13 January 2010

૧૫મીએ સૂર્યગ્રહણ : મંદિરોના દર્શનનાં સમયમાં ફેરફાર

- સોમનાથ મહાદેવ ખાતે પ્રાત:, મધ્યાહ્ન આરતી નહીં થાય, સાંજે શુદ્ધિકરણ થશે
- પ્રખ્યાત ભદ્રકાળી માતાજી મંદિર સવારે ૮થી સાંજે ૫ સુધી બંધ રહેશે
- ગ્રહણ સ્પર્થથી મોક્ષ દરમિયાન ધૂન-ભજન-જપ-તપ થશે

તા.૧૫મીએ કંકણાકૃતિ સૂર્યગ્રહણ છે. જેના લીધે રાજયભરના અનેક મંદિરોના દર્શનનાં સમયમાં ફેરફાર થયો છે અને મંદિર સવારે વહેલા બંધ થઇ જશે. જે સાંજે શુદ્ધિકરણ વિધિ બાદ ખુલશે. રાજયના સોમનાથ જયોતિર્લિગ ખાતે પ્રાત: અને મધ્યાહ્ન આરતી નહીં થાય તો અનેક ભકતો ગ્રહણ સ્પર્શથી મોક્ષ દરમિયાન ધૂન-ભજન-જપ-તપ કરશે.

પ્રસિદ્ધ તીર્થધામ, જયોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે સૂર્યગ્રહણને કારણે પ્રાત:આરતી જે સવારે ૭ વાગ્યે થાય છે તે અને મધ્યા«ન આરતી જે બપોરે૧૨ વાગ્યે થાય છે, તે બંધ રહેશે અને કોઇ પૂજા વિધિ થઇ શકશે નહીં. સાંજે ૪ વાગ્યે મંદિરનું શુદ્ધિકરણ કરાશે અને ભગવાનને વિશિષ્ટ પૂજન-અર્ચન કરવામાં આવશે અને સાંજે ૭ વાગ્યે આરતી થશે, એમ સોમનાથ ટ્રસ્ટના ડેપ્યુટી મેનેજર વજિયસિંહ ચાવડાએ જણાવ્યું હતું.

શહેરના કુળદેવી ગણાતા ભદ્રકાળી માતાજીનું મંદિર ખાતે દર્શનનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગે ભદ્રકાળી માતાજી મંદિરના ટ્રસ્ટી શશીકાંત તિવારીએ જણાવ્યું કે કંકણાકૃતિ સૂર્યગ્રહણને સવારે ૭ વાગ્યે આરતી થયા બાદ સવારે ૮ વાગ્યાથી મંદિર બંધ રહેશે અને ગ્રહણ મોક્ષ થયા બાદ માતાજીને વિશિષ્ટ પૂજન-વિધિ બાદ સાંજે ૫ વાગ્યા પછી મંદિર ખુલશે અને ત્યારબાદ રાબેતા મુજબ રાત્રિ સુધી દર્શન થશે.

સ્વામિનારાયણ મંદિર-રામબાગ-કાંકરિયા ખાતે સૂર્યગ્રહણને કારણે તા.૧૫મીએ ગ્રહણ સ્પર્શથી મોક્ષ દરમિયાન સામુહિક ધૂન-ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. જયારે સ્વામિનારાયણ મંદિર-કુમકુમ-મણિનગર ખાતે સૂર્યગ્રહણ નિમિત્તે તા.૧૫મીએ સમયમાં ફેરફાર કરાયો છે. સવારે ૯ વાગ્યે દર્શન બંધ થશે. જે સામાન્ય રીતે ૧૨ ખુલ્લુ રહેતુ હોય છે પરંતુ ગ્રહણને કારણે બંધ રહેશે અને સાંજે ૫ વાગ્યે મંદિર ખુલશે. જયારે વ્રજધામ-સેટેલાઇટ ખાતે વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમારજી મહારાજ, વૈષ્ણવાચાર્ય યદુનાથજી મહારાજની નશિ્રામાં ગ્રહણ સમયે ભગવદ્ નામ સંકીર્તન અને જાપ કરવામાં આવશે અને મોટી સંખ્યામાં વૈષ્ણવો પણ ઉપસ્થિત રહી દર્શન-જાપનો લાભ લેશે.

No comments:

Post a Comment