04 October 2010

ભવ્ય ભારત, ભવ્ય ઉદ્ઘાટન સમારંભ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



ભવ્ય ભારત, ભવ્ય ઉદ્ઘાટન સમારંભ

ચર્ચામાં અને ખાસ કરીને વિવાદોમાં રહેલી દિલ્હી કોમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટન સમારંભની જે રીતે શરૂઆત થઈ હતી તે જોઈને સમગ્ર વિશ્વ મોંમાં આંગળા નાખી ગયું હશે. કોમવેલ્થના ઉદ્ઘાટન સમારંભની શરૂઆત જ શંખનાદથી કરવામાં આવી હતી અને કદાચ આ જ શંખનાદમાં કોમનવેલ્થની સમગ્ર ટીકાઓ અને તેની નીંદાઓ દબાઈ ગઈ હતી.ભારતે જે રીતે રોશનીથી ઝળહળતા જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમમાં કોમનવેલ્થના ઉદ્ઘાટન સમારંભની શરૂઆત કરી તેને જોઈ સમગ્ર વિશ્વના લોકો અંચબામાં પડી ગયા હશે. કેમ કે છેલ્લા કેટલાય સમયથી ભારતીય અને વિદેશી મીડિયામાં કોમનવેલ્થ ગેમ્સના છબરડાની જ વાતો કરવામાં આવી રહી હતી. પરંતુ કદાચ શંખનાદ દ્વારા ભારતે સમગ્ર વિશ્વના અવાજને દબાવી દીધો છે.છેલ્લા કેટલાય સમયથી કદાચ આપણે ભારતવાસી હોવાના નાતે દેશમાં કે વિદેશમાં રહેતા હોવા છતાં કોમનવેલ્થની નિંદાઓથી દુખી અને નિરાશ હતા પરંતુ ઉદ્ઘાટન સમારંભ જોઈને આપણે એક ભારતવાસી તરીકે ગર્વ લઈ શકીએ છીએ. ભારતે સમગ્ર વિશ્વને આંજી નાંખ્યું છે.કોમનવેલ્થનો ઉદ્ઘાટન સમારંભ ખરેખર 2008માં ચીનના બેઈજિંગ ખાતે યોજાયેલા ઓલિમ્પિકને કટ્ટર સ્પર્ધા આપતો હતો. અમે વાચકોને કોમનવેલ્થના ઉદ્ઘાટન સમારંભની ઝાંખી કરાવવનો એક પ્રયાસ કર્યો છે.તમે પણ આ સમારંભની તસવીરો જોઈને કહી ઉઠશો કે વાહ...ભારત...વાહ..!!!


કોંગ્રેસીને પૂછજો, સોહરાબ શું સગો હતો?

