23 July 2010

ભાદરમાં સાડા બાર ફૂટ, આજીમાં અઢી ફૂટ નવું પાણી આવ્યું

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

ભાદરમાં સાડા બાર ફૂટ, આજીમાં અઢી ફૂટ નવું પાણી આવ્યું


મેઘરાજાએ ચમત્કાર સર્જયો: માત્ર બે કલાકમાં રાજકોટની પાણી સમસ્યા હળવી કરી દીધી.- ન્યારી-૧ ડેમમાં અડધા ફૂટની આવક, લાલપરી-રાંદરડા એક દી’માં છલકાયા.રાજકોટ ઉપર આજે ઓળઘોળ થયેલા મેઘરાજા સ્થાનિક જળાશયો ઉપર અનરાધાર હેત વરસાવતા ઓક્સિજન ઉપર જીવતા આ જળાશયોમાં નવા પ્રાણના સંચાર થયા છે અને સાથોસાથ રાજકોટની જળસમસ્યા પણ હળવી થઇ ગઇ છે.ખાસ કરીને રાજકોટ ઉપરાંત ગોંડલ પંથકની જીવાદોરી અને પાક માટે આર્શીવાદરૂપ રહેતા ભાદર ડેમમાં ગત રાતથી ચોવીસ કલાકમાં એક્સાથે ૧૨ ફૂટ ધીંગી જળરાશી ઠલવાઇ ગઇ છે.આ ઉપરાંત તળિયાઝાટક પડેલા આજી-૧માં ૨.૬૦ ફૂટ નવાં નીરની પધરામણી થઇ છે. જ્યારે રાજકોટની પીવાના પાણીની જરૂરિયાતને ટેકો આપતા લાલપરી-રાંદરડા ઓવરફ્લોથઈ ગયા હતા. ન્યારી-૧ ડેમમાં પ્રવર્તમાન જળસમસ્યાના સંજોગોમાં મહત્વનું અડધો ફૂટ પાણી આવ્યું છે.
શહેરમાં ગઇકાલની સ્થિતિએ પંદર-પંદર ઇંચ વરસાદ પડી જવા છતાં સ્થાનિક જળાશયો ખાલીખમ્મ પડ્યાં હતાં. ડેમમાં નવાં નીર નહીં આવે તો શું થશે? એવી કલ્પનામાત્રથી શહેરીજનોના જીવ પડીકે બંધાઇ ગયા છે એવા ટાણે જ વહાલા મેઘરાજાએ પ્રજાનો પોકાર સાંભળી લઇ આજે અનરાધાર સ્નેહ વરસાવ્યું હતુ.જળાશયો ઉપર પણ અમીદ્રષ્ટિ કરી હતી. ખાસ કરીને ભાદરમાં ૧૨ ફૂટ નવાં નીરની પધરામણી થઇ છે. ગોંડલ-જેતપુર અને ભાદરના સ્રાવ વિસ્તારમાં ગઇકાલ સાંજથી વરસેલા અનરાધાર વરસાદના કારણે ભાદરમાં રાતથી પાણીની આવક ચાલુ થઇ હતી અને આ લખાય છે ત્યારે પણ ભાદરમાં ધીંગી આવક ચાલુ હોવાના સમાચાર મળી રહ્યા છે. નવાં નીરની આવક સાથે ભાદરની કૂલ સપાટી ૨૩ ફૂટે પહોંચી ગઇ છે અને ભાદરમાં ૨૯૦૦ એમ.સી.એફ.ટી. જળજથ્થો સંગ્રહ થયેલો છે. ભાદરમાંથી રાજકોટ મનપા દૈનિક ૧૦૦ લાખ ગેલન ઉપાડ કરે છે અને ગુરુકૂળ અને જયુબિલી ઝોનને પાણી પૂરું પાડે છે અને હાલમાં આ બન્ને ઝોનને ૧૧માસ ચાલે તેટલો જળજથ્થો સંગ્રહ થઇ ચૂકયો છે.ભાદર ઉપરાંત ઘરઆંગણેના અન્ય જળાશયોમાં જેની હાલત પહેલેથી જ અતિ ચિંતાજનક છે અને તળિયાઝાટક થઇ ગયેલા આજી-૧ ડેમમાં આજના વરસાદથી એક્સાથે અઢી ફૂટની આવક થતા કુલ સપાટી ૧૧.૭૦ પહોંચી છે.જો કે ચાર મહિના સુધી ચાલે તેટલુ પાણી આજીમાં આજે માત્ર અઢી કલાકમાં જ આવી ગયું છે. જ્યારે ન્યૂ રાજકોટના આધારસ્તંભ એવા ન્યારી-૧ ડેમમાં અડધા ફૂટની નવી આવક સાથે સપાટી ૧૩.૨પ ફૂટે પહોંચી છે


