13 January 2010

રાજકોટ : સુગર હાઉસ, વિત્ત ભવન જપ્ત કરવા કોર્પોરેશનની કાર્યવાહી

રાજકોટ મહા નગર પાલિકાની ટેકસ શાખા ૦૯-૧૦ના બજેટમાં અપાયેલા ૧૧૫ કરોડની આવકના લક્ષ્યથી ૩૨ કરોડ દૂર હોઇ આવક વધારવા ઝોન વાઇઝ ધડાધડ નોટિસો ઇસ્યુ થઇ રહી છે. તો મનપાને વર્ષોથી મિલકત વેરા પેટે એક પૈસો પણ ન ચૂકવનાર ગોંડલ રોડ પરના વિત્ત ભવન તથા ત્રિકોણ બાગ પાસેના સુગર હાઉસ નામક મિલકતો કબજે કરવા તૈયારી ચાલી રહી છે. સોની બજાર ખાતે વિવિધ કોમ્પ્લેકસમાં ૭૨ વેપારીઓને નોટિસ ફટકારાઇ છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગત બજેટમાં મિલકત વેરાની આવકનો ૧૧૫ કરોડનો લક્ષ્યાંક અપાયા બાદ ટેકસ શાખાને હજૂ સુધીમાં ૮૩ કરોડની જ આવક થઇ છે જયારે જાન્યુઆરી માસ અડધો પૂર્ણ થઇ ગયો છે અને લક્ષ્ય ૩૨ કરોડ છેટું છે. આથી મકાનો જપ્ત કરવા પણ ફાઇલો તૈયાર થઇ રહી છે.
ગોંડલ રોડ પરનું વિત્ત ભવન બન્યું ત્યારથી આ ભવનના એક પણ દુકાનદાર કે ઓફિસ માલિકે વેરો ભર્યો નથી વેરા પ્રશ્ને વાંધો પડતા તમામે વાંધા અરજી કરી હતી. જેનો નિકાલ થઇ ગયો છતાં ર૦ લાખનો ટેકસ ભરાતો ન હોઇ સમગ્ર ભવન કબજે કરવા તજવીજ આરંભવામાં આવી છે. સોની બજાર વિસ્તારમાં આવેલા ગોલ્ડન પ્લાઝા, દેવ કોપ્લેકસ, કેવલ કોમ્પલેકસમાં દુકાનો અને ઓફિસો ધરાવતા તેમજ મનપાને વર્ષોથી મિલકત વેરો ન ચૂકવતા ૭૨ બાકીદારોને ટેકસ ડિપાટર્મેન્ટ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. ત્રિકોણ બાગ પાસે આવેલા સુગર હાઉસ નામક બિલ્ડંગમાં તથા ત્યાં જ આવેલી લાખાજીરાજ સ્મારક ટ્રસ્ટની માલિકીની મિલકતમાં આવેલી દુકાનો, ઓફિસો પાસે ૨૧ લાખની રકમ બાકી નીકળતી હોઇ તે મિલકત પણ કબજે કરી નાણાં વસૂલવા મનપાએ તૈયારી આદરી છે શહેરના સેન્ટ્રલ ઝોનના શ્રોફ રોડ, સુભાષનગર તથા કસ્તુરબા રોડ પર આવેલા કેટલાક એપાટર્મેન્ટો તેમજ દુકાનદારોને બાકી વેરો તાત્કાલિક ભરી જવા નોટિસ પાઠવી અને તાકીદ કરવામાં આવી છે.

No comments:

Post a Comment