15 January 2010

રાજકોટ : દોરાને ખેંચતા વીજવાયર તૂટયો, તરૂણનું મોત

મકર સંક્રાંતિના પર્વ પર પતંગ ઉડાડતી વેળાએ અગાશી પરથી પટકાવાના, પતંગ લૂંટવા જતા અકસ્માતનો ભોગ બનવાના સહિતના બનાવો બને છે. આ ઉત્સવની પૂર્વ સંઘ્યાએ રાજકોટ નકના મુંજકામાં ઈલેકિટ્રક તારમાં ફસાયેલો દોરો કાઢતી વેળાએ વીજ કરંટ લાગતા ગરાસિયા તરૂણનું મોત નીપજયું હતું. તેમજ મવડીના સ્વામિનારાયણ પાર્કમાં અગાશી ધોતી વખતે ઈલેકિટ્રક વાયરને અડી જવાથી પટેલ મહિલાનું મત્યુ થયું હતું.

મુંજકાના ટીટોડીયા પરામાં આવેલા સ્લમ કવાટર્રમાં રહેતો અર્જુનસિંહ દશરથસિંહ ઝાલા (ઉ.વ.૧૨) બુધવારે સાંજે પોતાના ઘરની અગાશી પર પતંગ ઉડાડતો હતો. પતંગનો દોરો અગાશી પાસેથી પસાર થતાં ઈલેકિટ્રક તારમાં ફસાતાં અર્જુને ખેંરયો હતો. દોરો ખેંચતા જ ઈલેકટ્રીક તાર પણ તૂટયો હતો. તૂટેલો વીજતાર ગરાસિયા તરૂણને અડતાં તરૂણ વીજ આંચકા સાથે ઢળી પડયો હતો. અને તેનું મોત નીપજયું હતું. સંક્રાંતના આગલા દિવસે જ બે પુત્રોમાંથી નાના પુત્ર અર્જુનના આકસ્મિક મૃત્યુથી ઝાલા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

No comments:

Post a Comment