06 October 2010

રાજકોટ : યુવાનનું ગળું કાપી હત્યા કરવાનો પ્રયાસ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



રાજકોટ : યુવાનનું ગળું કાપી હત્યા કરવાનો પ્રયાસ

શહેરમાં ખૂની હુમલાના વધુ એક બનાવમાં મોચી બજાર ખાડામાં રહેતા મુસ્લિમ યુવાનને પડોશી દલિત શખ્સે ગત સાંજે ફરવાના બહાને આજીડેમ લઇ ગયા બાદ અન્ય ત્રણ મિત્રોની મદદથી હુમલો કરી, છરીથી ગળુ કાપીને હત્યાનો પ્રયાસ કર્યો હતો.ગંભીર રીતે ઘવાયેલા યુવાન રાતભર લોહીના ખાબોચિયામાં પડ્યો રહ્યો હતો. સવારે કોઇની નજરે ચડતા તેને હોસ્પિટલે ખસેડાયો છે. મુખ્ય આરોપી પોલીસે ઝડપી લીધો છે.મોચી બજાર ખાડામાં રહેતા શબીર દાઉદભાઇ શેખ (ઉ.વ.૨૮) નામના યુવાનને પડોશમાં રહેતા ભરત હરજિન સાથે ત્રણ વર્ષ પહેલા નજીવી બાબતે ઝઘડો થતાં ભરત સોડા બોટલથી હુમલો કર્યો હતો. ત્યારથી અદાવત ચાલતી હતી. બાદમાં સમાધાન થઇ જતા સુમેળ હતો. ગત સાંજે બાઇક લઇને આવેલા ભરતે આજી ડેમ ફરી આવીએ તેમ કહેતા તેના બાઇક પાછળ બેસી ગયો હતો.આજી ડેમના ઓવર ફ્લોના સ્થળે પહોંચ્યા ત્યારે ભરતના ત્રણ મિત્રો પણ આવી ગયા હતા . ભરતે જુના ઝઘડાનુ વેર રાખીને બોલાચાલી કર્યા બાદ ચારેય શખ્સ ધોકાથી તૂટી પડ્યા હતા. અને છરીથી હુમલો કરી ગળુ કાપવાનો પ્રયાસ કરી નાસી ગયા હતા. અંધારુ થઇ ગયું હોવાથી અવાવરુ સ્થળે ઇજાગ્રસ્ત યુવાન આખી રાત લોહીના ખાબોચિયામાં પડ્યો રહ્યો હતો.સવારે ત્યાંથી પસાર થઇ રહેલા નાગરિકની નજર પડતા તેને હોસ્પિટલ ખસેડાયો છે. પી.આઇ. એસ.કે. ઝાલા, મદદનીશ સાવજુભા જાડેજા, જયેશ શુક્લ અને હનીફભાઇએ ખૂનની કોશિશનો ગુનો નોંાધી આરોપી ભરત બાબુ સોંઢાની ધરપકડ કરી છે.


રાજકોટ : યુવતીનું અપહરણ કરી વેંચી દીધા બાદ બળાત્કાર

શહેરના આશાપુરા નગરમાં રહેતી યુવતીનું પરિચિત મહિલા સહિત ત્રણ શખ્સોએ અપહરણ કરી યુવતીને બિલખામાં રૂ. ૬૦ હજારમા વેચી દીધાનો કિસ્સો પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો હતો. યુવતીને ખરીદનાર ઊનાના શખ્સે બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાંથી મોકો મળતા જ પરત ભાગી આવેલી યુવતીએ આપ વિતી વર્ણવતા તમામ શખ્સો સામે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા હતા.ચકચારી બનાવ અંગે કોઠારિયા રોડ, આશાપુરાનગર-૩મા રહેતા જયશ્રીબેન ઉર્ફે જયોત્સના બટુકભાઇ સોરિઠયા નામની પટેલ પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટ રહેતી મણીબેન, વિજય ભરવાડ, વિપુલ ભરવાડ બિલખા ગામે રહેતી લાભુબેન અને ઊના રહેતા હમીર કાળા આહીર, સાજણભાઇ માલદેભાઇ આહીર અને રામભાઇ લાખાભાઇ ગોહીલના નામો આપ્યા છે.ફરિયાદ મુજબ, આરોપી મહિલા મણીબેન પટેલ પરિવારની પરિચિત હોય ગત તા.૨૮ની સાંજે પટેલ પરિણીતાની પુત્રીને શાકભાજી લેવા સાથે લઇ ગઇ હતી. મોડી રાત સુધી પુત્રી પરત નહીં આવતા પટેલ પરિવારે તપાસ કરી હતી. તપાસમાં મણીબેન અને બે ભરવાડ શખ્સો લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયાનું બહાર આવ્યું હતું.દરમિયાન આઠ દિવસથી ગુમ થયેલી પુત્રી આજે પરત આવતા તેને સઘળી હકીકત તેની માતાને વર્ણવતા કહ્યું હતું કે, લગ્નની લાલચે મણીબેન તેમજ યુવતી સાથે હીરાના કારખાનામાં કામ કરતા બન્ને ભરવાડ શખ્સો બિલખા લાભુબેન પાસે લઇ ગયા હતા. ત્યાથી ઊનાના હમીર આહીરને રૂ.૬૦ હજારમા વેચી કોર્ટમાં લગ્ન કરાવી નાખ્યા હતા અને આહીર શખ્સે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા.પોતાને વેચી નાખ્યાની યુવતીને જાણ થતા તે ત્યાથી નાસી છૂટી રાજકોટ પરત પહોંચી હોવાનું જણાવ્યું હતું. ભકિતનગર પોલીસના ફોજદાર જે.બી.ચાવડાએ ગુનો નોંધી યુવતીનું તબીબી પરીક્ષણ કરાવવા તેમજ આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.