‘આગામી દસમી ઓક્ટોબરના દિવસે મતદાનનો દિવસ વિકાસની વિજયાદશમી અને કોંગ્રેસની વિનાશની નીતિનો વધ કરવાનો દિવસ હશે’ આ વિધાન ચૂંટણીના પ્રચાર માટે રવિવારે સાંજે લિંબાયતમાં એક જાહેરસભાને સંબોધતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઉચ્ચાર્યા હતા.જાહેરસભામાં કેન્દ્રની યુપીએ સરકાર ઉપર સીધા નિશાન સાધ્યા હતાં. સોરાબુદ્દીન, કોમનવેલ્થનો ભ્રષ્ટાચાર, આતંકવાદ વિરોધી ગુજકોકના કાયદા સામે નકારાત્મક વલણ, મહિલા આરક્ષણ સામે ચૂપકિદી, મોંઘવારી, નકસલવાદ, માઓવાદ જેવા મુદ્દાઓને ટાંકીને કોંગ્રેસની સરકારની ઉગ્ર ટીકા કરી હતી. આ ચૂંટણીમાં લોકોના મતથી દિલ્હીની સરકારને ચેતવવી છે તેવો ઇશારો પણ મુખ્યમંત્રીએ કર્યો હતો.મુખ્યમંત્રીએ આ ચૂંટણી માત્ર મહાનગર પાલિકામાં સત્તા મેળવવા માટે નહીં પરંતુ દિલ્હીના અત્યાચારો સામે અવાજ ઉઠાવીને તેમને ઝૂકાવવા માટેની છે. કઠલાલની બેઠક ઉપર છેલ્લા સાંઠ વર્ષ સુધી કમળ ઉગી શક્યુ નહતું પરંતુ છેલ્લી પેટા ચૂંટણીમાં લોકોએ પંજાને કચડી કાઢ્યો છે. એટલે ગુજરાતના લોકોએ એ સંકેત પણ આપી દીધા છે કે ગુજરાતને તબાહ કરનારા તત્વોને નેસ્તનાબૂદ કરવાનું કામ આ ચૂંટણીમાં થશે. કોંગ્રેસના ઉમેદવારી પત્રોમાં ક અને ખ ફોર્મના મુદ્દે ટિપ્પણી કરતાં નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે કોંગ્રેસના નેતાઓને તેમના કાર્યકરોની ચિંતા નથી. તેમને તો ગુજરાતને બદનામ કરવાની જ ફિકર છે.જાહેરસભામાં કેટલાક લોકોએ મોદીના માસ્ક પહેરીને સભામાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું, પરંતુ કાળઝાળ ગરમી વચ્ચે લોકોએ પાણીનાં પાઉચ માટે ભારે સંઘર્ષ કર્યો હતો. આ દરમિયાનમાં કોર્પોરેશનના પાણી આવવાનો સમય થઈ ગયો હોવાથી મહિલાઓનું એક જુથ ચાલુ ભાષણે જ ઊઠીને જતું રહ્યું હતું.કેન્દ્રની કોંગ્રેસ સરકારને આડેહાથ લેતા મોદીએ એવું કહ્યું કે, કોમનવેલ્થના ભ્રષ્ટાચારને લીધે દેશની બદનામી થઈ છે. એવી દશા કરી છે કે નાનકડું પાકિસ્તાન પણ આપણી ઉપર સવાર થઈ રહ્યું છે, અને સવાલ કરે છે કે ‘બાથરૂમ તો બરાબર બનાવ્યું છે ને?. પહેલાં ચીન સાથે દેશની તુલના થતી હતી પણ હવે કોઈ નાના દેશ સાથે તુલના થાય છે. તેમણે એવું પણ કહ્યું કે, ગુજરાતને કેન્દ્રમાંથી રૂપિયા મોકલવાની કોંગ્રેસ દુહાઈ દે છે પણ તે કંઈ કરિયાવરમાં આપતા નથી. ગુજરાતમાંથી દરવર્ષે ૫૦ હજાર કરોડ રૂપિયા વેરો ચૂકવીએ છીએ. વિકાસના પૈસા કોઈની માલિકીના નથી. એ જનતા જનાર્દનના છે.


ટ્રેન સાથે ટકરાવા છતાં ઊભો થઈને ચાલવા લાગ્યો

આ વ્યક્તિનું ઘર ક્રોસિંગથી 100 મીટરના અંતરે જ છે.અમેરિકાના વેસ્ટવિલેમાં એક વ્યક્તિ ટ્રેન સાથે અથડાયા પછી પણ જાતે ચાલીને ઘરે જતો રહ્યો. પોલીસ જણાવે છે કે 39 વર્ષીય આ વ્યક્તિ થોડા દિવસ પહેલા રાત્રે 8 વાગ્યે રસ્તા પરથી પસાર થયો ત્યારે જ એક ક્રોસિંગ પરથી પસાર થી રહેલી ટ્રેન સાથે અથડાઈ ગયો અને એન્જિનની નીચે ફસાઈ ગયો.દુર્ઘટના પછી જ્યારે આ ટ્રેન કેપ બ્રેટન અને સેન્ટ્રલ નોવા સ્કોટિયા વચ્ચે ચાલનારી આ ટ્રેન રોકાઈ તો તે ટ્રેન નીચેથી નીકળીને ઊભો થઈ ગયો અને ચૂપચાપ ઘર તરફ ચાલવા લાગ્યો.આ વ્યક્તિનું ઘર ક્રોસિંગથી 100 મીટરના અંતરે છે. થોડી વારમાં સ્વાસ્થય અને બચાવકર્મીઓ તેને શોધતા તેના ઘરે પહોંચ્યા હતા અને તેને થયેલી ઈજાની સારવાર કરી હતી.