જૂલાઇમાં નિફ્ટી 5515 સુધી જઇ શકે છે

બજાર આજે ઘણું મજબૂત જોવા મળી રહ્યું છે અને નિફ્ટીનો આજનો દાયરો 5390-5475ની વચ્ચે રહી શકે છે.આમ, તો મને એ વાતની આશંકા ઓછી જ છે કે નિફ્ટી 5390 સુધી તૂટશે. મારા મતે જૂલાઇ સીરીઝમાં નિફ્ટી 5515 સુધી જઇ શકે છે. જૂલાઇ સીરીઝમાં સેટલમેન્ટ 5400 થી 5000ની વચ્ચે થઇ શકે છે.મને લાગે છે કે નિફ્ટીની મજબૂતી ઓછામાં ઓછી ઓગસ્ટના મધ્ય સુધી બની રહેશે. પરંતુ અત્યારે એ કહેવું મુશ્કેલ છે કે તે સમયે નિફ્ટી કઇ સપાટી પર હશે. તે 29મી જૂલાઇના રોલઓવર આંકડાઓ પછી જ ખબર પડશે. જો રોલઓવર સારા રહે છે તો નિફ્ટી મોટા લક્ષ્યની તરફ વધી શકે છે. પરંતુ જો રોલઓવર વધુ નહિં રહે તો મને મોટી વૃદ્ધિની આશા ઓછી હશે.વિપ્રોના ત્રિમાસિક પરિણામો સારા રહ્યા છે પરંતુ મને લાગે છે કે ટીસીએસના પરિણામો ઘણા સારા હતા. જો કે આઇટી કંપનીઓને અમેરિકા સિવાય એશિયન દેશોમાં પોતાનો વેપાર વધારવો પડશે. એમ નહિં થતા તેની મુશ્કેલીઓ ઓછી થશે નહિં.અત્યારે કેપિટલ ગુડઝ, રિઅલ એસ્ટેટ અને બેકિંગ ક્ષેત્રમાં રોકાણ કરી શકાય છે. બેકિંગ ક્ષેત્રમાં પણ ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઇ)માં સારી ચાલ શરૂ થઇ ગઇ છે, જે એક સકારાત્મક સંકેત છે. મને લાગે છે કે રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં હજુ તેજીની ઘણી ગુંજાઇશ બાકી છે.


‘આતંકવાદને મદદ કરવી પાક.ને ભારે પડશે’

અમેરિકાએ આતંકવાદ મુદ્દે કડક પગલા લેવાનું કહેતા પાકિસ્તાનને ચેતવણી આપી છે કે વોશિંગ્ટન પર થતાં કોઈ પણ હુમલાનો સંબંધ ઈસ્લામાબાદ સાથે હોવાનું ખુલશે તો બંને દેશના સંબંધો પરત તેની ખરાબ અસર પડશે.અમેરિકાના વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને જણાવ્યું હતું કે જો આતંકવાદી સંગઠનોને રોકવામાં નહીં આવે તો એવું બનશે કે તમારા ઘરની પાછળ જ જેરી સાપ બેઠો હશે. હિલેરીએ જણાવ્યું હતું કે તેમને હંમેશા એવા આતંકવાદી હુમલાનો ડર રહે છે જેનો તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હોય છે.હિલેરીએ બીબીસીને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અમે આશા રાખીએ છીએ કે પાકિસ્તાન આતંકવાદ સામે લડવા માટે જરૂરી તમામ પગલા ભરશે. પરંતુ એ વાત પર કોઈ શંકા નથી કે ભવિષ્યમાં અમેરિકા પર કોઈ હુમલાના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાનું માલુમ પડશે તો તેની ખૂબ માઠી અસર થશે.


સાવધાન સચિન, પોન્ટિંગ આવી રહ્યો છે નજીક

ઓસ્ટ્રેલિયાનો સુકાની રિકી પોન્ટિંગ ટેસ્ટ ક્રિકેટમાં 12 હજાર રનોના શિખર સુધી પહોંચનાર વિશ્વનો બીજો બેટ્સમેન બની ગયો છે. પોન્ટિંગે પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે 40 રન બનાવીને આ સિદ્ધિ હાંસલ કરી છે. પોન્ટિંગ ભારતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર બાદ 12 હજાર રન બનાવનાર બીજો ખેલાડી બની ગયો છે.સચિન હાલ 167 ટેસ્ટ મેચો સાથે 13539 રન પર છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના સુકાનીએ 146મી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી છે. પોન્ટિંગ પ્રથમ ઇનિંગમાં માત્ર છ રન જ બનાવી શક્યો હતો. જ્યારે બીજી ઇનિંગમાં તેણે મોહમ્મદ ઓમરની ઓવમાં થર્ડમેન પર ચોગ્ગો લગાવીને 12 હજાર રન પુરા કર્યાં છે.
37 વર્ષિય સચિન અને 35 વર્ષિય પોન્ટિંગ બન્ને 12 હજાર રન પુરા કરવાના મુદ્દે સમાનતા પર છે. બન્ને બેટ્સમેનોએ આ શિખર સુધી 247મી ઇનિંગ રમી છે. જો કે, આ સિદ્ધિ માટે સચિને 152 મેચ રમી હતી. જ્યારે પોન્ટિંગ 146મી ટેસ્ટમાં આ આંક સુધી પહોંચ્યો હતો.પોન્ટિંગે આઠ ડિસેમ્બર 1995માં પર્થમાં શ્રીલંકા વિરુદ્ધ પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. પોન્ટિંગને 12 હજાર રન સુધી પહોંચતા 14 વર્ષ 225 દિવસ લાગ્યા છે. જ્યારે સચિનને ત્યાં સુધી પહોંચતા 18 વર્ષ અને 337 દિવસ લાગ્યા હતા.


