05 October 2010

મોદીની યાદદાસ્ત ઓછી થઇ ગઇ ? કોંગ્રેસનો સવાલ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

મોદીની યાદદાસ્ત ઓછી થઇ ગઇ ? કોંગ્રેસનો સવાલ

રાજકોટમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસીઓને તોફાની કહ્યા બાદ સામે કોંગ્રેસના નેતાઓએ પણ સણસણતો સવાલ ઉઠાવ્યો છે અને કહ્યું છે કે મોદી અમને તોફાની કહે છે પરંતુ અમારા આંદોલનો તો પ્રજા માટે હતા, ભાજપા મેયરની આગેવાનીમાં મુકેશકુમાર પર હુમલો થયો તે શું હતું ? તોફાની છોકરા અમે કે ભાજપ ? તે મોદી નક્કી કરી લે તેવો પડકાર કોંગ્રેસે કર્યો છે.રાજકોટમાં યોજાયેલી જાહેરસભામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગત પાંચ વર્ષ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ રાજકોટમાં તોડફોડ કરી છે, કચેરીઓમાં ધમાલ કરી છે, કમિશનરના બંગલે નળ કનેકશન કાપી નાખ્યા છે. શું લોકશાહીમાં આ શોભે ? આવા લોકોને સત્તા અપાય ? જે તોફાની બાળક હોય તેને સારું રમકડું રમવા અપાય ? જે ચોકીદાર બેદરકાર હોય તેને તાળાનું ધ્યાન રાખવા દેવાય ? તેવા સવાલ મોદીએ ઉઠાવ્યા હતા.કોંગ્રેસના શહેર પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી, કાર્યકારી પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરુ, વિરોધ પક્ષના નેતા નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે મોદી ભૂલે છે કે કોંગ્રેસે આ આંદોલન કર્યા તે પહેલા ભાજપના કોર્પોરેટરોએ ૨૦૦૫માં સત્તા સંભાળી કે તરત જ તત્કાલીન કમિશનર મુકેશકુમાર પર હુમલો કર્યો હતો. ગુજરાતના ઈતિહાસમાં એ પહેલો બનાવ હતો કે જ્યારે કોઇ આઇ એ એસ અધિકારી પર ચૂંટાયેલા લોકોએ એક બે નહીં પરંતુ ૪૦ના ટોળામાં તેમની ઓફિસમાં જ હુમલો કર્યો હોય.ગુજરાતના જાહેર જીવન માટે આ ઘટના શરમજનક હતી. મુકેશ કુમારને અત્યંત ખરાબ રીતે માર મારવામાં આવ્યો તે ઘટનાનું આયોજન મેયરની ચેમ્બરમાં થયું હતું. રાજ્યભરમાં તેના પડઘા હતા. અરે, આ ભાજપના પાપે સારા સારા અધિકારી રાજકોટનું નામ સાંભળતાં જ અહીં આવવાની ના કહી દે છે. પોતાના ભ્રષ્ટાચારમાં સાથ ન આપનાર અધિકારી ભાજપને ગમતા નથી. વધુમાં મોદીને સણસણતો તમાચો મારતા જણાવવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ગુજરાતમાં ભાજપે કે કોંગ્રેસે અબજો રૂપિયાની સહાય આપી છે. જેમાંથી થયેલા કામોને મોદીએ પોતાના નામે ચડાવીને પ્રજાના આંખે પાટા બાંધ્યા છે. કેન્દ્રની સહાયમાંથી મોદી સરકારે બેફામ ભ્રષ્ટાચાર પણ કર્યો છે.જશવંતસિંહ, ઇન્દ્રનીલ અને નરેન્દ્રસિંહે ઉમેર્યું છે કે મોદીની યાદદાસ્ત ટૂંકી થઇ ગઇ છે તેમને પાંચ વર્ષ પહેલાનું કશું યાદ રહેતું લાગતું નથી. બાકી અમે કમિશનરના બંગલે નળ કાપ્યા હોય કે ફોન તોડ્યા હોય તો તે પ્રજાના પ્રશ્નોના ઉકેલ માટે કર્યું છે અંગત સ્વાર્થ કે કોઇ ગેરરીતિ માટે નહીં.


રાજકોટ : મહિલા, એક યુવતી અને ગ્રાહક...