ટ્રેન સાથે ટકરાવા છતાં ઊભો થઈને ચાલવા લાગ્યો

આ વ્યક્તિનું ઘર ક્રોસિંગથી 100 મીટરના અંતરે જ છે.અમેરિકાના વેસ્ટવિલેમાં એક વ્યક્તિ ટ્રેન સાથે અથડાયા પછી પણ જાતે ચાલીને ઘરે જતો રહ્યો. પોલીસ જણાવે છે કે 39 વર્ષીય આ વ્યક્તિ થોડા દિવસ પહેલા રાત્રે 8 વાગ્યે રસ્તા પરથી પસાર થયો ત્યારે જ એક ક્રોસિંગ પરથી પસાર થી રહેલી ટ્રેન સાથે અથડાઈ ગયો અને એન્જિનની નીચે ફસાઈ ગયો.દુર્ઘટના પછી જ્યારે આ ટ્રેન કેપ બ્રેટન અને સેન્ટ્રલ નોવા સ્કોટિયા વચ્ચે ચાલનારી આ ટ્રેન રોકાઈ તો તે ટ્રેન નીચેથી નીકળીને ઊભો થઈ ગયો અને ચૂપચાપ ઘર તરફ ચાલવા લાગ્યો.આ વ્યક્તિનું ઘર ક્રોસિંગથી 100 મીટરના અંતરે છે. થોડી વારમાં સ્વાસ્થય અને બચાવકર્મીઓ તેને શોધતા તેના ઘરે પહોંચ્યા હતા અને તેને થયેલી ઈજાની સારવાર કરી હતી.


ગેમ્સ વિલેજમાં અવતર્યું અતુલ્ય ભારત

જમીનથી આસમાન સુધી પહોંચી રંગીન સિતારાઓની ઝાકઝમાળ, વાત હતી હિન્દુસ્તાનના જોશની. બુલંદીઓના વિચારને ઝડપ આપનારું સંગીત જે મિશાલ હતી. આપણી શાનની. કોમનવેલ્થ ગેમ્સનો ઐતિહાસિક અને ભવ્ય શુભારંભ થયો. આયોજન અગાઉ વાત વાતની ટીકાઓ થઈ રહી હતી. અને કડવાશને એક તરફ રાખીને આપણે રવિવારે એ પુરવાર કરી દીધું કે જ્યારે દેશની વાત આવે છે, જ્યારે રમતની વાત આવે છે ત્યારે ભારત શું કરી શકે છે. તેનાથી વિશ્વના એ અન્ય દેશોને કે જે એમ કહેતા હતા કે ભારતને ગેમ્સની યજમાની મળવી જોઈએ નહીં તેમને જવાબ મળી ગયો કે ભારતમાં કેટલી તાકાત છે. હવે ૧૪મી ઓક્ટોબર સુધી સમગ્ર દેશ ઝૂમશે-નાચશે, ગાશે ઉત્સવ મનાવ શે અને સમગ્ર વિશ્વને દેખાડી દેશે આપણા દેશની રમતની ભાવના. રમતના આ મહાકુંભની પ્રત્યેક પળનો જીવંત અહેવાલ તમારા સુધી પહોંચાડવા માટે ભાસ્કરની એક ડઝન જેટલા વિશેષ પ્રતિનિધિઓ, રમત પ્રતિનિધિઓ અને ફોટોગ્રાફરની એક ટીમ દિલ્હીમાં તહેનાત છે. આટલું જ નહીં કોમનવેલ્થ ગેમ્સ સાથે સંકળાયેલા તમામ અહેવાલોની રજૂઆત માટે પ્રખ્યાત રમત નિષ્ણાતો પણ વિશેષ ટિપ્પણી માટે ભાસ્કર સાથે સંકળાયેલા છે.


