13 January 2010

ગૃહમંત્રીના રાજીનામાનો પ્રશ્ન નથી : રાજ્ય સરકાર સોરાબુદ્દીન કેસમાં તપાસ એજન્સી બદલાઇ છે,ન્યાયિક પ્રક્રિયાનો ભાગ છે:જયનારાયણ વ્યાસ

ગુજરાતની એજન્સીઓમાં રાજય સરકારને વિશ્વાસ હોવાથી સોરાબુદ્દીન પ્રકરણની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી ન હતી તેવા પ્રત્યાધાત આપી સરકારના પ્રવકતા મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે દેશની સર્વોચ્ચ અદાલતે આપેલા આદેશનું પાલન કરાશે. આ કેસમાં ન્યાય આવવાનો બાકી છે, સીબીઆઇને તપાસ સોંપવાનો હુકમ એ ન્યાયીક પ્રક્રિયાનો ભાગ છે તેથી વિપક્ષે હરખાવાની જરૂર નથી.

સોરાબુદ્દીન કેસની તપાસમાં સુપ્રિમ કોટેં આપેલા જજમેન્ટનો ગુજરાત સરકાર અભ્યાસ કરશે. વિપક્ષના નેતાઓ રાજયકક્ષાના ગૃહમંત્રીનું રાજીનામું માગે છે તે અકલ્પનિય બાબત છે. વ્યાસે કહ્યું કે રાજય સરકારે પ્રથમ તો તેની પોતાની તપાસ એજન્સીઓ ઉપર વિશ્વાસ મૂકવો જોઇએ. જો આ તપાસ પહેલેથી સીબીઆઇને સુપરત કરવામાં આવે તો સ્થાનિક
એજન્સીઓના મોરલ ઉપર અસર થાય.

વપિક્ષને તો તેના પડછાયામાં ભૂત દેખાય છે તેવો શબ્દપ્રયોગ કરી પ્રવકતા મંત્રીએ જણાવ્યું હતું કે કોઇના રાજીનામાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કાર્યદક્ષ એજન્સીઓ ઉપર સરકારને ટ્રસ્ટ છે પણ કોઇ પક્ષકારને એવું લાગે તો તે વાંધો ઉઠાવી શકે છે. રાજય સરકારે આ કેસમાં કંઇ છુપાવ્યું નથી કે છુપાવવા માગતી નથી. ન્યાયની પ્રક્રિયામાં બીજી એજન્સીને તપાસનું કામ સોંપવાથી સરકાર ઉપર દોષારોપણ થઇ શકે નહીં.

No comments:

Post a Comment