12 January 2010

ભારત-શ્રીલંકા વચ્ચે ફાઈનલ

ત્રિકોણીય શ્રેણીમાં જીતની હેટ્રિક નોંધાવી ચૂકેલી ટીમ ઈન્ડિયા બુધવારના રોજ શ્રીલંકા સામે ફાઈનલ રમશે. આમાં ભારતીય ટીમ મનોવૈજ્ઞાનિક રીતે આગળ છે. તાજેતરમાં જ ભારતે શ્રીલંકાને ભારતમાં રમાયેલી શ્રેણીમાં હરાવ્યું હતું. હાલમાં ચાલી રહેલી શ્રેણીમાં પણ ભારતે શ્રીલંકાને મજબૂત લડત આપી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે છેલ્લી પાંચ શ્રેણીના પરિણામોમાં ભારતનું પલડું ભારે રહ્યું છે. આ પહેલા ગયા વર્ષે શ્રીલંકાની ધરતી પર રમાયેલી શ્રેણી સહિત ભારત શ્રીલંકા સામે સતત ચાર શ્રેણી જીતી ચૂક્યું છે.
ટોસની ભૂમિકા : આં મેચમાં ટોસની ભૂમિકા મહત્વની રહેશે. ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવા ઈચ્છશે કેમ કે બાદમાં ઝાકળના કારણે બોલિંગ ઘણી મુશ્કેલ સાબિત થશે.
સેહવાગનું પુનરાગમન નક્કી : આક્રમક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગના પુરાગમનથી ભારતીય બેટિંગ લાઈન વધારે મજબૂત થશે. ગૌતમ ગંભીર સાથે મળીને ઓપનિંગની શરૂઆત કરનાર દિનેશ કાર્તિકને ટીમની બહાર બેસવું પડશે.

No comments:

Post a Comment