‘બહુ થયું વિકેટકિપિંગ હવે તો સેહવાગ બનવું છે’

વિકેટકિપિંગ તરીકેની ભૂમિકાને અલવિદા કહેવાનો નિર્ણય કરનાર ન્યુઝીલેન્ડના ખેલાડી બ્રેન્ડેન મેક્કુલમની ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ બેટિંગ કરવાની ઇચ્છા છે.વિકેટકિપિંગ છોડ્યા બાદ મેક્કુલમ એક સ્પેશલિસ્ટ બેટ્સમેન તરીકેનું સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. તેનું માનવું છે કે, તે ન્યુઝીલેન્ડને આકર્ષક શરૂઆત આપી શકે છે. તેણે કહ્યું છે કે, જે રીતે ભારતીય વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગ, શ્રીલંકાનો દિલશાન, ઇન્ડિઝનો ગેઇલ ટેસ્ટ ક્રિકેટમાં આગવી વિસ્ફોટક શૈલીના કારણે ટીમને શાનદાર શરૂઆત આપે છે. અને હું પણ તેમના જેવી શૈલીથી બેટિંગ કરી શકું છું.ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી ન્યુઝીલેન્ડ એક સારી ઓપનિંગ પાર્ટનરશિપની શોધમાં છે. ત્યારે મેક્કુલમ દ્વારા ઓપનિંગ બેટિંગ કરવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવતા તે પસંદગીકારોની સમસ્યાને થોડી હળવી કરી શકે છે.


વુડ્સ વિશ્વનો સૌથી ધનિક ખેલાડી

અનેક યુવતિઓ સાથે લગ્નેતર સંબંધો બાંધવાના કારણે વિવાદોમાં ફસાયા બાદ અમેરિકાના ગોલ્ફ સ્ટાર ટાઇગર વુડ્સનું હજૂ પણ વિશ્વના સૌથી ઘનિક ખેલાડીઓની યાદીમાં ટોચ પર છે.ફોર્બ્સે જાહેર કરેલી સૌથી ઘનિક ખેલાડીની યાદીમાં ટાઇગર વુડ્સ 105 મિલિયન ડોલર સાથે ટોચ પર છે.તેમ સ્પોર્ટ્સ ઇલિસ્ટ્રેટેડે જણાવ્યું છે કે, લગ્નેતર સંબંધોના કારણે ગત ડિસેમ્બરમાં તેની આવક 70 મિલિયન ડોલરથી 22 મિલિયન ડોલર થઇ ગઇ હતી. 200નના વર્ષમાં તેની આવકમાં ઘટાડો થતા તેની વાર્ષિક આવક 90.5 મિલિયન ડોલર રહી હતી.