ખેડૂત સભાસદના પરિવારને સહાય ચેક

ચીખલી તાલુકાના ચાસા ગામના અકસ્માતમાં મુત્યુ પામેલ ખેડૂત સભાસદના પરિવારને મહુવા સુગરના ડીરેકટર જયંતિલાલ પરમારના હસ્તેમાં એક લાખ રૂપિયાનો ચેક એનાયત કરાયો હતો.ચાસા ગામના વલ્લભભાઈ બાબરભાઈ પટેલ મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના સભાસદ હતા ગત ૧૫-૫-૧૦ના રોજ અકસ્માતમાં તેમનું મુત્યુ થયું હતું જે સંદર્ભે સુગરની સભાસદ અકસ્તમાત વિમા પોલીસી અન્વયે એક લાખ રૂપિયાનો ક્લેઈમ મંજુર થતા મરનાર સભાસદના પત્ની ભારતીબેન પટેલને તેમના નિવાસસ્થાને રૂબરૂ જઈ મહુવા સુગરના રાનકૂવા ઝોનના ડીરેકટર જયંતિલાલ પરમારે ચાસા ગામના મહુવા સુગરના પ્રતિનિધિ અલીભાઈ માંકડા અગ્રણી વિનુભાઈ પટેલ ખેડૂત આગેવાન પરિમલ ચૌહાણ, ચીખલીના અગ્રણી વિનય પટેલ, પિપલગભણના આશિષ દેસાઈ વગેરેની ઉપસ્થિતિમાં એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરતા આ પરિવાર ગદગદિત થઈ ગયો હતો.


વડોદરાને દેશનું મશહૂર શહેર બનાવીશું : ગડકરી

વડોદરા સેવાસદનની ચૂંટણીમાં ભાજપને ફરીથી અવસર મળશે તો દેશનું સૌથી મશહૂર શહેર બનાવી દેવાશે તેવી ખાતરી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે નિતીન ગડકરીએ આજે અત્રે સભામાં વ્યક્ત કરી હતી.અમદાવાદી પોળ ખાતે ચૂંટણીલક્ષી જાહેર સભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ગુજરાત દેશનું વિકાસ મોડેલ છે.જે લોકોને ભાજપ કે મોદી પસંદ નથી તે પણ આ વાત સ્વીકારે છે.દેશમાં ૧૦ લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી છે અને૫૮ હજાર કરોડ રૂપિયાનું અનાજ સડી ગયુ છે.મહારાષ્ટ્રમાં કપાસના ઉત્પાદકોને આત્મ હત્યા કરવી પડે છે પણ ગુજરાતમાં કપાસના ઉત્પાદકો કેમ આત્મહત્યા કરવી પડતી નથી? કેન્દ્ર પાસે તેનો જવાબ નથી. કોમનવેલ્થ ગેમ્સમાં અત્યારે દેશની આબરૂનો સવાલ હોવાથી ગેમ્સ પૂરી થયા પછી તેનો ચોક્કસ ભાંડો ફોડીશ તેવી તેમણે ચિમકી ઉચ્ચારી હતી.તેમણે જણાવ્યું હતું કે, સીબીઆઇ એટલે કોંગ્રેસ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન છે અને તેમાં જેને ફાંસીએ ચડાવવાના હોય તેને માફી અપાય છે અને દેશભક્તોને ફાંસીના માંચડે ચડાવવાની વાત થાય છે. ભગવા આતંકવાદની વાત કરનારાને ખબર નથી કે આતંકવાદને કોઇ જાતિ, ધર્મ કે રંગ હોતો નથી પણ માત્ર કાળો રંગ જ હોય છે.ભાજપા ધર્મ જાતિ આધારિત રાજનીતિ ખેલવા માગતી નથી તેવી સ્પષ્ટતા સાથે જણાવ્યું હતું કે,દેશ ચૂંટણીમાં રાજકારણ કાસ્ટ, કેશ અને ક્રિમિનલ્સ એમ ત્રણ સી ઉપર આધારિત હોય છે અને તેને હટાવવા જોઇએ. જોકે, ભાજપ મુસ્લિમોના વિરુદ્ધ નથી અને રાષ્ટ્રવાદ અમારો આત્મા છે તેવો પણ તેમણે દાવો કર્યો હતો.