એરબસને બનાવી દીધી સિટીબસ

તાજેતરમાં રશિયાની ટાટારસ્ટન એરલાઇનમાં આ દ્રશ્ય જોવા મળ્યું હતું.સિટી બસની જેમ જ સીટોની અછતના કારણે લોકો વિમાનમાં પણ ઊભા ઊભા મુસાફરી કરવા લાગ્યા છે. માનવમાં નથી આવતું ને! સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે. તાજેતરમાં રશિયાની ટાટારસ્ટન એરલાઇનમાં આ દ્રશ્ય જોવા મળ્યું હતું. તુર્કીના એંટલ્યા એરપોર્ટ પરથી રશિયાના ઈકાટેરિંગબર્ગ માટે આ એરલાઇનના 148 સીટર વિમાને ઉડાણ ભરવાની હતી.આખરી સમયે આ વિમાનના બદલે 142 સીટ વાળુ બોઇંગ 737 મૂકવામાં આવ્યું, જેના કારણે કેટલાંક પેસેન્જરે ઊભા ઊભા જ સફર કરવી પડી. જોકે કેટલાંકે ઊભા રહેલા પેસેન્જરના બાળકોને ખોળામાં બેસાડી દીધા હતા. દર અઠવાડિયે બ્રિટનના હજારો ટુરિસ્ટો આ એરલાઇનમાં મુસાફરી કરે છે. વિમાનમાં સેફ્ટી બેલ્ટ અને ઓક્સીજન માસ્ક જેવા સુરક્ષા સાધનો પણ પૂરતા નહોતા. નારાજ પેસેન્જરોએ એરલાઇન્સ પાસે 3000 પાઉન્ડનું વળતર માંગ્યું છે.


સચિનના પ્રશંસકોના દિલ તૂટી ગયા

રવિવારનો દિવસ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના પ્રસંશકો માટે ઘણો જ નિરાશાજનક રહ્યો હતો. કેમ કે ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં સચિન ફક્ત 2 રન માટે સદી ચૂકી ગયો હતો. સચિન 98 રને માર્ક્સ નોર્થના બોલે એલબીડબ્લ્યૂ આઉટ થયો હતો.પ્રથમ બે દિવસ દરમિયાન સ્ટેડિયમમાં પ્રેક્ષકોની હાજરી પાંખી જોવા મળતી હતી. પરંતુ ત્રીજા દિવસે બેટિંગ આઈકોન સચિનને જોવા માટે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં દર્શકો હાજર રહ્યા હતા. જ્યારે સચિને 90નો આંક વટાવ્યો તે સમયે ત્યાં હાજર રહેલા તમામ લોકો ત્યાર પછીના સચિનના એક-એક રન પર તાળીઓ પાડતા હતા.તમામ લોકો સચિનની સદીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ જ્યારે સચિન 98 રને હતો ત્યારે તે પાર્ટ ટાઈમ બોલર નોર્થના બોલે આઉટ થઈ જતા સ્ટેડિયમમાં હાજર તમામ લોકોના દિલ તૂટી ગયા હતા.ઓસ્ટ્રેલિયાથી આવેલા પીટર માર્શે જણાવ્યું હતું કે હું સિડનીથી દિલ્હી કોમનવેલ્થ ગેમ્સ જોવા માટે આવ્યો છું. અને હું સચિન તેંડુલકરનો ઘણો મોટો પ્રશંસક છું. તેથી ગેમ્સ પહેલા સચિનને રમતો જોવો મારા માટે આનંદની વાત હતી. મને આશા હતી કે સચિન કોઈ પણ જાતની મુશ્કેલી વગર 100 રન બનાવી દેશે પરંતુ તે ઘણું દુખદ હતું કે સચિન સદી ના બનાવી શક્યો.જ્યારે ચંદીગઢની સ્કૂલમાં 9માં ધોરણમાં ભણતા આરવે અત્યંત નિરાશા સાથે જણાવ્યું હતું કે તે ઘણી નિરાશાજનક ક્ષણ હતી. સચિન આસાનીથી સદી ફટકારી દેત. મને વિશ્વાસ નથી થતો કે તે 98 રને આઉટ થયો હતો.


સલમાનનાં ભાઈ અને મુન્નીનાં છુટાછેડા થઈ જશે?