સંસ્કારમૂર્તિ ઉમાશંકર : એક અલગ સ્વરૂપે

સંસ્કારમૂર્તિ ઉમાશંકર માટે શબ્દ એક ‘અગ્નિદિવ્ય’નું સ્વરૂપ હતું : તે કવિ હતા, નાટકો લખ્યાં, નવલિકાઓ આપી, એક નવલકથા પર હાથ અજમાવ્યો, અનુવાદો કર્યા, ‘સંસ્કૃતિ’ના તંત્રી-સંપાદક બન્યા, નિબંધોનું સર્જન કર્યું, શાંતિનિકેતનના કુલપતિ બન્યા અને જ્ઞાનપીઠનું પ્રથિતયશ સન્માન મેળવ્યું, સાહિત્ય પરિષદને પ્રતિષ્ઠા આપી, તેમનું સ્મરણ સાંપ્રત ચેતનાના અનુબંધે કરવું જોઈએ.ઉમાશંકર જોશીના જન્મશતાબ્દી વર્ષે તેમની સ્મૃતિમાં કેવા ઉત્સવો ઉજવીશું? એકલા કવિ ઉમાશંકર તરીકેના? ‘વિશ્વશાંતિ’ તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાં રચ્યું હતું અને ‘હું ગુર્જર ભારતવાસી!’ એમ પણ ગાયું. એ ખરું, પણ ઉમાશંકરની એકલા કવિ તરીકેની ઓળખ અધૂરી ગણાશે. ઇડર નજીકના બામણા ગામે જન્મેલા મૂળમાં ઉમિયાશંકર ઉમાશંકર બનીને છવાયા તેની વાત તેમણે પોતે જ કરી હતી : ‘શબ્દ લઈને હું નીકળ્યો’તો ને ક્યાં ક્યાં પહોંચ્યો.’સંસ્કારમૂર્તિ ઉમાશંકર માટે શબ્દ એક અગ્નિદિવ્ય’નું સ્વરૂપ હતું : શીતળ, વેદનાસિકત અને અજવાળાંને આંબવા મથતો શબ્દ. તેમાં વિશ્વની શાંતિનો રણકાર આવે તો જઠરાગ્નિ ભભૂકવાનો પુણ્ય પ્રકોપ પણ ખરો. શિક્ષક કવિ એમ પણ પૂછી લેશે કે દેશ તો આઝાદ થાતાં થઈ ગયો, તેં શું કર્યું? આ નાગરિક ધર્મે કવિને એકદંડિયા મહેલની બહાર જમીન પર, ભીડમાં લઈ જવાનું બળ પૂરું પાડ્યું. એટલે તે કવિ હતા, નાટકો લખ્યાં, નવલિકાઓ આપી, એક નવલકથા પર હાથ અજમાવ્યો, અનુવાદો કર્યા, ‘સંસ્કૃતિ’ના તંત્રી-સંપાદક બન્યા, નિબંધોનું સર્જન કર્યું, શાંતિનિકેતનના કુલપતિ બન્યા અને જ્ઞાનપીઠનું પ્રથિતયશસન્માન મેળવ્યું, સાહિત્ય પરિષદને પ્રતિષ્ઠા આપી.પણ આ બધા તો કેટલાક પડાવ હતા. તેમનું સ્મરણ સાંપ્રત ચેતનાના અનુબંધે કરવું જોઈએ. સદ્ભાગ્યે એકદંડિયા મહેલમાં રહીને સાહિત્યપંડિત થવાનું તેમણે અને તેમના સમકાલીનોમાંના કેટલાક સાહિત્યકાર- શિક્ષણકારોએ પસંદ કર્યું નહોતું. ઇન્દુલાલ યાજ્ઞિક આત્મકથાના યે નાયક રહ્યા, જયંતિ દલાલે સાહિત્યની સમાંતરે મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ લીધું, એસ.આર. ભટ્ટે શિક્ષણ-સાહિત્યની સાથે જાહેર જીવનમાં પણ ઝુકાવ્યું હતું.યાદ આવ્યું કે ગુજરાત યુનિ.બિનશૈક્ષણિક સ્થાપિતોનું મેદાન બની જાય તેની સામે ઉમાશંકરે જંગમાં ઝુકાવ્યું અને ઉપકુલપતપિદે રહ્યા હતા? એ સમય એટલા માટે ય યાદ છે કે ત્યારે અમે કેટલાક એમ.એ.ના ભાષાભવનના છાત્ર હતા. ઉમાશંકર જોશી ઉપકુલપતપિદની ખુરશી પરથી સીધા એમ.એ.નો વર્ગ ભણાવવા પણ આવે અને ‘ગાંધીજીની આત્મકથા’નું અનુશીલન કરાવે. પછીથી આજોલના જ્ઞાનસત્રમાં સાહિત્યચર્ચામાં ગાંધી અને સાત્ર વિશે થોડુંક બોલ્યો હતો, ત્યારે ભોજન સમયે તેમણે ઝીણી આંખે પૂછ્યું: તેં ગાંધીને આવા સ્વરૂપે ક્યાંથી જાણ્યા? મેં જવાબ આપ્યો : હું એમ.એ.માં આપનો વિદ્યાર્થી હતો અને... વાક્ય પૂરું કરું તે પહેલાં ચહેરા પર લાલાશ સાથે, હળવાશમાં કહે: ‘મેં ગાંધીને આવો શીખવ્યો હતો?’ એટલો જ હળવાશથી જવાબ આપ્યો : તમે જ કહેતાને કે જેનું જેટલું વિત્ત હશે, એટલું અને એવું શીખશે! નવ નિર્માણ આંદોલન થકી વિધનસભાનું વિસર્જન અને ચૂંટણી સમયે શું એવો વિચાર વપિક્ષોમાં શરૂ થયો હતો. સંયુક્ત પરબિળ બન્યા વિના છુટકો ન હોતો. ઉમાશંકરભાઈને કોંગ્રેસનો કંઈ સારો અનુભવ તો હતો નહીં. જનસંઘ પ્રત્યે કૂણી લાગણી ક્યાંથી હોય? એ દિવસોમાં અટલબિહારી વાજપેયી અમદાવાદ આવી રહ્યા હતા. તેમની સંમતિ લઇને નક્કી કર્યું કે ક્યાંક ભોજનમાં ઉમાશંકરભાઈ, બી.કે. મજમુદાર અને અટલબિહારી વાજપેયી સાથે હોય, એકબીજાના વિચારોની અને મતભેદોની આપ-લે થાય. શાહપુરમાં એક કાર્યકર્તાને ત્યાં આ ભોજન થયું. બી.કે. આવી શક્યા નહીં (પછીથી તેમના ઘરે જઈને કલાકેક ચર્ચા ચાલી. બી.કે. તો એક જમાનાના સમાજવાદી, પક્ષોથી ત્યારે દૂર પણ, રાજકારણની પૂરી સમજ.) આશ્ચર્યવત્ ઉમાશંકર આવ્યા.