ગોંડલ રોડ પર ખોડિયાર નગરમાં બહારથી યુવતી બોલાવી કુટણખાનું ચલાવતી મહિલાના ઘરમાં રોષે ભરાયેલા લતાવાસીઓએ હલ્લો બોલાવીને તોડફોડ કરી હતી. ઘરમાંથી મહિલા, એક યુવતી અને ગ્રાહકને પોલીસના હવાલે કરાતા પોલીસે માત્ર જાહેરમાં કામુક ચેનચાળા કરવાના આરોપસર કાર્યવાહી કરતા આશ્ચર્ય સર્જાયું છે.ખોડિયાર પરા-૪માં રહેતી કાળી ઉર્ફે દૂધીબેન ડાયાભાઇ પારગી (ઉ.વ.૩૮) તેના ઘરમાં બહારથી રૂપલલનાઓને બોલાવી ગ્રાહકોને સપ્લાય કરતી હતી. તેમજ ઘરમાં પણ સુવિધા પુરી પાડતી હતી. જેના કારણૃ આ વિસ્તારમાં લુખ્ખા, આવારા તત્વોની અવર જવર વધી જતા રહેવાસીઓની બહેન, દિકરીને બહાર નિકળવું મુશ્કેલ બની ગયું હતું.આખરે કંટાળેલા લતાવાસીઓએ ગતરાતે કાળીના ઘરમાં ગ્રાહક ગયા પછી હલ્લો બોલાવીને તોડફોડ કરી હતી. કાળી ઉપરાંત બંગાળની લત્તા ઉર્ફે લાલી અસગરઅલી અને મેહુલનગરના રાજેશ હાર્દિક દક્ષિણીને પકડીને પોલીસના હવાલે કરાયા હતા.


ગાંધીધામ : ભાજપની ૧૦૦ ટકા નો રીપિટ સામે કોંગ્રેસમાં ૧૦૦ ટકા રીપિટ

ગાંધીધામ નગરપાલિકાની ચૂંટણીમાં ૪૨ બેઠકો માટે ફોર્મ ભરવાના અંતિમ દિને સોમવારે કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામ છેક છેલ્લી ઘડી સુધી મીડિયાર છૂપાવ્યા બાદ જાહેર કર્યા હતાં. ગાંધીધામમાં ભાજપના વરવા શાસનના અભિષાપથી પિડાતા લોકોની સહાનુભૂતિ મેળવીને જીતવા માટેનો ખેલ ખેલતા કોંગ્રેસે પોતાના એકમાત્ર વર્તમાન નગરસેવકને રીપિટ કર્યો હતો, બસપમાંથી આવેલા તમામ નગરસેવકોને પણ કોંગ્રેસની ટિકિટ આપી હતી.ગાંધીધામ શહેરમાં ગત ચૂંટણી વખતે માત્ર એક જ બેઠક પૂરતા સિમિત રહી ગયેલા કોંગ્રેસને હવે ફિનીક્ષ પક્ષીની જેમ રાખમાંથી બેઠા થવાની ઉમ્મીદ જાગી છે. અને સમતૂલિત ઉમેદવારોના નામ દ્વારા સુધરાઇ પર કબજો કરવાનો પ્રયાસ કરવામાં આવશે.કોંગ્રેસે આજે જાહેર કરેલી યાદી મુજબ વર્તમાન નગરસેવક સંજય ગાંધીને તો રીપિટ કરવામાં આવ્યા જ છે. આમ, ભાજપની ૧૦૦ ટકા નો રીપિટ થિયરી સામે કોંગ્રેસની ૧૦૦ ટકા રીપિટની થીયરી રહી હતી. તેની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા મોરચાના મહામંત્રી તથા પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ્સ તુલસી સૂજાનને પણ કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે.આ ઉપરાંત બસપમાંથી આવેલ પાંચ નગરસેવકની સાથે આ જૂથને પણ કુલ છ ટિકિટ ફાળવવામાં આવી છે. જેમાં માજી નગરપ્રમુખ જયશ્રીબેન ચાવડા અને અજીત ચાવડાનો પણ સમાવેશ થાય છે.