બોલિવૂડનાં હોટેસ્ટ હંક સલમાન ખાનનાં ભાઈ અરબાઝ ખાન અને ભાભી તેમજ બોલિવૂડની આઈટમ ગર્લ તરિકે જાણીતી મલાઈકા અરોરા ખાન વચ્ચે આમ તો બધુ જ બરાબર ચાલી રહ્યું છે પણ હાલમાં કાંઈક એવી વાત બની ગઈ કે તેમનાં છુટાછેડા થઈ જાય તો નવાઈ નહી.આમ તો આ જોડી એકબીજાને ખુબજ પ્રેમ કરે છે. પણ હાલમાં દેશનાં એક પ્રખ્યાત રેડીયો સ્ટેશન સાથે વાતચિત દરમિયાન જાણવાં મળ્યું હતું કે પાકિસ્તાનનો શો હોસ્ટ બેગમ નવાઝીશ અલી અને હાલમાં બિગ બોસનો સ્પર્ધક અરબાઝ ખાનનો મોટો ચાહક છે.તે જ્યારે ભારત આવી અરબાઝ મલ્લિકાને મળ્યો હતો. ત્યારે તેણે મલ્લિકાનાં વખાણમાં જણાવ્યું હતું કે તે એટલી સુંદર છે કે તેનાં લગ્ન થઈ ગયા હોય અને તે પાંચ વર્ષનાં બાળકની માતા હોય.પણ જ્યારે તેણે અરબાઝનાં વખાણ ચાલુ કર્યા ત્યારે તેણે જણાવ્યું હતું કે હું તમારો ડાય હાર્ટ ફેન છું અને જો મને એક તક મળે તો હું તમારા માટે કાંઈપણ કરવાં તૈયાર છું આપ એટલાં હેન્ડસમ છો કે મને તમારા દરેક અંગ પસંદ છે.ઉલ્લેખનિય છે કે અલી સલીમ ખુશરા આમ તો પુરૂષ છે અને તેણે પોતાની જાતિ બદલાવી છે. તે પાકિસ્તાની ટીવી ચેનલ પર શો હોસ્ટ કરે છે.તો ક્યાંય બેગમ અલીનાં આટલાં બધાં વખાણ અને અરબાઝ માટે કાંઈપણ કરી છુટવાની ઈચ્છાથી મુન્ની ગુસ્સે ના થઈ જાય અને તેમનાં છુટાછેડા ન કરાવી દે


અમદાવાદ : પત્નીને ભરબજારમાં પાઇપનાં મારી મોતને ઘાટ ઉતારી

ચાર વર્ષથી રીસામણે ગયેલી પત્નીને ભરબજારમાં માથામાં પાઇપનાં ફટકા મારી મોતને ઘાટ ઉતારી. ૧૩ વર્ષ અગાઉ પડોશમાં રહેતી યુવતી સાથેજ પ્રેમ લગ્ન કરનાર શખ્સનું હેવાની કૃત્ય. હત્યા કર્યા બાદ નદીમાં મોતની છલાંગ લગાવા ગયેલા યુવકને પકડીને લોકોએ પોલીસ હવાલે કર્યો. ૧૩ વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કરનાર એક યુવકે નજીવી તકરારમાં ચાર વર્ષ અગાઉ રીસાઇને પડોશમાં રહેતા પિતાના ઘરે જતી રહેલી પત્નીને રસ્તા વચ્ચે અટકાવી માથામાં પાઇપનાં ફટકા મારી મોતને ઘાટ ઉતારી હોવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે.એટલું જ નહી પત્ની પર જીવલેણ હુમલો કર્યા બાદ પોતે પણ આપઘાત કરવાના ઇરાદે સાબરમતી નદીના બ્રીજ પર પહોંચી ગયો હતો, જો કે ત્યાં ઉભેલા લોકોએ તેને પકડીને પોલીસ હવાલે કર્યો હતો. આ અંગે ખાડીયા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.રાયપુર માંડવીની પોળ નજીક આવેલી કાકાબળીયાની પોળમાં રહેતા અમીતભાઇ શાહે પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે તેમની બહેન હેમા(ઉં.૩૪)એ ૧૩ વર્ષ અગાઉ તેમનીજ પોળમાં રહેતા ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર બાબુલાલ ઠક્કર નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.જો કે પતી-પત્ની વચ્ચેની તકરારને કારણે છેલ્લા ૪ વર્ષથી હેમાબેન પરત પિતાનાં ઘરે આવી ગયા હતા. દરમિયાન હેમાબેન શીવરંજની ચાર રસ્તા નજીકનાં એક જવેલર્સનાં શોરૂમમાં નોકરી કરતા હોઇ તે રવિવારે રાત્રે ૮.૩૦ વાગ્યે ઘરે પરત ફરી રહ્યા હતા.ત્યારે કાકાબળીયાની પોળના નાંકેજ હેમાબેનને તેમના પતી ધર્મેશે અટકાવ્યા હતા અને તકરાર કરવા લાગ્યા હતા. જોતજોતામાં ઉસ્કેરાઇ ગયેલા ધર્મેશે હેમાબેનનાં માથામાં પાઇપનાં ઘા ઝીંકી દેતા તે લોહીનાં ખાબોચીયામાં ફસડાઇ પડ્યા હતા.