રેલવે દુર્ઘટના પર નિવેદનબાજ નેતાઓને શું કહેશો

કોઈપણ ઘટના બને અને તે ગમે તેવી હોય, પણ રાજકીય રોટલા શેકનારા નેતાઓ તે ઘટના કે તેવી ઘટનાઓથી નિપટવા માટેની તૈયારીઓ કરવા કરતાં નિવેદનબાજી કરવામાં વધારે રસ ધરાવે છે. ભારતના રાજકારણમાં નેતાઓ હંમેશાથી નિવેદનબાજો રહ્યાં છે. આ નિવેદનબાજ નેતાઓ કોઈપણ મુદ્દે તોપના ભડાકા જેવા નિવેદનો કરી શકે છે.પરંતુ જ્યારે લોકો માટે કામ કરવાનો વખત આવે, ત્યારે તેઓ પરિણામલક્ષી કામ કરી શકતા નથી. પશ્ચિમ બંગાળમાં બે માસમાં બીજી મોટી રેલવે દુર્ઘટના બની છે. આ રેલવે દુર્ઘટના બાદ પણ નિવેદનબાજ નેતાઓનો કાફલો નિવેદનો આપવા માટે ઉતરી પડયો છે.કોઈ મમતાનો બચાવ કરી રહ્યા છે, તો કોઈ મમતાની ટીકા કરી રહ્યાં છે, કોઈ અફસોસ વ્યક્ત કરી રહ્યાં છે, તો ખુદ મમતા દુર્ઘટના પર કંઈક સંદેહ હોવાની અસ્પષ્ટ વાત કરી રહ્યાં છે. જનતાને આવા નેતાઓના નિવેદનોથી કંઈજ લેવા દેવા નથી. તેમને તો તેમને મળતી રેલવેની સુવિધા અને સેવા સુચારું અને સુરક્ષિત બને તેમાં જ રસ છે.પ્રણવ મુખર્જીઓ રેલવે દુર્ઘટના પર પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે દુર્ઘટના માત્ર દુર્ઘટના હોય છે. તેનું કોઈ અનુમાન લાગાવી શકે નહીં. તેમનું કહેવું છે કે તેના માટે કોઈપણ પ્રકારે મમતા બેનર્જીને જવાબદાર ઠેરવી શકાય નહીં.


બિહારના ધારાસભ્યોને ગુંડા નહીં તો બીજું શું કહેવું?

બિહારના નેતાઓને વિધાનસભામાં ધાંધલ મચાવતા જોઈને લાગે કે ગુંડા શબ્દ તો આ મહાનુભાવો માટે બહુ નાનો પડે. એકબીજા પર મુક્કા અને લાતો વરસાવતા આ માનનીય ધારાસભ્યોએ પોતાના યુï કૌશલ્યના ઉત્કૃષ્ટ નમૂના ગૃહની મધ્યમાં પ્રદર્શિત કર્યા. કોઈએ સ્પીકર પર ચપ્પલ પણ ફેંકર્યું. માઈકની તોડફોડ અને પાટલીઓ ઉછાળવાનું તો બહુ સામાન્ય થઈ ગયું. જયોતિકુમારી નામની કોંગ્રેસની એક ધારાસભ્યએ તો ૨૦ કૂંડા તોડવાનો રેકોર્ડ બનાવી નાખ્યો.જયોતિકુમારી વિધાન પરિષદની સભ્ય છે એટલે વિધાનસભાની ધાંધલ સાથે તેને કશી લેવાદેવા ન હોવી જોઈએ પણ, આ મહિલા સભ્ય (?)એ વિધાન પરિષદને તાળાબંધી કરી દીધી હતી અને તેમને વિધાન પરિષદમાંથી દૂર કરવા જ્યારે માર્શલોનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે તેમણે જમીન પર ઢસડાવાનું પસંદ કર્યું અને પછી શબ્દાર્થમાં રણચંડી બની ગયાં. બિહારમાં છેલ્લા બે દિવસથી વિધાનસભામાં આવી ધમાલ ચાલી રહી છે. ઓક્ટોબર મહિનામાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એટલે નાટક વધ્યાં છે. નીતીશકુમારને ભીડવવા માટે કા‹ંગ્રેસ સહિતના વિરોધપક્ષો ધમાલ મચાવી રહ્યા છે.ધારાસભાઓમાં ધાંધલ આપણા માટે નવી નથી. પણ હમણાં તેમાં સારો એવો ઉછાળો આવ્યો છે. એવા લોકો ચૂંટાવા માંડ્યા છે કે શિસ્ત કે નૈતિકતાની અપેક્ષા રાખવી વધુ પડતી છે. આવા ધારાસભ્યોને ચલાવી પણ લેવાય નહીં એટલે શિસ્તનો ભંગ કરનાર, લોકતંત્રની આબરૂને દાગ લગાડનાર ગૃહમાં તોફાન કરનાર, બેકાબૂ અને બદતમીઝ ધારાસભ્યોને પાછા બોલાવી લેવાની સત્તા જનતા પાસે હોવી જોઈએ.ચૂંટણી સુધારાઓ કરવાની વાતો વર્ષોથી થતી રહી છે તે ભલે ટલ્લે ચડતી હોય, એ જ સુધારો તાત્કાલિક થઈ જવો જોઈએ, રાઈટ ટુ રિકોલનો સુધારો જનતા જેમને ચૂંટીને મોકલે છે તે લોકપ્રતિનિધિઓ જો અપેક્ષામાં ખરા ન ઉતરે અને અયોગ્ય વર્તન કરે, ગેરરીતિ આચરે તો તેને પાછા બોલાવીને ઘરે બેસાડી દેવાનો હક્ક તો કમ સે કમ પ્રજાને હોવો જોઈએ. આ અધિકાર મળે તો ચૂંટાયા પછી જનપ્રતિનિધિઓ માંતેલા સાંઢ બની જાય છે તે બંધ થઈ જાય. પ્રજાની બીકે ગરીબ ગાય જેવા બની જાય. ગુંડા જેવા જનપ્રતિનિધિઓને તો સુધારી શકાય નહીં પણ, નિયમો તો જરૂર સુધારી શકાય.