અંજાર : રતનાલ બેઠક માટે કોંગ્રેસને થપાટ

અંજાર તાલુકા પંચાયતની ૧૫ બેઠકો પૈકી રતનાલના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ટેકિનકલ કારણોસર રદ્દ થયું હતું. પરિણામે સ્થાનિક રાજકારણમાં એકતરફ ઉદાસી તો બીજી બાજુ અગાઉથી જ વિજયોત્સવ મનાવાયો હતો.તાલુકા પંચાયત માટે કોંગ્રેસ, ભાજપ, અપક્ષ, એનસીપી, બીએસપીએ ઝંપલાવ્યું છે, જેમાં કોંગ્રેસના ડમી સહિત બન્ને મહિલા ઉમેદવારનું ઉમેદવારીપત્ર રદ થતાં કોંગ્રેસનો એકડો નીકળી ગયો હતો.તાલુકા પંચાયતની રતનાલ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે છાંગા પરમાબેન વાસણભાઇએ ઉમેદવારી નોંધાવી હતી, તો કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુજરિયા કુવરબેન અરજણનું ફોર્મ ભરાયું હતું, ત્યારે આજે મંગળવારે ફોર્મ સકાસણી દરમિયાન બન્ને પક્ષના ઉમેદવારો, અગ્રણીઓની ઉપસ્થિતિમાં કોંગ્રેસના ઉમેદવારની ફોર્મમાં અધૂરાશો હોવાની વાત ધ્યાને આવી હતી.આ અંગે રતનાલ ચૂંટણી ઇન્ચાર્જ રણછોડભાઇ આહિર દ્વારા દલીલો કરાઇ હતી. જોકે, અંતે કોંગ્રેસના ઉમેદવારોનું ફોર્મ રદ્દ થયું હતું. આ બેઠક ઉપર અન્ય કોઇ ઉમેદવાર નહીં હોવાના સાથે કોંગ્રેસના ડમી ઉમેદવારનું ઉમેદવારીપત્રક પણ રદ્ થતાં હાજર રહેલા ભાજપના આગેવાનો દ્વારા ફટાકડા ફોડી હાર પહેરાવી વિજયોત્સવ પણ મનાવાયો હતો.આ સમયે જિલ્લા ભાજપના મહામંત્રી રણછોડભાઇ આહિર, અંજાર તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઇ માતા, યુવા પ્રમુખ રણછોડભાઇ આહિર, માજી નગરપતિ ભરતભાઇ શાહ સહિત અનેક ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.


કોંગ્રેસી ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કર્યો !

અબડાસા તાલુકમાં કોંગી અગ્રણી ભાજપમાં જોડાયા બાદ તેના સમર્થનમાં કોંગ્રેસના નલિયાના સત્તાવાર ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કર્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ અબડાસા તાલુકામાં કોંગ્રેસના જૂના જોગી ગણાતા જુવાનસિંહ જાડેજા પોતાના સહ કાર્યકરો સાથે ભાજપમાં જોડાઇ જતાં તેના બન્ને પુત્રો હકુમતસિંહ જાડેજા અને ઇન્દ્રજીતસિંહ જાડેજાએ પણ કોંગ્રેસને રામ-રામ કરી દીધા હતા.ત્યાર બાદ નલિયા-૨ તાલુકા પંચાયતની બેઠકમાં કોંગ્રેસે જેને મેન્ડેટ આપ્યો હતો તે સત્તાવાર ઉમેદવાર સરસ્વતીબેન જેઠાલાલ ભાનુશાલીએ પણ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે, તેથી હવે આ બેઠકમાં કોંગ્રેસના કોઇ ઉમેદવાર રહયા નથી તેવો તાલ સર્જાયો છે.જોકે, અન્ય એક અપક્ષ ઉમેદવાર પણ બેઠકમાં ઝંપલાવ્યું છે, પરંતુ ભાજપ માટે જીત આસાન બની ગઇ છે.