મતદારો ‘પડ’માં આવતાં ઉમેદવારો ‘ઠંડા’ થવા માંડ્યા

વોર્ડ નં. ૧ના રૈયામાં મતદાનનો બહિષ્કાર. ગટર, પાણી, ગંદકી, રોડ-રસ્તા જેવી સુવિધાઓનો કોઇ ઉકેલ નહીં આવતા લોકોએ લીધેલો નિર્ણય.રાજકોટમાં ચૂંટણી માહોલ હવે ગરમાવો પકડી રહ્યો છે તેની સાથો સાથ મતદારો પણ આ વખતે હોંશમાં આવી ગયા છે. જેમાં, ખાસ કરીને વોર્ડ નં. ૧૩, ૨૧, ૫માં મતદારો આકરો મિજાજ બતાવી રહ્યા છે ત્યારે આજે વોર્ડ નં. ૧માં આવેલ રૈયાગામમાં અસુવિધા હજુ ત્યાંની ત્યાં જ હોવાના કારણે આજે તે વિસ્તારના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો.મતદારો આ વર્ષે આકરા મૂડમાં હોય તેમ વોર્ડ-વાઇઝ ઉમેદવારોને ધોળે દિવસે તારા દેખાડવા સજ્જ બની ગયા છે. ખોટા વચનો આપી મતદાન માગવા આવી રહ્યા છે એટલે, ઉમેદવારોને સીધાદોર કરવા મતદારો જાગૃત બની ગયા છે અને આજે વોર્ડ નં. ૧માં રૈયાગામમાં ગટર, પાણી, ગંદકી, રોડ-રસ્તા જેવી સુવિધાઓનો હજુ સુધી કોઇ નિર્ણય નહીં આવતા આજે મતદાનનો બહિષ્કારનો નિર્ણય કર્યો હતો.મતદાનને હવે માત્ર ૬ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે મતદારો ‘પડ’માં આવી મતદાનનો બહિષ્કાર કરવા માંડતા ઉમેદવારો મૂંઝવણમાં મૂકાઇ ગયા છે. એક વોર્ડથી ચાલુ થયેલો આ વિરોધ હવે ઠેર ઠેર જોવા મળી રહ્યો છે. ક્યાંક ઉમેદવારને પાછા કાઢવામાં આવે છે તો ક્યાંક તેના બેસણા યોજવામાં આવે છે. આ સ્થિતિ લોકોની જાગૃતિનો પુરાવો છે.


રાજકોટ : કોંગ્રેસ હવે સોહરાબુદ્દીનના પૂતળાં મુકશે : મોદી

રાજકોટમાં આજે અલગ અલગ બે સ્થળે યોજાયેલી જાહેરસભામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ સતત ખંડનાત્મક અને નકારાત્મક માનસિકતા ધરાવે છે, તોડફોડની રાજનીતિ કરે છે અને ભ્રષ્ટાચારથી ખદબદે છે.કોર્પોરેશનમાં કોંગ્રેસને કોઇ પણ ભોગે સત્તા ન આપતા. દેશમાં તમામ ક્ષેત્રે નિષ્ફળ રહેલી કોંગ્રેસી સરકારને સામાન્ય જનની ચિંતા નથી. અને તેથી આ ચૂંટણી કોંગ્રેસને જવાબ આપવાની ચૂંટણી છે.રાજકોટમાં મવડી ચોકડી અને પાણીના ઘોડા પાસે યોજાયેલી બે સભાઓમાં ઉપસ્થિત મેદનીને સંબોધતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ચૂંટણી આવી છે ત્યારે કામનો હિસાબ આપવાને બદલે આ કોંગ્રેસ જુઠા આક્ષેપો કરીને જનતાને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહી છે. દિલ્હીમાં કોંગ્રેસની સરકાર આવી ત્યારે મોંઘવારી દૂર કરવાનું વચન આપ્યું હતું મોંઘવારી તો વધી છે. કાળી મજૂરી કરીને ખેડૂતોએ ઘઉંનું ઉત્પાદન કર્યું તો એ ઘઉં તો ગોડાઉનમાં સડી ગયા. જનતાનું ભલુ કરવાની આ કોંગ્રેસની કોઇ માનસિકતા નથી.તેમણે ઉમેર્યું કે કોંગ્રેસના રાજકોટના નેતાઓ ખંડનાત્મક છે. કમિશનરના ઘરના નળ જોડાણ કાપે, કાચ તોડે, ગમે ત્યારે ધમાલ કરે, દેશ ભરમાં તોડફોડનું રાજકારણ નથી ફક્ત રાજકોટમાં પાંચ વર્ષ કોંગ્રેસે તોડફોડ અને તોફાન જ કર્યા. શું આવા લોકોને કોર્પોરેશનનું શાસન સોંપાય? જેમને લોકશાહીની મર્યાદા ખબર નથી, તેવા તોડફોડિયા તત્વોને તગેડી મૂકો તેવું તેમણે કહ્યું હતું.


એશના પેટનો આ ઉભાર ગર્ભવતી હોવાનો સંકેત છે?

