેક ફરિયાદને F.I.R. ગણવા રાજ્યોને આદેશ

રુચિકા વિનય ભંગ કેસમાં સામે આવેલા પરિણામોને જોતાં ગૃહ મંત્રાલયે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પોલીસ મથકે મળતી તમામ ફરિયાદને એફ.આઇ.આર. માનીને જ તેના પર કામગીરી કરવાનો આદેશ આપ્યો છે. ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને આ મુજબનો પરિપત્ર જારી કરવા નિર્ણય લઇ લીધો છે. આગામી સપ્તાહે આ પરિપત્ર જાહેર થશે. દરમિયાન પોલીસ અધિકારી કોઇપણ આરોપમાં દોષિત ઠરતાં આપોઆપ તેના પોલીસ અને બહાદુરી મેડલ પાછા ખેંચાયેલા માનવા અંગેનો નિયમ બનાવવાની કાર્યવાહી પણ ચાલી રહી છે.

No comments:

Post a Comment