ભાવનગર શહેરમાં ત્રણ દિવસ વીજકાપ

ભાવનગર શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાં આવતી કાલ તા.૬ બુધવારથી સતત ત્રણ દિવસ સુધી સાત કલાકનો વીજકાપ રહેશે.
મરામત કામગીરી સબબ ઝિંકાયેલા વીજકાપમાં તા.૬ બુધવારે હલુરિયા ફિડર હેઠળ આનંદનગર, ત્રણ માળિયા, વણકરવાસ, મ્યુ.ક્વાર્ટર, માણેકવાડી, ક્રેસન્ટ, મેઘાણીસર્કલ, સેનેટરીવાળા વિસ્તારમાં વીજકાપમાં તા.૬ બુધવારે હલુરિયા ફિડર હેઠળ આનંદનગર, ત્રણ માળિયા, વણકરવાસ, મ્યુ.ક્વાર્ટર, માણેકવાડી, ક્રેસન્ટ, મેઘાણીસર્કલ, સેનેટરીવાળા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.જ્યારે તા.૭ ગુરૂવારે નાકુબાગ ફિડર હેઠળના વડવા ફાચરીયાવાડી, ચાવડીગેટ પોલીસચોકી, પાનવાડી ટેલીફોન એક્સચેન્જ, બાહુબલિ કોમ્પ્લેક્ષ, દાદાસાહેબ વીટી એપાર્ટમેન્ટ, પૃથ્વી કોમ્પ્લેક્ષ, જુની આર.ટી.ઓ. સંત કંવરરામ ચોક, રસાલા કેમ્પ, ડોક્ટરહાઉસનો સમાવેશ થાય છે.આ સિવાય તા.૮ શુક્રવારે દિવાનપરા ફિડરનો અમુક ભાગ જેવો કે, સાંિઢયાવાડ, રાણિકા, લીમડીવાળી સડક, પીંજારા ચોક, એસ.બી.આઈ. બેન્ક શિવ કોમ્પ્લેક્ષ અને હલુરિયા ચોક વિસ્તારમાં અડધો દિવસ વીજકાપ લાદવામાં આવેલ છે.


‘બિગ બોસ’ને કોઈ પણ ભોગે ચાલવા નહીં દઈએ’

શિવસેનાના વડા બાળ ઠાકરેએ પાકિસ્તાની કલાકારોના સહભાગવાળા રિયાલિટી શોને બંધ કરાવી દેવાની મંગળવારે ચીમકી આપવાની સાથે સલમાન ખાનના હોસ્ટવાળો શો ‘બિગ બોસ’ રાજકીય મુશ્કેલીનો સામનો કરે છે. બાળ ઠાકરેએ એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘ગમે તે થાય, અમે શો ચાલવા નહીં દઈએ. અમને કાયદો અને વ્યવસ્થાની ધમકી ન આપશો. શિવસેના આ શોને બંધ કરાવી દેશે.’પાકિસ્તાનની મોડેલ-અભિનેત્રી અને પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ આસફિની ભૂતપૂર્વ પ્રેમિકા વીણા મલિક અને પાકિસ્તાનના લોકપ્રિય ચેટ-શોમાં મહિલાનો વેશ લઈ હોસ્ટ બનતાં બેગમ નવાઝિશ અલી સહિત શોમાં હિસ્સો લેનારા ૧૪ જણની સલમાન ખાને ઓળખ કરાવવાની સાથે ચોથી વારના આ રિયાલિટી શોનો આરંભ ઓક્ટોબર મહિનાની ત્રણ તારીખે થયો હતો, પણ પાકિસ્તાની કલાકારોનો સમાવેશ શિવસેના અને રાજ ઠાકરેની આગેવાની હેઠળના મહારાષ્ટ્ર નવિનર્માણ સેના (મનસે)ના ગળે ઊતર્યો નથી. બેઉ પક્ષોએ હિટ થયેલા આ રિયાલિટી શોને ચાલતો અટકાવી દેવાની ચીમકી આપી છે.‘બિગ બોસ’માં હિસ્સો લેનારા અન્ય લોકોમાં ૨૬ નવેમ્બરના મુંબઈ પરના આતંકવાદી હુમલામાં ફાંસીની સજા પામેલ અજમલ આમિર કસાબના ભૂતપૂર્વ વકીલ અબ્બાસ કાઝમી, પીઢ ફિલ્મસર્જક મહેશ ભટ્ટનો પુત્ર રાહુલ, દેવિન્દર સિંહ ઉર્ફે બન્ટી ચોર અને અને ખૂનના અનેક કેસોનો સામનો કરી રહેલી ભૂતપૂર્વ ડાકુરાણી સીમા પરિહારનો સમાવેશ થાય છે.