બોલિવૂડ સ્ટાર ઐશ્વર્યા રાય ગર્ભવતી ક્યારે થાય તેની રાહ એશ-અભિ કરતાં પણ વધારે દુનિયાને હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં જ એશની ફિલ્મ રોબોટ રીલિઝ થઈ છે. આ ફિલ્મ સુપરડુપર રહી છે.થોડા સમય પહેલા પેરિસમાં રોબર્ટ કાવાલ્લીએ ફેશન ઈન્ડસ્ટ્રીઝમાં 40 વર્ષ પૂર્ણ કર્યા તેના માનમાં ઉજવણી રાખી હતી. આ પ્રસંગે એશ-અભિ, જેનેટ જેક્સન, ટાયરા બેન્ક્સ, લેયોના લેવિસ, રશેલ બિલ્સન, હૈદી ક્લુમ, નાઓમી કેમ્પેબેલ, કાયલી મિનોગ સહિતની સેલિબ્રિટી હાજર રહી હતી.ઐશ્વર્યા રાયે કાવાલ્લીના 2009ના ક્લેક્શનમાંનું એક સિલ્વર ગાઉન પહેર્યુ હતું. તેના હાથમાં બ્લૂ રંગનું ક્લચ હતું. ખરી રીતે આ કપડાંમાં એશ ઘણી જ સુંદર લાગતી હતી. રોબર્ટ એશની સુંદરતા પર ફિદા થઈ ગયો હતો. તેણે ટ્વિટર પર ટ્વિટ કર્યુ હતું કે, એશ સુંદર સ્ત્રીઓમાંની એક છે.જો કે એશની સુંદરતાને લઈને તો કોઈ પણ સવાલ કરી શકાય તેમ નથી પરંતુ સિલ્વર ગાઉનમાં એશ એકદમ હેલ્થી લાગતી હતી. તેનું પેટ પણ ખાસ્સુ એવું વધી ગયું છે. પેટનો ઉભાર તે ગર્ભવતી હોવા તરફ ઈશારો કરે છે કે પછી એશ જાડી થઈ ગઈ છે, તે તો માત્ર એશ-અભિને ખબર હશે.


લગ્નેતર સંબંધોનો ખુલાસો, ક્રિકેટરનો આત્મહત્યાનો પ્રયાસ!

લગ્નેતર સંબંધોનો ખુલાસો થયા બાદ સાઉથ આફ્રિકાના ઝડપી બોલર આન્દ્રે નીલે શુક્રવારે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે.
ગયા અઠવાડિયે એવો ખુલાસો થયો હતો કે, આન્દ્રે નીલે ઇંગ્લિશ કાઉન્ટી સરે તરફથી રમતી વખતે 34 વર્ષિય લોનાડોનર જેલિના કુલતિયાસોવા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.નોંધનીય છે કે, નીલની પત્ની હાલ સગર્ભા છે. તેવામાં લગ્નેતર સંબંધોને લઇને થયેલા ખુલાસાથી હતાશ નીલે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર નીલનું સ્વાસ્થ્ય સારું છે.આ ખુલાસા બાદ અન્ય બે મહિલાઓએ પણ દાવો કર્યો હતો કે નીલ સાથે તેઓના પણ લગ્નેતર સંબંધો હતા. જો કે, હજૂ સુધી એ વાત બહાર આવી નથી કે, નીલ પર લગાવવામાં આવેલા આરોપો સાચા છે કે નહીં.


જાણો, કોણ છે અબજોપતિ એક્ઝીક્યૂટિવ્સ

ગ્લીચર એન્ડ કંપનીના નિષ્ણાત બ્રાયન માર્શલના મતાનુંસાર એપોથેકરને જે પેકેજ મળવાનુ છે તે ચાર વર્ષ પછી 8.5 કરોડ ડૉલરની આસપાસ થઈ જશે. બ્રાયને આ અનુમાન તે આધાર ઉપર લગાવ્યુ છે કે એચપીના શેરોની કિંમત ચાર વર્ષો પછી 53 ડૉલર થઈ જશે.એપોથેપરને પહેલા કેટલા મળતા હતા?એક્ઝીક્યૂટીવના પગાર ઉપર કામ કરનારી રિસર્ચ કંપની 'ઇક્વિલર' પ્રમાણે જર્મન સૉફ્ટવેર કંપની એસએપીએ એપોથેકરને વર્ષ 2009માં 93 લાખ ડૉલરનું પેકેજ આપ્યુ હતુ. સીઈઓ સ્વરૂપે એપોથેકરનું અહી આ અંતિમ વર્ષ હતુ.એપોથેકર પહેલાના સીઈઓને કેટલો પગાર આપતી હતી એચપી?એપોથેકર પહેલા માર્ક હર્ડ એચપીના ચીફ એક્ઝીક્યૂટિવ હતા. ત્રણ વર્ષમાં તેમને મળનારૂં પેકેજ 9.8 કરોડ ડૉલર હતું. જેમાંથી 3 કરોડ ડૉલર તેમને પાછલા નાણાકીય વર્ષમાં પ્રાપ્ત થયુ હતુ.આ વર્ષના મોટા પેકેજો (પગાર) પ્રાપ્ત કરનારા અન્ય ટેક એક્ઝિક્યૂટિવ્સ કોણ છે?સિસ્કો સિસ્ટમ્સના સીઈઓ 'જૉન ચેમ્બર્સ'. આ વર્ષે તેઓને બેઝિક પગાર સ્વરૂપે 382,212 ડૉલર આપવામાં આવે છે. ઉપરાંત 2031000નું રોકડ બોનસ પણ આપવામાં આવે છે. સ્ટૉક વિકલ્પની સાથે 2010નું પુરુ પેકેજ 1.88 કરોડ ડૉલરનું બને છે.માઇક્રોસૉફ્ટના સીઈઓ 'સ્ટીવ બામર'. તેમનો પગાર 6,70,000 ડૉલર, અને રોકડ બોનસ પણ આટલું જ છે. તમામ શેરો સહિત કુલ પેકેજ 13.5 લાખ ડૉલરનું બને છે.