અમદાવાદ : ‘‘ચુંટણીના દિવસે જરૂર મતદાન કરજો’’

મહાનગર પાલીકાઓ તથા જીલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણીઓ આવી રહી હોવાથી મુખ્ય બે પક્ષો સહિત તમામ પક્ષોએ ચુંટણી માટે સક્ષમ ઉમદવારોની પસંદગી કરી જોર શોરમાં ચુંટણીનો પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે એક તંત્ર તથા રાજકીય પક્ષો દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આ પરિસ્થીતીમાં સમાજમાં મતદાન અંગેની જાગૃતિ લાવવા માટે સુરતના એક યુવકે પોતાના ટેલીફોનની કોલર ટ્યુનમાંજ મતદાન કરવા માટેની હાલક કરતો મેસેજ શરૂ કરી દીધો છે. એટલેકે જો તેને ફોન કરીએ તો તેની કોલર ટ્યુનમાં આપણને ‘‘નમસ્કાર આપની સાથે વાત તે પહેલા મારું આપને સુચન છે. આપણો દેશ લોકશાહી દેશ છે. માટે આપણા રાષ્ટ્રને મજબુત બનાવવા ચુંટણીના દિવસે મતદાન જરૂર કરો’’ તેમ સાંભળવા મળે.સુરતના સામાજીક કાર્યકર એવા આ યુવાન પ્રવિણ ભાલાળાએ પોતાના મોબાઇલમાં મતદાન જાગૃતિ માટેનુ કોલર ટ્યુન કેમ રાખ્યું તેમ પુછતાં તેણે જણાવ્યું હતુ કે તેના મોબાઇલ પર રોજના ૫૦થી વધુ ફોન આવે છે. માટે જે કોઇ પોતાને ફોન કરે તેને એક વખત તો મતાદાન માટે મારી અરજ થઇ ગઇજ કહેવાય. સાથે સાથે આપણા આ અભિયાનથી થોડાઘણા લોકો પણ મતદાન કરે તો આપણી મહેનત લેખે લાગે તેમ તેણે જણાવ્યું હતું.


વડોદરા : બધું આઉટ ઓફ કંટ્રોલ એટલે કોંગ્રેસ

સેવાસદનની ચૂંટણી આડે અઠવાડિયું બાકી રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે માંજલપુર સ્થિત સીતાબાગ ગરબા ગ્રાઉન્ડમાં જનમેદનીને સંબોધન કર્યું હતું.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તા.૧૦ ઓક્ટોબરે માત્ર વડોદરાનું ભાગ્ય નહિં પણ દેશમાં કેવી રાજનીતિ ચાલે છે તે નક્કી કરવાનું છે. દિલ્હીની સરકાર ગુજરાત ઉપર જુલમો ગુજારી રહી છે તેની સામેનો જંગ એટલે સેવાસદનની ચૂંટણી છે. વડોદરાની ટ્રાફિકની સમસ્યા દૂર થાય તે માટે નવા ફલાય ઓવરબ્રિજ બાંધવામાં આવ્યા છે પણ રેલવેવાળા મંજૂરી આપતા નથી. કોંગ્રેસને એમ કે ચૂંટણી સુધી બ્રિજ લટકતો રાખો એટલે પ્રજા મોદીને પાડી દેશે પણ વડોદરાની પ્રજા સમજદાર છે.તેમણે વધુમાં જણાવ્યુંહતું કે, ગુજરાત વિધાનસભામાં ૫૦ ટકા મહિલા અનામતનો કાયદો પસાર કર્યો પણ બબ્બે વખત બિલને મંજૂર કર્યા પછી પણ દિલ્હીની સરકારે આ ફાઇલો દબાવી દીધી છે. કોંગ્રેસનાં ઉમેદવાર જ્યારે મત લેવા આવે ત્યારે પૂછજો કે, સોહરાબુદ્દીન તમારે શું થાય ? આજે વડોદરાની આસપાસ અનેક ઉદ્યોગો આવી ગયા છે અને ભારત સરકારના જ ૨૦૦૭ થી ૨૦૦૯ સુધીના રોજગારી આપવાના આંકડા મુજબ સમગ્ર દેશમાં ૭૮ ટકા રોજગારી એકલા ગુજરાતે આપી છે. રામજન્મભૂમિનો ચુકાદો આવતાં પહેલાં ઢોંગી બિનસાંપ્રદાયિક તત્વો ચુકાદાનું સન્માન થવું જોઇએ તેમ કહેતી હતી પણ બપોરે ચુકાદો આવ્યો કે તરત જ આ મંડળીના મોતિયા મરી ગયા અને રફેદફે થઇ ગયા હતા.



