15 January 2010

ગંગાસાગરમાં ભાગદોડ, સાતનાં મોત

પશ્ચિમ બંગાળના ગંગા સાગરમાં મકર સંક્રાતિના મેળા દરમિયાન મચેલી ભાગદોડમાં સાત લોકોના મૃત્યું નિપજ્યા હતા, જ્યારે 17થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. ઘાયલોમાં એક બાળક અને છ મહિલા સામેલ છે. લોકો બોટ પર ચડી રહ્યા હતા ત્યારે આ ભાગદોડ થઇ હતી. આ દરમિયાન એક વૃધ્ધાએ લાઇન તોડી બોટ પર ચડવાનો પ્રયાસ કરતાં ભીડને નિયંત્રિત કરવા માટે ત્યાં ઉભો કરવામાં આવેલો બેરિકેડ તૂટી ગયો હતો. નોંધનીય છે કે ગત્ વર્ષે પણ આ મેળામાં ભાગદોડમાં પાંચ લોકોના મૃત્યું નિપજ્યા હતા. મકર સંક્રાતિના અવસર પર દર વર્ષે અહીં લાખો શ્રધ્ધાળુઓ ગંગા સ્નાન માટે ઉમટી પડે છે.

No comments:

Post a Comment