ચોરીનો ભેદ ઉકેલવા ૪૦૦ લોકોની પુછપરછ કરાઇ..!

શહેરનાં છેવાડે આવેલા અને અતીધનાઢ્ય ગણાતા શરણમ કાઉન્ટી બંગલોમાં થયેલી ૭.૩૫ લાખની ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે આશરે ૪૦૦થી વધુ લોકોની પુછપરછ કરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.નોંધનીય છે કે પરિવાર સામાજીક પ્રસંગ અર્થે મકાન બંધ કરી ભુજ ગયો હતો ત્યારે બારીની ગ્રીલ તોડી તસ્કરો ૭.૩૫ લાખની મતા ચોરી ગયા હતા.પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, બોપલનાં વસંત બહાર રોડ પરનાં શરણમ કાઉન્ટી બંગલામાંથી તસ્કરો બારીની ગ્રીલ તોડી રોકડ ૫ લાખ તથા દાગીના મળી કુલ ૭.૩૫ લાખની મતા ચોરી ગયા હતા. ઘટનાની જાણ થતા આઇજી આશીષ ભાટીયા, એસ.પી સંદપિસીંહ, એલસીબી, એસઓજી ઉપરાંત સરખેજ પોલીસે સ્થળ પરની મુલાકાત લીધી હતી.ચોરીની આ ઘટનાને ગંભીરતાથી લઇ પોલીસે મોડી રાતસુધીમાંજ બંગલોઝનાં ૧૨ સિક્યુરીટી ગાર્ડ સહિત આસપાસની નવી બની રહેલી કન્સ્ટ્રકસન સાઇટનાં મજુરો મળી કુલ ૩૦૦ લોકોની પુછપરછ હાથ ધરી હતી, આ સિલસિલો પોલીસે મંગળવારે પણ યથાવત રાખી વધુ ૧૦૦ શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ કરી તપાસ હાથ ધરી છે, જો કે પોલીસ તપાસની ચોક્કસ દિશા તરફ આગળ વધી શકી નથી.