મુંબઈ : કસાબને યેરવડા જેલમાં ખસેડવાનું સૂચન

પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને મુંબઈની આર્થર રોડ જેલમાંથી પુણેની યેરવડા જેલમાં ખસેડવામાં આવે એવું સૂચન મુંબઈ પોલીસે રાજ્યના ગૃહ ખાતાને કર્યું છે.મુંબઈમાં આર્થર રોડ જેલ છે તે વિસ્તારમાં લોકોની મોટી વસતિ હોવાને કારણે સુરક્ષા વ્યવસ્થા મોટી ચિંતાનો વિષય રહે છે. અત્યાર સુધીમાં કસાબ ઉપર ચાલેલા કેસ અને તેની સુરક્ષા પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો થઈ ગયો છે અને હજી તેના કેસને કેટલો સમય લાગી શકે છે તે કહેવું મુશ્કેલ હોવાને કારણે કસાબને હવે અહીં રાખવો એ યોગ્ય જણાતું નથી એવું પોલીસનું કહેવું છે.મુંબઈમાં નવી રચના અનુસાર આર્થર રોડ જેલની નજીકથી મોનોરેલ પસાર થવાની છે. ઉપરાંત આ વિસ્તારમાં મોટાં મોટાં ટાવર્સ આવવાનાં છે. આથી કસાબ જેવા આરોપીઓને આ જેલમાં રાખવા યોગ્ય નથી, એવો ભય પોલીસે સેવ્યો હતો.અમે અમારો પ્રસ્તાવ રાજ્ય સરકારને પાઠવી દીધો છે.આ પ્રસ્તાવ અંગે રાજ્ય સરકાર તાબડતોબ કોઈ નિર્ણય લેશે એવી અપેક્ષા મુંબઈ પોલીસના ક્રાઈમ બ્રાંચના વડા હિમાંશુ રોયે સેવી હતી.કસાબનું અહીંથી અપહરણ કરવાની તેમ જ વિમાનને હાઈજેક કરીને તેના બદલામાં કસાબના છુટકારાની માગણી કરવાનું કાવતરું આતંકવાદી સંગઠન કરી શકે એવી માહિતી ભારતીય ગુપ્તચર સંસ્થાએ આપી છે. જો આવા સમયે કસાબને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો તેને કારણે મુંબઈ પોલીસની સાથે સાથે રાજ્ય સરકાર અને ભારતનું પણ નાક કપાઈ શકે છે.


ખંભાત : ભાજપના ઉમેદવારોની ગાંધીગીરી રંગ લાવી !

અત્રેની ઉંદેલ જિલ્લા પંચાયતની બેઠક માટે ભાજપના ઉમેદવાર માટે કમલેશ છોટાભાઇ પટેલને મોવડીમંડળે મેન્ડેટ આપી ઉમેદવાર તરીકે પસંદગી ઉતારી હતી.જો કે આ ઉમેદવાર તાલુકા પંચાયતના ચાર સભ્યોને પસંદ ન હોઈ ઉંદેલ-૧ના મનુભાઇ છોટાભાઇ પટેલ (ભાજપના ઉમેદવાર) ઉપરાંત ઉંદેલ-૨, નંદેલી તથા જલુંધના ભાજપના તાલુકા પંચાયતના ઉમેદવારોએ પ્રભારી મંત્રી ફકીરભાઇ વાઘેલા સહિતના અગ્રણીઓ સમક્ષ વિરોધ નોંધાવી જણાવ્યું હતું કે ઉંદેલ જિલ્લા પંચાયત બેઠક માટે કમલેશભાઇ પટેલને ટિકિટ ફાળવી હોઈ સામે ચાર સભ્યો તાલુકા પંચાયતની ચૂંટણી લડવા તૈયાર નથી.જો આ બેઠક ઉપર ૧૪ હજારની મતસંખ્યા ધરાવતા ક્ષત્રિય ઉમેદવાર અમરસિંહ ઝાલાને ટિકિટ મળશે તો જ ચૂંટણી લડીશું. લાંબા વિવાદ બાદ તાલુકા પંચાયતના ચારેય સત્તાવાર ઉમેદવારોની રજૂઆત સાંભળી નવેસરથી ઉંદેલના દાવેદાર અમરસિંહ ઝાલાને ટિકિટ ફાળવી ઉમેદવારી કરાવતાં સમગ્ર મામલોઆખરે થાળે પડ્યો હતો.