હિમેશ-ઈમરાન ખતરો કે ખિલાડીમાં?

ફિયર ફેક્ટર એટલે કે ખતરો કે ખિલાડી નામનો રિયાલિટી શો કલર્સ ચેનલ પર શરૂ થવાનો છે. આ શોની હોસ્ટ પ્રિયંકા ચોપરા છે. આ શોમાં મિલિંદ સોમન, સોનુ સુદ અને ડિનો મોરિયા જેવા અભિનેતા ભાગ લઈ રહ્યા છે.ચેનલે ઈમરાન હાશ્મી અને હિમેશ રેશમિયાનો પણ સંપર્ક કર્યો છે. જો કે હજી સુધી તેઓએ કામ કરવા અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી પરંતુ જો તેઓ હા પાડશે આ શો માટે તેઓ ઘણાં જ મહત્વના બની રહેશે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચેનલ હિમેશ અને ઈમરાન ફિયર ફેક્ટરમાં ભાગ લે તેવા પ્રયાસો કરી રહી છે. હાશ્મી હાલમાં પોતાની ફિલ્મ વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારબાદ તેણે એકપણ ફિલ્મ સાઈન કરી નથી. તેથી તેની પાસે પૂરતી તારીખો છે.હિમેશે હાલમાં જ પોતાની ફિલ્મ ઈશ્ક અનપ્લગનું કામ પૂરું કર્યુ છે. હિમેશ માટે પણ તારીખોની કોઈ સમસ્યા નથી.શરૂઆતમાં ફિયર ફેક્ટરમાં ક્રિકેટર્સને લેવાના હતા. પરંતુ માત્ર ઓસ્ટ્રેલિયન ખેલાડી બ્રેટ લીએ હા પાડી હતી. તેથી હવે ક્રિકેટર્સને બદલે અભિનેતાઓને લેવામાં આવી રહ્યા છે.ફિયર ફેક્ટરનું શુટિંગ ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયાથી બ્રાઝિલમાં શરૂ થશે.