વડોદરા: ISO સર્ટિ. મેળવનાર દેશની પ્રથમ MP ઓફિસ

સંસદસભ્ય તરીકેના મશિન અને વિઝનને સિદ્ધ કરવા ક્વોલીટી મેનેજમેન્ટ સિસ્ટમ બનાવીને તે પ્રમાણે કાર્યાલયને હાઇટેક બનાવવાથી સાંસદ બાળકૃષ્ણ શુક્લના કાર્યાલયને આઇએસઓ ૯૦૦૧-૨૦૦૮નુ સર્ટિફીકેટ મળ્યું છે અને આ પ્રકારનુ સર્ટિફિકેટ મેળવનાર એમપી ઓફિસ દેશની પહેલી ઓફિસ બની છે.સાંસદ બાળકૃષ્ણ શુક્લને આ સર્ટિફીકેટ ટીયુવી રાઇનલેન્ડ તરફથી ઇસ્યુ કરવામાં આવ્યું હતું અને આજે તે સર્ટિફિકેટ લોકસભાના ભાજપના નેતા સુષ્મા સ્વરાજના હસ્તે વડોદરામાં આયોજિત કાર્યક્રમમાં એનાયત કરવામાં આવ્યું હતું. આ અંગે માહિતી રજુ કરતાં સાંસદ બાળુ શુક્લાએ જણાવ્યું હતું કે, નાગરિકોને મારા સંસદ કાર્યાલય સુધી ન આવવુ પડે તે માટે પોતાના વિચારો, ફરિયાદો અને રજુઆતો ઇમેઇલ દ્વારા મોકલી શકે છે. આ કામગીરી મેન્યુઅલી થતી હતી અને તેના બદલે એક સોફ્ટવેર ડેવલપ કરી તેને સમન્વય નામ આપવામાં આવ્યું છે.સમન્વયમાં એક ઓફિસ ઓટોમેશન પ્રોગ્રામ છે અને તેમાં સાંસદની એપોઇમેન્ટનુ શિડયુલીંગ થાય છે અને તે ઉપરાંત સાંસદ કાર્યાલયમાં જે કોઇ વ્યક્તિ ફરિયાદ કે રજુઆત લઇને આવે છે તેની નોંધ આ પ્રોગામમાં કરવામાં આવે છે.આ પ્રોગ્રામની વિશેષતા એવી છે કે સાંસદને મળતી ગ્રાન્ટના કામોને લગતાં આવતા સૂચનો પણ આ પ્રોગ્રામમાં એન્ટ્રી થતાની સાથે મોબાઇલ ફોન ઉપર જાણ થઇ જાય છે. એટલુ જ નહીં, દેશની પ્રથમ ઇ ઓફિસ છે કે જ્યાં સીસી ટીવી કેમેરા મૂકવામાં આવેલા છે અને આ ટીવી કેમેરાને ઇન્ટરનેટ સિસ્ટમ સાથે જોડાયેલા હોવાથી વિશ્વના કોઇપણ ખુણામાં બેસીને ઓફિસમાં ચાલતી ગતિવિધી અને કામગીરી ઉપર નગિરાણી રાખી શકુ છુ તેમ તેમણે ઉમેર્યું હતું.લોકસભાના વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે કોઇ અરજદાર અરજી આપે ત્યારે તેની ઉપર શું કાર્યવાહી થશે તેની ખાતરી મળતી નથી.પરંતુ, સાંસદ બાળકૃષ્ણ શુક્લે દેશની પ્રથમ એમપી ઓફિસને આઇએસઓનુ પ્રમાણપત્ર મેળવીને ગૌરવ વધાયું છે અને આ કોઇ અસાધારણ ઘટના નથી. રાજનેતાઓની કાર્યપ્રણાલીના કારણે અવિશ્વાસનું સંકટ ઉભુ થયુ છે.ત્યારે રાજનેતા મતદાર વચ્ચેના સમન્વય વિશ્વાસની કમી પૂરવાનુ કામ આ સિસ્ટમ કરશે.સામાન્ય રીતે અંગત મદદનીશો જ અરજદારોની ટપાલના કવર ફાડીને વાંચવા માટે મૂકતા હોય છે ત્યારે પોતાની અરજીનું શુ થશે તેનાથી અરજદારો ચિંતાતુર હોય છે. આ સંજોગોમાં, અરજદારોનો વિશ્વાસ સંપાદિત આ સિસ્ટમ થકી કરવાનુ કામ પ્રથમ વખત બાળુભાઇએ કરીને ઇન્કીલાબનુ કામ કર્યું છે.


વડોદરા: ISO સર્ટિ. મેળવનાર દેશની પ્રથમ MP ઓફિસ

સંસદસભ્ય તરીકેના મશિન અને વિઝનને સિદ્ધ કરવા ક્વોલીટી મેનેજમેન્ટ સિસ્ટમ બનાવીને તે પ્રમાણે કાર્યાલયને હાઇટેક બનાવવાથી સાંસદ બાળકૃષ્ણ શુક્લના કાર્યાલયને આઇએસઓ ૯૦૦૧-૨૦૦૮નુ સર્ટિફીકેટ મળ્યું છે અને આ પ્રકારનુ સર્ટિફિકેટ મેળવનાર એમપી ઓફિસ દેશની પહેલી ઓફિસ બની છે.સાંસદ બાળકૃષ્ણ શુક્લને આ સર્ટિફીકેટ ટીયુવી રાઇનલેન્ડ તરફથી ઇસ્યુ કરવામાં આવ્યું હતું અને આજે તે સર્ટિફિકેટ લોકસભાના ભાજપના નેતા સુષ્મા સ્વરાજના હસ્તે વડોદરામાં આયોજિત કાર્યક્રમમાં એનાયત કરવામાં આવ્યું હતું. આ અંગે માહિતી રજુ કરતાં સાંસદ બાળુ શુક્લાએ જણાવ્યું હતું કે, નાગરિકોને મારા સંસદ કાર્યાલય સુધી ન આવવુ પડે તે માટે પોતાના વિચારો, ફરિયાદો અને રજુઆતો ઇમેઇલ દ્વારા મોકલી શકે છે. આ કામગીરી મેન્યુઅલી થતી હતી અને તેના બદલે એક સોફ્ટવેર ડેવલપ કરી તેને સમન્વય નામ આપવામાં આવ્યું છે.સમન્વયમાં એક ઓફિસ ઓટોમેશન પ્રોગ્રામ છે અને તેમાં સાંસદની એપોઇમેન્ટનુ શિડયુલીંગ થાય છે અને તે ઉપરાંત સાંસદ કાર્યાલયમાં જે કોઇ વ્યક્તિ ફરિયાદ કે રજુઆત લઇને આવે છે તેની નોંધ આ પ્રોગામમાં કરવામાં આવે છે.આ પ્રોગ્રામની વિશેષતા એવી છે કે સાંસદને મળતી ગ્રાન્ટના કામોને લગતાં આવતા સૂચનો પણ આ પ્રોગ્રામમાં એન્ટ્રી થતાની સાથે મોબાઇલ ફોન ઉપર જાણ થઇ જાય છે. એટલુ જ નહીં, દેશની પ્રથમ ઇ ઓફિસ છે કે જ્યાં સીસી ટીવી કેમેરા મૂકવામાં આવેલા છે અને આ ટીવી કેમેરાને ઇન્ટરનેટ સિસ્ટમ સાથે જોડાયેલા હોવાથી વિશ્વના કોઇપણ ખુણામાં બેસીને ઓફિસમાં ચાલતી ગતિવિધી અને કામગીરી ઉપર નગિરાણી રાખી શકુ છુ તેમ તેમણે ઉમેર્યું હતું.લોકસભાના વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે કોઇ અરજદાર અરજી આપે ત્યારે તેની ઉપર શું કાર્યવાહી થશે તેની ખાતરી મળતી નથી.પરંતુ, સાંસદ બાળકૃષ્ણ શુક્લે દેશની પ્રથમ એમપી ઓફિસને આઇએસઓનુ પ્રમાણપત્ર મેળવીને ગૌરવ વધાયું છે અને આ કોઇ અસાધારણ ઘટના નથી. રાજનેતાઓની કાર્યપ્રણાલીના કારણે અવિશ્વાસનું સંકટ ઉભુ થયુ છે.ત્યારે રાજનેતા મતદાર વચ્ચેના સમન્વય વિશ્વાસની કમી પૂરવાનુ કામ આ સિસ્ટમ કરશે.સામાન્ય રીતે અંગત મદદનીશો જ અરજદારોની ટપાલના કવર ફાડીને વાંચવા માટે મૂકતા હોય છે ત્યારે પોતાની અરજીનું શુ થશે તેનાથી અરજદારો ચિંતાતુર હોય છે. આ સંજોગોમાં, અરજદારોનો વિશ્વાસ સંપાદિત આ સિસ્ટમ થકી કરવાનુ કામ પ્રથમ વખત બાળુભાઇએ કરીને ઇન્કીલાબનુ કામ કર્યું છે.


