13 January 2010

દ્વારકામાં નિવૃત પ્રાથમિક શિક્ષકોને વસુલાતની નોટીસ... !! :ઉગ્ર વિરોધ

દ્વારકા તાલુકાના નિવૃત પ્રાથમિક શિક્ષકોને રજા-પગારના મામલે રૂ.૧૫ થી ૫૫ હજારની વસુલાતની નોટીસ ફટકારવામાં આવતા ચકચાર જાગી છે. નોટીસ ગેરકાનૂની હોવાનું જણાવી શિક્ષકોએ ઉગ્ર વિરોધ કર્યો છે. તાલુકામાં છેલ્લા પાંચેક વર્ષથી નિવૃત થઇ માત્ર પેન્શનની રકમમાંથી પોતાના કુટુંબનું જીવન નિર્વાહ ચલાવતા પ્રાથમિક શિક્ષકો પૈકી કેટલાક શિક્ષક ભાઇઓ-બહેનોને જિલ્લા શિક્ષણાધિકારીની સુચના અનુસાર દ્વારકા તાલુકા વિકાસ અધિકારી દ્વારા રૂ.૧૫ હજારથી ૫૫ હજાર સુધીની રકમ વસુલ કરવાની નોટીસો આપવામાં આવી છે. વર્ષ-૨૦૦૩-૦૫ના ઓડીટ અહેવાલ પ્રમાણે નિવૃતિ પૂર્વે ૧૫૦ દિવસની મર્યાદામાં રજાના રૂપાંતરીત પગાર ચુકવવાના બદલે ૩૦૦ દિવસની રજાનો પગાર ચૂકવાયો હોય વસુલાતનો પ્રશ્ન ઉભો થયો છે. આ નોટીસ મળતાં નિવૃત પ્રાથમિક શિક્ષકોમાં આશ્ચર્ય સાથે ખળભળાટ મચી ગયો છે. રોષે ભરાયેલા શિક્ષકોએ રજૂઆત કરી છે કે, પગારની રકમ સક્ષમ અધિકારી દ્વારા મંજૂર કરી ચૂકવવામાં આવી છે. જેમાં તેમની કોઇ કસૂર નથી.

No comments:

Post a Comment