રાજકોટમાં છાત્રોએ ગાડીઓ સાફ કરી ફી વધારા સામે વિરોધ કર્યો

અમુક વિદ્યાર્થીઓએ બૂટ પોલીસ કર્યા અને ચાનું વેચાણ કર્યું- આજે એનએસયુઆઇની આગેવાની હેઠળ રેલી કાઢવામાં આવશે.રાજકોટની ચાર એન્જિનિયરિંગ કોલેજોમાં વિદ્યાર્થીની જાણ બહાર કમ્મરતોડ ફી વધારો કરી દેવાતા વિદ્યાર્થીઓમાં ભારે કચવાટ ફેલાયો હતો.આથી વિરોધ પ્રદર્શીત કરવા માટે ગુરૂવારે એનએસયુઆઇની આગેવાની હેઠળ ચારેય કોલેજના અંદાજે ૪૦૦ જેટલા છાત્રોએ યાજ્ઞિક રોડ પર પહોંચી માલેતુજારોની કાર સાફ કરી હતી. જ્યારે અમુક વિદ્યાર્થીઓએ બુટ પોલીશ્ડ કર્યા હતા અને ચાનું વેચાણ કરી કોલેજોના સંચાલકોની આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો હતો.રાજકોટમાં આવેલી દર્શન, તક્ષશિલા, ભરાડ અને મારવાડી કોલેજમાં વિદ્યાર્થીઓના પરિવારજનોને અસહ્ય લાગે તેટલી ફીમાં વધારો કરી દેવામાં આવ્યો હતો. કોઇપણ પ્રકારની જાણ કર્યા વિના ફી વધુ લેવાનું શરૂ કરી દેવાતા છેલ્લા પાંચેક દિવસથી ભારે ઉહાપોહ મચ્યો હતો.દરમિયાન ગુરૂવારે એનએસયુઆઇના પ્રદીપ ડવ તેમજ ભરતસિંહ જાડેજાની આગેવાની હેઠળ ઉપરોકત ચારેય કોલેજના અંદાજે ૪૦૦ જેટલાં વિદ્યાર્થીઓ રાજકોટના યાજ્ઞિક રોડ પર એકત્ર થયા હતા અને કોલેજોએ વધારી દીધેલી ફી પરિવારજનો આપી શકે તેમ ન હોય પોતે લોકોની કાર સાફ કરીને તેમજ બુટ પોલીશ્ડ કરી અને ચા વેચીને પૈસા એકત્ર કરવાનો નવતર પ્રયોગ કર્યો હતો.છાત્રોનો આ પ્રકારનો વિરોધ જોઇને ત્યાંથી પસાર થતાં લોકો પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા અને છાત્રોની વ્યાજબી વાતમાં સુર પુરાવ્યો હતો. ઘણા કાર ચાલકો છાત્રોને સફાઇના બદલામાં મદદરૂપ થયા હતા.જો કે કોલેજના સંચાલકો દ્વારા કોઇ હકારાત્મક અભિગમ અપનાવવામાં ન આવતાં એનએસયુઆઇ દ્વારા આજે (શુક્રવાર) રેલીનું આયોજન કરાયું છે. આ રેલી યાજ્ઞિક રોડ પર આવેલી ડી.એચ. કોલેજથી બહુમાળી ભવન સુધી જશે.


કુચિયાદડ પાસે અકસ્માતમાં મુંબઇના વેપારીનું મોત : ૩ને ઇજા

કુવાડવા નજીક કુચિયાદડ પાસે કાર રોડ ડિવાઇડર પર ચડી જતાં સર્જાયેલા અકસ્માતમાં મુંબઇના વણિક વેપારીનું મૃત્યુ થયું હતું. જ્યારે, ત્રણને ઇજા થઇ હતી. પિતાના ફૂલ પધરાવવા ગોંડલ જઇ રહેલા વેપારીને રસ્તામાં કાળ આંબી જતાં અરેરાટી મચી ગઇ હતી.રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર કુરિયાદડ અને બેટી ગામ વચ્ચે ચાલુ વરસાદમાં કાર રોડ ડિવાઇડર પર ચડી ગયા બાદ પલટી મારી ગઇ હતી. અકસ્માતમાં કારમાં બેઠેલા મુંબઇના વિરારમાં રહેતા કમલેશભાઇ ઠાકોરભાઇ દોશી (ઉ. વ. ૪૫) મોટાભાઇ કિરીટભાઇ દોશી (ઉ. વ. ૫૦) અને તેમના મિત્રો જતીન સતીષભાઇ મહેતા (ઉ. વ. ૨૯) તથા પંકજભાઇ શાહ (ઉ. વ. ૪૭) ને ઇજા થતાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વેપારી કિરીટભાઇ દોશીનું સારવાર મળે તે પૂર્વે જ મોત નિપજ્યું હતું.


રાજકોટ : વિદ્યાર્થિની સાથે કારખાનેદાર કઢંગી હાલતમાં ઝડપાયો

શહેરના ૧૫૦ ફૂટ રિંગરોડ પરના ક્રિષ્ના બંગ્લોઝમાં રહેતા પટેલ કારખાનેદાર અને તેની ગર્લફ્રેન્ડ મકાનમાં પૂરાયા હતા અને રંગરેલિયા મનાવતા હતા ત્યારે વિસ્તારના લોકોએ બન્નેને મકાનમાં પૂરી પોલીસને બોલાવતા ચકચાર મચી ગઇ હતી.ક્રિષ્ના બંગલોઝમાં મકાન ભાડે રાખીને રહેતો પટેલ નીતિન પરષોત્તમભાઇ ખાચરિયા (ઉ. વ. ૨૫) અવાર નવાર યુવતીઓને પોતાના ઘરે લઇ આવતો હોય તેની આવી ચેષ્ટાઓથી વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા અને પટેલ શખ્સને રંગેહાથ ઝડપી લેવા વોચ ગોઠવી હતી.બુધવારે રાત્રિના નીતિન એક યુવતીને ઘરમાં લઇને ઘૂસ્યો હતો અને મકાનનું બારણું ખૂલ્લું રાખી કઢંગી હાલતમાં બન્ને બીભત્સ ચેનચાળા કરતા હતા. આ દ્રશ્ય જોઇ ઉશ્કેરાયેલા લતાવાસીઓએ બારણું બહારથી બંધ કરી પોલીસને જાણ કરતા માલવિયાનગર પોલીસ દોડી ગઇ હતી અને બન્નેની ધરપકડ કરી હતી.પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જેતપુરનો વતની નીતિન નહેરુનગરમાં કારખાનું ધરાવે છે અને એકલો રહે છે. જ્યારે, તેની સાથે ઝડપાયેલી યુવતી મહેસાણાના ખેરવા ગામની પ્રિયા કિશોરભાઇ વીરપરિયા (ઉ. વ. ૨૨) હતી.રાજકોટના વૃંદાવન સોસાયટીમાં ફૈબા સાથે રહી યુવતી આત્મીય કોલેજમાં અભ્યાસ કરે છે. પટેલ શખ્સ સાથે પરિચય હોય બન્ને રાત્રિના મોજમસ્તી માટે મળ્યા હતા ત્યાં જ ઝડપાઇ ગયા હતા. બનાવથી એ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.લતાવાસીઓએ બન્નેની ધોલાઇ કરી પોલીસને સોંપ્યા.કારખાનેદાર નીતિન કોલેજિયન યુવતીને લઇને મકાનમાં જતાં જ વિસ્તારના લોકો એકઠા થઇ ગયા હતા અને બન્નેને કઢંગી હાલતમાં પકડી ઢોર માર માર્યો હતો. બાદમાં, પોલીસને બોલાવી બન્નેને પોલીસ હવાલે કર્યા હતા.