ભિલાડથી સુરત આવતી મેમુ ટ્રેનમાં આગ

ભિલાડથી સુરત આવતી મેમુ ટ્રેનના ડ્રાઇવિંગ મોટર કોચમાં સવારે ૯ .૩૦ કલાકે શોટસર્કિટના કારણે આગ ફાટી નીકળતા ભેસ્તાન સ્ટેશન પર ભારે અફરાતફરી ફેલાઈ હતી. ડ્રાઇવિંગ કોચની બાજુના પેસેન્જર કોચમાં અંદાજે ૫૦ જેટલાં મુસાફરોમાં ભાગદોડ મચી ગઈ હતી. જોકે, તમામ મુસાફરોને સલામત રીતે બહાર નીકળી શક્યા હતાં.ભિલાડથી મેમુટ્રેન સવારે સુરત આવી રહી હતી ત્યારે ભેસ્તાન સ્ટેશન પર ડીએમસી કોચ-૨માંથી એકદમ ધુમાડો નીકળવાનો શરૂ થયો હતો અને વાયરિંગ બળવાની ગંધ આવતા ડ્રાઇવરે ટ્રેન થોભાવી હતી. ટ્રેનમાં સામાન્ય રીતે ત્રણ ડ્રાઇવિંગ મોટર કોચ હોય છે તેમાં બે નંબરના કોચમાં આગ પકડાઈ હતી. જેના પગલે તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી.ફાયરના ડિવિઝનલ ઓફિસર એન. પી. મોઢ, સબ ઓફિસર કિર્તી મોઢ અને જગદીશ પટેલ ત્રણ ફાયર ફાયટર અને બે વોટર ટેન્કર સાથે ભેસ્તાન રેલવે સ્ટેશન ઘસી ગયા હતાં. ડિવિઝનલ ઓફિસર એન. પી. મોઢના જણાવ્યા પ્રમાણે મેમુ ટ્રેનમાં શોટસર્કિટના કારણે લાગેલી આગ તો સામાન્ય હતી પરંતુ તે ક્યારેક ભયંકર ખાનાખરાબી પણ સર્જી શકે છે. મોટો અકસ્માત થતા બચી ગયો અને સૌ ઉગરી ગયાં. આગને તો તુરંત કાબુમાં લેવાઈ હતી પરંતુ સલામતીના પગલાંરૂપે આખી ટ્રેનને ખાલી કરાવવામાં આવી હતી.


