13 January 2010

પત્નીઓથી છોડાવો: પતિઓની રાવ

અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ દ્વારા સોમવારે રાજકોટ કલેકટર અને પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં માગ કરી હતી કે, પોલીસના વુમન સેલ બંધ થાય અને સ્ત્રીધનના નામે લૂંટ પર નિયંત્રણ મુકાય, પતિ-પત્નીના ઝઘડામાં અન્ય સગા-સંબંધીઓને ફસાવવામાં ન આવે, પત્નીની ખોટી ફરિયાદ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે, છૂટાછેડાની પ્રક્રિયા આસાન બનવી જોઈએ. આવેદનપત્ર પાઠવવા હાજર રહેલાં પત્ની પીડિતોએ તેમને થતી પરેશાની અંગે દિલ ખોલીને વાતો કરી હતી

No comments:

Post a Comment