પિતૃસેવાની અધૂરી ઇચ્છા બની પાગલપન : ખુદના રક્તથી તર્પણ

માતા પિતાનું છત્ર ગુમાવ્યા બાદ માનસિક અસ્થિર બનેલા એક યુવકે પિતાના શ્રાધ્ધના બીજા જ દિવસે ખુદના ગળા પર બ્લેડ મારી જિંદગી ટુંકાવી દેતાં ભારે અરેરાટી વ્યાપી છે. પ્રબળ પિતૃપ્રેમ હોવા છતાં અંતિમ સમયે માતા-પિતાની સેવા કરવાની તક નહિ મળવાના અફસોસમાં મોતને ભેટવા સુધીનું અંતિમ પગલું ભરનારા આ યુવાનના કારણે સમગ્ર પરિવાર ગમગીનીમાં સરી પડ્યું હતું.ગોરવા સ્થિત સોલંકી ફિળયામાં રહેતો ૪પ વર્ષીય વિજય ઠાકોરભાઇ સોની અલકાપુરીના કલા-કંગન શો રૂમમાં ફરજ બજાવતો હતો. દોઢેક વર્ષ પહેલાં વિજયનાં માતા-પિતાનું અવસાન થતાં તે માનસિક સંતુલન ગુમાવી બેઠો હતો. માતા-પિતાની સેવા કરવાની તક નહિ મળતાં તે ભારે ગમગીન રહેતો હતો. આ બાબતે તેની માનસિક સ્થિતિ કથળતાં સયાજી હોસ્પિટલના મનોચિકિત્સાલયમાં સારવાર પણ લીધી હતી.સોમવારે તેના પિતાનું શ્રાદ્ધ હોવાથી પરિવારજનો એકઠાં થયાં હતાં,શ્રાધ્ધના દિવસે વિજયના મનમાં માંડ ભૂલાયેલી પિતાની અંતિમ યાદ ફરી પાછી તાજી થઇ ગઇ હતી. તે બપોરે ધાબા પર કાગવાસ નાંખવા ગયા બાદ ઘરમાં પરિવારજનોની સાથે વાતચીત બંધ કરી હતી અને જમ્યો ન હતો. પિતૃઋણ ચૂકવવામાં નિષ્ફળ ગયાની લાગણીના ભારમાં દબાઇને જેમ તેમ કરી વિજયે સોમવારનો દિવસ વિતાવી દીધો પણ બીજા દિવસે મંગળવારે પણ તેના મનમાં આ જ વાત રમ્યા કરતી હતી. તે સવારે સાઇકલ લઇ અલકાપુરી સ્થિત શો રૂમમાં જવા નીકળ્યો હતો.પણ ત્યાં જવાને બદલે રસ્તામાં જ સાડા દસ વાગ્યાના સુમારે ગોરવા ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે અચાનક આવેશમાં આવી જઇ વિજયે ખુદના ગળા પર બ્લેડ ફેરવી ગળું કાપી નાખ્યું હતું.


અમદાવાદથી ઘર છોડીને ભાગેલા બે બાળકો મહેસાણાથી મળ્યાં

અમદાવાદથી ઘર છોડીને નાસી છુટેલાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતાં બે બાળકો મંગળવારે બપોરે મહેસાણા રેલવે પોલીસ સ્ટેશનેથી મળી આવતાં આરપીએફના સ્ટાફે વાલીઓનો સંપર્ક કરી તેમને સોંપતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયાં હતાં. મહેસાણા રેલવે સ્ટેશને બપોરે સાડા બાર વાગ્યે અમદાવાદથી આવેલી જમ્મુતાવી ટ્રેનમાંથી ઉતરેલાં સ્કૂલ ડ્રેસ પહેરેલાં બે બાળકો રડતાં હોઈ આરપીએફના કોન્સ્ટેબલ મણીભાઈ પ્રજાપતિના ધ્યાને આવ્યાં હતાં. તેમણે આ બાળકોને વિશ્વાસમાં લઈ ઓફીસમાં લાવી પૂછપરછ કરતાં બંને બાળકો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારની કૃષ્ણનગર વિદ્યાવિહારમાં ધોરણ-૮માં અભ્યાસ કરતા અને આ જ વિસ્તારમાં રહેતા ચાવડા દિનેશ રમેશભાઈ તથા હરવાણી પવન વાસુદેવભાઈ હોવાનું જાણવા મળ્યું હતું. વધુ પૂછપરછ કરતાં તેઓ અભ્યાસ બાબતે મળેલા ઠપકા અને અભ્યાસના દબાણને કારણે ઘર છોડીને નીકળી ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમની પાસેથી મળેલા વાલીના મોબાઈલ નંબરના આધારે આરપીએફના સ્ટાફે વાલીઓનો સંપર્ક કરતાં તેઓ મહેસાણા દોડી આવ્યા હતા. પવનના પિતા તથા મિત્રો મહેસાણા રેલવે સ્ટેશને આવતાં જ બંને મિત્ર બાળકો તેમને ભેટી પડ્યા હતા અને લાગણીસભર દ્રશ્યો સર્જાયાં હતાં. જો કે, બાળકોએ એમ પણ જણાવ્યું હતું કે, અભ્યાસના ડરથી અમે મંગળવારે શાળામાંથી બારોબાર કાલુપુર રેલવે સ્ટેશને સાયકલો મૂકીને જમ્મુતાવી ટ્રેનમાં ટિકિટ વગર જ બેસી ગયા હતા. અમે ચાર-પાંચ દિવસ બહાર ફરીને પછી ઘરે પરત જવાના હતા પરંતુ ટ્રેનમાં બેઠા પછી ડરી જતાં અહીં ઉતરી ગયા હતા.