રાજકોટ : સવાઁગી વિકાસ માટે ભાજપ ફરીથી સજ્જ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે ભાજપે બહાર પાડેલાં ચૂંટણી સંકલ્પ પત્ર અંગેની વિગત આપતા વિજયભાઇ રૂપાણી અને ધનસુખભાઇ ભંડેરીએ કહ્યું હતું કે આવનારા પાંચ વર્ષ દરમિયાન રૈયા રોડ, એરપોર્ટ રોડ પર અંડરબ્રિજ, સિવિલ હોસ્પિટલ, સોરિઠયાવાડી, મવડી ચોક પાસે ઓવરબ્રિજ બનાવાશે. સાંઢિયાપુલને પહોળો કરાશે.શહેરના ઉપલા કાંઠે અને નવા વિસ્તારમાં સાધુ વાસવાણી રોડ પર એમ બે ઓડિટોરિયમ બનાવાશે તથા સામાકાંઠે, રૈયા રોડ અને કોઠારિયા રોડ પર એમ ત્રણ કોમ્યુનિટી હોલ બનાવાશે. શહેરના તમામ મુખ્ય માર્ગો પેવર કરાશે. સુચિત સોસાયટીના રસ્તાઓને પણ પેવર ડામર કરાશે. શહેરમાં ત્રણ ગેસ આધારિત સ્મશાન બનશે. ન્યારી ડેમની ક્ષમતા વધારીને તથા નર્મદાનું વધારે પાણી લઇને શહેરને દરરોજ ૩૦ મિનિટ પાણી વિતરણ કરાશે.પ્રધ્યુમનપાર્ક ખાતે બોટિંગ, લૈકપોઇન્ટ બનાવાશે. શહેરને સૌર ઉર્જા ક્ષેત્રે આગળ વધારી પ્રદુષણ મુક્ત બનાવાશે. નવા બે લાખ વૃક્ષોનું વાવેતર કરી ૫૦ બગીચાનું નિર્માણ કરાશે. પ્રદેશ ભાજપ પ્રમુખ આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે આ સંકલ્પ પત્ર ઢંઢેરો નથી પરંતુ મહાનગરના વિકાસ માટેની ભાજપની પ્રતબિધ્ધતા છે.મુખ્યમંત્રીએ ગુજરાતને નં.૧ બનાવ્યું છે. રાજકોટ ભાજપના શાસકો રાજકોટને નં.૧ બનાવશે. સંકલ્પ પત્રના વિમોચન સમયે ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, ભાનુબેન બાબરિયા, પૂર્વ પ્રમુખ નિતિન ભારદ્વાજ, રાજભા ઝાલા, અનિલ રાઠોડ, સંધ્યાબેન વ્યાસ, દિનેશ ટોળિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


રાજકોટ : તમારા ખાનદાને રાજકારણમાંથી કરોડો રૂપિયા બનાવ્યા છે

જસદણની તાલુકા પંચાયત અને રાજકોટ જિલ્લા પંચાયતની છ બેઠકો માટેનો ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે મામલતદાર કચેરીએ કામે આવેલા મતદારોએ રાજકીય પક્ષના ઉમેદવારોને વાસ્તવિકતાના દર્શન કરાવતાં ઉમેદવારો નીચી મૂંડીએ ચાલતી પકડી હતી.જસદણ તાલુકા પંચાયત અને રાજકોટ જિલ્લા પંચાયતની છ બેઠકો માટે ચૂંટણી જંગ ધીમેધીમે તેનો રંગ પકડતો જાય છે. આ સ્થિતિમાં જસદણમાં મામલતદાર કચેરીએ તા.૪ને સોમવારે રાજકીય પક્ષના ઉમેદવારો ફોર્મ ભરવા આવ્યા હતા.આ સાથે વીંછિયાના ચાર ગ્રામજનો પણ કોઈ કામે ત્યાં આવ્યા હતા. આ ગ્રામજનોને ઉમેદવારોએ પ્રચાર કરવા નીકળ્યા હોય તેમ ચૂંટણીના સમયે ભાગી જવાના બદલે આપણા ઉમેદવારોને સક્રિય બની મદદરૂપ થજો અને અમને સેવાનો મોકો આપજો તેમ કહ્યું હતું.આ વાક્ય સાંભળી ચારેય ગ્રામજનો ઉકળી ઊઠ્યા હતા અને પ્રથમ એકે તો ન કહેવાના શબ્દો કહ્યાં હતાં. આ પછી ચારેયે તારા ખાનદાને રાજકારણમાંથી કરોડો બનાવ્યા છે અને સેવાના દીકરા થાવ છો. તમે રાજકારણીઓ જ દેશને ખોખલો કર્યો છે. સગાભાઈઓને સાથે રહેવા દીધા નથી. કહી ઉમેદવારોને મોઢા-મોઢ ચોંપડાવી દીધી હતી.

No comments:

Post a Comment