વડોદરા જિલ્લા પંચાયત માટે ભાજપે ૪૭ સભ્યોની યાદી જાહેર કરી

વડોદરા જિલ્લા પંચાયતની ૫૧ બેઠકો પૈકી ૪૭ બેઠકોની યાદી ભાજપે આજે જાહેર કરી હતી. આ યાદીમાં બે માજી ધારાસભ્યોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જોકે, વડોદરાની સોખડા, શેરખી, સયાજીપુરા સહિત ત્રણ અને સંખેડાની બોડેલી બેઠક સહિત ચાર બેઠકો અંગે ઉમેદવાર નકકી થઇ શક્યા નથી.કાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે ત્યારે છેલ્લી ઘડીએ જ ઉમેદવારોનુ કોકડુ ઉકેલાય તેવી શક્યતા છે. આ યાદીમાં નવા સીમાંકન પ્રમાણે બેઠકોમાં ફેરફાર થતા જિ.પં. પ્રમુખ રાજેશ પટેલ સહિતના ખેરખાંની બાદબાકી થઇ છે. ભાજપની ૪૭ બેઠકોની યાદીમાં ક્ષત્રિયો અને આદિવાસીઓને જ વર્ચસ્વ છે.



મુંબઇની મેટ્રો રેલ માટે હવે પાછો નવો વિવાદ

મુંબઈમાં મેટ્રો રેલવે ભૂગર્ભમાં હોવી જોઈએ કે એલિવેટેડ હોવી જોઈએ એ મામલે જોરદાર વિવાદ ચાલી રહ્યો છે. બન્ને પ્રકારનો ફાયદો પણ છે અને નુકસાન પણ છે. અમારા વિસ્તારમાં મેટ્ર^ો ભૂગર્ભમાં હોવી જોઈએ અને બીજે એલિવેટેડ હોય તો અમને વાંધો નથી એવું વલણ અનેકો લે છે જ્યારે એમએમઆરડીએ દ્વારા આ પ્રકારનું વલણ લેનારાઓના વિચાર વિશે શંકા વ્યક્ત કરે છે.મેટ્રો એલિવેટેડ જ હશે નહીં તો શક્ય નથી. આ ચર્ચાને મામલે મુંબઈ મેટ્રોપોલિટન રજિન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમઅમઆરડીએ)ના મેટ્રોપોલિટન કમિશનર રત્નાકર ગાયકવાડે કહ્યું હતું કે મુંબઈની ભૌગોલિક રચના સાર્વજનિક ટ્રાફિકની આવશ્યકતા સંબંધે મેટ્રો રેલવે ૧૪૬ કિલોમીટરનો માસ્ટર પ્લાન દિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશને તૈયાર કર્યો હતો. એ પ્લાન લોકો સમક્ષ મૂકવામાં આવ્યો હતો. લોકોનાં સૂચનોનો વિચાર કરીને આખરી યોજના આંકવામાં આવી હતી. એલિવેટેડ મેટ્રો સામે જે લોકો અવાજ ઉઠાવે છે તેમાંના એક આઈઆઈટીના પ્રાધ્યાપક ધિંગરા છે. તેઓ દિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશન (ડીએમઆરસી)ની સમિતિમાં હતા. હવે તેઓ ડીએમઆરસી પ્લાનના વિરોધનું વલણ લે છે તો આ બેવડું ધોરણ નથી?એવો પ્રશ્ન ગાયકવાડે પૂછયો હતો. તેમને એલિવેટેડ મેટ્રોના દોષો વિશે ખબર હતી તો તેમણે ત્યારે જ એ બાબતે કેમ જાણ ન કરી? શહેરની રીતે જોવા જતાં ભૂગર્ભ મેટ્રો ઘાતક છે. એથી શહેરમાં મેટ્રો રેલવે જોઈતી હશે તો તે એલિવેટેડ હશે નહીં તો તે શક્ય નથી. એમ સ્પષ્ટપણે રત્નાકર ગાયકવાડે કહ્યું હતું.તેમણે વધુમાં કહ્યું હતું કે, સમુદ્ર નજીકના શહેર મુંબઈમાં બાવીસ કિલોમીટ. ર ઊંડે જઈને ૧૪૬ કિલોમીટરની મેટ્રો રેલવે માટે ખોદકામ કરવું એ ટેકનીકલી અશક્ય, પર્યાવરણને ઘાતક અને આર્થિક રીતે નહીં પરવડનારું છે. વળી આટલો લાંબો માર્ગ ખોદીને કેટલી બધી માટી કાઢવી પડશે અને એ બદી માટી નાખવી ક્યાં, એનો વિચાર કરવાનો કે નહી?ભૂગર્ભ મેટ્રોનો વિચાર પરવડી શકે છે. ભારતીય જનતા પક્ષના જુથ નેતા આશિષ સેલારે બીજા છેડાની વાત કરતાં કહ્યું હતું કે, ચારકોપ-બાંદરા-માનખુર્દ એ ૩૨ કિલોમીટરનો મેટ્રોનો બીજો રૂટ પૂર્ણપણે વેપારી અને નાગરી વિસ્તાર અને વસતિમાંથી પસાર થાય છે.