મહેસાણા : ખેરાલુ પાલિકા પ્રમુખનું રાજીનામું

ખેરાલુ પાલિકામાં એક માસ અગાઉ ભાજપ સાથે છેડો ફાડી સત્તાધીશ થયેલા ભરત પટેલ લઘુમતીમાં મુકાઇ જતાં ઉપપ્રમુખની પણ નિમણૂંક કરી શક્યા નથી. તેવામાં મંગળવારની સાંજે પ્રમુખપદેથી રાજીનામું આપી દેતાં વળાંક આવ્યો છે.ખેરાલુ પાલિકા પ્રમુખની બીજા તબક્કાની એક માસ અગાઉ યોજાયેલી ચૂંટણીમાં ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસ પ્રેરિત વિકાસમંચના ટેકાથી સત્તારૂઢ થયેલા નગરપતિ ભરત પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. તો બીજી તરફ તેમની સાથે બળવામાં સામેલ મહિલા નગરસેવિકા પાર્વતીબહેને પ્રમુખની ચૂંટણી બાદ તુરંત જ પોતાનો ટેકો પાછો ખેંચી ભાજપમાં પરત ફરતાં પાલિકા પ્રમુખ લઘુમતીમાં મુકાઇ ગયા હતા.૧૦ સદસ્યોનું જુથબળ ધરાવતા નગરપતિ વિરુદ્ધ ભાજપના નગરસેવકોએ ૧૧ સદસ્યોની બહુમતીથી પાલિકાના મુખ્ય અધિકારી જયેશ પટેલને લેખિત રજૂઆત કરી હતી અને નગરપતિને નિતિવિષયક નિર્ણયો લેતા અટકાવ્યા હતા. પરિણામે તેઓ સામાન્યસભા પણ બોલાવી શક્યા નહોતા. સામાન્ય રીતે એક માસમાં થનારી ઉપપ્રમુખની નિમણૂંક પણ તેઓ નહોતા કરી શક્યા. તેવામાં મંગળવારની સાંજે સ્થાનિક ભાજપ અગ્રણી કનુભાઇ પંડ્યા, શહેરભાજપ પ્રમુખ બાલુભાઇ મોદી અને પૂર્વ શહેર પ્રમુખ રસીકલાલ કડિયા વગેરે સાથે મહેસાણા જઇ કલેક્ટર અજય ભાદુને નગરપતિએ પ્રમુખના હોદ્દા પરથી રાજીનામું આપી દેતાં પાલિકાના રાજકારણે નવો વળાંક લીધો છે.


મહેસાણા : પંચાયતમાં ૫૬૪ ઉમેદવાર માન્ય ઠર્યા

જિલ્લા પંચાયત તથા નવ તાલુકા પંચાયતની ચૂંટણી માટે મંગળવારે હાથ ધરાયેલી ઉમેદવારી ફોર્મ ચકાસણીના અંતે ૪૨૫ ફોર્મ રદ થતાં જિલ્લામાં પંચાયતી જંગમાં ૫૬૪ ઉમેદવારો માન્ય ઠર્યા છે. જિલ્લા પંચાયતની ૩૯ બેઠકો સામે ૧૦૦ તથા તાલુકા પંચાયતની ૧૮૭ બેઠકો માટે ૪૬૪ ઉમેદવારો મેદાને જંગમાં ચાલુ રહ્યા છે. જ્યારે જિલ્લા પંચાયતમાં ૮૮ તથા તાલુકા પંચાયતોમાં ૩૩૭ ફોર્મ રદ થયા છે.જિલ્લા પંચાયતની ૩૯ બેઠકો માટે ૧૮૮ તથા નવ તાલુકા પંચાયતોની ૧૮૭ બેઠકો માટે ૮૦૧ મળી કુલ ૯૮૯ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જોકે મંગળવારે ઉમેદવાર ફોર્મ ચકાસણી હાથ ધરાઇ હતી. જેમાં મેન્ડેટ ના મળતાં તેમજ અન્ય વિવિધ ભુલ, ક્ષતિઓને લીધે જિલ્લા પંચાયતના ૮૮ ફોર્મ તથા નવ તાલુકા પંચાયતોના ૩૩૭ ઉમેદવારના ફોર્મ રદ થયા હતા. જેમાં જિલ્લા પંચાયતની બલોલ બેઠકમાં ૩, બોરીયાવીમાં ૧, જોટાણામાં ૪, લીંચમાં ૨, પાંચોટમાં ૨, આંબલિયાસણમાં ૩, ગોઝારીયામાં ૩, ખેરવામાં ૧, લાંઘણજમાં ૪, કલ્યાણપુરામાં ૨, કુંડાળમાં ૩, નંજાસણમાં ૪, રાજપુરમાં ૩, થોળમાં ૧, વામજમાં ૨, બેટરાજીમાં ૧, મોઢેરામાં ૨, ભાલકમાં ૧, ગોઠવામાં ૧, કાંસામાં ૪, સવાલામાં ૪, વાલમમાં ૨, ડાભલામાં ૩, ગોવિંદપુરામાં ૧, ખરોડમાં ૩, કુકરવાડામાં ૩, લાડોલમાં ૨, પીલવાઇમાં ૧, ડભોડામાં ૩, મલેકપુર(ખે)માં ૩, કુડામાં ૨, સતલાસણામાં ૧, સુદાસણામાં ૧, છાબલિયામાં ૨, સીપોરમાં ૩, સુંઢિયામાં ૧, કહોડામાં ૧, ઉનાવામાં ૨ તથા કામલીમાં ૨ ફોર્મ રદ થયા હતા.જિલ્લા પંચાયતની ૨૧ બેઠકો પર ભાજપ કોંગ્રેસનો સીધો જંગ જામ્યો છે તો નવ બેઠકો પર ત્રિપાંખીયો અને બાકીની ૩ જેટલી બેઠકો પર ત્રણ કરતાં વધુ ઉમેદવારો વચ્ચે મેદાને જંગ સર્જાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બુધવારે ઉમેદવારી પરત ખેંચી લેવાની મુદત માટે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બનશે.