રાજકોટ : હવે તો પાણીકાપ ઉઠાવી લો !

સ્થાનિક જળાશયોમાં સરેરાશ છ મહિના જેટલો જળજથ્થો ઉપલબ્ધ થઇ ગયો, નર્મદાનાં નીરની ચોરી પણ ઘટી છતાં પાણીકાપના કોરડા વિંઝવાની તંત્રની નીતિ.આવા ભરચોમાસે, આભમાંથી અનરાધાર મેઘકૃપા વરસતી હોય, જળાશયોમાં નવાં નીરની પધરામણી થઇ હોય છતાં રાજકોટવાસીઓની એ કમનસીબી છે કે હજુ પણ પાણીકાપના કોરડા સહન કરવા પડી રહ્યા છે. મેઘરાજાએ આવું સુખ કરી દીધુ હોવા છતાં પાણી વગરના મનપાના તંત્રવાહકો અને શાસકોમાં તો પાણી ન જ આવ્યું!પાંચ આંકડાનો પગાર ખાતા મનપાના અધિકારીઓ પાણી વિતરણની બાબતમાં સંપૂર્ણ નપાણિયા સાબિત થઇ રહ્યા છે તો બીજીબાજુ શાસકોની પણ અણઆવડત છતી થઇ રહી છે.આ અગાઉ શાસકોએ એવા લુખ્ખા વચનો આપ્યા હતા કે, જળાશયોમાં નવાં નીર નહીં આવે ત્યાં સુધી રાજકોટવાસીઓ ઉપર પાણીકાપ નહીં જ નખાય. વચનોને ભૂલીને શાસકોએ પાણીકાપ લાદી દીધો. હકીકતમાં જો નર્મદાનો રાજકોટને કરાર મુજબનો જથ્થો મળતો હોત તો આજે સ્થિતિ આ ન હતો.માત્ર ચોવીસ જ કલાકમાં રાજકોટને પાણી પૂરું પાડતા ભાદર, આજી, રાંદરડા-લાલપરી સહિતનાં જળાશયોમાં મેઘરાજાએ નવા પ્રાણ પૂરી દીધા. ભાદરમાં એક સાથે સાડા બાર ફૂટ પાણી આવી ગયું, જે રાજકોટના જયુબિલી અને ગુરુકૂળ ઝોનને ૧૦ માસ ચાલે તેટલું પાણી ઉપલબ્ધ છે.જ્યારે આજી ડેમમાં આજે માત્ર અઢી કલાકમાં જ ચાર મહિનાનું પાણી ઠલવાઇ ગયું છે. આ ઉપરાંત રાંદરડા-લાલપરી ઓવરફ્લોની આરે છે અને મયાર્દિત માત્રામાં મળતો તેનો ટેકો વર્ષ આખું ચાલે તેવી સ્થિતિ હવે થઇ ગઇ છે.ન્યારી-૧માં વધુ અડધા ફૂટની આવક સાથે આ ડેમ પણ ચાર માસ ચાલે તેટલો જીવંત બની ગયો છે. આમ સરેરાશ ગણીએ તો રાજકોટને છ માસ ચાલે તેટલો જળજથ્થો ઉપલબ્ધ છે જ, અને રહી વાત નર્મદાના નીરની. તો કેનાલમાંથી પાણીચોરીનું પ્રમાણ પણ ઘણું ઓછું થઇ ગયું હોય કરાર મુજબ ૧૬પ લાખ ગેલન મેળવી પાણીકાપ ઉઠાવી શકાય તેમ છે જ, તેમાં કોઇ બે મત નથી. પરંતુ મહાપાલિકાના તંત્રવાહકોમાં પાણીનો છાંટો નથી.અહીં મનપાના તંત્રવાહકો અને શાસકોની અણઆવડત છતી થઇ રહી છે તેમાં પણ શંકાને કોઇ સ્થાન નથી. અધિકારીઓનું પણ પાણી મપાઈ ગયું છે.

No comments:

Post a Comment