રાજ્યમાં યુઆઈડી કાર્યક્રમ પહેલી નવેમ્બરથી શરૂ થશે

સમગ્ર મહારાષ્ટ્રમાં રહેવાસીઓને યુનિક આઈડેન્ટિટી ક્રમાંક (યુઆઈડી) આપવાના કાર્યક્રમની આગામી પહેલી નવેમ્બરથી શરૂઆત કરવામાં આવશે, આ પ્રક્રિયા આગામી વર્ષના ફેબ્રુઆરીના અંત સુધીમાં પૂરી કરવાનું સરકારનું લક્ષ્ય છે, એમ રાજ્યના મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે જણાવ્યું હતું. રાજ્યના પ્રત્યેક નાગરિકને દસ અંકનો ઓળખ ક્રમાંક મળવાનો છે. આ ઓળખ ક્રમાંક પર આંખ, હાથનાં આંગળાં, કુટુંબની માહિતી જેવી ૧૩ જેટલી માહિતીઓ બાયોમેટ્રિક પદ્ધતિથી સમાવવામાં આવશે.યુનિક આઈડેન્ટટી ઓફ ઈન્ડિયા પ્રકલ્પ શરૂ કરવા માટે રાજ્ય સરકારે ‘આધાર’ પ્રકલ્પ નિર્માણ કર્યો છે. આ બન્ને સંસ્થાઓ વચ્ચે આ બાબતે સમજુતી કરાર પર સહીસિક્કા થયા છે. જિલ્લા અધિકારીઓને સમન્વયક તેમ જ અન્ન અને નાગરી પુરવઠા વિભાગ, રોજગાર હમી યોજના, આરોગ્ય વિભાગ અને શાળા શિક્ષણ વિભાગના અધિકારીઓની નબિંધક તરીકે નિયુક્તિ કરવામાં આવશે.પ્રત્યેક જિલ્લા માટે ચાર અથવા વધુ એજન્સીઓની નિમણુંક કરવામાં આવશે. કેન્દ્ર સરકાર માર્ચ ૨૦૧૧ સુધીની પ્રથમ દસ કરોડ નોંધણી માટે પ્રત્યેક નોંધણી પેટે રાજ્યને ૫૦ રૂપિયા લેખે રકમ આપશે. ત્યાર બાદનો ખર્ચ જોકે રાજ્ય સરકારે વેંઢારવાનો રહેશે. ગરીબી રેખા હેઠળની વ્યક્તિ આ નોંધણીથી વંચિત રહે નહીં તે માટે તે પ્રત્યેકને ૧૦૦ રૂપિયા આપવામાં આવશે. આનો લાભ રાજ્યના ગરીબી રેખા હેઠળના ચાર કરોડ લોકોને થશે, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.

No comments:

Post a Comment