રશિયન લલના માગે છે પિત્ઝા

અડાજણમાંથી રંગેહાથ પકડાઈ ગયા બાદ થાણે પહોંચેલી આ કોલગર્લ પોલીસ માટે માથાનો દુખાવો સાબિત થઇ રહી છે, લોકોને શક ન જાય તે માટે તેને બુરખો પહેરાવી મોકલાતી હતીઅડાજણ ગેલ ટાવર સામે આવેલા કેદાર એપાર્ટમેન્ટ ખાતેથી પકડાયેલી રશિયન કોલગર્લ રિમાન્ડ પર છે ત્યારે તેનું લાલનપાલન પોલીસ માટે માથાનો દુખાવો બની ગયું છે. ખોરાકમાં પિત્ઝા અને કોલ્ડડ્રિંક્સ લેતી આ રશિયન કોલગર્લને દલાલ અમી મહેતા બુરખો પહેરાવીને ગ્રાહક પાસે મોકલતી હતી.અડાજણમાં ઇંગ્લિશ દારૂની હોમ ડિલિવરી કરી રહેલી અમી ભરત મહેતાના ઘરે છાપો મારીને બે દિવસ પહેલાં અડાજણ પોલીસે બે કોલગર્લ તેમજ એક ગ્રાહકને પકડી પાડ્યા હતા, જેમાં પકડાયેલી રશિયન કોલગર્લ પાસે મળેલી પાસપોર્ટ ઝેરોક્ષમાં તેના વિઝાની તારીખ પૂરી થઈ ગઈ હોવાથી પોલીસે તેના વિરુદ્ધ અલગ જ ગુનો દાખલ કરીને તા. ૬ સુધી રિમાન્ડ પર લીધી હતી.દરમિયાન જાણવા મળ્યા મુજબ અડાજણ પોલીસ સ્ટેશનમાં મહિલા લોકપની વ્યવસ્થા જ ન હોવાથી રશિયન કોલગર્લ સહિતની મહિલા આરોપીઓને પોલીસ સ્ટેશનના ઉપરના માળે આવેલા સર્વેલન્સ સ્ટાફના રૂમમાં જ મહિલા પોલીસની દેખરેખ નીચે રાખવામાં આવી રહી છે. વળી, રશિનય કોલગર્લને ખોરાકમાં ઇન્ડિયન ફૂડની ના પાડતાં પોલીસ તેને પિત્ઝા અને કોલ્ડ ડ્રિંકસની વ્યવસ્થા કરી આપે છે.રિમાન્ડ દરમિયાન પોલીસને જાણવા મળ્યા મુજબ તે ગત તા. ૨૮મીના રોજ દિલ્હીથી અત્રે આવી હતી અને તેને ૫૦ હજાર રૂપિયાના કોન્ટ્રાકટ પર લાવવામાં આવી હતી. ત્યારબાદ ગ્રાહક પાસેથી વસૂલ કરાતા ૪૦૦૦ રૂપિયામાંથી ૫૦ ટકા હિસ્સો આ રશિયન કોલગર્લ લઈ લેતી હતી.એટલું જ નહીં શહેરમાં વિદેશી મહિલાને ખુલ્લેઆમ ફરતાં જોઇને કોઇપણ વ્યક્તિને શક જાય. તેના નિરાકરણ માટે અમી મહેતા તેને બુરખો પહેરાવીને ગ્રાહકો પાસે મોકલતી હતી. આમ અમી મહેતા પોતાનું નેટવર્ક સારી રીતે ચલાવવા માટે તમામ બાબતોનું ધ્યાન રાખતી હતી.

No comments:

Post a Comment